SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ

હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ જવારાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી ઉતારી હતી. નવ દિવસીય ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરમાં ભજન-કીર્તન, આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:12 am

શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલી આ આગ શરૂઆતમાં ધુમાડા સ્વરૂપે દેખાઈ હતી, પરંતુ જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા જંગલ વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં બીજી વખત આગ લાગી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:08 am

વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત

વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા પ્રત્યે બેદરકાર બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે શ્વાનોના ટોળા રસ્તાઓ પર દોડધામ મચાવે છે. જેના કારણે નોકરી પરથી પરત ફરતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક પરિવારોએ તો પોતાના સભ્યોને રાત્રે બહાર ન નીકળવા ચેતવણી આપવી પડી છે. આ વિસ્તારમાં શ્વાનોના હુમલાથી અનેક લોકો ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે વોર્ડ નં. 5ના રહીશોમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે જોવું રહ્યું કે વેરાવળનું તંત્ર લોકોની આ વાજબી માંગણીને કેટલી ગંભીરતાથી લે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:06 am

વડોદરામાં નવચંડી મહાયજ્ઞ સંપન્ન:નવદુર્ગા પંચ યુવક મંડળે કર્યો સફળતાપૂર્વક આયોજન

વડોદરામાં ચૈત્રી સુદ નવમીના પવિત્ર અવસરે શ્રી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા પંચ યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માતાજીની આરાધના, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. આ મહાયજ્ઞ ન્યૂ વી.આઈ.પી. રોડ સ્થિત સુશીલ સોસાયટી, ગોપાલધામ સોસાયટી, શાસ્ત્રીનગર, યોગીનગર અને ચોપન ક્વાર્ટર્સ – આ પાંચ પોળના યુવાનોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પાંચ પોળના યુવાનોને ગોહિલ વસંતભાઈ, મકવાના રાજુભાઈ અને માછી અરવિંદભાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:03 am

ખેડા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બાઇક ચાલક ગંભીર:ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રક-આઇસર-બાઇક વચ્ચે ટક્કર, ચાલકો ફરાર

ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી આવી રહેલો એક બાઇક સવાર પણ તેની અડફેટે આવી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ ટ્રક અને આઇસર કન્ટેનરના ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:18 am

નાના મવા રોડ પરની મારવાડી બિલ્ડિંગમાં ભીષણ આગ:જ્વાળા ચાર માળ ઊંચે પહોંચી, 5 ફાયર ફાઈટર ટીમ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં સાઈડના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી રહી છે. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાનઅચાનક લાગેલી આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મારવાડી ફાયનાન્સ ઓફિસમાં બિલ્ડિંગમાં પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યોમેજર કોલ જાહેર કરી 5 ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ લાગવાની જાણ થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ આગ સંપૂર્ણ કાબુમાં છે અને કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:16 am

હિંમતનગરમાં જગન્નાથધામ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભક્તિભાવપૂર્ણ આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા જગન્નાથધામ ખાતે શુક્રવારે રાત્રે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે રામધૂન, ભજન-કીર્તન અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી હતી. કાર્યક્રમ દરમિયાન પુષ્પ અભિષેક પણ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો. મહોત્સવના અંતે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પોતાના પરિવાર સાથે હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર વિસ્તારમાં ઇન્દ્રનગર ગાર્ડન ખાતે યોજાયો હતો. જેમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:02 am

મંત્રી કાંતિ અમૃતિયાએ દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી:મોરબીમાં જાહેર સભામાં શાંતિ જાળવવા ટકોર; કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આગમન થયું

મોરબીના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથીની અંબાડી પર રેલી યોજાઈ હતી અને બાદમાં બાપાસીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી કરનારાઓને કડક ચેતવણી આપી હતી. મંત્રી અમૃતિયાની કેન્સરની સફળ સારવાર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. મોરબીના દરબારગઢથી બાપાસીતારામ ચોક સુધી તેમની રેલી યોજાઈ હતી, જેમાં તેમને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા. મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તરીકે તેઓ ફરીથી સક્રિય થયા છે. જાહેર સભાને સંબોધતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની શાંતિ અને સલામતી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજકીય કે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમના ટેકેદારો અને શહેર ભાજપની ટીમે જુદા જુદા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ અને ખોખરા હનુમાન મંદિરે યજ્ઞનું આયોજન કર્યું હતું. આશીર્વાદ અને સમર્થન બદલ તેમણે પોતાના ટેકેદારો, ટીમ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સભાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાંતિભાઈની સારવાર દરમિયાન કેટલાક લોકો દ્વારા કુપ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે પરોક્ષ રીતે વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:45 am

રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો:1 એપ્રિલથી સવારના સત્રમાં શરૂ થશે વર્ગો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે. આગામી 1લી એપ્રિલ, 2026 થી શાળાઓ સવારના સત્રમાં કાર્યરત રહેશે, જેથી બાળકોને બપોરની આકરી ગરમીનો સામનો ન કરવો પડે. આ નવા સમયપત્રક મુજબ, શાળાઓ સવારે 7:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) બી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય અને પીવાના પાણીની સમસ્યા જેવી સ્થિતિમાં રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6ઠ્ઠી એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા દરમિયાન બાળકો શાંત અને ઠંડા વાતાવરણમાં પેપર લખી શકે તે માટે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ના નિયમો અને બાળકોના હિતને સર્વોપરી ગણીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે વાતાવરણ ઠંડુ હોવાથી બાળકો અભ્યાસમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. શાળાના સમયમાં થયેલા આ ફેરફારને વાલીઓએ પણ આવકાર્યો છે. બપોરના સમયે ઊંચા તાપમાનને કારણે બાળકોને ઘરે પરત ફરતી વખતે લૂ લાગવાનો ભય રહેતો હતો, જે હવે સવારની શાળાઓને કારણે ઓછો થશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:29 am

ગાંજો ઝડપાયો:કાઠડા ત્રણ રસ્તા પાસેથી 66 હજારના ગાંજા સાથે 1 પકડાયો

માંડવી-નલિયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી એસઓજીએ કારમાં રૂપિયા 66 હજારની કિંમતના 1.321 કિલો ગાંજાનો જથ્થો લઇને જતા માંડવીના આરોપીને ઝડપી લીધો હતો. એસઓજીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માંડવીમાં રહેતો આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ સફેદ કલરની કાર નંબર 7688 વાળીમાં ગાંજાનો જથ્થો લઇને શીતલા મંદિર વિસ્તારમાં હેરાફેરી કરે છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહેતા કાઠડા ત્રણ રસ્તા પાસે આરોપીની કાર દેખાઈ હતી.જેને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની કારમાં તપાસ કરતા ખાલી સાઈડની સીટ નજીકથી કેસરી કલરની થેલીમાં રાખેલ રૂપિયા 66,050 ની કિંમતનો 1.321 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા મામલે પૂછપરછ કરતા પોતે પાંચેક દિવસ પહેલા ગાંધીધામથી અભિષેક કુમાર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 48 હજારમાં ૩ કિલો ગાંજાનો જથ્થો ખરીદી આવ્યો હતો અને બાકીનો જથ્થો પોતે છુટકમાં વેચાણ કરી દીધો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:04 am

સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ

હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટના મોરચે આવીનું ઉભ રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્યારે 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે. દેશના કુલ ઉત્પાદનમાં 55% સુરતનો સિંહફાળો હિસ્સોભારતમાં સોલાર એનર્જી ક્ષેત્રે સુરત એક હબ તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. આ આંકડો દર્શાવે છે કે જો સુરતના ઉદ્યોગને આંચકો લાગે તો તેની અસર આખા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર પડી શકે છે. યુદ્ધને કારણે આ વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અત્યારે અનિશ્ચિતતાના વાદળો નીચે ઘેરાયેલી છે. સપ્લાય ચેઈન ખોરવાતા રો-મટીરિયલની અછતયુદ્ધની સૌથી મોટી અને તાત્કાલિક અસર સપ્લાય ચેઈન પર પડી છે. સોલાર પેનલ બનાવવા માટે જરૂરી મહત્તમ રો-મટીરિયલ ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, જેના કારણે કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારોવૈશ્વિક અશાંતિને કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે વધીને 3,500 થી 4,000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાએ સુરતના મેન્યુફેક્ચરર્સની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડતા ઉત્પાદન ખર્ચમાં વધારોઆંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને રૂપિયાનું અવમૂલ્યન સુરતના ઉદ્યોગકારો માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થયું છે. હાલમાં ડોલર 94-95 રૂપિયાની રેન્જમાં પહોંચી જતાં આયાત થતા રો-મટીરિયલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. 25,000 કરોડના ઓર્ડર અને 'ફિક્સ પ્રાઈસ'નો ફાંસોસુરતના સોલાર ઉદ્યોગ પાસે હાલમાં 25,000 કરોડના ઓર્ડર છે જે આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવાના છે. સૌથી મોટી મુસીબત એ છે કે આ ઓર્ડર 'ફિક્સ પ્રાઈસ' એટલે કે અગાઉ નક્કી કરેલા ભાવે લેવામાં આવ્યા છે. હવે કાચા માલ અને ટ્રાન્સપોર્ટના ભાવ વધવા છતાં, ગ્રાહકો જૂના ભાવે જ માલ માંગશે. આ પરિસ્થિતિમાં ઉત્પાદકોએ પોતાની ખિસ્સામાંથી નુકસાન ભોગવીને ઓર્ડર પૂરા કરવા પડશે. નફાને બદલે 20% નુકસાન વેઠવાની નોબતઉદ્યોગપતિઓના મતે, વર્તમાન પરિસ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર બેસી રહી છે. લાખો-કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટમાં નફો થવાની આશા હતી, તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સુરતના નાના અને મધ્યમ કદના સોલાર એકમો માટે આ અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડોસુરત માત્ર દેશમાં જ નહીં, પણ મિડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ સોલાર પેનલ્સ એક્સપોર્ટ કરે છે. યુદ્ધની સ્થિતિ પશ્ચિમી દેશોમાં વધુ ગંભીર હોવાથી ત્યાંની શિપિંગ લાઈન્સ અવેલેબલ નથી. જે શિપિંગ લાઈન્સ ચાલુ છે તે ખૂબ જ લેટ ચાલી રહી છે. ઉંચા શિપિંગ રેટને કારણે વિદેશી ગ્રાહકોને માલ મોકલવો હવે પરવડે તેમ નથી, જેના કારણે એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાના નવા ઓર્ડર પર 'બ્રેક'આગામી જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટે અત્યારથી જ ચિંતા ફેલાઈ ગઈ છે. ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ નવો ઓર્ડર ક્લોઝ થઈ રહ્યો નથી. ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઉત્પાદકો ઉંચા ભાવ વગર ઓર્ડર લેવા તૈયાર નથી. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચાર મહિનામાં સુરતની ફેક્ટરીઓ કેટલા ટકા ચાલશે અને શ્રમિકોને કામ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સુરતના અર્થતંત્ર પર મોટું જોખમજો સોલાર ઉદ્યોગમાં આ મંદી લાંબી ચાલશે, તો તેની અસર સુરતના એકંદર અર્થતંત્ર પર જોવા મળશે. હજારો પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ વૈશ્વિક કટોકટીમાં તેમને કોઈ રાહત મળે અથવા ઇમ્પોર્ટ ડ્યુટી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવે. હાલમાં તો દરેકની નજર યુદ્ધના મેદાન પર છે, કારણ કે ત્યાં શાંતિ સ્થપાશે તો જ સુરતના કારખાનાઓમાં 'સોલાર' ચમક પાછી આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

3 ટેસ્લા, 2 રોલ્સ રોયસ ને 1 ફેરારી છોડાવી:અમદાવાદીઓએ એક વર્ષમાં 484 તો મર્સિડીઝ ખરીદી; ‘લોકો શોખ પૂરા કરવા પૈસા વાપરી રહ્યા છે’

અમદાવાદ માત્ર વેપારનું શહેર નથી રહ્યું, પરંતુ લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલનું નવું હબ બની રહ્યું છે. શહેરમાં ઊંચી ઇમારતો સાથે સાથે મોંઘી અને પ્રીમિયમ ગાડીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કોરોના બાદ લોકોના માઇન્ડસેટમાં બદલાવ આવ્યો છે, જ્યાં બચત કરતા લાઇફસ્ટાઇલ પર ખર્ચ કરવાની વૃત્તિ વધી છે. માત્ર એક વર્ષમાં જ 50 લાખથી વધુ કિંમતની 1400થી વધુ ગાડીઓનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. જે દેશ અને વિદેશમાંથી લાવીને લોકો અમદાવાદના રસ્તાઓ પર દોડાવી રહ્યા છે, જ્યારે ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ હવે ઝડપથી બદલાતું અને સમૃદ્ધિ તરફ આગળ વધતું શહેર બની રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં લક્ઝુરીયસ ઊંચી ઊંચી બિલ્ડિંગ બની રહી છે. અમદાવાદીઓ હવે લક્ઝુરીયસ લાઇફ જીવી રહ્યા છે. એક સમય હતો જ્યારે કાર ખરીદવી માત્ર જરૂરિયાત હતી, પરંતુ હવે લક્ઝુરીયસ કાર ખરીદવી સ્ટેટસ બની ગયું છે. શહેરના રસ્તાઓ પર પ્રીમિયમ ગાડીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના બાદ અમદાવાદીઓની લાઇફસ્ટાઇલ બદલાઈકોરોના કાળ પછી લોકોનો માઇન્ડસેટ બદલાઈ રહ્યો છે. પૈસા બચાવવાની જગ્યાએ અમદાવાદીઓ લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. કોરોના બાદ આ ટ્રેન્ડમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા જ્યાં લોકો બચત અને રોકાણ પર વધુ ભાર મૂકતા હતા, હવે તે લોકો પોતાની કમાણીનો એક ભાગ લક્ઝુરીયસ લાઇફ જીવવા પર ખર્ચ કરવા લાગ્યા છે. કરોડો રૂપિયાના ફ્લેટ અમદાવાદમાં બની રહ્યા છે અને તેનું વેચાણ પણ એટલું જ થઈ રહ્યું છે. તો બીજી તરફ લક્ઝુરીયસ લાઇફ હવે જરૂરિયાત પૂરતી નથી રહી, તે એક સ્ટેટસ સિમ્બોલ અને કમ્ફર્ટનો ભાગ બની ગઈ છે. પહેલા ગાડી ખરીદતા સમયે અમદાવાદીઓ વિચાર કરતા હતા, પરંતુ હવે 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ખરીદી સતત વધી રહી છે. 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છેઅમદાવાદમાં રિયલ એસ્ટેટ અને બિઝનેસ ક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોની આવકમાં વધારો થયો છે. સાથે જ સોશિયલ મીડિયા અને શો ઓફ કલ્ચરે પણ લોકોને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ જીવવા તરફ દોરી દીધા છે. જેથી 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છે. ઘણી એવી ગાડીઓ છે કે જે ગુજરાત અને ઈન્ડિયામાં મળી શકતી નથી. અમદાવાદીઓએ એક વર્ષમાં 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદીમાત્ર એક વર્ષમાં જ અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદી છે. આ તમામ ગાડીઓ દેશ અને વિદેશમાંથી લાવવામાં આવી છે, જેનું રજીસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. BMWની 577 કાર ખરીદીપેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે ઇલેક્ટ્રિક ગાડીઓ બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જેથી દરેક કંપની ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ લક્ઝુરીયસ સુવિધાઓ આપી રહી છે. જેના કારણે મોંઘી ઇલેક્ટ્રિક ગાડીઓ પણ અમદાવાદના રસ્તાઓ પર દોડતી જોવા મળી રહી છે. એક આંકડા પ્રમાણે 50 લાખથી વધુ કિંમતની કારમાં BMW સૌથી આગળ છે. એક જ વર્ષમાં અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 577 જેટલી BMW કંપનીની કાર ખરીદી છે, જેમાં મોટા ભાગની ગાડીઓ વિદેશમાંથી લાવવામાં આવી છે. ‘BYD ગાડીનું ઇન્ટિરિયર યંગસ્ટર્સને આકર્ષે છે’BYD કંપનીના ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર નિહલ દવેએ જણાવ્યું હતું કે, BYD માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ જ બનાવે છે. જે ઇલેક્ટ્રિક સાથે સાથે લક્ઝુરીયસ સેગમેન્ટ પણ પૂરું પાડે છે. તેમજ સરકાર પણ ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રમોટ કરી રહી છે. તેમજ BYDની ગાડીઓમાં સૌથી સેફ બેટરી હોવાથી લોકો તેની ખરીદી વધારે કરી રહ્યા છે. ગમે તેટલી ગરમીમાં પણ બેટરી ફૂલતી નથી. BYDની તમામ ગાડીઓ ચાઇનામાં બને છે. જે બાદ ચેન્નઈના પોર્ટ પર ઉતરે છે અને તે બાદ ગુજરાતમાં લવાય છે. રજિસ્ટ્રેશનથી લઈને તમામ પ્રોસેસ અમારા પાસે જ થાય છે. તેમજ ગાડીમાં રોટેડેડ સ્ક્રીન, એટ્રેક્ટિવ ઇન્ટિરિયર આપવામાં આવે છે. અત્યારે યંગસ્ટરને એટ્રેક્ટિવ ઇન્ટિરિયર વધારે પસંદ આવતું હોય છે. ગુજરાતનો ઇકોનોમિકલ ગ્રોથ વધી રહ્યો છે. માણસ હવે એવું સમજે છે કે જે આપડે કમાઈએ છીએ તે આપડે વાપરીએ. જેથી હવે લોકો લક્ઝુરીયસ સેગમેન્ટમાં વધારે રસ રાખી રહ્યા છે. તેમજ એટ્રેક્ટિવ હોવાથી લોકો હવે લક્ઝુરીયસ ગાડીઓની ખરીદી વધુ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ

પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે? તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો. આખા મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંદાજે 22,700 ડગલાંની 21 કિમીની નર્મદા પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લાના રામપુરાથી પરિક્રમાનો આરંભ થાય છે. આ વર્ષે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયુંપવિત્ર યાત્રાધામ દ્વારા આ વર્ષે પરિક્રમાવાસીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી જ પરિક્રમાવાસીઓને આગળ જવા દેવામાં આવે છે. રાજપીપળાથી રામપુરાના માર્ગ ઉપર જઈએ તો ત્યાં જ પોલીસ રોકશે અને ત્યાં રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. બાદમાં જ પરિક્રમા માટે રામપુરા પહોંચી શકાય છે. ઉત્તરવાહીની પરિક્રમાનું માહાત્મ્યનર્મદા નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ નર્મદાના સમગ્ર પટમાં અમુક જ સ્થાનો એવા છે જ્યાં નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. નર્મદાના આ સ્વરૂપને ઉત્તરવાહિની નર્મદા કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા અને રાજપીપળા નજીક રામપુરા પાસે નર્મદા નદી ઉત્તર તરફ વળતી હોવાથી આ 21 કિલોમીટરના પટમાં પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં આ પરિક્રમાનું મહત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆતનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. ત્યાંથી માંગરોળ, તપોવન આશ્રમ અને ગોપાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ પરિક્રમા આગળ ધપે છે. ગોપાલેશ્વર મંદિરથી સીતારામ મંદિર અને ત્યારબાદ નર્મદા નદીના પટમાં ચાલવાનું હોય છે. નર્મદા નદીને પાર કરી તિલકવાડા ખાતે પહોંચી શકાય છે. પરિક્રમા સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુંનર્મદા પરિક્રમાના માર્ગ ઉપર સ્વચ્છતાને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દર 50 મીટરના અંતરે કચરા પેટીઓ મૂકવામાં આવી છે. નદીમાં પ્લાસ્ટિક કચરો ન નાખવો તે અંગેના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. માર્ગ ઉપર મુકાયેલી કચરાપેટીઓ પરિક્રમાવાસીઓને જ્યાં ને ત્યાં કચરો ન નાખવા માટે પ્રેરે છે. સ્થાનિક સખી મંડળોને રોજગારીનર્મદા પરિક્રમાના મધ્ય પડાવ સમાન સીતારામ બાદ જ્યાંથી નર્મદા નદી પગદંડી મારફતે પાર કરવાની છે, ત્યાં સ્થાનિક સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા છે. અહીં આ બહેનો દ્વારા ચા- નાસ્તાના સ્ટોલ કરવામાં આવ્યા છે. લોકોને વ્યાજબી ભાવે અહીંથી ચીજવસ્તુઓ મળે છે. સખી મંડળના સંગીતા બહેને જણાવ્યું હતું કે, અહીં સરકારે અમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપ્યા છે. અમે અહીં સખી મંડળની બહેનો રોજી-રોટી કમાઈએ છે. અમે નજીવી કિંમતે ચીજ-વસ્તુઓનું વેચાણ કરીએ છે. પગદંડી વાળા માર્ગે સુરક્ષા વ્યવસ્થાજ્યાંથી પગદંડી મારફતે નર્મદા નદી પાર કરવાની હોય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પગદંડી ઉપર બંને તરફ નેટ લગાવવામાં આવી છે. પરિક્રમા કરતા લોકો તેના ઉપરથી સહેલાઈથી પસાર થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માર્ગ ઉપર સેવાની ધૂણીપરિક્રમાના માર્ગ ઉપર આસપાસના ગામના લોકો દ્વારા સેવાની ધૂણી ધખાવવામાં આવી રહી છે. આખી રાત લોકો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓની ખૂબ સેવા કરે છે. કેટલાક સ્થળોએ નાસ્તો તો કેટલાક સ્થળોએ સંપૂર્ણ ભોજનની પણ વ્યવસ્થા છે. ગ્રામજનો દ્વારા કોઈ પણ અપેક્ષા વગર સેવાની ધૂણી ધખાવવામાં આવી છે. મણિનાગેશ્વર મંદિર સુધી અને બાદનો માર્ગ પરિક્રમામાં રોમાંચ પૂરે છેતિલકવાડા નજીક પહોંચ્યા બાદ મણિનાગેશ્વર મંદિર આવે છે, જ્યાં દર્શન કર્યા બાદ આસપાસ ખેતરોની વચ્ચેથી પગદંડી પરિક્રમા માર્ગમાં રોમાંચ પૂરે છે. પરિક્રમા કરનારા લોકો માટે આ માર્ગ ઉપર અદ્ભુત અનુભૂતિ કરે છે. અહીં પરિક્રમાવાસીઓ માટે લાઇટિંગની પણ સારી સુવિધા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને અહીં અગવડતા નથી પડતી. શ્રદ્ધાળુઓ માટે આરામ માટેની પણ વ્યવસ્થાશ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં બેસવા તેમજ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાટલા અને તેના ઉપર ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં આરામ કરી શકે છે. અહીં માત્ર ગુજરાત જ નહી, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ અહીંની વ્યવસ્થાની સરાહના કરી રહ્યા છે. પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુએ અહીંની વ્યવસ્થા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન લોકોએ ગરબાની મજા લીધીપરિક્રમાના માર્ગ ઉપર સાઉન્ડ સિસ્ટમ ઉપર સતત નર્મદાષ્ટકમ અને ધાર્મિક ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમ ઉપર ગરબા વગાડતા સાથે જ શ્રદ્ધાળુએ ત્યાં જ ગરબાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતીઓની ઓળખ એવા ગરબા પરિક્રમામાં પણ જોવા મળ્યા હતા. પરિક્રમા પૂર્ણ કરતા પાંચથી સાત કલાકનો સમય લાગે નર્મદા પરિક્રમા પૂર્ણ કરતા અંદાજે પાંચથી સાત કલાકનો સમય લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિ આ પરિક્રમા 5 કલાકમાં પૂર્ણ કરી શકે છે અને વૃદ્ધ વ્યક્તિને પરિક્રમા પૂર્ણ કરતા સાત કલાક જેટલો સમય લાગે છે. સામાન્ય દિવસોમાં બોટમાં ભીડ નથી હોતી, પરંતુ રજાના દિવસોમાં બોટમાં બેસવા કતારમાં રહેવું પડે છે. બોટમાં લાઇફ જેકેટની વ્યવસ્થાઆ વખતે નર્મદા પરિક્રમા માટે નદી પાર કરી રામપુરા પરત પહોંચવા માટે વિશેષ બોટ મંગાવવામાં આવી છે. આ બોટમાં તમામ લોકો માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 50 રૂપિયા ખર્ચીને બોટમાં બેસવું પડે છે અને લાઇફ જેકેટ વગર બોટમાં બેસવા દેવામાં આવતા નથી. રામપુરા ખાતે આ પરિક્રમા પૂર્ણ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

આનંદીબેન પટેલે વડીલ તરીકે શું સલાહ આપી?:વિદ્યાર્થીઓએ કુલપતિને દોડાવ્યા, ઘેરી વળ્યા તો સાહેબે ખાતરી આપી, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

કચ્છ જિલ્લો રામમય થયો:રામનવમીના પર્વ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો, મહાઆરતી, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભગવાન રામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે કચ્છભરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરથી ગામો સુધી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામભક્તિના ગુંજતા જયઘોષ સાથે ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ અવસર પર વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ, રામધૂન અને પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રામનવમીના આ દિવસે કચ્છની ધરતી ભક્તિમય રંગે રંગાઈ ગઈ હતી, જે લોકઆસ્થા અને સંસ્કૃતિની ઝલક પ્રગટ કરતી હતી. ઝુરા : ઝુરા ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવા સર્કલ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ અને ઓધવરામ બાપાનો 137મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કળશ સ્થાપન, મૂર્તિ સ્નાન, આરતીનો ચડાવો, આરતી, ધ્વજારોહણ, શોભાયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમધામ, અંજાર : અયોધ્યામાં રામનવમીના મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું. આ જ દિવસે છપૈયામાં ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય થયું હતું. માટે આ દિવસે ભક્તોએ સાથે મળી વિશેષ ભજન કરવું એવી લક્ષ્મીનારાયણ સંહિતામાં મહારાજની આજ્ઞા પ્રમાણે અંજાર પરમધામ મંદિરે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવની હરિભક્તોના સંગાથે ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં પ્રગટ બિરાજમાન બાલકૃષ્ણ પ્રભુનો સમૂહ મહાઆભિષેક, અન્નકૂટ ઉત્સવ અને ધૂન ભજન સત્સંગ સભાનું આયોજન ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળ અંજાર દ્વારા કરાયું હતું. મહાભિષેકથી સ્નાન, મહા આરતી સહિતના આયોજન કરાયા હતા. ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળની બહેનો દ્વારા શ્રી બાલકૃષ્ણ ભગવાનને 56 ભોગના વિવિધ જાતના પકવાન- મીઠાઈ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને મંદિર પરિસરમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રમુખ ગોવિંદ ભગત નારણભાઈ માલસતર, ટ્રસ્ટી મંડળ તથા યુવા મંડળે જહેમત ઉઠાવી હતી. વાંઢાય : રામ મંદિરે બપોરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તો લાઇનમાં ઊભા રહીને ભગવાન રામના દર્શન કર્યા હતા એવું મંદિરના પૂજારી રોહિત અબોટીએ જણાવ્યું હતું. મંગવાણા : પ્રાચીન ઠાકર મંદિરે પૂજન અર્ચન સાથે ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામ ભગવાનની આરતી તથા રામભાવ ભજનો રજૂ કર્યા હતા. બાદમાં પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્યવસ્થા હરેશ પંડ્યા, શૈલેષ પંડ્યા, સંગીતાબેન પંડ્યાએ સંભાળી હતી એવું અરાધનાબેને જણાવ્યું હતું. વિથોણ : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિથોણ પ્રખંડ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. કથાકાર જગદીશ મહારાજ તથા સંત મુકુંદાનંદ મહારાજે પ્રસ્થાન કરાવી હતી. જે વિથોણથી ધાવડા, દેવપર, સાયરા, આણંદપર, પલીવાડ, મંજલ, રામનગરી, દેશલપર થઈને રામ મંદિર ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. પ્રસ્તાવના પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ ડો. સુધીર પાલેજા દ્વારા મુકાઈ હતી. વિરાણીના સંત સુરેશદાસ મહારાજે કહ્યું કે વર્તમાનમાં હિન્દુ સમાજને એક થવાની ખૂબ જરૂરી છે. અક્ષય ઠક્કરે પ્રત્યેક ગામમાં સાપ્તાહિક સત્સંગ તથા RSSની શાખાઓ લગાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા મંત્રી નાજાભાઇ ભરવાડ, ચંદુભાઈ રૈયાણી, દિનેશ ગજ્જર, દિનેશ જોશી હાજર રહ્યા હતા. સામૂહિક મહાપ્રસાદનું આયોજન ઉમિયાધામ વાંઢાય દ્વારા કરાયું હતું. સંચાલન કિશોર છાભૈયા અને આભાર દર્શન અધ્યક્ષ સંદીપ મોરેશિયાએ કર્યું હતું તેમ કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું. માંડવી: સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન રામ તથા ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જેને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા તથા સંતોએ પ્રારંભ આપ્યો હતો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આઝાદ ચોક અને લુહાર ચોક ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આકર્ષક ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નખત્રાણા : હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજી હતી. બજરંગ ગ્રાઉન્ડથી રામાણી ગ્રાઉન્ડ સુધી રામનામ ગુંજી ઉઠ્યું હતું. બપોર બાદ વેપારીઓએ સ્વયંભુ બંધ પડી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાદમાં ધર્મસભા યોજાઈ હતી. સમગ્ર હિન્દુ યુવા સંગઠન ટીમ નખત્રાણાના વિવિધ સમાજો રેલીમાં જોડાયા હતા. નખત્રાણા ભાજપ પરિવાર દ્વારા છાશનું વિતરણ કરાયું હતું. નખત્રાણા પી.આઈ. જે.ડી. સરવૈયા, પી.એસ.આઇ. આર.ડી બેગડીયા તથા પોલીસ સ્ટાફે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:51 am

26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય

ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 27 માર્ચથી 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો પોર્ટલ પર જઈને પોતાની અરજી કરી શકશે. આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પાવર ટીલર, પમ્પ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટે ગોડાઉન, માલ વાહક વાહન તેમજ સ્માર્ટફોન ખરીદી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અરજી કરતા પહેલાં ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અગાઉથી નોંધાયેલા તેમજ નવા બંને પ્રકારના ખેડૂતો માટે આ પ્રક્રિયા જરૂરી છે. આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સબસિડી દરે ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદન ક્ષમતા વધશે. સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ જેવી સુવિધાઓથી વીજળી અને પાણીની સમસ્યામાં રાહત મળશે. ગોડાઉન અને સંગ્રહ સુવિધાઓથી પાકનું નુકસાન ઓછું થશે અને યોગ્ય ભાવ મળવાની શક્યતા વધશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:46 am

વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વિવિધ અધિકારીઓને જિલ્લામાં પ્રભારી સચિવને નિમણુક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ IAS અધિકારી રાજકુમાર બેનીવાલની વરણી કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલ હાલમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની લિમિટેડ ભરૂચ ખાતે વહીવટી નિયામક (MD) તરીકે કાર્યરત છે. સરકારના આ નવા આદેશ બાદ હવે તેઓ પોતાની વર્તમાન જવાબદારીઓની સાથે કચ્છ જિલ્લાના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને વહીવટી સંકલનની દેખરેખ રાખશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે અનુભવી અધિકારીની નિમણૂકથી વહીવટી પ્રક્રિયામાં વધુ વેગ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છના વિકાસ માટે પથદર્શક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટી કારણોસર અને જિલ્લાઓમાં કામગીરીના સુદ્રઢીકરણ માટે કુલ 15 જેટલા જિલ્લાઓના પ્રભારી સચિવોની બદલી અથવા નવી નિમણૂક કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલએ ડિસેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2012 દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમના સમયમાં કચ્છમાં પંચાયતી રાજના માળખાને મજબૂત કરવા અને ગ્રામીણ વિકાસની યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:43 am

પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ

શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હેતુ લોકોને સગવડતા પૂરી પાડવાનો હોય છે, પરંતુ યોગ્ય આયોજન અને અમલના અભાવે કેટલીક યોજનાઓ લોકો માટે અગવડરૂપ બની જાય છે. આવી જ એક નિષ્ફળ યોજનાનો દાખલો મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલ આજે ગંદા પાણીના સ્ટોરેજનું કેન્દ્ર બની ગઈ છે. કૈલાશનગરથી મંગલમ સર્કલ સુધી અંદાજે 50 લાખથી વધુના ખર્ચે બનેલી સિમેન્ટ કેનાલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણી સરળતાથી હમીરસર સુધી પહોંચાડવાનો હતો. પરંતુ હકીકતમાં આ કેનાલ પાણી વહન કરવામાં નિષ્ફળ રહી છે. તેના બદલે તેમાં સતત ગંદા પાણી ભરાયેલા રહે છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંસ્કારનગર અને પડદાપીઠ વિસ્તારમાંથી આવતા ડ્રેનેજ કનેક્શન તેમજ મંગલમ પાસેની મુખ્ય ગટર લાઇનમાં લીકેજ હોવાને કારણે આ કેનાલ ગંદા પાણીના જળાશયમાં ફેરવાઈ ગઈ છે. મચ્છર અને રોગચાળાનો ભય પણ વધ્યો છે. ઉપરાંત, રઘુવંશી સર્કલ તરફથી આવતાં વહેણને અવરોધ વિના પસાર કરવા માટે એક કરોડથી વધુના ખર્ચે નવા પ્રોજેક્ટની વિચારણા કરાઈ હતી. ગત ચોમાસા બાદ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કામ પણ કરાયું, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન થઈ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. હવે લોકો મુખ્ય અધિકારી પાસેથી આ નિષ્ફળ પ્રોજેક્ટ અંગે તાત્કાલિક અને અસરકારક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી શહેરમાં સચોટ અને કાર્યક્ષમ વિકાસના દાવા હકીકતમાં સાબિત થઈ શકે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:41 am

કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો

પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં ખેડૂતોને 200 લિટર ડિઝલ આપવાની જોગવાઈ બાદ, હવે ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, રાજ્યમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ ડિઝલનો જથ્થો ફાળવવામાં આવશે. આ ફાળવણી માટે સરકાર દ્વારા શરતો પણ જારી કરાઈ છે. જેમાં જે તે કંપનીના છેલ્લા છ માસના સરેરાશ ડિઝલ વપરાશને ધ્યાનમાં લેવામાં આવશે. છ માસ પૂર્વે અને હાલની સાધનો તથા કામદારોની સંખ્યાના આધારે જરૂરિયાત નક્કી કરાશે. જે ભારે મશીનરી કે સાધનો પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ નથી, તેમને સ્થળ પર ડિઝલ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા અને મંજૂરી આપવામાં આવશે.જે એકમો પાસે પોતાના પર્સનલ ‘કન્ઝ્યુમર ડિઝલ પંપ’ નથી, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી ડિઝલની ખરીદી કરી શકશે. સરકારના આ નિર્ણય અંગે તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ IOCL, BPCL, HPCL, Jio-BP અને નાયરા જેવી ખાનગી કંપનીઓના સ્ટેટ હેડ અને ઝોનલ હેડને જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી કચ્છના અર્થતંત્રને વેગ મળશેકચ્છમાં MSME, મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો મોટી સંખ્યામાં આવેલા છે. સરકાર દ્વારા સૌ પ્રથમ સંગ્રહખોરી રોકવા માટે બેરલમાં ઇંધણ આપવાની મનાઈ ફરવામાં આવી હતી. જેથી કચ્છના MSME અને અન્ય ઉદ્યોગો પર ડિઝલની કટોકટીનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે ‘ફોકિયા’ની રજૂઆત બાદ સરકારના આ હકારાત્મક નિર્ણયથી હવે નાના ઉદ્યોગો અને પ્રોજેક્ટ્સ પુરતું ઇંધણ મળવાથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:39 am

રમતગમતના શોખીનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો:ભુજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસર્સ ક્લબ બંધ

ભુજમાં રમતગમતની સુવિધાઓના અભાવે શારીરિક તાલીમ અને રમતગમતના શોખીનોમાં અસંતોષ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા આયોજનોથી યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, છતાં મેદાન સ્તરે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. આશરે ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ભુજમાં આજદિન સુધી એક પણ સરકારી સ્વિમિંગ પૂલ ઉપલબ્ધ નથી, જ્યારે રનિંગ ટ્રેક, ટેનિસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી. હિલ ગાર્ડન પાસે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પૂર્ણ થવામાં હજુ છથી આઠ મહિના લાગી શકે છે. બીજી તરફ, કલેક્ટર નિવાસ પાસે આવેલા ઓફિસર્સ ક્લબમાં બેડમિન્ટન સિવાયની અન્ય રમતો, જેમ કે સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ હાલ બંધ હાલતમાં છે. આ પરિસ્થિતિમાં રમતગમત પ્રત્યે રસ ધરાવતા યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ મળી રહી નથી. ભુજમાં રનિંગ ટ્રેક માટે લાંબા સમયથી લડત આપતા સુનિલ ગોરના જણાવ્યા અનુસાર, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 1600 મીટર અને પુરુષો માટે 5 કિલોમીટર દોડ ફરજિયાત હોય છે, પરંતુ પ્રેક્ટિસ માટે યોગ્ય સ્થળ ન હોવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે છે. શહેરમાં સિન્થેટિક 400 મીટરનો એકપણ રનિંગ ટ્રેક ન હોવું આશ્ચર્યજનક છે. શહેરમાં સરકારી જમીનનો અભાવ નથી. વ્યાયામશાળા, ખારસરા મેદાન, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કોલેજ તેમજ કચ્છ યુનિવર્સિટીમાં વિશાળ જમીન ઉપલબ્ધ છે, જેને રમતગમત માટે વિકસાવવામાં આવી શકે છે. તેમ છતાં, આયોજન અને ઇચ્છાશક્તિના અભાવે આ સંભાવનાઓ સાકાર થઈ રહી નથી. લાલન કોલેજ ખાતે ટ્રેક છે, પણ જાળવણી નથીભુજમાં એકમાત્ર લાલન કોલેજમાં દોડની પ્રેક્ટિસ કરવા માટે મેદાન હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. ટીનસીટીમાં ધાર્મિક કે કોઈ અન્ય સામાજિક મેળાવડા કાર્યક્રમો દરમિયાન આ મેદાન પાર્કિંગ તરીકે વપરાય છે અને તેની જાળવણી પણ યોગ્ય રીતે થતી નથી. સ્થાનિક નેતૃત્વ અને વહીવટી તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવે તો ભુજ તથા સમગ્ર કચ્છમાંથી અનેક યુવાઓ સુરક્ષા એજન્સીઓમાં જોડાઈ શકે છે. હાલમાં, માળખાકીય સુવિધાઓના અભાવે પ્રતિભાશાળી યુવાઓ પાછળ રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:38 am

મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનું પ્રથમ અને ભારતીય રેલવેનું બીજા ક્રમનું ડિજિટલ લાઉન્જ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ડિજિટલ લાઉન્જનું ઉદઘાટન 28 માર્ચે સાંસદ ડો.હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવશે. વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેમાં આ પ્રકારનું આ બીજું ડિજિટલ લાઉન્જ છે. આ લાઉન્જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેનો મુખ્ય હેતુ મુસાફરોને આરામદાયક અને પ્રિમિયમ સુવિધા આપવાનો છે. ​પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. લાઉન્જમાં ઉપલબ્ધ સુવિધા

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:33 am

અલ્પુ-હેરી સિંધી વચ્ચે ગેંગવોરનો માહોલ:યુવકની બૂટલેગર હેરી સિંધીને રીલથી ધમકી,જે હાથે ગાડી સળગાવી તે કાપીને પરિવારને મોકલાવી દઇશ

બુટલેગર હેરી સિંધીએ અગાઉ માનવ કારડાની કારને આગ ચાંપી હતી, હવે માનવે હેરી સિંધી સહિતનાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર ધમકી ભરી રિલ મુકી ઘટનાને અંગે માફી માગી લેવા જણાવતાં વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે. વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલ મુકીને અપશબ્દો લખ્યા હતા. તેને તેમાં ફાયરિંગનો વીડિયો પણ જોડ્યો હતો. સાથે તેની કાર સળગતી હોવાના વીડિયો સાથે જે હાથે કાર સળગાવી છે તે જ હાથને કાપી પરિવારને ઈનામ સ્વરૂપે મોકલશે, અમારી કોમ્યુનિટીની માફી માગી લો, નહીં તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું તેમ પણ લખ્યું હતું. રિલમાં જુદા-જુદા ચપ્પુ, એરગન પણ બતાવવામાં આવી હતી અને દારૂની બોટલો સાથે પણ માનવે પોતાના ફોટો મુક્યા હતા. બૂટલેગર હેરીનું નામ આપ્યા વગર ધમકીભરી રિલ મુકી હતી. જુના ઝઘડાની અદાવતે જ હેરીએ સાગરીતો સાથે મળી 4 મહિના અગાઉ માનવની કારને આગ ચાંપી હતી. તે મામલે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ માનવ અલ્પુ સિંધીની ગેંગના સાગરીત સાથે સંપર્ક ધરાવતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. માનવે માણસો સાથે જઇને વિવેક ઉર્ફે બન્નીને ધમકી આપી હતીમાનવ કારડાની કાર સળગાવવાના મામલે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીનું નામ સામે આવ્યું હતું. તેની અદાવતે માનવ વિવેક ઉર્ફે બન્ની પાસે ગયો હતો અને સાથે 5-6 માણસોને પણ લઈ ગયો હતો. તેણે વિવેકને ધમકી આપી હોવાની જાણવા મળ્યું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. ગુજસિટોકના આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુના પણ ફોટો મૂકાયારિલમાં અલ્પુ સિંધી ગેંગનો ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ પણ દેખાય છે. ધર્મેશ સામે તાજેતરમાં જ ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. તે હાલ જેલમાંથી બહાર છે. જોકે રિલમાં તેની કોઈ સંડોવણી પોલીસને મળી આવી નહોતી. પોલીસ દ્વારા ધર્મેશની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:31 am

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો

રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનું જાહેરનામું જિલ્લા શિક્ષણાધિકારી પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પરિવારના બાળકો આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા હોય છે. ચાલુ વર્ષે આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત મોડી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જયારે ગત વર્ષે માર્ચ મહિનામાં જ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. 2025-26ની રાઇટ ટુ એજ્યુકેશન એકટની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે 4 એપ્રિલ થી 17 એપ્રિલ 13 દિવસ પ્રક્રિયા કરાશે. ચાલુ વર્ષે શહેરની 338 સ્કૂલોમાં 4400 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, ગત વર્ષની તુલનામાં માત્ર 400 બેઠકોનો ઘટાડો નોંધાયો છે. ભાસ્કર નોલેજકયા દસ્તાવેજો આપવા પડશે ગત વર્ષ આંકડાઓ

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:24 am

પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો

તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભોજન યોગ્ય નથી, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા છે અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ છે. રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારા થતા નથી. રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવા જતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે તેવો જવાબ મળ્યાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓના હંગામાના પગલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ છાત્રાલય ખાતે પહોંચી ગયા હતા અને રસોડામાં જઇને ભોજનની ગુણવત્તા જોઇ ચોકીં ઉઠયા હતા. પાણી વાળી કઢી કાચો ભાત જોઇને તેમણે કર્મચારીઓને ટકોર કરી હતી. તાત્કાલિક અસરથી તેમણે મોડી રાત્રે વિદ્યાર્થીઓ માટે રોટલી અને શાક બનાવડાવ્યું હતું. હોસ્ટેલમાં માત્ર બે જ કર્મચારીઓ હતા જેમાં પણ 24 કલાક સુધી એક માત્ર વોર્ડન તરીકે કોન્ટ્રાકટર કામ કરતો હતો. અન્ય એક કર્મચારી પણ ત્યાં ફરજ બજાવતો હતો તે વોચમેન સહિતની અન્ય કામગીરી કરતો હતો. માત્ર બે જ કર્મચારીઓના ભરોસે સમગ્ર હોસ્ટેલ ચાલી રહી હતી. કોઇ પણ અધિકારીઓ ત્યાં શું પરિસ્થિતિ છે તે જોવા આવતા ના હોવાનું પણ બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મેસનો ઇજારો લઇ સબ કોન્ટ્રાક્ટરને આપી દીધોતરસાલી વિસ્તારમાં આવેલી રવિશંકર કુમાર છાત્રાલયમાં જે મેસ ચાલી રહી છે તે સબ કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય ગુણવત્તાવાળું ભોજન ન બનાવાતું હોવાના આક્ષેપો બાદ માજી મેયરે હોસ્ટેલની મુલાકાત કરી હતી. મેસનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેણે કોઇ બીજાને કોન્ટ્રાક્ટ આપી દિધો હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મંત્રી મનીષાબેનને રજૂઆત કરીશુંસરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની લાપરવાહીને પગલે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. ગાદલાં અને ઓશીકા રૂમોમાં બંધ હતા જે પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ના હતા. જેને રૂમ ખોલાવીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. મંત્રી મનીષાબેન વકીલને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે. > નિલેશ રાઠોડ, પૂર્વ મેયર

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:23 am

શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું:રાત્રે કચરો ફેંકનારા સામે પાલિકાની લાલ આંખ,26 દિવસમાં 24.88 લાખનો દંડ કરાયો

શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં વન વોર્ડ વન રોડ અંતર્ગત પાલિકાના સેનેટરી અને એસ્ટેટ વિભાગ દ્વારા 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ પાસેથી ₹9.30 લાખ અને રાત્રી ચેકિંગ દરમિયાન ₹9.47 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી ₹3.19 લાખનો દંડ વસૂલાયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભીના અને સૂકા કચરાને અલગ કરી ‘સ્વચ્છ વડોદરા’ના લક્ષ્યમાં સહભાગી બને. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ અમલીકરણ વધુ કડકપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રોજ એક વૉર્ડના એક રોડની સફાઇ કરી રહી છે. તંત્રે જાન્યુઆરી-2026માં ₹34.61 લાખનો દંડ ફટકર્યો છે. જ્યારે ફેબ્રુઆરીમાં ₹31.02 લાખનો દંડ વસૂલ્યો હતો. પાલિકાએ પંચશીલ ફ્લેટ પાસે 7 ઓટલા, 6 શેડના દબાણ દૂર કર્યા હતા. પંચમુખી હનુમાનજીથી આરાધના, કોઠી ચાર રસ્તા સુધીમાં 1 ટ્રક સામાન જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:20 am

કરંટથી મોત:ચાલુ કૂલરને અડતાં કરંટ લાગ્યો, એરફોર્સ અધિકારીનાં પત્નીનું મોત

ખોડીયાર નગરની કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતા એરફોર્સ અધિકારીના પત્ની ચાલુ કુલરને અડી જતાં કરંટ લાગ્યો હતો. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અધિકારીના પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યા હોવાને કારણે તેમનું શરીર ભીનું હતું, તેઓ કુલરને અડી જતા તેઓને કંરટ લાગ્યો હતો. વી.એમ કરુઅપ્પા એરફોર્સમાં ફરજ બજાવે છે. શુક્રવારે સવારે 8 વાગે તેઓના 25 વર્ષીય પત્ની મુથ્થુલક્ષ્મી બાથરૂમમાંથી સ્નાન કરી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રૂમમાં કુલર ચાલુ હતું અને મુથ્થુલક્ષ્મીનું શરીર કુલરને અડી ગયું હતું. જેના કારણે તેઓને એકાએક કરંટ લાગતા તેઓ ઢળી પડ્યા હતા. કરુઅપ્પા તાત્કાલિક તેમના પત્નીને લઈને સયાજી હૉસ્પિટલમાં ગયા હતા. ત્યાં તબીબે મથ્થુલક્ષ્મીને મૃત જાહેર કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને કરંટ લાગતા મોત થયું છે. જોકે પોલીસ આ બાબતે વધારે તપાસ હાથ ધરી હતી. ભાસ્કર નોલેજકૂલરનો પ્લગ સીધો સ્વીચબોર્ડમાં ન નાખો, થ્રી પિનનો ઉપયોગ કરો

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:19 am

ભાસ્કર એક્સક્લુસિવ:દિગંબર જૈનનું પાષાણનું સૌથી મોટું મંદિર સમામાં બનાવાયું,કાલથી પંચ કલ્યાણક મહોત્સવ શરૂ થશે

સમા-સાવલી રોડ પર સંમતિ પાર્ક સોસાયટીમાં દિગંબર જૈન સંપ્રદાયનું સૌથી મોટું પાષાણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 29 માર્ચથી 3 એપ્રિલ સુધી 5 દિવસીય ‘પંચ કલ્યાણક મહોત્સવ’નું આયોજન કરાશે. આ મહોત્સવમાં દિગંબર જૈન ધર્મના અનેક સાધુ-ભગવંતો પધારશે. મંદિરના ઉત્સવ સાથે જોડાયેલા રાકેશ જૈને જણાવ્યું હતું કે, વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી ધાર્મિક ઉજવણી થવા જઈ રહી છે. આ મંદિરની ખાસિયત એ છે કે, તેના નિર્માણમાં ઈંટ, સિમેન્ટ કે સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રાજસ્થાનના બંસી પહાડપુરમાંથી પાષાણ લાવીને ભીલવાડાના કુશળ કારીગરો દ્વારા આ મંદિર કંડારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છાણી વિસ્તારમાં દિગંબર જૈન સંપ્રદાયનું 600 વર્ષ જૂનું પાષાણ મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર 100 વર્ષ પહેલાં થયો હતો. છાણી બાદ આ નવું મંદિર કદમાં સૌથી મોટું છે. સમામાં જૈન સમાજના 600 જેટલા લોકો વસે છેસમા વિસ્તારમાં હાલ જૈન સમાજના અંદાજે 150 ઘરોમાં 600 લોકો વસે છે. ભવિષ્યમાં અહીં પરિવારોની સંખ્યા વધીને 3 હજાર સુધી પહોંચવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓને ઉપાશ્રય અને દેરાસરની સુવિધા મળી રહે તેમજ આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્ય પદ્ધતિ જળવાઈ રહે તે હેતુથી આ પાષાણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. > રાકેશ જૈન, દિગંબર જૈન સંપ્રદાય સમા-સાવલી રોડના મેઘા પાર્ટી પ્લોટમાં ‘અયોધ્યા નગરી’ બનાવાઈજૈન દિગંબર સંપ્રદાયના બિલ્ડર લોકેશભાઈના માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ થયું છે. પંચ કલ્યાણક મહોત્સવ માટે સમા-સાવલી રોડ પર આવેલા મેઘા પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું છે. અહીં 4 લાખ ચો. ફૂટની વિશાળ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં 50 લોકો માટે ડોરમેટરી, 26 આહાર કક્ષ અને 12 દુકાનો તૈયાર કરાઈ છે. વડોદરાના ઇતિહાસમાં અભૂતપૂર્વ મહોત્સવ બની રહેશે. મંદિરની વિશેષતાઓે

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:17 am

મતદાર યાદી સામે વાંધા અરજીનો ધોધ:પાલિકાની મતદાર યાદી સામે 90 વાંધા વોર્ડ 3માં સૌથી વધુ 31 અરજી આવી

પાલિકાની ચૂંટણી આગામી સપ્તાહે જાહેર થવાની શક્યતા છે. 19 વોર્ડની જાહેર કરાયેલી મતદાર યાદીના વાંધા લેવાનો શુક્રવારે છેલ્લા દિવસ હતો. જેમાં 90 વાંધા અરજી પાલિકાની ચૂંટણી શાખાને મળી છે. વોર્ડ 3માંથી સૌથી વધુ 31 વાંધા મળ્યા છે. પાલિકાની ચૂંટણી શાખાએ 23 માર્ચે મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. જેમાં ગત ચૂંટણીની સરખામણીએ એસઆઈઆરને કારણે મતદારોની સંખ્યામાં 2.38 લાખનો ઘટાડો થયો હતો. બીજી તરફ 27 માર્ચ સુધી વાંધા અરજી માટે સમય અપાયો હતો. જેમાં શુક્રવાર સુધી 90 વાંધા અરજી પાલિકાની ચૂંટણી શાખાને મળી છે. જેમાં સૌથી વધુ વોર્ડ 3માંથી 31, વોર્ડ 1માંથી 23 અરજદારોએ અરજી કરી છે. આ સિવાય વોર્ડ 2માંથી 4, વોર્ડ 8માંથી 11, વોર્ડ 13માંથી 5 અને વોર્ડ 14માંથી 5 અને વોર્ડ 16માંથી 11 વાંધા અરજી મળી છે. નોંધનીય છે કે, શુક્રવારે વોર્ડ 1ના 3 કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા, અમી રાવત અને હરીશ પટેલ ચૂંટણી શાખામાં પહોંચ્યાં હતાં. બૂથ બદલાયા હોવાથી રજૂઆત બાદ સરવે કરાયો19 વોર્ડ માટે જાહેર કરાયેલી મતદાર યાદીમાં સીમાંકન અને બૂથ બદલાયાં હોવાની અરજી મળી છે. જેમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ વોર્ડ 1માં મતદાર રહેતા હોય અને વોર્ડ 2માં મતદાન મથક હોવાનું ધ્યાને આવતાં અરજી કરાઈ હતી. જેમાં અધિકારીઓએ સરવે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:13 am

પુરવઠા વિભાગે આપી માહિતી:પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં

વડોદરામાં જે વિસ્તારોમાં પીએનજી ગેસ લાઈન આવેલી છે, ત્યાંના સ્થાનિક લોકોને ગેસ લાઈન લેવા માટે તંત્ર જણાવી રહ્યું છે. બીજી તરફ પીએનજી લાઈન ધરાવતા લોકો પાસે જો સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક સરન્ડર કરવા પણ આદેશ અપાયા છે. તેવામાં 1 મહિનામાં 5,500થી વધુ ગ્રાહકોએ પોતાના ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં હોવાનું અને ગેસના 22 હજાર સિલિન્ડનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. પુરવઠા વિભાગના અધિકારી ગીતા દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં એલપીજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. જ્યારે એજન્સીઓ દ્વારા પણ સમયસર સિલિન્ડર આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે હજુ પણ કોમર્શિયલ સિલિન્ડરોની અછત સર્જાઈ છે. જેમાં પુરવઠા વિભાગમાં જ રોજની 20થી વધુ અરજીઓ કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે કરવામાં આવે છે. ભાસ્કર નોલેજ

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:10 am

કેજરીવાલ અને ભગવંત માનના ભાજપ પર પ્રહાર:20 વર્ષથી વિકલ્પ નહોતો, મશીનમાં હવે ત્રીજું બટન આવ્યું છે: કેજરીવાલ

ગુજરાત પ્રવાસે આવેલા આપના સંયોજક-દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે લોકો 20 વર્ષથી ભાજપને વોટ આપવા મજબૂર છે, મશીનમાં આપનું ત્રીજું બટન આવ્યું છે, તેવો હુંકાર કર્યો હતો. જામનગરથી રેલીને સંબોધી વડોદરા આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાનગી હોટલમાં રોકાયા હતા. વડોદરા એરપોર્ટ પર કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બદલાવ જરૂરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈ કેમ્પેઇન કરી રહ્યા છે, જેને કારણે ભાજપમાં ડર ફેલાયો છે. 20 વર્ષથી અન્ય વિકલ્પ ન હોવાથી લોકો ભાજપને વોટ આપવા મજબૂર હતા, પણ હવે મશીનમાં આપનું ત્રીજું બટન આવી ગયું છે. ભગવંત માને કહ્યું કે, 20 વર્ષની ગંદી રાજનીતિની સફાઈ કરવા હવે ઝાડું આવી ગયું છે. સભામાં મોટી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:07 am

પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશની દાદાગીરી:ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા 2 ગાર્ડ પર હુમલો,હવામાં ફાયરિંગનો આક્ષેપ

વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ ફ્યૂચર સોલાર કંપની અને સિક્યુરિટી એજન્સીના કર્મી પર પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા કર્મીઓ સામે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ છે. પૂર્વ મેયરના ભાઈ કલ્પેશ ડાંગરની ગુંડાગર્દીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજ છતાં પગલાં ન લેનાર કરજણ પોલીસ શંકાના ઘેરામાં આવી છે. આ અંગે ફ્યૂચર સોલારનો સંપર્ક કરતાં થયો ન હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફ્યૂચર સોલાર કંપનીએ ગોડાઉન ભાડે લીધું છે. જોકે હવે કંપનીને ગોડાઉન ખાલી કરવું હતું. જેથી શુક્રવારે કર્મીઓ અને સિક્યુરિટી એજન્સીના માણસો ટ્રેલર લઈ ત્યાં પહોંચ્યા હતા. સિક્યુરિટી કંપનીના માણસોએ કહ્યું કે, અમે ગોડાઉનના ગેટ પાસે પહોંચતાં કલ્પેશ ડાંગર સહિત 6થી 10 લોકોના ટોળાએ કંઈ કહ્યા વગર ધારિયા જેવાં હથિયારોથી હુમલો કર્યો હતો. અમે 112ને પણ જાણ કરી હતી. જોકે પોલીસ પણ હુમલાથી બચવા બાજુ પર ખસી ગઈ હતી. જ્યારે કલ્પેશ ડાંગરે ગન કાઢી ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે. આ ઘટનામાં સિક્યુરિટી એજન્સીના 2 થી 3 કર્મીને ઈજા થઈ છે. જ્યારે સિક્યુરિટી એજન્સીના કર્મચારી સાનુ પિલ્લાઈ લોહીલુહાણ થયા હતા. સાનુ સહિત ઘાયલ કર્મચારીને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ કર્મીએ એસપી ઓફિસમાં રજૂઆત કરી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. ફર્સ્ટ પર્સનકલ્પેશ ડાંગરે ગન બતાવી ફાયરિંગ કર્યું, જાનથી મારી નાખવાની કોશિશ કરીફ્યૂચર સોલાર કંપનીએ કરજણ પાસેના રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડે રાખ્યું છે. જ્યાં સોલારને લગતો સામાન રાખેલો છે. શુક્રવારે બપોરે સોલાર કંપનીના માણસો સાથે અમે સિક્યુરિટી એજન્સી તરીકે રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગયા હતા. કંપનીનો સામાન ગોડાઉનમાંથી ખાલી કરવાનો હતો. જ્યારે પહોંચ્યા ત્યારે ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેના માણસોએ ગોડાઉનમાં જવા જ ન દીધા. મને માહોલ થોડો ખરાબ લાગ્યો હતો અને વધુ ઘર્ષણ ન થાય તે માટે મેં 112ને ફોન કર્યો હતો. જ્યારે 112ના પોલીસ કર્મીઓ આવ્યા છતાં તેમની સામે જ મને માર માર્યો હતો. કલ્પેશ ડાંગરે પોલીસની સામે જ ગન કાઢીને ફાયરિંગ કર્યું છે. અમને ગન બતાવી છે. પોલીસની નજર સામે જ અમને જાનથી મારવાની કોશીષ કરવામાં આવી છે. આ તમામ ઘટના પોલીસના બોડીવોર્ન કેમેરામાં કેદ થઈ છે. પોલીસની સામે જ મને અને સિક્યુરિટી એજન્સીના બીજા દેવેન્દ્રસિંહ રાઠોડને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરાઈ છે. મારા સાથી હજુ પણ બેભાન હાલતમાં છે. - સાનુ પિલ્લાઈ, કર્મચારી, સિક્યુરિટી એજન્સી હુમલો થયો ત્યારે જનરક્ષક પોતાના રક્ષણ માટે દૂર ખસી ગયા, કરજણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં112 જનરક્ષકના પોલીસ કર્મીઓની હાજરીમાં કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ હુમલો કર્યો હતો. આ સમયે જનરક્ષકના પોલીસ કર્મીઓ પોતાના રક્ષણ માટે દૂર ખસી ગયા હતા. કરજણ પોલીસે પણ કલ્પેશ ડાંગર સહિત ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી ન કરતાં શંકાના ઘેરામાં આવી છે. ગોડાઉનના ભાડા અંગે માથાકૂટ થઈ હતીસોલાર કંપનીએ ગોડાઉન ભાડે રાખ્યું છે. કંપની અને કલ્પેશ ડાંગર વચ્ચે 6 માસથી ભાડાની વાત ચાલતી હતી. કંપનીના માણસો સામાન લેવા આવ્યા ત્યારે કલ્પેશ સાથે માથાકૂટ થઈ છે. ફાયરિંગ નથી થયું. કોઈ હજુ ફરિયાદ કરવા આવ્યું નથી. > બી.એમ. પટેલ, પીઆઈ, કરજણ પોલીસ મથક કલ્પેશનો પોલીસની હાજરીમાં જ હુમલો. કલ્પેશ પાસે લાઈસન્સ છે, ફાયરિંગની વાત ખોટીકલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું છે તે વાત સાવ ખોટી છે. તેમની પાસે વર્ષોથી હથિયારનું લાઇસન્સ છે. આ ઘટનામાં સિક્યુરિટી એજન્સીના કર્મીઓએ મારામારી કરી છે. ઘટના બાદ કલ્પેશ ડાંગર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે આ બાબતે સમાધાન થઈ ગયું છે. > ભરત ડાંગર, કલ્પેશ ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરનો વિવાદિત ભૂતકાળ સમાધાન થઈ ગયું છે, મેં ફાયરિંગ નથી કર્યુંકંપનીના માણસોને 2 ગાર્ડે એન્ટ્રી કરવા કહ્યું હતું. તેઓએ ગાર્ડ સાથે મગજમારી કરી. હું પહોંચ્યો ત્યારે ઘટના બની ચૂકી હતી. કંપની તરફથી ચિંતનભાઈ સાથે વાત થઈ હતી. સમાધાન થયું છે.મેં ફાયરિંગ નથી કર્યું, વાત ખોટી છે. > કલ્પેશ ડાંગર

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સરકારે કહ્યું - દેશમાં કોઈ લોકડાઉન નહીં થાય, ઈરાને ઈઝરાયેલ પર 'થૅન્ક્યુ ઈન્ડિયા' લખેલી મિસાઈલો છોડી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ છોડવા અંગેના રહ્યા. આ મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખેલું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી પાસે જેવર ખાતે સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 2. IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખી ઈઝરાયલ પર હુમલો કર્યો:કહ્યું- ભારતીય બાળકોનું ગુલ્લક દાન કરવાનું ક્યારેય નહીં ભૂલીએ, આ પ્રેમભરી ભેટ ઈરાને ઈઝરાયલ પર 83મી વખત મિસાઈલ હુમલો કર્યો. આ વખતે મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ઈરાની સૈનિકો મિસાઈલો પર Thank you people of India લખી રહ્યા છે. આ જ રીતે સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ પગલું એવા દેશો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેમણે તેને સમર્થન આપ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. PM મોદીની ઈરાન યુદ્ધ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક:કહ્યું- ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે; સરકારે કહ્યું- દેશમાં લોકડાઉન નહીં લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે તમામ રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ મળીને કામ કરે અને પોતાની તૈયારીઓ મજબૂત રાખે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને રાજ્યો પાસેથી તેમની તૈયારીઓ અને યોજનાઓની માહિતી લીધી. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને આ મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હોય. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સોના-ચાંદીના ભાવ ગગડ્યા:સોનું ₹3,263, ચાંદી ₹13 હજાર ઘટી; ઈરાન યુદ્ધથી 28 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું, ચાંદી ₹45 હજાર નીચે આવી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,263 રૂપિયા ઘટીને 1.43 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા બુધવારે તે 1.46 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 13,167 રૂપિયા ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા 25 માર્ચે તેની કિંમત 2.35 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે સોનું 28 દિવસમાં 16,155 અને ચાંદી 45,053 સસ્તી થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું- પરિણીત પુરુષનું લિવ-ઇનમાં રહેવું ગુનો નથી:નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે; કપલની ધરપકડ પર રોક અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે પરિણીત પુરુષનું કોઈ પુખ્ત મહિલા સાથે સહમતિથી લિવ-ઈનમાં રહેવું ગુનો નથી. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે કહ્યું કે નૈતિકતા અને કાયદો બંને અલગ-અલગ છે. નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે. કોર્ટ શાહજહાંપુરના એક કેસ સંબંધિત સુનાવણી કરી રહી હતી. જેમાં લિવ-ઈનમાં રહેતા એક યુગલે પરિવાર તરફથી મળી રહેલી ધમકીઓ સામે સુરક્ષા માંગી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનીની તસવીર લઈને પ્રદર્શન:ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ધક્કા-મૂક્કી થઈ, રાહુલને પપ્પુ કહેવા પર મારામારી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુને લઈને વિરોધ પ્રદર્શન થયું. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ખામેનીની તસવીર લઈને ગૃહમાં પહોંચ્યા અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ખામેનીના પોસ્ટર પણ લહેરાવ્યા. આ દરમિયાન, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ધક્કામુક્કીનો વીડિયો પણ સામે આવ્યો. જોકે, આ વિવાદ ભાજપના નેતાઓની રાહુલ પરની ટિપ્પણીને લઈને હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજ્યમાં હવે રૂ.300માં વારસાની જમીનની વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ-9 હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:34 IT અધિકારીને પ્રમોશન સાથે 41 અને GAS કેડરના 31 અધિકારીની બદલી, 32 ના.મામલતદારને પ્રમોશન રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વહીવટને વધુ અસરકારક બનાવશે. રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર સરકારની 2.38 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી:એરફોર્સને S-400 મિસાઈલ ડિફેન્સ અને આર્મીને ધનુષ ગન સિસ્ટમ મળશે સંપૂર્ણ સમાચાર વાંચો 2.ઈન્ટરનેશનલ : આયર્લેન્ડમાં ફોન-ફ્રી બાળપણ, મેદાનમાં કિલકિલાટ કરી રહ્યા બાળકો:માતા-પિતા અને શિક્ષકોએ 'નો ફોન કોડ' લાગુ કર્યો, 12 વર્ષથી નાના બાળકોને મોબાઇલ નહીં સંપૂર્ણ સમાચાર વાંચો 3.નેશનલ : કોંગ્રેસે કહ્યું- રાહુલમાં કાર્યકર જેટલી સમજ હોવી સારી વાત:હવામાં ઉડતા પી.વિજયન શું જાણે; કેરળના મુખ્યમંત્રીએ રાહુલની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા સંપૂર્ણ સમાચાર વાંચો 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં બાલેન શાહ સૌથી યુવા વડાપ્રધાન બન્યા:રાષ્ટ્રપતિએ પીએમ પદના શપથ લેવડાવ્યા; મધેશ ક્ષેત્રમાંથી આવનારા પહેલા PM સંપૂર્ણ સમાચાર વાંચો 5.બિઝનેસ : રૂપિયો 94.7 ના રેકોર્ડ નીચલા સ્તરે:14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ નાણાકીય વર્ષમાં ડોલર સામે 10% ઘટ્યો; વિદેશી સામાન મોંઘો થશે સંપૂર્ણ સમાચાર વાંચો 6.સ્પોર્ટ્સ : Oh my God Rohit...તું તો ઓળખાતો જ નથી!:રોહિતનો નવો અવતાર જોઈને નીતા અંબાણી તેને ઓળખી શક્યા નહીં; રિએક્શનનો વીડિયો વાઇરલ સંપૂર્ણ સમાચાર વાંચો 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 28 માર્ચનું ટેરો રાશિફળ:મિથુન-સિંહ રાશિના લોકોનું ટીમવર્કથી કામ પાર પડશે, તુલા-મીન રાશિના જાતકોએ નિર્ણય લેવામાં ધીરજ રાખવી સંપૂર્ણ સમાચાર વાંચો ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 5 પૈસા માટે કંડક્ટરની નોકરી ગઈ, હવે ₹3 લાખ મળ્યા માત્ર 5 પૈસાની લાંચના આરોપમાં 1976માં દિલ્હીના બસ કંડક્ટર રામ સિંહ યાદવની નોકરી જતી રહી હતી. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કંડક્ટરે 40 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી. 2016માં દિલ્હી હાઈકોર્ટે કંડક્ટરને રાહત આપતા 3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘પોઝિટિવ પાજી’ને કિડનેપ કરીને માર્યા, પાંસળીઓ તોડી નાખી: પણ પછી આસારામના ગુંડાઓ ફફડી ગયા, જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: ફોર્મ-16 સમાપ્ત, ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકાશે ઇનકમ ટેક્સ; 1 એપ્રિલથી 5 મોટા ફેરફારો લાગુ, તમને શું ફાયદો-નુકસાન 3. એક્સક્લૂસિવ : '5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત': હસતા મોંઢે આપઘાત કરનારી આયશાના પિતા ભાવુક થયા, કહ્યું- હવે કોઇ 4 નિકાહનો શિકાર નહીં બને 4. ફિલ્મી ફેમિલી : 'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું: 'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : સેપ્ટિક ટેન્કમાં મળ્યું એક્ટ્રેસ મીનાક્ષીનું ધડ: કાપેલું માથું બેગમાં રાખીને ફરતા રહ્યા હત્યારા; નકલી રોયલ ફેમિલીને છેતરવાનું ખોફનાક કાવતરું 6. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ટ્રેનની ‘તત્કાલ ટિકિટ’ ચોરનારી ગેંગમાં 5મું ફેઈલ: CBIએ જેને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો તે જામીન પર છૂટ્યો; IIT-IIM વાળા ઓફિસરો જાળ તોડી શક્યા નહીં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના લોકોને સંપત્તિ સંબંધિત લાભ થશે, કન્યા જાતકોના વિવાદો ઉકેલાશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:00 am

રાજવીની ભેટ પર તંત્રનું ગ્રહણ:મોરબીમાં સરકારી મેળાના તાયફાથી સમથળ કર્યાના થોડા સમયમાં L. E. ગ્રાઉન્ડ તહસ-નહસ

મોરબીના રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોની મનપા અને વહીવટી તંત્રના પાપે ફરી એકવાર કઠણાઈ સર્જાઈ છે. સામાકાંઠે રાજાશાહી વખતના ઐતિહાસિક એલ.ઇ. ગ્રાઉન્ડને જે તે સમયે રાજવી પરિવારે મોરબીની જનતાના રમત ગમત માટે જ ફાળવ્યુ હતું. પરંતુ દુર્ભાગ્યવશ આ મેદાનનો રમત ગમત માટે ભાગ્યે જ ઉપયોગ થાય છે. મોટાભાગે આ વિશાળ એલઇ ગ્રાઉન્ડનો સરકારી મેળા અને વિવિધ સરકારી કાર્યક્રમો માટે જ ઉપયોગ થતો હોવાથી આ શહેર માટે એકમાત્ર રમત ગમતનું મેદાન રમત ગમતને બદલે માત્ર સરકારી કાર્યક્રમો માટે હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એલ.ઇ.ગ્રાઉન્ડમાં છેલ્લા 20 વર્ષથી રમતોનું ખૂબ જ ઓછું આયોજન અને એની સામે સરકારી મેળા, વિવિધ કાર્યકમોની ભરમાર હોય આવી સ્થિતિમાં યુવાનો કેવી રીતે પોતાની રમત ગમતનું કૌશલ્ય કેવી રીતે વિકસાવે ? જો કે સરકારી મેળા કે કાર્યક્રમો એક પછી એક યોજાતા હોય એમાં આઠ કે દસ દિવસનો સમય લાગતો હોય પણ આ કાર્યકમો પુરા થયા બાદ મેદાનને વ્યવસ્થિત કરી સુંદર અને સ્વચ્છ બનાવવાની કોઈ કામગીરી થતી જ નથી. એથી આ એકમાત્ર મેદાનની ઘોર ખોદાય જાય છે. દરેક વખતે સરકારી મેળા બાદ આ મેદાનની ભયંકર હાલત થઈ જાય છે. જો કે હમણાં જ એલઇ ગ્રાઉન્ડને એકદમ સમથળ કરીને એક સારા મેદાન તરીકે વ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લાંબા સમયના અંતે એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ પુરી થઈ કે તરત જ સરકારી મેળા માટે ભવ્ય ડોમ તૈયાર કરી દેવાયો હતો. તેમાં મંડપ નાખવા માટે ખોદકામ કર્યું હોય તેમજ મેળો ઘણા દિવસો સુધી ચાલુ રહેતા મેદાન જાણે ઉકરડો બની ગયો એમ કચરાના ગંજ ખડકાઇ ગયા હતા.મેળો પૂરો થયા પછી કચરાને‎ઉપાડવાની તસ્દી જ ન લેવાઇ!‎આ મેળો હમણાં પૂરો થયા ભવ્ય ડોમ તો ઉપાડી લેવાયો પણ આ મેદાનમાં લોખંડની ખીલીઓ અને કચરાને જેમની તેમ છોડીને દર વખતની જેમ તંત્રએ ચાલતી પકડી હતી. મેદાન ઘણું ખરાબ થઈ જતા ઉપરથી ખીલીઓ પડેલી હોવાથી વહેલી સવારે રમવા આવતા રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોને પગમાં ઇજા થવાનો ભય રહે છે. જો કે આ સરકારી કાર્યકમો હોય એટલે મેદાનને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી મનપા અને વહીવટી તંત્રની હોય છે. પણ તંત્ર આ જવાબદારીમાંથી છટકી ગયું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:51 am

મનપાની ફૂડ શાખા ખાણીપીણીની 51 પેઢીમાં ત્રાટકી:મોરબીમાં મસાલા માર્કેટમાંથી 10 નમૂના‎લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરાયો‎

મોરબીમાં હોટલો, રેસ્ટોરન્ટ, ચાઈનીઝ, પંજાબી સહિતના જંકફૂડ અને ચટપટી વાનગીના નાસ્તાની દુકાનોમાં શુદ્ધત્તાના નામે ભેળસેળ યુક્ત અને વાસી ખોરાક લોકોના પેટમાં પધરાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મનપાની ફૂડ શાખા માત્ર હાજરી પુરાવતી હોય તેવી કામગીરી વચ્ચે આજે ફૂડ શાખાએ આળસ ખંખેરીને જન આરોગ્ય સાથે ચેડાં કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવી ગાંઠ વાળી હોય એમ એકીસાથે ફુડ શાખા ખાદ્યપદાર્થના 51 વિક્રેતા પર ત્રાટકી હતી અને વાસી નુડલ્સ, ગ્રેવી, કલરનો સહિતનો ખાઈ ન શકાય એવો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. મોરબીમાં કહેવાતી વૈભવી હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની મોટાભાગની દુકાનોમાં જન આરોગ્ય સાથે ચેડાં થાય તેવા ભેળસેળયુક્ત આહાર અને વાસી ખોરાક ગ્રાહકોને પીરસાતો હોવાની ફરિયાદ બાદ હવે અચાનક મનપાની ફૂડ શાખા હરકતમાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબીના વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની સઘન ચકાસણી કરવામાં આવી હતી.જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાદ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ ફટકારી હતી. જો કે હાલ ઉનાળામાં મસાલા મરચું, હળદર, જીરુંની ભરપૂર પ્રમાણમાં ગૃહિણીઓ ખરીદી કરતી હોય પણ આ મસાલા હકીકત ભેળસેળયુક્ત હોય જેની તેઓને ખબર ન હોવાથી તેમના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદ મળતા ફૂડ શાખાએ આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર આવેલા માર્કેટમાંથી આશરે 10 જેટલા મસાલા જેવા કે મરચું, હળદર, જીરુંના નમૂના લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીતે 51 ખાદ્યપદાર્થમાં ચેકિંગ બાદ પટેલ રાજા પાઉભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવી, વિશ્વા સ્વીટ નમકીનમાંથી ફૂડ કલર, ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથાબંધ ફૂડ કલર અને રબડીનો નાશ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:30 am

ત્રિકોણબાગ વિસ્તારમાં દુકાનોનું રિડેવલપમેન્ટ કરાશે‎:મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ માટે આધુનિક શાકમાર્કેટ આકાર પામશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને શહેરના માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવી શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને સુપરત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક શાકભાજીના ધંધાર્થીઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન એટલે રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મનપાએ સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક કરી રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરી આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:28 am

મનપાની મોટી જાહેરાત:મોરબીના લોકોને રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાનની ભેટ મળશે

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે વિકાસ કામોના લોકાર્પણ અને જાહેરાતોની ભરમાર ચાલવાની એ તો સહેજે સમજી શકાય તેવું છે ત્યારે મોરબીમાં મનપાએ સિમેન્ટ કોંક્રિટના જંગલ બની ગયેલા શહેરને લીલીછમ હરિયાળીથી હર્યું ભર્યું કરવાનો દાવો કર્યો છે. જેમાં શહેરની ભાગોળે આવેલા ભક્તિનગર સર્કલ નજીક રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાન બનાવવાનો મનપાએ નિર્ણય જાહેર કર્યો છે. જો કે મનપાએ વિવિધ વિસ્તારમાં નવા બાગ બગીચા બનાવવાની મોટા ઉપડે જાહેરાત તો કરી છે. પણ ક્યારે એ સાકાર થશે એ અંગે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. આટલી સુવિધા ઊભી કરાશે ભક્તિનગર સર્કલ પાસે ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ હેઠળ બાગમાં આકર્ષક પ્રવેશ દ્વાર, મજબૂત કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, આરામદાયક ગાર્ડન ફર્નિચર, આધુનિક લાઇટિંગ સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલ માટે ગ્રેડિંગ સુવિધાઓનો વિકાસ થશે. આ ઉપરાંત ગાર્ડનને સુરક્ષિત બનાવવા માટે RCC ફાઉન્ડેશન, પ્રવેશ દ્વારને CNC કટિંગ ડિઝાઇન, રિવોલ્વિંગ ગેટ સાથે આકર્ષક લુક, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 1.5 થી 2.0 મીટર પહોળાઈનો લૂપ આધારિત વોકિંગ ટ્રેક, બેઠકો, કોટા સ્ટોન ફિનિશ ધરાવતું ફર્નિચર, કચરાપેટીઓ, કલર થીમ મુજબ વૃક્ષારોપણ, 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ અને IP65 સ્ટાન્ડર્ડ LED લાઈટ્સ લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:26 am

અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ

વઢવાણ તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો આવેલા છે. ગુંદીયાળા તરફનો માર્ગ પણ આમ વઢવાણ તરફ ખોલડીયાદ, માળોદ તેમજ બીજી તરફ વસ્તડી તેમજ સામા કાંઠે આવેલા મેલડી માતાના મંદિર તરફ જવા માટે રાહદારીઓ, વાહનચાલકો તેમજ ભક્તો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગુંદીયાળા તરફના રોડ પર ભયજનક વળાંક હોવાથી તેમજ તેનાથી થોડી દુર અંદાજે 500થી વધુ મીટરનો પુલ આવેલો છે. ત્યારે આ પુલની બંને સાઇડો પર લોખંડની ગ્રીલો કે સરંક્ષણ દિવાલો ન હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. બીજી તરફ આ માર્ગ પર દિવસ -રાત લોકો આવ-જા કરી રહ્યાં છે અને ભયજનક વળાંક, સરંક્ષણ દિવાલ વગરનો પુલના કારણે લોકોને અકસ્માતનો ભય રહેતા યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા પુલની બંને સાઇડ સંરક્ષણ દિવલ કરતા લોકોમાં રાહત ફેલાઇ હતી. આ અંગે સુનિલ જી. રાઠોડે જણાવ્યું કે, આ રોડ પર અકસ્માતનો ભય બહુ રહેતો હતો. મારૂ જ બાઇક એક વાર સ્લીપ ખાઇ ગયુ હતુ.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:21 am

અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું

સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કામોએ ગતિ પકડી છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરમાં રેલવે મેદાનના પાણીના અવાડાથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મુસાફરો માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે ડાયવર્ઝન ન આપવામાં આવતા હજારો લોકોએ રેલવે સ્ટેશન અને સરકારી કચેરીઓ સુધી પહોંચવા માટે લાંબા ફેરા મારવા પડી રહ્યા છે. વઢવાણ શહેર માં ચૂંટણી નજીક આવતાસુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા રસ્તા ના કામો શરૂ થયા છે સુરેન્દ્રનગરવઢવાણ વિસ્તારમાં રેલવે મેદાન પાણીના અવાડાથી વડ સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે, આ દરમિયાન મુસાફરો માટે યોગ્ય વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાસ કરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે ડાયવર્ઝન રસ્તો/પ્રવેશ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પેસેન્જરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રાજભા જાદવ હનીફભાઈ વગેરે સ્થાનિક લોકો અને મુસાફરો જણાવે છે કે આ રસ્તા પર મામલતદાર તાલુકા પંચાયત કોર્ટ પ્રાંત કચેરી રેલવે સ્ટેશન બગીચા વગેરે આવેલા છે પરંતુ સુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા ડાયવર્ઝન અપાયું નથી આથી રોજિંદા આવનજાવન માટે લાંબા ફેરા મારીને સ્ટેશન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પરિશ્રમ બંને વધે છે. વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા સ્ટેશન નજીક મૂકવામાં આવેલી ફેન્સિંગને તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે. જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ તાત્કાલિક રાહત આપવી જરૂરી છે. જેથી મુસાફરોને સુવિધા મળે.સ્થાનિક લોકો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને આ રેલવેના ઉચ્ચ અધિકારી, ડી.આર.એમ. સાહેબને આ મુદ્દે ધ્યાન આપવા અને ઝડપી કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:18 am

રેંજ આઇજીએ વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી‎:જિલ્લાના 5 વોન્ટેડ આરોપીની ભાળ આપનારને રૂપિયા 20 હજારનું ઇનામ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને ભાગતા ફરતા આરોપીઓની હવે ખેર નથી.કારણ કે રાજકોટ રેંજ આઇજીએ રેંજના ગામો ના કુલ 29 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સુરેન્દ્રનગરના 5 આરોપીનો સમાવેશ કર્યો છે. આટલુ જ નહી પરંતુ આ આરોપીની ભાળ આપનારને રૂ.20 હજાર ઇનામ અપાશે . રાજકોટ રેંજનો ચાર્જ શંભાળ્યા બાદ આઇ જી ર્નીલીપ્ત રોય એકસન મોડમાં આવી ગયા છે. આ આરોપીઓની ભાળ આપશે તેને રૂ.20 હજારના ઇનામની પણ જાહેરાત કરી છે. આટલુ જ નહી પરંતુ તેમના નામ ગુપ્ત રખાશે. આરોપી નામ અને ગુનાનો પ્રકાર ભીખાભાઇ કુના સાયલા એનડીપીએસ માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર, અલીભાઇ ડફેર લખતર આઇપીસી 307 હત્યાના પ્રયાસનોગુનો, મનુભા ઝાલા વઢવાણ આઇપીસી 302 હત્યાનો ગુનો સંજુ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા ડાલુરામ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા. જૂના કેસ,સગા સબંધી પણ હયાત ન‎હોય પોલીસને ભાળ નથી મળી‎જિલ્લાના 5 આરોપીને વોન્ટેડ જાહેર‎‎કરવામાં આવ્યા છે તેમને શોધવા માટે‎પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા.પરંતુ વર્ષો પહેલાના કેસ દાખલ થયા છે.‎આરોપીના નવા કે જૂના નંબરો પણ મળતા નથી. બીજુ કે આરોપીના વતનમાં‎સગા સબંધી પણ રહેતા નથી. તેમના ગામમાં પણ આરોપીઓને કોઇ ઓળખતુ‎ન હોવાને કારણે પોલીસથી બચીને ભાગવા માટે આરોપીઓ સફળ રહયા છે.‎બીજુ કે આ આરોપીઓ પરપ્રાંતમાં બીજા નામથી પણ રહેતા હોવાની આશંકા‎છે.અને આથી જ તેમની ઓળખ કરવી તે પોલીસ માટે પડકાર રૂપ બની છે.‎

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:13 am

PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં ત્રણ દિવસમાં 1127 ગ્રાહકોના વીજકનેક્શન કપાયા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 25 માર્ચે 254 ટીમોએ રૂ. 89.80 લાખની બાકી રકમના 861 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3316 ગ્રાહકો પાસેથી રૂ. 156.42 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 26 માર્ચે 200 ટીમોએ રૂ. 8.86 લાખની બાકી રકમના 108 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3246 ગ્રાહકો પાસેથી રૂ. 121.58 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 27 માર્ચે 229 ટીમોએ રૂ. 29.79 લાખની બાકી રકમના 158 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3559 ગ્રાહકો પાસેથી રૂ. 160.20 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં 683 ટીમોએ રૂ. 128.15 લાખની બાકીદારોના 1127 કનેકશનો કટ કરી નાંખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન 9921 ગ્રાહકો પાસેથી રૂ. 438.20 લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર. એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:12 am

મનપાની કાર્યવાહી:સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં લગાવેલા ગેરકાયદેસર 20 થી વધુ બોર્ડ ઉતારી લીધા

સુરેન્દ્રનગર સંયુકત પાલિકા બનતાની સાથે શહેરમાં જાહેરાત માટેના મોટા મોટા બેનરોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.આ મોટા બેનર પર પોતાના પોસ્ટર લગાવવાનો ચાર્જ વધુ થતો હોય છે. જેને કારણે શહેરના વેપારીઓ કે ધાર્મિક કાર્યક્રમો કરનાર સંસ્થાઓ મનપાએ શહેરમાં ઉભા કરેલા વિજપોલ ઉપર પોતાના નાના બોર્ડ લગાવતા હોય છે.ત્યારે મનપાએ શુક્રવારે 20 થી વધુ જગ્યાએથી આવા બોર્ડ ઉતારી લીધા હતા. સુરેન્દ્રનગર મનપાને પૈસા ન ચૂકવવા પડે તે માટે લોકો બેનર લગાવવા માટે વિજપોલનો ઉપયોગ કરતા હોય છે.મનપા વિજપોલ ઉપર બેનર ન લગાવવા માટે વારંવાર સુચના આપે છે. પરંતુ તેમ છતા લોકો બોર્ડ લગાવતા હોય છે. લોકો એકવુ માને છે કે મનપા બોર્ડ ઉતારવાની કાર્યવાહી ન કરે તેટલા દિવસ તો અમારા જાહેરાત થશે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકો જાહેરાત વાંચે છે. વિજપોલ ઉપર ગેરકાયદેસર બોર્ડ લગાવવામાં આવ્યા હોવાની જાણ થતા મનપાની દબાણ શાખાની ટીમ ગાડી સાથે સવારથી જ શહેરના રસ્તા ઉપર ચેકિંગ માટે નિકળી હતી. અને ખાસ કરીને સીસીટીવી જે પોલ ઉપર લગાવેલા છે તેવા 20 થી વધુ પોલ ઉપરથી બેનરો, સહિતના લખાણો દૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:11 am

ચણાની ખરીદીના શ્રીગણેશ કરાયા:વઢવાણ યાર્ડમાં પહેલા દિવસે 2700 મણ ચણાની ખરીદી‎

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયુ છે.બઝારમાં ચણાના ભાવ નીચા છે ત્યારે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેમાં 30 ખેડૂતો પાસેથી 90 મણ લેખે રૂ.1150ના ભાવે 2700 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લામાં 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે.વર્તામાન સમયે મોટા ભાગના ગામડાઓમાં ચણાનો પાક લેવાઇ ગયો છે.સામાન્ય રીતે એક એકરે 35 મણ ચણાનો ઉતારો આવે તો પણ આ વર્ષે જિલ્લામાં 23.41 લાખ મણ ચણાનું ઉત્પાદન થવાનો અંદાજે છે.ત્યારે રાજય સરકારે રૂ.1150ના ભાવે મણ ચણા ખરીદવાની જાહેરાત કરી ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ હતુ.જેમાં વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં 3800 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશ કરાવ્યુ છે. શુક્રવારે યાર્ડ ખાતે ચણાની ખરીદી કરવામાં આવી હતી.જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન નારણભાઈ પાવરા તથા સભ્ય સંદીપભાઈ દેસાઈ તથા હેમાંગભાઈ ત્રિવેદી તેમજ સેક્રેટરી રાજુભાઈ ત્રિવેદી તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રૂ.900માં ખરીદી રૂ.1400માં વેચાણ વર્તમાન સમયે યાર્ડમાં ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.બીજી બાજુમાં બઝારમાં ખેડૂતોને ચણાના એક મણના રૂ.900 થી રૂ.1000 હાજાર જ આપવામાં આવે છે. જયારે આ જ ચણા વેપારીઓ બઝારમાં રીટેઇલમાં રૂ.1300 થી રૂ.1400માં વેચવામાં આવે છે. 90 મણથી વધુના ચણા કયા વેચવા તે મુશ્કેલી યાર્ડમાં બઝાર કરતા સારો ભાવ છે.પરંતુ ત્યા એક ખેડૂત પાસેથી જે માત્ર 90 મણ ચણાની જ ખરીદી કરવામાં આવે છે. મોટા ખેડૂતોને 90 મણથી વધુ ચણાનું ઉત્પાદન થયુ છે.તે ખેડૂત બાકીના બીજા ચણા કયા વેચવા જાય તે મોટી મુંજવણ છે કારણ કે બઝારમાં સારો ભાવ મળતો નથી. આજરોજ માર્કેટિંગ યાર્ડ વઢવાણમાં ટેકાના ભાવેથી ચણાની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે આ કામ ના એજન્સી ઇન્ડિયા એગ્રો મારફત ટીંબા સેવા સહકારી મંડળી ટીંબાને ચણાની ખરીદીનું કામ મળેલ છે આજરોજ મુરતના દિવસે 30 ખેડૂતો ચણા લઈ વેચાણ માટે આવેલ હતા. વઢવાણ વિસ્તારના ખેડૂતોએ કુલ 3800 આસપાસ નું રજીસ્ટ્રેશન કરેલ છે તેમજ ચણાના 1175 ના ભાવે ખરીદી કરશે એક ખેડૂત એક હેક્ટર વધુમાં વધુ 90 મણ ચણાની ખરીદી કરશે તેવી માહિતી ઉપલબ્ધ થયેલ છે. > હિતેષભાઇ ગોલાણી -ખેડૂત

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:10 am

રિયાલીટી ચેક:પ્રજાને 10 લાખ દંડ કરનારા અધિકારીઓ બેસે તે કચેરી ‘તમાકુયુક્ત’ દિવાલો પર પાન-ગુટખાની પીચકારીઓ !

શેઠની શિખામણ ઝાપા સુધી’ આ કહેવત જિલ્લામાં મથક એવા સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ખરા અર્થમાં સાર્થક થાય છે. તા.23 ફેબ્રુઆરીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની બેઠક મળી હતી. તેમાં જ ભાસ્કર રિયાલીટી ચેક કર્યું હતું. ત્યારે કલેકટરની કાર ઉભી રહે તેનાથી 10થી15 મીટર દુર પાન-માવાની પડીકીઓના ઢગ અને ગુટખાની પિચકારીઓના ઢબ્બા જોવા મળ્યા હતા. ડીએલઆર કચેરીના મુખ્ય અધિકારીની ઓફિસથી થોડે દૂર બેસવાની જગ્યાએ જ બારી આખી લાલ રંગે રંગાયેલી હતી. જ્યાં કર્મીઓ અને આવતાં-જતાં અરજદારો પીચકારી માવાની મારતા જણાયા હતા. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગ કચેરી જે આ દંડની કામગીરી કરે છે તેના શૌચાલય પાસે જ પાનમાવાની પીચકારી કચરો ઢાંકેલી જણાઇ અંદર ગંદકી જણાઇ હતી. જ્યારે મહાનગરપાલિકા જે સ્વચ્છતાની દંડની કામગીરી કરે છે તેની જૂની બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલો લાલ હતી ક્યાંક કચરા પેટી હતી તોય દિવાલ બગડેલી અને નહો તી ત્યાંય ગંદી જોવા મળી હતી. જ્યારે બહુમાળી ભવનમાં લોકોને થૂકતા રોકવા અહીં ન થૂકવું તેવું બોર્ડ માર્યું હતું તેમાં કોઇ ન ચેકી નાંખી દિવાલ પિચકારી મારી ગંદી કરી દીધી હતી. નવાઇની વાત તો એ છે કે, આ કચેરીઓમાં બેઠેલા અધિકારીઓના આદેશથી જાહેર સ્થળો ઉપર થૂંકતા અને ધ્રુમપાન કરતાં રહીશો પાસેથી રૂ.1.96 લાખ તેમજ તમાકુ વેચાણ, પેકેટ ઉપર ચેતવણી વિના વેચાણ સહિતના ગુના બદલ 5 વર્ષમાં રૂ.10,15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:07 am

સિરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં:થાન સિરામીકને અપાતાં ગેસના ભાવમાં રૂ.46.06નો ઐતિહાસીક વધારો‎

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલો સિરામીક ઉદ્યોગ હાલ યુદ્ધનને પગલે ગેસની અછતના લીધે મુશ્કેલીમાં મુકાયો છે. તેવામાં ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક કિલો ગેસનો ભાવ જીએસટી વગર રૂ.41.40 હતો તે હવે રૂ.88એ પહોચી ગયો છે. જીએસટી સાથે આ ભાવ રૂ.95ની પાર કરી જશે. આ ભાવ વધારાના વિરોધમાં આજે શનિવારે થાન સિરામિક એકમોના માલિકોએ તાકિદની બેઠક બોલાવી છે.જેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે. થાનમાં સિરામીકના 280 થી વધુ કારખાના આવેલા છે. આ ઉધોગના વિકાસ માટે ગેસની સગવડતા આપવામાં આવતા ઉધોગકારોને રાહત થવાની આશા હતી.પરંતુ ગેસ કંપની દ્વારા ભાવમાં સતત વધારો કરવામાં આવી રહયો છે.જેને કારણે ઉધોગકારોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. થાનના કારખાનામાં દરરોજ 2.80 લાખ કિલો ગેસની વપરાસ થાય છે.આ રૂ.46.6 ના ભાવ વધારાને કારણે ઉધોગ ઉપર 11.06 કરોડનો બોજો વધશે.હાલના સમયે ઘણા કારખાનાઓ તો હાલ બંધ હાલતમાં છે. અનેક મજુરોને છુટ્ટા કરી દેવામાં આવતા મજુરોએ પણ વતનની વાટ પકડી છે.ત્યારે હવે આ ઉધોગને કેવીરીતે બચાવવો તેના મનોમંથન માટે ઉધોગકારોની બેકઠ મળશે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં જે ભાવવધારો રૂ.2થી રૂ.2.50 વચ્ચે થતો હતો તેમાં 13 ઘણો વધારો એકસાથે ઐતિહાસીક ગણી શકાય. સબસિડી સંજીવની બની શકે ભાવથી ફેકટરી 2 મહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી થાન સિરામિક ઉદ્યોગના એકમો એક પછી એક બંધ થઇ રહ્યા છે. ત્યારે આ ગેસના ભાવ વધારાને કારણે ઓછામાં ઓછી બે મહિના સુધી ફેકટરીઓ ચાલુ થાય તેવી શકયતા નથી.ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સબસિડી અપાય તો જ હવે આ ઉધોગ બચે તેમ છે. ઘર વપરાશની 130થી વધુ વસ્તુઓ 30 ટકા મોંઘી થતાં આમ નાગરિકને પણ માર પડશેથાન સિરામીક એકમમાં નાની મોટી કુલ 130 વસ્તુ બનાવાય છે. વનપીસ, ડમરૂ, એંગલો, સ્ટાર ગોલ્ડ સેટ, ગેંડી, ઓરીસ્સા,યુરોપીયન 30 ટકા મોંધી થશે. આમ ઉદ્યોગકારોની સાથે સાથે આમ જનતા ઉપર પણ આ ગેસના ભાવ વધારાની અસર જોવા મળશે. ચાઇનાએ ભાવ ન વધાર્યો,‎વિદેશમાં ટકવું મુશ્કેલ‎થાન સિરામિક ઉદ્યોગના માલનો સૌથી વધુ વિશ્વના દેશોમાં એકસપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ભાવને કારણે આપણો માલ 30 ટકા મોંઘો થશે. ચાઇનાએ ગેસના ભાવમાં વધારો કર્યો નથી. આપણી મોટી હરીફાઇ ચાઇના સાથે છે. ચાઇના બજારમાં સસ્તો માલ વેચશે. જેની સામે આપણે ટકી નહી શકીએ. > શાંતીલાલ પટેલ, ઉપપ્રમુખ પાંચાળ સિરામિક ઉઘોગ 21 વર્ષમાં સૌથી વધુ ભાવ વધારો‎

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:05 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં લાબા સમયથી નવા રોડ માટે ખોદકામ કરાયુ છે. પરંતુ હજુ સુધી રોડ ન બનતા ધૂળ્યા માર્ગથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. જેને લઇને મુખ્યમંત્રી, કમિશનરને રોડ માટેની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, પુજા પાર્ક સોસાયટીમાં હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. આખો દિવસ ધૂળની ડમરી ઉડતી હોવાથી ઘરનો સામાન બગડી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય પણ હાની પહોંચી રહી છે. વારંવાર કોર્પોરેટર કે કોન્ટ્રાકટરને રજૂઆત કરવા છતા થઇ જશે એવા જવાબો જ મળે છે. જેને કારણે કંટાળીને સ્થાનિકોએ મુખ્યમંત્રી, શહેરી વિકાસ ગૃહ નિર્માણ સચિવ, કમિશનરને રજૂઆત કરી છે. 4 વર્ષથી રહેવા આવ્યા, સ્થિતિ અત્યંત ખરાબ પુજાપાર્કમાં છેલ્લા 4 વર્ષથી રહેવા આવ્યા છીએ. રસ્તા ખરાબને કારણે વાહનો પણ સરખા ચાલી શકતા નથી. મોટી ઉંમરના લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.> રમેશ લાખાણી, સ્થાનિક ખરાબ રોડથી વાહન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે વોર્ડ નંબર 2માં રોડની ઘણા સમયથી આ સ્થિતી છે. કોર્પોરેટરને રજૂઆત કરીએ તો થોડા દિવસમાં બની જશે એવુ જ કશે છે. જેને કારણે હાલ વાહન ચલાવવુ પણ મુશ્કેલ છે.> હરેશભાઇ કોટડીયા, સ્થાનિક ટેક્સ પુરો ભરીએ છતા રસ્તાની સુવિધા શૂન્ય પુજા પાર્ક સોસાયટીમાં ખોદકામ બાદ સ્થિતી ખૂબ જ ખરાબ બની છે. જ્યાં જોવો ત્યાં કાંકરા જ કાંકરા છે. અમે પુરતો ટેક્સ ભરીએ છીએ છતા સુવિધા મળતી નથી.> રાજુભાઇ રાખોલીયા, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત

જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ દુકાનના ઓટલા ઉપર સુતેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ચગદી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મોરકંડા રોડ, સનસીટી-1ની સામે રાજ સોસાયટીમાં રહેતા મહમદહુશેનભાઈ ઓશમાણભાઈ મોગલ નામના યુવાનના પિતા ઓશમાણભાઈ અલીભાઈ મોગલ (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.27ના રાત્રિના ત્રણેક વાગ્યે જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ પાસે દુકાનના ઓટલા ઉપર સુતા હતા. ત્યારે મોડી રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને અડફેટે લીધા હતા અને માથા ઉપર ટાયર ફેરવી દઈ તેમજ શરીરે અને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું, જયારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાશી છુટ્યો હતો. બનાવની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એ.આર.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. મૃતકા પુત્ર મહમદહુશેનભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે. પોલીસ દવારા હાઈવે પરથી સીસીટીવી ફુટેજ મેળવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

કામગીરી:લોકોના કામ ન અટકે તે માટે સચિવની અધિકારીઓને તાકીદ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે જામનગરમાં મુખ્યમંત્રીના સચિવ અને અગાઉ ડીડીઓ રહી ચુકેલા ડો.અજયકુમાર જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કમિશનર અને પુર્વ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલ વહીવટી શાસન હોવાથી લોકોના કામ અટકવા ન જોઈએ તેવી સૂચના આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અંગત સચિવ ડો.અજયકુમાર શુક્રવારે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે કમશિનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મહત્વના ચાલતા પ્રોજેકટો અંગેની માહિતી મેળવી હતી. તેમજ હાલ વહીવટી શાસન હોવાથી લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા પણ અધિકારીઓને સુચના આપી હતી. આ દરમિયાન પુર્વ મેયર વિનોદ ખીમસુર્યા, પુર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પુર્વ સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

કાર્યવાહી:મિલકતવેરાની રીકવરી ટીમે વધુ બે મિલકતોને સીલ કરી

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી મિલકતો સીલ કરવાની કડક ઝુંબેશમાં શુક્રવારે વધુ બે મિલકતો સીલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50 જેટલી મિલકતો છેલ્લા મહિનાઓમાં સીલ કરવામાં આવી છે. આ તંત્રની આ કામગીરીથી વેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો ફેબ્રુઆરી માસમાં વેરો ન ભરનાર 1792 જેટલા આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ કરાઈ હતી. મહાનગરપાલિકાના મિલકતવેરા શાખાની રીકવરી ટીમ દ્વારા બાકીદારો પાસેથી મિલકતવેરોની વસુલાત માટે આકરી કામગીરી કરવામાં આવી રહી છે, અને નોટિસ ઉપરાંત મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રીકવરી ટીમના ટેક્સ ઓફીસર હસમુખ પાંડેર તેમજ વારસુરભાઈ, અભિજીતસિંહ જાડેજા, શક્તસિંહ ગોહિલ સહિતની ટીમે બાકીદારો પાસેથી મિલકતવેરાની કડક ઉઘરાણી કરી હતી અને દરેડના ઉઘોગનગર વિસ્તારમાં રૂ. 3,75,512ની બાકી વેરામાં મહાકાલી બ્રાસ તેમજ રૂ. 1,54,623ની બાકી વેરામાં ફેસ-2નો એક પ્લોટ સીલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

વીજ તંત્ર દ્વારા સર્વે:જામનગર-દેવભૂમિમાં તોફાની પવનથી વીજતંત્રને રૂા. 93.71 લાખનું નુકસાન

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારે લગભગ 40થી50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ.તોફાની પવન સાથે કમૌસમી વરસાદથી મોટા ભાગના સ્થળોએ વીજ પુવરઠો ખોરવાય ગયો હતો.જોકે, અમુક સ્થળોએ કલાકોમાં જ વીજળી પુર્વવત થવા પામી હતી.જયારે જિલ્લાના ગ્રામ્ય સહિતના પંથકમાં વીજ તંત્ર દ્વારા સર્વે સાથે વીજ પુરવઠો પુર્વવત કરવાની કામગીરી ક્રમશ: શરૂ કરી હતી જે સંભવત ચારેક દિવસ સુધી ચાલી હતી.વીજતંત્રના જણાવ્યાનુસાર તોફાની પવન સાથે કમૌસમી વરસાદના કારણે જામનગર વીજ વર્તુળ કચેરીના જામનગર અને દેવભૂમિ જિલ્લામાં 93.71 લાખનુ નુકશાન થયુ હતુ. રાઉન્ડ ધ કલોક કામગીરી સાથે અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત થયાનુ પણ ઉમેર્યુ હતુ. જામનગર જિલ્લાના 449 ગામો પૈકી 339 ગામો મીની વાવાઝોડાથી અસરગ્રસ્ત બન્યા હતા જેમાં કુલ 810 પૈકી 581 ફીડર, એચટી અને એલટી થાંભલા મળી 668 થાંભલા, જુદા જુદા 27 ટ્રાન્સફોર્મર વગેરે ક્ષતિગ્રસ્ત થયા હતા.જેના કારણે જિલ્લામાં કુલ 86.93 લાખનો ખર્ચ(નુકશાન) થયુ હતુ.જે તે સમયથી વીજતંત્ર દ્વારા શરૂ કરાયેલી રાઉન્ડ ઘ કલોક કામગીરીના કારણે તમામ સ્થળો પર અગાઉ જ વીજ પુરવઠો ક્રમશ: પુર્વવત પણ કરી દેવાયો હતો.જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કુલ 255 ગામો પૈકી 113 ગામોમાં જે તે સમયે વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.જે પણ ક્રમશ: પુર્વવત કરી દેવાયો હતો.જેમાં કુલ 318 પૈકી 138 ફીડર ઉપરાંત એચટી અને એલટી મળી 54 વીજ પોલ, જુદા જુદા 03 ટ્રાન્સફોર્મર સહિતને નુકશાન થયુ હતુ. 10 તાલુકા પૈકી સૌથી વધુ જામનગર અસરગ્રસ્ત,બીજા ક્રમે કાલાવડ તોફાની પવન સાથે કમૌસમી વરસાદના કારણે વીજ વર્તુળ કચેરી હેઠળના જામનગર તાલુકામાં સૌથી વધુ 119 ગામો જે તે સમયે અસરગ્રસ્ત બન્યા હતા.જેમાં 284 યછઠર, 329 વીજપોલ અને 11 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ.જયારે બીજા ક્રમે કાલાવડના 96 ગામોના 139 ફીડર, 71 વીજથાંભલા અને ચાર ફીડરને નુકશાન થયુ હતુ.દેવભૂમિના ખંભાળિયામાં સૌથી વધુ 62 ગામો પણ અસરગ્રસ્ત થયા હતા જેમાં 78 ફીડર, 43 થાંભલા અને એક ટીસીને નુકશાન થયાનુ સામે આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

સામાજિક પહેલ:જામનગરમાં દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે રીહેબિલિટેશન સેન્ટર શરૂ કરવા માંગણી

જામનગર શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી દેશી-વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે, તેમ છતા દારૂ બંધી અટકતી નથી. જેથી આવા દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે આયુર્વેદિક હોસ્પિટલની મદદ મેળવીને રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે, તેવી પુર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમજ સ્થાનિક વિસ્તારની મહિલાઓએ એસપી કચેરીએ લેખિત રજુઆત કરી છે. દારૂબંધીની અમલવારી ઉપરાંત દારૂના વ્યસનનો ભોગ બનેલા અને આલ્કોહોલીક દર્દદીની વ્યાખ્યામાં આવતા લોકો માટે જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ યોજના હેઠળ દેશની ટોચની એવી જામનગરની આયુર્વેદિક હોસ્પિટલના તંત્ર સાથે એમ.ઓ.યુ. જેવી કોઈ વ્યવસ્થા કરીને તજજ્ઞ ડોકટરો, વૈદ્યોની દેખરેખ હેઠળનું મનોવૈજ્ઞાનિક સપોર્ટ સાથેનું એક રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે તો ઘણા બધા પરિવારોને રાહત મળે એમ છે. જામનગરમાં ઘણા પરિવારો એવા છે કે, જે દેશી-વિદેશી દારૂનું સેવન કરે છે, અને દારૂની લતે ચડી ગયા છે. દેશી દારૂમાં તો કેમીકલ તેમજ ઈન્જેકશનથી બનાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. નશો કર્યા બાદ પરીવારોમાં પણ ઝગડાઓ થતા હોય છે. જેથી આવા ગૃહકલેશથી લોકોને શાંતિ મળે, તેમજ દારૂની લત છુટે તે માટે દારૂનું વ્યસન છોડાવવા માટેનું સેન્ટર શરૂ કરાવવાની માંગણી સાથે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તેમજ જામનગર એસપી ડો.રવિ મોહન સૈનીને લેખિત રજુઆત કરવામાં આવી છે.જેથી દારૂ પીધેલી હાલતમાં પકડાય તેવા શખસોને આવા સેન્ટરમાં મોકલીને દારૂની લત છોડાવવામાં આવે, જેથી દારૂના ધંધાર્થીઓ પણ ઘટી જવાની સંભાવના વ્યકત કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

આત્મવિલોપન કરવાનો પ્રયાસ:વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતીએ કેરોસીન છાંટી આગ લગાવી

વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઈકાલે સવારે 9 વાગ્યાના સમય દરમિયાન વડીયામાં રહેતા મીલનબેન રવીભાઈ રાવરાણી (ઉ.વ.31) પોતાના ઘરે હતી. તે સમયે તેમના બે બાળકો નાસ્તા બાબતે તોફાન કરતા હોવાથી મીલનબેન તેમને ખીજાઈ રહી હતી. આ દરમિયાન મીલનબેનના મોટા સસરા રાજુભાઈએ તેમના સાસુને કહ્યું હતું. કે આ છોકરાઓને ખીજાઈ છે તો તેને માવતરે મૂકી આવો આ વાતથી મીલનબેનને લાગી આવતા ઘરમાં પડેલું કેરોસીનનું ડબલું લઈને તેમણે પોતાના શરીર પર છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. જેના પરિણામે તેગંભીર રીતે દાઝી ગયા હતા.ઘટના બાદ જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ભાસ્કર વિશેષ:અમરેલી ખાતે 5 કિમીની સાઇકલોથોન યોજાઈ

રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા તેમજ Mission LiFE અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અંતર્ગત સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે સવારે 6 કલાકે સરદાર પટેલ સંકુલ ચિત્તલ રોડ અમરેલી ખાતેથી 5 કિલોમીટરની સાઇકલોથોન યોજાઈ હતી. આ સાઇકલોથોનમાં અમરેલી શહેરના લોકો, એનજીઓના પ્રતિનિધિઓ, DLSS ના ખેલાડીઓ તેમજ વિવિધ ક્ષેત્રના કોચ, ટ્રેનર સહિત 200 લોકોએ ભાગ લઇ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સાઇકલ જેવી પર્યાવરણમૈત્રી પરિવહન પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

હાશકારો:પેટ્રોલ-ડીઝલ સરળતાથી ઉપલબ્ધ થતા પંપો પર સ્થિતિ સામાન્ય રહી

પ્રેટોલ-ડીઝલના પેનીક વચ્ચે લોકોમાં ભાવ વધારો કરશેે તેવું લાગ રહ્યું હતું પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલમાં પ્રતિ લિટર 10 એક્સાઇઝ ડ્યુટી ઘડાટી 3 કરી અને ડીઝલમાં પણ 10 એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા શૂન્ય થતા ભાવ વધારો નહીં થવાન આશા બંધાઇ છે. ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ સરળતાથી ઉપલબ્ધ થતા પેટ્રોલ પંપો પરથી લાઈન ગાયબ થઈ હતી. બે દિવસ સુધી પેનિકના કારણે વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી. પરંતુ અત્યારે લાઈનો ગાયબ થઈ હતી. ઈરાન અને ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણ પર અસર સર્જવાની અફવાના કારણે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર પેટ્રોલ પંપો પર લાઈનો લાગી હતી. લોકો પેટ્રોલ અને ડિઝલનો જથ્થો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. અમરેલીમાં બે દિવસ પૂર્વે પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડિઝલ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. આ ઉપરાંત અઠવાડિયા પહેલા પણ આવી જ સ્થિતિ હતી. અમરેલીમાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ રહેતા પંપો પરથી લાઈનો ગાયબ થઈ હતી. બે દિવસ પૂર્વે લોકોમાં પેનીકના કારણે પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો લાગી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

વાતાવરણ:અમરેલીમાં ગરમીનો પારો 38.5 ડિગ્રીએ !

અમરેલીમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ 21.2 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે. સાથે હવામા ભેજનું પ્રમાણ વધારે રહેતા ઉકળાટ વધુ રહ્યો હતો. અમરેલીમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું હતું. જેના કારણે ગરમી સાથે ઉકળાટનો અનુભવ પણ થયો હતો. પવનની ગતિ પ્રતિ કલાક 5.8 કિલોમીટર નોંધાઈ હતી. અમરેલીમાં ગઈકાલની સરખામણીમાં આજે પવનની ગિતમાં વધારો થયો હતો. બપોરના સમયે શહેરની મુખ્ય રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી હતી. ગઈકાલની સરખામણીમાં અમરેલીમાં આજે હવામા ભેજનું પ્રમાણ 9 ટકાનો વધારો થયો હતો. અસહ્ય ગરમીથી લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અમરેલી શહેરમાં આજે મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી નોંધાતા આકરો તાપ પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

અકસ્માત:સેમરડી નજીક પુલના ચાલુ કામમાં યોગ્ય સાઈન બોર્ડના અભાવે બાઈકચાલકનું મોત

ધારી તાલુકાના દલખાણીયા ગામના બે યુવાનો ગઈરાતે મોટરસાઈકલ લઈ સેમરડી ગામ નજીકથી પસાર થતા હતા. ત્યારે અહીં જુનો પુલ તોડી અહીં નવો પુલ બનાવવાનું કામ ચાલુ હોય અને યોગ્ય સાઈન બોર્ડ ન હોય તેનું બાઈક સીધું જ ખાડામાં ખાબક્યું હતું. આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવકને ઈજા પહોંચી હતી. તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતની આ ઘટના ધારી તાલુકાના દલખાણીયા અને સેમરડી ગામ વચ્ચે કલુઘુનાના પુલ પાસે બની હતી. અહીં જુનો પુલ તોડી નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. તેના માટે યોગ્ય ડાઈવર્ઝન પણ કઢાયું નથી. એટલું જ નહી રસ્તા પર આવતા વાહનો માટે સાવચેતી દર્શાવતા યોગ્ય સાઈન બોર્ડ પણ લગાવાયા નથી. દલખાણીયાના જાન મહમદભાઈ દાદુભાઈ બ્લોચ અને હુસેનભાઈ જહાગીરભાઈ બ્લોચ નામના યુવાનો રાત્રે પોતાનું મોટર સાયકલ નંબર જી.જે.14.બી.એફ-7108 લઈ અહીંથી પસાર થતા હતા. ત્યારે તેમનો મોટર સાયકલ બની રહેલા પુલના ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં જાનમહમદભાઈ બ્લોચનું ગંભીર ઈજાના પરિણામે ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ચલાવનાર હુસેનભાઈ જહાગીરભાઈ બ્લોચને ગંભીર ઈજા પહોંચી હતી. ધારી પોલીસે આ બારામાં બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. અમરેલી જિલ્લામાં વિકાસના કામો દરમિયાન આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોવા છતાં જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાઈ રહ્યા નથી. બંને યુવાન શાકભાજી લઈ પરત આવતા હતા દલખાણીયાના આ બંને યુવાનો સાંજના સમયે શાકભાજીની ખરીદી માટે ધારી ગયા હતા અને શાકભાજી લઈને પરત આવતા હતા. ત્યારે આ ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ભાસ્કર વિશેષ:અમરેલીમાં વેફરના બટાકાની માંગ વધતા ભાવ રૂા. 25ના કિલો

અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પરંપરાગત રીતે બટાટાની વેફર બનાવવાની પ્રવૃત્તિ ફરી તેજ બની છે. શહેરથી લઈને ગામડાઓ સુધી મહિલાઓ દ્વારા ઘરઆંગણે બટાકાની વેફર બનાવવાનું કામ મોટા પાયે શરૂ થયું છે. પરિવાર માટે વર્ષભર ઉપયોગ માટે તેમજ કેટલાક પરિવારો દ્વારા વેચાણ માટે પણ વેફર બનાવવામાં આવી રહી છે. અમરેલી શહેર તેમજ ગ્રામ્યમાં પરંપરાગત બટાટાની વેફર બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, આ વધતી પ્રવૃત્તિને કારણે બજારમાં બટાકાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બટાકાના ભાવમાં સ્પષ્ટ વધારો નોંધાયો છે. વેફર માટે વધતી માંગના કારણે બટાકાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા રૂપિયા 15 પ્રતિ કિલો મળતા બટાકા હવે રૂપિયા 25 થી 30 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. મધ્યમ ગુણવત્તાના બટાકા રૂપિયા 25 આસપાસ મળી રહ્યા છે. જ્યારે સારી ગુણવત્તાવાળા મોટા બટાકા રૂપિયા 30 સુધી પહોંચી ગયા છે. શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ વધુ પ્રમાણમાં વેફર બનાવે છે. ઘણી મહિલાઓ મોટી માત્રામાં વેફર બનાવી આખા વર્ષ માટે સંગ્રહ કરે છે. કેટલાક પરિવારો માટે આ ઘરઆધારિત આવકનું સાધન પણ બની રહ્યું છે. ત્યારે વેફર્સ બનાવવાની પ્રક્રિયામાં પરિવારના અન્ય સભ્યો પણ સહભાગી બને છે, જેના કારણે આ કામ એક સામૂહિક પ્રવૃત્તિ બની જાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશ વધુ મળતો હોવાથી વેફર્સ ઝડપથી સુકાઈ જાય છે ભેજ ઓછો હોવાથી વેફર્સ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. ઘરઆંગણે સરળતાથી મોટી માત્રામાં તૈયાર કરી શકાય છે .આખા વર્ષ માટે નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે. વેફર્સ માટે મોટા કદના અને ગુણવત્તાવાળા બટાકાની માંગ વધુ તેઓ છેલ્લા છ વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ઉનાળામાં વેફર્સ માટે ખાસ કરીને મોટા કદના અને ગુણવત્તાવાળા બટાકાની માંગ વધી જાય છે. માંગ વધતા ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે.> જશુભાઈ, સ્થાનિકશાકભાજી વેપારી

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ગણતરીના દિવસોમાં અપહરણનો ભેદ ઉકેલાયો‎:જૂના ઘાંટાનો શખ્સ સગીરાને ભગાડી પંચમહાલમાં છુપાયો

નાંદોદ તાલુકાના જુના ઘાંટા ગામનો એક યુવાન નજીકના ગામની સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પંચમહાલના એક ફાર્મહાઉસમાંથી બંનેને હસ્તગત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જુના ઘાંટા ગામના ઉપલા ફળિયામાં રહેતો કેતન લાલસીંગ વસાવા સગીરાને તેના વાલીના કબજામાંથી ભગાડી ગયો હતો. નર્મદા એસપીની સૂચના અને ડીવાયએસપી આર.બી. દેવધાના સુપરવિઝનમાં આમલેથા પીઆઈ એન.આર. ગોહેલ તથા સ્ટાફે શોધખોળ આદરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકેશન ટ્રેસિંગના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી સગીરાને પંચમહાલ જિલ્લાના કુબેરપુરા ગામે એક ફાર્મહાઉસમાં સંતાડીને રાખવામાં આવી છે. પોલીસે ત્યાં ત્રાટકીને બંનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ગણોત ધારાના કેસમાં જગતનો તાત આખરે જીત્યો:તિલકવાડા તાલુકાના 600 ખેડૂતો‎ 200 એકર જમીનના માલિક બન્યા‎

તિલકવાડા તાલુકામાં ગણોતધારા હેઠળ ચાલતા કેસમાં આખરે ખેડૂતોનો વિજય થયો છે.કોર્ટના આદેશ બાદ 600 જેટલા ખેડૂતોને તેમની જમીન પ્રાપ્ત થશે. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 600 જેટલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્ષ 1960થી ચાલતા ગણોત ધારા હેઠળના જમીન વિવાદમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવતા તેઓ 200 એકર જમીનના કાયદેસરના માલિક બન્યા છે. આ સફળતા બદલ ખેડૂતોએ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ગંભીર પ્રશ્ન અંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. 1960થી કોર્ટ કેસ હતો‎આ ઘટનાની વિગત એવી છે કે, તિલકવાડા તાલુકાના ખેડૂતો છેલ્લા ઘણા દાયકાઓથી જે જમીન ખેડી રહ્યા હતા, તેની માલિકી બાબતે 1960થી કોર્ટમાં કેસ ચાલતો હતો. આ જમીન પરથી ખેડૂતોને બેદખલ થવાની નોબત આવી હતી, જેના કારણે 600 જેટલા પરિવારોની રોજીરોટી પર સંકટ ઊભું થયું હતું.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

અભયમની સુંદર કામગીરી:સાગબારામાં વિધવા પુત્રવધૂને વ્યસની સસરાનો ત્રાસ‎, 181 અભયમે સમાધાન કરાવ્યું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એક વિધવા મહિલાએ સસરાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી છુટકારો મેળવવા 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. નશાની હાલતમાં સસરા દ્વારા અવારનવાર કરવામાં આવતા ઝઘડા અને તોડફોડના મામલે અભયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી મહિલાને ન્યાય અપાવ્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ, તેના પતિના અવસાનને નવ મહિના વીતી ગયા છે. તેને બે દીકરીઓ આશ્રમશાળામાં ભણે છે અને 12 વર્ષનો દીકરો તેની સાથે રહે છે. મહિલા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાસુ-સસરા અલગ રહેતા હોવા છતાં, પતિના મૃત્યુ બાદ સસરા વારંવાર ઘરે આવી ઝઘડો કરી તેને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતા હતા. ઘટનાના દિવસે મહિલા ઘરે પરત ફરી ત્યારે સસરાએ નશાની હાલતમાં આવી અપશબ્દો બોલી ટીવી, ખુરશી સહિતના સામાનની તોડફોડ કરી હતી. બીજા દિવસે પણ સસરા મારવા માટે શોધતા હોવાથી ભયભીત મહિલાએ અન્યના ઘરે આશરો લેવો પડ્યો હતો. અંતે કંટાળીને મહિલાએ 181ની મદદ માંગી હતી.રાજપીપળા સ્થિત 181 અભયમ ટીમે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું હતું. સસરાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. અભયમ ટીમે કાનૂની જોગવાઈઓની સમજ આપતા સસરાએ ભવિષ્યમાં હેરાનગતિ ન કરવાની લેખિત બાહેંધરી આપી હતી. આમ, અભયમના હસ્તક્ષેપથી વિધવા મહિલાને ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

પરિક્રમાવાસીઓમાં અરાજકતાનો માહોલ:ઉત્તરવાહીની પરિક્રમા માટે ઓનલાઇન‎ નોંધણીથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મૂકાયા‎

નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન ગત શનિવાર અને રવિવારના રોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. ભીડને કાબુમાં રાખવા માટે તંત્રએ રજાના દિવસો સિવાય અને ઓનલાઇન નોંધણી કરાવ્યાં બાદ જ પરિક્રમા કરવા માટે તાકીદ કરી છે પણ ઓનલાઇન નોંધણીની કાર્યવાહીના કારણે પરિક્રમાવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. નર્મદા પરિક્રમા જેવી પરંપરાગત યાત્રામાં ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવી એટલે ગરીબ, અભણ અને ગ્રામ્ય વિસ્તારના પરિક્રમાર્થીઓ માટે એક નવી સમસ્યા ઊભી કરવી સમાન છે.વર્ષોથી ચાલતી આ પરિક્રમામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા આવીને માતા નર્મદાની પરિક્રમા પૂર્ણ કરે છે. તેમાં અનેક વૃદ્ધો, ગરીબ પરિવારો, સાધુ-સંતો તેમજ અભણ વ્યક્તિઓ પણ જોડાય છે. પરંતુ હાલની ઓનલાઈનનોંધણી પ્રણાલી એ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. અભણ અને ગરીબ પરિક્રમાર્થીઓ માટે નોંધણી કરવી અશક્ય બની છે.પરિક્રમા કરવા આવતા ઘણા લોકો પાસે સ્માર્ટફોન નથી, ઘણા લોકો પાસે ઈન્ટરનેટ નથી, તો ઘણા લોકો ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજી શકતા નથી. પરિણામે અનેક પરિક્રમાર્થીઓને રસ્તામાં અટકાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે અને ઘણી વખત તેમને પરિક્રમા ચાલુ રાખવામાં પણ અડચણ પડે છે.પ્રક્રિયા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેમજ પરિક્રમાને વ્યવસ્થિત બનાવવાને બદલે તેને વધુ ગૂંચવણભરી બનાવી રહી છે.કુંભમેળામાં કરોડો લોકોએ સ્નાન કર્યું પરંતુ નોંધણી ફરજિયાત ન હતી. લોકોમાં ચર્ચા છે કે જ્યારે કુંભમેળા જેવા વિશાળ ધાર્મિક મેળામાં કરોડોની સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યારે ત્યાં પણ કોઈ નોંધણી ફરજિયાત રાખવામાં આવતી નથી.પરંતુ નર્મદા પરિક્રમા જે એક શાંતિપૂર્ણ, શ્રદ્ધાભરી અને પરંપરાગત યાત્રા છે, તેમાં આવી ફરજિયાત નોંધણી લાદવી એ અનુચિત નિર્ણય સાબિત થઈ રહ્યો છે. હાલ પરિક્રમાના મધ્ય દિવસોમાં પરિક્રમાર્થીઓની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે. અનેક લોકો કહે છે કે તેઓ પરિક્રમા કરવા ઇચ્છે છે, પરંતુ ઓનલાઇન નોંધણીની ફરજિયાત પ્રક્રિયા, ટેકનિકલ સમસ્યાઓ અને તંત્રની કડકાઈને કારણે તેઓ પરિક્રમા શરૂ કરતાં પણ ડરે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

જૂના મોઝદા ગામે સોલાર કૃષિ પંપનું લોકાર્પણ‎:1500 ખેડૂતો હવે આત્મનિર્ભર બનશે ₹62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા PM-KUSUM યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા દેડીયાપાડા તાલુકાના જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીએ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, આ યોજનાથી આદિજાતિ વિસ્તારના ખેડૂતો હવે ડીઝલના મસમોટા ખર્ચમાંથી મુક્ત થઈ પર્યાવરણમૈત્રી ઊર્જા તરફ વળશે. નર્મદા જિલ્લામાં આ મહત્વાકાંક્ષી યોજના માટે કુલ ₹62 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેનાથી અંદાજે 1500થી વધુ ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે. મંત્રીએ ઉમેર્યું કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સરકાર ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી રહી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જ્યાં વીજ લાઈન પહોંચાડવી મુશ્કેલ છે ત્યાં આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. આ યોજનાથી ખેડૂતોને સોલાર આધારિત સિંચાઈ સુવિધા મળતાં ખેતી ખર્ચમાં ઘટાડો, પાણી બચત તથા ઉત્પાદનક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને ગ્રીડ વીજ પુરવઠા વિનાના વિસ્તારોમાં સ્ટેન્ડ-અલોન (ઓફ-ગ્રીડ) સોલાર પંપ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલ ચેક પોસ્ટના નવીનીકરણનું પણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને ‘નમો વડ વન'ની મુલાકાત પણ લીધી હતી. હવે ત્રણેય ઋતુમાં ખેતી કરી શકીશું લાભાર્થી ખેડૂત સિંગાભાઈ વસાવાએ જણાવ્યું કે, અગાઉ વીજળી અને પાણીના અભાવે અમે માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકતા હતા. હવે સોલાર પંપ મળતા અમે શિયાળા અને ઉનાળામાં પણ પાક લઈ શકીશું. સરકારના આ નિર્ણયથી અમારો પરિવાર આત્મનિર્ભર બનશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ઠગ ઝડપાયા:દમણની બેંકમાં 20 હજારની ઠગાઇ કરનારા બે ઝડપાયા

ફરિયાદી શ્રીકાંત પચિમ દીપએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ તે તેમના કોન્ટ્રાક્ટર પાસેથી ₹ 6, 800 પગાર લીધા પછી તેના રૂમમાં પાછો ફરી રહ્યો હતો. દમણના બેંક ઓફ બરોડા નજીક બે અજાણ્યા વ્યક્તિઓ તેનો સંપર્ક કર્યો હતો. તેમાંથી એકે બેંકમાં જમા કરાવવા માટે ₹ 1, 70,000 હોવાનું દાવો કર્યો અને ફરિયાદીને તેના વતી પૈસા જમા કરાવવા માટે ₹ 20 હજારનું ઈનામ આપવાની ઓફર કરી હતી. ઓફરમાં લલચાઈને ફરિયાદીએ આરોપીને ₹ 6800 આપી દીધા હતા. આરોપીએ પૈસા એક બોક્સમાં મૂક્યા તેને કપડામાં લપેટીને ફરિયાદીને આપ્યા હતા. સુરક્ષા તરીકે તેનો વિવો મોબાઇલ ફોન (15હજાર ની કિંમતનો) લીધો હતો. તેના રૂમમાં પહોંચ્યા પછી ફરિયાદીએ બોક્સ ખોલ્યું અને ચલણી નોટોને બદલે કાર્ડબોર્ડના ટુકડા મળ્યા હતા. તે તરત જ બેંકમાં પાછો દોડી ગયો પરંતુ આરોપી પહેલાથી જ ભાગી ગયો હતો. આમ તેમની પાસેથી 6,800 રોકડા અને 15,000 રૂપિયાનો મોબાઇલ ફોન છેતરીને લઇ લીધો હતો. ફરિયાદના આધારે કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. ગુના સ્થળ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતી દ્વારા બે શંકાસ્પદો વિશે માહિતી મળી હતી. આરોપીની ઓળખ આ રીતે કરવામાં આવી હતી જેમાં રાજુ સિપાહી શાહ, રહે. કેવલે રોડ, દહાણુ, મહારાષ્ટ્ર અને દત્તા રઘુનાથ ધંગર, રહે. નવી નગરી, ઉમરગાંવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ધરમપુરના 10 ગામમાં જળ સ્તર‎નીચા જતા પીયતને માઠી અસર‎

ધરમપુરના કેટલાક ગામોનો સૂકા વિસ્તાર હોવાથી હોળી પછી ઉનાળામા કુવા, બોરના જળ સ્તર નીચા જતા મુખ્યત્વે ખેડૂતોને પીયત માટે અંશતઃ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દિવ્યભાસ્કર ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ સમસ્યા ધ્યાનમાં આવી છે. ભવિષ્યમા સંભવિત વકરનારી આ સમસ્યાનો ઉપાય નદી પર જમીન ધોવાણ નહિ થાય એવા નાના ચેકડેમ, ઉદવહન સિંચાઈ સહીત મારફતે પાર નદીનું પાણી આપવાનું સ્થાનિક રાજકીય હોદ્દેદારોએ વ્યકત કર્યો હતો. ધરમપુરના બારોલીયા, કાકડકુવા, તીસ્કરી, તુંબી, ટાંકી, કુરગામ, લાકડમાળ, ભેસદરા, ફૂલવાડી તથા નાની વહિયાળના અમુક વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિને કારણે ઉનાળામાં પાણીના સ્તર થોડા નીચે જતાં રહે છે. જેને લઇ ખેતીમા પિયતની સમસ્યા થોડા અંશે ઉભી થતી હોય છે. મુખ્યત્વે ડાંગર તથા કઠોળ ખેતી સાથે સંકળાયેલા અનેક ખેડૂત કુવા, બોર પર નિર્ભર છે. ઉક્ત ગામોમાંથી પાર નદી પસાર થાય છે. ધરમપુર તાલુકામાં 100ઇંચથી વધુ વરસાદ પડે છે. છતાં ઉનાળામાં વર્તાતી પાણીની અછતની અસર ખેતી ઉપર પણ થતી હોવાનું ખેડૂતો જણાવે છે. અમારી ખેતી બોર પર નભે છે, 400 ફૂટે પાણી લાગે‎ખેતી માટે પાણીની સમસ્યા છે. જેથી આંબાવાડી, ડાંગર,શાકભાજી ખેતીમાં તકલીફ પડે છે. અમારી સહિયારી 10 એકર જમીન છે. કેરીના પાકને અસર થઇ છે. હાલે એક બોર છે. જે પૂરતો નથી. વર્ષોની આ સમસ્યા છે. પાણીની સગવડ થવી જોઈએ.અમારા ગામમાંથી પાર નદી પસાર થાય છે. બોરમાં પણ 400થી 500 ફૂટમાં પાણી લાગે છે. > કેતન મેરાઇ, ખેડૂત નાની વહિયાળ ચેકડેમ બનાવવાથી સંભવિત ફાયદા પાર નદી પર જમીન ધોવાણ નહિ થાય એ રીતે સર્વે કરી ચેકડેમ બનાવવાથી કે ખનકી/કોતરને નદીનું પાણી લાવી ઉદવહન સિંચાઇ સહીતની વિવિધ યોજના થકી રિચાર્જ કરવાથી ખેતીમાં પિયત મળવાથી ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે. જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. તેમજ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર વધવાથી વનસ્પતિ અને પર્યાવરણને સીધો ફાયદો થશે અને હજારો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે અને પશુપાલન વ્યવસાયને પણ નવું બળ મળશે. સરકાર ખેડૂત માટે ચિંતિત છે. સરકારમાં રજુઆત કરી આ દિશામાં તાકીદે યોગ્ય કરવામાં આવશે >ધનેશ ચૌધરી, પ્રમુખ વલસાડ જી. ભાજપ ST સેલ બોર પર આધાર હોય પિયતની વ્યવસ્થા જરૂરી મારી અંદાજે સાડા અગિયાર એકર જગ્યા છે. પાણીની સમસ્યા છે. વરસાદ આધારિત ખેતી કરું છું. બોર મારફતે દોઢથી બે એકરમાં પિયતની વ્યવસ્થા કરી છે. બાકીની જમીનમાં શાકભાજી સહિતની ખેતી કરી શકતો નથી. આવક વધતી નથી. પિયત માટે પાણીની વ્યવસ્થા થવી જોઈએ. >ગિરીશ રતન પટેલ, ખેડૂત નાની વહિયાળ સિંચાઇ યોજના અર્થે 1340 કરોડની જોગવાઇ ધરમપુર- કપરાડા તાલુકાના ખેડુતોને મધુબન જળાશય આધારિત સિંચાઇની યોજના અંતર્ગત રૂ 1340 કરોડની આ બજેટમાં જોગવાઈ કરી છે. એ પૈકી પ્રથમ તબક્કામાં 85 કરોડની ફાળવાયા છે. જ્યાં સિંચાઇનું પાણી મળતું નથી. એવા વિસ્તારમાં નદીઓમાં સિરીઝ ચેકડેમ, ઉદવહન સિંચાઇ યોજના બનાવી સિંચાઇ માટે સરકારે પગલાં ભર્યા છે. આવનારા દિવસોમાં આવા વિસ્તારમાં સિંચાઇ માટે પાણી મળશે. >અરવિંદ પટેલ, ધારાસભ્ય

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

નિયુક્તિ:સાંસદ ધવલ પટેલની ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે નિયુક્તિ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સહ-પ્રવક્તા અને મીડિયા ટીમના સહ-કન્વીનરશ્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલને પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સંગઠનાત્મક કુશળતા અને પ્રભાવશાળી નેતૃત્વને ધ્યાને રાખીને પાર્ટીએ આ નિમણૂક કરી છે, જેના પગલે વલસાડ અને ડાંગ જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે. નિયુક્તિ બદલ ધવલભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા મૂકાયેલા વિશ્વાસને તેઓ નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે નિભાવશે અને પાર્ટીની વિચારધારા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેશે. આ નિમણૂક બદલ વલસાડ અને ડાંગ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:હિન્દુ સેના વલસાડ અને અતુલ રૂરલના રક્તદાન કેમ્પમાં 155 બોટલ એકત્ર કરાયું

વલસાડના છરવાડા ગામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદ દિને હિન્દુ સેના અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. 'સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ'ના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેમાં કુલ 155 બોટલ રક્ત એકત્ર થયું હતું. કાર્યક્રમમાં વલસાડ ભાજપ તાલુકા પ્રમુખ તેજશભાઈ પટેલ,ભાગલ સરપંચ આનંદ પટેલ, ડુંગરી અગ્રણી આશિતભાઈ દેસાઈ સહિત આજુબાજુ ગામનાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમની કામગીરી સરાહનીય રહી હતી. આયોજકો દ્વારા દરેક રક્તદાતાને પ્રોત્સાહન રૂપે ટૂરિસ્ટ બેગ અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. વલસાડ હિન્દુ સેના ના દિવ્યેશ પટેલ,શિવ પટેલ શિવમ પટેલ અને મિત્રો મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ઐતિહાસિક દેસાઈ તળાવને લઈને વિવાદ ઉગ્ર બન્યો:ચીખલીના હરણગામમાં તળાવ ખોદકામ‎મુદ્દે તંત્ર સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ‎

ચીખલી તાલુકાના હરણગામમાં આવેલ ઐતિહાસિક દેસાઈ તળાવને લઈને વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તળાવ ઊંડું કરવાની શક્ય કાર્યવાહી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર કડક વિરોધ નોંધાવ્યો છે. જ્યારે અગાઉ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને પણ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે હવે ગામના 300થી વધુ ખેડૂતોની સહી સાથે જિલ્લા ખાણ-ખનીજ વિભાગને રજૂઆત કરી તળાવમાં કોઈપણ પ્રકારનું ખોદકામ કરવા પરવાનગી ન આપવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના કહેવા મુજબ કોઈપણ પૂર્વ સૂચના કે સંમતિ વિના તંત્ર દ્વારા આ પ્રક્રિયા આગળ ધપાવાઈ રહી છે, જે ગ્રામજનોની લાગણીને ખુલ્લી અવગણે છે. હરણગામનું દેસાઈ તળાવ આશરે 181 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને વર્ષોથી ગામના લોકો, પશુઓ અને ખેડૂતો માટે પાણીનો મુખ્ય આધાર રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ખોદકામથી તળાવની કુદરતી રચના, પાણી સંગ્રહ ક્ષમતા અને પર્યાવરણ પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ નિર્ણય પાછળ પારદર્શકતાનો અભાવ છે અને તંત્ર ગામના હિતને બાજુએ મૂકી આગળ વધી રહ્યું છે. જો આ કાર્યવાહી રોકવામાં નહીં આવે તો ગામમાં તણાવ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરી ખોદકામની મંજૂરી પ્રક્રિયા સ્થગિત રાખવાની માંગ કરી છે. હવે તંત્ર લોકોના આક્રોશને સમજશે કે ફરી એકવાર પ્રજાના અવાજને અવગણશે તે જોવું રહ્યું. વેપાર માટે તળાવ ખોદકામ સહન નહીંઅમારા ગામનું તળાવ ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ ખોદકામ માટે પરવાનગી માંગવામાં આવી રહી છે,પરંતુ આ માટી ગામના હિત માટે નહીં પરંતુ વેપાર માટે વપરાશે તેવી શંકા છે. ગામના મળતિયાઓ અને વેપારીઓને ફાયદો થાય તે માટે તળાવ ખોદવાનું કોઈપણ પ્રયાસ અમે સહન નહીં કરીએ. જે તમામે જાણી લેવું જોઇએ. > જીજ્ઞેશભાઈ આહીર, ખેડૂત આગેવાન, હરણગામ તપાસ થશે કે રાજકીય દબાણ ચાલશે તે મોટો પ્રશ્નહાલમાં તળાવ ઊંડું કરવા માટે માંગેલી પરવાનગીની અરજીની તલસ્પર્શી તપાસ થશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે. ગ્રામજનોમાં શંકા છે કે ગામ પંચાયત દ્વારા પસાર કરાયેલા ઠરાવો અને તેની પાછળના હિતોની તપાસ થશે કે પછી રાજકીય ભલામણોના આધારે ફાઈલ આગળ ધપાવાશે. એક તરફ સામાન્ય ખેડૂતોને પોતાની જમીન માટે માટી મેળવવામાં કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ મોટા પાયે માટી ખોદકામ માટે છૂટછાટ આપવામાં આવે તેવો વિરોધ ઉઠ્યો છે. જ્યારે ખાણ ખનીજ વિભાગ તલસ્પર્શી તપાસ કરાવશે ખરા?

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

અકસ્માતને નોતરું:આલીપોર બ્રિજ પાસે નેશનલ હાઇવે પર જોખમી ડાયવર્ઝનને પગલે અકસ્માતની ભીતિ

આલીપોર બ્રિજ પાસે ડાયવર્ઝનને પગલે નેશનલ હાઈવે પર જીવન જોખમે રોડ ક્રોસ કરતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીભર્યા કારભારમાં નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમાય તો નવાઈ નહીં. ચીખલીના આલીપોર પાસે વસુધારા ડેરી સ્થિત ઓવરબ્રિજ નીચે છેલ્લા ચાર-પાંચ દિવસથી પેવર બ્લોક નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોક્કસ આયોજનના અભાવે વાહન ચાલકોએ જીવન જોખમે અધવચ્ચે નેશનલ હાઇવે ક્રોસ કરી જવાની નોબત આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આલીપોર ઓવરબ્રિજ નીચે પેવર બ્લોકનું કામ ચાલુ હોવાથી માત્ર ડાયવર્ઝનનું બોર્ડ મારી વાહન ડાયવર્ટ કરાયા છે પરંતુ આ ડાયવર્ઝન આપતી વખતે સુરક્ષાના તમામ માપદંડો નેવે મૂકી દેવાયા છે. ભારે વાહનો અને ખાનગી કાર તેમજ બાઇક ચાલકો મજબૂરીવશ પોતાનું વાહન જીવના જોખમે નેશનલ હાઇવેના ચાલુ ટ્રાફિકમાં ક્રોસ કરવા મજબુર બન્યા છે. મુંબઇથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર પૂરપાટ ઝડપે આવતા વાહનો અને આ ડાયવર્ઝનમાંથી અચાનક બહાર નીકળતા વાહનો વચ્ચે માત્ર ગણતરીની સેકન્ડોનું અંતર રહેતુ હોય છે. ત્યારે કોઈ કારણોવશ બ્રેક ન મારી શકાતા કે સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા મોટો અકસ્માત સર્જાય અને કોઈ હસતો-રમતો પરિવાર વિખેરાઈ જાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે. હાઇવે તંત્ર વહેલી તકે બ્લોકનું કામ પૂર્ણ કરી ઓવરબ્રિજ નીચેનો માર્ગ પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકે તેવી માંગ હાલ ઉઠી રહી છે. રસ્તા પર ધૂળની ડમરીથી ચાલકોને ચોખ્ખુ દેખાતું નથી નેશનલ હાઈવેની સાઈડમાં મોટા પ્રમાણમાં ઝીણી ધૂળનો જમાવડાના કારણે જ્યારે પણ કોઈ મોટું ભારે વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓના કારણે પાછળ આવતા વાહન ચાલકો માટે ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાય છે. પૂરપાટ ઝડપે દોડતી કાર કે બાઈક સવારને આગળનો રસ્તો ન દેખાતા અકસ્માતનો ભય રહે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો:નવસારીમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાનો ઋણ સ્વીકાર' કાર્યક્રમ સંપન્ન

નવસારી ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઋણ સ્વીકાર કાર્યક્રમ ગૌરીશંકર મહોલ્લો, નવસારીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દિપીકાબેન ચાવડા (એડવોકેટ)એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જિલ્લા પ્રભારી રાજેન્દ્ર ચાવડાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અનુ. જાતિ. મોરચાના હોદ્દેદારો જીવનભાઈ દાફડા, અમિત સોલા, નિલેશ ચૌહાણ તેમજ ભાજપના કાર્યકરોમાં અનુ.જાતિ આગેવાન દીપકભાઈ બોરીચા, હિતેન્દ્ર દાફડા, કનુભાઈ સોંદરવા, સંજય મહિડા, મેઘજીભાઈ પરમાર, દિલીપ વણઝારા, બાબુભાઈ વિંઝુડા ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

આપઘાતનો મામલો:જલાલપોરમાં આધેડે તો બીલીમોરા અને આસણામાં 2 યુવાને જીવન ટૂંકાવ્યું

નવસારી જિલ્લામાં ત્રણ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાઓ પાછળ પ્રેમ પ્રકરણ, બીમારી અને માનસિક તણાવ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ભીખુભાઈ શાનાભાઈ નાયકા લાંબા સમયથી ફેફસામાં પાણી ભરાઈ જવાની ગંભીર બીમારીથી પીડાતા હતા. સતત સારવાર છતાં તબિયતમાં સુધારો ન થતા તેઓ માનસિક રીતે હતાશ થઈ ગયા હતા. ગત 26 માર્ચની સવારે તેમણે પોતાના ઘરે છતના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા કેસમાં બીલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 20 વર્ષીય મોહમદ સમીર કાદરીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવાન જે યુવતીને પ્રેમ કરતો હતો તે અન્ય યુવક સાથે પણ સંબંધમાં હોવાની જાણ થતા તે આઘાતમાં સરી પડ્યો હતો. 25 માર્ચની રાત્રે તેણે પોતાના રૂમમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. બીલીમોરા પોલીસે મકાન માલિકની જાણ બાદ તપાસ શરૂ કરી છે. ત્રીજા બનાવમાં આસણા ગામના 32 વર્ષીય સંજયભાઈ સુમનભાઈ હળપતિએ ગત 22 માર્ચના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાંચ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ 26 માર્ચના રોજ તેમનું મોત થયું હતું. એએસઆઈ ગોપાળભાઈ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

312 બહેનોને શાકભાજી કિટ્સનું વિતરણ‎ કરાયું:નવસારીમાં કૃષિ વૈજ્ઞાનિકોએ બહેનોને આપી થ્રી-ટાયર' પ્રાકૃતિક કિચન ગાર્ડનની સમજ

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા 62 ગામના મહિલા મંડળોના સભ્ય બહેનો માટે 300 બહેનોની વિશાળ હાજરીવાળા કિચન ગાર્ડન પરિસંવાદ અને આ હાજર રહેલા 312 બહેનોને શાકભાજીના કિટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેનેડા સ્થિત બ‌ળવંતભાઇ પટેલ તથા આટના અરવિંદભાઇ પટેલ પ્રસ્તુત આ પરિસંવાદમાં સુરતના શિક્ષણપ્રેમી મહાદાતા બળવંતભાઇ પટેલ ભીમરાડ સુરત મુખ્ય મહેમાન બન્યા હતા. સંસ્થાના પ્રમુખ અમરતભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલા આ વિશાળ બહેનોની હાજરીવાળા પરિસંવાદમાં કૃષિ યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિક ડો. અંકુર પટેલે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉછેર બાબતે માર્ગદર્શન આપી ટ્રસ્ટના ગ્રામ્ય કક્ષાએ કિચન ગાર્ડન વિકસાવવાના પ્રયત્નને બિરદાવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના પૂર્વ નિયામક ડો. રમણભાઇ પટેલે ઉપસ્થિત બહેનો તથા દાતાઓને આ‌વકારી ઘરઆંગણે કિચન ગાર્ડનની અગત્યતા સમજાવી થ્રી ટાયર પ્રાકૃતિક કિચન ગાર્ડનની ટેકનોલોજીની સમજ આપી દાતા બળવતભાઇ તથા અમરતભાઇ દ્વારા કિટસ અર્પણ કરાયા હતા. ચાલુ વર્ષની ઉઘડતી સિઝનમાં ટ્રસ્ટ દ્વારા 103 ગામોએ એક હજાર શાકભાજીના બીજના કિટસ તથા એક હજાર નાળિયેરી, એક હજાર જામ‌ફળ, સરગ‌વા, સીતાફળ તથા એક હજાર દાડમ રોપાઓનું વિતરણ કરી પદ્ધતિસર રોપાવી તેના ઉછેરની કાળજી લઇ આ 103 ગામોએ નિદર્શક 103 કૂવા રિચાર્જ કરવાનું આયોજન કરી તેની સમજ આપી હતી. દાતા અમરતભાઇએ રૂ. 50 હજારની નાળિયેરી માટેનો ચેક અર્પણ કર્યો હતો. મહિલા ફેડરેશનના પ્રમુખ રીનાબેન પટેલે આભારદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:PNGમાં રોકેટગતિ : મહિનાને બદલે હવે 3 દિવસમાં 300 જોડાણ

ઘરેલુ ગેસ સિલિન્ડરની મારામારી વચ્ચે મહેસાણા શહેરમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ની માંગમાં રોકેટગતિએ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે દર મહિને અંદાજે 300 લોકો જોડાણ મેળવતા હતા. ત્યાં 22 માર્ચ બાદ માત્ર ત્રણ દિવસમાં 300થી વધુ લોકોએ PNG ગેસ માટે અરજી કરી છે. નાગલપુર હાઇવે સ્થિત સાબરમતી ગેસ કંપનીની ઓફિસ અને સામેની એજન્સીમાં સવારે ફોર્મ જમા કરાવવા અને માહિતી મેળવવા કતાર જોવા મળી હતી. હાલ રોજ સરેરાશ 100 જેટલા લોકો નવા જોડાણ માટે આવી રહ્યા છે. કંપનીના સૂત્રો મુજબ, 31 માર્ચ સુધી નવી સ્કીમ હેઠળ પ્રથમ બિલમાં રૂ.500 સુધીની રાહત આપવામાં આવી રહી છે. જ્યાં નેટવર્ક ઉપલબ્ધ છે અને કોઈ ટેકનિકલ અડચણ નથી, ત્યાં ઝડપથી જોડાણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ખોદકામ જેવા કામોને કારણે કેટલાક કેસોમાં સમય લાગી શકે છે. સ્વાગત પ્લાઝા સ્થિત ઓફિસમાં પણ ગ્રાહકો દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવતા જોવા મળ્યા હતા. એજન્સીના પ્રતિનિધિ જયેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, 22 થી 27 માર્ચ દરમિયાન મહેસાણા શહેર તથા આસપાસના ગામોમાંથી કુલ 551 જેટલી અરજીઓ મળી છે. હવે 24 કલાકમાં શહેરમાં નવા PNG જોડાણને મંજૂરીહાલ જિલ્લાના કુલ 114 ગામોમાં સાબરમતી ગેસના 1,06,490 ઘરેલુ ગ્રાહકો છે. ઉપરાંત, 410 કોમર્શિયલ અને 204 ઔદ્યોગિક યુનિટ કાર્યરત છે. મહેસાણા તાલુકાના 35, વિજાપુરના 25, કડીના 25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોને PNG મળે છે. નવા જોડાણોની પ્રક્રિયાને ઝડપી બનાવવા ‘સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક’ હેઠળ હવે 24 કલાકમાં મંજૂરી આપવામાં આવે છે. આ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોમાં પણ વધારો કરાયોછે. ઘર સુધી PNG લાઇન આવી‎છે એટલે જોડાણ લઇ લીધું‎ સિલિન્ડરની ઉપલબ્ધતા : ઇન્ડિયન ગેસ એજન્સીના પ્રતિનિધિ મુજબ :‎સિંગલ સિલિન્ડર 21 દિવસના બદલે હવે 30 દિવસે ભરી અપાય છે.‎જ્યારે ડબલ સિલિન્ડરમાં 45 દિવસનો ગાળો. ઉજ્જવલા યોજનામાં‎હાલ 30દિવસના બદલે 45 દિવસે ભરી આપવામાં આવે છે.‎

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

'ફૂડ બિઝનેસમાં ગેસ જીવનરેખા છે, અછતે નાના વેપારીઓના સપનાઓ રોળ્યા':સુરતના હીરા કારીગરે મંદીને માત આપી, ‘રત્નકલાકાર ઘૂઘરા’ના ધંધામાં આખા પરિવારની સહિયારી લડત

કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા જ્યારે જીવનના તમામ રસ્તાઓ બંધ જણાતા હોય ત્યારે અડગ મનોબળ અને પરિવારનો સાથ માણસને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે. સુરતના હીરા ઉદ્યોગમાં 22 વર્ષ સુધી રત્નોને પાસા પાડનાર એક સામાન્ય કારીગર આજે પોતાના સંઘર્ષ અને સ્વાદથી આખા શહેરમાં રત્નકલાકાર ઘૂઘરાના નામે જાણીતો બન્યો છે. દીપકભાઈ ઘેટિયાએ મંદીના અંધકારને ચીરીને મહેનતનો નવો ઉજાસ પાથર્યો ત્યારે હવે ગેસ મળતો બંધ થયો તો હિંમત હારી આ વગર તેઓએ નવો રસ્તો શોધી કાઢ્યો અને હવે ઈલેક્ટ્રીક સગડી બનાવી તેના પર કામ ચાલુ કરશે. દીપકભાઈ ઘેટિયા એક મધ્યમવર્ગીય પરિવારના મોભી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમય સુધી તેમણે સુરતના ડાયમંડ યુનિટોમાં હીરા ઘસવાનું કામ કર્યું. એક સમયે હીરા ઉદ્યોગ ધમધમતો હતો અને દીપકભાઈ પોતાની કુશળતાથી પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવતા હતા. તેમના પરિવારમાં વૃદ્ધ માતા, પત્ની, ત્રણ દીકરીઓ અને ભત્રીજાઓ સહિતની મોટી જવાબદારી તેમના ખભા પર હતી. 2024થી વૈશ્વિક મંદી આવીને આવક બંધ થઈ ગઈવર્ષ 2024ની શરૂઆતમાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક મંદીના વાદળો ઘેરાયા. જે કારખાનાઓમાં દિવસ-રાત ઘંટીઓનો અવાજ આવતો હતો, ત્યાં સન્નાટો છવાઈ ગયો. રત્નકલાકારોના હાથમાંથી કામ છૂટવા લાગ્યું. દીપકભાઈ માટે પણ સ્થિતિ વણસી. 22 વર્ષની મહેનત પછી અચાનક રોજગાર છીનવાઈ જવો એ કોઈપણ વ્યક્તિને તોડી નાખવા માટે પૂરતું હતું. આવક બંધ થઈ ગઈ, પણ ઘરના ખર્ચ અને બાળકોના ભવિષ્યની ચિંતા વધી ગઈ. જ્યારે આર્થિક તંગી અને અનિશ્ચિતતાએ ઘેરો ઘાલ્યો, ત્યારે દીપકભાઈએ હાર માનવાને બદલે કંઈક નવું કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. તેઓએ વિચાર્યું કે, જો હીરા ચમકાવી શકું છું, તો મહેનત કરીને નસીબ કેમ ન ચમકાવી શકું? 8 જુલાઈ, 2024ના રોજ તેમણે સુરતમાં રત્નકલાકાર ઘૂઘરા અને નાસ્તા હાઉસની શરૂઆત કરી. નામમાં જ તેમની જૂની ઓળખ અને નવો ઉત્સાહ છલકાતો હતો. શરૂઆતમાં મૂડી ઓછી હતી અને અનુભવ પણ નવો હતો, પરંતુ ઈમાનદારી અને સ્વાદ પીરસવાની ભાવના પ્રબળ હતી. વ્યવસાયમાં આખા પરિવારની સહિયારી લડતદીપકભાઈની આ સફરમાં સૌથી મહત્વનું પાસું તેમનો પરિવાર રહ્યો છે. આ માત્ર દીપકભાઈનો વ્યવસાય નથી પણ આખા પરિવારની એક સહિયારી લડત છે. ઘરના વડીલના આશીર્વાદથી કામ શરૂ થયું. પત્નીએ રસોડાની જવાબદારી સંભાળી અને ઘૂઘરાના મસાલા અને સ્વાદમાં ઘર જેવી શુદ્ધતા જાળવી. દીકરીઓ અને ભત્રીજાઓ પણ અભ્યાસની સાથે-સાથે પેકિંગ અને ગ્રાહકોને સર્વ કરવામાં મદદ કરવા લાગ્યા. ગ્રાહકોની માંગ હોવા છતાં ગેસના અભાવે દીપકભાઈ લાચાર બની જતાહાલમાં તેમણે રત્નકલાકાર નાસ્તા હાઉસ, સ્વામિનારાયણ નગર વિભાગ 2, પુના બોમ્બે માર્કેટ રોડ, રેણુકા ભવન સામે શુભમ ક્લિનિક બાજુમાં નવી બ્રાન્ચ ચાલુ કર્યાને બે મહિના જ થયા છે ત્યાં જ એક નવી આફત આવી. હાલમાં કોમર્શિયલ ગેસ મળતા બંધ થયા છે, નાના વેપારીઓ માટે ગેસ સિલિન્ડર મળવા એક મોટો પડકાર બની ગયો છે. સમયસર ગેસ ન મળવાને કારણે ઘણીવાર દુકાન બંધ રાખવી પડતી હતી. ગ્રાહકોની માંગ હોવા છતાં ગેસના અભાવે દીપકભાઈ લાચાર બની જતા. ફૂડ બિઝનેસમાં ગેસ જીવનરેખા છે, જે નાના વેપારીઓના સપનાઓ રોળી નાખેઆ સમયગાળામાં તેમણે ફરીથી ઘરેથી કામ શરૂ કરવું પડ્યું. પોતાના ઘરના ગેસના બાટલા પર ઘુઘરા બનાવવાનું કામ ચાલુ કર્યું ઘરેથી જ ઘુઘરા બનાવી બાઈક પર લઈને વેપાર કરવા માટે નીકળી પડે છે તેમણે જણાવ્યું હતું કે, ગેસ માટેની દોડધામ માનસિક અને આર્થિક રીતે થકવી દે તેવી હતી. ફૂડ બિઝનેસમાં ગેસ એ જીવનરેખા સમાન છે અને તેની અછત નાના વેપારીઓના સપનાઓ રોળી નાખે છે. મુશ્કેલીઓ તો દીપકભાઈના જીવનનો હિસ્સો બની ગઈ છે. હવે ગેસની સમસ્યા વધી ત્યારે તેમણે અટકી જવાને બદલે રસ્તો કાઢ્યો. તેમણે ખાસ ઇલેક્ટ્રિક સગડી બનાવડાવી છે અને હવે આવતીકાલથી આ સગડી પર તેઓ પોતાનું કામ ચાલુ કરશે. દીપકભાઈની આ લડાઈ માત્ર તેમની વ્યક્તિગત લડાઈ નથી. સુરત અને ગુજરાતભરમાં એવા હજારો નાના વેપારીઓ છે, જેઓ ગેસની સમસ્યાથી પોતાના ધંધામાં નુકસાની બેઠી રહ્યા છે અથવા તો બંધ કરવાની નોબત આવી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:05 am

નોકરી પરથી પાછી આવતી યુવતી પર અજાણ્યા બાઈકચાલકોનો હુમલો:સોસાયટીમાં ઘૂસીને પીડિતા પર જ્વલંતશીલ પદાર્થ ફેકીને ફરાર, સારવાર માટે સિવિલ ખસેડાઈ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં બાઈક લઈને બે શખ્સ આવ્યા હતા અને યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો, જેથી યુવતી બૂમ કરવા લાગી હતી. બંને બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવતી દાઝી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:46 pm

53 વર્ષીય આધેડ સાથે સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડી:ખેડૂતને ચલણના નામે APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યા; અમદાવાદમાં સાયબર ઠગાઈના બે કિસ્સા

અમદાવાદમાં સાયબર ઠગાઈના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં સીમ સ્વેપિંગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે રામોલ વિસ્તારમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલી 14.05 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. બંને કેસમાં સાયબર ગઠિયાઓએ મોબાઈલ પર કબ્જો મેળવી બેંક એકાઉન્ટ સુધી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી છે. બંને ઘટનામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડીસાયન્સ સિટી વિસ્તારમાં સાયબર ગુનાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સીમ સ્વેપિંગની ટેકનિક દ્વારા ઠગોએ 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા 53 વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર 21 માર્ચે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમના નંબર પર નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ ખામી થઈ હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ બીજા દિવસે વોડાફોન સ્ટોરમાં તપાસ કરતા ખુલ્યું કે અજાણ્યા વ્યક્તિએ રિક્વેસ્ટ કરીને તેમનું સિમકાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ફરિયાદીએ 22 માર્ચે નવું સિમકાર્ડ મેળવી ફોન ફરી શરૂ કર્યો. પરંતુ ત્યા સુધીમાં સાયબર ઠગોએ પોતાનું કામ પૂરું કરી દીધું હતું. 23 માર્ચે જ્યારે તેઓ તેમના એકાઉન્ટન્ટ સાથે ઓફિસમાં બેંક એકાઉન્ટની ઓનલાઇન વિગતો ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને ઝટકો લાગ્યો હતો. તેમના ખાતામાંથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરીને કુલ 1.07 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીમ સ્વેપિંગ દ્વારા ઠગોએ તેમના મોબાઈલ નંબરનો કબ્જો મેળવી નેટ બેંકિંગનો એક્સેસ મેળવી લીધો હતો. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યાસાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલીને ઠગ ટોળકીએ 14.05 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. રામોલ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ખેડૂત પોતાના ઘરે હતા, ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાફિક ચલાણ બાકી હોવાનું જણાવી આજે છેલ્લી તારીખ છે કહીને એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. મેસેજથી ગભરાઈને ફરિયાદીએ ફાઈલ ઓપન કરતા જ તેમની સાથે સાયબર ઠગાઈનો ખેલ શરૂ થયો હતો. એપીકે ફાઈલ ખોલતા જ ઠગોએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો અને બેંક એકાઉન્ટની માહિતી સુધી પહોંચી ગયા હતા. બાદમાં અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ 14.05 લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ વોટ્સએપ એકાઉન્ટનો પણ કબ્જો મેળવી લીધો હતો. ટ્રાફિક પોલીસના લોગો સાથે ચાર અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી તેમના સગાસંબંધીઓને પણ આ જ પ્રકારની એપીકે ફાઈલ મોકલીને વધુ લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બાદ છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:45 pm

સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણસીણાના કટારીયામાંથી ₹2.16 લાખની 24 પ્લેટ સાથે 3 ઝડપાયા

સુરેન્દ્રનગર LCBએ પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામની સીમમાં થયેલ સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹2,16,000ની કિંમતની 24 સોલાર પ્લેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા આદેશ કર્યો હતો. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાએ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, ટીમે કટારીયા ગામની સીમમાંથી ચોરી કરેલી 24 EMMVEE કંપનીની સોલાર પ્લેટો કબજે કરી, જેની કિંમત ₹2,16,000 છે. આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં સહદેવભાઈ ઉર્ફે ભુરો દીલીપભાઈ પરનાળીયા, દેવરાજભાઈ ઉર્ફે બહાદુરભાઈ ધનજીભાઈ પરનાળીયા અને કિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ પ્રભાતભાઈ બારડનો સમાવેશ થાય છે. આ ત્રણેય કટારીયા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગરના રહેવાસી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે પાણસીણા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમા અને સ્ટાફના પ્રવિણભાઈ કોલા, ભરતભાઈ સભાડ, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઈ મકવાણા અને અનિરુધ્ધસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:26 pm

જિલ્લા વિકાસ અધિકારીનું આકરું વલણ:બે મહિના પૂર્વે જુગાર રમતા ઝડપાયેલા વલાદ ગામના ઉપસરપંચ હોદ્દા પરથી સસ્પેન્ડ, પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી

ગાંધીનગર તાલુકાના વલાદ ગામે બે મહિના પૂર્વે પડેલી પોલીસ રેડના મામલે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમતા ઝડપાયા બાદ તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. લોકશાહીમાં ગામના વિકાસની જવાબદારી જેમના શિરે હોય તેવા જવાબદાર વ્યક્તિ જ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાતા પંચાયત આલમમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર LCB પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતીગાંધીનગરના વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમવું રમવું ભારે પડી ગયું છે. બે મહિના પહેલા ગાંધીનગર LCB પોલીસ દ્વારા વલાદ ગામના પેટાપરા ગણાતા ગોળવંટા વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વલાદ ગામના 25 વર્ષીય ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોર સહિત કુલ 10 શખસો જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ તમામ રીઢા જુગારીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગામના પ્રતિષ્ઠિત હોદ્દા પર હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીને ગંભીરતાથી લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યોગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) મુજબ જો કોઈ સરપંચ કે ઉપસરપંચ સામે નૈતિક અધપતનવાળા ગુનામાં ફોજદારી કાર્યવાહી થઈ હોય અથવા ઇન્સાફી કાર્યવાહી દરમિયાન અટકાયત કરવામાં આવી હોય તો તેમને હોદ્દા પરથી મૌકૂફ કરી શકાય છે. આ જોગવાઈને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલે તાત્કાલિક અસરથી ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપસરપંચ જેવા જવાબદાર હોદ્દા પર રહીને ગામમાં સુધારા લાવવા અને લોકકલ્યાણના કાર્યો કરવાની જગ્યાએ લોક પ્રતિનિધિ પોતે જ જુગારની બાજી માંડીને બેઠા હતા. આ પ્રકારનું વર્તન પદની ગરિમાને કલંકિત કરનારું હોવાથી આ શિસ્તભંગના પગલાં લેવા અનિવાર્ય બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:24 pm

વાપીમાં રામનવમીની શોભાયાત્રા, યોગી જેવા દેખાતા સાધુ આકર્ષણનું કેન્દ્ર:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો રામભક્તો જોડાયા

વાપીમાં રામનવમીના પાવન પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. આ વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો દેખાવ ધરાવતા સાધુ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઠેર-ઠેર પુષ્પવર્ષા દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ કેસરીયા સાફા અને ધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા પોલીસે માહિતી આપી હતી કે વાપીમાં કુલ બે મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે માત્ર પોલીસ તંત્ર જ નહીં, પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓએ સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય તે માટે સહકાર આપ્યો હતો. નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી આયોજન સફળ રહ્યું છે. શોભાયાત્રામાં દિલ્હીથી પધારેલા યોગી વિજેન્દ્રનાથજી મહારાજ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેમનો પહેરવેશ અને દેખાવ આબેહૂબ યોગી આદિત્યનાથ જેવો હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી લેવા ઉત્સુક હતા. તેમણે જણાવ્યું હતું કે, યોગીજી માત્ર યુપીના જ નહીં પણ પૂરા દેશના આઈકોન છે. આજે વાપીમાં જે જનસેલાબ ઉમટ્યો છે તે જોઈને રામભક્તિની શક્તિનો અહેસાસ થાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા સમગ્ર રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:09 pm

વેરાવળમાં ગેસ લાઈનમાં ભંગાણ:નગરપાલિકાના ખોદકામ દરમિયાન ઘટના, રહેવાસીઓમાં અફરાતફરી

વેરાવળના વોર્ડ નંબર 1 માં આવેલી હરસિદ્ધિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટના વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. નગરપાલિકાના કર્મચારીઓ નળની લાઈન માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભમાં રહેલી ગેસ લાઈનને નુકસાન થયું હતું. જેના કારણે ગેસ લીકેજ થવા માંડ્યું હતું અને આસપાસના રહેવાસીઓમાં ભય તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક સમજદારી દાખવી હતી અને લીકેજ થયેલી ગેસ લાઈનને બંધ કરવા માટે સંબંધિત તંત્રને જાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:08 pm

ચંદ્રુમાણા ગામે રામનવમી નિમિત્તે યજ્ઞ યોજાયો:જામબાઈ મૈયા મંદિરે સર્વજ્ઞાતિ માટે ભોજન પ્રસાદનું આયોજન

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલા આઈ જામબાઈ મૈયા શક્તિપીઠ અને જોગણી માતાના મંદિરે રામનવમી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શુક્રવારે દેસાઈ ગોવિંદભાઈ વરવાભાઈના યજમાનપદે સંપન્ન થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગોવિંદભાઈ દેસાઈ અને તેમના પુત્ર રામેશ્વર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યજ્ઞમાં આહુતિ આપી આરતી ઉતારી હતી. વિદ્વાન પંડિતો ભરતભાઈ દવે અને આશિષભાઈ મહેતા (સેવાળા) દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે દેસાઈ પરિવારો સહિત બ્રાહ્મણ, પટેલ અને અન્ય તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ડેલિકેટ પ્રમોદભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, પૂર્વ સરપંચ શૈલેષભાઈ દેસાઈ અને વિષ્ણુભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે આ મંદિરમાં વર્ષમાં બે વખત, દશેરા અને રામનવમીના પવિત્ર દિવસે, યજ્ઞનું આયોજન કરવાની પરંપરા છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:45 pm

નવસારી-અમલસાડ રોડ પર બસ-મોપેડ અકસ્માત:એક યુવાનનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

નવસારી-અમલસાડ રોડ પર આજે એક માર્ગ અકસ્માત થયો હતો. અમલસાડથી નવસારી જતી એસટી બસ અને સામેથી આવતા મોપેડ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની બસ સાથે મોપેડ પર સવાર બે યુવાનો અથડાયા હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર ધવલ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મોપેડ પર સવાર અન્ય યુવાન પ્રીત રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એસટી બસના ચાલકની પૂછપરછ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:18 pm

દીકરાને ઘરવિહોણો કરવાની પિતાની જીદ્દ સામે કોર્ટની લાલ આંખ:મૃતક પત્નીના નામે ઘર હોવાનું જાણતા જ પિતાની દાનત બગડી, પુત્ર-પુત્રવધૂને કાઢવા અરજી કરતા કોર્ટે ઝાટક્યા

પત્નીના અવસાન બાદ એક સિનિયર સિટિઝન પિતા દ્વારા પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કરેલી ભરણપોષણ તેમજ ઘર ખાલી કરાવવાની અરજી મેન્ટેનન્સ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, પિતા પાસે પૂરતી મિલકત અને રકમ હોવા છતાં પુત્ર પાસે ખોટી રીતે ભરણપોષણની માંગ કરવામાં આવી રહી છે. પત્નીના નામે ઘર હોવાનું જાણતા જ પુત્રને કાઢવા મથ્યાપત્નીના અવસાન બાદ પિતાએ વડીલોપાર્જિત ઘર છોડીને દીકરીના ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, પાછળથી પિતાને જાણ થઈ કે જે ઘરમાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી રહે છે તે ઘર વાસ્તવમાં પત્નીના નામે જ હતું. આ મિલકત પત્નીની હોવાનું માલૂમ પડતા પિતાએ તે ઘરનો કબજો મેળવવા અને પુત્રના પરિવારને ત્યાંથી બહાર કાઢવા કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું હતું. 12 લાખની ફિક્સ ડિપોઝિટ પિતા અને દીકરીએ વાપરી નાખીપુત્ર અને પુત્રવધૂ તરફે એડવોકેટ શિવાની ચ્હાવાળાએ ધારદાર દલીલો કરી હતી કે, માતાના નામે 12 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) હતી. આ રકમમાં પુત્રનો હિસ્સો હોવા છતાં પિતા અને દીકરીએ તે રકમ વાપરી નાખી હતી. આમ, આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પિતાએ પુત્ર પાસે 10 હજાર રૂપિયાના માસિક ભરણપોષણની માંગણી કરી હતી, જે તદ્દન ગેરવાજબી હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. ટ્રિબ્યુનલે અરજી નકારતા શું નોંધ્યું?ટ્રિબ્યુનલે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પિતાને અગાઉથી જ 65 હજાર રૂપિયા જેટલું ભરણપોષણ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ભરણપોષણનો કેસ ઓલરેડી ચુકાદા પર હોય, ત્યારે સંબંધિત કોર્ટના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય જણાતો નથી. આ ઉપરાંત પિતા દીકરી સાથે રહેતા હોવાથી અને તેમની પાસે અન્ય આવકના સ્ત્રોત હોવાથી તેમની માંગણીઓ નકારી કાઢવામાં આવી હતી. વૃદ્ધ પિતાની ‘ઘરનો કબજો’ મેળવવાની દાનત પર પાણી ફરી વળ્યુંપિતાએ માત્ર ભરણપોષણ જ નહીં, પરંતુ પુત્ર જે ઘરમાં વર્ષોથી રહે છે તે ઘરનો કબજો પણ માંગ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની અરજીઓ સિનિયર સિટિઝન એક્ટના મૂળ હેતુનો દુરુપયોગ છે. પુત્ર અને તેના પરિવારને ઘરવિહોણા કરવાની પિતાની જીદ સામે કોર્ટે લાલ આંખ કરી હતી અને તમામ વચગાળાની રાહતો આપવાનો ઇનકાર કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:08 pm

ગાંધીનગર પંચાયતીરાજના નવા સમીકરણો રચાયા:જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય જાહેર, તાલુકાઓમાં સ્ત્રી અનામતના નવા સમીકરણોથી રાજકારણ ગરમાયું

ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગાંધીનગર જિલ્લા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આગામી ટર્મ માટે પ્રમુખ પદના રોટેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા જાહેરનામા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતનું સર્વોચ્ચ પદ સામાન્ય શ્રેણી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિન-અનામત વર્ગના પુરુષ અથવા મહિલા ઉમેદવારની પસંદગીનો માર્ગ મોકળો થયો છે. ખાસ વાત એ છે કે જિલ્લા કક્ષાએ મહિલા અનામતનો અલગથી કોઈ ઉલ્લેખ ન હોવાથી સામાન્ય વર્ગના કોઈપણ સભ્યને આ તાજ પહેરાવી શકાશે, જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં અત્યારથી જ દાવેદારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રમુખ પદના જ્ઞાતિગત સમીકરણો બદલાયાજિલ્લાની ચાર મુખ્ય તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદ માટેના જ્ઞાતિગત સમીકરણો બદલાયા છે. વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર માણસા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવાનો નિર્ણયબીજી તરફ કલોલ તાલુકા પંચાયતને સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે, જેનો અર્થ છે કે ત્યાં કોઈપણ વર્ગના ઉમેદવાર પ્રમુખ બની શકશે. જોકે સૌથી વધુ ગરમાવો દહેગામ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે આ બંને મહત્વની બેઠકો પર પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ફેરફારને કારણે આગામી સમયમાં વિજેતા પક્ષે સક્ષમ મહિલા ઉમેદવારોની શોધ માટે ભારે મથામણ કરવી પડશે. રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેરનોંધનીય બાબત એ છે કે, આ વખતે ગાંધીનગર જિલ્લા પંચાયત કે તેની અંતર્ગત આવતી ચાર પૈકીની એકપણ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવ્યું નથી. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના નિયમો મુજબ અમલમાં આવેલા આ રોટેશનના કારણે વર્ષોથી એક તરફી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મહિલા નેતાઓની સક્રિયતામાં નોંધપાત્ર વધારોપ્રમુખ પદના અનામતની આ જાહેરાત થતાની સાથે જ ગાંધીનગરના ગ્રામિણ વિસ્તારોથી લઈને જિલ્લા મથક સુધી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને જે તાલુકાઓમાં મહિલા અનામત લાગુ થઈ છે, ત્યાં હવે મહિલા નેતાઓની સક્રિયતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:01 pm

સુરત મનપાનો કસોટી કાળ નક્કી:એપ્રિલથી મે દરમિયાન સુરત મહાનગરપાલિકાની સફાઈ કામગીરીની થશે કસોટી, જનતાનો પ્રતિસાદ રહેશે નિર્ણાયક

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરત માટે ફરી એકવાર પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માટેની ગાઈડલાઈન્સ અને મહત્વની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે એપ્રિલ મહિનાથી જ સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા વેગવંતી બનશે, જેના કારણે સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અત્યારથી જ હરકતમાં આવી ગયું છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ડેટા અપડેશનની કામગીરીકેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ સુરત સહિત તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સંભવિત 5મી એપ્રિલ સુધીમાં MIS અને GMIS પોર્ટલ પર ડેટા અપડેટ કરવાનો રહેશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ સર્વેક્ષણમાં 31મી માર્ચ 2026 સુધીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આથી, છેલ્લા એક વર્ષમાં સુરત દ્વારા કરવામાં આવેલા કચરાના નિકાલ, ગટર વ્યવસ્થા અને સફાઈના પ્રોજેક્ટ્સની વિગતો ઓનલાઈન સબમિટ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકોનો ફીડબેક લેવાશેસ્વચ્છ સર્વેક્ષણમાં જનતાનો સહકાર સૌથી મોટું પાસું છે. આગામી 10મી એપ્રિલ 2026થી રાઉન્ડ ધ યર સિટીઝન ફીડબેકની પ્રક્રિયા શરૂ થશે. સુરતીલાલાઓ પોતાના શહેરની સફાઈ વ્યવસ્થા વિશે કેન્દ્ર સરકારને સીધો પ્રતિસાદ આપી શકશે. મ્યુનિસિપલ કમિશનર અને સફાઈ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકો આ ફીડબેક પ્રક્રિયામાં જોડાય એવા પ્રયાસો કરવામાં આવશે. SLP ડોક્યુમેન્ટ સબમિશન અને ફિલ્ડ એસેસમેન્ટસમયપત્રક મુજબ સંભવિત 10મી એપ્રિલથી 15મી એપ્રિલ દરમિયાન SLP ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ 16મી એપ્રિલથી 31મી મે 2026 સુધી કેન્દ્રીય ટીમ દ્વારા સુરત શહેરમાં ફિલ્ડ એસેસમેન્ટ કરવામાં આવશે. આ દોઢ મહિના દરમિયાન દિલ્હીથી આવેલી ટીમો શહેરના જાહેર શૌચાલયો, કચરાના ડમ્પિંગ સાઈટ્સ, રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ માર્કેટ્સની આકસ્મિક મુલાકાત લઈને સફાઈની ગુણવત્તા તપાસશે. સુરતે પોતાની કામગીરીના જોરે જ પોઈન્ટ્સ મેળવવાના રહેશેઆ વખતે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, એસેસમેન્ટ પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પ્રભાવમુક્ત રહેવી જોઈએ. મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ બહારથી આવતા તપાસકર્તાઓને રહેવા, જમવા કે મુસાફરીની કોઈ સુવિધા પૂરી પાડી શકશે નહીં. સુરતે પોતાની કામગીરીના જોરે જ પોઈન્ટ્સ મેળવવાના રહેશે. શહેરીજનો દ્વારા અપાતો પ્રતિસાદ જેન્યુઈન હોય તે જોવાની જવાબદારી પણ તંત્રની રહેશે. સુરત શહેર અગાઉ પણ ગાર્બેજ ફ્રી સિટી અને વોટર પ્લસ રેટિંગ મેળવી ચૂક્યું છે. 2025-26ના આ સર્વેક્ષણમાં સુરત ફરી એકવાર દેશમાં પ્રથમ ક્રમ મેળવે તે માટે મહાનગરપાલિકા સ્વચ્છતામ પોર્ટલ પર સીટી પ્રોફાઈલ અપડેટ કરવામાં લાગી ગયું છે. એપ્રિલમાં શરૂ થનારી આ કસોટી માટે સુરતીઓએ પણ કચરો અલગ રાખવો, સાર્વજનિક સ્થળોએ ગંદકી ન કરવી અને ફીડબેક આપીને શહેરને સહયોગ આપવો અનિવાર્ય બનશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:00 pm

રાજકોટમાં કોળી યુવક પર કથિત અત્યાચાર, ધારાસભ્ય મેદાને:સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા યુવકને ન્યાય અપાવવા રાજકોટ આવશે

રાજકોટ શહેરમાં કોળી ઠાકોર સમાજના યુવક સુરેશભાઈ સાથે કથિત રીતે પોલીસ દ્વારા મારામારી થયાની ઘટના સામે આવી છે. આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ઘટનાની જાણ થતાં જ કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. સમાજ દ્વારા પીડિતને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે કોળી સમાજના યુવા નેતા અને સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સક્રિય બન્યા છે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે કે પીડિત યુવકને ન્યાય અપાવવા તેઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને કોઈ પણ પ્રકારની અયોગ્યતા સહન કરવામાં નહીં આવે. ધારાસભ્ય વિમલ ચુડાસમા આવતીકાલે બપોરે 12 વાગ્યે રાજકોટ ખાતે પીડિત સુરેશભાઈની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઘટનાની વિગતવાર માહિતી મેળવી આગળની કાનૂની અને સામાજિક કાર્યવાહી અંગે વિચારણા કરશે. તેમણે કોળી સમાજના આગેવાનો અને યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહી એકતા દર્શાવવા પણ અનુરોધ કર્યો છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. જોકે, પોલીસ તરફથી હજુ સુધી સમગ્ર ઘટના અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ મુદ્દે કઈ દિશામાં કાર્યવાહી થાય છે અને પીડિત યુવકને કેટલો ન્યાય મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:00 pm

ચંદ્રુમાણા પંચાયતને સફાઈ ગ્રાન્ટ મળશે, 60 ટકા વેરા વસૂલાત:આયુષ્માન મંદિરની જગ્યા માટે ઠરાવ પર સભ્યોની સંમતિ

ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની બેઠકમાં 60% વેરા વસૂલાત થતાં પ્રથમવાર સફાઈ માટે સરકારી ગ્રાન્ટ મળવાપાત્ર થઈ છે. આ સાથે, ગામના આયુષ્માન મંદિરની જગ્યા અંગેના ઠરાવ પર સભ્યોની સર્વસંમતિ સધાઈ હતી. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે ગ્રામ પંચાયતને સફાઈ માટે રૂ. 77,240ની સરકારી ગ્રાન્ટ મળશે. સરકારના નિયમ મુજબ, 50%થી વધુ વેરા વસૂલાત થાય તો સફાઈ વેરા જેટલી ગ્રાન્ટ મળવાપાત્ર બને છે, અને પંચાયતે અંદાજે 60% વેરા વસૂલાત કરી છે. ગામના આયુષ્માન મંદિરની કામગીરી ઝડપી બનાવવા માટે જગ્યાના પ્રશ્નનો ઉકેલ આવતા સભ્યોએ ઠરાવ પસાર કરવા સંમતિ આપી હતી. બેઠકમાં આવેલી અરજીઓ પર નિયમોનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઈટ સેવાને વધુ અસરકારક બનાવવા માટે પણ સૂચનો કરાયા હતા. સભ્ય નાથાભાઈ ચાવડા અને ભરતભાઈ દેસાઈએ મેલડી માતાની લાંબી લાઈનને વિભાજિત કરવા અને પાણીના હવાડા માટે લાઈન લિન્કેજ આપવા રજૂઆત કરી હતી. વેરા વસૂલાતમાં સભ્યો બળવંતસિંહ દરબાર અને વજાજી ઠાકોરની જહેમતની સૌએ નોંધ લીધી હતી. સરપંચે જણાવ્યું હતું કે ગામમાં હાલમાં જેટલા પાણીની લાઈનના લીકેજ છે તેની યાદી બનાવવામાં આવી રહી છે અને તેને ઝડપથી નિવારવામાં આવશે. રોહિત સમાજની વાડી બનાવવા અંગે સભ્યો નાથાભાઈ ચાવડા અને રજનીભાઈ ચાવડાએ મૌખિક રજૂઆત કરી હતી. સરપંચ કાજલબેને માહિતી આપી હતી કે પાણીના બોર ઉપર આવેલા બંને સમ્પમાં લોખંડના ઢાંકણા સ્વખર્ચે બનાવીને આપી દીધા છે. આ બેઠકમાં સરપંચ કાજલબેન વ્યાસ, તલાટી ભરતભાઈ ઠાકોર, ઉપસરપંચ રણજીતજી મોબુજી ઠાકોર, સભ્યો ગીતાબેન પટેલ, બળવંતસિંહ પરમાર, નાથાભાઈ ચાવડા, રજનીભાઈ ચાવડા, વજાજી ઠાકોર, ભલાભાઈ દેસાઈ અને ભરતભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:00 pm

PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂ.500ની છૂટ:મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

મહેસાણા જિલ્લામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સાબરમતી ગેસ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા નવા ગ્રાહકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂ.500ની છૂટસરકારના આદેશ અનુસાર પ્રત્યેક ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સાબરમતી ગેસ કંપનીએ નવા PNG કનેક્શન મેળવનાર તમામ ગ્રાહકોને રૂ. 500 ની વિશેષ છૂટ આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે 'સિટી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક' હેઠળ અરજી કર્યાના માત્ર 24 કલાકમાં જ મંજૂરી આપવાની નવી યોજના પણ અમલી બનાવવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 1 લાખથી વધુ ડોમેસ્ટિક ગ્રાહકોજિલ્લામાં ગેસ નેટવર્કની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મહેસાણા જિલ્લામાં કુલ 1,06,490 ડોમેસ્ટિક ગ્રાહકો, 410 કોમર્શિયલ એકમો અને 204 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કાર્યરત છે. જિલ્લાના કુલ 114 ગામોમાં ગેસ લાઈન વિસ્તરેલી છે. જેમાં મહેસાણાના 35, વિજાપુર અને કડીના 25-25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોનો સમાવેશ થાય છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવવા કંપનીએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધબેઠકના અંતે જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નિયમિતપણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:57 pm

ધુરંધર મૂવી બની ‘ધમાલ’:થેયટરના કર્મચારીએ એડલ્ટ મુવી હોવાને કારણે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો, શખસે સાથીદારો સાથે મળી માર માર્યો

ભાવનગરના હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં તા.25 માર્ચના રાત્રિના ધુરંધર મુવીની ટિકિટ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. એડલ્ટ ફિલ્મ માટે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા શખસે પહેલા બોક્સ ઓફિસમાં ઘુસી કર્મચારીને લાફો માર્યો અને બાદમાં પોતાના સાથીદારો સાથે મળી સિક્યુરિટી ઈન્ચાર્જને ઢીકા-પાટુનો મારમાર્યો હતો. સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બોક્સ ઓફિસમાં ઘુસી જઈ યુવકને લાફો માર્યોઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના મિલીટ્રી સોસાયટી પાસે આવેલ સોમનાથનગરમાં રહેતા અને હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ જશુભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 25 માર્ચની રાત્રિના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના સાથી કર્મચારી ધર્મેન્દ્રસિંહ ઝાલાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવ્યું હતું કે, સિનેમામાં ટિકિટ મુદ્દે એક વ્યક્તિ માથાકુટ કરી રહ્યો છે જેથી તેઓ તરત જ હિમાલિયા મોલ ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો વ્યક્તિ રાત્રે સાડા દસ વાગ્યે ‘ધુરંધર’ ફિલ્મની ટિકિટ લેવા આવ્યો હતો અને પોતાના પરિવાર માટે ટિકિટ માંગતો હતો. પરંતુ ફિલ્મ એડલ્ટ હોવાને કારણે સગીર વયના સભ્યો માટે ટિકિટ આપવામાં નહિ આવે તેવી વાત કાઉન્ટર પર બેઠેલા શિવમભાઈ પ્રધાને કરતા નરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો આપી બોક્સ ઓફિસમાં ઘુસી જઈ શિવમભાઈને લાફો માર્યો હતો, જેના બાદ સિક્યુરિટી સ્ટાફે તેને બહાર કાઢ્યો હતો. શખસે પાછળથી ધક્કો મારી તેને નીચે પાડી દીધો હતોત્યારબાદ નરેન્દ્રસિંહે પોતાના ઓળખીતાઓને ફોન કરીને સ્થળે બોલાવ્યા હતા અને થોડી વારમાં ત્રણ અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચતા ચારેયએ મળી ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે જગદીશભાઈએ પોતાની ટીમ સાથે તેમને સમજાવી સિનેમાથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ગેટ પાસે પહોંચતા જ એક શખસે પાછળથી ધક્કો મારી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નરેન્દ્રસિંહે તેમના પર ઢીકા-પાટુનો મારમાર્યો હતો અને અન્ય બે જણાએ પણ મારામારી કરી હતી. તેમજ નરેન્દ્રસિંહ જતા જતા કહેલ કે ટીકીટ કેમનો મળે જો ટીકીટ નહી આપો તો મારી નાખવા પડશે. મને પોલીસ કેસ થવાની કોઈ બીક નથી અને રોડે સામા મળશો તો ખટારો માથે ચડાવી દેવો પડશે અને કેસ કરશો તો છુટીને પાછો તમને મારી નાખીશ તેમ કહેતા જગદીશભાઈએ 112 પર કોલ કરી પોલીસને બોલવતા તમામ શખસો નાસી છૂટ્યા હતા. અગાઉ પણ નરેન્દ્રસિંહ દ્વારા સિનેમામાં ઝઘડાની ઘટનાઓ થયેલી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભવિષ્યમાં પોતાને તથા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસે નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને ત્રણ અજાણ્યા શખસો સામે BNS કલમ 115(2), 351(2), 351(3), 54 અને 352 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:53 pm

સુરત મ્યુ. કમિશનરના આદેશ છતાં તંત્રની મિલીભગત?:પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સનું સામ્રાજ્ય, આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરાશે

સુરત મહાનગરપાલિકા હાલમાં આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે મથામણ કરી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્રના જ કેટલાક અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિને કારણે શહેરભરમાં પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર જાહેરાતોનો રાફડો ફાટ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાની મિલકતો પર લાગેલા ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને ઝોન કચેરીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાલિકાની તિજોરીમાં કરોડોની વધારાની આવક થઈ શકેસુરત મનપાનું બજેટ હાલમાં 11 હજાર કરોડ રૂપિયા જેટલું મોટું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં પ્રોજેક્ટ્સ માટે સરકારી ગ્રાન્ટ અને પ્રોપર્ટી ટેક્સ પર નિર્ભર રહેવું પડે છે. જો ગેરકાયદેસર જાહેરાતો પર નિયંત્રણ લાવી તેને કાયદેસર કરવામાં આવે, તો પાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની વધારાની આવક થઈ શકે તેમ છે. આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરાશેકમિશનર નાગરાજન દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટે પહેલીવાર નૉન-ટેક્સ રેવન્યુ સેલની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના નેતૃત્વમાં આ સેલ દ્વારા આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરવામાં આવશે. શહેરના જાહેર માર્ગો, બ્રિજની નીચેની જગ્યાઓ અને પાલિકાની ખાલી જગ્યાઓ પર ખાનગી કોચિંગ ક્લાસ, શાળાઓ અને અન્ય વ્યવસાયિક એકમો દ્વારા બેફામ રીતે બેનરો લગાવી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ એજન્સીઓ વિરુદ્ધ કોઈ દંડનીય કાર્યવાહી ન કરાતા તેઓ વધુ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળરિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાની સરખામણીએ સુરત મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળ છે. સુરતમાં પ્રાઈમ લોકેશન હોવા છતાં યોગ્ય નીતિના અભાવે અથવા તંત્રની શિથિલતાને કારણે રેવન્યુમાં મોટો ફટકો પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:45 pm

ઐતિહાસિક નગરી પાટણને મળી ભવ્ય ભેટ:17 કરોડના આધુનિક બસપોર્ટમાં એરપોર્ટ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ; બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ; ડ્રોન વીડિયો

પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પાટણ ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ના ધોરણે ₹17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ મંત્રીએ ટિકિટ બારી સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. આ બસપોર્ટને પાટણની ઐતિહાસિક વિરાસત રાણકીવાવ અને વિશ્વપ્રસિદ્ધ પટોળાના પેન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. મુસાફરોની અવરજવર માટે કુલ 18 પ્લેટફોર્મ આ આધુનિક બસપોર્ટ 15,974 ચોરસ મીટરના કુલ વિસ્તારમાં ફેલાયેલું છે, જેનું બિલ્ટઅપ ક્ષેત્રફળ 2,583 ચોરસ મીટર છે. મુસાફરોની અવરજવર માટે કુલ 18 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. મુસાફરોની સુવિધા માટે અહીં 888 ચોરસ મીટરમાં ફેલાયેલો પેસેન્જર કોન્કોર્સ વિસ્તાર, જનરલ વેઈટિંગ રૂમ, લેડીઝ વેઈટિંગ રૂમ અને વોલ્વો બસના મુસાફરો માટે ખાસ વેઈટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બસપોર્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ઉપરાંત, 450 ચોરસ મીટરમાં કેન્ટીન, રેસ્ટોરન્ટ અને કિઓસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બસપોર્ટને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં સીસીટીવી કેમેરા, ડિજિટલ ડિસ્પ્લે સાથેની માહિતી પ્રણાલી, ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્રનો સમાવેશ થાય છે. મુસાફરો માટે લગેજ ટ્રોલી, વ્હીલ ચેર અને કલૉક રૂમ જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. વહીવટી કામગીરી માટે અલગ ઓફિસ, પાર્સલ રૂમ અને સ્ટોર રૂમની પણ જોગવાઈ છે. વાણિજ્યિક દ્રષ્ટિએ, આ બસપોર્ટમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, વ્યાવસાયિક ઓફિસો, શો-રૂમ અને સિનેમા હોલ જેવી આધુનિક સગવડો વિકસાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી, તેમજ સ્થાનિક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ પાટણ બસપોર્ટને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી નાગરિકોની હોવાનું જણાવ્યું હતું. આ તકે પાટણ જિલ્લામાં 2 એસી બસ ફાળવવાની જાહેરાત કરાઈ હતી અને રાધનપુરથી પ્રવાસન માટે એક નવી બસ ચાલુ કરવાની ખાતરી આપી હતી. વધુમાં, હર્ષ સંઘવીએ કાયદો અને વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા લુખ્ખા અને અસામાજિક તત્વોને સીધા કરવાનો જે સંકલ્પ લેવાયો છે, તેને વધુ મજબૂત બનાવવામાં આવશે. સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની ચિંતા કે તકલીફ ન પડે તેવી સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા છે.છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધુ અસામાજિક તત્વો પાસેથી સરકારી કે ગેરકાયદેસર જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે.ખાલી કરાયેલી જગ્યાઓ પર માત્ર કબજો જ નથી હટાવ્યો,પણ ત્યાંજનતા માટે ઉપયોગી સુવિધાઓ જેવી કે નવા પોલીસ સ્ટેશનો, PHC અને CHC (આરોગ્ય કેન્દ્રો) નું નિર્માણ કરવામાં આવ્યું બસપોર્ટમાં આ પ્રકારની હશે સુવિધાદિવ્ય ભાસ્કર દ્વારા નવીન શરૂ થયેલ બસ પોર્ટ કેવી સુવિધાઓ છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્યત્વે બસ સ્ટેશનની અંદર અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એકસાથે 500થી વધુ મુસાફરો આરામદાયક ચેરમાં બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સામે બે પ્લેટફોર્મ હશે જેમાં એકસાથે 18 બસ ઉભી રહેશે. બસમાં ચડવા માટે અલગ સ્થળે પ્લેટફોર્મ હશે તેમ જ બસ રિટર્ન આવશે ત્યારે મુસાફરોને ઉતારવાનું પ્લેટફોર્મ પણ અલગ હશે. વોલ્વો બસ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ટ્રાફિકની સમસ્યાના સર્જાય માટે બસનો એન્ટ્રી ગેટ અને બહાર નીકળવા માટે એકઝીટ ગેટ બંને અલગ અલગ બનાવવામાં આવ્યો છે. જેથી ટ્રાફિકની સમસ્યા મહદ અંશે સર્જાશે નહીં. 2700 વાહન પાર્ક થઈ શકે તેવું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, બેઠક, પાણી સહિતની સુવિધાઓ 500 મુસાફરોની બેઠક વ્યવસ્થા :- સ્ટીલના આરામદાયક બાંકડા 100થી વધારે ગોઠવાશે.જેમાં એકસાથે 500થી વધુ મુસાફરો બસ માટે વેઇટિંગ કરીને બેસી શકશે. ચડવા ઉતરવા અલગ પ્લેટફોર્મ :- ડેપોમાં ચાર પ્લેટફોર્મ પેસેન્જર ઉતરવા માટે છે અને મુસાફરોની સેફટી માટે પ્રોટેક્શન રેલિંગ લગાડવામાં આવી છે. LED ટીવીમાં રૂટ દેખાશે :-14 પ્લેટફોર્મ મુસાફરોને રૂટ વાઇસ અમદાવાદ, ડીસા, બેચરાજી, કચ્છ, ભુજ સહિતના રૂટ પ્રમાણે પ્લેટફોર્મ રહેશે. દરેક પ્લેટફોર્મ ઉપર એલઇડી ટીવી મારફતે બસ રૂટ દર્શાવવામાં આવશે. RO પ્લાન્ટ, કેન્ટીન :- મુસાફરોને ડેપોમાં પીવાના પાણી માટે ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે માટે આરો પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. ચા પાણી અને જમવા સુધીની સુવિધા માટે કેન્ટીન પણ બની છે. બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ : -સૌથી વધુ ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન પાર્ક કરવા માટે બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. જેમાં અંદાજે 2700 જેટલા નાના મોટા વાહનો પાર્કિંગ થઈ શકશે. પાર્કિંગના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંને અલગ અલગ હશે. આકર્ષક કંટ્રોલ પોઇન્ટ :- કંટ્રોલ પોઇન્ટમાં એક સાથે પાંચથી વધુ મુસાફરો પૂછપરછ કરી શકે માટે સ્ટાફ સાથેનો આકર્ષક કંટ્રોલરૂમ હશે.મુસાફરી વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટર વ્યવસ્થા હશે

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:42 pm

સુરત મનપાનું ડિજિટલ ક્રાંતિ તરફ ડગલું:પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી હવે નાના કામોમાં 20 દિવસની રાહ જોવી નહીં પડે, ગણતરીની મિનિટોમાં મળશે મંજૂરી

સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત હવે વહીવટી ક્ષેત્રે પણ દેશનું રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પાલિકાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હવે તેની તમામ વિકાસલક્ષી અને જાળવણીની કામગીરી માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (PMS) શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમના અમલીકરણ સાથે જ સુરત મનપા પેપરલેસ કાર્યપદ્ધતિ તરફ આગળ વધશે, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને જનતાના કામો ઝડપથી પૂર્ણ થશે. હવે ફાઈલો ટેબલ પર નહીં અથડાયઅત્યાર સુધીની પરંપરાગત પદ્ધતિમાં સુરત મહાનગરપાલિકાના નાનામાં નાના કામ, જેમ કે રૂપિયા 50,000 સુધીના સમારકામ કે મેન્ટેનન્સ માટે પણ મંજૂરી મેળવવાની પ્રક્રિયા જટિલ હતી. કોઈ વિસ્તારમાં રસ્તો તૂટ્યો હોય કે ગટરની સમસ્યા હોય, ત્યારે તેની મંજૂરી લેવી, ફાઈલ તૈયાર કરવી, એન્જિનિયરના રિપોર્ટ લેવા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કાપવો આ આખી પ્રક્રિયામાં સરેરાશ 15 થી 20 દિવસનો સમય વીતી જતો હતો. આ વિલંબને કારણે અંતે તો સામાન્ય જનતાએ જ હાલાકી ભોગવવી પડતી હતી. નવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આ લાંબા દિવસોના સમયગાળાને ઘટાડીને માત્ર થોડા કલાકો કે એક દિવસમાં સીમિત કરી દેશે. આ સિસ્ટમમાં ડિજિટલ એપ્રુવલ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાઈલો ફિઝિકલી એક ટેબલથી બીજા ટેબલ પર મોકલવાની જરૂર રહેશે નહીં. અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશેઆ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પુરાવા આધારિત કાર્ય કરશે. જે તે ઝોનના જવાબદાર એન્જિનિયર કે અધિકારીએ જે સ્થળે કામ કરવાનું છે તેના લાઈવ લોકેશન સાથેના ફોટા સિસ્ટમમાં અપલોડ કરવાના રહેશે. કામ શરૂ કરતા પહેલા પરિસ્થિતિ કેવી છે તેના ફોટા અને વિગતો સિસ્ટમમાં મુકાશે. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ પોતાના મોબાઈલ કે ડેશબોર્ડ પર આ પુરાવા જોઈને ઓનલાઈન જ મંજૂરીની મહોર મારશે. કામ પૂર્ણ થયા બાદ ફરીથી તેના ફોટા અપલોડ કરવાના રહેશે, જેથી કામ ખરેખર થયું છે કે નહીં તેની ખાતરી કરી શકાય. આ પ્રક્રિયાથી બોગસ બિલિંગની શક્યતાઓ નહિવત થઈ જશે અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશે. ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશેકમિશનરના જણાવ્યા અનુસાર, સુરત જેવા મહાનગરમાં દરરોજ સેંકડો નાના-મોટા કામો નીકળતા હોય છે. વર્ષે દહાડે હજારો ફાઈલોનો ખડકલો થતો હોય છે. નવી સિસ્ટમથી કાગળનો વપરાશ ઘટતા પર્યાવરણનું રક્ષણ થશે અને ઓફિસોમાં ફાઈલોના થપ્પા ઓછા થશે. જે કામ માટે 15 દિવસ બગડતા હતા તે હવે ત્વરિત થતા મનપાના મેનપાવરનો ઉપયોગ અન્ય રચનાત્મક કામોમાં થઈ શકશે. ગલી-મહોલ્લાના નાના કામો ઝડપી થતા લોકોમાં પાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધશે. કોઈપણ કામ કયા તબક્કે અટક્યું છે તેનું ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશે. ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશેનવી સિસ્ટમ માત્ર પાલિકા માટે જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. અગાઉ કામ પૂરું થયા પછી પેમેન્ટ મેળવવા માટે અને મંજૂરી માટે કોન્ટ્રાક્ટરોએ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. હવે ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશે અને તેમના પેમેન્ટની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:41 pm