રાધનપુરના ખેડૂતોને નર્મદા પાણીની તાત્કાલિક માંગ:પાણી ન મળતા રવિ પાક જોખમમાં, ઉગ્ર આંદોલનની ચીમકી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો રવિ પાક માટે નર્મદા કેનાલના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. પ્રેમનગર વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે નર્મદાના પાણીની તાતી જરૂરિયાત છે. કેનાલમાં પાણી ન આવતા ખેતી કાર્ય સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. નર્મદા નિગમ દ્વારા કેનાલની સમયસર સફાઈ કે જાળવણી ન થવાને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું નથી. પાણીના અભાવે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. તંત્રની આળસ અને આયોજનના અભાવે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે. તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસોમાં પ્રેમનગર અને આસપાસના વિસ્તારના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભરૂચમાં પેન્શનર ડેની ઉજવણી:નિવૃત્ત પેન્શનરોનું સન્માન, યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લાના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપી નિવૃત્ત થયેલા પેન્શનરોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. પેન્શનરોને મળતી વિવિધ સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભાવિ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોતમ આહીરે કરી હતી. તેમણે સંસ્થાની કામગીરી, હેતુ અને પેન્શનરોના હિત માટેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આહીરે નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે, તમામ પેન્શનરોને એકતા અને સહકાર સાથે કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની વિક્રમી આવક નોંધાઈ છે. આજે કુલ 41,000 ગુણી જણસોની આવક થઈ, જેમાં 34,000 ગુણી મગફળીનો સમાવેશ થાય છે. આટલી મોટી આવકને કારણે યાર્ડ ઉભરાઈ ગયું હતું. હાપા યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર મગફળીની આટલી મોટી આવક નોંધાઈ છે. મગફળી વેચવા માટે ખેડૂતોએ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લગાવી હતી. જીણી મગફળીના ભાવ રૂ. 1000 થી 1400 સુધી મળ્યા, જ્યારે 9 નંબર અને 66 નંબરની મગફળીના ભાવ રૂ. 1800 સુધી પહોંચ્યા. ખેડૂતોને સારા ભાવ મળવાનું મુખ્ય કારણ તમિલનાડુના વેપારીઓ દ્વારા થતી ખરીદી છે. જામનગરની 9 નંબર અને 66 નંબરની મગફળીની હાપા માર્કેટ યાર્ડમાં સારી માંગ જોવા મળી હતી. મગફળી ઉપરાંત, અન્ય જણસોની પણ નોંધપાત્ર આવક થઈ હતી. આજે 800 ખેડૂતો વિવિધ જણસો સાથે યાર્ડમાં આવ્યા હતા. 110 ખેડૂતો લસણની 1917 ગુણી લઈને આવ્યા હતા, જેના ભાવ રૂ. 1000 થી 2555 સુધી બોલાયા. કપાસની 2891 ગુણીની આવક થઈ, જેના ભાવ રૂ. 1000 થી 1570 રહ્યા. સૂકી ડુંગળીની 899 ગુણીની આવક થઈ, જેના ભાવ રૂ. 40 થી 380 રહ્યા. સોયાબીનની 378 ગુણીની આવક થઈ અને તેના ભાવ રૂ. 700 થી 855 રહ્યા. આમ, આજે હાપા માર્કેટ યાર્ડમાં કુલ 41,000 ગુણી વિવિધ જણસોની આવક નોંધાઈ હતી.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવક બિટકોઇનમાં રોકાણ કરવાની લાલચમાં ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યો છે. અજાણ્યા ઠગે ટેલીગ્રામ એપ પરથી યુવકનો સંપર્ક સાધી નફાનું આશ્વાસન આપી કુલ રૂ. 2,18,500ની ઠગાઈ કરી છે. આ અંગે પીડિત યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગત તા. 6 જૂન 2025ના રોજ સવારે આશરે 10.30 વાગ્યે યુવક ઘરે હાજર હતો. તેના મોબાઇલ ફોન પર ટેલીગ્રામ એપમાં 'Manish Rajput Mentor' નામના એકાઉન્ટ તરફથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, હેલો, આઈ એમ ટીચર મનીષ રાજપુત. વેલકમ ટુ ધ કોઇનબેઝ એક્સચેન્જ પ્લેટફોર્મ. આર યુ હિયર ટુ કમ્પ્લીટ ધ ક્લિક ડેટા ટાસ્ક? યુવકને બિટકોઇનમાં રોકાણ કરવામાં રસ હોવાથી તેણે તે વ્યક્તિ સાથે ટેલીગ્રામ પર વાતચીત શરૂ કરી હતી. ઠગે યુવકને બિટકોઇનમાં રોકાણ કરવા માટે પૈસા મોકલવા જણાવ્યું હતું અને 'Ashok.232@superves' નામની યુપીઆઈ આઈડી આપી હતી. વિશ્વાસમાં લઈને યુવકે ગુગલ પે દ્વારા કુલ રૂ. 2,18,500ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. ઠગે યુવકને નફા સાથે પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ રકમ પરત કરી ન હતી, ત્યારબાદ યુવકે સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઠગે જવાબ આપ્યો નહોતો જેથી યુવકને ખ્યાલ આવ્યો કે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. માંજલપુર પોલીસે યુવકની ફરિયાદના આધારે અશોક સુપરયસ નામની આઈના ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણ બાગમાંથી મળેલી બાળકીના પિતાની ઓળખ થઈ:પોલીસ વીડિયોગ્રાફી સાથે નિવેદન લેશે, બાળકી હોસ્પિટલમાં
પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસેથી અંદાજે 2 થી 2.5 વર્ષની બાળકી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા બાળકીના પિતાની ઓળખ થઈ છે. પોલીસ હવે વીડિયોગ્રાફી સાથે તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરશે. ટ્રાફિક પોલીસને આ બાળકી ધ્યાને આવતા તેને સુરક્ષા અને તબીબી તપાસ માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળ કલ્યાણ સમિતિ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી. ચતુર્ભુજ બાગ પાસે વિષ્ણુજી ઠાકોર નામનો એક યુવાન બાળકીને લઈને ફરી રહ્યો હતો. તેની અસ્વચ્છ હાલત અને ગોળ ગોળ જવાબોને કારણે મામલો શંકાસ્પદ બન્યો હતો. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોષીએ જણાવ્યું કે, બાળકી વાલ્મિકી સમાજની છે અને તેની માતાનું અવસાન પ્રસૂતિ દરમિયાન થયું હતું. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે ચકાસવા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પાટણ એ ડિવિઝન PI કે. જે. ભોંયના જણાવ્યા મુજબ, બાળકીના પિતાના ઘરે કોઈનું અવસાન થયું હોવાથી પડોશમાં રહેતા ઠાકોર યુવાનને બાળકી રમવા માટે સોંપવામાં આવી હતી. યુવાન બાળકીને બાગમાં લાવ્યો ત્યારે બાળકી રડતી હોવાથી કોઈએ હેલ્પલાઈન પર જાણ કરી હતી. ધારપુર હોસ્પિટલના RMO રમેશ પ્રજાપતિએ માહિતી આપી કે CWCના આદેશથી બાળકીને વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની તબિયત હાલ સામાન્ય છે અને તેને કોઈ શારીરિક તકલીફ નથી. 2 વર્ષની ઉંમર મુજબ તેના જરૂરી મેડિકલ રિપોર્ટ અને રસીકરણની વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, તેમ છતાં બાળકીના પિતાને બોલાવવામાં આવ્યા છે. પિતાના આગમન બાદ તેઓએ બાળકી રમવા માટે આપી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી વીડિયોગ્રાફી સાથે વિધિવત નિવેદન લેવામાં આવશે. ત્યાં સુધી બાળકી હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રહેશે.
ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 16 ડિસેમ્બરના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યભરમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા અનેક વેપારીઓ ઝડપાયા છે. ગૃહ વિભાગના આદેશ મુજબ હવેથી કોઈપણ પાન પાર્લર, ચાની કીટલી કે છૂટક કરિયાણાની દુકાન પર નશા માટે વપરાતા આ રોલિંગ પેપર કે સ્મોકિંગ કોન મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ચીજવસ્તુઓ યુવાધનને નશાના માર્ગે ધકેલતી હોવાનું જણાતા સરકારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 મુજબ ગુનો નોંધવા સૂચના આપી છે. જૂનાગઢમાં પોલીસે મોડી રાત સુધી અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને વેપારીઓમાં ફફડાટ મચાવી દીધો હતો. પોલીસની આ કાર્યવાહીમાં કુલ 7 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના 6 કેસ અને ચાઈનીઝ દોરીનો 1 કેસ સામેલ છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે વિવિધ દુકાનોમાંથી આશરે ₹8,110 ની કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન, ચિલક્લાઉડ અલ્ટ્રા થિન પેપર અને ચાઈનીઝ દોરીના રિલનો સમાવેશ થાય છે. સરકારી જાહેરનામાના અમલ માટે પોલીસે આ આક્રમક વલણ અપનાવ્યું છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળવા ચોક પાસે આવેલી એવન પાન બીડીની દુકાનમાંથી વેપારી મયુર રાજુભાઈ ગંગવાણી પાસેથી પ્રતિબંધિત પેકેટ અને સ્મોકિંગ પેપર મળી આવ્યા હતા. પોલીસે અહીંથી અંદાજે ₹300 નો મુદ્દામાલ જપ્ત કરી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ત્રણ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.જેમાં સરદારબાગ પાસે રુદ્ર ડીલક્ષ પાનમાંથી સાહીલ ફારૂકભાઈ મહીડા પાસેથી ₹1,000 નો માલ, ચોબારી રોડ પરથી મંથન દીલીપકુમાર વ્યાસ પાસેથી ₹1,000 ના રોલિંગ પેપર અને મજેવડી ચોકી પાસે સાગર પાન નામની દુકાન ધરાવતા રહીમ ઉર્ફે રહીશ દિલાવરખાન બેલીમ પાસેથી ₹1,260 ના સ્મોકિંગ કોન કબજે કરવામાં આવ્યા છે. સી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં મધુરમ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વિક્રમભાઇ દુદાભાઇ ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 5 રિલ કિંમત ₹1,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના પ્રતિબંધિત વેચાણને અટકાવવા માટે કરવામાં આવી હતી. વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાડલા ફાટક પાસે શુભમ ડીલક્ષ પાન ધરાવતા ત્રીલોકભાઈ શરદભાઈ સોલંકી પાસેથી ₹1,000 નો પ્રતિબંધિત મુદ્દામાલ અને રજવાડી હોટેલ પાસે રજવાડી પાન પેલેસ ધરાવતા મોહમદ કમાલભાઇ જેઠવા પાસેથી ₹2,400 ના રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જણાય છે.
જામજોધપુરથી કામ અર્થે આવેલા એક એડવોકેટને સમર્પણ સર્કલ પાસે રોકીને બે અજાણ્યા શખ્સોએ ધમકાવ્યા હતા. આ શખ્સોએ એડવોકેટના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેમના બેંક ખાતામાંથી બળજબરીપૂર્વક ₹10,000 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, જામજોધપુરના એડવોકેટ ગૌતમ કારેણા ગઈકાલે પોતાના વકીલાતના કામ માટે જામનગર આવ્યા હતા. કામ પતાવીને તેઓ બાઈક પર જામજોધપુર પરત ફરી રહ્યા હતા. બપોરના સમયે સમર્પણ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લીધા હતા. આ શખ્સોએ એડવોકેટને માર મારવાનો ભય બતાવી ધાકધમકી આપી હતી. ધમકાવીને, આ શખ્સોએ એડવોકેટ પાસેથી કેટલાક જરૂરી દસ્તાવેજો પડાવી લીધા હતા. આ ઉપરાંત, ક્યુઆર કોડનો ઉપયોગ કરીને તેમના મોબાઈલ ફોન મારફતે બેંક ખાતામાંથી ₹10,000ની રકમ અન્ય એક મોબાઈલ ધારકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ એડવોકેટે તાત્કાલિક સિટી સી. ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા આરોપીઓને પકડવા માટે જુદા જુદા સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મનોજ ઉપાધ્યાય સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ બન્યા:અંબાજીમાં કારોબારી બેઠકમાં સર્વસંમતિથી નિમણૂક કરાઈ
સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા મનોજ ઉપાધ્યાયની પ્રદેશ યુવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંબાજી ખાતે યોજાયેલી બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકમાં કરાઈ હતી. આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાંથી 400થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સમાજના વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એક મહત્વનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં બ્રહ્મ સમાજે સરકારને દીકરીના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા અને લગ્ન જે ગામમાં થાય તે જ ગામમાં નોંધણી થવી જોઈએ તેવી વિનંતી કરી છે. આ ઉપરાંત, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમાજ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે પણ કામગીરી કરવામાં આવી હતી. મનોજભાઈ ઉપાધ્યાય વ્યવસાયે વકીલ છે અને તેઓ લાંબા સમયથી વિવિધ સામાજિક કાર્યો સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.
ભરૂચના એપાર્ટમેન્ટના રસોઈઘરમાં સાપ દેખાયો:નેચર પ્રોટેક્શન ટ્રસ્ટે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યો
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં એક સાપ દેખાતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના હાર્દિક કાપડિયાના મકાનના રસોઈઘરમાં બની હતી. પરિવારજનોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટના સભ્ય હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિરેન શાહે ભારે જહેમત બાદ પાણીમાં રહેતા બિનઝેરી ચેકર કીલબેક જાતિના સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. રેસ્ક્યૂ કરાયેલા સાપને કોઈ નુકસાન ન થાય તે રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોએ રાહત અનુભવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 19 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત આશરે રૂ. 2,93,000 છે. પોલીસ અધિકારીઓ DYSP, PI, PSI અને અન્ય પોલીસકર્મીઓના હસ્તે આ મોબાઈલ ફોન માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કર્યું છે. આ કાર્યવાહી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને DYSP એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તથા PI એમ.ડી. ચૌહાણની સૂચના મુજબ કરવામાં આવી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વિવિધ સ્થળોએથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢ્યા હતા.
નવસારી NH 48 પર ટ્રક પૂર્ણા નદીમાં ખાબકી:ડ્રાઇવર-ક્લીનરનો બચાવ, સામાન્ય ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયા
નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ધારાગીરી ગામ નજીક આજે સવારે એક ટ્રક પૂર્ણા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તેમને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સવારે આશરે 7 વાગ્યે અમદાવાદથી મુંબઈ જતા રૂટ પર બની હતી. ટ્રક ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કન્ટેનર સર્વિસ રોડ પરથી સીધું પૂર્ણા નદીમાં ગરકાવ થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ ધારાગીરી ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ નવસારી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઇવર તેમજ ક્લીનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ કર્મચારી નરેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર, વહેલી સવારે કન્ટેનર ચાલકને ઝોકું આવી ગયું હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. હાલ ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ છે અને પોલીસ તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં ચાર સ્કૂલને ધમકીભર્યા ઈ-મેલ મળતા તપાસ શરૂ કરાઈ છે. શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. બપોરે 1:30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ છે. આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી છે સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે. ફાયરની ચાર ગાડી અને ચાર રેસક્યુ વાન સ્કૂલ પર પહોંચી છે. સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સ્કૂલના 50 મીટર દૂરથી સ્કૂલ તરફ આવતો રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે
અમદાવાદની 3 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકીથી અફરાતફરી, બાળકોને ઘરે રવાના કરાયા
Vejalpur News: અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં (Zydus School) બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી
Silver and Gold Price : ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો છે. ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ ₹2,05,000ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીમાં જબરદસ્ત તેજી
પાટણ તાલુકાના સંડેર ગામના ભરત દેવીપૂજકની નવેમ્બર, 2023માં થયેલી હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આરોપસર પાટણ જેલમાં બંધ આરોપી કમલેશ પરમાર (ઉં.વ. 36, રહે. માતપુર, પાટણ)ની વચગાળાની જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે ફગાવી દીધી છે. આરોપી કમલેશ પરમાર પર પાટણ તાલુકાના માતપુર-ડાભડી રોડ પરના એક ખેતરમાં ભરત દેવીપૂજકને ઝાડ સાથે બાંધી, માર મારી હત્યા કરવાનો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી લાશને રોડ સાઈડ પર ફેંકી દેવાનો આરોપ છે. આરોપીએ પગના ઓપરેશન માટે 30 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે 2016માં અકસ્માત થતાં તેના બંને પગમાં ફ્રેકચર થયું હતું અને કલોલની હોસ્પિટલમાં ઓપરેશન કરીને સળિયા નાખવામાં આવ્યા હતા. હાલ તેને પગમાં અસહ્ય દુખાવો થતો હોવાથી ડોક્ટરની સલાહ મુજબ ફરીથી ઓપરેશન કરાવવાનું છે. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો છે. તેને જામીન મુક્ત કરાશે તો તે નાસી જવાની અને મુદતે હાજર ન રહેવાની ભીતિ છે. વકીલે વધુમાં જણાવ્યું કે આરોપીએ પગના ઓપરેશન અંગે કોઈ પ્રમાણપત્ર કે મેડિકલ પેપર રજૂ કર્યા નથી. બંને પક્ષોની રજૂઆતો અને તપાસ અધિકારીનો રિપોર્ટ ધ્યાને લઈને પાટણના સેશન્સ જજે નોંધ્યું કે આરોપી સામે હત્યાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટે જણાવ્યું કે આરોપીએ રજૂ કરેલા પેપર્સ 2016 ના હોવાનું જણાય છે અને હાલમાં કોઈ ડોક્ટરને બતાવ્યા હોય કે ડોક્ટરે ફરીથી ઓપરેશનની સલાહ આપી હોય તે બાબતે કોઈ દસ્તાવેજી આધાર પુરાવો રજૂ કર્યો નથી. કયા ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી તે પણ સ્પષ્ટ કરાયું નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે તપાસ અમલદારના અહેવાલ મુજબ સબજેલમાંથી સિવિલ હોસ્પિટલમાં આરોપીને સારવાર માટે મોકલી આપવાની સગવડ ઉપલબ્ધ છે. આથી આરોપીને પગનું ઓપરેશન કરાવવા માટે વચગાળાના જામીનની જરૂરિયાત જણાતી નથી. કોર્ટે નિર્દેશ આપ્યો કે જો આરોપીને મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થાય તો જેલ ઓથોરિટીએ નિયમાનુસાર હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવવી જોઈએ.
કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો વધતા વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. આ વર્ષે શીયાળો બરાબર જામતા રણના વેટલાઇન અને ટૂંડી તળાવમાં એકસાથે 40,000થી વધુ પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. દર વર્ષે હજારો કિલોમીટર દૂરથી આવતા આ પક્ષીઓ માટે રણ એક સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડે છે. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો પ્રારંભ થતા રણમાં ફ્લેમિંગો અને પેન્ટાસ્ટ્રોક સહિતના પક્ષીઓ મોટા ઝુંડમાં જોવા મળી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં વેટલાઇન અને ટૂંડી તળાવ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પક્ષીઓનું એકત્ર થવું સ્થાનિક અને વિદેશી પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવા વિવિધ પ્રકારના પક્ષીઓએ રણમાં પડાવ નાખ્યો છે. આ પક્ષીઓ યુરોપ જેવા દેશોમાંથી આવે છે, જ્યાં શિયાળામાં ભારે બરફવર્ષા થતી હોવાથી તેઓ ગરમ વાતાવરણની શોધમાં અહીં સ્થળાંતર કરે છે. આ વિદેશી મહેમાનો લગભગ ચાર મહિના સુધી આ વિસ્તારમાં રહે છે. તેમને અહીં પૂરતો ખોરાક, સલામતી અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે, જે તેમના વાર્ષિક આગમનનું મુખ્ય કારણ છે. માનવીય ખલેલથી મુક્ત આ વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સાચા અર્થમાં સ્વર્ગ સમાન છે.
અમદાવાદના વાળીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દંપતી જઈ રહ્યું હતું.જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતીને ડમ્પરે ટક્કર મારતા દંપતી જમીન પર પટકાયું હતું જે બાદ મહિલા પર ડમ્પરનું પાછળનું વ્હીલ ચડી જતાં માથું છુંદાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એએમસીના ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયુંચાંદલોડિયામાં રહેતા 45 વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ ગત 13 ડિસેમ્બરે સાંજે પતિ મનોજભાઇ સાથે એક્ટિવા પર પાંજરાપોળ ખાતે આવેલી હોસ્પિટલમાં જમાઇની ખબર પૂછવા જતા હતા.વાળીનાથ ચોક બીઆરટીસ બસ સ્ટેન્ડ પાસે પહોચતી વખતે એએમસીના ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયુ હતુ.ગાયત્રીબેન નીચે પડતા ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળતા માથું છુંદાઇ જતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ, જ્યારે મનોજભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યોઅકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. બનાવની જાણ થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર ગાયત્રીબેન ઘરકામ કરે છે તેમને 12 વર્ષની અને 23 વર્ષની બે દીકરીઓ છે.અકસ્માતમાં દીકરીઓએ તેમની માતા ગુમાવ્યા છે.અકસ્માતમાં મનોજભાઇને ઇજા થતા સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકની એક યુવતીને એક રોમિયો અવાર નવાર પીછો કરી મોબાઇલ પર ફોન કરી સબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ યુવતીના ફોટા વાઇરલ કરવાની ધમકીઓ આપતો હતો. જે યુવક સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકે એવી પણ ધમકીઓ આપી છે કે, જો તું મારી નહીં થાય તો હું પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ. યુવતીના ફોન પર નવા નંબરથી યુવકે ફોન કર્યા હતામૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની અને હાલ બેચરાજી પંથકમાં રહેતી 26 વર્ષીય યુવતીને બેચરાજી તાલુકાના અસજોલ ગામે રહેતો પટેલ ધર્મેન્દ્ર નામનો યુવક અવાર નવાર પીછો કરી, રસ્તામાં રોકી હેરાન પરેશાન કરતો હતો. તેમજ 28 નવેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યે યુવતીના ફોન પર નવા નંબરથી યુવકે ફોન કર્યા હતા. ફોટા વાઇરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતીયુવકે યુવતીને ફોન કરી કહ્યું હતું કે, તું મારી સાથે સબંધ નહીં રાખે તો મારી પાસે રહેલા તારા ફોટા વાઇરલ કરી દઈશ. તેમજ 'તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં, તને પણ મારી નાખીશ અને હું પણ મરી જઈશ' એવી ધમકીઓ આપતા યુવતીએ આખરે બેચરાજી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ 78(2), 351(3) મુજબ ફરિયાદ નોંધાવી છે.
દ્વારકાધીશના દર્શન માટે જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના દર્દનાક મોત
Dwarka Pilgrims Accident: દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર છે. આ પણ વાંચોઃ અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત શું હતી ઘટના?
અમરેલી જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. બગસરા તાલુકાના હડાળા ગામ નજીક ગત રાત્રિએ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા કાર પલટીપ્રાથમિક માહિતી અનુસાર, GJ 11 CL 8531 નંબરની કારમાં ચાર લોકો સવાર હતા. રાત્રિના સમયે કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા કાર રોડ પરથી પલટી ખાઈને ઢસડાઈને નજીકના ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કૂચડો બોલી ગયો હતો. કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યાઘટનાની જાણ થતા બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયામૃતકોમાં જૂનાગઢના ડ્રાઈવર વિકાસ, ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય કુટુંબીક પરિવારજનો હતા અને રાત્રે જૂનાગઢ પોતાના ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બગસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાઠીમાં બોલેરો-પિકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતબગસરાની જેમ લાઠી તાલુકાના ટોડા ગામ નજીક પણ બોલેરો પિકઅપ અને ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બોલેરોમાં સવાર મનોજ ચાવડા ફસાઈ જવાના કારણે ફાયર ટીમ દ્વારા મશીનરી મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય બસમાં સવાર 20 લોકોનો આબાદ બચાવ થયો હતો. અમરેલી સિવાય ગત મોડી રાત્રે દ્વારકા, વિસનગર તેમજ વડોદરામાં પણ ગંભીર અકસ્માતોની ઘટના સામે આવી છે.. આ પણ વાંચો; દ્વારકા દર્શને જતાં 4 પદયાત્રીઓને કચડી માર્યા દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ પણ વાંચો; પતિની નજર સામે જ પત્ની પર ટ્રકનું ટાયર ફરી વળ્યું ટ્રકની ટક્કરથી પતિ-પત્ની બંને નીચે પટકાયા હતા. ટ્રકનું ટાયર પત્નીના શરીર અને પેટના ભાગે ચડી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્થ પતિને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ પણ વાંચો; સગીરનું બાઈક સ્લીપ થતાં ઘટનાસ્થળે જ મોત વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઈક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતાં પૂરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતાં બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી લગાવવામાં આવી છે. ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસેના જાગો ગ્રાહક જાગોના પોસ્ટરમાં નરેન્દ્ર મોદીના ફોટા પર શાહી લગાડવામાં આવી છે. આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે પહેલા જ કેટલાક તત્વોએ આ કૃત્ય કર્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે
સુત્રાપાડાના ધામળેજમાં મોડી રાતે આગ:બસ સ્ટેશન પાસે ત્રણ દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે મોડી રાત્રે આગ લાગી હતી. ગામના બસ સ્ટેશન વિસ્તારમાં આશરે 1:30 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં એક જ્વેલર્સની દુકાન, એક કાપડની દુકાન અને એક કટલેરીની દુકાનનો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, ત્રણેય દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહીને કારણે આગ અન્ય દુકાનોમાં ફેલાતી અટકી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. ઘટના બાદ સુત્રાપાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. આગના ચોક્કસ કારણ અને નુકસાનના આંકલન અંગે પોલીસ તથા સંબંધિત વિભાગો દ્વારા વધુ કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગરોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) હસ્તગત આવેલા પ્લોટોને વિવિધ હેતુ માટે ભાડે આપવામાં આવે છે. ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પણ પ્લોટ ભાડે આપવામાં આવે છે. આ પોલિસીમાં ઔડા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવશે નહીં. અગાઉ આપવામાં આવેલા ફૂડકોર્ટ- કેફેટેરિયાના હેતુ માટે ભાડાના પ્લોટની મંજૂરી અથવા પ્રથમ વખત આપવામાં આવેલી મંજૂરીથી એક વર્ષની સમય મર્યાદા પૂરી થતા ભાડા કરાર ફરજિયાતપણે પૂરો થઈ જશે. તેથી ફૂડ કોર્ટ માટેનો પ્લોટ ખાલી કરાવવામાં આવશે. એક વર્ષમાં તમામ ફૂડ કોર્ટ માટેના પ્લોટ ખાલી કરાવાશેઔડા દ્વારા રિંગરોડ પર નિકોલ, ભાટ સર્કલ, થલતેજ, ઝુંડાલ હોટલ હિલ્લોક સામે અને બોપલ સહિતના વિસ્તારોમાં ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે. એક વર્ષમાં ફૂડ કોર્ટ માટેના પ્લોટની મંજૂરી પૂર્ણ થતા તેે તમામને ખાલી કરાવી દેવામાં આવશે. ફૂડ કોર્ટ માટે અંદાજિત 15થી 20 જેટલા પ્લોટ અત્યારે ભાડે આપવામાં આવેલા છે. હવે ફૂડ કોર્ટ માટે પ્લોટ ભાડે નહીં અપાયફૂડ કોર્ટ અને કાફે એરીયા માટે કેટલાક ભાજપના જ નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ પ્લોટ ભાડે મેળવી લેતા હતા ને ત્યારબાદ તેને પેટા ભાડુઆત તરીકે આપી દેતા હતા. ઔડા દ્વારા આપવામાં આવેલા પ્લોટમાં મનમાની કરી અને બાંધકામ ઊભું કરી દેવામાં આવતું હતું. ઔડા સત્તામંડળ સામે આવી અનેક ફરિયાદો આવી હતી, જેના પગલે હવે ફૂડ કોર્ટ માટે પ્લોટ ભાડે નહીં આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાર્ડન સિવાયના તમામ પ્લોટોને કુલ એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડેથી આપી શકાશેઔડાની બેઠકમાં ભાડે આપવામાં આવેલા પ્લોટોની નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલની પોલિસીમાં જરૂરી સુધારા કરવા આવ્યા હતા. શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના ગાર્ડન સિવાયના તમામ પ્લોટોને કુલ એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડેથી આપી શકાશે. આ પ્લોટ ઓછામાં ઓછા 1000 ચો.મી. અથવા તેના ગુણાંકમાં મળવાપાત્ર રહેશે. આ પ્લોટ ભાડે મેળવનાર વ્યક્તિ અન્યને પેટાભાડે આપી શકશે નહિ. આ પ્લોટ વાણિજ્ય હેતુ, સામાજિક અથવા ધાર્મિક પ્રસંગ હેતુ, પાર્કિંગ હેતુ, જાહેર સભા હેતુ, શૈક્ષણિક હેતુ, સ્પોર્ટ્સ/ટુર્નામેન્ટ હેતુ તથા સતામંડળ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તેવા અન્ય હેતુ માટે આપી શકાશે. નર્સરીના હેતુ માટે 10 ટકા રિઝર્વેશન અને 25 ટકા ડિસ્કાઉન્ટ અપાશેશહેરના ગ્રીન કવરમાં વધારો કરવાના હેતુસર ઔડાના સંપ્રાપ્ત પ્લોટોની ફાળવણીમાં નર્સરીના હેતુ માટે 10 ટકા રિઝર્વેશન રાખવાનું અને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવાસોના ડ્રોની પ્રતિક્ષાયાદી એલોટમેન્ટ તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશેઔડા દ્વારા EWS આવાસની ફાળવણીની હાલની પદ્ધતિ મુજબ સત્તામંડળ દ્વારા EWS આવાસના ડ્રો થયા બાદ 20 ટકા પ્રતિક્ષાયાદી રાખવામાં આવે છે. આવાસ ડ્રો સમયે રાખવામાં આવેલ 20 ટકા પ્રતિક્ષાયાદીમાંથી કેટેગરી વાઈઝ પ્રતિક્ષાયાદીમાંથી આપવામાં આવે છે. હાલમાં આ પ્રતિક્ષાયાદીની કોઈ સમય મર્યાદા નક્કી નહોતી. હવે પછીથી સત્તામંડળ હસ્તકના તમામ આવાસોના ડ્રો વખતે રાખેલી પ્રતિક્ષાયાદી, એલોટમેન્ટ તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે અને ત્યારબાદ આ પ્રતિક્ષાયાદી આપોઆપ રદ ગણવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા કિસ્સામાં લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરાય છેઔડા સત્તામંડળ દ્વારા આવાસના ડ્રો થયા બાદ ઘણા કિસ્સામાં લાભાર્થી દ્વારા PMAYના ચાર ઘટક પૈકી કોઈ ઘટકમાં લાભ લીધેલો હોય અથવા વારસદાર તરીકે અન્ય આવાસમાં વારસદાર તરીકે ચાલુ હોય અથવા નક્કી કરેલી આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા હોય અથવા પોતાની માલિકીનું મકાન ધરાવતા હોય તેવા કિસ્સામાં તેવા લાભાર્થીઓને આવાસ ફાળવણી સત્તામંડળ દ્વારા રદ કરવામાં આવે છે. નવી ટીપી સ્કીમ પડવાના કારણે વિસ્તારનો નવો વિકાસ થઈ શકશેઆગામી કોમનવેલ્થ અને શહેરના વધતા જતા વિકાસને ધ્યાનમાં રાખી ઔડા દ્વારા સાણંદ, મુઠિયા-બિલાસીયા-એણાસણ, સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, કઠવાડા-ભુવાલડી-સિંગારવા, સનાથલ અને મહેમદાવાદની નવી ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી છે. નવી ટીપી સ્કીમ પડવાના કારણે આ વિસ્તારનો નવો વિકાસ થઈ શકશે. પ્રારંભિક મંજૂરી મેળવવા માટે ઝડપી કામગીરી હાથ ધરી શકશે. સ્કીમ અંતર્ગત સત્તામંડળને સંપ્રાપ્ત થતા વિવિધ હેતુના પ્લોટમાં બગીચાઓ, રમત ગમતના મેદાનો, શાળા, વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવાની કામગીરી ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે.
અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 51,068 કેસો નોંધી નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. રોજે સરેરાશ 2687 લોકોને ચલણ અપાયા છે. અકસ્માત રોકવા 'રૉંગ સાઈડ' ડ્રાઈવિંગ પર ફોકસશહેરના માર્ગો પર રૉંગ સાઈડમાં વાહન ચલાવવાની પ્રવૃત્તિ જીવલેણ સાબિત થતી હોય છે. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, રૉંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે ગંભીર પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, જેમાં મૃત્યુદર અને ગંભીર ઈજાઓ વધુ જોવા મળે છે. આ બાબતને ધ્યાને રાખીને પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) ના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી. તમામ ડિવિઝનના ACP અને સર્કલ PI દ્વારા અલગ-અલગ ટીમો બનાવાઈઆ ડ્રાઈવને સફળ બનાવવા માટે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) સેક્ટર-1 અને 2, તેમજ તમામ ડિવિઝનના ACP અને તમામ સર્કલ PI દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે વિસ્તારોમાં રૉંગ સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે અને જ્યાં અકસ્માત થવાની સંભાવના વધુ છે, તેવા વિસ્તારોને ઓળખી કાઢી ત્યાં ખાસ વોચ રાખવામાં આવી હતી. માત્ર સ્થળ પર દંડ જ નહીં, પરંતુ ઇ-ચલણના માધ્યમથી પણ નિયમ તોડનારા ચાલકો સુધી પોલીસ પહોંચી છે. એક જ દિવસમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના 3,000થી વધુ કેસ16 ડિસેમ્બર 2025ના રોજ પોલીસે રૉંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 3,123 કેસો નોંધ્યા છે. આ સાથે જ 28 નવેમ્બરથી શરૂ થયેલી આ ડ્રાઈવનો કુલ આંકડો 51,068 પર પહોંચ્યો છે, જે પોલીસની સતર્કતા અને કામગીરીની તીવ્રતા દર્શાવે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ટ્રાફિક સિગ્નલનું પાલન અનિવાર્ય છે. સિગ્નલ ભંગ કરનારા ચાલકોને કારણે ઘણીવાર ટ્રાફિક જામ અને અકસ્માતની સ્થિતિ સર્જાય છે. આ ડ્રાઈવ દરમિયાન સિગ્નલ તોડનારાઓ વિરૂદ્ધ પણ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસનો સ્પષ્ટ સંકેત 'આ ઝુંબેશ અહીં અટકશે નહીં'ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે, આ ઝુંબેશ અહીં અટકશે નહીં. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન-ચાલકો વિરૂદ્ધ આ પ્રકારે જ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નહીં, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત કેળવવાનો અને કિંમતી માનવ જિંદગીઓને અકસ્માતથી બચાવવાનો છે.
મોરબીના રણછોડનગર નજીક કારમાં આગ:રાત્રે ઘટના, કાર બળીને ખાખ; કોઈ જાનહાની નહીં
મોરબીના રણછોડનગર નજીક રાત્રિના સમયે એક કારમાં આગ લાગી હતી. આ ઘટના મોરબી બાયપાસ રોડ પરથી રણછોડનગર તરફ જતા રસ્તા પર બની હતી. આગને કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના આશરે સવા દસ વાગ્યાના અરસામાં GJ 36 R 3305 નંબરની કાર પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક કોઈ અગમ્ય કારણોસર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ કારમાં સવાર વ્યક્તિ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. તેમણે આ બનાવ અંગે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઈક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતાં પૂરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતાં બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે કહ્યું,'ફોનના માલિકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે' મૃતક હિતેન્દ્રના મોટાભાઈ રાહુલભાઈએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કડેશ્વર હનુમાનજી મંદિર સામે, તુલસીવાડી, કારેલીબાગમાં રહે છે. તેમના પિતા રાજુભાઈ સવાભાઈ પરમાર ભંગારનો વેપાર કરે છે. ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ક્યાંક ગયો હતો અને રાત્રે ઘરે પરત ન આવતાં તેને ફોન કર્યો હતો. મધરાતે 12:38 વાગ્યે હિતેન્દ્રએ ફોન ઉપાડીને કહ્યું કે, થોડીવારમાં ઘરે આવું છું, પરંતુ તે ન આવતાં ફરી 1:29 વાગ્યે ફોન કરતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે, આ ફોનના માલિકનો સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરીરાહુલભાઈ અને તેમના બીજા ભાઈ રોહિત તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં હિતેન્દ્ર માથાની ગંભીર ઈજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ગંભીર અકસ્માત સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ જતા રસ્તા પર થયો હતો. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે. સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના મેઈન બજાર વિસ્તારમાં આવેલી દુકાનોમાં થયેલી ચોરીઓના મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બે આરોપીઓને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા ઇસમો પાસેથી રોકડા રૂપિયા 22 હજારથી વધુ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 48 હજારથી વધુના મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCB સ્ટાફના માણસો વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા જય ઉર્ફે રોકી સુરેશભાઈ વોરા ઉ.વ. 22 અને ઈજાન ઉર્ફે બાબા ફીરોજભાઈ શેખ ઉ.વ.20 જેઓ બંને ભગા તળાવના રહેવાસી છે, તેઓ મોતી તળાવ નજીક સીકોતર માતાના મંદિર પાસે બેઠેલા છે અને તેમની પાસે વાઈફાઈ રાઉટર તથા રોકડ રકમ છે, જે ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની શંકા છે. બાતમીના આધારે LCBએ તપાસ કરતા આ બંને ઇસમો શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યા હતા. મુદ્દામાલ અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા, પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. શખ્સો પાસેથી રોકડ રૂપિયા 22,885 (નોટો અને સિક્કાના મોટી માત્રામાં પરચૂરણ), મોબાઈલ ફોન બે નંગ કિ.રૂ.10,000, Dahua કંપનીનું ડી.વી.આર. (DVR), DIGISOL અને TP-LINK ના વાઈફાઈ રાઉટર, પાવર સપ્લાયર અને સ્વીચકુલ મળીને કિ.રૂ.48,935 ના મુદ્દામાલ સાથે કબ્જે કર્યો હતો, ગુનો કરવાની પદ્ધતિ (Modus Operandi) પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેમણે આજથી થોડા દિવસો પહેલા મેઈન બજારની એક દુકાન તોડીને પરચૂરણની ચોરી કરી હતી. ત્યારબાદના ત્રણ-ચાર દિવસોમાં રાત્રીના સમયે મેઈન બજારની આસપાસ આવેલી એક જ રાતમાં ચાર દુકાનો ને નિશાન બનાવી હતી. આરોપીઓની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ રાત્રીના સમયે દુકાનના તાળા તોડતા હતા અને ચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવાના ઈરાદે દુકાનમાં લગાવેલા સી.સી.ટી.વી.ના ડી.વી.આર. (DVR) અને વાઈ-ફાઈ રાઉટર પણ સાથે લઈ જતા હતા, આ બંને ઇસમોને પકડીને આગળની કાયદેસર કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પૂર્વ દિશા તરફના પવન ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત મળશે. તાજેતરના આંકડા મુજબ, નલિયા 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે વડોદરામાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. મૃતકોમાં બે યુવાનોનો સમાવેશઆ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ ચાર પદયાત્રીઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યો ચાલક વાહન લઈ ફરારઘટનાની જાણ થતા જ માળિયા-મિયાણા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકોની ઓળખ વિધિ હાથ ધરી છે. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હોય, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે નાકાબંધી અને સીસીટીવી ફૂટેજની તપાસ સહિતની સઘન કાર્યવાહી શરૂ કરી છે. યાત્રાધામ દ્વારકા પહોંચે તે પહેલા જ શ્રદ્ધાળુઓના મોતથી બનાસકાંઠાના તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા અને સચિવાલયના પૂર્વ નાયબ સચિવના પુત્ર અને તેના પરિવારે મળીને સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નિવૃત નાયબ સચિવ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રએ સુનિયોજિત કાવતરું રચી મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ અને ચૂંટણીમાં સીસીટીવી કેમેરા લગાવવાના નકલી વર્ક ઓર્ડર બનાવી એક બિલ્ડર અને તેમના મિત્રો પાસેથી કુલ રૂ. 7 કરોડ 62 લાખ 49 હજારથી વધુની રકમ પડાવી લીધી હોવાની વધુ એક ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે. ઇલેક્શનમાં અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપીગાંધીનગરના સેક્ટર 23 પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા મોન્ટુભાઈ ઇન્દુભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પડોશમાં પ્લોટ નંબર 689/2માં રહેતા નિરવ મહેન્દ્રભાઈ દવેએ પોતાની પેઢી 'ઓમ એન્ટરપ્રાઇઝ' દ્વારા વર્ષ 2017માં સરકાર તરફથી ઇલેક્શનમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપવામાં આવી હતી. નિરવના પિતા નિવૃત સચિવ રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠોત્યારે નિરવના પિતા મહેન્દ્રભાઈ સચિવાલયમાં નિવૃત સચિવના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠો હતો. એટલે મોન્ટુભાઈએ પ્રથમ 7 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનાગઢ જિલ્લામાં પણ ઘરે ઘરે કચરા ટોપલી મૂકવાનું ટેન્ડર લાગ્યાનું કહી નિરવે રૂપિયા પડાવ્યા હતા. જેમાં આખો પરિવાર સામેલ હતો. મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે એકસાથે 50 લાખ પડાવ્યાઆમ વર્ષ 2016થી 2025 દરમિયાન દવે પરિવારે ટુકડે-ટુકડે કરોડો રૂપિયા રોકાણના નામે મેળવ્યા હતા.આ કૌભાંડમાં નિરવ દવેનો પુત્ર યજત દવે અસલી સરકારી પત્રો મેળવી તેને લેપટોપમાં એડિટિંગ કરતો હતો. તે સરકારી દસ્તાવેજો પર પોતાની પેઢીનું નામ લખીને ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો અને રોકાણકારોને તે બતાવીને વિશ્વાસમાં લેતો હતો. મોરબી નગરપાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે જ મોન્ટુભાઈ પાસેથી એકસાથે 50 લાખ પડાવવામાં આવ્યા હતા. નગરપાલિકામાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ ટેન્ડર મળ્યું નથીબીજી તરફ મોન્ટુભાઈના વિશ્વાસના જોરે તેમના અન્ય મિત્રો અને પરિચિતોએ પણ આ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું. નિરવ દવે સહિતના પરિવારે મોન્ટુભાઈ પાસેથી રૂ. 4.36 કરોડ, તેમના મિત્રો પાસેથી રૂ. 2.01 કરોડ અને અન્ય એક મિત્ર જીતેન્દ્રકુમાર પાસેથી રૂ. 1.25 કરોડ મળીને સાડા સાત કરોડથી વધુની રકમ હડપ કરી લીધી હતી. જ્યારે મોન્ટુભાઈએ વિવિધ શહેરોની નગરપાલિકાઓમાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ ટેન્ડર મળ્યું જ નહોતું. પોલીસે ગુનો નોંધ્યોજેના પગલે પોલીસે નિરવ દવે, તેના પત્ની મીરાબેન, પિતા મહેન્દ્રભાઈ અને પુત્ર યજત વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરું, છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં, પત્ની મીરા વોન્ટેડઉલ્લેખનીય છે કે ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવતા અગાઉ અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાયા છે. જે ગુનામાં નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જ્યારે તેની પત્ની મીરા વોન્ટેડ છે. હવે આમાં નીરવનાં પિતા અને પુત્રની પણ મહા ઠગાઇના ગુનામાં સંડોવણી ખુલી છે. ત્યારે નિવૃત નાયબ સચિવ અને તેના પૌત્રની પણ પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમને રોકવા માટે પોલીસે કડક પગલાં લીધા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ બેંકોના મેનેજરો સાથે બેઠક યોજી શંકાસ્પદ ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે, જેનાથી મોટા પાયે છેતરપિંડી થાય છે અને દેશના અર્થતંત્રને નુકસાન થાય છે. આવા કિસ્સાઓમાં બેંકો દ્વારા શંકાસ્પદ ખાતાધારકોની માહિતી આપવામાં વિલંબ થતો હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાને ગંભીરતાથી લેતા, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એ.પી. વી.કે. નાયી, ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સહિત અન્ય બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપીએ બેંક અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓની જાણકારી પોલીસને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અત્યાર સુધીના કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે, ખાતાધારકો અમુક ટકા કમિશન લઈને સાયબર ઠગોને તેમના ખાતાનો ઉપયોગ નાણાં સંગ્રહ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોલીસ દ્વારા આવા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે પત્રવ્યવહાર કરવામાં આવે ત્યારે બેંકો દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં વિલંબ થવાથી ગુનાઓ ઉકેલવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. આથી, પોલીસે બેંકોને આ મામલે કડક સૂચનાઓ આપી છે.
ભાસ્કર બ્રેકિંગ:વસતી અને વિસ્તાર વધતાં હવે શહેરમાંત્રીજું સી'' ડિવિઝન પોલીસ મથક બનશે
રાજુ નાયકમહેસાણા શહેરમાં હાલ એ અને બી ડિવિઝન એમ બે પોલીસ મથકો કાર્યરત છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ બંને પોલીસ મથકોમાં ગુનાનું પ્રમાણ, વસ્તી અને વિસ્તાર સાથે ઔદ્યોગિક એરિયામાં વધારો થતાં વધુ એ ક પોલીસ સ્ટેશનની જરૂરિયાત ઊભી થઇ છે. જેને લઈ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ શહેરમાં ત્રીજું સી પોલીસ સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી છે. હાલ તે મંજૂરીના અંતિમ તબક્કામાં હોય 2026ના નવા વર્ષમાં શહેરની પ્રજાને વધુ એ ક પોલીસ સ્ટેશન મળશે. જેનાથી અન્ય પોલીસ સ્ટેશનની કામગીરીનું ભારણ ઘટશે ને લોકોને પણ પોલીસની સેવા ઝડપી મળતી થશે. એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વસ્તી વધારો થયો છે. સાથે ઔદ્યોગિક એકમનું પ્રમાણ પણ વધ્યું છે. જેને લઇ આ બંને વિસ્તારોમાં ગુનાનું પ્રમાણ વધતું જતું હોઇ નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતને લઈ સુવિધા સર્કલ નજીક હાઇવે પર ટેબા ઉપરની જગ્યામાં નવું સી ડિવિઝન પોલીસ મથક બનાવવાની તૈયારી કરાઇ છે. સી ડિવિઝન પોલીસ મથકમાં ફતેપુરા સર્કલ, નુગર સર્કલ, શિવાલા સર્કલ અને પાલાવાસણ સર્કલ સુધી બાયપાસ હાઇવેની અંદર અને દેદિયાસણ જીઆઇડીસીના ગેટ-1 સુધીના વિસ્તારનો સમાવેશ થશે. નવા પોલીસ મથકમાં અા સોસાયટી વિસ્તાર આવશેબી ડિવિઝન પોલીસ સ્ટેશનની નાગલપુર બીટ, મોઢેરા ચાર રસ્તા પોલીસ ચોકી, ઋતુરાજ બીટ અને તાલુકા પોલીસ મથકના પીલુદરા ઓપી અને સામેત્રાનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. મોઢેરા ચોકડીહાઇવે પોલીસ ચોકીની મહેસાણા વિભાગ એક, બે અને ત્રણથી લઇને દેદિયાસણ જીઆઇડીસી ગેટ નંબર 1થી છેક એટલાસ ફેક્ટરી સુધી અને વીઆઈપીનગરથી સુવર્ણધામ ફ્લેટ સુધી. નાગલપુર બીટના નાગલપુર ગામથી ગુજકોમાસોલ અને બહુચરાજી જવાના રોડ સુધીની તમામ સોસાયટીઋતુરાજ બીટનો ભમરીયા નાળાથી લઇને છેક શાંતિનગર સોસાયટી સુધીનો વિસ્તાર. પીલુદરા ઓપીના ફતેપુરા અને રામોસણા ગામ. સામેત્રા ઓપીના પાંચોટ ગામ, રાધનપુર રોડ વિસ્તાર સોસાયટી, દેદિયાસણ જીઆઇડીસી સાથે, હેડુવા રાજગર, વડોસણ, પાલાવાસણા અને તે વિસ્તારની સોસાયટીઓ તેમજ સુખપુરડા ગામ. 1 PI, 8 PSI સહિત 95નો સ્ટાફ હશેસી ડિવિઝન પોલીસ મથકમાં 1 પીઆઇ, 8 પીએસઆઈ, 30એએસઆઈ, 50 વુમન સહિતના પોલીસ કોન્સ્ટેબલ અને 6 ડ્રાઇવરમળી કુલ 95 પોલીસ કર્મીઓ હશે.
મહેસાણા શહેરમાં વર્ષો જૂની ગટર અને પાણીની પાઇપ લાઇનોની જગ્યાએ નવી નાંખવાના રૂ.129 કરોડના પ્રોજેક્ટમાં એક વર્ષમાં 50 ટકા વિસ્તારમાં પાઇપલાઇન નખાઇ ગઇ છે. પરંતુ, હજુ આ વિસ્તારોને સુવિધા મળતી થવામાં એક વર્ષ લાગશે. કારણ કે, પાઇપલાઇન નખાયા પછી તે વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન, સમ્પ અને ટાંકીઓ બની રહી હોઇ કામ પૂરું થયા પછી જોડાણ અપાશે. કામ પૂરું થયા બાદ આ વિસ્તારોને નર્મદાનું પૂરતું પાણી મળતું થશે અને ગટર ઉભરાવાની સમસ્યા હળવી થશે. મંગળવારે મનપામાં ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાઇપો નાખવા કરેલા ખોદકામ પછી કામચલાઉ પુરાણમાં ટેકરા કરવાથી વાહન ચાલકોને હાલાકી પડતી હોઇ રોડ લેવલ પુરાણ કરવા સૂચના અપાઇ હતી. શહેરમાં રૂ.85 કરોડમાં પીવાના પાણીના પ્રોજેક્ટમાં કુલ 160 કિમીમાં પાઇપલાઇન નાખવાની છે. જે પૈકી અત્યાર સુધી 90 કિમીનું કામ પૂરું થયું છે. જેમાં શોભાસણ રોડ, કસ્બા, પરા ટાવર, ગાયત્રી મંદિર રોડ, અશોકા હોટલ પાછળની સોસાયટીઓમાં લાઈન નખાઈ ગઈ છે. મેઇન હાઇવેનું કામ ચાલુ છે. ત્યાર પછી આ લાઇનોને સમ્પ અને ઓવરહેડ ટાંકીમાં જોડાણ આપવા માટે 5 ઓવરહેડ ટાંકી પૈકી સોમનાથ રોડ અને કસ્બામાં 5 લાખ લિટર ક્ષમતાની ટાંકી બની ગઇ છે. રામોસણામાં પૂર્ણતાના આરે છે. 8 પાણીના સમ્પ પૈકી સોમનાથ, કસ્બા અને રામોસણા બની ગયા છે, અમરપરામાં પમ્પિંગ સ્ટેશનનું કામ હાથ ધરાયુંશહેરમાં રૂ.44 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી 17 કિમી લાઈન નખાઈ છે. શોભાસણ, ઇન્દીરાનગરની સોસાયટીઓ, તિરુપતિ સોમેશ્વર, દેલા વસાહતમાં લાઈન નખાઈ ગઈ છે. હાલ સધી માતા મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન 10 મીટર ઊંડું બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે. અમરપરામાં પમ્પિંગનું પીસીસી ચાલી રહ્યું છે. આ સાથે 5 પમ્પિંગ સ્ટેશન બનશે. જ્યારે ટીબી રોડથી હયાત બીકે પમ્પિંગ સ્ટેશન સુધી રાઇઝિંગ લાઈન નખાઈ અને ત્યાંથી આગળ હાઈવે થઇ નાગલપુર એસટીપી સુધી રાઇઝિંગ લાઇન નાખવાનું કામ ચાલુ છે. આ લાઇન નખાયા પછી ગટરનું પાણી ખારી નદીમાં જતું બંધ થશે.
મહેસાણાના મોટીદાઉ સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને લાકડાની સોટીથી ફટકારનાર શિક્ષક નીલ પટેલને શાળા સંચાલક મંડળે રાજીનામું લઇ સસ્પેન્ડ કરી દીધો છે. તો પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે કલાસરૂમમાં વિદ્યાર્થીને સોટીથી માર મારતાં થાપાના ભાગે ઇજા થઇ હતી. જેથી શિક્ષક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ઉમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે. આચાર્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, શિક્ષક નીલ પટેલનું રાજીનામું લેવાયું છે અને મંડળ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. દરમિયાન, પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજ ચકાસતાં શિક્ષક સોટી મારતો જણાય છે. પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ દ્વારા આ મામલે શાળામાં તપાસ ટીમ મોકલીને અહેવાલ લેવાયો છે. હવે સુનાવણી બાદ નિર્ણય લેવાશે.
રજૂઆત:સુરેન્દ્રનગરમાં ડાયેટ અને ચેરિટી કમિશનર ઓફિસનું કામ ગુણવત્તા વગરનું, વિજિલન્સ તપાસની માંગણી
સુરેન્દ્રનગર માર્ગ મકાન સ્ટેટ હસ્તક નિર્માણ થઈ રહેલી ડાયેટ બિલ્ડિંગ આર્ટસ કોલેજ સુરેન્દ્રનગર તેમજ ચેરિટી કમિશનર ઓફિસ બિલ્ડિંગ જલભવન પાસે બંનેમાં સુરેન્દ્રનગરના એજન્સી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કરી તપાસ કરાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ હતી. જોરાવરનગરમાં રહેતા કાળુભાઈ સીંધાભાઈ રાઠોડ નામના નાગરિકે કલેક્ટર તથા ધારાસભ્ય અને મુખ્યમંત્રી સહિતને લેકિત રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગગર માર્ગ મકાન સ્ટેટ દ્વારા ડાયેટ બિલ્ડિંગ આર્ટસ કોલેજ સુરેન્દ્રનગર તેમજ ચેરિટી કમિશનર ઓફિસ બિલ્ડિંગ જલભવન પાસે બંને કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે તેમજ તે કામમાં હાલમાં જ 3 માસ પહેલા કોલમ તેમજ સ્લેબ ભરવાનું કામ કરવામા આવેલ છે. તે બન્ને કામમાં માર્ગ મકાન ડિઝાઈન સર્કલ દ્વારા આપવામાં આવેલ ડ્રોઇંગ મુજબ કોલમની ભૂકંપ પ્રુફ રીંગો નાંખવામાં આવેલ નથી તેમજ બન્ને કામમાં ડીઝાઈન સર્કલ દ્વારા આપવમાં આવેલ આરસીસી ડ્રોઇંગના જથ્થા કરતા વધારે લોખંડ બાંધવાનું માપ માપપોથીમાં લખીને ચૂકવણું કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામા આવેલ છે. તેમજ તે કામની સમય મર્યાદા 1 વર્ષની હોવા છતાં માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા કોઈ જ નોટીસ આપવામાં આવેલ નથી. આથી આ અંગે વિજિલન્સ તપાસ કરાય તેવી લેખિત રજૂઆત કરાઈ હતી. બાંધકામની ગુણવત્તા અંગે ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા પછી જ બિલ ચૂકવાય છેઆ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કચેરી દ્વારા ચાલતા તમામ બાંધકામની ગુનાવતાના ટેસ્ટ કરાય છે અને તમામ ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા પછી જ એજન્સીઓને બિલ ચૂકવાય છે. આ બંને કામમાં પણ ગુણવતા ચકાસણી કરાઈ છે.
ભાસ્કર ઈનસાઈડ:સુરેન્દ્રનગર યાર્ડ ચોકડી રસ્તાએ સર્કલના અભાવે વારંવાર ટ્રાફિકજામ
સુરેન્દ્રનગરથી વઢવાણ શહેર તરફ આવતા માર્કેટિંગ યાર્ડની ચોકડીએ ચારેય દિશાઓમાંથી નાના મોટા વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઇ રહ્યો છે. ત્યારે આ ચાર રસ્તાએ સર્કલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સુરેન્દ્રનગરથી વઢવાણ તરફનો મુખ્ય માર્ગ પર જ એપીએમસી ચોકડી આવેલી છે. આ રસ્તાથી જ જીઆઈડીસી તરફ મસમોટા વાહનો માલસામાન ભરીને જતા કે ખાલી કરીને પરત આવતા હોય છે. આંબાવાડી વિસ્તાર, જીઆડીસી કોઝવે, વઢવાણ તેમજ સુરેન્દ્રનગર તરફથી પણ વાહનો આ ચોકડીએ પસાર થાય છે. જ્યારે મોટી સંખ્યામાં પણ આ રસ્તા પર એસટી બસો પણ નીકળી રહી છે. પરંતુ આ ચાર રસ્તા ઉપર કોઇ સર્કલની સુવિધા ન હોવાથી નાના-મોટા વાહનો એકબીજા સામસામે આવી જાય છે. આ ચોકડીના માર્ગ પણ અગાઉ પણ અકસ્માતો સાથે લોકોના મોત થયાના બનાવો બની ચૂક્યા છે. આ સ્થળે સર્કલ બનાવવાની પણ અનેકવાર રજૂઆતો થઇ છે. ઠરાવ થઇ ગયો પણ સર્કલ બનતું નથીસુરેન્દ્રનગરથી વઢવાણ શહેર તરફ આવતા માર્કેટિંગ યાર્ડની ચોકડીના રસ્તા ઉપર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં હજુ સુધી સર્કલ બનતું નથી. પ્રાપ્ત વિગતો મુજબ આ સર્કલનો ઠરાવ પણ થઇ ગયો છે. ત્યારે આ એપીએમસી ચાર રસ્તાએ કોઇ દુર્ઘટના બને તે પહેલા સર્કલ બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે.
મારા કામની વાત:નવેમ્બરમાં રૂ. 41.28 કરોડની માફી સાથેમહિલાઓના નામે 574 દસ્તાવેજ નોંધાયા
સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, પાટડી, ચુડા, લીંબડી, મૂળી, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા અને થાનમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓનો સમાવેશ થાય છે. આ કચેરીઓમાં દિવસ દરમિયાન દસ્તાવેજી નોંધણી માટે લોકો આવે છે. બીજી તરફ જમીન ખરીદીમાં હવે મહિલાઓ પણ વધુ પ્રમાણમાં ઝંપલાવી રહી છે અને આથી હવે તેઓના નામે પણ દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે. ત્યારે જિલ્લાની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લોકોની પણ ભીડ રહે છે. બીજી તરફ મહિલાઓના નામે દસ્તાવેજ વધુ નોંધાતા મહિલાઓ ફી માફીનો લાભ લઇ રહ્યા છે. ત્યારે ગત ઓક્ટબરમાં સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 9,93,35,601 અને નોંધણી ફી રૂ. 1,54,36,470ની આવક સાથે કુલ 2491 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં મહિલાના નામે 492 દસ્તાવેજો નોંધાયા હતા. મહિલાઓને માફી આપેલ દસ્તાવેજોની બજાર કિંમત રૂ. 35,25,22,172 હતી. જેમાં મહિલાઓને નોંધણી ફી માફી રૂ. 33,37,441 આપી હતી. જેની સામે 2025 નવેમ્બરમાં સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 9,90,26,555 અને નોંધણી ફી રૂ. 1,47,58,850ની આવક સાથે કુલ 2748 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં મહિલાના નામે 574 દસ્તાવેજ નોંધાયા હતા. મહિલાઓને માફી આપેલ દસ્તાવેજોની બજાર કિંમત રૂ. 41,28,97,200 હતી. જેમાં મહિલાઓને નોંધણી ફી માફી રૂ. 39,56,720 આપી હતી. આમ ઓક્ટોબર કરતા નવેમ્બર માસમાં મહિલાના નામે દસ્તાવેજો નોંધાવામાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવોદસ્તાવેજની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા ગરવી વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડ્યૂલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. https://garvi.gujara t.gov.in વેબસાઇટના Online Appointment Scheduler મેનુમાં જઇને મેળવી શકે છે. જેમાં પક્ષકારે દસ્તાવેજ રજૂ કરનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી, અવેજની રકમની એન્ટ્રી કરવાની તેમજ દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવાનો. પક્ષકારે પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયની પસંદગી કરવાની રહેશે.
ભાસ્કર ઈનસાઈડ:સુરેન્દ્રનગર મૂળચંદ રોડ ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીનું ગોડાઉન સીલ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ખુલ્લેઆમ વેચાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનું વેચાણ બંધ કરાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. જેમાં ખાસ કરીને મોટા ગોડાઉનોને ટાર્ગેટ કરીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે મૂળચંદ રોડ ઉપર આવેલી ફેક્ટરીને સીલ મારી દેવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થઇ રહ્યો છે. જેને કારણે ખાસ કરીને શહેરમાં પશુના આરોગ્ય, ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની સાથે પર્યાવરણ ઉપર પણ તેની માઠી અસર થઇ રહી છે. આવી પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ ન કરવા માટે મનપાએ વારંવાર સૂચના આપી હતી છતાં હજુ પણ વેપારીઓ મનપાની સૂચનાની ઐસી તૈસી કરીને પ્લાસ્ટિકના ઝબલા, કોથળીઓ સહિતનો સામાન વેચી રહ્યા છે. તેની સામે મનપાએ નિયમનો દંડો ઉગામી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મંગળવારે મૂળચંદ રોડ ઉપર ભાવીક જાંગડા નામના વ્યક્તિની ફેક્ટરીને સીલ મારી દેવામાં આવી છે. વારંવાર સંપર્ક કરવા છતાં ગોડાઉન ન ખોલતા સીલ કર્યું મનપાની ટીમને ભાવીનભાઇ જાંગડાના કારખાનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો હોવાની હકીકત મળી હતી. આથી તેમણે તેમનો વારંવાર સંપર્ક કર્યો હતો. છેલ્લાં 3 દિવસથી ચેકિંગ માટે જતા હતા તો કારખાનું બંધ હતું. આ કારખાનું ખોલવા માટે વારંવાર કહેવા છતાં ખોલ્યું ન હતું. આથી આખી ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.
બિલ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે:ખરીદ કે વાવેતર બિલ અપલોડ માટે છેલ્લો દિવસ
ભરૂચ જિલ્લામાં બાગાયત ની વિવિધ સહાયકારી યોજનાઓમાં આંબા કે જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવા નો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીગ મટીરીયલમાં, સરગવાની ખેતીમાં, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર માટે સહાય હેઠળ જે અરજીઓ પૂર્વમંજુર કરેલ છે. તેઓએ 17 જાન્યુઆરી સુધીમાં ખરીદી કે વાવેતર કરી બીલો પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
પાણીનો કાપ:ભરૂચના 22 વિસ્તારોમાં આજે વીજકાપ, 2 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહિ
ભરૂચમાં બુધવારનો દિવસ શહેરીજનો માટે આફત લઇને આવી રહયો છે. બુધવારના રોજ સ્વામીનારાયણ ફીડર પર રીપેરિંગની કામગીરી કરવામાં આવશે જેના કારણે 22 વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી 6 કલાક સુધી વીજળી મળશે નહિ. 6 કલાકના વીજકાપના કારણે શહેરમાં આપવામાં આવતો પાણી પુરવઠો પણ બંધ રહેશે જેના કારણે 2 લાખથી વધારે લોકોને આજે પીવાનું પાણી મળશે નહિ. ભરૂચ શહેરના 11 કેવી સ્વામિનારાયણ ફીડ પર મહત્વ નું સમારકામ ની કામગીરી કરવામાં આવશે. જેના કારણે આ ફીડર પર આવતા વિસ્તારમાં આજે સવારે 8 વાગ્યા થી બપોરે 2 વાગ્યા દરમિયાન એટલે કે 6 કલાક વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે ભરૂચ શહેરમાં આવેલ તુલસી રેસીડેન્સી, મધુરમ, આકાશ દર્શન, ધનશ્રી કોમ્પ્લેક્સ, ગણેશ ટાઉનશીપ, આલ્ફા સોસાયટી, એચડીએફસી બેન્ક, આકાશદીપ, આમ્રપાલી, પંચવટી સોસાયટી, જય નારાયણ ગંગોત્રી, દીનદયાળ, અયોધ્યાનગર, શ્રીજી કૃપા, સાઇબાબા સોસાયટી, શુભમ સોસાયટી, ગંગેશ્વર પાર્ક, સરદાર શોપિંગ, જજ ક્વાર્ટર, અયોધ્યા નગર પાણીની ટાંકી, શક્તિનાથ પાણીની ટાંકી સહિત આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી કામગીરી પૂર્ણ થતાં કોઈ પણ જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં ચેઇન્જ ઓવર થી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ હશે ત્યાં વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે. ભરૂચના અયોધ્યાનગર ખાતે આવેલાં ફીલટરેશન પ્લાન્ટ ખાતે પણ વીજળી મળવાની નહિ હોવાથી ટાંકીઓ સુધી પાણી પહોંચાડી શકાશે નહિ જેના કારણે બુધવારે શહેરમાં આપવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે જેની અસર 2 લાખ જેટલા લોકો પર પડશે.
દે. બારીયાની ભાજપ શાસિત પાલિકામાં ખુરશી માટેની ખેંચતાણ બાદ અવિશ્વાશ દરખાસ્ત પસાર કરીને પ્રમુખને દૂર કરાયા બાદ નવા પ્રમુખ બનાવાયા હતાં. જોકે, મામલો હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે પ્રમુખ પદેથી હટાવવા માટે પસાર ''અવિશ્વાસનો પ્રસ્તાવ'' હાઇકોર્ટે રદબાતલ કર્યો છે. દે. બારીયા પાલિકાની ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણીમાં 24 સભ્યોમાંથી ભાજપના 13, કોંગ્રેસના 3 અને અપક્ષના 8 સભ્યો વિજયી થયા હતા. જેમાં ધર્મેશ કલાલ 5 માર્ચ 2025ના રોજ બહુમતી સાથે પ્રમુખપદે બિરાજમાન થયા હતા. જોકે, પાલિકામાં માત્ર સાત માસમાં જ 8 અપક્ષ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેને ભાજપના જ કેટલાક સભ્યોના ટેકાથી 17 ઓક્ટોબર 2025ના રોજ ઠરાવ પસાર કરી તેમને પદભ્રષ્ટ કરાયા હતા. ત્યાર બાદ ભાજપના સુધરાઇ સભ્ય નીલ સોનીને પ્રમુખ બનાવ્યા હતાં. સત્તા ગુમાવતાં ધર્મેશ કલાલે અવિશ્વાશની દરખાસ્તની પ્રક્રિયા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના એમ. ભટ્ટે મંગળવારે અરજદાર ધર્મેશ કલાલને પ્રમુખ પદેથી હટાવવા માટે 17 ઓક્ટોબરે પસાર કરેલો ''અવિશ્વાસનો પ્રસ્તાવ'' રદબાતલ ઠેરવ્યો હતો. હાઇકોર્ટે 7 ઓક્ટોબરની રિકવિઝિશન, 13 ઓક્ટોબરની એજન્ડા નોટિસ અને 17 ઓક્ટોબર 2025ના પ્રમુખને દૂર કરવાના ઠરાવને રદબાતલ ઠેરવ્યો છે. ખાનગી પ્રતિવાદીઓની આ ઓર્ડર પર સ્ટે આપવાની વિનંતી પણ કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટના ચૂકાદામાં ટાંકેલા મહત્વના મુદ્દા{ ગુજરાત પાલિકા અધિનિયમની કલમ 36 માં અવિશ્વાસની દરખાસ્ત માટે કોઈ મર્યાદા નક્કી નથી પરંતુ કોર્ટે નોંધ્યું કે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિને તેનું કાર્ય કરવા માટે વાજબી સમય મળવો અનિવાર્ય છે.{ અગાઉના શિવાંગીબેન પટેલના કેસના આધારે કોર્ટે ઠેરવ્યું હતુ કે, પદ સંભાળ્યાના એક વર્ષ સુધી પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં.{ બંધારણના 73મા અને 74મા સુધારાનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્થિરતા અને સાતત્ય લાવવાનો છે. જો તાત્કાલિક પ્રમુખને હટાવવામાં આવે તો આ બંધારણીય ભાવનાનું હનન થાય છે.{ ભલે કાયદામાં સ્પષ્ટ મનાઈ નથી. તેમ છતાં કોર્ટ કાયદાના ઉદ્દેશ્યો અને હેતુઓને ધ્યાનમાં રાખીને તેનું અર્થઘટન કરી શકે છે જેથી મનસ્વી નિર્ણયો અટકાવી શકાય.{ જો પ્રમુખને કામ કરવાની તક આપ્યા વિના તરત જ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની છૂટ અપાય તો તે એક વીશિયસ સર્કલ શરૂ કરી શકે છે. જે લોકશાહી પ્રક્રિયા માટે નુકસાનકારક છે.{ ગુજરાત પંચાયત અધિનિયમ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં અવિશ્વાસની દરખાસ્ત અંગેની જોગવાઈઓ લગભગ સમાન છે. તેથી પંચાયતના કાયદામાં અપાયેલો ચુકાદો અહીં પણ લાગુ પડે છે. હુકમમાં સત્તા છોડવા લખ્યુ નથી, કલેક્ટર પાસે માર્ગદર્શન માંગ્યુ છેમાન્ય હાઇકોર્ટ દ્વારા તા. 17-10-2025ની અવિશ્વાસની દરખાસ્ત પર સ્ટે આપ્યો છે. પરંતુ હું 10-11-2025ના રોજ કલેક્ટરના એજન્ડાથી જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી કરી બહુમતી સભ્યોમાં કુલ 16 મત પ્રાપ્ત કરી ધર્મેશભાઇ કલાલને 8 મત મળ્યા હતા. ચૂટણી પ્રક્રિયાથી હું પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યો છું. આજે ઓર્ડર આયો છે જેનુ માર્ગદર્શન માન્ય કલેક્ટર પાસે માગ્યું છે. હુકમમાં સત્તા છોડવા કોઇ જગ્યા સ્પષ્ટ લખ્યું નથી જેથી મે સત્તા છોડી નથી. મને માર્ગદર્શન મળશે તે રીતે આગામી સમયમાં કામગીરી કરીશું. નીલ સોની, વર્તમાન પ્રમુખ
ભાસ્કર અગ્રેસર:મકાન વેચી અર્ટિગા અપાવવાની જીદ ભાઇએ મિત્રો પાસે ભાઇનું કાસળ કઢાવ્યું
સંજેલી તાલુકાના હિરોલા વિસ્તારમાં 12મી તારીખે અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી કારઠના પ્રિન્સ લબાનાની લાશના કેસમાં પોલીસે ફિલ્મી કહાની જેવી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વતનનું મકાન વેચી ‘અર્ટિગા’ કાર લેવાની જીદ અને અસામાજિક જીવનશૈલીથી કંટાળીને પોતાના જ મોટા ભાઈએ મિત્રોની મદદથી નિર્મમ હત્યા કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પ્રિન્સ લબાનાનો ગુનાહિત ઇતિહાસ અને સ્વચ્છંદી જીવનશૈલી પરિવાર માટે લાંબા સમયથી માથાનો દુખાવો બની હતી. દાહોદ શહેરના લક્ષ્મીનગરમાં રહેતા મોટા ભાઈ અક્ષય લબાનાને પ્રિન્સ સતત વતનનું મકાન વેચી કાર અપાવવાની જીદ કરીને ઝઘડા કરતો હતો. આથી કંટાળીને અક્ષયે પ્રિન્સને જ મોતને ઘાટ ઉતારવાનો કાવતરું ઘડવામાં આવ્યું હતું. તા. 10 ડિસેમ્બરે અક્ષયે સુરતથી કાર અપાવવાની લાલચ આપી પ્રિન્સને વિશ્વાસમાં લીધો હતો. અક્ષય પોતાની અલ્ટો કારમાં પ્રિન્સ, મિત્ર મોહમ્મદ તૌસીફ શેખ, લીમડીના દીપક મોઢિયા સાથે વડોદરા ગયો જ્યાં મનિષ ખારવા પણ જોડાઇ ગયો હતો. દાહોદ તરફ પરત ફરતી વખતે રસ્તામાં પ્રિન્સ ઉંઘમાં હોઈ દીપક અને મનિષે ચાલતી ગાડીમાં જ ગળું દાબીને તેની હત્યા કરી નાખી. અક્ષય દ્વારા મિત્ર મોહમ્મદ તૌસીફ પાસે દાહોદથી દોઢ લીટર પેટ્રોલ મંગાવાયુ હતું. લાશનો નિકાલ કરવા માટે 25 કલાક સુધી લાશ કારમાં રાખી બાદમાં હિરોલા વિસ્તારમાં ફેંકી પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર અક્ષય લબાના અને મિત્ર મોહમ્મદ તૌસીફની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પ્રિન્સ 8 દિવસથી અર્ટિગાના સ્ટેટસ મુકતો હતોમકાન વેચીને અર્ટિગા લાવવાની જીદ પકડનાર પ્રિન્સે ઘટનાના આઠ દિવસ પહેલાંથી પોતે અર્ટિગા લાવી રહ્યો હોવાના વોટ્સએપ મેસેજ મુકવાનું શરૂ કર્યુ હતું. એટલુ જ નહીં તે જેમ-જેમ એક એક દિવસ પસાર થતો હતો તેમ- તેમ સ્ટેટસમાંથી દિવસો ઓછા કરતો હતો. જોકે,અર્ટિગા કારની જગ્યાએ તેને મોત મળ્યુ હતું.
શ્વાનોનો હુમલો:ગોધરાના દયાળ માર્ગ પર 5 રખડતા શ્વાનોનો ગાય પર જીવલેણ હુમલો
ગોધરાના દયાળ માર્ગ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આજે સાંજના સમયે દયાળ માર્ગ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક 5 હિંસક શ્વાનોએ એક ગાય પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું. જોકે, ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાજર સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા દાખવી ગાયનો જીવ બચાવ્યો હતો. આજે સાંજના સમયે દયાળ માર્ગ પરથી એક ગાય પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ ગાયને ઘેરી લીધી હતી અને તેના પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ ગાય પર હિંસક હુમલો કરતા ગાય લોહીલુહાણ થઈ ગઈ હતી. જીવ બચાવવા માટે ભારે દોડાદોડી કરી મૂકી હતી.ગાયની કાળજું કંપાવનારી ચીસાચીસ સાંભળીને રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાય દોડતી દોડતી નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. ગ્રાઉન્ડમાં હાજર સ્થાનિક યુવાનોનું ધ્યાન જતાં તેઓ તુરંત ગાયની વહારે દોડી આવ્યા હતા. યુવાનોએ હિંમત દાખવી શ્વાનોને પથ્થરો મારીને અને લાકડીઓ બતાવીને ત્યાંથી ભગાડ્યા હતા. યુવાનોની સમયસૂચકતાને કારણે ગાયનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રખડતા શ્વાનોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. અગાઉ પણ અનેકવાર આ શ્વાનોએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલા કર્યા છે.પાલિકા તંત્ર દ્વારા આ બાબતે સત્વરે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:નો મેપિંગના 35,244 મતદારોને 19 ડિસેમ્બર બાદ નોટિસ આપશે
પ્રતિક સોનીપંચમહાલ જિલ્લામાં SIRની કામગીરીમાં ગણતરી ફોર્મ સ્વીકારીને ડિઝિટાઇઝ 100 ટકા લગભગ પુર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી નો મેપીંગના 35244 મતદાર મળ્યા છે. 19 ડિસેમ્બર બાદ નો મેપીંગ ધરાવતા મતદારને નોટીસ આપીને પુરાવા વેરીફાઇ કરી કામગીરી કરાશે. પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભામાં 13,48,847 માંથી 12,25,848 મતદારોના ફોર્મ અપલોડ થયા છે. 15 ડિસમ્બર સુધી જિલ્લામાં એસઆઇઆરની કામગીરીમાં 50089 મતદારો મૃતક મળ્યા છે. તેમજ 11591 મતદારો મળી આવ્યા નથી. એસઆઇઆરમાં 53295 મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દીધેલા જાણવા મળી રહ્યું છે. જિલ્લાના ડબલ નામ વાળા 7032 મતદારોના અને 992 મતદારોએ ફોર્મમાં વિગતો ભરી નથી. જિલ્લામાં નો મેપીંગ વાળા 35244 મતદારોએ વર્ષ 2002 ની મતદાર યાદીના નામ ના હોય કે અન્ય કારણોથી પુરતી વિગતો ભરેલી નથી. આવા 35244 મતદારોએ નોટિસ મળે એટલે ફોર્મ પાછળ સૂચવેલા 13 આધાર પુરાવા પૈકી કોઇ એક પુરાવો નોટિસ આપનાર સંબંધિત કર્મચારીને આપવો પડશે. જ્યારે મૃતક, સ્થળાંતરિત, પત્તો નથી, ડુપ્લીકેટ મળી કુલ 1,22,999 (9.12 ટકા) મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં જોવા મળશે નહીં એટલે કે રદ થશે. મતદાર સુનાવણી માટે મદદનીશનોંધણી અધિકારીની નિમણૂક થશે5 વિધાનસભામાં નો મેપિંગવાળા 35244 મતદારો પૈકીશહેરા વિધાનસભામાં 3078, મોરવા(હ)માં 2337,ગોધરામાં 10255, કાલોલમાં 7720 તથા હાલોલવિધાનસભામાં 11854 મતદારોનો સમાવેશ થાય છે.મતદાર તરીકે આધાર પુરાવા માટે નોટિસમાં તેમનેસાંભળવાની તક આપવા સુનાવણી યોજાશે. મતદારોનીસુનાવણી સમય મર્યાદામાં થઇ શકે તે માટે વિધાનસભાદીઠ, ચૂંટણી અધિકારી દ્વારા મદદનીશની નિયુક્તિ કરાશે.જે મદદનીશ રોજ 50 મતદારોને સુનાવણીમાં બોલાવશે. 1 માસનો સમય કામ માટે મળશે જે મતદારોનાં નામ 2002ની યાદી સાથે મેપિંગ થયાં નથી પણ બીએલઓને 13 પૈકીના કોઇ એક પુરાવા સાથે ફોર્મ આપેલું છે, તેમની ઘરે નોટિસ આવશે. પરંતુ તેમણે નવા પુરાવા આપવાની જરૂર નથી. બીએલઓ કે જે કર્મીને નોટિસની જવાબદારી સોંપાય તે મતદારની સહી લેશે. નો મેપિંગમાં ઘણા ખરા મતદારોએ બીએલઓને ફોર્મ સાથે આધાર પુરાવા આપેલા છે. આધાર પુરાવા નથી આપ્યા તેમને સુનાવણીમાં સક્ષમ અધિકારી સમક્ષ ઉપસ્થિત રહીને રજૂ કરવાની રહેશે. નોટિસ આપવાની શરૂઆત તા.19 પછી શરૂ થશે અને એક મહિનાનો સમયગાળો આ કામગીરી માટે મળશે.
અફરાતફરીનો માહોલ સર્જાયો:દાહોદ એપીએમસી ગેટ પાસે બે આખલાઓનું ઉગ્ર યુદ્ધ
દાહોદ એપીએમસી ગેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ શરૂ થતાં હડકંપ મચી ગયો હતો. રોડ પર એકબીજા પર ઝંપલાવતાં આખલાઓથી રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનાના કારણે માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજી કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુથી તરત જ આગળ આવી આખલાઓને છૂટા પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લોકોએ આખલાઓ પર પાણી છાંટ્યું તેમજ લાકડીઓના સહારે તેમને દૂર ખદેડી અલગ કર્યા હતા.
ભાસ્કર એનાલિસિસ:જામનગર જિલ્લામાં જમીન માપણીની એક વર્ષમાં 94,347 અરજી, 58,633 અરજીઓનો નિકાલ
જામનગર જિલ્લાના 417 ગામોમાં ખેડુતોની જમીન માપણીની અરજીઓનો છેલ્લા એક વર્ષમાં મોટો ધસારો થયો છે. સત્તાવાર માહિતી મુજબ એક વર્ષમાં 94,347 જમીન માપણીની અરજીઓ આવી છે. જેમાંથી ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા 58,633 અરજીઓનો નિકાલ કર્યો છે. તો 27,709 અરજીઓ પેન્ડીંગ છે. જેમાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં 29,127 અરજીઓ આવતા તેમાંથી 21,836 અરજીઓનો નિકાલ થયો છે. તો સૌથી વધુ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 8232 અરજીઓ પેન્ડીંગ છે. જિલ્લામાં ખાનગી કંપની દ્વારા થયેલી જમીન રી-સર્વેની કામગીરી બાદ ઉભી થયેલી સમસ્યાથી ખેડુતો ભારે મુશ્કેલીઓ મુકાયા છે. પોતાની જમીન સુધારણા માટે તેમજ પોતાની જમીન પુર્ણ કરવા માટે જિલ્લાની જમીન માપણી કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે. તો જમીન સુધારવા માટે લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા સર્વેની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તો વર્ષ 2025માં 94,347 ખેડુતોએ જમીન માપણી અંગેની અરજીઓ કરી છે. જેમાં કાલાવડ તાલુકામાંથી 29,127, જામજોધપુર તાલુકામાં 12843, જામનગર ગ્રામ્યમાંથી 24,331, જોડીયા તાલુકામાં 8830, ધ્રોલ તાલુકામાંથી 6873 અને લાલપુર તાલુકાના 12343 અરજીઓ જમીન માપણી અંગે આવી છે. જેમાંથી લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા કાલાવડમાં 21,836, જામજોધપુર તાલુકામાં 9688, જામનગર ગ્રામ્યમાં 16099, જોડીયા તાલુકામાં 6309, ધ્રોલ તાલુકામાં 4701 અને લાલપુર તાલુકામાં 8005 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તો કાલાવડમાં 7291, જામજોધપુરમાં 3155, જામનગર ગ્રામ્યમાં 8232, જોડીયામાં 2521, ધ્રોલમાં 2172 અને લાલપુરમાં 4338 અરજીઓ જમીન માપણી સર્વેની કામગીરી ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જમીન માપણીની જેટલી અરજીનો નિકાલ કરવામાં આવે છે, તેનાથી વધુ અરજીઓ જમીન માપણી અંગે આવે છે. જેથી લેન્ડ રેકર્ડ કચેરીમાં દૈનિક કામનું ભારણ વધતું જાય છે. જેથી 100 ટકા કામગીરી કરવી મુશ્કેલ બનતી જાય છે. ક્ષતિગ્રસ્ત તેમજ દફતરે થયેલી 8005 અરજીઓ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જમીન માપણી અંગે આવેલી અરજીઓમાં મોટી સંખ્યામાં અરજીઓ દફતરે થઈ છે. તો અમુક ક્ષતિગ્રસ્ત જેવી કે, જમીન ન દર્શાવી શકેલ, કે અન્ય કોઈ વાંધાઓના કારણે જમીન માપણી ન થઈ હોય તેવી 8005 અરજીઓ છે. જેમાંથી દફતરે થયેલી અરજીઓને રી-ઓપન કરવામાં આવી રહી છે.
કલેકટરના તપાસના આદેશથી ખળભળાટ:સાયકલો શ્રમિકો પાસેથી લઇ વિદ્યાર્થીનીઓને પરત સોંપાઈ
જામનગર જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલના જોડીયાના સાયકલના ખાનગી વેચાણના અહેવાલ બાદ કલેકટરે તપાસના આદેશો આપીને ખાનગી વેચાણ થયેલી સાયકલો પરત મેળવીને વિદ્યાર્થીનીઓને પરત સોંપવામાં આવી છે. સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત હાઈસ્કુલમાં ધો-9માં અભ્યાસ કરતી એસસી, એસટી, ઓબીસી અને ઈડબલ્યુએસની વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલો વિતરણ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીનીઓને સ્કુલે જવામાં તકલીફ ન પડે. પરંતુ આ સાયકલો જોડીયા તાલુકાના જશાપર ગામના પુર્વ સરપંચના પતિ વલ્લભભાઈ પનારાના ઘરેથી ખાનગી રીતે રૂ.2500માં વેંચાણ થતું હતું. જે અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જ કલેકટર કેતન ઠક્કરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ધ્રોલ એસડીએમ, સમાજ કલ્યાણ અધિકારી સહિતનાએ તપાસ હાથ ધરી હતી. તાત્કાલિક અહેવાલ કલેકટરને મોકલવામાં આવ્યો હતો. કલેકટરના આદેશ અનુસાર જે શ્રમિકોને સાયકલોનું વેચાણ થયું હતું. તે પરત મેળવવામાં આવી હતી અને જે તે વિદ્યાર્થીનીઓને સાયકલો પરત સોંપવામાં આવી હતી. હાલ તો આ પ્રકરણે જિલ્લાભરમાં ચકચાર મચાવી દીધી છે. તો ખાનગીરાહે તપાસ કરવામાં આવે તો સરકારી સાયકલોના ખાનગી વેચાણના કૌભાંડો બહાર આવે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જશાપરના પુર્વ સરપંચના પતિએ સાયકલોના રૂપિયા પરત આપ્યા જોડીયાના જશાપર ગામના પુર્વ સરપંચના પતિ વલ્લભભાઈ દ્વારા સાયકલોનું પરપ્રાંતિય શ્રમિકોને રૂ.2000થી 2500 સુધીમાં વેંચાણ કરવામાં આવ્યું હતું. જે સાયકલો પરત મેળવવામાં આવી હતી અને શ્રમિકોએ સાયકલના જે રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. તે પુર્વ સરપંચના પતિએ પરત શ્રમિકોને રૂપિયા આપવામાં આવ્યા હતા.
દબાણ હટાવ ઝુંબેશ:40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. જેમાં શરૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી,લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતા 40થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતા.મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુ઼બેશ યથાવત રાખવામાં આવશે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે ઝુંબેશ મંગળવારે પણ યથાવત રાખવામાં આવી હતી.જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતા. મનપા દ્વારા આ ઝુ઼બેશ અંતગત માર્ગોને નડતરરૂપ ખડકાયેલા જુદા જુદા ચાલીશ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.શહેરના માર્ગો પર સુચારૂ રીતે આવા ગમન થઇ શકે માટે જુદા જુદા વિસ્તારોમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે.જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ. મનપાની આ ખાસ ઝુંબેશના પગલે સંબંધિત વિસ્તારોમાં માર્ગો મહંદઅંશે ચોખ્ખા થયા હતાં.
વાતાવરણ:પવનનું જોર વધ્યું, ઠંડીનો પારો 14.5 ડિગ્રી નોંધાયું
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતું. જો કે ગત સાજ થી તેજીલા વાયરા જોર પકડ્યું હતું જેને પગલે ઠંડીમાં વધારો થયો હતો. તેજીલા વાયરા અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડી વધતા મોડી રાતે અને વેહલી સવારે જામનગરના મુખ્ય માર્ગો પર સ્વયં સંચાર બંધી જેવા મળી હતી. જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલ બરફવર્ષાની અસર ભારતના બીજા રાજ્યો પર પણ પડી રહી છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. ત્યારે જામનગર શહેરમાં પણ ઠંડી એ જોર પકડ્યું છે. ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ 20 થી કિ.મી.ની રહેવા પામી હતી. વહેલી સવારે માર્ગો પર સ્વયંમ સચાર બંધી જોવા મળી હતી.
નાતાલ:જામનગરના ખ્રિસ્તીઓના ઘરમાં ક્રિસમસ ટ્રી ફક્ત સુશોભન નહી પરંતુ પોઝિટિવીટી લાવે છે
નાતાલના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં રહેતા ખ્રિસ્તીઓના ઘરમાં નાતાલ ના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત તહેવારને લગતી તૈયારીઓ પણ લોકો કરી રહ્યા છે. આ તહેવારમાં ક્રિસમસ ટ્રી નું મહત્વ પણ ખૂબ જ હોય છે દરેક ખ્રિસ્તી ના ઘરમાં ક્રિસ્મસ ટ્રી જોવા મળતું હોય છે પરંતુ આ ફક્ત સુશોભન માટે નથી હોતું પરંતુ આ ઝાડને લાઈટ થી સુશોભન કરવામાં આવે છે જે ઘરમાં પોઝિટિવિટીની સાથે જ જીવનમાં પ્રકાશ આપવાનું કામ કરે છે. આ ક્રિસમસ ટ્રી ઉપર બે થલ હેમ સ્ટાર પણ લગાડવામાં આવે છે આની પાછળનો ઇતિહાસ એવો છે કે બેથલહેમ નામના સ્થળ પર ભગવાન ઈસુનો જન્મ થયો હતો ત્રણ દિશામાંથી રાજા ભગવાન ઈશુને જોવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન તેમને ક્યાં જન્મ થયો છે તે સ્થળ અને રસ્તો મળી રહ્યો ન હતો ત્યારે આ સ્થળ ઉપર તારો ખૂબ જ તેજસ્વી રીતે ચમકતો હતો તે તારાને જોઈને ત્રણે દિશામાં થી આવતા રાજા ભગવાન ઈશુને જોવા પહોંચ્યા હતા. જેથી જ ક્રિસમસ ટ્રી ઉપર તારાને લગાડવામાં આવે છે. આથી આ તારાને બેથલહેમ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પહેલી ડિસેમ્બર થી 25 તારીખ સુધી તૈયારીઓ ખ્રિસ્તીઓના ઘરમાં થતી હોય છે જેમાં તેઓ મીઠાઈ બનાવવા થી માંડીને આધ્યાત્મિક તૈયારીઓ પણ કરતા હોય છે. આશા, શાંતિ, ખુશી અને પ્રેમનું પ્રતીક મીણબત્તી છે...નાતાલ પહેલાના ચાર રવિવારે પર્પલ ત્રણ પર્પલ અને એક પિન્ક કલરની મીણબત્તી પ્રજ્વલિત કરવામાં આવે છે જેમાં પ્રથમ રવિવારે પર્પલ કલરની મીણબત્તી પ્રચલિત કરવામાં આવે છે જે આશા નું પ્રતીક હોય છે બીજા રવિવારે પણ પર્પલ કલરની મેણબત્તી પ્રજ્વલિત કરવામાં આવે છે જે શાંતિનું પ્રતીક છે ત્રીજા રવિવારે કરવામાં આવતી મીણબત્તી એ પિંક કલરની હોય છે તે ખુશીનું પ્રતીક હોય છે ત્યારે ચોથી અને છેલ્લા રવિવારે પર્પલ કલરની મીણબત્તી પ્રચલિત કરવામાં આવે છે તે ભગવાન ઈશુ પ્રત્યેનું પ્રેમનું પ્રતીક હોય છે જ્યારે 25 ડિસેમ્બર સફેદ રંગની મીણબત્તી પ્રજવલિત કરવામાં આવે છે જે ભગવાન ઈસુના જન્મનું પ્રતિક માનવામાં આવે છે તેમ ડેન્સી ખ્રિસ્તી મહિલા એ જણાવ્યું હતું.
ધર્મોત્સવ:દ્વારકાના આંગણે 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ, 108 શિવલીંગ મહારૂદ્ર અભિષેક
યાત્રાધામ દ્વારકાના આંગણે પરમ તપસ્વી સંત આત્માનંદદાસજી મહાત્યાગી નેપાલી બાબાના આશીવાઁદથી શિવભક્ત ધારાસભ્ય પબુબા વિરમભા માણેક પરીવાર તા. 19/1થી 28/01/ 2026 દરમિયાન શ્રીમદ દેવી ભાગવત સમાહ તથા તા. 23/01 શુક્રવારથી તા. 31/01/2026 શનિવાર દરમ્યાન 32 કરોડ જાપ સાથે ચંડી મહાયક્ષનું ભવ્યાતિભવ્ય આયોજન ગૌશાળા નાગેશ્વર રોડ ખાતે કરવામાં આવ્યુ છે. આ શ્રીમદ દેવી ભાગવત સમાહ તા. 19/01/2026 સોમવારથી તા. 28/01/2026 બુધવાર દરમ્યાન બપોરે 3.30 થી 6.30 એ યોજાશે. જેમાં વ્યાસપીઠ પર પૂજય કનકેશ્વરી દેવીજી ભક્તજનોને કથાનું રસપ્રદ શૈલીમાં રસપાન કરાવશે. સાથે સાથે તા. 23/01/2026 શુક્રવારથી તા.31/01/2026 શનિવાર દરમ્યાન 32 કરોડ જાપ સાથે ચંડી મહાયક્ષનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 9થી 1 અને બપોરે 3થી 7 દરમ્યાન યોજાશે, જેમાં 108 શિવલીંગ મહારુદ્ર અભિષેક યોજાશે. 32 કરોડ જાપ સાથે યોજાનાર ચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન પદે નિલેશભા પબુભા માણેક તથા મહારૂદ્ર અભિષેકના મુખ્ય યજમાન પદે સહદેવસિંહ પબુભા માણેક બિરાજમાન થશે. શિવભક્ત પબુભા વિરમભા માણેક તથા પરિવાર દ્વારા તમામ ભક્તજનો માટે સવારે દશથી બપોરે ચાર તથા સાંજે છથી રાત્રે અગીયાર વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ઓખામંડળના ભામાશા સ્વ વિરમભા આશાભા માણેકના પ્રેરણાસ્તોત્રથી પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી નેપાળી બાબાના આશીર્વાદથી પોજાનાર શ્રીમદ દેવી ભાગવત કથા તથા ચંડી મહાયજ્ઞને સફળ બનાવવા ધારાસભ્ય પબુભા માણેક તથા સમગ્ર માણેક પરિવાર અને તેમની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
મ્યુલ હન્ટ ઓપરેશન:ખાતેદારે બેંક ખાતામાં જમા 10.17 લાખની રકમ ઉપાડીને અમદાવાદ મોકલાવી, ગુનો
રાજય સરકાર દ્વારા સાયબર ફ્રોડના વધતા બનાવોને પગલે ખાસ કરી બોગસ બેન્ક ખાતાઓમાં મોટા પાયે ગેરકાયદે હેરફેર ધ્યાનમાં આવતા ખાસ મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં વધુ બે બોગસ ખાતાઓમાં હેરાફેરી મામલે પોલીસે જુદા જુદા ગુના નોંધ્યા છે.જેમાં શહેરના આસામીએ પોતાનું બેંક ખાતુ અમદાવાદના એક શખ્સને વાપરવા માટે આપી ઠગાઈ-છેતરપિંડીથી તે ખાતામાં જમા થયેલી રૂ.10 લાખથી વધુની રકમ અમદાવાદના શખ્સને પહોંચાડી દીધાનો ગુન્હો પોલીસે નોંધ્યો છે. જ્યારે સિકકા પોલીસે પણ બેંક ખાતામાં રૂ.4 લાખથી વધુની રકમ જમા લેવડાવી તેમાંથી કમીશન પ્રાપ્ત કર્યા પછી બાકીની રકમ જોધપુરના શખ્સને પહોંચાડી દેવા અંગે ત્રણ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના સીટી સી પોલીસ મથકમાં વિવેક પરસોતમભાઇ સભાયા( રે. પુરૂરોષતમ એપાર્ટમેન્ટ, શિવમ સોસાયટી) ઉપરાંત રાજ ચંપાવત (રે. અમદાવાદ) તથા તપાસમાં જે ખુલે તેની સામે પોલીસ કર્મી એમ.જે.જાડેજાએ ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ કાવતરૂ રચી વિવેકએ રાજને પોતાનુ બેન્ક ખાતુ ઉપયોગ કરવા આપી કમિશન મેળવી છેતરપિંડીથી મેળવેલ મનાતા નાણાની હેરફેર કરવાના ઇરાદાથી વિવેકના ખાતામાં રૂા. 10.17 લાખ નખાવી ખાતામાંથી ચેક, એટીએમ કે ઓનલાઇન ઉપાડી તેમજ રૂપિયા આંગડીયા મારફતે પહોચાડી સગેવગે કરી એકબીજાને મદદગારી કરી અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેકશન કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. જયારે વધુ એક ફરીયાદમાં સિક્કામાં રહેતા મહંમદશાનવાઝ સહજાદઆલમ નામના આસામીએ પોતાનું બેંક એકાઉન્ટ રાજસ્થાનના જોધપુરમાં રહેતા વિનોદ નામના શખ્સને વાપરવા માટે આપ્યું હતું. મહંમદ શાહનવાઝ તથા વિનોદ વચ્ચે સિકકાના જ પંસુનિલ મોહનલાલ દેવડાએ સંપર્ક કરાવી આપ્યો હતો અને તે પછી શાહનવાઝના બેંક એકાઉન્ટમાં લોકો સાથે ઠગાઈ કરી વિનોદે રૂ.૪,૩૯,૧૬૭ની રકમ જમા કરાવી હતી, શાહનવાઝ તથા સુનિલે તેમાંથી કમીશન મેળવી બાકીની રકમ વિનોદ માટે સગેવગે કરી હોવાનો બનાવ પોલીસ દફતે નોંધાયો છે.જેમાં સિકકા પોલીસે શાહનવાઝ, સુનિલ તથા વિનોદ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ગેરકાયદે નાણાની હેરાફેરીના મામલે 21 ફરિયાદ દાખલ, 48 સામે ગુનોજામનગર સહિત રાજયભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ફરીયાદનો આંક 21 પર પહોચ્યો છે.જેમાં જુદા જુદા 48 આરોપીઓ સામે જે તે પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.પોલીસે તમામ ગુનાઓની બારીકાઇથી તપાસ શરૂ કરી છે જેમાં મુખ્ય સુત્રધારો સુધી પહોચવા માટે પણ કવાયત શરૂ કરાઇ છે.
રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું:ચૂંટણી આવતાં જ ભાજપ- શિંદે જૂથ અજિત પવારને બહાર રાખી રહ્યા છે
રાજ્યમાં 29 મહાપાલિકાની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના વિધાનસભામાં નેતા વિજય વડેટ્ટીવારે મહાયુતિની રણનીતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના આગામી મહાપાલિકા ચૂંટણીઓ સાથે લડશે, પરંતુ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને જાણીજોઈને બહાર રાખવામાં આવી રહી છે. અજિત પવારનો પક્ષ સત્તા ભોગવતી વખતે સ્વીકાર્ય છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેમને કોંગ્રેસના ધર્મનિરપેક્ષ મત વિભાજન માટે અલગથી ચૂંટણી લડાવવી, આ એક મહાયુતિની ચાલ છે અને લોકો બધું સમજે છે, એવો વેડેટ્ટીવારે આરોપ લગાવ્યો.મુંબઈમાં તેમણે કહ્યું કે હસન મુશરીફને કેબિનેટ મંત્રી બનાવતી વખતે ચા-નાસ્તો થાય છે, પરંતુ ચૂંટણી સમયે નવાબ મલિકનો મુદ્દો આગળ લાવીને અજિત પવારની પાર્ટીને ગઠબંધનથી દૂર રાખવામાં આવે છે. આ સ્પષ્ટપણે એકતરફી રાજકારણ છે. એકનાથ શિંદેની શિવસેના હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને ચૂંટણીની નજીક લાવવામાં આવે છે, અને અજિત પવાર મત વિભાજીત કરવા માટે અલગથી લડી રહ્યા છે, આ મહાયુતિનું રાજકારણ છુપાયેલું નથી, એમ તેમણે કહ્યું. તેમણે એવી પણ ટીકા કરી હતી કે, ભાજપ હિન્દુ-મુસ્લિમ વિવાદ ઉભા કર્યા વિના ચૂંટણી જીતી શકતું નથી, તેથી ચૂંટણી સમયે આવો વિવાદ સર્જાય છે.મહાવિકાસ આઘાડી એક રહેશે કે નહીં તે અંગે વાડેટ્ટીવારે કહ્યું કે મતોનું વિભાજન ટાળવા માટે દરેકની ભૂમિકા છે. સ્થાનિક નેતા સ્થાનિક પરિસ્થિતિઓ અને સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.દરમિયાન, વડેટ્ટીવારે બ્રહ્મપુરીના ખેડૂત શિવદાસ કુડે દ્વારા શાહુકારને લોન ચૂકવવા માટે કિડની વેચવાના કથિત કેસની પોલીસ તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે ખેડૂતને મદદ આપવામાં આવી છે અને તેમને ન્યાય અપાવવા માટે કડક પગલાં લેવા જોઈએ.
તપાસ:સોલાર ઈન્ડસ્ટ્રીઝની હવાઈપટ્ટી પર ડ્રોનના ઉડાણથી ખળભળાટ
નાગપુરમાં સંરક્ષણ સંબંધિત ઉત્પાદનોની ઉત્પાદક સોલાર ઈન્ડસ્ટ્રીઝની હવાઈપટ્ટી પર અજ્ઞાત ડ્રોન ઉડાણ ભરતું જોવા મળતાં ખળભળાટ મચી ગયો છે, જેને લઈ પ્રશાસન દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, એમ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. આ સંબંધમાં કોંઢાલી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે, એમ વિસ્તારના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો. હર્ષ પોદ્દારે જણાવ્યું હતું.ડ્રોન 9 ડિસેમ્બરે સાંજે 7.15 વાગ્યાની આસપાસ અત્રેથી 40 કિમી દૂર નાગપુર- અમરાવતી રોડ પર સ્થિત કંપનીની હવાઈપટ્ટી પર ઉડાણ ભરતું જોવા મળ્યું હતું. અંધકારને લીધે તેનો અચૂક આકાર નક્કી કરી શકાયો નહોતો, એમ કોંઢાલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. સોલાર ગ્રુપના સલામતી સ્ટાફે આકાશમાં લાઈટ્સ ટમટમતી જોઈ હતી. તેમણે વરિષ્ઠ સલામતી અધિકારીઓને માહિતગાર કર્યા, જેમણે પછી કોંઢાલી પોલીસને સતર્ક કરી હતી. તુરંત તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ ટીમોએ ડ્રોન લગ્ન અથવા ખાનગી સમારંભ માટે તો લોન્ચ કરાયું નહોતું ને અથવા અજાણતાં છોડવામાં આવ્યું નહોતું ને તે નક્કી કરવા માટે ગામડાંઓ નજીક તલાશી લેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કડક કાર્યવાહી કરવાની માગ:પાન્ધ્રોના કેએલટીપીએસ પ્લાન્ટના કારણે ફેલાતું વ્યાપક પ્રદૂષણ બંધ કરો
પાન્ધ્રોમાં કાર્યરત કેએલટીપીએસના એકમ દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે તેવા આક્ષેપ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કરાયેલી રજૂઆતમાં આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માગ કરાઇ હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા લિગ્નાઇટનો સ્ટોક ખુલ્લામાં રાખવામાં આવે છે જેના કારણે અવાર નવાર આગના બનાવ બને છે. સાંજના રિકલેમાર ચાલુ કરવાથી આજુબા નો વિસ્તાર પ્રદૂષિત થાય છે. ધુમાડાના કારણે લોકો પરેશાન થાય છે તેમજ ગંભીર પ્રકારની બીમારીઓ થવાનો ભય લાગે છે. લિગ્નાઇટ સ્ટોક માટે શેડ બનાવી તેની ફરતે દિવાલ હોવી જોઈએ જેથી તેની નજીકમાં પશુઓ આગનો ભોગ ન બને. તળાવો, કુવા તેમજ મીઠી ઝાડી તથા ચારિયાણના ઘાસને મોટું નુકસાન થાય છે. આ માટે જવાબદાર અધિકારી તેમજ એજન્સીઓની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માગ ખારોટના આમદ હસનએ કરી હતી.
મુલાકાત:ચૂંટણીની ઘોષણા બાદ પ્રફુલ્લ પટેલ અમિત શાહને મળ્યા
રાજ્યમાં મહાપાલિકા ચૂંટણીની ઘોષણા થતાં જ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. આ ધ્યાનમાં લેતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ)ના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરે શાહ સાથે લગભગ 15 મિનિટ ચર્ચા કરી. આ ચર્ચામાં મહાપાલિકા ચૂંટણીની વ્યૂહરચના અને સ્થાનિક સ્તરે અપનાવવાની નીતિ પર વિચારવિમર્શ થયો. મુંબઈ, થાણે સહિત રાજ્યની 29 પ્રલંબિત મહાપાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો નિશ્ચિત થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂ઼ંટણી તૈયારીઓને ગતિ આપી છે. આ બેઠક દરમિયાન અમિત શાહે અજિત પવાર ગટને સ્પષ્ટ સંકેત આપ્યો હોવાનું સૂત્રો કહે છે કે જ્યાં શક્ય હોય ત્યાં યૂતિ કરીને ચૂંટણી લડવી. ભાજપ અને તેના મિત્ર પક્ષોએ એકસાથે આવીને વધુમાં વધુ બેઠકો જીતવા પર ભાર આપવો જોઈએ, એવી સલાહ શાહે આપી છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડે ત્યાં યૂતિ, સમજૂતી અથવા અલગ લડતની ભૂમિકા અપનાવવાની પણ તેમણે સૂચના આપી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ જો અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષ સાથે સમજૂતી કરવી પડે અથવા સાથે લડવું પડે, તો તેને લઈ ભાજપને કોઈ વાંધો નહીં હોય, એવો સંદેશ પણ આ બેઠકમાં આપવામાં આવ્યો છે. ભાજપની આ ભૂમિકાને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ મળ્યો છે.આ બેઠક બાદ અમિત શાહે ટૂંક સમયમાં મહારાષ્ટ્રના ભાજપ નેતૃત્વ સાથે ચર્ચા કરવાની ખાતરી પટેલ અને તટકરેને આપી છે. આ સાથે જ, બુધવારે અજિત પવાર ગટના નેતાઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરશે તેવી શક્યતા છે. આ બેઠકમાં બેઠક વહેંચણીનો પ્રાથમિક ફોર્મ્યુલા અને સ્થાનિક યૂતિઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમય ચૂકી જવાની ભીતિ:GST પોર્ટલ ઠપ્પ : દસ્તાવેજ અપલોડ ન થતાં મુશ્કેલી
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગળવારે દેશભરના કરદાતાઓએ દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રજીસ્ટ્રેશન કરવા ઇચ્છુક લોકોને વારંવાર ટેકનિકલ સમસ્યાઓ અને સબમિશન અટકી જવાની ફરિયાદ હતી, જેના કારણે વ્યવસાયો અને ટાઇમ-બાઉન્ડ ફાઇલિંગ માટે ઓનલાઇન સિસ્ટમ પર આધાર રાખતા કર વ્યાવસાયિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઇન્ફોસિસ અને GST નેટવર્ક (GSTN) સાથે સંકળાયેલા સત્તાવાર હેન્ડલ, GST ટેક દ્વારા આ સમસ્યાનો ઔપચારિક સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેણે થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતી જાહેર સલાહકાર જારી કરી હતી. સોશિયલ મીડિયા પર એક પિન કરેલી પોસ્ટમાં, GST ટેકએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ અપલોડ સમસ્યાએ પોર્ટલની કાર્યક્ષમતાને અસર કરી છે અને વપરાશકર્તાઓને ખાતરી આપી છે કે આ બાબતને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવી રહી છે. અમારી ટેકનિકલ ટીમ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે પ્રાથમિકતા પર સક્રિયપણે કામ કરી રહી છે, સલાહકારમાં વાંચવામાં આવ્યું હતું, જ્યારે કરદાતાઓને વિક્ષેપ દરમિયાન ધીરજ રાખવા વિનંતી કરવામાં આવી હતી. જો કે, સેવાઓની સંપૂર્ણ પુનઃસ્થાપના માટે કોઈ ચોક્કસ સમયરેખા આપવામાં આવી ન હતી. ઘણા વ્યાવસાયિકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ મુદ્દાને ઉજાગર કર્યો હતો, નોંધ્યું હતુ કે વારંવાર પ્રયાસો છતાં નિયમિત જોડાણો પણ અપલોડ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેટલાકે ચેતવણી આપી હતી કે લાંબા સમય સુધી ડાઉન ટાઇમ ચૂકી જવાથી સમયમર્યાદા ચૂકી શકે છે અને સંભવિત લેટ ફી થઈ શકે છે, સિવાય કે અધિકારીઓ યોગ્ય રાહતનો વિચાર કરે. અધિકારીઓએ અનુપાલન સમયમર્યાદા લંબાવવામાં આવશે કે કેમ તે સૂચવ્યું નથી, પરંતુ કર નિષ્ણાતોએ કરદાતાઓને અપલોડ કરવાનો પ્રયાસ કરેલા રેકોર્ડ, ટેકનિકલ એરરના સંદેશાઓના સ્ક્રીનશોટ અને સિસ્ટમ લોગ જાળવવાની સલાહ આપી છે. આવા દસ્તાવેજો, તેઓએ કહ્યું કે, ચકાસણી અથવા પ્રક્રિયાગત વિલંબના કિસ્સામાં વાસ્તવિક પાલન પ્રયાસો દર્શાવવામાં મદદ કરી શકે છે. ભારતની પરોક્ષ કર પ્રણાલીનો મહત્વપૂર્ણ કરોડરજ્જુ, GST પોર્ટલ, ભૂતકાળમાં છૂટાછવાયા તકનીકી સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો છે. તકનીકી ખામી સંવેદનશીલ સમયે આવી છેઆ ખામી એક સંવેદનશીલ સમયે આવી છે જ્યારે ઘણી કાનૂની પ્રક્રિયાઓ પોર્ટલ દ્વારા દસ્તાવેજ અપલોડ પર ખૂબ આધાર રાખે છે. આમાં નોટિસના જવાબો દાખલ કરવા, અપીલ સબમિટ કરવા, નવી નોંધણીઓ પૂર્ણ કરવા, વિભાગીય પ્રશ્નોના જવાબ આપવા અને GST માળખા હેઠળ અન્ય પાલન સંબંધિત સબમિશનનો સમાવેશ થાય છે. આવા સમયગાળા દરમિયાન કોઈપણ વિલંબ અથવા ખામી ઘણીવાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બહુવિધ ગ્રાહકોને સંભાળતા કર પ્રેક્ટિશનરોમાં ચિંતા પેદા કરે છે. - સુનય જરીવાલા, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એક્સપર્ટ
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રણમાં સફેદી નથી, રોડ ટુ હેવન પાણીથી ઘેરાયેલો : પ્રવાસીનો ધોળાવીરામાં ધસારો
સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર એટલે ધોળાવીરા. 27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ અહીં પ્રવાસીઓનો ધસારો દિવસો દિવસ વધી રહ્યો છે. ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રવાસન ઋતુ વધુ ખીલશે પરંતુ અત્યારથી શુક્ર, શનિ અને રવિવારે દરરોજ 2000 થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. કેન્દ્ર સરકારના પુરતત્વ વિભાગે 2005માં ઉત્ખનન બંધ કર્યું ત્યાં સુધી કોટડા ટીંબા નગરના જે અપર અને લોઅર ટાઉન વિસ્તાર ધરતીમાંથી નીકળ્યું તેને સાચવ્યું. ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ વરસાદ પડતા સફેદ રણ વોચ ટાવર આસપાસ પાણી સુકાયું નથી અને સફેદ નમક સખત ચાદરમાં ફેરવાય ત્યાં સુધીમાં પ્રવાસીઓએ ખૂંદીને ત્યાંની સફેદી હણી નાખી છે. તો રોડ ટુ હેવન કે જે માત્ર પસાર થવા માટે નહીં પરંતુ રોડ સાઈડ ઉતરીને મીઠાના રણમાં ફોટો વિડિઓ માટે માનીતું છે તે પણ હજુ દરિયાના પાણીથી ભરેલું છે, ત્યારે પ્રવાસીઓ આ બંને જગ્યાએથી પસાર થઈને ધોળાવીરા પ્રાચીન સભ્યતાનું રસપૂર્વક નિહાળતા જોવા મળ્યા. અહીં આવતા પ્રવાસીઓને સચોટ માહિતી આપતા ગાઈડ નાગજીભાઈ જણાવે છે કે પ્રવાસન વિભાગ કચ્છના આ મહત્વના સ્થળને કેન્દ્રમાં રાખીને વિકાસ કરે તે જરૂરી છે. ટુરિસ્ટને તકલીફ ન પડે તો જ મુલાકાતીઓની સંખ્યા વધશે. મહારાષ્ટ્રના પ્રવાસીને કડવો અનુભવકોઈપણ પ્રવાસન સ્થળ પર સુરક્ષા, સગવડતા અને સભ્યતા હોવી જરૂરી છે. રવિવારે ધોળાવીરા વિરાસતની મુલાકાતે મહારાષ્ટ્રના રિટાયર્ડ પોલીસ અધિકારીનું કુટુંબ જ્યારે અંદર જઈ રહ્યો હતો ત્યારે મહિલા સભ્ય પાછળ ગાય દોડતા સુરક્ષા કર્મીને મદદે આવવા કહ્યું ત્યારે ’મારી ફરજ છે અહીંથી નહીં જવાય’ તેવો જવાબ આપીને માનવતા નેવે મૂકી. આ અંગે સાઇટ પર એક સાથે 10 થી વધુ સુરક્ષા કર્મીઓ આ કુટુંબને ઘેરી વળ્યા હતા અને 30 મિનિટ સુધી બાદ વિવાદ થયો હતો. તે સમયે બધા જ કર્મીઓ પોતાની ફરજની જગ્યા મુકીને એકઠા થઈ ગયા હતા. નારાજ નિવૃત્ત અધિકારીએ કલેકટરને ફરિયાદ કરવા સાથેની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રવાસન સ્થળ પર શિસ્ત પણ એટલું જ જરૂરી છે.
સુવિધા:જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમવાર વરતેજને મોક્ષરથની સુવિધા મળી
લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપી સરકાર દ્વારા જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે અને સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં હજુ પણ મૃત્યુનો મલાજો પળાતો નથી. મૃત્યુ બાદ સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે કોઈ સુવિધાઓ હોતી નથી. ત્યારે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ જિલ્લા પંચાયતની વરતેજ બેઠક હેઠળના સાત ગામોના લોકોની ઉપયોગીતા માટે 13.50 લાખની સભ્યની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી મોક્ષરથની સુવિધા અર્પણ કરવામાં આવી છે. ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને વાડી વિસ્તારમાં મૃત્યુ બાદ સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે પગપાળા અથવા તો છોટા હાથી જેવા વાહનોમાં લઈ જવામાં આવતા હોય છે. ચોમાસા દરમિયાન તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં ગ્રામ્ય પંથકમાં મોક્ષ રથની કોઈ સુવિધા નથી. જેના આયોજન માટે જિલ્લા પંચાયતની વરતેજ બેઠકના સભ્ય બળદેવ સોલંકી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સભ્ય ગ્રાન્ટનું આયોજન કરી 13.50 લાખના ખર્ચે મોક્ષરથની સુવિધા ઉભી કરવામાં આવી છે. વરતેજ બેઠક હેઠળના સાત ગામના લોકોને મોક્ષરથની સુવિધાનો લાભ મળશે. વરતેજ ખાતે વરતેજ જિલ્લા પંચાયતના મતવિસ્તારના લોકો માટે મોક્ષરથનું લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જિલ્લા પંચાયતના સદસ્ય વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીની ગ્રાન્ટમાંથી મોક્ષરથ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના વરદહસ્તે મોક્ષરથનું લોકાર્પણ કરવામાં આવ્યું. વરતેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આગેવાનો,યુવાનો ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચો, માજી સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
એક્સક્લુઝિવ:હીરા બજારમાં 20થી વધુ નિકાસકારોને એકપણ ઓર્ડર નહિ
અમેરિકાએ ઓગસ્ટ મહિનાથી ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસ વ્યાપાર પર લાગુ કરેલા વધારાના 25 % ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના વ્યવસાયની માઠી દશા બેઠી છે. જેમાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પીઠું ગણાતા સુરત અને ભાવનગર જિલ્લામાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં અસર વર્તાઈ છે. સુરતની સરખામણીએ ભાવનગરની હીરા બજારમાં મંદી વધુ ઘેરી બની છે ત્યારે નવેમ્બર મહિનામાં અમેરિકા સહિતના દેશોમાંથી ઓછી ડિમાન્ડ નીકળતા ક્રિસમસના તહેવાર ટાણે પણ ભાવનગર જિલ્લાની હીરા બજારમાં 20થી વધુ નિકાસકારોને એક્સપોર્ટને લગતો ઓર્ડર ન મળતા હીરા બજારમાં મંદીનો ઓછાયો ઘેરો બન્યો છે. અમેરિકા ટેરિફના અમલ પહેલાના સમયમાં ક્રિસમસના તહેવારોને લઈ દર વર્ષે નવેમ્બર મહિનામાં ભાવનગરમાંથી સારા એવા પ્રમાણમાં રિયલ ડાયમંડનું એક્સપોર્ટ થતુ હોય તેજીનો સળવળાટ જોવા મળતો હતો. બહુધા દર વર્ષે નવેમ્બર મહિનામાં મળતા ઓર્ડરોને ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવતા હોય છે. જોકે હાલમાં ક્રિસમસના તહેવારોમાં વિદેશમાંથી ઓછી ડિમાન્ડ તથા અમેરિકન ટેરિફના બેવડા મારથી નવેમ્બર મહિનો ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે તેવુ પહેલીવાર બન્યુ છે. હીરા ઉદ્યોગમાં 2026ના નવા વર્ષમાં સ્થિતિ સુધરશેઅમેરિકન ટેરિફની વિપરીત અસરથી ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મારા 1998માં હીરાના વ્યવસાયમાં આવ્યા બાદનો સૌથી ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગમાં 2026ના નવા વર્ષમાં સ્થિતિ સુધરશે તેવી આશા છે. - વિપુલભાઈ પટેલ, આયુષ એક્સપોર્ટ, ભાવનગર, એક્સપર્ટ ડિમાન્ડ નીકળી પણ ભાવનગર જિલ્લાને કોઈ ફાયદો નહીં !જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મુંબઈના નવેમ્બર માસના આંકડા મુજબ ક્રિસમસને લઈ નેચરલમાં 3 કરેટેથી વધારે સાઈઝના હીરા ઉપરાંત ફેન્સી નેચરલ કલર ડાયમંડની માંગ વધી છે. જોકે દર વર્ષની સરખામણીએ નીકળતી ડિમાન્ડ સામે ઓછી ડિમાન્ડથી ભાવનગરના હીરા ઉદ્યોગને કોઈ ફાયદો થયો નથી.
ભાસ્કર એક્સક્લુસિવ:મુંબઇમાં ‘મેસ્સી’એ કીક મરેલો ફૂટબોલ ધાણેટીના ‘મેસ્સી’એ કેચ કર્યો
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસે છે, તેના સાથે કે તેના ફૂટબોલ સાથે સેલ્ફી ક્લિક કરવા દિગ્ગજ નેતાઓથી લઈને સેલિબ્રિટીઓ બાકાત નથી. પરંતુ, નસીબ કોને કહેવાય તે ધાણેટીના યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે. ભુજ તાલુકાના ધાણેટી ગામમાં યુવાનોએ ફિફા વર્લ્ડકપ જોઈને ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી, ત્યાંના યુવાનો મેસ્સીને જોવા મુંબઈ પહોંચ્યા અને તેનો ક્લિક કરેલો ફૂટબોલ આ યુવાનોએ કેચ કર્યો. ધાણેટીના યુવાનોએ 2014માં ફિફા વર્લ્ડકપ જોઈ આવેલો વિચારને ફૂટબોલ ક્લબમાં બદલ્યો અને આજે આ ગામમાં પાકી નેટ અને 90 બાય 60નું મેદાન પણ છે. 2015માં પહેલીવાર કચ્છમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું ગ્રામ્ય કક્ષાએ આયોજન અહીં કરવામાં આવ્યું હતું અને આજે પણ દર ત્રણ મહિને આહીર ફૂટબોલ ક્લબ ઇન્ટર ધાણેટી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. જે દર્શાવે છે, નાનકડા ગામનો ફૂટબોલ પ્રેમ કેટલો મોટો છે ગામમાં છે, ઇંગ્લિશ ટીમોના નામ | આ ગામડાની ટીમોના નામ આંતરરાષ્ટ્રીય સ્તરના ટીમોના નામ પ્રમાણે છે અને ઓક્શન પદ્ધતિ પણ એ રીતે જ કરે છે. અહીં બનાવાયેલી ટીમોના નામ લા લિગા અને ઈંગ્લીશ પ્રીમિયર લીગથી પ્રેરિત હોય છે. ખાસ કરીને, બાર્સેલોના, રિયલ મેડ્રિડ, માન્ચેસ્ટર યુનાઇટેડ, માન્ચેસ્ટર સીટી સહિતની ટીમ છે. અહીંનો મહેશ પણ મેસ્સીના નામે જ ઓળખાય છે. અહીં બનાવાયેલી ટીમોના નામ લા લિગા અને ઈંગ્લીશ પ્રીમિયર લીગથી પ્રેરિત હોય છે. ખાસ કરીને, બાર્સેલોના, રિયલ મેડ્રિડ, માન્ચેસ્ટર યુનાઇટેડ, માન્ચેસ્ટર સીટી સહિતની ટીમ છે. અહીંનો મહેશ પણ મેસ્સીના નામે જ ઓળખાય છે. ‘ચાહકો મોં માંગી કિંમત આપવા તૈયાર હતા, અમે ફૂટબોલ ના આપ્યો’લિયોનેલ મેસ્સી તેના ભારત પ્રવાસે છે,એ જાણી અમે રોમાંચિત હતા. પણ સ્વપનમાં પણ ક્યારે ન હતું વિચાર્યું કે, મેસ્સીનો કીક મરેલો ફૂટબોલ અમારા સુધી પહોંચશે. ધાણેટીથી અમે મેસ્સીને જોવા દિલ્હી, કોલકત્તા અને મુંબઈ ત્રણેય વિકલ્પ રાખ્યા હતા. કોલકત્તાની મગજમારી જોઈ અમને થોડી બીક હતી, પણ અમે અંતે મુંબઈ ગયા. એક મોબાઈલ નંબરથી ચાર ટિકિટ બુક થતી હતી, એટલે અમને નીચે એકસાથે તમામ ટિકિટ ન મળી. એક ચારના ગ્રુપને નીચે મળી અમે સ્ટેડિયમમાં ઉપર હતા. મેસ્સીએ આઇકોનિક કીક મારી અને સીધો ફૂટબોલ અમારા પાસે આવતા જ અમે કેચ કરી લીધો. જેવો ફૂટબોલ અમને મળ્યો એટલે અમે તેને ચૂમી લીધો. ટીવીમાં લાઈવ ટેલિકાસ્ટમાં આ સમગ્ર ફૂટેજ જોઈ 200-300 લોકો અમને મળવા આવ્યા, કેટલાકે ફૂટબોલ મોં માંગી કિંમતે ખરીદવા ઓફર કરી, તો કેટલાક લોકોએ ફૂટબોલ સાથે સેલ્ફી ક્લિક કરવા હજારો રૂપિયાની ઓફર કરી અમે બધું નકાર્યું. અમે લોકોને નિઃશુલ્ક ફોટો ક્લિક કરવા દીધા. સ્ટેડિયમથી બહાર નીકળતા અમે ફૂટબોલને ચાર-પાંચ ટીશર્ટમાં વિંટાળી હોટેલ સુધી લઇ ગયા, કારણ કે અમૂલ્ય ખજાનો ચોરાઈ જવાનો અમને ડર હતો. આ ફૂટબોલને અમે ભુજ તાલુકાના ધાણેટીમાં આહીર ફૂટબોલ ક્લબમાં કાચમાં મઢીને રાખીશું. મારી સાથે અમારા ક્લ્બથી જોડાયેલ 12 જેટલા ફૂટબોલના ડાઇહાર્ડ ફેન ફ્લાઇટના માધ્યમથી મુંબઈ પહોંચ્યા હતા.”
6 વાર મુદ્દત વધારી:કોર્પો.ને ઇમ્પેકટ યોજનામાં 33.76 કરોડની આવક, વધુ 6 માસનો મુદ્દતમાં કરાયો વધારો
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ત્રણ વર્ષથી ઇમ્પેક્ટનો કાયદો અમલમાં મૂક્યો છે. જેમાં મુદ્દત પૂરી થતાં છ મહિના માટે અરજી માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે. અત્યાર સુધી ભાવનગર કોર્પોરેશનમાં ઇમ્પેક્ટ હેઠળ કુલ 5415 અરજીઓ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે આવેલી છે.33.76 કરોડ રૂપિયાની ઇમ્પેક્ટ હેઠળ આવક ભાવનગર કોર્પોરેશનને થઈ છે. ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં અનેક બાંધકામો મંજૂરી વગર મૂળ બાંધકામમાં વધારો કર્યો છે તો ઘણા બાંધકામોમાં પહેલેથી જ મંજૂરી વગરના ગેરકાયદેસર છે. તે પૈકી મંજૂરી મળી શકે તેવા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે સરકારે ગત 17 મી ઓક્ટોબર 2022 થી ઇમ્પેક્ટનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ શરૂઆતમાં જોઈએ તેટલો લોકોએ ઉત્સાહ નહીં દેખાડતા સમયાંતરે તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ થી છ વાર ઇમ્પેક્ટની સમય મર્યાદા વધારવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં તેની મુદત પૂર્ણ થતા ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવાના વટહુકમના અનુસંધાને 15મી ડિસેમ્બરના નોટિફિકેશનથી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવાની અરજીની સમય મર્યાદા 17મી ડિસેમ્બર 2025 થી છ મહિના એટલે કે 16 મી જુન 2026 સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને પદ્ધતિથી અરજદારો 16 મી જુન સુધી ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની અરજી કરી શકે છે. ભાવનગર કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ હસ્તક 17 મી ઓક્ટોબર 2022 થી અત્યાર સુધીમાં 5415 અરજીઓ બાંધકામોને કાયદેસર કરવા માટે આવી હતી. જે પૈકી 2290 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. અન્યની પૂર્તતા માટેની પ્રક્રિયા શરૂ છે. ઇમ્પેક્ટ હેઠળ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગને 33 કરોડ 76 લાખ રૂની આવક થઈ છે. પ્રજા માટે આગામી 6 મહિના ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની તક સરકાર દ્વારા આપી છે.
ભુજના કેપ્ટને 126 રન બનાવ્યા,3 વિકેટ લીધી:કેસીએ ભુજ અંડર 14 ટીમનો જામનગર રૂરલ સામે વિજય
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જીલ્લા અંડર- 14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની DPS ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે શરૂ થયેલી લીગ મેચમાં કેસીએ ભુજનો જામનગર રૂરલ ટીમ સામે પ્રથમ દાવની સરસાઇના પગલે વિજય થયો હતો. મેચનો આરંભ DPS ગાંધીધામના ડાયરેકટર ડૉ. સુબોધ થપલિયાલના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. ટોસ જીતીને જામનગર રૂરલએ કચ્છની ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. KCA ભુજની ટીમએ 6 વિકેટના ભોગે 90 ઓવરમાં 283 રન કર્યા હતા. જેમાં પ્લેયર ઓફ ધ મેચ કિર્તન કોટકના 126 રન, મોહમ્મદ અર્શ નોડેના 47 રન અને જૈનિક મંગેરિયાના 32 રન મુખ્ય હતા. જવાબમાં જામનગર રૂરલની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 69.5 ઓવરમાં માત્ર 134 રનમાં ઓલ આઉટ થઈ જતા તેને ફોલ-ઓન જાહેર કરવામાં આવી હતી. કચ્છ વતી બોલિંગમાં જયદીત્યસિંહ સોઢાએ 3 વિકેટ, કિર્તન કોટક અને જૈનિક મંગેરિયાએ 2-2 વિકેટ તેમજ વિશ્વજીતસિંહ જાડેજા અને અરહાન આરબએ 1-1 વિકેટ લીધી હતી. દિવસે ફોલોઓન બાદ બીજી ઇનિંગમાં જામનગર રૂરલ ટીમએ ર70 ઓવરમાં 5 વિકેટના નુકશાને 151 રન કર્યા હતા. કચ્છ તરફથી જયદીત્યસિંહ સોઢા, અરહાન આરબ, સૌમ્ય ઠક્કર અને કિર્તન કોટકને 1-1 વિકેટ મળી હતી. આમ જામનગર રૂરલ ટીમ પ્રથમ ઈનિંગમાં 149 રનથી પાછળ રહી જતાં KCA ભુજ ટીમને પ્રથમ ઇનિંગની સરસાઈના કારણે વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ચેકિંગ:અમૂલ દૂધ,છાશની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા 2 વેપારીને દંડ
ભાવનગર શહેર જિલ્લામાં જુદા જુદા વેપારીઓને ત્યાં ભાવનગર તોલમાપ કચેરીના અધિકારી, કર્મચારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 387 જેટલા વેપારીઓને ત્યાં નિરીક્ષણ હાથ ધરાયું હતું. તેમજ ચાલુ માસ દરમિયાન ચકાસણી પાત્ર વાર્ષિક તેમજ દ્વિવાર્ષિક ઇલેક્ટ્રીક તેમજ મીકેનીક વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી મુન્દ્રાકન ફી વસુલ કરવામાં આવી હતી. તેમજ શહેર અને જિલ્લામાં અમુલ દુધ, છાશની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા બે વેપારીઓ દંડાયા હતા. આ સિવાય પેટ્રોલપંપ, શાકભાજી, ફ્રુટના વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભાવનગર તોલમાપ વિભાગ કચેરી દ્વારા સમયાંતરે જુદા જુદા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી, નિરીક્ષણ કરવામાં આવતું હોય છે તેમજ ઇલેક્ટ્રીક અને મિકેનીક વજન માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરવામાં આવ્યું હતું. તોલમાપ કચેરી દ્વારા 387 જેટલા વેપારીઓને ત્યાં નિરક્ષણ હાથ ધરી, ઇલેક્ટ્રીક તેમજ મીકેનીક વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી ફી પેટે રૂા. 6,79,625 વસુલાયા હતા. તેમજ વજન માપ સાધનોની ખરાઇ માટે તારીખ પૂર્ણ થયા બાદ રજુ કરેલ વેપારીઓ પાસેથી લેટ ફી પેટે રૂા. 26320 વસુલાયા હતા. ઉપરાંત 759 વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી મુદ્રાંકન કરાયા હતા. માસ દરમિયાન પી.સી.આર.ના અને વજન માપના કુલ 11 કેસો કરી રૂા. 41,500નો દંડ વસુલાયો હતો. ઉપરાંત તોલમાપ કચેરી દ્વારા નિયત સમયમાં ચકાસણી મુદ્રાંકન ન કરનાર બે પેટ્રોલંપપને રૂા. 12,000નો દંડ તેમજ એક હોટલને રૂા. 10,000 અને ફ્રુટ અને શાકભાજીના છ ફેરીયાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી. અને અમુલ દુધ અને છાશની એમ.આર.પી. કિંમત કરતા વધુ ભાવ લેવા જણાઇ આવતા બંન્ને વેપારીઓને રૂા. 10,000નો દંડ ફટકારી કાર્યવાહી કરાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં દૂધ અને દહીંની કોથળી પર છાપેલી કિંમતથી થોડા વધુ ભાવો લેવાતા હોય છે.
વાતાવરણ:પવનની દિશા બદલતા ડિસેમ્બર મધ્યે રાતે તાપમાન વધીને 18 ડિગ્રી
આ વર્ષે ડિસેમ્બર માસ અડધો વીતી ગયો છે પણ ભાવનગર શહેરમાં કડકડતી ઠંડનો એક પણ તબક્કો આવ્યો નથી. લોકો હજી તીવ્ર કોલ્ડ વેવની રાહમાં છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં શહેરમાં રાતનું તાપમાન 2.8 ડિગ્રી વધી જતા ઠંડીની તી્વરતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ વખતે હજી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય ન થતા કોલ્ડ વેવનો અનુભવ ભાવનગરમાં થયો નથી. શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે શહેરમાં સામાન્ય કરતા રાતનું ઉષ્ણતામાન 3 ડીગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન પર પવનની દિશા મહત્ત્વની અસર કરે છે. જો ઉત્તર પૂર્વ એટલે કે ઇશાનના પવન ફૂંકાય તો ઠંડી વધે છે અને જો માત્ર પૂર્વ કે પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ તો ઠંડીની માત્રામાં ઘટાડો થવાની સાથે ગરમી વધે છે. આ સંજોગોમાં ભાવનગર શહેરમાં આજે સવારે 6 કિલોમીટરની ઝડપે અને સાંજના સમયે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા હતુ તે સાંજે ઘટીને 49 ટકા થઇ ગયુ હતુ. બરફવર્ષા કે વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતા કોલ્ડવેવ આવ્યો નથી. રાતના તાપમાનમાં વધારો તારીખ રાતનું તાપમાન 16 ડિસેમ્બર 18.0 ડિગ્રી સેન્ટીગ્રેડ 15 ડિસેમ્બર 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ 14 ડિસેમ્બર 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ગત વર્ષની તુલનામાં રાતે તાપમાન 5.8 ડિગ્રી વધુભાવનગર શહેરમાં બરફવર્ષાના સૂસવાટા મારતા પવનથી ગત વર્ષે 2025માં 16 ડિસેમ્બરે 12.2 ડિગ્રીએ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. જ્યારે આ વર્ષે 16મીએ લઘુત્તમ ઉષ્ણતામાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 16મી ડિસેમ્બરે રાતનું તાપમાન 5.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું છે.
કાર્યવાહી:દારૂના ખોટા કેસની ધમકી આપી ખંડણી માંગનાર બે ઇસમોને ઝડપી પડાયા
માધાપરના યુવાન વિરુદ્ધ અરજી કરી દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણી માંગ્યા બાદ 25 હજાર પડાવી લેનાર ભુજ અને નવી અંજારના બે ઈસમોને એલસીબીએ ઝડપી લીધા હતા.પોલીસે કેમ્પ એરિયામાં રહેતા આરોપીની અટકાયત કરી ત્યારે ઝપાઝપી કરતા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હાર્દિક ઉમેદગર ગુસાઈએ માધાપર પોલીસ મથકે આરોપી સલીમ મામદ કુંભાર અને નવી અંજારના ગુલામહુશેન ભાવનશા શેખ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 નવેમ્બરથી 15 ડીસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા ફરિયાદી વિરુદ્ધ અરજી કરી હતી.અને રૂપિયા 50 હજારની ખંડણી માંગી હતી. જે બાદ આરોપીઓએ રૂપિયા 25 હજાર મેળવી લઇ દર મહીને રૂપિયા આપવાનું કહ્યું હતું.જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી વિરુદ્ધ દારૂના ખોટા કેસ અને પાસાની કાર્યવાહી કરાવવાની ધમકી આપી હતી.જે ગુનામાં કેમ્પ એરીયાના આરોપી સલીમ મામદ કુંભારની પોલીસ ધરપકડ કરવા માટે ગઈ હતી.એ દરમિયાન આરોપીએ પોલીસકર્મીઓને ગાળો બોલી ઝપાઝપી કરી મુઢ ઈજાઓ પહોચાડી હતી.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એલસીબીએ બન્ને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી:સરકારી જમીન પર કરોડો રૂપિયાના ભાડા વસુલનારા શખ્સો સામે કાર્યવાહીના સંકેત
ભાવનગરના અલંગ અને મણાર ગામની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો પર રાજ્ય સરકારની નજર સ્થર થઇ અને નિર્ણય લેવાયો દબાણો હટાવવાનો, પરંતુ અહીં માત્ર દબાણો જ નહીં પરંતુ મોટામાથાના, રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ભેજાબાજો દ્વારા સરકારી જમીનો પર ખોલીઓ, ઓરડીઓ, દુકાનો, વ્યાવસાયિક શેડ ઉતારી અને તેના વર્ષોથી કરોડો રૂપિયાના ભાડા ઉઘરાવનાર શખ્સો સામે પણ કાર્યવાહીનો તખ્તો ઘડાઇ રહ્યો છે. તા.17થી તમામ દબાણો હટાવવા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે. લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તળાજા મામલતદાર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે. તળાજા પ્રાંત અધિકારી જે.આર.સોલંકીના જણાવ્યા અનુસાર, કુલ છ ટીમો બનાવવામાં આવી છે, અને 4 ટીમોમાં નાયબ મામલતદાર અને 2 રેવન્યુ તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 2 ટીમોને રીઝર્વ રાખવામાં આવી છે. પોલીસ તંત્રને સાથે રાખી કોઇપણ બિનઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રખાઈ છે. 63 હેક્ટર જમીન પરના દબાણો હટાવવામાં આવશે અને તેમાં શેહ-શરમ કે દબાણ ચલાવી લેવાશે નહીં. સરકારની સીધી નજર છે ડિમોલિશન પરઅલંગ અને મણાર ગામની સરકારી, ગૌચર જમીનો પર વર્ષોથી દબાણ કરવામાં આવેલા હતા હવે તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ મેગા ડિમોલિશન પર સરકાર દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે. તંત્રને કોઇની શેહ-શરમ નહીં રાખવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
કાર્યવાહી:ખાવડા આરઈ પાર્કમાંથી 80 હજારના કોપર કેબલ ચોરનાર પકડી પડાયો
ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાંથી પવનચક્કી નજીક પડેલા રૂપિયા 80 હજારની કિંમતના કોપર કેબલ ચોરી કરી સ્કોર્પિયો કારમાં ભુજ વેચવા માટે આવી રહેલા મુળ રાજસ્થાનના શખ્સને એલસીબીએ ઝડપી લીધા બાદ અન્ય એકનું નામ સામે આવતા તેને પણ ઉઠાવી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ મિલકત સબંધી ગુના શોધવા માટે પ્રયત્નશીલ હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,સફેદ કલરની સ્કોર્પિયો કાર નંબર આરજે 01 યુએ 6950 વાળીમાં ચોરાઉ કોપર કેબલ ભરી પાલારા જેલ તરફથી ભુજમાં સગેવગે કરવા આરોપી આવી રહ્યો છે.બાતમીને આધારે વોચમાં રહેતા સ્કોર્પિયો કાર લઇને આવેલા આરોપી કિશન રામનિવાસ ટેલરને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા 80 હજારની કિંમતનો 200 કિલો કોપર વાયર મળી આવ્યો હતો.જેના આરોપી પાસે આધાર પુરાવા ન હતા.આરોપીની પૂછપરછ કરતા પોતે અને ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવે સાથે મળી પવનચક્કી પાસે પડેલા વાયરની ચોરી કરી હતી અને ભુજમાં વેચવા માટે લઇ જતો હતો.એલસીબીએ માંડવી ઓકટ્રોય ચાની કીટલી નજીકથી ગુનામાં સંડોવાયેલા આરોપી ઘનશ્યામ વૈષ્ણવને પણ ઝડપી લીધો હતો.પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આયોજન:પાડલીયામાં આદિવાસી આવાસો હટાવવાના વિરોધમાં કિસાન સભા
અંબાજી મુકામે પાડલીયા ગામમાં આદિવાસીઓ રહેઠાણ હટાવવાની કામગીરી થઈ છે તેનો કિસાન સભાની રાજ્ય સમિતિ રાજ્યપાલને આવેદનપત્ર આપવા નક્કી કરેલ છે. આદિવાસીઓને જંગલ જમીનમાંથી હટાવવા વૃક્ષારોપણ બહાનું છે પોલીસ ખાતા અને જંગલ ખાતાનો જુલ્મ બંધ કરો તેવા નારા સાથે કિસાન સભા યોજાશે. અંબાજી નજીક પાડલીયા ગામમાં જંગલ જમીન ઉપર રહેઠાણ બનાવી રહેતા વર્ષોથી જંગલ જમીનનો કબજો ધરાવતા આદિવાસી પરિવારોને હટાવવા જંગલ ખાતાએ પોલીસ દળના રક્ષણ નીચે વૃક્ષારોપણ કામગીરીની કાર્યવાહીથી આદિવાસી પરિવારોની કાર્યવાહી થઈ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોના ભંગ સમાન છે આદિવાસીઓ ને જંગલ જમીનના કાયદાથી મળેલ અધિકારો આપવાની ગુજરાત સરકારે નામ માત્ર કામગીરી કરેલ છે તેનાથી બહુમતી આદિવાસીઓને અન્યાય થયો છે. જંગલ જમીનના કાયદાઓ મુજબ કબજાઓ કાયમી કરવા માગેલી અરજીઓ માંથી 90 ટકા અરજીઓના મંજૂર કરેલ છે. ગુજરાત કિસાન સભાની આજે મળેલી રાજ્ય સમિતિની મીટીંગમાં ઘટનાની વિગતો અંગે તપાસ કરતા આ આદિવાસી જનતાના અન્યાયને દૂર થવો જોઈએ આ અંગે ગુજરાતના રાજ્યપાલને ગુજરાત કિસાન સભા તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી માંગ કરશે કે રાજ્ય સરકાર આદિવાસીઓના અધિકાર અંગે વહેલાસર પગલાંઓ લઈ આદિવાસીઓની માંગ મુજબ જંગલ જમીનમાં રહેઠાણ અને ખેતીની જમીનના હકોને કાયમી કરવા દરમિયાનગીરી કરવાની રજૂઆત કરશે ગુજરાત કિસાન સભાનું પ્રતિનિધિ મંડળ પાડલીયા ગામની રૂબરૂ મુલાકાત લેશે તેમ કિસાન સભાના ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતુ. જં
દરોડો:PGVCLના ચેકિંગમાં 62 ગ્રાહકોને રૂપિયા 21.69 લાખનો દંડ ફટકારાયો
ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ કચેરી નીચેના વિસ્તારોમાં કોર્પોરેટ ટીમોના સતત બીજા દિવસે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ.ના પાલિતાણા ડિવિઝનમાં આવતા તળાજા અને પાલિતાણા તાલુકાના તળાજા-1, તળાજા-2, પીથલપુર અને ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના તળાજા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ ચોરીમાં પકડાયેલા કુલ 62 ગ્રાહકોને રૂ.21.69 લાખનો દંડ ફટકારાયો છે. પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટ અને સ્થાનિક મળી કુલ 31 ટીમોના કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં તળાજા-1, તળાજા-2 અને પીથલપુર સબ ડિવિઝન નીચેના તળાજા શહેર ઉપરાંત નાની બાબરીયાત, ટીમાણા, દકાના અને સખવદર ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકી તેમજ વાણિજ્ય શ્રેણીના વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. પાલિતાણા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં તળાજા પંથક ઉપરાંત પાલિતાણા તાલુકાના ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના સેંજળીયા અને મોખડકા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકી અને વાણિજ્ય શ્રેણીના વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. તળાજા અને પાલિતાણા તાલુકામાં વીજ ચેકિંગના દરોડામાં PGVCLના 93 કર્મચારીઓની કાર્યવાહીથી વીજ ચોરોમાં ભય ફેલાયો હતો. 60 રહેણાંકી, 2 વાણિજ્ય ગ્રાહકો ઝપટે ચડયાભાવનગર જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ ડ્રાઈવમાં તળાજા અને પાલિતાણા પંથકમાં તળાજા શહેર ઉપરાંત નાની બાબરીયાત, ટીમાણા, દકાના, સખવદર, સેંજળીયા અને મોખડકા ગામમાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. વીજ ચેકિંગમાં 192 રહેણાંકી અને 6 વાણિજ્ય શ્રેણીના જોડાણ મળી કુલ 198 વીજ જોડાણની તપાસમાં 60 રહેણાંકી અને 2 વાણિજ્ય શ્રેણીના ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. વીજળીના વીજ લોસવાળા ફિડરોમાં ચેકિંગપાલિતાણા ડિવિઝનમાં વીજ ચેકિંગ કાર્યવાહીમાં વીજળીના વીજ લોસવાળા ફિડરોમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 11 કે.વી.ના માખણિયા જ્યોર્તિગ્રામ, તળાજા અર્બન, ગંગોત્રી જ્યોર્તિગ્રામ અને લીલવણ જ્યોર્તિગ્રામમાં આવતા રહેણાંકી અને વાણિજ્ય શ્રેણીના ગ્રાહકોના જોડાણની તપાસ કરવામાં આવી હતી. - જે.સી.ગૌસ્વામી, એક્ઝિ.એન્જિનિયર, PGVCL પાલિતાણા ડિવિઝન, એક્સપર્ટ
શિક્ષણ:ગુજકેટમાં 30મી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. આ કસોટી માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ફોર્મ ભરવાની તારીખ 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી રાખવામાં આવી છે. ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ-2026ની ઓનલાઈન નોંધણી આજથી શરૂ થઇ ગઇ છે. ધોરણ 12 સાયન્સ એ, બી અને એબી ગ્રૂપના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પરથી અરજી કરી શકાશે. જેમાં પરીક્ષાની ફી 350 રૂપિયા રહેશે. એસબીઆઇ પે સિસ્ટમ મારફત ઓનલાઇન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા અથવા એસબીઆઇના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઇ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયો છે અને ncert આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટ પરીક્ષા લેવાશે. ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી આપવી ફરજીયાત કરવામાં આવી છે. 6 વર્ષમાં સંખ્યા 20 હજાર વધી વર્ષ રજીસ્ટ્રેશન પરીક્ષા આપનાર 2025 1,29,912 1,26,197 2024 1,38,080 1,34,506 2023 1,30,788 1,26,605 2022 1,08,154 1,04,464 2021 1,17,932 1,13,202 2020 1,27,625 1,06,164 ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત ગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત લેવામાં આવશે આ બંને માટે 120 મિનિટ ફાળવાશે અને ભૌતિક વિજ્ઞાનના 40 અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે આ બંનેના 40-40 મળીને 80 ગુણ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 પ્રશ્નો માટે 40 ગુણ હશે અને તેના માટે 60 મિનિટ અપાશે અને ગણિતના પ્રશ્નપત્રમાં પણ 40 ગુણ હશે અને તેના 40 પ્રશ્નોના જવાબ લખવા માટે 60 મિનિટ અપાશે. ત્રણ માધ્યમમાં ગુજકેટ લેવામાં આવશેભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફીઝિક્સ અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના હશે ઓએમઆર શીટમાં પણ 80 પ્રત્યુતર આપી શકો તે મુજબની રહેશે અને તે માટે બે કલાક ફાળવાશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની OMR આન્સરશીટ અલગ અલગ અપાશે. OMR શીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતરની રહેશે. ગુજકેટ પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમોમાં અપાશે.
ભાસ્કર ઈનસાઈડ:ચૂંટણીની અસર, 5058 કરોડ માફ કરાવવા નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
જૂથબંધી માટે પંકાયેલા વડોદરાના નેતાઓએ એક થઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી સમક્ષ પાલિકાના માથે ચઢેલું પાનમ યોજનાનું 5058 કરોડનું દેવું માફ કરવા રાવ કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ રસ્તો કાઢીશું, તેવો પ્રતિભાવ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીએ ચૂંટણી આવી છે સાથે કામ કરો, તેવી ટકોર કરી હતી. તમામ ધારાસભ્યો, પાલિકાના 5 અદાધિકારી સાથે મ્યુ. કમિશનર મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચ્યા હતા. જેમાં એક ધારાસભ્યે આગેવાની લઈ તમામ નેતાઓને બોલાવ્યા હતા. જ્યારે ન્યાયમંદિર,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતનાં કામો અંગે મુખ્યમંત્રી,ના. મુખ્યમંત્રીએ પ્રત્યુત્તર ન આપ્યો હોવાની માહિતી મળી છે. પાલિકાના માથે પાનમનું દેવું, મુખ્યમંત્રીએ કહ્યું, રસ્તો કાઢીશું2007-08માં સરકારે 900 કરોડનું બિલ મોકલ્યું હતું અને તેમાં વ્યાજ વધી બિલ 5058 કરોડ થયું છે. જે માફ કરાવવા નેતાઓ એક થયા છે. જોકે હમણાં આ વિવાદને કેમ ઉઠાવ્યો તે બાબતે સાથી ધારાસભ્યો માથું ખંજવાળે છે. જાણકારોનું માનવું છે કે વિવાદનો ઉકેલ આવે તો પાલિકાની ચૂંટણીમાં ભાજપની સ્થાનિક નેતાગીરી તનો લાભ લેવાનો પ્રયાસ કરશે તે નક્કી છે.
કાર્યવાહી:સગીર કાર ચાલકને ઓબ્ઝર્વેશન હોમ અને પિતાને ભાવનગર જેલમાં ધકેલાયા
ભાવનગર શહેરના અક્ષરવાડી વિસ્તારમાં ભાડે કાર લઇ અકસ્માત સર્જી મહિલાનું મૃત્યુ નિપજાવનાર સગીર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી અને આ ગંભીર બેદરકારી બદલ પોલીસે સગીરના પિતા અને કાર આપનાર કાર માલિકની વિરૂદ્ધ પણ હિટ એન્ડ રનની કલમો ઉમેરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પગલે પોલીસે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમ, સગીરના પિતાની ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો છે. ત્યારે કાર માલિક ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા બે મહિલાઓ થોડાક દિવસ અગાઉ મોડી રાત્રે જમીને અક્ષરવાડી મંદિર પાસેથી ચાલીને પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન એક સગીર કાર ચાલક તેના મિત્રને બેસાડી, પુરપાટ ઝડપે કાર લઇને પસાર થયો હતો જે દરમિયાન જ સગીર કાર ચાલકે ચાલીને જતા બે મહિલાઓ પૈકી સોનલબેન તેમજ એક સ્કુટી ચાલક યુવતી સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં સોનલબેનનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સ્કુટી ચાલક યુવતી ગંભીર રીતે ઇજગ્રસ્ત થઇ હતી. જે અકસ્માત બાદ નિલમબાગ પોલીસની તપાસમાં નિષ્ક્રિયતા સામે આવતા મૃતકના પરિવારજનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવતા પોલીસની આંખ ઉઘડી હતી. નિલમબાગ પોલીસ દ્વારા સગીરની ધરપકડ કરી, સગીરના ચંદ્રસિંહ જીણકુભા જાડેજા અને ગેરકાયદેસર રીતે કાર ભાડે આપનાર કાર માલિક શક્તિસિંહ જાડેજા વિરૂદ્ધ પણ હિટ એન્ડ રનની ગંભીર કલમનો ઉમેરો કર્યો હતો. જે મામલે સગીરના પિતા ચંદ્રસિંહ જીણકુભા જાડેજાની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે. તેમજ કાર માલિક શક્તિસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરાઇ છે.
ગોરવામાં રહેતી મહિલા કંડક્ટરનો વિટકોસના ડ્રાઈવર સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ડ્રાઈવરનો અન્ય યુવતી સાથે પણ સંબંધ હોવાની જાણ થતાં કંડક્ટરે સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદ ડ્રાઈવર પરેશાન કરતો હતો અને મહિલા કંડક્ટરની જ્યાં ડ્યૂટી હોય તે બસમાં પહોંચી જતો હતો. જેથી કંટાળીને મહિલાએ અભયમની સહાય લેતાં ટીમે ડ્રાઈવરનું કાઉન્સેલિંગ કરીને મહિલાથી દૂર રહેવા માટે સમજ આપી હતી. જીએસઆરટીસીમાં કંડક્ટર તરીકે નોકરી કરતાં નેહાબેન (નામ બદલ્યું છે) થોડાં વર્ષો પહેલાં રાહુલના સંપર્કમાં આવ્યાં હતાં. રાહુલ વડોદરા વિટકોસ સિટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે એક વર્ષ પહેલાં નેહાને જાણ થઈ હતી કે, રાહુલનો અન્ય યુવતી સાથે પણ સંબંધ છે. જેથી નેહાએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યા હતા અને મોબાઈલમાં રાહુલનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ રાહુલ નેહાને પરેશાન કરવા લાગ્યો હતો. નેહાની જે બસમાં નોકરી હોય તેમાં જઈને તેને પરેશાન કરતો હતો. નેહાની કઈ બસમાં ડ્યૂટી છે તે ઓનલાઈન અથવા તો બસ ડેપોના મિત્ર દ્વારા જાણકારી મેળવી લઈને રાહુલ તે બસમાં જતો રહેતો હતો. બીજી તરફ નેહા નોકરી પરથી રજા પણ નહોતી લઈ શકતી, કારણ કે તેની અવેજમાં કોઈ અન્ય કંડક્ટર નહોતો. ઘણા સમયથી રાહુલ નેહાને પરેશાન કરતો હતો. ઉપરાંત તે નેહાને ધમકી આપતો હતો કે, તું અન્ય સાથે લગ્ન કરીશ તો તારા ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. જેને કારણે નેહાએ છેવટે અભયમની સહાય લીધી હતી. અભયમની ટીમ બસ ડેપો પર પહોંચી હતી અને રાહુલનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે, મહિલાને પરેશાન કરવી તે કાયદાકીય ગુનો છે. જેથી ડ્રાઈવરે ખાત્રી આપી કે, હવે હેરાનગતિ નહીં કરું. મહિલાએ લોન લઈને મોપેડ લઈ આપ્યું હતુંમહિલાએ લોન લઈને મોપેડ લઈ આપ્યું હતું, જે અભયમે પરત અપાવ્યું નેહા અને રાહુલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે નેહાએ તેના નામ પર લોન લઈને રાહુલને મોપેડ લઈ આપ્યું હતું. જેના હપ્તા પણ નેહા જ ભરતી હતી. નેહાએ આ વિશે અભયમને જાણ કરી હતી. જેથી અભયમે રાહુલ પાસેથી મોપેડ પરત અપાવ્યું હતું.
મેગા ડિમોલેશન:હાઇવેના કામમાં લોલમલોલનો આ રહયો પુરાવો
વલભીપુરથી પસાર થતો ભાવનગર અમદાવાદ હાઇવે જે વલભીપુરથી બરવાળા સુધી 30 કિ.મી.જેટલો છે અને આ 30 કિ.મી.હાઇવે વચ્ચે આવતા નદી નાળા ઉંચા કરવાનું કામમંથર ગતિએ ચાલે છે તેના કારણે કટકે કટકે વલભીપુરથી મુળધરાઇ સુધીના હાઇવેને ફોરલેન બનાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ફોરલેન હાઇવેના નવીનીકરણનું કામ જયારે શરૂ હતું ત્યારે જ નબળા કામ અંગેની વ્યાપક ફરીયાદો ખુદ શાસક ભા.જ.પ.ના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી 8 થી 9 કિ.મી. ફોરલેન હાઇવે નવો કરવામાં આવ્યાને એક વર્ષ પણ નથી થયું ત્યાં તો ઠેર ઠેર ગાબડાઓ પડવા લાગ્યા છે.લીમડાના ઢાળ પાસે બનાવેલ પુલ ઉપરના લોખંડના સળીયાઓ બહાર નીકળી ગયા હતાં તે નબળા કામને ઢાક પીછાડો કરીને ફરી સીમેન્ટ કોક્રીંટ કરીને ગેરરીતિ દબાવી દીધી હોય તેમ ત્યાં લીમડાના ઢાળથી નવાગામના ઢાળ સુધી હાઇવે પર મસમોટા ખાડાઓ પડવા લાગ્યા છે.હવે આ હાઇવે કેટલા વર્ષ અને કેવો રહેશે તે એક સવાલ છે.
માગ:સિહોરમાં ઉથરેટીમાં કચરો સળગાવાનું બંધ ન કરાતા પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત
હજુ થોડા દિવસો પહેલા વિપક્ષ દ્વારા ઉથરેટીની જગ્યામાં પ્લાસ્ટિક કચરો સળગાવવાની બેદરકારી ખુલ્લી પાડ્યા બાદ પણ હજુ સ્થિતિમાં સુધાર ન આવતા વિપક્ષ દ્વારા પ્રદુષણ બોર્ડ તેમજ પ્રાદેશિક કમિશ્નરમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વિપક્ષનેતાએ પ્રદૂષણ બોર્ડમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ કરેલ જેને લઈને પ્રદૂષણ બોર્ડ દ્વારા સિહોર નગરપાલિકાને નોટિસ પણ આપવામાં આવેલ. તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવ્યા વગર હજી પણ કચરો સળગાવવાનું શરૂ જ છે. વળી વિપક્ષ નેતાએ અગાઉના લેગસી વેસ્ટના કામમાં ગેરરીતિ થઇ હોય જે અંગે વિજિલન્સ તપાસની માંગણી કરેલ હોય તેમજ ગત સાધારણ સભામાં પણ હાલની સ્થિતિ અંગે પંચરોજકામ કરવાનું સર્વાનુમતે ઠરાવ થયા બાદ પંચરોજકામ થાય એ પહેલાં આ કચરો સળગાવીને ગત પુરાવાઓનો નાશ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હોવાનો વિપક્ષએ આક્ષેપ કર્યો હતો. જોવાનું એ રહ્યું કે હવે ઉચ્ચ અધિકારીના આદેશનું પાલન થાય છે કે કેમ? ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના કેમિકલથી પણ ખતરોઉથરેટીની જગ્યાના સ્થળે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનું કેમિકલ મોટા પ્રમાણમાં હોય ગમે ત્યારે બ્લાસ્ટ થઈ મોટી દુર્ઘટના બનવા પણ સંભવ હોય આ અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી જવાબદારો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ વિપક્ષ દ્વારા પ્રદેશિક કમિશ્નર રજુઆત કરવામાં આવી છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ:પોલીસ સ્ટેશનના શૌચાલયમાં દારૂની પોટલીઓ,ગંદકી અને હેલ્પ ડેસ્ક બંધ
સાહિલ પંડ્યાકેન્દ્રીય ગૃહ મંત્રાલયની બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમે 14 દિવસ પૂર્વે 9 પોલીસ મથકનો સરવે કર્યો હતો. પોલીસને મળતાં ફંડનો ઉપયોગ, લોકો સાથેનું વર્તન, સ્વચ્છતા સહિતના મુદ્દે સરવે કરાય છે. તે પછી દેશનાં તમામ પોલીસ સ્ટેશનમાંથી શ્રેષ્ઠનું રેન્કિંગ બહાર પડાશે.ભાસ્કરે 4 પોલીસ મથકમાં પેરેલલ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં ગંદકી, શૌચાલયની બારીમાં દારૂની પોટલીઓ, મહિલા હેલ્પ ડેસ્ક બંધ જોવા મળ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. નવાપુરા પોલીસ સ્ટેશન: પરિસરમાં કામગીરી ચાલે છે. પોલીસે કબ્જે કરેલાં વાહનોની સ્થિતિ ખૂબ ખરાબ છે. આ વાહનોને એકબીજાની ઉપર ચડાવી દેવામાં આવ્યાં હોવાનું જોવા મળ્યું હતું. કારેલીબાગ પોલીસ }કારેલીબાગ પોલીસ મથકના પુરુષ શૌચાલયની બારીમાં દારૂની પોટલીઓ જોવા મળી. } પરિસરમાં ગુટકાની પિચકારીઓ હતી. પીવાના પાણી માટેની કેબિન જ ધૂળ ખાતું હતું. આ પોલીસ સ્ટેશનમાં સરવે કરાયો હતો } વાડી પોલીસ સ્ટેશન } નવાપુરા પોલીસ સ્ટેશન } જવાહરનગર પોલીસ સ્ટેશન } નંદેસરી પોલીસ સ્ટેશન } બાપોદ પોલીસ સ્ટેશન } સિટી પોલીસ સ્ટેશન } કારેલીબાગ પોલીસ સ્ટેશન } રાવપુરા પોલીસ સ્ટેશન } અકોટા પોલીસ સ્ટેશન સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, શહેરનાં 12 પોલીસ સ્ટેશનમાં સેન્ટ્રલની ટીમ સરવે કરવાની હતી. જોકે 3 પોલીસ સ્ટેશનના પીઆઈએ સરવે માટે ઈન્કાર કરી દીધો હતો. જેથી શહેરનાં 9 પોલીસ સ્ટેશનનો જ સરવે કરવામાં આવ્યો હતો. પીઆઈ દ્વારા આ સરવે કેન્સલ કેમ કરવામાં આવ્યો તે પણ તપાસનો વિષય ૌ
કાર્યવાહી:તળાજા તાલુકાના અંતરિયાળ ગામડામાં બનતા રોડના કામમાં ગેરરીતિની ફરિયાદ
ગામડાના રસ્તા માંડમ 7-8 વર્ષે ફરીવાર બને, શહેરમાં ત્રણ વર્ષમાં સારા રસ્તા પણ તરત ફરી વાર બને, કારણ ? ત્યાં બધાની નજર હોય, બાકી ગામડામાં તો કોઇ નાગરિક કે નેતા ધ્યાન દોરે તો પગલાં ભરવા હોય તો જ ભરાય બાકી રામ ભરોસે, હમણાજ બેલાથી ચૂડી સુધી ત્રણ કિલોમીટરનો રોડ બન્યો અને ચૂડીથી વડલી બસ સ્ટેશન સુધીનો દોઢ કિલોમીટરનો રોડ બન્યો, આ બંને રોડમાં આછો આછો પેવર કરવામા આવ્યો પણ પેવર કર્યા પછી રોડ માથેથી માટી સાફ કરી મશીન વડે ડામરનો સ્પ્રે કરવામા આવે તે બેમાંથી ઍક પણ રોડ ઉપર કરવામા આવ્યો નથી જેના કારણે બેલાવાળો રોડ ત્રણ જ મહિનામાં જવા લાગ્યો છે જ્યારે ચૂડી ગામનો રોડ બન્યો તેને પંદર દિવસ થયા ત્યાં કપચી દેખાવા લાગી, નીચે માલ નબળો છે અને ઉપરથી ડામર સ્પ્રે નહિ આવતાં વાહનના વીલ અને કાકરી દળાતા તરત રોડ વિખવા લાગે છે. ચૂડીનાં રોડમા સાઈડ માટીકામ બાકી છે તો તાત્કાલિક આ બંને રોડ ઉપર ડામર સ્પ્રે કરાવી કામ સારું અને ઝડપી કરાવવા આવે તેવી જનતાની માંગ છે. આ બંને કામ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ સોસીયા એજન્સી દ્વારા કરવામાં આવી રહયું છે અને કામ પૂરું થયા પછી તેને ટાઇમ મળે ત્યારે કામની વિગતનું બોર્ડ લગાવે તેનાં કરતા કામ શરૂ કરતા પેલા સંપૂર્ણ વિગતોનું બોર્ડ મારવાનું ફરજિયાત કરાય તો જનતા અને સ્થાનિક નેતા કે પંચાયતને ખબર પડે.
કામગીરી:વલભીપુર શહેર અને તાલુકામાં વિકાસના કામો ફટાફટ શરૂ થયા
વલભીપુર શહેર અને તાલુકામાં વિકાસના કામોના લોકાપર્ણ અને ખાત મુર્હૂતઓ ભારે ગતિ પકડી છે શહેર અને ગ્રામ્ય પંથકોમાં રોડ,કોઝવે નવા પુલો સહિતના કામોના મંડાણ શરૂ થઇ ગયા છે. વલભીપુર શહેરમાં નગરપાલીકાની સામાન્ય ચુંટણીને હવે સત્તાવાર રીતે બે મહિના રહ્યાં છે આ રીતે તાલુકા પંચાયતની સમય અવધી પણ પૂર્ણ થવા આવી છે. જો સર ના કારણે નવી મતદાર યાદી મુજબ સ્થાનીક સ્વરાજની ચુંટણી યોજવાનું આયોજન રાજય ચુંટણી પંચ નક્કી કરશે તો સંભવીત રીતે માર્ચ-એપ્રીલ મહિનામાં ચુંટણીની તારીખો જાહેર થઇ શકે છે ચુંટણી ભલે ગમે ત્યારે યોજાય પરંતુ તેની અસરના કારણે હાલ વલભીપુર શહેરજનો અને ગ્રામ્ય પંથકના ગ્રામજનોને વિકાસના કામોનો લાભ મળવાનું શરૂ થઇ ગયું છે. શહેરમાં નવા સી.સી.રોડ બ્યુટીફીકેશન માટે નવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, ગટરના કામો પુરજોશમાં શરૂ થઇ ગયા છે. મતદારોને ચૂંટણીમાં મોઢુ દેખાડી શકવાનો પ્રયાસ !ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે ગામોમાં રસ્તાઓ,કોઝવે અને પીવાના પાણી માટેની પાઇપ લાઇનો,ડામર રોડનું રીકાર્પેટીંગ કામ અલગ અલગ ગામાએ શરૂ થઇ ગયું છે. તો અમુક ગામોમાં ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડીયાના હસ્તે ખાત મુર્હૂતો થયા છે.સ્થાનીક સ્વરાજની ચુંટણી ગમે ત્યારે આવી પડે તો મતદારોને મોઢુ દેખાડી શકાય તેવો માહોલ ઉભો થયો છે.
ગુજરાતના કંઠાળ વિસ્તારના વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. અગાઉ પ્રવાસન વર્ષ નિમિત્તે મહુવા બંદરના વિકાસની વાતો જાહેર થઇ આજ સુધી મહુવા બંદરનો કોઇ વિકાસ થયો નથી.100 ટકા નિકાસલક્ષી ઉદ્યોગો ધરાવતુ મહુવા બંદરના વિકાસની આશા વર્ષોથી રાખી રહ્યુ છે. મહુવા-મુંબઇ વચ્ચે દરીયાઇ અંતર 210 નોટીકલ માઇલ આસપાસ છે અને મહુવા-સુરતનું દરીયાઇ અંતર 115 નોટીકલ માઇલ આસપાસ છે. આથી કિ.મી.ની દ્રષ્ટિએ મહુવા-મુંબઇ દરીયાઇ માર્ગે 215 કિ.મી. અને સુરત 175 કિ.મી.ની આસપાસ થતુ હોય મહુવા-સુરત-મુંબઇ વચ્ચે દરીયાઇ વાહન વ્યવહાર શરૂ થાય તેવી પણ અપેક્ષા છે બંદરોને જોડતી રેલ્વે લાઇનના ભાવી આયોજનમાં મહુવાનો સમાવેશ થયેલો છે. જો રેલ્વેનું આયોજન અમલમાં આવે તે પહેલા મહુવા બંદરનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. બંદરના વિકાસ માટે એક રૂપિયો પણ ખર્ચાયો નથી!આયોજન પંચ દ્વારા ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારા ઉપર આવેલ 17 બીચ પસંદ કરી ગુજરાતના કંઠાળ પ્રવાસનનો વિકાસ કરવા 1200 કરોડનું ભંડોળ મંજુર કર્યુ હતું આથી મહુવા બંદરનો વિકાસ કરવાની માંગ પ્રબળ બની હતી.પણ મહુવા બંદરના વિકાસ માટે એક પણ કાવડીયું હજુ સુધી ખર્ચાણું નથી!
ગત ઓક્ટોબરમાં શરૂ થયેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની કામગીરીમાં પાલિકાના 1125 કર્મીઓ રોકાતાં પાણી, ડ્રેનેજ અને રોડ સહિત લોક સુવિધાનાં કામો ઘોંચમાં પડ્યાં છે. વિકાસનાં કામોમાં નાણાકીય સમર્થન, ટેન્ડરિંગ પ્રક્રિયા અને બજેટની તૈયારીનાં કામોને પણ અસર થઈ છે. સાથે વિવિધ ઝોન અને વોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટનાં કામો પણ અટવાયાં છે. પાલિકાના સિનિયર ક્લાર્ક, ક્લાર્ક, મલ્ટિપર્પઝ વર્કર, મહિલા હેલ્થ વર્કર સહિત 1125 કર્મી દોઢ મહિનાથી SIRના કામમાં રોકાયાં છે. જેથી પાલિકામાં વિકાસનાં કામોની ગતિ ધીમી પડી છે. પાલિકાની ચૂંટણી યોજવાની શક્યતા વચ્ચે કાઉન્સિલરો આપેલાં સૂચનોને આધારે પાણી, ડ્રેનેજ અને રોડ સહિતનાં પાયાની સુવિધાનાં કામોમાં નાણાકીય સમર્થનની નોંધ, ખર્ચની નોંધ તેમજ આકારણી અને ફરિયાદની અરજીનો નિકાલ અટવાયો હતો. જોકે દોઢ મહિના બાદ સોમવારે તમામ 1125 કર્મીને કામમાંથી મુક્તિ આપતાં 1 મહિનાથી અટવાયેલી કામગીરી શરૂ થશે. આકારણી વિભાગ } વેરાની વસૂલાતની કામગીરી રોકાઈ } નામ ફેર, વેરાની વાંધા અરજી, નવી આકારણી આંકવાની કામગીરીમાં વિલંબ } આકારણીમાં સુધારા અટવાયા એકાઉન્ટ વિભાગ } 22 ક્લાર્કની ગેરહાજરીથી વિકાસનાં કામોના નાણાકીય સમર્થનની કામગીરીમાં વિલંબ } નાણાકીય સમર્થનની નોંધ ન કરાતી હોવાથી ટેન્ડરિંગ પ્રક્રિયા અટવાઈ } વિકાસનાં કામોનાં બિલનાં ચુકવણાં રોકાયાં રોડ-પાણી-ડ્રેનેજ } ઝોન અને દરેક વોર્ડના 10થી કર્મચારીઓની ગેરહાજરીથી વાર્ષિક કોન્ટ્રાક્ટનાં કામોમાં 15થી 20 દિવસનો વિલંબ }ટેક્નિકલ કામની ફાઈલો રોકાતાં કામો શરૂ ન થયાં પાણી પુરવઠા અને ઓડિટના 20 અધિકારી અને કર્મીઓને એસઆઇઆર માટે ઓર્ડર અપાયાપાલિકામાં પહેલેથી જ મહેકમ ઓછું છે અને સ્ટાફના અભાવે કામોમાં વિલંબ થતો હોવાની ફરિયાદો વાંરવાર ઊઠતી હોય છે. તેવામાં પાલિકાના 1125 કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી બીએલઓની કામગીરીમાં રોકાયા હતા. આખરે સોમવારે તેઓને કામગીરીમાંથી મુક્ત કરાયા છે ત્યારે હવે પાણી પુરવઠા સહિતના વિભાગના ઇજનેરો તથા ઓડિટ વિભાગના સ્ટાફને SIRની કામગીરી માટેના ઓર્ડર કરાયા છે.
હિમાલય ક્ષેત્રમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લીધે ઠંડીની તીવ્રતા પણ વધી રહી છે. જ્યારે 15મી ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ 17મીના રોજ અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય ક્ષેત્રમાં આવી રહ્યું છે. આમ આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચેના ગેપમાં ઉત્તરના ઠંડા પવનો વડોદરા સુધી પહોંચતાં શહેર મંગળવારે ઠંડુગાર બની ગયું હતું. 11.8 ડિગ્રી સાથે મંગળવારે ડિસેમ્બર મહિનાનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. શહેરમાં મંગળવારે વહેલી સવારે ઠંડીની સાથે ખુલ્લા વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. જ્યારે વિઝિબિલિટી પણ 500 મીટરથી ઓછી નોંધાઈ હતી. એકાએક ઠંડી વધતાં લોકોને સ્વેટર સહિત ગરમ કપડાં પહેરવાં પડ્યાં હતાં. જ્યારે લોકોએ તડકો શેકીને ઠંડી દૂર કરી હતી. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 11.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગામી 3 દિવસમાં પારો 16 ડિગ્રી જવાની શક્યતા છે. ડિસેમ્બર-2024માં પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો 2021 10.4 ડિગ્રી (22 ડિસેમ્બર) 2022 10.6 ડિગ્રી (24 ડિસેમ્બર) 2023 14.6 ડિગ્રી (23 ડિસેમ્બર) 2024 10.0 ડિગ્રી (14 ડિસેમ્બર) 2025 11.8 ડિગ્રી (16 ડિસેમ્બર) સમય તાપમાન AQI સવારે 6 12 ડિગ્રી 270 સવારે 7.30 11.8 ડિગ્રી 202 સવારે 8 13 ડિગ્રી 312 સવારે 10 21 ડિગ્રી 231 બપોરે 12 27 ડિગ્રી 139 સાંજે 2 28 ડિગ્રી 155 સાંજે 4 29 ડિગ્રી 121 સાંજે 6 25 ડિગ્રી 152 ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં મોટાભઆગે ઠંડીની તીવ્રતા અચાનક વધતી હોય છે. જેનું મુખ્ય કારણ ઉત્તરના ઠંડા પવનો હોય છે. ચાલુ વર્ષે પણ 25મી પછી ઠંડીની તીવ્રતા શક્યતા છે. શહેરમાં કેટલાક મહિનાથી પ્રદૂષણને લઈ તંત્ર ચિંતિત છે. શહેરમાં મંગળવારે સવારે 8 વાગે સૌથી વધુ 312 એક્યુઆઈ નોંધાયો હતો. ત્યારબાદ પ્રદૂષણનું સ્તર ઘટતું જોવા મળ્યું હતું. જોકે નંદેસરી, મકરપુરા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 300થી 400 સુધી રહે છે. સવારે 7.30 કલાકે તાપમાન 11.8 અને AQI 202 નોંધાયો, સૌથી વધુ 8 વાગે 312 થયોેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતાં વડોદરામાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી નોંધાયો છે. જ્યારે 17મીના રોજ પણ 12 ડિગ્રી સુધી ઠંડીનો પારો નોંધાશે. આ ઉપરાંત આગામી 3 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઠંડા પવનો રોકાઈ જતાં વડોદરામાં ઠંડીનો પારો 16 ડિગ્રી સુધી પહોંચી જશે. ત્યારબાદ ઠંડીની તીવ્રતા પાછી વધશે. બીજી તરફ 21મી ડિસેમ્બરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરફ વર્ષા કરાવશે. ત્યારબાદ ઠંડીની તીવ્રતામાં ફરી વખત વધારો થવાની શક્યતા છે. એક્સપર્ટ મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
આર.ટી.ઓ.નું સઘન ચેકીંગ:ભાવનગર શહેરની ખાનગી શાળાઓ બહાર 40 સગીર ચાલકો ટુ-વ્હિલર સાથે ઝડપાયા
ભાવનગર શહેરમાં થોડાક સમય અગાઉ એક સગીર કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી એક મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા શહેર તેમજ જિલ્લામાં કાર ચાલક સગીર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. જેને લઇને ભાવનગર કલેક્ટર દ્વારા પણ આર.ટી.ઓ. તેમજ ભાવનગર શહેર જિલ્લામાં કડક વાહન ચેકીંગ કરવા માટે આદેશ અપાયા છે. જેને લઇને ભાવનગર જિલ્લા આર.ટી.ઓ. દ્વારા ત્રણ જેટલી ટીમો બનાવી શહેરની ખાનગી શાળાઓ બહાર કડક હાથે ચકીંગ શરૂ કરાયું છે. ત્યારે આજે એક જ દિવસમાં ચાલીસ સીગર વિદ્યાર્થીો બાઇક સાથે ઝડપાઇ જતાં, સગીરના વાલી વિરૂદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના અક્ષરવાડી નજીક થયેલા ગમખ્વાર અકસ્માતને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શહેર જિલ્લામાં અસમાજીક તત્વો તેમજ નબીરાઓ દ્વારા પુરપાટ ઝડપે વાહનો ચલાવી, નિર્દોષ રાહદારોનો ભોગ લઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર કલેક્ટર દ્વારા બેફામ વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. જે અંતર્ગત આજે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા જુદી જુદી ત્રણ ટીમોની રચના કરવામાં આવી હતી અને શહેરના શિક્ષણ સમા એવા કાળિયાબીડ વિસ્તારમાં આવેલી જ્ઞાનમંજરી, સરદાર પટેલ તેમજ ઓજ સ્કુલ નજીક આર.ટી.ઓ. વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન શાળાએ ટુ- વ્હિલર લઇને આવેલા 40 સગીર વિદ્યાર્થીઓને રોકી, તેમના વાલીઓ વિરૂદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ કલમ 199એ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આર.ટી.ઓ. દ્વારા લાઇસન્સ વગર આવતા 40 વિદ્યાર્થીઓને મેમા ફટકારી દંડ કરાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીને RTO દ્વારા પત્ર લખાયોભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને ભાવનગર જિલ્લા આર.ટી.ઓ. દ્વારા એક લેખિત પત્ર લખવામાં આવ્યો છે. અને આ પત્રમાં ખાનગી શાળામાં કોઇપણ સગીર વિદ્યાર્થી બાઇક લઇને ન આવવા જણાવાયું છે. તેમજ શાળા સંચાલકોને પણ સગીર વિદ્યાર્થીઓને બાઇક લઇને ન આવવા દેવા માટે વાલીઓને પણ સુચના આપવામાં આવે તેમ જિલ્લા શિક્ષણ અધિકાારી દ્વારા શાળા સંચાલકોને આદેશ કરાયો છે.
થરાદ સ્થિત સુદંબરી આશ્રમમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ–થરાદ–દિયોદર ગોળ)ની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજમાં વધતા જતા ખર્ચાળ રિવાજો, તૂટતા સગપણ અને સામાજિક અશિસ્ત રોકવા માટે સુસંગઠિત સામાજિક બંધારણ ઘડીને સર્વસંમતિથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સમાજ માટે ઘડાયેલા બંધારણ મુજબ સગપણ તૂટે તો સમાજ પંચ દ્વારા બંને પક્ષોને સાંભળી લીધા બાદ દોષિત પક્ષ પર રૂપિયા 5,00,000 દંડ ફરજિયાત રહેશે. લગ્ન થયા બાદ છૂટાછેડાની સ્થિતિ સર્જાય તો દોષિત પક્ષ પાસેથી રૂપિયા 10,00,000 દંડ વસૂલ કરવામાં આવશે. સમાજની દીકરીનું લગ્ન સમાજમાં જ કરવાનું રહેશે. દીકરીની સગાઈ 18થી 20 વર્ષની ઉંમર વચ્ચે કરવી ફરજિયાત રહેશે. સમાજની દીકરી બ્રાહ્મણ સિવાય અન્ય જાતિમાં લગ્ન કરે તો તે દીકરીના પરિવાર સાથે સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો સામાજિક સંબંધ રાખવામાં નહીં આવે. દંડ ચૂકવી સમાજમાં પ્રવેશ મળી શકશે, પરંતુ જાહેર સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની મંજૂરી નહીં મળે. લગ્ન પ્રસંગોમાં પ્રી-વેડિંગ, રિંગ સેરેમની, હળદી રસમ, કંકુ-પગલા જેવા ખર્ચાળ કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારના કાર્યક્રમો કરનારને રૂપિયા 1,00,000 દંડ ફરજિયાત રહેશે . રિંગ સેરેમની માટે રૂપિયા 51000, હળદી માટે રૂપિયા 51,000 અને કંકુ-પગલા માટે રૂપિયા 51,000 દંડ વસૂલાશે. સગાઈ કે લગ્ન માટે જતા સમયે 25થી વધુ માણસો નહીં અને જાનમાં 100થી વધુ માણસો નહીં જોડાશે. સારા-નરસા દરેક પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સંપૂર્ણ બંધ રહેશે. મૃત્યુ પ્રસંગે ચોથો દિવસ શક્ય હોય તો રવિવાર કે જાહેર રજાના દિવસે રાખવો અને તે દિવસે જમણવાર બંધ રહેશે. બારમાના દિવસે સગા-સંબંધીઓને ભોજન કરાવવાનું રહેશે. ભોજન પ્રસાદ ફરજિયાત નથી સમાજને મળતી દાન-ભેટની રકમ માત્ર 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પંચ ખાતામાં જ જમા કરાવવાની રહેશે. આ તમામ નિયમો સમાજના વડીલોના આશીર્વાદથી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા. સમાજની બેઠકમાં પ્રવીણભાઈ ત્રિવેદી, જયંતીલાલ ઓઝા, હસમુખલાલ ત્રિવેદી, કીર્તિલાલ ઓઝા, પ્રકાશભાઈ ઓઝા સહિત જુદા જુદા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોત:ગુજરવાડા પાસે ગાડીની ટક્કરે સમી કોર્ટના ક્લાર્કનું મોત થયું
સમી કોર્ટના ક્લાર્કનું ગુજરવાડા ગામ નજીક માર્ગ અકસ્માતના મોત થવાં પામ્યું છે.જેને પગલે મૃતકના ભાઈએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટણના સમી તાલુકાના મુબારકપુરા ગામના અને સમી કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ સિંધવનું ગતરોજ સાંજે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો.
કાર્યવાહી:સિદ્ધપુરમાં દુકાનમાંથી 2300 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો પકડાયો
પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજનો સંગ્રહ અને વેચાણ થતું અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સિદ્ધપુર શહેરમાં કાકોશી ફાટક પાસે, જી-30, શ્રીજી આર્કેડ ખાતે આવેલી અજીતસિંહ જવાનજી ઠાકોરની દુકાનમાં પુરવઠા તંત્રની ટીમે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી જાહેર વિતરણ વ્યવસ્થાનો હોવાની શંકા સાથે અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 1843 કિ.ગ્રા.ચોખા, 386 કિ.ગ્રા.ઘઉં, 45 કિ.ગ્રા.બાજરી, 54 કિ.ગ્રા.ચણા મળી કુલ રૂ.65,654નાં 2328 કિલો ગ્રામ અનાજનો જથ્થો મળી આવતાં ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ- 1977ની કંડિકા-11 મુજબ આ સમગ્ર શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. જોકે, આ મોટા જથ્થાની ખરીદી કે વેચાણ અંગેના કોઈ સંતોષકારક બિલ, પુરાવા કે આધારભૂત દસ્તાવેજો તેઓ રજૂ કરી શક્યા નહોતા.
આજે કેબિનેટ બેઠક યોજાશે:ગુજરાતમાં પ્રેમલગ્ન કરનારા યુગલો માટે સરકારની નવી તૈયારી
ગુજરાતમાં લગ્ન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સંભવિત ફેરફારને લઈને ચર્ચા તેજ બની છે. સરકાર લગ્ન નોંધણી માટે 30 દિવસની ફરજિયાત પૂર્વ સૂચના લાગુ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધ્યાપાટીદાર સમાજ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજનું માનવું છે કે અચાનક લેવાતા નિર્ણયો, પ્રેમલગ્ન અને પરિવારની જાણ વિના થતા લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધી રહ્યા છે. તેથી લગ્ન રજિસ્ટ્રેશન પહેલાં યોગ્ય સમયમર્યાદા રાખવી જરૂરી હોવાનું સમાજ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે. કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરાશેસરકારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, જો સરકાર આ ફેરફારને માત્ર નિયમ (Rules) સુધી મર્યાદિત રાખે, તો કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરીને તરત અમલમાં મૂકી શકાય છે. પરંતુ જો આ જોગવાઈ હિંદુ મેરેજ એક્ટમાં સમાવવાની હોય, તો વિધાનસભામાં બિલ લાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવોનવા નિયમથી એક તરફ ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવો છે, તો બીજી તરફ પ્રેમલગ્ન કરનારા યુગલો માટે તરત કાનૂની માન્યતા મેળવવી મુશ્કેલ બની શકે છે. પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે આ મુદ્દો સામાજિક તેમજ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. હવે સૌની નજર આજની કેબિનેટ બેઠક પર ટકેલી છે, જ્યાંથી નક્કી થશે કે સરકાર લગ્ન રજિસ્ટ્રેશનમાં વહીવટી ફેરફાર કરશે કે પછી કાયદામાં સુધારા તરફ આગળ વધશે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં ગઇકાલે તમે વાંચ્યું કે જાંબુઘોડા નજીક સૂમસાન રસ્તા પર એક બાઇકને પીક એપ ડાલાએ ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી જ્યારે તેના પિતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. પોલીસ જેને શરૂઆતના સમયે અકસ્માતનો કેસ ગણતી હતી, થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઈ ગયું કે એક તરફી પ્રેમ પ્રકરણમાં હદ વટાવી ચૂકેલા યુવકે જાણી જોઈને કરેલું આ કારસ્તાન છે. ઇજાગ્રસ્ત યુવતી હોસ્પિટલમાં દાખલ હતી. તેને અકસ્માત કરનાર વાહનનો નંબર યાદ હતો. જ્યારે આ વાહનમાલિકના નામનો ખુલાસો થયો તો પીડિત યુવતી સ્નેહા છક રહી ગઈ. તેણે પોતાના જૂના પ્રેમી વિશે ખુલાસા કરવાના શરૂ કર્યા. હવે આગળનો ઘટનાક્રમ વાંચો…બોડેલીની ઓર્થોપેડિક હોસ્પિટલનો રૂમ અચાનક તંગ બની ગયો હતો. સ્નેહાએ આંસુ લૂછ્યા અને ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલવાનું શરૂ કર્યું, સાહેબ, આ અકસ્માત નથી. મને લાગે છે... આમાં મારા પિતાને જાણીજોઈને મારવામાં આવ્યા છે. આટલું બોલીને તે ચૂપ થઈ ગઈ. PSI ચુડાસમાએ માથું ધુણાવ્યું અને કહ્યું,બોલ બેટા, તું ડરીશ નહીં. તારે જે કહેવું હોય એ બિન્દાસ્ત કહી દે. સ્નેહાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના હૃદય પરનો વર્ષો જૂનો બોજ હળવો કરવાનું શરૂ કર્યું, સર, મારા જ ગામનો એક છોકરો, તેનું નામ કૃષ્ણકાંત રાઠવા. બે વર્ષ પહેલાં અમારો પ્રેમસંબંધ હતો. અમે ફોન પર વાતો કરતા. ધીમે-ધીમે અમારા ઘરના લોકોને આ વાતની જાણ થઈ ગઈ... સ્નેહાએ છ મહિના પહેલાં બનેલી એક ગંભીર ઘટના યાદ કરી. સર છ મહિના પહેલાની વાત છે. હું બોડેલીમાં કોમ્પ્યુટર ક્લાસ કરતી હતી. એક દિવસ કૃષ્ણકાંત મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો. તેણે મને ડરાવીને ધમકી આપી અને કહ્યું,હું ઘરે જાઉં છું, મોટરસાયકલ પર બેસી જા. જો નહીં બેસે તો હું તને જાનથી મારી નાખીશ. હું તેનાથી ખૂબ ડરી ગઈ હતી અને ન છૂટકે તેની મોટરસાયકલ પર બેસી ગઈ. સ્નેહાની આંખોમાં એ ઘટનાનો ડર ફરી છલકાયો છતાં તેણે વાત ચાલુ રાખી. પણ સાહેબ, તે મને ઘરે લઈ જવાને બદલે મોટરસાયકલ પાવાગઢ તરફ લઈ ગયો. અમે છાજદીવાળી ગામે પહોંચ્યા. મને ગભરામણ થવા લાગી, એટલે મેં જોર જોરથી બૂમાબૂમ કરી. “મારી બૂમો સાંભળીને રસ્તે જઈ રહેલા એક બસચાલકે બસ ઊભી રાખી. તે બસચાલકની મદદથી હું સલામત રહી અને બસમાં બેસીને જાંબુઘોડા આવી. મેં બસચાલકને મારા પિતાનો નંબર આપ્યો. પિતા તુરંત જાંબુઘોડા આવ્યા અને મને ઘરે લઈ ગયા.” આ ગંભીર બનાવ પછી આખો મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગામના પંચરાહે સમાધાન માટે બેઠક થઈ. આ સમાધાન માત્ર સમજૂતી નહોતી, પણ સ્ટેમ્પ પેપર પર લખાયેલી શરતો હતી. પંચરાહે સમાધાન થયું, જેમાં સ્પષ્ટ નક્કી થયું કે અમારે બંનેએ એકબીજાને મળવું નહીં કે વાત કરવી નહીં. અને જો હું કે કૃષ્ણકાંત જે કોઈ પણ આ નિયમ તોડશે, એકબીજાને બોલાવશે કે મળશે તો તેને પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે સ્નેહાએ સમાધાનની ફોર્મ્યુલા પોલીસ સામે છતી કરી અને પોલીસ અધિકારીઓ આ વાતને એકટીસે સાંભળી રહ્યા હતા. પાંચ લાખ રૂપિયાની આ શરત એક મોટી રકમ હતી. આ શરતનો અર્થ સ્નેહા સમજતી હતી. તેણે એ જ ઘડીથી કૃષ્ણકાંતને બોલાવવાનું અને મળવાનું બંધ કરી દીધું. સ્નેહાએ પોલીસને કહ્યું, હું જે મોબાઈલ વાપરતી હતી, તેનું સિમકાર્ડ મારા ભાઈના નામે હતું. પણ કૃષ્ણકાંત વારંવાર મને તેના નંબર પરથી ફોન કરતો રહેતો હતો. હું તેના કોલનો જવાબ આપતી નહોતી, પણ તે છતાં તે સતત મને ધમકાવતો રહેતો હતો. PSI ચુડાસમા આ બધી જ માહિતી ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમણે લાંબા સમય સુધી ચૂપ રહ્યા પછી સવાલ કર્યો, કેવી ધમકીઓ આપતો હતો? સ્નેહાએ આંખો મીંચી દીધી અને બોલી, તે કહેતો હતો કે જો તું મારી સાથે સારી રીતે નહીં રહે તો હું તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ. તાજેતરમાં કૃષ્ણકાંતની ધમકીઓ વધી ગઈ હતી. તેને શંકા હતી કે સ્નેહાનો સંબંધ ગામના અન્ય એક છોકરા સાથે છે. તે મને ફોન કરીને ધમકી આપતો હતો કે તું મારી નહીં, તો હું તને કોઈની નહીં થવા દઉં. તને જાનથી મારી નાખીશ. અને તું કેમ ચૂપ રહી? આ વાત તારા પિતા કે ભાઈને કેમ ન કહી? PSI ચુડાસમાએ સવાલ કર્યો. સ્નેહાએ કહ્યું, મને બીક લાગતી હતી, સાહેબ. જો હું ઘરે વાત કરત, તો કૃષ્ણકાંત મને મારશે કે મારા પરિવારને હેરાન કરશે. એટલે મેં કોઈને વાત કરી નહોતી. પોલીસની સામે સ્નેહાએ પોતાની વાત પૂરી કરી. કેસ હવે તો 180 ડિગ્રીએ ફરી ચૂક્યો હતો. જો કે એક હકીકત એ પણ હતી કે સ્નેહાએ હજુ પણ ઘણી વાતો પોલીસને જણાવી ન હતી. આ વાતોના ખુલાસા આવનારા સમયમાં થવાના હતા. PSI ચુડાસમા હોસ્પિટલના ટેબલ પરથી ઉભા થયા અને કમરનો બેલ્ટ કસ્યો. હવે આ કેસ માત્ર રોડ એક્સિડન્ટનો નહોતો. તેમાં હત્યાની કલમ ઉમેરવાનો સમય આવી ગયો હતો. બોલ્યા, ચિંતા ન કર બેટા. તને ન્યાય મળશે. હવે આ કૃષ્ણકાંતને શોધવો પડશે. પોલીસ કર્મચારીઓ જવાની તૈયારીમાં જ હતા. ત્યારે સ્નેહાએ કહ્યું, “એક મિનિટ સાહેબ” બધા લોકો રોકાઈ ગયા. કોઈ સવાલ કરે એ પહેલાં જ સ્નેહાએ ફરી બોલવાનું શરૂ કર્યું. સાહેબ, હું છેલ્લા બે મહિનાથી ભાવનગરની એક એકેડેમીમાં નર્સિંગના કોચિંગ ક્લાસ કરવા ગઈ હતી અને ત્યાં જ રહેતી હતી. પણ કૃષ્ણકાંતે મને ત્યાં પણ શાંતિથી રહેવા દીધી નહોતી. તે અલગ-અલગ મોબાઇલ નંબર પરથી મને ફોન કરીને હેરાન-પરેશાન કરતો હતો. વીસેક દિવસ પહેલાંની વાત છે. કૃષ્ણકાંતે મને ફોન કરીને કહ્યું કે 'હું ભાવનગર આવ્યો છું, મારે તને મળવું છે.' મેં ફોન કાપી નાખ્યો, તેણે ઘણાં બધા ફોન કર્યા, મેં એક પણ ન ઉપાડ્યો અને તેને મળી પણ નહીં. સ્નેહાએ એક્સિડન થયો એ જ દિવસે એટલે કે 15મી ડિસેમ્બર, 2023ના દિવસની વાત કરી, જે દિવસ તેના જીવનનો સૌથી ભયાનક દિવસ બની ગયો હતો. એ દિવસે મારા ક્લાસ પૂરા થતા હતા. સવારથી જ કૃષ્ણકાંતે મને અલગ-અલગ નંબરો પરથી ફોન કરવાના શરૂ કર્યા. હું કામમાં હતી, એટલે મારી બહેનપણીએ ફોન ઉપાડ્યો. મારી બહેનપણીએ કૃષ્ણકાંતને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. કે અમારે આજે ઘરે આવવાનું છે અને હવે વારેઘડીએ ફોન કરીને હેરાન કરીશ તો સ્નેહા તેના પિતાને તારી વાત કરી દેશે. હવે પછી ફોન કરતો નહીં. બપોરના બે વાગ્યા આસપાસ, હું અને જિજ્ઞાશા ખાનગી વાહનમાં બેસીને ભાવનગરથી ઘરે આવવા નીકળ્યા. આખા રસ્તે કૃષ્ણકાંત મને સતત ફોન કરતો રહ્યો પણ મેં ફોન ઉપાડ્યો નહીં. પરંતુ વડોદરા નજીક આવતા હું કંટાળી ગઈ. મેં કંટાળીને તેનો ફોન ઉપાડ્યો. તેણે મને પૂછ્યું કે 'ક્યાં પહોંચી છે?' મેં તેને કહ્યું કે હું વડોદરા નજીક છું. સ્નેહા એ વાતથી અજાણ હતી કે બહેનપણીની ધમકીએ કૃષ્ણકાંતના મનમાં વેરના બીજ વાવી દીધા હતા. તેના મનમાં એક ખતરનાક ષડયંત્ર બન્યું અને તેને આખરીઓપ આપવાની તૈયારી પણ શરૂ કરી દીધી. સ્નેહા પોતે જાણતી હતી એ હકીકત ઉમેરતા કહ્યું, મેં મારા પિતા રમેશભાઈને ફોન કરીને હાલોલ લેવા આવવાનું જણાવ્યું. રાત્રિના આશરે આઠ વાગ્યે હું હાલોલ પહોંચી. મારા પપ્પા મોટરસાયકલ લઈને આવ્યા હતા. હું અને પપ્પા મોટરસાયકલ લઈને સામાન સાથે ઘરે આવવા નીકળ્યા. પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા થઈને અમે કણજીપાણી ગામે રાત્રે નવેક વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા. ત્યારે અમારું એક્સિડન્ટ થયું. સ્નેહાએ પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું, મને અને મારા પિતાને મારી નાંખવાના ઇરાદે તેણે બોલેરો પીક અપ ડાલુ પૂરઝડપે અમારા બાઇક પાછળ બેફામ દોડાવ્યું અને ટક્કર મારી. અકસ્માતનો ભોગ બનેલી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સ્નેહાનું આ નિવેદન ઇન્વેસ્ટિગેશનનો એક મજબૂત ભાગ હતો. પોલીસને અકસ્માત કરનાર વાહનના સીસીટીવી ફુટેજ, વાહનચાલકનું નામ અને હત્યાને અકસ્માતમાં ખપાવવાના પાછળનો ઇરાદો ખબર પડી ગઈ હતી. એક કહેવત છે કે પાપ છાપરે ચઢીને પોકારે છે. આ કિસ્સામાં તૂટેલું બમ્પર ગાર્ડ, સ્નેહાનું નિવેદન અને મોબાઇલ લોકેશનના પુરાવાએ કૃષ્ણકાંતના કાવતરાને નકામું સાબિત કરી દીધું હતું. હવે આરોપી કૃષ્ણકાંત રાઠવા પોલીસની રડાર પર હતો. પોલીસ એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર આરોપીના ઘરે પહોંચી પણ નિરાશા હાથ લાગી. કૃષ્ણકાંત ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી. કૃષ્ણકાંતના પિતા પુનમભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમણે પોલીસને જણાવ્યું, સાહેબ હું ખેતી કરું છું. મારે એક દીકરો કૃષ્ણકાંત અને એક નાની દીકરી છે. મેં 2018ની સાલમાં એક બોલેરો પીક અપ ડાલું ખરીદ્યું, જે મારા નામે રજિસ્ટ્રેશન થયેલું છે. આ ગાડી મારો દીકરો કૃષ્ણકાંત જ ચલાવે છે. હું એને ભાડેથી ફેરવું છું. મને ડ્રાઇવિંગ આવડતું નથી, એટલે હું ક્યારેય ચલાવતો નથી. પુનમભાઈના આ નિવેદને હત્યામાં પીકઅપ ડાલાનો ઉપયોગ અને કૃષ્ણકાંતના ડ્રાઇવિંગની વાતની પુષ્ટિ કરી. પોલીસે પુનમભાઈને સવાલ કર્યો, “15મી ડિસેમ્બરે કૃષ્ણકાંત ક્યાં હતો?” 15મી ડિસેમ્બર મારો છોકરો કૃષ્ણકાંત સાંજે આશરે છ-સાડાછ વાગ્યે ડાલું લઈને ઘરેથી નીકળ્યો હતો. તેણે અમને કહ્યું હતું કે તે દેસિંગપુરા ગામે ગાદલા ભરવાની વર્ધી છે, ત્યાં જાઉં છું. ત્યારબાદ રાત્રે આશરે દસ વાગ્યે મારા છોકરાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારાથી જાંબુઘોડા નજીક કણજીપાણી ગામે રાત્રે મોટરસાયકલને ટક્કર વાગી ગઈ છે. એટલું હું ધંધુકામાં રહેતા પ્રકાશ મામાના ઘરે જાઉં છું. આ ગુના પછીનો પહેલો ફોન હતો, જેમાં કૃષ્ણકાંતે પોતાને નિર્દોષ રજૂ કરવા માટે એક્સિડન્ટ શબ્દ જ વાપર્યો હતો. “પછી એનો કોઈ ફોન આવ્યો કે નહીં?”, પોલીસે હવે જરા કડકાઈથી સવાલ કર્યો. હા સાહેબ… સવારે છ વાગ્યે ફરી ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે ધંધુકા પહોંચી ગયો છું. મારા સાળા પ્રકાશે પણ મારી સાથે વાત કરીને કૃષ્ણકાંત ત્યાં આવ્યો હોવાનું કહ્યું હતું. જો કે થોડા કલાકોમાં જ પુનમભાઈને દીકરાના કૃત્યની જાણ થઈ હતી. તેમણે પોલીસકર્મીઓને કહ્યું, સવારમાં મને ગામમાં વાતો વાતથી જાણવા મળ્યું કે અમારા ગામના રમેશભાઈ અને પાછળ બેઠેલી તેમની દીકરી સ્નેહાબેનની મોટરસાયકલને પાછળથી ટક્કર મારનારું બોલેરો પીક અપ ડાલું મારું હતું. તે મારો છોકરો કૃષ્ણકાંત જ ચલાવતો હતો. ત્યારબાદ મેં છોકરાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો મોબાઇલ બંધ આવતો હતો. કૃષ્ણકાંતે પોતાનો મોબાઈલ બંધ કરીને ફરાર થવાનું નક્કી કરી લીધું હતું. આ વાત તેના પિતાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું. પોલીસે ધંધુકામાં કૃષ્ણકાંતના મામાના ઘરે તપાસ કરી. પરંતુ આરોપી ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો. પોલીસે તાત્કાલિક ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કૃષ્ણકાંતના લોકેશનને ટ્રેક કરવાનું શરૂ કર્યું. અંતે, પોલીસની મહેનત રંગ લાવી. અકસ્માતના પાંચમાં દિવસે એટલે કે 20મી ડિસેમ્બરના રોજ PSI પી.આર.ચુડાસમા અને તેમની ટીમે ફરાર આરોપી કૃષ્ણકાંત રાઠવાની વાહન સાથે ધરપકડ કરી. ડાલાના બમ્પર અને અન્ય ભાગમાં ટક્કરના કારણે થયેલા નુકસાનના સ્પષ્ટ નિશાન હતા. જે સ્નેહાના નિવેદન તેમજ ઘટનાસ્થળેથી મળેલી આવેલા તૂટેલા બમ્પર ગાર્ડ સાથે મેળ ખાતા હતા. પોલીસ સામે કૃષ્ણકાંતે કબૂલ્યું કે, અમારી વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધહતો. પણ પછી ઝઘડો થયો હતો. આ વાત ઘર સુધી પહોંચી હતી. ત્યાર બાદ પંચ સમક્ષ સમાધાન થયું અને સ્ટેમ્પ પેપર પર નોટરી રૂબરૂ કરાર કરીને બધુ નક્કી થયું હતું. તેના પર મેં અને સ્નેહાએ સહી પણ કરી હતી. આ કરાર પછી સ્નેહાએ મારી સાથે વાતચીત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું. મને જાણ થઈ કે તેને કોઈ અન્ય છોકરા સાથે સંબંધ છે. મારા મનમાં ગુસ્સાની આગ ભભૂકી ઊઠી. સ્નેહા જ્યારે ભાવનગરથી પરત ફરી રહી હતી ત્યારે કૃષ્ણકાંતે તેને ઘણા ફોન કર્યા હતા. આખરે સ્નેહાએ ફોન ઉપાડીને કહ્યું હતું, હું વડોદરા નજીક છું અને હાલોલ ઊતરવાની છું. મારા પિતા હાલોલ મને લેવા માટે આવે છે. આ માહિતી મળતાં જ કૃષ્ણકાંતના મનમાં ખૂનનું કાવતરું મજબૂત બની ગયું. સ્નેહા અને તેના પિતા હાલોલથી મોટરસાયકલ પર ઘરે જવાના હતા. રાતના અંધારામાં બન્નેને મારી નાખવાની માટે સૌથી યોગ્ય તક આરોપીને લાગી હતી. કૃષ્ણકાંતે પોલીસે કહ્યું, હું મારું પીક અપ ડાલું લઈને સાંજે આશરે છ-સાડાછ વાગ્યે ઘરેથી નીકળ્યો. મારા માતા-પિતાને મેં જૂઠું કહ્યું કે હું દેસિંગપુરા ગાદલા ભરવાની વર્ધી પર જાઉં છું. પણ હકીકતમાં હું જાંબુઘોડા આવ્યો. જાંબુઘોડા નદીના પુલ નજીક મારું પીક અપ ડાલું લઈને અંધારામાં સ્નેહા તથા તેના પિતાના આવવાની રાહ જોતો ઊભો હતો. એ લોકોને હું ઓળખી ગયો અને ગાડી લઈને તેમની પાછળ ગયો. કણજીપાણી ગામે સિંગલ પટ્ટી રોડ આવતા મેં મારા પીક અપ ડાલાથી બાઇકને પાછળથી ટક્કર મારી દીધી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર પી.આર.ચુડાસમાએ તમામ પુરાવાઓ, સ્નેહાનું નિવેદન, આરોપીની કબૂલાત, નોટરી કરાર, CDR લોકેશન અને કબજે કરાયેલ ડાલું… બધાને એક મજબૂત કડીમાં ગોઠવી સુનિયોજિત હત્યાનો કેસ બનાવ્યો. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ PSI ચુડાસમાએ આરોપી કૃષ્ણકાંત વિરુદ્ધ હાલોલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આરોપી કૃષ્ણકાંત રાઠવા હાલમાં પણ જેલમાં છે અને તેના પર હાલોલ સેશન્સ કોર્ટમાં હત્યાનો કેસ ચાલી રહ્યો છે.
ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા બાદ 19મી તારીખે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થવાની છે. જેમાં એવા લોકોના નામ હશે જેના નામ નથી કપાયા. જો તમને એવી ચિંતા થતી હોય કે આ ડ્રાફ્ટ યાદીમાં મારૂં નામ હશે કે નહીં? તો દિવ્ય ભાસ્કર તમારી આ ચિંતા દૂર કરશે. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશું. આ પ્રોસેસમાં તમે જે યાદી જોશો તે કપાયેલા નામોની યાદી હશે. જો આ કપાયેલા નામોની યાદીમાં તમારૂં નામ નહીં હોય તો 19મી તારીખે પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂં નામ હશે અને તમારે બીજી કોઇ કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે. જો તમારૂં નામ આ કપાયેલા નામની યાદીમાં હશે તો 19મી તારીખે પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂં નામ નહીં હોય. જો તમારૂં કપાયું છે તો કયા કારણોસર કપાયું છે તે પણ જાણવા મળશે. આવું થાય તો ગભરાશો નહીં કેમ કે તમે વાંધા અને દાવા રજૂ કરી શકશો. જેના માટે તમને 1 મહિનાનો સમય પણ મળશે. હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજો. સ્ટેપ 1સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે. સ્ટેપ 2આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે. સ્ટેપ 3નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.) સ્ટેપ 4તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.) સ્ટેપ 5હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે. SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો. સ્ટેપ 6તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે. માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.) આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો. ચૂંટણી પંચની આ લીંકમાં અપલોડ કરાયેલી દરેક PDFમાં જે-તે બૂથમાં જે BLOએ કામ કર્યું છે તેનું નામ અને તેની સહી પણ કરેલી છે. દરેક BLOએ આ યાદી જે-તે વિસ્તારના રાજકીય પક્ષના BLA (બૂથ લેવલ એજન્ટ)ને પણ વાંચીને સંભળાવી છે. તે બૂથ લેવલ એજન્ટના નામ અને સહી તમને આ ફાઇલમાં જોવા મળશે. BLOનો જે-તે વિસ્તારના BLA સાથે અથવા કામ કરતો ફોટો પણ આ PDFમાં જોવા મળશે. આ સંપૂર્ણ પ્રોસેસ જાણ્યા પછીની ખાસ વાતજે લોકોના નામ આ યાદીમાં દેખાઇ રહ્યા છે તેનો અર્થ એ કે તેમના નામ 19મી તારીખે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરી દેવાશે. જે લોકોના નામ કપાયા હશે તેમના નામની યાદી ચૂંટણીપંચની વેબસાઇટ ઉપરાંત જાહેર કાર્યાલય પર જોઇ શકાશે. જો કોઇનું નામ ખોટી રીતે કપાઇ ગયું હશે તો તે પોતાના વાંધા રજૂ કરી શકશે. જેના પછી વાંધા અરજી પર સુનાવણી થશે અને જો કોઇ ભૂલ હશે તો સુધારી લેવાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, ERO (BLO થી ઉપરના અધિકારી) ને 2 બાબત પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે એક પાત્રતા ધરાવતો કોઇપણ નાગરિક નવી મતદાર યાદીમાંથી રહી ન જાય અને બીજું કોઇપણ ગેરલાયક વ્યક્તિનું નામ નવી મતદાર યાદીમાં સામેલ ન થાય. આ માટે 2 લેવલની સુનાવણીની પ્રક્રિયા પણ કરવામાં આવશે. EROની કોઇપણ અપીલ પર પહેલા તબક્કામાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુનાવણી કરશે અને જો જિલ્લા મેજિસ્ટ્રેટની કોઇ અપીલ આવે તો તેમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુનાવણી કરશે. છેલ્લે જણાવી દઇએ કે ગુજરાતમાં કુલ 5.08 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. આ મતદારો માટે કુલ 50,963 BLO છે. જ્યારે રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની સંખ્યા 28,524 છે. નોંધ- કદાચ જો આ લિસ્ટમાં તમારા બૂથનો ડેટા ન હોય તો 19 તારીખ પહેલાં તે અપડેટ થઇ જશે.
‘અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી દરેક મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે. હું અને અનિષ પટેલ બંને મિત્રોએ મળી 2019માં અમે સિનેમા ચેઇનની શરૂઆત કરી, પણ જેવું ચાલુ કર્યું એના ત્રણ જ મહિનામાં કોવિડ આવી ગયો. પણ અમારું કામ ચાલુ રહ્યું. જ્યારે આખી દુનિયાના સિનેમા બંધ હતા ત્યારે અમે સિનેમાની ચેન સાથે બધાને જોડતા હતા, વીડિયો કૉલથી અમારું કામ ચાલુ જ હતું અને અમે વધારે સારી રીતે બધુ બિલ્ટઅપ કરી શક્યા. ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું અને અત્યારે ભારતનાં 9 રાજ્યોમાં 32 લોકેશન પર 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે.’ આ શબ્દો છે, રાહુલભાઈ ધ્યાનીના… રાહુલભાઈ એટલે આપણાં ગુજરાતની એક માત્ર સિનેમાચેઇન ‘કોનપ્લેક્સ’ના કો-ફાઉન્ડર. વર્ષોથી ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલા રાહુલભાઈએ મિત્ર અનિષ પટેલ સાથે મળી 2019માં સિનેમાનો બિઝનેસ શરૂ કર્યો. કોનપ્લેક્સ સિનેમા એટલે સોફાવાળી સીટ આપતાં થિયેટર તરીકે ફેમસ થયેલી ગુજરાતની પોતીકી થિયેટર ચેઇન. PVR જેમ દિલ્હીની ઓળખ છે, આઈનોક્સ મુંબઈની ઓળખ છે, મિરાજ રાજસ્થાનની છે, એ રીતે ગુજરાતની થિયેટર ચેઇન એટલે ‘કોનપ્લેક્સ’ (Connplex). પાંચથી છ વર્ષમાં જ અત્યારે કોનપ્લેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપની બની ચૂકી છે. પરંતુ થિયેટર કામ કેવી રીતે કરે? ઓપન કેવી રીતે થાય? તમારે થિયેટર ઓપન કરવું હોય તો? થિયેટરનો બિઝનેસ કેમ કરાય? એ બધી જ વાતો આજે આપણે જાણીશું ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના ત્રીજા એપીસોડમાં. તો ચલો, મસ્ત કન્ફર્ટેબલ સીટ પર રાહુલભાઈ અને એમના કોનપ્લેક્સનું મૂવી જોઈએ…લાઇટ… કેમેરા… એક્શન… ‘હું પાક્કો અમદાવાદી જ છું, મારો જન્મ પણ અહીં જ થયો છે અને હું મોટો પણ અહીં જ થયો છું.’ રાહુલભાઈએ વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા રાજપથ ક્લબના ઈવેન્ટ મેનેજર હતા અને સાથે અમદાવાદની બીજી પણ ઘણી ઈવેન્ટ હેન્ડલ કરતા. મારાં મમ્મી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર હતાં. મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે ને બાદમાં ITનો કોર્સ કરવા હું ન્યૂ ઝીલેન્ડ ગયો હતો. માસ્ટર્સ પૂરું કરી ફરી અમદાવાદ આવી ગયો ને, અહીં પપ્પાનો બિઝનેસ જોઇન કર્યો. પપ્પા સાથે થોડાં વર્ષ કામ કર્યું ત્યાં મને બૉલિવૂડમાંથી એક ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગનો ચાન્સ મળ્યો.’ રાહુલભાઈ આગળ કહે, ‘2009માં ‘દે દના દન’ મૂવી માટે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી સાથે મળી ગુજરાતમાં માર્કેટિંગ કર્યું ને એની સક્સેસ પછી તો ઘણી ફિલ્મો મળી. એ પછી મુંબઈ ગયો અને ધર્મા પ્રોડક્શનથી લઈ યશરાજ, એક્સેલ સુધીના મોટાં મોટાં પ્રોડક્શન હાઉસની ‘ઝિંદગી ન મિલેગી દોબારા’, ‘રા-વન’, ‘ડોન-2’ જેવી નહીં નહિ તો પણ દોઢસોથી વધુ બોલિવૂડની ફિલ્મોનું પ્રમોશન હેન્ડલ કર્યું. ફક્ત ઈન્ડિયા પૂરતું જ નહીં, ઘણી ફિલ્મોને તો ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રમોટ કરી છે. 2015માં મારા મિત્રોએ ‘છેલ્લો દિવસ’ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી. તો એમના આગ્રહથી એ ફિલ્મના માર્કેટિંગ માટે મારે ફરી અમદાવાદ આવવું પડ્યું. એ પછી પણ ફિલ્મ પ્રમોશન ચાલુ રહ્યું ને મારા પોર્ટફોલિયો મુજબ અઢીસોથી વધુ ફિલ્મોને મેં પ્રમોટ કરી.’ 140 કરોડની વસ્તી ને ₹100 કરોડનો જ બિઝનેસ? બહોત ના ઇન્સાફી હૈ! ફિલ્મોનાં પ્રમોશનમાં આટલું સારું કરિયર ચાલતું હતું તો થિયેટર લાઇનમાં કેવી રીતે આવ્યા? રાહુલભાઈ કહે, ‘મારા માર્કેટિંગ અને પ્રમોશનના કામ વચ્ચે 2017માં એક ફિલ્મ આવી, જેને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુટ કરવા હું USA ગયો હતો. તો ત્યાં મેં જોયું કે, અહીં તો 12-14 સ્ક્રીનનાં એક એક થિયેટર છે. એ ટાઈમે મેં ત્યાં જોયું કે, 33 કરોડની વસ્તીમાં એ લોકો પાંચ હજાર કરોડનો બિઝનેસ કરતા. તેની સામે આપણા ઈન્ડિયામાં 140 કરોડની વસ્તી અને આપણે ફક્ત ₹100 કરોડનો જ બિઝનેસ કરીએ. મને કયુરોસિટી થઈ કે ઈન્ડિયામાં શું કરીએ તો આટલો બધો બિઝનેસ થાય?’ ભારતમાં આટલાં ઓછાં સિનેમા થિયેટર કેમ છે? રાહુલભાઈએ વાત ચાલુ રાખી, ‘આપણાં ભારતમાં એન્ટરટેઇનમેન્ટના નામે સિનેમા સિવાય કશું છે જ નહીં, તો પણ આટલો ઓછો બિઝનેસ કેમ? આપણે શું એવું કરીએ કે અહીં સિનેમાનો બિઝનેસ આગળ વધે? મેં અને મારા મિત્ર અનિષ પટેલે મળી નક્કી કર્યું કે, ચલો આપણે કંઇક સ્માર્ટ સિનેમા જેવું ઈન્ટ્રોડ્યુસ કરીએ. અમે બહુ બધું રિસર્ચ કર્યું અને એક રિપોર્ટ તૈયાર કર્યો તો ધ્યાને પડ્યું કે, ‘અમેરિકા પાસે 40 હજારથી વધુ કોમર્શિયલ થિયેટર સ્ક્રીન છે, ચાઈના પાસે 70 હજારથી વધુ સ્ક્રીન છે. એટલે અમને એમ થયું કે, ઈન્ડિયામાં 25-30 હજાર સ્ક્રીન તો મિનિમમ હશે, પણ આંકડો કઢાવ્યો તો ખબર પડી કે, ઈન્ડિયામાં તો 10 હજાર સિનેમા સ્ક્રીન પણ નથી. પૂરી દુનિયામાં આપણે જ સૌથી વધુ મૂવી પ્રોડ્યુસ કરીએ છીએ, 14 ભાષાઓમાં ફિલ્મો બને છે, સૌથી વધુ જોઈએ છીએ, સૌથી વધુ વસ્તી છે, છતાં સ્ક્રીન સૌથી ઓછી કેમ?’ ‘કોરોના પણ અમારું કંઈ બગાડી ન શક્યો’ બસ આ જ આંકડાઓની માયાજાળે ‘કોનપ્લેક્સ’ સિનેમાનો ઉદ્ભવ કરાવ્યો. રાહુલભાઈએ વાત ચાલુ કરી, ‘અમે નક્કી કર્યું અને અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી દરેક મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે. હું અને અનિષ પટેલ બંને મિત્રોએ મળી 2019માં અમે સિનેમા ચેઇનની શરૂઆત કરી, પણ જેવું ચાલુ કર્યું એના ત્રણ જ મહિનામાં કોવિડ આવી ગયો. પણ અમારું કામ ચાલુ રહ્યું. જ્યારે આખી દુનિયાના સિનેમા બંધ હતા ત્યારે અમે સિનેમાની ચેન સાથે બધાને જોડતા હતા, વીડિયો કૉલથી અમારું કામ ચાલુ જ હતું અને અમે વધારે સારી રીતે બધુ બિલ્ટઅપ કરી શક્યા. ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું અને અત્યારે ભારતનાં 9 રાજ્યોમાં 32 લોકેશન પર 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે.’ ₹90 કરોડની સામે ₹2200 કરોડનું ફંડિંગ મળ્યું! અત્યારે તો કોનપ્લેક્સ સિનેમા પબ્લિક લિસ્ટેડ કંપની પણ બની ગઈ છે. રાહુલભાઈ કહે, ‘2024માં અમે નક્કી કર્યું કે, અમારે આ સિનેમા ચેઇનને હજુ પણ આગળ લઈ જવી છે. જેમ PVR દિલ્હીની ઓળખાણ છે, આઈનોક્સ મુંબઈની ઓળખાણ છે, મિરાજ રાજસ્થાનથી છે, એ રીતે મારે ગુજરાતની એક થિયેટર ચેઇન ઊભી કરવી હતી. એટલે 2024થી અમે IPO માટેની તૈયારીઓ શરૂ કરી ને ઓગસ્ટ 2025માં NSE પર કોનપ્લેક્સનો IPO લોન્ચ થયો. અમારે ફક્ત ₹90-95 કરોડનું ફંડિંગ જોઈતું હતું, એની સામે લોકોએ અમને ₹2200 કરોડનું ફંડિંગ આપ્યું.’ Connplex એટલે Connect + Plex કેટલા ટાઈમમાં આખો બિઝનેસ ઊભો થયો? રાહુલભાઈ કહે, ‘ખાલી રિસર્ચમાં અમારે બેથી ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. પણ એ બે વર્ષ મારે હું અને મારો પાર્ટનર અનિષ પટેલ 100% આની પાછળ લાગી પડ્યા હતા. અમે ત્યારે રિસર્ચ કર્યું તો ખબર પડી કે ઈન્ડિયામાં લોકો ઓછા પૈસે આરામથી ફિલ્મો જોઈ શકે તેવી સારી સિનેમા ચેઇન છે જ નહીં. US જેવા દેશોમાં (આપણા ભાવ પ્રમાણે) ₹1200થી ₹1500ની ટિકિટ મળે છે, છતાં ત્યાં આટલા બધા લોકો ફિલ્મો જોવા જાય છે. એની સામે આપણે ત્યાં ₹200-300માં જો સારી ક્વોલિટી આપીશું તો લોકો જોવા આવશે જ. પછી નામ વિચાર્યું તો અમારે લોકોને કનેક્ટ કરવા હતા, એટલે કનેક્ટનું ‘Conn’ અને ‘Plex’ એટલે એવી જગ્યા કે જ્યાં લોકો મનોરંજન માટે જતા હોય. બંનેને મિક્સ કરી ‘Connplex’ નામ રાખ્યું.’ ‘કોરોનામાં લોકોએ અમારાં થિયેટરો પસંદ કર્યાં’ ...પણ બિઝનેસની શરૂઆત કરવી એટલી પણ સહેલી નહોતી. કેમ કે શરૂઆતમાં જ કોરોના આવી ગયો હતો, પણ રાહુલભાઈએ એ મુશ્કેલીને પણ પગથિયું બનાવી દીધું. રાહુલભાઈ કહે, ‘જ્યારે મેં અને અનિષે કંપનીની શરૂઆત કરી ત્યારે અમારી સાથે સેલ્સ ટીમ માટે એક જ માણસ હતો. પણ શરૂ કર્યું એના ગણ્યા ગાંઠ્યા દિવસોમાં કોરોના આવી ગયો. પણ એનો ફાયદો એ થયો કે, અમને માર્કેટ સાથે રહી શીખવાનો ટાઈમ મળ્યો. અમે વધારે સારી રીતે ડેવલપ કરી શક્યા અને એક સાથે મોટા પાયે લોન્ચિંગ કર્યું. જેવો કોરોનાનો ટાઈમ પૂરો થયો, લોકોએ ક્રાઉડવાળી જગ્યાએ જવું નહોતું. સામે અમારી પાસે 70-80નું જ સિટિંગ હતું. એટલે લોકોએ અમારાં થિયેટર સિલેકટ કરવાનું શરૂ કર્યું. ઉપરથી એ ટાઈમે નિયમ હતો કે, એક સીટ છોડી એકને બેસવું, એટલે પબ્લિક ઓછું આવતું હતું તો અમને અમારી બેઠક સુધારવાનો મોકો મળ્યો.’ દેશનાં 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે કોનપ્લેક્સ અત્યારે ધૂમ મચાવે છે. એ પીક પર છે, પણ શરૂઆતમાં કેટલી અમાઉન્ટના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી હતી? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘2019માં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે બંને પાર્ટનરે મળી લગભગ દોઢ-બે કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એની સામે અત્યારે દર વર્ષે 40 લાખથી વધુ વ્યુઅર્સને ફિલ્મો બતાવીએ છીએ. આખા દેશમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત ટોટલ 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે. એમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, ભરૂચમાં થઈ ગુજરાતની ટોટલ સારી સ્ક્રીનમાંથી 20% સ્ક્રીન અમારી પાસે છે. નહીં નહીં તો પણ 450થી વધુનો અમારો સ્ટાફ છે, જે સીધા જ અમારી સાથે જોડાયેલા છે, બાકી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા બીજા 300-350 કામ કરે છે.’ આટલા ઓછા રૂપિયામાં આટલી સારી ફેસિલિટી સાથે કામ કરો છો તો ક્યારેય કોઈએ કહ્યું હતું કે, નહીં ચાલે કે નુકસાન જશે? રાહુલભાઈ કહે, ‘ઘણા બધાએ ટોક્યા હતા, ઘણાએ ના પાડી હતી કે ન કરો, મરશો! ઘણાએ કહ્યું હતું કે, આ મોડેલ કામ જ નહીં કરે, ઘણા કહેતા કે તમે વિચારો છો એવા મલ્ટિપ્લેક્સની સક્સેસ આવતાં વર્ષો વીતી જશે. અમે 2019માં બિઝનેસ શરૂ કર્યો અને ગયા વર્ષે અમારી રેવન્યુ ₹90 કરોડની હતી. ₹19 કરોડ જેટલો પ્રોફિટ હતો, આ વખતે તો અડધા વર્ષે જ ₹64 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે.’ બોલો, તમારે પણ થિયેટર સ્ટાર્ટ કરવું છે? કોઈને કોનપ્લેક્સની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘અમારી ફ્રેન્ચાઇઝી તમે પણ લઈ શકો છો. અમે બસ થોડાં પેરામીટર સેટ કર્યાં છે. અમારી ફ્રેન્ચાઇઝી ટીમ પહેલાં ચેકલિસ્ટ પ્રમાણે એનાલિસિસ કરે છે. જેમાં એરિયાની વેલ્યૂ, પર હેડ ઇન્કમ, સ્પેન્ડિંગ કેપેસિટી કેટલી છે? ઇન્કમ કેટલી મળશે? ઇન્વેસ્ટરને કેટલા ટાઈમમાં રિટર્ન મળશે? ટિકિટ પ્રાઇઝ કેટલી ચાલે? આ બધાં જ પેરામીટર ચકાસ્યા બાદ કોઈને પણ ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. અત્યારે મોટા સિટીના દરેક લોકેશન પર 15થી વધુ ઇન્ક્વાયરી પેન્ડિંગ છે. હવે તમને પ્રાઈઝિંગની વાત કરું.’ પ્રાઇસ વિશે વાત કરતાં રાહુલનભાઈ કહે, ‘ફ્રેન્ચાઇઝીનાં અમારી પાસે ત્રણ મોડેલ છે. જેમાં શરૂઆત થાય છે, એક સીટના ₹85 હજારથી ₹1.5 લાખ સુધી, એ પણ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. ફ્રેન્ચાઇઝીએ ફક્ત ઇન્ટિરિયર પાર્ટ જ જોવાનો હોય છે, ટેક્નોલોજી પાર્ટ અમે હેન્ડલ કરીએ છીએ. એટલે જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય, કંઈ ખામી આવે કે કશું પણ થાય તો એ બધું જ અમે મેનેજ કરીએ છીએ. એક વાર ફ્રેન્ચાઇઝી લીધા પછી ઇન્ટિયર સિવાય કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ બધું અમારી ટીમ હેન્ડલ કરે છે. પછી વાત રહી કોન્ટેન્ટની તો 99% ફિલ્મો અમારાં થિયેટરમાં આવી જ જાય છે.’ OTTના યુગમાં કોઈ થિયેટરમાં શા માટે જાય? OTT આવવાના કારણે લોકોએ થિયેટરમાં આવવાનું ઘણું ઓછું કરી દીધું છે, એવું લાગે છે? થિયેટર ચેનના ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘સાચી વાત છે, પણ એ પસંદગીનો સવાલ છે. તમને ઘરે બેસી થિયેટર જેવો 7.1 ડોલ્બી સાઉન્ડ, લોકો વચ્ચે બેસીને જોવાની મજા, આટલી મોટી સ્ક્રીન અને 3D સ્ક્રીન મળશે? જેને આ બધાથી કોઈ મતલબ ન હોય એ લોકો ઘરે પણ જોઈ લે છે, પણ જેને આ ફેક્ટર્સથી ફરક પડતો હોય, એ લોકો ચોક્કસથી થિયેટરમાં આવશે જ. લોકોની ફિલ્મો માટેની ભૂખ વધી છે, એટલે લોકો બે ફિલ્મો જોતાં એના બદલે હવે 5 જોવે છે પણ 2 ફિલ્મો જોવા તો હજુ થિયેટરમાં આવે જ છે.’ લોકોને થિયેટરની ટિકિટો મોંઘી લાગે છે? ઘણા લોકો એવી પણ ફરિયાદ કરે છે કે, ટિકિટના ઊંચા ભાવોના કારણે ફિલ્મો જોવા નથી જવાતું. થિયેટર ચલાવતા રાહુલભાઈ એ દર્શકોને જવાબ આપતાં કહે, ‘ભાવ વધારે છે જ નહીં, 200-250 રૂપિયા ત્રણ કલાકના મોંઘા છે જ નહીં. તમે બહાર બેસી કોફી પીઓ એ કરતાં ઓછા પૈસામાં તમને સોફા જેવી સીટ્સમાં બેસી ફિલ્મનો આટલો સારો એક્સપિરિયન્સ મળે એ મોંઘું થોડું કહેવાય?’ ‘પણ જ્યારે 99 રૂપિયામાં ટિકિટ હોય ત્યારે તો થિયેટર ફુલ થઈ જાય છે, તો એ ટિકિટના કારણે જ ને?’ રાહુલભાઈ કહે, ‘એ ઈનિશિએટિવ ‘મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ દ્વારા લેવામાં આવ્યું છે. દર મંગળવારે ₹99માં ફિલ્મની ટિકિટ! કેમ કે, મંગળ, બુધ, ગુરુ સૌથી ડલ વીક ડેઝ હોય છે. એટલે કોવિડ પછી પબ્લિકને ફરી સિનેમા તરીકે ખેંચવા માટે આ પ્રયાસ કર્યો હતો. સામે ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ એગ્રી થયા એટલે શરૂઆત કરી હતી, એટલે સક્સેસ ગયું.’ બિઝનેસ માટે માર્કેટિંગ મહત્ત્વનો ભાગ છે. તમે કેવી રીતે માર્કેટિંગ કરો છો? રાહુલભાઈ કહે, ‘બધી જ રીતે પોસિબલ હોય એટલું માર્કેટિંગ કરીએ છીએ. ડિજિટલ, પ્રિન્ટ, રેડિયો, ઇવેન્ટ્સ બધી જ જગ્યાએ માર્કેટિંગ કરીએ છીએ. સરકારની પણ જેટલી ઇવેન્ટ્સ આવે એમાં પણ સપોર્ટ કરીએ છીએ.’ ‘લોકો ધંધો તો શરૂ કરી દે છે પણ પછી થોડું નુકસાન જવાથી બંધ કરી દે છે, એમને શું કહેશો?’‘નુકસાન કે પ્રોફિટ એ તો ધંધાનો પાર્ટ છે, નુકસાન જાય છે મતલબ તમે ધંધામાં છો.’ ‘PVR, આઇનોક્સ તો ફેમિલી જેવાં છે’ PVR, આઈનોક્સ જેવા જાયન્ટ હાથીની સામે કોમ્પિટિશનમાં કેવી રીતે ટકી શકો છો? રાહુલભાઈ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલતા કહે, ‘કોમ્પિટિશન જેવું તો છે જ નહીં, આજે પણ જ્યારે અમને કોઈ મુશ્કેલી પડે કે ક્યાંય કોઈ સમજણ ન પડે કે કોઈ મૂંઝવણ થાય તો અમને PVR કે આઈનોક્સના ટોપ મેનેજમેન્ટને જ કૉલ કરીએ છીએ. એ લોકો અમને બહુ જ સારી રીતે સમજાવીને હેલ્પ કરે જ છે. ઇન શોર્ટ, બીજી બ્રાન્ડ અને અમે પરિવારની જેમ સાથે જ રહીએ છીએ.’ યંગ આંત્રપ્રેન્યોરને શું સલાહ આપશો? રાહુલભાઈ કહે, ‘યંગ આંત્રપ્રેન્યોરને સૌથી પહેલાં તો એ કહીશ કે કંઈ પણ ચાલુ કરતાં પહેલાં બહાર ફરો અને નેટવર્કિંગ કરો. દુનિયામાં ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે, કઈ કઈ ટેકનોલોજી માર્કેટમાં છે? એ બધું જ પહેલાં જાણો. અને કોની પાસેથી સલાહ લો છો એ ખાસ જુઓ, ભલે તમારી જ ફિલ્ડનો માણસ હોય, પણ સમજી વિચારીને કોઈ પાસેથી સલાહ લો, સાચા માણસની સલાહ જ તમને સક્સેસ સુધી લઈ જશે.’

28 C