SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

રખડતા ભૂંડના કારણે બે લોકોના જીવ ગયા:વડોદરાના ધનિયાવી નજીક અને ડબકા ગામ પાસે સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોનાં મોત

વડોદરા જિલ્લામાં રખડતા ભૂંડના કારણે બે દિવસમાં બે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના‌‌ આવતા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બે લોકો મોપેડ સાથે પટકાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગતરોજ પાદરાના મહોમદપુરા ગામના વ્યક્તિ ડબકા ગામ પાસેથી મોપેડ લઈ પસાર થતા હતા ત્યારે ભુંડ વચ્ચે આવતા અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓનું સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યું છે. બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોતવડોદરા શહેર જિલ્લામાં અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવતા હોય છે. ત્યારે રખડતા ભુંડે વધુ એક વ્યક્તિને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોહમ્મદપુરા ગામના વતની ગણપત બુધર પરમાર (ઉંમર વર્ષ 38) પોતાનો ટુ વ્હીલર વાહન લઈને ડબ્બા ગામ તરફ જતા હતા તે દરમિયાન મોપેડ વચ્ચે ભૂંડ આવી જતા તેઓ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગણપતભાઈને વડુ સીએસસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલા ન્યૂ સર્જિકલ વિભાગના બી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો કરૂણ મોત નિપજ્યું છે. આ મામલે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ શહેરના જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર ( ઉં.વ.60) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.49) મોપેડ પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં દાજીભાઇને તથા દિનેશભાઇને કપાળ અને જમણા હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દાજીભાઇ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કહી શકાય કે ને દિવસમાં બે વ્યક્તિના ભૂંડના કારણે અકસ્માતમાં મોત નિપજ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:23 pm

પાટડીના ખારાઘોડામાં બાર બોરની બંદૂકથી ફાયરિંગ:યુવકને પેટ અને સાથળમાં ગોળી વાગતાં ગંભીર, પાટડી બાદ વિરમગામ ખસેડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. બાર બોરની બંદૂકથી ફાયરિંગ થતાં યુવાનને પેટ અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. શખ્સે બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કર્યુંઆ ઘટના ખારાઘોડા સ્ટેશન નજીક દવાખાના પાસે બની હતી. દેગામના એક શખ્સે અગાઉના કોઈ મનદુઃખના કારણે ખારાઘોડાના સલાભાઈ નામના યુવાન પર બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ફાયરિંગના કારણે સલાભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. યુવકને સારવાર અર્થે વિરમગામ ખસેડાયોઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 108ના ઈએમટી અને પાયલોટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી પાટડી સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાંથી ફરજ પરના તબીબે તેને વિરમગામ શિવ હોસ્પિટલ રીફર કર્યો હતો. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયોઆ ફાયરિંગની ઘટનાના પગલે ખારાઘોડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટડી પીઆઇ બી.સી.છત્રાલીયા સહિતનો પોલીસ સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:16 pm

ગાંધીનગરમાં ખેતરમાં દીપડાના આટાફેરા, ખેડૂતને પરસેવો છૂટ્યો:ઝરખ, શિયાળ બાદ લેકાવાડામાં ખૂંખાર દીપડો દેખાયો, વન વિભાગ દોડતું થયું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આટાફેરાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે હવે લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળતા વન વિભાગની ટીમ સઘન તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગાંધીનગરના બે જુદા જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યો હોવાના બનાવોએ ચર્ચા જગાવી છે. બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો આવ્યો' તોગાંધીનગર સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારના રહીશોએ સંતોષી માતાજીના મંદિર પાસે ઝરખ જોયાનો દાવો કર્યો હતો. જ્યારે બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દાવાઓને પગલે વન વિભાગની ટીમે સતત બે દિવસ સુધી રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આખી રાતની શોધખોળ બાદ પણ વન વિભાગને ઝરખની હાજરીના કોઈ નક્કર પુરાવા મળી શક્યા ન હતા. 11 નવેમ્બરે શિયાળ મૃત હાલતમાં મળ્યુંએક તરફ ઝરખની શોધખોળ ચાલી રહી હતી, ત્યારે મંગળવારે(11 નવેમ્બર) ચ-0થી ચ-1 વચ્ચેના રોડ પર શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે વનતંત્રની પ્રાથમિક તપાસમાં બહાર હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી શિયાળનું મોત નીપજ્યું હતું. 11 નવેમ્બરે રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટઆ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે મૃતદેહને GTS નર્સરી ખાતે લઇ જઇ અધિકારીઓની હાજરીમાં તેને અગ્નિદાહ આપીને અંતિમ વિદાય આપી હતી. એવામાં મંગળવાર(11 નવેમ્બર) રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઝરખ અને શિયાળના બનાવ બાદ ગાંધીનગરના લેકાવાડા ગામમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસ્યોરાત્રિના સમયે એક ખેડૂત પોતાના ખેતરમાં હાજર હતા. તે દરમિયાન અચાનક જ ખૂંખાર દીપડો જોવા મળતા તેમને ડર લાગી ગયો હતો. ખેડૂતે અન્ય ગ્રામજનોને જાણ કરતા આસપાસના ખેડૂતો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસી ગયો હતો. દીપડાની ભાળ મેળવવા માટે પગના નિશાનના પુરાવા એકઠાઆ ઘટનાની જાણ થતાં વન વિભાગની સ્થાનિક ટીમો તાત્કાલિક લેકાવાડા પહોંચી ગઈ હતી અને દીપડાની ભાળ મેળવવા માટે તેના પગના નિશાન સહિતના પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય સીમમાં એકસાથે ઝરખ, શિયાળ અને દીપડાની હાજરીથી ગાંધીનગરના રહેવાસીઓમાં ભારે દહેશત ફેલાઈ છે અને વન વિભાગ સતત સર્ચ ઓપરેશનમાં લાગી ગયું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:15 pm

વલસાડમાં રીડેવલોપમેન્ટ સાઇટ પર શ્રમિકનો મૃતદેહ મળ્યો:મજૂરો કામ પર આવ્યા ત્યારે લાશ જોઇ, આપઘાતની આશંકા, પોલીસે તપાસ શરૂ કરી

વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલોપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે સવારે અન્ય મજૂરો કામ પર આવ્યા ત્યારે તેમણે એક દુકાનના શેડમાં યુવકને બેભાન હાલતમાં જોયો હતો. યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કોન્ટ્રાક્ટર, સ્થાનિક આગેવાનો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ સિટી પોલીસને જાણ કરાતા, પોલીસ અને 112 ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે, જે મૂળ નેપાળનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક રામજી શાહ છેલ્લા કેટલાક મહિનાથી આ સાઇટ પર મજૂરી કરતો ન હોવાનું સાઇટ સંચાલક કે અન્ય મજૂરો પણ તેને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહ પાસેથી એક મોબાઈલ ફોન, નેપાળનું ઓળખ કાર્ડ અને નેપાળની બેંકનું ATM કાર્ડ સહિતના કેટલાક ઓળખના પુરાવા મળ્યા છે. પોલીસ હાલ આ દસ્તાવેજોના આધારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. વલસાડ સિટી પોલીસ આ બનાવને આપઘાતની દિશામાં તપાસી રહી છે. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના રાત્રિના સમયના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે કે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી કે કેમ. યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકના મોબાઈલમાંથી મળેલ કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:04 pm

ચારુસેટ-CIVF ‘સ્ટાર્ટઅપ ગ્રોથ કેટાલિસ્ટ એવોર્ડ’ થી સન્માનિત:અદાણી ગ્રુપના ‘ગ્રીન ટોક્સ ઈનિશિયેટિવ’માં નોંધપાત્ર યોગદાનની પ્રશંસા

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની સેક્શન-8 કંપની ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) ને અદાણી ગ્રુપના ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં “સ્ટાર્ટઅપ ગ્રોથ કેટાલિસ્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ઇનિશિયેટિવનો હેતુ ગ્રીન અને સસ્ટેઈનેબલ ભવિષ્ય માટેના વિચારો અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. CIVF ને આ એવોર્ડ ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં તેના નોંધપાત્ર યોગદાન, ખાસ કરીને કાર્યક્રમના પ્રમોશન, સ્ટાર્ટઅપ સ્કાઉટિંગ અને સ્ક્રીનિંગ માટે આપવામાં આવ્યો છે. CIVF એ સસ્ટેઈનેબિલિટી અને પર્યાવરણીય અસર પર ધ્યાન કેન્દ્રિત કરતા અનેક આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઓળખીને તેમને સમર્થન પૂરું પાડ્યું છે. ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં ચારુસેટ અને CIVF નું પ્રતિનિધિત્વ CIVF ના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશીએ કર્યું હતું. તેમના નેતૃત્વ અને સમર્પણથી ગ્રીન ટોક્સ પ્લેટફોર્મ સાથે CIVF ના જોડાણની સફળતા સુનિશ્ચિત થઈ હતી. આ સિદ્ધિ બદલ CIVF એ તેના ડિરેક્ટરો ડો. અતુલ પટેલ, વિપુલભાઈ પટેલ, ગિરીશ પટેલ, અશોક પટેલ અને મધુબેન પટેલનો તેમના સતત સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. CIVF એ અદાણી ગ્રીન ટોક્સ અને ચારુસેટ પરિવારનો પણ આ સન્માન બદલ આભાર માન્યો હતો. ‘અદાણી ગ્રીન ટોક્સ’ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર (CTO) સુદિપ્ત ભટ્ટાચાર્યએ ઇનોવેશન, રાષ્ટ્રીય વિકાસ અને સસ્ટેઈનેબલ ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ સન્માન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની CIVF ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે ‘ક્લીન એન્ડ ગ્રીન ફ્યુચર’ તરફ સતત પ્રગતિ કરવા માટે પ્રેરક છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:59 am

વડોદરામાં સિનિયર સિટીઝન સાયબર ફ્રોડનો શિકાર:સાયબર ઠગોએ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં 15 ટકા પ્રોફિટ આપવાની લાલચ આપીને 30 લાખ રૂપિયા પડાવ્યા, વધુ 89 લાખ રૂપિયા માંગતા શંકા જતા ભાંડો ફૂટ્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝનને સાયબર ઠગોએ બોગસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે, તેઓ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે અને આ ઘટનાએ તેમને માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત કરી દીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝનની ફરિયાદ પ્રમાણે ગત તા. 16 મે 2025ના રોજ પીડિતને તેમના વોટ્સએપ પર મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં વ્યક્તિએ પોતાનું નામ કંગના શર્મા જણાવીને કહ્યું હતું કે, તેઓ 'નુવામા વેલ્થ' કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ છે અને બ્લોક ટ્રેડિંગ તથા ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. તેઓએ પીડિતની ઉંમર, ધંધો અને રોકાણનો અનુભવ પૂછ્યો હતો. ત્યારબાદ ઠગોએ એક આકર્ષક પ્રોફિટ સ્કીમ વિશે જણાવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે રૂ. 5 લાખના ઇન્વેસ્ટમેન્ટ પર દરરોજ 10%થી 15% સુધીનું પ્રોફિટ મળશે. પીડિતે આ સ્કીમમાં રસ દાખવ્યો અને ઇન્વેસ્ટ કરવા માટે હા પાડી 6. ત્યારબાદ, તેઓને https://www.nuvamawealthvip.com નામની લિંક મોકલવામાં આવી હતી અને તેમાં રજિસ્ટ્રેશન કરવાનું કહેવાયું હતું. સિનિયર સિટીઝને રજિસ્ટ્રેશન કર્યું હતું અને રૂ. 30 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઠગોએ પીડિતને કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવા જણાવ્યું. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરતાં, વ્યક્તિએ પોતાને 'નુવામા કસ્ટમર સર્વિસ'ના કર્મચારી તરીકે ઓળખાવ્યા અને ઇન્વેસ્ટમેન્ટની વિગતો પૂછી. તેઓએ એક બોગસ સેબી સર્ટિફિકેટ મોકલ્યું, જેમાં એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ આપવામાં આવ્યા હતા. આમાં લખ્યું હતું કે કંપની રૂ. 50 કરોડ સુધીની રકમ આ એકાઉન્ટમાં લઈ શકે છે. તા. 18 મે, 2025ના રોજ પીડિતે આપેલા એકાઉન્ટમાં રૂ. 30 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. તેનું વેબસાઇટ પર આ બેલેન્સ દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ પીડિતને 'વરુણ બેવરેજિસ' કંપનીના શેરમાં બ્લોક ટ્રેડ કરાવ્યા અને વેબસાઇટ પર કુલ પોર્ટફોલિયો રૂ. 36,96,809 રૂપિયા તરીકે બતાવવામાં આવ્યો હતો. વિશ્વાસ વધારવા માટે ઠગોએ વોટ્સએપ કોલ કરીને વિડ્રોલ પ્રોસેસ સમજાવી. તા. 20 મે 2025ના રોજ પીડિતે 1 હજાર રૂપિયા વિડ્રોલ કર્યા હતા, જે તેમના HDFC બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી સિનિયર સિટીઝનને પૂરો વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ ઠગોએ વોટ્સએપ કોલ કરીને જણાવ્યું હતું કે, તેમને આઇપીઓ લાગ્યો છે અને એકાઉન્ટમાં રૂ. 1,26,30,944 જમા કરવામાં આવ્યા છે, પરંતુ તેના માટે રૂ. 89,88,736 વધુ ભરવા પડશે. આ વાતથી સિનિયર સિટીઝનને શંકા ગઈ હતી અને તેઓએ વધુ પૈસા ભર્યા નહોતા. જ્યારે તેઓએ વેબસાઇટ પર જઈને 36,96,809 રૂપિયા વિડ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો એકાઉન્ટ ડિસેબલ કરી દેવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનને ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં તેઓએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જોકે, આજ સુધી તેમને તેમના પૈસા પરત મળ્યા નથી. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારના સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે અને લોકોને અજાણ્યા લિંક્સ અને મેસેજ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તપાસમાં સંડોવાયેલા મોબાઇલ નંબર્સ અને બેંક એકાઉન્ટ્સની વિગતો દ્વારા ઠગોની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:41 am

યુવકના મિત્રોએ સાયબરસ્પેર ટેકનોલોજી કંપની ખોલી દેશભરમાં 26 ગુના આચર્યા:ડાયરેક્ટર તરીકે દાહોદનો સ્પોર્ટ્સમેન મિત્ર ફસાયો, ઇન્ફોસિટી પોલીસમાં ગુના નોંધાયો

સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા એક યુવક સાથે તેના જ મિત્રોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. દાહોદના 26 વર્ષીય સ્પોર્ટ્સમેન યુવકના આઈડી અને સહીનો ઉપયોગ કરીને તેના બે મિત્રોએ ગાંધીનગરમાં એક આઈટી કંપની શરૂ કંપનીના બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં 26 જેટલા સાયબર ફ્રોડ કરવા માટે કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગૂનો નોંધવામાં આવ્યો છે. ડાયરેક્ટર તરીકે દાહોદનો સ્પોર્ટ્સમેન મિત્ર ફસાયોદાહોદના ગમલા ગામતળ ફળીયુ ગામમાં રહેતો રોહિતકુમાર છત્રસિંહ કલમી ફૂટબોલ તથા રંગબી ગેમનો ખેલાડી છે. વર્ષ 2027માં રોહિત દાહોદ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનીક કોલેજ ખાતે કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. તે સમયે કોલેજમાં અભ્યાસ કરતા સંજીવ બાબુભાઈ ભારીયા (રહે. સીંગોર, તા.દેવગઢબારીયા દાહોદ)નો સંપર્ક થયો હતો. ત્રણેય મિત્રો રાયસણમાં ભાડેથી રહેતાંબાદમાં ફેબ્રુઆરી 2023માં બંને ગાંધીનગર આવ્યા હતા અને કુડાસણ ભાડાના મકાનમાં રહેતા હતાં. રોહિતે મહેસાણાની ઈન્દ્રશીલ યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું. જ્યારે સંજીવે સંજી એલડીઆરપી કોલેજ સેક્ટર-15માં એડમીશન લીધું હતું. આ દરમ્યાન સ્વર્ણિમ સ્ટાટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સીટી અડાલજ અભ્યાસ કરતા મિહિર જયપ્રકાશ બારીયા (રહે. હરીઓમનગર સોસાયટી, જુના પેટ્રોલપંપ સામે દેવગઢ બારીયા) સાથે બંનેનો સંપર્ક થયો હતો. બાદમાં ત્રણેય મિત્રો મારૂતી મેઘનમ રાયસણમાં ભાડેથી મકાન રાખી સાથે રહેતા હતાં. સાયબર સ્પેર ટેકનોલોજી પ્રા.લી. નામની કંપની ખોલીજુલાઈ-2023 સંજીવ તથા મિહિરે આઈ.ટી.ની એક કંપની ચાલુ કરવાની વાત કરતા રોહિત તૈયાર થઈ ગયો હતો. અને સાયબર સ્પેર ટેકનોલોજી પ્રા.લી. (ડી-53, કેપીટલ ફ્લોરા સરગાસણ)થી કંપની ચાલુ કરી હતી. આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે રોહિત અને મિહિર બન્યા હતા. રોહિત અને મિહિરના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયુંજ્યારે રોહિત અને મિહિરના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયું હતું. પરંતુ તેનો મુખ્ય મોબાઈલ નંબર સંજીવ બારીયાનો આપવામાં આવ્યો હતો. કંપની શરૂ થયા બાદ રોહિત તેના સ્પોર્ટ્સ કેમ્પમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે પણ કંપની વિશે પૂછતો ત્યારે સંજીવ અને મિહિર કહેતા કે, પૈસા ન ભરવાથી કંપની બંધ થઈ ગઈ છે. બેંક એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ સાયબર ફ્રોડમાં કર્યોજો કે, 7 જાન્યુઆરી, 2025ના રોજ રોહિતને ચોંકાવનારી વાસ્તવિકતાની જાણ થઈ હતી. જ્યારે હૈદરાબાદ પોલીસ તેને ગાંધીનગર ખાતેથી પકડીને લઈ ગઈ ત્યારે ખબર પડી કે આ બંને મિત્રો તેની જાણ બહાર કંપની અને બેંક એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ સાયબર ફ્રોડમાં કરી રહ્યા હતાં. બંને મિત્રોનો ગુનાહિત ઈતિહાસ, ઇન્ફોસિટી પોલીસમાં ગુનો દાખલઆ ફ્રોડના કારણે તેની કંપની વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 26 સાયબર ફ્રોડની અરજીઓ અને ગુનાઓ દાખલ થયેલા હતાં. જ્યારે સંજીવ બારીયા હૈદરાબાદના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે. અને મિહિર બારીયા પણ અમદાવાદના સરખેજ ખાતેના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા રોહિત પણ કાયદાના ચક્કરમાં ફસાઈ ગયો હતો. આ અંગે રોહિતની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:40 am

ગંધાર કથામાં દિલ્હી વિસ્ફોટના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ:આહિર-ભરવાડ સમાજની કથામાં બે મિનિટનું મૌન પાળ્યું

વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાથા ખાતે સમસ્ત આહિર અને ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે કથાના ત્રીજા દિવસે ધાર્મિક વાતાવરણ વચ્ચે કથાનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વ્યાસપીઠ પર વિનોદ ભટ્ટ શાસ્ત્રીજી બિરાજમાન હતા, જ્યારે અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આહિર અને ભરવાડ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:39 am

સ્પાઇસજેટમાં 5 વધુ બોઇંગ 737 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 176 ફ્લાઇટ્સ સાથે શિયાળુ સિઝનની તૈયારી

સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 5 બોઇંગ 737 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેમાં એક બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 35 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા પાંચ એરક્રાફ્ટના ઉમેરા સાથે, સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 15 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે. આ 15 વિમાનોમાં 14 વિમાનો ડૅમ્પ લીઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. નવા ઉમેરાયેલા તમામ વિમાનોએ તાત્કાલિક ધોરણે વ્યાપારી કામગીરી શરૂ કરી દીધી છે, જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે. એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચીઆ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે, એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. સ્પાઇસજેટે ​​​​​5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યોઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન સ્પાઇસજેટએ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 10 થઈ ગઈ હતી. ત્યારે સ્પાઇસજેટએ વધુ 5 એરક્રાફ્ટ ઉમેરીને કુલ 15 એરક્રાફ્ટ વધુ ઉમેર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:31 am

કારની ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી:નરોડા પોલીસે નવી કારની ડિલિવરી કરવા આવેલા કન્ટેરનરમાંથી 15 લાખનો દારૂ ઝડપ્યો

અમદાવાદની નરોડા પોલીસે નવી નક્કોર કારના કન્ટેરમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે 6 ગાડીઓની વચ્ચેથી 15 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. હરિયાણાથી કન્ટેનર ગાડીની ડિલિવરી માટે આવ્યું હતું જેમાંથી દારૂ ઝડપ્યો છે. પોલીસે 15 લાખ દારૂ, 6 કાર, કન્ટેનર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કારના કન્ટેનરની આડમાં દારૂનો જથ્થો હરીયાણાથી અમદાવાદ પહોંચ્યોનરોડા પોલીસની ટીમને બાતમી મળી હતીકે કારના કન્ટેનરની આડમાં દારૂનો જથ્થો હરીયાણાથી અમદાવાદ આવી રહ્યો છે જેના કરાઈ કટ પાસે સફેદ કલરની બંધ બોડીનુ કન્ટેનર રોક્યું હતું. પોલીસે કન્ટેરનને રોકીને ડ્રાઈવર જફરૂદ્દીન અબ્દુલરીમની અટકાયત કરી લીધી હતી. પોલીસે જફરૂદ્દીનની પુછપરછ કરી ત્યારે તેણે કન્ટેરનમાં 6 નવી નક્કોર કાર જણાવ્યું હતું. જોકે પોલીસે તપાસ કરતા કારની વચ્ચે દારૂનો જથ્થો સંતાડોયો હતો. જફરૂદ્દીન એક પછી એક કન્ટેરનમાંથી દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. કન્ટેરનમાં એકાદ બે પેટી દારૂ નહી પરંતુ 15 લાખ રૂપિયાની 2215 દારૂની બોટલો હતી.પોલીસે કન્ટેરન ચાલક જફ્રૂદ્દીનની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ હાથ ધરી હતી. કન્ટેનર અને દારૂનો જથ્થો જપ્ત જફરૂદ્દીનની પુછપરછમાં તેણે કબુલાત કરી છેકે દારૂનો જથ્થો હરીયાણામાં રહેતા કાશીરામે મોકલાવ્યો હતો. પોલીસે કન્ટેનર અને દારૂનો જથ્થો જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અમદાવાદમાં પહેલી વખત નવી નક્કોર કારની આડમાં દારૂનો જથ્થો આવી રહ્યો હતો.હરીયાણાના ઠેકેદારે ડ્રાઈવર જફરૂદ્દીનને દારૂને ખેપ મારવા માટે ફોડી લીધો હતો. રૂપિયાની લાલચમાં જફરૂદ્દીન દારૂનો જથ્થો હરીયાણાથી લાવ્યો હતો. કાર કંપનીના સત્તાધીશોને સપનામાં પણ ખ્યાલ ના હતો કે તેમનો ડ્રાઈવર દારૂની હેરફેર કરી રહ્યો છે. પોલીસની તપાસમાં હાલ જફરૂદ્દીન પહેલી વખત દારૂનો જથ્થો લઈને આવ્યો હોવાનુ સામે આવ્યુ છે પરંતુ હજુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:23 am

રાણપુરના જાળીલા ગામે દલિત સગીરનો મૃતદેહ મળ્યો:હાથ ભાગી, ગળું દબાવી, છરીથી ઘા માર્યાના શંકાસ્પદ નિશાનોથી મોતનું રહસ્ય ઘેરાયું, પોલીસ તપાસ શરૂ

રાણપુર તાલુકાના જાળીલા ગામે મોડી રાત્રે એક દલિત સગીર નો મૃતદેહ પાણીની ટાંકી પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી તરીકે થઈ છે.અને તે કોલેજમાં અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો. જોકે, તે મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો સગીર હર્ષદ સોલંકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. મૃતદેહ પર કેટલાક નિશાનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો બોટાદની હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:20 am

માતાની બીમારીને લઈ મહિલાએ રજા લેતાં નોકરી પરથી છૂટી કરાઈ:દુકાનદારે પગાર પણ ન આપ્યો, 181 અભિયમની ટીમ મહિલાની વહારે આવી

સ્ત્રી સશક્તિકરણને લઈ મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે સાથે સુરક્ષિત અને પોતાના હક માટે લડત આપતી બની છે. ત્યારે મહેસાણા પંથકની એક ત્યકતા મહિલાને પિયરમાં રહેતા પોતાનું અને પોતાની માતાનું ગુજરાન ચલાવવા એક દુકાનદારને ત્યાં નોકરી કરવી પડી હતી. જોકે એક સંજોગે મહિલાની લાચારીનો ફાયદો ઉઠાવતા દુકાનદારે તેને પગાર ન આપી નોકરી પર છૂટી કરી દેવામાં આવતા મહિલાએ જાગૃતતા અને હિંમત દાખવી 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદની ગુંજાઈશ કરી હતી. માતાની બીમારીને લઈ મહિલાએ રજા લેતાં નોકરી પરથી છૂટી કરાઈમહિલાને દુકાનદાર દ્વારા કરાતા અન્યાય અંગે રજુઆત મળતા મહેસાણા ખાતે કાર્યરત 181 અભિયમની ટીમ તુરંત મદદ માટે મહિલા પાસે પહોંચી હતી. જ્યાં મહિલાની રજુઆત આધારે દુકાનદાર સાથે કાઉન્સેલિંગ કરતા દુકાનદારે તે મહિલાએ તેમના કપડાના વેપારની તહેવારો ટાણેની સારી સીઝનમાં જ લાંબી રજાઓ મૂકી દેતા દુકાનના કામ પર અસર થઈ હોવાને લઇ તેને છૂટી કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. દુકાનદારે પગાર પણ ન આપ્યો, 181 અભિયમની ટીમ મહિલાની વહારે આવીતો મહિલાએ પોતાની માતાની તબિયત નાજુક થતા રજાઓ લીધી હોવાનો ખુલાસો કર્યો હતો. તો તેનો બાકી નીકળતો પગાર આપતા ન હોવાનું કહેતા કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી મહિલાનો પૂરો પગાર દુકાનદાર પાસેથી અપાવ્યો હતો. બીજી તરફ મેડિકલ કારણે લીધેલ રજા વ્યાજબી હોવાને લઈ દુકાનદાર નોકરી પરથી છુટા ન કરી શકે તેમ સમજવતા દુકાનદારે મહિલાને પરત નોકરી પર લેવા તૈયારી બતાવી હતી. જોકે મહિલાએ ફરી ત્યાં નોકરી કરવાનો ઈન્કાર કર્યો હતો. જોકે 181ની મદદથી મહિલાને સન્માન સાથે તેનો હક અને અધિકાર મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:16 am

ચોરાયેલા 500 ગ્રામ સોના સામે ફક્ત 150 ગ્રામની જ FIR:લિંબાયત પોલીસ વિવાદમાં, જૈન દંપતીનો આક્ષેપ-પુરાવા આપ્યા છતાં વિલંબ, પોલીસે કહ્યું'તપાસ ચાલુ, વધારાનું નિવેદન લેવાશે'

સુરતનું લિંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં એક ચોરીના ગંભીર કેસમાં પોલીસે ઓછી રકમની ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં રહેતા જૈન દંપતીના ઘરે ભાઈબીજના તહેવારના દિવસે થયેલી ચોરીની ઘટનામાં, ફરિયાદીઓનો દાવો છે કે લગભગ 60 લાખથી વધુની કિંમતનું 500 ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદી ચોરાઈ ગયું છે, જ્યારે પોલીસે માત્ર 150 ગ્રામ સોનાની અને કુલ 2.5 લાખની ચોરીની જ ફરિયાદ નોંધી છે. ગોલ્ડ લોનનાં બિલ હોવા છતાં ફરિયાદમાં વિલંબલિંબાયત વિસ્તારના રહેવાસી દિનેશ જૈન અને તેમના પત્ની રીન્કુ જૈને ફરિયાદમાં જણાવ્યું હતું કે 31મી તારીખે જ્યારે તેઓ પારિવારિક પ્રસંગમાં ગયા હતા, ત્યારે રાત્રે તેમના બંધ ઘરમાં મોટી ચોરી થઈ હતી. તેમના મતે, ચોરાયેલા માલમાં લગભગ 500 ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાજેતરમાં એક પ્રોપર્ટીની ડીલના ટોકન પેટે મળેલા 8 લાખ રોકડા પણ ચોરાઈ ગયા હતા. ઘરેણાંના ગ્રામ અને કિંમતના બિલને ધ્યાનમાં લીધા નથીદંપતીનો મુખ્ય આક્ષેપ એ છે કે પોલીસે વાસ્તવિક નુકસાનના પ્રમાણમાં ફરિયાદ નોંધી નથી. રીન્કુ જૈને જણાવ્યું કે તેમને તેમના પિયર અને સાસરા પક્ષ તરફથી ઉપહાર સ્વરૂપે દાગીના મળ્યા હતા, જેના મૂળ બિલ તેમની પાસે ન હતા. જોકે, આ તમામ ઘરેણાં પર હાલમાં જ તેઓએ ગોલ્ડ લોન લીધી હતી અને પ્રોપર્ટી ખરીદવાની હોવાથી લોન પરથી છોડાવીને ઘરે મૂક્યા હતાં.લોનના દસ્તાવેજોમાં ઘરેણાંના ગ્રામ અને કિંમતની સંપૂર્ણ વિગતો હોવા છતાં, પોલીસે આ બિલને ધ્યાનમાં લીધા નથી. 'પોલીસ તે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી'દંપતીનો આક્ષેપ છે કે, પોલીસે માત્ર એટલા જ ઘરેણાંની ચોરીની ફરિયાદ દાખલ કરી છે, જેના જુના બિલ ઉપલબ્ધ હતા અને તે પણ જુના ભાવે કિંમતનો ઉલ્લેખ કરીને. લોન કંપનીની રીસીપ્ટમાં બાકીના તમામ ઘરેણાંની વિગત, વજન અને કિંમત સ્પષ્ટપણે દર્શાવેલ છે, તેમ છતાં પોલીસ તે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી. 60 લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર 2.5 લાખની ચોરી પોલીસ સ્ટેશન તરફથી દંપતીને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, જેટલા ઘરેણાંના બિલ રજૂ થશે, એટલાની જ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ દલીલને કારણે આશરે 60 લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર 2.5 લાખની ચોરી તરીકે નોંધાયો છે. ચોરીની ઘટનાને 13 દિવસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. આ વિવાદિત ફરિયાદને કારણે જૈન દંપતી ભારે મુશ્કેલીમાં મુકાયું છે અને ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનથી લઈ અન્ય વહીવટી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યું છે. તેઓએ આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. 'તપાસ ચાલુ, વધારાનું નિવેદન લેવાશે'આ સમગ્ર મામલે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન. કે. કામડીયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે, હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદીનું વધારાનું નિવેદન લેવામાં આવશે અને તેઓ જે પણ નવા બિલ અથવા લોનના દસ્તાવેજો આપી રહ્યા છે, તે પણ તપાસ માટે સ્વીકારી લેવામાં આવશે. 'બિલ પોલીસને આપ્યા, તેમ ફરિયાદમાં વિગતો ઉમેરાતી નથી'જોકે, ફરિયાદી દંપતીનો આક્ષેપ છે કે તેઓએ લોનના તમામ બિલ પોલીસને આપ્યા છે, તેમ છતાં ફરિયાદમાં વિગતો ઉમેરાતી નથી. લિંબાયત પોલીસ સ્ટેશનનો આ વર્તન પોલીસના કાર્યભાર અને સંવેદનશીલતા પર સવાલો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે ફરિયાદી ચોરી થયેલા દાગીનાના કાયદેસરના પુરાવા ગોલ્ડ લોન રીસીપ્ટ રજૂ કરી રહ્યા હોય. દંપતીએ આશા વ્યક્ત કરી છે કે ઉપરી અધિકારીઓની દરમિયાનગીરી બાદ તેમની વાસ્તવિક નુકસાનની રકમ અને અન્ય ઘરેણાંની વિગતો ફરિયાદમાં દાખલ થશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:10 am

Paytmના કર્મચારી બની છેતરપિંડી:વૃદ્ધનું સાઉન્ડ બોક્સ પરત લેવાના બહાને 96 હજાર ટ્રાન્સફર કરી લીધા

ઘાટલોડિયામાં વૃદ્ધને Paytmનું સાઉન્ડ બોક્સ પરત આપવાનું હોવાથી તેમને અજાણ્યા વ્યક્તિએ PAYTM ના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને પેટીએમમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તે વૃદ્ધનો પાસવર્ડ જોઈ ગયો હતો. જે બાદ વૃદ્ધ પાસેથી મોબાઇલ લઈને સાઉન્ડ બોક્સ પરત આપવાની પ્રક્રિયાના નામે મોબાઈલમાંથી 96 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. વૃદ્ધે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખસે paytmના કર્મીની ઓળખ આપીનારણપુરામાં રહેતા મહેશભાઈ બોરીસા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓ છેલ્લા દસ વર્ષથી રાણીપમાં દુકાન ચલાવતા હતા તે વખતે તેમની પાસે પેમેન્ટ માટે paytmનું સાઉન્ડ બોક્ષ હતું, પરંતુ તેમણે ઓગસ્ટ મહિનાથી દુકાન બંધ કરી દીધી હતી, જેથી સાઉન્ડ બોક્સ પડી રહ્યું હતું. 4 નવેમ્બરના રોજ તેઓ તેમના મિત્રની દુકાન પર બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ આવ્યો હતો જેને પોતાનું નામ બ્રિજેશ પટેલ જણાવ્યું હતું. બ્રિજેશ paytmનો કર્મચારી હોવાનું પણ જણાવ્યું હતું. બ્રિજેશે મહેશભાઈને કહ્યું હતું કે paytmને લગતું કોઈપણ કામ હોય તો મને કહેજો. આરોપીએ 20 મિનિટ સુધી ફરિયાદીનો ફોન રાખ્યોમહેશભાઈએ બ્રિજેશને જણાવ્યું હતું કે, તેમના દુકાનનું paytmનું સાઉન્ડ બોક્ષ હતું, જે હવે ઉપયોગમાં નથી જેથી પરત કરવાનું છે. બ્રિજેશે મહેશભાઈને કહ્યું હતું કે, તમે તમારા paytmમાં એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરો. મહેશભાઈ જ્યારે એક રૂપિયો ટ્રાન્સફર કરતા હતા ત્યારે બ્રિજેશ મહેશભાઈનો પીન જોતો હતો. જે બાદ મહેશભાઈને કહ્યું હતું કે, તમારું સરનામું મને આપજો તો તમારા ઘરે આવીને તમારું પેટીએમ બોક્સ લઈ જઈશ. બ્રિજેશ મહેશભાઈના ઘરે ગયો હતો અને મહેશભાઈનો મોબાઇલ માંગીને paytm બોક્સ બંધ કરવા માટે મેસેજ કરવો પડશે તેમ કહીને 20 એક મિનિટ સુધી મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો અને કહ્યું હતું કે તમારું બોક્સ સાંજ સુધીમાં બંધ થઈ જશે અને કાલે હું પરત લઈ જઈશ. ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી6 નવેમ્બરે જ્યારે મહેશભાઈ બેંકમાં ગયા ત્યારે બેંકમાં બેલેન્સ ચેક કરતા બેલેન્સ ઓછું થયું હતું. તેમને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું તો સ્ટેટમેન્ટ ચેક કરતા કરતા 4 નવેમ્બરે તેમના ખાતામાંથી 47999ના બે ટ્રાન્જેક્શન થયા હતા. તેમના બેંક ખાતામાંથી કુલ 95,998 રૂપિયા તેમની જાણ બહાર બ્રિજેશ પટેલ paytm બોક્સ બંધ કરવાના બહાને ટ્રાન્સફર કરી લીધા હતા. મહેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:08 am

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત હાઈ એલર્ટ પર:શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલોડ, AI કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ

રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 1600 CCTV કેમેરાનું સઘન નેટવર્કસુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા 1600 જેટલા CCTV કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનીમાં નાની શંકાસ્પદ હિલચાલને પણ ઝડપી લેવામાં આવે છે. AI ટેક્નોલોજીથી હિસ્ટ્રી શીટરોનું નિરીક્ષણસુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવતા, સુરત પોલીસે AI બેઝડ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે. આ કેમેરાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડેટાના આધારે, AI કેમેરા આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી શકે છે. જો આ 1100માંથી કોઈ પણ હિસ્ટ્રી શીટર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરે, તો AI સિસ્ટમ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલી આપે છે. આનાથી પોલીસને સંભવિત ગુના કે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ પગલાં લેવામાં મદદ મળે છે. ઔદ્યોગિક વિસ્તારમાં વિશેષ તકેદારીસુરતનું હજીરાનું ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ છે. આ વિસ્તારમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિત તમામ જગ્યાઓ પર AI બેઝડ કેમેરા દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. વધુમાં, ઔદ્યોગિક એકમોના ખાનગી કેમેરા નેટવર્કની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી આ વિસ્તારની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે. AI અને CCTV કેમેરાના નેટવર્ક ઉપરાંત, પોલીસ દ્વારા મેન્યુઅલ હ્યુમન સોર્સની મદદથી પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ટેક્નોલોજી અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સનું આ સંકલન સુરત શહેરને કોઈ પણ પ્રકારના આતંકવાદી કે અસામાજિક તત્વોના પ્રયાસોથી સુરક્ષિત રાખવા માટે નિર્ણાયક સાબિત થશે. દિલ્હી બ્લાસ્ટ બાદ શહેર પોલીસની આ સક્રિયતા વધી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:32 am

ગોધરા નજીક કાર અકસ્માત: લગ્નમાં જઈ રહેલા 5 ઘાયલ:વડોદરાનો શાહ પરિવાર મધ્યપ્રદેશ જતો હતો, રેલિંગ કૂદીને કાર ફંગોળાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક સંતરોડ પાસે આવેલા ભથવાડા ટોલનાકા આગળ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારની કારને આ અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે વડોદરાના આજવા રોડ પર આવેલી A/12 ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો. અચાનક તેમની કાર રોડ પરથી રેલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં સવાર પાંચેય વ્યક્તિ બહાર ફેંકાઈ ગયા હતા. અકસ્માતમાં નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી, પરંતુ ઈજાઓની ગંભીરતાને જોતા તેમને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:27 am

લુણાવાડા કિસાન મેળામાં ₹36 કરોડની સહાય અપાઈ:બેંક ઓફ બરોડાએ ખેડૂતોને યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹36 કરોડના સાધનો અને લોન સ્વરૂપે સહાય પૂરી પાડવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના સશક્તિકરણ અને તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવાના હેતુથી બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થાના મુખ્ય કાર્યાલય ખાતે આ મેળાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કિસાન મેળામાં બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ખેડૂતોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને તેમને મળેલ સહાયથી કૃષિ કાર્યોમાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:09 am

કચ્છમાં ગુલાબી ઠંડીની જમાવટ, 14.5 ડિગ્રીએ નલિયા રાજ્યમાં બીજા ક્રમે:ભુજમાં 18.4 ડિગ્રીએ ઠંડીની પકડ, લોકોએ ગરમ વસ્ત્રોનો આશરો લીધો

સરહદી કચ્છ જિલ્લામાં સામાન્ય ઠંડી જળવાઇ રહી છે. જિલ્લાની છેવાડે આવેલા અબડાસા તાલુકાના વડા મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રીએ નોંધાયું છે, જે રાજ્યમાં બીજા સૌથી ઠંડા મથક તરીકે રહેવા પામ્યું છે, જ્યારે 13.5 ડિગ્રીએ રાજ્યનું અમરેલી મોખરે નોંધાયું છે. ભુજ શહેરમાં સંધ્યાકાળથીજ ગુલાબી ઠંડીની ચમક અનુભવાય રહી છે. રાત્રે બહાર ટહેલવા જતા લોકો હવે અંતર ટૂંકાવી ઘરે વહેલા પરત ફરી રહ્યા છે.જોકે સપ્તાહ દરમ્યાન કચ્છના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. કચ્છી કાશ્મીર નલિયામાં લઘુતમ પારો ગઈકાલથી સામાન્ય સ્તરે ઘાટીને 14.5 ડિગ્રીએ પહોંચતા ઠંડીની ચમક વર્તાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા મથક ભુજ શહેરમાં આજે ગુરુવારે લઘુતમ તપામાન 18.4 ડિગ્રીના આકે રહેતાં સાંજથી લઇ વહેલી સવાર સુધી ઠંડીની પકડ જળવાયેલી રહી છે. ખાસ કરીને ગુલાબી ઠંડીમાં પણ સવારના શાળાએ જતા બાળકો અને કામ-ધંધા માટે નીકળેલા લોકો હવે ગરમ વસ્ત્રોનો આશરો લેતા નજરે પડ્યા હતા. દરમિયાન ગઈકાલે મહત્તમ તપામાન 32 ડિગ્રી આસપાસનોંધાતાં બપોરના સમયે હૂંફાળા માહોલની અનુભૂતિ લોકોએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:05 am

પાટણમાં મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન:15,16, 22, 23 નવેમ્બરે BLO હાજર; મતદારો ફોનથી પણ સંપર્ક કરી શકશે

પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 15,16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ સ્વીકારવા અને 2002ની મતદાર યાદીમાં નામ શોધવા જેવી કાર્યવાહી કરવામાં આવશે. 1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વયના થતા નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. BLO દ્વારા મતદારનું નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં રજૂ કરવાના થતા પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પાટણ જિલ્લાના મતદારો ફોર્મ પર છાપેલા BLOના નંબર પર અથવા voters.eci.gov.in વેબસાઇટ પરથી 'Book a Call with BLO' વિકલ્પનો ઉપયોગ કરીને ફોન દ્વારા સંપર્ક કરી શકશે. પાટણ જિલ્લાની વિધાનસભાના મતદારો માટે 1222 બૂથ લેવલ ઓફિસર્સ (BLO) મતદાર યાદી અપડેટ કરવા માટે ઘરે ઘરે જઈને ચકાસણી કરી રહ્યા છે. ફોર્મ વિતરણનું કાર્ય મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં BLO કર્મચારીઓને કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો અને સોસાયટીના પ્રમુખોની મદદથી મતદારો સુધી પહોંચવાનું કાર્ય ચાલી રહ્યું છે. SIR (Special Intensive Revision) કામગીરીમાં જોડાયેલા BLOs અધિકારીઓ અને સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને કાર્યની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે અને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. SIR પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ નકલી અથવા ડુપ્લિકેટ મતદારોને દૂર કરીને મતદાર યાદીને અપડેટ કરવાનો છે. આ કામગીરીમાં ખાસ કરીને શહેરી મતદારો, કામચલાઉ રીતે સ્થળાંતર કરનારા નાગરિકો, મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:53 am

અમરેલીમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ:જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી. બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના તમામ મતદારોની ખરાઈ 04.11.2025થી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા શરૂ થઈ છે. સને-2002ની મતદારયાદીના સંદર્ભમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in/ પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-2002માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારીઓ તમામ મતદારોના ઘેર જઈને Enumeration Formનું વિતરણ કરી રહ્યા છે અને ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ અંગે જિલ્લા કક્ષાએ 1950 હેલ્પલાઈન નંબર કાર્યરત છે. જે મતદારોના ઈન્યુમરેશન ફોર્મ પૂર્ણ વિગતો સાથે ભરાઈ ગયા છે, તેઓ પોતાના સંબંધિત બુથના BLOને ફોર્મ પરત આપી શકશે. આગામી 15.11.2025, 16.11.2025, 22.11.2025 અને 23.11.2025ના રોજ સવારે 9.00થી 1.00 કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ મતદારો BLOની મદદથી મેપિંગ/લિન્કિંગ કરાવી શકશે તથા ફોર્મ ભરવા માટે માર્ગદર્શન મેળવી શકશે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને BLA મારફત આ માહિતી તમામ મતદારો સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મતદારો BLOનો ફોનથી સંપર્ક કરવા માટે Voters.eci.gov.in પરથી Book a call BLO વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેસાઈ તેમજ જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:51 am

ધાતરવડી ડેમ-2નો મનમોહી લેતો ડ્રોન નજારો:છલોછલ ભરાયેલો ડેમ, ચારેતરફ લીલોતરી અને પથ્થરની ખાણો, અદભુત નજારાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા ધાતરવડી ડેમ 2, બાયપાસ માર્ગ અને પથ્થરની ખાણોનો ડ્રોન નજારો સામે આવ્યો છે. સંજયભાઈ નામના યુવકે ડ્રોન કેમેરાથી આ વીડિયો કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છલોછલ ભરાયેલો ​​​​ડેમ આ વાયરલ વીડિયોમાં ધાતરવડી ડેમ 2 છલોછલ ભરાયેલો જોવા મળે છે. ડેમને અડીને પસાર થતો બાયપાસ રોડ અને તેની ઉપર આવેલી વર્ષો જૂની પથ્થરની ખાણો પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ દ્રશ્યો ડ્રોન કેમેરા દ્વારા અનોખી રીતે કેદ કરવામાં આવ્યા છે. અહીં લોકો ફરવા માટે પણ આવે છેધાતરવડી ડેમ 2 ની સામે કુંભનાથ અને સુખનાથ મહાદેવના પૌરાણિક મંદિરો પણ આવેલા છે. બાયપાસ રોડ ડેમ કાંઠે આવેલા આ મંદિરો અને આસપાસના વિસ્તારમાં શહેરના લોકો દરરોજ ફરવા માટે આવે છે. આ વિસ્તારનો અદભુત નજારો કેમેરામાં કેદ થતાં લોકોમાં આકર્ષણ જાગ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:50 am

પાટણ હત્યા કેસમાં માતા અને પ્રેમી નિર્દોષ છૂટ્યા:કોર્ટે પુરાવાને શંકાસ્પદ ગણી 49 પાનાનો ચુકાદો આપ્યો

પાટણની સેશન્સ કોર્ટે લગભગ પોણા બે વર્ષ જૂના ચકચારી હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સરસ્વતીના રવિયાણા ગામે માનસિક અસ્થિર યુવાન કિરણની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેની માતા હંસાબેન અને પ્રેમી રમેશભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આ નિર્ણય લીધો હતો. સેશન્સ કોર્ટના જજ એમ.એ. શેખે આ કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા 26 મૌખિક અને 54 દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી હતી. જોકે, કેસના પંચો અને સાક્ષીઓ ફરી જતાં (હોસ્ટાઈલ) તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના 49 પાનાના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુનો સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નીવડ્યો છે. આ કેસની વિગત એવી છે કે, મૂળ કાંકરેજના થરા અને હાલ રાનેરના રહેવાસી હંસાબેનનો માનસિક અસ્થિર પુત્ર કિરણ, હંસાબેન અને તેમના પ્રેમી રમેશભાઈ (મૂળ ખોડાણા)ના પ્રેમ સંબંધોમાં બોજારૂપ બનતો હતો. આથી બંનેએ કિરણને રસ્તામાંથી હટાવી દેવાનો કથિત પ્લાન ઘડ્યો હતો. તારીખ 17 જાન્યુઆરી, 2024 ના રોજ સરસ્વતીના રવિયાણા ગામના એક તબેલાની ઓરડીમાં રમેશભાઈએ કિરણના કપાળમાં પાવડા અને તેના હાથાથી માર માર્યો હતો. મરનાર ઊંઘમાંથી ઊભો થવા જતાં તેની માતાએ પણ પાવડાથી માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ બંનેએ લાશને મીણીયાની થેલીમાં ભરી બનાવના સ્થળથી 120 મીટર દૂર એક ખેતરમાં ઘાસમાં છૂપાવી પુરાવાનો નાશ કર્યો હતો. હંસાબેને ગુનો છૂપાવવા બનાવના ત્રણ દિવસ બાદ તારીખ 20 જાન્યુઆરી, 2024 ના રોજ પુત્ર ગુમ થયાની જાણવા જોગ નોંધ વાગડોદ પોલીસ મથકે કરાવી હતી. જોકે, પોલીસ તપાસમાં કિરણની લાશ મળી આવતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે હંસાબેન તથા રમેશભાઈની ધરપકડ કરી હતી. કોર્ટે આ કેસનું અવલોકન કરતા ટિપ્પણી કરી હતી કે, કેસની જાણવા જોગ નોંધ અને એફઆઇઆરમાં વિરોધાભાસી હકીકતો બહાર આવી છે. પંચ સાક્ષીઓના પુરાવા પંચનામાની હકીકતોથી વિરોધાભાસી હોવાથી તે પુરાવા પર આધાર રાખી શકાય નહીં, જેથી તે પુરાવો શંકાસ્પદ જણાય છે. વધુમાં, પંચનામાના તપાસેલા પંચો ફરી ગયેલા જાહેર થયા હોવાથી પંચનામાના પુરાવા પૂરવાર થયેલા માની શકાય નહીં. આરોપીઓ લગભગ 1 વર્ષ, 9 મહિના અને 14 દિવસથી અંડર ટ્રાયલ પ્રિઝનર (યુટીપી) તરીકે સબ જેલમાં હતા. કેસમાં ચીફ એલ.એ.ડી.સી જી.એસ. પ્રિયદર્શી અને આરોપીઓના વકીલ આર.એસ. વણકરે રજૂઆતો કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:44 am

આવતા સપ્તાહથી કડકડતી ઠંડીની શરૂઆત થશે:અમરેલી 13 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર, ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે

ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. 12 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ભુજમાં 18, નલિયામાં 16, કંડલામાં 19, અમરેલીમાં 13, ભાવનગરમાં 16, દ્વારકામાં 21, ઓખામાં 23, પોરબંદરમાં 17, રાજકોટમાં 15, વેરાવળમાં 19, દીવમાં 16, સુરેન્દ્રનગરમાં 17, મહુવામાં 15, કેશોદમાં 15, અમદાવાદમાં 15, ડીસામાં 17 અને ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર અમરેલીરાજ્યમાં સૌથી ઠંડુ શહેર અમરેલી છે. જ્યાં તાપમાન ફક્ત 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. બીજી તરફ, સૌથી વધુ તાપમાન ઓખામાં 23 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે. આવતા સપ્તાહથી કડકડતી ઠંડીની શરૂઆત થશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે, જ્યારે રાત્રે ઠંડક રહેશે. રાજ્યમાં હાલમાં મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી વચ્ચે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. અમરેલી રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે. જોકે, આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે. રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આવતા સપ્તાહથી કડકડતી ઠંડીનું આગમન થશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:15 am

વરાછામાં પાણીનો ફુવારો ઓવર બ્રિજ સુધી ઊડ્યો:બરોડા પ્રિસ્ટેજ પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો, હજારો લિટર પાણીનો વેડફાટ

સુરતના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઈનનું ખોદાણ થતું હતું ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ફલાય ઓવરબ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મળતી વિગત મુજબ વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેઝ પાસે ગટરલાઇનનું કામ કરી રહેલા ઈજારદાર આર.કે. કંસ્ટ્રકશનની બેદરકારીના પગલે પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ પડયું હતું. સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા હતા. ફુવારો એટલો ઊંચે સુધી હતો કે વરાછા ફલાય ઓવરબ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ પર રેલમછેલ થઇ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજ ઈજારદારે થોડા દિવસ પહેલાં આજ વિસ્તારમાં બેદરકારી દાખવતા પાણીની લાઈન તોડી હતી અને પાણી વિભાગે 7 લાખની પેનલટી ફટકારી હતી. બરોડા પ્રિસ્ટેજ પાસે કામ ચાલુ થયું ત્યારે પણ પાણી વિભાગના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરાઈ હતી, આમ છતા અહીં પણ પાણીની લાઇન તોડી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:06 am

ઈઝરાયલમાં રહેતી પત્નીએ પાવર ઓફ એટર્નીથી છૂટાછેડાનો કેસ કર્યો:કહ્યું- પતિ ત્રણ મહિલાઓ સાથે સંબંધમાં રહ્યો, એક મહિલા સાથે જતો રહ્યો છે, 11 વર્ષથી અલગ છીએ

ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જો કે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રિજેશ રામાનુજ દ્વારા અપીલ દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં વધુ કાર્યવાહીની શકયતા છે. લગ્ન સમયે આપેલા ઘરેણા સાસરિયાએ પોતાના કબજામાં લીધા હતાકેસની વિગતો જોતા વર્ષ 2009માં આણંદની યુવતીના લગ્ન વડોદરામાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીના આ બીજા લગ્ન જ્યારે યુવકના આ પહેલા લગ્ન હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયામાં તેને હેરાનગતિ કરાતી, તેને મ્હેણાં મરાતા અને દહેજની માગ કરવામાં આવતી. લગ્ન સમયે પિયરીયાઓએ આપેલા ઘરેણા સાસરિયાએ પોતાના કબજામાં લઈ લીધા હતા. સાસુ પણ તેને ઘરકામમાં મદદ કરાવવાની જગ્યાએ ટેલિવિઝન જોતા અને અડોસ- પડોશની મહિલાઓ સાથે ગપ્પા મારતા હતા. લગ્નના 7 મહિના બાદ તેને ઘરમાંથી કાઢી મુકાતા તે પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી. પુત્રના ભરણપોષણ માટે ઈઝરાયલથી પૈસા મોકલતી હતીવર્ષ 2011માં આ લગ્નજીવનથી તેને એક પુત્રનો જન્મ થયો હતો. તે ગર્ભવતી હતી ત્યારે તેને ગર્ભપાત માટે સાસરિયાઓ દબાણ કરતા હતા. પોતાની આર્થિક પરિસ્થિતિને લઈને તેને કમાવવા ઈઝરાયલ જવું પડ્યું હતું. જ્યાં તે કેરટેકરની નોકરી કરતી હતી. સગીર પુત્ર પતિના કબજામાં હોવાથી તેના ભરણપોષણ માટે પત્ની ઇઝરાયલથી ગુજરાત પૈસા મોકલતી, પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો. તેને કુલ 60 લાખ રૂપિયા ઇઝરાયલથી મોકલ્યા હતા. વળી પતિ વર્ષ 2024માં અન્ય એક મહિલાને લઈને ભાગી ગયો હતો. વડોદરા ફેમિલી કોર્ટે પત્નીને છૂટાછેડા આપવા ઇનકાર કર્યો હતોઆથી પત્નીએ વર્ષ 2024માં પાવર ઓફ એટર્ની દ્વારા વડોદરાની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે ફેબ્રુઆરી, 2025માં ફેમિલી કોર્ટે ચુકાદો આપતા પત્નીને છૂટાછેડા આપવા ઇનકાર કર્યો હતો. આ સમગ્ર કેસ એક તરફે ચાલ્યો હતો, કારણ કે પતિ કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યો નહોતો. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ પતિ સામે ક્રૂરતાના પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા નથી. અરજદાર પત્ની પોતે વિદેશમાં રહે છે એટલે પોતે લગ્નજીવન ભોગવી શકતી નથી. અરજદાર તરફથી પૂરતા સાહેદ કોર્ટ સમક્ષ રજૂ કરાયા નથી. અરજદારે પોતાના પતિને રૂપિયા મોકલ્યા હતા તે સંબંધના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આથી આ અરજી નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:06 am

અમરેલીના ભાયાવદરમાં સ્મશાન પાસે ફ્લડ પ્રોટેક્શન વોલ મંજૂર:₹30 લાખના કામને સિદ્ધાંતિક મંજૂરી, ટૂંક સમયમાં શરૂ થશે

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ભાયાવદર ગામમાં સ્મશાન પાસે ફ્લડ પ્રોટેક્શન વોલના નિર્માણ માટે ₹30.89 લાખના કામને સિદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્ય સરકારના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયાસોથી આ દરખાસ્તને સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કામ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લડ પ્રોટેક્શન વોલ એટ ભાયાવદર વિલેજ નિયર સ્મશાન તરીકે ઓળખાય છે અને તે પંચાયત સિંચાઈ વિભાગ, અમરેલી હસ્તક હાથ ધરાશે. સિદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય અને મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ અગાઉ આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રી વેકરિયાએ આ કામને સિદ્ધાંતિક મંજૂરી આપવા માટે રજૂઆત અને દરખાસ્ત કરી હતી, જેના પરિણામે આશરે ₹30 લાખની રકમ ફાળવીને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:59 am

વેપારીની આંખ સામે 18 લાખની લૂંટ:બાઇક ચાલકે ઝગડો કરી જ્યુપીટરની ચાવી રોડ પર ફેંકી દીધી, વેપારી લેવા જતા 2 શખસ ડેકીમાંથી પૈસા લઈ ફરાર

અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ 21માંથી 18 લાખ ડેકીમાં મુક્યા હતાંસાબરમતીમાં રહેતા નારાયણદાસ બિનાની લોખંડના ખરીદ વેચાણનો ધંધો કરે છે. 12 નવેમ્બરે તેઓ તેમના ટુ-વ્હીલર જ્યુપિટર લઈને દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન એક વેપારીને 18 લાખ ધંધાના આપવાનો હોવાથી તેઓ નવરંગપુરા ખાતે આવેલા ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢીમાં ગયા હતા, જ્યાં તેમના વેપારના 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસામાંથી તેમણે 18 લાખ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી દીધા હતા, જ્યારે બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પર ભરાવેલી બેગમાં મૂક્યા હતા. ડેકીમાંથી પૈસા લઈ બે ફરારપૈસા લઈને તેઓ જ્યુપીટર લઈ રખિયાલ ખાતે કામ માટે નીકળ્યા હતા. સાંજે 5:15 વાગ્યાની આસપાસ સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનું આગળ બાઇક લાવીને કહ્યું કે કાકા ગાડી બરાબર ચલાવો જેમ તેમ ન ચલાવો. જેથી બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. બાઈક ચાલકે નારાયણ દાસના જયુપીટર વાહનની ચાવી કાઢીને થોડા આગળ લઈ જઈ રોડ પર ફેંકી દીધી હતી. જેથી નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યારે તેમના જયુપીટરની ડેકી ખોલીને એક્સેસ પર આવેલા બે વ્યક્તિ ડેકીમાંથી 18 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીબનાવ બનતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટનો મામલો હોવાથી ઝોન 3 ડીસીપી,એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પહોચ્યો હતો. મોડીરાત સુધી પોલીસે તપાસ કરી હતી. પોલીસે બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:45 am

‘શાકમાં જીવાતો, સંભારામાં સાવરણાની સળીઓ નીકળે’:મોડીરાતે જૂનાગઢની કન્યા છાત્રાલયમાં હોબાળો, કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો; વોર્ડનની એડમિશન રદ કરવાની ધમકી

જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરો એ ધમ પછાળા કર્યા અને મીડિયાને હોસ્ટેલની અંદર આવવા ન દીધું પરંતુ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ વાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું.હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલકો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સમગ્ર મામલે જ્યારે હોસ્ટેલે પોલીસ પહોંચી તો ​વોર્ડને પોલીસને કહ્યું પહેલા મીડિયા ને અહીંથી ભગાડી દો.. શાકમાં જીવાત અને સંભારામાં સાવરણાની સળીઓજૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયના ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને તો ક્યારેક સંભારામાં સાવરણાની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે. હોસ્ટેલમાં 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવ્યા છે, આંદોલન કરવા માટે નહીં, પરંતુ રસોયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની લિમિટ હતી, ત્યાં સુધી તેમણે આ સહન કર્યું હતું. ​​ ગાદલા પર બેડશીટ ગાયબ અને શૌચાલયોની ખંડેર હાલતભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થીની પ્રતીક્ષાબેન રાઠોડએ આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવેલો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓના રૂમમાં બેડ સીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂએ છે અને ઓશિકાની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે. મંત્રીની મુલાકાત માત્ર ફોટો સેશન બનીને રહી ​​​​​​વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે માત્ર ફોટો સેશન કરવા માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યારે મંત્રી અહીં આવ્યા હતા, ત્યારે રસોયાઓએ હાથમાં અને માથામાં ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતા, પરંતુ 365 દિવસ ગમે તેવા હાથે રસોઈ બનાવવામાં આવે છે. જે સમયે મંત્રી અહીં આવ્યા, ત્યારે રાતના 10 વાગ્યા સુધી હોસ્ટેલના કર્મચારીઓ અને સિક્યુરિટી હાજર રહ્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આવું જોવા મળતું નથી. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે કે આ હોસ્ટેલની સાચી હકીકત શું છે.. 'એડમિશન રદ કરી નાખવામાં આવશે'આજે જ્યારે હોસ્ટેલમાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને મીડિયા પહોંચ્યું, ત્યારે વિદ્યાર્થીનીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના જ અમુક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ આ સમગ્ર બાબતને દબાવી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને મીડિયાને અંદર આવવા દીધી નહોતી. જોકે, ના છૂટકે હોસ્ટેલની વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં મીડિયા અંદર પહોંચ્યું હતું. પ્રતીક્ષાબેન રાઠોડે જણાવ્યું કે રજૂઆત કરવા માટે મીડિયાને બોલાવ્યા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા અને હોસ્ટેલના વોર્ડન દ્વારા કહેવામાં આવ્યું કે જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે. સમાજના નામે આવેલા દલાલો પણ આ મુદ્દો દબાવી દેવા માટે દબાણ કરતા હતા. એક વિદ્યાર્થીનીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓને આટલો પ્રોબ્લેમ અને પરેશાની હતી, ત્યારે આ સમાજના લોકોને શા માટે કંઈ દેખાતું નહોતું. વોર્ડન અને રસોયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ થશેઃ અધિકારીવિદ્યાર્થીનીઓના આ ગંભીર આક્ષેપો બાદ, સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે આજે કન્યા છાત્રાલયમાં જમવા બાબતે હોબાળો થયો છે, જેમાં જમવાની ગુણવત્તા દીકરીઓને નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. ચેતન પવારે જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. હોસ્ટેલના વોર્ડન અને રસોયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે.જો તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનીઓએ પોતાની લિમિટ નહોતી વટાવી, ત્યાં સુધી ખરાબ ભોજન, અપૂરતી સગવડ અને સ્વાસ્થ્ય સાથેના ચેડાં સતત ચાલુ હતા. હવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને દીકરીઓને યોગ્ય સુવિધાઓ મળે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:33 am

ઇકો કાર પલટી: એકનું મોત, ચાર ઘાયલ:બગોદરા-બાવળા હાઈવે પર મોગલધામ નજીક અકસ્માત; સુરેન્દ્રનગરનો પરિવાર લોકિક કાર્ય માટે દહેગામ જતો હતો

બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુરેન્દ્રનગરના સરા ગામના શક્તિ રાઠોડ તરીકે થઈ છે. આ પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે એક લોકિક કાર્ય માટે જઈ રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ....

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:31 am

રાજકોટ જિલ્લામાં ચોમાસુ વરસાદ 62 ટકા ઘટ્યો:ઓક્ટોબરમાં મેઘો ભારે પડતા 3 માનવ, 45 પશુના મૃત્યુ થયા : 9 મકાન પડી ગયા

રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલિમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતા 62.11 ટકા ઓછો છે. જોકે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે તારાજીની ઘટના સામે આવી હતી. જેમાં 3 માનવ અને 45 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો વરસાદ પડયો હોવા છતા રાજકોટ જિલ્લામાં ચોમાસુ ભારે રહ્યું છે.વર્ષાઋતુ દરમિયાન ઉપલેટા અને પડધરીમાં એક-એક મોત થયા હતુ. જ્યારે કમોસમી વરસાદમાં ગોંડલમાં એકનું મોત થયું હતુ. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે જસદણ-જેતપુર, ધોરાજી અને રાજકોટ તાલુકામાં એક-એક મકાન પડી ગયુ હતુ. આ સિવાય ઉપલેટામાં 2 અને વિંછીયામાં 3 મકાન પડી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા મકાન સહાય પેટે આસામીઓને 40 હજારની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે વિજળી પડવાથી 45 પશુના મોત થતા પશુમાલિકોને કુલ રૂ.8,14,500ની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં 101.12 ટકા વરસાદ વરસ્યો છે. તેમાં જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં 41.36 ઈંચ તો સૌથી ઓછો વરસાદ વિંછીયામાં 13.84 ઈંચ વરસાદ પડયો છે. જયારે ધોરાજી-જામકંડોરણામાં 39 ઈંચ,રાજકોટમાં 33.64 ઇંચ, જેતપુર-લોધિકામાં 35.52 ઇંચ, કોટડાસાંગાણીમાં 26.64 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપલેટામાં 24.04 ઇંચ, પડધરીમાં 19.02 ઇંચ અને જસદણમાં 17.16 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે ઓક્ટોબર મહિનામાં રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદે રંગ રાખ્યો હતો.ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 163.23 ટકા વરસાદ પડયો હતો તેની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં સરેરાશ 62.11 ટકા વરસાદની ખાદ્ય રહી છે. તેમાં સૌથી વધુ ઉપલેટામાં 90 ટકા, ધોરાજીમાં 84 ટકા, કોટડાસાંગાણીમાં 88 ટકા અને લોધિકામાં 89 ટકા વરસાદ પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:16 am

દુષ્કર્મ:પતિ-પત્નિની તકરારનો લાભ લઇ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

ભાવનગર શહેરમાં ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા એક શખ્સે તેમના જ કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર તકરારો થતાં ભાભીને આશ્વાસન આપી, પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ કૌટુંબિક દિયરે લલચાવી, ફોસલાવી ભાભીને એક હોટલમાં લઇ જઇ, દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ કોઇને જાણ કરશે તો પતિ તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપતા પરિણીતાએ કૌટુંબિક દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગઢેચી વડલા વિસ્તારની આસપાસ રહેતા એક શખ્સને તેના કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર ઘરખર્ચ તેમજ અન્ય બાબતોને લઇને ઝઘડાઓ થયા કરતા હતા. જે વેળાએ અનેક ઝઘડાઓમાં શખ્સ ભાઇ-ભાભી વચાળે સમાધાન કરાવી, ભાભીને આશ્વાસન આપતો હતો. જે દરમિયાન તેના ભાભીને પ્રેમજાળમાં ફસાવી લેતા, અવાર નવાર એકલતામાં મુલાકાત માટે બોલાવતો હતો. એક વખત તેના કૌટુંબિક પરિણીત ભાભીને વરતેજ નજીક એક હોટલમાં લઇ જઇ કહેલ કે, હવે તું મારી પાસે આવી ગઇ છો, તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે તેમ કહી, પરિણીત ભાભીની મરજી વિરૂદ્ધ કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચરી, પતિ તેમજ સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ પણ કૌટુંબિક દિયરની ધાક વધતા, ભાભીએ તેના દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:27 am

સિદ્ધિ:ડો.મેહુલ ગોસાઈને શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કાર એનાયત કરાયો

સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના બાળરોગ વિભાગના પ્રોફેસર અને વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડોક્ટર ડૉ. મેહુલ એમ. ગોસાઈની વર્ષ-2025નો રાષ્ટ્રીય શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ-2025માં આઈ.એમ.એ. (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા દર વર્ષે અપાતા શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારમાં આઈ.એમ.એ. સાથે જોડાયેલા ગુજરાત સહિત દેશભરમાંથી અનેક તબીબોએ પોતાની એન્ટ્રી મોકલી હતી. વર્ષ-2025ના શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારની જાહેરાત કરવાની સાથે આઈ.એમ.એ. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમણે કરેલા અમૂલ્ય યોગદાન અને નિષ્ઠાપૂર્ણ સેવાઓના સત્કારરૂપે ડો.મેહુલ ગોસાઈને ઈ-મેઈલ દ્વારા અભિનંદન પત્ર પાઠવ્યો છે. ડૉ. ગોસાઈએ મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનમાં તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન દ્વારા મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ તથા સહકર્મીઓને એક નવી ઊંચાઈઓએ પહોંચાડ્યા છે ત્યારે તેમને મળેલા અનન્ય સન્માન બદલ ભાવનગર સરકારી મેડિકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:26 am

કાયદામંત્રીએ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી:નર્મદા ડેમના નિર્માણ વિશે કાયદામંત્રીએ માહિતી મેળવી‎

રાજયના કાયદા અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પાસેથી ડેમના નિર્માણની અદભૂત સિદ્ધિ અને ટેક્નિકલ માહિતી મેળવી હતી. ડેમની ટેક્નિકલ વિગતોની સાથે ડેમના માધ્યમથી આસપાસના રાજ્યો તથા ગુજરાતની પ્રજાને થતા લાભોની માહિતી પણ મહાનુભાવોએ મેળવી હતી. તેઓની સાથે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશ પુરી જોડાયા હતાં. કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે કેનલ હેડ પાવર હાઉસ અને રિવર બેડ પાવર હાઉસની પણ મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને તેનાથી ગુજરાત સહિત પાડોશી રાજ્યોને થઈ રહેલા લાભો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.પાવર પ્લાન્ટના ચીફ ઈજનેર એ. એન. પટેલ અને સુપ્રિટેન્ડન્ટ ઈજનેર આર. એન. રાવલે માહિતી પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:26 am

એવોર્ડ કરાયો એનાયત:શામળદાસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ' એનાયત થયો

MKB યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” પ્રાપ્ત થયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણીક વર્ષ 2025-26માં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટ્સ કોલેજને ગ્રાંટ ઇન એઇડ કોલેજોની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવવા બદલ જીકાસ–એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” મળેલ છે તથા પ્રવેશપ્રકિયામાં સરાહનીય કામગીરી કરનાર કોલેજના કર્મચારીઓને “પ્રથમ સ્ટાર જીકાસ–વોલીન્ટીયર”નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના મળીને આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને 850 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. શામળદાસ આર્ટસ કોલેજની આ સિદ્ધિ બદલ કુલપતિ ડૉ.ભરતભાઈ રામાનુજ અને કાર્યકારી કુલસચિવ ડૉ.ભાવેશભાઈ જાની દ્વારા કોલેજના પ્રિ. ડૉ.એમ.બી.ગાયજન તથા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:25 am

એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો:સરકારી નર્સિંગ-મેડિકલ કોલેજમાં \પોસ્ટ બેઝિક ડિપ્લોમા'' કોર્સ શરૂ

રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે. આ કોર્સ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી જે તે સંસ્થાની વેબસાઈટ પર તા. 21 નવેમ્બર,2025 સુધી અરજી કરી શકશે. માર્ગદર્શિકા પ્રમાણે જે તે નર્સિંગ કોલેજ - મેડિકલ કોલેજ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કોર્સ સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડશે. આ એક વર્ષના વિશેષ કોર્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સની કામગીરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી દર્દીઓને વધુ સારી અને કુશળ સારવાર મળી શકશે. આ કોર્ષમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ નર્સિંગ વિષયના કુલ આઠ કોર્સ માં ક્રિટિકલ કેર, ઈમરજન્સી - ડિઝાસ્ટર, નીઓન્ટલ, ઓર્થો અને રીહેબીલેશન, બર્ન-રીકન્સ્ટ્રક્ટીવ, કાર્ડીઓલોજી, ઓનકોલોજી તથા સાઈકીઆટ્રીકનો સમાવેશ થાય છે. જેમાં તેઓ નિષ્ણાંત થઈને દર્દીઓને વધુ સારી સારવાર આપી શકે છે. આ કોર્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી હોસ્પિટલોમાં દર્દીલક્ષી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓના ધ્યેયને વધુ મજબૂત બનાવી શકાય. GMERS સંસ્થાઓના કર્મચારીઓને પ્રવેશઆ કોર્ષમાં રાજ્ય સરકાર અને GMERS સંચાલિત સંસ્થાઓમાં ફરજો બજાવતાં હોય તેવા કર્મચારીઓ તેમજ અન્ય ઇચ્છુક ઉમેદવારો પણ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ આધુનિક, કાર્યક્ષમ અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:25 am

કાર્યવાહી:પાલેજ પાસે લકઝરી બસમાંથી રુ. 25‎હજારનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો‎

પાલેજ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ભરૂચની પાલેજ એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે, શિવ લહેરી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નવસારીથી મોરબી તરફ જઈ રહી છે.બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યુ બલવાસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેવા આહિર અને જેન્દ્ર પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 25,610ની કિંમતનો દારૂ અને બિયર, 5,500ના બે મોબાઈલ ફોન, રૂપિયા 2,900 રોકડા અને રૂપિયા 7 લાખની બસ સહિત કુલ 7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:24 am

ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ઊછળ્યો:ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ , સદસ્યને આવાસ યોજનામાં વસૂલાતની નોટિસ ફટકારાઇ

ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ભારે ઊછળ્યો છે. ગારીયાધાર નગરપાલિકા કચેરીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાઘેલા ગીતાબેન શાંતિલાલ અને જેઠવા કાંતિભાઈ રવજીભાઈએ સાડા ત્રણ લાખની સહાય મેળવી હતી. જે બાબતે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે તપાસ અને માંગણી કરતા કમિશનર દ્વારા તપાસ હાથ ધરતા જે બંને દ્વારા સહાય મેળવવામાં આવી છે. જે સ્થળ તપાસ તેમની ટીમ દ્વારા કરતા તપાસમાં બંને મેળવી સહાયમાં તેમના પરિવારના સભ્યોના નામે જે તે સમયે સહાય મેળવી હતી અને ડોક્યુમેન્ટ તપાસતા બંને ખોટી રીતે આવાસ યોજનાની સહાય મેળવ્યાંનું ફલિત થતા પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા દ્વારા નગર નગરપાલિકા કચેરી ખાતે હુકમ કરવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રમુખ અને સદસ્ય દ્વારા પોતાની સત્તાની રૂએ ખોટી રીતે સહાય મેળવી છે તે બંને પાસેથી આ સહાયની વસૂલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન શાંતિલાલ વાઘેલાને અગાઉ સ્ટ્રીટ લાઈટ ખરીદીની ગેરરીતી બાબતમાં છેલ્લી અને આખરી નોટીસ તા.16.10.25 ના સ્ટ્રીટ લાઈટ ગેરરીતિ બાબતે રૂ.80160 તેમજ 12% વ્યાજ સાથે ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ વસૂલાત કરવા ત્રીજી અને આખરી નોટીસ આપવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખ ગીતાબેન વાઘેલા સામે હજુ સ્ટ્રીટ લાઇટ ગેરરીતી બાબતની રિકવરી ભરપાઈ કરવામાં આવી નથી ત્યાં આવાસ યોજનાની રકમની વસુલાત માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સહાય બાબતની બંનેને નોટિસ અપાઇ છેઆવાસ યોજનાની સહાય બાબતની બંનેને આ પહેલી નોટિસ આપવામાં આવી છે. વસુલાત માટે હજુ પણ નોટિસ આપવામાં આવશે. પૂર્વ પ્રમુખની અગાઉની સ્ટ્રીટ લાઈટ બાબતની રિકવરી હજુ સુધી તેમના દ્વારા ભરવામાં આવી નથી. રિકવરીની કઈ રીતે વસૂલાત કરવી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > સંદીપ પટેલ, ચીફ ઓફિસર, ગારીયાધાર નગર પાલિકા

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:24 am

આગ લાગી:ભરૂચ ગોલ્ડન સ્કવેરના નવમા માળે‎લેબર કોન્ટ્રાકટરની ઓફિસમાં આગ‎

ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. મળતી માહિતી મુજબ લેબર સપ્લાયની ઓફિસમાં આગ લાગી હતી અને કોઈ ત્યાં હાજર ન હતું. જેથી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ 90 ફૂટ ઊંચે આગ ઉલવી હતી . મહત્વનું એ છે કે આ કોમ્પ્લેક્સમાં મલ્ટીપ્લેક્સ સહિતના મોટા મોટા શો રમ આવેલા છે અને તેઓના ફાયર ઉપકારનો માં 0 પ્રેશર હોવાને કારણે આગ પર કાબુ મેળવી ન શક્યો હોવાને કારણે આગ વધી હતી જેથી નગરપાલિકાએ આવા ફાયર ઉપકરણો વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની છે. શોર્ટસર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ મળી આવ્યું છે.9માં માળનો છેલ્લી ગેલેરી સુધી આગ પહોંચી હતી.જેને ભારે જહેમત બાદ 1 કલાકમાં કાબુમાં લેવામાં આવી હતી. નવમાં માળે આગ લાગી હતીબપોરના ત્રણ વાગ્યાના આસપાસ ગોલ્ડન સ્ક્વેર નામના શોપિંગમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આવીને જોતા આગ નવમાં માળ પર લાગી હતી, જેથી અમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કુબેર એન્ટરપ્રાઇઝ લેબર સપ્લાય કરતી ઓફિસમાં લાગી હતી. > શૈલેષ સાસીયા,ઇન્ચાર્જ ફાયર ઓફિસર

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:23 am

ધમધમાટ:મહુવા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.જયારે સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર તેમજ ઉત્પાદન થયેલ છે. કમોસમી વરસાદનાં કારણે નુકશાન પણ થવા પામેલ છે. સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ છે. અપેડા, ભારત સરકારનાં પ્રયાસથી ઈન્ડોનેશીયામાં થતી નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવતા મગફળી દાણાની ઈન્ડોનેશીયા, વિયેતનામ વિગેરે દેશોમાં ખુબ સારી ડીમાન્ડ નીકળેલ છે. તેમજ ચાઈના વિગેરે દેશોમાં શીંગતેલની સારી ડીમાન્ડ હોવાના પગલે તેમજ સ્થાનિક ગુજરાતમાં પણ શીંગતેલનો વપરાશ વધી રહેલ છે તેથી બારમાસી શીંગતેલ ભરવાની પણ સારી એવી ડીમાન્ડનાં પગલે ગુણવતાયુક્ત મગફળીનાં ભાવોમાં સુધારો જોવા મળી રહેલ છે. આજે જી-20 મગફળી રૂા.1292 પ્રતિ મણ સુધી વેચાણ થયેલ છે. જે ભાવો હજુ પણ વધી શકે છે તેમ મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઇ કામળીયા દ્વારા જણાવેલ છે. મગફળી પકવતા ખેડુતભાઈઓને જણાવવાનું કે મગફળીમાં ખરાબ દાણા ન રહે તેમ એકદમ સાફ કરીને, હવા વગરની, કાંધુ મીકસ ન કરવુ અલગ રાખી વેચાણ માટે લાવવા તથા ધીરજ પુર્વક વેચાણ કરવા અને ઘરબેઠા વેચાણ ન કરતા માર્કેટીંગ યાર્ડમાં લાવી ખુલ્લી હરરાજીથી વેચાણ કરવા જણાવવામાં આવે છે. સાવરકુંડલા યાર્ડ મગફળીથી છલકાઈ ઉઠ્યુંસાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવક વધી રહી છે 30000 થી લઈ 25000 મણ સુધીની મગફળીની આવક થતા માર્કેટીંગ યાર્ડ સાવરકુંડલા મગફળીથી છલકાય ઉઠ્યું હતું જેથી માર્કેટિંગ યાર્ડ પ્રશાસન એલર્ટ બન્યું હતું અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણી સમગ્ર મગફળીની આવકની પ્રક્રિયા પર ખાસ નજર રાખી રહ્યા હતા. દિપક માલાણીની સુચના મુજબ સેક્રેટરી જતીન માલાણી અને મુકેશભાઈ ત્રિવેદી દ્વારા સતત માર્કેટિંગ યાર્ડમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ ખેડૂતોને નાના મોટા પ્રશ્નો હોય તો તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:22 am

નવો વિવાદ સર્જાયો:વલભીપુરના ખેતા ટીંબી ગામે નવી બનેલી આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ

વલભીપુર તાલુકાના ખેતાટીંબી ગામે નવી બનેલી આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રને લઇ નવો વિવાદ સર્જાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ખેતાટીંબી ગામે જર્જરિત બની ગયેલી આંગણવાડી કેન્દ્ર નવી બનાવવા માટે માંગણી કરી હતી જેને લઈ તાલુકા પંચાયત અને ICDS વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી તે ધ્યાને લઈ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા રૂપિયા 11 ના ખર્ચે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવી છે. કેન્દ્રનો ખર્ચ સરકાર હતો તે પણ માતબર રકમ ફાળવવામાં આવી હતી અને સરકારી કોઈ કાર્યક્રમ ન હતો તેમ છતાં આ નવી આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું અને તે પણ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન કોઇ સરકારી અધિકારી કે નહી કોઈ રાજકીય આગેવાનો કે જિલ્લા પંચાયતના સદસ્ય ન કોઈ અન્ય અગ્રણીઓની ઉપેક્ષા સાથે આ કાર્યક્રમ કોના ઇશારે થયો તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં માત્ર ICDS ના કર્મચારીઓએ હાજરી આપી હતી અલબત્ત ICDS કચેરી પણ પંચાયત નિચે જ આવતી હોય તો આ કાર્યક્રમ ની જાણ પ્રોગ્રામ ઓફિસર ને કરવામાં આવી હતી ખરી?આ કાર્યક્રમ અંતર્ગત કોઈ નવા વિવાદમાં આવે તેવી સંભાવના છે કારણકે ખર્ચ સરકારનો અને યશ માત્ર એક બે વ્યક્તિ લે તેને લઇ ભારે ચર્ચા સાથે રાજકીય વમળો સર્જાય તો નવાઈ નહી. બાંધકામ પ્રક્રિયા પંચાયત બાંધકામ શાખા દ્વારા થતી હોય છેખેતાટીંબી ગામે બનાવેલ આંગણવાડી કેન્દ્રનું બજેટ રૂપિયા પાંચ લાખ કરતા વધુ હોય તેના કારણે તેની બાંધકામ પ્રક્રિયા પંચાયત બાંધકામ શાખા દ્વારા થતી હોય છે અને જે લોકાર્પણ કરવામાં આવ્યું તેની કોઈ જાણકારી નથી અને તે કાર્યક્રમ સરકારી ન હતો.> કિશોરસિંહ ગોહિલ, ઇન્ચાર્જ, તાલુકા વિકાસ અધિકારી વલભીપુર

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:22 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભરૂચને સ્વચ્છ રાખતા સફાઇકર્મીઓ જ‎મળમૂત્ર વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા‎

ભરૂચ શહેરમાં સવાર પડતાની સાથે સફાઇ કર્મચારીઓ તમારા વિસ્તારને ચોખ્ખો બનાવી દેતાં હોય છે પણ આપણા ઘર અને વિસ્તારને સ્વચ્છ રાખતાં સફાઇ કર્મચારીઓ જ અસહ્ય ગંદકી વચ્ચે રહી રહયાં છે. તેઓ પોતે નગરપાલિકાના કામદારો હોવા છતાં પાલિકા સત્તાધીશો જ તેમને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખી રહી છે. લાલબજારના વાલ્મિકીવાસ તથા પખાલીવાડમાં 250થી વધારે ઘરોની બહારથી ગટરના પાણી વહી રહયાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર - 10ના વાલ્મીકીવાસ સહિતના વિસ્તારોમાં અસહ્ય ગંદકી વચ્ચે જીવન વ્યતિત કરી રહયાં છે. આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવતી નહિ હોવાથી કચરાના 3 માળ જેટલા ઢગલાં થઇ ગયાં છે. પશ્ચિમ વિસ્તારના મુખ્ય રસ્તાથી 100 મીટરની અંતરમાં આવેલા આ વાલ્મિકીવાસમાં 250થી વધારે ઘરો આવેલા છે. લોકોના ઘરના આંગણામાંથી ગટરના પાણી વહી રહ્યા છે. જેના કારણે તેઓ ઘરોની બહાર નીકળતાં પણ ખચકાટ અનુભવી રહયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, સાંસદ, ધારાસભ્ય તથા પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કાર્યવાહીની વાત તો દૂર રહી નેતાઓ અહીં અમારી હાલત જોવા આવવા માટે પણ તૈયાર નથી. અમારા વોર્ડના વિકાસ માટે ગ્રાંટ ફાળવવામાં આવે છે પણ તેનો ફાયદો અમને મળતો જ નથી. એક તરફ 3 માળના કચરાના ઢગ છે અને બીજી તરફ લોકો પોતાના મળમૂત્રના પાઇપો આ લોકોના વિસ્તારમાં ખુલ્લામાં છોડી રહ્યા છે. એક માત્ર દાદર પરથી જ પસાર થવાનો રસ્તો છે. દાદર પર પાણી હોવાથી વૃદ્ધ લોકો તથા બાળકોને પસાર થવું ઘણું જ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો બિમારીનો ભોગ બની રહ્યા છે. દિવ્ય ભાસ્કરના માધ્યમથી તેઓ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. અને આગળ કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાયીક મહિલાઓ ઉગ્ર રીતે પાલિકા પહોંચી જશે. વાહનો પસાર થાય‎તેવી સ્થિતિ જ નથી‎વર્ષ જુના ટેકરાનું પાણી ચોમાસા દરમિયાન વાલ્મિકીવાસમાં ભેગું થાય છે.મકાનો બેસી જવાનો ભય છે.આજદિન સુધી કોઈ જોવા આવ્યું નથી.જયારે વોટ લેવાના હોય ત્યારે જ એ લોકો દેખાય છે.પણ એક વાર સમસ્યા દૂર થઇ નથી.અન્ય વિસ્તારમાંથી પાણીના પાઇપને બદલે મળમૂત્રના પાઇપ નાખી દેવામાં આવતા તે અમારા ઘરો સુધી આવે છે. અમારા વિસ્તારની ગ્રાન્ટ આવે છે તેમાં કામ તો થતું નથી. રીક્ષા સહિતના વાહનો આવી શકે તેમ નથી. > રાજુ સોલંકી, સ્થાનિક પગથિયા બનાવ્યાં પણ‎રેલિંગ જ નાખી નથી‎લાલબજારની ખાડીમાં અસહ્ય ગંદકી છે. ટેકરાની હાલત દયનીય છે. પગથિયાં બનાવ્યા છે પણ રેલિંગ નથી નાખી.મનસુખ વસાવાની ગ્રાન્ટ પાસ કરાયેલું હતી પણ જેમતેમ કામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ કરવામાં આવ્યું છે.વાલ્મિકી વાસમાં કોઈ જોવા આવતું નથી. લોકો બીમાર પડી રહ્યા છે 15થી 20 હજારનો ખર્ચ આવેલો છે તેનું જવાબદાર કોણ ?મારા ખાડી વિસ્તારમાં કામ થવું જોઈએ જો નહીં થાય તો અમે સૌ નગરપાલિકા પહોંચીને આંદોલન કરીશું. > અશોકભાઈ, સ્થાનિક અસહ્ય ગંદકીથી લોકો‎બીમાર પડી રહ્યા છે‎સમગ્ર જિલ્લામાં દરેક સુવિધાઓ આપવામાં આવી છે પણ અમારી આ ખાડીમાં કોઈ સફાઇ માટે આવતું નથી.એટલી હદ્દે ગંદકી છે કે લોકો બીમાર પડી રહ્યા છે. ખાડીમાં ગટરનું પાણી સતત વહે છે.કોઈ પથ્થર પણ નથી નાખી જતા વોટ લેવા માટે વહેલા વહેલા આવે છે.ગટરો ઉભરાઈ છે નાના બાળકો ડૂબી જાય છે.હવે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી માગ છે. જો ટેકરો ઘસી પડશે તો આમારા ઘરો દટાઈ જશે તો જવાબદાર કોણ ? > નિર્મળાબેન, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:22 am

PGVCLની ટુકડી ઉપર હિંસક હુમલો:સથરા ગામે ટોળાનો વીજ ટુકડી ઉપર હુમલો, 2 સામે રાવ

ભાવનગર PGVCLની વીજ ટુકડી ઉપર દિન પ્રતિદીન હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આમેય સૌરાષ્ટ્ર પંથક સમગ્ર રાજ્યની સૌથી વધુ વીજ ચોરી માટે પ્રખ્યાત બની ગયું છે. આજે મહુવાના સથરા ગામે મહુવા રૂરલ -02ની PGVCL ની ટુકડીઓ વીજ ચેકીંગ અર્થે પહોંચતા સથરા ગામે ટોળાએ વીજ ટુકડીઓ ઉપર હિંસક હુમલો કરતા બે શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તળાજાના પાદરી (ગો) ગામે થયેલ હુમલા બાદ ફરી ચાલીસ દિવસમાં જ ફરી હુમલો થયો છે. બે જ વર્ષમાં PGVCLમાં 54 હજાર જેટલા ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય -2 PGVCLમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ગુલામમોહયુદ્દીન અબ્દુલક્યુમ પટેલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, PGVCLની 06 પેટા વિભાગીય કચેરીનુા જુનીયર એન્જીનીયરો, લાઇન સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે મહુવાના વાઘનગર ગામે વીંજ ચેકીંગ કરી, મહુવાના સથરા ગામે વીજ ચેકીંગ અર્થે પહોંચ્યા હતા જ્યાં એક રહેણાંકીય મકાનમાંથી વીજ ચોરી ઝડપાઇ જતાં ગામમાં રહેતા યશપાલસિંહ ઘનુભા વાળા અને જીતેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા નામના શખ્સોએ બારથી પંદર લોકોના ટોળાને ઉશ્કેરી, વીજ ટુકડી ઉપર જીવલેણ પથ્થરમારો કરતા, વીજ ટુકડીઓમાં ભારે ભય ફેલાઇ જતાં, પોલીસની હાજરીમાં વીજ ટુકડીઓએ ભાગવું પડ્યું હતું. જે બાદ નાયબ ઇજનેર પટેલ દ્વારા યશપાલસિંહ વાળા, જીતેન્દ્રસિંહ વાળા વિરૂદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગત 2023-24 અને 2024-25 દરમિયાન 54 હજાર જેટલા ગુના દાખલ થયા છે. પાદરી (ગો) ગામે હુમલા બાદ ચાલીસ દિવસમાં જ ફરી ટીમ ઉપર હુમલો, PGVCLમાં બે વર્ષમાં 54 હજાર ગુના દાખલ કરાયા મહુવામાંથી 2.40 લાખની વીજચોરી ઝડપાઈPGVCLના મહુવા ડિવિઝન નીચેના મહુવા તાલુકામાં PGVCLની લોકલ ડ્રાઈવમાં વાઘનગર અને સથરા ગામમાં ચીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મહુવા તાલુકામાં આજે સવારથી વીજચોરી પકડવા અંગેની ખાસ ઝુંબેશમાં PGVCLની સાત ટીમોનો કાફલો ત્રાટક્યો હતો. મહુવા ડિવિઝન PGVCLની લોકલ ડ્રાઈવમાં બે ગામોમાંથી રૂ.2.40 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. પી..જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ નીચેના કચેરીઓમાં ભાવનગરની 2 ટીમ, જેસરની 1 ટીમ, મહુવાની 3 ટીમ અને જેસરની 1 ટીમ મળી કુલ સાત ટીમોએ વાઘનગર અને સથરા ગામમાં વીજ જોડાણનું ચેકીંગ કર્યું હતું. રહેણાંકી વિસ્તારના 68 વીજ જોડાણની તપાસમાંથી વાઘનગર ગામમાંથી 14 અને સથરા ગામમાંથી 3 વીજ જોડાણમાં રૂ.2.40 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સમાચાર ઇનસાઈટબે વર્ષમાં સૌથી વધુ હુમલાના 61 બનાવો નોંધાયારાજ્યમાં આવેલી ચાર કંપનીમાંથી PGVCLમાં ગત બે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન સૌથી વધુ 61 હુમલાના બનાવો નોંધાયા છે. જ્યારે DGVCL - 1, MGVCL- 3 અને UGVCLમાં - 5 હુમલાના બનાવો નોંધાવા પામ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:21 am

જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ:ભાવનગરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરાશે

ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બરના ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે 10.30 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય તે અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્યક્રમને સાથે યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, ઇન્ચાર્જ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકાર કાજલબેન ચાવડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:19 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ડહેલી પાસનો બ્રિજ જર્જરિત બનતાં 60‎વર્ષ બાદ 8.64 કરોડના ખર્ચે નવો બનશે‎

ભરૂચ જિલ્લાના વાલિયા થી વાડી જવા માટે ડેહલી ગામ પાસે માઇનોર બ્રિજ આવેલો છે. જે ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરીને નજીકમાં ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં વધુ પાણી આવવાને કારણે ડાઈવર્ઝન ઘણી વાર બંધ થઈ જાય છે જેથી વાહનોને મોટો ફેરાવો પડે છે. સાથે ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓને પણ શાળા-કોલેજ જવા માટે મોટો ફેરાવો કરવો પડે છે. ત્યારે આ માઇનોર પુલ નવો બનાવવાં માટે લોકોની માગને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગે સરકારમાં દરખાસ્ત મૂકી હતી. આમ 3 વર્ષ બાદ મંજૂરી મળતા ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 2 એજન્સી એ ભાગ લીધો હતો. જેમાં સુરતની એજન્સીને ટેન્ડર મળતા હાલ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ બ્રિજ 8.64 કરોડના ખર્ચે 60 વર્ષ બાદ ફરી બનશે. જેમાં હાલ જૂનો જર્જરિત માઇનોર બ્રિજને જેસીબી સહિતના સાધનો થી તોડી પાડવામાં આવ્યો છે. આમ વર્ષ 2027 સુધીમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે જેથી વાહન ચાલકોને ચોમા દરમિયાન પડતાં ફેરામાંથી મુક્તિ મળશે. ચોમાસામાં ડાયવર્ઝન પર પાણી આવતાં આટલા કિમીનો ફેરાવો બચશેચોમાસામાં ડાઇવર્ઝન ઘણી વખત વખત પાણી ફરી વળવાના કારણે વાહનોને ઘણો ફેરાવો કરવો પડતો હતો જેમાં વાહન ચાલકે વાલિયા જવા માટે ડહેલી, તુંણાં ગામમાં થઈને વાલિયા રોડ જવા માટે 6 કીમી ફેવારો પડતો હતો, ત્યારે હવે આ બ્રિજ બનીને તૈયાર થયા બાદ ચોમાસા દરમિયાન પણ ફેરાવો કરવો પડશે નહીં જેથી ભારે વાહન ચાલકો પણ ચોમાસા દરમિયાન વાલિયા, ડહેલી થઈને વાડી સુધી જય શકશે કેટલા વર્ષ બાદ અને કેટલા ખર્ચે બ્રિજ બનશે​​​​​​​ડહેલી પાસેનો બ્રિજ પહેલી પહેલી વખત વર્ષ 1965 માં બન્યો હતો. ત્યારબાદ તે જર્જરિત બનતા તેને નવો બનાવવા માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું . જેમાં સુરતની એજન્સીને ટેન્ડર મળતા 8.64 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ 18 મહિના એટલે કે 21 ફેબ્રુઆરી વર્ષ 2027 સુધીમાં 55.8 મીટર લાંબો બ્રિજ બનાવી દેવામાં આવશે. કેટલા વર્ષ બાદ અને કેટલા ખર્ચે બ્રિજ બનશે

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:18 am

કાલભૈરવ જયંતિની ઉજવણી:કાલભૈરવદાદાને 158 કિલો લાડુ અર્પણ કરાયો, યજ્ઞ અને ભવ્ય અન્નકૂટ ધરાવાયો

શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે આજે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભાગરૂપે આજરોજ દાદાને રાત્રે 158 કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો. ભાવનગર શહેરના જુનાબંદર સ્થિત આવેલ ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવ દાદાનું મંદિર ખાતે કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આજરોજ સવારે 8 વાગે કાળભૈરવ દાદાનો યજ્ઞ, બપોરે 12 વાગે શ્રીફળ હોમ, સાવરે 8 થી રાત્રે 10 સુધી અન્નકૂટના દર્શન તેમજ સાંજે 6 વાગે ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત યોગી હરનાથબાપુ દ્વારા જણાવ્યું હતું કે, દાદાની જયંતિ ઉત્સવ નિમિતે સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને આજે સાંજે દાદાને 56 ભાગ નો અન્નકૂટ ધારાવવામાં આવ્યો હતો તેમજ 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવ્યો હતો, આ સાથે અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા રાત્રે 158 કિલોના લાડુ અર્પણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભકતોએ કાલભૈરવદાદાના અલૌકિક દર્શન કરી ધન્ય થયા હતા. આ પ્રસંગે મંદિરનાં મહંત દ્વારા લોકોને કાલભૈરવ દાદાની જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:18 am

પોલીસ કાર્યવાહી:મહુવામાં ચીલઝડપ કરનાર ત્રણ જબ્બે

ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ ઉપર રહેતા મધુબેન મગનભાઇ બારૈયા (ઉ.વ.60) બે દિવસ અગાઉ સાંજના સુમારે મંદિરેથી દર્શન કરી, હાથમાં થેલી લઇ ઘર તરફ જતા હતા તે વેળાએ પાછળથી આવેલા શખ્સે વૃદ્ધાના હાથમાં રહેલ બેગની ચીલઝડપ કરી, બે શખ્સો બાઇકમાં ફરાર થઇ ગયા હતા. જે મામલે મહુવા ટાઉન પોલીસે આજે બાતમી આધારે થેલીની ચીલઝડપ કરનાર ચીરાગ લાલજીભાઇ પાંડવ (રહે.નાના જાદરા), ગૌતમ ભરતભાઈ પરમાર (રહે મહાકાળીનગર માનવ મંદિર સ્કુલ સામે સંતોષ સોડાની દુકાન પાસે મહુવા), જુનેદ સલીમભાઈ કાળવાતર (રહે,મકાન નં.૦૩ વન્ડર પાર્ક મહેંદીબાગ સોસાયટી પાસે મહુવા)ની ધરપકડ કરી, ચીલઝડપ કરનાર નોકીયા ફોન, બાઇક કબ્જે કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:17 am

વિશેષ કેમ્પ યોજાશે:ભરૂચમાં મતદારયાદી સુધારણા માટે મતદારો માટે ચાર વિશેષ કેમ્પ યોજાશે

ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મતદારોને સરળતા અને સુગમતા રહે તે માટે ચાર દિવસ માટે વિશેષ કેમ્પ દરેક બૂથ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પ 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી મતદારયાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે. આ ઝૂંબેશ દરમિયાન બીએલઓ દરેક મતદારના ઘરે જઇને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. જે 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ યોજાશે. ભરૂચ જિલ્લાના 1300 કરતાં વધારે મતદાન મથકો ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તમામ બૂથ પર બીએલઓ હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા અને દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:17 am

માફીના સપના દેખાડી 457 વ્યવસાયકારો પાસેથી 81.10 લાખના વેરાની વસૂલાત:વ્યવસાય વેરામાં ફ્રીઝ કરેલા વ્યાજના રૂ.71.98 લાખ લોકોએ ચૂકવવા પડશે

કોર્પોરેશનની આવકના સ્ત્રોત પૈકી એક વ્યવસાય વેરાની પણ આવક છે. પરંતુ તેમાં વ્યવસાયકારો વેરો નહીં ભરતા મુદ્દલ કરતા વ્યાજની રકમ વધી ગઈ છે. ત્યારે કોર્પોરેશનને યુક્તિ વાપરી લોકો પાસેથી વ્યવસાય વેરો ભરપાઈ કરાવવા છ મહિના પહેલા વ્યાજની રકમ ફ્રીજ કરી માત્ર મુદ્દલ રકમ વસૂલવાનું શરૂ કર્યું હતું અને 457 વ્યવસાયિકર્તાઓએ 81.10 લાખની વ્યવસાય વેરાની મૂળ રકમ ભરતભાઈ પણ કરી દીધી. પરંતુ સરકાર દ્વારા વ્યાજ માફી યોજના અમલમાં નહીં મુકતા જે લોકોએ મુદ્દલ રકમ ભરપાઈ કરી છે તે તમામને હવે 71.98 લાખ ફ્રીજ કરેલ વ્યાજની રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. ગત જુન 2025 સુધીમાં 10830 ખાતેદારોનો 44.64 કરોડનો વ્યવસાય વેરો વસુલવાનો બાકી હતો. તેમાં મુદ્દલ રકમ તો 20.40 કરોડ હતી અને વ્યાજની રકમ રૂ.24,63,54,863 ચડી ગઈ હતી. વ્યાજની રકમ વધુ હોવાને કારણે ખાતેદારો વેરો ભરતા ન હતા. જેથી ગત 30મી એપ્રિલના રોજ સાધારણ સભામાં નિર્ણય કરી કુલ મુદ્દલ રકમ ભરપાઈ કરે તો તેમની વ્યાજની રકમ ફ્રીજ કરી જો સરકાર દ્વારા વ્યાજ માફીની સ્કીમ લાવવામાં આવે તો વ્યાજ માફ થઈ શકે. પરંતુ સરકાર દ્વારા કોઈ વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકી નથી. જેથી છે 457 વ્યવસાયકર્તાઓએ રૂ.81,10,913ની મુદ્દલ રકમ ભરપાઈ કર્યું છે તે તમામને હવે માફી માટે રાહ જોયેલ રૂ.71,98,989 વ્યાજ ચૂકવવું પડશે. 1લી ઓક્ટોબરથી નિયમ અનુસાર વ્યાજ સાથેનું બિલ જનરેટ કરવામાં આવે છે. જેથી ફરજિયાત હવે વ્યાજની રકમ પણ ચૂકવવી પડશે. જે માટે વ્યવસાય વેરા વિભાગ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:16 am

મહાનગરપાલિકા તંત્ર એલર્ટ:700 સ્થળે 1600 CC કેમેરાથી કોર્પો.ની બાજ નજર રહેશે

ભાવનગર કોર્પોરેશન પાસે પણ કદાચિત ઓછી માહિતી હશે કે તેની માલિકીની કેટલી મિલકતો છે અને કેટલા પ્લોટ છે ? ખુલ્લા પ્લોટ પર દબાણો થઈ જાય છે અને કોર્પોરેશનની મિલકતો, બાગ બગીચા રેઢીયાળની જેમ પડ્યા હોય છે. ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેન્ટ્રલાઇઝડ મોનીટરીંગ માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઇ.સી.સી.સી.) પ્રોજેક્ટ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 700 લોકેશન પર 1600 સીસીટીવી કેમેરા દ્વારા કોર્પોરેશનની તમામ મિલકતો, બાગ બગીચા, ખુલ્લા પ્લોટ, વોર્ડ ઓફિસો સહિત તમામ પર દેખરેખ પણ રહેશે. આઇ.સી.સી.સી. પ્રોજેકટ માટે અંદાજિત રૂ.134 કરોડના ખર્ચ માટે ગ્રાન્ટ મેળવવા સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન હસ્તકની મિલ્કતોના મોનીટરીંગ કરવા તથા શહેરના જાહેર સ્થળોએ દેખરેખ રાખવા સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરી, ઓ.એફ.સી. નેટવર્ક તથા અન્ય આઇ.ટી. એનેબલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ થકી શહેરીજનોને વિવિધ સુવિધાઓમાં વધારો થનાર હોવાનું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યુ છે. વધુમાં કહ્યું છે કે, આ પ્રોજેકટના ભાગરૂપે મહાનગરપાલિકાની કચેરીઓ, ઝોનલ-પેટા કચેરીઓ, વોર્ડ ઓફીસો, આરોગ્ય કેન્દ્રો, બાગ-બગીચા, તળાવ, ફીલ્ટર પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, આંગણવાડી કેન્દ્રો, ડમ્પીંગ સાઇટ, કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટો તથા શહેરમાં અન્ય જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, શહેરમાં વિવિધ સ્થળોએ આઉટડોર ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવી, શહેરમાં ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક એસ્ટાબ્લીશ કરવું. સેન્ટ્રલાઇઝ આઇ.સી.સી.સી. સેન્ટર (વીડીયો વોલ, ડેટા સેન્ટર, સર્વર રૂમ, કોન્ફરન્સ સેન્ટર વિગેરે સાથે) બનાવી વિવિધ સેવાઓ મેળવી શકાશે. આઇ.સી.સી.સી. પ્રોજેકટ માટે અંદાજિત રૂ.134 કરોડના ખર્ચ માટે ગ્રાન્ટ મેળવવા સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા તેની કાર્યવાહીના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજિત રૂપિયા 34.32 કરોડના ખર્ચથી શહેરમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે પરામર્શ મંજૂરી આપવામાં આવેલ છે. કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટ પરના એન્ક્રોચમેન્ટ (દબાણો) અટકાવી શકાશે, આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા બાબતે પણ મોનીટરીંગ થકી એનાલીસીસ કરી સમસ્યા નિવારવામાં મદદરૂપ થશે. તથા શહેરમાં વરસાદી પાણી ભરાવાના સ્થળો, ગાર્બેજ વલ્બેરેબલ પોઇન્ટસ, સ્પીટીંગ એકટીવીટી વિગેરેનું સરળતાથી મોનીટરીંગ કરી તેને અટકાવવા જરૂરી મદદરૂપ થશે. વિડીયો એનાલિટિક્સ પ્રોગ્રામ દ્વારા વિડીયો ફૂટેજ પરથી લોકો ફરિયાદ કરે તે પૂર્વે જ કંટ્રોલ રૂમમાં એલર્ટ થઈ જશે. જેના દ્વારા ફરિયાદનું તાત્કાલિક નિવારણ આવી શકશે. પાણી ભરાવવા, ગંદકી, દબાણ, ઢોર સહિત નોટિફિકેશન મળશેઆઈસીસીસી પ્રોગ્રામ દ્વારા પ્રજાની વિવિધ સમસ્યાઓ જેવી કે વરસાદી પાણી ભરાવવુ, રખડતા ઢોર, કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટ અને જાહેર સ્થળો પર દબાણ, જાહેરમાં ગંદકી ફેલાવવી, બાગ બગીચાને નુકસાન પહોંચાડવું સહિત અનેક સમસ્યાઓનું સીસીટીવીના વિડીયો ફૂટેજ દ્વારા ઓટોમેટીક કંટ્રોલ રૂમમાં એલર્ટ થશે અને તેના સંબંધિત અધિકારીને તેનું નોટિફિકેશન પણ મળી જશે. જેથી સમયસર ફરિયાદનું નિવારણ લાવી શકાશે. કંટ્રોલરૂમમાં સંબંધિત તમામ વિભાગનો સ્ટાફ પણ મોનિટરિંગ કરશે. કોર્પો.ની ઓફિસોમાં હાઇ-સ્પીડ સીકયુર ઇન્ટરનેટ કનેકટીવીટીઆઇ.સી.સી.સી. પ્રોજેકટમાં ઓપ્ટીકલ ફાઇબર કેબલ નેટવર્ક થકી કોર્પોરેશનની તમામ ઓફીસોમાં હાઇ-સ્પીડ, સીકયુર ઇન્ટરનેટ કનેકટીવીટી મેળવી શકાશે. જેમાં ફિલ્ટર વિભાગમાં સ્કાડા સિસ્ટમનું ઇન્ટીગ્રેશન, જી.આઇ.એસ. ઇન્ટીગ્રેશન, આઉટડોર ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વિગેરે સિસ્ટમ ઇન્ટીગ્રેટ કરી એક જ સ્થળેથી મોનીટરીંગ કરી શકાશે. એન્વાયરમેન્ટ સેન્સર થકી પ્રદૂષણ નિયંત્રણ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ મોનીટરીંગ, 24X7 હેલ્પ ડેસ્ક વિગેરે જેવી અવનવી સેવાઓમાં પણ વધારો થઇ શકશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:14 am

જાહેરનામું:ગોધરાના અમૂલ પાર્લરથી ચર્ચ ટ્રાફિક પોઇન્ટ સુધીનો માર્ગ બંધ

ગોધરા ના દાહોદ રોડ પરના અમૂલ પાર્લર થી ચર્ચ થી એસટી સ્ટેન્ડ સુધી ફ્લાય ઓવર ની કામગીરી ચાલી રહી છે. ફ્લાય ઓવર ની કામગીરી હાલ અમૂલ પાર્લર થી ચર્ચ ટ્રાફિક પોઇન્ટ સુધી પ્રગતિ માં છે. ત્યારે હાલ ફ્લાય ઓવરમાં ક્રેન ની મદદ થી ગડર લોન્ચિંગ ની કામગીરી શરૂ કરવાની છે.અને ચર્ચ થી બસ સ્ટેશન તરફ કામગીરી ચાલુ કરવાનું આયોજન છે. આ ફ્લાયઓવરની કામગીરીમાં અમુલ પાર્લર થી લઇને ચર્ચ ટ્રાફિક પોલીસ પોઈન્ટ સુધીનાં રસ્તા પર પર 13 નવેમ્બર ના 0 00.00 કલાક થી 22 નવેમ્બર ની રાત્રિના 23.59 કલાલ સુધીમાં ગર્ડર લોન્ચીંગ કરવાના હોઇ અને આ કામગીરી દિવસ અને રાત્રી દરમ્યાન 24 કલાક કરવાની છે. તેમજ શહેરના મુખ્ય માર્ગ પર કરવાની હોઇ ક્રેન ના અવર-જવર માટે અને ગર્ડર ની હેરા ફેરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ના થાય અને કોઇ અકસ્માત ન થાય તેના ભાગ રૂપે આ રસ્તા પર કામગીરી દરમ્યાન તમામ પ્રકારનો વાહનવ્યવહાર સમ્પૂર્ણ બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડ્યું છે. જાહેરનામાં મુજબ ગોધરા સીટીમાં બસ સ્ટેંન્ડ તરફ થી આવતા વાહનો શાંતિનિવાસ સોસાયટીના દરવાજા થી થઈ પ્રભાકુંજ સોસાયટી થઈને શિશુપાલ બાલમંદિર થઈને અમુલ પાર્લર તરફ જતા રસ્તા પરથી દાહોદ રોડ તરફ઼ જઈ શકશે. દાહોદ થી ગોધરા સીટી તરફ આવતા વાહનો ઉમેશ દર્શન કોમ્પ્લેક્સ થી ડાબી તરફ (એક્સિસ બેન્ક પછી ડાબી તરફ) ના રસ્તા પર થઈ બામરોલી રોડ થઈ ગોધરા સીટીમાં જઇ શકશે. ઉલ્લેખનિય છે કે, ગોધરા શહેરમાં ટ્રાફિકની વિકટ બનતી સમસ્યા લોકો ને ભારે પરેશાન કરી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેની કામગીરીમાં અમુલ પાર્લરથી લઇને ચર્ચ સુધી ગર્ડર નાખવાની કામગીરીના પગલે અવરજવર બંધ કરવા માટે જાહેરનામુ બહાર પડાયુ હતુ.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:12 am

કાયદો માત્ર કાગળ ઉપર:શ્રમિક સુધારા સાથે ઉદ્યોગ વિકાસનો કાયદો અમલની રાહમાં

ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમિકોની સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટે સમાન કાયદાકીય માળખું ઉભું કરવા માટે વર્ષ 2020માં રજૂ થયેલો વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની સ્થિતિ OSH કોડ 2020 લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ચૂક્યો છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, છતાં ચાર વર્ષ વીતી ગયા છતાં તેનું અમલ હજી શરૂ થયો નથી. કારણ કે આ વિષય સંયુક્ત યાદીમાં આવતો હોવાથી રાજ્યોને પોતાનો અમલ માટેનો મુસદ્દો તૈયાર કરવાની સત્તા છે. ગુજરાતે આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે, પરંતુ ક્યારે તે લાગુ પડશે તેની હજી કોઈ જાહેરાત થઈ નથી. જો આ કાયદો ઝડપથી અમલમાં મુકાય તો તે માત્ર શ્રમિક સુરક્ષા માટે જ નહીં પરંતુ તેમની કાર્યક્ષમતા અને કાર્યશૈલીમાં પણ ઉછાળો લાવશે, જે સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવશે. ઇન્ટર્નલ સેફ્ટી ઓડિટ દર વર્ષે ઉદ્યોગોને જાતે કરવી પડશે, જ્યારે થર્ડ પાર્ટી સેફ્ટી ઓડિટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દરેક ફેક્ટરીએ પોતાની સેફ્ટી ઓડિટ IS સ્ટાન્ડર્ડ (ભારતીય ધોરણ) મુજબ કરવી પડશે, જેથી સુરક્ષાની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરે મેળ ખાય. સુરક્ષા સંબંધિત ઉણપો કે બેદરકારી જોવા મળશે તો પેનલ્ટી અને કાયદાકીય કાર્યવાહી લાગુ થશે. સરકારો ESG એટલે કે એન્વાયરમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (પર્યાવરણ, સામાજિક જવાબદારી અને શાસન)ના ધોરણો અપનાવે છે, જે આજના વિશ્વમાં ઉદ્યોગની પ્રતિષ્ઠા અને રોકાણ આકર્ષણના મુખ્ય માપદંડ બની ગયા છે. જો ઉદ્યોગો OSH કોડ મુજબ સુરક્ષા નીતિઓ, શ્રમિક હાઈજીન અને પર્યાવરણ દેખરેખને અમલમાં લાવે, તો ESGના ધોરણો જીવંત થશે, નહીંતર તે ફક્ત પત્રોમાં જ રહેલા શબ્દો બની રહેશે. આ કોડના અમલથી કાયદાકીય ફાયદા ઉપરાંત આર્થિક સુધારણા પણ થશે સુરક્ષિત શ્રમિક વધુ ઉત્સાહથી કામ કરે છે, અકસ્માતો ઘટે છે, પ્રોડક્ટિવિટી વધે છે અને વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધે છે. ઉદ્યોગ સંસ્કૃતિ જાગૃત બને ત્યારે દેશની ઈકોનોમી મજબૂત બને છે. ગુજરાતની દરેક ઉદ્યોગનગરી હવે એક જ પ્રશ્ન પૂછે છે સેફ્ટી કોડ ક્યારે અમલમાં આવશે? કાયદો તૈયાર છે, મંજૂર છે, મુસદ્દો પણ તૈયાર છે,ગુજરાત પોતાના ઉદ્યોગોમાં OSH કોડને અમલમાં લાવીને સુરક્ષિત કામદારો, શક્તિશાળી ગુજરાતનું જીવંત ઉદાહરણ પૂરું પાડે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજ13 શ્રમ કાયદામાંથી ઉદ્યોગો માટે 1 સમાન શ્રમ કાયદોOSH કોડનો હેતુ દેશના દરેક ઉદ્યોગ, ફેક્ટરી, ખાણ, બાંધકામ સાઇટ અને પરિવહન ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સુરક્ષિત વાતાવરણ, આરોગ્યની દેખરેખ અને ગૌરવપૂર્ણ કાર્યસ્થળ આપવું. કાયદા મુજબ 250 કરતાં વધુ કામદારો ધરાવતા દરેક ઉદ્યોગ માટે સેફ્ટી ઓફિસર ફરજિયાત રહેશે, જે કામદારોના હાઈજીન, ફાયર સેફ્ટી, કેમિકલ જોખમો, મશીનરીની તકેદારી અને પર્યાવરણ સંભાળ માટે જવાબદાર હશે.’

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:12 am

સ્થાનિકોમાં ફફડાટ:ગોધરાનું લીંબા તળાવ જંગલી વનસ્પતિનું બન્યું ભય ભરડો

ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા નજીકનું લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈથી મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. જેના પરિણામે રાત્રિના અંધારામાં મગર રહેણાંક વિસ્તારોમાં લટાર મારવા માટે નીકળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા સિગ્નલ ફળીયા રેલવે ગરનાળા પાસે આવેલ લીંબા તળાવમાં પાછલા ઘણા સમયથી 5 ફૂટથી પણ મોટા 3 મગર આવી ચડ્યા છે. આ મગર વારંવાર રાત્રી દરમ્યાન તળાવના બહાર આવી જતા હોય છે. જેથી તળાવની આસપાસના વિસ્તારોમાં મગર દેખાવાથી લોકોને હવે રસ્તો બદલાવવાની ફરજ પડી રહી છે. નજીકમાં આવેલ સિમલા કબાડી માર્કેટના વેપારીઓને પણ મગરના ડરથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈને કારણે મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. મગરનું રેસ્ક્યૂ કરવું મુશ્કેલ બન્યુંઆ અંગે જાણ થતાં જંગલ ખાતા (વન વિભાગ) દ્વારા મગરને પકડવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. સમગ્ર તળાવમાં છવાયેલી ગાઢ જંગલી વનસ્પતિના કારણે મગરનું લોકેશન ટ્રેક કરવું અને તેમનું રેસ્ક્યુ કરવું અત્યંત મુશ્કેલીભર્યું બન્યું છે.ગત માસમાં તળાવ પાસે થી વિભાગ દ્વારા એક મગર નું રેસ્ક્યુ કરેલ હતું - એમ.ડી ડામોર, ગોધરા આરએફઓ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:11 am

IT વિભાગના દરોડા:રાજકીય દિગ્ગજના પડછાયા સમાન વ્યક્તિ પર શહેરમાં આવકવેરાનું સર્ચ

બુધવારે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિત રાજ્યના 24 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ભાવનગરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ અને ટ્રસ્ટ સંબંધિત હિસાબી સાહિત્ય, બેંક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. તાજેતરમાં શિપ રીસાયકલિંગ પ્લોટોના સંચાલન ક્ષેત્રે મેદાનમાં આવેલા અને રાજ્યના સત્તાધારી પક્ષના દિગ્ગજ રાજકીય અગ્રણીના અનેક વ્યવસાયોમાં પડછાયાની જેમ સાથ આપી રહેલા શખ્સના વિદ્યાનગર ખાતે આવેલા નિવાસસ્થાને અમદાવાદની આવકવેરા વિભાગની ટુકડી ત્રાટકી હતી. રાજકીય અગ્રણીની કિચન કેબિનેટના શખ્સ, એક મોટા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે, અને આ ટ્રસ્ટમાં થઇ રહેલી નાણાકીય લેવડ-દેવડ અંગે ઇન્કમટેક્સ વિભાગને ઠોસ માહિતી મળી હતી, તેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી હજુ શરૂ હોવાને કારણે સત્તાવાર બાબતો ઘોષિત કરવામાં આવી નથી. અમદાવાદ સહિત રાજ્યના 24 સ્થળોએ આઇ.ટી.ની કાર્યવાહીમાં ટ્રસ્ટો, રાજકીય પાર્ટીઓને દાન ચેકથી આપી અને બાદમાં 10 ટકા જેવી રકમ કાપી લીધા બાદના નાણા રોકડમાં દાન આપનારાને પરત કરવામાં આવી રહ્યા હતા. દાન આપનારા લોકો પર અગાઉ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાંથી ટ્રસ્ટો, રાજકીય પાર્ટીઓ દ્વારા કેવી રીતે કાળા-ધોળા વ્યવહારો પણ કરવામાં આવે છે તેના અંગે તંત્રને સચોટ લિંક મળી હતી. ભાવનગરનો શખ્સ એક ટ્રસ્ટ સાથે સંકળાયેલો છે અને ટ્રસ્ટને છૂપા આશિર્વાદ દિગ્ગજ રાજકીય અગ્રણીના પણ છે, તેથી મોટી રકમના દાન આ ટ્રસ્ટમાં વાળવામાં આવતા હતા અને ઉદ્યોગપતિઓ દ્વારા ટ્રસ્ટને દાનમાં આપવામાં આવેલી મોટી રકમને 10 ટકા જેવી રકમ કાપી લઇ અને બાકીના નાણા રોકડમાં પરત કરવામાં આવતા હતા તે દિશામાં આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:10 am

SIR:મતદાર માટે 2002ના વર્ષનો ડેટા મેળવવો એ સૌથી મોટો પડકાર

ભાવનગર શહેર અને જિલ્લામાં સરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 2002ની મતદારયાદી સાથે મેપિંગ ચાલી રહ્યું છે. તેમજ બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે ફોર્મ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે વર્ષ 2002થી જેના રહેઠાણ બદલાઈ ગયા છે તેઓને પોતાના મતદાન બૂથો યાદ નથી. જેને કારણે કામગીરી ઢીલી ચાલી રહી છે. દરમિયાનમાં વર્ષ 2002નો મતદારો પાસે કોઈ ડેટા નહિ હોય. જેમકે મતદાન બૂથ ક્યાં હતું, તેઓનું મતદાન કાર્ડ વગેરેમાંથી કોઇ યાદી નહિ હોય તો તેઓના નામ મતદાર યાદીમાંથી નીકળી જવાનો ભય સતાવી રહ્યો છે. જે મતદારોના નામ 2002 ની મતદાર યાદીમાં નથી તેવા મતદારોના ફોર્મ ભરવા માં બી.એલ.ઓ ને તકલીફ પડશે.સાથે ગામડાઓમાંથી નોકરી ધંધા માટે સ્થળાંતરિત થયેલા મતદારોના નામ ગામડામાં ચાલુ છે અને બીજે ક્યાંય મતદાર યાદીમાં દાખલ થયેલા નથી તેવા મતદારો આ એક માસમાં બી.એલ.ઓ નો સંપર્ક કરી ફોર્મ સહી કરી આપશે તો તેમના નામ યાદીમાં ચાલુ રહેશે. ભાવનગર શહેર-જિલ્લામાં એસઆઈઆરની આ કામગીરી માટે તાજેતરમાં જ બીએલઓ સાથે આસિ. બીએલઓની પણ નિમણૂક કલેક્ટર તંત્ર દ્વારા કરી દેવાઈ છે. SIRની કામગીરીમાં વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વર્ષ 2002થી અત્યાર સુધીમાં અનેક મતદારોના રહેઠાણ બદલાઈ ગયા હોય તેમના અને તેમના પરિવારના નામ શહેરના કયાં મતદાન બૂથો ઉપર હતા. તે પણ તેઓને યાદ ન હોય બીએલઓ માટે પણ આ કામગીરી પાર પાડવી પડકારજનક બની રહી છે. 23 વર્ષે અનેક લોકો રોજગાર માટે બીજા શહેરોમાં ગયા હોયવર્ષ 2002નો મતદારો પાસે કોઈ ડેટા નહિ હોય. જેમકે મતદાન બૂથ ક્યાં હતું, તેઓનું મતદાન કાર્ડ વગેરેમાંથી કોઇ યાદી નહિ હોય તો તેઓના નામ મતદારયાદીમાંથી નીકળી જવાનો ભય સતાવી રહ્યો છે. જો આ રીતે નામ નીકળી જાશે તો તેઓના નામ ફરી વખત દાખલ કરવા પડશે. તેમજ અત્યાર સુધી જે મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે, મતદારોનું નામ મતદાર યાદીમાં બોલતું હોય, પરંતુ તેઓ બીજા શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:09 am

કરદાતાને રાહત:GST હવે આડેધડ શો-કોઝ નોટિસ પાઠવી શક્શે નહીં

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કરદાતા સામે આડેધડ અને બિનનિયંત્રિત રીતે કાર્યવાહીનો દંડૂકો ઉગામવામાં આવી રહ્યો હતો, તેના પર હવે અંકુશ આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ એક મહત્વપૂર્ણ પરિપત્ર — પરિપત્ર રજૂ કર્યો છે, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017 (CGST એક્ટ)ની વિવિધ મુખ્ય જોગવાઈઓ હેઠળ “યોગ્ય અધિકારીઓ”ની નિમણૂક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ પરિપત્ર CGST એક્ટની કલમ 74A, 75(2), અને 122 અને સંબંધિત નિયમો હેઠળ યોગ્ય અધિકારીઓની સોંપણી સ્પષ્ટ કરે છે. આ પગલું ઓપરેશનલ ગેપ્સને દર્શાવે છે, કારણ કે અગાઉની સૂચનાઓમાં આ જોગવાઈઓ માટે અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, ખાસ કરીને કલમ 74A ની રજૂઆત પછી, જે નાણાકીય વર્ષ 2024-25 માટે કર બાકી રકમના નિર્ધારણ સાથે સંબંધિત છે જ્યાં કોઈ છેતરપિંડી અથવા દમનનો આરોપ નથી. પરિપત્રના મુખ્ય મુદ્દાઓ અનુસાર, ચોક્કસ GST કાર્યો માટે અધિકારીઓની સોંપણી કરવાની છે. સેન્ટ્રલ જીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ્સ, આસિસ્ટન્ટ, ડેપ્યુટી કમિશનરો અને એડિશનલ, જોઈન્ટ કમિશનરોને યોગ્ય અધિકારીઓ તરીકે સોંપવામાં આવ્યા છે. કલમ 74A તળે ચૂકવેલા, ઓછા ચૂકવેલા કર અથવા ખોટી વેરાશાખના દાવાઓ (છેતરપિંડી ન કરવાના કેસ)નું નિર્ધારણ સામેલ કરાયુ છે. કલમ 75(2) તળે અપીલ સત્તાવાળાઓ દ્વારા અગાઉની નોટિસમાં છેતરપિંડીના આરોપોને નકારી કાઢવામાં આવે ત્યારે કરનું પુનર્નિર્ધારણ દર્શાવાયુ છે. કલમ 122 તળે ચોક્કસ GST ગુનાઓ માટે દંડ લાદવાનું ઠેરાવાયુ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે અને કરદાતાઓને આકારણી અને અપીલ માટે યોગ્ય સત્તા ઓળખવામાં મદદ મળશે, પરંતુ 2024-25 અગાઉ આડેધડ અને યોગ્ય સત્તા નહીં હોવા છતા પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસો, ઓર્ડરને યોગ્ય ઠેરવી શકાય કે કેમ? તેના અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. GST નિયમોમાં શું ફેરફાર થયા ? સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટકરદાતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોવ્યવસાયકારો, કરદાતાઓએ ચકાસણી કરવી જોઇએ કે તેમને મળેલી કોઈપણ શો-કોઝ નોટિસ અથવા આદેશ પરિપત્રના માપદંડો હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવે છે કે નહીં. ઉચ્ચ નાણાકીય શ્રેણીમાં ઓર્ડર અથવા દંડને લગતા કેસોમાં, તપાસો કે યોગ્ય અધિકારી સ્તર (વધારાના, સંયુક્ત કમિશનર) આ બાબતને સંભાળી રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવી. > ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કેન્સલટન્ટ,ભાવનગર પરિપત્રથી કરદાતાની મુશ્કેલીમાં ઘટાડો થશેનવા પરિપત્રથી અને સ્પષ્ટતાથી નિર્ણય કાર્યવાહીમાં એકરૂપતામાં સુધારો થશે, અધિકારક્ષેત્ર અંગેના વિવાદો ઘટશે, GST અમલીકરણના કેસોને ઝડપી બનાવવામાં આવશે, ખાસ કરીને નાણાકીય વર્ષ 2024-25 માટે અને કરદાતાઓને આકારણી અને અપીલ માટે યોગ્ય સત્તા ઓળખવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:07 am

ફરાર આરોપી ઝડપાયો:શહેરા પોલીસ મથકના અપહરણના ફરાર આરોપીને રજાયતાથી ઝડપાયો

પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંનેને શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓઓ જિલ્લામાં નોંધાયેલા ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાના આધારે જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ સક્રિય બની હતી. આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ. બીએમ રાઠોડે આરોપીને પકડવા માટે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં આ.પોલીસ કોન્સ્ટેબલ વિપીનભાઈ ભાથીભાઈએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા ખાનગી રાહે માહિતી મેળવવામાં આવી હતી કે શહેરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહીતની કલમ હેઠળ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાનો ફરાર આરોપી વિનોદ ઉર્ફે રંગાભાઈ રેવાભાઈ ઉર્ફે રવજીભાઈ નાયક, રહે.રજાયતા, તા.મોરવા (હ) ખાતે છે. બાતમીના આધારે તપાસ કરતા ફરાર આરોપી વિનોદ ઉર્ફે રંગાભાઈ નાયક તેના ઘરેથી મળી આવ્યો હતો. આ ગુનામાં ભોગ બનનાર પણ મળી આવતા આરોપી અને ભોગ બનનારને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:06 am

મોત:અગરવડામાં હિટ એન્ડ રન રોડ સાઇડ પર ઉભેલા વૃદ્ધનું વાહનની ટક્કરથી મોત

મોરવા(હ)ના અગરવાડા વચલા ટેકરા પાસે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. મોરવા હડફ તાલુકાના અગરવાડા ટાંડી, પલાસ ફળિયા ખાતે રહેતા સોમાભાઈ માનસિંગ ભાઈ પલાસ પર્વતભાઇ 10 નવેમ્બર ના રોજ અગરવાડા વચલા ટેકરા પાસે રોડની સાઇડ પર ઊભા હતા તે દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સોમાભાઈ માનસિંગભાઈ પલાસ ને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં મોત નિપજ્યું હતું.આ અંગે ના અક્સ્માત ની મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:04 am

ઘરવખરી બળીને ખાખ:ટીમરડામાં કાચા મકાનમાં ભીષણ આગ

દાહોદ તાલુકાના ટીમરડા ગામે હોળી ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં મકાનની અંદર મૂકેલો તમામ ઘરવખરીનો સામાન ખાખ થઈ ગયો હતો. દાહોદ તાલુકાના ટીમરડાના હોળી ફળિયામાં આવેલું આ કાચા નળિયાવાળું મકાન અચાનક જ અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું. આગની જાણ થતાં જ ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતાં ગામના તલાટી, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. દરમિયાન દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દાહોદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોવાની આશંકા છે. આ આગમાં મકાન માલિકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેમને સરકારી સહાય મળી રહે તે માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તલાટી અને સરપંચ દ્વારા સ્થળ પર પંચનામું અને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:03 am

ભાસ્કર ઈનસાઈડ:દાહોદ કેન્દ્રીય વિદ્યાલયમાં ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માગતાં શિક્ષકે પ્રિન્સિપાલને ઝાપટો ઝીંકી

દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં મંગળવારે શિક્ષણજગતને શર્મસાર કરનારો એક ગંભીર બનાવ બન્યો હતો. ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માંગવા ગયેલા શાળાના પ્રિન્સીપાલને શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ જ બે ઝાપટ ઝીંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પ્રિન્સીપાલે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દાહોદના કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામચરણ લલીત શેઠી મંગળવારે શાળામાં હાજર થયા હતા. પરંતુ તેમણે સમયસર કોઈપણ વર્ગ લીધો ન હતો. આ બેદરકારી ધ્યાનમાં આવતા વિદ્યાલયના પ્રિન્સીપાલ અનોશ મંગળસિંહ સેમસંગે આ અંગે લેખિત ખુલાસો માંગવાનું નક્કી કર્યું હતું. પ્રથમ પ્રયાસમાં પ્રિન્સીપાલે પટાવાળા મારફતે શિક્ષક રામચરણ શેઠીને ખુલાસો આપવા જણાવ્યું, પરંતુ શિક્ષકે તે આપવાનો ઇન્કાર કર્યો હતો. બપોરે લગભગ એકથી દોઢ વાગ્યાના સમયગાળામાં, જ્યારે રામચરણ શેઠી ધો.7ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ત્યારે પ્રિન્સીપાલ અનોશ સેમસંગ અને અન્ય શિક્ષક અમિતકુમાર ભગવાનસિંહ ક્લાસમાં પહોંચ્યા અને ખુલાસા અંગે સીધી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા શિક્ષક રામચરણ શેઠી એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે ખુલાસા માટે તૈયાર કરાયેલા કાગળની નકલો ફાડી નાંખી અને તેના ટુકડા પ્રિન્સીપાલના મોઢા ઉપર ફેંકી માર્યા હતાં. પ્રિન્સીપાલે પરિસ્થિતિ શાંત પાડવા માટે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગુસ્સાથી ભરાયેલા રામચરણ શેઠીએ આવેશમાં આવીને પ્રિન્સીપાલને બે ઝાપટ ઝીંકી દીધી હતી. વિદ્યાર્થીઓ સમક્ષ થયેલા આ અણધાર્યા હુમલાથી આખો ક્લાસરૂમ સ્તબ્ધ થઈ ગયો હતો. શાળાના વડા પર જ કરાયેલા આ હુમલાને ગંભીરતાથી લઈને પ્રિન્સીપાલ અનોશ સેમસંગે શિક્ષક રામચરણ શેઠી સામે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હંગામા બાદ શિક્ષક ક્લાસમાં બેહોશ થયાવિદ્યાર્થીઓની સામે જ ચાલુ ક્લાસે ઝપાઝપી અને હંગામા બાદ અન્ય શિક્ષકોએ તાત્કાલિક વચ્ચે પડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે, ઘટના બાદ તરત જ શિક્ષક રામચરણ લલીત શેઠી ચાલુ ક્લાસમાં બેહોશ થઈ જતાં ભારે દોડદામ મચી ગઇ હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:02 am

ભાસ્કર ઈનસાઈડ:દાહોદ SBI લોન કૌભાંડના 2 પ્રકરણમાં‎9,000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ‎

દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં આચરવામાં આવેલા 6.34 કરોડના લોન કૌભાંડ જુલાઈ 2025માં સામે આવ્યુ હતુ. જેમાં બેન્કના તત્કાલીન મેનેજર સહિત 31 સામે ગુનો નોંધાયો હતો. .આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં કુલ 9000 પાનાની મેગા ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં SBIની માણેક ચોક શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 વચ્ચે નકલી પગાર સ્લિપ અને અન્ય બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો. આ કૌભાંડની બેન્ક દ્વારા આંતરિક તપાસ બાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં જુલાઈ 2025માં બેન્કના અધિકારી નિતિન ગોપીરામ પુડીંગે દ્વારા નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદી અને 19 લોનધારકો કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેવી જ રીતે SBIની સ્ટેશન રોડ શાખાનું કૌભાંડ 1 સપ્ટેમ્બર 2021થી 20 જૂન 2024 વચ્ચે આચરાયુ હતું. જેમાં બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોન ધારકો હતાં. આ બંને પ્રકરણમાં પોલીસે બંને શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત સંડોવાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. કુલ 6.34 કરોડ રૂપિયાની ખોટી રીતે લહાણી કરવાના આર્થિક ગુનામાં પોલીસે તમામ પુરાવા અને આરોપીઓના નિવેદનો સાથે કુલ 9000 પાનાની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. કેસ કાગળોની ઝેરોક્ષ કરાવવાનો ખર્ચ 28 હજાર રૂપિયા થયોએસબીઆઇ બેંકના લોન કૌભાંડ મામલે એ અને બી ડિવિઝનમાં બે જુદી-જુદી ફરિયાદો નોંધાઇ હતી. ત્યારે કોર્ટમાં ચાર્જશીટમાં મુકવાના કેશ કાગળો ઉપરાંત વકીલ અને આરોપીઓને પણ એક-એક કોપી આપવાની થાય છે. આ કેસોના કાગળોની ઝેરોક્ષ કરાવવામાં પોલીસને 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યુ છે. નકલી એનએ કેસમાં પણ 9 હજાર પાના હતાદાહોદ નકલી એનએ કેસમાં દાખલ થયેલી તમામ ફરિયાદોમાં પણ દાહોદ પોલીસે આરોપીઓ સામે 2600, 6370 પાના મળી કુલ 8970 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:01 am

ઠંડીનો ચમકારો:દાહોદમાં દિવસે ગરમી, રાત્રે પારો ગગડતાં ઠંડીનો ચમકારો

દાહોદ શહેરમાં ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરીજનોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસભર વાતાવરણમાં અચાનક આવેલા બદલાવના કારણે ઠંડક અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દાહોદ શહેરમાં બુધવારના દિવસના સમયે વાતાવરણ ચોખ્ખું રહેતાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આકાશમાં વાદળોનું આવરણન હોવાથી સૂર્યનો તાપ તીખો અનુભવાઇ રહ્યો હતો અને લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ 35% જેટલું નીચું નોંધાયું હતું. જોકે, સૂર્યાસ્ત થતાં જ પરિસ્થિતિ બદલાયેલી જોવાઇ હતી. દિવસનો પારો ઝડપથી ગગડવાનું શરૂ થયો હતો અને રાત્રે ઠંડીનો હુંફાળો ચમકારો અનુભવાયો હતો. દાહોદ શહેરમાં હાલમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી નીચું જઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:00 am

CM આજે કરશે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નું ઉદ્ધાટન:સાબરમતી રિવરફ્રન્ટ પર 4 દિવસીય ફૂડનો મહાજલસો, અમદાવાદીઓને વૈશ્વિક સ્વાદનો અનોખો અનુભવ મળશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ શરૂ થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સવારે 9:30 વાગ્યે સંયુક્ત રીતે કરશે. 13થી 16 નવેમ્બર સુધી ચાલનારા આ ચાર દિવસીય મહાજલસામાં Taj Soulinaireની ₹2500ની લક્ઝરી લંચ, પુરી જગન્નાથ મંદિરના ₹2100ના મહાપ્રસાદ, મિશેલિન સ્ટાર શેફની શાકાહારી વાનગીઓ, નેપાળ-સ્પેન-નેધરલેન્ડના શેફના લાઇવ ડેમો, રણવીર બ્રાર-વિક્કી રત્નાની જેવા સેલિબ્રિટી શેફ્સની હાજરી અને પ્રથમવાર લાઇવ કોફી રોસ્ટિંગ પેવેલિયન સાથે અમદાવાદીઓને વૈશ્વિક સ્વાદનો અનોખો અનુભવ મળશે. BookMyShow પર ટિકિટ બુક કરાવીને તમે અહીં જઈ શકશો. QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવોસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. લક્ઝરી પેવેલિયનમાં પીરસાશે સ્પેશિયલ વાનગીઓ'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ ફેસ્ટિવલમાં ભાગ લેશેફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી કહેવાય છે) માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે. ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશેઆ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે. ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:પંચ.માં 11 બ્લેક ટ્રેપની લીઝોના ખાણકામ બંધ‎

પંચમહાલ જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ અને રેતી માટે લીઝોની મંજૂરી આપવામાં આવતી હતી. જિલ્લા કક્ષાએ એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટી મંજુરી આપતા લીઝોમાં ખોદકામ કરાતું હતું. પંચમહાલ જિલ્લામાં આશરે 200 લીઝો આવેલી છે. જિલ્લા કક્ષાની મજૂરીથી લીઝો ચાલુ થતી હતી. પરંતુ સરકારી લીઝોના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાની એન્વાર્યમેન્ટ કમિટીએ રીપોર્ટ રાજ્યની ઇસી કમિટીને મોકલી આપ્યો હતો. રાજ્યની ઇસી કમિટી દ્વારા જિલ્લાકક્ષાનો રીપોર્ટ નામંજૂર કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં 11 બ્લેક ટ્રેપ અને રેતીની લીઝોનું ઇસી પ્રમાણપત્ર ના મંજૂર કરી દેવામાં આવતા પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થાનિક પ્રમાણપત્ર પણ નામંજૂર કરીને 11 લીઝોના એકાઉન્ટ લોક કરવામાં આવ્યા હતાં. પરિણામે હવે રોયલ્ટી પાસ નિકળશે નહિ. ધમધમતી 11 લીઝો બંધ કરી દેતા રોજગારી સાથે રેતી કપચીના વ્યવહાર પર અસર પડશે. સાથે આ 11 લીઝોના એકાઉન્ટ લોક કરીને ખાણકામ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા 11 લીઝોમાં કોઇ પણ પ્રકારનુ ખોદકામ કરતા જણાશે તો કાર્યવાહી કરીશુ . જિલ્લામાં એક સાથે 11 લીઝો બંધ કરાવવામાં આવી છે. જેમાં 10 બ્લેક ટ્રેપ અને એક રેતીની લીઝ છે. ખાણખનીજે 11 લીઝના‎એકાઉન્ટ લોક કરી દીધા કવોરી ડસ્ટ ઉડતાં રોડ પસાર કરતા લોકોને મુશ્કેલીગોધરાના ટીબા રોડ પર મોટા ભાગની નદી કિનારે અને રોડ પર ક્વોરી આવેલી છે. સાંજ પડતા કવોરીઓમાં કરાતી કામગીરીથી ડસ્ટ ઉડતા રોડ પરથી પસાર થતા વાહનો ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહે છે. તેમજ પસાર થતા બાઇક ચાલકોના શ્વાસમાં ડસ્ટ ભરાઇ જવાના બનાવો પણ બને છે.તેમજ નદી કિનારા પરની કવોરીએ ગેરકાયદે ખોદકામ કરી દીધા છે. નદીમાં બ્લાસ્ટ કરીને મોટા ખાડાઓ ખોદીને આવન જાવન માટે ગેરકાયદેસર રસ્તો પણ બનાવી દીધો છે. બાંધકામ ક્ષૈત્રને અસરહાલમાં ચોમાસુ પુર્ણ થતાં જ બાંધકામ ક્ષેત્રમાં કામગીરી મોટાપાયે ચાલુ થઇ જાય છે. આ સમયમાં બ્લેક ટ્રેપ લીઝો બંધ થતાં બાંધકામ ક્ષેત્ર પર તેની અસર પડી શકે છે. સાથે જો બહારથી કપચી કે રેતી મંગવવામાં આવે તો તેનો ખર્ચ વધી જાય છે. પરિણામે બાંધકામનો ભાવ પણ વધી જાય છે. સાથે આ સ્થિતિમાં અન્ય લીઝ સંચાલકો મજબુરીનો લાભ લઇને ભાવમાં પણ વધારો કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:59 am

દોડધામ:બોડેલીમાં સાંસદના પ્રવચન દરમિયાન કોઇ શખ્સ સ્ટેજ પર આવી જતાં દોડધામ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આવેલી એપીએમસીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. ત્યારે જન જાતીય ગૌરવ રથ જે અંબાજીથી 5મી તારીખે નીકળ્યો હતો. જે બુધવારે પંચમહાલના જાંબુઘોડાથી નીકળી બોડેલી ખાતે આવી પહોંચતાં, ભાજપ નેતા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રથને આવકારવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બોડેલી ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા મંત્રી પી. સી બરંડા અને બીજા રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલનની ઉપસ્થિતિમાં આ ગૌરવ રથ યાત્રાનું સ્વાગત કરાયું હતું. દરમિયાન સ્ટેજ પર સાંસદ જશુભાઇ રાઠવાનું પ્રવચન ચાલતું હતું ત્યારે પોલીસની કિલ્લા બંધી હોવા છતાં એક અજાણ્યો શખ્સ સ્ટેજ પર આવી પહોંચ્યો હતો. જોકે બંને મંત્રીઓના સિક્યુરિટી ગાર્ડે સમયસૂચકતા વાપરી તેને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો. આ ઘટનામાં બોડેલી પોલીસની મોટી ચૂક થતાં બોડેલી પ્રાંત અધિકારી ભૌમિકા રાઓલે તેમને ઠપકો આપ્યો હતો. જોકે બોડેલી પોલીસે આ અજાણ્યા શખ્સને પકડી તેને પોલીસ મથકે લઇ જઇ તે કયા ઇરાદાથી સ્ટેજ પર આવ્યો હતો કે કોઇના ઈશારાથી આવ્યો હતો તેવા પ્રશ્નો સાથે પૂછપરછ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:55 am

યુવાન પાસે તમંચો મળ્યો:વખતપુરા ચોકડી નજીક દેશી‎તમંચા સાથે યુવાન ઝડપાયો‎

ઝાલોદ તાલુકામાં વખતપુરા ચોકડી પાસે એસઓજીના ચેકિંગમાં એક યુવકે કમરે ખોસી રાખેલો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવક સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની પુછપરછ શરૂ કરી છે. ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામ પાસે વખતપુરા ચોકડી નજીક એસઓજીની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પીપલેટ ગામનો 30 વર્ષીય યુવાન શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. તેની અંગઝડતી લેતા કમરના ભાગે પેન્ટમાં ખોસેલો એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે સાવધાનીપૂર્વક તમંચો કબ્જે કરી યુવાનને કાયદેસરની પ્રક્રિયા હેઠળ અટકાયત કરી હતી. કબ્જે કરાયેલ તમંચાની કિંમત આશરે રૂ. 5,000 જેટલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:54 am

માનવતાની મહેક:ભણતર, ભોજનની વર્ષોથી નિસ્વાર્થ સેવા કરતા સુરતીઓ

આજે વર્લ્ડ કાઈન્ડનેસ ડે છે, ત્યારે સિટી ભાસ્કરની ટીમે સુરતના એવા લોકો સાથે વાત કરી જેમ કે કોઇ દરરોજ 150 વડીલોને ભોજન પહોંચાડવું, બાળકોને ફ્રી એજ્યુકેશન અને પુસ્તકો અને સ્ટેશનરી આપવી, રોડ સાઈડ ડોગની નિઃસ્વાર્થ સેવા, તો કોઈ 10 વર્ષથી પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા જેવા અનેક સેવાભાવી કાર્યોમાં સંકલિત થઈ સમાજને ઉદારતા, સંવેદનશીલતા અને દયાભાવનો મેસેજ આપી રહ્યા છે. અસાધારણ ફાઉન્ડેશન : અસાધારણ ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી શહેરની અલગ-અલગ SMC સ્કૂલને એડોપ્ટ કરી ત્યાનાં બાળકોને નવી ટેક્નોલોજી અને રિયલ લાઇફ એક્ઝામ્પલ થકી અભ્યાસ કરાવે છે. 14 સભ્યોની ટીમ દરરોજ શાળાઓમાં જઈને બાળકોને શૈક્ષણિક સાથે સોશિયલ અને ઈમોશનલ રીતે મજબૂત બનાવે છે. ગ્રુપના દરેક સભ્યો વિભિન્ન પ્રોફેશનલ વર્ક સાથે જોડાયેલા છે. આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ:ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા દ્વારા છેલ્લા 14 વર્ષથી નિસંતાન નિસહાય નિરાધાર, એકલવાયુ જીવન જીવતા અને એકલા રહેતા વડીલોને ઘરબેઠા વિનામૂલ્યે ભોજન સેવા આપે છે. આદિવાસી જંગલ વિસ્તારમાં રહેતા બાળકોને શૈક્ષણિક સહાય આપે છે હાલ દરરરોજ 150 જેટલા વડીલોને આ સેવા મળી રહી છે. સંસ્થાનું પોતાનું રસોડુ ચાલે છે, . રસોઈ ઘરમાં 8 વ્યકિતનો સ્ટાફ છે. જેમાં ટીફીન સપ્લાયવાળા 2 ભાઇઓ છે અને 5 મહિલાઓ રસોઈ બનાવે છે. જયાં રસોઈ ઘર ચાલે છે તે યોગેશ્વર પાર્ક સોસા., વરાછાના ઘણા વડીલો પણ વિનામૂલ્યે દરરોજ સેવા આપે છે. અને સોસાયટી સંસ્થા પાસે કોઈ ભાડુ લેતી નથી. આરતી બસરન અને સુરેશ બિંદ : આરતી બસરન વ્યવસાયે એડવોકેટ છે અને તે સાથે એનિમલ એક્ટિવિસ્ટ પણ છે. તેમણે અત્યાર સુધીમાં 500થી વધુ શ્વાનનું સ્ટેરિલાઇઝેશન કરાવ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 1 હજારથી વધુ ડોગ્સની ટ્રીટમેન્ટ અને રેસ્ક્યુ કર્યું છે. સાથે તેઓ દરરોજ 50 વધુ રોડ સાઈડ ડોગને ફીડિંગ કરાવવાની કામગીરી કરી છે. તેઓ છેલ્લા 15 વર્ષથી આ કાર્ય સાથે સંકળાયોલા છે. તેમની સાથે એક ઓટો ડ્રાઇવર સુરેશ બિંદ પણ સેવા આપે છે. બંને મળીને અનેક પ્રાણીઓને બચાવી ચૂક્યા છે. કોરોના સમય દરમિયાન જ્યારે રસ્તા પરના પ્રાણીઓ ભૂખ્યા મરી રહ્યા હતા, ત્યારે બંનેએ GIDC વિસ્તારમાં રોજ ખોરાક પહોંચાડ્યો હતો. નવોદય ટ્રસ્ટ, કિન્નર સમાજનીની પહેલ : ઉધના વિસ્તારમાં સ્થિત નવોદય ટ્રસ્ટ કિન્નર સમાજ દ્વારા 100થી વધુ બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે. આ ટ્રસ્ટ અંડર પ્રિવિલેજ બાળકોને શિક્ષણ આપે છે. બાળકોને ગૂડ ટચ – બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ, રમત-ગમત અને એન્ટરટેઇનમેન્ટ દ્વારા જીવનના મૂલ્યો શીખવાડવામાં આવે છે. ટ્રસ્ટ દર વર્ષે 200થી વધુ બાળકોને પુસ્તકો અને સ્ટેશનરીનો સામાન પણ આપે છે. આ પ્રયાસો બતાવે છે કે જો મનમાં સંવેદના હોય તો કોઈ પણ સમુદાય સમાજને આગળ લાવા માટે આગેવાન બની શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:46 am

કામગીરીનું નિરીક્ષણ:પાત્રતા ધરાવતો મતદાર રહી ના જાય તેનું ધ્યાન રાખવાની સૂચના

છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામમાં બીએલઓની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂનવાડ ગામમાં બીએલઓ દ્વારા પીડબલ્યુડી મતદાર, સિનિયર સિટિઝન મતદાર સાથે મુલાકાત કરી તેમને એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) અને SIR વિશેની જાણકારી આપી વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી કરતા બીએલઓ અને સુપરવાઈઝરોને કહ્યું હતુ કે “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. તેઓએ મતદારયાદીમાં મતદારોનું યોગ્ય મેપિંગ થાય, એન્યુમરેશન ફોર્મમાં જેમને ના સમજ પડે તેમને સમજાવી ફોર્મ ભરવામાં જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન ના.જિ. ચૂંટણી અધિકારી યુ.એસ.શુક્લ, મામલતદાર, ના.મામલતદાર, બીએલઓ, સુપરવાઈઝરો અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:46 am

સિદ્ધિ:ફ્રાન્સ આયર્નમેન ચેમ્પિયનશીપ માટે ડો. હેતલ ક્વોલિફાઈ થયા

ગોવા ખાતે યોજાએલી હાફ આયર્નમેન રેસમાં સુરતના ડો.હેતલ તમાકુવાલાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યો છે અને હવે તેઓ 2026માં ફ્રાન્સ ખાતે યોજનારી આયર્નમેન ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયોડો. હેતલે રેસ અંગે કહ્યું કે, આ ટ્રાઇથ્લોન રેસ હતી, જેને મેં 7 કલાકમાં પુર્ણ કરી હતી. રેસમાં મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાઇક્લિંગ અને 21 કિલોમીટરનું રન કર્યુ હતું. મને 45થી 49 એજ કેટેગરીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. રેસના એક અઠવાડિયા પહેલા મને ડાયરીયા થયો હતો, જેથી મારી હેલ્થ થોડી વીક થઇ હતી. પરંતું એન્ટીબાયોટીક અને લિક્વિડ ફુડના સેવનથી મને રેસમાં કોઇ ખાસ તકલીફ થઇ નહોતી. ટ્રાઇથ્લોનમાં યુકે, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના દેશોના કુલ 1300 જેટલા પાર્ટીસિપન્ટે ભાગ લીધો હતો. સાઇક્લિંગ અને રનિંગના રસ્તામાં એલિવેશન અને બ્રીજ હોવાના કારણે પરફોર્મન્સ પર અસર થઇ હતી સાથે વાતાવરણ ગરમ હોવાના કારણે પણ સાઇકલિંગમાં ફર્ક પડયો હતો. તેમજ સામાન્ય રીતે જ્યારે સ્વિંમિંગની પ્રેક્ટિસ કરીએ ત્યારે ટાઇડ હોતુ નથી, પરંતુ અહીં મને સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:42 am

વાવેતર શરુ:બોડેલીમાં મકાઇના વાવેતર માટે તડામાર તૈયારી‎

છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકો જિલ્લા અને રાજ્યમાં મકાઇના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બોડેલી તાલુકાના ખેતીક્ષેત્રે અગ્રેસર એવા જબુગામ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પિયત પાક તરીકે ખેડૂતો મકાઇનો પાક મબલક પકવે છે. હાલમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાં કમોસમી વરસાદથી ડાંગર,અડદ, તુવેર,સોયાબીન,કપાસ સહિત થયેલા પાક નુકસાનની ભરપાઇ કરવા તેમજ કેળાનો ઉતારો ખાલી થઇ જતાં ખેતરો સાફ કરીને કેળાના થડ ગાંઠો તેમજ વધારાનો ઊગેલો કચરો દૂર કરી રહ્યા છે. હાલમાં પૂરજોશમાં મકાઇના પાકના વાવેતરની તૈયારીમાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે. ટ્રેક્ટર દ્વારા પ્લાવ, કલ્ટિવેટર, ડિસ્પ્લાવ, હળ દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં ખેડૂતો મકાઇનું વાવેતર ઓરણી દ્વારા તેમજ મજૂરો થકી ચાસમાં હાથથી ખાતરો નાખી રહ્યા છે. બોડેલી તાલુકાના જબુગામ, કોસિન્દ્રા, મોરખલા, કુંડી, ડોરમાર, પતરા, ભગવાનપુરા સહિત અનેક ગામોમાં ચાલુ વર્ષે મકાઇનું વાવેતર મોટા પ્રમાણમાં કરાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં કમોસમી વરસાદથી તાલુકાના કેટલાય ખેડૂતોને અનેક પાકોમાં નુકસાન થયું છે. આ નુકસાનની સામે વળતર મળે તે માટે સર્વે કરવાની માંગ સરકારમાં કરાઇ હતી ત્યારે હાલ ખેડૂતોને ફરી પાછા બિયારણ લાવી અને વાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. છોટાઉદેપુર જિલ્લાને હજુ સુધી કોઇ સહાય ચૂકવાઇ નથી ત્યારે શિયાળુ પાક મકાઇના વાવેતર પહેલાં ખાતામાં સહાય જમા થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:42 am

આગ લાગી:પાંડેસરામાં સાડી અને શૂઝની દુકાનમાં આગ, સામાન ખાખ

પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં મોડી રાત્રે સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. સાડીની દુકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલી બુટ-ચપ્પલની દુકાન પણ આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ધુમાડો વધુ હોવાથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખરે ઓક્સિજન માસ્કની મદદથી દુકાનમાં પ્રવેશી બે કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં સાડીનો દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે બુટ-ચપ્પલની દુકાનનો ઘણો સામાન ફાયરની ટીમે બચાવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:39 am

ઠગોની ઠગાઈ:મેટ્રોના ખોદકામમાં મળેલું સોનું-ચાંદી સસ્તામાં વેચવાનું કહી ટોળકીએ વૃદ્ધ રિક્ષાચાલક પાસેથી 10 લાખ પડાવ્યા

નવસારી બજારના રિક્ષા ચાલકને મહિલા સહિતના 5 ગઠીયાએ મુગલીસરામાં મેટ્રોની કામગીરીમાં સોના- ચાંદી ભરેલું માટલુ મળ્યુ હોવાનું કહીને સસ્તામાં આપવાના બહાને 10 લાખ પડાવી લીધા હતા. નવસારી બજારના 59 વર્ષીય રિક્ષાચાલક હિતેશભાઇ નવનીતભાઇ પ્રજાપતિ 12 ઓક્ટોબરે અઠવાગેટ જૈન દેરાસર પાસે ઉભા હતા ત્યારે 3 પુરૂષ અને એક મહિલા તેમની રિક્ષામાં સ્ટેશન જવા બેઠા હતા. દરમિયાનમાં પુરૂષે તેણે મેટ્રોમાં મજૂરી કરતા હોવાનું અને મુગલીસરા પાસે ખોદકામમાં સોનું અને ચાંદીના સિક્કા તેમજ માળા ભરેલુ માટલું મળ્યું છે. જે વતનમાં લઇ જવાઇ એમ ન હોવાથી સસ્તામાં વેચવાનું કહ્યું હતું. હિતેશભાઇ ગઠીયાને તેમના દિકરા મયુરની દુકાન પર લઇ ગયા હતા. જ્યાં મયુરને એક જણાએ મોહનભાઇ બાબુભાઇ ડામોર (ઉવ.45, રહે, કલ્યાણધામ બાંસવાડા, રાજસ્થાન)નો આધારકાર્ડ બતાવ્યો હતો. ત્રણેક દિવસ બાદ આ શખ્સ સાથે એક મહિલા અને પુરુષે આવી એક કિલો સોનાની માળા અને સિક્કા બતાવ્યા હતા. ગઠીયાએ માળામાંથી એક મણકો આપતા મયુરે ક કરાવતા 21 કેરેટ સોનાનો હોવાનું સોનીએ કહ્યું હતું. 25 લાખ માંગતા હિતેશભાઇએ.10 લાખમાં સોદો નક્કી કર્યો હતો. તા.17-ઓક્ટોબરે મોહન ડામોર અન્ય પુરૂષ અને મહિલા સાથે આવ્યા હતા. અને રૂપિયા લઇને તેના બદલમાં 1 કિલો 382 ગ્રામની માળા અને ચાંદીના 4 સિક્કા આપીને ગયા હતા. હિતેશભાઇએ માળા ચેક કરાવતા તે પીતળ જેવી ધાતુ હતી .હિતેશભાઇએ અઠવા પોલીસમાં મોહન ડામોર, નાથુ વાઘેલા, એક યુવક, પ્રેમીલા અને અન્ય મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં અરજી કરી તો રૂપિયા પરત કર્યાહિતેશભાઇએ પોલીસમાં અરજી કરતા 3 દિવસ પહેલા મોહન ઉર્ફે જીવણના વકીલ દિનેશ રાઠોડે તેમની સાથે બેઠક કરી હતી. ગીતા નાથા મારવાડી (પરીખ ભવન, આણંદ) આવ્યા હતા. હિતેશભાઇના વકીલની ઓફિસમાં દિનેશ અને ગીતાએ સમાધાન કરાર લખાવી લઇને કેસ નહીં કરવાની શરતે પૈસા પરત કર્યા હતા. જોકે, હિતેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી આધારની તપાસ થશેપીઆઇ.એચ.કે. સોલંકીએ જણાવ્યું હતુંકે આરોપીનું નામ જીવણ હોવા છતા તેણે મોહનના નામમું આધારકાર્ડ બનાવીને છેતરપિંડી માટે ઉપયોગ કર્યો હતો.જેથી આ અંગે પણ તપાસ કરાશે. અગાઉ ચીટિંગ કરી હતીપ્રેમિલા અને ટોળકીએ વર્ષ 2020માં કડોદરામાં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન સોનું મળ્યાનું અને સસ્તામાં આપવાનું કહી ખેડૂત સાથે 1.50 કરોડની ઠગાઇ કરી હતી. 2024માં ટોળકી પકડાઇ હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:38 am

શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન:બહેનો વતી, બહેનો દ્વારા, બહેનો માટે કથા, સંગીતથી લઈ ફોટોગ્રાફી બધુ બહેનો કરે છે

બોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શહેરના સિંગણપોર કોઝવે રોડ એસએમસીના મલ્ટીપરપઝ હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન બોટાદ મંદિરના સાંખ્યયોગી જ્યોતિબેન અને સાળંગપુર મહિલા મંદિરના નયનાબેનના વક્તા પદે કરવામાં આવ્યું છે. ભાગવત કથાની વિશેષતા એવી છે કે આ કથાનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ કથામાં વક્તા તેમજ શ્રોતાઓ પણ મહિલા જ હોય છે. કથામાં સંગીતકાર અને ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર તેમજ અન્ય તમામ વ્યવસ્થા માટે માત્ર અને માત્ર બહેનો જ હોય છે. કથાના ત્રીજા દિવસે વક્તાએ જણાવ્યું હતું કે તમે જે સંપ્રદાય જે પરંપરા અથવા જે ઉપાસના પદ્ધતિમાં માનતા હોય તે પરંપરા મુજબ તમને જે અનુકૂળ હોય તે દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન સમક્ષ એકાગ્રતાપૂર્વક પૂજા કરવી જોઈએ. સંપત્તિનો ઉપયોગ બે પ્રકારે થતો હોય છે એક વાપરવી અને બીજી વાવવી. વાપરીએ છીએ તેનું વળતર નથી મળતું પરંતુ વાવીએ છે તેનું અનેક ઘણું પરત મળે છે. માટે સંપત્તિનો યોગ્ય રીતે સદ ઉપયોગ થવો જોઈએ. મંડળની બહેનો વિવિધ વિષયોમાં નિષ્ણાંત છેભાગવત કથામાં વક્તા પદેથી સાંખ્ય યોગી જ્યોતિબેને જણાવ્યું હતું કે અમારા મંડળમાં સાંખ્ય યોગી સાત બહેનો છે બધા જ ગ્રેજ્યુએટ છે વિવિધ વિષયોમાં નિષ્ણાંત છે. આજથી 30 વર્ષ પહેલાં વાડીયા વિમેન્સ કોલેજમાં મેં પણ બી એ કરેલું છે. બધી જ વ્યવસ્થા અમે બહેનો જ સંભાળીએ છીએ કથાના આયોજન, કથા માટેની તૈયારીઓ, સંગીત, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી,

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:36 am

ભાસ્કર એક્સક્લુસિવ:શહેરની બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત બાદ લોહી મેળવવા રક્તદાન કરાવવાની સ્થિતિ સર્જાઇ

દિવાળીના વેકેશનમાં લોકો વતન તેમજ ફરવા માટે બહાર જતાં હોવાથી સ્વૈચ્છીક રક્તદાનનું પ્રમાણ નહીવત રહ્યું હતું. આ કારણોથી હાલમાં શહેરની તમામ બ્લડ બેંકોમાં તમામ બ્લડ ગૃપના લોહીની ભારે અછત સર્જાઈ છે. લોહીની જરૂરીયાત સામે સ્ટોક નહીવત હોવાથી લોહીની જરૂરીયાત સામે ડોનર પાસે રક્તદાન કરાવવાની ફરજ પડી રહી છે. શહેરમાં હાલના તબક્કે લોહીની જરૂરીયાત સામે 80 ટકા જેટલી અછત હોવાથી લોહીની જરૂરીયાત સાથે આવેલા દર્દીના સગા સંબંધીઓને કોઈક વ્યક્તિ પાસે રક્તદાન કરાવે તે માટે અપીલ કરવી પડી રહી છે. રોજ 200થી વધુ દાતાને અપીલ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં તમામ બ્લડ ગૃપમાં અછત છે. જેથી જે લોહી લેવા આવે તેમને સમજાવી કોઈ પાસે બ્લડ ડોનેટ કરાવવા માટે સમજાવાય છે. તેમજ રોજ 200થી વધુ રક્તદાતાઓને ફોન કરી રક્તદાન માટે અપીલ કરીએ છીએ. સિવિલ-સ્મીમેરમાં પણ અછતસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ધસારો વધુ હોવાથી આ બન્ને હોસ્પિટલની બ્લડ બેંકમાં પણ હાલ લોહીની ભારે અછત છે. સિવિલ અને સ્મીમેરના અધિકારીઓ દ્વારા પણ સ્વેચ્છીક રક્તદાતાઓને રક્તદાન માટે તેમજ સંસ્થાઓને કેમ્પના આયોજનો માટે અપીલ કરાઇ છે. દિવાળીના વેકેશન બાદ દર વર્ષે અછતની સ્થિતિ સર્જાય છેગણેશોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પના આયોજનો થતા હોવાથી લોહીનો સ્ટોક થતો હોય છે. પરંતુ દિવાળીના વેકેશન બાદ લોકો બહાર ફરવા તેમજ વતન જતા હોવાના કારણે આ સમયગાળામાં દર વર્ષે લોહીની ભારે અછત સર્જાય છે. જેથી આ સમયગાળામાં લોકો રક્તદાન માટે આગળ આવે અને સંસ્થાઓ પણ કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:35 am

કાળભૈરવ જયંતિ ઉજવાઈ:સગરામપુરા ક્ષેત્રપાળ મંદિરમાં ભૈરવ યાગ કરાયો ભક્તોએ આહૂતિ આપી

સગરામપુરા, ક્ષેત્રપાળ મંદિર ખાતે કાળભૈરવ જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઘોડદોડ રોડ, રામચોક ખાતે મહાકાલેશ્વર મંદિરમાં કાળભૈરવ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં બાબાને અભિષેક કરાયા બાદ 15 કિલો દૂધની કેક પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવી હતી. બુધવારે ભગવાન કાળ ભૈરવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ ગણાતા કાળભૈરવની જન્મજયંતિ પર રામચોકના ઘોડદોડ રોડ પર મહાકાલેશ્વર મંદિરમાં આ પ્રસંગે ખાસ બાબાના દરબારને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સાંજે 5 વાગ્યે યોજાયેલા હવનમાં ભક્તોએ શ્રધ્ધાપૂર્વક આહુતિ આપી હતી. ભક્તોએ સ્તોત્રો અને કીર્તનોથી દેવતાને પ્રેમથી રીઝવ્યા હતા. તેમજ સમાજ અને રાષ્ટ્રની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઘોડદોડ રોડ, મહાકાલેશ્વર મંદિરમાં કાળભૈરવ જયંતિ ઉજવાઈઘોડદોડ રોડ, રામચોક ખાતે મંદિરમાં કાલભૈરવ દાદાને જન્મજયંતિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર મંદિરને રોશની તેમજ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:33 am

CMAT:17મી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સીમેટની જાહેરાત કરવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયું નથી તેઓ 17 નવેમ્બર, 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે, જ્યારે પરીક્ષા ફી ઓનલાઇન જમા કરાવી જરૂરી છે. ફી ભરનાર ઉમેદવારનું જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. ફોર્મ ભરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને પ્રિન્ટ રાખવી ફરજિયાત છે. ફી ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2025 છે. વધુ માહિતી માટે ઉમેદવાર NTA હેલ્પડેસ્ક 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા mailto:cmat@nta.ac.in પર ઈમેઇલ મોકલી શકે છે. તમામ અપડેટ્સ માટે nta.ac.in અને cmat.nta.nic.in નિયમિત ચકાસતા રહેવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:32 am

ભણશે ગુજરાત:સ્કૂલ છોડનારા બાળકોને શોધી ફરી પ્રવેશ અપાશે,14 નવે.થી સરવે

જુદા જુદા કારણોથી સ્કૂલ છોડી ગયેલા કે કોઈ કારણોસર સ્કૂલે નહીં જતા 6થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જે ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી એવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં સ્કૂલ કક્ષાએ 14થી 23 નવેમ્બર સુધી સરવે હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે તમામ સરકારી વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી સ્કૂલ, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે. સરવે પૂર્ણ થયા બાદ એકત્રિત માહિતીના આધારે બાળકોના નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાનના અંતે જૂન 2026માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી આ તમામ બાળકોને નજીકની સરકારી સ્કૂલોમાં દાખલ કરવામાં આવશે. વાલીઓમાં જાગૃતિનો અભાવમોટાભાગના આદિવાસી અને ગરીબ પરિવારો મજુરી કામ અર્થે વહેલાં ઘરેથી જતાં હોવાથી તેમના નાના બાળકોની દેખરેખની જવાબદારીઓ તેમના મોટા સંતાનોને સોંપતાં હોય છે અથવા તો સાથે મજુરીએ લઇ જાય છે. આવકની મર્યાદાને કારણે તેઓ માત્ર મજુરીને જ બધું સમજતા હોવાથી તેમને જાગૃત કરવામાં મુશ્કેલી સર્જાય છે. કેટલીકવાર ઉદ્ધતાઇભર્યું વર્તનએક શિક્ષકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ થકી જ શિક્ષકોનું અસ્તિત્વ હોય છે. જેથી તેઓ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને મનાવવાના સંપુર્ણ પ્રયાસ કરે છે. જોકે કેટલીકવાર શિક્ષકો દ્વારા તેમને સમજાવવા જવાને કારણે તેઓ શિક્ષકો સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરે છે. જોકે તેમ છતાં શિક્ષકો તેમને સમજાવવાનો પુરેપુરો પ્રયાસ કરે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:32 am

ભાસ્કર એક્સક્લુસિવ:પરીક્ષા આપતા વિદ્યાર્થીનો બેન્ચ પરથી પણ અવાજ સાંભળી શકાય તે રીતે માઈક્રોફોન-કેમેરા લગાવાશે

સીબીએસઇની ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય જાહેર પરીક્ષા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે પરીક્ષાને લઈ બોર્ડે તૈયારી શરૂ કરી છે. આ વખતે સુરત સહિત દેશભરના તેમજ વિદેશના 45 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનારા છે. પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડે નવી સીસીટીવી પોલિસી અમલમાં મૂકી છે. નવી પોલિસી મુજબ સીસીટીવીથી માત્ર લાઇવ વિડીયો જોવાશે નહીં, પરંતુ ઓડિયો પણ લાઇવ સાંભળવામાં આવશે, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય છે કે નહીં તે તરત જોવા-સાંભળવા બોર્ડને મળશે. બોર્ડે આ નીતિ સુરત અને દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો માટે ફરજિયાત કરી છે. બોર્ડે સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જે સ્કૂલોમાં સીસીટીવી ન લગાવેલ હોય, તે સ્કૂલને પરીક્ષા કેન્દ્ર બનાવાશે નહીં. સીસીટીવી લગાવવા માટે સ્કૂલની સંમતિ પણ ફરજિયાત છે. 17 ફેબ્રુ. 2026થી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવાશેનવી પોલિસી મુજબ સ્કૂલના પરીક્ષા હોલ, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, કોરિડોર, ક્લાસરૂમ અને લેબ્સમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજિયાત રહેશે. જે બેન્ચ પર વિદ્યાર્થી પરીક્ષા આપનારા છે, તે જગ્યા અને ઓડિયો સાંભળાય તે રીતે કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે. પરીક્ષા દરમિયાન લાઇવ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ થશે. જરૂર પડ્યે તેવા વિદ્યાર્થીની સીસીટીવી ફૂટેજ તપાસી શકાય છે. ઓરિએન્ટેશનમાં વિદ્યાર્થીને જાણ કરવાની રહેશેસીબીએસઇએ સ્કૂલ પ્રિન્સિપાલોને આદેશ કર્યો છે કે સ્કૂલોને બોર્ડ પરીક્ષા શરૂ થવાનાં પહેલા વિદ્યાર્થીઓને સીસીટીવી કેમેરા મામલે જણાવવું ફરજિયાત રહેશે. ગ્રાફિક્સ, ટેક્સ્ટ અથવા સંકેતો દ્વારા વિદ્યાર્થીઓની હેન્ડબુક, નોટિસ બોર્ડ અને ઓરિએન્ટેશન સત્રોમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનની માહિતી આપવી પડશે. તે સાથે બધા વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે કે તેવો લાઇવ સીસીટીવીમાં પરીક્ષામાં આપી રહ્યા છે 110 દિવસ પહેલા બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરીસીબીએસઇએ આ વખતે પરીક્ષા શરૂ થવાનાં 110 દિવસ પહેલા જ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે અનુસાર ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ, 2026 સુધી ચાલશે. પરીક્ષાઓ વિષય અનુસાર સવારના 10:30 કલાકથી બપોરના 12:30 કલાક સુધી અને બપોરના 1:30 કલાકથી સાંજ સુધી પરીક્ષા ચાલશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:32 am

સરકારે માગણી મંજૂર ન કરતા 300ના 400 કરોડ થયા:આઉટર રિંગરોડના પ્રોજેક્ટની કોસ્ટ બે વર્ષમાં 100 કરોડ વધી

શહેરની ફરતે 66 કિલોમીટરનો બની રહેલ આઉટર રીંગરોડ પ્રોજેક્ટ 10 વર્ષ પછી પણ પૂરો થયો નથી અને પ્રોજેકટ કોસ્ટ વધતી જઇ રહી છે. જેને પગલે આઉટર રિંગરોડની બાકી ફેઝ-2ની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તેમજ મનપા કમિશનર શાલિની અગ્રવાલે નાણામંત્રી સાથે ગાંધીનગર ખાતે બેઠક કરી પ્રોજેકટ પૂરો કરવા અંદાજિત 400 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જો કે, મહત્વની વાત એ છે કે, બે વર્ષ પહેલા જ્યારે ગ્રાન્ટ માટે નાણામંત્રી પાસે ગયા હતા ત્યારે 300 કરોડની ગ્રાન્ટ માંગી હતી. બે વર્ષમાં પ્રોજેકટ કોસ્ટ નવા એસઓઆર પ્રમાણે 100 કરોડ વધી ગઇ છે. જેથી હવે 400 કરોડની ગ્રાન્ટ માંગવી પડી હતી. બીજા તબક્કામાં આ કામગીરીબીજા તબક્કા માટે અંદાજિત 500 કરોડના ખર્ચનો અંદાજ છે. રૂટ લગભગ 10.45 કિમી રહેશે. આ ફેઝમાં નિયોલ, ડિંડોલી, ખરવાસા, સણિયા કણદે, પારડી કણદે, ભંદોરા, સચીન જેવા વિસ્તારોને જોડાશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:30 am

સોસાયટીઓના ગેટ બહાર વિરોધના બેનરો લાગશે:સોસાયટીમાંથી રિઝર્વેશન ન હટે તો લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સભામાં સર્વાનુમતે નક્કી કરાયું કે જો વિવાદિત રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે અને રાષ્ટ્રપતિથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવશે. સાથે જ રિઝર્વેશનગ્રસ્ત સોસાયટીઓના ગેટ પર વિરોધના બેનરો લગાડવા તેમજ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે. રહીશોનો આક્ષેપ છે કે, વર્ષો જૂની મિલકતો પર મનપાએ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:27 am

સિટી એન્કર:ધાર્મિક ક્રિયા-તર્પણ માટે શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે મોટાવરાછાના તાપી કિનારેનો મહાદેવ ઓવારો ડેવલપ કરાશે

મોટાવરાછામાં તાપી નદી કિનારે પંચમુખી શિવલીંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યું છે. જ્યાં પ્રતિદિન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તેમજ ધાર્મિક ક્રિયાકાંડ તેમજ વિધિઓ પણ કરતા હોય છે. અંદાજિત 1.35 કરોડના ખર્ચે ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે. ઓવારા પરનો રોડ નદીના પાણી તેમજ વરસાદી પાણીના કારણે તુટી ગયો છે. મંદિર પાસે આવેલા મહાદેવ ઓવારાને 70 મીટર લંબાઇ તથા 6 મીટર પહોળાઇમાં બંને તરફ રીટેઇનીંગ વોલ કરી નદી કિનારા સુધી સ્ટેપ બનાવી ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે.ઓવારા પર સિટિગ એરિયા સાથે ફલાવર બેડની સુવિદ્યા હશે. શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરનો પૌરાણિક ઈતિહાસકાશીવિશ્વનાથ મંદિર પણ છસો-સાતસો વર્ષ જુનો ઈતિહાસ ધરાવે છે. કાશીવિશ્વનાથ મંદિર પાછળ પણ એક દંતકથા છે. ઈ.સ.1754માં પાઠકજી પરિવાર પંચમુખી શિવલીંગ લઈ પગપાળા મોટાવરાછા ગામે આવ્યાં અહીં આવી તેમણે તાપી કિનારે મંદિરનું બાંધકામ કરાવ્યું અને પંચમુખી શિવલીંગની સ્થાપના કરી. આમ આ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પેશ્વા બાલાજીઓના સમયનું અત્યંત ચમત્કારી મંદિર ગણાય છે. પાસોદરામાં 6 કરોડમાં વાંચનાલય બનશેશહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તાર પાસોદરામાં વાંચનાલય બનાવવાનું આયોજન કરાયું છે. પાસોદરાગામ ખાતે બ્લોક નં 174 રેવન્યુ સર્વેનંબર 002માં એમેનીટીઝ સ્પેશનની જગ્યાનો કબજો સુરત મહાનગર પાલિકાને મળી ગયો છે. આ જગ્યા પર 1861 ચોરસમીટર એરિયામાં વાંચનાલય બનાવવા આયોજન છે. ગ્રાઉન્ડ ફલોર વત્તા બે માળના વાંચનાલયમાં સીનીયર સિટીઝન રીડીંગ હોલ, સ્ટોર હોલ, બોયેઝ રિડીંગ હોલ, ગલર્સ રીડીંગ હોલ બનાવવામાં આવશે. તમામ ફલોર પર સ્ટોર રૂમ સાથે ટોઇલેટ બ્લોક અને ડ્રીકીંગ વોટરની સુવિદ્યા હશે. તેમજ દરેક માળ ઉપર સીસીટીવી સાથે ફાયર ફાઇટીંગ સિસ્ટમની સુવિદ્યા કરાશે. અંદાજિત 6 કરોડના ખર્ચનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:25 am

પ્રથમ SIR ફોર્મ ભરવું ફરજિયાત, પછી સુધારા થશે:નવી મતદાર યાદી સુધારણામાં રહેણાંક બદલ્યું હશે તો હાલ એડ્રેસ બદલી શકાશે નહીં

સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર બાદ જ એડ્રેસમાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરાશે. જાણવા મળતી માહિતી પ્રમાણે જો કોઈ મતદાર નવા સ્થળે સ્થાયી થયો હોય, તો પહેલા તેની માહિતી એસઆરઆઈ સિસ્ટમમાં અપડેટ થશે. ત્યાર બાદ એક સરનામાથી બીજું સરનામું ટ્રાન્સફર સીધું નહીં થાય પરંતુ નવી સિસ્ટમમાં પ્રથમ રજીસ્ટ્રેશન પછી જ એ પ્રક્રિયા શક્ય બનશે. સરનામામાં કે અન્ય વિગતોમાં ફેરફાર કરવાની જરૂર હોય તો વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરાવવું, જેથી નવી મતદાર યાદી જાહેર થાય તે પહેલાં સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તેવા લોકો માટે કેમ્પસુરતમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે જેને લઈને બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તો 16-16 નવેમ્બર, 22-23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:24 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:SIRને લીધે સ્કૂલોમાં ‘No Sir’ : શહેરના 35 ટકા શિક્ષકોને BLO બનાવાયા, સગરામપુરામાં મોનિટરે ભણાવ્યા, લિંબાયતમાં બે ક્લાસ ભેગા કરી વર્ગ ચાલ્યા

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે, સ્થિતિ એવી છે કે, વર્ગખંડના વિદ્યાર્થીઓમાંથી જ એક મોનિટરે નીમી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં પણ બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી એક જ ખંડમાં એકસાથે ભણાવવાની નોબત આવી છે. બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાયુંરાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણના ગુણોત્તર સુધારવાના ઉદ્દેશ સાથે 14 નવેમ્બર સુધી ખાસ વાંચન-લેખન અભિયાન હાથ ધર્યું છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાઈ પડ્યું છે. સમિતિની સ્કૂલમાં એક હજાર શિક્ષકોની પણ ઘટ છે. આમ, સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર આગામી દિવસોમાં અસર જોવા મળશે. તમામ શિક્ષકો અને સરકારી સ્કૂલોનો શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતાએક શિક્ષકે કહ્યું કે, આ વખતે તો શિક્ષકો ઉપરાંત સહાયકોને પણ SIRમાં મૂકાતાં અભ્યાસક્રમ ચલાવવા માટે કોઈ નથી. પહેલાંથી સ્કૂલોમાં મહેકમ ઘટ છે ત્યારે પ્રત્યેક સ્કૂલોમાં 5 શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતા છે. પહેલાં સ્કૂલે સ્વાધ્યાય પોથીમાંથી વિદ્યાર્થીઓને લેશન આપ્યા પછી BLOની કામગીરી કરીએ છીએ. વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં પરસેવો વળી ગયો​​​​​​​લિંબાયત મીઠી ખાડીની સ્કૂલમાં ધોરણ-8ના 2 ક્લાસ ભેગા કરાયા હતા, જેથી વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં શિક્ષકને પરસેવો વળી ગયો હતો. છતાં 4 શિક્ષકોની ગેરહાજરીના લીધે એક પછી એક વર્ગોમાં લેશન આપી એક જ શિક્ષકથી ગાડું ગબડાવાયું હતું. શિક્ષકની ગેરહાજરીમાં મોનીટરે બાળકોને ભણાવ્યાસગરામપુરાની શાળાએ સ્માર્ટ બ્લેક બોર્ડથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. રેન્કર વિદ્યાર્થીને મૉનિટર બનાવીને સ્માર્ટ બોર્ડ પર દાખલા ગણાવાયા હતા. સ્માર્ટ બોર્ડના લીધે આ પ્રક્રિયા સરળ હોવાથી વિદ્યાર્થીઓ પણ શિક્ષક તરીકેની ભૂમિકાથી વાકેફ થઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:23 am

પરિવારમાં શોકનો માહોલ:મુન્દ્રા શહેરમાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાને શાકભાજીના ટેમ્પોએ હડફેટે લેતાં એકનું મોત, એક ઘાયલ

મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ સાઈડમાં ધસમસતા આવતા ટેમ્પોએ હડફેટે લેતાં એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે બીજા મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વહેલી સવારે 6.15 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં પોતાના હિંગલાજ નગર સ્થિત ઘરેથી મોર્નિંગ વોક પર નીકળેલા વૈશાલીબેન ભુપેન્દ્ર પીપરાણી (ઠક્કર) સાથે બારોઇ રોડ પર રહેતા અરુણાબેન અનિલ પીપરાણી (ઠક્કર) જોડાયા હતા.બંન્ને પગપાળા અંદાજિત અડધો કિમી દુર શિશુમંદિર સુધી પહોંચ્યા હતા ને તેમને સામેથી પૂરપાટવેગે રોંગ સાઈડમાં ઘસી આવેલા જીજે 27 ટીજી 1741 નંબરના આઇસર ટેમ્પોએ હડફેટે લીધા હતા.બનાવને પગલે રોડ સાઈડ ચાલતા વૈશાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું બ્રેઈન હેમરેજને કારણે ઘટના સ્થળે અરેરાટીભર્યું મોત થયું હતું. જયારે અરુણાબેનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમને અસ્થિભંગ સહિતની નાની મોટી ઇજા થઇ છે પણ હાલ તેઓ ભયમુક્ત છે. અત્રે નોંધનીય છે કે, મૃતક વૈશાલીબેન મુન્દ્રા લોહાણા સમાજની મહિલા પાંખના પ્રમુખ હતા અને સમાજની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન હતું.તેઓ પોતાના બે સંતાનો પુત્ર અને પુત્રી ઉપરાંત પતિને વિલાપ કરતા છોડી ગયા છે.આ સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતાં લોહાણા સમાજના આગેવાનો સ્થાનિક સામુહિક કેન્દ્રમાં દોડી ગયા હતા. બનાવને કારણે શોકનું મોજું ફરી વળ્યું હતું.અકસ્માતને અંજામ આપી ચાલક ફરાર થઇ ગયો છે જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત ઝોન બનતા ગૌરવપથ પર ગતિનિયંત્રણ આવશ્યકગૌરવપથના નિર્માણ બાદ વેપારીઓએ બારોઇ રોડ પર સ્પીડ બ્રેકરની માંગ કરી હતી.તેને અનુલક્ષીને જમ્પરનું આરોપણ તો થયું પરંતુ સપાટ રોડ જોઈને છાકટા બની બેદરકારી પૂર્વક વાહન હંકારતા ચાલકો માટે ગતિ નિયંત્રણ આવશ્યક બન્યું હોવાનો મત નગરમાં પ્રવર્તી રહ્યો છે. પ્રબુદ્ધ વર્ગની લાગણી મુજબ ગૌરવપથની બંને બાજુ શિશુ મંદિર અને તાલુકા પંચાયત નજીક પાલિકા દ્વારા ગતિ નિયંત્રણ અંગે નિર્દેશ કરતા બોર્ડ મુકવામાં આવે ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા પણ બેફામ વાહન હંકારતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાય તો જ છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ પર રોક લગાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:18 am

રૈયા ચોકડી નજીકના ક્લિનિકમાં બનેલી ઘટના:પ્રૌઢને બાટલામાં તાવનું ઇન્જેક્શન લગાવતા શરીરે રિએક્શન આવ્યું

ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ યુસુફભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડ પરના ક્લિનિકમાં સારવાર લીધી હતી અને બાટલો ચડાવ્યો હતો. તેમજ બાટલામાં ઇન્જેક્શન દેતા શરીર ઉપર રિએક્શન આવતાં તબિયત બગડી હતી. રામાપીર ચોકડીએ રિપોર્ટ કરાવવા જતાં તેને સિવિલમાં સારવાર લેવી પડે તેવું કહેતાં તે સારવાર માટે આવતાં દાખલ કરાયા હતાં. તબીબે આ મામલે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યુસુફભાઇને સંતાનમાં એક દીકરો અને ચાર દીકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:13 am

પરિણીતાને અપાયો ત્રાસ:અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની પત્નીએ શંકા વ્યક્ત કરતાં પતિએ મારકૂટ કરી ત્રાસ ગુજાર્યો

આ બનાવમાં શહેરના ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ નજીક રહેતા જાગૃતિબેન પ્રફુલભાઈ રૂપારેલ (ઉં.વ.47) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરાવળમાં રહેતા પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલનું નામ આપ્યું હતું. જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેણી રાજકોટમાં તેના માવતરના ઘરે રહે છે તેણીના લગ્ન વર્ષ 2003માં પ્રફુલભાઈ સાથે થયા હતા. તેણીને લગ્નજીવનથી બે સંતાન પ્રાપ્ત છે. લગ્નના બીજા દિવસથી જ તેણીના પતિ ઝઘડો કરવા લાગ્યા હતા. સંયુક્ત પરિવારમાં 4 વર્ષ સાથે રહ્યા બાદ પુત્રના જન્મ બાદ તે દશ મહિનાનો હતો ત્યારે તેઓ અલગ રહેવા જતા રહ્યા હતા.પતિ સાથે તેણીને નાની વાતમાં માથાકૂટ થતી હોઈ બાદમાં આશરે ત્રણેક વર્ષ પહેલાં પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરના ફર્નિચરમાં નુકસાન પહોંચાડ્યું અને દીકરાને ઘરની બહાર કાઢી મુક્યો હતો. બાદમાં તેણી રિસામણે આવી જતા પાડોશીના લગ્નમાં ગઈ હોઈ જ્યાં તેણીને પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાની શંકા ગઈ હતી. જેથી બાદમાં તા.02/06ના તેણીએ સમાજના અગ્રણી દ્વારા વાતચીત કરવા ગયા ત્યારે પતિએ કોઈ જવાબ ન આપ્યો હોઈ અને બાદમાં 06/06ના તેણીએ તેના પતિને કઢંગી હાલતમાં જોતા એ મામલે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. પતિએ ઘરમાંથી કાઢી મૂકી બાદમાં તેડવા ન આવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:12 am

આપઘાતનો પ્રયાસ:પ્રેમિકાએ લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં પરિણીત પ્રેમીએ છરીના ઘા ઝીંકી, પોતે પણ પેટમાં છરી પરોવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરમાં મવડી ચોકડી પાસે રહેતા અને મૂળ રાજપરાના પરિણીત શખ્સે સરધારમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીઓના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી પોતે પણ જાતે પેટના ભાગે છરી ભોંકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધાર ગામે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી હીના ભરતભાઈ બુડાસણા(ઉ.વ.28) તેના ઘરે એકલી હતી તે દરમિયાન મવડી નજીક સીતારામ ચોકડી પાસે રહેતા નિકુંજ અરવિંદબાઈ વેકરિયા(ઉ.વ.30)એ ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી પોતે પણ જાતે છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બંને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં આજી ડેમ પીઆઈ એ.બી.જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં નિકુંજ મૂળ જામકંડોરણાના રાજપરા ગામનો અને હાલ મવડી ચોકડી પાસે સીતારામ ચોક પાસે રહેતો હોવાનું અને પાંચ વર્ષ પૂર્વે તેના લગ્ન થઇ ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હીનાએ જણાવ્યા અનુસાર, તેણી પાંચમા સેમેસ્ટરની પરીક્ષા દેવા ગઈ હોય ત્યારે તેણીનો આ નિકુંજ સાથે નંબરની આપ-લે થયા બાદ સંપર્ક થયો હતો. બંને પ્રેમમાં હોય બાદમાં આ નિકુંજે તેણીને લગ્ન કરવા બાબતે કહેતા તેણીને નિકુંજ પરિણીત હોવાનું માલૂમ પડ્યું હતું, પણ નિકુંજે તે તેની પત્નીને છોડી દેશે તેમ વાત કહેતા તેણીએ આ બાબતે ઘરે વાત કરી હતી. પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના કહી દેતા આ નિકુંજ ધરાર લગ્ન કરવા બાબતે ધમકી દેવા લાગ્યો હતો. બાદમાં બુધવારે સવારે ઘરે આવીને નિકુંજ જબરદસ્તી કરતો હોય અને “હું લગ્ન તો તારી સાથે જ કરીશ’ તેમ કહી અવાર-નવાર હેરાન કરતો હતો. જે બાદ નિકુંજે તેણીને છરીના ઘા ઝીંકી પોતે પણ પેટમાં છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:12 am

ખેડૂતોની વહારે આવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક:2.25 લાખ ખેડૂત માટે વગર વ્યાજની 1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના

ગત માસમાં માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બેહાલ થઇ ગયા હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ બે જિલ્લાના 2.25 લાખથી ‌વધુ ખેડૂત માટે વગર વ્યાજની રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયાની યાદીમાં જણાવ્યા અનુસાર બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ ઓક્ટોબર માસમાં થયેલી અતિવૃષ્ટિને કારણે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને તૈયાર પાકમાં થયેલી પારાવાર નુકસાનની સ્થિતિ ધ્યાનમાં લઇ આ નિર્ણય કર્યો છે. ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા 2.25 લાખથી વધુ ખેડૂત માટે રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના બનાવી છે. દરેક ખેડૂત સભાસદોને હેક્ટરે રૂ.12500 અને વધુમાં વધુ રૂ.65000 1 વર્ષની મુદત માટે 0 ટકા વ્યાજે મળશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:11 am

હુમલો:રાજકોટમાં ચા પીવા ઊભેલા યુવક પર કલરકામના કારીગરનો પાવડાથી હુમલો

રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં રેસકોર્સ પાસે એક સાઇટ પર કડિયાકામ માટે ગયો હતો ત્યારે ત્યાં કાશી ભૈયા કલરકામ માટે આવ્યો હતો. તે વખતે બંને વચ્ચે ગાળાગાળી બોલાચાલી થઇ હતી. દરમિયાન પોતે સાંજે રૈયા ચોકડીએ ચા પીવા ઊભો હતો ત્યારે કાશીને ગાળો બોલવાની ના કહેતા હુમલો કર્યો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:10 am

લુખ્ખા તત્વો ઉપર કાર્યવાહી:રાજકોટમાં નવા થોરાળામાં મંગળવારે સમીસાંજે થયેલી જૂથ અથડામણમાં 19 શખ્સ સામે ગુનો નોંધાયો, 8ની ધરપકડ

શહેરમાં લુખ્ખાઓ સામે ચાલતા પોલીસના કોમ્બિંગ વચ્ચે થોરાળામાં નામચીન સહિતની ટોળકીએ જૂના ઝઘડાના મામલે ધોકા, પાઈપ સાથે ધસી આવી સામ-સામે પથ્થરમારો તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવવાના બનાવમાં થોરાળા પોલીસે બન્ને જૂથના નામચીન સહિત 19 આરોપી સામે રાયોટિંગ, હુલ્લડ, મારામારી, એટ્રોસિટી સહિતના ગુના નોંધી 8 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. ચંદ્રકાંતભાઈ દલાભાઈ ખીમસુરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી શબીર ઉર્ફે બોદુ, કિશન રાણપરિયા, અસરફ ઓડિયા, અબીદ ઓડિયા, અરબાજ રાઉમા,અબ્દુલ અનવરભાઈ દલ, અલી રજાકભાઈ શેખ, શાહિદ ઓડિયા અને અશરફની પુત્રી અને 8થી 10 અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. સામા પક્ષે નયન દાફડાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી શામજી મકા મકવાણા, તેના બે પુત્ર ચિરાગ, નાગેશ તેમજ દિલો ઉર્ફે દિલીપ પ્રેમજી ચૌહાણ, કેવલ કિશોર સોંદરવા, હરેશ મોહન ખીમસુરિયા અને બે અજાણ્યા શખ્સના નામ આવ્યા હતા. બન્ને પક્ષે 19 સામે ગુનો નોંધી 8 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:09 am

યુવકે જીવાદોરી કાપી:મહિકામાં બીમારીથી કંટાળીને યુવકનો આપઘાત

રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મૃતક જયસુખ ત્રણ ભાઈમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ ગાડી ઉતારતી વેળા લાગી જતાં તેને ગાંઠ થઈ હતી. જેથી ગાંઠની બીમારીના દુખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:06 am