કાર્યવાહી:સિદ્ધપુરમાં ચાઈનીઝ દોરીની 5 ફીરકી સાથે યુવક ઝડપાયો
પાટણ| સિદ્ધપુરમાંથી ચાઈનીઝ દોરીની 5 ફીરકીઓ સાથે યુવક પકડાતાં ફરિયાદ નોંધાઇ હતી. સિદ્ધપુર પોલીસની ટીમ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમીના આધારે, પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ ચંન્દ્રાવતી ગામના મંગાજી ધારુજી ઠાકોર ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની પાંચ ફીરકીઓ મળી આવી હતી. પોલીસે તેની વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ખાતે બી.એન.એસ. કલમ-223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી:નવલપુર ભાટોડાની સીમમાંથી~3.34 લાખનો દારૂ પકડાયો
હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક સૂરજપુરા ફાટક આગળ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકતાં પોલીસે પીછો કરતા ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ જતાં નવલપુર ભાટોડા ગામની સીમમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ફરાર થઈ ગયા હતા. પીછો કરી રહેલ પોલીસે ગાડી નજીક પહોંચી ગાડીની તપાસ કરતાં અંદરથી 3,34,800નો દારૂ મળ્યો હતો. તા.12-12-25ના રોજ ગાંભોઈ પોલીસ સૂરજપુરા ફાટક નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ભિલોડા બાજુથી આવી રહેલ ગાડી નંબર જીજે-01-આરકે-4339ને ઉભી રાખવા ઈશારો કરતાં ચાલકે ગાડી દોડાવી મૂકી હતી. જેથી ગાંભોઈ પોલીસે પીછો કરતાં ખેપીયો ગાડી લઈને ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ ભાગ્યો હતો અને પોલીસનો પીછો ચાલુ રહેતા પકડાઈ જવાની બીકે નવલપુર ભાટોડા ગામની સીમમાં રોડની બાજુમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ખેતરમાં થઈ ભાગી ગયા હતા. પાછળ આવી પહોંચેલ પોલીસે ગાડીમાંથી દારૂની 20 પેટીઓ બોટલ નંગ 828 કિં.3,34,800નો જથ્થો અને ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કરમસદ આણંદ મનપાના પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાંથી પાણીનું શુદ્વિકરણ કર્યા વગર જ ડેડ કેનાલમાં છોડી દેવામાં આવતાં 50 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતાં ઘઉં, ટામેટી અને તમાકુના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. પાંચ માસ પહેલા એસટીપી પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભારે નુકસાન થયું હતં. જે તે વખતે કલેક્ટરને રજૂઆત કરી હતી તેઓ મનપાને કડક સુચના આપીને ફરી આવું ના થાય તેની તકેદારી રાખવામાં જણાવ્યું હતું તેમ છતાં મનપા ડ્રેનેજ વિભાગ મનમાની કરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. આ પ્રશ્ન તાત્કાલિક હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ,કરમસદ, સંદેશર રોડ પર પાલિયા વિસ્તારમાં ગટરના ગંદા પાણીના શુદ્વિકરણ માટેનો એસ ટી પી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં મનપા દ્વારા પાણીનું શુદ્વિકરણ કર્યા સિવાય ડેડ કેનાલમાં ગટરના ગંદા પાણી છોડી દેવામાં આવતાં ખેડૂતોને છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત પાક નિષ્ફળ ગયો છે. વારંવાર ગંદા પાણી ઘુસી જતાં જમીન કેમિકલ તત્વો ઉમેરાતા બંજર બની જવાનો ભય સતાવી રહ્યો છે. કેનાલમાં નાંખે છે.જેથી કેનાલ ઉભરાઇને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે.છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ જુલાઇમાં ગટરના પાણી 25થી વધુ ખેતરોમાં ફરી વળતાં ચોળી,ગલકા સહિતના શાકભાજીના પાકને નુકશાન થયું છે. જે બાબતે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, આણંદ મનપા કમિશ્નરે રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.ખેતરમાં ચાર દિવસ ગટર ગંદા પાણી ભરાઇ રહેતા પાક કોહવાય જતાં ખેડૂતોને લાખો નુકશાન થઇ રહ્યું છે. વિદ્યાનગર, કરમસદ સહિત વિસ્તારના ગટરના ગંદા પાણી પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાં નાંખવા આવે છે. પરંતુ આ પ્લાન્ટમાં પાણી શુદ્વ કરવાની કે તેનો નિકાલ કરવાની કોઇ જ વ્યવસ્થા નથી.જેથી પ્લાન્ટ ભરાઇ જાય એટલે તંત્ર દ્વારા બાજુ આવેલી માઇનોર કેનાલમાં પાઇપ દ્વારા પાણી છોડી દેવામાં આવે છે.,જે પાણી ખેતરોમાં ઘુસી જાય છે. ડેડ કેનાલ ઉભરાઇને તમાકુ રોપણી કરેલા ખેતરમાં ફરી વળતાં જયેશ તળપદા નામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ભાસ્કર ઇનસાઇડમનપા એસટીપ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાનકરમસદ પાલિકાના શાસનમાં અંદાજે 50 લાખ ઉપરાંતના ખર્ચે કરમસદના પાલિયા વિસ્તારમાં તલાવડી પાસે એસટીપી પ્લાન્ટ બનાવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે એસટીપી પ્લાન્ટની તમામ મશીનરી ખોટકાઇ ગઇ છે. જે તે વખતે ગટરના ગંદા પાણીને એસટીપી પ્લાન્ટ થકી શુદ્વ કરીને ખેતી પાક માટે આપવાનો નિર્ણય કર્યો પરંતુ તંત્રની બેદરકારીને કારણે બે વર્ષથી એસટીપી પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ગત જુલાઇમાં મનપાએ પ્લાન્ટ પુન: કાર્યરત કરી પાણીનું શુદ્વિકરણ કરવાની ખાતરી આપી પરંતુ આજદીન સુધી કામ હાથ ધરાયું નથી. જેને લઇને પુન:ખેડૂતોને શોષવાનો વખત આવ્યો છે. 3 વીઘા ખેતરમાં ઘઉંના પાકમાં ગંદા પાણી ફરી વળતાં નિષ્ફળ ગયો કરમસદ પાલિયા વિસ્તારમાં3 વીઘા ખેતરમાં ઘઉંનો પાક રોપ્યો હતો. હાલમાં ઘંઉ ફૂટ અવસ્થામાં હતા. .ત્યારે ગટરના ગંદા પાણી ખેતરમાં ફરી વળતા તમામ પાક ફેલ ગયો છે. જેથી અંદાજે30 હજારનું નુકશાન થયું છે. હવે પાણી ખાલી થાય ત્યાં સુધી બીજો પાક લઇ શકાશે નહી. જેથી શિયાળુ સિઝન મનપાના પાપે ફેઇલ જતાં મારે દિકરાઓની ફિ ભરવાના પૈસા ખોરવાનો વખત આવશે.> દશરથ ચાવડા, ખેડૂત
વાલીઓનો આક્ષેપ:સરવણા પ્રા. શાળાના 4 બાળકોને હોલ ટિકિટ મોડી મળતાં નવોદયની પરીક્ષાથી વંચિત રહ્યા
હિંમતનગર તાલુકાની સરવણા પ્રાથમિક શાળાના ધો. 5માં અભ્યાસ કરતાંં ત્રણથી ચાર બાળકોને હોલ ટિકિટ મોડી મળતાં નવોદય પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.જો કે આ મામલે છાત્રોના વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શાળાના આચાર્યએ હોલ ટિકિટ શનિવાર સવારે એટલે કે પરીક્ષાના દિવસે આપતાં બાળકો પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. સરવણા પ્રાથમિક શાળામાં ભણતા હર્ષ પરમાર તથા અન્ય ત્રણ વિદ્યાર્થીઓને નવોદય પરીક્ષાની હોલ ટિકિટ મોડી મળતાં પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય સંગીતાબેન દ્વારા અમને હોલ ટિકિટ આજે શનિવાર સવારે જ આપતાં તથા પરીક્ષા 11.30 વાગે શરૂ થઇ જતાં અમે 7થી 10 મિનિટ મોડા પડતાં અમારા બાળકોને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. પરીક્ષામાં બેસવા ન દેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો હતો. શરતચૂકથી મેસેજ જોવાનો રહી ગયોઆ મામલે શાળાના આચાર્ય સંગીતાબેને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શરતચૂકથી મેસેજ જોવાનો રહી જતાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આજે આપતાં તેઓ પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ પહોંચ્યા હતા. જેથી તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા શિક્ષક દોષી જણાશે તો કાર્યવાહી કરાશેઆ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી કૈયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વાલીઓેની રજૂઆત આવી છે, વાલીઓેએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્યએ અમને પરીક્ષા અંગે મોડી જાણ કરી હતી તથા હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓને આજે જ આપતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. આ અંગે ટીપીઇઓને જાણ કરી છે તેઓ શિક્ષકને નોટિસ આપશે અને શિક્ષક દોષી જણાશે તો કાર્યવાહી કરાશે. સાબરકાંઠામાં નવોદયની 7995 છાત્રોએ પરીક્ષા આપીસાબરકાંઠા જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા કુલ 34 કેન્દ્રો પર યોજાઈ હતી. જિલ્લાના હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓના કેન્દ્રો પર 7,995 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પ્રવેશ પરીક્ષા સવારે 11.30 કલાકે શરૂ થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા, અંકગણિત અને ભાષાની કસોટીના વિભાગોની પરીક્ષા લેવાઇ હતી.
યુવક ગુમ થયો:ખાનપુરનો યુવક ગુમ
બોરસદ તાલુકાના ખાનપુર ગામે ગાંધી ચોક ખાતે રહેતા હિર અમીતભાઇ પટેલ ઉ.વ 19 ગત 11મીનો રોજ કોલેજ જવાનું કહીને ઘરે નીકળ્યો હતો. જે મોટી સાંજ સુધી ઘરે પરત ફર્યો ન હતો. તેમના પરિવારજનો તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બંને બનાવ અંગે બોરસદ પોલીસ મથકે જાણવા જોગ નોંધાઇ છે.
પ્રતિબંધના જાહેરનામાનો ઉડ્યો છેદ:સર્કીટ હાઉસ માર્ગ વાહનો માટે પ્રતિબંધ છતાં જાહેરનામાનો ભંગ
આણંદ સર્કીટ હાઉસ વ્હાઇટ ટોપીગ રોડ નિર્માણ પગલે આવાગમન પ્રતિબંધના જાહેરનામાનો થતો ભંગ, કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ(સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગ તરીકે ડેવલપ કરવાની કામગીરી અંતર્ગત સદર માર્ગ આગામી 6 ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ બંધનું જાહેરનામું છતાં વાહનોના આવાગમન થતાં પ્રતિબંધના છેદ ઉડી રહ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ (સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગની કામગીરી હાથ ધરતાં આગામી 6 ફેબ્રુઆરી સુધી વાહન આવાગમન પર પ્રતિબંધ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત વાહન આવાગમન માટે વૈકલ્પિક વ્યવસ્થાના આયોજન કરવામાં આવ્યાં હતું તેમ છતાં હાલમા માર્ગની કામગીરી સમયે સદર માર્ગ પરથી વાહનોના અવરજવર ચાલુ રહેતા જાહેરનામુંના ભંગ થતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે તંત્ર દ્વારા અમલ કરાવાતો નથી. જેથી ચાલકો ઘુસી જાય છે.
હેકરની કરતૂત:બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાયું
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું હતું. તેમજ બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ફફડાટ વ્યાપી ગયો હતો. સોજિત્રા તાલુકામાં બી.એલ.ઓ (બૂથ લેવલ ઓફિસર) ગ્રૂપમાં વોટ્સએપ એકાઉન્ટ હેક થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. બી. એલ. ઓ ગ્રૂપમાં એક કર્મચારીનું વોટ્સએપ હેક થતાં ગ્રૂપમાં સામેલ તમામને એસ. બી. આઈ ની એપીઆરએપ્લિકેશન હેકર દ્ધારા મોકલાઈ જતાં ઘણા બી. એલ. ઓ અસમંજસ સ્થિતિમાં મુકાઇ ગયા હતા અને 3 કર્મીઓએ એપ ડાઉનલોડ કરી પરંતુ સાચી હકીકત ખબર પડતાં તાત્કાલિક ડિલીટ કરાઇ હતી. આ બાબતે બી. એલ. ઓ ગ્રુપનો પ્રોફાઇલ ફોટો હેકર દ્ધારા બદલાઈ ગયો હતો અને લોભામણી સ્કીમ પીડીએફ મુકાઇ હતી આ બાબતની જાણ થતાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું હતું . ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષકોના ખાતા સ્ટેટ બેન્કમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ એપીઆર એપ્લિકેશનથી ઘણા શિક્ષકો મુઝવણમાં મુકાઇ ગયા હતા. વોટસએપ હેક થઇ જાય તો શંકાસ્પદ કોલની ભીંતી વર્તાઇ તપાસમાં ખુલ્યું કે હેક કરાયેલા વોટ્સએપ એકાઉન્ટનો ગેરઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેને લઇને બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોમાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવાનો વખત આવ્યો હતો
દબાણો દૂર કરતું તંત્ર:કરમસદ આણંદ મનપા દ્વારા જાહેર રસ્તા પરના 50થી પણ વધુ દબાણો દૂર કરાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓ તથા દુકાનદારો દ્વારા તેમનો સામાન લોકોને અડચણરૂપ થાય તથા ટ્રાફિક થાય તે રીતે મૂકવામાં આવે છે તે માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે 50થી વધુ નાના મોટા દબાણો અને લારીઓ દૂર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશના ભાગરૂપે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ, ટૂંકી ગલી થી લઈને પોસ્ટ ઓફિસ સુધીના નાના મોટા દબાણો દૂર કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓના સામાન જપ્ત કરવામાં આવ્યો છે તથા જાહેર રસ્તા ઉપર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે અને અને જો ભવિષ્યમાં દબાણ કરવામાં આવશે તો નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે. જો કે કેટલાંક દુકાનદારો અને મનપાની ટીમો વચ્ચે બોલાચાલીના બનાવો બન્યા હતા. કરમસદ-આણંદ મનપાના એસ્ટેટ વિભાગ અધિકારીઓ શહેરના ટુંકી ગલી વિસ્તાર,સ્ટેશન રોડ, ચર્ચની સામેના રોડ સહિત અન્ય માર્ગો પર દુકાનદારો ફૂટ પાથ પર માલ મુકી દેતા હોવાથી રાહદારીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ત્યારે હવે પછી એકના એક દુકાનદાર 3 વખત ઝડપાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડદુકાનદારોએ રોડ પર લોખંડીની જાળી મુકતાં અડચણ રૂપઆણંદ શહેનરા સ્ટેશન રોડ, ચર્ચની સામે દુકાનદારો, તેમજ ટુંકી ગલી અને સુપર માર્કેટ સહિત અન્ય વિસ્તારોમાં મોટાભાગના દુકાનદારો ફૂટપાથ પર માલ સામન મુકે છે. તેમજ રોડ પર લોખંડની જાળી મુકીને અવરજવરનો રસ્તો બનાવે છે. જેને લઇને વાહનચાલકને અનેક હાલાકીઓનો સામનો કરવો પડે છે.તો વળી ક્યારેક તો લોખંડની જાળીને કારણે રાહદારી ઠોકર વાગતાં ઇજા થાય છે. ત્યાર મનપા દ્વારા રોડ પર કે ફૂટપાથ પર લોખંડી જાળી મુકતા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આણંદ બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન દુધના ટીપાના આકારનું અને રંગનુ બનશે. ત્રણ મજલી બનનાર આણંદ રેલવે સ્ટેશનના પાયાનું કામ ડિસેમ્બર 2021માં શરૂ થયુ હતુ. જયારે હાલમાં કોન્કોર્સ સ્લેબ ટ્રેક સ્લેબ અને સ્ટ્રકચરલ સ્ટીલનું કામ 100 ટકા પુર્ણ સાથે સ્ટેશનનું કામ 80 ટકા પુૂર્ણ થયુ હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેકટના સત્તાવાળાઓએ જણાવ્યુ હતુ. આણંદ દૂધ નગરી તરીકે ઓળખ ધરાવે છે. જેથી બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને ઇન્ટિરિયર ડિઝાઇન દૂધના ટીપાંના પ્રવાહી સ્વભાવ, આકાર અને રંગથી પ્રેરિત છે.પદયાત્રી પ્લાઝાની જગ્યાની સાથે કાર, દ્વિ-ચક્રીય, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સહિતની કામગીરી પૂર્ણતાના આરે પહોચી ગઇ છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ
ચોથી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા:આણંદ જિલ્લામાં 1141 ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે
આગામી 4થી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવનાર છે.ત્યારે આણંદ જિલ્લામાં 48 બ્લોકમાં 1141 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જો કે દિવ્યાંગ ઉમેદવારો અને બે લહિયા મેળવવા માટે પરીક્ષા કેન્દ્ર ભોયતળિયે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના પગલે પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓ પડે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. પરીક્ષાની તડામાર તૈયારીઓના ભાગરૂપે આણંદ ડી.એન.હાઇસ્કૂલમાં 12 બ્લોક 288 પરીક્ષાર્થી, કસ્તુરબા કન્યા વિદ્યાલય 15 બ્લોક 360 પરીક્ષાર્થી, ચરોતર ઇગ્લીંશ મીડિયમ સ્કૂલ15 બ્લોક 360 પરીક્ષાર્થી અને આણંદ હાઇસ્કૂલમાં 6 બ્લોક 133 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. જો કે ચાલુવર્ષે જીપીએસસીના પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે તે માટે કેન્દ્રના સંચાલક નું નામ અને મોબાઇલ નંબર વિગતો લખવામાં આવશે. ત્યારબાદ 20 જેટલા દિવ્યાંગો ઉમેદવાર માટે અલગ બ્લોકની વ્યવસ્થા ઉભી કરાશે. તેમજ 2 રૂમ લહિયા ઉમેદવાર માટે ભોયતળિયે રીર્ઝવ રાખવામાં આવશે. આમ આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે જીપીએસસી પરીક્ષાને લગતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મહત્વના માર્ગોને મંજૂરી અપાઈ:બમથીયા-નાના ખડબા રોડ 81 કિ.મી.ના રોડનું રૂ.4 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. 4.60 કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે 8.100 કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. 400.00 લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ દીવાલ તથા રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. સાથે જ, બીજું કાર્ય મોટા પાંચસરા ટુ જોઇન એસ.એચ. રોડનું છે, જેની લંબાઈ 1.5 કિમી છે અને તેના માટે રૂ. 60.00 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો મોટા પાંચસરા ગામને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ છે, અને આ રસ્તા પર ડામર કામ તથા રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી કરવામાં આવનાર છે, જેનાથી મોટા પાંચસરા તરફ જતા આવતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા આ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે આ કામો પૂર્ણ કરાવવામાં આવનાર છે.
માછીમારોમાં આક્રોશ:ઓખામાં ડિઝલ સબસિડીથી સાગર ખેડૂઓ વંચિત, આંદોલનની ચીમકી
દ્વારકા જિલ્લાના ઓખામાં માછીમારોને ડિઝલ પર સબસિડી મળી રહી નથી જેને કારણે થઇ રહેલા આર્થિક નુકસાનનાં પગલે માછીમારોમાં આક્રોશ વ્યાપી ગયો છે. માછીમારોને બોટ રજીસ્ટ્રેશન અનુસાર ટ્રીપ માટે ડિઝલની ખરીદીમાં સબસિડી આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે સિઝન આરંભ થઇ ત્યારથી જ એટલે કે ઓગસ્ટ મહિનાનાં બીજા પખવાડીયાથી જ સબસિડીની પ્રક્રિયા ઠપ્પ છે! જાણવા મળ્યા મુજબ આ ચર્ચિત મુદ્દે મત્સ્યોદ્યોગ કચેરીમાં સ્ટાફની અછતનું બહાનુ ગણગણાટનો વિષય બન્યું છે. તો એવી પણ ચર્ચા છે કે તાજેતરમાં પ્રકાશમાં આવેલ બોટ કૌભાંડને કારણે ડિઝલ સબસિડીની પ્રક્રિયા કરવામાં કોઈ અધિકારીને રસ નથી અથવા તેઓ મુદ્દે નિષ્ક્રિય રહેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે માછીમારોને વર્ષ દરમ્યાન પ્રાપ્ત થતી ડિઝલની સબસિડીથી માછીમારોને રૂ. 3 લાખ જેટલો લાભ થતો હોય છે પરંતુ ઓખામાં સિઝન ચાલુ થયાનાં 3 મહિના પછી પણ સબસિડીની કામગીરી ઠપ્પ હોવાથી નુકસાન વેઠતા માછીમારો આક્રોશ સાથે લાચારી અનુભવી રહ્યા છે. બીજી બાજુ રજૂઆતો છતા મળવાપાત્ર સબસિડી સહિતનાં લાભથી વંચિત રહેલા માછીમારો હવે લડી લેવાનાં મૂડમાં છે. ઓખા સાગરપુત્ર ફિશીંગ બોટ એસોસિએશન દ્વારા આ મુદ્દે ઘટતુ કરવા મત્સ્યોધ્યોગ કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું છે તથા ૭ દિવસમાં સમસ્યાનું સમાધાન ન થાય તો તમામ બોટ - હોડીઓ બંધ કરી ઓખામાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ આંદોલનની ચીમકી પણ આપી છે. અન્ય બંદરો પર સબસિડી ચાલુ, ઓખામાં કેમ બંધ...અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, માછીમારોને મળવાપાત્ર ડિઝલની સબસિડીનો લાભ અન્ય બંદરો પણ મળી જ રહ્યો છે. ફક્ત ઓખામાં જ આ પ્રક્રિયા ઠપ્પ પડેલી છે. તો આ માટે કોણ જવાબદાર છે! ઓખાનાં માછીમારોને તાત્કાલિક સબસિડીનો લાભ મળે અને છેલ્લા ત્રણ મહીનામાં થયેલ નુકસાનીનું વળતર પણ મળે એવી માંગ ઉઠી છે.
જાગૃતિ શિબિરનું આયોજન કરાયું:ઓખામાં મહિલા-બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અંગે સેમિનાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ ઓખા ખાતે સ્થાનિક મહિલાઓ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. શિબિરમાં કાનૂની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલ વકીલ આર.એન. ઠાકર દ્વારા અધિનિયમની વિવિધ જોગવાઇઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઉદાહરણો, તેનાથી પોતાનું રક્ષણ, હિંસાનો ભોગ બને તો લેવાના પગલાં, વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા આ અધિનિયમનો દુરુપયોગ ન થાય તે માટે સમજ આપવામા આવી હતી. વધુમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે મહિલાઓ માટેની સેવાઓની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપીને કાયદાકીય રક્ષણને લગતાં સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યકમમાં ટીસીએસઆરડીના કિરણબેન કવા અને ટીમ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો.
વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી:મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાનું લાઇટ બીલ ભરી આપતા દાતા
જામનગરમાં પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી જાડેજા દ્વારા ખરેખર વિશ્વ વિકલાંગ દીવસની અનાેખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીથી સંસ્થાને સારી એવી રાહત થવા પામી હતી અને જાડેજા પરિવારની આ સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું. શહેરના ઓમ ટ્રેનીંગ સેન્ટરના મનોદીવ્યાંગ બાળકોની સંસ્થામાં આવેલ પીજીવીસીએલનું લાઈટ બીલ જે રૂા. 42,000 આવ્યું હતું. ત્યારે જાડેજા પરીવાર દાતા તરીકે તેમણે લાઈટબીલની ચુકવણી કરીને મનોદીવ્યાંગ માટે કામ કરતી સંસ્થામાં મદદરૂપ થઇને લોકોને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી હતી. આમ ઉજવણી સંસ્થાના ખર્ચને પહોચી વળવા માટે જે પ્રોફેસર પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજાએ દાતા તરીકે આવીને મદદ કરતા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ તેમજ ફાઉન્ડર ડીમ્પલબેન મહેતાએ આ સરાહનીય કામગીરીને બિરદાવી છે.
અકસ્માત:પ્રાંતિજના ઓરણની સીમમાં આયશર પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું મોત
એક સપ્તાહ અગાઉ પ્રાંતિજના ઓરણ ગામની સીમમાં મોડી રાત્રે શામળાજી દર્શન કરી બાઈક પર પરત ફરી રહેલ અમદાવાદના યુવકોનું બાઈક આગળ જઈ રહેલ આયશર પાછળ ઘૂસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. અમદાવાદના સરસપુરની આમલીવાળી પોળમાં રહેતા કમલેશભાઈ ફકીરભાઈ પંચાલનો દીકરો રાજ પંચાલ તા.7-12-25 ના રોજ બાઈક નંબર જીજે-01-વાયએન-8297 લઈને બપોરે ત્રણેક વાગ્યે ઘેરથી નીકળ્યો હતો અને રાત્રે મોડે સુધી ઘેર ન આવતાં રાત્રે નવેક વાગ્યે તેના પિતાએ ફોન કરતાં 15-20 મિનિટમાં આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે બાઈકના અકસ્માતના સમાચાર મળતાં કમલેશભાઈ પ્રાંતિજના ઓરણ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમને ખબર પડી હતી કે બાઈક તેમની પડોશમાં રહેતા પિયુષ જીતેન્દ્રભાઈ ખલાસી ચલાવી રહ્યો હતો અને બંને શામળાજી દર્શન કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલ પ્લાઝાથી આગળ ઓરણ ગામની સીમમાં આયશરનો ઓવરટેક કરવા દરમિયાન પાછળ ઘૂસી ગયા હતા અને બંને પટકાયા બાદ પિયુષ ખલાસી (25) નું મોત થયું હતું.
જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું:પોરબંદર ખાતે પોક્સો અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલ તથા કડિયા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે પોક્સો અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કેન્દ્ર સરકાર પ્રેરિત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર તથા કડિયા પ્લોટ પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે લૈંગિક ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને POCSO એક્ટની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ‘સેફ ટચ’ અને ‘અનસેફ ટચ’ વચ્ચેનો તફાવત સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:ધારાગઢ દરવાજા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 શખ્સો પકડાયા
શહેરમાં લાઈટના અંજવાળે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 14,700નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધારાગઢ દરવાજા પાસે આવેલ તલાવડી નદી નજીકના આશારામ બાપુના આશ્રમથી ટીમલુવાળા સરકારની દરગાહ તરફ જતા રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પીએસઆઇ સોલંકી, એએસઆઈ બી. એ. રવૈયા સહિતની ટીમે શુક્રવારે રાત્રે દરોડો પાડ્યો હતો. જુગાર રમી રહેલા સુખનાથ ચોક પાણીના ટાંકા પાસે રહેતો મુના અબલાભાઇ મકરાણી, જમાલવાડીનો શબીરમિંયા ઉર્ફે લેવલબાપુ યુસુફમિંયા સૈયદ, કુંભારવાડાનો રફીક મહમદભાઇ કપળવંજી, રાજકોટનો પ્રકાશ કાળુભાઇ ગુલવાણીને ઝડપી લઇ 14,700ની રોકડ રકમ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર ફોલોઅપ:ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે વર્ષ બાદ પણ ચાર્જશીટ નહીં
વિજલપોરની એક શાળામાં અભ્યાસ કરાવતા કમલ અને સરિતા નાસકર દ્વારા પ્રાર્થના સભામાં ધર્મપરિવર્તન બાબતનો વીડિયો વહેતો થયો હતો. જેને પગલે તા. 29/11/24ના રોજ સરિતા નાસકર અને કમલ નાસકર વિરૂદ્ધ સનાતની સમાજની લાગણી દુભાયાની જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ બાદ વીડિયો લેબોરેટરીમાં મોકલ્યો હતો પણ 8 માસ સુધી કોઈ પણ જાતની રિપોર્ટ ન આવતા નવા એસપી આવ્યા અને ફોલોઅપ લેતા માત્ર સાત દિવસમાં રિપોર્ટ આવ્યો હતો. બાદમાં ચાર્જશીટ માટે કલેકટરના ખાનગી અહેવાલ બાદ ગૃહ વિભાગમાં ઓક્ટોબર 2025 માં મોકલી આપ્યું હતું. જ્યાં મોકલ્યાને બે માસ થવા છતાં હજુ સુધી ચાર્જ શીટ માટેના કોઈ અહેવાલ ન આવતાં હિન્દુ સંગઠનોમાં નારાજગી છે. નાસકર દંપતી નવસારીની બહાર છે ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે ફરિયાદ બાદ તેમના ઘર પાસે તેમની કારની અમુક તત્વોએ તોડફોડ કરતા નાસકર દંપતી હાલ નવસારીમાં નથી પણ તેઓ ક્યાં રહે છે તે બાબતે પોલીસ મથકે જાણ કરી હોવાની માહિતી મળી છે.
આગ લાગી:જામનગરમાં અનાજ કરીયાણાની દુકાનમાં આગથી લોકોના ટોળા એકઠા થયા
જામનગર શહેરના શંકર ટેકરી નહેરૂનગર વિસ્તારમાં આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં અકસ્માતે આગ ભભુકી ઉઠતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. આગથી દુકાનમાં તમામ કરીયાણા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
સન્ડે ફોટો સ્ટોરી:રાજયભરમાં અગ્રેસર ભાટીયા યાર્ડમાં મગફળીની મબલખ આવક
સમગ્ર ભારતમાં મગફળીના ઉત્પાદનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો મોખરાનુ સ્થાન ધરાવે છે.ભાટીયા એપીએમસી કેન્દ્ર ધબકતુ કેન્દ્ર રહયુ છે.ગત વર્ષ 2016-17માં સમગ્ર રાજયભરમાં પહેલા ક્રમે ભાટીયા યાર્ડ રહયુ હતુ. ચાલુ વર્ષ દરમિયાન ભાટિયા એપીએમસી ખાતે 3.50 લાખ બોરી અને કુલ 10236 મેટ્રિક ટન જથ્થો મળી કુલ 4313 ખેડૂતોની મગફળી ટેકાનાં ભાવથી ખરીદ કરવામાં આવી છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા ખરીદી કેન્દ્રોમાં પ્રથમ ક્રમે ભાટિયા એપીએમસી ખરીદી કેન્દ્ર રહ્યું છે.ગુણવત્તાની દ્રષ્ટીએ વખણાતી મગફળીની મબલખ આવકથી યાર્ડ ઉભરાયુ હોય તેવા અવકાશી દ્રશ્યો નજરે પડે છે.
અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવાના ગામ પાસે આવેલી સાગર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કારીગરો ફેકટરીમાં કામ કરતા હોય છે. આ ફેક્ટરીમાં બોઇલર પણ છે. જો તેને કઈ થયું તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ ઘણી વિકરાળ હતી. હાલમાં પણ આગ ફેક્ટરીમાં ફેલાઈ રહી છે. ખૂબ દૂરથી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. જેના કારણે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા વેળાવદર ગામની સીમમાં ખેતરોમાં જવાનો રસ્તો રાજાશાહી વખત જૂનો છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા વાડી ખેતરો સુધી પહોંચવાના એકમાત્ર રસ્તાને બ્લોક કરી દઈ દરવાજો મૂકી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને આ અંગે કોર્ટ તથા પોલીસ તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ આતંકથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષવેળાવદર ભાલ ગામે વર્ષોથી લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ પંથકમાં સૂકી ખેતી હોય અને વર્ષમાં માત્ર એક અથવા બે એટલે કે ચોમાસુ અને શિયાળુ પાક જ ખેડૂતો લઈ શકે છે, ત્યારે ગામની સીમમાં આવેલ ખેતરોમાં જવા માટે એકમાત્ર રસ્તો હોય આ રસ્તો ફોરેસ્ટ વિભાગની હદમાં હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રોડ બ્લોક કરી દઈ રોડ ખેડી નાંખી આ રોડ પર પસાર થવાની ખેડૂતોને અને રાહદારીઓને મનાઈ ફરમાવી અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવતા વેળાવદર ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રોડ પ્રકરણને લઈને ખેડૂતો દ્વારા નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોર્ટે રોડ ખુલ્લો કરવા હુકમ કર્યો હોવા છતાં આજદિન સુધી રોડ પરના દરવાજા અને બ્લોક દૂર કરવામાં આવ્યા નથી. રોડ પર પસાર થવાની કોશિશ કરતા ખેડૂતોને ધમકાવી દમદાટી આપવામાં આવે છે. ખેડૂતોની ભાવનગર જિલ્લા પોલીસવડાને રજૂઆતજેને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોએ એસપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ત્રણ પેઢી કરતાં વધુ સમય જૂનો રાજાશાહી કાળનો આ રસ્તો ખેડૂતો ગામમાંથી પોતાના ખેતર જવા માટે ઉપયોગ કરે છે અને આશરે 300 વીઘા કરતા વધુની ખેતીની જમીન સુધી પહોંચવા આ એકમાત્ર રસ્તો છે. આ રોડને અસામાજિક તત્વોએ પોતે જમીનના માલિક ન હોવા છતાં કબ્જો વાળી લઈ ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો છે. આથી પોલીસ તંત્ર કોર્ટના હુકમનું પાલન કરાવે અને તત્કાલ રોડ ખુલ્લો કરાવે ભવિષ્યમાં આ રોડ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય અને ખેડૂતોનું હિત તથા રક્ષણ થાય તે માટે યોગ્ય પગલા લેવાની એસપી સમક્ષ માંગ કરી હતી, દરમિયાન એસપીએ પણ હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે એવી ખાત્રી આપી હતી. ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસનઆ અંગે ખેડૂતોના આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, વેળાવદર ગામમાં 300 વીઘા જમીનના જમીનદારો આજે એસપી કચેરીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, જે જગ્યાએ તમને ચાલવા જગ્યાએ ચાલવા માટે ધાક ધમકી આપવામાં આવી છે. ગેટ અને તાળું મારી દેવામાં આવ્યું છે જે રસ્તા ઉપર તમારે જે રસ્તા ઉપર તમારે કાયમી ચાલવાનો હક છે તે રસ્તા પર બાવળના કાંટા નાખીને દેવામાં આવે છે તેવા શખસોને મનુ ઓધા વેગડ, એ વ્યક્તિ છે એમની કાયદેસરની કાર્યવાહી કરી જે રસ્તો કાયદેસરનો છે મામલતદારે હુકમ કર્યો છે. કલેક્ટરે હુકમ કર્યો છે. હુકમને અનુલક્ષીને ઉલ્લંઘન કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. ખેડૂતોને ભયમુક્ત બનાવવા અમારા 100 ટકા પ્રયાસો રહેશેવધુમાં એસપી જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના કોઈપણ ખેડૂતોને આવી મુશ્કેલી પડે તો અડધી રાત્રે હોંકારો બનશું, અને ખેડૂતોને ભયમુક્ત બનાવવા માટે અમારા 100 ટકા પ્રયાસો રહેશે. આ સ્થળ પર 11 જેટલા ખેડૂત ખાતેદારો જેની આશરે 500 જેટલી વીઘા જમીન અસરકારક છે 300 વીઘા જેટલી જમીન પડતર પડી છે જેના કારણે ખેડૂતો આજીવિકા, એનો ભય, મુશ્કેલીઓ ઉભી થઇ છે અને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, ખેડૂતોને ભયમુક્ત કરવા સુરતથી અમારી ટીમ આવીવેળાવદર ગામના 11 જેટલા અસરકારક ખેડૂતોઓમાં પાટીદાર અને અલગ અલગ સમાજના લોકો પણ સાથે છે. જે ઘઉં, કપાસ અને ચણાનો પાક ઉપજ લે છે. રાજાશાહી હતી અને ત્યાર પછી જે ખેડૂતોને જમીન અર્પણ કરવામાં આવી છે એ જમીન છે ત્યારથી રસ્તો છે, અલગ પ્રકારના કોઈ પણ બીજા રસ્તાઓ નીકળતા નથી. જેથી કરીને ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે કેમ મૂંઝવણને દૂર કરવા માટે ભયમુક્ત કરવા માટે સુરતથી અમારી ટીમ સાથે એસપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છેઅમે હર હંમેશ માટે ખેડૂતો માટે ખેડૂતોની સાથે છીએ, અને આખું સુરત આમ ગણી શકાય કે ભાવનગર જિલ્લાના 70થી 75 ટકા લોકો સુરતમાં જે પલાઈન કરીને ગયા છે એમના હૃદયમાં જમીન અને જમીર બચાવવા માટેના ભાવ છે અને તન મન ધનથી બધા લોકો ખેડૂતોની સાથે ઊભા રહે છે. કારણ કે અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છે, નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની ધરતી પરથી હૂંફ પણ મળે છે અને રોજગારી પણ મળે છે, જો આગામી દિવસોમાં આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. મકાનમાં રહેલા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે એક વ્યક્તિ બેભાન થતાં સારવાર અર્થે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસનો બાટલો ફાટ્યો ને આગ ફેલાઈફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. બ્રિગેડ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી.આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગમાં બે લોકો દાઝી ગયામકાનમાં આગ લાગતા બે લોકો દાઝી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ બેભાન હાલતમાં હતો જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આગ કાબુમા આવીફાયર બ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે કલોલના રેલ યાત્રીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને કલોલ રેલવે સ્ટેશન પર ચાર ખાસ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કલોલ અને આસપાસના વિસ્તારના યાત્રીઓને લાંબા અંતરના પ્રવાસમાં વધુ સુવિધા મળશે. દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યુંપશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, વલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર–કેએસઆર બેંગલુરૂ દર 15 દિવસે એક્સપ્રેસ તથા મુજફ્ફરપુર–સાબરમતી દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વડનગર–વલસાડ એક્સપ્રેસવલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી કલોલ સ્ટેશન પર સવારે 11:37 વાગે પહોંચશે અને 11:39 વાગે આગળ રવાના થશે, જ્યારે વડનગર–વલસાડ એક્સપ્રેસ સાંજે 6:15 વાગે આગમન કરીને 6:17 વાગે ઉપડશે. દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસઆ ઉપરાંત દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી રાત્રે 10:41 વાગે કલોલ પહોંચશે અને 10:43 વાગે આગળ જશે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ સાંજે 8:11 વાગે આગમન કરીને 8:13 વાગે રવાના થશે. બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ જોધપુર–કેએસઆર બેંગલુરૂ દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ 18 ડિસેમ્બરથી બપોરે 12:55 વાગે કલોલ પહોંચશે અને 12:57 વાગે પ્રસ્થાન કરશે. જ્યારે કેએસઆર બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સવારે 6:19 વાગે કલોલ પર આવશે અને 6:21 વાગે આગળ જશે. મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસતે જ રીતે મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બરથી સવારે 5:53 વાગે કલોલ સ્ટેશન પર આગમન કરીને 5:55 વાગે પ્રસ્થાન કરશે, જ્યારે સાબરમતી–મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાંજે 6:28 વાગે પહોંચશે અને 6:30 વાગે આગળ રવાના થશે.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજ સમારકામ દરમિયાન કામ કરતા શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવી માટીમાં દબાયેલ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયોવડોદરા નજીક આવેલ કરોડિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ દરમ્યાન માટીમાં શ્રમિક ઊંડા ખાડામાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે અને આવતી કાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે તપાસ હાથ ધરીઆ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી કે કોઈ અન્ય એજન્સી તે બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જવાહનગર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેનું મગફળી ખરીદ કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્રને કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ (NAFED) અને એન.સી.સી.એફ. (NCCF) દ્વારા મોડેલ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ચાલુ સીઝનમાં શરૂ કરાયેલા આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી કરવામાં આવે છે. અહીં સીસીટીવી કેમેરા, ડિજિટલ વજનકાંટા અને ત્વરિત ચુકવણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડેલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે. ખેડૂતોના મતે, પારદર્શક ખરીદી, ઝડપી ચુકવણી અને યોગ્ય ભાવ મળવાથી તેમને મોટી રાહત મળી છે. આ કેન્દ્ર સ્થાનિક ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય સુનિશ્ચિત કરે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ગુજરાત સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રે રાજ્યને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. મોડાસા મગફળી ખરીદ કેન્દ્રના નોડલ ઇન્ચાર્જ ભાનુ પટેલના જણાવ્યા અનુસાર, ગત 9મી તારીખથી શરૂ થયેલી ખરીદીમાં અત્યાર સુધીમાં કુલ 1200 ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને ₹12 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, અન્ય 300 ખેડૂતો માટે પણ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મગફળી વેચવા આવતા તમામ ખેડૂતો માટે ચા, પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કેન્દ્ર ખાતે કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં રાણી મસ્જિદ પાસે આવેલા એક વીજપોલ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજપોલ પર લાગેલા પ્લાસ્ટિકના વાયર અને અન્ય સામગ્રી સળગી ઊઠી હતી, જેના કારણે આગ વધુ પ્રસરવા લાગી હતી. સ્થાનિકોએ તાત્કાલિક MGVCLને જાણ કરી હતી, પરંતુ તેમની ટીમ ઘટનાના ઘણા સમય બાદ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન આગ વધુ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ગોધરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ફાયર એક્સ્ટિંગ્યુસરથી કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો, પરંતુ પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ વધુ પ્રસરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વીજપોલના સમારકામ માટે અગાઉ પણ MGVCLને જાણ કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી, જેના પરિણામે આજે આગની આ ઘટના બની હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનજીર્વિત જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલે તા.14ના રવિવારે મહા જળકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિખ્યાત કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જલ એકત્ર કરવામાં આવ્યા હતા.આ પવિત્ર જલને કળશમાં ભરીને રાજકોટના જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સૌરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલવામાં આવ્યા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે(14 ડિસેમ્બરે) સવારે પુન: રાજકોટ આવી પહોંચશે. રવિવારના રોજ સવારે 8 કલાકે બહુમાળી ભવન ચોકથી આ મહા જળ કળશયાત્રાનો પ્રારંભ થશે. જે બેન્ડની સુરાવલીઓ સાથે દિવ્ય વાતાવરણમાં જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે.રેસકોર્સ મેદાનમાં સવારે 9 કલાકે મહા જલપૂજનનો પ્રારંભ થશે. રાજકોટમાં આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે આ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજન વિધિને અનુલક્ષીને જલપ્રેમીઓ અને નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે. રાજકોટના એડિશનલ કલેક્ટર હવે નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવરાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજકોટ કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવતા આલોક ગૌતમ સહિત છ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે.જેમાં રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટર આલોક ગૌતમને રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે તેમની સાથે નાયબ સચિવ દિક્ષિત જોષીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂરાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી આજે સવારથી ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ અને ઉપલેટા તાલુકાના 47 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી આજ સવારથી કેનાલ મારફતે છોડવામાં આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉપરોકત ગામોને 90 દિવસ સુધી ક્રમશઃ શિયાળુ પાક માટે પાણી આપનાર છે. ઉભા પાક માટે ત્રણ પાણ અને વાવેતર માટે છ પાણ આપવામાં આવશે. અને સિંચાઈના હેતુસર ભાદરમાંથી કુલ 2000 એમસીએફટી જેટલુ પાણી છોડવાનું આયોજન છે. ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના આજી-2 સહિતના ડેમોમાંથી પણ સિંચાઈનું પાણી છોડવાનું આયોજન છે. વૈષ્ણવજન તો તેને રે કહીયે.. જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશેરાજકોટની જાણીતી કલા કલેકટીવ ફાઉન્ડેશન અને કલા રાત્રિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. જે રેસકોર્સ પાસે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી પાસેથી સવારે 7 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે. આથી રાજકોટના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. રેસકોર્સ ફરતે 3 કિ.મી.ની પ્રભાત ફેરી યોજાશે. અંદાજે 200 થી વધુ લોકો જોડાશે.પ્રભાત ફેરી પૂરી થયા બાદ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આયોજીત રાઈઝિંગ રાજકોટ એક્ઝિબિશનની મુલાકાત લેશે. આ આયોજનમાં RMC અને સ્માર્ટ સીટી જોડાયું છે. મંજીરાં, એક તાર, કરતાલ જેવા વાજિંત્રો ના સથવારે પ્રભાતીયા ગાવામાં આવશે. જેમાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે, વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર સાયબર ક્રાઈમ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. ઓપરેશન મ્યુલ હંટની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર સેલ દ્વારા ફ્રોડની ફરિયાદ અને ફ્રોડની રકમ જે ખાતામાં ગઈ હોય તે ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું. સમન્વય પોર્ટલના ડેટાનું એનાલિસિસ કરતા ઉત્કર્ષ બેંક એકાઉન્ટ નંબર વિરુદ્ધ પંજાબ અને ગુજરાતમાં 2 ફરિયાદ તેમજ Yash બેંકમાં ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં ફરિયાદ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસીસ દરમિયાન સાયબર સેલ દ્વારા એક ટ્રેડીંગ કંપનીના ઓઢવના રહેવાસી કોટેચા ગીરીશ અને ઠક્કરનગરના રહેવાસી પંચાલ બ્રિજેશને ઝડપી પાડ્યો છે. આરોપીઓના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં 4.77 કરોડ રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યાં હતાં. કમિશનની લાલચમાં આરોપીઓ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાયાપોલીસે બંને બેંક એકાઉન્ટ હોલ્ડરની પુછપરછ કરતા તેમના સંયુક્ત પાર્ટનરશીપમાં તથા વ્યક્તિગત 12 જેટલા બેંક ખાતાની 22 જેટલી સાયબર ક્રાઇમની ફરીયાદ અલગ અલગ રાજ્યોમાં નોંધાઇ હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓની વધુ તપાસ દરમિયાન પોલીસને 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 17 મોબાઈલ ફોન, 40 ડેબીટ/ક્રેડીટ કાર્ડ, લેપટોપ, UPI સ્કેનર, POS મશીન 9 સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી ગીરીશ કોટેચાએ માત્ર ધો. 9 જ્યારે બ્રિજેશ પંચાલે ધો. સુધીનો અભ્યાસ કર્યો છે અને કમિશનની લાલચમાં આરોપીઓએ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાઇને આ ખેલ શરૂ કર્યા હતા. ક્યુઆર કોડ સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતાએપ્લીકેશનથી નાણાં આવતા અને ખાતામાં મેળવતા હતા. આ બંને આરોપીઓની સાથે અન્ય આરોપીઓની પણ સંડોવણી છે. મુખ્ય આરોપીઓ એપ્લીકેશન બનાવીને તેમાં ડીપોઝીટ ઓપ્શન પર ક્લીક કરીને ક્યુઆર કોડ જનરેટ કરે છે. જેને સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતા. એપ્લીકેશનમાં જે રૂપિયા આવે તેના માટે પકડાયેલા બંને આરોપીઓ બેંક ખાતા પૂરા પાડતા હતા. અલગ અલગ રાજ્યમાં 108 સાયબર ફ્રોડની ફરીયાદોજુદા જુદા રાજ્યોમાં 100થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓની તપાસ દરમિયાન કુલ 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવેલાનું સામે આવ્યુ છે. તેમાંથી 21 બેન્ક એકાઉન્ટો ઉપર જુદા જુદા રાજ્યોમાં કુલ 108 સાયબર ફ્રોડની ફરીયાદો નોંધાઇ છે. આરોપીઓની સાથે સાથે હવે પોલીસે વિદેશમાં બેઠેલા તેમના આકાઓની ચેઇન તોડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટની 35 ફરિયાદ નોંધાઈમ્યુલ એકાઉન્ટને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડની ફરિયાદ નોંધીને તપાસ દરમિયાન જે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે ખાતાની માહિતી એકઠી કરવામાં આવી હતી. બેંક એકાઉન્ટ હોલ્ડ્રી, એકાઉન્ટ ભાડે આપનાર, એજન્ટ સહિતના લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ પુરાવાના આધારે ફરિયાદ નોંધવાની શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 35 ફરિયાદ નોંધવામાં આવી છે. દુબઈ, કંબોડિયા જેવા દેશોથી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગમ્યુલ એકાઉન્ટનો ઉપયોગ દુબઈ, કંબોડિયા જેવા દેશમાં બેસીને સાઇબર માફિયાઓ કરે છે. સાયબર માફીઓ દ્વારા દેશના લોકો સાથે ડિજિટલ એરેસ્ટના રોકાણના નામે ફ્રોડ અને ગેમ્બલિંગના નાણા ટ્રાન્સફર કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓ વિદેશમાં બેઠા બેઠા ભારતના મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરે છે. એજન્ટ મારફતે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યા બાદ એજન્ટને કમિશન આપવામાં આવે છે. એજન્ટ દ્વારા એકાઉન્ટ હોલ્ડરને કમિશન આપી એકાઉન્ટ મેળવી લેવામાં આવે છે. હજુ મ્યુલ એકાઉન્ટની ડ્રાઇવ ચાલુ રહેશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના સમાપન દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ, મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર થતી વ્યાપક અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જોકે નાળિયેરીના પાકને ક્લાઈમેટ ચેન્જથી ફાયદો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 વર્ષ પહેલાં ગુજરાતમાં બાયોટેકનોલોજીના વ્યાપ વધારવા માટે મજબૂત પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પહેલ છેવાડાના વિસ્તારો સુધી પહોંચી રહી છે. GSBTM, ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના પાકો અને વન્ય જીવોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દિશામાં સંશોધકોને આવકારીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના પરિણામો આગામી સમયમાં વધુ ફળદાયી બનશે. GSBTM: વ્યવસાયિક તકો અને સંશોધન માટે સેતુ GSBTMના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યવસાયિક તકો વધારવા માટે GSBTM એક સેતુ બનશે. નવા બિઝનેસ શરૂ કરવા માટે માર્ગદર્શન અને સંશોધન કાર્ય માટે પૂરતું ફંડ તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, રિસર્ચથી જ સમાજ અને દેશ-દુનિયાનું કલ્યાણ થતું હોય છે. કેસર કેરી અને નાળિયેરી: પડકારો અને બાયોટેકનોલોજીનો ઉકેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયાએ ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરી અને નાળિયેરના પાકો સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે નાળિયેરના પાકમાં સફેદ માખી અને કેસર કેરીના પાકમાં પોલીનેશનમાં બાયોટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે સંશોધનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચરના ડાયરેક્ટર ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, કેરી એક સંવેદનશીલ પાક છે અને ક્લાઈમેટ ચેન્જના પરિણામે તેના પાકને વ્યાપક અસર થઈ રહી છે. ફ્લાવરિંગ મોટા પ્રમાણમાં બંધાઈ રહ્યા છે પરંતુ તે ટકી શકતા નથી અને સોપારી જેવડા આકારમાં ખરી પડે છે. દિવસ અને રાતના તાપમાનમાં જોવા મળતો મોટો તફાવત પણ આંબાના પાક પર અસર કરી રહ્યો છે. તેમણે કેરીની નિકાસ ખાડી દેશો ઉપરાંત વિકસિત યુરોપ અને અમેરિકા સુધી પહોંચાડવાના સમય પર ભાર મૂક્યો હતો. જીનેટીક્સ અને પ્લાન્ટ બ્રીડિંગના પ્રો. રાજીવ કુમારે બાયોટેકનોલોજીની મદદથી છોડમાં આવનાર રોગના નિયંત્રણ અને ટીસ્યુ કલ્ચર દ્વારા નાશપ્રાયઃ થતા કે સંગ્રહ ન કરી શકાતા બીજોને કૃત્રિમ રીતે બનાવવાની શક્યતાઓ વિશે માહિતી આપી હતી. તેમણે એક છોડના ગુણધર્મો અન્ય છોડમાં ઉમેરવા અને નવી જાતો વિકસિત કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આંબાની બાગોનું નવીનીકરણ અને નાળિયેરીની સંભાવનાઓ તાલાલા ગીર ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ (મેંગો)ના વિજયસિંહ બારડે 40- 50 વર્ષ જૂની આંબાની બાગોના નવીનીકરણ માટે ખાસ પ્રોનિંગ કટિંગની હિમાયત કરી હતી. તેમણે સમજાવ્યું કે મોટા ઝાડ રોગ અને જીવાતનો પ્રશ્ન વધારે છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને 40 ફૂટ જેટલા ઊંચા ઝાડ નિયંત્રણમાં રહી શકતા નથી. તેમણે ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જને કારણે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. મહુવા ખાતેના ફળ પાકોના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના સાયન્ટિસ્ટ જી.એસ. વાળાએ નાળિયેરના પાકોમાં રહેલી મોટી સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાથી નાળિયેરની સતત માંગ વધી રહી છે. ક્લાઈમેટ ચેન્જની નાળિયેરના પાકને આડકતરી રીતે ફાયદો થઈ રહ્યો છે કારણ કે વધુ વરસાદથી ભેજવાળું વાતાવરણ મળી રહે છે. નાયબ બાગાયત નિયામક અલ્પેશ દેત્રોજાએ કેન્દ્ર-રાજ્ય સરકારની બાગાયત કૃષિ માટેની યોજનાઓ અને સહાયોની વિગતવાર જાણકારી આપી હતી. નિવૃત્ત વન વિભાગના અધિકારી રઘુવીરસિંહ જાડેજાએ પોતાના કેરીના બાગના નવીનીકરણની સફળતાની વાત કરી હતી.GSBTMના સંયુક્ત નિયામક સ્નેહલ બગથરીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મેનેજર દીપીકા ડાભીએ આભાર વિધિ કરી હતી. આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ, વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો વગેરે મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
ગાંધીનગરમાં નિવૃત્ત જીવન જીવતા એક શિક્ષિકાને મહાઠગોએ ડિજિટલ એરેસ્ટ અને મની લોન્ડરિંગના ખોટા કેસનો ડર બતાવીને ખાતામાંથી કુલ 47 લાખની મોટી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે સિમકાર્ડ ખરીદાયાની ઠગે વૃદ્ધ મહિલાને ધમકી આપીકલોલમાં રહેતાં 63 વર્ષીય મહિલાને ત્રીજી ડિસેમ્બરના રોજ પહેલો કોલ આવ્યો હતો, જેમાં ઠગે પોતાને દૂરસંચાર વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી તેમના આધાર કાર્ડ પર મુંબઈમાં ગેરકાયદેસર સિમકાર્ડ ખરીદાયાની ધમકી આપી હતી. ઠગે ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યાઆ પછી કોલરોએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારીઓ અને CBI ડાયરેક્ટર તરીકે ઓળખાવ્યા હતાં. તેમણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવવા માટે 'નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ' માં સસ્પેક્ટ હોવાનું જણાવી ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યા હતા. નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યાબાદમાં મહાઠગોએ વીડિયો કોલ દ્વારા નકલી CBI અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પણ કરીને નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. અને ડિજિટલ ધરપકડનો હાઉ ઉભો કરી પૈસા અને ગુનેગારના પૈસા મેચ કરીને વેરીફિકેશન કરવાનું છે અને RBI દ્વારા રકમ પરત કરવામાં આવશે તેમ કહેવાયું હતું. 47 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કર્યાજેના પગલે 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ નિવૃત શિક્ષિકાએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પોતાના ખાતામાંથી 47 લાખ RTGS મારફતે ઠગ દ્વારા અપાયેલા ICICI બેંકના અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ઠગોએ તમામ FD ક્લોઝ કરાવીને બીજા ICICI બેંક ખાતામાં 1.50 કરોડ ટ્રાન્સફર સૂચના આપી હતી. મેનેજરને શંકા ગઈ ને ડિજિટલ એરેસ્ટ વિશે મહિલાને માહિતગાર કર્યાઆથી 8મી ડિસેમ્બરે ઉર્મિલાબેન જ્યારે ક્લોઝ કરેલી FDની રકમ ટ્રાન્સફર કરાવવા કલોલ બ્રાન્ચના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યારે મેનેજરે આટલી મોટી રકમ ટ્રાન્સફર કરવા અંગે શંકા વ્યક્ત કરી અને દેશમાં ચાલી રહેલા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ વિશે તેમને માહિતગાર કર્યા હતા. ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ ગૂનો નોંધ્યોઆમ મેનેજરની ચેતવણીથી નિવૃત શિક્ષિકાને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની જાણ થઈ હતી. આ મામલે નિવૃત્ત શિક્ષિકાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગૂનો નોંધવામાં આવ્યો છે.
આરોગ્ય સચિવે હિંમતનગર સિવિલની મુલાકાત લીધી:રોગી કલ્યાણ બેઠકમાં અદ્યતન મશીનરી ખરીદવા મંજૂરી અપાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી હતી. બેઠકમાં હોસ્પિટલ માટે અધતન મશીનરી ખરીદવા મંજૂરી આપવામાં આવી હતી.શનિવારે, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ હોસ્પિટલના ઓપીડી, ઓપરેશન થિયેટર, ICU વિભાગ, ટ્રોમા સેન્ટર અને લેબર રૂમ સહિતના જુદા જુદા વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે તબીબો સાથે દર્દીઓની સારવાર અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. સાબરકાંઠા જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લાના દર્દીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ આધુનિક મશીનરી ખરીદવા મંજૂરી અપાઈ હતી. જેમાં સોનોગ્રાફી ડોપ્લર, રેડિયોલોજી વિભાગ માટે એક્સ-રે ડિજિટલ રેડિયોગ્રાફી, પોર્ટેબલ એક્સ-રે, લેપ્રોસ્કોપી, બ્લડ બેંક માટે એટી અને આંખ વિભાગ માટે ફેકો મશીન સહિતની મશીનરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિવિલના તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી રચનાત્મક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પુસરી સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આશિષ કટારકર, ડૉ. પરેશ શીલાદરીયા અને RMO ડૉ. વિપુલ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ સેલે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વપરાતા મ્યુલ (Mule) બેંક એકાઉન્ટ ઓપરેટરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બી ડિવિઝન અને વંથલી પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે દેશના વિવિધ રાજ્યોના નાગરિકોને રોકાણ, શેર બજાર અને નોકરીની લાલચ આપીને છેતરીને મેળવેલા કુલ ₹24,50,418 ની માતબર રકમ પોતાના એકાઉન્ટ દ્વારા જમા કરાવીને તાત્કાલિક સગેવગે કરી દીધી હતી. આ સમગ્ર કાર્યવાહી ભારત સરકારના NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે કરવામાં આવી છે. પોલીસ સમન્વય પોર્ટલ (JMIS) અને NCCRP પોર્ટલના માધ્યમથી સાયબર ક્રાઇમ સેલને લેયર વાઇઝ ડિટેઇલ મળી હતી, જેના આધારે જુનાગઢ જિલ્લાના કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની માહિતી મળી. C-ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઇ હુણ અને વંથલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રામભાઈ મેસુરભાઈ ગરચર દ્વારા આ બંને કેસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી મુજબ, જ્યારે નાગરિકો છેતરાય ત્યારે તેઓ સાયબર હેલ્પલાઇન નં.1930 પર કોલ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાણાં કયા શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં જમા થયા છે તેની તપાસ કરવામાં આવે છે, જે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓના એકાઉન્ટ્સનો ઉપયોગ માત્ર ફ્રોડથી મેળવેલી રકમ જમા કરાવવા અને બદઈરાદાથી ઉપાડી લેવા માટે કરવામાં આવ્યો હતો. જુનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી અભય ધીરુ પરસાણિયાના નામે ચાલી રહેલા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ કર્યો છે. અભય પરસાણિયાનું એકાઉન્ટ એસ.બી.આઈ. બેંક, જોષીપરા શાખામાં આવેલું છે.આ એકાઉન્ટમાં રોકાણની લાલચ સંબંધિત કુલ બે સાયબર ફ્રોડની ફરિયાદોની રકમ જમા થઈ હતી. ગુજરાતના ભોગ બનનાર યોગેશ જે. દેસાઈ પાસેથી ₹5,00,000 અને તેલંગાણાના ભોગ બનનાર બંડારી રાજાઇયા પાસેથી ₹ 4,00,000 જમા થયા હતા.આમ અભય પરસાણિયાના એકાઉન્ટમાંથી કુલ ₹9,00,000 ની રકમ બદઈરાદાથી ઉપાડીને સગેવગે કરવામાં આવી હતી. વંથલી પોલીસે બીજા મોટા કેસમાં આરોપી રવિ રાણાભાઈ સુત્રેજા જે ધંધુસરનો રહેવાસી છે જેના નામે ચાલી રહેલા કુલ બે મ્યુલ એકાઉન્ટ્સને ઝડપી પાડ્યા છે. રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સ (એસ.બી.આઈ. બેંક, ધંધુસર શાખા અને બેંક ઓફ મહારાષ્ટ્ર, રાણાવાવ ચોક શાખા) માં NCCRP પોર્ટલ પર કુલ 9 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જે રોકાણ, નોકરી અને અન્ય લાલચો સંબંધિત હતી. રવિ સુત્રેજાના એસ.બી.આઈ. એકાઉન્ટમાં ગુજરાતના યોગેશ જે. દેસાઈની એક ફરિયાદના ₹7,50,000 જમા થયા હતા. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં 8 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જેના ભોગ બનનાર દેશના વિવિધ રાજ્યોમાંથી હતા. આ ભોગ બનનાર પૈકી જામનગર તમિલનાડુ માં નોકરીની લાલચ આપી, ઉત્તર પ્રદેશ, દિલ્હી (ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડ), મહારાષ્ટ્ર (ટેલિગ્રામ દ્વારા રોકાણ) અને ઉત્તરાખંડના નાગરિકોનો સમાવેશ થાય છે.બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ₹8,00,418 ની રકમ જમા થઈ હતી, આમ રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સમાંથી કુલ ₹15,50,418 ની ફ્રોડથી મેળવેલી રકમ સગેવગે કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસે આ બંને કેસમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટ ધારકો દ્વારા કુલ ₹9,00,000 અને ₹15,50,418 મળીને કુલ ₹24,50,418 ની રકમનો ફ્રોડ ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ અભય ધીરુ પરસાણિયા અને રવિ રાણાભાઈ સુત્રેજાએ પોતાના બેંક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં, ગુનાહિત ઈરાદાથી આ રકમને ઉપાડીને પોતાના આર્થિક ફાયદા માટે વાપરી હતી. પોલીસે બંને આરોપીઓ અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં NCCRP પોર્ટલના ભોગ બનનાર અરજદારો અને પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટને સાક્ષી તરીકે રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ નાગરિકોને અજાણી લાલચમાં ન ફસાવા અને કોઈપણ સંજોગોમાં પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોઈને ન આપવા માટે અપીલ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે અત્યંત વિશાળ અને જ્ઞાતિ આધારિત સંતુલન જાળવતું માળખું મેદાનમાં ઉતાર્યું છે. નવા સંગઠનમાં સંગઠન મહામંત્રી તરીકે રોહિત સાવલિયા અને ખજાનચી તરીકે રવીન્દ્ર પટેલ તેમજ નિર્વ રાણાની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો સાથે જ કોંગ્રેસે શહેરમાં પોતાની સક્રિયતા વધારવાના સંકેત આપી દીધા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવીઆ નવા માળખાની સૌથી મહત્વની બાબત તેમાં હોદ્દેદારોની સંખ્યા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવી હોય તેમ 20 જેટલા ઉપપ્રમુખની નિમણૂક કરી છે. 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજઆ ઉપરાંત, સંગઠનને મજબૂત કરવા માટે 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજ ઉતારવામાં આવી છે. કારોબારી સમિતિમાં પણ 22 સભ્યોનો સમાવેશ કરાયો છે, જ્યારે પક્ષનો પક્ષ મજબૂતીથી રાખવા માટે 5 પ્રવક્તાઓ નિમણૂક પામ્યા છે. આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારોની નિમણૂક પાછળ પક્ષનો ઉદ્દેશ્ય શહેરના દરેક વોર્ડ અને વિસ્તાર સુધી પહોંચવાનો હોવાનું જણાય છે. કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરીરાજકીય વિશ્લેષકો આ માળખાને ભાજપના વર્તમાન માળખા સાથે સરખાવી રહ્યા છે. ભાજપમાં હાલમાં સામાન્ય રીતે 8 ઉપપ્રમુખ અને 8 મહામંત્રી હોય છે, જેની સરખામણીએ કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરી છે. ભાજપનું નવું માળખું હજુ જાહેર થવાનું બાકી છે, ત્યારે કોંગ્રેસે આક્રમક સંખ્યાબળ બતાવીને ભાજપ સામે મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. પાટીદારોને માળખામાં વિશેષ સ્થાનખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે પાટીદારોને આ માળખામાં વિશેષ સ્થાન અને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસની મથામણસુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનું આ 'મેગા લિસ્ટ' જ્ઞાતિવાદના સમીકરણો સાધવા માટેનું મોટું કદમ માનવામાં આવે છે. દરેક જ્ઞાતિના ચહેરાઓને સ્થાન આપીને એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સંખ્યાબળની દ્રષ્ટિએ આટલું મોટું માળખું મેદાનમાં ઉતાર્યા બાદ, કોંગ્રેસના આ કાર્યકરો જમીની સ્તર પર ભાજપના સંગઠિત માળખાને કેટલી ટક્કર આપી શકે છે અને પાટીદારોના મતો મેળવવામાં કેટલા સફળ રહે છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને દેહવ્યાપારના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. LCB અને SOGની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને ખાનગી માહિતી મળી હતી કે ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો છે. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો અને તેમને દેહવ્યાપારમાં ધકેલતો હતો. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે LCB અને SOGની સંયુક્ત ટીમે અલફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરી મુખ્ય એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે છેલ્લા દસ વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વસવાટ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં અંદાજે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી હતી, જેમાંથી કેટલીકને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોને સોંપી દેવામાં આવી હતી. ફારૂક શેખે કબૂલ્યું હતું કે તેણે હાલમાં ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ-અલગ સ્પા અને ગેસ્ટહાઉસમાં મહિલાઓને સેક્સ વર્કર તરીકે મોકલી હતી. આ કબૂલાતના આધારે LCB અને SOGની ત્રણ અલગ-અલગ ટીમોએ ભરૂચ અને અંકલેશ્વરના ત્રણ સ્પા અને એક ગેસ્ટહાઉસમાં રેડ કરી કુલ 10 મહિલાઓને બચાવી હતી. અગાઉ મળી આવેલી મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને આ ઓપરેશનમાં મુક્ત કરાવવામાં આવી છે. મુક્ત કરાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ રોજગારની આશાએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી. જોકે, એજન્ટે તેમને કોઈ નોકરી ન આપી દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 65,000), બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ સહિત દેહવ્યાપાર સાથે સંબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ-1956, ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ-2025 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને જાણીતા સામાજિક કાર્યકર રહીશાબેન શેઠ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી રાજકીય આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ચાર શખસ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, રહીશાબેન શેઠ જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર પાસે ઊભા હતા, ત્યારે સ્થાનિક અસામાજિક તત્વોએ તેમને નિશાન બનાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરીફ ઉર્ફે આરો, ગુડ્ડી ઉર્ફે સરફરાજ અને અન્ય બે અજાણ્યા શખસે રહીશાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી. આરોપીઓએ રહીશાબેન પર પોલીસ બાતમીદાર હોવાનો આક્ષેપ મૂકી જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. એક શખસે મહિલાને લાફો મારી લીધોહુમલાખોરો પૈકી ગુડ્ડી ઉર્ફે સરફરાજે રહીશાબેન પર હુમલો કરી તેમને લાફો મારી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવતા રહીશાબેનનો બચાવ થયો હતો. જોકે, હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, આ વખતે તો તું બચી ગઈ છે, પણ બીજી વાર મળીશ તો જાનથી મારી નાખીશું. નશીલા પદાર્થના વેચાણનો વિરોધ કરતા હુમલો કરાયાનો આક્ષેપકોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રહીશાબેન લાંબા સમયથી વિસ્તારમાં ચાલતા નશીલા સીરપ અને દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આરોપી આરીફ નશાકારક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. અસામાજિક તત્વોને ભય છે કે, રહીશાબેનની સક્રિયતાને કારણે પોલીસ જનતા રેડ કરશે અને તેમનો કાળો કારોબાર બંધ થઈ જશે. યુવાધનને બચાવવા માટે કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી વિચલિત થઈને આ હુમલો કરાયો હોવાનું મનાય છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નહિરહીશાબેન શેઠે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને આ હુમલો તેમની અવાજ દબાવવાનો એક પ્રયાસ છે. તેઓએ જણાવ્યું હતું કે, મેં ગાળાગાળી કરવાની ના પાડી તો તેઓ વધુ ઉશ્કેરાયા હતા. અસામાજિક તત્વોના મનમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હાલમાં પોલીસે આરીફ ઉર્ફે આરો અયુબ મલીક અને ગુડ્ડી ઉર્ફે સરફરાજ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શહેર કોંગ્રેસે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી ખાતે નેશનલ હાઇવે નં. 48 પર ₹11.73 કરોડના કુલ ચાર વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ કામો વાપી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા સર્વગ્રાહી યોજના હેઠળ હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં નેશનલ હાઇવે નં. 48 પર બલીઠા, ગુંજન, જીઆઇડીસી ચાર રસ્તા અને યુપીએલ બ્રિજ નીચે પેવર બ્લોકનું કામ સામેલ છે. ઉપરાંત, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે રોડ પહોળો કરવાની અને ગટરની કામગીરી પણ કરાશે. ગુંજન અને જીઆઇડીસી ચાર રસ્તા ખાતે બ્રિજ નીચે પાર્કિંગ ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. 180 બેડની હોસ્પિટલ પણ તૈયાર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, હાઇવે પર પાર નદીથી દમણગંગા નદી સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે અને સદભાવના ફાઉન્ડેશન સાથે મળીને 5 વર્ષ સુધી તેનું જતન કરાશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ₹160 કરોડના ખર્ચે વિયરની સાથે રિવરફ્રન્ટનું પણ નિર્માણ કરાશે. વાપી શહેરના તમામ રસ્તાઓનું કામ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરાશે, તેમજ બલીઠા અન્ડરપાસ સહિતના કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે નાગરિકોના સહયોગથી શહેરમાં અને જીઆઇડીસી વિસ્તારમાં થઈ રહેલી સફાઈ કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન યોગેશભાઈ કાબરીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, નોટિફાઇડ એરિયા પ્રમુખ મનીષભાઈ, નોટિફાઇડ એરિયા ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારી, નોટિફાઇડ બોર્ડના પદાધિકારીઓ, એડવાઇઝરી બોર્ડના મેમ્બર્સ સહિત મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખારાઘોડા રણ રોડ રૂ.1.35 કરોડ મંજૂર, હજી બિસ્માર:ફેબ્રુઆરીથી મીઠાના ટાંકા આવતા રોડ બનાવવો મુશ્કેલ
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાથી રણમાં જવાનો રૂ. 1.35 કરોડના ખર્ચે મંજૂર થયેલો રસ્તો હજુ પણ બિસ્માર હાલતમાં છે. આને કારણે વાહનચાલકો અને મીઠાના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ફેબ્રુઆરીથી રણમાંથી મીઠાના ટાંકા આવવાની શરૂઆત થયા બાદ આ રસ્તો બનાવવો અશક્ય બની જશે, અને બજેટ પણ પરત જવાની નોબત આવશે. ખારાઘોડા ગામ મીઠા ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે આશરે 20 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. આ મીઠું રેલવે વેગન અને ટ્રકો દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નિકાસ કરવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન, જેસીબી અને ડમ્પર વડે રણમાંથી મીઠું ખારાઘોડા લાવીને તેના ગંજા બનાવવામાં આવે છે. મીઠું ખેંચવાની સિઝનમાં ખારાઘોડાથી રણમાં જવા-આવવાના રસ્તાની ખરાબ હાલત વાહનચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે. થોડા મહિનાઓ અગાઉ, ધારાસભ્ય પી.કે. પરમારની ગ્રાન્ટમાંથી આ રસ્તો રૂ. 1.35 કરોડના ખર્ચે મંજૂર થતાં મીઠાના વેપારીઓ અને વાહનચાલકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. ખારાઘોડાના સરપંચ, મીઠા એસોસિએશન અને અગરિયા મંડળના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જોકે, રૂ. 1.35 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થયાને આટલો સમય વીતી જવા છતાં, આ રોડ હજુ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખારાઘોડા પરફેક્ટ કેમફૂડ ઇન્ડસ્ટ્રીઝના રામપાલજી પારીકે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં રણમાંથી ટાંકા આવવાની શરૂઆત થયા બાદ રસ્તો બનાવવો અશક્ય બનશે અને આખું વર્ષ વીતી જતાં બજેટ પણ પરત જઈ શકે છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશન, અગરિયા સમુદાય અને વાહનચાલકો દ્વારા તંત્રને ફેબ્રુઆરી પહેલા આ રોડનું કામ તાકીદે હાથ ધરવા વ્યાપક માંગ કરવામાં આવી છે.
પાટણ ખાતે 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સશક્ત નારી મેળા–2024ના આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે 11 થી 23 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 ડિસેમ્બર, 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત આ મેળાનું આયોજન કરાયું છે. પ્રગતિ મેદાન, ગુંગડી રોડ ખાતે 18, 19 અને 20 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માટે આ મેળો યોજાશે. મેળામાં કુલ 100 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે. આ સશક્ત નારી મેળા–2024 પાટણ જિલ્લાની મહિલા શક્તિને ઉજાગર કરવા અને ગામથી શહેર સુધી મહિલાઓની વિકાસયાત્રાને ગતિ આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે. રાજ્ય સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓના યોગદાનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર આધારિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે. તે રાજ્ય સહિત પાટણ જિલ્લાની હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના પાંડેસરામાં વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે પરિવારજનો દ્વારા તેના મૃતદેહને અંતિમસંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિ ખાતે લઇ જવામાં આવ્યું હતું ,પરંતુ મૃત્યુના પ્રમાણપત્ર સહીત જરૂરી કાગળિયાં નહીં હોવાને લીધે ત્યાં અંતિમવિધિ થઇ નહીં શકી હતી.જેને કારણે મહિલાના મૃતદેહને અર્થી સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. બીજી બાજુ અર્થી સાથે મૃતદેહ જોઈને હોસ્પિટલમાં ડોકટર સહિતનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાય ગયો હતો. જોકે અહીં મહિલાને મૃત જાહેર કર્યા બાદ જરૂરી કાગળો આપવામાં આવતા અંતિવિધિ માટે ફરીથી મૃતદેહ લઇ જવામાં આવ્યું હતું. મૃતદેહને ઉમરા સ્મશનભૂમિ ખાતે લઇ જવામાં આવ્યો હતોમળતી માહિતી પ્રમાણે, પાંડેસરા ખાતે આવેલ શિવમનગરમાં રહેતા 55 વર્ષીય સુનિતાદેવી વૃજનંદન તાંતીને પેરાલીસીસ સહિતની બીમારીઓ હતી. દરમિયાન સવારે 10 વાગ્યાના સુમારે ઘરે જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના મોતને પગલે એક બાજુ પરિવારમાં રડારાડ શરૂ થઇ ગઈ હતી. બાદમાં અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી હતી અને અર્થી ઉપર તેમનો મૃતદેહ ઉમરા સ્મશનભૂમિ ખાતે લઇ જવાં આવ્યું હતું. જરૂરી કાગળીયા પરિવારજનો પાસેથી માંગ્યાસ્મશાનના નિયમો મુજબ મૃત્યુનો પ્રમાણપત્ર સહિતના જરૂરી કાગળીયા પરિવારજનો પાસેથી માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમની પાસે આવા કોઈ કાગળિયા નહીં હોવાથી ત્યાં સંચાલકો અને પરિવારજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને અંતિમવિધિ થઇ નહિ શકી હતી. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને ગયાવિવાદના પગલે સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો.જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને પરિવારજનોને જરૂરી બાબતો સમજાવવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઇ હતી કે પરિવારજનો અર્થી સાથે સુનીતાદેવીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયા હતા. સિવિલમાંથી મૃતદેહને ફરીથી સ્મશાનભુમિ લઇ જવામાં આવ્યોસિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અર્થી ઉપર મૃતદેહ જોઈને ડોક્ટર, નર્સીંગ સ્ટાફ સહિતનો સ્ટાફ પણ આશ્ચયર્માં મુકાય ગયા હતા. બાદમાં ડોકટરો દ્વારા ઈસીજી સાથે જરૂરી તપાસ કરવામાં આવી હતી અને મૃત જાહેર કર્યા બાદ મૃત્યના જરૂરી કાગળિયાં આપ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં 8-10 કલાકનો સમય વીતી ગયો હતો. ત્યાર બાદ તેમના મૃતદેહને ફરીથી સ્મશાનભુમિ લઇ જવામાં આવ્યું હતું અને અંતિમવિધિ થવા પામી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં BU પરમિશન વગર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા પ્રિ પ્રાયમરી શાળાઓને અને હવે BU પરમિશન વગર ચાલતી પ્રાથમિક શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શાળાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અસર થતા અમદાવાદ શહેર DEO એ 9 પ્રાથમિક શાળાઓને શો કોઝ નોટિસ ફટકારી ઈમ્પેક્ટ ફી હજુ સુધી કેમ ભરવામાં આવી નથી તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જો શાળા દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવામાં નહીં આવે તો DEO એ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. AMC દ્વારા 9 પ્રાથમિક શાળાઓને સીલ કરાઈ9 જેટલી પ્રાથમિક શાળાઓ પાસે BU પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. જેથી સીલ થયેલી શાળાઓને વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઇન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરી BU પરમિશન અને ફાયર સેફ્ટી મેળવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેર DEO એ અન્ય તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરું ફાયર NOC અને બીયું મેળવી લેવા કડક સૂચના આપી છે. શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશઅમદાવાદ શહેર DEOએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવતી 9 જેટલી સેલફાઇન્સ પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી ભરીને પ્રક્રિયા હાથ ધરું હોવાનું વખતો વખત શાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવતા શાળાઓને શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થાય તે જરાય પણ ચલાવી ન લેવાય. જેથી સૂચના આપવામાં આવી છે કે ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. BU પરમિશન ન મેળવે તો માન્યતા રદ કરવાની તૈયારીવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જો વહેલી તકે ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું શાળાઓને જણાવવામાં આવ્યું છે. કારણકે વિદ્યાર્થીઓની સલામતી તે પહેલી પ્રાથમિકતા છે. તેમજ તમામ શાળાઓને BU પરમિશન અને ફાયર સેફ્ટીનું પાલન કરવા સહિતના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં જીલ જયંતભાઈ રાજપરા (ઉં.વ.24) નામની યુવતીએ ગઈકાલે રાત્રે ઘરે એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો પ્રસંગમાં ગયો હતો અને ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તુરંત 108માં જાણ કરી હતી જે બાદ 108ના ઇએમટીએ સ્થળ પર આવી તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જીલ 2 બહેનમાં મોટી હતી તેના પિતા સોની કામ કરે છે અને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો જે બાદ કોઈ કામ કરતી ન હતી. થોડા સમયથી ગુમસુમ રહેતી અને બધા સાથે ઓછું બોલતી શું થયું પૂછે તો કંઈ કહેતી નહીં અને ડિપ્રેશનમાં રહેતી હતી. અગાઉ તેણે ફીનાઇલ પી અને ઝેરી દવા ખાઈને પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધો.9ની છાત્રાને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પીછો કરી નંબર માંગી જાતીય સતામણી કરી રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનાર 13 વર્ષની વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી નરેન્દ્ર જેઠા મકવાણા અને માલવી જીતેન્દ્ર ચૌહાણ વિરૂધ્ધ જાતીય સતામણી, પોક્સો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ નરેન્દ્ર અને માલવે અઠવાડીયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને તેણીના મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાળા પોતે આ બંનેને ઓળખતી ન હોઇ રિકવેસ્ટ ડીલીટ કરી નાંખી હતી. આમ છતાં આ બંનેએ તેણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે વિદ્યાર્થિનીએ આ અંગે વાલીને જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ ગત તા.11.09.2025ના રોજ ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની સગીર વયની 15 વર્ષ 11 માસની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી અને અપહરણ કરી ગયેલ છે. પોલીસે તે ગુનાની તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન સગીરા મળી આવતા તેની પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, આરોપી ઇમરાન ઉર્ફે બાપુ અશગરભાઈ કાદરી તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા પોલીસે આરોપી ઇમરાન કાદરીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરૂધ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને આરોપીની ઉંમર 26 વર્ષની છે જ્યારે તે જાણતો હતો કે, સગીરાની ઉંમર 15 વર્ષ 11 માસની છે. તેમ છતાં તેણીને લલચાવી ફોસલાવી અને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ પોકસો અદાલતના સેશન્સ જજ વી.એ. રાણાએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે.
સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારોને હવે ‘રીલ’ બનાવીને પોતાનો ખોફ જમાવવાનો ચસ્કો લાગ્યો છે. સુરતમાં નવ મહિના પહેલા થયેલા મર્ડર કેસના આરોપીઓએ પેરોલ પર બહાર આવીને ઇન્સ્ટાગ્રામ પર ‘આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ’ લખી પોસ્ટ મૂકીને વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ‘ખેલ’ તેમને જ ભારે પડી ગયો હતો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ તત્વોની એવી ‘સર્વિસ’ કરી છે કે તેમની તમામ હેકડી ઉતરી ગઈ હતી. સુરત પોલીસ હવે આવા ‘ઇન્સ્ટાગ્રામિયા ડોન’ને કાયદાનું ભાન કરાવવા માટે મેદાનમાં ઉતરી છે. આવા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે, જો લોકોને ભયભીત કરવાનું કૃત્ય કરશો તો કાયદેસરની કાર્યવાહી કરી સર્વિસ કરી અને છોતરા કાઢી નાખવામાં આવશે. પેરોલ પર બહાર આવી સો. મીડિયામાં ભાઈગીરી કરીસુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી નવ મહિના પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી. આ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપી તાજેતરમાં જ પેરોલ પર બહાર આવ્યા હતા. સામાન્ય રીતે પેરોલ સુધરવા માટે મળતી હોય છે, પરંતુ આ ગુનેગારોએ બહાર આવતાની સાથે જ પોતાની ‘ભાઈગીરી’ બતાવવાનું શરૂ કર્યું હતું. હાથમાં તલવાર અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા અપલોડ કર્યાઆરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ વાગતો હતો કે, “આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ..” આટલું જ નહીં, હાથમાં તલવાર લઈને અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા પણ અપલોડ કર્યા હતા. એક ફોટામાં તો હિન્દીમાં લખ્યું હતું કે, જો સાથ દે ઉસકો સાથ મે રખો, ઔર સાલે દગાબાજો કો ઉનકી ઔકાત મે રાખો...” આ પ્રકારની પોસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ફરિયાદી પક્ષ અને સાક્ષીઓને ડરાવવાનો હતો. પેરોલ પર આવ્યા બાદ આ આરોપીઓએ પોતાના વિસ્તારમાં આતશબાજી કરી ફટાકડા ફોડીને જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. ફરિયાદી મહિલાની અરજી બાદ પોલીસની ત્વરિત કાર્યવાહીઆ બંને ગુનેગારો જે હત્યાના કેસમાં સંડોવાયેલા હતા, તે કેસના ફરિયાદી એક બહેન હતા. આરોપીઓના આવા વર્તનથી ફરિયાદી બહેન અને તેમનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સીધી ધમકી આપી રહ્યા હોવાનો અહેસાસ થતા ફરિયાદી બહેને તાત્કાલિક લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ શખસો રીલ અને પોસ્ટ મારફતે અમને ડરાવી રહ્યા છે અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. SOGએ આરોપીને દબોચી ફટાકડા ફોડ્યા તે જ વિસ્તારમાં લઈ ગઈ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી SOGએ ‘ઓપરેશન ગુનેગાર’ હાથ ધર્યું હતું. SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે ત્વરિત હરકતમાં આવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. બાદમાં જે વિસ્તારમાં આ શખસો ફટાકડા ફોડીને અને તલવારો બતાવીને દાદાગીરી કરતા હતા, તે જ વિસ્તારમાં પોલીસ તેમને લઈ ગઈ હતી. બંન્નેએ હાથ જોડી કહ્યું, હવે ફરી આવી કરતૂત નહીં કરીએપોલીસ જ્યારે આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે દૃશ્ય જોવા જેવું હતું. જે હાથમાં તલવારો હતી, તે હાથ હવે પોલીસની પકડમાં હતા. જે મોઢેથી “ફીર વહી પુરાના ખેલ” ના ડાયલોગ બોલાતા હતા, તે મોઢા હવે સીલ થઈ ગયા હતા. પોલીસે જાહેરમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન જે મહિલાઓને તેઓ ધમકી આપતા હતા, તેમની સામે જ બંને આરોપીઓને ઉભા રાખી ફરિયાદી પાસે રાખીને માફી મંગાવવામાં આવી હતી. વિસ્તારના લોકો જેમનાથી ડરતા હતા, તેમણે જોયું કે પોલીસની એક જ ઝાપટમાં કઈ રીતે ગુંડાઓની હેંકડી ઉતરી જાય છે. બંને આરોપીઓએ હાથ જોડીને કહ્યું હતું કે, હવે ફરી આવી કરતૂત નહીં કરીએ. ડીસીપી રાજદીપસિંહની આરોપીઓને ખુલ્લી ચેતવણીઆ સમગ્ર ઓપરેશન બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે મીડિયા સમક્ષ અત્યંત કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીનો આ દેશી અને મિજાજી અંદાજ સ્પષ્ટ કરે છે કે સુરત પોલીસ હવે આવા ‘સોશિયલ મીડિયા ગેંગસ્ટર્સ’ને સાંખી લેવાના મૂડમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે, જેલમાંથી બહાર આવીને સુધરવાને બદલે જો કોઈ ગુનેગાર ફરીથી અપરાધની દુનિયામાં પગ મુકશે અથવા સમાજમાં ભય ફેલાવશે, તો તેમની જગ્યા માત્ર જેલમાં જ છે અને ત્યાં સુધી પહોંચાડતા પહેલા કાયદાનું ભાન રસ્તા પર જ કરાવી દેવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા દિશામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 32મી બેઠક જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી અને પાણી વેરા વસુલાતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતો અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રૂ. 16.99 લાખના પ્રોત્સાહક ચેક વિતરણપાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને કુલ રૂ. 16.99 લાખની પ્રોત્સાહક રકમનો ચેક કલેકટરના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોત્સાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વેરા વસુલાત પ્રત્યે જાગૃતિ વધશે તેમજ પાણી વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અન્ય ગામોને ‘સરસ મેળા’માં પ્રોત્સાહનયોજનામાં સમાવેશ થયેલા અન્ય ગામોને મળનાર પ્રોત્સાહન રકમ આગામી “સરસ મેળા” દરમિયાન રાજ્ય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે તેમ બેઠકમાં જાણ કરવામાં આવી હતી. બેઠકમાં યાંત્રિક વિભાગ દ્વારા રજૂ કરાયેલ કોડીનાર તાલુકાના અરણેજ તેમજ સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી અને વાસાવડ ગામોની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં જર્જરિત હાલતમાં આવેલી અંદાજે ૩૫ ઊંચી પાણી ટાંકીઓના નવીનીકરણ માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેકટરએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. 25 ગામાં સોર્સ રીચાર્જની કામગીરી હાથ ધરાશેઉનાળાની પાણી તંગી અટકાવવા સોર્સમાં પાણી ખૂટી જાય તેવી શક્યતા ધરાવતા અંદાજે 25 ગામોમાં સોર્સ રીચાર્જના કામો હાથ ધરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ સંલગ્ન વિભાગોના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દહેગામ પોલીસ દ્વારા દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવાના પ્રયાસોના ભાગરૂપે ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતી એક મોટી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મેશ્વો નદી ખાતેથી ચાર અલગ-અલગ બાઇક મારફતે 158 લીટર દેશી દારૂનો જથ્થો અમદાવાદમાં ઠાલવવાના નેટવર્કનો પર્દાફાશ કરી 1.76 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી-વિદેશી દારૂની હેરાફેરી રસ્તો?દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમને બાતમી માલી હતી કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી વિદેશી દારૂની હેરાફેરી માટે મોકળો માર્ગ બની ગયો છે. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ મને કમને અત્રેના વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરી વોચ ગોઠવી દઈ બાઇકનો ઉપયોગ કરીને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાના નેટવર્કને ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસે ચાર બાઈક સાથે ચારને દબોચ્યા પોલીસે કુલ ચાર હોન્ડા સાઇન બાઇક કબજે કરી છે .જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો. આ વાહનોમાંથી કુલ 158 લીટર દેશી દારૂ સાથે યોગેશ પંડ્યા, ધર્મેન્દ્ર કઠેરીયા, અને પિન્ટુ ગોસ્વામી (ત્રણેય રહે. અમદાવાદ) ની ધરપકડ કરી કુલ રૂ.1.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 'દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો'આ અંગે દહેગામ પીઆઈ મુકેશ દેસાઈએ જણાવ્યું કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તારથી દેશી દારૂ ની હેરાફેરીનું નેટવર્ક ઝડપી લેવાયું છે. જેમાં એક આરોપી નાસી ગયો છે. આ દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભિલોડા અને મેઘરજ તાલુકાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ આર.એચ. પટેલ વિદ્યાલય, પાલ્લા ખાતે યોજાયો હતો. આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં અને સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં શિસ્ત, ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવાનો છે. સંસદ ખેલ મહોત્સવમાં કબડ્ડી ઉપરાંત ખોખો અને દોડ જેવી વિવિધ રમતોનું પણ આયોજન કરાયું હતું. સાંસદ શોભનાબેન બારૈયાએ વિદ્યાર્થીઓને રમતોમાં સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રમતગમતના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક સહિત અન્ય જિલ્લા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસ્વા અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભૌમિક ઓઝાએ સ્પર્ધાનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેના કારણે વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. આવા આયોજનો દ્વારા અરવલ્લી જિલ્લાના યુવાનોમાં રમત પ્રત્યેની રુચિ વધશે અને તેઓ વિકાસના પથ પર આગળ વધશે તેવી અપેક્ષા છે.
મહેસાણામાં રહેતા એક ડોકટર રાધનપુર રોડ પર આવેલ સેવન સ્પેસ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા પાર્ક કરી પીઝા ખાવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયામહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ રાધેકુંજ સોસાયટીમાં રહેતા અને ડોકટર ની નોકરી કરતા મોદી ભાવેશભાઈ 3 ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે રાધનપુર રોડ પર આવેલા સેવન સ્પેસ કોમ્પ્લેક્ષ પાસે પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન તેઓએ GJ02CH4362 નંબર નું એક્ટિવા કોમ્પલેક્ષ ના પાર્કિગમાં મૂક્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈએક્ટિવા પાર્ક કરી તેઓ પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન અજાણ્યા તસ્કરો તેઓનું એક્ટિવા ચોરી ગયા હતા. ફરિયાદી જ્યારે પીઝા ખાઈ એક્ટિવા લેવા ગયા એ દરમિયાન એક્ટિવા જોવા મળ્યું નહોતું.જેથી તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા એક્ટિવા ક્યાંય ન મળી આવતા આખરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 30 હજાર કિંમતના એક્ટિવા ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કરાટે સ્પર્ધા:હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વરમાં આવેલા સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. શનિવારે યોજાયેલી આ સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી લોકસભાના સંયુક્ત જિલ્લા કક્ષાના રમતવીરોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષા શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્ય સુધારવા માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. બારૈયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક બાળક અને બાળકીને સ્વરક્ષણની તાલીમ મળવી જોઈએ, ખાસ કરીને દીકરીઓને. આ તાલીમ તેમને દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે. તેમણે સ્વરક્ષણની તાલીમ આપતા કોચ જુજારસિંહ વાઘેલાની સેવાઓને બિરદાવી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે તેઓ જિલ્લાની ગ્રામીણ શાળાઓમાં પણ દીકરીઓને તાલીમ આપે છે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે ૨૦૩૦માં ભારતને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે, જે ગૌરવની વાત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં વધુ બાળકો આ રમતો સાથે જોડાશે અને દેશ માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત વાલીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અઘ્યક્ષ એ. એલ. વ્યાસની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલઆ નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરાયોઆ લોક અદાલતમાં 59 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ 1,52,71,000નો વળતરનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. તથા પ્રિલીટીગેશન કેસોના 3322 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. 9.61 કરોડની રકમના સમાધાન થયેલ આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલઓના સહયોગથી કુલ રૂા. 9,61,61,140 ની રકમના સમાધાન થયેલ છે. આમ, આ નેશનલ લોક અદાલતમાં કુલ- 17,793 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશઓ તથા કર્મચારીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરી આઈ. કે. જાંગડ સહિતનાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે.
સેક્ટર-10 મીનાબજારમાં બાકી ભાડું ન ભરનાર 8 દુકાનો સીલ:ગાંધીનગર મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરી
ગાંધીનગર મહાનગરપાલિકાએ બાકી લેણાં વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.આજે મનપાની ટીમે સેક્ટર-10 સ્થિત મીનાબજાર કોમ્પ્લેક્સમાં ધંધો કરતા દુકાનદારો ધ્વારા ઘણા સમયથી બાકી રહેલા ભાડાની રકમ ભરવામાં નહીં આવતા 8 દુકાનો સીલ કરી સ્થળ પર જ રૂ.3.10 લાખની વસૂલાત કરતા અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે. 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું, વારંવાર નોટિસપ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, મીનાબજાર ખાતે આવેલી કુલ 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું. આ 10 દુકાનોનું કુલ બાકી લેણું રૂ. 12,63,137 હતું. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં નિયત સમયમર્યાદા બાકીદારોએ બાકી રકમ ભરપાઈ કરી ન હતી. ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતામહાનગરપાલિકા દ્વારા આ ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતા આખરે કોર્પોરેશનને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ફરજ પડી હતી.આજરોજ કોર્પોરેશનની ટીમ મીનાબજાર ખાતે પહોંચી હતી અને બાકી ભાડાની વસૂલાતની કામગીરી શરૂ કરી હતી. કોર્પોરેશનની ટીમે સ્થળ પર જ બાકીદારોને તાત્કાલિક ભાડું ભરપાઈ કરવા જણાવ્યું હતું. મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરીઆ કાર્યવાહીના દબાણ હેઠળ કેટલાક દુકાનદારોએ તાત્કાલિક આંશિક રકમ ભરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી દરમિયાન કુલ બાકી લેણાંમાંથી રૂ. 3,10,000ની રકમ સ્થળ પર જ ચેક મારફતે વસૂલ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગના દુકાનદારો બાકી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેતા મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 8 દુકાનોને સીલ કરાઈઆ ઝુંબેશ હેઠળ કુલ 8 દુકાનોને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ કહ્યું છે કે, જ્યાં સુધી દુકાનદારો બાકી રહેલો સંપૂર્ણ ભાડાનો જથ્થો વ્યાજ સહિત જમા નહીં કરાવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં અને જો નિયત સમયમાં બાકી ભાડું ભરપાઈ નહીં થાય તો નિયમ મુજબ દુકાનોની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ટેક્સ, ભાડું કે અન્ય કોઈ પણ પ્રકારના સરકારી લેણાં બાકી હોય તેવા તમામ એકમો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન વસૂલાતની કામગીરી ચાલુ રહેશે.
રાજકોટમાં ડોક્ટરોની બેદરકારીના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2024ના ડેન્ગ્યૂની સારવાર સમયે એન્જિનિયર યુવક જય રેણપરાની તબિયત લથડી હતી અને ડો. હાર્દિક સંઘાણી અને ડો. જીગ્નેશ પટેલે બેદરકારી દાખવતાં યુવકની જિંદગીનો અંત આવ્યો હતો. જોકે, આ મામલે પીડીયુ સરકારી મેડિકલ કોલેજના રિપોર્ટમાં બેદરકારી સ્પષ્ટ થતાં હવે બી ડિવિઝન પોલીસે બંને ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે, પોતાનો વહાલસોયો દીકરો ગુમાવતા માતા-પિતાએ ભારે હૈયે કહે છે કે, આવા ડોક્ટરોને તો જન્મપીટની સજા થવી જોઇએ. તે કોઈ દિવસ જેલમાંથી બહાર જ ન આવવા જોઇએ અને માત્ર નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાળા મારી દેવા જોઇએ. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ: ચાંદનીબેન રેણપરા20 સપ્ટેમ્બર 2024ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે વહાલસોયા પુત્રને ગુમાવતા માતા ચાંદનીબેને જણાવ્યું હતું કે, મારા પુત્રના મોત માટે ત્રણ ડોક્ટર જવાબદાર છે. જેમાં સ્કંદ હોસ્પિટલના હાર્દિક સંઘાણી અને તેના પત્ની તેમજ ડો. જીગ્નેશ પટેલ સામેલ છે. જ્યારે ડેન્ગ્યૂની સારવાર ડો. હાર્દિકના પત્ની ડો. શ્વેતાએ કરી હતી. જેથી ત્રણેય ડોક્ટરોને સજા થવી જોઇએ. મારા દીકરાને 19 સપ્ટેમ્બર 2014ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 20 સપ્ટેમ્બરના સાંજે તેનું મોત થયું. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ. જેલમાંથી બહાર જ આવવા ન જોઇએ અને સ્કંદ હોસ્પિટલ સીલ થવી જોઇએ અને તાળા લાગી જવા જોઇએ. રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો: સુભાષ રેણપરામૃતક જયના પિતા સુભાષ રેણપરાએ જણાવ્યું હતું કે, આજથી સવા વર્ષ પહેલાં 19 સપ્ટેમ્બર, 2024ના મારા પુત્રને તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂ હોવાનું સામે આવ્યું હતું. જેથી મારો પુત્ર અને સાઢુભાઈનો દીકરો એક્ટિવા પર ગયા હતા અને સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ 20 સપ્ટેમ્બરના સવારે તેની તબિયત વધારે ખરાબ થઈ હતી અને રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે, હવે તેને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જાઓ. જોકે, બાદમાં મારા પુત્રનું મોત થયું. 'ડો. હાર્દિક ન હોય ત્યારે તેમના પત્ની સારવાર આપતા હોય છે'વધુમાં જણાવ્યું હતું કે, સ્કંદ હોસ્પિટલ માત્ર નામ પૂરતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હતી. જ્યાં સગવડતાના નામે કંઈ જ નહોતું. જ્યાં દર્દીને ઉપરના માળે લઈ જવા હોય તો બાચકું લઈને જતા હોય તે રીતે લઈ જતા હતા. ડો. હાર્દિક સંઘાણી ન હોય ત્યારે તેમના પત્ની જે સ્કીન ડોક્ટર છે તે સારવાર આપતા હોય છે. ગંભીર બેદરકારી તાત્કાલિક ધોરણે બંધ થવી જોઇએ. શું છે સમગ્ર મામલોરાજકોટના પેડક રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા (ઉ.વ.49)એ બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર આવેલા સ્કંદ લાઇફકેર હોસ્પિટલના ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલના નામ આપ્યા હતા. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર 18 સપ્ટેમ્બર 2024ના તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો અને તેને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તા.19ના તેને સ્કંદ લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી ખાતરી આપી હતીત્યારે તેના પ્લેટલેટ કાઉન્ટ 41 હજાર હતા, ત્યારબાદ કાઉન્ટ સતત ઘટતા ગયા હતા, તા.20ના તબિયત વધું લથડી હતી, જરૂર હોય તો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તેવું પરિવારજનોએ કહેતા ડો.હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે, અન્ય કોઇ હોસ્પિટલમાં લઇ જાવ કે અમેરિકા લઇ જાવ સારવાર તો આ જ થશે, હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી સ્વસ્થ થઇ જવાની ખાતરી આપી હતી. વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જતાં અડધો કલાકમાં જ જયનું મોત થયુંત્યાર બાદ કેસ વધુ બગડતાં ડો.હાર્દિકે વોકહાર્ટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પટેલને બોલાવ્યા હતા અને તેણે સારવાર ચાલું કરી લઇશ પરંતુ તબિયતમાં સુધારો થયો નહોતો. તા.20ની સાંજે ક્રિટિકલ સિચ્યુએશન થઇ જતાં હોસ્પિટલના આઇસીયુમાં ખસેડ્યો હતો અને ત્યાંથી અંતે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં અડધો કલાકની સારવાર બાદ જયનું મૃત્યુ થયું હતું.
બરવાળા પોલીસે 7 મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ચોકડી ગામના શખ્સની ધરપકડ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસે મોટરસાઇકલ ચોરીના સાત અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરીને ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરવાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બરવાળા ખોડિયાર મંદિર પાસે એક શંકાસ્પદ મોટરસાઇકલ ચાલકને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિપુલ ચમનભાઈ ગોરાહવા, રહે. ચોકડી ગામ જણાવ્યું હતું. વિપુલ પાસે મોટરસાઇકલના જરૂરી કાગળો ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા તેણે બરવાળા બસ સ્ટેન્ડ સહિત બરવાળા, વિરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ સાત મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે ચોરી કરાયેલી કુલ સાત મોટરસાઇકલ કબ્જે લીધી છે, જેની અંદાજિત કિંમત ₹1.40 લાખ થાય છે. બરવાળા પોલીસે આ મામલે BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોલ ખાતે મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ વોચમેન સાથે ગેરવર્તન કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને પાંચ જેટલા લુખ્ખાગીરી કરનારા ઈસમોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વેલંજા રંગોલી ચોકડીની ઘટનાપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા રંગોળી ચોકડી પાસે આવેલા MTC મોલ ખાતે બની હતી. મોડી રાત્રિના સમયે કેટલાક યુવકોનો એક જૂથ મોલમાં કે તેની આસપાસ જન્મદિવસની ઉજવણી કરવાના ઇરાદે એકઠું થયું હતું. મોલમાં રાત્રિના સમયે ઉજવણીની મનાઈ હોવાથી, મોલના ફરજ પર હાજર વોચમેને તેમને કાયદાનું પાલન કરવા અને ત્યાંથી ઉજવણી ન કરવા સમજાવ્યા હતા. પરંતુ, આ સમજાવટથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વોચમેન સાથે તર્ક-વિતર્ક કરીને અભદ્ર ભાષામાં ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું, અને જાહેરમાં આતંક મચાવ્યો હતો. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદઅસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર લુખ્ખાગીરીની ઘટના મોલમાં અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે કઈ રીતે આ યુવકો કાયદાનું ઉલ્લંઘન કરીને વોચમેન સાથે દાદાગીરી કરી રહ્યા હતા. આ સાથે જ વોચમેનને તાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીઆ ગેરવર્તન અને લુખ્ખાગીરીની જાણ થતાં જ ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને સ્થાનિક માહિતીના આધારે ગેરવર્તન કરનારા પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાંપોલીસે આ લુખ્ખાગીરી કરનારા યુવકોને પોલીસ સ્ટેશન લાવીને તેમની કાયદાકીય રીતે શાન ઠેકાણે લાવી હતી. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને તેમને કાયદાનું મહત્વ સમજાવીને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની સખત ચેતવણી આપવામાં આવી હતી. લુખ્ખાગીરી સામે પોલીસની કાર્યવાહીઉત્રાણ પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા જાહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં શાંતિ અને કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને તેનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ ઘટનાથી સુરતમાં રાત્રિના સમયે જાહેર સ્થળો પર થતી અનિયંત્રિત ઉજવણીઓ અને લુખ્ખાગીરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે. 'અમારી ભૂલ છે, આવી ભૂલ કોઈ ન કરતા'પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીએ જણાવ્યું હતું કે, મારા દોસ્તોનો બર્થડે હતો, એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા. ત્યાં વોચમેન કાકા આવ્યા, અમને એમ કીધું કે તમે બહાર જતા રહ્યો. અને વોચમેન કાકા સાથે અમે ગેરવર્તન કર્યું હતું. એ અમારી ભૂલ છે. આવી ભૂલ કોઈ ન કરતા. બીજા કોઈ આવી ભૂલ ન કરતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
પેરોલ પર બે વર્ષથી ફરાર આરોપી હિંમતનગરમાં ઝડપાયો:અમદાવાદ લૂંટ-મર્ડર કેસનો આરોપી સબજેલમાં ધકેલાયો
સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી પેરોલ પર બે વર્ષથી ફરાર આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ બાબુભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો છે. તે અમદાવાદમાં લૂંટ વીથ મર્ડર અને હિંમતનગર, કલોલ તથા અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. SOGના PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, અમદાવાદના કાળીગામ રેલવે સ્ટેશન પાછળ રહેતો વિષ્ણુ ઠાકોર લૂંટ વીથ મર્ડરના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. આ ઉપરાંત, હિંમતનગર બી-ડિવિઝન, કલોલ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ તેની સંડોવણી હતી. બે વર્ષ અગાઉ તે પેરોલ ફ્લો અથવા વચગાળાની રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં જેલમાં પરત હાજર થયો ન હતો. ત્યારથી તે ફરાર હતો. સાબરકાંઠા SOGને મળેલી બાતમીના આધારે, પોલીસે હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ પાસેથી વિષ્ણુ ઠાકોરને પકડી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ, તેને હિંમતનગર સબજેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર થઇ રહેલા પ્રાદેશિક આર્થિક આયોજનને મૂર્તિમંત કરવા માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ દ્વારા આજે મધ્ય ગુજરાતના સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠકઆ બેઠકમાં વડોદરા ઉપરાંત ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં કેવા પ્રકારની આર્થિક ગતિવિધિઓને અવકાશ રહ્યો છે. આ અવકાશ માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરવી પડે એમ છે? તે સહિતની બાબતો અંગે સંબંધિત જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત હયાત ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક ઉત્પાદનોના પ્રકાર, તેમાં વિસ્તરણની સંભાવનાઓ, રોજગારીની તકોનું નિર્માણ, પરિવહનની સુવિધાઓ સહિતની બાબતો અંગે પણ આ બેઠકમાં ઉદ્યોગ કમિશનર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચાઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી સુવિધાઓ, પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિત વિષયો પણ આ બેઠકમાં ચર્ચાને સ્થાને રહ્યાં હતાં. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. બનાસકાંઠાના પ્રભારી સચિવ અને મતદાર યાદી રોલ ઓબ્ઝર્વર મોના ખંધારના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં SIR પ્રક્રિયાના અમલની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બનાસકાંઠામાં SIR કાર્યક્રમ હેઠળ થયેલી કામગીરી અંગે માહિતી રજૂ કરાઈ હતી. મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબના અમલ અને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. રોલ ઓબ્ઝર્વર મોના ખંધારે જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓને પારદર્શકતા, સમયબદ્ધ અમલ અને સંકલન સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. મોના ખંધારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયા અંગે તેમના સૂચનો અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા. તેમણે અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા, એન્યુમરેશન ડિજિટાઈઝેશન, ASD મતદારોની સ્થિતિ, મતદારોના મેપિંગની પ્રગતિ, નામ-ઉંમર-સંબંધિત તફાવત, ફોર્મ 6, 7, 8 બાબત, ડ્રાફ્ટ તથા અંતિમ મતદાર યાદી પ્રકાશનનો સમયપત્રક, પોલિંગ સ્ટેશન, BLO-BLA કામગીરી, જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર 1950ની કામગીરી તેમજ રાજકીય પક્ષો સાથે સંકલન જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. સમગ્ર SIR પ્રક્રિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ, વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ, માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડના વાપી તાલુકામાં આવેલી ખાનગી શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર મારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શાળાની બહાર વિદ્યાર્થીઓનો એક સમૂહ અન્ય એક વિદ્યાર્થીને ઘેરી વળીને તેને માર મારી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે. આ પ્રકારની ઘટનાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અગાઉ પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટનાઓમાં વિદ્યાર્થીઓના મોત થયા હોવાના કિસ્સાઓ બન્યા છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરે અને શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
નવસારી પાલિકાનું કડક વલણ:17 ડિસેમ્બર સુધી વેરો ન ભરનારની સુવિધાઓ કપાશે
નવસારી મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ જાહેરાત કરી છે કે 17 ડિસેમ્બર સુધીમાં બાકી વેરો નહીં ચૂકવનાર મિલકત ધારકોની લાઇટ, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરમાં ₹71 લાખથી વધુના જૂના વેરાની વસૂલાત શરૂ કરી છે. ₹50,000 થી વધુ બાકી વેરો ધરાવતા 69 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં 17 ડિસેમ્બર સુધીમાં વેરો ન ભરવા પર પાયાની સુવિધાઓ બંધ કરવાની ચેતવણી અપાઈ છે. નોટિસ મેળવનારાઓમાં વોર્ડ નં. 1માં સબરસ ફૂડ પ્રોડક્ટ, વોર્ડ નં. 4માં સંસ્કૃતિ બિલ્ડરર્સના ભાગીદારો તેજસ ભરત શાહ, વોર્ડ નં. 6ના સંજય મોહન અગ્રવાલ, વોર્ડ નં. 8માં જલારામ કન્સ્ટ્રક્શન અને ચિનમ આરકેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 9માં વેસ્ટના (પરાગજી) ડિસ્ટ્રીબ્યુટર, શ્રીરામ નોન ટ્રેડિંગ એસોસિએશન, આઇડિયા મોબાઇલ, વ્યોમ નેટવર્ક્સ (એ.ટી.સી.: ટેલિકોમ, ઇન્ફ્રા પ્રા. લિ., એરટેલ મોબાઇલ ટાવર) અને માધવ ડેવલોપર્સના ભાગીદારો કેતન પટેલ, રમેશ પટેલ, અનિલ ગજેરા, સુરેશ રાજાણી પણ યાદીમાં છે. વોર્ડ નં. 11માં ટાવરવિઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ., વોર્ડ નં. 12માં ગોકુળ બિલ્ડકોન પ્રા. લિ. ના સંજય પ્રદીપ પટેલ, અને વોર્ડ નં. 13માં અલ્ટ્રા ડેવલોપર્સના કર્ણ અરુણાભાઈ હરિયાણી, ઉર્વશી કર્ણા હરિયાણી તથા સાંગાણી ગ્રુપના મહેશ જયંતિ સાંગાણી અને વિલાસબેન મહેશભાઈ સાંગાણીને પણ નોટિસ અપાઈ છે. જો 17 ડિસેમ્બર સુધીમાં બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે તો પાણી પુરવઠો, ડ્રેનેજ કનેક્શન અને વીજળી સપ્લાય બંધ કરવા ઉપરાંત બિલ્ડિંગની યુઝ પરમિશન રદ કરીને મિલકત સીલ કરવામાં આવશે.
જૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે બુટલેગરો દ્વારા લાવવામાં આવેલા દારૂનો જથ્થો 2024 થી 2025 સુધીમાં પકડી પાડવામાં આવેલા દારૂનો આજે નાશ કરાયો હતો. જુનાગઢ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા અને કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે આજે (શનિવાર) જુનાગઢ સિટીના B ડિવિઝન અને C ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયા જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષપદ હેઠળ એક કમિટીની હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ કમિટીમાં જુનાગઢ શહેર ડિવિઝનના Dysp હિતેશ ધાંધલીયા, આબકારી ખાતાના અધિકારી બી. વેકરીયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલનો સમાવેશ થતો હતો. પોલીસ દ્વારા વર્ષ 2024 અને 2025 દરમિયાન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના કુલ 48 ગુનાઓમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં બોટલની સંખ્યા: 9,967 નંગ જેની કુલ કિંમત: ₹45,43,649 નોંધવામાં આવી હતી. આ તમામ મુદ્દામાલનો નાશ ડુંગરપુર ખાતે કાયદા મુજબની તમામ કાર્યવાહી કરીને કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પકડાયેલા મુદ્દામાલનો નિયમિતપણે નિકાલ કરવાની કાયમી પ્રક્રિયા જાળવી રાખી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને વૃદ્ધ મહિલાના 33.35 લાખ રૂપિયા બચાવ્યા છે. સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં. વૃદ્ધ મહિલા બેંકમાં પહોંચ્યાને ડિજિટલ અરેસ્ટની ખબર પડી મળતી વિગત અનુસાર, 10 ડિસેમ્બરે મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં એક વૃદ્ધ મહિલા પહોંચ્યા હતા.આ મહિલાએ બેંકમાં જઈને તેમની તમામ એફડી અને નાણા કોઈ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળ કરતાં હતા. મહિલાએ 33.35 લાખ રૂપિયા એક શંકાસ્પદ ખાતામાં ડરતા ડરતા ટ્રાન્સફર કરવાનું બેંકના અધિકારીને કહ્યું હતું. બેંકના અધિકારીને શંકા જતા સાઇબર ક્રાઈમને જાણ કરી હતી. ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતોજેથી સાયબર ક્રાઇમની એક ટીમ બેંકમાં પહોંચી હતી.પીએસઆઇ ઈશ્વર પટેલ અને તેમની ટીમે બેંકમાં પહોંચીને બેંકના અધિકારી અને મહિલાની પૂછપરછ કરી ત્યારે વૃદ્ધ મહિલાના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતો. પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો'તો મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને ડિજિટલ એરેસ્ટ કરેલા છે જેથી પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો ત્યારે તેમના ફોનમાં અલગ અલગ બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ દસ્તાવેજ તો જોતાં જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે ફોન કટ કરાવી મહિલાને ડિજિટલ એરેસ્ટ વિશે સમજાવ્યા હતા અને મહિલાના સંબંધીઓને બોલાવીને પણ આ અંગે જાણ કરી દીધી હતી. સાયબર ઠગે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને ડરાવ્યાપોલીસે સમગ્ર બનાવવાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મણિનગરમાં રહેતા વૃદ્ધ મહિલાને 18 નંબર પરથી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ સંદિગ્ધ ગતિવિધિઓમાં થયો છે જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમ કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ફોન ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. 33.35 લાખ ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ધમકી આપીજે બાદ મહિલાનો આધાર કાર્ડ નંબર મેળવી આધાર કાર્ડ નંબરથી એક બેન્ક એકાઉન્ટમાં સ્કેમના પૈસા આવ્યા છે તેવું કહ્યું હતું. મહિલાને ડરાવીને તેમના બેંકની ડિટેલ, ડિપોઝિટ, LIC પોલિસી સહિતની તમામ માહિતી મેળવી લીધી હતી. જે બાદ મહિલાના નાણાંનું વેરિફિકેશન કરવાના બહાને 33.35 લાખ રૂપિયા ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. બેંક કર્મચારીઓ અને પોલીસે વૃદ્ધ મહિલાને બચાવ્યામહિલા ડરીને બેંકમાં પહોંચ્યા હતા અને તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાથી કેસમાંથી છૂટવા 33.35 લાખ રૂપિયા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાના હતા. જોકે બેંક કર્મચારીઓની સમય સૂચકતા અને સાઇબર ક્રાઇમના સમજાવટ બાદ મહિલાના ખાતામાંથી 33.35 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા બચી ગયા હતાં.
₹600 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, CMની ભ્રષ્ટાચાર પર 'ગુગલી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે ₹600 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભ્રષ્ટાચાર પર આડકતરી મજાક કરતા કહ્યું કે, આપણે એકલો ટેક્સ જ લેવાનો, બીજું કંઈ નહીં પાછું..! આ નિવેદન દ્વારા તેમણે નેતાઓ અને અધિકારીઓને માત્ર નિયમાનુસાર જ કામ કરવા પર ભાર મૂક્યો હતો, જેનાથી કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો ભરુચના સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સને લઈને ભરુચ અને નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, જેમાં રાજપીપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે સાંસદ પર માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી હતી. ડૉ. દર્શના દેશમુખે ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાના સાંસદના આડકતરા આક્ષેપોને કારણે પોતાની બદનામી થઈ હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે, અને તેમને જાહેરમાં આરોપ લગાવવાને બદલે પાર્ટી ફોરમમાં વાત કરવી જોઈતી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દલાલે દગો કરતા પરિવાર લીબિયામાં બંધક બનાવાયો મહેસાણાના બદલપુરા ગામનો એક યુવક, તેના પત્ની અને ત્રણ વર્ષની દીકરી પોર્ટુગલ જવાના પ્રયાસમાં એજન્ટોના દગાનો ભોગ બની લિબિયામાં અપહરણકારોના બંધક બન્યા છે. અપહરણકારોએ આ પરિવારને છોડાવવા માટે ₹2 કરોડની જંગી ખંડણીની માંગણી કરી છે, જેના કારણે યુવકના વૃદ્ધ માતા સહિત સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો છે. પરિવારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને રાજકીય આગેવાનો સુધી રજૂઆત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બેરોજગાર રત્નકલાકારનો આપઘાત સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેરોજગારી અને 20 વર્ષની આંતરડાની લાંબી બીમારીથી કંટાળી ગયેલા રત્નકલાકાર ઘનશ્યામભાઈએ આપઘાત કર્યો. તેમણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. મોતની છલાંગ લગાવતા પહેલાં તેમણે ચપ્પુથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પત્નીએ ચપ્પુ ઝૂંટવતા તેમને હાથમાં ઘા વાગ્યો હતો.આ નિષ્ફળ પ્રયાસ બાદ ઘનશ્યામભાઈ દોડીને ટેરેસ પરથી કૂદી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીની હત્યા કરી ફરાર પતિનો મૃતદેહ મળ્યો ગીર સોમનાથના ડારી ગામે વિનોદ સોમા ધોળિયા નામના વ્યક્તિએ શુક્રવારે રિસામણે રહેલી પોતાની 42 વર્ષીય પત્ની ચંપાબેનની છરીના સાત ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિ વિનોદનો મૃતદેહ આજે ગામની કબ્રસ્તાન નજીકની દરગાહમાંથી મળી આવ્યો છે, જ્યાં તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ લોહિયાળ ઘટનાને કારણે તેમના બે પુત્રોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'નંબરપ્લેટથી મેમો આપતી પોલીસ આરોપીને પકડી ન શકી' અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મંદિર જઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યા બાઇકચાલકે ટક્કર મારી હિટ એન્ડ રનનો ગુનો આચર્યો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવા છતાં અને બાઇકની નંબર પ્લેટ દેખાતી હોવા છતાં પોલીસ આરોપીને પકડી ન શકતા મૃતકના પુત્રએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભવનાથમાં 20થી વધુ દબાણો દૂર કરાયા જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આગામી મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ 20થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓની અવરજવર માટે રસ્તાઓ ખુલ્લા થઈ શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરેન્દ્રનગરમાં એક દિવસમાં બે ગંભીર અકસ્માત, બેના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતની બે ગંભીર ઘટનાઓ નોંધાઈ છે, જેમાં લખતર-વિરમગામ હાઇવે પર રોંગ સાઇડથી આવતી ટ્રકની ટક્કરે બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બીજી ઘટનામાં ચોટીલા-રાજકોટ હાઇવે પર નાની મોલડી પાસે બે ટ્રક, એક બસ અને વેગેનાર કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં વેગેનાર કારનો પડીકું વળી જતાં તેમાં ફસાયેલા 3-4 લોકોને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કોંગ્રેસ સાંસદે સંસદમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો જૂનાગઢ શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ એવા 11 રેલવે ફાટકનો મુદ્દો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ શહેરની બહાર બાયપાસ રેલવે લાઇન બનાવવાની તાત્કાલિક માગણી કરી હતી. આ મુદ્દો સ્થાનિક ભાજપના જનપ્રતિનિધિઓને બદલે વિપક્ષના નેતાએ ઉઠાવતા, સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપ નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની રજૂઆત પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને પવનની દિશા પૂર્વ તરફની રહેશે, જ્યારે નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
પોરબંદરમાં ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો:ગોડાઉનમાં સફાઈ કરતાં આધેડનું ઘટનાસ્થળે મોત
પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં 55 વર્ષીય મહેન્દ્રભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે પોરબંદર પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મૃતક મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના બાટલાની સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાટલો ફાટતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. મહેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી જી.આઈ.ડી.સી.માં આવેલી તમાકુની ફેક્ટરીમાં કામ કરતા હતા. તેઓ કામ પૂરું થયા બાદ હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝમાં છૂટક કામ માટે જતા હતા. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની જાણ થતા પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મકાન માલિક અને હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝના માલિક અશ્વિનભાઈની પૂછપરછ કરી હતી. અશ્વિનભાઈએ જણાવ્યું કે મહેન્દ્રભાઈ ક્યારેક ક્યારેક સફાઈ માટે આવતા હતા અને આ ઘટના કેવી રીતે બની તેની તેમને ચોક્કસ માહિતી નથી. આ ગોડાઉન રહેણાંક મકાનમાં કોમર્શિયલ હેતુથી ઉપયોગમાં લેવાતું હોવાથી મહાનગરપાલિકાએ પણ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ફાયર વિભાગ પણ બાટલો ફાટવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. પોરબંદર ફાયર વિભાગના ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું કે, ફાયર બોટલ બ્લાસ્ટ થવાના સંભવિત કારણોમાં બોટલ પર વધુ દબાણ (ઓવર પ્રેશર), બોટલની નબળી ગુણવત્તા અથવા સમયસર હાઈડ્રો ટેસ્ટ ન થવો મુખ્ય હોઈ શકે છે. બોટલના રી-ઉપયોગ પહેલા સમયાંતરે હાઈડ્રો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, 7 ટ્રક ઝડપાઈ:₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત, 12 લોકોની અટકાયત
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 12 લોકોની અટકાયત કરાઈ છે. જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમો જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ, કાલોલ અને શહેરા તાલુકામાં રૂટિન ચેકિંગ પર હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જાંબુઘોડા પંથક, ઘોઘંબાના ગોદલી, મોરવા હડફ, કાલોલના દેલોલ અને શહેરાના ધામણોદ ગામ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વિના અથવા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતી સાત ટ્રકો ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી આ સાત ટ્રકો સાથે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 12 ઈસમોની અટકાયત કરી હતી. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઝડપાયેલા વાહન ચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકસાથે પાંચ તાલુકામાં થયેલા આ દરોડાને કારણે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ શહેરમાં લગ્નને લઈ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકના 12 ડિસેમ્બરના લગ્ન હતા, પરંતુ 11 ડિસેમ્બરની રાતથી યુવક ગુમ હતો. પોલીસે તપાસ કરતા યુવક મુંબઇની હોટલમાંથી મળી આવ્યો. લગ્ન ન કરવા હોવાથી ડિપ્રેશનમાં આવી જતા યુવક આત્મહત્યા કરવાનો હતો જેને પોલીસે જીવ બચાવી લીધો છે. જોકે, યુવકે પોલીસ પહોંચે તે પહેલાં જ મહેંદીથી શુભ વિવાહ લખેલા પોતાના હાથ પર બ્લેડ મારી દીધી હતી. લગ્નની આગલી રાત્રે અચાનક યુવક ગાયબ થયોઅમદાવાદના ઇસનપુરમાં રહેતો 27 વર્ષીય યુવક ખાનગી બેંકમાં નોકરી કરે છે. આ યુવકના 12 ડિસેમ્બરના રોજ લગ્ન હતા. પરંતુ લગ્નની આગલી રાત્રે અઢી વાગ્યાની આસપાસ યુવક ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારે કુટુંબના સભ્યો અને યુવકના મિત્રોને ફોન કરી તપાસ કરતા યુવકની ક્યાંય ભાળ મળી નહોતી. જેથી પરિવારે ડરના કારણે પોલીસને જાણ કરી હતી. ઇસનપુર પોલીસે તપાસ શરૂ કરી ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં યુવક એક ટેક્સીમાં બેસીને જતો દેખાયો હતો, ત્યાર બાદ પોલીસે યુવકનો મોબાઈલ શોધ્યો હતો. પોલીસને મુંબઇની હોટલમાંથી યુવક મળ્યોપોલીસને યુવકનો મોબાઈલ ઘરમાંથી જ મળી આવ્યો હતો. મોબાઈલમાં તપાસ કરતા યુવકની મુંબઇની ફ્લાઈટની ટિકિટ મળી આવી હતી અને બેંકની વિગત પણ મળી આવી હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીની પરવાનગી લઈ ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ એક ટીમ તાત્કાલિક મુંબઇ રવાના કરી હતી. ઇસનપુર પોલીસની ટીમે મુંબઇ પોલીસની મદદથી યુવક જે હોટલમાં રોકાયો હતો ત્યાં તપાસ કરી ત્યારે રૂમમાંથી યુવક મળી આવ્યો હતો. યુવકે હાથમાં બ્લેડ મારી ગળેફાંસો ખાવાની તૈયારી કરીયુવકે મહેંદીથી શુભ વિવાહ લખાવેલા હાથના ભાગે નસ કાપી હતી અને ગળેફાંસો ખાવાની તૈયારી કરી રહ્યો હતો. યુવકના રૂમમાંથી એક દોરડું પણ મળી આવ્યું હતું. જોકે, પોલીસે સમયસર પહોંચીને યુવકનો જીવ બચાવી લીધો હતો. પોલીસે યુવકની મુંબઇમાં જ પ્રાથમિક સારવાર કરાવી હતી. જે બાદ યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે જણાવ્યું હતું કે, તેને લગ્ન કરવા નહોતા જેથી તે અમદાવાદથી ભાગીને મુંબઈ આવી ગયો હતો અને ડિપ્રેશનના કારણે તે આત્મહત્યા કરવાનો હતો. પોલીસે યુવકનો જીવ બચાવી પરત અમદાવાદ લાવીઇસનપુર પોલીસની સમય સૂચકતાથી યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસની ટીમ યુવકને લઈ પરત અમદાવાદ આવી હતી. યુવકને ઇસનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યો પણ પહોંચ્યો હતો. પોલીસની કામગીરીથી પરિવારને તેમનો એકનો એક દીકરો જીવતો મળ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં પણ ભાવુક દૃશ્યો સર્જાયા હતા. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કર્યુંઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમ સમયસર મુંબઇની હોટલમાં પહોંચી હતી. જો પોલીસની ટીમ મોડા પહોંચી હોત તો કદાચ યુવકે આત્મહત્યા કરી લીધી હતો. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને યુવકે પણ ભવિષ્યમાં આ પ્રકારનું પગલું ના ભરે તેવી પોલીસને બાહેંધરી આપી હતી.
વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન અને નિકાલ કરવામાં આવ્યો હતો. સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકાયાઆ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. વકીલો તથા જ્યુડિશિયલ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રી-લોક અદાલત સીટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્ન કેસો તથા 100 જેટલા મોટર એક્સિડેન્ટ ક્લેમ કેસોનું સફળ સમાધાન કરવામાં આવ્યું હતું. કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યોરાષ્ટ્રીય લોક અદાલત દ્વારા બેંક અને નાણાકીય સંસ્થાઓના કેસો, વીજળી તથા પાણીના બિલના વિવાદો, મોટર વાહન અકસ્માતના કેસો, પારિવારિક વિવાદો, નાના ગુનાહિત કેસો, વિવાહ તથા છૂટાછેડાના મામલા તેમજ મિલકત વિવાદો જેવા કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો હતો. આનાથી લોકોને ત્વરિત ન્યાય મળ્યો અને ન્યાયિક વ્યવસ્થા પરનો ભાર પણ ઘટ્યો છે.આ પ્રસંગે અધિકારીઓએ લોક અદાલતને વધુ સફળ બનાવવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.કે. પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પટેલ, સેક્રેટરી વિશાલ ગઢવી તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જામીન કે પેરોલ પર બહાર આવીને વર્ષો સુધી જેલમાં પરત ન ફરનારા ગંભીર ગુનાહિતો સામે ગુજરાત પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં ચાલેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવી ચૂકેલા 41 ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ નામ-હુલિયો બદલ્યા હતાપોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલા આરોપીઓમાંથી 15 જેટલા પાંચ વર્ષથી વધુ સમયથી કાયદાની પકડથી દૂર હતા. કેટલાક આરોપીઓએ તો પોતાનું નામ-હુલિયો બદલીને અન્ય રાજ્યોમાં નવી ઓળખ સાથે જીવન શરૂ કરી દીધું હતું. તેમ છતાં ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસ તેમની સુધી પહોંચી શકી. 25 આરોપીઓ મૃત્યુ પામ્યાઆ કાર્યવાહી દરમિયાન વધુ 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવીને કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પૈકીના ઘણા આરોપીઓ પણ વર્ષોથી ફરારની યાદીમાં હતા. આ સમગ્ર કામગીરીમાં આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય સ્તરે મજબૂત સંકલન મહત્વપૂર્ણ સાબિત થયું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરાર આરોપીઓ જ્યાં-જ્યાં છુપાયા હતા ત્યાં સુધી પહોંચવા માટે ટીમોએ દિવસ-રાત મહેનત કરી. કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે કાર્યવાહીરાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જેલમાંથી છૂટ્યા બાદ પરત ન ફરનારા આરોપીઓ માટે હવે રાજ્યમાં છુપાઈ રહેવું વધુ મુશ્કેલ બનશે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ-પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે પરિવહન કરતી કુલ 6 ટ્રકો સિઝ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલી પાનમ અને ઉજ્જવલ નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. રોયલ્ટી પાસ કે પરમીટ વિના દરરોજ 200થી વધુ ટ્રકો રેતી ભરેલી લીમખેડાના માર્ગે ઝાલોદ થઈ રાજસ્થાન તરફ જતી હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના ડમ્પરો રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે પસાર થતા હોવાથી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રને ચકમો આપવા માટે રેતી ખનન માફિયાઓ દ્વારા પોતાનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. રાત્રિના 9:00 વાગ્યાથી વહેલી સવારના 5:00 વાગ્યા સુધી ગેરકાયદેસર રેતીનું વહન કરવામાં આવે છે. ટ્રકોના આવન-જાવનની માહિતી એકબીજાને ટેલિફોનિક સંપર્ક તેમજ સોશિયલ મીડિયા મારફતે પહોંચાડવામાં આવે છે, જેથી તપાસ એજન્સીઓથી બચી શકાય. આ પરિસ્થિતિ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદેસર રેતી વહન કરતી છ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના 150 ટનથી વધુ રેતી લઈ જવાઈ રહી હતી. ખાણ ખનીજ વિભાગે તમામ ટ્રકો સિઝ કરી કુલ રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ દાહોદ જિલ્લામાં સફેદ રેતીના કાળા કારોબાર પર સંપૂર્ણ અંકુશ લાવવો હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ પાસે મર્યાદિત સ્ટાફ અને સંસાધનો હોવાના કારણે સતત દેખરેખ રાખવી મુશ્કેલ બની છે. દેવગઢ બારિયા થી ઝાલોદ સુધી ત્રણ પ્રાંત અધિકારીઓ તેમજ દેવગઢ બારિયા, લીમખેડા, ગોવિંદ ગુરુ લીમડી અને ઝાલોદ એમ ચાર મામલતદાર કચેરીઓના કાર્યક્ષેત્રમાંથી આ ટ્રકો પસાર થાય છે. પોલીસ વિભાગની વાત કરીએ તો દેવગઢ બારિયા, પીપલોદ, લીમખેડા, લીમડી અને ઝાલોદ એમ કુલ પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બિન્દાસ રીતે પસાર થતી હોવાની ચર્ચા છે. જો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ સંકલિત રીતે કડક કાર્યવાહી કરે તો રેતીના કાળા કારોબાર પર અંકુશ આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોના કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રેતીમાંથી વહી જતું પાણી ડામર રોડને નુકસાન પહોંચાડે છે, જેના કારણે રસ્તાઓ ઝડપથી તૂટી જાય છે. આવી સ્થિતિમાં તમામ સંબંધિત વિભાગો દ્વારા કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે તો ગેરકાયદેસર રેતી વહન અટકી શકે અને સરકારની તિજોરીને દર વર્ષે થતા કરોડો રૂપિયાનાં નુકસાનથી બચાવી શકાય તેમ છે.
અમરેલીમાં વીજળી બચત જનજાગૃતિ રેલી યોજાઈ:PGVCL દ્વારા સલામતી સપ્તાહ અંતર્ગત આયોજન
અમરેલીમાં પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા 'વીજળી બચત' જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સરદાર સર્કલથી હરિરામ બાપા ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વીજળી બચત અને વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલી 'સલામતી સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી, જે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી ચાલી રહી છે. આ સપ્તાહનો મુખ્ય હેતુ રાજ્યભરમાં વીજ સલામતી અને સતર્કતા વધારવાનો છે. આ ઉજવણી અંતર્ગત 8 ડિસેમ્બરે અકસ્માત નિવારણ માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સલામતી સપ્તાહ દરમિયાન અકસ્માત નિવારણ માટે ફીટર પરીક્ષણ અને સમારકામ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેલીમાં યોજાયેલી આ જનજાગૃતિ રેલીમાં સ્થાનિક અગ્રણીઓ, પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીના ઉચ્ચ અધિકારીઓ, ઇજનેરો અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમણે વીજ વિકાસનો પ્રાણ, એની બચત એ જ કલ્યાણ જેવા સૂત્રોચ્ચાર સાથે વીજળી બચત અને સલામતીનો સંદેશો ફેલાવ્યો હતો.
ભરૂચમાં 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ:15 હજારથી વધુ કેસો સમાધાન માટે રજૂ કરાયા
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષસ્થાને વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલત જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં યોજાઈ હતી. આ લોક અદાલતનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાની જનતાને તેમના કેસોમાં ઝડપી અને સરળ નિરાકરણ મેળવવાની સુવર્ણ તક પૂરી પાડવાનો હતો. પક્ષકારો આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો અને કાનૂની સેવા સમિતિઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં લગ્નવિષયક વિવાદો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, જમીન સંપાદન સંબંધિત કેસો, મોટર અકસ્માત વળતર કેસો, કામદાર અને માલિક વચ્ચેની તકરાર, વીજળી સંબંધિત કેસો તેમજ માત્ર દંડપાત્ર અને સમાધાનલાયક ફોજદારી કેસો સહિત કુલ 15 હજારથી વધુ કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા.
ભાવનગર મહાનગર પાલિકાના 13 વૉર્ડમાં ફરતી E-રીક્ષા જાહેરમાં કચરો નાખનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરતી હતી. જોકે આ E-રીક્ષા દાતા દ્વારા મળેલી હોય તેમ છતાં પણ કોરોના કાળથી આ E-રીક્ષા મહાનગર પાલિકાએ ભંગાર હાલતમાં મૂકી દેવામાં આવી છે. જોકે દાતાઓ દ્વારા મળેલી E-રીક્ષા મેઈન્ટેનસના અભાવે હાલ મનપાના ગેરેજ વિભાગમાં ધૂળ ખાઈ રહી છે. E-રિક્ષાઓ હાલ ગેરેજ વિભાગમાં પડી પડી ધૂળ ખાઈ રહીહાલ તો 13 વોર્ડ માટેની તમામ E-રિક્ષાઓમાં દાતાઓના પૈસાનું પાણી જોવા મળી રહ્યું છે અને આજ E-રિક્ષાઓ હાલ ગેરેજ વિભાગમાં શોભાના ગાઠીયા સમાન પડી પડી ધૂળ ખાઈ રહી છે. કોંગ્રેસે દ્વારા આ રીક્ષા શરૂ કરવા અંગે અનેક વખત રજુઆત કરી પણ કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. ત્યારે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી આ E-રિક્ષાને આઉટસોર્સથી આપવાની વાત કરી રહ્યા છે. ન્યુસન્સ કરતા લોકો પાસે દંડ વસુલ કરતી ગાડીઓમાં ભંગાર હાલતમાંભાવનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજથી 5 વર્ષ પૂર્વે ભાવનગર મહાનગરપાલિકાને 13 વોર્ડ માટે 13 જેટલી E-રિક્ષાઓ અર્પણ કરવામાં આવી હતી. જે E-રીક્ષા શહેરના વિવિધ વિસ્તારના 13 વોર્ડમાં જાહેરમાં જે લોકો કચરો અને ગંદકી કરતા શખ્સોને દંડ કરી શિક્ષામત પગલાં ભરતું હતું. જાહેરમાં ન્યુસન્સ કરતા લોકો પાસે દંડ વસુલ કરતી, દબાણ લગતી કોઈ સમસ્યા હોય તેની તપાસ કરવી જેવી અનેક કામગીરી થતી હતી. મેન્ટનન્સ અને જાળવણીના અભાવે ધૂળ ચડીપરંતુ છેલ્લા ઘણા સમય થી 13 E-રિક્ષાઓ હાલ મનપાના ગેરેજ વિભાગમાં મેન્ટનન્સ અને જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહી છે. આ E-રિક્ષાઓ ગેરેજ વિભાગમાં શોભાના ગાઠીયા સમાન બની છે. ત્યારે સોલીડવેસ્ટ વિભાગના અધિકારી ટુક સમયમાં આ બંધ પડેલ E-રિક્ષાઓને આઉટ સોર્સથી આપવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવા અંગેનું જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ E-રિક્ષાઓ ફરી કાર્યરત કરવામાં આવશે કે માત્ર કાગળ ઉપર જ આ E-રીક્ષા કાર્યરત રહેશે? 'E-રિક્ષાઓ કન્ડમ અને ભંગારમાં વેચવા જાવ તો ભંગારવાળા પણ ન લે'આ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગરની અનેક સંસ્થાઓએ ભાવનગરના ડોનેટ રૂપ E-રીક્ષાઓ ફાળવેલી છે. ભાવનગરમાં સ્વચ્છતા વધે અને દંડ રૂપે તે રીક્ષા કામ પણ કરી રહી હતી. બહુ સારું કાર્ય થઈ રહ્યું હતું. કમનસીબે આજે પરિસ્થિતિ એ છે કે આ E-રિક્ષાઓ કન્ડમ અને ભંગારમાં વેચવા જાવ તો ભંગારવાળા પણ ન લે. આવી પરિસ્થિતિ ઈ રીક્ષાની થઈ છે. અમે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી કે આ E-રીક્ષાનો ઉપયોગ તો કરો. ભાવનગરની સામાજિક સંસ્થાઓએ આ E-રીક્ષા આપેલી છે. દાતાઓએ આપેલી રિક્ષાઓ જો તમે સાચવી શકતા નહો તો ભવિષ્યમાં મને એવું લાગે છે કે ભાવનગર કોર્પોરેશનના આ શાસકો અધિકારીઓ ઉપર કોઈપણ લોકો કોઈ પણ જાતનો વિશ્વાસ રાખવાના નથી. કમિશનર સાથે ચર્ચા કરી હાલમાં તેને આઉટસોર્સિંગથી આપવા માટે વિચારણા કરેલ છેઆ અંગે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના ઇન્ચાર્જ કાર્ય પાલક ઈજનેર ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2020 આસપાસ મહાનગરપાલિકાને અમુક દાતાઓ દ્વારા E-રીક્ષાઓ આપવામાં આવેલી, જેનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જે ફિલ્ડ ઉપરની કાર્યવાહી થતી હોય, જેમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી પેનલ્ટી વસુલાત કરવી, દબાણને લગતી કોઈ બાબત હોય તો તેની તપાસ કરવી, આ પ્રકારની અલગ અલગ કામગીરી માટે તેનો વપરાશ કરવામાં આવતો હતો. જેમાં સંયુક્ત મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ તરફથી એક કર્મચારી દ્વારા દરેક રિક્ષા વાઈઝ ફાળવણી કરી જે તે વોર્ડમાં તે કાર્યરત હતી. ત્યારબાદ કોરોના સમય બાદ હાલ તે E-રીક્ષાઓ કાર્યરત નથી. જે 13 પૈકીની એક રીક્ષા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા કાર્યરત કરી તેનો વિભાગ માટે ઉપયોગ શરૂ કરવામાં આવેલો હતો. હાલમાં જે આ રીક્ષાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માટે કમિશનર સાથે ચર્ચા કરી હાલમાં તેને આઉટસોર્સિંગથી આપવા માટે વિચારણા કરેલ છે, અને તે માટે ટેન્ડર તૈયાર કરી સક્ષમ સત્તાને મોકલવા માટે પ્રક્રિયા હાથ ધરેલ છે. ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદના ચાંદખેડામાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબમાં આગની ઘટના, ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે
Palladium Business Hub Fire: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની છે. પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળ પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. હાલ આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી.
અમદાવાદના વિસત ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગ લાગવાની ઘટનાના પગલે લોકોને કોમ્પલેક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગવાના પગલે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. ફાયર અધિકારીએ જણાવ્યું છે કે, પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. જાણ થતા જ ફાયરની 5 ગાડીઓ સ્થળે રવાના કરી દેવામાં આવી હતી. 5 ગાડી દ્વારા આગ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ફાયર વિભાગની ગાડીઓ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ લાગતા ધુમાડો આખા બિઝનેશ હબમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે આખું કોમ્પ્લેક્સ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
પંચમહાલમાં 29 તલાટીની સાગમટે બદલી:લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓને DDOએ ખસેડ્યા
પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં વહીવટી પારદર્શિતા લાવવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક સાથે 29 તલાટી કમ મંત્રીની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં ખાસ કરીને એક જ ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા તલાટીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ એક જ પંચાયતમાં લાંબા સમયથી ફરજ બજાવતા તલાટીઓની બદલી કરીને વહીવટમાં ગતિશીલતા લાવવાનું છે. તંત્ર દ્વારા એવા તલાટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેઓ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ જગ્યાએ સ્થાયી હતા. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓને અસર થઈ છે. સૌથી વધુ બદલીઓ ઘોઘંબા અને કાલોલ તાલુકામાંથી થઈ છે. ઘોઘંબામાંથી ૧૧, કાલોલમાંથી ૮, હાલોલમાંથી ૪, ગોધરામાંથી ૩, મોરવા હડફમાંથી ૨ અને જાંબુઘોડામાંથી ૧ તલાટીની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ઘોઘંબા અને કાલોલ તાલુકામાં ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ૩ તલાટીઓ તેમજ ૯ વર્ષથી એક જ જગ્યાએ રહેલા ૩ તલાટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા ૭ થી ૮ વર્ષથી ફરજ બજાવતા વિવિધ ૬ તાલુકાના ૧૪ જેટલા તલાટીઓને પણ બદલવામાં આવ્યા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી ડી. કે. ગરાસીયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાંથી ૨૯ તલાટીઓની જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ બદલી કરવામાં આવી છે. આ તલાટીઓ છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા, જેમની વહીવટી કારણોસર અને વહીવટમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી બદલી કરવામાં આવી છે.
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, તીવ્રતા 3.9:માંડવીના ગઢશીશાથી 13 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
કચ્છ જિલ્લામાં શનિવારે બપોરે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2.47 વાગ્યે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા સિસ્મોગ્રાફી મશીન પર 3.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ માંડવી તાલુકાના ગઢશીશાથી આશરે 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં કચ્છમાં ચાર વખત ધરતી ધ્રુજી છે, જેના કારણે ભૂકંપીય પ્રવૃત્તિ અંગે લોકોમાં ચિંતા વધી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં એક કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ:અસામાજિકતત્વોના બે ગેરકાયદે મકાન તોડી પડાયા
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ અને રેવન્યુ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને આશરે એક કરોડ રૂપિયાની કિંમતની 40 ચોરસ મીટર સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામેના મફતિયાપરામાં જુસબ ઉર્ફે જુસ્સો હબીબ જામ અને વલીમામદ હબીબ જામ નામના શખ્સોએ આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બંને શખ્સો અગાઉ દારૂ અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, બંને શખ્સોએ 20-20 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર મકાનો બનાવ્યા હતા. સરકારી બુલડોઝર દ્વારા આ બંને મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને ડીવાયએસપી પી.એ. ઝાલાની સૂચના મુજબ કરવામાં આવી હતી. સીટી મામલતદાર હિતેશભાઈ કુંડારીયાને સાથે રાખીને બી ડિવિઝન પોલીસની ટીમે આ દબાણ હટાવવાની કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી. સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવા માટે વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્લેક્ટરના આદેશ બાદ બે વિરુદ્ધ FIR:ચાણસ્મામાં જમીન પચાવી પાડવા બદલ ગુનો નોંધાયો
ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવાના કેસમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણ ક્લેક્ટરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી અલ્પેશભાઈ બારોટ છે. આરોપીઓમાં મહેસાણાના અનિલભાઈ રબારી અને વિપુલભાઈ રબારીનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, ફરિયાદીની મોજે ધિણોજ (રેલ્વેપુરા)ની સીમમાં આવેલી ખાતા નં. 2213, સર્વે નંબર 1203/1 P2 ની 0-33-39 હેક્ટર-આરે-ચો.મી. જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી વાવેતર કરી દીધું હતું. આ જમીન ફરિયાદીના પિતા ભુપેન્દ્રકુમાર બારોટના નામે હતી, જેમનું અવસાન 30 નવેમ્બર, 2020 ના રોજ થયું હતું.ફરિયાદીને 9 ઓગસ્ટ, 2023 ના રોજ આ જમીન પર ગેરકાયદેસર કબજાની જાણ થઈ હતી. તેમણે આરોપીઓને જમીનના 7/12 ના ઉતારા બતાવ્યા છતાં, આરોપીઓએ જમીન ખાલી કરવાની ના પાડી દીધી હતી. આ મામલે ફરિયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અન્વયે પાટણ ક્લેક્ટર સમક્ષ અરજી કરી હતી. પાટણ ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે 18 સપ્ટેમ્બર, 2025 ના રોજ હુકમ કરીને ગુનો બનતો હોવાનું ઠરાવ્યું હતું. તેમણે ચાણસ્મા મામલતદારને પ્રતિવાદીઓને 10 દિવસમાં જમીનનો કબજો ખુલ્લો કરવા નોટિસ આપવા અને જો કબજો ખાલી ન થાય તો FIR દાખલ કરાવવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ચાણસ્મા મામલતદાર કચેરી દ્વારા 11 ડિસેમ્બર, 2025 ના રોજ ફરિયાદીને લેખિતમાં જાણ કરવામાં આવી કે પ્રતિવાદીઓ કબજો પરત કરવા સંમત નથી. આથી, તેમની વિરુદ્ધ નિયમોનુસાર FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3) અને 5, તેમજ બી.એન.એસ. એક્ટની કલમ 329(3) હેઠળ નોંધાઈ છે.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચના બાદ સાયબર ગુનેગારો વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી 'ઓપેશન મ્યુલ હંટ' ડ્રાઈવ અંતર્ગત સુરત શહેર પોલીસે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે વપરાતા 'મ્યુલ એકાઉન્ટ્સ'ને નિશાન બનાવીને પોલીસે મોટા પાયે તપાસ શરૂ કરી છે. જેમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. 3,046 ખાતાધારકોની ઊંડાણપૂર્વક તપાસ કરાઈગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પુરા પાડવામાં આવેલા ડેટાના આધારે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પોલીસે કુલ 3,921 શંકાસ્પદ ચેક અને ATM વિડ્રોઅલ ખાતાઓની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં કુલ 3,046 ખાતાધારકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. 89 લોકો સામે ફરિયાદ અને 23ની ધરપકડ કરાઈસુરત શહેર પોલીસ દ્વારા આ મામલે કુલ 89 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે દસ્તાવેજો મેળવનાર અને આ નેટવર્ક ચલાવનાર 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાયદાકીય જોગવાઈ મુજબ જે કેસમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે તેવા કુલ 1,638 લોકોને પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શ્રમિકોને લાલત આપી મ્યુલ એકાઉન્ટ ખોલાવતાસાયબર સેલના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમની સૂચના બાદ તમામ ઝોનની અલગ અલગ ટીમો બનાવી આ ઓપરેશન શરૂ કરાયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટાભાગે કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોનો સમાવેશ થયા છે. આ શ્રમિકોને સામાન્ય કમિશનની લાલચ આપી તેમની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવી લેવામાં આવતા હતા. ત્યાર બાદ તેમના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ક્રાઈમના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બેંક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે બેઠક યોજી હતીતા. 8 ડિસેમ્બરના રોજ શરૂ થયેલી આ ડ્રાઈવને વધુ અસરકારક બનાવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં 9 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 68 જેટલી સરકારી, ખાનગી અને સહકારી બેંકોના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. બેંકોના શંકાસ્પદ ખાતાઓની માહિતી તાત્કાલિક પૂર પાડવા સૂચના અપાઈ હતી. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના નોડલ અધિકારીઓને POS (પોઇન્ટ ઓફ સેલ) દ્વારા ઈસ્યૂ કરવામાં આવતા સિમ કાર્ડ બાબતે વિશેષ તકેદારી રાખવા આદેશ આપ્યા હતા. આરોપીઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાઈઆ ઓપરેશન માટે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ ઉપરાંત તમામ ઝોન, ડીસીપી અને એસઓજી સહિતની વિવિધ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. ડીસીપી બિશાખા જૈને સ્પષ્ટ કર્યું હતું કે, જે આરોપીઓ સાત વર્ષતી ઓછી સજાના ગુનામાં સંકળાયેલા છે તેમને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જ્યારે મુખ્ય સૂત્રધારો સામે કડક પગલાં ભરી તેમની ધરપકડ કરવામાં આવી છે. અજાણી વ્યક્તિને બેંક ખાતાની વિગતો કે દસ્તાવેજો આપવા નહીંસુરત પોલીસની આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિની કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે દસ્તાવેજો આપવા નહીં.
મહેસાણા જિલ્લા પંચાયતની 32-રાંતેજ બેઠકના ભાજપના સદસ્ય વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રૂપપુરા ગામના અને ભાજપના બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ વદનસિંહ ઝાલાએ DDOને અરજી કરી છે. આ અરજીમાં પ્રહલાદસિંહ ઝાલાએ સદસ્ય વીરેન્દ્રસિંહ ઝાલાને તાત્કાલિક સભ્યપદેથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. પરિવારના નામે જોબકાર્ડ બનાવી ગેરરીતિ આચર્યાનો આક્ષેપઅરજદાર પ્રહલાદસિંહ વદનસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, જિલ્લા સદસ્ય વીરેન્દ્રસિંહ ઝાલા અને તેમનાં પત્ની પૂર્વ સરપંચ દ્વારા 2015થી 2025 દરમિયાન મનરેગા યોજના, વોટરશેડ યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મુખ્ય આક્ષેપ એ છે કે, ઝાલા પરિવારે એક જ પરિવારના 6થી 7 સભ્યોના નામે અલગ-અલગ જોબકાર્ડ બનાવીને નાણાં ખાતામાં જમા કરાવ્યા છે. ‘ગામ લોકોના પૈસા થયેલું કામ બતાવી ગ્રાન્ટ મેળવી લીધી’2018-19માં કરણસાગર ગામે તળાવ ઊંડું કરવાના (વર્ક કોડ-87763) અને માટીકામના (વર્ક કોડ-47338) કામોમાં લાખો રૂપિયાના બીલ પરિવારના જોબકાર્ડના આધારે પાસ કરાવ્યા હોવા છતાં સ્થળ પર કામ થયું નથી. કરણસાગર ગામમાં રસ્તાનું માટીકામ ગામના લોકોએ પૈસા ઉઘરાવીને કરાવ્યું હોવા છતાં તેના નાણાં સરકારી ગ્રાન્ટમાંથી ગેરરીતિ દ્વારા મેળવ્યાનો આક્ષેપ છે. ‘એક જ ગામને 68.49 લાખના પેવર બ્લોકના કામો આપી સત્તાનો દુરુપયોગ કર્યા’અરજીમાં સૌથી મોટો મુદ્દો 2021-22માં કરણસાગર ગામમાં થયેલા વિકાસ કાર્યોનો છે. આ સમયગાળામાં એક જ ગામ કરણસાગરને મનરેગા અંતર્ગત એકીસાથે કુલ 11 પેવરબ્લોકના કામો ફાળવવામાં આવ્યા, જેની કુલ રકમ રૂ. 68.49 લાખ થાય છે. અરજદારનો દાવો છે કે, બેચરાજી તાલુકાના અન્ય 52 ગામોને મનરેગાના કામો મળ્યા નથી, ત્યારે માત્ર કરણસાગરને આટલી મોટી રકમ ફાળવવી એ સદસ્ય દ્વારા સત્તાના સ્પષ્ટ દુરુપયોગ કર્યો છે. કૌભાંડમાં તલાટી મંત્રી, મનરેગા કર્મીઓની સંડોવણીનો પણ અરજીમાં ઉલ્લેખઆ તમામ પેવરબ્લોકના કામોમાં પણ સદસ્ય અને તેમના પરિવારે જોબકાર્ડનો ઉપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો છે. આ કૌભાંડમાં તલાટી મંત્રી, તાલુકા પંચાયતના મનરેગા કર્મચારીઓ સહિતની સંડોવણી હોવાનું અરજીમાં જણાવાયું છે. વહીવટદારના સમયગાળામાં પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ વીરેન્દ્રસિંહ ઝાલાએ વહીવટદારના સમયગાળા 2 મે, 2022થી 22 જૂન, 2025 દરમિયાન પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ATVT, આયોજન, ધારાફંડ, 15મું નાણાપંચ વગેરેની ગ્રાન્ટમાં મોટા ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ છે. વળી વર્ષ 2024-25માં મનરેગા અંતર્ગત થયેલા બાગાયતનાં કામો પણ સદસ્યના પિતા, ભાઈ અને બહેનને વ્યક્તિગત લાભ આપીને મંજૂર કરાવ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. મારા સદસ્ય કાર્યકાળ દરમિયાન જોબકાર્ડનો ઉપયોગ કર્યો જ નથીઃ વીરેન્દ્રસિંહ જિલ્લા પંચાયતના સદસ્ય વીરેન્દ્રસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જોબકાર્ડ જુના વખતમાં બનેલા છે. સરપંચની કામગીરી દરમિયાન બનાવ્યા હશે. જોબકાર્ડ તો દરેક ને હોઈ. આ રાજકીય ઇર્ષાના કારણે કોઈએ અરજી આપી હશે. મેં મારા સદસ્ય કાર્યકાળ દરમિયાન જોબકાર્ડનો ઉપયોગ નથી કર્યો. મારા જોડે રજૂઆત આવી હતી, જેથી મારા સહિત બસો ખેડૂતોની મંજૂરી બાગાયતમાંથી લાવ્યા હતા. ચોમાસુ જતું રેતા એ કામ થયા નહોતા. બીજું કે ગામવાળાની રજૂઆત હતી કે, રસ્તા બનાવવા છે તો લોકફાળાથી રસ્તા બનાવ્યા હતા. ગ્રાન્ટ પણ પડી રહી હતી, એમાં પણ કઈ નથી થયું. તેમજ શાળામાં જે પુરાણ કરાવ્યું છે એ મારા પૈસાથી મેં કરાવ્યું છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આજે મેગા લોક અદાલત યોજાઈ હતી. જેમાં બેંક લેણા, એક રિટર્ન, મોટર અકસ્માત વળતર, ટ્રાફિક ઇ મેમો સહિતના 37000 કેસ જજ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 60% કેસમાં સમાધાન થયું હતું. જોકે આ દરમિયાન ટ્રાફિક ઈ મેમોના કેસો આશ્ચર્યજનક હતા. જેમકે એક વ્યક્તિને હેલ્મેટ ન પહેરવા બદલ એક જ જગ્યાના 100 મેમો આવેલા છે. જ્યારે બીજા વ્યક્તિને 36 મેમો આવેલા છે. જે બંનેનું કહેવું છે કે, જ્યારે પહેલો મેમો મળ્યો ત્યારે અમને જાણ કરવામાં ન આવી અને એકસાથે આટલા બધા ઈ મેમો એકત્ર થઈ ગયા ત્યારે અમને ફોન કરી કહેવામાં આવ્યું કે, મેમોના પૈસા ભરી દેજો નહિતર વાહન ડીટેઇન થશે. આજે રાજકોટ જિલ્લા કોર્ટમાં લોક અદાલતમાં પણ અમને કહેવામાં આવ્યું કે, મેમોના નાણામાં કોઈ રાહત આપવામાં નહીં આવે, કેસ લડવો હોય તો લડી શકો છો. આજે 37,000 કેસો મૂકવામાં આવ્યા જેમાં 60%માં સમાધાન થયુંરાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના એચ. વી. જોટાણીયાએ જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય કાનૂની સેવા સંતા મંડળના નિર્દેશ મુજબ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 37,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં બેંક લેણા, એક રિટર્ન, મોટર અકસ્માત વળતરના અને સિવિલ કેસો એમ જુદી જુદી કેટેગરીના કેસો આવ્યા હતા. આજના કુલ કેસોમાંથી 60%માં સમાધાન થયા છે. આજે મોટામાં મોટો મોટર અકસ્માત વળતરમાં ધોરાજીમાં રૂ.1.15 કરોડનું સમાધાન થયું છે. આ ઉપરાંત રાજકોટ હેડ ક્વાર્ટરમાં રૂ. 65 લાખ અને રૂ. 53 લાખની રકમનું વીમા કંપની સાથે સમાધાન બાદ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. 'મારી ટુ વ્હીલર 25,000ની છે અને 50,000ના મેમો આવ્યા'આ લોક અદાલતમાં ટ્રાફિકના મેમો ભરવા માટે પહોંચેલા બ્રિજેશ નિમાવતે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, બે વર્ષ સુધી મને મેમો આપવામાં આવતા હતા તો તેની જાણ અગાઉ શા માટે કરવામાં ન આવી?. મને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો આવેલો છે, પરંતુ હકીકત એ છે કે રાજકોટમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી તો તેઓને ઈ મેમો આવતો નથી અને મને પણ માત્ર માર્કેટિંગ યાર્ડ પાસેના જ ઇ મેમો આવેલા છે. જો પહેલી વખત મને જ્યારે મેમો આપવામાં આવ્યો ત્યારે મને ફોન દ્વારા અથવા તો બાય પોસ્ટ મારા ઘરે કાગળ મોકલી જાણ કરવામાં આવી હોત તો હું ફરી વખત તે નિયમનું ઉલ્લંઘન ન કરું, પરંતુ એકસાથે 100 મેમો આવી ગયા બાદ જાણ કરવી તે યોગ્ય નથી. મારા ટીવીએસ ટુ વ્હીલરની કિંમત રૂ. 25,000 છે અને અત્યારે મને રૂ. 50,000ના મેમો આવ્યા છે. 'લોક અદાલતમાં મને રાહત આપવાની નાન પાડી દીધી'જ્યારે અન્ય નાગરિક ભાવિન ધોળકિયાએ જણાવ્યું હતું કે, અત્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. મહિને રૂ. 12000 જેટલી આવક છે અને મને કહેવામાં આવ્યું કે, એકસાથે રૂ. 36,000 ભરવા પડશે. જે બાદ 13 ડિસેમ્બરના લોક અદાલતમાં જવાનું કહેવામાં આવ્યું. જોકે ત્યાં અમને રાહત આપવાની ના પાડી દીધી, પરંતુ મારે ગ્રીનલેન્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ પાસેના ટ્રાફિક નિયમ ભંગના મેમો આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા અગાઉ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા હતા. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને આ ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહનચાલકોએ દંડની રકમ ભરપાઈ કરી નથી. જેમાં અમુક વાહનચાલકો તો એવા છે કે, જેઓને એક જ વાહન નંબર પર 100 જેટલા ઈ મેમો નોટિસ સ્વરૂપે મોકલવામાં આવેલા છે. જેથી આવા વાહનચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી હોય તેમ તેઓના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે.
અમરેલી જિલ્લામાં આવેલી ધારી ડિવિઝન DYSP કચેરી અને પોલીસ સ્ટેશનને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તેમની ઉત્તમ કાર્યપદ્ધતિ, સેવા ગુણવત્તા અને વ્યવસ્થાપક પ્રણાલીમાં શ્રેષ્ઠતા બદલ આ સન્માન મળ્યું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કામગીરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા માન્યતા પ્રાપ્ત થઈ છે. ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીમાં કાર્યપ્રવાહનું માનકીકરણ, પારદર્શક રેકોર્ડ મેનેજમેન્ટ, ફરિયાદનું સમયબદ્ધ નિવારણ, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સતત સુધારા જેવી બાબતોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રમાણપત્ર ખાસ કરીને ફરિયાદ નોંધણી અને નિવારણ પ્રક્રિયામાં સુગમતા, દસ્તાવેજીકરણમાં પારદર્શિતા, મહિલા, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સંવેદનશીલ પોલીસ સેવા, અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ (E-GUJCOP, CCTV, સાયબર સહાય) જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારા દર્શાવે છે. આ સિદ્ધિ ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નો, શિસ્તબદ્ધ કામગીરી અને વ્યાવસાયિક અભિગમના પરિણામે પ્રાપ્ત થઈ છે. આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીને તેમની સેવા ગુણવત્તા, પારદર્શક કામગીરી અને નાગરિક કેન્દ્રિત પોલીસિંગ બદલ ISO પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માન્યતા મળી છે. તેમણે ભવિષ્યમાં પણ જનતાને વધુ વ્યાવસાયિક અને વિશ્વસનીય પોલીસ સેવા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સુરત શહેરમાં રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને મોબાઈલ ઝૂંટવતા અને ચાલુ બાઇક પર ફૂલ સ્પીડમાં ફરાર થઈ જતા બે રીઢા મોબાઈલ સ્નેચરને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને આ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ દિવસે મજૂરી અને હીરા ઘસવાનું કામ કરતા હતા અને રાત્રે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતાં. CCTVના આધારે બે આરોપીઓની ઓળખઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ બાદ પોલીસે આ ગુનાઓને ગંભીરતાથી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળો અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સતત 15 દિવસ સુધી ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ અથાગ પ્રયત્નોના અંતે, પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઓળખી કાઢ્યા અને તેમને પકડી પાડ્યા હતા. રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા લોકોને ટાર્ગેટ કરતાઉત્રાણ પોલીસે ઝડપેલા બે આરોપીઓ શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. બાઇક પર ફૂલ સ્પીડમાં આવીને, તેઓ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ત્યાંથી બાઇક લઈને ભાગી જતા હતા. દિવસે મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતાદિવસ દરમિયાન, આ આરોપીઓ સામાન્ય માણસોની જેમ મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતા હતા, જ્યારે રાત્રે તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થઈ જતા હતા. 1.45 લાખનો મુદ્દામાલ કબ્જેપોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક તેમજ છે નંગ સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. પોલીસે કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ મોબાઈલ સ્નેચિંગ કરીને મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉત્રાણ પોલીસ હાલ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે આ આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અન્ય વિસ્તારોમાં બનેલા મોબાઈલ સ્નેચિંગ અને અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.
જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં લેઉઆ પટેલ સમાજ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જામનગરની 9 કંપનીઓ વચ્ચે કુલ રૂ. 5716 કરોડના એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણથી અંદાજે 2100 લોકોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે. મંત્રીના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવીઓ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બનાવ્યું છે. તેમણે જામનગર જિલ્લાના ઔદ્યોગિક મહત્વ પર ભાર મૂક્યો હતો. જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગ, બાંધણી, રિફાઇનરી, પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ અને પરંપરાગત કારીગરીમાં અગ્રણી છે. અહીંના ઉદ્યોગસાહસિકોની મહેનતને કારણે જામનગરને 'બ્રાસ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખ મળી છે. રાજકોટ ખાતે યોજાનારી રિજિયોનલ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાકક્ષાએ રહેલી ઔદ્યોગિક તકોને ઓળખવાનો, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો અને રોજગાર સર્જનને વેગ આપવાનો છે. આ ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે સુવર્ણ તક પૂરી પાડશે. ગુજરાત સરકાર “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. મંત્રીએ ઉદ્યોગકારોને સંપત્તિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જામનગર જિલ્લામાં ભવિષ્યમાં નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને નવા રોજગારની વિશાળ સંભાવનાઓ છે. મંત્રીએ જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં ભાગ લેવા અપીલ કરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, બાંધણી ઉદ્યોગ જામનગરની સાંસ્કૃતિક ઓળખ છે. જામનગરમાં બાંધણી ઉદ્યોગના પરિણામે મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. જામનગરની બાંધણીને મળેલ જીઆઈ ટેગ અને જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને ઉદ્યોગકારોની મહેનતના પરિણામે જામનગરમાં ઈસરો અને નાસા જેવી સંસ્થાઓના પણ બ્રાસ પાર્ટનું નિર્માણ થયું છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ અને બાંધણી ઉદ્યોગ બંને ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. એક તરફ આધુનિક ઉદ્યોગ દ્વારા રોજગાર અને નિકાસમાં વધારો થાય છે, તો બીજી તરફ પરંપરાગત કલા દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થાય છે. સરકારના સહયોગ અને સ્થાનિક કારીગરોની મહેનતથી જામનગર આ બંને ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ગુજરાત સરકારની દ્રષ્ટિ, વિકાસપ્રતિબદ્ધતા અને સર્વાંગી પ્રગતિનું સશક્ત પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓની શક્તિ, સંભાવનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક મળશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને મે. માઈક્રોટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝના અશોકભાઈ દોમડીયાએ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને લગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, SME ઇનોવેશન લાઇક અ કોર્પોરેટ ઇનોવેશન, ગ્લોબલ સિનારીઓ અને એક્સપોર્ટ્સ, ક્રેડિટ લિંકેજ સેમિનાર, PMFME યોજના, સ્કિલિંગ યુથ એન્ડ ક્રિએટીંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે પ્રેઝન્ટેશન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ૨૫ જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન જેમાં બ્રાસપાર્ટ્સને લગત સ્ટોલ, બાંધણીના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આજે મહેસાણા જિલ્લાના વડનગરની અચાનક મુલાકાત લઈ સૌને ચોંકાવ્યા હતા. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેમની સાથે કોઇપણ પ્રકારની સિક્યોરિટી કે પોલીસ બંદોબસ્ત નહોતો. જેના કારણે મુલાકાત એકદમ સાદી અને નિરીક્ષણલક્ષી રહી હતી. તેમની આ મુલાકાત અંગે સ્થાનિક તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. 3 કલાક રોકાઈ સ્કૂલ, મ્યુઝિયમ હોસ્પિટલની મુલાકાત લીધીહર્ષ સંઘવી આજે સવારે અંદાજે 11 વાગ્યાના ગાળામાં વડનગર પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક જેટલો સમય તેમણે અહીં વિતાવ્યો હતો. આ સમય દરમિયાન તેમણે વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી સીએમએ વડનગરના મહત્ત્વપૂર્ણ સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જેમાં પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, બી એન હાઈસ્કૂલ, વોચ ટાવર અને રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વડનગરમાં ચાલતા વિકાસ કાર્યોની સ્થિતિનો તાગ મેળવ્યોઆ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વડનગરના રોડ-રસ્તા, સફાઈ વ્યવસ્થા અને સમગ્ર શહેરમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની જમીની હકીકત જાણવાનો હતો. કોઈપણ પ્રકારના પ્રોટોકોલ અને બંદોબસ્ત વિનાની સંઘવીની આ અચાનક મુલાકાત કરી છે કે, તેઓ વડનગરમાં ચાલી રહેલા કાર્યોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માંગતા હતા. તેમણે નિરીક્ષણ દરમિયાન મળેલા તારણોના આધારે આગામી કાર્યવાહી કરવા માટે તંત્રને માર્ગદર્શન આપી શકે છે.
નવસારીના ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝારખંડના એક ટ્રક ચાલકે 13 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને લઇ ગયોપ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડના લાતેહારનો રહેવાસી ટ્રક ચાલક વિનયકુમાર સૂરજસિંહ ગુરુવારે વલસાડમાં સામાન ઉતારી પરત ફરી રહ્યો હતો. સાંજે તે ચીખલી નજીક સર્વિસ રોડ પર ચા-નાસ્તો કરવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેણે નજીકમાં રમી રહેલી 13 વર્ષીય બાળકીને જોઈ અને તેને 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ ગયો હતો. સ્થાનિકો કઢંગી હાલતમાં જોઇ ગયાકેબિનમાં વિનયે બાળકી સાથે બદકામ કર્યું હતું. કોઈએ બાળકીને કઢંગી હાલતમાં વિનય સાથે જોઈ જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. બાળકીની દાદી અને અન્ય પરિજનો તાત્કાલિક ટ્રક પાસે દોડી આવ્યા હતા. બાળકીને નીચે ઉતારી પૂછપરછ કરતા તેણે વિનય દ્વારા કરાયેલા કૃત્ય વિશે જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી વિનયને પકડીને માર માર્યો હતો અને ચીખલી પોલીસને જાણ કરી હતી. ચીખલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી વિનય સૂરજસિંહની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો બાળકીએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપી વિનય અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો છે. તે થોડા થોડા સમયે ઝારખંડથી વલસાડની કંપનીઓમાં સામાન ઉતારવા આવતો હતો. આશરે એક મહિના પહેલા પણ તે ચીખલી આવ્યો હતો અને ત્યારે પણ તેણે આ જ બાળકીને ચોકલેટની લાલચ આપીને બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ચા-પાણી માટે ટ્રક ઉભી રાખી હતીઆ મામલે માહિતી આપતા ડી.વાય.એસ.પી ભગીરથસિંહ ગોહિલ જણાવે છે, ગુરુવારની સાંજે એક ટ્રકની અંદર એક ઝારખંડના લાતેહાર જિલ્લાના એક આરોપી વિનય સુરતસિંગે નેશનલ હાઇવે ઉપર એક જગ્યાએ પોતાની ટ્રકની અંદર ચા પાણી પીવા માટે ટ્રકમાં બેસી અને ચા પાણી માટે ટ્રક ઊભો રાખેલો હતો. તે દરમિયાન ત્યાં એક બાળા જે હતી તે અગાઉ પણ એમની સાથે બે વખત મળેલા હતા અને તેમની સાથે આ બાળાને ટ્રકની કેબિનની અંદર બોલાવડાવી અને તેની સાથે દુષ્કર્મ કરેલુ હોય અને દરમિયાન તેના ઓળખિતાઓ બધા તેને જોઈ ગયા હતા. સ્થાનિકો જોઇ જતાં તાત્કાલિક ત્યાં માણસો ભેગા થઈ ગયેલા અને પછી આરોપીને તાત્કાલિક ડીટેન કરી પોલીસ પણ ત્યાં પહોંચી. આરોપીને તાત્કાલિક ડીટેન કરી રેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરીડી.વાય.એસ.પીએ વધુમાં જમાવ્યું કે, હાલ આ આરોપી વિનય સુરતસિંગ છે જેને ડીટેન કરવામાં આવેલ છે. તેની હિસ્ટ્રી તપાસીએ તો તેને મેરેજ થઈ ગયા છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તેને અઢી વર્ષની એક નાની બાળકી જે ઝારખંડમાં જે બારવાહિયા કરીને એનું જે ગામ છે ત્યાં પત્ની સાથે રહે છે. આ આરોપી પોતે આજે ટ્રક જે છે એની અંદર ડ્રાઇવિંગનું કામ કરે છે. ટ્રકનો જે સામાન હોય એ લઈ અને એ વલસાડ છોડવા આવ્યો હતો અને વલસાડથી માલ ભરી અને પાછો ઝારખંડ જઈ રહ્યો હતો.
ગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી અનેક વેપારીઓ પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવેની ઠગાઇના એક ગુનામાં ચાર દિવસના તેમજ બીજા ગુનામાં પણ ત્રણ એમ કુલ સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેને સેન્ટ્રલ જેલમા ધકેલી દેવાયો છે. જોકે રિમાન્ડ દરમિયાન નીરવ દવેએ ચુપકીદી સાધી લીધી હતી. અને ઠગાઇના રૂપિયાનું પણ પગેરુ બહાર આવ્યું નહોતું.બીજી તરફ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન નામંજૂર થતાં મહાઠગની પત્ની મીરા દવે પણ ભુગર્ભમાં ઉતરી ગઈ છે. આમ ઠગાઇનો ભોગ બનનાર વેપારીઓને રૂપિયા પરત મળશે કે નહીં એ પ્રશ્નાર્થ ઊભો છે. રોકાણના બહાને છેતરપિંડી થતા રોકાણકારોએ રાતે પાણીએ રોવાનો વારોગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી રોકાણના બહાને કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવે અને તેની પત્ની મીરા દવેની લોભામણી લાલચમાં ભોગ બનનારને રાતા પાણીએ રોવાનો વખત આવે તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગરના સેક્ટર 23માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે અને પુત્રવધૂ મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને વેપારીઓને ઠગી લેવાયા છે. આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે દાખલ થઈ હતી.એવામાં ધરપકડથી બચવા ઠગ દંપતીને આગોતરા જામીન પણ કરી હતી. જોકે જામીન અરજી રિજેક્ટ થતા પોલીસ ધ્વારા નિરવ દવેની ધરપકડ કરી બે અલગ અલગ ગુનામાં કુલ સાત દિવસ ના રિમાન્ડ મેળવી પૂછતાછ કરાઈ હતી. નીરવના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો પોલીસે નીરવ અને તેની પત્નીના બેંક એકાઉન્ટ્સ પણ સીઝ કરાવી તપાસ કરી હતી. પરંતુ બંનેના એકાઉન્ટ્સમાં ઠગાઈ ના રૂપિયાનું પગેરુ મળ્યું ન હતું. તો નીરવનાં લેપટોપમાંથી ટેન્ડરના નકલી લેટરો બનાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા. જે નિરવે જાતે બનાવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે નીરવનાં નિવૃત નાયબ સચિવ પિતા અને એન્જિનિયર દીકરાની પણ પૂછતાછ કરી હતી. બીજી તરફ રિમાન્ડ દરમ્યાન નીરવ બીપી અને હાઈ ડાયાબિટીસ પેશન્ટ હોવાનું પણ તબીબી તપાસમાં બહાર આવ્યું હતું. જેથી રિમાન્ડ દરમિયાન નીરવની વૈધાનિક ઢબે પણ પૂછતાછ થઈ શકી ન હતી. જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે નિરવને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. નિરવ દવેની પત્ની મીરા દવેની જામીન અરજી ફગાવી દેવાઈત્યારે મહા ઠગની પત્ની મીરા દવે પણ પોલીસને હાથતાળી આપીને નાસતી ફરી રહી છે. જેના પણ નિચલી કોર્ટ આગોતરા જામીન ફગાવી દીધા હતા. તોય મીરા પોલીસના હાથમાં આવી ન હતી. જેનો લાભ ઉઠાવી મીરાએ વકીલ મારફતે જામીન માટે હાઇકોર્ટના ધ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં પણ મીરાની જામીન અરજી ફગાવી દેવાઇ છે. ત્રીજા ગુનામાં નિરવના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવીઆ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરે જણાવ્યું કે, નીરવના વિરુધ ત્રણ ગુના દાખલ થયેલા છે. જે પૈકી બે ગુનામાં નીરવની ધરપકડ કરી કુલ સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી હતી. પરંતુ ઠગાઇના રૂપિયા નિરવે મોજશોખમાં વાપરી દીધા હોવાનું રટણ કરે રાખ્યું હતું. જેના બેંક ખાતામાંથી પણ નોંધપાત્ર રકમ ની એન્ટ્રીઓ મળી નથી. જેની પત્ની મીરા એ હાઇકોર્ટ સુધી આગોતરા માટે ગઈ હતી. જે પણ રિજેક્ટ થઈ છે. હાલમાં મીરા વોન્ટેડ છે. જે નજીકના દિવસોમાં હાથમાં આવી જશે. જ્યારે જેલમાં બંધ નીરવની ત્રીજા ગુનામાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે.
ફિલ્મીગીત, રેડિયો જોકી, સમાચાર વાંચન અને લોકનૃત્ય સ્પર્ધાઓ યોજાઈ સુમિટોમો કેમીકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા C.S.R. અંતર્ગત આજરોજ શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એકસ્પ્રેશન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓમાં 350થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, આજરોજ તા.13 રોજ કોલેજ વિભાગની સ્પર્ધાઓ યોજેલ હતી. જે સુમિટોમો એકસેલ એકસ્પ્રેશન ના 27 મું વર્ષ છે, આજરોજ ફિલ્મીગીત થી સ્પર્ધાની શરૂઆત થઇ જેમાં 22 સ્પર્ધકોએ સારૂ પ્રદર્શન રજુ કર્યુ, ત્યાર પછી રેડીયો જોકી સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. જેમાં 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જયારે સમાચાર વાંચનની સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળેલ જેમાં 36 સ્પર્ધકોએ ભાગ લીધેલ, તા.13 ના રોજ બપોર બાદ સેન્ટ્રલ ડોમ ખાતે લોકનૃત્યની સ્પર્ધામાં 8 ટીમોએ ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરી જેમાં 96 સ્પર્ધકોએ ભાગ લીધેલ. લોકગીત થી સ્પર્ધાની શરૂઆત થઇ જેમાં 30 સ્પર્ધકોએ સારૂ પ્રદર્શન રજુ કર્યું. આવતીકાલે તા.14 ને રવિવાર ના રોજ વાલીમાભવન ખાતે કોન બનેગા નોલેજ પતિ સ્પર્ધાનુ આયોજન કરેલ, જેમા માં 26 સ્પર્ધકોએ ભાગ લીધેલ, ત્યાર પછી વાલીમાભવન ખાતે તત્કાલ મોબાઈલ (ઓન ધ સ્પોટ) ફોટોગ્રાફી સ્પર્ધાનુ આયોજન કરેલ, જેમા માં 44 સ્પર્ધકોએ ભાગ લીધેલ. ત્યારબાદ સેન્ટ્રલ ડોમ ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની 7 ટીમોએ જેમાં 32 સ્પર્ધકોએ ભાગે લીધેલ અને ટેકનોલોજીના આવનારા યુગમાં ઉત્કૃષ્ટ મોડેલો રજુ કરેલ, ત્યાર પછી વાલીમાં ભવન ખાતે ઈનોવેટી બીઝનેશ આઈડીયા સ્પર્ધા નું આયોજન બપોરે કરેલ જેમા માં 13 સ્પર્ધકોએ ભાગ લીધેલ. ત્યાર પછી વાલીમ ભવન ખાતે તત્કાલ ચિત્રની સ્પર્ધા જેમાં 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને સારા ચિત્ર રજુ કરશે, જયારે કોલેજ વિભાગના કુલ 363 વિદ્યાર્થીનાં એન્ટ્રી ફોમ આવેલ છે. એકસેલ એકસપ્રેશન 2025 ના ચેરમેન સંજયભાઈ શર્મા ની યાદીમાં જણાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ શર્મા (એ.જી.એમ)નું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેકટ કોર્ડીનેટર્સ વનરાજસિંહ ચાવડા તથા તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.આ સફળ આયોજનમાં પ્રત્યેક શાળાનાં આચાર્ય તથા નિર્ણાયક ટીમનો સહયોગ ખુબ સુંદર મળ્યો હતો.
માર્ગ અકસ્માતો અટકાવવા અને મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજ્યમાં 2018થી કાર્યરત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કાયદાનું કડક અમલીકરણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ગૃહ વિભાગની ટ્રાફિક બ્રાંચ, RTO, માર્ગ અને મકાન વિભાગ, NHAI સહિતના વિભાગો સાથે સંકલન રાખી માર્ગ સલામતી માટે કામગીરી ચાલી રહી છે. બ્લેક ફિલ્મ, નામવાળી નંબર પ્લેટ હશે તો કાર્યવાહી થશેમોટર વાહન અધિનિયમ મુજબ વાહન પર યોગ્ય નંબર પ્લેટ રાખવી અને બ્લેક ફિલ્મ વિના વાહન ચલાવવું ફરજિયાત છે. તેમ છતાં રાજ્યભરમાં આજે પણ અનેક વાહનો કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ અથવા “કાળો નાગ”, “રામા ધણી” જેવા લખાણો સાથે બેફિકર રીતે ફરતા જોવા મળે છે. આવા વાહનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને અકસ્માત બાદ હિટ એન્ડ રન જેવી ઘટનાઓમાં વાહનની ઓળખ મુશ્કેલ બનાવે છે, જેના કારણે પીડિતોને વીમા તથા વળતર મળતું નથી. રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરનો રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર આ સ્થિતિને ધ્યાનમાં રાખી રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલએ રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર લખી કાળા કાચ(બ્લેક ફિલ્મ), નંબર પ્લેટ વગરના વાહનો અને ગેરકાયદેસર લખાણો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સચિવાલય અને પોલીસ ભવન સહિત અનેક વિસ્તારોમાં આવા વાહનો સામે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 'નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે'બીજી તરફ, સ્ટેટ ટ્રાફિક પોલીસના એસપી સાહિત્યા વી.એ જણાવ્યું કે, કાળા કાચ, નંબર પ્લેટ અને ઓવર સ્પીડિંગ સામેની કાર્યવાહી તો નિયમિત રૂટિન કામગીરીનો ભાગ છે, પરંતુ હવે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી પત્ર મળતા આ મુદ્દે વધારાની કામગીરી કરવામાં આવશે અને નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે. શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે?અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે જો આ કાર્યવાહી વર્ષોથી રૂટિન રૂપે ચાલી રહી છે, તો પછી રાજ્યભરમાં હજુ પણ એટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ કેમ જોવા મળે છે? શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે? કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર કડક કાર્યવાહીરોડ સલામતી માટે કાયદા માત્ર કાગળ પર નહીં, પરંતુ રસ્તા પર અસરકારક રીતે અમલમાં આવે તે જરૂરી છે. નાગરિકોની અપેક્ષા છે કે આવનાર સમયમાં શરૂ થનારી ટ્રાફિક ડ્રાઇવ માત્ર થોડા દિવસ પૂરતી ન રહી, પરંતુ સતત અને કડક કાર્યવાહી દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર સાચી બ્રેક લગાવે.
અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીકથી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ દરોડામાં રૂ. 62. 79 લાખના દારૂ સાથે 95.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SMCની ટીમે ગળકોટડી ગામ નજીક દેવાંગી હોટલ પાછળના ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી એક કન્ટેનરમાંથી 17,280 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 62,79,840 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, બે વાહનો અને સાત મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો કુલ મુદ્દામાલ રૂ. 95,29,610 થાય છે. આગામી 31મી ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ને ધ્યાનમાં રાખીને ગુજરાત અને સૌરાષ્ટ્રના બુટલેગરો સક્રિય બન્યા હતા. રાજ્ય બહારથી દારૂ ભરેલા કન્ટેનરો લાવી અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં કટિંગ કરવાની પ્રવૃત્તિઓ પર SMCના આઈજી નિરલિપ્ત રાયની ટીમો ખાનગી રાહે નજર રાખી રહી હતી. આ કાર્યવાહી તે જ મોનિટરિંગનો ભાગ હતી. દરોડા દરમિયાન ઝડપાયેલા પાંચ આરોપીઓમાં અશોક હમીર પટેલ (જડીયા, ધાનેરા), ભરત પોપટ ગરાણીયા (ખારા, મોટા લીલીયા), નિકુંજ અમરા ગરાણીયા (સાગ પીપરીયા, લાઠી), પોપટ બળવંત બાભણીયા (પ્રતાપપુરા, લીમખેડા) અને અલકેશ ભરત હાટીલા (લાખાવડ, લીમખેડા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રણજીત જેતુભાઈ ધાધલ (લાઠી) અને અજય ભમારા રબારી (સાંચોર, રાજસ્થાન) સહિતના ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પીએસઆઈ આર.જી. વસાવા અને તેમની ટીમે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા પંથકમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવતા સ્થાનિક બાબરા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આ દરોડાને કારણે સ્થાનિક પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝડપાયેલા દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને, આ દારૂ અમરેલી, બોટાદ, જૂનાગઢ જિલ્લાના કયા બુટલેગરોને વિતરણ કરવાનો હતો અને અન્ય કયા તાલુકા વિસ્તારના બુટલેગરો સાથે સંકળાયેલો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના 5000 ઉદ્યોગકારો જ્યાં એકત્ર થવાના છે તે સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટ યોજાય તે પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે. રાજકોટના કોંગી નેતા ડૉ. બારોટે મુખ્યમંત્રીને ટ્વીટ કરી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર - કચ્છના ઉદ્યોગકારો માટેની આટલી મોટી સરકારી ઇવેન્ટ વિવાદાસ્પદ મારવાડી ખાનગી યુનિવર્સિટીને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેસકોર્સ અથવા તો અટલ સરોવર ખાતે યોજવામાં આવે. રાજકોટ કોંગ્રેસના નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને લાભ થાય તે માટે ગુજરાત સરકારની સૌથી મોટી રીજનલ વાઇબ્રન્ટ સમિટ શહેરની ભાગોળે આવેલી મારવાડી ખાનગી યુનિવર્સિટી ખાતે યોજાવાની છે. જ્યાં અગાઉ ગાંજાનું વાવેતર થયુ હોય, અધ્યાપકો એડલ્ટ વીડીયો જોતા હોય, વિદેશી વિદ્યાર્થીઓના વર્તન અને વ્યવહાર તેમજ નાઈટ પાર્ટીની ફરિયાદો સામે આવી ચૂકી હોય તો આ પ્રકારની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવડી મોટી સરકારી ઇવેન્ટ ન યોજવી જોઈએ. જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટ્વિટ કર્યું છે અને માંગણી કરી છે કે સૌરાષ્ટ્ર - કચ્છની રિજનલ વાયબ્રન્ટ સમિટ જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને લોકો સહભાગી થઈ શકે તેવા રેસકોર્સ મેદાન, અટલ સરોવર અથવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જે અભ્યાસ કરતા હોય તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારી ઇવેન્ટ યોજાવી જોઈએ. કારણકે આ ઇવેન્ટ માટે સરકાર લાખો અને કરોડો રૂપિયા ખર્ચતી હોય ત્યારે સરકારી જગ્યા ઉપર સરકારી ઇવેન્ટ યોજાય તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી જતા રસ્તા પરના દબાણ હટાવવામાં આવશે અને રસ્તાઓ સારા બનાવવામાં આવશે. જો સરકારી જગ્યા પર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો તે જગ્યાનું ડેવલપમેન્ટ થઈ શકે. આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટરને પણ પત્ર લખી માહિતગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે અગાઉ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીના 10 થી 12 જાન્યુઆરી વચ્ચે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટિ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. ગત શનિવારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છના 100 થી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી. આ તમામને વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમની પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા છે. સેમિનારની સાથે એક્ઝિબિશન હશે અને રિવર્સ બાયર સેલ મીટીંગ પણ હશે. જેમાં સાઇટ ઉપર જ બાયર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.
MBBS પરિણામમાં વિલંબ:વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBS પરીક્ષાના પરિણામમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓમાં તણાવ વ્યાપ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાતની એક મેડિકલ કોલેજના અજાણ્યા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિદ્યાર્થીએ HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@hmsa_student) પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં જણાવાયું છે કે જો યુનિવર્સિટી સમયસર પરિણામ જાહેર નહીં કરે, તો તે કોઈ પણ હદ સુધી પગલાં ભરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મેડિકલ કોલેજ તથા યુનિવર્સિટીની રહેશે. આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. એસોસિએશને માત્ર બે કલાકની અંદર ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ મેડિકલ કોલેજોના ડીનને આ બાબતની જાણ કરી હતી. એસોસિએશનના સભ્યોએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ડીન સાહેબોને તાત્કાલિક જાણ કરીને કોલેજ પ્રશાસન દ્વારા યુનિવર્સિટીમાં પરિણામ બાબતે રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા સમયસર પરિણામ જાહેર કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી છે. આ અંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, પરિણામ ટેકનિકલ ખામીને કારણે અટક્યું છે અને સોમવાર સુધીમાં તે જાહેર કરી દેવામાં આવશે.

24 C