સુરત શહેરમાંથી નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલા 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી' અભિયાનને સફળતા મળી છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મકાનમાં અફીણનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે, પુણાગામમાં આવેલી સીતારામ સોસાયટી વિભાગ-2, ઘાંચી સમાજની વાડી પાસેના એક મકાનમાં અફીણનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે અફીણના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યોપોલીસે મળેલી બાતમીના આધારે, સીતારામ સોસાયટીના ઘર નં. 517ના ત્રીજા માળે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રેવન્તસિંહ રાયસિંહ રાઠોડ (ઉં.વ. 24) નામનો ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 92 ગ્રામ અફીણ (ઘેરા બદામી કલરના ગાંગડા સ્વરૂપમાં), જેની અંદાજિત કિંમત રૂ. 27,600 છે. એક નંગ મોબાઈલ ફોન (કિં. રૂ. 3,000), આધાર કાર્ડ અને પાન કાર્ડ કુલ મળીને રૂ. 30,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી રેવન્તસિંહ મૂળ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના ખાજુવાલા તાલુકાના રાવત આબાદી ગામનો વતની છે અને હાલ પુણામાં સુથારીકામ કરતો હતો. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 18(સી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલા નશીલા પદાર્થને પરીક્ષણ માટે ગાંધીનગર સ્થિત FSL ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના રિપોર્ટમાં આ પદાર્થ અફીણ હોવાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ પોલીસે ધરપકડ અને ગુનો નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
વલસાડમાં ભાનુશાલી સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઓધવ ભવન’નું લોકાર્પણ
વલસાડની ધરા પર આગામી 22 માર્ચના રોજ ભાનુશાલી સમાજ દ્વારા એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાવા જઈ રહ્યો છે. ધરમપુર ચોકડી પાસે નવનિર્મિત ‘ઓધવ ભવન’નું લોકાર્પણ અને પરમ પૂજ્ય વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કર્યુ. 19 થી 25 માર્ચ દરમિયાન ભવ્ય આયોજનશ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પરથી શરદભાઈ વ્યાસ (દાદા) કથામૃતનું પાન કરાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાશે રાજકીય મહાનુભાવોની હાજરીલોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ પ્રદેશ સંગઠનના મહાનુભાવો પણ હાજર રહેશે. ભાનુશાલી સમાજના આધુનિક સુવિધાયુક્ત ભવનના નિર્માણથી વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉનાળામાં ગરમીના ધોમ ધખતાં તાપમાં બપોરે વાહનચાલકો અને ટ્રાફિક સિગ્નલ પર બે મિનિટ સુધી રહેવું પડે છે, ત્યારે ગરમીનો સામનો કરવો પડે છે ત્યારે વાહનચાલકોને ગરમીની આડઅસર ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી વધારે ટ્રાફિક અને બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાના સહયોગથી આ નેટ લગાવવામાં આવી છે. લાલદરવાજા વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ટુ વ્હીલર ચાલકોને ગરમીના સમયમાં ચાર રસ્તા ઉપર વધારે સમય ઊભું રહેવું પડે છે જેને લઈને ગરમીની આડઅસર થવાની શક્યતાઓ છે. સૌથી વધારે ટ્રાફિક જે ચાર રસ્તા ઉપર આવેલા છે તેમને આઇડેન્ટીફાય કરીને આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી લગાવવામાં આવી રહી છે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવવામાં આવશે. ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે ત્યાં લગાવાશેશહેરના શિવરંજની ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, અંજલી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા જેવા અલગ અલગ મુખ્ય ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે અને બપોરના સમયે ટ્રાફિક જંકશનનો ચાલુ હોય છે ત્યાં લગાવવામાં આવશે. 78 જેટલા ટ્રાફિક સિગ્નલો પર ઓછો ટ્રાફિક શહેરમાં 291 જેટલા ટ્રાફિક સિગ્નલો આવેલા છે જેમાંથી 78 જેટલા ટ્રાફિક સિગ્નલો જ્યાં ઓછો ટ્રાફિક હોવાના પગલે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બ્લીન્કીંગ મોડ ઉપર રાખવામાં આવ્યા છે. જેથી ત્યાં વાહન ચાલકોને ગરમીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે ટ્રાફિક જંકશન ચાલુ છે ત્યાં ગરમી વાહન ચાલકોને ઓછી લાગે ત્યાં નેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશેજે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લાગશે.
રાજકોટ મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ ગણાતી વેરા વસુલાત શાખા માટે ચાલુ નાણાંકિય વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડકારજનક બની રહ્યો છે. વર્ષ 2025-26 પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રએ રૂ. 455 કરોડના ટાર્ગેટ સામે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ અંદાજે રૂ. 45 કરોડની વસૂલાત જરૂરી પ્રાપ્ત વિગતો મુજબ, આજ દિન સુધીમાં કુલ 4,44,297 કરદાતાઓએ રૂ. 410 કરોડનો મિલકતવેરો ભરપાઈ કર્યો છે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ અંદાજે રૂ. 45 કરોડની વસૂલાત જરૂરી છે. જો આગામી 10 દિવસમાં દરરોજ સરેરાશ રૂ. 4 કરોડથી વધુની આવક થાય તો જ આ આંકડો હાંસલ કરી શકાય તેમ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 32,912 વધુ કરદાતાઓએ અંદાજે રૂ. 12.76 કરોડ જેટલો વધુ વેરો જમા કરાવ્યો હોવા છતાં, કુલ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સરકારી કચેરીઓનો વર્ષોથી બાકી વેરો મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે. રજાના દિવસોમાં પણ વેરા વસુલાત શાખા કાર્યરત રાખવાનો નિર્ણય શહેરીજનો માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ખાસ વ્યાજમાફી યોજના અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, 31 માર્ચ સુધી મિલકતવેરા અને પાણીવેરાના વ્યાજમાં રૂ. 5000 સુધીની માફી આપવામાં આવી રહી છે. આ યોજનાનો અત્યાર સુધીમાં 27,000 જેટલા કરદાતાઓએ લાભ લીધો છે, જેના થકી મનપાની તિજોરીમાં રૂ. 44 કરોડની આવક થઈ છે. આ રાહત આપવા માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 7 કરોડ જેટલી વ્યાજની રકમ જતી કરી છે. તેમજ તંત્ર દ્વારા બાકીદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ પોતાની મિલકતોના બોજા હળવા કરે. આ માટે રજાના દિવસોમાં પણ તમામ વોર્ડ ઓફિસો અને વેરા વસુલાત શાખા કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વિવિધ કચેરીઓનો કુલ 80 કરોડ જેટલો વેરો બાકી જોકે, વેરા વસૂલાતમાં સૌથી મોટો અવરોધ સરકારી કચેરીઓનો વર્ષોથી બાકી રહેલો મિલકતવેરો છે. આંકડાકીય વિગતો મુજબ, રાજકોટમાં કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓનો કુલ રૂ. 80 કરોડ જેટલો વેરો બાકી બોલે છે. જો આ રકમની વસૂલાત કરવામાં આવે તો મનપાનો વાર્ષિક લક્ષ્યાંક માત્ર એક જ ઝાટકે પૂર્ણ થઈ શકે તેમ છે. આ બાકીદારોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રૂ. 28 કરોડ, સમરસ હોસ્ટેલનાં રૂ. 15.50 કરોડ, BSNLનાં રૂ. 13.50 કરોડ, પોલીસ વિભાગનાં રૂ. 12.60 કરોડ, કલેક્ટર હસ્તકની કચેરીઓનાં રૂ.10.25 કરોડ અને પીડબલ્યુડી (PWD)નાં રૂ. 10 કરોડ સામેલ છે. સરકારી વિભાગો સામે માત્ર નોટિસો આપીને સંતોષ માનવાનું વલણસામાન્ય જનતાની સામે ધોકો પછાડીને મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરતું તંત્ર સરકારી વિભાગો સામે માત્ર નોટિસો આપીને સંતોષ માની રહ્યું છે. જો આ મોટા બાકીદારો સામે કડક વલણ અપનાવવામાં આવે તો જ ટાર્ગેટ પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ છે. આ માટે હાલમાં મનપા કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જુદી જુદી સરકારી કચેરીઓનાં વડા સાથે બેઠકો યોજવામાં આવી રહી છે તેમજ પત્રવ્યવહાર પણ કરાઈ રહ્યો છે. ત્યારે જો સરકારી કચેરીઓનો બાકીવેરો વસુલાય તો જ રૂ. 454 કરોડનો ટાર્ગેટ પૂરો થાય તેમ છે. આ સિવાય હવે રોજના રૂ. 4 કારોડની વસુલાત થવાની શક્યતા નહીંવત છે. ઉલ્લેખનીય છે કે, વસૂલાત ઝુંબેશને વેગ આપવા માટે મ્યુનિસિપલ કમિશનરે તમામ વોર્ડ ઓફિસરને સવારે ફિલ્ડ વર્ક કરવા અને લાઈવ લોકેશન ગ્રુપમાં શેર કરવા આદેશ આપ્યા છે. તેમ છતાં, અમુક વોર્ડ ઓફિસોમાં સર્વર ડાઉન રહેવાની અથવા સ્ટાફની ગેરહાજરીની ફરિયાદો ઉઠી છે. ઝોન વાઇઝ સ્થિતિ જોઈએ તો વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11 - 10માં સૌથી વધુ વસૂલાત જોવા મળી છે, જ્યારે અન્ય વોર્ડમાં કામગીરી મધ્યમ રહી છે. હવે જોવાનું એ રહેશે કે બાકીના દિવસોમાં તંત્ર આ રૂ. 45 કરોડનું અંતર કાપીને રૂ. 455 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે કે કેમ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લામાં કુલ રૂ. 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ અમરેલી APMC ખાતે એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, ઊર્જા અને માર્ગ સુવિધાઓમાં વધારો થશે, જેનાથી નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે. લોકાર્પણ થનારા કાર્યોમાં સહકાર વિભાગ (APMC) હસ્તક રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરાથી ખોડિયાર મંદિર સુધી રૂ. 1.20 કરોડના ખર્ચે બનેલા રોડનું પણ લોકાર્પણ થશે. શિક્ષણ વિભાગ હેઠળ રૂ. 6.46 કરોડના પાંચ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં કુકાવાવ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે બનેલી મોંઘી બા કન્યા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે રૂ. 1.09 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, રાજુલા તાલુકાના ડોળિયા ખાતે રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂ. 1.47 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ હસ્તક સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂ. 1.52 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ થશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ PGVCL દ્વારા અમરેલી વર્તુળ કચેરીની રૂ. 2.29 કરોડના ખર્ચે નવનિર્મિત બે વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રૂ. 1.73 કરોડના ખર્ચે નિર્મિત કચેરીઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ્સ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી
Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે. ગુજરાતી થાળીનો ખર્ચ
પાટણ-ઊંઝા રોડ પર ખોડાભા હોલ પાસે 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના મામલે એક અરટીકા ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાર ગાડીઓના કાફલાએ અરટીકાને ઘેરીને લોખંડની પાઇપો વડે તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયું હતું. ફરિયાદી જાહાજી ઉર્ફે જહુભા ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર જીતુભા બળવંતજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા) એ આશરે 12 મહિના પહેલા ભાવેશ દેસાઈના નામે કોઈ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. આ નાણાકીય લેતીદેતીને કારણે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.7 માર્ચ, 2026 ના રોજ સાંજે જહુભા અને જીતુભા પોતાની અરટીકા ગાડી (નંબર GJ-02-DP-9995) માં પાટણથી માંડોત્રી ફાર્મ હાઉસ જઈ રહ્યા હતા. ખોડાભા હોલ પાસે નંબર પ્લેટ વગરની ચાર કાળા કલરની ગાડીઓ આવી પહોંચી હતી. તેમાંથી ભાવેશ દેસાઈનો ભાઈ ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ, દેવું દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો લોખંડની પાઇપો સાથે ઉતર્યા હતા. આ ટોળાએ જીતુભાને માર મારવાના ઇરાદે ગાડી પર હુમલો કરીને તોડફોડ શરૂ કરી હતી. જીતુભાએ સમયસૂચકતા વાપરીને પોતાની ગાડી અન્ય ગાડીઓ સાથે અથડાવીને ત્યાંથી ભગાવી દીધી હતી અને માંડોત્રી ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ ફાર્મ પર અન્ય લોકો હાજર હોવાથી તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ ફરિયાદીએ ભાવેશ દેસાઈનો ફોન પર સંપર્ક કરતા, તેણે જીતુભાને મારવા માટે માણસો મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ખલાસી તરીકે કામ કરતો કર્મચારી અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયોમળતી માહિતી અનુસાર, ગૌતમ સોલંકી ખલાસી તરીકે કામગીરી કરે છે અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે, પરંતુ તેઓ સેફ્ટી વગર કામ કરતા હતા કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે. રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે અનેક સવાલોઆ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. રેલવે સૂત્રોએ જણાવ્યું કે, આ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. કર્મચારીની સેફ્ટી અને વીજ કરંટ કઈ રીતે લાગ્યો તેની પૂરતી તપાસ કરવામાં આવશે. આ ઘટના રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ‘કર્મીને કરંટ લાગ્યો કે તે નીચે પટકાયો તે હજુ સ્પસ્ટ નથી’: PROઆ અંગે રેલવે PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, ટેન્ક વેગન મેન્ટેનસ દરમિયાન કર્મીને વીજ કરંટ લાગ્યો કે તે નીચે પટકાયો તે હજુ સ્પસ્ટ થતું નથી, પરંતુ હાલમાં આ મામલે અમે તપાસ કરી રહ્યા છીયે. આ ઘટના મામલે પહેલા કર્મચારીને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કરંટ લાગ્યો છે તે સંપૂર્ણ હાલ કહેવું મુશ્કેલ છે.
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, આ તમામ નકારાત્મકતા વચ્ચે પણ અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી કે મંદીની કોઈ મોટી અસર દેખાતી નથી અને ભારતીય ઉદ્યોગસાહસિકોનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને ભારતીય સમુદાય માને છે કે યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી; તેનાથી માત્ર માનવતાને નુકસાન થાય છે. આ જ કારણ છે કે શાંતિના પક્ષધર ભારતીયો આજે અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. મોંઘવારીનો માર નહિવત: સામાન્ય જીવન યથાવતવૈશ્વિક સ્તરે યુદ્ધની અસરોને લીધે ચીજવસ્તુઓના ભાવ વધવાની આશંકાઓ સતત સેવાઈ રહી છે. આમ છતાં, અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોના મતે ત્યાં મોંઘવારીની કોઈ તોતિંગ અસર વર્તાતી નથી. ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યા હોવા છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. માત્ર ગેસના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળે છે, જે ત્યાંની નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે. ભારતીય પરિવારો ત્યાં સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવી રહ્યા છે અને તેમને દૈનિક જીવનમાં કોઈ વિશેષ તકલીફનો સામનો કરવો પડી રહ્યો નથી. ભારતીય બિઝનેસ માટે સોનેરી તકો: નિકાસમાં થશે વધારોઅમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગસાહસિકો અત્યારે સુવર્ણકાળનો અનુભવ કરી રહ્યા છે. ત્યાંના બજારમાં ભારતીય વેપારીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર મુક્તપણે વેપાર કરવાની છૂટ મળી રહી છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત માટે નવી તકો ઊભી થઈ છે. આગામી સમયમાં ભારતનું એક્સપોર્ટ (નિકાસ) અમેરિકામાં નોંધપાત્ર રીતે વધશે. અમેરિકાના સ્થાનિક બજારોમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. 'મેડ ઈન ઈન્ડિયા' બ્રાન્ડનો વધતો ક્રેઝયોગી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વિદેશમાં ભારતીય વસ્તુઓની વિશ્વસનીયતા વધી છે. હવે વિદેશી ગ્રાહકો પણ 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અમેરિકાના સ્થાનિક દુકાનદારો પણ પોતાની દુકાનોમાં 30 થી 35 ટકા જેટલો ભારતીય સામાન રાખતા થયા છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્લોબલ માર્કેટમાં ભારતની આર્થિક શક્તિ અને પ્રોડક્ટ ક્વોલિટીનો દબદબો વધી રહ્યો છે. મંદી માત્ર અફવા: વિઝા અને વિદ્યાર્થીઓની સ્થિતિઅમેરિકામાં રિશેશન (મંદી) હોવાની વાતો માત્ર અફવા સાબિત થઈ રહી છે. વાસ્તવમાં, અમેરિકા હજુ પણ એક ચોક્કસ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. વિઝા પ્રક્રિયાની વાત કરીએ તો, H1B વિઝા માટે સરકાર તરફથી કોઈ વિશેષ ગેરંટી મળતી નથી, તેમ છતાં ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને કોઈ ગંભીર સમસ્યા નડતી નથી. ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ અમેરિકામાં પોતાની મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં, વૈશ્વિક પડકારો છતાં અમેરિકામાં વસતો ભારતીય સમુદાય માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બની રહ્યો છે. ભારતની વધતી જતી નિકાસ અને 'મેડ ઈન ઈન્ડિયા'નો વધતો વ્યાપ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં એક મજબૂત ડગલું છે.
'112' હેલ્પલાઇને યુવાનનો જીવ બચાવ્યો:તાપી પોલીસે સમયસર પહોંચી આત્મહત્યા અટકાવી
ગુજરાત સરકારની '112' ઇમરજન્સી હેલ્પલાઇન અને તાપી જિલ્લાની વાલોડ પોલીસની સતર્કતાને કારણે એક યુવાનનો જીવ બચાવી તેને નવજીવન આપવામાં આવ્યું છે. 20 વર્ષીય યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો, જેના આધારે પોલીસે સમયસર કાર્યવાહી કરી હતી. આ ઘટના વાલોડના કોઠી ફળીયામાં બની હતી. અહીં રહેતા હિરેન ચેતનભાઈ નાયકા (ઉ.વ.20) એ '112' હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો. આ ગંભીર કોલ મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. '112' મોબાઇલ વાનના ઇન્ચાર્જ આ.પો.કો. દિગ્વીજયસિંહ કોદરસિંહ તુરંત એક્શનમાં આવ્યા હતા. તેમણે કોલના લોકેશનના આધારે યુવાનનું ઘર શોધી કાઢ્યું અને તેના ઘરની પાછળ આવેલા નદી કિનારે પહોંચ્યા. પોલીસ જવાન જ્યારે નદી કિનારે પહોંચ્યા ત્યારે યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને સમયસર અટકાવ્યો અને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. અહીં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, હિરેન છેલ્લા ત્રણ દિવસથી માનસિક તણાવમાં હતો. તે તેની મિત્ર સંગીતા (નામ બદલેલ છે) સાથે વાત કરી શકતો ન હતો, કારણ કે યુવતીના માતા-પિતાએ તેને સુરત મોકલી દીધી હતી અને વાત કરવા દેતા ન હતા. આ કારણે યુવાને આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. પોલીસે યુવાનને સમજાવતા તેણે ભવિષ્યમાં આવું કોઈ ખોટું પગલું નહીં ભરે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તેને તેના ભાઈ વિરેનભાઈ સાથે સુરક્ષિત ઘરે મોકલવામાં આવ્યો. પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
યુદ્ધની અસર, માછીમારી ઉદ્યોગ પર સંકટ:ડીઝલના ભાવ વધશે, નિકાસ ઘટશે; હજારોની રોજીરોટી જોખમમાં
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વ્યાપી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડીઝલ-ગેસના ભાવમાં ઉછાળો આવે, તો ગુજરાતનો માછીમારી ઉદ્યોગ મોટું નુકસાન વેઠશે તેવી શક્યતા માછીમારો વ્યક્ત કરી રહ્યા છે. બોટ માલિક નાનજીભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, જો યુદ્ધના કારણે ડીઝલ પુરવઠા પર અસર થશે અને ક્વોટા સિસ્ટમમાં કાપ મૂકવામાં આવશે, તો અમારે ધંધો બંધ કરવો પડે તેમ છે. પૂરતું ડીઝલ નહીં મળે તો માછીમારી માટે દરિયામાં જવું મુશ્કેલ બનશે, જેની સીધી અસર અમારી આજીવિકા પર પડશે. એક ફેરામાં એક બોટને ઓછામાં ઓછું 2 હજાર લીટર ડીઝલનો ઉપયોગ થાય છે. ડીઝલમાં ભાવ વધારો થશે તો માછીમારો પાયમાલ થઈ જશે. ગુજરાત માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલે જણાવ્યું કે, માછીમારીનો વ્યવસાય સંપૂર્ણપણે નિકાસ પર નિર્ભર છે. યુરોપ અને ચીન જેવા દેશોમાં મોટા પ્રમાણમાં મચ્છી મોકલવામાં આવે છે. હાલમાં યુદ્ધના કારણે શિપમેન્ટમાં મુશ્કેલી પડી રહી છે. સીધું શિપમેન્ટ ન થવાને કારણે કંપનીઓએ અન્ય માર્ગો અપનાવવા પડે છે, જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો કરે છે. નિકાસમાં પડતી મુશ્કેલીને કારણે સ્થાનિક બજારમાં મચ્છીના ભાવ ઘટવાની ભીતિ છે, જેનાથી બોટ માલિકોને આર્થિક ફટકો પડશે. જો બોટ માલિકોને પોષણક્ષમ ભાવ નહીં મળે અથવા ડીઝલના અભાવે બોટ બંધ રાખવી પડશે, તો હજારો શ્રમિકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. માછીમારી વ્યવસાય સાથે હજારો શ્રમિકો જોડાયેલા છે. લાખો માછીમારો અને ખાસીઓ બેરોજગાર બનશે તેવી ભીતિ છે. માછીમારો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લે અને નિકાસ પ્રક્રિયામાં પડતી અડચણો દૂર કરવામાં મદદ કરે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે 21-03-2026ના રોજ ‘વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ પવનકુમાર દાલમિયા દ્વારા એક વિશેષ ‘કેન્સલેશન’ (ટપાલ ટિકિટ પર મારવામાં આવતો ખાસ સિક્કો) લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, સીનીયર સુપ્રિટેન્ડન્ટ એમ. ડી. દાનાણી, લોક વિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર આર. જે. ભાયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુદરત અને વારસાનું અદભૂત પ્રદર્શનઆ અવસરે પવનકુમાર દાલમિયાએ ફિલેટેલી (ટપાલ ટિકિટ સંગ્રહ) અને વન સંરક્ષણ વિષય પર આધારિત 3 દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં કુદરત, પક્ષીઓ, વન્યજીવો, ફૂલો અને ભારતના સ્થાપત્ય વારસાને દર્શાવતી દુર્લભ ટપાલ ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. રોહિત સોની, શૈલી ત્રિવેદી, દેવાંગ પારેખ અને ફિલેટેલિસ્ટ રાજેશ કોઠારી જેવા નિષ્ણાતોની હાજરીમાં આ આયોજનને વેગ મળ્યો હતો. ખાસ કેન્સલેશનની ઉપલબ્ધતાપર્યાવરણ પ્રેમીઓ અને સંગ્રાહકો માટે મહત્વના સમાચાર એ છે કે, આ પ્રસંગે જાહેર કરાયેલું વિશેષ કેન્સલેશન 21-03-2026 થી આગામી 1 મહિના સુધી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના ફિલેટેલી બ્યુરો ખાતે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, વન સંરક્ષણ કચેરીના સહયોગથી ભારતના જંગલોના જતન વિશેની ખાસ ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે. મુલાકાત લેવા હાર્દિક આમંત્રણરાજકોટ પોસ્ટલ ડિવિઝન અને ફિલેટેલી બ્યુરો દ્વારા તમામ નાગરિકો, ઇતિહાસ અને કલાના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન નિહાળવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે. ભારતની વન સંરક્ષણ યાત્રા અને ટપાલ ટિકિટોના સમૃદ્ધ ઇતિહાસને જાણવાની આ એક ઉત્તમ તક છે.
જ્ઞાનમંજરી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો:રાજકીય અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ભાવનગરની સુપ્રસિદ્ધ જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ સ્કૂલ હવે વેરાવળમાં પણ શરૂ થઈ છે. વેરાવળ-જૂનાગઢ હાઈવે રોડ પર આવેલા ડારી વાયરલેસ કેમ્પ પાસે જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલની નવી શાખા કાર્યરત થઈ છે. આ પ્રસંગે સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવનું દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી ઝવેરીભાઈ ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જયકરભાઈ ચોટાઈ, બિંદુબેન ચંદ્રાણી, મીનાબેન ચોટાઈ સહિત શિક્ષણ જગતના અનેક કોલેજ તથા સ્કૂલના આચાર્યો, અધ્યાપકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સામાજિક, રાજકીય અગ્રણીઓ અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ગ્રામજનોનો સરપંચ પર હુમલો:પાણવી ગામના વૃદ્ધા સરપંચને બે મહિલા સહિત 4 શખ્સોએ મારમાર્યો
વલભીપુરના પાણવી ગામના વૃદ્ધા સરપંચના ઘરે બે મહિલા સહિત 4 ગ્રામજનો મનરેગા તેમજ પાણીના પ્રશ્ને રજુઆત માટે આવ્યા હતા. જે રજુઆતના પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મળતા બે મહિલા સહિત ચારેય શખ્સોએ દલીત વૃદ્ધા સરપંચના ઘરેથી ઢસડી, જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી મારમારી ફરાર થઇ જતાં પાણીવી ગામના વૃદ્ધા સરપંચે ચારેય શખ્સો વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલભીપુરના પાણવી ગામે રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા ગૌરીબેન ભીખાભાઇ મકવાણા (ઉ.વ.70) પોતાના ઘરે હતા. તે દરમિયાન મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ અને હંસાબેન બાવદીનભાઇ માંકડ બંન્ને મનરેગા યોજનાનું કામ ક્યારે શરૂ થશે તેમ ગૌરીબેનને પૂછવા આવેલા હતા. જેનો ગૌરીબેને બોડીને પૂછીને જવાબ આપશું તેમ કહેતા બંન્ને શખ્સોએ જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી જતા રહેલ હતા. જે બાદ પાણવી ગામમાં રહેતા જતિનભાઇ નાગરભાઇ કુવારીયા અને મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા પણ તેમના ઘરે આવેલા અને પાણી નથી આવતું તેવા પ્રશ્ને સંતોષકારક જવાબ નહીં મળતા મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ, હંસાબેન બાવદીનભાઇ માંકડ, જતિનભાઇ નાગરભાઇ કુવાડીયા, મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગૌરીબેને એટ્રોસીટી સહિતની કલમોની ફરિયાદ નોંધાઈ છે.
ખેડૂતોનું આક્રંદ:જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત
ગુરૂવારે સાંજના સમયે વાવાઝોડા સાથે માવઠાથી જિલ્લા ભરમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકશાન થયુ હતુ. ખાસ કરીને ઘઉં, બાજરો અને જુવારનો પાક ઢળી પડયો હતો. ગારિયાધાર તાલુકામાં ગુરૂવારે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેમ ખૂબ જ તૈયાર પાકોને નુકશાન થયું છે.ડમરાળા,રૂપાવટી, સાળંગપુર, સમઢિયાળા સહિતના ગામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઘઉં,ચણા,જીરૂ ,ઘાસચારો સહિતના રવિપાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.હજુ તો દિવાળી પર કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ સહિતના પાકોને નુકશાન થયું હતું ત્યારે હવે રવિ પાકો ઘઉં જીરૂ,ચણા ,સહિતના પાકોને ભારે નુકશાન થયું છે.કેરી સહિતના પાકોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.ખેડૂતો ચિંતિત થયા છે.ખેતરમાં તૈયાર થયેલો પાકનો સોથ વળી ગયો છે. વલભીપુર પંથકમાં ભારે પવનના વંટોળ ગાજવીજ સાથે પડેલા માવઠાના કારણે માત્ર ખેત ઉત્પાદનને નહી પરંતુ ઈંટો પકવતા ભઠ્ઠાવાળાઓ, લાલ મરચા તેમજ અન્ય મરી મસાલાઓના વેપારીઓને પણ માવઠાનો માર સહન કરવાની નોબત આવી છે. જુવારને ખૂબ જ નુકશાન થયુંગુરૂવારે પડેલા ભારે પવન સાથે વરસાદથી જુવારને ખૂબ જ નુકશાન થયું છે. ઘાસચારો આડો પડી ગયો છે.હવે અમારે માલઢોર રાખવા કે નહી તે ખબર પડતી નથી.ખેડૂતોને ચારેકોર નુકશાન થયું છે.હવે આ નુકસાનીનું કરવું શું - ઘનશ્યામભાઈ સભાડિયા, ખેડૂત સારીંગપુર (તા.ગારિયાધાર) ઘઉં,બાજરો અને ઘાસચારો આડો પડી ગયોમાવઠાથી અમારે આઠ વીઘાના ઘઉં,પાંચ વિઘાનો બાજરો તેમજ ઘાસચારો આડો પડી ગયો છે. ખૂબજ નુકશાન થયું છે.સરકાર આ નુકશાન થયું તેનું વળતર આપે તેવી અમારી માંગણી છે. - પ્રદીપભાઈ પરમાર, ખેડૂત, સમઢિયાળા (તા.ગારિયાધાર)
ધીંગાણુ:ગાળો બોલતા બે ભાઇઓને ટપારતા 16 શખ્સોએ ધીંગાણુ સર્જયુ
ભાવનગરના ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક રહેતા બે ભાઇઓ મામાના મંદિર નજીક સરાજાહેર ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જે દરમિયાન ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. જે મામલે 16 શખ્સો વચ્ચે ધીંગાણું સર્જાતા સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. શહેરમાં અલકા ગેઇટ પોલીસ ચોકીની બાજુમાં રહેતા વિજય મુળજીભાઇ દેગામા તેમના પરિવારના નવ સભ્યો ચાવડીગેટ વિસ્તારમાં મામાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિરની નજીક રહેતા રાકેશ ચુડાસમા અને અજય ચુડાસમા બંન્ને સગા ભાઇઓ ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જેને લઇને વિજયભાઇએ ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. ટપારવા બાબતે દાઝ રાખી બંન્ને ભાઇઓ સહિત નવ શખ્સોએ હથિયારો સાથે આવી વિજયભાઇના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. જ્યારે ચંદાબેન રાકેશભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજયભાઇ સહિતના આઠ શખ્સોએ પણ હથિયારો સાથે આવી વળતો હુમલો કરતા બંન્ને પક્ષે છથી સાત લોકોને સામસામી ગંભીર ઇજા થતાં સારવારમાં ખશેડાયા હતા. જ્યાં વિજયભાઇએ રાકેશ ચુડાસમા, પરબત, પ્રતાપ, રોહીત, અલ્પેશ, અજય, સાહીલ, છોટું અને બાલા વિરૂદ્ધ અને ચંદાબેને બુધા દેગામા, અમીત ડાભી, રાજુ ડાભી, બલભદ્રસિંહ ગહિલ, અક્ષય દેગામા, રમેશ, મુકેશ અને વિજય દેગામા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવામાં આવશે
ભાવનગર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹35,000 થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જુદા જુદા પાંચ તબક્કા બાદ ઉમેદવારની પસંદગી કરાશે જેમાં ગણિત, માનસિક ક્ષમતા, અને જીકેની પ્રાથમિક સ્ક્રિનિંગ ટેસ્ટ, બે ભાગમાં પરીક્ષા લેવાશે. પાર્ટ-એ મેરિટ અને પાર્ટ-બી સંબંધિત ટ્રેડના જ્ઞાનની ટેસ્ટ લેવાશે.માનસિક સજ્જતા ચકાસવા માટે કોમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે,.
રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેખકોની ઓથોરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગ અને અંગ્રેજી ભવન દ્વારા સંયુક્ત રીતે 'વિજ્ઞાન અને સાહિત્ય' વિષય પર એક બહુશાખાકીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમકાલીન વિષયો પર પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેખકની ઓથોરિટી સામે કઈ રીતે પ્રશ્નો ઊભા કરે છે તે અંગેના સંશોધન પત્રોએ ઉપસ્થિતોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ વિષય પરના વિચાર-વિમર્શથી સ્પષ્ટ થયું કે આજના ડિજિટલ યુગમાં લેખન અને સર્જનાત્મકતાની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. આ સંમેલનમાં 12 જેટલા વિવિધ રાજ્યોમાંથી કુલ 275 જેટલા સંશોધકો અને વિદ્વાનોએ નોંધણી કરાવી હતી. મુખ્ય વક્તવ્ય સત્ર મેડિકલ કોલેજના ઑડિટોરિયમમાં યોજાયું હતું, જ્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રો.નીરા રાઘવ, ક્રાઇસ્ટ યુનિવર્સિટી લાવાસા (પુણે)ના એરોન જ્યોર્જ, ફોરેન્સિક યુનિવર્સિટીના દીપક મશરૂ, સૌરાષ્ટ્ર યુનિ.ના મહેશ જીવાણી અને સરદાર પટેલ યુનિ.ના પ્રગ્નેશ દવેએ પોતાના વિશિષ્ટ વક્તવ્યો આપ્યા હતા. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીના ઇન્દ્ર ગઢવી અને ભારતસિંહ ગોહિલે પણ પોતાના સંશોધનલક્ષી વિચારો રજૂ કર્યા હતા. આ સંમેલનનું મુખ્યત્વે પર્યાવરણ વિજ્ઞાન અને લોકસાહિત્ય, વન્ય જીવન અને સાહિત્ય, ભારતીય પુરાતન સાહિત્યમાં વિજ્ઞાન, તેમજ ફોરેન્સિક વિજ્ઞાન અને ભાષાવિજ્ઞાન જેવા વિષયો સામેલ હતા. અંગ્રેજી ભવન ખાતે આયોજિત આ સંશોધન સત્રો ઉપરાંત એક વિશેષ પોસ્ટર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ સંશોધન પત્રો અને પોસ્ટરોને બિરદાવાયા હતા, યુનિ.ના કુલપતિ પ્રો. ભરતભાઈ રામાનુજે આવા સંમેલનો નિયમિત યોજવાની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.દિલીપ બારડ, રસાયણ ભવનના પ્રો.ગોધાણીએ કોઓર્ડિનેટર તરીકે ફરજ નિભાવી હતી. સર્જનાત્મકતાને વધારવા ડિજિટલ ટેકનિક વાપરોસર્જનાત્મકતાને વધારવા માટે ડિજિટલ ટેકનિકોનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, સર્જનાત્મક સુવિધાઓ પ્રદાન કરતા વિવિધ સાધનો અને પ્લેટફોર્મ્સનું અન્વેષણ કરવું મહત્વપૂર્ણ છે. સારા સૉફ્ટવેરનો પ્રયોગ કરીને આકર્ષક ડિઝાઇન અથવા ડિજિટલ આર્ટવર્ક બનાવો. તમારી સર્જનાત્મક ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે વિવિધ ડિજિટલ ટૂલ્સ સાથે સતત પ્રેક્ટિસ અને પ્રયોગ કરવાનું યાદ રાખો. ઓનલાઈન અભ્યાસક્રમો અને ટ્યુટોરિયલ્સ અને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જનાત્મક કુશળતા સુધારવામાં મદદ કરી શકે છે.
પરિણીતાને અપાયો ત્રાસ:પતિએ સાસરીમાંથી રૂ.15 લાખ લઇ આડા સંબંધે પત્નિ ઉપર ત્રાસ ગુજાર્યો
ભાવનગર શહેરમાં પિયરમાં રહેતા પરિણીતાના લગ્ન બાદ પતિએ સાસરીમાંથી દહેજ પેટે પંદર લાખ રૂપિયા લઇ કાઢી મુકતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરમાં મામાકોઠા વિસ્તારમાં રહેતા ઋતિકાબેન નમનભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સને 2023માં નમન મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદમાં સાતેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખેલ હતા. તે બાદ સમયાંતરે કરિયાવર બાબતે મેણાં ટોણા મારી, બે નણંદો અને સાસુ માનસિક ત્રાસ ગુજારતા હતા. પતિએ પત્નિ પાસે કારની માંગણી કરી દહેજ પેટે બાવીસ લાખ રૂપિયા માંગ્યા હતા. જે મામલે પરિણીતાના પિતાએ સંબંધ ટકાવવા માટે રૂપિયા પંદર લાખ જમાઇને આપેલ હતા તેમ છતાં પતિ નમન મકવાણાએ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ રાખ્યા હતા અને વધું લેણું થઇ જતાં ફરી ઋતિકાબેન પાસે રૂપિયાની માંગણીઓ મુકતા પરિણીતાએ રૂપિયા આપવાની ના પાડતા નમન મકવાણાએ ઋતિકાબેનને મારમારી એક વર્ષિય દિકરા સાથે ઘરેથી કાઢી મુક્યા હતા. જે બનાવમાં ઋતિકાબેન મકવાણાએ તેમના પતિ નમન પ્રદીપભાઇ મકવાણા, સસરા પ્રદીપ વજુભાઇ મકવાણા, સાસુ ચેતના પ્રદીપભાઇ મકવાણા, નણંદ હિરલ મકવાણા અને પૂર્વી મકવાણા વિરૂદ્ધ ભાવનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લાના પર્યટનને વેગ આપવા માટે આયોજન:પ્રવાસન ઉદ્યોગને ઇન્ડિગોની નવી ફ્લાઈટ થકી ફાયદો થવાની આશા
ભાવેણાવાસીઓની લાંબી પ્રતીક્ષા બાદ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા તા. 29 માર્ચથી ભાવનગર-નવી મુંબઈ-ભાવનગર વચ્ચે નવી ડેઈલી બે ફ્લાઈટનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગરના પર્યટનને વેગ આપવા માટે એક પહેલ સ્વરૂપે તે માટે સદા કાર્યરત ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) દ્વારા ભાવનગરના રાજવી વારસાના પ્રતિક સમાન નિલમબાગ પેલેસ હોટેલના સહયોગથી તા.24 માર્ચ, મંગળવારે સાંજે એક વિશેષ સમારોહનું આયોજન કરાયું છે. TAAB દ્વારા નિલમબાગ પેલેસ હોટેલ ખાતે આયોજિત આ સમારોહનો હેતુ ભાવનગરને ભારતના પર્યટન નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરવાનો, સૌ કોઈની એકતા અને સહકારથી ભાવનગરના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો છે. ઇન્ડિગોની આ નવી બે ફ્લાઈટ દ્વારા ભારતભરના આગ્રા, ગોવા, મેંગલુરુ, મદુરાઈ, જયપુર, નાગપુર, પટના, વારાણસી, બાગડોગરા, ચેન્નાઈ,બરેલી વગેરે શહેરોમાં જવા વાયા નવી મુંબઈ એ જ દિવસના કનેક્શન મળી રહેશે. એ જ રીતે આ શહેરો અને અન્ય શહેરોમાંથી પણ ભાવનગર આવવા માટે ફ્લાઈટ કનેક્શન મળવાના હોવાથી ભાવનગર શહેર તથા જિલ્લાના પાલિતાણા, બગદાણા, ખોડિયાર, મહુવા વગેરે સ્થળોએ પ્રવાસીઓ આવવાની શક્યતા વધશે જેથી જિલ્લાના પર્યટન તથા અન્ય ઉદ્યોગને પણ વેગ મળશે. આ સમારોહમાં ભાવનગરના રજિસ્ટ્રેડ ટ્રાવેલ એજન્ટો, ઈન્ડિગો ટીમ, ભાવનગરના ઇન્ફ્લુએન્સર્સ અને વિશેષ મહેમાનો વગેરે ઉપસ્થિત રહેશે.
કરોડપતિમાં થયા લાખોપતિ:ભાવેણાના યુવાન પરાગે KBCમાં જીત્યા 50 લાખ
ભાવનગર જિલ્લાના મૂળ નિવાસી પરાગ સિસોદિયાએ અત્યંત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ક્વિઝ કૌન બનેગા કરોડપતિમાં પસંદ થઈને સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને હજારો સ્પર્ધક વચ્ચેની કઠિન પસંદગી પ્રક્રિયા પાર કરીને કોન બનેગા કરોડપતિના મુખ્ય મંચ, હોટ સીટ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવ્યા બાદ હવે આ શોમાં પોતાની પ્રતિભાના આધારે રૂપિયા 50 લાખ જીતવાની સિદ્ધિ મેળવી છે. આગામી મહિને તેમનો આ એપિસોડ પ્રકાશિત થશે. વાંચન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન ઘટનાઓ પ્રત્યે વિશેષ રસ ધરાવતા પરાગ સિસોદિયાએ પોતાની રોજની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સતત અભ્યાસનો પોતાનો શોખ જાળવી રાખ્યો હતો. સાથે જીતવાનો આત્મવિશ્વાસ પણ હતો, તેના પરિણામે તે કોન બનેગા કરોડપતિ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રૂપિયા 50 લાખ જીતવામાં સફળ રહ્યા છે. કૌન બનેગા કરોડપતિમાં પરાગભાઇ આમ તો રૂ. 1 કરોડના સવાલ સુધી પહોંચી ગયેલા પણ તે સવાલ સાથે ગેમ ક્વિટ કરતા તેઓને રૂ. 50 લાખના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોન બનેગા કરોડપતિની પસંદગી પ્રક્રિયામાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સહિતના તબક્કાઓ પસાર કર્યા બાદ તેઓને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાની તક પ્રાપ્ત થઈ હતી અને તેમાં એક પછી એક અઘરા સવાલોના સાચા જવાબ આપીને રૂપિયા 50 લાખ જીત્યા હતા. તેની આ સફળતાથી તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. તૈયારી સાથે આત્મવિશ્વાસ હોય તો જીત મળેભાવનગરના યુવાનો માટે તેઓ પ્રેરણા રૂપ છે અને કહે છે કે સતત મહેનત, તૈયારી અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મોટા મંચ સુધી પહોંચી શકાય છે અને તેમાં જીત પણ અચૂક મેળવી શકાય છે. ત.ઓને આ વખતે તો પૂરતો વિશ્વાસ હતો કે કેસીબીમાં જીતીને જ પાછા ફરશે. UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્નતાજેતરમાં જ પરાગભાઇએ જીપીએસસીની પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે અને તેઓ હાલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે તેઓનું નવસારીમાં પોસ્ટિંગ થયું છે. હવે UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું.
દંડનીય કાર્યવાહી:1691ને મેમા, 70 લાખનો દંડ, સૌથી વધુ કેસ PUCના
ભાવનગર શહેર-જિલ્લામાં બ્લેક સ્પોટ સહિત વિસ્તારોમાં દિન પ્રતિદીન અકસ્માતો વધતા જાય છે. છેલ્લા અઢી માસમાં નિયમનો ઉલાળીયો કરતા 1691 વાહન ચાલકોને મેમા ફટકારી 70 લાખનો દંડ ફટકાર્યો હતો જેમાં સૌથી વધુ PUCના 180 મેમા ફટકાર્યા હતા. ભાવનગરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જાન્યુઆરી-2026થી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ચના મધ્ય સુધીમાં હજારો વાહનચાલકો દંડાયા છે. ખાસ કરીને રોંગ સાઇડ, લાયસન્સ વગર વાહન ચલાવનારા અને PUC વગરના વાહનો સામે RTOએ આક્રમક વલણ અપનાવ્યું છે. ચેકિંગ ડ્રાઈવમાં સૌથી વધુ કેસ PUC અને વિધાઉટ લાયસન્સના નોંધાયા છે. જાન્યુઆરીમાં 166, ફેબ્રુઆરીમાં 152 અને માર્ચના માત્ર 15 દિવસમાં જ 180 કેસ માત્ર PUCના નોંધાયા છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતા વ્યવસાયિક વાહનો અને ઓવરલોડ માલસામાન ભરેલા ટ્રકો સામે પણ તંત્રએ સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક જ વર્ષ દરમિયાન 157 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અઢી માસમાં 1691 મેમા ફટકારી, 70 લાખ ઉપરાંતનો દંડ (માર્ચ માસનો ડેટા તા.15 સુધીનો છે) પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને લાઠી આપવામાં આવે છેભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ તેમજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘમાં ચાલીને ધજા ચડાવવા માટે તેમજ દર્શન કરવા માટે પગાપાળા જઇ રહ્યા હોય છે અને રાત્રીના સમયે પદયાત્રીઓને અકસ્માતોથી બચાવવા માટે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા ગત માસમાં અનેક પદયાત્રીઓને રેડ રીફ્લેક્ટીવ જેકેટ તેમજ રીફ્લેક્ટીવ લાઠી આપવામાં આવી હતી. તેમજ અકસ્માતોથી બચવા માટે વાહનોની વિરૂદ્ધ દિશામાં ચાલવા માટે પણ સુચનો કરાયા હતા. > રૂત્વીકા દાણી, ભાવનગર આર.ટી.ઓ.
પરીક્ષાના તણાવની અસર:બોર્ડના પરિણામ પહેલાં જ તણાવનો વિસ્ફોટ, બે વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું
રાજકોટ શહેરમાં પરીક્ષાનું દબાણ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા વચ્ચે બે અલગ અલગ બનાવોમાં સગીરોએ આપઘાતનો પ્રયાસ કરતા ચિંતા વ્યાપી ગઈ છે. બંને બનાવોમાં ફિનાઈલ પી જવાની ઘટના સામે આવી છે અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રથમ બનાવ શહેરના થોરાળા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી ઇતિહાસનું પેપર નબળું જતા ભારે ટેન્શનમાં આવી ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ તે સતત માનસિક દબાણમાં રહેતો હતો. ગઈકાલે સાંજે પોતાના ઘરે તેણે ફિનાઈલ પી લીધી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેની તબિયત સ્થિર છે. બીજો બનાવ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી ટાઉનશિપ વિસ્તારમાં બન્યો હતો. અહીં 17 વર્ષની સગીરા ધોરણ 10 બાદ શું કરવું તે મુદ્દે લાંબા સમયથી ગૂંચવણ અને ચિંતામાં હતી. યોગ્ય માર્ગદર્શન ન મળતા તે માનસિક રીતે પરેશાન રહેતી હતી. ગઈકાલે મધરાતે પરિવારજનો સૂતા હતા ત્યારે તેણે ઘરે ફિનાઈલ પી લીધું હતું. થોડીવાર બાદ ઊલટી અને ઊબકા થતા પરિવારજનો જાગી ગયા હતા. પૂછપરછમાં સગીરાએ ફિનાઈલ પીધાનું જણાવ્યું હતું. તરત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, સમયસર સારવાર મળતા સગીરાની સ્થિતિ પણ હાલ સ્થિર છે. આ બંને બનાવોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાનું દબાણ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા સગીરો પર ભારે પડી રહી છે. નિષ્ણાતોના મત મુજબ આવા સમયમાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારો અત્યંત જરૂરી બની જાય છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના આંગણે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ નાનામવા ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલા કોર્પોરેશન પ્લોટમાં સવારે 9થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળાના શુભારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો સંદેશ દ્વારા આ અવસરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “બેક ટુ બેઝિક” મંત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તંદુરસ્ત જીવન માટે આરોગ્યપ્રદ આહાર અનિવાર્ય છે અને લોકોની થાળીમાં હેલ્ધી ફૂડ પહોંચે તે માટે મિલેટનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જનકલ્યાણના બે અભિયાન શરૂ કરાયા છે. કઠોળ, સૂપ, મુખવાસ, ધૂપ, પૂજા સામગ્રી, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણઆ મહોત્સવમાં કઠોળ, સૂપ, મુખવાસ, હેલ્ધી નાસ્તા, ધૂપ, પૂજા સામગ્રી, આયુર્વેદિક ઔષધિઓ, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. વિશેષ વાત એ છે કે, અહીં રાગી, જુવાર, બાજરી, કોદરીમાંથી બનાવેલી ઇડલી તથા પાણીપૂરી, પિત્ઝા સહિતની ખાણીપીણીની વસ્તુઓ લોકો માટે આકર્ષક બની રહી હતી. જેમાં હંસાબેન માકડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકો રાગીની ઇડલી વધુ પસંદ કરે છે અને બાળકો ધાન્યમાંથી બનાવાયેલા રોટલી, રોટલા નથી ખાતા પણ ઇડલીનું નામ સાંભળી બાળકોને પસંદ પડે છે. જેમાં કોદરીની ઇડલી થોડી મોંઘી પડે છે.
પત્નીએ કેરોસીન છાંટી આગ ચાંપી દીધી:પતિએ મંદિરે સાથે આવવાની ના કહેતા પત્નીનું અગ્નિસ્નાન
રામનાથપરા શેરી નં.14માં રહેતા મીનાબેન ચોઇથારામ ખટ્ટર(ઉ.વ.52) નામના મહિલાએ રાતે નવેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર હાલતમાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મીનાબેનના લગ્ન છવ્વીસ વર્ષ પહેલાં થયા છે. સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે. પતિ હેમુ ગઢવી હોલ પાછળ દાળ-પકવાન-નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. ચોઇથારામ ખટ્ટરે જણાવ્યું હતું કે, શુક્રવારે અમારો સિંધી સમાજનો ચેટીચાંદનો તહેવાર હોઇ રાતે મારા પત્ની મીનાબેનને રામનાથપરામાં જ આવેલા અમારા સમાજના મંદિર ખાતે જવું હતું. પણ હું કામમાં હોઇ મેં તેણીને દીકરાને સાથે લઇ જવાનું કહ્યું હતું, આ કારણે તેણીને માઠું લાગી ગયું હતું અને જૂનું પડતર કેરોસીન પડ્યું હોઇ તે શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:જમીનનો સોદો રદ થતાં ચાર કરોડ ડૂબ્યાં; ભાગીદારોએ ઉઘરાણી કરી ધમકીઓ આપી
રાજકોટના સરધાર ગામમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આયુષ ભાવેશભાઈ સરધારાએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આશરે દોઢ-બે વર્ષ પહેલાં તેમના પિતા ભાવેશભાઈએ રાવકી ગામના સુનિત પાનસુરિયા અને સાગર પાનસુરિયા સાથે મળી સુરતમાં એક બિનખેતીની જમીનનો સોદો કર્યો હતો. 27 કરોડની બજાર કિંમતવાળી આ જમીન 13 કરોડમાં મળતી હોવાથી બંને પક્ષોએ ભાગીદારી કરી હતી. સોદા પેટે કુલ 4 કરોડ રૂપિયા (ભાવેશભાઈના 3.25 કરોડ, પાનસુરિયા બંધુઓના 75 લાખ) ચૂકવવામાં આવ્યા હતા. બાકીની રકમ ત્રણ મહિનામાં ચૂકવવાની શરત હતી, પરંતુ પાનસુરિયા બંધુઓ રકમની વ્યવસ્થા કરી શક્યા નહોતા. એક વર્ષનો સમય વધારવા છતાં નાણાં ન ચૂકવાતા જમીન માલિકે સોદો કેન્સલ કર્યો હતો અને નિયમ મુજબ બાના પેટે આપેલી 4 કરોડની રકમ જપ્ત થઈ ગઈ હતી. પોતાના 75 લાખ રૂપિયા ડૂબી જતા સુનિત અને સાગર પાનસુરિયાએ આ રકમ ભાવેશભાઈ પાસે પરત માગવાનું શરૂ કર્યું હતું.આ શખ્સોએ આરોપી ભરત ગાબુ, શામજી ગાબુ અને રામભાઈ જંજા તથા સાગર જંજાને સાથે રાખી આયુષના ઘરે આવી ગાળો ભાંડી હતી. છેલ્લા ચાર મહિનાથી આ શખ્સો અવારનવાર ઘરે આવી પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા. આખરે કંટાળીને આયુષે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરમાં નશાના જાળને ચૂર કરવા પોલીસ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો, શાળા અને કોલેજ આસપાસ ડ્રગ્સનું વેચાણ કોઈપણ કિંમતે સહન નહીં થાય. તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજામાં કુરિયર મારફત સપ્લાય કરાતી હોવાનું બહાર આવતા તે પોલીસ માટે પણ ચિંતાજનક બન્યું છે. કમિશનરે કડક શબ્દોમાં સૂચના આપી કે, પાનના ગલ્લા અને તંબાકુ વેચાણના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક તાબો મેળવવો. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થો વેચાતા હોવાની શંકા હોય તો સીધી પોલીસને જાણ કરવા શિક્ષણ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું. યુવાનોમાં વધતા જતા ગાંજા અને અન્ય ડ્રગ્સના ટ્રેન્ડને “લાલબત્તી” ગણાવી કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને સક્રિય અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડી.સી.પી. જગદીશ બાંગરવાએ બેઠકમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. માત્ર એક જ મહિનામાં 365 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.12.78 લાખથી વધુ છે, તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કુલ 4 કેસમાં રૂ.24 લાખથી વધુના અફીણ અને ગાંજાનો જથ્થો જપ્ત કરી 6 આરોપીને એન.ડી.પી.એસ. હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસની કડક કામગીરી માત્ર ડ્રગ્સ પૂરતી મર્યાદિત નથી. શાળા આસપાસ 100 મીટર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં પાનના ગલ્લા ચલાવતા વેપારીઓ સામે કોપટા એક્ટ હેઠળ 141 કેસ કરી રૂ.28,200નો દંડ ફટકારાયો છે. બેઠકમાં એક મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી કે, ઓનલાઇન પેમેન્ટ અને કુરિયર મારફતે ડ્રગ્સની ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો છે. 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતા અને વાસણના સ્ક્રેપના ધંધા સાથે જોડાયેલા દંપતીએ “ઝટપટ નફો”ના સપના બતાવીને સગાં-સંબંધીઓને જ શિકાર બનાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનો ગુનો નોંધાયા બાદ હવે આર્થિક ગુના નિવારણ શાખાએ આ ચીટર દંપતીનો શિકાર બનેલાઓને ફરિયાદ કરવા અપીલ કરી છે. ઓમનગરમાં રુદ્ર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નં.301માં રહેતા પ્રિયંક રમેશભાઈ કારિયા અને તેમની પત્ની ડિમ્પલબેન કારિયાએ ‘શ્રી ગિરિરાજ વાસણ’ અને ‘શ્રી દ્વારકાધીશ વાસણ’ નામની પેઢીઓ દ્વારા રોકાણકારોને આકર્ષ્યા હતા. શરૂઆતમાં સમયસર વળતર આપી વિશ્વાસ ઊભો કર્યો, પરંતુ બાદમાં અંદાજે રૂ.3.50 કરોડથી વધુ રકમ એકઠી કર્યા પછી ચૂકવણી બંધ કરી દીધી. પરિણામે અનેક પરિવારો આર્થિક રીતે શીશામાં ઉતરી ગયા છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. ડોબરિયાના જણાવ્યા મુજબ, આરોપી દંપતી સામે BNS-2023ની કલમ 318(4) તેમજ જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં જ છેતરપિંડીનો આંકડો સાડા ત્રણ કરોડથી વધુનો હોવાની વિગતો બહાર આવી છે. આથી હવે EOW દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ નાગરિકોએ આ દંપતી કે તેમની પેઢીઓમાં રોકાણ કર્યું હોય અને છેતરાયા હોય, તેઓએ 3 દિવસમાં પુરાવા સાથે જામનગર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચોથા માળે અથવા મોબાઇલ નં.99781-94661 પર સંપર્ક સાધવો.
વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:પગની બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
રાજકોટના કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા નારાયણનગર-1માં રહેતા ઉદય અરજણભાઈ ચૌહાણ (ઉ.વ.60) નામના વૃદ્ધે પોતાના ઘરે પંખાના હૂકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા 108 બોલાવી હતી. ઈએમટી સહિતનાએ જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ ટી.જે. સરવૈયા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ન્યારી ડેમ નજીક રહેતા કિશન સોલંકી નામના કેટરર્સના ધંધાર્થીને સાગર, માયા તથા સાગરના બે મિત્રોએ જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
રાજકોટની ભાગોળે આવેલ કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે કમાલ કરી છે. 5200 ઘર અને 3200 નાના મોટા ઉદ્યોગો ધરાવતા શાપર ગામની ગ્રામપંચાયત એક, બે, ત્રણ, ચાર કે પાંચ નહીં, પરંતુ પ્રજાજનોને સુવિધા આપવામાં નવ-નવ બાબતોમાં રાજ્યકક્ષાએ પ્રથમ છે. શાપર પંચાયત ગામમાં નિયમિત સફાઈ અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી કમાણી કરતું થયું છે. સાથે જ ગામના પાણીના સમ્પ પર સોલાર પેનલ લગાવી સોલાર પાવર થકી મહિને સ્ટ્રીટલાઈટનું 40થી 50 હજારનું બિલ બચાવવાની સાથે જ કમાણી કરતું થયું છે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ માત્ર 9237 અને અનઓફિસિયલી 80 હજારની વસ્તી ધરાવતું શાપર ગ્રામ સુવિધા બાબતે આજે રાજકોટ જેવા મહાનગરને પણ ટક્કર આપી રહ્યું છે. સુવિધાઓ આટલી યોજનામાં રાજ્યમાં નંબર-1
સન્ડે બિગ સ્ટોરી:રાજકોટમાં 900 કરોડના ખર્ચે બનશે મહાત્મા મંદિર
સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક નકશામાં મોટો ફેરફાર લાવનાર પ્રોજેક્ટ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતને હવે વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન અને બિઝનેસ સમિટ યોજવા માટે અન્ય શહેરો પર નિર્ભર નહીં રહેવું પડે. શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવરની પાળે અંદાજે રૂ.900 કરોડના માતબર ખર્ચે રાજ્યનું બીજું ‘મહાત્મા મંદિર’ (એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર) બનાવવાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ફંડ ફાળવવામાં આવશે અને પીપીપી (PPP) ધોરણે આખું સંકુલ તૈયાર થશે. પાંચ વખત ટેન્ડર નિષ્ફળ ગયા બાદ હવે નવી આશાઆ પ્રોજેક્ટ માટે મનપાએ અગાઉ પાંચ વખત પ્રયાસો કર્યા હતા અને કેન્દ્ર સરકારે તે સમયે રૂ.10 કરોડ ફાળવી પણ દીધા હતા. જોકે, કોઈ યોગ્ય એજન્સી ન મળતા પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હતો. હવે મનપાએ ફરીથી ‘ટ્રાન્ઝેક્શન એડવાઈઝર’ની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ એડવાઈઝર પ્રોજેક્ટની ફિઝિબિલિટી તપાસશે, નાણાકીય એનાલિસિસ કરશે અને ટેક્નિકલ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે. આ ફાયદો : સ્થાનિક રોજગારી-અર્થતંત્રને બૂસ્ટ મળશેઆ સેન્ટર કાર્યરત થવાથી સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ, ફોર્જિંગ અને ટેક્સટાઈલ ઉદ્યોગને નવું બળ મળશે. સ્થાનિક વેપારીઓ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ખરીદદારો સામે કરી શકશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્માર્ટ સિટી વિસ્તારમાં રિઅલ એસ્ટેટ માર્કેટને પણ મોટો ફાયદો થશે. બિડર શોધવાની કામગીરી T.A. કરશેસૂત્રોએ જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ માટે બિડર શોધવાની કામગીરી ટ્રાન્ઝેક્શન એડવાઇઝર કરશે. આ T.A. માટે પણ અમુક એજન્સીઓ ઈવોલ્યુટ કરશે. ટ્રાન્ઝેક્શન એડવાઇઝર બિડરની નિમણૂક કરશે ત્યારબાદ તેમની કામગીરી શરૂ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિરની થીમ પર નિર્માણરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલી અંદાજે પોણા બે લાખ ચોરસ મીટર (1.75,000 ચો.મી.) જમીન પર આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઈન અને સુવિધાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરને મળતી આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી, ત્યારે શહેરમાં યોગ્ય જગ્યા ન હોવાથી તે મારવાડી યુનિવર્સિટી ખાતે યોજવી પડી હતી. આ ઊણપ હવે દૂર થશે. કન્વેન્શન સેન્ટરમાં હશે આ સુવિધાઓઆ આધુનિક સેન્ટરમાં માત્ર એક્ઝિબિશન હોલ જ નહીં, પરંતુ બિઝનેસ અને પ્રવાસનને વેગ મળે તેવી અનેક સુવિધાઓ હશે PPP મોડલ પર પ્રોજેક્ટ: રોકાણ અને હિસ્સેદારીઆ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે સાકાર થશે. જેમાં નાણાકીય માળખું નીચે મુજબ રહેશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ: કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% રકમ કેન્દ્ર સરકાર દ્વારા અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત આપવામાં આવશે. એજન્સીનું રોકાણ: જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે તેણે 25% રકમનું રોકાણ કરવાનું રહેશે. મનપાનો હિસ્સો: બાકીની 25% રકમના બદલે રાજકોટ મહાનગરપાલિકા પોતાની કિંમતી જમીન ફાળવશે.
દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ:વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનાર 3 વર્ષ બાદ દિલ્હીથી ઝડપાયો
શહેરને અડીને આવેલા પલસાણા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજારી ભાગી ગયેલો આરોપી ત્રણ વર્ષ બાદ નવી દિલ્હીથી ઝડપાયો છે. જિલ્લા એલ.સી.બી.ની ટીમે બાતમીને આધારે નવી દિલ્હી ખાતે પહાડ ગંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી પંકજ ભભુતી પાંડે (ઉ.વ. 32 )ને પકડીને પૂછપરછ કરતા તેણે વર્ષ 2022માં સગીરા ઉપર બળાત્કાર કર્યો હોવાની વાત કબૂલતા સુરત લઈ આવી હતી. આરોપી પંકજ પલસાણા રહેતો હતો એ દરમિયાન સુરતની એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો. દિલ્હીમાં પણ તે પહાડગંજ વિસ્તારમાં છકડો રીક્ષા ચલાવતો હતો. એલ.સી.બી.ની ટીમ દ્વારા ગંભીર ગુનાના આરોપીઓ શોધવા માટે શરૂ કરેલા અભિયાનમાં પંકજની પણ શોધખોળ શરૂ કરતા દિલ્હી હોવાની બાતમી મળતા દિલ્હી પોલીસ સાથે સંકલનમાં આરોપીને ટીમે ઝડપી પાડયો હતો. પલસાણા પોલીસે પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
વેપારી સાથે ઠગાઈ:પુણામાં ક્લાર્ક કાપડ વેપારીના રૂપિયા 40 લાખ લઈ રફૂચક્કર
પુણા વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કટના વેપારી સાથે ઉઘરાણી કલાર્ક રૂ. 40 લાખ લઇને નાસી ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો ક્લાર્ક આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા લઇને નાસી ગયો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પરવત પાટીયા માધવબાગ સામે આવેલા વ્રજભુમિ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઇ કનૈયાલાલ રાઠી પુણા વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં છેલ્લા ચાર વર્ષથી ઉઘરાણી ક્લાર્ક તરીકે મહેન્દ્રસિંગ સ્વરૂપસિંગ (રહે, હિંગળાજ સોસાયટી, રોકડિયા હનુમાન મંદિર પાસે ખટોદરા સુરત મુળ રહે, રાજસ્થાન નિમ્બોકા ગામ)નોકરી કરતો હતો. તા. 19મી માર્ચના રોજ બે આંગડિયા પેઢીમાં આવેલા રૂપિયા લેવા માટે વેપારીએ મહેન્દ્રસિંગને મોકલ્યો હતો. આ આંગડિયા પેઢીમાંથી તેણે રૂ. 40 લાખ રોકડા લીધા હતા. આ રૂપિયા લીધા બાદ રાત સુધી તે પરત નહીં આવતા માલિક રાકેશભાઇએ કોલ કર્યો હતો પણ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. જ્યારે તપાસ કરતા તેને ઉઘરાણી માટે આપેલી બાઇક પણ પાર્કિંગમાં પડી હતી. આખરે મહેન્દ્રસિંગ રૂપિયા લઇને નાસી ગયાનો અહેસાસ થતા રાકેશભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રસિંગ સામે ઉચાપતનો ગુનો નોંધી તપાસ આદરી છે.
ગાંજો ઝડપાયો:અમરોલીમાં પૂજારી સહિત બે યુવક રૂ. 4.97 લાખના ગાંજા સાથે પકડાયા
ઓરિસ્સાથી ગાંજો લઇને આવેલા પુજારી સહિત બે જણાને રૂ.4.97 લાખની કિંમતના ગાંજા સાથે અમરોલી પોલીસ પકડી પાડ્યા હતા. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અમરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે, મનીષા ગરનાળા પાસેથી બે વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં કોથળા લઇને જઇ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઇને કાન્હુચરન સુધીર મહાપાત્રા (રહે, આડાપાડા થાના આટપુર જી.ગંજામ ઓરિસ્સા અને કૃષ્નાચંદ્રે ઉર્ફે આલોક સંતોષકુમાર જેના (રહે, બેરૂહુવાવાડી થાના કોદલા જી.ગંજામ ઓરિસ્સા)ને પકડી પાડ્યા હતા. પોલીસે તેના પાસેના કોથળા ચેક કરતા તેમાંથી રૂ.4,97,000ની કિંમતનો 9.940 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ.5.07 લાખનો મુદ્દામાલ કબજે લઇને બંનેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ ગાંજો બંને જણા ઓરિસ્સાથી લાવ્યા હતા અને ઉત્કલ નગર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે વેચી દેવાના હતા. 8 હજારની લાલચમાં પૂજારી ગાંજો વેચવા આવ્યોપકડાયેલો કૃષ્નાચંદ્ર જેના રીક્ષા ચલાવે છે, જ્યારે કાન્હુચરન ઓરિસ્સામાં શિવ મંદિરમાં પુજારી છે. કાન્હુચરન આર્થિક તંગી અનુભવી રહ્યો હતો. જેની જાણ થતા કૃષ્નાચંદ્રએ અગાઉ એક વખત ઓરિસ્સાથી ગાંજો લાવીને સુરતમાં વેચ્યો હોવાનું કહીને તેને ગાંજાની ખેપ મારવા માટે કહ્યું હતું. સુરતમાં વેચશે તો રૂ.8 હજાર આપવાની લાલચ આપી હતી. બાદમાં બંને જણા વિજયવાડા-વડોદરા ટ્રેનમાં ગાંજો લઇને સુરત આવ્યા હતા અને વેચે તે પહેલા જ પકડાઈ ગયા હતા.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના આંગણે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર વીવીઆઈપી મૂવમેન્ટ અને સરકારી કામકાજ માટે મર્યાદિત રહેલી હેલિકોપ્ટર સેવા હવે સામાન્ય નાગરિકો અને બિઝનેસ સેક્ટર માટે પણ ઉપલબ્ધ બને તે દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ટૂંક સમયમાં જ એક અદ્યતન ‘કોમર્શિયલ હેલિપેડ’નું નિર્માણ કરી ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્યારે જે બાયરોડ 40 મિનિટનું અંતર જે એર ટેક્સીથી થોડી મિનિટમાં કપાઈ જશે અને ગિફ્ટ સિટી પાસે હાઈટેક હેલિપેડનું નિર્માણ થઈ શકે છે. હેલિપેડના નિર્માણને લીલીઝંડીગુજરાતના પાટનગરને ગ્લોબલ બિઝનેસ હબ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીનગરમાં અત્યાધુનિક ‘કોમર્શિયલ હેલિપેડ’ નિર્માણ પામશે. વાયબ્રન્ટ ગુજરાત તેમજ ખાસ કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઘ્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભાગરૂપે હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલિપેડના નિર્માણ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશેઅત્યાર સુધી ગાંધીનગરમાં માત્ર સરકારી કે VVIP મૂવમેન્ટ માટે જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હવે ખાનગી ક્ષેત્ર અને સામાન્ય નાગરિકો પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે, જે ખાસ કરીને મોટા ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો માટે સમયની બચત કરનારું સાબિત થશે. સરકાર આ હેલિપેડને પીપીપી મોડલ અથવા ડેઝિગ્નેટેડ ઓથોરિટી હેઠળ કાર્યરત કરી શકે છે. હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધાથી 24 કલાક ચાલુ રહી શકશેઆ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધારવા તેમજ રાજ્યમાં વધતા જતા ઉદ્યોગ સાહસિકો અને પ્રવાસીઓને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ દરમિયાન વિદેશી ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓને એરપોર્ટથી સીધા ગાંધીનગર લાવવા માટે આ હેલિપેડ આશીર્વાદરૂપ સાબિત થશે. આ હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે જે તેને અન્ય હેલિપેડ કરતા અલગ પાડશે. આ સાથે જ નાઈટ લેન્ડિંગની વ્યવસ્થા હોવાથી 24 કલાક આ સુવિધા કાર્યરત રહી શકશે. ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે હેલિકોપ્ટર મળી રહેશેતંત્ર દ્વારા આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં નિર્માણ થનારું નવું કોમર્શિયલ હેલિપેડ માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે. આ હેલિપેડ પરથી એર એમ્બ્યુલન્સ ઓપરેટ કરવાની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક અન્ય શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડી શકાય. પાટનગરમાં વધતી જતી વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે આ એર-કનેક્ટિવિટી મેડિકલ ઈમરજન્સીમાં જીવનરક્ષક સાબિત થશે. ગિફ્ટ સિટીની આસપાસ આધુનિક હેલિપેડ માટે જગ્યાની પસંદગી થઈ શકેસ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ હેલિપેડ શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે અને પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થશે. સામાન્ય-કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા મંજૂરી ગાંધીનગરમાં કોમર્શિયલ હેલિપેડ બનવા અંગેના પુરાવાઓ ગુજરાત સરકારના બજેટ અને નાગરિક ઉડ્ડયન વિભાગની તાજેતરની હિલચાલમાં જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે બજેટમાં ગુજરાતમાં એર કનેક્ટિવિટી વધારવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગરમાં 'હેલિપોર્ટ' વિકસાવવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે પાટનગરમાં VVIP સિવાયના સામાન્ય અને કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગિફ્ટ સિટી અને ચિલોડા બેલ્ટની આસપાસ હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કોમર્શિયલ ઓપરેશન માટે DGCAના નિયમો મુજબ જગ્યાની પસંદગી પ્રક્રિયા ગતિમાં છે. 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના હેઠળ હેલિકોપ્ટર સેવા શરૂ થશેબીજી તરફ કેન્દ્ર સરકારની 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના હેઠળ હેલિકોપ્ટર સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરને આ યોજના સાથે જોડવા માટે કોમર્શિયલ હેલિપેડ અનિવાર્ય છે. તાજેતરમાં રાજ્યના ઉડ્ડયન મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે મોટા શહેરો વચ્ચે 'ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ' શરૂ કરવામાં આવશે જેમાં ગાંધીનગર મુખ્ય કેન્દ્ર તરીકે રહેશે. ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ પર અત્યારે કામ ચાલી રહ્યું છેછેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે થયેલા એમઓયુમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ખાનગી હેલિકોપ્ટર ઓપરેટરોને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ હોવો જરૂરી છે જેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આમ સરકારી બજેટમાં નાણાકીય જોગવાઈ અને GUJSAIL દ્વારા થતી જમીન ચકાસણી એ વાતનો પુરાવો છે કે ગાંધીનગર ટૂંક સમયમાં જ કોમર્શિયલ હેલિકોપ્ટર સેવાઓનું સાક્ષી બનશે.
રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' રિલીઝ થઈ ચૂકી છે અને પહેલાં ભાગની જેમ જ પાર્ટ-2 પર પણ દર્શકો આફરિન થઈ ગયા છે. ખાસ કરીને આદિત્યધર નિર્દેશિત આ ફિલ્મના બન્ને ભાગની સરખામણી પણ કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, આ ફિલ્મ પ્રોપગેન્ડા હોવાની પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.ફિલ્મ પહેલા દિવસે જ સૌથી ₹100 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની જોરદાર ચર્ચાઓ વચ્ચે દિવ્ય ભાસ્કરે ઓડિયન્સ સાથે વાતચીત કરી હતી. જેમાં અક્ષય ખન્ના-રણવીરસિંહમાંથી કોણે બેસ્ટ એક્ટિંગ કરી? બન્ને ભાગમાંથી ક્યો ભાગ સારો છે? સહિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સુરત શહેર માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવતી સુરત-શારજાહ ફ્લાઈટ આગામી 28 માર્ચથી બંધ થવા જઈ રહી છે. એરલાઇન્સ દ્વારા આ રૂટનું બુકિંગ બંધ કરી દેવામાં આવતા સુરતવાસીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોના સંઘર્ષ બાદ 16 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઐતિહાસિક ફ્લાઈટ શરૂ થઈ હતી, જેની સાથે સુરતીઓનું ભાવનાત્મક જોડાણ જોડાયેલું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધથી એર કનેક્ટિવિટી પર માઠી અસરહાલમાં મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને કારણે એર કનેક્ટિવિટી પર માઠી અસર પડી છે. સુરતથી ઓપરેટ થતી એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોની દુબઈ તરફની ફ્લાઈટ્સ પહેલેથી જ સ્થગિત રાખવામાં આવી છે. શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણયસૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ હવે સુરતથી માત્ર દુબઈ સેક્ટર પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. કઈ કઈ ફ્લાઈટ્સ હાલમાં બંધ છે?સુરત એરપોર્ટ પરથી હાલમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોની સ્થિતિ ડામાડોળ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ (IX 273) અને દુબઈ-સુરત (IX 274) તેમજ ઈન્ડિગોની સુરત-દુબઈ (6E 1507) અને દુબઈ-સુરત (6E 1508) ફ્લાઈટ્સ પણ હાલમાં બંધ છે. આ સંજોગોમાં શારજાહ ફ્લાઈટ પણ બંધ થતા સુરતના હજારો ડાયમંડ અને ટેક્સટાઈલ વેપારીઓ કે જેઓ નિયમિત ખાડી દેશોમાં અવરજવર કરે છે, તેઓ માટે મુશ્કેલી ઊભી થશે. સંસ્થા અને મુસાફરો દ્વારા વિરોધWWWAS (વર્કિંગ વિધ્ધ વ્હીલ્સ એન્ડ વિંગ્સ ઓફ સુરત)ના સભ્ય સંજય જૈને આ નિર્ણય અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ફ્લાઈટ માત્ર મુસાફરીનું સાધન નહોતી પરંતુ સુરતની આંતરરાષ્ટ્રીય ઓળખનું પ્રતીક હતી. આ રૂટ પર મુસાફરોનો સારો પ્રતિસાદ અને પૂરતું બુકિંગ હોવા છતાં તેને બંધ કરવી એ સુરત સાથે અન્યાય સમાન છે. આ નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરી શરૂ કરવા માટે સુરતવાસીઓની માંગસુરતવાસીઓની માંગ છે કે આ ફ્લાઈટને કોઈ પણ સંજોગોમાં બંધ ન કરવામાં આવે. શહેરની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત કરવા માટે અને વેપારીઓની સુવિધા માટે આ ઉડાન ચાલુ રાખવી અનિવાર્ય છે. જો આ સેવા બંધ થશે તો સુરતીઓએ ફરીથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડશે. લોકો ઈચ્છી રહ્યા છે કે સત્તાધીશો આ મામલે મધ્યસ્થી કરે અને ફ્લાઈટ ફરીથી કાર્યરત થાય.
બ્રિજ સિટી તરીકે જાણીતા સુરતમાં પાલિકા દર વર્ષે બ્રિજ બનાવવા અને ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. અહીં પ્રિયંકા નંબર 1 અને 2 સોસાયટીને જોડતા બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી હજારો રહીશો જીવના જોખમે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જવા મજબૂર બન્યા છે. ડીંડોલી વિસ્તારમાં આવેલી ખાડી પર આ બ્રિજની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ-બે મહિનાથી આ કામ તદ્દન બંધ હાલતમાં હતું. વારંવારની રજૂઆતો અને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિરોધ બાદ માત્ર બે દિવસથી જ અહીં ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે ખાડી સફાઈના નામે કરોડોનો ધુમાડો છતાં અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે કામમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. ગોકળગાયની ગતિએ શબ્દ પણ અહીં ઓછો પડે તેવી સ્થિતિ છે. બ્રિજ બનવાથી જે બે સોસાયટીઓ વચ્ચેનું અંતર ઘટવાનું હતું, તે અત્યારે રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ધૂળના પાળા પરથી જીવના જોખમે અવરજવરબ્રિજનું મુખ્ય કામ ચાલુ હોવાથી જૂનો રસ્તો અથવા અવરજવરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના વિકલ્પ તરીકે પાલિકા કે કોન્ટ્રાક્ટરે કોઈ સુરક્ષિત વ્યવસ્થા કરી નથી. પરિણામે, ખાડીમાં માત્ર ધૂળ નાખીને એક કામચલાઉ 'પાળો' બનાવવામાં આવ્યો છે. આ પાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે તેના પરથી પસાર થતી વખતે જરા પણ સંતુલન બગડે તો સીધા ખાડીના ગંદા પાણીમાં ખાબકવાનો ભય રહે છે. નાના બાળકો જેઓ શાળાએ જાય છે, ગૃહિણીઓ કે જેઓ દૂધ કે શાકભાજી લેવા નીકળે છે અને વૃદ્ધો આ તમામને દરરોજ જીવના જોખમે રસ્તો પસાર કરે છે. અંધારપટ અને સુરક્ષાના અભાવે અકસ્માતનો ડરદિવસના સમયે તો જેમ-તેમ કરીને લોકો પસાર થઈ જાય છે, પરંતુ ખરી સમસ્યા રાત્રિના સમયે સર્જાય છે. આ નિર્માણાધીન બ્રિજની આસપાસ કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી. રાત્રે ઘોર અંધારામાં લોકો મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે આ જોખમી પાળા પરથી પસાર થાય છે. ખાડી સફાઈ માટે દર વર્ષે કરોડો ફાળવાય છેસુરત મહાનગરપાલિકા દર ચોમાસા પહેલા અને વર્ષ દરમિયાન ખાડી સફાઈ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ પ્રિયંકા સોસાયટી પાસેની ખાડીની સ્થિતિ જોતા લાગે છે કે આ રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. ખાડીમાં પ્લાસ્ટિક અને કચરાના મોટા ઢગલા જોવા મળે છે. પાણી એકદમ સ્થિર અને ગંદુ હોવાથી ત્યાં મચ્છરો અને જીવાતોનો ભારે ઉપદ્રવ થયો છે. આસપાસની સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિઆ ગંદકીને કારણે આસપાસની સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાં સામે આરોગ્ય વિભાગ કેમ મૌન છે? મચ્છરોના લીધે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસો વધવાની પૂરી શક્યતા છે, છતાં ખાડી સફાઈની કામગીરી અહીં શૂન્ય સમાન છે. શ્રમિકોની સુરક્ષા બાબતે પણ કોન્ટ્રાક્ટર ગંભીર નથીમાત્ર રહીશો જ નહીં, પરંતુ ત્યાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા બાબતે પણ કોન્ટ્રાક્ટર ગંભીર નથી. સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે મજૂરોએ સેફ્ટી હેલ્મેટ, જેકેટ કે બૂટ જેવા અનિવાર્ય સાધનો પહેર્યા નથી. સરકારી નિયમો મુજબ નિર્માણ કાર્યમાં સેફ્ટીના સાધનો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોને નેવે મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે. ‘કોર્પોરેટરોએ રાત્રે અહીં આવીને બેસવુ જોઇએ’સ્થાનિક વિજય પાટીલે જણાવ્યું હતું કે, કોર્પોરેટર લોકોને મારી વિનંતી છે કે તમે થોડું કામને આગળ વધારો અને સુરત મહાનગરપાલિકાને કહો કે ભાઈ એ કામ જલ્દી કરાવો. ‘દરેક મુદ્દા પર પબ્લિક હેરાન છે’સ્થાનિક લોકોને જે તકલીફ 2-3 મહિનાથી છે, એ લોકને ખબર પડે કે આપણે અહિયાં મચ્છર કરડે છે કે નથી કરડતા, 2 મહિનાથી નાના નાના બાળકો બીમાર પડે છે, એ લોકોના દવાખાના ખર્ચ વધી ગયા છે. એ ગરીબ લોકો કઈ કઈ જગ્યા પર પૈસા પૂરા કરશે? તમારા દરેક મુદ્દા પર પબ્લિક હેરાન છે. ‘સ્થાનિક નેતા અને કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી’મારી વિનંતી છે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાને કે તમે અહિયાં વિઝિટ કરો અને થોડુંક લોકોને સમજાવો. ખાલી તમારા તંત્ર અને હાથમાં સત્તા છે એનો મતલબ એ નથી કે તમારે લોકોની સેવા નથી કરવાની. સેવા કરશો તો લોકો ઓળખશે અને અહિયાંના લોકોને એ પણ ખબર નથી કે અહિયાંના સ્થાનિક નેતા કોણ છે કે કોર્પોરેટર કોણ છે.
એજન્સીની બેદરકારીથી છાત્રો પરેશાન:SVNIT મેસના રસોઈયા રફુચક્કર થઈ જતાં 250 વિદ્યાર્થીઓ ભૂખ્યા રહ્યા
SVNITના ભાભા ભવનની મેસ-2માં રસોઈયાઓ અને એજન્સીનો મેનેજર કોઈને જણાવ્યા વિના રાતોરાત પલાયન થઈ જતાં 250 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગેરવ્યવસ્થાને કારણે જમવા પહોંચેલા વિદ્યાર્થીઓએ ભૂખ્યા રહેવું પડ્યું હતું અને હોબાળો મચાવતા વોર્ડન તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી ભાભા ભવનની જ બીજી મેસમાં ભોજન તૈયાર કરાવી વિદ્યાર્થીઓને જમાડ્યા હતા, જોકે આ અંધાધૂંધીમાં ભોજન એક કલાક મોડું મળ્યું હતું. એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છેમેસ એજન્સીની આ પ્રકારની ગંભીર લાપરવાહી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને સમયસર અને પૌષ્ટિક ભોજન મળે તે અમારી પ્રાથમિકતા છે. રસોઈયાઓ અને મેનેજરની પલાયન વૃત્તિ તેમજ અગાઉની ફરિયાદોને ધ્યાને લઈ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. > રાકેશ મૌર્ય, એસોસિએટ ડીન (સ્ટુડન્ટ વેલફેર), SVNIT વિદ્યાર્થીઓ નિરિક્ષણ કરી શકે
10 હજાર કાઉન્સેલર્સની ઓનલાઇન ટેસ્ટ થશે:વિદ્યાર્થીઓના કાઉન્સેલર કેટલા તૈયાર તે હવે એઆઇ નક્કી કરશે
સ્કૂલમાં ભણતા બાળકો માનસિક તણાવ કે મૂંઝવણના સમયે કાઉન્સેલરની મદદ લેતા હોય છે. જોકે, આ કાઉન્સેલર્સ પોતાની જવાબદારી નિભાવવા કેટલા સક્ષમ છે તેનું મૂલ્યાંકન હવે AI દ્વારા કરવામાં આવશે. CBSE દ્વારા સુરત સહિત દેશભરની સ્કૂલોના 10,000 કાઉન્સેલર્સ માટે ‘ઓનલાઇન રિમોટ ઇન્વિજિલેશન એક્ઝામ’ ફરજિયાત કરવામાં આવી છે. આ પરીક્ષા ‘DIGI-EXAM’ નામના AI પ્લેટફોર્મ પર લેવાશે. જેમાં પરીક્ષાર્થીની દરેક હિલચાલ પર ડિજિટલ નજર રાખવામાં આવશે, જેથી પ્રક્રિયા પારદર્શક રહેશે. મારા કામની વાતવિદ્યાર્થીઓ અને વાલીઓને થનારા ફાયદા
મધ્ય-પૂર્વમાં યુદ્ધને લઈ ઊર્જા કટોકટી ઊભી થતાં પાલિકાએ શહેરના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલેક્ટર અને અર્બન ડેવલપમેન્ટ વિભાગની સૂચના મુજબ હવે આગામી 4 અઠવાડિયા સુધી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ પાસેથી રોડ રિસ્ટોરેશન અને પરમિશન ચાર્જ વસૂલાશે નહીં, જેથી ગ્રાહકોને નવા જોડાણ ઝડપથી મળી રહેશે. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગેસ નેટવર્કના વિસ્તરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ચાર્જિસ માફ કરવા. આ સંદર્ભે ગત તા.16 અને 18 માર્ચના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ મળી હતી, બાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દ્વારા 20મી માર્ચે સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. મહાપાલિકાના તમામ ઝોનલ ચીફ અને વિભાગીય વડાઓને આ આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે. જો ગેસ કંપનીઓ દ્વારા રસ્તાનું રિપેરિંગ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો સંબંધિત એજન્સી સામે નિયમ અનુસાર પગલાં પણ લેવામાં આવી શકે છે. ઝોન કચેરીઓએ 1 દિવસમાં મંજૂરી આપવી પડશેઅધિકારી સૂત્રો મુજબ, નવા આદેશ પ્રમાણે, જે રસ્તા હાલ ‘ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ’ (DLP) હેઠળ છે, ત્યાં ખોદાણ માટે જે-તે ઝોન અથવા વિભાગે માત્ર 24 કલાક (દિન-1)માં જ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી ગેસલાઈન નાંખવાની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય. ગેસ કંપનીએ ગુણવત્તાની બાંયધરી આપવી પડશેપાલિકાએ જણાવ્યું હતું કે, આ રાહતો શરતોને આધીન આપવામાં આવી છે. ગેસ કંપનીઓએ રોડ રિસ્ટોરેશન ચાર્જ તો નથી ભરવાનો, પરંતુ ખોદકામ કરાયા બાદ રસ્તાને પૂર્વવત કરવાની જવાબદારી તેમની પોતાની રહેશે. આ સાથે જ ગેસ કંપનીઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ રસ્તાનું સમારકામ કરશે. જે-તે ઝોનના અધિકારીઓએ આ કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે.
વરાછા બેંકની ચૂંટણી:વરાછા બેંકની ચૂંટણીમાં 51 ઉમેદવારે ફોર્મ ભર્યાં, 5 એપ્રિલે મતદાન થશે
વરાછા કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ઉમેદવારી નોંધાવવા માટે 20 માર્ચ છેલ્લી તારીખ હતી અને તે દિવસ સુધીમાં કુલ 51 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. હાલની સ્થિતિ જોતાં બેન્કમાં ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ વધી છે. જો ચૂંટણી યોજાશે તો બેન્કના ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાશે. બેન્કની ચૂંટણી પ્રક્રિયા મુજબ 23 માર્ચના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ 24 માર્ચ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. એ જ દિવસે અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરાશે. ચૂંટણી 5 એપ્રિલે યોજાશે અને 7 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. બેન્કમાં પ્રથમ વખત ચૂંટણી થવાની સંભાવનાને કારણે સભ્યો અને ઉમેદવારોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. હવે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે કે ચૂંટણી થશે કે નહીં. બેન્કના જૂના ડિરેક્ટરો અને આગેવાનો દ્વારા ચૂંટણી ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જો કે, ચૂંટણી થશે કે, નહીં તે આવનારો સમય જ બતાવશે. ચૂંટણીનો કાર્યક્રમ
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:400 મિલો સપ્તાહમાં 2 દિવસ બંધ, ગેસની ખેંચથી રેસ્ટોરાં બંધ થવા માંડી
શહેરભરમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે નાના માણસો, દુકાન-રેસ્ટોરાંથી માંડીને મિલ માલિક સુધી તમામ વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પીએનજી પાઈપલાઈનની જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોટલ, રેસ્ટોરાં અને ચાની લારીઓ ચલાવતા નાના ધંધાર્થીઓને ગેસ મળતો નથી, જેથી અનેક જગ્યાએ ધંધા બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં 400 પ્રોસેસિંગ મિલોએ સપ્તાહમાં 2 દિવસ બંધ રાખવા નિર્ણય લીધો છે. મિલો માટે કોલસો મોંઘો મળતો હોવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જ્યારે મિલોના કાનદારોને રસોઈ માટે ગેસની બોટલો ન મળતાં સંચાલકો દ્વારા મિલોમાં જ રસોડાં શરૂ કરવાની ફરજ પડી છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર ગેસ સપ્લાય પર પડતાં હોટલ-રેસ્ટોરાં, લારીઓ, ટેક્સટાઈલ મિલો અને કારીગરો સહિત તમામ લોકો મુશ્કેલીનો સામના કરી રહ્યા છે. કામદારોને ઘર માટે ગેસ ન મળતાં પાંડેસરા અને સચિન GIDCના ઉદ્યોગકારોએ રસોડાં શરૂ કર્યાશહેરમાં જ્યાં પાઈપલાઈનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે ત્યાં ગેસની અછત નથી પરતું જ્યાં આ સુવિધા નથી ત્યાં સ્થિતિ કપરી બની રહી છે. શહેરના હોટલ-રેસ્ટોરાં એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલિયાએ કહ્યું હતું કે, ‘જ્ઞેસની અછતને કારણે મુશ્કેલી તો પડી જ રહી છે, પરંતુ ઘણી હોટલ રેસ્ટોરાંના સંચાલકો પોતાની રીતે પ્રત્યનો કરી રહ્યા છે. ગેસ લાઈન જલદી મળે તે માટે અમારી પાસે હોટલ-રેસ્ટોરાંની 40 અરજીઓ આવી છે, જે અમે ગુજરાત ગેસ કંપનીને આપી છે. વહેલી તકે જોડાણો મળે એવી અપેક્ષા છે.’ કામદારો પરિવાર માટે પાર્સલ પણ લઈ જાય છેપાંડેસરા જીઆઈડીસી એસો.ના પ્રમુખ કમલ તુલસ્યાએ કહ્યું કે, ‘એસોસિએશનની કેન્ટિન ચાલે છે, જેમાં સામાન્ય દિવસોમાં 2 હજાર લોકો ભોજન કરતા હતા, પરંતુ કારીગરોને ગેસની બોટલો ન મળતાં હાલમાં 5 હજારથી વધુ લોકોનું ભોજન જીઆઈડીસી કેન્ટીનમાં બની રહ્યું છે. કારીગરો જમીને પોતાના પરિવાર માટે પાર્સલો પણ લઈ જાય છે. અંદાજે 2000થી વધારે પાર્સલો જાય છે.’ ટેક્સટાઈલ મિલોની સ્થિતિ બોટલ ન મળતાં 40 રેસ્ટોરાંએ પાઇપ ગેસ માટે અરજી કરી, મોટા વેપારીએ લોચાની પાંચ બ્રાંચ બંધ કરવી પડીકોમર્શિયલ ગેસની અછતથી ઉદ્યોગો અને કામદારોની સ્થિતિ કફોડી બની છે. સચિન નોટિફાઈડના ચેરમેન મિતુલ મહેતાએ કહ્યું કે, ‘હાલ કારીગરોને બોટલોની સમસ્યા છે, જેથી અમારી 3 મિલોમાં રસોડા શરૂ કરાયા છે, જેમાં બપોર અને રાતનું ભોજન ફ્રીમાં અપાય છે. 100 લોકો ઘરે પાર્સલ પણ લઈ જાય છે.’ ગેસનો વધુ વપરાશ થતો હોય તેવી આઇટમો મેનુમાંથી ગાયબ થઈ ગઈ વેપારીઓના મંતવ્યો વેપાર ઓક્સિજન પર આવી ગયો છે‘5 દિવસ ચાલે તેટલો ગેસ છે. પરિચિતોને ફોન કરીને બોટલ માંગી છે, પણ ક્યાંયથી મળી નથી. હાલ અમારો વેપાર ઓક્સિજન પર છે.’ — દિપ્તી ઠક્કર, દિપ્તી દિલખુશ દાબેલી, અલથાણ 20માંથી 5 બ્રાંચ બંધ કરવી પડી ‘અમારી 20 બ્રાંચ છે, પરંતુ હાલ ગેસની સમસ્યાને કારણે અમારી 5 બ્રાંચ હાલ પૂરતી બંધ કરી છે, જ્યારે અમુક બ્રાંચમાં ઈલેક્ટ્રિક ઓવનની વ્યવસ્થા કરવી પડી છે.’ — ગોલાપભાઈ, ગોપાલ લોચા લાઈવ વાનગીનો ભાવ વધારાશે ‘ગેસની અછતથી મુશ્કેલી પડી રહી છે. કેફેના મેનુમાં 300થી પણ વધારે વાનગીઓ છે. લાઈવ વાનગીઓના 5% ભાવ વધારવા વિચારી રહ્યા છીએ.’ — લાલજી આહીર, જલારામ ફૂડ કેફે
સુરત એરપોર્ટ પર 7 વર્ષ પહેલાં શરૂ થયેલી સુરત-શારજાહ ફ્લાઇટ કાયમ માટે બંધ થવા જઈ રહી છે. તેનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ફ્લાઇટ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે 27 ફેબ્રુઆરીથી જ રદ છે. લાંબા પ્રયત્નો બાદ 16 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઉડાન શરૂ કરવામાં આવી હતી. હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ (IX 273) અને દુબઈ-સુરત (IX 274) ની સાથે-સાથે ઇન્ડિગોની સુરત-દુબઈ (6E 1507) અને દુબઈ-સુરત (6E 1508) ફ્લાઇટ પણ અત્યારે બંધ છે. આવા સમયે સુરત-શારજાહ ફ્લાઇટ કાયમી ધોરણે બંધ થવી એ મુસાફરો માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે. સુરતથી માત્ર દુબઈ માટે જ સેવા ચાલુરાખવા એરલાઈનનો નિર્ણયસૂત્રો અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે સુરતથી માત્ર દુબઈ માટે જ પોતાની સેવા ચાલુ રાખવા માંગે છે, જેથી શારજાહ રૂટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયથી સ્થાનિક મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરતવાસીઓની માંગ છે કે, આ ફ્લાઇટને બંધ કરવામાં ન આવે અને વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે. તેમનું માનવું છે કે આ ફ્લાઈટ માત્ર સુવિધા જ નહોતી આપતી, પરંતુ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખને પણ મજબૂત બનાવતી હતી. મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હતો છતાં બંધ કરવા નિર્ણયWWWAS ના સભ્ય સંજય જૈને આ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ માત્ર મુસાફરીનું સાધન નહોતી, પરંતુ સુરતવાસીઓની લાગણીઓ સાથે જોડાયેલી હતી. તેમણે ઉમેર્યું કે આ ફ્લાઇટને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હતો અને તેનું બુકિંગ પણ સંતોષકારક હતું તેમ છતાં તેને બંધ કરવી એ એક દુઃખદ નિર્ણય છે.
નકલી યોગગુરુની કરાશે સઘન તપાસ:પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીના ઘરે તપાસ માટે ટીમ આજે સુરતમાં
રૂ. 500ની નકલી નોટોના કારોબારમાં પકડાયેલા સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીના ઘરે સર્ચ કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સૂરત જશે. જોકે સાતેય આરોપીને સાથે રાખીને સૂરત લઈ જવામાં જોખમ હોવાથી પોલીસ આરોપીઓને સાથે રાખ્યા વગર જશે. ક્રાઈમ બ્રાંચ સોમવારે ઈડી અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરશે. પોલીસ કમિશનરે શનિવારે ક્રાઇમ બ્રાંચમાં જઈને સાતેયની પૂછપરછ કરી હતી. આ નકલી નોટ સુરત સરથાણામાં રહેતા મુકેશ ઠુમ્મરના ઘરે છપાતી હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડતાં નોટ છાપવાનું મશીન, કટર મશીન તેમજ નોટ છાપવાનો કાગળ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે મુકેશ સિવાયના અન્ય 6 આરોપીના ઘરે સર્ચ બાકી છે. આથી રવિવારે ટીમ સુરત જશે. જોકે સાતેય આરોપીઓ વગદાર હોવાથી તેમને સાથે લઈને જવા હિતાવહ નહીં હોવાથી તેમને સાથે રાખ્યા વગર જ પોલીસ સૂરત તપાસ માટે જશે. જ્યારે આરોપીઓ નકલી નોટો છાપીને વહેતા કરવાની સાથે પૈસા બ્લેક એન્ડ વ્હાઈટ કરવાનું પણ રેકેટ ચલાવતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા આ અંગે સોમવારે ઈડી અને આઈટીને પણ લેખિતમાં જાણ કરવામાં આવશે. જેથી આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાંચની સાથે આ બંને એજન્સીઓ પણ આ સાતેય આરોપીઓની તપાસ કરશે. નકલી નોટમાં પણ 12થી વધુ સિક્યુરિટી ફિચર્સ હતાંસ્ટેશનરી પેપરની આડમાં કરન્સી પેપર આવતા હતા. પ્રદીપ અને ટોળકી જે નકલી નોટો બનાવી હતી, તેમાં 12થી વધુ સિક્યુરિટી ફિચર્સ હતા. જેના માટે તેમણે એઆઈ તેમજ ચેટ જીટીપીની મદદ લીધી હતી. જ્યારે ચાઈનાથી અત્યારસુધીમાં સ્ટેશનરી પેપરની આડમાં 3 વખત કરન્સી પેપર આવ્યા હતા. જ્યારે પેપરનું એક કન્સાઈમેન્ટ રૂ.1.50 લાખમાં આવતું હતું. પ્રદીપ જાન્યુઆરીમાં કરન્સી પેપર લેવા ચીન ગયો હતોપોલીસને જાણવા મળ્યું હતું કે નોટ માટેનો કરન્સીનો કાગળ લેવા માટે પ્રદીપ ગુરુજી જાન્યુઆરી મહિનામાં ચાઈના ગયો હતો. ત્યાં તે 5 દિવસ સુધી રોકાયો હતો અને કરન્સી નોટની ડિલ કરતા એજન્ટો સાથે મીટીંગ કરી હતી. આ સાથે તેણે ચાઈનામાં ગંગજાઉ અને કીંગડાઉ વિસ્તારની મુલાકાત લીધી હતી.
વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી:ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝાના બહાને 16 લાખની ઠગાઈ
મુંબઈના એરક્રેન ઓવરસીસના 2 ભાગીદાર અને મૅનેજરે 6 ગ્રાહકને ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝા અપાવવાના બહાને રૂ. 16 લાખ લીધા હતા. જોકે 3થી 4 મહિનામાં 100 ટકા વિઝા અપાવવાની બાંહેધરી આપી હોવા છતાં દોઢ વર્ષ પછી પણ વિઝા આવ્યા નહોતા. આથી ઘાટલોડિયા પોલીસે કંપનીની મહિલા સહિત 2 ભાગીદાર અને મૅનેજર સાથે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નારણપુરાના વિઝા સલાહકાર દેવાંગ ઉપાધ્યાયે મુંબઈની વિઝા કન્સલ્ટન્ટી આરક્રેન ઓવરસીસના માલિક સોનાલી ચંદાણી, દિશાંત મણિયાર અને મૅનેજર રાફેલ રાજપૂત સાથે વિઝા માટે વાત કરી હતી. ત્રણેયે 3થી 4 મહિનામાં વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરીને વિઝાની કૉપી બતાવી હતી. આથી દેવાંગભાઈએ તેમના 6 ગ્રાહકના વિઝાની ફાઈલ આપી હતી સાથે જ રૂ. 16 લાખ આપ્યા હતા. જોકે દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં દેવાંગભાઈના 6 ગ્રાહકના વિઝા આવ્યા ન હતા.
સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યનો આક્ષેપ:ગાર્ડનમાં પાણી છાંટીને પ્રદૂષણ ઓછું દેખાડવાનો મ્યુનિ.નો ખેલ
અમદાવાદમાં વધતા પ્રદૂષણ મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિ. તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, તંત્ર ચાર રસ્તાને બદલે ગાર્ડનમાં પ્રદૂષણ માપવાના યંત્રો લગાવી, ત્યાં પાણીનો છંટકાવ કરી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નીચો બતાવી ગેરમાર્ગે દોરે છે. મુંબઈની જેમ તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર ‘મીસ્ટ મશીન’ અને ધૂળ રોકવા પાણીનો છંટકાવ ફરજિયાત કરવાની તેમણે માંગ કરી છે. બેઠકમાં ધારાસભ્ય કૌશિક જૈને પણ કાલુપુરથી દિલ્હી દરવાજા સુધીના ટ્રાફિક નિવારણ માટે નવો બ્રિજ બનાવવાની ફરી માગણઈ કરી હતી.
લ્યો બોલો!:શહેરમાં કેટલા એલપીજીધારકો? પુરવઠાવિભાગ પાસે આંકડા નથી
એલપીજીની અછત વચ્ચે અમદાવાદ પુરવઠા વિભાગ અને કલેક્ટર કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કુલ કેટલા એલપીજી સિલિન્ડર ધારકો છે તેના સ્પષ્ટ આંકડા જ નથી. કટોકટી સમયે આંકડા ન હોવાના કારણે પુરવઠા વિભાગ અને કલેક્ટર કચેરી પાસે માઇક્રો પ્લાનિંગની જરૂર છે પણ થઇ શકતું નથી. સિલિન્ડર બુક કરાવ્યાના 15 દિવસ બાદ પણ લોકોને મળતા નથી. આ અંગે પુરવઠા વિભાગના નાયબ કલેક્ટરને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે મારી પાસે આવી કોઇ આંકડકીય માહિતી નથી તમે કલેક્ટર પાસેથી મેળવી શકો છો. કલેક્ટર સુજીત કુમારને જવાબ નથી આપવું તેથી તેઓએ કહ્યું અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગરને મળી લો. અને અધિક નિવાસી કલેક્ટર જણાવે છે કે આ માહિતી પુરવઠા વિભાગ પાસે હોય અમારી પાસે ન હોય. ડેટા હોય તો રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બને ત્રણેય ગેસ કંપનીએ આંકડા આપવાની ના પાડીમારી પાસે એલપીજી ધારકોના ચોક્કસ આંકડા નથી. ત્રણેય ગેસ કંપની પાસે માહિતી માગી હતી પણ તેમણે ના પાડી. તમે કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકો છો. - સરયુ ઝણકાર, નાયબ કલેક્ટર, પુરવઠા વિભાગ, અમદાવાદ
ટ્રાન્સપ્લાન્ટ બાદની જીવનરક્ષક દવા પર સવાલ:ડોક્ટરોનો પત્ર - ટેક્રોલિમસથી આડઅસર થાય છે
સિવિલની કિડની હોસ્પિટલ (આઈકેડીઆરસી)માં કિડની, લિવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને અપાતી ટેક્રોલિમસ નામની દવાની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં ખામી અંગે હોસ્પિટલના ડોક્ટરોએ ડિરેક્ટરને પત્ર લખીને દવાની બ્રાન્ડ બદલવાની માગ કરતાં વિવાદ સર્જાયો છે. જોકે ડોક્ટરોએ લખેલા પત્રમાં કઈ કંપનીની દવાથી, કેટલા દર્દીને આડઅસરનો કોઈ ઉલ્લેખ નથી. જોકે 1 એપ્રિલથી અલગ અલગ ડોઝની એક જ કંપનીની દવા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરી હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું છે. આઈકેડીઆરસીના ડોક્ટરોએ પત્ર લખીને જણાવ્યું હતું કે, દર્દીને અપાતી ટેક્રોલિમસ દવાની આડઅસરથી લોહીમાં દવાનો ઓછો સ્તર જરૂરી માત્રા કરતાં ઓછો હોવાથી કિડની રિજેક્શનનું જોખમ, દવાનો ડોઝ વધારવાથી શરીરમાં ઝેરી અસર, હોસ્પિટલમાં લાંબું રોકાણ તેમ જ દવાની અસર બરાબર ન થવાને કારણે દર્દીઓને વધુ હોસ્પિટલાઇઝેશનથી આર્થિક બોજ વધે છે. પત્ર લખનારામાંથી 1 ડોક્ટર કંપની માટેની પસંદગી કમિટીમાંટેક્રોલિમસ દવાના ટેન્ડર અને બીડની ચર્ચા કરવામાં, દવાની આડઅસર અંગેના પત્રમાં સહી કરનારા ડોક્ટર જ એક્સપર્ટ તરીકે છે. ટેન્ડર પાસ થયા બાદ 1 એપ્રિલથી એક જ કંપની દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ડોક્ટર, દર્દીની બેદરકારથી ડોઝમાં વધઘટથી આડઅસરઆ એવી દવા છે, જેમાં ડોક્ટર, દર્દીની બેદરકારીથી ડોઝમાં સહેજ વધારો કરાય તો ટોક્સિક લેવલ વધી જાય છે. ડોઝમાં ઘટાડો કરવાથી સામાન્ય કરતાં એકદમ લેવલ ઓછું થઈ જાય છે. એનો અર્થ એવો નથી કે આ દવા ખરાબ છે. - ડો. પ્રાંજલ મોદી, ડિરેક્ટર, આઈકેડીઆરસી કઈ કંપનીની દવા ખરાબ છે? તે ડોક્ટરોએ સ્પષ્ટ ન કર્યુંહોસ્પિટલમાં વપરાતી કોન્કર્ડ, ઇન્ટાસમાંથી કઈ કંપનીની દવા ખરાબ છે તેનો પત્રમાં ઉલ્લેખ નથી. બે કંપનીમાંથી કઈ કંપનીની દવા ખરાબ છે, કેટલાને આડઅસર થઈ તે પૂછતાં ડોક્ટરોએ ચુપકીદી સાધી લીધી હતી.
વેધર રિપોર્ટ:ગરમી 3 ડિગ્રી વધી, સોમવારથી ફરી 3 દિવસ માવઠાંની વકી
અમદાવાદમાંથી શનિવારથી વાદળોનું પ્રમાણ અને ઠંડા પવનનું જોર ઘટતાં એક જ દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઉંચકાઈને 34.2 ડિગ્રી નોંધાયો હતો. આગામી 24 કલાકમાં ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા હોવાથી સોમવારથી ફરી 3 દિવસ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ઝાપટું કે ભારે પવન ફૂંકાઈ શકે છે22 માર્ચે સક્રિય થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબ અને રાજસ્થાન પરથી પસાર થવાની જે શક્યતા છે, જે 18 માર્ચે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરતાં વધુ મજબૂત રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ભેજ અને વાદળોને કારણે હળવું ઝાપટું કે પવન ફૂંકાઈ શકે છે. એ.ટી. દેસાઈ, હવામાન નિષ્ણાત
શહેરના લોકોને મળતું પીવાનું પાણી સાત તબક્કાની વૈજ્ઞાનિક પ્રક્રિયા બાદ પૂરું પાડવામાં આવે છે. મ્યુનિ. પાસે જાસપુર, રાસ્કા, કોતરપુર એમ ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેની કુલ ક્ષમતા 17.5 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક પાણી વપરાશ આશરે 17.1 કરોડ લિટર છે. નર્મદા કેનાલમાંથી આવતું રો-વોટર સૌપ્રથમ જાળીઓમાંથી પસાર કરાય છે, જેથી ઘાસ, લાકડાં, કપડાં સહિતની અશુદ્ધિઓ દૂર થાય. ત્યાર બાદ પાણીમાં રહેલી ટર્બિડિટી ઘટાડવા ફટકડીનો ઉપયોગ થાય છે, જેથી સૂક્ષ્મ કણો એકબીજા સાથે જોડાઈ મોટા કણોમાં ફેરવાય છે. પછી પાણી ફ્લોક્યુલેટર અને ક્લેરિફાયર પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ તળિયે જમા થાય છે અને સ્લજ અલગ કરાય છે. ત્યાર બાદ પાણી ફિલ્ટર યુનિટમાં મોકલી સેન્ડ અને ગ્રેવેલ બેડ દ્વારા બાકી રહેલાં કણો પણ દૂર કરાય છે. બાયોલોજિકલ ઈમ્પ્યુરિટીઝ દૂર કરવા લિક્વિડ ક્લોરિન દ્વારા પ્રી-ક્લોરિનેશન, ઇન્ટરમીડિયેટ ક્લોરિનેશન અને પોસ્ટ-ક્લોરિનેશન એમ 3 તબક્કાની પ્રક્રિયા કરવામાં આવે છે. 1750 MLDમાંથી હવે માત્ર 80 MLD પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવે છેઅમદાવાદમાં રોજ 1750 એમએલડી પાણીના સપ્લાય પૈકી હવે માત્ર 80 એમલએડી ભૂગર્ભમાંથી લેવાય છે, જ્યારે 1700 એમએલડીનો જથ્થો નર્મદા અને શેઢી નદીના સરફેસ વોટરનો છે. વર્ષ 2030 સુધીમાં જરૂરિયાત 2450 એમએલડી પહોંચશે, જે માટે જાસપુર ખાતે કામગીરી ગતિમાં છે. જાન્યુઆરી 2027થી શહેરમાં વધારાનું 200 એમએલડી પાણી મળતું થશે. ગોતાથી સરખેજ પટ્ટામાં અગાઉ 2200 ટીડીએસનું ક્ષારયુક્ત પાણી પીવાતું હતું, જે હવે 180 ટીડીએસ ધરાવતું શુદ્ધ નર્મદાનું નીર બની ગયું છે. જળ સંચય માટે મ્યુનિ.ની 325 બિલ્ડિંગો અને વિવિધ ઝોનની સોસાયટીઓમાં પરકોલેશન વેલ દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ કાર્યરત છે. - દેવાંગ દરજી, એડિશનલ ચીફ એન્જિનિયર, વોટર પ્રોડક્શન પાણીના શુદ્ધીકરણના આ મુખ્ય તબક્કા છે
રાંધણ ગેસની તંગીની અસર:: આંબલી સ્ટેશને તૈયાર રેલ કોચ રેસ્ટોરાંનું લોકાર્પણ ન થઈ શક્યું
અમદાવાદના આંબલી રોડ રેલવે સ્ટેશન પર શહેરની પ્રથમ ‘રેલ કોચ રેસ્ટોરાં’ તૈયાર થઈ ગઈ છે. રેલવેના જૂના કોચને આધુનિક ડિઝાઇન આપી અહીં મુસાફરી વગર જ ચાલતી ટ્રેન જેવો અનુભવ આપતું ડાઇનિંગ સ્પેસ બનાવાયું છે. વૈશ્વિક સ્થિતિને કારણે કોમર્શિયલ ગેસ સપ્લાયમાં મુશ્કેલી પડતા તેનું લોકાર્પણ મુલતવી રખાયું હતું, ગેસની સમસ્યા દૂર થતાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ રેસ્ટોરાં 24 કલાક ચાલુ રહેશે, જ્યાં મુસાફરો અને સ્થાનિકો ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણી શકશે. અહીં ઇનડોર-આઉટડોર ડાઇનિંગની સાથે બાળકો માટે ફન ઝોન અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ છે. આગામી સમયમાં ગાંધીગ્રામ, સાબરમતી અને મહેસાણા જેવા સ્ટેશનો પર આ પ્રકારની રેસ્ટોરાં શરૂ કરવાની યોજન છે. બાળકો માટે ફન ઝોન, સેલ્ફી પોઈન્ટ હશે
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે હવે સાઇબર ગઠિયાએ ઓનલાઇન ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી શરૂ કરી છે. સાઇબર ગઠિયા લોકોને સસ્તા ગેસ અથવા તો કોઈ પણ ઓફરના બહાને વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજથી એપીકે ફાઇલ મોકલે છે. એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરતા જ ફોન હેક થઈ જાય છે અને તમામ ડેટા, બેંક ડિટેલ, ઓટીપી, ફોટો સહિતની માહિતી સાઇબર ગઠિયા પાસે જતી રહે છે, જેના આધારે તેઓ બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે તેમ જ ફોટોનો દુરુપયોગ કરે છે અથવા તો કોન્ટેક્ટમાં રહેલા લોકોને ફ્રોડ મેસેજ મોકલે છે. સાઇબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ એપીકે ફાઇલ અથવા તો અજાણ્યા નંબર પરથી આવતી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉન લોડ કરવી નહીં. ભૂલથી ઇન્સ્ટોલ થઈ હોય તો તેને અનઇન્સ્ટોલ કરી દેવી. સમજીએ... કેવી રીતે ફોન હેક કરીને છેતરપિંડી થાય છે APK ફાઈલ ઈન્સ્ટોલ કરવાથી ફોન હેક થઈ જાય છે અને કંટ્રોલ ઠગના હાથમાં જતો રહે છેસાઇબર ક્રાઇમ પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, નેશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવવાની શરૂ થઈ ચૂકી છે, જેથી લોકોને સાવચેત કરવા માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. મારા કામની વાતછેતરાતા બચવા આટલું કરો
બેલા ટીંબલાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થયો:બરવાળાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, કિશોરનું મોત, 2 ઘાયલ
બરવાળા તાલુકાના બેલા ટીંબલા ગામથી અડધો કિમી દૂર વાડી વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ફટકડાંમાં દારૂખાનું ભરવાના મશીનમાં એકાએક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 15 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે 17 વર્ષના કિશોર અને ફેક્ટરીનો માલિક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ સારવાર હેઠળ ખસેડાયો હતો. ઘટના બની ત્યારે 10 શ્રમિકો કામ કરી રહ્યાં હતા. બરવાળા તાલુકાના બેલા ટીંબલા ગામથી અડધો કિમી દૂર વાડી વિસ્તારમાં રાણપુરના ગુંદા ગામના ભુપતભાઇ ગીરજાશંકર વ્યાસની ફટકડાં બનાવવાની ફેક્ટરી આવેલી છે. અહીં એક નાનારૂમમાં દારૂ ખાનાનું રો-મટીરિયલ રાખવામાં આવ્યું હતું. 50 ફૂટ દૂર એક રૂમમાં પેકેજિંગ અને સંગ્રહ કરવામાં આવતો હતો. 21 માર્ચે સવારે ફેક્ટરીમાં કામ કરતાં ઇલાબેનના દિયરનો દીકરો જયદીપ સેંથળા (ઉ.વ.17) અને હાર્દિક સોલંકી ટિફીન આપવા આવ્યા હતા. શ્રમિકો જમવા બેઠાં હોવાથી બે બાળકોને ભુપતભાઇ ફેક્ટરી બતાવવતા હતા. જેઓ રો-મિટિરીયલ રાખવામાં આવ્યો તે રૂમમાં ઉભા હતા. ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં 100 મીટર દૂર ફેંકાયા હતા. આ બ્લાસ્ટમાં 15 વર્ષિય હાર્દિકભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયદીપભાઇ શરીરે 90 ટકા દાઝી જતાં ભાવનગર સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ફેક્ટરીના માલિકની સ્થિતિ નાજૂક હોવાથી ભાવનગરથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક હાર્દિક મામાના ઘરે વેકેશનમાં આવ્યો હતો હાર્દિક સંજયભાઇ સોલંકી (ઉ.વ.15)ની ધો.10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં મામાના ઘરે વેકેશનમાં આવ્યો હતો. તે મિત્ર સાથે ટિફિન આપવા ફેક્ટરી પર ગયો હતો. 1970થી ફેક્ટરી કાર્યરત, 31 માર્ચે લાયસન્સ રિન્યૂ થયું હતુંઆ અંગે બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરીના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં ફટાકડાંનું ઉત્પાદન થતું હતું. વર્ષ 1970થી આ ફેક્ટરી કાર્યરત છે. તા.31 માર્ચ 2026 સુધી રિન્યૂ પણ થયેલું છે. ઘટનાના કારણ અંગે પ્રત્યક્ષદર્શી ફેક્ટરીમાં કામ કરતાં ઇલાબેનના સંબંધીએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી અહીં હાથથી ફટાકડાં બનાવવામાં આવતાં હતા. તાજેતરમાં જ નવુ મશીન લવાયું હતું. તે મશીનમાં જ સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો છે.
2 કરોડ રૂપિયાની બોગસ નકલી નોટ સાથે પકડાયલા કામરેજના સત્યમ યોગ ધામ આશ્રમના પ્રદીપ ગુરુજીનું આખેઆખુ આશ્રમ જ ગેરકાયદે હોવાનું અને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા બાબતે ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી. ગ્રામ પંચાયતે નોટિસમાં એમ પણ લખ્યું હતું કે, તમારા આશ્રમમાં મોડી રાત્રે બહારથી સ્ત્રીઓ આવે છે. ધોરણ-પારડી ગ્રામ પંચાયતે પ્રદીપ દિલીપભાઈ જોંટગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનેના આશ્રમને લેખિતમાં નોટિસ ફટકારી જણાવ્યું હતું કે, તમારા દ્વારા જે આશ્રમમાં બનાવવામાં આવ્યું છે તે કોઈપણ જાતની પરવાનગી વગર બનાવાયું છે. રાત્રિના સમયે સ્પીકરના અવાજથી આજુબાજુના લોકોને ત્રાસ થાય છે. રાત્રે સ્ત્રીઓ પણ બહારથી આવીને આશ્રમમાં કાર્યક્રમમાં ભાગ લે છે, તેવી રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે. કાર્યક્રમો કરવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે એટલે તમારા દ્વારા આ પરવાનગી લેવામાં આવી છે કે નહીં તેની જાણ ગ્રામ પંચાયતને કરવાની રહેશે. આશ્રમ પાસે કાર્યક્રમ સમયે આવતા લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરે છે જેના કારણે ગ્રામજનોને પણ તકલીફ થાય છે. આ બાબતે જ્યારે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આશ્રમ દ્વારા 1000 લોકો બોલાવીને મારવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત આશ્રમમાં આવતા કેટલાક મોટા વાહનોના કારણે પંચાયતની પાણીની લાઇન અને ગટરલાઇન પણ તોડી નાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતે લોકોને નડતરરૂપ થાય તેવા કોઈપણ કાર્યક્રમો નહીં કરવા માટે અને કરે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:કડીમાં જીએસટી અધિકારીઓનો ખેલ; 100 કરોડની જમીન 25 કરોડમાં વેચવાનો કારસો
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા વેચાણવેરાની બાકી રકમની વસુલાતના નામે કિંમતી જમીન વેચી મારવાનો કારસો સામે આવ્યો છે. અધિકારીઓએ વેચાણવેરા સમયની ચાર કંપનીઓ સામે રૂ.18 કરોડથી વધુની બાકી વસૂલાતના નામે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કડી તાલુકાના ચાંદરડા ગામની કંપનીની 100 કરોડ રૂપિયાની જમીન ટાંચમાં લઈને 25 કરોડ રૂપિયામાં વેચી મારવા માટે આ કારસો ઘડાયો હતો. જો કે આખું ભાંડો ફૂટી જતા અધિકારીઓ ભીંસમાં આવ્યા છે. મધુ રિફોઇલ એન્ડ કેમિકલ લિમિટેડ, પ્રાચી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ કંપની, પ્રભુ ક્રિએશન અને પ્રાચી ઇન્ડસ્ટ્રીઝ સામેની જૂની રિકવરી બાબતે વિભાગે સર્વે નં. 59 અને 84 હેઠળ આવેલી બિનખેતી જમીન કબ્જે લીધી હતી. બજાર મૂલ્ય અંદાજે રૂ. 100 કરોડથી વધુ ગણાતી આ જમીન માત્ર રૂ. 25 કરોડમાં હરાજી કરવાની સાંઠગાંઠ રચાઈ ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવો ગોટાળો?આ સમગ્ર પ્રકરણમાં કડીના રાજ્યવેરા અધિકારીની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની ચર્ચા જોર પકડી રહી છે. જો નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો રૂ. 100 કરોડની જમીન રૂ. 25 કરોડમાં પધરાવવાનો મસમોટો ગોટાળો બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં જ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે, પરતુ્ં સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે તપાસ કરવી જોઇએ. કારણ કે અહીં અધિકારીઓએ સત્તાનો સરેઆમ દુરુપયોગ કરીને મોટું ષડયંત્ર રચ્યું હતું. વાંચો શું છે આ ષડયંત્ર... કોણ-કોણ સામેલ અને હવે શું?માલિક વિદેશમાં હોવાનો લાભ લીધો, જીએસટી વિભાગમાં અંદરખાને ગોટાળો ?જેનો કરવેરો બાકી છે તેવા જમીન માલિક વિદેશમાં હોવાનો લાભ લઈને કેટલાક અધિકારીઓએ મળતીયાઓને લાભ થાય તે રીતે હરાજી પ્રક્રિયા ગોઠવી હતી. નિયમિત જાહેરાત અને બીડ પ્રક્રિયાની આડમાં મળતીયાઓને ફાયદો કરાવવાની અહીં તૈયારી કરી લેવાઇ હતી. જમીન પર બેંકનો બોજો હોવા છતાં હરાજી પ્રક્રિયા આગળ વધારવામાં આવી. બેંકને જાણ થતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો. કાયદાકીય રીતે બોજાવાળી મિલ્કતની હરાજી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આ જમીન પર જીએસટી વિભાગ સિવાય બેંકના નાણાં પણ ચૂકવવાના બાકી હતા, હરાજીમાં ભાગ લેનાર ભાગીદારોની પીછેહઠહરાજીમાં સામેલ ત્રણ પૈકી બે ભાગીદારો બેંક બોજાની જાણ થતા તાત્કાલિક હટી ગયા હતા. બાકી રહેલા એક પાર્ટનર પાસે રૂ. 25 કરોડની જોગવાઈ ન હોવાથી જમીન રૂ. 40 કરોડના શરતી સોદાથી ત્રીજા વ્યક્તિને વેચવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે- જે સમગ્ર સોદાને વધુ શંકાસ્પદ બનાવે છે. જો કે આ બધુ જ પ્રી પ્લાન હોવાનું ધીમે ધીમે સામે આવી રહ્યું છે. ત્રીજી હરાજીમાં ‘મળતિયા’ મેદાનમાં ?પહેલી બે હરાજીમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા ત્રીજી હરાજીમાં વિભાગના જ લોકો દ્વારા ગોઠવાયેલી ત્રણ વ્યક્તિને ઉભા કરાયા હોવાના આક્ષેપો છે. માત્ર રૂ. 1 કરોડ જમા લઈ બાકીની રકમ માટે મુદત આપવી પણ સવાલો ઊભા કરે છે. કોઇ પણ હરાજીમાં સરકારમાં પૈસા ભરવા એક સમય મર્યાદા હરાજી પહેલા જ નક્કી થતી હોય છે અને તેની વિગતો ડોક્યુમેન્ટમાં દર્શાવવાની હોય છે. હરાજી પ્રક્રિયા અટકાવવા હાઇકોર્ટનો સહારોજમીન માલિક તરફથી હરાજી અટકાવવા હાઇકોર્ટનો સહારો લેવાયો છે. માલિકની ગેરહાજરી અને તેમના પ્રતિનિધિને સત્તાવાર માન્યતા ન આપવી પણ વિવાદનું કેન્દ્ર છે. બીજી તરફ કરોડોની જમીન મફતના ભાવે પધરાવી દેવાનો ગોટાળો ચર્ચાસ્પદ બન્યો છે. અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદઆ સમગ્ર ઘટનામાં રાજ્યવેરા અધિકારીની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. જો આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો મોટાપાયે કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ મામલે તપાસ થશે: ચીફ કમિશનર‘સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર આરતી કંવરે જણાવ્યું કે ‘ડિપાર્ટમેન્ટની રિકવરીના કેસમાં જમીન ટાંચમાં લીધી હોય તો માર્કેટ રેટ કરતા ઓછી કિંમતમાં હરાજી કરી શકાય નહીં. જો કઈ ખોટું થયું હશે તો આ મામલે હું તપાસ કરાવીશ.’
દામનગર તાબાના હજીરાધાર ગામની સીમમાંથી એક પશુપાલકનો મૃતદેહ પાંચ માસ પહેલા પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. જે તે સમયે વૃદ્ધનું ખાડામાં પડી જવાથી મોત થયાનું મનાતું હતું. પરંતુ આ બનાવ લૂંટના ઈરાદે હત્યા થયાનું ખુલ્યું છે. જેને પગલે પોલીસે દામનગરના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેણે ચાંદીના કડા માટે વૃદ્ધને ખાડામાં ડુબાડી મારી નાખ્યા હતા. વૃદ્ધના મોતની આ ઘટના પાંચેક માસ પહેલા દામનગર તાબાના હજીરાધાર ગામે ગત તારીખ 15/7/25ના રોજ બની હતી. જ્યાં દાનાભાઈ ધનાભાઈ કાનમિયા નામના પશુપાલક વૃદ્ધનું મોત થયું હતું. બનાવના દિવસે તેઓ ઢોર લઈ સીમમાં ચરાવવા માટે ગયા હતા અને બાદમાં પાણીના ખાડામાંથી તેમની લાશ મળી હતી. જે તે સમયે તેઓ પાણીના ખાડામાં પડી ગયા હોવાથી ડૂબી જવાથી મોત થયાનું મનાતું હતું. જોકે દામનગરના પીઆઈ સી. એન. દવે અને તેની ટીમની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે. આ હત્યા દામનગરના અર્જુન ગોરધનભાઈ નાવડીયા, હાર્દિક ઉર્ફે બાવલો ગોરધનભાઈ નાવડીયા અને કિશન ભુપતભાઈ પરમાર નામના શખ્સોએ કરી હોવાનું ખુલ્યું છે. બનાવના દિવસે મૃતક દાનાભાઈ પશુ ચરાવતી વખતે પુલ પાસેના રોડ પર બેઠા હતા ત્યારે ત્રણેય શખ્સો ત્યાંથી નીકળતા તેમણે દાનાભાઈના હાથમાં ચાંદીના કડા પહેરેલા જોયા હતા. જેને પગલે તેમણે લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું. ત્રણેય શખ્સોએ વૃદ્ધને પકડી લઈ ચોમાસાની સિઝનમાં બાજુમાં ચેકડેમ અને વોંકળામાં પાણી ભરેલું હોય ત્યાં લઈ જઈ વૃદ્ધને ડુબાડી દીધા હતા અને તેમની માથે બેસી ગયા હતા. વૃદ્ધનું મોત થયા બાદ તેમણે હાથમાં પહેરેલા 200 ગ્રામ વજનના ચાંદીના બે કડા લૂંટી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે સૌપ્રથમ શંકાના આધાર પર ત્રણેયને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરતા ત્રણેય જણાએ હત્યા અને લૂંટ કર્યાની કબુલાત આપી હતી. દામનગર પોલીસે તેમની પાસેથી બે બાઇક સહિતનો મુદ્દા માલ કબજે લીધો છે. હાથમાં કડા ના હોવાથી હત્યાની શંકા ઊભી થઈ હતીબનાવના દિવસે મૃતક દાનાભાઈના હાથમાં ચાંદીના કડા પહેરેલા હતા. પરંતુ જ્યારે લાશ મળી ત્યારે તેમના હાથમાં ચાંદીના કડા ન હોય બનાવો હત્યાનો પણ હોય શકે તેવી શંકા ઊભી થઈ હતી. જે આજે સાચી ઠરી હતી.
અશોક ખરાત પ્રકરણ અંગે છગન ભુજબળનું નિવેદન:રાજકારણીઓએ પોતાની મર્યાદા આંકવી જોઈએ
રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા મંત્રી છગન ભુજબળે અશોક ખરાત પ્રકરણની પોલીસ તપાસમાં બધી હકીકત સ્પષ્ટ થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. રાજકારણ અને સમાજકારણમાં લોકોએ આ બાબતમાં પોતાની અમુક મર્યાદાઓ આંકવી જોઈએ, કારણ કે આપણે જે પણ કરીએ તેની સીધી અસર જનતા પર પડે છે. રૂપાલી ચાકણકરે કશું ખોટું કર્યું હોય તો પોલીસ જોઈ લેશે. મંદિરોમાં જઈને ધ્યાન કરો, યોગા કરો, કસરત કરો, દર્શન કરો. સમાજમાં સારાં કામ કરનારા ગુરુજીઓ છે. તેઓ સમાજની મનઃપૂર્વક સેવા કરે છે. જોકે ખરાત જેવા અમુક લોકોને લીધે બધા જ બદનામ થાય છે. ખરાત પાસે મોટો લોકો આવતા હતા. ચાકણકર તો મૂળ પુણેના છે. આથી નાશિક વિશે તેમને ઝાઝી ખબર નહીં હોય. તેમને કોઈક અહીં લાવ્યું હશે. આપણે આગેવાન છીએ. આથી આપણે જો ખરાત જેવા લોકો પાસે જોઈએ તો આટલા મોટા માણસો ત્યાં જાય છે એવો પ્રભાવ પડે છે. હવે પોલીસ તપાસ કરી રહી છે. સત્ય સામે આવશે. ખરાતે જે પણ ખોટું કર્યું છે તે બહાર આવીને રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. ચાકણકર ખરાતની સંસ્થામાં પણ હતાં એમ પુછાતાં ભુજબળે જણાવ્યું કે આપણે સતત જઈને તેમને મદદ કરીએ તો આ રીતે સંસ્થામાં લેવાય છે. આપણને અને સંસ્થાને મદદ થશે એવો તેની પાછળ તેમનો ઉદ્દેશ હોય છે. આ જ ઉદ્દેશથી ચાકણકરને પણ ખરાતે સંસ્થામાં લીધાં હશે. ખરાતની હવે ધરપકડ થઈ છે. પેંડોરા બોક્સ ખૂલતું નથી ત્યાં સુધી બધા દબાઈને રહે છે. જોકે તે ખૂલી જતાં જ અન્યાય થયો છે તે બધા સામે આવે છે. પોલીસને માહિતી આપે છે. આથી આગળ વધુ સ્પષ્ટ થશે. ખરાતે ધરપકડ કરવા ગયેલા પોલીસોને મારી ધરપકડ કરશો તો તમારી પર કોપ થશે એવો ઈશારો આપ્યો હતો. જોકે ખરાત પર જ પોલીસનો કોપ થયો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ચોંકાવનારી વિગત સપાટી પર આવી:અશોક ખરાતે ધરપકડ પૂર્વે 3 આઈપીએસ કક્ષાના અધિકારી સાથે સંવાદ સાધ્યો હતો
જાદુટોણા, મંત્રતંત્ર, મેલીવિદ્યા, જ્યોતિષ જેવા વિવિધ કાંડની આડમાં મહિલાઓનું જાતીય શોષણ કરતા અને અનેક રાજકારણીઓ જેના પ્રભાવમાં હતા તે ઠગબાબા અશોક ખરાતે ધરપકડ થવાની છે એવી ગંધ આવતાં જ શિર્ડીમાં એક ફાઈવસ્ટાર હોટેલમાં ત્રણ આઈપીએસ અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો એવી માહિતી બહાર આવી છે. આ અધિકારીઓ કોણ અને બેઠકમાં શું ચર્ચા થઈ હતી એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થઈ રહ્યો છે. દરમિયાન ખરાતે યોનિ શુદ્ધિકરણને નામે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું એવું પણ બહાર આવ્યું છે. નાશિકના આ ઠગબાબાનું પ્રકરણ બહાર આવ્યું ત્યારથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ખરાત સાથે સંબંધને કારણે વિરોધી પક્ષે મુદ્દો ઉઠાવતાં મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરને શુક્રવારે પદ પરથી હટાવવામાં આવ્યાં હતાં. ગયા બુધવારે ખરાતની નાશિક પોલીસે ધરપકડ કરી હતી. તેના ત્રણ દિવસ પૂર્વે ધરપકડનો અણસાર મળતાં તે ત્રણ આઈપીએસ અધિકારીઓને મળ્યો હતો. વિનોદ નામની વ્યક્તિએ આ મિટિંગ કરાવી આપી હતી, જે ખરાતનો ખાસ માણસ માનવામાં આવે છે. જોકે આ બેઠકમાં શું થયું, અધિકારીઓએ કોઈ આશ્વાસન આપ્યું કે કેમ તે હજુ બહાર આવ્યું નથી. ઉચ્ચ શિક્ષિત મહિલાઓ પણ આવતી:દરમિયાન પત્રકાર દત્તાત્રય ખેમનાર અનુસાર ખરાત પાસે ઉચ્ચ શિક્ષિત, સરકારી અધિકારી અને રાજકીય કુટુંબની મહિલાઓ મોટી સંખ્યામાં આવતી હતી. તે આ મહિલાઓને પોતે ભગવાન છે, તારું જીવન સારું કરવું હોય તો તારું યોનિ શુદ્ધિકરણ કરવું પડશે એવું કહીને મહિલાઓને પોતાનો પેશાબ પીવાની ફરજ પાડતો હતો. ઉપરાંત વેપારીને ખોટું રત્ન આપી ફસાવ્યો: એક વેપારી ધંધમાં ખોટ થતાં ખરાત પાસે આવ્યો હતો. તેને ખરાતે ખોટાં રત્નો આપીને ફસાવ્યો. તેને પ્રથમ રૂ. 3.50 લાખમાં રત્ન વેચ્યું. આ પછી બીજું રત્ન રૂ. 2 લાખમાં વેચ્યું. આ બંને રત્ન ખોટાં હોવાનું પછીથી જણાયું. મહિલા- પુરુષોને સંબંધ બંધાવતોદરમિયાન એક મોટો વેપારી તેની પાસે આવ્યો હતો. તેનો સંબંધ એક મહિલા સાથે જોડીને સમાગમ કરવાની ફરજ પાડી હતી. આ પછી મહિલા ગર્ભવતી છે એવું કહીને ખરાતે વેપારી પાસેથી રૂ. 20 કરોડ પડાવ્યા હતા. નોંધનીય છે કે ખરાત સિન્નર તાલુકાના મિરગાવ ખાતે શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટનો અધ્યક્ષ હતો. તે પોતાને મર્ચન્ટ નેવીમાંથી કેપ્ટન તરીકે નિવૃત્ત થયો હોવાનો દાવો કરે છે. ખરાત ન્યુમેરોલોજિસ્ટ હોવાનો દાવો કરતો. તેના શિવનિકા ટ્રસ્ટની વેબસાઈટ પર માહિતી અનુસાર તેણે મર્ચન્ટ નેવીમાં નોકરીનાં 22 વર્ષમાં 154 દેશની મુલાકાત લીધી. આ દેશોની ધાર્મિક રીતિ, પરંપરા, સંસ્કૃતિઓ, નૈતિકતા અને નૈસર્ગિક પરિસ્થિતિઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. અનેક મોટા રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોજક ભવિષ્ય જાણવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેના સંપર્કમાં હતા.
ઉદ્ધવ ઠાકરેની માંગણી:ખરાત સાથે તેને માનનારા સામે પણ કઠોર કાર્યવાહી કરોઃ ઠાકરે
ઠગબાબા અશોક ખરાત સાથે તેની માનનારા બધા સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કરી હતી. આપણે મહારાષ્ટ્રને હજુ કેટલા નીચલા સ્તરે લઈ જવાના છીએ. રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો છે. જોકે કાયદાનું પાલન કરનારા જ જો ખરાત જેવા લોકોને સાથ આપે તે નિંદનીય છે. કાયદાનું પાલન કરનારા ઠગબાબાઓની પડખે રહેતા હોય તો ઠગ ભક્તો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવું કરાય તો જ મહારાષ્ટ્રને આધુનિક કહી શકાશે. આ પ્રકરણે અનેક ફોટો અને નામ સામે આવી રહ્યા છે. તેનો અર્થ તમારા ધ્યાનમાં આવે છે? જેમનું કોઈ પણ કર્તૃત્વ નથી તેમને આવો માર્ગ અપનાવવો પડે છે. જેઓ પોતાના કર્તૃત્વથી કશું નહીં કરી શકે તેઓ જ આવા ઠગબાબા પાસે જાય છે, એમ તેમણે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં પણ ખરાતને મદદ કરાઈ હતી એવું પુછાતાં વાત ફેરવતાં ઠાકરેએ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ હવે ઢાંકપિછોડો મંત્રાલય શરૂ કરવું જોઈએ. બધાનાં પાપો પર ઢાંકપિછોડો કરતું આ ખાતું તેમણે પોતાની પાસે રાખવું જોઈએ. બધા સંબંધિતોની તપાસ કરો:આ પ્રકરણે બધા સંબંધિતોની તપાસ કરો, કારણ કે રેલો ક્યાં સુધી પહોંચ્યો છે તે બધાને સમજાવું જીએ. આ નિમિત્તે ગામેગામ અડિંગો જમાવી બેઠેલા ઠગબાબાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. તેમની પાસે કોઈ પક્ષનો ઝંડો હોય તો પણ કાર્યવાહી કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
અશોક ખરાતની ધરપકડ બાદ ખુલાસો:આઘાડી સરકાર પણ ઠગબાબા ખરાત પર મહેરબાન હતી
નાશિકના ઠગબાબા અત્યાચારી અશોક ખરાતની ધરપકડ બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેના રાજકીય સંબંધ બાબતે વધુ એક આંચકાજનક માહિતી સામે આવી છે. હાલમાં વિરોધી પક્ષો મહાયુતિ સરકાર પર જોરદાર ટીકાઓ કરી રહી છે ત્યારે આ પૂર્વે મહાવિકાસ આઘાડી સરકારમાં પણ ખરાતને મોટા લાભ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોના હકનું પાણી વાળીને ખરાતની સંસ્થાને આપવાને આરોપ હવે થઈ રહ્યો છે. ખરાત એક દિવસમાં પ્રભાવશાળી બન્યો નહોતો. તેણે વર્ષોવર્ષ રાજકીય વર્તુળમાં મજબૂત સંબંધ નિર્માણ કર્યા હતા. અનેક મંત્રી, સાંસદ અને વિધાનસભ્યો તેના સંપર્કમાં હતા. આ અંગેના ફોટો અને વિડિયો બહાર આવી રહ્યા છે. આ પ્રભાવને જોરે તે પ્રશાસનમાં હસ્તક્ષેપ કરતો હતો. અધિકારીઓની બદલી કરતો અને વિવિધ ઠેકાણે વ્યાવસાયિક ભાગીદારી પણ કરતો હતો. આ બધાનો ઉપયોગ કરીને તેણે એક પ્રકારની સિંડિકેટ ઊભી કરી હતી. ખરાતના વધતા પ્રભાવનો ફાયદો સીધા સરકારી નિર્ણયોમાં પણ થયેલો સ્પષ્ટ થાય છે. સિન્નર તાલુકાના મિરગાવ ખાતે શ્રી શિવનિકા સંસ્થાનનો અધ્યક્ષ ખરાત માટે દારણા ડેમમાંથી 39 લાખ લિટર પાણી અનામત રાખવામાં આવ્યું હતું. 31 જુલાઈ, 2020ના રોજ આ સંબંધમાં સરકારી નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો. તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હતી. ખેડૂતો માટેનું પાણી ખાનગી સંસ્થાને વાળવાનો આરોપ વધુ મજબૂત બન્યો છે. ખરાતનો મંત્રાલયમાં મોટો દબદબોઆ પ્રકરણને લીધે ખરાતનો મંત્રાલયમાં દબદબો કેટલો મોટો હતો તેની ચર્ચા ચાલી રહી છે. તેનો વિરોધ કરનાર પર દબાણ, ધમકીઓ અને ફોન કોલ્સ આવતા હતા એવી ઘટનાઓ પણ સામે આવી છે. તેના સંપર્કમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓને લીધે તેને અનેક વાર સંરક્ષણ મળ્યું છે. આથી આ સંપૂર્ણ પ્રકરણ પાછળ મોટું નેટવર્ક કાર્યરત હોવાની શંકા છે. સિડિંકેટ પર કઠોર કાર્યવાહી કરોદરમિયાન આ સર્વ ઘટનાક્રમને લીધે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખરાત અને તેની કથિત સિંડિકેટ પર કઠોર કાર્યવાહી કરવાની માગણી જોર પકડી રહી છે. ખેડૂતોનું પાણી વાળવામાં આવ્યું હોવાનો આક્રોશ વધ્યો છે. આ પ્રકરણની ઊંડાણથી તપાસ કરીને જવાબદારો સામે કઠોર કાર્યવાહી કરવાની માગણી સર્વ સ્તરેથી થવા લાગી છે.
માજી સાસંદ સંભાજીરાજેનો અનુરોધ:અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં: સંભાજીરાજે
નાશિકના ઠગબાબા અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં, એવો અનુરોધ માજી સાંસદ સંભાજીરાજે છત્રપતિએ કર્યો છે. ખરાત દેશના લશ્કર અથવા નેવીમાં નહોતો. આથી તેને નામની આગળ કેપ્ટન લગાવશો નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ખરાત હાલમાં મહિલાઓના જાતીય શોષણ માટે જેલના સળિયા ગણી રહ્યો છે. તેણે 100થી વધુ મહિલાઓને અહિત થશે એવી બીક બતાવીને જાતીય શોષણ કર્યું છે. તેનાં દુષ્કૃત્યોના અનેક વિડિયો પોલીસના હાથ લાગ્યા છે. આથી તેની કસ્ટડી વધવાની શક્યતા છે. ખાસ કરીને આ ઠગબાબા પોતે નેવીમાં કેપ્ટન હતો એ કહેતો. જોકે સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું કે તે લશ્કર કે નેવીમાં નહોતો. આથી તેને કેપ્ટન તરીકે સંબોધવું નહીં જોઈએ.કેપ્ટન ભારતીય લશ્કરમાં અત્યંત સન્માનજનક પદ છે. આ પદ સુધી પહોંચનારી વ્યક્તિ અત્યંત મહેનતથી, જીદથી અને પ્રખર રાષ્ટ્રભક્તિથી અહીં સુધી પહોંચે છે. ભારતીય લશ્કરમાં આ પદ પર સેવા બજાવનારા અથવા આ પરથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓના નામ સાથેકેપ્ટન પદ જોડવાનો અધિકાર હોય છે. આથી બધાને મારી વિનંતી છે કે ઘૃણાસ્પદ કૃત્યો કરનારા ઠગના નામની આગળ કેપ્ટન લગાવશો નહીં. તે ક્યારેય લશ્કરમાં નહોતો. ક્યારેક વેપારી જહાજ પર કર્મચારી ખરાત સ્વયંઘોષિત કેપ્ટન છે. આથી તેના નામની આગળ કેપ્ટન લગાવીને આ પદનું અપમાન નહીં કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
તૃતીયપંથી ગુરુના અજબ દાવા વાયરલ થયા:કલ્યાણમાં પમી ગુરુના વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ
નાશિક બહાદ મુંબઈ નજીક કલ્યાણ વિસ્તારમાં હવે ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પમી ગુરુ તરીકે ઓળખાતા એક તૃતીયપંથી ગુરુના અજબ દાવા અને વિડિયો હાલ સોશિયલ મિડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં પમી ગુરુ પોતાને આધ્યાત્મિક શક્તિઓ ધરાવતા બતાવે છે, અને લોકોની સમસ્યાઓનો ઉપાય કરવાનો દાવો કરે છે.વિશેષ વાત એ છે કે, આ ગુરુ પોતાના વિડિયોમાં કરોડો રૂપિયાનું સોનું પહેરીને, મોંઘી કારોમાં ફરતા અને આલીશાન જીવનશૈલી દર્શાવતા નજરે પડે છે, જેનાથી સામાન્ય લોકોમાં આકર્ષણ અને અંધશ્રદ્ધા વધે છે. આવા દ્રશ્યો લોકોમાં ખોટી માન્યતાઓ મજબૂત બનાવે છે.આ મામલામાં વધુ ચિંતાજનક બાબત એ છે કે કેટલાક રાજકીય લોકો અને પોલીસ અધિકારીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ સામે આવ્યો છે. જેના કારણે પ્રશ્ન ઊભો થાય છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ધરાવતા લોકો જ જો આવી અંધશ્રદ્ધાને વેગ આપે, તો સામાન્ય નાગરિકોનું શું? આ ઘટના સમાજમાં ફેલાતી અંધશ્રદ્ધા અને ઠગાઈ સામે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરીને આવા ઠગગિરીના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.
ભાસ્કર જાધવનો મોટો દાવો:મંત્રીમંડળને બચાવવા બજેટ સત્ર પૂર્વે જ ખરાત વિરુદ્ધ એસઆઈટી
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે બજેટ સત્ર પહેલાં જ ઠગબાબા અશોક ખરાત કેસની તપાસ માટે એક SIT ની નિમણૂક કરી હતી. આ પ્રકરણને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે અડધું ત્રીમંડળ સંડોવાયેલું હોવાની શક્યતા છે, એવો દાવો શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ભાસ્કર જાધવે કર્યો છે. અત્યાચારી ખરાત પ્રકરણને લઈ સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં મુશ્કેલીમાં મુકાયેલાં રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે. જાધવે કહ્યું ચાકણકરે રાજીનામું આપ્યું તે સારી વાત છે, પરંતુ આ પ્રકરણ ફક્ત તેમના પૂરતું મર્યાદિત નથી. આમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. ભાસ્કર જાધવે કહ્યું કે, રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર પહેલાં ખરાતની તપાસ માટે એક SIT નીમવામાં આવી હતી, પરંતુ અડધી કેબિનેટની સંડોવણી હોવાથી, આ મામલો મહાયુતિ બહાર આવવા દેવા માગતી નહોતી. આ મામલો ફક્ત પત્રકારો અને પીડિત મહિલાના કારણે જ બહાર આવ્યો છે. નહિતર, સરકારે આ મામલો ઘણા સમય પહેલાં દબાવી દીધો હોત. સરકારે સત્ર દરમિયાન આ મામલાની હકીકતો ગૃહમાં રજૂ કરવાની જરૂર હતી, કારણ કે આમાં ફક્ત ચાકણકર કે અન્ય રાજકીય નેતાઓ જ સંડોવાયેલાં નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તેથી, સરકારે ફક્ત ચાકણકરનું રાજીનામું લઈને મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવવું જોઈએ નહીં. આ મામલો રાજીનામાથી સમાપ્ત થશે નહીં. સરકારમાં ઘણા મંત્રીઓ અને અધિકારીઓ સંડોવાયેલા હોવાથી, આ મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસને પણ ખબર હતી કે આ કેસમાં IAS અને IPS અધિકારીઓ પણ સામેલ છે. હવે અમે આ મામલાના મૂળમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ સરકારના એકંદર વલણને જોતાં, આ મામલે કેટલાક નેતાઓ અને અધિકારીઓની ફાઇલો દબાવીને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં આવશે, એમ તેમણે કહ્યું.
સિટી એન્કર:મુંબઈમાં ચોમાસામાં પાણી ઉલેચવા 547 પંપની વ્યવસ્થા
આગામી ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય તો પાણી ઉલેચવા 547 પંપ લગાડવામાં આવશે. ગયા વર્ષ કરતા આ સંખ્યા વધારે છે. મુંબઈ મહાપાલિકાના પર્જન્યજલ વિભાગે આ કામ માટે ટેંડર મગાવ્યા છે. પાઈપલાઈનના કામ મુંબઈમાં બધે ચાલુ છે છતાં પંપની સંખ્યા વધી રહી હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. મુંબઈની ભૌગોલિક રચનાના લીધે નીચાણવાળા ભાગમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અને એનો નિકાલ થતો નથી. મુંબઈને ચારેય બાજુથી સમુદ્રએ ઘેર્યું હોવાથી મુંબઈમાં વરસાદનું પ્રમાણ વધારે છે. તેથી ચોમાસામાં પાણી ભરાઈ જવાનું જોખમ હોય છે. પણ પાણી ભરાવાના ઠેકાણા ઓછા કરવા મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી બ્રિમસ્ટોવેડ પ્રકલ્પ અંતર્ગત કરોડો રૂપિયાના કામ કર્યા છે. તેમ જ સૂક્ષ્મ નિયોજન અંતર્ગત દર વર્ષે વિવિધ ઠેકાણાની પાઈપલાઈનની ક્ષમતા વધારવાના કામ પણ કરવામાં આવે છે. છતાં મુંબઈમાં પાણી ભરાવાના ઠેકાણા ઓછા થયા નથી. આ વખતે તો વરસાદના ભરાયેલા પાણી ઉલેચવા મહાપાલિકા પ્રશાસને 547 પંપની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા થોડા વર્ષમાં આ આંકડો વધારે છે. મુંબઈ મહાપાલિકાએ 24 વોર્ડમાં બે વર્ષ માટે પંપની સેવાનો કોન્ટ્રેક્ટ આપવા ટેંડર મગાવ્યા છે. ચોમાસુ માથે છે ત્યારે પાઈપલાઈન વિભાગે 24 વોર્ડ કાર્યાલય પાસેથી પાણી ઉલેચવા કેટલા પંપ જોઈશે એની માહિતી મગાવી હતી. એ અનુસાર આ વખતે ટેંડર કાઢવામાં આવ્યા છે. લગભગ 547 પંપની માગણી કરવામાં આવી છે. ગયા વર્ષે મહાપાલિકાએ 422 ઠેકાણા પંપ લગાડવાની વ્યવસ્થા કરી હતી. પણ 26 મે 2025માં પડેલા કમોસમી વરસાદથી પાણી ભરાવાના ઠેકાણા વધ્યા પછી વોર્ડ કાર્યાલય તરફથી પંપની માગ વધી હતી. તેથી મુંબઈ મહાપાલિકાએ 514 ઠેકાણે પાણી ઉલેચતા પંપ તૈનાત કર્યા. એમાંથી 481 પંપનો ઉપયોગ થયો હતો એવી માહિતી પાઈપલાઈન વિભાગના અધિકારીએ આપી હતી. પંપની સંખ્યા વધી શકેદરમિયાન 547 પંપની માગણી કરવામાં આવી છે છતાં કોઈ વોર્ડમાં પાઈપલાઈનનું કામ પૂરું થયું હશે તો એ વોર્ડમાં પંપ કાઢી નાખવામાં આવશે. ચોમાસામાં કોઈ નવા ઠેકાણા મળશે તો પંપની સંખ્યા વધારવામાં આવી શકે છે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
શોર્ટસર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી:ચેમ્બુર ખાતે વિકરાળ આગ, 40થી વધુ પ્રાણીઓનો બચાવ
ચેમ્બુરના વાશી નાકા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભયાનક આગ એક મોટી બચાવ કામગીરીમાં ફેરવાઈ હતી, જેમાં 40થી વધુ પ્રાણીઓ, જેમાં નવજાત ગલૂડીયાઓ પણ સામેલ હતા, તમામને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આગનું કારણ નીચેના માળે થયેલો શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગ ઝડપથી ફેલાતી ગઈ અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ, જેના કારણે સમગ્ર ઇમારતમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો. આ પરિસ્થિતિમાં અંદર ફસાયેલા રહેવાસીઓ અને પ્રાણીઓ માટે ગંભીર જોખમ ઉભું થયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે ઝડપી કામગીરી શરૂ કરી હતી. આગ કાબૂમાં આવ્યા પછી, ફાયરફાઇટર્સ અને સ્થાનિક પ્રાણીપ્રેમીઓએ ધુમાડાથી ભરાયેલા મકાનમાં પ્રવેશ કરીને અંદર ફસાયેલા પ્રાણીઓને બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે અંદર ધુમાડો વધારે હતો અને દ્શ્યતા ખૂબ ઓછી હતી. છતાં, તમામ પ્રાણીઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ખાસ કરીને, એક રૂમમાં સાથે ભેગા થયેલા નવજાત ગલૂડીયાઓને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. મોટાભાગના પ્રાણીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ એક માદા બિલાડી ગંભીર હાલતમાં મળી આવી હતી, જે ધુમાડાના પ્રભાવને કારણે બેહોશ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવાઈ હતી.
એનઆઈએ દ્વારા વિશેષ અદાલતમાં અરજી દાખલ:કલ્યાણના ત્રણ યુવાનને ફરાર જાહેર કરવા અરજી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ કલ્યાણના ત્રણ યુવાનોને ફરાર આરોપી જાહેર કરવાની માગણી સાથે વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી છે. આ ત્રણેય યુવાનો સાહીમ ટાંકી, ફહાદ શેખ અને અમન ટંડેલ વર્ષ 2014 દરમિયાન દેશ છોડીને આતંકી સંગઠન આઈસિસમાં જોડાયા હોવાનો આરોપ છે. જોકે, 2015થી 2017 દરમિયાન તેમનાં મોત થયા હોવાના અપ્રમાણિત અહેવાલો પણ સામે આવ્યા છે. આ અરજી શુક્રવારે એનઆઈએ દ્વારા વિશેષ અદાલતમાં કરવામાં આવી હતી, જ્યાં ચોથા આરોપી અરીબ મજીદ સામે હાલ કેસ ચાલી રહ્યો છે. અરીબ મજીદ પણ આ જૂથનો ભાગ હતો, પરંતુ બાદમાં તે ભારત પરત ફર્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ તેની અરજીમાં જણાવ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ લાંબા સમયથી ગાયબ છે અને કોર્ટ સમક્ષ હાજર થયા નથી, તેથી તેમને જાહેર ફરાર આરોપી તરીકે ઘોષિત કરવામાં આવે. આ અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 84 હેઠળ કરવામાં આવી છે, જેના આધારે અદાલત ફરાર વ્યક્તિને નિર્ધારિત સમયમર્યાદામાં હાજર થવા માટે જાહેરનામું જારી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2018માં જ આ ત્રણેય વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. હવે, એનઆઈએના આ નવા પગલાંથી કેસમાં વધુ કાનૂની પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા છે.
નેસ્કોમાં 22 માર્ચે બિજાઈજ 2026નું આયોજન:ગોરેગાવમાં આજથી બિજાઈઝમાં 400થી વધુ ઉદ્યમીઓ ભાગ લેશે
ગોરેગાવ પૂર્વ સ્થિત નેસ્કોમાં 22 માર્ચે બિજાઈજ 2026નું આયોજન કરાયું છે, જેમાં 400થી વધુ કારોબારીઓ હાજરી આપશે. આ એક કાર્યક્રમ સુધી સીમિત નહીં રહેતાં ઉદ્યમીઓ માટે એક ગ્રોથ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાની ધારણા છે. સંસ્થાપક સંચાલક રોટેરિયન વિનય ખેતાવતે જણાવ્યું કે બિજાઈજનું નિર્માણ ફક્ત એક અન્ય નેટવર્કિંગ ઈવેન્ટના રૂપમાં નહીં, પરંતુ અમારું વિઝન એક એવું મંચ બનાવવાનું છે, જ્યાં વાતચીત વેપારી ભાગીદારીઓમાં ફેરવાય અને વિચાર વાસ્તવિક વ્યાવસાયિક અવસતરોનું રૂપ લે. અધ્યક્ષ રોટેરિયન હિરેન મહેતાએ જણાવ્યું કે આજના માહોલમાં અલગ અલગ રહીને નહીં પરંતુ એક મજબૂત ઈકોસિસ્ટમ સાથે આગળ વધી શકાય છે. બિજાઈજ વિભિન્ન ઉદ્યોગો અને નિષ્ણાતોને એક છત હેઠળ લાવવા માટે તૈયાર કરાયું છે. અમને અદભુત પ્રતિસાદ મળ્યો છે, જે કેન્દ્રિત મંચોની વધતી આવશ્યકતાઓની પુષ્ટિ કરે છે. ઉપાધ્યક્ષ રોટેરિયન સૌરભ બજાજે જણાવ્યું કે અમે પારંપરિક ફોર્મેટથી હટીને પરિણામલક્ષી કોન્ક્લેવ બનાવવા માગીએ છીએ. નોટ સેશનથી લઈને પ્રદર્શન સુધી દરેક તત્ત્વને એ રીતે તૈયાર કરાયું છે કે ઉદ્યમીઓને એવી વિઝિબિલિટી અને કનેક્શન મળે જે તેમના વેપારને પ્રત્યક્ષ લાભ અપાવી શકે. બિઝનેસ વિઝાર્ડસનો મહાકુંભના રૂપમાં સંકલ્પિક આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ જોડાઓ, સહયોગ કરો આગળ વધો છે. આ આયોજનમાં 20થી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ વેપાર માલિકો અને ઉદ્યમીઓ ભાગ લેશે, જે આ ક્ષેત્રના સૌથી વિવિધ અને પ્રભાવશાળી નેટવર્કિંગ આયોજનમાંથી એક બની ગયું છે.
ખેડૂતોને આવ્યો રોવાનો વારો:ઉનાળામાં વરસાદના લીધે રાજ્યમાં 51 હજાર હેકટર પર પાકને નુકસાન
રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં ઉનાળામાં પડેલા વરસાદ, ફૂંકાતો પવન અને કરાના કારણે પાકનું ઘણું નુકસાન થયું છે. 16 થી 19 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ 24 જિલ્લાઓને આ કુદરતી આપત્તિનો ફટકો પડ્યો છે. રાજ્યમાં લગભગ 51488.54 હેકટર જમીન પર પાકનું નુકસાન થયું છે. પ્રાથમિક આંકડાઓ અનુસાર સૌથી વધુ ફટકો અહિલ્યાનગર, નાશિક, સાંગલી જિલ્લાને પડ્યો છે. અહિલ્યાનગરમાં 11650.14 હેકટર, છત્રપતિ સંભાજીનગરમાં 8445.10 હેકટર, નાશિકમાં 7301.90 હેકટર, સાંગલીમાં 1865.42 હેકટર, જાલનામાં 1692 હેકટર જમીન પર પાકનું નુકસાન થયું છે. ધુળે જિલ્લામાં 6685.90 હેકટર અને બુલઢાણામાં 3802 જમીન પર પાકનું નુકસાન થયું છે. સુસવાટા મારતો પવન, વરસાદ અને કરાના લીધે ઘઉં, જુવાર, ચણા, મકાઈ, કાંદા, ભાજીઓ સહિત દ્રાક્ષ, દાડમ, આંબા, કેળા, મોસંબી, પપૈયા જેવા ફળના પાકને ફટકો પડ્યો છે. ખાસ કરીને દ્રાક્ષના બાગ અને ભાજીઓનું કરાના કારણે ઘણું નુકસાન થયું છે. સાંગલી જિલ્લામાં તાસગાવ, જત, આટપાટી ભાગમાં દ્રાક્ષના પાકનું ઘણું નુકસાન થયું છે. મરાઠવાડાના નાંદેડ, લાતુર, ધારાશિવ, જાલના અને બીડ જિલ્લામાં ચણા, જુવાર અને ઘઉંના પાકને ફટકો પડ્યો છે. વિદર્ભમાં નાગપુર, ચંદ્રપુર, ગડચિરોલી, યવતમાળ જિલ્લામાં પણ ઘઉં, જુવાર, મકાઈના પાકનું નુકસાન થયું છે. કેટલાક ભાગમાં સુસવાટા મારતા પવન સહિત વરસાદના લીધે પાક ઉખડી જતાં વધુ નુકસાન થયું છે. દરમિયાન આ પ્રાથમિક આંકડાઓ છે. કેટલાક જિલ્લાના અહેવાલ હજી જાહેર થયા નથી. તેથી નુકસાનીનો આંકડો હજી વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. સરકાર તરફથી પંચનામુ ચાલુ છે. આ કુદરતી સંકટના કારણે પહેલાંથી જ આર્થિક મુશ્કેલીમાં પડેલા ખેડૂતો સમક્ષ મોટું સંકટ ઊભું થયું છે. ખેડૂત સંગઠનોએ તરત નુકસાન વળતર આપવાની માગણી કરી છે. ખેડૂતોને મદદ મળશેરાજ્યમાં ઉનાળામાં પડેલા વરસાદ, પવન અને કરાને કારણે પાકનું ઘણું નુકસાન થયું છે. નુકસાનીના પંચનામા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોના ટેકામાં સરકાર મક્કતાથી ઊભી છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોને ટૂંક સમયમાં મદદ આપવામાં આવશે એવી માહિતી કૃષિમંત્રી દત્તાત્રય ભરણેએ આપી છે.
સિટી એન્કર:કુંભારવાડાની મહિલાઓએ ઇલેક્ટ્રિક માટીના ચાકડાને આવકાર્યા
ધારાવીના કુંભારવાડાની 30 મહિલાઓને શુક્રવારે ધારાવી સોશિયલ મિશન (DSM) દ્વારા આયોજિત માટીકામ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ઇલેક્ટ્રિક માટીના ચાકડા આપી સન્માનિત કરવામાં આવી. આ પહેલ DSMના સમુદાય આધારિત કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા અને ધારાવીમાં આવકના અવસર સુધારવા માટેના સતત પ્રયત્નોનો ભાગ છે, જેમાં પરંપરાગત કારીગરીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવામાં આવે છે. “ધારાવીનો કુંભારવાડો તેના માટીકામ માટે લાંબા સમયથી જાણીતા છે, જ્યાં પેઢીથી પેઢી સુધી પરિવારો આ કળામાં જોડાયેલા રહ્યા છે. પરંતુ મહિલાઓની ભાગીદારી મોટાભાગે સહાયક ભૂમિકાઓ સુધી મર્યાદિત રહી છે. ઇલેક્ટ્રિક ચક્ડાની રજૂઆતથી પ્રક્રિયા ઓછી શારીરિક મહેનતવાળી અને વધુ કાર્યક્ષમ બનશે, જેથી મહિલાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહન મળશે,” DSMના પ્રવક્તાએ જણાવ્યું. ભાગ લેનારાઓએ જણાવ્યું કે આ તાલીમથી તેમને કળાની સૂક્ષ્મતાઓ સમજવામાં મદદ મળી. કુંભારવાડાની રહેવાસી જિગ્નિશા જેટવા (21)એ કહ્યું કે વર્કશોપ દ્વારા તેમને માટીકામની પ્રાયોગિક સમજ મળી. “મારા પિતા કુંભાર છે, પરંતુ મને માટીકામ વિશે બહુ ખબર નહોતી. આ વર્કશોપ દ્વારા મેં માટીને યોગ્ય આકાર આપવો, આંગળીઓનો યોગ્ય ઉપયોગ અને દરેક તબક્કે કેટલો દબાણ આપવો તે શીખ્યું. મેં વિવિધ પ્રકારના દિવાઓ બનાવવાનું પણ શીખ્યું,” તેમણે કહ્યું. કુંભારવાડો દેશભરના ગ્રાહકોને માટીના ઉત્પાદનો પૂરાં પાડે છે. દિવાળી દરમિયાન રંગબેરંગી દિયાઓ માટે માંગ ખૂબ વધી જાય છે. “મારું પરિવાર દિવાળી માટે દિવા બનાવે છે, પરંતુ હું પહેલાં મદદ કરી શકતી નહોતી. આ વર્કશોપ પછી મને લાગે છે કે હવે હું પરિવારના વ્યવસાયમાં યોગદાન આપી શકીશ. ઇલેક્ટ્રિક ચાકડા મેન્યુઅલ ચકડા કરતાં ઝડપી છે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે,” જેટવાએ ઉમેર્યું. આ તાલીમ નરસી રામજી વાળા (55), કુંભારવાડાના માસ્ટર કુંભાર દ્વારા આપવામાં આવી, જેમને 15 વર્ષથી વધુનો શિક્ષણનો અનુભવ છે. તેમણે જણાવ્યું કે માટીકામ માટે ધીરજ, અભ્યાસ અને તકનીક જરૂરી છે અને ઇલેક્ટ્રિક ચક્રોના ઉપયોગથી કલાકારો ગુણવત્તા અને સર્જનાત્મકતા પર વધુ ધ્યાન આપી શકે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છાબીજી ભાગ લેનારી, લક્ષ્મી યોગેશ સોલંકી (37), કુંભારવાડાની ગૃહિણી,એ પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. “હવે હું મારા પોતાના વ્યવસાય માટે અવસર શોધવા માગું છું. માટીના વાસણો આજકાલ ટ્રેન્ડમાં છે. લોકો તેમાં રસોઈ કરે છે અને ખાય છે. તેથી હું કંઈક પોતાનું શરૂ કરીને જીવનમાં આગળ વધવા માગું છું,” એમ તેમણે કહ્યું.
પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડુતો માટે પાક સુરક્ષા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ ઉભા તેમજ લણણી કરેલા પાકને માવઠાથી થતા નુકસાનથી બચાવી તેની ગુણવત્તા જાળવી રાખવા સૂચનો જાહેર કર્યા છે. ખેતરમાં પાણી ભરાઈ રહેતાં મૂળ વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જે છોડના વિકાસને અવરોધે છે. પરિણામે ઉપજમાં 20 થી 50 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને ઘઉં અને જવ જેવા મુખ્ય પાકોમાં પાણી ભરાવાથી નોંધપાત્ર આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત જમીનમાં નાઇટ્રોજનની ઉપલબ્ધતા ઘટે છે અને સૂક્ષ્મ તત્ત્વોનું પ્રમાણ વધવાથી ઉભા પાકને નુકસાન થાય છે. ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ન રહે તે માટે તરત જ નીક બનાવી વધારાનું પાણી બહાર કાઢવું,પવન સાથેના વરસાદમાં મકાઈ અને પપૈયા જેવા પાકને લાકડા કે વાંસનો ટેકો આપવો,જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે પિયત અને ખાતર આપવાનું ટાળવું,કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી ઢાંકી દેવો,ડુંગળી અને લસણ જેવા પાકને કાપીને સુકા સ્થળે સંગ્રહ કરવો જેથી તે સડી ન જાય,વરસાદ સંપૂર્ણપણે બંધ થયા બાદ જ જંતુનાશક અથવા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જેવા સૂચનો કરવામાં આવ્યા હતા.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડી.ઇ.આઈ.સી.સેન્ટર ખાતે શુકવારે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન તેમજ વહીવટી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેલ સેન્ટર ખાતે પણ નેશનલ ઓરલ હેલ્થ પ્રોગામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકો માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીં આવતા બાળકોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડો.દિવ્યાબેન દાગા તેમજ વહીવટી અધિકારી ડો વિપુલ મોઢા તેમજ ડેન્ટલ વિભાગના ડો.સુનિતાબેન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
માહે રમઝાન માસ બાદ પોરબંદરમાં ઇદ-ઉલ-ફિત્રની ઇદગાહ ખાતે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.આ નમાઝ બાદ કેબિનેટમંત્રી, જિલ્લા પોલીસવડા,ખારવા સમાજ તેમજ ભાજપના આગેવાનો સહિતના વિવિધ જ્ઞાતિના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ફુલહાર કરી ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. માહે રમઝાન માસ ચાલી રહ્યો હતો ત્યારે સમગ્ર રાજ્યમાં શુકવારે ચાંદ દેખાઈ જતા શનિવારે ઇદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં પણ ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના સમયે જિલ્લાની તમામ મસ્જિદો તેમજ ઇદગાહ ખાતે ફઝરની નમાઝ દુવા અને સલામ પઢવામાં આવી હતી. પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ નજીક આવેલ ઇદગાહ ખાતે વિષેશ નમાઝ પઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો જોડાયા હતા. ત્યારબાદ સુન્ની અજુમન ઇસ્લામ દ્વારા ઇદગાહ ખાતે ઇદ મિલાદનો કાર્યકમ યોજાયો હતો. જેમાં કેબિનેટમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, જિલ્લા પોલીસવડા ભગિરથસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, તેમજ અનુસુચિત જાતિના આગેવાનો બાબુભાઇ પાડાવદરા સહિતના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોને ફુલહાર કરી ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.
ધાર્મિક માહોલ સર્જાયો:મોઢવાડા ગામે ચૈત્રી બીજ નિમિત્તે લીરબાઈ માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે ચૈત્ર સુદ બીજ એટલે કે ચૈત્રી બીજના પાવન અવસરે લીરબાઈ માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારે જ દર્શનાર્થે ભાવિકો ઉમટી પડતા મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે એ દિવસનો તમામ ખર્ચ બખરલા ગામના રાજુભાઈ ભારવાડીયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, બખરલા ગામના અનેક પરિવારો તેમજ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં મનસુખગીરી ગોસ્વામી તથા નિમિષાબેન મોઢા દ્વારા લીરબાઈ માતાજીના ભજનો ગવાતા ભક્તો ભાવવિભોર બની ગયા હતા. મોઢવાડા ગામે આવેલ લીરબાઈ માતાજીના મંદિરે દરરોજ ભાવિકો દર્શન માટે આવે છે અને કાયમી અન્નક્ષેત્ર પણ ચાલુ રહે છે. પરંતુ દર મહિનાની શુદ બીજના દિવસે વિશેષ ભીડ રહેતી હોય છે. વર્ષ દરમિયાન કારતક મહિનાની ભાઈબીજ, મહાવીર બીજ, ચૈત્રી બીજ અને અષાઢી બીજને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે, જેમાં મોટા પાયે ઉત્સવો ઉજવાય છે. આજે ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને મંદિરે પહોંચ્યા હતા. ઉપરાંત અનેક ભક્તોએ પોતાના બાળકોના વજન બરાબર સાકર, પેંડા, ફળ વગેરેની માનતા પૂર્ણ કરી લીરબાઈ માતાજીને પ્રસાદ અર્પણ કર્યો હતો. વિવિધ વાનગીઓ મહાપ્રસાદમાં પીરસવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે અરશીભાઈ ખુંટી, મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, મસરીજી ઓડેદરા, મોઢવાડાના દુલાભાઈ મોઢવાડિયા, પરબતભાઈ મોઢવાડિયા, બખરલાના દિલીપભાઈ તેમજ યુકેથી પધારેલા માલદેભાઈ અને અરભમભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- ધીરૂભાઇ નિમાવત
વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું, લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 16 ટકા ઘટીને 67 ટકા નોંધાયું છે. પોરબંદરમાં ગુરુવારે કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં રાત્રીના સમયે ઠંડક પ્રસરી હતી જ્યારે શુક્રવારે ભેજનું પ્રમાણ વધી ગયું હતું. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું, જેની સામે શનિવારે મહતમ તાપમાન 31.9 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 16 ટકા ઘટીને 67 ટકા રહ્યું છે. પોરબંદરમાં સવારથી સાંજ સુધી ગરમીનો અનુભવ થાય છે જ્યારે મોડી રાત્રે ઠંડો પવન ફૂંકાતા ઠંડક પ્રસરી હતી.
યાર્ડ વિવિધ જણસીઓથી ઉભરાયું:યાર્ડમાં 14,500 કિલો ઘઉં અને 13,900 કિલો ચણાની આવક
પોરબંદરના યાર્ડમાં યાર્ડમાં સૌથી વધુ 14,500 કિલો ઘઉં અને 13,900 કિલો ચણાની આવક નોંધાઈ હતી તોયાર્ડમાં ધાણા, જીરું,મગફળી, સોયાબીન અને લાલ મરચાની પણ આવક નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે.યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં રવિવારે મગફળીની 2550 કિલો, સોયાબીન 200 કિલો,ચણાની 13,900 કિલો અને જીરુની 3420 કિલો,ઘાણાની 9070 કિલો,ઘઉંની 14,500 કિલો,જુવારની 1600 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.965 થી 1265 ભાવ,સોયાબીન રૂ.965 ભાવ, જીરુના રૂ.3200 થી 3850 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1730 થી 1990 ભાવ અને ચણાના રૂ.940 થી 1500 ભાવ બોલાયા હતા. જોકે છેલ્લા 2 દિવસથી યાર્ડમાં જણસીની આવક ઘટી છે.
છેતરપિંડી:હીરો ફિનકોપના લોન એજન્ટ દ્વારા પ્રૌઢ સાથે રૂ. 2.69 લાખની છેતરપિંડી આચરી
પોરબંદરમાં સુતારવાડા વિસ્તારમાં રહેતો ધવલ ભરત ખુદાઇ નામનો આરોપી નરસંગ ટેકરી ખાતે હીરો ફીન કોપમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હોય, જેથી પોરબંદરના જયુબેલી ઓમનગર માં રહેતા રામભાઈ સૂકાભાઈ ઓડેદરા નામના પ્રૌઢએ પોતાની ચાલી રહેલ હિરો ફિન કોપ કંપનીની પર્સનલ લોન ક્લોઝ કરાવવા માટે આરોપીને રૂ.4.85 લાખ આપ્યા હતા. ત્યારે આરોપીએ પ્રૌઢની લોન કલોઝ કરી ન હતી અને લોન કલોઝ થયેલ હોવાની પ્રૌઢને ખોટી એનઓસી આપી હતી. પ્રૌઢની જાણ બહાર પર્સનલ લોનના 14 હપ્તા પેટે રૂ.2,15, 822 પોતે ભરી દીધા હતા અને રૂ.2,69,176ની પ્રોઢ સાથે છેતરપીંડી કરી હતી તેમજ ખોટી એનઓસી તથા ઝીરો સ્ટેટમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ અંગે પ્રૌઢે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધવલ ભરત ખુદાઇ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. અગાઉ 66 વ્યક્તિ સામે છેતરપિંડી આચરી હતી પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ધવલ ભરત ખુદાઇએ હીરો ફિનકોપમાં નોકરી દરમિયાન છેતરપીંડી આચરી હતી. રાણાવાવના જયશ્રી મોટર્સ ખાતે ગ્રાહકોને સસ્તા ટુ-વ્હીલર આપવાની લાલચ આપી 66 લોકો પાસેથી OTP મેળવી તેમની જાણ વગર લોન કરી નાખી હતી. કેટલાક લોકો પાસેથી પર્સનલ લોન પણ કરાવી પરંતુ ક્લોઝ કરી નહોતી. આ રીતે કુલ રૂ. 38,36,600ની છેતરપીંડી કરી ખોટી NOC બનાવી વિશ્વાસઘાત કર્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષમણી વિવાહ સ્થળ તરીખે ખ્યાતનામ છે.ત્યારે અહીં આવેલ માધવરાયજીના મંદિરનો ઇતિહાસ ખૂબ પૌરાણિક છે. આ મંદિર 17મી સદીમાં પોરબંદરના મહારાણીએ માધવરાયજીનું નવું મંદિર બાંધ્યું હતું જેમાં ભગવાનની 3 હાથ ઉપર,1 હાથ નીચે હોય તેવી દુર્લભ અને દિવ્ય મૂર્તિ ભારતમાં એકમાત્ર આ મંદિરમાં બિરાજમાન છેમાધવપુરના લોકમેળામાં આવતા ભાવિકો માધવરાયજીના મંદિર ખાતે અન્ય ક્યાંય જોવા ન મળતી આ મૂર્તિના દર્શનનો લ્હાવો લઈ ધન્ય બને છે.
ખાડી યુધ્ધના કારણે તેલની આવકમાં અનિશ્ચિતતા સર્જાઈ છે જેને પગલે પોરબંદરમાં તેલનો ડબ્બો રૂ.100 થી 150 મોંઘો થયો છે. એકતરફ બાટલાની પળોજણ તો હતી ત્યાં તેલ પણ ભડકે બળ્યું છે. ભારતમાં યુક્રેનથી આવતું સનફ્લાવર તેલ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવતા પામોલિન તેલ અને અમેરિકાથી આવતું સોયાબીન તેલની આવક ઘટતા સ્થાનિક સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ ઉછાળો આવ્યો છે. ખાડી યુધ્ધને પગલે પોરબંદરમાં બાટલાની અછત સર્જાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ બાટલાની કટોકટી સર્જાણી હતી ત્યાં હવે તેલના ભાવ પણ ભડકે બળ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને ગલ્ફ માંથી સનફ્લાવર તેલ આવે છે અને ઈન્ડોનેશિયા મલેશિયા થી પામતેલ આવે છે. જ્યારે અમેરિકાથી સોયાબીન તેલ આવે છે. હાલ યુધ્ધને પગલે તેલના કન્ટેનરની આવકમાં અનિશ્ચિતતા સર્જાણી છે. માલ આવે છે પરંતુ ક્યારે કન્ટેનર નીકળે તે નિશ્ચિત ન હોવાને કારણે પોરબંદરમાં તેલ બજાર પર અસર પડી છે. આવક ઓછી થતાં સનફ્લાવર તેલમાં ડબ્બે રૂ.150, પામોલિન તેલમાં ડબ્બે રૂ.150 અને સોયાબીન તેલનો ડબ્બો રૂ.150 મોંઘો થયો છે. ખાસ કરીને સનફ્લાવર તેલના ડબ્બામાં અને પામોલિન તેલના ડબ્બામાં રૂ.150નો વધારો થવાને કારણે તેની પાછળ સ્થાનિક સીંગતેલના 15 કિલોના ડબ્બે રૂ.100 અને કપાસિયા તેલના ડબ્બામાં પણ રૂ.100ના વધારો થયો છે. તેલના વેપારમાં 50 ટકાની અસર પડી તેલના વેપારીએ જણાવ્યું હતુકે, હાલ તેલમાં ડબ્બે રૂ.100 થી 150નો ભાવ વધારો થયો છે તેની સામે કોમર્શિયલ ગેસના બાટલાની અછત હોવાથી કેટરિંગ અને ખાણીપીણીના ધંધામાં અસર પડી છે જેથી પહેલા કરતા હાલ તેલના વેચાણમાં 50 ટકાની અસર પડી છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ખાડી યુધ્ધને પગલે હવે તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ખાસ કરીને સન ફ્લાવર તેલમાં ડબ્બે રૂ.150, પામ તેલમાં ડબ્બે રૂ.150 અને તેની સામે કપાસિયામાં ડબ્બે રૂ.100 અને સિંગતેલમાં ડબ્બે રૂ.100નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેલમાં ભાવ વધતા ફરસાણના વેપારીઓ, રેસ્ટોરન્ટ ધારકો અને કેટરિંગના ધંધાર્થીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. બજારમાં 15 કિલાના તેલનાડબ્બાનો ભાવ શું છે ?પોરબંદરમાં હાલ સિંગતેલનો ભાવ રૂ.2950થી 3000, કપાસિયા તેલનો ભાવ રૂ.2350 થી2450 તેમજ સનફ્લાવર તેલનો ભાવરહ.2450 થી 2520 અને પામોલિન તેલનોભાવ રૂ.2260 થી 2300 છે.
મારામારી:4 મહિલા સહિત 9 શખ્સ વચ્ચે મારામારી, 5ને ઇજા
બાંટવા પાસેના પાદરડીમાં જુના મનદુખથી 4 મહિલા સહિત 9 શખ્સ વચ્ચે મારામારી થતા 5 વ્યક્તિને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશન હેઠળના પાદરડી ગામના 33 વર્ષીય દિનેશભાઈ લખમણભાઈ સગારકાને ભુરાભાઈ સીદીભાઈ સગારકાના દીકરા સાથે ખેતરના રસ્તા મુદે બોલાચાલી થઇ હતી. તેનુ મનદુઃખ રાખી શુક્રવારે યુવકના પિતા લખમણભાઈ ગીગાભાઈને ભુરા સીદીભાઈએ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં ગાંગાભાઈ જીણાભાઇ સગારકા, તેના પત્ની ગીતાબેન તથા નીમુબેન મોહનભાઇ સગારકાએ દિનેશભાઈના ઘરે આવી બોલાચાલી કરી હતી. બાદમાં ગાંગાભાઈ તથા ગીતાબેને યુવાનને કુહાડી, નીમુબેન તેમજ ભાવનાબેન અરજણભાઈ સગારકાએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે ગીતાબેન ગાંગાભાઈના સસરા ભુરાભાઈને લખમણ ગીગાભાઈ અને તેના પુત્ર દિનેશે લાકડી વડે માર માર્યો હોય જેથી તેને સમજાવવા ગયા હતા ત્યારે લખમણભાઇએ ગીતાબેનને કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે તેની સાથેના જેઠાણી ભાવનાબેનને દિનેશે લાકડીથી અને ધર્મેશ લખમણ તથા લાખીબેન લખમણે ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બનાવમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતાં. પોલીસે સામસામી ફરિયાદ આધારે 4 મહિલા સહિત 9 સામે કાર્યવાહી કરી હતી.
લાકડીઓ અને ધોકા વડે હુમલો કરાયો:પ્લાસવામાં થ્રેસર ચલાવવા મુદે 2 કુટુંબી પરિવાર વચ્ચે ધિંગાણું
જૂનાગઢ પાસેના પલાસવા ગામે સીમ વિસ્તારમાં ખેતરના રસ્તે થ્રેશર ચલાવવા જેવી સામાન્ય બાબતે બે કુટુંબી પરિવારો સામસામે આવી ગયા હતા. આ મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને ધોકા વડે ધિંગાણું ખેલાતા મહિલાઓને ઈજા પહોંચી હતી. જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામે રહેતા ગીતાબેન મનસુખભાઈ મસાલીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના જેઠ ધરમસિંહ અને પોપટભાઈ પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે શેઢા પાડોશી કુટુંબી જયેશ હકાભાઈ મસાલિયા, તેના પત્ની રેખાબેનએ ત્યાં આવી 'અમારા ખેતરમાંથી થ્રેસર કેમ ચલાવો છો?' તેમ કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ જગા ભાણાભાઈ, કરસન ભાણા, પ્રદીપ કરસન, કંચનબેન જગાભાઈ, હરેશ કરસન, મેહુલ રાણા, હુકમ કુરજીભાઈએ આવી લાકડાના ધોકા વડે ગીતાબેન પર હુમલો કર્યો હતો. તેને બચાવવા વચ્ચે આવેલા ધરમસિંહ, પોપટભાઈને માર માર્યો હતો. મહિલાએ તેના દિયર દિનેશને બોલાવતા તેને પણ શખ્સોએ છોડ્યો ન હતો. આ દરમિયાન મહિલાના પતિ મનસુખભાઈ બોલેરો લઈને વાડીએ ભૂકો ભરવા આવતા તેને બોલેરોમાંથી નીચે ઉતારી હુમલો કરી ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પક્ષે મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત થયા હતા. સામા પક્ષે કરશનભાઈ ભાણાભાઈ મસાલીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. શેઢા પાડોશી ધરમશી તેજા મસાલિયા, પોપટ તેજા, મનસુખ તેજા, ગીતા મનસુખ, દિનેશ ધરમશી, મીતા દિનેશએ રસ્તા બાબતે ઝઘડો કરી લાકડી, ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં કરસનભાઈ, તેના ભાઈ જગાભાઈ અને પુત્ર પ્રદીપને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ 4 મહિલા સહિત 16 શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જુગાર ધામ ઉપર રેડ:ટીંબાવાડીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાઈ ગયા
શહેરના ટીંબાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 26,440નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સી ડિવિઝન પોલીસ મથકની ટીમ શનિવાર બપોરે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટીંબાવાડી બીલનાથપરા મોટાપીરની દરગાહ પાસે જાહેરમાં અમુક ઇસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી ફિરોજ કાસમભાઈ સમા, યુસુફ આમદભાઈ હાલેપોત્રા, ઓસમાણ હાસમભાઈ સુમરા, સલીમ બોદુભાઈ સમા, નરેન્દ્ર ધનજીભાઈ લીંબડ અને શરીફ અલ્લારખા સુમરાને પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય ઉપરાંત પટમાંથી રૂપિયા 10,440ની રોકડ રકમ તેમજ 16,000ની કિંમતના 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 26,440નો મુદામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જુગારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. પોલીસે આ મામલે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ છે.
દારૂ ઝડપાયો:રાજીવનગરમાં સ્કોર્પિયોમાંથી દારૂ ઉતારી 2 શખ્સ ફરાર, 576 બોટલ જપ્ત
શહેરના સી ડિવિઝન પોલીસ મથક હેઠળના રાજીવનગર વિસ્તારમાં ડીઆઈજીની ટીમને જોઈ 2 શખ્સ સ્કોર્પિયોમાંથી દારૂ ઉતારી નાસી ગયા હતા. જોકે સ્થળ પરથી પોલીસે 576 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ક્રાઈમ ટેબલ-1નો સ્ટાફ શનિવારે સવારે કેન્દ્રીય વિદ્યાલય થી રાજીવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે એવી બાતમી મળી હતી કે, ગાંધીગ્રામમાં રહેતા અભુ જીતુ કોડીયાતર તથા કુમાર જીતુ કોડીયાતર ચુનારાવાસ પાસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં ગાળો રાખી વેચાણ અર્થે કટીંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કેન્દ્રીય વિદ્યાલયથી ચુનારાવાસ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને બંને શખ્સ પોતાની સ્કોર્પિયો કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની 576 બોટલો મળી આવતા રૂપિયા 1,32,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પીએસઆઇ બી. ડી. માવદીયાએ ફરિયાદ કરતા ડિવિઝન પોલીસે ફરાર થઈ ગયેલા બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
22 માર્ચ 'વર્લ્ડ વોટર ડે' નિમિત્તે જૂનાગઢ જિલ્લાએ જળ સંરક્ષણ ક્ષેત્રે એક નવી રાહ ચીંધી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ, કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત વરસાદી પાણીને વહી જતું અટકાવી સીધું પૃથ્વીના પેટાળમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો વ્યાપક પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એમ પાંચાના જણાવ્યા અનુસાર, જિલ્લામાં કુલ 1999 જળ સંરક્ષણના કામો પૂર્ણ થયા છે. જેમાં 352 શૈક્ષણિક ભવનો, 212 સરકારી આરોગ્ય કેન્દ્રો, 132 ખાનગી હોસ્પિટલો અને 9 સિંચાઈ વિભાગની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાની 7 નગરપાલિકા વિસ્તારોમાં પણ 1039 જેટલા કામો દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદ્ધતિમાં છત પર પડતા પાણીને પીવીસી પાઇપ દ્વારા ફિલ્ટર ચેમ્બરમાં શુદ્ધ કરી, બોરવેલ કે કુવાઓમાં ઉતારવામાં આવે છે. જનભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં માત્ર સરકારી કચેરીઓ જ નહીં, પણ સામાન્ય નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. આમ, જૂનાગઢ જિલ્લાએ આકાશી અમૃતને બચાવીને ટકાઉ વિકાસના લક્ષ્યો તરફ મક્કમ ડગલું માંડ્યું છે.
મહિલા ખેડૂત સંમેલન:વીરડી ગામના 118 મહિલાઓએ પ્રાકૃતિક ખેતીના શપથ લીધા
જૂનાગઢ જિલ્લાના વીરડી ગામમાં આવેલ ફાર્મર રિસોર્સ સેન્ટર (FRC) ખાતે RAF Global સંસ્થા દ્વારા મહિલા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેતીને ઝેર અને કેમિકલમુક્ત બનાવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગતથી થઈ હતી, ત્યારબાદ સંસ્થાના પ્રતિનિધિએ જૂનાગઢ જિલ્લામાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીની કામગીરીની રૂપરેખા આપી હતી. કાર્યક્રમને મનોરંજક બનાવવા માટે “કૌન બનેગા પ્રાકૃતિક કિસાન” જેવી ક્વિઝ રમત રમાડવામાં આવી હતી સાથે જ, પ્રાકૃતિક ખેતીના પ્રદર્શન દ્વારા નવીનતમ પદ્ધતિઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ સંમેલનમાં કુલ 118 મહિલા ખેડૂતો હાજર રહ્યા હતા. અંતમાં, તમામ ઉપસ્થિત મહિલાઓએ ધરતી માતાને બચાવવા અને શુદ્ધ ખેતી અપનાવવાના શપથ લીધા હતા.
ફરિયાદ નોંધાઈ:લુંટેરી દુલ્હન મેરેજ બ્યુરો, દલાલ સાથે મળી રૂ. 2.10 લાખ લઈ જતા ફરિયાદ
જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રહેતા 61 વર્ષીય મનસુખભાઈ મૂળજીભાઈ સુતરીયાના પુત્ર જેનીશના લગ્ન માટે પરિવાર પ્રયત્નશીલ હતો. આ દરમિયાન, ગઈ તા. 28 નવેમ્બર 2024ના રોજ પાડોશી અશ્વિનભાઈ કોટડીયાના ઘરે નાગપુરથી નિલેશ અગ્રવાલ, તેની પત્ની સંતોષી અને સંગીતા નામના મહેમાન આવ્યા હતા. તેઓને પુત્ર જેનીશના લગ્નની વાત કરતા નિલેશ અગ્રવાલએ રૂપિયા 2.10 લાખ દેવા પડશે આ છોકરી તેમ કહી સંગીતા બતાવી હતી. બાદમાં સુરતમાં \સપ્તપદી મેરેજ બ્યુરો'' ચલાવતા વિજય મહેશભાઈ ધકાનનો સંપર્ક કરાવ્યો હતો. આ શખ્સે સંગીતા સાથે જેનીશના લગ્ન કરવા હોય તો 70,000 મારા ખાતામાં નાખી દો અને 70000 કમિશનના નિલેશ અગ્રવાલને અને 70,000 સંગીતાને આપી દેવાનું કહ્યું હતું. યુવતી પસંદ આવતા 29 નવેમ્બર 2020 ના રોજ નાની પરબડી ગામે શિવવાડી મંદિરે જેનીશ અને સંગીતાના ફુલહાર કરી લગ્ન કરાવ્યા હતા. અગાઉ નક્કી થયા મુજબ મનસુખભાઈએ ત્રણેયને પૈસા આપ્યા હતા. લગ્ન બાદ સંગીતા તેના પિતરાઈ ભાઈના લગ્ન, પરીક્ષાના બહાના હેઠળ જતી રહી હતી. થોડા દિવસો બાદ જ્યારે મનસુખભાઈએ યુવતીને પરત મોકલવા વિજય ધકાનનો સંપર્ક કરતા વિજયે ફરિયાદ ન કરવાનું કહી સંગીતા પાસે નાગપુરમાં બળાત્કારને ફરિયાદ કરાવી તમને બાપ, દીકરાને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દઈશ અને નાગપુર ધકકા ખવડાવશું એવી ધમકી આપી હતી. તેથી મનસુખભાઈએ ડરી જઈને ફરિયાદ આપેલ નહીં અને અરજી આપી હતી. જેના આધારે તાલુકા પોલીસે શનિવારે વિજય મહેશ ધકાન, નિલેશ અગ્રવાલ અને સંગીતા વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટોળકીએ કાથરોટા, મજેવડી, રૂપાવટી ગામના યુવાનોને પણ શિકાર બનાવ્યા ફરિયાદીએ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ માત્ર જેનીશ જ નહીં, પરંતુ અન્ય ગામોના યુવાનોને પણ આ રીતે શિકાર બનાવ્યા છે. શખ્સોએ કાથરોટા ગામના રાજુભાઈ ભનુભાઈ અકબરી પાસેથી રૂ. 1.70 લાખ, મજેવડીના કાળુભાઈ લાલજીભાઈ હીરપરા પાસેથી રૂ. 1 લાખ અને રૂપાવટીના જગદીશભાઈ કેશુભાઈ ટાંક પાસેથી રૂ. 1.20 લાખ લઈને આ જ પ્રકારે છેતરપિંડી આચરી હતી.
જૂનાગઢ શહેરમાં મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ એક્ષ્પોનુ આયોજન કરાયુ છે. જેમાં તારીખ 21 માર્ચને શનિવારના રોજ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મિલેટ એક્ષ્પોમાં વિવિધ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી વસ્તુઓનુ વેચાણ તો છે જ સાથે-સાથે મિલેટમાંથી તૈયાર થતી વાનગીના લાઇવ ફુડ સ્ટોલ મળી કુલ 49 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં રાગીના ઢોસા-ઇડલી, પાણીપુરી, મેથી ગોળની કોફી સહિતની વિવિધ વાનગીઓ મહિલાઓ બનાવી રહી છે જે લોકો જઇને તેનો સ્વાદ માણી શકશે. આ એક્ષ્પો તારીખ 22 માર્ચ સુધી ચાલનાર છે જે સવારે 10 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. પ્રથમ દિવસે મંત્રીએ જણાવ્યુ કે, આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા પરંપરાગત જાડા ધાન્ય માટે લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ ખોરાકને ‘દવા’ તરીકે સ્વીકારવો પડશે. મિલેટ્સના ફાયદા અને વૈશ્વિક સ્વીકૃતિ મળતા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રી ય શ્રી અન્ન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં પણ વિશ્વ પણ મિલેટ્સની ઉપયોગિતા સ્વીકારી રહ્યું છે. વિશેષમાં જણાવ્યુ કે, ખેતીની દ્રષ્ટીએ મિલેટ ઓછા પાણીએ અને સુકા વિસ્તારમાં પણ સરળતાથી 100 દિવસે તૈયાર થઇ જાય છે. લાઇવ ફૂડ સ્ટોલમાં આ વાનગી બને - રાગીના ઢોસા, ઇડલી અને શૂપ- મેથી ગોળની કોફી - મિલેટ પિઝા (રાગી-મકાઇનો લોટ)- મગ,જુવાર, મસુર, રાગીની મિક્ષ દાળ - રાગીની પાણીપુરી, રાગી-જુવારના મમરા- રાગીના મસાલા પાપડ અને મિક્ષ કઠોળ ભેળ
મહેશગિરીને મહંત બનાવવાના પ્રયાસનો આક્ષેપ:શક્તિપીઠમાં ગેરવહીવટ મામલે કલેક્ટરને નોટિસ
જૂનાગઢના એડવોકેટ પિયુષ ભુવા દ્વારા કલેક્ટરને સી.પી.સી. કલમ-80 હેઠળ ફટકારવામાં આવેલી કાનૂની નોટિસમાં અંબાજી મંદિરના વહીવટમાં ચાલતા કૌભાંડો અને મહંતપદની નિમણૂંકમાં થતા રાજકીય હસ્તક્ષેપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કલેક્ટરના તા. 6-11-2025ના હુકમથી જ રેકર્ડ પર 'સરકારી લેન્ડગ્રેબર' (સરકારી જમીન પચાવી પાડનાર) સાબિત થયેલા મહેશગિરી ગુરૂ અમૃતગિરીને મહંતપદે બેસાડવા માટે વહીવટી તંત્ર પર રાજકીય દબાણ છે. આ વિવાદાસ્પદ વ્યક્તિને કારણે જ લાયક અને નીતિવાન સાધુઓની નિમણૂંક જાણીજોઈને અટકાવવામાં આવી રહી છે.ઓક્ટોબ ર-2025માં દિવાળી દરમિયાન મંદિરમાં દારૂ, માંસ અને દાનપેટીમાંથી ચોરીના જે વીડિયો વાયરલ થયા છે, તે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. સીસીટીવી કેમેરા હોવા છતાં આટલા સમય સુધી આ કૌભાંડો કેમ દબાવી રાખવામાં આવ્યા? શું વહીવટી તંત્ર આમાં સામેલ છે?તેવા પ્રશ્નો પણ નોટિસમાં કરવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતો દારૂ પીધેલ કર્મચારી જો સગીર હોય, તો તેને કામે રાખવો તે લેબર લો મુજબ ગુનો છે. જો તે પુખ્ત હોય, તો તેને કડક સજા થવી જોઈએ.જો સમયમર્યાદામાં લાયક મહંતની નિમણૂંક કરવામાં નહીં આવે અને મહેશગિરીના દબાણમાં તંત્ર કામ કરશે, તો ચીફ સેક્રેટરી ની જાણ હેઠળ કલેક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે દીવાની અને ફોજદારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ લીટીગેશન અને કોર્ટ ખર્ચની જવાબદારી સરકાર તથા વહીવટદારની વ્યક્તિગત રહેશે.
સન્ડે ફોટો સ્ટોરી:સિવિલના દર્દીઓ વચ્ચે છાત્રોની રાત્રે 2 સુધી ધમાલ
મેડિકલ કોલેજમાં આયોજિત ફેરવેલ પાર્ટી વિવાદના ઘેરામાં આવી છે. ગત 20 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યા સુધી મેડિકલના છાત્રો બિન્દાસ્તપણે ડીજેના ઘોંઘાટ વચ્ચે ગરબા રમી રહ્યા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે આ કોલેજની બિલકુલ બાજુમાં જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમની પાસે ભવિષ્યમાં લોકોના જીવ બચાવવાની અપેક્ષા છે, તેવા તબીબી છાત્રોની આ પ્રકારની બેદરકારી અને સંવેદનહીનતા સવાલો ઉભા કરે છે. હોસ્પિટલના સાયલન્સ ઝોન ગણાતા વિસ્તારમાં આટલો મોટો ઘોંઘાટ દર્દીઓની ઊંઘ અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તંત્ર દ્વારા આવા કાર્યક્રમો પર રોક લગાવવાને બદલે છૂટ આપવામાં આવી હતી.
ભાસ્કર એનાલિસિસ:જિલ્લાના 14 ડેમમાં સરેરાશ 54.60 ટકા જળસંચય, સૌરાષ્ટ્રમાં જૂનાગઢનો 4થો ક્રમ
જૂનાગઢ જિલ્લામાં કુલ 14 ડેમ આવેલા છે. હાલ ઉનાળાએ દસ્તક દીધી છે ત્યારે તમાંમ ડેમની શું સ્થિતિ છે તે અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી જાણવા મળ્યું હતું કે તમામ ડેમમાં પુરતો જથ્થો છે અને આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જથ્થો એમાં પણ જૂનાગઢને પુરુ પાડતા ઓઝત, હસ્નાપુર, આણંદપુરમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી પાણી અછતની રહેશે નહીં. ઉપરાંત સૌરાષ્ટ્રભરની વાત કરીએ તો જળસ્ત્રોતની દ્રષ્ટીએ જૂનાગઢ 54.60 ટકા સાથે ચોથા ક્રમાકે નોંધાયુ છે. સિંચાઇ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં ઉબેણ, મધુવંતી, પ્રેમપરા, હસ્નાપુર, ઓઝત- 2, વ્રજમી, આબાજળ, ધ્રાફડ, બાંટવા, ઓઝત-શાપુર, ઓઝત- વંથલી, મોટાગુજરીયા, જાંજેસરી, સાબલી મળી એવરેજ 54.60 ટકા જળસ્ત્રોત છે. જેમાં સૌથી વધારે ઓઝત-2માં 82.40 ટકા અને સૌથી ઓછો વ્રજમીમાં 4.83 ટકા છે. ઉપરાંત પ્રેમપરામાં 0 ટકા પાણી છે કારણ કે તે ડેમ છિછરો હોવાથી પાણી ટકતુ નથી. આમ, જૂનાગઢ જિલ્લાના 14 ડેમ મળી કુલ 54.60 ટકા જળસ્ત્રોત સાથે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો છે અને ચોમાસુ જો ખેચાઇ તો પણ પાણીની કોઈ તકલીફ નહીં પડે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે એમ સિંચાઇ વિભાગના ઇજનેરે જણાવ્યુ છે. જિલ્લાના 14 ડેમોમાં પાણીની સ્થિતિ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણીની સ્થિતિ (ટકાવારીમાં) તળાવોના લીધે પાણીના તળ ઉંચા આવ્યાંસોરઠ પંથકના એવા અનેક ગામો છે જ્યાં તળાવનું નિર્માણ કરવામાંઆવ્યું હતું જેથી ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હોય અનેકવિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવ્યા છે જેથી પાણીની અછત હવેભૂતકાળ બની રહી છે.

29 C