રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગૃત યુવાનો બાદ ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા હતા. ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. જયારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાની માંગણી કરી હતી. ત્યાર બાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે રાત્રે પણ ચાલુ રહી હતી. રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા. પોદાર આર્કેડથી સરથાણા જકાતનાકા સુધી બ્રિજ નીચે દબાણ હટાવાયાપોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી. પોદાર આર્કેડથી સરથાણા જકાતનાકા સુધીના 7.5 કિમીના રોડ પર આવેલા બ્રીજની નીચે વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા. રાત સુધીમાં 250થી વધુ ગેરકાયદેસર રહેતા લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ ત્રણ વ્હીલવાલી માલવાહક રેકડી, ઘરવખરી સમાન, ફોર વ્હીલ રેંકડી, સાઈન બોર્ડ, પાથરણા સહિતનું દબાણ હટાવવામાં આવ્યું હતું. સુરત કોર્પોરેશનને સાથે રાખી ક્લીનઅપ ઓપરેશન શરૂ કર્યું: DCPDCP આલોક કુમારે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ, ઉમિયા માતા રોડ અને વરાછા મેઈન ફ્લાયઓવરની નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકોની અમને રજૂઆત મળી હતી કે અહીં રહેતા લોકો અસામાજિક તત્વોની જેમ વર્તન કરે છે. જેને લઈ અમે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને અમે અહીંયા એક ક્લીનઅપ ઓપરેશન શરૂ કર્યું છે. ‘નિયમિત ઓપરેશન કરીશું’વધુમાં જણાવ્યું હતું કે, ઝોન-1ના પોલીસ સ્ટેશન જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન, સરથાણા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાં પણ બ્રિજની નીચે જે લોકો ગેરકાયદેસર રીતે રહે છે, તેમનું પણ અમે ક્લીનઅપ ઓપરેશન કરી રહ્યા છીએ. સાથે જ આ એક દિવસનું કામ નથી એટલે અમે નિયમિત આ ઓપરેશનને હાથ ધરીશું. ‘સમગ્ર કામગીરી SMCના કો-ઓર્ડિનેશન સાથે થઈ રહી છે’સતત ચેકિંગ કરી ગેરકાયદેસર રહેતા લોકોને હટાવીશું. સમગ્ર કામગીરી SMCના કો-ઓર્ડિનેશન સાથે થઈ રહી છે. SMCની ટોટલ સાત ટીમ અમારી સાથે જોડાઈ છે, તેમના જે પણ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બધા અમારી સાથે જોડાયા છે, અને પ્રોપર લીગલ રીતે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ જેથી કોઈને પણ તકલીફ ના પડે. વરાછા ગૌરવ સમિતિએ જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવીવરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવી છે. જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાનો અને જાહેરમાં ગાંજો વેચાતો હોવાનો વીડિયો બનાવી તે મારફતે સિસ્ટમ સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલા મુદ્દે આવેદનપત્ર આપ્યુંમામલો એટલો ગંભીર થયો છે કે, ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલાની ટકોર સાથે સણસણતા આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને તાકીદે બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની, ગેરકાયદે વસવાટ કરનારાઓને જગ્યાથી ખસેડવાની માંગણી કરી છે. કાયમી ધોરણે ઉકેલ લાવવા માગધારાસભ્યે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે. જેસીબી, ટ્રક, ટેમ્પો જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે. જેને કારણે તેની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે. પારાવાર ગંદકી પણ થાય છે. લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાબત ધ્યાને મૂકવામાં આવી હોય ગંભીર ગણી શકાય. પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિત જવાબ આપે એ જરૂરી છે.
ભચાઉમાં અદ્યતન કૃષિ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન:કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે ઇમારતનું અનાવરણ કરાયું
ભચાઉમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભૂમિપૂજન સાથે આ અદ્યતન મહાવિદ્યાલયનું વિધિવત અનાવરણ થયું. આ પ્રસંગે દસમી સંશોધન સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણ ઉપરાંત સંશોધન નિયામક ડૉ. સી. કે. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. સોલંકી અને ભૂતપૂર્વ સંશોધન નિયામક ડૉ. સી. એમ. મુરલીધરન સહિત યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી ઇમારત અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું. કચ્છ જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલી આ દસમી સંશોધન અને પ્લાન સમીક્ષા બેઠકનું અધ્યક્ષસ્થાન કુલપતિએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને સંશોધનો પર ચર્ચા કરવામાં આવી. આ અવસરે કુલપતિએ બદલાતા હવામાનને અનુકૂળ ઊંચું ઉત્પાદન આપતી પાકોની નવી જાતો વિકસાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, કચ્છમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવવા માટે નવી કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વિસ્તારના કૃષિ વિકાસ માટે યુનિવર્સિટીની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. કુલપતિએ બન્ની વિસ્તારમાં ઉપલબ્ધ ઉત્તમ જર્મપ્લાઝમના સંશોધન દ્વારા નવી ઘાસચારા જાતોના વિકાસને વેગ આપવા પર ભાર મૂક્યો. તેમણે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત દરેક કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા 2 હેક્ટર મોડલ પ્લોટની પ્રશંસા કરી. ખેત તળાવડી આધારિત પાણી સંરક્ષણના સરાહનીય મોડલની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ સહ-સંશોધન વૈજ્ઞાનિક ડૉ. રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયું હતું. યુનિવર્સિટીના વિવિધ સંશોધન મથકોમાંથી આશરે 75 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય, ભચાઉના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત કુલ 195 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવા મકાનમાં વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે. હાલમાં આહીર બોર્ડિંગ ખાતે રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આગામી વર્ષે અહીં હોસ્ટેલનું નિર્માણ શક્ય બનશે. ભચાઉના અધિકારી રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, હોસ્ટેલ માટે મંજૂરી મળી ગઈ છે અને બજેટમાં જોગવાઈ થતાં છ માસમાં તેનું નિર્માણ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, ચાર વર્ષનો બી.એસ.સી. એગ્રી. અભ્યાસક્રમ રોજગારલક્ષી અને અત્યંત ઉપયોગી છે. ભચાઉમાં આ અભ્યાસક્રમનું આ બીજું વર્ષ છે અને ચાર વર્ષ બાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો ગતરોજ (27 નવેમ્બર) ભવ્ય પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં, મેળાના પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેદની ઉમટી પડી હતી, જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી., નિલેશકુમાર ઝાઝડિયાના શુભહસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમવર્ષ 1955થી શરૂ થયેલી સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાની આ ભવ્ય પરંપરા આજે પણ એટલા જ ભવ્યરૂપે ઝળહળતી દેખાઈ રહી છે. આ મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે: આ સાથે જ, નાના બાળકો માટે સલામત અને રોમાંચક રાઇડ્સ તેમજ મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું. પ્રથમ સાંજનું મુખ્ય આકર્ષણ: અપેક્ષા પંડ્યાના લયબદ્ધ સ્વરોસાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના લયબદ્ધ સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે લોકગીતો, ભજનો અને ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી. દૂર-દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ ચેનલ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવાનો લાભ લીધો હતો. પ્રથમ દિવસની આ જોરદાર સફળતા બાદ, આ પાંચ દિવસીય મેળા દરમિયાન 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારે તેવો અંદાજ છે. મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા દરમિયાન નજીકની ઝાડીઓમાં આગ લાગી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વેરાવળ ફાયર બ્રિગેડના DCPO નરેન્દ્રસિંહ, ફાયરમેન જિતેન્દ્રસિંહ ગોહિલ અને મયંકકુમાર ડાભી સહિતનો સ્ટાફ મીની ફાયર ટેન્ડર GJ 18 GB 9039 સાથે સ્થળ પર પહોંચ્યો હતો. ટીમે પાણીનો મારો ચલાવી થોડા સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં એક લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. આ વિશાળ જનમેદની અને ભક્તોની ભીડને ધ્યાનમાં લેતા, ફાયર વિભાગની સતર્કતા અત્યંત મહત્વપૂર્ણ હતી.
'દિતવા' અને 'સેન્યાર' વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Ditwah Cyclone LIVE : દક્ષિણ ભારતના રાજ્યો પર એકસાથે બે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને 'દિતવા' (Ditwah) વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. બીજી તરફ, નબળું પડી રહેલું 'સેન્યાાર' (Senyar) વાવાઝોડું પણ 'દિતવા' સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુથી તેલંગાણા સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. જે બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. સળગતી હાલતમાં રોડ પર તરફડિયા મારતો હોય તેવા દ્રશ્યોના વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતી સાથે રકઝક થયા બાદ યુવકે પોતાના શરીરે આગ લગાડીઅમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતી અને પડોશમાં રહેતો 29 વર્ષનો યુવક મિત્ર હતા. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. તે દરમિયાન ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે યુવતી જ્યાં હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાં કામરાન પેટ્રોલ અને લાઇટર લઈને પહોંચી ગયો હતો. જે બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. દરમિયાન કામરાન ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માટે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતા બેભાન થઈ ગઈ હતી. યુવક સળગતી હાલતમાં જ પહેલા માળેથી નીચે પટકાયોકામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માટેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ કામરાનને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, કામરાનનું મોટાભાગનું શરીર દાજી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડી રાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીનું નિવેદન નોંધવામાં આવશે: PI, એસ.એ ગોહિલસરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે જેથી એડી નોંધવામાં આવી છે. યુવતી હાલ સારવાર હેઠળ છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવશે.
જીવલેણ હુમલો:નવસારીમાં યુવતીને છેડતી બાબતે ઠપકો આપવાજતા પરિવારજનો પર 10 જણાએ હુમલો કર્યો
નવસારીના જૂનાથાણાવિસ્તારમાં આવેલ ઝુમરુ ગેસ એજન્સી નજીક ઝૂંપડપટ્ટીમાંરહેતા ભરતભાઇ નાથાભાઈ દંતાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાંત્રણ છોકરા અને બે દીકરીઓ છે.તા. 26 નવેમ્બરના રોજ રાત્રિના8.30 વાગ્યા અરસામાં તેમનોમોટો દીકરો સુનિલ દંતાણીહોમગાર્ડમાં ફરજ બજાવતો હોય લોહીલુહાણ હાલતમાં આવ્યોહતો. ભરતભાઇએ તેને પૂછ્યું કેશું થયું તેમણે જણાવ્યું કે બહેનનીછેડતી કરી ગાળાગાળી કરતા હતાત્યારે હું આવી ગયો અને કેમગાળો આપો છો તેમ કહેતા ભરતપપ્પુ દંતાણી લોખંડના સળિયા વડેસુનિલના માથા પર ફટકારતાલોહીલુહાણ થઈ ગયો હતો. તેમના પરિવાર ઘરની બહારઆવતા તેમના મહોલ્લાના ભરતપપ્પુ દંતાણી, સંજુ લલ્લુ દંતાણી,રોહિત વસંત દંતાણી, કાળો વસંતદંતાણી, શ્રવણ કચો દંતાણી, કચોછોટુ દંતાણી, બે મહિલા સહિત 10લોકોના ટોળાએ તેમના ઘર પાસેઆવીને માર મારવા લાગ્યો હતો.આ હુમલામાં પાંચ વ્યક્તિને ઇજાપહોંચી હતી. પ્રેમસંબંધમાં યુવતી ભાગી ગયા બાદબન્ને પરિવારજનો વચ્ચે વેર બંધાયુંએક જ મહોલ્લામાં રહેતા બન્નેદેવીપૂજન સમાજના લોકો હોયતેમ એક યુવતીને પ્રેમસંબંધ હોય પ્રેમી સાથે ભાગી ગયા હતા.જ્યાંથી આવ્યા બાદ બન્ને પરિવારમાં અંગત અદાવતના બીજરોપાયા હતા. બે-ત્રણવાર બન્ને પરિવાર વચ્ચે મારામારીની ઘટનાબની. તેમાં યુવકના પરિવારજનોને સ્થાનિક બુટલેગરનો સાથ હોયતેઓની મદદથી લડાઈ ઝઘડો વારંવાર કરતા હતા. પોલીસે મારમારનાર 8 આરોપીઓની વહેલી સવારે અટક કરી હતી. આ ઘટનાબાદ જુનાથાણા વિસ્તારમાં ભયનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ગોઝારો અકસ્માત સર્જાયો:કમલાપુર ગામ પાસે અજાણ્યા વાહન ટક્કરે યુવકનું ઘટના સ્થળે જ મોત
ડોલવણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કમલાપુર ગામની સીમમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાણી ગામ રાજપૂત ફળીયાના નિવાસી 31 વર્ષીય આશાસ્પદ યુવક ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.બનાવ બાદ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ની સીસીટીવી કેમેરામાં શોધ હાથ ધરી હતી. માહિતી મુજબ ઘટના તા. 26/11/2025ના રોજ સાંજે 6 કલાકે દર્શનકુમાર કિરણસિંહ પરમાર જેઓ ખેતી અને ઘરે થી જોબ કરતા હતા. પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઇકલ (નં. GJ-19-Q-4938) પર કમલાપુરના બેડચીત ત્રણ રસ્તા પરથી બુહારી તરફ જઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાના વાહનને બેફિકર ઝડપે અને બેદરકારીથી હંકારી દર્શનકુમારની મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે દર્શનકુમારને મોઢા–નાક ઉપર, છાતીના જમણા ભાગે અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઇ હાર્દિકસિંહ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માત અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. ડોલવણ પોલીસ દ્વારા અકસ્માતથી હાઇવે સુધીમાં પોલીસે અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ માટે સીસીટીવી કેમેરાને તપાસ હાથ ધરી હતી. આશાસ્પદ યુવકનું મૃત્યુને લઈને પરિવારજનો અને ઘાણી ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:ગડતમાં 110 બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષય પર 55 મોડેલ રજૂ કર્યા
તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી પેઢીનો રસ વધારવા ડોલવણ તાલુકાના ગડત વિનોબા આશ્રમ શાળામાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ જિલ્લાસ્તરીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન થયું હતું. જીએસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) તાપી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા બીઆરસી ભવન ડોલવણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રુષિભાઈ ગામીતે કર્યું હતું. પ્રદર્શન તાપી જિલ્લાના 110 બાળ વૈજ્ઞાનિકો માટે સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક કાર્ય રજૂ કરવાનો ઉત્તમ મંચ બન્યું. કુલ 55 નવીન મોડેલો રજૂ થયા હતા, જેમાં પર્યાવરણ સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, ટેક્નોલોજીકલ ઈનોવેશન, સ્વચ્છતા, ટકાઉ કૃષિ અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયોનો સમાવેશ થયો હતો. ખાસ કરીને પ્રદર્શન જોવા આવેલા બાળકોને પણ વિવિધ વૈજ્ઞાનિક મોડેલો કેવી રીતે કામ કરે છે, તે શું સંદેશ આપે છે અને ભવિષ્યની ટેક્નોલોજીમાં તેનો ઉપયોગ શું રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શક શિક્ષકોએ સમજણ આપી હતી. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બને છે. બાળ વૈજ્ઞાનિકોના નવતર પ્રયોગોથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ નાના બાળકોમાં પણ વૈજ્ઞાનિક જ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી ચેતના જગાવી હતી.
મોક ડ્રિલનું આયોજન:વ્યારામાં કે.બી. પટેલ સ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રિલ
ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે. બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવા આપત્તિ વ્યવસ્થાપન અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 22 નવેમ્બર 2025ના રોજ યોજાયો હતો, જેમાં આગ, ભૂકંપ અથવા અચાનક બનતી અન્ય આપત્તિ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તેની પ્રેક્ટિકલ સમજ વિદ્યાર્થીઓને અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા આપત્તિના સમયે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવાથી થઈ હતી. ત્યારબાદ વ્યારાના ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવી અને તેમની ટીમે અદ્યતન ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત પ્રસ્તુતિ આપી હતી. ટીમે આગ લાગવા જેવી પરિસ્થિતિ સર્જી તેનો પ્રતિસાદ કેવી રીતે આપવો તે વિદ્યાર્થીઓને દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક મોક ડ્રિલમાં ભાગ લીધો. આપત્તિ સમયે જરૂરી કૌશલ્યો તેમજ સાવચેતીઓ શીખી હતી. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર સુરક્ષા જાગૃતિ જ નહીં પરંતુ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
પાણીની યોજના અધૂરી:ભીનાર ખડકાળા ફળિયામાં અઢી વર્ષે વીજ- જોડાણ મળ્યું છતાં ટાંકી શોભાના ગાંઠિયા સમાન
ભીનારના ખડકાળા ફળિયાના સર્કલ પાસે આવેલ ટાંકીને અઢી વર્ષ બાદ વીજ-જોડાણ મળ્યું પરંતુ હાલ પણ પાણીની યોજના અધૂરી સાબિત થઇ છે. વાંસ તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં 16 જેટલા નળના જોડાણ આપી લાખોના ખર્ચે પીવાના પાણીની ટાંકીના નવ નિર્માણ કાર્ય બાદ તંત્ર વીજ-જોડાણ આપવનું ભૂલી જતા ટાંકી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હતી. સ્થાનિકોની ફરિયાદને પગલે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવી ગયા બાદ યુદ્ધના ધોરણે વીજ-જોડાણ આપીને પાણીની ટાંકી ચાલુ કરી છે. જોકે માત્ર એક નળ જોડાણમાં પાણી આવતું હોવાથી 15 જોડાણમાં ટીપુય પાણી આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. ભીનારના ખડકાળા વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વળવા પાણી પુરવઠા, વિભાગે 14-માં નાણાંપાંચ અંતર્ગત ટાંકીનું નિર્માણ કર્યું હતું પરંતુ અધિરીઓની અણઆવડતને કારણે આ ટાંકી બન્યાને અઢી વર્ષ વિતી ગયા બાદ પણ વીજ-જોડાણ નહીં આપતા આ ટાંકી બિન-ઉપયોગી બની છે. 15મા નાણાંપંચ યોજના અંતર્ગત વર્ષ-2012/22 માં 3 લાખ ના ખર્ચે ટાંકીનું નિર્માણ કરાયું હતું. અહીંના સ્થાનિક ઘરો તેમજ સર્કલ પાસે રાહદારીઓને પાણીની સગવડ મળી રહે તેમજ સામેની સ્કૂલમાં પણ પાઈપલાઇન કરી તેને આજે લગભગ અઢી વર્ષ વીતી ગયા પાણીની કરેલી પાઈપ લાઈનોમાં પણ અનેક જગ્યાએ ભંગાણ થયું હતું. અખબારી અહેવાલ બાદ પાણી પુરવઠા વિભાગને રેલો આવતા અઢી વર્ષ બાદ ટાંકીને કાર્યરત કરવા વીજ જોડાણ આપીને ઔપચારિક કામગીરી બતાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
કલેક્ટરને આવેદન:ડાંગ જિલ્લા કોંગ્રેસનું નશીલા પદાર્થોનાં વેચાણનાં વિરોધમાં કલેક્ટરને આવેદન
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ,ચરસ,ગાંજા,ડ્રગ્ સ જેવા નશીલા પદાર્થોનાં વેચાણનાં વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં ગુજરાત અને ડાંગમાં બેફામ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજાના વેચાણ સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. ગુજરાતને મહાત્મા ગાંધીજીના મૂલ્યોથી વિપરીત 'નશાખોરીનું એપી સેન્ટર' બનતું અટકાવવા માટે કોંગ્રેસે સરકારની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લાં ૩૦ વર્ષના ભાજપ શાસન દરમિયાન ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સહેલાઈથી મળે છે, અને દરિયા કિનારો તથા મેટ્રો શહેરો ડ્રગ્સ-ચરસનું પ્રવેશદ્વાર બન્યા છે. કોંગ્રેસે આ સ્થિતિને ભાજપની ‘ઉડતા ગુજરાત'ની ભેટ ગણાવી છે. વધુમાં જણાવાયું કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે, પરંતુ મોટા કિસ્સામાં કોઈને સજા થઈ નથી. થરાદના શિવપુર ગામની મહિલાઓએ પણ ખુલ્લેઆમ નશાના સેવનની રજૂઆત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કરી હતી. રાજ્યમાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે. મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારીની માંગણી કરતા જણાવ્યું છે કે દારૂબંધી- નશાબંધીનાં કાયદાનું સાચી રીતે કડકપણે અમલ કરો.નશાનો બેરોકટોક વેપલો બંધ કરવો. ગુજરાતનાં ભવિષ્ય એવા યુવાધનને બચાવવાની સાથે તંત્ર અને રાજય સરકારને રજૂઆત કરી હતી.
વાંસદા તાલુકાના મોળાઆંબા ગામના નીચલા ફળિયા રોડ માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી રૂ. 53.40 લાખના ખર્ચે 0.89 કિ.મી. રસ્તાના રિસરફેસિંગની કામગીરી શરૂ કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની રસ્તાના રિસસફેસિંગ તથા નવિનીકરણની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં એમએમજીએસવાય 10 વર્ષ રીસરફેસિગ(પીએમજીએસવા ય) વર્ષ 2024-25 યોજના હેઠળ મોળાઆંબા નીચલા ફળિયા રોડ કુલ 0.89 કિમી રસ્તાના રિસરફેસિંગ માટે રૂ. 53.40 લાખ મંજુર થયા છે. ગ્રામજનોની લાંબા સમયની માંગણી અને ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રસ્તાના રિસરફેસિગની કામગીરી શરૂ કરાઇ છે. આ રોડ ગામને મુખ્ય ધોરીમાર્ગ/ તાલુકા મથક સાથે વધુ સરળતાથી જોડશે. ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને શાળાઓ અને હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. જેને લઈ આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
BLOનું સન્માન:મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાંગના 9 BLOનું સન્માન
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત SIRની ઇએફ વિતરણ અને ડિજિટાઇઝેશનની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લાના વિવિધ મતદાન મથકોના બીએલઓને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયા હતા. જે અન્વયે 13- જામન્યામાળ-1ના બીએલઓ રવિન્દ્રભાઈ ખૈરાડ, 20-સાજુપાડાના બીએલઓ અમિતભાઈ એસ. ગાવિત, 26-ભોંગડીયાના બીએલઓ ઈન્દીયાભાઈ એસ. મરાલી, 144-બિલબારીના બીએલઓ રવિન્દ્રભાઈ એમ. ગવળી, 191-ધૂળચોંડના બીએલઓ છગનભાઈ ગાવિત, 243- ટેમ્બ્રુનઘર્ટાના બીએલઓ પ્રિયંકાબેન ચૌધરી, 253-કુમારબંધના બીએલઓ હરેશભાઈ ગવળી, 257-ચીખલદાના બીએલઓ સેવંતાબેન બાગુલ અને 316-હુંબાપાડાના બીએલઓ ઉષાબેન ઠાકરેને ડાંગ નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ મતદાર નોંધણી અધિકારી, 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને આહવા પ્રાંત અધિકારી દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આ BLOઓની કર્તવ્યનિષ્ઠા અને ઝીણવટભર્યા કામની નોંધ લીધી હતી. આ સન્માનપત્ર દ્વારા તેમની મહેનત, નિષ્ઠા અને ચૂંટણીલક્ષી કામગીરી પ્રત્યેના અસાધારણ સમર્પણને બિરદાવ્યું હતું.
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ગ્રીડ વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કેચ ધ રેઈન થીમ આધારિત સર્કલના ફુવારા લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બંધ થઈ જતા પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગત સપ્તાહે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે 16મી નવેમ્બરના રોજ આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જળ સંચયનો સંદેશો આપતા આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. 18.80 લાખનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, લોકાર્પણના 10 દિવસમાં જ આ સર્કલમાંથી પાણી વહેતું બંધ થઈ ગયું છે. શહેરની શોભા વધારવા અને પર્યાવરણ જાગૃતિ માટે બનાવેલું આ સર્કલ હાલ માત્ર એક સ્ટ્રક્ચર બન્યું છે. આ ઉપરાંત પાણી બંધ થતા સર્કલમાં નીચેના ભાગે ધૂળ પણ જામવા લાગી છે, જેના કારણે લાખોના ખર્ચે ઉભા કરાયેલ સર્કલની હાલત પણ શહેરના અન્ય સર્કલ જેવી જ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં એક ખાસ અભિયાનની ઓળખ આપતું સર્કલ અને તેમાં આકર્ષિત કરતા સ્કલ્પચરને મુકવામાં લાખોનો ખર્ચ કરાયો પણ જો તેમાંથી પાણી જ ન વહેતુ હોય તો નાણાંનો વેડફાટ કરવા કરતા માત્ર મોરનું સ્કલ્પચર મનપાએ મુકી દીધુ હોત તો પણ ચાલી જાત એવુ હાલની સ્થિતિ જોઇને પ્રતિત થઇ રહ્યું છે. અગાઉ પણ ફૂવારાયુક્ત સર્કલ બન્યા પણ જાળવણી ન થઇ શહેરમાં અગાઉ પણ ફૂવારાયુક્ત લોકોને આકર્ષિત સર્કલ બનાવવામાં આવ્યા છે પણ તેની જાળવણી ન કરવામાં આવતા આજે મૃત:પ્રાય બની ગયા છે. જેમાં પરમાર હોસ્પિટલ પાસેનો ફૂવારો જેને હાલમાં બદવવામાં આવ્યો છે. આશાપુરી મંદિર પાછળનું સર્કલ, સુશ્રૃષા હોસ્પિટલ પાસે સરદાર સર્કલ, આંબેડકર ઉદ્યાનમાં બનાવેલ ફૂવારો વગેરે.
આધુનિક ડેપો બન્યો માથાના દુ:ખાવા સમાન:બસ પોર્ટમાં લાંબુ અંતર કાપતા દિવ્યાંગ મુસાફર ફસડાઈ પડ્યો
નવસારીવાસીઓ જેની છેલ્લા 8 વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવું એસ.ટી. બસ ડેપો આખરે બનીને તૈયાર તો થયું છે, પરંતુ લોકાર્પણ બાદ હવે આ આધુનિક ડેપો મુસાફરો માટે આશીર્વાદને બદલે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વિકાસના નામે બનેલા આ સંકુલમાં મુસાફરોની સુવિધા કરતા કોમર્શિયલ હિતો અને કંપનીના ફાયદાને વધુ પ્રાધાન્ય અપાયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.નવા ડેપોની ડિઝાઈનમાં સૌથી મોટી ક્ષતિ એ છે કે બસ પ્લેટફોર્મ મુખ્ય પ્રવેશદ્વારથી આશરે 100 મીટર અંદર બનાવ્યા છે. આક્ષેપ થઈ રહ્યો છે કે આગળની મોકાની જગ્યાનો ઉપયોગ બિઝનેસ પોઈન્ટ તરીકે કરી કંપનીને વધુ ફાયદો કરાવવા માટે પ્લેટફોર્મ પાછળ ધકેલી દેવાયા છે, જેના કારણે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગુરૂવારના રોજ આ અવ્યવસ્થાનું વરવું ઉદાહરણ જોવા મળ્યું હતું. ચાલવામાં તકલીફ ધરાવતા એક દિવ્યાંગ મુસાફર બસ પકડવા માટે આ લાંબુ અંતર કાપતી વખતે સંતુલન ગુમાવીને જમીન પર પટકાયા હતા. આ ઘટનાએ તંત્રની સંવેદનહીનતા છતી કરી છે. આ 100 મીટરનું અંતર યુવાનો માટે સામાન્ય હોય શકે પરંતુ વૃદ્ધો, અશક્ત દર્દીઓ અને દિવ્યાંગો માટે તે કોઈ સજાથી ઓછું નથી. ભારે સામાન સાથે આટલું અંતર કાપવું મુશ્કેલ બની રહ્યું છે. જુના બસ ડેપોની 70 ટકા જગ્યામાં બિઝનેસ સેન્ટર તાણી દેવાયું છે અને માત્ર 30 ટકા જેટલી જગ્યા બસ માટે ફાળવી હોય તેવુ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. સરકાર વિકાસના નામે લોકોને અંધારામાં રાખીને ખાનગી કંપની અને બિઝનેસમેનને ફાયદો કરાવી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ નવસારી બસ પોર્ટ છે તે વાતમાં કોઇ બેમત નથી. પાર્કિંગ તૈયાર છતાં તાળાબંધી અને બહાર ટ્રાફિક જામડેપોમાં સુવિધાના નામે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી મુસાફરો માટે ખુલ્લું મુકાયું નથી. તંત્ર દ્વારા કોઈ એજન્સીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાની વાતો કરીને તેને બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે, મુસાફરો અને તેમને મૂકવા આવતા લોકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરવા મજબૂર બન્યા છે. આડેધડ પાર્કિંગને કારણે ડેપોની બહારના વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે અને અન્ય વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે.
કરુણ બનાવ:ધામદોડ પાસે હાઇવે પર મોપેડ સ્લીપ ખાતા યુવકનું મોત થયું
માંગરોળના ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા મોપેડ સ્લિપ થતાં ચાલકનું માથું ડિવાઈડર સાથે અથડાયું હતું. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક મહેન્દ્રસિંહ ખેર (ઉં.વ. 32) માંગરોળના તરસાડી ખાતે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ પોતાની એક્ટિવા લઈને ધામરોડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડના પહેલા ટ્રેક પર મહેન્દ્રસિંહ મોપેડ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. બેકાબૂ બનેલી મોપેડ પશુ કેન્દ્ર સામે સ્લિપ ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મહેન્દ્રસિંહનું માથું હાઈવેના ડિવાઈડર સાથે અથડાયું હતું. તેમને માથાના જમણા ભાગે અને જમણી આંખ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.
BLOની તબિયત લથડી:BLOનું કામ કરતી શિક્ષિકાની તબિયત લથડી, ICUમાં દાખલ
નવસારીના એરુ ચાર રસ્તા વિસ્તાર રહેતા શિક્ષિકા શીતલબેન હાલમાં SIR (Special Intensive Revision) અંગેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામના પ્રેશર ને કારણે તેમની તબિયત લથડી પડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં ખસેડાયા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ SIR ની પ્રથમ તબક્કાની કામગીરી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે ત્યારે જલાલપોર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. તાજેતરમાં શીતલબેન ને ત્યાં દીકરાના લગ્ન હતાં.એ દરમિયાન પણ SIR ની કામગીરીમાં BLO ની જવાબદારી પૂર્ણ કરવા દબાણ હતું. એક ઘરમાં પ્રસંગ અને બીજી તરફ સરકારની કામગીરી વચ્ચે તેઓ મથામણ અનુભવતા હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.ઘરમાં જ દિકરાન લગ્ન પૂર્ણ કરી ઊપલા અધિકારીએ તેમને કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી તેઓ પુનઃ BLOની કામગીરીમાં જોડાઇ ગયા હતા પરંતુ કામનું પ્રેશર થી તેઓ ચિંતામાં ગરક થઇ ગયા હતા. દરમિયાન આજે સાંજે 4 થી 5 કલાકની આસપાસ કામગીરી કરતા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. પ્રેશર વધી ગયું હતું જેને લઇને તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન તેમના પતિ તેમની સાથે હતા જેથી તેમને સમયસર તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રેશર વધી જતાં તેમને આઇ.સી યુ.માં ખસેડાયા હતાં. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ તેમના 400 જેટલા ફોર્મ રિકવર કરવાના બાકી છે. બીએલઓની કામગીરીનું ટેન્શનઘરમાં પ્રસંગ હોવા છતાં બીએલઓ ની કામગીરી ને લઈને ટેન્શનમાંહતા. સમય મર્યાદા કામ પૂરું કરવાનું હોવાથી અને તે અંગે સતતમોનીટરીંગથી થતા ચિંતામા પડી જતાં તેમની તબિયત લથડી છે. હાલતેમને સારવારમાં ખસેડાયા છે. આઇસીયુ મા તેમની સારવાર ચાલી રહીછે. દીકરાના લગ્ન હતા ત્યારે પણ તેઓ આ જ ટેન્શનમાં રહ્યાં હતા.સતત કામગીરીને લઇ ચિંતામાં રહેતા તેમની તબિયત પર અસર રહેવાનુંલાગી રહ્યું છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. પરિસ્થિતિમાં સુધારો થઇરહ્યો હોવાનું તબિબે જણાવ્યું હતું. > જગદીશભાઈ પટેલ, બીએલઓશિક્ષક પતિ કોઇ પ્રેશર કરાયું નથી ઉલટાનું કચેરીતરફથી તમામને સહકાર અપાય છેદરેકને કચેરી તરફથી જરૂર જણાય ત્યાં મદદ કરાય છે. એરૂ વિસ્તારમાંઝોન સુપર વાઈઝર તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા 15 વર્ષ થીઆ કામગીરી કરતા રહ્યા છીએ પણ કોઈને પ્રેશર આપવામા આવતુંનથી. સરકારે જે કામ આપ્યું છે પૂર્ણ કરવાની દરેક કર્મચારીની ફરજછે. તેના ભાગ રૂપે દરેકે પોતાનું યોગદાન આપવાનું હોય છે. વધુમાંકચેરી તરફથી ફોર્મ અપલોડ કરવા માટે પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમોડી રાત સુધી કામ ચાલી રહ્યું છે.BLO ને ઘરમાં પ્રસંગ હોવાથી પણજેટલી છૂટ આપવાની હતી આપી જ હતી.એ પછી જ તેમણે કામ શરૂ કર્યુંહતું.બાકી પ્રેશર આપવાની વાત ખોટી છે. >ડો.ચિરાગ દેસાઇ, ઝોનસુપરવાઈઝર, જલાલપોર
વૈશ્વિક ચિંતા : એઆઈનો દૂરુપયોગ ગુનાખોરી વધારી રહ્યો છે
- 2019 થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક સાથે જોડાયેલા ગુનાઓમાં ૫૫૦ ટકાનો વધારો, આ ગુનાખોરીના કારણે 70,000 કરોડ રૂપિયાનું નુકસાન ગયાનો અંદાજ છે - 2024માં સાઈબર ક્રાઈમના કુલ 19.18 લાખ કેસ નોંધાયા હતા. જે તેના આગળના વર્ષની સરખામણીએ ઘણા વધારે હતા. આ દરમિયાન લોકોએ કુલ 22,812 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જે 2023ના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે : મોટાભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરતા હોય છે.
નારગોલ ગામના તળાવમાં બિલ્ડિંગના તમામ શૌચાલયનું ગંદુ પાણી પાઇપ લંબાવી છોડવામાં આવી રહ્યું હોય જાહેર આરોગ્યને જોખમ ઊભું થયું છે જેને લઇ જવાબદાર બિલ્ડર સામે પંચાયતે પોલીસ GPCB ને ફરિયાદ કરી છે. ગ્રામ નારગોલ વિસ્તારમાં હરિ રેસીડન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. જે બિલ્ડિંગના તમામ ફ્લેટના શૌચાલયનું ગંદુ પાણી પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાથી ગંદુ પાણી બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં ફેલાઈને વહી રહ્યું હતું જેને લઇ પાડોશી પારસી પીરઝાદ જીનવાલાએ ફરિયાદ કરી પંચાયતનું ધ્યાન દોરતા આ બાબતે બિલ્ડર મુકેશ ભાનુશાલીને પંચાયતે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ બિલ્ડરે પાઇપ રિપેર કર્યાનું જણાવ્યું હતું. પરંતુ ગંદુ પાણીની પાઇપ સોપપિટ ટેન્કમાં જોડવાના બદલે બિલ્ડરે પાઇપ બિલ્ડિંગની જમીનને અડીને પંચાયતના તળાવમાં લંબાવી ગંદુ પાણી તળાવમાં છોડવાની બાબત પંચાયત સરપંચ સ્વીટીબેન ભંડારી તથા તલાટી કમ મંત્રી પ્રદીપ કેવટને ધ્યાને આવતા સાક્ષીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ગંદું પાણી JCB થી બંધ કરાવી જાહેર આરોગ્યને જોખમ ઉભુ કરનાર બિલ્ડર મુકેશ ભાનુશાલી તથા જવાબદારો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જાહેર આરોગ્ય અધિકારી, મરીન પોલીસ સમક્ષ લેખીત ફરિયાદ કરી છે. પંચાયતે બિલ્ડર સમક્ષ મોટો દંડ વસૂલ કરવા તથા RERAમાં પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ભાસ્કર નોલેજગંદકી કરનાર સામે આ કાર્યવાહી થઈ શકે
ભીનું સંકેલવાના પ્રયાસ:ખેરના લાકડાની તસ્કરી પ્રકરણમાં મહિલા ફોરેસ્ટરની બદલી સાથે સસ્પેન્ડ કરાઇ
ચીખલીના ગોડથલ વિસ્તારમાંથી ખેરના લાકડાની તસ્કરીના નેટવર્કનો મહારાષ્ટ્ર વન વિભાગ દ્વારા પર્દાફાશ કરવાના પ્રકરણમાં મહિલા ફોરેસ્ટરની બદલી સાથે ફરજ મોકૂફીના હુકમથી વન વિભાગના અધિકારીઓ સંતોષ માની જવાબદાર ઉચ્ચ અધિકારીને બચાવી લઈ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાના અણસાર જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા 4 નવેમ્બરની આસપાસ ચીખલી તાલુકાના ગોડથલ ગામેથી ભરાયેલ ખેરના લાકડાનો મસમોટા જથ્થો સાથેની ટ્રક ઝડપી પાડતા ચીખલી-વલસાડના વન વિભાગના અધિકારીઓની પોલ ખુલી ગઇ હતી અને હવે ગુનાની ચોક્કસ વિગત જાહેર કરવામાં આવતી નથી. ગતરોજ સુરત સર્કલના સીએફ ઉપરાંત વલસાડ ઉત્તર વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓએ ચીખલીમાં ધામા નાંખી કેટલાક વન કર્મીઓની પૂછપરછ બાદ ચીખલીના રાઉન્ડ ફોરેસ્ટરને વલસાડ ડીસીએફ દ્વારા વલસાડ ડિવિઝનમાં બદલી સાથે મહિના સુધી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ મોકૂફીનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હકીકતમાં ગોડથલની ભરાયેલ ખેરના લાકડાના 100થી વધુ નંગનો જથ્થો હોય તેવામાં એકલા રાઉન્ડ ફોરેસ્ટરની જ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાઈ છે ત્યારે ફોરેસ્ટરની ઉપરના આરએફઓ, એસીએફ સહિતના અધિકારીઓની કોઈ જવાબદારી નથી થતી ? માત્ર ફોરેસ્ટર પર કાર્યવાહી કરી જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવા સાથે ભીનું સંકેલવાના અણસાર જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ચીખલી રેંજ ધરમપુર સબ ડિવિઝનના તાબામાં હોય ખેરના લાકડાની તસ્કરીમાં આજદિન સુધી ઉચ્ચ અધિકારી સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આજના સમયમાં પણ માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ બીલીમોરાના યમુનાનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. 10 મહિના અગાઉ ઓસ્ટ્રેલિયામાં પોતાના જ રૂમ પાર્ટનર દ્વારા હત્યાનો ભોગ બનેલા મિહિર દેસાઈના પરિવાર પર આવી પડેલા દુઃખના પહાડ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિત મિત્ર વર્તુળ સહારે આવ્યું છે. મિત્રોએ એકત્ર કરેલા 17 લાખમાંથી માતાના ભવિષ્ય માટે 16 લાખની ફિક્સ ડિપોઝીટ (FD) કરવામાં આવી છે. મૂળ બીલીમોરા નજીકના દેગામના વતની અને હાલ બીલીમોરાના યમુનાનગરમાં રહેતા માયાબેન દેસાઈનો પુત્ર મિહિર દેસાઈ ઓસ્ટ્રેલિયાના બરુડમાં સ્થાયી હતો. આશરે 10 મહિના પહેલાં મિહિરની સાથે જ રહેતા તેના રૂમ પાર્ટનરે કોઇ અગમ્ય કારણોસર તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ સમાચાર મળતા જ બીલીમોરામાં રહેતી તેની વિધવા માતા માયાબેન દેસાઈ અને સમગ્ર પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો અને દીકરાના મૃત્યુથી માતા નિરાધાર બની ગઈ હતી. આ કપરા સમયમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા ઓસ્ટ્રેલિયામાં રહેતા જીતેશ ઢીમ્મર (મુશી) દ્વારા અથાગ પ્રયત્નો કરી મિહિરનો મૃતદેહ ભારત મોકલ્યો હતો. હાલ જીતેશભાઈ ઓસ્ટ્રેલિયામાં જ સ્થાયી છે. મિહિરના મૃત્યુ બાદ તેમને મિહિરના માતાની જીવન નિર્વાહની ચિંતા થતાં તેમણે માતાના મદદ અર્થે ફંડ એકત્ર કરવા મુહિમ ચલાવી હતી અને તેમાં પણ જીતેશ અને તેમના સામાજિક કોન્ટેક્ટ અને તેમનું મિત્ર મંડળ આગળ આવ્યું હતું. જીતેશ ઢીમ્મર અને મિત્રોએ સ્વૈચ્છિક ફાળો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ઢીમ્મર સમાજ દ્વારા પર માતબર રકમ ફાળવાઇ હતી અને ફંડ એકત્ર કરાયું હતું. જોતજોતામાં મિત્ર વર્તુળ દ્વારા કુલ 17 લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરાઇ હતી. એકત્ર થયેલી રકમમાંથી મિહિરની માતાના નામે બીલીમોરાની એસબીઆઇ શાખામાં રૂ.16 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવી છે, જેથી તેના વ્યાજમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. બુધવારે આ ફંડ અંગે બીલીમોરા એસ.બી.આઈમાં મિહિરના સ્થાનિક મિત્ર મંડળ અને માતા માયાબેન દેસાઈ, માજી શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ, શહેરના જાણીતા વકીલ પંકજ મોદી, બીરેન બલસારા એસ.બી.આઈ. મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર વિશેષ:ભારતના કાયદા બંધારણને આધીન,તેમાં લોકશાહી, સમાનતાની ભાવના છે: નિપા રાવલ, ડિસ્ટ્રિક્ટ જજ
વલસાડમાં ભારતના બંધારણ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા મથકે કોર્ટ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં ડીજીપી સરકારી વકીલ અનિલભાઇ ત્રિપાઠીની આગેવાની હેઠળ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ન્યાયાધીશ નિપા સી.રાવલ,એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ ડી.જે.શાહ,જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી.જી.પોપટ,વલસાડ તાલુકાના જ્યુડિશ્યિલ ઓફિસરો હાજર રહ્યા હતા.સ્વાગત વકતવ્ય વકીલ વિજય સોલંકીએ કર્યું હતું. મહાનુભાવોએ બંધારણના આમુખનું વાંચન કર્યું હતું.ડિસ્ટ્રિક્ટ જજ નિપા રાવલે જણાવ્યું કે, ભારતના તમામ કાયદાઓ બંધારણને આધિન છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, બંધારણમાં લોકશાહી,સમાનતાની ભાવના જળવાયેલી છે. સૌની ફરજ છે કે બંધારણનું ચૂસ્ત જતન કરી બંધારણમાં આપેલી ફરજોનો નિર્વાહ કરીએ.સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે,દેશના તમામ નાગરિકો માટે તેમના હક્કો અને ફરજો માટે ભારતના બંધારણની રચના કરાઇ હતી .ભારતમાં જૂદા જૂદા ધર્મ અને તે ધર્મોનું પાલન કરતાં દરેક નાગરિક માટે બંધારણ એક ગ્રંથ છે., જે એક બીજા ધર્મ,જાતિ અને વર્ણ સાથે જોડે છે અને સૌને એક સમાન અધિકાર આપે છે. કાર્યક્રમમાં પી.પી. આસિ.પી.પી.ચીફ લીગલ કાઉન્સીલના સભ્યો,વલસાડ વકીલ મંડળના પ્રમુખો સભ્યો ઉપસ્થિત કહ્યા હતા.જિલ્લા સરકારી વકીલ કચેરીના સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી.
BLOનું સન્માન:વલસાડમાં છરવાડા BLO પૂનમ પટેલનું 100% ડિજીટલાઇઝેશન બદલ સન્માન
વલસાડ તાલુકામાં એસઆઇઆરની કામગીરી દરમિયાન વિધાનસભા મત વિસ્તાર 179 ના ભાગ નં.113 બુથ નં.1 પર ફરજ બજાવતા બીએલઓ પૂનમબેન પ્રશાંતભાઇ પટેલ (કોળી પટેલ) છરવાડાનાએએ પોતાની કામગીરીના બુથ નં.1 પરના 1015 મતરાદોનું 100% ડીજીટાઇલેશન નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વલસાડના પ્રાંત અધિકારી વિમલભાઇ પટેલ ના હસ્તે પૂનમબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂનમબેન કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ શશીભાઇના ભાઇના દિકરી છે.આ સિદ્ધિ બદલ તેઓએ તથા કોળી સમાજના પ્રમુખ વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પૂનમબેનની કામગીરીને બિરદાવી સમાજ તરફથી અભિનંદન પાઠવ્યા હતા. પૂનમબેન પોલીસ હેડ કવાટર્સ, મોગરાવાડી ખાતે શીક્ષીકા તરીકે ફરજ બજાવે છે.
ધરમપુરનાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના રાજ સભાગૃહમાં “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ પર આયોજીત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ગુજરાત ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. 27થી 29નવેમ્બર સુધીની આ ત્રીદિવસીય ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રી, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને 241 જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવી કહ્યુ હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ ચિંતન શિબિરો પુરું પાડે છે. લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ ચિંતન શિબિરોમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી હોવાનું જણાવ્યુ હતું. ચિંતન શિબીરમાં વિકસિત ગુજરાતને વધુ દ્રઢતા પુર્વક સાકાર કરવાં જે પાંચ ફોકસ સબજેક્ટ ચર્ચા અને ગ્રુપ ડિશક્શન માટે પસંદ કરવામાં આવ્યા છે.
CMએ માણી ક્રિકેટની મજા:ચિંતન સાથે હળવા મૂડમાં મુખ્યમંત્રી રમતના મેદાનમાં ઉતર્યા
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફથીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
નેશનલ હાઇવે નંબર 48 પર ગત રોજ એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં એક બેફામ ટ્રક ચાલકે જાણે કાળ બનીને હાઇવે પર આતંક મચાવ્યો હતો. પારડી નજીક ચંદ્રપૂર ઓવરબ્રિજ પર આ ટ્રક ચાલકે તમામ નિયમોને નેવે મૂકીને પોતાની ટ્રકને રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે દોડાવી હતી. હાઇવે પરના વાહનોની વચ્ચે રોંગ સાઇડે આવતી આ ટ્રક જોઈને અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દ્રશ્ય સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકોએ જોતા વિડીયો ઉતારી લીધો હતો, જે પુરાવારૂપે સાબિત થયો. હિંમત કરી કેટલાક લોકોએ ટ્રક ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો અને આખરે તેને આંતરીને ઊભો રખાવ્યો હતો. સ્થાનિકોએ પારડી પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલક નશામાં ધૂત હોય તેની ધરપકડ કરી કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી હતી.
મુખ્યમંત્રીને ફરિયાદ:ખાવડા ગામમાં પાણીની તંગી બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ
સરહદી ગામ ખાવડા અને તેના આસપાસ નાના ગામડાઓમાં માનવ વસ્તી અંદાજે સત્તર હજારથી વધુ છે, જયારે ગામની પાણીની સવલતને લાગે વળગે છે ત્યાં સુધી પાણી પુરવઠા બોર્ડ તરફથી સને 2011ની સત્તાવાર વસ્તીને માપદંડ માનીને માત્ર 3,500ની વસ્તીની સંખ્યાને ધ્યાનમાં રાખીને પાણીનોજથ્થો સપ્લાય થાય છે. વિશેષમાં આ વિસ્તાર પોતાના પશુધનનો નિભાવ અને તેના થકી આર્થિક ઉપાર્જન ઉપર આધારીત માનવ વસાહતો કે જેને વાંઢ તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે તેવા લોકોનો પણ અત્રે આ વિસ્તારમાં સમાવેશ થઈ જાય છે. ખાવડા વિસ્તારમાં હાલ નવી નવી કંપનીઓ આવી હોવાથી જન સંખ્યા વધી છે. શીયાળાની ઋતુમાં પણ પાણીની અછત સર્જાતી હોય, ત્યારે ઉનાળાની મધ્યમાં કેવી પરિસ્થિતિ પ્રવર્તશે. મુખ્યમંત્રીને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં અમારા ગામે 10 દિવસ સુધી પાણી બંધ રાખવામાં આવ્યું હતું. અધિકારીઓ તેમાંયે ખાસ કરીને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ધારાસભ્યની રજુઆત પરત્વે પણ કોઈ સકારાત્મક પ્રતિભાવ આપતા નથી અને જેમ ચાલી રહ્યું છે, તેમાં થોડો પણ ફેરફાર કરવા કે ખાવડા ગામ માટે પાાણીનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ સુચારૂ પ્રયત્ન કે કોશીષ કરવામાં આવતી નથી.નોંધનીય છે કે, ખાવડા વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:રાપરના મોમાયમોરા પાસે નર્મદા કેનાલમાં લીકેજથી મહામૂલું પાણી રણમાં વેડફાયું
ગત મહિને વાગડમાં વરસેલા ભારે વરસાદના કારણે તાજેતરમાં મોમાયમોરા નજીક નર્મદા કેનાલના 94 નંબરના ધરથી 300 મીટર આગળ રણ વિસ્તારમાં એક ધર થવાના લીકેજના કારણે હજારો ક્યુસેક મીઠુ પાણી નાના રણમાં વહી જતાં રણ આખું સરોવર બની ગયું છે. ઘરનું સમાર કામ કરવાના બદલે નર્મદા નિગમના અધિકારીઓ, કોન્ટ્રાકટરો બેદરકાર જણાઇ રહ્યા છે જેના કારણે મોમાયમોરાથી આગળ જવુ જોઈએ તેટલું પાણી નથી જતું. રવિ સીઝન હોવાથી ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે પણ પાણી ખેતરો સુધી નથી પહોંચતું. લીકેજના કારણે ભચાઉ પાસે સલીમગઢથી છોડાયેલો 1700 ક્યુસેકનો જથ્થો 500 ક્યુસેક જેટલો થઈ જાય છે. મોમાયમોરાના ખેડૂત દયારામ મારાજે જણાવ્યું હતું કે, ઘર ખુલ્લો રહી જતા છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં પાણી રણમાં જઈ રહ્યું છે. હાલે રવિ સીઝનમાં હજારો ક્યુસેક પાણી વહી ગયું છે અને આગળ વહેશે એટલે રણ આગામી દિવસોમાં દરિયો બની જશે. સબ ડિસ્ટ્રિક્ટ કેનાલોમાં પાણી નહીં પહોંચે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાગડમાં આવેલા ભારે વરસાદમાં અનેક જગ્યાએ ક્ષતિગ્રસ્ત બનેલી કેનાલ એક મહિનાથી વધુ સમય માટે બંધ રહ્યા છતાંય નર્મદા વિભાગ ટેન્ડરોમાંજ પરોવાયેલો રહ્યો હતો. ખેડૂતોની રવિ સીઝન આવી તેવામાં કેનાલ બંધ રહેતા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરાઇ હતી જેના પગલે તેમણે અધિકારીઓને આપેલી સુચના થકી કહેતાં કેનાલ શરૂ થઈ હતી. રણમાં વરસાદનું પાણી છે, કેનાલનું નહીં !સાંકળ 94 ખાતે ફરજ બજાવતા રીતેશભાઈ શોભાવતે જણાવ્યું હતું કે, ઘર ખુલ્લો નથી રાખ્યો પણ રબર લીકેજ છે અને બહુ ઓછી માત્રામાં ત્યાંથી પાણી નીકળી રહ્યું છે. ઉપરથી 1700 કસુસેક પાણી આવે છે તેટલું જ પાણી આગળની કેનાલ માં જાય છે તેવો દાવો કર્યો હતો. રણમાં અગાઉના વરસાદનું પાણી ભરાયું છે. હાલે સમગ્ર કેનાલ 82થી 133 સુધીનો સર્વે ચાલી રહ્યો છે તેમાં આ કામ લેવડાવ્યું છે જેનો રિપોર્ટ દસ દિવસમાં આવશે. જો કે, આ લીકેજ બંધ કરવા બાબતે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હોતો અને પાણીનું સ્તર ઘટશે તો કદાચ લીકેજ નહીં થાય તેવો તર્ક રજૂ કર્યો હતો.
વિકાસની આશ:રેલ કનેક્ટીવીટી કચ્છના વિકાસને પાંખો આપશે
ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બર ભવન ખાતે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવીઝનના ડીઆરએમ વેદ પ્રકાશ, ગાંધીધામના એઆરએમ આશિષ ધનિયા, ડીસીએમ મકવાણાની ઉપસ્થિતિમાં મહત્વપુર્ણ સંવાદ સત્ર યોજાયું હતું. જેમાં કચ્છના વેપા૨-ઉદ્યોગ, ભવિષ્યની રેલ્વે જરૂરીયાતો અને મુસાફરોની સુવિધાઓ અંગે વ્યાપક અને દિશાદર્શક અંગે વ્યાપક અને ગહન ચીંતન કરીને ચર્ચા કરાઈ હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું કે, કચ્છ દેશના લોજિસ્ટિક્સ નકશામાં મહત્વનું કેન્દ્ર છે અને અહીં લાઇન ક્ષમતા, વધારાના યાર્ડ, રેક ક્લીનિંગ સુવિધા, સાઈડિંગ વધારવા જેવી સુવિધાઓનું મજબુતીકરણ વાણિજ્યને નવી ગતિ આપશે. સાથે માત્ર માલ પરિવહન જ નહીં, પરંતુ મુસાફરોની મુશ્કેલીઓ, ખાસ કરીને રોજગારી માટે કચ્છમાં આવનારા બાહ્ય રાજ્યના શ્રમિક વર્ગને પીવાનું શુદ્ધ પાણી, બેસવા–ાહેવા માટે શેડ, સોલ૨ લાઇટિંગ, પાર્કિંગ તથા એન્ટ્રી–એક્ઝિટ પોઈન્ટ જેવા આધારભૂત વિકાસની તાતી જરૂરિયાત પણ સ્પષ્ટપણે વ્યક્ત કરાઈ હતી. ગોપાલપુરી, ગાંધીધામ અને અન્ય સ્ટેશનોને આધુનિક બનાવવા, કુકમા(રેલડી) ખાતે ઓવર બ્રીજ બને ત્યાં સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા દ્વીમાર્ગીય રસ્તાનું વિસ્તરણ કરવા, સ્ટેશન ૫૨ ભીડ નિયંત્રણ સુવિધાઓને સુધારવા માંગ પણ ચેમ્બર તરફથી ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ચેમ્બરના વરિષ્ઠ પ્રતિનિધિઓ તથા ડીઆરયુસીસી સભ્યો પૈકી પૂર્વ પ્રમુખો તેજાભાઈ, બચુભાઈ આહીર, પારસમલ નહાટા અને રાકેશકુમાર જૈન દ્વારા મુસાફર ટ્રેનો અંગે વિશેષ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજુ કરવામાં આવી હતી. જેમાં ભુજ–સરાય રોહિલ્લા ટ્રેનને દૈનિક કરવાનો પ્રસ્તાવ, ભુજ-ગાંધીનગર, ભુજથી હરિદ્વાર–અયોધ્યા-કોઇમ્બતુર દિશામાં નવી ટ્રેન, તેમજ મુંબઈ માટે વંદે ભારત સ્લીપરની તાત્કાલિક જરૂરિયાતનો સમાવેશ થાય છે. કૈલાશ ગોર દ્વારા માંડવી વિસ્તારને રેલ નેટવર્ક સાથે જોડવાની માંગ પણ ન્યાયસંગત રીતે રજુ થઈ હતી. આ તમામ મુદ્દાઓ ડીઆરએમ અને એઆરએમ દ્વારા નોંધવામાં આવ્યા અને તેમના સમાધાન માટે સંવેદનશીલ અભિગમ અપનાવવાની ખાતરી અપાઈ હતી. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ તેમના સંયુક્ત વિશેષ શુભેચ્છા સંદેશ પાઠવીને રેલ્વે અધિકારીઓનો આ સંવાદ સત્ર માટે આભાર વ્યક્ત કર્યો હતો. એઆરએમએ જણાવ્યું કે, ગાંધીધામ સબ ડિવીઝન કચ્છના અર્થતંત્રનું જીવંત હાર્ટલાઇન છે અને અહીંના વેપારીઓની આવશ્યકતાઓને સમજવું અને તેને ઝડપથી સમાધાન કરવું રેલ્વેની ફરજ છે. કચ્છના લોકોની રેલ યાત્રા જરૂરિયાતો અનોખી છે—ક્યારેક લાંબા અંતરની, ક્યારેક પર્વ-ઉત્સવો સાથે જોડાયેલી, તો ક્યારેક રોજગાર માટે. તેથી આ માંગણીઓ સંપૂર્ણપણે યુક્તિસંગત છે. તેનો અભ્યાસ કરી ઉચ્ચ સત્તાને મોકલવામાં આવશે.’ કાર્યક્રમનું સમાપન ડીઆરયુસીસીના સભ્ય પારસમલ નહાટા દ્વારા કરાયેલા આભારવિધી સંબોધન સાથે કરાયું હતું, જેમાં તેમણે ખુલ્લા મંચ ૫૨ તમામ પ્રશ્નોને ધીરજપૂર્વક સાંભળી, સમજપૂર્વક જવાબ આપવાની DRM-ARMની તૈયારીને બિરદાવી હતી. સંવાદ સત્રમાં પુર્વ પાલિકા ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે મુસાફરોને લગતા મહત્વના ચાર મુદાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે રેપીડ ટ્રેનની સીટો 4-5 કલાક બેસી શકાય તેવી નથી, તેમાં જરા પણ ટેકો આપી શકાય તેવી વ્યવસ્થા નથી. તો કચ્છથી હરીદ્વાર અને અયોધ્યાની ટ્રેનની માંગ દશકો જુની છે. તેમણે મુંબઈની ટ્રેનોના ફેરા વધારવા, તેજસ ટ્રેસ શરૂ કરવા પર પણ ભાર મુક્યો હતો. આ સીવાય હરીશ માહેશ્વરી, લક્ષ્મણભાઈ આહીર, કમલેશ રામચંદાની, અનિમેષ મોદી, કૈલેશ ગોરએ માંડવી ક્નેક્ટીવીટી, આદીલ શેઠના, જગદીશ ન્હાટા, મનોજ મનસુખાની, રાજીવ ચાવલા, શરદ ઠક્કર, રાજુ ચંદનાની, અભિષેક પારેખ, રામકરણ તિવારી, મિહિર કાનગડ, ભૌમિક પુજ તેમજ વિવિધ ઉદ્યોગ સમૂહો, એસોસિએશનો જોડાયા હતા. માત્ર 7 માસમાં 29.18 મિલિયન ટનનું પરિવહન થયુંકાર્યક્રમનું સંચાલન કરતા ચેમ્બરના ખજાનચી નરેન્દ્ર રામાણીએ પશ્ચિમ રેલ્વેની તાજેતરની વિશિષ્ટ સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવી, માત્ર સાત મહિના જેવી અવધિમાં 29.18 મિલિયન ટનથી વધુનું માલ પરિવહન અને 3.865 કરોડથી વધુના રેવન્યુનું પ્રાપ્તિકરણ દર્શાવી જણાવ્યું હતું કે, રેલવેની આ પ્રગતિ માત્ર આંકડા નહીં પરંતુ કચ્છના વેપાર, ઉદ્યોગ અને પરિવહન તંત્રના મજબૂત સમન્વયનું પ્રતીક છે. જેમાંથી 22.77 મિલિયન ટનનો અગ્રણી ફાળો ફક્ત ગાંધીધામ વિસ્તારમાંથી મળવો એ કચ્છની પરિવહન ક્ષમતાને રાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન અપાવે છે. ચેમ્બરે આ સાથે કચ્છમાં ચાલી રહેલા આશરે 800 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યો તથા નલીયા-વાયો૨-જખૌ પોર્ટ કનેક્ટિવિટી જેવા ભવિષ્ય નિર્માણકારી પ્રોજેક્ટ્સની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી. નવી કનેક્ટિવિટીની દિશામાં કામ ચાલી રહ્યું છે : DRMવેદ પ્રકાશે આ તકે જણાવ્યું કે, કચ્છ—ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલ્વે માટે માત્ર એક ઑપરેશનલ ઝોન જ નથી, પરંતુ સમગ્ર ડિવીઝનના વૃદ્ધિ અને પરિવહન ક્ષમતાના કેન્દ્રસ્થાને છે. તેમણે કચ્છના વેપાર-ઉદ્યોગની વિશાળતા અને પોર્ટ આધારિત અર્થતંત્રને ધ્યાને લઇ રેલ્વે સતત તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું છે. ગાંધીધામ અને કચ્છના ટ્રેડને સક્ષમ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે, અને રેક ક્ષમતા, યાર્ડ વ્યવસ્થાઓ, સાઈડિંગ, તેમજ નવી કનેક્ટિવિટીની દિશામાં જે કામ ચાલી રહ્યું છે, તેને વધુ ગતિ આપવામાં આવશે. વધુમાં તેમણે કચ્છ વિસ્તા૨માં રેલ્વેની સિદ્ધિઓ જણાવી હતી. વિકાસની આશ } ગાંધીધામ ચેમ્બર ખાતે ડીઆરએમ સાથે વેપાર-ઉદ્યોગની આવશ્યકતાઓ પર ભાર મુકાયો
મુન્દ્રા અદાણી પબ્લિક સ્કૂલ ખાતે ખ્યાતનામ લેખિકા, અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી. છાત્રોને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, NCC નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને અમી શાહ (ડિરેક્ટર, APSM), સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય, સામાજિક ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે આગવી છાપ ધરાવતા સુધા મૂર્તિએ શાળા કેમ્પસમાં પુસ્તકોના પ્રદર્શનને નિહાળ્યો હતો, જેમાં તેમના પ્રખ્યાત શીર્ષકોને સમર્પિત એક ખાસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું. તેમના 50મા પુસ્તક, ધ મેજિક ઓફ ધ લોસ્ટ ઇયરિંગ્સની નકલો પર હસ્તાક્ષર કરી તે શાળાને ભેટ આપ્યા હતા. આ મુલાકાતમાં તેમણે ભૂલકાઓને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં સુધા મૂર્તિએ વ્યક્તિગત વાર્તાઓ અને વાર્તાઓ દ્વારા જીવનનો સાર શેર કરતા છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે છાત્રોને માતાપિતા અને શિક્ષકોને આદર આપવાની સાથે તેમની સલાહનું પાલન કરવાની સલાહ આપી, શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધન અને કુશળતા માટે પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરવાનો તેમણે આગ્રહ કર્યો હતો. મૂર્તિની આ મુલાકાતે છાત્રો પર ઊંડી છાપ છોડી, તેમણે બાળકોને શિક્ષણવિદોનું મૂલ્ય સમજવા તેમજ કૃતજ્ઞતા અને દૃઢ નિશ્ચય સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. આધુનિક સમયમાં ટીનએજર્સને જ્યારે સ્માર્ટફોનના રવાડે ચઢી જતા હોય છે ત્યારે મૂર્તિએ તેમને ફોનનો ઉપયોગ મર્યાદિત કરવા અને સર્જનાત્મક વિચારો પોષવા શ્રેષ્ઠ પુસ્તક વાંચનને પ્રાથમિકતા આપવાનો ખાસ અનુરોધ કર્યો હતો. છાત્રોની જીજ્ઞાસાઓ સંતોષવા પ્રશ્નોત્તરી રાઉનન્ડમાં નિખાલસતાથી જવાબ આપ્યો હતો. બાળકોને નિડરતા, ધીરજથી પડકારોનો સામનો કરવાની તેમણે સલાહ આપી હતી. તેમણે મ્યુઝિક રૂમ અને ATL લેબની મુલાકાત પણ લીધી હતી. કચ્છ વિશ્વનું એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્ક, જે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, એટલે કે પેરિસ શહેર કરતાં પણ પાંચ ગણો મોટો વિસ્તાર. આ પાર્કની અંતિમ ક્ષમતા 30 ગીગાવૉટ રહેશે, જેનાથી દર વર્ષે 50 મિલિયનથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી મળી શકશે અને 58 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. હાલમાં જ 2 ગીગાવૉટ ક્ષમતા ગ્રીડ સાથે જોડાઈ ચૂકી છે અને 2030 સુધીમાં આખું પાર્ક પૂર્ણ કાર્યરત થઈ જશે. આ અદ્ભુત દૃશ્ય જોઈને સુધા મૂર્તિએ અદાણી ગ્રીન એનર્જીની ટીમને અભિનંદન આપતાં કહ્યું કે આ પાર્ક જોઈને મને લાગે છે કે ભારતનું ભવિષ્ય અહીંયા ચમકી રહ્યું છે. રણની આ રેતી પર જે સ્વચ્છ ઊર્જાનો મહાસાગર ઊભો થઈ રહ્યો છે, એ ભારતના ટકાઉ વિકાસની સાથે સાથે વિશ્વ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છ આજે માત્ર ભારતનું નહીં, પરંતુ વિશ્વનું એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે. મુન્દ્રા બંદર ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતીક છેસુધા મૂર્તિએ કચ્છમાં આવેલા અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ; વિશ્વનું સૌથી મોટું ખાનગી બંદર અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ, મુંદ્રા અને વિશ્વનો સૌથી વિશાળ રિન્યૂએબલ એનર્જી પાર્ક, ખાવડાની મુલાકાત લીધી હતી. અદ્યતન ઓટોમેટેડ કન્ટેનર ટર્મિનલ, ડીપ ડ્રાફ્ટ બર્થ, રેલ્વે કનેક્ટિવિટી અને ડિજિટલાઈઝ્ડ લોજિસ્ટિક્સ સિસ્ટમ જોઈને સુધા મૂર્તિ અભિભૂત થયા હતા.
આનંદો:વાગડ વિસ્તારના ખેડૂતોને હવે દિવાસ્વપ્ન રૂપ કેનાલ મળશે
રાપર તાલુકામાં રૂ.32.28 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. તા.પં. કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું કે આ વિસ્તારના 44 ગામોની અમે ક્યારેક રજુઆત કરતા તોય સંબંધિત નેતાઓ કહેતા કે તમે નર્મદા કેનાલ આજુબાજુ જમીનો લઈ લ્યો તમારી બાજુ તો પાણી નહીં આવે પણ અત્યારના ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં દિવાસ્વપ્ન રૂપ કેનાલ મળશે. પહેલા 3-4 મહિને પાલિકામાં પાણીની કાગારોળ મચતી, ધારાસભ્ય આવ્યા બાદ ક્યારેય કેનાલ બંધ રહી નથી. શહેરમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. તા.પં. ટીમ દ્વારા દરેક ગામના વિકાસ કામો વિરેન્દ્રસિંહની સૂચના અને તેમના ધ્યાન નીચે દરેક સરપંચોને સાથે રાખી મંજૂર થાય છે. 8 કરોડ ઉપરની ગ્રાન્ટ પહેલીવાર તા.પં. હસ્તક મળી. પહેલા સામાન્ય રીતે માત્ર બે કરોડની ગ્રાન્ટ જ મળતી. ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરીએ કહ્યું કે વિરેન્દ્રસિંહ જાડેજાના કારણે વાગડમાં આવા ઐતિહાસિક કામો થઈ રહ્યા છે. સંચાલન સંભાળતા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે 3 વર્ષની અંદર સાડા પાંચ હજાર કરોડના કામો સમગ્ર જિલ્લામાં રાપર તાલુકામાં સૌથી વધારે મંજૂર થયા છે. અતિથિ વિશેષ જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજાએ કહ્યું કે 20-25 વર્ષ પહેલાના સરપંચોને માંડ 1 લાખ જેટલી રકમ મળતી જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા મળી રહ્યા છે. તા.પં. ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 8.72 કરોડના વર્ક ઓર્ડર વિવિધ સરપંચને અપાયા હતા. સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. જેમાં સંવિધાનનું વાંચન/પૂજન કરાયું હતું. બપોરે ફતેહગઢમાં કુમાર પ્રા.શાળામાં 1.60 કરોડના ખર્ચે શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ફતેહગઢ કુમાર શાળા, પ્રા. શાળા, નારણપર પ્રા.શાળા, ખેગારપર પ્રા. શાળા, કારૂવાંઢ પ્રા. શાળા, વણોઈ પ્રા.શાળા, રવેચીનગર વાડી પ્રા.શાળા, લાલાસરી પ્રા.શાળાના કુલ 5.69 કરોડના 40 રૂમો તેમજ શાળાઓનું લોકાર્પણ કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગના ત્રંબો જેસડા સુવઈ રવેચી રોડ 10.30 કિમી 9.20 કરોડ, મોવાણા ફતેગઢથી પીઠળ માતાજી મંદિર રોડ 2.20 કિમી 1.32 કરોડ, વ્રજવાણી કુભારપર રોડ 2.50 કિમી 2.25 કરોડ, હકુવાંટ એપ્રોચ રોડ 3 કિમી 1.35 કરોડ, પ્રાગપર પાબુસરી રોડ 1 કિમી 0.45 કરોડ, સેલારી નર્મદા કેનાલથી ગૈડાવાંઢ રોડ 3 કિમી 1.80 કરોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે યોજાયું હતું. જેમાં જિ.પં. સદસ્ય રાજુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દેયા, પાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, તા. પં. પ્રમુખ પ્રતિનિધિ કૌશિક બગડા, ટીડીઓ કે.એમ. વાઘેલા, વણવીર રાજપૂત, ભચુભાઈ વેદ, ગજુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ડોલરરાય ગોર, કમલસિંહ સોઢા, વિનુભાઈ થાનકી, વાડીલાલ સાવલા, અકબર રાઉમા, કેશુભા વાઘેલા, મઘાભાઈ કાંદરી, ભાવેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોની આક્ષેપો સાથે કલેક્ટરને રાવ:‘ઉકીરમાં પવનચક્કીની કંપની દ્વારા ગૌચરમાં દબાણ કરાયું’
અબડાસા તાલુકાના ઉકીર ગામમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કીના વીજ પોલ માટે ગૌચર જમીનમાં દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય પગલા લેવાની માગ કરી હતી. આ અંગે પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગામમાં ગૌચર સર્વે નં. 109/1માં દબાણ કરીને પવનચક્કીનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ દરકાર લેવામાં આવી નથી અને કામ ચાલુ રાખવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ પણ કંપની સાથે મળીને ધાક ધમકી કરે છે તેવા આક્ષેપ કરાયા હતા. જકરિયા લુહાર, દેવાભાઇ રબારી, ભુરા નથુ રબારી, સચિન જોશી, અબ્દુલા લુહાર સહિતના 50થી વધુ ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરાઇ હતી.
BLOનું કરાયું સન્માન:લખપત તાલુકામાં 22 બીએલઓનું SIRની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
મતદાન યાદી સુધારણાની કામગીરી અંતર્ગત બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે જે અંતર્ગત લખપત તાલુકામાં 62 પૈકી 22 જેટલા બી.એલ.ઓનું શ્રેષ્ઠ કામ બદલ તાલુકા મામલતદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું 22 જેટલા બી.એલ.ઓ દ્વારા સમય મર્યાદા પહેલા કામગીરી પૂર્ણ કરાતા તાલુકા મામલતદાર કચેરીમા યોજાયેલા કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. મામલતદાર નવીનચંદ્ર મારૂએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે વિસ્તારની દ્રષ્ટિએ મોટા લખપત તાલુકામાં ગામડાઓ વચ્ચે અંતર વધુ છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી માહિતી મેળવવી પણ મુશ્કેલ બનતી હોય છે તેમ છતાં પણ આ વિસ્તારમાં બીએલઓ દ્વારા સમય મર્યાદા કરતા પણ વહેલી સરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમના હસ્તે 22 બીએલઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર રામજી બકુલિયા, દક્ષાબેન બુબડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલ સહિત સરની કામગીરી પૂર્ણ કરનાર બીએલઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશાલડીના બીએલઓએ સર ની કામગીરી સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવા બદલ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા તેમનું ગાંધીનગર ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આટલા ગામોમાં કામગીરી પૂર્ણ થઇતાલુકાના મુંધવાય, મોટી અને નાની છેર, શિણાપર, પુનરાજપર, ગુનેરી, સાંયરા,અટડા, ધારેશી, લાખાપર, માણકાવાંઢ, સમેજાવાંઢ, ઓડીવાંઢ, મીંઢીયારી, ખાણોટ,પાનધ્રો- 3, બુદ્ધા, કનોજ,ગુહર મોટી, ગુનાઉં, જુલરાઈ, આશાલડી વિ. મત વિસ્તારમા બીએલઓ દ્વારા મતદારી યાદી સુધારણાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મંદિરમાં ચોરી:બિદડામાં મહાદેવ મંદિરનું તાળું તોડી 88 હજારના દાગીનાની ચોરી
માંડવી તાલુકાના બિદડા ગામમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને નિજ મંદિરનું તાળું તોડી શિવલીંગ પર રાખેલ રૂપિયા 88 હજારની કિંમતના દાગીના ચોરી કરી લઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંદિરના પુજારી જીતેન્દ્રગીરી પ્રેમગીરી ગોસ્વામીએ કોડાય પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ બુધવારે સાંજે સાત વાગ્યે મંદિરમાં પૂજા કરી નિજ મંદિરને તાળું લગાવી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. જે બાદ ગુરુવારે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ગામમાં રહેતા નારણભાઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મંદિરનો તાળો તૂટેલો હોવાનું જણાવ્યું હતું. જેથી મંદિરે જઈને તપાસ કરતા નિજ મંદિરમાં શિવલીંગ પર રાખેલ રૂપિયા 25 હજારની કિંમતનો પંચધાતુનો શેષનાગ,૩ હજારની કિંમતનો જલધાર લોટો અને રૂપિયા 60 હજારની કિંમતની ચાંદીની જલધારી ચોર ઇસમ ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે કોડાય પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સી.વાય.બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કચ્છના પેરિસ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર મુન્દ્રા સ્થિત જુનું બંદર આયાત નિકાસ ક્ષેત્રે દાયકાઓ અગાઉ પણ દેશમાં પ્રખ્યાત હતું. જ્યાંથી વહાણો નિરંતર અખાતી દેશોમાં માલ ભરી જતા હતા. 1986માં તારણહાર નામના જહાજે જળ સમાધિ લીધી ત્યારે દરિયામાં તારાપાના સહારે રહીને ભૂખ્યાપેટે મોતને તદ્દન નજીકથી નિહાળનાર હિંમત ભવાનભાઈ ચુડાસમા (માલમ) જીવનનો જંગ જીતીને પરત ફર્યા અને ત્યાર બાદ પોતે અને તેમના પુત્ર દર્શન તરીકે ત્રીજી પેઢી એ વહાણોને પોતાનું જીવન સમર્પિત કર્યું હોય તેમ આજની તારીખમાં હાથ બનાવટના કલાત્મક વહાણોનું સર્જન કરે છે જેને સમગ્ર રાજ્યના કલાપ્રેમીઓ હોંશે હોંશે ખરીદે છે. શોપીસ તરીકે બે થી ચાર ફૂટ સુધી આબેહૂબ વહાણની ત્રણસોથી વધારે પ્રતિકૃતિ બનાવી ચૂકેલા હિંમતભાઇની શોખરૂપી સર્જનાત્મકતા અવિરતપણે જારી છે. સી કે એમ કન્યા વિદ્યાલય પાસે ચા ની કેબિન કરી આજીવીકા રળતા હિમતભાઈ સાથે તેમના પુત્ર જીગરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ફુરસતના સમયે વિવિધ વધારાઓ સાથે બનાવેલા કાસ્ટના વહાણ ખાસ કરીને મુંબઈ વસવાટ કરતા જૈનો ખરીદતા હોય છે. ત્રણ હજારથી શરૂ થતા દસ હજાર રૂપિયા સુધીના વહાણો તેમના સિવાય પણ અન્ય લોકો ઘર સજાવટમાં રાખવા કે સારા પ્રસંગે ભેટ સોગાદ રૂપે આપવા લઇ જાય છે. ચીલ અને લાકડામાંથી બનેલા વહાણના વિવિધ મોડલ કાચની કેબિનમાં ઇલેક્ટ્રિક સર્કિટ સાથે તેમના પાસે ઉપલબ્ધ છે. તેને આકાર આપતી વખતે માપ અને અન્ય બારીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઉદાહરણ રૂપે વહાણોના વિવિધ મોડેલ શ્રીમંતોના દીવાનખંડ તથા કોર્પોરેટ ઓફિસોમાં સરળતાથી જોવા મળી રહે છે. 11 ખલાસીએ સાત દિવસ હોડીના સહારે કાઢ્યા1986ના ડિસેમ્બર મહિનાની માનસપટ પર અંકિત ડરામણી યાદો વાગોળતા હિંમતભાઈ જણાવે છે કે મુન્દ્રાનું તારણહાર વહાણ માલ ભરીને દુબઇ રવાના થયું હતું. ક્ષતિગ્રસ્ત થતાં મધદરિયે જળસમાધી લીધી હતી. ત્યારે કુલ અગિયાર ખલાસીઓએ તરાપા બાદ નાની હોડકીમાં સળંગ સાત દિવસ ખાધા પીધા વિના વિતાવ્યા હતા. વહાણ ડૂબ્યાના બીજે દિવસે જ 11 ખલાસીઓ પૈકી મુન્દ્રાના ખીમજીભાઈ માલમનું મૃત્યુ થયું હતું. જયારે મસ્કતથી નીકળેલું અન્ય મોટું જહાજ તેમના માટે તારણહાર સાબિત થયું હતું. તમામને બચાવીને જામનગર ઉતાર્યા હતા. ખલાસીઓ પૈકી જુસબભાઇ કકલ હાલ વયસ્ક તરીકે સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે.
દબાણ કરાયા દૂર:સામખિયાળીમાં બિનઅધિકૃત રીતે ખડકાયેલી 200 કેબીનો ઉપર તંત્રનુું બુલડોઝર ફરી વળ્યું
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં નવા અને જુના બસ સ્ટેશન પાસે બિનઅધિકૃત રીતે આડેધડ ખડકાયેલી 200 જેટલી કેબીનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જોકે, મોટાભાગના ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. દબાણ બાબતે સ્થાનિક રહીશ શિવમ હસમુખ મહારાજ દ્વારા રજૂઆત કરાતા ભચાઉ તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ગંભીરતા દાખવીને કડક હાથે કામ કરવા સૂચન આપતા ગ્રામ પંચાયતે બે જેસીબી મશીન દ્વારા જુના બસ સ્ટેશન નજીક ઉભી કરાયેલી ગેરકાયદે કેબીનો દૂર કરી હતી. મોટા ભાગે દબાણકારોએ સ્વેચ્છાએ કેબીનો ઉપાડી લીધી હતી. કેબીનો રાખવા માટે ઓટલા બનાવેલા હતા તે તમામ મલબો ઉપાડવા માટે બે જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા . કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બાબતે સરપંચ જગદીશ મઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાના ધંધાર્થીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા દુકાનો બનાવી આપવાનું વિચારાશે. બીજી બાજુ પાંચ કેબીન ધારકોએ હાઇકોર્ટમાંથી કામ ચલાઉ મનાઇ હુકમ મેળવ્યો હતો.
SIR:શનિ-રવિવારે ગણતરી ફોર્મ જમા કરાવવાનો મેગા કેમ્પ
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારમાં તા.1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ ખાસ કેમ્પના સ્થળ પર તા.29 શનિવારના બપોરે 12 કલાકથી સાંજે 5 કલાક સુધી અને તા.30-11 રવિવારના સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ગણતરી ફોર્મ ભરીને કેમ્પ ખાતે જમા કરાવી શકાશે. જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા /દાદા કે દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ના હોય તો શોધી આપવામાં આવશે. અબડાસા વિધાનસભા માટે મામલતદાર કચેરી નલીયા, નખત્રાણા, લખપત, માંડવી વિધાનસભા માટે માંડવી અને મુંદ્રા મામલતદાર કચેરી, ભુજમાં મામલતદાર કચેરી ભુજ (શહેર) ,ભુજ (ગ્રામ્ય) અંજારમાં મામલતદાર કચેરી, ગાંધીધામ માટે સી. જી. ગીધવાણી હોલ, ગાયત્રીકૃપા પ્રાથમિક શાળા ગળપાદર, રાપર માટે મામલતદાર કચેરી ભચાઉ, રાપર અને નગરપાલિકા ભચાઉ ખાતે કેમ્પ યોજાશે. કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા અને કેમ્પ ખાતે જમા કરાવવા અપીલ કરાઈ છે.
આધેડે જીવન ટૂંકાવ્યું:ભુજોડીમાં 55 વર્ષીય આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો
તાલુકાના ભુજોડી ગામમાં રહેતા 55 વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભુજોડીમાં રહેતા 55 વર્ષીય મોતીલાલ નારણભાઈ સીજુએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ ગુરુવારે સવારે છ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગીએ પોતાના ઘરે કોઈ કારણોસર ફાંસો ખાઈ લીધો હતો.બનાવ બાદ હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે માધાપર પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
કચ્છ યુનિ.નો વધુ એક છબરડો:એમ.એ. સેમ.1ની પરીક્ષામાં 2022ના બેઠા પેપર પૂછી લીધા !
કચ્છ યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય હોય તેમ અવારનવાર છબરડા સામે આવતા હોય છે.એક તરફ યુનિવર્સિટીને બી ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અવારનવાર કચ્છ યુનિવર્સિટીને વિશ્વ કક્ષાએ લઈ જવાના દાવા સત્તાધિશો દ્વારા કરવામાં આવે છે. પરંતુ પાયો નબળો હોય તેમ પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં ગફલત યથાવત રહી છે.દિવાળી પૂર્વે લેવાયેલી યુનિવર્સિટીની પરીક્ષાના પ્રથમ તબક્કામાં બીબીએ અને એમબીએમાં એક સમાન પ્રશ્નપત્ર પૂછાયા હતા. હાલમાં જ્યારે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષામાં બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે 2022 ની પરીક્ષાના એક સમાન પ્રશ્નપત્ર પૂછી લેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને અહીં અભ્યાસના નામે માત્ર લાલિયાવાડી ચલાવાતી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ કચ્છ યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા તા.25-11 થી શરૂ થઈ છે જેમાં તારીખ 25 ના એમએ અર્થશાસ્ત્ર સેમેસ્ટર-1નું પેપર CCEC 101 એકમલક્ષી-1 અર્થશાસ્ત્રનું પેપર અને તા.26ના અર્થશાસ્ત્ર એમ.એ સેમેસ્ટર - 1નું પેપર CCEC 102 સમગ્રલક્ષી-2 નું પેપર વર્ષ 2022 ના બેઠા કોપી પૂછવામાં આવ્યા છે. આ બંને પેપર સેટ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે, ખાસ ચેરમેનની પણ જવાબદારી હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો પરીક્ષા વિભાગ તથા અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા હોય તો તેમના પર કાર્યવાહી કરવામાં આવે.વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ જવાબદારો હાજર ન હોવાથી રામધૂન બોલાવી હતી. વિરોધ અને આંદોલન વચ્ચે પરીક્ષા નિયામક દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને લેખિતમાં કાર્યવાહી થશે તેવો જવાબ આપવામાં આવ્યો છે.રજૂઆત દરમિયાન અભાવિપ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, કચ્છ યુનિવર્સિટી અધ્યક્ષ મિત દરજી, ભુજ નગર મંત્રી ભરત ગઢવી સહિતના સૌ વિધાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા. બીબીએ-એમબીએ વિવાદમાં ઠંડું પાણી રેડી દેવાયુંયુનિવર્સિટીની બેદરકારીના કારણે દિવાળી પૂર્વે લેવાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓને સરખા પૅપર આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ ફેર પરીક્ષાનું કહેતા વિદ્યાર્થીઓએ આંદોલન કરતા ફેર પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી અને બેદરકારી બાબતે કમિટી બનાવાઈ હતી.તે સમયે કડક કાર્યવાહીના દાવા કરવામાં આવ્યા પણ મહિના પછી કોઈ કાર્યવાહી થઈ નથી જે એક હકીકત છે.વિદ્યાર્થીઓએ આ મુદ્દે પણ રજુઆત કરતા તપાસ સમિતિનો રિપોર્ટ તાત્કાલીક રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. વિદ્યાર્થીઓએ રજુઆત કરી તો જવાબદારોએ ફરી એકવાર કાર્યવાહીની ખાતરી આપી, આ સિલસિલો ક્યારે અટકશે ? પરીક્ષાના પરિણામો 45 દિવસથી જાહેર કરાયા નથીવિદ્યાર્થીઓએ જણાવ્યું કે, દિવાળી પૂર્વે લેવાયેલી પરીક્ષાના 45 દિવસથી વધુ દિવસ વીતી ગયા છતાં પરિણામો આપવામાં આવ્યા નથી.પરીક્ષા નિયામકે બાકી રહેતા પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. શુધ્ધિ સમિતિની બેઠક મળશેયુનિવર્સિટીએ સ્વીકાર્યું છે કે, એમએ અર્થશાસ્ત્ર વિષય સેમ. 1માં પ્રશ્નપત્રો વર્ષ 2022ના કોપી છે. આ બાબતે પેપર સેટર, ચેરમેન, કર્મચારીઓની બાબતને પરીક્ષાશુધ્ધિ સમિતિમાં મૂકવામાં આવશે સમિતિના આદેશ મુજબ કાર્યવાહી થશે.5 ડિસેમ્બરના આ સમિતિની બેઠક બોલાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવી પ્રવેશ માર્ગદર્શિકા માટે સમિતિની રચના કરવામાં આવી છે. યુનિ. વધુ વિદેશી વિદ્યાર્થીઓને કેવી રીતે આકર્ષિત કરી શકે તેના માટે પ્રયાસ કરશે. સમિતિમાં યુનિવર્સિટીના પ્રોફેસરો અને ડીનનો સમાવેશ કરાયો છે. આ સમિતિ યુજી, પીજી અને પીએચડી કાર્યક્રમોમાં વિદેશી દેશોના વિદ્યાર્થીઓ માટે નવી પ્રવેશ માર્ગદર્શિકા તૈયાર કરશે. આ પગલું યુનિવર્સિટીને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા અને પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. ભાસ્કર નોલેજ
મિતેશ બ્રહ્મભટ્ટ/અમદાવાદ | અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક 65 વર્ષના સીનિયર સિટીઝન 9 દિવસ સુધી સાઇબર ઠગોના ડિજિટલ એરેસ્ટમાં ફસાઇ રહ્યાં. ઠગોએ પોતાને મુંબઈ પોલીસ અને ઈડી અધિકારી દર્શાવી તેમની પર મની લૉન્ડરિંગ કેસના નામે ડરાવી અને વેરિફિકેશનના નામે રૂ. 45 લાખ માગ્યા. વૃદ્ધે ઠગોના કહેવા પર બે દિવસ પહેલાં પોતાની રૂ. 45 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) તોડી નાંખી હતા. ગુરુવારે તેઓ આ રકમ ઓડિશાની આઈસીઆઈસીઆઈ બેન્કની બ્રાન્ચમાં આરટીજીએસ દ્વારા મોકલવા બેન્ક પહોંચ્યા, પરંતુ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સેટેલાઇટ બ્રાન્ચ મેનેજરે સમય રહેતા શંકા કરી ટ્રાન્ઝેકેશન રોકી દીધું. બેન્ક મેનેજર અને વૃદ્ધની વચ્ચે વાતચીતમેનેજરે કહ્યું- તમે એફડી કેમ તોડી રહ્યાં છો?વૃદ્ધે કહ્યું- મારે 3 બીએચકે ફ્લેટ લેવો છે. બ્રાન્ચ મેનેજર જયેશભાઈ ગાંધી જણાવે છે કે બે દિવસ પહેલાં ગ્રાહક પોતાની ફિક્સ ડિપોઝીટ તોડીને નાણા મેળવવા માટે આવ્યાં હતા. મેં તેમને પૂછ્યું- અચાનક કેમ એફડી તોડી રહ્યાં છો? વૃદ્ધ ગ્રાહકે કહ્યું- સેટેલાઇટમાં હાલ હું 2 બીએચકે ફ્લેટમાં રહું છું, હવે નવો 3 બીએચકે ફ્લેટ લેવાનો છું. તેમને આ કારણ રજૂ કરતા અમે એમની એફડી તોડીને નાણા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. એ પછી ગુરુવારે સવારે તે જ ગ્રાહક રૂ. 45 લાખનું આરટીજીએસ ફોર્મ લઇને આવ્યાં. આ ફોર્મ મંજૂરી માટે મેનેજરની પાસે પહોંચ્યું તો તેઓ ચોંકી ઉઠ્યાં. આ રકમ ઓડિશાની આઈસીઆઈસીઆઈ બેન્કની એક બ્રાન્ચના ખાતામાં મોકલવાની હતી. શંકા જતા મેનેજરે તાત્કાલિક આઈસીઆઈસીઆઈ બેન્કના સ્ટાફનો સંપર્ક કર્યો અને તે ખાતાની જાણકારી મગાવી. તપાસમાં ખુલાસો થયો કે આ ખાતું 5 વર્ષથી ડોરમેન્ટ છે. આ ખાતામાં 5 વર્ષથી કોઇ ટ્રાન્ઝેકેશન થયું નથી. આ ખાતું 2021 માં ખોલાયું હતું અને પાંચ વર્ષમાં એકપણ રૂપિયો જમા કરાયો નહોતો કે એકપણ રૂપિયો ઉપાડાયો નહોતો. બેન્ક મેનેજરને તેનાથી વધુ શંકા થઇ. તેમણે તાત્કાલિક ટ્રાન્ઝેકેશન રોકી દીધું અને ગ્રાહકને બોલાવી સવાલ કર્યા. આવી રીતે પકડાયા... બેન્ક મેનેજરને શંકા થઇ તેમણે ટ્રાન્ઝેકેશન રોક્યું ગ્રાહકને બોલાવી સવાલ કર્યા બેન્ક મેનેજર- તમે આટલા પૈસા કેમ ઉપાડી રહ્યાં છો?વૃદ્ધ- અમદાવાદમાં મકાન ખરીદવું છે.બેન્ક મેનેજર- પરંતુ જે ખાતામાં પૈસા આરટીજીએસ કરાવી રહ્યાં છો તે ઓડિશાનું છે.વૃદ્ધ- અરે! હા, મારે આ પૈસા મારા મામાને આપવાના છે.બેન્ક મેનેજર- તમારા મામા સાથે વાત કરાવો.તેમણે વૃદ્ધને કહ્યું- ફોન કાપી નાંખો. પછી કડકાઇથી પૂછ્યું-બેન્ક મેનેજર- આખી વાત જણાવો? મામલો શું છે?(મેનેજરે સતર્કતા દાખવીને સવાલો કર્યા પછી સાચી હકીકત સામે આવી) વૃદ્ધે આખી વાર્તા જણાવી... મની લૉન્ડરિંગનો કેસ છે... કોલાબા પોલીસે મને ડિજિટલ એરેસ્ટ કર્યો છેમારી વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ છે. કોલાબા પોલીસે મને ડિજિટલ એરેસ્ટ કર્યો છે. મને 19 તારીખની સવારે 8:30 વાગ્યે ફોન આવ્યો હતો. કૉલરે પોતાને મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ દર્શાવ્યો. અને કહ્યું કે જેટ એરવેઝના માલિકે રૂ. 538 કરોડનું કૌભાંડ કર્યું છે. તેના પૈસા તમારા એકાઉન્ટમાં પણ આવ્યાં છે. ત્યારબાદ તેણે ઈડીની નોટિસ, એરેસ્ટ વૉરન્ટ મોકલી કહ્યું કે તમને ડિજિટલ એરેસ્ટ કરાયા છે. પછી 9 દિવસ સુધી વીડિયો કૉલ પર રાખ્યો. તેમણે વેરિફિકેશનના નામે રૂ. 45 લાખ ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. આખી વાર્તા સાંભળ્યાં પછી બેન્કના મેનેજરે રકમનું ટ્રાન્સફર રોકી દીધું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના રશિયન સ્ટડીઝ વિભાગે રશિયન ફેડરેશનના બે શિક્ષકો વિદ્યાર્થીઓને એક મહિનાની શૈક્ષણિક બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. રશિયન ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા યુનિ.માં આવેલા આ બે મહિલા શિક્ષકો 150 જેટલા વિદ્યાર્થીઓને ભાષાની જાણકારી આપશે. રશિયન ફેડરલ એજન્સી રોસોટ્રુડનિચેસ્ટવો અને રશિયન ફેડરેશન સરકાર હેઠળની ફાઇનાન્સિયલ યુનિવર્સિટી દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. બે મૂળ રશિયન શિક્ષકો એકટેરીના ઇઝુટોવા અને ડારિયા મોઝગોવાયા આ કાર્યક્રમ માટે ખાસ મોસ્કોથી વડોદરા આવ્યા છે. તેમના મહિનાભરના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રશિયન ભાષાની સૂક્ષ્મતાનો પરિચય કરાવવા માટે રચાયેલ તલ્લીન શૈક્ષણિક સત્રોનો સમાવેશ થાય છે, જ્યારે રશિયાની સાંસ્કૃતિક, બૌદ્ધિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું વ્યાપક અન્વેષણ પણ કરવામાં આવે છે. વ્યાખ્યાન મોડ્યુલોમાં રશિયન ભાષાના પાયાના તત્વોથી લઈને રશિયન સાહિત્ય, લોક પરંપરાઓ, પ્રદર્શન કલા, વૈજ્ઞાનિક નવીનતાઓ, અવકાશ સંશોધન અને સમકાલીન સામાજિક વિકાસ પર સમૃદ્ધ સત્રો સુધીના પ્રભાવશાળી વિષયોનો સમાવેશ થાય છે. સેમિનાર, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વિનિમય ચર્ચાઓનો સમાવેશ શિક્ષણશાસ્ત્રના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી આકર્ષાય છે. રશિયન વિભાગને એમએમાં અધ્યાપકોનો અભાવ, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા નથીઆંતરરાષ્ટ્રીય ભાષાનું મહત્વ વધ્યું છે ત્યારે વિવિધ યુનિવર્સિટી -કોલેજો ભાષાના અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટીઓમાં દાયકાઓથી વિવિધ ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી ભાષામાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી નથી જેના પગલે વિદ્યાર્થીઓની સંખ્યા પર અસર કરી રહી છે. રશિયન ભાષામાં એમએ કરવામાં આવે છે પંરતુ અધ્યાપકોના અભાવે છેલ્લા બે વર્ષથી એમએમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા નથી ભાસ્કર ઇનસાઇડભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલુંઆ શૈક્ષણિક ભાગીદારી વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક શિક્ષણની તકોના વિસ્તરણ અને માનવતા અને સાંસ્કૃતિક અભ્યાસના ક્ષેત્રમાં ભારત-રશિયા સંબંધોને મજબૂતી માટે મહત્વપૂર્ણ પગલું છે. વૈશ્વિકરણ પામતી દુનિયામાં અર્થપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર કરે છે.
સુરત એટલે હીરા અને કાપડનું શહેર, પણ આ ઓળખને બદલીને એક બસ કંડક્ટરના દીકરાએ સુરતના 'સૌથી ધનિક વ્યક્તિ'નું બિરુદ હાંસલ કર્યું છે. સુરતની ધરતી હંમેશા સાહસિકોની રહી છે. અહીં ગોવિંદ કાકા અને સવજી કાકા જેવા હીરાના વેપારીઓની સફળતાની વાતો ગલીએ ગલીએ ગુંજે છે. પરંતુ, અત્યારે સુરતના ઉદ્યોગ જગતમાં જે નામ સૌથી મોખરે અને ગર્વ ભેર લેવાઈ રહ્યું છે, તે ડાયમંડ કે ટેક્સટાઈલમાંથી નથી આવતું, પણ સૂર્યની ઉર્જામાંથી આવે છે. આ કહાની છે કેપી ગ્રુપના સ્થાપક અને ચેરમેન, ડૉ. ફારુક જી. પટેલની. એક એવા વ્યક્તિની જેણે ગરીબીને પોતાની મજબૂરી નહીં, પણ મજબૂતી બનાવી. બસ કંડક્ટરના દીકરા એવા ડૉ. ફારુક જી. પટેલે પોતાનું બાળપણ સુરતમાં 10 બાય 12ની ઓરડીમાં વીતાવ્યું. મહિને 700 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરનાર ડૉ. ફારૂકે 20,000 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું. સાથે જ હુરુન ઈન્ડિયા 2025ના રિપોર્ટમાં સુરતના ટોપ-10 ધનિકમાં પ્રથમ સ્થાન હાંસિલ કરી એથર ઈન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ દેસાઈ, સવજી ધોળકિયા અને ગોવિંદ કાકાની સાઈડ કાપી. ફારૂકભાઈના પિતા GSRTCમાં બસ કંડક્ટર હતાકોઈપણ મોટી ઈમારતનો પાયો જમીનની અંદર દબાયેલો હોય છે, જે દેખાતો નથી પણ આખી ઇમારતનો ભાર ઝીલે છે. ફારુક પટેલના જીવનમાં આ પાયો એટલે તેમના પિતા, ગુલામભાઈ પટેલ. કહાનીની શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામથી થાય છે, જ્યાં 24 માર્ચ 1972ના રોજ ફારુક પટેલનો જન્મ થયો હતો, પરંતુ તેમનું ઘડતર સુરતની ધરતી પર થયું. તેમના પિતા ગુલામભાઈ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ GSRTCમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. એક કંડક્ટરની નોકરી એટલે આખો દિવસ ધૂળ, ધુમાડો અને મુસાફરોની ભીડ વચ્ચે રહેવું અને સાંજે થાકીને ઘરે આવવું. ત્યારે તેમનો પગાર નજીવો હતો. ફારુકભાઈ બે વર્ષના હતા, ત્યારે પિતાની બદલી અડાજણ ડેપોમાં થઈ1974માં જ્યારે ફારુકભાઈ માત્ર બે વર્ષના હતા, ત્યારે તેમના પિતાની બદલી સુરતના અડાજણ ડેપોમાં થઈ. આ બદલી માત્ર સ્થળની નહોતી, પણ ભવિષ્યના એક ઉદ્યોગપતિના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. તે સમયે સુરતના અડાજણ વિસ્તારમાં ગુલામભાઈએ રહેવા માટે એક મકાન ભાડે રાખ્યું. 20,000 કરોડના સામ્રાજ્યના માલિકનું બાળપણ 10 બાય 12ની ઓરડીમાં વીત્યુંઆ મકાન એટલે કોઈ બંગલો કે ફ્લેટ નહીં, પરંતુ માત્ર 10 બાય 12ની એક નાનકડી ઓરડી. કલ્પના કરો કે 10 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી જગ્યામાં રસોડું પણ હોય, સામાન પણ હોય અને આખો પરિવાર પણ રહેતો હોય. આજે જે વ્યક્તિ 20,000 કરોડના સામ્રાજ્યનો માલિક છે, તેનું બાળપણ આ ચાર દીવાલો વચ્ચે વીત્યું હતું. પિતાનો માસિક પગાર તે સમયે માત્ર રૂ. 700 આસપાસ હતો. આ 700 રૂપિયામાં ઘરનું ભાડું ચૂકવવાનું, રાશન લાવવાનું અને બાળકના શિક્ષણનો ખર્ચ કાઢવાનો. ‘જીવનની ટિકિટ ખરીદવા મહેનતની કિંમત ચૂકવવી પડે’ગરીબી શું હોય છે અને પૈસાનો અભાવ માણસને કઈ રીતે લાચાર બનાવી શકે છે, તે ફારુક પટેલે બાળપણમાં જ ખૂબ નજીકથી જોયું હતું. ગુલામભાઈએ ભલે આર્થિક તંગી ભોગવી, પણ સંસ્કારોમાં ક્યારેય તંગી પડવા દીધી નહીં. બસની ટિકિટ ફાડતા પિતાએ પુત્રને શીખવ્યું હતું કે જીવનની ટિકિટ ખરીદવા માટે મહેનતની કિંમત ચૂકવવી પડે છે. સરકારી સ્કૂલમાં ભણતા ફારુક ભણવામાં તેજસ્વી હતાગરીબી ઘણીવાર શિક્ષણમાં બાધારૂપ બનતી હોય છે. પિતાની આવક ઓછી હોવાથી ફારુક પટેલને શરૂઆતમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ભંડારી મોહલ્લા, કંબીવાડની સરકારી શાળામાં મૂકવામાં આવ્યા. સામાન્ય રીતે મ્યુનિસિપલ સ્કૂલો વિશે લોકોના મનમાં એક પૂર્વગ્રહ હોય છે, પણ હીરાની પરખ ઝવેરીને જ હોય છે. ફારુક ભણવામાં અત્યંત તેજસ્વી હતા. તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. શિક્ષિકાની માતાને સલાહ, સારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવોસ્કૂલના એક શિક્ષિકા શાંતાબેન, આ ચમકને પારખી ગયા. તેમણે ફારુકભાઈની માતા રસીદાબેનને બોલાવીને કહ્યું, તમારો દીકરો સામાન્ય નથી, તે ખૂબ હોશિયાર છે. તેને આ સરકારી સ્કૂલમાં રાખવાને બદલે કોઈ સારી પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવો, તે ઘણો આગળ વધશે. પરિવારે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધુંએક મધ્યમવર્ગીય પરિવાર માટે સ્કૂલ બદલવી એટલે ખર્ચમાં વધારો. પણ માતા-પિતાએ પેટે પાટા બાંધીને પણ શિક્ષિકાની વાત માની અને ફારુકભાઈને 'શ્રીમતી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલ'માં દાખલ કર્યા. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેમણે અહીં જ પૂરો કર્યો. પરિવારને મદદ કરવાના ઉદ્દેશ્યથી ધોરણ-12 પછી તેમણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ શીખવા માટે મુંબઈની મુસાફરી શરૂ કરી. જોકે, તેમનું મન કંઈક મોટું કરવા તરફ હતું. તેથી તેમણે સુરતના કાપડ ઉદ્યોગમાં કામ શીખવાનું નક્કી કર્યું અને વર્ષ 1990માં મંત્રામાં ટ્રેનિંગ લીધી. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે ચશ્માની દુકાને ફ્રીમાં કામ કર્યું, કપડાની દુકાનમાં 700માં નોકરી કરી, અને જરૂર પડ્યે રિક્ષા પણ ચલાવી. મહિને 700 રૂપિયાની નોકરીથી શરૂઆતડિગ્રીઓ મેળવ્યા પછી સીધી એસી કેબિન મળી જાય તેવું ફિલ્મોમાં બને છે, વાસ્તવિક જીવનમાં નહીં. ફારુક પટેલની પ્રોફેશનલ કરિયરની શરૂઆત પણ સંઘર્ષથી જ થઈ.એક સમયે જે પિતા 700 રૂપિયા કમાતા હતા, તે જ આંકડો ફારુકભાઈના જીવનમાં પણ આવ્યો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 'હાફેઝ બ્રધર્સ' નામની દુકાનમાં નોકરીથી કરી. ક્યારેક ચશ્માની દુકાનમાં તો ક્યારેક કાપડની દુકાનમાં કામ કર્યું. પગાર હતો, મહિને માત્ર 700 રૂપિયા. ‘દરેક કામ મોટું છે, વગર સ્ટ્રગલે કોઈ દિવસ ઉપર જવાતું નથી’વિચારો, એક યુવાન જેની આંખોમાં આસમાન આંબવાના સપના હોય, તે કાપડની દુકાનમાં ગ્રાહકોને કપડાં બતાવવાનું કામ કરતો હોય. પણ ફારુકભાઈ કહે છે કે, દરેક કામ મોટું છે. વગર સ્ટ્રગલે કોઈ દિવસ ઉપર જવાતું નથી. આ 700 રૂપિયાની નોકરીએ તેમને વેપારના પાયાના નિયમો શીખવ્યા. જેમ કે ગ્રાહક સાથે વાત કેવી રીતે કરવી, સમયનું પાલન કેવી રીતે કરવું અને મહેનતનું મૂલ્ય શું છે. લોજિસ્ટિક્સથી ગ્રીન એનર્જી સુધી દરેક બિઝનેસમાં ઉતાર-ચડાવ આવ્યાનોકરી કરવી એ મજબૂરી હતી, પણ નોકરિયાત બની રહેવું એ ફારુક પટેલનો સ્વભાવ નહોતો. તેમનામાં એક ઉદ્યોગપતિનો જીવ ધબકતો હતો. તેમણે ધીમે ધીમે નાની મૂડી એકઠી કરી અને વ્યવસાયમાં ઝંપલાવ્યું. સફર સીધી લીટીની નહોતી. તેમણે લોજિસ્ટિક્સ બિઝનેસમાં હાથ અજમાવ્યો. ત્યારબાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કર્યું. મોબાઈલ કોમ્યુનિકેશન અને ટાવર સ્થાપવાના કામો કર્યા. દરેક બિઝનેસમાં ઉતાર-ચડાવ આવ્યા, પણ તેઓ અટક્યા નહીં. આખરે તેમને સમજાયું કે ભવિષ્ય પરંપરાગત વ્યવસાયોમાં નહીં, પણ 'રિન્યુએબલ એનર્જીમાં છે અને જન્મ થયો KP Group (કેપી ગ્રુપ) નો. ‘સુરતમાં તો હીરા અને કાપડ જ ચાલે’તેમણે સૌર અને વિન્ડમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં લોકોએ કહ્યું હશે કે સુરતમાં તો હીરા અને કાપડ ચાલે, આ વીજળી બનાવવાનું કામ કોણ કરશે? પણ ફારુકભાઈની દ્રષ્ટિ ગીધ જેવી હતી. તેઓ જાણતા હતા કે દુનિયા ગમે તેટલી બદલાય, સૂરજ ક્યારે આથમવાનો નથી અને પવન ફૂંકાવાનો બંધ નથી થવાનો. ‘સૂરજ એક વિશાળ બટાકો છે, જેની જેટલી મિજબાની માણવી હોય એટલી માણી શકાય’તેઓ સોલર એનર્જી માટે એક બહુ રસપ્રદ ઉદાહરણ આપે છે, સૂરજ એક વિશાળ બટાકો છે. એટલો મોટો બટાકો છે કે જેની જેટલી મિજબાની માણવી હોય એટલી માણસ માણી શકે છે. જ્યાં સુધી દુનિયા ચાલશે ત્યાં સુધી સૂરજ રહેશે. સુરતના 'સૌથી ધનિક વ્યક્તિ' અને ડાયમંડ કિંગ્સ સાથે સરખામણીતાજેતરમાં જ્યારે સંપત્તિના આંકડાઓ બહાર આવ્યા, ત્યારે સુરતમાં એક નવો ઇતિહાસ રચાયો. ડૉ. ફારુક જી. પટેલની સંપત્તિ 20,000 કરોડને આંબી ગઈ હતી. આ સાથે જ તેમણે સુરતના દિગ્ગજ ડાયમંડ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને પાછળ રાખી દીધા. જ્યારે તેમને પૂછ્યું કે તમે સવજી કાકા (ધોળકિયા) અને ગોવિંદ કાકા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, ત્યારે ફારુકભાઈએ જે જવાબ આપ્યો તે તેમની નમ્રતા અને સંસ્કારનું દર્શન કરાવે છે. ‘પૃથ્વી આપણા બાળકોની છે’ફારુક પટેલ માત્ર પૈસા કમાવવા માટે ગ્રીન એનર્જીમાં નથી આવ્યા. તેમની પાસે એક ફિલોસોફી છે. તેઓ માને છે કે ગ્રીન એનર્જી જ પૃથ્વીને બચાવી શકશે. તેમનો એક વિચાર ખૂબ જ ગહન છે. આ પૃથ્વી આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં નથી મળી, પણ આપણે આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે. અને ઉધાર લીધેલી વસ્તુ આપણે જેવી હતી તેવી જ અથવા તેનાથી સારી હાલતમાં પાછી આપવી પડે. ‘કેપી ગ્રુપ 'ગ્રીન હાઈડ્રોજન' પર પણ મોટા પાયે કામ કરી રહ્યું છે’કાર્બન એમિશન ઘટાડવું અને આવનારી પેઢીને શુદ્ધ હવા અને પર્યાવરણ આપવું એ તેમના જીવનનું મિશન બની ગયું છે. કેપી ગ્રુપ આજે માત્ર સોલર કે વિન્ડ પાવર જ નહીં, પણ ભવિષ્યના ઇંધણ ગણાતા 'ગ્રીન હાઈડ્રોજન' પર પણ મોટા પાયે કામ કરી રહ્યું છે. કેપી ગ્રૂપ ક્યા બિઝનેસ કરે છે?ડૉ. ફારુક જી.પટેલ દ્વારા 1994માં સ્થપાયેલું કેપી ગ્રૂપ, ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથ બની ગયું છે. મૂળ રૂપે લોજિસ્ટિક્સ કંપની તરીકે સ્થપાયેલા આ જૂથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે. વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટ સુધીના લક્ષ્ય સાથે ગ્રુપ આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં કંપનીનું ટર્ન ઓવર 3415 કરોડ રહ્યું હતું. 30 વર્ષથી વધુની સફળતા સાથે, KP ગ્રુપ હવે 35થી વધુ કંપનીઓ ધરાવે છે.છેલ્લા દાયકામાં, કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન) અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. જૂથની મુખ્ય સંસ્થાઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (NSE-BSE લિસ્ટેડ), કેપી એનર્જી લિમિટેડ(NSE-BSE લિસ્ટેડ), કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ(BSE લિસ્ટેડ) અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તેના વિસ્તરણ દ્વારા, KP ગ્રૂપ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે.
ભારતનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. પેરીસથી પાંચ ગણો મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આપણાં કચ્છમાં આકાર લઈ રહ્યો છે. દેશની પહેલી હાઇસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડવાની છે. ધોલેરામાં દેશનાં સૌપ્રથમ ફ્યુચર સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. દેશનાં પહેલા ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ગાંધીનગરના GIFT સિટીએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. લોથલમાં વિશ્વના સૌથી મોટા હેરિટેજ કોમ્પ્લેક્સના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ વે, જામનગરમાં બનેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ હોય કે, અમદાવાદ રિવરફ્રન્ટનો નવો ફેઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ તમામ પ્રોજેક્ટ વર્લ્ડક્લાસ છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાત બિગ પ્રોજેક્ટ'માં આ તમામ પ્રોજેક્ટના ડિટેલ વીડિયો જોવા મળશે. દિવ્ય ભાસ્કરના એન્કર ચિંતન ભોગાયતા ગ્રાઉન્ડ ઝીરોથી આ હાઇટેક પ્રોજેક્ટ બતાવશે. આ પ્રોજેક્ટથી ગુજરાતને શું ફાયદો થશે અને તમારી લાઇમાં શું-શું ચેન્જ આવશે એ પણ જણાવશે. એટલું જ નહીં મોશન ગ્રાફિક્સની સાથે સાથે આ પ્રોજેક્ટ્સના તમને ક્યારેય ન જોયેલા ડ્રોન વ્યૂ પણ જોવા મળશે. દિવ્ય ભાસ્કર એપ પર તમે 29 નવેમ્બરથી દર શનિવારે સવારે છ વાગ્યાથી ગુજરાતના એક બિગ પ્રોજેક્ટનો વીડિયો જોઈ શકશો. આવતી કાલે પહેલા એપિસોડમાં જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનો ડિટેલ વીડિયો જોઈ શકશો. આ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને નોલેજફુલ વીડિયો જોવા માટે તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.
વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ એજન્ટો સતત સક્રિય હોય છે. લોકો સાથે ઠગાઇ થઇ હોય તેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આવી જ ઘટના ફરી એકવાર બની છે. આ વખતે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકોને નિશાન બનાવાયા છે. અંદાજે દોઢ મહિના પહેલાં જ ઓસ્ટ્રેલિયાની સરકારે એક નિયમમાં ફેરફાર કર્યો હતો. ઘણા વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટ્સે આ નિયમથી જે બદલાવ આવ્યો તેના વિશે ખોટી માહિતી ફેલાવી. જેથી કેટલાય ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થયા છે. આ મામલે હોબાળો મચતાં ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના દેશની તમામ યુનિવર્સિટીઝ માટે એડવાઇઝરી જાહેર કરવી પડી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કયા નિયમમાં ફેરફાર કર્યો હતો? તેનાથી વિઝા એપ્લિકેશન પર શું અસર પડી છે? વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે ઠગાઇ થતી? ઓસ્ટ્રેલિયાની સરકારે જે એડવાઇઝરી બહાર પાડી છે તે શું છે? આ તમામ સવાલો અંગે દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી માહિતી મેળવી હતી. વિઝા એપ્લિકેશન માટે અલગ અલગ એસેસમેન્ટ લેવલજ્યારે કોઇ વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયાના વિઝા માટે એપ્લિકેશન કરે ત્યારે તે એપ્લિકેશનનું એસેસમેન્ટ થાય છે. એસેસમેન્ટ માટે 1,2,3 એમ અલગ અલગ પ્રકારના લેવલ હોય છે. જે દેશમાંથી નકલી ડોક્યુમેન્ટ કે નકલી ઇંગ્લિશ રિઝલ્ટ આવતા હોય તેનું એસેસમેન્ટ કડક રીતે થાય છે. આવા દેશોને હાઇએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકાય છે. એસેસમેન્ટ લેવલ-1 એટલે ઓછા રિસ્કવાળા દેશ અને એસેસમેન્ટ લેવલ-3 એટલે વધુ રિસ્કવાળા દેશ. ઓસ્ટ્રેલિયા ભારતને મોટાભાગે એસેસમેન્ટ લેવલ-3માં રાખે છે, ક્યારેક લેવલ-2માં પણ સ્થાન મળ્યું છે. ભૂતકાળમાં ભારત લેવલ-1માં પણ હતું. જેમાં અમેરિકા, UK વગેરે જેવા દેશ હતા. હાલમાં ભારત લેવલ-2માં છે. એસેસમેન્ટ લેવલ-3માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો છે. ભારત અત્યારે મીડિયમ રિસ્ક ફેક્ટરવાળા દેશોમાંઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે, લગભગ દોઢ મહિના પહેલા ભારતને એસેસમેન્ટ લેવલ-2માં મૂકાયું હતું. આ એસેસમેન્ટ લેવલનો અર્થ એ થાય કે રિસ્ક ફેક્ટર મીડિયમ છે. એવું કહી શકાય કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કે ઇંગ્લિશ એક્ઝામનું રિઝલ્ટ નહીં હોય તો ચાલશે. આનાથી વિઝા પ્રોસેસ ફાસ્ટ થાય અને વિઝા મળવાના ચાન્સ પણ વધુ રહે છે. જેથી ઘણા વિઝા કન્સલટન્ટ અને એજન્ટસે એવું માર્કેટિંગ શરૂ કર્યું હતું કે હવે તમારે ઇંગ્લિશ લેંગ્વેજ કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી. જે હકીકત હતી તેનું ખોટું માર્કેટિંગ કરાયું'સામાન્ય રીતે એસેસમેન્ટ લેવલ 2માં કેન્ડિડેટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય તો ઇંગ્લિશ ટેસ્ટ રિઝલ્ટ જરૂરી નથી હોતું. એમને સીધું એડમિશન મળી શકતું હોય છે. એસેસમેન્ટ લેવલ 1માં ઇંગ્લિશ ટેસ્ટ કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટની પણ કોઇ જરૂર નથી. એસેસમેન્ટ 2માં મોડરેટ રિકવાયર્મેન્ટ છે. જોકે ભારત એસેસમેન્ટ લેવલ-2માં આવતા જ એક પ્રોબ્લેમ શરૂ થયો કે જે હકીકત હતી તેને વધારે મોટી કરીને માર્કેટિંગ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે,ઓસ્ટ્રેલિયાની સરકારે યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવાની અને જાતે વેરિફાઇ કરીને પછી એપ્રુવલ આપવાની સત્તા આપી છે. યુનિવર્સિટી એપ્રુવલ આપે તે પછી સરકાર તેને વેરિફાઇ કરે. 'ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી બધું કરી લે તો હાઇ કમિશને તેમાં વધારે રિસર્ચ કરવાની જરૂર હોતી નથી. જેથી એવું બની શકે કે ઓસ્ટ્રેલિયામાં એડમિશન લેતા બહુ જ વાર લાગે પણ એ પ્રોસેસ પૂરી થાય એટલે વિઝા સિક્યોર થઇ જાય. હાઇ કમિશન અમુક વસ્તુઓ ચેક કરીને વિઝા આપી દે.' ઓસ્ટ્રેલિયા સરકારે યુનિવર્સિટીઓ માટે એડવાઇઝરી જાહેર કરીતેઓ આગળ જણાવે છે કે, ઘણીવાર અમે બપોરે 12 વાગ્યે વિઝા એપ્લાય કર્યા હોય અને 12:10 વાગ્યે વિઝા મળી જાય. ફેક માર્કેટિંગ શરૂ થવાથી ઓસ્ટ્રેલિયાએ ઘણી બધી અરજીઓ રદ કરી દીધી. ઓસ્ટ્રેલિયન સરકારને થયું કે અમે સરળ કરી આપ્યું છે એને નકારાત્મક રીતે તેનો પ્રચાર કરાય છે. જેના કારણે નોન જેન્યુઇન સ્ટુડન્ટ્સ વધારે આવશે. જેથી સરકારે બધી યુનિવર્સિટીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે કે જે યુનિવર્સિટી કોઇપણ વિદ્યાર્થીને એન્ટ્રી આપે છે તો ફાઇનાન્સ અને ઇંગ્લિશ ફરજિયાત ચેક કરવું પડશે. એજન્ટોએ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવાનું શરૂ કર્યું'ઘણી બધી એડમિશન એજન્સીએ આવું નકારાત્મક માર્કેટિંગ કર્યું છે. ભારતનો ઓવરઓલ ટ્રેન્ડ થોડો બદલાયો છે. પહેલાં વિદ્યાર્થીઓની પસંદના ટોપ-4 દેશો યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હતા.' 'અત્યારે અમેરિકાના વિઝા બહુ અઘરા છે, કેનેડાએ પણ વિઝાની સંખ્યા ઘટાડી છે. યુકેમાં 2 વર્ષ સ્ટડી બાદ 18 મહિનાની વર્ક પરમિટ મળે છે, પહેલાં 24 મહિનાની વર્ક પરમિટ મળતી હતી. આ બધા કારણોને લીધે લોકો ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા. ઓસ્ટ્રેલિયામાં વર્ક અને પીઆરના ચાન્સ વધુ છે. જેથી બધાએ ઓસ્ટ્રેલિયાને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. એજન્ટોને થયું કે આપણે સ્ટુડન્ટ્સને ત્યાં મોકલીને બિઝનેસ કરીએ.' 'ઓસ્ટ્રેલિયામાં અમુક વિઝા ખૂબ જ સ્ટ્રીક્ટ છે. જેની સિસ્ટમ અઘરી અને પારદર્શક છે. તેમાં સ્ટડી બાદ કેટલા વર્ષનો ગેપ ચાલશે તે ક્લિયર લખેલું છે. વિઝા એપ્લિકેશન ફી 2 હજાર ડોલર એટલે કે 1 લાખ રૂપિયાથી વધારે છે.' એકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય પછી નો ચાન્સ'સૌથી મોટો ક્લિયર પોઇન્ટ છે કે એક વાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા પછી બીજીવાર ક્યારેય સ્ટુડન્ટ વિઝા એપ્લાય નથી કરી શકાતા. હા, કોઇએ 12મા ધોરણ બાદ વિઝાનો પ્રયત્ન કર્યો હોય તો એમ બને કે અહીંયા બેચલર ડિગ્રી પૂરી કર્યા બાદ પ્રયત્ન કરી શકે પણ અત્યારે ફરી ટ્રાય કરે તો વિઝા ન મળે.' ઓસ્ટ્રેલિયામાં વિઝા એપ્લિકેશન ફિલ્ટર થવા પાછળનું કારણ જણાવતા પાર્થેશ ઠક્કરે કહ્યું, ઘણા સ્ટુડન્ટ્સને ડોક્યુમેન્ટ ભેગા કરવા નથી હોતા, અમૂક વિદ્યાર્થીને ફાઇનાન્સ હોય પણ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી હોતા. તે કેશમાં ટ્રાન્ઝેક્શન કરતાં હોય છે. ઘણાને એજ્યુકેશન લોન પણ નથી મળતી. એના કારણે ઘણા બધા કેન્ડીડેટ ઓસ્ટ્રેલિયામાં ફિલ્ટર થઇ જાય છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, ધારો કે 100 સ્ટુડન્ટ્સ એપ્લિકેશન કરે તો 40 જેટલા સ્ટુડન્ટ્સ તો ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સના કારણે જ નીકળી જાય. એના કારણે અનએથિકલ પ્રેક્ટિસ કરતાં હોય તે લોકો સ્ટુડન્ટ્સને આકર્ષવા માટે કોઈપણ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરે છે. આવા લોકોનો ઇરાદો તો રૂપિયા કમાવાનો જ હોય છે. એકવાર ફી આવે એ સ્ટુડન્ટને પાછી નથી આપતા. વિઝા રિજેક્ટ થાય તો વાંક સ્ટુડન્ટનો છે તેવું કહે છે. ઓસ્ટ્રેલિયાની સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી એમાં એવું પણ જોવા મળ્યું કે લોકોએ નકલી પાસપોર્ટ પર વિઝા અરજી કરી હતી. 'મારી પાસે એવા ઘણા સ્ટુડન્ટ્સ આવે છે જે ઓસ્ટ્રેલિયાના આ નિયમો અનુસાર યોગ્યતા ધરાવતા નથી હોતા. અમે તેને બધી રીતે મદદ કરીએ છીએ. અમે તેમને કહીએ છીએ કે તમારા પેરેન્ટ્સનું આઇટી રિટર્ન ચેન્જ કરો, કોઇ બેંકમાંથી એજ્યુકેશન લોન લો. ઓસ્ટ્રેલિયન હાઇકમિશન દ્વારા વેલિડ પ્રાઇવેટ કંપનીમાંથી લોન લો, પછી આગળ વધી શકો છો.' સ્ટુડન્ટને ઓસ્ટ્રેલિયા જવાની ઉતાવળ'ઘણા લોકોને આવું નથી કરવું હોતું. કેટલાકને ફટાફટ ઓસ્ટ્રેલિયા જતું રહેવું હોય છે. કેટલાકને એમ હોય કે આટલી બધી રાહ નથી જોવી. એમને શોર્ટકટ બતાવનાર કોઇને કોઇ મળી જાય છે. જેમાં છેવટે તો નુકસાન સ્ટુડન્ટને જ થાય છે. ' ઇંગ્લિશની પરીક્ષાનું પરિણામ જરૂરીઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે IELTS, PTE, CELPIP એમ કોઇપણ ઇંગ્લિશ લેંગ્વેજની પરીક્ષાનું રિઝલ્ટ તો જોઇશે જ. આ વિશે વધુ જણાવતા તેઓ કહે છે કે, પ્રોપર ફંન્ડિંગ અને ફાઇનાન્સ ડોક્યુમેન્ટ બતાવવા પડશે જ, એના વગર વિઝા નહીં આવે. ઓસ્ટ્રેલિયાની સરકારે નક્કી કર્યું છે કે જે યુનિવર્સિટી આવા સ્ટુડન્ટ્સને એડમિશન આપશે તેનું રેન્કિંગ પણ ડાઉન કરશે. જેથી યુનિવર્સિટીને માસ વિઝા રિજેક્શન ફેસ કરવું પડે એવી સ્થિતિ બનશે. જેને ટાળવા યુનિવર્સિટીઓએ કડક વલણ અપનાવ્યું છે. જેની પ્રોફાઇલ ક્લિયર ન હોય તેને GS એપ્રુવલ નથી આપતી. 'દિવાળી પછી એવું પણ બન્યું છે કે સ્ટુડન્ટ્સ વિઝા માટે ઓલરેડી સબમિટ કરેલી એપ્લિકેશનમાં પણ રીએસેસ કરીને યુનિવર્સિટીએ સ્ટુડન્ટ્સને એવું કહ્યું છે કે તમે તમારી વિઝા એપ્લિકેશન પાછી ખેંચી લો.' લેવલ-3 પ્રમાણે ડોક્યુમેન્ટ આપવાના છે'એસેસમેન્ટ લેવલ-2 માં IELTS વગર એડમિશન મળી શકે પણ સરકારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે જો એપ્લિકેશન ઇન્ડિયામાંથી આવી હોય તો અમારે રિઝલ્ટ જોઇશે. એમ કહી શકાય કે ઇન્ડિયા એસેસમેન્ટ લેવલ-2માં પણ નથી અને 3માં પણ નથી. ભલે ઇન્ડિયા ઓફિશિયલી તો એસેસમેન્ટ લેવલ-2માં જ છે પણ ઇંગ્લિશ અને ફાઇનાન્સના ડોક્યુમેન્ટ તો લેવલ-3 પ્રમાણે જ આપવાના છે. આ યુનિક સિચ્યુએશન છે.' ન્યૂઝિલેન્ડના વિઝા પણ મુશ્કેલ થઇ જશેતેમણે કહ્યું કે,એકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય તો બીજીવાર મળવા બહુ જ અઘરા છે. એવું નથી કે 100% રિજેક્શન થાય છે પણ ઘણા મુશ્કેલ છે. જો ઓસ્ટ્રેલિયામાં વિઝા રિજેક્ટ થાય તો ન્યૂઝિલેન્ડમાં પણ નહીં મળે કેમ કે બન્ને દેશોની વિઝા સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ છે એટલે ઓસ્ટ્રેલિયાના વિઝા રિજેક્ટ થયા તો ન્યૂઝિલેન્ડના વિઝા પણ મળવા બહુ જ અઘરા છે. કેટલા વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થયા હશે તે વિશે તેમણે કહ્યું કે, કોઇ ચોક્કસ નંબર જાહેર નથી થયો પણ અમારા સર્કલમાંથી આવતા ફિડબેક મુજબ 4 આંકડામાં તો નંબર હશે જ. અમારી પાસે આવા રિજેક્ટ થઇને આવેલા સ્ટુડન્ટ્સ છે. એવા સ્ટુડન્ટ્સ પણ છે કે જે જૂન જુલાઇમાં અહીંયા આવ્યા હોય અને અમે ના પાડી હોય કે આવું ન કરશો, વિઝા અરજી રદ થશે. જેથી તેવા સ્ટુડન્ટ્સ બીજી જગ્યાએ જાય અને ત્યાંથી એપ્લાય કરે પછી તેમના વિઝા રિજેક્ટ થાય છે. આવામાં બીજા એજન્ટ એવું કહે છે કે હવે ફરીથી એપ્લાય કરો. બીજીવાર વિઝા નથી મળતા તો પણ મિસગાઇડ કરનાર લોકો પણ છે.
ગર્વની વાત:આત્મવિશ્વાસ-સ્ટેજ પ્રેઝન્સથી પૃથ્વીએ મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડનો ખિતાબ જીત્યો
પોલેન્ડ ખાતે પ્રતિષ્ઠિત મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના પૃથ્વીએ મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજય પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. 22 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પૃથ્વી શાહે પોતાના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સ્ટેજ પ્રેઝન્સ સાથે પોતાનું ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું અને તેના દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંતિમ રાઉન્ડમાં તેમણે મજબૂત પ્રદર્શન કરી મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડનો તાજ પોતાના નામે કર્યો હતો.
ભૂવા દ્વારા ઠગાઈ:ભૂવાએ વિધિના બહાને મકાન માલિકના દાગીના પડાવ્યા,કાર્ડથી ખરીદી કરી લીધી
ભાડે રહેતા ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને સોનાના દાગીના લઈને ભાગી ગયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી છે. હરણી રોડ વિજયનગર ખાતે મકાન ધરાવતા કૃમિલ ભરતભાઈ ગાંધીએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘનશ્યામ મહારાજને મકાનમાલિક કૃમિલના લગ્ન નહીં થતાં હોવાની જાણકારી મળી હતી. રિણામે ફોન કરી તમારા ગ્રહો નડતા હોવાથી લગ્ન થતા નથી એમ કીધું હતું.સોનાના દાગીના વિધિ માટે મંગાવ્યા હતા. ક્રેડિટ કાર્ડ લઈ ભુવાએ 40 હજારનું ફ્રીજ અને 41 હજારનું એસી ખરીદ્યું હતું. ભૂવો શહેર છોડી ભાગી ગયો હતો.જોકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ભૂવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પણ ભૂવાએ છેતરપિંડી કરી હતી વારસિયા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.વસાવાએ જણાવ્યું છે કે, હિતેશ ઉર્ફે ઘનશ્યામ મહારાજ યાજ્ઞિક સામે અમદાવાદના નવરંગપુરા, સેટેલાઇટ પોલીસ મથકે પણ ગુના નોંધાયા હતા. ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન સૌથી પહેલાં જ કરાવી લેવું જોઇએમકાન દુકાન ભાડે આપ્યા બાદ સ્થાનિક પોલીસ મથકે એની નોંધણી કરાવવી જરૂરી છે અને ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન પણ કરાવવું જોઈએ. જોકે મિલકત ધારકો પોલીસ મથકના ધક્કાથી બચવા નોંધણી કરાવતા નથી. આવા કિસ્સામાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી મકાન માલિક સામે કાર્યવાહી થઈ શકે છે. અને પોલીસ વેરિફિકેશન દરમિયાન ભાડૂઆત કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અગાઉ સંડોવાયેલો છે કે કેમ તેની પણ જાણકારી મળી શકે છે. > ભાવિન વ્યાસ, નોટરી અને વકીલ
ભાસ્કર બ્રેકિંગ:હવે ‘ક્રિપ્ટો સેલ’; કારણ 9 વર્ષમાં 25 હજાર કરોડનું ફ્રોડ, 300 ફરિયાદ પણ ‘0’ સજા
ધીરેન્દ્ર પાટિલ રાજ્યના ગૃહ ખાતાએ મોટી કાર્યવાહી કરતા ગુજરાતમાં અલગ ક્રિપ્ટો સેલ શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. આ સેલ માત્ર ક્રિપ્ટો કરન્સીમાં છેતરપિંડી, ફ્રોડ અને રોકાણ સંબંધિત ફરિયાદોની જ તપાસ કરશે. રાજ્યના DGP વિકાસ સહાયે ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ દરેક પોલીસ કમિશનરેટ અને એસપી કક્ષાએ સાઈબર સેલ સક્રિય છે, પરંતુ ક્રિપ્ટો કેસોની જટિલતા અને વિશેષ તપાસ જરૂરીયાતને કારણે હવે સ્પેશ્યલ ક્રિપ્ટો સેલ ઉભું કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે 300થી વધુ ક્રિપ્ટો ફરિયાદો આવતા હોવા છતાં, તેની તપાસમાં ટેકનિકલ પડકારો, અલગ પ્લેટફોર્મ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનના કારણે મહિનાઓ-વર્ષો લાગી જતા હતા. હવે આ નવી સેલ માત્ર ક્રિપ્ટો કેસોની જ તપાસ કરશે અને ટીમ અન્ય કોઈ કેસ હેન્ડલ નહીં કરે. સુરત–અમદાવાદની ટીમોને હૈદરાબાદ ખાતે ક્રિપ્ટોની હાઈટેક તપાસ માટે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022માં સરથાણામાં નોંધાયેલો ટ્રોન 24 કોઈનનો કેસ અને 2018ના બીટકનેક્ટ કેસની સઘન તપાસ જરૂરી છે. ઇડી જેવી એજન્સીઓ સાથે ડેટા શેરિંગથી આંતરરાષ્ટ્રીય સ્કેમ્સનું ટ્રેકિંગપહેલી વાર રાજ્યની ટીમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ઇન્ટરપોલ ફાઈનાન્સિયલ યુનિટ (IFU) અને CERT-In સાથે સીધી ડેટા શેરિંગ કરશે. આથી આંતરરાષ્ટ્રીય સ્કેમ્સની પણ ટ્રેકિંગ શક્ય બનશે. ભાસ્કરના સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં ચાલતી અનરજિસ્ટર્ડ ક્રિપ્ટો સ્કેમ્સનું કુલ મૂલ્ય 40 હજારથી 50 હજાર કરોડ સુધીનું છે. કારણ - લાખો લોકો એપ ડાઉનલોડ કરે છે, એમએલએમ ચેન દ્વારા પૈસા ફેરફાર થાય છે, રોકાણ દુબઈ, ઓમાન, યુરોપ તરફ જાય છે. આ સમગ્ર સિસ્ટમની પહેલી વાર કોઈ સરકારી એજન્સી તપાસ કરશે. 1. ઘણા કેસમાં રકમ 2-3 હજાર કરોડ સાઈબર ક્રાઈમ એક્સપર્ટ એડવોકેટ નરેન્દ્ર સોરઠિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ગુજરાતના લોકોએ અલગ–અલગ ક્રિપ્ટો સ્કીમોમાં 25 હજાર કરોડ રૂપિયા સુધી ગુમાવ્યા છે. તપાસ થાય તો ઘણા કેસોમાં આંકડો 2-3 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. 2. તપાસ થાય તો ઘણું ખુલે : ફરિયાદીટ્રોન 24 ક્રિપ્ટોમાં છેતરપિંડીનો ભોગ બનેલા ઉમેશ જૈને જણાવ્યું હતું કે મેં 6 જાન્યુઆરી 2022એ સરથાણામાં ફરિયાદ કરી હતી. જો તપાસ યોગ્ય રીતે થાય તો હજુ હજારો કરોડનો ગેરવહીવટ બહાર આવે. આ એક એપ ટ્રોન 24 ક્લાઉડ માઈનિંગ 1 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. 3. એટલું મોટું રેકેટ કે EDએ કેસ કર્યો2018માં સીઆઈડીએ બીટકનેક્ટ ક્રિપ્ટો કેસમાં 1.14 કરોડની છેતરપિંડી નોંધાવી હતી. પરંતુ આગળની તપાસમાં આંકડો 13 કરોડ સુધી ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૉઈનમાં વિદેશીઓએ પણ રોકાણ કર્યું હતું. ફ્રોડનો આંક અઢી હજાર કરોડથી વધુ થયો હતો. ગુજરાતમાં ક્રિપ્ટો કૌભાંડની મોટી ઘટનાઓનવેમ્બર 2025: અમદાવાદના સોલામાં ક્રિપ્ટોમાં રોકાણના નામે વેપારી સાથે 31 લાખની ઠગાઈ. મહિલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરે ટ્રે઼ડિંગ પ્લેટફોર્મમાં રોકાણ કરાવી પૈસા પડાવ્યા.નવેમ્બર 2025: ગુજરાત પોલીસ અને રેલવેના સાયબર સેન્ટરે ગુજરાતથી દુબઈ સુધી ફેલાયેલા 200 કરોડના સાયબરક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ફ્રોડની રકમ ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરાતી હતી. માર્ચ 2025: સુરતના વેપારી અને તેના સંબંધીએ ક્રિપ્ટો સ્કેમમાં 1.43 કરોડ રૂપિયા ગુમાવ્યા. આરોપી હિરેન કુંભાણી અને વિરમ ગોયાણીએ ઊંચા વળતરના નામે રોકાણ કરાવ્યું હતું.ઓગસ્ટ 2025: અમદાવાદ પોલીસે છેતરપિંડીના નાણા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવાનું 16 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સ્કેમના સ્થાનિક આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા. ભાસ્કર ઇનસાઇડ; ક્રિપ્ટો સેલ વોલેટ ટ્રેકિંગ, ફોરેન્સિક તપાસ સુધી કરશેક્રિપ્ટો સેલની પોતાની નિષ્ણાત ટીમ હશે, જે વોલેટ ટ્રેકિંગ અને ક્રિપ્ટો ફોરેન્સિક તપાસ સુધી કરશે. હૈદરાબાદમાં આ બેચની પહેલી ટ્રેનિંગ શરૂ થઈ ચુકી છે. આ ટીમ ફક્ત ક્રિપ્ટોના કેસ જ જોશે, જેથી કેસ લાંબા ચાલશે નહીં. એક અધિકારીના કહેવા પ્રમાણે, ‘અમારી પાસે છેલ્લા 5 વર્ષના ક્રિપ્ટો કેસનો સંપૂર્ણ ડેટા છે. નવી સેલ સાથે રિવ્યૂ થશે તો ઘણા છુપાયેલા મોટા રેકેટ ખુલી શકશે.’ અમદાવાદમાં સર્વર-એપ બેઝ્ડ સ્કેમ, સુરતમાં ક્લાઉડ માઇનિંગ, રાજકોટમાં ચેન મોડલ ફ્રોડસાયબર ટીમના અધિકારીઓએ કબૂલ કર્યું કે ગુજરાતમાં સૌથી વધુ ક્રિપ્ટો ફ્રોડ ત્રણ શહેરોમાં થાય છે. સુરત એમએલએમ અને ક્લાઉડ માઇનિંગ સ્કીમ્સનું હબ છે. અમદાવાદ સર્વર બેઝ્ડ સ્કેમ અને એપ સ્કેમનો ગઢ બન્યો છે, જ્યારે રાજકોટ/જૂનાગઢ રેફરલ ચેન મોડલ અને વિદેશી કોઇનનો ગઢ છે. મોટાભાગની ગેંગ વિદેશી એપ્સ બતાવે છે, પરંતુ કંડીશન, સર્વર, વોટ્સએપ ગ્રુપ અને પેમેન્ટનું સંચાલન સ્થાનીય નેટવર્ક સંભાળે છે. ફરિયાદો ઘણી, તપાસ ધીમી... આખરે સિસ્ટમ કેમ નિષ્ફળ?આનાં કારણો ઘણાં છે. જેમ કે તપાસ ટીમ પાસે ટેકનિકલ એક્સપર્ટ્સની ખોટ, આંતરરાષ્ટ્રીય પાસાં. ઘણાં સ્કેમ્સમાં પૈસા દુબઈ, સિંગાપુર, હોંગકોંગના વોલેટમાં જતા હતા, જેની ટ્રેકિંગ શક્ય નહોતી. ક્રિપ્ટો ફ્રોડની તપાસ હમણાં સાયબર સેલ જ કરતી હતી. એક-એક ઇન્સ્પેક્ટર પાસે બેન્કિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, મહિલાઓ સાથેના સાયબર ક્રાઈમ, હેકિંગ, ડિજિટલ અરેસ્ટ જેવા કેસ હતા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલો ગુમ થઈ હતી. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરાતાં પોલીસે કેમ્પ ઓફિસનું પંચનામું કરવા મ્યુ. કમિશનરની પરવાનગી માગી છે. બીજી તરફ પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીઓનાં નિવેદન લેવાયાં છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઈલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલા કેમ્પ હાઉસમાંથી ફાઈલ ગુમ થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઈલ ન મળતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઈલ ગુમ થયાની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. ગુરુવારે સયાજીગંજ પોલીસે પાલિકામાં પહોંચી કેમ્પ હાઉસ ઓફિસમાં પંચક્યાસ કરવા મ્યુ. કમિશનર પાસે મંજૂરી પત્ર ઇનવર્ડ કરાવ્યો છે. બીજી તરફ સયાજીગંજ પોલીસે મ્યુનિસિપલ કમિશનરના પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતાં કર્મચારી અને અન્ય 3 કર્મચારીઓ મળી 5 લોકોનાં નિવેદન લીધાં હતાં. 2017-18માં ડામરકાંડમાં રોડ પ્રોજેક્ટમાંથી ફાઇલનાં પોટલાં ગાયબ થયાં હતાં, નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીપાલિકાનાં આધારભૂત સૂત્રો મુજબ 2017-18માં ડામર કૌભાંડ થયું હતું. જેમાં નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી. નવાપુરા પોલીસે પાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગ પાસે તપાસ માટે કૌભાંડ થયું તે સમયની ફાઈલ સહિતના દસ્તાવેજ માગતાં રોડ પ્રોજેક્ટ વિભાગે ફાઈલો મળતી ન હોવાથી તેને શોધવા સમય માગ્યો હતો. > હિતેશ ગુપ્તા, એડવોકેટ ભાસ્કર એક્સપર્ટસરકારી દસ્તાવેજ ગુમ થયા હોય તો તેની એફઆઈઆર નોંધી તપાસ કરવી જોઈએસરકારી દસ્તાવેજ ગુમ થયો હોય તો અરજી કેમ લેવાઈ, પોલીસ ફરિયાદ જ નોંધવી જોઈએ. પોલીસે જાણવા જોગ દાખલ કરીને ખાલી ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય માણસ અરજી કરે તો ખોટી છે કે કેમ તેની ખરાઈ કરવા પ્રાથમિક તપાસ કરાય છે. આ તો પાલિકાના અધિકારીઓ જ છે અને દસ્તાવેજ ગુમ થયા છે, જેથી એફઆઈઆર જ નોંધવી જોઈએ. આ ફાઇલ જેના તાબા હેઠળ હોય તે અધિકારી સામે ગુનો નોંધાય. મ્યુનિ. કમિશનર કે કોઈની પરવાનગી ન લેવાની હોય. બીજું કે અરજીના આધારે કરેલી પંચનામુ એફઆઈઆર બાદ ચલાવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
નરસિંહ મહેતાની 570મી હાર જયંતી:નરસિંહ મહેતાને 71 પેઢી સંપન્ન રહેવાના આશિષ, 17મી પેઢી વડોદરામાં
ભક્ત નરસિંહ મહેતાની હારમાલાની 570મી જયંતી નિમિત્તે શહેરમાં રહેતી નરસિંહ મહેતાની 17મી પેઢી દ્વારા સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાને 71 પેઢી માટે આશિર્વાદ આપ્યા હતા. વડોદરામાં અંદાજે તેમના વંશના 200 ઉપરાંત લોકો રહે છે. અને 17મી પેઢી પણ ભગવાનના આશિર્વાદથી સંપ્પન છે. નરસિંહ મહેતાને માગશર સુદ સાતમના રોજ જૂનાગઢના રાજા દ્વારા કેદ કરવામાં આવ્યા હતા રાજા માંડલી કે કહ્યું હતું કે, તમારી ભક્તિ સાચી હોય તો દામોદર ભગવાન આવીને હાર પહેરાવે નરસિંહ મહેતાએ રાગ કેદાર ગાયોને ભગવાને જાતે પ્રગટ થયા અને તે ઘટનાને આજે હાર માળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શહેરમાં અરવિંદરાય વૈષ્ણવના પરિવારના દેવાંશુ વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ નરસિંહ મહેતાના વંશજ થાય છે અને 17મી પેઢી થાય છે. અરવિંદરાય વૈષ્ણવ કેશવલાલ વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની કરતાલ સાથે ભજન કરતી પ્રતિમા મુકવા આવી છે. તેમ દેવાંશુ વૈષ્ણવ કે જે ભક્ત કવિ નરસિંહ મહેતાની સતરમી પેઢી છે તેમણે જણાવ્યું હતું. મહેતામાંથી વૈષ્ણવ અટક થઈ ભક્ત કવિ નરસિંહ મહેતાએ લખેલ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ભજન લખ્યું ત્યારબાદ તેમના કુટુંબની અટક મહેતામાંથી વૈષ્ણવ તરિકે સંપાદિત થઈ હતી.
ચૌદશે દત્ત જન્મોત્સવ:વડોદરામાં 145 વર્ષ જૂનું દત્તાત્રેયનું એકમુખી કાળા પાષાણનું વિષ્ણુ સ્વરૂપ
શહેરના માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા ઐતિહાસિક 145 વર્ષ જૂના દત્ત મંદિરને બે વર્ષ અગાઉ વાઘોડિયા ખટંબા નજીક સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન દત્તની પ્રતિમાની વિશેષતા છે. એકમુખી દત્તની કાળા પાષાણની આ પ્રતિમા વિષ્ણુ સ્વરૂપે છે. આ ભગવાન દત્તની પ્રતિવર્ષ જન્મ જયંતી પરીપાઠી મૂજબ ચૌદસે ઉજવવામાં આવે છે. મંદિરના સંચાલક લાલજી રવિન્દ્રભાઈ પટ્ટણકરે જણાવ્યા મુજબ, જ્યાં સ્વામી સમર્થ મહારાજની ચરણ પાદુકા હોય તેવા તમામ દત્તસ્થાનમાં ચૌદસના દિવસે આ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. સ્વામી સમર્થ મહારાજના સ્થાન જેવા કે, અક્કલકોટ, ગાણગાપુર, માહુરગઢ ખાતે પણ ચૌદસના દિવસે જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ અત્રે બી- 136 સ્પ્રિંગફિલ્ડ સોસાયટી,વાઘોડિયા રોડ ખાતે જન્મોત્સવ માટે બે દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજાને ત્યાં નોકરી કરતા પટ્ટણકર પરિવારે 1880માં પ્રાણ પ્રતિષ્ઠા કરાવીખાનગી માલીકીના આ દત્તમંદિરમાં 3.15 ફૂટની ભગવાન દત્તની પ્રતીમાં છે. જેમની જમણી બાજુએ બ્રહ્માજી અને ડાબી બાજુએ ભગવાન શિવ કોતરલા છે. પટ્ટણકર પરિવાર મહારાજા ગાયકવાડ સાથે મહારાષ્ટ્રથી વડોદરા આવ્યો હતો અને ગુજરાતમાં કૃષ્ણભક્તી અને ડાકોર રણછોડજીનું મંદિર હોવાથી દત્તભક્તી અને કૃષ્ણભક્તીનું એકાત્મ સાધવા આ પ્રતીમાં બનાવી હોવાનું જણાવ્યું હતું. મંદિરની સ્થાપના 1880માં ઓગષ્ટ મહીનામાં થઇ હતી.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સ્થળ પર દંડ કરવા સહિત ઈ-ચલણ ફટકારાય છે. 2023થી વન નેશન-વન ચલણની પોલિસી લાગુ કરાઈ હતી. જે હેઠળ 2023થી 2025 સુધી શહેરમાં 9.83 લાખ ઈ-ચલણ વાહન ચાલકોને અપાયાં છે, જેમાંથી 4.08 લાખ ચલણના રૂા.19.61 કરોડ લોકોએ ભરપાઈ કર્યા છે. જ્યારે 5.74 બાકી ચલણનાં 44 કરોડ હજુ લોકોએ ભર્યા નથી. શહેરમાં કેટલાક લોકોને 10થી વધુ ઇ-ચલણ અપાયાં છે, છતાં ભરપાઈ કર્યાં નથી. હાલમાં રૂા.44.37 કરોડનાં 5.74 લાખ ઇ-ચલણ ભરાયાં નથી. જેથી ટ્રાફિક પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું છે. જે અંતર્ગત 10થી વધુ ઇ-ચલણ બાકી હોય તેમને ઓળખી દંડ વસૂલાશે. જો દંડ ન ભરે તો વાહન ડિટેઇન કરવા સુધીની કાર્યવાહી કરાશે. સાથે ઇ-ચલણની વસૂલાત બાબતે લોક અદાલતનું આયોજન કરાશે. નોંધનીય છે કે, કાયદા મુજબ ચલણ જનરેટ થયાના 90 દિવસ દંડ ન ભરાય તો ચલણ કોર્ટમાં જતું રહે છે. 2023 થી 2025 સુધી કોર્ટમાં 4.56 લાખ ઈ-ચલણ મોકલાયાં છે, જેમાંથી 4.17 લાખ મેમો પેન્ડિંગ છે. કયા વર્ષે કેટલાં ઇ-ચલણ ફટકાર્યા?
પરીક્ષામાં AIથી ચોરી:વિદ્યાર્થિની ચેટજીપીટી જેમિનીએ આપેલા જવાબો લખતા ઝડપાઈ!
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઇ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો હતો, જોકે તે પકડાઈ ગઈ હતી. કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટજીપીટી, જેમીની જેવા એઆઇ પ્લેટફોર્મ્સથી લાઇવ જવાબ મેળવીને લખી રહ્યા છે. પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઇડલાઇન આપી છે. આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરોને સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને AIના જવાબોથી પણ ચેક કરવું અને જો કોપી થયેલું જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા.વિદ્યાર્થીઓ મોબાઇલ, સ્માર્ટવોચ અને એરબર્ડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે. જે પછી એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે, પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે. આમ, આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઇ ડિટેક્શન, મોનીટરીંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે. પરીક્ષા વિભાગ જણાવે છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે, જેમાં એઆઇ ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં. ટેક્નોલોજી શિક્ષણમાં ઉપયોગી છે, પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રામાણિકતાને જોખમમાં મૂકે છે ત્યારે હવે સાવચેતી રાખવી ફરજિયાત છે. ગેરરીતિ અટકાવવા કોલેજોને માટે નવી સૂચના જાહેર કરાઈ આ પ્રકારની ગેરરીતિઓ પણ પકડાઈ, રૂ. 2500થી 10 હજાર સુધીનો દંડ થયો વિદ્યાર્થીઓ આવી રીતે ચોરી કરતા હતા1 વિદ્યાર્થિનીએ વોશરૂમમાં જઈ મોબાઇલ અને ચેટજીપીટીનો ઉપયોગ કરીને કોડિંગના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતોય બહાર નીકળી વખતે પકડાઈ ગઈ હતી. આ ઘટના પરીક્ષા દરમિયાન સામે આવી હતી2 કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોબાઇલ લઈ આવ્યા હતા. જેઓ મોબાઇલની બ્રાઇટનેસ ડાઉન કરીને ગેલેરીમાંના પુસ્તકના ફોટોના જવાબ જોઈ લખતા હતા. જોકે, ઓચિંતા આવેલી સ્ક્વોડે તેમને પકડી પાડી ગેરરીતિનો કેસ નોંધી પરીક્ષા વિભાગને મોકલી આપ્યો હતો.3 એક વિદ્યાર્થિની એરબર્ડ પહેરીને પરીક્ષામાં બેઠી હતી. જેના વાળા લાંબા હોવાથી એરબર્ડ દેખાઈ રહ્યા ન હતા. દરમિયાન એરબર્ડથી કોઈ સાથે વાત કરી જવાબ લખી રહી હતી. ઓચિંતા જ સુપરવાઇઝરનું ધ્યાન તેની પર જતા તેને શંકા ગઈ હતી. જેથી તેની તપાસ કરતા એરબર્ડ જપ્ત કરી ગેરરીતિનો કેસ નોંધી પરીક્ષા વિભાગને મોકલી અપાયો હતો. આવી ચોરીમાં આ દંડ
સાઇબર ક્રાઈમના પડકારોને પહોંચી વળવા પ્રાથમિક શિક્ષણથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવો પડશે, એમ સાઇબર સિક્યુરિટી નિષ્ણાત ડો.રક્ષિત ટંડને કહ્યું હતું. યુપી પોલીસના સાઇબર સલાહકાર અને કેન્દ્રના ગૃહ વિભાગની સાઇબર સિક્યુરિટી સમિતિના સભ્ય ડૉ.ટંડન વડોદરા ફિક્કી ફ્લો આયોજિત ‘માસ્ટર ક્લાસ ઓન સાઇબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન’માં પોલીસ અધિકારી-કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાઇબર ક્રાઇમને પહોંચી વળવા શાળામાં પ્રાથમિક સ્તરેથી જ શિક્ષણ આપવું પડશેભાસ્કર:સાઇબર ક્રાઈમના કયા પડકાર છે?ડો. રક્ષિત ટંડન: સાઇબર માફિયા જુદી-જુદી રીતે ક્રાઈમ કરે છે. ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓટીપી ફ્રોડથી માંડી ફોન હેકનો સમાવેશ થાય છે. જેમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો ચાલુ છે. સરકાર નવા કાયદા-નિયંત્રણો લાવી રહી છે. કેવા ફેરફાર?સરકારે મોબાઇલ કંપનીઓને સૂચના આપી છે કે કોઈ SMS ઉપર પ્રકાર લખવો પડશે, જેવા કે પ્રમોશન, સર્વિસ, સરકારી અને ટ્રાન્જેક્શન જેવાં શબ્દ લખવા પડશે. ઠગાઈનો ભોગ બનેલાએ શું કરવું?1930 હેલ્પ લાઇન પર ફોન કરવો. અગાઉ 24 કલાકમાં ફરિયાદ કરવા કહેવાયું હતું, પણ હવે માફિયા નવી તરકીબો અજમાવે છે. 1 કલાકમાં જાણ કરાય તો ઠગાઇની 80 ટકા સુધી રકમ રિકવર કરી શકાય છે. સરકાર કેવાં પગલાં લઈ રહી છે?સરકાર ડેટા સિક્યુરિટીનું ખાસ ધ્યાન રાખે છે. જેમાં કંપની કે સંસ્થામાંથી ડેટા લીક ન થાય એવી સિસ્ટમ ઊભી કરવા કામ ચાલુ છે. ફોન કરનાર જેનું સિમ વાપરે છે તેનું નામ પ્રદર્શિત થાય એવી સિસ્ટમ ઊભી કરી છે. જેનો ટ્રાયલ સફળ રહ્યો છે. AIના આવવાથી ફાયદો કે નુકસાન?બંને પાસા છે. ચેટ જીપીટી સ્વીકારે છે કે, તેમની સિસ્ટમનો ઉપયોગ નકલી વીડિયો, ફોટા અને અવાજ બનાવવા કરાયો છે. AIથી ડેટા સહિતના સમય માગી લેતાં કામ ઝડપી થયા છે. આ અંગે શું અપીલ કરશોસાઇબર ક્રાઈમ સામે જાગૃતિ માટે પ્રાથમિક શિક્ષણથી વિષય સામેલ કરવો પડશે. ભોગ બનેલા માટે રિહેબિલિટેશન સેન્ટર કે કાઉન્સેલિંગ કરવું જોઈએ.
પાણી માટે રઝળપાટ:આજવાથી રાત્રે 11 વાગે પાણી ટાંકીઓમાં આવ્યું સાંજે વિતરણ ન કરાતાં 2 લાખ રહીશો અટવાયા
નિમેટાથી આજવા તરફ નાખેલી પાણીની લાઈનનું 48 કલાકની કામગીરી બાદ જોડાણ કરાયું છે. તે પછી મોડી રાત્રે શહેરની ટાંકીઓને પાણી મળ્યું હતું. જેથી સાંજના સમયે પૂર્વ વિસ્તારની ટાંકીના અંદાજિત 2 લાખ લોકોને પાણી મળ્યું ન હતું. જ્યારે પાલિકા પાસે સંગ્રહ કરાયેલા પાણીથી કેટલીક ટાંકી અને બુસ્ટરમાં અડધો કલાક વિતરણ કર્યું હતું. પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા 25 થી 27 નવેમ્બર સુધી નિમેટાથી આજવા તરફ નાખેલી લાઈનનું મેનીફોલ્ડ લગાવવા, વાલ્વ લગાવવાનું કામ કરાયું હતું. 182 કર્મીઓની ટીમે 48 કલાકમાં કામ પૂર્ણ કર્યું હતું. પાલિકાની જાહેરાત મુજબ 27મીએ સાંજે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે. સૂત્રો મુજબ આજવાથી મોડી રાત્રે 11 કલાકે પાણી આવશે, તેવી માહિતી મળી હતી. જેથી સાંજના ઝોનની ટાંકીઓમાં એક ઝોનમાં પાણી વિતરણ કરાયું નથી. પાણીના ખાનગી ટેન્કરનો ભાવ રૂા.1300 સુધી પહોંચ્યોશટ ટડાઉન બાદ પૂર્વ વિસ્તારમાં 50 લાખ લિટર પાણી વધુ મળશે. જોકે 2 દિવસ પાણી ન મળતાં ખાનગી ટેન્કરની માગ વધી હતી. જેથી ખાનગી ટેન્કરના ભાવ 1300 સુધી પહોંચ્યા હતા. જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ભાસ્કર ઇનસાઇડટાંકી પર ટેન્કરની કતારો, ફાયરબ્રિગેડમાં 3 દિવસનું વેઇટિંગઆજવામાં મેગા શટ ડાઉનને કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 15 લાખ લોકોને બે દિવસ સુધી પાણી મળ્યું નથી. ગુરુવારે સાંજે પણ પાણી વિતરણ ન કરાતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પૂર્વ વિસ્તારની ટાંકીઓ પર ફાયરબ્રિગેડ અને કોન્ટ્રાક્ટરની ટેન્કરોની લાંબી લાઇનો લાગી હતી. એક અંદાજ મુજબ એક દિવસમાં 146 ટેન્કરો નોંધાઈ છે. કુલ 300 ફેરાને નોંધાતાં તેને પહોંચી વળવા 3 દિવસનું વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે.
બગીચાઓમાં સુરક્ષાની બાબતને ધ્યાને રાખી કમાટીબાગ અને ગોત્રી ગાર્ડન સહિત 4 બગીચામાં સહેલાણીઓની નોંધણી શરૂ કરાઈ છે. જોકે તેનો વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રક્રિયા બિનઉપયોગી હોવાનો મત રજૂ કરાઈ રહ્યો છે. કમાટીબાગમાં સહેલાણીઓ માત્ર 2 અક્ષરનાં નામ લખે છે તો ગોત્રી ગાર્ડનમાં મોબાઈલ નંબર 9 આંકડાનો લખે છે. જેની કોઈ ખરાઇ કરાતી નથી. કમાટીબાગમાં 4 ગેટ પર રજિસ્ટર મુકાયાં છે, જેમાં સહેલાણી પાસે નોંધણી કરાવાય છે. તેઓ જાતે એન્ટ્રી કરતા હોવાથી રજિસ્ટરમાં માત્ર 2 અક્ષરનાં નામ લખે છે. તેટલું જ નહીં મોબાઈલ નંબર ન ઉકેલાય તેવી રીતે લખે છે, જેની ખરાઇ કરાતી નથી. બીજી તરફ ગોત્રી ગાર્ડનમાં 2 અક્ષરનાં નામ અને મોબાઈલ નંબરમાં 9 આંકડા લખ્યા હતા. ગોત્રીમાં વાહન પાર્કિંગ બાદ એન્ટ્રી કરાય છે, જેથી લોકો વાહન પાર્ક કરી જતા રહે છે, જેની નોંધણી થતી નથી. ગુરુવારે કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ગ્રૂપે સ્થાયી ચેરમેનને આવેદન આપી નારાજગી ઠાલવી છે. માત્ર નામ, સમય તથા સહી કરવાની હોવાથી લોકો આ પ્રકિયાને અધૂરી અને બિનઉપયોગી ગણાવી રહ્યા છે. ગોત્રી ગાર્ડન : ખોટું નામ લખે તો કેવી રીતે ચકાસાય,બાયોમેટ્રિક સિસ્ટમ જરૂરીગાર્ડનમાં આવનારા લોકોની એન્ટ્રી કરાવવી તે સારી વાત છે. ગોત્રી ગાર્ડનમાં પાર્કિંગની વ્યવસ્થા અંદર છે, જ્યાં ચેકિંગ કરાતું નથી. ત્યાં કોઇ વાહનમાં કશું મૂકીને જતું રહે તો તેની ચકાસણી કેવી રીતે થશે? > તુષારસિંહ મહીડા, સહેલાણી હું 17 વર્ષથી સાંજે ચાલવા આવું છું. નોંધણીની પ્રક્રિયા બિનઉપયોગી છે. અસામાજિક તત્ત્વો ખોટું નામ લખશે તો ખરાઈ કોણ કરશે. સીસીટીવી સાથે પોલીસે સિવિલ ડ્રેસમાં તૈનાત રહેવું જોઈએ. > હર્ષદ રાજપૂત, ઈવનિંગ વોકર્સ કમાટીબાગ : ફોટો પાડી, આઇડી ચેક કરવા સાથે સીસીટીવી વધારવા જોઈએઆ પ્રક્રિયાનો હેતુ સિદ્ધ થતો નથી. કારણ કે, ચોપડામાં AKF અને CUD જેવાં નામો લખેલાં છે. જ્યારે મોબાઈલ નંબરમાં 9 આંકડાના લખ્યા છે. પાલિકાએ ફોટા પાડી, આઇડી કાર્ડ ચેક કરી પ્રવેશ આપવો જોઈએ. > દીપક મહેતા, મોર્નિંગ વોકર સુરક્ષાની દૃષ્ટિએ સારી છે. જોકે રજિસ્ટરમાં માત્ર નામ-સહીથી શું ફરક પડશે? કોઇ પણ ગમે તે નામ લખી નાખે તેની ચકાસણી કેવી રીતે થાય. બાયોમેટ્રિક સિસ્ટમ રાખવી જોઇએ, જેનાથી વ્યક્તિ કોણ છે તેની ખબર પડે. > હર્ષુલ ભટ્ટ, સહેલાણી
આગામી વર્ષની વિમન્સ પ્રિમિયર લીગની ચોથી આવૃત્તિની કેટલીક મેચોની યજમાની વડોદરાને મળી છે. આગામી વર્ષે 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન WPL યોજાશે, જેની કેટલીક મેચો માટે કોટંબી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 5મી ફેબ્રુઆરીએ કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. વુમન્સ ક્રિકેટની હાઇ પ્રોફાઇલ આ ટુર્નામેન્ટની હરાજીમાં બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની 3 ખેલાડીઓ શીખા પાંડે યુપી વોરિયર્સ થકી રૂા.2.40 કરોડમાં, રાધા યાદવ રોયલ ચેલેન્જ બેંગ્લુરુ થકી રૂા.65 લાખમાં અને યાસ્તિકા ભાટિયા ગુજરાત જાયન્ટ થકી રૂા.50 લાખ મેળવશે. જ્યારે કોટંબી સ્ટેડિયમમાં 5 સુધીની મેચો રમાય તેવી શક્યતા છે. બીસીએના સીઇઓ સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ઓક્શનમાં WPLના સીઇઓ જયેશ જ્યોર્જે આ જાહેરાત કરી હતી. વડોદરાની પ્રજ્ઞા રાવત, હની પટેલ અને નૃપા વ્યાસ ઓક્શનમાં હજી પેન્ડિંગ પ્લેયર્સ છે. તેઓને પણ રમતા નિહાળી શકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ઉપરાંત મુંબઇ, લખનઉ અને બેંગ્લોરમાં પણ મેચો યોજાવાની છે. શીખા પાંડેઆઇએએફની પૂર્વ એર ટ્રાફિક કંટ્રોલર, રાધાએ ક્રિકેટ માટે મુંબઇ છોડ્યુંબીસીએની જે 3 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે, તેમાં શીખા પાંડે આઇએએફની પૂર્વ એર ટ્રાફિક કંટ્રોલર છે. જ્યારે રાધા યાદવનો પરિવાર ક્રિકેટ માટે મુંબઇ છોડીને વડોદરા આવ્યો હતો. રાધા યાદવ : ડાબોડી સ્પીનર આ વર્ષે યોજાયેલા મહિલા વિશ્વકપની ટીમની વિજેતા ટીમનો હિસ્સો હતી. વનડેમાં 13 અને ટી-20માં 103 વિકેટ લીધી છે. શીખા પાંડે : રાઇટ આર્મ મિડિયમ પેસ બોલર મિડલ ઓર્ડર બેટર.55 વન ડેમાં 75 અને 62 ટી-20માં 43 વિકેટ. વન-ડે અને ટી-20ટમાં 700થી વધુ રન કર્યા છે. યાસ્તિકા ભાટિયા : વિકેટ કીપર-બેટર વન ડે-ટી-20માં 880 રન, વન ડે વિકેટ કીપિંગમાં 28 શિકાર, 19 ટી-20માં 18 સ્ટમ્પિંગ અને વિકેટ પાછળ 19 કેચ. મેન્સ વર્લ્ડ કપ અગાઉ વુમન્સ પ્રિમિયર લીગની મેચ પૂરી થશેબીસીએ દ્વારા આ ટુર્નામેન્ટની મેચો ઉપરાંત આગામી 11મી જાન્યુઆરીએ કોટંબી ખાતે યોજાનાર ભારત-ન્યૂઝીલેન્ડ મેચના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મેન્સ વર્લ્ડ કપનો પ્રારંભ 7મી ફેબ્રુઆરીએ થઇ રહ્યો છે. એ અગાઉ આ WPLની મેચો પૂરી થઇ જશે. કોટંબીના મેદાન પર અગાઉ વિમેન્સ ભારત-વેસ્ટ ઇન્ડિઝની 3 મેચની સિરીઝ, ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની 6 મેચો રમાઇ હતી. ગત વર્ષે WPLની ત્રીજી આવૃત્તિની 6 મેચો પણ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. જેમાં સ્ટેડિયમ પર સરેરાશ 22 હજાર પ્રેક્ષકોએ દરેક મેચનો રોમાંચ માણ્યો હતો.
અકસ્માતને નોતરું:ઝઘડિયા અને રાજપારડીના ચાર રસ્તા પર રખડતા પશુનો અડિંગો,અકસ્માતનો ભય
ઝઘડિયા અને રાજપારડી નગરના ચાર રસ્તા પાસે રખડતા પશુઓના અડિંગોના કારણે અકસ્માતનો ભય સતાવી રહયો છે. ઝઘડિયા તાલુકામાંથી અંકલેશ્વર ભરૂચને રાજપીપલા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા મહત્વના વેપારી મથકોના ચાર રસ્તા પરથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ રાજપીપલાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના માર્ગ સાથે જોડાય છે તેમજ અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાય છે,તેથી ધોરીમાર્ગ 24 કલાક વાહનોની આવનજાવનથી ધબકતો રહે છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને રાજપારડી નગરોના ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ પર ઘણીવાર દિવસ દરમિયાન રખડતા પશુઓની સમસ્યા જોવા મળે છે. ઘણીવાર પશુઓ ચાર રસ્તા નજીક રોડની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે,તેથી જતા આવતા વાહનોને તકલીફ પડે છે. ઝઘડિયા રાજપારડી મહત્વના વેપારી મથકો હોઇ આજુબાજુના ગામોના લોકોની અવરજવર મોટાપ્રમાણમાં રહે છે. કોઇવાર રખડતા પશુઓ આવતા જતા વાહનો સાથે અથડાવાની સંભાવના રહેલી છે,તેને લઇને અકસ્માતની દહેશત રહેલી છે.જેથી પશુઓ જાહેરમાં છુટા મુકતા પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માગણી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:ઉચાપાનમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો દાગીના-રોકડ ઉઠાવી ફરાર
બોડેલી તાલુકાના ઉચાપાન ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ બંધ મકાનમાંથી ત્રણ તિજોરી તોડી લાખોની માલમત્તા ચોરી કરી રવાના થઇ ગયા હતાં. ઘટના બાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. કોઇ જાણભેદુ તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ ને ચોરી ને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. તસ્કરો રૂપિયા 6,54,829 રૂપિયાના સોના ચાંદી ના ઘરેણા અને રોકડ રકમની ચોરી થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે છોટાઉદેપુ જિલ્લા ના બોડેલી તાલુકાના ઉચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં રહેતા શેખ જમીલભાઈ ઇસ્માઈલભાઈ હાડવૈદના મકાન પર મંગળવારે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર પાલેજ ખાતે દરગાહ પર માનતા પૂરી કરવા ગયો હતો. ત્યારે તસ્કરોએ રેકી કર્યા બાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાં રાખેલી ત્રણ તિજોરી તીક્ષ્ણ હથિયારો વડે તોડી, તસ્કરો સોનાનો દોરો, એરિંગ, સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના અને રોકડ રકમ સહિત લાખોની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. મકાન માલિકની ફરિયાદ બાદ બોડેલી પોલીસે ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ડોગ ઘરના પાછળના બારણેથી સુગંધ લઈને પાછળના ખેતરમાંથી પસાર થઈ ઉચાપાન- ડુંગરવાંટ રોડ સુધી ગયો હતો અને ત્યાં જ અટકી ગયો. જેના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તસ્કરો ત્યાંથી કોઈ વાહનમાં બેસીને આગળ ભાગ્યાં હશે.
અકસ્માત સર્જાયો:લીંબડીયા ચોકડી પાસે નશામાં ચૂર શિક્ષકની કારે બાઇકને અડફેટે લીધી
લીંબડીયા ચોકડી પર એક શિક્ષકે નશારેલી હાલત કાર ચલાવીને બાઇકને અડફેટે લેતા ચાલકને ઇજાઓ કરતાં સ્થાનિકોએ શિક્ષકને મેથી પાક ચખાડ્યો છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. મહીસાગર જિલ્લાના લીંબડીયા ચોકડી પર ગત રાત્રીના સમયે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઈક પર પોતાના ઘરે જતો હતો. તે દરમ્યાન એક સફેદ કલરની કાર પુરપાટ આવીને ઉભેલ બાઈક પર સવાર યુવકને અડફેટે લઇને દુકાન આગળ જ કાર ઘૂસી ગઈ હતી. લીબડીયા ચોકડી પર બનેલ ઘટનાને જોઈ હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કાર ચાલકને નીચે ઉતારતા જ લોકોને ખબર પડી ગઈ કે કાર ચાલક ચીક્કાર નશામાં અકસ્માત કર્યો છે. તે જોઈ કાર ચાલક શિક્ષકને લોકોએ મેથીપાક ચખાડ્યો. બાદમાં કારમાં તપાસ કરતા દારૂની બોટલ હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા બાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય નાયકની ધરપકડ કરી ક્રેનની મદદથી કારને બહાર કાઢી પોલીસ મથકે લઇ જઈ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની કાર્યવાહી:મહીસાગરમાં 3 માસમાં 734 બૂટલેગરો સાથે દોઢ કરોડનો વિદેશી દારૂ ઝડપી પડાયો
મહિસાગર જિલ્લામાં જે રીતે છેલ્લા ત્રણ માસમાં પોલીસ દ્વારા જે દારૂ ની હેરાફેરી પર લગામ લગાવી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લામાં પોલીસે બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી રહી છે. જિલ્લા પોલીસ વડા શફી હશન માર્ગદર્શન હેઠળ મહીસાગર પોલીસે ગુજરાતને જોડતી રાજસ્થાન બોર્ડર તમામ ચેકપોસ્ટ પર પોલીસ તહેનાત કરી છે અને શંકાસ્પદોને દારૂ સાથે ઝડપી જેલ ભેગા કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામા મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ ઓ જી પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પકડ બુટલેગર ઉપર વધતી ગઈ ત્યારે છેલ્લા ત્રણ મહિના ના આંકડા પર નજર કરીએ તો આ દરમિયાન 87 વાહન સાથે 734 બૂટલેગરો ને ઝડપી કુલ 646 કેસ કરવામાં આવ્યા છે.જેમા 45,937 બોટલો મળી દોઢ કરોડથી પણ વધુનો દારૂનો જથ્થો મળી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ભાસ્કર ઇનસાઈડસૌથી સુરક્ષિત નદીમાં બોટ દ્વારા દારૂની હેરાફેરી મહીસાગર પોલીસની ચેકિંગ વધતા હવે બૂટલેગરો એ પોલીસથી બચવા નવા નવા રસ્તાઓ અપનાવી લીધા છે. હવે બોર્ડર થી લક્ઝુરીયસ કારમાં જિલ્લામા દારૂ પ્રવેશવામાં આવે છે.અને તેને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી બોર્ડર પાર કરાવવામાં આવે છે. આ ઉપરાંત મહીસાગર સૌથી સુરક્ષિત નદીમાં બોટ દ્વારા પણ દારૂની હેરાફેરી કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં દારૂનો બોટમાં રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેનાથી પણ વધારે ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ઉપર દારૂમાં રાખીને બોર્ડર ક્રોસ કરાવવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જિલ્લામા એક ટોળકી સક્રિય થઈ હોવાનું ચર્ચામાં છે. વિક્રમ માલીવાડ નામ વોન્ટેડ બુટલેગર અને તેના માણસો જે કડાણા તાલુકાની બોર્ડર પર આવેલ પુનાવાડા ચોકડીથી ડીટવાસ કડાણા માર્ગ પર આવતા જતા વાહનો રોકી પોલીસનો માણસ હોવાનો રોફ જમાવી વાહન ચેકીંગ કરી મુસાફરોને હેરાન કરતાં હોવાની બુમો સાંભળવા મળી રહી છે.
બાંડીબાર વિસ્તારમાં આવેલ દુધિયા રોડ પર હડફ નદીના કિનારે તાજા કાપેલા પશુના અવશેષો મળી આવતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મોટી બાંડીબાર અને નાની બાંડીબારના સીમાડા પાસે હડફ નદીના પુલ નીચે આવેલા નાળા પાસેથી આ અવશેષો મળી આવતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અવારનવાર અજાણ્યા ઇસમો દ્વારા આવું કૃત્ય કરવામાં આવે છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હોઈ શકે તે અંગે ગામના લોકોમાં ગહન ચર્ચાઓ ચાલી રહી છે. આસપાસના ગામના લોકોએ તેમનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે અમારા ઢોર-ઢાંકરને અમારા જીવની જેમ સાચવીએ છીએ. જો પશુનું મૃત્યુ થાય તો અમે ખાડો ખોદીને તેને દફનાવીએ છીએ. સ્થાનિક લોકોની મુખ્ય માંગ છે કે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક આ અવશેષો કયા પશુના છે તેની તપાસ કરાવે. તેમજ આ અમાનવીય અને ગેરકાયદે કૃત્ય કોના દ્વારા આચરવામાં આવ્યું છે તેની સઘન તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી તેમને યોગ્ય સજા કરવામાં આવે.સ્થાનિક લોકોએ તંત્રને આ બાબતની ગંભીર નોંધ લેવા અને રાત્રીના વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા માગ છે. ભાસ્કર ઇનસાઈડબકરાની કતલ બાદ ફેંકાયેલા અવશેષોઆ અવશેષો બકરાની કતલ કર્યા બાદ ફેંકાયેલા છે.ગેરકાયદેસર કતલ કરનારાઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પશુનો જીવ લીધા બાદ તેના બિનઉપયોગી અવશેષો ખુલ્લેઆમ ફેંકી દેવાય છે. જે સીધી રીતે કાયદાના ભંગ અને ગંભીર પ્રદૂષણ તરફ ઈશારો કરે છે.
નમસ્તે, ગઈ કાલના મુખ્ય સમાચાર ભાજપના આરોપ સાથે જોડાયેલા રહ્યા. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં ગૃહ યુદ્ધ કરાવવા માંગે છે. બીજા મોટા સમાચાર આસામને લઈને રહ્યા. અહીં એકથી વધુ લગ્ન કરવા બદલ 10 વર્ષ સુધીની જેલ થઈ શકશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપીમાં સ્થિત શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. આ કાર્યક્રમ પછી, તેઓ ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. 2. છત્તીસગઢના રાયપુરમાં ત્રણ દિવસીય ડીજીપી-આઇજીપી (પોલીસ વડાઓ)ની કોન્ફરન્સ શરૂ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામેલ થશે કાલના મોટા સમાચારો 1. ભાજપે કહ્યું- દેશમાં ગૃહ યુદ્ધ કરાવવાનું રાહુલનું કાવતરું:કોંગ્રેસ સાથે સંકળાયેલા X એકાઉન્ટ્સનું લોકેશન પાકિસ્તાન-બાંગ્લાદેશમાં; કોંગ્રેસે આરોપો નકાર્યા ભાજપે ગુરુવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિદેશી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ભારતમાં ગૃહયુદ્ધ ભડકાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ એકાઉન્ટ્સ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, સિંગાપોર અને અમેરિકા સહિત અન્ય દેશોમાંથી ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી અને ડાબેરી નેતાઓના ઇશારે ભારતની છબી ખરાબ કરવામાં આવી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું, અશ્લીલ કન્ટેન્ટની જવાબદારી કોઈએ લેવી પડશે:ગંદું કન્ટેન્ટ રોકાય ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે; કેન્દ્ર 4 અઠવાડિયાંમાં નિયમ બનાવે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સોશિયલ મીડિયાના કન્ટેન્ટ પર સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતાં એડલ્ટ કન્ટેન્ટ માટે કોઈએ કોઈની જવાબદારી લેવી જ પડશે. સુપ્રીમ કોર્ટે આજે આ ટિપ્પણી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સાથે જોડાયેલા કેસમાં કરી. આ શોના વાંધાજનક કન્ટેન્ટ પર વિવાદ થયા પછી રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈના જેવા ઘણા યુટ્યૂબર્સને ચર્ચામાં લાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ગંદું (અશ્લીલ) કન્ટેન્ટ રોકવામાં આવે છે ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે. કેન્દ્ર સરકાર આ અંગે 4 અઠવાડિયાંમાં નિયમો બનાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હી બ્લાસ્ટ: મુઝમ્મિલ બોલ્યો- ડૉ. શાહીન ગર્લફ્રેન્ડ નહીં, પત્ની છે:અલ ફલાહ નજીક મસ્જિદમાં નિકાહ થયા; મહિલાએ જૈશ માટે ₹28 લાખ એકઠા કર્યા હતા દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ અહેમદે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની પૂછપરછમાં દાવો કર્યો છે કે ડો. શાહીન સઈદ તેની ગર્લફ્રેન્ડ નહીં, પરંતુ પત્ની છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આતંકવાદી મોડ્યુલમાં મેડમ સર્જન તરીકે જાણીતી ડો. શાહીન મુઝમ્મિલની પ્રેમિકા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મુઝમ્મિલે સપ્ટેમ્બર 2023માં ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પાસેની એક મસ્જિદમાં શાહીન સાથે નિકાહ કર્યા હતા. શરિયા કાયદા હેઠળ નિકાહ માટે ₹5-6 હજારના મહેર પર સહમતિ બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એકથી વધુ લગ્ન કર્યા તો 10 વર્ષની જેલ:સ્થાનિક ચૂંટણી લડી નહીં શકે, સરકારી નોકરી નહીં મળે; આસામમાં પોલિગામી બિલ પસાર આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા આસામ પ્રોહિબિશન ઓફ પોલિગેમી બિલ, 2025 પસાર કર્યું છે. આ કાયદો છઠ્ઠા અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ વર્ગને લાગુ પડશે નહીં. સરકારના મતે, આ વિસ્તારોની સ્થાનિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. ગુરુવારે પસાર થયેલા બિલ મુજબ, જો જીવનસાથી જીવિત હોય અને તેનાથી કાયદેસર રીતે છૂટાછેડા ન થયા હોય અને તે અન્ય કોઈ સાથે લગ્ન કરે તો તે ગુનો ગણાશે. તેની સજા સાત વર્ષ સુધીની જેલ અને દંડ છે. આ સાથે પીડિતાને 1.40 લાખ રૂપિયા વળતર આપવાની પણ જોગવાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યાદોમાં ધર્મેન્દ્ર! સોનુ નિગમના સૂરથી શ્રદ્ધાંજલિ:'હી-મેન'ની યાદમાં પરિવારે પ્રાર્થના સભાનું આયોજન કર્યું, ભીની આંખે સેલેબ્સ પહોંચ્યાં સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ આજે ગુરુવારે સાંજે તેમની યાદમાં પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં તેમની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભાનું નામ 'સેલિબ્રેશન ઓફ લાઇફ' રાખવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ચાલનારી આ પ્રાર્થના સભામાં બોલિવૂડ સિંગર સોનૂ નિગમ ધર્મેન્દ્રના ગીતો પર પરફોર્મન્સ આપશે. પ્રાર્થના સભામાં એક્ટરનો પરિવાર, મિત્રો અને બોલિવૂડના ઘણાં સેલેબ્સ ઉપસ્થિત છે. પ્રેયર મીટને પગલે હોટલ તાજ લેન્ડ્સમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 2 દિવસમાં 120 કરોડનાં 100 મકાન-4 ધાર્મિક દબાણ દૂર કરાયાં:ભાવનગરમાં નવાપરા બાદ ફૂલસરમાં મેગા ડિમોલિશન, કુલ 19,500 ચોમીથી વધુ જગ્યા ખાલી કરાઈ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જ્યાં અકવાડા મદરેસા બાદ ગઈકાલે 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયાં બાદ આજે ફૂલસરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વ પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 60 કરોડની કિંમતની 16,500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે 70થી વધુ કાચાં-પાકાં મકાનો અને 3 ધાર્મિક સ્થાન સહિતનાં દબાણો દૂર કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસેના એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો મળી 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પોલીસની સામે જ ભત્રીજાએ બચકું ભરી કાકાનો કાન કાપી નાખ્યો:પીડિત હાથમાં કાન લઈ હોસ્પિટલ પહોંચ્યો; કૌટુંબિક ઝઘડામાં બનેલી ચોંકાવનારી ઘટના નવસારી મહિલા પોલીસ મથકે કૌટુંબિક ઝઘડામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પારિવારિક ઝઘડાના સમાધાન માટે બોલાવવામાં આવેલા બે પક્ષો વચ્ચે પોલીસની હાજરીમાં જ મારામારી થઈ હતી. નિવેદન આપવા આવેલા કાકા સંગમ તિવારી પર તેમના ભત્રીજાએ હુમલો કર્યો હતો અને તેમનો કાન કરડી કાપી નાખ્યો હતો, જેના કારણે કાન છૂટો પડી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ફરીદાબાદમાં ડો. મુઝમ્મિલના વધુ 2 ઠેકાણાઓનો ખુલાસો:ભૂતપૂર્વ સરપંચ પાસેથી મકાન ભાડે લીધું, કહ્યું- કાશ્મીરી ફળ રાખીશું; શાહીન સાથે આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અફઘાન શરણાર્થીએ વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કર્યો:2 નેશનલ ગાર્ડ્સની હાલત ગંભીર, હુમલાખોરની ધરપકડ; ટ્રમ્પ બોલ્યા, આની ભારે કિંમત ચૂકવવી પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 22 દિવસમાં 7 રાજ્યોમાં 25 BLOનાં મોત:મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 9 લોકોના જીવ ગયા, યુપી-ગુજરાતમાં 4-4 મોત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જર્મનીએ કહ્યું- રશિયા યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી:દેશનું સંરક્ષણ બજેટ વધારવાની જાહેરાત; 2029 સુધીમાં પુતિન નાટો પર હુમલો કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹2,758 મોંઘી થઈને ₹1.62 લાખ પ્રતિ કિલોએ પહોંચી:સોનું ₹224 ઘટીને ₹1.26 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવ્યું, જુઓ તમારા શહેરનો લેટેસ્ટ ભાવ વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહ ગોચર :આજથી શનિ મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરશે; શેરબજારમાં સ્થિરતા આવશે, વૃષભ, મકર અને કન્યા રાશિ માટે લાભકારી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વેપારીઓ પૂતળાના અંતિમ સંસ્કાર કરતા પકડાયા ઉત્તર પ્રદેશના હાપુડમાં, ચાર યુવાનો પ્લાસ્ટિકના પૂતળાના અગ્નિસંસ્કાર કરતા પકડાયા. સ્મશાનગૃહના એક કર્મચારીને શંકા ગઈ અને તેણે પોલીસને ફોન કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીના બે કાપડ વેપારીઓ મૃત્યુનું નાટક કરીને 50 લાખ રૂપિયા વીમાના પૈસા મેળવવા માંગતા હતા. આ જ કારણ હતું કે તેઓએ આ કાવતરું ઘડ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'આ રિક્ષાની અંદર જ અમારું ઘર છે':ચંડોળા તળાવમાં રહેતા લોકો ઈસનપુર તળાવમાં રહેતા હતા, છ મહિનામાં બીજું ઘર છીનવાયું; બેઘરનાં આંસુ ઠંડીમાં સુકાય જાય છે... 2. પંઢેર અને કોલી આઝાદ, નિઠારીમાં 16 બાળકો-છોકરીઓનો હત્યારો કોણ?:હત્યાની કબૂલાત, તપાસ કોર્ટે નકારી; પોલીસની ત્રણ ભૂલો મોંઘી સાબિત થઈ 3. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ...તો ગુજરાતીઓ દેશને મેડલ અપાવશે':ગુજરાતમાં ટુર્નામેન્ટથી ભારતને શું ફાયદો થશે? ગોલ્ડ મેડલિસ્ટ હરમીત દેસાઈ અને માના પટેલ પાસેથી જાણો કોમનવેલ્થની ઇનસાઇડ વાતો 4. આજનું એક્સપ્લેનર:શું પલાશની 'ફ્લર્ટિંગ ચેટ' અસલી છે? મેરી ડી'કોસ્ટા કોણ છે, જેનો દાવો- મેં ચેટ વાઇરલ કરી હતી, શું હવે લગ્ન થશે? 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : કાશ્મીરમાં પોસ્ટરો લાગ્યાં ‘બહારના લોકોને આશ્રય ન આપો’:ત્રણ એજન્ટ, પાંચ અધિકારી, એક જવાબ – ‘બિન-કાશ્મીરીઓ જમીન ખરીદી શકતા નથી’, સ્ટિંગમાં ઘટસ્ફોટ 6. 10 વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો પ્લાન:કોમનવેલ્થ પછી ઓલિમ્પિક યોજવા અમદાવાદ, ગાંધીનગરનાં 22 સ્થળનો સર્વે થયો; ઐતિહાસિક યજમાનીની તૈયારી 7. બ્લેકબોર્ડ: ઈન્ટરનેશનલ ટીટી-પ્લેયરની પત્ની છું:ઘરેણાં વેચીને ઘર ચલાવું છું, પતિના મૃત્યુ પછી નોકરીનું વચન આપ્યું, ચાર વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહી છું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન જાતકોને સામાજિક સમારંભમાં હાજરીથી પ્રતિષ્ઠા- માન-સન્માન મળશે; કન્યા જાતકોને અટકેલાં કાર્યમાં ગતિ આવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
પાણી માટે રઝળપાટ:શહેરામાં શિયાળામાં પીવાના પાણીનો કકળાટ
હાલ જ ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છે અને સમગ્ર ગુજરાતમાં પર્યાપ્ત વરસાદ થયો છે. ત્યારે શહેરાના પાનમ જળાશયમાં પણ પાણીની પૂરતા પ્રમાણમાં આવક થઈ છે. લગભગ 2 વર્ષ પાણી ચાલે એટલો જળસંગ્રહ છે. શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાનમ જળાશયમાંથી જ પાણી આપવામાં આવે છે પાલિકા દ્વારા રોજીંદુ પાણી આપવામાં આવતું હતું પણ છેલ્લા કેટલાક સમયથી આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. આમતો કેટલીક વખત 2 દિવસ સુધી પણ પાણી આપવામાં આવતું નથી. જાણે પાલિકામાં કોઈ રણી ધણી ન હોય એ રીતનું શાસન ચાલી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ જવાબ આપવામાંથી બચી રહ્યા છે. ત્યારે પ્રજામાં પાણી સમયસર અને વધુ પ્રવાહ સાથે મળે ભલે આંતરે દિવસે આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. તો શું આનો કોઈ પરિણામ આવશે કે પછી આજ પરિસ્થિતિ યથાવત રહેશે! પાણીનો પ્રવાહ ઓછો હોવાથી નિકાલ લાવવો જરૂરી પાલિકા દ્વારા પાણી આંતરે દિવસે આપવામાં આવે છે. જ્યારે પહેલા પાણી રોજે આપવામાં આવતું હતું. આંતરે દિવસે કર્યા પછી પણ પાણી ઘણીવાર 2 દિવસે આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં પ્રવાહ ન મળતાં પાણી ભરાતું નથી. જ્યારે કેટલીક જગ્યાએ લોકો મોટરથી પાણી ચડાવે છે એટલે પ્રવાહ ઓછો થતા પણ પાણી ભરાતું નથી. તો આનો ચોક્કસ નિકાલ પાલિકાએ લાવવો જોઈએ એવી આશા રાખીએ છીએ : અરવિંદભાઈ પટેલ, સ્થાનિક
લોકાર્પણ:ગોધરા પાલિકા પાસેની નવીન પાણીની ટાંકી અને સંપનું લોકાર્પણ કરાયું
ગોધરામાં 1.80 કરોડના ખર્ચે 10 લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી તેમજ 12 લાખ લિટર ક્ષમતાવાળો સંપ તૈયાર કરાયો છે. આ બંને સુવિધાઓનું લોકાર્પણ ધારાસભ્ય રાઉલજીના હસ્તે કરાયું હતું. નવી ટાંકી અને સંપના લોકાર્પણ સાથે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાને રાહત મળશે. લોકાપર્ણમાં સભ્યો અને શહેરીજનો હાજર ન રહેતા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે કામ એવું કરો કે લોકો ફરિયાદ ના કરે પરંતુ ફરી યાદ કરે,સરકાર કરોડોના ખર્ચે વિકાસના કામો અને લોકોની સુખાકારી માટેના કામો કરે છે.
શિક્ષણ ભવનનું લોકાર્પણ:ઢઢેલામાં 66 લાખના ખર્ચે શિક્ષણ ભવનનું લોકાર્પણ
ઢઢેલા ગામમાં રહેતા બાળકોને શિક્ષણની અધ્યતન સુવિધાથી સજ્જ નવીન શિક્ષણ ભવનનું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 66 લાખના ખર્ચે નવ નિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે માત્ર 125 દિવસ પૂર્વે આ ભવનના નિર્માણ માટે મોડી સાંજે ખાતમુહૂર્ત કર્યું હતું. આજે બાળકોને સંપૂર્ણ સુવિધા સજ્જ ભવન નિર્માણ થયું છે. જેનો ઉત્સાહ બાળકો તથા ગ્રામજનોમાં તેમજ શાળા પરિવારમાં જોવા મળી રહ્યો છે. શિક્ષણની ઉચ્ચ ગુણવત્તામાં શાળાનું સુવિધા સજ્જ મકાનની મહત્વની ભૂમિકા રહે છે. વડાપ્રધાને પાયાના શિક્ષણ સાથે કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે દાહોદ જિલ્લામાં ગામે ગામ સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત 523 કરોડના ખર્ચે અધ્યતન ભવનના નિર્માણ કરવામાં આવ્યા છે. વાલી મિત્રો પણ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપે તે જરૂરી છે. શાળાના આચાર્ય નરેન્દ્ર પંચાલની વિનંતીને ગ્રાહ્ય રાખી પાણીની સુવિધા માટે બોર મોટર બનાવવા ખાતરી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં કાચલા સેવાનંદ ધામના મહામંડલેશ્વર 1008 સેવાનંદ મહારાજે ઉપસ્થિત રહી બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી શુભેછા પાઠવી હતી. આ ઉપરાંત 44 લાખના ખર્ચે નવીન શિક્ષણ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અનેક શાળાના શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પરિણીતાને ત્રાસ અપાયો:રાત્રે ઘૂંઘટ કેમ નથી કરતી, વાળ ખુલ્લા રાખે છે કહી પરિણીતાને ત્રાસ
દાહોદના ગોદી રોડ પર આવેલા પશુપતિનાથ નગરની રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરિણીતા જ્યોતિબેન ઉર્ફે રીન્કુબેન ધનપાલસિંહ ચૌહાણે પતિ ધનપાલસિંહ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનાર જ્યોતિબેનને લગ્નના માત્ર બે માસ બાદ જ ત્રાસ શરૂ થયો હતો. પતિ ધનપાલસિંહ દારૂના નશામાં આવી તને ઘરકામ નથી આવડતું, મારે તને રાખવી નથી, બીજી પત્ની લાવવી છે તેમ કહી ગાળો બોલી મારકૂટ કરતો હતો. જ્યારે તેમણે સસરાને વાત કરી, તો સસરાએ પણ મારો છોકરો સારો છે, તું જ ખરાબ છે કહીને પુત્રનો પક્ષ લીધો હતો અને ચા ફેંકી દેતા. સાસરિયાંએ પહેરવેશ બાબતે પણ ત્રાસ આપતાં કહ્યું તું સાડી નથી પહેરતી, બુરખો પહેરે તો સારી લાગે અને ખાસ કરીનેરાત્રે તું ઘૂંઘટ કરીને કેમ સૂતી નથી, વાળ ખુલ્લા રાખીને સૂવે છે જેવા મેણાં મારતા હતા. આ ઉપરાંત પિયરમાંથી સોનાના દાગીના લાવવા માટે દબાણ કરી મેણાં-ટોણાં મારતા હતા. દિયર અને નણંદ પણ આ ત્રાસમાં સામેલ હતા. પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી જ્યોતિબેને દાહોદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાહનોની હરાજી:દાહોદ RTO કચેરી ખાતે ડિટેઇન કરાયેલા 17 વાહનોની હરાજી કરાશે
એ.આર. ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડિટેઇન કરાયેલા કુલ 17 મોટર વાહનો જેમાં મેક્સી, ગુડ્સ કેરિયર અને બસ/ટાટા મેજિકની હરાજી હાથ ધરવામાં આવનાર છે. વાહનો જોવાનો સમયગાળો 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર અને બંધ કવરમાં બીડ રજૂ કરવાની છેલ્લી તા.8 ડિસેમ્બર રાખી છે. તા.9 ડિસેમ્બર અને સમય બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાખ્યો છે.હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે ₹500ની નોન-રિ ફંડેબલ ફીનો અર્નેસ્ટ મની ડિપોઝિટનો ડીડી, અને જરૂરી દસ્તાવેજો પાનકાર્ડ, આધારકાર્ડ, સરનામાનો પુરાવો બંધ કવરમાં રજૂ કરવાના રહેશે. EMD અને ફીનો DD સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દાહોદનો રહેશે. વધુ માહિતી માટે રમેશભાઇ ભાભોરનો સંપર્ક કરવા આરટીઓ સી.ડી પટેલે જણાવ્યુ છે. વાહન નંબર - અપસેટ પ્રાઇઝ
બાળકના જીવન સાથે ચેડાં:મુનપુર પીએચસીમાં બાળકને એક્સપાયર ડેટની દવા આપી
કડાણા તાલુકાનીમુનપુર પીએચસી કેન્દ્રમાં ઘાસવાડા ગામના દોઢ વર્ષના નાના બાળકની સારવાર કરવા માટે પરિવાર ગયો હતો. ત્યારે અધિકારીએ શરદી ખાસીની 3 માસ અગાઉ એક્સપાયર થઇ ગયેલી દવા આપી બાળકના આરોગ્ય સાથે ચેડા કર્યા હતાં. આ બાબતે કડાણા સરકારી હોસ્પિટલમાં આ અંગે રજુઆત કરવામા આવી હતી. જ્યાં તેમને દવા જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઘાસવાડા ગામનો ખાંટ પરિવાર ગત શુક્રવારે બાળકને શરદી ખાસી અને તાવ આવતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો. જ્યાં ડોક્ટરે દોઢ વર્ષના બાળકને તપાસીને શરદીની દવા આપી હતી. જે ઘરે ગયા બાદ પરિવારના એક ડૉ સબંધી ની નજર પડતા તે દવા ત્રણ માસ પહેલા એક્સપાયર થઈ હોવાનું નજરમાં આવ્યું હતું. એકસપાયરી દવાના સેવનથી રિએકશનનું જોખમ વધેએન્ટિબાયોટિક દવાઓ એક્સપાયરી બાદ સ્વાસ્થ્ય માટે વધુ નુક્શાનકારક બની શકે છે. આવી દવાઓનું સેવન કરવાથી રીએકશન નું જોખમ વધે છે સામાન્ય રીએકશન થવાથી લઈને જીવનું જોખમ થવા સુધીનું નુકશાન થવાની શક્યતા રહે . પરિણામે નવી દવાઓ પણ શરીર પર અસર નથી કરી શકતી. જેથી દવા લેતાં પહેલાં તેની પર લખેલી એક્સપાયરી ડેટ ચેક કરબાવું જરૂરી છે. એક્સપાયરી ડેટ સુધી દવાઓ લેવી સુરક્ષિત માનવામાં આવે છે. તેમજ એક્સપાયરી બાદ દવાઓ લેવી જોખમી માનવામાં આવે છે. જેથી તમારે આ બાબતે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું જોઈએ. ડો. પૃથ્વીરાજસિંહ પુવાર, હાર્ટ સ્પેશિયલિસ
ગોધરાની બામરોલી રોડ પરની સોસાયટીઓમાં સોલાર પેનલ ફીટ કરેલા હોવા છતાં મસમોટા લાઇટ બિલ આવતા વિજગ્રાહકોએ વિજ કંપની સામે આક્રોશ વ્યકત કરી રજૂઆત કરી છે. હાઇ વોલ્ટેજના કારણે સોલારના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. જોકે વિજલોડ સેટ કરવાની કાર્યવાહી કરવામાં આવતાં સમસ્યાનો નિકાલ આવશે તેમ વિજકંપની જણાવી રહી છે. ગોધરા શહેરમાં આશરે 13 હજાર કરતા વધુ સોલાર પેનલ ફીટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિભાગમાં કનેલાવ ફીડર વિસ્તારમાં 8500 જેટલા સોલાર પેનલ લગાવાઇ છે. સોલાર પેનલ વધી જતાં વીજ લોડ સેટ ન થતાં હાઇ વોલ્ટેજની સમસ્યા વધી ગઇ છે. સોલારમાંથી ઉત્પન્ન થતા વિજ યુનીટ એમજીવીસીએલમાં જાય છે. જયારે એમજીવીસીએલ વિજગ્રાહકો માટે વિજ લોડનો સપ્લાય કરે છે. ત્યારે ગોધરાના બામરોલી રોડની મહાવીર નગર સહીતની આસપાસની સોસાયટીઓમાં સોલાર પેનર ધરાવતા વિજ ગ્રાહકોને છેલ્લા 5 માસથી મસમોટા લાઇટ બિલ આવતા ચોંકી ઉઠયા હતા. સોલાર હોવાથી યુનિટ જમા થતા બિલ આવવુ જોઇએ નહિ પણ વિજ ગ્રાહકોને 5 હજારથી 12 હજાર સુધી લાઇટ બિલો આવતા વિજ કંપનીને રજુઆત કરી છે. સોલાર હોવા છતાં લાઇટ બિલો આવતા ગ્રાહકો ટેકનીકલ ખામી દુર કરવાની માંગ કરી છે.ત્યારે સોલાર પેનલના યુનિટ જનરેટ ન થતા વિજ બિલો આવી રહ્યા છે. સોલારથી ઉત્પન થતા વીજ લોડ અને એમજીવીસીએલ મારફતે મોકલતા વિજલોડ ના લીધે ટ્રાન્સફોર્મર પર લોડ વધતા હાઇ વોલ્ટેજનો પ્રોમ્બલ થતા સોલાર પેનરના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થઇ જતા સોલારના યુનિટ જનરેટ થતા નથી. વિસ્તારમાં વધુ સોલાર પેનલ હોય ત્યાં આ રીતે હાઇ વોલ્ટેજના કારણે ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા મસમોટા લાઇટ બિલો સોલાર પેનલ ધરાવતા વિજ ગ્રાહકોને આવી રહ્યા છે. એમજીવીસીએલ દ્વારા વિજ લોડ સેટ કરવાની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. ભાસ્કર ઇનસાઈડવીજલોડથી ઇન્વર્ટરની સ્વિચ ટ્રીપ થતાં બિલ આવે છે સોલારના ઇન્વર્ટરમાં વિજ લોડ વધારી દેતા સમસ્યાનું નિરાકરણ આવશે ગોધરામાં 13 હજાર જેટલા સોલાર પેનલ ફીટ કરેલા છે. સોલાર પેનલ ફીટ કરે ત્યારે ઇન્વર્ટરમાં વોલ્ટેજ 260 વોટનું સેટ કરેલ હોય છે. જેના લીધે વિસ્તારમાં હાઇ વોલ્ટેજ થતા વોલ્ટેજ 260 ઉપર વધી જતા સોલાર પેનલના ઇન્વર્ટરની સવીચ ટ્રેપ થઇ જાય છે. જેના લીધે યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઇન્વર્ટરમાં વિજ લોડ 280 જેટલો સેટ કરી દેવામાં આવે તો હાઇવોલ્ટેજ વધવા છતાં સોલારના ઇન્વર્ટરની સવીચ ટ્રેપ નહિ થાય અને યુનિટ જનરેટ પણ થશે. જોકે ઉશ્કેરાયેલા લોકોએ વીજ કંપનીનમાં જઇને આક્રોશ પુર્ણ રીતે રજૂઆત કરતાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી.
આમલેથાના સભ્યએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો:નર્મદામાં સિક્લસેલના દર્દીને સહાય નહીં મળતાં હાલાકી
જીલ્લા પંચાયત નર્મદાના આમલેથા બેઠકના સભ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન રસ્મિકા વસાવા એ સિકલસેલ એનિમિયાના દર્દીઓની ચિંતા કરી ને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી જણાવ્યું નર્મદા જીલ્લામાં સિકલસેલનુ અને ક્ષય રોગોનું પ્રમાણ વિશેષ છે. આ વિસ્તારમાં અનુસુચિત જનજાતિના લોકોનું પ્રમાણ વધારે છે. આવા દર્દીઓને જરૂરી સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં જવા માટે મુખ્યત્વે સરકારી સહાય ઉપર નિર્ભર રહે જે સહાય કોઈ કારણસર છેલ્લા 10 થી 11 મહિનાથી મળ્યા નથી રોગો સામે યોગ્ય સમયે જે યોગ્ય સારવાર મળી રહેવી જોઇએ યોગ્ય સહાય અને ન્યાય મળી રહે તે માટે આરોગ્ય વિભાગ ધ્વારા આવી રહેલી સમસ્યા ઝડપથી નિરાકરણ લાવવા અને આવા દર્દીઓને નિયમિત સહાય મળી રહે આ બાબતે ઘટતુ કરવા રજૂઆત કરી છે.
નવી ટેક્નોલોજીનો ઉપયોગ:દયાદરા રોડ પર વૃક્ષોને બદલે રીફલેક્ટર લગાવાયા
ભરૂચમાં નબીપુરથી દયાદરા ચાર માર્ગીય રોડ પર રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. અગાઉ માર્ગની વચ્ચે આવેલાં ડિવાઇડર પર વૃક્ષો ઉગાડવામાં આવતાં હતાં જેના કારણે સામેથી આવતાં વાહનોની હેડલાઇટના પ્રકાશથી અન્ય વાહનચાલકોની આંખ ન અંજાઇ જાય પરંતુ હવે વૃક્ષોનું સ્થાન રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમે લીધું છે. દહેજ જીઆઇડીસી તરફથી આવતાં અને જતાં વાહનો દયાદરાથી નબીપુરવાળા માર્ગનો ઉપયોગ કરતાં હોય છે. આ રસ્તાને ચાર માર્ગીય બનાવી દેવામાં આવ્યો છે. જિલ્લા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રોનક શાહે જણાવ્યું હતું કે,નબીપુર દયાદરા ચાર માર્ગીય રસ્તા પર ભારદારી વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માતો નિવારવા માટે ડિવાઇડરમાં રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. જેથી રાત્રીના સમયે બંને બાજુ અવરજવર કરતા વાહનોનો પ્રકાશ સામેના ચાલકોની આંખોમાં ન પડે અને ગ્લેર ન થાય અને વાહનચાલક સામેનો રસ્તો સરળતાથી જોઇ શકે. નબીપુર- દયાદરા ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે ઉપર પણ આ સીસ્ટમ લગાડવામાં આવી છે. ભાસ્કર નોલેજરીફલેક્ટિવ એન્ટિ ગ્લેર સિસ્ટમ શું હોય છે રાત્રિના સમયે વાહન ચલાવવું પડકારરૂપ બની શકે છે, મુખ્યત્વે ઘટાડો દૃશ્યતાને કારણે. રાત્રે રોડ રિફ્લેક્ટર હેડલાઇટ્સને પ્રતિબિંબિત કરીને ડ્રાઇવરોને લેન માર્કિંગ, વળાંકો અને રસ્તાની કિનારીઓ વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. આનાથી રોડ પરની દૃશ્યતા સુધરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જશે. આ સરળ છતાં અસરકારક મિકેનિઝમ ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં, અકસ્માતો ઘટાડવામાં અને સરળ, સુરક્ષિત ડ્રાઇવિંગ અનુભવની ખાતરી કરવામાં મદદ કરે છે. આ નવીન સિસ્ટમ રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે, કારણ કે તે આવતા વાહનોની હેડલાઇટનો તેજસ્વી પ્રકાશ સીધો ડ્રાઇવરની આંખોમાં પડતો અટકાવશે. આનાથી રોડ પરની દૃશ્યતા સુધરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જશે.
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં સૌ પ્રથમ વખત રબર મેટ પર કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ તથાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમતઅધિકારીની કચેરી તરફથી ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનો સહિત કુલ 500થી વધુ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.નોંધનીય છે કે, જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણની રબર મેટ પર આ સ્પર્ધા યોજાઈ હતી, જેની દરેક ખેલાડીએ ખૂબ પ્રશંસા કરી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલના માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી સ્પર્ધા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. ગુરુવારની પૂર્વ સંધ્યાએ રમાયેલી રોમાંચક ફાઈનલ મેચની સાથએસ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ હતી. આવા આયોજનથી નર્મદા જિલ્લાના રમતવીરોમાં પણ જુસ્સાવર્ધન થશે અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે.
પ્રજાજન પરેશાન:તરસાડા વ્યારા માર્ગની અત્યંત અવદશાથી સ્થાનિકો પરેશાન
તરસાડા થી વ્યારા જતા માર્ગની અત્યંત અવદશા થઈ જતા વાહનોને નુકસાન થવા સાથે માનવ વસ્તીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે તેના લીધે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. તરસાડા કાકરાપાર વ્યારા રોડની ચોમાસા દરમિયાન અત્યંત અવદશા થઈ ગયા બાદ આજ પર્યંત કોઈ પણ પ્રકારની મરામત ન થતા આખા માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડી રહે છે જેના લીધે બાઇક સવાર તથા રાહદારીઓને આંખમાં લાગતી ધૂળના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક લોકોને આંખની સમસ્યાઓ પણ ઉદભવી છે તેમ જ રોડની આજુબાજુ રહેતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક લોકોને શ્વાસની પણ તકલીફો ઊભી થાય એટલા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું
કરુણ દુર્ઘટના:ટ્રેનની અડફેટે 45 વર્ષના ઇસમનું મોત
ચલથાણ ગામની સીમમાં ફરી એકવાર રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનની અડફેટે એક અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું છે. રેલવે પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચલથાણ રેલવે સ્ટેશનની નજીક આવેલા નેશનલ હાઈવે 48 ના રેલવે બ્રિજની નીચે એક અજાણ્યો ઇસમ ટ્રેન અડફતે આવી ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, મૃતક ઇસમની ઉંમર આશરે 45 વર્ષની આસપાસ જણાય છે રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
દાહોદ જિલ્લામાં બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટેની મહત્વાકાંક્ષી સરકારી યોજનાઓમાં કેટલી ગંભીર બેદરકારી ચાલી રહી છે, તેનો ચોંકાવનારો કિસ્સો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યો છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોષણ યોજનાના મૂળ હેતુઓ પર જ સવાલ ઉઠાવે તેવી ગેરરીતિઓ પકડાઈ હતી.જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની મુલાકાત સમયે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને હાજર હતા. સૌથી ગંભીર બાબત એ સામે આવી કે જ્યારે હાજર સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને રૂબરૂ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓને સરકારની મહત્વની યોજનાઓ જેવી કે દૂધ સંજીવની યોજના અને પોષણ સુધા યોજનાનો લાભ નિયમિત રીતે આપવામાં આવતો નથી. પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ મામલે પણ ગંભીર બેદરકારી જોવા મળી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીધા વર્કરને મોકલવામાં આવતા દૈનિક 5 પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ પૈકી એક પણ પ્રવૃત્તિ કરાવવામાં આવતી ન હતી. મુલાકાત દરમિયાન બહાર આવ્યું કે, બાળકોની પ્રવૃત્તિની પુસ્તિકા અને રમકડાં ઉંદરો દ્વારા નાશ કરવામાં આવેલ છે. અન્ય રમકડાં પણ યોગ્ય ઉપયોગ અને જાળવણીના અભાવે વાપરવા લાયક રહ્યા નથી. સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલી વાસણ, પુસ્તકો અને અન્ય સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે જાળવણી થઈ ન હતી.
વિશેષ પ્રદર્શનનું આયોજન:રાજપીપળામાં ધ ઇટર્નલ સરદાર થીમ પર પ્રદર્શન
નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની અવિસ્મરણીય વારસાને સમર્પિત વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરના રોજ સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી રાજપીપલાની પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે લેગસી એન્ડ રિવાઇવલ - ધ ઈટર્નલ સરદાર થીમ હેઠળ પ્રદર્શની યોજાશે. રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રદર્શન સરદારસાહેબના જીવન, સંઘર્ષ, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન તથા તેમની અડગ દ્રઢ સંકલ્પશક્તિ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરાશે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનો આશય સરદાર સાહેબના જીવનમૂલ્યો, દેશપ્રેમ અને ભારતને એક કરવા માટે તેમના બહુમૂલ્ય યોગદાનની યુવાપેઢી, મહિલા-બાળકો, યુવાનો સહિત પ્રત્યેકનાગરિકોને પ્રતિતી કરાવવાની છે.
વેધર રિપોર્ટ:ભરૂચમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો
ભરૂચ જિલ્લામાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે જેથી ગરમી અનુભવાઇ રહી છે. જોકે ભેજનું પ્રમાણ બે દિવસથી વધુ નોંધાય રહ્યું છે. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધીને 41 થી 63 ટકા અને પવનની ગતિ ઘટીને 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે શરદી-ખાંસી નું પ્રમાણ લોકોમાં વધુ જોવા મળ્યું હતું.
SIRની કામગીરી:બીએલઓએ કચેરીઓમાં ગાદલાઓ પાથરી 70 ટકા ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ કરી દીધું
નર્મદા જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જિલ્લાની કચેરીઓ હોય કે તમામ મામલતદાર કચેરીઓ માં ગાદલા પાથરી બીએલઓએ મોડી રાત સુધી કચેરીઓ માં બેસી કામ કર્યું હતું. રવિવારે સ્કૂલો માં બેસી કામ કર્યું અને બાકીના સમયે ઘરે ઘરે જઈને કામગીરી કરી ત્યારે જિલ્લામાં મતદારોના 72.30 ટકાના એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઈઝ કરાયાં છે. બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ્સ ઝડપથી પ્રાપ્ત કરી શકાય તથા મતદારો ઇચ્છે તો દસ્તાવેજો પણ જમા કરી શકે તે માટે, મતદાન અને નાગરિકોની સુવિધા માટે દરેક વિધાનસભા મતવિભાગોમાં તા.29 અને 30 નવેમ્બર,25 ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો આઠમા ક્રમે છે, જ્યાં 72 ટકાથી વધુ ફોર્મ ડિજિટાઈઝ થયા છે. સાથોસાથ મતદાર ફોર્મ ઝડપી રીતે પ્રાપ્ત કરવા અને જરૂરી પુરાવા રજૂ કરવા માટે જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તા. 29 અને 30 નવેમ્બરના રોજ યોજાનાર કેમ્પનો લાભ લેવા તેમણે મતદારોને અનુરોધ કર્યો હતો. તા. 29 મીને શનિવારના રોજ બપોરે 12થી સાંજના 5 વાગ્યા સુધી અને 30મીએ રવિવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઇ.એફ. ફોર્મ અને મતદારો ઇચ્છે તો દસ્તાવેજો પણ પુરાવા રજૂ કરી શકે તે માટે કેમ્પ યોજાશે. કેમ્પ સ્થળે છેલ્લા SIR વર્ષ 2002 ની મતદારયાદીમાં નામ શોધવા માટે મદદરૂપ થવા તથા 2002 ની મતદારયાદી સર્ચ ફેસિલિટી સહિત હેલ્પ ડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
ગોઝારો બનાવ:બાયડ ડેમાઇ હાઇવે પર વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું
બાયડ તાલુકાના મોટા લાલપુર ગામના વ્યક્તિ શિંગોડા વેચવા માટે મોટર સાયકલ ઉપર જતા હતા. ત્યારે બાયડ ડેમાઈ મુખ્ય હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને લઇ સરસોલી મોટા લાલપુર વસાદરા વગેરે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો બાયડ દોડી પહોંચ્યા હતા. આ અંગે આ પંથકના આગેવાન ભરતભાઈ ભોઈએ જણાવ્યું કે ગુરુવાર સવારના સમય દરમિયાન તેમના ગામના સુરેશભાઈ ભોઈ બાઇક નંબર gj 31 એબી 7812 લઈ બાયડ થી ડેમાઈ તરફ જતા હતા. ત્યારે અચાનક જ અજાણ્યા વાહને ટક્કર મારતાં સુરેશભાઈ બાઇક સાથે રોડ ઉપર પટકાઈ પડ્યા હતા. જ્યાં તેમને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ વાતની જાણ મોટા લાલપુર સહિત અન્ય ગામોમાં થતાં અનેક આગેવાનો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. યુવાનના મૃત્યુને લઈ ગામમાં તથા ભોઈવાસમાંં શોક છવાઈ ગયો હતો.
પ્રજાજન પરેશાન:હિંમતનગરમાં નમસ્તે સર્કલપાસે રોડની હાલત બિસ્માર
હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તથા રોડ ઉપરનો ડામર નીકળી જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે, સદનસીબે હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. તંત્ર દ્વારા વરસાદ બાદ શહેરના વિવિધ માર્ગોની મરામત કરાઇ રહી છે. પરંતુ નમસ્તે સર્કલ આસપાસના રોડનું સમારકામ હજુ સુધી કરાયું નથી. અહીંથી પસાર થતાં વાહન ચાલકે જણાવ્યું હતું કે, આ રોડની મરામત ન કરવાથી અહીંથી પસાર થતી વખતે સાવધાની રાખવી પડે છે તેમ છતાં કયારેક બાઇક ડગવા લાગતાં બીક લાગે છે, અહીંથી પસાર થતાં લોકોની માંગણી છે કે, શહેરના અન્ય રસ્તાઓની જેમ આ રોડની પણ મરામત કરીને તેને યોગ્ય કરવામાં આવે. > શૈલેષભાઇ પટેલ, ગોપાલભાઇ શાહ વાહનચાલક હિંમતનગર રોડનું ટૂંક સમયમાં સમારકામ કરાશેહિંમતનગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ડીકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં આવેલા તમામ રોડ રસ્તાનું સમારકામ તથા નવીનીકરણ હાથ ધરાયું છે. નમસ્તે સર્કલ પાસે આવેલા રોડનું પણ ટૂંક સમયમાં સમારકામ કરાશે.
રોડ સેફ્ટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન:મોડાસામાં મેઘરજ રોડ પર બનીરહેલા ગેટ વિશે તંત્રને જાણ નથી
મોડાસામાં મેઘરજ રોડ પર હાલ નવનિર્માણ ગેટ બની રહ્યો છે તો આ ગેટ બનાવવા રોડ એન્ડ બિલ્ડિંગની મંજૂરી લેવી પડે છે રસ્તો બંધ કરવા માટે પણ મંજૂરી લીધી કે ના લીધી એના માટે ઇન્ચાર્જ ડી.ઇ. સુથારને પૂછતા એને કહ્યું મને ખબર નથી. ગેટથી 100 મીટર દૂર આવેલ ઉમિયા ટાઉનશીપમાં જ અધિકારી રહે છે તો પણ આ વાત થી અજાણ છે. હાલમાં જ્યાં ગેટ બની રહ્યો છે ત્યાં રોડ સેફ્ટી માટેના કોઈ બેરિકેટ મૂકાયા નથી.
વીજગ્રાહકોમાં ફેલાયો રોષ:મેઘરજમાં યુજીવીસીએલ કંપનીનું ગ્રાહકે બિલ ભર્યું છતાં નોટિસ
મેઘરજમાં વીજ તંત્રની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા મેઘરજના કેટલાક ગ્રાહકોએ વીજબીલ ઓનલાઇન અથવા કેસમાં ચૂકવી દીધી હોવા છતાં પણ મેઘરજ ugvcl કચેરીના અંધેર વહીવટથી વીજબીલ ભરેલ ગ્રાહકોને પણ નોટિસો આપતાં રોષ ફેલાયો છે. મેઘરજના સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહક રહીમભાઈનું સ્માર્ટ મીટરનું વીજ બિલ રૂ. 12378 હતું તે વીજ બિલ વીજ ગ્રાહક દ્વારા તા.13 નવેમ્બર 2025 ના રોજ ભરી દેવાયા હતા અને પાવતી મેળવી લીધી હોવા છતાં પણ તા. 19- 11-2025 ના રોજ રૂ. 12378 બાકી છે. તેવી યુજીવીસીએલ કચેરી મેઘરજના નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ મેઘરજ ઘટક-1 દ્વારા વીજ ગ્રાહક રહીમભાઈને નોટિસ આપી રૂ. 12,378 ભરવા માટે 15 દિવસનો સમય આપતાં વીજ ગ્રાહક રહીમભાઈ આવક બન્યા હતા અને આ અંગે તેઓએ ના. કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા
કેબલ ચોરી કરનાર પકડાયા:મોડાસાના ચાંદટેકરીના બે શખ્સો ચોરી કરેલા કેબલના પાંચ બંડલ સાથે ઝડપાયા
મોડાસામાં જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાંથી ચોરી કરેલા કેબલ વાયર લઈને ચાંદ ટેકરીથી નીલગીરીઓની અંદર થઈ રેલવે ફાટક તરફ જઈ રહેલી રિક્ષા રોકીને એસઓજીએ 20હજારના કેબલના પાંચ બંડલ સાથે ચાંદ ટેકરીના બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. મોડાસા શહેરી વિસ્તારમાં એસઓજીનો સ્ટાફ પીઆઇ વાઘેલાની સૂચનાથી પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચાંદ ટેકરીથી નીલગીરીની અંદર થઈ રેલવે ફાટક તરફ જતાં રોડ ઉપર રિક્ષામાં બે શખ્સો પસાર થઈ રહ્યા હતા. એસઓજીએ રિક્ષા રોકીને તેની તલાશી લેતાં રિક્ષામાંથી કેબલ વાયરના જુદા જુદા ચાર ગૂંચડા અને ઇન્ટરનેટ લેન કેબલનું ગૂંચડું નંગ એક મળ્યું હતું. પોલીસે આગવી ઢબે રિક્ષામાં રહેલા કેબલ અંગે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ તા.25 નવેમ્બરે રાત્રિના સમયે જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાં બંધ પડેલ કોમ્પ્લેક્સ નજીક મંડપ બાંધેલો હતો તેની બાજુમાં કેબલ વાયરની ચોરી કર્યાનું જણાવતા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી લાદીમ ફકીર મોહમ્મદ મુલતાની (22) અને ઈરફાન ઈબ્રાહીમ મુલ્તાની (32) બંને રહે. ચાંદ ટેકરી મોડાસા સામે ગુનો નોંધી પોલીસે 20હજારના કેબલ વાયર તેમજ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.180520નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી:મોડાસામાં શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણના 475 મા પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી
મોડાસાના ગોકુલનાથજી મંદિરે શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણનો 475મો પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા ઊજવણી કરાઇ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગસર સુદ - 6 ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુને ( દાદાજી) ને ઢોલ - નગારા વગાડીને ઉત્સવની વધામણી કરાઇ હતી. મહાઔછવ ઉત્સવની ઉજવણી પૂર્વે બુધવારની રાત્રે મંદિરે ધન ધન છઠ્ઠ ની રાત સુહાવની ઉત્સવમાં વૈષ્ણવ ભાઈ બહેનોએ વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહી કિર્તન ગુણગાન તેમજ મનોરથી અનિલભાઈ શેઠ ના પરિવાર દ્વારા વૈષ્ણવોને કૂલેલ - તિલક કરી પ્રસાદી બાંટી ઉત્સવની ઊજવણી કરાઇ હતી. માગસર સુદ 7 ને ગુરુવાર ના રોજ ગોકુલેશ પ્રભુ ચરણના 475મા પ્રાગટ્ય મહોત્સવની વહેલી સવારે મંગળા આરતી, કેસર સ્નાન દર્શન તેમજ રાજભોગ દર્શનમાં માળાતિલક અને બહેનો દ્વારા કિર્તન ગુણગાન કરી ઉત્સવોને મંગલમય બનાવ્યો હતો. મંદિરના મુખિયાજી પવનભાઈ શર્મા, મંત્રી મહેન્દ્રભાઈ ગાંધી, રાજુ મામા, રાજુભાઈ શેઠ તેમજ ઉત્સવ કમિટીના સભ્યોએ જેહમત ઉઠાવી હતી. વૈષ્ણવ ભાઈ બહેનોને નીરજભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.
SIR:સા.કાં.માં આગામી શનિ-રવિ ફરીથી મેગા કેમ્પ
સાબરકાંઠામાં સરની કામગીરી 80 ટકાની પાર થઈ ગઈ છે અને બાકી રહેલા એક સપ્તાહમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર તમામ તાલુકા મથકોએ આગામી શનિ-રવિ દરમિયાન મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ મેગા ફોર્મ કલેક્શન કેમ્પનું આયોજન કરાયું છે જ્યાં એક જ સ્થળે આખા તાલુકાના તમામ બીએલઓ સવારે 9 થી સાંજે 5 સુધીમાં હાજર રહેશે. આ સ્થળો ઉપર યોજાશે કેમ્પ
શિક્ષકોમાં આનંદની લાગણી:સાબરકાંઠામાં 1340 પ્રાથમિક શિક્ષકોને OPSમાં સમાવાયા
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 1340 પ્રાથમિક શિક્ષકોને ઓ.પી.એસ. (જૂની પેન્શન યોજના)માં સમાવેશ કરવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે હુકમ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તા. 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય પરંતુ તા. 01-04-2005 પછી નિમણૂંક પામ્યા હોય ઉપરાંત તે પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક લઇ નોકરીમાં જોડાયા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા દ્વારા દરખાસ્ત કરાઇ હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:સા.કાં.ની 33 બેંકોમાં દાવા વિનાના 310 કરોડ જમા
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં એટલે કે બેન્કોમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ સહિતની જમા પૂંજી માટે ખાતાધારકના વાલી વારસોને તક મળી રહે તે હેતુસર શરૂ થયેલ ઝૂંબેશમાં જાણવા મળી રહ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતામાં દાવો ન કરાયો હોય તેવા 310 કરોડ રૂપિયા જમા પડ્યા છે. જેના માટે આજે હિંમતનગરમાં તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઈન સાથે શિબિર યોજી માર્ગદર્શન આપવામાં આવશે. તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ 4 ઓક્ટોબરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરાઇ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન જાગૃતિ ઝૂંબેશ ચલાવાઇ રહી છે. લીડ બેન્ક મેનેજર સંજય ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું કે જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા સાબરકાંઠામાં આજે 28 નવેમ્બર શુક્રવારના રોજ એક શિબિરનું નલિનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગરમાં સવારે 11-30 કલાકે આયોજન કરાયું છે. શિબિરમાં સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતાધારકોની 310 કરોડથી વધારે રકમ જમા છે. આ તમામ ખાતાઓ નિષ્ક્રિય છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ કરાશે. શિબિરમાં નાણાંકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

27 C