SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

Editor's View: ચીનનો ફરી અરૂણાચલ રાગ:હિન્દી-ચીની ભાઈ-ભાઈ નહિ બની શકે, ચીનને ફરી ભારતથી વાંકું પડ્યું

ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશ ગયા હતા ત્યારે ચીનને વાંધો પડ્યો હતો. ચીને કહેલું કે, ભારતની લીડરશિપે આ વિવાદિત વિસ્તારમાં આવવું ન જોઈએ. ભારતે ત્યારે પણ એ જ જવાબ આપેલો જે આજે આપે છે- અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશ જતા રહે છે. આ ભારતનાં અન્ય રાજ્યની જેમ જ છે. ચીને અમારી બાબતમાં દખલ આપવાની જરૂર નથી. ચીને ફરીથી અરૂણાચલ પ્રદેશ માટે એવું કહ્યું છે કે તે ભારતે ગેરકાયદે કબજો કરેલો ચીનનો ભાગ છે. નમસ્કાર, માંડ માંડ બંને દેશ વચ્ચે સંબંધોની ગાડી પાટે ચડી હતી ત્યાં મોટું ફાચર પડ્યું. ચીન-ભારત વચ્ચે અરૂણાચલનો વિવાદ મૂળ અરૂણાચલની અને 14 વર્ષથી બ્રિટન સ્થાયી થયેલી એક યુવતીના કારણે સળગ્યો છે. ઓગસ્ટમાં ચીનમાં મોદી અને જિનપિંગ મળ્યા પછી એવું લાગતું હતું કે બધું બરાબર થઈ ગયું છે. પણ ચીનની પૂંછડી વાંકી ને વાંકી જ છે એટલે મોદી-જિનપિંગની મુલાકાત પછી બધું બરાબર થયું નથી. ભારતની યુવતીનો કિસ્સો શું છે? પેમ વાંગજોમ થાંગડોક નામની યુવતી અરૂણાચલ પ્રદેશમાં જન્મી અને બ્રિટનમાં ફાયનાન્શિયલ એડવાઈઝર છે. પેમ 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી. ચીનના શાંઘાઈ એરપોર્ટ પર તેનો ત્રણ કલાકનો લે-ઓવર ટાઈમ હતો. શાંઘાઈ એરપોર્ટ પર ઈમિગ્રેશનમાં પાસપોર્ટ બતાવ્યો તો ત્યાંના ઓફિસરોએ પાસપોર્ટને ખોટો ગણાવ્યો. કારણ કે તેના જન્મ સ્થાનમાં અરૂણાચલ પ્રદેશ લખ્યું હતું. ચીની એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, પાસપોર્ટમાં અરૂણાચલ પ્રદેશ ભારતમાં બતાવ્યું છે. એ ખોટું છે. અરૂણાચલ પ્રદેશ તો ચીનનો ભાગ છે. ટ્રાન્ઝીટથી શરૂ થચેલી આ સફર હેરેસેમેન્ટમાં બદલાઈ ગઈ. પેમએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે ચીની અધિકારીઓએ તેની 18 કલાક સુધી પૂછપરછ કરી, ન તો ખાવાનું આપ્યું કે ન તો એરપોર્ટ પર મળતી સુવિધા. ચાઈનીઝ ઈસ્ટર્ન એરલાઈન્સના કર્મચારીઓ એ યુવતીની ઠેકડી ઉડાડતા રહ્યા. આખરે એ યુવતીએ શાંઘાઈમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. એક કલાકમાં છ ભારતીય અધિકારી પહોંચ્યા. તેમણે મદદ કરી. પેમએ ચીની અધિકારીઓને વિનંતી કરી કે તે જાપાનની ફ્લાઈટ ચૂકી ગઈ છે તો તેને જાપાન જવાની વ્યવસ્થા કરી દેવામાં આવે. પણ ચીની અધિકારીઓ એકના બે ન થયા. અંતે તેણે ચીનથી ભારતની ફ્લાઈટ બુક કરી. જેનો લે-ઓવર ટાઈમ થાઈલેન્ડમાં હતો. ભારતે ચીનને ખખડાવ્યું આ ભારતીય ગરીમાનું અપમાન છે. ચીને ખુલાસો આપવો પડશે. ચીનનો જવાબ અમે પેમ વાંગજોમની અટકાયત કરીને પૂછપરછ કરી નથી. આવું કાંઈ બન્યું જ નથી. યુવતી ખોટું બોલે છે. યુવતીની ઘટના પછી ભારતે ચીનને ખખડાવ્યું... પેમ વાંગજોમ થાંગડોકે ભારતના વિદેશ મંત્રાલયને ઈમેલ લખ્યો છે કે તેના પાસપોર્ટને ખોટો ગણાવવો એ ભારતની સંપ્રભુતાનું અપમાન છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ દિલ્હી ખાતેના ચીની દૂતાવાસને સમન્સ મોકલ્યું છે ને જોરદાર વિરોધ બતાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતીય ગરીમાનું અપમાન છે. ચીને ખુલાસો આપવો પડશે. ચીને પણ જવાબ આપ્યો. ચીને કહ્યું કે અમે પેમ વાંગજોમ થાંગડોકની અટકાયત કરીને પૂછપરછ કરી નથી. આવું કાંઈ બન્યું જ નથી. યુવતી ખોટું બોલે છે. વિવાદ વધ્યો તો ચીને ફરી અરૂણાચલ પર દાવો ઠોકી દીધો આ વિવાદ વિધ્યો તો ચીનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ લિંગ બોલી કે, ભારતે ગેરકાયદે કબજો કરેલા અરૂણાચલ પ્રદેશને ચીને માન્યતા નથી આપી. 'ઝાંગનાન' એ ચીનનો ભાગ છે. ચીની લોકો અરૂણાચલ પ્રદેશને 'ઝાંગનાન' કહે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, જે યુવતીએ ચીન પર આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે. એરપોર્ટ પર તેનું ચેકિંગ સભ્ય રીતે, નિયમ મુજબ જ કરવામાં આવ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે. ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ પછી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. કૈલાસ-માનસરોવર યાત્રા પણ શરૂ થઈ. ભારતે ચીની નાગરિકો પરથી વીઝા પાબંદી હટાવી હતી. ઓગસ્ટમાં SCO સમિટમાં મોદી-શી જિનપિંગની મુલાકાત થઈ હતી ત્યારે એવી વાત થઈ હતી કે સરહદના કારણે બંને દેશોના સંબંધો બગડવા ન જોઈએ. પણ હવે આ સંબંધો સુધરવા તો એકબાજુ, વધારે વણસશે તેવું લાગે છે. ચીનની પામ-ફીંગર થિયરી અરૂણાચલ પર ચીન વર્ષોથી દાવો કરતું આવ્યું છે. આ આજકાલનું નથી. ખાસ કરીને તિબેટ પર કબજો કરી લીધા પછી ચીન અરૂણાચલ પર જોરશોરથી દાવો કરતું આવ્યું છે. ચીને જે-તે સમયે પામ-ફિંગર થિયરી આપી હતી. જેમાં પામ એટલે હથેળી એટલે ચીન પોતે. અને જે પાંચ આંગળી છે તેમાં નેપાળ, ભૂતાન, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખ આ પાંચ તેમાં આવી જાય છે. આ પાંચ આંગળી (પાંચ પ્રદેશ) વગર હથેળી (ચીન) અધૂરી છે. 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે ચીની સૈનિકો મોટાપાયે અરૂણાચલમાં અંદર સુધી ઘૂસી ગયા હતા. જોકે લડાઈ પૂરી થઈ પછી ચીને તેના સૈનિકોને પાછા પણ બોલાવી લીધા હતા. ચીનનું કહેવું છે કે અરૂણાચલ પ્રદેશ એ હકીકતે દક્ષિણ તિબેટ છે. મેકમોહન લાઈન ખોટી રીતે બતાવાઈ છે. અમે મેકમોહન લાઈનને માનતા નથી. મેકમોહન લાઈન બ્રિટીશરો અને ચીન વચ્ચે ખેંચાયેલી રેખા હતી. અરૂણાચલ પ્રદેશમાં તવાંગ ડિસ્ટ્રીક્ટ છે. તેના પર ચીનનો ડોળો છે. તવાંગનું નામ આવે ને ચીન ઈમોશનલ થઈ જાય છે. કારણ કે તવાંગ એ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર છે. એટલે તવાંગ પચાવીને તિબેટનો કંટ્રોલ પોતાના હાથમાં લેવા માગે છે. ઊગતા સૂરજનો પ્રદેશ અરુણાચલ 84 હજાર ચોરસ કિમી વિસ્તાર પહાડો અને જંગલોથી ઘેરાયેલું કુલ વસ્તી 15 લાખ 26 આદિવાસી સમૂદાયનું નિવાસ અરુણાચલ પ્રદેશ પર ચીન કેમ દાવો કરે છે? 1950ના દાયકાના અંતમાં તિબેટને પોતાનામાં ભેળવી લીધા બાદ ચીને અક્સાઈ ચીનના લગભગ 38 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તારોને પોતાના અધિકારમાં કરી લીધો હતો. ચીન તિબેટની સાથે અરુણાચલ પ્રદેશ પર પણ દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ માને છે. શરૂઆતમાં અરુણાચલ પ્રદેશના ઉત્તરના વિસ્તાર તવાંગને લઈને ચીન દાવો કરતું હતું. જ્યાં ભારતનું સૌથી વિશાળ બૌદ્ધ મંદિર આવેલું છે. આંતરરાષ્ટ્રીય નકશામાં અરુણાચલને ભારતનો હિસ્સો માનવામાં આવ્યું છે. તે વાત ચીનથી પચતી નથી. ચીન પહેલેથી વિસ્તારવાદી દેશ રહ્યો છે. તે પોતાના દેશનો વિસ્તાર કરવામાં મશગૂલ છે. તેને ભારતનું અરૂણાચલ, સિક્કીમ પણ જોઈએ છે ને આ તરફ તાઈવાન પર પણ કબજો કરવો છે. અરૂણાચલનો ઈતિહાસ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર ટ્રેક્ટસ' તરીકે ઓળખાતો. 1914માં સીમલા કરારમાં મેકમોહન લાઈને ભારત-તિબેટને અલગ કર્યા 1947માં ભારત સંઘનો ભાગ બન્યું 1954માં 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી' નામ બદલાયું 1962માં ચીને આક્રમણ કર્યું, યુદ્ધ પછી પાછા જતા રહ્યા 1972માં ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં 'અરુણાચલ પ્રદેશ' નામ 1987માં ભારતનું 24મું રાજ્ય બન્યું આવો રહ્યો છે અરૂણાચલ પ્રદેશનો ઈતિહાસ અરુણાચલના પ્રાચીન ઇતિહાસને લઈને બહુ સ્પષ્ટતા જોવા મળતી નથી. અરુણાચલ પ્રદેશ, આસામના પાડોશમાં છે અને અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં તિબેટ, મ્યાંમાર, ભૂતાનની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. 16મી સદીમાં તવાંગમાં બનેલું બૌદ્ધ મંદિર તેની ખાસ ઓળખ છે. તિબેટના બૌદ્ધો માટે આ એક પવિત્ર સ્થળ છે. માનવામાં આવે છે કે પ્રાચીનકાળમાં ભારતીય શાસકો અને તિબેટના શાસકોએ તિબેટ અને અરુણાચલ વચ્ચે કોઈ નિશ્ચિત સીમા નક્કી કરી ન હતી. 1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા રેખા ખેંચવામાં આવી નહોતી. આ વિસ્તારો પર મુઘલ કે અંગ્રેજો કોઈનું નિયંત્રણ હતું નહીં. ભારત અને તિબેટના લોકો પણ કોઈ સ્પષ્ટ સીમા રેખાને લઈને નક્કી નહોતા કરી શકતા. બ્રિટનના શાસકોએ પણ આ પ્રાંત પાછળ કોઈ મહેનત કરી નહીં. તવાંગમાં જ્યારે સૌથી મોટું બૌદ્ધ મંદિર મળ્યું તો બોર્ડર નક્કી થવા લાગી. ડ્રેગનના જૂના પેંતરા 2006માં આખું અરુણાચલ ચીનનું હોવાનો દાવો 2010માં જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો માનવાનો ઈન્કાર 2017માં દલાઈ લામાની મુલાકાત બાદ અરુણાચલના 6 વિસ્તારનાં નામ બદલ્યાં 2020માં સમગ્ર ગલવાન ઘાટી પર દાવો 2023માં નવા 'સ્ટાન્ડર્ડ મેપ'માં અક્સાઈ ચીનને પોતાનો હિસ્સો ગણાવ્યો 1962ના યુદ્ધ પછી બંને દેશો વચ્ચે મોટા ઘર્ષણ થયા હતા છેલ્લે, 1962ના યુદ્ધ વખતે હિમાલયના દુર્ગમ વિસ્તાર રોઝાંગ લા પર્વત પર ચીનના 3 હજાર સૈનિકોએ હુમલો કર્યો ત્યારે ભારતની કુમાઉ બટાલિયનના 120 જવાનોએ બહાદુરીથી સામનો કર્યો. ત્યારે જોરદાર બરફવર્ષા થઈ રહી હતી. લોહી જામી જાય એવી ઠંડીમાં ભારતના 120 સૈનિકો લડ્યા. મહિનાઓ પછી જ્યારે બરફ ઓગળ્યો ત્યારે તેમના થીજી ગયેલા મૃતદેહો તેમનાં સ્થાનો પરથી મળ્યા. ચીની સૈનિકોના મૃતદેહો તેમની રાઇફલો જમીન તરફ રાખીને આર્મ્સ ડાઉન સેલ્યૂટ આપતા જોવા મળ્યા. એનો મતલબ એ કે ચીને શરણાગતિ સ્વીકારી હતી. આ ઘટના પરથી બનેલી ફિલ્મ '120 બહાદુર' થિયેટરોમાં ચાલી રહી છે અને તેમાં એક ડાયલોગ છે કે - આહિર હૈ હમ, કોઈ પ્યાર સે માગેગા તો જાન ભી દેંગે, જબ બાત દેશ પર આઈ તો 100 કી જાન લે ભી લેંગે… છેલ્લે, ચીન એવો દેશ છે જ્યાં લોકોને જાહેરમાં વિરોધ કરવાની મનાઈ છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનના ગુઈઝોઉ પ્રાંતના ગામડાંઓમાં જિનપિંગ સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગુઈઝોઉ પ્રાંતમાં મિયાઓ પ્રજાતિના લઘુમતીઓ રહે છે. તેમને સરકારે દફન કરવાને બદલે મૃતદેહ સળગાવવાનો આદેશ આપતાં લોકો ભડક્યા છે. ચીનના આ ગામડાંઓમાં જિનપિંગ સરકાર વિરૂદ્ધ 660 જગ્યાએ પ્રદર્શનો થઈ ચૂક્યા છે. જિનપિંગે એ સમજવાની જરૂર છે કે ચીન ભલે લોકશાહી દેશ નથી પણ લોકો તાકાત બતાવશે તો નેપાળ જેવી દશા થતાં વાર નહિ લાગે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:55 pm

અમદાવાદ એરપોર્ટ પર નવો પેરેલલ ટેક્સીવે:દર કલાક 20 ATMની ક્ષમતા વધીને 28 ATM થશે, કાર્યક્ષમતામાં 40% નો વધારો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટની કાર્યક્ષમતા વધારવા માટે બે નવા પેરેલલ ટેક્સીવે 'રોમિયો (R)' અને 'રોમિયો 1 (R1)' શરૂ કરવામાં આવ્યા છે. આ નવા ટેક્સીવે શરૂ થવાથી એરપોર્ટની રનવે પરની અવરજવર ક્ષમતામાં 40 ટકાનો મોટો વધારો થશે. હાલમાં પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મૂવમેન્ટ (ATM) ની ક્ષમતા છે, જે હવે વધીને પ્રતિ કલાક 28 ATM થઈ જશે. ફ્લાઈટ હવે રનવેમાં ઝડપથી પ્રવેશ-નિકાસ કરી શકશેઆ પેરેલલ ટેક્સીવેને કારણે ફ્લાઈટ્સને રનવે પર ઓછો સમય રાહ જોવી પડશે. અત્યાર સુધી વિમાનોને ઉડાન ભરવા અથવા ઉતર્યા પછી રનવે પર લગભગ 2-3 મિનિટ સુધી બેકટ્રેક (પાછળ જવું) કરવું પડતું હતું, જે હવે દૂર થશે. કોડ C કેટેગરીના વિમાનો (જેમ કે A320, B737, જે અમદાવાદના 95% ટ્રાફિકનો હિસ્સો છે) હવે રનવેમાં ઝડપથી પ્રવેશ અને નિકાસ કરી શકશે. વિમાનના સમયસર પ્રદર્શનમાં સુધારો થશે, જે મુસાફરોના અનુભવને વધુ સારો બનાવશે. મુસાફરોને ફ્લાઇટની વધુ પસંદગી મળશેવિમાનને ટેક્સીવે માટે રાહ જોવાનો સમય ઘટશે, હવામાં હોલ્ડિંગ ટાઈમ ઓછો થશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આનાથી એરલાઇન્સને પણ બચત થશે. એરલાઇન્સને ઝડપી ટર્નઅરાઉન્ડ સમયને કારણે વધુ સ્લોટ્સ મળી શકે છે, જેનાથી મુસાફરોને ફ્લાઇટની વધુ પસંદગી મળશે. એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થયાઆ ટેક્સીવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક નિયમોનું પાલન કરીને બનાવવામાં આવ્યો છે. નવા ટેક્સીવેમાં નવું લાઇટિંગ સિસ્ટમ્સ અને અપગ્રેડેડ સલામતી સાઈન પણ શામેલ છે. તેઓ એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થયા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:50 pm

રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાની તૈયારી શરૂ:જામનગર કસ્ટમ વિભાગનું કાલે ઇન્સ્પેક્શન, મોબાઇલ નેટવર્ક-વાઇફાઇની સમસ્યા દૂર કરવા BSNLની ટીમ પહોંચી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કારણ કે આવતીકાલે 27 નવેમ્બરના આ માટે જ જામનગર કસ્ટમ વિભાગની ટીમ ઇન્સ્પેક્શન માટે આવી રહી છે. જે પહેલા આજે મોબાઇલ નેટવર્ક અને વાઇફાઇની સમસ્યા દૂર કરવા માટે BSNLની ટીમના સવારથી અહીં ધામા નંખાઈ ગયા છે. આ સાથે જ દરરોજ 30 મુસાફરો પાસેથી ફિડબેક લેવાનું શરૂ કરાયું છે. જેમાં મુસાફરો દ્વારા મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ કનેક્ટિવિટી ન હોવાની સમસ્યા રજૂ કરી છે તો ફૂડ માટેની સુવિધા વધે તેવી પણ માંગણી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના એકમાત્ર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે માટેની પણ અનેક મુસાફરોએ ડિમાન્ડ કરતાં હવે એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર કસ્ટમની એક ટીમ એરપોર્ટનું નિરીક્ષણ કરશેરાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ રૂ.326 કરોડના ખર્ચે નિર્માણ પામેલુ છે. જોકે આમ છતા મોબાઈલ નેટવર્ક ન મળવું, વાઇફાઇ બંધ હોવા ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ અને પીવાના પાણી સહિતની અનેક અસુવિધા બાબતે મુસાફરોના અવારનવાર સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે, ત્યારે આખરે એરપોર્ટ ઓથોરીટી જાગૃત બની હોય તેમ મોબાઈલ કવરેજ-વાઈફાઈ, ટર્મિનલની અંદર ફુડ આઉટલેટસ શરૂ કરવાની દીશામાં સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. કરોડોના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી. તેવામાં આવતીકાલે તા.27ના રોજ જામનગર કસ્ટમની એક ટીમ એરપોર્ટની મુલાકાત લઈ નિરીક્ષણ કરી શું શું જરૂરીયાત છે તેની સમક્ષા કરશે. મોબાઇલ નેટવર્ક-વાઇફાઇની સમસ્યા દૂર કરવા BSNLની ટીમ પહોંચીઈન્ટરનેશનલ એરપોર્ટમાં મોબાઈલ કવરેજ પુરૂ પાડવા આજે બીએસએનએલની ટીમો ઉતારી દેવામાં આવી છે. આવતીકાલ સુધીમાં કવરેજની સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા છે. ગત તા.2 જુલાઈ 2025ના રોજ નવા ટર્મિનલમાં વાઈફાઈ સેવા શરૂ થઈ હતી જેમાં મુસાફરોને એકસેસ સમય 30 મિનિટનો હતો તે વધારીને હવે 45 મિનિટથી વધારી દેવામાં આવ્યો છે. 10 ડિસેમ્બર સુધીમાં નેસ કાફે, સ્ટાર બક્સ આઉટલેટ શરૂ થશેએરપોર્ટની સુવિધા વધારવા એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહ સક્રિય થઈ ચૂક્યા છે, ત્યારે મુસાફરોને માટે ટર્મિનલ બિલ્ડિંગની અંદર નેટવર્ક મજબુત બનાવવા ઈન બિલ્ડીંગ સોલ્યુશન્સ (આઈબીએસ) માટેના ટેન્ડરમાં કોઈ ભાગીદારી મળી ન હતી તેથી તે નિષ્ફળ જતા ફરીથી ટેન્ડરીંગ શરૂ કરવામાં આવ્યું છે. ટર્મિનલ અંદર ફુડ આઉટલેટસ ખોલવા મુસાફરોની માંગણીને ધ્યાને લઈ એક અઠવાડીયામાં નવું નેસ કાફે આઉટલેટ અને સ્ટાર બકસ આઉટલેટ 10 ડિસેમ્બર સુધીમાં કાર્યરત થનાર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા માટેની પણ તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:47 pm

નાગેશ્વર જ્યોર્તિલિંગ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની HCમાં અરજી:આસિ. કલેકટરે માંગેલી માહિતી કાયદા સુસંગત નહીં હોવાથી હુકમને રદ કરવાની માગ

ગુજરાત હાઇકોર્ટમાં દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં માંગ કરાઈ હતી કે દ્વારકાના આસિસ્ટન્ટ કલેકટરે તેમને BNSS 152 અંતર્ગત પત્ર વ્યવહાર કરીને કેટલીક માહિતી માંગી છે. જેમાં માંગવામાં આવેલી માહિતી તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તે સત્તા ચેરીટી કમિશ્નર પાસે છે. તેથી તે માહિતી માંગતા પત્રને રદ કરવામાં આવે. આસિસ્ટન્ટ કલેકટરે પત્ર લખી ટ્રસ્ટ પાસે માહિતી માગતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યોનાગેશ્વર મંદિર ટ્રસ્ટ સાથે દ્વારકાના આસિસ્ટન્ટ કલેકટરે 13 ઓક્ટોબર અને 13 નવેમ્બરના રોજ પત્ર વ્યવહાર કર્યો હતો. જેને નાગેશ્વર મંદિર ટ્રસ્ટે હાઇકોર્ટમાં પડકારેલ છે. સરકારી વકીલે કહ્યું હતું કે, પત્ર ફક્ત માહિતી માંગવા મોકલાયો હતો. તેનો જવાબ અરજદારોએ આપ્યો નથી. તેની ઉપર અત્યારે કોઈ પગલાં લેવાના થતા નથી. આસિસ્ટન્ટ કલેકટરને ટ્રસ્ટમાં ચાલતી અનિયમિતતાઓ અંગે ફરિયાદ મળી હતી. જે અંગે ફક્ત પૂછપરછ કરવા અરજદારને બોલાવવામાં આવ્યા હતા. જો કે અરજદારોએ જણાવ્યું હતું કે BNSS 152 ન્યુસન્સ દૂર કરવા મેજીસ્ટ્રેટને નોટિસ કાઢવાની સત્તા બાબત દર્શાવે છે. પરંતુ આ પત્ર વ્યવહારમાં મંદિરના વહીવટને લગતી બાબતોની માહિતી માંગવામાં આવી છે. કલેકટર ઓફિસમાં પરેશ કેશુ ભારતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વળી અરજદાર દ્વારા ટ્રસ્ટનું તમામ કામ યોગ્ય રીતે થતું હોવાનો જવાબ પણ આપવામાં આવ્યો છે. ટ્રસ્ટ સંબંધી બાબતોમાં ચેરિટી કમિશનર જવાબદાર હોય ત્યારે આસિસ્ટન્ટ કલેક્ટરે કેવી રીતે પત્ર મોકલ્યો ? વળી તેમાં સ્થાનિક ધારાસભ્ય, સરપંચ અને હસમુખ ભારતીનો રેફરન્સ આપવામાં આવેલ છે. પત્રમાં કેટલી દાનપેટી મૂકવી તેની નકલ, દાનપેટીઓને ખોલવા અને સીલબંધ કરવાની નિયમ પદ્ધતિ, દાનમાંથી પૂજારી અને ટ્રસ્ટને વહેંચણીની બાબતો પૂછવામાં આવેલ છે. ગેરકાયદેસર દુકાન વગેરે બાબતો અંગે રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય અને સરપંચની વહીવટી તંત્ર ઉપર અસર જોવા મળે છે. આ પોલિટિકલ ઈન્ફ્લુએન્સ છે. પત્રમાં ન્યૂસનને લગતી કોઈ બાબત નથી. સરકારી વકીલે કહ્યું હતું કે વારવાર મળતી ફરિયાદથી ભક્તોને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાયા છે. કોર્ટે કહ્યું હતું કે અરજદારે ન્યાયિક અધિકાર બાબતે કોર્ટમાં અરજી કરી છે. સરકારી વકીલે કહ્યું હતું કે આસિસ્ટન્ટ કલેક્ટરે ફક્ત જવાબ માંગ્યો છે. શા માટે મંદિર ટ્રસ્ટ તેનો જવાબ આપવા નથી માંગતું, જો ભક્તો પૈસા ખર્ચીને દર્શન નથી કરતા તો વાંધો શું છે ? સ્વચ્છતા અને પૈસા આપીને દર્શનની વાત છે. પરંતુ તેમ છતાંય સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ 152 BNSS અંતર્ગત આવતા વિષય ઉપર યોગ્ય કાર્યવાહી શરૂ નહીં કરે ત્યાં સુધી મંદિર વહીવટને લગતા પ્રશ્નો અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય. આ સાથે જ અરજીનો નિકાલ કરાયો હતો. આ સમાચાર પણ વાંચોઃદ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિવાદમાં ટ્રસ્ટીઓ V/S પૂજારી, ભાસ્કર સમક્ષ કર્યા ઘટસ્ફોટ લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અને 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે. છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહેલા આ વિવાદમાં મંદિરના 2 ટ્રસ્ટી અને પૂજારી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. બન્ને પક્ષોએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં એકબીજા પર ખળભળાટ મચાવતા આરોપ લગાવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:40 pm

કલેક્ટર અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:હિંમતનગરમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. વિવિધ યોજનાઓ અને ગ્રામ્ય કક્ષાએ પાણી સમિતિઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા પીવાના પાણીની યોજનાઓ અંતર્ગતની કામગીરી અંગે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત, ગ્રામ પંચાયતોને પાણીવેરા વસૂલાત માટે પ્રોત્સાહન રકમની ફાળવણી પણ કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા આયોજન અધિકારી સહિતના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:39 pm

સેમિનાર સાથે ભરતીમેળો યોજાયો:વડોદરામાં જિલ્લાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો, 567 ઉમેદવારોએ ભાગ લીધો

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, વડોદરા અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ ઈ બી) વડોદરા દ્વારા પ્રો. સી સી મહેતા ઓડિટોરિયમ, એમ એસ યુનિવર્સિટી કેમ્પસ, વડોદરા ખાતે આજે જિલ્લાકક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને PMVBRY સેમિનાર યોજાયો હતો. આ રોજગાર મેળામાં 1000 વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે 35 નોકરીદાતા હાજર રહ્યા હતા. ભરતી મેળામાં 567 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 210 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી જેમા 34 દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. તેમજ ફ્રી વોકેશનલ તાલીમ માટે 34 ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. ભરતી મેલાના મુખ્ય મહેમાન તરીકે એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફ. ડૉ. ભાલચંદ્ર ભણગે ઉપસ્થીત રહયા હતા. તેમજ મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડૉ. કમલપ્રીત સેગી, મદદનીશ નિયામક એનસીએસ ડીએ યોગેશ્વર યાદવ, મદદનીશ પી એફ કમિશનર સુધિરસીંગ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા રોજગાર કચેરીના તમામ વર્ગના યુવાનો, મહિલા, દિવ્યાંગજન તેમજ એકસ સર્વિસમેન તથા વિર નારીને ઓનલાઈન રોજગારી શોધવા અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા, તેમજ વિદેશ અભ્યાસ અને શિક્ષણ માટે જતા પહેલા રોજગાર કચેરીના ઓવરસીસ કાઉન્સેલર પાસેથી ગાઈડનાસ મેળવીને સેફ લીગલ માઈગ્રેશન કરવા તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ લેવા તેમજ નોકરીદાતા અને યુવાનોને પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળ રજિસ્ટ્રેશન કરાવીને લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:39 pm

2019થી બાકી રહેલી કાર્યવાહી થશે:શહેરમાં EWS આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી અધૂરી છોડનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EWS આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે જોકે કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી ત્યારે તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવતા હોય છે. શહેરના વિવિધ વિસ્તારમાં EWS આવાસ યોજના બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માટેની વર્ષ 2019થી કોર્ટ કાર્યવાહી સહિતની પ્રક્રિયા આખરે પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર એમ.વી. ઓમ્ની (ઇન્ડ્યિા) લી. ને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. 2018માં આ આવાસો બનાવવાની કામગીરી અધૂરી છોડવામાં આવી હતીમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-7માં મોટેરામાં 336, થલતેજમાં 126, ગોતામાં 210, મળી કુલ 672 અને પેકેજ-8 હેઠળ ચાંદખેડામાં 154 મકાનો 8 દુકાન, થલતેજમાં 630 મકાનો મળી કુલ 784 મકાનો બનાવવા માટે એમ.વી. ઓમ્ની પ્રોજેક્ટ (ઇન્ડિયા) લી.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફેઝ -7માં 75 ટકા જ્યારે ફેઝ-8માં 66.24 ટકા જેટલી કામગીરી કરી હતી. 2018માં આ આવાસો બનાવવાની કામગીરી અધૂરી છોડવામાં આવી હતી. જે બાદ મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે આ કામગીરી 2022માં પૂર્ણ કરવી હતી. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા ​સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્તકોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે અંગે હાઇકોર્ટે મૌખિક હુકમ કરી કોન્ટ્રાક્ટરને આ મામલે કમિશનર સમક્ષ રજૂઆત કરવા સૂચના આપી હતી. કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનને એવો જવાબ આપ્યો હતો કે, કામગીરી પૂર્ણ કરવા માટે તેમની પાસે નાણાં નથી. જેથી મ્યુનિ. દ્વારા કામગીરી પૂર્ણ કરવા માટે વારંવાર મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં કામગીરી પૂર્ણ કરાઇ ન હતી. જે બાદ તમામ પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટર એમ.વી. ઓમ્ની (ઇન્ડિયા) લી.ને જુન 2019થી 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાતા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:32 pm

શંખેશ્વર ખાતે 6 જૈન સંતાનોએ દીક્ષા લીધી:ધન-દોલતનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો, દીક્ષા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

શંખેશ્વરના પ્રસિદ્ધ જૈન તીર્થધામ ખાતે છ જૈન સંતાનોએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે યોજાયો હતો. આ દીક્ષા મહોત્સવ પ.પૂ.આ. શ્રીમદ્દ વિ. રત્ન ચંન્દ્રસુરીશ્વજી મ.સા. સાહેબની પ્રેરણા અને અન્ય સાધુ-સંતોના આશીર્વાદથી સંપન્ન થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કરનાર આ છ સંતાનોએ ધન-દોલત, પરિવાર, સગાં-વહાલાં અને મિત્રોનો ત્યાગ કરી આધ્યાત્મિક જીવન અપનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ભૌતિક સુખોનો મોહ છોડી મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું છે. દીક્ષા લેનારાઓમાં મુમુક્ષુ અંજલી કુમારી, સીતાબેન, મયુરીબેન, દ્રષ્ટિબેન, ખુશીબેન અને પૂજાબેનનો સમાવેશ થાય છે. આ પૈકી મુમુક્ષુ અંજલી કુમારી ધાનેરા ગઢ નિવાસી અને હાલ મુંબઈમાં રહેતા કાંતિલાલ વિનાયકિયા પરિવારના સુપુત્રી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:25 pm

'ગુજરાતને ઓલિમ્પિક માટેનું મોટું પ્લેટફોર્મ મળ્યું':ભૂપેન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું, કોમનવેલ્થની યજમાની મળવી ગૌરવની વાત, મીડિયામાં CMનો પહેલો ઇન્ટરવ્યૂ

ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરના રમતગમત પ્રેમીઓ માટે 2030નું વર્ષ ગુજરાતના નામે લખાઇ ગયું છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાશે જેની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. રમત ગમતના આ મહાકુંભનું આયોજન ગુજરાતના વિકાસ, પ્રવાસન અને યુવા શક્તિ માટે ગેમ ચેન્જર સાબિત થશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયામાં સૌથી પહેલો ઇન્ટરવ્યૂ દિવ્ય ભાસ્કરને આપ્યો છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ માટે રાજ્યની તૈયારીઓ અને વિકાસની બ્લૂ પ્રિન્ટ સમજાવી છે સાથે જ કહ્યું કે ગુજરાતને ઓલિમ્પિક માટેનું મોટું પ્લેટફોર્મ મળી ગયું છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જવાબ.... દિવ્ય ભાસ્કરઃ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાશે તેની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની તૈયારીઓનો રોડ મેપ શું છે?મુખ્યમંત્રીઃ કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવી એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ યજમાની ભારતને મળી એ દર્શાવે છે કે રમત ગમત ક્ષેત્રે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટસ ઇકો સિસ્ટમ વિશ્વસ્તરીય છે, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની યજમાની માટે ભારત સંપૂર્ણ રીતે સજ્જ છે. આ આયોજનથી ખેલ જગતની પ્રતિભાઓને નવી ઉડાન મળશે અને તેમના માટે વિકાસના નવા દ્વાર ખુલશે. આ પહેલ યુવા સશક્તિકરણ અને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની છબિને વૈશ્વિક બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મુકે છે. 'ગુજરાતે આ દિશામાં સતત સક્રિય પ્રયાસ કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ખેલ સુવિધાઓનો વિસ્તાર થશે અને યુવાનો, ખેલાડીઓને તાલીમ, રોજગાર તેમજ આંતરરાષ્ટ્રીય અનુભવ મળશે.' દિવ્ય ભાસ્કરઃ કોમનવેલ્થ ગેમ્સને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકારે શું પ્રયત્ન કર્યા હતા?મુખ્યમંત્રીઃ રમત ગમત ક્ષેત્રે ઇકો સિસ્ટમ વધુ સુદૃઢ અને આધુનિક બનાવવાના પ્રયાસોમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતને રમત ગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધારવા માટેની તૈયારી કરાવી હતી. જેના અનુસંધાને ગુજરાત છેલ્લા કેટલાય સમયથી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. દિવ્ય ભાસ્કરઃ ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની પણ ગુજરાતને મળે તે માટે તમે કેટલા આશાવાદી છો?મુખ્યમંત્રીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા બિઝનેસ, રોજગારથી માંડીને કોઇપણ ક્ષેત્રમાં ગુજરાતના યુવાનો ગ્લોબલ કોમ્પિટિશન કરવા માટે સજ્જ થાય તેવું ઇચ્છે છે. કોમનવેલ્થ ગેમ્સ ભારતને મળી છે અને તેમાં પણ ગુજરાતમાં આવી રહી છે ત્યારે ગુજરાતને ઓલિમ્પિક માટેનું આ મોટું પ્લેટફોર્મ મળી ગયું તેવું કહી શકાય.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:24 pm

નીતિન ગડકરી અને મુખ્યમંત્રી હિંમતનગર બે કલાક મોડા પહોંચ્યા:મોતીપુરામાં લાંબા ઓવરબ્રિજ નીચે પાંચ મિનિટ નિરીક્ષણ કરી અમદાવાદ રવાના થયા

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓ નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડા પહોંચ્યા હતા અને માત્ર પાંચ મિનિટના નિરીક્ષણ બાદ અમદાવાદ જવા રવાના થયા હતા. આ મુલાકાત સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની નેશનલ હાઈવે સંબંધિત રજૂઆતોના સંદર્ભમાં હતી. કેન્દ્રીય મંત્રી ગડકરી અમદાવાદથી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં હિંમતનગરના સાબરડેરી પાસેના હેલિપેડ ખાતે ઉતર્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. હેલિપેડ પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું. હેલિપેડ પરથી કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી અરવેનિયા એમપીવીમાં બેસીને હિંમતનગરના મોતીપુરામાં આવેલા લાંબા ઓવરબ્રિજ નીચે પહોંચ્યા હતા. ત્યાં તેમણે નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. માત્ર પાંચ મિનિટના રોકાણ બાદ તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. અગાઉ પ્રાંતિજના રસુલપુર અને મજરા ખાતે પણ રોકાણ કરે તેવી શક્યતા હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:23 pm

પાલનપુરમાં આશા-આંગણવાડી કાર્યકરોને તાલીમ:બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ આયોજન કરાયું

બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ગઢવીના માર્ગદર્શન હેઠળ પાલનપુરના આંબેડકર હોલ ખાતે આશા અને આંગણવાડી કાર્યકર બહેનો માટે સંયુક્ત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત યોજાઈ હતી. આ તાલીમમાં આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને આરોગ્યલક્ષી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કુપોષણ, માનસિક તણાવ, પ્રજનનને લગતા રોગો અને આધુનિક જીવનશૈલીની આરોગ્ય પર થતી વિપરીત અસરો વિશે ઊંડાણપૂર્વક સમજણ અપાઈ હતી. આ ઉપરાંત, ICDSની વિવિધ યોજનાઓ જેવી કે પૂર્ણા યોજના અને પોષણ સંગમ કાર્યક્રમ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની અન્ય વિવિધ યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:19 pm

ભૂમાફિયાઓ પર તંત્ર ત્રાટક્યું:ગાંધીનગર જિલ્લામાં ત્રણ દિવસમાં 19 ડમ્પર સહિત 6 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત રેતી, બ્લેકટ્રેપ, માટીનું ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ સામે ભૂસ્તર તંત્રએ કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. ભૂસ્તર તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સતત રોડ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે આશરે 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત રેતી, બ્લેકટ્રેપ, માટીનું ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ સામે ભૂસ્તર તંત્રએ લાલ આંખ કરી આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ તંત્રની ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના રાંધેજા, અડાલજ, ખોરજ, છત્રાલ, વડસર, કલોલ, બોરીસણા, ગીયોડ, શેરથા, નારદીપુર, લવારપુર અને ડભોડા સહિતના વિવિધ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તરતંત્રની તપાસ દરમિયાન કુલ 20 વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. જેમાંથી 11 ડમ્પર વાહનો રોયલ્ટી પાસ વગર ખનીજનું વહન કરતા જ્યારે 8 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ વહન કરતા ઝડપાયા છે. ઉપરાંત ડભોડા સીમ વિસ્તારમાં સાદી રેતી ખનીજનો બિનઅધિકૃત સંગ્રહ કરીને ડમ્પર (GJ-18-BT-9242) માં વહન કરતા લોડર મશીનને જપ્ત કરવામાં પણ આવ્યું છે. આ જપ્ત કરાયેલા 19 ડમ્પર અને 1 લોડર મશીન સહિત કુલ 6 કરોડનો મુદ્દામાલ ગણવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વાહન/મશીન માલિકો પાસેથી ગુજરાત મિનરલ નિયમો-2027 હેઠળ કુલ 32.14 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્થાની માપણી કરીને દંડકીય રકમની વસૂલાત અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:08 pm

જામજોધપુરમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:અનૈતિક સંબંધોની શંકાએ પથ્થર મારી પત્નીને પતાવી દીધી હતી

જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક પરપ્રાંતિય શ્રમિક મહિલાની હત્યાના કેસમાં તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકાના આધારે પતિએ પથ્થર મારી હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. આ ઘટના જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે બની હતી. ગુલીબેન નારિયાભાઈ બામણીયા (ઉંમર 25) નામની શ્રમિક મહિલા તેની ઝૂંપડીમાં રહેતી હતી. ત્યારે ચારિત્ર્ય પર શંકા રાખીને તેના પતિએ ઉશ્કેરાટમાં આવી માથામાં ધારદાર પથ્થરનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જામજોધપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે કોમ્બિંગ કરીને હત્યારા આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેને પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. આ વહેમના કારણે તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:06 pm

પાટણના રોટરી નગરમાં રસ્તા પર ગટરના પાણી ફળી વળતા રોષ:સ્થાનિકોને હાલાકી, મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો

પાટણ નગરપાલિકામાં રોટરી નગરની મહિલાઓએ ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રોટરી નગર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળે છે. આના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોટરી નગરના રહેવાસીઓએ આ મુદ્દે વોર્ડ નંબર 9ના ચારેય કોર્પોરેટરો તેમજ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સમસ્યા યથાવત્ રહેતા ગતરોજ સ્થાનિકોએ ગંદકી નગરપાલિકામાં ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો. આજે ફરી રોટરી નગરની સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં આવીને વિરોધ કર્યો હતો. રજનબેન ઠાકોરે આક્ષેપ કર્યો કે, જ્યારે પણ તેઓ રજૂઆત કરવા આવે છે, ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસ બંધ જોવા મળે છે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ રોજેરોજ નગરપાલિકામાં આવીને વિરોધ કરશે. વોર્ડ નંબર 9ના ચારેય કોર્પોરેટરો સત્તાપક્ષ ભાજપના હોવા છતાં, પાંચ વર્ષની ટર્મ પૂરી થવા છતાં પણ તેઓ જાહેર માર્ગો પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.છેલ્લા ચાર વર્ષથી ગટરની સમસ્યાથી પીડાતી મહિલાઓએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે પાલિકા પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:02 pm

કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં ચોરી:ટ્રેનમાં મુસાફરી કરી રહેલી તમિલનાડુની મહિલાની 2.21 લાખની મત્તાની ચોરી, પરિવાર સૂતો હતો ને ગઠિયાએ ખેલ પાડયો

તમિલનાડુ ખાતે રહેતો પરિવાર વતન ભુજ ખાતે દર્શન કરવા માટે ગયો હતો. ત્યારબાદ ત્યાંથી દર્શન કરીને પરત ટ્રેનમાં બેસી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનમાં પરિવાર ઊંઘી ગયો હતો. આ સમયે ચોર મહિલાના તેમની પત્નીના પર્સમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 2.21 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધ પાણી પીવા માટે આવ્યા ત્યારે પર્સ ચોરાયુ હોવાની જાણ થઈ હતી, જેથી તેઓએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ભુજ રેલ્વે સ્ટેશનથી બાન્દ્રા જવા ટ્રેનમાં બેઠા હતાતમિલનાડુ ખાતે રહેતા કરમસિંગભાઈ અબજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, ગત 16 સપ્ટેમ્બરના રોજ હું મારા પરિવાર સાથે અમારા મૂળ વતન ભુજ ખાતે દર્શન કરવા ગયો હતો. ત્યારબાદ અમારે પરત તમિલનાડુ જવાનુ હોવાથી કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું હતું. 20 સપ્ટેમ્બરના રોજના રાત્રીના ભુજ રેલ્વે સ્ટેશનથી બેસી મુસાફરી કરતા બાન્દ્રા જવા રવાના થયા હતા. ત્યારબાદ અમે પોત-પોતાની સીટ ઉપર ઊંઘી ગયા હતા. તે વખતે મારી પત્ની પોતાનુ લેડીઝ પર્સ માથા પાસે મૂકી સૂતા હતા. ચોર 2.21 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયોસવારના 5 વાગ્યા બાદ હું ઊંઘમાંથી જાગી મારી પત્નીની સીટ પાસે પાણી પીવા માટે ગયો હતો. ત્યારે તેનુ લેડીઝ હેન્ડબેગ સીટ ઉપર જોવા મળ્યું નહોતું. જેથી, મે મારી પત્નીને ઊંઘમાંથી જગાડી હતી અને બેગની ચેઈન ખુલી હાલતમાં હતી, જેમાં તપાસ કરતા તેમાંથી બે સોનાના કડા, જેન્ટસ મની પર્સ જેમા રોકડ રૂ.22 હજાર, બીજું એક નાનુ લેડીઝ પર્સ જેમાં રોકડ રૂ.18 હજાર તથા એક કવર જેમાં રૂ. 6500, IDFCનુ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ તથા અમારા બંનેનું આધારકાર્ડ મળી આવ્યું નહોતું. આમ, મોડી રાતે ચોર 2.21 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જેથી, રેલવે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:59 pm

ગોધરામાં ભાજપ નેતાઓએ માથે બંધારણ મુકી સંવિધાન ગૌરવ યાત્રા કાઢી:સંવિધાન દિવસ નિમિત્તે દલિત સમાજ અને ભાજપના નેતાઓ જોડાયા

આજરોજ સંવિધાન દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા.આ યાત્રા ગોધરાના બહરપુરા વિસ્તારથી શરૂ થઈ હતી. યાત્રા દરમિયાન સંવિધાનને માથે ઉચકીને ગૌરવ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન રાઠોડ, ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, ગોધરા શહેર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ અને એસ.સી. મોરચાના પ્રમુખ નારણભાઈ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, દલિત સમાજના યુવાનો, માતાઓ, બહેનો અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:58 pm

પારડીના કલસર રોડ પર દારૂ ભરેલો ટ્રક પકડાયો:વાયર પેકિંગના લાકડાના રોલની આડમાં છુપાવેલા દારૂના 317 બોક્સ મળી આવ્યા, એકની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

વલસાડની LCB ટીમે પારડી તાલુકાના કલસર રોડ પરથી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. દમણથી લાવવામાં આવી રહેલા આ દારૂના જથ્થાની કિંમત ₹19.05 લાખ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પારડી કલસર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. MH 48 CB 5986 નંબરના ટ્રકને રોકવામાં આવતા, તેની તલાશી લેવાઈ હતી. તપાસ દરમિયાન, વાયર પેકિંગ માટેના લાકડાના રોલની આડમાં છુપાવેલા દારૂના 317 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 9888 નંગ બોટલો હતી. પોલીસે પાલઘરના રહેવાસી ટ્રક ચાલક નસીબ જફુદીન ખાનની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ ₹29.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:51 pm

પાલનપુર માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની શરૂઆત:તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે સફાઈ કામગીરી હાથ ધરાઈ, પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવાશે

પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવમાંથી જળકુંભી (વોટર હાયસિન્થ) કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ માનસરોવર તળાવના બ્યુટીફિકેશન અને વિકાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનો હેતુ છે. તળાવમાં ઉગી નીકળેલી જળકુંભીને દૂર કરવા માટે ખાસ મશીનરી તળાવમાં ઉતારવામાં આવી છે. ક્રેન દ્વારા આ મશીનરી તળાવમાં મૂકી સફાઈ અભિયાન શરૂ કરાયું છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને નગરપાલિકાની ટીમ દ્વારા આ વિકાસ અને બ્યુટીફિકેશન કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:45 pm

ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ:ગુગલ પે, ફોન પે, ભીમ-પે અને યોનો મારફતે ચૂકવણી શરૂ થતા 55 દિવસમાં 18 લાખના દંડની વસૂલાત

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનાવવાના હેતુથી ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા SBI સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે ઓનલાઇન દંડ ભરવાની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી સુવિધા શરૂ કરવામાં આવી હતીઆ સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઑક્ટોબરથી 24 નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન BBPS મારફતે રૂ. 18.05 લાખથી વધુ રકમનો ઇ-ચલણ દંડ ઓનલાઇન ભરવામાં આવ્યો છે. દંડ ભરવાની આ નવી પ્રક્રિયા સતત પ્રચલિત થઈ રહી છે. અગાઉ વર્ષ 2023થી One Nation One Challan એપ્લિકેશન દ્વારા નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS પરથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ હતી. હવે તેમાં વધારો કરીને Google Pay, PhonePe, BHIM-UPI અને YONO SBI જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ મારફતે સીધી ચુકવણી શક્ય બનાવવામાં આવી છે. એપ્લિકેશન પર જઈ ‘State Traffic Branch, Gujarat’ ઓપ્શન પસંદ કરીને દંડ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ગુજરાત પોલીસની જાહેર અપીલસ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા નાગરિકોને અગત્યની અપીલ કરવામાં આવી છે. BBPS જેવી ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરીને બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દેવી. આ સુવિધા માત્ર છેલ્લા 90 દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણ માટે જ માન્ય છે. 90 દિવસ પછી ઇ-ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. તેથી કોર્ટમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ ઓનલાઇન દંડ ચૂકવવો. આ ડિજિટલ પગલું ‘ડિજિટલ ગુજરાત’ના ઉદ્દેશને વધુ મજબૂત બનાવશે તેમજ દંડ વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે. રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલ અને શિસ્ત મજબૂત બનાવવા આ પહેલ મહત્વની સાબિત થઈ રહી છે. દંડનો બાકી હિસાબ ચકાસો અને તરત ચુકવણી કરવા BBPS સુવિધાનો લાભ લો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:43 pm

કાગબાપુની 122મી જન્મજયંતિના નિમિત્તે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો:કાગબાપુના ભજનોથી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું

ભાવનગરમાં કવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ની 122મી જન્મજયંતિના પાવન અવસરે મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતીઆ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, કલેક્ટર ડો.મનીષ બંસલ, શહેર ભાજપ પ્રમુખ કૃણાલ શાહ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ભારતીય જનતા મજદુર સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. “કાગ વંદના” કાર્યક્રમ નીલમબાગ પેલેસ ખાતે યોજાશેયુવરાજ સાહેબે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જાહેરાત કરી કે, આગામી વર્ષથી “કાગ વંદના” કાર્યક્રમ નીલમબાગ પેલેસ ખાતે યોજાશે, જે સમાચાર હોલમાં ગજબનો ઉત્સાહ જગાવી ગયા. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અંબાદાનભાઈ રોહડિયા અને કવિ વિનોદભાઈ જોશીએ કાગ સાહિત્ય, લોકવારસા અને માનવીય મૂલ્યો પર માર્મિક, પ્રેરક અને સંશોધનાત્મક વક્તવ્ય આપ્યાં હતાં. કાગબાપુ માત્ર કવિ નહીં, પરંતુ જનમાનસના અમર લોકદાર્શનિક છેલોકકલાના આ સંગમમાં પ્રખ્યાત કલાકારો હરેશભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નનકુભાઈ ગઢવી અને મુક્તિદાન ગઢવીએ કાગબાપુના પદો, ભજનો અને કાવ્યો દ્વારા એવું લોકસૌરભ વેર્યું કે, સમગ્ર ઓડિટોરિયમ ભાવયાત્રામાં તણાઈ ગયું. દર્શકો વારંવાર તાળીઓના ગડગડાટથી ગાયકદળનું સત્કાર કરતા રહ્યા. આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંયોજન કાગબાપુના પ્રપૌત્ર ઈશભાઈ કાગે સંભાળ્યું હતું. કાગ સાહિત્યની લોકધારાને સમર્પિત આ અવિસ્મરણીય સાંસ્કૃતિક રાત્રિએ ફરી એકવાર સાબિત કર્યું કે, કાગબાપુ માત્ર કવિ નહીં, પરંતુ જનમાનસના અમર લોકદાર્શનિક છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:39 pm

સ્ક્રીપ ડીલના નામે કરોડોની ઠગાઈ:મોરેશિયસ સ્ક્રેપ ડીલના નામે રૂ. 2.19 કરોડની છેતરપિંડી કરનાર અરુણ અગ્રવાલ મુંબઈથી ઝડપાયો

આર્થિક ગુના નિવારણ શાખાએ સ્ક્રેપના માલના નામે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈને માલ કે નાણાં પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને મોરેશિયસ સ્ક્રેપના નામે માર્કેટ કરતાં સારો માલ આપવાનો વિશ્વાસ આપીને 2,19,44,214નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહીઆરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી સ્ક્રેપનો માલ આપવાના બહાને મોટી રકમ મેળવી લેવામાં આવી હતી, પરંતુ તેમને ન તો માલ આપવામાં આવ્યો, ન તો તેમના નાણાં પરત કરવામાં આવ્યા. આ કેસમાં ફરિયાદી સુજીતકુમાર રામેશ્વરપ્રસાદ ગુપ્તાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ ફરિયાદી સાથે કુલ ₹ 2,19,44,214ની છેતરપિંડી કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.ફરિયાદ અનુસાર, મુખ્ય આરોપી અરુણ મખ્ખનલાલ અગ્રવાલ સહિત અન્ય બે આરોપીઓ નીલમણી વિશ્વનાથ શ્રીવાસ્તવ અને સંદિપ લક્ષ્મણ શિરોડકરે 'સાસ ઓવરસીઝ' અને 'રેડીયન્ટ ઓવરસીઝ લિ.' નામની ફર્મોની માહિતી આપીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે ફરિયાદીને ભારતીય તેમજ મોરેશિયસ સ્ક્રેપનો માલ માર્કેટ કરતાં સારા ભાવે આપવાનું વચન આપ્યું હતું. આ માટે તેમણે એડવાન્સ પેમેન્ટની માંગણી કરી હતી. આરોપીઓએ વિવિધ તબક્કામાં ફરિયાદી પાસેથી બેંક મારફતે કુલ 2,19,44,214ની માતબર રકમ મેળવી લીધી હતી. વિશ્વાસઘાત અને નાણાં પરત ન કરવાની મોડસ ઓપરેન્ડીઆરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે શરૂઆતમાં 2,01,65,443 મેળવ્યા હતા, જેમાંથી માત્ર 1,64,78,826નો ભારતીય સ્ક્રેપનો માલ આપ્યો હતો અને બાકીના 36,86,617નો માલ આપ્યો ન હતો. ત્યારબાદ વધુ સારા ડીલનું બહાનું આપીને વધુ 71,18,100 મેળવ્યા હતા. કુલ 1,08,04,717 મેળવ્યા બાદ, તેઓએ માલ ન આપીને માત્ર 26,00,000 રોકડા પરત કર્યા હતા. અંતે, તેઓએ મોરેશિયસ સ્ક્રેપના નામે કુલ 5,80,000 USD (જે ભારતીય ચલણ મુજબ 4,84,30,000 થાય છે) મેળવ્યા. લાંબી ઉઘરાણી બાદ માત્ર 4,39,710.15 USD (ભારતીય ચલણ મુજબ 3,46,90,503) નો માલ આપ્યો. આ રીતે કુલ 2,19,44,214ની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ અને રિમાન્ડડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે, આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી અરુણ મખ્ખનલાલ અગ્રવાલની મુંબઈ, મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. આરોપી અરુણ અગ્રવાલ બોરીવલી ઈસ્ટ, મુંબઈનો રહેવાસી છે. તેની ધરપકડ તારીખ 25/11/2025 ના રોજ કલાક 01:35 વાગ્યે કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીના તારીખ 26/11/2025 ના કલાક 03:00 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા આચરેલી આ મોટી નાણાકીય છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું, તે જાણવા માટે પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આરોપીઓએ માલ કે પૈસા પરત ન આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે. EOW દ્વારા આર્થિક ગુનાઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:35 pm

'ભાજપ છે ચીટર, લાવ્યું સ્માર્ટ મીટર'ના સૂત્રોચ્ચાર:ફરજિયાત સ્માર્ટ મીટર મુદ્દે AAP મેદાને, ગ્રાહકે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા જ પડે એવો કોઈ નિયમ પણ નથી

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં DGVCL દ્વારા જબરદસ્તીથી લગાવવાનું તત્કાલ બંધ કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓએ હાજર રહીને 'ભાજપ છે ચીટર, લાવ્યો સ્માર્ટ મીટર' જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. DGVCLએ અલગ-અલગ રહેણાંક સોસાયટીને નોટીસ મોકલીઆ બાબતે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ઊર્જા મંત્રાલયના વિભાગ DGVCL દ્વારા ઘરના વીજ વપરાશ માટે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે DGVCLએ અલગ-અલગ રહેણાંક સોસાયટીને નોટીસ મોકલી છે. નોટિસ મોકલ્યા બાદ ધમકી ભરેલી નોટિસ પણ મોકલવામાં આવી છે અને DGVCLના કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકીભર્યા કોલ કરવામાં આવે છે. જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આ આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે. સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા પડે એવો કોઈ જ નિયમ નથીઅત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી, સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે? ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા ના ઈચ્છે તો નાં લગાવે એવો નિયમ છે અને ફરજિયાત લગાવવા જ પડે એવો કોઈ નિયમ પણ નથી. આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશેસુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા આ બાબતે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આ સંદર્ભે ખાસ વિનંતી કરી હતી અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આવેદનપત્રના માધ્યમથી જણાવ્યું હતું કે, આ પ્રકારની ધમકી ભરી વાત DGVCL ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવવા ઈચ્છતા તો એમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ અને છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને અહિંસક વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:32 pm

ભાવનગર જિલ્લામાં 29-30 નવેમ્બરના ખાસ મતદાર કેમ્પોનું આયોજન:મતદારો સ્થળ પર જ પુરાવા રજૂ કરી સુધારો કરાવી શકશે, જાણો ક્યાં અને કેટલા વાગ્ય કેમ્પ યોજાશે

ભાવનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા અભિયાન (SIR) હેઠળ તા. 29 અને 30 નવેમ્બરે ખાસ કેમ્પો યોજાશે. મતદારો આ કેમ્પોમાં પોતાનાં ગણતરી પત્રક જમા કરાવી શકશે તેમજ 2002ની યાદીમાં નામ ન હોય તો જરૂરી પુરાવા સાથે પોતાની તથા પરિવારની વિગતો સુધારી શકશે. 29 નવેમ્બરે બપોરે 12થી 5 વાગ્યા અને 30 નવેમ્બરે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી જિલ્લાભરના વિવિધ સ્થળોએ આ કેમ્પો કાર્યરત રહેશે. મતદારો સ્થળ પર પોતાના તથા પરિવારના પુરાવા રજૂ કરી શકશેભાવનગર જિલ્લામાં તમામ વિધાનસભા મત વિસ્તારમાં તથા તાલુકાઓમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત તા.29 અને 30 નવેમ્બરનાં રોજ ખાસ કેમ્પોના આયોજન કરવામાં આવશે. જેમાં મતદારો પોતાના ગણતરી પત્રક જમા કરાવી શકશે તથા જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો સ્થળ પર પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના પુરાવા રજૂ કરી શકશે. આ કેમ્પનો સમય તા 29 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 5 કલાક સુધી અને તા. 30 નવેમ્બરના રોજ સવારે 10થી સાંજના 5 કલાક સુધી વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પ યોજાશેભાવનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન અંતર્ગત વિવિધ મતવિસ્તારોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 99-મહુવા મતવિસ્તાર માટે તાલુકા પંચાયત કચેરી મહુવા તથા તાલુકા સેવા સદન વડલી, મીટિંગ હોલ, મહુવા ખાતે તેમજ 100-તળાજા મતવિસ્તાર માટે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી તળાજા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. 101-ગારીયાધાર મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ગારીયાધાર, મામલતદાર કચેરી જેસર તથા મામલતદાર કચેરી મહુવા ખાતે તેમજ 102-પાલીતાણા મતવિસ્તાર માટે મામલતદાર કચેરી પાલીતાણા, મામલતદાર કચેરી જેસર, મામલતદાર કચેરી શિહોર ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. 103-ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય, મામલતદાર કચેરી શિહોર તથા મામલતદાર કચેરી ઘોઘા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. 104-ભાવનગર પૂર્વ મતવિસ્તાર માટે સીટી મામલતદાર કચેરી વિદ્યાનગર ભાવનગર અને ભૂતા રૂગનાથ સ્કૂલ કરચલિયા પરા ખાતે તથા 105-ભાવનગર પશ્ચિમ મતવિસ્તાર માટે સિટી મામલતદાર કચેરી ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:25 pm

નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલો:આયુર્વેદિક નર્સરીમાં કામ કરતા મજૂર પર દીપડાએ કર્યો હુમલો, આયુર્વેદિક નર્સરીના મજૂર ઈજાગ્રસ્ત સાસણના જંગલ વિસ્તારમાં ભયનો માહોલ

સાસણ ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીઓ દ્વારા માનવ વસતી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સાસણની એક આયુર્વેદિક નર્સરીમાં કામ કરતા એક મજૂર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આયુર્વેદિક નર્સરીમાં એક કર્મચારી પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી આવીને દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મજૂરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત કર્મચારીને પ્રથમ સાસણની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાસણનું જંગલ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનું રહેઠાણ છે. દિવસના સમયે જ દીપડા દ્વારા કરાયેલા આ હુમલાથી નર્સરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે..

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:23 pm

બરવાળામાં સંવિધાન દિવસની ઉજવણી, આંબેડકર પ્રતિમાને ફુલહાર:કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ભ્રષ્ટાચાર વિરોધી નિવેદનોને સમર્થન આપ્યું

બરવાળા શહેરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોંગ્રેસ અને અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કોંગ્રેસના આગેવાન જગદીશભાઈ ચાવડા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તિભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાન જગદીશભાઈ ચાવડાએ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીના નિવેદનોને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, મેવાણીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ અંગે જે મુદ્દો ઉઠાવ્યો છે, તેમાં નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓનો કોઈ સંબંધ નથી. ચાવડાએ ભારપૂર્વક કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે જે અવાજ ઉઠાવાયો છે, તે યોગ્ય છે. બરવાળા તથા સમગ્ર બોટાદ જિલ્લા કોંગ્રેસ જીગ્નેશભાઈ મેવાણીના નિવેદનોને સંપૂર્ણ સમર્થન આપે છે. આ ઉજવણીમાં સંવિધાનના મૂલ્યોને જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને અનુસરવાનો સંકલ્પ પણ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:17 pm

વડોદરા તાંદલજા મર્ડર કેસ:વડોદરામાં પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારવાના કેસમાં પત્ની રિમાન્ડ પર, ફરાર 2 આરોપી મુંબઈમાં ન મળ્યા, કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મુંબઈના પ્રેમી મોહમદ તોસીફ તથા તેના મામા મહેતાબે મળીને પત્ની ગુલબાનુએ પતિની બર્બરતાપૂર્વક હત્યા કરી હતી. આ કેસમાં ફરાર બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે. બન્ને આરોપીને શોધવા પોલીસ મુંબઈ ગઈ હતી, પરંતુ બંને મળી આવ્યા નથી. જેથી પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકની પત્ની હાલ રિમાન્ડ પર છે. ગત 18 નવેમ્બરે ગુલબાનુ અકોટા વિસ્તારની મિલન હોટલમાં તોસીફને મળવા ગઈ હતી. ત્યાં તેના પ્રેમી તોસીફે તેને ઘેનની ગોળીઓ આપી અને રાત્રે દૂધમાં ભેળવીને પતિને પીવડાવવાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રે ગુલબાનુએ ઈર્શાદને દૂધમાં ઘેનની ગોળી ઓગાળીને પીવડાવી દીધી અને વોટ્સએપ કોલ કરીને તોસીફને ઘરે બોલાવ્યો હતો. 18 નવેમ્બરની રાત્રે લગભગ 1 વાગ્યે મોહમદ તોસીફ અને તેનો મામા મહેતાબ ઈર્શાદના ઘરે પહોંચ્યા હતા. ઘેનની ગોળીની અસરથી ઈર્શાદ બેભાન હાલતમાં જમીન પર સૂતો હતો. તે સમયે ગુલબાનુએ પોતે પતિના પગ બંને હાથે પકડી રાખ્યા હતા, તોસીફે ઓશીકું મોઢા પર મૂકીને જોરથી દબાવી રાખ્યું હતું, જ્યારે મહેતાબે ગુલબાનુનો દુપટ્ટો લઈને ઈર્શાદના ગળે વીંટાળીને ખેંચ્યો હતો. તરફડિયાં મારતા ઈર્શાદનું માથું તોસીફે જમીન પર પછાડ્યું અને તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ તોસીફ અને મહેતાબ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. ગુલબાનુએ સગાં-સંબંધીઓને ખોટી વાત કહી કે ઈર્શાદનું છાતીના દુખાવાથી મોત થયું છે અને તેની દફનવિધી પણ કરાવી દીધી હતી. જો કે, અંતિમવિધિ દરમિયાન ગુલબાનુનું કોઈની સાથે ફોન પર વાતો કરવાથી મૃતકના ભાઈ ઈમ્તિયાઝભાઈને શંકા ગઈ હતી. પરિવારની પૂછપરછમાં ગુલબાનુએ સ્વીકાર કર્યો કે તેણે પ્રેમીની મદદથી પતિની હત્યા કરી છે. ત્યારબાદ પરિવારે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુલબાનુની ધરપકડ કરી હતી અને આરોપી મોહમદ તોસીફ અને મહેતાબ હજુ ફરાર છે. બંનેની શોધખોળ માટે જે.પી. રોડ પોલીસની બે ટીમો મુંબઈ રવાના થઈ હતી. જોકે બંને આરોપી હજી સુધી મળ્યા નથી. પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:10 pm

હાથાપાઈ બાદ વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી: LIVE VIDEO:નવસારીની SGM સ્કૂલની બહાર થઈ અમદાવાદવાળી; એક વિદ્યાર્થી કાતર લઈ તૂટી પડ્યો

નવસારીની SGM સ્કૂલની બહાર આજે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈઆ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન, એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ મથકમાં લેખિત અરજી ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઘાયલ વિદ્યાર્થીના પિતાએ હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે. આ બાબતે પોલીસને જાણ કરી છેઃ વિદ્યાર્થીના પિતાઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા રિશીત રાજાણીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર સ્કૂલમાંથી બહાર આવ્યા બાદ નાકા પર ઊભો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હુમલો કરનાર વિદ્યાર્થીએ તેમના પુત્રના હાથ પર કાતર જેવા ધારદાર હથિયારથી ઘા માર્યા હતા, જેના કારણે તેને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. અમે આ બાબતે પોલીસને જાણ કરી છે. તેમણે આ મામલે સ્કૂલ અને પ્રશાસન દ્વારા વધુ જાગૃતિ લાવવાની અપીલ કરી હતી. શાળાથી દૂર મેન રોડ ઉપર ઘટના બની છે અમે તપાસ કરીએ છીએઃ આચાર્યશાળાના આચાર્ય જોય સર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના શાળાથી 300 મીટર દૂર મેન રોડ ઉપર થઈ છે. અમે પણ આ ઘટના અંગે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મેં જ્યારે તમામ ટીચરને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ ઘટના અંગે તેઓને પણ કઈ ખ્યાલ નથી. અમે શાળાઓમાં પેરેન્ટ્સ કાઉન્સિલ પણ બનાવ્યું છે જેમાં તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ શાળામાં ભણે તેવા પ્રયત્નો કરીએ છીએ. મને સોશિયલ મીડિયાથી આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે. હું પણ તપાસ કરાવું છું. હવે જોઈએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના વિશે અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતું. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:09 pm

ચોમાસામાં નુકશાનીનો તાગ મેળવતી કેન્દ્રીય ટીમ:2.16 લાખ ખેડૂતોની રાહત પેકેજની માગ, અસરગ્રસ્ત બ્રિજ, એપ્રોચ રોડ, વીજ પોલ, સરકારી શાળાની સ્થળ વિઝિટ કરી

રાજકોટ જિલ્લાના ખેતી, માર્ગ- મકાન, PGVCL સહિતના ક્ષેત્રોમાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા વરસાદને લીધે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રિય સચિવ કક્ષાની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. વરસાદને કારણે થયેલા નુકસાન બદલ 2.16 લાખ ખેડૂતોએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી રાહત પેકેજની માંગણી કરી છે. જ્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગના બ્રિજ, એપ્રોચ રોડ તો PGVCLના વીજ પોલ તેમજ સરકારી શાળાઓ અને આંગણવાડીને થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવા માટે કેન્દ્રીય કક્ષાએથી આવેલી ટીમ દ્વારા રૂબરૂ સ્થળ વિઝીટ કરાઈ હતી. કપાસ અને મગફળીના પાકને બચાવવાના ઉપાયોની માહિતી મેળવીકલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અધિક કલેકટર એ.કે.ગૌતમે કેન્દ્રીય ટીમના સભ્યોને આવકાર્યા હતા. કૃષિ, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વરસાદના કારણે થયેલ નુકસાનીની વિગતો રજૂ કરી હતી. કેન્દ્રીય સચિવોએ ખેતી વિશેની તમામ સ્થાનિક જાણકારી ઉપસ્થિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઓચિંતા વરસાદની પરિસ્થિતિમાં કપાસ અને મગફળીના પાકને બચાવવાના ઉપાયો વિશે કૃષિ વિભાગ દ્વારા કરાયેલી પ્રચાર-પ્રસારની કામગીરીની જાણકારી પણ ટીમના સભ્યોએ મેળવી હતી. સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ-ઓક્ટોબર 2025 જાહેર કરવામાં આવ્યુરાજકોટ જિલ્લાની કૃષિ ક્ષેત્રની સાંપ્રત પરિસ્થિતિ, જિલ્લામાં લેવાતા ઋતુ પ્રમાણેના રોકડિયા તથા અન્ય કૃષિ પાકો, કૃષિ સંલગ્ન ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ આંતર માળખાકીય સવલતો, ગોંડલ-ઉપલેટા પંથકમાં કાર્યરત એમ.એસ.એમ.ઈ.(સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગો), ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા ખેડૂતોની સામાજિક પરિસ્થિતિ વગેરે વિશે કેન્દ્રીય ટીમે ઉપસ્થિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં ખરીફ–2025માં કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ-ઓક્ટોબર 2025 જાહેર કરવામાં આવ્યુ છે. પેકેજ અંતર્ગત સહાય માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તા. 14 નવેમ્બરથી 15 દિવસ માટે સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં દર ખેડૂત દીઠ 2 હેક્ટર મર્યાદામાં ₹22,000 પ્રતિ હેક્ટર વળતર મળવાપાત્ર થાય છે. રાજકોટ જિલ્લામાં તા. 26 નવેમ્બર સુધીમાં કુલ 2,16,000 ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે. જેના ચુકવણાની કામગીરી ચાલુ છે. વીજ લાઈનોને થયેલા નુકસાનની પણ વિગતો જાણી હતીટીમ મેમ્બર્સ માર્ગ અને મકાન વિભાગ હેઠળના માઈનોર બ્રીજ, એપ્રોચ રોડ, ડાયવર્ઝન વગેરેને થયેલા નુકસાનથી માહિતગાર થયા હતા. પી.જી.વી.સી.એલ. ના ટ્રાન્સફોર્મર્સ, વીજ થાંભલાઓ તથા વીજ લાઈનોને થયેલા નુકસાનની પણ વિગતો જાણી હતી. આંગણવાડી, સરકારી શાળા પરિસર વગેરેને થયેલા નુકસાન વિશે પણ સભ્યોએ જાણ્યું હતું. અને ઓચિંતી પરિસ્થિતિનો આયોજનબદ્ધ સામનો કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી વિભાગના અધિકારીઓને બિરદાવ્યા હતા. કેન્દ્રીય ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ આજે રાજકોટ જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા તો કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રૂબરૂ નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ ખરે, કેન્દ્રીય નાણાં વિભાગના નાયબ સચિવ કંદર્પ પટેલ, કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ આર.ક્રીશ્નાકુમારી, રાજ્યના રાહત વિભાગના નિયામક એસ.સી.સાવલીયા અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:02 pm

અમદાવાદને મળી શકે છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની:હવે અનંત પટેલે આપી પોલીસને ધમકી ,5 હજાર માટે મિત્રએ ખેલ્યો લોહિયાળ ખેલ, કરમસદમાંથી રાષ્ટ્રીય એક્તા યાત્રાનો શુભારંભ

અમદાવાદને મળી શકે છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી શકે છે કોમનવેલ્થ 2030ની યજમાની. આજે સાંજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.. . સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મિટિંગ મળશે.. જેમાં ભાગ લેવાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચી ચૂક્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાષ્ટ્રીય એક્તા યાત્રાનો કરમસદથી પ્રારંભ સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થયો છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું યાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેવાણી બાદ અનંત પટેલે પોલીસને આપી ચેતવણી જીગ્નેશ મેવાણી બાદ હવે અનંત પટેલે પણ પોલીસને ખુલ્લી ચેતવણી આપી..નવસારીના સાદડવેલમાં કાવેરી સુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં અનંત પટેલે કહ્યું હતું કે, તમે સારા કામ ન કરવાના હોય, દારૂવાળા ના પૈસા લેવાના હોય, જુગાર વાળા ના પૈસા લેવાના હોય, ચકલી, પોપટ વાળાના પૈસા લેવાના હોય, ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય, તો સમજી લેજો તમારા પટ્ટા પણ ઉતરી જશે. 2027માં અમારી જ સરકાર આવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેવાણીના સમર્થનમાં હવે કોંગ્રેસની જનાક્રોશ રેલીઆ તરફ થરાદમાં જીગ્નેશ મેવાણીના સમર્થમાં જનાક્રોશ રેલી કાઢવામાં આવી.મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. ડ્રગ્સના દૂષણથી રાજ્યને બચાવવા માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી આત્મહત્યા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ રાજકોટમાં આત્મહત્યા કરી લીધી..26 નવેમ્બર 2024એ જીત પાબારીની પૂર્વ મંગેતરે તેમના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આજે બરાબર એક વર્ષે તેણે આત્મહત્યા કરી લીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે રોલરને ટક્કર મારતાં એન્જિનિયર સહિત 4નાં મોત અમદાવાદ- ઉદયપુર હાઈવે પર GIDC ઓવરબ્રિજ પર ચાલુ કામગીરીએ ભયાનક અકસ્માત સર્જાયો. સિમેન્ટ ભરેલા ટ્રક-ટ્રેલરે સેફ્ટી ગાર્ડ તોડીને રોડ રોલરને ટક્કર મારતા એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયા. આ હાઈવેનું આજે નીતિન ગડકરી નિરીક્ષણ કરવાના હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધાર્મિક સ્થળ સહિતના 30 દબાણો દૂર ભાવનગરના નવાપરા કબ્રસ્તાન પાસે સરકારી જમીન પર બનેલા 60 કરોડના 30 દબાણો દૂર કરાયા.અધિકારીઓ સહિત 100થી વધુ પોલીસ જવાનો સાથે આ કામગીરી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી ગીર ગઢડાના પીછવી ગામ નજીક બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી. એક કિમી દૂર જંગલમાંથીત બાળકીનો મૃતદેહ મળ્યો. વનવિભાગે માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો. 5 હજારની લેતીદેતીમાં મિત્રની હત્યા ભાવનગરના કરચલીયાપરામાં 5 હજારની લેતીદેતીમાં મિત્રની હત્યા કરી નાખી. 4 શખ્સોએ ભેગા મળીને છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો.નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર યથાવત 12 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. .અમદાવાદમાં સવારે-રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:59 pm

રિક્ષામાં બેસેલા કિન્નર પર ચાકુ વડે હુમલો:નવાપુરામાં બાઈક પર આવેલા બે શખસો હુમલો કરી ફરાર, પોલીસે CCTV આધારે શોધખોળ હાથ ધરી

વડોદરા શહેરના ફતેપુરામાં આવેલા કાલુપુરા વિસ્તારમાં રહેતા વ્યંઢળ કામ અર્થે સવારે નવાપુરા વિસ્તારમાં રિક્ષામાં બેસીને પસાર થતા હતા. ત્યારે અચાનક બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ જતાં ઇજાગ્રસ કિન્નરને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઈસમોએ બાઈક પર આવી ચાકુ વડે કિન્નર પર હુમલો કર્યો વડોદરા શહેરના કાલુપુરા ફતેપુરા શિવાજી હોલ પાસે રહેતા સિમરન કુવર માંહેરાકુવર કિન્નર આજે સવારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી રાજરત્ન સોસાયટી રોડ પરથી રિક્ષામાં બેસીને પસાર થતા હતા. દરમિયાન અજાણ્યા ઈસમો બાઈક પર આવી ચાકુ વડે ફરિયાદી પર હુમલો કરતા ડાબા પગના ઢીંચણ ઉપરના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે રીક્ષાચાલકે તાત્કાલિક કિન્નરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાઆ મામલે કિન્નરે હુમલો કરનાર બે ઈસમો સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઈસમો દ્વારા માટે તેઓના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘાતક હુમલાથી તેઓના પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે CCTV આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરીઆ મામલે નવાપુરા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવાપુરા પોલીસ મથકના પીઆઇ બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:56 pm

આવતીકાલે નીતિન ગડકરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની ગુણવત્તા ચકાસશે:100 કિ.મી.નું બાય રોડ અને 200 કિ.મી.નો હવાઈ સર્વે, સુરત એરપોર્ટથી શરુ કરશે સમીક્ષા

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી 27 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય સઘન પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સ, ખાસ કરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિનું જમીની અને હવાઈ નિરીક્ષણ કરશે. આ પ્રવાસ દરમિયાન મંત્રી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે, જેમાં NH-53 અને NH-48ના 100 કિમીનું રોડ નિરીક્ષણ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિ.મી.નો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે સામેલ છે. સ્થાનિકોની મોટી અપેક્ષા છે કે, ગડકરી NH-48 અને એક્સપ્રેસ-વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન પર પણ તાત્કાલિક ધ્યાન આપશે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકજામની મોટી સમસ્યા ટળી શકે. 300 કિ.મી.થી વઘુના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશેઆ મુલાકાત દરમિયાન ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે, જેમાં 200 કિલોમીટરનો મહત્ત્વનો એરિયલ સર્વે પણ સામેલ છે. આવતીકાલે સવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સુરત એરપોર્ટ પર લેન્ડ કરશે. એરપોર્ટથી જ તેઓ બાય-રોડ જમીની નિરીક્ષણની શરૂઆત કરશે. પ્રથમ તબક્કામાં તે નેશનલ હાઇ-વે 53 પરના કામકાજનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ સુરત એરપોર્ટથી શરૂ થઈને પલસાણા સુધી એટલે કે આશરે 45 કિલોમીટરના સેક્શનમાં કરવામાં આવશે. આ રસ્તાની ગુણવત્તા કેવી છે, તેની સમીક્ષા કરવામાં આવશે. 100 કિલોમીટરના માર્ગનું નિરીક્ષણ બાય-રોડ નિરિક્ષણ કરશેત્યાર બાદ મંત્રી ગડકરી નેશનલ હાઇવે 48ના 60 કિલોમીટરના પટ્ટાનું નિરીક્ષણ કરશે, જે પલસાણાથી વલસાડ સુધીનો રહેશે. આ બંને નેશનલ હાઇવેના મળીને લગભગ 100 કિલોમીટરના માર્ગનું નિરીક્ષણ બાય-રોડ કરીને તેઓ પ્રોજેક્ટ્સની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવશે. આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન તેઓ એક્સપ્રેસ-વેના અધિકારીઓ અને એન્જિનિયરો પાસેથી પ્રોજેક્ટની વિગતો મેળવશે. આ મુલાકાતમાં એરિયલ સર્વે 200 કિલોમીટરનો રહેશેબાય-રોડ નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ, નીતિન ગડકરી વલસાડથી હેલિકોપ્ટર દ્વારા દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ શરૂ કરશે. ગડકરીનો આ એરિયલ સર્વે 200 કિલોમીટરનો રહેશે. આ હવાઈ નિરીક્ષણ દરમિયાન તેઓ એક્સપ્રેસ-વેના અંડર-કન્સ્ટ્રક્શન પેકેજીસ – પેકેજ 9, પેકેજ-10, અને પેકેજ-11ના કામકાજની પ્રગતિનું આકાશમાંથી અવલોકન કરશે. આ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફના સરહદી વિસ્તારના નિર્માણકાર્યની સમીક્ષા હશે, જ્યાંથી તેઓ મહારાષ્ટ્ર તરફ જશે. આ એરિયલ સર્વે દ્વારા, ગડકરી જમીન પર થતા કામકાજની ગતિ, ગુણવત્તા, અને પ્રોજેક્ટના સમયસર સમાપ્તિની શક્યતાઓનું આકલન કરશે. આ પ્રકારનો હવાઈ સર્વે મોટા અને લાંબા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, જેનાથી સમગ્ર સેક્શનની પ્રગતિનો તાગ એક જ વખતમાં મળી શકે છે. કિમ સેક્શનનું મહત્ત્વપૂર્ણ નિરીક્ષણ અને પરત દિલ્હીમહારાષ્ટ્ર તરફના સર્વે બાદ, મંત્રી ગડકરી પરત ફરીને સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં તૈયાર થઈ રહેલા એક્સપ્રેસ-વેના મહત્ત્વપૂર્ણ સેક્શનની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી આ પ્રવાસ દરમિયાન એક્સપ્રેસ-વેના ફેઝ-6 (કિમ-એના)ના કામકાજની સમીક્ષા કરશે, જેને તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો છે. આ નિરીક્ષણ પ્રવાસની શરૂઆત તેઓ એના ઇન્ટરચેન્જ પાસેથી કરશે અને ત્યાંથી બાય-રોડ આખો સેક્શનનું નિરીક્ષણ કરશે. કિમ-એના સેક્શન એક્સપ્રેસ-વેના સમગ્ર રૂટમાં એક મહત્ત્વપૂર્ણ કડી સમાન છે. આ નિરીક્ષણ બાદ તેઓ દિલ્હી પરત જવા રવાના થશે. પ્રવાસના અંતે ગડકરી કિમ ઇન્ટરચેન્જ નજીક નરોલી ગામ પાસે એક્સપ્રેસ-વે ઉપર જ ખાસ તૈયાર કરવામાં આવેલા હેલિપેડના માધ્યમથી સુરત જવા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. મંત્રીની આ એક દિવસીય સઘન મુલાકાતને લઈને NHAI અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખામીયુક્ત ડિઝાઇન પર તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતીકેન્દ્રીય મંત્રીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર તેમનું ધ્યાન દોરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, નેશનલ હાઈવે-48 અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેને જોડતા ઇન્ટરચેન્જની ડિઝાઇન ખામીયુક્ત છે. જો આ ઇન્ટરચેન્જની ડિઝાઇનમાં વહેલી તકે સુધારો કરવામાં ન આવે, તો ભવિષ્યમાં આ વિસ્તારમાં મોટી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી શકે છે, જે સામાન્ય જનજીવન અને વેપાર-વાણિજ્યને ગંભીર અસર કરી શકે છે. સ્થાનિક નાગરિકોની અપેક્ષા છે કે ગડકરી આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેશે અને તેના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપશે, જેથી કરોડોના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટની ઉપયોગિતા અને સલામતી જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:32 pm

50 હજાર મુસાફર સામે કાલુપુર રેલવે-સ્ટે.માં 250ની ક્ષમતાનો AC-વેઈટિંગ હોલ:સાંસદ અને ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું, જાણો ચાર્જ અને સુવિધાઓ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં નવીન બનાવેલ એસી વેઇટિંગ હોલનું 20 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન થવાનું હતું. જેમાં DRM ન આવી શકતા ઉદ્ઘાટન થયું નહોતું. અને બીજા દિવસે પણ GM આવીને ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ ત્યારે પણ તેનું ઉદ્ઘાટન થયું ન હતું. ત્યારે આજે સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા આ એસી વેઇટિંગ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 50 હજાર દૈનિક મુસાફર સામે કાલુપુર રેલવે સ્ટેશનમાં 250ની ક્ષમતાનો AC-વેઈટિંગ હોલ બન્યો છે. ઉદ્ઘાટન પહેલા જ લોકોને પ્રવેશ અપાયોજોકે રેલવે વિભાગ આને ઉદ્ઘાટન જણાવી નથી રહ્યું. આજે વહેલી સવારે આ એસી વેઈટિંગ હોલનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલવેના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ એસીબેટીંગ હોલના ઉદ્ઘાટન પહેલા જ લોકો પાસેથી ચાર્જ વસૂલ કરીને અંદર પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. અને જ્યારે આજે આ ઉદઘાટન દરમિયાન અધિકારીઓ આવ્યા ત્યારે અંદર બેસાડેલા લોકોને વસૂલ કરવામાં આવેલ ચાર્જ પરત કરીને બહાર કાઢી દેવામાં આવ્યા હતાં. નેતાઓ આવતાં દરેક પેસેન્જરને હોલમાંથી બહાર કઢાયારેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે 26 નવેમ્બરે વહેલી સવારે આ એસી વેઇટિંગ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોને ઉદ્ઘાટન પહેલા જ અંદર પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. અને લોકો પાસેથી ચાર્જ પણ દર કલાકના 20 રૂપિયા લેખે વસૂલ કરવામાં આવ્યો હતો. આજે સવારે જ્યારે ઉદ્ઘાટન થયું તે દરમિયાન જેટલા પણ અધિકારીઓ ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા તેઓના ફોટો સેશન માટે થઈને દરેક પેસેન્જરને એસી વેઈટિંગ હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી વસૂલ કરવામાં આવેલ ચાર્જ પરત કરવામાં આવ્યો હતો. લાખોની અવરજવર વચ્ચે ફક્ત 250 લોકો બેસી શકે તેવી ક્ષમતાજોકે કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરો મુસાફરી કરતા હોય છે, અત્યારે રેલવે સ્ટેશનમાં ડેવલેપમેન્ટની કામગીરી ચાલુ હોવાથી દૈનિક 50 હજાર લોકોની અવજવર સામે ફક્ત 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતો આ એસી વેટિંગ હોલ, જેનું ઉદ્ઘાટન 20 નવેમ્બરના રોજ થવાનું હતું, પરંતુ કોઈ અધિકારી પાસે સમય ન હોવાથી તેનું ઉદઘાટન આજે 26 નવેમ્બરના રોજ થયું હતું. 'વેઇટિંગ હોલમાં જે લોકો બેઠા હતા એમને અમે બહાર કાઢ્યા નથી'અમદાવાદ રેલવે DRM વેદ પ્રકાશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે એસી વેઇટિંગ હોલનું ઉદઘાટન નથી કર્યું પરંતુ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વેઇટિંગ હોલમાં જે લોકો બેઠા હતા એમને અમે બહાર કાઢ્યા નથી અને કોઈને પૈસા પણ પાછા આપ્યા હોય એવું નથી. જ્યારે તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારે પણ લોકો બેઠેલા જ હતા. જેથી વેઈટિંગ હોલમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા હોય એવી કોઈ વાત નથી. આ ઉદ્ઘાટન નહીં પરંતુ લોકો માટે અમે ખુલ્લું મૂક્યું છે. એટલે કે રેલવે વિભાગ આને ઉદ્ઘાટન નથી જણાવી રહ્યું. ફક્ત ઉદ્ઘાટન જેવી સજાવટ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:32 pm

12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મુક્તિ મળશે:સરખેજ ફતેવાડી ખાતે 159 કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ બનશે; પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાનો અંત

અમદાવાદમાં દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ વિસ્તારના બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં રહેતા 12 લાખથી વધુ લોકોને નાગરિકોને ડ્રેનેજની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સરખેજ-ફતેવાડી ખાતે રૂ. 159 કરોડના ખર્ચે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને ડ્રેનેજ લાઇન નાખવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત કોન્ટ્રાક્ટર ખિલાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 32 % ઓછા ભાવે સોંપવામાં આવશે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાનો અંત આવશેબોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારોની જુદી જુદી ટી.પી. સ્કીમોમાં રહેણાંક અને કોમર્શિયલ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે જેના કારણે ડ્રેનેજનો ફ્લો વધશે. આ વિસ્તારમાં ગટરના પાણી બેક મારતા હોવા અંગેની સમસ્યાઓ ઉદભવી રહી છે. નીચાણવાળા વિસ્તારો જેવા કે દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસ.પી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મક્તમપુરા, સનાથલ જેના વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં રસ્તા ઉપર પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત આવે છે. જેથી નવી ડ્રેનેજ લાઈન અને સુએજ પંપીંગ સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઊભી થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો STP પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફતેવાડી ખાતે 159 કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ બનશેશહેરના ફતેવાડી વિસ્તારમાં આગામી વર્ષ 1236 અને 1250ને ધ્યાનમાં રાખીને શાંતિપુરા સર્કલથી સાબરમતી નદી સુધી 2400 MMની પાઇપલાઇન રાખવા સાથે નવું ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને STP બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓડિટર અને કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં આવેલી કંપનીઓની ક્વોલિફિકેશન અને ડોક્યુમેન્ટ વગેરે તપાસવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર ખિલારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજિત રકમ દ્વારા 32 ટકા ઓછા ભાવ ભરવામાં આવ્યા હતા. જેમાં 134 કરોડના ખર્ચે નવો STP અને 10 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સના 35 કરોડ સાથે કુલ 159 કરોડના ખર્ચે STP બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:29 pm

તાપી નદીના પાળા પર ઝૂંપડું બનાવી ગાંજાનું વેચાણ:સુરતમાં ઝૂંપડાંમાં પગારથી નોકર રાખી નશાનો કાળો કારોબાર ચાલતો, ગાંજા માફિયા જાકીર હુસૈન વોન્ટેડ જાહેર

સુરતમાં ચોકબજારના હોપ પુલ પાસે તાપી નદીના પાળા પર ઝૂંપડું બનાવી ગાંજાનું વેચાણ કરતા શખ્સની ધરપકડ કરી 93.240 ગ્રામ ગાંજો કબજે લેવાયો હતો. આ શખ્સ વોન્ટેડ ગાંજા માફિયા માટે 400 રૂપિયાના રોજિંદા પગારથી નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરીએ સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં હોપ પુલ પાસે તાપી નદીના પાળા પર કંતાનના ઝૂંપડાંમાં રેડ કરી હતી. અહીં ગાંજા માફિયા જાકીર ઉર્ફે પપ્પુ હુસૈન દ્વારા નોકર રાખી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી હતી. પોલીસની રેઈડ દરમિયાન ઝૂંપડામાં સોફા અને ટેબલ સહિતનો સામાન મળી આવ્યો હતો. ટેબલના ખાનામાંથી ૯૩.૨૪૦ ગ્રામ ગાંજો ભરેલી કોથળીઓ મળી આવી હતી. ગ્રાહકોને વેચવા માટે નાની પુશ બેગ પણ મળી આવી હતી. ૪,૬૬૨ રૂપિયાના ગાંજાના જથ્થો તથા વેચાણના રોકડા ૩ હજાર રૂપિયા કબજે કરી ગાંજો વેચતાં નરેન્દ્ર ઈશ્વર દયાળસિંહ (રહે. રણછોડનગર, લિંબાયત)ની ધરપકડ કરાઇ હતી. આ શખ્સ ૪૦૦ રૂપિયાના રોજિંદા પગાર પર ગાંજો વેચવાની નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેને નોકરીએ રાખનાર ગાંજા માફિયા જાકીર ઉર્ફે પપ્પુ હુસૈનને વોન્ટેડ જાહેર કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:19 pm

સોમનાથમાં 27 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ:જૂનાગઢ રેન્જ IG ઝાઝડિયા કરશે ઉદ્ઘાટન, લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો સંગમ 1 ડિસેમ્બર સુધી ચાલશે

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 27 નવેમ્બરથી શરૂ થશે. ભારે વરસાદને કારણે મુલતવી રખાયેલો આ પાંચ દિવસીય મેળો 1 ડિસેમ્બર સુધી સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળાનું ઉદ્ઘાટન 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યે જૂનાગઢ રેન્જના આઈ.જી. નિલેશકુમાર ઝાઝડિયાના હસ્તે થશે. 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો સંગમ છે. આ વર્ષે મેળામાં 150થી વધુ વાનગીઓનું ફૂડ બજાર, 50થી વધુ બાળકોની રાઈડ્સ, હસ્તકલા-ગૃહઉદ્યોગના સ્ટોલ્સ, સરસ મેળો, “સોમનાથ @70” ચિત્ર પ્રદર્શની અને જેલના કેદીઓના ભજીયાના સ્ટોલ્સ જેવા આકર્ષણો રહેશે. પાંચ દિવસ દરમિયાન કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, અપેક્ષાબેન પંડ્યા, હેમંત જોશી, હિતેશ અંટાળા, સાંત્વની ત્રિવેદી, રાજલ બારોટ અને બહાદુરભાઈ ગઢવી સહિતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ક્લસ્ટર ઝોન, વોચ ટાવર, CCTV કેમેરા, હાઈ-ટેક કંટ્રોલ રૂમ, ફાયર ટેન્ડર અને સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનની સંયુક્ત વ્યવસ્થા હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત મેળાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:17 pm

રીઢો ચોર ઝડપાયો:વડોદરામાં કારની કાચ તોડી લેપટોપ અને ઘડિયાળ સહિત 1.32 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં 25 ગુના નોંધાયેલ છે

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી કારમાંથી કાચ તોડીને થયેલી 1 લાખ 32 હજાર રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રીઢા ચોર એહમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણને ઝડપી પાડ્યો છે અને ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો છે. ગત 22 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 8.30 વાગ્યાના સુમારે ફરિયાદીએ પોતાની હોન્ડા સિવિક કાર હરણી બાલાજી પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરી હતી. કારની પાછળની સીટ પર રાખેલી બેગમાં એપલ કંપનીનો લેપટોપ, ઘડિયાળ, ચશ્મા તેમજ 50 હજારની રોકડ રકમ મુકેલી હતી. અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડીને આખી બેગની ચોરી કરી લીધી હતી. આ બનાવની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સ તેમજ બાતમીદારોની મદદથી ટીમે હરણી રોડ વિજયનગર વિસ્તારમાંથી આરોપી એહમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણ (ઉ.વ. 46, રહે. રહાડપુર, તા. જંબુસર, જિ. ભરૂચ, મૂળ રહે. મોટી વ્હોરવાડ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં એપલ લેપટોપ, ચશ્મા, મોબાઈલ એડેપ્ટર તથા રૂ. 23,500ની રોકડ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું છે કે, લગ્ન સિઝન ચાલુ હોવાથી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી કારમાં લોકો કિંમતી વસ્તુઓ મૂકી જતા હોવાથી તેનો લાભ લઈને તે પોતાના સાગરીત સલીમ ઉર્ફે કાજબ શેખ (રહે. તાંદલજા) સાથે મળીને આવી ચોરીઓ કરતો હતો. બન્નેએ પલ્સર મોટરસાઈકલ પર આવીને ગીલોલ તથા લોખંડના છરાની મદદથી કારનો કાચ તોડીને બેગની ચોરી કરી હતી. આરોપી સામે માંજલપુર, સમા, પાણીગેટ, ગોત્રી, જેપી રોડ, સિટી, ગોરવા, હરણી, કારેલીબાગ, બાપોદ, મકરપુરા, નવસારી વલસાડ અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં 25 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:12 pm

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના મુખ્ય આરોપીના જામીન મંજૂર:ગેમઝોનના સંચાલક-મેનેજર યુવરાજસિંહ સોલંકીએ કરેલી જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી

રાજકોટ ટીઆરપી ગેમઝોન કેસમાં વધુ એક આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ગેમઝોનના સંચાલક-મેનેજર યુવરાજસિંહ સોલંકી દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. TRP અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:12 pm

નખત્રાણામાં સાયરા-યક્ષ વચ્ચેની પાપડીમાં આધેડ ડૂબ્યો:તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી, કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી પત્તો લાગ્યો નથી

નખત્રાણા તાલુકાના સાયરા અને યક્ષ ગામ વચ્ચે પાણી ભરેલી પાપડીમાં 55 વર્ષીય આધેડ વેલજી મમુ ગરવા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત રાત્રે બની હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી સાંજે વેલજી ગરવા અકસ્માતે પાણીમાં પડી ગયા હતા. પરિજનોને આ અંગે જાણ થતાં તેમણે તંત્રને જાણ કરી હતી. ઘટનાસ્થળ નજીક પાણીની પાળી પાસેથી હતભાગીના ચપ્પલ મળી આવ્યા હતા, જેના આધારે ડૂબી જવાની આશંકા પ્રબળ બની હતી. આજે બુધવારે વહેલી સવારથી ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા મોટરબોટ અને તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, બપોર સુધીની સઘન શોધખોળ છતાં વેલજી ગરવાનો કોઈ પત્તો લાગ્યો નથી. વેલજી ગરવાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે શ્રમિક પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:07 pm

પાટણમાં આડા સંબંધ મુદ્દે મારામારી:યુવકને લોખંડની ખિલાસરી-ધોકાથી માર મારતા ગંભીર ઇજા; 10 સામે ફરિયાદ

પાટણના રામનગર લક્ષ્મીપુરા વિસ્તારમાં આડા સંબંધના મુદ્દે થયેલી મારામારીમાં 10 જેટલા આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વિગતો અનુસાર, ફરિયાદીના કુટુંબી ભાભી સાથે આરોપીને આડા સંબંધ હતા. આરોપી ફરિયાદીના ભાભીને મળવા તેમના ઘરે આવ્યો હતો. તે સમયે ફરિયાદીના કાકાના દીકરાએ તેને જોઈ લેતા પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવકને ડાબા કાનના ઉપરના ભાગે ટાઈલ્સ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. થોડા સમય બાદ ફરિયાદી પોતાના ઘરની બહાર તાપણું કરી રહ્યો હતો. તે જ સમયે આરોપી સહિતના અન્ય શખ્સોએ ત્યાં આવીને ફરિયાદીને ધમકાવવા લાગ્યા. ફરિયાદીએ તેમને વિસ્તારમાં ન આવવા જણાવ્યું હોવા છતાં તેઓ આવ્યા હતા. આ વાત પરથી આરોપીએ ફરિયાદીને ગાળો બોલી ઝપાઝપી કરી હતી. આરોપીએ ફરિયાદીના બંને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે અનય શખ્સોએ તેને જમણા હાથે લોખંડની ખિલાસરી મારી, જેના કારણે ફરિયાદીના જમણા હાથની મોટી નળીમાં ક્રેક થઈ હતી. ફરિયાદીની બૂમાબૂમ સાંભળીને તેના કાકા અને તેમના બે દીકરા વચ્ચે પડ્યા હતા. આ સમયે આરોપીનું ઉપરાણું લઈને આરોપીઓએ યુવકને લાકડી અને ધોકા વડે માર માર્યો અને તમામ આરોપીઓ જતા-જતા ગાળો બોલીને ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:05 pm

ગોધરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ સ્નેચર્સ ઝડપ્યા:₹2.17 લાખનો મુદ્દામાલ જપ્ત, 11 ફોન અને બાઇક મળી

ગોધરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹1.92 લાખના 11 મોબાઈલ ફોન અને ₹25,000ની કિંમતની એક બાઇક સહિત કુલ ₹2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી મોબાઈલ સ્નેચિંગના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની અને વિભાગીય પોલીસ અધિકારી જી.એસ. બારીયાની સૂચના હેઠળ, ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. તડવીના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર રામાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ચંપકસિંહને મળેલી બાતમીના આધારે આ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નિરવ જીતેન્દ્રભાઈ પટેલ (ઉ.વ. 22, રહે. ગોધરા), કૃણાલ મહેશભાઈ ચૌહાણ (ઉ.વ. 26, રહે. ગોધરા) અને જીગર જીતુભાઈ રાવળ (ઉ.વ. 23, રહે. ગોધરા) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ 11 મોબાઈલ ફોન અને GJ 17 BK 4399 નંબરની હીરો સીડી ડિલક્સ બાઇક જપ્ત કરી છે. આ ધરપકડથી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં ગોધરા રે.પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન. 11212023250237/2025 BNS કલમ 304(2), 54 અને ગોધરા રે.પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન. 11212023250238/2025 BNS કલમ 304(2), 54 નો સમાવેશ થાય છે. આ પ્રશંસનીય કામગીરીમાં પી.આઈ. એચ.વી. તડવી, પી.એસ.આઈ. એમ.કે. બારૈયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર રામાભાઈ, સંદિપભાઈ રસનભાઈ, લલિતકુમાર મોહનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ચંપકસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 5:00 pm

SOU તરફ જતા રોડનું 2018 બાદ રિસરફેસિંગ:મુખ્ય માર્ગો પર અકસ્માત નિવારવા રિફ્લેક્ટર એન્ટી ગ્લેર સિસ્ટમ લગાવાઈ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), તરફ જતા મુખ્ય માર્ગો પર પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ડભોઇ-તીલકવાડા-દેવલીયા ચાર માર્ગીય રસ્તાના રિસરફેસિંગની કામગીરીની સાથે જ, અકસ્માતોને ટાળવા માટે મીડિયમમાં રિફ્લેક્ટિવ એન્ટી ગ્લેર સિસ્ટમ લગાડવામાં આવી છે. 2018 બાદ રોડનું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરાયુંસ્ટેચ્યુ ઓફ યુનિટીનું 2018 માં લોકાર્પણ થયું ત્યારે આ તમામ રોડ નવા બનાવવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ માર્ગો પર મોટા ખાડાઓ પડી ગયા હતા. સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની અવરજવર માટે આ રોડની પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ રાજપીપળા દ્વારા યુદ્ધના ધોરણે આ રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિક્ષક ઇજનેર સતિષ મોદીના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત વસાવા અને તેમની ટીમ દ્વારા જિલ્લાના મહત્વના સ્ટેટ હાઇવે ગણાતા ડભોઇ-દેવળીયા-તિલકવાડા સહિતના માર્ગોને પ્રથમ પ્રાયોરિટી આપીને સત્વરે બનાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે એન્ટી ગ્લેર સિસ્ટમસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી આ માર્ગો પર ટ્રાફિકનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે. માર્ગ સલામતી વધારવા માટે વિભાગ દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત વસાવાએ જણાવ્યું હતું, સદર રસ્તા પર ટ્રાફીક વધુ રહેવાથી વીભાગ દ્વારા અકસ્માતના નીવારણ માટે મીડીયમમાં રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. જેથી રાત્રીના સમયે બંને બાજુ અવરજવર કરતા વાહનોનો પ્રકાશ સામેના ચાલકોની આંખોમાં ન પડે અને ગ્લેર ન થાય. આ નવીન સિસ્ટમ રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે, કારણ કે તે આવતા વાહનોની હેડલાઇટનો તેજસ્વી પ્રકાશ સીધો ડ્રાઇવરની આંખોમાં પડતો અટકાવશે. આનાથી રોડ પરની દૃશ્યતા સુધરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જશે. માર્ગના રિસરફેસિંગ અને અકસ્માત નિવારણ માટેના આ પગલાંથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:58 pm

ધરમપુરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચિંતન શિબિર:શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ત્રણ દિવસનું આયોજન, રાજ્યના તમામ મંત્રીઓ, મુખ્ય સચિવ અને અગ્ર સચિવ ઉપસ્થિત રહેશે

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં રાજ્યના તમામ મંત્રીઓ, મુખ્ય સચિવ અને અગ્ર સચિવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો આવતીકાલે સવારે વંદે ભારત ટ્રેન દ્વારા વલસાડ પહોંચશે. તેમના આગમનને લઈને વલસાડ રેલવે સ્ટેશન ખાતે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ રેલવે સ્ટેશનથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાનુભાવોને પાંચ ખાનગી લક્ઝરી બસ દ્વારા ધરમપુર લઈ જવામાં આવશે. આ રિહર્સલમાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ત્રણ દિવસીય આ ચિંતન શિબિરમાં આગામી સમયમાં રાજ્યના વિકાસ માટેના કાર્યોના આયોજન અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:56 pm

દહેજમાં કોન્ક્રીટ મિલર મશીને બે બાળકોને કચડી નાખ્યા:અકસ્માત બાદ ફરાર થયેલા ચાલકને પોલીસે ઝડપી લીધો, બન્ને બાળકના મોત થતાં પરિવારમાં શોક

ભરૂચ જિલ્લામાં 24 નવેમ્બરે હિટ એન્ડ રનની ઘટના બની હતી. દહેજ GIDC વિસ્તારમાં આવેલી અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં 24મી નવેમ્બરના રોજ સવારે કોન્ક્રીટ મિલર મશીને બે નાનાં બાળકોને કચડી નાખ્યા હતાં. જેમાં 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, કડિયાકામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમતા હતા, એ દરમિયાન બેફામ રીતે કોન્ક્રીટ મિલર મશીન હંકારાતા બંને બાળકો તેનો ભોગ બન્યા હતા. બાળકોને કચડી નાખ્યા બાદ આરોપી ચાલક શમપુ રામકુમાર ભરતી મશીન લઈને ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ દહેજ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી ચાલકને પોલીસે ઝડપી લીધો છે. મૃત બાળકોના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. જ્યારે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:53 pm

છોટા ઉદેપુરની બહાદરપુર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ:18 બાળકોને પેટમાં દુખાવો-ઊલટી, આરોગ્ય-ફૂડ વિભાગે તપાસ હાથ ધરી, 72 કલાક હેલ્થની ટીમ મોનિટરિંગ કરશે

છોટા ઉદેપુર જિલ્લાના બહાદરપુર ખાતે આવેલી કેન્દ્ર સરકાર હસ્તકની નવોદય વિદ્યાલયમાં ગઈકાલે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં કુલ ૩૦ જેટલા બાળકો બીમાર પડ્યા હતા, જેમાંથી ૧૮ બાળકોને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ નોંધાઈ હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં ટીમે તાત્કાલિક વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન, ૧૮ બાળકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા. અન્ય બાળકોમાં તાવ, શરદી-ખાંસી, અશક્તિ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો હતા. સંખેડા તાલુકાનું આરોગ્ય વિભાગ આગામી ૭૨ કલાક સુધી નવોદય વિદ્યાલય ખાતે રાત-દિવસ મોનિટરિંગ કરી રહ્યું છે. હાલ તમામ બીમાર બાળકોની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ અંગે નવોદય વિદ્યાલયના સંચાલકોએ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તાલુકા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક તારણમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું છે. આ ઘટનાની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને થતાં, તેમની ટીમે પણ આજે નવોદય વિદ્યાલયની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:50 pm

સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજના પિલર પર આગ લાગી!:લોકાર્પણના ત્રીજા જ દિવસે શોર્ટસર્કિટથી ઇલેક્ટ્રિક વાયરિંગ બળ્યું; ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

જામનગરમાં રૂપિયા 226 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજના ઉદ્ઘાટનના ત્રણ દિવસમાં જ એક પિલરમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. જૂના રેલવે સ્ટેશન નજીક બ્રિજના એક પીલરમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટુ નુકસાન થતાં ટળ્યું હતું. ગઇકાલે અકસ્માત થયો, આજે આગ લાગીજામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.5 કિલોમીટરના ફ્લાયઓવરનું 24 નવેમ્બપના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ દિવસે જ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ સર્જાતા પોલીસને થોડીવાર માટે બ્રિજ બંધ કરવો પડ્યો હતો. તો બીજા દિવસે એટલે કે ગઇકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો. જ્યારે આજે બ્રિજની નીચેના પિલરના ભાગમાં કેબલમાં આગ લાગતા દોડધામ થઈ હતી. વાહનચાલકોએ જાણ કરતા ફાયર વિભાગ પહોંચ્યુંઆ અંગે મળતી માહિતી મુજબ જૂના રેલવે સ્ટેશન પાસેના ફ્લાયઓવરની નીચે એક પિલરમાં લગાવવામાં આવેલા ઓવર હેડ ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સામાન્ય આગ લાગી હતી અને વાયરિંગ સળગ્યું હતું. આગ જોત ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ડીસીપી પાવડરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજ પર ફોટોસેશન માટે ભીડ આ બ્રિજ પર ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રોશનીથી ઝગમગતા બ્રિજ પર લોકો ફોટોસેશન અને રીલ બનાવવા ઊમટી પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસતંત્રએ અઢી કલાક માથામણ કરીને માંડ માંડ ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને થોડીવાર માટે પોલીસને બ્રિજ બંધ કરવો પડયો હતો. સાત રસ્તા સર્કલથી લઈને સુભાષબ્રિજ વાહનોની કતારો24 નવેમ્બરે બપોરે બ્રિજને ખુલ્લો મુકાતાં સાંજે શહેરીજનો પોતાના પરિવારના વડીલો અને બાળકો સાથે ટૂ-વ્હીલર તથા ફોર-વ્હીલરમાં બ્રિજ પરની સવારી કરવા નીકળી પડ્યા હતા. રાત્રિના 9.30 વાગ્યા બાદ સાત રસ્તા સર્કલથી લઈને સુભાષબ્રિજ સુધીના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... ગ્રાફિક્સમાં વાંચો, બ્રિજની ખાસિયત આ પણ વાંચો: સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજની તમામ વિગત વાંચવા અહીં ક્લિક કરો...

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:47 pm

દ્વારકા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સન્માનિત:ડીજીપી કોમોડેશન ડિસ્ક-2024 એનાયત કરાયો

ગાંધીનગર ખાતે મંગળવારે રાજ્યના પોલીસ વડા દ્વારા ડીજીપી કોમોડેશન ડિસ્ક- 2024 અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નોંધપાત્ર કામગીરી બદલ અપાયું હતું. આ સન્માન સમારોહમાં દ્વારકા જિલ્લાના ત્રણ પોલીસકર્મીઓને ડીજીપી કોમોડેશન ડિસ્ક - 2024 એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા વિભાગના ડીવાયએસપી સાગર રાઠોડ, એલસીબી વિભાગના પીએસઆઈ ભાર્ગવ દેવમુરારી અને દ્વારકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયાનો સમાવેશ થાય છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તેમને સન્માનિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:39 pm

સૌરાષ્ટ્રની પ્રથમ ગગનચુંબી ઇમારત રાજકોટમાં બનશે:રાજકોટ મનપા દ્વારા 145 મીટર ઉંચી ‘સ્કાયલાઇન’ને મંજૂરી, મેટ્રો લેવલના વિકાસ તરફ મહાનગરપાલિકાનો ઐતિહાસિક નિર્ણય

રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત બનશે. રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની 'Tall Building Policy' હેઠળ ઐતિહાસિક નિર્ણય લેતા સૌરાષ્ટ્રની અત્યાર સુધીની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત ‘સ્કાયલાઇન’ જેની ઊંચાઈ 145.15 મીટર (લગભગ 476 ફૂટ) છે – તેને મંજૂરી આપી છે. આ નિર્ણય રાજકોટ શહેરના અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક શહેરી આયોજનમાં એક નવા યુગની શરૂઆતનું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટથી રાજકોટનું અર્બન લેન્ડસ્કેપ મેટ્રોપોલિટન સ્તરે પહોંચશે અને તે શહેરના વિકાસમાં એક માઇલસ્ટોન સાબિત થશે. રાજકોટની ગગનચુંબી ઇમારત માત્ર સૌરાષ્ટ્રની પ્રથમ 'સ્કાયલાઇન' જ નહીં, પરંતુ ભવિષ્યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો સાબિત થશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઇમારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્ટીના ઉચ્ચતમ નોર્મ્સ, ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ, પુષ્કળ પાર્કિંગની સુવિધા, અને અન્ય આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રાજકોટને વિકાસશીલ અને આધુનિક શહેર તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. પ્રાપ્ત વિગત મુજબ આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટનું નામ 'સ્કાયલાઇન' રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટના ડેવલપર્સ Sat Developers છે, જેમાં મનસુખભાઈ ભીમાણી પાર્ટનર છે. તેમજ ઇમારતની આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્જીનીયર ભાવેશ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું લોકેશન મોજે. મવડી રે.સ.નં. 270/પૈકી 1, ફાઈનલ ટી.પી. 28 (મવડી), એફ.પી. નં. 37/1, પ્લોટ નં. સિંગલ યુનીટ 1 ખાતે છે. ઇમારતનું એડ્રેસ 'સ્કાયલાઇન', પરસાણા ચોક પાસે, નવો રીંગરોડ, મવડી રાજકોટ છે. 'સ્કાયલાઇન' પ્રોજેક્ટ 38 માળનો હશે. આ પ્રોજેક્ટમાં 136 આલીશાન રહેણાંક એકમો ઉપરાંત 12 પ્રીમિયમ વાણિજ્યિક એકમો(કોમર્શિયલ યુનિટ)નો પણ સમાવેશ થાય છે. હાલ આ પ્રોજેક્ટને 'ઓલ ઇન વન' મોડેલ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જે રહેઠાણ, બિઝનેસ અને શહેરી જીવનસુવિધાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે. આ ઈમારતમાં બીજા માળના સ્તરે એક વિશાળ પોડિયમની પણ જોગવાઈ છે, જે વપરાશકર્તાઓને વધારાની સુવિધાઓ અને જગ્યા પ્રદાન કરશે. ભવિષ્યના રાજકોટની દિશામાં ઐતિહાસિક પગલું રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, Tall Building Policy અંતર્ગત પ્રાપ્ત થતી નવી તક હેઠળ ઉંચાઈવાળા વિકાસને પ્રોત્સાહન મળશે. અને શહેરની જમીનની કાર્યક્ષમતા વધશે, અને તેના પરિણામે વધારે ઓપન સ્પેસ (ખુલ્લી જગ્યાઓ)નું નિર્માણ થશે. આ ઉપરાંત, આ નીતિના અમલથી આયોજનબદ્ધ ટ્રાફિક સુગમતા મળશે. સાથે આધુનિક વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થશે. એટલું જ નહીં શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અર્બન ડેવલપમેન્ટ મોડેલ વિકાસ પામશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, “Tall Building Policyને અનુસરતા શહેરમાં આધુનિક, સસ્ટેનેબલ અને આયોજનબદ્ધ વિકાસને વધુ વેગ મળશે. રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવું એ મનપાનું મુખ્ય ધ્યેય છે. ગગનચુંબી ઇમારતનો આ પ્રોજેક્ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ પ્રોજેક્ટ માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ વિકાસની દિશામાં વધુ એક પગલું આગળ ભરશે. તેમજ આ ઇમારતથી નાગરિકોને વધુ સુવિધાઓ, વધુ તકો અને વધુ પ્રગતિ મળશે. જે રોજગારની તકોમાં વધારો કરશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુણાત્મક સુધારો લાવશે. શહેરના હોરાઇઝનમાં વિશ્વસ્તરીય ઓળખ જેવા વિસ્તૃત ફાયદાઓ પ્રાપ્ત થશે. મનસુખભાઈ ભીમાણી અને ભાવેશ પટેલ સહિતની ટીમ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પ્રોજેક્ટ શહેરમાં વિકાસના નવા માઈલસ્ટોન તરીકે ઉભરી આવશે. સલામતીના ઉચ્ચતમ ધોરણોનું પાલન વધુમાં તેમણે જણાવ્યું કે, આવી ઉંચાઈવાળી ઇમારતો માટે સલામતી એ સૌથી મોટો માપદંડ હોય છે. તેથી, આ ઇમારતની મંજૂરી અન્વયે ફાયરસેફ્ટી, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તથા વિન્ડ લોડ કેપેસિટીના તમામ સલામતી ધોરણોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની મંજૂરી આપતા પહેલા તમામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેને લઈને આ પ્રોજેકટ ટૂંક જ સમયમાં સફળતાથી આગળ વધશે. સલામતીના નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવી હોવાની ખાતરી મહાનગરપાલિકાએ આપી છે. આ ગગનચુંબી ઇમારતનાં ડેવલપર્સ Sat Developers ના પાર્ટનર મનસુખભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે, આ ઇમારત રાજકોટની એક 'વિકાસશીલ અને આધુનિક શહેર' તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે રાજકોટનું ભવિષ્ય વધુ આત્મનિર્ભર, આધુનિક અને દૃઢ બની રહ્યું છે. તેમજ આ ઇમારતથી નાગરિકોને વધુ સુવિધાઓ, વધુ તકો અને વધુ પ્રગતિ મળશે. જે આગામી સમયમાં રોજગારની તકોમાં પણ વધારો કરશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:26 pm

હત્યારાને જોતાં જ મૃતકની પત્ની લાકડી લઈ દોડી: VIDEO:સ્ટાફે જ મોઢામાં બટાટું ઘુસાડી માલિકની હત્યા કરી 9 લાખ લૂંટ્યા; રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસની સામે જ પરિવાર તૂટી પડ્યો

ભરૂચ એ ડિવિઝન પોલીસે આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલી કેટરર્સના માલિકની હત્યા અને લૂંટની ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જે મુખ્ય આરોપીનું આજરોજ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ સમયે મૃતકના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસની સામે જ પરિવાર આરોપી પર તૂટી પડ્યો હતો. ભરૂચમાં સ્ટાફે જ મોઢામાં બટાટું ઘુસાડી, હાથ-પગ બાંધીને કેટરર્સના માલિકની હત્યા કરી હતી. જે બાદ 9 લાખ રોકડ સહિતની લૂંટ કરી હતી. જે ઘટના બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરતી વખતે પોલીસની સામે જ મૃતકનો પરિવાર આરોપી પર તૂટી પડ્યો હતો. હત્યારાને જોતાં જ મૃતકની પત્ની લાકડી લઈ દોડી આવી હતી. જ્યારે પરિવારનો એક સભ્ય આરોપીને માર મારવા દોડી આવ્યો હતો. જો કે, પોલીસે સમયસૂચકતા વાપરી આરોપીને સલામત રીતે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકની પુત્રી દુર્ગા પ્રકાશ માલીએ જણાવ્યું હતું કે, મારા પપ્પાની હત્યા કરીને ગયેલા એ આરોપીને પોલીસે પકડી લીધા છે. એ લોકોએ મારા પપ્પાને ચા પીવડાવીને કોઈ દવા આપીને તેમનું મર્ડર કર્યું છે. બે લોકોએ હત્યા કરી હતી, તેમાંથી એક પકડાઈ ગયો છે તેને ફાંસીની સજા મળવી જોઈએ. અમારે ન્યાય જોઈએ છીએ. આરોપીને ફાંસીની સજા થઈ જોઈ બીજું કશું નથી જોઈતું. મૃતકના ભાઈ ઇશ્વર માલીએ જણાવ્યું હતું કે, પ્રકાશભાઈ જેનું મર્ડર થયું તે મારો મોટો ભાઈ હતો. તેની સાથે કામ કરવા વાળા બે કામદારોએ રાતના સમયે ચા માં નશીલો પદાર્થ આપીને બેભાન કરીને, ગળું દબાવીને મોઢામાં બટાકું નાખીને તેની હત્યા કરી હતી. જે બાદ ત્યાંથી લૂંટ કરીને ભાગી ગયા હતા. જોકે, ગુજરાત પોલીસે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે, અમે તેઓને પકડીને લાવશું. ગુજરાત પોલીસે તેઓને યુપીથી પકડીને લાવી છે. ગુજરાત સરકાર પાસે વિનંતી છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એ જ અમારી માગ છે. શું છે સમગ્ર ઘટના?ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટ, 2025ના રોજ બનેલી પ્રકાશ પુનમારામ માલીની હત્યા અને લૂંટકાંડના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માનવ રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપી કમલાપ્રસાદ વર્માને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લીધો છે. જ્યારે બીજો આરોપી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુની શોધખોળ તેજ કરવામાં આવી છે. આશીર્વાદ સોસાયટીના રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશ માલીની 17 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી હતી. આરોપીઓએ પહેલા ચામાં ઉઘવાની દવા પીવડાવી હતી. જે બાદ બંને હાથ–પગને ચિથરૂ વડે બાંધી, મોઢામાં બટાટું ઠુંસાડી તેની ઉપર સોફાના કવરનો ડુચો બાંધી નિર્દયીપણે હત્યા કરી હતી. ઘરમાંથી નીચે મુજબની વસ્તુઓની લૂંટ કરી નાસી ગયા હતાહત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ બન્ને આરોપીઓએ ઘરમાંથી બે તોલાની સોનાની ચેઈન કિંમત રૂ. 1,90,000, રોકડ રૂપિયા રૂ. 9,50,000 (કેટરર્સના બે વર્ષની બચત), બે મોબાઇલ ફોન કિંમત રૂ. 10,000, CCTV DVR રૂ. 5,000 અને ઈકો કાર કિંમત રૂ. 3,00,000 સહિત કુલ મળીને રૂ. 14,55,000ની લૂંટ કરી ફરાર થયા હતા. બાદમાં ઈકો કાર વડોદરા NH-48 પર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જ્યારે આરોપીઓ ઈકો કાર મુકી લકઝરી બસ મારફતે નાસી ગયા હતા. ઘટના બાદ પોલીસની તમામ ટીમો કામે લાગી હતીઆ ઘટના બાદ એ-ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસમાં લાગી ગઈ હતી. પ્રકાશ માલીના પરિવાર દ્વારા વારંવાર કાર્યવાહી ઝડપી કરવા રજૂઆતો પણ કરવામાં આવી હતી. ટેકનિકલ પાસાઓ અને માનવ સૂત્રોની મદદથી પોલીસે જાણી કાઢ્યું કે, કેટરર્સમાં કામ કરનાર કમલાપ્રસાદ અને તેનો સાથી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ મળી પૂર્વયોજનાબદ્ધ રીતે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. ફિલ્મી ઢબે એક આરોપી ઝડપાયોપોલીસને મળી આવેલી ચોક્કસ બાતમી પરથી એ ડિવિઝનના પીઆઈ આર.એમ.વસાવાએ તેમની ટીમના PSI સહિત ચાર સભ્યોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનૌ રવાના કર્યા હતા. ત્યાંથી 180 કિ.મી.નો પ્રવાસ કરી ટીમે રાતોરાત આરોપીના ગામ પહોંચી સ્થાનિક પોલીસની સાથે મળીને કમલાપ્રસાદને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને બચરાઈચ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ લાવવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટમાં રજૂ કરી 12 દિવસની પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપીને સાથે રાખીને આજે ઘટનાનું રી કન્ટ્રક્શન કર્યું હતું. આરોપી હત્યા અને ગુનાની કબૂલાત કરી છે પુછપરછ દરમિયાન આરોપી કમલાપ્રસાદે જણાવ્યું હતું કે, તેણે અને સલીમ સદલુએ મળીને પાંચ દિવસ પહેલાથી લૂંટની પૂર્ણ યોજના બનાવી હતી. પ્રકાશ માલીનો પરિવાર દેશમાં ગયો હતો તે સમયે બંનેએ પ્રકાશ માલીને ઉઘવાની દવા પીવડાવી બેહોશ કર્યા હતો. ત્યારબાદ હાથ–પગ બાંધી મોઢામાં બટાકું નાંખીને મોતને ઘાટ ઉતારી ઘરમાં રહેલી રોકડ અને દાગીનાની લૂંટ કરી ઈકો કાર લઈને ભાગી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:25 pm

ગુજરાતભરમાં SIRની કામગીરી:29-30 નવેમ્બરે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં ચૂંટણી તંત્ર કાર્યરત છે. ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓથી માંડીને BLO સુધીનું સમગ્ર તંત્ર નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા માટે સક્રિય છે. BLO દ્વારા ગણતરી ફોર્મ વિતરણ, ફોર્મ ભરવામાં મદદ સહિત 2002ની યાદીમાંથી નામ શોધવાની પ્રક્રિયામાં પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે ખાસ કેમ્પમુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા દ્વારા નાગરિકોને સહેલાઈ રહે તે માટે સમગ્ર રાજ્યમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ 15-16 અને 22-23 નવેમ્બર 2025ના રોજ રાજ્યભરમાં કેમ્પ યોજાયા હતા. હવે આ જ શૃંખલા અંતર્ગત 29 અને 30 નવેમ્બર 2025ના રોજ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે ખાસ કેમ્પ યોજાશે, જેમાં મામલતદાર અને પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહેશે. નાગરિકો પોતાના મત વિસ્તારમાં ફોર્મ જમા કરાવી શકશેનાગરિકો પોતાના વિધાનસભા મતવિસ્તાર કચેરીમાં ગણતરી ફોર્મ જમા કરાવી શકશે અને 2002ની મતદાર યાદીમાં પોતાના નામ ચકાસવા માટે પણ મદદ મેળવી શકશે. મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સમયસર ગણતરી ફોર્મ ભરી સુપરત કરે જેથી 9 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:18 pm

અમદાવાદ સિટી બસનો ડ્રાઈવર ST બસમાં મફત મુસાફરી કરતા ઝડપાયો:રાજકોટમાં ચેકિંગ સ્ટાફે આઈકાર્ડની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો, રૂ. 19 હજારના દંડની વસૂલાત

અમદાવાદ સીટી બસનો ડ્રાઇવર રાજકોટ એસટી બસમાં મફતમાં મુસાફરી કરતા ઝડપાઈ ગયો છે. બીલીમોરા એસટી ડેપોના ડ્રાઈવરના ખોવાયેલા આઈ કાર્ડ પર તે અમદાવાદથી રાજકોટ આવતી ગુર્જરનગરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જોકે રાજકોટ લાઈન ચેકિંગ સ્ટાફના હાથે પકડાઈ ગયો હતો. બીલીમોરા ડેપોના ડ્રાઈવર વિપુલ ચૌધરીના આઈકાર્ડ ઉપર મુસાફરી કરતા કમલેશ ઉદાસીનને પકડી તેની પાસેથી 96 દિવસની મફત મુસાફરીનું રૂ.19,000 નું ભાડું વસૂલ કરવામાં આવેલું છે. રાજકોટ ચેકિંગ સ્ટાફને શંકા ગયા બાદ આઈકાર્ડની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યોઅમદાવાદ સીટી બસનો ડ્રાઇવર એસટી બસમાં મફતમાં મુસાફરી કરતા ઝડપાઈ ગયો છે. રાજકોટ લાઈન ચેકિંગની ટીમ દ્વારા ગઈકાલે સાંજે 4 વાગ્યે અમદાવાદથી રાજકોટ આવતી ગુર્જર નગરી એસટી બસમાં ગ્રીનલેન્ડ ચોકડીથી ચેકિંગ શરૂ કર્યું હતુ. જે દરમિયાન ડ્રાઇવરના ખાખી કપડામાં બેસેલા વ્યક્તિને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે હું એસટી બસનો ડ્રાઇવર છું. જેથી તેનું આઈકાર્ડ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં વિપુલભાઈ ગોવિંદભાઈ ચૌધરી નામ હતુ. જોકે રાજકોટ લાઈન ચેકીંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર આર.બી.વાઘેલા અને એચ.જે. પરમાર દ્વારા તે વ્યક્તિ પાસે રહેલું આઈકાર્ડ સાચું છે કે ખોટું તે તપાસવા માટે તેનું આધારકાર્ડ માંગવામાં આવ્યુ. જેમાં તેનું નામ ઉદાસીન કમલેશભાઈ જગમોહનદાસ હતુ. જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સમાં કમલકુમાર જાની નામ હતુ. જેથી તેની પાસે રહેલું આઈ કાર્ડ ખોટું હોવાનું સાબિત થયું હતુ. ST ડ્રાઈવરના આઈકાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરતોજે બાદ તેની પૂછપરછ કરવામાં આવતા કબુલાત આપી હતી કે, તે અમદાવાદ AMTS બસમાં કોન્ટ્રાક્ટ બેસ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેનુ મૂળ વતન જેતપુરનું ચારણ સમઢીયાળા છે. પોતે અઠવાડિયે અથવા 15 દિવસે અમદાવાદથી રાજકોટ એસટી બસમાં આવતો હતો. જેને 6 માસ પહેલા બીલીમોરા એસટી ડેપોના ડ્રાઈવર વિપુલ ચૌધરીનું આઈ કાર્ડ સાથેનું પાકીટ મળ્યું હતુ. જેથી તે એસટી બસમાં તે ડ્રાઇવરનું આઈ કાર્ડ લઈ મફતમાં મુસાફરી કરતો હતો. તેને આપેલી કબુલાત મુજબ અત્યાર સુધીમાં 96 દિવસની મુસાફરી કરી હતી જેથી લાઈન ચેકિંગ સ્ટાફ દ્વારા રૂ.19,392 ની વસૂલાત કરવામાં આવી હતી. જે બાદ તેની પાસે લેખિતમાં નિવેદન લખાવવામાં આવ્યું હતું કે તે હવે આજ પછી કોઈ દિવસ એસટી બસમાં મફતમાં મુસાફરી નહીં કરે. આ બાબતે રાજકોટ એસટી વિભાગના નવનિયુકત નિયામક હિમાંશુ જોશીએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ લાઈન ચેકિંગ સ્ટાફ દ્વારા એસટી બસમાં મફતમાં મુસાફરી કરતા અમદાવાદ AMTS ના ખાનગી કંપનીના ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો છે. જે બીલીમોરા એસટી ડેપોના ડ્રાઈવરના આઈ કાર્ડ પર મફતમાં મુસાફરી કરતો હતો. જોકે આ અંગે કાયદેસરની કાર્યવાહી સ્વરૂપે તેની પાસેથી મફતમાં મુસાફરી કરી તેટલા દિવસનું ભાડું વસૂલવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:16 pm

ASIએ દ્વારકામાં પૌરાણિક અવશેષોનો સર્વે શરૂ કર્યો:જગત મંદિર પાસે ખોદકામ કરી અભ્યાસ કરાશે, દિલ્હીથી ટીમ આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા પૌરાણિક અવશેષોના અભ્યાસ માટે સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્ય જગત મંદિર નજીક હાથ ધરવામાં આવ્યું છે. વર્તમાન ખોદકામ જગત મંદિર અને ગોમતી નદીની વચ્ચે આવેલા એક પૌરાણિક મંદિર નીચે કેન્દ્રિત છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન અવશેષોને શોધી કાઢવાનો અને તેનો અભ્યાસ કરવાનો છે. દ્વારકા નગરીનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ઘણું ઊંડું છે. ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક દ્વારિકા નગરી વિશે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક હોય છે. ASI દ્વારા સમયાંતરે જમીન પર અને સમુદ્રની અંદર પણ પૌરાણિક દ્વારિકા નગરીના સર્વે કરવામાં આવતા રહ્યા છે. દિલ્હીથી આવેલા ASI ના ADG આલોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ સર્વે માટે ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પુરાતત્વવિદોની એક ટીમ ઉપસ્થિત છે. તેમણે ઉમેર્યું કે જરૂર જણાશે ત્યારે વધુ પુરાતત્વ વિભાગના જાણકાર લોકો સ્થળ પર આવી પૌરાણિક દ્વારિકાના અવશેષોનું અધ્યયન કરશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:10 pm

ખાંભાના ગીદરડીમાં ખેતમજૂર પર સિંહનો હુમલો:વાડીમાં પાણી વાળતા યુવક પર અચાનક સિંહ ત્રાટકતા ઇજાગ્રસ્ત, 24 કલાકમાં બીજી ઘટના

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માનવ પર સિંહ હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના ગીદરડી ગામમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ છે. મળતી માહિતી મુકેશભાઈ લખુભાઈ સોલંકી (ઉ.34) નામના ખેતમજૂર વાડીમાં પાણી વાળી રહ્યા હતા. ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક ખાંભાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી રિફર કરાયા છે. આ ઘટનાથી સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય અને આક્રોશ વ્યાપી ગયો છે. સિંહો અને દીપડાઓના વધતા જતા આતંક સામે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પણ નારાજગી જોવા મળી રહી છે.ઇજાગ્રસ્ત મુકેશભાઈના ભાઈ ભરતભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેઓ જમીન ભાગીદારીમાં રાખી છે અને તેમના મોટા ભાઈ પાણી વાળી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં સિંહ હુમલાનો આ બીજો બનાવ છે. આ પહેલા મોડી રાત્રે બગસરાના હામાપુર ગામની સીમમાં વાડી વિસ્તારમાં એક 5 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વનવિભાગે મેગા ઓપરેશન હાથ ધરી સિંહણ અને તેના ચાર બચ્ચાંને પાંજરે પૂર્યા હતા. તેમને જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત, ધારીના બોરડી ગામમાં રહેણાંક મકાનની અગાસી પર એક દીપડો આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક લોકો દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે, કારણ કે આવા દ્રશ્યોથી ગભરાટનો માહોલ વધ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 4:07 pm

બોટાદ SP કચેરીમાં સંવિધાન દિવસની ઉજવણી:કેસોની ઝડપી કાર્યવાહી માટે પરિસંવાદ યોજાયો

બોટાદ SP કચેરી ખાતે સંવિધાન દિવસ નિમિત્તે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ગુજરાત રાજ્ય દ્વારા યોજાયો હતો. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં વકીલો, પોલીસ અધિકારીઓ અને પ્રોસિક્યુશન સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેસોની ઝડપી કાર્યવાહી કરવા અને પેન્ડિંગ કેસોમાં ગતિ લાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને પ્રોસિક્યુશન વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:55 pm

મૌલવી સહિત ત્રણ આરોપીઓની હાઈકોર્ટમાં જામીન અરજી:ગોધરામાં સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે છોકરીઓને લઈ અયોગ્ય પોસ્ટ કરી, ખોટુ બોલી લોકોને ઉશ્કેરી પોલીસ સ્ટેશન પર હુમલો કરાવ્યો હતો

ગુજરાત હાઈકોર્ટમાં અસરફ બલ્લુ, સલમાન હાજી અને દુરવેશ ફારૂક દ્વારા ચાર્જશીટ દાખલ થયા પહેલા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. આરોપીઓ સહિત કુલ 88 લોકો સામે સપ્ટેમ્બર મહિનામાં ગોધરા B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી હતી. ગોધરાની સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી નકારી નાખતા તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. આરોપીઓ પૈકી દુરવેશ ફારૂક મૌલવી છે. 'નવરાત્રિમાં છોકરીને લાઈન તો મારવાની પોસ્ટ વાઈરલ કરી'આ કેસની વિગતો જોતા ઝાકીર અહેમદ નામના આરોપીએ આઇ લવ મોહમ્મદ નામનું પોસ્ટર પોતાના હાથમાં પકડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ કરી હતી. ત્યાર બાદ તેને વધુ એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં એવા પ્રકારનું કન્ટેન્ટ હતું કે, નવરાત્રિમાં છોકરી પટે કે ના પટે પણ લાઈન તો મારવા કાયદેસર જવાનું જ. આવી સામાજિક શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ન કરવા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. કારણ કે, તે સમયે નવરાત્રિ આવી રહી હતી. આ દરમિયાન પોલીસ મથકે તેની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો હતો. પથ્થરમારો, પોલીસ વાહનો અને સરકારી રેકોર્ડ સળગાવવાનો આક્ષેપપરંતુ તેણે બહાર જઈને મિત્રોને કહ્યું હતું કે, પોલીસે તેને માર માર્યો છે અને આ માર ફક્ત તેને એટલા માટે મારવામાં આવ્યો હતો કે તેણે મોહમ્મદ સાહેબનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વળી તેને આ વાત લોકલ લઘુમતી કોમના વોટ્સએપ ગ્રુપમાં પણ ફરતી કરીને લોકોને ઉશ્કેર્યા હતા. આથી 300થી 400 લોકોના ટોળાએ ધાર્મિક નારા સાથે ગોધરાના B ડિવિઝન પોલીસ અંતર્ગતના પોલીસ મથક ઉપર હુમલો કર્યો હતો. જેમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવાના, પોલીસના વાહનો સળગાવવાના અને સરકારી રેકોર્ડ સળગાવી નાખવાનો આક્ષેપ છે. 'રોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરાઈ નથી'ગોધરાની કોર્ટમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરાઈ નથી. CCTV ફૂટેજમાં આરોપીઓ દેખાતા નથી. એક આરોપી નમાઝમાં હતો. બીજો આરોપી મિત્રો સાથે બહાર ફરવા નીકળ્યો હતો. જ્યારે ત્રીજો આરોપી ઘટનાસ્થળેથી દૂર એક મસ્જિદ પાસે હતો. આ જામીન પાત્ર ગુનો છે. જેમાં કોઇ પોલીસ કર્મચારીને ઇજા થઈ નથી. વર્તમાન અરજદારોને મુખ્ય આરોપી ઝાકીર અહેમદ સાથે કોઈ લેવાદેવા નથી. અરજદારો સામે કોઈ પૂર્વ ગુના નથી. 'આરોપીઓ CCTVમાં દેખાય છે તેઓએ લોકોને ઉશ્કેર્યા હતા'આ સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ ટોળાનો ભાગ હતા. તેઓએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કરી તેમને અપશબ્દો કહ્યા હતા. ટોળાએ પોલીસ સ્ટેશનના ફર્નિચર, CCTV કેમેરાને નુકસાન કર્યું હતું. વાહનો અને સરકારી રેકોર્ડ સળગાવ્યા હતા. ટોળાએ પથ્થરમારો કરીને પોલીસને ઇજા કરી હતી. આ ઘટના પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતી. આરોપીઓ CCTVમાં દેખાય છે, તેઓએ લોકોને ઉશ્કેર્યા હતા. આ કેસમાં તપાસ ચાલુ છે. કેટલાક આરોપીઓને ઝડપવાના બાકી છે. આરોપીઓએ સામાજિક શાંતિ અને ધાર્મિક સદભાવનાને નુકસાન પહોંચાડ્યું હતું. હાઇકોર્ટમાં અરજદારોની જામીન અરજી ઉપર ડિસેમ્બરમાં સુનાવણીગોધરાની કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, અસામાજિક તત્વોએ ભેગા મળીને લોકોને ઉશ્કેર્યા હતા. તેમજ એક કોમ્યુનિટીએ પોતે કાયદાથી ઉપર અને શક્તિશાળી છે, તેવું બતાવવા પ્રયત્ન કરી રાજ્યની સંપ્રભુતા એકતાને પડકાર ફેંક્યો હતો. વ્યક્તિગત સ્વાતંત્ર અને સામાજિક હિત વચ્ચે બેલેન્સ કરવું જરૂરી છે. હવે હાઇકોર્ટમાં અરજદારોની જામીન અરજી ઉપર ડિસેમ્બર મહિનામાં સુનાવણી યોજાશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:54 pm

મહિલા અત્યાચાર વિરુદ્ધ પાલનપુરમાં રેલી:ઈનર વ્હીલ ક્લબે 'ઓરેન્જ ધ વર્લ્ડ' થીમ હેઠળ જાગૃતિ ફેલાવી

પાલનપુર ઈનર વ્હીલ ક્લબ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં અને જાગૃતિ ફેલાવવા માટે ઓરેન્જ ધ વર્લ્ડ થીમ અંતર્ગત એક મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ જોડાઈ હતી. પાલનપુર સ્થિત જ્યોર્જ ફિફ્થ ક્લબથી આ રેલી નીકળી હતી. રેલીમાં ઉપસ્થિત મહિલાઓએ એકતા સાથે વિરોધ પ્રદર્શિત કરી સમાજમાં વધતા મહિલા અત્યાચાર સામે સશક્ત સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ જોડાયા હતા. તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, હિંસા મુક્ત સમાજ માટે દરેક બહેન-દીકરીએ પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવાની અને અન્યાય સામે નિર્ભયપણે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.આ રેલીમાં ઈનર વ્હીલ ક્લબની બહેનો સાથે જી.ડી. મોદી કોલેજની વિદ્યાર્થીનીઓ અને ભારત વિકાસ પરિષદની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડો. રાજુલબેન દેસાઈએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.કાર્યક્રમમાં ઈનર વ્હીલ ક્લબ 305ના પ્રમુખ રેખાબેન અખાણી, પ્રોજેક્ટ ચેરમેન અમિતાબેન જોશી, સચિવ શોભાબેન સોની સહિત મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી નોંધાઈ હતી. ક્લબનો ઉદ્દેશ્ય મહિલાઓમાં જાગૃતિ લાવવાનો અને તેમને હિંસા સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી આવા અત્યાચારોમાં ઘટાડો લાવી શકાય. ડો. દેસાઈએ વધુમાં કહ્યું કે ફાઇટ ફોર રાઇટ એટલે અન્યાય સામે એક કદમ આગળ વધીને લડત આપવી. જ્યારે પણ કોઈ ગુનાહિત કૃત્ય સામે આવો ત્યારે મહિલાોએ ફરિયાદ નોંધાવીને કાયદાની મદદ લેવી જોઈએ.તેમણે સોશિયલ મીડિયા પર વધતા સાયબર ક્રાઇમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. દીકરીઓ અને બહેનોને ઓનલાઈન સતર્ક રહેવા, જરૂરી પડ્યે સાયબર ક્રાઈમ સેલની મદદ લેવાની અને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવાની અપીલ કરી હતી આ અંગે અમિતા બેન જોશીએ જણાવ્યું હતું કે, ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર ડિસ્ટ્રિક્ટ આજે અમારી ક્લબ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો એક અમને ડિસ્ટ્રિક્ટમાંથી થીમ આપવામાં આવી હતી, ઓરેન્જ ધ વર્લ્ડ. અને વુમન્સ અને ગર્લ્સની સામે જે વાયોલન્સ થાય છે, એ વાયોલન્સ સામે અમે આજે પ્રોટેક્ટ કરવા માટે આ રેલીનું આયોજન કરેલું હતું. ક્લબમાં જેમાં મુખ્ય અતિથિ તરીકે અમારા હતા. ડૉ. રાજુલબેન દેસાઈ, જે પણ એક સ્ત્રી સામાજિક સેવા જે સારી સેવા કરી રહ્યા છે, એમને અમે બોલાવેલા અને એમને અહીંયા એમના વિચારોની રજૂઆત કરી. અને રેલીમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો, જેમાં ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુરના મેમ્બરો, ભારત વિકાસ પરિષદના મેમ્બરો, જી.ડી. મોદી કોલેજમાંથી આવેલા મેમ્બરો પણ હાજર હતા અને આ રેલીનું સફળ આયોજન ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું. અમે આશા રાખીએ કે આમાંથી સ્ત્રીઓમાં કંઈક જાગૃતતા આવે. સ્ત્રીઓ જે ખાસ કરીને વાયોલન્સ થાય છે એમાં જે ચૂપ બેસી રહે છે, એ હવે ચૂપ ન બેસે અને થોડીક આગળ આવી અને પોતાની રજૂઆત કરે, તો મારા ખ્યાલથી આ પ્રકારના વાયોલન્સ કદાચ થોડાક ઓછા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:44 pm

ખેતરમાં સૂકવવા રાખેલી 700 મણ મગફળી સળગી ગઈ:માળીયાહાટીનાના ગોતાણા ગામના ખેડૂત પર આફત આવી, વીજલાઈનના સ્પાર્કના કારણે આગ લાગ્યાની આશંકા

કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માળીયાહાટીના તાલુકાના ગોતાણા ગામમાં ખેડૂત દ્વારા ખેતરમાં સૂકવવા માટે રાખેલી મગફળીના ઢગલામાં આગ લાગતા 700 મણ મગફળીને બળીને ખાખ થઈ ગયાનું સામે આવ્યું છે. વીજતારમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યાની આશંકા છે. આ મામલે વીજકંપની દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદમાં નુકસાનીનો સામનો કરનાર ખેડૂતની તૈયાર મગફળી સળગી જતા આફત આવી પડી છે. કમોસમી વરસાદ પલળી ગયેલી મગફળી સૂકવવા રાખી હતીગોતાણા ગામના ખેડૂત જગદીશભાઈ યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ૫૫ વીઘાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડતાં ઘણી મગફળી પલળી ગઈ હતી. વરસાદથી બચાવેલી 100 મણ જેટલી મગફળી ગોડાઉનમાં રાખી હતી, પરંતુ બાકીની 700 મણ જેટલી ભીની મગફળીને સૂકવવા માટે તેમણે ખેતરમાં ખુલ્લામાં રાખી હતી. વીજ લાઇનના સ્પાર્ક થતા આગ લાગ્યાની શંકાખેડૂત જગદીશભાઈ યાદવે શંકા વ્યક્ત કરી કે, ખેતર નજીકથી પસાર થતી 11 કે.વી વીજ લાઈનમાં સ્પાર્ક થતાંમગફળીના પાંદડા (પાલો)ના ઢગલા પર આ સ્પાર્ક પડ્યો હશે. તેના કારણે આગ લાગી હોવી જોઈએ.આગ લાગી ત્યારે ખેતરમાં ભાગ રાખનાર માણસે જગદીશભાઈને કોલ કરીને જાણ કરી હતી. જોકે, તેઓ ખેતરે પહોંચે તે પહેલા જ સૂકવવા રાખેલી 700 મણ મગફળીનો ઢગલો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે તેમને મોટું નુકસાન થયું છે. PGVCL દ્વારા ઘટનાસ્થળે તપાસ શરૂઆ ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ (PGVCL)ના કર્મચારીઓ અને અધિકારીઓ તપાસ માટે તાત્કાલિક ગોતાણા ગામે ખેતર પર પહોંચ્યા હતા.પીજીવીસીએલના અધિકારી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેતરમાં પડેલી મગફળીમાં આગ લાગ્યાની જાણ અમને ખેડૂત દ્વારા કરવામાં આવી હતી, તેથી અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા છીએ. હાલ આ જગ્યાનું નિરીક્ષણ કરતા એવું ચોક્કસપણે કહી શકાય નહીં કે પીજીવીસીએલના થાંભલામાં સ્પાર્ક થવાથી જ આગ લાગી હોય. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે કે મગફળીના ઢગલામાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે. ખેડૂત જગદીશભાઈ યાદવને એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ આગ લાગવાને કારણે થયેલા આ મોટા નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે. હાલ PGVCLની તપાસ બાદ જ આગ લાગવાના ચોક્કસ કારણની માહિતી મળી શકશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:36 pm

રાજકોટમાં પાલતું શ્વાનનો આતંક:કોઠારીયા વિસ્તારના એપાર્ટમેન્ટમાં શ્વાનધારક મહિલાએ પાડોશીને ફડાકા મારતા તણાવ, પરિવારની દાદાગીરીનો સ્થાનિકોનો આરોપ

રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં એક પાલતું શ્વાનનાં આતંકને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેમાં પોસિબલ સુરભિ એપાર્ટમેન્ટ્સમાં પાલતુ શ્વાનને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યો છે, આ એપાર્ટમેન્ટનાં શ્વાનધારક મહિલાએ પાડોશીને ફડાકા મારતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્વાન લઈને આવતા પરિવારે પાડોશી સાથે ઝઘડો કરીને એક મહિલાને ફડાકા માર્યા હતા. આ ઘટનાએ એપાર્ટમેન્ટમાં શ્વાનના આતંક અને શ્વાન ધારક પરિવારની દાદાગીરીનો મામલો સપાટી પર લાવી દીધો છે. રહેવાસીઓમાં ભારે આક્રોશ અને પોલીસ કાર્યવાહીની માંગએપાર્ટમેન્ટમાં રહેતા મહિલા નેહાબેન સોનીએ જણાવ્યું હતું કે, આ શ્વાન ધારક પરિવાર એપાર્ટમેન્ટમાં આવ્યા ત્યારથી જ અન્ય રહેવાસીઓને હેરાન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના શ્વાનના વાળ અન્ય લોકોની ગેલેરીમાં આવે છે. આ ઉપરાંત, આ શ્વાન એપાર્ટમેન્ટના બાળકોને તેમજ અન્ય રહેવાસીઓને રંજાડ કરે છે, જેના કારણે બાળકો લિફ્ટમાં જઈ શકતા નથી અને અગાસી ઉપર કપડાં સૂકવવા જઈએ તો પણ શ્વાન દોડી પાછળ આવે છે. આના કારણે તેઓ ભયના માર્યા ક્યાંય જઈ શકતા નથી અને જીવવું મુશ્કેલ બની ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પરિવારના શ્વાનના આતંકના કારણે અગાઉ રહેતા એક પરિવારને પોતાનો ફ્લેટ વેચીને પણ જતું રહેવું પડ્યું હતું. જ્યારે આ અંગે શ્વાન ધારક પરિવારને રજૂઆત કરવામાં આવે, ત્યારે તે એમ કહીને વાત ટાળી દે છે કે 'એમાં અમે શું કરીએ?' જે દર્શાવે છે કે તેઓ કોઈ વાત માનવા કે જરાય સહકાર આપવા પણ તૈયાર નથી. અગાઉ આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો, છતાં પરિવારે પોતાનો વ્યવહાર બદલ્યો નથી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાંજે આશરે 05:11 વાગ્યે એક મહિલા અને એક યુવક શ્વાનને લઈને સીડી પરથી નીચે આવે છે. ત્યાં અન્ય બે મહિલાઓ હાજર હોય છે. વાતચીત દરમિયાન, શ્વાનને લઈને વિવાદ વધે છે અને યુવક દ્વારા શ્વાનનો પટ્ટો પકડવામાં આવે છે, જ્યારે શ્વાન ધારક મહિલા પાડોશી મહિલા પર હાથ ઉગામીને ફડાકા મારે છે. આ ઘટના બાદ અન્ય રહેવાસીઓ પણ એકઠા થઈ જાય છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે, આ પરિવાર કોઈ પ્રકારની ફરિયાદ કે રજૂઆતને ગણકારતો નથી. તેમની દાદાગીરી ચાલુ જ છે. આ શ્વાન બાળકો અને અન્ય રહેવાસીઓ માટે સતત ભયનું કારણ બની રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ પોલીસ તંત્રને તાત્કાલિક આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની અને એપાર્ટમેન્ટના રહેવાસીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને બાળકો તથા અન્ય રહેવાસીઓ સુરક્ષિત રહી શકે. આ વિવાદને પગલે એપાર્ટમેન્ટમાં ભારે તણાવની સ્થિતિ છે. જોકે શ્વાનધારક પરિવાર આ અંગે કંઈપણ બોલવા તૈયાર નથી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:24 pm

સુરતમાં છેલ્લા 5 વર્ષનો AQI રેકોર્ડ તૂટ્યો, પ્રદૂષણ ચરમસીમાએ:AQI લેવલ 272 પર રેકોર્ડ થયો, શહેર મધ્યનું એર ક્વોલિટી બોર્ડ બંધ

આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરની હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. બુધવારે સુરતનો AQI લેવલ 272 પર રેકોર્ડ થયો છે, જે દર્શાવે છે કે શહેરનું પ્રદૂષણ જોખમી સ્તરે છે. જોકે, આ ગંભીર પરિસ્થિતિમાં પણ શહેરના મધ્યમાં આવેલું એક મહત્ત્વનું AQI બોર્ડ બંધ હાલતમાં જોવા મળ્યું છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી વ્યાપી છે. સતત ત્રણ દિવસથી AQI 250ને પારશિયાળાની શરૂઆત થતાં જ સુરતમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. મંગળવારે પણ AQIનું લેવલ 268 ને પાર કરી ગયું હતું. આ સાથે સતત ત્રણ દિવસથી શહેરનો AQI 250ની સપાટીથી ઉપર રહેતા હવા ઝેરી બની ગઈ છે. આ સ્તર દર્શાવે છે કે શહેરીજનો શ્વાસમાં જે હવા લઈ રહ્યા છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. સુરતની હવા બગડવા પાછળ ઔદ્યોગિક એકમો જવાબદાર?બુધવારે પણ દિવસભર વધુ પડતા ધુમાડા સાથે છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું. શરૂઆતમાં લોકોએ દૂર આફ્રિકાના ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખનાં વાદળો હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ હવામાન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સુરતમાં જ્વાળામુખીની રાખ પહોંચવાની કોઈ સંભાવના નથી. હકીકતમાં, સુરતની હવા બગડવા પાછળ અહીંના મોટા પાયે આવેલા ઔદ્યોગિક એકમો જવાબદાર છે. ધુમાડો શિયાળામાં નીચેના વાતાવરણમાં કેમ હોય છે?શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવાના કારણે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણના રજકણો વાતાવરણમાં ઉપર જઈ શકતા નથી. તેના બદલે, તે નીચલા સ્તરમાં જમા થઈને એક ધુમ્મસ જેવું લેયર બનાવી દે છે. આ ધુમાડાના લેયરને કારણે જ દિવસે પણ વાતાવરણ ધૂંધળું રહે છે અને પ્રદૂષણનું સ્તર આટલું ઊંચું નોંધાય છે. શહેરના મધ્યમાં આવેલું AQI બોર્ડ બંધસુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) બતાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેથી નાગરિકો હવાના પ્રદૂષણ વિશે માહિતગાર રહી શકે. જોકે, શહેરના મધ્યમાં અને ભરચક ગીચતાવાળા અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલું AQI બોર્ડ હાલ બંધ હાલતમાં છે. પ્રદૂષણ વધતાં લોકોમાં આક્રોશજ્યાં લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે અને જ્યાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય, તેવા સંવેદનશીલ વિસ્તારનું બોર્ડ બંધ હોવું એ શાસકોની બેદરકારી સૂચવે છે. પાંડેસરા અને સચિન જેવા અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આવા બોર્ડ કાર્યરત છે, પરંતુ શહેરના હાર્દ સમા વિસ્તારમાં જ બોર્ડ બંધ રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણના આ રેકોર્ડબ્રેક સ્તરે તંત્રએ તાત્કાલિક અસરથી બોર્ડ ચાલુ કરી લોકોને સચોટ માહિતી આપવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:10 pm

મોરબીમાં કોંગ્રેસે સંવિધાન બચાવો દિવસ ઉજવ્યો:આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ, બંધારણના આમુખનું વાંચન કરાયું

મોરબીમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા 'સંવિધાન બચાવો દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા બંધારણના આમુખનું વાંચન કરાયું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને કારણે બંધારણના રક્ષણ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરિયા, મહેશભાઈ રાજકોટિયા, રાજેશભાઇ કાવર, રાજેશભાઈ ચૌહાણ, ભાવિકભાઈ મૂછડિયા સહિત શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:59 pm

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર LPG સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત:પુરવઠા વિભાગે રેસ્ટોરન્ટમાંથી ₹7 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે LPG કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પરથી Go Gasના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gasના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ 54 LPG સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે. સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્સ, PESO લાઇસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી નહોતી. જાહેર સલામતીની પરવા કર્યા વગર ચલાવાતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ, ટીમે તુરંત કાર્યવાહી કરીને ₹1,41,900ની કિંમતના તમામ 54 સિલિન્ડર અને ₹5,75,000ની કિંમતનું એક વાહન જપ્ત કર્યું હતું. આમ, કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:57 pm

પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી:પેરેડાઇઝના ફુવારા નજીક આંબેડકર પ્રતિમાને પુષ્પહાર અર્પણ

પોરબંદરમાં સંવિધાન દિવસની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પેરેડાઇઝના ફુવારા નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. વહેલી સવારે જ મોટી સંખ્યામાં આંબેડકર અનુયાયીઓ અને વિવિધ સમાજના લોકો પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને સમર્પિત વક્તવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:55 pm

જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ભુજમાં રેલી:રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનપત્ર આપ્યું, નશાખોરી નાબૂદ કરવા અને પોલીસ કાર્યવાહી સામે વિરોધ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને કચ્છ જિલ્લામાં નશાખોરી નાબૂદ કરવાની માંગ સાથે રજૂ કરાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને અન્ય લોકો પણ આ રજૂઆતમાં જોડાયા હતા. મંચ દ્વારા કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના ગેરકાયદેસર સેવન અને વેચાણ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરીને નશાખોરીની બદીને નાબૂદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં રાજ્યમાં નશાના દુષણનો વિરોધ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવા સામે પણ ન્યાયિક માંગણી કરવામાં આવી હતી. મંચે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટ અધિકારીઓ સામે મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને રાજકીય આશ્રય હેઠળ વાળવાનો પ્રયાસ થયો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પટ્ટા ઉતરાવી દેવાની વાત માત્ર નશાખોરી સામે પગલાં ન લેતા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કરાઈ હતી, ના કે અન્ય કોઈ પોલીસ સામે. તેમણે ભુજમાં ધારાસભ્ય સામે યોજાયેલી રેલીમાં બુટલેગરોનો સાથ લેવાયો હોવાનો સખત વિરોધ કર્યો હતો અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય ન્યાય કરવાની માંગ કરી હતી. આ રજૂઆત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી.કે. હૂંબલ, અન્ય કોંગી આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:54 pm

મેવાણી બાદ અનંત પટેલની પણ ખુલ્લી ચેતવણી- 'પટ્ટા ઊતરી જશે':કહ્યું, વોર્નિંગ આપું છું, સમજી જજો, દારૂ-જુગારના પૈસા લેતા હશો તો પટ્ટા ઊતરતાં વાર નહીં લાગે

કોંગ્રેસની ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલી પછી જિગ્નેશ મેવાણીએ પોલીસ પર કરેલી ટિપ્પણી બાદ હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસ તેમજ મેવાણીના સમર્થકો દ્વાર સામસામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે નવસારીમાં કોંગ્રેસની આક્રોશ સભામાં ધારાસભ્ય અનંત પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી છે. શું કહ્યું અનંત પટેલે?જીગ્નેશ મેવાણીએ જે રીતે પોલીસ સામે આક્ષેપ કરતા રાજ્યમાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે તે વિવાદમાં હવે અનંત પટેલે પણ ઝુકાવ્યું છે. નવસારીના સાદડવેલમાં કાવેરી સુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં અનંત પટેલે કહ્યું હતું કે, તમે સારા કામ ન કરવાના હોય, દારૂવાળા ના પૈસા લેવાના હોય, જુગાર વાળા ના પૈસા લેવાના હોય, ચકલી, પોપટ વાળાના પૈસા લેવાના હોય, ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય, તો સમજી લેજો તમારા પટ્ટા પણ ઉતરી જશે. 2027માં અમારી જ સરકાર આવે છે. શું છે કાવેરી સુગરનો મુદ્દો?ચીખલીના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મંડળીની હરાજી થઈ ગઈ છે. આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીના સાદરવેલ ગામમાં ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવેરી સુગર મિલની સ્થાપના વર્ષ 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી. વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેરના નાણાંથી સાદડવેલમાં જમીન ખરીદવામાં આવી હતી. મંડળીની હરાજીની જાહેરાત બાદ તેની કામગીરી પૂર્ણ થઈ 4 ઓગસ્ટ 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે 15,000થી વધુ સભાસદોની હાજરીમાં મુખ્યમંત્રી અને નાણામંત્રી સૌરભ પટેલે સરકારી શેરફાળો એડવાન્સમાં આપવાની જાહેરાત કરી હતી. હાલમાં મંડળીના 25,000 સભાસદો છે, જેમાંથી 19,000 સભાસદો માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે. NCDCએ મંડળીની હરાજીની જાહેરાત કર્યા બાદ તેની કામગીરી પૂર્ણ પણ થઈ છે, જેનો સ્થાનિક આદિવાસી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકાસરકાર દ્વારા વચન મુજબનો શેરફાળો અને આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં આવી નથી. 19.51 કરોડનો શેરફાળો પણ બાકી છે.મિલ શરૂ ન થવાને કારણે આદિવાસી ખેડૂતો ખાનગી કોલાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે. હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે. ભાજપ સરકારના હોદ્દેદારો જ મંડળીના બોર્ડમાં નિયુક્ત છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ પ્રકારના આક્ષેપો કરી આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 નવેમ્બરઃ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું?કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે, આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી હતી. 23 નવેમ્બર: જીગ્નેશ મેવાણીના નિવેદન પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયાગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રીની સાથે સાથે જેને સમાજના સંસ્કાર ન મળ્યા હોય એવા અનેક લોકો તમારી કચેરીએ આવશે અને અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની પણ વાત કરશે અનેક લોકો તમારી નોકરીમાંથી કાઢવાની પણ વાત કરશે. 24 નવેમ્બર: મેવાણીની ટીપ્પણી પર પોલીસ પરિવારનો વિરોધ મેવાણીના નિવેદન બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે, વાવ-થરાદ જિલ્લામાં જનઆક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. જિજ્ઞેશ મેવાણી અગાઉ પણ પોલીસકર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તેમણે જાહેરમાં 'પટ્ટા-ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે' અને 'પોલીસ અમારી નોકર છે' જેવી ધમકીઓ આપી છે. પોલીસ પરિવારની માગ છે કે જિજ્ઞેશ મેવાણી જાહેરમાં માફી માગે અને તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. 26 નવેમ્બર: પોલીસ પરિવારના વિરોધ બાદ મેવાણીના સમર્થનમાં રેલીપોલીસ પરિવારના વિવાદ બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પેટેલ, કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચે મેવાણીના સમર્થનમાં અલગ અલગ જિલ્લામાં રેલી કાઢી ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એસપી કચેરી સુધી લાખો રૂપિયાના હપ્તા પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:47 pm

મોરબીની લીલાપર ચોકડી પર દબાણ હટાવાયા:મહાપાલિકાએ 15 થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડ્યા

મોરબીની લીલાપર ચોકડી પાસે મહાપાલિકાની ટીમે આજે દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. કમિશનરની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરીમાં 15 થી વધુ કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચારથી પાંચ પાકી દુકાનો, પાકા બાંધકામો અને અન્ય કેબિનો સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. આ દબાણો હટાવીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં રોડ રસ્તાની આસપાસ ટ્રાફિકમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે આજે લીલાપર ચોકડી પાસે દબાણ હટાવવામાં આવ્યા હતા. કમિશનરે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:46 pm

ભરૂચના યુવકનું અપહરણ અને ખંડણી કેસ:આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મીને ગોધરા જેલમાં અને આફતાબ પઠાણને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો

વડોદરા શહેરમાંથી ભરૂચના યુવકનું અપહરણ કરીને ખંડણી વસુલનાર પોલીસકર્મી સહિત બે આરોપીના રિમાન્ડ પૂરા થતા કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાને ગોધરા જેલમાં મોકલવામાં આવ્યો છે. અને આફતાબ પઠાણને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કેસમાં હજુ એક પોલીસ સહિત અન્ય એક આરોપી વોન્ટેડ છે. જ્યારે યુવતી સામે પણ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અપહરણ કરીને 50 લાખની માગણી કરી હતીભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપીને અપહરણ કર્યું હતું અને અમદાવાદ ખાતે લઈ ગયા હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. જેલ હવલદાર સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈયુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. બે શખ્સોની ધરપકડ ને બે ફરારજેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બાવીને અપહરણ કારો પૈકીના બે આરોપી યાજ્ઞિક ચાવડા(સસ્પેન્ડેડ જેલ હવલદાર) તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. યુવતી પોલીસ સમક્ષ હાજર થઇ નથીપોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. કાર, રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોઆ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાજ્ઞિક ચાવડાની એક્ટિવા કબજે કરી હતી. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:43 pm

યુનિવર્સિટી પરીક્ષાના પ્રથમ દિવસે 30 કોપી કેસ નોંધાયા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સેમેસ્ટર 3 પરીક્ષામાં ફ્લાઇંગ સ્કૉડની કાર્યવાહી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્નાતક કક્ષાની સેમેસ્ટર 3ની બીજા તબક્કાની પરીક્ષાઓનો ગતરોજ પ્રારંભ થયો હતો. યુનિવર્સિટી સંલગ્ન 764 કોલેજોમાં 50,000 થી 60,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ ફ્લાઇંગ સ્કૉડ દ્વારા 30થી વધુ કોપી કેસ નોંધવામાં આવ્યા હતા. આ પરીક્ષાઓમાં બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીસીએ, એલએલબી સેમ 3 અને હોસ્પિટલ મેનેજમેન્ટ સહિતની આશરે 20 જેટલી શાખાઓનો સમાવેશ થાય છે. પરીક્ષાઓ બે સેશનમાં યોજાઈ રહી છે: સવારે 11:30 થી 2 અને બપોરે 3 થી 5:30. યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરીયાએ આ અંગે માહિતી આપતા દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને 764 કોલેજોમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. પરીક્ષામાં શુદ્ધિકરણ જાળવવા માટે દરેક જિલ્લામાં બે-બે ફ્લાઇંગ સ્કૉડની રચના કરવામાં આવી છે. આ સ્કૉડના કોઓર્ડિનેટર તરીકે નિમણૂક પામેલા આચાર્ય સીધું સંકલન કરે છે. ફ્લાઇંગ સ્કૉડની ટીમો ચોરી અટકાવવાના હેતુથી વિવિધ કોલેજોની મુલાકાત લે છે. અગાઉ, પ્રથમ તબક્કાની પરીક્ષામાં પણ 50થી વધુ કોપી કેસ નોંધાયા હતા. કુલપતિએ ઉમેર્યું હતું કે, બીજા તબક્કાની સેમેસ્ટર 3ની પરીક્ષામાં પણ ફ્લાઇંગ સ્કૉડ સક્રિય છે અને પ્રથમ દિવસે જ 30થી વધુ કેસ નોંધાયા છે. તેમણે વાલીઓ, વિદ્યાર્થીઓ, આચાર્યો અને અધ્યાપકો સહિત પરીક્ષા કામગીરી સાથે જોડાયેલા સૌને વિનંતી કરી હતી કે યુનિવર્સિટીનું ગૌરવ જાળવવા માટે ચોરી જેવી ખોટી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. પરીક્ષામાં ચોરી અટકાવવાના હેતુથી જ આ કામગીરી કરવામાં આવે છે અને આ દૂષણને ન્યૂનતમ કરવા માટે સૌએ સહયોગ આપવો જોઈએ. પ્રથમ તબક્કામાં કુલ 80 કોપી કેસ નોંધાયા છે. આ કોપી કેસની આગળની કાર્યવાહી માટે પરીક્ષા ખાસ સમિતિમાં મૂકવામાં આવશે અને તેના આધારે પરિણામ અંગે નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:41 pm

ઉમરાહ યાત્રીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર સુવિધાઓનો અભાવ:યાત્રાળુઓને જમવા અને નહાવા માટે મુશ્કેલી, એરપોર્ટ ઓથોરિટીને સુવિધા વધારવાની માગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉમરાહ ટૂર માટે આવતા યાત્રાળુઓને મોટાપાયે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેશનલ ટર્મિનલ પર જમવાની અને શૌચાલય-નહાવાની મર્યાદિત સુવિધાઓને કારણે યાત્રાળુઓને તકલીફો ઉભી થઈ રહી છે. હજારો યાત્રાળુઓ હાલમાં ઉમરાહ પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ તેની સામે એરપોર્ટ પર જરૂરી સુવિધાઓની અછત સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સુવિધાનો અભાવ, યાત્રાળુઓને તકલીફોયાત્રાળુઓની મુખ્ય ફરિયાદ મુજબ, જમવા માટે કોઈ નિશ્ચિત મેસ અથવા ડાઇનિંગ એરિયા ઉપલબ્ધ નથી. અનેક યાત્રાળુઓને ડ્રોપ-ઓફ ઝોન નજીક પેડેસ્ટ્રિયન એરિયામાં જમીન પર બેસીને જમવું પડે છે, જેના કારણે ત્યાં ગંદકી થતી જોવા મળે છે. લોકો પોતે જ સાફ-સફાઈ કરતા હોવાનું પણ જોવા મળ્યું છે. વૃદ્ધો માટે બહુ મુશ્કેલીનહાવાની સુવિધાઓ પણ ટર્મિનલથી 200થી 300 મીટર દૂર પાર્કિંગ વિસ્તારના છેવાડે આવેલા શૌચાલય સુધી મર્યાદિત છે. યાત્રાળુઓને ઈબાદત પહેલાં શરીર સાફ-સૂથરું રાખવું જરૂરી હોય છે, પરંતુ દૂર ચાલી જવું યાત્રાળુઓ માટે ખાસ કરીને વૃદ્ધો માટે બહુ મુશ્કેલીભર્યું બની રહ્યું છે. લાંબા પ્રવાસે નીકળનારા યાત્રાળુઓ પરેશાનઉપરાંત, આ શૌચાલય નહાવા માટે 5 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોવાનો આક્ષેપ પણ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો છે. પીવાના પાણીની બાબતમાં પણ ખામી જણાઈ છે. પીવાનું પાણી મળતું સ્થાન ધૂળથી ભરેલું અને અવ્યવસ્થિત હાલતમાં જોવા મળ્યું છે, જ્યારે કેટલાક સ્થળે પાણી મળતું જ નથી. આ પરિસ્થિતિમાં લાંબા પ્રવાસે નીકળનારા યાત્રાળુઓને વધારાની તકલીફો સહન કરવી પડે છે. 'એરપોર્ટ પર પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી'ભાવનગરના યાત્રાળુ સમીર ભાવાણીએ જણાવ્યું હતું કે, ઉમરાહ ટૂરના યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર મહિને અને દર વર્ષે અહીંથી જ જતા હોય છે. છતાં, એરપોર્ટ પર પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેમણે એરપોર્ટ ઓથોરિટી પાસે વિનંતી કરી છે કે જમવા માટે અલગ ડાઇનિંગ હૉલ અથવા મેસની સુવિધા ઊભી કરવામાં આવે અને ટર્મિનલની નજીક જ પૂરતી વૉશરૂમ અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે. 'વૃદ્ધો અને મહિલાઓ માટે સુવિધાસભર ડાઇનિંગ એરિયા બનાવો'તેમણે વધુમાં ઉમેર્યું કે, પરંપરાગત રીતે કેટલાક ધર્મોમાં નીચે બેસીને જમવાનું ચાલતું આવ્યું હોય, પરંતુ આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો ટેબલ પર જમવાનું પસંદ કરે છે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે સુવિધાસભર ડાઇનિંગ એરિયા ખૂબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:10 pm

'આવી નોટિસ તો SMC કમિશનરની ઓફિસ બહાર પણ નથી':સુરત કતારગામ ઝોનના તમામ અધિકારીઓની ઓફિસમાં મોબાઈલ અને વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન ખાતે 10થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં. આ નોટિસ અધિકારીઓના અંગત મદદનીશ (પી.એ.)ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે, અને તેમાં વિનંતી નહીં પણ હુકમથી આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મોબાઈલ પર પ્રતિબંધની નોટિસ લાગતા લોકોએ સવાલ ઉઠાવ્યાઆ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની કાર્યશૈલી અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સામાન્ય જનતાનું માનવું છે કે, જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય, તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જોઈએ. સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે. પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે? લોકોએ કહ્યું- અધિકારીઓને કોનો ડર સતાવે છે?પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે? જો પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય, તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જોઈએ? આશ્ચર્યની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ પદાધિકારીની મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી. જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે, ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી, જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ 'હુકમ' બહાર પાડ્યો છે. આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઈશારો કરે છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાને બદલે પોતાને રેકોર્ડ થતા અટકાવવા માંગે છે, જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ મામલે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સંપર્ક થઈ શક્યો નથી. આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:09 pm

બોટાદમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક:SIR-2025 અભિયાન માટે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન અપાયું

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR–2025 અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, SIR જિલ્લા ઇન્ચાર્જ અને પૂર્વ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બી.એલ.એ – 1 અને જિલ્લા ઉપપ્રમુખ પ્રદિપભાઈ ગોવાળીયા, બોટાદ શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત, બોટાદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શહેરના જિલ્લા-મંડલ-મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શક્તિકેન્દ્ર સંયોજકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ ઉપસ્થિતોને મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન, વધુમાં વધુ પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તે સુનિશ્ચિત કરવા માટે કાર્યકરોને સક્રિય થવા અને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:54 pm

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી:જીત પાબારીએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચેતેશ્વરની બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો​​​​​​​​​​​​​​ચેતેશ્વર પૂજારાના સાસરિયાઓ જામજોધપુરના છે. પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. તેના સસરાને કોટનની જિનિંગ ફેક્ટરી છે. ચેતેશ્વરની પત્ની પૂજા ઉપરાંત તેને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. પૂજાનો જન્મ ગોંડલમાં થયો છે. દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી 11-12 અમદાવાદથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે. એ પછી એક વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળી ગયો અને મેરેજ કરી લીધાં.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:52 pm

નિવૃત હિન્દુ-મુસ્લિમ કર્મચારીઓની અનોખી રજૂઆત:જુનાગઢમાં નિવૃત્ત કર્મચારીઓનો વિરોધ: પેન્શન વધારાની માંગ સાથે ગાયત્રી મંત્ર અને દરૂદે પાકની તકલી કરી અનોખા ધરણા.

છેલ્લા લાંબા સમયથી જુનાગઢ જિલ્લા અને શહેરના નિવૃત્ત કર્મચારીઓ પોતાના પેન્શનની અપૂરતી રકમ સામે લડત ચલાવી રહ્યા છે. આ સંઘર્ષના ભાગરૂપે આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. જુનાગઢ ભવિષ્ય નિધિ કચેરી ખાતે કચ્છ કાઠીયાવાડ નિવૃત્ત કર્મચારી મંડળના નેતૃત્વ હેઠળ હિન્દુ અને મુસ્લિમ નિવૃત્ત કર્મચારીઓએ એકસાથે મળીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું અને આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ ઝડપથી સંતોષાય તેવી રજૂઆત કરી હતી. કચ્છ કાઠીયાવાડ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સલીમ ગુજરાતીએ આ ધરણા પ્રદર્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢના નિવૃત્ત કર્મચારીઓએ આજે જુનાગઢ ભવિષ્ય નિધિ કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. નિવૃત્ત કર્મચારીઓએ લાંબા સમયથી પેન્ડિંગ પોતાના અનેક પ્રશ્નો મામલે આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં નિવૃત્ત કર્મચારીઓને ઓછામાં ઓછા ₹7,500/- પેન્શન મળે તે મુદ્દો સામેલ છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત કર્મચારીઓ પોતાના હક્કના પેન્શનને લઈ લડત ચલાવી રહ્યા છે. કુદરતને રિઝવવાનો અનોખો પ્રયાસ: ગાયત્રી મંત્ર અને દરૂદે પાક નિવૃત્ત કર્મચારીઓએ આ વખતે પોતાની રજૂઆતને સરકાર અને વહીવટી તંત્ર ઉપરાંત કુદરત સુધી પહોંચાડવાનો અનોખો માર્ગ અપનાવ્યો હતો. ધરણા દરમિયાન, તમામ નિવૃત્ત કર્મચારીઓ, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા, તેમણે એકસાથે મળીને ગાયત્રી મંત્ર અને દરૂદે પાકની તકલી કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ધાર્મિક વિધિ દ્વારા તેમણે કુદરતની બંદગી કરી ન્યાય માટે અપીલ કરી હતી. પ્રમુખ સલીમ ગુજરાતીએ આ અનોખા વિરોધનું કારણ સમજાવતા કહ્યું કે, અમને આશા છે કે કદાચ કુદરતની બંદગી કરવાથી કોઈ પવિત્ર માણસને અમારી આ રજૂઆત ધ્યાને આવી જાય અને નિવૃત્ત કર્મચારીઓની જે માગણી છે તે સાંભળી લેવામાં આવે. હિન્દુ-મુસ્લિમ નિવૃત્ત કર્મચારીઓએ એકસાથે મળીને કુદરતને રિઝવવાનો પ્રયાસ કરી અમારી માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન કર્યો છે. તેમણે ઉમેર્યું કે, હવે આશા છે કે કુદરત અમને ન્યાય આપશે અને અમારી માગણી મુજબનું પેન્શન અમને મળતું થશે. આ પેન્શન વૃદ્ધ દંપતીઓને આજની મોંઘવારીના સમયમાં સન્માનભેર અને વ્યવસ્થિત જિંદગી જીવવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આ ધરણા કાર્યક્રમનું આયોજન નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરાયું હતું. પેન્શનની અપૂરતી રકમને કારણે વૃદ્ધોને આર્થિક સંઘર્ષ કરવો પડે છે, જે તેમની ગરિમાને અસર કરે છે. આથી, ₹7,500/- નું પેન્શન તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની જરૂરિયાત છે. આ ધરણા પ્રદર્શનમાં નિવૃત્ત કર્મચારીઓએ તેમની એકતા અને ધાર્મિક સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે દર્શાવે છે કે ન્યાય માટેની લડતમાં ધર્મ કે જાતિ કોઈ અવરોધ નથી. નિવૃત્ત કર્મચારીઓએ આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવી તેમની ગંભીર સ્થિતિની જાણ કરી હતી અને સરકાર વહેલી તકે આ મામલે સકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે કુદરતની આ બંદગી અને નિવૃત્ત કર્મચારીઓની એકતાની રજૂઆત સરકાર સુધી પહોંચે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:35 pm

ઈસનપુર ડીમોલીશન કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર પહોંચ્યા:24 નવેમ્બરથી ચાલી રહ્યું છે મેગા ડિમોલીશન, 40 વર્ષથી થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી

ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ અને દૂર કરવાની કાર્યવાહી 24 નવેમ્બરથી શરૂ થઈ છે. ઇસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનર ઇસનપુર અને ચંડોળા તળાવ ખાતે નિરક્ષણ માટે પહોંચ્યા હતા. ઇસનપુર ડિમોલેશન અને ચંડોળા ડિમોલેશન બાદની કામગીરીનું નિરીક્ષણ કર્યુંઇસનપુર શરૂ થયેલા ડિમોલશનાની કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર જી.એસ મલિક પહોંચ્યા હતા.પોલીસ કમિશનર દ્વારા ઇસનપુર ડિમોલિશન અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશ્નર સાથે ઝોન 6 ડીસીપી,એસીપી સહિતના અધિકારીઓ પણ હાજર હતા.પોલીસ કમિશનર દ્વારા ડીસીપી પાસેથી સમગ્ર માહિતી પણ મેળવવામાં આવી હતી.આ ઉપરાંત ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 20 જેસીબી, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.એસીપી, પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 લોકોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવાના આવ્યા હતા. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, 900 દબાણ હટાવ્યા અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.(સંપૂર્ણ સમાચાર વાંચો)​​​​​​​

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:25 pm

અમીરગઢમાં 60 મણ ખેરના લાકડા ઝડપાયા:ખજુરિયા વિસ્તારમાં ગેરકાયદેસર કપાણ બદલ વન વિભાગની કાર્યવાહી

અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી આશરે 60 મણ ખેરના ગેરકાયદેસરરીતે કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે. અમીરગઢ વન્યજીવ ટીમે આ કાર્યવાહી કરી હતી. ઇકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટના વન રક્ષકને મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા. આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી, અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બર, 2025ના રોજ વન રક્ષકને બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા, તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષોનો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે. ખેર, ચંદન, સીસમ, મહુડો અને સાગ જેવા પાંચ વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે. જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા એ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુનો બને છે. અમીરગઢ રેન્જ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં અમીરગઢ રેન્જ દ્વારા ખેરના ગેરકાયદેસર કપાણનો આ ત્રીજો બનાવ નોંધાયો છે. આ અંગે અમીરગઢ RFO મહેંદ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 25/11/2025ના રોજ અમીરગઢ રેન્જની ઈકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટમાં ખજૂરિયા ગામે વન રક્ષકને બાતમી મળી કે, ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવ્યાં છે. જેથી વન રક્ષક પી.કે. છત્રાલિયા સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરીને વનપાલ ઈકબાલગઢને જાણ કરતાં વનપાલ બાથીજી તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી પંચો સાથે રહી અને જગ્યામાં પડેલા ખેરના લીલા વૃક્ષોને જપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:24 pm

પોલીસ પરિવારને જવાબ આપવા હવે કોંગ્રેસ મેદાને:જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણમાં રેલી, SP કચેરી સુધી લાખોના હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વિવાદ વકર્યો છે. મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જીગ્નેશ મેવાણીને જવાબ આપ્યો હતો. બીજી તરફ પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરીને પાટણ-પાલનપુર અને થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરીને તંત્રમાં રજૂઆત કરી હતી. જે બાદ આજે મેવાણીના સમર્થનમાં પાટણ-પાલનપુર સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી છે. શું છે સમગ્ર મામલોકોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી હતી. લાખો રુપિયાના હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપપોલીસ પરિવારના વિવાદ બાદ આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચે મેવાણીના સમર્થનમાં રેલી કાઢી ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રમુખે એસપી કચેરી સુધી લાખો રૂપિયાના હપ્તા પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:13 pm

વડોદરાના સાંસદનો રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા પત્ર:હેમાંગ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવવા અંગે પત્ર લખ્યો છે. તેઓને સરદાર પટેલની 150 મી જન્મજયંતિને લઈ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નિકળેલ યાત્રામાં જોડાવવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એક વિપક્ષ નેતા તરીકે નહીં પણ એક ભારતીય તરીકે પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશો આપો તેવું નિવેદન કર્યું છે. હેમાંગ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાવા આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે. જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 150 યુવાનો કરમસદથી કેવડિયા સુધીઆ અંગે ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશના નાગરિકોને અપીલ કરું છું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં 150 યુવાનો કરમસદથી કેવડિયા સુધી જોડાવાના છે. આજે દેશના વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવાના છે જેમાં મુખ્યમંત્રી જોડાવવાના છે. ત્યારે તેમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો જોડાવવાના છે. 'ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે'વધુમાં કહ્યું કે, આ યાત્રાનો સૌથી વધારે રૂટ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન ચૂંટણીના સમયે વિવિધ યાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે. રાજકીય રીતે તેઓ ચાલતા નથી તેવા રાહુલ ગાંધીને આજે મેં પત્ર લખ્યો છે . આ કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે તેમ પધારવા માટે આમંત્રણ આપ્યું છે. તેના મુખ્ય ત્રણ ઉદેશ્ય છે , તેઓએ આવા સારા હેતુથી કરવામાં આવેલ આવી યાત્રા નહીં હોય. પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય તે અહીંયા જોવા મળશે. 'રાહુલ ગાંધી આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે'વધુમાં કહ્યું કે, કોઈ ને કોઈ ભાવે સરદાર પટેલ માટે જે સન્માન કોંગ્રેસ પાર્ટી દ્વારા મળવું જોઈએ તે મળ્યું નથી. આ અજાયબીને જોવા માટે જાણે કોંગ્રેસના કાર્યકર્તાને પરમિશન ન હોય તેમ ગુંગળામણમાં રહે છે તેઓ પોતે સરદાર સાહેબની પદયાત્રામાં જોડાય તો ચોક્કસ તેઓ તેમાંથી બહાર આવશે. દેશના તમામ સાંસદ અને ધારાસભ્યોને આ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોઈ પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય યાત્રા છે. આ યાત્રામાં ચાલતા ચાલતા જે મહાનુભાવો જોડાવવાના છે તેઓનો આ યાત્રામાં લોકશાહીના મૂલ્યો શું હોય તે પણ તેઓને ખબર પડશે. તે બાબતે આદરણીય રાહુલ ભાઈને આમંત્રણ આપ્યું છે અને તેઓ આવે તેવી હું આશા રાખું છું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:03 pm

રૂમમાં બંધ બે વર્ષની બાળકીનું 5 મિનિટમાં LIVE રેસ્ક્યૂ:રમતા રમતા બાળકીએ દરવાજો બંધ કરી દેતા બહાર માતા-પિતા ચિંતામાં મુકાયા, ફાયરે સહીસલામત બહાર કાઢી

સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એક વાર સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે બે વર્ષની બાળકી એ રમતા રમતા દરવાજો બંધ કરી દીધો હતો. બાળક અંદર ફસાઈ જતા રડી રહી હતી. જ્યારે માતા-પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ થતાં પાંચ મિનિટમાં જ બાળકીને રેસ્ક્યૂ કરીને પરિવારને સહી ચલામત સોંપી હતી. બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતોમળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે. જેમાં 55 નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે. પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી જ્યારે માતા બહાર હતી. દરમિયાન બાળકી એ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને માતા બહાર હતી. બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી. માતા દ્વારા ભુમાબૂમ કરવામાં આવતા આસપાસ લોકો દોડી આવ્યા હતા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા હતા. કોમ્બી ટુલ્સથી 5-7 મિનિટમાં દરવાજાનું લોકની તોડી નાખ્યું હતુંબાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં કોમ્બી ટુલ્સથી પાંચથી સાત મિનિટમાં દરવાજાનું લોકની તોડી નાખવામાં આવ્યું હતું. દરવાજો તોડી અંદર જોતા ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડતી હતી. બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લિધોચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મીનીટોમાં જ બાળકીનું રેસ્ક્યૂ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:57 pm

કાલુપુરના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની 35-40% કામગીરી પૂર્ણ:સેકન્ડ ફ્લોર સુધી કામગીરી પહોંચી; દિલ્હી જેવી ભાગદોડની ઘટનાને અટકાવવા ઈન્ડિયાનો સૌથી મોટો કોન્કોર્સ એરિયા બનશે

અમદાવાદના કાલુપુરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. હાલમાં આખા પ્રોજેક્ટની ઓવરઓલ કામગીરી 35થી 40 ટકા પૂર્ણ થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે દિલ્હીમાં થોડા સમય પહેલાં બનેલી ભાગદોડ જેવી ઘટના ન બને તે માટે ઈન્ડિયાનો સૌથી મોટો કોન્કોર્સ એરિયા બનાવાશે. હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈને દિવ્ય ભાસ્કરે રેલવેના DRM વેદપ્રકાશ સાથે વાતચીત કરી હતી. કેટલીક કામગીરી સમય કરતા પહેલાં પૂર્ણ કરી: DRMDRM વેદપ્રકાશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે જયારે કોઈપણ ગ્રીનફિલ્ડ રેલવે સ્ટેશનને ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે તેની કામગીરી ખૂબ જ મુશ્કેલ હોય છે. અમારા એન્જિનિયર્સે ખૂબ જ મોટો ટાસ્ક લીધો છે. એક બાજુ ટ્રેનો ચાલી રહી છે તો બીજી તરફ રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. હાલમાં આ કામગીરી ખૂબ જ સારી રીતે અને સમયસર ચાલી રહી છે. કેટલીક કામગીરી તો અમે સમય કરતા પહેલાં પણ પૂર્ણ કરી દીધી છે. ‘માઈનસ વન-ટુની કામગીરી પૂર્ણ, ફર્સ્ટ-સેકન્ડ ફ્લોરની કામગીરી ચાલું’અહીં એલિવેટેડ કોરિડોરમાં રોડને પણ કનેક્ટ કરવામાં આવ્યો છે જેના થકી અમદાવાદના લોકો ખૂબ જ સરળતાથી આવી શકશે. અહીં 16 માળની બિલ્ડીંગ બનવાની છે જેમાં હાલ માઈનસ વન-ટુની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે પહેલા અને બીજા ફ્લોરની કામગીરી ચાલી રહી છે. આમ કુલ મળીને ચાર ફલોર સુધી આ કામગીરી પહોંચી છે. આ સ્ટેશનને બુલેટ ટ્રેનના પેરેલલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ 17થી 18 એકરમાં તૈયાર થઈ રહ્યું છે જેમાં 4થી 5 લાખ લોકોને હોલ્ડ કરી શકાશે. ઉત્તર-દક્ષિણમાં પાર્સલને લાવવા ખાસ ટનલ બનાવાઈવેદપ્રકાશે કહ્યું કે, જ્યાં ઝુલતો મીનારો છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરી શકીએ તેમ નથી. એટલે ત્યાં ઓપન એર થિયેટરની કામગીરી કરી છે જે સિટીના લોકોને અલગ જ કોન્સેપ્ટ મળશે. આ ઉપરાંત નોર્થ અને સાઉથ સાઈડમાં પાર્સલને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ખાસ પ્રકારની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં 8 અને 9માં પ્લેટફોર્મ પર આ કામગીરી કરવામાં આવી રહી છે. બાકીના વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે. યાત્રીઓ સૌથી પહેલાં કોન્કોર્સ એરિયામાં પ્રવેશ કરશેવેદપ્રકાશે કહ્યું, અમે લોકો આ સ્ટેશનને એવી રીતે તૈયાર કરી રહ્યાં છે જેમાં આવનાર યાત્રીઓ સૌથી પહેલાં કોન્કોર્સ એરિયામાં પ્રવેશ કરશે. જે બાદ તેમને જે પ્લેટફોર્મ પર જવું હોય ત્યાં તે જઈ શકશે. સાથે જ અહીંયા લોકોને સરળતાથી હોલ્ટ કરવાની સાથે સાથે અવરજવર કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુર સાઈડ પણ આ પ્રકારનો હોલ્ડીંગ એરિયા તૈયાર કરી રહ્યાં છીએ. જો કોઈંક કારણસર વધુ ભીડ એકઠી થઈ જાય તો તેને પણ મેનેજ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:55 pm

હિંમતનગરમાં રોલરને ટ્રકે ટક્કર મારતાં એન્જિનિયર સહિત 4ના મોત:NH-48 પરના GIDC ઓવરબ્રિજ પર ચાલુ કામગીરીએ અકસ્માત, ટ્રેલરના ટાયર નીચે પણ ચગદાયાં, આજે ગડકરી નિરિક્ષણ કરવાના હતા

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર હિંમતનગર નજીક GIDC ઓવરબ્રિજ પર મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રોડ નિર્માણની કામગીરી ચાલી રહી હતી, ત્યારે એક સિમેન્ટ ભરેલા ટ્રક-ટ્રેલરે સેફ્ટી ગાર્ડ તોડીને રોડ રોલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં રોલરની આગળ ઊભેલા એક એન્જિનિયર તથા ત્રણ શ્રમિકો સહિત કુલ ચાર વ્યક્તિઓ કચડાઈ જતાં તેમના કરુણ મોત નિપજ્યાં હતાં. જેમાં ટ્રેલરના ટાયર નીચે પણ કેટલાક ચગડાયા હતાં. આ દુર્ઘટના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અહીં નિરિક્ષણ કરે એના ગણતરીના કલાકો પહેલાં બની હતી. ગડકરીના નિરીક્ષણ પૂર્વે પૂરજોશમાં કામગીરીનોંધનીય છે કે, આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે બુધવારે બપોર બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરના મોતીપુરાથી ચિલોડા સુધીના નેશનલ હાઈવે 48ના માર્ગનું નિરીક્ષણ કરવાના હતા. આ મહત્ત્વના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને જ રોડ, ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવવાની કામગીરી રાત્રી દરમિયાન પૂરજોશમાં ચાલી રહી હતી. મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે આશરે 11:45 વાગ્યે બની હતી. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રક-ટ્રેલર (નંબર RJ-19-EA-4384)ના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવીને ઓવરબ્રિજ પર રોડ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત રોલરને પાછળથી ટક્કર મારી દીધી હતી. રોલર ચાલકને ઈજાટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે રોલર તેના પર ફરી વળ્યું હતું. રોલરની આગળ ઊભેલા ચાર વ્યક્તિઓમાં એન્જિનિયર અસીમ અક્ષય મજમુદાર (ઉં.વ. 36, પશ્ચિમ બંગાળ) તેમજ શ્રમિકો સોમાભાઈ ચતુરભાઈ નાયક (ઉં.વ. 52, મહીસાગર), ભેમાભાઈ સુરમાભાઈ નાયક (ઉં.વ. 45, મહીસાગર) અને રઘુભાઈ રમણભાઈ નાયક (ઉં.વ. 18, મહીસાગર) રોલર નીચે કચડાઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા હતા. રોલર ચાલક બાબુલાલને પણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના નામ ટ્રકચાલક ફરાર, પોલીસની કાર્યવાહીઅકસ્માત સર્જ્યા બાદ ટ્રક-ટ્રેલરનો ચાલક પોતાનું વાહન ઓવરબ્રિજના છેડે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ફરિયાદી સંજયભાઈ સોમાભાઈ નાયકની ફરિયાદના આધારે બેફામ વાહન ચલાવી અકસ્માત સર્જનારા ટ્રક-ટ્રેલરના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:50 pm

ભચાઉ પોલીસે નકલી નોટોથી છેતરપિંડી કરતા ત્રણને પકડ્યા:ઇન્સ્ટાગ્રામ પર 'એક લાખના ચાર લાખ'ની લાલચ આપતા હતા

ભચાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર લોકોને 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા. જાહેર કરાયેલી વિગતો મુજબ પીઆઇ એ.એ. જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતિફશા શેખ (રહે. કનૈયાબે, તા. ભુજ) નકલી નોટોના બંડલ સાથે ભુજથી મોગલધામ (કબરાઉ) તરફ આવી રહ્યા છે. તેઓ સફેદ સ્વીફ્ટ ગાડી (GJ 06 FC 0580) માં હતા. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલા જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય ચલણી નોટો જેવી દેખાતી 'ભારતીય મનોરંજન બેંક' અને 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૫ નકલી નોટોના બંડલ, 125 અસલી 500 રૂપિયાના દરની ચલણી નોટો (કુલ રૂ. 62,500), એક સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. 50,0000), એક ટ્રોલી બેગ (કિંમત રૂ. 1,000) અને પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. 80,000) જપ્ત કર્યા છે. કુલ રૂ. 6,43,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં જમનશા ભચલશા શેખ (ઉં.વ. 25), નશીરશા અકબરશા શેખ (ઉં.વ. ૨૨) અને યુનુસશા લતિફશા શેખ (ઉં.વ. 19) નો સમાવેશ થાય છે. ત્રણેય કનૈયાબે, તા. ભુજના રહેવાસી છે. આરોપી જમનશા શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. નશીરશા શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં અને યુનુસશા શેખ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સાચી ચલણી નોટો બતાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને પછી 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને નકલી નોટોના બંડલ પધરાવીને છેતરપિંડી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:37 pm

નિવૃત્ત નાયબ સચિવના મહાઠગ પુત્રની ધરપકડ:ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગર પાલિકાના ટેન્ડરોની લાલચ આપી વેપારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો હતો

ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વેપારીઓ પાસે રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીમાં નિવૃત નાયબ સચિવના પુત્ર પુત્રવધૂએ વેપારીઓને ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગર પાલિકાના વિવિધ ટેન્ડરો લાગ્યા હોવાનો કારસો રચી કરોડોનું કરી નાખવામાં આવ્યું છે. ત્યારે આ મહાઠગ દંપતીએ ગુજરાત વોડાફોનના પૂર્વ હેડને પણ લોભામણી સ્કીમો આપીને 72.91 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. ત્યારે આ ઠગાઈ પ્રકરણમાં નિવૃત નાયબ સચિવના મહાઠગ પુત્ર નિરવ દવેની ઇન્ફોસિટી પોલીસે આજે સવારે ધરપકડ કરી વધુ પૂછતાછ માટે કવાયત શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:26 pm

અડાલજ-ઝુંડાલ રોડ પર વર્ષો જૂનું ધાર્મિક દબાણ ધ્વસ્ત:રોડ પહોળો કરવાની કાર્યવાહી હેઠળ ધાર્મિક દબાણો હટાવવાની બીજી મોટી કાર્યવાહી, વિરોધના પગલે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું

ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે આજે બુધવારે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરીમાં અવરોધરૂપ આ ધાર્મિક દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યુંઅડાલજ ખાતે બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. ​કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય. ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો અગાઉ પણ પોલીસ રક્ષણ હેઠળ પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-30 સર્કલ પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ધાર્મિક તેમજ સાતેક ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દબાણ હટાવવાની કામગીરી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જાહેર માર્ગોના વિકાસમાં ગેરકાયદેસર દબાણો ભલે તે ધાર્મિક હોય તે ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:56 am

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા કેસમાં આરોપી દબોચાયા:40 કરોડના ફ્રોડની ધમકી આપતા ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી

રાજ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો. ખેડૂતને રૂપિયા 40 કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા. આ મામલે ડભોઇ પોલીસે આખરે ફરિયાદ નોધી બે આરોપીઓને પકડી લીધા છે. અઠવાડીયા પહેલા વડોદરા જિલ્લાના કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યાર બાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. શંકા જતાં ફોનમાં આવેલા નંબર પર પરિવારજનોએ સંપર્ક કર્યોસતત દબાણ અને ભયને કારણે અતુલભાઈએ સોમવારે(17 નવેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. કાકા ત્રણ દિવસથી બેચેન રહેતા હતા: ભત્રીજોમૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા આજે અમારી વચ્ચે નથી રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પૂછવા છતાંય તેમણે કોઈને કશું કીધું નહોતું. તેમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, તેમને પણ કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણએને દવા પી લીધી હતી, જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે એ પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, એવી લોકોને હું અપીલ કરું છું. ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતાસાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરતા, ઘરની બહાર નીકળતા નહીં, કહીને ધમકાવતા હતા, જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વ્હોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો. દિવસમાં 200 લોકો ડિજિટલ એરેસ્ટકેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2,575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારનાં સાઇબર ફ્રોડમાં લોકોએ 2,746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ સ્કેમથી બચવા માટે શું કરી શકાય?

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:54 am

નવાપરા કબ્રસ્તાન પાસે ધાર્મિક સ્થાન સહિત 30 દબાણો દૂર કરાયા:5 જેસીબી અને 2 ડમ્પરો સાથે 3500 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ, અધિકારીઓ અને 100થી વધુ પોલિસ જવાનો તૈનાત

ભાવનગરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન અકવાડા મદરેસા બાદ આજે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફર્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ છે. 3 હજાર ચોમી સરકારી જગ્યા ખુલ્લી કરાઈસીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સીટી મામલતદાર અને 100થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ છે. નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયાભાવનગર શહેરમાં તંત્ર દ્વારા દબાણો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે, બે દિવસ પૂર્વે અકવાડા મદરેસાના રસ્તા પર કરેલ બાંધકામ પર મહાનગર પાલિકા દ્વારા ડીમોલેશન કર્યું ત્યાર બાદ આજરોજ શહેરના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઓટો ગેરેજ અને ભંગાર સહિત દબાણો ખડકાયેલા હતા. 1 ધાર્મિક સ્થાન સહિત 25થી 30 બાંધકામો પર બુલડોઝર ફર્યુંજે 25થી 30 જેટલા દબાણકારોને દબાણ ખુલ્લું કરવા આપેલી અંતિમ તારીખ 18 નવેમ્બરથી 25મી નવેમ્બર સુધીમાં દબાણો ખુલ્લા કરવા સીટી સર્વે દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજરોજ સરકારી જગ્યા પર કરેલ દબાણ ગેરેજ, ભંગારની દુકાનો અને 1 ધાર્મિક સ્થાન અને ઓફિસ સહિતની 25થી 30 બાંધકામો પર સીટી મામલતદાર, 100 પોલિસ કર્મીઓના કાફલા સાથે વહેલી સવારે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને 3 હજારથી 3500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. પાંચ જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂરઅંગે સીટી સર્વે વિભાગના સુપ્રિટેનડેટ શિવાંગી ખરાડીએ જણાવ્યું હતું કે, અહીંયા કોઈ મકાનો હતા નહીં રેસીડેન્સીયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતો જેમાં ગેરેજ અંદાજિત 25થી 30 જેટલા ગેરેજો અને એક બે બીજા પાકા કન્સ્ટ્રકશન હતા અને જે સરકારની મિલક્ત હોવાથી આજરોજ પાંચ જેટલા જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 100 જેટલા કર્મીઓ અને 15 જેટલા અધિકારીઓનો બંદોબસ્તસીટી DYSP આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે નવાપરાનો વિસ્તાર છે, ત્યાં 3,000 સ્ક્વેર ફીટનું જેમાં અંદાજિત 25થી 30 જેટલી દુકાન હતી, જેમાં એક ઓફિસ હતી અને એક ધાર્મિક દબાણ પણ હતું જેને આજે જેમાં મામલતદાર ટીમ સીટી સર્વે ટીમ અને પોલીસનો આશરે 100 જેટલા કર્મીઓ અને 15 જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમા રોકાયેલ હોય અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:52 am

લગ્નના દોઢ વર્ષમાં જ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી:ગેસ્ટહાઉસ બનાવવા 15 લાખ દહેજ માગ્યું, યુવતીએ આપવાની ના પાડતા તરછોડી મુકી, પતિ સહિત 5 સાસરિયાં સામે ફરિયાદ

ગાંધીનગરના માણસાની રહેવાસી અને BSC, MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનારી પત્નીને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ પતિએ પોતાનો રંગ બતાવ્યો. ગેસ્ટહાઉસ ખોલવાના સપના પુરા કરવા 15 લાખ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી તરછોડી દીધી. જે મામલે પરિણીતાએ માણસા પોલીસ મથકના ચોપડે પતિ સહિત પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. થોડા વર્ષો પહેલાં જ યુવતીના લગ્ન સમાજના રિત રિવાજ મુજબ થયામાણસા ખાતે હાલમાં પિયરમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન ઓક્ટોબર 2023ના રોજ બહુચરાજી રાવળ વાસમાં રહેતા યુવક સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા તેના પતિ સંજય, સસરા, સાસુ અને બે નણંદો સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. પતિએ 15 લાખની માંગણી કરી ઝઘડા કરવાનું શરૂ કર્યું આ લગ્નજીવન માંડ એક મહિનો ચાલ્યો ત્યાં જ પતિ પોત પ્રકાશી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મારે બહુચરાજીમાં ગેસ્ટહાઉસ બનાવવું છે, જેથી તું તારા માતા-પિતા પાસેથી મને પંદર લાખ રૂપિયા લાવી આપ. આમેય તારા માતા-પિતાએ તને કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જો કે પરણિતાએ પોતાના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા લાવવાની ના પાડી ત્યારે પતિએ આ વાતનું મનદુઃખ રાખી ઝઘડા કરવાનું અને ગાળો બોલી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે જ્યારે સાસુ, સસરા અને બંને નણંદોને ફરિયાદ કરી ત્યારે સાસરિયાંઓએ પતિનો પક્ષ લઈ તેણીને જેમ ફાવે તેમ બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. પત્નીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ પણ પતિ હેરાન કરતો ચોથી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે પતિ, સાસુ-સસરા અને નણંદોએ ભેગા મળીને ફરીથી પંદર લાખ રૂપિયા બાબતે ઝઘડો કરી “તું તારા બાપાના ઘરેથી જ્યાં સુધી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં રાખવાની નથી” તેમ કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરણિતા પિયર રહેવા આવી ગઈ હતી. ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પણ પતિએ તેણીનો પીછો છોડ્યો નહીં. ગઈ તા. 21 ઓગસ્ટે તે લોદરા ગામ ખાતે દવા લેવા ગઈ ત્યારે પણ ત્યાં જઈને પતિએ જાહેરમાં 15 લાખની માંગણી કરી ગાળો બોલતાં હોબાળો થયો હતો. આ બાબતે પિયર પક્ષના પરિવારે સમાધાનના પ્રયત્નો કર્યા હોવા છતાં સાસરિયાઓ સહમત થયા ન્હોતા. આખરે માણસા પોલીસ મથકમાં પરિણીતાએ પતિ સહિતના પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:49 am

ધોલેરા એક્સપ્રેસ-વે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત:મુંડી પાટિયા પાસે કારો ટકરાતાં શ્રીનાથ હોટલના માલિકનું મોત, 4 ઘાયલ

ધોલેરા-ભાવનગર હાઈવે પર મુંડી પાટિયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન નિધન થયું છે. મૃતક પીપળી શ્રીનાથ હોટલના માલિક મુન્નાભાઈ પીપળીવાળા હતા. અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મુન્નાભાઈ પીપળીવાળાનું મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ગઈકાલે બપોર બાદ થયો હતો. મુન્નાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:49 am

સુરેન્દ્રનગરના મૂળીમાં રૂ. 70 લાખના ખર્ચે બિલ્ડીંગ તૈયાર:GSCSCL માટે અદ્યતન ગોડાઉન ઓફિસનું નિર્માણ પૂર્ણ, આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર કોઓપરેટિવ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના ગોડાઉન સંકુલ માટે અંદાજિત રૂ. 70.29 લાખના ખર્ચે નવું અને અદ્યતન ઓફિસ બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગમાં આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. તેમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર, મજબૂત બ્રિક મેશનરી અને ઉચ્ચ ગુણવત્તાનું પ્લાસ્ટરિંગ શામેલ છે. બિલ્ડીંગની ફિનીશીંગ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ નવું ઓફિસ બિલ્ડીંગ GSCSCLના ગોડાઉનના સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સ્થાનિક સ્તરે સંગ્રહ અને વિતરણ પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે. આનાથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સરકારની નેમ વધુ મજબૂત બનશે. માળખાગત વિકાસના આવા કાર્યો રાજ્યની સહકારી પ્રવૃત્તિઓ અને લોજિસ્ટિક્સ ચેઇનને વધુ અસરકારક બનાવશે. આ નવી સુવિધા મૂળી અને આસપાસના વિસ્તારના લોકોને પણ પરોક્ષ રીતે લાભદાયી નીવડશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:48 am

જી.જી. હોસ્પિટલમાં દર્દીને શ્વાને બચકું ભર્યાનો મામલો:ફરજ પરના સિક્યોરિટી ગાર્ડને નોટિસ આપીને ખુલાસો મંગાયો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે. હોસ્પિટલમાં ઘૂસી આવેલા શ્વાને સારવાર માટે આવેલા એક દર્દીને બચકું ભર્યું હતું, જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સિક્યોરિટી ગાર્ડને નોટિસ ફટકારવામાં આવી છે. રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધ મોઢાના કેન્સરની સારવાર માટે જી.જી. હોસ્પિટલ આવ્યા હતા. તેઓ કેસ બારી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શ્વાને તેમના હાથમાં બચકું ભરી લીધું હતું, જેના કારણે તેમને ઈજા થઈ હતી. ઘટના બાદ ત્યાં હાજર અન્ય દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર અપાવી હતી. આ બનાવ સિક્યોરિટી ગાર્ડની બેદરકારીને કારણે બન્યો હોવાના આક્ષેપો થયા હતા. હોસ્પિટલ તંત્રને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. સિક્યોરિટી ગાર્ડને માસિક લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં હોસ્પિટલમાં શ્વાન અને અન્ય પશુઓ ઘૂસી જવાના બનાવો બનતા રહે છે, જેના કારણે સિક્યોરિટી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા ફરજ પરના સિક્યોરિટી ગાર્ડને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ગાર્ડને બે દિવસમાં આ અંગેનો રિપોર્ટ સુપરત કરવા જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે હાલમાં જી.જી. હોસ્પિટલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક દરવાજા ખુલ્લા રહે છે અને શ્વાન અંદર પ્રવેશી જાય છે. જોકે, આવા સંજોગોમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા વધુ સતર્કતા દાખવવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:46 am

પાટણમાં સંવિધાન દિવસની ઉજવણી:રાજકીય પક્ષોએ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી, બંધારણનું પૂજન કર્યું

પાટણ શહેરમાં 26 નવેમ્બરના રોજ 'સંવિધાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના નેતાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને બંધારણનું પૂજન અને વાંચન કર્યું હતું. આ ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, હેતલબેન ઠાકોર, પ્રવિણભાઈ પરમાર, તેમજ નગરપાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે 26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ઔપચારિક રીતે અપનાવવામાં આવ્યું હતું, તે ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવાય છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં બંધારણના મૂલ્યો જેવા કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. બંધારણ એ રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે, જે દરેક નાગરિકના અધિકારો અને ફરજોને સુરક્ષિત કરે છે. આ દિવસ ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર અને તેમની ટીમના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખે બંધારણીય અધિકારોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:40 am

કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ:હવે વિદ્યાર્થીઓને દંડ સાથે 'ભગવદ્ ગીતા' અપાશે, VNSGUની અનોખી સજા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' અર્પણ કરવામાં આવશે. આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે. 89 વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2 લાખનો દંડ વસૂલાશેયુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ, યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ દરમિયાન કુલ 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા. ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. ગેરરીતિના કેસોની વિગત: 'ભગવદ્ ગીતા' આધારિત કાઉન્સિલિંગવી.સી. કિશોરસિંહ ચાવડાએ આ પહેલનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દંડ તો કરવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જરૂરી છે. આ માટે ભવિષ્ય કોપી કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે. ગીતામાં રહેલા સિદ્ધાંતો, કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનું તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વર્તે તેવો યુનિવર્સિટીનો આશય છે. ગેર હાજર વિદ્યાર્થીઓ સાથે યુનિ.ના નિયમ મુજબ કાર્યવાહી થશેગેરરીતિના કેસોની તપાસ માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળીને તેમની સામેના આરોપોની તપાસ કરી હતી. જે 42 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા, તેમની સામે યુનિવર્સિટી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરશે. જો જરૂરી જણાશે તો તેમને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે અથવા ઉપલબ્ધ પુરાવાઓના આધારે કમિટી દ્વારા ચુકાદો આપવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ શિક્ષણ જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે, જ્યાં માત્ર સજા નહીં પણ સદભાવના અને નૈતિકતાનું શિક્ષણ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:39 am

રાજકોટ મનપાની નવતર પહેલ:આરોગ્ય કેન્દ્રો, લાયબ્રેરી સહિત તમામ સેવાનાં મૂલ્યાંકન માટે QR-કોડ બેઝ્ડ સિટીઝન ફીડબેક સિસ્ટમ અમલમાં મુકાઈ, આંગળીનાં ટેરવે લોકો અભિપ્રાય આપી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને અપાતી વિવિધ સેવાઓની ગુણવત્તા, પારદર્શિતા અને ઝડપ સુધારવા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે QR કોડ આધારિત નાગરિક ફીડબેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા લોકો રોડ-રસ્તા, સફાઈ, લાઈટ, સિટી બસ જેવી 17 જેટલી મહત્ત્વની સેવાઓ અંગે પોતાનો સીધો અભિપ્રાય આપી શકશે, જેનાથી મહાપાલિકાને તેની કામગીરીનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં અને જરૂરી સુધારા કરવામાં મદદ મળશે. યુનિક QR કોડ દ્વારા સીધો પ્રતિભાવ અને પારદર્શિતા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ, શહેર વિકાસ વર્ષ 2025 અંતર્ગત આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને અપાતી સેવાઓમાં ઉત્તમ ગુણવત્તા લાવવાનો છે. નાગરિકોની નિયમિત ફરિયાદ નિવારણ સિસ્ટમ ઉપરાંત આ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સેવાઓના વપરાશકર્તા તરફથી સીધો અને વાસ્તવિક પ્રતિભાવ મનપા મેળવશે. મનપાના જુદા જુદા વિભાગો અને સેવા સ્થળો પર કુલ 1747 યુનિક QR કોડ્સ સ્થાપિત કરાયા છે. આ QR કોડ્સ જે તે સેવાના સ્થળ માટે યુનિક રહેશે. લાંબા ગાળે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને વધુ જાહેર સ્થળો પર QR કોડ્સ મૂકવાની ગણતરી છે, જેથી વધુમાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાં જોડાઈ શકશે. નાગરિક જ્યારે આ QR કોડને સ્કેન કરશે, ત્યારે તેમને 2 થી 10 પ્રશ્નો વચ્ચેના પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો હા કે ના માં આપવાના રહેશે. ઉપરાંત, તેઓ પોતાના રિમાર્ક્સ પણ આપી શકશે. અંતે, નાગરિકોને તે સેવાને 10 માંથી કેટલા સ્ટાર રેટ આપવો છે તે પૂછવામાં આવશે. આ પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી રાખવામાં આવી છે, જેથી વ્યસ્ત નાગરિકો પણ થોડી જ સેકન્ડોમાં પોતાનો અભિપ્રાય આપી શકે. સંપૂર્ણ પ્રક્રિયા ગુણવત્તા નિયંત્રણનું એક અસરકારક માધ્યમ બનશે. સિટી બસ, ગાર્ડન અને સફાઈ જેવી સેવા વધુ સારી થશે આ સિસ્ટમનો મુખ્ય હેતુ નાગરિકોના અનુભવને સીધા વર્ગીકૃત કરી સેવાઓ વધુ ઉત્તમ બનાવવાનો છે. કમિશ્નર સુમેરાએ સિટી બસનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો કોઈ નાગરિક બસમાં બેઠા હોય, તો તે બસમાં મૂકેલા QR કોડ સ્કેન કરીને ડ્રાઈવિંગની રીત, બસની સ્વચ્છતા, ટિકિટ યોગ્ય રીતે મળી કે નહીં, અને યોગ્ય સ્ટોપ પર બસ ઊભી રહી કે નહીં જેવા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપી શકશે અને રેટિંગ આપી શકશે. આ જ રીતે, ગાર્ડનની મુલાકાત લેનાર વ્યક્તિ ગાર્ડનની જાળવણી, સફાઈ અને સુવિધાઓ વિશે ફીડબેક આપી શકશે.જે સેવાઓનો ફીડબેક આ સિસ્ટમ દ્વારા મેળવી શકાશે તેમાં મુખ્યત્વે રોડ-રસ્તાની ગુણવત્તા, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની કામગીરી, મનપા સંચાલિત શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોની સેવા, લાઇબ્રેરી, ડ્રેનેજ સિસ્ટમ, ગાર્ડનની જાળવણી, સિટી બસ સેવા, સાઇન બોર્ડની સ્થિતિ, દબાણ હટાવવાની કામગીરી, રખડતા પશુઓની સમસ્યા અને પાણી વિતરણની સેવાઓનો સમાવેશ થાય છે. આ તમામ સેવાઓના ફીડબેક જનરલ વિભાગમાં એકઠા થશે. મેનેજમેન્ટ ટૂલ તરીકે રેટિંગ્સનો ઉપયોગ મનપા માટે આ સિસ્ટમ એક શક્તિશાળી મેનેજમેન્ટ ટૂલ તરીકે કામ કરશે. મ્યુ. કમિશ્નર સુમેરાના મતે, આ માત્ર ફરિયાદ નોંધવાની સિસ્ટમ નથી, સેવાના મૂલ્યાંકનનું માપદંડ છે. ઉદાહરણ તરીકે, જો 100 સિટી બસમાંથી 10 બસને 1, 2, 3 કે 4 સ્ટારનું નીચું રેટિંગ મળે, તો તેનો અર્થ એ થાય કે પ્રજા આટલી બસોની સેવાથી સંતુષ્ટ નથી. આનાથી મનપા તે 10 બસો પર અથવા જે તે સેવા પર ચોક્કસપણે કામ કરી શકશે અને ખામીઓનું નિવારણ કરી શકાશે. નવા પ્રોજેક્ટ્સની સફળતા માપવા માટે પણ આ સિસ્ટમ ઉપયોગી થશે. જો કોઈ નવું આરોગ્ય સેન્ટર બનાવવામાં આવ્યું હોય અને તેનું રેટિંગ પહેલા 5 હોય, તો સુધારો કર્યા બાદ તે 7 કે 8 થવું જોઈએ, જે મનપાના કામની સફળતા દર્શાવશે. સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ રેટિંગ્સના આધારે હવે મનપાની મંથલી રિવ્યૂ મીટિંગ્સ માં પણ ચર્ચા કરવામાં આવશે. સેવાના નીચા રેટિંગ માટે જવાબદાર અધિકારીઓ અને વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન પણ આ રેટિંગ્સના આધારે કરવામાં આવશે, જેનાથી અધિકારીઓમાં વધુ સારી સેવા આપવાની જવાબદારીની ભાવના વધશે અને સમગ્ર વહીવટી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. આવાસ યોજના, લાયબ્રેરી, સીટી બસ સ્ટોપ અને તેની સફાઇ, ડ્રાઇવર અને કંડકટરના શિસ્ત, કોમ્યુનિટી હોલ, 18 વોર્ડ ઓફિસ, 172 બગીચા, 364 આંગણવાડી, ગાંધી મ્યુઝીયમ, રામવન, 6 હાઇસ્કુલની સાથે જ 563 ટીપરવાનમાં કચરા એકત્રીકરણ નિયમિતતા અંગે લોકો ફીડબેક આપી શકશે. એટલું જ નહીં રેસકોર્સ સહિત 14 સ્પોર્ટ સંકુલમાં કોચની કામગીરી, સ્વચ્છતા, 5 સ્વીમીંગ પુલ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સેલ, સર્કલ, પે એન્ડ પાર્ક તથા કોન્ટ્રાકટરના વર્તન, 31 આરોગ્ય કેન્દ્રમાં સેવામાં સુધારણા, ઝુમાં સ્વચ્છતા, કેન્ટીન, ટીકીટ વ્યવહાર અંગે લોકો સીધા પ્રતિભાવો આપી શકશે. જેનું વિશ્ર્લેષણ કરી મનપા દ્વારા સેવાઓમાં સુધાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેખીતી રીતે તો આ સિસ્ટમ ખૂબ જ અસરકારક જણાય છે. અને આ સિસ્ટમનો ઉપયોગ કરી મનપા દ્વારા આપવામાં આવતી સેવાઓને લોકોની જરૂરિયાત મુજબ વધુ સારી કરવામાં મદદ મળે તેમ છે. જોકે વયસ્ક અને મોબાઈલનો ઉપયોગ તેમજ QR કોડ અંગે નહીં જાણતા લોકો પોતાના પ્રતિભાવ આપી શકશે નહીં. અને સૌથી મહત્વની વાત ફીડબેક મળ્યા બાદ પણ જે-તે સેવાઓમાં સુધારો કેટલા સમયમાં થશે તે અંગેની પણ કોઈ વ્યવસ્થા હજુ કરવામાં આવી નથી. ત્યારે આ સિસ્ટમ મનપાની સેવાઓને સુધારવા કેટલી અસરકારક રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:37 am