SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

સોસાયટીઓના ગેટ બહાર વિરોધના બેનરો લાગશે:સોસાયટીમાંથી રિઝર્વેશન ન હટે તો લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સભામાં સર્વાનુમતે નક્કી કરાયું કે જો વિવાદિત રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે અને રાષ્ટ્રપતિથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવશે. સાથે જ રિઝર્વેશનગ્રસ્ત સોસાયટીઓના ગેટ પર વિરોધના બેનરો લગાડવા તેમજ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે. રહીશોનો આક્ષેપ છે કે, વર્ષો જૂની મિલકતો પર મનપાએ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:27 am

સિટી એન્કર:ધાર્મિક ક્રિયા-તર્પણ માટે શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે મોટાવરાછાના તાપી કિનારેનો મહાદેવ ઓવારો ડેવલપ કરાશે

મોટાવરાછામાં તાપી નદી કિનારે પંચમુખી શિવલીંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યું છે. જ્યાં પ્રતિદિન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તેમજ ધાર્મિક ક્રિયાકાંડ તેમજ વિધિઓ પણ કરતા હોય છે. અંદાજિત 1.35 કરોડના ખર્ચે ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે. ઓવારા પરનો રોડ નદીના પાણી તેમજ વરસાદી પાણીના કારણે તુટી ગયો છે. મંદિર પાસે આવેલા મહાદેવ ઓવારાને 70 મીટર લંબાઇ તથા 6 મીટર પહોળાઇમાં બંને તરફ રીટેઇનીંગ વોલ કરી નદી કિનારા સુધી સ્ટેપ બનાવી ઓવારાને ડેવલપ કરવાનું આયોજન છે.ઓવારા પર સિટિગ એરિયા સાથે ફલાવર બેડની સુવિદ્યા હશે. શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરનો પૌરાણિક ઈતિહાસકાશીવિશ્વનાથ મંદિર પણ છસો-સાતસો વર્ષ જુનો ઈતિહાસ ધરાવે છે. કાશીવિશ્વનાથ મંદિર પાછળ પણ એક દંતકથા છે. ઈ.સ.1754માં પાઠકજી પરિવાર પંચમુખી શિવલીંગ લઈ પગપાળા મોટાવરાછા ગામે આવ્યાં અહીં આવી તેમણે તાપી કિનારે મંદિરનું બાંધકામ કરાવ્યું અને પંચમુખી શિવલીંગની સ્થાપના કરી. આમ આ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પેશ્વા બાલાજીઓના સમયનું અત્યંત ચમત્કારી મંદિર ગણાય છે. પાસોદરામાં 6 કરોડમાં વાંચનાલય બનશેશહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તાર પાસોદરામાં વાંચનાલય બનાવવાનું આયોજન કરાયું છે. પાસોદરાગામ ખાતે બ્લોક નં 174 રેવન્યુ સર્વેનંબર 002માં એમેનીટીઝ સ્પેશનની જગ્યાનો કબજો સુરત મહાનગર પાલિકાને મળી ગયો છે. આ જગ્યા પર 1861 ચોરસમીટર એરિયામાં વાંચનાલય બનાવવા આયોજન છે. ગ્રાઉન્ડ ફલોર વત્તા બે માળના વાંચનાલયમાં સીનીયર સિટીઝન રીડીંગ હોલ, સ્ટોર હોલ, બોયેઝ રિડીંગ હોલ, ગલર્સ રીડીંગ હોલ બનાવવામાં આવશે. તમામ ફલોર પર સ્ટોર રૂમ સાથે ટોઇલેટ બ્લોક અને ડ્રીકીંગ વોટરની સુવિદ્યા હશે. તેમજ દરેક માળ ઉપર સીસીટીવી સાથે ફાયર ફાઇટીંગ સિસ્ટમની સુવિદ્યા કરાશે. અંદાજિત 6 કરોડના ખર્ચનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:25 am

પ્રથમ SIR ફોર્મ ભરવું ફરજિયાત, પછી સુધારા થશે:નવી મતદાર યાદી સુધારણામાં રહેણાંક બદલ્યું હશે તો હાલ એડ્રેસ બદલી શકાશે નહીં

સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર બાદ જ એડ્રેસમાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરાશે. જાણવા મળતી માહિતી પ્રમાણે જો કોઈ મતદાર નવા સ્થળે સ્થાયી થયો હોય, તો પહેલા તેની માહિતી એસઆરઆઈ સિસ્ટમમાં અપડેટ થશે. ત્યાર બાદ એક સરનામાથી બીજું સરનામું ટ્રાન્સફર સીધું નહીં થાય પરંતુ નવી સિસ્ટમમાં પ્રથમ રજીસ્ટ્રેશન પછી જ એ પ્રક્રિયા શક્ય બનશે. સરનામામાં કે અન્ય વિગતોમાં ફેરફાર કરવાની જરૂર હોય તો વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરાવવું, જેથી નવી મતદાર યાદી જાહેર થાય તે પહેલાં સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તેવા લોકો માટે કેમ્પસુરતમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે જેને લઈને બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તો 16-16 નવેમ્બર, 22-23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:24 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:SIRને લીધે સ્કૂલોમાં ‘No Sir’ : શહેરના 35 ટકા શિક્ષકોને BLO બનાવાયા, સગરામપુરામાં મોનિટરે ભણાવ્યા, લિંબાયતમાં બે ક્લાસ ભેગા કરી વર્ગ ચાલ્યા

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે, સ્થિતિ એવી છે કે, વર્ગખંડના વિદ્યાર્થીઓમાંથી જ એક મોનિટરે નીમી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં પણ બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી એક જ ખંડમાં એકસાથે ભણાવવાની નોબત આવી છે. બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાયુંરાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણના ગુણોત્તર સુધારવાના ઉદ્દેશ સાથે 14 નવેમ્બર સુધી ખાસ વાંચન-લેખન અભિયાન હાથ ધર્યું છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાઈ પડ્યું છે. સમિતિની સ્કૂલમાં એક હજાર શિક્ષકોની પણ ઘટ છે. આમ, સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર આગામી દિવસોમાં અસર જોવા મળશે. તમામ શિક્ષકો અને સરકારી સ્કૂલોનો શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતાએક શિક્ષકે કહ્યું કે, આ વખતે તો શિક્ષકો ઉપરાંત સહાયકોને પણ SIRમાં મૂકાતાં અભ્યાસક્રમ ચલાવવા માટે કોઈ નથી. પહેલાંથી સ્કૂલોમાં મહેકમ ઘટ છે ત્યારે પ્રત્યેક સ્કૂલોમાં 5 શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતા છે. પહેલાં સ્કૂલે સ્વાધ્યાય પોથીમાંથી વિદ્યાર્થીઓને લેશન આપ્યા પછી BLOની કામગીરી કરીએ છીએ. વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં પરસેવો વળી ગયો​​​​​​​લિંબાયત મીઠી ખાડીની સ્કૂલમાં ધોરણ-8ના 2 ક્લાસ ભેગા કરાયા હતા, જેથી વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં શિક્ષકને પરસેવો વળી ગયો હતો. છતાં 4 શિક્ષકોની ગેરહાજરીના લીધે એક પછી એક વર્ગોમાં લેશન આપી એક જ શિક્ષકથી ગાડું ગબડાવાયું હતું. શિક્ષકની ગેરહાજરીમાં મોનીટરે બાળકોને ભણાવ્યાસગરામપુરાની શાળાએ સ્માર્ટ બ્લેક બોર્ડથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. રેન્કર વિદ્યાર્થીને મૉનિટર બનાવીને સ્માર્ટ બોર્ડ પર દાખલા ગણાવાયા હતા. સ્માર્ટ બોર્ડના લીધે આ પ્રક્રિયા સરળ હોવાથી વિદ્યાર્થીઓ પણ શિક્ષક તરીકેની ભૂમિકાથી વાકેફ થઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:23 am

પરિવારમાં શોકનો માહોલ:મુન્દ્રા શહેરમાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાને શાકભાજીના ટેમ્પોએ હડફેટે લેતાં એકનું મોત, એક ઘાયલ

મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ સાઈડમાં ધસમસતા આવતા ટેમ્પોએ હડફેટે લેતાં એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે બીજા મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વહેલી સવારે 6.15 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં પોતાના હિંગલાજ નગર સ્થિત ઘરેથી મોર્નિંગ વોક પર નીકળેલા વૈશાલીબેન ભુપેન્દ્ર પીપરાણી (ઠક્કર) સાથે બારોઇ રોડ પર રહેતા અરુણાબેન અનિલ પીપરાણી (ઠક્કર) જોડાયા હતા.બંન્ને પગપાળા અંદાજિત અડધો કિમી દુર શિશુમંદિર સુધી પહોંચ્યા હતા ને તેમને સામેથી પૂરપાટવેગે રોંગ સાઈડમાં ઘસી આવેલા જીજે 27 ટીજી 1741 નંબરના આઇસર ટેમ્પોએ હડફેટે લીધા હતા.બનાવને પગલે રોડ સાઈડ ચાલતા વૈશાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું બ્રેઈન હેમરેજને કારણે ઘટના સ્થળે અરેરાટીભર્યું મોત થયું હતું. જયારે અરુણાબેનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમને અસ્થિભંગ સહિતની નાની મોટી ઇજા થઇ છે પણ હાલ તેઓ ભયમુક્ત છે. અત્રે નોંધનીય છે કે, મૃતક વૈશાલીબેન મુન્દ્રા લોહાણા સમાજની મહિલા પાંખના પ્રમુખ હતા અને સમાજની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન હતું.તેઓ પોતાના બે સંતાનો પુત્ર અને પુત્રી ઉપરાંત પતિને વિલાપ કરતા છોડી ગયા છે.આ સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતાં લોહાણા સમાજના આગેવાનો સ્થાનિક સામુહિક કેન્દ્રમાં દોડી ગયા હતા. બનાવને કારણે શોકનું મોજું ફરી વળ્યું હતું.અકસ્માતને અંજામ આપી ચાલક ફરાર થઇ ગયો છે જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત ઝોન બનતા ગૌરવપથ પર ગતિનિયંત્રણ આવશ્યકગૌરવપથના નિર્માણ બાદ વેપારીઓએ બારોઇ રોડ પર સ્પીડ બ્રેકરની માંગ કરી હતી.તેને અનુલક્ષીને જમ્પરનું આરોપણ તો થયું પરંતુ સપાટ રોડ જોઈને છાકટા બની બેદરકારી પૂર્વક વાહન હંકારતા ચાલકો માટે ગતિ નિયંત્રણ આવશ્યક બન્યું હોવાનો મત નગરમાં પ્રવર્તી રહ્યો છે. પ્રબુદ્ધ વર્ગની લાગણી મુજબ ગૌરવપથની બંને બાજુ શિશુ મંદિર અને તાલુકા પંચાયત નજીક પાલિકા દ્વારા ગતિ નિયંત્રણ અંગે નિર્દેશ કરતા બોર્ડ મુકવામાં આવે ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા પણ બેફામ વાહન હંકારતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાય તો જ છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ પર રોક લગાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:18 am

રૈયા ચોકડી નજીકના ક્લિનિકમાં બનેલી ઘટના:પ્રૌઢને બાટલામાં તાવનું ઇન્જેક્શન લગાવતા શરીરે રિએક્શન આવ્યું

ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ યુસુફભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડ પરના ક્લિનિકમાં સારવાર લીધી હતી અને બાટલો ચડાવ્યો હતો. તેમજ બાટલામાં ઇન્જેક્શન દેતા શરીર ઉપર રિએક્શન આવતાં તબિયત બગડી હતી. રામાપીર ચોકડીએ રિપોર્ટ કરાવવા જતાં તેને સિવિલમાં સારવાર લેવી પડે તેવું કહેતાં તે સારવાર માટે આવતાં દાખલ કરાયા હતાં. તબીબે આ મામલે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યુસુફભાઇને સંતાનમાં એક દીકરો અને ચાર દીકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:13 am

આપઘાતનો પ્રયાસ:પ્રેમિકાએ લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં પરિણીત પ્રેમીએ છરીના ઘા ઝીંકી, પોતે પણ પેટમાં છરી પરોવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરમાં મવડી ચોકડી પાસે રહેતા અને મૂળ રાજપરાના પરિણીત શખ્સે સરધારમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીઓના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી પોતે પણ જાતે પેટના ભાગે છરી ભોંકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધાર ગામે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી હીના ભરતભાઈ બુડાસણા(ઉ.વ.28) તેના ઘરે એકલી હતી તે દરમિયાન મવડી નજીક સીતારામ ચોકડી પાસે રહેતા નિકુંજ અરવિંદબાઈ વેકરિયા(ઉ.વ.30)એ ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી પોતે પણ જાતે છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બંને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં આજી ડેમ પીઆઈ એ.બી.જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં નિકુંજ મૂળ જામકંડોરણાના રાજપરા ગામનો અને હાલ મવડી ચોકડી પાસે સીતારામ ચોક પાસે રહેતો હોવાનું અને પાંચ વર્ષ પૂર્વે તેના લગ્ન થઇ ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હીનાએ જણાવ્યા અનુસાર, તેણી પાંચમા સેમેસ્ટરની પરીક્ષા દેવા ગઈ હોય ત્યારે તેણીનો આ નિકુંજ સાથે નંબરની આપ-લે થયા બાદ સંપર્ક થયો હતો. બંને પ્રેમમાં હોય બાદમાં આ નિકુંજે તેણીને લગ્ન કરવા બાબતે કહેતા તેણીને નિકુંજ પરિણીત હોવાનું માલૂમ પડ્યું હતું, પણ નિકુંજે તે તેની પત્નીને છોડી દેશે તેમ વાત કહેતા તેણીએ આ બાબતે ઘરે વાત કરી હતી. પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના કહી દેતા આ નિકુંજ ધરાર લગ્ન કરવા બાબતે ધમકી દેવા લાગ્યો હતો. બાદમાં બુધવારે સવારે ઘરે આવીને નિકુંજ જબરદસ્તી કરતો હોય અને “હું લગ્ન તો તારી સાથે જ કરીશ’ તેમ કહી અવાર-નવાર હેરાન કરતો હતો. જે બાદ નિકુંજે તેણીને છરીના ઘા ઝીંકી પોતે પણ પેટમાં છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:12 am

ખેડૂતોની વહારે આવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક:2.25 લાખ ખેડૂત માટે વગર વ્યાજની 1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના

ગત માસમાં માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બેહાલ થઇ ગયા હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ બે જિલ્લાના 2.25 લાખથી ‌વધુ ખેડૂત માટે વગર વ્યાજની રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયાની યાદીમાં જણાવ્યા અનુસાર બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ ઓક્ટોબર માસમાં થયેલી અતિવૃષ્ટિને કારણે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને તૈયાર પાકમાં થયેલી પારાવાર નુકસાનની સ્થિતિ ધ્યાનમાં લઇ આ નિર્ણય કર્યો છે. ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા 2.25 લાખથી વધુ ખેડૂત માટે રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના બનાવી છે. દરેક ખેડૂત સભાસદોને હેક્ટરે રૂ.12500 અને વધુમાં વધુ રૂ.65000 1 વર્ષની મુદત માટે 0 ટકા વ્યાજે મળશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:11 am

હુમલો:રાજકોટમાં ચા પીવા ઊભેલા યુવક પર કલરકામના કારીગરનો પાવડાથી હુમલો

રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં રેસકોર્સ પાસે એક સાઇટ પર કડિયાકામ માટે ગયો હતો ત્યારે ત્યાં કાશી ભૈયા કલરકામ માટે આવ્યો હતો. તે વખતે બંને વચ્ચે ગાળાગાળી બોલાચાલી થઇ હતી. દરમિયાન પોતે સાંજે રૈયા ચોકડીએ ચા પીવા ઊભો હતો ત્યારે કાશીને ગાળો બોલવાની ના કહેતા હુમલો કર્યો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:10 am

લુખ્ખા તત્વો ઉપર કાર્યવાહી:રાજકોટમાં નવા થોરાળામાં મંગળવારે સમીસાંજે થયેલી જૂથ અથડામણમાં 19 શખ્સ સામે ગુનો નોંધાયો, 8ની ધરપકડ

શહેરમાં લુખ્ખાઓ સામે ચાલતા પોલીસના કોમ્બિંગ વચ્ચે થોરાળામાં નામચીન સહિતની ટોળકીએ જૂના ઝઘડાના મામલે ધોકા, પાઈપ સાથે ધસી આવી સામ-સામે પથ્થરમારો તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવવાના બનાવમાં થોરાળા પોલીસે બન્ને જૂથના નામચીન સહિત 19 આરોપી સામે રાયોટિંગ, હુલ્લડ, મારામારી, એટ્રોસિટી સહિતના ગુના નોંધી 8 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. ચંદ્રકાંતભાઈ દલાભાઈ ખીમસુરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી શબીર ઉર્ફે બોદુ, કિશન રાણપરિયા, અસરફ ઓડિયા, અબીદ ઓડિયા, અરબાજ રાઉમા,અબ્દુલ અનવરભાઈ દલ, અલી રજાકભાઈ શેખ, શાહિદ ઓડિયા અને અશરફની પુત્રી અને 8થી 10 અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. સામા પક્ષે નયન દાફડાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી શામજી મકા મકવાણા, તેના બે પુત્ર ચિરાગ, નાગેશ તેમજ દિલો ઉર્ફે દિલીપ પ્રેમજી ચૌહાણ, કેવલ કિશોર સોંદરવા, હરેશ મોહન ખીમસુરિયા અને બે અજાણ્યા શખ્સના નામ આવ્યા હતા. બન્ને પક્ષે 19 સામે ગુનો નોંધી 8 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:09 am

યુવકે જીવાદોરી કાપી:મહિકામાં બીમારીથી કંટાળીને યુવકનો આપઘાત

રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મૃતક જયસુખ ત્રણ ભાઈમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ ગાડી ઉતારતી વેળા લાગી જતાં તેને ગાંઠ થઈ હતી. જેથી ગાંઠની બીમારીના દુખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:06 am

રાષ્ટ્રીય લાઈબ્રેરી સપ્તાહ:રાજકોટના પુસ્તકાલયોમાં સ્પર્ધાત્મક બાદ જૂની નવલકથાઓ, પ્રેરણાદાયી પુસ્તકો સૌથી વધુ વંચાય છે

ઇન્ડિયન લાઇબ્રેરી અસોસિએશન (આઇ.એલ.એ)એ વર્ષ 1968માં રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરી. જે દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે. શહેરમાં 30 લાઇબ્રેરીમાં 8 લાખથી વધુ પુસ્તક, રોજ 3000થી વધુ વાચકો મુલાકાત લે છે. શહેરની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક, જૂની નવલકથાઓ અને પ્રેરણાદાયી પુસ્તકો સૌથી વધુ વંચાય છે. જૂની નવલકથામાં હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, પન્નાલાલ પટેલ સહિતના લેખકોની પુસ્તક વાંચકોમાં વધુ લોકપ્રિય છે. મનપા સંચાલિત લાઇબ્રેરીમાં 150 થી લઇને 1500 સુધીની કિંમતના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે. આ તકે રોટરી મીડટાઉન લાઈબ્રેરી અને ડીએચ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલી લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત 168 વર્ષ જૂના ગ્રંથાલયની શ્રી અરવિંદભાઇ મણીઆર પુસ્તકાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. 168 વર્ષ જૂના ગ્રંથાલયમાં કાર્યક્રમ બાળકો, યુવાનો અને વાચકોમાં વાંચનની રુચિ વધારવાનો હેતુ ભાસ્કર એક્સપર્ટલાઇબ્રેરી સપ્તાહની ઉજવણી કરવાથી 10% વાચકોમાં જાગૃતતા વધશેઆજના આધુનિક સમયમાં બાળકોનો સ્ક્રીન ટાઇમ ખૂબ વધતો જાય છે. મોબાઈલ, ટેબ્લેટ, ટીવી અને કમ્પ્યૂટર જેવા સાધનો હવે બાળકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. ઓનલાઈન ક્લાસ, કાર્ટૂન, ગેમ્સ અને સોશિયલ મીડિયા જેવા માધ્યમોથી બાળકો વધુ સમય સ્ક્રીન સામે વિતાવે છે. આ સંજોગોમાં બાળકો કે યુવાનોમાં વાંચન ખૂબ ઘટતું જાય છે. ત્યારે દર વર્ષે તા.14 નવેમ્બરથી 20મી સુધી રાષ્ટ્રીય લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરેક લાઇબ્રેરી દ્વારા વાંચન રુચિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાશે. ડેપ્યુટી ચીફ લાઇબ્રેરિયન સુનિલભાઇ દેત્રોજાએ જણાવ્યુ હતું કે, આર.એમ.સી. સંચાલિત 15 લાઇબ્રેરી છે, જેમાં 2,65,000 પુસ્તક છે. દરરોજ 1500 જેટલા વાચક આવે છે તથા 40,000 મેમ્બર છે. આવા કાર્યક્રમ કરવાથી 10% જેટલો વાચક વર્ગ વધવાની શક્યતા રહે છે. ડીએચ કોલેજના ઓડિટોરિયમમાં 3 ગ્રૂપની વિવિધ સ્પર્ધામાં 7થી 10 વર્ષ, 11થી 18 વર્ષ અને 19 વર્ષથી કોઇ પણ ઉંમરના લોકો માટેનું આયોજન કરાયું. દરેક કેટેગરીમાંથી પ્રથમ બે વિજેતાઓને ઇનામ આપાશે. પ્રવેશ મફત છે તથા 74055 13468 પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. > સુનિલ દેત્રોજા, ડે. ચીફ લાઇબ્રેરીયન બાળપણની રમતો, બુક સ્પર્ધા યોજાશે

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:05 am

પરીક્ષા પદ્ધતિ સામે આક્ષેપ:યુનિ.ની પરીક્ષામાં માત્ર 10% કોલેજોમાં જ CCTV ચાલુ હોવાનો પૂર્વ સિન્ડિકેટનો આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ કુલપતિ અને યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ સામે કેટલાક આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ કોઈ યોગ્ય નિરીક્ષણ વ્યવસ્થા નથી. સીસીટીવી કેમેરા ફક્ત આશરે 10 ટકા કોલેજોમાં જ કાર્યરત છે. ફક્ત છ કર્મચારીઓ 200 કોલેજની દેખરેખ રાખી શકે તે અશક્ય છે. એવું લાગે છે કે, કોલેજોમાં બેફામ ચોરી કરવા માટે ખુલ્લું લાઇસન્સ આપવામાં આવ્યું છે. ઉપકુલપતિની માનસિકતા શિક્ષણમાં ચોરી રોકવા માટે કોઈ નીતિ કે રોડમેપ ધરાવતી નથી. ‘કોલેજો રાજી, વિદ્યાર્થીઓ રાજી અને ઉપકુલપતિ રાજી - તો ક્યા કરે કાજી?’ જેવી સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં ઉપકુલપતિ પાસે કોલેજોના સીસીટીવી માટે આઈપી એડ્રેસ મેળવવાની પણ શક્તિ નથી. એક વર્ષમાં એકપણ કોપી કેસ દાખલ કરવામાં આવ્યો નથી. આવનારા સમયમાં સ્થિતિ વધુ બગડશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:02 am

ભણે ગુજરાત:14 નવેમ્બરથી શાળા છોડનારા બાળકોને શોધીને પુનઃ પ્રવેશ માટે સરવે કરાશે

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં શાળા કક્ષાએ 14થી 23 નવેમ્બર સુધી સરવે હાથ ધરવામાં આવનાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, 6થી 18 વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્ય ધારા સાથે જોડવામાં આવે. સરવે દરમિયાન એવા બાળકોની ઓળખ કરવામાં આવશે જેઓ વિવિધ કારણોસર શાળામાંથી છૂટી ગયા છે અથવા ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી. આવા બાળકોનું પુનઃ નામાંકન કરાવવું અને તેમને શૈક્ષણિક રીતે પુનર્વસિત કરાવવાનું કાર્ય સમગ્ર શિક્ષા અંતર્ગત હાથ ધરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરે તમામ સરકારી વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે. સરવે પૂર્ણ થયા બાદ એકત્રિત માહિતીના આધારે બાળકોના નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાનના અંતે જૂન 2026માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી આ તમામ બાળકોને નજીકની સરકારી શાળાઓમાં દાખલ કરવામાં આવશે. 23મી સુધી ઘેર ઘેર જઈને, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ સહિતની જગ્યાએ બાળકોને શોધશે શિક્ષકો કેવી રીતે સરવે કરાશે, ક્યાં ક્યાં સ્થળોએ સરવે થશે ગયા વર્ષે રાજ્યમાં આશરે 1.15 લાખ બાળકો મળ્યા હતાગુજરાતમાં જે બાળકો ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા ગયા વર્ષે 1.15 લાખ બાળકો મળી આવ્યા હતા જેમાં રાજકોટના પણ આશરે 2 હજાર બાળકોનો સમાવેશ થાય છે. આ તમામને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે. ચાલુ મહિને જ આ ડ્રોપઆઉટ બાળકોનો એક મોટો સરવે શરૂ કરાયો છે જેમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિત શિક્ષા વિભાગના તમામ સ્ટાફને આ સરવેમાં જોડવા જણાવાયું છે. જે અંતર્ગત કોર્પોરેશનની શાળાઓ દ્વારા જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ 6થી 18 વર્ષની વય જૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા બાળકોનો સરવે 30 એપ્રિલ સુધી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:02 am

મહાદેવ ભારતીના ભૂતકાળ વિશે આશ્રમના પૂર્વ કર્મચારીઓના ઘટસ્ફોટ:કહ્યું, ‘મને અડપલા કર્યા, ચેલો બનવાની ઓફર આપી’, પૂર્વ મેનેજર બોલ્યા- સુસાઇડ નોટ સ્ટંટ હતો

જૂનાગઢમાં આવેલા ભારતની આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા હતા. જેમાં ત્રણ લોકોના નામ હતા. 80 કલાકની જહેમત બાદ તેઓ જંગલમાંથી મળી આવ્યા. પરંતુ મહાદેવ ભારતીને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. છતાં હજુ વિવાદ શાંત થયો નથી. જે ત્રણ લોકો ટોર્ચર કરતા હોવાનું સુસાઇડ નોટમાં લખીને મહાદેવ ભારતી આશ્રમમાંથી ભાગી ગયા હતા, એમાંથી 2 યુવકોએ હવે દિવ્ય ભાસ્કર સમક્ષ આવીને મહાદેવ ભારતીના ભૂતકાળ અને તેમના ભાગી જવાના કારણો વિશે સનસનીખેજ ખુલાસા કર્યા છે. મુકેશથી મહાદેવ ભારતી કેવી રીતે બન્યા? આશ્રમમાં રહીને તેમણે કેવી માગણી કરી હતી? કર્મચારીને કેવા મેસેજ કરતા હતા? એવું તો શું થયું કે જીવનના અંતિમ દિવસોમાં વિશ્વેશ્વરાનંદ બાપુએ જૂનાગઢ આશ્રમ છોડી દીધો અને સરખેજ જતા રહ્યા હતા? આવા અનેક મુદ્દે જૂનાગઢ આશ્રમના પૂર્વ મેનેજર હિતેશ ઝડફિયા અને અન્ય કર્મચારી કરણે (નામ બદલેલ છે) ગંભીર આરોપ લગાવ્યા છે. જૂનાગઢના ભારતી આશ્રમના પૂર્વ મેનેજર હિતેશભાઈ ઝડફિયાએ જણાવ્યું કે તેઓ વર્ષ 2009થી 2012 સુધી દામનગરની હોસ્ટેલમાં ભણતા હતા અને શિવરાત્રિ દરમિયાન સેવા માટે જૂનાગઢ આશ્રમમાં આવતા હતા. સંસ્થાની શાળા સારી ચાલતી હોવાથી હરિહરાનંદ બાપુએ તેમને શાળાનું સંચાલન સંભાળવા કહ્યું હતું. તેમણે ભારતી આશ્રમ સ્કૂલના સંચાલન માટે વહીવટદાર તરીકે 1 વર્ષ સુધી કામ કર્યું. બાપુએ શાળાનું સંચાલન પોતાના હાથમાં લીધા પછી તેમણે વર્ષ 2017 સુધી બાપુની ગાડી ચલાવવાની શરૂઆત કરી. પછી તેમણે આશ્રમમાં મેનેજર તરીકે નોકરી શરૂ કરી. તેમણે કહું, હું આશ્રમમાંથી નીકળી ગયો એ ઘટનાને 3 વર્ષ થયા છે અને આ દરમિયાન ક્યારેય મહાદેવ ભારતીને મળ્યા નથી. ન તો તેમણે ફોન કર્યો. હિતેશભાઈએ વર્ષ 2023માં આશ્રમ છોડવા અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે મારા કારખાના ચાલતા હતા અને સાસણમાં રિસોર્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. બધી જગ્યાએ પહોંચી વળવું શક્ય નહોતું, ત્યારે બાપુએ એક એક્સ્ટ્રા મેનેજર મૂકવાની વાત કરી. મેં બાપુને કહ્યું કે સંસ્થા 3 મેનેજરનો પગાર ખમી શકે તેમ ન હતી. હું જૂનાગઢમાં જ છું, જ્યારે જરૂર પડે ત્યારે હાજર રહીશ. આ પછી હિતેશ ઝડફિયાએ આશ્રમ છોડી દીધુ હતું. તેમણે મહાદેવ ભારતીના સુસાઇડ નોટમાં કરાયેલા આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા, જેમાં લખ્યું છે કે તેમને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સુસાઇડ નોટમાં નામ કેમ લખાયું હશે? આ સવાલના જવાબમાં હિતેશભાઈએ અનુમાન લગાવતા કહ્યું કે, જ્યાં સુધી હું મેનેજર હતો ત્યાં સુધી સંસ્થાના વફાદાર હોવાથી મહાદેવ ભારતી આશ્રમમાં ખોટા કામો કરી શકે તેમ નહોતા. હું નીકળી શકું તો એમનાથી લંપટ લીલા થઈ શકે તેમ હતી. હું નીકળી ગયો પછી 3 વર્ષ એમને સ્વતંત્રતા મળી અને એમને જે કરવું હતું એ બધું જ તે કરી શક્યા. મહાદેવ ભારતીના પર ગંભીર આરોપ લગાવતા કરણ કહ્યું કે મહાદેવ ભારતીએ મારી સાથે ઘણી વખત અડપલા કર્યા છે. આ ઉપરાંત, તેઓ વોટ્સએપ પર વિચિત્ર ફોટા અને પ્રેમની શાયરી પણ મોકલતા હતા. તેમણે અન્ય અર્થમાં કહ્યું હતું કે આપણે સાથે ઘણું આગળ વધવાનું છે, જેના જવાબમાં મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે અડપલા થયા ત્યારે કોઈને જાણ કેમ ન કરી? તેના જવાબમાં કરણે જણાવ્યું કે તે સમયે જો પરિવારમાં કોઈને આ વાત કહી હોત તો નામ પણ બદનામ થાત. બદનામીના ડરથી ક્યારેય કોઈને કંઈ કહ્યું નહોતું. હરીહરાનંદ બાપુને આ વાતની જાણ કરવા અંગે તેમણે જણાવ્યું કે, ના. તેઓ પહેલેથી સંસ્થાના વફાદાર રહ્યા છે અને સંસ્થાનું નામ બદનામ થાય તેવું ઈચ્છતા ન હોય. તેમનો સ્વભાવ એક વ્યક્તિની વાત બીજાને ન કહેવાનો રહ્યો છે, તેથી આ વાત પોતાના પૂરતી રાખી હતી. કરણે એમ પણ કહ્યું કે મહાદેવ ભારતીને ખબર હતી કે આ વ્યક્તિ કોઈને વાત નહીં કરે અને આ વાતનો ફાયદો તે ઉઠાવતા હતા. તેમણે કહ્યું કે અનેક બાળકો હશે જેમની સાથે અડપલા થયા હશે, પરંતુ બદનામીના ડરથી કોઈએ જાણ નહીં કરી હોય. સુસાઇડ નોટમાં પોતાનું નામ શા માટે લખ્યું તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કરણે કહ્યું, મને એ જ નથી સમજાતું કે સુસાઇડ નોટમાં મારું નામ કેમ લખ્યું છે. મહાદેવ ભારતી સાથે સારા સંબંધો હતા અને ક્યારેય તેમને ખોટી રીતે ફોન કે મેસેજ નથી કર્યો. જોકે, કરણે આશંકા વ્યક્ત કરી કે મહાદેવ ભારતીએ તેમની સાથે જે અડપલા કર્યા હતા અને તેમની જે માંગણીની તેમણે ના પાડી હતી, તે વાતનો ડર મહાદેવ ભારતીને હોય. કદાચ મહાદેવ ભારતીને ડર હોય કે તેઓ મીડિયા સામે આ વાત ખુલ્લી પાડશે, તેથી બદનામીના ઇરાદે તેમનું નામ લખ્યું હોય તેવું બની શકે. કરણે આશ્રમના દરેક વિદ્યાર્થીઓને અપીલ કરતાં કહ્યું કે જો તેમની સાથે પણ કોઈપણ જાતના અડપલા થયા હોય, તો બદનામીના ડર વગર બહાર આવવું જોઈએ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ, ભલે પછી નામ ન આપવું હોય. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ આ મુદ્દે છેલ્લે સુધી લડશે અને ન્યાય માટે જે પણ કરવું પડે તે કરવા તૈયાર છે. હિતેશભાઈએ કહ્યું કે વિશ્વેશ્વરાનંદ ભારતી બાપુ જીવતા હતા ત્યારે હરિહરાનંદ બાપુનો પણ એક ફોટો ક્યાંય નહોતો. સૌપ્રથમ તેમણે શાળાની ઓફિસમાં અને ઋષિ ભારતીની રૂમમાં હરિહરાનંદ બાપુનો ફોટો લગાવ્યો હતો. મુખ્ય બાપુ દેવલોક પામ્યા પછી જ્યારે હરિહરાનંદ બાપુનો ફોટો આશ્રમની ઓફિસમાં લગાવ્યો, ત્યારે મહાદેવ ભારતીને સીધા જ વારસદાર બની જવું હતું. મહાદેવ ભારતી એમ માનતા હતા કે ભારતી બાપુ પછી સીધા તેઓ જ આવવા જોઈએ અને તેઓ જ મુખ્ય વારસદાર હોવા જોઈએ. આશ્રમમાં આવનાર કોઈપણ વ્યક્તિ સમક્ષ તેઓ પોતાની જાહેરાત કરતા રહેતા હતા. તેમને આશ્રમમાં બીજા કોઈ પણ સાધુ આવે તે ગમતું નહોતું અને તેઓ ગમે તેમ કરીને તેમને કાઢી મૂકતા હતા. આ વ્યક્તિ ખરેખર સાધુ કહેવાને લાયક જ નથી. ‘વિશ્વેશ્વરાનંદ બાપુએ ઝઘડાથી કંટાળીને જૂનાગઢ આશ્રમ છોડી દીધો’હિતેશ ઝડફિયાના દાવા મુજબ, વર્ષ 2021માં વિશ્વેશ્વરાનંદ ભારતી બાપુ જીવતા હતા ત્યારે પણ મહાદેવ ભારતીના ચરિત્ર અંગે તેમને અંદાજ આવી ગયો હતો. મહાદેવ ભારતીની મુખ્ય ભારતી બાપુ સાથે 2-3 વખત દલીલ થઈ હતી. પરંતુ બાપુ તેમની ઉંમરના હિસાબે જતું કરી દેતા હતા. મહાદેવ ભારતી બાપુ સાથે અવારનવાર ઝઘડા કરતા હતા. મુખ્ય બાપુ હરિહરાનંદ બાપુને પણ કહેતા કે આ વ્યક્તિ સારો નથી, આપણે તેને ગમે તેમ કરીને દૂર કરી દઈશું અથવા બીજી સંસ્થામાં મોકલી દઈશું. મહાદેવ ભારતી મુખ્ય બાપુ સાથે પણ બોલાચાલી કરી દેતા હતા, જ્યારે મુખ્ય બાપુએ શૂન્યમાંથી સંસ્થાનું સર્જન કર્યું હતું. કોરોના સમયે પોતાના છેલ્લા દિવસોમાં મુખ્ય બાપુ મહાદેવ ભારતી સાથેના વારંવારના ઝઘડાથી કંટાળીને જ સરખેજ આશ્રમમાં જતા રહ્યા હતા. હિતેશભાઈના જણાવ્યા પ્રમાણે મહાદેવ ભારતીએ એવું નક્કી કરી લીધું હતું કે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી વચ્ચે કોઈ હિસાબે સમાધાન ન થાય. તેઓ જાણતા હતા કે જો સમાધાન થઈ જાય તો તેમનું ભવિષ્ય ખતમ થઈ જાય. જ્યારે હરિહરાનંદ બાપુ સમાધાનનું કહેતા ત્યારે મહાદેવ ભારતી તેમને ટોર્ચર કરીને કહેતા કે જો તમે સમાધાન કરશો તો હું આશ્રમમાંથી જતો રહીશ. તેમનાથી કંટાળીને સેવકોએ જૂનાગઢ આશ્રમમાં આવવાનું બંધ કરી દીધું હતું. કોઈએ ગમે તેટલું દાન કર્યું હોય છતાં જો કોઈ 1 દિવસ રોકાય તો પણ મહાદેવ ભારતી તેમનું ભાડું લઈ લેતા હતા. હિતેશભાઈએ કહ્યું, વર્ષ 2021માં પરમેશ્વર ભારતીએ દીક્ષા લીધી. પછી હરિહરાનંદ બાપુ સાથે રહેવા લાગ્યા. મહાદેવ ભારતીને લાગ્યું કે પરમેશ્વર ભારતી કોમ્પિટિશનમાં આવી ગયા છે. તેમણે પરમેશ્વર બાપુને ખૂબ હેરાન કર્યા અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને પણ તેમની સાથે વાતચીત ન કરવા સૂચના આપી દીધી હતી. એકવાર જ્યારે પરમેશ્વર ભારતી કેવડિયા આશ્રમ ગયા હતા, ત્યારે મહાદેવ ભારતીએ તેમના રૂમનું તાળું તોડાવી નાખ્યું અને તેમનો સામાન ઓફિસમાં મુકાવી દીધો હતો. આ ઘટનાથી દુઃખી થઈને પરમેશ્વર ભારતી પણ થોડા સમય માટે આશ્રમમાં નહોતા આવ્યા. આશ્રમમાંથી નીકળી ગયા પછી પણ હું અને કૃણાલ પરમેશ્વર ભારતી સાથે સંપર્કમાં હતા અને ગાડી ન હોવાથી તેમને મૂકવા જતા હતા, જે મહાદેવ ભારતીને પસંદ નહોતું. મહાદેવ ભારતીનો ભૂતકાળ...મુકેશથી 'મહાદેવ ભારતીહિતેશ ઝડફિયાએ મહાદેવ ભારતીના ભૂતકાળ વિશે સ્ફોટક ખુલાસા કરતા કહ્યું. મહાદેવ ભારતીનું જૂનું નામ મુકેશ હતું. પહેલા તોરણીયા આશ્રમ ખાતે 10 વર્ષ રહ્યા હતા અને રાજેન્દ્રદાસ બાપુ સાથે સેવામાં હતા. મહાદેવ ભારતીએ તોરણીયા આશ્રમ છોડવા પાછળનું કારણ એવું આપ્યું હતું કે તેમના પરિવારને જરૂર હતી ત્યારે બાપુએ 50 હજાર રૂપિયા ન આપ્યા. પરંતુ હિતેશભાઈએ જણાવ્યું કે રાજેન્દ્ર બાપુ અનેક લોકોની સેવા કરતા હતા, તેથી કારણ કંઈક બીજું હતું. મહાદેવ ભારતીને આશ્રમમાંથી કાઢી મુકાયા પછી તેઓ 2-3 મહિના માટે અંડરગ્રાઉન્ડ પણ રહ્યા હતા. મેં વિવિધ માધ્યમોથી જાણ્યું છે કે મહાદેવ ભારતી ત્યાં પણ લંપટ લીલાઓ અને વ્યભિચાર કરતા હતા. ત્યાંથી નીકળ્યા પછી કોઈએ સલાહ આપી હશે કે ભારતી આશ્રમ આવી જાવ, ભારતી બાપુનો ટેકો મળશે એટલે તમારું કામ થઈ જશે, તેથી તેઓ અહીં આવ્યા હતા. હિતેશભાઈએ જણાવ્યું કે આશ્રમનો સંપૂર્ણ વહીવટ મહાદેવ ભારતી સંભાળવા માગતા હતા. જ્યાં સુધી અમે આશ્રમમાં હતા, ત્યાં સુધી ચેકબુક સહિતનો આર્થિક વહીવટ અમારી પાસે રહેતો હતો. અમારા ગયા પછી મહાદેવ ભારતીએ ચેકબુક પણ પોતાના રૂમમાં રાખવાની શરૂ કરી દીધી હતી. 2023માં મારી સામે ખોટી વાતો ઉડાડવામાં આવી હતી. જો ખબર હોત કે મહાદેવ ભારતી જ આવું કરી રહ્યા છે તો તેઓ સીધી વાત કરી લેત. જો મહાદેવ ભારતીએ મોઢે કહી દીધું હોત કે આશ્રમમાંથી નીકળી જાઓ, તો નીકળી જાત, પરંતુ ખોટા આરોપ લગાવવાની જરૂર નહોતી. હિતેશભાઈએ જણાવ્યું કે મહાદેવ ભારતી તો બાપુને પણ માનસિક રીતે ટોર્ચર કરતા હતા, કારણ કે તે જાણતા હતા કે બાપુ આટલી બધી જગ્યાએ પહોંચી શકવાના નથી અને તેમને મેનેજમેન્ટમાં મહાદેવ ભારતીની જરૂર છે. બાપુને 4 સંસ્થાઓમાં જવું, સેવકોને મળવું, અધિકારીઓ સાથે વાત કરવી વગેરે કામોમાં વ્યસ્ત રહેવું પડતું અને આશ્રમમાં રહીને સંભાળે એવું કોઈ બીજું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે આ પહેલી ઘટના નથી જ્યારે મહાદેવ ભારતી આશ્રમ છોડીને ભાગી ગયા હોય. હિતેશભાઈએ એ પણ જણાવ્યું કે ગુરુપૂર્ણિમા પહેલા અને વર્ષ 2023માં પણ રામેશ્વરમાં કથા અગાઉ મહાદેવ ભારતી ભાગી ગયા હતા. તે વખતે હિતેશભાઈ સહિત 3 લોકો તેમને સાવરકુંડલા નાયક આશ્રમથી સમજાવીને પાછા લાવ્યા હતા. તે સમયે મહાદેવ ભારતીએ શરત મૂકી હતી કે આશ્રમમાં હું કહું એમ ચાલવું જોઈએ, હરિહરાનંદ બાપુ કહે એમ નહીં. તેમના નિર્ણયોમાં હરિહરાનંદ બાપુ દખલ અંદાજી ન કરે નહીંતર તેઓ રાજીનામું આપી દેશે. આમ, મહાદેવ ભારતી મોકો મળે ત્યારે હરિહરાનંદ બાપુને માનસિક રીતે ટોર્ચર કરવાનું કામ કરતા હતા. હિતેશભાઈએ જણાવ્યું કે આશ્રમમાંથી નીકળી ગયા પછી મેં તહેવાર કે પ્રસંગ સિવાય ક્યારેય આશ્રમમાં પગ મૂક્યો નથી. જૂનાગઢમાં આવતો હોવા છતાં હોટેલમાં રોકાતો હતો, કારણ કે મહાદેવ ભારતીને મારાથી તકલીફ હતી. હિતેશભાઈએ હરિહરાનંદ બાપુ વિશે વાત કરતા કહ્યું કે તેઓ ભોળા વ્યક્તિ છે અને ગામડામાંથી આવેલા હોવાથી તેમને ટેકનોલોજી, સોશિયલ મીડિયા કે મીડિયાની ખબર નથી. બાપુનો સ્વભાવ એવો છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ભૂલ કરે પછી બે આંસુ પાડી દે એટલે તે માફ કરી દે છે. જ્યારે મહાદેવ ભારતીમાં માત્ર ઈર્ષા, અહમ અને અહંકાર ભરેલો હતો અને તેમને એમ હતું કે કોઈ આશ્રમમાંથી ગયેલું ભારતીય આશ્રમમાં પાછું ન આવવું જોઈએ. હિતેશભાઈએ જણાવ્યું કે હું આશ્રમ પ્રત્યે વફાદાર હતો. મારી 3 પેઢી અને ભાઈનું રિટર્ન આશ્રમના CA જ ભરતા હતા. જો મારે કોઈ ખોટું કામ કરવું હોય તો બીજા લોકો પાસે રિટર્ન ન ભરાવું? મારી કારખાનામાં સારી આવક હતી. જ્યારે આશ્રમમાં 12,000ના પગાર પર હતા. મારા કારખાનામાં મેનેજરોને 1 લાખ રૂપિયા પગાર આપે છે. હિતેશભાઈએ જણાવ્યું કે આટલી મોટી ઘટના બનવા છતાં અને વર્ષો સુધી સેવા કરી હોવા છતાં બાપુ હરિહરાનંદે કોઈ સ્પષ્ટતા કેમ ન કરી તે સમજાતું નથી. કદાચ બાપુએ આ વિવાદ વધુ ન વધે તેવું ઇચ્છતા હશે, પરંતુ તેમણે નિવેદન આપવું જોઈએ કે આ છોકરાઓ નિર્દોષ છે. બાપુની આસપાસના અત્યારે તમામ માણસો મહાદેવ ભારતીના છે. તેથી તેમને કોઈ સાચી સલાહ આપનારું નથી. 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હોવા છતાં, બાપુ આ વાતને કેમ છાવરી રહ્યા છે તે સમજાતું નથી. કરણે પણ મીડિયાના માધ્યમથી હરિહરાનંદ બાપુને વિનંતી કરી કે તેમણે આ મામલે ચોક્કસપણે લોકો સામે બોલવું જોઈએ. તેમણે કહ્યું કે, બાપુ તો મને ઓળખે છે કે હું કેવો છું. નિખાલસ ભાવે મેં 7-8 વર્ષ સેવા આપી હોવા છતાં બાપુ તરફથી એક નિવેદન પણ સામે ન આવતા દુઃખ થાય છે. કરણે જણાવ્યું કે હું 17 વર્ષનો હતો ત્યારે વર્ષ 2014-15થી આશ્રમ સાથે જોડાયો હતો. શરૂઆતમાં હિતેશભાઈ ડ્રાઇવિંગ કરતા અને હું નાનું મોટું કામ કરતા. બાદમાં મને આશ્રમમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી મળી, જ્યાં બાપુને દવા આપતા અને આવક-જાવકની નોંધણીનું કામ સંભાળતો હતો. આશ્રમ છોડવા અંગે તેમણે જણાવ્યું કે હિતેશભાઈએ 2023માં આશ્રમ છોડ્યો ત્યારે તેમણે પણ તેમની સાથે છોડી દીધો. આ પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી સાથે છે, તેમના ધંધા પણ સાથે છે અને તેઓ પરિવારમાં પણ નજીક છે. આ ઉપરાંત તેઓ પોતાના ધંધામાં ધ્યાન આપવા માગતા હતા, તેથી આશ્રમ છોડ્યો. કરણે જણાવ્યું કે સુસાઇડ નોટમાં પોતાનું નામ આવ્યું તે જાણીને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું કે ક્યારેય કોઈને ટોર્ચર કર્યો નથી કે સંસ્થાનું ખરાબ વિચાર્યું નથી, તેમ છતાં આવું પરિણામ મળ્યું. અનેક લોકોએ ફોન કરી શું થયું તે પૂછ્યું. તેમણે ભવિષ્યના લગ્ન જીવન અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને ત્યાં બેસાડી રાખવામાં આવે છે, જેનાથી તેમને ખૂબ માનસિક તકલીફ થઈ રહી છે અને તેમનો પરિવાર પણ તણાવમાં છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:00 am

ડાયમંડ થીમ બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો, VIDEO:સુરત-બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારી શરુ, 15મીએ PM મોદી લેશે મુલાકાત, 10 મિનિટમાં રેલવે સ્ટે. પહોંચી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. જોકે, બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. સુરત કલેકટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતીવડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારૂ અને નિર્વિધ્ર બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં સુરત કલેકટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર ડો. પારધીએ વડાપ્રધાનની મુલાકાત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અને અધિકારીઓને સંબંધિત જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની તાકીદ કરી હતી. ડ્રીમ પ્રોજેક્ટના કાર્યની સમીક્ષા માટે મહત્વનો તબક્કોક્લેકટરે જણાવ્યું કે, વડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી, પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ‘ડ્રીમ પ્રોજેક્ટ' મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના કાર્યની સમીક્ષા માટેનો મહત્વનો તબક્કો છે. તંત્રની તૈયારીઓ સુગમ બનાવવા માટે અધિક નિવાસી કલેકટર વિજય રબારીએ વિવિધ ઉપસમિતિઓનું ગઠન કર્યું હતું. દરેક સમિતિને સંબંધિત ક્ષેત્ર સુરક્ષા, વાહનવ્યવસ્થા, આવાગમન, મીડિયા મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, તેમજ સ્થળ વ્યવસ્થાપન વગેરે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. બેવડા હવામાનના કારણે બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે, જ્યારે અંત્રોલીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન એરપોર્ટથી 24 કિ.મી. દૂર છે. એરપોર્ટથી અંત્રોલી સુધીના અંતરને જોતાં તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અંત્રોલી પાસે હેલિપેડ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે. જોકે, સાથે-સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહી છે. બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો હવામાન ખરાબ હશે તો વડાપ્રધાન મોદી અંત્રોલીથી ડેડિયાપાડા પણ બાયરોડ જઈ શકે છે. મુસાફરોના આરામને વિચારીને ડિઝાઈન કરાયુંબુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરતમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થવાનો છે. મુસાફરોના આરામ અને સુવિધા પર ભાર મૂકીને સ્ટેશનને વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આરામદાયક આંતરિક ભાગ, સ્કાયલાઇટ દ્વારા કુદરતી લાઇટિંગ અને સારી રીતે વેન્ટિલેટેડ પ્લેટફોર્મ શાંત અને સુખદ મુસાફરી અનુભવ સુનિશ્ચિત કરશે. બાળકોવાળા પરિવારોની જરૂરિયાતો પર ખાસ ધ્યાન અપાયુંસ્ટેશન મુસાફરોની આધુનિક સુવિધાઓ જેમ કે વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરેથી સજ્જ છે. વિવિધ સ્તરો પર અવરજવરને સરળ અને દરેક માટે સુલભ બનાવવા માટે, બહુવિધ લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારોની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરોને અનુકૂળ સુવિધાઓ જેમ કે સ્પષ્ટ સંકેતો જે મુસાફરોને કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારોમાં સરળતાથી માર્ગદર્શન આપે છે, જેમાં માહિતી કિઓસ્ક અને જાહેર જાહેરાત સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. SUDAના સહયોગથી એક મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન પ્લાન તૈયારમુસાફરો કેન્દ્રિત સુવિધાઓ ઉપરાંત, સ્ટેશન પરિવહનના અન્ય માધ્યમો સાથે સીમલેસ એકીકરણ પણ પ્રદાન કરશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (SMART) સાથે સ્ટેશન એરિયા ડેવલોપમેન્ટ માટે પ્રોજેક્ટ હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના સહયોગથી એક મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી મુસાફરો સરળતાથી મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સ્વિચ કરી શકશે, જેનાથી સ્ટેશનની આસપાસ ટ્રાફિકનો પ્રવાહ સુગમ રહેશે. આવી કનેક્ટિવિટી ટ્રાન્ઝિશન સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે, જેનાથી મુસાફરી ઝડપી, સુરક્ષિત અને દરેક માટે વધુ અનુકૂળ બનશે. સ્કાયલાઇટ્સ પ્લેટફોર્મ અને કોનકોર્સમાં કુદરતી પ્રકાશઆ સ્ટેશન ભારતીય ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ની વરસાદી પાણીનો સંગ્રહ, ઓછા પ્રવાહવાળા સેનિટરી ફિક્સર, પર્યાવરણને અનુકૂળ પેઇન્ટ વગેરે જેવી સુવિધાઓને એકીકૃત કરીને આરામ અને ટકાઉપણુંનું મિશ્રણ કરે છે. પહોળા ખુલ્લા અને સ્કાયલાઇટ્સ પ્લેટફોર્મ અને કોનકોર્સમાં કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન પૂરતું છે, જે દિવસ દરમિયાન કૃત્રિમ લાઇટિંગ પર નિર્ભરતા ઘટાડે છે. છોડ અને રોપાઓ સાથે લેન્ડસ્કેપિંગ લીલોતરી અને તાજગીભર્યું વાતાવરણ બનાવશે. બિલ્ડિંગનું માળખાકીય કાર્ય પૂર્ણશહેર તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત હોવાથી, સ્ટેશનના બહાર અને આંતરિક ભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ હીરાના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનું માળખાકીય કાર્ય પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક સુશોભન, છત અને સ્ટેશન સુવિધાઓ જેવી અંતિમ પ્રવૃત્તિઓ હવે પ્રગતિમાં છે. સ્ટેશન પર આરસી ટ્રેક બેડ બનાવવા અને કામચલાઉ ટ્રેક લગાવવા જેવા ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. બિલ્ડિંગનું માળખાકીય કાર્ય પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક સુશોભન, છત અને સ્ટેશન સુવિધાઓ જેવી અંતિમ પ્રવૃત્તિઓ હવે પ્રગતિમાં છે. સ્ટેશન પર આરસી ટ્રેક બેડ બનાવવા અને કામચલાઉ ટ્રેક લગાવવા જેવા ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:00 am

અમલ ક્લૂની: માનવ અધિકાર અને ગ્લેમરની રાજદૂત:પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય પત્રકારોના કેસ લડ્યાં, મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ

વર્ષો પહેલા ભારતીય ટીવી ચેનલ પર ખાના ખજાના નામનો એક રસોઇ શો આવતો જે સંજીવ કપૂર નામના શેફ હોસ્ટ કરતા અને હવે તો એ વખતના ફક્ત સંજીવ કપૂર અત્યારે ધ સંજીવ કપૂર બની ગયા છે. એમના માટે આપણા જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષી એ કહેલું કે શેફ સંજીવ કપૂરની સફળતાએ ભારતીય બાળકો માટે એક નવી શેફ તરીકેની કારકિર્દી ઊભી કરી આપી છે એટલી એમની લોકપ્રિયતા છે! આ વાતનો ઉલ્લેખ અહીં કરવાનું કારણ એટલું જ કે આ જ વાત બ્રિટિશ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વકીલ અમલ ક્લૂનીને પણ લાગુ પડે છે. 47 વર્ષની બ્રિટિશ નાગરિક અને વકીલ અમલ ક્લૂનીએ આટલી નાની ઉંમરમાં હાઇ પ્રોફાઇલ ક્લાયન્ટના કેસ લડીને અને સાથે એમના કોઇ મોડેલ કે એક્ટ્રેસિસને ટક્કર આપે એવા દેખાવ અને પહેરવેશને લઇને આજની છોકરીઓમાં એક પ્રેરણા ઊભી કરી છે. ગૃહ યુદ્ધથી બચવા પરિવાર UK ગયો3 ફેબ્રુઆરી, 1978ના રોજ લેબનોનના બૈરુતમાં લેબનીઝ ડ્રુઝ પિતા અને સુન્ની મુસ્લિમ માતાને ત્યાં અમલ અમાલુદ્દીન તરીકે જન્મ લેનાર અમલ જ્યારે બે વર્ષની હતી ત્યારે તેનો પરિવાર લેબનીઝ ગૃહ યુદ્ધથી બચવા માટે યુનાઇટેડ કિંગ્ડમ ગયો અને બકિંગહામ શાયરના ગેરાર્ડસ ક્રોસમાં સ્થાયી થયો અને ત્યાર પછીની અમલની જિંદગી કોઇ પરી કથાથી કમ નથી. શરૂઆતની જિંદગીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યોસેન્ટ હ્યુજ ઓક્સફર્ડમાંથી ન્યાયશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર અમલની લંડનમાં રેફ્યૂજી તરીકે શરૂઆતના વર્ષોમાં જિંદગી સંઘર્ષભરી હતી પણ કદાચ અહીં જ એના આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વકીલ બનવાની કારકિર્દીનો પાયો નંખાયો અને આ જ વાતની પુષ્ટિ 2023 માં એક ઇવેન્ટમાં અમલ ક્લૂની એ કરી સેન્ટ હ્યુજે મારા પર એક તક લીધી અને તેણે ખરેખર મારી આંખો ખોલી. તેણે મારું મન ખોલી નાખ્યું અને તેણે ઘણા બધા દરવાજા ખોલી નાખ્યા છે. મને મારો શોટ અને મારો કાનૂની માર્ગદર્શન આપવા બદલ હું હંમેશા સેન્ટ હ્યુજની ખૂબ આભારી છું. પછીના વર્ષે, અમલે LLM ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં પ્રવેશ મેળવ્યો અને મનોરંજન કાયદામાં શ્રેષ્ઠતા માટે જેક જે. કાત્ઝ મેમોરિયલ એવોર્ડ મેળવ્યો. અમલની તેજસ્વિતાએ જ્યારે તે યુનિવર્સિટીમાં હતી ત્યારે અમેરિકન વકીલ અને ન્યાયશાસ્ત્રી સોનિયા સોટોમાયોરની ઓફિસમાં કામ કરવાનો મોકો આપ્યો. સોનિયા સોટોમાયોર જે તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ સેકન્ડ સર્કિટના ન્યાયાધીશ અને NYU લો ફેકલ્ટી સભ્ય હતા. UK, USમાં કાયદાની પ્રેક્ટિસ કરી શકે2024માં આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં તેના ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાનને માન્યતા આપવા માટે લીગલ 500 લોયર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કરનાર અમલ અમેરિકા, બ્રિટન અને વેલ્સમાં કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે. જેના ક્લાયન્ટ્સમાં એનરોન અને આર્થર એન્ડરસનનો સમાવેશ થાય છે તેવા અમલ હેગમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ પ્રેક્ટિસ કરે છે. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ વડાપ્રધાન, વિકિલીક્સના સ્થાપકનો કેસ લડ્યાંરાજકીય પત્રકાર તરીકેની કારકિર્દી ધરાવનારા માતાની દીકરી એવી અમલ નાનપણથી જ માનવ અધિકાર કેન્દ્રિત રહી છે. જેણે ઘણા હાઇ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ, વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે, ભૂતપૂર્વ યુક્રેનિયન વડા પ્રધાન યુલિયા ટિમોશેન્કો, યાઝીદી માનવ અધિકાર કાર્યકર નાદિયા મુરાદ, ફિલિપિનો-અમેરિકન પત્રકાર મારિયા રેસા, અઝરબૈજાની પત્રકાર ખાદીજા ઇસ્માયલોવા અને ઇજિપ્તિયન-કેનેડિયન પત્રકાર મોહમ્મદ ફહમીનો સમાવેશ થાય છે. 2013માં કોમન મિત્ર થકી જેને એ મળી એ હોલિવૂડ સુપર સ્ટાર જ્યોર્જ ક્લૂનીને પરણનાર અમલ અત્યારે બે જોડિયા બાળકોની માતા છે અને કારકિર્દી અને સંસાર સરખી કાબેલિયતથી સંભાળે છે. માનવ અધિકાર પર ફોકસપાવરફૂલ અને સ્ટાર કપલ તરીકે જાણીતા ક્લૂની દંપતીએ 2016માં ક્લૂની ફાઉન્ડેશન ફોર જસ્ટિસની સહ-સ્થાપના કરી છે અને આ ઉપરાંત બીજા અનેક ચેરિટીના કામ સાથે આ દંપતી જોડાયેલું છે જેનું મુખ્ય ફોકસ માનવ અધિકાર છે. અમલ કહે છે, હિંમતવાન બનો. રૂઢિચૂસ્તતાને પડકારો. તમે જે માનો છો તેના માટે ઊભા રહો. જ્યારે તમે ઘણા વર્ષો પછી તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે વાત કરી રહ્યાં હો ત્યારે ખાતરી કરો કે તમારી પાસે કહેવા માટે એક સારી વાર્તા છે અને જો તમે માલદીવમાં દરિયા કિનારે પડેલી એક મહિલા છો તો તમે જાણવા માંગશો કે એક કિલોમીટર દૂર બીજી મહિલાને કોરડા મારવામાં આવી રહ્યા છે અને તમે તેનો વિરોધ કરવા માટે તમારી પોતાની રીત શોધી શકો છો. અંગ્રેજી, ફ્રેન્ચ અને અરેબિક ભાષા પર પ્રભુત્વ ધરાવનાર અને એ જે કેસ હાથમાં લે એ અને એના પહેરવેશ, સુંદરતા અને સ્ટાઇલથી એક સરખી ઉત્સુકતા વકીલાત જગત અને ગ્લેમર ઉદ્યોગમાં જગાડનાર અમલ ક્લૂની ખરેખર વુમન એમ્પાવરમેન્ટનું આધુનિક જગતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે!

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:00 am

'ભરણપોષણ નહીં, મને ક્લબની મેમ્બરશિપ આપ...':'તે મારી સામે પિટિશન કરી જ કેમ? હવે તો ડિવોર્સ નહીં જ આપું', 'હવે તો પત્નીઓ પણ પતિને મારે છે'

અમદાવાદનાં એક પતિ-પત્નીની વાત છે. બંને કમાતાં હતાં એટલે બંનેએ પોતાના નામે જોઇન્ટ લોન પર ઘર ખરીદ્યું. પત્નીનો પગાર પતિ કરતાં ત્રણથી ચાર ગણો વધારે હતો. બંનેના લવ મેરેજ હતાં. શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલ્યું. જોકે, પછી ખ્યાલ આવ્યો કે ભાઈ તો રંગીન મિજાજના છે ને તેમનાં અફેર અલગ-અલગ યુવતીઓ સાથે છે. પતિ ઘરની કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા. ઘરની લોનનો હપ્તો ના ભરે, ઘરખર્ચના પૈસા ના આપે. અધૂરામાં પૂરું તેમને દારૂ પીવાની ટેવ હતી. પત્ની પૈસા ના આપે એટલે પતિ બેરહેમીથી ઝૂડી નાખે. પત્નીને એવું હતું કે લવ મેરેજ છે ને હવે પરિવારમાં કોઈને કંઈ કહેશે તો સામે સંભળાવશે કે શું જોઈને લગ્ન કર્યાં હતાં. પત્ની આ જ કારણે સહન કરતી ને પતિ આ નબળાઈનો ફાયદો ઉઠાવીને પત્ની પર અત્યાચારો કરતો. પતિનો માર એ હદે વધી ગયો કે પછી પત્નીની સહનશક્તિએ જવાબ આપી દીધો ને પછી તેણે ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ કેસ કર્યો. તો પતિએ પત્નીને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકી ને તે પિયરમાં જઈને રહેવા લાગી. પિયરમાં રહેવા છતાંય તે ઘરની લોનનો હપ્તો તો રેગ્યુલર ભરતી જ હતી. પત્નીએ ભરણપોષણને બદલે ઘર માગ્યું તો પતિએ કોર્ટમાં એવો જવાબ આપ્યો કે તે મારા કરતાં વધારે કમાય છે તો કેવી રીતે આપું. પતિ જલસાથી બે વર્ષ ઘરમાં રહ્યો. જજે પતિ વિરુદ્ધના તમામ પુરાવા જોયા કે તેણે ક્યારેય ઘર ચલાવવા માટેની જવાબદારી લીધી નથી. જજે પત્નીને ઘરમાં રહેવાના અધિકાર આપ્યા, પરંતુ પતિ-પત્ની સાથે એક જ છત નીચે રહી શકે તેમ નહોતાં. એટલે ઘર પત્નીને આપ્યું ને પતિને ઘરની લોનના હપ્તામાં અડધો ભરવાનું સ્પષ્ટપણે જણાવ્યું. પતિએ નકલી સહીઓ કરીને માતાના અકાઉન્ટથી દસેક લાખ રૂપિયા બારોબાર સેરવી લીધા હતા. આ બધી વાતનો ખ્યાલ પછી આવ્યો. અંતે બે વર્ષ બાદ પતિએ ઘર ખાલી કર્યું. પતિ ડિવોર્સ આપવા તૈયાર નહોતો. તેની વિરુદ્ધ ડોમેસ્ટિકના કેસ કરવામાં આવ્યા અને તે પછી ડિવોર્સ માટે તૈયાર થયો.*** આ શબ્દો છે અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગીના. શહેરમાં પણ સારાં ઘરોમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસ બની રહ્યા છે. ક્યારેક માનસિક તો ક્યારેક શારીરિક અત્યાચાર કરવામાં આવે છે. ડિવોર્સ થવાનું એક કારણ ઇગો પણ છે. આ ઉપરાંત ઘણીવાર સિટીમાં જ રહેવાનો મોહ હોય ત્યારે પણ લગ્નજીવનમાં તકરાર થતાં વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. ‘છૂટાછેડા’ સિરીઝના આ એપિસોડ માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, સિનિયર એડવોકેટ નેહુલ દવે, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી તથા રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશી સાથે વાત કરી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસે પણ આ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કર્યો. 'બહુ ઓછા કેસમાં પત્ની રિયલમાં ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હોય છે'ડિવોર્સ કેસમાં પત્ની સાસરિયાં પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરતી હોય છે. આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ નેહુલ દવે કહે છે, 'સાચું કહું તો જે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે તે કોર્ટમાં આવતાં જ નથી. ડોમેસ્ટિક વાયોલન્સમાં પતિ જો ભરણપોષણ ના આપતો હોય તો પત્ની ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી શકે છે. આ અંગેનો એક કેસ કહું તો અમે 2006માં ભરણપોષણની પિટિશન કોર્ટમાં કરી ને પછી કોર્ટે પતિને ભરણપોષણ આપવાનો ચુકાદો કર્યો. જોકે, પતિએ ભરણપોષણ માટે પૈસા આપ્યા જ નહીં. પછી તે પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ એ રીતે કર્યો કે પતિ ભરણપોષણ આપતો નથી. ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ઘરભાડું, પ્રોટેક્શન, ભરણપોષણ, સ્ત્રીધન તથા બાળક હોય તો કસ્ટડી માગી શકે છે.' અમદાવાદના જ સિનિયર એડવોકેટ મિહિર લાખિયા પણ સ્વીકારે છે, 'આ એક્ટનો સારી રીતે ઉપયોગ થાય તો બરોબર છે, પરંતુ કમનસીબે આપણા ત્યાં આ એક્ટનો દુરુપયોગ વધી ગયો. સુપ્રીમ કોર્ટે આ જ કારણે વખતોવખત આવા કિસ્સા બનતા ગયા ત્યારે કહેવું પડ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સમાં સીધેસીધી FIR કરવાની નહીં. તપાસ બાદ જ કરવાની. અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનની સામે આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી શકે છે.' 'ખોટા કેસને કારણે કોર્ટનું ભારણ વધ્યું'સિનિયર એડવોકેટ મિહિર લાખિયાના મતે, 'ઘણીવાર ડોમેસ્ટિકના કાયદાને હાથો બનાવવામાં આવે છે. જ્યારે આ રીતનું થાય ત્યારે બંને પરિવાર ને પતિ-પત્ની વચ્ચે સમસ્યાનો ઉકેલ આવવાને બદલે સમસ્યા વધુ ગંભીર બને છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે પત્ની પતિ વિરુદ્ધ FIR કરે એટલે તરત જ પતિમાં બતાવી દેવાની ભાવના આવી જાય છે. પછી પેચઅપ થવાના ચાન્સ બિલકુલ ઝીરો થઈ જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સમાં એવું છે કે કોઈ સમજ્યા કર્યા વગર આખા પરિવારને જોડી દેતા હોય છે. ઘણા કિસ્સામાં સાસુ-સસરા જોડે ના રહેતા હોય તો પણ નામ લખી દે, પરિણીત નણંદ-નણંદોઈ, જેઠ-જેઠાણી બધાનાં નામ લખાવે. આને કારણે કોર્ટનું ભારણ વધે છે. જ્યારે વ્યક્તિ પર FIR થાય એટલે વ્યક્તિ તરત જ હાઇકોર્ટમાં FIR કેન્સલ કરાવવા અથવા તો આગોતરા જામીન લેવા દોડે. કોર્ટ ઘણા કિસ્સામાં જુએ કે આ તો જોડે પણ રહેતાં નથી નણંદ તો પરિણીત છે તો તેને શું લેવા દેવા. બનેવીનો રોલ તો ક્યાંય આવતો જ નથી. કિસ્સો અમદાવાદના હોય ને નણંદ મુંબઈ રહેતી હોય. તેનું પણ નામ લખી કાઢે. એવા કિસ્સામાં હાઇકોર્ટ નણંદ-બનેવીનાં ઇન્વેસ્ટિગેશન સામે સ્ટે આપી દેતી હોય છે. પતિ સામે નોટિસ કાઢે. આ જ કારણે ભારણ વધે. જેમ કે પોલીસનું, કોર્ટ, કોર્ટ સ્ટાફ, વકીલો... આ ઉપરાંત હવે પેચઅપ થવાના ચાન્સ સાવ જ ઘટી ગયા છે. હવે ડોમેસ્ટિક વાયોલન્સનો ઉપયોગ ખરેખર સાચી રીતે કરવામાં આવે તો તે વુમન પ્રોટેક્શન માટે જ છે. લોકો એવું માને છે કે માત્ર પતિ જ પત્ની પર હાથ ઉપાડતો હોય છે, પરંતુ હવે પત્ની પણ ઉપાડે છે.' 'આજકાલ પત્ની પણ પતિને મારે છે'અમદાવાદના એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકરના મતે, 'થોડાં વર્ષો પહેલાં પતિ દહેજ માટે પત્નીને મારતો. હવે દહેજ માટે મારવાના કિસ્સા બહુ ઓછા બને છે, પરંતુ પતિ હતાશામાં આવીને મારતો હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય અને પતિને એકદમ ગુસ્સો આવે ને તે મારવા લાગે. હવે તો પત્ની પણ એટલો જ પતિ પર હાથ ઉપાડે છે. આ વાતની ક્યારેય ફરિયાદ થતી નથી અને આ વાત બંધ બારણે જ બનતી હોવાથી પુરુષો આ વાતની ઝાઝી વાત પણ કરતા નથી. અલબત્ત, જ્યારે ડિવોર્સ કેસ ફાઇલ કરવામાં આવે ત્યારે આ વાત જરૂરથી નીકળતી હોય છે. મિડલ કે લોઅર ક્લાસ કે પછી ગરીબ-પૈસાદાર એવું કંઈ જ નથી. આ તમામ વર્ગમાં થાય છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસ તમામ ઘરમાં બની જ રહ્યા છે. ઘરેલુ હિંસાના ઘણા કેસમાં તો પત્ની પોતાના સંતાનને પિતાને મળવા પણ દેતી નથી. તે ઘણીવાર માત્ર ને માત્ર એલિમની માટે આવું કરે છે. પત્નીઓ ઘણીવાર એવું વિચારતી હોય છે કે એલિમનીમાં વધારે ને વધારે પૈસા મળે તે માટે કાયદાનો ઉપયોગ કરીને શું કરી શકાય તે તમામ પેંતરા અપનાવતી હોય છે. મોટાભાગે ડોમેસ્ટિક વાયોલન્સમાં પત્નીઓ ઘરડાં સાસુ-સસરાને જેલની પાછળ ધકેલતાં શરમાતી નથી. આ સાચી રીત નથી.' 'પતિ પત્નીને ઢોર માર મારતો'અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગી ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સા અંગે કરતાં કહે છે, 'પત્ની સારી પોસ્ટ પર જોબ કરે, પણ આખો પગાર પતિ લઈ લે. પત્નીના નામે અમદાવાદ ને વડોદરામાં એમ બંને જગ્યાએ ઘર. વડોદરાનું ઘર ભાડે આપ્યું, પરંતુ ભાડું બધું જ પતિ લઈ લે. પત્નીને એક રૂપિયો આપે નહીં ને હેરાન કરે. એને એવું હતું કે પત્ની અન્ય પુરુષ સાથે વાત કરવી જોઈએ નહીં. નોકરી કરતી મહિલા બહાર જાય એટલે તેને બીજા પુરુષ સાથે કામ પડે એટલે ઓફિસમાં બોલ્યા વગર રહી જ ના શકે. પતિ આ બધી વાતોની સતત શંકા કરે ને પછી પત્નીને મારે. જો ઓફિસના કોઈ પુરુષકર્મીનો કામથી ફોન આવે તો પણ પત્નીને ઢોર માર મારે. અંતે પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો ને હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે.' બીજા એક કેસ અંગે વાત કરતાં એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'અન્ય એક કેસ 35-40 વર્ષની મહિલાનો હતો. લગ્ન બાદ પતિ કહે એટલું જ કરવાનું. પોતાની મરજીથી એક રૂમાલ પણ લઈ શકે નહીં. પતિ હદ વગરનો માનસિક અત્ચાચાર આપે. પતિ જો એમ કહે તે તારે આજે આખો દિવસ નીચે બેસવાનું તો તે બહેન ઉપર બેસી શકે નહીં. આ હદે માનસિક હેરાનગતિ કરવામાં આવતી. પછી જો પતિ કહે એમ ના કરે તો ક્યારેક હાથ ઉપાડી દે. સંયુક્ત પરિવાર હતો. રોજ સાંજે ખીચડી જ આપે, બીજું જમવાનું ના આપે. પછી બહેને ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો. કેસ અઢી વર્ષ ચાલ્યો ને અંતે ડિવોર્સ થયા.' 'સાસુ-સસરા ને નણંદ-નણંદોઈ જોડે નથી રહેતાં તો પણ તેમના વિરુદ્ધ ફરિયાદ થાય'સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ એક કિસ્સો શૅર કરતાં કહ્યું, 'અમદવાદની છોકરી હતી અને છોકરો મુંબઈમાં જોબ કરતો. છોકરાની ટ્રાન્સફર મણિપુર થતાં તેઓ ત્યાં રહેવા ગયા. ખબર નહીં પણ છોકરીને ફાવ્યું નહીં અને તે અમદાવાદ આવતી રહી. ત્યાં આવીને તેણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી ને પોલીસ ફરિયાદ પણ કરી. તેણે માત્ર પતિ સામે જ નહીં, સાસુ-સસરા તથા નણંદ-નણંદોઈ સામે પણ ફરિયાદ કરી. સસરા તો રિટાયર્ડ બેંક મેનેજર હતા ને લખનઉમાં રહેતા, તો પરિણીત નણંદ મુંબઈમાં બીજી જગ્યાએ રહે. ફરિયાદ થતાં જ નણંદ-નણંદોઈએ તો ગુજરાત હાઇકોર્ટમાંથી સ્ટે લીધો. આ રીતે ફરિયાદ થતાં ઘરડાં મા-બાપ છેક લખનઉથી અમદાવાદ લાંબા થયાં.’ ‘છોકરીએ પછી ડિવોર્સ ફાઇલ કર્યા ને છોકરાએ પત્નીને પરત લઈ જવા માટે સેક્શન 9 ફાઇલ કર્યું. પછી તો આ મેટર સુપ્રીમમાં ગઈ ને ત્યાં મીડિયેશન સેન્ટરમાં 11 સિટિંગ થયું ને છેલ્લે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. હવે પછીની સુનાવણીમાં મીડિયેશન રિપોર્ટ સુપ્રીમમાં મુકાશે અને આગળ પ્રોસેસિંગ થશે. પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરતાં આખા પરિવારના આઠથી નવ મહિના ટેન્શન ને સ્ટ્રેસમાં પસાર થયા.' 'સિટીમાં અવેરનેસ વધારે એટલે કેસ વધુ થાય'સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'ઘણા કિસ્સામાં તો એ હદે ડોમેસ્ટિક વાયોલન્સ હોય છે કે પત્નીએ હૉસ્પિટલમાં જઈને સારવાર લેવી પડે છે. ડોમેસ્ટિક વાયોલન્સની અવેરનેસ સિટીમાં વધારે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો નીચલા વર્ગમાં રોજનું ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે. આ વર્ગની મહિલાઓ તો એમ જ માને છે કે પતિ હોય તો મારે ને, આ જ જીવન છે! સિટીમાં અવેરનેસ વધારે હોવાથી કેસ વધારે થાય છે. સિટીમાં 100એ 20 ફરિયાદ સાચી હોય છે. ડોમેસ્ટિકને તુતુ-મૈંમૈંને ડોમેસ્ટિક ગણાવી શકાય નહીં. સિટીમાં એજ્યુકેટેડ લોકો એલિમની લેવા માટે ડોમેસ્ટિક વાયોલન્સનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય છે. એવું નથી કે મોટા પરિવારમાં ડોમેસ્ટિક વાયોલન્સ ના હોય, પરંતુ આવું હજારે માંડ 2 કિસ્સામાં બનતું હોય છે.' 'મહિલાઓ બદલાની ભાવનાથી પતિને હેરાન કરે છે'એડવોકેટ અલ્પા જોગીએ કહ્યું, 'ઘણીવાર મહિલાઓ પૈસા લેવા છે અને હેરાન કરવા છે. ડિવોર્સ તો તેને જોઈતા હોય, પરંતુ તે ડિવોર્સ કેસ ફાઇલ ના કરે, પરંતુ ભરણપોષણ, ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ એક પછી એક કેસ કરે જાય.’ ‘પાંચ વર્ષ પહેલાંનો આવો જ એક કિસ્સો છે, જેમાં લગ્નને માંડ એક વર્ષ થયું હતું અને બંનેને ફાવતું નહોતું તો મેં સમજાવ્યાં, પણ ડિવોર્સ લેવા મક્કમ હતાં. મેં કેસ કરવાને બદલે સંમતિથી ડિવોર્સ લેવાનું કહ્યું. છોકરી મધ્યવર્ગીય હતી ને છોકરાનો પરિવાર આર્થિક રીતે ખાસ્સો પગભર હતો. છોકરીને પછી ખબર નહીં શું થયું કે સાસરિયાંનાં 11 લોકો પર પોલીસ ફરિયાદ કરીને FIR કરાવી. છેલ્લાં પાંચ વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. છોકરીએ બસ હેરાન કરવાના ઈરાદે એક પછી એક કેસ કર્યા. પહેલાં તેણે ભરણપોષણ તરીકે બે લાખ, પછી પાંચ લાખ, પછી 15 લાખ ને પછી 25 લાખ માગ્યા. છોકરો પૈસા આપવા તૈયાર થાય એટલે ડિમાન્ડ વધી જાય. તેને પૈસા જ પડાવવા છે. મેં તો તે છોકરીને સમજાવી કે કિંમતી વર્ષો બરબાદ થઈ રહ્યાં છે. આ રીતે ના કરો ને પ્રેમથી છૂટાં પડો, પરંતુ તેણે તો હેરાન કરવાનું જ નક્કી કર્યું છે તેમ લાગે. કોર્ટમાં ઘણીવાર આવતી પણ નથી. સાસરિયાં હેરાન થતાં હોય છે.' આજકાલ યુવતીઓને સિટીમાં રહેવાનો ક્રેઝ છે અને જો સિટીને બદલે ગામડે રહેવા જવાનું થાય તો વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. આટલું જ નહીં, ઘણી છોકરીઓ વિદેશ જવા માટે તે જ માટે લગ્ન કરતી હોય છે. આજકાલ યુવતીઓમાં કેનેડા જવાનો પણ ક્રેઝ છે. 'આજકાલ યુવતીઓમાં કેનેડાનો જબરજસ્ત ક્રેઝ'કેટલીકવાર સિટી કે વિદેશમાં જ રહેવું તેવા મુદ્દાને કારણે પણ ડિવોર્સ થતાં હોય છે. આ અંગે એડવોકેટ અલ્પા જોગી કહે છે, 'આજકાલ સમાજમાં શહેર કે વિદેશમાં જ રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે. છોકરીને કેનેડા જ જવું હતું અને તેણે લગ્નના બાયોડેટામાં પણ ચોખ્ખું કેનેડા જવાની વાત કરી હતી. છોકરો કેનેડાનો મળ્યો ને લગ્ન થયાં ને દોઢેક મહિના બાદ કેનેડાની ફાઇલ મૂકવાની હતી. ખબર નહીં પણ બંને વચ્ચે નાની-નાની બાબતોને કારણે ઝઘડા થયા અને એક શક્યતા એવી પણ છે કે કેનેડામાં છોકરાનું અન્ય કોઈ સાથે અફેર હતું. છોકરાએ પછી પત્નીની કેનેડાની ફાઇલ જ બંધ કરી દીધી ને કેનેડા ના લઈ ગયો. સામે પત્નીએ બે વર્ષ ભારતમાં પતિની રાહ જોઈ. અંતે તેણે ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી. આજકાલ યુવતીઓમાં કેનેડાનો જબરજસ્ત ક્રેઝ છે. ઘણા કિસ્સા તો એવા છે કે માત્ર કેનેડા જવા લગ્ન કરે છે અને ત્યાં જઈને ડિવોર્સ લઈ લે છે.' 'સિટી લાઇફ માણવી છે'વધુમાં એડવોકેટ જોગી જણાવે છે, 'ગામડામાં જમીન ને મિલકત બધું જ સારું હોય, પરંતુ યુવતીને સિટીની ચમકદમક ને હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલનો ક્રેઝ હોય છે. નાઇટ લાઇફ માણવી છે અને રોજે રોજ નવી નવી હોટેલમાં જમવા જવું હોય છે. આજકાલની છોકરીઓ તો ત્યાં સુધી કહે છે કે શહેરમાં તારો પગાર 10 હજાર હશે તો પોસાશે, ભલે પછી ગામડે ગમે તેટલું હોય પણ ત્યાં તો રહેવું જ નથી. આજકાલ ગામડે રહેતા છોકરાનાં લગ્ન થતાં નથી તો તેઓ શહેરમાં ઘર લે. છોકરીને એમ કહે કે સિટીમાં જ રહેવાનું છે. લગ્નનાં બે ત્રણ વર્ષ બાદ એમ કહે કે નોકરી-ધંધા ખાસ ચાલતા નથી તો હવે ગામડે જઈએ. છોકરી તૈયાર ના હોય એટલે વાત ડિવોર્સ સુધી આવી જાય.' 'અમેરિકા ના જવા મળ્યું તો ડિવોર્સ લીધા'અમદાવાદના સિનિયર એડવોકેટ નેહુલ દવે કહે છે, 'લગ્ન કરતી વખતે યુવકે ભાવિ પત્નીને વચન આપ્યું હોય કે આપણે સિટી કે મેટ્રો સિટીમાં જ રહીશું. પરિસ્થિતિ એવી ઊભી થાય કે હવે ત્યાં રહેવા જવું શક્ય નથી. આ જ કારણે લગ્ન બાદ પત્ની સતત પતિને આ અંગે બોલે ને અંતે કંટાળીને પતિ ડિવોર્સ આપે. મારી પાસે એક એવો કેસ આવ્યો હતો કે પત્નીને અમેરિકા લઈ જવાની વાત લગ્ન પહેલાં કરવામાં આવી હતી. એ યુવતીએ લગ્ન પણ માત્ર ને માત્ર અમેરિકા જવા મળે છે તે માટે કર્યાં. લગ્ન બાદ વિઝા જ કેન્સલ થયા તો પત્નીએ સીધું એમ જ કહ્યું કે હવે અમેરિકા જવાનું નથી તો તારી સાથે રહેવાનો શું મતલબ ને બંનેના ડિવોર્સ થયા.' 'ઈચ્છાઓ લિમિટલેસ છે'એડવોકેટ ડૉ. અભીષ્ટ કહે છે, 'આજકાલ તો લોકોને માત્ર મેટ્રો સિટી કે ફોરેનમાં જ રહેવું છે અને પછી આ શક્ય ના બને તો ડિવોર્સ ફાઇલ કરે છે. આમાં પણ એક પેટર્ન જોવા મળે છે. ગામડામાંથી વ્યક્તિ શહેરમાં આવે છે. નાના શહેરમાંથી મોટા શહેરમાં જવું છે. જેમ કે અમદાવાદ આવે તો મુંબઈ-દિલ્હી જવાની ઈચ્છા રાખે છે. પછી મુંબઈ રહેવા જાય પછી તેને ન્યૂ યોર્ક કે વિદેશમાં રહેવા જવું છે. આ લિમિટલેસ છે. આ કિસ્સાઓ વધવાનું કારણ એટલા માટે છે કે હવે મહિલાઓ પણ ભણેલી-ગણેલી છે. ઇકોનોમિક સ્ટેબિલિટી તથા જોબ ઓર્પ્ચ્યુનિટી બિગ સિટીમાં વધારે છે એટલે ત્યાં રહેવા જવાનું વિચારે તેમાં ખોટું પણ નથી. ઘણા કિસ્સામાં પતિ-પત્ની બંને પોતાના વતન આ તકોને કારણે પરત ફરવા તૈયાર નથી તો ત્યારે વાંધો આવતો નથી. અલબત્ત, જ્યારે પત્ની કે પતિ બેમાંથી એક મોટા શહેરમાં જ રહેવા માગે છે અને વતન જવા તૈયાર નથી ત્યારે ડિવોર્સ થાય છે.' 'છોકરીને વિદેશ ના ફાવે એટલે ડિવોર્સ'એડવોકેટ ડૉ. અભીષ્ટ કહે છે, 'મારે ત્યાં મોટા ભાગે એવા કિસ્સા વધારે આવે છે કે લગ્ન તો વિદેશમાં એટલે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા રહેતા યુવક સાથે થાય છે. ભારતમાં તો ઘણું ખરું કામ બંધાવેલું હોય, પરંતુ ત્યાં તો બધું જ જાતે કરવાનું. ત્યાંનું કલ્ચર પણ અલગ પડી જાય. આ જ કારણે ઘણી છોકરીઓને વિદેશમાં રહેવું ફાવતું નથી. તેઓ ભારત પરત ફરવા માગે છે. હવે છોકરાની સ્થિતિ જ એવી હોતી નથી કે તે વિદેશ છોડીને ભારતમાં રહે. તે લોન લઈને ગયો હોય એટલે તે ભરવાની હોય ને લગ્નનો પાછો અલગ ખર્ચ થયો હોય, માંડ માંડ વિઝા મળ્યા હોય એટલે તેના માટે વિદેશમાં રહેવું મજબૂરી હોય છે. છોકરી પછી ડિવોર્સ ફાઇલ કરે. વિદેશમાં રહેતા છોકરા સાથે લગ્ન કર્યાં હોય એટલે છોકરીવાળાએ પણ ધૂમ ખર્ચો કર્યો હોય એટલે હવે તે એલિમની મોટી માગે. વિદેશમાં રહેતો છોકરો માંડ માંડ પોતાનું પૂરું કરતો હોય એટલે તે હવે લોન ભરે કે એલિમની આપે? અમારી પાસે ફોરેનમાં રહેતો છોકરો હોય એટલે છોકરીવાળા એલિમની માટે મસમોટી રકમ માગતા હોય છે. છોકરીવાળાને પરદેશમાં છોકરાની સ્ટ્રગલ દેખાતી નથી. બની શકે તે આજે સારું કમાતો હોય, પરંતુ પેરેન્ટ્સ પ્રત્યે પણ તેની જવાબદારી હોય છે. તો સામે છોકરો એવું વિચારે છે કે મારે આખી જિંદગી બીજા માટે જ પૈસા કમાવાના છે. પહેલાં પેરેન્ટ્સે વિદેશ મોકલવા લોન લીધી તો તે ચૂકવી ને હવે પત્નીને ડિવોર્સ માટે ભરણપોષણના પૈસા આપો. પછી આ આખો કેસ ઘણીવાર ચૂંથાઈ જતો હોય છે.' 'વિદેશમાં રહેવાનું હોય તો લગ્ન પહેલાં એક મહિનો ત્યાં રહેવું જરૂરી છે'એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર સલાહ આપતાં કહે છે, 'મારી સલાહ કદાચ કોઈને પણ ગમશે નહીં અને આ વાત ગળા નીચે ઊતરશે પણ નહીં. જોકે, હું સ્પષ્ટપણે માનું છું કે જે યુવતી કે યુવકે લગ્ન બાદ વિદેશમાં સ્થાયી થવાનું હોય, તેણે એકાદ મહિનો ત્યાં રહેવું જરૂરી છે. ત્યાંનો માહોલ, છોકરો-છોકરી કેવાં છે, કેવો સ્વભાવ છે, કલ્ચર શું છે, વાતાવરણ કેવું છે, સ્થાનિકો સાથે ફાવશે કે નહીં, ત્યાંની લાઇફસ્ટાઇલ સાથે મેચ થવાશે કે નહીં... એ ફાવે તો જ પછી લગ્ન કરવાં જોઈએ. બની શકે કે જે-તે સમાજના લોકો વાતો કરે કે લગ્ન પહેલાં એક મહિનો રહી આવી, પરંતુ જો ડિવોર્સ થશે તો આખી જિંદગી બગડવાની શક્યતા વધી જાય છે. મહિનો રહ્યા બાદ નહીં ફાવે તો સગાઈ તૂટશે ને લોકો બે-ચાર દિવસ વાતો કરીને ચૂપ થઈ જશે.' 'સિટીમાં જ રહેવાનો આગ્રહ હોય છે'રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું, 'સિટીમાં જ રહેવાનો આગ્રહ હોય અને પછી તેમ ના થાય તો ડિવોર્સના ઘણા કેસ આવે છે. શહેરી વિકાસને કારણે ગામડાના લોકો ત્યાં જવા માટે પ્રેરાય તે સમજી શકાય. હું તો એટલું જ કહીશ કે અમિતાભ બચ્ચનના શો 'KBC'માં સવાલના જવાબ માટે ચાર ઓપ્શન મળે છે, પરંતુ ફેમિલી કોર્ટના કાયદા પ્રમાણે માત્ર ત્રણ જ ઓપ્શન મળે છે. 1. લાઇફ ટાઇમ એલિમની આપીને અલગ થાવ. 2. વડીલો સાથે બેસીને સંમતિથી ડિવોર્સ લો, અથવા 3. સાથે રહો.' 'સમજાવટથી ડિવોર્સનું પ્રમાણ ઘટાડી શકાય'સમજાવટથી કેવી રીતે યુગલના ડિવોર્સ થતાં અટકી ગયા તેવા એક રસપ્રદ કેસ અંગે વાત કરતાં સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'અમદાવાદનો યુવક હતો અને પત્ની વડોદરાની હતી. ઘરથી નોકરીનું સ્થળ દૂર હતું તો થોડો સમય નજીકમાં મકાન ભાડે રાખ્યું. જોકે, પછી ખબર નહીં છોકરીને શું વાંધો પડ્યો કે તેણે વડોદરા જઈને કેસ કર્યો. બંનેને બે નાનાં બાળકો છે. યુવક જ્યારે મેટર લઈને આવ્યો ત્યારે લાગ્યું કે સમજાવટથી આ કેસનો ઉકેલ આવી શકે તેમ છે. પછી તો છોકરીના વકીલ ને બધા સાથે બેસીને ચર્ચા કરી તો છોકરી સાસુ-સસરા જોડે રહેવા તૈયાર જ નહોતી. પછી છોકરાનાં પેરેન્ટ્સને બોલાવીને સમજાવ્યાં તો તેઓ તરત જ અલગ રહેવા તૈયાર થઈ ગયાં. આમ તો આ ક્રૂરતા ગણાય ને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે છોકરાને આ બેઝ પર ડિવોર્સ મળી શકે, પરંતુ વાંધો આવ્યો નહીં. આજે તે પરિવાર અલગ-અલગ પણ આનંદથી રહે છે. આ મેટરમાં એવા કોઈ મેજર ઇશ્યૂ નહોતા. હું એટલે જ આગ્રહ કરું છું કે મીડિયેશન સેન્ટર વધુ હોય તો કપલને સમજાવીને છૂટા પડતાં અટકાવી શકાય.' 'ડિવોર્સ કેસમાં કાયદાકીય સુધારાની જરૂર'એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર કહે છે, 'અત્યારે તો એવું છે કે યુગલો મીડિયેશન વગર જ સીધા કોર્ટમાં જાય છે. કોર્ટ પર ડિવોર્સ કેસનું ભારણ દિવસે દિવસે વધતું જાય છે. ડિવોર્સ કેસ છ-સાત વર્ષ ચાલે છે. કોર્ટની સંખ્યા ઓછી છે. કોર્ટ, સ્ટાફ, વકીલ સતત કામ કરે છે, પરંતુ કેસ વધે છે અને તેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ફેમિલી કોર્ટ અન્ય કોર્ટ કરતાં નવી છે એટલે તે પણ ટાઇમ લે છે. ડિવોર્સ ને કસ્ટડી કેસમાં ઇનોવેટિવ આઇડિયા કરવા જ મળશે. આ કેસ કાયદા આધારિત ચાલી શકે નહીં. જુબાની, ક્રોસ એક્ઝામિનેશન, દલીલો કરવાની, સાક્ષી બોલાવવાના આ રીતે જો ચાલશે તો ડિવોર્સ કેસ છ-સાત વર્ષ ચાલશે. વિદેશમાં 'મને તમારી જોડે ફાવતું નથી...' એટલું ડિવોર્સ લેવા માટે પૂરતું છે. આપણા કાયદામાં આવું નથી. આપણે ક્રૂરતા, નપુંસકતા, એડલ્ટરી (વ્યભિચાર) એવું સાબિત કરવું પડે. આ સાબિત કરવાની વાત આવી એટલે તેમાં ઘણો સમય જાય. આપણે ડિવોર્સ કેસમાં કાયદાકીય સુધારાની જરૂર છે. મને લાઇફ પાર્ટનર સાથે નથી ફાવતું એટલે નથી રહેવું. એનાં કારણો ઘણાં હોઈ શકે. આપણે ત્યાં માત્ર બંને પક્ષની સંમતિ હોય તો જ ડિવોર્સ મળે. આપણે ત્યાં જો પત્ની કે પતિ બેમાંથી એકને સાથે નથી રહેવું અને સામેની વ્યક્તિ ડિવોર્સ આપવા તૈયાર નથી તો કોર્ટ કેસ થાય ને પછી લાંબું ચાલે. મીડિયેશન સેન્ટર વધારે હોવાં જોઈએ અને ફેમિલી કોર્ટની સંખ્યા વધારવાની જરૂર છે. ડિવોર્સ કેસમાં આઉટ ઑફ ધ બોક્સ થિંકિંગ નહીં કરીએ તો આ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. ડિવોર્સ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધવાની છે એ નક્કી છે. ' 'ભરણપોષણ ના માગ્યું, ક્લબની મેમ્બરશિપ માગી'સિટીના ક્રેઝ અંગે સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'ઘણા પરિવારો આજે પણ દેખાડો કરવા ‘સિટીમાં રહીએ છીએ’ તેવી વાત કરીને છોકરાનાં લગ્ન કરે. પછી થોડાં વર્ષમાં ગામડે જવાની વાત કરે છે એટલે તરત જ ઝઘડા ને ડિવોર્સ થાય છે. તમને આંચકો લાગશે કે આજકાલ તો સિટીમાં ક્લબ કલ્ચર આવી ગયું છે. ક્લબની મેમ્બરશિપ માટે ઝઘડા થયા હોવાનું પણ જોયું છે. તમે નહીં માનો, જો યુવક પાસે બે ક્લબની મેમ્બરશિપ હોય તો ડિવોર્સ સમયે છોકરી એક ક્લબની મેમ્બરશિપ માગી લેતી હોય છે અને આ ઓન પેપર થયેલી વાત છે. એક મેટર હતી, છોકરી સારા પરિવારની ને પ્રોફેશનલ હતી. લગ્નજીવનને 18 વર્ષ થયાં. બંનેએ ત્યારે લવમેરેજ કર્યાં હતાં. બે સંતાનો હતાં. હવે છોકરાને એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું ને છોકરીને જાણ થઈ તો ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. કોર્ટમાં આ મેટર બે વર્ષથી ચાલે છે. છોકરીએ એલિમની કે બાળકો માટે ભરણપોષણ કંઈ જ ના માગ્યું. તેણે માત્ર એટલું જ કહ્યું કે મને મારી ક્લબની મેમ્બરશિપ પાછી જોઈએ. ઓરિજિનલી તે ક્લબની મેમ્બરશિપ છોકરીની હતી અને પછી તેણે પતિને આપી દીધી હતી. ઓન પેપર આ મેમ્બરશિપ આપવામાં આવી. હજી આ કેસ ચાલે છે. અન્ય એક મેટરમાં પતિ પાસે બે મેમ્બરશિપ હતી તો એક-એક લીધી. આજકાલ યુવાનોમાં પાર્ટી કલ્ચર ઘણું વઘી ગયું છે.' 'દરેક ડિવોર્સનું કારણ ઇગો'ડિવોર્સનું એક કારણ ઇગો પણ છે. ઇગોને કારણે પણ ડિવોર્સ થતા હોય છે. આ અંગે સિનિયર એડવોકેટ નેહુલ દવેના મતે, 'દરેક ડિવોર્સ પાછળનું કારણ ઇગો જ છે. જે કેસમાં ઇગો એક પક્ષે છોડવામાં આવે તો તે પરિવાર તૂટતો બચી જાય છે. જો પતિ કે પત્ની બેમાંથી એક એમ કહી દે કે સામેની વ્યક્તિ સાચી ને હું ખોટી તો તે કપલ ભેગું થઈને જ રહેશે.' 'ઇગો તો ભણેલા હોય કે અભણ બંનેમાં હોય જ છે'અમદાવાદના એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકરે જણાવ્યું, 'ઇગો કે ક્લેશની વાત કરું તો તે માત્ર ભણેલા લોકોમાં જ હોય તે વાત હવે રહી નથી. ઇગો ભણેલા ને ઓછું ભણેલા તેમ બંને વર્ગમાં જોવા મળે છે. વધુ ભણેલા હોય તેવા કપલમાં જોબ, ફાઇનાન્શિયલ, સોશિયલ ઇગો કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોઈ શકે, જેમાં લાઇફ પાર્ટનર પોતાના કરતાં નીચું લાગવા લાગે છે. જૂના સમયમાં પતિ એવું વિચારે કે હું કમાઉં છું અને પત્ની આખો દિવસ ઘરે જ રહે છે. તેવો એક ઇગો રહેતો. હવે આ ઇગો પહેલાં જેવો રહ્યો નથી. હવે મહિલાઓ પણ કમાય છે અને પરિવારમાં તેમને પૂરતું માન-સન્માન આપવામાં આવે છે. જોકે, જ્યારે આ માન સન્માન આપવામાં આવતું નથી ત્યારે પતિ-પત્ની વચ્ચે ઇગો આવે છે અને તેમની વચ્ચે ઝઘડા થાય અને વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.' 'ઝઘડા કરવાનાં બહાનાં હોય છે'એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર જણાવે છે, 'આજકાલ પત્નીને સાસુ સસરા કે પછી સંયુક્ત ફેમિલીમાં રહેવું નથી. આ માત્ર ઝઘડાનું એક બહાનું છે. પતિ હોય કે પત્ની બંનેને સાસરિયાંઓ ગમતાં નથી. હવે એવું જોવા મળે છે કે પતિ-પત્ની એકલાં રહે છે. પછી બાળક આવે છે. પહેલેથી જ એકલાં રહેતાં હોવાથી મા-બાપ પણ આવતાં નથી. આ સમયે પત્ની એ બાબતે ઝઘડો કરે છે કે તારા પરિવારમાંથી તો કોઈ સાચવતું જ નથી. બાળક પછી કામ વધી જાય તો કોઈ મદદ કરવા આવતું નથી. બહાર જવું હોય તો કોઈ બાળકને સાચવી શકે તેમ નથી. આપણી વચ્ચે બોલાચાલી થાય તો તારાં તો કોઈ સગાં દરમિયાનગીરી માટે આવતાં નથી. આર્થિક સ્થિતિ સારી નથી તો પણ તારાં સગાં મદદ કરવા પણ આગળ આવતાં નથી. હવે જ્યારે કપલ જોઇન્ટ ફેમિલીમાં રહે છે ત્યારે તેને આ બધી બાબતો પસંદ નથી અને આ જ કારણે ઝઘડાઓ થતા. હવે એકલા રહે છે તો પણ તેમને સમસ્યા તો આ જ રહે છે. કોઈ પણ રીતે ઝઘડા કરવા જ છે અને આ માનવસહજ સ્વભાવ છે અને ઝઘડાળું સ્વભાવ હશે તો તેનાં કારણો શોધી જ લેશે. જો તમે સારી વ્યક્તિ હશો તો તમે સાથે રહો કે એકલા ક્યાંય વાંધો આવતો જ નથી, પરંતુ જો તમે જ સારા નહીં હો તો તમે ગમે ત્યાં રહો તમને ક્યાંય ફાવશે નહીં તે નક્કી છે.' 'એડજસ્ટમેન્ટ કરવું જ પડે'ઇગો-ક્લેશ અંગે સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'લગ્ન જ્યારે નક્કી થાય છે ત્યારે બંને પાત્રને એકબીજાના એજ્યુકેશનથી લઈ નોકરી સહિતની બાબતો ખ્યાલ હોય છે. ભવિષ્યમાં પ્રોફેશનલી કેટલો ગ્રોથ થઈ શકે છે તે પણ ખબર હોય છે. લગ્નનાં શરૂઆતનાં ચાર-પાંચ વર્ષમાં જો તાલમેલ ના બેસે અને ઇગો થાય તો સીધા ડિવોર્સ થાય છે. બાળક થાય અને પછી ઇગો ઇશ્યૂ આવે ત્યારે એક પક્ષે તો જતું કરવાની ભાવના રાખવી જ પડે છે. હવે આ જતું કરવાની ભાવના કોણ કરશે તે અંગે ઝઘડા થાય છે. આપણે ત્યાં એટલે જ સંયુક્ત પરિવારની ભાવના છે, કારણે નાનાં બાળકો આવે તો દાદા-દાદીનો સાથ મળે. વિદેશની જેમ આપણે ત્યાં ડે-કેર સિસ્ટમ એટલે પ્રચલિત નથી. આ પ્રોબ્લમનો ઉકેલ જાતે જ લાવવાનો છે. જાતે જ સમજવું પડે કે તમારી ઘરની જરૂરિયાત શું છે અને તમે કેટલું કરી શકો છો? વાઇફને નોકરી છોડીને ઘરે બેસવાની વાત જ નથી, પરંતુ પતિ-પત્નીએ સાથે મળીને ઘર ચલાવવાનું છે. જોકે, એ વાત કહીશ કે આપણો સમાજ પિતૃસત્તાક છે અને પતિ જોબ ના છોડે તો તે બીજી રીતે સપોર્ટ કરે. વાત માત્ર એડજસ્ટ થવાની છે.' 'છોકરીએ આખી વાત ઇગો પર લઈ લીધી'અન્ય એક કેસ અંગે સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'અત્યારે એક મેટર કોર્ટમાં ચાલે છે. છોકરાના પિતા ગુજરી ગયા છે ને માતા જોડે રહે છે. છોકરો ને છોકરી બંને આઇટીમાં છે ને સારો પગાર છે. બંને 2018 પછી સાથે રહ્યાં નથી એટલે કે સાત વર્ષથી અલગ છે. છોકરીને સાસુ સાથે બિલકુલ ફાવતું નથી. તે સતત અલગ રહેવાનું દબાણ કરે છે. આ ઉપરાંત જોબને કારણે પણ નાના-મોટા ઇશ્યૂ છે. છોકરાએ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી. પછી બંનેને સંમિતથી ડિવોર્સ માટે સમજાવ્યા, પરંતુ છોકરી માનતી જ નથી. તેનો એક જ સવાલ છે કે તે આ પિટિશન કરી જ કેમ? છોકરી ઓપન કોર્ટમાં ત્રણ વાર બોલી કે ડિવોર્સ જોઈએ છે, પણ પછી ફરી જાય છે. છોકરીને એલિમની ને મેઇન્ટનન્સની વાત કરી પણ તેને લેવું નથી. છોકરીએ આ આખી વાત ઇગો પર લઈ લીધી છે. તેનો માત્ર એક જ સવાલ કે તે પિટિશન કરી જ કેમ? હવે તો હું તને ડિવોર્સ ના જ આપું. આ પ્રકારનું વર્તન તદ્દન ખોટું છે. આ સંપત્તિ નથી કે દિવસ જતાં તેના ભાવ વધે. લગ્નમાં ઉંમર વધતી જાય છે. 35-40 પછી તમને સારું પાત્ર મળવું દિવસે દિવસે મુશ્કેલ થતું જાય છે. આ સમય જવા દેવાથી બંને પક્ષમાંથી એક પણ પક્ષને ફાયદો થવાનો નથી ને ક્લાયન્ટને આ વાત સમજાવવી ઘણીવાર અઘરી થઈ જાય છે.' 'વધુ પડતી અપેક્ષાના કારણે ડિવોર્સ'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ આ અંગે જણાવતાં કહે છે, 'આજકાલ યુવક કે યુવતીનું લગ્ન સમયનું ચેક લિસ્ટ લાંબું થતું જાય છે. ચેકલિસ્ટમાં છોકરો કોણ છે, શું કમાય છે, ક્યા રહે છે, બંગલો છે કે અપાર્ટમેન્ટ, ગાડી છે કે નહીં, પરિવારમાં કોણ કોણ છે. આ બધું પહેલાં જોવાતું. પરંતુ હવે આવું જ જોઈએ છે અને આવું જ કરીશ ને આવું નહીં જ કરું તે વાતને વળગી રહેવામાં આવે છે. હું ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરું તેવા જક્કી વલણને કારણે ફ્લેક્સિબિલિટી ના હોવાને કારણે એડજસ્ટમેન્ટ થઈ શકતું નથી. આ જ કારણે ઝડપથી લગ્નો તૂટવાની શરૂઆત થાય છે. ઘણીવાર ધાર્યું હોય તેટલું ના મળે તેવું બને. ક્યારેય કોઈ સંપૂર્ણ નથી. જ્યારે તમે સંપૂર્ણ નથી તો સામેની વ્યક્તિ સંપૂર્ણ હશે તે અપેક્ષા વધુ પડતી છે. ચેકલિસ્ટ પૂરેપૂરાં ફૂલફિલ થતાં હશે તે વાત પણ યોગ્ય નથી. આવું ના જ હોય.' 'નાનું-મોટું ચલાવી લેવાની ભાવના નથી રહી'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ સલાહ આપતાં કહ્યું, 'સમજવાની જરૂર એ છે કે બંને પક્ષે નાનું-મોટું ચલાવી લેવાની ભાવના હોવી જોઈએ. આ વાત લગ્નને ચલાવવા માટે ઘણી જ મહત્ત્વની છે. જો પાર્ટનરમાં થોડી ઘણી ફ્લેક્સિબિલિટી આવી જાય તો લગ્ન તૂટતાં બચી શકે છે. દેખાવ પણ જોઈએ, પૈસા પણ જોઈએ, પરિવાર તો નાનો જ જોઈએ, આ બધી જ બાબતો એક છોકરામાં મળે એવું તો શક્ય જ નથી હું ઘણીવાર હસતાં હસતાં કહેતો હોઉં છું કે આના માટે તો ઉપરથી એક નવો જ છોકરો લાવવો પડે. શહેરમાં રહેવાની વૃત્તિ જે વધી ગઈ છે તેનું મુખ્ય કારણ એ છે કે શહેરમાં મોજમજા બહુ જ છે. આનંદ પ્રમોદનાં સાધનો વધુ પડતાં ઉપલબ્ધ છે. આ એક જાતનું આકર્ષણ છે. સિટીમાં જ રહેવું હોય તો તેની સમસ્યાનો સામનો કરવાની તત્પરતા રાખવી પડે. શહેરની પોતાની મુસબીતો છે તો લોકોએ આ સમજવાની જરૂર છે. સમજવાની વાત એ છે કે વ્યક્તિ સારી તો બધું જ સારું. વ્યક્તિ તમને અનુરૂપ અને તમે તેને અનુરૂપ હો તો શહેર કે ગામડું કંઈ જ મેટર કરતું નથી.' (આવતીકાલે છૂટાછેડા સિરીઝના પાંચમા એપિસોડમાં વાંચો, ધર્મના ભાઈ તરીકે સાસરીયામાં ઓળખાણ કરાવી ને તેની સાથે જ અફેર ચાલતું હતું, સગાઈના આગલા દિવસે યુવતીએ ધડાકો કર્યો કે મારું તો કોલેજ ફ્રેન્ડ સાથે અફેર ચાલે છે...)

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:00 am

20મીએ મનપાનું જનરલ બોર્ડ:લાંબા સમય બાદ કોંગ્રેસનો પ્રથમ પ્રશ્ન: ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો સહિતના મુદ્દે બોલશે તડાફડી

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈકી કોઇપણ એક નગરસેવકના પ્રશ્નથી બોર્ડની શરૂઆત થાય છે અને તેની માહિતી આપવામાં સમય પૂરો થઇ જાય છે ત્યારે આ વખતે પ્રશ્નોના કરાયેલા ડ્રોમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન પ્રથમ ક્રમે આવી જતા બોર્ડમાં ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો અને નવા વિસ્તારોમાં સાઇન બોર્ડ મુદ્દે તડાફડી બોલશે. લાંબા સમય બાદ શાસકના બદલે ચિઠ્ઠીમાં વિપક્ષના નેતાનું પ્રથમ પ્રશ્ન માટે નામ ખૂલતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને શાસક પક્ષ પણ સાધારણ સભામાં વિપક્ષને કેવી રીતે કાબૂમાં રાખવો તેની રણનીતિ ઘડવામાં લાગી ગયો છે. સાધારણ સભામાં શાસક અને વિપક્ષના કુલ 15 નગરસેવકે 25 પ્રશ્નો પૂછ્યા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 પ્રશ્ન અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 સવાલ ઉઠાવ્યા છે. જેની ચિઠ્ઠીમાં વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન આવ્યા છે. વિપક્ષ નેતા સાગઠિયાએ ઉઠાવેલા પ્રશ્નોમાં(1) રાજકોટમાં રાજકોટમાં આર્કિટેક્શન પ્રોજેક્ટ(ફ્લાવર બેડ)ને કારણે બીયુપી અટકાવ્યા હોય તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા કેટલી છે? જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ, વિસ્તાર વાઇઝ અને બિલ્ડિંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો. ફ્લાવર બેડવાળા બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ ‌વિભાગે તા.18-10-2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કાર્યવાહી તા.11-11-2025 સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી આ કામગીરી ક્યારે શરૂ થશે અને તેના માટે ટાઉન પ્લાનિંગ વિભાગમાં શું વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે તેની વિગત જણાવશો.(2) રાજકોટ શહેરની હદમાં નવા ગામો ભળ્યા બાદ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે તેની સંપૂર્ણ વિગત માઇલ સ્ટોન સાથે આપશો. જ્યાં હદ પૂરી થાય છે ત્યાં હદ પૂરી થવાના સાઇન બોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી? (3) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના ક્યાં રસ્તા કઇ એજન્સી દ્વારા ક્યાં ક્યાં કારણોસર ખોદકામ કરવામાં આવ્યા, રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે, કેટલા ખોદકામ મંજૂરીથી તેમજ રસ્તા રિપેરિંગની ડિપોઝિટ લઇને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવ્યા તે રસ્તાથી મહાનગરપાલિકાની તિજોરીને કેટલો ખર્ચ થયો જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ માગવામાં આવી છે. સંભવત: ચાલુ બોડીનું છેલ્લું બોર્ડ, સાંસદને વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતી સહિતની દરખાસ્તોસંભવત: ચાલુ બોડીનું આ છેલ્લું બોર્ડ બની રહે તેવી પૂરતી સંભાવના છે. આ સાધારણ સભામાં સાંસદ, કમલમ સહિતનાને જમીનનું વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતીને મંજૂરી, 1056 આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા, વિવિધ રમતગમતના મેદાનો અને સ્પોર્ટ્સ ફેસિલિટીના ભાડા રિવાઇઝ કરવા, શિવ ટાઉનશિપની દુકાનોનું હરાજીથી વેચાણ કરવા સહિતની 12 દરખાસ્તનો સમાવેશ થાય છે. નોન હેબિટેબલ સ્પેશ હોય તો 2 ફૂટનું પ્રોજેક્શન એલાઉ છે, પરંતુ સરકારે નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણી છેસરકારે ફ્લાવર બેડના ઇસ્યૂના નિરાકરણ માટે પરિપત્ર તો કરી દીધો છે, પરંતુ જંત્રીના 100 ટકા પેનલ્ટી વધુ પડતી હોય અને ફિઝિબલ તથા વાયેબલ ન હોવાથી બિલ્ડરો હજુ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બી.યુ. પરવાનગી માટે અરજી કરતા અચકાય છે. જીડીસીઆરમાં નોન હેબિટેબલ સ્પેસ માટે 2 ફૂટ જગ્યાનું પ્રોજેક્શન આપેલું જ છે, પરંતુ મનપાએ નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણતા આ પરિપત્ર મુજબ હવે પેનલ્ટી ભરીને બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવું પડે, પરંતુ પેનલ્ટીની રકમ વધુ પડતી હોવાથી રિસ્પોન્સ મળતો નથી. > સતિષ મહેતા, એક્સપર્ટ બાંધકામ રેગ્યુલરાઇઝ માટે 100થી ઓછી અરજી આવીરાજકોટ શહેરનો ફ્લાવર બેડનો પ્રશ્ન હલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર કરી દીધો છે, પરંતુ હજુસુધી બિલ્ડરો તેમાં રસ દાખવી રહ્યા નથી. મહાનગરપાલિકાના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યા અનુસાર હજુસુધી ફ્લાવર બેડના ઇસ્યૂ ધરાવતા 80થી 90 બાંધકામો માટે બી.યુ.પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની અરજીઓ આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં 1400થી વધુ બાંધકામોના કમ્પ્લીશન અને બી.યુ.પરવાનગીનો પ્રશ્ન લટકેલો છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ બિલ્ડરો હજુ સુધી મનપાના પગથિયાં ચડવા માટે તૈયાર ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ઇનસાઇડ સ્ટોરીભાજપ હલ્લો કરશે અને છેલ્લે કોંગ્રેસ પણ દેકારો કરી કલાક પૂરી કરશે​​​​​​​બોર્ડમાં પ્રથમ પ્રશ્ન વશરામ સાગઠિયાનો હોય ભાજપ સાધારણ સભા પર પોતાની પકડ જાળવી રાખવા સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે તેમાં બેમત નથી. આથી સાધારણ સભા શરૂ થતાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રથમ પ્રશ્નનો જવાબ આપવા માટે પરિપત્ર અને જીડીસીઆર વાંચશે અને તે દરમિયાન ભાજપ પેટા પ્રશ્ન પૂછી અથવા અન્ય રીતે વળતો હલ્લો બોલાવશે અને ગાડી આડે પાટે ચડાવી દેશે અને શાસકોની નીતિથી ત્રસ્ત થઇને વિપક્ષ વળતો દેકારો બોલાવશે અને આ રીતે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકી ભાજપ-કોંગ્રેસ સામસામે દેકારા બોલાવી એક કલાક પૂરી કરી નાખશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:57 am

નીતિન પટેલે વરાળ કાઢી, 'મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાંખ્યો':બાજુમાં બેઠેલા નેતાને પણ ટોણો માર્યાની ચર્ચા; કોંગ્રેસે માળખું ફેરવવાની તૈયારી આદરી?, જાણો અંદરની વાત

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:55 am

સિટી એન્કર:નશામાં ધૂત પતિએ ક્રૂરતાની હદ વટાવી: પત્નીને બચકાંભરી, વાળ ખેંચતા કહ્યું, ‘તારા કરતાં તો આઇટમો સારી’

નશામાં ધૂત પતિએ ક્રૂર બની પત્નીને બચકાં ભરી, વાળ ખેંચી, “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી ફટકારી તરછોડી દેતાં રાજકોટ માવતરના ઘરે આવેલી પરિણીતાએ સુરત રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં માવતરે રહેતી હિરલબેન કુલદીપસિંહ વાળાએ સુરત રહેતા પતિ કુલદીપસિંહ, સાસુ પ્રેમીલાબેન, જેઠ રાજદીપસિંહ અને જેઠાણી આરતીબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2024માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તેમના લગ્ન કુલદીપસિંહ સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ પતિ હું હમણાં આવું છું તેમ કહીને નીકળ્યા બાદ મોડેથી દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરના બધા લોકોને બેફામ ગાળો ભાંડીને બધો સામાન ઘા કરી આતંક મચાવ્યો હતો. હિરલબેન તેમના પતિ કુલદીપને રૂમમાં લઈ જતા તેણે પેન્ટમાં જ લેટ્રિન કરી લીધું હતું. બીજા દિવસે સાસુ પ્રેમીલાબેન હિરલને ધમકાવતા કહ્યું હતું કે, તું આ ઘરની વાત કોઈને કહીશ તો મારા જેવી ભૂંડી કોઈનહીં હોય. તેણીને વાતવાતમાં સાસુ, જેઠ અને જેઠાણી કરિયાવર બાબતે મેણાંટોણાં મારતા. પતિનું એક્સિડન્ટ થયું હોય જેથી હિરલબેન તેની સેવા ચાકરી કરતા ત્યારે પણ તેમના જેઠાણી કહેતા કે, તમારા પ્રેમલા-પ્રેમલીના ખેલ રૂમમાં જઈને કરો. દરમિયાન હિરલબેન પરીક્ષા દેવા રાજકોટ આવ્યા હોય અહીંથી સુરત જતા ત્રીજા દિવસે ફરી તેમનો પતિ કુલદીપ દારૂ પી આવેલો અને ઝઘડો કરી હિરલબેનને બચકાં ભરી વાળ ખેંચી “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને હિરલબેને તેના પિતાને જાણ કરતાં તેઓએ રાજકોટ તેડી આવ્યા હતા. જે બાદ તેણી રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાંઓ સામે માનસિક દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:54 am

ભાસ્કર બ્રેકિંગ:એક રાજકીય પક્ષે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનું ખાતું ખોલાવી ડોનેશન ઉઘરાવી લીધું

ગુજરાત આવકવેરા તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો ધરાવતી ચાર રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત રાજ્યના અન્ય જિલ્લાના આયકર અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રાજકીય પાર્ટીએ મહારાષ્ટ્રની અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનો ઉપયોગ કરી તેમના નામે ખાતું ખોલાવી ડોનેશન પણ ઉઘરાવી લીધાની ચોંકાવનારી હકીકત આવકવેરાની તપાસમાં બહાર આવી છે. ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવતી બોગસ રાજકીય પાર્ટીઓ કાળાં નાણાંને ધોળા કરી આપવાના કારોબારમાં સંડોવાયેલી હોય ખર્ચ બતાવવામાં પણ આંધળુકિયા કરતા આવકવેરાના રડારમાં વધુ ચાર બોગસ રાજકીય પાર્ટીઓ આવી ગઇ હતી અને તેના પગલે આવકવેરા ‌વિભાગે બુધવારે સવારે ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઇ ગજેરાના ઘર-ઓફિસ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા હતાp આ ઓપરેશનમાં રાજકોટના 20 જેટલા અધિકારીઓ જોડાયા છે અને આયકરના અન્વેષણ વિભાગના જોઇન્ટ કમિશનર સહિતના અધિકારીઓને પણ સુપરવિઝનમાં રખાયા છે. વડોદરા, સુરતની ટીમ પણ સર્ચમાં જોડાઈ છે. રાજકોટમાં બે ડઝન લોકોએ બોગસ પાર્ટીઓને ફંડ આપ્યુંઅંબાવી કેશવભાઇ ચાવડા રૂ.4.50 લાખ, અરજણ રામદેવભાઇ કરંગિયા રૂ.1.50 લાખ, અર્જુન દોશી રૂ.2.50 લાખ, બેરા વિશાલકુમાર કાંતિલાલ રૂ.1.90 લાખ, દેવ્યાની સિદ્ધપરા રૂ.90 હજાર, દિનેશ મનુભાઇ ભાલિયા રૂ.6 લાખ, દુસારા કૃણાલ પરષોત્તમભાઇ રૂ.1,74,909, ગાંધી શ્રીપાલ અશ્વિન રૂ.10 લાખ, ગૌરેશ એસ.શાસ્ત્રી રૂ.3 લાખ, ગિરીશકુમાર અર્જુનભાઇ સોલંકી રૂ.3 લાખ, હેનિત જયેશ નથવાણી રૂ.1.50 લાખ, જય વિષ્ણુભાઇ દવે રૂ.1 લાખનું ડોનેશન આપ્યું હતું. નૈશવ રોહિત ધ્રુવ રૂ.2 લાખ, નરેન્દ્ર યુ.ચાવડા રૂ.2 લાખ, પરાગ ઘેટિયા રૂ.5 લાખ, પ્રકાશકુમાર ભાયાભાઇ વાળા રૂ.3 લાખ, પ્રેમલતા મીથલ ચાવડા રૂ.3 લાખ, રાહીલ ધર્મેશ ઘૂંટલા રૂ.2 લાખ, સોનૈયા ચિરાગકુમાર રૂ.3.10 લાખ, વિનય હસમુખભાઇ ભીંડે રૂ.70 હજાર, વિવેકકુમાર આર.વાળા રૂ.4.45 લાખ, યોગેશ વિનોદ વાળા રૂ.50 હજારનું ફંડ બોગસ રાજકીય પાર્ટીઓને આપ્યાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:52 am

ભાસ્કર એક્સક્લુસિવ:21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન શરૂ થશે, રાજકોટ સહિત રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી વધુ ઠંડી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન દરમિયાન અનુભવાશે. 21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન શરૂ થશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ સહિત રાજ્યમાં સૌથી વધુ ઠંડી અનુભવાશે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષનો શિયાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને લાંબો રહેવાની સંભાવના 70% થી વધુ છે. IMD અને અન્ય વૈજ્ઞાનિક એજન્સીઓના મતે, ‘લા નીના’ વાતાવરણીય પેટર્નને કારણે આ વર્ષે સમગ્ર ઉત્તર ભારતમાં, જેમાં જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે, સામાન્ય કરતાં વધુ ઠંડો શિયાળો અનુભવાશે. નિષ્ણાતો પણ જણાવે છે કે, આ વર્ષે ઠંડી લાંબો સમય સુધી રહેશે અને તીવ્ર પણ રહેશે. ચિલ્લાઈ કલન દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધેલી આવર્તન અને તીવ્રતાને કારણે, ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ, ચિલ્લાઈ કલન દરમિયાન તાપમાન નીચું જ રહેશે અને કોલ્ડ વેવ (Cold Wave) ની સ્થિતિ પણ જોવા મળી શકે છે. રાજકોટ સહિત રાજ્યમાં પણ જમ્મુ-કાશ્મીરના ચિલ્લાઈ કલનની અસર જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન રાજ્યના કેટલાક પ્રદેશમાં સૌથી નીચું તાપમાન અનુભવાય છે. સામાન્ય રીતે આ સમયગાળો ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી જાન્યુઆરી સુધીનો રહેતો હોય છે. આ વર્ષે પણ આ ચિલ્લાઈ કલનની અસરને પગલે 21 ડિસેમ્બર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચિલ્લાઈ કલનની અસરને લીધે ગુજરાતમાં ઠંડી વધવાનાં કારણો 1 ) ચિલ્લાઈ કલન દરમિયાન કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થાય છે. 2 ) હિમવર્ષાને કારણે ઉત્તર ભારતની જમીન અને સપાટીનું તાપમાન ખૂબ નીચું જાય છે. 3 ) જ્યારે આ હિમવર્ષાનો તબક્કો પૂરો થાય છે અને હવામાન ખુલ્લું થાય છે, ત્યારે ઠંડી અને સૂકી હવા ભારતના મેદાની પ્રદેશોમાંથી થઈને ઉત્તર-પૂર્વીય દિશામાંથી ગુજરાત તરફ ધસે છે. 4 ) જ્યારે આ ઉત્તરના ઠંડા પવનોનો પ્રવાહ મજબૂત બને છે, ત્યારે ગુજરાતમાં શીતલહેરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં (જેમ કે નલિયા, રાજકોટ અને અમદાવાદમાં). ભાસ્કર એક્સપ્લેનરશું છે ચિલ્લાઈ કલન? સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેવી રીતે અસર કરે છેચિલ્લાઈ કલન એ પર્શિયન શબ્દ છે જેનો અર્થ થાય છે ‘મોટી ઠંડી’. આ શબ્દ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સૌથી તીવ્ર 40 દિવસની અવધી માટે વપરાય છે. આ સમયગાળો સામાન્ય રીતે 21મી ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31મી જાન્યુઆરી સુધી ચાલે છે. આ 40 દિવસ દરમિયાન કાશ્મીરમાં અતિશય ઠંડી પડે છે, લઘુતમ તાપમાન વારંવાર શૂન્ય ડિગ્રીથી નીચે (સબ-ઝીરો) જતું રહે છે. આ સમયગાળામાં સૌથી વધુ હિમવર્ષા થવાની શક્યતા રહે છે. જોકે ઉત્તર ભારતમાં થતી આ તીવ્ર ઠંડી અને બરફવર્ષાની અસર પરોક્ષ રીતે સમગ્ર ભારતના હવામાન પર પડે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન તાપમાન સૌથી નીચું જાય છે અને કાતિલ ઠંડી અનુભવાય છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:46 am

પર્દાફાશ:ચિત્ર પર પૈસા લગાવી ચિઠ્ઠી ખોલી જુગાર રમવાની ઓપરેન્ડીનો એલસીબી દ્વારા પર્દાફાશ કરાયો

શહેરમાં વીડી હાઈસ્કૂલથી વાણીયાવાડ જતા માર્ગ પર રાજન ફર્નિચરની સામેની બાજુ લારીઓના પાછળના ભાગે બાવળની ઝાડીમાં લાંબા સમયથી જુગારની બદી ચાલતી હોવાની ફરિયાદ વચ્ચે મંગળવારે મોડી રાત્રે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતા છ ખેલી પકડાયા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગોળ કુંડાળું કરીને હાથબત્તીના અજવાળામાં જુગારીઓ બેઠા હતા હાથમાં રોકડા રૂપિયા અને નીચે બેનરમાં અલગ અલગ ચિત્ર દોરેલા હતા સાથે પીળા કલરના પુઠા પર અલગ અલગ ચિત્ર અને તેના નીચે અલગ અલગ કલરની ચિઠ્ઠીઓ ચોટાડવામાં આવેલી હતી.આરોપીઓ ઓરીજનલ પપ્પુ પ્લેઇંગ પિક્ચરના ચિત્ર પર ચિઠ્ઠીનો જુગાર રમતા હતા. બેનરમાં એક ચિત્ર પર પૈસા લગાવી પીળા કલરના પુઠામાં નીચે રહેલી ચિઠ્ઠી ખોલી ચિત્ર ફરકનો જુગાર રમતા હતા.સ્થળ પરથી જ્યેષ્ઠાનગરમાં રહેતા કૌશિક વિનોદભાઈ ભાવસાર, માધાપરના નિખિલ ઈશ્વરલાલ જોશી, કેમ્પ એરિયાના મામદ ફકીરમામદ ખલીફા, ખારસરા ગ્રાઉન્ડના જાફરહુસેન જુસબ લુહાર, જીઆઇડીસી હંગામી આવાસના પાર્થ ભરતભાઈ ઓઝા, દાદુપીર રોડના એજાજ રમજુ ત્રાયા મળી આવ્યા હતા. જ્યારે ભુજનો હિરેન ઠક્કર હાજર મળી આવ્યો ન હતો સ્થળ પરથી બે મોપેડ, 7 મોબાઈલ અને રોકડ મળી 94,720નો મુદ્દામાલ કબજે કરી ભુજ એ ડિવિઝનમાં જુગારધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:38 am

મોબાઈલ FSLમાં મોકલાયા:જમ્મુ-કાશ્મીરના નાગરિકો મામલે તપાસ તેજ

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ભુજ એસઓજી દ્વારા વિવિધ હોટલમાં તપાસ કરાઈ હતી જેમાં હોટલ જનતાઘરમાં તપાસ કરતા જમ્મુ કાશ્મીરના 2 યુવકો, એક મહિલા સહીત ત્રણ બાળકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે હોટેલના રજીસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલના સંચાલક પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ હોટેલમાં રોકાયેલા જમ્મુ કાશ્મીરના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં તેઓ કાશ્મીરના કૂપવાડાથી ભુજમાં ચંદો માંગવા આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.એસઓજીએ તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને એફએસએલમાં તપાસ માટે મોકલાવ્યા છે.કૂપવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.હાલ વિવિધ મુદાઓ પર તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:37 am

બનાવને પગલે અરેરાટી ફેલાઇ:ભુજના ન્યુ સ્ટેશન રોડ પર ચોથા માળેથી પટકાતા આધેડનું મોત

શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલ પારસનાથ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી છલાંગ મારતા આધેડનું મોત થયું હતું.આ બનાવને પગલે સ્થાનિકે અરેરાટી ફેલાઈ હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો મુજબ, શહેરનો ન્યુ સ્ટેશન રોડ બુધવારે બપોરે 12 વાગ્યાના અરસામાં લોકોની અવરજવરથી ધમધમતો હતો એ દરમિયાન અચાનક ઇમારત પરથી એક વ્યક્તિ પટકાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઉપરથી પડકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે લોહી વહી નીકળ્યા હતા.સ્થાનીકો દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી અને તબીબે આવીને આધેડ મૃત પામ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ અને નગરપાલિકાની શબવાહીનીને જાણ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી દેહને પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે તપાસ કરતા હતભાગી અંજારમાં રહેતા 45 વર્ષીય વિમલ વસંતરામ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અંજારથી 9 તારીખે ગુમ થયા હતા જે બાબતે તેમના પરિવાર દ્વારા અંજાર પોલીસમાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પરિવારજનો ભુજ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા. હતભાગી માનસિક અસ્થિર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.ઇમારત પરથી ઝંપલાવીને આપઘાત કરી લેતા સ્થાનિક વેપારીઓ સહિત પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ હતી.હાલ એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:36 am

પાણી વિતરણની આવક:પાલિકાની ટેન્કર શાખાએ 7 મહિનામાં 10 હજાર ફેરાથી ‌~ 14.16 લાખ રળ્યા

ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખાએ એપ્રિલથી અોકટોબર મહિના દરમિયાન 7083 ફેરાથી 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા હતા. જોકે, 3019 ફેરા દુષિત પાણીની ફરિયાદ, ધાર્મિક અને બિન સરકારી સંસ્થા વગેરે સ્થળે મફત પાણી વિતરણ કર્યા હતા. ભૂકંપ પછી શહેરનો વિસ્તાર 5 ચો.કિ.મી.માંથી સીધો 56 ચો.કિ.મી.માં થઈ ગયો છે, જેથી કેટલીક વસાહતોમાં હજુયે માત્ર નળ વાટે પાણી પહોંચાડી નથી શકાતું. અમુક વસાહતોમાં દૂષિત પાણી સમસ્યા છે જે હજુયે ઉકેલાઈ નથી, જેથી વોટર ટેન્કર શાખા દ્વારા ટેન્કર મારફતે મફત પાણી પહોંચતું કરાય છે. એ સિવાય ધાર્મિક અને બિનસરકારી સંસ્થાઅોને પણ નિ:શુલ્ક પાણી વિતરણ કરાય છે. એપ્રિલથી અોકટોબર સુધીના 7 મહિના દરમિયાન વોટર ટેન્કર શાખાએ 11 હજાર જેટલા ફેરા કર્યા હતા, જેમાં પ્રત્યેક ફેરાએ 200 રૂપિયા લેખે 7083 ફેરા દ્વારા 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા છે. જોકે, 3017 ફેરા નિ:શુલ્ક કરવા પડ્યા છે. વળી આખા શહેરમાં દૂર દૂર સુધી પાણી પહોંચાડવાનું હોવાથી નહીં નફો નહીં નુકશાનના ધોરણે વિતરણ કરવાથી એકંદરે ખોટ જ જતી હોય છે. માત્ર શહેરીજનોની સુવિધા જ જળવાય છે. 4 ટ્રેકટર, 1 ટેન્કર, 20 કર્મચારીઓવોટર ટેન્કર શાખાના વડા દક્ષેષ ભટ્ટે જણાવ્યું હતું કે, 5-5 હજાર લીટરની ક્ષમતાના ટેન્કર ટ્રેકટર મારફતે અને 10 હજાર લીટર ટેન્કર મારફતે પહોંચતું કરાય છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 365 દિવસ સેવા ઉપલબ્ધ છે. નળ વાટે વિતરણ થતા નર્મદાના નીર મળ્યા ન હોય ત્યારે 24 કલાક ફેરા ચાલુ રખાય છે. હાલ તારીખ 6થી 11 સુધી ફેરા વધી ગયા હતા. આમ, નર્મદાના નીર ન મળે ત્યારે વિશાળ અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્કમાં સંગ્રહાયેલું શહેરીજનોને પહોંચાડી સુવિધા જાળવી લેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:35 am

15 ને નોટિસ ફટકારાઇ:ભુજમાં સરકારી જમીન પર દબાણ ખસેડવા તખ્તો તૈયાર

ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણ કોઈ શેહ શરમ રાખ્યા વગર દૂર કર્યા. નવ નિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આવતા વેંત કડક હાથે કાર્યવાહી કરી. તેવી ધાક બેસાડતી કાર્યવાહી ભુજમાં પણ થાય તેવી માગ ઉઠી છે. શહેર મામલતદાર દ્વારા 15 દબાણકર્તાઓને નોટિસ પાઠવાઇ છે. આ મુદત દરમિયાન સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો સરકારી રહે નિયમોને આધીન દૂર કરાશે તેવું શહેર મામલતદાર તેજસ પટેલે જણાવ્યું હતું. ભુજનો વિકાસ થયો તેમ તેમ અનધિકૃત બાંધકામો પણ વધી ગયા. એરપોર્ટ રીંગરોડ હોય કે ભીડ વિસ્તાર ચારે બાજુ સરકારી જમીન પર બિન્દાસ બાંધકામ કરાયા છે. વર્ષોથી આ ગેર પ્રવૃત્તિ પર રોક લગાવે તેવું મહેસુલ વિભાગ દ્વારા કામ કરાયું નથી. મળતી માહિતી મુજબ પાણીના વહેણને અવરોધ કરતા દબાણો, રિલોકેશન વસાહત, સોસાયટી વિસ્તાર કે સાર્વજનિક પ્લોટ સહિતના અનેક દબાણોને ભાડા તેમજ સીટી સર્વે દ્વારા અંકિત કરીને કામગીરી કરવામાં આવે. ટૂંક સમયમાં આ દબાણ પર બુલડોઝર ફરી વળશે ? તેવું મામલતદારને પૂછતા તેમણે જણાવ્યું કે 15 જેટલા અનધિકૃત બાંધકામોને નોટિસો આપી છે. કાયદા મુજબ તેમને રજૂઆત કરવા માટે સમય આપવો પડે. આ અવધિ બાદ પણ જો કાયદેસરતા સાબિત ન કરી શકે તો તેને દબાણ ગણીને તોડી પાડવામાં આવશે. કેટલાક સામાજિક તત્વોનો પણ સમાવેશ થયો છે તેવું જાણવા મળે છે. વાણિજ્ય સંકુલના મંજૂરીથી વધારે બાંધકામ પર કાર્યવાહી થશે ?ભુજનો વિકાસ થયો તેમ દરેક રાજ્ય ધોરીમાર્ગને અડીને વાણિજ્ય સંકુલો બન્યા. ભાડામાં લેવામાં આવતી મંજૂરી કરતા વધારે બાંધકામ પણ થયા છે. જે અધિકારીઓને જાણ હોવા છતાં પણ વધારાનું બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી થઈ નથી. આ અંગે વખતો વખત રજૂઆતો થઈ છે. પરંતુ ધાક બેસાડતી એક પણ કામગીરી ન થતાં અનેક સવાલ ઊભા થાય છે. સરકારી જમીન પર થતું પાકું બાંધકામ અનધિકૃત કહેવાય તો મંજૂરી બાદ પણ વધારાનું બાંધકામ નિયમની વિરુદ્ધ જ છે. તો તેની સામે પગલાં શા માટે નહીં ?

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:33 am

પાણીનું વિતરણ અટક્યું:11 દિવસ મરંમત પછી 12 દિવસે ફરી સાપેડા પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી

અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, જેથી 11 દિવસની મરંમતની કામગીરી બાદ 12માં દિવસે પણ નળ વાટે પાણી વિતરણ અટકી ગયું છે. લોકોના ઘરના ભૂગર્ભ ટાંકાઓમાં તળિયા દેખાવા લાગ્યા છે અને નળ વાટે પાણી વિતરણ થતું નથી, જેથી હજુ શિયાળો જામ્યો નથી અને ઉનાળાની અસર હજુ વર્તાય છે ત્યારે પાણીના અભાવે લોકોની મુસીબતમાં વધારો થયો છે. ઓકટોબરમાં દિપોત્સવી પર્વ સમયે જ જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની લાઈનનું મરંમત થવાનું હતું. પરંતુ, દિવાળીના તહેવારો સમયે નગરપાલિકાના અનુરોધના પગલે 5મી નવેમ્બરથી સટડાઉન કરાયું હતું. જે દરમિયાન માધાપર પાસે નગરપાલિકાની લાઈન પણ તૂટી ગઈ હતી, જેથી કુકમા સમ્પેથી ભુજીયા ટાંકે પાણી પહોંચતું ન હતું. જે લાઈનનું મરંમત 6ઠ્ઠી નવેમ્બરથી શરૂ થયું હતું. જે 11મી નવેમ્બર સુધી ચાલ્યું હતું. જે કામ પૂરું થયું ત્યાં 12મી નવેમ્બરે સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર પડ્યું છે, જેથી કુકમા સમ્પે પાણી પહોંચ્યા નથી અને ભુજીયા ટાંકો તળિયાઝાટક છે. ગામડાની સરહદોને અડીને વિકસેલી વસાહતોમાં આમેય સપ્તાહમાં માંડ એક બે દિવસ પાણી વિતરણ થાય છે, જેમાંય 11 દિવસથી પાણી પહોંચ્યું નથી અને 12માં દિવસે લોકોના ભગર્ભ ટાંકાના તળિયામાં ટીપુંએ પાણી નથી. મુન્દ્રા રિલોકેશન સાઈટના છેવાડે અને મીરજાપર ગામને અડીને વિકસેલી વસાહતોના લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. આશાપુરા નગરના ગૃહિણી રાજુલાબેન કારાણીએ જણાવ્યું હતું કે, બુધવારે હજુ તો ટીપું ટીપું પાણી આવે ત્યાં જ બંધ થઈ ગયું. છેલ્લા દસેક દિવસથી પાણી મળ્યું નથી અને હવે તો ટાંકા બિલકુલ ખાલી છે. ટેન્કર મારફતે પાણી પહોંચતું કરાયું નથી, જેથી તમામ કામ અટકી ગયા છે. હાલાકી વધી ગઈ છે. જો આવા સમયે નગરસેવકો સામેથી ઘરોઘર ટેન્કર મારફતે પાણી પહોંચતું કરવાની સેવા આપે તો લોકોને રાહત થાય. કર્મચારીઓએ પણ સર્વે કરીને પાણી પહોંચાડવાની તકેદારી રાખવી જોઈએ. બપોરથી લાઈન તૂટી છે આવતી કાલે સંધાઈ જશેનગરપાલિકાની પાણી વિતરણ સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, જી.ડબ્લ્યુ.આઈ.એલ. એ 5મી નવેમ્બરથી સટ ડાઉન કર્યું અને માધાપર પાસે નગરપાલિકાની લાઈન તૂટી ગઈ હતી એટલે 11 દિવસથી નળ વાટે વિતરણ થઈ નથી શક્યું. એ દરમિયાન કુકમાથી ભુજીયા સુધીની ત્રીજી લાઈન સક્રિય કરવાની તક જડતીને મુસીબતે અવસરમાં બદલી છે, જેથી ભવિષ્યમાં કુકમા સમ્પેથી વધુને વધુ પાણી ભુજીયા સમ્પે પહોંચતું કરીને વિતરણ વ્યવસ્થા સુધારી શકાશે. બાકી સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર થતા કુકમા સમ્પે બપોરે 3 વાગે પાણી આવતું બંધ થઈ ગયું છે. ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ કુકમા સમ્પે પાણી આવે એવી માહિતી છે. જે પછી ભુજવાસીઓને નળ વાટે પાણી પહોંચતું કરી શકાશે. બન્ની વિસ્તારને પણ પાણી નહીં મળેકુકમા સમ્પે 75-75 લાખના બે સમ્પ છે. એક સમ્પમાંથી ભુજને અને બીજા સમ્પમાંથી બન્ની વિસ્તારના ગામડાઓને પાણી પહોંચતું કરાય છે. પરંતુ, બંને સમ્પમાં પાણીનું ટીપુંયે નથી, જેથી ત્યાં પણ પાણીની કટોકટી સર્જાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:32 am

ભાસ્કર રિયાલિટી:જી.કે.માં રિપોર્ટનો વેપાર : રૂપિયા આપશો તો જ હાર્ડ કોપી મળે, નહીં તો માત્ર ઓનલાઇન જ જોઇ શકો

ભુજની જનરલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ તેમજ બીપીએલ કાર્ડ ધારકો માટે નિયમિત સ્વાસ્થ્ય સંબંધિત નોર્મલ બોડી ચેકઅપ માટેના તેમજ આ લોકોને કોઈ બીમારી દરમિયાન પણ કરવામાં આવતા જરૂરી પેથોલોજી રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે પણ રિપોર્ટ આવ્યા બાદ જે તે દર્દીના રિપોર્ટ જ તે દર્દીને આપવામાં આવતા નથી. માત્ર ડોક્ટર દ્વારા તે રિપોર્ટ જોઈ અને વધુમાં દર્દીને જોવા હોય તો ડોક્ટર દ્વારા તેને બતાવીને તેની કોપી માટે સાફ ના પાડી દેવામાં આવે છે અને આ જ રિપોર્ટના અંદાજે 1000થી 1200 રૂપિયા સામાન્ય દર્દી દ્વારા ભરવામાં આવે તો ત્વરિત રિપોર્ટ આપી દેવામાં આવે છે. સરકારી કચેરીઓ હોય કે હોસ્પિટલ, તંત્ર સંબંધિત મોટા ભાગની પ્રક્રિયાઓમાં સામાન્ય નાગરિકને ધક્કા ખાવા સિવાય કઈ હાથમાં આવતું નથી. ભટકવા છતાં જો અંતે કાર્ય થતું હોય તો ભાગદોડ લેખે લાગતી હોય પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પણ અંતે નિષ્ફળતાનો સ્વાદ જ ચાખવા મળતો હોય છે. આવા નિયમિત કડવા સ્વાદનો અનુભવ ભુજની જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને થાય છે. આ બાબતે જ્યારે ભાસ્કરે દર્દી સાથે રૂબરૂ થઈને તપાસ કરી. સૌપ્રથમમાં ગેટ પાસેના લેબ રિપોર્ટ વિતરણ કાઉન્ટર પર જે તે દર્દીના તૈયાર થઈ ગયેલા રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીએ ના પાડી કે ‘અમારી પાસે નથી’, તમે ડોક્ટરને મળી શકો છો. ત્યાંથી 7નંબરની ઓપીડીમાં ડોક્ટરને મળીને રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે તેમણે પણ ના પાડી કે ‘રિપોર્ટ આપવામાં આવશે નહીં, જોવા હોય તો કોમ્પ્યુટરમાં બતાવી દઈશું’. તેઓને સોફ્ટ કોપી પણ મેઈલમાં, સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ દ્વારા કે પેન ડ્રાઈવમાં પણ નાખી આપવાનું કહેવા છતાં પણ સદંતર ના પાડવામાં આવી અને આગળ પૂછવા માટે કહ્યું હતું. ત્યારે પ્રથમ માળ પર બિલિંગ કાઉન્ટર પર પૂછતાછ કરવામાં આવતા ફરીથી ના પાડવામાં આવી કે હાર્ડ કોપી કે સોફ્ટ કોપી આપવામાં આવશે નહીં અને ફરીથી ત્યાંથી એમ.ઓ.ડી. (મેનેજર ઓન ડ્યુટી)ને મળવા માટે કહેવામાં આવ્યું. અંતે એમ.ઓ.ડી.ની કેબિન શોધીને ત્યાં ગયા તો તેઓ હાજર ન હતા. થોડી વાર રાહ જોયા બાદ કેબિન બહારના એમના નંબર સંપર્ક ડાયલ કરવામાં આવતા તેઓને શરૂથી અંત સુધીની સમગ્ર વાત જણાવી પણ તેમણે સ્પષ્ટ ના પાડીને કહ્યું કે પ્રિન્ટ આપવાની પોલિસી બંધ કરી આપવામાં આવી છે. કોઈ દર્દીને પોતાની મેડિકલ હિસ્ટ્રી રાખવા માટે, અન્ય કોઈ જગ્યાએ કે સારવાર માટે જરૂરી એવા તેના જ રિપોર્ટ મેળવવા માટે ખૂબ માથાકૂટ કર્યા બાદ માત્ર નિરાશા હાથે લાગે છે અને રૂપિયા ભરી આપો તો તુરંત કામ કરી દેવામાં આવે છે. સેકન્ડ ઓપિનિયન તો તબીબી સેવામાં ખાસ લેવાય પણ અહીં રિપોર્ટ વગર કેમ લેવાય? સારવાર મળી પણ રિપોર્ટ ન મળ્યાભુજના નિવૃત સરકારી કર્મચારી અને સિનિયર સિટીઝન એવા 66 વર્ષીય દિનેશભાઈ મણિલાલ ઠક્કરે પોતાના કોલેસ્ટ્રોલ બાબતે અને અન્ય ચેકઅપ માટે જનરલ હોસ્પિટલ ગયા હતા ત્યારે તેઓના ટેસ્ટ બાદ ડોક્ટર દ્વારા સારવાર તો કરી આપવામાં આવી પણ રિપોર્ટ માટે સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તેઓ બીજા દિવસે પણ તેમના દિકરા સાથે જઇને રિપોર્ટ મેળવવા બાબતે જરૂરી પુછતાછ કરી હતી. તેઓ પણ મોટી ઉંમરે આ સમગ્ર પ્રક્રિયાના બધા ધક્કા ખાધા બાદ પણ પોતાના જ રિપોર્ટ મેળવી શક્યા ન હતા. બે દિવસ દરમિયાન અન્ય દર્દીઓને પણ રૂબરૂ મળીને રિપોર્ટ માટે પૂછવામાં આવ્યું પરંતુ તમામે જણાવ્યું કે ‘અમારા પોતાના જ જરૂરી એવા રિપોર્ટ અમને જ આપવામાં આવતા નથી’. વિવિધ પ્રકારના બોડી ચેકઅપ ટેસ્ટના રિપોર્ટ અલગ અલગ સારવાર માટે જાળવી રાખવા જરૂરીભુજની જનરલ હોસ્પિટલમાં બ્લડ કાઉન્ટ, રેન્ડમ બ્લડ સુગર, લીવર ફંક્શન ટેસ્ટ, પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, રીનલ (કીડની) ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, હિમોગ્લોબિન, એચઆઈવી સહિતના વિવિધ બોડી ચેકઅપ માટેના ટેસ્ટ કરી આપવામાં આવે છે. જે વિવિધ સારવાર માટે ખૂબ અગત્યના હોય છે તેમજ તેના આધારે ભવિષ્યમાં દર્દી દ્વારા લેવામાં આવતી ટ્રીટમેન્ટ માટે પણ આવા રિપોર્ટની હિસ્ટ્રી જાળવી રાખવી જરૂરી હોય છે. રૂબરૂ આવીને મળી જાઓ : ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટઆ સમગ્ર બાબતે જ્યારે ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટ ડો. હિરાણીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે એમણે સામાન્ય પ્રતિભાવ આપવા સાથે કોઈ પણ યોગ્ય સ્પષ્ટતા ના કરતા રૂબરૂ આવીને મળી જાઓનું રટણ કર્યું હતું. રિયાલિટી ચેક

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:27 am

પુલના સમારકામની માંગ‎:આટકોટ-ભાદર નદીના નવા પુલ પર ખાડાઓથી હાલત ખરાબ, ભારે મુશ્કેલી

રાજકોટ–ભાવનગર હાઈવે પર આવેલ આટકોટ ભાદર નદીનો નવો પુલ હવે જોખમી બની ગયો છે. પુલ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને નાગણી જેવી કળા સાથે વાહન હંકારવું પડે છે. પુલની ઇગંલો ખુલ્લી દેખાય છે, અને સરપાકારે વાહન ચલાવતાં અકસ્માતનો ભય સતત ત્રાટકે છે. વરસાદ ખતમ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ રીપેરીંગનું કામ હાથ ધરાયું નથી. નવા પુલની સાથે બાજુમાં આવેલ જુનો પુલ પણ ખરાબ હાલતમાં છે, જેમાં મોટા ખાડા પડ્યા છે અને ડામર ઉખડી ગયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ બંને પુલનું તાત્કાલિક સમારકામ તથા નવા પુલ પર નવો ડામર પાથરવાની માંગ ઉઠાવી છે. આટકોટ પોલીસ સ્ટેશન પાસેનો રોડ પણ ખરાબ હાલતમાં હોવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:21 am

માર્ગનું રિસર્ફેસિંગ:મિતાણાથી વીરવાવ રોડનું રૂ.222.83 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કામ હાથ ધરાયું

મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:20 am

સ્પષ્ટ ચેતવણી આપતા બોર્ડ્સ લગાવવા માંગ‎:મોરબી કમિ. સ્વપ્નિલ ખરેની વિકાસ કામોની સ્થળ મુલાકાત, ત્રુટિઓ સુધારવા સૂચના આપી

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત ૧૧ નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.અને કામગીરી દરમિયાન જોવા મળેલી ત્રુટીઓ બાબતે અધિકારીને સુધારો કરવા સૂચના આપી હતી. મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે નાની કેનાલ રોડ(આઇકોનિક રોડ), અંદાજીત રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે કેસર બાગ થી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત રૂ. ૫૮ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ, અંદાજીત રૂ.૧.૨૭ કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ, અંદાજીત રૂ. ૪૨ લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત રૂ. ૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અંદાજીત રૂ.૧૪ લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત રૂ. ૩૩ લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૨માં રોડ, અંદાજીત રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ, અંદાજીત રૂ.૩૦ લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિરથી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ વિકાસકામો મોરબીના વિકાસને વેગ આપી જન સુવિધા સાથે શહેરીજનોની સુખાકારી વધારવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:19 am

ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી‎:મોરબી જિલ્લામાં બે દિવસમાં 34 ખેડૂતની 788.200 ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી

માવઠાએ ખેડૂતો માટે દિવાળી પછી હૈયાહોળી સર્જી દીધી છે. કમોસમી વરસાદથી કપાસની સાથે મગફળીનો સોથ બોલી ગયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને બેઠા કરવા માટે તેમની મગફળીને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર ખેડૂતોની વ્હારે આવીને ખેડૂતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને સરદારે ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મોરબી અને માળીયાના 3581 ખેડૂતો, વાંકાનેરમાં 1800 ખેડૂતો, હળવદમાં 9423 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ટંકારામાં બે, મોરબી અને હળવદમાં એક એક એમ જિલ્લામાં હાલ ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઈ રહી છે. છેલ્લા બે દિવસની મગફળીની ખરીદીના આંકડા જોઈએ તો પહેલા દિવસે 892 બોરીમાં 312.200 મેટ્રિક ટન, બીજા દિવસે 1360 બોરીમાં 476 મેટ્રિક ટન મળીને બે દિવસમાં કુલ 2252 બોરીમાં 788.200 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ બે દિવસમાં 150 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવ્યા હતા. તેમાંથી 34 ખેડૂતો જ મગફળી લઈને વેચવા આવ્યા હતા અને 116 જેટલા ખેડૂતો આવ્યા ન હતા. એના પરથી માલુમ પડે છે કે, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછો રસ છે. જો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કે મગફળીના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોમાં અંસતોષ તેમજ મગફળી કોઈ કારણોસર રિજેક્ટ થઈ હોય એવી હાલ તો ખેડૂતો પાસેથી કોઈ ફરિયાદ સામે આવી નથી. વાંકાનેરમાં કેન્દ્ર શરૂ ન થયું‎મોરબી જિલ્લામાં ચારેય તાલુકામાં ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્ર ચાલુ છે. જ્યારે ટંકારામાં ખેડૂતો વધુ હોવાથી ત્યાં બે ખરીદ કેન્દ્રો ચાલુ છે. પણ વાંકાનેરમાં એક પણ ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર શરૂ થયું નથી. એટલે વાંકાનેરના ખેડૂતોને બીજા કેન્દ્ર સુધી ધક્કા ખાવા પડે છે. જો કે વાંકાનેરમાં ખેડૂતોની સંખ્યા ઓછી હોવાથી કેન્દ્ર શરૂ ન કરાયું હોવાનું મનાય છે. પણ આ ચારેય તાલુકામાં મગફળીની ખરીદી સંપૂર્ણપણે પૂરી થાય એટલે વાંકાનેરમાં પણ કેન્દ્ર ચાલુ કરાઈ એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:13 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોરબીનો વાવડી રોડ ન તો રાજકોટના કાલાવડ જેવો બન્યો કે ન આઇકોનિક!

મોરબીનો વાવડી રોડ એક સમયે નગરપાલિકા સમયે શાસકો દ્વારા રાજકોટના કાલાવાડ જેવો રોડ બનાવવાના સપના દેખાડ્યા, રોડ નિર્માણમાં કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે જે તે વખતના શાસક ન તો રોડ ગુણવત્તાયુક્ત બનાવી શક્યા કે ન સુવિધા વધારી શક્યા. નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ વિવિધ વિસ્તારોમાં રસ્તા અને શહેરના બ્યુટીફિકેશનના કામ શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે વાવડી રોડને આઇકોનિક રોડના પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો, વધારાના એક કરોડ રૂપિયા નાખ્યા જેમાં રોડના ડીવાઈડર રંગ રોગાન અને પોકેટ ગાર્ડન, બાંકડા મૂકવા સ્ટ્રીટ લાઈટ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ ખર્ચ ખરેખર ચોપડે જ થયો હોય તેમ હલકી ગુણવતાની ચીજવસ્તુઓ ઠોકી બેસાડી હોય તેવી સ્થિતિ બની છે. કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા આ આઇકોનિક રોડના પોકેટ ગાર્ડનની હાલત ખસતા હાલ થઈ ગઈ છે. મોરબીનો ‘આઈ લવ મોરબી’ સેલ્ફી પોઇન્ટ પણ તૂટ્યો‎ મોરબીમાં તંત્રની નીતિના કારણે અગાઉ પણ સેલ્ફી પોઇન્ટ ગણતરીના દિવસમાં તહસ નહસ થઈ ગયો હતો, વાવડી રોડ પર લાગેલ આઈ લવ મોરબી વાળો સેલ્ફી પોઈન્ટ આવી હાલતમાં પહોંચી ગયો છે. પોકેટ ગાર્ડનમાં મૂકેલા હરણના સ્ટેચ્યુ તૂટી ગયા છે. લોકોની સુવિધા માટે મૂકેલી વસ્તુ અસમાજિક તત્વો ગણતરીના દિવસમાં તોડી મરોડી નાખતા હોય છે. તેમ છતાં આવા તત્વો ફરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં સુવિધા માટે કોઈ વસ્તુ મુકાય ત્યારે તેની સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. મોર ડિઝાઇનની નબળી‎ગુણવત્તાની 60 લાઇટ ધરબી દીધી‎મોરબીના વાવડી રોડ પર નવરાત્રી પર્વ દરમિયાન મનપા દ્વારા સ્ટ્રીટ લાઈટ પોલ વચ્ચે મોરબી શહેરની ઓળખ સમાન મોરની પ્રતિકૃતિ વાળી લાઇટ ફિટ કરાઇ હતી. જોકે આ વખતે પણ એજન્સી એ જાણે મનપાએ ચુનો લગાવ્યો હોય તેમ હલકી ગુણવતાની 60 લાઇટ ધાબડી દીધી હતી, આ લાઇટ ફિટ કર્યાના ગણતરીના દિવસમાં બંધ થઈ ગઈ હતી, બાદમાં પાલિકાની આંખ ઉઘડી હતી, એજન્સીને નોટિસ ફટકારી હતી. જોકે આ એજન્સીને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાશે કે પછી ખરેખર સપ્લાયર એજન્સી સામે કડક એકશન લઈ નુકશાન એજન્સી પાસથી વસુલ કરશે તે પણ સવાલ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:11 am

સાયબર ઠગોને ખાતાં ઉપલબ્ધ કરાવતો એક્સિસ બેન્કનો મેનેજર ઝડપાયો

સાયબર ક્રાઈમમાં પડાવાયેલાં પૈસા સગેવગે કરવામાં મદદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ મેળવાયાઃ સાયબર ગુનેગારોને ખાતાં મેળવી આપવાના બદલામાં મોટી રકમ મેળવતો હતો મુંબઇ : દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે ત્યારે સાયબર ગુનાઓમાંથી ચોરાયેલા નાણાં સગે-વગે કરવા બોગસ ખાતાઓ ઉપલબ્ધ કરી આપી ગુનેગારોને મદદરૂપ બનનાર મુંબઇની એક્સિસ બેંકના એક મેનેજરની સીબીઆઇએ ધરપકડ કરી હતી.આરોપી મેનેજર નિતેશ રાયે કથિત રીતે સાયબર ગુનેગારો સાથે મળીને ખાતા ખોલાવવાના ફોર્મ્સ પર પ્રોસેસ કરવા અને સાયબર ગુનાઓથી મળેલા પૈસાને સગે-વગે કરવા છૂપાવવા અને ચેનલ બનાવી આપવા મદદ કરી હતી. બદલામાં નિતેશ રાયને જંગી રકમ ચૂકવાઈ હોવાની શંકા છે.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:10 am

ખાસ ચોરી કરવા આસામથી મુંબઈ ફલાઈટમાં આવતો ચોર પકડાયો

સોનુ વેચી રોકડા લઈ ફરી ફલાઈટ પકડી લેતો હતો રાતે રેકી કરી સુરક્ષા વિનાના ગ્રાઉન્ડ પરના ફલેટ શોધી કાઢતો હતો અને રાતે નિશાન નનાવતો હતોઃ નવી મુંબઈ-થાણેમાં ૩૩ સ્થળે ચોરી મુંબઇ: આસામથી વિમાનમાં બેસી ફક્ત ચોરી અને ઘરફોડી માટે મુંબઇ આવતા એક રીઢા ચોરની નવી મુંબઇના નેરુળ પોલીસે મુંબઇના મસ્જિદ બંદરમાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોઇનુલ અબ્દુલ મલિક ઇસ્લામ (૩૩) તરીકે કરવામાં આવી છે. ઇસ્લામ પાસેથી પોલીસે ૧૨.૪૭ લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરી નવી મુંબઇમાં બનેલી પાંચ ચોરી-ઘરફોડીના કેસ ઉકેલી નાંખ્યા હતા.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:05 am

અમરાવતીમાં ચાલુ લગ્ને સ્ટેજ પર જઇ વરરાજા પર છરાથી ઘાતક હુમલો

સમગ્ર ફિલ્મી ઘટના ડ્રોન કેમેરામાં શૂટ થઇ આરોપીઓ બાઇક પર બેસી ફરાર થઇ ગયા, નવવધુ સ્ટેજ પર જ બેહોશ થઇ ગઇ મુંબઇ: લગ્ન એટલે દરેક વ્યક્તિના જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ કહેવાય છે. જો કે અમરાવતીના બડનેરામાં બનેલી એક ઘટના નવદંપતિ સાથે જ લગ્ન સમારંભમાં જોડાયેલા તમામ લોકો માટે દુઃસ્વપ્ન સમાન બની ગઇ હતી કારણ કે ચાલુ લગ્ને બે અજાણ્યા યુવકો સ્ટેજ પર ધસી આવ્યા હતા અને વરરાજા પર છરાથી ઉપરા- છાપરી ઘા કર્યા હતા. આ હુમલામાં વરરાજા સુજલરામ સમુદ્રે ગંભીર ઇજા પામતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:00 am

રજૂઆત:અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખની આગેવાનીમાં માછીમારોના પ્રશ્નો અંગે રજૂઆત

અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખ કિશોરભાઈ કુહાડાની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરોના માછીમાર આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાધાણી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણનાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમભાઈ સોલંકીને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી માચ્છીમારોનાં પ્રશ્નોની રજુઆત કરેલ હતી. ખેડૂતોની જેમ માછીમારોને પણ સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં વારંવાર આવતા વાવાઝોડા અને ભારે વરસાદ, ભારે પવન નાં કારણે મત્સ્યોદ્યોગ વિભાગ દ્રારા માછીમારી કરવા ગયેલ બોટોને બંદર ઉપર પરત બોલાવવા આદેશ અપાયો હતો. જેના પરિણામે માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. માછીમારોએ સરકાર પાસે માંગણી કરી કે જેમ ખેડૂતોને કુદરતી આફતોમાં થતા નુકસાન માટે વળતર આપવામાં આવે છે, તેમ માછીમારોને પણ આ નુકસાન માટે વળતર આપવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ તકે મંત્રીઓએ માછીમારોની માંગણીને સહાનુભૂતિપૂર્વક સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ મુલાકતમાં કિશોરભાઈ કુહાડા, પૃથ્વીભાઈ ફોફંડી, મુકેશાભાઈ પાંજરી, રાજુભાઈ બાદરશાહી, અજયભાઈ લોઢારી, હર્ષભાઈ ગોહેલ, રમેશભાઈ ડાલકી, વાસુભાઈ ટંડેલ, કારોબારી મેમ્બર્સ, વલસાડનાં માછીમાર પ્રતિનિધિઓ, નવગામ સમસ્ત કોળી માછીમાર સમાજનાં પ્રમુખ તથા કારોબારી મેમ્બર્સ, છ ગામ સમસ્ત ખારવા સમાજનાં માછીમાર પ્રમુખો, ખંભાતથી માછી સમાજનાં સુનીલભાઈ માછી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:44 am

ધમકી આપી:અવાણીયા ગામે યુવતી સાથે વાત કરતા યુવકનું અપહરણ, ધમકી

યુવતી સાથે વાત કરતા યુવકનું અપહરણ કરી લાકડી વરસાવી ધમકી દીધી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામના 21 વર્ષીય રામ દેવજીભાઈ સોંદરવા ગામની એક યુવતી સાથે વાત કરતો હોય જેથી યુવતીના પિતા સાથે મનદુઃખ થયું હતું. મંગળવારે સાંજે યુવક માળીયાહાટીના થી અવાણીયા બાઇક લઈને જતો હતો. ત્યારે યુવતીના પિતાના કહેવાથી કેશોદ તાલુકાના સોંદરડા ગામના લાલાભાઇ કટારીયા, ધવલ મકવાણા, મિત અને અવાણીયાના અનિલ ભીખાભાઈ દાફડાએ જીજે 01 કેઆર 5659 નંબરની કારમાં આવી યુવાનનું અપહરણ કરી સોંદરડા ગામના ફાટક પાસે કારમાંથી ઉતારી લાકડી વડે માર માર્યો હતો. તે દરમિયાન લાલા કટારીયાએ યુવતીના પિતાને ફોન કરી બાદમાં વીડિયો કોલથી વાતો કરી હતી. જેમ યુવતીના પિતાએ યુવકને બતાવી દેવાની ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:43 am

આત્મહત્યાનો પ્રયાસ:એસએસજીમાં પહેલા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર આર્મી જવાનનું મોત નિપજ્યું

ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા નિવૃત આર્મી જવાને શનિવારે સયાજી હોસ્પિટલના ન્યુ સર્જીકલ વોર્ડના પહેલા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ફરી સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યા તેઓનું બુધવારે મળસ્કે મોત થયું હતું. જેને પગલે રાવપુરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારની બાઈકનો કાર સાથે અકસ્માત થતાં સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર માટે હોસ્પિટલના ન્યુ સર્જીકલ બ્લોકના પહેલા માળે ખસેડવામાં આવ્યા હતા. પરિવારે તેમના માટે સ્પેશિયલ રૂમ લીધો હતો. ત્યારે શનિવારે 6 વાગે તેઓએ તેમની રૂમની બારીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા આસપાસમાં હાજર દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ આવી પહોંચ્યા હતા અને તેઓને પરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સત્તાધીશોને આ વાતની જાણ થતાં તેઓ પણ વોર્ડમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન બુધવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં તેઓનું મોત થયું હતું. ઘટનાની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓને નશો કરવાની આદત વધી ગઈ હતી અને તેના પુત્રએ તે બંધ કરાવતા તેઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રૂમની બારીના સળિયા તૂટેલી હાલતમાં હતા, વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોદયાનંદભાઈ ઓર્થો બી 1 યુનિટમાં સારવાર હેઠળ હતા. પરિવારે તેમના માટે સ્પેશિય રૂમ લીધો હતો. રૂમની બારીના સળિયા તૂટેલી હાલતમાં હતા. રૂમમાં એસી યુનિટ નાંખવા માટે બારીના સળિયા કઢાયા હતા. બાદ નવા સળિયા નખાયા ન હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:36 am

તપાસનો ધમધમાટ:ગુનો આચરી ફરાર આરોપીઓ પૈકી વધુ 6 ઝડપાયા, ટીમોએ 4 રાજ્યોમાંથી દબોચ્યા

શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જુદા જુદા ત્રણ રાજ્યોમાંથી વધુ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જુદા જુદા પોલીસ મથકોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.અને આવા 650 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી હતી. જેમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું. નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખાસ બેઠક કરી યોજના બનાવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ તમામ પોલીસ સ્ટેશનમાંથી યુંનીદા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવી હતી. અને શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યના વધુ આરોપી હોવાનું બહાર આવ્યું હતું. આ ટીમોને નાસતા ફરતા આરોપીઓની શોધમાં આ ચારેય રાજ્યોમાં સરકારી વાહનો સાથે અલગ અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી. કુલ 6 ટીમો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ રાજ્યમાં તપાસ માટે પહોંચી ટીમોએ વોચ રાખી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી હતી. અને 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓનાં નામ-સરનામાં અને ગુનાઓની વિગત

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:34 am

કેશોદમાં પોલીસનું સઘન ચેકીંગ:દિલ્હીમાં બોમ્બ ધડાકાના પગલે કેશોદ પોલીસ એલર્ટ,જાહેર સ્થળો પર તપાસ

દિલ્હીમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયાં છે. આ ઘટનાના પગલે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના આદેશના પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે. અને હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ધાર્મિક સ્થળો જેવા જાહેર સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવા સંજોગો વચ્ચે જુનાગઢ જીલ્લામાં પોલીસે જાહેર સ્થળો પર તપાસ હાથ ધરી છે. એવી જ રીતે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એ. જાદવ સહિત પોલીસ સ્ટાફ ડ્યુટી પર ખડે પગે રહી ટ્રાફિકથી ધમધમતાં મુખ્ય રસ્તાઓના એન્દ્રી પોઈન્ટ અને જાહેર સ્થળો પર વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જયાં સુધી સ્થિરતાં ન આવે ત્યાં સુધી દેશના સમગ્ર રાજ્યમાં આવેલ જાહેર સ્થળો અને રસ્તાઓ પર વાહનો તપાસ ચાલું રહેશે. ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ નાગરીકને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:32 am

100 જેટલા સાક્ષીઓનાં નિવેદન ચાર્જશીટમાં રજૂ કરાયાં:ચકચારી ભાયલી ગેંગ રેપમાં વધુ 2 સાક્ષીની જુબાની લેવાઈ

ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસમાં અદાલતમાં સુનાવણી યોજાઈ હતી અને વધુ બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આગામી સુનાવણી હવે 19મી તારીખે રાખવામાં આવી છે. ગત વર્ષે 4 ઓક્ટોબરે નવરાત્રી દરમિયાન ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં 5 આરોપીઓે ઝડપાયા હતા. મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ સુબેદાર બંજારા, શાહરૂખ કિસ્મતઅલી બંજારા, સૈફ મહંમદઅલી બંજારા, અજમલ સત્તારઅલી બંજારા આરોપી હતા. કડક સજા થાય એવા પુરાવા પણ એકત્ર કરાયા હતા. ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડિટેઇલ જેવા મજબૂત પુરાવા, 100 જેટલા સાક્ષીઓનાં નિવેદન પણ ચાર્જશીટમાં રજૂ કરાયા હતા. 6 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવા ખાસ સરકારી વકીલ સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને વડોદરાનાં સિનિયર વકીલ શૈલેષ પટેલ અત્રેના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની મદદ લીધી હતી. 12 નવેમ્બરે સુનાવણી થઈ હતી, જેમાં પીએસઆઇ, લેબના અધિકારી એવા બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:31 am

ફરિયાદ:બરાનપુરામાં ભીક્ષાવૃત્તિ બાબતે 4 કિન્નરનો રોશનીકુંવર ઉપર હુમલો

બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને રિક્ષામાં આવેલા અન્ય ચાર કિન્નરો એ ભિક્ષાવૃતિ બાબતે ઝઘડો કર્યાં બાદ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી. આ મામલે વાડી પોલીસે ફરિયાદ નોંધાઈ છે. અખાડામાં રહેતા રોશનીકુંવર માહીકુંવરએ ફરીયાદમાં લખયું કે હુ મારા ગુરૂ માહી કુંવર સાથે છેલ્લા બે વર્ષથી રહું છું, 11 નવેમ્બરે હું તથા મારા ગુરૂ માહી કંુવર સાથે સવારે ગોરવા વિસ્તારમાં જઈ ભીક્ષાવૃતી કરી બપોરે બરાનપુરામાં અખાડે આવી ગયા હતા. અખીલ ભારતીય કિન્નર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છ, જેમાં અમારા સમાજ બેસી નિયમો નક્કી કરવાનું કામ ચાલુ છે. આશરે પોણા એક વાગે હું જમવા માટે અમારા અખાડાની સામે અમારા મકાન ખાતે જતી હતી અને મારી પાછળથી એક રિક્ષા આવી હતી. જેમાં અર્ચના કુવંર રહે,કમલા નગર, આજવા રોડ, રેશ્મા કુવંર રહે. મહાનગર વુડાના મકાન, સોમ્યા કુવર રહે, પાણીગેટ તથા રોશની કુવંર બેઠા હતા. તેઓએ મારી આગળ રિક્ષા રાખી રેશ્મા કુવેર ઉતરી મને અપશબ્દો બોલી મારા વાળ પકડી લીધા અને તેમની સાથે આવેલા અર્ચના કુવર, સોમ્યા કુવંર તથા રોશની કુવંરે પણ ઝપાઝપી કરી. ચારેય જણાએ માર માર્યો હતો અને ધમકી કહ્યું કે જો હવે પછી ગોરવા તથા નીઝામપુરા વિસ્તારમાં જોવા મળશો તો તારા તથા ગુરુને જાનથી મારી નાંખીશ. ઝડપાઝપી દરમિયાન પહેરેલી સોનાની આશરે ત્રણ ગ્રામની ચેન પડી ગઈ. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:30 am

ગંભીર અકસ્માત:વરણામા-ધનિયાવી રોડ પર ભૂંડ આડું આવતાં મોપેડ સવાર બે શ્રમિકો પટકાયા, એકનું મોત

વરણામા-ધનિયાવી રોડ પર મોપેડની આગળ ભૂંડ આવી જતાં ચાલક અને તેમની પાછળ બેઠેલા આધેડ રોડ પર પટકાયા હતા. બંને ઈજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોપેડની પાછળ બેઠેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંને વ્યક્તિ રંગ કામ કરીને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે મોપેડની આગળ ભૂંડ આવી જતાં અકસ્માત થયો હતો. વરણામા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. શહેરમાં 2 દિવસ અગાઉ જ મહેસાણા નગર સર્કલ નજીક ગાય આડી આવી જતાં બાઈક ચાલકનું સ્થળે મોત થયું હતું. દરમિયાન શહેર નજીક આવેલા વરણામા ગામમાં ભૂંડને કારણે આધેડે જીવ ગુમાવ્યો હતો. જાંબુવા ખાતે આવેલા વુડાના મકાનમાં રહેતા 60 વર્ષીય દાયજીભાઈ પરમાર સોમવારે દિનેશ માછી સાથે વરણામામાં રંગ કામ કરવા ગયા હતા. જ્યાંથી સાંજે 6 વાગ્યાના અરસામાં દિનેશભાઈ અને દાયજીભાઈ મોપેડ લઈ પરત આવતા હતા ત્યારે દિનેશભાઈ મોપેડ ચલાવી રહ્યા હતા. તે સમયે કાયાવરોહણથી ધનિયાવી તરફ આવતા હતા અને ત્યારે મોપેડની આગળ અચાનક ભૂંડ આવી ગયું હતું. જેને કારણે દિનેશભાઈએ મોપેડનું સંતુલન ગુમાવતાં બંને લોકો રોડ પર પટકાયા હતા. જેમાં બંનેને ઇજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દિનેશભાઈને ટૂંકી સારવાર બાદ રજા અપાઈ હતી. જ્યારે દાયજીભાઈ માછીનું 60 વર્ષીય બુધવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના વિશે વરણામા પોલીસે દિનેશભાઈના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. ભૂંડનો ભારે ત્રાસ છે, ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છેદિનેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણા દિવસોથી તે રોડ પરથી આવન-જાવન કરીએ છીએ. સોમવારે અમારો અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હાલમાં વિસ્તારમાં ભૂંડનો ત્રાસ છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગત શનિવારે પણ એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:29 am

મહિલાઓને 30% અનામત:વકીલ મંડળની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

વડોદરા બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. જે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સુપ્રીમ કોર્ટની ગાઇડ-લાઇન પ્રમાણે મહિલાઓને 30 ટકા અનામત અપાશે, જે માટે 1 બેઠક વધારાઈ છે. જ્યારે ખજાનચીની પોસ્ટ મહિલા માટે અનામત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અલકા જાદવે જણાવ્યા પ્રમાણે મેમ્બરશિપ ફી ભરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર રહેશે અને 24 નવેમ્બરે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવાની તારીખ 1 થી 5 ડિસેમ્બર રહેશે, જેની ચકાસણી 8મીએ થશે. ફોર્મ પાછાં ખેંચવાની તારીખ 9 અને ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ 10મીએ બહાર પડાશે. જ્યારે 19મીએ ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણીમાં પ્રમુખની 1 પોસ્ટ, ઉપપ્રમુખની 1 પોસ્ટ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી મહિલા અનામત, લાઇબ્રેરી સેક્રેટરીના 1-1 પદ રહેશે. જ્યારે મેનેજિંગ કમિટી માટે 10 પોસ્ટ અને મહિલા વકીલ માટે મેનેજિંગ કમિટીમાં 3 પોસ્ટ રહેશે. આ ચૂંટણીમાં ઉમેદવારોને પોસ્ટર કે બેનર લગાવવા પર પ્રતિબંધ લગાવાયો છે. ઉમેદવારો રૂબરૂ, પત્ર કે એસએમએસથી કે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:21 am

સિટી એન્કર:ધો.8માં પહેલો નંબર આવ્યા બાદ ધો. 9માં ઓછા માર્ક આવતાં સગીરા ટ્યૂશનમાંથી બારોબાર નીકળી ગઈ,ઘરે ન પહોંચતાં પરિવાર શોધખોળ

ધો.8માં પહેલો નંબર આવ્યા બાદ ધો.9ની પ્રથમ કસોટીમાં ઓછા માર્ક આવતાં 14 વર્ષની સગીરા પરિવારના ઠપકાના ડરથી ટ્યૂશનથી નીકળી ગઈ હતી. બપોરે દોઢ વાગે નીકળેલી દીકરી ઘરે ન આવતાં પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. કારેલીબાગ પોલીસે અઢી કલાકમાં સગીરાને ભરૂચ માસીના ઘરેથી શોધી હતી. કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ એન.એમ. ચૌધરીએ કહ્યું કે, 10 નવેમ્બરે સાંજે 5 વાગે પરિવારે જણાવ્યું કે, દીકરી બપોરે 12:30 વાગે ટ્યૂશન ગયા બાદ પરત ફરી નથી. પોલીસે ટ્યૂશનના શિક્ષકને પૂછતાં તે પથરીના દુખાવાનું કારણ જણાવી 1:30 વાગે નીકળી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી ચકાસ્યા હતા. આખરે સાંજે 7:30 વાગે સગીરા ભરૂચ માસીના ઘરે હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, સગીરા બસમાં બેસી ભરૂચ માસીના ઘરે ગઈ હતી. માસીએ કોલ કરીને બહેનને જાણ કરી હતી. 4 મહિનામાં 4 બાળકો ઘરેથી નીકળી ગયાં, પોલીસે શોધ્યાં18 ઓગસ્ટ : દાદા-ફોઈના ત્રાસથી ભાઈ-બહેન ઘર છોડી ચંબલ રહેતી માતા પાસે પહોંચી જતાં સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.24 ઓક્ટોબર - સમાનો 14 વર્ષીય વિદ્યાર્થી વાલીના ઠપકા બાદ ઘરેથી જતો રહ્યો હતો. આખરે તે દ્વારકાથી મળ્યો હતો.27 ઓક્ટોબર- દિલ્હી એનસીઆરનો 13 વર્ષિય સગીરને બાળ કલ્યાણ સમિતિ, ફતેગંજ પોલીસ અને દીપક ફાઉન્ડેશને પરિવારને સોંપ્યો હતો. સગીર દીપક ફાઉન્ડેશનમાંથી 2 વખત નીકળી જતાં પોલીસને સાથે રાખી કોટાથી શોધ્યો હતો. કામની વાત1 પરિવારનું બોન્ડિંગ બાળકો સાથે ઓછું હોય તો આવા બનાવ બને છે. બાળકોને ક્વોલિટી ટાઈમ આપવો.2 માતા-પિતા નોકરી કરતાં હોય, ત્યારે ઘરે આવીને બાળકો સાથે વિવિધ રમતો રમવી, વાત કરવી. જેથી બાળકો પોતાની મૂંઝવણો જણાવી શકે.3 આજની જનરેશન ખૂબ જ સંવેદનશીલ છે, જેથી નાની-નાની બાબતોમાં ખોટું લાગવું તેમજ નિરાશ થઈ જાય છે. જેથી પરિવારે બાળકને સમજી તે રીતે તેની સાથે વર્તવું જોઈએ.4 અભ્યાસ બાબતે બાળકો પર વધુ પડતું દબાણ ન કરવું જોઈએ. શિક્ષણ બાળક માટે ભારયુક્ત ન થાય તે પરિવારે સમજવું જરૂરી છે. ઉપરાંત બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:20 am

અકસ્માત:સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી દોડતી ગાય ન દેખાઈ, બાઇક અથડાતાં વિદ્યાર્થી ઘાયલ

શહેરમાં 13 દિવસમાં ગાયની અડફેટે આવતાં 4 વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 1 યુવકનું મહેસાણા નગર પાસે ગાય આડે આવી જતાં સ્થળ પર જ મોત થયું હતું. દરમિયાન મંગળવારે પ્રિયા ટોકીઝ પાસે વધુ એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. યુવક મિત્રના ઘરેથી વાંચીને પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રિયા ટોકીઝ પાસે ગાય દોડતી આવતાં તે રોડ પર પટકાયો હતો. સદનસીબે તેને વધુ ઈજા ન પહોંચતાં ટૂંકી સારવાર બાદ રજા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીને ગાય દેખાઈ નહોતી. ગોત્રી ખાતે પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષીય કાવ્ય મકવાણા ઈજનેરીનો અભ્યાસ કરે છે. પરીક્ષા હોવાથી તે ભાયલી વિસ્તારમાં તેના મિત્રના રૂમ પર વાંચવા માટે ગયો હતો. અભ્યાસ બાદ તે મોડી રાત્રે બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન પ્રિયા ટોકિઝ પાસે તેની બાઈકની આગળ ગાય દોડતી આવતાં તેનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. અકસ્માત થતાં તેને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે તેને વધુ ઈજા ન પહોંચી ન હોવાથી રજા આપી દેવામાં આવી હતી. પાલિકા અને પોલીસ વચ્ચે ફરિયાદ મુદ્દે ચલકચલાણુંમહેસાણા નગર સર્કલ પાસે ગત રવિવારે ગાય આડી આવતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે ફરિયાદમાં ડિવાઈડર સાથે અથડાતાં યુવકનું મોત થયું છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હો. પાલિકા તરફથી હજુ સુધી ઢોર માલિકની સામે ફરિયાદ નોંધવવામાં આવી નથી. બીજી બાજુ પોલીસ પરિવારના નિવેદન અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:18 am

જાહેરનામું:જેતલપુર ઓવરબ્રિજ-અંડરપાસ 16 દિવસ પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ સુધી બંધ રહેશે

બુલેટ ટ્રેનની કામગીરીનો ધમધમાટ હવે વડોદરાના ટ્રાફિકને 1 વર્ષ સુધી વધુ અસર કરશે. બુધવારે જાહેર કરેલા પોલીસ કમિશનરના 2 જાહેરનામા મુજબ જેતલપુર ઓવરબ્રિજ અને અંડરપાસ 16 દિવસ સુધી બંધ રહેશે. જ્યારે પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનાં સૂત્રો મુજબ ગર્ડર ફિટ કરવાની અને અન્ય સંલગ્ન કામગીરી દિવસો સુધી ચાલવાની છે. પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહી શકે છે. આ ગરનાળું 15 નવેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અથવા કામ પૂરું ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ જાહેરનામાને પગલે વાહન વ્યવહારમાં જે ફેરફારો થશે તેનાથી રોજના 40 હજારથી વધુ લોકોને અસર થશે. બીજી તરફ અટલ બ્રિજ, અલકાપુરી ગરનાળુ અને દાંડિયાબજાર-અકોટા બ્રિજ પર ભારણ વધશે. પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક રસ્તાપ્રતિબંધિત | સ્ટેશન-છાણી તરફથી આવતાં વાહન પ્રિયલક્ષ્મી ગરનાળાથી અટલ બ્રિજ નહીં જઇ શકેે.વૈકલ્પિક | છાણીનાં વાહનોએ ફતેગંજથી જમણે વળી અટલ બ્રિજ જવું પડશે 2. સ્ટેશન તરફનાં વાહને જેતલપુર ગરનાળાનો ઉપયોગ કરવો પડશેપ્રતિબંધિત | અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઇ પ્રિયલક્ષ્મી મિલ થઇ સ્ટેશન તરફ નહીં જઇ શકાયવૈકલ્પિક | અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઇ કે અટલ બ્રિજથી અલકાપુરી ગરનાળા થઇને જવું પડશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:16 am

ભાસ્કર ઈનસાઈડ:વુડાનાં 81 ગામના 33,190 મે.ટન કચરાનો નિકાલ બાકી, વધુ એક વર્ષની મુદત મગાઈ

રાજ્ય સરકારની સૂચના બાદ વુડા અને જિલ્લાનાં 81 ગામોમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ કરાયું હતું. બે વર્ષમાં 68,589 મેટ્રિક ટન કચરા પૈકીના 33,190 મેટ્રિક ટન કચરાનો નિકાલ બાકી છે. જેનું પ્રોસેસિંગ કરવા સોલિડ વેસ્ટ વિભાગે એક વર્ષનું એક્સટેન્શન માગ્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ 2023માં પાલિકાના હદની 5 કિમીની ત્રિજ્યામાં આવતાં 81 ગામોના કચરાનો નિકાલ કરવા કહેવાયું છે. જેથી ડિસેમ્બર-2025 સુધી વુડા-જિલ્લાનાં ગામોમાંથી 68,579 મે.ટન કચરો પાલિકાની જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર ઠલવાયો હતો. જે પૈકી 35,284 ઘન કચરાનો નિકાલ કરાયો છે. હવે બાકીના 33,190 મે. ટન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ વિભાગે 2026 સુધી 1 વર્ષ એક્સટેન્શન માગ્યું છે. આ કામ માટે હાલ પ્રોસેસિંગનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર જિગ્મા એન્વાયરો પાસેથી મેટ્રિક ટીન દીઠ ₹851 પ્રમાણે પ્રોસેસ કરાવાશે. 1 વર્ષમાં શહેરમાંથી નીકળતા કચરાના પ્રોસેસિંગ સાથે વુડાનાં ગામોમાંથી આવતા કચરાનું પણ પ્રોસેસિંગ કરશે. પાલિકાના માથા પર વધારાનું રૂા.80 કરોડનું ભારણ આવ્યુંકોરોના પહેલાંથી શહેરમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જાંબુઆ લેન્ડફીલ સાઈટ પર કચરાનો ડુંગર બન્યો હતો. 5 વર્ષ સુધી એકત્ર થયેલા કચરાનું પ્રોસેસિંગ શરૂ કરાતાં અઢી વર્ષમાં 10 લાખ મેટ્રિક ટનથી વધુના કચરાનું પ્રોસેસિંગ કરાયું છે અને ડુંગર દૂર કરાયો છે. બીજી તરફ શહેરમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ કરી વીજળી બનાવવાનો પ્રોજેક્ટ નખાયો હતો. જાંબુઆ લેન્ડફીલ સાઈટની બાજુની જગ્યામાં 6 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ માટે જગ્યા અપાઈ હતી. જોકે આજ દિન સુધી આ પ્રોજેક્ટ કાર્યરત કરાયો નથી. જેના કારણે પાલિકાએ કચરાનું પ્રોસેસિંગ કરાવવા બીજી એજન્સીને ₹80 કરોડનું ચુકવણું કરવું પડ્યું છે, જેને કારણે પાલિકાના માથે વધારાનું ભારણ આવ્યું હતું. ₹35 હજાર મેટ્રિક ટન કચરાના પ્રોસેસ પાછળ 3 કરોડનો ખર્ચ થયોવુડા અને જિલ્લાનાં 81 ગામોમાંથી 68 હજાર મે. ટન પૈકી પાલિકાએ 35,284 મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો છે, જેનો રૂા.3 કરોડનો ખર્ચ થયો છે. વુડા દ્વારા અત્યાર સુધી 1.94 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે, બાકી રહેલા અંદાજિત 1.05 કરોડનું ચુકવણું વુડા સરકાર તરફથી આવતી ગ્રાન્ટ મળ્યા બાદ કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:14 am

ભાસ્કર એક્સક્લૂસિવ:પ્રદૂષણ ઘટાડવા 4 વર્ષમાં 129 કરોડ ખર્ચ્યા છતાં છાણી-કલાલીનો AQI 300ને પાર,શ્વાસની બીમારી 20% વધી

પાલિકાના અધિકારીઓ અને નેતાઓ કેટલાક સમયથી કચરાના વ્યવસ્થાપન, રસ્તા અને બ્રિજની કામગીરી માટેના બણગાં ફૂકે છે. જોકે વાસ્તવિકતા એ છે કે, રોજ સાંજે છાણી અને કલાલી જેવા વિસ્તારોમાં એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) જોખમી (હેઝાર્ડસ)ના લેવલ 300ને પાર પહોંચે છે. જ્યાં 1 લાખ જેટલા લોકો આ ઝેરીલી-જોખમી હવા શ્વાસમાં લઇ રહ્યા છે. દિલ્હીમાં મહત્તમ એક્યુઆઇ 700 છે, જ્યારે વડોદરામાં 350ની નજીક પહોંચ્યો છે, જેથી સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારના હવા પ્રદૂષણને ઓછું કરવાના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત ફાળવેલી રકમમાંથી 129 કરોડ ખર્ચવા છતાં આ હાલત છે. પાલિકાના મશીનોના ડેટા મુજબ બુધવારે રાત્રે સૌથી મોટા પ્રદૂષકો પૈકીના એક પીએમ-10 કણોનું આદર્શ માપ 60 માઇક્રોન પ્રતિ ઘનમીટરે હોવું જોઇએ, તેને બદલે સુભાનપુરામાં 156, જાંબુઆમાં 145, મંગળબજારમાં 387 અને બાપોદમાં 216 હતું. પાલિકાએ 2014માં માપેલા પ્રદૂષણની સરખામણીએ 2025માં શહેરનું પ્રદૂષણ વધ્યું છે. આ માટેનું મુખ્ય કારણ બાંધકામ પ્રવૃત્તિઓ અને વાહનોની વધતી સંખ્યા છે. બુધવારે રાત્રે 8 વાગે મંગળબજારમાં સૌથી વધુ 387 PM-10 કણ નોંધાયા વિસ્તાર AQI PM-10 જાંબુઆ 313 145 છાણી 342 223.52 ટ્રાન્સપેક 328 342 મકરપુરા 302 108 મંગળબજાર 176 387 સુભાનપુરા 178 156.11 બાપોદ 126 216.62 અટલાદરા 145 261.63 છેલ્લાં 11 વર્ષ દરમિયાન શહેરમાં PM-10ના પ્રદૂષણમાં વધારો મશીન મૂકાયાનું સ્થળ 2014 2025 ગાયત્રી વિદ્યાલય, ગોત્રી 85 88 દાંડિયા બજાર 90 93 જીપીસીબી ગેરી 78 84 બાપોદ 82 83 છાણી 92 85 શહેરમાં વર્ષ 2021થી પ્રદૂષણ નાબૂદીની NCAPની ફાળવણી 2021 ~51 કરોડ 2022 ~25 કરોડ 2023 ~20 કરોડ 2024 ~32 કરોડ 2025 ~25 કરોડ ( 2014ના ડેટા પાલિકાએ તૈયાર કરેલા એર પોલ્યૂશન એક્શન પ્લાનના છે, 2025ના ડેટા જીપીસીબીના છે ) પ્રદૂષણના રિપોર્ટ માટે 80 લાખ ખર્ચ્યા,હજુ જાહેર કરાયો નથીવડોદરાની હવાની ગુણવત્તા માપવા કયા કયા પ્રકારના બળતણનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે, વિસ્તાર મુજબ વાહનોની સંખ્યા સહિતના ડેટાના સંકલન માટે એપોર્શનમેન્ટ સ્ટડી માટે 80 લાખ ખર્ચી એક એજન્સીને કામ આપ્યું છે. જોકે 5 વર્ષે પણ રિપોર્ટ તૈયાર થયો નથી કે પછી સરકાર જાહેર કરતાં અચકાય છે. PM-10 કણ ફેફસાના ઉપરના ભાગે જમા થાય છે, નાના કણ વધુ નુકસાનકારકપલ્મોનોલોજિસ્ટ ડો. તેજસ કક્કડ કહે છે કે, જેટલા કણોનું કદ મોટું એટલા તે ફેફસાંના ઉપરના ભાગે જમા થાય, કારણ કે ત્યાં નલિકાઓ પહોળી હોય છે. જોકે નાના કણો વધુ નુકસાન પહોંચાડે છે. હાલમાં પ્રદૂષણની સાથે એલર્જી તત્ત્વો અને મેટાનિમો, એસ્પીએરન્ટ જેવા વાઇરસે પણ માથું ઊંચક્યું છે, તેથી શ્વાસના રોગો વધુ વકરે છે. જ્યારે અન્ય પલ્મોનોલોજિસ્ટ અર્પણ શાહના મતે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધતાં પ્રદૂષણ કરતા કણો વધ્યા છે, જેને લીધે પણ 10 વર્ષમાં શ્વસન તંત્ર સંબંધિત કેસો 20 ટકા વધ્યા છે. જોકે એક કારણ તેમાં વહેલા નિદાનનું પણ છે. આ ડેટા સાચા, બાંધકામ પ્રવૃત્તિઓને લીધે પ્રદૂષણ વધેસેન્સર બેઝ સ્ટેશનો પર નોંધાયેલા ડેટા સાચા છે. આટલું પોલ્યુશન હોઇ શકે. પણ તેનાં કારણો એ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી (બાંધકામ પ્રવૃત્તિઓ) વધુ હોવાથી આ પ્રદૂષણ વધુ બતાવે છે. આ પ્રદૂષણ કેટલાક સમય માટેનું છે, તે જાણવા એક્યુરેટ ડેટા જીપીસીબીના સ્ટેશનના મળી શકશે. > મનીષ ભટ્ટ , ડાયરેક્ટર, આઇટી વિભાગ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:11 am

ફરિયાદ:ઉનાવાના બે અને મહેસાણાના એક ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો

ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર ઉનાવાના બે અને મહેસાણાના એક મળી કુલ 3 ગેસ્ટ હાઉસના સંચાલકો સામે મહેસાણા એસઓજીએ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે એસઓજીની ટીમે શહેર સહિત જિલ્લામાં આવેલી હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે મંગળવારે મહેસાણાના પીલાજીગંજ વિસ્તારમાં આવેલા નટરાજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરતાં કેટલાક મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હોવાની ખબર પડતાં પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક વિષ્ણુભા છગુજી (રહે.રૂપપુરા, તા.બહુચરાજી) સામે તેમજ બુધવારે ઉનાવા ખાતે ચેકિંગ હાથ ધરતાં ન્યુ આલ્ફા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ તેમજ મીરા પેલેસ ગેસ્ટ હાઉસમાં પણ કેટલાક મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરેલી ન હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:04 am

ટ્રાફિકજામ:ગોપીનાળામાં આઇસર ખોટકાતાં પોણો કલાક જામ, એમ્બ્યુલન્સને રોંગ સાઇડથી પસાર કરાવી

શહેરમાંથી બુધવાર સવારે 11 કલાકે રાધનપુર સર્કલ તરફથી આવી રહેલું આઇસર ગોપીનાળામાંથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે જ ખોટકાયું હતું. જેને લઇ શહેરમાંથી હાઇવે તરફ જતાં સેંકડો વાહનો થંભી ગયા હતા. પોણો કલાક સુધી અહીં ટ્રાફિકજામની સ્થિતિ બની હતી. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી નીકળેલી એમ્બ્યુલન્સને હાજર પોલીસે રસ્તો કરાવી આપી રોંગ સાઇડ જવા કહ્યું હતું. જેને લઇ એમ્બ્યુલન્સ સમયસર ગોપી નાળામાંથી પસાર થઇ શકી હતી. બાદમાં ટોઇંગ કરી આઇસરને લઇ જવાયું હતું. ગત 27 ઓગસ્ટના રોજ પણ ગોપીનાળાથી બહાર નીકળતાં એસટી બસ ખોટકાઇ હતી. જેને લઇ એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

રીસરફેસિંગ કામગીરી:પાટણમાં પદ્મનાભ ચોકડીથી યશ રેસીડેન્સી સુધી બિસમાર રોડનું રીસરફેસિંગ કામ શરૂ

પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડીથી યશ રેસીડેન્સી સુધીનો લાંબા સમયથી બિસમાર બનેલો રોડ આખરે પાલિકા દ્વારા બુધવારથી ડામરથી રીસરફેસિંગ કામગીરી શરૂ કરાવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી પદ્મનાભ ચોકડીથી યશ ઓમ કોમ્પ્લેક્ષ, શિવ બંગલોઝ અને યશ હોમ કોમ્પ્લેક્ષ થઈ શ્રી રેસીડેન્સી સુધીના રોડ પર મોટા ખાડા પડતાં સ્થાનિકો અનેકવાર પાલિકામાં રજૂઆત કરી હતી. હવે કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ હાલ તબક્કાવાર રીતે માત્ર યશ રેસીડેન્સી સુધી જ ડામર રોડ બનાવવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિક ચેતનભાઈ પ્રજાપતીએ જણાવ્યું કે દિવાળી પછી આખો રોડ પૂરો બનશે તેવું પાલિકાએ આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ ફક્ત અડધો ભાગ જ સુધારાયો છે. જેથી યશ હોમ કોમ્પ્લેક્ષથી સોમનાથ ડુપ્લેક્સ થઈ શ્રી રેસીડેન્સી સુધીનો આર.સી.સી. રોડ તૂટીને ખાડાખુંબ બની ગયો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

રોગચાળો ફેલાવવાની ભિતી:પાટણના સ્વસ્તિક સિલિકોન રેસીડેન્સી વિસ્તારની ખુલ્લી કેનાલમાં દૂષિત પાણીથી મચ્છરનો ઉપદ્રવ

પાટણ શહેરના આનંદ સરોવરથી સ્વસ્તિક રેસીડેન્સી અને સિલિકોન રેસીડેન્સી સુધી ફેલાયેલી ખુલ્લી કેનાલમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશો મચ્છરના ઉપદ્રવથી પરેશાન થઈ ગયા છે. આ દૂષિત પાણીથી માત્ર દુર્ગંધ જ નહીં, પણ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો ફેલાવાનો ખતરો પણ વધ્યો છે. સ્થાનિક રહેવાસી હરેશભાઈ સ્વામીએ જણાવ્યું કે, આ સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી યથાવત છે. પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાયમી નિરાકરણ મળતું નથી. જો કેનાલની સમયસર સફાઈ કરવામાં આવે અને મચ્છરનાશક પાવડર અથવા દવાનો છંટકાવ કરવામાં આવે, તો સમસ્યામાં રાહત મળી શકે. જ્યારે રાત્રી દરમિયાન બે વાગે ભૂગર્ભ ગટરના પાણી કેનાલ ની અંદર છોડવામાં આવે છે જે અમે પદ્મનાભના મેળામાંથી ઘરે આવતા હતા ત્યારે જોયું હતું. કચરોમાં મીણિયા મોટો જથ્થો કેનાલમાં હોય છે.આ વિસ્તારના રહેવાસીઓએ પાલિકાને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાવવાની માંગ કરી છે. નાગરિકોનો આ પણ આક્ષેપ છે કે મચ્છરના ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધોમાં આરોગ્યની તકલીફો વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

ભૂમાફિયાઓ બેફામ:માતરના બરોડાની વાત્રક નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન

માતર તાલુકાના બરોડા ગામે વાત્રક નદીમાં છેલ્લા બે વર્ષથી મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ભૂમાફિયાઓ સામે કરવામાં આવતી નથી. ચોમાસુ વિદાય લેતા જ ફરી એકવાર નદીમાં જેસીબી ઉતારીને રેતી ખનન ચાલુ કરવામાં આવ્યું છે. ભૂમાફિયાઓ રેતીના ભારે ડમ્પરો ગામ વચ્ચેથી લઈ જતા ભૂમાફિયાઓ અને ગ્રામજનો વચ્ચે સોમવારે મોડી રાત્રે બોલાચાલી થઈ હતી. ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે રેતી ભરેલા ભારે ડમ્પરો જાહેર રોડ ઉપરથી કાઢવામાં આવતા રોડને નુકસાન પહોંચે છે અને રેતી ઉડી રહી છે. નદીમાંથી ભારે ડમ્પર કાઢવામાં આવતા વેરાઈ માતાજીના મંદિર થી નદી સુધી બનાવવામાં આવેલ આર .સી .સી. રોડ તુટી જવાની સંભાવના છે. જેથી ગ્રામજનોએ માટીના ડમ્પરો જાહેર રોડ ઉપરથી નહિ લઈ જવાનું કહેતા ભૂમાફિયાઓ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી. ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે ચોમાસુ પૂરું થતાં બે દિવસથી નદીમાં રેતી ખનન ફરી શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં નદીમાં મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા માતર મામલતદાર પણ સ્થળ ઉપર આવ્યા હતા અને પંચકયાસ કર્યો હતો. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાનગી કંપનીમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે નદીમાં બે દિવસથી નદીમાં રેતી ખનન શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે ગ્રામમાં નવી પંચાયત બનાવવાની છે એટલે થોડી રેતી પંચાયતના પુરાણમાં નાખે છે. બીજી રેતી ગામની બાર ખાનગી કંપનીઓમાં નાખવામાં આવી રહી છે. સોમવારે મોડી રાત્રે જાહેર રોડ ઉપરથી માટીના ડમ્પરો બંધ કરવા માટે ગ્રામજનોએ ડમ્પર ચાલકોને રોકતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને કીધું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ પણ માટીના ડમ્પરતો ચાલુ રહેશે. પ્રવિણભાઇ મકવાણા સ્થાનિક નાગરિક, બરોડા રેતી કાઢી ગ્રામ પંચાયતમાં નાખવામાં આવી છેનદીમાંથી જે રેતી કાઢવામાં આવી રહી છે. તે ગામમાં નવી ગ્રામ પંચાયત બનાવવાની હોવાથી તેમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. કોઈ ખાનગી કંપનીમાં પુરાણ થતું નથી.> અજીતભાઈ ચૌહાણ, ડે.સરપંચના પતિ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

કમિશનરે પુલનું નિરીક્ષણ કરી સૂચન કર્યા:ફ્લાય ઓવરબ્રિજ ગમે તે ઘડીએ ખૂલ્લો મુકાશે

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફલાય ઓવરબ્રિજ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હવે નજીકના દિવસોમાં ગમે ત્યારે ખૂલો મુકાય તેમ છે. ત્યારે કમિશનર સહિતના મહાપાલિકાના અધિકારીઓએ પુલનું આખરી નિરીક્ષણ કરીને નાની મોટી સૂચનાઓ આપી હતી. જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલા વીકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો સવા બે કિલોમીટરનો ઓવરબ્રિજ બનીને લગભગ તૈયાર થઈ ગયો છે. તેનું ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યું છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર સાથે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સીટી એન્જિનિયર ભાવેશ જાણી, પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજેન્દ્ર જાની તથા એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી. અધિકારીઓએ પુલના અંતિમ છોડાના ભાગે ચાલી રહેલા કામની સમીક્ષા કરી અને તકનિકી મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમિશનરે કામની ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા ખાસ સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

આતંકીના ઘરેથી મળેલું 6 લીટર કેમિકલ રાઇઝીન હોવાની શક્યતા:સાઇનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર બનાવવામાં કેમિકલ એક્સપર્ટની મદદ લીધી, ISKPના અગ્રણીના આદેશથી મોટો નરસંહાર કરવાના હતા

ગુજરાત ATSએ હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી લીધા હતા. જે બાદ ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું હતું. જ્યાંથી છ લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું, જેની FSL તપાસ કરી રહી છે. હવે સાઇનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર રાઇઝીન બનાવવામાં ડો.સૈયદ સાથે કેમિકલના અક્સપર્ટની ટીમ પણ કાર્યરત હોવાની વિગતો સામે આવતાં હવે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ISKPના અગ્રણી એવા અફઘાનિસ્તાનના અબુ ખાદેજાના આદેશને પગલે ઝેરી કેમિકલ તૈયાર કરી રહ્યા હતા. રાઇઝીન નામનું કેમિકલ તૈયાર કરવાની પ્રક્રિયા આદરી હતીગુજરાત ATSની ટીમે ટોલનાકા પાસેથી હૈદરાબાદના ડો.સૈયદ અહમદને 3 ઇમ્પોર્ટેડ ગન અને 27 કારતુસ સાથે ઝડપી લીધો હતો. જ્યારે તેને રાજસ્થાનથી હથિયાર લઇને આપવા આવેલા ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન અને સુહેલ સલીમને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ATSના અધિકારીઓને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અહેમદ સૈયદે સાયનાઇડ કરતાં પણ અત્યંત ઝેરી રાઇઝીન નામનું કેમિકલ તૈયાર કરવાની પ્રક્રિયા આદરી છે. જેનાથી તેઓ મોટો નરસંહાર કરવાના હતા. ડો. મોહુયુદ્દીનને કેમિકલ એક્સપર્ટસની ટીમે મદદ કરી હતીગુજરાત ATSની ટીમે ત્રણે આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ છ ટીમો તેમના ઘરે અને તેઓ જ્યાં ફર્યા હતા તે જગ્યાએ તપાસ કરવા પહોંચી છે. હૈદરાબાદના રાજેન્દ્ર નગર ખાતેના અહેમદના ઘરે સર્ચ કરતાં પોલીસને 6 લીટર સંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું. હવે આ કેમિકલ જ ઝેરી રાઇઝીન છે કે કેમ તેના માટે FSLની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત તપાસ કરી રહેલા અધિકારીઓને એવી પણ વિગતો મળી છે કે રાઇઝીન બનાવવા માટે ડો. મોહુયુદ્દીનને કેમિકલ એક્સપર્ટસની ટીમે પણ મદદ કરી હતી. જેને પગલે હવે આ ટીમની તલાશ શરૂ કરવામાં આવી છે. રાઇઝીન બનાવવાની પ્રક્રિયા માત્ર હૈદરાબાદમાં જ ચાલી રહી હતી કે અન્ય કોઇ જાણકારો આ કેમિકલ બનાવી રહ્યા હતા. તેની પણ તપાસ ચાલી રહી છે. ATSની ટીમે હૈદરાબાદ-ઉત્તરપ્રદેશમાં લોકોના નિવેદન લીધા હતાATSએ પકડેલા આતંકીઓનું વીડિયોગ્રાફી સાથે પંચનામું કર્યું છે. કલોલ, અડાલજ, લાલદરવાજા હોટલ અને પાલનપુરમાં પંચનામુ કર્યું હતું. ATSની ટીમે હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશમાં લોકોના નિવેદન લીધા હતા. આતંકવાદીઓના પરિવાર, મિત્રો અને પડોશીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ તપાસ દિલ્હીના બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ અને જુદી જુદી એજન્સીઓ આતંકી મામલે તપાસ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ પણ આ અંગે કામે લાગ્યું છે. કોઈપણ અફવા કે લાગણી જેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થાય નહીં તેની ખાસ તકેદારી રાખી રહી છે. આ ઉપરાંત ઝડપાયેલા ત્રણેય આતંકીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવામાં આવી રહ્યા છે. તેઓ કોને ફોલો કરતા હતા અને તેમને કોણ ફોલો કરતું હતું, તેઓ કોના કોના સંપર્કમાં હતા તે તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ડો. અહેમદ સૈયદના ઘરે તપાસ હાથ ધરતા 250 મિલિ ઝેરી લીકવીડ મળ્યુંગુજરાત સહિત દેશમાં પોતાની આતંકી માનસિકતાથી અનેક લોકોને રડાવવાની તૈયારી કરનારા ત્રણેય આતંકીઓ હાલ ગુજરાત ATSના કબજામાં છે. જેઓ પૂછપરછ દરમિયાન રડી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસની એક ટીમે હૈદ્રાબાદમાં ડો. અહેમદ સૈયદના ઘરે તપાસ હાથ ધરતા 250 મિલિ ઝેરી લીકવીડ મળી આવ્યું છે. અહેમદ સૈયદ સિવાય અન્ય બે આતંકીઓના ઘરે પણ એટીએસની ટીમે તપાસ હાથ ધરી છે અને તેઓના પરિવારજનોની પૂછપરછ પણ કરાશે. આતંકીઓએ 4 નવેમ્બરે જ ઝેરી લીકવીડ બનાવ્યુંATSની પૂછપરછમાં આતંકીઓ રડી પડ્યા હતા.આતંકીઓની તપાસમાં સામે આવ્યું કે, 4 નવેમ્બરે જ ઝેરી લીકવીડ બનાવ્યું હતું.અહેમદ સૈયદના હૈદરાબાદ ખાતેના ઘરેથી પણ 250 મિલિથી વધુ લીકવીડ મળી આવ્યું છે.અહેમદ સૈયદના હૈદરાબાદના અને અન્ય બે આરોપીના ઘરે યુપીમાં સર્ચ ચાલુ છે. સર્ચ બાદ આરોપી પરિવારના નિવેદન લેવામાં આવશે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. હોટલમાંથી લેપટોપ પણ મળી આવ્યુંપકડાયેલા ત્રણે આતંકીઓ કયા રોકવાના હતા અને કોને મળવાના હતા તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.અહેમદ સૈયદના પાસેથી જે હથિયાર મળી આવ્યું હતું તે પોલીસ આવે તો પ્રતિકાર માટે રાખ્યું હતું.સૈયદ અહેમદને ટોલનાકા પાસે પકડ્યો ત્યારે પોલીસની સામાન્ય ચેકીંગ લાગ્યુબેટલે ફાયરિંગ ન કર્યું.સૈયદ અહેમદ હૈદરાબાદથી બાય રોડ આવ્યો હતો.જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાંથી લેપટોપ પણ મળી આવ્યું છે.આરોપીની તપાસ માટે અલગ અલગ એજન્સીઓ પણ અમદાવાદ આવી રહી છે. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશેATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને વધુ તપાસ કરશેATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે. હૈદરાબાદથી આવેલા આતંકવાદીની ગાડીમાંથી ગન-કારતૂસ મળી હતીATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ: 9નાં મોત આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતોઆતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં. આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરતા હતાડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા. 7મી તારીખે બાતમી મળી હતી7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પણ વાંચો: એરંડાના બીજમાંથી સાયનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતાગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદી અંગે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે એની માહિતી એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે એવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. આ પણ વાંચો: આતંકવાદીને પકડવા PIએ ટોલ ગેટ બંધ કરી ટ્રાફિકજામ કરાવ્યો, ATSએ 2 દિવસમાં પાર પાડ્યું ઓપરેશન થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર-પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:05 am

ગુજરાતમાં 247 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલે પાટણથી બે આરોપીને દબોચ્યા, ભારતભરમાં 542 સાયબર ફ્રોડની ફરિયાદ

રાજ્યમાં વધતી સાયબર છેતરપિંડીની ઘટનાઓ સામે ગાંધીનગર CID ક્રાઇમ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા બે આરોપીઓને મોબાઈલ ફોન નંગ 3 તેમજ રૂપિયા 5 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જ્યારે દુબઇમાં રહેતા મુખ્ય આરોપીને પણ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ટેલિગ્રામના ગ્રુપનો ઉપયોગ કરતાસાયબર સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બંને આરોપીઓ દ્વારા 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ પોતાના તથા અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલી અથવા ખોલાવડાવી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ આરોપીઓ ટેલિગ્રામના ગ્રુપનો ઉપયોગ કરતા હતા. મારિયો પે અને સૂપર પે નામના ગ્રુપનો ઉપયોગ કરતો હતો. જેમાં તેઓએ 25 જેટલા બેંક એકાઉન્ટ વેચ્યા હતા. જેમાં સાયબર ક્રાઈમની મોડ્સ ઓપરેન્ડી જેવી કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા ટેલિગ્રામ ટાસ્ક બેઝ ફ્રોડ તથા જોબ ફ્રોડ છે. થર્ડ પાર્ટી OTP ફોર્ડવડ એપ્લિકેશનનો ઉપોયગ કરતાઆરોપીઓ ફિઝિકલ સિમકાર્ડ આપવાની જગ્યાએ સિમકાર્ડની ડિટેલ આપતા હતા. આ ઉપરાંત સિમકાર્ડમાં આવતા OTPને મેળવવા માટે થર્ડ પાર્ટી OTP ફોર્ડવડ એપ્લિકેશનનો ઉપોયગ કરતા હતા. જેથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થાય તો OTP આ લોકોને સીધો મળી જતો હતો. ભારતભરમાંથી 542 સાયબર ફ્રોડની અરજીઓ મળીટેકનિકલ એનાલિસીસ કરી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ પર ચેક કરતા આ બેંક એકાઉન્ટો વિરૂદ્ધ અલગ-અલગ રાજ્યની 542 સાયબર ફ્રોડની અરજીઓ મળી હતી. ગુજરાતમાં પણ કુલ સાયબર ફ્રોડની 70 અરજીઓ મળી આવી છે. આરોપીઓ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેને સગેવગે કરવામાં આવતા હતા. સાયબર ક્રાઈમના જમા થયેલા રૂપિયાના બદલામાં મોટા પાયે કમિશન મેળવતા હતા. આ આરોપીઓ દુબઇમાં રહેતા સાયબર ફ્રોડના મુખ્ય આરોપી સાગર નામના વ્યક્તિ સાથે સીધા કનેક્ટેડ હતા. મુખ્ય આરોપી સાગરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના નામ પોલીસે જણાવ્યા મુજબ આ બંને આરોપીઓએ ખોટા બેંક એકાઉન્ટ બનાવી અન્ય લોકો પાસેથી સાયબર ફ્રોડ દ્વારા પૈસા મેળવી પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. સાયબર ક્રાઇમ સેલના એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, એસપી સંજય કેશવાલા અને એસપી વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પીઆઇ બી.એમ. ચૌધરી, પીઆઇ કે.કે. મોદી તથા પીઆઇ એ.એચ. સલીયા દ્વારા ટીમ બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ એનાલિસીસની મદદથી પાટણથી 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમથી બચવા શું સાવચેતી રાખવી

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:50 pm

મનપા દ્વારા 25 યુનિયનોને એકસાથે નોટિસ:કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેના ઓવારાનું નવીનીકરણ થશે, પાસોદરામાં 6 કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન વાંચનાલય

સુરત મહાનગરપાલિકા તાજેતરમાં કેટલાક મહત્ત્વના વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયોના કારણે ચર્ચામાં છે. એક તરફ જ્યાં કોર્પોરેશને કર્મચારી યુનિયનોની માન્યતા અને ગેરકાયદેસર ઓફિસના ઉપયોગ પર સખત કાર્યવાહી શરૂ કરી છે, ત્યાં બીજી તરફ શહેરના માળખાકીય વિકાસના ભાગરૂપે મોટાવરાછામાં મહાદેવ ઓવારાનું નવીનીકરણ અને પાસોદરામાં અદ્યતન વાંચનાલયના નિર્માણની યોજના પણ જાહેર કરવામાં આવી છે. SMC દ્વારા 25 યુનિયનોને એકસાથે નોટિસસુરત મહાનગરપાલિકાના મહેકમ વિભાગ અને કર્મચારી યુનિયનો વચ્ચેની તંગદિલી હવે ખુલ્લી પડી છે. તાજેતરમાં જ પ્રાઇમરી હેલ્થ વર્કરના પ્રમોશન રદ્દ કરવાના કોર્ટના આદેશ બાદ યુનિયન દ્વારા કરાયેલી ઉજવણીના ગણતરીના કલાકોમાં જ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે SMCના 25 જેટલા કર્મચારી યુનિયનોને તેમની માન્યતાના પુરાવા રજૂ કરવા માટે એકસાથે નોટિસ ફટકારી છે. આ નોટિસ દ્વારા યુનિયનોને સ્પષ્ટપણે જણાવાયું છે કે, તેઓ 10 દિવસની અંદર તેમની કાયદેસરની માન્યતાના દસ્તાવેજો રજૂ કરે. પહેલીવાર મહેકમ વિભાગ દ્વારા એકસાથે આટલી મોટી સંખ્યામાં યુનિયનોને નોટિસ અપાઈઆ ઉપરાંત, જે યુનિયનો પાલિકાની કચેરીમાં ગેરકાયદેસર રીતે ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છે અને પાલિકાના સરનામાનો ઉપયોગ લેટર પેડ પર કરી રહ્યા છે, તેમને ઓફિસ ફાળવણીના પુરાવા રજૂ કરવા અથવા 7 દિવસમાં ઓફિસનો કબજો પરત સોંપવા માટે સૂચના આપવામાં આવી છે. જો આ પુરાવા સમયસર રજૂ નહીં થાય, તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. SMCના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે મહેકમ વિભાગ દ્વારા એકસાથે આટલી મોટી સંખ્યામાં યુનિયનોને નોટિસ આપવામાં આવી હોય, જેનાથી કર્મચારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પગલું કર્મચારી નેતાઓ પર લગામ કસવા અને પાલિકાની મિલકતનો દુરુપયોગ અટકાવવાના વહીવટી હેતુ તરફ ઈશારો કરે છે.મોટાવરાછામાં તાપી કિનારે મહાદેવ ધાર્મિક પ્રવૃત્તિઓને મળશે વેગસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ધાર્મિક અને માળખાગત વિકાસની દિશામાં વધુ એક પગલું લેવામાં આવ્યું છે. મોટાવરાછામાં તાપી નદીના કિનારે આવેલા અતિપ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેના ઓવારાને વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. હાલમાં, આ જગ્યાએ ઓવારો ન હોવાથી શ્રદ્ધાળુઓએ ધાર્મિક ક્રિયાકાંડ અને વિધિઓ માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, અને ઓવારા સુધીના રોડની હાલત પણ ખરાબ છે. આ સમસ્યાને દૂર કરવા માટે SMCએ આ જગ્યાનું સર્વેક્ષણ કરાવ્યું છે અને અંદાજે 1.35 કરોડના ખર્ચે આ ઓવારાને ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. આ યોજનામાં 70 મીટર લાંબો અને 6 મીટર પહોળો ઓવારો બનાવવામાં આવશે, જેમાં બંને તરફ રીટેઇનિંગ વોલ હશે અને નદી કિનારા સુધી સ્ટેપ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ માટે સિટિંગ એરિયા અને ફ્લાવર બેડ સાથે બ્યુટીફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે, જેથી આ સ્થળ ધાર્મિક વિધિઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષક બની શકે. પાસોદરામાં 6 કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન વાંચનાલયશહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસ પર ભાર મૂકતા, SMCએ પાસોદરા ગામ ખાતે એક મોટું અને આધુનિક વાંચનાલય બનાવવાની યોજના પણ જાહેર કરી છે. પાસોદરા ગામના બ્લોક નંબર 174, રેવન્યુ સર્વે નંબર 002ની જમીનનો કબજો કોર્પોરેશનને મળી ગયો છે, જ્યાં 1861 ચોરસ મીટરના વિસ્તારમાં આ વાંચનાલયનું નિર્માણ કરવામાં આવશે.આ વાંચનાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ હશે અને તે લગભગ 6 કરોડના ખર્ચે તૈયાર થશે. અહીં સિનિયર સિટીઝન રીડિંગ હોલ, સ્ટોર હોલ, તેમજ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ રીડિંગ હોલની સુવિધા હશે. દરેક માળ પર ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાસોદરા વિસ્તારના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ નવું વાંચનાલય જ્ઞાનપ્રાપ્તિ અને અભ્યાસ માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:33 pm

ગોત્રી વિસ્તારમાં ઘરમાં ભીષણ આગ:આગમાં બોટલ ફાટે તે પહેલા ફાયરના જવાનોએ હિંમત બતાવી બહાર ખેંચી લાવ્યા, મોટી જાનહાનિ ટળી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં આવેલ એક જૂના મકાનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં અફરા તફરી સર્જાઈ હતી. આ આગ અંગેનો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં એક જૂના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા સાથે જ વડોદરા વાસણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયોવધુમાં કહ્યું કે, આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘરમાં ત્રણથી ચાર ગેસની બોટલ નીકળી છે અને લીકેજ હતા જે ફાટવાની શક્યતાઓ હતી અને ઘણું જોખમી હતું. હજુ સુધી આગનું ચોક્કસ કારણ મળવા નથી મળ્યું પરંતુ, રો-હાઉસ જેવું મકાન હતું જેથી કિચન અને ડ્રોઈંગ રૂમ સાથે હતું એટલે કિચનમાંથી આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. અંદર એક ગેસની બોટલ લીકેજ હતીવધુમાં કહ્યું કે, આગ એટલી વિકરાળ હતી કે હિંમત કરી અમે પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘરનો પ્રથમ અને બીજો માળ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે. અમારા માટે સૌથી ચેલેન્જિંગ બાબત હતી કે, અંદર એક ગેસની બોટલ લીકેજ હતી અને આસપાસ પડેલ અન્ય બોટલ તીવ્ર આગમાં હતી. જેથી બાજુમાં રહેલી એક બોટલ આખી ફૂલીગઈ હતી અને તે ફાટવાની તૈયારી હતી. અમે હિંમત કરી સત્તત પાણીનો મારો ચલાવી બહાર ખેંચી લાવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:24 pm

મહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 3 સામે ફરિયાદ નોંધાવી:મહિલા પર બળજબરીપૂર્વક તાંત્રિકવિધિ કરાવી, માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ

અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. લગ્નતા થોડા સમય બાદ ફરિયાદી મહિલાનું હિપ્નોટિઝમ કરવામાં આવ્યું છે. તેમજ ફરિયાદી મહિલા પર સાસરીયા પક્ષના લોકોએ બળજબરીપૂર્વક તાંત્રિક વિધિ કરાવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તદુપરાંત પતિ સહિત સાસરીયા પક્ષના લોકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. જેથી મહિલાએ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પતિ સહિત સાસરીયા પક્ષના ત્રણ લોકો સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ રસોઈ ન આવડતી હોવાનું કહી મેણા ટોણા માર્યાફરિયાદી મહિલાના 2024માં લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન સાસરીયા પક્ષના કહેવા મુજબ મહિલાએ 20થી 25 તોલા સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા આપ્યા હતા. લગ્નના થોડા સમય બાદ મહિલા પતિ સાથે રાજસ્થાન રહેવા માટે જતી રહી હતી પરંતુ, ત્યારબાદ કામ માટે રાજસ્થાનથી અમદાવાદ આવતી હતી. લગ્નના એક મહિના બાદ સાસરીયા પક્ષના લોકો મહિલા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગ્યા હતા. સાસરીયા પક્ષના લોકો મહિલાને રસોઈ બનાવતા આવડતું ના હોવાનું કહી મેણા ટોણા મારતા હતા. જેથી મહિલાએ પતિને જાણ કરી હતી પરંતુ પતિએ મહિલા પર જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહિલાને બાવળા લઈ જઈ તાંત્રિક વિધિ કરાવ્યાનો આક્ષેપ લગાવ્યોલગ્નના ત્રણ મહિના બાદ મહિલા પતિ સહિત સાસરીયા પક્ષના લોકો સાથે અમદાવાદ આવી ત્યારે તેની સાસુએ પોતાના ભાઈ સાથે મળીને હિપ્નોટિઝમ કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જો મહિલા કોઈ ફરિયાદ પતિને કરતી હતી તો છૂટાછેડા આપવાની પણ ધમકી આપવામાં આવતી હતી. જેથી, મહિલા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી પરંતુ, બે દિવસ બાદ સાસરીયા પક્ષના બે લોકોએ આવીને મહિલાને બાવળા લઈ ગયા હતા. બાવળા પાસે બળજબરીપૂર્વક તાંત્રિક વિધિ કરાવી હોવાનો પણ મહિલાએ આક્ષેપ લગાવ્યો છે. મહિલાએ પતિ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીજે બાદ સાસરીયા પક્ષમાં રોકાવાનું કહેતા મહિલાને માર મારી ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. જોકે, તે બાદ મહિલાએ સમાધાન કરવા માટે પતિનો પણ અનેક વખત સંપર્ક કર્યો હતો. તેમજ સમાજની મીટીંગ કરીને પણ સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સમાધાન કરવાના બદલે સાસરીયા પક્ષના લોકો માનસિક અને શારીરિક ત્રાસ આપતા ફરિયાદીએ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા પક્ષના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:02 pm

વિજયનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય કાર્યક્રમ:બંધણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સેવાઓ અપાઈ

સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જનસેવાનો અભિગમ અપનાવી વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે શિબિરોનું આયોજન કરાયું હતું. વિજયનગરના બંધણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસ, અતિ જોખમી સગર્ભા માતાઓની તપાસ, પોષણ કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ જેવા કાર્યક્રમો હાથ ધરાયા હતા. આ ઉપરાંત, કાથોડી પરિવારો સાથે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ પણ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય તેમના આરોગ્ય અને જીવનશૈલીમાં સુધારો લાવવાનો હતો. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ઉપસ્થિત સગર્ભા માતાઓ, ટીબીના દર્દીઓ અને ગ્રામજનોને આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ ગુણવત્તાયુક્ત સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. તેમણે ગ્રામ્ય કક્ષાએ બાળકોના રસીકરણ, પોષણ કીટ વિતરણ અને વિવિધ યોજનાકીય લાભો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારીએ વિજયનગર તાલુકાની આરોગ્ય સેવાઓ વિશે માહિતી આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા આર.સી.એચ. અધિકારી, આંતરસુંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:00 pm

વૈજનાથ મહાદેવને કાલ ભૈરવ જયંતીએ વિશેષ શણગાર:કલરથી ભૈરવદાદાની પ્રતિકૃતિ બનાવી અર્પણ કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા વૈજનાથ દાદાના મંદિરે કાલ ભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલરનો ઉપયોગ કરીને ભૈરવદાદાની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરાયો હતો. મંદિરમાં શ્રાવણ માસ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ તહેવારોએ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. 12 નવેમ્બર, 2025ના રોજ કારતક વદ આઠમ, બુધવારે કાલ ભૈરવ જયંતી નિમિત્તે આ ખાસ શણગાર કરાયો હતો. ત્રણ યુવકોએ બે કલાકની મહેનત બાદ પાંચ કિલો વિવિધ કલરનો ઉપયોગ કરીને ભૈરવ દાદાની આકર્ષક પ્રતિકૃતિ બનાવી હતી. આ પ્રતિકૃતિને ગુલાબ અને ગલગોટાની પાંદડીઓ વડે સજાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:59 pm

બોલુન્દ્રામાં કાલભૈરવ જયંતી::યાગ અને 301 વાનગીઓનો અન્નકૂટ અર્પણ, રાત્રે જીગ્નેશ કવિરાજ સહિત કલાકારોનો ડાયરો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે બુધવારે કાલભૈરવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો અન્નકૂટ અર્પણ અને રાત્રે ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું હતું. જયંતીની ઉજવણી નિમિત્તે સવારે 11 કલાકે મંદિરને ફૂલો અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. કાલભૈરવ હવનનો યજમાનના હસ્તે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે પ્રારંભ થયો હતો. સાંજે શ્રીફળ હોમ સાથે આ હવન પૂર્ણ થયો હતો. આ ઉપરાંત, ભૈરવદાદાને 301 વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાત્રે મંદિર પરિસરના મેદાનમાં ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કલાકાર અને ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ (ભુવાજી), લોકગાયિકા તેજલ ઠાકોર, મંચ સંચાલન હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી અને કાર્યક્રમનું સંકલન ભીખુદાન ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:57 pm

બોટાદમાં મતદારોને મદદ કરવા 'બોટ્રોન' રોબોટ કાર્યરત:SIR-2026 મતદારયાદી સુધારણા કાર્યક્રમની સરળ માહિતી આપશે

બોટાદ જિલ્લામાં મતદારોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતગાર કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોય દ્વારા 'બોટ્રોન' નામનો રોબોટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ રોબોટ ગુજરાત રાજ્યમાં જાહેર કરાયેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગત મતદારોને માહિતી પૂરી પાડશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ચૂંટણીલક્ષી તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. ચૂંટણી કાર્યક્રમ દરમિયાન, આ સફેદ રંગનો રોબોટ બોટાદ જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ મૂકવામાં આવશે. જાહેર જનતા 'બોટ્રોન'ની મદદથી કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સહેલાઇથી મેળવી શકશે. કલેક્ટર ડો. જીન્સી રોયની આ નવતર પહેલનો હેતુ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને ચૂંટણી કાર્યક્રમની સમજ આપવાનો છે. તેમણે તમામ મતદારોને આ કાર્યક્રમમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:53 pm

ખેડબ્રહ્મામાં બિરસા મુંડા જયંતિ ઉજવણીની સમીક્ષા બેઠક:ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે ચર્ચા

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી ૧૫ નવેમ્બરે ખેડબ્રહ્માના નવી મેત્રાલમાં આવેલી આર્ડેકતા કોલેજ ખાતે થવાની છે. આ ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યકક્ષાની ઉજવણી પણ આગામી 15 નવેમ્બરે થનાર છે. આ અંતર્ગત, સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી નવી મેત્રાલ ખાતે મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. તેના આયોજન અને અમલીકરણ માટે પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બુધવારે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતની બાબતો અંગે મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ બેઠકમાં ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલ સહિત વિસ્તારના આગેવાનો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:51 pm

બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે:1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 10 ડિસેમ્બરે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે

બરોડા બાર અસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારોએ 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ફરી દેવાના રહેશે જ્યારે 9 ડિસમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે. ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાવાની છે, ત્યારે ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો, ચૂંટણી પહેલા રજૂ કરવાનો રહેશે. અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 1થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવાર માટે નામાંકન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. નોમિનેશન ફોર્મ પરત પાછા ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે. જ્યારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. જ્યારે 19 ડિસેમ્બર 2025ના રોજ 10થી 5 વાગ્યા સુધીમા મતદાન યોજાશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચી (મહિલા વકીલો માટે અનામત)ના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો (મહિલા વકીલો માટે અનામત) 3 પોસ્ટ માટે ચુંટણી યોજાવાની છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વન બાર વન વોટ યોજના હેઠળ મતદાર યાદી અંતિમ ગણવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:51 pm

જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ:શાદી.કોમ દ્વારા પરિચયમાં આવેલી પરપ્રાંતિય યુવતીને જામનગર બોલાવી, યુવકે દુષ્કર્મ આચરી, રૂ. 1 લાખ પડાવ્યાં

જામનગરમાં શાદી.કોમ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવેલી એક પરપ્રાંતિય યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવા અને રૂપિયા એક લાખની છેતરપિંડી કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને ભાડાના મકાનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ધંધાના બહાને પૈસા પડાવી લેવાયા હતા. આરોપીએ લગ્ન કરવાનો અને પૈસા પરત કરવાનો ઇનકાર કરતા યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની અને હાલ જામનગરમાં ભાડાના મકાનમાં રહેતી 35 વર્ષીય યુવતીનો પરિચય શાદી.કોમ વેબસાઈટ મારફતે જામનગરના સરલાબેન આવાસમાં રહેતા ફિરોજ અહેમદભાઈ મેડા નામના શખ્સ સાથે થયો હતો. ફિરોજે યુવતીને લગ્ન કરવાનું પ્રલોભન આપી જામનગર બોલાવી હતી. ફિરોજે યુવતીને એક ભાડાના મકાનમાં રાખી હતી. તે ત્યાં અવારનવાર મળવા જતો હતો અને પોતે પરણીત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેણે ટૂંક સમયમાં યુવતી સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી હતી અને આ પ્રલોભન હેઠળ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ફિરોજે યુવતી પાસેથી ધંધાના કામ અર્થે રૂપિયા એક લાખ લીધા હતા, જે તેણે પરત કર્યા ન હતા. યુવતીને ફિરોજ પરણીત હોવાનું જાણ થતાં તેણે આ અંગે વાત કરી હતી. ત્યારે ફિરોજે પત્ની સાથે અણબનાવ ચાલતો હોવાનું અને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહી ફરીથી દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. અંતે, ફિરોજે યુવતી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને લીધેલા રૂપિયા એક લાખ પણ પરત આપવાની ના પાડી. આથી, યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફિરોજ અહેમદભાઈ મેડા વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:46 pm

રાજકોટમાં મનપાની આંખ આડે કાન:પ્રહલાદ પ્લોટમાં મંજૂરી વગર ત્રણ માળનું મકાન ખડકાતા નાગરિકોની રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોમાં દબાણો દૂર કરવામાં તંત્રની ઉણપ વચ્ચે હવે રહેણાંક વિસ્તારોમાં પણ પરવાનગી વગરના બાંધકામોની ફરિયાદો ઊઠી છે.પ્રહલાદ પ્લોટ, શેરી નં. 9માં આવેલા 'મધુર' મકાનના ખરીદાર ધર્મેશભાઈ બખાઇ દ્વારા મનપાની પરવાનગી વગર જ બે માળની જગ્યાએ બીમ-કોલમ પર ત્રણ માળનું રહેણાંક મકાન બનાવી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ બાંધકામ રહેણાંકને બદલે કોમર્શિયલ હોય તેવું જણાતા, વિસ્તારના નાગરિકોએ કમિશનર અને મેયરને લેખિત રજૂઆત કરી છે. અરજદારોએ જણાવ્યું છે કે, બાંધકામમાં રેસિડેન્સિયલ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તેમાં લિફ્ટ કાયદાકીય જોગવાઈઓ મુજબ નાખવામાં આવી નથી. તેમણે અધિકારીઓની સાંઠગાંઠની શંકા પણ વ્યક્ત કરી છે તેમજ કોઈ જાનહાનિ થાય તે પહેલાં આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો નાગરિકોએ કોર્ટના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત વોર્ડ નં. 7 અને વોર્ડ નં. 14 માં પણ આવા અનધિકૃત બાંધકામો ચાલી રહ્યા હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા છે. રાજકોટની સિવિલે પથારીવશ યુવાનને ચાલતો કર્યોરાજકોટના મોરબી રોડ જકાતનાકા નજીક રહેતા જયેશભાઈ ચંદુભાઈ કેરાડિયા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચી ગુજરાન ચલાવતા જયેશભાઈની નસ ખેંચાઈ ગઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખ રૂ.ના ખર્ચે ગોળો બદલવો અનિવાર્ય હતો. આર્થિક મુશ્કેલીની આ ઘડીમાં તેમના મિત્રએ સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજાને માહિતી આપી હતી. ફરજની સાથે માનવતા દાખવી જાડેજાએ તરત જ જયેશભાઈને મદદ કરી હતી. તેઓ જયેશભાઇને ડોક્ટર પાસે લઈ ગયા હતા, લોહીની વ્યવસ્થા કરી આપી હતી અને તમામ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા હતા. ત્યારબાદ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પારસ મોટવાણીએ તપાસ કરીને જણાવ્યું હતું કે આ ઓપરેશન સરકારની યોજના અંતર્ગત નિઃશુલ્ક થઈ જશે. જરૂરી સાધનો મંગાવીને આશરે 15 દિવસ બાદ સફળ સર્જરી કરવામાં આવી હતી. સિક્યુરીટી ઇન્ચાર્જ જાડેજા દર્દીની તપાસથી લઈને ઓપરેશનની મંજૂરી સુધીની તમામ પ્રક્રિયામાં સાથે રહ્યા હતા. જે જયેશભાઈ એક વર્ષ પહેલા ચાલી શકતા ન હતા, તે આજે સ્વસ્થ રીતે પોતાના પગે ચાલી રહ્યા છે. જયેશભાઈએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, માનવતા આજે પણ જીવંત છે અને સિવિલ હોસ્પિટલમાં મને નવી જિંદગી મળી છે. VVP કોલેજના પ્રાધ્યાપકની નેશનલ પેરા સ્વીમીંગ સ્પર્ધામાં પસંદગીવી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઈ.સી. એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક ડો. સ્નેહાબેન પંડયાએ જવલંત સિદ્ધિ મેળવી છે. તા.15 થી 18 નવેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે યોજાનાર નેશનલ પેરા સ્વીમીંગમાં તેઓ ભાગ લેવા ગુજરાતના પ્રતિનિધિરૂપે સામેલ થવાના છે.આ વિશે વધુ વાતચીત કરતા સંસ્થાના પ્રિન્સિપાલ ડો.પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં રાજય કક્ષાાએ યોજાયેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં પેરા સ્વીમીંગમાં 50 મીટર ફ્રી સ્ટાઈલમાં પગમાં ખામી ધરાવતા ડો. સ્નેહાબેન પંડયાએ સિલ્વર મેડલ અને 190 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને તેથી તેમની પસંદગી નેશનલ ગેમ્સ માટે થયેલ છે. તા.15થી 18 દરમિયાન હેદરાબાદ ખાતે પેરા નેશનલ સ્વીમીંગની સ્પર્ધા યોજાવાની છે. ગુજરાતના 8 મહિલા સ્પર્ધકોમાંથી એક અમારા ડો. સ્નેહાબેન પંડયા છે કે જેઓ ઈ.સી. એન્જીનીયરીંગ વિભાગના સંનિષ્ઠ કર્મચારી તરીકે તેઓ છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત રમત-ગમતમાં પણ આવી ઝળહળતી સફળતા તેમણે મેળવી છે તે અમારા સૌ માટે ગૌરવની વાત છે.ડો. સ્નેહાબેનની આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવિનભાઈ શેઠ, ઈ.સી. વિભાગના વડા ડો. પરેશભાઈ ધોળકીયા તેમજ તમામ કર્મચારીગણે શુભેચ્છાઓ પાઠવી છે. 16 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદટેકનિકલ કારણોસર, 16 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો 14થી 20 નવેમ્બર નેશનલ લાયબ્રેરી વીકની ઉજવણી કરાશેરાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે તા. 14 શુક્રવારથી તા. 20 દરમિયાન બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઇઝ હોલની સામે, રૈયા રોડમાં નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો શુભારંભ તા. 14ના સવારે 10:30 કલાકે ધારાસભ્ય ડો. દર્શિતા શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવી, જ્ઞાન પ્રત્યેની રુચિ વધારવી અને લાઈબ્રેરીના મહત્વને વધુ પ્રગટ કરવાનો છે. લાઈબ્રેરી માત્ર પુસ્તકોનો ભંડાર નથી, પરંતુ વિચારશક્તિ, સર્જનાત્મકતા અને જ્ઞાનનો ખજાનો છે. શહેરના નાગરિકોમાં વાંચનની આદત વિકસે અને નવી પેઢી જ્ઞાનમય બને તે માટે આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પેરેડાઇઝ હોલ સામેની આ વિશાળ લાઈબ્રેરી ખાતે તા. 14થી 20 વચ્ચે મુવી ટોક, બુક ટોક, બાળ રમતો, પત્રલેખન સ્પર્ધા, બેબી ડે આઉટ, અને મુવી શો સહિતના જ્ઞાનવર્ધક, સર્જનાત્મક અને રસપ્રદ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો બાદ ઇનામ વિતરણ પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, વાચકો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:40 pm

SOU ખાતે ભારતપર્વમાં યોગી આદિત્યનાથનો લલકાર:ભારતની સુરક્ષાને ખંડિત કરવાનો પ્રયાસ કરનારે કિંમત ચૂકવવી પડશે, સ્વતંત્ર ભારતના નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કર્યું

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે કેવડિયાની મુલાકાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. કેવડિયા ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ભાગ રૂપે ચાલી રહેલા ભારત પર્વમાં તેમણે હાજરી આપી. ભારતપર્વમાં આજે ઉત્તરપ્રદેશની કલા-સંસ્કૃતિ રજૂ કરવામાં આવી. ભારત પર્વના સંબોધનમાં તેમણે સરદાર સાહેબના યોગદાનને યાદ કર્યું અને સાથે જ કહ્યું કે આ નવું ભારત છે, ભારતની સુરક્ષાને ખંડિત કરવાનો પ્રયાસ કરનારે કિંમત ચૂકવવી પડશે. વડોદરાથી બાયરોડ કેવડિયા પહોંચ્યામુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમનો કાફલો બાય-રોડ કેવડિયા પહોંચ્યો હતો. યોગી આદિત્યનાથ સાથે ઉત્તરપ્રદેશના બંને ઉપમુખ્ય પ્રધાનો કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હતા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ તમામનું સવગત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવસીઓએ જય શ્રીરામ અને ભારત માતાકી જયના નારા સાથે યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું અને તેમણે તમામનું અભિવાદન ઝીલ્યું હતું. સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીયોગી આદિત્યનાથ સહિતના તમામ મહાનુભાવો વોક-વે પર ચાલીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના તળ પર પહોંચ્યા હતા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. ત્યાર બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટ મારફતે વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે નર્મદા ડેમ સહિત આસપાસના રમણીય સ્થળોનું અવલોકન કર્યું હતું. ભારતપર્વમાં સંબોધનમાં વિરોધીઓ અને આંતકવાદીઓને લલકાર્યાભારત પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં વિરોધીઓ અને આંતકવાદીઓને લલકારી કહ્યું કે આ નવું ભારત છે, ભારતની સુરક્ષાને ખંડિત કરવાનો કોઈએ પણ પ્રયાસ કર્યો તો તેની કિંમત તેણે ચૂકવવી પડશે. ભારત પર્વ એક એકતાનું એક ઉદાહરણ છે. આખો દેશ એક થઈને આ પર્વ ઉજવે છે. સ્વતંત્ર ભારતના નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરતા તેમણે કહ્યું કે સરદાર સાહેબના સમયે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ આનાકાની કરતા હતા, સરદાર સાહેબે કહ્યું હતું કે સીધી રીતે માની જાઓ, નહીંતર બીજા પણ રસ્તાઓ છે. આખરે તેમણે દેશ છોડી ને જવું પડ્યું હતું. ઉત્તર પ્રદેશના 72 કલાકારોના પ્રદર્શનથી જીવંત બન્યું ભારત પર્વસરદાર સાહેબની 150મી જન્મજયંતિના આ વર્ષે એકતાનગર ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન ભારત પર્વ 2025નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારત પર્વ-2025 અંતર્ગત 1 થી 15 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે દેશના જુદાજુદા રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, પરંપરાગત કલા-સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી રહી છે, જેમાં આજે 12 નવેમ્બરે ઉત્તરપ્રદેશની કલા-સંસ્કૃતિ રજૂ કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં સાંજ પડતાંની સાથે જ, મુખ્ય સ્ટેજ ઉત્તર પ્રદેશના 72 કલાકારોના પ્રદર્શનથી જીવંત બન્યું. પાઈ દંડા, ફરુવાહ, બધવા નૃત્ય, કથક, મોર, રાય અને થારુ નૃત્યો સહિત બાર પરંપરાગત અને શાસ્ત્રીય કલાઓ લયબદ્ધ સુમેળમાં રજૂ કરવામાં આવી હતી. શહેનાઈનો અવાજ, શંખનો પડઘો અને ડમરુના ધબકારાએ એક મનમોહક વાતાવરણ બનાવ્યું જેણે ઉજવણીમાં શ્રદ્ધાનો સંચાર કર્યો. ભારત પર્વમાં રાષ્ટ્રીય નેતાઓએ ઉત્તર પ્રદેશના પ્રતિનિધિત્વની પ્રશંસા કરીભારત પર્વમાં ઉત્તરપ્રદેશ પેવેલિયનમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાનો સમાવેશ થાય છે, જેમણે રાજ્યના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિદૃશ્યના આકર્ષક ચિત્રણની પ્રશંસા કરી હતી. તેમનું સ્વાગત નાયબ પર્યટન નિયામક કીર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ઉત્તર પ્રદેશમાં વધતા પ્રવાસન વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહયોગ માટે સંભવિત તકો પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પેવેલિયનની મુલાકાત લીધી હતી અને ભાગ લેનારા કલાકારો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મુલાકાતીઓ સ્ટોલ્સ પર પ્રદર્શિત કારીગરી અને રાંધણ કલાની સમૃદ્ધિ તરફ આકર્ષાયા હતા, જે પરંપરાગત કન્નૌજ પરફ્યુમની સુગંધથી લઈને અવધી ભોજનના સ્વાદ સુધી, રાજ્યની ઓળખની ઝલક આપે છે. પેવેલિયનના દરેક તત્વને ઉત્તર પ્રદેશની પર્યટન વાર્તામાં વારસો અને નવીનતા કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે તે દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:40 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન:મહાનગરપાલિકાની ટીમે રૂટનું નિરીક્ષણ કર્યું, માઇક્રો પ્લાનિંગ શરૂ

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'એકતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જામનગર શહેરના 78 અને 79 વિધાનસભા વિસ્તારોમાં યોજાશે. યાત્રાના માઇક્રો પ્લાનિંગ માટે મહાનગરપાલિકાની ટીમે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું છે. 79 વિધાનસભા વિસ્તારની એકતા યાત્રાનો પ્રારંભ 14મી તારીખે સાંજે 4 વાગ્યે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થશે. આ યાત્રા વિવિધ સ્થળોએથી પસાર થઈને લગભગ 9 કિલોમીટરનું અંતર કાપીને સમાપ્ત થશે. યાત્રા દરમિયાન નાગરિકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં મેડિકલ કેન્દ્રો, સ્વદેશી મેળાનું આયોજન, સ્વદેશી થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, પીવાના પાણીની વ્યવસ્થા અને અંતિમ સ્થળે નાસ્તાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જ્યારે 78 વિધાનસભા વિસ્તારની એકતા યાત્રાનો પ્રારંભ 16મી તારીખે સવારે 8:30 કલાકે નવા કોર્ટ બિલ્ડિંગ સામેના મેદાનથી થશે. આ યાત્રાના આયોજન સંદર્ભે શહેરના નાગરિકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આર્મી, નેવી, પોલીસ, વેપારીઓ અને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ડી.એન. મોદીએ શહેરના તમામ લોકોને આ બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને ભારતની આઝાદી અને એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરવા તથા ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:37 pm

શુકલતીર્થમાં વીજ કરંટથી મહિલાનું મોત:ખેતરમાં તાર પર વીજ કરંટ ફીટ કરનાર ખેતર માલિક સામે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના વેરવા વગામા વિસ્તારમાં એક મહિલાને ઝટકા મશીનથી કરંટ લાગ્યો હોવાનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. જોકે, મહિલાને તાર પર લગાવેલા વીજ કરંટ લાગ્યાથી મોત થયું હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે ખેતર માલિક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ફરીયાદી જયેશ દલસુખભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી રાજીવકુમાર રામપ્રતાપ મોર્ય, જે શુકલતીર્થ વેરવા વગામા રહે છે, તેમણે પોતાના કબ્જાના ખેતરમાં શેરડી તથા શાકભાજીનું વાવેતર કરેલું છે અને ખેતરમાં આવેલા મકાનમાં જ વસવાટ કરે છે. આરોપી દરરોજ સાંજે ખેતરના શેઢા પર લોખંડનો તાર બાંધી તેમાં ઝટકા મશીન દ્વારા વીજ પ્રવાહ આપતો હતો, જેથી ખેતરને વન્ય પ્રાણીઓથી બચાવી શકાય. પરંતુ આવા વીજ પ્રવાહથી માણસ કે પ્રાણીનું મોત થવાની શક્યતા હોવા છતાં આરોપીએ જોખમી રીતે વીજ કરંટ ગોઠવ્યો હતો. પરિણામે, ગઈ તા. 02/11/2025 ના રોજ સવારે આશરે 8.30 વાગ્યે ફરીયાદીની માતા મધુબેન દલસુખભાઈ પટેલ ખેતરમાં શાકભાજી લેવા ગયા હતા, ત્યારે શેઢા પર લગાવેલા વાયરને અડતાં જ તેમને કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. જેથી આ ઘટનાને પગલે નબીપુર પોલીસે ખેડૂત સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:34 pm

દમણથી સુરત લઈ જવાતો દારૂ ઝડપાયો:કાર સાથે દારૂની 1182 બોટલ જપ્ત, એક મહિલાની ધરપકડ

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત વિભાગ) અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચનાના આધારે, LCB સ્ટાફે કુલ રૂ. 19,70,518/- નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 4,45,518/- ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હીસ્કી, વોડકા, રમની બોટલો તથા ટીન બિયરનો સમાવેશ થાય છે. કુલ 1182 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી MG હેક્ટર કાર જેની કિંમત રૂ. 15,00,000/- છે, અને એક iPhone જેની કિંમત રૂ. 25,000/- છે, તે પણ જપ્ત કરાયા છે. નવસારી LCB સ્ટાફને બાતમી મળી હતી કે, દમણથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી એક MG હેક્ટર કાર કોસ્ટલ હાઇવે માર્ગે થઈને સુરત-કામરેજ તરફ જવાની છે. આ બાતમીના આધારે છાપરા ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી કારમાંથી નૈનિષા ઉર્ફે નેનસી વનેશભાઈ ચંદુભાઈ પટેલ (ઉં.વ. 22, રહે. કોચરવા, વાપી, જિ. વલસાડ) ની ધરપકડ કરી છે. તે કારમાં ક્લીનર તરીકે હતી. જોકે, કારનો ચાલક જીગ્નેશ ઉર્ફે જીગલો પટેલ પોલીસને જોઈ ખેતરોમાં નાસી છૂટ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલ આરોપી નૈનિષા ઉર્ફે નેનસી પટેલ ઉપરાંત, પાંચ અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કારનો ચાલક જીગ્નેશ ઉર્ફે જીગલો પટેલ, આરોપીઓનો સંપર્ક કરાવનાર ભૂમિ પટેલ, દારૂનો જથ્થો ભરાવનાર શ્રીકાંત પટેલ અને ગીલીયો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરત-કામરેજનો એક અજાણ્યો ઇસમનો સમાવેશ થાય છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ વિજલપોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ LCB નવસારી દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:29 pm

ભુજમાં બિલ્ડીંગ પરથી યુવકે છલાંગ લગાવી:અંજારના 45 વર્ષીય યુવકનું મોત,એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો

ભુજના સ્ટેશન રોડ પર આવેલી પારસનાથ બિલ્ડીંગ પરથી આજે બપોરે એક યુવકે છલાંગ લગાવી હતી. આ ઘટનામાં અંજારના 45 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અપમૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ વિમલ વસંતરામ પડ્યા (ઉંમર 45, રહે. અંજાર) છે. તે એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો, જે અંગે પરિવારજનોએ પોલીસમાં ગુમનોંધ પણ નોંધાવી હતી. આજે બપોરે આશરે 12.30 વાગ્યાના સુમારે વિમલ પડ્યાએ ઇમારતના ચોથા માળ પરની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:21 pm

NIAની ટીમની ઉમરગામમાં કાર્યવાહી:અલકાયદા ઈન્ડિયા ફંડિંગ કેસ સંદર્ભે ગાંધીવાડી વિસ્તારમાં એક મકાનમાં તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના ઉમરગામમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ગુજરાત ટીમે મંગળવારે કાર્યવાહી કરી હતી. વર્ષ 2023ના અલકાયદા ઇન્ડિયા ફંડિંગ કેસ સંદર્ભે ગાંધીવાડી વિસ્તારમાં એક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ તપાસ દરમિયાન ટીમે સંભવિત પુરાવા તરીકે કેટલાક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી, જ્યારે ગુજરાત ATSએ અલકાયદા ઇન્ડિયા માટે ફંડિંગ અને નેટવર્ક વિસ્તરણનું કામ કરતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ તપાસ માત્ર વલસાડ પૂરતી મર્યાદિત નથી. NIAની ટીમોએ દેશભરના અન્ય 10 રાજ્યોમાં પણ સમાન પ્રકારના દરોડા પાડ્યા હતા. ઉમરગામમાં થયેલી કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં પણ ચકચાર મચી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:16 pm

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે રૂ.25 હજાર કરોડના 'એક્સપોર્ટ પ્રમોશન મિશન'ને આપી મંજૂરી

Cabinet : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (12 નવેમ્બર) કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હી બ્લાસ્ટના પીડિતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે વિશ્વમાં ભારતને વેગવંતુ બનાવવા અને દેશની અર્થવ્યવસ્થા અંગે અનેક મોટા નિર્ણય કર્યા છે. નિકાસ પ્રોત્સાહન મિશન માટે રૂ.25,060 કરોડ રૂપિયા મંજૂર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) બેઠકની વિગતો આપતા કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ માટે 25,060 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર 12 Nov 2025 9:10 pm

ગેંગવોરમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસ:રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 13 દિવસ બાદ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ઘો સહીત 3ની ધરપકડ કરી, અત્યારસુધી કુલ 20 આરોપીઓ ઝડપાયા

• સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનારની ધરપકડ રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મુર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુર્ઘા સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર ઋતુરાજ જાડેજાની ધરપકડ કરી તેની પાસેથી વધુ એક ગેરકાયદે હથિયાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મૂર્ઘા ગેંગના 7 અને પેંડા ગેંગના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કેસમાં કુલ 20 આરોપીની ધરપકડ કરાઈ રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિત પાસે ફાયરિંગની ઘટના બની હતી જેમાં આજે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા જેમને પકડવા માટે પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી હતી જેમાં પેંડા ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મૂર્ઘા ગેંગના 7 આરોપી મળી કુલ 20 આરોપીઓની ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 13 દિવસ બાદ મુખ્ય આરોપી ઝડપાયો તેમને વધુમાં જણાવ્યું હતું કે, સમીર ઉર્ફે મુર્ઘો તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટિમો દ્વારા રાજસ્થાન, યુપી, અને એમપી સહીત અલગ અલગ જગ્યાએ દરોડા પાડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે રાત્રે આરોપીઓ રાજકોટ તરફ આવતા હોવાની બાતમીમ આધારે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક આરોપી મળી આવતા સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કર્યાથી આજ દિવસ સુધી એટલે કે 13 દિવસ દરમિયાન આરોપીઓ કઈ કઈ જગ્યાએ રોકાયા હતા અને તેમને કોણે આસરો આપ્યો હતો સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ બનાવ સમયે સ્થળ પર હાજર હતો અને ગુનામાં તેની મદદગારી પણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં 5 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ગેરકાયદે હથિયાર સાથે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઋતુરાજસિંહ જાડેજા માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તરામાં અશોક ગાર્ડન પાસે ગેરકાયદે હથિયાર સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, જીવતા 3 કાર્ટીસ, અને એક આઈફોન મળી કુલ 45,300નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આઓરપીની પુછપરછ કરતા પેંડા ગેંગના સાગરીત ભયલુ ગઢવીને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર પોતે સપ્લાય કર્યું હોવાની કબૂલાત આપતા ફાયરિંગ કેસમાં પણ અલગથી તેની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ છેલ્લા 15 દિવસમાં 5 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોર મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેન વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બનવા પામી છે જેથી પોલીસ દ્વારા પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂર્ઘા ગેંગ સામે પણ થઇ શકે છે ગુજસીટોક દાખલ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ઘો ઉર્ફે ટકો અગાઉ રાજકોટ શહેર પોલીસમાં અલગ 12 જેટલા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે જયારે શાહનવાજ ઉર્ફે નવાજ વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેરમાં બે તથા આરોપી સોહીલ ઉર્ફે ભાણો વિરુદ્ધ અલગ-અલગ પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે આવતા દિવસોમાં મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:09 pm

વડોદરા શહેર પોલીસનું સર્ચ ઓપરેશન:મારામારી, ઠગાઈ અને ચોરીના કેસમાં રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રથી 5 આરોપીઓ પકડાયા, એક આરોપીનું તો 2022માં મોત થયું હોવાનું ખૂલ્યું

વડોદરા શહેર પોલીસ દ્વારા ટીમો બનાવીને વિવિધ પ્રકારના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેને લઈને જુદા-જુદા રાજ્યોમાં ટીમો મોકલીને આરોપીઓની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પહોંચેલી પોલીસની ટીમોએ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં પોલીસ કૂલ 6 ટીમો બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો નાસતા ફરતા આરોપીઓની શોધમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચી હતી. જ્યાં 3 રાજ્યોમાં નાસતા ફરતા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વર્ષ 2012માં સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં દિનેશ ખીટકોલ ખટામા અને માનસીંગ ખીટકોલ ખટાણા મુળ રાજસ્થાનના રહેવાસી હતા. બન્ને પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. જેથી છેલ્લા 12 વર્ષથી ફરાર બન્ને આરોપીઓ રાજસ્થનના ભરતપુર જિલ્લામાં આવેલા રાસેલી ગામે હોવાનું જાણવા મળતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે. વર્ષ 2025માં હરણી પોલીસ સ્ટેશનની હદમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદારની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં ફરાર સીદીક ઉર્ફે રાજા જહાંગીર બેગ (રહે. ઇરાની કોલોની મધ્યપ્રદેશ) અને જીતેશ સોનીને મધ્યપ્રદેશથી શોધી કાઢીને પકડી લેવામાં આવ્યા છે. વર્ષ 2019માં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઠગાઇ અને છેતરપીંડીના ગુનામાં ફરાર દુર્ગાપ્રસાદ રામદુલારે મિશ્રા મુળ રહે. ઉત્તરપ્રદેશનો છેલ્લા છ વર્ષથી ફરાર હોવાથી તેને આખરે મુંબઇના દહીસરથી ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2002માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં એસ.એસ. શ્રીધરણ નાસતો ફરતો હોવાનું ટીમના ધ્યાને આવ્યું હતુ. જેથી તેની તપાસ કરતા પોલીસને તેનું લોકેશન ચેન્નાઇના તામિલનાડુ ખાતે હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તામિલનાડુ પહોંચેલી પોલીસે તપાસ કરતા એસ.એસ. શ્રીધરણનું વર્ષ 2022માં મોત નિપજ્યું હોવાની માહિતી મળી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:04 pm

આણંદમાં 16.82 લાખથી વધુ મતદાર ફોર્મનું વિતરણ પૂર્ણ:આંકલાવ તાલુકામાં 100% કામગીરી, BLO દ્વારા ઘરે ઘરે જઈ વિતરણ

આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, અત્યાર સુધીમાં 16.82 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ 92.85% કામગીરી દર્શાવે છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે. આણંદ જિલ્લામાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLOs) દ્વારા ડોર-ટુ-ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકાના 224 BLOs દ્વારા કુલ 2,31,013 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે 100 ટકા પૂર્ણ થયું છે. BLOs દ્વારા નાગરિકોને એન્યુમરેશન ફોર્મની સમજણ આપવાની સાથે તેનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણની ટકાવારી નીચે મુજબ છે: ખંભાત 99.94%, બોરસદ 94.34%, આંકલાવ 100%, ઉમરેઠ 98.46%, આણંદ 70.62%, પેટલાદ 97.28% અને સોજીત્રા 97.03%. આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 18,12,327 પૈકી 16,82,809 મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:52 pm

હોમ ક્લિનીંગના નામે ચોરી કરનાર સફાઈકર્મીઓ ઝડપાયા:લાખોના દાગીના ચોરી ઘરમાંથી બહાર ગયા, શંકા ન જાય તેના માટે ઘરે પરત આવતા ઝડપી પાડ્યા

શહેરના થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી ખાનગી કંપનીના ત્રણ સફાઇ કર્મીઓએ ઘરની સફાઇ દરમિયાન હાથ સાફ કરીને ચોરીને કરી હતી. બપોરે જમીને આવીએ તેમ કહીને ત્રણેય લોકો બહાર ગયા બાદમાં શંકા ન જાય તે માટે બે આરોપીઓ ઘરે પરત આવી ગયા હતા. જેને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી લોકેશને સગપણ માટે યુવતી જોવા જવાનું હોવાથી તે ચોરીનો મુદ્દામાલ લઇને બહાર જતો રહ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. વૃદ્ધ દંપતીએ કબાટ ખુલ્લો દેખાતા પોલીસને જાણ કરીમળતી માહિતી મુજબ વડોદરામાં રહેતા જયાબેન પટેલનું થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં મકાન આવેલુ છે. જયાબેને મકાનની સફાઈ કરવા જી. જે. હોમ ક્લીનીંગ નામની કંપનીમાં જાણ કરી હતી. જેમાંથી ત્રણ યુવકો આવ્યા હતા. ઘરની સફાઈ કરીને બપોરે જમીને આવીએ છીએ તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં જયાબેન અને તેમના પતિ ભરતભાઈ ઘરનું કામ કેવું કર્યુ છે તે જોવા માટે બીજા રૂમમાં ગયા હતા. ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સોના ચાંદીના સહિત કુલ રૂ. 4 લાખની મતા ચોરી થઇ હતી. જયાબેને વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને આવ્યા ને ઝડપાયાઆ દરમિયાનમાં બે આરોપીઓ પરત આવતા તેમને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના લોકેશ કિર, સુનિલ કિર, અર્જુન કિરને ઝડપી પાડી રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં સામે આવ્યુ કે ત્રણેય આરોપીઓએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ચોરી કરીને પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને બે આરોપીઓ પાછા આવી ગયા હતા. બંને આરોપીઓની પોલીસ શોધખોળ કરતી હતી અને રાહ જોઇને બેઠી હતી ત્યારે પરત આવતા જ બંનેને ઝડપી લીધા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:49 pm

16 વર્ષીય સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદ:સગીરાને ફોસલાવી, અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગંભીર કેસમાં ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. ધરમપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એ. મિર્ઝાએ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદ ઉપરાંત રૂપિયા 10,000નો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આરોપી સામે BNSની કલમ 376(2)(એન) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો સાબિત થયો હતો. DGP અનિલ ત્રિપાઠીની મજબૂત દલીલો બાદ કોર્ટે આ સજા સંભળાવી હતી. કેસની વિગતો અનુસાર, 15મી જૂન 2024ના રોજ આરોપી ફિરોઝ તુંબડાએ 16 વર્ષની સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી હતી. તેણે સગીરાને ફોસલાવી, અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં આરોપી નંબર 2 ઉત્તમ ભવાનભાઈ ભોયાએ ફિરોઝને મદદ કરી હતી, પરંતુ કોર્ટે તેને શંકાનો લાભ આપી મુક્ત કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે પીડિત કિશોરીને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. નામદાર કોર્ટે નોંધ લીધી કે, આરોપી ફિરોઝ તુંબડા સામેનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન તે જેલમાંથી ફરાર થયો હતો. કોર્ટે આ ઘટનાને ગુનાની ગંભીરતા વધારનારું પરિબળ ગણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:48 pm

અબજીબાપાની 180મી જન્મજયંતીની લંડનમાં ઉજવણી:500થી વધુ ભક્તોએ એકઠા થઇ બાપાને યાદ કર્યા, આરતી બાદ સાથે મળી પ્રસાદ લીધો

કેટલાક લોકો અબજીબાપાને સંત કહે છે, કેટલાક તેમને ઇશ્વરના દૂત કે તત્વજ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ કચ્છથી દૂર વસતા હજારો કચ્છી લોકો માટે અબજીબાપા એ માત્ર સંત નહીં પણ સ્વયં ભગવાન સમાન છે. તેમની શિક્ષાઓ, કરુણા અને આદ્યાત્મિક માર્ગદર્શન આજે પણ પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ છે. વિશેષ કરીને તેમના માટે જેમણે વિદેશમાં જઇ વસવાટ શરૂ કર્યો અને જીવનની નવી દિશા પામી. 500થી વધુ ભક્તોએ અબજીબાપાને યાદ કર્યાલંડનના ક્વીન્સ પાર્ક હાઇસ્કૂલના સ્પોર્ટસ હોલમાં અબજીબાપાની 180મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઇ. આ પવિત્ર પ્રસંગે 500થી વધુ ભક્તોએ હાજરી આપી અને ભક્તિભાવપૂર્વક અબજીબાપાને યાદ કર્યા હતા. સમારંભ સ્થળને સુંદર રીતે શણગારાયો હતો અને તેમાં ભક્તિભાવપૂર્વક અબજીબાપાની મૂર્તિની સ્થાપના કરાઇ હતી. આરતી અને ભજનથી આખો હોલ ગૂંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક આરતી ઉતારી અને અબજીબાપાની મહિમા ગાઇ હતી. ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા અનુભવો કહ્યાસમારંભ દરમિયાન ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા પોતાના અનુભવો કહ્યા હતા. ખાસ કરીને એક વાત સૌ કોઈએ યાદ કરી કે કેવી રીતે અબજીબાપાએ તેમના દાદા-દાદીને વિદેશ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલું પગથિયું હતું જેનાથી તેઓ પૂર્વ આફ્રિકા અને ત્યાંથી યુકે સુધીની યાત્રા કરી શક્યા અને આજે સફળ જીવન જીવી રહ્યાં છે. વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યાંસમારંભમાં કેટલાક વિશિષ્ટ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને ફૂલોની હાર પહેરાવીને અને હાર્દિક સ્વાગત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તોને પ્રેમપૂર્વક તૈયાર કરેલું ભોજન પ્રસાદરૂપે પીરસવામાં આવ્યું હતું. જેમ જેમ ભક્તો સમારંભમાંથી વિદાય લઇ રહ્યા હતા તેમ તેમ તેમના હૃદય ભક્તિથી ભરાઇ ગયા હતા. એક વાત સ્પષ્ટ હતી કે અબજીબાપાની હાજરી આજે પણ જીવંત છે અને પ્રેમ, જ્ઞાન તેમજ દિવ્ય કૃપાથી તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપે છે. લંડનથી દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:41 pm

ડાયમંડ સિટીમાં GST કૌભાંડનો પર્દાફાશ:ભંગારના ધંધાના નામે 125 કરોડનું ટ્રાન્ઝેકશન, DGGIએ આલિશાન ફ્લેટમાંથી શેખ યુસુફને ઝડપ્યો; 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ

આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામાં આવી છે. ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આ આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ દ્વારા 19 કરોડની ITCનો દાવોDGGIને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુર (રહે. બી-402, એક્સલુઝિવ, ગોરાટ રોડ) અગાઉ તુરાવા મહોલ્લામાં ભંગારનો નાનો ધંધો કરતો હતો. જોકે, ટૂંકા સમયમાં જ તેણે 'મોટા ખેલ' પાડવાની શરૂઆત કરી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ સૌપ્રથમ એમ.એસ. સ્ક્રેપના નામે પેઢી ખોલી અને ત્યારબાદ ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો. આ પેઢીઓનો ઉપયોગ માલની વાસ્તવિક હેરફેર વિના માત્ર બોગસ બિલિંગ કરવા માટે થતો હતો. આ બનાવટી બિલિંગના આધારે આરોપીએ સરકાર પાસેથી કુલ 19 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને તેને ગેરકાયદેસર રીતે ઉસેટી લીધી હતી. તેના બેંક ખાતાઓ અને પેઢીના ચોપડામાં કુલ 125 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જોવા મળ્યું છે. આ બોગસ વ્યવહારો દ્વારા આરોપીએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી DGGIનેમળી હતી, જેના આધારે તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી. કૌભાંડના પૈસા જમીન-મકાનમાં રોકાયા?આ સમગ્ર મામલાનું સૌથી મોટું અને ચોંકાવનારું પાસું આરોપીઓની વૈભવી જીવનશૈલી અને ગોરાટ રોડ પરની મોંઘી મિલકતો સાથે જોડાયેલું છે. DGGI દ્વારા GST કૌભાંડની તપાસ હાથ ધરાઈ છે, પરંતુ આ કૌભાંડીઓએ જે ગેરકાયદેસર નાણાં મેળવ્યા છે, તે ક્યાં રોક્યા છે તે બાબતે આવકવેરા વિભાગ દ્વારા તપાસ થવી અત્યંત જરૂરી છે. વિભાગને અગાઉથી જ ઇનપુટ મળ્યા છે કે, ITC ઉસેટીને કૌભાંડીઓએ જે કરોડો રૂપિયાની કમાણી કરી છે, તે મોટાભાગે જમીન અને મકાનની ખરીદીમાં રોકવામાં આવી છે. ગોરાટ રોડ વિસ્તાર, જ્યાં પકડાયેલ આરોપી શેખ યુસુફ કરોડોના ફ્લેટમાં રહે છે, તે વિસ્તાર બોગસ બિલિંગના કૌભાંડીઓનું હબ બની ગયો હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર ગોરાટ રોડ પર જ આવા બોગસ બિલિંગ કરનારા કૌભાંડીઓના 100થી વધુ ફ્લેટ્સ મળી શકે તેમ છે. આ વિસ્તારમાં હાલમાં એક-એક ફ્લેટની કિંમત 2 કરોડથી ₹2.5 કરોડની આસપાસ છે. આ આંકડા સ્પષ્ટ સૂચવે છે કે, કરચોરીના નાણાંનો મોટા પાયે બિનહિસાબી મિલકતોમાં રોકાણ થયું છે. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીDGGIની ટીમે આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. વિભાગે આર્થિક ગુનાની ગંભીરતા અને વધુ તપાસની જરૂરિયાત રજૂ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.આ ધરપકડ બાદ આવકવેરા વિભાગ પણ સક્રીય થઈને આ તમામ કૌભાંડીઓની મિલકતોની તપાસ કરીને બિનહિસાબી સંપત્તિઓ જપ્ત કરે તે માટે કવાયત હાથ ધરે તેવી શક્યતા છે, જેથી કરચોરીના નાણાં પર આધારિત સમાંતર અર્થતંત્રને મોટો ફટકો પડી શકે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:37 pm

વધતી ટ્રાફિકને લઈ પાલિકાનો નિર્ણય:જો તમે વાહન આડેધડ પાર્ક કર્યું તો તમારું વાહન પાલિકા ટોઈંગ કરી દંડ વસૂલશે, ઝોન દીઠ બે ટોઈંગ વાહનો ખરીદાશે

વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા વડોદરા મહાનગરપાલિકા દ્રારા જુદા-જુદા સ્થળે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કુલ 3 સ્થળે, એસ.ટી.બસ સ્ટેશન પાસે, રેલ્વે સ્ટેશન પાસે, તેમજ અન્ય કેટલાંક સ્થળોએ ખાનગી પે-એન્ડ પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વડોદરા શહેરમાં દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાહકો તેમજ મુલાકાતીઓ માટે ફરજીયાત પાર્કિંગની જગ્યા હોય છે. તેમ છતાં શહેરમાં વધતાં જતાં વાહનોની સંખ્યાને ધ્યાનમાં લેતાં દિવસે અને દિવસે પાર્કિંગની સમસ્યા વધતી જાય છે. વારંવાર ટ્રાફિક જામ થવાના બનાવ બનતા નાગરિકોના સમય અને ફ્યુઅલનો બગાડ થાય છે. શહેરમાં નાગરિકોને પાર્કિંગની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે મંગળ બજાર પાસે, (બે સ્થળો) તેમજ ખંડેરાવ માર્કેટ પાસે પાલિકા દ્રારા સંચાલિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા સાવલી રોડ પર, ગુરુદ્વારા પાસે તરસાલી, છાણી ફ્લાયઓવર બ્રીજ નીચે, લેહરીપુરા રોડ ૫૨, ગોલ્ડન ચોકડી પાસે, દુમાડ ચોકડી પાસે, ફતેહગંજ બ્રીજ નીચે, નટુભાઈ સર્કલ પાસે હરીનગર, વડી વાડી પાણીની ટાંકી પાસે, મુજમ્મીલ પાસે તાંદલજા, સમા તળાવ પાસે, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે સમા, હરણી લેક ઝોન પાસે હાલોલ રોડ, અમિતનગર બ્રીજ નીચે, અટલ બ્રીજ નીચે વી.એમ.સી સંચાલિત પે એન્ડ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા વાર્ષિક ઈજારાઓ આપવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ ઉપરાંત દરેક વિસ્તારમાં પાર્કિંગ સુવિધાઓ મળી ૨હે તે માટે વધુ 100 જેટલા પ્લોટ/જગ્યાઓ નક્કી ક૨વાની કામગીરી હાથ ધરેલ છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ જુના ચાર દરવાજા (સીટી વિસ્તાર)માં મલ્ટી સ્ટોરી પાર્કિંગની સુવિધાઓ તબક્કાવાર ઉભી કરવાનું આયોજન છે. દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં નિર્ધારીત કરેલ પાર્કિંગની જગ્યામાં ગ્રાહકો/મુલાકાતીઓએ વાહનો પાર્ક ક૨વાના ૨હેશે. વાહન માલિકો દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરી પાર્કિંગની જગ્યામાં દબાણ હોવાનું માલુમ પડશે તેવા સંજોગોમાં પાલિકા દ્રારા કડક કાર્યવાહી ક૨વામાં આવશે. તેમજ દબાણો પણ દૂર કરવામા આવશે. શહે૨માં પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ નાગરિકોએ પાર્કિગની જગ્યામાં વાહનો પાર્ક ક૨વાના રહેશે. આગામી સમયમાં દરેક ઝોન દિઠ બે લેખે કુલ 08 ટોઇંગ વ્હિકલ ખરીદવાનું આયોજન છે. સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ટ્રાફિકને નડત૨રૂપ વાહનો પાર્ક થશે તો તે વાહનો પાલિકા દ્વારા ટોઇંગ કરીને જમા લેવામાં આવશે. અને તે માટે નક્કી કરેલ દ૨ મુજબ દંડ વસુલ ક૨વામાં આવશે. આમ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહે૨માં પૂરતા પ્રમાણમાં નાગરિકોને પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ ક૨વવા કટીબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:35 pm

જાહેર રોડ પર ગંદકી કરતી કચરો ફેંકતી દુકાનો સીલ:કોમનવેલ્થ ગેમ્સ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા કન્સલટન્ટ નીમવામાં ન આવતા કમિશનર અધિકારીઓથી નારાજ

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ જાહેર રોડ ઉપર હજી પણ કેટલાક લોકો દ્વારા કચરો ફેંકીને ગંદકી કરવામાં આવે છે. જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, નવા વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરવા બદલ 11 દુકાનોને સીલ મારી દેવામાં આવી છે. 219 જેટલી દુકાનોમાં ચેકિંગ કરીને 142 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈજનેર વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરીઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોમનવેલ્થની ગેમ્સને લઈને શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા બાબતે સૂચના આપી હોવા છતાં પણ ત્રણ મહિના બાદ કોઈ કામગીરી ન કરવામાં આવતા ઈજનેર વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં રોડ રસ્તા પણ ઝડપથી રીપેરીંગ કરવા માટેની સૂચના અધિકારીઓને આપી હતી. કમિશનરની સૂચના છતાં આયોજનમાં વિલંબમ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓની લેવાયેલી બેઠકમાં અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે વિવિધ પ્રકારની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોગા સેન્ટર, સ્વીમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાયબ્રેરી, સહિત આઈકોનિક પ્લેસ બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ હેતુસર કન્સલ્ટન્ટ નીમવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં ત્રણ મહિના થવા છતાં કોઈ કામગીરી નહીં કરતા ઇજનેર વિભાગના અધિકારીઓએ કન્સલ્ટન્ટ નહીં નીમાવા મામલે કમિશનરે ઈજનેર વિભાગની કામગીરી મામલે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ/કર્મચારીઓને SIR કાર્યક્રમ માટે નિયમિત ફરજમાંથી છૂટછાટભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીને લઈને ફોટોવાળી મતદારયાદીનો S.I.R. (ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) 27 ઓક્ટોબરથી જાહેર કરવામાં આવ્યો હોવાને પગલે મતદારયાદીને લગતી S.I.R. માટે ફરજ બજાવતા AMCના અધિકારીઓ/કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે સમય ફાળવી શકે અને રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુસર તેમને નિયમિત ફરજમાંથી છૂટછાટ આપવામાં આવી છે. તેમજ કચેરીના સમય દરમિયાન સ્વતંત્રતા અને સહયોગ મળી રહે તથા તેમને મદદરૂપ થવા ઉપલબ્ધ તમા સંસાધનો પૂરા પાડવાના રહેશે. AMC કમિશનર બંછાનિધિ પાનીએ તમામ વિભાગોમાં BLO સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમની હાજરીની માહિતી અધિકારી કે કર્મચારી રાખતા હોય તેમને નોંધ લેવાની સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:35 pm

બે નાના સંતાનોએ માતા ગુમાવી:ગાંધીનગરના ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક બાઈકની ટક્કરે પાણીપુરીના ધંધાર્થીની પત્નીનું કરુણ મોત

ગાંધીનગરના ધોળાકુવા ગામ નજીક ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર બાઈકની ટક્કરથી એક યુવાન પરિણીતાનું ગંભીર ઈજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે દાંતની દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બે નાના સંતાનોએ માતા ગુમાવી દીધી છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવીગાંધીનગરના ધોળાકુવા ગામ પાસે રહેતા અને પાણીપુરીનો છૂટક વેપાર કરી ગુજરાન ચલાવતો રાહુલ રામકિશોર સાવાર મૂળ ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લા નો વતની છે. જે અહીં તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી(ઉં.26) અને 4 વર્ષની દીકરી રાશિ અને દોઢ વર્ષના દીકરા પ્રિન્સ સાથે રહે છે. દાંતની સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયોગઈકાલે બપોરના રાહુલ તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી સાથે ઘરેથી દાંતની દવા લેવા માટે નીકળ્યો હતો. અને બંને ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક શાહપુર બ્રિજના ઉતરતા છેડે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે શાહપુર બ્રિજ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા GJ-18-FH-4752 નંબરના ટુ-વ્હીલર બાઈકના ચાલકે શિવાનીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે શિવાનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે બેભાન થઈ ગઈ હતી. જેને તાત્કાલિક એક પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે શિવાની ઉર્ફે સંધ્યાદેવીને મૃત જાહેર કરી હતી. પાણીપુરીનો ધંધો કરીને ગુજરાન ચલાવતા રાહુલ માટે આ ઘટના આઘાતજનક છે. આ અકસ્માતે માત્ર એક પત્ની જ નહીં પરંતુ બે માસૂમ બાળકોની માતાનું છીનવી લીધી છે. અને એક પળમાં જ પરિવારનું સુખ છીનવાઈ ગયું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:23 pm

શિયાળુ સિઝનમાં એરલાઇન્સ વચ્ચે 'એરક્રાફ્ટ લીઝિંગ'નો ટ્રેન્ડ:નવા એરક્રાફ્ટ ખરીદવા કરતા લીઝ પર એરક્રાફ્ટ લેવું ફાયદાકારક, પિક સિઝનમાં એરલાઈન્સ પોતાનું રેવન્યુ જનરેટ કરી શકે

શિયાળાની સિઝનમાં કેટલીક એરલાઈન્સ અન્ય એરલાઈન્સ પાસેથી એરક્રાફ્ટ “લીઝ પર” લે છે. શિયાળાની ઋતુમાં વિશ્વભરમાં મુસાફરીની માંગમાં મોટા ફેરફાર જોવા મળે છે, અને એ જ સમયે “એરક્રાફ્ટ લીઝિંગ શરૂ થતું હોય છે. ઉનાળાની સિઝનમાં યુરોપ અને અન્ય પ્રવાસન સ્થળોએ ભારે ટ્રાફિક રહે છે, પરંતુ શિયાળામાં મુસાફરોની સંખ્યા ઘટી જાય છે. આથી કેટલીક યુરોપિયન એરલાઈન્સ પાસે વધારાના એરક્રાફ્ટ ખાલી રહે છે. જેને તેઓ અન્ય એરલાઈન્સને લીઝ પર આપે છે. બીજી બાજુ, ગરમ પ્રદેશોમાં જેમ કે મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં શિયાળામાં મુસાફરી વધી જાય છે, એટલે ત્યાંની એરલાઈન્સ આ લીઝ કરેલી કેપેસિટીનો લાભ લે છે. પિક સિઝનમાં એરલાઈન્સ પોતાનું રેવન્યુ જનરેટ કરી શકે ઘણા કિસ્સાઓમાં એરલાઈન્સ “ACMI” અથવા “Wet Lease” રૂપમાં લિઝ લે છે. એટલે કે Aircraft, Crew, Maintenance અને Insurance બધું જ સાથે મળે છે. આ રીતે એરલાઈન નવી રૂટ્સ ઝડપથી શરૂ કરી શકે છે, પોતાના ક્રૂને ટ્રેન કર્યા વગર. આ મોડલ ખાસ કરીને charter flights અને peak-season માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પોતાનો એરક્રાફ્ટ ખરીદવા કરતાં લીઝ પર લેવું વધુ ફાયદાકારક સાબિત થાય છે, ખાસ કરીને ટૂંકા સમયની જરૂરિયાત માટે. લીઝ પૂરી થયા પછી, પ્લેન પાછું આપી દેવામાં આવે છે. એટલે મેન્ટેનન્સ અને સ્ટોરેજ જેવા ખર્ચો ટળી જાય છે. લીઝ પર એરક્રાફ્ટ લેવું એ ખૂબ જ ફાયદાકારકઆ અંગે ચીકી ટ્રાવેલ્સ એજન્ટ અંકિત બજાજે જણાવ્યું હતું કે, આ સિઝનમાં એરલાઇન્સ પોતાની પાસે જેટલા વધુ એરક્રાફ્ટ રાખી શકશે તેટલું તે વધુ રેવન્યુ જનરેટ કરી શકશે. જો એરલાઇન્સ ને નવું એરક્રાફ્ટ ખરીદવું હોય તો તેની ડિલિવરી તેને લગભગ વર્ષે એક મળતી હોય છે. લીઝ પર તમને ફટાફટ એરક્રાફ્ટ મળી શકે છે. નવા એરક્રાફ્ટ ખરીદવાની સરખામણીમાં લીઝ પર એરક્રાફ્ટ લેવું એ ખૂબ જ ફાયદાકારક હોય છે. એરલાઇન જનરલી 189 સીટર એરક્રાફ્ટ ઉપયોગ કરતી હોય છે તેની અંદાજિત કિંમત 1200 કરોડની આસપાસ હોય છે. લિઝિંગ પર એરક્રાફટની 300 કરોડની આસપાસ કિંમત થતી હોય છે. જેથી તે ફાયદાકારક રહે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:22 pm

ભારત-આફ્રિકાના પ્લેયરોએ સતત બીજા દિવસે નેટ પ્રેક્ટિસ કરી:રાજકોટમાં આવતીકાલે ભારત A-દક્ષિણ આફ્રિકા A ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ, ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક

ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુધી અને ભારતની ટીમે સાંજના 5થી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થનાર છે અને આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બન્ને ટીમના તમામ ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે 10 દિવસ સુધી રોકાણ કરવાના છે. ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્કઆજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ તેમજ નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. હવે આવતીકાલે 13 નવેમ્બરના રોજ પ્રથમ વન ડે મેચ યોજાનાર છે અને આ પછી બીજી મેચ 16 તેમજ ત્રીજી મેચ 19 નવેમ્બરના રોજ યોજાનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો. ઈન્ડિયા-A ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટ કીપર), આયુષ બાદોણી, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કિષ્ના, ખલીલ અહેમદ, સાઉથ આફ્રિકા-A ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના મફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:16 pm