વિક્રમ સંવત 2082ના પ્રારંભે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરની સ્વચ્છતા જાળવતા આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કર્યા હતા. સંઘવીએ સફાઈ કર્મચારીઓને આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે તેમ કહી તેમની પ્રશંસા કરી હતી. તેમણે આ શ્રમજીવીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને ઠંડીની શરૂઆતને ધ્યાનમાં રાખીને તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યું હતું. ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના આશરે 1,500 સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ભોજન સમારંભ યોજાયો હતો. સાથે જ ઠંડીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધુંઆ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં અવિરત સેવાઓ આપી રહેલા સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની નિષ્ઠા તથા પરિશ્રમની પ્રશંસા કરી હતી. 'આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો'નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપ સૌ સાચા અર્થમાં ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમ અને પ્રતિબદ્ધતાથી ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન મળ્યું છે.' સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવતો કાર્યક્રમઅમિત શાહના જન્મદિવસ નિમિત્તે યોજાયેલો આ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ સમાજના પાયાના સ્તરે કાર્યરત શ્રમજીવીઓ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વ્યક્ત કરતો એક અનોખો ઉપક્રમ સાબિત થયો હતો. સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપી ગઈ હતી.
મોરવા હડફ તાલુકાના ભાઠા ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ૩૦ વર્ષીય ધર્મેન્દ્ર રૂપા સુથારને જયદીપ સોમા રાવળે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના અંગે મોરવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિનેશ સુથારના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ પોણા ચાર વાગ્યે તેઓ વિનોદ સુથારની દુકાન પર મસાલો ખાવા ગયા હતા. ત્યાં તેમણે જોયું કે નારસિંગ રાવળની દુકાન સામે જયદીપ રાવળ સૂતેલા હતા અને ઝાલા સુથાર તેમની બાજુમાં બેઠા હતા. આ સમયે ધર્મેન્દ્ર સુથાર ઝાલા પાસેથી મોટરસાયકલની ચાવી લેવા આવ્યા હતા. ચાવી લેતી વખતે ધર્મેન્દ્રનો હાથ અકસ્માતે સૂતેલા જયદીપને અડી ગયો. જયદીપ ઊંઘમાંથી જાગી ગયા અને ધર્મેન્દ્રને ગાળ બોલ્યા હોવાનું કહી ઝપાઝપી કરવા લાગ્યા. દિનેશ અને વિનોદએ તેમને છોડાવ્યા હતા. જયદીપના માતા-પિતા પણ ત્યાં આવી ગયા હતા અને તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે, થોડીવાર પછી જયદીપ ફરીથી તેમના ઘરેથી પથ્થર લઈને આવ્યા અને નારસિંગની દુકાન પાસે ઊભેલા ધર્મેન્દ્રને તું મને ગાળ કેમ બોલ્યો તેમ કહી માથાના પાછળના ભાગે પથ્થર મારી દીધો. પથ્થર વાગતા ધર્મેન્દ્ર નીચે પડી ગયા અને તેમના નાકમાંથી પ્રવાહી નીકળવા લાગ્યું, તેઓ બેભાન થઈ ગયા. દિનેશ અને વિનોદ ધર્મેન્દ્રને તાત્કાલિક મોટરસાઈકલ પર મેત્રાલ સરકારી દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી ન હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ જઈ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ તે સમયસર ન આવતા વિનોદની ગાડીમાં મોરા સીએચસી દવાખાને લઈ જવામાં આવ્યા. ત્યાં ફરજ પરના ડોક્ટરે ધર્મેન્દ્રને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે મૃતકના દિનેશ રૂપા સુથારે જયદીપ સોમા રાવળ (રહે. ભાઠા, રાવળ ફળિયું, તા. મોરવા હડફ) વિરુદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે મુજબ રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાય છે છતાં નારોલ વિસ્તારમાં કેટલાક નબીરાઓએ મોડી રાતે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ફટાકડા ફોડી જાહેર રોડ બાનમાં લીધો હતો.ફટાકડા ફોડનાર પણ કુખ્યાત હેમંત ઉર્ફે છોટુ ચૌહાણ અને તેના સાગરીતો હતા. પોલીસ આવી તો ખરા પણ ઠપકો આપીને રવાના થઈ ગઈ હતી. નબીરાઓએ જાહેર રોડ પર ફટાકડા ફોડીને રોડ બાનમાં લીધોઅમદાવાદના નારોલ વિસ્તારમાં સરેઆમ કેટલાક નબીરાઓએ પોલીસ કમિશનરના ફટાકડા ફોડવાના જાહેરનામાનો ઉલ્લંઘન કર્યો હતો. નારોલના ગેબનશાહ કેનાલ પાસે રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી કેટલાક નબીરાઓએ જાહેર રોડ પર ફટાકડા ફોડીને રોડ બાનમાં લીધો હતો. આવતા જતા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે નબીરાઓએ ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડા ફોડનાર બીજું કોઈ નહીં પરંતુ, રાજ્ય બહાર કોલ સેન્ટરનો ગેરકાયદેસર વેપાર ચલાવતા કુખ્યાત હેમંત ઉર્ફે છોટુ ચૌહાણ અને તેના સાગરીતો હતા. પોલીસ કાર્યવાહી કર્યા વિના માત્ર ઠપકો આપીને પાછલા બારણે રવાના થઈ ગઈઅસામાજિક તત્વોનો રાત્રે આ પ્રકારનો આતંક જોઈને કેટલાક સ્થાનિકોએ પોલીસને ફોન કરીને જાણ પણ કરી હતી ત્યારે નારોલ પોલીસની ગાડી તો આવી હતી પરંતુ, પોલીસ કોઈપણ કાર્યવાહી કર્યા વિના માત્ર ઠપકો આપીને પાછલા બારણે રવાના થઈ ગઈ હતી. સ્થાનિકોએ બેથી ત્રણ વખત પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી પરંતુ, નારોલ પોલીસ દ્વારા આ અંગે ઠપકો આપ્યા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને કારણે અસામાજિક તત્વોને વધુ વેગ મળ્યો અને 4 વાગ્યા સુધી ફટાકડા ફોડી સ્થાનિકોને હેરાન કરી જાહેર રોડ બાનમાં લીધો હતો. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી રહ્યા છીએ.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વિક્કી અને તેના મિત્રએ યુવક પર હુમલો કર્યોલિંબાયત વિસ્તારમાં આવેલા કૈલાશનગર, પ્લોટ નં-106, બાબા બૈજનાથ મંદિર પાસે મજૂરીકામ કરતા દિપક ચંદ્રદેવ પાંડે (ઉ.વ.24) પર આ હુમલો થયો હતો. તારીખ 21/10/2025ના રોજ આશરે 3 વાગ્યાના સુમારે, દિપક પાંડે પર વિક્કી નામના એક શખસ અને તેના એક અજાણ્યા મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઝઘડો ફટાકડા ફોડવા બાબતે શરૂ થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા, વિક્કી અને તેના મિત્રએ દિપક પાંડે સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાહુમલા દરમિયાન વિક્કીના અજાણ્યા મિત્રએ તેની પાસેના કોઈ તીક્ષ્ણ હથિયાર વડે દિપક પાંડેના જમણા પડખાના ભાગે અને જમણા પગના ઘૂંટણના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપક પાંડે દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિક્કી અને તેના અજાણ્યા મિત્ર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ASI રાજેન્દ્રભાઈ નટવરભાઈએ આ મામલે ગુનો નોંધી આરોપીઓ વિક્કી અને તેના મિત્રની શોધખોળ શરૂ કરી છે. પોલીસે CCTV અને અન્ય માધ્યમો દ્વારા આરોપીઓના પુરા નામ-સરનામા મેળવીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બેસતા વર્ષના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. નવા વર્ષના પ્રારંભે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે નવા વરસના પ્રથમ દિવસે લાખોની સખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજથી નવા વર્ષની શરુઆત થઈ રહી છે. ત્યારે ભાવિકોએ પાવાગઢ ખાતે મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સાથે એકબીજાને નવા વરસની શુભકામનાઓ પાઠવી હતી. પાવાગઢ ખાતે બેસતા વરસના દિવસે સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંગળા આરતી કરવામા આવી હતી. જેમા ભાવિકો જોડાયા હતા. નવા વરસની શરુઆત થઈ રહી છે.ત્યારે ભાવિકોએ મહાકાલી માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરી હતી. ગુજરાત,રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. ચાંપાનેરથી માંચી તેમજ નીજમંદિર સુધી ભાવિકોનું ઘોડાપૂર જોવા મળતું હતું.
વડોદરા શહેરના આજવા રોડ ખાતે નારાયણધામ સોસાયટી વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે એક ચોંકાવનારી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. 28 વર્ષીય યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકી નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો હતો ને તેની હત્યા થઈ ગઈ. આરોપીએ ખંજરના ઘા મારીને અક્ષયની હત્યા કરી, જેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV, FSL અને હથિયારની તપાસ સાથે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારે ફાંસીની સજાની માંગ કરી છે. આરોપીએ ખંજરના ઘા ઝિંકી હત્યા કરતા ચકચાર મચી ગઈબાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ નારાયણધામ સોસાયટી વિભાગ બે આજવા રોડ પાસે ફતેપુરા વિસ્તારમાં રહેતા યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી છે. આ યુવકને આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી (રહે. ગાયત્રી પાર્ક સોસાયટી નારાયણધામની બાજુમાં આજવા રોડ બાપોદ) દ્વારા ખંજરના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારને ન્યાય મળે એવી મૃતકના પરિવારની માગબાપોદ પોલીસે આરોપીની અટકાયત કરી છે. હાલમાં આ મામલે FSL પણ કરવામાં આવ્યું છે . હત્યાના બનાવ આસપાસમાં CCTV, આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર અને હત્યા પાછળનું કારણ જાણવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક યુવકની પીએમ ચાલી રહ્યું છે. મૃતકના પરિવારની માંગ છે કે,પરિવારને ન્યાય મળે. મામાના દીકરાનો કોલ આવ્યો કે, ભાઈની હત્યા થઈઆ અંગે મૃતકનાભાઈ મિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતક અક્ષય સોલંકી મારો નાનો ભાઈ છે. રાત્રે સાડા અગિયાર વાગે જમવા માટે બહાર નીકળ્યો હતો. મોડી રાત્રે તેના મિત્રોને નારાયણધામ સોસાયટી બાજુ નવા વર્ષના કારણે મળવા માટે ગયો હતો. રાત્રે મારા મામાના દીકરાનો કોલ આવ્યો કે, તમારા ભાઈની હત્યા થઈ છે. તેને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે.મારી એકજ માંગ છે કે આરોપી મારા ભાઈની હત્યા કરી છે તો સામે વાળને પણ ફાંસીની સજા થાય તેવી માંગ છે. આ બંને મિત્રો ના હતા.
સ્વામિનારાયણ મંદિરે 1380 વાનગીઓનો અન્નકૂટ:નવા વર્ષે 20,000 થી વધુ ભક્તોએ દર્શન કર્યા
જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષના પ્રારંભે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. ભગવાન સ્વામિનારાયણને 1380 પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અવસરે 20,000 થી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરવા ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટી પડ્યા હતા. સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણને અભિષેક કરાવી, નવા વાઘા ધારણ કરાવી પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવર્ધન આરતી કરવામાં આવી. બપોરના સમયે 1380 પ્રકારના અન્નકૂટની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો પણ હજારો ભક્તોએ લાભ લીધો. દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે મંદિર અને સમગ્ર પરિસરને દીપ જ્યોતિથી શણગારવામાં આવ્યું હતું. નૂતન વર્ષે પ્રતિષ્ઠિત મહાનુભાવોની સાથે ભક્તોએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સહિત આરતીનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનિધિ સ્વામી સહિતના સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધે કૃષ્ણ દેવ અને ગુરુ પરંપરા સમક્ષ ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ગઢડા ગોપીનાથજી મંદિરે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો:હીરા જડિત વાઘાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા
ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે નવા વર્ષ નિમિત્તે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ગોપીનાથજી મહારાજને હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલું આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે. દેશ-વિદેશના લાખો ભાવિકો માટે તે શ્રદ્ધાનું કેન્દ્ર છે. 200 વર્ષ પહેલાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને દરબાર ગઢમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ બનાવ્યો હતો, તેથી સંપ્રદાયમાં અન્નકૂટ દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. figure class=custom-ckfigure image> આ પરંપરા જાળવી રાખીને, આજે નવા વર્ષ નિમિત્તે ગોપીનાથજી મંદિરે વિવિધ વાનગીઓ અને શાકભાજીનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ગોપીનાથજી મહારાજને હીરા જડિત વાઘાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. દેશ અને દુનિયામાંથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગઢડા ગોપીનાથજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. બપોરના સમયે ગોપીનાથજી મહારાજને દિવ્ય શણગાર અને હજારો વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય અન્નકૂટના દર્શન કર્યા હતા. <
આણંદ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષ નિમિત્તે નૂતન વર્ષના દિવસે અક્ષરફાર્મમાં મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણની 15 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ આશરે 10 ટનથી વધુ વજનની 3000થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં વિવિધ વાનગીઓનું કલાત્મક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મહાઅન્નકૂટ ઉત્સવમાં સદગુરુ ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, અન્ય સંતો અને મંત્રી રમણ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ દર્શન કર્યા હતા. અક્ષર ફાર્મમાં યોજાયેલા આ વિશિષ્ટ અન્નકૂટના દર્શન પૂર્વે જંગલ સફારી, પૌરાણિક ભક્તો અને ભગવાનના અવતારોની કુટિરો પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. છેલ્લાં એક મહિનાથી તૈયારીઓ ચાલતી હતીમહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વોકલ ફોર લોકલના સિદ્ધાંત અનુસાર કોઠારી યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ, સંતો અને સ્થાનિક યુવકો, યુવતીઓ, હરિભક્તો, મહિલાઓ છેલ્લાં એક મહિનાથી આ મહાઅન્નકૂટ ઉત્સવની તૈયારીઓ કરી રહ્યાં હતાં. આ અન્નકૂટ સેવા, સમર્પણ અને ભક્તિના પ્રતીકરૂપ બન્યો છે. જે સ્થાનેથી બી.એ.પી.એસ.ના આર્ધ્યસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સનાતન વૈદિક “અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત” ને ઉજાગર કરવા માટે કમર કસી હતી. એ સ્થાન ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષમાં આ મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ સંવર્ધન, સંપ સુહૃદ્ય ભાવ અને એકતા, ભક્તિ, ઉપાસનાના સિદ્ધાંતોને સર્વાંગ રૂપથી પ્રતિબિંબિત કરવા માટે વિરાટ છતાં કળા કૌશલ્યથી ભરપૂર આ અન્નકૂટ માટે આ વર્ષે અક્ષરફાર્મ સ્થાન નક્કી કરવામાં આવ્યું છે.
વલસાડના તિથલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. વલસાડ જિલ્લાના 400થી વધુ ગામોમાંથી આવેલા હરિભક્તોએ તેમના ઘરે બનાવેલી 2,500થી વધુ વાનગીઓ અર્પણ કરી હતી. આ અન્નકૂટનું આયોજન હરિભક્તો અને અન્નકૂટ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, હરિભક્તો નવા વર્ષના દિવસે ઠાકોરજીને વિવિધ વાનગીઓ અર્પણ કરે છે. અન્નકૂટની આરતી દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાજ્યના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અન્નકૂટ દર્શન પહેલાં, સત્સંગ હોલ ખાતે કોઠારી સ્વામીએ હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. 2,500થી વધુ વાનગીઓના આ અન્નકૂટના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરીને નવો ચીલો ચાતર્યો છે. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ 'હમ તો સાત રંગ હે, યે જહાં રંગી બનાયેંગે' ગીત ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ અધિકારીઓએ ગીત ગાઈ નૂતન વર્ષની ઉજવણી કરીનૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પોતે, જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકોશિલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હે યે જહાં રંગી બનાયેંગે' ગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકાશેનવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે બાદ, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મૂક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે. સાથે જાહેરાત કરી હતી કે, સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. જે વ્યક્તિઓ કે તત્વો સામાન્ય પ્રજાને હેરાનગતિ પહોંચાડે છે, તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. શહેરની બહેન અને દીકરીઓની સુરક્ષા માટે પોલીસ કોઈપણ કસર બાકી રાખશે નહીં. મહિલાઓની સુરક્ષાને પોલીસની પ્રાથમિકતા ગણાવવામાં આવી હતી. 'ફરિયાદી વિના ભયે પોલીસ સ્ટેશન આવી શકે'પોલીસ કમિશનરે સુરત શહેરના નાગરિકોને ખાતરી આપી હતી કે પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સુરત શહેરમાં એક એવો માહોલ ઊભો કરવામાં આવશે કે જેનાથી ફરિયાદી ભય વગર પોલીસ સ્ટેશન આવે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલા નિર્દેશોને ટાંકીને કહ્યું હતું કે, આ સૂચના અમને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે અને તેનું કડક પાલન કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ સીધેસીધું પોલીસ સ્ટેશન આવી શકે છે અને ભય વિના પોતાની વાત મૂકી શકે છે. પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે પ્રયત્નશીલ રહેશે.
પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસર પર સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સતત ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેયરે તહેવારના માહોલમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી રહેલા આ કર્મીઓના સેવાભાવ, સમર્પણ અને અથાગ મહેનતને હૃદયપૂર્વક બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિષ્ઠાવાન ફરજને બિરદાવવા વ્યક્તિગત મુલાકાત જ્યારે આખું શહેર દિવાળીની ઉજવણીમાં મગ્ન છે અને સૌ પોતાના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે, ત્યારે સફાઈ કર્મીઓ કોઈપણ વિરામ વિના શહેરની સ્વચ્છતા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ નિષ્ઠા અને કાર્યપ્રતિના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મેયર દક્ષેશ માવાણીએ વ્યક્તિગત રીતે તેમની મુલાકાત લીધી અને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન મેયરએ સફાઈ કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને સૌનું મોઢું મીઠું કરાવ્યું હતું, જે તેમના પ્રત્યે આદર અને સ્નેહની લાગણી દર્શાવે છે. મેયરએ જણાવ્યું હતું કે, આ સફાઈ યોદ્ધાઓ જ આપણા શહેરની સાચી ઓળખ અને ગૌરવ છે. સ્વચ્છતાના મામલે સુરતને મળેલું સન્માન તેમની મહેનતનું પરિણામ છે. આ અવસરે મેયરે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં સૌને સુરત શહેરને વધુ સ્વચ્છ, હરિત અને સુંદર બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા. તેમણે શહેરના દરેક નાગરિકને સ્વચ્છતા જાળવવાની આ ઝુંબેશમાં સફાઈ કર્મચારીઓને સહયોગ આપવા અને જવાબદારીપૂર્વક વર્તન કરવા અપીલ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત મેયર દ્વારા સફાઈ કર્મચારીઓના મહત્વને માન આપી, તહેવારના સમયમાં તેમની નિષ્ઠાવાન સેવાને બિરદાવવાનો એક સરાહનીય પ્રયાસ હતો.
સ્નેહમિલન:ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ ભાવેણાવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સમસ્ત ભાવનગર જિલ્લાના રહેવાસીઓને નવા વર્ષ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. સેજલબેનએ આશા વ્યક્ત કરી હતી કે, નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે. તેમણે ભાવેણાના તમામ નાગરિકોની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. વિક્રમ સવંત 2082 નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા નુતન વર્ષ નિમિત્તે ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યા નું સ્નેહ મિલન આજરોજ તેમના કાર્યાલય સ્વરાપાર્ક, વળીયા હોસ્પિટલ ની સામે રાખવામાં આવ્યું હતું, આ પ્રસંગે આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ આજથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે, દરેક લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ભાવનગર નો વિકાસ કરે અને ભાવનગરના દરેક લોકોની ખૂબ પ્રગતિ કરે અને સારું સ્વાસ્થ્ય આપે એવી માં અંબા પાસે પ્રાર્થના. અને વડાપ્રધાન મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશી અપનાવવાની વાત કરી છે, એમાં આપણે ભાવનગરે પણ જોડાવવાનું છે અને દરેક લોકોએ આ આહવાનમાં સાથે નરેન્દ્રભાઈ મોદીની સાથે મળી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવાનું છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 142મા નિર્વાણ દિન નિમિત્તે આર્યસમાજ પોરબંદર દ્વારા દિપાવલી શુભસંદેશ અને નૂતનવર્ષાભિનંદન સાથે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું સ્નેહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારોની મોસમ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી હતી અને સત્સંગ, પ્રવચન તથા વૈદિક ભજનોનો લાભ લીધો હતો. આર્યસમાજની સ્ત્રીસભાની બહેનો દ્વારા રજૂ કરાયેલાં વૈદિક ભજનોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ સ્લાઇડ શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી પ્રવચનનો લાભ મેળવીને સૌએ ધન્યતા અનુભવી હતી. પ્રવચનમાં મુખ્યત્વે જાતિવાદના ઝેરને ડામીને સૌને એક થઈ સનાતન ધર્મની રક્ષા માટે સનાતન સંગઠન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દિવ્ય પ્રસંગની યાદગીરી રૂપે યોગ ટીચરની બહેનોને ખાસ આમંત્રિત કરીને તેમને મહાન ગ્રંથ 'સત્યાર્થ પ્રકાશ' ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કાર્યક્રમમાં વૈદ્યરાજ છોટાલાલ સુરણીની સેવાને બિરદાવવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં નિવૃત્ત એન્જિનિયર રણછોડભાઈ ગોહેલ તેમજ શ્રી કૃષ્ણ સુદામા ગ્રુપ પોરબંદરના સેવાભાવી સભ્યો ખાસ ઉપસ્થિત રહીને વૈદિક સત્સંગ, પ્રવચન અને ભજનોનો લાભ લીધો હતો. કાર્યક્રમની સફળતા માટે આર્યસમાજના સભાસદો અને આર્યવીર દળોના નવયુવાનોએ સખત જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું ઉદ્બોધન અને સંચાલન આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ, પધારેલા તમામ મહેમાનો માટે મહાભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી.
નૂતન વર્ષના મંગલ પ્રારંભે સુરત સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવત 2082ના પ્રથમ દિવસે, શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી બી.એ.પી.એસ. સંસ્થાના આ મંદિરે 1300થી વધુ વિવિધ વાનગીઓનો મનોહર થાળ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યો હતો. હિન્દુ પરંપરા મુજબ, નૂતન વર્ષના પ્રથમ દિવસે ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરીને નવા વર્ષનો શુભ પ્રારંભ કરતા હોય છે. આ પરંપરાને અનુસરીને, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી, વિશ્વભરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની જેમ સુરત મંદિરે પણ અન્નકૂટોત્સવનું સુંદર આયોજન થયું હતું. હજારો બાઈ-ભાઈ ભક્તો દ્વારા સ્વયંસેવક ભાવે સેવા આપીને આ અન્નકૂટની તૈયારી કરવામાં આવી હતી. ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાથી તૈયાર થયેલી 1300થી વધુ વાનગીઓને અત્યંત કલાત્મક અને મનોહર સુશોભન સાથે ગોઠવવામાં આવી હતી, જેણે દર્શનાર્થીઓ માટે દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું. બપોરના સમયે સંતો તથા સુરત શહેરના અગ્રણી મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ ભવ્ય અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. 45 હજારથી વધુ ભાવિક ભક્તોએ આ અલૌકિક અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓની વ્યવસ્થા અને સુગમતા માટે કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાને જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ અન્નકૂટોત્સવ નૂતન વર્ષના પ્રારંભે ભક્તોમાં શ્રદ્ધા, ભક્તિ અને આનંદની લાગણીનો સંચાર કરનારો એક દિવ્ય અવસર બની રહ્યો હતો.
પાટણ સહિત સમગ્ર જિલ્લામાં વિક્રમ સંવત 2082ના નવા વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. દીપાવલી પર્વ બાદ બેસતા વર્ષના દિવસે 2082નું સ્વાગત કરાયું. વડીલોના આશીર્વાદ અને દેવ દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ થયો. જિલ્લાના તમામ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. પાટણ શહેર અને જિલ્લાના લક્ષ્મી મંદિર, રામજી મંદિર, વૈષ્ણવ મંદિર, રાજપુર ગામના ભ્રહ્માણી માતાજી મંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, પંચમુખી હનુમાન દાદા, બાલા હનુમાન, આનંદેશ્વર મહાદેવ અને વરાણા ખોડલ માતાજી જેવા વિવિધ મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. અહીં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં વહેલી સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ રહી. નવા વર્ષ નિમિત્તે વિવિધ સમાજો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. યુવાનોએ પણ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. નગર દેવી કાલિકા માતાજી મંદિર ખાતે પારંપરિક લોકમેળો યોજાયો, જે પાટણ શહેરમાં મેળાઓ સાથે નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. વેપારીઓએ નવા વર્ષથી પોતાના વેપાર-ધંધાનો શુભારંભ કર્યો. મોટાભાગના વેપારીઓ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો ખોલશે.
જામનગર બાલા હનુમાન મંદિરે નવા વર્ષે ભક્તો ઉમટ્યા:દર્શન કરી સવંત 2082ની શુભ શરૂઆત કરી
જામનગરમાં લોકોએ સવંત 2082 ના નવા વર્ષની શરૂઆત વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે દર્શન કરીને કરી છે. મોટી સંખ્યામાં ભક્તોએ સવારથી જ મંદિરે ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આ મંદિર તેની અખંડ રામધૂન માટે વિશ્વભરમાં જાણીતું છે. ભક્તોએ ભગવાન શ્રીરામ અને બાલા હનુમાનજીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. નવા વર્ષ નિમિત્તે ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોએ નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી. કોરોના કાળ બાદ આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા, જે નવા વર્ષના ઉત્સાહભેર પ્રારંભનો સંકેત આપે છે. પરિવારો સાથે આવીને ભક્તોએ આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત કરી.
ભુજમાં નૂતન વર્ષે મંદિરોમાં ભક્તોની ભીડ:સ્વામિનારાયણ મંદિરમાં 175થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ દર્શન
ભુજ શહેરના વિવિધ દેવ મંદિરો અને યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણદેવ અને રાધાકૃષ્ણદેવ સહિત તમામ દેવી-દેવતાઓને 56 ભોગ સાથે 175થી વધુ પ્રકારની વાનગીઓનો મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઉત્સવની પૂર્વ સંધ્યાએ દીપાવલી નિમિત્તે દોઢ લાખ દીપક પ્રજ્વલિત કરીને ભવ્ય દીપમાળા યોજવામાં આવી હતી. આ ઉપરાંત, ભુજના આશાપુરા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. અન્નકૂટની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી શરૂ થઈ હતી. ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરામાં આ ઉત્સવનું આજે પણ વિશેષ મહત્વ છે. ભુજ નરનારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિરના છેલ્લા 15 વર્ષના ગાળામાં યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન 25 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હોવાનું નોંધાયું છે.
હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. જે બાદ ફટાકડા ફોડીને ગૌ માતાના જય જય કાર સાથે ગોવાળોએ ગાયોને દોડાવી હતી. ગાયો દોડતી હોય ત્યારે તેની ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી હતી. ગાયોને ચારો નાખી દાન પુણ્ય કરવામાં પણ આવ્યું હતું. એક સાથે સમગ્ર ગામની ગાયોને દોડાવવામાં આવીપાટણ જિલ્લામાં હારીજ તાલુકાના ગોધાણા ,બોરતવાડા તેમજ સમી તાલુકાના સમસેરપુરા, ધધાણા ગામે ગાયો દોડાવવાની પરંપરા છે. ગોધાણા ગામે એક સાથે સમગ્ર ગામની ગૌ માતાઓને જૂની પરંપરા મુજબ દોડાવવામાં આવી હતી. તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરાઈ છેગામના હીરાભાઈ જાદવના જણાવ્યા મુજબ દીપાવલીના પર્વમાં મહિલાઓથી માંડીને પુરુષો બધા જ પર્વ મનાવવામાં વ્યસ્ત હોય છે, જેના કારણે ગાયોને ચરાવવા જઈ શકાતું નથી. જેને પગલે બેસતા વર્ષના દિવસે ખેડૂતો લીલો ઘાસચારો ગાયોને ચરવા માટે દાન કરી દેતા હોય છે. માટે તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરી, એક સાથે ગાયોને દોડાવીને ખેતરમાં લઈ જવાની પરંપરા પહેલા ગામે ગામ હતી. હાલમાં તાલુકાના કેટલાક ગામોમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. ગૌ સેવકો ગાયોને ઘાસચારો અર્પણ કરે છેસમશેરપુરા ગામે બેસતા વર્ષે સમસ્ત ગામના લોકો પાદરમાં એકઠા થાય છે. ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને સુશોભિત કરી. પૂજન કરી નવા વર્ષના શુકન તરીકે ગામ પાદરમાં ગાયોને દોડાવે છે અને ગામના ગૌ સેવકો દ્વારા આ ગાયોને ઘાસચારો અર્પણ કરે છે. ગામલોકો ગાય માતાના આશીર્વાદ સમજી ઊડતી રજને માથે ચઢાવે છેસમશેરપુરા ગામના અરજણ ભરવાડ જણાવે છે કે, અમે વર્ષોથી આ પરંપરાને સાચવી રહ્યા છીએ. બેસતા વર્ષ નિમિતે વર્ષોથી પરંપરાગત રીતે અમારા ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને દોડાવે છે. સમગ્ર ગામ એક સાથે મળી બેસતા વર્ષની ઉજવણી કરે છે. ગાયો દોડે છે ત્યારે તેની ઊડતી રજને લોકો પવિત્ર માને છે અને નવા વર્ષના શુકન તરીકે ગાય માતાના આશીર્વાદ સમજી આ રજને લોકો માથે ચઢાવે છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર આવેલા પાનોટ ગામની સીમમાં ગોપાલ કાંટા પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસ અને 12 દિવસના બાળકનું અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરેલા પરિવારના બાળકને એક અજાણી મહિલા ભેટી ગઈ હતી અને તેને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગઈ હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી CCTV આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. આખો પરિવાર સવારે કલોલ ફરવા ગયો હતોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના પાનોટ ગામની સીમમાં રહેતા કલાબેન અનવરભાઈ મીર દિવાળીનો તહેવાર હોવાથી તેઓ તેમના નણંદ લશાબેન, બે પુત્રો સમીર (ઉ.વ. 8), શાહરૂખ (ઉ.વ. 6 માસ 12 દિવસ) અને જેઠનો પુત્ર શાબીર સાથે સવારે કલોલ ફરવા ગયા હતા. રસ્તામાં એક અજાણી સ્ત્રી મળી હતીબપોરના આશરે બે વાગ્યે તેઓ છત્રાલ બ્રિજ નજીક લુણાસણ રોડ પર રિક્ષામાંથી ઉતર્યા હતા. ત્યાંથી બધા ચાલતા જતા હતા ત્યારે રસ્તામાં તેમને એક અજાણી સ્ત્રી મળી હતી. આ સ્ત્રી ગુજરાતી ભાષા બોલતી હતી અને તેણે કલાબેન સાથે બાળકો અંગે વાતચીત કરી હતી. બાદમાં બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં કલાબેન અને તેમના નણંદ લુણાસણ રોડની નજીક આવેલા સર્વિસ રોડ પરની લચ્છીની લારી પાસે બેઠા હતા. જ્યાં કલાબેને તેમના સૌથી નાના પુત્ર શાહરૂખને જેઠના પુત્ર શાબીર અને મોટા પુત્ર સમીર સાથે ટેબલ પર બેસાડી દીધો હતો અને પોતે બામ લેવા મેડિકલ સ્ટોર તરફ ગયા હતા. લચ્છીની લારીએ પાછા આવ્યા તો શાહરુખ નહોતોજ્યારે નણંદ લશાબેન તાવની દવા લેવા ગયા હતા. કલાબેનને મેડિકલ સ્ટોરમાંથી બામ ન મળતા તેઓ પરત લચ્છીની લારીએ આવ્યા હતા. ત્યાં જોયું તો તેમના બંને મોટા પુત્રો ટેબલ પર બેઠા હતા પરંતુ, 6 માસનો શાહરૂખ તેમના ખોળામાં નહોતો. પુત્રોને પૂછતાં તેમણે જણાવ્યું કે, તેમની સાથે બેઠેલા લીલા કલરની સાડીવાળા બહેન શાહરૂખને લઈને ગયા છે. આ અંગે લચ્છીની લારીવાળા ભાઈએ પણ પુષ્ટિ કરી કે તે બહેન બાળકને લઈને છત્રાલ બ્રિજ તરફ ગયા હતા.કલાબેન અને તેમના નણંદે તાત્કાલિક છત્રાલ બ્રિજની આજુબાજુ અને રાજપુર તરફ પણ શોધખોળ શરૂ કરી, પરંતુ અજાણી સ્ત્રી કે તેમનો પુત્ર શાહરૂખ મળી આવ્યો નહોતો. મહિલા મહેસાણા, કડી, સાણંદ સહિતના વિસ્તારોમાં ફરી હોવાનું પોલીસને પગેરુ મળ્યું આ અંગે કલોલ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી અપહૃત બાળક અને અપહરણ કરનાર મહિલાને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સ્ત્રીની ઉંમર આશરે 40 વર્ષની શ્યામ વર્ણની, મધ્યમ બાંધાની અને શરીરે લીલા કલરની સાડી (જેમાં સફેદ કલરની ડિઝાઇન હતી) પહેરેલી હતી. આ બનાવના પગલે પોલીસની અલગ-અલગ ટીમો એક્ટિવ કરવામાં આવી છે. અજાણી મહિલા મહેસાણા, કડી, સાણંદ સહિતના વિસ્તારોમાં ફરી હોવાનું પોલીસને પગેરુ મળ્યું છે.
હિંમતનગર સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ:નવા વર્ષે અન્નકૂટમાં 1000થી વધુ વાનગીઓ ભગવાનને ધરાવાઈ
હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભરાયો હતો. આ અન્નકૂટમાં 1000 થી વધુ વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. મંગળવાર સવારથી જ હરિભક્તો દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. બપોર સુધીમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટ ઉત્સવ આજે 5000 વર્ષ પછી પણ ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે. એ જ રીતે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક્તિ પરંપરાનો મહિમા વિસ્તાર્યો છે. દર વર્ષે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ યોજાતો રહ્યો છે. જેમાં આ વર્ષે આજથી શરૂ થયેલ વિક્રમ સવંત 2082ના પ્રારંભે ભારતીય હિન્દુ પરંપરા અનુસાર શાકાહારીના સંદેશ સાથે 2000 જેટલી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે જેની દર એક કલાકે આરતી પણ કરવામાં આવશે અને થાળ ગાય ભગવાનને જમાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મહાઉત્સવ માટે છેલ્લા એક મહિનાથી મંદિર પરિસરમાં જ 4000 જેટલા કાર્યકર્તા મહેનત કરી અવનવી વાનગીઓ બનાવી રહ્યા હતા. રાજકોટ BAPS સ્વામી નારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે,આજે તારીખ 22.10.2025ના રોજ નવા વર્ષ એટલે કે વિક્રમ સવંત 2082ના મંગલ પ્રારંભે ભવ્ય મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાકાહારી ના સંદેશ સાથે 2000 જેટલી અવનવી વાનગીઓનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. આજ રીતે 55 જેટલા દેશોમાં BAPS સ્વામી નારાયણના 1800 જેટલા મંદિરોમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન થયું છે. રાજકોટ ખાતે અન્નકૂટ ઉત્સવ માટે છેલ્લા એક મહિનાથી 4000 જેટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા હતા અને મંદિરની અંદર જ અનેક ભાત ભાતની વાનગીઓ બનાવી છે. ભવ્ય અન્નકૂટ ઉત્સવ આજે સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે અને દર એક કલાકે આરતી કરી ભગવાનને થાળ ગાય જમાડવામાં આવશે. જેના દર્શન માટે અને ભગવાનને ભાવથી જમાડવા માટે સૌ રાજકોટની જનતાને ભાવ ભર્યું આમંત્રણ દિવ્યભાસ્કરના માધ્યમથી આપવામાં આવ્યું છે. અન્નફૂટ ઉત્સવમાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ ચારેય વિભાગની કુલ 2000 જેટલી વાનગીઓ જેમાં ભીની વાનગીઓ, વિવિધ મિષ્ટાન, ફરસાણની વાનગીઓ, બેકરીની વાનગીઓ, ચોકલેટ, આઈસક્રીમ અને કેન્ડી, 30થી વધુ જાતના વિવિધ ફ્રૂટ તથા ડેઝર્ટની અનેકવિધ વાનગીઓ તેમજ વિધ વિધ અનેક પ્રકારના મુખવાસ અને ડ્રાયફૂટની સાથે શરબત, જ્યુસ, લસ્સી ધરાવવામાં આવી છે. મહાઅન્નકૂટ ઉત્સવમાં જુદા જુદા સેવાના 25 વિભાગોમાં 4000 જેટલા સ્વયંસેવકો પોતાની સેવા આપી છે જેમાં નાના બાળકોથી લઇ વૃધ્ધ સેવકોનો પણ સમાવેશ થાય છે. હિન્દુ પરંપરાગત શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવ્યો છે જેમાં પ્રથમ ગોળાકારમાં મિષ્ટાન, દ્વિતીય ગોળાકારમાં દાળ, ભાત, કઠોળ વગેરે ભીની વાનગીઓ ગોઠવવામાં આવી છે. મહા અન્નકુટના દિવસ દરમ્યાન લગભગ એકાદ લાખ દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેનું શિસ્તબદ્ધ આયોજન કરી કાર્યકરોની ટીમ ખડે પગે સેવામાં ઉભા છે. અન્નકૂટની મહાઆરતીમાં શહેરના શ્રેષ્ઠીઓ સાથે હરિભક્તો પણ જોડાશે. આ પછી અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો ભાવિકો સુધી પહોંચાડવામાં આવશે.
નૂતન વર્ષના પાવન પ્રસંગે ભાવનગર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ શહેરના અનેક મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. લોકો નવા વર્ષના પ્રારંભે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પરિવાર સાથે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ભક્તિમય બની ગયુંભાવનગર શહેરના મંદિરોમાં વહેલી સવારે આરતી અને પૂજન સાથે નવા વર્ષના શુભેચ્છા સંદેશાઓની ગુંજ ઉઠી હતી. અનેક જગ્યાએ ભક્તો ફૂલ, પ્રસાદ અને દીપથી ભગવાનને અર્પણ કરતા જોવા મળ્યા. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ ભક્તિભાવથી નવા વર્ષના દર્શનનો આનંદ માણ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઘેર-ઘેર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી નૂતન વર્ષની શરૂઆત ભગવાનના દર્શન કરી લોકોએ નવા વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. ઘેર-ઘેર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવી શુભકામનાઓ આપી રહ્યા હતા.ભાવનગરના મંદિરોમાં આજે દિવસભર ભક્તોની અવરજવર ચાલતી રહી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત 2082ના પ્રથમ દિવસે ભક્તોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને શાંતિ અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે ભક્તોએ વ્યક્તિગત સુખ-સમૃદ્ધિ ઉપરાંત સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ માટે પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાતઃ આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત દર્શનાર્થીઓને સુચારુ દર્શનનો લાભ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટના આ આયોજનને કારણે દિવ્યાંગોના મુખ પર સંતોષ જોવા મળ્યો હતો.
દિવાળીના પર્વને લઈ ટ્રાન્સપોર્ટેશનની સેવા ઉપર નાગરિકોનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે રાષ્ટ્રમાં પરિવહનના મુખ્ય બિંદુ સમાન રેલવેની સેવામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી GRP અને RPF સહિતની સુરક્ષા ટીમો ઓપરેશન સતર્ક અંતર્ગત વધુ સતર્ક બની હતી. મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઓપરેશન સતર્ક અંતર્ગત ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા મહેસાણા સહિતની ટીમની મદદથી રેલવે સ્ટેશન અને ત્યાંથી પસાર થતી ટ્રેનોની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને એટલે સતત ચેકિંગની કાર્યવાહી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ચીજવસ્તુઓ અને વ્યક્તિઓની તપાસ પૂછપરછ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક બાબત સામે આવી ન હતી. પરંતુ સરકારી મિલકતો અને નાગરિકોની સુરક્ષા અને સેવા અવિરત બની રહે તે હેતુ સુરક્ષા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખતા સતત ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
મહાનગરપાલિકાનું સ્નેહમિલન:ગોહિલવાડમાં નવી આશાઓ અને ઉમંગ-ઉત્સાહ સાથે નૂતનવર્ષની ઉજવણી કરાઈ
ભાવનગર મહાનગરપાલિકાનો સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉનહોલ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય, મેયર, ચેરમેન સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહી એકબીજા ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દિવાળી પછીના દિવસે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ તરીકે ઉજવવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે દિવાળી પછી પડતર દિવસ હોય જેને લઇ આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ગુજરાતીઓ કોઈપણ જગ્યાએ વસતા હોય એવો ધામધૂમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. એક નવા ઉલ્લાસ, ઉત્સાહ અને નવી ઊર્જા સાથે નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે સૌ કોઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, વડીલોના આશીર્વાદ મેળવી ધાર્મિક સ્થળોએ દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ નવા વર્ષની સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ ખાતે આજે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજીના મંદિરે હિન્દુ નૂતન વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ માતાજીની મંગળા આરતીનો લાભ લઈ શીશ ઝુકાવ્યું હતું. કારતક સુદ એકમ એટલે કે નવ વર્ષના પાવન પર્વ નિમિત્તે બુધવારે સવારે ભક્તો માતાજીના ચરણોમાં પહોંચ્યા હતા. સવારે મંગળા આરતી બાદ ફૂલોથી શણગાર કરાયેલા માતાજીના કમળ પર સવારીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, હિંમતનગર ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અહીં પણ ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે પહોંચી ગયા હતા. બપોરના સમયે માતાજીની અન્નકૂટ આરતીનું આયોજન કરવામાં આવશે.
નડિયાદ રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર દરમિયાન એક મોટી દુર્ઘટના ટળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે રેલવેની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇન પર લાગેલી આગને સમયસર બુઝાવી દેવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી પર્વ નિમિત્તે ફોડવામાં આવેલું એક રોકેટ રેલવે સ્ટેશન પરની મેઇન ઇલેક્ટ્રિક લાઇન પર પડ્યું હતું. રોકેટ પડતાંની સાથે જ ઇલેક્ટ્રિક લાઇન સળગી ઊઠી હતી, જેના કારણે મોટી જાનહાનિ થવાનો અને રેલ વ્યવહાર ખોરવાઈ જવાનો ભય ઊભો થયો હતો. મુખ્ય ઇલેક્ટ્રિક લાઇન સળગી રહી હોવાનું રેલવે RPFના જવાનોના ધ્યાને આવતા, તુરંત જ જવાને ત્વરિત પગલાં લીધાં હતાં. RPFના જવાનો રવિ કિરણ શર્મા, સંદીપકુમાર યાદવ, રમેશકુમાર, રતિલાલ તળપદા અને અન્ય સ્ટાફના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જવાનોએ કોઈ પણ વિલંબ કર્યા વિના, પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને સળગતી લાઇન પર લાગેલી આગને બુઝાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમની સમયસરની અને સંકલિત કાર્યવાહીને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો અને કોઈ પણ મોટી દુર્ઘટના થતાં અટકી હતી.
શામળાજીમાં નવા વર્ષે ભક્તો ઉમટ્યા:ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયા
વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત સાથે જ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચ્યા હતા. નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. તેમને હીરા જડિત મુગટ, સોનાના આભૂષણો અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આજના દિવસે ભગવાનના અલગ અલગ મનોરથના દર્શન યોજાશે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ભક્તોએ શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ સૌ માટે સુખમય અને યશસ્વી નીવડે.
વલસાડના જાણીતા કલાકાર અનંત વાઘવંતકરે આ વર્ષે પણ નવા વર્ષ નિમિત્તે વિશેષ થીમ આધારિત રંગોળીઓ તૈયાર કરી છે. તેમણે છેલ્લા 38 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. આ વખતે તેમણે 'ઓપરેશન સિંદૂર' અને 'ખેડૂત જીવન' એમ બે વિષયો પર કલાત્મક રંગોળીઓ બનાવી છે. 'ઓપરેશન સિંદૂર' થીમ પરની રંગોળી પુલવામા આતંકવાદી હુમલા અને ભારતના વળતા જવાબથી પ્રેરિત છે. આ રંગોળીમાં ભારતીય સેનાના જવાનોની બહાદુરી, વાયુસેનાના વિમાનો, શહીદ જવાનની પત્ની અને ભારત માતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રંગોળી તૈયાર કરવામાં કલાકારને આશરે છ દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં 6-7 કિલો રંગોનો ઉપયોગ થયો હતો. આ કૃતિ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને શૌર્યનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે 'ખેડૂત જીવન' વિષય પર પણ એક રંગોળી બનાવી છે. આ કૃતિમાં ખેડૂતના સંઘર્ષ, પરિશ્રમ અને ધરતી સાથેના તેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. અનંત વાઘવંતકરની આ રંગોળીઓ જોવા માટે વલસાડ અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દર્શકો કલાકારના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. અનંત વાઘવંતકરની 38 વર્ષની આ કલા યાત્રા વલસાડ શહેરની એક અનોખી ઓળખ બની ગઈ છે.
વાપીના ડુંગરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:ફાટકડાના તણખલાથી આગ લાગી હોવાનું અનુમાન
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી લેકવ્યુ સોસાયટી નજીક એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ફાટકડાના તણખલાથી આ આગ લાગી હોવાનું મનાય છે. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ રહેતા લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રાથમિક પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વાપી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. વાપી નગરપાલિકાની ફાયર ટીમ ઉપરાંત વાપી GIDC, નોટિફાઈડ અને ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો સહિત કુલ 3-4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ગોડાઉનમાં પેપર, પ્લાસ્ટિક અને કાપડનો ભંગારનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
વડોદરામાં દિવાળીમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. અવધૂત ફાટક પાસે મોડી રાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારના પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જીને ભાગતા કારચાલકનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તે દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'આરોપી દારૂના નશામાં અકસ્માત સર્જી ભાગ્યો હતો'આ અંગે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીનો ચાલક અકસ્માત કરી અને અહીંયા અક્ષર ચોક સુધી ભાગીને આવી ગયો હતો અને પબ્લિકના ટોળા એકત્રિત થઈ ગયા હતા. દરમિયાન પોલીસ આવીને આરોપીને લઈ ગઈ છે. બાળકના મોત અંગે જણાવ્યું કે, અમારા એક અન્ય અધિકારી બનાવ બન્યો તે સ્થળે તપાસ કરી રહ્યા છે. ગાડી ચેક કરતા એક દારૂની બોટલ મળી આવી છે. સાથે બીજા અન્ય એમની જે કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે અસ્ત વ્યસ્ત છે તે એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જ જણાવીશું. આ ઘટના ખુબજ ગંભીર ગણી શકાય અને પોલીસ એમાં એકદમ સ્ટ્રીક એક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરશે. વધુમાં જણાવ્યું હતું કે, કારચાલકે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરીને આવ્યો છે એ વિસ્તાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં લાગે જેથી આરોપીને ત્યાં લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નશામાં હોવાની વાત સાચી છે અને હાલ પ્રાથમિક જે વીડિયો અમને મળ્યા છે એમાં નશામાં હોય એવું જણાય છે. બ્લડ સેમ્પલ લઈને ચેક કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું. 'ગરીબનો દીકરો મૃત્યુ પામ્યો છે, એટલે કેસ દબાવો જોઈએ નહીં'અકસ્માત નજરે જોનાર મહિલાએ જણાવ્યું હતું કે, અવધૂત ફાટક બહાર બધા ગરીબ સાઇડ પર ઊંઘેલા હતા અને આ ક્રેટા ગાડી વાળો ફૂલ પીધેલો હતો. ગાડીમાં દારૂની બોટલો પણ છે. સાઇટ પર સૂતેલા લોકો પર ગાડી ચડાવી દીધી હતી, ત્યાં કેટલાકને વાગ્યું છે અને ત્યાં નાનો છોકરો હતો તે તો ત્યાંજ મૃત્યુ પામ્યો, આના પર કાર્યવાહી થવી જોઈએ. તે પીધેલો અહીં સુધી ભાગ્યો અને અહીંયા આવીને અમે રોક્યો છે. ગરીબનો છોકરો ગયો છે કેસ દબાવો જોઈએ નહીં હું કેસ કરવા તૈયાર છું. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ધરા પર આવેલું વિશ્વ વિખ્યાત મા અંબાનું ધામ અંબાજી મંદિર રાજ્યનું સર્વ પ્રથમ સુવર્ણ શિખર મંદિર બન્યું છે. સોનાથી મઢાયેલા મંદિરના મુખ્ય શિખરને જોતા જ મા ના દર્શને આવતા ભક્તોની આંખોમાં અનેરો ઉજાસ છલકાય છે. પ્રથમ ફેઝના કામમાં વર્ષ 2018 સુધીમાં દેશી પારા પદ્ધતિથી મા ના મંદિરના મુખ્ય શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયો હતો. જે બાદ મંદિરના બાકી રહેલા ભાગોને સુવર્ણ બનાવવા 225 કિલો સોનાની જરૂર છે. જેની સામે હાલ 50 કિલો ગ્રામ સોનાનું દાન કરાયું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમકહેવાય છે કે, અહીં ધબકે છે મા અંબાનું હૃદય. જ્યાં છે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ. બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ એક એવુ મંદિર છે કે જ્યાં દિવસ દરમિયાન હજારો લોકો માત્ર ગુજરાત કે ભારતમાંથી જ નહિ પરંતુ દેશ વિદેશમાંથી મા અંબા જગદંબાના દર્શનાર્થે આવતા હોય છે અને મા ના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. વર્ષ 2011થી મંદિરના શિખરને સુવર્ણ બનાવવાની શરૂઆતઅંબાજીનો મહિમા ખુબ જ વર્ષો જૂનો પૌરાણિક છે. વર્ષોથી અહીં ભક્તોનો ઘસારો અવિરત છે, જેમ જેમ ભક્તોનો ઘસારો વધતો ગયો તેમ તેમ અંબાજીનો વિકાસ પણ વધતો ગયો. સોનામાં સુગંધ ભળી હોય તેમ વર્ષ 2011થી વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ અંબાજી મંદિરને સુવર્ણ શિખર મંદિર બનાવવાની શરૂઆત કરાઈ, મા ના ધામ અંબાજીમાં મંદિર ઉપર મુકાયેલો કળશ તો વર્ષોથી સંપૂર્ણ સોનાનો હતો જ પરંતુ વર્ષ 2011થી મા ના મંદિર પર આવેલા મુખ્ય શિખરને સોનાથી મઢવાની શરૂઆત કરાઈ હતી. શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયોસતત 8 વર્ષ સુધી ચાલેલા પ્રથમ ફેઝના કામમાં 2018 સુધીમાં દેશી પારા પદ્ધતિથી મા ના મંદિરના મુખ્ય શિખરના 61 ફૂટ ભાગને સોનાથી મઢી દેવાયો હતો. 61 ફૂટ જેટલાં મુખ્ય શિખરના ભાગને સોનેથી મઢવા 140 કિલોથી વધુ સોનાનો અને 15,711 કિલો તાંબાનો ઉપયોગ કરાયો છે. સૂર્યના કિરણો મા ના સુવર્ણ શિખરને ઝગમગાવતું રાખે છેસોનાથી તૈયાર કરાયેલું મા નું 61 ફૂટ ઊંચું સુવર્ણ શિખર આજે લાખો-કરોડો માઇભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુવર્ણ બનેલા આ શિખર પર રાત્રીના સમયે લાઇટિંગનો નજારો તો સવાર પડતાની સાથે જ દિવસ દરમિયાન સૂર્યના કિરણો મા ના સુવર્ણ શિખરને ઝગમગાવતું રાખે છે. મા ના ધામે દર્શનાર્થે આવતા માઇભક્તો મા ના દર્શનની સાથે સાથે સોનાના શિખરના પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. તમામ સોનુ એ ભક્તોએ દાન સ્વરૂપે અર્પણ કરેલું છે મહત્વની વાત છે કે, મંદિરને સુવર્ણ શિખર મંદિર બનાવવામાં વપરાયેલું આ તમામ સોનું એ કોઈ સંસ્થા કે મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં નથી આવ્યું, પરંતુ આ તમામ સોનુ એ મા ના ભક્તોએ પોતાની આસ્થાથી મા ના ધામમાં દાન સ્વરૂપે અર્પણ કરેલું સોનું છે. અનેક ભક્તોનું સ્વપ્ન હતું કે, મા ના ધામનું શિખર સોનેથી ઘડાય અને ભક્તોનું આ સ્વપ્ન આજે હકીકત બન્યું છે. મંદિરનું 61 ફૂટ ઊંચું મુખ્ય શિખર સોનાથી ઘડાઈ ગયું છે. હવે મા ના મંદિર ઉપર આવેલા સભા મંડપનો ઘુમ્મટ, સભાં મંડપની ચોકીઓ, નૃત્ય મંડપનો ઘુમ્મટ, નૃત્ય મંડપની ચોકીઓ અને મુખ્ય શિખર નીચેની પેઢીને પણ સોનેથી મઢવાનું તંત્ર ભવિષ્યમાં આયોજન કરી રહ્યું છે. બાકી રહેલા ઘુમ્મટ અને ચોકીઓને સોનેથી મઢવા મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્યરત સુવર્ણ શિખર યોજનામાં ભક્તો દ્વારા અત્યાર સુધીમાં 50 કિલો ગ્રામ સોનાનું દાન કરાયું છે. બાકી રહેલા આ તમામ ભાગોને સુવર્ણ બનાવવા મંદિર ટ્રસ્ટને 225 કિલો સોનુ અને 18,000 કિલો તાંબાની જરૂર પડશે. જેમ જેમ ભક્તો દ્વારા દાન મળતું જાય છે તેમ તેમ મા અંબા જગદંબાનું ધામ સુવર્ણ શિખરની સાથે સુવર્ણ મંદિર બનતું જાય છે. મંદિરમાં આવતા ભક્તો પણ મા ના સુવર્ણ શિખરના દર્શન કરી જેમ મંદિરનું શિખર સૂર્યના કિરણોથી ઝગમગે છે તેમ મા જગતજનની પોતાની કૃપાથી ભક્તોની જિંદગી પણ ઝગમગાવે તેવી પ્રાર્થના કરતા હોય છે.
સાળંગપુર મંદિરે 11 હજાર દિવડા પ્રગટાવ્યા:દિપોત્સવ નિમિત્તે ભવ્ય દિપમાલા અને આતશબાજી કરાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિપોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. મંદિર પરિસરમાં 11 હજાર દિવડાઓ પ્રગટાવી સમૂહ સંધ્યા આરતી અને ભવ્ય આતશબાજીનું આયોજન થયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તા. 21 ઓક્ટોબર, ૨૦૨૫, મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્યોર સિલ્કના કાપડમાંથી બનેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા હતા. દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.સવારે 5:30 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે શણગાર આરતી અને સંધ્યા આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા સંપન્ન થઈ હતી. દિપોત્સવ નિમિત્તે સાંજે 6:30 કલાકે સમૂહ સંધ્યા આરતીમાં મંદિરના પટાંગણમાં ૧૧ હજાર દિવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી. આ સાથે શ્રી હનુમાન ચાલીસાનું સમૂહ ગાન પણ કરાયું હતું. સમગ્ર મંદિર અને પરિસરને રોશનીથી શણગારવામાં આવતા સાળંગપુરધામ ઝળહળી ઉઠ્યું હતું. રાત્રે 9:00 થી 10:00 કલાકે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગઢડા ગોપીનાથજી મંદિરે ભવ્ય દીપમાળા યોજાઈ:નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હજારો દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરાઈ
ગઢડા: સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને મધુર બેન્ડના સંગાથે આ ભવ્ય દીપમાળા યોજાઈ હતી. હજારોની સંખ્યામાં હરિભક્તોએ દીપમાળાના દર્શન કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ દીપમાળા સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલી પરંપરાનું પ્રતિક છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં નિવાસ કરતા હતા, ત્યારે તેઓ પોતે દિવાળીના તહેવારો નિમિત્તે મંદિરમાં ભવ્ય દીપમાળા યોજીને પર્વની ઉજવણી કરતા હતા. આ જ પરંપરાને આજે પણ ગઢડા ગોપીનાથજી મંદિરે જાળવી રાખવામાં આવી છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના આ મહત્વપૂર્ણ ગોપીનાથજી મંદિરને રંગબેરંગી લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના શિખર, દરબાર ગઢ અને સમગ્ર મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મધુર બેન્ડના સથવારે યોજાયેલી આ દીપમાળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દીપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.
જીવલેણ હુમલો:રીક્ષા પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ત્રણ ભાઇઓને છરીના ઘા ઝીંક્યા
ભાવનગરના શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા વિજયભાઇ રાજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે રિક્ષા પાર્ક કરેલ હોય જેની નજીક આશીષ ઉર્ફે ફુદી વિક્રમભાઇ સોલંકી, રામજી ઉર્ફે રામ નરેશભાઇ સોલંકી, રવિ ઉર્ફે વાસુ કિશનભાઇ સુરેલા, સંતોષ બહાદુરભાઇ સોલંકી, અભિ ઉર્ફે અભીશ બહાદુરભાઇ સોલંકી જાહેરમાં ફટાકડા ફોડી, રીક્ષાને નુકશાન કરતા હોય જે બાબતે વિજયભાઇએ રિક્ષા પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેની દાઝ રાખી પાંચેય શખ્સો છરી સાથે આવી વિજયભાઇને ગંભીર ઘા ઝીંકી દિધા હતા. જેને બચાવવા દોડેલા તેમના ભાઇઓ મનીષભાઇ ગોપાલભાઇ અને રાહુલભાઇ આવતા તેમને પણ પેટના ભાગે છરીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં મામલો તંગ બની જવા પામ્યો હતો. બનાવ બાદ ત્રણેય ભાઇઓને સર ટી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં પાંચેય શખ્સો વિરૂદ્ધ વિજયભાઇએ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સિહોર આજે 21મી સદીનું અદ્યતન શહેર બનવા તરફ આગળ જઇ રહ્યું છે. અનેકવિધ સુવિધાથી સજજ સિહોર શહેરમાં દિન-પ્રતિદિન મકાનો, બિલ્ડિંગો અને બહુમાળી ભવનો બનતા જાય છે. સિહોર શહેરમાં વિવિધ મોલ અને નવી-નવી કંપનીઓના શો-રૂમો બનતા ગ્રાહકોએ હવે જિલ્લા મથકોએ જવું પડતું નથી. તમામ ક્ષેત્રે લોકોને રહેવા સ્થાયી થવા માટે સિહોર આદર્શ સીટી બની ચૂકયું છે. ભાવનગર રોડ પર ખાખરિયાના પાટિયાથી શરૂ કરી વળાવડ ગામ સુધી તથા ઘાંઘળી રોડથી ટાણા રોડ તરફ ચોતરફ સિહોર વિકસ્યું છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, મોટી સ્કૂલો, મોટાભાગની બેંકો તથા મોલના અસ્તિત્વએ શહેરીજનોને સંપૂર્ણ સુવિધા બક્ષી છે. ચોમેર ગિરિમાળાની વચ્ચે શોભતા સિહોર શહેરનો ઇતિહાસ ભવ્ય અને દૈદીપ્યમાન છે. પ્રાચીનકાળમાં ઋષિ પરંપરામાં મુર્ધન્ય સ્થાન ધરાવતા મહામુની ગૌતમ ઋષિનો ઇતિહાસ સિહોર સાથે સંકળાયેલ છે. અહલ્યાને શ્રાપ આપ્યા પછી સોમનાથની યાત્રામાં અત્રેથી પસાર થતાં ગૌતમ ઋષિએ અહીંયા વરસો સુધી ભગવાન શિવનું તપ કર્યુ અને સ્વયં બાણ પ્રગટયું એ ગૌતમેશ્વર મહાદેવ નામે પૂજાયા. તેમના શિષ્યો જે સરસ્વતી ઉપાસકો આ વિસ્તાર આસપાસ વસતા સારસ્વતપુર નગર બનેલ. પ્રાચીન કાળમાં સિંહપુર નામે ઓળખાતું આજનું સિહોર શહેર રમણીય ટેકરીઓની હારમાળાઓની વચ્ચે તળેટીઓમાં આવેલ છે. તેનો વિસ્તાર છેક ગૌતમી નદી સુધી વિસ્તરેલો છે. સિહોર 21.46 ઉત્તર અક્ષાંશ અને 71.57 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું એક ઐતિહાસિક નગર છે. આ શહેરની ઝાકઝમાળ, જાહોજલાલી અને ભવ્ય ઇતિહાસે આ શહેરને એક નવી ઊંચાઇ અને ગરીમા બક્ષ્યા છે. સિહોર એ શહેર છે કે જયાં સિધ્ધરાજ જયસિંહનો કોઢ મટયો હતો. ત્યાં બ્રહ્મકુંડના રૂપે સ્થાપના કરી યાદી કંડારાયેલી છે, કિલ્લાઓથી શોભતું આ શહેર એ શહેર છે કે જેને હંમેશા નિરાશામાં ગરકાવ થયેલ આદમીને સહર્ષ સ્વીકાર્યા છે. એ 1857ના મહાસંગ્રામના નાના સાહેબ પેશ્વા હોય કે પછી પોતાની પત્ની અહલ્યાને શ્રાપ આપી જીવંત સ્ત્રીમાંથી અમૃત પથ્થર બનાવી દેનાર ગૌતમ ઋષિ હોય. આ એ શહેર છે કે જયાં મારવાડમાંથી ગુજરાતમાં આવીને વસનાર ગોહિલ વંશના વશંજો વિસોજીએ પોતાની રાજધાની ઉમરાળાથી બદલી સિહોરમાં ફેરવી અને ઇ.સ.1565થી 1763 (વૈશાખ સુદ -3) સુધી એ રાજધાની રહ્યું. અને ત્યારબાદ ભાવસિંહજી નામના રાજાએ સલામતીને ખાતર સિહોરની રાજધાની ખંભાતના અખાત નજીક દરિયાકાંઠે વડવા (આજનું ભાવનગર) ખાતે સ્થાપી. આ શહેરે આજ દિન સુધીમાં અનેક તડકાં -છાયા, આરોહ –અવરોહ, ધૂપ-છાંવ અને ચડતી-પડતીની અનેક મેઘધનુષ્યી છાયાઓ જોઇ છે. સિહોરના વિકાસમાં આજે પણ ઉધોગોનો સિંહફાળો છે. તાંબા -પિતળના વાસણો,છીંકણી, પેંડા અને ક્રોકરીની આઇટમો માટે વિખ્યાત છે. સિહોરના જી.આઇ.ડી.સી. એરિયામાં એક સમયે 100 જેટલી રી-રોલિંગ મિલો શરૂ હતી.પરંતુ આર્થિક મંદીના કારણે હાલમાં જૂજ સંખ્યામાં જ રોલિંગ મિલો શરૂ છે. સિહોરની ભૂમિનું સ્વરૂપ, તેની નૈસર્ગિક સંપતિ અને સૌંદર્ય અવર્ણનીય છે. સિહોરમાં વસવાટ કરનાર અને અહીંયા પધારનાર મહાનુભાવોમાં આઝાદીના લડવૈયા નાના સાહેબ પેશ્વા, સ્વામી વિવેકાનંદ, સહજાનંદ સ્વામી વગેરે મહાનુભાવોની ચરણ ધૂલિથી આ ભૂમિ પવિત્ર થયેલ છે. અહીં નવનાથ અને પાંચ પીરના બેસણા છે. આ કારણે જ આ શહેર છોટે કાશીનું બિરુદ પામેલ છે. શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે આ શહેરે રાજયને અનેક મહાનુભાવો આપ્યા છે. અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતી વિવિધ સંસ્થાઓ અહીં કાર્યરત છે. 21મી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધમાં આ શહેર આજે પ્રગતિની દિશામાં સતત હરણફાળ ભરી રહ્યું છે.અને સિહોરની આન,બાન અને શાનમાં સતત વધારો કરી રહ્યું છે. સિહોરી પેંડાએ સિહોરને આપી એક અનોખી ઓળખ…સિહોરના ગામડાંઓમાં પશુપાલન વ્યવસાય મોટા પાયે હોય, અહીં પેંડાનો ઉદ્યોગ વિકસ્યો છે.વર્ષોથી સુખલાલ ભગવાનદાસ મુની, શામજી સુખલાલ મુની અને હાલ અશોકભાઇ મુનીના પેંડા છેક વિદેશ સુધી પહોંચી, મુની પેંડાના નામે પ્રખ્યાત બન્યા છે. ઉપરાંત રાધે તથા અન્ય બ્રાન્ડના પેંડા સ્વાદમાં અવ્વલ હોય છે. સિહોરી પેંડાએ મીઠાઇ જગતમાં નામ કાઢ્યું છે.
શ્વાનનો આતંક:પાંચ દિવસમાં 17 વ્યક્તિને બચકા ભર્યા
વલભીપુર શહેર મેઇન બજારમાં એક કુતરીના આતંકથી અનેક વ્યક્તિઓને બચકા ભરી જતા ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ શહેરના મેઈન બજારમાં પીપળાવાળી શેરીના નાકે એક કુતરીએ રીતસર આતંક મચાવ્યો છે ચાર થી પાંચ દિવસમાં 15 થી 17 જેટલા વ્યક્તિઓને બચકા ભરીને ગંભીર ઇજા કરી હતી તેનાં કારણે લોકો ભયભીત બની ગયા છે.દિવાળીના તહેવારમાં મેઈન બજારમાં જ આ ઉપદ્રવ હોય લોકો પસાર થતાં ભયભીત બની ગયા છે આ બાબતે સ્થાનિક રહીશોએ અને વેપારીઓએ નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી વેપારીઓ અને રહીશોમાં રોષ ફેલાયો છે
રાહત:વલભીપુર હાઇવે પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોને થશે રાહત
વલભીપુરથી ભાવનગરના હાઇવેને પહોળો કરવાની સાથે ડામર રોડની કામગીરીમાં ઝડપ આવી છે અને તેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને આંશીક રાહત મળી છે. બહુ વગોવાયેલા ભાવનગર-અમદાવાદ હાઇવે વાયા વલભીપુર વાળો રાજય ધોરી માર્ગ તેની બિસ્માર અને ભંગાર હાલત તેમજ પહોળો બનાવા માટેની કામગીરી ધીમી ચાલતી હોય તેના કારણે આ હાઇવે વગોવાઇ ગયેલો પરંતુ છેલ્લાં પખવાડીયાથી પહોળા બનાવેલ રસ્તા ઉપર ડામર કામ પણ કરી દેવામાં આવ્યુ હોવાથી અને જયા જુના પુલો છે તેના ઉપર પડી ગયેલા ખાડાઓને ડામરનું રીકાર્પેટીંગ પણ કરી દેવામાં આવતા નવા બનાવેલા રસ્તા ઉપર વાહનો પુરપાટ ઝડપે ચલાવી શકાતુ હોવાથી મુસાફરી માટેના સમય પણ મહંદ અંશે ઘટયો છે. જો માર્ગ-મકાન તંત્ર દ્વારા હાલ નેસડા ગામથી ઉંડવી સુધીના હાઇવે રીકાર્પેટીંગ કરે તો વાહન ચાલકો અને મુસાફરો વધુ રાહત મળે તેમ છે કારણ કે હાલ આ 38 કિ.મી.સુધીના હાઇવે પર બિસ્માર હાલત આ બે ગામ વચ્ચે વધુ છે. જો આ સ્પીડે કામ શરૂ રહેશેતો આગામી ટુંક સમયમાં નવો હાઇવે ટનાટન બની જશે.
અસામાજિક તત્વો દ્વારા તોડફોડ:સિહોરમાં લુખ્ખાઓએ દારૂ પીને મંદિરમાં બોમ્બ ફોડી, માટલા ફોડતા ચકચાર મચી
સિહોરમાં દિવાળીના પર્વ નિમિતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સિહોર પાંચવડા વિસ્તારમાં તોડફોડ આચરી, ભારે આતંક મચાવી, નુકસાન કરતાં સિહોર તહેવારોમાં પોલીસની પોલંપોલ ખુલી જવા પામી હતી. સિહોરની મધ્યમાં પાંચવડા વિસ્તારના નાકે કેટલાક અસામાજિક તત્વોએ ભારે ધમાલ મચાવી હતી. રોડ પર પરબના પાણીના માટલા તોડી નાખ્યા હતા. વોટર કૂલર તોડવાનો પ્રયાસ કર્યો હતો. દાતાના નામ પર લીટા મારી દીધા હતા. રોડ પર રહેલ મેલડી માના મંદિર પર બૉમ્બ ફોડ્યા હતા. માતાજીની ચૂંદડીને નુકસાન પહોંચાડ્યું હતું. તુલસી ફર્નિચરના બોર્ડને તોડફોડ કરી હતી. આઠથી દસ તત્વોએ દારૂ પીને રોફ જમાવ્યો હતો.જેથી આ વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ ઘટના બાદ આ વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ અંગે રજૂઆત કરી હતી. જેથી પોલીસે આવા આવારા તત્વોને પકડી, આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. દિવાળી જેવો પાવન તહેવાર હોય. પરંતુ દિવાળી જેવા તહેવારમાં આવારા તત્વો બેખોફ બનીને હાઇ-વે પર મન ફાવે તેવું વર્તન કરે અને પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપતી હોય કલંકિત ઘટના ગણી શકાય.
ગુજરાતમાં મોટા શહેરોમાં પાંચમુ સ્થાને ગણાતુ ભાવનગર શહેર સાચા અર્થમા નિવૃત માનવીનુ શહેર છે. 4-5 કિમીની ત્રિજયામાં ફેલાયેલા શહેરમાં 10-15 મિનિટમા એક ખુણેથી બીજા ખુણે પહોંચી શકાય છે. ટ્રાફિકની સામાન્ય સમસ્યા ધરાવતુ, પ્રદુષણ રહિત, સ્વાસ્થકારક હવામાન ધરાવતુ,પાણી અને બીજી કુદરતી સંપતિ ધરાવતુ આદર્શ શહેર છે.ભાવનગરની ભૌગોલિક સ્થિતિને કારણે મોટી કુદરતી આપત્તિ પણ ભાવનગરમા નથી આવી. આ ભાવનગરમાં ગત રાત્રે દિવાળીની ઉજવણીને લીધે હવામાન પ્રદૂષિત થયુ અને અસ્થમાના દર્દીઓ માટે આ પ્રદૂષિત હજા જોખમી બની રહી હતી. સામાન્ય રીતિ 40-થી 50 હવાનો ગુણવત્તા ધરાવતા ભાવનગરની હવાની ગુણવતા આંક 159 હતો. જે સામાન્ય માનવી માટે ચિંતાજનક હતો. (WHO) વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ હવામાં તરતા કણો જે શ્વાસ સાથે ફેફસામાં દાખલ થઈ જમા થતો હોય છે તે પણ ભયજનક (52 થી 155 )થઈ ગયો હતો.અન્ય પ્રદૂષણોમા ઓઝોન ( 25 પીપીબી ) થતા માનવીને અસ્વસ્થ કરી શકે છે.નાઇટ્રોજન ઓકસાઈડ ( 13 પીપીબી ) થોડી માત્રામાં વધારે હતો. કાર્બન મોનોકસાઈડ (503 પીપીબી ) ભારે માત્રામા સલ્ફર ડયોકસાઈડ (32 પીપીબી ) હતા. આ વાયુઓ એક યા બીજી રીતે નુકશાન કારક છે જ પરંતુ મોડી રાત્રે અને પછીના સવાર તથા દિવસના ભાગમા વાતાવરણમા ફેલાઈ જતા ફકત અતિ સંવેદનશીલ વ્યક્તિ માટે ચિંતાજનક રહે છે. સાવચેતીના પગલા રૂપે રાત્ર દરમયાન ઘરમા જ રહેવુ,માસ્ક પહેરીને જ ફરવુ અને ધરની બહાર નીકળવાનુ ટાળવુ. તેમ પર્યાવરણવિદ્દ ડો.બી.આર. પંડિતે જણાવ્યું છે. ફટાકડા ફુટવાથી હવામાં પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં વધારો થયો હવામાં તરતા કણો જે શ્વાસ સાથે ફેફસામાં દાખલ થતા હોય છે તે ભયજનક દિવાળીની રાત્રે ભાવનગરની હવાનો ગુણવતા આંક
હુમલો:કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટી સહિત બે લોકો ઉપર હુમલો
ભાવનગર શહેરના કુંભારવાડા સ્શાનની અંદર આવેલ મંદિરના ટ્રસ્ટી સહિત બે લોકો ઉપર છ શખ્સોએ આતંક મચાવી, ગંભીર મારમારતા દર્શનાર્થીઓમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો હતો. કુંભારવાડા સ્મશાનના મંદિરમાં ગઇકાલે દર્શનાર્થીઓની ભારે ભીડ હોય જે વેળાએ બે શખ્સોએ મંદિરના દરવાજા બંધ કરી, ભક્તોને અંદર આવવાની મનાઇ ફરમાવી, ટ્રસ્ટી સહિત બે લોકોને ગંભીર મારમારતા છ શખ્સો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા સ્મશાનની અંદર આવેલ મેલડી માતાના મંદિરના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા ક્રુપાલસિંહ ભુપતસિંહ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ હતી અને દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા હતા તે વેળાએ સંજયસિંહ વિક્રમસિંહ જાડેજા તેમજ યુવરાજસિંહ જાડેજાએ મંદિરમાં પ્રવેશ કરી, મંદિરનો દરવાજો બંધ કરી દિધો હતો અને ભક્તોને દર્શન નહીં કરવાનું જણાવ્યું હતું. જે બાબતે ક્રુપાલસિંહે આવું શું કામ કરો છો તેમ કહેતા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુર્યદિપસિંહ વાળા, રામ નટુભાઇ સગડ, તુષાર ઉર્ફે દંતુ કાન્તીભાઇ બારૈયા, મલય જોષીએ એક સંપ કરી ક્રુપાલસિંહને ઢોરમાર માર્યો હતો અને પંચ પહેરી લોહિયાળ ઇજાઓ કરી હતી જેને બચાવવા ક્રુપાલભાઇના ભાઇ સંજયસિંહ ચૌહાણ દોડી આવતા તેમને પણ ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં છ શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ઉપર આક્ષેપ:અકવાડાની મારામારીમાં આરોપીને પોલીસ છાવરતી હોવાના આક્ષેપો
અકવાડા ગામે રહેતા ઉત્તમભાઇ ઘુઘાભાઇ બારૈયા છ દિવસ અગાઉ મંદિરેથી ઘરે જતા હતા તે વેળાએ ગામમાં રહેતા વિશ્વદિપસિંહ ઉર્ફે ભોલુ ટેમુભા ગોહિલ દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હતો જે વેળાએ તેની નજીકથી ઉત્તમભાઇ બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા તે વેળાએ વિશ્વદિપસિંહે ઉત્તમભાઇને ઉભા રાખી, નશાની હાલતે માથાના ભાગે પાઇપ ઝીંક્યો હતો. જે ડરના મારે ઉત્તમભાઇ ઘરે જતો રહ્યો હતો અને બાદમાં વિશ્વદિપસિંહ ફરી તેની માતા, ભાઇ અને કાકા સાથે ઉત્તમભાઇના ઘરે પહોંચી, ઉત્તમભાઇ, તેમના પિતા, કાકા સહિત બહેનને મારમારતા બંન્ને પક્ષે સામસામી મારમારી થતાં ઉત્તમ તેમજ વિશ્વદિપને ઇજા પહોંચી હતી. જે બાદ ઘોઘારોડ પોલીસના પી.એસ.આઇ. ચૌધરીએ તપાસ શરૂ કરી, ઉત્તમ તેમજ તેમના પરિવારના સભ્યોને પુછપરછ માટે બોલાવી, તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધી, ધરપકડ કરી લીધી હતી અને જેલહવાલે કરાયા હતા. પરંતુ સામાપક્ષે માત્ર વિશ્વદિપ વિરૂદ્ધ ફરિયાદ નોંધી, સારવારમાં ખસેડી દિધો હતો અને જે બાદ તેને રજા મળતા ધરપકડ ન કરતા, આરોપીની ધરપકડની માંગ કરી છે. ઉત્તમભાઇના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વિશ્વદિપસિંહ વ્યાજવટાવનો વ્યવસાય કરે છે જેના ઉપરી નિમભા છે જેના કહેવાથી ઘોઘારોડ પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખી રહી છે. ઉત્તમભાઇના બે પિતરાઇ ભાઇઓ આર્મીમાં ફરજ બજાવે છે. જેને લઇ અન્યાય થતાં આર્મીના ચીફ દ્વારા એસ.પી.નિતેશ પાંડેયને ફોન કરી વાત કરવામાં આવી છે છતાં પણ ઘોઘારોડ પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આર્મીના જવાને વીડીયો બનાવી ન્યાયની માંગ કરીઉત્તમભાઇના દાદા બાબુભાઇની વિરૂદ્ધ પોલીસે ફરિયાદ લીધી છે. બાબુભાઇના બંન્ને પુત્રો આર્મીમાં ફરજ બજાવે છે. બાબુભાઇની ખોટી રીતે ધરપકડ થતાં આર્મીના ચીફ દ્વારા ઘોઘારોડના પી.આઇ. અને એસ.પી.ને ફોન કર્યો હતો. જે બાદ ઘુઘાભાઇના દિકરા બારૈયા વિશાલ બાબુભાઇ જે આર્મી જવાન છે તેમને પણ સોશ્યલ મિડીયામાં વિડીયો મુકી ભાવનગર પોલીસ પાસે ન્યાયની અપેક્ષા સાથે માંગ કરી છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:જીટીયુના યુવક મહોત્સવમાં જીઇસી 3 સ્પર્ધામાં વિજેતા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા યજમાનપદે આયોજીત 13મો યુવક મહોત્સવ એકત્વ યોજાયેલ હતો, જેમાં સરકારી ઈજનેરી કોલેજ ભાવનગરની વિવિધ વિદ્યાશાખાના 35 વિદ્યાર્થીઓએ અલગઅલગ 20થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો, જેમાંથી તમામ સ્પર્ધાઓમાં સફળતમ દેખાવની સાથે ૩ સ્પર્ધાઓમા ટ્રોફિ ઇનામ અને મેડલ જીત્યા હતા. આ ત્રિદિવસીય ઈન્ટરઝોનલ યુવક મહોત્સવમા સંગીત-ગાયન, તાલવાદ્ય, અભિનય અને ફાઈન આર્ટ્સ જેવી વિવિધ સ્પર્ધાઓમા સંસ્થાના વિદ્યાર્થિઓએ રસપૂર્વક ભાગ લિધેલ હતો, જેમાથી ચૌહાણ સહદેવસિંહ (સીવીલ ઈજનેરી) દુહા-છંદ ગાયનસ્પર્ધામા દ્વિતિય, પઠાણ નવાઝખાન (આઈ.સી.ટી. ઈજનેરી) વેસ્ટર્ન મ્યુઝિક પ્લેમા તૃતીય તેમજ જોષી શુભમ (કોમ્પ્યુટર ઈજનેરી) અને સુકિર્તીકુમારી (ઈ.સી. ઈજનેરી) એ ડિબેટ સ્પર્ધામા તૃતીય ક્રમ મેળવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્થાની કલ્ચરલ કમિટીનુ સૂત્ર “દિલ તો જીતેંગે” છે, જેને કેન્દ્રસ્થાને રાખીને વિદ્યાર્થિઓએ લઘુનાટક, મૂક અભિનય, મિમિક્રી, કાર્ટૂનિંગ, ક્લે-મોડેલિંગ, ભજન, ક્વિઝ, વિગેરે સ્પર્ધાઓમા ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્ય પ્રો. ડો. એમ.જી. ભટ્ટ દ્વારા વિજેતા અને સ્પર્ધામા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે ખાસ તો તેમનો મંચ પર અભિનય કે અભિવ્યક્તિ કરવા માટેનો આત્મવિશ્વાસ વધે છે, જે એમના ઉજ્જવળ ભવિષ્યના પાયામાથી એક પાયો છે. જેમ આ યુવક મહોત્સવમાં તેમનુ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ પ્રદર્શન રહ્યુ , પ્રો. ડો. એન.એન. જાડેજા, પ્રો. સી.એ. ગજ્જર, પ્રો. ડિ.એચ. દવે અને પ્રો. વિ.આર. અંદોદરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતુ કે કોઈ પણ પ્રોફેશનલ્સની મદદ વિના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહ્યા હતા,
નાસ્તામાં સાવધાની જરૂરી:લાભ પાંચમ સુધી રોજ વધારાની 1000થી 1200 કેલેરી ઉમેરાશે
વિક્રમ સંવતના 2082ના નૂતન વર્ષની શુભેચ્છા માટે ઘરે-ઘરે નાસ્તા કરો ત્યારે પેટનો વિચાર કરવો આવશ્યક તહેવારની ઉજવણીમાં પેટ દળાઈ જાય એટલું ભરપેટ ખાઈ લેવું, ભલેને પછી તબિયતનું જે થવું હોય તે થાય તેવી માનસિકતા કેટલાક ભાવનગરવાસીઓ ધરાવે છે. વધુ પ્રમાણમાં ઘી તેલ વપરાયા હોય તે હૃદય માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન બી.એસ. શર્મા જણાવે કે દિવાળીથી લાભપાંચમ સુધીમાં 1 દિવસમાં એક વ્યકિત સરેરાશ 2300થી 2500 કેલેરી મેળવે છે જે વધારે ગણાય. ખરેખર સ્ત્રીને રોજના 1200થી 1500 કેલેરી અને પુરૂષને 1500થી 1700 કેલેરીની જરૂર હોય છે. આ ગણિત મુજબ દિવાળીમાં દૈનિક 1000થી 1200 કેલેરી વધુ ઉમેરાતી હોય છે. દિવાળીના આ ઉજવણીના દિવસો રજાના, વેકેશનના દિવસો હોવાથી ખાવાનું વધારે અને શ્રમ ઓછો તેવો ઘાટ થતાં આ દસેક દિવસના રજાના ગાળામાં જ કેટલાકનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે જે ચિંતાજનક ગણી શકાય. લાભ પાંચમ સુધીમાં ઘરે જઈ ભરપૂર નાસ્તો કરનારાનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે. બેસતા વર્ષ કે ત્યાર બાદ આપણે જેમના ઘરે જઈએ ત્યાં ચોળાફળી, ફાફડા, મઠીયા, ચેવડો, બરફી, કાજુકતરી, ફરસીપુરી, ગાંઠિયા, મગજના લાડુ, ઘુઘરા, ગુલાબજાંબુ જેવા મિઠાઈ-ફરસાણ તેમજ આઈસક્રીમ કે શરબતથી સરભરા કરવામાં આવે છે. મિઠાઈ-ફરસાણ કરતાં ગરમ નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારણ છે જેમાં ફણગાવેલા મગ, ઉપમા, બાફેલા કઠોળની ભેળ વિ. લઈ શકાય. મિલ્કશેક કે આઈસ્ક્રીમના બદલે પાણી સરબત પીવોનૂતન વર્ષની શુભેચ્છા માટે કોઈને ત્યાં જતાં પહેલાં ઘરે સલાડ કે ફળ અથવા લીંબુ સરબત પી લેવું. ઘરે શુભેચ્છા માટે જતા હો ત્યા મિલ્કશેક કે આઇસક્રીમના બદલે પાણી સરબત પીવો. - નાસ્તો પાંચ-છ ઘરે કર્યો હોય તો ઘરે જમવાનું ટાળો અને ઘરે હળવું ભોજન લ્યો. - તેલનો પ્રચૂર ઉપયોગ થયો હોય તેવા ફરસાણ અને ઘી-તેલ અને માવાવાળી મિઠાઈને ખાવાનું ત્યજો. ગુણવત્તા વગરની મિઠાઇનો અતિરેક પેટ માટે હાનિકારકમોં મીઠું કરતી મિઠાઇનો અતિરેક પેટ માટે હાનિકારક મિઠાઈમાં વપરાતા કેમિકલયુકત કલરથી ગળાની, હોજરીની તકલીફ થઈ શકે છે. વધુ પડતી મિઠાઈ ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ વધી શકે છે. જોકે, મર્યાદામાં રહી મિઠાઈ ખાવાથી નુકસાન થતું નથી. બજારમાં મળતી કેટલીક હલકી ગુણવત્તાવાળી મિઠાઈમાં હાનિકારક કલર્સ વધુ હોય છે. જાગૃત પરિવારો મિઠાઈ ઘરે બનાવાનો આગ્રહ રાખે છે તેમાં પણ શુદ્ધતાની તો ખાસ તકેદારી રાખે છે. > ડો.સલોની ચૌહાણ, ડાયેટિશિયન
અલંગમાં ટનેજની દ્રષ્ટિએ મોટા જહાજ આવ્યા:શિપ રીસાયકલિંગમાં આ વર્ષે ટનેજમાં સુધારો
ભાવનગર જીલ્લાની આર્થિક જીવાદોરી સમાન અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે છેલ્લા 3 માસથી બિલ્લીપગે સળવળાટ નોંધાઇ રહ્યો છે, ગત દિવાળીની સરખામણીએ 1 લાખ મેટ્રિક ટન વજનનો વધારો ઓક્ટોબર માસમાં નોંધાયો છે. જાણકારોના મતે, શિપ રીસાયકલિંગ ઉદ્યોગ ધીમી છતા મક્કમ ગતિએ પુન: ગતિ મેળવી લેશે. શિપ રીસાયકલિંગ ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયેલો હતો, ગત વર્ષના ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ટનેજની દ્રષ્ટિએ પરિસ્થિતિ એકદમ નિરાશાજનક હતી, પરંતુ ઓણ સાલ જુલાઇ મહિનાથી પરિસ્થિતિમાં સુધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 3 માસ દરમિયાન અલંગમાં ટનેજની દ્રષ્ટિએ મોટા જહાજ આવવા લાગ્યા છે. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના ઉપ-પ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે, રાજ્ય અને કેન્દ્ર સરકારે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝને પુન: વેગવંતી બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે, અને તેના પરિણામ ઉદ્યોગને હવે સાંપડવા લાગશે. ક્રેડિટ નોટની સ્કીમ આંતરરાષ્ટ્રીય શિપ માલિકોને અલંગમાં પોતાના જહાજો ભાંગવા માટે મોકલવા પ્રોત્સાહિત કરે તેવી છે. યુધ્ધની સ્થિતિને કારણે પણ જહાજ નૂર દર સતત વધી રહ્યો હતો. પરંતુ હવે તેમાં પણ આંશિક રાહતના એંધાણ છે. ફક્ત આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરના સતત વધી રહેલા મુલ્યની બાબત સ્થાનિક ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય છે. જો કે, સ્થાનિક મેલ્ટિંગ સ્ક્રેપ બજારમાં પણ અગાઉની સરખામણીએ નરમાઇ જોવા મળી રહી છે. હરિફ દેશો જેવા કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હોંગકોંગ કન્વેન્શન (એચકેસી)ના અમલની બાબત અલંગની સરખામણીએ એકદમ ધીમી ગતિએ છે, અને પરિણામે આંતરરાષ્ટ્રીય જહાજ માલિકો એચકેસી પ્રમાણિત યાર્ડમાં જહાજ ભંગાણાર્થે મોકલવાને પ્રાધાન્ય આપે છે. આ પરિબળ પણ સુચવી રહ્યું છે કે આગામી સમય અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ માટે અગાઉની સરખામણીમાં સુધારાજનક રહેશે. સરકારી પ્રોજેક્ટના કામો પણ ચોમાસુ પૂર્ણ થતાની સાથે જ ગતિ પકડશે અને લોખંડના સળીયા, ચેનલ, પટ્ટી, પાટાની માંગ ખુલવા લાગશે, જેની સીધી અસર શિપ રીસાયકલિંગ ઉદ્યોગને પણ પડી શકે છે. મેલ્ટિંગ સ્ક્રેપની બજાર ચોમાસા દરમિયાન નરમ રહી હતી જે હવે દિવાળીના તહેવારો સંપન્ન થયા બાદ સુધારા તરફ આગળ ધપે તેવા એંધાણ સાંપડી રહ્યા છે. અલંગ : ગત થી ઓણ દિવાળી
ભાવનગર કોર્પોરેશન દ્વારા જુદી જુદી 104 જગ્યા પર સીધી ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ થઈ છે પરંતુ કોર્પોરેશનની બેદરકારીને કારણે ઓજસ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ તારીખ કરતા એક દિવસ મોડું ફોર્મ અપલોડ કરવામાં આવ્યું હતું. જેના કારણે ફોર્મ ભરવા માટે અરજદારોને તો એક દિવસ ઓછો જ મળ્યો છે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાંથી ફોર્મ ભરવા માટે ભાવનગર આવેલા અરજદારોને ધક્કા થયા હતા. એક દિવસ બાદ વેબસાઈટ પર ફોર્મ મૂકવામાં આવ્યું હતું. વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, ફાર્માસિસ્ટ, સ્ટેનોગ્રાફર, ટેકનિકલ આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને જુનિયર ક્લાર્ક સહિતની 104 જગ્યા માટે હાલમાં ફરતી પ્રક્રિયા શરૂ છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા માટે 18 ઓક્ટોબરને બપોરે 2 કલાકથી 8મી નવેમ્બર રાત્રિના 11:59 કલાક સુધીમાં ઓજસની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા જાહેરાત કરવામાં આવી હતી. મોટા ઉપાડે કોર્પોરેશનના મહેકમ વિભાગ દ્વારા 18 મી ઓક્ટોબરથી ઓનલાઇન અરજી કરવાની જાહેરાત તો કરી પરંતુ 18 મી ઓક્ટોબરએ ઓજસ વેબસાઈટ પર કોર્પોરેશનની ભરતી બાબતના ફોર્મ જ અપલોડ કર્યા ન હતા. 18મીએ ભરતીની જાહેરાત ફોક નીવડી હતી. ઓજસ વેબસાઇટ પર કોર્પોરેશનની ભરતીના ફોર્મ જ નહીં હોવાથી યુવાનો વિલા મોઢે ધક્કા ખાઈ પાછા ફર્યા હતા. ફોર્મ માટે પૂરા 21 દિવસ થતા નથી, 1 દિવસ ઓછોભાવનગર કોર્પોરેશનની ભરતીમાં તા.18/10/25 થી તા. 8/11/25 નો સમયગાળો ફોર્મ ભરવા માટે આપ્યો છે. એટલે કે અરજદારોને 21 દિવસનો ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો છે. પરંતુ 18મી ઓક્ટોબર ના રોજ ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે સુવિધા ઉપલબ્ધ ન હતી. જે એક દિવસ બાદ વેબસાઈટ પર ફોર્મ મુકવામાં આવ્યું હતું. જેથી અરજદારોને ચોખ્ખા 21 દિવસ ફોર્મ ભરવા માટે મળશે નહીં.
ભાવનગરમાં રાજ્યના રાષ્ટ્રીય કક્ષાના મોટા નેતાઓ આવે તે ભાવનગર માટે ગૌરવપ્રદ બાબત છે. પરંતુ ભાવનગરના નગરજનોને પણ મોટા નેતાઓ પાસે ઘણી અપેક્ષાઓ હોય છે જે સહજ બાબત છે. પરંતુ ભાવનગરમાં તાજેતરમાં આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરના લોકોએ સારી આગતા સ્વાગતા કરી અને કોર્પોરેશન દ્વારા પણ ડેકોરેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પાછળ 32.53 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ ભાવનગરના લોકોને જાહેરાતોના નામે ઠેંગો જ મળ્યો હતો. ભાવનગર ખાતે તાજેતરમાં 20મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો અને જવાહર મેદાન ખાતે લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરીની કલાકો માટે યોજાતા કાર્યક્રમમાં તંત્ર તો ઉંધા માથે થાય જ છે પરંતુ પ્રજાના નાણા પણ બેફામ રીતે વપરાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરમાં ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જવાહર મેદાન ખાતે તો અન્ય વિભાગોએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ રોડ શો દરમિયાન ભાવનગર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ કોર્ડન, મંડપ સર્વિસ અને ડેકોરેશનને લગતી કામગીરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો કુલ રૂપિયા 32,53,340નો ખર્ચ થયો હતો. જે તાજેતરમાં મળેલી સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં વિભાગીય અધિકારી દ્વારા જણાવાયું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર શહેરમાં સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2023 માં આવ્યા હતા. જે દરમિયાન કોર્પોરેશન દ્વારા સ્ટેજ ડેકોરેશન, પાર્ટીશન અને મંડપ સર્વિસને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેનો કુલ ખર્ચ 5,99,084 થયો હતો. આમ મોટા નેતાઓ ભાવનગરમાં આવે ત્યારે પ્રજાના લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તે નિરર્થક સાબિત થાય છે.
દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત રાજયમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી તો, રાત્રે ઠંડીનો સહેજ ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજયમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે તે પહેલાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની બે સિસ્મટ સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજયના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી
શહેર રોશનીથી ઝગમગ્યું:વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષે નિહાળો સર્કલોનો ઝળહળતો શણગાર
તા.22 ઓક્ટોબરને બુધવારે વિક્રમ સંવત 2082ના નવા વર્ષનો આરંભ થશે ત્યારે ભાવેણાવાસીઓ આ નવા વર્ષના આરંભના દિવસને શુભ સંકલ્પનો દિવસ તરીકે ઉજવશે.આ વર્ષે સર્કલોના નવીનીકરણ સાથે શહેરને નવોઢાની જેમ ઝળળહતી રોશનીથી શણગારાયું છે. કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. જ્યાં શહેરના મુખ્ય 6 રસ્તાનું મિલન થાય છે તે ઘોઘા સર્કલને મધ્યમાં રાખીને શહેરના શણગાર આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
સીઝફાયરના પ્રયાસોને ઝટકો: ટ્રમ્પ અને પુતિનની બેઠક રદ, કહ્યું- હું સમય વેડફવા નથી માંગતો
Donald Trump Cancels Meeting with Putin : ગાઝામાં સીઝફાયર બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે પણ શાંતિ સ્થપાય તેને લઈને માંગ વધી રહી છે. જોકે આ મામલે અમેરિકાના પ્રમુખના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે સીઝફાયર મુદ્દે બીજી બેઠક થવાની હતી, જે હવે મોકૂફ રખાઇ છે. પુતિન સાથે બેઠક કરવી સમય વેડફવા નથી માંગતો: ટ્રમ્પ રશિયાએ યુક્રેન સાથે તાત્કાલિક સીઝફાયરની માંગ ઠુકરાવી છે.
કચ્છ જિલ્લાના કરોડો વર્ષ જૂના અનોખા ભૂવૈજ્ઞાનિક વારસાને વૈશ્વિક માન્યતા આપવા માટે ભારત સરકારે મહત્વની પગલાં ભર્યાં છે. પેરિસમાં યોજાયેલી યુનેસ્કોની 222મી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઈ)ના માધ્યમથી કચ્છ જીઓપાર્ક માટેની નામાંકન પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ પગલાથી કચ્છને ભારતનું પ્રથમ યુનેસ્કો વૈશ્વિક જીઓપાર્ક તરીકે માન્યતા મળવાની આશા જગાડી છે, જે રણની આ ધરતીને વૈજ્ઞાનિક અભ્યાસ, પર્યટન અને સંરક્ષણનું કેન્દ્ર બનાવશે. આ બેઠક પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે 1 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) ના માધ્યમથી ભારત કચ્છ જીઓપાર્ક માટેની નામાંકન પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. આ જાહેરાત કચ્છના ભૂ-વારસાને વિશ્વ ફલક પર લાવવાના ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. ભારત સરકારે કચ્છની સાથે મહારાષ્ટ્રના લોનાર અને છત્તીસગઢના બસ્તર જેવા મુખ્ય સ્થળોને યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક તરીકે નામાંકિત કરવાની પ્રક્રિયામાં અગ્રેસર છે તેવું જણાવ્યું હતું. કચ્છના જીઓપાર્કની માન્યતાથી આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસીઓનું આકર્ષણ બનાવવામાં મદદ મળશે, જે ધોળાવીરા જેવા પુરાતત્વીય સ્થળો સાથે જોડાઈને એક અનોખું જીઓટુરિઝમ હબ બનાવશે. ભૂવારસા બિલને આગળ વધારવા અને એશિયા-પેસિફિક જીઓપાર્ક્સ નેટવર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત કરવા પર ભાર મૂકાયો છે. આગામી વર્ષોમાં કચ્છની નામાંકન પ્રક્રિયા વધુ વેગ પકડશે, જે ભારતને ભૂવૈજ્ઞાનિક વારસા સંરક્ષણમાં વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરશે. હાલ દુનિયામાં 229 યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્કકચ્છ, લોનાર અને બસ્તરના જીઓપાર્ક માટે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલો પ્રયાસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો આમાંથી કોઈ સ્થળને માન્યતા મળે છે, તો તે ભારતનો પ્રથમ યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક બનશે. હાલમાં ભારતમાં એક પણ યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક નથી. વિશ્વમાં હાલમાં 229 યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક છે, જે 50 દેશોમાં ફેલાયેલા છે. ક્રિટેસિયસથી જુરાસિક યુગ સુધીનો કચ્છમાં ઇતિહાસકચ્છની ભૂસંપદા મુખ્યત્વે તેના અશ્મિઓ, પર્વતમાળાઓ અને વિશિષ્ટ ખડક રચનાઓ માં સમાયેલી છે. કરોડો વર્ષ જૂના દરિયાઈ અશ્મિઓ છે. જુરાસિક યુગ (લગભગ 145 થી 20 કરોડ વર્ષ જૂનો) અને ક્રિટેસિયસ યુગના દરિયાઈ અશ્મિઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ઉત્તર-પશ્ચિમ કચ્છના અમુક મેદાની વિસ્તારોમાંથી ડાયનોસોરિયન અશ્મિભૂત સ્થળો પણ મળી આવ્યા છે, જે ભારતીય ઉપખંડના ભૂસ્તરીય ઉત્ક્રાંતિને સમજવામાં મદદરૂપ થાય છે. કચ્છમાં બેસાલ્ટ ખડકો મળી આવે છે, જે લાખો વર્ષો પહેલા થયેલી ડેક્કન ટ્રૅપની જ્વાળામુખીય પ્રવૃત્તિઓનો પુરાવો છે.
સુરત માટે ગર્વની વાત:આખ્સાહ પરમારના પર્ફોર્મન્સ સાથે ગુજરાતની ટીમ ફાઇનલમાં ટ્રોફી જીતી
ગુજરાત ક્રિકેટ એસોસિઓએશન તથા રિલાયન્સના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંડર 19 વુમેન્સ “રિલાયન્સ G1 “ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડા અને બંગાળની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં બધી લીગ મેચ જીતી ફાઇનલ મેચ પણ બંગાળની સામે જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી. સુરત માટે ગર્વની વાત એ છે કે ગુજરાતની ટીમનું પ્રતિનિધત્વ સુરતની આખ્સાહ પરમાર કર્યું હતું. ફાઇનલ મેચમાં તેઓએ 30 બોલમાં 8 ચોકા અને એક સિક્સની મદદ થી 46 રન કર્યા હતા. બોલિંગમાં 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ લીધી હતી. એમના આ ઓલ રાઉન્ડ પર્ફોમેન્સ બદલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળ્યો હતો. આખ્સાહ પરમારે 6 વર્ષની ઉંમરે લુર્ડસ કોન્વેન્ટ હાઇસ્કુલમાં હોકી રમવાનું શરુ કર્યું હતું. બે રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટ તથા ખેલ મહાકુંભમાં હોકી રમતમાં શાનદાર પ્રદર્શન કરી 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) અંડર-19 પ્રોબેબલ પ્લેયર તરીકે પસંદગી પામી હતી. ત્યારથી એની મેહનત રંગ લાવી રહી છે અને તે શહેરની સહિત રાજ્યનું નામ રોશન કરી રહી છે.
ચોપડા પૂજન:અડાજણ BAPS મંદિર ખાતે દીપોત્સવ 10 હજારથી વધુ ભકતોએ ચોપડા પૂજન કર્યું
અડાજણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી નિમિત્તે દીપોત્સવ પર્વની ઉજવણી કરાઇ હતી. પૂજનનું આયોજન થયું હતુ. જેમાં 10 હજારથી વધુ ભક્તોએ આ પ્રસંગે પોતાના હિસાબના ચોપડા તથા ઈલેક્ટ્રોનિકસ ગેજેટ્સ લેપટોપ, સ્માર્ટફોન તથા બીજા અન્ય ગેજેટ્સનું વૈદિક મહાપૂજા દ્વારા સંતોના હસ્તે પૂજન કરાવ્યું હતું. આ પ્રસંગે નારાયણ મુનીસ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન કરેલા કાર્યનું સરવૈયુ કાઢવાનો દિવસ. દિવાળી એટલે અંતદ્રષ્ટિનું પર્વ. વેપારી જેમ પ્રતિદિન હિસાબનો ચોપડો તપાસતાં રહે છે તેમ આપણે પણ અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો ચોપડો તપાસતા રહેવુ જોઈએ. મોક્ષ પામવા આ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે .
RRB-NTPC:સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક આસિસ્ટન્ટની ભરતી
રેલવે ભરતી બોર્ડ દ્વારા NTPC ગ્રેજ્યુએટ લેવલ પદો માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જે ભરતીમાં 5810 પદો ભરવામાં આવશે. જેમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક અસિસ્ટન્ટ, ચીફ કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઈઝર, સિનિયર ક્લાર્ક અને ટાઇપિસ્ટ, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ અને ટાઇપિસ્ટ મુખ્ય પદો છે. અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ છે અને 20 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ www.rrbapply.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફોર્મ સબમિટ કર્યા પછી 22 નવેમ્બર સુધી ફી ચુકવણી કરી શકાય છે. અરજી માટે યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવી આવશ્યક છે. ઉંમર મર્યાદા 18–33 વર્ષ છે, જ્યારે આરક્ષિત વર્ગને નિયમ અનુસાર છૂટ મળશે. ઉમેદવારોની પસંદગી માટે CBT-1, CBT-2, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ યોજાશે. નોકરી માટે ઉમેદવારો આ રીતે અરજી કરી શકાશે
સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ:પાંડેસરામાં સાવકા પિતાએ સગીર દીકરી પર બળાત્કાર કરતા ધરપકડ
એક વર્ષ પહેલા માતાના ઘરે રહેવા માટે આવેલી 14 વર્ષની સગીરા પર સાવકા પિતાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યોની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે. આ દિવાળીમાં સગીરાએ માતના ઘરે જવાનો ઇન્કાર કરી સગીરાએ માસીને સઘળી હકિકત જણાવી હતી. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં બિહારી પરિવાર રહે છે. માતા એ બીજા લગ્ન કર્યા હોવાથી 14 વર્ષની દિકરી વડોદરા માસી સાથે રહે છે. જ્યારે તેણીના બે ભાઇઓ વતન બિહારમાં રહે છે. ગત વર્ષે દિવાળીનો તહેવાર હોવાથી 14 વર્ષની સગીરા તા.29-10-2024થી 9-1-2024 દરમિયાન સુરત પાંડેસરા વિસ્તારમાં માતાના ઘરે રહેવા માટે આવી હતી. દરમિયાનમાં સાવકા પિતાની તેની પર દાનત બગડી હતી. જ્યારે માતા મજુરી કામ માટે બહાર જતી હતી. આ દરમિયાનમાં પિતાએ સગીર દિકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને કહશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે પિતાએ સગીરા પર 10થી 15 વખત બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાથી સગીરા ગભરાઇ ગઇ હતી. જોકે, બાદમાં તે માસીના ઘરે પરત ગઇ હતી. દિવાળીનો તહેવાર આવતો હોવાથી માતાએ સગીર દિકરીને પોતાના ઘરે બોલાવી હતી. દીકરીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે માસીએ પ્રેમથી સગીરાને પુછતા તેણીએ પિતા દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર અંગે માસીને વાત કરી હતી. જ્યારે માસીએ તેની બહેન એવી સગીરાની માતાને જાણ કરતી તેમણે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી છે.
લૂંટ:આંજણામાં રિક્ષા ચાલક પર ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલની લૂંટ
આંજણા ફાર્મ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકના ઘરમાં રાત્રે ચપ્પુ લઇને ઘુસી આવેલા બે લૂંટારૂ જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઇલ ફોનની લૂંટ કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે ગણતરીના કલાકમાં જ બે લૂંટારૂને પકડી પાડ્યા છે. આંજણા ફાર્મ જય નારાયણ ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ત્રિકમભાઇના મકાનમાં ભાડે રહેતા મુકેશભાઈ જેરામભાઈ અઘેરા કડવા પટેલ છેલ્લા દસ વર્ષથી એકલા રહે છે અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. સોમવારે આખો દિવસ રીક્ષા ચલાવીના રાત્રે નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે આવ્યા હતા. અને જમી પરવારીને સુઇ ગયા હતા. દરમિયાનમાં રાત્રે બે વાગ્યાના અરસામાં બાજુના રૂમનો દરવાજો કોઈ જોરથી ખખડાવતા અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા અને પોતાની રૂમનો દરવાજો ખોલતા જ બે શખ્સો દરવાજો જોરથી ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો અને ચપ્પુ બતાવી ધમકી આપી આપી કે બૂમો પાડશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોબાઇલ લૂંટી જતા જતા ઈસમોએ પોલીસ પાસે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ એવી ફરી ધમકી આપતા ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફેટેજના આધારે તપાસ શરૂ કરી લૂંટારૂ સલીમ ઉર્ફે લુખ્ખા ગુલામ દસ્તગીર શેખ (ઉ.વ.- 24,રહે. આંબેડકર નગર,લીંબાયત) અનેઇસ્તીયાઝ એહમદ ઉર્ફે બહુવા અબ્દુલ હમીદ અંસારી (ઉ.વ- 29,રહેફાયર બ્રિગેડની પાછળ, માનદરવાજા સલાબતપુરા)ને ઝડપી પાડ્યા હતા
હુમલો:બર્થડે પાર્ટીમાં નહીં બોલાવતા નારાજ મિત્રનો ચપ્પુ વડે હુમલો
પાંડેસરામાં મિત્ર બર્થડે પાર્ટીમાં નહીં બોલાવતા થયેલા ઝઘડાની અદાવતમાં મિત્રએ પોતાના સાગરીતો સાથે મળીને યુવક પર ચપ્પુના ઘા મારી હત્યાના પ્રયાસ કર્યોનો બનાવ બન્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા બમરોલી રોડ સ્થિત સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંશુ રામશંકર કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. તા.18મી ઓક્ટોબરના રોજ પ્રિયાંશુનો જન્મદિવસ હતો. જેથી તેણે મિત્રને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં તે મિત્ર હર્ષને આમંત્રણ આપવાનું ભુલી ગયો હતો. જેથી હર્ષે મને કેમ ન બોલાવ્યો એમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ને તા.19 ઓક્ટોબરના રોજ હર્ષે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પ્રિયાંશુને ફોન કરીને બાલાજી નગરથી મણીનગર તરફ જતા રોડની ડાબી બાજુ આવેલા શૃગાલ રેસીડેન્સી પાછળના ખુલ્લા મેદાનમાં બોલાવ્યો હતો. જેથી પ્રિયાંશુ તેને મળવા ગયા હતો. જ્યાં તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. દરમિયાનમાં હર્ષનો ભાઇ કિશન તેના મિત્ર ક્રિષ્ણા સાથે ત્યાં પહોંચી ગયો હતો. કિશને પણ પ્રિયાંશુ સાથે ઝઘડો કરીને તેના મિત્ર ક્રિષ્ણા પાસેનું ચપ્પુ લઇને પ્રિયાંશુના કમર અને પીઠના ભાગે ઘા મારીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રિયાંશુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે. જ્યારે હર્ષના પિતાએ પ્રિયાંશુ, બચી યાદવ અને નીતિન વિરૂદ્ધ મારા મારીની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, જે સ્થળે ઘટના બની છે ત્યાં સ્થાનિક ટપોરીઓની અવરજવર વધુ છે અને આ બાબતે સ્થાનિકોમાં ભારે કચવાટ છે. પોલીસ આ સ્થળે પેટ્રોલિંગ વધારે તો ગુનો થતાં પહેલા જ પોલીસ તેને ટાળી પણ શકે છે.
પ્રવાસીઓનો ધસારો:દિવાળી વેકેશનમાં કચ્છ તરફ પ્રવાસીઓનો ધસારો : રિસોર્ટ, ટેન્ટ સિટીમાં બુકિંગ શરૂ
દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ સરહદી જિલ્લા કચ્છના પ્રવાસન અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો મહેરામણ ઉમટશે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની થીમ સાથે પ્રખ્યાત બનેલો આ જિલ્લો દિવાળી વેકેશન માટે પ્રવાસીઓનું ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બની ગયો છે. સફેદ રણનો વિશિષ્ટ નજારો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાંતિનો અનુભવ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ વખતે રણોત્સવનો પ્રારંભ પણ દિવાળીના સમયગાળામાં જ થતો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થવાની સંભાવના છે. ધોરડો ખાતે આવેલ સફેદ રણ અદ્ભુત માહોલ સર્જે છે. લોકો શહેરના ઘોંઘાટથી દૂર, રણની શાંતિ અને સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ઉત્સુક છે. રણોત્સવની ટેન્ટ સિટી અને વિવિધ રિસોર્ટ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. રણોત્સવ ઉપરાંત, કચ્છના યાત્રાધામો જેવા કે માતાનો મઢ, નારાયણ સરોવર, અને કોટેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળશે. આ મંદિરોનો પૌરાણિક ઇતિહાસ અને દરિયાકિનારાની નિકટતા વિશેષ આકર્ષણ ઊભું કરે છે. માત્ર સફેદ રણ જ નહીં, પણ જિલ્લાના ઐતિહાસિક સ્થળો જેવા કે ભુજમાં આવેલ આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્મૃતિવન, તેમજ ધોળાવીરાના હડપ્પન સંસ્કૃતિના સ્થળની મુલાકાત લેવા પણ ઉત્સુક હોય છે. કાળો ડુંગરનો નયનરમ્ય સૂર્યોદય-સૂર્યાસ્ત અને માંડવીના રમણીય બીચ પણ આ વેકેશનમાં પ્રવાસીઓથી છલકાઈ જશે. રોડ ટુ હેવન પણ બન્યુ આકર્ષણનું કેન્દ્ર : હાલ પાણી ભરાયેલા હોવાથી અનોખો નજારોદિવાળી વેકેશનમાં કચ્છના સફેદ રણનું એક વિશેષ આકર્ષણ છે ‘રોડ ટુ હેવન’. સફેદ રણ તરફ જતો આ માર્ગ પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. જ્યારે દૂર દૂર સુધી માત્ર સફેદ ચાદર જેવું મીઠું પથરાયેલું હોય અને ક્ષિતિજ સુધી વિસ્તરતો રસ્તો દેખાય છે, ત્યારે તે દ્રશ્ય સ્વર્ગ તરફ જતો હોય તેવો અહેસાસ કરાવે છે. વહેલી સવારે સૂર્યોદય સમયે કે રાત્રે પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં, આ રસ્તો ફોટોગ્રાફી માટે સ્વર્ગ સમાન છે. આ અદ્ભુત કુદરતી નજારાનો અનુભવ કરવા માટે ખાસ કરીને યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે હાલ અહીં બેથી ત્રણ ફુટ પાણી ભરાયેલા છે.
કરંટ લાગ્યો:ઉન પાટિયા નજીક ટેમ્પોમાંથી કરંટ લાગતાં યુવકનું મોત થયું
ઉન પાટીયા નજીક આઈસ્ક્રીમના ટેમ્પોમાંથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉન પાટીયા અલીફ નગર ખાતે રહેતા 22 વર્ષીય શંકર પ્રજાપતી આઈસ્ક્રીમના ટેમ્પોમાં નોકરી કરતા હતા. સોમવારે રાત્રે જમ્યા બાદ ફટાકડા ફોડ્યા પછી તેઓ ટેમ્પો નજીક ગયા હતા. ત્યારે ટેમ્પોમાંથી કોઈક રીતે કરંટ લાગતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.
ગોઝારો અકસ્માત સર્જાયો:પાંડેસરામાં કાર ચાલકે અડફેટમાં લેતા બાઈક સવારે યુવકનું મોત
પાંડેસરામાં બાઈક સવાર યુવકને ઘર નજીક ફોરવ્હીલ ચાલકે અડફેટમાં લઈ લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પાંડેસરા વિનાયક નગર ખાતે રહેતા 28 વર્ષીય આકાશ ઉલ્લાસ હિંગે ગેરજનું કામ કરતો હતો. સોમવારે રાત્રે ઘર પાસે બાઈક લઈ પસાર થતો હતો. ત્યારે અજાણ્ય ફોરવ્હીલ ચાલકે તેને અડફેટમાં લઈ લીધો હતો અને ભાગી છુટ્યો હતો . ગંભીર રીતે ઘવાયેલા આકાશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી:શેરીઓ ગાજી ને આભ ઝળહળ્યું
સોમવારે રાત્રે શહેરભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળી હતી. અઠવાલાઈન્સ, પીપલોદ, વેસુ-VIP રોડ, RTO, પાલ-ગૌરવ પથ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર સુરતીઓએ મન મૂકીને ફટાકડા ફોડવાની મજા માણી હતી. રાત્રે દસેક વાગ્યાના અરસામાં શરૂ થયેલી આ ઉજવણી મધરાતે 2-3 વાગ્યા સુધી ચાલી હતી. એકતરફ શહેરભરમાં રોશનીનો ઝગમગાટ અને બીજી તરફ ગગનભેદી ફટાકડા અને આતશબાજીની ધણધણાટી વચ્ચે દિવાળીનો માહોલ જામ્યો હતો. 27 ફોટો સેન્ડવીચ કરીને બનાવી આતશબાજીની તસવીરદિવ્ય ભાસ્કરે દિવાળીની આ સતરંગી ઉજવણીને ડ્રોન કેમેરામાં કંડારી હતી. ટેકનિકલ ભાષામાં કહીએ તો, કેમેરાને એક સ્થાને સ્થિર રાખી શટર સ્પીડ ધીમી કરીને કુલ 27 ફોટો ક્લિક કર્યા હતા. એક જ એન્ગલના આ તમામ ફોટોગ્રાફ્સને સેન્ડવીચ કરીને આતશબાજીની આ તસવીર બનાવાઈ હતી.
કોઝવેને શનિવારથી ખુલ્લો મૂકવાની સંભાવના:કોઝવેની સપાટી ભયજનક 6 મીટરથી 5.72 મીટર થતાં શનિવારથી ખોલાશે
તાપી નદી પર રાંદેર અને કતારગામને જોડતા વિયર કમ કોઝવેની જળ સપાટી મંગળવારે 5.72 મીટર નોંધાતા પાલિકાએ કૉઝવે પર વાહન વ્યવહાર શરૂ કરવા સફાઇ અને ગ્રીલ બાંધવા સહિતની મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરી હતી. કોઝવેને શનિવારથી ખુલ્લો મૂકવાની સંભાવના છે. રાંદેર અને સિંગણપોર વચ્ચે 1995માં નિર્માણ કરાયેલાં વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતાં તકેદારીના ધોરણે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. વાહન વ્યવહારને ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી બ્રિજ તરફ વાળવામાં આવ્યો હતો. જો કે, મંગળવારે કોઝવેની સપાટી 5.72 નોંધાતા રોડની સફાઇ અને ગ્રીલ બાંધવાની તૈયારીઓ શરૂ કરી હતી. સંભવતઃ શનિવારથી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાશે. 25થી 28 ઝાપટાં પડી શકે, ઠંડી માટે રાહ જોવી પડશેશહેરમાં શનિવારથી મંગળવાર સુધી ઝાપટાંની શક્યતા છે. જ્યારે આગામી બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. ઠંડી માટે શહેરીજનોએ રાહ જોવી પડશે. નવેમ્બરમાં પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ઠંડીની અસર શરૂ થશે. હવામાન વિભાગ અનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું.
કચરાનો નિકાલ:રોજના 3000 ટન સામે દિવાળીમાં 3400 ટન કચરો નીકળ્યો
દિવાળીમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર રાતથી જ કામગીરીમાં જોતરાયું હતું. દિવાળી આવતાં જ લોકો ઘરોની અને પરિસરની સફાઈ કરતા હોય છે તેમજ દિવાળીની રાત્રે રસ્તાઓ પર ફટાકડા ફોડી ઉજવણી કરાતી હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં કચરો નીકળતો હોય છે. શહેરમાંથી સામાન્ય દિવસોમાં રોજ સરેરાશ 3000 ટન કચરો નીકળે છે, પરંતુ હાલમાં દિવાળીમાં રોજ 350થી 375 ટન વધારાનો કચરો નીકળી રહ્યો છે. પાલિકાએ કુલ 9 લોડર, 16 ટ્રક, 110 ડોર-ટુ-ડોર કચરા ગાડી, 155 ઈ-વ્હીકલ તથા 1,650 સફાઈ કામદારોને ફરજ પર મુક્યા હતા.
ખખડધજ રસ્તો:માધાપર ભુજને જોડતા માર્ગની હાલત ખખડધજ
માધાપર અને સાથે ભુજ મુખ્યમથકને મોટાભાગના વિસ્તારથી જોડતા માધાપર ગાંધીસર્કલથી વીરાંગના સર્કલ સ્મૃતિવન સુધી રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે, પ્રવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. પ્રવાસનની સીઝન શરુ થઇ છે. બીજીતરફ રસ્તાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે, આ માર્ગે દૈનિક હજારો વાહનો પરિવહન કરે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને માધાપરના લોકો જયારે ભજ તરફ જાય છે ત્યારે સતત ખાડાઓ અને બિસમાર હાલતમાં રહેલા રસ્તાના કારણે અકસ્માતોનો મોટો ભય પણ સર્જાઈ રહ્યો છે. ગટરલાઇન, માર્ગ ખોદકામ સહિત કેટલાય પરિબળોના કારણે આ રસ્તાની હાલત અત્યંત બગડી ગઈ છે. ખરાબ રસ્તાના કારણે અહીં ધૂળ પણ ખૂબ ઉડી રહી છે. જેથી આસપાસના દુકાનધારકો અને ધંધાર્થીઓ પણ નાકે દમ આવી ગયો છે, એશિયાના સૌથી ધનિક ગામ માધાપરની આ હાલતથી જાણકારો પણ આશ્ચર્ય પામી રહ્યા છે. સત્વરે નવવર્ષમાં લોકોને આ જૂની સમસ્યાથી છૂટકારો મળે તો સમસ્યાનો અંત આવે તેમ છે તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, દ્વિચક્રી વાહનચાલકોને પેટ, માથું અને કમરની તફલીફ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
લોકો રોષે ભરાયા:કતારગામમાં સોસાયટીના રહીશો દબાણો દૂર કરવા રસ્તા પર ઉતર્યા
કતારગામમાં બાળા શ્રમથી હેલ્થ સેન્ટર તરફ જતા માર્ગ પર સમોસા ટેમ્પો, આઇસ્ક્રીમ ટેમ્પો, દાણાચણાના લારી-પાથરણા લગાવી રસ્તા પર દબાણો કર્યા હોવાથી તહેવારો કે પિક- અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી હતી. મકનજી પાર્કના રહીશોએ પાલિકામાં ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાનો સ્થાનિકા આક્ષેપ છે. ત્યારે સોમવારે સાંજે રહીશોએ જાતે જ રસ્તા પર ઉતરી દબાણો સામે વિરોધ કર્યો હતો. જેમાં ટેમ્પોવાળા સાથે માથાકૂટ પણ થઈ હતી. મામલો ઉગ્ર બનતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ પૈકી ટેમ્પોવાળો ભાજપનો પેજ પ્રમુખ છે અને ઉપર સુધી વગ ધરાવે છે તેવું કહેતાં પોલીસ વિચારતી થઈ ગઈ હતી. જો કે, લોકોના ભારે રોષને પગલે આખરે તેણે ટેમ્પો જાતે જ દૂર કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, જો મહાપાલિકા ભવિષ્યમાં યોગ્ય પગલાં નહીં લે તો આ પ્રકારની કામગીરી રહેવાસીઓએ ફરી હાથમાં લેવી પડશે.
દિવાળીના વેકેશન દરમિયાન સરથાણા નેચરપાર્કમાં ધસારો સતત વધી રહ્યો છે. 16 ઓક્ટોબરથી સ્કૂલોમાં વેકેશન શરૂ થતાં પાર્કમાં બાળકો, પરિવારજનો અને કુદરતપ્રેમીઓનો ધસારો નોંધાઈ રહ્યો છે. 16 ઓક્ટોબરે 672 મુલાકાતી નોંધાયા હતા, જ્યારે 17 ઓક્ટોબરે 778 અને 18 ઓક્ટોબરે 988 લોકો આવ્યા હતા. દિવાળી પર 19 ઓક્ટોબરે આ સંખ્યા 2,452 થઈ ગઈ હતી અને 20 ઓક્ટોબરે રેકોર્ડબ્રેક 6,299 મુલાકાતી નોંધાયા હતા. આ વધતા મુલાકાતીઓના પ્રવાહ સાથે સરથાણા નેચરપાર્કને પણ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મનપાને 16 ઓક્ટોબરે ₹રૂા. 18,700, 17મીએ ₹રૂા. 21,470, 18મીએ ₹રૂા. 27,360, 19મીએ રૂા. ₹71,020 અને 20મીએ ₹રૂા. 1,81,370ની આવક થઈ હતી. આમ, માત્ર પાંચ દિવસમાં સુરત મહાનગરપાલિકાને સરથાણા નેચરપાર્કમાંથી કુલ ₹3,19,920ની આવક થઈ છે. જાહેર રજામાં નેચરપાર્કમાં હજી ભીડ વધશે. પ્રાણીઓ, તળાવ, ગાર્ડન, નેચર ટ્રેઈલનું આકર્ષણનેચરપાર્કમાં ઝૂ, તળાવ, ગાર્ડન અને નેચર ટ્રેઈલ જેવી આકર્ષક સુવિધાઓ હોવાથી પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ સ્થળ લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે. પાલિકાએ પણ વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓમાં જરૂરી સુધારા કર્યા છે, જેથી દિવાળી વેકેશનમાં નેચરપાર્કમાં આવનાર મુલાકાતીઓને સુખદ અનુભવ મળી શકે.
દિવાળી પર ચલાવવામાં આવેલી વધારાની બસોથી એસટી વિભાગને ₹ 2.6 કરોડથી વધુની આવક થઈ હતી. સુરતથી વિવિધ જિલ્લાઓમાં 1259 એસટી બસોની ટ્રિપમાં 67 હજારથી વધુ મુસાફરોએ યાત્રા કરી હતી. સુરત વિભાગમાંથી અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, દાહોદ, ઝાલોડા અને ઉના જેવા વિસ્તારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત અને સમયસર પરિવહન સુનિશ્ચિત કર્યું હતું સાથે તંત્રની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. રાજ્યના ઘણા જિલ્લાઓ માટે બસો દોડાવાઈ| GSRTC એ 16 ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને દાહોદના રૂટ પર વધારાની બસો ચલાવી હતી. 16થી 20 ઓક્ટોબર સુધી 362થી વધુ વધારાની બસ દોડી હતી. ટિકિટ બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ટ્રેકિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો, હજુ બે દિવસ સુધી વધારાની બસો દોડાવાશેમંગળવાર સુધીમાં 750 વધારાની બસ દોડાવાઈ હતી, જેમાં 67 હજારથી વધુ મુસાફરો હતા. નિગમે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ કર્મચારીઓ તૈનાત કર્યા છે અને બસોને ટ્રેક કરવા માટે કંટ્રોલ રૂમ સક્રિય કર્યો છે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે આગામી બે દિવસ માટે વધુ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત બસ ડેપો અને અડાજણ, ઉધના અને વરાછા જેવા બસ સ્ટેન્ડ પર સવારથી મોડી રાત સુધી મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી.
અકસ્માતના બનાવોમાં વધારો:દિવાળીના દિવસે કચ્છમાં અકસ્માતના બનાવોમાં 98.11 % નો વધારો
દિવાળીના પ્રકાશ પર્વની રાત્રિ કચ્છ સહિત સમગ્ર રાજ્ય માટે આકસ્મિક ઘટનાઓથી ભરેલી રહી. ફટાકડાની ભારે આતશબાજીના કારણે આગ લાગવાના, દાઝી જવાના અને અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા હતા. કચ્છમાં સામાન્ય દિવસોમાં 108 એમ્બ્યુલન્સને 18 જેટલા કોલ આવે છે, જો કે દિવાળીના દિવસે આ અકસ્માતની સંખ્યા વધીને 35 પર પહોચી ગઈ હતી. આ સંખ્યાને ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં એક જ દિવસમાં અકસ્માતના બનાવોમાં 98.11 % નો વધારો નોંધાયો હતો. સાથે જ આગથી દાજી જવાના કેસો પણ નોંધાયા હતા. મહત્ત્વનું છે કે, તહેવારના દિવસોમાં અકસ્માતોના બનાવોમાં વધારો થાય છે, જેને પગલે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહી છે.
અકસ્માત:તરઘડી પાસે પુત્ર સાથે જતા પ્રૌઢાનું બાઈક પરથી પટકાતાં મૃત્યુ
દિવાળીનું હટાણું કરવા પુત્રના બાઈક પર બેસી પડધરી ગામે જતી વખતે બાઈક પરથી પટકાતાં માતાનું મૃત્યુ થયું હતું. જેમાં શાંતાબેન ડામોરે રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. પડધરી તાલુકાના તરઘડીમાં ગોકુલપુર ગામે રહેતા શાંતાબેન ગોવિંદભાઈ ડામોર(ઉં.વ.42) ગત તા.19ના રોજ પુત્ર સંતોષકુમારના બાઈક પાછળ બેસી દિવાળીના પર્વ નિમિત્તે ખરીદી કરવા પડધરી જઈ રહ્યા હતા. તરઘડી ગામ પાસે હતા ત્યારે અચાનક બાઈકમાંથી પડી જતા માથે અને શરીરે ઇજા થતાં પ્રથમ એઈમ્સ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગમાં દાખલ હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન સાંજે પાંચેક વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું. શાંતાબેન મૂળ દાહોદના વતની હતા. અહીં પરિવાર સાથે તેઓ રહેતા હતા તેમના પતિ કારખાનામાં નોકરી કરે છે. જ્યારે તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
જીવલેણ હુમલો:ફટાકડા ફોડવા બાબતે ટપારવા ગયેલા સગા ભાઈ અને પિતા પર છરીથી હુમલો
દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે અનેક સ્થળે બઘડાટી બોલ્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ જલજીત સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે યુવાને સગા ભાઈ અને પિતાને છરીના ઘા ઝીંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. યુવાન ફટાકડા ફોડી પાડોશીના ઘર તરફ ફેંકતો હોવાથી ભાઈ અને પિતાએ ઠપકો આપતાં યુવાને છરી વડે હુમલો કરી ‘આજે તો તમને પતાવી જ દેવા છે’ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જલજીત સોસાયટી શેરી નં.6માં રહેતાં કૃણાલ રાજેશભાઈ મશરૂ(ઉ.વ.21) નામના યુવાને માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા ભાઈ ભાવેશ ઉર્ફે કાનો મશરૂનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દિવાળીની રાતે સાડા દશેક વાગ્યાના અરસામાં તેનો ભાઈ ભાવેશ ઉર્ફે કાનો ઘર બહાર શેરીમાં ફટાકડા ફોડતો હતો. તે ફટાકડા સળગાવી પાડોશીના ઘર તરફ ફેંકતો હોય જેથી પાડોશીએ ઘરે આવી ફરિયાદીને “તમારા ભાઈને સમજાવો કે મારા ઘર તરફ ફટાકડા ન ફેંકે’ જેથી ફરિયાદીએ તેના ભાઈને સમજાવતાં તે ઉશ્કેરાઈ જતા પાડોશી સાથે બોલાચાલી કરવા લાગ્યો. ફરિયાદીના ભાઈએ ભાવેશને છરી કાઢી પાડોશીને મારવા દોડતાં ફરિયાદીએ તેને રોકી લેતાં તેણે ફરિયાદી સાથે ઝઘડો કરી માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તેના પિતા રાજેશભાઈ બન્ને ભાઈને છૂટા પાડવા માટે વચ્ચે પડતાં ભાવેશે પિતા રાજેશભાઈને પણ હાથના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને ‘આજે તો તમને પતાવી જ દેવા છે’ તેમ કહી ઘરમાં જતો રહ્યો હતો. આ હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. માલવિયાનગર પોલીસે યુવકની ફરિયાદ પરથી તેના ભાઈ ભાવેશ મશરૂ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યવાહી:સાપેડા નજીક નકલી બંદૂકથી ફાયરિંગ કરનાર યુવકને પોલીસે શોધી લીધો
અંજાર-ભુજ ધોરીમાર્ગ પર કારના સનરૂફમાંથી બહાર નીકળી નકલી ફાયરિંગ કરતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા બાદ અંજાર પોલીસે કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના ધાણેટી ગામના દીપક ઢીલા નામના યુવકને અંજાર પોલીસે ઝડપી પાડયો છે. યુવકે અંજારથી ભુજ જતા સમયે ચાલતી કારમાંથી ફટાકડાની બંદૂક વડે ધડાકા કર્યા હતા. આ ઘટના સાપેડા નજીક બની હતી. યુવકે રમકડાંની નકલી પિસ્તોલમાંથી ધડાકા કર્યા, તે સમયે પાછળ આવતા કોઈ વાહનચાલકે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે દીપકને પકડી માફી મંગાવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની સક્રિય કામગીરી છતાં આવા બનાવો સતત સામે આવતા હોવાથી લોકમાનસમાં ચિંતાનો વિષય બન્યો છે.
આકર્ષક રંગોળીનું નિર્માણ કરાયું:ખોડલધામ મંદિરે 15 કલાક દરમિયાન 80 કિલો કલરમાંથી આકર્ષક રંગોળી બનાવાઇ
ખોડલધામ મંદિરે દિવાળી પર્વને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં મંદિર પરિસરના મુખ્ય સર્કલ ખાતે અને મંદિરના પ્રવેશદ્વાર પાસે વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 17 બહેનો દ્વારા ભવ્ય રંગોળી બનાવાઇમંદિર પરિસરના મુખ્ય સર્કલ પર 12x12 ફૂટની વિશાળ અને આકર્ષક રંગોળી બનાવાય હતી. જ્યારે મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે 15x20 ફૂટની સુંદર રંગોળી તૈયાર કરાઇ હતી. આ બંને રંગોળી તૈયાર કરવામાં કુલ 15 કલાક જેટલો સમય લાગ્યો હતો અને 17 બહેનોએ મળીને કુલ 80 કિલો કલરમાંથી આ આકર્ષક અને વિશાળ રંગોળી તૈયાર કરી હતી.
મહામારુતિ યજ્ઞનું આયોજન:બાલાજી હનુમાનજી મંદિરે 121 કુંડી મહામારુતિ યજ્ઞ
વડતાલધામને આંગણે આગામી તા.30 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન ઉજવાનાર શ્રી શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે સમગ્ર રાજકોટની 1008 દીકરીઓ દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે ધ્વજારોહણ કરાયું હતું. તથા 121 કુંડી મહામારુતિ યજ્ઞનું આયોજન મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી તથા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને મહામારુતિ યજ્ઞમાં પણ હજારો ભક્તો જોડાયા હતા.
પરંપરા:દિવાળીના અનેક પરિવારોમાં દીકરીના કાન વિંધાવવાની પરંપરાનું પાલન
હિન્દુ માન્યતાઓમાં દિવાળીનું અનેકરીતે મહત્ત્વ છે. આ તહેવાર સાથે અનેક પરંપરાઓ જોડાયેલી છે. ધનતેરસથી લાભપાંચમ સુધી આવતા વિવિધ તહેવારોમાં વિવિધ પરંપરાઓ જોડાયેલી છે. ખરીદી, ઉજવણી, નવસાહસ સહિતની પરંપરાઓતો હોય જ છે તેની સાથે અનેક રીતરિવાજ જોડાયેલા છે. પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષના પ્રારંભે જ્યાં એક તરફ લોકો દીવડા, રોશની અને ફટાકડાની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યાં બીજી તરફ અનેક ગુજરાતી પરિવારોમાં પરંપરાગત રીતિ-રિવાજોનું મહત્વ જળવાઈ રહ્યું છે. ખાસ કરીને દિવાળીના દિવસો દરમિયાન દીકરીઓના કાન વિંધાવવાની પ્રાચીન પરંપરાનું અનેક પરિવારોએ પાલન કર્યું હતું.
ખૂંટિયાનો ત્રાસ:રાજકોટ જિલ્લામાં ખૂંટિયાના ત્રાસથી ખેડૂતો પરેશાન, પાકને ભારે નુકસાન
રાજકોટ જિલ્લામાં ખૂંટિયાનો ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. જેને કારણે તેઓને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. ખેતરોમાં ઘૂસીને ખૂંટિયાઓ ઊભેલા પાક ખાઈ જાય છે. ખૂંટિયાના ત્રાસને કારણે ખેડૂતો દિવસમાં ખેતી કરી શકતા નથી અને રાત્રિના સમયે પાકને બચાવવા માટે આખી રાતના ઉજાગરા કરવા પડે છે. જો આ સમસ્યા દૂર નહિ થાય તો રાજકોટ જિલ્લાના વિપક્ષી નેતા દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના દરેક ગામોમાં ખૂંટિયાઓનો ત્રાસ જોવા મળે છે. દિવસમાં વાહનચાલકોને હેરાન પરેશાન કરે છે અને રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જાય છે. તેથી ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો પાક -શાકભાજી ખાઈ જાય છે અને ખેતીમાં નુકસાન પણ પહોંચાડે છે. આથી સામાન્ય લોકો અને ખેડૂતો ખૂંટિયાના ત્રાસથી હેરાન-પરેશાન થઇ ગયા છે. રાત્રે ખેડૂતોને પોતાની ખેતીનું રખોપું કરવા માટે રાત ઉજાગરા કરવા પડે છે.જેથી દિવસમાં તેઓ મહેનતવાળુ અને ખેતી કામ કરી શકતા નથી. રાત્રિના સમયે ખેતીમાં નુકસાન કર્યા બાદ દિવસમાં ખૂંટિયાઓ બજારમાં આવી જાય છે અને તેને અડફેટે જે લોકો આવે છે તેઓને ઈજા પહોંચે છે. તેથી મહિલાઓ બજારમાં જતા, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, તેમજ વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. 2019 માં ખૂંટિયાની વસ્તી ગણતરી કરી હતી. તેમાં જસદણમાં 3085, ગોંડલમાં 4376, ધોરાજીમાં 1233, જામકંડોરણામાં 1200, જેતપુરમાં 1620, કોટડાસાંગાણીમાં 553, લોધિકામાં 2542, એમ મળીને કુલ 25000 ખૂંટિયાઓ હતા. હાલમાં આ વસ્તી 70 હજારે પહોંચી હોવાની સંભાવના છે.
યુવાનનું મોત:મિરજાપરમાં બેભાન હાલતમાં મળેલા સુખપરના યુવાનનું મોત
શહેરની નજીક આવેલ મિરજાપરના સહજાનંદ નગર નજીક સુખપરનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડતા મોત નીપજ્યું હતું. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો.મિરજાપરના સહજાનંદ નગર નજીક ભારત પેટ્રોલીયમ નજીક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા 108 મારફતે તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસે તપાસ કરતા હતભાગી યુવાન સુખપર ગામના ભરતભાઈ લખમણભાઈ દાફડા હોવાનું સામે આવ્યું હતું.જોકે તેમનું મોત કેવી રીતે થયું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ભરતી:રેલવે બોર્ડ સ્ટેશન માસ્તર સહિતની જગ્યાની ભરતી કરશે
રેલવે ભરતી બોર્ડ દ્વારા NTPC ગ્રેજ્યુએટ લેવલ પદો માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જે ભરતીમાં 5810 પદ ભરવામાં આવશે. જેમાં સ્ટેશન માસ્તર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક અસિસ્ટન્ટ, ચીફ કોમર્સિયલ અને ટિકિટ સુપરવાઈઝર, સિનિયર ક્લાર્ક અને ટાઇપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને ટાઇપિસ્ટ મુખ્ય પદ છે. અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025થી શરૂ થઈ છે અને 20 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ www.rrbapply.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફોર્મ સબમિટ કર્યા પછી 22 નવેમ્બર સુધી ફી ચૂકવણી કરી શકાય છે. ઉંમર મર્યાદા 18–33 વર્ષ છે, પગાર બેઝિક પે 25,500–35,400 સાથે અન્ય એલાઉન્સ આપવામાં આવશે. આ ભરતી ભારતના વિવિધ જિલ્લામાં રેલવેમાં કોન્ટ્રાક્ટ અને સ્ટેશન કામ માટે ઉત્તમ તક છે. આ રીતે અરજી કરી શકાશે
ગંદકીથી લોકો પરેશાન થયા:માધાપર બસસ્ટેન્ડ નજીક સ્વચ્છ ભારત મિશનની મજાક
એશિયાના સૌથી ધનિક ગણાતા માધાપર ગામના બસ સ્ટેશન નજીક આડેધડ પાર્કિંગ અને ગંદકી લોકોને પરેશાન કરી રહી છે. રોજિંદી સાફ-સફાઈ ન થતી હોવાના કારણે સ્થાનિક લોકો દુકાનધારકો સ્ટોલ ધારકો અને મુસાફરોને સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે મુદ્દે જુનાવાસે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
CBSEની પ્રાયોગિક પરીક્ષા:CBSEની ધો. 10-12ની પ્રાયોગિક પરીક્ષાઓ 6 નવેમ્બરથી શરૂ થશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા શિયાળુ સત્રવાળી (વિન્ટર-બાઉન્ડ) અને અન્ય શાળાઓ માટે ધોરણ 10 અને 12ના આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 6 નવેમ્બરથી શરૂ થશે. પરીક્ષામાં હાજર થનારા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર નોટિસમાં પણ વિગતવાર માહિતી મેળવી શકે છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આ શાળાઓ જાન્યુઆરી 2026માં શિયાળુ વેકેશનના કારણે બંધ રહેવાની સંભાવના છે. બોર્ડે તમામ શાળાઓમાં પ્રેક્ટિકલ પરીક્ષાના આયોજન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને માર્ગદર્શિકા પણ જારી કરી છે. તેમાં માર્ક્સ અપલોડ કરવા, બાહ્ય પરીક્ષકની નિમણૂક, પ્રેક્ટિકલ માટેની ઉત્તરવહી, અયોગ્ય સાધનોનો ઉપયોગ (Unfair Means), અને પરીક્ષા આયોજિત કરવાની પ્રક્રિયા જેવી તમામ જરૂરી વ્યવસ્થાઓ સામેલ છે. CBSE એ જાહેરાત કરી છે કે શિયાળુ સત્રવાળી શાળાઓમાં ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન સત્ર 2025-26 માટે 6 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી યોજવામાં આવશે. તહેવારો બાદ છાત્રો પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. CBSEએ શાળાઓ માટે આટલી જરૂરી સૂચના આપી છે
દેશના 31.56 કરોડ વિદ્યાર્થીઓને મળશે લાભ:APAR ID ધરાવતા વિદ્યાર્થીઓને હવે હવાઈ મુસાફરીમાં છૂટ મળશે
કેન્દ્ર સરકાર પોતાના ‘એક દેશ-એક વિદ્યાર્થી’ અભિયાન અંતર્ગત અપાર આઈડી (APAR ID) ધરાવતા વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરીમાં છૂટ આપવાની યોજના જાહેર કરી છે. હવે વિદ્યાર્થી પોતાની અપાર આઈડી દર્શાવીને હવાઈ ટિકિટ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. રાજકોટ સહિત દેશભરમાં અત્યાર સુધી 31.56 કરોડ વિદ્યાર્થીઓની અપાર આઈડી બની ચૂકી છે. અધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ આ આઈડીનો ઉપયોગ એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી વિશેષ લાભ લેવા માટે કરી શકે છે. મંત્રાલયનું મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓને સસ્તી અને સરળ મુસાફરી સુવિધા પૂરી પાડવાનો છે. અપાર આઈડી યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ અને કુશળતા વિકાસના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પહેલ વિદ્યાર્થીઓના અભ્યાસના સાક્ષરતા અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે, સાથે જ વિદ્યાર્થીઓને વ્યવહારિક લાભ મળશે. અપાર આઈડી શું છે?અપાર આઈડી વિદ્યાર્થીઓ માટે 12 અંકની વિશિષ્ટ ડિજિટલ ઓળખ છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ આઈડી વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકર્ડને, જેમ કે માર્કશીટ, સર્ટિફિકેટ, સ્કોલરશિપ અને અન્ય ઉપલબ્ધિઓને ડિજિટલ રીતે સ્ટોર કરવા માટે છે. આ આઈડી ડિજિલોકર સાથે જોડાયેલી છે અને વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક રેકોર્ડ્સને કોઈ પણ સમયે સુરક્ષિત રીતે જોઈ શકે છે. આથી, વિદ્યાર્થીઓને માત્ર હવાઈ મુસાફરીમાં છૂટ મળશે, પરંતુ તેમના શૈક્ષણિક માહિતીનો વ્યવસ્થિત અને સુરક્ષિત ડિજિટલ રેકોર્ડ પણ ઉપલબ્ધ રહેશે.
રંગોળીઓ બની આકર્ષણનું કેન્દ્ર:પટેલ ચોવીસીના ગામો અને મંદિરોમાં દીપોત્સવ ઉજવાયો
કચ્છમાં પટેલ ચોવીસીના ગામો અને વિશ્વભરમાં વસતા પટેલ પરિવારો તેમ કચ્છીઓએ સમાજો, મંદિરો અને વિવિધ સ્થળો પર દીપોત્સવની રંગીન ઉજવણી કરી હતી. આ અવસરે ઠેર ઠેર મીઠાઇ વિતરણ, સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બળદિયામાં લેવા પટેલ સમાજના મુખ્ય હોલમાં સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરાઇ હતી. કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનો સાથે ગામના અગ્રણીઓ પણ ઉજવણીમાં સામેલ થયા હતા. કુંદનપર સહિત પટેલ સમાજના ઘણા ગામોમાં દિવાળીની ઉજવણી કરાઇ હતી. અબજી બાપાની છત્રી, ઉપલોવાસ, નીચલો વાસના સ્વામિનારાયણ મંદિરો, મણીનગર ગાદી સંસ્થાન મંદિરને રોશનીથી શણગારાયા હતા. કેરા, નારાણપર, સુખપર, મેઘપર, દહિંસરા, સરલી, માનકુવા, સુરજપર, સામત્રા, ફોટડી, રામપર, વેકરા, મિરજાપર, માધાપર, હરીપર, સુખપર રોહા, વાડાસર સહિતના ગામોમાં પ્રકાશના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. વિલે પાર્લે વિશ્રાંતિ ભવન અને મુંબઇના મહાલક્ષ્મી મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભુજમાં સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ મંદિર, મણીનગર ગાદી સંસ્થાન, દિલ્હી, માઉન્ટ આબુ, વડોદરા સહિતના મંદિરો ઉપરાંત નાઇરોબી, લંગાટા, વડતાલ મંદિર, મુક્તજીવન બાપા મંદિર, બીએપીએસ, પૂર્વ આફ્રિકા સત્સંગ મંદિર વગેરે સ્થળોએ મંદિરોને શણગારાયા હતા. મોમ્બાસા, કમ્પાલા, દારેસલામ, કીમુસુ, કિંગ્સબરી, વિલ્સડન, સ્ટેનમોર, બોલ્ટન, કાર્ડિફ, ઓલ્ઘામ સહિતના મંદિરોમાં દીપોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી. તહેવારના દિવસોમાં ભુજના સ્વામિનારાયણ મંદીરમાં પણ રોશનની શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે.
એક પ્લોટમાં હરાજી રદ થતાં 18 કરોડ જપ્ત કરાયા:10 પ્લોટના વેચાણથી મનપાને રૂપિયા 285.49 કરોડ ઉપજ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના નાણાકીય બજેટમાં ટી.પી.સ્કીમના અનામત પ્લોટ વેચાણ માટેની જોગવાઇ કરવામાં આવી છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા તેમના હસ્તકના કુલ 18 પ્લોટનું વેચાણ કરાયું છે અને તેમાંથી મનપાને રૂ.285.49 કરોડ ઉપજ્યા છે. જ્યારે નાનામવાના ટીપી સ્કીમ નં.3ના એક પ્લોટની હરાજી રદ થતા રૂ.18.09 કરોડની ડિપોઝિટની રકમ જપ્ત કરાઇ છે. મહાપાલિકાના વિરોધ પક્ષના સભ્ય ભાનુબેન સોરાણીએ પૂછેલા પશ્નના જવાબમાં મનપાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વેસ્ટ ઝોનમાં કુલ સાત પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે. આ પ્લોટના વેચાણ થકી કુલ રૂ. 1,09,19,06,101 ઉપજ્યા છે. જ્યારે એક પ્લોટની હરાજી રદ થતા ડિપોઝિટ જપ્ત કરાઇ છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 5 પ્લોટનું વેચાણ કરાયું છે જેમાંથી 3 પ્લોટનું ઓક્શન કરાયું છે. આ પાંચ પ્લોટના વેચાણ થકી મનપાને રૂ.76,25,44,007 ઉપજ્યા છે. તેમજ ઇસ્ટ ઝોનમાં કુલ 6 પ્લોટ વેચ્યા છે. આ છ પ્લોટના વેચાણ થકી મહાપાલિકાને કુલ રૂ.1,18,14,32,100 ઉપજ્યા છે. મનપાએ એચપીસીએલને 5, જેટકોને 4, જીએસએફસીને 1 અને ડી-માર્ટને 2 પ્લોટ વેચ્યા છે.
રજૂઆત:કુકમામાં તંત્રે હટાવેલા દબાણ ફરી ગોઠવાયા, તંત્રને રજૂઆત
કુકમા અને દબાણ બંને એકબીજાના પરસ્પર પૂરક બની ગયા છે, કેબીન હોય કે પછી રોડસાઈડ રાજકારણીઓના દબાણની હારમાળા હમેંશા કુકમા ચર્ચામાં રહ્યું છે. ફરી એકવખત તંત્રે દબાણ હટાવ્યા હતા એ ગોઠવાઈ જતા દિવાળી-નવાવર્ષે અરજીઓના ફટાકડા ફૂટ્યા છે. આ મુદ્દે ભુજ તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવકએ જણાવ્યું કે, અમને રજાઓના અંતિમ દિવસે જ આ મુદ્દે અરજી પ્રાપ્ત થઇ છે. જેથી ગ્રામપંચાતને પત્ર લખી દબાણ હટાવ અને જ્યાં હટયા હતા ત્યાં ફરી ન ગોઠવાય તે મુદ્દે સૂચના આપવામાં આવી છે. નોંધનીય બાબત છે કે, કુકમામાં અરજી બાદ તંત્ર દબાણહટાવ કામગીરી હાથ ધરાઈ હતી. જો કે ગણતરીના દિવસોમાં ફરી દબાણનો મુદ્દો ફરી ગાજ્યો છે અને તાલુકા પંચાયત સુધી અરજીઓ પહોંચતા તપાસનો દૌર શરુ થયો છે.
દર્દીઓને હાલાકી:ટીબી અને HIVના 395 દર્દીને 9 માસથી સહાય મળી નથી
રાજકોટ જિલ્લામાં કેન્સરના દર્દીને સહાય મેળવવા માટે 1076 દર્દી, ટીબીના 28 અને એચઆઈવીના 1074 દર્દીએ અરજી કરી હતી.જેમાંથી કેન્સરના 800 દર્દીને સહાય ચૂકવાઇ છે અને 276ને બાકી છે. ટીબીના એક પણ દર્દીને સહાય ચૂકવાઈ નથી. આ સિવાય એચ.આઈ.વી.ના 1074 માંથી માત્ર 983 દર્દીને જ સહાય ચૂકવાઈ છે અને હજુ 91 દર્દીને સહાય ચૂકવવાની બાકી છે. આમ 395 દર્દીને હજુ સુધી સહાય મળી નથી. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાએથી ગ્રાંટ નહિ મળતા માત્ર 1073 દર્દીને જ સહાય ચૂકવાઈ છે.
સંતવાણી:સુખપર (રોહા)માં સ્નેહમિલન, મહાપ્રસાદ, સંતવાણી યોજાશે
કચ્છના સાંસદ દ્વારા માદરે વતનનખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇ બીજના સાંજે સ્નેહ મિલન, રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ અંગે વિગતો આપતાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે નવા વર્ષને આવકારવા માટે તા. 23/10ના રામદેવપીરની પાટકોરી, મહા પ્રસાદ તેમજ સ્નેહમિલન સાથે સાથે સંતવાણી યોજાશે. આ કાર્યક્રમમા જિલ્લા ભાજપના અધ્યક્ષ, કચ્છના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રભારી, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સભ્યો સહિતના ઉપસ્થિત રહેશે.
રાજકોટ એ ઔદ્યોગિક જગતનું હબ છે. ત્યારે હવે અહીંના વેપાર-ઉદ્યોગની સાથે સાથે હવે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.રાજકોટમાં જાન્યુઆરી માસમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જે ત્રણ દિવસ સુધી યોજાશે.જેમાં દરેક ક્ષેત્રના ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ. થશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર-મારવાડી યુનિવર્સિટી અથવા તો અટલ સરોવર અને રેસકોર્સ ગ્રાઉન્ડ આ ચારમાંથી કોઈ પણ એક સ્થળે યોજાય તેવી સંભાવના છે.હાલ સ્થળ પસંદગી કરવા માટે ઈન્સ્પેક્શન અને પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે.જો સૌરાષ્ટ્-મારવાડી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી કોઈ પણ એક સ્થળે આ વાઈબ્રન્ટ સમિટ યોજાશે તો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો અનુભવ પણ મળશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે રિજિયન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. જે સફળ રહ્યા બાદ હવે બીજા તબક્કામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન વાઈબ્રન્ટ સમિટ કરવા માટેની વિચારણા હાથ ધરાઈ હતી. જે માટે સ્થળ ઈન્સ્પેક્શન માટે ગાંધીનગરથી ટીમ આવી હતી.આ વાઈબ્રન્ટ સમિટમાં ઓટો મોબાઈલ, એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર ઔદ્યોગિક એકમો ઉપરાંત મશીન ટુલ્સ ડીઝલ એન્જિન, સીએનજી, ઓટોમોબાઈલ પ્લાસ્ટિક મશીનરી સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.જેને નિહાળવા અને વેપાર કરવા માટે સ્થાનિક ઉપરાંત વિદેશથી પણ રોકાણકારો અને ઉદ્યોગપતિઓ આવે તેવી સંભાવના છે. જો વિદેશી ઉદ્યોગકારો આવશે તો વિદેશથી પણ મોટી રકમનું રોકાણ સીધુ રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે.રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ યોજાશે. સ્વદેશી વસ્તુ, મશીન બનાવતા એકમો માટે ઉજ્જવળ તકવાઈબ્રન્ટ સમિટમાં સ્વદેશી વસ્તુ અને મશીન બનાવતા એકમો માટે ઉજ્જવળ તક છે.રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનેક એવા એકમો આવેલા છે જે સ્વદેશી ચીજવસ્તુ વાપરે છે અને તેના જ માધ્યમથી અલગ- અલગ પાર્ટસ અને મશીનો બનાવે છે. તેઓના એકમોને પ્રોત્સાહન મળશે અને સ્વદેશી ચીજવસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.તેનાથી સ્થાનિક રોજીરોટીમાં પણ વધારો થશે. રાજકોટમાં શાપર-વેરાવળ, મેટોડા, કુવાડવા, આજી જીઆઈડીસી સહિત અનેક નાના-મોટા આૈદ્યોગિક વિસ્તારો આવેલા છે.
યાત્રિકોને પાંચમનો લાભ:રાજકોટ એરપોર્ટથી મુંબઈની રોજ 5, દિલ્હીની 4 ફ્લાઈટ મળશે
દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં હવાઈ યાત્રાએ જતા પ્રવાસીઓને પાંચમથી વધુ લાભ મળશે. આગામી તા.26 ઓક્ટોબર, લાભપાંચમથી અમલી થનાર વિન્ટર શિડ્યૂલ અંતર્ગત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ સેવાનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે. હવે દરરોજ 13થી 14 ફ્લાઈટનું ઉડ્ડયન થશે, જેના કારણે સૌરાષ્ટ્રના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકો માટે દેશ-વિદેશની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે. એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે મુંબઈ, દિલ્હી, ગોવા, પૂણે, બેંગ્લોર અને હૈદરાબાદ સુધીની સીધી ફ્લાઈટ્સ માટે સ્લોટ મેળવ્યા છે. ખાસ કરીને, રાજકોટથી મુંબઈ માટે દરરોજ પાંચ ફ્લાઈટ (ઈન્ડિગો-3, એર ઈન્ડિયા-2) અને દિલ્હી માટે ચાર ફ્લાઈટ (ઈન્ડિગો-2, એર ઈન્ડિયા-2) ઉપલબ્ધ રહેશે. તે ઉપરાંત, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર માટે પણ રોજિંદી ફ્લાઈટ શરૂ થવાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓને મેટ્રો શહેરો સાથે વધુ જોડાણ મળશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે સવારે રાજકોટ-બેંગ્લોર ફ્લાઈટ માટેનો સ્લોટ મેળવ્યો છે, જે શરૂ થાય તો બેંગ્લોર માટે બે ફ્લાઈટની સુવિધા મળશે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી રોજ 9થી 10 ફ્લાઈટનું ઉડ્ડયન થાય છે, પરંતુ 26 ઓક્ટોબરથી શરૂ થનારા નવા વિન્ટર શિડ્યૂલ બાદ દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે 14 ફ્લાઈટ, જ્યારે અન્ય દિવસો 13 ફ્લાઈટ ઊડશે. સવારે દિલ્હી જવાની અને સાંજે પરત ફરવાની ફ્લાઈટ શરૂ થતાં હવે વેપારીઓ અને ઉદ્યોગકારો માટે ‘એક દિવસની દિલ્હી યાત્રા’ શક્ય બની છે. તહેવારોમાં ગોવા, રાજસ્થાન, હિમાચલ, કેરળ જવાનો ક્રેઝતહેવારોમાં ગુજરાતીઓએ પરિવાર સાથે હરવાફરવા માટેનું પ્લાનિંગ કરી નાખ્યું છે. ગુજરાતીઓએ ભારતમાં ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, કેરળ, ઉત્તરાખંડ, લોનાવલા, સાઉથ ઈન્ડિયા તેમજ ચારધામ યાત્રાએ જવાનું ટૂરિસ્ટ પેકેજ બુક કરાવી લીધું છે. લેહ-લદાખ અને નેપાળમાં આંતરિક-રાજકીય વિખવાદ તથા જમ્મુ કાશ્મીરમાં વરસાદ સહિતનાં કારણોને લીધે ત્યાં જવાનો ક્રેઝ ઘટ્યો છે, જેથી ગત વર્ષની તુલનામાં દિવાળીનો ટ્રાફિક 25 ટકા ઓછો જોવા મળી રહ્યો છે.
પ્રેમી દ્વારા જીવલેણ હુમલો:વિધવા સ્ત્રીએ લગ્ન કરવાની ના કહી દેતા ધરાર પ્રેમીએ છરી ઝીંકી
શહેરના ઘનશ્યામનગરમાં રહેતી વિધવા સ્ત્રી સાથે લગ્નની જીદ્દે ચડેલા યુવકે મહિલાના ઘરે પહોંચી લગ્ન વિશે પૂછતાં તેણીએ લગ્ન કરવાની ના કહી દેતા ઉશ્કેરાઈ જઈ મહિલાના પેટમાં છરી ઝીંકી દીધી હતી. આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઘનશ્યામનગરમાં રહેતા વર્ષાબેન ગોપાલભાઇ દાતી(ઉ.વ.43) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયામાં આરોપી તરીકે સાવન રમણીકપરી ગોસ્વામીનું નામ આપ્યું છે. વર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી તેના માતા હંસાબેન સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. ગત તા.20/10ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ તે તેના માતા હંસાબેન તથા તેના કાકા બિપીનભાઇ ઘરે હાજર હતા. ત્યારે સાવન રમણીકપરી ગોસ્વામી આવેલ અને કહ્યું કે, તું મારો મોબાઇલ ફોન કેમ ઉપાડતી નથી અને કોના સાથે વાત ચાલુ હતી તેમ પૂછતા તેણીએ કહ્યું કે, સામાજિક કામથી અન્ય સાથે વાત ચાલુ હતી. તેમ કહેતા આ સાવન ઉશ્કેરાઇ ગયો અને કહેલ કે તારે મારી સાથે લગ્ન ક્યારે કરવા છે. જેની તેણીએ ના પાડતા ઉશ્કેરાઈ જઈ સાવને તેના નેફામાંથી છરી કાઢી તેણીના પેટના ભાગે છરકો મારતા તેણીના પેટે ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મામલે ભક્તિનગર પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પર 18 કલાકમાં 4ની હત્યા થતાં દેકારો મચી ગયો હતો અને પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા. આંબેડકરનગરમાં બે જૂથ વચ્ચેની ધમાલમાં ત્રણ યુવકની હત્યા થઇ હતી, તેની ગણતરીની કલાકો બાદ જામનગર રોડ પર સીએલએફ ક્વાર્ટર્સના મેદાનમાં યુવકને પિતા-પુત્રએ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. દીવાલ પર ચંદ્રેશ જુગારી છે તેવું લખવાની યુવકે ના કહેતા તેને પતાવી દીધો હતો. ગાંધીગ્રામમાં રહેતો રિક્ષાચાલક કમલ બિપીનભાઇ મુલિયાણા (ઉ.વ.27) તા.20ની સાંજે પોણા પાંચેક વાગ્યે જામનગર રોડ પર સીએલએફ ક્વાર્ટર્સના બાપા સીતારામના ઓટા પાસે મોબાઇલમાં લૂડો રમતો હતો અને પૈસાની લેતીદેતી બાબતે ત્યાં અન્ય લોકો સાથે બોલાચાલી થઇ હતી, થોડીવાર બાદ ત્યાંથી અમિત કોળીને તેનો પુત્ર અમન લઇ ગયો હતો અને બાદમાં પિતા-પુત્ર ફરીથી પરત આવ્યા હતા. અમિતે તેના પુત્ર અમનને કહ્યું હતું કે, ‘દીવાલ ઉપર ચંદ્રેશ જુગારી છે તેમ લખ’, અમન દીવાલ પર લખવા જતો હતો ત્યારે કમલે તેવું લખવાની ના કહેતા કમલ સાથે અમિત અને તેનો પુત્ર અમન ઝઘડવા લાગ્યા હતા અને ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ કમલને છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઉપરાછાપરી ઘા ઝીંકાતા કમલ મુલિયાણાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસની ટીમ દોડી ગઇ હતી, પોલીસે કમલની પત્ની કાજલ મુલિયાણાની ફરિયાદ પરથી અમિત કોળી અને અમન કોળી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, પોલીસે આરોપીઓને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે રાત્રે આંબેડકરનગરમાં વાહન અથડાવાના મુદ્દે બે જૂથ વચ્ચે જામી પડી હતી અને બે સગાભાઇ સહિત ત્રણ યુવકની હત્યા થઇ હતી, અને તેની ગણતરીની કલાકો બાદ કમલ મુલિયાણાને પતાવી દેવાયો હતો. શહેરમાં ચાર ચાર હત્યાથી પોલીસની નીતિરીતિ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.