ખેડૂતનું ઝૂંપડું તોડી પાડ્યું:મેઘરજના પહાડીયા નજીક વનવિભાગે દબાણ કરેલ ખેડૂતનું ઝૂંપડું તોડી પાડ્યું
, મેઘરજ મેઘરજના પહાડીયા નજીક વન વિભાગ દ્વારા 40 વર્ષથી જમીનનો ભોગવટો ધરાવનાર ગરીબ ખેડૂતનું ઝૂંપડું તોડી પાડતાં કડકડતી ઠંડીમાં ખેડૂત પરિવારને ઉપરોક્ત આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડીયા ગામ નજીક આવેલી જંગલની જમીન પર છેલ્લા 40 વર્ષ ઉપરાંતથી ભોગવટો ધરાવતા ચંદુભાઈ નામના ખેડૂત આ જમીન પર કાચું ઝૂંપડુ બનાવી પત્ની અને નાના બાળકો સાથે વસવાટ કરતો હતો. ચંદુભાઈ આ જમીન પર આકાશી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. મેઘરજ કચેરીના વન કર્મીઓને જંગલની જમીન પર ચંદુભાઈએ ભોગવટો કરી દબાણ કર્યું હોવાનું ઓચિંતું યાદ આવ્યું હોય તેમ ઝૂંપડું તોડી નાખવાના ઈરાદાથી વાહનો સાથે મોટી સંખ્યામાં વહેલી સવારે વન કર્મીઓ દોડી આવ્યા હતા.ખેડૂત પરિવાર કંઈપણ સમજે કે વિચારે એ પહેલા વન કર્મીઓએ ઝૂંપડામાંથી સામાન બહાર કાઢી તોડી પાડ્યું હતું.
કામગીરી:મજરાથી શામળપુર ને.હા.80 કિમીમાં 8 બ્રિજની મરામત માટે 8.90 કરોડ ખર્ચાશે
ચિલોડા શામળાજી નેશનલ હાઈવે ફોરલેન કરવા દરમિયાન જૂની એજન્સીએ મજરાથી શામળપુર વચ્ચે બનાવેલ 8 ઓવરબ્રિજ પર ખાડા ડામરની નબળી કામગીરીને પગલે દરેક ઓવરબ્રિજ પર નવેસરથી પુરાણ અને રિસરફેસની કામગીરી કરવી પડે તેમ હોઈ ગત ચોમાસાથી અંદાજે 80 કિમી હાઈવે પર આવેલ 8 ઓવરબ્રિજની ગુણવત્તા અંગે થઈ રહેલ રજૂઆતો બાદ રૂ.8,90,47,981 ના ખર્ચે તમામ બ્રિજ પર પુરાણ, ડામર, સહિતની કામગીરી કરાશે. ચિલોડા રતનપુર નેશનલ હાઈવેના વિસ્તૃતિકરણ કામગીરી કરનાર એજન્સીએ 7- 8 વર્ષ જેટલો સમય કાઢી નાખી કામ અધવચ્ચે છોડી દીધા બાદ ઓવરબ્રિજની બંને સાઈડોની કામગીરી એકદમ નબળી હોવાનું અને બ્રિજ પર અવારનવાર પડતાં ખાડા વાહનચાલકો માટે હાલાકીનો પર્યાય બની ગયા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજની મરામત, સર્વિસ રોડ અને એક નવીન ઓવરબ્રિજ માટે સંસદમાં રજૂઆત કરી કેન્દ્રીય રાજ્ય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી સ્થિતિથી વાકેફ કર્યા બાદ અરવલ્લી જિલ્લામાં આવતા શામળપુર, સુણોક અને સાબરકાંઠાના ગાંભોઈ, કરણપુર, તાજપુરકૂઈ અને મજરાના ઓવરબ્રિજ માટે રૂ.8,90,47,981 તથા ગાંભોઈ, મજરા, પ્રાંતિજ ખાતે આરસીસી સર્વિસ રોડ માટે રૂ.31,25,40,080 અને પ્રાંતિજના રસુલપુર ખાતે સ્થાનિકોની વર્ષો જૂની માંગ સંતોષાતા નવો ઓવરબ્રિજ બનાવાશે
ભાસ્કર તપાસ:વીસીઈ વધારાના પૈસા નથી લેતાં, પરંતુ લે તો પણ ખેડૂતો આપવા તૈયાર
પાક નુકસાન નોંધણી કરાવવા જતાં ખેડૂતો પાસેથી વીસીઈ પૈસા લેતાં હોવાની બૂમ ઉભી થતાં તપાસ કરતા મોટા ભાગના વીસીઈ નોંધણીના પૈસા લેતાં ન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજી બાજુ ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર સરકારે વર્ષોથી વિધવા સહાય જન્મ મરણના ફોર્મ ભરનાર વીસીઈનું મહેનતાણું ચૂકવ્યું ન હોવાથી વીસીઈ માંગે તો 20 રૂપિયા આપવા તૈયાર હોવાનું દાવો કર્યો હતો. કાંકણોલના 4 વીસીઈ યોગેશભાઈએ જણાવ્યું કે અમારી પંચાયતમાં ખેડૂત પાસેથી પાક સહાય નોંધણી માટેના ફોર્મ પેટે પૈસા લેવાતા નથી. ગઈકાલે ફોર્મ દીઠ રૂ.12 આપવાની જાહેરાત થઈ છે. અગાઉ ફોર્મ દીઠ રૂ.8 મળતા હતા બહુ સમય લાગતો હોવાથી ફોર્મ ચકાસણી કરી વિગતો બરાબર હોય તો રાત્રે ઘેર લઈ જઈ મોડે સુધી કામ કરવું પડે છે 141 ખેડૂતોના ફોર્મ નોંધણી કરી છે ગમે તે ખેડૂતને પૂછી શકો છો પૈસા આપ્યા કે નહીં. ખેડૂત અગ્રણી સુરેશભાઈ પટેલે જણાવ્યું કે ચાર પાંચ વર્ષથી વીસીઈના મહેનતાણાના બિલ સરકારે ચૂકવ્યા નથી. સાત બારના ઉતારા કાઢીને તેનું જીવન નિર્વાહ કેવી રીતે થાય વીસીઈ માંગે તો નુકસાન વેઠનાર ખેડૂત 20 આપવા તૈયાર છે. ઘર ખર્ચ નીકાળવો પણ મુશ્કેલ છે: વીસીઈ મહામંડળરાજ્યના વીસીઈ મહામંડળના પંકજભાઈએ જણાવ્યું કે 2019-20માં વિધવા સહાય ફોર્મ ભરવાના ફોર્મ દીઠ 10 જન્મ મરણના દાખલા દીઠ રૂપિયા 3 નક્કી થયા હતા આ બીલો આજ દિન સુધી ચૂકવાયા નથી. રૂટિનમાં આવકનો દાખલો 40 રાશનકાર્ડ રૂ.20, 7/12 ઉતારો રૂપિયા 5 લેવાનો પરિપત્ર છે જેમાં 80-20નો રેશિયો છે 20 ટકા સરકારમાં જમા કરાવવાના હોય છે બહુ ઓછી રકમ મળે છે .
ગંભીર હુમલો:રાજુલાના હિંડોરણામાં બે ભાઈઓ પર લોખંડની ટી વડે ગંભીર હુમલો
રાજુલાના હિંડોરણામાં બે ભાઈઓ પર એક શખ્સે બાઈકમાં નીરણ અડી જવા મુદ્દે અપશબ્દો આપી લોખંડની ટી વડે હુમલો કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દાખલ થતાં પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના હિંડોરણામાં રામજી મંદિર પાસે રહેતા કનુભાઈ મેપાભાઈ પટાટ ( ઉ.વ.40)એ ભીમા વાલાભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે 20 નવેમ્બરના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે વાડીએથી મોટર સાયકલમાં સીટ ઉપર નીરણ લઈને જતા હતા. તે દરમિયાન ભીમા વાઘની બાઈકમાં નીરણ અડી ગઈ હતી. જેના કારણે તેણે કનુભાઈને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ સાંજના સાડા પાંચેક વાગ્યે હિંડોરણા ગામે લાંબા પાણા નામના ચોક ખાતે કનુભાઈ પટાટ પર ભીમા વાઘે લોખંડની ટી વડે હુમલો કર્યો હતો. તેમજ તેના ભાઈ નાથાભાઈ મેપાભાઈ પટાટને પણ લોખંડની ટી વડે માર માર્યો હતો. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ જી.જે.કાતરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
પાલિકાના સ્ટાફ માટે તાલીમનું આયોજન:જિલ્લાની 10 પાલિકાના સ્ટાફને GeM પોર્ટલ તાલીમ અપાઈ
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકાના ઉપક્રમે તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડે. એકાઉન્ટન્ટ અને મેનેજર (સોલીડ વેસ્ટ) માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 2025ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સ્તરે તમામ વિભાગોના વડાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓમાં ઈવેન્ટ અને એક્ટીવીટી માટે શહેરી વિકાસ વર્ષ ઈવેન્ટ્સ કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમ ભાવનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. એન. કે. મીણા, ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, ઝોનના અધિક કલેક્ટર ડી. એન. સતાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જય રાવલની હાજરીમાં યોજાયો હતો. અમરેલી જિલ્લાની 10 નગર પાલિકા, ભાવનગર જિલ્લાની 6 સહિત 28 નગર પાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ અને સ્વચ્છ ભારત મિશનના મેનેજર (સોલીડ વેસ્ટ)ના અધિકારી/ કર્મચારીઓએ મળી કુલ 134 અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો.
ભાસ્કર ઈનસાઈડ:ડોક્ટરનો હત્યારો જેલમાંથી છૂટી ચોરીના ગુનામાં ઝડપાયો
મોડાસામાં કોલેજ રોડ પાસેથી ગુરૂવાર વહેલી સવારે શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો. એસઓજીએ તેની પાસે રહેલી થેલી અને બેગ તપાસતાં તેમાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને તેની ગાડી મળી હતી. તદુપરાંત તેની પાસેથી નાજ જ્વેલર્સ અને મોડાસાના પટેલ જ્વેલર્સની થેલીમાંથી પીળી ધાતુની 4 બંગડી અને નથણી મળી હતી. તદુપરાંત ચોરીને અંજામ આપતાં સમયે સીસીટીવી કેમેરાથી બચવા માટે મોઢે બાંધવાના કાળા કલરના બુકાની બાંધવા કપડાં પણ મળ્યા હતા. એસઓજી પીઆઇ વાઘેલા અને સ્ટાફ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરતાં ઝડપાયેલો રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનું ગુરુમત સિંગ સુર સરદારે અગાઉ લૂંટમાં ડોક્ટરની હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. તદુપરાંત તેણે જેલમાંથી છૂટીને પાંચ ઉપરાંત ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. એસઓજીએ કોલેજ રોડ પાસેથી શંકાસ્પદ શખ્સને ઝડપી એસઓજી કચેરી લાવી પૂછપરછ કરતાં ઝડપાયેલો આરોપી રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનું સરદાર અને તેનો સાગરિત સશપાલ તારા સિંઘ કલાની સરદાર રહેથાણા મુંબઈ બંને ભેગા મળી તા.20 નવેમ્બરની રાત્રે મોડાસા શહેરના પહાડપુર રોડ ઉપર આવેલ હાલ હયાત સોસાયટીમાંથી યાસીન અબ્દુલ સમદ પઠાણના ઘરે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી નાજ જ્વેલર્સ અને મોડાસાના પટેલ જ્વેલર્સની થેલી માંથી પીળી ધાતુની બંગડી નંગ 4 જપ્ત કરી હતી. 2009માં ડોક્ટરની હત્યા કરતાં 14 વર્ષની સજા થઈ હતીઝડપાયેલો આરોપી રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુએ વર્ષ 2009માં અમદાવાદમાં શિવ રંજની વિસ્તારમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેણે ડોક્ટરની હત્યા કરતાં આ ગુનામાં તે 14 વર્ષ અમદાવાદની સાબરમતી જેલ ખાતે સજા ભોગવી હતી. સજા પૂરી થયા બાદ પણ રીઢા આરોપીએ અમદાવાદ ઘાટલોડીયા ચાંદખેડા રાણીપ સાબરમતી ગાંધીનગર જેવા સ્થળોએ ઘરફોડ ચોરી અને વાહનચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. ગાડી દૂર સ્થળ પર મૂકી ચોરી અંજામ આપતો રીઢો આરોપી ગાંધીનગર સેક્ટર 28થી બાઇક નંબર gj 12 ek 9533ની ચોરી કરી હતી અને તે ચોરીમાંતેનો પણ ઉપયોગ કરતો હતો. તદુપરાંત ચોરી કરવા અવર-જવર માટે તેની પાસે રહેલી પોતાની ગાડી નં.જીજે જીરો વન એફ ટી 3479 નો ઉપયોગ કરતો હતો અને તે ચોરી સ્થળેથી ગાડી દૂર સ્થળ ઉપર મૂકીચોરીને અંજામ આપતો હતો અને સીસીટીવી કેમેરાથી બચવા મોઢે બુકાની બાંધવા કપડાંનો ઉપયોગ કરતો
હુમલો:યુવક પર લાકડાના ધોકા વડે હુમલો
લાઠીના સુવાગઢમાં રહેતા હિતેષભાઈ જીંજરીયાએ વિનુ મકાભાઈ જીંજરીયા, ધનજી મકાભાઈ જીંજરીયા અને સની ધનજીભાઈ જીંજરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે હિતેષભાઈએ તેની જમીન તેના દાદા કાળુભાઈ જીંજરીયાને ભાગવી વાવવા આપી હતી. જે અગે ત્રણેયને સારૂ નહી લાગતા મનદુ:ખ રાખી હિતેષભાઈ જીંજરીયાના ઘરે ધસી આવ્યા હતા. અહીં વિનુ, ધનજી અને સનીએ તેને અપશબ્દો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હિતેષભાઈ જીંજરીયાને ઈજા પહોંચતા પ્રથમ દામનગર સિવીલ હોસ્પિલ અનેબાદ વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દામનગર પોલીસમાં ત્રણેય સામે ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ વી.આર.ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગંભીર અકસ્માત સર્જાયો:જાફરાબાદમાં ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
જાફરાબાદમાં રાજુલા રોડ પર ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકને ઈજા પહોંચી હતી. યુવકને ગંભીર ઈજા થતા પ્રથમ જાફરાબાદ અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સ ચાલક નાસી ગયો હતો. જાફરાબાદના સામાકાઠે પીપળીકાંઠા રામ મંદિર પાસે રહેતા વિશાલભાઈ 19 નવેમ્બરના રોજ રાતે આઠેક વાગ્યે બાઈ નંબર જી.જે. 14.બી.બી-1430 લઈને રાજુલાથી જાફરાબાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે જાફરાબાદમાં રાજુલા રોડ હરિ પેટ્રોલપંપ પાસે પહોંચતા ખાનગી ટ્રાવેલ્સ નંબર જી. જે. 05.સી. વાય-9191ના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતની આ ઘટનામાં વિશાલભાઈને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે પ્રથમ જાફરાબાદ અને બાદમાં ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રાવેલ્સ ચાલક નાસી ગયો હતો. આ અંગે ઈજાગ્રસ્ત વિશાલભાઈના બહેન દિવાળીબેન શાંતિલાલ બારૈયાએ ખાનગી ટ્રાવેલ્સ નંબર જી.જે.05.સી વાય-9191 ના ચાલક સામે જાફરાબાદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:કુંડલાના પીઠવડી ગામની હાઈસ્કૂલે ખેલ મહાકુંભમાં ઉજ્જવળ પ્રદર્શન કર્યું
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે આવેલ શ્રીજી કેળવણી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીવાળીબા સ્કૂલ પીઠવડીના બાળકોએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર 17 વર્ષ વિભાગમાં ભાગ લઈ સિદ્ધિ હાંસલ કરેલ છે. બહેનોમાં એથલેટિક્સ 400 મીટર દોડમાં ચુડાસમા ઉર્વશી વિપુલભાઈએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. ભાઈઓમાં એથલેટિક્સ લાંબીકૂદમાં અને 400 મીટર દોડમાં રાઠવા અક્ષય રાજુભાઈએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે, નાગપરા કરણ પરેશભાઈએ 400 દોડમાં તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ, સરૈયા મનોજ તેજાભાઈએ 100 મીટર દોડમાં ચતુર્થ ક્રમેં અન્ડર 14 એથલેટિક્સ સ્પર્ધા અંતર્ગત તાલુકા કક્ષાએ દેલવાણીયા સુરેશ રાજુભાઈએ ઊંચીકૂદ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના પ્રમુખ વિનુભાઈ બાળધા, શાળાના આચાર્યે સંજયભાઈ કામળીયા તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
પુલનું ખાતમુહૂર્ત:ચાંપાથળમાં 9.5 કરોડના ખર્ચે તૈયાર થનારા પુલનું ખાતમુહૂર્ત
અમરેલી તાલુકાના ચાંપાથળ ખાતે 9.5 કરોડના ખર્ચે તૈયાર થનારા પુલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચાંપાથળથી સાવરકુંડલાના માર્ગ પર બેઠા પૂલની જગ્યાએ હવે યોગ્ય ઊંચાઈનો પુલ નિર્માણ પામશે. ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજરોજ અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે મેજરબ્રીજની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત કાર્યરત માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજે કુલ રૂ. 9.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ચાંપાથળથી સાવરકુંડલાને જોડતા હયાત બેઠા પુલની જગ્યાએ નવો મેજરબ્રીજ મંજૂર થતા કનેક્ટિવીટીમાં વધારો થશે. ઉપરાંત નાગરિકો, વાહન ચાલકોને અવરજવર માટે વધુ સુગમતા રહેશે.અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે મેજરબ્રીજની કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો, ચાંપાથળ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં હવે બેઠા પૂલની જગ્યાએ નવા પુલનું નિર્માણ થશે.
ટીંબી મુકામે માનવસેવા હોસ્પિટલનાં પ્રણેતા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની આઠમી નિર્વાણતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તેમણે અવિરતપણે દર્દીનારાયણની નિઃશુલ્ક અને નિષ્કામ આરોગ્યસેવા કરવાનાં હેતુથી માનવસેવા હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્યસેવા દ્વારા સંતની આઠમી મહા નિર્વાણતિથિ મહોત્સવનું આયોજન આગામી તારીખ 24-11ને સોમવારે ટીંબી ગામે કરવામાં આવશે. આ પ્રસંગે ગુરુવંદના, ધૂન, કીર્તન, પૂજ્ય સ્વામીજીની પ્રતિમાની ષોડશોપચાર વિધિથી પૂજનવિધિ, પૂજ્ય સ્વામીજીનાં કૃપાપાત્ર સદ્શિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી અને સ્વામી સદાનંદ સરસ્વતીજી ગુરુભક્તિમય અમૃતવાણી શ્રોતાજનોને આપશે. મહાનુભાવોનાં સન્માન અને પ્રાસંગિક વક્તવ્યોમાં ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી શ્રોતાજનો, મહેમાનો વગેરેને સમૂહ ભોજન, મહાપ્રસાદ યોજાશે. સ્વામીજીનાં દિવ્ય જીવનનાં પાવન સંસ્મરણો કરવાનાં પર્વ પ્રસંગે ધર્મપ્રેમી, સેવાપ્રેમી જનતા ઉપસ્થિત રેહશે.
ભાસ્કર એનાલિસીસ:કમોસમી માવઠાના કારણે અરવલ્લીમાં આ વર્ષે અત્યાર સુધી ઘઉંની વાવણીમાં 40%નો ઘટાડો
અરવલ્લીમાં સતત વરસાદના માવઠાના મારના વચ્ચે ચાલુ શિયાળુ સિઝનમાં તા.20 નવેમ્બર સુધીમાં ઘઉંના પાકની માત્ર 21,381 હેક્ટર જમીનમાં વાવણી થઈ હોવાનું નોંધાયું છે. પાછળથી થયેલા કમોસમી માવઠાના કારણે ઘઉંની વાવણી પણ 15 થી 20 દિવસ મોડી થઈ રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં શિયાળુ પાકમાં મુખ્યત્વે ગણાતા ઘઉંના પાકની અત્યાર સુધીમાં 40% કરતાં ઓછી વાવણી થઈ છે. જિલ્લામાં ખેડાણ લાયક પિયત વિસ્તાર કુલ 209979 હેક્ટર જમીન વાવણી લાયક છે. આ વર્ષે જિલ્લામાં ઘઉંના પાકની વાવણી માત્ર 21381 હેક્ટર જમીનમાં તા.20 નવેમ્બર સુધીમાં થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ મેઘરજ તાલુકામાં 6847 હેક્ટર જમીનમાં ઘઉંના પાકની વાવણી થઈ હોવાનું નોંધાયું છે જ્યારે બટાકાની ખેતીના વાવેતર અને ઉત્પાદન માટે જિલ્લામાં હબ ગણાતા ધનસુરા તાલુકામાં માત્ર 451 જમીનમાં ઘઉંના પાકની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ શિયાળુ સિઝનમાં ઘઉં મકાઈ બટાકા રાયડો દિવેલા જેવા જુદા જુદા પાકોની 146793ની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં શિયાળુ પાકમાં મુખ્યત્વે ગણાતા ઘઉંના પાકની અત્યાર સુધીમાં 40% કરતાં ઓછી વાવણી થઈ છે. જોકે છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો વધતાં હજુ પણ ઘઉંની વાવણી વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી
આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કાર્યક્રમ યોજાયો:રાજુલાના ગામડામાં 100 ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટીબીના દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ રાજુલા આરોગ્ય કચેરીના સ્ટાફના સહયોગથી ટીબીના દર્દીઓને વિનામુલ્યે પ્રોટીનયુક્ત પોષણ સહાય કીટના વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. નિલેષ કલસરીયાએ જણાવ્યું હતું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામા એક મહત્વપૂર્ણ પગલુ છે, પોષણ યુક્ત આહાર મળી રહે અને ટીબીના દર્દીઓ વહેલા સ્વસ્થ થઈ શકે તે માટે વડલી, ડુંગર અને બાબરીયાધાર સહિતના ગામોમાં તાલુકા આરોગ્ય કચેરી આરોગ્ય કર્મીઓએ સ્વખર્ચે કીટની ખરીદી કરી વિતરણ કરી હતી. સાવરકુંડલા કાણકીયા ચા દ્વારા કીટ માટે 100 બેગના ડોનેશન દ્વારા 100 જેટલા ટીબીના દર્દીઓને વિનામુલ્યે ન્યુટ્રિશન કીટ આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,ભાવેશભાઈ સોલંકી, ધીરજલાલ પુરોહિત, મનુભાઈ ધાખડા, ડો.હિતેષભાઈ હડીયા, કમલેશભાઈ મકવાણા, વીરભદ્રભાઈ ડાભીયા, શુકલભાઈ બલદાણીયા, કનુભાઈ કામળિયા, વિક્રમભાઈ શિયાળ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાગવત સપ્તાહનું આયોજન:રાજુલા નજીકના ધારાના નેસમાં શહીદ જવાનના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાઈ
રાજુલાના ધારાનાનેસ ગામે શહીદ રવિરાજભાઈ ધાખડા અને પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઈ હતી. તેમજ લોક ડાયરો યોજાયો હતો. રવિરાજભાઈ ધાખડાની યાદમાં અને પિતૃઓના મોક્ષાર્થે ભવનુભાઈ ધાખડા પરિવાર દ્વારા શહીદ રવિરાજભાઈ ધાખડાના પિતૃના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી નીલકંઠભાઈએ વ્યાસપીઠ પરથી રસપાન કરાવ્યું હતું. અહીં કપિલ જન્મ, શ્રી રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નિર્મોહી અખાડાના મહંત રાજેન્દ્ર બાપુ, રૂખડ ભગતની વાવડીના મહંત બાપભાઈ બાપુ, તુલસીશ્યામના મહંત, માનવ મંદિરના ભક્તિરામબાપુ, નાગજી બાપુ વિગેરે સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાત્રીના લોક ડાયરામાં સાહિત્યકાર ઉદયભાઇ ધાધલ, અરવિંદ ભારતીબાપુ, ભરતભાઈ બોરીસા, શૈલેષ વાઘેલા, ભોળાભાઈ આહીર, ભરતભાઈ બારોટ અને જોરૂભાઈ ધાખડા વિગેરે લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે કથામાં પોલીસ પરિવાર અને લશ્કરી પરિવારના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવનુભાઈ ધાખડા, ભગુભાઈ, મનુભાઈ, રણજીતભાઈ, ચંપૂભાઈ ધાખડા, કનુભાઈ, દિલુભાઇ ધાખડા, હાથીભાઈ ધાખડા, પ્રવીણભાઈ અને સરપંચ મહેશભાઈ ધાખડાએ જહેમત ઉઠાવી હતી. . તસ્વીર: કે.ડી.વરૂ
ભાસ્કર એક્સક્લૂસિવ:સરનું દબાણ: નિવૃત્તિના આરે BLOએ કંટાળી કહ્યું રાજીનામું આપી દઉં
ગીર સોમનાથમાં શિક્ષકે સરની કામગીરીના ભારણથી જીવન ટૂંકાવી લેતાં શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું છે. એક દિવસ માટે ઓનલાઈન કામગીરીથી અળગા રહી બીએલઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. નિવૃત્તિના આરે પહોંચેલ એક વિધવા બીએલઓ જેને વાહન ચલાવતા આવડતું નથી, ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ડિઝિટલ ટેકનોલોજીનો બહુ અનુભવ નથી તેને અજાણ્યા સ્લમ એરિયાનું કામ સોંપી દેવાતા રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા. પરંતુ સાથી શિક્ષકોએ મદદ કરવાનું કહેતા માંડ માંડ કામગીરી કરી રહ્યા છે. એકંદરે નોટિસોના ખુલાસા અને ધરપકડ વોરંટની ધમકીઓ તથા મતદારોની વિગતો ડીફર થતી હોવા સહિતના કારણોને લઈ મોટાભાગે નવા બીએલઓ ત્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીએલઓને પરિચિત વિસ્તાર જ આપવો જોઈએ મારી નોકરી અલગ જગ્યાએ છે વતન અલગ છે કામગીરી મારા માટે અજાણી જગ્યા આપી છે. ફોર્મ વિતરણ કરવામાં લખેલ સ્થળ પર મતદાર મળતા નથી. નામમાં પણ 2002 ની સરખામણીએ તફાવત આવે છે. પતિ પોતાની નોકરીના ભોગે મદદમાં સાથે ફરે છે અનેક સમસ્યાઓને લઈ નોટિસો અને અધિકારીઓને સાંભળવાનું બહુ પ્રેશર રહે છે બીએલઓને તેનો પરિચિત વિસ્તાર જ આપવો જોઈએ.> મહિલા બીએલઓ ફોર્મ કલેક્શન પછી સર્વર કામ જ કરતું નથી ફોર્મ વિતરણ દરમિયાન મતદારો સરનામ મળતાં નથી. ફોર્મ કલેક્શન પછી સર્વર કામ કરતું ન હોવાથી ઓનલાઇન કરવામાં મોટી સમસ્યા આવે છે. ફિલ્ડમાં જાવ તો ઓનલાઇન કામગીરી થતી નથી. નામના તફાવત બહુ આવે છે જેને કારણે ક્વેરી પણ બહુ આવે છે. કામગીરીની ટકાવારી નીચી આપતા નોટિસ મળે છે અને ખુલાસા કરવા પડે છે બહુ ભારણ રહે છે.- > સુનિલ પ્રજાપતિ, બીએલઓ ચૂંટણી તંત્ર સાચી રજૂઆતને પણ સાંભળતું નથીઆ સતત ચાલતી પ્રક્રિયા છે નવું નથી પરંતુ અહીં સમયનું ટાર્ગેટ અપાયું છે. જે પહોંચી વળાય તેમ નથી, સ્પષ્ટ ગાઈડ લાઈન નથી. જે મતદાર યાદીમાં નામ હોય ત્યાં બીએલઓ તરીકેની નિમણૂંક કરવાનો પરિપત્ર છે તેમાં પહોંચી વળાય તેમ નથી ન હોવાથી અમે જ્યાં નોકરી હોય ત્યાં નિમણૂંક કરવા રજૂઆત કરી હતી. પરંતુ ઘણા કિસ્સામાં વતન, નોકરી સિવાયના સ્થળોએ ઓર્ડર કરાયા છે જે વિસ્તારથી પરિચિત ન હોવાને કારણે સમસ્યાઓ આવી રહી છે. વળી રોજ પોતાની શાળામાં સહી કરી પછી નિમણૂંકના સ્થળે જવાનું હોય છે દોઢ- બે જીબી ડેટા પતી જવો, ડેટા ક્રેશ થાય ત્યારે કેટલું કામ નિષ્ફળ જવાથી ટકાવારી નીચી રહેતા નોટિસો આવે છે. સંવેદનશીલ શિક્ષકો સતત દબાણમાં રહે છે અને સહન નથી કરી શકતા તેમની સાથે અનહોની થવાનું શરૂ થઈ ગયુ છે. ચૂંટણી તંત્ર સાચી રજૂઆતને પણ સાંભળતું નથી. > સંજય પટેલ,અધ્યક્ષ, શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા વધારાનું દબાણ અને ધરપકડની ધમકીઓ બંધ કરોસરની કામગીરીને સુચારુ અને ભારણ રહિત બનાવવાસરકારમાં તમામ સ્તરે આવેદનપત્રો આપ્યા છે. પરંતુ કોઈપ્રતિક્રિયા મળી નથી. ખેડામાં એક પરિવારના આક્ષેપ બાદગીર સોમનાથમાં એક શિક્ષકે કામના ભારણથી આજે જીવનટૂંકાવ્યુ છે. સંવેદનશીલતા અદ્રશ્ય થઈ ગઈ છે શિક્ષણ જગતહચમચી ગયું છે અમારી માંગણી છે કે સરકાર પીડિતપરિવારને રૂ.1 કરોડ સહાય ચૂકવે, શિક્ષક પર દબાણલાવનાર અધિકારી વિરુદ્ધ પગલાં ભરવામાં આવે. જે અધિકારી દબાણ લાવતા હોય,બેહૂદુ વર્તન કરતાં હોય, માતૃશક્તિનુ સન્માન જળવાતું ન હોય વગેરે સમસ્યાઓનાનિરાકરણ માટે નોડલ અધિકારીની નિમણૂંક કરી વધારાનું દબાણ અને ધરપકડવોરંટની ધમકીઓ બંધ કરવામાં આવે.>મિતેશભાઈ ભટ્ટ, અધ્યક્ષ,શૈક્ષિક મહાસંઘગુજરાત બાળકોના શિક્ષણ સાથે પણ ચેડાં થઈ રહ્યા છે: સરની કામગીરીમાં શિક્ષકોને જોતરાતાં બાળકોના શિક્ષણ સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. એક શાળામાં 17 વર્ગ અને 9 નિયમિત શિક્ષક છે. શિક્ષકોની સરકાર ભરતી કરતી નથી. 2 શિક્ષકોને બીએલઓ અને 2 શિક્ષકોને સહાયક તરીકે નિમણૂંક કરાઈ છે. બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. 5 શિક્ષકો અને અન્ય ટેમ્પરરી શિક્ષકો દ્વારા શિક્ષણનું ગાડું ગબડાવાઈ રહ્યું છે. ઓછી કામગીરી થયેલ BLOને સહાયક વધાર્યાનાયબ ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણે જણાવ્યું કે ઇન્ટરનેટ માટે ફેસિલિટેટ સેન્ટર ઉપલબ્ધ છે. તો તપાસ કરીએ છીએ જે બીએલઓનું ઓછું કામ થયું છે તેમની સાથે ચૂંટણી અધિકારીએ બેઠક કરી તમામ સમસ્યાઓ જાણી તેમને સહાયક વધારી આપ્યા છે. બીએલઓ પર કામગીરીનું ભારણઘટાડવા આટલું કરવું જોઈએ....
મારામારી:ખાંભાના જામકામાં પ્લોટમાંથી પથ્થર હટાવવા મુદ્દે બે જુથ વચ્ચે મારામારી
ખાંભાના જામકામાં આંબેડકર નગરમાં રહેતા વિમળાબેન કાળા પરમાર (ઉ.વ.32)એ સુરેશ છના પરમાર, છના કરશનભાઈ પરમાર, શાંતુબેન છના પરમાર, વનીતાબેન સુરેશ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માલીકીના પ્લોટમાં સુરેશ પરમારના પથ્થરો પડ્યા હતા. જેને હટાવી લેવા કહ્યું હતું. ચારેય વ્યક્તિને સારૂ ન લાગતા અપશબ્દો કહ્યા હતા. તેમજ સુરેશ પરમારે તેને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. તેમજ ચારેય લોકોએ વિમળાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બધા કરશન પરમારને પણ લાફા માર્યા હતા તથા મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ સુરેશ છના પરમાર ( ઉ.વ.35)એ કાળુ બધા પરમાર, વિમળાબેન કાળુ પરમાર, બધા કરશનભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચણતરના પથ્થરો હટાવી લીધા હતા. પથ્થરો હટાવી પાડોશી દિવાલ પાસે મુકતા ત્રણેય લોકોએ અહીં પથ્થર મુકવાની ના પાડી હતી. ઉપરાંત સુરેશ પરમાર તેના દાદીના જર્જરીત મકાનના નળીયા ઉતારતા હતા. તે બાબતનું મનદુ:ખ રાખી ત્રણેય લોકોએ તેને અને વનિતાબેન તથા શાંતુબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ કાળુ પરમારે સુરેશ પરમારને લાકડી વડે માર માર્યો હતો. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એમ.પી.ગાજીપરા તપાસ ચલાવી રહ્યા છે.
3 મહિલા અને 1 આધેડનું એક પછી એક મૃત્યુ:નાના એવા થોરડી ગામમાં 24 કલાકમાં 4 વ્યક્તિના મોતથી શોક
સાવરકુંડલા તાલુકાના નાના એવા થોરડી ગામમાં જાણે કાળ ચક્ર ફરી વળ્યુ હોય તેમ એક પછી એક ચાર વ્યક્તિના મોત થયા હતા. જેને પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. થોરડી ગામમાં જાણ કાળ ચક્ર ચાલતુ હોય તેમ એક પછી એક ચાર વ્યક્તિના કુદરતી મોત થયા હતા. અહીંના આશાબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.33), કૈલાશબેન અશોકભાઈ બરવાડીયા (ઉ.વ.56), રંજનબેન ધીરૂભાઈ વાઘેલા (ઉ.વ.60) અને મણીભાઈ કસવાલા (ઉ.વ.70) એમ ચાર વ્યક્તિના મોત થયા હતા. એક વ્યક્તિની અંતિમ વિધી પતે ત્યાંજ બીજી વ્યક્તિના મૃતદેહને સ્મશાનમાં લવાતો હતો. અલગ અલગ પરિવારોમાં બનેલી આ મૃત્યુની ઘટનાથી ગામ લોકોમાં શોક છવાયો હતો.
માર માર્યો:બાબરામાં મકાનની માલિકીના મુદ્દે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી
બાબરામાં કરીયાણા રોડ પર મકાન મુદ્દે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી હતી. બને પક્ષે સામસામે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ અંગે સામસામી બાબરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. બાબરાના કરીયાણા રોડ પર સરમાળીયા દાદાના મંદિર પાસે રહેતા જયાબેન રમેશભાઈ સોંધરવા (ઉ.વ.40)એ રહેમતનગરમાં રહેતા શાંતિ વાલાબાઈ રાઠોડ અને ઈન્દુબેન શાંતિ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બંને દંપતિ 18 નવેમ્બરના રોજ સાંજે ચારેક વાગ્યા બાદ મોટર સાયકલ લઈને તેના ઘર પાસે આવીને આ મકાન અમારૂ છે ખાલી કરી દેજો તેમ કહ્યું હતું. તેમજ જયાબેન અને તેના દિકરી જાગૃતિબેનને અપશબ્દો કહ્યા હતા. ઈન્દુબેન રાઠોડે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ શાંતિ રાઠોડે તેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ઈન્દુબેન શાંતિ રાઠોડ (ઉ.વ.46)એ જયાબેન રમેશભાઈ સોંધરવા અને જાગૃતિબેન રમેશભાઈ સોંધરવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ-પત્નિ જયાબેનના ઘર પાસેથી નિકળ્યા હતા. ત્યારે તેને બોલાવી આ મકાન અમારૂ છે તમે હક માંગતા નહી કહ્યું હતું. બંને માતા-પુત્રીએ દંપતિને ગાળો આપી હીત. તેમજ શાંતિ રાઠોડને જયાબેને લાફા ઝીંકી દીધા હતા. તેમજ ઈન્દુબેનને વાળ પકડી નીચે પછાડી દીધા હતા તથા મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એસ.કે.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ધાર્મિક આયોજન:સાવરકુંડલામાં શ્રીમદ્દ ભગવત ગીતા કંઠ પાઠ
સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શ્રીમદ ભગવત ગીતા યોજના અંતર્ગત ગીતા કંઠ પાઠ અને સત સુભાષિત કંઠ પાઠની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રતિભાગીઓ દ્વારા ખૂબ સુંદર રીતે ગીતાના શ્લોક તેમજ સુભાષિતોનું લય અને તાલ સાથે ગાયન કરવામાં આવ્યું હતું. નાના બાળાઓ અને વિધાર્થીનિએ સુંદર રીતે ગીતાના શ્લોકોનું ગાયન કર્યું હતું. જેના નિર્ણાયક તરીકે નીતાબેન ત્રિવેદી, નીતાબેન ભટ્ટ તેમજ કિરણબેન સોજીત્રાએ ફરજ બજાવી સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે ઉષાબેન તેરૈયા આચાર્ય એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા કંઠ પાઠમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ઉષાબેન તેરૈયા દ્વારા શ્રીમદ ભગવદ ગીતાની પુસ્તિકા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા દ્વારા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ખેડૂતો સીધા ગ્રાહકોને પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરશે:અમરેલીમાં અમૃત ખેડૂત બજારનો આરંભ
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી અમૃત ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સ્થિત પરિસરમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમૃત ખેડૂત બજારની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદને વિષયક ચર્ચા કરી હતી. આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ–બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ-દાળ, તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે. સવારે 9 થી બપોરે 12 કલાક સુધી બજાર ખુલ્લું રાખવામાં આવશે. જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યવર્ધક ખેતી ઉત્પાદનોનું વેચાણ થશે. ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી થકી માનવીય આરોગ્ય પરનો ખતરો ટાળી શકાય છે. રાજ્યમંત્રીએ આત્મા અમરેલીને પ્રાકૃતિક ચીજવસ્તુ-અમૃત ખેડૂત બજારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ફોલોઅપ:બેંક કર્મચારી પર હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ
લીલીયાના ક્રાંકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી જાહેરમાં ઊઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે અહીં આરોપીઓનું રી- કન્ટ્રકશન કરાવ્યું હતું. લીલીયાના ક્રાંકચ ગામે થોડા દિવસો પહેલા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હુમલો કરનાર દેવકું વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળાની ધરપકડ કરી હતી. ત્રણેયને ઘટનાસ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.18 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાના સુમારે ક્રાંકચ ગામે આ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ગંભીર હુમલામાં બેંક કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લીલીયાના પીઆઈ એમ.ડી.સાળુંકે સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. લીલીયા પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબ્જે લીધી છે. સાથે સાથે ઘટના સ્થળે પકડાયેલ ત્રણેય આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. .
ગંભીર અકસ્માત:ફોર વ્હીલરે બાઈકને ઠોકર મારતાં યુવકને ગંભીર ઈજા
ઝાંઝરડા રોડ પાસે ફોર વ્હીલરે બાઈકને ઠોકર મારતાં યુવકને ગંભીર ઈજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવની મળતી વિગતો અનુસાર શહેરમાં ખામધ્રોળ રોડ પર આવેલ હેમાવન સોસાયટીમાં રહેતો ભાવેશ ભગવાનદાસ બઘેલ ઉ.વ. 21 ગઈ તા. 12 નવેમ્બરના રોજ સાંજે ફઈનો દીકરો આવેશ મુલાયમસિંઘ બધેલ સાથે જીજે 11 સીસી 8429 નંબરનું બાઈક લઈને કામ ઉપરથી ઘરે જતું હતું તે દરમિયાન ઝાંઝરડા રોડ પર આવેલ રિલાયન્સ મોલની પાછળ શેરીમાં પહોંચતા પૂરઝડપે આવી રહેલા સફેદ કલરના જીજે 11 બીઆર 3707 નંબરના ઈકો ફોર વ્હીલરના ચાલકે બાઈકને સાઈડથી ઠોકર મારતાં બંને યુવક પડી ગયા હતા. અકસ્માતથી ભાવેશ ભગવાનદાસને જમણા પગના ભાગે ગંભીર અને આવેશ મુલાયમસિંઘને ડાબા પગ પર ઇજા થતા બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ લઈ ઈકો ગાડીના ચાલક સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં ગત માસે 72 ચાલક વિરૂધ્ધ ગુન્હા નોંધાયા
પોરબંદર જિલ્લામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકો, અડચણ રૂપ વાહન રાખનાર ચાલકો અને નશો કરી વાહન ચલાવનાર કુલ 72 ચાલક સામે પોલીસે ગત ઓક્ટોબર માસે કાર્યવાહી કરી, દંડ નહીં પરંતુ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમા પુર ઝડપે વાહન ચલાવી ચાલકો અન્ય નિર્દોષ લોકોને અને પશુને હડફેટે લેતા હોય છે. જેને કારણે લોકોને ઈજાઓ પહોંચે છે. ગત ઓક્ટોબર મહિનામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર 17 ચાલકને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકની પાછળ પોલીસ પીછો કરી તેઓને ઝડપી લેવામાં આવે છે. આવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં કેટલાક ચાલકો નડતર રૂપ વાહનો પાર્ક કરતા હોય છે. આવા વાહનોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત થવાની ભીતી રહે છે ત્યારે ગત માસે અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 12 વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લામાં કેટલાક તત્વો નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા હોય છે. આવા ચાલકો અન્ય તથા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ગત માસે નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 43 શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આવા ચાલકોને દંડ નહિ પરંતુ ગુન્હા નોંધી કોર્ટ કેસ કરવામાં આવી રહ્યા છે.
પીજીવીસીએલની 18 ટીમનું ચેકિંગ:પોરબંદરના 8 ગામમાં કનેક્શન દીઠ સરેરાશ રૂ.34 હજારની વીજચોરી ઝડપાઇ
પોરબંદરના બરડા પંથકના બગવદર અને મજીવાણા સબ ડિવિઝન હેઠળ આવતા 8 ગામોમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 400 કનેક્શનની તપાસ દરમ્યાન 46 કનેક્શન રૂપિયા 15.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી.આ ચેકીંગ દરમ્યાન સરેરાશ કનેક્શન દીઠ રૂપિયા 34 હજારની વીજચોરી સામે આવી હતી. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા સમયાંતરે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.બરડા પંથકના બગવદર અને મજીવાણા સબ ડિવિઝન હેઠળના દેગામ, બખરલા, પાંડવદર, ખિસ્ત્રી ,અડવાણા ,ફટાણા ,મજીવાણા, બગવદર સહિતના 8 ગામોમાં પી.જી.વી.સી.એલ.ની 18 ટીમો દ્વારા કોર્પોરેટ વીજચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી.આ વીજ ચેકીંગ દરમ્યાન 400 વીજકનેકશન માંથી 46 કનેકશનમાં અંદાજે રૂપિયા 15.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી. સર્વિસ બ્રેક કરી, લંગરિયા નાખી વીજચોરી થતી હતીપોરબંદરના બરડા પંથકમાં થયેલ વીજ ચેકીંગમાં 42 જેટલા વીજ કનેક્શન વીજચોરી ઝડપાઇ હતી.જેમાં સર્વિસ બ્રેક કરી,લંગરિયા નાખી,મીટરમાંથી પાવર મેળવી વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે.તો અમુક મીટરને તપાસ માટે પણ લાવવામાં આવ્યા હતા.
ભાસ્કર ઇનસાઈડ:સવારે ઉઠતા વેંત ફોન કે મેસેજ આવે, ટાર્ગેટ પૂરો કરવો જ પડે''
કોડીનાર તાલુકાના છારા ગામમાં બીએલઓની કામગીરી સાથે જોડાયેલા તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવનાર અરવિંદભાઇ વાઢેરે શુક્રવારે બીએલઓની કામગીરીના માનસિક તણાવ અને ઉપલી કચેરીના દબાણને કારણે સુસાઇટ નોટ લખી ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ હતુ. આ ઘટનાથી સમગ્ર રાજ્યના શિક્ષણજગત અને બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ ઘટના બાદ ભાસ્કરે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બીએલઓની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે વાત કરી તેને કેટલો ટાર્ગેટ અપાઇ છે, કામગીરીનુ કેટણુ ભારણ હોય, મગજ પર તેની કેવી અસર પડી સહિતની બાબતને લઇ વાત કરી હતી. જેમાં અનેક ચોકાવનારા કિસ્સા સામે આવ્યા હતા. કિસ્સો - 1આખો દિવસ સતત ઘરે- ઘરે જઇ મતદારોને ફોર્મ આપવા તેમજ ભરેલા ફોર્મ મેળવવાની કામગીરી કરતા હોવાથી રાત્રે ઉંઘ પણ સરખી આવતી નથી. ટાર્ગેટ પૂરો નહીં થાય તો નોટીસ આવશે અને કાર્યવાહી થશે તો એવો સતત ભય રહે છે. નિંદરમાં પણ સતત બીએલઓની કામગીરી ઘૂમ્યા કરે છે. કિસ્સો -2સવારથી સાંજ સુધી બીએલઓની કામગીરી કરી રહ્યા છીએ. જેને કારણે પરિવારને પણ પુરતો સમય આપી શકતા નથી. સવારના કામગીરીમાં નિકળીએ તો સાંજે ઘરે ક્યારે પરત આવીએ તે નક્કી રહેતુ નથી. ઉપરાંત મોડી રાત સુધી પણ ફોર્મ ડિઝીટાઇઝેશનની ઓનલાઇન કામગીરી તો ખરી જ. કિસ્સો-3હું અને મારા પતિ બીએલઓની કામગીરી સાથે જોડાયેલા છીએ. મારા સાસુ ઘરકામ કરી શકતા નથી. આખો દિવસ અમે આ કામમાં હોવાથી સાંજે તમામ માટે બહારથી ટીફીટ મંગાવવું પડે છે. તેમજ અમારા બાળકોના ભણતરમાં પણ ધ્યાન આપી શકતા નથી. બીએલઓની કામગીરી તો પરિવારથી વિખૂટાં રાખી રહી છે. કિસ્સો -4બે દિવસથી તો ઘરે સાંજે પહોંચીએ તો મેસેજ મળે છે કે, કચેરીએ ભોજન કરીને પહોંચો અહીં મોડી રાત સુધી કામગીરી કરવાની છે. જેને કારણે અમે ઘરે પરિવાર સાથે પણ રહી શકતા નથી કે બાળકોને પણ સમય આપી શકતા નથી. બીએલઓની કામગીરીને કારણે આખો દિવસ તણાવયુક્ત જ રહીએ છીએ. કિસ્સો - 5દરરોજ સાંજે સુપરવાઇઝર દ્વારા બીજા દિવસોનો ટાર્ગેટ આપવામાં આવે છે કે, આટલા ફોર્મ મતદારો પાસેથી મેળવી લેવાના અને આટલા ફોર્મનુ ડિઝીટાઇઝેશન પણ થઇ જવુ જોઇએ અને જો આ કામ આખા દિવસમાં પૂરૂ નહીં થાય તો નોટીસ આપવામાં આવશે તેવી ધમકી અપાઇ છે. પિતાની વ્યથા.. બમણું કામઅને ટોર્ચરથી જીવ દીધો શિક્ષક પુત્રના અપમૃત્યુથી આઘાત પામેલા પિતા પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા, જ્યા તેમની તબીયત પણ અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં જ દાખલ કરવા પડ્યા હતા. તસવીર: મિલાપ સુચક કોડીનાર| આ આઘાત જનક બનાવ બાદ મૃતક શિક્ષકના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં એમની પણ તબિયત અચાનક જ લથડી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે ભાસ્કરને કહ્યું કે, આપઘાતનું પગલું ભર્યું એ પહેલાં મારો પુત્ર સ્વસ્થ હતો, એના ચહેરા પર માનસિક અસર જોવા મળતી ન હતી. પણ ડબલ કામગીરી અને કામ પણ વહેલું પૂરું કરવાનું સતત ટોર્ચર થતું હોવાના લીધે તેણે પોતાનો જીવ દઈ દેવાનું પસંદ કર્યું હતું. સવારે 6.30 વાગ્યે ઉઠીને એણે એની પત્નીને કહ્યું હતું કે, તું ચા બનાવ, હું નાહવા માટે જાઉં છું. બાદમાં ગળેફાસો ખાઈ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક શિક્ષકને એક દીકરી પણ છે, જે શાળામાં ભણે છે.
પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં એલ.ઇ.ડી. સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી હતી.અંદાજે 4200 જેટલી શહેરના માર્ગો અને સોસાયટીમાં આ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી હતી.પરંતુ ચોમાસા દરમ્યાન એલ.ઇ.ડી.સ્ટ્રીટલાઈટ વધુ ખરાબ થતી હોવાથી ચોમાસાની સીઝનમાં મનપા કચેરીમાં સ્ટ્રીટલાઈટ બંધની ઢગલાબંધ ફરિયાદો મળે છે અને દીકરી સુધી આ ફરિયાદોની નિકાલ કરી નથી શકતો ત્યારે મનપા દ્વારા નવી શહેરી વિસ્તારમાં તેમન નવા ભળેલ રતનપર, વનાણા, દિગ્વિજયગઢ અને જાવર વિસ્તારમાં નવી સ્માર્ટ સ્ટ્રીટલાઈટ લગાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા શહેરના માર્ગો તેમજ ચોપાટી, છેવાડાની સોસાયટી સહિત સમગ્ર પોરબંદર શહેરમાં 15,500 સ્માર્ટ સ્ટ્રીટલાઈટ નાખવા માટે રૂપિયા 36 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું છે.આ ટેન્ડરમાં સ્ટ્રીટલાઈટ લગાવવા ઉપરાંત તેમનું 5વર્ષ સુધી મેઇન્ટેન્સ પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે. એકસરખી નહિ રોડની સાઈઝમુજબ સ્ટ્રીટલાઈટ લાગશેપોરબંદર મનપા દ્વાર સ્માર્ટ સ્ટ્રીટલાઈટ લગાવવાના આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરના માર્ગોની પહોળાઇ અને લંબાઈ મુજબ 45 વૉટ થી લઈને 150 વૉટ સુધીની સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવશે તેમજ અગાઉ રોડની સાઈડમાં રહેલ પી.જી.વી.સી.એલ.ના પોલમાં સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી હતી.પરંતુ હવે તમામ જરૂરીયાત મુજબ પોલ ઉભા કરી તેમાં જ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવશે.
પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ:સોમનાથ મંદિર પાસે રેકડી ધારકે મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી
સોમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ગૌરીકુંડ પાસે લીલા નાળિયેર વેચવાનો ધંધો કરતા રેકડી ધારકની રેકડી સોમનાથ દર્શને આવેલા કોઈ કપલ યાત્રિક નારિયેળ પીવા આવેલ જે પોતાનો કિંમતી મોબાઈલ રેકડી પર મૂકીને ભૂલી ગયા હતા. જે યાત્રિક તેનો મોબાઇલ શોધતા પૂછપરછ માટે પરત આવતા રેકડી ધારક હિરા વાજાએ ખરાઈ કરી બે સાક્ષીની સાથે લેવા આવનાર તે યાત્રિક સાથે ફોટો પાડી ખાતરી માટે રાખી મોબાઈલ પરત આપી દીધો હતો. હીરાભાઈ પ્રમાણિકતા માટે જાણીતા છે. આ અગાઉ પણ કેટલાય યાંત્રિકોને તેની ભુલાઈ ગયેલ ચીજો પરત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
કામગીરી:ધારાવીમાં શિબિર દ્વારા 18,000થી વધુ ઝૂંપડાંવાસીઓને આવરી લેવાયા
DRP અને NMDPL દ્વારા સંયુક્ત રીતે આયોજિત ધારાવી દસ્તાવેજીકરણ શિબિર, તાજેતરના મહિનાઓમાં સૌથી મોટા અને સૌથી વધુ સુમેળભર્યા આઉટરીચ ડ્રાઇવ્સમાંનું એક બની ગયું છે. 1-15 નવેમ્બર, 2025 સુધી, ટીમો માળખાગત માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC) પુશ દ્વારા 18,000 થી વધુ ઝૂંપડાઓ સુધી પહોંચી. સેક્ટર 1 થી 6 માં કર્મચારીઓની દૈનિક તૈનાતીએ જમીન પર સ્થિર હાજરી સુનિશ્ચિત કરી, જે આ તબક્કાને અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ સૌથી સંપૂર્ણ ગતિશીલતા પ્રયાસ બનાવે છે. ક્ષેત્ર ચકાસણી ઝડપથી આગળ વધી, નાના મુદ્દાઓનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું, અને બાકી રહેલા સર્વેક્ષણ કેસ ઝડપી ગતિએ બંધ થવા લાગ્યા. QC-અસ્વીકારાયેલા ફોર્મ, લૉક થયેલાયુનિટ, આંશિક સબમિશન, અથવા ઘરના વડા ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓ જેવી નાની વિસંગતતાઓ ધરાવતા 4,500 થી વધુ પરિવારોને લક્ષ્યાંકિત ફોલો-અપ્સ દ્વારા મેપ કરવામાં આવ્યા અને ટેકો આપવામાં આવ્યો, જેનાથી રહેવાસીઓ પરનો બોજ ઓછો થયોછે, એમ DRP/SRA ના CEO ડૉ.મહેન્દ્ર કલ્યાણકરે જણાવ્યું હતું. આ ઉપરાંત, NMDPL કોલ સેન્ટરના 8000 થી વધુ કોલથી કેમ્પ વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ મળી અને રહેવાસીઓને કેમ્પમાં આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રતિકારના નાના કિસ્સાઓને શાંતિથી અને વ્યવસાયિક રીતે સંભાળવામાં કરવામાં આવ્યા, વધુ આશ્વાસન આપતું વાતાવરણ બનાવ્યું અને સમુદાયનો વિશ્વાસ મજબૂત થયો.
વાતાવરણ:મુંબઈમાં ઠંડીનો ચમકારો, વાયુની ગુણવત્તા બગડી
મુંબઈમાં શુક્રવારે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. એક બાજુ ઠંડી વધી રહી છે ત્યારે બીજી બાજુ વાયુની ગુણવત્તાનો નિર્દેશાંક (એક્યુઆઈ) બગડી રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી વધુ વધશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. શુક્રવારે સવારે હલકી ઠંડી, સાફ આકાશ અને હલકી હવાની નોંધ કરાઈ હતી. લઘુતમ તાપમાન 20 ડિ.સે.થી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં થોડો વધુ ઘટાડો થઈ શકે છે. દિવસમાં મહત્તમ તાપમાન 33-34 ડિ.સે. સુધી પહોંચ્યું હતું, જ્યારે રાત્રે તે 17 ડિ.સે. સુધી નીચે આવ્યું છે. ખાસ કરીને ઉત્તરીય ઉપનગરોમાં પારો વધુ નીચે ઊતરી રહ્યો છે. સામાન્ય રીતે દક્ષિણ મુંબઈની તુલનામાં અહીં ઠંડકનું પ્રમાણ વધુ હોય છે. જોકે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સમીપ એપ અનુસાર મુંબઈની એક્યુઆઈ શુક્રવારે સવારે 143 રહી હતી, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. ધુમ્મસનો પાતળો સ્તર દિવસ ચઢવા સાથે ઓછો થયો, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે શાંત હવાને લીધે પ્રદૂષક હવા જળવાઈ રહી શકે છે.સવારે ઠંડી હવા સારો અહેસાસ આપી રહી છે, પરંતુ હલકું ધુમ્મસ વધીને આખા શહેરમાં ફેલાઈ રહ્યું છે, જેને કારણે અનેક વિસ્તારમાં ઈમારતો પણ ઝાંખી દેખાઈ રહી છે.
SIRની કામગીરી અંતિમ તબક્કામાં:આજથી બે દિવસ મતદાન મથકોએ ભારે ધસારો રહેશે
ગાંધીનગર જિલ્લામાં SIR- મતદાર યાદીની ઘનિષ્ટ ચકાસણીની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. 4 ડિસેમ્બર સુધીમાં તમામ મતદારોનું વેરીફિકેશન, ફોર્મ ભરીને ઓનલાઇન અપલોડ કરી દેવાના છે ત્યારે આ શનિ- રવિવારે તમામ મતદાન મથકો પર મતદારોનો ભારે ધસારો રહે તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા મતદારોને મુંઝવતા પ્રશ્નોના સમાધાન, 2002ની મતદાર યાદીના મેપિંગ સહિતની કામગીરી માટે નવેમ્બર મહિનાના બે શનિ- રવિવાર એમ કુલ ચાર દિવસ તમામ મતદાન મથકો પર બીએલઓને હાજર રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે 22 અને 23 નવેમ્બરે છેલ્લા બે દિવસ રહ્યા છે. બીજીતરફ મોટાભાગના મતદારોને ફોર્મનું વિતરણ થઇ ગયું છે અને હવે ફોર્મ ભરાઇને પરત લેવાનો તેમજ તેની ઓનલાઇન એન્ટ્રી કરવાનો તબક્કો ચાલી રહ્યો છે પરંતુ હજુ 25 ટકા આસપાસ કામગીરી થઇ હોવાથી મહત્તમ કામગીરી હવેના દિવસોમાં થશે. શનિ-રવિવારના રોજ બીએલઓ સવારે 9થી 1 વાગ્યા સુધી મતદાન મથકો પર ઉપલબ્ધ રહેનાર હોવાથી આ બંને દિવસોએ મતદાન મથકો પર ભારે ધસારો રહેવાની શક્યતા છે. જે લોકોએ હજુ સુધી ફોર્મ નથી મેળવ્યા અથવા બહારગામ રહેતા હોય તેવા લોકો પણ શિનિ-રવિવાર દરમિયાન બીએલઓનો સંપર્ક કરશે. આ બે દિવસમાં લોકોએ ફોર્મ ભરી ચકાસણી કરી ઓનલાઇન અપલોડ કરાશે.
તસ્કરી:સેક્ટર 13માં કારમાંથી સાઇલેન્સરની ચોરી થઈ
શહેરમાં કારમાંથી સાઇલેન્સર ચોરીના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. ખુલ્લામાં કે ઘર આગળ પાર્ક કરવામાં આવેલી કારમાંથી સાઇલેન્સર ચોરાઇ જાય છે. ત્યારે સેક્ટર 13 ખાતે ઘર આગળ પાર્ક કરવામાં આવેલી કારમાથી 50 હજારની કિંમતનુ સાઇલેન્સર ચોરી કરવામાં આવ્યુ હતુ. અજાણ્યા ચોર દ્વારા કારમાંથી કાળી રાતનો સહારો લેતા ચોરી કરવામાં આવતા કાર માલિકે સેક્ટર 7 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 13 એ, પ્લોટ નંબર 673-2 ખાતે રહેતા બ્રિજેશ લક્ષ્મણભાઇ પરમાર ફૂડનો છુટક વેપાર કરે છે. ત્યારે પોતાના ઉપયોગ માટે એક કાર નંબર જીજે 18 બીક્યુ 2623 વસાવવામાં આવી છે. દિવસ દરમિયાન કારનો ઉપયોગ કર્યા બાદ ઘર આગળ પાર્ક કરીને પરિવાર સુઇ ગયો હતો. જ્યારે બીજા દિવસે તેમની પત્નીને અમદાવાદ લેવા જવાનુ હોવાથી કાર લેવા ગયા હતા અને કાર ચાલુ કરી હતી. જેવી કાર ચાલુ કરતા જ અવાજ બદલાયેલો આવવા લાગ્યો હતો. જેથી મિકેનિકલ બોલાવતા કાર ચાલી હતી અને બાદમાં તેની તપાસ કરતા સાઇલેન્સર જોવા મળ્યું ન હતુ. જેથી 50 હજારની કિંમતના સાઇલેન્સરની સેક્ટર 7 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધી ચોરની શોધોખોળ હાથ ધરી હતી.
21 નવેમ્બરના સાંજ 7:15 વાગ્યા આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા. ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈમળતી માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડીયા પરિવાર સાથે રહેતી હતી. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. 19 ફેબ્રુઆરીના મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતારાધિકાની છ મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. દરરોજ સવાર-સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી. રાધિકા 21 નવેમ્બરની સવારે ડેઇલી રૂટિન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી. ત્યાર બાદ બપોરે જમવા માટે ઘરે આવી પરત ક્લિનિક જતી રહી હતી. જોકે, સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું હતું કે, હું યોગી ચોક જાવ છું કહી નીકળી ગઈ હતી. બિઝનેસ હબના 9મા માળે કાફેમાંથી નીચે ઝંપલાવ્યુંસાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી. ત્યાં અન્ય કપલો પણ હાજર હતા અને બધા હળવાશની પળો માણી રહ્યા હતા. આ દરમિયાન રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી ઉપર ચઢીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું. જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતા આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા. દીકરીના મોતથી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇરાધિકાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. દીકરીના મોતને પગલે પરિવારમાં જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ઘરના તમામ સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ કરવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પીઆઇ કે.એ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતક રાધિકાનો કબજો પોલીસે લઈ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મંગેતર સાથેના અણ બનાવોથી આ પગલું ભર્યાનું અનુમાનપોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણ બનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બે મહિના બાદ દીકરી રાધિકાના લગ્ન થવાના હતા તે પહેલાં જ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ બનાવ અંગે સરથાણા પોલીસે મૃતક રાધિકાનો મોબાઈલ ફોન કબજે લઈ તેમજ પરિવારના સબ્યોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાધોડીયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટીના પ્લોટ નં. 425માં ચાલી રહેલી સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે ઋષિકેશથી પધારેલા પ્રખર કથાવ્યાસ આચાર્ય નારાયણદાસ મહારાજે રાજા પરીક્ષિતના બે પ્રશ્નોને આધારે જીવન અને મૃત્યુના ગહન તત્ત્વોનું સરળ સુંદર નિરૂપણ કર્યું. રાજાને પૂછેલા બે પ્રશ્નો જનસામાન્ય માટે અમૃત તુલ્ય મહારાજે કહ્યું કે, રાજા પરીક્ષિતે શુકદેવજીને પૂછેલા બે પ્રશ્નો – મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું? અને આત્મકલ્યાણ માટે સામાન્ય માનવીએ શું કરવું? – એ જનસામાન્ય માટે અમૃત તુલ્ય છે. મહારાજ ભર્તૃહરિએ ચેતવ્યું છે કે, “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ” – આપણે ભોગોને ભોગ્યા નહીં, ભોગોએ આપણને ભોગી લીધા. વિરાટપુરુષના સ્વરૂપમાં આખું જગત ભગવાનનું જ છેશુકદેવજીએ રાજાને ઉપદેશ આપ્યો કે અંતિમ સમયે ઘબરાવું નહીં, ભગવાનનું ધ્યાન કરવું અને સંસારની આસક્તિ ધીમે ધીમે છોડવી. “વાસુદેવઃ સર્વમ્”, “સર્વં ખલ્વિદં બ્રહ્મ”, “એકં બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ” – આ ત્રણ વાક્યો જીવનનું સાર છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું કે, અંતિમ ક્ષણે જે ભાવ હોય તે જ ભાવ પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિસ્તારથી સમજાવ્યું કે, વિરાટપુરુષના સ્વરૂપમાં આખું જગત ભગવાનનું જ છે. તેથી સર્વત્ર પરમાત્માનું દર્શન કરવું જોઈએ. જે વ્યક્તિ સદાચારી અને કર્તવ્યપરાયણ હોય, તેની પાસે સર્વ ઐશ્વર્ય આપોઆપ આવે છે, જેમ નદીઓ સમુદ્ર તરફ દોડે છે, સમુદ્રને તો કોઈ કામના જ નથી. સૌના પ્રત્યે પ્રેમ અને સેવાનો ભાવ રાખીને જીવન જીવવું જોઈએકથામાં કપિલદેવ અને માતા દેવહૂતિના સંવાદ દ્વારા સાંખ્ય યોગના સાર તત્ત્વોનું પણ ઉજાગર કરતાં મહારાજશ્રીએ કહ્યું કે આ ચરાચર સૃષ્ટિ ભગવાનનું સગુણ સ્વરૂપ છે, તેથી સૌના પ્રત્યે પ્રેમ અને સેવાનો ભાવ રાખીને જીવન જીવવું જોઈએ. આજની કથામાં મુખ્ય યજમાન શ્રીમતી તથા શ્રી અજય શર્મા ઉપરાંત પં. સોમનાથ શાસ્ત્રી, વિપુલ જોશી, આચાર્ય શિવવરણ શાસ્ત્રી, પં. રોહિત મિશ્ર, આચાર્ય રામદત્ત શુક્લ, નિરુપમા શર્મા, અભય શર્મા, સાઈ શર્મા સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર 01 જાન્યુઆરી-2026ની લાયકાત તારીખને આધારે ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision-2025) હેઠળ અમદાવાદ જિલ્લામાં આગામી શનિવાર અને રવિવાર તા. 22 અને 23 નવેમ્બરે ફરી એકવાર મોટાપાયે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે તમામ 5524 મતદાન મથકો પર વિશેષ કેમ્પનું પુન: આયોજન કરવામાં આવનાર છે. મતદારોની મૂંઝવણ માટે BLO માર્ગદર્શન પણ આપશેઆ કેમ્પમાં સંબંધિત મતદાન મથક ખાતેથી એન્યુમરેશન ફોર્મ મેળવી શકાશે તેમજ ભરેલા ફોર્મ પરત આપી શકાશે. વધુમાં, મતદારોને SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ માટે BLO માર્ગદર્શન પણ આપશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) પ્રગતિમાં છે. જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે ત્યારે શહેર-જિલ્લાના 21 વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. આ માટે અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો આ કેમ્પનો લાભ લઈ શકશે. શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારના આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે. રબારીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. નિકોલ રિંગ રોડ નજીક દાસ્તાન સર્કલ પહેલાં મુંબઇના વેપારી પાસેથી ટીઆરપી જવાન સહિત ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 5.88 લાખ પડાવ્યા હતા. જે ઘટનાના પડઘા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુધી પહોંચ્યા હતા. તોડકાંડ ઘટના મામલે નબળું સુપરવિઝન અને તપાસ યોગ્ય રીતે ન કરતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ હવે PIને સસ્પેન્ડ કર્યા છે. મુંબઇના વેપારી પાસેથી 5.88 લાખ પડાવ્યા હતાનિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે મુંબઇના વેપારી પાસેથી TRB જવાન અને પોલીસકર્મીઓએ 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી પોલીસે તપાસના આધારે રાજેશ પટણી અને વિશાલ પટણીની ધરપકડ કરી હતી. અંદાજીત દોઢ મહિના પહેલાંના તોડકાંડમાં હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી શોધખોળ ચાલી રહી છે. 1 લાખ રોકડા અને 4.88 UPIથી ટ્રાન્સફર કર્યા હતામુંબઇના એક વાપારીને દાસ્તાન સર્કલ પાસે રોકવામાં આવ્યા હતા. વેપારીની ગાડી રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી. ત્રણ TRB જવાન સહિત ચાર જેટલા પોલીસ કર્મચારીઓ વેપારીને ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકીમાં લઈ ગયા હતા. જ્યાં વેપારી પાસે રહેલા મોબાઈલની પણ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન મોબાઈલમાં સટ્ટાની એપ્લિકેશન મળી આવતા વેપારીને ડરાવવામાં આવ્યો હતો. વેપારીને કેસ કરવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, વેપારી પાસે વાટાઘાટો કરી એક લાખ રોકડા લેવામાં આવ્યા હતા. તેમજ 4.88 લાખ રૂપિયા અજાણ્યા શખસ પાસેથી UPI કોડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દોઢ મહિના બાદ હેડ કોન્સ્ટેબલ ઝડપાયોજે બાદ વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીએ જ તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ ફરિયાદ દાખલ થતાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસ તપાસ હાથ ધરી એક મહિના પહેલાં રાજેશ પટણી અને વિશાલ પટણી નામના બે TRB જવાનની ધરપકડ કરી હતી. તેમજ અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરી હતી. જોકે, દોઢ મહિના બાદ હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ જે પણ એકાઉન્ટ મળી આવ્યા હતા તે તમામ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને અન્ય એક આરોપીની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પૈસા રિકવર કરવાની કામગીરી કરાઈ રહી છેACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, નાગજી ચૌધરી બનાવ બન્યો ત્યારે સ્થળ પર હાજર હતા અને તેની સૂચનાના આધારે TRB જવાન કામગીરી કરતા હતા. વેપારીની ગાડી રોકી પોલીસ ચોકીમાં લઈ જઈ વ્યવહાર કરવામાં આવ્યા હતા. જે પણ એકાઉન્ટ મળી આવ્યા તેને ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમજ રકમ રિકવર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નાગજી ચૌધરી આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને તેમનો પોઈન્ટ દાસ્તાન સર્કલ પાસે હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં ગેરકાયદે દારૂના રેકેટ ચલાવતી ગેંગ સામે કડક પગલા ભરી મોટી કાર્યવાહીની માહિતી જાહેર કરી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા રાજ્ય મોનિટરિંગ સેલના વડા IPS અધિકારી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ સંચાલિત ક્રાઇમ સિન્ડિકેટ (Organized Crime Syndicate) પર GCTOC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયોમુખ્ય સૂત્રધાર તરીકે વિશ્વાસ ભીમરાવ બડોગે (ગડરી), રહે. નવાપુરા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર તથા તેના 9 સાથીઓ મળી કૂલ 10 વિરુદ્ધ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC) કલમ 3(1)(2), 3(2) અને 3(4) 3 (5) હેઠળ ગુનો નોંધાયો છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં સપ્લાય કરતીસ્ટેટ મોનિટરિંગ ટીમે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, આ ગેંગ સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી IMFL દારૂ ગુજરાતમાં સપ્લાય કરતી હતી. આ ગેંગના મુખ્ય સાગરિત વિશ્વાસ સામે 82 ગુનાઓ જ્યારે ગેંગના અન્ય આરોપીઓ સામે 15 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં ગેરકાયદે દારૂના રેકેટ સામે કડક કાર્યવાહીઆ ગેંગ સામે આજે GCTOC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં ગેરકાયદે દારૂના રેકેટ સામેની સૌથી કડક કાર્યવાહીમાંની એક માનવામાં આવી રહી છે. આવી ગેંગો સામે રાજ્યસ્તરે કડક અભિયાન ચાલુ રહેશેપોલીસના જણાવ્યા મુજબ આગળની તપાસમાં વધુ નેટવર્ક, રૂટ અને નાણાકીય વહેચણી અંગે ખુલાસા થવાની શક્યતા છે. રાજ્ય મોનિટરિંગ સેલે જણાવ્યું કે, આવી ગેંગો સામે રાજ્યસ્તરે કડક અભિયાન ચાલુ રહેશે.
બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા મહંત સ્વામી મહારાજ આજે જામનગરથી અમદાવાદ પધારી ગયા છે અને આગામી 16 જાન્યુઆરી, 2026 સુધી એટલે કે પૂરા 57 દિવસ સુધી અમદાવાદમાં બિરાજમાન રહેશે. તેમની પાવન હાજરીમાં સૌથી મોટો કાર્યક્રમ 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ પર યોજાનારો પ્રમુખ સ્વામી વરણી અમૃત મહોત્સવ છે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજની વરણીને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે સાબરમતી નદીમાં નળ સરોવરથી મંગાવાયેલી 75થી વધુ બોટો ફૂલોથી શણગારીને અને ભવ્ય લાઇટિંગ સાથે તરતી કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ અને રિહર્સલ હાલ ચાલુ છે. 75 વર્ષની ઊજવણીરુપે સાબરમતી નદીમાં 75થી વધુ બોટો તરશેતા. 7મી ડિસેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રમુખ સ્વામી મહારાજની વરણીને 75 વર્ષ પુરા થતાં હોવાથી પ્રમુખ સ્વામી વરણી અમૃત મહોત્સવનું ભવ્યાતિભવ્ય ઉત્સવ યોજવામાં આવશે. આ 75 વર્ષ પૂર્ણ થયાની ઊજવણીરુપે રિવરફ્રન્ટ પરની સાબરમતી નદીમાં 75થી વધુ બોટો ફરશે. બે બોટો ભેગી કરીને ફેરવવામાં આવશે અને તેના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં સુધી કે રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે. બોટ કેટલું વજન ખમી શકશે તેના ટેસ્ટીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. કાર્યક્રમ માટે પાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવીઆ બોટને ગ્લો ગાર્ડનની જેમ ફૂલોથી શણગારવામાં આવશે. તેના પર લાઇટીંગ પણ કરવામાં આવનાર છે. આ બોટોને અમદાવાદ જિલ્લાના નળ સરોવર ખાતેથી મંગાવવામાં આવનાર છે. અત્યારે માત્ર 4 બોટો લાવવામાં આવી છે. બાકીની બોટો હવેના દિવસોમાં લાવવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે પાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હરિભક્તોને AMTS બસમાં આવવા માટેની પણ જાણ કરાઇ હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. સ્વામી દિવાળી પછી નળ સરોવર આવ્યા ને વાત કરીવેકરિયા ગામના સરપંચ હાજીભાઇ સમાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નળ સરોવરથી 80 બોટો મોકલવાની છે. ભાડાંની કોઇ વાત થઇ નથી. સ્વામીજીની સેવા જેવું જ છે. બોટ પર પ્રોગ્રામ તો ત્રણ દિવસનો જ છે. બોટ પર ડેકોરેશન કરવાના છે. આગામી દિવસોમાં બોટો લઇ જવાના છે. કેટલી, કયારે લઇ જવાના છે તે નક્કી નથી. આ બોટ 17થી 20 ફૂટની લંબાઇ ધરાવે છે. બાકી પહોળાઇ તો દરેકની 3.50 ફૂટની છે. મારી બોટો બે મહિનાથી રિવરફ્રન્ટથી ત્યાં પડી છે. તેમાં તેઓ રિહર્સલ કરતાં હતા. કેવો પવન આવે છે, તેમાં બોટો નમી જતી નથી ને ટેસ્ટીંગ કરાવતાં હતા. વજન કેટલું ખમી શકે છે. તેના પર શું મૂકવું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે ચાર બોટો ત્યાં પડી છે. સરપંચ જોડે વાત કરી છે. સ્વામીજી પણ આવ્યા હતા. આ કાર્યક્રમમાં બીજી બોટો પણ આવવાની છે. મશીન બોટો છે. અમારી સાદી બોટને મશીન બોટ જોડે જોડી દેશે. રિવરફ્રન્ટમાં ઝોન બનાવ્યો છે. તેમાં ત્રણ દિવસ બોટ ફેરવવાની છે. અમારે બોટો ચલાવવાની નહીં થાય. મશીન બોટવાળા ચલાવશે. અમારી બોટો પાછળ ખાલી બાંધવાના છે. બે કિલોમીટરનો એરિયા છે. તેમાં જ ફરવાની છે. 20 બોટો એવી છે જેની સાથે બીજી 20 બોટો બાંધવાની છે. 40 બોટો કિનારે લંગાર નાંખીને બાંધી જ રાખવાની છે. તેમાં 20 બોટો એટલે 40 બોટ ફરશે.
ભાવેશભાઈ રામાણી (ઉ.વ.45)એ ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા તેમને સંતાનમાં 11 વર્ષનો પુત્ર છે. પોતે પહેલા કારખાનામાં નોકરી કરતા હતા અને 6 મહિનાથી કામ છૂટી ગયું હતું જેના કારણે કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ વધી ગઈ હતી અને તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંઅબ્બાસ અમીનભાઈ સુભડીયા (ઉં.વ.24) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે સાલ વડે ગળે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અબ્બાસ અપરણિત હોવાનું અને મચ્છી વેચવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. યુવકે ક્યાં કારણો સર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ગેસ લીકેજથી આગ લાગતા પતિ-પત્ની દાઝ્યાકંચનબેન હરેશભાઈ સોલંકી (ઉં.વ.35) અને હરેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉં.વ.40) આજે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે ગેસની નળી લીકેજ થતા આગ લાગતા બંને શરીરે દાઝી ગયા હતા, જેથી બન્નેને 108 મારફત સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ હરેશભાઈ શાકભાજી વેંચતા હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે પત્ની કંચનબેન ભંગાર એકઠો કરી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓને સંતાનમાં 2 દીકરા અને 3 દીકરી છે. આજે સવારે ઉઠીને હરેશભાઈ રસોડામાં ચા બનાવતા હતા ત્યારે અચાનક ગેસના સિલિન્ડરની લાઈન લીક થઈ ગઈ હતી જેથી ભડકો થયો હતો. આગ ઠારવા અને પતિને બચાવવા પત્નીએ પણ અગ્નિ જ્વાળા સાથે બાથ ભીડી હતી અને પતિને બહાર કાઢ્યા હતા. જોકે બંને ગંભીર રીતે દાઝી જતા હાલ બંને ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ હેઠળના જગુદણ સ્ટેશન યાર્ડ ખાતે રિડેવપમેન્ટના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર થશે. આગામી 23 નવેમ્બર રવિવારે બ્રિજ નંબર 983 ના રિડેવપમેન્ટના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલાક મહત્વના ટ્રેનોના સંચાલનમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. પૂર્ણ રદ થયેલી ટ્રેનો આંશિક રદ ટ્રેન રિશિડ્યૂલ ટ્રેનો
મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી અને વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા ની સૂચના મુજબ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે અસરકારક કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના ભાગરૂપે, સર્વેલન્સ સ્ટાફના અ.હેડ.કોન્સ. હિરેનકુમાર ભોગીલાલ અને આ.પો.કોન્સ. નિલેશકુમાર શંકરભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, એક શખસ ચોરી કરેલા મોબાઈલો વેચવા માટે રામપુરા સર્કલથી વિજાપુર જવાના રોડ પર ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં શંકાસ્પદ શખસ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન બાબતે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં શખસ તૂટી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે તેણે છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન લાખવડ, વિસનગર, કડી, મહેસાણા શહેર, મોઢેરા, નાગલપુર, નંદાસણ અને શિવાલા સર્કલ વિસ્તારમાં રાત્રિના સમયે સુઈ રહેલા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી છે. પોલીસે ચોરી કરેલા કુલ 21 નંગ મોબાઈલ ફોન જેમાં એન્ડ્રોઇડ અને સાદા ફોનનો સમાવેશ થાય છે કબ્જે કર્યા છે, જેની કિંમત રૂપિયા 96 હજાર આંકવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને તેની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-35(1)(ઇ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કબ્જે કરેલો મુદામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. ઝડપાયેલો આરોપીઆફતાબ હૈદરભાઇ કાદરભાઇ જાતે-બહેલીમ (મુસલમાન), ઉ.વ.-26, રહે, મહેસાણા 196, શાહીલ-2 સોસાયટી, શોભાસણ રોડ, તા.જી. મહેસાણા.
અમદાવાદ ખાતે આજે મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ અને વડોદરા મંડળોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સાંસદો સાથે સર્કિટ હાઉસમાં સંવાદ બેઠકનું આયોજન કર્યું હતું. સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં રેલવેના વિકાસ પ્રોજેક્ટની ગતિને લગતી માંગણીઓ અને સૂચનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. WDFCનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છેવિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, અનેક મુખ્ય સ્ટેશનોના રિ-ડેવલોપમેન્ટના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે અને રેલવે મંત્રી દ્વારા તેનો નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યો છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC)નું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સફાલેથી JNPT વચ્ચેના સેક્શનમાં કાર્ય પણ પ્રાયોરિટીમાં થઈ રહ્યું છે. આ બેઠક દરમિયાન મંડળ રેલ પ્રબંધક અમદાવાદ વેદ પ્રકાશે પ્રેઝન્ટેશન દ્વારા દિવાળી અને છઠ પૂજા દરમ્યાન સફળ ભીડ મેનેજમેન્ટ, ચાલતા રેલ પ્રોજેક્ટ્સ, નવી ટ્રેન સેવાઓ, નવી લાઇન અને સ્ટેશનોના રિ-ડેવલોપમેન્ટ વિશે માહિતી આપી હતી. વિશ્વનું 39મું સૌથી મોટું ખાનગી પોર્ટ છેતેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ 1480 રૂટ કિ.મી.ના હિસાબે ભારતીય રેલવેનું સૌથી મોટું મંડળ છે. વર્ષ 2024-25 દરમિયાન 13,510 રેકના 8,55,010 કન્ટેનર લોડિંગ સાથે મંડળે શ્રેષ્ઠ કામ કર્યું. લોડિંગમાં દેશભરમાં 8મું અને ફ્રેટ આવકમાં 7મું સ્થાન મેળવ્યું. મંડળમાં 78 ફ્રેટ ટર્મિનલ સાથે ભારતનું સૌથી વધુ ટર્મિનલ ધરાવતું મંડળ છે. દિનદયાળ પોર્ટ (કંડલા) ભારતનું બીજું સૌથી મોટું પબ્લિક સેક્ટર પોર્ટ છે, જ્યારે મુન્દ્રા પોર્ટ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું 39મું સૌથી મોટું ખાનગી પોર્ટ છે. અમદાવાદમાંથી દર વર્ષે 7.8 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. ઉંઝા એશિયાનું સૌથી મોટું જીરૂ અને મસાલા બજાર છે. આ સિવાય વડોદરા મંડળના રેલ પ્રબંધક રાજુ ભડકેએ વડોદરા મંડળ પર ચાલી રહેલા પ્રોજેક્ટ્સ, સ્ટેશન સુધારા અને નવીન પહેલોની માહિતી સાંસદોને આપી હતી. વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતીઆ બેઠકમાં સાંસદોમાં હસમુખ પટેલ, દિનેશ મકવાણા, શોભના બારૈયા, મનસુખ વસાવા, જશુ રાઠવા, અનિતા ચૌહાણ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત અનેક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સાંસદોએ તેમના વિસ્તારોમાં રેલવે પુલ, નવા સ્ટોપેજ, નવી ટ્રેન સેવાઓ, ટ્રેન એક્સટેન્શન, ખાલી જમીન પર વૃક્ષારોપણ, વરસાદી પાણી સંભાળ, હિંમતનગરથી દિલ્હી સુધી સીધી ટ્રેન સેવા તેમજ વટવા સ્ટેશનથી ટેક્સી સેવાઓ શરૂ કરવાની જરૂરિયાત જેવા પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. જે વિવેક કુમાર ગુપ્તાએ તમામ મુદ્દાઓને સાંભળી દરેક વાજબી માંગણીઓ પર શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
છોટા ઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે ₹1.41 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરીને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે સરકારી ગ્રાન્ટના નાણાં પોતાના અંગત ખાતામાં જમા કરાવ્યા હતા. આ મામલે વાસ્મોના યુનિટ મેનેજરે છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 56 ટ્રાન્ઝેક્શન કરી રૂ. 1,41,06,820ની ગ્રાન્ટ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીપ્રાપ્ત માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીને ગાંધીનગરથી વિવિધ કાર્યક્રમો હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ નાણાકીય વ્યવહારો યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની સંયુક્ત સહીથી થતા હતા. જોકે, કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર હસમુખભાઇ પટેલે 8 નવેમ્બર 2024 થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન 56 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹1,41,06,820/- બોડેલી સ્થિત HDFC બેંકના તેમના અંગત ખાતા નંબર 50100281543857 માં જમા કરાવી દીધા હતા. સ્ટાફના પગારની ગ્રાન્ટ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે સેરવી લીધીઆ છેતરપિંડીનો પર્દાફાશ દિવાળીના સમયે થયો હતો. 18 ઓક્ટોબર 2025ના રોજ સ્ટાફના પગાર માટે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલને બે ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક ક્લિયર ન થતા, તિમિરે બેંક સિસ્ટમ ધીમી હોવાનું જણાવ્યું હતું. જોકે, દિવાળી પછી પણ પગાર જમા ન થતા પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરતા ખાતામાં અપૂરતું બેલેન્સ હોવાનું જાણવા મળ્યું. વાસ્મોના યુનિટ મેનેજરે છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવીબેંકમાં બેલેન્સ ઓછું હોવાને કારણે પગારના ચેક ક્લિયર થયા ન હતા. આથી, બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. સ્ટેટમેન્ટ પરથી સ્પષ્ટ થયું કે તમામ રૂપિયા તિમિર હસમુખભાઇ પટેલના HDFC બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ખુલાસા બાદ વાસ્મો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગરના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલમહાકુંભ-2025 અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ભાઈઓ અને બહેનોએ તમામ કેટેગરીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. યુવા ખેલાડીઓએ તેમની રમતગમતની પ્રતિભા અને શિસ્તબદ્ધ માર્શલ આર્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કક્ષાની આ કરાટે સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી કુ. મયુરબાળા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. રમત કન્વીનર મહેશ શર્મા અને કરાટેના ઓફિશિયલ દ્વારા સમગ્ર સ્પર્ધાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાએ ખેલાડીઓને એક વ્યવસ્થિત સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ આયોજન આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ ઉપર જગન્નાથ ચોક પાસે ભોલા જનરલ સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ વાળો નમકીન અને બેકરી પ્રોડકટના 10 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલ રોડ ઉપર શ્રીરામ પંજાબી ચાઈનીઝમાંથી વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોના 2 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૈયા રોડ ઉપર ન્યુ જલારામ રેસ્ટોરેન્ટ પેઢી અને કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ બ્રિજ પાસે એન્જલ મદ્રાસ કાફે પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. જ્યારે શહેરના જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 07 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં રૈયારોડ ઉપર મહાદેવ એજન્સીમાંથી સેફ્રોન બ્લેન્ડેડ વિમલ પાન મસાલા, પ્રતીક ટ્રેડર્સમાંથી પ્રીમિયમ રજનીગંધા પાન મસાલા, લાખના બંગલાવાળા રોડ ઉપર મીરા સેલ્સ એજન્સીમાંથી રાજશ્રી પાન મસાલા, દૂધસાગર રોડ ઉપર ગજાનન ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને મહાદેવ ડેરી એન્ડ મીઠાઈ મોલમાંથી ભેસનું દૂધ, આજીડેમ પોલીસ સ્ટેશન પાસે ટેન્કર નં. GJ-03-BY-6046 માંથી મિક્સ દૂધ અને યુનિવર્સિટી રોડ ઉપર પીઝા કન્ટ્રીમાંથી મંચુરિયનના નમુના સામેલ છે. રૂડાની બોર્ડ બેઠકમાં વાજડીગઢ-વેજા ગામ સહિતની ત્રણ ટીપી બહાલી રૂડાની બોર્ડ બેઠક આજે મળતા વાજડીગઢ સહિત ત્રણ ટીપી સ્કીમ ફાઇનલ કરવાની દરખાસ્ત મંજૂર કરીને સરકારમાં મોકલવામાં આવી છે. વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નંબર 80, 81, 82નો મુત્સદો જાહેર કર્યા બાદ જમીન માલિકો પાસેથી વાંધા સૂચનો આવ્યા બાદ તેની મુદત પૂર્ણ થતા આવેલ તમામ વાંધા અરજીઓના નિકાલ માટે બોર્ડમાં નિર્ણય લેવાયો છે.વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નં.80, 81 અને 82નો મુસદ્દો જાહેર કર્યા બાદ ખેડૂતો તથા જમીન માલિકો પાસેથી વાંધા સૂચનો મંગાવી ત્રણેય ટીપી સ્કીમમાંથી આવેલા વાંધા સૂચનનો અભ્યાસ કર્યા બાદ વળતર સહિતના મુદ્દે નિર્ણય લેેવાયો છે. આ ત્રણેય દરખાસ્ત ફાઇનલ કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે.સુચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.80 (વાજડીગઢ-વેજાગામ)ની સત્તામંડળ દ્વારા કાર્યવાહી બહાલ કરવા, વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરી સરકારને મોકલાશે. સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.81 (વેજાગામ) માટે, નગર રચના યોજના નં.82 (વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-1976 તથા નિયમો-1979 હેઠળ કાર્યવાહી કરી કલમ-42(1) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-1976 ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય સાથેના ઠરાવો આજે કરાયા છે. રાજકોટ એસટીના ઇન્ચાર્જ વિભાગીય નિયામકની અમદાવાદ બદલી રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા લાંબા સમય બાદ ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ સહિત રાજ્યના 62 જેટલા અધિકારીઓની ટ્રાન્સફર થઈ છે જેમાં રાજકોટ એસટીના ઇન્ચાર્જ વિભાગીય નિયામક જે. બી. કલોતરાની અમદાવાદ પ્રમોશન સાથે બદલી થઈ છે અને તેમને ત્યાં એસટીના વિભાગીય નિયામક બનાવવામાં આવ્યા છે જ્યારે અમદાવાદના હિમાંશુ જોષીને રાજકોટ એસટીના વિભાગીય નિયામક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર તરીકે ફરજ બજાવતા વી. બી. ડાંગરને જુનાગઢ વિભાગીય નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે. ભાદર-1 ડેમમાંથી પાંચ તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી અપાશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે માંગણી કરવામાં આવેલ હતી. જે અનુસંધાને હવે સિંચાઈ તંત્રએ ખેડૂતોના ફોર્મ લેવાની શરૂઆત કરી દીધી છે. દરમ્યાન રાજકોટના જેતપુર નજીક આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી વર્ષ 2025-26 સીઝન માટે શિયાળુ પાકના હેતુથી તા.1/12થી પાણી છોડવામાં આવનાર છે. રાજકોટના જેતપુર, ધોરાજી, ઉપલેટા, જુનાગઢ તાલુકાના 46 ગામોના ખેડૂતો માટે પાણી છોડવામાં આવનાર છે તેમજ ગોંડલ તાલુકાના 14 ગામોને ભાદરમાંથી લીફટ ઈરીગેશન મારફતે પાણી આપવામાં આવશે. ભાદર હેઠળની સમાવિષ્ટ 8000 હેકટર જમીનને સિંચાઈ માટે 2000 એમસીએફટી જેટલુ પાણી ક્રમશ: આપવામાં આવશે. જેના ફોર્મ તા.21/11થી 30/11 સુધીમાં લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના આજી-2, વેણુ-2, ભાદર-2 સહિતના જુદા જુદા ડેમોમાંથી પણ શિયાળુ પાક માટે પાણી છોડવાનું આયોજન કરાઈ રહ્યું છે. કોર્ટોના સમાધાનકારી કેસો માટે 13મી ડિસેમ્બરે વર્ષની આખરી લોક અદાલત 13 મી ડિસેમ્બરે આ વર્ષની આખરી લોક અદાલત યોજાશે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પક્ષકારોને જોડાવા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આહવાન કરાયું છે. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા.13/12/2025ના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભકર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. જેથી જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. રાજકોટ સહિત રાજયના 39 મામલતદારોની બદલી રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજયના 39 મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના 4 મામલતદારોનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે પબ્લીક રીલેશન ઓફીસર નીતીનકુમાર લંઘનોજાને બાબરા તાલુકા મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે. જયારે વિંછીયા મામલતદાર હિતેન્દ્રકુમાર બારોટને ધોરાજી તાલુકા મામલતદાર તરીકે નિયુકત કરવામાં આવી છે. જયારે ધોરાજી મામલતદાર રાજેન્દ્રકુમાર પંચાલને વઢવાણ મામલતદાર બનાવાયા છે. આ ઉપરાંત જૂનાગઢ ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મામલતદાર નીલેશ અજમેરાને રાજકોટ પૂર્વના મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. તા.29થી તા.1 ડિસે. સૂર્યકીર્તિ ભગવાન જિનબિંબ વેદિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે કુંદકુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદિનાથ દિગંબર જિન મંદિર (15, પંચનાથ પ્લોટ-રાજકોટ)ના ઉપક્રમે આગામી તા.29 નવે.થી તા.1લી ડિસેમ્બર સુધી બાલભવન સૂર્યકીતિનગર, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે ભાવિ તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાન જિનબિંબ વેદિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે.જૈનોમાં ભવિષ્યમા થતા તીર્થંકરોને જિન પ્રતિમા તરીકે બિરાજમાન કરવાની પ્રથા છે. પૂ.ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીની સાધના ભકિત સોનગઢમાં ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનની પ્રતિમા પ્રશમમૂર્તિ બહેન શ્રી ચંપાબેનની ઉપસ્થિતિમાં 40 વર્ષ પૂર્વે બિરાજમાન કરવામાં આવેલ છે. આદિનાથ દિગંબર જિન મંદિરમાં પૂ. કાનજી સ્વામીનું ભાવિ સ્વરૂપ અર્થાત સૂર્યકીર્તિ તીર્થંકર તરીકે સ્ફટીક મણિની પ્રતિમા જે જયપુર તૈયાર કરાવાઈ છે.
શહેરના નહેરુનગર વિસ્તારમાં ટાગોર પાર્ક પોલીસ ચોકી પાસે એક દુકાનના વેપારીની હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અત્યારે કેટલાક આરોપીઓ જેલમાં છે તો કેટલાક આરોપીઓ અત્યારે જામીન પર બહાર આવી ગયા છે. જેથી, જેલમાં બંધ આરોપીના સંબંધીઓ હવે મૃતક વેપારીના દીકરાને ડરાવી રહ્યા છે. જેલમાં બંધ આરોપીને બહાર કાઢવા માટે મૃતક વેપારીના દીકરાને ધમકી આપવામાં આવી રહી છે. 51 પેટીની સોપારી મળી હોવાનું કહી ધમકી આપવામાં આવી હતી. જેથી, સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 68 વર્ષીય બદાજી મોદીની હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ કરી હતીવર્ષ 2014માં 68 વર્ષીય બદાજી મોદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેનો દીકરો અત્યારે સેટેલાઇટમાં રહે છે અને નહેરુનગર સર્કલ પાસે ટાગોર પાર્ક પોલીસ ચોકીની બાજુમાં શાકભાજી અને ફ્રુટની દુકાન ચલાવે છે. 68 વર્ષીય બદાજી મોદીની હત્યા કરવામાં આવતા સમગ્ર કેસમાં પોલીસે તપાસ કરી હતી. જે બાદ અશોક મોદી, કુલદીપ પરમાર, અન્નુ રાજપુત, અંકિત ભદોરીયા, રાજન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ રાજન પટેલ, અન્નુ રાજપુત અને અશોક મોદીને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર કાઢવા અને ફરિયાદમાંથી નામ કાઢવા માટેની ધમકી આપી હતીપરંતુ, અત્યારે કુલદીપ પરમાર અને અંકિત ભદોરીયા સાબરમતી જેલમાં બંધ છે. જેને જેલમાંથી બહાર કાઢવા માટે ધમકી આપવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 14 ઓક્ટોબરના મૃતક વેપારીના દીકરાના ઘરે એક અજાણ્યો વ્યક્તિ આવીને એક ફોન નંબર આપી જતો રહે છે. જેલમાં બંધ આરોપીને સંબંધી હોવાની ઓળખ આપી ફોન નંબર આપવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદીને આરોપી અંકિતનો સંબંધી હોવાનું કહી એક ફોન આવ્યો હતો. જેને જેલમાંથી બહાર કાઢવા અને ફરિયાદમાંથી નામ કાઢવા માટેની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરીજો તે બાદ એક વ્યક્તિ ફરિયાદીના દુકાન પર આવ્યો હતો. રતનલાલની 51 પેટીની સોપારી હોવાનું કહી ધમકી આપી હતી તેમજ ગ્રાહક બનીને આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ સુરેશ તરીકે આપી હતી. જેથી, અવારનવાર મળતી ધમકીઓથી રતનલાલ કંટાળી ગયા હતા. જેથી, આખરે તેમને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્ય સરકારના આદેશથી વડોદરા મેડિકલ કોલેજમાં ડીનના માર્ગદર્શનથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી દ્વારા એ એમ આર અવેરનેસ સપ્તાહની તારીખ 18થી 24 નવેમ્બર 2025 સુધી માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અનુસંધાને આજે માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ અધિકારીઓ તથા તબીબ વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના મુખ્ય એન્ટરન્સ ગેટ પાસે હેન્ડ પ્રિન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ તથા તબીબોએ ભાગ લીધો હતો અને હેન્ડ પ્રિન્ટના છાપ સફેદ કપડાં ઉપર મારી હતી. સાપ્તાહિક અવેરનેસ કાર્યક્રમ દરમિયાન માઇક્રોબાયોલોજી વિભાગનો સ્ટાફ તથા AMR પ્રોગ્રામના જુનિયર રિસર્ચર તેમજ રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા એન્ટી બાયોટિક પ્રતિરોધકતા અંગે દર્દી તેમજ તેના સગાવહાલાને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન “એકટ નાઉ- પ્રોટેક્ટ અવર પેશન્ટ, સિક્યોર અવર ફ્યુચર નો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેનો હેતુ એન્ટી બાયોટિકનો યોગ્ય અને જવાબદાર ઉપયોગ કરવા માટે જનતાને પ્રેરિત કરવાનો છે. સાત દિવસ સુધી જન જાગૃતિ અભિયાનમાં અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે વિવિધ ઓપીડીમાં જઈને નાટક કરીને, પોસ્ટર બતાવીને, સમજાવીને લોકોને એન્ટીબાયોટિકનો અનાવશ્યક ઉપયોગ અટકાવવા, સ્વચ્છતા અંગે અને પ્રતિરોધક જીવાણુઓ સામે લડવા માટે સમાજને સજાગ બનવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ મેડિકલના વિધાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા ,પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ, સ્લોગન સ્પર્ધા, હેન્ડ પ્રિન્ટિંગ પ્રવૃતિ, સેલ્ફી પોઇન્ટ સાથે ફોટોશૂટ યોજવામાં આવ્યો હોવાનું માઇક્રોબાયોલોજી વિભાગ તબીબ અધિકારી ડો.સંદીપ નંદા તથા ઇન્ચાર્જ એચઓડી ડો. જીગ્યા કારીયાએ જણાવ્યું હતું. એ એમ આર આજે વૈશ્વિક આરોગ્ય માટે ગંભીર પડકાર છે અને સમયસર પગલાં લેવાથી ભવિષ્યમાં મોટી આરોગ્ય સમસ્યાઓ અટકી શકે છે.
અરવલ્લી SOGએ 4.90 લાખનો ગાંજો ઝડપ્યો:રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી 9.8 કિલો ગાંજા સાથે બે ઝડપાયા
અરવલ્લી SOGએ રાજસ્થાનથી મોડાસા તરફ આવતી એક ટ્રકમાંથી રૂ. 4.90 લાખની કિંમતનો 9 કિલો 800 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ટ્રક ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અરવલ્લી SOG ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ટ્રકની તપાસ કરતા, તેના એન્જિન કવરમાં કુશળતાપૂર્વક છુપાવેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અને મોડાસાના રાણાસૈયદ વિસ્તારના એક ઈસમની ધરપકડ કરી છે, જેણે આ ગાંજો મંગાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ જથ્થો યુવાધનને નશાના રવાડે ચડાવવાના એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગાંજા સપ્લાય કરનાર સુધી પહોંચવા માટે પણ તજવીજ શરૂ કરાઈ છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજો, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 57.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ માલપુર વિસ્તારમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જે દર્શાવે છે કે જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે.
મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં એક 58 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરમાં જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા આ વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ્ટ હાઉસ રોડ પાસેના શક્તિ ચોક નજીક ફુલગલી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ઈબ્રાહીમભાઇ ગોપલાણી (ઉંમર 58) એ ગુરુવારે રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે પોતાના શરીર પર જ્વલંતશીલ પદાર્થ છાંટી કાંડી ચાંપી લીધી હતી. તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરી વધુ તપાસ એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, મોરબીના બેલા ગામ નજીક એક કારખાનામાં 22 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ પર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો ગૌતમ મગનભાઈ ખરાડી (ઉંમર 22) નામનો યુવાન મજૂરી કામ કરે છે. તેણે પોતાની પત્ની સાથે બોલાચાલી થયા બાદ અને પત્ની જતી રહ્યા બાદ યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે.
બોગસ પાવર ઓફ એટર્નીના આધારે મિલકતો ગીરવે મૂકીને 2 કરોડ સુધીની લોન લેવાના કેસમાં એસડીસીએ -સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરને આજે ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે કોર્ટ સમક્ષ આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈની દલીલો બાદ કોર્ટે આ પાંચ દિવસની માંગણી સામે આરોપીના માત્ર એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતા તબીબી સહાય પૂરી પાડીઆરોપી કનૈયાલાલ કોન્ટ્રાકટરનું વજન આશરે 150 કિલો હોવાથી તેમને કોર્ટમાં વ્હીલચેર પર રજૂ કરાયા હતા. સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને ઓક્સિજન માસ્ક પણ આપવો પડ્યો હતો. બીજી તરફ, મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મનીષ દેસાઈએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીને સુરત સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા નથી અને તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમની અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી. પોલીસે રિમાન્ડ માટે અનેક મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યાબોગસ સહીઓ કરીને તૈયાર કરાયેલી પાવર ઓફ એટર્ની ક્યાં સંતાડી છે, તે વિશે આરોપી માહિતી આપતા નથી. આ ઉપરાંત, પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિ વિશે, તકરારી પાવર ઓફ એટર્નીમાં સહી આરોપીએ પોતે કરી છે કે કેમ તે અંગેની તપાસ કરવાની છે. પોલીસે એમ પણ જણાવ્યું કે, પાવર ઓફ એટર્નીને સ્વ. પંકજ દેસાઈ સમક્ષ નોટોરાઈઝ કરાવવા લઈ જનાર અજાણ્યા વ્યક્તિ અંગેની સાચી માહિતી આરોપી આપી શકે તેમ છે. અન્ય રિમાન્ડના મુદ્દાઓમાં આરોપીએ લોનની રકમ કયા કયા હેતુઓ માટે વાપરી છે, તે બાબતે તપાસ કરવી જરૂરી છે. સાક્ષી તરીકેની પ્રથમ સહી પોતાના પુત્રએ કરી હોવાનો આરોપીનો દાવો છે, પરંતુ પુત્રએ સહી કરવાની ના પાડી છે, તેથી આ અંગે પણ સ્પષ્ટતા મેળવવાની છે. છેલ્લે, બોગસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવ્યો છે કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીની જરૂર હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું.
વડોદરા શહેરના વાહન વ્યવહારથી ચોવીસ ધમધમતા જેલ રોડના ફૂટપાટ ઉપરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સેવાકીય સંસ્થાને મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તબક્કે આ વૃદ્ધનું મોત ઠંડીના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. વડોદરા શહેર જિલ્લામાં જેટલા છેલ્લા બે સપ્તાહથી ઠંડીન ચમકારાનો અહેસાસ થઈ થયો છે. ત્યારે ઠંડીના માહોલમાં ફૂટપાથ ઉપર રાતવાસો કરતાં શ્રમજીવી તથા ભિક્ષુકોની હાલત દયનીય બને છે. ત્યારે જેલ રોડના ફૂટપાથ પર ઠંડીમાં રાત વાસો કરતા વૃદ્ધ આજે મૃત હાલતમાં મળી આવતા તેઓને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં શહેરમાં ઠંડીના લીધે પ્રથમ મૃત્યુ થયું હોવાથી આશંક વ્યક્ત કરવામાં આવી છે જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે. આ બનાવની જાણ શહેરની સર્વો માનવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકીય સંસ્થાને કરવામાં આવતા સંસ્થાના કાર્યકર દોડી આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે સયાજી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ આ વૃદ્ધનું કોઈ વારસદાર છે કે કેમ તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલમાં આ વૃદ્ધનુ મોત કયા કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે.
વર્ષ 2023માં મણીનગર પોલીસ મથકે 73 વર્ષીય રિટાયર્ડ આરોપી રાજેન્દ્ર અને 26 વર્ષીય આરોપી આલેશ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે 10 સાહેદ અને 28 પુરાવા તપાસીને બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદ તેમજ કુલ 1.5 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. તેમજ સગીરાને 7 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આરોપી બાળકી પર જાતીય હુમલો કરતોકેસને વિગતે જોતા ફરિયાદી સગીરાની માતા છે. વર્ષ 2014માં પીડિતા ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. ત્યારે બાજુની સોસાયટીમાં આરોપી રાજેન્દ્ર દવેના પૌત્ર સાથે તે રમવા જતી હતી. ત્યારે રાજેન્દ્ર તેને ગંદો સ્પર્શ કરતો. જ્યારે રાજેન્દ્રની પત્ની બહાર જતી, ત્યારે બાળકીને ઘરમાં લઈ જઈને તેની ઉપર જાતીય હુમલો કરતો. એકવાર આરોપીના દીકરાની વહુ પણ તેમને જોઈ ગઈ હતી. બાળકી ધોરણ 7માં આવી ત્યારે તેને શાળામાં ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવ્યું હતું. આથી તેને પડોશીના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. મામાના દીકરાએ પણ જાતીય હુમલો કર્યો હતોવળી બીજો આરોપી બાળકીના સગા મામાનો દીકરો હતો. બાળકી જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. ત્યારે તહેવારોમાં અને વેકેશનમાં મામાની ઘરે જતી હતી. ત્યારે પિક્ચર જોવાના બહાને અને AC રૂમમાં બેસવાના બહાને તે બાળકીને પોતાના રૂમમાં લઈ જતો અને તેની ઉપર જાતીય હુમલો કરતો હતો. બાળકી જ્યારે સગીરા બનીને ધોરણ 12 સાયન્સમાં આવી ત્યારે તે ગુમસુમ અને એકલી રહેવા માંડી હતી. આથી તેની માતાએ તેને પૂછતા આ અંગે તેની માતાને સઘળી હકીકત જણાવી હતી. પીડિતાને મનોચિકિત્સકની સારવાર લેવી પડી હતીઆથી પરિવારે SHE ટીમની મદદ લીધી હતી. જેમાં SHE ટીમના કાઉન્સિલર તારાબેને સગીરાને ભોગવેલી યાત્રા એક નોટબુકમાં લખવા કહ્યું હતું. આ દરમિયાન પીડિતાને મનોચિકિત્સકની સારવાર પણ લેવી પડી હતી. આખરે મણિનગર પોલીસ મથકે બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, બાળકીની માતા અને તેના ભાઈ એટલે કે બાળકીના મામા વચ્ચે મિલકત સંબંધી વિવાદ હોવાથી આ પ્રમાણેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આરોપી રાજેન્દ્ર તરફથી કહેવાયું હતું કે બાળકીના પિતા અને આરોપી રાજેન્દ્રના પુત્ર વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો થતા આ ફરિયાદ કરવામાં આવી છે. કોર્ટે બંન્નેને આરોપીઓને 20 વર્ષની સજા ફટકારીઆરોપી રાજેન્દ્ર પોતાના મોબાઈલમાં બાળકીને ખરાબ વીડિયો બતાવતા હોવાની પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. બાળકી સગીરા થતા ધોરણ 12માં આવતા તેને આ બધી બાબતો વિશે ખબર પડી હતી. વર્ષ 2023માં પણ રાજેન્દ્ર તેને અયોગ્ય હેતુથી ઈશારા કરતા હોવાનું કોર્ટને જણાવાયું હતું. સગીરાએ તેની ઉપર થયેલા હુમલા દરમિયાન આરોપીના ઘરનું તાદ્રશ્ય વર્ણન કરી બતાવ્યું હતું. આરોપી રાજેન્દ્ર દવે વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને પાર્કિન્સન છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યો છે. તેઓ બ્લડપ્રેશર અને ડાયાબિટીસથી પીડિત છે અને અત્યારે પથારીવશ છે. જો કે સમાજમાં આવા લોકોને રોકવા જરૂરી હોવાનું જણાવીને કોર્ટે બંન્નેને ઉપરોક્ત સજા ફટકારી હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલની પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવાની અરજી મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રદ કરી છે. જિલ્લાના સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. આ બનાવ અંગે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનામાં જયસુખભાઈ પટેલ સહિત કુલ દસ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમને જુદી જુદી શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે તેમના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવા અરજી કરી હતી. તેમના શરતી જામીનમાં એક શરત એવી પણ હતી કે તેમણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે. આ શરત દૂર કરી પાસપોર્ટ કાયમી ધોરણે પરત મળે તે માટે આ અરજી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ આ અરજી સામે દલીલો કરી હતી. તેમની દલીલોને ધ્યાનમાં રાખીને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી. શ્રીવાસ્તવે જયસુખભાઈ પટેલની અરજી રદ કરી. અગાઉ જયસુખભાઈ પટેલે એક મહિના માટે તેમનો જમા કરાવેલો પાસપોર્ટ કોર્ટમાંથી પાછો મેળવ્યો હતો, પરંતુ તે દરમિયાન તેઓ વિદેશ ગયા ન હતા. આ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજી રદ કરી હોવાનું સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.
શહેરની મહિલા કોન્સ્ટેબલ પર યુવક દ્વારા દુષ્કર્મમાં ગુજારવામાં આવ્યો હોવા અંગેની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોશિયલ મીડિયા મારફતે યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપીને મહિલા સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જે બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ સંબંધ તોડી નાખતા યુવક ધાકધમકી આપી હેરાન કરતો હતો. જેથી કોન્સ્ટેબલ દ્વારા પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. યુવક અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતોઆ અંગેની વિગત એવી છે કે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી રહેતી 39 વર્ષીય મહિલા શહેર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. થોડા સમય અગાઉ તેના લગ્ન જૂનાગઢ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હોવાથી છૂટાછેડા લીધા હતા. જે બાદ મહિલા ઘાટલોડિયા રહેવા આવી ગઈ હતી. જૂનાગઢમાં સાસરીના પાડોશમાં રહેતા યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો. જે પછી અવાર નવાર યુવક મહિલાને મળવા આવતો અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જૂનાગઢના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવીબંને વચ્ચે પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો અને યુવકે મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ રાખ્યા હતા. એક દિવસ મહિલાએ યુવકને લગ્નની વાત કરી તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ સંબંધ તોડી નાખ્યા ત્યારે યુવક સતત તેને હેરાન કરતો હતો અને અલગ અગલ નંબર પરથી ફોન કરીને ધાકધમકી આપતો હતો. મહિલા પોલીસ હોવા છતાં પણ તેને ધમકીઓ આપી હેરાન કરતો હોવાથી તેમણે પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં જૂનાગઢના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
દાહોદ LCBએ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પરથી ગુજરાતમાં આવતા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોને રોકવાના વિશેષ ઓપરેશન દરમિયાન એક આરોપીને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાજ્ય હથિયારોની હેરાફેરી પર અંકુશ મૂકવાનો હતો. ગુપ્ત માહિતીના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતીના નેતૃત્વ હેઠળ પો.ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયાની ટીમે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવકા ગામે બાવકા-માતવા રોડ પર મંદિર પાસે તળાવની બાજુમાં વ્યૂહાત્મક ગોઠવણ કરી હતી. ચોક્કસ બાતમી મુજબ, એક વ્યક્તિ ગેરકાયદેસર દેશી પિસ્તોલ સાથે ત્યાં આવવાનો હતો. ટીમે તુરંત કાર્યવાહી કરીને બગુ મડુ પલાસ (ઉં.વ. ૪૧, રહે. માતવા ગાળીયા ફળીયું, તા. ગરબાડા, જિ. દાહોદ) નામના આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી એક નંગ દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ₹૨૦,૦૦૦ અંદાજવામાં આવી છે. LCBએ આ મામલે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ LCB ટીમની પ્રશંસા કરી છે. આ ઓપરેશનમાં પો.ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, પો.ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા, ASI ભરતકુમાર સોમા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ નટવરસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશ મથુર, કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપ, કોન્સ્ટેબલ દિનેશ મોહન અને કોન્સ્ટેબલ મિલનસિંહ વનરાજસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આંતરરાજ્ય હથિયારોની હેરાફેરી પર અંકુશ મૂકવામાં દાહોદ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.
બોટાદ LCB પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ ૯૯.૭૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, LCB પોલીસને બાતમી મળી હતી કે છૈડા ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી એક ટેઈલર ટ્રક અને એક બોલેરો પીકઅપ ગાડી મળી આવી હતી. આ વાહનોમાંથી ૫૭૩૬ બોટલ વિદેશી દારૂ અને ૮૦૪૦ બિયરના ટીન મળી આવ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપ ગાડી સહિત કુલ ૯૯.૭૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નાગરાજ ખાચર, ધર્મદીપ ખાચર અને ટેઈલર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં 'POLICE' લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ હોદ્દો ધરાવતો ન હતો. વાહનોમાં ખોટા હોદ્દા દર્શાવતા બોર્ડ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ભાગરૂપે બી ડિવિઝન પોલીસે આ શખસને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. 'POLICE' બોર્ડ લગાવી નીકળેલ આરોપી પકડાયોબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને જૂનાગઢ ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતા રોડ પર GJ-03-NB-8114 નંબરની એક અર્ટીગા કાર જોવા મળી હતી. આ કારના આગળના કાચમાં લાલ તથા બ્લુ જેવા રંગના બોર્ડમાં અંગ્રેજી ભાષામાં ટાઇપ કરેલું POLICE લખેલું બોર્ડ લગાવેલું હતું. પોલીસનો દેખાવ કરવા પ્રાઇવેટ કારમાં બોર્ડ લગાવ્યુંપોલીસે વાહનચાલકને અટકાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે કોઈ પણ પ્રકારનો પોલીસ રાજ્યસેવક તરીકેનો હોદ્દો ધરાવતો નહોતો. માત્ર ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા માટે તેણે પોતાની પ્રાઇવેટ કારમાં આ બોર્ડ લગાવ્યું હતું. બી ડિવિઝન પોલીસે ગોંડલના નસીરભાઈ ગુલામભાઇ ગોરી નામના વ્યક્તિને પકડી ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ-204 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે.પટેલની સૂચનાથી પોલીસ હેડ કોન્સ. પરેશભાઇ હુણ, નરેશભાઇ શીંગરખીયા, પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા, રઘુવીભાઇ વાળા, મનીષભાઇ હુંબલ અને મુળભાઇ વાંદાએ સાથે મળીને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આગામી 11 જાન્યુઆરી- 2026ના રોજ BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી આગામી ઇન્ટરનેશનલ મેન્સ વન-ડે મેચની તૈયારીઓ આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધિકારીઓએ આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. અધિકારીએ ભારત-ન્યૂઝીલેન્ડ મેચ માટેની તૈયારીઓની પ્રશંસા કરી હતીBCCIનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ અધિકારીઓ ધીરજ મલ્હોત્રા અને મીત વાડોલીકર હજાર રહ્યા હતા. ન્યુઝીલેન્ડ ક્રિકેટના સુરક્ષા નિષ્ણાત રેગ ડિકાસન અને બ્રેડલી રોડન પ્રતિનિધિમંડળનો ભાગ હતા. BCA દ્વારા BCCI અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્ટેડિયમ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમીક્ષા સત્ર યોજાયું હતું. BCCIના અધિકારી ધીરજ મલ્હોત્રાએ ભારત-ન્યૂઝીલેન્ડ મેચ માટેની તૈયારીઓની પ્રશંસા કરી હતી. મેં અહીં વર્ષોથી ઘણી યાદગાર મેચો અને ઇવેન્ટ્સ જોઈ છેBCCIના અધિકારી ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, BCA હંમેશા BCCI ઇકોસિસ્ટમમાં એક એવું સ્થળ રહ્યું છે, જેને અમે ખૂબ મહત્વ આપીએ છીએ. મેં અહીં વર્ષોથી ઘણી યાદગાર મેચો અને ઇવેન્ટ્સ જોઈ છે અને ગુણવત્તામાં સુસંગતતા નોંધપાત્ર છે. BCA સાથેનો અમારો લાંબા ગાળાનો સંબંધ વિશ્વાસ, વ્યાવસાયીકરણ અને ઉચ્ચતમ ધોરણે ડિલિવરી કરવાની તેમની ક્ષમતા પર બનેલો છે. BCAનો ભવિષ્યવાદી અભિગમ વૈશ્વિક વલણો સાથે સંપૂર્ણ રીતે સુસંગતન્યૂઝીલેન્ડ ક્રિકેટના અધિકારી રેગ ડિકાસન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આધુનિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ડ્રેસિંગ રૂમનું સ્કેલ અને ડિઝાઇન અલગ છે. આધુનિક ક્રિકેટમાં ટીમો અને સપોર્ટ સ્ટાફના વિકાસ સાથે, BCAનો ભવિષ્યવાદી અભિગમ વૈશ્વિક વલણો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના બ્રેડલી રોડન એ મેનેજમેન્ટ ટીમની તૈયારીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, BCA કોર ટીમની સક્રિયતા અને અનુભવ શરૂઆતથી જ સ્પષ્ટ હતો. તેમની વ્યાવસાયીકરણ અમને જાન્યુઆરીનો મેચ પહેલા સંપૂર્ણ આત્મવિશ્વાસ આપે છે. આ અનુભવોએ અમારી કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવીBCAના CEO સ્નેહલ પરીખે એસોસિએશનની પ્રતિબદ્ધતા અને સાબિત ટ્રેક રેકોર્ડ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, BCA એ આંતરરાષ્ટ્રીય મહિલા ODI, મહિલા પ્રીમિયર લીગ અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ લીગનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ અનુભવોએ અમારી કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવી છે. આજની મુલાકાત ફરી એકવાર દર્શાવે છે કે, BCA પુરુષોની મુખ્ય આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવા માટે તકનીકી અને લોજિસ્ટિક રીતે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટિંગ ઇન્ચાર્જ અને ચીફ ક્યુરેટર અતુલ બેદાડેએ ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, મુખ્ય મેદાન 11 ઉચ્ચ-ગુણવત્તાવાળી વિકેટો પ્રદાન કરે છે. ગ્રાઉન્ડ 2માં 9 વિકેટો શામેલ છે અને ગ્રાઉન્ડ 3માં 19 સમર્પિત પ્રેક્ટિસ વિકેટો છે. અમે ફ્લડલાઇટ્સ હેઠળ 20 આઉટડોર પ્રેક્ટિસ વિકેટો અને 5 એસ્ટ્રોટર્ફ વિકેટો સાથે સંપૂર્ણ સજ્જ ઇન્ડોર સેન્ટર પણ પ્રદાન કરીએ છીએ. આ સુવિધાઓ ખાતરી કરે છે કે આંતરરાષ્ટ્રીય ટીમોને ઉચ્ચ-સ્તરની તૈયારી માટે જરૂરી બધું જ મળે છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના પ્રતિનિધિમંડળમાં શામેલ હતાઅશોક જુનેજા - આમંત્રિત એપેક્સ કાઉન્સિલ, ચેતન પવાર - સમિતિ સભ્ય (સુરક્ષા બ્રીફિંગ), અતુલ બેદાડે - ક્રિકેટિંગ ઇન્ચાર્જ અને ચીફ ક્યુરેટર, અમિત પરીખ - સ્ટેડિયમ ટેકનિકલ લીડ, નિરજ ગાયકવાડ - મશીનરી અને ગ્રાઉન્ડ ઓપરેશન્સ, હર્ષ ત્રિવેદી - કો ઓર્ડિનેશન, સ્નેહલ પરીખ, CEO
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભાજપની સભાને સંબોધતા જણાવ્યું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહે દેશભરમાં ભાજપના અત્યાધુનિક સુવિધાઓવાળા કાર્યાલયો બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ અંતર્ગત દેશના વિવિધ જિલ્લાઓમાં આવા કાર્યાલયો બન્યા છે, જેમાં મોરબીનું કમલમ કાર્યાલય પણ સામેલ છે. મોરબી કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદો પરષોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રીઓ જયંતિભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા અને મોહનભાઈ કુંડારીયા પણ હાજર હતા. આ ઉપરાંત, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંત્રીઓ કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તકે રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, બિહાર ચૂંટણીમાં વોટ ચોરીના મુદ્દાને જનતાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે સમગ્ર દેશમાં લોકો વિકાસની રાજનીતિને પસંદ કરે છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભાજપનું કાર્યાલય એ માત્ર ઓફિસ નથી, પરંતુ આપણું બીજું ઘર છે. તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સો ટકા સૂપડા સાફ થઈ જશે.
ગોધરામાં જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ:ખેલ મહાકુંભ-2025 અંતર્ગત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો
પંચમહાલ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાઈ હતી. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ભાઈઓ અને બહેનોએ તમામ કેટેગરીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના રમતગમત અધિકારી મયુરબાળા ગોહિલે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. રમત કન્વીનર પી.એસ. પરમાર અને રસ્સાખેંચના ઓફિશિયલ્સની ટીમે આ સ્પર્ધાનું સફળતાપૂર્વક સંકલન અને આયોજન કર્યું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટ MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઘાયલોના પરિજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. કેટલાક મુદ્દાને લઈ કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. જેમાં સુપ્રીમના આદેશ મુજબ જેટલી રકમ સરકારે વળતર તરીકે ભેગી કરી છે તેને પીડિત પરિવારમાં વહેંચવા જણાવ્યું હતું જે કાર્ય ઓથોરિટીએ પૂર્ણ કર્યું છે. પક્ષકારો માહિતી રેકોર્ડ ઉપર આપવા કોયિટા પ્રોજેક્ટને હુકમજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળાવમાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા છે. હાઈકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી ત્રણ પક્ષકારોને જોડવા અરજી કરાઈ છે. પરંતુ હાઈકોર્ટે આ ત્રણ પક્ષકારો કયા છે? તેની માહિતી રેકોર્ડ ઉપર આપવા કોયિટા પ્રોજેક્ટને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે સબ કોન્ટ્રાક્ટ અંગે VMCની એફિડેવિટ માગી હતીઆ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રિમેન્ટ કરાયો હતો. જેમાં કોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રિમેન્ટ તા. 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જોકે, હાઇકોર્ટે ઓરિજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવિટ માગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. 'કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી'આજે આ અંગે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે, શું કોટિયાએ થર્ડ પાર્ટી એગ્રિમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? તે રજૂ કરવા હુકમ કર્યો હતો. આ સાથે જ વધુ સુનાવણી 28 નવેમ્બરે રાખી છે. મૃતક બાળક દીઠ 31.75 લાખ વળતર જિલ્લા કલેકટરે નક્કી કર્યુંઅગાઉ પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મૃતકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો, જ્યારે 2 ઘાયલોને સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે. જેમાં જાહેર હિતની અરજી દાખલ થયેથી ચૂકવાય તેના સમયગાળામાં 9 ટકા વ્યાજ પણ ગણવામાં આવશે.
ઘટના-1 ચાર મહિના પહેલાંની એક વાત બધાને કદાચ યાદ હશે. વાત એમ છે કે જર્મનીના અખબાર FAZએ એક સમાચાર છાપ્યા હતા. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવી દીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચાર ફોન કર્યા હતા પણ મોદીએ ફોન ઊપાડ્યા નહોતા. ઘટના-2 ત્રણેક મહિના પહેલાં UNGAમાં તમામ દેશો ભેગા થયા હતા અને એસેમ્બલીમાં તમામ દેશોના રાષ્ટ્રપ્રમુખોનું ભાષણ હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પણ UNGA પહોંચ્યા હતા. પણ મોદી ગયા નહોતા. તેમણે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ઘટના-3 ઈજિપ્તના શર્મ અલ શેખ રિસોર્ટ સિટીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પીસ પ્લાન રજૂ કર્યો. પાકિસ્તાન અને દુનિયાના બીજા રાષ્ટ્રોના વડા હાજર હતા. નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ હતું. મોદી નહોતા ગયા. આવું બીજી વાર થયું કે જ્યાં ટ્રમ્પ હોય ત્યાં મોદી જતા નહોતા. ઘટના-4 સાઉથ આફ્રિકામાં 21-22-23 એમ ત્રણ દિવસીય જી-20 સમિટ શરૂ થઈ છે. પહેલીવાર સાઉથ આફ્રિકામાં સમિટ છે. મોદી દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. પણ ટ્રમ્પે આ સમિટનો બોયકોટ કર્યો છે. અહિં મોદી છે પણ ટ્રમ્પ ગયા નથી. આજે મોદી અને ટ્રમ્પની સંતાકૂકડી અને અમેરિકા-દક્ષિણ આફ્રિકાના અબોલાની વાત... નમસ્કાર, આખી દુનિયાના નેતાઓ સાથે શિંગડા ભરાવતા ટ્રમ્પે ફરી એકવાર સાઉથ આફ્રિકા સામે શિંગડાં ભરાવ્યા છે. અગાઉ તો વ્હાઈટ હાઉસ પહોંચેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. હવે સાઉથ આફ્રિકામાં થનારી જી-20 સમિટનો પણ બોયકોટ કર્યો છે. મોદી આફ્રિકા પહોંચ્યા, ત્રણ દિવસના સેશનમાં ભાગ લેશે સાઉથ આફ્રિકામાં જી-20 સમિટ પહેલીવાર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચી ગયા છે. મોદી જોહાનિસબર્ગમાં 20મી G20 સમિટમાં ભાગ લેશે. મોદી ત્રણેય સત્રમાં ભાગ લેવાના છે. આ શિખર સંમેલન દરમિયાન મોદી અલગ અલગ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મિટિંગ કરશે. મોદીની આ દક્ષિણ આફ્રિકાની ચોથી સત્તાવાર મુલાકાત છે. અગાઉ તેઓ 2016માં દ્વિપક્ષીય મુલાકાત માટે ગયા હતા. એ પછી 2018 અને 2023માં બે BRICS સમિટમાં ગયા હતા. અમેરિકાએ જી-20 સમિટનો બોયકોટ કર્યો અત્યારનું અમેરિકા પહેલાંના અમેરિકા જેવું ગંભીર રાષ્ટ્ર નથી રહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને દુનિયા સામે મજાક બનાવી દીધું છે. પહેલાં તો ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકા આનો બોયકોટ કરે છે. સાઉથ આફ્રિકામાં આ સમિટ થવા જઈ રહી છે તે વાત જ શરમજનક છે. અમેરિકાનો કોઈ પ્રતિનિધિ તેમાં સામેલ નહિ થાય. આ ટ્વિટ કર્યા પછી વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે મીડિયાને કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં જી-20 સમિટમાં અમેરિકા ભાગ નહિ લે. મેં આજે સવારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને અમેરિકા અને અમેરિકી રાષ્ટ્રપતિ માટે કાંઈક બોલતા સાંભળ્યા. રાષ્ટ્રપતિ અને તેમની ટીમને આ ભાષા પસંદ ન આવી. દક્ષિણ આફ્રિકામાં અમેરિકી રાજદૂત માત્ર એટલું કહેવા જશે કે અમેરિકા જી-20ની યજમાની કરશે. બાકી આ વખતે અમેરિકા જી-20નો બોયકોટ કરશે. અમેરિકાએ જી-20 સમિટનો બોયકોટ કેમ કર્યો? હકીકતે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનું અપમાન કર્યું હતું ત્યારથી બંને દેશો વચ્ચે અનબન છે. અમેરિકાનો આરોપ રહ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ પર, ખાસ કરીને અમેરિકાના લોકો પર અત્યાચાર થાય છે. આ કારણ તો છે જ, પણ બીજા ઘણા કારણો છે. આ માથાકૂટ માત્ર સાઉથ આફ્રિકા કે અમેરિકા વચ્ચે જ નથી. આ માથાકૂટ વેસ્ટર્ન દેશો, ગ્લોબલ સાઉથ અને અમેરિકા વચ્ચે છે. ટ્રમ્પ માને છે કે સાઉથ આફ્રિકામાં જી-20 સમિટ એ ગ્લાબલ સાઉથને પાવરફૂલ બનાવી દેશે. એ એટલા માટે કે દુનિયામાં અત્યાર સુધી પશ્ચિમી દેશોનો દબદબો રહ્યો છે. ખાસ કરીને અમેરિકાનો. આ દબદબો ગ્લોબલ સાઉથ બાજુ ડાયવર્ટ થશે તો પશ્ચિમી દેશોનો પાવર ઘટશે. આ એક કારણ પણ બોયકોટનું હોઈ શકે. ટ્રમ્પ ટેરિફની ગેઈમ રમી રહ્યા છે. ટ્રમ્પને બ્રિક્સ દેશો સામે વાંધો છે. કારણ કે બ્રિક્સ દેશો જો પોતાની કરંસી ડેવલપ કરે તો ડોલરની વેલ્યુ ઘટી જશે જે અમેરિકાને કોઈ કાળે પોસાય તેમ નથી. એટલે જ્યાં બ્રિક્સ દેશોની હાજરી હશે ત્યાં ટ્રમ્પ નહિ જાય. ટ્રમ્પે સિરિલ રામાફોસાનું અપમાન કર્યું હતું... છએક મહિના સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વ્હાઈટ હાઉસ ગયા હતા. ટ્રમ્પ અને રામાફોસા વચ્ચે ઓવેલ ઓફિસમાં પ્રેસ વચ્ચે મિટિંગ ચાલતી હતી. વીસેક મિનિટની વાતચીત પછી ટ્રમ્પે અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. તે તાડૂક્યા, લાઈટ બંધ કરો ને વીડિયો ચાલુ કરો... રામાફોસાને ઘડીક તો કાંઈ સમજાયું નહીં કે ટ્રમ્પ શું કરે છે. ટ્રમ્પના કહેવાથી લાઇટ બંધ કર્યા પછી ઓવલ ઓફિસમાં સામાન્ય રીતે ન મૂકાતા ટીવી પર એક વીડિયો બતાવાયો. જેમાં સફેદ ક્રોસ દર્શાવવામાં આવ્યા હતા, ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે ગોરા લોકોની કબરો છે, અને વિપક્ષી નેતાઓ ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. ટ્રમ્પ બોલ્યા- અમને લાગે કે સાઉથ આફ્રિકામાં ગોરાઓ પર જુલમ કે નરસંહાર ચાલી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની પોલીસે 2024માં સાઉથ આફ્રિકામાં 26,232 હત્યા નોંધી હતી, જેમાંથી 44 ખેડૂત હતા અને 8 ગોરા ખેડૂત હતા. એમ કહીને ટ્રમ્પ પેપરના કટિંગ બતાવે છે ને ત્રણવાર 'ડેથ...ડેથ...ડેથ...' બોલે છે. આ બધા તમાશા પછી પણ રામાફોસા સંયમ જાળવી રાખે છે. માત્ર એટલું બોલે છે કે, તમને જો એવું લાગતું હોય તો હું વાતચીત કરવા તૈયાર છું. એ વખતે સિરિલ રામાફોસાએ કહેલું કે નવેમ્બરમાં G-20 સાઉથ આફ્રિકામાં થશે. મારું આમંત્રણ છે કે તમે ખાસ G-20માં આવો. ટ્રમ્પે ખાલી માથું હલાવીને એવો જવાબ આપ્યો કે, જોઇશું... ટૂંકમાં ટ્રમ્પે ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જી-20 સમિટમાં જવું નહિ. જી-20 સમિટમાં મોદી સેન્ટ્રલ ફેસ રહેશે ત્રણ દિવસના જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જવાના નથી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જવાના નથી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાના નથી. એટલે આ વખતે જી-20 સમિટમાં સ્પોટલાઈટ એકલા મોદી પર છે. મોદીએ જતાં પહેલાં કહ્યું કે, આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જી-20 સંમેલન કોઈ આફ્રિકન દેશમાં થઈ રહ્યું છે. માટે આ શિખર સંમેલન મહત્વપૂર્ણ છે. 2023માં બે વર્ષ પહેલાં ભારતમાં જી-20 સમિટ હતી ત્યારે જ આફ્રિકન યુનિયનને જી-20માં સામેલ કરવામાં આવ્યું હતું. હથોડી મામલે માથામાં 'હથોડા' પડે છે !! જી-20 સમિટનો નિયમ છે કે જ્યારે સમિટના ત્રણ સેશન પૂરા થાય પછી સાંજે ક્લોઝિંગ સેરેમની થાય. આ ક્લોઝિંગ સેરેમનીમાં યજમાન રાષ્ટ્રના વડા આવતા વર્ષે જે દેશમાં જી-20 સમિટ થવાની હોય તે દેશના વડાના હાથમાં હેમર (નાની હથોડી) પ્રતીકરૂપે આપે છે. આ વખતે સાઉથ આફ્રિકામાં જી-20 સમિટ છે પણ આવતા વર્ષે આ સમિટનું યજમાન છે અમેરિકા. સાઉથ આફ્રિકામાં અમેરિકાનું દૂતાવાસ છે. ત્યાંના રાજદૂતે કહ્યું કે અમે ક્લોઝિંગ સેરેમનીમાં રવિવારે જશું. કારણ કે નેક્સ્ટ પ્રેસિડેન્સી હેમર લેવી પડશે. એટલે કે સાઉથ આફ્રિકા એક પ્રતીકાત્મક હથોડી અમેરિકાને આપશે કે હવે પછીની સમિટ અમેરિકામાં થશે. પણ ટ્વિસ્ટ એ આવ્યો છે કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ચોખ્ખી ના પાડી દીધી છે કે અમે રાજદૂતને હેમર નહિ સોપીએ. હવે નાનકડી હથોડી મામલે અમેરિકાના માથામાં 'હથોડા' પડી રહ્યા છે. અમેરિકાને સમિટમાં જવું નથી પણ હેમર જોઈએ છે. ટ્રમ્પ-મોદીની સંતાકૂકડીના આ બે કિસ્સા પણ વાંચો... મોદીએ જૂનમાં ટ્રમ્પને 'ઠેકાડી' દીધા હતા! ઘટના જૂન 2025ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પાટનગર ભુવનેશ્વર પહોંચ્યા હતા. ઓડિશામાં ભાજપની સરકારને એક વર્ષ પૂરું થયું એટલે તેઓ એક કાર્યક્રમમાં ગયા હતા. અહીં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ઝટકો આપનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સાથીઓ, હમણા બે દિવસ પહેલાં હું કેનેડામાં જી-7 સમિટ માટે ગયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે મને કહ્યું હતું કે તમે કેનેડા આવ્યા છો, તો વોશિંગ્ટન થઈને જજો, સાથે ભોજન કરીશું અને વાતો કરીશું. તેમણે ખૂબ જ સન્માનપૂર્વક આમંત્રણ આપ્યું હતું. મેં અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું, તમારા નિમંત્રણ બદલ આભાર. મારા માટે મહાપ્રભુની ધરતી ઉપર જવું ખૂબ જ જરૂરી છે, એટલે મેં તેમના નિમંત્રણને નમ્રતાપૂર્વક ના કહી. મહાપ્રભુની ભક્તિ મને આ ધરતી પર ખેંચી લાવી. ટૂંકમાં, મોદીએ ત્યારે પણ ટ્રમ્પને 'ઠેકાડી' દીધા હતા! ટ્રમ્પે છેલ્લી ઘડીએ સાઉથ આફ્રિકાનો પ્લાન માંડી વાળ્યો સાઉથ આફ્રિકાની જી-20 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જવાનું નક્કી જ હતું. બધું બરાબર ચાલતું હતું. ટ્રમ્પ નજર રાખી રહ્યા હતા કે મોદી જાય છે કે નહિ... અંતે ન્યૂઝ વહેતા થયા કે નરેન્દ્ર મોદી આફ્રિકા જવા રવાના થયા. એટલે ટ્રમ્પે તરત જ છેલ્લી એક કલાકમાં પ્લાન ફેરવી નાખ્યો અને સાઉથ આફ્રિકા જવાનું માંડી વાળ્યું. વ્હાઈટ હાઉસની મીડિયા સલાહકાર કેરોલિન લેવિટે એવું કહ્યું કે, સિરિલ રામાફોસા કાંઈક બોલ્યા જે અમેરિકાને ગમ્યું નથી એટલે હવે અમેરિકા જશે નહિ. હકીકતે તો ટ્રમ્પને પેટમાં એ દુખ્યું કે મોદી જી-20 સમિટમાં પહોંચ્યા છે. છેલ્લે, ટ્રમ્પથી નારાજ થયેલા ઈલોન મસ્ક રહીરહીને ટ્રમ્પ કેમ્પમાં પાછા ફર્યા છે. મસ્કે ટ્રમ્પને જેમ-તેમ કહ્યું હતું. પછી પસ્તાવો થયો હતો. ટ્રમ્પે પણ મસ્કને પાગલ કહ્યા હતા. મસ્કે અલગ પોલિટિકલ પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી. અંતે ટ્રમ્પે મસ્કના બિઝનેસ પર ટેક્સ નાખી નાક દબાવ્યું એટલે મસ્કને ડહાપણની દાઢ ફૂટી. દુનિયાથી ટ્રમ્પ એકલા સહન થતા નથી ને હવે બંને સરખે-સરખા ભેગા થયા છે.
સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ માં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી સભર શ્રીમદ સત્સંગિજીવન ગ્રંથરાજની કથા પારાયણનો પ્રારંભ કરવામાં આવેલ. મહંત ધર્મવલ્ભદાસજી સ્વામીના આશીર્વાદ સાથે નીલકંઠ હવેલીમાંથી પોથીયાત્રા નીકળેલી. જેમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોવિંદભાઈ પ્રેમજીભાઈ શેટા પરિવાર સાથે સંતો તેમજ હરિભક્તો જોડાયા હતા. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ગધેડા અને ગાય આદિની ઓલાદ સુધારવા પ્રયત્ન થાય છે તેમ સમાજના ઉદ્ધાર અને સુધાર માટે માણસને સુધારવાનું કાર્ય કરવા જેવું છે. વ્યસન, ફેશન અને દેખાદેખીની દોટમાં માણસ દુઃખી થતો જાય છે. આવી દોટમાં ઓટ લાવવાની સમજણ સત્સંગ, કથામાંથી મળતી હોય છે. આજથી સવા બસો વર્ષ પહેલા સદગુરૂ રામાનંદ સ્વામીએ શ્રી નીલકંઠ વર્ણી - સહજાનંદ સ્વામીને પોતાની ગાદીએ બેસારેલ. તે ગાદી પટાભિષેક પ્રસંગે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, કોસાડ ભક્તિબાગ સ્વામિનારાયણ મંદિરના મહંત હરિવલ્લભદાસજી સ્વામી , કોસાડ દિવ્યધામના મહંત દિવ્યસાગરદાસ સ્વામી તેમજ યજમાન પરિવાર ગોવિંદભાઈ, હરજીભાઈ, ઘનશ્યામ ભાઈ શેટા વગેરેએ નીલકંઠ વર્ણી પ્રભુનો કેસર ચંદન તથા વિવિધ રસોથી અભિષેક કરેલ. સંતોએ વસ્ત્ર તથા પાઘ અર્પણ કરી પ્રત્યુને પુષ્પેથી વધાવેલ. હરિભક્તોએ વિવિધ સામગ્રીઓની ભેટ અર્પી ભગવાનનું પૂજન કરેલ. ગુરુકુલના ત્યાગ વૈરાગ્યે યુક્ત નવ યુવાન સંતો શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી નીલકંઠદાસજી સ્વામી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. રાત્રીના 8 થી11 દરમ્યાન ચાલી રહેલ કથામાં જન્મોત્સવ, વનવિચરણ, ‘ગાદી પટ્ટાભિષેક, શાકોત્સવ, રાસોત્સવ વગેરે વિવિધ ઉત્સવો ભક્તિભાવ સાથે સંતો હરિભક્તો ઉજવી ધન્યતા અનુભવી રહ્યા છે.
• મૂર્ઘા ગેંગ ફાયરિંગ કરી હથિયારો મોહસીનને આપી ફરાર થઇ હતી રાજકોટ શહેરના મંગળા મેઈન રોડ પર ગત 29 ઓક્ટોબરના રોજ પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ દ્વારા કરવામાં આવેલ અંધાધુંધ ફાયરિંગ કેસમાં પોલીસે બન્ને ગેંગના મળી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં શહેર SOG ટીમે મોહસીન ઉર્ફે ભેંસને રિવોલ્વર અને ખાલી કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો છે જયારે હથિયાર સપ્લાય કરનાર યુપીની બેલડીને પણ દબોચી લેવામાં આવી છે. આ ઉપરાંત સામા પક્ષે પેંડા ગેંગના સાગરીત નીતિન ગઢવીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આજરોજ પાંચ આરોપીઓને ઘટના સ્થળ પર લઇ જઇ રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું અને આ સમયે આરોપીઓ દ્વારા બે હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગવામાં આવી હતી. સ્મીત એન્ડ વેલ્સન નામની સેમી વિદેશી રિવોલ્વર સાથે ઝડપાયો રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મૂર્ઘા ગેંગના બે સભ્યો ઈશરાકઅલી ઉર્ફે પુતન અને સલ્તાન નનકે ફકીર ઉત્તરપ્રદેશ ભાગી ગયા છે જેના આધારે SOGની એક ટીમ ઉત્તર પ્રદેશ તપાસ અર્થે પહોંચી હતી જયાંથી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઈશરાકલી ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાનો જયારે આરોપી સલમાન બહેરાઈચ જીલ્લાનો વતની છે. બંને આરોપીઓ હાલ જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહે છે. બંને આરોપીઓ મૂર્ઘા ગેંગને હથિયાર આપવા આવ્યા હતા એટલું જ નહીં બંને આરોપીઓની ઘટના સ્થળે પણ હાજરી મળી હતી જેને ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મૂર્ઘા ગેંગના મોહસીન ઉર્ફે ભેંસ નાસીર તાયાણીને સ્મીત એન્ડ વેલ્સન નામની સેમી વિદેશી ગણાતી રિવોલ્વર અને તેના 3 ફૂટેલા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી મોહસીન મૂળ ધોરાજીનો વતની છે અને હાલ જંગલેશ્વરમાં રહે છે. મૂર્ઘા ગેંગે ફાયરિંગ કર્યા બાદ હથિયાર આરોપી મોહસીનને આપી દીધું હતું. તેની આ ભૂમિકા ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના વધુ એક સાગરીત નીતિનદાન ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેને શહેર SOG પોલીસને સોંપવામાં આવતા પોલીસે ઉત્તરપ્રદેશની બેલડી ઈશરાક અલી અને સલમાન, જંગલેશ્વરનોં મોહસીન અને શાહનવાઝ તેમજ પેંડા ગેંગના નીતિનદાન ગઢવીને બનાવ સ્થળે લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ગત તા.29 ઓક્ટોબરના રોજ મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલ પાસે મોડી રાત્રીના 3 વાગ્યા આસપાસ પેંડા ગેંગના શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી નાસી છૂટ્યા હતી. જ્યારે સામા પક્ષે પણ સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મૂર્ઘો સહીત ટોળકીએ પેંડા ગેંગ ઉપર સામે ફાયરીંગ કરતાં ચકચાર મચી જવા પામી હતી જેમાં શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરકાર પક્ષે ફરિયાદી બની હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ બન્ને ગેંગ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ SOGને સોંપવામાં આવી હતી. પોલીસે એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી હતી જયારે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 સભ્યો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી તમામને અલગ અલગ જેલ ખાતે ગઈકાલે ધકેલવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ જંગલેશ્વરની મૂર્ઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો, ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજલો સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આગ્રાથી સંજલાથી વિખુટા પડી અમદાવાદથી રાજકોટ તરફ આવી રહેલ મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મૂર્ઘો યાસીન પઠાણ તેમજ તેના સાગરીતો સોહીલ ઉર્ફે ભાણો સિકંદર ચાનિયા અને શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણને ઝડપી પાડ્યા હતા. આ પછી ફાયરિંગ ઘટના બાદ પાછળથી પથ્થરમારો કરનાર અને ફૂટેલા કાર્ટીસ વીણી પુરાવાનો નાસ કરનાર આબીદ ગોધાવિયાને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અને મૂર્ઘા ગેંગને ભાગવા સહીતની બાબતોમાં મદદગારી કરનાર મૂર્ઘાના કૌટુંબિક કાકા અસરફ નાસીર શેખને જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
ડાંગ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત વિશેષ જાગૃતિ કેમ્પ યોજાયો. આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો, સિનિયર સિટિઝન અને વિચરતી-વિમુક્ત જાતિના નાગરિકોને મતદાર ગણતરી ફોર્મ અંગે સરળ અને સ્પષ્ટ સમજ આપવાનો હતો, જેથી મતદાર યાદીમાં સમયસર સુધારા થઈ શકે. આહવા-ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને નોડલ અધિકારીની કચેરી દ્વારા આહવા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લાભરમાંથી દિવ્યાંગ મતદારો, વયસ્ક નાગરિકો અને વિચરતી-વિમુક્ત જાતિના લોકોએ આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો. કેમ્પમાં 150થી વધુ નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટે દરેક કેટેગરીના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) વિશે વિગતવાર માહિતી આપી. તેમણે એનુમરેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, નવા મતદાર તરીકે નામ નોંધાવવાની રીત, સુધારા માટેની સમયસીમા અને ઇ-સુવિધાઓ વિશે સમજાવ્યું. ચૂંટણી પંચની પ્રાથમિકતા છે કે આ ખાસ કેટેગરીના નાગરિકો સુધી માહિતી સરળતાથી પહોંચે. અધિકારીઓએ જણાવ્યું કે દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે સુવિધાજનક સેવાઓ પૂરી પાડવી અને તેમના મતાધિકારને સુનિશ્ચિત કરવો એ ચૂંટણી તંત્રની જવાબદારી છે. આ કેમ્પથી આવા મતદારોમાં જાગૃતિ વધશે અને SIR કાર્યક્રમને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. જિલ્લામાં આવી પહેલ દ્વારા વંચિત વર્ગો સુધી લોકતંત્રની પ્રક્રિયા વધુ મજબૂત રીતે પહોંચી રહી છે, તેવો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો છે.
મહીસાગર જિલ્લાના પૌરાણિક અને મહાત્મય ધરાવતા મહીસાગર તીર્થધામ દેગમડાના મહંત અરવિંદગિરીને અયોધ્યા રામમંદિર ખાતે યોજાનાર એક વિશેષ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું છે. આગામી 25મી તારીખે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ આમંત્રણ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા મહંત અરવિંદગિરીને પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ મહંત અરવિંદગિરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહંત અરવિંદગિરીએ મહીસાગર જિલ્લા વતી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચિ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ, જેથી વિકાસના આયોજનમાં સરળતા રહે. બેઠકમાં ચોટીલા મંદિર આસપાસ પરિક્રમા માર્ગ, ઝરિયા મહાદેવ મંદિર, મહર્ષિ તેજાનંદ યાત્રાધામ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ઐતિહાસિક હામપુર વાવ, નારીચણા, હેમતીર્થ અને દસાડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી સફારી પાર્ક જેવા સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પર વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરના સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં યાત્રાધામ સ્થળોના વિકાસ માટે મળેલી નવી દરખાસ્તો પર પણ ચર્ચા થઈ. જિલ્લા સંશોધન અધિકારી અલ્પેશભાઈ પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે, વિકાસ માટે અનિવાર્ય હોય તેવા અન્ય ધાર્મિક કે પૌરાણિક સ્થળોની વિગતવાર દરખાસ્ત નિયત નમૂનામાં સત્વરે રજૂ કરવી. આ બેઠકમાં દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, પ્રવાસન સમિતિના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ વઢવાણ વિધાનસભાના બૂથ લેવલ ઓફિસર (BLO) કીર્તિકુમાર જેઠાલાલ સુમેરાને સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શાહ દ્વારા તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ડાંગસીયા વસાહત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિકુમાર સુમેરા વઢવાણ વિધાનસભાના બૂથ નંબર 229ના BLO છે. તેમણે દિવાળીના તહેવાર દરમિયાન પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું અને મતદાર યાદીના મેપિંગનું કાર્ય દિવાળી પહેલા જ પૂર્ણ કરી લીધું હતું. મતદાર યાદીનું સાહિત્ય મળ્યા પછી, તેમણે પોતાના પત્ની અને ભાઈના સહયોગથી ઘરે-ઘરે વિતરણ માટે તેનું વર્ગીકરણ કર્યું. ત્યારબાદ તેમણે ડોર-ટુ-ડોર જઈને કામગીરી શરૂ કરી અને નાગરિકોના સહકારથી નિર્ધારિત લક્ષ્યાંક મુજબના ફોર્મ્સ ભરી મતદાર યાદી સુધારણાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. BLO કીર્તિકુમાર સુમેરાની આ મહેનત અને સમયબદ્ધ કામગીરીને ધ્યાનમાં રાખીને, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શાહ દ્વારા તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન બદલ આનંદ વ્યક્ત કરતા કીર્તિકુમાર સુમેરાએ જણાવ્યું કે, તેમણે આ કામગીરી નિષ્ઠાપૂર્વક અને ફરજના ભાગરૂપે કરી હતી. જિલ્લા કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા તેમના કાર્યની કદર થવાથી તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને તેઓ ગૌરવ અનુભવે છે. તેમનું આ ઉદાહરણ અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે કે રાષ્ટ્રીય ફરજમાં નિષ્ઠાપૂર્વક કરેલા કાર્યની વહીવટી તંત્ર દ્વારા હંમેશા કદર કરવામાં આવે છે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ મતદાર નોંધણી કામગીરી બદલ વઢવાણના અન્ય BLO નિરવ સતાણીનું પણ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે દરરોજ 300 ફોર્મ ભરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરી મતદાર નોંધણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. નિરવ સતાણીએ તેમની સફળતાનો શ્રેય સહકર્મચારીઓ અને પરિવારને આપ્યો હતો. વઢવાણ વિધાનસભામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા સતાણી નિરવ મુકેશકુમારને તેમની વિશેષ સઘન સુધારણા Special Intensive Revision - SIR કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ ચૂંટણી અધિકારી સુદીપ શાહ દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. નિરવ સતાણી, જેઓ વસ્તડી પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ હાલમાં વસ્તડી સ્કૂલના બુથ નંબર 272 પર બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચની વિશેષ સઘન સુધારણા કામગીરી દરમિયાન અત્યંત મહેનત અને સમર્પણ દાખવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. નિરવભાઈએ આ સન્માન બદલ કલેક્ટર અને નાયબ ચૂંટણી અધિકારીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સફળતા પાછળ તેમનો એકલાનો નહીં, પરંતુ તેમના શાળાના સ્ટાફ, પરિવાર અને અન્ય સહયોગીઓનો પણ સહિયારો પ્રયાસ છે. તેમણે ખાસ કરીને દિવાળી વેકેશન દરમિયાન તેમના સુપરવાઈઝર મહેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ મેપિંગની કામગીરી પૂર્ણ કરી હતી. વધુમાં, ફોર્મ વિતરણ અને ભરવાની કામગીરીને અસરકારક બનાવવા માટે તેઓ અને તેમના ભાઈ દરરોજ સવારે 8 વાગ્યાથી ગામમાં ફોર્મ ભરતા હતા. તેઓ દરરોજ ઓછામાં ઓછા 300 ફોર્મ ભરવાનો લક્ષ્યાંક રાખતા, જે નિયમિતપણે પૂરો થતો હતો. તેમના આ મહેનત અને સચોટ કામગીરીના પરિણામ સ્વરૂપ તેમને આ પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ તેમજ નાયબ ચૂંટણી અધિકારીએ સતાણી નિરવના આ કર્તવ્યનિષ્ઠા અને ઝીણવટભર્યા કામની નોંધ લીધી હતી. આ સન્માનપત્ર દ્વારા તેમની મહેનત, નિષ્ઠા અને ચૂંટણીલક્ષી કામગીરી પ્રત્યેના અસાધારણ સમર્પણને બિરદાવવામાં આવ્યું છે.
વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે રૂપિયા 1.71 કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ, વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારી સાથે કરોડોની ઠગાઈનો ઘટનાક્રમવેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાયે વેપારી એવા રાહુલ માગીલાલ રાઠોડ આ ઠગાઈનો ભોગ બન્યા છે. રાહુલ રાઠોડે દિલ્હીના ચાર આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ, શિવા ઠાકુર ઉર્ફે મોહિત, અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટીવી સિરીયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપીઆરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો. તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરીયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી. ઓક્ટોમ્બર 2022થી ફેબ્રુઆરી 2024ના લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન, આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુ.પી.આઈ. ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગડિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક-છૂટક કુલ 1,71,00,000 રૂપિયા પડાવી લીધા હતા. ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યોઆટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ, આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરીયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું નહોતું, પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી ઠગ ગેંગના બે સભ્યો ઝડપાયાઅલથાણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દિલ્હી ખાતેથી ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વિવેક ઉર્ફે રાહુલ રોય (ઈન્દર પાલ રાજપૂત સિંગ) (ઉ.વ. 23, રહે. મહરોલી, દિલ્હી), અલકા વિજયસિંગ બરૌનીયા (ઉ.વ. 28, રહે. રાજાપુરી, ઉત્તમ નગર, દિલ્હી) પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આજે બપોરે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય રાજ્યોના વેપારીઓ પણ ભોગ બન્યાપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઠગ ટોળકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોડને જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસ મેનોને પણ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે. અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને તેમની પૂછપરછ દ્વારા ગેંગના અન્ય સભ્યો (અરમાન ખાન અને શિવા ઠાકુર)ને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે, તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે.
વિસાવડા ગામે વાડીમાંથી 11 ફૂટનો અજગર મળ્યો:વનવિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો
પોરબંદર નજીક આવેલા વિસાવડા ગામે એક વાડીમાંથી 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચીને અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. વિસાવડા ગામના ખેડૂત માલદેભાઈની વાડીમાં અજગર હોવાની જાણ વનવિભાગના અધિકારીઓને થઈ હતી. આ માહિતી મળતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા વાડીમાંથી 11 ફૂટ લાંબા અજગરને કાળજીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અજગરને પકડ્યા બાદ તેને સુરક્ષિત સ્થળે છોડી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે જામનગરથી રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થયા છે. તેઓ આજે સાંજે 6:30 વાગ્યે રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ પરથી નીકળી જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયોડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ગઈકાલે સાંજે તેમની ગર્લફ્રેન્ડ સાથે જામનગર આવ્યા હતા. તેઓ સાંજે 7:30 વાગ્યા બાદ જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રિલાયન્સ દ્વારા સંચાલિત 'વનતારા' પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વાહનોનો મોટો કાફલો તેમની સાથે હતો.
NH-48 પર ₹57.82 કરોડના કામો મંજૂર:ગાંભોઈ, પ્રાંતિજ, મજરામાં સર્વિસ રોડ; રસુલપુરમાં ફ્લાયઓવર બનશે
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ. 57.82 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ભંડોળ ગાંભોઈ, પ્રાંતિજ અને મજરા ઓવરબ્રિજની બાજુમાં RCC સર્વિસ રોડ બનાવવા, રસુલપુર ગામે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવા અને આઠ ઓવરબ્રિજના સમારકામ માટે ફાળવવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 48 સિક્સ લેનનો બની રહ્યો છે, ત્યારે આગામી સમયમાં આ કામો હાથ ધરવામાં આવશે. મંજૂર થયેલા કામોમાં શામળપુર, સુનોખ, ગાંભોઈ, કરણપુર, આગિયોલ, પોગલું, તાજપુરકુઈ અને મજરા ખાતેના ઓવરબ્રિજનું સમારકામ પણ સામેલ છે. મંજૂર થયેલા કુલ રૂ. 57.82 કરોડમાંથી, ગાંભોઈ, પ્રાંતિજ અને મજરા વિસ્તારોમાં RCC સર્વિસ રોડ બનાવવા માટે રૂ. 31,25,40,080 ફાળવવામાં આવ્યા છે. પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે રૂ. 17,66,78,521 મંજૂર થયા છે. જ્યારે NH-48 પરના વિવિધ ઓવરબ્રિજના સમારકામ માટે રૂ. 8,90,47,981 ફાળવવામાં આવ્યા છે. સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા શામળાજી-ચિલોડા NH-48 સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવામાં આવ્યા હતા. તેમની રજૂઆતોના સકારાત્મક પરિણામે આ ભંડોળ મંજૂર થયું છે. આ વિકાસ કાર્યોની મંજૂરી બદલ સાંસદ શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાબરકાંઠાની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ કાર્યો સાબરકાંઠા-અરવલ્લી લોકસભાને વધુ પ્રગતિશીલ અને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે.
ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના નિર્દેશો હેઠળ ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા ત્રણ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નું આજે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ દ્વારા આ ત્રણેય BLOઓને પ્રમાણપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્રણેય BLOને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવ્યુંગાંધીનગર જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા ત્રણ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નું આજે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.237 - શિયાપુરાના BLO ધવલકુમાર બાબુભાઈ પટેલ, ગાંધીનગર (દક્ષીણ) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.57, મગોડી-5(રતનપુર લાટ)ના BLO જીગ્નેશકુમાર ચીમનભાઈ પટેલ તથા માણસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.24 મોતીપુરા (વેડા) ના BLO કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાંધીનગર તરફથી તેમની કામગીરી બિરદાવી ત્રણેય BLOને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સમય પૂર્વે કામગીરી પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદનઆ તકે કલેકટર મેહુલ દવેએ BLOઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આપ સૌને સમય પૂર્વે કામગીરી પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન. આ સાથે જ તેમણે BLO પાસેથી 100 ટકા કામગીરી આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા પાછળ કરેલી મહેનત અને સ્ટ્રેટેજી અંગે વિગતે માહિતી મેળવી હતી. તથા અન્ય BLOઓને પણ આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.
લુણાવાડા નગરપાલિકામાં કથિત કૌભાંડોના આરોપસર વિરોધપક્ષે ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે. વિરોધપક્ષના નેતાએ ત્રણ દિવસમાં ખાસ સભા બોલાવી આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધપક્ષનો આરોપ છે કે પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ દ્વારા વિવિધ કૌભાંડો આચરવામાં આવ્યા છે. આ કૌભાંડોમાં એલઇડી કૌભાંડ, ટાઈમર સ્વીચ કૌભાંડ, સ્વિમિંગ પુલ કૌભાંડ અને કુતબી મોલ કોમ્પલેક્ષમાં લાખોની દુકાનોની ખરીદી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. લુણાવાડા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, નગરના હિતમાં આ નોટિસ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ એલઇડી, ટાઈમર સ્વીચ અને સ્વિમિંગ પુલ કૌભાંડ બહાર લાવવામાં આવ્યા હતા, જેની વિજિલન્સ તપાસ થઈ હોવા છતાં તેની વિગતો સ્પષ્ટ નથી. રાકેશ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, જો પ્રમુખ સાચા હોય તો બોર્ડ બોલાવીને સાબિત કરે કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. જો તેઓ ખોટા સાબિત થાય તો રાજીનામું આપે. તેમણે ચીફ ઓફિસરને લેખિતમાં ખાસ સભા બોલાવીને આ તમામ કૌભાંડો અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. વિરોધપક્ષનો દાવો છે કે આ કૌભાંડો બહાર આવ્યા બાદ નગરના વિકાસના કાર્યો અટકાવી દેવામાં આવ્યા છે. તેઓ માને છે કે આ કૌભાંડોની સ્પષ્ટતા થવાથી વિકાસ કાર્યો ફરી ઝડપથી શરૂ થઈ શકશે. ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા દ્વારા તેમને 20 નવેમ્બર, 2025 ના રોજ ખાસ સામાન્ય સભા બોલાવવા માટેની નોટિસ આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ અંગે પ્રમુખ પાસે સત્તા છે કે કઈ રીતે સામાન્ય સભા બોલાવવી. આ અંગે પાલિકા પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિજિલન્સ તપાસ માગેલી છે અને તેનું પરિણામ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝન મહિલા ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો મહિલાનો અછોડો તોડીને ભાગી ગયા હતા. બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. કુંભારવાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના હરણી રોડ પર આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતાં કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ (ઉ.વ.63) ખાનગી ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મંગળવારે રાતે તેઓ પત્ની ભાવનાબેન સાથે સોસાયટીના રોડ ઉપર વૉક કરી રહ્યાં હતા. રાતે લગભગ 9.30 વાગ્યાના અરસામાં બાઈક ઉપર સવાર બે વ્યકિતઓ આવ્યા હતા. આ પૈકીનો પાછળની સીટ પર બેસેલો સાગરીત ચાલતો પાછળ આવ્યો હતો અને ગળામાંથી રૂ.40 હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો. કૃષ્ણકાંતભાઈ પાછળની બાજુ વળ્યાં ત્યારે રોડ પર પથરાયેલી રેતીના કારણે પગ સ્લિપ્ થઈ ગયો હતો અને તેઓ પટકાયા હતા. સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભારવાડા પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિત મહિલા ભાવનાબેન શાહે જણાવ્યું હતું કે, હું નાગેશ્વર સોસાયટીમાં રહું છું. મેઇન રોડ ઉપર હું અને મારા પતિ રાત્રે વોક કરવા નીકળ્યા હતા. તે વખતે પાછળથી બાઇક પર બે જણા આવ્યા હતા. એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને મારી કંઠી ખેંચીને જતો રહ્યો હતો અને બાઇક ઉપર બેસીને બંને ભાગી ગયા હતા. પછી મેં 'ચોર! ચોર! ચોર!' કરીને બૂમો પાડી તો લગભગ 40 થી 50 જણ ભેગા થઈ ગયા હતા અને લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ પણ ગયા હતા, પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતા રહ્યા હતા
સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં 44 વર્ષીય દર્દીની લીવરની સૌથી જટિલ સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. આ દર્દી જૈસલમેરથી અમદાવાદ આવ્યો હતો અને અહીં તેને લીવરમાં 3.1 કિલોની ગાંઠ હતી, જેના લીધે પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો. એટલું જ નહીં આ ગાંઠના કારણે દર્દીની કિડની પણ ખસી ગઈ હતી. આવી ક્રિટિકસલ કંડિશનમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. હિતેશ ચાવડા એન્ડ મેડિકલ ટીમે તેની સર્જરી કરી હતી. દર્દીની આ વન ઓફ ધ રેર એન્ડ ક્રિટિકલ સર્જરી હતી જે 10 કલાક સુધી ચાલી હતી. જોકે, બાદમાં સ્ટર્લિંગની મેડિકલ ટ્રિટમેન્ટના લીધે સફળતા પૂર્વક આ સર્જરી થઈ ગઈ હતી અને દર્દીને નવજીવન મળ્યું હતું. દર્દીના લીવરમાં 3.1 કિલોની ગાંઠ હતીસ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના ડો. હિતેશ ચાવડાએ આ સર્જરી અંગે વધુમાં જણાવ્યું કે, અમારી ટીમમાં સ્પેશિયલાઈઝડ ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ છે, જેની મદદથી જ આ પ્રકારની સૌથી રેર કંડિશનમાં સર્જરી અમે સફળતાથી કરી અને દર્દીને નવજીવન આપ્યું. દર્દીને નોન કેન્સરસ બેનાઈન હેમેન્જિઓમા હતું. જેને આપણે લોહીની ગાંઠ કહી શકીએ. તેમના લીવરના જમણા ભાગમાં આ ફેલાઈ ગઈ હતી. દર્દી વ્યવસાયે પશુપાલક હતા, તેવામાં શરીરના બાંધાને જોતા જલદીથી આ પ્રકારની ગાંઠ ડિટેક્ટ પણ ન થઈ શકે. દર્દી શરૂઆતમાં તો પેટના દુઃખાવાની તકલીફ સાથે જ અમારા પાસે આવ્યો હતો. બાદમાં અમે સ્કેન કર્યા અને જાણ થઈ કે તેમને તો લીવરના જમણા ભાગમાં મોટી ગાંઠ છે. દર્દી 10 કલાકની સર્જરી બાદ ગણતરીની મિનિટોમાં ભાનમાં આવી ગયાડો. હિતેશ ચાવડાએ કહ્યું કે, સૌથી મોટી ચેલેન્જ તો અમારા માટે આ સર્જરીને કેવી રીતે પ્લાન કરવી એની જ હતી. એવી કંડિશનમાં દર્દી આવ્યા હતા કે જો સર્જરી દરમિયાન કઈપણ ઓછુ-વત્તુ થાય તો તેમને જીવને પણ જોખમ હતો, અમે આ દર્દીને ફરીથી નોર્મલ જીવન જીવી શકે એના માટે સર્જરી પ્લાનિંગ કર્યું અને મેડિકલ ટીમ સાથે મળીને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી દીધી હતી. આ તમામ તૈયારીઓ પછી અમે સર્જરી શરૂ કરી અને નોનસ્ટોપ 10 કલાક સુધી એ ચાલી હતી. દર્દી 10 કલાકની સર્જરી બાદ ગણતરીની મિનિટોમાં ભાનમાં આવી ગયા હતા. ત્યારપછી તેમને ICUમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા હતા અને તેમની કંડિશનમાં પણ ઘણો સુધાર આવ્યો હતો. તેઓ એકદમ સ્વસ્થ જણાઈ રહ્યા હતા. લીવરમાં ગાંઠ કેવી રીતે થાય?, બચવા શું કરવું?સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. હિતેશ ચાવડાએ જણાવ્યું કે, દર્દીને આ ગાંઠ જન્મજાત હોઈ શકે છે, પરંતુ આનું ડિટેક્શન એટલે જલદી ન થયું કારણ કે આવી ગાંઠ વધવામાં ઘણો સમય લાગે છે. શરૂઆતમાં સામાન્ય પેટમાં દુઃખાવો થાય જે સમય સમય પર વધતો જાય. દર્દીઓ મોટાભાગે પેટના દુઃખાવાને અવગણી નાખે અને પછી સામાન્ય જીવન જીવવા લાગે છે, પરંતુ જો વધારે સમયયાંતરે આ જ તકલીફ થતી હોય તો એકવાર સ્કેન કરાવી લેવું જોઈએ. કારણ કે લીવરમાં ગાંઠ જો આટલી મોટી થઈ જાય તો પછી દર્દીને જીવનું જોખમ પણ થઈ શકે છે. ઘણીવાર તો ગાંઠ એટલી મોટી થઈ જાય અને પછી અંદર જ તેમાં હેમરેજ થઈ જાય છે. આ દર્દીની કંડિશન વિશે જણાવું તો લીવરમાં ગાંઠને કારણે તેની કિડની પણ ખસી ગઈ હતી. તો આવી કંડિશન વધારે વકરે નહીં એના માટે સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
હિંમતનગરમાં મતદાર યાદી સુધારણા:બાઈક પર સવાર થઈ BLO દ્વારા માઈકથી જાહેરાત, ફોર્મ જમા કરાવવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા મતદારોને ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી રહી છે. હિંમતનગરના ઇન્દ્રનગર વિસ્તારમાં એક BLOએ માઈક સાથે બાઈક પર ફરીને જાહેરાત કરી હતી. SIR (Special Summary Revision) હેઠળ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત, 22 નવેમ્બર (શનિવાર) અને 23 નવેમ્બર (રવિવાર), 2025ના રોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર BLO હાજર રહેશે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 1282 મતદાન મથકો આવેલા છે, જ્યાં 1282 BLO ફરજ બજાવી રહ્યા છે. આ BLO આગામી બે દિવસ સુધી મતદારોને મળી શકશે. હિંમતનગરના ઇન્દ્રનગર વિસ્તારમાં આવેલા આંબાવાડી મતદાન મથકના BLO શુક્રવારે સાંજે બાઈક પર માઈક લઈને મતદારોને ફોર્મ જમા કરાવવા માટે જાહેરાત કરતા જોવા મળ્યા હતા. BLO દ્વારા જાણવા મળ્યું કે મતદારોને ઘરે ફોર્મ આપવામાં આવ્યા છે, પરંતુ તેઓ ઝડપથી ફોર્મ જમા કરાવવા આવતા નથી, તેથી માઈક દ્વારા જાગૃતિ લાવવામાં આવી રહી છે.
પાટણમાં ખાડામાં બાઈક ખાબક્યું, મહિલા ઈજાગ્રસ્ત:યસ ધામ નજીક બિસ્માર રોડ પર અકસ્માત, લોકોમાં રોષ
પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં શુક્રવારે એક બાઈક ખાડામાં ખાબકતાં એક મહિલાને પગમાં ઈજા થઈ હતી. આ અકસ્માત યસ ગ્રીન સોસાયટી નજીક વેદ સોસાયટી પાસેના બિસ્માર રોડ પર થયો હતો. બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ વિસ્તારમાં રોડની ખરાબ હાલતને કારણે નાના વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીઓના રહીશો છેલ્લા ઘણા સમયથી ખરાબ રોડની સમસ્યાથી પરેશાન છે. તેમણે પાલિકા તંત્રને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં, આજદિન સુધી રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં શુક્રવારે દહેજ GIDC વિસ્તારમાં આવેલી ઓપલ ONGC દહેજ અને પેટ્રોએટ LNG કંપનીઓ ખાતે રાજ્યકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રિલ યોજાઈ હતી. NDMA, GSDMA અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મોકડ્રિલનો હેતુ ત્રીજા લેવલની ઇમરજન્સી પરિસ્થિતિ વખતે તંત્રોની સજ્જતા અને સંકલન ક્ષમતા ચકાસવાનો હતો. ઓપલ ONGC દહેજ ખાતે હેવી પ્રોપીલિનનું લીકેજ થતાં વિસ્ફોટ અને આગ લાગ્યાની કલ્પિત ઘટના ઉભી કરવામાં આવી હતી. ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પરિસ્થિતિ તૈયાર કરવામાં આવી હતી જેમાંથી 2ને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગના 9 વાહનો ઘટનાસ્થળે પહોંચીને આગ કાબુમાં લેવાની કામગીરી કરતાં પોલીસ દ્વારા વાહનવ્યવહારનું નિયંત્રણ સંભાળાયું હતું. આરોગ્ય તંત્રે તમામ ઇજાગ્રસ્તોની આરોગ્ય તપાસ કરી હતી. પેટ્રોનેટ LNG ખાતે ભૂકંપના કારણે પાઈપલાઈનમાં ભંગાણ થઈ ક્રૂડ ઓઇલ લીકેજ અને ત્યારબાદ આગ લાગી હોવાની સિમ્યુલેશન ઘટના ઉભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લેવલ-3 ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. NDRF અને સ્થાનિક તંત્રના સંકલિત અભિયાન દ્વારા કુલ 222 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમાંમાંથી 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની પરિસ્થિતિમાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. આરોગ્ય વિભાગે નજીકના PHC ખાતે બેડેડની સુવિધા ઉભી કરી હતી. ફાયર વિભાગના 18 વાહનો આગ કાબૂમાં લેવા પહોંચી ગયા હતા, જ્યારે પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ પણ કામગીરીમાં સહકાર આપ્યો હતો. મોકડ્રિલની જાણ થતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા કલેક્ટર એમ.એન.મનાણી દહેજ પહોંચ્યા હતા અને તમામ વિભાગો સાથે સંકલન કરી પરિસ્થિતિનું માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રિલ બાદ તંત્રોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં NDMA અને GSDMAના અધિકારીઓએ કામગીરીની પ્રશંસા સાથે નાની-મોટી ખામીઓ અંગે ચર્ચા કરી હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલા ફોર્મનું ડિઝીટાઇઝેશનની કરવાની કામગીરીમાં ત્વરિતતા લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અકોટામાં ફેસિલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિકો દ્વારા ભરાયેલા ફોર્મ પરત મળી રહ્યા છે. આ ફોર્મ બીએલઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. ફોર્મમાં રહેલી વિગતોના આધારે મતદારનું મેપિંગ કરવાની ભારતના ચૂંટણી પંચની સૂચના છે. તે બાબતને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ બૂથ લેવલ ઓફિસરને મદદ કરવા માટે વડોદરા શહેરની પાંચ વિધાનસભા માટે અકોટા સ્ટેડિયમ પાસે આવેલી કેળવણી ટ્રસ્ટ શાળા સંકુલમાં ફેસિલેશન સેન્ટર શરૂ કર્યું હતું. શહેરની પાંચેય વિધાનસભા માટે વધારાના 50-50 મળી કુલ 250 વધારા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. જે ડિઝીટાઇઝેશનમાં મદદ કરશે. આ ઉપરાંત આ સ્ટાફ માટે નાયબ મામલતદારો, મહેસુલી ક્લાર્કના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે. નવા કર્મચારીઓને આજે સવારમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સુહાની કેલૈયા પણ જોડાયા હતા. હજુ તા. 22 અને 23ના રોજ શનિવાર અને રવિવારના રોજ એ બે રજાના દિવસોમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથકોમાં બેસશે અને મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ તથા માર્ગદર્શન આપશે.
ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં 'સરદાર સ્મૃતિ પદયાત્રા' 2500થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ ઉત્સાહભેર જોડાયા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આજની પેઢીમાં સરદાર વલ્લભભાઇ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તે હેતુ થી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારની પદયાત્રા રૂપાણી સર્કલથી શરૂ થઈ ત્યારબાદ સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ, આંબાવાડી, મહિલા કોલેજ, દિપકચોક, બોરડીગેટ, ગીતાચોક, ડોન ચોક થઈને સરદાર સ્મૃતિ (કેસન્ટ સર્કલ) ખાતે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, આમ આ પદયાત્રાના રુટ પર 1 થી 1.5 કી.મી. ના અંતરે સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ અને ગીતા ચોક સહિત વિવિધ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ પદયાત્રાના રૂટમાં આવતા રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ જણાવ્યું હતું કે 150મી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ની જન્મ જયંતી જ્યારે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતના 182 વિધાનસભામાં યાત્રા વિશેષ રૂપે મનાવાઇ રહી છે ત્યારે આજે આપણા ભાવનગરમાં કે જ્યારે અખંડ ભારતની વાત આવી ત્યારે ભાવનગરના આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી સૌપ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું. આપણી માટે ખાસ આજે ગૌરવનો દિવસ છે કે આપણે આ ભાવનગરમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની આજે યુનિટી માર્ચ નીકળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે એ બાળકો હોય કે વડીલો હોય દરેક લોકો દરેક સંસ્થા અને દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની પદયાત્રામાં ભાવનગર શહેરના નાગરીકો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલેંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો, રમતવીરો સહિત અંદાજીત 2500 થી 3000 પદયાત્રીઓ જોડાયા હતા, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ધારાસભ્ય સેજલબેન પંડયા, કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમાર શાહ, નેતા કિશોર ગુરુમુખાણી સહિતની આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે રાણી ચેકપોસ્ટ પરથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ.વી. જોશીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ઇનોવા કાર (રજી. નં. GJ.01.KP.8441)માં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાણી બોર્ડર થઈ પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે રાણી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ઇનોવા કારને રોકવામાં આવી હતી. તપાસ કરતાં કારની ડીકીના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 762 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,83,344 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 15,000ના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની ઇનોવા કાર મળી કુલ રૂ. 5,98,344નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં નરેન્દ્રપુરી શંભુપુરી નારાયણપુરી ગોસ્વામી (ઉં.વ. 20, રહે. દેવરી, પોસ્ટ પુનાવલી, તા. બડી સાદડી, થાના નિકુંમ્ભ, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન), રાહુલ ભેરુલાલ ખારોલ (ચૌહાણ) (ઉં.વ. 25, રહે. ઘાસા, થાના ઘાસા, તા. માવલી, જિ. ઉદયપુર, રાજસ્થાન) અને ખુશીકુંવર કરણસિંહ ચૌહાણ (ઉં.વ. 30, રહે. 21 સમાજ કલ્યાણ હોસ્ટેલ, ખેમપુરા, ભોઈવાડા, ગોપીનગર, ગીર્વા, જિ. ઉદયપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દારૂનો મુદ્દામાલ ભરી આપનાર મયુર નામનો એક ઇસમ (રહે. ચિત્તોડગઢ, રાજસ્થાન) હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ મેઘવાળ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:મતદાર યાદીમાંથી ગેરબંધારણીય 'હરિજન' શબ્દ દૂર કરવા માંગ
અખિલ કચ્છ મેઘવાળ સમાજે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોના નામ સાથે દર્શાવવામાં આવતા ગેરબંધારણીય 'હરિજન' શબ્દને દૂર કરવા માટે હતું. સુપ્રીમ કોર્ટે આ શબ્દને ગેરબંધારણીય જાહેર કર્યો છે. આ રજૂઆત સમાજ અગ્રણી નરેશ મહેશ્વરીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR નિયમો હેઠળ) ચાલી રહ્યો હોવા છતાં, ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં હજુ પણ ઘણી મતદાર યાદીઓમાં લોકોની અટક 'હરિજન' લખેલી જોવા મળે છે. સરકારે વિવિધ પરિપત્રો દ્વારા આ શબ્દને અસંસદીય જાહેર કર્યો છે અને કોઈપણ સરકારી રેકોર્ડમાં તેનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. સમાજે માંગ કરી છે કે, અજ્ઞાનતા કે અભણતાને કારણે જે મતદાર યાદીઓમાં 'હરિજન' અટક છપાઈ છે, ત્યાં BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે મૂળ અટક અથવા જાતિ સાથે 'હરિજન' શબ્દ દૂર કરવામાં આવે. નવી મતદાર યાદીમાં સામેલ પરિપત્ર મુજબ 'હરિજન' શબ્દ કાઢી નાખી સુધારણા કરવામાં આવે. કલેક્ટરશ્રી દ્વારા તાબાના તમામ અધિકારીઓ અને BLOs ને આ અંગે સૂચના આપવા પણ વિનંતી કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી, એડવોકેટ વાલજીભાઈ મહેશ્વરી (મંત્રી), રમણિક ગરવા, અશોક રાઠોડ, છગનદાસ બાપુ, હરિભાઈ પરમાર, હંસાબેન ચાવડા, પીએમ મહેશ્વરી, ધનજીભાઈ હેંગડા, મયુર બળિયા, મોહન ચાવડા, પ્રેમ દનીચા, ધીરજ ધૂઆ, વિશાલ પંડ્યા, દીપક ગરવા, ભદ્રેશ ગરવા, મણિલાલ ગરવા, રાજુ દાફડા, મનજી ચોહાણ, ધવલ ફુલીયા, ધવલ ગરવા, પ્રકાશ ગરવા અને સંજય મહેશ્વરી સહિતના આગેવાનો અને દલિત કાર્યકરો જોડાયા હતા.
આણંદ જિલ્લાના પેટલાદમાં ખંભાત રોડ પર એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે બાળકનો કબજો લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. આ અંગે નજીકમાં રહેતા રવિભાઈ વિજયભાઈ રાજપૂતે પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી રવિભાઈ રાજપૂતે જણાવ્યું કે, તેઓ પ્રસંગોમાં બગી ભાડેથી ચલાવે છે. ગત રાત્રે તેઓ બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા અને ઘોડા જોવા નીચે ગયા હતા. તે સમયે તેમને રોડ પરથી નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેમણે તપાસ કરતા તેમના મકાન સામે, પેટલાદ કોલેજ ચોકડીથી ખંભાત જતા રોડ પર ખુલ્લામાં એક તાજું જન્મેલું બાળક નગ્ન હાલતમાં રડતું પડ્યું હતું. તેમણે તરત જ પરિવારજનોને જગાડ્યા અને આસપાસ તપાસ કરી, પરંતુ બાળકનો કોઈ વાલી-વારસદાર મળ્યો ન હતો. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત દ્વારા વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા–ગઢ–કાણોદર માર્ગ (સ્ટેટ હાઇવે)ના 0/00 થી 10/00 કિલોમીટરના ભાગમાં 3.75 મીટર પહોળા માર્ગને 10.00 મીટર પહોળો (વાઈડનિંગ) બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. આનાથી જૂના ડીસાથી ગઢને જોડતા વાહનવ્યવહારને વધુ સુગમતા, સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે, તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે. આ ઉપરાંત, અંબાજી રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અંબાજી ત્રિશુલીયા ઘાટ પર કોરિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોલર ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ બેરિયર વાહન અથડાય ત્યારે તેને રસ્તા પર જ રાખશે અને ખીણમાં જતું અટકાવશે, જેનાથી વાહનચાલકોને થતું નુકસાન ઘટશે અને સલામતી જળવાઈ રહેશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા પાસે આવેલા અરણીવાડા ગામથી ઇકબાલગઢ ખારાને જોડતા એપ્રોચ રોડના રિસરફેસિંગનું કામ શરૂ કરાયું છે. આ રસ્તાના રિસરફેસિંગથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ તથા ખેડૂતોની મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બનશે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન રેની બેન્ચ સમક્ષ આજે એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ડોર-ટુ-ડોર કલેક્શન અંતર્ગત દરરોજ 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્ર કરે છે, પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી અત્યાર સુધીમાં 15 કરોડનો દંડ વસૂલ્યો છે, અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કર્યું છે. જ્યારે હાઇકોર્ટે શાકભાજી અને ફ્રૂટ બજારોમાં પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકી કાપડી થેલી આપવાનું સૂચન કર્યું હતું. આ સાથે જ, GPCBએ પણ રાજ્યમાં પ્લાસ્ટિક કચરા અંગે જાગૃતિ માટે 2400 ઇવેન્ટ્સ યોજી હોવાનું અને 1.50 કરોડ કપડાની બેગનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું, અને કોર્ટે તમામ નગરપાલિકાઓના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે, જેની વધુ સુનવણી 16 જાન્યુઆરીએ થશે. 120 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મુકાયોરાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે હાઇકોર્ટ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં AMCના વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અંતર્ગત દિવસમાં 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્ર કરાય છે. 75 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પ્લાસ્ટિક પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે ઉપર પ્રતિબંધ છે. સપ્ટેમ્બર મહિનાથી 120 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત પ્લાસ્ટિકના બેનર, પેકેજીંગ વગેરે અંગે પણ નિયમો બનાવેલા છે. શહેરના 7 ઝોનમાં અમલવારી સ્ક્વોડ ફરે છે. જે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો માલ જપ્ત કરે છે. આવા વિક્રેતાઓને દંડ કરાય છે અને દુકાન સીલ કરાય છે. શહેરમાં 10 બોટલ ક્રેશિંગ મશીન મુકાયા છે. AMC પાસે 11 મટીરીયલ રિકવરી ફેસિલિટી છે. AMC એ 16.50 લાખ કપડાંની થેલીઓ લોકોને વહેંચીહાઇકોર્ટે સૂચન આપ્યું હતું કે, AMC શાકભાજી અને ફળ વેચનારા લોકોની તપાસ કરે. જો પ્લાસ્ટિકની થેલી ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવશે તો જ તેનો વિકલ્પ મળશે. શાકભાજી અને ફ્રૂટ બજારોમાં પ્લાટિકની થેલીના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકી શકાય. ઉતરાખંડ અને હિમાચલમાં પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે. AMC એ કહ્યું હતું કે, તેમણે શહેરમાં 16.50 લાખ કપડાંની થેલીઓ લોકોને વહેંચી છે. પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અંગે વધુ સુનાવણી 16 જાન્યુઆરીએ યોજાશેGPCBએ જણાવ્યું હતું કે, ગત 22 મેથી 5 જૂન દરમિયાન તેઓએ પ્લાસ્ટિક કચરા અંગે જાગૃતતા લાવવા માટે 3400 ઇવેન્ટ કરી હતી. જેમાં 3 લાખ વોલેન્ટિયરે ભાગ લીધો હતો. જેમાં 10 હજાર ટન જેટલું પ્લાસ્ટિક ભેગું કરાયું હતું. રાજ્યમાં 250 વેડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. 250 કપડાંની થેલીના મશીન મૂકવામાં આવ્યા છે. 1.50 કરોડ કપડાની બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. 30થી વધુ રિવર્સ વેન્ડિંગ મશીન મુકાયા છે. પ્રતિજ્ઞા પોર્ટલ ઉપર પ્લાસ્ટિક મેનેજમેન્ટની તમામ માહિતી ઉપલબ્ધ છે. હાઇકોર્ટે ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન અને ઓખા વિશે માહિતિ આપી હતી. સાથે જ GPCB દરેક નગરપાલિકાના પાલસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે સ્ટેટ્સ આપે. આ અંગે વધુ સુનવણી 16 જાન્યુઆરીએ યોજાશે. મટીરીયલ રિકવરી ફેસિલિટીની વ્યવસ્થા કરવા સમય સીમા નક્કી કરાઈગત સુનવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, રાજ્યમાં આવેલી તમામ નગરપાલિકા માટે MRF મટીરીયલ રિકવરી ફેસિલિટીની વ્યવસ્થા કરવા સમય સીમા નક્કી કરાઈ છે. સ્ટેટ મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરના રોજ સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રીજિયોનલ કમિશનરે સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેમના તાબામાં આવતી નગરપાલિકાઓમાં નિશ્ચિત સમય ગાળામાં MRF ફેસિલિટી ચાલુ થાય, નક્કી કરેલા સમય સીમાને ગાળાને વધારાશે નહીં. જે નગરપાલિકોએ MRFનું કામ કોન્ટ્રક્ટથી આપ્યું હોય તેનું EPR પોર્ટલ ઉપર 15 દિવસમાં એજન્સીનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના અપાઈ છે કે, નિયત સમય સીમામાં કામ ના થયા તો તેમના વિરૂદ્ધ શિસ્ત સબંધી પગલા લેવાશે. દરેક ઓથોરિટી માટે અલગ અલગ સમય સીમા નક્કી કરવામાં આવી છે કેમ કે MRF ફેસિલિટી ઊભી કરવા જમીન મેળવવા જેવા કાર્યોમાં સમય લાગે છે. અત્યારે રાજ્યમાં આવેલી 150 નગરપાલિકામાંથી 32 પાસે MRF અને પ્રોસેસીંગ ફેસિલિટી છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ સુવિધા છે. પ્લાસ્ટિક બોટલ લઈને આવતા લોકો પાસે ટોકન રકમ લેવી જોઈએAMC એ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 11 વેસ્ટ કલેક્શન સેન્ટર અને MRF ફેસિલિટી છે. 2 કોન્ટ્રાક્ટ દ્વારા દરરોજ 100 ટન કચરાને પ્લાસ્ટિક અને બાયો ડિગ્રેડેબલ કચરામાં એમ અલગ અલગ કરાય છે. કપડાની બેગો વિતરિત કરાય છે. અમદાવાદમાં ડોર ટૂ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે. કાંકરિયા તળાવ જેવા જાહેર જગ્યાએ ક્લોથ બેગ મશીન મુકાયું છે. કોર્ટે સૂચન કર્યું હતું કે, જાહેર જગ્યાએ પ્લાસ્ટિક માટે રિવર્સ વેડિંગ મશીન મૂકવું જોઇએ. AMCએ કહ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે 1 મશીન કાંકરિયા ખાતે મૂકાયું છે. કોર્ટે સૂચન કર્યું હતું કે, જાહેર જગ્યાઓમાં પ્રવેશ માટે પ્લાસ્ટિક બોટલ લઈને આવતા લોકો પાસે ટોકન રકમ લેવી જોઈએ. બાદમાં તે બોટલ પાછી લાવનારને ટોકન રકમ પરત કરવી જોઈએ.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાયા બાદ આજે તેઓ અમરેલી સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ બેઠક માટે આવ્યા હતા. જે બાદ તેમણે અમરેલીના વિવિધ માર્ગો પર સરપ્રાઇઝ વિઝિટ કરીને રોડ-રસ્તાઓની સમીક્ષા કરી હતી. કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા અમરેલી-લીલીયા રોડ પર પુલની બંને તરફ રોડ ખરાબ હોવાને લઇને મંત્રી જીતુ વાઘાણીએ આર.એન્ડ.બી.ના મુખ્ય ઇજનેર ઢોલાવાલાને સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે રાજ્યના મંત્રી કૌશીક વેક્રિયાએ પણ વિઝીલન્સ તપાસની સૂચના આપી હતી માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ પંચાયતના વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. 'અધિકારીઓને સાથે રાખીને કામગીરી જોઇ'અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાની મુલાકાત દરમિયાન રોડ-રસ્તાઓની સમીક્ષા કરી છે. આર.એન્ડ બી. વિભાગ હોય, જિલ્લા પંચાયત હોય કે નેશનલ હાઇવે હોય તે તમામ વિભાગની મુલાકાત લઇને સમીક્ષા કરી છે. એક વર્ષ પહેલાં થયેલા કામ અને જ્યાં કામ ચાલુ છે ત્યાં પણ અધિકારીઓને સાથે રાખીને કામગીરી જોઇ છે. 'કામમાં કોઇપણ પ્રકારની ગરબડ નહીં ચાલે'મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે. રોડ-રસ્તાના કામમાં કોઇપણ ભોગે કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. જિલ્લાના તમામ અધિકારી, તમામ કોન્ટ્રાક્ટરોને હું અહીંથી સૂચના આપુ છું કે, કામમાં કોઇપણ પ્રકારની ગરબડ ચલાવી લેવામાં આવશે નહીં. જો લોકોને કંઇ તકલીફ પડી તો એની સજા તમને મળશે. 'અધિકારીઓ પાસે અહેવાલ મંગાવ્યો છે'જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, રોડ-રસ્તાઓની સમીક્ષા કરીને અધિકારીઓ પાસે આખો અહેવાલ મંગાવ્યો છે. કેટલિક જગ્યાએ અમે વિઝીલન્સની સૂચના કલેકટરને આપી છે. અધિકારીઓએ પણ તેમને તેમની જવાબદારી સંપૂર્ણ નિભાવવાની છે અને તંત્ર પણ ધ્યાન રાખે. જિલ્લા કલેકટરને પણ સૂચના આપી છે. 'SIRના નામે કોંગ્રેસ રાજનીતિ કરે છે'કોડીનારના BLO શિક્ષકના આપઘાત અંગે વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, જે ઘટના બની એનું અમને ઘણુ દુઃખ છે. કોઇનું મૃત્યું કે અપમૃત્યું બને ખુબ જ દુખદ વાત છે. રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે છે. આ તપાસનો વિષય છે અને તપાસ થઇ રહી છે. SIRના નામે કોંગ્રેસ અત્યારે રાજનીતિ કરી રહી છે. રાહુલ ગાંધી જનતાના મસીહા થવા નીકળ્યા છે. પણ બિહારમાં જનતાએ એમને જવાબ આપી દીધો છે. કોડીનારના BLO શિક્ષકના આપઘાતની તમામ વિગત જાણવા માટે અહીં ક્લિક કરો...
હિંમતનગર APMC માર્કેટયાર્ડમાં મગફળીની ભારે આવક થઈ છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ છે. આવકના કારણે માર્કેટયાર્ડમાં અને બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વધુ ભીડ ટાળવા માટે, માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને આવતીકાલે (શનિવારે) મગફળી વેચાણ માટે ન લાવવા સૂચના આપવામાં આવી છે. માર્કેટયાર્ડમાં દરરોજ 25 હજારથી 30 હજારથી વધુ બોરી મગફળીની આવક થઈ રહી છે. આસપાસના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને કપડવંજ સહિતના વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાનો પાક વેચવા હિંમતનગર આવી રહ્યા છે. વધુ આવકને કારણે યાર્ડ સંપૂર્ણ ભરાઈ ગયું છે અને વાહનોની લાંબી કતારો લાગી છે. એક દિવસનું વેઈટિંગ પણ જોવા મળી રહ્યું છે, જેમાં ગઈકાલનો માલ આજે વેચાઈ રહ્યો છે. હિંમતનગર માર્કેટયાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મગફળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1000 થી રૂ. 1672 સુધી મળી રહ્યા છે. આ ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ છે, જેના કારણે ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અન્ય જિલ્લાના માર્કેટયાર્ડ કરતાં અહીં વધુ સારા ભાવ મળતા હોવાથી પણ બહારના ખેડૂતો અહીં આવવાનું પસંદ કરી રહ્યા છે. સેક્રેટરી ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં મગફળીની વધુ પડતી આવકને કારણે શનિવારે નવા ખેડૂતો માટે ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યાર્ડમાં અને બહાર ઉભેલા વાહનોની હરાજી પૂર્ણ થયા બાદ સોમવારથી ફરી ખરીદી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને અન્ય જિલ્લાઓમાંથી આવતા ખેડૂતોની ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને જનસુખાકારીને પ્રાથમિકતા આપતા આશરે રૂપિયા 15 કરોડ ઉપરાંતની રકમના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિકાસના કામોમાં નબળી કામગીરી કરનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર બે એજન્સીઓ સામે કડક વલણ અપનાવતા તેમને બ્લેકલિસ્ટ કરવાનો સખ્ત નિર્ણય પણ લેવાયો હતો. આ બેઠક સ્થાયી સમિતીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી સહિત અન્ય સદસ્યોની હાજરી રહી હતી. શહેરના 10 વોર્ડમાં ₹ 14 કરોડના સિવિલ અને મેન્ટેનન્સના કામો મંજૂર સ્થાયી સમિતિએ મુખ્યત્વે વોર્ડ નંબર 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, અને 12 – એમ કુલ 10 વોર્ડમાં વાર્ષિક ભાવના વિકાસકાર્યોને મંજૂરી આપી હતી. આ કામોમાં સ્વભંડોળ, કોર્પોરેટર ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટ હેઠળ સિવિલ કામોનું રિપેરિંગ, નવા કામો, જુદી જુદી સાઇઝની આરસીસી પાઇપની ગટર વ્યવસ્થા બનાવવાનું કામ તેમજ મેન્ટેનન્સના કામોનો સમાવેશ થાય છે.આ તમામ 10 વોર્ડમાં કુલ રૂપિયા 14 કરોડ ઉપરાંતના વિકાસકામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયાના અંતે સૌથી નીચા ભાવો ભરનાર એજન્સીઓના ટેન્ડરો મંજૂર કરીને કોન્ટ્રાક્ટરોની નિયુક્તિ કરવામાં આવી છે. બેદરકારી બદલ બે એજન્સીઓ બ્લેકલિસ્ટ સ્થાયી સમિતિએ વિકાસકાર્યોમાં બેદરકારી દાખવનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર એજન્સીઓ સામે કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવાનો નિર્ણય લેતા બે એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી છે.વોર્ડ નં. 7 અને 13 માં પેવર રોડ અને સીસી રોડની કામગીરી સોંપાયેલ કોન્ટ્રાક્ટર એજન્સી સર્જન કન્સ્ટ્રક્શનની કામગીરી અત્યંત નબળી માલૂમ પડી હતી. રોડની કામગીરીમાં 'સર્ફેસ ડેમેજ' થવા છતાં અને સમયાંતરે નોટિસો પાઠવવા છતાં બેદરકારી દાખવવા બદલ આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કિઓસ્ક પોલની કામગીરી માટે નિમાયેલ કોન્ટ્રાક્ટર રાધારમણ પેપર્સ પ્રોડક્ટ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીના કિયોસ્ક પોલ જપ્ત કરીને, ડિપોઝીટ ખાલસા કરીને અને કલમ 138 તળે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે એજન્સીઓને ડિસક્વોલિફાઈડ કરીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એક એજન્સી સર્જન કન્સ્ટ્રક્શન હતી, જેણે રોડના નબળા કામ કર્યા હતા. અને બીજી પેપર પ્રોડક્ટ કિઓસ્ક પોલ માટેની એડવર્ટાઇઝિંગ એજન્સી હતી, જેને બ્લેકલિસ્ટ કરાઈ છે. તેમણે વાર્ષિક ભાવના કામો વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સ્થાયી સમિતિની આજે મીટિંગ મળી હતી, એમાં 10 વૉર્ડના વાર્ષિક ભાવના કામો મંજૂર કર્યા અમે. અગાઉ સાત મહિના વહીવટી શાસન હતું અને પછી અમને અત્યારે આઠ મહિના પૂરા થયા. એ દરમિયાન કોર્પોરેટર સ્વવિવેકની જે ગ્રાન્ટ લખે, એ વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરે કરવાના હોય છે. આ કામોમાં કોઈ ચેમ્બર તૂટી ગઈ હોય, ઢાંકણું તૂટી ગયું હોય, નળની ફરિયાદ હોય, નાનો પાઇપ નાખવાનો હોય કે રોડ રિપેરિંગના નાના કામો હોય છે. આ ટેન્ડર અત્યારે આમ દોઢ-દોઢ કરોડના હતા.ઘણી એજન્સીઓએ બે-પાંચ ટકા નીચા ભાવ પણ ભર્યા છે. ટૂંકમાં, કોર્પોરેટરે લખેલી ગ્રાન્ટના આ કામો હવે મંજૂર થયેલ કોન્ટ્રાક્ટરો દ્વારા વૉર્ડમાં કરવામાં આવશે. મહાનગરપાલિકા હદવિસ્તારમાં ડોગ સર્વેની કામગીરી માટે ગોલ ફાઉન્ડેશન, અમદાવાદના સૌથી નીચા ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા હદવિસ્તારમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC)ની કામગીરી માટે તૈયાર કરવામાં આવેલ ટેન્ડરની શરતોને પણ મંજૂરી આપવામાં આવી છે.નગરપાલિકાના સમયથી લાયસન્સ ફી ભરપાઈ ન કરનાર આશરે 200 જેટલા આસામીઓના લાયસન્સ રદ્દ કરી ડિપોઝીટ જપ્ત કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.મહાનગરપાલિકાના જુદા જુદા વાહનોની ઓનલાઈન ઓક્શન મારફતે આવેલ ભાવો અને રી-ઓક્શન કરવાની કામગીરી માટેના ભાવોને પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
BSFના 61માં સ્થાપના દિવસે શાહનું સંબોધન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભૂજમાં બીએસએફના 61માં સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SIRના દબાણથી BLOએ ફાંસો ખાઈ લીધો SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો.. સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છું.. ઘટનાને રાજ્યના તમામ BLO કર્મચારીઓએ આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આતંકીઓ દેશમાં મોટા હુમલાની તૈયારીમાં હતા 9 નવેમ્બરે ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીઓમાંથી એક ડો. એહમદ અમદાવાદમાં રોકાયો હોવાના સીસીટીવી સામે આવ્યા.. આતંકીઓએ હરિદ્વારના મંદિરોમાં પણ રેકી કરી હતી. એટલું જ નહીં મોહમ્મદ સુહેલ અને મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AMCની સામાન્ય સભામાં ઉઠ્યો આતંકીઓનો મુદ્દો AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે 238 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર સિક્યોરીટીની માગ કરી.. કહ્યું જો એટીએસે પકડેલા આતંકીઓેએ આ ટાંકાઓમાં રાઈઝિન ભેળવી દીધુ હોત તો અનેકના મોત થાત.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સામાન્ય સભામાં બુરખા પર ટીપ્પણીથી વિવાદ એએમસીની સામાન્ય સભામાં હિજાબ પર વિવાદ થયો.ભાજપની મહિલા કોર્પોરેટરે AIMIMના કોર્પોરેટરને બુરખો કાઢીને બોલવાનું કહેતા.. કોર્પોરેટરે રોકડું પરખાવ્યું કે તમે સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ગોધરામાં ઘરમાં આગ લાગવાથી આખો પરિવાર ગુંગળાઈને મોતને ભેટ્યો..દોશી પરિવારના મોટા દીકરાની આજે સગાઈ હતી, પણ તે પહેલાં જ વર્ધમાન જ્વેલર્સના માલિક કમલભાઈ દોશીના પરિવારને આગ ભરખી જતા માતમ છવાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીએ પુત્ર સાથે મળી પતિની હત્યા કરી રાજકોટમાં ઘર કંકાસમાં માતા-પુત્રએ મળીને ઘરના મોભીની હત્યા કરી દીધી. હુડકો સોસાયટીમાં નરેશ વ્યાસની પત્ની અને પુત્રએ છરીના ઘા ઝીંકી દીધા.પોલીસે આરોપી માતા-પુત્રની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂત દંપતી પર હુમલા મામલે પાટીદારો લડી લેવાના મૂડમાં દેવળિયા ગામે ખેડૂત દંપતી પર થયેલા હુમલા મુદ્દે સુરતન પાટીદારો 30 ગાડીઓના કાફલા સાથે દેવળિયા ગામે પહોંચ્યા.દંપતીને આશ્વાસન આપી ગામલોકો સાથે સંવાદ કર્યો. પોલીસ પણ આ સંવાદમાં જોડાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાંથી ઝડપાયો અફઘાની નાગરિક સુરતમાંથી ઝડપાયો અફઘાની નાગરિક. બોગસ દસ્તાવેજોના આધારે તેણે ભારતીય પાસપોર્ટ બનાવી લીધો હતો.. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કાપડનો વેપાર કરતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ 24 કલાકમાં રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન વધતા બેવડી ઋતુનો અનુભવ. હજુ તાપમાન ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. તો નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠઁડું શહેર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરતમાં પાલનપુર જકાતનાકા નજીક આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટાઉનશિપમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ 3 માળની એક રહેણાંક બિલ્ડિંગ (સરસ્વતી પાર્ક A2) નો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગનો મુખ્ય દાદર તૂટી પડતાં ઉપરના માળ પર રહેતા લોકો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે કુલ 19 પરિવારના 27 લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં રહેવાસીઓ પોતાને 'ઘરના કે ના ઘાટના' જેવી સ્થિતિમાં અનુભવી રહ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે ઝડપી અને સમયસર કામગીરી કરીને ફસાયેલા બાળકોથી લઈને વૃદ્ધો સુધીના 27 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 25 વર્ષ જૂની બિલ્ડિંગની જર્જરિત હાલત અને નોટિસસરસ્વતી પાર્ક A2નું આ બિલ્ડિંગ આશરે 25 વર્ષ જૂનું છે. મળતી માહિતી મુજબ, તેમાં કુલ 14 ફ્લેટ આવેલા છે જેમાં અંદાજે 50 જેટલા લોકો વસવાટ કરતા હતા. ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાનું કહેવાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ પણ અગાઉ બે વખત બિલ્ડિંગના રહેવાસીઓને જર્જરિત મકાનનું રીપેરીંગ કરવા માટે નોટિસ પાઠવી હતી. તેમ છતાં સમારકામ ન થતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે. રાત પણ બીજાના ઘરે વિતાવવી પડી હતીબિલ્ડિંગનો દાદર તૂટવાના કારણે માળખાકીય સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને (SMC) હવે બિલ્ડિંગની સુરક્ષા અને દાદર તૂટવાના કારણોની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાદર પડી જવાના કારણે 19 જેટલા પરિવારો પોતાના ઘરમાં પણ જઈ શકતા નથી. જેથી ગત રોજ તેમને બચાવવામાં આવ્યા ત્યારબાદથી તેઓ પહેરેલા કપડે જ નીકળી જવું પડ્યું હતું. આ સાથે જ રાત પણ બીજાના ઘરે વિતાવવી પડી હતી. તેમનો તમામ સામાન ઘરની અંદર છે અને તેમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી. પાલિકાવાળા કાલે જ નોટિસ આપી ગયા હતા: સ્થાનિક રહેવાસીઓડેદરા સ્મિત (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, હું આ જ સોસાયટીમાં રહું છું, અને મારા ફ્રેન્ડ્સ લોકો અહીંયા રહેતા હતા, તો કાલે ઘટના થઈ ત્યારે 27 લોકોને બચાવવામાં આવ્યા છે, અને 19 લોકો અંદરને અંદર હતા, એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. બહુ ટાઈમથી આ બિલ્ડિંગ જર્જરિત હતી, તેના કારણે ત્રીજો માળ પહેલા પડ્યો, પછી બીજો અને પહેલા માળમાં વજન આવવાના કારણે દાદર પડ્યો છે, અને આ બોર્ડ કાલે જ લગાડવામાં આવ્યું, સીલ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં લગભગ 60 આજુબાજુ લોકો રહેતા હતા. બિલ્ડિંગ 25 વર્ષથી બનેલી છે. હવે પાલિકાવાળા કાલે જ નોટિસ આપી ગયા હતા.

26 C