IOCL દુધરેજમાં બોમ્બ હુમલાની મોકડ્રીલ યોજાઈ:પોલીસ, ફાયર સહિતની ટીમોએ સુરક્ષા વ્યવસ્થા ચકાસી
સુરેન્દ્રનગરના IOCL દુધરેજ ખાતે આજે બોમ્બ હુમલાની સ્થિતિને પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ, SOG, LCB, પેરોલ ટીમ, BDDS ટીમ, ડોગ સ્ક્વોડ, QRT ટીમ, ટ્રાફિક શાખા અને ફાયર બ્રિગેડ સહિતના વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો. મોકડ્રીલ દરમિયાન IOCL દુધરેજ પ્લાન્ટમાં બોમ્બ હોવાનો સંદેશો મળતાની સાથે જ સાયરન વાગી ઉઠી હતી. આના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને અન્ય સુરક્ષા ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં સ્પષ્ટ થયું હતું કે, આ એક સુરક્ષા મોકડ્રીલ હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પીઆઇ એચ.એમ. પુવાર, પીએસઆઇ ચુડાસમા, પીએસઆઇ એન.એ. રાયમા, પીએસઆઇ આર.જે. ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અને તંત્રનો સ્ટાફ પણ આ મોકડ્રીલ જોવા માટે ઉપસ્થિત રહ્યો હતો.
દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં 8 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર, હાઈવે અને રેલવે સ્ટેશનો પર ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ રેલવે પોલીસ અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન ટ્રેનો, પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ અથવા સામાનની તાત્કાલિક જાણ નજીકની પોલીસને કરવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સાથે સાથે ગુજરાતમાં બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, નવસારી, ભરૂચ, વલસાડ સહિતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે. આ આદેશોના પગલે, જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર સુરક્ષાના DYSP ચેતન ખટાણાએ માહિતી આપતા જણાવ્યું કે, ઝેડ-પ્લસ સુરક્ષા ધરાવતા આ મંદિરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડ ટીમો દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશદ્વાર અને પાર્કિંગ વિસ્તારની પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે. સોમનાથ મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી, દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન જાળવીને તંત્ર દ્વારા ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે. હાલ મંદિર અને તેના પરિસર સુરક્ષિત હોવાનો અહેવાલ છે. તો દ્વારકામાં જગત મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જગત મંદિર હર હંમેશ દુશ્મન પાડોશી દેશોની નજરમાં રહ્યું છે. દ્વારકાના જગત મંદિર પર સુરક્ષા બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે પરંતુ આજે દિલ્હીમાં થયેલ બોમ્બ ધડાકાના પગલે આ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને જગત મંદિર અંદર જતા તમામ યાત્રિકોની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રવેશ કર દેવામાં આવી રહ્યો છે. એલર્ટ અનુસંધાને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હોટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, દરિયાઈ જેટીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Delhi Car Blast : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગૃહમંત્રી સાથે પરિસ્થિતિની માહિતી મેળવી
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજાગ બન્યા છે. આ એલર્ટના પગલે, નવસારી શહેરના પ્રવેશદ્વાર ગ્રીડ હાઈવે પાસે ગ્રામ્ય પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનચાલકોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, દિલ્હી-મુંબઈને જોડતા નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર પણ વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યના શહેરોમાં પોલીસ એલર્ટ મોડ પર છે. દેશના અન્ય કોઈ શહેરોમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે.
દિલ્હીમાં થયેલા કારમાં બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના પગલે સરહદી કચ્છ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છના પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં આવેલા તમામ પોલીસ મથકોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહનોની તપાસ ચાલી રહી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોને રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભુજ સહિત જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં પણ પોલીસની વિવિધ ટીમો નાની-મોટી તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.
આણંદમાં છેતરપિંડીના 3 ગુનાનો આરોપી ઝડપાયો:SOG પોલીસે બાકરોલ ખાતેથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે છેતરપિંડીના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ ડાહ્યાભાઇ રાઠોડને ઝડપી પાડ્યો છે. આરોપીને બાકરોલ ગામ ખાતેથી પકડવામાં આવ્યો હતો. SOG પોલીસને બાતમી મળી હતી કે, આણંદ શહેર પોલીસ મથકે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો રવિન્દ્ર ઉર્ફે રવિ રાઠોડ (રહે. બોરીયાવી, લાલજીપુરા) પોતાના ઘરે બાકરોલ આવવાનો છે. આ બાતમીના આધારે SOG ટીમે બાકરોલ ગામમાં વોચ ગોઠવી તેની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અગાઉ આણંદ ટાઉન, આણંદ રૂરલ અને મહેળાવ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. તે આ ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો.
ભુજની પોક્સો કોર્ટે ધોરણ-6માં અભ્યાસ કરતી સગીરા સાથે ટ્યુશન ક્લાસમાં અડપલાં કરવા બદલ એક સંચાલકને સજા ફટકારી છે. આરોપી અબ્બાસ ખબીર મંડલને પાંચ વર્ષની સખત કેદ અને કુલ 85,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના 1 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. માધાપરના નવાવાસ, રામનગરીમાં રહેતો 65 વર્ષીય અબ્બાસ મંડલ પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. ભોગ બનનાર 11 વર્ષીય સગીરા, જે ધોરણ-6માં અભ્યાસ કરતી હતી, તે ટ્યુશન માટે આરોપીના ઘરે ગઈ હતી. ટ્યુશન રૂમમાં અન્ય કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી, આરોપી અબ્બાસ મંડલે સગીરાને પોતાની પાસે બેસાડી અડપલા કર્યા હતા. આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 75(1)(1), 351(3) અને પોક્સો એક્ટ કલમ 9(m), 9(p), 10 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ભુજ-કચ્છના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરની અદાલતમાં આ કેસ ચાલી ગયો હતો. પ્રોસિક્યુશન તરફે 7 દસ્તાવેજી પુરાવા અને 8 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. અદાલતે આરોપીને વિવિધ કલમો હેઠળ સજા સંભળાવી હતી. BNS કલમ 75(1)(1) હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹25,000 દંડ, BNS કલમ 351(3) હેઠળ 1 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ, જ્યારે પોક્સો એક્ટ કલમ 9(m), 9(p), 10 હેઠળ 5 વર્ષની સખત કેદ અને ₹50,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ફટકારવામાં આવેલો કુલ ₹85,000નો દંડ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભોગ બનનારને ₹1,00,000નું વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) ને ભલામણ કરવાનો પણ હુકમ કર્યો છે. કોર્ટે ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) અને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) ને ભોગ બનનારનો સંપર્ક કરી તેના જીવન અને શિક્ષણને પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો રજૂ કરી હતી.
દિલ્હી બ્લાસ્ટ બાદ મોરબીમાં પોલીસ એલર્ટ:LCB, SOG અને સ્થાનિક પોલીસ દ્વારા હોટલોમાં સઘન ચેકિંગ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ એલર્ટ જાહેર કરાયું છે. આના પગલે મોરબી શહેર અને જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આજે મોડી સાંજે દિલ્હીમાં એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યમાં એલર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશના અનુસંધાનમાં, મોરબીમાં SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ હોટલો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સતર્કતા દાખવવામાં આવી રહી છે.
હળવદ જમીન કૌભાંડમાં 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર:12 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોમાં સરકારી જમીન હડપ કરવાના આ મામલામાં હળવદ મામલતદારે બે મહિલા સહિત કુલ નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટ (ઉંમર 55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓમાં રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઈ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈનો સમાવેશ થાય છે. આ ગુનામાં હળવદ પોલીસે દિનેશભાઈ હમીરભાઈ વનાણી (ઉંમર 42, રહે. રાયસીંગપુર), છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર (ઉંમર 58, રહે. હળવદ), રાઠોડ માવજીભાઈ ડાભાભાઈ (ઉંમર 59, રહે. ઘનશ્યામપુર) અને વનાણી હમીરભાઈ વજુભાઈ (ઉંમર 70, રહે. રાયસીંગપુર, તા. મુળી) ની ધરપકડ કરી હતી. તેમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ માહિતી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા દ્વારા આપવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ 26 માર્ચ 2016 થી 17 જુલાઈ 2020 દરમિયાન આ કૌભાંડ આચર્યું હતું. તેમણે કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર ચાલતી સરકારી જમીનોના બનાવટી રેકોર્ડ બનાવ્યા હતા. આ માટે સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી, સક્ષમ અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો તૈયાર કર્યા હતા. આ રીતે, ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ 344.27 વીઘા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ કરાવી પોતાના નામે કરાવી લીધી હતી. મોરબી જિલ્લામાં ચર્ચા જગાવનારા આ કૌભાંડની તપાસમાં આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે. પોલીસે કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. એવી પણ શક્યતા છે કે આ તપાસનો રેલો હળવદ તાલુકામાં અગાઉ ફરજ બજાવી ગયેલા તત્કાલીન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પણ પહોંચી શકે છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.
વલસાડ જિલ્લામાં 'મિશન મિલાપ' અભિયાન અંતર્ગત વાપી ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ગુમ થયેલા બે નાબાલિગ બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. આ બાળકો વાપીના ભડકમોરા અને નાનીસુલપડ વિસ્તારના હતા, જેમની ઉંમર અનુક્રમે 12 અને 9 વર્ષ હતી. વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, DySP બી.એન. દવે અને વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલના નેતૃત્વમાં પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ટેકનિકલ એનાલિસિસ, CCTV ફૂટેજ, સોશિયલ મીડિયા મોનિટરિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળકો ગુમ થયાની જાણકારી પરિવારજનો દ્વારા 6 નવેમ્બર 2025ના રોજ પોલીસને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકોની ચાલચલનના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી. અંતે, બંને બાળકો ઉમરગામ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા. વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી છે. 'મિશન મિલાપ' અભિયાન અંતર્ગત વાપી ટાઉન પોલીસની આ સતર્કતા અને માનવતાભર્યું કાર્ય પ્રેરણાદાયક ગણાવાયું છે.
રાજકોટ સમાચાર:રાજકોટનાં મવડી રોડ નજીક પેટ્રોલ પંપમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી
રાજકોટનાં મવડી રોડ નજીક ફાયર સ્ટેશનની સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર આજે આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. જો પેટ્રોલ પંપ નજીક જ ફાયર સ્ટેશન ન આવ્યું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, મવડી ફાયર બ્રિગેડની પાસે આવેલા ભારત પેટ્રોલ પંપમાં આગ લાગી હોવાની જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ત્યાંના કર્મચારીએ રૂબરૂ દોડી આવીને આ અંગે જાણ કરી હતી. ફાયર વિભાગે અંદાજે 30 મિનિટની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ પર રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના બની હતી. સારી બાબત એ હતી કે પેટ્રોલ પંપમાં આગ બુઝાવવાના સાધનો અને ફાયર એનોસી હતા. ફાયરની ટીમો પહોંચે ત્યાં સુધી તેની મદદ પણ લેવામાં આવી હતી. જોકે બાદમાં ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જેના કારણે તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મનપામાં ડેપ્યુટી કમિશનર પદે હર્ષદ પટેલની પસંદગી, સિટી ઈજનેરોની ભરતી પ્રક્રિયા પેન્ડિંગ, સરકારે વધુ એક ઇન્ચાર્જ ટીપીઓ આપ્યા રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરની ખાલી જગ્યા પર અનુભવી અને બિનવિવાદાસ્પદ અધિકારી હર્ષદ પટેલની પસંદગી પર શાસકોએ મહોર મારી દીધી છે. સેન્ટ્રલ ઝોનમાં ઇન્ચાર્જ ડે. કમિશનર તરીકે ફરજ બજાવતા હર્ષદ પટેલ કોર્પોરેશનના બીજા કાયમી અને સ્થાનિક નાયબ કમિશનર બન્યા છે. આ નિર્ણય આજે મેયર નયના પેઢડીયા સહિતના પદાધિકારીઓ હાજરીમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીજીતરફ લાંબા સમયથી ચર્ચામાં રહેલી 5 સિટી ઈજનેરો (એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, બે એડિશનલ સિટી એન્જિનિયર અને બે સ્પેશિયલ સિટી એન્જિનિયર) ની ભરતી પ્રક્રિયાને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરતીના નામો વિવાદોમાં આવતા અને મોટી રકમની લેનદેનની ચર્ચા છેક પ્રદેશ ભાજપ સુધી પહોંચતા આ પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી નજીક હોવાથી વિવાદી ભરતી ન કરવા પ્રદેશમાંથી સૂચના મળી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) નો વહીવટ પણ ઇન્ચાર્જથી ચાલી રહ્યો છે, ત્યારે સરકારે રૂડાના એસટીપીઓ આર.ડી. પરમારને કોર્પોરેશનના ઇન્ચાર્જ ટીપીઓનો ચાર્જ સોંપ્યો છે. આજે સવારે તેમણે હાજર થઇને આ ચાર્જ સંભાળ્યો હતો. ડિમોલીશનની નોટીસો, ગેરકાયદે બાંધકામની સેંકડો ફરિયાદો, ઇમ્પેકટ ફીની બાકી કામગીરી સહિતના પડકાર તેમના માટે પણ રહેવાના છે. ખેડૂત આક્રોશ યાત્રાનું આવતીકાલે રાજકોટમાં આગમન, જંગી જાહેરસભા યોજાશે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી ની માંગ સાથે સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, બોટાદ, અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થઈને આવતીકાલે મંગળવારે રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરશે, જ્યાં બપોરે 12 વાગ્યે કેકેવી ચોક ખાતે એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ખેડૂતોએ સરકારની સહાય માત્ર બે થેલી ખાતર જેટલી હોવાની વ્યથા રજૂ કરી હતી. ખેડૂતોનો દાવો છે કે વીઘા દીઠ રૂ. 15000 જેટલો ખર્ચ થાય છે, તેની સામે સરકારે માત્ર રૂ. 3000 ની નજીવી સહાય જાહેર કરી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે નજીવી સહાય નહીં, પરંતુ સંપૂર્ણ દેવા માફી જ તેમને રાહત આપશે. અગાઉ બોટાદમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને પ્રદેશના અગ્રણીઓ ટ્રેક્ટર સાથે વિવિધ સ્થળોએ ખેડૂતોને મળ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિતના નેતાઓ મુખ્ય જવાબદારી સંભાળી રહ્યા છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 4 ખેડૂતોએ આપઘાત કર્યાના અહેવાલ છે, જેના કારણે કોંગ્રેસ વધુ આક્રમક બની છે. ખેડૂત સમુદાયમાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. અને સંપૂર્ણ દેવામાફીની માંગ કરાઈ રહી છે. રાજકોટ સિવિલમાં યેલો ફીવર વેક્સિનની ફીમાં ધરખમ ઘટાડો રાજકોટની સરકારી જી.પી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં યેલો ફીવર વેક્સિનની ફીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ રસી લેવા આવતા લોકોને 1,500 રૂ.નું દાન કરવાની વિનંતી કરવામાં આવતી હતી, જે હવે ઘટાડીને માત્ર 225 રૂ. કરી દેવામાં આવી છે. આ દાન અને વેકસીનનાં રૂ. 75 મળીને હવે માત્ર રૂ. 300 ચૂકવવાના રહેશે. આ ઘટાડાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મોટી રાહત મળી છે, જેઓ નોકરી કે ધંધા અર્થે વિદેશ જતા હોય અને આ રસી લેવી ફરજિયાત હોય તેવા લોકોને આ નિર્ણયનો લાભ મળશે. અગાઉ સિવિલ હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા 1,500 રૂ.ના દાનમાં કોઈ રસીદ આપવામાં આવતી નહોતી અને આ રકમ રોકડમાં લેવામાં આવતી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને તંત્રએ રકમ ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે વેક્સિનના માત્ર રૂ. 300 લેવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવતા લોકોને રૂ. 1,200 નો સીધો ફાયદો થશે. મનપા દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે નિ:શુલ્ક તાલીમનું આયોજન રાજકોટ મહાપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા બજેટ જોગવાઈના અનુસંધાને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત સખી મંડળની મહિલાઓ સ્વનિર્ભર બને અને તેમની આર્થિક ભાગીદારી મજબૂત થાય તે હેતુથી, વેપાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, અમદાવાદ મારફત બહુમાળી ભવન હોલ, પ્રથમ માળ, રેસકોર્ષ સામે તા. 11-11 થી 6-12 સુધી બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ તાલીમ યોજાશે. જેમાં કુલ 40થી વધુ રસ ધરાવતા સ્વસહાય જૂથના તાલીમાર્થી સભ્યો ભાગ લેશે. તા. 11-11ના સવારે 12:30 કલાકે કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયા ઉપસ્થિત રહેશે. આ તાલીમમાં મહિલાઓ વેપાર પ્રવૃત્તિમાં આગળ આવે તે માટે નિષ્ણાતો દ્વારા ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ વૃદ્ધિ, ટેકનોલોજીના માધ્યમથી ઈ-વેચાણ વ્યવસ્થા, ગુણવત્તા, કિંમત અને નફાનું માર્જિન સહિતની સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. આ પ્રસંગે તેઓ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. સાંસદ શોભનાબેન બારૈયાના સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા તુલસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંગળવારે બપોર બાદ હિંમતનગર પહોંચશે. તેમના આગમન બાદ મોતીપુરા વિસ્તારથી યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી મોતીપુરાથી શરૂ થઈને ખેડ તસીયા રોડ, સ્વામિનારાયણ મંદિર ટીપી રોડ, મહાકાળી માતાજીના મંદિર થઈને કળશ પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થશે. બાઈક રેલી પૂર્ણ થયા બાદ કાંકરોલમાં આવેલા કળશ પાર્ટી પ્લોટ ખાતે સાબરકાંઠા ભાજપ દ્વારા જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા પાર્ટી પ્લોટ અને બાઈક રેલીના રૂટને શણગારવા સહિતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:બાંગ્લાદેશમાં આદુ એક્સપોર્ટ કરવાના નામે વેપારી સાથે રૂ.21 લાખની છેતરપિંડી
રામધણ પાસે રહેતા અને ઉમિયા ચોક પાસે ઓફિસ ધરાવનાર વેપારી સાથે આદું એક્સપોર્ટ કરવાના નામે રૂપિયા 21 લાખની છેતરપિંડી કર્યા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં આદુનો માલ વેપારીને વેચવા માટે ફરિયાદી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ માલ આરોપીએ બારોબાર વેચી નાખ્યો હતો. જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે હાલ શ્રી નાથજી પાર્ક શેરી નં.1માં મૈત્રી કોમ્પ્લેક્ષવાળી શેરીમાં રહેતાં મૂળ જૂનાગઢના વતની ફેનીલ વિનોદભાઈ બારસીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિષેક રોય સહિતના શખ્સોના નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. સરધારમાં PGVCL કચેરીમાં કોપર - એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા સરધારમાં પીજીવીસીએલ કચેરી દ્વારા અલગ અલગ વાડીઓમાં લગાવવામાં આવેલા 7 ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતા 2 શખ્સોને આજીડેમ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ની શોધખોળ ચાલુ છે. આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને લઈને ડીસીપી અને એસીપીના માર્ગદર્શન હેઠળ ટીમે લાપાસરી ગામથી આગળ આવેલ ચોકડી પાસેથી બે શંકાસ્પદ શખસોને પકડી પાડી પૂછપરછ કરતા તેમના નામ હઠૂ કાનજીભાઈ ચારોલીયા (ઉં વ 40)(રહે. સરધાર), વિશાલ ઉર્ફે ભૂરો રમેશભાઈ વાઘેલા (ઉં વ 18)( રહે. ભાવનગર) નામ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા બન્ને શખસોએ સરધાર વિસ્તારના અલગ અલગ સ્થળેથી સાત ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ તેમની સાથે અન્ય બે શખસો સામેલ હોવાનું જણાવ્યું હતું.જેમના નામ સુરેશ વેરશી વાઘેલા અને વિજય વાઘેલા જણાવ્યું હતું. પોલીસે પકડાયેલા બન્ને શખસો સામે કાર્યવાહી કરી અન્ય બેને પકડવા તજવીજ હાથ ધરી હતી. રાજકોટ - સૌરાષ્ટ્રની ICICI બેંકની બ્રાંચોમાં એક વર્ષમાં ગ્રાહકો રૂ.1.92 લાખની 602 બનાવટી ચલણી નોટ ધાબળી ગયા આઇસીઆઇસીઆઇ બેંકની રાજકોટ તથા સૌરાષ્ટ્ર કચ્છની અલગ અલગ બ્રાન્ચમાં એક વર્ષ દરમિયાન અજાણ્યા ગ્રાહકો રૂ.1.92 લાખની 602 બનાવટી ચલણી નોટો ધાબડી ગયા હતા. જે અંગે બેંકના મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આઇસીઆઇસીઆઇના મોરબી રોડ શાખાના બ્રાન્ચ મેનેજર સંદીપભાઈ ગંઢેચા (ઉ.વ. 40 રહે વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તેમને કરન્સી ચેસ્ટ મોરબી શાખા તથા સૌરાષ્ટ્ર કચ્છની આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેન્કની તમામ શાખાઓની જે નોટો આવે તે બેંકમાં કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા નોટનું ચેકિંગ કરી બનાવટી છે કે નહીં તેની તપાસ દરમિયાન આ સામે આવ્યું છે. વ્હાઇટ પેલેસ હોટલમાંથી મેનેજર, કર્મચારી, વેપારી મહેફિલ માણતા ઝડપાયા જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ સામે હોટેલ વ્હાઈટ પેલેસના રૂમમાં દારૂની મહેફિલ માણતા મેનેજર, કર્મચારી અને વેપારીને એલસીબી ઝોન-2 ટીમે ધરપકડ કરી દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-2 નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ઘંટેશ્વર નવી કોર્ટ સામે આવેલ હોટલ વ્હાઇટ પેલેસના રૂમ નંબર-102 માં મહેશ ખાવડુ નામનો શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યો છે. જેથી તાત્કાલિક ટીમ ત્યાં દોડી ગઈ હતી અને રૂમ નં.-102 માં દરોડો પાડી ભરત ઉર્ફે મહેશ હેમંતભાઈ ખાવડુ (ઉ.વ. 26 રહે. નવાપરા વિસ્તાર, નટવર રોડ, બગવદર, પોરબંદર), મુસ્તુફા મોઇનુદ્દીન અન્સારી (ઉવ 38 રહે. જામનગર રોડ, નવી કોર્ટ બિલ્ડિંગની સામે, મનહરપરા-1,) અને આનંદ હરેશભાઈ હેરભા (ઉવ 20 રહે. ચામુંડાનગર, પાળીયાદ,બોટાદ)ની ધરપકડ કરી દારૂની એક બોટલ, બે ખાલી ચપલા, બાઈટિંગ, કાચના ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઝડપાયેલ ભાવેશ ઉર્ફે મહેશ પોતે જ વ્હાઈટ પેલેસ હોટેલનો મેનેજર છે જયારે આનંદ હેરભા હોટેલમાં જ નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે મુસ્તુફા અંસારીના નજીકના સંબંધીની જ હોટેલ હોય તે અહીં દારૂની મહેફિલ માણવા આવ્યાનું જાહેર થયું હતું. વૃધ્ધાનો એસિડ પી આપઘાત ગાંધીગ્રામ લાખના બંગલા પાસે 65 વર્ષીય વૃદ્ધા મધુબેન પરમારે એસીડ પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવારમાં દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ, મધુબેન ધીરુભાઈ પરમાર (ઉં.વ. 65, રહે ભારતીનગર, શેરી નંબર 1, લાખના બંગલા પાસે, રાજકોટ) ગઈકાલે આજે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે એસીડ પી ગયા હતા.તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, મધુબેનને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. તેમના પતિનું 35 વર્ષ પહેલા અવસાન થયું હતું. મગજ પર ક્રોધ હતો જેથી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. કેન્સરની બીમારીના લીધે આધેડનું મોત કેન્સરની બીમારી થયા બાદ 50 વર્ષીય સંતોષકુમારે સારવારમાં દમ તોડી દીધો હતો. સંતોષકુમાર મિશ્રા (ઉંમર વર્ષ 50, રહે.આજીડેમ પાસે, માંડા ડુંગર રાજકોટ) આજરોજ સવારે છ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે કેન્સરની બીમારીથી બેભાન થઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. સંતોષકુમાર કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા હતા. તેમને સંતાન 1 પુત્ર છે. મૃતક પોતે 2 ભાઈ અને 1 બહેનમાં વચેટ હતા. તેમને ગળાનું કેન્સર હતું. મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના તમામ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર છવાશે. શહેરના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારતની એ ટિમ અને દક્ષિણ આફ્રિકાની એ ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી રાજકોટમાં શરૂ થવા જઇ રહી છે. જેને લઇને આજે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટલ ખાતે સાઉથ આફ્રિકા A અને ઈન્ડિયા A ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. જેમનું ફૂલોના વરસાદ અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં આજે ઇન્ડિયા A ટીમના પ્રસિધ્ધ ક્રિષ્ના, રિયાન પરાગ અને ખલીલ અહેમદ આવી પહોંચ્યા હતા. જોકે કેપ્ટન તિલક વર્મા, અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવા સ્ટાર ખેલાડીઓ બે દિવસ બાદ રાજકોટ આવશે. રાજકોટમાં ઇન્ડિયા A અને સાઉથ આફ્રિકા A ટીમ વચ્ચેની વન ડે મેચની શ્રેણીને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે બંને ટીમના ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલી હોટલ ખાતે પહોચતા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ તો ખેલાડીઓ પર ગુલાબના ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરી રાજકોટમાં મેચની સાથે સાથે રાજકોટની મહેમાનગતિ પણ માણશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ વન ડે ની શ્રેણી કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમાનાર છે અને આ ટીમમાં તેની સાથે અભિષેક શર્મા, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હીમાં કારમાં વિસ્ફોટને લઈને બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારાઈ છે. બનાસકાંઠાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો છે. રાજસ્થાનથી આવતા તમામ વાહનોની ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે. અંબાજી મંદિરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સાથે સાથે ગુજરાતમાં બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ..
ગાંધીનગર ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ વખતે પક્ષના એક અગ્રણી નેતાએ પક્ષની અંદર પોતાની વાત રજૂ કરવાની તક ન મળતાં, વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ મૂકીને પોતાનો ઊભરો ઠાલવ્યો છે, જેના કારણે સંગઠનના હોદ્દેદારો અને નેતાઓમાં નવી ચર્ચા છેડાઈ છે. ગાંધીનગર પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા રણજીતસિંહ વાઘેલાએ ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને ધારાસભ્યો ધરાવતા 'અમે સૌ ભાજપના' નામના વોટ્સએપ ગ્રૂપમાં આ વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. રણજીતસિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતાં હોય એમ પોસ્ટ મૂકેલી કે, પાર્ટીના જવાબદાર લોકોએ પેથાપુરમાં મારી 20 વર્ષની કારકિર્દીનો ઉપહાસ કર્યો છે.તેમણે પોતાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ગુજરાતમાં 161 નગરપાલિકામાંથી પેથાપુર એકમાત્ર નગરપાલિકા છે, જ્યાં તેમણે 2018માં રોસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરીને ભાજપની સત્તા ટકાવી હતી. જોકે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, બાકીના અન્ય લોકો હાલમાં સત્તાનો મનોરંજન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, અને આનાથી તેમની લાંબી કારકિર્દીનો ઉપહાસ થઈ રહ્યો છે. જેની વળતી પોસ્ટથી ચર્ચાનો મધપૂડો છંછેડાયો છે. રણજીતસિંહની આ પોસ્ટને ગ્રૂપના અનેક સભ્યોએ અંદરખાને સમર્થન આપ્યું હતું. પરંતુ ખુલીને બોલવાથી ખચકાયા હતા. જોકે આ ચર્ચાસ્પદ પોસ્ટ પર વોર્ડ પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ તરત જ વળતી પોસ્ટ મૂકીને મામલો ગરમાવ્યો હતો. જયદીપસિંહે રણજીતસિંહને આકરો પ્રશ્ન પૂછ્યો હતો કે, તો તમે શું મનોરંજન કરવા આમ આદમીમાં જોડાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, તમે નતા ત્યારે કોર્પોરેશન, વિધાનસભા, લોકસભામાં ભાજપને લીડ અપાવી હતી. ખોટી કોમેન્ટ નહીં કરવી અને પક્ષ માટે વફાદારી રાખવી જોઈએ. ટિકિટ ન મળે એટલે પાર્ટી ના બદલાય. જયદીપસિંહે રણજીતસિંહને યાદ અપાવ્યું હતું કે, તેઓ ફરી ભાજપમાં જોડાયા ત્યારે તેમને સન્માન આપીને આગળ રાખવામાં આવ્યા જ છે, તેથી તેમણે ગામની એકતામાં જોડાવું જોઈએ અને પક્ષમાં કોઈ ખોટી કોમેન્ટ કરવી ન જોઈએ. હાલમાં તો ભાજપના નેતાઓની આ સોશિયલ મીડિયા પરની લડાઈએ ગાંધીનગર ભાજપ સંગઠનના આંતરિક વિખવાદને સપાટી પર લાવી દીધો છે.
AMC દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં આર્બીટ્રેશનના કેસોમાં જુદા જુદા વકીલોને રૂ.1.60 કરોડ અને આબટ્રિટરને રૂ. 165 કરોડ સહિત કુલ રૂ. 3.25 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં 61 કેસોમાં હાર થઈ છે અને આર્બીટ્રેટરે આપેલા એવોર્ડ મુજબ AMCને 101.24 કરોડની ચૂકવવાની ફરજ પડી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આર્બીટ્રેશનના 61 કેસોમાં કારમી હાર થઈ હોવાને કારણે લીગલ ખાતાની કામગીરી ખાડે ગઈ હોવાનું સ્પષ્ટ જણાય છે. પ્રોપર્ટી ટેક્સ, TTP સ્કીમ, ગેરકાયદે બાંધકામ, મ્યુનિ. પ્લોટ પર ગેરકાયદે દબાણો, લાયન્સ ફી, સહિત વિવિધ મુદ્દે નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી સંખ્યાબંધ કેસોને કારણે કાનૂની વિવાદો સર્જાય છે. AMC દ્વારા સુપ્રીમ કોર્ટ માટે 4 વકીલ, હાઈકોર્ટ માટે 19 વીકલ, સિટી સિવિલ કોર્ટ માટે 11 વકીલ તેમજ અન્ય નિષ્ણાંત કાનૂની વકીલોની ફોજ હોવા છતાં આર્બીટ્રેશનના 61 કેસમાં પરાજય થતાં આ બાબતે તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવા તેણે અપીલ કરી છે.
મહુવા ટાઉન પોલીસે એક વટેમાર્ગુનો આશરે 10 લાખ રૂપિયાનો કિંમતી સામાન શોધીને પરત કર્યો છે. આ સામાનમાં સોનાના દાગીના અને રોકડ રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ પર સીસીટીવી તપાસી આધારે રીક્ષા ચાલકને 30 મિનિટમાં શોધી થેલો પરત અપાવ્યો હતો, આ બનાવ અંગે રાજુલાના રહેવાસી હસમુખ દેવજીભાઈ વાજા મહુવા ખાતે નવા સોનાના દાગીના બનાવવા આવ્યા હતા. તેઓ પોતાની સાથે આશરે 10 લાખ રૂપિયાના જૂના સોનાના દાગીના જેમાં 2 સોનાના હાર, 1 મગમાળા, 1 જોડી બુટ્ટી, 3 સોનાના બટન અને રૂપિયા રોકડા 26,500 લઈને આવ્યા હતા અને તેઓ મહુવા એસ.ટી. બસ સ્ટેશનથી તેઓ રિક્ષામાં બેસીને સોની બજાર ગયા હતા. સોની બજાર પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા છે. આ અંગે હસમુખભાઈએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી રિક્ષાનો નંબર મેળવ્યો હતો, પોલીસે રિક્ષાચાલક ઇકબાલ દાદુભાઈ અગવાન રહે.હેન્ડલનગર, ખારા, મહુવા ને શોધી કાઢ્યા હતો. તેમની પાસેથી જૂના સોનાના દાગીના અને 26,500 રૂપિયા રોકડા સહિત કુલ આશરે 10 લાખ રૂપિયાનો થેલો હેમખેમ પરત મેળવવામાં આવ્યો હતો, પોલીસની આ સરાહનીય કામગીરીથી તેરા તુજકો અર્પણ ના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) એ ફરીવાર વિવાદિત નિવેદન કર્યું છે. ડભોઇના સ્નેહ મિલનમાં ધારાસભ્યએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, હમણાં પ્રમુખે કહ્યું કે 15-17 કરોડની ગ્રાન્ટ આવી હશે પણ જ્યારથી એ ભાજપમાં આવ્યા ત્યારથી ગ્રાન્ટ મળે છે. સ્વભાવિક છે ને આપણી વિરૂદ્ધ હોય તો ગ્રાન્ટ શાના માટે આપી હોય. અહીંયા તો આજે મીડિયા નથી એટલે જરા બોલવાની થોડી મજા આવે છે. અહીં લાઇવ કરવાની જરૂર નથી, લાઇવ કરશો તો મીડિયાવાળા એમાંથી લઈ લેશે. મીડિયા હોય તો કઈપણ બોલીએ એમાં મર્યાદા આવી જાય છે. મર્યાદા ન હોય તો મને બોલવાની અને તમને સંભાળવાની મજા આવે. 'લોકો એવું કહેતા હતા કે આને હારવા માટે લઈ આવ્યા છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પછી તમે કહો કે, વર્ષ 2017 જેવું નથી બોલતા. કારણ કે હું વર્ષ 2017માં બોલતો હતો એના કારણે ચમરબંધીના ઘરે મોકલ્યો હોત તો સારૂ થાય. હું જ્યારે આવ્યો ડભોઈમાં તે દિવસે નગરપાલિકામાં 36માંથી 4 ભાજપના સભ્યો બચ્યા હતા, તાલુકા પંચાયતમાં 20માંથી 4 બચ્યા હતા, જિલ્લા પંચાયતમાં 0, એપીએમસીમાં 0 સભ્યો હતા અને આવ્યા ત્યારે અહીંના લોકો એવું કહેતા હતા કે ઉપર સેટિંગ થઈ ગયું છે આને હારવા માટે લઈ આવ્યા છે. મેં પગ મુક્યો દુભાવતી નગરીમાં ત્યારે કહ્યું હતું કે, લોકો ડભોઇને દુબઇ બનાવવા માગે છે અને હું દર્ભાવતી બનાવવા માંગુ છું. ડભોઇમાં યોજાયેલા સ્નેહ મિલનનો આ વીડિયો ભાજપના જ કોઈ કાર્યકરે વાઇરલ કર્યો છે, જેને લઈને ડભોઇ અને વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 'સરકાર મૂંગી અને બહેરી છે તે ધારાસભ્યને ઠપકો નહીં આપે'વડોદરા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય જ નહીં આખી સરકાર જ અન્યાય કરે છે. ભાજપની આખી સરકાર જ ભેદભાવ વાળી છે, જે ગ્રાન્ટ ફાળવાય છે, તે કોઈના બાપના પૈસા નથી એ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે. સરકાર મૂંગી અને બહેરી છે તે ધારાસભ્યને ઠપકો નહીં આપે. કારણ કે, એને જ પક્ષના ધારાસભ્યો બેફામ બનીને આવવા નિવેદનો કરે છે, પણ સરકાર એની સામે પગલાં લેતી નથી. ધારાસભ્યના આવા નિવેદનથી જનતાએ જાગવું જોઈએ. આવો ભેદભાવ રાખનાર ધારાસભ્ય અને સરકાર સામે જનતાએ જ રસ્તા ઉપર ઉતરવું પડશે અને આવા લોકોને સબક શીખવાડવા જોઈએ. 'આવી પરિસ્થિતિમાં ખેડૂત આત્મહત્યા ન કરે તો ક્યાં જાય'આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં મોટા પાયે નુકસાન બાદ ખેડૂતોને સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હતી. પરંતુ સરકારે એક વિઘાએ માત્ર 3500 આપવાની જાહેરાત કરી છે, અમે નિષ્ણાતો પાસેથી તપાસ કરતાં ખેડૂતોને એક વિઘાએ 17000 રૂપિયાનું નુકસાન થયું છે અને એક વિઘાએ 50000 રૂપિયાની આવકની ખેડૂતોને આશા હતી, પરંતુ સંપૂર્ણ પાક નાશ પામ્યો છે, વિઘે રૂપિયા 50000ના નુકસાન સામે ખેડૂતોને સરકારનું આ પેકેટ નહીં પરંતુ પડીકું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂત આત્મહત્યા ન કરે તો ક્યાં જાય. 'તમે કેટલા ખેડૂતોનો જીવ લેશો?'તેઓએ કહ્યું હતું કે, સરકારના પેકેજ જાહેર કર્યા બાદ પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કહેવું છે કે, તમે કેટલા ખેડૂતોનો જીવ લેશો? ગુજરાતના તમામ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે એવી અમારી માગ છે. જ્યાં સુધી તમામ ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી આત્મહત્યાનો દૌર અટકવાનો નથી.
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવ માટે જોખમી સાબિત થયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કૂવામાં ખાબકેલા એક સિંહનો સમયસર સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ખુલ્લા કૂવાઓ મામલે કાર્યવાહી કોના પર કરવી તે મુદ્દે વન વિભાગના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચર નામના ખેડૂતની વાડી આવેલી છે. વાડીમાં આવેલો કૂવો ખુલ્લો હતો અને તેની આસપાસ ઘાસ ઉગી ગયું હતું. સંભવતઃ, ઘાસને કારણે સિંહ કૂવાની હાજરી પારખી શક્યો નહીં અને અચાનક કૂવામાં ખાબક્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કૂવામાં સિંહ ખાબકીયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માંગરોળ નજીક ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચરની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો હતો. વન વિભાગે તાત્કાલિક સિંહનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે, જ્યાં તેની દેખરેખ અને સારવાર ચાલી રહી છે. કાર્યવાહીના મુદ્દે રેન્જ ફોરેસ્ટ અધિકારીઓનું મૌન જોકે જ્યારે આ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ખુલ્લા કૂવા રાખવા બદલ કોના પર કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. RFO સુહાગિયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, આ મામલે હું કંઈ કહી શકું નહીં, ડીસીએફ સાથે વાત કરી લો.આ પછી. દિવ્ય ભાસ્કરે ડીસીએફ સાથે સતત વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે કોલ રિસીવ કરવાનું ટાળ્યું હતું. ખુલ્લા કૂવા અને કાયદાકીય કાર્યવાહી પર સવાલો આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાંના ખુલ્લા કૂવાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ખુલ્લા કૂવાઓમાં વન્યજીવ ખાસ કરીને સિંહ પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, કાયદેસરની કાર્યવાહી કેમ થતી નથી ? ત્યારે હાલ વન વિભાગના અધિકારીઓને સરકારના પરિપત્રનો ખ્યાલ છે કે નહીં તે સવાલ ઉભો થયો છે.
સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં
Gir Somnath News : ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના 3 છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળ પરના દબાણને દૂર કરવા માટે તંત્રએ આજે સોમવારે (10 નવેમ્બર) ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન મહિલા સહિતના અનેક લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ બની હતી.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં અમરસિંહ શોપિંગ મોલમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સહિત છ એજન્ટો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોધાયા બાદ પોલીસે મહિલા સહિત બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે.ત્રણ દિવસ પહેલા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે રણવીરસિંહ ઉર્ફે રંગુસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણની ફરિયાદ આધારે સંચાલકો અને એજન્ટો સહિત છ સામે ગુનો નોધાયા બાદ બી ડિવિઝન પોલીસે મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. બી ડિવિઝન પોલીસે અલગ અલગ 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે મસમોટું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની છ સામે ફરિયાદ નોધાઇ હતી. છ આરોપીઓ પૈકી એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ1.શીતલ જગદીશગીરી ગોસ્વામી-રહે-(જામળા,તા.હિંમતનગર)2.વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ-રહે-(સરોલી,તા.હિંમતનગર) પકડવાના બાકી આરોપીઓ.1. જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, રહે. (જામળા, તા. હિંમતનગર)2. મનીષ ગોવિંદભાઈ પટેલ, રહે (વિજાપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)3.મનહરસિંહ બાદરસિંહ ઝાલા, રહે (કાનડા, તા. હિંમતનગર)4.ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહે (ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર)
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરતી સુરતની સ્પેશિયલ એ.સી.બી. કોર્ટે એક તલાટી કમ મંત્રીને લાંચ લેવાના ગુનામાં દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. 17 વર્ષ જૂના આ કેસમાં સિંગણપોર ગામના તલાટી કમ મંત્રી, વર્ગ-3, હિમ્મતભાઈ સકરાભાઈ સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા અને કુલ 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સજા 10 માં એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પે. એ.સી.બી. કોર્ટ, સુરત દ્વારા કરવામાં આવેલા આખરી હુકમનો ભાગ છે. શું હતો લાંચનો ગુનો?17 વર્ષ પહેલાં 25 માર્ચ 2008ના રોજ બની હતી. આ કેસના ફરિયાદીએ સિંગણપોર ગામની જમીનના ગામ નમૂના હક્ક પત્રક-6 (ઉતારા) મેળવવા માટે તલાટી કમ મંત્રી હિમ્મતભાઈ સોલંકીને અરજી કરી હતી. આરોપી હિમ્મતભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી ઉતારા આપવાના અવેજ પેટે શરૂઆતમાં 1,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીની રકઝક બાદ આ લાંચની રકમ રૂ. 800 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ બાબતે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી હિમ્મતભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી નક્કી કરેલા રૂ. 800 લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ના હાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈ સજા ફટકારીએ.સી.બી. દ્વારા ગુનાની તપાસના અંતે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. લાંબી ન્યાયિક કાર્યવાહી દરમિયાન કોર્ટે મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને સંપૂર્ણપણે ધ્યાનમાં લીધા હતા. કોર્ટે આખરી હુકમમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિ, 1988 ની કલમ-7 હેઠળના ગુનામાં દોષિત ઠરાવી 3 વર્ષની સખત કેદ અને રૂ!. 25,000 દંડ ફટકારવામાં આવ્યો. દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો. ભ્રષ્ટાચાર નિવારણ અધિ, 1988ની કલમ- 13(1) (ઘ) વાંચતા કલમ 13(2) મુજબના ગુનામાં દોષિત ઠરાવી પુનઃ 3 વર્ષની સખત કેદ અને રૂ 25,000 દંડ ફટકારવામાં આવ્યો. દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં CRC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ફક્ત ફરજ નહીં, પરંતુ ભાવના અને જવાબદારીથી કામ કરો.” આ સંદેશ દ્વારા તેમણે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને અધિકારીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા.
ગોધરામાં LCBએ ₹32.11 લાખનો દારૂ ઝડપ્યો:લીલેસરા બાયપાસ પર ટ્રકમાંથી જથ્થો મળ્યો, એક આરોપી પકડાયો
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પરથી ₹32.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન આ જથ્થો પકડ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ તેમના સ્ટાફને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો પર નજર રાખવા જણાવ્યું હતું. આ સૂચનાના અનુસંધાનમાં, LCB ગોધરાના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન અને આ.હે.કો. કેહજીભાઈ સઈદુભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, HR-57-B-0527 નંબરના અશોક લેલન્ડ ટ્રકમાં ઇર્થ ગ્રાઉન્ડિંગ પાવડરની બેગોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ તરફથી વડોદરા જવાનો હતો. આ ચોક્કસ બાતમીના આધારે, LCB સ્ટાફના માણસોએ લીલેસરા બાયપાસ ચોકડી પાસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ટ્રકને રોકી તપાસ કરતા, તેમાંથી સ્ટાર ગોલ્ડ વ્હિસ્કીની 3540 બોટલો (કિંમત ₹21,09,840), અશોક લેલન્ડ ટ્રક (કિંમત ₹10,00,000), 450 ઇર્થ ગ્રાઉન્ડિંગ પાવડરની બેગો (કિંમત ₹90,000), 2 મોબાઈલ ફોન (કિંમત ₹10,000), તાડપત્રી અને દોરડું મળી કુલ ₹32,11,040 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી ચંદનભારતી આનંદ ભારતી ગૌસ્વામી (રહે. મિઠડાખુર્દ, ધોરીમન્ન, જિ. બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. આ કેસમાં સહ-આરોપી તરીકે હરિયાણાના શાંતીલાલનું નામ પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ગોધરાના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન, એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ, આ.હે.કો. કેહજીભાઈ સઈદુભાઈ, અ.હે.કો. જોગેન્દ્રસિંહ દીલીપસિંહ અને અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
વિજયનગર પોલીસે જાલેટી ત્રણ રસ્તા પાસેથી એક કારમાંથી રૂ. 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક હ્યુન્ડાઇ I-20 કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિજયનગરના જાલેટી ત્રણ રસ્તા થઈ પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે જાલેટી ત્રણ રસ્તા ખાતે ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન વિજયનગર મામલતદાર કચેરી તરફથી GJ.05.RF.0332 નંબરની હ્યુન્ડાઇ I-20 કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા પાછળની સીટ અને ડીકીમાંથી અલગ અલગ બ્રાન્ડની 2267 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,74,620 થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 10,000ના બે મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની હ્યુન્ડાઇ I-20 કાર પણ જપ્ત કરી હતી. આમ, પોલીસે કુલ રૂ. 10,84,620નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક સહિત બે આરોપીઓ, વીરેન્દ્રસિંગ માલમસિંગ રાજપુત (ઉં.વ. 35, રહે. જોધપુર, રાજસ્થાન) અને અશોક કેરારામ જાટ (ઉં.વ. 32, રહે. ઓલ્વી, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂ ભરી આપનાર દીપુભાઈ નામનો ઈસમ (રહે. ઉદેપુર, રાજસ્થાન) ફરાર છે, જેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો ₹947 કરોડનો કૃષિ રાહત પેકેજ-2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે, ખાસ કરીને વાવ-થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટરદીઠ ₹20,000ની વિશેષ સહાય મળશે, જે સામાન્ય પાક નુકસાની સહાય ઉપરાંત આપવામાં આવશે. રાજ્ય સરકારે ભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત આપતા કૃષિ રાહત પેકેજ-2025 અંગેનો ઠરાવ જાહેર કર્યો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ 20મી ઓક્ટોબરે 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના 5 જિલ્લાઓ — જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાઓના 18 તાલુકાના 800 ગામોમાં પાકને થયેલા ભારે નુકસાન માટે સહાય આપવામાં આવશે. ખરીફમાં વાવેતર કરાયેલા દીવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ઉપરાંત કઠોળ અને દાડમ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોને પણ અસર પહોંચી હતી. સરકારના સર્વે મુજબ, આ 800 ગામોમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે સરકારે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કરતા ખેડૂતો માટે સહાયની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 20 હજારની વિશેષ સહાય આપવામાં આવશે. આ સહાય ખેડૂતોને પાક નુકસાનીની સામાન્ય સહાય ઉપરાંત મળશે. સરકારના ઠરાવ મુજબ, દરેક ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. વાવ-થરાદ અને પાટણ જિલ્લાના તેવા ખેડૂતો, જેમના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી તેઓ શિયાળુ પાક લઈ શકતા નથી, તેમને આ વિશેષ સહાય આપવામાં આવશે. 1લી નવેમ્બર 2025 સુધી જેમના ખેતરમાં પાણી ભરાયેલું હશે, તેવા ખેડૂતોને પણ આ સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારે ઠરાવ બહાર પાડતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા ખેડૂતો લાંબા સમયથી આ રાહત પેકેજના અમલની રાહ જોઈ રહ્યા હતા. હવે સરકાર દ્વારા ઠરાવ જાહેર થતાં સહાયની રકમ વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે.
લેખિત-મૌખિક અને થીયરી એમ ત્રણ તબક્કામાં લેવાય પરીક્ષા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પોતાનું ડાયમંડ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ રાજ્ય પાલ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નવેમ્બર માસ દરમિયાન રાજ્યમાં રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર માટે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે બે દિવસ દરમિયાન લેખિત, મૌખિક અને પ્રેક્ટીકલ એમ ત્રણ તબક્કામાં એકઝામ લેવામાં આવી હતી, જેમાં ગાંઠો, લેસિન, પ્રાથમિક સારવાર, એસ્ટીમેશન, પાયોનીયરિંગ, ડ્રીલ, ટેન્ટ પીચીગ, ગેજેટ્સ જેવા વિષયોનું પ્રેક્ટીકલ કામ કરાવવામાં આવ્યું હતું, જ્યારે પ્રવેશથી તૃતીય સોપાન સુધીના વિવિધ વિષયોનું ફાઈલ વર્ક અને પ્રાવીણ્ય ચંદ્ર કોની લોગબુકનું નિરીક્ષણ અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, આ સમગ્ર પરીક્ષા કાર્ય દરમિયાન રાજ્ય સંઘના પ્રતિનિધિ બી.કે સિદપરા અને અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કેમ્પ સંચાલક દર્શનાબેન ભટ્ટ તેમજ સરલાબેન સાકળીયા, પ્રવીણભાઈ મકવાણા, ધ્રૃવાબેન ભટ્ટ, દીપકભાઈ દ્વારા પરીક્ષા કાર્યમાં સહયોગી થયા હતા, એક્ઝામમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા, બીએન વિરાણી હાઇસ્કુલ, શિશુવિહાર ઓપન ટ્રુપ, ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, સ્વામી વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમ ના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર વિદ્યાર્થીઓ જોડાયા હતા, સમગ્ર પરીક્ષા કાર્યને સફળ બનાવવા સિનિયર સ્કાઉટ ગાઈડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રુવા સીએચસી સેન્ટરમાં છેલ્લા એક મહિનાથી લિફ્ટ બંધ છે, જ્યારે મહિલા વોર્ડનું શૌચાલય પણ ઉપયોગ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા પરિવારજનો માટે બેસવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લઈને પૂર્વ મેયરે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જ્યારે આરોગ્ય કેન્દ્રના તબીબે વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી છે. સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવથી દર્દીઓને મુશ્કેલીભાવનગરના સુભાસનગર વિસ્તારમાં આવેલ રુવા સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં તેનું યોગ્ય સંચાલન નથી થતું. છેલ્લા એક માસથી લિફ્ટ બંધ છે, પુરુષ અને મહિલા વોર્ડમાં બેડ પર ઓશિકા અને બ્લેંકેટ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેમજ મહિલા વોર્ડનું શૌચાલય પણ બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે દર્દીઓ તથા તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અને વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધઆ અંગે પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ જણાવ્યું કે, વીપી સોસાયટી નજીક સુભાષનગરમાં જે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેમાં એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધ છે, જ્યારે દર્દીને બીજા કે ત્રીજા માળે દાખલ કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને હેરાન થવું પડે છે. આરોગ્ય કેન્દ્રમાં મહિલા/ પુરુષના વોર્ડમાં બેડ મૂકવામાં આવ્યા છે, પણ કોઈ ઓશીકા નથી. ઓઢવાના બ્લેન્કેટની કોઈપણ સુવિધા નથી. દર્દીની સાથે આવેલા બહેનો અથવા ભાઈઓને કોઈ બેસવાની વ્યવસ્થા નથી. ખુરશી કે બેસવા માટે ટેબલ કોઈ પણ સુવિધા નથી. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું ખાલી એક બેડ આપી દે છે અને દર્દી સાથે આવે તેને દર્દીના બેડ ઉપર બેસવું પડે તેવી પરિસ્થિતિ છે. આરોગ્ય કેન્દ્રની અંદર સ્પેશિયલ ટોયલેટ કરવામાં આવ્યા છે જે તેને આડે વસ્તુઓ મૂકી બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર પાસે લાગણી સાથે માંગણી છે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું અને મેં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને ધ્યાને મુક્યું છે પણ અહીંયા મેનેજમેન્ટનો ખુબ અભાવ હોય એવું લાગી રહ્યું છે. અલગ બાથરૂમની વ્યવસ્થા સુવિધા ઉભી કરવામાં આવીઆ અંગે આરોગ્ય કેન્દ્રના તબીબ શરદ પંડ્યાએ જણાવ્યું હતું કે, લિફ્ટનું કામ છે જે એજન્સીને કહી દીધેલું છે અને એનું કામ છે એ પ્રોસેસમાં છે. સેન્સર અને સોફ્ટવેરનો ઇસ્યુ હોવાથી એની ઉપર કામગીરી શરૂ છે. જલ્દીમાં જલ્દી કામ થઈ જશે. જે દર્દી માટે ઓશીકા અને ટેબલનો ઇસ્યુ છે એની મંજૂરી અમે ઉપરથી લીધી છે, એનું પણ ટૂંક સમયમાં નિરાકરણ લાવી અને ખરીદી કરવાના છીએ. મહિલા શૌચાલયમાં પાણી ભરાતું હતું. એટલે મચ્છરનો ઇસ્યુ થોડો હતો તે માટે થઈને દર્દીઓને તકલીફ ના પડે એ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા હોવાથી ઓટરનેટ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ બધી સુવિધા પૂર્ણ થઈ જાય અને દર્દીને કોઈ તકલીફ ન થાય તેની કાળજી લેવામાં આવશે.
બે વિસ્તારોમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ:24 કેસ કરી દેશી દારૂ અને આથો ઝડપાયો, 7 વાહન ડિટેઈન
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસ અને અકવાડામાં પોલીસે પ્રોહીબિશન અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 24 કેસો કરવામાં આવ્યા હતા અને 7 જેટલા વાહનો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા સુપરવિઝન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર, ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એચ. કુરેશી, બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. ડાભી, ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. મકવાણા, ભાવનગર સિટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. અને કુલ 25 પોલીસકર્મીઓની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ ટીમો દ્વારા આડોડીયાવાસ અને અકવાડા વિસ્તારમાં અલગ અલગ રેઈડ કરવામાં આવી હતી. જેમાં કુલ 226 લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ.45,200 છે અને 3590 લિટર દેશી દારૂ બનાવવાનો આથો, જેની કિંમત રૂ.89,750 છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબિશનના કુલ 24 કેસ નોંધ્યા હતા અને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, મોટર વાહન અધિનિયમની કલમ-207 હેઠળ 7 વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જુનાગઢ રેન્જ આઇજીનિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાએ સુચના કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ ₹ 1.49 કરોડ નો મુદ્દામાલ કબજે કર્યો છે... બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો જુનાગઢ પહોંચ્યો આ ગુનાની તપાસની શરૂઆત ત્યારે થઈ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી હકીકતના આધારે પોલીસે હાઈબ્રીડ ગાંજાના 3 પેકેટ ,કુલ 3.160 કિલોગ્રામ, કિંમત ₹ 1,10,60,000 સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ આરોપીઓમાં (1) ધવલ કાળુભાઈ ભરાડ (વિસાવદર), (2) હુસેન નાસીરભાઈ તુર્ક (જુનાગઢ), (3) મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ (જુનાગઢ) અને (4) જઠાંગીરશા રજાકશા શાહમદાર (જુનાગઢ) નો સમાવેશ થાય છે. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગુનામાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી સામે આવતા એસપી સુબોધ ઓડેદરાએ આ ગંભીર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢને સોંપી હતી. હાઈબ્રિડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય રેકેટનું કનેક્શન પી પીઆઈ કે.એમ.પટેલ,પીએસઆઇ ડી.કે ઝાલાની ટીમે પકડાયેલા આરોપી મુજાહીદખાન યુસુફજઈની સઘન પૂછપરછ હાથ ધરી. પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કર્યા.પોલીસ તપાસમાં સામે આવ્યું કે વડોદરાનો મુખ્ય આરોપી ઇરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ આરીફખાન પઠાણ આ રેકેટમાં સંડોવાયેલો હતો. ઇરફાન દ્વારા રાજકોટની શેરબાનુ નાગાણીને હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેંગકોક મોકલવામાં આવી હતી. શેરબાનુ ગાંજો લઈને આવી, પરંતુ તેણે આ ગાંજો ઇરફાનને ન આપતા બારોબાર વેચી દેવાનો પ્લાન ઘડ્યો. આ પ્લાન માટે તેણે તેના મિત્ર મુજાહિદીનનો સંપર્ક કર્યો અને વોટ્સએપ કોલ દ્વારા જુનાગઢના મોઈન ખંધાને અમદાવાદ એરપોર્ટ પર બોલાવ્યો. એરપોર્ટ પરથી શેરબાનુ, મુજાહિદીન અને ધવલ ભરાડ ગાંજો લઈને જુનાગઢ આવ્યા હતા.જુનાગઢ આવ્યા બાદ શેરબાનુએ લાવેલા કુલ 4 પેકેટમાંથી 3 પેકેટ મુજાહિદીનને આપ્યા અને 1 પેકેટ પોતાની પાસે રાખ્યું હોવાનું મુજાહિદીને જણાવ્યું હતું. સુરત, વડોદરા અને નવસારી સુધી ફેલાયેલું નેટવર્ક શેરબાનુએ તેની પાસે રહેલું 1 પેકેટ વેચવા માટે વેરાવળના તેના મિત્ર સોહિલ શેખનો સંપર્ક કર્યો. સોહિલે આ વાત સુરત ખાતે રહેતી તેની બહેન ઉજમાને કરી. ઉજમાએ તેના મિત્ર વડોદરાના મુખ્ય આરોપી ઇરફાનખાનને જાણ કરી, જેણે ગાંજો ખરીદવાની હા પાડી.સોહિલ શેખ અને શેરબાનુ સુરત ખાતે ઉજમાના ઘરે ગયા. દરમિયાન, મુખ્ય આરોપી ઇરફાનખાન વડોદરાથી તેના મિત્ર અફઝલ જાનુવાલા, તેની પત્ની હાફીઝા પટેલ તથા જાવીદ મીરજા અને તેની પત્ની નીલોફર સાથે સુરત પહોંચ્યો અને હાઈબ્રીડ ગાંજાનું 1 પેકેટ લઈ લીધું. મુખ્ય આરોપી ઇરફાનની નડિયાદથી ધરપકડ ઇરફાન પાસે ગાંજાનું પેકેટ હોવાની હકીકત મળતા, વડોદરા-સુરત રવાના કરાયેલી પોલીસ સબ ઇન્સપેક્ટર પી. કે. ગઢવીની ટીમે તાત્કાલિક ઇરફાનને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા. ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં જણાયું કે ઇરફાન નડિયાદ ખાતે તેના સસરાના ઘરે ગયો છે.પોલીસે તાત્કાલિક નડિયાદ ખાતે પહોંચીને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચો રૂબરૂ તપાસ કરતાં આરોપી ઇરફાનખાન પાસેથી 0.936 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો કિંમત ₹ 32,76,000/ કબ્જે કર્યો અને તેની ધરપકડ કરી.ઇરફાનની પૂછપરછમાં ખુલાસો થયો કે આ આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગકોકના હબીબી દ્વારા ચલાવવામાં આવતું હતું અને ભારત ખાતે તેના એજન્ટ બેંગ્લોરના અનુપ ઉર્ફે રવુ મારફતે ઇરફાન તથા અન્ય આરોપીઓ કેરીયર તરીકે કામ કરતા હતા. આ ગુનામાં અગાઉ પકડાયેલા 4 આરોપીઓમાં ધવલ કાળુભાઈ ભરાડ, હુસેન નાસીરભાઈ તુર્ક,મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ,જઠાંગીરશા રજાકશા શાહમદારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.આ આરોપીઓની પુછ પરછ દરમિયાન મોઈન સતા૨ભાઈ ખંધા,સાહીલ દાદાભાઈ શેખ,શેરબાનુ મહમદરફીક નાગાણી (બેંગકોકથી ગાંજો લાવનાર), ઈરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ પઠાણ,જાવીદ અલીમહમદ મીરજા તુર્ક પઠાણ, અફઝલ અબ્દુલગફાર મેમણ,હાફીઝા યુસફભાઈ વોરા પટેલ,,નીલોફર અયુબભાઈ વોરા પટેલ મળી 8 સાગરીતોની ધરપકડ કરી છે. શેરબાનુ સહિત વડોદરા, રાજકોટ, વેરાવળ, સુરત અને નવસારી સુધી ફેલાયેલા આ નેટવર્કના અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડવામાં આવ્યા છે. હાઈબ્રીડ ગાંજાનો જથ્થો 0.936 કિલો ગ્રામ કિંમત કિંમત રૂ.32,76,000,વજન કાંટો, કોથળીઓ, ફોન, એક્સેસ, રોકડ કિંમત રૂ.31,500,અગાઉ પકડાયેલ ગાંજો 3.160 કિલોગ્રામ જેની કિંમત રૂ.1,10,60,000 મળી કુલ મુદ્દામાલ 1,49,78,500/- પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અને બેંકોકથી ગાંજો સપ્લાય કરનાર બેંકોકના હબીબી અને બેંગલોરના અનુપ ઉર્ફે રવુંને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી હાર્દિક હળપતિની જામીન અરજી વાપી કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં ન્યાયાધીશ એચ.એન. વકીલે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઘટના 10 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી, જ્યારે આરોપી હાર્દિક હળપતિએ પારડી તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો. કિશોરી મોડે સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાળ ન મળતા, અંતે પારડી પોલીસ મથકે કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પારડી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, પોલીસે સગીરા અને આરોપી હાર્દિક હળપતિને શોધી કાઢ્યા હતા અને તેમને કસ્ટડીમાં લીધા હતા. કિશોરીના મેડિકલ તપાસના અહેવાલ અને તેના નિવેદનના આધારે, પોલીસે ગુનામાં પોક્સો અધિનિયમ અને અન્ય સંબંધિત કલમોનો ઉમેરો કર્યો હતો. આ કેસમાં આરોપી હાર્દિક હળપતિએ રેગ્યુલર જામીન માટે વાપી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન, ડેપ્યુટી ગવર્મેન્ટ પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને જામીન મળ્યા બાદ તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. તેમણે ગુનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. ન્યાયાલયે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે સુધારેલું સમયપત્રક અને સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાઓ શાળા/ગ્રામ્ય અને તાલુકા/ઝોન કક્ષા પછી યોજાશે. આ મહાકુંભમાં લોન ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, કબડ્ડી, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, ચેસ, કરાટે, યોગાસન, ફુટબોલ, હેન્ડબોલ, એથ્લેટીક્સ અને જુડો જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. લોન ટેનિસની સ્પર્ધા 12 અને 13 નવેમ્બર 2025ના રોજ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે. બેડમિન્ટન માટે 16 અને 17 નવેમ્બર 2025ના રોજ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ સંકુલ, સરદાર કૃષિનગર ખાતે આયોજન કરાયું છે. કુસ્તીની સ્પર્ધા 18 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે. બાસ્કેટબોલની સ્પર્ધા 17 થી 23 નવેમ્બર દરમિયાન જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે યોજાશે. કબડ્ડીની સ્પર્ધા 25 અને 26 નવેમ્બર 2025ના રોજ ખસા (તાલેગઢ) ખાતેની પગાર કેન્દ્ર શાળામાં યોજાશે. સ્કેટીંગ અને આર્ટીસ્ટીક સ્કેટીંગની સ્પર્ધા 14 થી 16 નવેમ્બર દરમ્યાન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે. ચેસની સ્પર્ધા 20 અને 21 નવેમ્બર 2025ના રોજ સસ્કૃતિ વિદ્યાલય, દિયોદર ખાતે યોજાશે. કરાટેની સ્પર્ધા 2 અને 3 ડિસેમ્બર દરમિયાન આદર્શ હાઇસ્કૂલ, માલગઢ ખાતે યોજાશે. યોગાસનની સ્પર્ધા 29 અને 30 નવેમ્બર દરમિયાન અર્બુદા વિદ્યાલય, પાંથાવાડા ખાતે યોજાશે. ફુટબોલની સ્પર્ધા 28 થી 30 નવેમ્બર દરમિયાન BSF કેમ્પસ, દાતીવાડા ખાતે યોજાશે. હેન્ડબોલની સ્પર્ધા 16 થી 20 નવેમ્બર દરમિયાન મોરવાડા અને પાલનપુર ખાતે યોજાશે. એથ્લેટીક્સની સ્પર્ધા 7 અને 8 ડિસેમ્બર દરમિયાન વિમળા વિદ્યાલય, ગઢ ખાતે યોજાશે. જુડોની સ્પર્ધા 1 ડિસેમ્બર 2025ના રોજ ડી.એન.જે આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે.
હિંમતનગર ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કાર ચાલક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પરથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ કાર અંગે બાતમી મળી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, LCBએ નવી સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પર નાકાબંધી કરી હતી. રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશી અમદાવાદ જઈ રહેલી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાંથી 576 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.2,64,080 થાય છે. કાર સહિત કુલ રૂ.7,73,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ધામોદ, તા. વીછીંવાડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન)ના સુનીલ વિશ્રામભાઈ સેંગાભાઈ ભગોરા નામના ચાલકની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. તેમાં ધામોદ, તા. વીછીંવાડા, જિ. ઉદેપુર (રાજસ્થાન)નો પિન્ટુ વિશ્રામભાઈ ભગોરા સામેલ છે, જેણે દારૂ ભરી આપ્યો હતો અને પાયલોટિંગ પણ કર્યું હતું. પાયલોટિંગમાં તેની સાથે રહેલો એક અજાણ્યો ઈસમ પણ વોન્ટેડ છે. આ ઉપરાંત, અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમની પણ શોધખોળ ચાલી રહી છે.
ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જ્યારે ટીયરગેસના 3 શેલ છોડાયા હોવાનું એસપી દ્વારા જણાવાયું છે. માહિતી મુજબ, ઘટનાસ્થળે મહિલાઓના ટોળાએ પણ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તણાવ વધતાં પોલીસે વધારાનો બંદોબસ્ત બોલાવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન થયેલા આ વિવાદ બાદ તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધુ કડક બનાવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું છે, જોકે સ્થાનિકોમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં અનેક રહેણાંક અને વેપારી ઇમારતોને પણ તોડી પાડવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. મતદારોના મેપિંગ, લિંન્કિંગ વગેરે પ્રશ્નોના નિવારણ માટેની આ ખાસ વ્યવસ્થાનો લાભ લેવા કલેકટરે પણ અનુરોધ કર્યો છે. મતદાન મથકો પર શનિ-રવિ પણ BLO બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશેભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના તમામ મતદારોને ચોક્કસ દિવસોએ મતદાન મથક પર જઈને પોતાના પ્રશ્નોનું નિવારણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે દ્વારા જણાવાયું છે કે, મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. લોકો પોતાના હક્ક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેમતદારોને આ દિવસોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ છે. આ સમય દરમિયાન BLOs દ્વારા મતદારોને પોતાના ઘરનું મેપિંગ અથવા આધાર કાર્ડ સાથે લિન્કિંગ કરાવવું હોય તો તે અંગેની કાર્યવાહી કરી આપવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોના નામ અથવા તેમના માતા-પિતા/ દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય એવા કિસ્સામાં કયા-કયા પુરાવાઓ રજૂ કરવા તે અંગેનું સચોટ માર્ગદર્શન મળશે. કલેક્ટરે મતદારોને વિનંતી કરી છે કે, તેઓ આ વિશેષ દિવસોએ પોતાના સંબંધિત મતદાન મથકોની મુલાકાત લે અને મતદાર યાદીની શુદ્ધતા તેમજ પોતાના હક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કરોડોના કામોમાં ઊંચા 'ઓન'ના ભાવ મંજૂર કરવા સહિતના મહત્ત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનના 6 વોર્ડમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રોડનું મેટલીંગમહાનગરપાલિકા દ્વારા ચોમાસા પછી એક્શન પ્લાન અંતર્ગત નવા રોડ-રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં જુદી-જુદી સોસાયટીના યુટિલિટી રોડનું રિસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવા માટે રૂ. 9.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ કામ પવન કન્સ્ટ્રક્શન કંપનીને 14.04% ઓછા ભાવથી આપવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે રજૂ કરાઈ છે. આ સાથે વોર્ડ નં. 12ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રસ્તાઓનું મેટલીંગ અને નવા ભળેલા વિસ્તારમાં ડિવાઇડર બનાવવા માટેની દરખાસ્ત પણ સામેલ છે. ન્યારી પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કામોમાં ઊંચી 'ઓન' ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ: 150 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 14.53 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફિનિક્સ પ્રોજેક્ટ લી. એ 28.32% વધુ 'ઓન' એટલે કે રૂ. 21.89 કરોડના ખર્ચે આ કામ આપવા માટેની દરખાસ્ત મૂકી છે. મેઇન્ટેનન્સના કામો: ન્યારી ઝોન, ભાદર ઝોન, હડાળા, બેડી, ન્યારાના પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મેઇન્ટેનન્સ અને નવી પાઇપલાઇનના કામોમાં 36% થી 54% સુધીની ઊંચી 'ઓન' સાથે નવા ઝોનલ કામોના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ માટે રૂ. 7.67 કરોડનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ના સંપૂર્ણ સંચાલન માટે ખાસ એજન્સી રોકવામાં આવશે. આ અંગે ઉચ્ચ ટેકનિકલ સ્ટાફ રોકવા માટે ડિલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી (Deloitte Touche Tohmatsu India LLP) ને બે વર્ષનો રૂ. 7.67 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. આ કંપની પ્રોજેક્ટ ડિરેક્ટરની 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર, અર્બન મેનેજરની 5 જગ્યા, ટેકનિકલ સપોર્ટ સ્ટાફની 2 અને સપોર્ટ સ્ટાફની 1 જગ્યા મળી કુલ 9 જગ્યાઓ માટે સ્ટાફ પૂરો પાડશે. જેમાં સંતોષકારક કામગીરીના આધારે મુદતમાં બે વર્ષનો વધારો પણ કરવાની ભલામણ કરવામાં આવી છે. PMU સરકારી ગ્રાન્ટના પ્રોજેક્ટ્સનું આયોજન, ટેન્ડરથી લઈને લોકાર્પણ, દૈનિક મોનીટરીંગ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનનું કામ સંભાળશે. અન્ય મહત્ત્વની દરખાસ્તો સફાઈ અને કચરા ઉપાડવાના કોન્ટ્રાક્ટ: અલગ-અલગ વોર્ડમાં પાર્ટ ટાઇમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ નવો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે એક સાથે 11 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. રામવનમાં ફૂડ કોર્ટ: રાજકોટ કોર્પોરેશનના રામવન (અર્બન ફોરેસ્ટ) ખાતે મુલાકાતીઓની સુવિધા અને કોર્પોરેશનની આવક માટે બનાવવામાં આવેલી 3 ફૂડ કોર્ટનું દ્વિવાર્ષિક સંચાલન આપવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ થઈ છે. બઢતી અને કાયમીકરણ: સબ ઓડિટરની જગ્યા પર બઢતી માટેની લાયકાત હવે 10 વર્ષના અનુભવને બદલે 5 વર્ષના ઓડિટ ક્લાર્કના અનુભવમાં હળવી કરવાની દરખાસ્ત મુકાઈ છે. ઓડિટ વિભાગમાં વર્ગ-4માં બઢતીની પ્રક્રિયા શરૂ કરવા માટેની અને હંગામી જગ્યા પર ફરજ બજાવતા 3 પટાવાળા (કિશોરસિંહ ટી. જાડેજા, હરગોવન કે. ચાવડા અને પરસોતમ સી. કિયાડા) ને કાયમી સ્ટેઅપ પર પોસ્ટિંગ આપવાની દરખાસ્તો પણ આવતીકાલની બેઠકમાં રજૂ થશે. અન્ય: અલગ અલગ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 2 સક્શન મશીન ખરીદવા અને કર્મચારીઓને આર્થિક તબીબી સહાય આપવા સંબંધિત દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ છે.
લુણાવાડામાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો:પત્ની સાથે સંબંધની શંકાએ બે આરોપીઓએ હત્યા કરી
લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં એક હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના લુણાવાડાના જેસિંગપુર ખાતે બની હતી, જ્યાં મંગળભાઈ જવરાભાઈ નાયકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મંગળભાઈ જવરાભાઈ નાયકને આરોપી મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયક દ્વારા માર મારવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી મહેશ વજેસિંહ નાયકને તેની પત્ની પર મૃતક સાથે સંબંધ હોવાનો શક હતો. આ શંકાના આધારે બંને આરોપીઓએ મંગળભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન, આરોપીઓએ લાકડાના ડફણા વડે મંગળભાઈ નાયકના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ, તેમણે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે મકાનના પહેલા માળેથી મૃતદેહને નીચે ફેંકી દીધો હતો. આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાની સૂચનાથી લુણાવાડા ટાઉન પીઆઈ જે.એસ. વળવીએ તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેસિંગપુરમાં ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનના બાંધકામ સ્થળે 6 તારીખે સવારે શ્રમિક મંગળભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત જેવી લાગતી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક સાથે કામ કરતા કેટલાક શ્રમિકો ઘટના બાદ ગાયબ થઈ ગયા હતા. શંકાના આધારે પોલીસે મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી. યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી એક સાથે રહેતા હતા. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ શંકા-વહેમના આધારે ઝઘડો કર્યો હતો અને મંગળભાઈને લાકડી વડે માર માર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને ધાબા પરથી નીચે ફેંકી દઈ અકસ્માતે મોતનો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ ચાલુ છે.
ડાંગ જિલ્લાના ગીરા દાબદર ગામનો સ્મશાન માર્ગ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા બે મહિનાથી ધોવાઈ ગયો છે. માર્ગનું સમારકામ ન થતાં ગ્રામજનોને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ખાપરી નદીના કિનારે આવેલો આ સ્મશાન માર્ગ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. બે મહિના વીતી ગયા હોવા છતાં, તેના સમારકામ માટે કોઈ કાર્યવાહી થઈ નથી. હાલ માર્ગ પર ઊંડા ખાડા, કાદવ અને કીચડ જોવા મળે છે. ગ્રામજનોને મૃતદેહને ખભે ઊંચકીને સ્મશાન સુધી પહોંચાડવામાં જોખમનો સામનો કરવો પડે છે. વરસાદી વાતાવરણ કે અંધારામાં લપસી પડવાનો ભય રહે છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે જવામાં હાલાકી થાય છે. ગ્રામજનોએ આ સમસ્યા અંગે ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વાંસળીબેન રાજાભાઈ ચૌધરી સમક્ષ રજૂઆત કરી હતી. સરપંચના જણાવ્યા અનુસાર, આ માર્ગ વન વિભાગની હદમાં આવતો હોવાથી પંચાયત તેના પર કામ કરી શકતી નથી. બીજી તરફ, વન વિભાગના અધિકારીઓ આ માર્ગ પંચાયતની હદમાં આવતો હોવાનું કહી જવાબદારી ટાળી રહ્યા છે. આ રીતે, વન વિભાગ અને પંચાયત વચ્ચે જવાબદારીનો વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે માર્ગનું સમારકામ અટકી પડ્યું છે. ગ્રામજનોની માંગ છે કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ધ્યાન આપી બંને વિભાગો વચ્ચેના અવરોધો દૂર કરે. તેઓ તાત્કાલિક ધોરણે સ્મશાન માર્ગનું સમારકામ પૂર્ણ કરે, જેથી ગ્રામજનો અંતિમ સંસ્કાર માટે સરળતાથી જઈ શકે.
જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં જામનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદારયાદીમાં સુધારા-વધારા કરવાનો છે. સમીક્ષા બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન EF (Enumeration Form) ફોર્મ વિતરણ અને E-Roll મેપિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણ અને ફોર્મ કલેક્શનના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને ખાસ કેમ્પનું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો છે, જેમાં 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય છે. આના કારણે ખેડૂતો વચ્ચે વાદ-વિખવાદ પણ ઊભા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે નહીં. આ અંગે દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બાયપાસની જમીન સંપાદન મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયા છીએ અને ચૂંટણી બહિષ્કાર માટેનું આવેદનપત્ર પણ કલેક્ટરને આપ્યું છે. અમારી માંગો સંતોષાઈ નથી, એને ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતો આવેદનપત્ર માટે આજે બધા ભેગા થયા છીએ. બાયપાસની જમીનના વળતરમાં અન્યાય થયો છે. 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ કરાયો છે એમાં પણ ઘણાને અન્યાય થયેલો છે. તો એ ધ્યાનમાં રાખી અને આજે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તમામ ભેગા થયા છીએ.
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની કેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી અહીં સરકારી ખરાબા પર દબાણ છે? જોકે સરકારી જમીન પચાવી પાડવાનો મોટો કારસો ખૂલ્લો પડ્યો છે. રાજકોટ શહેર પ્રાંત - 2 અધિકારી મહેક જૈને દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, કુવાડવા હાઈવે ઉપર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપે 2 ગૌ શાળા તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા જિલ્લા કલેકટરના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કુવાડવા સર્કલ ઓફિસર હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે, કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા પર 2 ગૌ શાળાનું નિર્માણ થયું છે. જે ગેરકાયદેસર છે. જેથી કુવાડવા સર્કલ ઓફિસર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલી કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળાનું દબાણ કરવામાં આવેલું છે.
14 ડિગ્રી સાથે નલિયા-ગાંધીનગર સૌથી ઠંડા શહેર છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. હજી પણ ઠંડી વધી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પડતર માગોને લઇને ભારતીય મજદૂર સંઘ મેદાને પોતાની પડતર માગોને લઇને ભારતીય મજદૂર સંઘે ફરી હુંકાર ભર્યો. આજે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો હાજર રહ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો BMWની અડફેટે વિદ્યાર્થી અભિષેક નાથાણીનું મોત રાજકોટમાં ક્રિસ્ટલ મોલ નજીક BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું. BMWની ટક્કર એટલી જોરદાર હતી કે, મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી અભિષેક નાથાણી 10 ફૂટ ઊછળી 50 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇનોવા કારે રિક્ષાને ટક્કર મારતા મહિલાનું મોત ગાંધીનગરમાં મોટા ચિલોડા-દહેગામ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું જ્યારે સાત લોકો ઘાયલ થયા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કંડલા-ગાંધીધામ હાઈવે પર 5 કિમી સુધી ટ્રાફિકજામ કચ્છના કંડલા-ગાંધીધામ હાઈવે પર 5 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા. ડામર રોડના કામને કારણે એકતરફનો માર્ગ જ ચાલુ છે, જેના કારણે સવારના 10 વાગ્યાથી વાહનોની લાંબી કતારો લાગી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ ડૉક્ટર ભાવેશે ઇન્જેક્શન મારી આપઘાત કર્યો સુરતની કિરણ હોસ્પિટલના ડૉક્ટર ભાવેશ કવાડે એક હોટલમાં ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત કર્યો. સુસાઈડ નોટમાં ડૉક્ટરે પત્ની 'ધારા'નું ચિત્ર બનાવી I Love Dhara જ્યારે અન્ય એક પેજ પર માત્ર 'ન્યાય' શબ્દ લખ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SOGમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચાવડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આપઘાતનું કારણ હજુ સામે નથી આવ્યું. કોન્સ્ટેબલના આપઘાતથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કડીઃ દીવાલ ધરાશાયી થતાં 7 મજૂર દટાયા, એકનું મોત કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 મજૂર દટાયા. જેમાંથી એકનું કરૂણ મોત થયું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિવાળી બાદ પણ હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત છે. દિવાળી બાદ 10થી 20% ઓફિસ ને 35% કારખાનાં જ શરૂ થયાં છે. એક વેપારીએ કહ્યું કે, ઓફિસમાં 30થી 35 લોકોનો સ્ટાફ હતો, અમે બધાને છૂટા કર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ બીડી, સિગારેટ પીવા ઉપર 500 રૂપિયાનો દંડ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં જો હવે પાન, તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરશો તો દંડ ભરવો પડશે. પાન મસાલા ખાઈને પીચકારી મારી તો 500 રૂપિયા દંડ ભરવો પડશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી 15 નવેમ્બરે થનાર છે. આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં યોજાશે, જેમાં સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા ક્લેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમમાં મહત્તમ લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તે માટે જરૂરી આયોજન હાથ ધરવા સૂચના અપાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાની કઠેચી ખાતે યોજાનાર સેવા સેતુ અને મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દ્વારા સ્થાનિક લોકોને વિવિધ સરકારી સેવાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આયોજન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે લીધેલા બ્લર સેમ્પલનો રિપોર્ટ પોઝિટવ આવતા કાર્યવાહીગત તારીખ 17/10/2025 ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ રજી. નં. GJ-05-RA-4369 વાળી બલેનો કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં હકીકત સાચી જણાઈ હતી. આ મામલે પ્રાથમિક રીતે તહોમતદાર વ્રજ જયેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમ 65(એ)(એ), 98 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસ દરમિયાન પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી, પોલીસે ગુનામાં પ્રોહી. એક્ટ કલમ 81 મુજબનો ઉમેરો કરીને સમીર શાહની અટકાયત કરી હતી. જૈનમ શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધાયો હતોઆ ઉપરાંત, સમીર શાહના પુત્ર જૈનમ સમીર શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ પણ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ગુનો દાખલ કરવામાં આવ્યો અને જૈનમ શાહને ગાંધીનગરથી અટકાયતી પગલાં બાદ જામીન મળી ગયા છે. હાલ તે ત્યાં ભણી રહ્યો છે. બ્લડ રિપોર્ટમાં આવ્યું 'આલ્કોહોલ પોઝિટિવ'પોલીસે પ્રોહિબિશનના નિયમો મુજબ સમીર શાહ, તેમના પત્ની હેતલ શાહ અને પુત્ર જૈનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલમાં FSLનો રિપોર્ટ આવતા તેમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અલથાણ પોલીસે નિયમ મુજબ ત્રણેય ઈસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજીસ્ટરમાં પ્રોહિબિશન કલમ 66(1)બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરમિટ હોવા છતાં તપાસ ચાલુજોકે, સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પત્ની હેતલ શાહ બંને પાસે દારૂની કાયદેસરની પરમિટ છે. તેમ છતાં, જાહેરમાં નશાની હાલતમાં મળી આવવું અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને પગલે કાયદાકીય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.
શામળાજી પોલીસે 10 લાખનો દારૂ ઝડપ્યો:અણસોલ ચેકપોસ્ટ પર સફેદ પાવડરની આડમાં લઈ જવાતો હતો
શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શામળાજી પોલીસ ગુજરાત-રાજસ્થાન સરહદ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ટ્રેલરમાં ઉપરના ભાગે સફેદ પાવડરની થેલીઓ ભરેલી હતી, જ્યારે તેની નીચેના ભાગે વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ છુપાવેલી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને ગુજરાતના મોરબી પહોંચાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં સૂર્યનગર પાસે ઝાડીમાંથી મેડિકલ વેસ્ટ મળ્યો:આરોગ્ય વિભાગે તપાસ કરી, કચરાનો યોગ્ય નિકાલ કર્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક અમદાવાદ હાઇવે પર આવેલી સૂર્યનગર સોસાયટી પાસે ગત ૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઝાડી ઝાંખરામાંથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. આ કચરામાં બિનઉપયોગી ટેબ્લેટ્સ અને ખાલી દવાઓની બોટલોનો સમાવેશ થતો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી દેવાને કારણે અનેક સવાલો ઉભા થયા હતા, કારણ કે તે કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંચાલક દ્વારા નાખવામાં આવ્યો હોવાનું અનુમાન હતું. દિવ્યભાસ્કર દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની નોંધ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ ગોધરા શહેરના સિંધૂરી માતા મંદિર પાસે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. આશુતોષ જોષી અને આયાબેન અંજલી ચૌહાણ દ્વારા સૂર્યનગર સોસાયટી સામે ઝાડી ઝાંખરામાં મળી આવેલા મેડિકલ વેસ્ટના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ, આ સમગ્ર મેડિકલ વેસ્ટને ડસ્ટબીનમાં ભરીને તેના યોગ્ય નિકાલ માટે લઈ જવામાં આવ્યો હતો. દિવ્યભાસ્કર ટીમ દ્વારા જ્યારે મેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવ્યો તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે મેડિકલ ઓફિસર ડો. આશુતોષ જોષીએ જણાવ્યું હતું કે, 'હાલ અમારી ટીમ દ્વારા મેડિકલ કચરાનો જથ્થો ડસ્ટબીનમાં લઈ તેનો યોગ્ય નિકાલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. કોના દ્વારા આ કચરો નાખવામાં આવ્યો તે તપાસ દ્વારા જ ખબર પડશે.'
સુરતના રીંગરોડ પર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બર, 2025ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક સફાઈકર્મીની હત્યાન બનાવ બનવા પામ્યો છે. આ હત્યાનું કારણ કોઈ મોટી અદાવત નહીં પરંતુ, સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમસંબંધની શંકા હતી. સલાબતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છેમૃતક યુવકનું નામ સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ (ઉં.વ. 21, રહે. સુમન કેશર આવાસ, ડીંડોલી) હતું, જે ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈકર્મી તરીકે કામ કરતો હતો. આ હત્યા પાછળનો મુખ્ય આરોપી મુકેશ મધુકર સકટ (ઉં.વ. 19, રહે. મહાદેવનગર-1, ડીંડોલી) છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, આ ઘટનાનું મૂળ એક યુવતી છે. આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો. આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી. તેને શંકા હતી કે, મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે. સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુંઆ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર O અને Sની વચ્ચે, ગેટ નંબર-5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સલાબતપુરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યોહત્યાની ઘટના બનતાં જ રીંગરોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. હત્યારો મુકેશ મધુકર સકટ હત્યા બાદ ફરાર થઈ ગયો હતો પરંતુ, સલાબતપુરા પોલીસ ટીમે સઘન તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ 19 વર્ષના આરોપી મુકેશ સકટને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુકેશ સકટની ધરપકડ કરીને આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સફાઈકર્મી જેવા સામાન્ય શ્રમજીવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
હળવદ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે કપાસની હરાજી શરૂ થતા પહેલાં કપાસના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 350થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. માર્કેટ યાર્ડના મહારાણા પ્રતાપ સેડમાં કોઈ અગમ્ય કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ 7થી 8 જેટલા કપાસના ઢગલામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપાસને ભારે નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજે 350 થી 400 મણ કપાસ બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલે જણાવ્યું હતું કે, જે કપાસ આગમાં બળી ગયો હતો તેનું વજન થયું ન હતું. યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
13 ઓક્ટોબરના રોજ અમદાવાદના પાલડી પોલીસ મથકે એક જૈન દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ તથા બે સફાઈ કર્મચારી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીઓએ જૈન દેરાસરમાંથી 117 કિલો જેટલી 1.64 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી કરી હતી. આ ફરિયાદ લક્ષ્મી વર્ધક જૈન સંઘના સેક્રેટરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. પૂજારી લાઈટની સ્વીચ બંધ કરી ચોરી કરતા CCTVમાં કેદ થયોફરિયાદમાં જણાવ્યા મુજબ ભગવાનને ચઢાવવાના દાગીના દેરાસરના ભોંયરાના લોકર રૂમમાં મૂકવામાં આવ્યા હતા, જે ગાયબ થયા હતા. આથી જિનાલયના CCTV તપાસતા મંદિરનો પૂજારી વીજળીની મુખ્ય સ્વીચ બંધ કરીને ચોરી કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં દેરાસરની સાફ સફાઈ કરતા બે અન્ય આરોપી પણ સામેલ હતા. ચોરીની જાણ થતા પૂજારી અને સાફ-સફાઈ કરતા કર્મચારીઓ ગાયબ થઈ ચૂક્યા હતા. ગુના સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાવધુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સાફ-સફાઈના કર્મચારીઓનો માસિક પગાર 10 હજાર રૂપિયા પગાર હોવા છતાં તેઓએ વિસનગરમાં એક ટેનામેન્ટ અને પિકઅપ વાન ખરીદી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરીને ગુન્હા સાથે સંકળાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે પૈકી મુખ્ય આરોપી દેરાસરના પૂજારી મેહુલ રાઠોડે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાઈ છે. જેમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેની પાસેથી કોઈ મુદ્દામાલ મળેલ નથી.સહ આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. તો ફરિયાદી અને સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીના જામીન અરજી વિરુદ્ધ દલીલ કરી હતી કે મોટા ભાગના મુદ્દામાલની રિકવરી હજુ થઈ નથી. મુદ્દામાલ પૈકી 72 લાખની 48 કિલો જેટલી ચાંદી મળી છે. આરોપીઓ આભૂષણોના ટુકડા કરીને ચોરતા હતા. જેમાં અરજદાર દેરાસરમાં સાફસફાઈ કરતા કર્મચારીના ઘરે ચોરીનો સામાન મુકાવીને રાત્રે લઈ લેતો હતો. કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ જામીન અપાયેલા આરોપી કરતા અરજદારનો રોલ મોટો છે. મોટા ભાગના મુદ્દામાલની રિકવરી બાકી છે. આ કેસમાં તપાસ ચાલુ છે. ત્યારે કોર્ટે આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.
બોટાદના હડદડ ગામે ગત તા. ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર અને એસપીને શ્રીમદ્ ભાગવત ગીતા સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આગેવાનોએ પોલીસ પર લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા અને ખાસ કરીને ગામના નિર્દોષ લોકોના ઘરોમાં ઘૂસીને માર મારવાના તથા અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે પોલીસે નિર્દોષ લોકોના ઘરોમાં દરવાજા અને બારી-બારણા તોડી નાખ્યા છે. કોળી સમાજના આગેવાનોએ આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રની વિશેષતા એ હતી કે કોળી સમાજના આગેવાનોએ તેને સત્ય અને ધર્મના પ્રતીક સમા 'શ્રીમદ્ ભાગવત ગીતા' સાથે સુપરત કર્યું હતું. બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, જિલ્લા પંચાયત સદસ્ય દયાબેન અણીયાળીયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર સહિત કોળી સમાજના આગેવાનોએ આ આવેદનપત્ર આપ્યું હતું. તેમણે તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા મજબૂર થશે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત રાત્રિએ પારો એકાએક નીચે સરકીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર સાપુતારામાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. અચાનક વધેલી ઠંડીના કારણે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ઠુંઠવાઈ ગયા હતા. રાત્રિના સમયે ઠંડીનો પ્રકોપ વધતાં લોકો ઘરોમાં તાપણીનો સહારો લેતા જોવા મળ્યા હતા. હોટલોમાં રોકાયેલા અનેક પ્રવાસીઓએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ખૂબ જ ધૂંધળી બની ગઈ હતી. સાપુતારા જેવી ઊંચાઈએ આવેલી પર્યટન નગરીમાં સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો માહોલ અનુભવાય છે. જોકે, આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ પારો 10 ડિગ્રી સુધી પહોંચી જવાથી પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા પ્રવાસીઓએ ઠંડીના આ આનંદને કેમેરામાં કેદ કર્યો હતો, જ્યારે કેટલાકે સવારના નજારાનો આનંદ ચા અને કોફી સાથે માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે. ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી હવાની લહેરો સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અન્ય પર્વતીય વિસ્તારોમાં પણ અસરકારક બની શકે છે. સ્થાનિક વેપારીઓ માટે પણ આ ઠંડીનું વાતાવરણ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. સ્વેટર, હૂડીઝ અને ગરમ કપડાંની માંગમાં વધારો નોંધાયો છે, જ્યારે હોટલ અને લોજમાં બુકિંગનો દર પણ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. સાપુતારાની આ શિયાળાની ઠંડી પ્રવાસીઓને હિમાચલ કે કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહી છે. પર્યટન સિઝનની શરૂઆત સાથે સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની રહ્યું છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ અરજી કરવામાં આવી છે. આજે ડબલ જજની કેન્ટેમ્પ્ટ બેંચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણને રોકવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે નિર્દેશો આપ્યા છે તેનું પાલન ઓથોરિટી કરાવી શકી નથી. આ માટે સર્ક્યુલર અને SOP બનાવી છે પણ તે ફક્ત કાગળ ઉપર છે. 'અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા'આ મામલે હાઈકોર્ટે પૂછ્યું હતું કે, ઓથોરિટીએ સુપ્રીમ અને હાઈકોર્ટના નિર્દેશોના પાલન માટે શું કર્યું? ઓથોરિટીએ જે પગલાં ભર્યા હોય તે કોંક્રિટ ફોર્મમાં આપો. GPCBનું કામ SOP આપવાનું છે. અમલવારીનું કાર્ય ગૃહ વિભાગનું છે. હાઈકોર્ટે ફક્ત સુપ્રીમ અને તેના નિર્દેશોના પાલનમાં રસ છે. રાજ્ય સરકાર તરફથી યોગ્ય અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે વધુ સુનાવણી 20 નવેમ્બર યોજાશે. રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીંઅગાઉની સુનાવણીમાં GPCBએ કોર્ટ સમક્ષ પોતાની એફિડેવિટ રજૂ કરી હતી. જે સમયે કોર્ટમાં થયેલી ચર્ચા મુજબ અવાજ 75 DBથી વધે નહીં અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 DB વધે નહીં તેવા નિયમો છે. SOP મુજબ રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીં. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું ફરજિયાત છે. પોલીસ ઓથોરિટીએ તે જોવાનું રહેશે કે નક્કી કરેલી સીમા કરતા વધુ અવાજ થયા નહીં. આવું કરનારા સામે પોલીસે પગલાં લેવાના રહેશે. જેમાં ઓડિયો સિસ્ટમ જપ્ત થઈ શકે છે. 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરીરાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપોયગ, બાંધકામ અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ નિયતમાત્ર કરતા જો વધુ 10 ડેસીબલથી અવાજ વધતો હોય તો તેની સામે પોલીસ IPC ની કલમ 188 મુજબ પગલાં ભરાશે. જેમાં જેલ તેમજ દંડની જોગવાઈ છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની આસપાસ 100 મીટરનો ઘેરાવામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય નહીં. લાઉડ સ્પીકર અને ડીજેના વપરાશના 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરી છે. નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશેDJનો અવાજ 129 ડેસિબલ જેટલો હોય છે. DJ ટ્રક એક મોટું દૂષણ છે. જે લોકોના જીવ લઈ શકે છે. કોર્ટમાં થયેલી રજૂઆત મુજબ DySPથી નીચે નહીં એવા સરકારે ઓથોટાઈઝ કરેલા અધિકારીઓ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપશે. સરઘસ, કાર્યક્રમ, સભાની પરવાનગી આયોજકે લેવાની રહેશે. સિસ્ટમ વગાડવા પરવાનગી પણ લેવાની રહેશે. પરવાનગી આપતી વખતે GPCBના નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશે. નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરેસાયલન્સ ઝોન પોલીસ કમિશનર કે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. તેના 100 મીટરની ત્રિજ્યમાં સ્પીકર્સ વગાડી શકાય નહીં. કોર્ટ સમક્ષ નિયમો તોડનારા સામે પેનલ્ટી, મોનિટરિંગ, ડેસિબલની ગણતરી કેવી રીતે કરાશે વગેરે પ્રશ્નો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું હતું કે, નિયમોનો ભંગ થાય છે. જો સરકાર પાસે સરક્યુલર, SOP, પોલિસી બધું છે તો તે નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં ક્ષત્રિય વીર ભથીજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું હતું. તેમજ તલવાર અને પુષ્પ ભેટ સાથે સાકર તુલા કરાઈ હતી. ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા. નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બાઈક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી. તેઓ સૌ પ્રથમ નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નડિયાદ આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ વચ્ચે જનમેદની ઉમટી પડી છે. નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર એકત્રિત થઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે યોગી ફાર્મ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કાર્યકરોમાં પોતાના નેતાને આવકારવાનો અને તેમને ટેકો દર્શાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્થાનિક સ્તરે પક્ષની મજબૂત હાજરી અને આગામી રાજકીય ગતિવિધિઓ માટે કાર્યકરોમાં નવો જોશ ભરવાનો સંકેત આપે છે. પ્રદેશ પ્રમુખની આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ અને માર્ગદર્શન સત્રો યોજાવાની સંભાવના છે, જેના લીધે કાર્યકરોમાં ભારે આશા અને ઉત્સાહનું વાતાવરણ છે.
બોટાદમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ:જિલ્લા ભાજપ પ્રમુખ, APMC ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજે બોટાદ કોટન યાર્ડ ખાતે આ ખરીદીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, APMC ચેરમેન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ ચાર ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ગઢડા અને પાળીયાદ સબ યાર્ડ ખાતે ગઈકાલે જ ખરીદી શરૂ થઈ હતી. બોટાદ જિલ્લામાં ૯ હજારથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખરીદી કેન્દ્રો દ્વારા દરરોજ ૧૦૦ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવશે. સરકાર દ્વારા પ્રતિ મણ ૧૪૫૨ રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૧૨૫ મણ મગફળી ખરીદવામાં આવશે. હાલ બજારમાં મગફળીનો ભાવ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા બજારભાવ કરતાં ૪૦૦ રૂપિયાથી વધુ ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, APMC ચેરમેન મનહર માતરીયા, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વિરાણી, ડિ.એમ. પટેલ સહિત આગેવાનોએ જણાવેલ કે સરકાર દ્વારા ૧૪૫૨ રૂપિયાના ભાવથી પ્રતિ મણ મગફળીની ખરીદી કરે છે જ્યારે બજારભાવ ૧૧૦૦ રૂપિયા છે ત્યારે બજારભાવ કરતા ૪૦૦ રૂપિયા ખેડુતોને વધારે મળી રહ્યાં છે જેથી ખેડુતોમા પણ આનદ છે.
છોટા ઉદેપુર જિલ્લા LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,82,864/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને સુરખેડાથી છોટા ઉદેપુર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે, LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 02 CP 7216 નંબરની ઈકો ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 264 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,82,864/- આંકવામાં આવી છે. LCBએ વિદેશી દારૂ, ઈકો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹7,93,284/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીના ચાલક મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ (રહે. ખનીજ કમ્પાઉન્ડ, છોટા ઉદેપુર, મૂળ રહે. આંબલી ફળિયા, ડભાસી, તા. બોરસદ, જિ. આણંદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી, જે ક્રાઈમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો, તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે. નવસારીના ડાભેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જ તેની સાન ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. ત્રણ દિવસની સારવાર બાદ આરોપીને રજા આપવામાં આવીપોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી અને મારામારી સહિત 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપી શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે નવસારીના ડાભેલ ખાતે પોતાની પત્નીના ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારતાં જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી. ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી. માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયામાત્ર ત્રણ દિવસની હોસ્પિટલની સારવાર અને કાયદાના સકંજામાં સપડાયા બાદ માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયા. બહાર આવતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લીધો ત્યારે જાણે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવું લાગ્યું. સિવિલ હોસ્પિટલના બારણે ઊભા રહીને પોલીસ પકડમાં રહેલા સલમાને જે વાત કહી, તે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ સલમાનનું કબૂલાતનામું- મારું નામ સલમાન લસ્સી છે. હું મીઠી ખાડી, લિંબાયતમાં રહું છું. મારા પર 302, 326, 323, 324 જેવા ગુનાઓ છે. અત્યારે હું બચી ગયો છું અને જો મને કંઈ થઈ જાત તો મારા પરિવારનું શું થાત? જો હું અહીંથી છૂટીને બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ. તમે પણ એવો કોઈ ગુનો ન કરો, જેનાથી તમારા પરિવારને તકલીફ થાય. ગુન્હાખોરીથી દૂર રહો અને શાંતિથી જીવો, શાંતિથી રહો. ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છેમાત્ર થોડા દિવસ પહેલાં પોલીસ પર હુમલો કરનાર આ ખૂંખાર આરોપીનું હૃદય પરિવર્તન સો ચૂહે ખા કે બીલ્લી હજ પે ચલી જેવો ઘાટ સૂચવે છે. હાલમાં સલમાન લચ્છી ઉર્ફે લસ્સી, જેને ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છે, તેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે સારસા-રાજપારડી માર્ગ પર સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય રામબરન મહારાજદીન બહેલિયા (રહે. રાજપારડી,મૂળ ઉત્તરપ્રદેશ) રાજપારડી તરફ પાછા ફરતા હતા. આ દરમિયાન રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં માધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓ લોહીલુહાણ થયા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળેથી અજાણ્યા વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રાજપારડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, ઘટનાસ્થળથી રાજપારડી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં અનેક ધંધાકીય સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત છે, જેના આધારે પોલીસ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની ઓળખ માટે તપાસ ચલાવી રહી છે. બીજી ઘટના ગોવાલી નજીકની છે, જ્યાં તા.8મીના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં હાઇવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઇ પટેલ અને તેમની પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઘટનાને લઇ ઝઘડિયા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ- ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતો લઇ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે.
ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના મારથી પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારે તાજેતરમાં ₹ 10,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ખેડૂતોએ 'લોલીપોપ' સમાન ગણાવી નકારી દીધી છે. આ સહાયની જાહેરાત સામે વહેલી તકે ખેડૂતોને યોગ્ય અને પૂરતી સહાય આપવા, તેમજ તેમની મૂળભૂત માંગોનું નિરાકરણ લાવવા માટે, આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગેવાનીમાં હજારો ખેડૂતો જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સરકારને 12 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. આજના આ કાર્યક્રમની સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ આંદોલનને બિનરાજકીય રાખીને તમામ રાજકીય પક્ષો – જેમાં આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ – પોતાના પક્ષની વિચારધારા બાજુએ મૂકીને માત્ર ખેડૂતોના હિત માટે એક મંચ પર એકઠા થયા હતા. આ એકતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ખેડૂતોના મુદ્દે હવે કોઈ રાજકારણ નહીં, પરંતુ ફક્ત ન્યાયની વાત થશે. કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલીયાએ સ્પષ્ટ શબ્દોમાં સરકારની સહાયની જાહેરાત પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લી સાત સિઝનથી કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે ઓક્ટોબર મહિનાની અતિવૃષ્ટિ જીવલેણ બની છે. સરકાર પોતે જ 40,000 કરોડના નુકસાનની વાત કરે છે, જ્યારે માત્ર મગફળીના પાકનું જ નુકસાન 80 થી 85 હજાર કરોડનું થયું છે. આટલા મોટા નુકસાન સામે સરકારે માત્ર 10,000 કરોડ આપવાની જાહેરાત કરી છે, જે નજીવી રકમ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આજે કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પરંતુ ખેડૂતના દીકરા તરીકે અહીં ઉપસ્થિત થયા છે, કારણ કે ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ જરૂરી છે. ખેડૂતોની મુખ્ય ૩ માંગો અને અલ્ટીમેટમ 1.₹ 3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજના આ જનઆંદોલનનું નેતૃત્વ કરતાં સરકાર સમક્ષ ખેડૂતોની મુખ્ય ત્રણ માંગો રજૂ કરી હતી. આ માંગો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેડૂતો માત્ર સહાય નહીં, પરંતુ તેમના આર્થિક બોજમાંથી કાયમી રાહત ઈચ્છે છે જેમાં પાક ધિરાણ માફી અને સીધી રોકડ સહાય ખેડૂતોનું ₹ 3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધેલું હોય, તેમને સીધી રોકડ રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે. 2.ટેકાના ભાવે ખરીદીના ધોરણોમાં વધારો અને પલળેલી મગફળીની ખરીદી સરકારે હાલમાં ટેકાના ભાવે (MSP) જે ખરીદી શરૂ કરી છે, તેમાં પ્રતિ ખેડૂત 125 મણની ખરીદી મર્યાદા છે, તેને વધારીને 200 મણ કરવામાં આવે.માવઠાના કારણે જે મગફળી પલળી ગઈ છે અને જે વેપારીઓ દ્વારા મફતના ભાવે લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેવી મગફળીને પણ સારા ભાવે ટેકાના ભાવે ખરીદવામાં આવે, જેથી ખેડૂતોને નુકસાન ન થાય. 3.પેન્ડિંગ પાક વીમાનું તાત્કાલિક ચૂકવણું વર્ષ 2019 નો જે પાક વીમો મંજૂર થયેલો છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ચૂકવવામાં આવ્યો નથી, તે તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે આ ઉપરાંત પાલભાઈ આંબલીયાએ જમીન માપણી રદ કરવાના મુદ્દાને પણ આ આંદોલનમાં મુખ્ય માંગ તરીકે જોડીને, ખેડૂતોને સંપૂર્ણ ન્યાય મળે તેવી લડત શરૂ કરી છે. 12 દિવસનું અલ્ટીમેટમ અને ગાંધીનગર કૂચની ચીમકી કલેક્ટર કચેરીએ એકઠા થયેલા હજારો ખેડૂતોએ સર્વસંમતિથી સરકારને 12 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવાનો નિર્ણય કર્યો છે. પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ અલ્ટીમેટમ કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જો બાર દિવસમાં સરકાર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં આપે અને મુખ્ય માંગોનું નિરાકરણ નહીં લાવે, તો ગુજરાતના તમામ ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે. આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અને કાર્યક્રમો આપીશું તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
ભારતના સુરક્ષા અને ન્યાય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. મહત્વનું છે કે તુર્કીના નેવસેહિરમાં યોજાયેલી INTERPA એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગ દરમિયાન આ પ્રતિષ્ઠિત ચૂંટણી કરવામાં આવી હતી. ડૉ. જે.એમ. વ્યાસ INTERPAના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રી થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. ડૉ. વ્યાસની આ પુનઃ પદ-પ્રાપ્તિ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વૈશ્વિક સુરક્ષા અને ન્યાયને પ્રોત્સાહન આપવાની ભારતની કટિબદ્ધતા માટે એક સીમાચિહ્નરૂપ પરિણામ છે. પુનઃ વૈશ્વિક પદપ્રાપ્તિ અંગે ડૉ. જે.એમ. વ્યાસે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, INTERPAના ઉપપ્રમુખ તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે. આ પદની પુનઃ પ્રાપ્તિ વૈશ્વિક સ્તરે ફોરેન્સિક વિજ્ઞાન અને પોલીસ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના વધી રહેલા નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. હું વૈજ્ઞાનિક પોલિસિંગ અને તાલીમના વિકાસમાં વધુ સક્રિય રીતે યોગદાન આપવા તત્પર છું. પોલીસ તાલીમનું વૈશ્વિક પ્લેટફોર્મઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA) એ 63 દેશોની 80 સભ્ય સંસ્થાઓ ધરાવતી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થા પોલીસ તાલીમ અને શિક્ષણના ધોરણોને વધારવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક ડૉ. વ્યાસનું પુનઃચૂંટાવું એ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદા અમલીકરણ શિક્ષણમાં તેમના અસાધારણ નેતૃત્વ અને યોગદાનનો પુરાવો છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, NFSU એ ફોરેન્સિક, સાયબર અને સુરક્ષા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની સર્વપ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી તરીકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. NFSU, જે INTERPAની એક સક્રિય સભ્ય છે, તે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંશોધન આદાનપ્રદાન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને વૈશ્વિક સ્તરે કાયદા અમલીકરણ એજન્સીઓની વ્યાવસાયિક ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 9.21 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 16 એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક વીમો ફરી શરૂ કરવા માટે ઠરાવ કરવાની માંગ કરી હતી. જોકે, શાસક પક્ષના સભ્યોએ આ માંગણીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. આથી, વિપક્ષની માંગણીને અવગણીને કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી થનારા કામો માટે ડીડીઓ દ્વારા વિકાસ કમિશનરમાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. આ અભિપ્રાયમાં વિલંબ થવાને કારણે છેલ્લા બે મહિનાથી વિકાસ કામો અટકેલા હતા, જેને હવે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
વલસાડ તાલુકામાં ચોમાસા બાદ કરવામાં આવતા રોડ સમારકામ (પેચ વર્ક)ની ગુણવત્તાને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી સમારકામ કરાયેલા રસ્તા ગણતરીના કલાકોમાં જ ફરીથી બિસ્માર બની રહ્યા હોવાના આક્ષેપો થયા છે. આ અંગે વલસાડના સામજીક કાર્યકર મિત દેસાઈએ નાગરિકો વતી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું છે. આ રજૂઆતમાં નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ માંગ કરી છે કે ડામર, કપચી અને ઓઈલ જેવી સામગ્રીની ગુણવત્તાની વૈજ્ઞાનિક પદ્ધતિથી સક્ષમ લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત, સમારકામની ગુણવત્તા નક્કી કરવા માટે નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવે. વલસાડવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે, રોડ સમારકામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આનાથી પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે અને નાગરિકોને ટકાઉ માર્ગ સુવિધા મળી રહેશે. વધુમાં જણાવાયું કે, કેટલાક કોન્ટ્રાક્ટરો ફોન પર ઉદ્ધત અને બેજવાબદાર જવાબો આપે છે. ઉદાહરણ તરીકે, વલસાડ ઓવરબ્રિજથી કન્ટ્રી ક્લબ સુધીનો રસ્તો દિવાળીના એક દિવસ પહેલાં રિપેર કરાયો હતો, પરંતુ થોડા જ દિવસોમાં તે ફરીથી જર્જરિત થઈ ગયો. જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે વરસાદ પડે એટલે રસ્તા ધોવાવાના જ એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો, જેનાથી નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની સચોટતા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સઘન રીતે કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે. દવેએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગતની કામગીરી પર અંગત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અધિકારીઓને આંકડાઓ પર ધ્યાન આપવાને બદલે લોકોને SIR વિશે સમજ આપવા સૂચના ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી નોડલ અધિકારીઓની બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ચાલી રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાની કામગીરી સુમેળભર્યા વાતાવરણમાં અને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂરી થવી જોઈએ. કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને માત્ર આંકડાઓ પર ધ્યાન આપવાને બદલે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ફોર્મ વિતરણ કરતી વખતે લોકોને SIR વિશે વિશેષ સમજ આપવા અને તેમને લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ કરવા સૂચના આપી હતી. કામગીરીની વિશ્વસનીયતા જાળવવા માટે કલેક્ટરે રુબરુ મુલાકાત લીધીજિલ્લામાં હાલમાં મતદાર ગણતરી/નોંધણીના તબક્કામાં ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની વિશ્વસનીયતા જાળવવા માટે કલેક્ટર મેહુલ કે. દવેએ પોતે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ અચાનક મુલાકાત અને ચાંપતી નજરને કારણે ફિલ્ડ સ્ટાફ એલર્ટ રહે છે અને કામગીરીમાં ગેરરીતિની શક્યતા નહિવત્ થઈ જાય છે. આનાથી જિલ્લામાં મતદાર યાદીની કામગીરી ચોકસાઈ અને પારદર્શિતા સાથે પૂર્ણ થાય એવી સંભાવના છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. પાકને ભારે નુકસાન થવાના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ ચાર જેટલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ નહીં પડીકું જાહેર કર્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરવામાં આવે તો અનેક ખેડૂતો આત્મહત્યા કરી શકે તેવી કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. '10 હજાર કરોડનું પેકેજ નહીં પડીકું જાહેર કર્યું'કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થયા છે, દરેક રીતે હેરાન પરેશાન છે, આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. તેની ચિંતા કરવાના બદલે તેના માટે આગળ આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર ઢોલ પીટી રહી છે કે અમે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. પરંતુ આ પેકેજના નામે પડીકું જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા જ મળવાના છે. આ સરકારની આવી ખોટી નીતિના કારણે જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જે ઉદ્યોગપતિઓ માટે લાલ ઝાંઝમ બિછાવે છે. પરંતુ જ્યારે ખેડૂતો મરી રહ્યા છે તેની ચિંતા કરતી નથી. કેટલાનો ભોગ લેશો? કેટલા મરે તેની રાહ જોશો?વધુમાં જણાવ્યું હતું કે, જેના કારણે પહેલા દ્વારકામાં અને ત્યાર બાદ ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી, જેથી દુઃખ સાથે કહેવું પડે છે કે પેકેજ જાહેર કર્યાના બે દિવસમાં રાજકોટના કોટડા સાંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, જસદણના ખેડૂતે આત્મહત્યા કરી છે. ભુપેન્દ્ર પટેલને પૂછવું છે કે, કેટલા ખેડૂતોનો ભોગ લેશો. કેટલા લોકો મરે તેની રાહ જોશો. ખાલી પેકેજની જાહેરાતો કરો છો પણ જમીન પર જે હકીકત છે તે તો જુઓ. તમે ખેતરમાં ફોટા પડાવવા માટે ગયા પણ ખેડૂતોની હાલત ના સમજ્યા. તેના માટે દયા રાખી વધારે કેવી રીતે મદદ થાય તે વિચાર ના આવ્યો. 'ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે'સરકારને કહેવા માગીએ છીએ કે, આ ગુજરાતમાં ખેડૂતોને મરતા બચાવવામાં આવે. તાત્કાલિક ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે. નહિતર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી તે આંકડો આવનાર સમયમાં ખૂબ મોટો થઈ જશે. જો સરકાર નહીં જાગે તો ખેડૂતો માટે મદદ કરવા આગળ નહીં આવે તો તેના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થવાની છે. તેની જવાબદારી સરકારની રહેશે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'ની ભાવનાને કેન્દ્રમાં રાખીને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા (મહેસાણા)ના વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. સેવા કરુણા દયા અને માનવતા જેવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જીવનમાં થાય એવા ઉદ્દેશ સાથે આ વિદ્યાર્થીઓએ મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લીધીઆ મુલાકાત માત્ર દર્દીઓને મળવા પૂરતી સીમિત નહોતી પરંતુ, તેમના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીને તેમને માનસિક શક્તિ અને આશાનો સંદેશ આપવાનો હતો.કુલ 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓએ તેમની બીમારીઓમાંથી જલ્દી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. બાળકોની આ નાનકડી અને નિર્દોષ પ્રાર્થનાએ દર્દીઓના મનમાં શાંતિ, હૂંફ, હિંમત, આશા અને આનંદનો અનુભવ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચનઆજના સમયમાં જ્યારે બાળકોના પોતાના સગાં-સંબંધીઓ સાથેના વ્યવહાર પણ ગૌણ થતા જાય છે ત્યારે બીજા માટે આવી લાગણી અને ભાવના ઉજાગર કરવાના શાળાના આ કાર્યથી દર્દીઓના પરિવારજનો તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો ખૂબ પ્રભાવિત થયા હતા. અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન કરવાનું કાર્ય BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા દ્વારા સરાહનીય રીતે કરવામાં આવી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકામાં યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ નિકાલના પોઈન્ટ્સની ઓળખ માટે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, નિરાલી હોસ્પિટલ પાસે નેશનલ હાઇવેથી ભેસતખડાને પૂર્ણા નદી સાથે જોડતા ક્રીક વિકાસ માટેનો DPR તૈયાર થઈ ગયો છે. શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ અંગે માહિતી અપાઈ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સરોવરમાંથી કાચું પાણી ખેંચીને, ટ્રીટમેન્ટ કરીને દિવસમાં બે વાર આશરે 72 MLD પાણી પૂરું પાડે છે. જેમાં તળાવમાંથી 47 MLD અને બોરવેલમાંથી 25 MLD પાણીનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા પ્રણાલી માટે લાંબા ગાળાનું આયોજન શરૂ કરાયું છે. ટ્રીટ કરેલા પાણીની ગુણવત્તા પર લોકોનો વિશ્વાસ વધારવા માટે RO પાણી અને સપ્લાય કરાયેલા ટ્રીટેડ પાણીની તુલનાત્મક એનાલિસિસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખંભલાવમાં પશુ આશ્રયસ્થાન સ્થાપવા માટે જમીન ઓળખી કાઢવામાં આવી છે અને તેનો પ્રસ્તાવ નવસારી કલેક્ટરને સુપરત કરાયો છે. આશ્રયસ્થાનના બાંધકામનું કાર્ય શરૂ થઈ ગયું છે. નવી ઓફિસ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે દેવર્ષ કન્સ્ટ્રક્શનને ટેન્ડર અપાયું છે અને પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. ચોમાસા દરમિયાન રોડ પરના ખાડાઓની ફરિયાદો માટે સમર્પિત મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોડ રીસર્ફેસિંગ પ્રોજેક્ટ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હંસાપોર ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. સરકારી સહાય હેઠળ કુલ 15 PM ઈ-બસો પ્રદાન કરવામાં આવશે, અને NMC એર-કન્ડિશન્ડ બસોની વ્યવસ્થા કરશે. સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન અને હોમ કમ્પોસ્ટિંગ અંગે જાગૃતિ લાવવા કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં 2 સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન શરૂ થયું છે અને ડિસેમ્બર 2025 સુધીમાં દરેક વોર્ડમાં 2-3 સોસાયટીઓમાં આ પ્રથા નિયમિતપણે શરૂ કરવાનું આયોજન છે. CD વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે જમીનનો પ્રસ્તાવ મોકલાયો છે અને તેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વપરાયેલા ફૂલો અને અન્ય સામગ્રીમાંથી અગરબત્તીઓ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તળાવોમાં ડ્રેનેજ અથવા વેસ્ટવોટરનો નિકાલ સખત રીતે પ્રતિબંધિત કરાયો છે. રોડ સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ન્યુસન્સ ટેન્કરોની ખરીદી કરીને તેનો ઉપયોગ શરૂ કરાયો છે. સામાજિક પહેલ હેઠળ પડોશ સ્તરના બગીચાઓમાં મૂળભૂત ફિઝીયોથેરાપી અને ફિટનેસ ઇક્વિપમેન્ટ સાથેનું યોગ કેન્દ્ર વિકસાવવાની પ્રગતિ ચાલી રહી છે. HP ગોપાણીને શહેરના વિવિધ વિસ્તારોમાં દસ આકાંક્ષી જાહેર શૌચાલયો બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ ચાલુ છે. આગામી મહિનાઓ માટે બુક ફેર, નશા મુક્ત ભારત કેમ્પ, સરદાર સન્માન યાત્રા, ફ્લાવર શો, ફૂડ ફેસ્ટિવલ, NMC ક્રિકેટ ટુર્નામેન્ટ, નાઇટ મેરેથોન અને NMCની 1લી એનિવર્સરી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીએ અપક્ષ તરીકે ચૂંટણી લડીને 16 મતોની બહુમતી મેળવી પ્રમુખ પદ હાંસલ કર્યું છે, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા હતા. આ સાથે નગરપાલિકામાં અપક્ષની સત્તા સ્થાપિત થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં નગરપાલિકા ચૂંટણીને લઈને થયેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. તે અનુસાર આજે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અને નાયબ કલેક્ટર હિતેશ ભગોરાના નેતૃત્વમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકાને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવી હતી. બે ઉમેદવારો – નીલ સોની અને ધર્મેશ કલાલે ઉમેદવારી નોંધાવી હતી. વિશ્વાસ મતની પ્રક્રિયામાં નીલ સોનીને 16 સભ્યોનું સમર્થન મળ્યું, જ્યારે ધર્મેશ કલાલને 8 મત મળ્યા. આમ, નીલ સોનીને નગરપાલિકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. નીલ સોનીના સમર્થક સભ્યોમાં નીચે મુજબના નામ સામેલ છે: ધર્મેશ કલાલના સમર્થક સભ્યોમાં નીચે મુજબના નામ છે 17 ઓક્ટોબરે નીલ સોની અને તેમના સમર્થકોએ પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના 6 બળવાખોર સભ્યોએ અપક્ષના 8 અને કોંગ્રેસના 2 સભ્યોના ટેકાથી ધર્મેશ કલાલને પદભ્રષ્ટ કર્યા છે. નગરપાલિકામાં કુલ 24 સભ્યોમાંથી 16ના સમર્થનથી નીલ સોનીએ સત્તા હાંસલ કરી છે. નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે, દેવગઢ બારીયા નગરપાલિકાના 24માંથી 16 સભ્યોએ મને બહુમતી સાથે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તે બદલ હું તમામ સભ્યોનો આભાર માનું છું. આવનાર સમયમાં તમામ 24 સભ્યોને સાથે રાખીને દેવગઢ બારીયાનો વિકાસ કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ભાજપ સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી અને યુવાનોના આઇકોન હર સંઘવી સાથે મળીને વિકાસ કરીશું. કોઈપણ પક્ષપાત વગર સંપૂર્ણ વિકાસ થાય તે અમારો સંકલ્પ છે. દેવગઢ બારીયા જિલ્લો બને તે માટે ભાજપ સરકાર સાથે આગળ વધીશું. ભાજપની સત્તા પાડવામાં પોતાના જ પાર્ટીના સભ્યોની ભૂમિકા નિર્ણાયક રહી છે, જેના કારણે દેવગઢ બારીયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ આ મામલે કેવું વલણ અપનાવશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી મગફળી ખરીદી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી માટે તંત્ર સજ્જ છે. ગઈકાલે મોડાસા કેન્દ્ર પરથી ફક્ત એક જ ટ્રેક્ટરની મગફળી ખરીદી શકાઈ હતી. આજે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા, જેના પગલે સવારથી જ ખેડૂતોએ ટ્રેક્ટરોની લાંબી કતારો લગાવી હતી. તંત્ર દ્વારા ત્રણ વજન કાંટા ગોઠવીને મજૂરો દ્વારા મગફળી તોલવાની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તેઓ હાલના જાહેર કરાયેલા ભાવમાં વધારો કરવાની વિનંતી કરી રહ્યા છે. આ અંગે ખેડૂત સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મોડાસાના બાજકોટ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થવાથી ખેડૂતો ખુશ છે. અહીં વ્યવસ્થા અને તોલાટ પણ સારો છે. જોકે, ખેડૂતોને મગફળીના એક મણ દીઠ રૂ. 1472 મળે છે, તેમાં રૂ. 200 થી 300 નો વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. તેમણે ઉમેર્યું કે તેમની જમીનમાં મગફળીનો જ પાક થાય છે અને દર વર્ષે ઉતારામાં ઘટાડો થતો હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે. આથી ભાવ વધારો અપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સુરતના સી.કે. પીઠ્ઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ફાસ્ટ બોલર એવો આકાશે 8માં ક્રમે બેટિંગ ઉતરીને ધાકડ પર્ફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જો કે હવે તે ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. દિવ્ય ભાસ્કરે આજે આકાશ ચૌધરી સાથે વાત કરી હતી. જમાં તેણે અહીં સુધી પહોંચવાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા અને પિતા વેલ્ડિંગનું કામ કરતા હોવા છતાં, આકાશે પોતાના સ્વપ્નને કઈ રીતે જીવંત રાખ્યું, તે અંગે જણાવ્યું હતું. નામ આકાશ અને સિદ્ધિ પણ આકાશ જેવી મેળવવા માટે કરેલી મહેનત અંગે કહ્યું કે મહેનત તો પહેલાથી જ ચાલી રહી છે, પરંતુ એવું નહોતું વિચાર્યું કે આમ અચાનક આવીને મારો રેકોર્ડ બનશે... હું આટલા રન બનાવી શકીશ. કારણ કે હું સામાન્ય રીતે ફાસ્ટ બોલર છું. મને બેટિંગ કરવાની તક ઓછી મળે છે. આ ગેમમાં મને બેટિંગની સારી તક મળી. ઓવર્સ પણ ઓછી હતી. આને તમે મહાદેવની કૃપા જ કહી શકો કે એ સમયે મારી બેટિંગ ટીમ માટે કામ આવી ગઈ. ત્રીજી સિક્સ ફટકારી ને 6 સિક્સર ફટકારવાની ગાંઠ વાળી લીધીએક બાદ એક સિક્સર મારતા હતા ત્યારની સ્થિતિ અને સામેની ટીમને પ્રેશરમાં લાવવા અંગે કહ્યું કે, ના, સામેની ટીમને પ્રેશરમાં નહોતો લાવવા માગતો પણ અમારો એક જ પ્લાન હતો. અમારી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં હતી. તેથી અમારો એક પ્લાન હતો કે અમે જલદીથી જલદી ટીમ માટે રન બનાવીએ. મારો ઇરાદો એ હતો કે ઓછા બોલમાં વધુમાં વધુ રન મારવા. પહેલા બે છગ્ગા લાગ્યા. ત્રીજો લાગ્યા પછી થોડુંક મગજમાં આવ્યું કે હવે છ છગ્ગા મારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને ત્યાર પછી એ છગ્ગા લાગ્યા. સાતમો અને આઠમો છગ્ગો એ મારું વિચારીને ગયેલું નહોતું કે હું સાત-આઠ ફટકારીશ. 'મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો' એક ફાસ્ટ બોલર બેટિંગ માટે ગ્રાઉન્ડમાં ઉતરે અને સામે પણ ફાસ્ટ બોલર હોય, તો તે સમયે મગજમાં ચાલતા વિચારો અંગે કહ્યું કે, કશું નહીં, મારું માઇન્ડસેટ ખૂબ રિલેક્સ હતું, કારણ કે છેલ્લી ગેમમાં પણ બિહાર સામે મારી બેટિંગ સારી થઈ હતી. તેમાં પણ હું ચાર છગ્ગા મારીને આવ્યો હતો. તેથી મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો અને સદભાગ્યે હું આજે છ છગ્ગા મારી શક્યો. રાતોરાત સ્ટાર બનવા અને સંઘર્ષ અંગે આકાશે કહ્યું કે, હું એવું નહીં કહું કે કોઈ ખાસ સંઘર્ષ હતો. આ અમારી યાત્રા છે. હું સ્કૂલ ક્રિકેટથી આવ્યો છું. કેવી કેન્દ્રીય વિદ્યાલયમાંથી, ક્લસ્ટર, રિજનલ રમીને આવ્યો. પછી સ્કૂલ ક્રિકેટથી શિલોંગમાં જે ઇન્ટર-સ્કૂલ હોય છે, તેના દ્વારા એસોસિએશન વાળાએ મને બેક કર્યો. ત્યાંથી હું એનસીએ(નેશનલ ક્રિકેટ એકેડમી) કેમ્પમાં ગયો. ત્યાંથી સ્ટેટ રમ્યો. પછી નોર્થ-ઈસ્ટની ટીમ બની, હું અંડર-19 માં તેમાં પણ હતો.ત્યાર પછી તો પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી થઈ, કારણ કે મેચની ફી આવવા લાગી. ડેબ્યુ કર્યા પછી પરિવારની સ્થિતિ થોડી સારી થઈ. અને હું એવું નહીં કહું કે કોઈ ખૂબ ખતરનાક સંઘર્ષ હતો, કારણ કે તે તો બધાના જીવનમાં હોય છે. તેથી હું તે વસ્તુ વિશે વધારે વાત કરતો નથી. 'મેં નાનપણમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી, હું ટેનિસ બોલથી રમતો'ટ્રેનિંગ અને પરિવાર અંગે આકાશ ચૌધરી કહે છે કે, મેં નાનપણમાં ક્યારેય પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી. હું ટેનિસ બોલથી રમતો હતો. અને ત્યાર પછી જ્યારે 16 વર્ષનો હતો, ત્યારથી એનસીએ કેમ્પ લાગ્યો. તો તમે કહી શકો કે બીસીસીઆઇએ જે અમને નોર્થ-ઈસ્ટને એનસીએ કેમ્પ આપ્યો, તે મારી પ્રોફેશનલ ટ્રેનિંગ હતી. 'પપ્પા વેલ્ડિંગ કામ અને માતા સીવણકામ કરે છે'મારા પપ્પા વેલ્ડિંગનું કામ કરે છે. તો સામાન્ય વાત છે. વેલ્ડિંગ કરીને ઘર ચલાવવું, સ્કૂલમાં ભણાવવું જ્યારે અમે ત્રણ ભાઈ-બહેન છીએ - એક દીદી, એક નાનો ભાઈ.મારા ભાઈને તો અત્યારે અમે જોઈ શકીએ છીએ , પરંતુ મારા દીદી અને મારા માટે તેમણે ખૂબ મહેનત કરી. મમ્મીએ પણ ખૂબ મહેનત કરી. મમ્મી ટેલરિંગનું કામ કરતી હતી. તો ટેલરિંગથી અમારું ઘર ચાલતું હતું. IPL અને ટીમ ઇન્ડિયા માટે રમવાનું સપનુંતેમની ક્રિકેટ કરિયર અને ભવિષ્ય અંગે કહ્યું કે, એક ફાસ્ટ બોલર તરીકે, તો પહેલા મારે ટીમને જીતાડવાની છે. અમારે ઇલિટ ગ્રુપમાં પહોંચવું છે. તે પહેલા મારા મગજમાં છે. ફાસ્ટ બોલિંગમાં મારે રહેવું છે. અત્યારે મારો પ્રથમ ગોલ તો મારી 100 ફર્સ્ટ ક્લાસ વિકેટ પૂરી કરવાનો છે. થોડોક દૂર છું. પહેલો ગોલ તે છે. અને અલ્ટીમેટ ગોલ ઇન્ડિયા માટે રમવું અને IPL (આઇપીએલ) રમવું છે, કારણ કે IPL પ્લેટફોર્મ મને તે બધું આપી શકે છે જે હું ઈચ્છું છું. વીડિયોમાં જુઓ આકાશના સતત 8 છગ્ગા ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઝડપી ફિફ્ટીઆકાશ ચૌધરીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ઝડપી ફર્સ્ટ-ક્લાસ હાફ સેન્ચુરીનો રેકોર્ડ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ લેસ્ટરશાયરના વેઇન નાઈટના નામે હતો, જેમણે 2012માં 12 બોલમાં 50 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ક્લાઇવ ઇનમેને 1965માં 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. સમયની દૃષ્ટિએ તે સૌથી ઝડપી ફિફ્ટીની યાદીમાં બીજા ક્રમે છે. આકાશે આ હાફ સેન્ચુરી 9 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે ઇનમેને માત્ર 8 મિનિટમાં 50 રન બનાવ્યા હતા. 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડીઆકાશ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો. ગેરી સોબર્સ 1968માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી હતો. તેણે ગ્લેમોર્ગન અને નોટિંગહામશાયર વચ્ચેની મેચમાં માલ્કમ નેશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ 1984-85માં આ સિદ્ધિ મેળવી હતી. 2019થી રમી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 25 વર્ષીય આકાશ કુમાર 2019થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 30 મેચમાં 14.37ની સરેરાશથી 503 રન બનાવ્યા છે. સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથેની દલીલ બાદ સ્ટુઅર્ટ બ્રોડના ઓવરના સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
આખરે નશાનો કારોબારી ઝડપાયો:ગાંધીનગર SOGએ NDPS ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી દબોચી લીધો
રાજ્યમાં ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થોના એક કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરીગુજરાત રાજ્યના પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પણ લાંબા સમયથી પોલીસની પકડથી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી. એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી વોન્ટેડ દબોચ્યોજેના પગલે SOG ટીમે ટેકનિકલ ડેટા એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ હાથ ધર્યું હતું અને સુનીલભાઈ ઉર્ફે 'સાઈ' તુલસીદાસ માખીજા(રહે.ઝુલેલાલ સોસાયટી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા) ને ઝડપી લીધો હતો. આરોપી સુનિલ છેલ્લા એક વર્ષથી NDPSના ગુનામાં વોન્ટેડ હતો. જે પોલીસ ધરપકડથી બચવા આશ્રય સ્થાનો બદલતો રહેતો હતો. જેને પકડીને ચિલોડા પોલીસને સોંપી દેવાયો છે.
રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. જેમાં નર્સ ફરજ દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નર્સનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ ફોનમાં હોવાને કારણે બાળકની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. સમગ્ર મામલે મનપાનાં આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં થયેલી આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુરશી પર બેસીને પોતાના મોબાઈલ ફોન પર વીડિયો કોલ પર વાત કરી રહી છે. તે સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે, જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વીડિયો કોલ પરની વાતચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા પર જરા પણ નથી. વીડિયોમાં દેખાય છે કે નર્સ વીડિયો કોલ જોઈને હસી રહી છે અને વાતચીત કરી રહી છે, જ્યારે તેનો હાથ યાંત્રિક રીતે ઇન્જેક્શન તૈયાર કરી રહ્યો છે. આ પ્રકારે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું એ બાળક માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ સમયે બાળકના વાલી પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મ્યુ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થતાની સાથે જ નાનામૌવા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે વીડિયોમાં દેખાતા નર્સને પણ સાંજે હાજર થવા માટે જણાવાયું છે. ડો. વાંકાણીએ ખાતરી આપી હતી કે, નર્સને પૂછવામાં આવશે કે આ વીડિયો ક્યારનો છે અને શા માટે તેઓ કામ છોડીને મોબાઈલમાં ધ્યાન આપી રહ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો તપાસમાં કોઈપણ પ્રકારની બેદરકારી હોવાનું સામે આવશે, તો તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં સસ્પેન્શન કે અન્ય શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. કામના સમય દરમિયાન આવી કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી પર મોટો સવાલ ઊભો કર્યો છે. આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓ, ખાસ કરીને બાળકો, સંપૂર્ણપણે કર્મચારીઓના ભરોસે હોય છે. ઇન્જેક્શન જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન બેદરકારીના કારણે બાળકના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે નર્સ સામે ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
સેટેલાઈટ વિસ્તારમાં આનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. આનંદ નિકેતનની સ્કૂલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. સ્કૂલ બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇકચાલક વચ્ચે આવી ગયો હતો. જેને બચાવવા જતા આનંદ નિકેતનની સ્કૂલ બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થતા બચી ગઈ છે. બસમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતાઆનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 5 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેથી સ્થાનિક લોકોએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જે બાદ સ્કૂલની અન્ય બસમાં વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી નથી. સ્કૂલ બસ ડિવાઈડર પર ચડ્યા બાદ પલટી ન ખાતા મોટી જાનહાનિ થતા ટળી છે તેમજ મળતી માહિતી મુજબ આ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગે જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર એમ. જે. ઠાકોરે જણાવ્યું હતું કે,લટકતા બીમના છજાનો ભાગ પડ્યો છે. સ્ટ્રક્ચરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. બીજા કોઈ ભાગમાં આવું હશે તો તેને ટૂંક સમયમાં તોડીને સરખા કરી દઈશું. તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોઈને ઈજા થઈ હોત તો જવાબદારી અમારી જ હતી. આ ઈમારત આશરે 45 વર્ષ જૂની હોઈ શકે છે. સપોર્ટની દીવાલો એટલી ડેમેજ નથી કે પડી જાય. છજાવાળા ભાગને રિપેર કરાવી દેવામાં આવશે. ઠાકોરે ઉમેર્યું કે, આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં આજે જે સ્લેબ પડ્યો છે તેના કારણે કોઈને પણ ઈજા પહોંચી નથી, પરંતુ સતત ત્રીજી વાર આવી ઘટના બની છે. તંત્ર વહેલી તકે કોઈ પગલાં લે તેવી માંગ છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમજીવીનું મૃત્યુ:લીફ્ટના ખાડામાં પટકાયા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
વિજલપોરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્માનું મૃત્યુ થયું છે. તેઓ લીફ્ટ બનાવવાના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ વિજલપોરના અમરદીપ એપાર્ટમેન્ટ સામે આવેલી અભિષેક નરોત્તમ પાટીલની માલિકીની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. ઉમેશકુમાર વિશ્વકર્મા ત્યાં સુથારી કામ કરતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉમેશકુમાર પહેલા માળે પોતાનું કામ પૂરું કરીને દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસ્યો અને તેઓ લીફ્ટ બનાવવા માટેના ખાડામાં નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઉમેશકુમારને તાત્કાલિક ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.યુ.માં સારવાર દરમિયાન, 9 નવેમ્બરના રોજ સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજલપોર પોલીસ સ્ટેશનના કર્મચારી ભરતભાઇ લક્ષ્મણભાઇ આ અકસ્માત મોતની તપાસ કરી રહ્યા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 બાય 10ની રૂમમાં ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર નીકળી ગયા હતા.જયારે ઘટનાને પગલે સ્થળ અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા બે ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની સુઝબુઝને લીધે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા રહી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા લક્ષમણનગર પાસે આવેલા દીનદયાલનગરમાં પહેલા માળ ઉપર 10 બાય 10ની રૂમમાં પરિવારના ત્રણથી ચાર સભ્યો રહેતા હતા. દરમિયાન રાત્રે રૂમની અંદર અચાનક આગ લાગી ગઈ હતી, અને જોત જોતામાં આગ ઝડપથી આખી રૂમની અંદર પ્રસરી ગઈ હતી. જયારે આ ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે ટીવી અથવા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને આખા રૂમની અંદર પ્રસરી ગઈ હતી.ત્યારે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. રૂમની અંદર ગેસ સિલિન્ડર પણ હતો જે આગને કારણે ગરમ થઇ ગયું હતું જોકે તે ફાટે અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સિલિન્ડરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. અડધો કલાકમાં આગને કન્ટ્રોલમાં કરી લેવામાં આવી હતી. આગને કારણે ટીવી, ફ્રીજ અને ઘર વખરી બળી ગઈ હતી. અન્ય એક બનાવમાં રામપુરા ખાતે આવેલ લોખાત હોસ્પિટલની બાજુમાં આદિલ પેલેસ આવ્યું છે. જેના છટ્ઠા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી ગઈ હતી.જેને પગલે ફ્લેટમાં રહેતો પરિવાર તથા આજુબાજુના રહીશોમા ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર મહેશ પટેલએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એજાજ મલિક નામની વ્યક્તિ સામાન્ય દાઝી જતા તેમને 108 એમ્બ્યુલેન્સ દવારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાતી આગ લાગી હતી.આગને કારણે ઘરમાં રહેલ ફ્રીઝ, ગાદલા કપડાં સહીત ઘર વખરીનો સામાન બળી ગયું હતું.જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું,અને આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.
અસારવા ગામનો માંડવી મહોત્સવ પૂર્ણ:માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અસારવા ગામમાં દિવાળીથી દેવ દિવાળી સુધી “માંડવી મહોત્સવ” હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઈકાલે રંગારંગ રીતે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શનિવારે તો આખી રાત ગરબા ગાઈને વહેલી સવારે માતાજીને વળાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તો ભક્તજનો માતાજીની ચૂંદડી લઈને ગરબે ઘૂમ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ માતાજીની ચૂંદડીઓથી છવાઈ ગયું હતું. માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી હતીઆ અવધિ દરમિયાન અસારવા ગામના દરેક મહોલ્લામાં ગામની કુળદેવી માતર ભવાની માતાજી તેમજ ઉમિયા માતાજીની માંડવીની પધરામણી કરવામાં આવી હતી અને માઈ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. આ વર્ષે સૌ પ્રથમવાર દેવ દિવાળીના દિવસે ખારાકુવા વાસમાં માતાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ (ચૂંદડીઓ) અર્પણ કરવામાં આવી હતી. માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી ગયો“જ્યાં જાય અસારવાવાસી, ત્યાં ઊજવાય માંડવી મહોત્સવ!” — આ વાક્યને સાકાર કરતાં આ વર્ષે માતર ભવાની માતાજીની માંડવી અસારવા ગામની સીમા વટાવી થલતેજ અને સિંધુ ભવન વિસ્તાર સુધી લઈ જવામાં આવી હતી. ત્યાં પણ પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ માંડવીની સ્થાપના કરી આખી રાત ગરબા રમી માતાજીની ભક્તિ કરવામાં આવી હતી. અસારવા ગામનો આ માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી રહ્યો છે. તેથી આ પવિત્ર અને ઉત્સાહી ઉજવણીને યોગ્ય રીતે “વાઈબ્રન્ટ માંડવી મહોત્સવ ઓફ અસારવા” તરીકે ઓળખાવી શકાય.
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા અને જી.એસ.એફ.સી. જેવા અનેક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક તથા સંરક્ષણ એકમો આવેલા છે. જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ પૈકી 112 ઇન્સ્ટોલેશન્સ રેડ ઝોનમાં અને 42 ઇન્સ્ટોલેશન્સ યલો ઝોનમાં સમાવિષ્ટ છે. આ જાહેરનામા મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના રેડ અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 8 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 મોંઘી દારૂની ભરેલી બોટલ મળી આવી છે, જ્યારે 13 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલ પણ મળી આવી છે. આરોપી સસ્તa દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીને વેચતો હતો. આરોપી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીસોલા પોલીસે બાતમીના આધારે ઘાટલોડિયામાં આવેલી ગજરાજ સોસાયટીના મકાનમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂની અનેક બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂની બોટલ સાથે કિરણ ખટીક નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલ લાવતો હતો, જેમાં સસ્તો દારૂ ભરીને વેચી દેતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યોઆરોપી પાસેથી દારૂ ભરેલી 52 બોટલ મળી આવી છે, જ્યારે બ્રાન્ડેડ દારૂની પણ 13 ખાલી બોટલ મળી આવી છે. આરોપી પાસેથી 19931 રૂપિયાના દારૂ સહિત કુલ 24931 રૂપિયાનો મુદ્દામાલા કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં આજે નેશનલ મેરિટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (NMSAR) બોર્ડની 23મી બેઠક મળી હતી. દરિયાઈ શોધ અને બચાવ (SAR) કામગીરી સંબંધિત તમામ બાબતો માટેનું આ દેશનું સર્વોચ્ચ નિર્ણયકારી અને સંકલન મંચ છે. ભારત સરકાર દ્વારા 2002માં સ્થાપિત આ બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામાં કાર્યરત છે. NMSAR બોર્ડનો મુખ્ય હેતુ ભારતીય શોધ અને બચાવ ક્ષેત્ર (ISRR)માં નીતિ ઘડતર, ક્ષમતાવૃદ્ધિ અને વિવિધ એજન્સીઓ વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે. ભારતનું SAR ક્ષેત્ર વિશ્વના સૌથી વિશાળ ક્ષેત્રોમાંનું એક છે, જે હિંદ મહાસાગરના આશરે 4.6 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. આ બેઠકમાં ભારતીય નૌકાદળ, વાયુસેના, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવાઓ (INCOIS), વિવિધ રાજ્ય મેરીટાઇમ બોર્ડ, બંદર સત્તાવાળાઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મરીન, માછીમારી અને ઓફશોર ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. બોર્ડની અધ્યક્ષતા પરમેશ શિવમણી, ચેરપર્સન, NMSARએ કરી હતી. બેઠક દરમિયાન દરિયાઈ દુર્ઘટનાઓ દરમિયાન ઝડપી પ્રતિભાવ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, તાલીમ અને આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ. NMSAR બોર્ડ દેશના દરિયાઈ અને એરોનોટિકલ SAR પ્રયાસોને એકીકૃત કરીને મુશ્કેલીની પરિસ્થિતિઓમાં સમયસર અને કાર્યક્ષમ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કાર્ય કરે છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ આંબા ગામના જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉ.35) તરીકે થઈ છે. તેઓ GJ14 BC 9490 નંબરના બાઈક પર ગઢડાથી પોતાના ગામ આંબા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠીથી લીલીયા તરફ આવી રહેલી અમરેલી ST ડેપોની સરકારી બસે પુરપાટ ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ST બસના પાછળના ભાગે બાઈક અથડાતા જાનવીબેન રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લીલીયા પોલીસે ST બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આગામી 2 દિવસ એટલે કે, 11 અને 12 નવેમ્બરના રોજ ગાંધીનગર હાઈવે પર રાંધેજા ખાતે આવેલો રેલવે ફાટક નં. 13 અને રેલવે ફાટક નં. 15 એ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. બન્ને ફાટક ત્રણ કલાક માટે બંધ રહેશેઆવતીકાલથી એટલે કે, 11થી 12 નવેમ્બર, 2025 દરમિયાન રાંધેજા હાઈવે પરનો ફાટક 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. આદરજ મોટી-વિજાપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટ માટે સૂચિત મશીન ટેમ્પિંગ કામ (MTT) માટે થઈને બંધ કરવામાં આવશે. ગાંધીનગર હાઈવેથી રૂપાલ- માણસા જતાં વાહનચાલકોને હાલાકી થશેરેલવે ફાટક નં. 13, ગાંધીનગર હાઈવેથી રૂપાલ વચ્ચે આવેલ આવતીકાલે એટલે કે, 11 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 10 વાગ્યાથી 12 નવેમ્બર, 2025ના રોજ 1 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે બંધ રહેશે. જ્યારે રેલવે ફાટક નં. 15, ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલો 12 નવેમ્બરના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સીટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. છેલ્લા એક વર્ષથી સિંધુ ભવન રોડ ઉપર કોમર્શિયલ હેતુ માટે મૂકવામાં આવેલા રૂ. 333 કરોડના બે પ્લોટ સહિત મોટેરા અને થલતેજના પ્લોટ ખરીદવામાં કોઈ કંપની રસ દાખવી રહી નથી. પ્લોટ વેચાણમાંથી AMCને 1188 કરોડની આવક થવાનો અંદાજસિંધુભવન રોડ શહેરનો સૌથી પોશ વિસ્તાર અને અનેક કોમર્શિયલ કંપનીઓની ઓફિસ આવેલી છે છતાં પણ આ જગ્યા ઉપર હવે કોઈ પ્લોટ ખરીદવા રસ બતાવી રહ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા પ્લોટનું 27 અને 28 નવેમ્બરના રોજ ઇ ઓકશન થશે. આજે 10 નવેમ્બરથી લઈને 24 નવેમ્બર સુધી પ્લોટના ઈ ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોમર્શિયલ અને રહેણાંક હેતુના પ્લોટ વેચાણ કરી 1188 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે. સિંધુભવન રોડ પરના બે પ્લોટ માટે કોઈ ખરીદદાર નથી મળતાશહેરના એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ બંને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. ચાંદખેડા અને મોટેરામાં ત્રણ, સિંધુભવન રોડ પર બે, થલતેજ, વટવા, નિકોલ અને શીલજ સહિતના વિસ્તારમાં આવેલા પ્લોટ વેચાણમાં મુકાયા છે. પ્લોટના વેચામ માટે 27 અને 28 નવેમ્બરે ઈ ઓકશન યોજાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી જેમાંના 10 જેટલા પ્લોટ હજી સુધી વેચાણ થયા નથી. જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 અને 28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઇ ઓકશન કરવામાં આવશે.
પાટણ શહેર બી. ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઇસર ગાડીના ચાલક અફઝલખાન મહેબુબઅલી પીંજારાની ધરપકડ કરી છે. આઇસરમાં 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. આ ઘટના પાટણ-ચાણસ્મા હાઈવે રોડ પર સુદામા ત્રણ રસ્તા પાસે બની હતી. કંબોઈ, કાંકરેજના રહેવાસી વિક્રમસિંગ શાંતુજી સોલંકીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. વિક્રમસિંગ સોલંકીને તેમના કૌટુંબિક ભાઈ જીતેન્દ્રસિંગ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું કે પાટણ લીલીવાડી ખાતે તેમની આગળ જતી એક આઇસર ગાડી (રજી. નંબર GJ-01-DZ-6030) શંકાસ્પદ જણાય છે અને તેમાં ભેંસના પાડા-પાડીઓ ખીચોખીચ ભરેલા છે. આ માહિતી મળતા, વિક્રમસિંગ અને તેમના સાથીઓએ પદ્મનાથ ચોકડીથી સુદામા જતા રસ્તે આઇસરને રોકવાનો પ્રયાસ કર્યો. આઇસર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા તેણે ગાડી ભગાવી હતી. ફરિયાદી અને અન્ય લોકોએ પીછો કરતા, આઇસર સુદામા ત્રણ રસ્તાથી થોડેક દૂર રોડનો કટ આવતા પાછી વાળી. આઇસરમાં બેઠેલા બે વ્યક્તિઓમાંથી ડ્રાઇવરને આજુબાજુના લોકોની મદદથી પકડી લેવાયો, જ્યારે બીજો ઈસમ ભાગી છૂટ્યો. પકડાયેલા ડ્રાઇવરની ઓળખ અફઝલખાન મહેબુબઅલી પીંજારા (ઉંમર આશરે 32 વર્ષ, રહેવાસી ઇન્દિરા કોલોની, પાલી, રાજસ્થાન) તરીકે થઈ છે. આઇસરની તપાસ કરતા, તેમાં કુલ 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે બાંધેલા મળી આવ્યા હતા. વાહનમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ડ્રાઇવર અફઝલખાને કબૂલ્યું કે તેણે આ પશુઓ ડીસાના જમાલ ભુરેખાં બલોચ પાસેથી ભર્યા હતા અને તેમને નંદાસણ ખાતે ઉતારવાના હતા, જ્યાં તેમની કતલ કરવામાં આવતી હતી. કુલ 32 પશુઓની અંદાજિત કિંમત ₹96,000 આંકવામાં આવી છે. આ તમામ પશુઓને સારસંભાળ માટે ખલીપુર મહાજન પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા છે. પોલીસે આઇસર ચાલક અફઝલખાન પીંજારા, પશુઓ ભરાવનાર જમાલ ભુરેખાં બલોચ (રહેવાસી ડીસા) અને એક અન્ય અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ શહેરના RPF ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ROB બ્રિજને વલસાડ શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખ મળી રહે અને શહેરની શોભા વધે તે રીતે અનોખી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મલ્ટી-લેયર બ્રિજ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે. બ્રિજનું એક લેયર અબ્રામા અને વશિયાર તરફથી વલસાડ શહેરમાં પ્રવેશવા માટે ઉપયોગી થશે, જ્યારે બીજું લેયર વલસાડ શહેરમાંથી બહાર નીકળીને ધરમપુર રોડ તરફ જવા માટે રહેશે. આ વ્યવસ્થા ટ્રાફિકને સરળ બનાવશે. આ બ્રિજની લંબાઈ આશરે 2 કિલોમીટર છે અને તેની ઊંચાઈ લગભગ સાત માળના એપાર્ટમેન્ટ જેટલી છે. આ ઊંચાઈ પરથી વલસાડ શહેરનો અદભૂત નજારો જોવા મળશે, જે તેને માત્ર એક સુવિધા જ નહીં, પરંતુ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹192 કરોડ છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે. હાલ તેનું નિર્માણકાર્ય અંતિમ તબક્કે છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ROB બ્રિજ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ડબલ લેયર ROB તૈયાર થયા બાદ વલસાડ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને રેલવે ક્રોસિંગ પાસે થતી લાંબી રાહત દૂર થશે. આ બ્રિજ વડે વશિયાર, અબ્રામા અને ધરમપુર માર્ગે અવરજવર વધુ સરળ બનશે. શહેરના નાગરિકો અને વેપારીઓએ આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમનું માનવું છે કે આ ROB વલસાડના વિકાસનું નવું પ્રતીક બની રહેશે અને શહેરને આધુનિક શહેરી માળખું પ્રદાન કરશે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસહ્ય ટેરીફના કારણે રાજકોટ શહેર અને જિલ્લાનો USA નિકાસ દર 60%માંથી ઘટીને 35% થઈ ગયો છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. જેથી, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છેરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ રાજ્યના CM ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારત દેશ નિકાસ ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કરી રહી રહ્યું છે તેમજ સરકાર દ્વારા નિકાસકારોને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવેલ અસહ્ય વધારાના ટેરિફ દરને કારણે તમામ ઔદ્યોગિક ક્ષેત્રો અને ખાસ કરીને નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 6 મહિનાનો તૈયાર કરાયેલ રાજકોટ તથા આસપાસના વિસ્તારનો અંદાજીત USA નિકાસ દરના ડેટા મુજબ મે-2025માં આશરે 60% નિકાસદર હતો, જે ડોલરમાં રૂપાંતર કરતા 59,54,027.57 થયેલો છે. આ જ નિકાસદર ઓકટોબર, 2025માં ઘટીને 35%ની સાથે ડોલરમાં રૂપાંતર કરતા 35,31,112.41 થઈ ગયો છે. આમ, લગભગ 25% અને આશરે 25 લાખ ડોલર જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં આ નિકાસદર ઘટવાની સાથે ખૂબ જ નુકશાનકારક સાબિત થઈ શકે એવું જણાઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અસહ્ય વધારાના ટેરિફ દરના કારણે સમગ્ર ઔદ્યોગિક અને નિકાસકારોને થવા પાત્ર અસહ્ય ધંધાકીય નુકશાનીની તીવ્રતાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કેન્દ્ર સરકારની રાહ જોયા વગર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. જેથી, ઉદ્યોગકારો અને વેપારીઓને મોટી રાહત થશે.
અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતી ઘરની કામવાળીને કેશવનગર મૂકવા ગઈ હતી જે બાદ ગાડી લઈને પરત ફરી રહી હતી ત્યારે એક કારચાલક યુવતીનો પીછો કરતા યુવતીની સોસાયટીમાં આવી ગયો હતો. યુવતીની ગાડીનો દરવાજો ખોલવા અનેક પ્રયત્ન કર્યા હતા. જોકે આજુબાજુના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરી હતી.પોલીસે દારૂ પીધેલા યુવકની ધરપકડ કરી છેડતી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કારચાલક યુવતીનો પીછો કરી તેના ઘર સુધી આવી ગયોશાહીબાગમાં રહેતી 19 વર્ષીય યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.ગઈકાલે રાતે યુવતીના ઘરે આવેલી કામવાળીને યુવતી તેના ઘરે મૂકવા કેશવનગર ગઈ હતી.કામવાળીને મૂકીને યુવતી સુભાષબ્રિજ પરથી કારમાં પરત આવી રહી હતી ત્યારે એક ઇકો સ્પોર્ટ્સ કારનો ચાલક યુવતીનો પીછો કરી રહ્યો હતો જે છેક યુવતીની સોસાયટીની અંદર આવી ગયો હતો.કાર ચાલક તેની કારમાંથી ઊતરીને યુવતીની કારનો દરવાજો ખોલવા પ્રયત્ન કરી રહ્યો હતો જોકે યુવતીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પીધેલી હાલતમાં અને કારમાંથી દારૂની બોટલ મળીઆ દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થયા હતા.યુવતીના પિતા પણ નીચે આવ્યા હતા. તમામે જ્યારે યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે પોતાનું નામ લક્ષ્મણ મારવાડી(31 વર્ષ) જણાવ્યું હતું જે બાદ યુવકની ગાડી તપાસતા દારૂની બોટલ મળી આવી હતી.યુવકને મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.માધવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને યુવકની અટકાયત કરી યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક વિધિ મહેતા અને સાત સ્નાતકોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન, તેમના કાર્યો, સ્વદેશી વસ્તુઓનું મહત્વ, સ્વાવલંબન અને ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને સ્વદેશી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. શાળા પરિવાર વતી ગીતાબેન કે. પટેલે અધ્યાપક વિધિ મહેતાનું સૂતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષિકા ગીતાબેન આર. પટેલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમે હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી મેળવી છે, જ્યાં તેઓ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.

27 C