ઝાલોદ તાલુકાના રીંછુમરા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ કમલેશ નરસિંગ હઠીલા પર ગામના ઈતેશ બચુ નિનામાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે સરપંચને ત્રણ પુત્રો હોવા છતાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં માત્ર બે જ બાળકો હોવાનું દર્શાવી ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. અરજદારના જણાવ્યા મુજબ, સરપંચના ત્રણ પુત્રો યુવરાજ, દિલરાજ અને દિલબર છે. આ ત્રણેયની નોંધણી આંગણવાડી મોજણી રજિસ્ટરમાં તેમજ આધારકાર્ડમાં થયેલી છે. આમ, ઉમેદવારી દરમિયાન ફોર્મમાં ફક્ત બે જ બાળકો હોવાનું જાહેર કરીને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 30(1)(ત) તથા વર્ષ ૨૦૦૫ પછીની બે બાળકોની જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે ત્રીજા પુત્ર દિલબર (જન્મ તા. 14/06/2010)ની હકીકત છુપાવવા માટે સરપંચે તા. 28/03/2025ના રોજ ઝાલોદ મામલતદાર કચેરીમાં એક તરફી અરજી કરી હતી. આ અરજી દ્વારા બાળકનો જન્મ દાખલો પોતાના કાકા રાજુ દલસિંગ હઠીલાના પુત્ર તરીકે નોંધાવ્યો છે અને જન્મ તારીખ પણ 05/01/2011 દર્શાવી છે. આ આક્ષેપો સાબિત કરવા માટે અરજદારે કમલેશ હઠીલા, તેમની પત્ની, રાજુભાઈ હઠીલા, તેમની પત્ની તથા બાળક દિલબરનો તાત્કાલિક DNA ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. આ સાથે જ સરપંચને તુરંત પદેથી દૂર કરવા તેમજ ખોટા સોગંદનામા બદલ ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારે ચેતવણી આપી છે કે જો 45 દિવસમાં અરજીનો નિર્ણય નહીં લેવાય, તો ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 અને 227 હેઠળ રિટ પિટિશન દાખલ કરવામાં આવશે. આ આક્ષેપોને પગલે રીંછુમરા ગ્રામ પંચાયતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
પાટણ તાલુકાના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પરેશ બેચરભાઈ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે બાલીસણા પોલીસે બંને આરોપી પરેશ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પરેશ પટેલના 11 ડિસેમ્બર સુધીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે ઝાકીરહુસેન મેમણને કસ્ટડીમાં મોકલી આપ્યો. આરોપીઓએ મહિલાના એકાકીપણાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ, તેના ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે રૂ. 27.25 લાખ પડાવી લીધા હતા. પોલીસના રિમાન્ડ રિપોર્ટ મુજબ, આરોપી પરેશભાઈ પટેલે ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તપાસ કરવા માટે આરોપી પરેશને 6 અને 7 ડિસેમ્બરના રોજ પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, તેનું મેડિકલ થઈ શક્યું ન હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી અન્ય ઘણા મોબાઈલ નંબર, ફોટો અને સ્ક્રીનશોટ મળ્યા છે. તેની તપાસ માટે આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. આરોપીએ આવી રીતે અન્ય કેટલા નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા છે તે અંગે પણ તેના મોબાઈલની રૂબરૂ તપાસ અને ક્રોસ વેરિફિકેશન કરવાની જરૂર છે. આથી, કોર્ટે સાબરકાંઠાના વડાલી તાલુકાના મોરડ ગામના રહેવાસી પરેશભાઈ બેચરભાઈ પટેલના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બે કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ બેનઝાઇલ ક્લોરાઇડની રીસીવર ટેન્કમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, મામલતદાર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની વધતી સંખ્યા સલામતી ધોરણોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિકો અને કામદાર યુનિયનોએ કંપની મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. મોરિયા અને ચાંદોદ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર થાંભલા નંબર 19/18 પાસે એક અજાણ્યા વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચણોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. એક્તાનગરથી ટ્રેન અમદાવાદ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયોએકતાનગર(સ્ટેચ્યુ ઓફ યુનિટી)થી અમદાવાદ જતી (ટ્રેન નંબર-20950) અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ચણોદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 60 વર્ષની વયના અજાણ્યા વૃદ્ધને ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં તે ફંગોળાઈ ગયા હતા. ટક્કરની તીવ્રતા એટલી હતી કે, વૃદ્ધને મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેનો ડાબો પગ કપાઈ જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રેનના ડ્રાઈવરે તાત્કાલિક રેલ્વે તંત્રને આ ઘટના અંગે મેસેજ આપ્યો હતો. આ માહિતી મળતાં જ ચાંદોદ પોલીસ અને રેલ્વે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ તપાસની શરૂઆત કરી હતી અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સાથે વાતચીત કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે અકસ્માતમાં વૃદ્ધના મોઢાના ભાગને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી અને તેનો ચહેરો વિકૃત થઈ ગયો હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતકના વસ્ત્રો અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. આત્મહત્યા છે કે દુર્ઘટના તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવીચાંદોદ પોલીસે મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી દવાખાને મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યા વૃદ્ધની ઓળખ મેળવવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આસપાસના ગામો અને યાત્રાધામના મુલાકાતીઓ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને મૃતકના પરિવારજનોને જાણ કરી શકાય. આ ઘટના રેલ્વે ટ્રેક પરના અકસ્માતોની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. રેલ્વે વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા લોકોને રેલ્વે ટ્રેક પર અનધિકૃત રીતે ચાલવા અથવા આવવા સામે વારંવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. આ અકસ્માતને કારણે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસે લોકોને વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું:એસ.જી.હાઈવે પર ચાલતા સ્પામાં દરોડા, 8 નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરાઈ
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં એએચટીયુની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આઠ નોર્થ ઇસ્ટ યુવતીઓને મુક્ત કરાવી હતી જ્યારે મેનેજરની ધરપકડ કરી હતી. સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલીને રેડનો પર્દાફાશ કર્યો હતો. સ્પામાં મસાજની આડમાં દેહવેપારનો ધંધો થતો હતો. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે વિવાંતા ઈન્ટરનેશનલ સ્પાની આડમાં દેહવેપારક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનિટ (એએચટીયુ)ની ટીમે સ્પા સેન્ટરના નેજા હેઠળ ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. એએચટીયુની ટીમને બાતમી મળી હતી કે એસ.જી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ પાસે વિવાંતા ઈન્ટરનેશન સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો છે. ડમી ગ્રાહકનું સીગ્નલ મળતા જ પોલીસની ટીમ સ્પા સેન્ટરમાં પહોચીબાતમીના આધારે એએચટીયુની ટીમે રેડ કરવાનું પ્લાનીગ કર્યું હતું અને ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. ડમી ગ્રાહકને પોલીસની ટીમે રૂપિયા આપીને સ્પા સેન્ટરમાં મોકલી આપ્યો હતો. જ્યારે ડમી ગ્રાહકે યુવતી સાથે ભાવતાલ નક્કી કરી લીધો ત્યારે તેણે પોલીસ કર્મચારીને મીસકોલ મારીને સીગનલ આપી દીધુ હતું. ડમી ગ્રાહકનું સીગ્નલ મળતાની સાથે જ પોલીસની ટીમ સ્પા સેન્ટરમાં પહોચી ગઈ હતી. સ્પા સેન્ટરમાંથી 8 યુવતીઓ મળીરેડ દરમિયાન પોલીસને રીસેપ્શન કાઉન્ટર પર હાજર પ્રજાપતિ મણીલાલ મળી આવ્યો હતો. મણીલાલ સ્પા સેન્ટરમાં મેનેજર છે અને માલીક ગૌતમ ઠાકોર છે. ગૌતમે પણ આ સ્પા સેન્ટર નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય પાસેથી ભાડે લીધુ હતું. સ્પા સેન્ટરમાં પોલીસને આઠ યુવતીઓ મળી આવી હતી જે મોટા ભાગે મિઝોરમ, આસામ, ઉતરપ્રદેશ,દિલ્હીસહિતની જગ્યાએ રહેતી હતી. લક્ઝ્યુરીસ સ્પા સેન્ટરમાં આઠ મસાજના રૂમ હતાલક્ઝ્યુરીસ સ્પા સેન્ટરમાં આઠ મસાજના રૂમ હતા અને ગ્રાહકોને તમામ સુવિધા આપવામાં આવતી હતી.એએચટીયુની ટીમે મણીલાલ,ગૌતમ, નીલ અને હિરેન વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દેહવેપાર કરવા આવતી યુવતીઓને રાતે હીસાબ પ્રમાણે રૂપિયા આપવામાં આવતા હતા.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોર વ્હીલર ચાલકે પૂરઝડપે એક્સેસ ચાલકને ટક્કર મારી હતી જેના કારણે એક્સેસ પર બેઠેલા યુવકોને ઇજા પહોંચી છે.બનાવમાં એક યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને વધારે ઇજા પહોંચી છે.હાલ યુવક સારવાર હેઠળ છે.બી ડિવિઝન ટ્રાફિક પોલ્સ ફોર વ્હીલર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. એક્સેસ પર જતા બે યુવકોને કારચાલકે ટક્કર મારીસાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરી બજાર જતા રસ્તા પર બે યુવકને એક્સેસ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક વેગેનાર ગાડીનો ચાલક આવી રહ્યો હતો.વેગેનાર ગાડીએ પૂર ઝડપે એક્સેસને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે એક્સેસ પર બેઠેલો યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને મોઢાના અને શરીરના ભાગે ઇજા પહોંચી છે જ્યારે અન્ય યુવકને સામાન્ય ઇજા પહોંચી છે.અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેગનઆર કારના ચાલક સામે ગુનો નોંધાયોઅકસ્માત મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વેગેનાર કાર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.કાર ચાલકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.પોલીસ દ્વારા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
સુરતના પ્રવત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. માર્કટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી પ્રસરી હોવાનું સામે આવ્યું છે. આગમાં 20થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે. સુરત શહેરના 9 ફાયર સ્ટેશનોની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ( આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
રાજસ્થાનના સિકરમાં થયેલા બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વલસાડ તાલુકના ફલધરા ગામના ચાર લોકોના મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી માતાના મંદિરે અને રાજસ્થાન પ્રવાશે નીકળ્યા હતા. જે દરમિયાન રાજસ્થાનના બિકાનેર હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.આ દરમિયાન સિકર પાસે અકસ્માત થયો હતો. આ બસમાં વલસાડ તાલુકાના ફલધરા ગામના 18 વ્યક્તિઓ પણ સવાર હતા, જેમાં આગળ બેસીને ડ્રાઇવરને રસ્તો બતાવતા પોલીસકર્મીનું પણ મોત થયું છે. ડ્રાઇવર સહિત ત્રણના મોતઆ અકસ્માતમાં બસ ડ્રાઇવર કમલેશ અને યાત્રી મયંકનું મોત થયું છે. જ્યારે અન્ય બે મૃતકની હજુ ઓળખ થઇ નથી. જ્યારે 15 ઘાયલોને સીકર રિફર કરવામાં આવ્યા છે. ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયામળતી માહિતી મુજબ મંગળવારે મોડી સાંજે સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટક્કર થતાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી જતાં હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો રોકાઈ ગયા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અમે પાછળ બેઠા હતા, આગળ શું થયું એની કંઇ ખબર ન પડી: પ્રવાસીધરમપુર તાલુકાના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, અમે વૈષ્ણોદેવીથી રાજસ્થાનના ખાટુશ્યામના દર્શન માટે જઇ રહ્યા હતા. અમે 50 લોકો બસમાં હતા, અમે તો પાછળ બેઠા હતા, આગળ શું થયું એની અમને કંઇ ખબર ન પડી. આ બસમાં મારા ગામના ઘણા પ્રવાસીઓ છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના SHO સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે, અકસ્માત મોડી રાત્રે થયો હતો. સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહ્યો હતો. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.
રાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સવારે 4 વાગ્યાના અસરસામાં આગ ફાટી નીકળી હતીઆગ લાગવાની જાણ થતાં રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આગની ગંભીરતાને જોતા 4થી વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરોનો કાફલો બોલવાયો હતો. વહેલી સવારના અંધારામાં અને જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાને કારણે આગને કાબૂમાં લેવાની કામગીરી ફાયર વિભાગ માટે પડકારજનક બની હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે સતત 5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોના પ્રયાસો રંગ લાવ્યા હતા. ફાયર વિભાગની ટીમે બહાદુરીપૂર્વક કામગીરી કરીને આગ પર લગભગ 80 ટકા જેટલો કાબૂ મેળવી લીધો છે. હાલમાં જ મળેલી માહિતી મુજબ, હાલમાં બાકીની 20 ટકા આગને સંપૂર્ણપણે બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી કરીને નુકસાન વધુ ન થાય અને આગ ફરીથી ન ભડકે. આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી છે અને કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. જોકે પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં બળીને ખાખ થતા મોટા નુકસાનની શક્યતા જોવાઇ રહી છે. આગ લાગવાનું કારણ અકબંધસ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ વહેલી સવારે 4 વાગ્યે લાગી હતી અને પ્લાયવુડને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. 4થી વધુ ફાયર ફાઈટરોની મદદથી સતત 5 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ આગના કારણે ફેક્ટરીમાં રહેલા પ્લાયવુડના મોટા જથ્થાને નુકસાન થયું છે, અને આર્થિક નુકસાન લાખો રૂપિયામાં થવાનો અંદાજ છે. આગ કાબુ થયા બાદ ફેક્ટરીના માલિકો દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અને આગનું કારણ જાણવા માટે વધુ તપાસ પણ કરવામાં આવશે. હાલ બાકી રહેલી 20% આગ કાબુમાં લેવા માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ટૂંક સમયમાં આગ કાબુમાં આવે તેવી શક્યતા છે.
હિંમતનગરમાં બુધવારે સવારે 7.15 કલાકની આસપાસ આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે એક પછી એક પાંચથી વધુ વિમાન કે રોકેટ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પસાર થતા દેખાયા હતા. આકાશમાં પસાર થઈ રહેલા આ યંત્રો પર સૂર્યના કિરણો પડતા એક અલગ જ દ્રશ્ય સર્જાયું હતું. સૂર્યપ્રકાશને કારણે તેમનો દેખાવ વધુ આકર્ષક બન્યો હતો. આ વિમાન કે રોકેટના ધુમાડાથી પણ આકાશમાં વિવિધ આકારો અને દ્રશ્યો રચાયા હતા, જેણે આ નજારાને વધુ રસપ્રદ બનાવ્યો હતો.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં એક ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એક એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. નલિયા બાદ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું. વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાઅમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 15 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
વલસાડ રૂરલ પોલીસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલાં સક્રિય બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. ૧૧.૦૭ લાખનો વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૨૧.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, પીઆઈ એસ.એન. ગડ્ડુના નેતૃત્વ હેઠળ વલસાડ રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તેમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક ટેન્કર (GJ-15-UU-7776) વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે, વલસાડ રૂરલ પોલીસે સરોણ હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. લાલ-સફેદ રંગનું ટાટા કંપનીનું શંકાસ્પદ ટેન્કર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ટેન્કર ચાલક પોલીસને જોઈને ટેન્કર છોડીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેન્કરની તપાસ કરતાં તેમાંથી ૨૦૦ પેટીઓમાં કુલ ૬૭૭૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. ૧૧.૦૭ લાખ આંકવામાં આવી છે. ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ. ૨૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે ટેન્કર ચાલક અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષની ઉજવણી પહેલાં રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ દ્વારા સતત કડક વોચ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. કે. સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગ એ. પટેલ જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત આ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટમાં પશ્ચિમી ક્ષેત્રના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા – માંથી કુલ 93 ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી રમાશે. આ વિશાળ સ્પર્ધામાં 93 ટીમોના કુલ 1300 ખેલાડીઓ ઉપરાંત 186 ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલૈયાઓની રોનકથી છલકાઈ ઉઠ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટીના ડાયરેક્ટોરેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, યુથ કલ્ચરલ એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું મહત્વ એ છે કે અહીંથી ટોચની ચાર ટીમોની પસંદગી કરવામાં આવશે, જે આંતર યુનિવર્સિટી ઇન્ટર ઝોનલ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26માં ભાગ લેવા માટે ચેન્નાઈ જશે. આ ઇન્ટર ઝોનલ ચેમ્પિયનશિપ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન એસ.આર.એમ. યુનિવર્સિટી, ચેન્નાઈ ખાતે યોજાશે.
સીંગવડના બારેલા ગામે મોડી રાત્રે ભીષણ આગ:પાંચ ભાઈઓના મકાનો બળીને ખાખ, ચાર બકરાના મોત
સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં પાંચ ભાઈઓના પાંચ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં ચાર બકરાના કરુણ મૃત્યુ થયા હતા, જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટના મધરાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, મકાનના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી, જેણે પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મકાનોમાં ઘાસ ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને થોડા જ સમયમાં પાંચેય મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગનો ભોગ બનેલા મકાનો એક જ પરિસરમાં આવેલા હતા અને તે પટેલ પ્રતાપભાઈ વજાભાઈ, પટેલ મોહનભાઈ વજાભાઈ, પટેલ દલપતભાઈ વજાભાઈ, પટેલ વિરસિંગભાઈ વજાભાઈ અને પટેલ રંગીતભાઈ વજાભાઈના હતા. આ પાંચેય ભાઈઓના પરિવારના સભ્યો આ મકાનોમાં રહેતા હતા. ઘટના સમયે પરિવારના સભ્યો ભોજન કર્યા બાદ ઊંઘી રહ્યા હતા. જોકે, આગની ચિંગારીઓ જોઈને પરિવારજનો સમયસર બહાર નીકળી આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને સૌ સુરક્ષિત બચી ગયા હતા. આ ભીષણ આગમાં પાંચેય મકાનોમાં રહેલો ઘરગથ્થુ સામાન, અનાજ, કપડાં અને જરૂરી દસ્તાવેજો સહિતનું તમામ માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત, મકાનમાં બાંધેલા ચાર બકરાઓ આગમાં ફસાઈ જતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પાંચેય મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભીષણ ઘટનાને કારણે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ચોટીલામાં ખાણ ખનીજનો દરોડો:મોટા કાંધાસર ગામમાંથી રૂ. 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોટા કાંધાસર ગામના ખાનગી સર્વે નંબર 158 અને સરકારી સર્વે નંબર 300 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન હાર્ડમોરમ (કોરર્વેશ)નું કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનોનો કુલ અંદાજિત મુદ્દામાલ રૂ. 1,41,00,000 આંકવામાં આવ્યો છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખોદકામ આઇબાબેન મોકાભાઈ દ્વારા કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉક્ત ઈસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ સંડોવાયેલા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહેશે. રાજ્યમાં ઉભી થયેલી ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોમાં ઉદ્ભવેલી નારાજગી અંગે પણ વિભાગો પાસેથી તાજા અહેવાલો રજૂ કરાશે. સુભાષ બ્રિજની પ્રાથમિક તપાસનો રિપોર્ટ રજૂ કરાશેકૃષિ રાહત પેકેજ માટે આવેલી અરજીઓ અને તેના નિકાલની ગતિ અંગે કેબિનેટ બેઠકમાં વિગતવાર ચર્ચા થશે. અમદાવાદના સુભાષબ્રિજમાં પડેલી તિરાડોની ઘટનાઓ પછી શહેરી વિકાસ વિભાગ અને AMC દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક કામગીરીનો રિપોર્ટ પણ બેઠકમાં રજૂ થશે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંગે નિર્ણયો લેવાઈ શકેઆ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની તૈયારીઓ, કાર્યક્રમોની રૂપરેખા અને આયોજનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. તહેવારોની સીઝન નજીક આવતા કાંકરિયા કાર્નિવલ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (કાઈટ ફેસ્ટિવલ) સહિત રાજ્યવ્યાપી મોટા કાર્યક્રમોની તૈયારીઓ અને સુરક્ષાને લઈને પણ ચર્ચા થશે. અંતે રાજ્ય સરકારની વિવિધ વિભાગોની કામગીરી, નવી યોજનાઓ અને નીતિગત નિર્ણયો પર સમીક્ષા થનાર હોવાથી આજની બેઠકને અનેક વર્ગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સુરત, જે એક સમયે 'સૂર્યપુર' તરીકે જાણીતું હતું, તે હવે સાચા અર્થમાં 'સૂર્ય નગરી' બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરની સતત વધતી જતી વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2030 સુધીમાં 100% રિન્યુએબલ એનર્જી સ્રોતમાંથી વીજળી મેળવવાનો એક મહત્ત્વપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ લગભગ 800 કરોડ ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચનો અંદાજ છે, જે સુરતને ગુજરાત અને દેશનું પ્રથમ સોલાર સિટી બનાવશે. આ સફળતાથી મનપાને દર વર્ષે 326 કરોડ ના વીજ બિલની જંગી બચત થશે. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન 3 ગણું વધારવાની યોજનાહાલમાં સુરત મનપા 65 મેગાવોટ (MW) રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરી રહી છે. આગામી 5 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં આ ઉત્પાદનને વધારીને 181 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે, જે વર્તમાન ઉત્પાદન કરતાં લગભગ 3 ગણું વધારે છે. શહેરના વિસ્તરણ અને નવા પ્લાન્ટ્સની જરૂરિયાતને કારણે વીજળીનો વપરાશ પણ વધવાનો અંદાજ છે. હાલમાં મહાનગરપાલિકા દર વર્ષે 37 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે, જે 2030 સુધીમાં વધીને 80 કરોડ યુનિટ થઈ જશે. સુરત મનપામાં સૌથી વધુ વીજ વપરાશ કરતા વિભાગવોટર સપ્લાય અને પમ્પિંગ સ્ટેશનોસુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ વીજળી બચાવવા નવી ટેક્નોલોજીનો સહારોમનપા દ્વારા વીજળીનો બિનજરૂરી વપરાશ રોકવા અને કાર્યક્ષમતા વધારવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. AI આધારિત સ્ટ્રીટલાઇટ: હાલની 20 વોલ્ટની LED લાઇટ્સને 12 વોલ્ટની પાવર સેવિંગ ટેક્નોલોજીમાં બદલવામાં આવશે. AI બેઝ્ડ ઓટોમેશન દ્વારા સૂર્યાસ્ત થતાં જ લાઇટ ચાલુ થશે અને સૂર્યોદય થતાં જ બંધ થશે, જેનાથી વીજળીનો દુરુપયોગ અટકશે. એનર્જી ઓડિટ ફરજિયાત: મનપાના 50 થી વધુ પાવર લોડ ધરાવતા તમામ વિભાગો માટે એનર્જી ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુ વીજ વપરાશ કરતા જૂના પમ્પ અને મશીનરી બદલીને પાવર સેવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમ: હાલમાં રાત્રિ દરમિયાન સોલાર પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહે છે. રાત્રિના સમયે પમ્પિંગ પ્લાન્ટ જેવી સતત ચાલતી યુનિટોને રિન્યુએબલ એનર્જીથી ચલાવવા માટે, દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વધારાની વીજળીને બેટરી સ્ટોરેજ સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે. આ રોડમેપ હેઠળ મનપા રિન્યુએબલ એનર્જીમાં 800 કરોડ નું રોકાણ કરીને આગામી 5 વર્ષમાં સંપૂર્ણ 'આત્મનિર્ભર' બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. સુરતનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અન્ય શહેરો માટે એક અનુકરણીય ઉદાહરણ બની રહેશે. સુરત મનપા 2030 સુધઈમાં 100 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે- મ્યુ. કમિશનરમ્યુનિસપિલ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા રીન્યુબલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ છે જે વર્ષ 2030 સુધી સો ટકા રીન્યુબલ એનર્જી નો ઉપયોગ કરશે .હાલમાં 28% જેટલો રિન્યુબલ એનર્જી નો ઉપયોગ સુરત મહાનગરપાલિકા કરી રહી છે વર્ષે અઢીસો કરોડથી વધુનો ખર્ચ સુરત મનપા કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 800 કરોડ નો ખર્ચ કરી સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિન્ડ પાવર તથા સોલાર પાવર પ્લાન્ટ લગાવી રહી છે
મોરબીમાં ઘરમાંથી 2.230 કિલો ગાંજો ઝડપાયો:એકની ધરપકડ, બીજા આરોપીની શોધખોળ શરૂ
મોરબીની મેમણ શેરીમાં આવેલા એક મકાનમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસને કુબેરનાથ મેઈન રોડ પર આવેલી મેમણ શેરીમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી 6,690 રૂપિયાની કિંમતનો 2 કિલો 230 ગ્રામ ગાંજો, 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને એક ઈલેક્ટ્રિક વજન કાંટો જપ્ત કર્યો હતો. કુલ 11,790 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરીફ યાકુબભાઈ કચ્છી (ઉંમર 35, રહે. મેમણ શેરી, કુબેરનાથ રોડ, મોરબી) નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરીફે જણાવ્યું કે તેણે આ ગાંજાનો જથ્થો સુરેન્દ્રનગરના અબ્બાસ મોવર પાસેથી મેળવ્યો હતો. આરીફ કચ્છી અને અબ્બાસ મોવર બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અબ્બાસ મોવરને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
માળિયામાં દેશી દારૂની બે ભઠ્ઠી પર રેડ:6200 લીટર આથો, 365 લીટર દારૂ જપ્ત; આરોપી ફરાર
માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામ નજીક દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠીઓ પર એલસીબી અને સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 6200 લીટર આથો અને 365 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, બંને સ્થળોએથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ, સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખીરઈ ગામના સીમ વિસ્તારમાં અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખારી તલાવડીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટેનો 4000 લીટર આથો અને 105 લીટર તૈયાર દેશી દારૂ, એમ કુલ રૂ. 1,21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટી (રહે. હાલ ખીરઈ ગામ, મૂળ સુરેન્દ્રનગર) હાજર ન મળતા, માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવી જ રીતે, માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. દરબારની સૂચના મુજબ, ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખીરઈ ગામમાં પાણીના સંપની પાછળના ભાગમાં તલાવડીના કાંઠે યુસુફભાઈ ઉર્ફે ભાણો સંધવાણીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી. આ સ્થળે દરોડો પાડતા, પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2200 લીટર આથો અને 260 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 1,02,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી યુસુફભાઈ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી (રહે. ખીરઈ ગામ) સ્થળ પર હાજર ન હોવાથી તેની સામે પણ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વેરાવળ નજીકના શાંતિપરા ગામે આવેલી જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ સ્વ. વિનુભાઇ રાજાભાઇ વાળા (જાનુડા) ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. રેડક્રોસ બ્લડ બેન્ક (વેરાવળ) ના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. જેમાં ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માત્ર ત્રણ કલાકમાં કુલ 82 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્ર થયેલું આ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી થશે. આ માનવતાવાદી સેવા કાર્યને સર્વત્ર સરાહના મળી રહી છે. સ્વ. વિનુભાઇ વાળાની પુણ્યતિથિ નિમિત્તે કરાયેલા આ સેવા કાર્યને સ્થાનિક લોકો, સમાજના આગેવાનો અને યુવાનો તરફથી ભારે આવકાર મળ્યો હતો. આ કાર્ય સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી શેરડીનું વાવેતર અપનાવી બમણીથી વધુ આવક મેળવી રહ્યા છે. આ ખેડૂતોને શેરડીની ખેતીમાં પ્રતિ વીઘા રૂ. 1.80 લાખ સુધીની આવક થાય છે, જે કપાસ કે મગફળી જેવા નિયમિત પાકો કરતાં ઘણી વધારે છે. સામાન્ય રીતે ગુજરાતના ખેડૂતો અનાજ, કપાસ અને મગફળી જેવા પાકો લે છે. જોકે, પાક બજાર સુધી પહોંચે ત્યાં સુધીમાં ભાવ ઘટી જાય છે અને વેપારીઓ સુધી પહોંચ્યા પછી ભાવ વધે છે, જેનાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળતું નથી. આ સમસ્યાને કારણે મોરબી જિલ્લાના ઘણા ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હળવદના માનસર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. મગનભાઈ વીરજીભાઈ અને ઘનશ્યામ ગોહિલ જેવા ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. તેઓના ખેતરેથી જ વેપારીઓ સીધો માલ લઈ જાય છે, જેથી તેમને વેચાણની ચિંતા રહેતી નથી અને ઓછી મહેનતે સારો નફો મળે છે. હાલમાં માનસર ગામમાં 700 વીઘાથી વધુ જમીનમાં શેરડીની ખેતી થઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક વીઘામાં સરેરાશ 1000 મણ શેરડીનો પાક આવે છે. બજારમાં શેરડીનો ભાવ પ્રતિ મણ રૂ. 150 થી 200 મળે છે. આ ગણતરી મુજબ, શેરડીની ખેતીમાં ખેડૂતોને પ્રતિ વીઘા આશરે રૂ. 1.80 લાખની આવક થાય છે. તેની સરખામણીમાં, કપાસ કે મગફળી જેવા નિયમિત પાકોમાં પ્રતિ વીઘા સરેરાશ રૂ. 50 થી 60 હજારની આવક થાય છે. આમ, શેરડીની ખેતીમાં ઓછી મહેનત અને ઓછા ખર્ચે બમણીથી વધુ આવક પ્રાપ્ત થાય છે. માનસર ગામના મોટાભાગના ખેડૂતો હવે શેરડીનું વાવેતર કરી રહ્યા છે. હળવદ સહિત અન્ય તાલુકાઓમાં પણ ઘણા ખેડૂતો ધીમે ધીમે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે.
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સ્થિત કેવડિયા સંકુલમાં રાજકોટ શહેરના યુવાન આર્કિટેક્ટ રિશીન મિત્રાએ એક અદ્ભુત અને અનોખા પ્રોજેક્ટને સાકાર કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.5 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ બોન્સાઈ વન એશિયાનું સૌથી મોટું પબ્લિક ડિસ્પ્લે બોન્સાઈ પ્રોજેક્ટ બની ગયું છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વામન વૃક્ષ વાટિકા' નામ આપ્યું છે. આ અનોખી વાટિકાનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીએ ગત વર્ષે 31 ઓક્ટોબર, 2024ના રોજ કર્યું હતું, અને બરાબર એક વર્ષ બાદ આ વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેમણે જ આ બોન્સાઈ વનનું લોકાર્પણ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અન્ય નેતાઓએ પણ આ નજરાણાની મુલાકાત લીધી હતી. 'વામન વૃક્ષ વાટિકા'ની વિશિષ્ટતાઓ અને પ્રોજેક્ટની ઝલકઆ બોન્સાઈ વન, જેને હવે 'વામન વૃક્ષ વાટિકા' તરીકે ઓળખવામાં આવે છે, તે પ્રવાસીઓ માટે એક નવું અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રિશીન મિત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, દેશ-વિદેશના લોકોને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ અનોખું અને યુનિક નજરાણું ઊભું કરવામાં આવ્યું છે, જે એશિયાનો સૌથી મોટો બોન્સાઈનો પબ્લિક ડિસ્પ્લે છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલી રહી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી, તેમના એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની ટીમ સહિત સૌએ સાથે મળીને ખૂબ જ મહેનત કરી છે. બોન્સાઈ ગાર્ડન પ્રોજેક્ટના વિવિધ ઘટકોઆ વામન વૃક્ષ વાટિકાને મુલાકાતીઓને એક શ્રેષ્ઠ અનુભવ મળે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. રિશીન મિત્રાએ પ્રોજેક્ટના વિવિધ ઘટકો વિશે વિગતો આપી હતી. આ વાટિકાના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યાં પાણીના ઝરણાં છે તેવો વિસ્તાર ખાસ પસંદ કરવામાં આવ્યો હતો, કારણ કે બોન્સાઈ વૃક્ષોને પાણીની સતત જરૂરિયાત રહે છે અને તેમના નાજુક મૂળ (જડ)ને અલગ પ્રકારની માટી અને કાળજીની જરૂર હોય છે. બોન્સાઈના પ્રકાર અને સંરક્ષણવામન વૃક્ષ વાટિકામાં સમાવિષ્ટ બોન્સાઈ વૃક્ષોને તેમની ઊંચાઈના આધારે વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે: પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા તેઓ નાની કદના વૃક્ષો સાથે લઈ જતાઆ બોન્સાઈ વનમાં આયુર્વેદિક અને અન્ય જુદી-જુદી પ્રજાતિના વામન વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિશીન મિત્રાના કહેવા મુજબ, આ બોન્સાઈ વૃક્ષનો કન્સેપ્ટ આપણા પ્રાચીન ભારતીય વારસામાંથી પ્રચલિત થયો છે. આપણા ઋષિમુનિઓ જ્યારે વન વિહાર કરીને એક સ્થળેથી બીજા સ્થળે જતાં, ત્યારે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા માટે તેઓ નાની કદના વૃક્ષો સાથે લઈ જતા હતા. ઋષિમુનિઓ દ્વારા નાનાં કદના વૃક્ષો પસંદ કરીને બીજા સ્થળે તેનું રોપણ કરવાના ઉદ્દેશ પરથી આ બોન્સાઈ વૃક્ષનો કન્સેપ્ટ પ્રચલિત થયો છે. અલગ-અલગ દેશોએ પોતાની સ્ટાઇલ ઊભી કરીને શીખવાનું શરૂ કર્યુંઆ વાટિકા દ્વારા લોકોને આ વસ્તુઓ આપણા વેદોમાંથી આવેલી છે તે વિશે જાણે અને શીખે તેવી ઈચ્છા છે. બાદમાં, અલગ-અલગ દેશોએ પોતાની સ્ટાઇલ ઊભી કરીને તેમાંથી શીખવાનું શરૂ કર્યું હતું. સૌથી સારા અને જૂના બોન્સાઈ વૃક્ષો તાઇવાન અને જાપાનમાં જોવા મળે છે, જ્યાં 150 વર્ષ સુધીના આયુષ્યવાળા બોન્સાઈ પણ છે. આ જ પ્રકારના બોન્સાઈ રાજકોટના આર્કિટેક્ટ રિશીન મિત્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કર્યા છે. સ્થાનિક મહિલાઓને તાલીમ અને સશક્તિકરણબોન્સાઈ વૃક્ષોની જાળવણી માટે તેમની કાપણી અને સંરક્ષણ ખૂબ જ નાજૂક કાર્ય હોય છે. આ વૃક્ષોની જાળવણી રાખવા માટે આ વિસ્તારની મહિલાઓને ખાસ તાલિમ પણ આપવામાં આવી છે. નિષ્ણાંતો દ્વારા તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આ મહિલાઓ બોન્સાઈ વૃક્ષનું વાવેતર અને વેચાણ કરીને આર્થિક રીતે સશક્ત બની શકે. ત્યારે 'વામન વૃક્ષ વાટિકા' માત્ર પ્રવાસીઓને આકર્ષવાનું જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણી અને બોન્સાઈ કલા વિશે જ્ઞાન આપવાનું તેમજ સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડવાનું પણ એક સુંદર માધ્યમ બન્યું છે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં ગઇકાલે તમે વાંચ્યું કે અમદાવાદના પોશ વિસ્તારમાં ગોતામાં બિઝનેસમેનના ઘરમાં થયેલી હત્યાની ઘટના વિશે વાંચ્યું. 52 વર્ષના રેખાબેન અગ્રવાલ રાતના આઠ વાગ્યાની આસપાસ ઘરમાં હતા. ત્યારે તેમની પુત્રવધુ સાથે ઝઘડો થયો અને બન્ને મારામારી કરવા લાગ્યા. પુત્રવધુના દાવા પ્રમાણે સાસુથી ગભરાઈને તે એક રૂમમાં પુરાઈ ગઈ. એ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ આવી અને તેણે સાસુ રેખાબેન અગ્રવાલની હત્યા કરી નાખી. આટલું જ નહીં, પુત્રવધુ નાયરા લગભગ 3 કલાક કરતા વધુ સમય સુધી રૂમમાં પુરાઈ ગઈ. ઘરમાં થયેલા શોરબકોરના વિશે આડશપાડોશના લોકોએ રેખાબેનના પતિને જાણ કરી હતી. પરંતુ રેખાબેનના પતિને કોરોના થયો હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. એટલે તેમનો દીકરો દીપક ટુવ્હિલર લઈને ફટાફટ ઘરે પહોંચ્યો હતો. પરંતુ તેની પત્નીએ રૂમનો દરવાજો બહારથી લોક હોવાનું કહ્યું હતું. આખરે નીરસણી લાવીને દીપક રસોડાની બારીમાંથી ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે પોતાની માતાની લોહીથી લથપથ લાશ જોઈ. ત્યા થઈ એ સમયે ઘરમાં રેખાબેન અને નાયરા જ હાજર હોવાથી પોલીસે શંકાના આધારે તેણીની પૂછપરછ કરી હતી. એ દરમિયાન નાયરાએ ઘરમાં ત્રીજી વ્યક્તિ આવી હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો. એટલે કેસની તપાસની દિશા જ ફરી ગઈ. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન…હત્યાના કેસમાં નાયરા શંકાના ઘેરામાં તો હતી. પરંતુ તેણે આપેલું સ્ટેટમેન્ટ જેમાં ત્રીજો માણસ ઘરમાં પ્રવેશ્યો હોવાની થિયરીને પણ સંપૂર્ણ રીતે નકારી શકાય એમ નહોતી. પોલીસની એક ટીમે તરત જ સોસાયટીના અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજ મેળવ્યા. રાતના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના ફૂટેજ ચકાસવામાં આવ્યા. પરંતુ ઘરમાં કે સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ નજરે ન પડી. પોલીસે સિક્ટોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરી. પરંતુ તેણે કોઈને જોયા હોવાની વાત નકારી કાઢી. આનાથી પોલીસ સામે વધુ ગૂંચવણ ઊભી થઈ. જો બહારથી કોઈ આવ્યું ન હોય તો પછી હત્યા કોણે કરી? બીજા દિવસે સવારે નાયરાના માતા-પિતા પણ રાજસ્થાનના બ્યાવરથી અમદાવાદ દોડી આવ્યા. દીકરીને હત્યાના કેસમાં ફસાયેલી જોઈને તેઓ આઘાતમાં હતા. બીજી તરફ દીપકના પિતા હોસ્પિટલમાં એડમિટ હતા, માતા મૃત્યુ પામ્યા એટલે એ પણ બેવડી પીડામાં ચૂપચાપ બેઠો હતો. પોલીસ પાસે હવે આ કેસ ઉકેલાય એવો કોઈ પ્રત્યક્ષદર્શી ન હતો. ઘરની ચાર દીવાલો વચ્ચે થયેલા ક્રાઇમમાં નાયરા એકમાત્ર સાક્ષી હતી અને હવે તેનું સ્ટેન્ટમેન્ટ પર ખોટું લાગતું હતું. એટલે પોલીસ અધિકારીએ એક યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું. સાયકોલોજિકલ પ્રેશર આપીને અને ભ્રમ ઊભો કરવો. તેમણે નાયરાની ફરીથી પૂછપરછ શરૂ કરી. પોલીસ અધિકારીએ કહ્યું, “જુઓ…બેન. અમે જાણીએ છીએ કે તમે ડરેલા છો. પણ હવે અમે હકીકતની બહુ નજીક છીએ. સીસીટીવીમાં ભલે કોઈ ત્રીજી વ્યક્તિ ન દેખાઈ હોય પણ અમને ફૉરેન્સિક તપાસમાં એવી માહિતી મળી છે જે તમને ખબર પણ નહીં હોય. આ માહિતી એ જ વ્યક્તિને ખબર હોય, જેણે ખૂન કર્યું હોય.” ખૂબ શબ્દ સાંભળતા જ નાયરાનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ તે એક પણ શબ્દ ન બોલી. પોલીસ અધિકારીએ ફરી બોલવાનું શરૂ કર્યું, “અમે જાણીએ છીએ કે રેખાબેન કયા રોગથી પીડાતા હતા. તેમની OCDની આદતોથી તમે કેટલા ત્રાસી ગયા હતા એ પણ અમે જાણીએ છીએ.” તેમણે ફરી એકવાર પોતાની વાત રોકી અને નિકિતાની આંખોમાં જોયું. પછી બોલ્યા, “નાયરાબેન, મૃત્યુ પહેલાં રેખાબેનને સૌથી વધુ દુઃખ કયા કારણથી થયું? એ સળિયો માર્યો એ પહેલાં? અમને લાશની બાજુમાંથી લાઇટર પણ મળ્યું છે. રેખાબેનના કપડાં અડધા સળગેલા કેમ હતા? શું તમે તેમને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો?” પોલીસ અધિકારીની આ યુક્તિ અસર કરી ગઈ. હત્યામાં વપરાયેલા હથિયાર અને શરીર પર બળેલા ડાઘા વિશેની વિગતો પોલીસને ક્યાંથી મળી? આ બધુ વિચારીને નાયરાની ધીરજ ખૂટી. તેના ધબકારા વધવા લાગ્યા. નાયરાએ હવે નીચી નજર રાખીને ચોધાર આંસુએ રડતા રડતા બોલવાનું શરૂ કર્યું, તેણે જે હકીકત જણાવી એ પોલીસની ધારણા કરતાં પણ વધુ ચોંકાવનારી હતી. આ માત્ર એક હત્યા નહોતી, પણ અંગત સંબંધો અને માનવીય લાગણીનો અંત હતો. નાયરાએ કબૂલ્યું કે લગ્ન પહેલા એક યુવક સાથે તેને પ્રેમસંબંધ હતો. જો કે, લગ્ન નક્કી થયા બાદ તેણે સ્વેચ્છાએ એ સંબંધો પૂરા કરી નાખ્યા હતા. લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં તેણે એક-બે વાર પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. દીપકે આ વાતચીતના મેસેજ અને કોલ રેકોર્ડિંગ્સ પકડી પાડ્યા હતા. આ મામલે પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો, જેનો કોઈને ખ્યાલ નહોતો. નાયરાએ માફી માગી લીધી અને ફરી ક્યારેય આવું નહીં થાય તેવી ખાતરી આપી હતી. દીપક એક શાંત સ્વભાવનો માણસ હતો. તેથી તેણે આ વાત ઘરની અંદર જ રાખી અને કોઈને જણાવી નહોતી. પોલીસ હવે વિચારવા લાગી કે શું આ હત્યા પાછળ સાસુ-વહુનો ઝઘડો જ કારણભૂત હતો? કે પછી દીપકની માતા રેખાબેનને નાયરાના ભૂતકાળના સંબંધો વિશે ખબર પડી હશે અને એ વાત હત્યાનું મુખ્ય કારણ બની હશે? સત્ય હવે વધુ રહસ્યમય અને ગૂંચવણભર્યું બની રહ્યું હતું. નાયરાએ હવે ધ્રુજતા અવાજે, આંખોમાં ભય અને નિરાશા સાથે એ રાતની ભયાવહ કહાનીનો અંતિમ અધ્યાય ખોલી નાખ્યો. પોલીસ અધિકારીઓ જેમ-જેમ હકીકત સાંભળતા ગયા તેમ-તેમ તેમના ચહેરા પર આઘાત અને આશ્ચર્યના મિશ્ર ભાવ જોવા મળતા હતા. નાયરાએ કબૂલ્યું કે સાસુ રેખાબેનના ત્રાસથી એ કેટલી હદે પીડિત હતી. સફાઈ અને ઘરકામના ઝઘડા તો સામાન્ય હતા, પણ જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ ત્યારે રેખાબેનનો માનસિક રોગ વધુ આક્રમક બન્યો. ઝઘડા થતો ત્યારે રેખાબેન ઘણીવાર દીપક અને રામનિવાસની સામે નિકિતાના ચારિત્ર્ય પર આંગળી ચીંધતા હતા. તેઓ કહેતા, “આ બાળક ગર્ભમાં ક્યાંથી લાવી છે? આ ગંદકી છે! આ બાળક દીપકનું નહીં, પણ મારા પતિનું છે. એને તો આવા જ સંબંધો ફાવે છે.” આ સાંભળીને દીપક અને તેના પિતા હંમેશા નાયરાનો પક્ષ લેતા હતા, જેના કારણે રેખાબેનનો ગુસ્સો વધતો હતો. આ આરોપોને નાયરા ચૂપ રહીને સહન કરતી હતી. 27 ઓક્ટોબર,2020ના રોજ દીપક ઓફિસે ગયો હતો અને તેના પિતા રામનિવાસ હોસ્પિટલમાં દાખલ હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ રેખાબેને ઘરકામ બાબતે નાયરાને ફરી ટોણા મારવાનું શરૂ કર્યું. સૂર્ય ઢળતા સુધીમાં તો સાસુ-વહુનો ઝઘડો ઉગ્ર બન્યો. રેખાબેને ગર્ભવતી નાયરા પર અત્યંત ગંદી અને અપમાનજનક ટિપ્પણી કરી. આ શબ્દો નાયરા માટે જાણે તણખલો સાબિત થયા. તેણે રેખાબેનને આવું કહેવાની ના પાડી, પણ OCDનો શિકાર બનેલા રેખાબેન બોલવાનું ચાલુ જ રાખ્યું. નાયરાનો બધો ગુસ્સો બહાર આવી ગયો અને બંને સાસુ-વહુ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઈ. આ ઝઘડાનો અવાજ સાંભળીને પાડોશીઓ ભેગા થઈ ગયા અને દરવાજો ખોલવાનું કહેવા લાગ્યા પણ બન્નેમાંથી એકેયે દરવાજો ખોલ્યો નહીં. થોડીવારમાં જ રેખાબેન એક બાજુથી લોખંડનો સળિયો લઈને નાયરાને મારવા માટે દોડી આવ્યા. નાયરાએ સળિયો પકડી લીધો. બંને વચ્ચે સળિયા માટે ખેંચતાણ થઈ. ખેંચતાણમાં રેખાબેનનું સંતુલન ગયું અને તે નીચે પડી ગયા. એ જ ક્ષણે નાયરાના હાથમાં સળિયો આવી ગયો. મહિનાઓથી જમા થયેલો ગુસ્સો અને અપમાનના બોજ નાયરાના મગજ પર હાવી થઈ ગયો. નાયરાએ પોલીસને જણાવ્યું, “મારા હાથમાં સળિયો આવતાં જ મેં રોષમાં આવીને તેમના માથામાં ચાર ઘા મારી દીધા. તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. હું તે વખતે ડરીને મારા બેડરૂમમાં જતી રહી.” પણ વાત અહીં પૂરી ન થઈ. થોડીવાર પછી ફરીથી નાયરાને ગુસ્સો આવ્યો. તે સળિયા સાથે પાછી હોલમાં આવી. તેણે જોયું કે રેખાબેન માંડ માંડ ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નાયરાએ ફરી સળિયો ઉગામ્યો અને રેખાબેનના માથામાં બીજા ત્રણ ઘા મારી દીધા. લોહીના છાંટા દીવાલો પર ઊડ્યા, અને નાયરાનું શરીર પણ લોહીથી લથબથ થઈ ગયું. રેખાબેન તડપવા લાગ્યા અને પછી થોડી જ વારમાં શરીર શાંત થઈ ગયું. નાયરાને હવે ભાન થયું કે તેના હાથે ખૂન થઈ ગયું છે. ડરના માર્યા તરત બાથરૂમમાં ગઈ. તેણે લોહીવાળા પોતાના કપડાં ધોઈ નાખ્યા અને હાથ-પગ ધોઈને પાછી આવી. વાત આટલેથી પણ ન અટકી. પોતાના ગુનાનો પુરાવો છુપાવવા માટે અથવા વધુ ક્રૂરતાના કારણે નાયરા એક ચાદર લઈને બેઠકરૂમમાં ગઈ. તેણે રેખાબેનના મૃતદેહ પર ચાદર મૂકી. પછી માચીસ લઈને ચાદરને સળગાવી દીધી. આગની જ્વાળાઓ ભભૂકી એટલે ફરી પાછી પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન જ પાડોશીઓએ રામનિવાસ અને પછી તેમણે દીપકને ફોન કર્યો હતો. નાયરાએ દીપકને ઝઘડાની વાત કરી પણ હત્યાની નહીં. જ્યારે દીપક ઘરે આવ્યો અને દરવાજો ન ખૂલ્યો ત્યારે નાયરાએ જુઠ્ઠું બોલીને આખી વાતને આડેપાટે ચડાવવાનો પ્રયાસ કર્યો. મેડિકલ તપાસમાં પણ નાયરાએ કરેલી કબૂલાત પુરવાર થઈ. ઝપાઝપી દરમિયાન રેખાબેને નાયરાએ માથામાં સળિયો માર્યો હતો, જેના નિશાન મળી આવ્યા હતા. એટલું જ નહીં, પંદર દિવસ પહેલાંના ઝઘડામાં રેખાબેને નાયરાને નખ માર્યા હતા, તેના નિશાન પણ ગળા પર હતા. હત્યાના દિવસે સળિયાની ખેંચતાણ થતાં તેના હાથમાં પણ ઉઝરડા પડ્યા હતા. આ બધી ઈજાઓ દર્શાવતી હતી કે નાયરા લાંબા સમયથી કંટાળી હતી. સાસુનો ત્રાસ, ચારિત્ર્ય પરના આક્ષેપો અને ગર્ભવતી થવા પર અપમાનજનક ટિપ્પણીઓ આ બધા કારણોથી MBA સુધી ભણેલી 29 વર્ષની નાયરા હત્યારી બની ગઈ. પોલીસે નાયરાની ધરપકડ કરી અને હત્યા તથા પુરાવાનો નાશ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી આગળ વધારી. હજુ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી તરફ દીપકે 2021માં નાયરાથી છૂટાછેડા માટે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં ફેમિલી કોર્ટે દીપકને આદેશ કર્યો કે 45 લાખ રૂપિયા નાયરાને ચૂકવવામાં આવે. જો કે ફેમિલી કોર્ટના આ ચુકાદાને દીપકે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેથી હાઇકોર્ટે તાજેતરમાં જ ફેમિલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપી દીધો છે.
દાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જુનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનક જ એક દિવસ તેને ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એક બીજા સાથે વાત થાય છે. ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમે છે અને મિત્રતા બાદ બન્ને એકબીજાને મનોમન ચાહવા લાગે છે. તેમજ સાથે જીવવા અને રહેવાના સપના જોવા લાગે છે. બન્નેના આ પ્રેમ સંબંધોને 4 વર્ષ જેટલો સમય થઈ જાય છે. પરંતુ ફોરેસ્ટ અધિકારી પરણિત તથા બે સંતાનનો પિતા હોવાથી પરિવાર તેને કાંટારૂપ લાગવા લાગે છે. આ કાંટો કાઢવાની આગલી રાત્રે ફોરેસ્ટ અધિકારી પ્રેમિકાને ફોન કરી કહે છે કે, હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તો તું મને અપનાવીશ કે નહીં. ત્યાર બાદ તેણે વિદેશ જવાના પ્લાનિંગ સાથે બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા હતા. ફોરેસ્ટ અધિકારીના આ પ્લાન આડે હજુ સુરતમાં રહેતા તેના પત્ની, પુત્ર અને પુત્રી અડચણરૂપ હતા. આ દરમિયાન દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી ભાવનગર આવે છે અને ફોરેસ્ટ અધિકારી એક ષડ્યંત્ર રચે છે. જેને 5 નવેમ્બરના રોજ અંજામ આપે છે. આપણે વાત કરી રહ્યા છીએ, પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારનારા ભાવનગરના ACF શૈલેષ ખાંભલાની. આ હત્યા કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. ગત 5 નવેમ્બરે રોજ ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકીયાથી મોં દબાવી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા. જો કે આ સમગ્ર મામલો 16 નવેમ્બરના રોજ સામે આવ્યો હતો. શૈલેષે નાર્કો માટે ના પાડી, આજે કોર્ટમાં રજૂ કરાશેભાવનગર શહેરની ભરતનગર પોલીસે 6 ડિસેમ્બરના રોજ શૈલેષ ખાંભલાને નાર્કો એનેલેસિસ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે નાર્કોની માંગણી કરી હતી, ત્યારે શૈલેષ ખાંભલાએ નાર્કો કરવા અંગે ના પાડી હતી. જેના પર વિચારણા કરવા માટે કોર્ટે 3 દિવસની મુદ્દત આપી હતી અને આજે (10 ડિસેમ્બર) ફરી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અંગે સીટી DYSP આર.આર.સિંઘાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોનીનો આ બનાવ છે. શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે ગુમ થયાની અરજી કરી હતી. જેની વિગત એવી હતી કે તેની પત્ની, તેની પુત્રી અને પુત્ર ગુમ છે. 'CDRમાં શૈલેષના સરકારી ક્વાર્ટરનો ખુલાસો થયો''ગુમની ફરીયાદ દાખલ કર્યા બાદ એસપીની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. એ ટીમને તેના અંગત બાતમીદારો અને CDR એનાલિસિસથી જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાનું સરકારી ક્વાર્ટર છે, તેના આગળના ભાગે ખાડો ખોદીને પુરી પણ દેવામાં આવ્યો છે. આ ઇનપુટ મળતા પોલીસ તેની વેરિફિકેશન માટે પર્સનલી ત્યાં સ્ટાફને ડિપ્લોય કરીને ચેકિંગ કરતા ત્યાં ખાડો કરેલો હતો. જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડિયોગ્રાફી, ડોગ સ્ક્વોડ, FSL અધિકારીને સાથે રાખીને ખોદકામ કરતા નયનાબેન તથા પૃથા અને ભવ્યના મૃતદેહ મળ્યા હતા.' 'જૂનાગઢમાં નોકરી દરમિયાન વનકર્મી યુવતીના પરિચયમાં આવ્યો''આ ત્રણેયની હત્યા શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જેના અનુસંધાને તેના વિરુદ્ધ ખૂટતા પુરાવા લેવામાં આવ્યા છે અને વિસ્તૃત પુરાવા લેવા અનુસંધાને એવી હકીકત જાણવા મળી કે શૈલેષભાઈ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રીકટ એરિયામાં સર્વિસ કરતા હતા.આ દરમિયાન ત્યાંની કોઈ વનકર્મી યુવતી સાથે પરિચય થયેલો અને તેની સાથે અવાર-નવાર વાતચીત કરતા.' 'હત્યા કરી એ દિવસોમાં પ્રેમિકાના સતત સંપર્કમાં હતો''તેમજ પરિવારની હત્યા કરી એ દિવસો દરમિયાન તેની સાથે સતત કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળતા આ વનકર્મીની ભાવનગર ખાતે પૂછપરછ કરી હતી. તેમાં એવી હકીકત બહાર આવેલી કે બન્ને એકબીજાને ચાહતા હોવાની વિગત ખુલી હતી. જેથી.યુવતીની ત્રણ વખત પૂછપરછ કરતા આ દરમિયાન તેણે કબૂલ્યું કે હત્યા કરવાના આગલા દિવસની રાતે શૈલેષ ખાંભલા સાથે વાત કરતા શૈલેષ ખાંભલાએ કહ્યું હતું કે, “હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તમે મને અપનાવશો કે નહીં.” ત્યાર બાદમાં બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતા અને ફોરેન નાસી જવાની પણ વિગત હતી. તેના માટે પણ ડોક્યુમેન્ટ્સ કરવામાં આવેલા છે. આરોપીના જુદા જુદાં પુરાવા મેળવવા માટે સીડીઆર એનાલાઇઝિંગ કરવામાં આવ્યા છે. તપાસ માટે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મોબાઈલને એફએસએલ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.' 'સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ''તેમજ આરોપી શૈલેષ ખાંભલાને 6 ડિસેમ્બરના રોજ નાર્કો એનાલિસિસ કરાવવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી તેની પ્રિ-પ્રોસેસ કરવામાં આવેલી છે. ઓવરઓલ આ તપાસની અંદર પોલીસને હજુ પણ ઘણા પુરાવા મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ આ કેસ નામદાર કોર્ટમાં સારી રીતે ચાલે તે માટે એક સ્પેશિયલ પી.પી.ની નિમણૂકની પ્રપોઝલ પણ કરવામાં આવી છે. એસપીની સીધી દેખરેખ હેઠળ આ તપાસ ચાલી રહી છે. અને આ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે.' 'સજ્જડ પૂરાવા મેળવી 90 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે'આ ઘટનામાં પોલીસ દ્વારા ક્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તે અંગે સિટી DYSP આર.આર.સિંઘાલે કહ્યું કે, જે ગુનામાં 10 વર્ષ કે તેનાથી ઉપરની સજાની જોગવાઈ હોય તેમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવાની ગાઈડલાઈન હોય છે, તેને અનુસરવામાં આવશે. ટોટલી સજ્જડ પુરાવા મેળવી અને પુરાવા મળ્યા બાદ આ કેસને કોર્ટમાં રજૂ કરવા માટે ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીને સજા થાય તે માટે પોલીસ દ્વારા એક ટીમની રચના કરી સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે. 'એકબીજાને ચાહતા પણ હતા'વનકર્મી યુવતી અને શૈલેષ ખાંભલા બન્ને કેટલા સમયથી સંપર્કમાં હતા તે અંગે જણાવ્યું કે આશરે 4 વર્ષથી આ લોકો એકબીજાના સતત કોન્ટેક્ટમાં હતા. અને એ પણ કહી શકાય કે એકબીજાને ચાહતા પણ હતા. એ ટાઈપના સીડીઆરના કોલ રેકોર્ડ પણ મળ્યા છે. ઘટનાને અંજામ આપીને નાસી જવાની વાત કે આ કેસમાં શૈલેષ ખાંભલા દ્વારા ગુમ રજીસ્ટર કર્યા બાદ પોલીસ કંઈ કરી ન શકે, લાશ ન મળી હોત અને થોડા દિવસોમાં કે મહિનામાં કેસ શાંત થઈ જવાની શક્યતા હતી. બાદમાં આ લોકો ફોરેન પણ ચાલ્યા જવાની વાત હોય શકે. એ રીતની આખી પાસપોર્ટની અને એકબીજાને સાથે જીવવાની અને સાથે રહેવાની પણ તપાસ દરમિયાન હકીકત ખૂલી છે. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી શૈલેષ શેતાન બન્યોશૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નયનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીએ કહ્યું, મેં તો તેમનાં પત્ની કે બાળકોને જોયાં નથી8 નવેમ્બરના રોજ ગુમ થયેલાં નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતાં પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતાં રહ્યાં હતાં એના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયુંશૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી, જોકે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ આવ્યો હતો. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખૂલવા લાગ્યાંઆ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નખાવીત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી. ત્યાર બાદ આ જ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. 'ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે'આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે એમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતાં કહ્યું હું આવું છું. 'તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે'ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો, જ્યાં તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાખવાનાં હતાં એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે. 'ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હતું એટલે મેં ગાદલું નાખ્યું'આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું(નીલગાય) પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને એના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યોત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો એમ કહેતાં જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બૂરવા માટે વધુ મોરમ(માટી) મગાવી એને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ બૂરી આપ્યા હતા. ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને એક બાદ એક ત્રણ લાશો નીકળીઆ માહિતી અંગે સિટી DySP આર.આર.સિંઘાલને જાણ કરવામાં આવી હતી. એમાં 16 નવેમ્બરના રોજ બે પંચો હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવતા, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વીડિયોગ્રાફર, આરએફઓ અમિત વાણિયાને સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન 3 માનવ મૃતદેહ ખાડામાંથી મળતાં એની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા, જેમાં આ ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતાં મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી. સ્નિફર ડોગ બેડ અને સેટી પલંગ પાસે ગયોત્યાર બાદ ડોગ-સ્કવોડ બોલાવી, જેથી ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દીવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા સેટી પલંગ પાસે ગયો. ત્યાર બાદ ત્રણેય લાશનો કબજો સંભાળી સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે જ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી. આ પણ વાંચો... ACF શૈલેષ ખાંભલાના પિતાએ વીડિયો બનાવી કડક સજાની માગ કરી, ભારે હૈયે કહ્યું- અમારા પરિવારનો માળો વિખેરાઈ ગયો
વિદેશમાં વસતા ગુજરાતીઓની કર્મભૂમિ ભલે ગમે તે દેશ હોય, પરંતુ તેમની માતૃભૂમિ તો ગુજરાત જ રહેવાની અને તેઓ પોતાની માભોમના વિકાસ માટે અથાગ પ્રયાસો કરતા હોય છે. ગુજરાતના વિકાસમાં દિલીપ બારોટનું પણ યોગદાન રહ્યું છે. દિલીપ બારોટે ગાંધીનગરમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. 'ગ્લોબલ ગુજરાતી'માં આજે આપણે વાત કરીશું, દિલીપ બારોટની. મહેસાણાની ચાલીમાં રહેતા દિલીપ બારોટ કેવી રીતે અમેરિકા ગયા? અમેરિકા જઈને તેમણે શરૂઆતમાં શું કર્યું? ડૉક્ટર બનવાની ઈચ્છા કેમ ફળીભૂત ના થઈ? અમેરિકા જતા સમયે પિતાએ કહેલા કયા શબ્દો મનમાં અંકિત થયા? દિલીપ બારોટે ગાાંધીજીનું કયું સપનું અમેરિકામાં પૂરું કર્યું? 'પિતા સાથે ચાલીમાં રહેતા'પ્રોફેસર તથા લેખક એવા ચંદ્રકાંતભાઈ પટેલે દિલીપભાઈ બારોટ અંગે વાતની શરૂઆત કરતા જણાવ્યું, 'દિલીપભાઈના પિતા સોમાભાઈ રેલવેમાં કામ કરતા. 1957થી તેઓ મહેસાણામાં તોરણવાળી માતાના મંદિરની ચાલીમાં રહેતા. આમ તો પરિવાર મૂળ વિસનગરનો છે. એક વર્ષ બાદ દિલીપભાઈનો જન્મ થયો. બે રૂમના મકાનમાં દસ વ્યક્તિઓ રહેતા. ટોઇલેટ પણ કોમન હતું. ચાલીની મહિલાઓ દિલીપભાઈની માતા ગોમતીબાને પોતાના નેતા માનતી. પરિવારમાં ચાર બહેનો ને ચાર ભાઈઓ. આઠ સંતાનમાંથી દિલીપભાઈ પરિવારમાં સાતમું સંતાન. પરિવારમાં સૌના લાડકા હતા. આટલું જ નહીં, દિલીપભાઈ ઘરના તમામ કામો કરતા.' 'મેડિકલમાં એડમિશન ન મળ્યું'દિલીપભાઈ વાતને આગળ વધારતા કહે છે, 'મમ્મી સોશિયલ લીડરશિપમાં લોકપ્રિય હતાં. પછી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જોડાયાં હતાં. મારું સ્કૂલિંગ મહેસાણામાં થયું. પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યા ને અમદાવાદની એલ. એમ. ફાર્મસીમાંથી બી.ફાર્મ કર્યું. ચંદ્રકાંભાઈના મતે, દિલીપભાઈ નાનપણથી જ ભણવામાં ઘણા જ હોંશિયાર અને હંમેશાં સ્કૂલમાં પહેલો નંબર જ લાવતા. આ જ કારણે કોલેજમાં છેક સુધી તેમને સ્કોલરશિપ મળતી રહેતી. આમ તો દિલીપભાઈ તથા બારોટ પરિવારની ઈચ્છા હતી કે તેઓ મોટા થઈને ડૉક્ટર બને. 12 સાયન્સ પછી તેમણે મેડિકલ માટે ફોર્મ ભર્યું, પરંતુ થોડાક માર્ક માટે એડમિશન મળ્યું નહીં. આ સમયે નિરાશ થવાને બદલે તેમણે ફાર્મસીમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું.' 'ફાર્મસીમાં હતા ને કપડાંનો વેપાર કર્યો'ચંદ્રકાંભાઈ વધુમાં જણાવે છે, 'દિલીપભાઈ કોલેજમાં હતા ત્યારે તેમણે કપડાં લે-વેચનો ધંધો કર્યો. તેઓ અમદાવાદના ભાઈકાકા હોલ આગળ શનિ-રવિ જઈને કપડાં વેચતાં. પછી દિલ્હી, મુંબઈ જઈને પણ આ કામ કરતાં. ફાર્મસીનું ભણ્યા બાદ અમદાવાદમાં સેન્ડોઝ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટીવની જૉબ મળી. તેમણે ત્યાં વર્ષેક જેવું જૉબ કરી હતી.' 'પિતાની એ વાત મનમાં અંકિત થઈ ગઈ'દિલીપભાઈ કહે છે, 'અમેરિકા મારો એક મિત્ર રહેતો હતો. તેણે ત્યાં આવવાનો અતિ આગ્રહ કર્યો હતો. આ જ કારણે 1982માં માત્રને માત્ર મિત્રને મળવા તેઓ અમેરિકા ગયા ને થોડો સમય રહ્યાં ને પછી તો અમેરિકાના જ થઈને રહી ગયા. ચંદ્રકાંતભાઈ વધુમાં જણાવે છે, દિલીપભાઈ તેમના પરિવારમાંથી વિદેશ જનારા પહેલા વ્યક્તિ હતા. તે સમયે મુંબઈથી અમેરિકાની ફ્લાઇટ જતી. ત્યારે પિતા મુંબઈ મુકવા આવ્યા અને તેમણે દીકરાના કાનમાં એક વાત કહી હતી કે જ્યાં જાય...ત્યાં આપણા એકલાનું નહીં પણ બીજાનુંય પેટ ભરાય તે જોજે. બીજાનું પેટ ભીખ આપવાથી નહીં પણ રોજી મળે તેવું કરવાથી જ ભરાય. પિતાના આ શબ્દો દિલીપભાઈના મનમાં અંકિત થઈ ગયા.' 'મોટેલમાં સાફસફાઈ પણ કરી'દિલીપભાઈ ઉમેરે છે, 'અમેરિકામાં ઇમિગ્રેટ તરીકે ગયો હતો. શરૂઆતમાં ન્યૂ જર્સીમાં મોટલમાં કામ કર્યું. પછી ફાર્મસીની એક્ઝામ આપી ને ત્યાં જ હૉસ્પિટલમાં કામ કરવા લાગ્યો. હૉસ્પિટલના એક સરે મને બિઝનેસમાં જવાની પ્રેરણા આપી હતી. આ જ સમયે મારા ભાઈના બે મિત્રો પણ અમેરિકામાં જ હતા અને તેમને પણ બિઝનેસમાં જ જવાની વાત કરી. આ રીતે બધાની વાત સાંભળીને મનમાં બિઝનેસ કરવો તેવું નક્કી કર્યું. આ દરમિયાન ફ્લોરિડામાં પહેલી મોટેલ ખરીદી. આ મોટેલ સારી રીતે ચાલી ને નફો થયો. આ જ કારણે એકમાંથી બીજી મોટેલ લીધી. એક સમયે મારી પાસે આઠ મોટેલ હતી. મોટાભાગની મોટેલ ફ્લોરિડામાં જ હતી. ચંદ્રકાંતભાઈ કહે છે, દિલીપ ન્યૂ જર્સીમાં આવ્યો. કોઈ સગું તો રહેતું નહોતું. તેમણે ન્યૂ જર્સીની મોટેલમાં સફાઈ સુદ્ધા કરી છે.' 'બીજાને મદદ કરવા જતાં રિયલ એસ્ટેટનું શીખ્યો'વધુમાં તેઓ જણાવે છે, 'મને અમારા બેંકરે કહ્યું કે એક ઇન્ડિયન ડૉક્ટર શ્રીકુમારને બિલ્ડિંગ ખરીદવું છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે કેવી રીતે આ બધી પ્રોસેસ કરવાની હોય છે. એમને મદદ કરવા જતાં ઑફિસ બિલ્ડિંગ ખરીદ્યું. અમેરિકા આવ્યાના બે વર્ષ બાદ જ એટલે કે 1984ના અંતમાં લોકોને મદદ કરવા જતાં રિયલ એસ્ટેટમાં જોડાવાનું બન્યું. આ ઉપરાંત ભારતમાં જાણીતું નામ એવા એક ભાઈને ફ્લોરિડા સ્થિત પ્રોજેક્ટમાં મદદની જરૂર હતી તો તેમને મદદ કરી. બીજાને મદદ કરતા કરતા હું રિયલ એસ્ટેટનું શીખવા લાગ્યો. 1988માં અમેરિકામાં સેવિંગ એન્ડ લોન ક્રાઇસીસ થઈ હતી તે સમયે ડાઉ જોન્સ માત્ર 800 પર હતો, આજે તો 47 હજારની ઉપર છે. એ વખતે કેવી રીતે ઓછા સોર્સિમાંમાં કામ કરવું આવડતું હોવાથી અમને વધારે તક મળી. આમ પણ કહેવાય છે કે એક સફળતા મળે એટલે તે બીજી સફળતાને ખેંચી લાવે.' દિલીપભાઈએ અમેરિકામાં ગાંધીજીનું સપનું પૂરું કર્યુંચંદ્રકાંતભાઈએ દિલીપ બારોટને મળેલી સફળતા અંગે જણાવ્યું, 'દિલીપભાઈનો પહેલો પ્રોજેક્ટ ફ્લોરિડામાં કીવેસ્ટમાં ઓછી આવક ધરાવતા પરિવાર માટે મકાનો બાંધવાનો મળ્યો હતો. આ પ્રોજેક્ટ પૂરો થતાં જ દિલીપભાઈએ કેરેબિયન વેસ્ટ નામનો 102 ઘરનો પ્રોજેક્ટ કર્યો. આ પ્રોજેક્ટ અમેરિકાના ઇતિહાસને બદલનારો બન્યો. વર્ષો પછી આ પ્રોજેક્ટ પરથી અમેરિકાના પ્રમુખ ઓબામાએ કામદાર નીતિની જાહેરાત કરી હતી. દિલીપભાઈ ઓછી આવક ધરાવતા લોકો માટે રાહતદરે મકાનો બાંધતા અને આ મકાનમાં નાનામાં નાની જીવનજરૂરિયાતની વસ્તુઓ રહેતી. આ જ કારણે અમેરિકના રાજ્યોના ઘણા ટાઉન તૂટતાં બચ્યા હતા. આ મકાનોને કારણે રોજગારી વધી અને એ રીતે તેમણે ગાંધીજીનું ગામડાં તૂટતા બચાવોનું સપનું અમેરિકામાં પૂર્ણ કરીને બતાવ્યું.' '7000 હજારથી વધુ રેસિડેન્શિયલ યુનિટ્સ બનાવ્યા'પોતાની કંપની અંગે વાત કરતાં દિલીપભાઈ જણાવે છે, '1986માં ક્રિએટિવ ચોઇસ કરીને કંપની ઊભી કરી. આ કંપનીએ 30 વર્ષમાં 40 જેટલા બિલ્ડિંગ્સ ને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કર્યા. સાત હજારથી વધારે રેસિડેન્શિયલ યુનિટ્સ બાંધ્યા. અમૃત ઓશન પ્રોજેક્ટ્સમાં દરિયા આગળ ભવ્ય અપાર્ટમેન્ટ બનાવ્યા. અમેરિકાની દૃષ્ટિએ આ પ્રોજેક્ટ ખૂબ જ મોટો કહેવાય. ગાંધીનગરમાં 150 એકરમાં ઇન્ફોસિટી પ્રોજેક્ટ કર્યો. અમેરિકામાં આ પ્રકારના 50 પ્રોજેક્ટ કર્યા છે. સાચું કહું તો, તમારી પર છે કે તમને શેમાં રસ છે. જે બાબતમાં રસ હોય તેમાં કામ કરો અને સારા માણસો શોધો. પછી તમે આખું શહેર કે દેશ પણ બનાવી શકો છો. અમેરિકા, ભારત ઉપરાંત જમૈકામાં પણ કામ કર્યું છે. અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં રિયલ એસ્ટેટના કામો કર્યા છે.' 'જીવન જ બધું શીખવે છે'દિલીપભાઈને પૂછવામાં આવ્યું કે તમે ફાર્માસિસ્ટ હતા, મોટેલમાં કામ કર્યું ને પછી રિયલ એસ્ટેટમાં કેવી રીતે કામ કર્યું? તેમણે હસતા હસતા જવાબ આપ્યો, 'જીવન જ બધું શીખવે છે. જે વસ્તુની જવાબદારી લો અને તેમાં ખંતપૂર્વક લાગેલા રહો એટલે ધીમે ધીમે શીખી જાવ. સાચું કહું તો, જીવન પાસેથી એકવાર શીખવાની શરૂઆત કરો તો તમને જીવનમાં ક્યારેય વાંધો આવતો નથી, કારણ કે શીખવાની કોઈ મર્યાદા નથી.' 'વાણીયા બુદ્ધિ અપનાવી વિકાસ કર્યો'ચંદ્રકાંતભાઈએ દિલીપભાઈના રિયલ એસ્ટેટના બિઝનેસ અંગે વાત કરતાં કહ્યું, 'અમેરિકામાં દિલીપભાઈએ અમૃત પ્રોજેક્ટ પામ બીચ એરિયામાં બનાવ્યો છે. અમેરિકામાં સૌથી વધારે જમીનના ભાવ આ એરિયાના છે. એક સમયે અમૃત પ્રોજેક્ટમાં એક બેડરૂમ અપાર્ટમેન્ટની કિંમત સાત-આઠ લાખ ડૉલર હતી. આ પ્રોજેક્ટમાં માત્ર ઘર નહીં, પરંતુ એક ફ્લોર પર દવાની દુકાનો, એક પર અલગ-અલગ રેસ્ટોરાં, ભાડેથી અપાર્ટમેન્ટ પણ મળે છે. દિલીપ બારોટે વાણીયા બુદ્ધિ અપનાવીને વિકાસ કર્યો છે.' 'સાહસી સ્વભાવને કારણે દિલીપ બારોટ આટલા સફળ થયા'એક ફાર્માસિસ્ટ કેવી રીતે રિયલ એસ્ટેટના બાદશાહ બન્યા તે અંગે વાત કરતા ચંદ્રકાંતભાઈ કહે છે, 'અમેરિકામાં સેવિંગ અકાઉન્ટમાં વ્યાજદર ઘણો જ ઓછો છે. સિનિયર સિટીઝન સેવિંગ અકાઉન્ટમાં પૈસા મૂકે પણ વ્યાજ વધારે મળે નહીં. આ જ વાતને તકમાં બદલીને દિલીપભાઈએ સેવિંગ અકાઉન્ટથી વધારે વ્યાજ આપીને પૈસા ધીરાણ પર લીધા. ઓછી આવક ધરાવતા લોકો માટે મકાન બનાવવાના હોય તો સરકારી નિયમ પ્રમાણે ટેક્સ ભરવો પડે નહીં. હવે ધીરાણ કરનારને વ્યાજ વધારે મળે અને ટેક્સ ભરવો પડે નહીં એટલે તેમને બંને બાજુથી લાભ થયો. દિલીપભાઈએ નાણા લેનાર પાસેથી 15 વર્ષે કે અમુક સમય પછી અમાઉન્ટ પરત આપવાનો કોન્ટ્રાક્ટ કરે. આ રીતે દિલીપભાઈએ રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો. તેઓ સાહસને કારણે જ આટલા સફળ થયા.' 'ગુજરાત ને આઇટી ઉદ્યોગના વિકાસમાં દિલીપ બારોટનું યોગદાન'ઇન્ફોસિટી પ્રોજેક્ટ અંગે વાત કરતા ચંદ્રકાંતભાઈ પટેલ કહે છે, 'ગુજરાત સરકાર સાથે રહીને દિલીપ બારોટે ઇન્ફોસિટી પ્રોજેક્ટ ગાંધીનગરમાં બનાવ્યો. આ પ્રોજેક્ટ માટે સરકાર અનેક વિદેશી કંપનીઓને મળી હતી, પરંતુ કોઈએ રસ દાખવ્યો નહોતો. ગુજરાત સરકાર હૈદરાબાદ-બેંગલુરુમાં જે રીતે આઇીનો વિકાસ થયો તે જ રીતે ગુજરાતમાં આઇટીનો વિકાસ કરવા માગતી હતી. ભારતીય કંપનીઓએ અરજી કરી હતી, પરંતુ વાટાઘાટો દરમિયાન ડિલ થઈ શકી નહીં. અંતે, દિલીપ બારોટને ફ્લોરિડામાં આ પ્રોજેક્ટની જાણ થઈ. તેઓ માતૃભૂમિ માટે કંઈક કરવા માગતા હતા. તેમણે તરત જ ટેન્ડર ભર્યું ને અંતે ગુજરાત સરકારે દિલીપભાઈની કંપની ચોઇસને આ પ્રોજેક્ટ ફાળવ્યો.ગુજરાતના વિકાસ ને આઇટી ઉદ્યોગમાં દિલીપભાઈ બારોટનો મહત્ત્વનો ફાળો છે. ઇન્ફોસિટી પાછળ દિલીપભાઈએ ઘણી જ મહેનત કરીને તેને સફળ પ્રોજેક્ટ બનાવ્યો છે. ઇન્ફોસિટીમાં સ્કૂલથી લઈ રેસ્ટોરાં-જિમ સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરી હતી. એક ફાર્માસિસ્ટ હોવા છતાં દિલીપભાઈએ રિયલ એસ્ટેટમાં કાઠું કાઢ્યું છે.' ટર્ન ઓવરની વાત કરતાં દિલીપભાઈ કહે છે, 'ટર્ન ઓવર સારું છે અને દિવસે દિવસે વધી રહ્યું છે. ફૅમ, મની ને પાવરથી દૂર રહો ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ રહે. જે દિવસે સત્તા, મની ને ફૅમનો મોહ લાગ્યો તે દિવસથી મનની અંદરની પ્રસન્નતા, આનંદથી દૂર થતાં જઈએ.' 'કોરોનાકાળમાં પણ કર્મચારીઓને બોનસ આપ્યું'ચંદ્રકાંતભાઈ વધુમાં કહે છે, 'કોરોનાકાળમાં વિશ્વભરની ઘણી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો, પરંતુ દિલીપભાઈએ આવું કર્યું નહોતું. ઉપરાંત બોનસ પણ આપ્યું હતું. તેમની કર્મભૂમિ અમેરિકા ને જન્મભૂમિ ગુજરાત છે. તેઓ લાઇમલાઇટ ને ફૅમથી ઘણાં જ દૂર રહેવાનું પસંદ કરે છે.' 'દિલીપ બારોટ તો રિયલ એસ્ટેટ કિંગ છે'ચંદ્રકાંતભાઈએ દિલીપભાઈની પ્રશંસા કરતા કહ્યું, 'તેઓ વગર એન્જિનિયરે રિયલ એસ્ટેટના કિંગ બન્યા. ફ્લોરિડા-જ્યોર્જિયામાં આખા વર્ષ દરમિયાન તેમની પાસે પાંચથી છ હજાર અપાર્ટમેન્ટ માલિકીના હોય છે અને તેઓ આ અપાર્ટમેન્ટ ભાડે આપે છે. આ ઉપરાંત અમેરિકાના મોટા રાજ્ય ટેક્સાસમાં કારના નંબર આપવાનું કામ દિલીપભાઈની કંપની કરે છે. છેલ્લા દસ-બાર વર્ષથી તેઓ ટેન્ડર ભરે છે અને તેમને આ કામ મળે છે. દિલીપભાઈની કંપનીમાં 3500ની આસપાસ કર્મચારીઓ હશે. દિલીપભાઈ રિયલ એસ્ટેટ ઉપરાંત ઇટેક કરીને ગ્લોબલ આઇટી કંપની પણ ચલાવે છે. આ કંપની જમૈકા, અમેરિકા તથા ભારતમાં કાર્યરત છે. તેમણે એટલાન્ટામાં મેગ્નોલિયા 400 અપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો.' 'રોજ સવારે પ્રાર્થના વગર ઘરની બહાર નીકળતા નથી'ચંદ્રકાંત પટેલે દિલીપભાઈ બારોટની વાત કરતા કહ્યુ્ં, 'તેઓ ભગવાનમાં માને છે, પરંતુ કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલા નથી. રોજ સવારે પ્રાર્થના કર્યા વગર ઘરની બહાર નીકળતા નથી. અઢળક સમૃદ્ધિ હોવા છતાં દિલીપભાઈનાં પત્ની ઘરે જાતે કામ કરે છે. ભારતીય સંસ્કૃતિને આ પરિવાર વરેલો છે.' 'અમેરિકા આજે પણ તકોની ધરતી'દિલીપભાઈ સ્વીકારે છે, 'અમેરિકા આજે પણ લેન્ડ ઑફ ઓર્પોચ્યુનિટી છે. જો તમને અમેરિકા આવવાની તક મળતી હોય અને તમને લાગતું હોય કે તમે તે તકને લાયક બની શકશો તો આવવું સારું છું. નાનપણમાં કવિ કલાપીની કવિતા સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે... સાંભળી હતી. એ જ રીતે ભગવાન આપણને અઢળક તકો આપે છે પણ આપણે તે તકોને લાયક બનાવવા પ્રયાસ કરવા તૈયાર છીએ ખરાં?. કુદરતને વાંકમાં લઈએ તેના કરતાં પોતાની જાત પર ફોકસ કરીએ તો સોલ્યુશન વધારે મળીએ.' 'હ્યુમન ટ્રાફિકિંગથી અમેરિકા આવનાર લોકોનું શોષણ જ થાય છે''ગેરકાયદેસર એટલે કે હ્યુમન ટ્રાફિકિંગથી અમેરિકા ક્યારેય આવવું નહીં. વિઝા મળતા હોય તો જ આવવું. તમારી પાસે આવડત હોય ને અમેરિકન સિસ્ટમને રિસ્પેક્ટ આપવાની તૈયારી હોય તો જ આવવું. અમેરિકાના કાયદા ને કલ્ચરને છેતરવા નહીં. તે છેતરીને શરૂઆતમાં કદાચ સફળતા મળી જાય, પરંતુ તે લાંબાગાળે નુકસાન જ કરશે. જે દેશમાં રહો તે દેશના નિયમો-કાયદા માનવા જરૂરી જો કોઈ લાલચ આપે તો પહેલા જાતને પૂછો કે કેમ ખોટા રસ્તે જાઉં છું. મહેનત કરીને સારા રસ્તે જવું. હ્યુમન ટ્રાફિકિંગથી આવેલા મોટાભાગના લોકોનું શોષણ થાય છે. અમેરિકા આવવાના સાચા ને સીધા રસ્તા છે. એ વાત પણ એટલી જ સાચી છે કે આજે ઇન્ડિયામાં પણ ઘણી જ તકો છે. તે તકોનો લાભ લેવો જોઈએ.' 'ડિજિટલ નહીં, વાસ્તવિક દુનિયામાં જીવો'દિલીપભાઈ યંગસ્ટર્સને સલાહ આપતા કહે છે, 'અત્યારના યંગસ્ટર્સમાં ડિજિટલ વિશ્વને કારણે એક કાલ્પનિક દુનિયા ઊભી થઈ છે. એ એમને જીવનની વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે અને તેને કારણે વાસ્તવિક દુનિયાનો આનંદ, સુખ-શાંતિ મળતી નથી. જ્યાં સુધી રિયાલિટી ચેક ના હોય ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં, કારણ કે તમે તમારી કલ્પનાની દુનિયામાં રહો છો. આજકાલ બધા, ડિજિટલી કનેક્ટેડ હોય છે, પરંતુ તે ફૅક છે. આજકાલના માણસોની કમ્યુનિકેશન સ્કીલ પણ સારી રહી નથી. પહેલા તો અમે એકબીજા સાથે વાત કરીને સમસ્યાની ચર્ચા કરતા ને પછી તેમાંથી જ ઉકેલ મળી જતો. યંગસ્ટર્સે ડિજિટલ વર્લ્ડને વધુ પડતું મહત્ત્વ આપવું જોઈએ નહીં. ટેક્નોલોજી તો જ્યારથી મનુષ્યજીવન અસ્તિત્તવમાં આવ્યું ત્યારથી જ છે. AIથી કંઈ દુનિયા બદલી જવાની નથી. તેઓ પોતાની કંપનીની વેલ્યૂ વધારવા માટે હાઇપ ઊભો કરે, પણ આપણે એ વાત સમજવાની જરૂર છે કે આપણે માણસ છીએ અને માણસ જ રહીશું. લોકોએ વાસ્તવિકતામાં માણસ તરીકે જીવવું જોઈએ.' 'નમ્ર હશો તો આત્મવિશ્વાસમાં વધારો થશે''હું અત્યારે યંગ હોઉં તો શું કરું. અમેરિકાની ભાષામાં કહું તો કલ્ટિવેટ ગુડ હ્યુમન બનવાનો પ્રયાસ કરું. કોઈ પણ સંબંધમાં લેવા કરતાં આપવાની ભાવના વધુ રાખો. આ ઉપરાંત વર્ક હાર્ડ ને વર્ક સ્માર્ટ. સ્માર્ટ વર્ક એટલે પ્લાનિંગ કરો, સલાહ લો, ઉતાવળિયા પગલાં ના લો. હંમેશાં નમ્રતા ને આત્મવિશ્વાસુ બનો. જે માણસ સાચા અર્થમાં નમ્ર હશે એનામાં જ આત્મવિશ્વાસ હશે. હમ જહા ખડે હૈ, લાઇન વહીં સે શુરુ હોતી હૈ... એવો ખોટો આત્મવિશ્વાસ હોવો જોઈએ નહીં.' 'સર્વન્ટ રિલેશનશિપમાં માનો''આજના યુવાનોને સર્વન્ટ રિલેશનશિપ અંગે સમજાવતા દિલીપભાઈ બોલે છે, અત્યારના મૂવી જોઉં છું તો ડર લાગે છે કે આટલી બધી હિંસા કેમ બતાવવામાં આવે છે. ભૂતકાળમાં જેને હિંસા કરી છે તેને પૂછો કે રાજા સમ્રાટને કેટલો પસ્તાવો થતો હતો. ચંગીઝ ખાન, એલેક્ઝાન્ડરની તો વાત જ ના પૂછો. યંગસ્ટર્સની દયા આવે કે આવુ કેમ જુએ છે. આપણે હીરો બનવાની જરૂર નથી. આપણે તો હું બનું તે જ પૂરતું છું. સારો માણસ બનું ને આસપાસના વ્યક્તિઓ ખુશ રહે એ મારા માટે અગત્યનું છે. મારી બંને દીકરીઓ શમા ને નિરા બિઝનેસમાં છે. હું સર્વન્ટ રિલેશનશિપમા માનું છું. સર્વન્ટ રિલેશનશિપ એટલે કે વ્યક્તિ પોતાની પાસે સત્તા કે પાવર ના રાખે, પરંતુ બીજાને આગળ વધવામાં ને તે અપાવવામાં પ્રયાસ કરે. ગાંધીજીએ ક્યારેય સત્તા કે પૈસાનો મોહ બતાવ્યો નહીં ને દેશને આઝાદી અપાવી. એ જ રીતે કૃષ્ણ ભગવાને સત્તા મેળવવાનો સહેજ પણ પ્રયાસ કર્યો નહીં તેમણે બીજાને જ હંમેશાં સત્તા અપાવી. યંગ સ્ટર્સે હીરોઇઝમને બદલે સર્વન્ટ લીડરશિપ પર ફોકસ કરીને લાઇફને આગળ વધારવી જોઈએ.' 'સફળતા-નિષ્ફળતા રોજિંદો ક્રમ'દિલીપભાઈ માને છે, 'સફળતા-નિષ્ફળતા રોજનો ક્રમ છે. તમે આને કેવી રીતે જુઓ છો તેના પર આધાર રાખે છે. જીવનમાં જાગૃત કે ઊંઘમાં પણ તમને કેટલીક ક્ષણો આશાભરી ને કેટલીક નિરાશામય લાગે. હું સતત નિરાશા કે હતાશામાં રહ્યો હોઉં તેવું ક્યારેય બન્યું નથી. એનું કારણ એ છે કે પેરેન્ટ્સે શીખવ્યું હતું કે આપણે ગમે તેટલા પ્રયાસો કરીએ પણ અમુક બાબતો પ્રયાસો કરતાં અમુક પરિબળોને કારણે ધાર્યું પરિણામ ના આપે તો હતાશ થવું નહીં. ફરીથી ભગવાનને પ્રાર્થના કરીને આપણી અંદર રહેલી આત્મા-પરમાત્માને ભેગી કરીને હિંમત એકઠી કરવાની ને ફરી પ્રયાસો કરીને જીવનમાં આગળ વધવાનું. મને આસપાસના લોકોમાંથી પ્રેરણા મળે છે. અમેરિકામાં આવ્યા પછી મને ઘણા બધામાંથી પ્રેરણા મળી. નેપોલિયનની બુક થિંક એન્ડ ગ્રો રિચ, અર્લ નાઇટેગલની બુક લીડ ધ ફિલ્ડ તથા ટાઇમ પાવર, પાવર હાયરિંગમાંથી ઉપરાંત ભારતમાં તો અઢળક સાહિત્યમાંથી પ્રેરણા મળી. ભાગવદ્દ ગીતા, જીવન શોધન, વિવેક સાધના, કિશોર મશરુવાલાના પુસ્તકો વાંચતો હોઉં છું. ગુજરાતી સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે ગુજરાતીઓને ભરપૂર જ્ઞાન મળી રહે તેમ છે. જોકે, ગુજરાતીઓએ તેમાં રસ લેવો પડે અને પછી તેને અમલમાં મૂકવું પડે.' 'સમસ્યાઓને કાગળ પર લખું છું''મને કંઈ પણ મૂઝવણ થાય તો હું પહેલા એ જ વિચારું કે કઈ વસ્તુની મૂંઝવણ છે. તે સ્પષ્ટ ભાષામાં કાગળ પર લખી નાખું. પછી તરત જ તેનું સોલ્યુશન લખવા બેસું અને તેમાંથી જે બેસ્ટ હોય તેનો અમલ શરૂ કરું. તમે આ ટેક્નિક જીવનમાં અપનાવો તો તમને કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ સરળતાથી મળી જાય. ભગવાને આપણે સોલ્યુશન ઓરિએન્ટેડ નેચર આપ્યો છે, પરંતુ આપણે તેનો ઉપયોગ જ કરતા નથી.' 'ભારતીય હોવાનો ગર્વ'દિલીપભાઈન ગુજરાતી ને ભારતીય હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું, 'મને મારા વારસા પર અભિમાન છે. બિઝનેસ ને સોશિયલી બંને રીતે ગુજરાત સાથે કનેક્ટ રહી શક્યો તે માટે ભગવાનનો આભારી છું. વર્ષે એકવાર અચૂકથી ગુજરાત આવું છું. ગુજરાતમાં મિત્રો ને પરિવાર છે. સાચું કહું તો તમે પ્રાયોરિટી નક્કી કરો કે ગુજરાત સાથે સંપર્ક રાખવો છે તો ચોક્કસથી તે કરી શકો. મારા પત્ની ગોપી ગુજરાતી છે. વિદેશમાં એવું કહેવાય કે પત્ની ગુજરાતી હોય તે નોન ગુજરાતીને પણ ગુજરાતી બનાવી દે છે. મારો એક ફ્રેન્ડ પંજાબી ને એક રાજસ્થાની છે અને તે બંનેની પત્નીઓ ગુજરાતી હોવાથી તે હવે પાક્કા ગુજરાતી બની ગયા છે. ગુજરાતી સ્ત્રીમાં એક વિશિષ્ટતા છે કે તે ભલે મોર્ડન હોય, પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિને ક્યારેય ભૂલતી નથી. તેઓ ગુજરાતીપણુ છોડતા નથી. ગુજરાતની આ વિશિષ્ટતા છે.' 'ગુજરાત દરિયાકાંઠે છે અને સદીઓથી અલગ અલગ લોકો આવ્યા. આ જ કારણે ગુજરાતને અન્ય કલ્ચર સાથે તાલમેલ બેસાડતા સારી રીતે આવડે છે. બીજાની સારી બાબતો સ્વીકારવાની ને પોતાની સંસ્કૃતિ જાળવવાનું ગુજરાતીઓ સુપેરે જાણે છે. બીજામાં ભળી જવામાં ગુજરાતીઓને ક્યારેય વાર લાગતી નથી. આ આપણા લોહીમાં છે. અમેરિકામાં હોવા છતાં અમે આજે પણ ગુજરાતીમાં વાત કરીએ છીએ. અમારું ભોજન ગુજરાતી જ છે. દરેક ગુજરાતી તહેવાર ઉજવીએ છીએ. સાચું કહું તો, મારું ગામ વિસનગર, ગંદીખાડ મહોલ્લામાં દાદા સાથેની રમેલી રમતો, રેલવે સ્ટેશન, મંદિર, મિત્રો-ફૂડ તમામને અમેરિકામાં ઘણાં જ મિસ કરું છું.' આવતીકાલે 'ગ્લોબલ ગુજરાતી'ના ચોથા એપિસોડમાં વાંચો, અમેરિકામાં પટેલનો દીકરો બબ્બેવાર ફ્રોડનો ભોગ બન્યો, આજે પોતાની કંપની ઊભી કરી દીધી છે....
5 ડિસેમ્બરે જામનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેરસભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું. જેણે જૂતું ફેંક્યું તે છત્રપાલસિંહે એવું કહ્યું હતું કે મેં પ્રદીપસિંહ પર ફેંકાયેલા જૂતાંનો બદલો લેવા માટે આવું કર્યું છે. જો કે હકીકત કંઇક જુદી જ છે. આ ઘટના પાછળ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-12માં કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો કકળાટ જવાબદાર છે. એ સભામાં મંચ પર હાજર રહેલા કેટલાક લોકોને કંઇક અજુગતું બનવાનું છે તેનો અંદેશો પહેલેથી જ હતો. આ કોણ હતું? તેમને કેવી રીતે ખબર હતી કે ધાર્યા બહારની ઘટના ઘટવાની છે? એ દિવ્ય ભાસ્કરે જાણ્યું હતું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં વોર્ડ નં-12માંથી કોંગ્રેસના જૈનબબેન ખફી, અસલમ ખિલજી, અલ્તાફ ખફી અને રિઝવાન હાજી એમ 4 કોર્પોરેટર્સ ચૂંટાયા હતા. જે દિવસે ઇટાલિયા પર જૂતું ફેંકાયું તે દિવસે અલ્તાફ ખફી સિવાયના ત્રણેય નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા અને મંચ ઉપર હાજર હતા. જૂતું ફેંકાયું ત્યારે તરત જ એક મહિલા દોડીને હુમલો કરનારા છત્રપાલસિંહ સુધી પહોંચી ગઇ હતી. જેના દૃશ્યો પણ તમે એ વીડિયોમાં જોયા જ હશે. આ મહિલા એટલે જૈનબબેન ખફી. હુમલા સમયે તેઓ ઇટાલિયાની બાજુમાં જ હતા. દિવ્ય ભાસ્કરે વોર્ડ નં-12ના ચારેય નેતાઓ સહિત શહેર કોંગ્રેસના એક અગ્રણી સાથે વાતચીત કરી હતી. જેમાં આપમાં જોડાનારા ત્રણેય નેતાઓએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. જ્યારે કોંગ્રેસના એક નેતાએ તો શહેર પ્રમુખ પર જ આરોપ લગાવી દીધો. મારી નજર પહેલેથી હુમલાખોર પર હતીઃ જૈનબબેનદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જૈનબબેન ખફીએઆ ઘટનાને નિમ્ન કક્ષાની ગણાવી હતી. જૈનબબેને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, છત્રપાલસિંહ કોંગ્રેસના કાર્યકર છે. તેઓ આપનો ખેસ પહેરવા આવ્યા છે તેવી વાતચીત કરી હતી. કાર્યક્રમમાં મારી નજર તો પહેલેથી જ તેમના પર હતી. 'નેતાઓએ કહ્યું હુમલાખોર છત્રપાલસિંહ આપમાં જોડાવા આવ્યા છે'તેમણે આગળ કહ્યું કે, છત્રપાલસિંહ આવ્યા ત્યારથી જ મને શંકા હતી. મેં આમ આદમી પાર્ટીના નેતાઓને પણ પૂછ્યું કે આ કેમ અહીંયા આવ્યા છે તો તેમણે કહ્યું તે પણ આપમાં જોડાવાના છે પરંતુ મારું મન નહોતું માનતું. મારી નજર સતત એમના પર હતી એટલામાં તો પોલીસ આવી ગઇ. હું છત્રપાલસિંહને આગળથી દૂર કરવાનું વિચારતી હતી તેટલામાં તો આ સમગ્ર ઘટના બની ગઇ. અમે તેમને પૂછ્યું કે અનેક લોકોનો આક્ષેપ છે કે તમને પહેલેથી ખબર હતી એટલે તમે જલદી ઊભા થયા. જેના જવાબમાં તેમણે કહ્યું કે, મારે આવું નિમ્ન કક્ષાનું રાજકારણ કરવાની કોઇ જરૂર નથી. અમે પૂછ્યું કે અસલમભાઇ અને રિઝવાનભાઇ કેમ ઊભા ન થયા તો તેમણે કહ્યું, તેઓ એક વર્ષ પહેલાં જ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા હોવાથી તેઓ છત્રપાલસિંહને વધુ જાણતા નહીં હોય એટલે તેઓ ઊભા નહીં થયા હોય. પોલીસ ગોઠવાઇ તે અજુગતું લાગ્યુંતેઓ ભાજપ પર આક્ષેપ કરતા કહે છે કે, સભા દરમિયાન જે રીતે પોલીસ ગોઠવાઇ તે ખૂબ અજૂગતું હતું. સભામાં હાજર દરેક વ્યક્તિનું તેના પર જ ધ્યાન હતું. બધાને ખબર છે કે પોલીસ તો સત્તા પક્ષને ઇશારે ચાલે છે જ્યારે જૂતું મારનારો તો કોંગ્રેસનો કાર્યકર છે એટલે આખી ઘટના રાજકીય છે. આપ આગળ આવતા ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુંતેમણે કહ્યું કે, જો છત્રપાલસિંહને પ્રદીપસિંહ અંગેનો બદલો જ લેવો હોત તો તેમની પાસે અગાઉ પણ અનેક તક હતી, એ તો 2017ની ઘટના છે. એ ઘટના બાદ તો ગોપાલ ઇટાલિયા અનેક વાર જામનગર આવ્યા હતા. હકીકત એ છે કે જામનગર શહેરમાં આપની રેલી થઇ અને જનસભા થઇ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા જેથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના પેટમાં તેલ રેડાયું. 'કોંગ્રેસના કાર્યકરે આ કૃત્ય કર્યું છે પણ આવી વિચારધારા કોંગ્રેસની બિલકુલ નથી. જામનગર શહેર કોંગ્રેસે જાણે ભાજપ પાસેથી જ કોંગ્રેસને સાફ કરવાનું બિડું ઝડપી લીધું હોય તેવું લાગે છે. સૌ કોઈ જાણે છે કે અમારા જેવા કાર્યકર કોંગ્રેસને ખૂબ વફાદાર હતા અને પક્ષ કહે એ પ્રમાણે જ કાર્ય કરતા હતા પરંતુ અમારે કોંગ્રેસ છોડવી પડી છે તેનું કારણ જામનગર શહેર કોંગ્રેસના સભ્યો છે.' છત્રપાલસિંહ ફક્ત મહોરૂંઃ જૈનબબેનજેનબબેને કહ્યું કે, છત્રપાલસિંહ કોંગ્રેસની વિચારધારા સારી રીતે જાણતા નથી એટલે તેઓ માત્ર મહોરૂં છે. કોઇએ તેમની પાસે આ કામ કરાવ્યું છે. બાકી ક્ષત્રિય સમાજ ખૂબ સક્ષમ છે તેમને આવું નિમ્ન પગલું ભરવાની કોઇ જરૂર નથી. છત્રપાલસિંહની સાથે લાલભા કરીને એક વ્યક્તિ આવેલા હતા. કાળા વાવટાની વાત તો પાયા વિહોણી લાગે છે. છત્રપાલસિંહે જૂતું ફેંક્યા પછી તેમની સાથે જે થયું એ જોઇને લાલભા પણ ત્યાંથી ભાગી ગયા હતા. જો તેઓ કાળા વાવટા ફરકાવવા માટે આવ્યા હતા તો તેમણે ફરકાવવા જોઇતા હતા પણ તે કરી ન શક્યા. 'પોલીસ ફરિયાદ નોંધવાની વાત કરે છે પરંતુ પોલીસ જ છત્રપાલસિંહને લઇને આવી હતી અને તેમને જ ફરિયાદ કરીએ તો ન્યાયની શું અપેક્ષા રાખવાની? એટલે ફરિયાદ કરવાનો કોઇ મતલબ જ નહોતો જેથી ગોપાલ ઇટાલિયાએ તેમને માફ કરી દીધા.' જૈનબબેન બાદ અમે આપમાં જોડાનારા અન્ય નેતા રિઝવાન હાજી સાથે વાત કરી હતી. ભાજપ અને પોલીસ પર આરોપરિઝવાન હાજીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પોલીસ જે રીતે નજીક આવી ગઇ અને એ આગળ બેઠી હતી તે જોતાં એવું લાગે છે કે આ આખું કાવતરું હતું. છત્રપાલસિંહ કોંગ્રેસના કાર્યકર હતા, અમારા ફોટા પણ તેમની સાથે હશે. માત્ર મને નહીં પણ જોનારા દરેકને લાગે છે કે પોલીસ પણ તેની સાથે હતી. પોલીસે તરત જ એને કોર્ડન કરી લીધો હતો. જે કંઇ થયું એ પોલીસ પ્રોટેક્શનથી થયું છે. આ કાવતરામાં ભાજપ પણ સામેલ હોઇ શકે છે. તેઓ કહે છે કે, અત્યાર સુધી જામનગરમાં આમ આદમી પાર્ટી હતી જ નહીં પણ હવે આપની એન્ટ્રી થઇ છે એટલે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીને તકલીફ થઇ છે. તેને રોકવાનું આ ષડયંત્ર છે. અમને ઉશ્કેરવા માટે આવું કર્યુંઃ રિઝવાન હાજી'ઘટના સમયે હું અને અસલમભાઇ વાતોમાં હતા પરંતુ જૈનબબેનનું ધ્યાન પહેલેથી તેમના પર હતું. આવું કરીને અમે ઉશ્કેરાઇ જઇએ અને કોઇ ખોટું પગલું ભરી લઇએ તો તેમનું કામ થઇ જાય તેવું આ કાવતરું હોઇ શકે. જેથી અમારા પર ખોટા કેસો થાય. ગમે તેમ કરીને અમને ત્રણેયને આપમાં જોડાવાથી રોકવાનું કામ હતું.' 'અમે જો ઉશ્કેરાયા હોત તો અમારો સમાજ રોકાત નહીં. હું જો છત્રપાલસિંહને એક ઝાપટ મારત તો તેને બીજી 20 ઝાપટ પડી હોત એટલે લોકો ઉશ્કેરાય નહીં તે માટે અમારે રોકાવું પડે તેમ હતું. જો રોકાયું ન હોત તો અમારી સામે કેસ થઇ જાત. મને એવી શંકા છે કે છત્રપાલસિંહ દારૂ પીધેલી હાલતમાં હતા. તેઓ નશો કરીને આવ્યા હોય તેની શંકા છે.' અમે આ મુદ્દે આપમાં જોડાનારા અસલમ ખિલજી સાથે પણ વાતચીત કરી. છત્રપાલસિંહનું બ્રેઇનવોશ કરીને હુમલો કરાવાયોઅસલમભાઇએ આ ઘટનાને નિંદનિય ગણાવીને કહ્યું કે,આવી ઘટના જાહેર જીવનમાં ન થવી જોઇએ. વિરોધ કરવાનો દરેકને હક છે. દરેક વ્યક્તિ કોઇપણ પાર્ટીમાં જોડાઇ શકે. કોઇ પર દાદાગીરી ન થઇ શકે. લોકોને ગુજરાતમાં વિકલ્પ નહોતો મળતો પરંતુ આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે સામે આવતા હવે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે એટલે હવે ભાજપના બચાવમાં કોંગ્રેસ આવી છે. અમારો વિરોધ સત્તાધીશો સામે છે.યુવાનોનું બ્રેઇનવોશ કરી આ કામ કર્યું તે ખોટું છે. તેઓ કહે છે કે, મારા મતે છત્રપાલસિંહ નિર્દોષ માણસ છે. તેને બ્રેઇનવોશ કરીને મોકલી દેવામાં આવ્યો છે. તેણે જે વર્ષો જૂનું કારણ આપ્યું તે હજમ થાય તેમ જ નથી. છત્રપાલસિંહ કોંગ્રેસના હોદ્દેદાર છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ બન્નેએ સાથે મળી અમારો કાર્યક્રમ નિષ્ફળ બનાવવાની યોજના હતી. જેથી આવું કરાવવામાં આવ્યું છે. કોંગ્રેસ ફરિયાદ નથી સાંભળતી'જામનગરમાં આપનો માહોલ ઊભો થયો. હજારો લોકો જોડાયા લોકો એ વિષે ચર્ચા ન કરે અને આ જૂતું ફેંકાયું એના વિશે જ ચર્ચા કરે તેવો તેમનો પ્રયત્ન હતો પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો છે.' કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, મને 2021માં પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવામાં રસ નહોતો. મને સામે ચાલીને ટિકિટ આપવામાં આવી હતી. 2024માં પણ મેં સામેથી રાજીનામું આપ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસે અમને લેવાના પ્રયત્ન કર્યા છે પરંતુ અમને રસ નથી. કારણ કે કોંગ્રેસે ગરીબ મુસ્લિમ અને દલિત માટે લડવું જોઇએ પરંતુ કોંગ્રેસનો એકપણ નેતા કંઇ બોલતો નથી. ત્રણેય નેતાઓ સાથેની વાતચીત બાદ અમે આ મુદ્દે વોર્ડ નં.12માં કોંગ્રેસમાં એકલા બચેલા અલ્તાફ ખફી સાથે પણ વાતચીત કરી હતી. તેમણે તો આ ઘટના મામલે આપના નેતાઓ પર જ આરોપ લગાવી દીધો. આપના નેતાઓ પર નિશાનઅલ્તાફ ખફીએ જણાવ્યું કે, મને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થઇ હતી. પોતાના સાથી મિત્રોનું કોંગ્રેસ છોડવા પાછળનું કારણ આપતા તેઓ કહે છે કે, કોંગ્રેસ વિચારધારાવાળી પાર્ટી છે. અમને ચારેયને કોંગ્રેસે બે વાર ટિકિટ આપી અને અમે જીત્યા પણ ખરા પરંતુ આમાંથી બે ને તો અગાઉ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. તેઓ ક્યાંક પક્ષવિરોધી ગતિવિધિ સાથે જોડાયેલા હશે. છત્રપાલસિંહ અંગે તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસના કાર્યકર છે, મિટિંગમાં પણ આવે છે પરંતુ તેઓ રાજપૂત છે. છત્રપાલસિંહે કહ્યું છે કે, મેં રાજપૂતનો બદલો લેવા માટે આ કર્યું છે. અમે પૂછ્યું કે જો છત્રપાલસિંહ કોંગ્રેસના છે તો આમ આદમી પાર્ટી કેવી રીતે આ કરી શકે? જેનો સરખો જવાબ અલ્તાફભાઇ ન આપી શક્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરે આ ન કર્યું હોત તો આમ આદમી પાર્ટીના કાર્યક્રમને કોઇ હાઇપ જ ન મળી હોત. આપમાં જોડાયેલા 90% લોકો મૂળ કોંગ્રેસીતેમણે આગળ કહ્યું, હાલ આપમાં જેટલા પણ જોડાયેલા છે તેમાંથી 90% લોકો મૂળ કોંગ્રેસના છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમે ગુનેગારોને નથી લેતા પરંતુ અત્યારે બધા એવા જ ભેગા કર્યા છે. આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે. જ્યાં કોંગ્રેસ જીતતી હોય તેઓ ત્યાં જ સંગઠન બનાવે છે. અમે આગળ પૂછ્યું કે છત્રપાલસિંહને આવું કરવાનું કોણે કહ્યું હશે? તેનો જવાબ આપતા તેઓ કહે છે કે, હું તેમને સારી રીતે ઓળખતો નથી એટલે તેમને કોણે કહ્યું હશે તે કહી ન શકું. અમે પૂછ્યું કે આટલા વર્ષો પછી કેમ બદલો લીધો હશે? જેના જવાબમાં તેઓ કહે છે કે, અગાઉ ગોપાલ ઇટાલિયા જામનગર આવ્યા ત્યારે તેમને કોઇ ઓળખતું નહોતું અને અત્યારે તેમનું મોટું નામ છે એટલે આવું કર્યું હોઇ શકે. આ ઉપરાંત તેમણે આ કિસ્સામાં પોલીસનો રોલ હોવાની વાતને નકારી હતી. તેમણે પોલીસને બિચારી કહી. તેમણે ઘટનાને આમ આદમી પાર્ટીનું કાવતરું તો ગણાવ્યું પરંતુ તેઓ માને છે કે છત્રપાલસિંહ તો કોંગ્રેસના છે એટલે તેમનો તર્ક તેમની વાત સાથે મેળ ખાતો નહોતો તેથી અમે પૂછ્યું કે, તમે છત્રપાલસિંહે આવું કરી કોંગ્રેસને નુકસાન કર્યું તેની ફરિયાદ કરશો? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મેં આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાત કરી છે. શહેર પ્રમુખે વ્યક્તિગત છત્રપાલસિંહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું કોંગ્રેસનો હોદ્દેદાર નથી, હું માત્ર કાર્યકર છું એટલે તેમણે ક્ષત્રિય તરીકે આ કર્યું હશે. રામદેવ ઓડેદરા કોંગ્રેસના નેતા છે અને ઇટાલિયા પર જૂતું ફેંકાયા બાદ તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કરતી પોસ્ટને રિ-શેર કરી હતી. દિવ્ય ભાસ્કરે જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે છત્રપાલસિંહને શહેર કોંગ્રેસ પ્રમુખના મિત્ર ગણાવ્યા હતા. રામદેવ ઓડેદરા કહે છે કે, હું 2012થી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મેં NSUIથી શરૂઆત કરી હતી ત્યારબાદ મેં યૂથ કોંગ્રેસ અને OBC સેલ અને શહેર સંગઠન મંત્રી તરીકે પણ મેં કામ કરેલું છે. તેમણે આ ઘટનાને કોંગ્રેસ પાર્ટીને નબળી પાડવાનું ષડયંત્ર ગણાવી જેથી અમે પૂછ્યું કે છત્રપાલસિંહ કોંગ્રેસી થઇને કોંગ્રેસને કેમ નબળી પાડે? જેનો જવાબ આપતા તેઓ કહે છે કે, છત્રપાલસિંહ કોંગ્રેસના કાર્યકર છે પરંતુ એક્ટિવ કાર્યકર નથી. તે શહેર કોંગ્રેસ પ્રમુખના મિત્ર છે. તેઓ છેલ્લા થોડા સમયથી જ કોંગ્રેસમાં જોવા મળે છે. કોંગ્રેસના નેતાએ જ શહેર પ્રમુખ પર આરોપ લગાવ્યોતેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ પર આરોપ લગાવતા કહે છે કે, શહેર પ્રમુખ અગાઉ પવનચક્કીના કામને લઇ વિવાદમાં આવી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ અરજીઓ પણ થઇ હતી પરંતુ આ અરજીને પતાવી દેવા ભાજપે કેટલીક શરતો મૂકી હશે જેમાંની આ એક શરત હોઇ શકે. જામનગર આસપાસ કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદારોને દૂર કરવા અને દલિત મુસ્લિમ વોટબેંકને નુકસાન પહોંચાડવા માટે આવું કર્યું હોય તેવું લાગે છે. પોલીસના રોલ અંગે કંઇ કહી શકાય તેમ નથી પરંતુ પોલીસ અત્યારે સત્તા પક્ષ કહે એટલું જ કરે છે. તેઓ કહે છે કે, પોલીસે પોતે ફરિયાદી બનીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ પરંતુ જો સત્તા પક્ષ જ આમાં સામેલ હોય તો પછી પોલીસ કેવી રીતે ફરિયાદ કરે? પ્રદેશ પ્રમુખ સુધી ફરિયાદ પહોંચવા ન દીધીઅમે આગળ પૂછ્યું કે શું જામનગરમાં કોંગ્રેસ અને ભાજપ મળેલા છે? જેના જવાબમાં રામદેવ ઓડેદરાએ કહ્યું આખી કોંગ્રેસ મળેલી નથી કોંગ્રેસના કેટલાક નેતાઓ મળેલા છે. આ અંગે જનઆક્રોશ રેલીમાં પણ લોકોએ ફરિયાદ કરી છે પરંતુ તેમની ફરિયાદ પ્રદેશ પ્રમુખ સુધી ન પહોંચી શકે તેવા પ્રયત્ન થયા હતા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
મુરુમાં મર્ડર:મહિલા સાથે સંબંધ ન કેળવાતા મિત્રનું ઢીમ ઢાળી દીધું
નખત્રાણા તાલુકાના મુરૂ ગામમાં થયેલી ઘાતકી હત્યામાં મૃતક યુવાનનું શિર અંદાજે 24 કલાકની શોધખોળ બાદ મંગળવારે બપોરે બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. દરમિયાન મૃતક રમેશ અને બેમાંથી મુખ્ય આરોપી કિશોર બન્ને મિત્રો હોવાનું બહાર આવ્યું છે. મૃતકના એક મહિલા સાથે સબંધની જાણ થયા બાદ આરોપીએ પણ મહિલા સાથે સબંધ કેળવવાનો પ્રયાસ કરતા તેને નિષ્ફળતા મળી હતી. જેના મનદુઃખે મિત્ર રમેશને વાડી પર જમવા માટે બોલાવી માથાના ભાગે પાવડો ફટકારી હત્યા નિપજાવ્યા બાદ હાથ અને માથું કાપી બોરવેલમાં નાખી દીધા હતા. મુરૂ ગામના 20 વર્ષીય યુવક રમેશ પુંજાભાઈ મહેશ્વરીની ગામની જ એક મહિલા સાથેના સબંધને કારણે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે ગુનામાં પોલીસે આરોપી કિશોર લખમશી મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી લીધા છે. હતભાગી યુવકને ગામની પરિણીત મહિલા સાથે સબંધ હોવાની આરોપી કિશોરને જાણ થઇ હતી. દોઢેક મહિના અગાઉ આરોપીએ પણ મહિલાને પોતાની સાથે સબંધ રાખવા માટે કહ્યું હતું. જેથી હતભાગી યુવક અને આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન મહિલાએ આરોપીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હતો. જે બાદ ગત 2 ડીસેમ્બરના હતભાગી યુવકને આરોપીએ ફોન કરી વાડી પર જમવા માટે બોલાવ્યો હતો. જ્યાં ફરીથી ઝઘડો કરી યુવકને માથાના ભાગે પાવડાના ઘા મારી હત્યા નીપજાવી હતી. જે બાદ યુવકના હાથ અને માથું કાપી બોરવેલમાં નાખી દીધા હતા અને ધારીયો-કુહાડી પણ બોરવેલમાં નાખી દઈ યુવકના ધડને જમીનમાં દાટી નાખ્યો હતો. યુવક ગુમ થયા બાદ પોલીસને શંકા જતા આરોપીને ઉઠાવ્યો હતો અને પૂછપરછ દરમિયાન હત્યાની સમગ્ર ઘટના જણાવી હતી. આ મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે જેને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. તેમજ સગીર આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને મૃતકનું માથું તેમજ કપાયેલા હાથ બોરવેલમાંથી બહાર કાઢી લેવાયા છે.પરંતુ બોરવેલમાં નાખેલા હથિયાર બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ગેરમાર્ગે દોરવા મૃતકનો ફોન આપી પુરાવાનો નાશ કર્યો યુવક ગુમ થયા બાદ પરિવાર સહીત ગામના લોકો તેને શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. એ દરમિયાન આરોપી કિશોરે પોલીસ અને મૃતકના પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે મૃતકનો ફોન ગામમાં રહેતા એક વ્યક્તિના ઘરના પતરા પરથી મળ્યો હોવાનું કહ્યું હતું. આરોપીએ હત્યાના બનાવને એવી રીતે અંજામ આપ્યો કે, પોલીસને કોઈ પુરાવા ન મળી શકે. જે જગ્યાએ હત્યા કરી તે લોહી વાળી માટી કોથળામાં ભરી કુવામાં નાખી દીધી હતી અને કપાસના ખેતરમાં પાણી ચાલુ કરી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો.
ખબરની અસર:અંતે ખારોડાની 130 એકર જમીન ‘શ્રી સરકાર’
ધોળાવીરાનો યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરની યાદીમાં સમાવેશ થતાં જ તદ્દન બોગસ આધારો ઉભા કરી ખારોડા ગામની 70 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 130 એકર જમીન હડપ કરવા નિકળેલાઓ સામે જાગૃત્ત ગામલોકોની રજૂઆતને પગલે તપાસ હાથ ધરનારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આજે એ તમામ જમીન પુન: શ્રીસરકાર દાખલ કરવાનો કડક આદ્દેશ આપતાં લેભાગુઓના હાથ હેઠા પડ્યા છે અને હવે તપાસમાં સંડોવણી ખુલે નહીં તે માટે રાજકીય વગના આધારે દોડભાગ શરૂ થઇ ગઇ છે. ભચાઉ તાલુકાના અને ધોળાવીરા ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ ખારોડા ગામની જ્યાં હવે કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગનું મ્યુઝિયમ નિર્માણ પામવાનું છે તેને અડીને આવેલી 130 એકર જમીન ભેજાબાજોએ 1982 પછી કોઇ લેન્ડ કચેરી મળી ન હોવા છતાં બોગસ આધારો ઉભા કરી, કેસ ચલાવી, હુકમો મેળવી કબજો કર્યો અને વેંચી મારી લાખો કમાઇ બેઠા પણ ‘વ્હોટસ એપ’ પર વધુ જમીન વેંચવાનું એલાન કર્યું તેથી ભાંડો ફૂટ્યો અને જાગૃત ગામે અવાજ ઉઠાવતા તમામને બોગસ માલિકી હક્ક ગુમાવવાનો અને હવે કાયદેસર પ્રક્રિયાનો સામનો કરવાનો વારો આવ્યો છે. કચ્છના કલેક્ટરએ ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘ખોટું છે તે ખોટું જ છે’ કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને જે જવાબદાર છે તેમની સામે પણ પગલાં લેવાશે. આખું પ્રકરણ આમ સમજોખારોડા ગામની શ્રીસરકાર પડેલી જમીનમાં અનુભવી મહેસુલી તજજ્ઞોની સલાહ અનુસાર સૌ પ્રથમ 1036 હેક્ટર કુલ જમીન પૈકી 130 એકર જમીન અલગ-અલગ ખાતેદારોના નામની હોવાનો દાવો કરી જૂની તારીખોમાં જે તે વખતનાં અધિકારીઓના સહી-સિક્કા લગાવી બોગસ હુકમ ઉભા કરાયા પછી નાયબ કલેક્ટર ભચાઉની કોર્ટમાં કેસ ચલાવાયા કુલ 8થી 9 ખાતેદારોની મીસઅપિલ નં. 3/2025, 6/2025, 5/2025, 4/2025, 11/2025, 10/2025, 9/2025 અને 8/2025, 1/10/25થી 9/10/25 સુધી દાખલ કરવામાં આવી અને ઠેઠ માર્ચમાં (બે-અઢી મહિને) 12મી માર્ચના સામુહિક નિકાલ કરાયો અને બોગસ હુકમ અપાયા, જે કોઇ પણ નોટિસ વગર જ સીધા રજીસ્ટરમાં આખરી હુકમ ગણી ચડાવી દઇ 130 એકર જમીન ખાનગી માલિકીની બતાવી દેવાઇ અને નવ ખાતેદારોના ભાગે વહેંચી દેવાઇ. પ્રકરણ બહાર કેમ આવ્યું?ધોળાવીરા ગ્રા. પં.ના ખારોડા ગામના અગ્રણી સમરથસિંહ સ્વરૂપસિંહ સોઢા સહિતના 25થી 30 યુવા આગેવાનોએ ખારોડાની જમીન વેંચાઇ હોવાનું જાણતા તપાસ કરી તો વેંચનાર ખારોડા ગામનાં જ ન્હોતા, બહારની વ્યક્તિની બાપદાદાની જમીન ખારોડામાં ન હોય તેથી તેમણે બોગસ રેકર્ડની કોપીઓ તપાસી તો ખરેખર અવસાન પામેલાઓના નામે, ખેડૂત જ ન હોય તેવા નામે જમીન થઇ હોવાનું જાણવા મળતાં ગ્રામસભા યોજી સામુહિક વિરોધ શરૂ કર્યો, જેની જાણ ‘દિવ્ય ભાસ્કર’ને થતાં એક હેવાલ છપાયો, જેને પગલે જિલ્લા કલેક્ટરે તપાસ સમિતિ નીમી ખરાઇ કરી આજે અંતિમ નિર્ણય લીધો. આ પ્રકરણમાં એક નિવૃત્ત તલાટી, એક નમક પ્લોટ ફાયરિંગ પ્રકરણમાં ફસાયેલા રાજકીય વગદાર નેતા, પૂર્વ મામલતદારના નામે સહી-સિક્કા કરનાર અને ભચાઉ પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતનાની આંખમાં ધૂળ નાખનારાઓ સામે હવે ક્યારે પગલાં ભરાય છે તે જોવાનું રહ્યું. કોને કેટલી જમીન અપાઇ? > આચાર સુમારને સર્વે નં-101થી અલગ-અલગ છે, પૈકી 26, 3.23 એકર અને 2.83 એકર } જીવા રવાને 5.66 એકર > ખેંગારજી સવાજીને 3.23 એકર અને 4.04 એકર } નાનીબા માનસંગજીને 4.04 એકર > માંડણ લાલને 4.85 એકર } પોપટ લાલાને 3.23,1.61 અને 2.42 એકર > રવદાન ડોસાને 4.04 અને 4.85 એકર } જેસંગ અરજણને 4.85 ખજુ 2.42 એકર > મગજી ધીરાજીને 2.42 અને 3.23 એકર જમીન મંજૂર કરી દેવાઇ, મુખ્ય ભેજાબાજ જનાણ સાથે સંકળાયેલા હોવાથી ત્યાંના અરજદારોને વધુ ફાયદો અપાવ્યો. આ ખોટા ખાતેદારોમાં અનેક ગુજરી ગયા છે, તો તેમના વારસદારોને નામે જમીનો અંકે કરી દેવાઇ છે, જો કે હવે એ બધું જ રદ્દ કરી દેવાયું છે.
ગંભીર બેદરકારીનો આક્ષેપ:વાલી ફરિયાદ કરે તો છાત્રને પ્રવેશ ન આપવાની ધમકી
લખપત તાલુકાના શ્યામજી કૃષ્ણ વર્માનગર વિદ્યાલયના સંચાલન અને વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળામાં વાલી મિટિંગનું આયોજન ન થતું હોવાનો અને વાલી સમિતિની રચના ન કરવામાં આવી હોવાનો મુખ્ય આક્ષેપ સાથે તાલુકા પંચાયતના દંડક દિનેશભાઈ ભગવાનદાસ સથવારાએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. આ વિસ્તારના આશરે 600થી વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. દંડકે શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનગર વિદ્યાલય ખાતે તાત્કાલિક ધોરણે વાલી સમિતિ બનાવવામાં આવે. આ સમિતિમાં વાલીઓની સાથે વિસ્તારના ગ્રામ પંચાયતના સભ્યો/સરપંચ, તેમજ જીએમડીસી (GMDC)ના એચ.આર. મેનેજર અને જીએસઈસીએલ (GSECL) પાંદરોના એચ.આર. મેનેજરને પણ સામેલ કરવામાં આવે, જેથી શાળાની પ્રવૃત્તિઓ અને આયોજનની પારદર્શક જાણકારી મળી શકે. તેમણે દર ત્રણ મહિને વાલી સમિતિની બેઠક યોજવાની પણ હિમાયત કરી છે. અહેવાલ મુજબ, શાળા વિષયે કોઈપણ ફરિયાદ કરતા વાલીઓને શાળાના શિક્ષકો અને જીએમડીસીના જવાબદાર અધિકારીઓ દ્વારા ‘ફરી તમારા બાળકને આ શાળામાં એડમિશન આપવામાં નહીં આવે’ તેવી ડર અને ધમકી આપવામાં આવે છે. આ પ્રકારનું વલણ વાલીઓને ફરિયાદ કરતા અટકાવે છે, જે શાળાના વહીવટમાં બેદરકારી છુપાવવાનો પ્રયાસ સૂચવે છે. કોઈ વાલી તેમજ આગેવાનોને ફરિયાદ હોય તો સ્કૂલે આવવું જોઈએસ્કૂલની ફરિયાદ અને વિવાદો અંગે શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનગર વિદ્યાલયના આચાર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ વાલી તેમજ આગેવાનોને ફરિયાદ હોય તો સ્કૂલે આવવું જોઈએ. સ્કૂલમાં 600 થી વધારે છોકરાઓ અભ્યાસ કરે છે. સ્વભાવિક છે થોડી ખટખટ વિદ્યાર્થીઓમાં હોય. પણ તેનો મતલબ એવો નથી કે મોટા ઝઘડા થાય. વિદ્યાર્થીઓ પર સ્કૂલના શિક્ષકોની સતત નજર રહેતી હોય છે. સીસીટીવી કેમેરા જૂની બિલ્ડીંગ સિવાય તમામ ચાલુ જ છે. જૂની બિલ્ડિંગમાં કેમેરા ચાલુ કરવા માટે પણ પ્રક્રિયા કરી નાખવામાં આવી છે. > શૈલેષભાઈ મહેતા,આચાર્ય રમતગમત સમયે છાત્રોને ઈજા પહોંચે ત્યારે મેડિકલ સુવિધાનો અભાવતાજેતરમાં જ રમતગમત કાર્યક્રમ કબડ્ડી દરમિયાન પાન્ધ્રોના એક વિદ્યાર્થીને પગમાં ગંભીર ફેક્ચર થયું હતું. આ અંગે વાલીને મોડેથી જાણ કરવામાં આવી હતી. વાલીને જાણ થતાં તેઓ જીએમડીસી સંચાલિત વર્માનગરની હોસ્પિટલમાં ગયા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સુવિધા ન મળતા એક્સ-રે માટે ખાનગી હોસ્પિટલ (એકતાનગર) જવું પડ્યું હતું અને અંતે બાળકને ભુજ લઈ જવાની ફરજ પડી હતી. ફોન પર પ્રતિબંધ, CCTV મોનિટરિંગની માંગશાળામાં શિક્ષણનું સ્તર સુધારવા અને અનુશાસન જાળવવા માટે અન્ય મહત્વની માંગણીઓ પણ કરવામાં આવી છે. શિક્ષકોના મોબાઈલ પર પ્રતિબંધ: શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ ફોન ઓફિસમાં જમા કરાવે, જેથી શિક્ષકો ચાલુ પિરિયડમાં વિદ્યાર્થીઓ પર યોગ્ય ધ્યાન આપી શકે. શાળાના તમામ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના ચાલુ સ્કૂલે બહાર ફરવાના બનાવો બંધ થાય. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ જીએમડીસીની વડી કચેરી દ્વારા કરવામાં આવે, જેથી શાળાની દરેક ગતિવિધિ પર નજર રહે. શાળા બહાર ગુંડાગીરી અટકાવવી જરૂરી બનીઅગાઉ સોનલ નગરના એક વિદ્યાર્થીને સ્કૂલ બહાર પાંચ વિદ્યાર્થીઓએ દોરીથી બાંધીને માર માર્યો હતો અને વીડિયો વાયરલ કર્યો હતો. આવા બનાવો ન બને તે માટે કડક પગલાં અને મોબાઈલ પર પ્રતિબંધ આવશ્યક છે. આ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:જખૌ બંદરને 100 કરોડથી વધુના ખર્ચે વિકસાવવાની કેન્દ્ર સરકારની યોજના
રાજ્યમાં માછીમારી માટે જખૌ બંદર જાણીતું છે સિઝન દરમ્યાન અહીં ગુજરાતભરમાંથી માછીમારો ફિશીંગ માટે આવે છે ત્યારે મત્સ્ય ગતિવિધિને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જખૌ બંદરને ગુજરાતમાં પ્રથમ સ્માર્ટ બ્લુ હાર્બર (બંદર) મોડલ તરીકે ડેવલોપ કરવાનું નક્કી કરાયું છે.જેમાં અંદાજે 100 કરોડથી વધુનો ખર્ચ થશે. છેલ્લા દોઢ વર્ષથી આ માટે તૈયારીઓ ચાલી રહી હતી.વિદેશોની જેમ કચ્છમાં પણ મત્સ્ય ગતિવિધિને ટેકનોલોજી આધારીત લઈ જવાની દિશામાં આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માછીમારી બંદરો માત્ર નૌકાઓની અવરજવર માટે સ્થિર ન રહી આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યની બ્લુ ઈકોનોમીને મજબૂત બનાવે તે માટે ગતિવિધિ ચાલી રહી છે. ભારત સરકારે દરિયાકાંઠા આધારિત વિકાસને ગતિ આપવા માટે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ વિભાગ, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના એસોસિએશન વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારીના હસ્તાક્ષર સાથે ટેકનિકલ સહકાર કાર્યક્રમ શરૂ કરાયો છે. જેના હેઠળ ગુજરાતના જખૌ, દીવના વણાકબારા અને પુડુચેરીના કરાઈકલ ખાતે વિશ્વ સ્તરીય બ્લુ હાર્બર્સનું પાયલોટિંગ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 452.32 કરોડના રોકાણ સાથે ભારત સરકારે સ્માર્ટ અને સંકલિત મત્સ્યઉદ્યોગ માળખા વિકાસની પ્રક્રિયાને વેગ આપ્યો છે.જેમાં જખૌ બંદર માટે 100 કરોડ જેટલી રકમ ફાળવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. છેવાડાનું જખૌ બંદર રાજ્યના મત્સ્યઉદ્યોગ કેન્દ્રોમાંનું એક છે અહીંના દરિયામાં મળતી શ્રેષ્ઠ માછલીઓના કારણે તે જાણીતું છે.ખાસ કરીને વલસાડ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાંથી માછીમારો અહીં ફિશિંગ માટે આવે છે.હાલમાં માછીમારો દ્વારા દરિયામાંથી માછલીઓ લાવી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખી નિકાસ કરવામાં આવે છે. હવે આધુનિક પહેલ હેઠળ અહીં દરિયામાંથી કઈ માછલી ક્યારે મળી, ક્યારે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી તેની સંપુર્ણ માહિતી રાખવામાં આવશે.માછલી ઉતરાણથી લઈને સંગ્રહ પ્રણાલી અને જુદી જુદી જેટી સુવિધા, બોટ રિપેરિંગ સહિતનું આધુનિક માળખું વિકસાવવાની યોજના છે.બ્લુ રિવોલ્યુશન પહેલ હેઠળ જખૌ બંદરના આધુનિકીકરણથી દરિયાઈ કાર્યક્ષમતા વધશે માછીમારોને ફાયદો થવા સાથે બ્લુ ડેવલોપમેન્ટ વિઝનને મજબૂતી મળશે તેમ સરકારનું માનવું છે. વાયબ્રન્ટમાં પણ આ મુદ્દે ચર્ચા થશેકચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં રાજકોટમાં યોજાશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોની દરિયાકાંઠા શક્તિ અને માછીમારી કેન્દ્રિત સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ક્ષેત્રના આગેવાનો, ટેકનોલોજી નિષ્ણાતો અને મુખ્ય હિસ્સેદારોને એક મંચ પર લાવી દરિયાઈ અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં એઆઈ આધારિત સોલ્યુશન્સ, 5G મોનિટરિંગ સિસ્ટમો, સસ્ટેનેબલ ફિશિંગ અને નવા રોકાણ પર ચર્ચા થશે. 7 હજાર માછીમારો અને 1500 બોટફિશિંગ વિભાગના સૂત્રોમાંથી મળેલી જાણકારી મુજબ, કચ્છ જિલ્લામાં 7,000 જેટલા માછીમારો નોંધાયેલા છે આ ઉપરાંત 1500 જેટલી બોટ રજીસ્ટર છે. અરબી સમુદ્રના કિનારે અને કચ્છના પશ્ચિમ છેડે અબડાસા તાલુકામાં આવેલું જખૌ ફિશિંગ બંદર વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. દરિયાકિનારા સાથે સીધું જોડાણ ઉપરાંત કુદરતી રીતે ઊંડાણ ધરાવતા બંદરોમાંનું એક છે. અહીં મોટા માછીમારી જહાજો અને બોટ પાર્ક થઈ શકે છે. દરરોજ મોટી સંખ્યામાં ફિશિંગ બોટ દરિયામાં જાય છે. સમુદ્રી તરંગોનું દબાણ ઓછું હોવાથી વહાણો સુરક્ષિત કિનારા પર લાંગરી શકાય છે.પ્રાચીન સમયમાં પણ વેપાર માટે મહત્વનું કેન્દ્ર હતું.ભૂકંપ અને હવામાનની પરિસ્થિતિઓનો સામનો કર્યો છે હવે ફોરેનની જેમ ડેવલોપ કરવાનું આયોજન છે.
પીક અવર્સમાં લોકલના ડોર પાસે ઉભા રહેવું બેદરકારી નથી - હાઈકોર્ટ
પ્રવાસીને વળતર નકારવાનો રેલવેનો નિર્ણય ફગાવ્યો 20 વર્ષ પહેલાંની ભાયંદર સ્ટેશન પાસેની ઘટનામાં ઘરે પાસ ભુલી ગયો હોય તેથી પ્રવાસી ન ગણાય તેવી પણ રેલવેની દલીલ ફગાવી મુંબઈ - ભીડના સમયે ઉપનગરીય ટ્રેનોમાં કામ માટે મુસાફરી કરતી વ્યક્તિ પાસે ટ્રેનના દરવાજા પાસે ઊભા રહીને પોતાનો જીવ જોખમમાં નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી અને આને બેદરકારી કહી શકાય નહીં, એમ બોમ્બે હાઈકોર્ટે રેલ્વે અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને આપવામાં આવેલા વળતરને સમર્થન આપતા જણાવ્યું હતું. સોમવારે ન્યાયાધીશ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે રેલ્વે સત્તાવાળાના દાવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે અકસ્માત મૃતકના બેદરકારીભર્યા વર્તનને કારણે થયો હતો, કેમ કે તે ટ્રેનના દરવાજા પાસે ફૂટબોર્ડ પર ઊભો હતો.
બેંક ધિરાણની સંભાવના:આગામી વર્ષે કચ્છમાં 24212.24 કરોડના બેંક ધિરાણની સંભાવના
નાબાર્ડ દ્વારા કચ્છ જિલ્લા માટે નાણાકીય વર્ષ 26/27ના પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ ભુજ મધ્યે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યું હતું જેમાં આગામી વર્ષે કચ્છમાં 24212.24 કરોડના બેંક ધિરાણની સંભાવના દર્શાવાઇ હતી. ડીઆરડીએ કચ્છના નિયામક નિકુંજ પારેખ અને કચ્છની ડીસીસી/ડીએલઆરસીની 161મી બેઠકમાં નાબાર્ડ કચ્છ દ્વારા તૈયાર કરાયેલા પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યૂટી ડીડીઓ વી. એમ. પ્રજાપતિ, સુશીલ શાહાણે (LDO) (RBI) કચ્છ, મિતેશ ગમિત (LDM) કચ્છ, કે. ઓ. વાઘેલા (DAO) કચ્છ, નીરજ કુમાર સિંહ (DDM) અને વિવિધ બેંકો તેમજ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા સંયોજકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ સમક્ષ એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લામાં વિવિધ પ્રાથમિકતા ક્ષેત્રો અને પેટા-ક્ષેત્રો હેઠળ આરબીઆઈ દ્વારા જારી કરાયેલી પ્રવર્તમાન માર્ગદર્શિકાઓના તર્ક પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 26/27 માટે કચ્છ જિલ્લામાં બેંક ધિરાણ વધારવાની સંભાવના ₹24212.24 કરોડ આંકવામાં આવી હતી, જે વર્ષ 26/26 કરતાં ૩૩.૧૩% નો વધારો દર્શાવે છે તેમ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મિતેશ ગામિતની યાદીમાં જણાવાયું હતું.
વિવાદ:શિક્ષકોને ફરજિયાત એક્સિસ બેંકમાં ખાતા ખોલવાનો આગ્રહ
કચ્છના શિક્ષણ જગતમાં એક તરફ શિક્ષકો ખૂટે છે,બીજી તરફ જે છે એ પૈકી અનેક બી.એલ.ઓ. બનીને ઘેર-ઘેર દોડતા થયા ત્યાં હવે એક ત્રીજી પીડા ઉપડી છે.મંગળવારે ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં મળેલી બેઠકમાં કરાયેલી તાકીદ અનુસાર તમામ માધ્યમિક શિક્ષકોના બેંક ખાતા હવે ગમે તે બેંકમાં નહીં ચાલે, એક્સિસ બેંક સિવાયના ખાતામાં પગાર જમા નહીં થાય તેવી શિક્ષક અગ્રણીએ ચિમકી આપતા વિવાદ જાગ્યો છે. ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ તથા ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મળેલી શિક્ષક સમાજની બેઠકમાં સંગઠન વતી એક આગેવાને તમામ શિક્ષકોને બેંક ખાતા બદલીને હવે એક્સિસ બેંકમાં જ ખાતા ખોલાવવા તાકીદ કરી હતી. જોકે, આ આદેશ ન્હોતો અને ખાતા બદલાવવા કે નહીં એ શિક્ષકો માટે ‘મરજીયાત’ મુદ્દો હતો પણ કહેનારે સાફ કહ્યું હતું કે, ‘છે મરજીયાત પણ ફરજીયાત સમજજો’ જેના એક્સિક બેંકમાં ખાતા નહીં હોય તેમને આવતા મહિને પગાર મળશે નહીં. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં આવી સામંતશાહી શા માટે તેવા પ્રશ્ન સાથે અમૂક શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો અને સર્વાનુમતે ખાતા ન બદલવાનો નિર્ણય પણ જાહેર કર્યો તેથી હવે ‘પગારનું શું થશે?’ એ સમસ્યા કનડી રહી છે.આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનો ટેલીફોનિક સંપર્ક સાધતા થઈ શક્યો ન હતો.
દસ્તાવેજી સહાય:કચ્છમાં માનવ અધિકાર અને ન્યાય વ્યવસ્થા પરત્વે લોકો દ્વારા દાખવાતી જાગૃતિ નેત્રદીપક
કચ્છમાં છેલ્લા દાયકામાં નાગરિક જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. દસ વર્ષ પહેલાં જ્યારે વિવિધ પ્રકારની હિંસા, છેડતી, બળાત્કાર, એટ્રોસિટી કે અન્ય ગંભીર ગુનાઓ અંગે રિપોર્ટિંગ ઓછું થતું, ત્યારે આજે લોકો પોતાના હક અને ન્યાય માટે ખુલ્લેઆમ આગળ આવી રહ્યા છે. સમાજમાં વધતી કાનૂની સમજણ, સામાજિક સંસ્થાઓની ભૂમિકા અને સરકારી તંત્રની વધતી જવાબદારીને કારણે ન્યાય મેળવવાની પ્રક્રિયા પહેલાં કરતાં વધારે સરળ અને ઝડપી બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને ગુનાઓ સંબંધિત કેસોમાં ઝડપી કાર્યવાહી થઈ રહી છે. ગંભીર ગુનાઓ માટે સ્પેશિયલ કોર્ટ્સ દ્વારા ત્વરિત ટ્રાયલ ચલાવવામાં આવે છે, જેથી ભોગ બનેલા લોકોને લાંબો સમય રાહ જોવી ન પડે. અનેક કેસોમાં પીડિતાઓને આર્થિક વળતર અને પુનર્વસન સુધીની સહાયતા રાજ્ય તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ન્યાયિક વ્યવસ્થાની સક્રિયતા અને સંવેદનશીલતા બંનેનું પ્રતિબિંબ છે. કચ્છ વિસ્તારમાં કાર્યરત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ માનવ અધિકાર અને હકો અંગે લોકોમાં જાગૃતિ વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. જમીન, રહેઠાણ, શિક્ષણ, વળતર જેવા મૂળભૂત અધિકારો અંગે સમુદાયો સંગઠિત બની રહ્યા છે અને સામૂહિક આંદોલનો દ્વારા પોતાની માંગણીઓ રજૂ કરવાનું વધ્યું છે. સામાજિક સંસ્થાઓ આવા લોકોને કાનૂની માર્ગદર્શન, દસ્તાવેજી સહાય અને યોગ્ય પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન પૂરૂં પાડે છે. પાછલા એક વર્ષમાં જ 11થી વધુ દીકરીઓએ પોતાના માવતરના ઘરમાં થતી પારિવારિક હિંસા, જબરદસ્તી લગ્ન અથવા ભણવા ન મળતા જેવી સમસ્યાઓ અંગે હેલ્પલાઇન પર સંપર્ક કર્યો છે. ઘણા કેસોમાં યુવતીઓએ ‘રાઈટ ટુ ચોઈસ’ અને ‘શિક્ષણના અધિકાર’ માટે અવાજ ઉઠાવ્યો અને ફરિયાદ નોંધાવી. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સલામતી સેન્ટર્સ દ્વારા મધ્યસ્થી કરીને યુવતીઓ અને તેમના વાલીઓને સમજાવી યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યા છે. તેવું મહિલા એડવોકેટ માલશ્રીબેન ગઢવી જણાવે છે. આ પ્રકારની જાગૃતિ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી વધી રહી છે, જે સમાજ માટે અત્યંત સકારાત્મક સંકેત છે. 5 ફેમિલી કોર્ટ કાર્યરત થતા ન્યાયિક પ્રક્રિયા ઝડપીકચ્છમાં ફેમિલી કોર્ટ્સની ભૂમિકા પણ હવે વધુ સક્રિય બની છે. હાલમાં જિલ્લામાં લગભગ 5 જેટલી ફેમિલી કોર્ટ કાર્યરત છે, જે પારિવારિક વિવાદોને સંવેદનશીલતા સાથે ઉકેલવા પ્રયત્નશીલ છે. સાથે જ નારી અદાલતો, સખીવન સ્ટોપ સેન્ટર અને વિવિધ બાળકો–મહિલા હેલ્પલાઈનો મળીને ન્યાય વ્યવસ્થાની એક મજબૂત કડી બની રહી છે. આ તમામ પરિબળોને કારણે કચ્છમાં માનવ અધિકાર અંગે વ્યાપક જાગૃતિ, પીડિતોની હિંમતમાં વધારો અને કાનૂની વ્યવસ્થાની પારદર્શિતા વધતી જોવા મળે છે.
કચ્છમાં ઠેર ઠેર પ્રવાસીઓનું આગમન:દિવાળી બાદ હવે રણોત્સવનો નવો દોર 15 ડિસેમ્બરથી શરૂ
દિવાળી વેકેશન દરમિયાન કચ્છની મુલાકાત લેતા પ્રવાસીઓની ભીડ હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે, પરંતુ કચ્છની પ્રવાસન ઋતુ અહીં પૂરી નથી થતી. ડિસેમ્બરથી ફેબ્રુઆરી અંત સુધી ચાલનારા વિશ્વપ્રખ્યાત રણોત્સવને નિહાળવા અને સફેદ રણની અનોખી સુંદરતા માણવા માટે પ્રવાસીઓનો બીજો દોર શરૂ થશે. કચ્છ ટુરિઝમ માટેના આ ત્રણ મહિના દર વર્ષે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ભુજની બજારોમાં હાલમાં પણ રોનક જોવા મળી રહી છે. કચ્છનું પરંપરાગત હસ્તકલા, મડ વર્ક, બાંધણી, ચણિયા-ચોળી, હેન્ડ વર્ક, મેટલ આર્ટ જેવી લોકવસ્ત્ર અને કારીગરીની વસ્તુઓથી બજારો સજ્જ બની રહી છે. વેપારીઓ જણાવે છે કે, રણોત્સવ પેકેજ ટુરમાં આવતા પ્રવાસીઓને મોટા ભાગે ભુજ શોપિંગનો સમાવેશ ન હોવા છતાં, હજારો પ્રવાસીઓ ખાસ કરીને ખરીદી માટે ભુજ અવશ્ય આવે છે. કચ્છી કળા અને પરંપરાગત હસ્તકલા ખરીદવા માટે ભુજ હંમેશાં પ્રથમ પસંદગી રહે છે. ભુજના જાણીતા વેપારી પારસભાઈ શાહ જણાવે છે કે દર વર્ષે ગુજરાત ટુરિઝમ દ્વારા વિદેશી પ્રવાસીઓ માટે 15 દિવસની ટૂર ગોઠવવામાં આવે છે, જેમાં કચ્છનો સમાવેશ માત્ર એક રાત્રી રોકાણ માટે જ થાય છે. સવારે સફેદ રણમાં સૂર્યોદયનો નજારો જોયા બાદ પ્રવાસીઓને તરત જ આગળના પ્રવાસ માટે લઈ જવામાં આવે છે. તેઓ જણાવે છે કે કચ્છમાં આવેલા ઐતિહાસિક વિરાસતો, સંગ્રહાલયો, કુદરતી સૌંદર્ય પ્રાપ્ત સ્થળો, મંદિર, તેમજ દરિયા કિનારો અને હસ્તકલાના વિખ્યાત ગામો જોવા માટે પ્રવાસીઓને ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ જરૂરી છે. પરંતુ ટૂંકા સમયના પેકેજને કારણે પ્રવાસીઓને કચ્છનો અસલ અનુભવ મળતો નથી. તેમ છતાં રણોત્સવ દરમ્યાન મળતો ત્રણ મહિનાનો સમય કચ્છના વેપારીઓ માટે વર્ષનો સૌથી સારો ગણાય છે. સ્થાનિક વેપારીઓ, હોટેલિયર, ગાઈડ સંગઠનના મતે સરકાર વધુ વ્યવસ્થિત આયોજન, શ્રેષ્ઠ ગાઈડ સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ સુવિધા, તથા પ્રવાસન સ્થળો સુધી વધુ પ્રવાસીઓને પહોંચાડવા માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવે તો કચ્છને મળતો પ્રવાસન લાભ અનેક ગણો વધી શકે.
લોકોની માંગ ઉઠી:રણોત્સવ માટે રેલવેએ ભુજ-મુંબઈની સ્પેશ્યલ ટ્રેન આપી તે પણ હાઉસફૂલ
કચ્છ અને મુંબઈને અનેરો નાતો રહ્યો છે અને ટ્રેનની બુકિંગના આંકડા દર્શાવે છે કે દરરોજ બે થી ત્રણ હજાર લોકો રેલ મારફતે અવરજવર કરે છે.મુસાફરોના ભારે ઘસારાને ધ્યાન રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-બાંદ્રા વચ્ચે અઠવાડિયામાં બે ફેરા સાથેની સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી તેમાં પણ હાઉસફુલના કારણે કન્ફર્મના બદલે પ્રવાસીઓને આરએસી ટિકિટ મળી રહી છે. રેલ્વે દ્વારા રણોત્સવ તેમજ લગ્ન સિઝન સહિતના કારણોસર પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને ભુજ અને બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશીયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરાયું છે.જેમાં બાંદ્રાથી દર ગુરૂવાર અને દર શનિવારે જ્યારે ભુજથી શુક્રવારના અને રવિવારે ટ્રેન ઉપડે છે.16 જાન્યુઆરી સુધી દોડાવવાનું આયોજન છે સંપૂર્ણપણે રિઝર્વ ટ્રેનમાં થર્ડ એસી કોચ રહેવાના છે. જેમાં હાલ શુક્રવાર માટેનું બુકિંગ તપાસતા 120 આરએસસી જોવા મળી રહ્યું છે.કનફર્મ ટીકીટ મળતી નથી.આગામી 10 દિવસ પછીની પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળે છે દરરોજ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી મુંબઈ માટે જાય છે તેમાં પણ એવરેજ 100-100 જેટલી વેઇટિંગ છે વિકલી સેવા આપતી ભુજ-બાંદ્રા સુપરફાસ્ટમાં પણ આવી સ્થિતિ છે. શુક્રવારે ભુજથી મુંબઈ માટે કુલ ચાર ટ્રેન છે જેમાં અંદાજે 4,000 થી વધુ પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે તેમાં પણ 200 વેઇટિંગ છે જેથી ઘસારો કેટલો છે તેનું અનુમાન લગાવી શકાય તેમ છે. ખરેખર રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનને કાયમી ધોરણે ભુજ-બાંદ્રા વચ્ચે દોડાવવામાં આવે તેવી માંગણી પ્રવાસી વર્ગમાંથી ઉઠવા પામી છે.
ચીટરો પર ધોંસ જારી:સસ્તા સોનાના નામે ઠગાઈનો પ્રયાસ કરનાર વધુ 2 ઠગ ઝડપાયા
શહેરના ચીટરો સસ્તા સોનાના નામે અને એક લાખના ત્રણ લાખ કરવાના નામે લોભામણી જાહેરાતો કરી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવી જાહેરાત કરનાર વધુ બે ચીટર એલસીબીને હાથ લાગ્યા છે. જોકે ડી-માર્ટની સામે નકલી સોનાનું બિસ્કીટ આપવાની પેરવી દરમિયાન મુખ્ય આરોપી પોલીસને હાથ ટાળી આપી પલાયન થઇ ગયો હતો. એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં જાહેરાત કરી લોકો સાથે ઠગાઈ કરતા ચીટરોને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, ગાંધીનગરીમાં રહેતો આરોપી નવાબ જત ડી-માર્ટ સામે ફાટક નજીક પોતાની આઈ 10 કાર નંબર જીજે 12 એફઈ 4266 વાળીમાં હાજર છે અને તેની સાથે આરોપી અલ્તાફ મંધરા અને મેહબુબ ટાંક પણ હાજર છે. જે સાથે મળી સસ્તામાં સોનુ આપવાની લાલચે નકલી સોનાનું બિસ્કીટ પધરાવવાની પેરવીમાં છે. બાતમી મળતા જ પોલીસ સ્થાનિકે પહોચી હતી ત્યારે આરોપી નવાબ જત પોતાની કાર લઈને ભાગી ગયો હતો.જ્યારે આરોપી અલ્તાફ જુમા મંધરા અને મેહબુબ હુશેન ટાંક સ્થળ પરથી હાજર મળી આવ્યા હતા.જેમની પાસેથી મોબાઈલ સહીત નકલી સોનાનું બિસ્કીટ મળી આવ્યું હતું.પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઠગાઈ કરવા બેનામી સીમકાર્ડનો ઉપયોગએલસીબીએ ઝડપેલા બન્ને આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલમાં નકલી ફેસબુક આઈડી બનાવેલી મળી આવી હતી જે ગૌરવ સોની, સુલતાન સોનીભાઈ અને ભાવિન પટેલના નામની હતી. જે આઈડી પર આરોપીઓએ સસ્તા ભાવે સોનુ આપવાની લોભામણી જાહેરાતો કરી લોકો સાથે વાતચીય કરેલી હતી. આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલમાં રહેલ સીમકાર્ડ ડમી હોવાનું સામે આવ્યું છે. જે કોના નામે છે તેની ખુદ આરોપીને પણ ખબર ન હતી અને તે ચાલુ હાલતમાં હતો. આવા બેનામી સીમકાર્ડનો ઉપયોગ કરી ઠગાઈના બનાવને ચીટરો અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.
વિરોધ:પાલિકાની કચેરીની પાછળ જ કાળું પાણી આવતાં મહિલાઓના દેખાવો
શહેરમાં પાણી ઓછા પ્રેશરથી અને ગંદું મળતું હોવાની ફરિયાદો રોજેરોજ ઊઠે છે. દરમિયાન પાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનના રહીશોને કાળા પાણીની સજા મળી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. મહિલાઓએ કાળા પાણીની બોટલો સાથે દેખાવો કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ 13માં નવાપુરા, જયરત્ન ચાર રસ્તા, શિયાબાગ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી અને ગંદું મળતું હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવન પાસે ઘણા સમયથી કાળું પાણી આવતાં લોકો ત્રાહિમામ થયા છે. મહિલાઓનું કહેવું છે કે, કાઉન્સિલરોને રજૂઆત કરી છે, પણ સાંભળતા નથી. આગામી ચૂંટણીના સમયમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરીશું.
ભાસ્કર ઈનસાઈડ:વેલ્યૂઅરે નકલી સોનું સાચું હોવાનું સર્ટિફિકેટ આપતાં બેંકે13.53 લાખની 2 લોન મંજૂર કરી
ન્યુ વીઆઈપી રોડની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નકલી સોનાના દાગીનાના સાચા હોવાના મુલ્યાંકનકારના અહેવાલ આધારે રૂ.13.53 લાખની લોન મંજૂર થઈ ગઈ હતી. જોકે દાગીના ખોટા હોવાનું સામે આવતા ન્યુ વીઆઈપી રોડની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર સૌરભ દિનેશપ્રસાદ શાહે ફરિયાદ નોંધાવતાં 3 સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. માંડવીની શ્રદ્ધા જ્વેલર્સના દિલીપ નટવર સોની (રહે, પિત્રુ છાયા ગામ, છાણી) બેંક સાથે મુલ્યાંકનકાર તરીકે જોડાયો હતો. દિલીપ વડોદરા શહેર અને ગ્રામ્યની શાખાઓમાં સોનાની લોન સામે ગીરવે મુકવામાં આવતા સોનાના દાગીનાનું વજન, ગુણવત્તા અને શુદ્ધતા પ્રમાણીત કરવા અધિકૃત કરાયો હતો. 2019માં જીગ્નેશ હસમુખ સોની (રહે, આશીષ સો.છાણી) બેંકમાં સોનાના દાગીના ગીરવે મુકવા આવ્યો હતો. દિલીપે તેનું રૂ.16.84 લાખનું મુલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ જીગ્નેશની રૂ.9.88 લાખની લોન મંજૂર થઈ હતી. એક મહિના બાદ રફિક અશરફ મલેક (રહે, કુંપાડ રોડ, મંજુસર) બેંક પર દાગીના લઈને ગયો હતો. તેના દાગીનાનું દિલીપે કુલ રૂ.5.24 લાખનું મુલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ રફિકની રૂ.3.65 લાખની લોન મંજૂર થઈ હતી. બેંકના નિયમ મુજબ વર્ષ બાદ દાગીનાનું ફરીથી મુલ્યાંકન કરવા બંને લોન ધારકે હાજર રહેવાનું હતું. જોકે તેઓ હાજર થતા નહોતા. બેંકે દાગીનાનું પેનલ મુલ્યાંકન કરાવતા જીગ્નેશ અને રફિકના તમામ દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે વારસીયા પોલીસે 3 શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. મેનેજરો બદલાતા રહ્યા, 5 વર્ષ મામલો અટવાયો,વાઘોડિયા બ્રાન્ચમાં પણ ઠગાઈઘટના 2020માં બની હતી. જોકે ત્યારે જ બેંકને ઘટના જાણવા મળી ગઈ હતી. જોકે પછી મેનેજર પર મેનેજર બદલાતા રહ્યા હતા. જેથી જે-તે સમયે મામલા અંગે કોઈ ગુનો નોંધાયો નહોતો. બેંકે લોન ધારકો રૂપિયા ભરી દેશે અને સમાધાન થશે તેમ પણ વિચાર્યું હતું. પરંતુ તેમાં કશું આગળ વધ્યું નહોતું. બીજી બાજુ વાઘોડિયાની બ્રાન્ચમાં દિલીપ સોનીના મુલ્યાકણના આધારે લોન અપાઈ હતી અને તેમાં પણ ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હજી તે અંગે ગુનો નોંધાયો નથી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદન સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે તમામ સરકારી એજન્સીઓ પર ભાજપ-આરએસએસનો કબજો છે. બીજા મોટા સમાચાર ગુજરાતમાં નિર્ભયા જેવી હેવાનિયતના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 2. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ મામલાની દિલ્હી હાઇ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. રાહુલે કહ્યું: BJP દેશમાં ચૂંટણી સુધારા નથી ઇચ્છતી:ચૂંટણી પંચને કંટ્રોલ કરી રહી છે; SIR પર ગૃહ સમક્ષ 3 માગણીઓ મૂકી, 3 સવાલો પૂછ્યા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં ચૂંટણી સુધારા (SIR) પર 28 મિનિટનું ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે RSS અને BJP દેશની સંસ્થાઓ પર કબજો કરી રહી છે. આમાં ચૂંટણી પંચ, ED, CBI, IB, આવકવેરા વિભાગનો સમાવેશ થાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે BJP ચૂંટણી પંચને કંટ્રોલ અને ડાયરેક્ટ કરી રહ્યું છે. જેનાથી લોકતંત્રને નુકસાન થઈ રહ્યું છે. રાહુલના ભાષણ દરમિયાન 5 વખત હોબાળો થયો. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલિયન મોડલના ઉલ્લેખના સમયે, કોંગ્રેસના સાંસદો દ્વારા મોડલની તસવીર બતાવવા પર સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા. તેમણે કહ્યું, આ રીતે સદન નહીં ચાલે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. શાહ બોલ્યા-વંદે માતરમનો વિરોધ કોંગ્રેસના લોહીમાં:ચર્ચામાં ગાંધી પરિવારના બંને સભ્યો ગેરહાજર હતા; ખડગેએ વંદે માતરમનાં નારા લગાવ્યા રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જે લોકો વંદે માતરમનું મહત્વ જાણતા નથી તેઓ તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. ગઈકાલે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પૂછ્યું હતું કે આ ગીત 150 વર્ષથી રાષ્ટ્રની આત્માનો ભાગ રહ્યું છે. તો આજે તેના પર ચર્ચા કેમ થઈ રહી છે? હું જણાવું-કારણ કે બંગાળની ચૂંટણીઓ આવી રહી છે. મોદી તેમાં ભૂમિકા ભજવવા માંગે છે. શાહે પોતાના જવાબમાં પ્રિયંકાનું નામ લીધું ન હતું, પરંતુ તેમણે કહ્યું, જ્યારે વંદે માતરમ 100 વર્ષ પૂર્ણ થયું, ત્યારે આખા દેશને બંદી બનાવી લેવામાં આવ્યો હતો. ગઈકાલે ગૃહ (લોકસભા)માં 150 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા શરૂ થઈ ત્યારે, ગાંધી પરિવારના બંને સભ્યો (રાહુલ અને પ્રિયંકા) ગેરહાજર હતા. વંદે માતરમનો વિરોધ નેહરુથી લઈને આજ સુધી કોંગ્રેસ નેતૃત્વના લોહીમાં રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સરકારે ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 5% ઘટાડો કર્યો:સ્લોટ અન્ય એરલાઇન્સને મળશે, 10 મોટા એરપોર્ટ પર IAS અધિકારીઓ મોકલ્યા; આજે 180 ફ્લાઇટ્સ કેન્સલ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં સતત 8 દિવસથી ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે ઇન્ડિગો પર પણ કડક કાર્યવાહી કરી છે. સોમવારે સિવિલ એવિએશન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન એરલાઇનની 5% ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો. આ આદેશની અસર ઇન્ડિગોની દરરોજ ઓપરેટ થતી 2300 ફ્લાઇટ્સ પર પડશે. એટલે કે લગભગ 115 ફ્લાઇટ્સ ઘટી જશે. અહીં કેન્દ્રએ વર્તમાન પરિસ્થિતિની તપાસ માટે 10 મોટા એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ લોકો શોધી કાઢશે કે મુસાફરોને કઈ-કઈ મુશ્કેલીઓ આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હવે ચોખા પર ટેરિફ લગાવશે ટ્રમ્પ?:USનો ભારત પર માર્કેટમાં સસ્તા ચોખા ડમ્પિંગ કરવાનો આરોપ, અમેરિકી ખેડૂતોની વાત સાંભળી ટ્રમ્પ જૂની વાતો વાગોળવા લાગ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભારતમાંથી આવતા ચોખા અને કેનેડામાંથી આવતા ખાતર પર વધારાનો ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે અન્ય દેશોમાંથી આવતો સસ્તો સામાન અમેરિકી ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યો છે. ટ્રમ્પે આ વાત સોમવારે વ્હાઇટ હાઉસમાં ત્યારે કહી, જ્યારે તેઓ ખેડૂતો માટે નવી આર્થિક મદદની જાહેરાત કરી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશો અમેરિકામાં ખૂબ સસ્તા ચોખા વેચી રહ્યા છે, જેનાથી અહીંના ખેડૂતોની કમાણી ઓછી થઈ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 6. જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના:6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, 3 સંતાનના પિતા આરોપીની ધરપકડ જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ઈન્ડિગોએ રસ્તે રઝળાવ્યા તો ભારતીય રેલ આવી વહારે:નજીવા ભાડા વધારામાં 9 ટ્રેનની 40 ટ્રિપ ચલાવશે; જુઓ સ્પેશિયલ ટ્રેનનું લિસ્ટ ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફત તેમના સિટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રિપમાં મુસાફરોએ લાભ લીધો છે. અનુભવ સક્સેના (જનસંપર્ક અધિકારી, વડોદરા મંડળ પશ્ચિમ રેલવે)એ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે હંમેશાં તત્પર રહે છે. ફ્લાઈટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે વધારાની ભીડ જોવા મળી. વધારાની ભીડને જોતાં અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ હંમેશની જેમ સ્પેશિયલ ટ્રેનો જે અમારી નિયમિત ટ્રેનો ઉપરાંત હોય છે, એને ચલાવવાનો નિર્ણય કર્યો અને અત્યારસુધીમાં અમે પશ્ચિમ રેલવેએ 9 ટ્રેનની લગભગ 40 ટ્રિપ નોટિફાઈડ કરી ચૂક્યા છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ગોવા નાઇટક્લબ અગ્નિકાંડ: બંને માલિકો થાઇલેન્ડ ભાગ્યા:ઇન્ડિગોની ફ્લાઇટથી ફુકેત ગયા; પોલીસે ઇન્ટરપોલની મદદ માગી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પુતિન પછી હવે ઝેલેન્સ્કી ભારત આવે એવી શક્યતા:જાન્યુઆરી મહિનાનો પ્લાન, તારીખ નક્કી નથી; આ યુક્રેનના રાષ્ટ્રપતિનો પહેલો ભારત પ્રવાસ હશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સોનિયા ગાંધીને દિલ્હી કોર્ટની નોટિસ:1980–81ની મતદાર યાદીમાં ખોટી રીતે નામ ઉમેરવાનો આરોપ; 6 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 30 ઘાયલ:2700 ઘરમાં વીજળી ગુલ; 8ની તીવ્રતાના હજુ વધુ ભૂકંપ આવે તેવી ચેતવણી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : કોરોના રેમેડીઝનો IPO આજે બંધ થશે:ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સૂર્યા બોલ્યો- હાર્દિક અને ગિલ સંપૂર્ણપણે ફિટ:પંડ્યાની વાપસીથી ટીમ સંતુલિત થશે; આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ T-20 વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન:મેષને ભાગ્યનો સાથ, મિથુનને કારકિર્દીમાં સફળતા; મકર, કર્ક અને વૃષભ રાશિના લોકો માટે ભારે દિવસો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ચીનની ફેક્ટરીઓમાં 6 હાથવાળા રોબોટ કામ કરશે ચીનની કંપની મિડિયાએ છ હાથવાળો હ્યુમનૉઇડ રોબોટ 'મિરો યુ' લોન્ચ કર્યો છે. તે 360 ડિગ્રી ફરે છે અને હવે ફેક્ટરીઓમાં કામ કરશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'ચાલતી કારમાં બે કલાક સેક્સ્યૂઅલ એસોલ્ટ, વીડિયો બનાવ્યો':261 સાક્ષી છતાં સુપરસ્ટાર દિલીપ કેવી રીતે નિર્દોષ જાહેર થયો? 30 એક્ટ્રેસે પણ આરોપો લગાવ્યા 2. ગ્લોબલ ગુજરાતી-2 : 'લંડનમાં મમ્મીએ કાળી મજૂરી કરીને ભણાવ્યાં':પાટીદાર દીકરી બે વર્ષ પથારીવશ રહી ને આજે મોટેલ ચલાવે છે, કહ્યું- 'USમાં જીવવું સરળ નથી 3. પુત્રવધૂ સાથે ઝઘડા બાદ સાસુનું રહસ્યમય મર્ડર:ઘરનો દરવાજો-લાઇટ બંધ, કપડાં સળગેલાં, માથામાં ઊંડો ઘા; બેડરૂમમાં સંતાયેલી વહુએ કહ્યું, કોઈ અજાણ્યો માણસ હતો 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : ખેડૂતોએ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી નાશ કર્યો:કિશોરભાઈની દીકરીના લગ્ન આવે છે ને ડુંગળીનો પાક ફેલ; ખેડૂતોને ઓછા ભાવ કેમ મળે છે? 5. ભાસ્કર એક્સપ્લેનર : ‘જેટલાં વર્ષ મોદી PM, એટલાં વર્ષ નહેરુ જેલમાં રહ્યા’:વંદે માતરમની ડિબેટમાં RSSને પણ ઘસડવામાં આવ્યો, 6 મોટા દાવાઓની સમગ્ર હકીકત 6. 35 દિવસ, 12 રાજ્ય; 30 BLOનાં મોત, વળતર શૂન્ય:800 ફોર્મનો ટાર્ગેટ, અત્યારસુધીમાં 9 સુસાઇડ; પરિવારે કહ્યું, ચૂંટણીપંચ માત્ર તમાશો જોઈ રહ્યું છે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:સિંહ જાતકોને આજે ગ્રહ સ્થિતિ લાભદાયક રહેશે છે; કન્યા જાતકોને સંબંધી સાથે અણબનાવ દૂર થશે વાંચો સંપૂર્ણ સમાચાર...
ચોરીની ઘટના:સન ફાર્મા રોડના નિવૃત્ત પ્રોફેસર લગ્નમાં જતાં ઘરમાંથી 1.98 લાખની મતાની ચોરી
સનફાર્મા રોડ અને તાંદલજા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. નિવૃત્ત પ્રોફેસર રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો ઘરમાંથી રૂ.1.98 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જ્યારે તાંદલજા વિસ્તારના મકાનમાંથી 8 કિલો ચાંદી ચોરાઈ હતી. સનફાર્મા રોડ પ્રથમ એન્કલેવમાં રહેતા જયેન્દ્રકુમાર નરોત્તમદાસ શાહ એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેક એન્ડ એન્જિનિયરિંગના નિવૃત્ત પ્રોફેસર છે. તા.29 નવેમ્બરે જયેન્દ્રકુમાર અને તેમના પત્ની ઘરને લોક કરી રાજસ્થાન સંબંધીના લગ્નમાં ગયા હતા. ત્યારબાદ દંપતી તા.6 ડિસેમ્બરે પરત ઘરે પહોંચ્યું હતું. આ દરમિયાન ઘરનું લોક તુટેલુ મળ્યું હતું. ઘરમાં તપાસ કરતા તસ્કરો મંદિરમાંથી ભગવાનની ચાંદીની મુર્તીઓ, કબાટમાંથી સોનાના દાગીના, રોકડા વગેરે મળીને કુલ રૂ.1.98 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. જોકે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે અટલાદરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. અઢી કિલો ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ પણ તસ્કરો લઈ ગયા, ફૂટેજમાં ન આવે એટલે સીસીટીવી સહિત રાઉટર પણ ચોરી ગયાતસ્કરોએ કૉશ વડે દરવાજાનું લોક તોડી નાખ્યું હતું. તેમને ઘરમાં તમામ વસ્તુઓ અસ્ત-વ્યસ્ત કરી દીધી હતી. તે ફ્રિજમાંથી અઢી કિલો ડ્રાયફ્રુટ અને અન્ય ફ્રુટ પણ લઈ ગયા હતા. સાથે જ તે સીસીટીવીમાં કેદ ન થઈ જાય તેને લઈ તસ્કરો સીસીટીવી તથા રાઉટર પણ ચોરી કરી ગયા હતા. કબાટો પણ તમામ તુટેલા મળ્યા હતા. આ મામલે પોલીસને ફરિયાદ આપી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. } (જયેન્દ્રકુમાર શાહ સાથે થયેલી વાતચીત મુજબ) તાંદલજાની શુકૂન સોસાયટીના મકાનમાંથી 8 કિલો ચાંદી ચોરાઈવડોદરા | તાંદલજા સુકુન સોસાયટીમાં રહેતા નાદીર ફલીભાઈ ફિરોઝશા કોન્ટ્રાક્ટર સયાજીગંજમાં હોટલ ચલાવે છે. તેમને વર્ષ 2022માં રોકાણ કરવા વિસ કિલો ચાંદી ખરીદી હતી. ઘરની તિજોરીમાં ચાંદી મૂકી રાખી હતી. ત્યારે નાદીરને સાઉદી અરેબીયા જવાનું હતું. જેથી તે ચાંદીને બેંક લોકરમાં મુકવા જવાના હતા. જેથી તેમને ઓક્ટોબર મહિનામાં તીજોરી જોતા વિસ કિલો પૈકી 16 નંગ ચાંદીના બીસ્કિટ એટલે 8 કિલો ચાંદી રૂ.4.68 લાખનું મળી આવ્યું નહોતું. જોકે તીજોરીમાંથી ચાંદી કોણ ચોરી ગયું તે જાણવા ન મળતા આ મામલે જે.પી રોડ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદને આધારે તસ્કરોને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
છેતરપિંડી:વેપારી-મિત્રોને ગોલ્ડ-ડાયમંડના વેપારની લાલચ આપી ગઠિયાએ 2.80 કરોડ ઠગ્યા
સુશેન રિંગ રોડ પરના સાંઈબાબાના મંદિરે ભંડારામાં મળેલા ગઠિયાએ તરસાલીના વેપારી અને તેમના મિત્રોને ગોલ્ડ અને ડાયમંડના વેપારની લાલચ આપીને રૂા.2.80 કરોડની ઠગાઈ કરી હતી. આ અંગે મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. તરસાલી-સુશેન રિંગ રોડ પર આવેલા હીરાબાગ ડુપ્લેક્ષમાં રહેતા 56 વર્ષિય સંજયકુમાર મહેતા નેક્સોડ મીડિયા પ્રા.લી નામની કંપની ધરાવે છે. સંજયભાઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2010માં સુશેન સર્કલ પાસે નિત્યાનંદ કોમ્પલેક્ષ પાસે સાંઈબાબાના મંદિર ખાતે યોજવામાં આવેલા ભંડારામાં તેઓ સેવામાં ગયા હતાં. આ દરમિયાન તેમનો પરિચય હરીશભાઈ જાધવ સાથે થયો હરીશભાઈ લુબ્રીકન્ટ ઓઈલનો વેપાર કરતા હતાં. સંજયકુમાર વર્ષ 2023માં મુંબઈ ગયા હતાં. જ્યાં રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા મિત્ર અતુલ શાહના મારફતે યુકેના સિટીઝન તેમજ હાલ મુંબઈ રહેતા અને સી.એ દીપેશ મનસુખ ડોડિયા સાથે ઓળખાણ થઈ હતી. દિપેશ ડોડિયાનો પરીચય હરીશ જાધવ સાથે થયો હતો. હરીશ જાધવ વર્ષ 2024માં સંજયભાઈના ઘરે આવીને જણાવ્યું હતું કે, તેઓ સાઉથ આફ્રિકાથી ગોલ્ડ મંગાવી વેપાર કરે છે. જેથી હરીશ જાધવના કહેવાથી દિપેશ ડોડિયા તેમજ હરીશ જાધવે ભાગીદારીમાં ગોલ્ડ તેમજ ડાયમંડનો વેપાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ ત્રણેયે મુંબઈ જઈને એપ્પલ ઈન્ટરનેશનલ ઈન કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી બનાવી હતી. આ પેઢીમાં સંજયકુમાર 70 ટકા, દિપેશ ડોડિયા 15 ટકા અને હરીશ જાધવ 15 ટકાના નફાના ભાગીદાર હતાં, આ ટ્રેડનો અનુભવ હરીશ જાધવ ધરાવતા હતા જેથી તેઓ જ તમામ વહીવટ કરતા હતાં. આ ધંધામાં રોકાણ કરવા દિપેશ ડોડિયાએ પ્રથમ રૂા.70 લાખ રોકડા એપ્રિલ 2024માં સંજયકુમારને આપ્યાં હતાં. જે રૂપિયા તરસાલીના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં ભર્યાં હતાં. હરીશ જાધવને કુલ રૂા.55 લાખ રૂપિયા ગોલ્ડ અને ડાયમંડમાં રોકાણ કરવા આપ્યાં હતાં. હરીશ જાધવને 1 કરોડનું આંગડિયું કરવાનું હોવાથી તેમાં રૂા.45 લાખ ખુટતા હતા તે દિપેશે પોતાના ખાતામાંથી હરીશને આપ્યાં હતાં. દરમિયાન હરીશે આ રૂા.1 કરોડની રકમમાં પ્રોફિટ ઉમેરાઈને કુલ રૂા.1.65 કરોડ નેક્સોડ મીડિયાના ખાતામાં આવી જશે તેમ જણાવીને રાકેશ પાંડે મારફતે રૂા.1 કરોડનું આંગડિયું કરાવ્યું હતું. હરીશ જાધવે દીપેશ ડોડિયાને ગોલ્ડ અને ડાયમંડમાં રોકાણની લાલચ આપી સંજયકુમાર પાસેથી આંગડિયા મારફતે 1.60 કરોડ, મિત્ર દિપેન્દ્ર જૈન પાસેથી રૂા.1 કરોડ, તેમજ દિપેશ ડોડિયા પાસેથી રૂા.20 લાખ મળીને કુલ રૂા.2.80 કરોડ મેળવી આરોપીએ રૂા.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટની પીડીએફ તેમજ આરબીઆઈના પેમેન્ટ હોલ્ડ અંગે મેઈલના સ્ક્રિનના ફોટો મોકલીને રૂપિયા પરત નહીં આપીને ઠગાઈ કરનારા હરીશ જાધવ (રહે-શંકરબાગ સોસાયટી, તરસાલી) અને રાકેશ ગીરીજાશંકર પાંડે (રહે- મલાડ વેસ્ટ, મુંબઈ) વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હરીશ જાધવે રોકાણના રૂપિયા પ્રોફિટ સાથે 15 કરોડ થઈ ગયાનું જણાવ્યું, ડીડી પણ તૈયાર હોવાનું કહ્યુંહરીશ જાધવે ફરિયાદી અને તેમના મિત્રો પાસેથી રોકાણના નામે રૂપિયા લીધા હતાં. જ્યારે આ રૂપિયા પ્રોફિટ સાથે રૂા.15 કરોડ થઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતું. અને તેનો ડી.ડી પણ તૈયાર થઈ ગયો હોવાની લાલચ આપી હતી. ફરિયાદીએ આ ડીડીને બેંકમાં ભર્યો પણ હતો. જોકે ત્યારબાદ હરીશે આરબીઆઈ દ્વારા પી.એમ.એલ.એ એક્ટ મુજબ પેમેન્ટ હોલ્ડ પર હોવાનું જણાવીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતાં. 20થી 25 ટકાના નફાની લાલચ આપીને મુંબઈના રાકેશ પાંડે પાસથી રોકાણ કરાવવા 1 કરોડ પડાવ્યાહરીશ જાધવે સ્કિમમાં 20થી 25 ટકાના પ્રોફિટની લાલચ આપીને ફરિયાદીને મુંબઈના રાકેશ પાંડે પાસે રોકાણ કરાવવા જણાવ્યું હતું. ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી તેમને મુંબઈ ખાતે રહેતા બિલ્ડર દિપેન્દ્ર કુશલચંદ્ર જૈન પાસેથી રૂા.1 કરોડ બે દિવસમાં પરત આપવાનું જણાવી ઉછીના લીધા હતાં. આ રૂપિયા પણ આરોપીએ ચાંઉ કરી દીધા હતાં. આ કેસમાં પોલીસે બોગસ દસ્તાવેજો બનાવવાની કલમ 338 લગાવી જ નથીઆ કેસમાં આરોપીઓએ આરબીઆઈના બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ છેતરપિંડી કરવા કર્યો હોવાનું જણાઈ આવે છે. જોકે પોલીસ દ્વારા આ કેસમાં માત્ર 316 (2), 318 (4) અને 61 (2)ની કલમો જ લગાવી છે. જેમાં માત્ર 7 વર્ષની જ સજા છે. જોકે છેતરપિંડી કરવાના ઈરાદે આરબીઆઈના બોગસ દસ્તાવેજ બનાવી હોવાથી પોલીસે 338ની કલમ લગાવાઈ નથી. આ કલમ હેઠળ આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે. 7 વર્ષની સજાની કલમોમાં પોલીસ આરોપીઓને પોલીસ મથકમાંથી જ જામીન આપી શકે છે.
ભાસ્કર ઈનસાઈડ:વાસદ પાસે મહીમાં સિક્કો નાખવા જતાં યુવક નદીમાં પડ્યો, 24 કલાકે પત્તો નહીં
અમદાવાદના અસલાલીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો યુવક સોમવારે મોડી રાત્રે મહીમાં સિક્કો નાખવા જતાં નદીમાં પડી તણાયો હતો. તેનો મંગળવાર સાંજ સુધી પત્તો મળ્યો નથી. મૂળ હરિયાણાના અને અમદાવાદના અસલાલીમાં ઓફિસ ધરાવતા ગોપાલ શર્મા અન્ય કર્મચારી સાથે વડોદરા આવ્યા હતા. તેમણે સોમવારે રાત્રે 9 વાગ્યે અમિતનગર સર્કલથી મયુદ્દીન નામના ટેક્સી ડ્રાઇવરની કાર ભાડે લીધી હતી. મયુદ્દીને કહ્યું કે, અમે દસેક વાગ્યાના સુમારે વાસદ પાસે મહી બ્રિજે પહોંચ્યા ત્યારે તેમણે કાર ઊભી રખાવી હતી. જ્યાં તેમની સાથેના કર્મચારીને કહ્યું કે, બાધા પૂરી કરવી છે. મને સિક્કો આપ. જેથી સાથી કર્મીએ સિક્કો આપતાં તેઓ સિક્કો પધરાવવા ઝૂકતાં પાણીમાં પડી ગયા હતા. જેથી મેં 100 નંબર ડાયલ કરતાં વાસદ પોલીસની આવી હતી અને 4 વાગ્યા સુધી યુવકની તપાસ કરી હતી, જોકે ભાળ મળી નહોતી. વાસદ પોલીસ મથકના પીઆઇ જે.કે. ડોડિયાએ કહ્યું કે, મંગળવારે ફાયરબ્રિગેડે ભેટાસી સુધી તપાસ કરી પણ યુવકનો પત્તો લાગ્યો નથી. મહીના પુલના થાંભલા ગણ્યા, 7 થાંભલા સુધી વાસદ પોલીસની હદબનાવની તપાસ દરમિયાન યુવકે કયા પેરાફિટ પરથી ભૂસકો માર્યો હતો, તે અંગે બનાવના સમયે હાજર વ્યક્તિઓને પૂછ્યા બાદ પોલીસે વાસદ મહીના પુલના એક છેડેથી થાંભલા ગણ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, વાસદ તરફથી પુલના 7 થાંભલા સુધી વાસદ પોલીસની હદ છે, તે પછી વડોદરાની હદ શરૂ થાય છે. જ્યારે જે પહેલાં પહોંચે તે કાર્યવાહી હાથ ધરે છે. આ બનાવની જાણ થતાં મહીની આસપાસના 60 તરવૈયા પણ પોલીસ, ફાયરબ્રિગેડ સાથે સર્ચમાં જોડાયા હતા.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા કેટરિંગના બિઝનેસમેનને મોબાઈલમાં સટ્ટો રમવાની લત લાગી ગઈ હતી. તેઓ સટ્ટામાં 50 હજાર રૂપિયા હારી જતાં 2 બાળકોની કોલેજની ફી ભરી શક્યો નહોતો. બીજી તરફ બિઝેનેસમેન નશો કરીને આવે ત્યારે બાળકો સાથે પત્નીને પણ ઘરમાંથી કાઢી મૂકતો હતો. જેને પગલે પત્નીએ અભયમની મદદ મેળવી હતી. ટીમે સ્થળ પર પહોંચીને બિઝનેસમેનનું કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યો હતો સાથે મોબાઈલમાંથી ઓનલાઈન સટ્ટાની એપ્લિકેશન પણ કઢાવી નાખી હતી. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતાં કોમલબહેન (નામ બદલ્યું છે)ના પતિ કેટરિંગનો બિઝનેસ કરે છે. તેમના લગ્નને 22 વર્ષ થયાં છે અને તેમનો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો હતો. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમના પતિને મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાની લત લાગી ગઈ હતી. ઉપરાંત કોમલબહેનનો પતિ ઘણીવાર ઘરે નશો કરીને આવતો હતો. જે બાદ તે પત્ની અને બાળકો સાથે મારઝૂડ કરીને તેઓને ઘરમાંથી કાઢી મૂકતો હતો. હાલમાં તેણે બાળકોની કોલેજમાં ભરવાની રૂા.50 હજારની ફી સટ્ટામાં વાપરી નાખી હતી. પતિની આદતથી કંટાળી ગયેલાં કોમલબહેને આખરે અભયમની મદદ લીધી હતી અને તેમની પરિસ્થિતિ જણાવતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. અભયમની ટીમને કોમલબહેનના પતિએ જણાવ્યું હતું કે, ગેમ રમવી એ વ્યસન નથી, હું દરરોજ નથી રમતો, કોઈવાર જ રમું છું. જે બાદ મને કોઈ ભાન નથી રહેતું અને તેના કારણે જ ઝઘડા થાય છે. કોઈ વાર સટ્ટો રમું છું, તે મારી ભૂલ છે. ટીમે તેઓને સમજાવ્યા હતા કે, બે બાળકો છે, તેઓ કોલેજમાં ભણે છે અને તેમની ફીના રૂપિયા સટ્ટો રમવામાં બગાડવા તે યોગ્ય નથી. તેઓએ ભૂલ સ્વીકારતાં મોબાઈલમાંથી ગેમ ડિલીટ કરી હતી. સટ્ટાને કારણે પત્નીને ઘર ખર્ચ માટે રૂપિયા પણ નહોતો આપતોબિઝનેસમાંથી આવતી મોટાભાગની કમાણી બિઝનેસમેન સટ્ટો રમવામાં ખર્ચ કરી નાખતો હતો. જેને કારણે ઘરમાં રૂપિયાની તંગી પડવા લાગી હતી. તે કોમલબહેનને ઘર ખર્ચના રૂપિયા પણ નહોતો આપતો, જેથી તેઓને ઘર ચલાવવામાં પણ તકલીફ પડતી હતી.
કેન્દ્ર સરકારે ચેસીસ પર બસનું બોડી બનાવવા એટલે ચેસીસ પર બસ તૈયાર કરવા 1 સપ્ટેમ્બરથી નવા નિયમ લાગુ કર્યા છે, જેથી ગુજરાતમાં બસનું આરટીઓ પાસિંગ બંધ થયું છે. જેમાં વડોદરામાં 150 સહિત રાજ્યમાં 5 હજાર બસ માટે મુશ્કેલી સર્જાઇ છે. બસનું બોડીવર્ક કરતા સંચાલકોના જણાવ્યા મુજબ નવા નિયમનું સર્ટિફિકેટ લેવા જાય તો પ્રત્યેક સેગમેન્ટમાં 30 લાખ ખર્ચવા પડે છે અને અંદાજે 1 કરોડ ખર્ચ કરવો પડે છે. ત્યારબાદ બસને પૂના માન્ય સંસ્થા પાસે મંજૂર કરાવી તે મુજબની તૈયાર કરવી પડે છે. ઓનલાઇન પાસિંગ સિસ્ટમમાં એઆઇએસ 153-52 સર્ટિફિકેટ સરકાર માન્ય સંસ્થા પાસેથી મેળવી અપલોડ કરવું પડે છે. મોટી માત્રામાં બસ બોડીવર્ક માટે આવતી નથી હોતી અને નિયમ મુજબ જો બસ બનાવે તો ખર્ચો મોંઘો થાય, તેથી પણ આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ધંધો મળવો મુશ્કેલ છે. કયા નિયમો છે,શું મુશ્કેલી સર્જાઇ?નવા નિયમ મુજબ બસમાં સરકાર માન્ય સીટ કરતાં વધુ સીટ લગાવી ન શકાય. જેથી બસ ઓપરેટરને આર્થિક નુકસાન થાય. વાયર, એક્સ્ટિંગ્યૂસર, ઇમર્જન્સી એક્ઝિટ જેવી વ્યવસ્થા ખર્ચાળ બને છે. સર્ટિફિકેટમાં 6 માસ લાગેસમગ્ર પ્રક્રિયામાં સર્ટિફિકેટ મેળવવામાં 6 મહિના લાગે છે. સરકાર સાથે વાતો ચાલી રહી છે, ઉકેલ આવતો ન હોવાથી ધંધો ઠપ છે. > વિષ્ણુ શર્મા, આશાપુરા મોટર વર્ક અકસ્માત-આગમાં જીવ બચેકેન્દ્ર સરકાર દ્વારા સેફ્ટી માટેના નિયમો કડક કરાયા છે, જેને પગલે નિયમ મુજબ બસ તૈયાર થાય તો અકસ્માત કે આગ લાગવા જેવી ઘટનાઓમાં માણસોનો જીવ બચી શકે તેમ છે. > જે.કે. પટેલ, આરટીઓ, વડોદરા
પાલિકાનું આકરું વલણ:127 બાંધકામ સાઇટમાં ચેકિંગ,ગ્રીન નેટ ન લગાવનારને રૂા.28 લાખ દંડ
શહેરમાં હવાની ગુણવત્તા બગડતાં મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં પહેલી વખત નિર્માણાધીન સાઇટ પર ધૂળને રોકવા માટે લીલી જાળી નહીં લગાવનાર 127 નિર્માણાધીન બાંધકામ પર ચકાસણી કરી 28.25 લાખનો દંડ ફટકારાયો છે. નવી બાંધકામ સાઈટ પર હવા અને ધૂળને રોકી શકે તે માટે ગ્રેન નેટ ફરજિયાત લગાવવા સૂચના અપાઈ છે. શહેરમાં હવાની ગુણવત્તા બગડતાં મ્યુ. કમિશનરે આકરાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. પાલિકામાં મંગળવારે મળેલી બેઠકમાં તેઓએ શહેરની તમામ નિર્માણધીન બાંધકામ સાઈટ પર હવા અને ધૂળને રોકી શકે તેવી લીલી જાળી ફરજિયાત લગાવવાની સૂચના આપી છે. તદુપરાંત કચરો અથવા કાટમાળ લઈ જતી ટ્રક પર તાડપત્રી લગાવવા, રોડની કામગીરી વેળાએ ધૂળ ન ઊડે તે બાબતનું ધ્યાન રાખવા, પણ સૂચના આપી છે. શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 4 ઝોનમાં 4 એન્ટી સ્મોક ગન લેવાનું નક્કી કરાયું છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એન્ટી સ્મોક ગનમાં પણ રિયૂઝ વોટરનો ઉપયોગ કરીશું. તદુપરાંત નવા રોડ વોલ ટુ વોલ બને તે માટે પણ અધિકારીઓને સૂચના અપાઇ છે. હાલમાં શહેરમાં 141 બાંધકામ સાઈટ ચાલી રહી છે, જેમાં પાલિકાની વિવિધ ટીમોએ ધૂળ ન ઊડે તે માટે 127 સ્થળોએ ચકાસણી કરી 28.25 લાખનો દંડ ફટકાર્યો છે. પાલિકાએ 41 હેરિટેજ ઈમારતોની યાદી બનાવી, આસપાસથી દબાણો હટાવીને સ્વચ્છતા કરાશેશહેરમાં પાલિકાએ 41 હેરિટેજ ઇમારતોની યાદી બનાવી છે, જે પૈકીની લાલકોર્ટ, ન્યાયમંદિર, માંડવી, ખંડેરાવ માર્કેટ, પ્રતાપ વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં લાલકોર્ટ, ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ, માંડવીની આસપાસનાં દબાણ હટાવશે. શાકભાજી, ફ્રૂટ-ફૂલ માટે વેન્ડિંગ ઝોન, બજારો ઊભાં કરવાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. ગેરી દ્વારા રોડના નમૂના લેવાનું શરૂ કરાયું, 30મી ડિસેમ્બર સુધીમાં ખાડા પૂરો, નહીં તો કાર્યવાહીશહેરમાં હજી પણ અનેક વિસ્તારોમાં ખાડા વાહન ચાલકોની પરેશાનીનું કારણ બની રહ્યા છે. મ્યુ. કમિશનરે રિવ્યુ બેઠકમાં ઝોન અને પ્રોજેક્ટના અધિકારીઓના કાન આમળીને 30 ડિસેમ્બર સુધી તમામ ખાડા પૂરવા કડક સૂચના આપી છે. આધારભૂત સૂત્રો મુજબ મ્યુ. કમિશનરે ઝોન અને વોર્ડના અધિકારીઓ સાથેની બેઠકમાં ખરાબ રોડ માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરી છે અને જો કામ નહીં થાય તો કાર્યવાહી થશે તેવી પણ ચીમકી આપી છે. મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું કે, શહેરમાં બનેલા રોડની ગેરી દ્વારા નમૂના લઈ ચકાસણી કરાઈ રહી છે. જેમાં નમૂના નાપાસ થશે તો કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરાશે. બાંધકામ સાઈટ પર હવા-ધૂળ રોકી શકે તે માટે લીલી જાળી ફરજિયાત લગાવવા સૂચના
વુડા સર્કલ પાસે મંગળવારે સાંજે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસે મોપેડ સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધું હતું. જેમાં રોડ પર પટકાયેલાં વૃદ્ધા પૈડાં તળે કચડાતાં તેમનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે વૃદ્ધનો બચાવ થયો હતો. ઘટનાને પગલે ટોળાં એકઠાં થયાં હતાં, જ્યારે પરિવારને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પિક અવર્સમાં બનેલી ઘટનાથી ટ્રાફિક જામ થયો હતો. હરણી પોલીસે બસ ચાલકની અટક કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. ઘટનાને પગલે જો. પોલીસ કમિશનર પણ દોડી આવ્યા હતા. વીઆઈપી રોડ બાલાજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હિરાલાલ છાજોડનાં 66 વર્ષીય પત્ની શકુંતલાબહેનની આંખનું ઓપરેશન કરવાનું હતું. જેથી દંપતી સાંજે મોપેડ લઈ સરદારભુવન ખાંચામાં આવેલા દવાખાનામાં જઈ રહ્યું હતું. દરમિયાન 5.20 કલાકે તેઓ વુડા સર્કલ પાસે પહોંચ્યાં ત્યારે પાછળથી આવતી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસે મોપેડને અડફેટે લેતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. જેમાં હિરાલાલભાઈનો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો, જ્યારે તેમનાં પત્ની શકુંતલાબહેન બસનાં પૈડાં તળે આવી જતાં તેમનું મોત થયું હતું.ઘટનાને પગલે હિરાલાલભાઈ આઘાતમાં સરી પડ્યા હતા. બીજી તરફ લોકોએ બસ ડ્રાઈવરને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બસ ડ્રાઈવરની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108 મૃતદેહને લીધા વગર પાછી ગઈઘટનાની સૌથી પહેલી જાણ 112 હેલ્પ લાઈન પર કરાઈ હતી. જેથી અટલાદરા પોલીસ મથકની 112ની વેન સ્થળ પર આવી પહોંચી હતી. જોકે ઘટના ગંભીર હોવાથી તેઓએ આ બાબતે પોલીસ કંટ્રોલ અને જે તે પોલીસ મથકને જાણ કરી હતી. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે પોલીસ ન આવી હોવાને કારણે 108 પણ પરત ગઈ હતી. હિરાલાલભાઈને પણ ઘટના સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલ જઈ નહોતા શક્યા. ડ્રાઈવર છેલ્લાં 2 વર્ષથી અમારે ત્યાં કામ કરે છેડ્રાઈવર ઉસ્માન મકરાની હરણી એરપોર્ટ નજીક ડર્મા કંપનીના કર્મીઓને છોડી ફતેગંજ તરફ જતો હતો ત્યારે અકસ્માત થયો છે. તે 2 વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરે છે. અમે તેને પોલીસ હવાલે કર્યો હતો. > ફિરોઝ સાદીક પટેલ, પટેલ ટ્રાવેલ સંચાલક હરણી કે કારેલીબાગ પોલીસ દોઢ કલાક સુધી ન આવીઅકસ્માતમાં મોતની ઘટના સંદર્ભે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જોકે ઘટના સ્થળ ક્યા પોલીસ મથક વિસ્તારમાં લાગશે તેનો વિવાદ હોય તેમ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોઢ કલાક સુધી પહોંચી હતી. જેને કારણે પરિવાર સહિતના લોકોએ પોલીસની કામગીરી પર રોષ ઠાલવ્યો હતો. પોલીસની નિષ્કાળજીથી કારેલીબાગ વિસ્તારમાં વાહનોનો ચક્કાજામવડોદરા | વુડા સર્કલ પાસે સાંજના 5.20 કલાકે અકસ્માત સર્જાયો હતો, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે અંદાજે દોઢ કલાક સુધી ઘટના સ્થળના હદના વિવાદને કારણે પોલીસ પહોંચી નહોતી, જેને કારણે વૃદ્ધાનો મૃતદેહ દોઢ કલાક સુધી રોડ પડી રહ્યો. ઉપરાંત બસ પણ તે જ હાલતમાં રહી હતી. અકસ્માત સાંજે પિક અવર્સમાં થયો હતો ત્યારે ટુ વ્હીલર, કાર સહિતનાં વાહનોને ડાઈવર્ટ કરવામાં આવ્યાં હતાં. જેને કારણે અમિત નગર બ્રિજથી લઈને એલએન્ડટી સર્કલ સુધી ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતને પગલે ટુ-વ્હીલર સાથે બસોને કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સવાળા રસ્તા પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. જેને કારણે ચંદ્રાવલી ચાર રસ્તા પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નોકરિયાત વર્ગ તે જ સમયે નોકરીથી છૂટીને ઘરે પરત જઈ રહ્યો હોવાને કારણે અનેક લોકોને ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત મંગળવારથી જ ફતેગંજ બ્રિજના ઈએમઈ સર્કલથી શાસ્ત્રી બિજ તરફ જતી બ્રિજની બાજુ બંધ કરી દેવાતાં વુડા સર્કલથી ઈએમઈ સર્કલ અને ફ્રીડમ પાર્ક સર્કલ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ભાસ્કર નોલેજ:ભરૂચમાં રકતપિત્તના દર્દી શોધાશે, ગત વર્ષે 316 મળ્યા
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી 8 થી 27 ડિસેમ્બર દરમ્યાન રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. . જેમાં જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી સાથે શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. જીલ્લામાં આરોગ્ય ટીમો ઘરે ઘરે જઇ તમામ સભ્યોની લેપ્રસી ના શંકાજનક ચિહ્નોની તપાસ કરશે. આ અભિયાન દરમિયાન તમામ શંકાજનક દર્દીઓનું નજીકના સરકારી દવાખાનાના તબીબી અધિકારી નિદાન કરી સારવાર પર મુકવામાં આવશે. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં રક્તપિત્તના 316 નવા દર્દી શોધાયેલા હતા. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. રક્તપિત્ત પુર્વ જન્મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી. કોઈ પણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી. રકતપિત્ત પુરુષ - સ્ત્રી, બાળક - યુવાન- વૃદ્ધ, ગરીબ – તવંગર કોઈને પણ થઈ શકે છે. પરંતુ તે કોઈ પણ તબક્કે મટાડી શકાય છે વહેલું નિદાન કરી નિયમિત અને પુરતી બહુ ઔષધીય સારવારથી તે વિના વિક્રુતિએ ચોક્કસપણે મટી શકે છે. રકતપિત્ત થી ગભરાવાની જરૂર નથી રક્તપિત્તના કારણે આવતી પંગુતા વિકૃતિ દુર કરી શકાય છે. તેનું નિદાન તેમજ સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલમાં વિનામુલ્યે થાય છે. કોઈપણ વ્યક્તિને આવા લક્ષણોહોય તો તરત સંપર્ક કરોશરીર પર આછા ઝાંખા રતાશ પડતા ચાઠા, કિનારીવાળા ચાઠા, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથપગમાં સ્પર્શનો અભાવ, કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રકતપિત્ત હોય શકે છે. બહુ ઔષધિય સારવારથી રકતપિત્ત ચોક્ક્સ મટી શકે છે. આવા લક્ષણો દેખાયતો જિલ્લા રકતપિત્ત અધિકારી તેમજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવું.
ભાસ્કર ફોલોઅપ:પાનોલી સન ફાર્મા કંપનીમાં મૃત્યુ પામેલ કામદારના પરિવારજનોએ હોબાળો કર્યો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી સનફાર્મા કંપનીમાં કામદારના મોત બાદ પરિવારજનોએ વળતરના મામલે હોબાળો કર્યો હતો. પરિવારના વિરોધ પ્રદર્શનમાં અન્ય કામદારો પણ જોડાયા હતાં અને મેનેજમેન્ટના વલણ સામે દેખાવો કર્યાં હતાં. કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્લાન્ટ નંબર 6 માં કામ કરી રહ્યો હતો. તે વખતે રિકેટર નંબર 617 માં ટોલ્વીન પ્રોસેસ થઇ રહી હતી. અચાનક ટોલ્વીનની અસર લગતા યુવાનને માથામાં દુખાવો થવા લાગતાં તેને કંપનીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પણ તેનો જીવ બચી શકયો ન હતો. ઘટના બાદ અન્ય કામદારોએ કંપનીના ગેટ પાસે ભેગા થઇને વિરોધ કર્યો હતો. મંગળવારે મૃતકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે દોડી આવ્યા હતા. અને મૃતક કામદારના પરિવારને વળતર અપાવવા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. કંપનીની બેદરકારીના કારણે કામદારનું મોત થયાના આક્ષેપો કરાયા છે. ઘટના બાબતે કંપની તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગેટ બહાર કામદારોના હોબળા સાથે ફેકટરી ઇન્સ્પેકટર સામે પણ આક્રોશ વ્યકત કરાયો હતો.પાનોલી પોલીસને પણ ફરિયાદ આપતા પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂ કરવા જઇ રહી છે. આવતા સપ્તાહે 16થી 20 ડિસેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સરકારના અધિકારીઓની એક ટીમ લુસાન જવા નીકળી રહી છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સફળતા ઓલિમ્પિક રમતોના આયોજન માટે વધુ ઉજળી તકો ઊભી કરશે. અમે અમારી તૈયારી માત્ર કોમનવેલ્થ પૂરતી મર્યાદિત રાખવાને બદલે ઓલિમ્પિક રમતોને દૃષ્ટિમાં રાખીને શરૂ કરી છે. તેથી જ આવતા સપ્તાહે લુસાનમાં યોજાનારી બેઠકોમાં પાંચ દિવસ દરમિયાન ઘણા ઘટનાક્રમો સર્જાવા જઇ રહ્યા છે. ઓફિસમાં તજ્જ્ઞોની કન્સલ્ટન્ટ તરીકે ભરતીસ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં ઓલિમ્પિક એસોસિએશનની મુખ્ય કચેરી આવેલી છે. અહીં જ ગુજરાત સરકાર પોતાની કચેરી બનાવી તેમાં તજ્જ્ઞોની કન્સલ્ટન્ટ તરીકે ભરતી કરશે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર અધિકારી કક્ષાના લોકોની ભરતી પણ થશે. આ કચેરીનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે, પણ તેનાથી ફાયદો એ થશે કે ભવિષ્યમાં ઓલિમ્પિક એસોસિએશન સાથેનો કોઇપણ પ્રકારનો સંવાદ કે સંદેશા વ્યવહાર આ કચેરી મારફતે થશે. ઈવેન્ટ માટેનું જરૂરી માળખું વિકસાવવામાં મદદરૂપ થશેઓલિમ્પિક રમતોના વૈશ્વિક એસોસિએશન પણ લુસાનમાં સ્થાયી છે. સ્પોર્ટ્સના વિશ્વસ્તરના એસોસિએશન કે ફેડરેશનોની મુખ્ય કચેરી પણ અહીં આવેલી છે. આ કારણસર ગુજરાત સરકારના પ્રતિનિધિઓ તેમની સાથે પણ સંપર્કમાં રહીને જે-તે રમતની ઇવેન્ટના આયોજન માટેની જરૂરિયાત સમજી શકશે અને તે પ્રકારે ગુજરાતમાં માળખું અને સુવિધા વિકસાવવામાં મદદરૂપ થશે. પ્રતિનિધીમંડળ ઓલિમ્પિક માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરશે મુલાકાતના પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને ભારત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓનું પ્રતિનિધીમંડળ ઓલિમ્પિક ફેડરેશન ઉપરાંત અલગ-અલગ રમતોના એસોસિએશનોને મળીને ગુજરાતમાં રમતો યોજવા માટેના પ્રેઝન્ટેશન આપશે. આ દરમિયાન ગુજરાતના અર્થતંત્ર, સુરક્ષા, સુવિધા અને સામાજિક મુદ્દા જેવી બાબતો પર ચર્ચા કરાશે.
અભિગમ:મનોવિજ્ઞાનના 350 શિક્ષક આત્મવિશ્વાસ વધારશે
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવશે. 350 જેટલા મનોવિજ્ઞાન શિક્ષકને 11 મીએ બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. જિલ્લામાંથી આ વર્ષે ધોરણ-10 ના 21990 અને ધોરણ-12ના 13141 આમ 35,131 જેટલા આવેદન કરીને બોર્ડની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાના ડરને દૂર કરવા અને છાત્રોને કોઈ વિષયમાં સમાજ ના પડે તેના માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત છે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરતા છાત્રો માટે નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળા દીઠ એટલે 350 જેટલા મનોવિજ્ઞાન શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવશે. આ શિક્ષકોને 11 મીએ બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. આ વિદ્યાર્થી મિત્ર શિક્ષક વિદ્યાર્થી ના લક્ષણો જોઈને તેનું સમાધાન કરવામાં આવશે. આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિદ્યાર્થી મિત્ર શિક્ષક સાથે સંકલન કરીને છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન પડતી સમસ્યા અને તેમના પર વધુ માર્ક લાવવા સહિતના દબાણ કરતાં છાત્રો ડિપ્રેશનમાં નહીં આવે તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્ર શિક્ષક શું કામગીરી કરશેવિદ્યાર્થી મિત્ર શિક્ષક બોર્ડની પરીક્ષા આપતા છાત્રોની માનસિક સ્થિતિ સમજી તેનું તાત્કાલિક કાઉન્સેલિંગ કરી તેનું સમાધાન કરશે. ધોરણ-10 અને 12 ના છાત્રોને માનસિક રાહત તેમજ આત્મહત્યા કે ઘર છોડીને જતા રહેવાની કોશિશ નહીં કરે તે માટે સાયકોલોજીકલ જ્ઞાન આપવામાં આવશે. 15 ડિસેમ્બરથી બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી મનોવિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થી મિત્ર બની કામગીરી કરશે.બોર્ડની પરીક્ષા પહેલા ઘણા વિધાર્થીઓ તણાવમાં આવી જતા હોય છે. કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવવામાં આવશે સરકાર માથી જણાવ્યા મુજબ કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. તેમાં કલેક્ટર, સિવિલ સર્જન, સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, એનજીઓના પ્રતિનિધિ બે, બે યુનિવર્સિટી ના પ્રતિનિધિ નો સમાવેશ કરવામાં આવશે. દરેક શાળાની અંદર વિદ્યાર્થી મિત્રની નિમણૂક કરી તેમને બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે તાલીમ આપવામાં આવશે. > સ્વાતિબા રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ
ફરિયાદ બાદ કડક કાર્યવાહી:પીપળાના ચોકમાંથી ૩૦થી વધુ મોટરસાઈકલ ડિટેઈન
થાનગઢ પીઆઈ ટી.બી. હિરાણી તથા થાનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે મેઇન બજારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં 30થી વધુ બાઇક ડિટેઇન કરાયા હતા. થાનગઢ પોલીસ સતત ટ્રાફિક બાબતે નિષ્ક્રિય જણાતી હતી. ત્યારે થાનગઢ વેપારી અને સિરામિક દ્વારા લીમડી વિશાલ રબારીની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લાના નવા આવેલ એસપી થાનગઢ પીઆઇ અને અનેક પોલીસ કર્મચારી તાત્કાલિક ધોરણે બદલી કરાવી દેવામાં આવી હતી. થાનગઢ પોલીસ સ્ટેશન નવા પીઆઇ બી.એન. હિરાણી મૂકવામાં આવ્યા હતા. થાનગઢ પીપળાના ચોકની અંદર અનેક માથાભારે તત્વો મોટર સાયકલ ઉપર જમીન બેસી રહ્યા હતા તે લોકોને મોટરસાયકલ ડિટેઈન કરવામાં આવ્યા હતા. તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે અનેક માથાભારે તત્વોએ રસ્તો બદલી દીધો હતો. 30થી પણ વધારે બાઈક ડિટેઈન કરવામાં આવ્યા હતા. ત્યારે થાનગઢના ન્યૂ વેપારીના પ્રમુખ સંજયભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે નવા પીઆઇ ત્યારે થાનગઢ શહેરમાં પોલીસ સતત સક્રિય છે એવું દેખાઈ રહ્યું છે. અગાઉના પોલીસ થાનગઢ બજારની અંદર કોઈ દેખાતા જ ન હતા. આજે થાનગઢ પોલીસ દેખાઈ રહી છે. તેને હિસાબે અનેક લોકો આડેધડ પાર્કિંગ કરતા રહ્યા હતા તે હવે કરવાનું ઓછું થઈ ગયું છે.
જિલ્લામાં ખેતીનું ડિજિટલાઇઝેશન:રવિ સિઝનથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે
ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા એગ્રીસ્ટેક યોજના અમલમાં છે. જેનો 2024-25થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કર્યો છે. એગ્રીસ્ટેક એ નીતિઓ, ધોરણો અને માર્ગદર્શિકાઓ દ્વારા સક્ષમ રજિસ્ટ્રિઝ, ડેટાસેટ્સ, API અને IT સિસ્ટમ્સનો એક સંગ્રહ છે. આ યોજનાના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે સેવાઓ અને ઉકેલો ઝડપી બનશે, ખેતીમાં સરળતા વધશે. જિલ્લામાં એગ્રીસ્ટેક યોજના અંતર્ગત 2025-26માં આગામી રવિ સિઝનથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. આ સર્વેમાં જિલ્લાના તમામ ગામોના સર્વે નંબર મુજબ, ખેડૂતો દ્વારા કયા પાકોનું વાવેતર કરાયું તેની વિગતો એકત્ર કરાશે. આ કામગીરી માટે તાલુકા કક્ષાએથી નિયુક્ત થયેલા સર્વેયર દ્વારા જિલ્લાના તમામ ગામોમાં સર્વે કરાઈ રહ્યો છે. જિલ્લાના તમામ ખેડૂતોને નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે, ખેડૂતો તેમના ખેતરે ઉપરોક્ત સર્વેની કામગીરી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત કરેલ પ્રાઇવેટ સર્વેયર, વીસીઇને સંપૂર્ણ સહયોગ આપે, જેથી ડેટા સંગ્રહની કામગીરી સરળતાથી અને ઝડપથી પૂર્ણ થઈ શકે. આગામી રવિ સિઝન માટે જો કોઈ વ્યક્તિ આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા ઇચ્છતા હોય, તો તેઓને તક અપાઇ રહી છે. સદર કામગીરી કરવા ઇચ્છુક વ્યક્તિને એન્ડ્રોઇડ મોબાઈલના ઉપયોગની જાણકારી હોવી જરૂરી છે. આ કામગીરી ગામનો કોઈપણ વ્યક્તિ જેમ કે, ઇચ્છુક સ્ટુડન્ટ, ગામના જાણકાર વ્યક્તિ, પ્રગતિશીલ ખેડૂત, ફાર્મર ફ્રેન્ડ, એનજીઓના પ્રતિનિધિ, સખી મંડળના પ્રતિનિધિ, કૃષિ સખી વગેરેની તાલુકા કક્ષાની કમિટીમાં સર્વેયર તરીકે પસંદગી થયેથી સર્વેની કામગીરી કરી શકશે. સર્વેની કામગીરીમાં સર્વેયરને સર્વે દીઠ રૂ.10 મહેનતાણું અપાશે. આ ઉપરાંત, ખેડૂત મિત્રો જાતે પણ પોતાના ખેતરનો સર્વે કરી શકશે. વધુ માહિતી અને નોંધણી માટે જે તે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લામાં નાયબ ખેતી નિયામક (વી), સુરેન્દ્રનગરની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
ભાસ્કર ઈન્ટરવ્યૂ:જિલ્લામાં જ્ઞાતિ અને વ્યક્તિ વચ્ચેના અહમથી વધુ ગુના બને છે : રેન્જ IG
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી તપાસવા માટે દર વર્ષે ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવે છે. જેમાં પોલીસની કામગીરી અને સતર્કતાની સાથે ક્રાઇમ ઘટાડવા માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર ઇન્સ્પેક્શન માટે આવ્યા છે. પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત જિલ્લાભરના અધિકારો હાજર રહ્યા હતા. ત્યારે ભાસ્કરે સવાલ કર્યો કે જિલ્લામાં ગુનાખોરીનો પ્રકાર કેવો છે ત્યારે આઇજીએ જણાવ્યું કે અહીંયા જ્ઞાતિ જ્ઞાતિ અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના અહમને કારણે વધુ ગુના બની રહ્યા છે. સુરેન્દ્રનગર પોલીસનો 1 કોન્સ્ટેબલ 500નાટોળાને કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છેપ્રશ્ન - જિલ્લામાં ગુનાની શું હાલત છે જવાબ - 2 હાઇવે પસાર થતા હોય ગુના બને તે સ્વાભાવિક છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ગુનાનું પ્રમાણ ઘટ્યું છે. ડિટેક્સન પણ સારું થયું છે. પ્રશ્ન - અહીંયાની પોલીસની કામગીરી કેવી છેજવાબ - સુરેન્દ્રનગર પોલીસ ડિટેક્શનની કામગીરીમાં ખૂબ સારી છે. પ્રશ્ન - પોલીસની ખાસીયતને એક વાક્યમાં કહેવી હોય તો?જવાબ - અહીંયાનો એક કોન્સ્ટેબલ 500ના ટોળાને કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રશ્ન - પોલીસને શું ટકોર કરીજવાબ - ગુનેગારો ઉપર ખાસ નજર રાખતા રહો અને જ્યાં વયમનસ્ય હોય ત્યાં સાથે બેસાડીને વેરભાવ દૂર કરાવો પ્રશ્ન - ઇન્સ્પેક્શનમાં શું ક્ષતિઓ જણાઇ જવાબ - ઇન્સ્પેક્શન એ ક્ષતિ શોધવા માટે નથી પરંતુ નવું શીખવા માટે છે.
દરોડો:રતનપરમાં માવા બનાવતી ફેક્ટરીમાં દરોડો : 2 ટન પ્લાસ્ટિક પકડાયું
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વેચાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે તવાઇ બોલાવી છે ત્યારે મંગળવારે રતનપર ઉમિયા ટાઉનસીપમાં ધમધમતી માવા બનાવવાની 2 ફેકટરી પકડી લીધી હતી. મનપાના સેનિટેશન વિભાગના કુલદિપભાઇ, કેતનભાઇ સહિતની ટીમે દરોડો કર્યો ત્યારે ઓમના માવા બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 2 ટન જથ્થો મળી આવ્યો હતો. માવા બનાવતી ઓમ એન્ટર પ્રાઇઝ કંપનીના માલિકને રૂ.30 હજારનો દંડ ફટકારાયો. મનપાની ચેકિંગ ટીમે જણાવ્યું કે ઉમિયા ટાઉનસીપમાં 2 જગ્યાએ માવા બનાવવામાં ગેરકાયદે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહયો છે. ચેકિંગ માટે બે વાર ગયા હતા. પરંતુ કારખાના બંધ કરીને જતા રહેતા હતા. આથી હાથ આવતા ન હતા. 3 દિવસ બાદ દરોડો સફળ થયો હતો.
સાયલાના ચોરાવીરામાં વર્ડિલોપાર્જિત જમીનમાં ભાગ મામલે પરિવાર વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. આરોપી કાકાની અટકાયત પણ કરી લેવામાં આવી છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામે તા.7 ડિસેમ્બરે રવજીભાઇ પોપટભાઇએ ભત્રીજા મુન્નાભાઇ વહાણભાઇને પોતાના ઘરે બોલાવ્યો હતો. જમીનના ભાગ મામલે બોલાચાલી થતાં રવજીભાઇ અને તેમના પુત્ર અનુભાઇએ મુન્નાભાઇને 12 ફૂટ ઉંચી ઓસરીમાંથી ધક્કો મારી નીચે પટકી દેતા માથામાં ઇજા થઇ હતી. જે બાદ સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવાતાં મોત થતાં પત્ની કિરણબેને કાકા અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ ડી.ડી.ચુડાસમાએ આરોપી રવજીભાઇની અટકાયત પણ કરી લીધી છે. લોહી બહાર ન નીકળતાં માથાની ઇજા જીવલેણ નીવડીમૃતકનું પીએમ કરવામાં આવ્યુ જેમાં તેના માથાના ભાગે ગંભીર ઇજા જણાઇ હતી.અંદરના ભાગે ઇજા થતા લોહી બહાર ન નિકળ્યુ.જે બાબત જીવલેણ બની આ ઉપરાંત ફેફસામાં પણ ઇજા જણાઇ હતી.છતા વિસેરા ફોરેન્સીક લેબમાં વધુ તપાસ માટે મોકલી આપ્યા છે. > ડો.ચૈતન્ય પરમાર (સીડીએમઓ) અમે ગયા ત્યારે ખાટલામાં સુવડાવ્યા હતાહું અને મારા પતિ વાડીએ પાણી પાવાનું કામ કરતા હતા ત્યારે મારા કાકાનો ફોન આવ્યો હતો અને જમીન બાબતે વાત કરવાનું કહીને મારા પતિને તેમના ઘરે બોલાવ્યા હતા.આથી મારા પતિ કાકાના ઘરે ગયા હતા.પરંતુ રાત પડી ગઇ હોવા છતા ઘરે પાછા ન આવતા અમે કાકાના ઘરે તપાસ કરી હતી તો મારા પતિને બે ભાન હાલતમાં ખાટલામાં સુવડાવી દીધા હતા.તેમને ઘરે લાવી સુવડાવ્યા પરંતુ સવારે ન જાગતા હોસ્પિટલ લઇ ગયા જયા સારવાર બાદ તેમનું મોત થયુ. કિરણબેન (મૃતકના પત્ની) 12 વીઘા જમીનના 8ભાગ પડતા હતાઆરોપી રવજીભાઇના પિતા પોપટભાઇની 18 વીધા જમીન હતી. કુલ 8 સંતાન હતા જેમાં પોપટભાઇના પત્ની દિવુબેનને જે સાચવે તેમને 6 વીઘા જમીન આપવાની હતી. આમ 12 વીઘા જમીનના 8 ભાગીયા હતા.આ જમીન પણ કાકા બહાદુરભાઇના નામે હતી. મૃતક તે જમીન ખેડતો હતો પરંતુ કાગળ ન હોવાથી સહાય કે અન્ય લાભ ન મળતા હતા.જમીન તેના ખાતે કરી દેવાનું કહેતા બોલાચાલી થતી હતી. તા. 7 ડિસેમ્બર પણ જમીન મુદ્દે વાતચીત કરવા બોલાવી પિતા-પુત્રે હત્યા કરી નાંખી.
નાફેડે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હલકી કક્ષાનો માલ લેનાર કેન્દ્રો લાખણી-04 “ગોગાપુરા પટેલ વાસ (ઘાંટા) સેવા સહકારી મંડળી લિ. અને પાંથાવાડા 05 દાંતીવાડા તાલુકા સહકારી કૃષિ ઉત્પાદક ખરીદ વેચાણ સંઘ લિ.”ને ખરીદીમાંથી સસ્પેન્ડ કરી છે. બન્ને સેવા સહકારી મંડળીઓની બેદરકારી બહાર આવતાં નાફેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.. બનાસકાંઠા જિલ્લામાં ખરીફ-2025 સિઝન દરમિયાન કેન્દ્ર સરકારની પ્રાઇસ સપોર્ટ સ્કીમ અંતર્ગત ચણાની ખરીદી પ્રક્રિયામાં અનિયમિતતા સામે આવી છે. ભારત સરકારની નાફેડ સંસ્થાએ રાજ્યની નોડલ એજન્સી ગુજકોમાસોલને 28 નવેમ્બર 2025ના રોજ એક સત્તાવાર પત્ર પાઠવી બનાસકાંઠાના બે ખરીદી કેન્દ્રોની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. સાથે જ સંબંધિત સહકારી મંડળીઓને પ્રાઇસ સપોર્ટ સ્કીમ યોજનામાંથી ડિબાર કરવાની ભલામણ કરાઈ છે. નાફેડના ગુજરાત સ્ટેટ હેડ અભિષેક કુમાર દ્વારા પાઠવાયેલા પત્ર મુજબ, બનાસકાંઠાના CWC ગોડાઉનમાં પહોંચેલ ચણાનો જથ્થો હલકી કક્ષાના હોવાનું સ્પષ્ટ થયું હતું. પત્રમાં જણાવ્યા મુજબ, સ્ટોકની હાલત ખૂબ જ ખરાબ છે બન્ને સેવા સહકારી મંડળી લિ. દ્વારા મોકલવામાં આવેલો સ્ટોક યોગ્ય ન હોવાથી નાફેડે બંને કેન્દ્રોમાં તમામ કામગીરી તાત્કાલિક બંધ કરવાનો હુકમ કર્યો છે. ખરીદ કેન્દ્રો પર સેમ્પલ લેવાય છે મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં સૌથી પહેલા ખરીદી કેન્દ્રો પર આવતી મગફળીનું ગુણવત્તા પરીક્ષણ કરવામાં આવે છે. તેમાં ભેજ, તૂટેલા દાણા, કચરો, ફૂગ લાગેલી મગફળી અંગેની તપાસ થાય તે બાદ મગફળી સ્વીકારવામાં આવે. ખરીદી પ્રક્રિયામાં તોલ-કાંટા પ્રમાણિત રાખવામાં આવે છે જેથી કોઈ ખેડૂત સાથે વજન બાબતે અન્યાય ન થાય. દરેક ખેડૂતની ખરીદી ઓનલાઇન પોર્ટલ પર નોંધાય છે અને આધાર કાર્ડ તથા બેંક ખાતાની વિગતો ચકાસીને સીધી ખાતામાં ચુકવણી કરવામાં આવે છે. ગોડાઉનમાં સંગ્રહ સમયે પણ પેકિંગ, હવાબંદ વ્યવસ્થા ઉપરાંત ખરીદી કેન્દ્રો પર સીસી ટીવી, રજીસ્ટર અને દૈનિક રિપોર્ટિંગ જેવી કાર્યવાહી કરવામાં આવે છે. રાજસ્થાનના વેપારીઓનો માલ વર્ષોથી ખેડૂતોના નામે ભરાવાતું હોવાની આશંકા બનાસકાંઠા જિલ્લામાં ભૂતકાળમાં મગફળી ખરીદીમાં મોટા પ્રમાણમાં કૌભાંડો સામે આવ્યા હતા ગત વર્ષે પણ મગફળી ખરીદીમાં લાખણી પંથકમાં રાજસ્થાનથી વેપારીઓની મગફળી આવી હોવાના વિડીયો વાયરલ થયા હતા. બજારમાં હલ્કી કક્ષાની મગફળી ના ભાવો ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.
ઉત્તર પશ્ચિમ રેલ્વે અજમેર ડિવિઝન હેઠળ મદાર–પાલનપુર સેક્શન પર જાવલી અને રાની સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નંબર 632 પર આર.સી.સી. સમારકામ માટે ટ્રેનોની અવરજવર પર ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી રેલવેના ટ્રાફિક પર અસર થવાની છે અને કેટલીક ટ્રેનો રદ, ડાયવર્ટ અથવા મોડેથી ચાલશે. 11 અને 12 ડિસેમ્બરે નિકળનારી જોધપુર સાબરમતી ટ્રેન રદ કરાઈ છે જ્યારે જુદી જુદી બે ટ્રેનોના રૂટ પાટણ ભીલડી ધાનેરા ડાયવર્ટ કરાયા છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશી કિરણના જણાવ્યા મુજબ રેલ તંત્ર દ્વારા મુસાફરોને મુસાફરી કરતા પહેલા ટ્રેનની હાલની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. રદ કરાયેલ ટ્રેનો 14821 જોધપુર–સાબરમતી : 11.12.2025 અને 12.12.2025 14822 સાબરમતી–જોધપુર : 12.12.2025 અને 13.12.2025 ફરીથી શેડ્યૂલ ટ્રેન 14701 શ્રી ગંગાનગર–બાંદ્રા ટર્મિનસ : 4 કલાક વિલંબ 11.12.2025 14707 હનુમાનગઢ–દાદર : 1 કલાક વિલંબ 12.12.2025 19223 સાબરમતી–જમ્મુ તાવી : 1 કલાક 45 મિનિટ વિલંબ 12.12.2025 19031 સાબરમતી–યોગનાગરી ઋષિકેશ : 1 કલાક વિલંબ 12.12.2025 ડાયવર્ટ કરેલી ટ્રેનો— તારીખ 11.12.2025• 20943 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી • 20496 હડપસર–જોધપુર રૂટ: મહેસાણા–ભીલડી–લુણીસ્ટોપેજ: પાટણ, ભીલડી, ધાનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, જાલોર, મોકલસર, સમદડી
ભાસ્કર ઈનસાઈડ:નવી કલેક્ટર કચેરી જોરાવર પેલેસ સંકુલનાબગીચામાં જ બનશે, જગાણા નહીં ખસેડાય
પાલનપુર ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે રાજય સરકાર મંજૂરી આપ્યા બાદ હવે અત્યાધુનિક બિલ્ડીંગ ધરાવતા નવીન કલેકટર કચેરીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે.અંદાજીત રૂપિયા 59 કરોડ ખર્ચ નવીન કલેકટર કચેરીના બિલ્ડીંગનું નિર્માણ થશે.કચેરીની ડિઝાઈન પણ જાહેર કરાઈ છે. પાલનપુર ખાતે નવી કલેક્ટર કચેરીના નિર્માણ માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રૂ. 59.60 કરોડની સુધારેલી વહીવટી મંજૂરી આપી છે. અગાઉ રૂ. 48 કરોડના અંદાજિત ખર્ચના આ પ્રોજેક્ટમાં ફેરફાર કરીને આધુનિક સુવિધાઓ સાથે સુધારેલ યોજના મંજૂર કરવામાં આવી છે. નવી કચેરીમાં ભૂકંપ પ્રુફ સ્ટ્રકચર, આગ સલામતી સાધનો, ડિજિટલ કામકાજ માટેની સુવિધાઓ, લિફ્ટ, પાર્કિંગ અને દિવ્યાંગજનો માટે અનુકૂળ પ્રવેશ વ્યવસ્થા હશે. છ વર્ષનો વિલંબ થયો અને પ્રોજેક્ટ પાછળરૂ. 8.60 કરોડ વધી ગયા બનાસકાંઠા કલેક્ટર કચેરી માટે રૂ. 48 કરોડની મૂળ વહીવટી મંજૂરી વર્ષ 2019માં આપવામાં આવી હતી. બાદમાં નવી જરૂરિયાતો, ડિઝાઈન ફેરફાર અને આધુનિક માળખાની જરૂરિયાતને કારણે ખર્ચ વધારીને રૂ. 59.60 કરોડ કરવામાં આવ્યો છે. અંદાજે 6 વર્ષનો વિલંબ થયો છે. વિલંબના સંભવિત કારણોમાં ટેકનિકલ ફેરફાર, બજેટ મંજૂરીમાં વિલંબ, ટેન્ડર પ્રક્રિયામાં અડચણ, બાંધકામ સામગ્રીની કિંમતોમાં વધારો, કોવિડ-19 મહામારીનો પ્રભાવ અને ડિઝાઈન સુધારણા જેવી બાબતો ગણાય છે. હવે સરકારે સુધારેલ બજેટ સાથે પ્રોજેક્ટ આગળ વધાર્યો છે.
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સરકારી સિવિલ હોસ્પીટલમાં પંચમહાલ, દાહોદ તથા મહીસાગરના દર્દીઓ સારવાર કરવા આવે છે. આ સિવિલ હોસ્પીટલને મેડીકલ કોલેજ સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. તેમ છતાં સિવિલ હોસ્પીટલમાં તબીબની અછત સર્જાતા ગંભીર દર્દીઓની હાલત કફોડી બનતી હતી. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની મુલાકાતમાં સોનોગ્રાફી વિભાગમાં મહેકમનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલમાં માત્ર એક જ રેડિયોલોજિસ્ટ ઉપલબ્ધ હોવાથી દર્દીઓના ઘસારાને પહોંચી વળાતું નથી. રેડિયોલોજિસ્ટ અછતને કારણે સોનોગ્રાફી માટે દર્દીઓનું 15 થી 20 દિવસનું લાંબુ વેઇટિંગ લિસ્ટ થઈ જતું હતું. જેના પગલે રેડિયોલોજિસ્ટની જગ્યા ભરવા ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. રજુઆતને પંગલે સિવિલમાં રેડિયોલોજિસ્ટ ને ડેપ્યુટેશન ઉપર વડોદરા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટ દ્વારા મૂકવામાં આવ્યા છે.આ રેડિયોલોજિસ્ટ ગોધરા સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે સોમવાર,બુધવાર અને શુક્રવારે પોતાની કામગીરી બજાવશે. અન્ય રેડિયોલોજિસ્ટ મુકતા દર્દીઓને વેઇટીંગમાંથી છુટકારો મળશે.
શિયાળુ સિઝન:ગીરગઢડામાં યુરિયા ખાતરની અછત, વહેલી સવારથી જ ધરતીપુત્રોની કતાર
ગીરગઢડા પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછતસર્જાઈ રહીં છે સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર લેવા ડેપો ગીરગઢડા પહોંચી ગયા હતા. GNFCના ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી.કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો પોતાનો વારો વહેલી તકે આવે તેની રાહ જોઈ રહ્યા હતા.ડેપો પર માત્ર એક ગાડીમાં 500 યુરિયા ખાતરની બેગ આવી હતી. આ મર્યાદિત જથ્થાને કારણે ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. ખેડૂત દીઠ માત્ર બે થેલી ખાતર આપવામાં આવતા ભારે કચવાટ જોવા મળ્યો હતો. માવઠાના કારણે રવિ પાકને પહેલેથી જ નુકસાન થયું છે. હવે યુરિયા ખાતરની અછતથી પાકને વધુ નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરનું કામ છોડીને વહેલી સવારથી આવવા છતાં ઘણીવાર ખાતર મળતું નથી. જો મળે તો પણ માત્ર બે થેલી મળે છે, જે મોટા ખેતરો માટે પૂરતું નથી. ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમના પાકને બચાવી શકાય અને તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય દરેક વખતે પૂરતો જથ્થો નહીં આવતો હોવાનું ડેપો ના સંચાલક કહેછે પરંતુ ખરેખર ખાતર માટે કૃત્રિમ અછત ઊભી કરાય રહીં છે કે શું? તે બાબતે જવાબદાર ખેતિ નિયામક દ્વારા તપાસ ધરશે ખરા કે પછી ખેડૂતો ને કતારો મા ઊભું રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થતી રહેશે તેવી બુમો ઉઠવા પામી છે. દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છેઆ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે પણ વાવેતરનો સમય આવે છે એ સમયે ખાતરની અછત ઉભી થાય છે જેથી સરકાર દ્રારા આ પ્રશ્નનો કાયમી હલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ફરિયાદ:જામનગરમાં ટ્યુશન ક્લાસિસ સંચાલિકાને સાસરિયાનો ત્રાસ
જામનગર શહેરમાં ટ્યુશન કલાસિસ સંચાલિકાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કરીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી મારકુટ કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના અર્હામ-3, ગ્રીન્સ પાર્ક કોલોનીમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા જલ્પાબેન (ઉ.વ.36) નામની મહિલાના વર્ષ 2012માં શહેરમાં જ રહેતા ભાવિનભાઈ ચંદુભાઈ ભેંસદડીયા સાથે લગ્ન થયા હતા. તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ ભાવિન તેમજ સસરા ચંદુ લીંબાભાઈ ભેસદડીયા અને નણંદ પુર્વીબેન સંદીપભાઈ ચનીયારા નાની-નાની બાબતોમાં ઝગડો કરતા હતા, અને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપીને મારકુટ કરતા હતા. તેમજ અગાઉ પરિણિતાને પુત્ર સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. પતિ ઘરછોડીને જતા રહ્યા હતા. પત્ની જલ્પાબેનની અને પુત્રની દરકાર લેતા ન હતા. અપશબ્દો બોલીને મારકુટ કરીને ત્રાસ આપતા હતા. જેથી સાસરીયાઓના ત્રાસથી કંટાળીને જલ્પાબેને પોલીસમાં પતિ ભાવિન તેમજ સસરા ચંદુભાઈ અને નણંદ પુર્વીબેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઇન્સની સેવાઓમાં ચાલી રહેલી કટોકટી યથાવત્ છે. 9 ડિસેમ્બરના રોજ, ઈન્ડિગોની કુલ 9 ફ્લાઇટમાંથી બે સાંજની ફ્લાઇટ રદ થતાં મુસાફરોની મુશ્કેલી વધી છે. રાજકોટથી દિલ્હી અને મુંબઈ જતી આ ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજીબાજુ રાજકોટ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 400 જેટલા પેસેન્જરને એરલાઇન કંપનીએ રિફંડ ચૂકવ્યું છે. જે મુસાફરોનો સામાન (લગેજ) રહી ગયો હતો, તેવી 14 બેગ તેમના ઘરના સરનામે પહોંચાડવામાં આવી છે. 9 ડિસેમ્બરની સાંજે 17:55 વાગ્યાની રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ અને 19:55 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. જોકે, સવાર અને બપોરની અન્ય ફ્લાઇટ્સ નિયમિતપણે ઉડાન ભરી રહી છે, જેમાં સવારની 8:05 વાગ્યાની દિલ્હી, 9 વાગ્યાની મુંબઈ, 10:25 વાગ્યાની પુણે, 12 વાગ્યાની ગોવા, 3:55 વાગ્યાની હૈદરાબાદ, 4:15 વાગ્યાની બેંગ્લોર અને 4:55 વાગ્યાની મુંબઈની ફ્લાઇટનો સમાવેશ થાય છે. મુસાફરોની મદદ માટે ઈન્ડિગો દ્વારા ડિપાર્ચર અને ટર્મિનલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા ટિકિટ ચેન્જ અને રિફંડ સહિતની પ્રક્રિયા એરલાઇન કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ઘણાં પેસેન્જરને અન્ય ફ્લાઈટમાં કનેક્ટિવિટી પણ આપવામાં આવી હતી. ઈન્ડિગોમાં ચાલી રહેલી કટોકટીને કારણે રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક અઠવાડિયામાં 45થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવા સહિતના રૂટની ફ્લાઇટ્સ મોટા પાયે પ્રભાવિત થઈ હતી. હવે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને કંપની દ્વારા અસરગ્રસ્ત પેસેન્જરોને વળતર (રિફંડ) આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઇન્ડિગોનો શેર 8 દિવસમાં 18% ઘટીને રૂ.4906 પર આવી ગયોમંગળવારે ઇન્ડિગોનો સ્ટોક 0.36% ઘટીને રૂ.4,906 થયો. દેશવ્યાપી ઇન્ડિગો કટોકટીને કારણે, છેલ્લા આઠ દિવસમાં કંપનીનો સ્ટોક 18% ઘટી ગયો છે. આ ઘટના પહેલા, 1 ડિસેમ્બરના રોજ, કંપનીનો શેર રૂ.5,794 પર બંધ થયો હતો. ઈન્ડિગોના શેરમાં ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર ડિસેમ્બર 1થી શેરમાં લગભગ 18% સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો મુખ્યત્વે એરલાઈન દ્વારા થયેલી ફ્લાઈટ કૅન્સલેશન, ઓપરેશનલ વિઘ્ન અને નિયમનાત્મક પગલાંઓની અસરને લીધે થયો હોવાનું માનવામાં આવે છે. DGCAએ ઈન્ડિગોના ઓપરેશન પર 5% કાપ મુક્યો, 115 ફ્લાઈટ ઘટશેડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 5%નો કાપ એટલે કે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ એરલાઇન લગભગ 90 સ્થાનિક સ્થળો અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ દરરોજ 2,200થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. 5% ઘટાડો એટલે 115 દૈનિક ફ્લાઇટ્સનો ઘટાડો હોવાનું માનવામાં આવે છે. જોકે ઈન્ડિગો દ્વારા હાલ 90 ટકાથી વધુ ઓપરેશન સમયસર થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો
વિદ્યાર્થીઓમાં અસંતોષ:યુનિવર્સિટીના કેમેરા, રોડ સહિતના પ્રશ્ને એબીવિપીનું રામધૂન સાથે વિરોધ પ્રદર્શન
ભાવનગર યુનિવર્સિટી તંત્ર લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે બેદરકાર હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અનેક વખત આવેદન આપી સૂચનાઓ કરી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. જેથી વિધાર્થીને પડતી મુશ્કેલી માટે લાંબી લડત આપવા પરિષદ મેદાને આવ્યું છે હાલની યુનિવર્સિટી પરીક્ષાઓ દરમિયાન અનેક કોલેજોમાં CCTV કેમેરા બંધ હતા છતાં ત્યાં પરીક્ષા લેવાઈ હતી, જે યોગ્ય અને ગુણવત્તા સભર નથી અને પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કરે છે. તેમજ તંત્રએ દિવાળી બાદ કેમ્પસના રોડ–રસ્તા સુધરશે એવું કહ્યું હતું, પરંતુ આજદિન સુધી રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજ મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને કર્મચારીઓ પરિષદને આ મુદ્દે લડત આપવાનું કહી રહ્યા છે, યુનિવર્સિટીના કર્મચારીઓ અને ખુદ અધિકારીઓ અને પ્રોફેસરો બંધ બારણે આક્ષેપ કરી રહ્યા છેકે તંત્રને કામ નથી કરવું. યુનિવર્સિટીની કોલેજો અને કેમ્પસ વિસ્તારમાં કચરો ફેલાયેલો રહે છે અને સારી સ્વચ્છતાની વ્યવસ્થા જોવા મળતી નથી. વિદ્યાર્થી પરિષદે જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં સ્વચ્છતા એક મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ તંત્ર આ દિશામાં કોઈ ગંભીરતા બતાવી રહ્યું નથી. BSE સેમેસ્ટર–3ની અંગ્રેજી પરીક્ષામાં પણ ગડબડી સામે આવી છે. એક જ પ્રશ્ન બે વાર પૂછાયો હતો અને અલગ–અલગ કોલેજોમાં સુધારો એકસરખો જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી. પરિષદે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ મુદ્દાઓ વિદ્યાર્થીઓના હિતમાં ન હોય યુનિવર્સિટી તંત્રએ તરતજ કાર્યવાહી કરવી જોઈએ. જો તંત્ર ફરી ઉદાસીન રહેશે તો ABVP યુનિવર્સિટીમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. બાહ્ય અભ્યાસ વિભાગના એડમિશન શરૂ કરોપરિષદે વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસ વિભાગના એડમિશન હજી સુધી શરૂ થયા નથી, જ્યારે હજારો બાળકો એડમિશનની રાહ જોઈ રહ્યા છે. આ વિલંબ વર્ષે વર્ષે વારંવાર થતો હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડે છે. અને તંત્રને દર વર્ષની જેમ ટેકનીક પરેશાનીના વાંધા રજૂ કરી સસ્તો બચાવ કરે છે.
આણંદમાં સાઈબર ફ્રોડની રકમ મહિલાના બેંક એકાઉન્ટમાં નાંખી ઠગાઈ કરતી ગેંગને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવ અંગે સાઈબર ક્રાઈમે પાંચ શખસ વિરૂદ્ધ રૂપિયા 13.38 લાખુત ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર સ્થિત પ્લેનેટ રેસીડેન્સી બિસ્મીલ્લા સોસાયટી ખાતે અફસાના મહંમદઅઝમલ મેમણ રહે છે. તેણીએ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીનું બંધન બેંકમાં બેન્ક એકાઉન્ટ છે. નવેમ્બર, 2024માં તેમના મામા સસરાના દીકરા સૈફઅલી યુસુફ પુંજાણી આવ્યો હતો અને તેણે તેના લગ્ન થવાના હોય અને તેના નાણાંકીય વ્યવહારો કરવાના હોય બેંક એકાઉન્ટની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે તેમનું બેંક એકાઉન્ટ માંગ્યું હતું. સંબંધી હોય તેમણે તેમનું એકાઉન્ટ આપ્યું હતું. બીજી તરફ થોડા સમય બાદ કુલ છ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 3 લાખ જમા થયા હતા. એ પછી બીજા 16 હજાર પણ તેમના એકાઉન્ટમાં જમા થયા હતા. આ અંગે અફસાના તેમને પૂછે એ પહેલાં જ સૈફઅલીએ તેમને તેણે જ પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. અને આ પૈસા તેણે ઉપાડીને સાહિલ ઉર્ફે બકરી નઝીર વ્હોરાને આપવા કહ્યું હતું. આમ, સૈફઅલીના કહેવા પ્રમાણે તેમણે બેંકમાંથી પૈસા ઉપાડીને સાહિલને આપ્યા હતા. દરમિયાન, થોડા દિવસ બાદ મહિલાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તેમના બેંક એકાઉન્ટમાંથી કોઈ નાણાંકીય વ્યવહાર થયા નહોતા. જેને પગલે તેમણે બેંકમાં તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે,તેમના બેંકમાં રૂપિયા 3.16 લાખનું નાણાકીય વ્યવહાર થયા હતા તે સાઈબર ફ્રોડના પૈસા હતા. આ અંગેની ફરિયાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નોંધાઈ છે. જોકે, આ બાબતે તેણીએ સૈફઅલીને કહેતા જ તેણે તેને અને તેના પતિને ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ આજદિન સુધી એકાઉન્ટ અનફ્રિઝ જ રહ્યું હતું. વધુમાં તપાસ કરતા બે શખસ ઉપરાંત વસીમ ઉસ્માનગની વ્હોરા, ફૈયાઝ સલીમ વ્હોરા અને કામીલ ઉસ્માન વ્હોરાએ પણ આ પ્રકારના અલગ-અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઈબર ફ્રોડ થયેલા કુલ રૂપિયા 13.38 લાખ રૂપિયાના અલગ-અલગ વ્યક્તિઓના બેંકમાં નાણાં નંખાવી તેમની સાથે ઠગાઈ કરી હતી. આખરે, આ મામલે અફસાના મેમણે આ અંગે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય શખસ વિરૂદ્ધ ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:આણંદ રણછોડરાય માર્કેટમાં 200 વાહનો પાર્ક થઇ શકે તેવુ પાર્કિંગ સ્ટેન્ડ બનાવાશે
આણંદ શહેર રેલ્વે સ્ટેશન વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી રોડ બંને બાજુએ વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. જેને ધ્યાને લઇને મનપા કમિશ્નરે શહેરનું સૌ પ્રથમ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મનપા રણછોડરાય માર્કેટમાં છેલ્લા 5 દાયકાથી ગેરકાયદે દુકાનો તાણી બાંધી ધંધો કરતાં વેપારી સહિત લારીઓવાળા મળીને 50 વધુ વેપારીઓને નોટીસ પાઠવી છે. જેના પગલે દુકાનાદારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તો બીજી બાજુ મનપા આ કાર્યને નગરજનો બિરદાવ્યું છે. પાર્કિંગ સ્ટેન્ડમાં 150 ટુ વ્હીલર અને 50 કાર પાર્ક થઇ શકે તેવુ આયોજન કરાશે. આણંદ શહેરમાં પાલિકાના શાસન દરમિયાન મુખ્ય માર્ગો પર આવેલા પ્લોટમાં ગેરકાયદે દબાણો રાફડો વધી ગયો હતો. જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યા ઉદભવે છે. આણંદ મનપા બન્યા બાદ કમિશ્નરે શહેરને ટ્રાફિક મુકત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન ,જૂના બસ સ્ટેશન અને સ્ટેશન રોડ પર વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હોય છે. તેને ધ્યાને લઇને શહેરમાં પ્રથમ મનપા સંચાલિત પાર્કિંગ સ્ટેન્ડ બનાવવા માટે નિર્ણય લેવાયો છે.જેના ભાગરૂપે જૂના બસ સ્ટેશન પાસે મનપા હસ્તકના પ્લોટ નં 269, 270, 271માં જ્યા હાલ પાંચ દાયકા પહેલા ગેરકાયદે ઉભુ કરવામાં આવેલા રણછોડરાય માર્કેટમાં નાની મોટી દુકાનો અને લારીઓવાળા મળી 50થી વધુ વેપારીઓ ધંધો કરે છે. પરંતુ હાલમાં ટ્રાફિક નિવારણ જરૂરી છે. જેને ધ્યાને લઇને તમામ દુકાન દારોને નોટીસ પાઠવીને દિન 10માં ખાલી કરવા જણાવ્યું છે. તેમ છતાં ખાલી નહીં કરે તો મનપા તોડી પાડીને દુકાનદારો પાસે ખર્ચ વસુલશે તેમ નોટીસમાં જણાવ્યું છે. આણંદ શહેરના મુખ્ય 5 માર્ગો પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામની સમસ્યા વકરી આણંદ શહેરમાં વસ્તી અને વ્યાપ સતત વધી રહ્યો છે. શહેરના મુખ્ય બજારોમાં મનપા હસ્તકપાર્કિંગ સ્ટેન્ડ ન હોવાથી વાહનચાલકો આડેધડ રીતે રોડની બંને બાજુએ પાર્કિંગ કરતાં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે મનપા દ્વારા જૂના બસ સ્ટેશન વિસ્તાર, અમૂલ ડેરી રોડ, વિદ્યાનગર રોડ, સરદાર ગંજ રોડ અને ગણેશ ચોકડી પાસે મનપા હસ્તકની જમીનમાં પે પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવે તો કાયમી ધોરણે 50 ટકા ટ્રાફિક હળવો થઇ જાય તેમ છે.
મેહુલ પટેલ, સુમન પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી એકવાર ‘મોતનો ખેલ’ શરૂ થઈ ચૂક્યો છે. અને તે પણ ‘સરકારી પરવાનગી’ સાથે. દિવ્ય ભાસ્કરે આદિવાસી વિસ્તારોમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું છે. ઠેર ઠેર નકલી ડોક્ટરોએ ક્લિનિક ખોલી રાખ્યા છે અને તે પણ સરકારી સર્ટિફિકેટ સાથે. આ લોકો પાસે ન મેડિકલ ડિગ્રી છે, ન ઇલાજ કરવાનો કાયદાકીય અધિકાર, ન કોઈ મેડિકલ કાઉન્સિલની માન્યતા, પરંતુ સરકારી ઓનલાઇન વ્યવસ્થાની ખામીઓનો ફાયદો ઉઠાવીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે અને ખુલ્લેઆમ એલોપેથીની સારવાર કરી રહ્યા છે. હકીકતમાં, ખાનગી ક્લિનિક માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ ફરજિયાત છે અને તેને મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. બસ, અહીં જ સિસ્ટમ નિષ્ફળ ગઈ. તપાસમાં સામે આવ્યું કે નકલી ડોક્ટરોએ નકલી મેડિકલ ડિગ્રી, અમાન્ય ટ્રેનિંગ સર્ટિફિકેટ અને નકલી ડોક્યુમેન્ટ સરકારી પોર્ટલ પર અપલોડ કરીને કોઈપણ ફિઝિકલ વેરિફિકેશન વિના, જમીની સ્તરે તપાસ વિના, સાચી યોગ્યતા તપાસ્યા વિના સરકારી સર્ટિફિકેટ મેળવી લીધું. આજે આ જ સર્ટિફિકેટ ક્લિનિકની દીવાલો પર લટકેલું છે અને ગરીબ-આદિવાસી દર્દીઓના જીવન સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યું છે. થોડા સમય પહેલા પણ દિવ્ય ભાસ્કરે કપરાડાના આદિવાસી વિસ્તારોમાં નકલી ડોક્ટરોનો ભંડાફોડ કર્યો હતો. તપાસના ડરથી અનેક ક્લિનિકો બંધ થઈ ગયા હતા અને અનેક નકલી ડોક્ટરો ફરાર થઈ ગયા હતા. પરંતુ હવે તે જ ચહેરાઓ ફરી પાછા ફર્યા છે, પણ આ વખતે પ્રોવિઝનલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ હાથમાં લઈને. એટલે કે હવે ડર નહીં, પરંતુ સરકારી કાગળ તેમનું કવચ બની ગયું છે. 5 હજારની ફી અને GPCB તરફથી તપાસ વિના મંજૂરીક્લિનિક સર્ટિફિકેટ માટે બાયો-મેડિકલ વેસ્ટના નિકાલ માટે GPCBની પરવાનગી જરૂરી હોય છે. તપાસમાં સામે આવ્યું કે નકલી ડોક્ટરોએ અહીં પણ નકલી દસ્તાવેજો અપલોડ કર્યા. સર્ટિફિકેટ કેવી રીતે? આ છે સિસ્ટમના 5 મોટા છીંડા દિવ્ય ભાસ્કરની તપાસમાં માત્ર નકલી ડોક્ટરો જ નહીં, પરંતુ સમગ્ર સરકારી પ્રક્રિયાની અંદરનું સત્ય સામે આવ્યું છે. ડોક્યુમેન્ટ ડાઉનલોડિંગ, ને જ વેરિફિકેશન માન્યુંક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. આનો જ ફાયદો નકલી ડોક્ટરોએ ઉઠાવ્યો. તેમણે મેડિકલ ડિગ્રીની જગ્યાએ પ્રાઇવેટ ટ્રસ્ટની પાવતી લગાવી. રજિસ્ટ્રેશન વિનાના કોલેજના સર્ટિફિકેટ લગાવ્યા, ફોટોશોપ કરેલી ડિગ્રી લગાવી અને સિસ્ટમે આ દસ્તાવેજોને સ્વીકારી પણ લીધા. કોઈ એ તપાસનાર નથી કે કોલેજ માન્યતા પ્રાપ્ત છે કે નહીં. એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ જ વેરિફિકેશન માની લેવામાં આવ્યું. પહેલા સર્ટિફિકેટ, બાદ ફિઝિકલ વેરિફિકેશનસૌથી મોટું લૂફોલ આ જ છે. ઓનલાઇન દસ્તાવેજો જમા કરાવ્યા પછી પહેલા પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપી દે છે. ત્યારબાદ ફિઝિકલ વેરિફિકેશન થાય છે. પરંતુ આમાં પણ બેદરકારી. ફિઝિકલ વેરિફિકેશન મહિનાઓ સુધી થતું નથી. આ દરમિયાન ડોક્ટર ક્લિનિક ખોલે છે, બોર્ડ લગાવે છે, ઇલાજ કરે છે, ફી વસૂલે છે અને સિસ્ટમ આંખો બંધ કરીને બેસી રહે છે. વેરિફિકેશન કોણે કરવાનું છે? ખબર જ નથી!ક્લિનિકલ એસ્ટાબલીસ સર્ટિફિકેટનું વેરીફીકેશન CDMO દ્વારા કરવામાં આવતું હોય છે.અને જિલ્લા આરોગ્ય વિભાગની પણ આ બોગસ તબીબો પર નિયંત્રણ રાખવાની ફરજ છે.આ સર્ટિફિકેટ વેરીફીકેશન બાબતે CDMO કચેરીના અધિકારીઓ માહિતી નહીં આપવામાં ઠાગાઠૈયા કરે અને આ પ્રોવિઝનલ સર્ટિ જ છે હજી વેરીફીકેશન કરવામાં આવશે તેવા બહાનાં કાઢવામાં આવે છે GPCBની મંજૂરી, ફક્ત ફી ભરો, ફાઇલ વધારોબાયો મેડિકલ વેસ્ટ માટે GPCB સર્ટિફિકેટ ફરજિયાત છે. પરંતુ 5 હજાર રૂપિયા ફી ભરીને, એક ફોર્મ અને બે ડોક્યુમેન્ટ આપીને સાઇટ વિઝિટ કરાવ્યા વિના મંજૂરી લઈ શકાય છે.તે આના પરથી સાબિત થાય છે. સર્ટિફિકેટ પર QR કોડ લાગેલો હોય છે. આનાથી દર્દી તેને સાચું માની લે છે. આખરે તંત્રથી આ નકલી ડોક્ટરો કેમ નથી ડરતા?કારણ કે તેમને ખબર છે કે ફરિયાદ આવવામાં સમય લાગશે. ફરિયાદ આવી પણ જશે તો તપાસ મહિનાઓ સુધી લટકેલી રહેશે. ત્યાં સુધી પ્રોવિઝનલ માન્ય રહેશે અને કાર્યવાહી પહેલા નવો આવેદન કરી દેશે. એટલે કે આ માત્ર નકલી ડોક્ટરોની સ્ટોરી નથી. આ સરકારી સિસ્ટમની સહમતીથી ચાલી રહેલો ખેલ છે. નુકસાન માત્ર એક વર્ષનું નથી, નુકસાન તે દર્દીનું છે, જેને લાગ્યું કે ડોક્ટર સરકારી છે, એટલે સુરક્ષિત છે. એ જ ઘસાઈ ગયેલું નિવેદન. તપાસ કરીશું, કાર્યવાહી કરીશુંજો કોઈએ નકલી દસ્તાવેજોના આધારે પ્રોવિઝનલ સર્ટિફિકેટ લીધું છે, તો તેની તપાસ કરાવવામાં આવશે. હકીકત સામે આવતા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. -ડો. ભાવેશ ગોયાણી, CDMO, વલસાડ બોગસ ડિગ્રીનો જેના પર શક,તેને કાયદેસર ડોક્ટર બનાવી દીધોસુરતના ચર્ચિત બોગસ મેડિકલ ડિગ્રી કૌભાંડમાં ફસાઈ ચૂકેલી વ્યક્તિ જે પોલીસ સ્ટેશનોના ધક્કા ખાઈ ચૂક્યો છે તે પણ કપરાડા વિસ્તારમાં સરકારી સર્ટિફિકેટ ટાંગીને એલોપેથીની સારવાર કરી રહ્યો છે.
સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ ચુપકીદી સેવી હતી તેમ જ આ બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેને રિપેર કરવા કોઈ ઉતાવળ કરી ન હતી. કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, બ્રિજની સામાન્ય સ્થિતિ સારી છે. જોકે કેન્ટીલીવરની હાલત ખરેખર ખરાબ છે. આ બ્રિજમાં બંને બાજુ સ્ટ્રક્ચર બહાર નીકળેલું બેલેન્સ્ડ છે, બોક્સ વચ્ચે પણ ઘણાં ચામાચીડિયાં હોવાને કારણે ત્યાં તપાસ થઈ શકી નથી, જેથી બોક્સની તપાસ થઈ શકી નથી. બીજી તરફ મ્યુનિ. દ્વારા આ બ્રિજને હવે 25 ડિસેમ્બર સુધી જાહેર નાગરિકોના પરિવહન માટે બંધ કરાયો છે. જોકે એવું લાગે છે કે, બ્રિજને તોડી નવેસરથી બનાવવાની સંભાવના પ્રબળ બની છે. નવો બ્રિજ કેમ બનાવવો જોઈએ, આ છે કારણો બ્રિજ પર શું રિપેરિંગ ચાલે છે તે પણ સ્પષ્ટ કરાયું નહિઆ બ્રિજના રિપોર્ટમાં એવા રિમાર્ક્સ કરવામાં આવ્યા છ ેકે, આ બ્રિજને રિપેર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. તો બ્રિજ પર કયા પ્રકારનું રિપેરિંગ કરવામાં આવ્યું એ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો રિપેરિંગ કામગીરી કરાઈ હોય તો પછી બ્રિજના કેન્ટીલીવરની કામગીરીમાં કેમ કોઇ રિપેરિંગ ન કરાયું તે બાબતે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાના થેલામાંથી ફિનાઇલની બોટલ કાઢી અને પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી અને હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાના આક્ષેપોફિનાઇલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે. તેમણે 2019 અને 2022ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. દીપક મકવાણાને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા: શહેર પ્રમુખઆ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ઘટના બન્યા બાદ તેઓએ જ દીપક મકવાણાને તુરંત પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપઘાતના પ્રયાસના મુદ્દે તેમણે કહ્યું કે, દીપક મકવાણા 1029ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. આજે જ્યારે સૌરાષ્ટ્રના નવા પ્રભારી દેવેન્દ્ર યાદવ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ત્યારે દીપક મકવાણા પણ ત્યાં આવ્યા હતા અને ગત મનપા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા કરી અચાનક ફિનાઇલની બોટલ કાઢી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છેમનોજ જોશીએ સવાલ ઉઠાવ્યો કે, તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છે. જો તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને આજે છેક બે વર્ષ પછી આ મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે. કાર્યકરની તબિયત સ્થિર થતા પોલીસની તપાસ શરૂહાલમાં ફિનાઇલ પીનાર કોંગ્રેસ કાર્યકર દીપક મકવાણાની તબિયત સ્થિર હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે અને મામલતદાર દ્વારા તેમનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષના કાર્યાલયમાં આ પ્રકારે આપઘાતનો પ્રયાસ થતાં સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.
એસજી હાઈવે પર બેફામ ગાડી હંકાવી 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃત હાલતમાં પડ્યા હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફાસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઇ ગયા હોત. જો કે, હવે આગામી દિવસોમાં તથ્ય પટેલ અકસ્માત કેસમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. હું કારના પાછળના ટાયરમાં ફસાયો હતોઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં ઇજા થયેલા સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર પુરઝડપે આવી હતી. આ ગાડીએ લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાઇ ગયો હતો. ત્યારે મેં બચવા માટે બૂમાબૂમ કરતા મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માતના સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા જોયા હતા. મને ડાબા પગમાં ત્રણ અને જમણા પગમાં એક સર્જરી કરીવધુમાં જણાવ્યું હતું કે, ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઇ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો ગાડી નીચે મૃત હાલતમાં પડેલા હતા. પછી મને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં મારા પરિવારના સભ્યો આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મને ડાબા પગમાં ત્રણ સર્જરી અને જમણા પગમાં એક સર્જરી કરવામાં આવી હતી. હજુ એક સર્જરી કરવી પડે તેમ છે. ઇજાગ્રસ્ત થયા બાદ હજુ પણ બેસવા ઉઠવામાં તકલીફ પડી રહી છે. વીડિયો કોન્ફરન્સમાં સાક્ષીએ ઓળખી બતાવ્યો હતોતથ્ય તરફે એડવોકેટ રોહિત વર્માએ ઉલટ તપાસ લીધી હતી. જેમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, રજા કયારે મળી તે યાદ નથી, અકસ્માત વખતે તથ્ય ગાડીમાં હતો અને તેના પિતા આવ્યા હતા તે હકીકત પોલીસ નિવેદનમાં લખાવી નથી. પોલીસ નિવેદનમાં લખાવેલી ઘટના બાદ બેભાન થઇ ગયો હતો તે વાત ખોટી છે. પોલીસે લખાવ્યા મુજબનું નિવેદન લખ્યું નથી તે અંગે ક્યાંય ફરિયાદ કરી નથી. બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે, વીડિયો કોન્ફરન્સમાં સાક્ષીએ ઓળખી બતાવ્યો હતો. માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છેકોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે તથ્ય પટેલને ઓળખો છો તેવો સવાલ સાક્ષીને કર્યો હતો. ત્યારે તેણે હા પાડી હતી. ત્યારે કોર્ટે પુચ્છા કરી હતી કે, આ કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે. ત્યારે સાક્ષીએ આમ તેમ જોયું હતુ અને ત્યારબાદ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી હાજર તથ્યને સાક્ષીઓ ઓળખી જણાવ્યું હતું કે, માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે. 108 પણ અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જણાવ્યુંપોલીસે તથ્યને પકડ્યો હતો તો કેમ જવા દીધો તેને લઈને સાક્ષીએ જુબાની દરમિયાન જણાવ્યું કે, ઘટના સમયે તથ્ય હાજર હતો અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે તથ્યને ઝડપી લીધો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઘટનાના દિવસે રાત્રે પોલીસે તથ્યને ઝડપી લીધો હતો તો પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્યને લઇ હોસ્પિટલ પહોંચી ગયો. પોલીસે જ તથ્યને કેમ જવા દીધો તેવા ઘણા મુદ્દા જુબાની દરમિયાન ચર્ચાનો વિષય બન્યા છે. મહત્વું છે કે, 108 પણ ગણતરીની મિનિટોમાં આવતી હોય છે ત્યારે તે દિવસે 108 પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જુબાનીમાં કોર્ટમાં જણાવ્યું હતું.
ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતુંઅમદાવાદના ખોડિયાર ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર-10માં ફરજ બજાવતા શ્વેત પ્રવીણકુમાર પટેલને અંગત કામ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી ગત તા. 10 જૂન 2025ના રોજ તેમણે પોતાના મોબાઈલમાં ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અને વેબસાઇટ પર 20 લાખની લોન માટે પોતાની અંગત વિગતો ભરીને એપ્લિકેશન કરી હતી. 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવીઆ પ્રક્રિયા કર્યાના થોડા વખતમાં જ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. બાદમાં ફોન કરનારે પોતે PMEGPનો અધિકારી હોવાનું જણાવી 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવી હતી. જે અન્વયે ઠગબાજે એપ્લિકેશન ફી પેટે 3 હજાર, ત્યારબાદ ફાઇલ ચાર્જ પેટે રૂ. 25,726 અને લોન ખાતામાં જમા થાય તે પહેલાં ત્રણ એડવાન્સ હપ્તા પેટે રૂ. 47,730 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ડિમાન્ડ ડ્રાફ્ટ ચાર્જ પેટે બીજા રૂ.39,500 પણ પડાવી લીધા હતાબાદમાં લોન ડીકલાઇન થઈ હોવાનું કારણ આપી ઇન્સ્યોરન્સ પેટે રૂ. 51,900 અને લોન ડિમાન્ડ ડ્રાફ્ટ ચાર્જ પેટે બીજા રૂ.39,500 પણ પડાવી લીધા હતા. જોકે કુલ રૂ. 1,67,856 ભર્યા બાદ શ્વેત પટેલને શંકા જતાં તેમણે લોન રદ કરવાની અને પૈસા રિફંડ કરવાની માંગણી કરી હતી. જોકે ઠગબાજે રિફંડ આપવાના બહાને વધુ એક ચાલબાજી કરીને રિફંડ ચાર્જ પેટે 10 હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. શ્વેત પટેલ છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા ફરિયાદ નોંધાવીબાદમાં સાત દિવસમાં પૈસા રિફંડ ન આવતાં અને ઠગબાજનો ફોન બંધ આવતાં આખરે શ્વેત પટેલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ઓનલાઈન અરજી કરી હતી. જે અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
17 વર્ષની પુત્રીનું ઊંઝા ખાતે રહસ્યમય સંજોગોમાં રેપ બાદ મોત થયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હાઇકોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ સમયગાળા દરમિયાન તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસડીપીઓ મહેસાણાને સોંપવામાં આવી છે અને આગામી તારીખ સુધી પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) દ્વારા તપાસનું નિરીક્ષણ કરવામાં આવશે. તપાસ અધિકારી આવતીકાલે હાઇકોર્ટમાં તપાસ અહેવાલ રજૂ કરશે. આ અરજીમાં એસપી પોતાનું સોગંદનામું પણ દાખલ કરશે. 17 વર્ષની દીકરી મહેસાણાના ઊંઝામાં રહસ્યમય રીતે મોતને ભેટીરાજસ્થાનના ઉદયપુરના એક પરપ્રાંતિય વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરતા CID ક્રાઇમ દ્વારા તપાસ કરવાની માગ કરી છે. તેમનો આક્ષેપ છે કે, તેમની 17 વર્ષની દીકરી મહેસાણા જિલ્લાના ઊંઝામાં રહસ્યમય રીતે મોતને ભેટી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ તેમને દીકરીને ગેંગરેપ બાદ મારી નાખવામાં આવી હોવાની શંકા છે. દીકરી ઉદયપુરથી કોન્ટ્રાક્ટર સાથે મજૂરી માટે ઊંઝા આવી હતીઆ અરજીમાં પિતાએ જણાવ્યું છે કે, 16 નવેમ્બરે તેમની દીકરી અન્ય છોકરીઓ સાથે ઉદયપુરથી કોન્ટ્રાક્ટર સાથે મજૂરી માટે ઊંઝા આવી હતી. છોકરીઓ એક રૂમમાં રહેતી હતી. તે દરમિયાન 26 નવેમ્બરની સાંજે પિતાને સંદેશો મળ્યો કે, દીકરીની તબિયત બગડી છે. જ્યારે છોકરીના કાકા ઊંઝામાં પહોંચ્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટર અને અન્ય લોકોએ કહ્યું હતું કે, દીકરીને ભૂત વળગ્યું છે અને તેને ગામ લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ કાકા અને કોન્ટ્રાક્ટર છોકરીને ગામ લઈ ગયા હતા, જ્યાં તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. પોલીસે FIR ન નોંધી અને મૃતદેહ રાજસ્થાન લઈ જવા કહ્યુંપરિવારજનો અને ગામલોકોએ આગ્રહ કર્યો હતો કે, ઊંઝામાં જ પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. 27મી જૂને મૃતદેહ ઊંઝા લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અરજીકર્તાએ ઊંઝા પોલીસની અસંવેદનશીલતા અંગે આક્ષેપ કર્યો છે કે પોલીસે FIR નોંધી નહોતી અને મૃતદેહ રાજસ્થાન લઈ જવા કહ્યું. મહેસાણા SPને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી થઈ. બાદમાં લોકોના દબાણવશ ઉદયપુર પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધીને કેસ ઊંઝા પોલીસને સોંપ્યો છે. અરજદારે ફરી એકવાર પોસ્ટમોર્ટમની નિર્દેશ માંગતી અરજી કરી હતીહાઈકોર્ટમાં અરજદારે ઉદયપુર પોલીસને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વાર પોસ્ટમોર્ટમ કરાવવાની નિર્દેશ માંગતી અરજી કરી હતી. પોલીસ શુક્રવારે સવારે મૃતદેહને અમદાવાદ લાવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અરજદાર તરફથી દલીલ કરતી વખતે એડવોકેટે હાઈકોર્ટને જણાવ્યું કે, બીજીવારનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, તેથી તપાસ CID ક્રાઇમને સોંપવી જોઈએ. ઊંઝા પોલીસના વર્તનને કારણે પરિવારનો ભરોસો રહ્યો નથી. તેમણે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચીને જણાવ્યું હતું કે, છોકરી સાથે જબરજસ્તી કરાઈ છે અને તેને મારી નાખવામાં આવી હોવાની શક્યતા છે. છતાં ઊંઝા પોલીસ FIR નોંધતી નહોતી.
ઝાંપા બજાર વિસ્તારમાં આવેલો દેવડી રોડનો વિવાદ હવે વધુ વકર્યો છે. ટ્રાફિકની ગીચતાવાળા આ વિસ્તારમાં વર્ષોથી વાહન વ્યવહાર માટે ચાલુ રહેલો આ રસ્તો બંધ કરી દેવાના મનપાના ઠરાવ બાદથી સ્થાનિક લોકોમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં આ રસ્તા પર ગેટ મૂકીને રાહદારીઓ માટે પણ બંધ કરી દેવાયો હતો, જે ઠરાવનું ઉલ્લંઘન હતું. વિવાદ બાદ દેવડીના વિવાદી રસ્તા પર મનપા દ્વારા બોલાર્ડ નંખાયા છે. વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત વિસ્તારના નોટિસ બોર્ડ પર કાળો કલર લગાવી દીધોમેયરના આદેશ બાદ આ ગેટ તો દૂર કરાયો હતો, પરંતુ સ્થાનિકોએ હવે આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મંગળવારે સ્થાનિક યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે માગ કરી હતી કે, માત્ર ગેટ દૂર કરવાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ વાહન વ્યવહાર માટે આ રસ્તાને અગાઉની જેમ પૂર્વવત કરવામાં આવે. સ્થાનિકોએ વિરોધ દર્શાવવા માટે રસ્તા પર લગાડવામાં આવેલા વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત વિસ્તારના નોટિસ બોર્ડ પર કાળો કલર લગાવી દીધો હતો. વિવાદિત રસ્તા પર મનપા દ્વારા બોલાર્ડ પણ નાખવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર વધુ મુશ્કેલ બન્યો છે. ટ્રાફિકમાં આશિર્વાદરૂપ રસ્તો શરૂ કરો, ઠરાવ રદ્દ કરાવોવિરોધ કરી રહેલા સ્થાનિક યુવાનોએ જણાવ્યું હતું કે, દેવડીથી ઝાંપાબજારને જોડતો આ રસ્તો ઘણો મહત્વપૂર્ણ છે. જ્યારે પણ ટ્રાફિક વધુ હોય છે, ત્યારે આ રસ્તો આશિર્વાદરૂપ સાબિત થાય છે અને વર્ષોથી સ્થાનિકો તેનો ઉપયોગ કરે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, માત્ર ગેટ દૂર કરવાથી ઉકેલ નહીં આવે, રસ્તો પૂર્વવત કરાવો જોઈએ અને આ રસ્તાને કોઈ સંસ્થાને સોંપી દેવાનો ગેરવાજબી અને અન્યાયકર્તા ઠરાવ તાત્કાલિક રદ્દ કરાવો જોઈએ. સ્થાનિકોની માંગણી છે કે જ્યાં સુધી રસ્તો પૂર્વવત કરવામાં નહીં આવે અને વિવાદાસ્પદ ઠરાવ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
નિકોલમાં જાહેરમાં જ પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પતિના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. હત્યાનો પ્રયાસ કરનાર પતિએ અગાઉ જામીન મેળવી લીધા હતા, પરંતુ તે બાદ હત્યાના પ્રયાસની કલમ ઉમેરો કરવામાં આવ્યો હતો. જેથી પત્નીની હત્યાના પ્રયાસ કેસમાં આરોપી પતિ મયંક પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. એડિશનલ સેશન્સ જજ પી.બી.પટેલે જામીન માટેની અરજીની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, ઇજાગ્રસ્ત પત્નીના ફોટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તે જોતા આરોપીએ શરીરના વાઇટલ પાર્ટ પર ઇજા પહોંચાડી હોવાનું સ્પષ્ટ થાય છે. ઇજા પામનારને ગળાના ભાગે ટાંકા આવ્યા છે. આરોપી સામે હત્યાનો પ્રયાસનો ગંભીર આક્ષેપ છે. ત્યારે આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં. જામીન રદ કરવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટે નોટિસ ઇસ્યુ કરી હતીપત્નીની હત્યાના પ્રયાસના કેસમાં 4 નવેમ્બરના 2025ના રોજ પતિને કોર્ટમાં રજૂ કરતા તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કર્યો હતો. જેથી જામીન રદ કરવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટે નોટિસ ઇસ્યુ કરી હતી. જે બાદ પતિ મયંક પટેલે જામીન અરજી કરી હતી. ફરિયાદી અત્યારે સારવાર હેઠળ નથી, ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવે છે. એકવાર જામીન મળી ગયા પછી ફરી જામીન લેવાના ન હોય, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું. તેથી કોર્ટે આગોતરા જામીન પર મુક્ત કરવા અરજી કરવામાં આવી હતી. બંન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધાજો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ દરમિયાન જણાવ્યું હતું કે, આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. ફરિયાદીને જાહેરમાં જ ગળાના ભાગે છરી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં પહેલાંથી જ આરોપી તરીકે પતિનું નામ હતું. આરોપી સામે હજુ તપાસ ચાલી રહી છે અને તેને જામીન આપવામાં આવે તો સાક્ષી સાથે અથવા પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે. ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. જેથી જામીન અરજીની સુનાવણી દરમિયાન બંન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે પેંડા અને મુર્ગા ગેંગ સામે ગુજસીટોકનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં ગેંગ વોરના લીધે જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી પોલીસે પોતાની ધાક બેસાડવા માટે બંને ગેંગ સામે ગુજસીટોકનો ગંભીર ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પેંડા અને મુર્ગા ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. યુવાનને ઝાડા-ઉલ્ટી થયા બાદ સારવારમાં મોતઝાડા ઉલ્ટી થયા બાદ લાંબી સારવારમાં યુવકનું મોત નીપજ્યું હતું. ગોપાલભાઈ નારણભાઈ જાદવ (ઉં.વ. 20, રહે. માંડા ડુંગર ભીમરાવનગર શેરી નંબર 1, રાજકોટ) ગત તા. 30 ના રોજ તાવ અને ઝાડા ઉલટી થઈ જતા ગુંદાવાડી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ હતા. જ્યાંથી રજા લઈને ઘરે ગયા બાદ તા.2 ના રોજ ફરી ગુંદાવાડી હોસ્પિટલમાંથી સારવાર લીધી હતી. ત્યારબાદ તા. 4 ના રોજ હાથમાં ગ્લુકોઝ બોટલ ચડાવ્યાની સોઈ રહી જતા ફરી ગુંદાવાડી હોસ્પિટલમાં જતા તેનું ઓપરેશન કરાવવા માટે જણાવતા ઓપરેશન કરેલ હતું. બાદમાં રજા લઈને ઘરે જતા રહ્યા હતા બાદમાં તા.7 ના રોજ સવારે 8:30 વાગ્યા આસપાસ ગુંદાવાડી હોસ્પિટલમાં ગયેલ બાદ અને સવારે 10:00 વાગ્યા આસપાસ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં રીફર કરેલ.જેનું ચાલુ સારવાર દરમિયાન તા.8 ના રોજ 13:30 વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું. કુખ્યાત આરોપી પાસામાં અમદાવાદ જેલહવાલેમારામારી, દારૂ, જુગાર, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ફાળદંગ ગામે રહેતા શખ્સને પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર દ્વારા અવારનવાર ગુના આચરતા શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ જેલમાં ધકેલવાની આપેલ સૂચનાથી ફાળદંગ ગામે હનુમાન મંદિરની બાજુમાં પીપળાવાળી શેરીમાં રહેતા શિવરાજ ધીરૂ વાળા (ઉ.વ.24) વિરુદ્ધ અગાઉ એકથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા હોય તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી પીસીબી દ્વારા આ શખસ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત પોલીસ કમિશનરે મંજૂર કરી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. આરોપી શિવરાજ વાળા સામે શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગાર, મારામારી, એટ્રોસિટી, આર્મ્સ એકટ સહિત છ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ભાડલા પોલીસ સ્ટેશનમાં પણ જુગારનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આઇસર પાસેથી દૂર જવાનું કહેતા ડ્રાઈવરને માર મારવામાં આવ્યોઆઇસરની બાજુમાં ઉભેલા માણસોને ત્યાંથી જવાનું કહેતા યુવાનને લાકડીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેશભાઈ રાણાભાઈ મીર (ઉ.વ.45, રહે. જીવંતીકાનગર શેરી નં.02, ગાંધીગ્રામ) એ ફરિયાદમાં જણાવ્યું કે, નાના ભાઈ ખોડાભાઈ (ઉ.વ. 40) જે હાલ ગાંધીગ્રામમાં રહે છે. તેની પાસે તેના માલીકીનું આઈસર વાહન છે. ગઈકાલે સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ સાળા નિલેશ સોહલાનો ફોન આવ્યો કે, તમારા નાના ભાઈને રૈયા ચોકડી બ્રીજ નીચે માથાકુટ થયેલ છે. તેને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ. જેથી હું તાત્કાલીક હોસ્પિટલ પહોંચ્યો. મારા ભાઈની સારવાર ચાલુ હતી. તે અર્ધ બેભાન હાલતમાં હતો. આ બાબતે મારાં કૌટુંબિક ભાઈ રઘુભાઈએ જણાવ્યું કે, ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ હું તથા ખોડાભાઈ બન્ને રૈયા ચોકડી બ્રીજ નીચે ઉભા હતા ત્યારે ત્યાં ખોડાભાઈનું આઈસર પડેલ હોય જે આઇસરની બાજુમાં કોઇ અજાણ્યા માણસો ઉભા હોય તેને ત્યાથી જવાનુ કહ્યું હતું. તેમા એક અજાણ્યો લાંબા વાળ વાળો વ્યકિત બોલાચાલી કરવા લાગ્યો હતો. જોકે બાદમાં અમે ત્યાંથી જતા રહ્યા હતા. જે પછી સાંજના 5 વાગ્યાની આસપાસ અમે વચ્છરાજ હોટલથી ચા પી ને પરત આવતા હતા, ત્યારે રૈયા ચોકડી બ્રીજ નીચે રોડ ઉપર હતા ત્યારે બપોરે જેની સાથે બોલાચાલી થઈ હતી તે વ્યકિતએ ખોડાભાઇને માથામા લાકડી વડે ઘા મારી દીધો હતો. માર મારનારનું નામ કમલકિશોર પુરણચંદ હોવાનું જાણવા મળ્યું હતું.
મોરબી મહાપાલિકાએ નહેરુ ગેટ ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 60થી વધુ લારી, ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની ટીમે મંગળવારે મોડી સાંજે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દબાણ હટાવવાની સાથે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી ₹20,000થી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરીથી લારી-ગલ્લા સહિતના દબાણો ગોઠવાઈ ગયા હતા. આ બાબત મહાપાલિકાના અધિકારીઓના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહીનો નિર્ણય લેવાયો હતો. ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતનો મહાપાલિકાનો કાફલો નહેરુ ગેટ ચોક ખાતે પહોંચ્યો હતો અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, નહેરુ ગેટ ચોક અને લોહાણાપરા વિસ્તારમાંથી દબાણો કાયમી ધોરણે દૂર થાય તે માટે આગામી આઠ દિવસ સુધી મહાપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વિસ્તારને કાયમી દબાણમુક્ત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
પોરબંદરની જર્જરિત MD સાયન્સ કોલેજ સીલ:સંચાલકોએ વિદ્યાર્થીઓના શિફ્ટિંગ માટે મનપા પાસે સમય માંગ્યો
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત એમ.ડી. સાયન્સ કોલેજને સોમવારે બપોરે ૩ વાગ્યે સીલ કરી દીધી છે. કાર્યવાહી સમયે કોલેજમાં અભ્યાસ ચાલુ હોવાથી, મનપાની ટીમે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ઇમારતનો મુખ્ય દરવાજો સીલ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સંચાલક ટ્રસ્ટ દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોલેજ દ્વારા શિફ્ટિંગ માટે સમય અને સીલ ખોલવાની મંજૂરી આપવા માટે પણ મહાનગરપાલિકાને વિનંતી કરાશે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર આકાશ શાહે માહિતી આપતા જણાવ્યું કે, કોલેજને પ્રથમ નોટિસ 30 ઓક્ટોબર, 2025ના રોજ અપાઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટ પાસેથી ઇમારતની સ્થિતિ અંગેનો રિપોર્ટ મંગાવાયો હતો, જે 15 નવેમ્બર, 2025ના રોજ મળ્યો હતો. રિપોર્ટમાં ઇમારતની સ્થિરતા અપૂર્ણ અને જોખમી હોવાનું સ્પષ્ટ થતાં, મહાનગરપાલિકા દ્વારા ઇમારતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કોલેજમાં કુલ 217 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રિન્સિપાલના મતે, વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળતાથી ચાલુ રહી શકે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. પોરબંદર મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ હવે કોલેજના સ્થાનાંતરણ અને 217 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
સુરત ક્રાઇમ બ્રાંચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાયરોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક પટેલ અને જીગર વાંકાવાલા અન્ય આરોપીઓ છે. આ ધરપકડથી સુરતના પોશ વિસ્તારોમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેનો તાર સીધો હિમાચલના ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલો છે. દર મહિને 7-8 લાખની કમાણીનો ખુલાસોમુખ્ય સૂત્રધાર અનુપ બિષ્ટની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સના આ ગેરકાયદેસર ધંધામાં સક્રિય હતો. તેની મોડસ ઓપરેન્ડી મુજબ, તે દર મહિને તેના પેડલરો મારફતે અથવા પોતે જ હિમાચલ પ્રદેશના કસોલ જઈને ડ્રગ્સ માફિયાઓ પાસેથી 1થી 2 કિલો જેટલું ચરસ લાવતો હતો. હિમાચલ પ્રદેશનું આ ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ 'મલાલા ક્રિમ' તરીકે ઓળખાય છે, જેને સુરતના બજારમાં ઉંચા ભાવે વેચીને અનુપ દર મહિને 7 થી 8 લાખની જંગી કમાણી કરતો હતો. આ રીતે તે એક નિયમિત માસિક સપ્લાય ચેઈન ચલાવી રહ્યો હતો. પોશ વિસ્તારના નબીરાઓ નિશાન પરઅનુપ બિષ્ટ કસોલથી લાવેલા ચરસને સુરતમાં ગણતરીના કલાકોમાં જ તેના પેડલરોને વહેંચી દેતો હતો. આ પેડલરો પછી આ ડ્રગ્સના પડીકા બનાવીને શહેરના પોશ અને વિકસિત વિસ્તારોને નિશાન બનાવતા હતા. મુખ્યત્વે વેસુ, સિટીલાઇટ, પિપલોદ, અલથાણ, વીઆઇપી રોડ, પાર્લે પોઇન્ટ, મગદલ્લા, આભવા, પાલ, અડાજણ અને ડુમસ રોડ જેવા વિસ્તારોમાં રહેતા સારા ઘરના યુવાનો અને નબીરાઓને ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું. આ ઝડપાયેલા સૂત્રધાર પાસેથી પોલીસે 50થી વધુ પેડલરોના નામોની યાદી મેળવી છે, જે આગામી દિવસોમાં પોલીસની સઘન પૂછપરછના કેન્દ્રમાં રહેશે. અન્ય ધંધામાં ખોટ અને યુવતીઓની સંડોવણીની શંકાડ્રગ્સના વેપાર પહેલા, અનુપ બિષ્ટે ઝીંગાના તળાવમાં પણ રોકાણ કર્યું હતું. જોકે, તેમાં ખોટ જતાં તેણે આ ધંધો છોડી દીધો હતો અને સંપૂર્ણપણે ડ્રગ્સના ગેરકાયદે વેપલા તરફ વળ્યો હતો. બીજી તરફ, પોલીસ અનુપના મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ તપાસમાં પેડલરો ઉપરાંત પોશ વિસ્તારની કેટલીક સારા ઘરની યુવતીઓના નંબરો પણ મળી શકે તેવી સંભાવના છે, જેમને ડ્રગ્સની લત લાગી હોય અને આ રેકેટમાં તેમની સંડોવણી હોવાની શક્યતા છે. આ અંગે ગહન તપાસ હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે. હાઇબ્રીડ ગાંજાના કનેક્શન પર પણ કાર્યવાહીઆ ચરસ રેકેટની સાથે જ સુરતમાં હાઇબ્રીડ ગાંજાના સપ્લાય નેટવર્ક પર પણ એસઓજીએ કાર્યવાહી કરી છે. અડાજણના આગમ પટેલની 13 લાખના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે, જેને સૌરભ ચૌહાણ સપ્લાય કરવા આવ્યો હતો. આગમ પટેલ છેલ્લા 3-4 વર્ષથી નશો કરે છે અને કોલેજો તથા સ્કૂલોની બહાર તેના મિત્રોને ગાંજો વેચીને પોતાનો ખર્ચ કાઢતો હતો. આ કેસમાં થાઇલેન્ડથી હાઇબ્રીડ ગાંજો મંગાવતો મુખ્ય સપ્લાયર રીષભ નવરતનમલ મહનોત હજુ વોન્ટેડ છે. સુરતમાં ડ્રગ્સના આ સમાંતર નેટવર્ક્સ યુવા પેઢી માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે, જેના પર પોલીસની કાર્યવાહી સઘન બની છે.
રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સસરા અને જમાઈને ઝડપી પાડી રૂ. 6.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે હજુ એક યુપીના શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુખ્યાત તસ્કર વિરુદ્ધ રાજકોટ અને જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં ચોરી સહિતના 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અગાઉ તે પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે. પરિવાર ઘર બંધ કરી બહાર ગયો અને ચોરી થઈબનાવ અંગે તરઘડીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રઘુભાઈ જગાભાઈ ઝાપડા (ઉ.વ. 52) દ્વારા કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓ પરિવારના તમામ સભ્યો ઘરમાં લોખંડની જાળીને તાળું મારી સાયપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોવાથી પાણીઢોળ વિધિ માટે ગયા હતા. બપોરના 2.30 વાગ્યે વિધિ પૂરી થયા બાદ પુત્રવધુ રાધાબેન તથા અન્ય સ્ત્રીઓ ગામે જવા માટે રવાના થયા હતા. જે પછી 3 વાગ્યા આસપાસ પુત્રવધુ રાધાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરની ઓસરીની લોખંડની જાળીનું તાળુ તૂટેલું છે અને સામાન વેરવિખેર છે, ચોરી થઈ છે. 6.74 લાખની મત્તા કબાટમાંથી ચોરી થઈ ગઈ હતીજાણ થતાં જ ખેડૂત તૂરંત સાયપરથી ઘરે પહોંચ્યા હતા અને જોયું તો ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. જે બાદ ઘરમાં તપાસ કરતા પુત્રવધુ રાધાબેનના સોનાના દાગીના અને કબાટમાં રાખેલા રોકડ રૂપિયા 1.35 લાખ સહિત કુલ રૂપિયા 6.74 લાખની મત્તા કબાટમાંથી ચોરી થઈ ગઈ હતી. જેથી કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તસ્કર બેલડીને ઝડપી પાડીવધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં ગામમાં ગઈકાલે સવારે 3 શંકાસ્પદ શખ્સો ઢોર ખરીદવાના બહાને શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા હોવાનું માલુમ પડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને સીસીટીવી ફૂટેજના આધારે તરઘડીયા ગામ ખાતે થયેલી ઘરફોડ ચોરીના આરોપી ભાદા દુલા સોલંકી (ઉ.વ. 45 રહે.નારાયણનગર, ઢેબર રોડ) અને હીરેન અશોક ભટ્ટ (ઉ.વ.21, રહે. પી.ડી.માલવીયા કોલેજની બાજુમાં નારાયણ નગર મફતીયાપરા)ને પકડી પાડ્યા હતા અને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 6.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ 2014થી 2024 સુધીમાં ચોરી સહિતના 15 ગુના નોંધાયેલાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાદો સોલંકી કુખ્યાત તસ્કર છે અને તેને તેના જમાઈ હિરેન તેમજ અન્ય એક પરપ્રાંતીય શખ્સ સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપતાં ત્રીજા શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુખ્યાત તસ્કર ભાદો સોલંકી વિરુદ્ધ વર્ષ 2014થી 2024 સુધીમાં ચોરી સહિતના 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢમાં પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ તે પાસામાં જઈ આવેલો છે.
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવેલા મહેન્દ્રાના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પારનેરા અંબાજી માતાના મંદિર નજીક બની હતી. વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે શોરૂમના POPનો ભાગ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોરૂમમાં સિલિંગના ભાગે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. POPમાં કરવામાં આવેલા વાયરિંગમાં આગ પ્રસરી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગ લાગવાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગ અને વલસાડ વીજ કંપનીની ટીમને જાણ કરવામાં આવી હતી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે શોરૂમના POPનો કેટલોક ભાગ તોડવો પડ્યો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોએ સાવચેતીના ભાગરૂપે 112ની ટીમને પણ જાણ કરી હતી. 112ની ટીમ પણ ફાયર ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં મદદ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે સોશિયલ મીડિયા પર આ મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ખબર અંતર પૂછ્યા હતા. વડનગરમાં તેમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને 'એક પેડ માં એક નામ' પ્રોજેક્ટને વિશ્વ સ્તરે લઈ જવા બદલ વડાપ્રધાને સંતોષ વ્યક્ત કર્યો હતો. ડેરે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનની યાદશક્તિનો ફરી એકવાર અનુભવ થયો, જ્યારે તેમણે તેમના રાજુલા નગરપાલિકાના કાર્યકાળ અને યુવા ભાજપના કાર્યકર તરીકેની સફરને યાદ કરી હતી. વડાપ્રધાને અર્જુન મોઢવાડીયા સાથે પણ વાતચીત કરી અને અંબરીષ ડેરને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે અર્જુન મોઢવાડીયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. વડાપ્રધાન સાથેની તેમની આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નોટબંધીમાં સુરતમાં રૂ. 60.52 કરોડ જમા કરાવવા મામલે સુરત સબ-ઝોનલ ઓફ્સિના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ મહર્ષિ સંજયકુમાર ચોક્કસ, હિમાંશુ રજનીકાંત શાહ, સુનિલ રમેશભાઈ રૂપાણી, શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મહર્ષિ ટ્રેડર્સ અને ડીએન ટ્રેડર્સ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં કોર્ટે આરોપીઓ સામે સમન્સ કાઢીને આગામી જાન્યુઆરી માસમાં મુદત રાખી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ EDએ મહર્ષિ એસ.ચોક્કસની રૂ. 2.6 કરોડની સ્થાવર મિલકત પણ પીએમએલએ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી હતી. બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી જાણ બહાર રકમ ડિપોઝીટ કરાવીનોટબંધી દરમિયાન સુરતમાં રૂ. 60.52 કરોડની રકમ જમા કરાવવા મામલે ગાંધીનગર CBIએ અગાઉ ગુનો નોંધીને તપાસ કરી હતી. દરમિયાનમાં CBIના તપાસના દસ્તાવેજોના આધારે EDએ તપાસ હાથ ધરી હતી. જેમાં મહર્ષિ એસ. ચોક્કસ અને હિમાંશુ આર. શાહે અન્ય લોકો સાથે મળીને રૂ. 36. 17 કરોડ રૂપિયાની ડિમોનેટાઇઝ્ડ સ્પેસિફાઇડ બેંક નોટ્સ મેસર્સ નિરવ એન્ડ કંપનીના માલિક નિરવ આર. શાહના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર ખાતું ખોલીને રકમ ડિપોઝીટ કરવામાં આવી હતી. ડિમોનેટાઇઝ્ડ સ્પેસિફાઇડ બેંક નોટ્સ 60.52 કરોડ રૂપિયા જમા કરાવ્યાતેવી જ રીતે, મહર્ષિ સંજયભાઈ ચોકકસ અને સુનીલ રમેશભાઈ રૂપાણીએ મેસર્સ એસ. આર. ટ્રેડર્સના બેંક ખાતામાં રૂ. 24. 35 કરોડ રૂપિયાની ડિમોનેટાઇઝ્ડ સ્પેસિફાઇડ બેંક નોટ્સ જમા કરાવી હતી, જેમાં કેવાયસીના અપૂરતા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યા હતા. આમ, મહર્ષિ એસ. ચોકકસ, હિમાંશુ આર. શાહ અને સુનિલ રૂપાણીએ કુલ મળીને ડિમોનેટાઇઝ્ડ સ્પેસિફાઇડ બેંક નોટ્સ 60.52 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. EDના ખાસ એડવોકેટ સંજય ઠક્કરે અમદાવાદ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવીમહર્ષિ એસ. ચોકકસ અને હિમાંશુ આર. શાહે મેસર્સ નિરવ એન્ડ કંપની અને મેસર્સ એસ. આર. ટ્રેડર્સના બેંક ખાતાઓમાં જમા કરાયેલા પીઓસીને તેમના દ્વારા મેસર્સ શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મેસર્સ મહર્ષિ ટ્રેડર્સ, મેસર્સ ડી. એન. ટ્રેડર્સના બેંક ખાતામાં જમા કરાવી હતી અને બુલિયન વેપારીઓ પાસેથી બિલો મેળવ્યા હતા. દરેક ઇન્વોઇસ માટે પાન કાર્ડ જાહેર ન કરવાની જોગવાઈનો દુરુપયોગ કરીને, જ્યાં વ્યવહાર મૂલ્ય રૂ. 2 લાખ કરતા ઓછું છે, ત્યાં અજાણ્યા વ્યકિતઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EDના ખાસ એડવોકેટ સંજય ઠક્કરે મહર્ષિ સંજયકુમાર ચોક્કસ, હિમાંશુ રજનીકાંત શાહ, સુનીલ રમેશભાઈ રૂપાણી, શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મહર્ષિ ટ્રેડર્સ અને ડીએન ટ્રેડર્સ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી છે.
શિયાળાની શરૂઆત થતા જ મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણા નજીક આવેલા કુક્સ ગામ પાસે આવેલી શ્રી રામ નગર સોસાયટીમાં બે મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ 58 હજાર 400 રૂપિયાના મત્તાની ચોરી કરી ફરાર થયા છે.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે. બંધ મકાનના તાળા તોડી ચોરીમહેસાણાની દૂધસાગર ડેરી પાછળ આવેલા સંકરપૂરા ખાતે રહેતા પ્રિયકાન્ત ચૌહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. ફરિયાદી 7 ડિસેમ્બરના રોજ કુક્સ રોડ પર આવેલા શ્રી રામ સોસાયટીમાં આવેલા મકાનમાં સાફ સફાઈ કરી પોતાના બીજા ઘરે ગયા હતા.એ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડ્યા હતા.ચોરી અંગેની જાણ પાડોશી એ ફરિયાદીને કરતા ફરિયાદી શ્રી રામ સોસાયટીમાં દોડી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા સરસમાન વેરવિખેર જોવા મળ્યો હતો.તેમજ તિજોરીના તાળા તૂટેલી હાલતમાં હતા.જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો ચાંદી નું પેન્ડલ કિંમત 3500,સોનાનો ઓમ કિંમત 3200,ચાંદી નો જુડો કિંમત 4500,ચાંદી ની ત્રણ જોડી પાયલ કિંમત 15000,ચાંદી ના નાના બાળકના કંડલા કિંમત 2200, તેમજ બાજુમાં આવેલા મકાનના તાળા તોડી સૂર્યા બેન ના ઘરમાં તિજોરી તોડી ચાંદીની 30 હજાર કિંમતની પાયલ ચોરી ગયા હતા.આમ તસ્કરો એ કુકસ રોડ પર આવેલા શ્રી રામ નગર સોસાયટીમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડ્યા હતા.સમગ્ર ચોરીના તસ્કરો કુલ 58 હજાર 400 ના મત્તાની ચોરી કરી ફરાર થતા મહેસાણા તાલુકા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત'ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને તેના ગંભીર ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. નાગરિકોને બાળ લગ્ન ન કરવા અંગે જાગૃત કરી, સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા અપીલ કરવામાં આવી છે. બાળ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ તે એક ગંભીર કાયદાકીય ગુનો છે. 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006' મુજબ, છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા સંજોગોમાં કરવામાં આવતા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. આ કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ છે કે, જો કોઈ વ્યક્તિ આવા બાળ લગ્ન કરાવે, તેનું સંચાલન કરે અથવા તેમાં મદદગારી કરે, તો તે વ્યક્તિને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. આ ગુનો બિન-જામીનપાત્ર છે, જે તેની કાયદાકીય ગંભીરતા દર્શાવે છે. સામાન્ય રીતે કાયદાની અજાણતા, શિક્ષણનો અભાવ અને દીકરીઓની જવાબદારીમાંથી વહેલા મુક્ત થવાની વિચારસરણી જેવા કારણોસર સમાજમાં બાળ લગ્ન થતા હોય છે. જોકે, હવે કાયદાનું કડક પાલન અનિવાર્ય છે. બાળ લગ્નના કારણે યુગલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસરો થાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાથી સગીર વયની બાળાઓમાં ગર્ભવતી થવાનું પ્રમાણ વધે છે, જેના પરિણામે અપરિપક્વ પ્રસુતિ, સગીર માતાના મૃત્યુનો ઊંચો દર, ગર્ભપાત કે મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુઓમાં માંદગી, અશક્તિ, મૃત્યુ તેમજ મંદબુદ્ધિના બાળકોનું પ્રમાણ પણ વધવાની શક્યતા રહે છે, જે સમગ્ર પેઢીના વિકાસને અવરોધે છે. વધુમાં, બાળ લગ્ન બાળકની, ખાસ કરીને બાળકીની, સ્વતંત્રતાને રૂંધે છે અને નાની ઉંમરમાં જ તેમના પર કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ આવી પડે છે, જે સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને પણ વેગ આપે છે. બાળ લગ્ન સંપૂર્ણ રીતે નાબૂદ થાય તે માટે જાગૃતિ અને સક્રિય સહયોગ આપવાની અપીલ કરતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અજય મોટકાએ જણાવ્યું હતું કે, જો તમારા ધ્યાનમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે થવાની તૈયારી હોય, તો નાગરિકોએ તાત્કાલિક તેની જાણ કરવી. જાણ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર અથવા જે તે જિલ્લાનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશન, ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098 અથવા 112 અને મહિલા હેલ્પ લાઇન નંબર 182નો પણ સંપર્ક કરી શકાય છે. દરેક ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનોને પણ આ દૂષણ અટકાવવામાં મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે,જેથી ભારતના બાળકોનું બાળપણ સુરક્ષિત રહે અને 2030 સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.
છેલ્લાં એક સપ્તાહમાં ઇન્ડિગોની સંખ્યાબધ્ધ ફલાઇટો રદ થવાના કારણે અનેક મુસાફરોને ન કલ્પી શકાય અને ન સહી શકાય તે પ્રકારનું ભારે નુકસાન થઇ રહ્યું છે. અને હજુ આ ફલાઇટો રદ થવાનું ચાલુ છે. ત્યારે આ ફલાઇટોના મુસાફરોને ટિકિટોનું ભાડું રિફંડ કરવામાં આવે છે. પરંતુ તેમને જે યાતના ભોગવી છે તે અંગેનું વળતર મળતું નથી. તેવા સમયે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, એરલાઈન્સના પેસેન્જરો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પુરતા પુરાવાઓ અને હકીકતલક્ષી વિગતો સાથે અમને ફરિયાદ આપશે તો અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય વળતર અપાવવા નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપીને મદદરૂપ થઇશું. દેશભરની ગ્રાહક કોર્ટોમાં ઈન્ડિગો એરલાઈન્સ સામે વધુને વધુ કેસો દાખલ થાય તે માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરી ઝુંબેશ ચલાવશે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ સતત રદ્ થતા પેસેન્જર ગ્રાહકોમાં કંપનીના મેનેજમેન્ટ સામે અસંતોષ અને આક્રોશની લાગણી ભભૂકી રહી છે. ઈન્ડીગો એરલાઈન્સ મેનેજમેન્ટની સેવામાં ખામી, બે જવાબદારી અને બેદરકારીના કારણે લાખો પેસેન્જર ગ્રાહકો અતિશય હેરાન – પરેશાન થઈ માનસિક ત્રાસ અને આઘાત વેઠી રહ્યા છે. લાખો અસરગ્રસ્ત ગ્રાહકોના જરૂરી કામો થઈ શક્યા નથી અને રખડી પડ્યા છે. ગ્રાહકોની મુશ્કેલીઓ, વેદના અને વ્યથાનો પાર નથી. 'મુસાફરોને રિફંડ નહીં પણ સાથે માનસિક આઘાતનું વળતર આપવું જરુરી'તેમણે કહ્યું કે, છેલ્લા એક અઠવાડીયામાં ઈન્ડિગો એરલાઈન્સની 5000 થી વધુ ફ્લાઈટો રદ્ થઈ છે અને કંપનીએ કુલ રૂ. 827 કરોડના રીફંડનો પ્રોસેસ કર્યો હોવાનો દાવો કરેલ છે પરંતુ ગ્રાહક સુરક્ષાની ઉગ્ર માંગણી છે કે ગ્રાહકોને ટિકીટના પૈસા પરત આપવાથી સમસ્યાનો ઉકેલ નહિં આવે તમામ અસરગ્રસ્ત ગ્રાહકોને ઈન્ડિગો મેનેજમેન્ટે ઓછામાં ઓછું રૂ. 50,000/- નું માનસિક ત્રાસ અને આઘાતનું વળતર આપવું જરૂરી છે. ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઈન્ડીગો એરલાઈન્સ કંપનીની સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારી સબબ જો ગ્રાહકો કાયદેસર ફરિયાદ દાખલ કરી દાદ માંગે તો વિવિધ જનરલ ડેમેજીસ સબબ યોગ્ય વળતર મળી શકે અને માનસિક ત્રાસ તથા આઘાતનો વળતર મેળવી ન્યાય પ્રાપ્તિ શક્ય છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, એરલાઈન્સ કંપનીઓ નફાખોરી આચરવા મનસ્વી અને મનફાવે તેટલાં ભાડાં વધારે છે અને પેસેન્જર ગ્રાહકો સાથે ઉઘાડી લુંટ ચલાવે છે પરંતુ ડી.જી.સી.એ અને કેન્દ્ર સરકાર કોઈ નિયમનકારી પગલાં ભરતા નથી અને બેફામ તથા બેરોકટોક હવાઈ ભાડા પર અંકુશો અને નિયંત્રણો નથી ત્યારે સરકારે ભાડા નિયમન માટે વટહુકમ બહાર પાડવો તે સમયની માંગ છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ડી.જી.સી.એ. દ્વારા પેસેન્જર ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે અને જે મુશ્કેલીઓ પડી છે તેના વળતર માટે દરમ્યાનગીરી કરવાનો સમય પાકી ગયો છે. ઈન્ડીગોનું સંકટ અસાધારણ છે અને સંપૂર્ણ અંધાધુધી અને અરાજકતા એરલાઈન્સ ક્ષેત્રે પ્રવર્તી રહી છે ત્યારે સરકારે અને ડી.જી.સી.એ. એ એરલાઈન્સ કંપનીઓનું નિયમન વધુ અસરકારક બનાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવવામાં આવશે. પેસેન્જરને નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપી મદદ કરાશેતેમણે એરલાઈન્સના પેસેન્જરો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પુરતા પુરાવાઓ અને હકીકતલક્ષી વિગતો સાથે ફરિયાદ આપશે તો અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય વળતર અપાવવા નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપીને મદદરૂપ થવાની જાહેરાત કરી છે. દેશભરની ગ્રાહક કોર્ટોમાં ઈન્ડિગો એરલાઈન્સ સામે વધુને વધુ કેસો દાખલ થાય તે માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરી ઝુંબેશ ચલાવશે.
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા ન્યાય કર્મચારી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ઇતિહાસમાં પહેલીવાર લોકશાહી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા હોદ્દેદારોની ચૂંટણી તા. 07/12/2025ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં સભ્યોએ નોંધપાત્ર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને અભૂતપૂર્વ 65 %થી વધુ મતદાન થયું. મતદાતાઓએ નિયત સમયગાળામાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવી હતી. ચૂંટાયેલાં હોદ્દેદારો પર કર્મચારીઓએ અભિનંદનની વર્ષા કરીમતગણતરી પ્રક્રિયા પૂર્ણ પારદર્શકતા સાથે હાથ ધરાઈ હતી. જેમાં ચેરમેન પદે અલ્પેશ જી. ડોડીયા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે અજયપાલસિંહ જી. બારડ, અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુનિલ બી. લબાનાની વિજેતા જાહેર થયા હતા. આ હોદ્દેદારોએ બાકીના હોદ્દેદારો તથા કારોબારીની પોતાની પસંદગી મુજબ નિમણૂંક કરશે. આ ચૂંટાયેલાં હોદ્દેદારોને કર્મચારીઓએ તેમને અભિનંદનની વર્ષા કરી હતી. સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યોચૂંટણી કમિશનરે ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, લોકશાહી પ્રક્રિયા અનુસાર ચૂંટણી પૂર્ણ થવાથી સોસાયટી વધુ કાર્યક્ષમ અને જવાબદાર વહીવટ તરફ આગળ વધશે. હવે નવા ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યભાર નિયમ અનુસાર સંસ્થાના રેકોર્ડમાં દાખલ કરવામાં આવશે અને વહીવટી કાર્યો કાનૂની જોગવાઈઓ મુજબ આગળ વધશે.
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી યોજાઈ હતી. આરોપી કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કરેલી ડિસ્ચાર્જ અરજીની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 12 ડિસેમ્બરના હુકમ માટે રાખી છે. આ તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી દરમિયાન સરકારે પણ પોતાની દલીલ રજૂ કરી હતી. જેમાં સરકારે એવી રજૂઆત કરી હતી કે તમામ આરોપીઓ સામે તૈયાર થયેલી ચાર્જશીટમાં 130 સાક્ષીઓ જેથી તેમને ડિસ્ચાર્જ ન કરવા જોઈએ. અમાનવિય અભિગમથી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતોખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટએ કોર્ટને જણાવ્યું હતું કે, કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર્સ હોય આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની મેડિકલ સેવાઓ અંતર્ગત યોજનાઓના બહાના હેઠળ અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોના ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ગેરકાયદેસર લાવવા માટેના મુખ્ય સૂત્રધાર છે. દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની વિગતોમાં ફેરફાર કરી યોજના અંતર્ગત વધુ નાણાં મળે તેવા સ્વાર્થ સાથે યોજનાના અલગ અલગ હેડમાં રોકાણ કરતા આવકનું પ્રમાણ વધુ હોય તેવી સારવાર આપી અમાનવિય અભિગમથી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતો. આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની જગ્યાએ અરજી ફગાવી દેવાઈતેમણે વધુમાં દલીલ કરી હતી કે, ખ્યાતિ હોસ્પિટલમાંથી 19 ઈલેકટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી 36 ફાઈલો કબ્જે કરાઈ અને 11 રજિસ્ટ્રરો કબ્જે કરવામાં આવ્યા હતા. ઈન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો સામેલ કર્યા છે. સરકાર દ્વારા રચના કરેલ કમિટી પાસેથી તપાસના દસ્તાવેજો મેળવીને પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ઓડીટ રિપોર્ટ, આરઓસીમાંથી માહિતી મેળવવામાં આવી હતી. આમ આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાથી કેસમાંથી ડિસ્ચાર્જ કરવાના બદલે અરજી ફગાવી દેવામાં આવે.
કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આજે સાંજે એક યુવક પર બે સિંહોએ હુમલો કર્યો હતો. ગામના રહેવાસી રમેશભાઈ લાખાભાઈ વાઢેર તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સિંહના હુમલામાં રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સિંધાજ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ સિંહોને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે હુમલો કરનાર સિંહોને શોધી કાઢવા અને ટ્રેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાના વધતા બનાવોને કારણે લોકોના જીવ પર જોખમ વધી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક ભરતના લગ્ન રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે દસ મહિના પહેલા થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટ્યા હતા. મૃતક યુવકના પિતા કનુભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, પુનમબેનના પિતા હરેશભાઈ મકવાણાએ લગ્ન માટે ૫ લાખ રૂપિયા લીધા હતા. આ બાબતે મૃતક ભરતે અગાઉ પોલીસમાં અરજી પણ આપી હતી. મૃતક ભરતને તેના સસરા હરેશભાઈ અને પત્ની પુનમબેન દ્વારા સતત ધમકીઓ આપી ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને ભરતે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતક ભરતના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પુનમબેન હરેશભાઈ મકવાણા અને પુત્રના સસરા હરેશભાઈ કરશનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ ૧૦૮, ૩૫૧(૩), અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

30 C