એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કસ્ટમર સેટિસફેક્શન સર્વેમાં ખજુરાહો અને ભોપાલ પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં વડોદરા બીજા તો જામનગર ચોથા ક્રમે છે જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છેક 18 મા ક્રમે છે. જોકે આ વખતનું પરફોર્મન્સ સારું એટલા માટે કહી શકાય કારણકે 6 માસ પહેલા આ એરપોર્ટનો ક્રમ 31 મો હતો. રાજકોટ એરપોર્ટ પર હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ ન હોવાથી પાસપોર્ટ અને આઇડી નિરીક્ષણ કેન્દ્ર નથી. આ સાથે જ બેંક અને ATM, શોપિંગ સુવિધા તેમજ બિઝનેસ અથવા એક્ઝિક્યુટિવ લોન્જ ન હોવાથી તેમાં એક પણ માર્ક મળ્યો નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ દરમિયાન બે વખત મુસાફરોના અભિપ્રાય આધારે કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે હાથ ધરવામાં આવે છે. વર્ષ 2024 માં દરમિયાન મુસાફરોને આપવામાં આવેલી સુવિધાઓમાં નબળું પરફોર્મન્સ રહેતા રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ એરપોર્ટ 27મા અને ત્યારબાદ વર્ષ 2025 ના જાન્યુઆરીથી જૂન માસ દરમિયાનના સર્વેમાં ગગડીને 31મા ક્રમે પહોંચી ગયુ હતુ. જોકે આ વખતે જુલાઈથી ડિસેમ્બર - 2025 દરમિયાન 18 માં ક્રમે આવ્યુ છે. વર્ષ 2025 માટે જાહેર થયેલી દેશના ટોપ 34 એરપોર્ટની યાદીમાં ગુજરાતના 4 એરપોર્ટનુ સ્થાન છે. જેમાં ગુજરાતમાંથી વડોદરા એરપોર્ટ બીજા ક્રમે છે. જ્યારે જામનગર એરપોર્ટ ચોથા તો સુરત એરપોર્ટે 8 મો ક્રમ મેળવ્યો છે. આ સાથે રાજકોટના હીરાસર એરપોર્ટની કસ્ટમર સર્વિસમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુસાફરોને આપવામાં આવતી સેવાઓમાં વધારો થતાં હીરાસર એરપોર્ટનો કસ્ટમર સેટિફેક્શન ઇન્ડેક્સ 4.75 રહ્યો છે. જે જાન્યુઆરીથી જૂન - 2025 દરમિયાન 4.30 હતો. જેમાં 0.45 નો વધારો થયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના કુલ 62 એરપોર્ટ પર આ કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મુસાકરોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા, ચેક-ઇન વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર સહિત કુલ 33 અલગ અલગ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ સર્વેના પરિણામોમાં પ્રથમ ક્રમે ખજુરાહો અને અને ભોપાલ એરપોર્ટનો સમાવેશ થયો છે. આ સુવિધામાં એકેય માર્ક નહીં.. 1.બેન્ક/એટીએમ સુવિધા, શોપિંગ સુવિધા2. પાસપોર્ટ/આઈ.ડી. નિરીક્ષણ3. બિઝનેસ/એક્ઝિક્યુટિવ લોન્જ
આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના અપહરણની અનેક અફવાઓ અને કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે સુરતની પાલ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે. એક શોર્ટ ફિલ્મ દ્વારા પોલીસે દર્શાવ્યું છે કે કેવી રીતે લોકોની હાજરી હોવા છતાં ગુનેગારો બાળકોને ફોસલાવીને પોતાની સાથે લઈ જાય છે અને લોકો મૂકપ્રેક્ષક બનીને જોતા રહે છે. એક મહિલા બાળકીને અને એક શખસ છોકરાને ભોળવીને લઈ ગયોવીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે એક નાની બાળકી જાહેર બગીચામાં રમી રહી છે. ત્યારે એક અજાણી મહિલા તેની પાસે આવે છે અને ચોકલેટની લાલચ આપીને તેને વાતોમાં ભોળવે છે. મહિલા બાળકીને પૂછે છે કે ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે?’ અને બાળકીનો વિશ્વાસ જીતી તેને ગાડીમાં બેસાડવા માટે લઈ જાય છે. આ આખી ઘટના અનેક લોકોની નજર સામે બને છે, છતાં કોઈ પણ વ્યક્તિ તે મહિલાને રોકવાની કે પૂછપરછ કરવાની તસ્દી લેતું નથી. આ જ રીતે એક છોકરાને પણ પતંગની લાલચ આપી અજાણ્યો શખસ પોતાની સાથે લઈ જતો દેખાય છે. પોલીસે આપ્યો મહત્વનો સંદેશસુરત પોલીસના મહિલા PI શીતલ શાહે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, તમારી આસપાસ જો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બાળક શંકાસ્પદ હાલતમાં જણાય તો તરત પ્રતિક્રિયા આપો. તે વ્યક્તિને રોકો અને પૂછપરછ કરો. જો કંઈપણ અજુગતું લાગે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો. જાગૃત નાગરિકો ગુનાખોરીને રોકવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છેસુરત પોલીસના આ અવેરનેસ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોના અંતમાં બાળકી 'જય હિન્દ' કહીને સુરત પોલીસ અને CPનો આભાર માને છે. આ વીડિયો દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ થયો છે કે માત્ર પોલીસ જ નહીં, પણ જાગૃત નાગરિકો જ ગુનાખોરીને રોકવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 20 અને 21 જાન્યુઆરી 2026ના રોજ 36મા યુવક મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના યુવાનો પોતાની કલા, સંગીત અને સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરશે. યુવક મહોત્સવનો શુભારંભ 20 જાન્યુઆરી 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે થશે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ચેરપર્સન કિશોર મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે. સી. પોરિયા કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળશે. આધ્યાત્મિક નેતા યોગીરાજ રુખડનાથજી મહારાજ અને લોકગાયક સાગર પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ, શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ચિરાગ પટેલ અને NSS કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કર આ આયોજનમાં સહભાગી થશે. આ યુવક મહોત્સવને ‘કલ્પવૃક્ષ’ નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં આશા, સમૃદ્ધિ અને કલ્યાણનું પ્રતીક છે. પુરાણો અનુસાર, સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલું આ દિવ્ય વૃક્ષ દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં સ્થાપિત કરાયું હતું અને તે ઈચ્છાપૂર્તિ કરનાર દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. યુવાનોમાં રહેલી સર્જનશીલતા, પ્રતિભા અને સંસ્કારોને યોગ્ય મંચ મળે તે ઉદ્દેશ્યથી આ નામાંકરણ કરાયું છે. મહોત્સવ દરમિયાન ડાન્સ, ડ્રામા, સૂર અને તાલ જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓ યોજાશે, જે યુવાનોની શક્તિને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ જ નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રીય ચેતનાના સંવર્ધન માટેનું એક માધ્યમ બનશે. આ બે દિવસીય યુવક મહોત્સવમાં કુલ 24 જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે, જેમાં લોકનૃત્ય, શાસ્ત્રીય સંગીત અને વક્તૃત્વ જેવી કલાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ઉત્તર ગુજરાતની સંલગ્ન કોલેજોમાંથી અંદાજે 1500 જેટલા સ્પર્ધકો ભાગ લે તેવી શક્યતા છે.
પાલનપુરમાં મકાનમાં આગ, ઇલેક્ટ્રિક સામાન બળીને ખાક:પરિવાર બહાર હોવાથી મોટી જાનહાની ટળી
પાલનપુરના આબુ હાઇવે પર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. બિલ્ડર કિરીટ રાજગોરના મકાનમાં લાગેલી આ આગમાં ઇલેક્ટ્રિક સહિતનો મોટાભાગનો સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. સદ્દનસીબે, પરિવાર એક પ્રસંગમાં બહાર ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આગના કારણે ઘરમાં રહેલો મોટાભાગનો ઇલેક્ટ્રિક સામાન, ફર્નિચર અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. આગ લાગી ત્યારે મકાનમાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોની સમયસરની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી.
દસાડા-વડગામ રોડ પર લક્ઝરી બસ નાળામાં ખાબકી:શંખેશ્વરથી અમદાવાદ જતી બસ, સદભાગ્યે જાનહાની ટળી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-વડગામ રોડ પર શંખેશ્વરથી અમદાવાદ જતી એક લક્ઝરી બસ નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે બસ ખાલી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. બસ નવા બની રહેલા નાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી નાળામાં ખાબકી હતી. અંધારાના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં બસને નુકસાન થયું હતું, પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે દસાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. દસાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં 12 વર્ષના બાળકનો હાથ કપાયો:પાડોશી મહિલાની બેદરકારીથી સરગવો ઉતારવા સળિયો આપતા વીજ કરંટ લાગ્યો
પાટણ શહેરની સારથીનગર સોસાયટીમાં એક 12 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા તેનો ડાબો હાથ કોણીએથી કાપી નાખવાની ફરજ પડી છે. આ ઘટના પાડોશમાં રહેતી એક મહિલાની બેદરકારીને કારણે બની હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતાએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુકેશજી મહેન્દ્રજી ઝાલાએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, 29 નવેમ્બર 2025 ના રોજ તેમનો પુત્ર જીગ્નેશ સોસાયટીના નાકા પાસે રમતો હતો. તે સમયે પાડોશમાં રહેતી બબુબેન નાગજીજી ઠાકોર નામની મહિલાએ જીગ્નેશને તેમના ઘર પાસે આવેલા સરગવાના ઝાડ પરથી સીંગો ઉતારી આપવા જણાવ્યું હતું. મહિલાએ જીગ્નેશને ઘરની દીવાલ પાસે આવેલા ગાડી મૂકવાના પતરાના શેડ પર ચડાવ્યો હતો અને તેના હાથમાં લોખંડનો સળીયો આપ્યો હતો. શેડની ઉપરથી વીજ કરંટના ચાલુ વાયરો પસાર થતા હોવા છતાં મહિલાએ બાળકને ત્યાં ચડાવ્યો હતો, જે બેદરકારી દર્શાવે છે. જીગ્નેશ જ્યારે લોખંડના સળીયાથી સરગવો તોડવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે સળીયો અચાનક વીજ વાયરને અડી ગયો હતો. જેના કારણે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તે પતરા પર જ પટકાયો. આ ઘટનામાં તેના બંને હાથ, પગ, પેટ તેમજ ગુપ્તાંગના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ બાળકને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલ અને ત્યારબાદ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં 19 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. જોકે, ઇજાઓ એટલી ગંભીર હતી કે ડાબા હાથમાં ચેપ ફેલાઈ જવાની ભીતિને પગલે તબીબોની સલાહ મુજબ પાટણની સંજીવની હોસ્પિટલમાં ઓપરેશન કરી જીગ્નેશનો ડાબો હાથ કોણીએથી કાપી નાખવામાં આવ્યો.આ મામલે પોલીસે બબુબેન ઠાકોર વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 125(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારો આ દ્વિદિવસીય મહોત્સવ શાસ્ત્રીય નૃત્યોની સમૃદ્ધ ‘ગુરુ-શિષ્ય’ પરંપરાને જીવંત કરશે. બંને દિવસ સાંજે 06:30 કલાકે શરૂ થનારા આ સાંસ્કૃતિક મહાકુંભમાં દેશ-વિદેશના ખ્યાતનામ કલાકારો પોતાની નૃત્યકલાનું પ્રદર્શન કરશે. સૂર્ય જ્યારે ઉત્તર તરફ ઉર્ધ્વગતિ કરે છે, તેવા ‘અર્ધ’ અવસરે યોજાતા આ ઉત્સવમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનો સંગમ જોવા મળશે. મહોત્સવના પ્રથમ દિવસે ઓડીસીમાં રમીન્દર ખુરાના, ભરતનાટ્યમમાં મીનાક્ષી શ્રીયન અને પેરી કૃષ્ણ હર્ષિતા, કથ્થકમાં માયા કુલશ્રેષ્ઠા, મણીપુરીમાં ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય અને કુચિપુડીમાં બીના મહેતા પોતાની કલા રજૂ કરશે. જ્યારે બીજા દિવસે મનિકંદન એ. દ્વારા કથકલી, ખુશ્બુ પંચાલ દ્વારા કથ્થક અને જુગનુ કીરણ કપાડીયા દ્વારા ભરતનાટ્યમ સહિતના વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાની અધ્યક્ષતામાં એક વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષા, લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. શિયાળાના અંત અને વસંતના આગમન પૂર્વે સૂર્યમંદિરના ભવ્ય પ્રાંગણની પૃષ્ઠભૂમિમાં યોજાતો આ મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. જિલ્લા તંત્ર દ્વારા આ દિવ્ય કલા ઉત્સવ માણવા તમામ કલા રસિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વ મોડી રાત્રે નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જોકે, ઘટનાની ગંભીરતા જોઈ બોરતળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ પાંચેય હત્યારાઓને દબોચી લીધા હતા, અને સાંજે પાંચેય આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સૈયદ ઉં.વ.23 પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યું હતું. એક્ટિવા આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ તકરાર લોહિયાળ અથડામણમાં ફેરવાઈ હતી, જેમાં સાહિલભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાં નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહીલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના કાંકણપુર સ્થિત શ્રી જે.કે.એલ. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે આગામી 20જાન્યુઆરી, 2026ના રોજ મહિલાઓ માટે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો હાલોલ સ્થિત JSW MG મોટર ઈન્ડિયા પ્રા. લી. અને કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત યોજાઈ રહેલા આ મેળામાં ફ્રેશર્સ તેમજ અનુભવી મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ 12 પાસ, ITI અથવા ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. અનુભવી ઉમેદવારો માટે ઓટોમોબાઈલ અથવા અન્ય કોઈપણ ઇન્ડસ્ટ્રીનો 1 થી 4 વર્ષનો અનુભવ માન્ય રહેશે. શારીરિક માપદંડમાં ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષ, વજન ઓછામાં ઓછું 45 કિલો અને ઊંચાઈ 150 સેન્ટીમીટર કે તેથી વધુ હોવી અનિવાર્ય છે. પસંદગી પામનાર ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ પગાર ઉપરાંત કેન્ટીનમાં એક ટાઈમ જમવાનું, ચા-નાસ્તો અને ટ્રાન્સપોર્ટેશનની ફ્રી સુવિધા મળશે. દૂરથી આવતી બહેનો માટે નોમિનલ ચાર્જ સાથે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. નોકરીનું સ્થળ હાલોલ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની સાથે ધોરણ 12 અને ITI ની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને બાયોડેટાનો સેટ ઓરીજીનલ તથા ઝેરોક્ષ લઈને આવવાનું રહેશે. ઉમેદવારનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે. મેડિકલ ફિટનેસના આધારે તાત્કાલિક જોઈનીંગ આપવામાં આવશે. ભરતી મેળો સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધીનો રહેશે. આ કાર્યક્રમ કોલેજ પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર ડૉ. કનુભાઈ ચંદાણા અને ડૉ. મહેશ રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયા, કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી અને આચાર્ય ડૉ. જગદીશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. રસ ધરાવતા ઉમેદવારોને સમયસર કાંકણપુર કોલેજ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?
BMC Election Results 2026: મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પરિણામોએ મુંબઈના રાજકારણમાં મોટા ફેરફારો લાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 1997થી ચાલતા ઠાકરે પરિવારના ગઢને તોડી પાડ્યો છે. મહાયુતિ ગઠબંધને 227 બેઠકો સાથે બહુમતી મેળવી છે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યું છે. જોકે, પુણે કે નાગપુર જેવું સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે સત્તા માટે એકનાથ શિંદે સાથે મળીને ચાલવું પડશે. રસપ્રદ વાત એ છે કે, ભલે મહાયુતિ જીતી હોય, પરંતુ મુંબઈમાં બેઠકોની સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે (UBT)એ એકનાથ શિંદેને પાછળ છોડી દીધા છે.
વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના પાંચે ધારાસભ્યોને મળીને વિકાસ કાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરીએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. કુલ પાંચ ધારાસભ્યોમાંથી કેટલાકે જુના કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અન્યોએ અલગ-અલગ કારણો આગળ ધર્યા છે. આગળના કામ કેમ પૂર્ણ થતા નથી- કેતન ઈનામદારસાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટ જણાવ્યું છે કે, જુના વિકાસ કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે નહીં. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. આ મહત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂર્ણ થતા નથી. આમાં કોઈ કારણ નથી કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો સંકલનમાં કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી. પાદરાના અને કરજણના MLA બેઠકમાં ગેરહાજરતેમની સાથે જ કરજણના ધારાસભ્ય પણ આજની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વડોદરા શહેરની બહાર છે અને તેથી બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નથી. પાદરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યે પણ આજની સંકલન બેઠકમાં હાજરી આપી નથી. તેમણે સ્થાનિક કોઈ કામગીરીને કારણે બેઠકમાં ન આવી શકવાનું કારણ આગળ ધર્યું છે. શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હેમાંગ જોશી સાથે બેઠકતો બીજી તરફ, ડભોઈ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. મને બહિષ્કાર અંગે કોઈ ખબર નથી- શૈલેષ મહેતાઆ બેઠકમાં અંતમ સમયે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયુર રોકડીયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. બહિષ્કાર અંગે પૂછતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે,'મને બહિષ્કાર અંગે કોઈ ખબર નથી'. આ વિવાદ વડોદરા જિલ્લાના વિકાસ કાર્યોને અસર કરી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારમાં નબીરાઓ હાથમાં દારૂની બોટલો સાથે નાચતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓએ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા અને પોલીસને ચેલેન્જ આપી હતી. જોકે વીડિયો વાઇરલ થતા વેજલપુર પોલીસે આરોપીને ઝડપીને આનંદનગર પોલીસને સોંપ્યા હતા. તો અન્ય એક વીડિયોમાં યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમી રહ્યો છે. વીડિયો વાઇરલ થયા બાદ આ યુવકની પણ પોલીસ તપાસ કરી રહી છે. 4 યુવકો હાથમાં દારૂની બોટલ સાથે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતાસોશિયલ મીડિયામાં ઉત્તરાયણના દિવસનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ચાર યુવકો હાથમાં દારૂની બોટલ સાથે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. વીડિયો આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યુંનબીરાઓએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વેજલપુરમાં નામે વાઇરલ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વીડિયો આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યું હતું. 4 શખસની ધરપકડવેજલપુર પોલીસે વીડિયોના આધારે આરોપીની અટકાયત કરીને આનંદનગર પોલીસને સોંપ્યા હતા. આનંદનગર પોલીસે 4 શખસ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે રવિ ઠાકોર, ગોવિંદ ઠાકોર, નિલેશ ઠાકોર, વિજય ઠાકોર, અજય ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં વીડિયો 15 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું હતું. યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમ્યોવધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમી રહ્યો છે. યુવક ધાબા પર જ મિત્રો સાથે એક હાથમાં દારૂની બોટલ અને એક હાથમાં બંદૂક લઈને નાચી રહ્યો છે. યુવક આ પ્રકારે હથિયાર અને હાથમાં દારૂની બોટલ લઈને કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે જ દારૂની મહેફિલમાં પશ્ચિમ વિસ્તારમાં બે કેસઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના દિવસે જ દારૂની મહેફિલમાં પશ્ચિમ વિસ્તારમાં બે કેસ થયા હતા અને દારૂની બોટલો સાથેના વીડિયો પણ વાઇરલ થયા હતા. જેના કારણે દારૂબંધીના પણ લીરેલીરા ઉડી રહ્યા છે. જોકે યુવકના વાઇરલ વીડિયો બાદ પોલીસ પણ યુવકની તપાસ કરી રહી છે.
ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આજે મહિલા પીઆઈ ડી.વી. ડાંગર જવાબ લખાવવા હાજર થયા હતા. SIT દ્વારા ડી.વી. ડાંગર અને અન્ય પીઆઈ કે.એસ. પટેલને ચાર દિવસ પહેલા હાજર થવા આદેશ કર્યો હતો. ભાવનગરમાં બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન ચાર દિવસ પહેલા આપવામાં આવ્યું હતું અને આજે તા.17 ના રોજ SIt સમક્ષ હાજર થવા ના આદેશ કરવામાં આવ્યા હતા જેને લઈ બગદાણા મામલે તપાસ અધિકારી ડી.વી.ડાંગરને આજે આઈજી કચેરી ખાતે તેના જવાબ લખવા આવી પહોંચ્યા હતા. જ્યારે હજુ સુધી બીજા પીઆઈ કે.એસ.પટેલ હજુ સુધી હાજર થયા નથી.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, વ્યક્તિએ બીજાના વ્યક્તિત્વ પર PhD કરવાને બદલે પોતાના સ્વભાવનું સંશોધન કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો આપણે આપણા સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો જીવન સુધરી શકે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ અવલોકન કર્યું કે, મોટાભાગના લોકો ઘરની બહાર નીકળતા પહેલા અરીસામાં પોતાનો દેખાવ જુએ છે, પરંતુ બહાર નીકળ્યા પછી તેઓ અન્ય લોકોની ભૂલો શોધવામાં વ્યસ્ત રહે છે. આ પ્રવૃત્તિથી બચવું અને આત્મનિરીક્ષણ કરવું હિતાવહ છે. તેમણે આ વાતને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું. એકવાર રાત્રિના સમયે દરિયા કિનારે બે મિત્રો ફરવા નીકળ્યા. તેમાંથી એકની દ્રષ્ટિ દોષ શોધનારી હતી, જ્યારે બીજાની દ્રષ્ટિ ગુણગ્રાહક હતી. ગુણગ્રાહક મિત્રે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરી, ત્યારે દોષ દ્રષ્ટિવાળા મિત્રે કહ્યું કે જો તેમાં કાળો ડાઘ ન હોત તો તે વધુ સુંદર લાગત. ત્યારબાદ ગુણ દ્રષ્ટિવાળા મિત્રે દરિયાના સુંદર પવન અને સુસવાટાની વાત કરી, ત્યારે બીજા મિત્રે કહ્યું કે જો સમુદ્રમાં ખારાશ ન હોત તો સારું હતું. ત્યાંથી બંને મિત્રો એક બગીચામાં ગયા, જ્યાં રંગબેરંગી ફૂલો અને જગમશહૂર ગુલાબ હતા. ગુણ દ્રષ્ટિવાળા મિત્રે ગુલાબની સુંદરતા વખાણી, ત્યારે દોષ દ્રષ્ટિવાળા મિત્રે કહ્યું કે જો તેમાં કાંટા ન હોત તો તે વધુ સારા લાગત. આશ્ચર્યજનક રીતે, ચંદ્ર, દરિયો અને ગુલાબ ત્રણેયે આકાશવાણી દ્વારા દોષ દ્રષ્ટિવાળા મિત્રને પૂછ્યું કે, તારામાં દોષદ્રષ્ટિ ન હોત તો? આ સાંભળીને તે મિત્ર શરમિંદો બની ગયો. સાધુ પ્રેમવત્સલદાસજીએ અંતમાં જણાવ્યું કે, ઘણા મનુષ્યો આવા દોષ દ્રષ્ટિવાળા હોય છે, જેમને બધે ભૂલો જ દેખાય છે. જો આપણે આપણી પોતાની ભૂલો જોઈશું અને સુધારીશું તો જ આપણે સુખી થઈ શકીશું.
બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પરપ્રાંતીય વ્યક્તિઓના રહેણાંક સ્થળો પર હાથ ધરવામાં આવેલા આકસ્મિક તપાસ અભિયાન દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા બે મકાન માલિકો સામે લાલ આંખ કરવામાં આવી છે. એ.એસ.આઈ. કલ્પેશકુમાર મણીલાલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપવા બદલ બે અલગ-અલગ કિસ્સામાં કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. ભાડા કરાર કર્યા ન હોય તેવા મકાનમાલિકો પર પોલીસની કાર્યવાહીપ્રથમ કિસ્સામાં બેચર ગામે રાધે મોલની પાછળ આવેલી 9 ઓરડીઓની તપાસ દરમિયાન ત્યાં આશરે 30 જેટલા પરપ્રાંતીય વ્યક્તિઓ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઓરડીઓના માલિક મહેન્દ્રભાઈ ભગવાનભાઈ પટેલે કબૂલાત કરી હતી કે તેમણે છેલ્લા એક વર્ષથી આ ઓરડીઓ ભાડે આપેલી છે. પરંતુ તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી કે કોઈ કાયદેસરના ભાડા કરાર કર્યા ન હતા. 4 પરપ્રાંતીય ભાડૂઆતો મળી આવ્યાબીજા કિસ્સામાં, શંખલપુર ગામે સાંઈ બંગલોઝ સોસાયટીમાં આવેલા મકાનમાં તપાસ કરતા ત્યાં પણ 4 પરપ્રાંતીય ભાડૂઆતો મળી આવ્યા હતા. મકાન માલિક અમિત રસીકલાલ પટેલે પણ પોલીસને કોઈ જાણ કર્યા વિના એક વર્ષથી ભાડૂઆતો રાખ્યા હોવાનું સ્વીકાર્યું હતું. બે શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલમહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોઈપણ મકાન માલિકે પરપ્રાંતીય ભાડૂતોની માહિતી પોલીસને આપવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન થતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(3) મુજબ બંને મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં વગર નોંધણીએ ભાડૂઆતો રાખતા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે રોજગાર કચેરી દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-1959 અંતર્ગત, તમામ એકમોએ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના ઈ.આર.-1 રીટર્ન (પત્રકો) આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી દ્વારા આ અંગેની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સૂચનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમો, બેંકો તેમજ ખાનગી ક્ષેત્રની શાળાઓ, હોસ્પિટલો, હોટલો, પેટ્રોલપંપો, મોલ અને એન.જી.ઓ.નો સમાવેશ થાય છે. ઉત્પાદનલક્ષી એકમોએ સ્થાનિક અને બિન-સ્થાનિક કર્મચારીઓની માહિતી દર્શાવતું 85% નું છ-માસિક રીટર્ન પણ જમા કરાવવાનું રહેશે. આ પત્રકો ઓનલાઈન પોર્ટલ, ઈમેલ અથવા રૂબરૂમાં તરસાલી સ્થિત આઈટીઆઈ કેમ્પસમાં મોકલી શકાશે. વધુમાં, જે સંસ્થાઓને ઉમેદવારોની ભરતીમાં મુશ્કેલી પડતી હોય તેમને સરકારના 'અનુબંધમ' પોર્ટલ અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર જોબ પ્રોવાઈડર તરીકે નોંધણી કરવા અપીલ કરાઈ છે. રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ વિનામૂલ્યે છે, જેનો લાભ લેવા અને નિયમિતપણે ભરતી મેળાઓમાં સહભાગી થવા માટે રોજગાર અધિકારીએ અનુરોધ કર્યો છે.
ગાંધીનગરના સેક્ટર-15 વિસ્તારમાં આવેલા ફતેપુરામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ શખ્સો સેક્ટર-15 ના અલગ-અલગ મકાનોમાં ભાડેથી રહેતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાડાની ઓરડીમાં જુગાર રમી રહેલા 10 શખસો ઝડપાયાગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સર્લેવન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરામાં ગગાજી શીવાજી ઠાકોરની ભાડાની ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સમગ્ર જગ્યાને કોર્ડન કરી દરોડો પાડી 10 ઇસમોને ગંજીપાના અને રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. જેમની પૂછતાછમાં જુગારીઓના નામ કુલદિપસીંગ મહેન્દ્રસીંગ ગૌતમ,ભગતસીંગ રામનારાયણ કોળી, બ્રજલાલ જીયાલાલ રાય ,મોનુ રામઓતાર દોહરે,સુનીલકુમાર શ્રીબાબુરામ કોરી,દયાલ મુંગાલાલ વર્મા, ગજેન્દ્ર જોલીપ્રસાદ જાટવ,કમલેશ બ્રિજમોહન વર્મા ,અનિલસિંહ રામસનેહી કોરી અને જીતેન્દ્ર રામસર્નહી કોરી હોવાનું સામે આવ્યું હતું. રૂ. 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયોપોલીસે આરોપીઓની અંગઝડતી દરમિયાન મળી આવેલા રૂ.8630 અને દાવ પરથી રૂ 1540 રોકડા તેમજ ગંજીપાના મળીને રૂ,10,170 નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'અભયમ' બની સાચી સહેલી:સુરતમાં વર્ષ 2025 માં 15,009 મહિલાઓને મદદ મળી; ઘરેલુ હિંસાના 7,262 કેસ નોંધાયા
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા 108 ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત '181 અભયમ' મહિલા હેલ્પલાઇન સુરતની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ 2025 ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ મુજબ, સુરત જિલ્લામાં કુલ 15,009 મહિલાઓએ મુશ્કેલીના સમયે અભયમની મદદ માંગી હતી. જેમાંથી 2,735 અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી. સુરત જિલ્લાના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે, સૌથી વધુ 7,262 કોલ ઘરેલુ હિંસાના કિસ્સામાં આવ્યા હતા. આ ઉપરાંત, શારીરિક અને માનસિક સતામણીના 2,125 કેસ, લગ્નજીવનના વિખવાદના 1,146 કેસ અને બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતિના 382 કિસ્સાઓમાં મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. અભયમની ટીમ દ્વારા કુલ 1,838 કિસ્સાઓમાં સ્થળ પર જ અસરકારક કાઉન્સેલિંગ કરી સુલેહ-શાંતિથી સમાધાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે 734 ગંભીર કિસ્સાઓમાં મહિલાઓને વધુ મદદ માટે પોલીસ, આશ્રય ગૃહ કે અન્ય સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, વર્ષ 2025 માં ગુજરાતભરમાંથી કુલ 183,520 કોલ મળ્યા હતા, જેમાંથી 37,780 કિસ્સાઓમાં ફિલ્ડ પર જઈને મદદ કરવામાં આવી હતી. સુરત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અભયમ ટીમે છેડતી, સામાજિક વિખવાદ અને કાયદાકીય માર્ગદર્શન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. આજે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે '181' એક ભરોસાપાત્ર સાથી તરીકે ઉભરી આવી છે, જે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના સંકલ્પને ચરિતાર્થ કરી રહી છે.
પાટણ એસ.ઓ.જી. ટીમે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 3269.05નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો મળ્યા હતા. જેના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પાડલા ગામની નાકાશેરીમાં આવેલી એક દુકાનમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. બાતમીના આધારે તપાસ કરતા, પાડલા ગામના રહેવાસી નઝીરભાઇ કાલુમિયાં મલેક (ઉં.વ. 45) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર બીમાર લોકોને તપાસી, તેમને દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૃત્ય લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું ગણાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.-2023ની કલમ-૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દસાડા ઉર્ષમાં રબારી સમાજનું પહેલું નિશાન ચઢે છે:650 વર્ષથી હિન્દુ-મુસ્લિમ એકતાની પરંપરા આજે પણ અકબંધ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે સોહરવરદી દાદા નશરૂદ્દીન રહમત ઉલકા રજબનો ઉર્ષ દબદબાભેર મનાવવામાં આવ્યો હતો. આ ઉર્ષમાં 650 વર્ષ જૂની હિન્દુ-મુસ્લિમ કોમી એકતાની અનોખી પરંપરા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. આ પરંપરા અનુસાર, ઉર્ષમાં પહેલું નિશાન રબારી સમાજના આગેવાનો દ્વારા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ બીજું નિશાન દસાડાના ગાદિપતી વંશ તિલોટ રાજવી પરિવાર તરફથી દસાડા દરબાર તિલોટ મુનફરખાનજી દ્વારા ચઢાવવામાં આવે છે. દસાડાના મુસ્લિમ આગેવાન બસિરખાનજી મલિકે જણાવ્યું કે, દસાડા ઉર્ષમાં આજે પણ પહેલું નિશાન રબારી સમાજનું ચઢે છે, કારણ કે મલિક બંખનનો ઉછેર રૂડીમાં રબારીના ઘેર થયો હતો. આ ઉર્ષ મુસ્લિમ ચાંદના 26 રજબ મહિનામાં આવે છે. દાદા નસીરૂદ્દીન ર.હ.ના દરગાહ ઉપર લીલા રંગનું પહેલું નિશાન રબારી સમાજના સંગ્રામભાઈ ગુગાભાઈ રબારી ઉર્ફ બાબાભાઈ રબારી પરિવાર દ્વારા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગનું બીજું નિશાન દાદા નસીરૂદ્દીન ર.હ.ના મલિક પરિવારના હાલના 23મી પેઢીના મુખ્ય ગાદી વંશ પરિવારના તિલોટ જાગીરદાર મુઝફ્ફરખાનજી મલિક પરિવારનું ચડે છે. આ પછી રબારી સમાજ અને મલિક સમાજ દ્વારા દાદાની કબર ઉપર ચાદર ચઢાવવામાં આવે છે. દસાડાની સ્થાપના ઇ.સ. 1446માં થઈ હતી. આજે પણ દસાડા ગામમાં સમગ્ર ગ્રામજનો હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડિતતા સાથે ઉર્ષ શરીફ મનાવે છે. દાદાની દરગાહ પર મીઠા ચોખાનો જરદો (પ્રસાદ) તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. વલી ઓલિયાની આસ્થા સાથે કોમી એકતાના પ્રતિક સમાન આ દરગાહ પર મન્નતો રાખવા રાજસ્થાન, બનાસકાંઠા અને ભાવનગર સહિત દૂર-દૂરથી અનુયાયીઓ આવે છે.
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરવા બદલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 35 હજાર રૂપિયાનો ચોરાયેલો કેબલ પણ કબજે કર્યો છે. BSNL કંપની દ્વારા અલિયાબાડા રોડ પર એક ખાડો ખોદીને તેમાં 400 પેરનો આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો. અજાણ્યા તસ્કરો આ કેબલ ચોરી ગયા હતા, જેની કિંમત 35,000 રૂપિયા આંકવામાં આવી હતી. આ અંગે BSNLના કર્મચારી સંજય મહાદેવભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ એમ.એન. શેખ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે અલિયા ગામના મયુર ભાણાભાઈ વિરડા (ઉંમર 26) અને જગદીશ ઉર્ફે જગો જેલાભાઈ રાઠોડ (ઉંમર 26) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરાયેલો 35,000 રૂપિયાની કિંમતનો કોપર કેબલનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો.
પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખેઆખી પડીકું વળી ગઈ હતી. માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ અર્જુન, સતીશ, જનક, ભારત અને અમિતા બાન તરીકે થઈ છે. આ તમામ વાવ-થરાદ જિલ્લાના રહેવાસી હતા. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે. અનિતા બાન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે. એસપી નરિન્દર સિંહે જણાવ્યું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. બઠિંડામાં નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતના PHOTOS... આ સમાચાર પણ વાંચો… થીજી ગયેલા તળાવ પર ચાલવાની મજા માણતા કેરળના બે યુવકો ડૂબ્યા અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલી સેલા તળાવમાં શુક્રવારે કેરળના બે પ્રવાસીઓ ડૂબી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, એક પ્રવાસીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિક્ષક (એસપી) ડી.ડબલ્યુ. થોંગોને જણાવ્યું કે મૃતકની ઓળખ દિનુ (26) તરીકે થઈ છે. જ્યારે, મહાદેવ (24) હજુ પણ ગુમ છે. બંને સાત સભ્યોના પ્રવાસી ટીમમાં સામેલ હતા, જે ગુવાહાટીના રસ્તે તવાંગ પહોંચ્યા હતા.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વહેલી સવારે કેદીએ પોતાની પાઘડીના કપડા વડે જેલના બાથરૂમમાં જઈને આપઘાત કરી લીધો છે. કેદી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં 8 જાન્યુઆરીના રોજ જ આવ્યો હતો.જેલમાં આવ્યાના 9માં દિવસે કેદીએ આપઘાત કરી લીધો છે. બાથરૂમમાં પોતાની પાઘડીના કપડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો મળતી વિગત અનુસાર, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામ કેદી નિશાનસિંહ લોહાર(31 વર્ષ) 8 જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા. નિશાનસિંહે વહેલી સવારે 2:30થી 3 વાગ્યાની વચ્ચે શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડોક્ટર દ્વારા તપાસ કરતા નિશાનસિંહનું મોત થઈ ચૂક્યું હતું. રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યોઆ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે આ અંગે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. મૃતક મૂળ પંજાબનો અને ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતોપોલીસ દ્વારા આ અંગે ગુનો તપાસ કરવાના આવી રહી છે.મૃતક 8 જાન્યુઆરીએ જ જેલમાં આવ્યો હતો. મૃતક મૂળ પંજાબનો રહેવાસી છે .વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…….
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસીંગ ડુડવાએ પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે, 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉં.વ.30) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 34મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી, ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી, ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રિના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તા. 8 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે FSL અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનું DNA પરીક્ષણમાં સામે આવ્યું હતું. તેમજ લોખંડના સળીયા ઉપરનું લોહી બાળકીનું હોવાનુ સામે આવ્યું હતું. 11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ હતીતપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી CDR મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી આવી હતી. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ ફકત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કરી દીધું હતું. આ સમય દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજા આપવા રજૂઆત કરી હતી. આ સમાચાર પણ વાંચો પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો આટકોટ દુષ્કર્મનો આરોપીમારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં. આ શબ્દો કણસતા અવાજે આટકોટ દુષ્કર્મનો આરોપી રેમસીંગ બોલી રહ્યો હતો. પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો છે આટકોટ દુષ્કર્મનો આરોપી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ એ દરમિયાન આરોપી રેમસીંગે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. આ દરમિયાન રેમસીંગ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને પગમાં ગોળી વાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
ફેક કરન્સી કેસનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:પંચમહાલ SOG એ 8 મહિના બાદ ફતેપુરાના આરોપીને દબોચ્યો
પંચમહાલ SOG પોલીસે બનાવટી ચલણી નોટોના રેકેટના મુખ્ય સૂત્રધારને આઠ મહિના બાદ મહીસાગર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. દાહોદના ફતેપુરાનો કિશોર પાંડોર મોરવા(હ) ફેક કરન્સી કેસમાં વોન્ટેડ હતો. આ કેસ આઠ મહિના પહેલાં મે મહિનામાં પ્રકાશમાં આવ્યો હતો. મોરવા(હ) તાલુકાના તાજપુરી-વંદેલી રોડ પરથી પોલીસે રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ નામના શખ્સને 500ના દરની 361 નંગ, કુલ 1,80,500ની બનાવટી નોટો સાથે પકડ્યો હતો. આ મામલે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પકડાયેલા આરોપી રઘુવિરસિંહને નકલી નોટોનો આ જથ્થો દાહોદના ફતેપુરા તાલુકાના ઝેર ગામના કિશોર માનજીભાઈ પાંડોરે પૂરો પાડ્યો હતો. કિશોર પાંડોર ત્યારથી જ પોલીસની પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ આઈજી શ્રી આર.વી. અસારી અને એસપી ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ SOG PI આર.એ. પટેલના માર્ગદર્શનમાં એક ટીમ બનાવવામાં આવી હતી. એ.એસ.આઈ શંકરસિંહ સજ્જનસિંહને બાતમી મળી હતી કે આરોપી મહીસાગર જિલ્લામાં છુપાયેલો છે. આ બાતમીના આધારે PSI બી.કે. ગોહિલ અને તેમની ટીમે સંતરામપુર તાલુકાના ભમરીકુંડા ગામે વોચ ગોઠવી કિશોર પાંડોરને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી કિશોર પાંડોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 178, 179, 180 અને 61(2) મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા-બોટલોનો ઘા:વહેલી સવારે બે બુકાનીધારીએ ઘા કર્યા, પોલીસને ખુલ્લેઆમ પડકાર
રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આજે 17 જાન્યુઆરી વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ મથક પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા જાહેરમાં સોડા બોટલોના ઘા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તેવા આ કૃત્યથી સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત ગણાતી જગ્યા પર જ હુમલો કરીને આ શખ્સો ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને પોલીસની ધાક સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહનાકાવચાલી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવકે કપડાં ઉતારી બિભત્સ ડાન્સ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગામના સ્થાનિક આગેવાનો અને પરિવારના સભ્યોએ ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે એક આદિવાસી પરિવારના લગ્નમાં બની હતી. ડીજેના તાલે ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે એક યુવક તેના મિત્રના ખભા પર ઊભો રહીને નાચી રહ્યો હતો. લોકોનું ધ્યાન ખેંચાતા તે વધુ ઉત્સાહમાં આવી ગયો અને જાહેરમાં કપડાં ઉતારી અશ્લીલ નૃત્ય કરવા લાગ્યો હતો. તેણે કેટલાક બીભત્સ ઈશારા પણ કર્યા હતા. યુવકની આ અશોભનીય હરકતોથી લગ્નમાં હાજર લોકોમાં રોષ ફેલાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. વીડિયો વાયરલ થયા બાદ ગામના આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનોએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે આવી હરકતથી સમગ્ર સમાજની લાગણીઓ દુભાઈ છે અને જાહેર શિસ્તનો ભંગ થયો છે. ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે વીડિયોની ચકાસણી કર્યા બાદ દોષિત યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે.
અમદાવાદ શહેરમાં હવે જાહેર રોડ ઉપર ઉભી રહેતી લારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર રોડ પરથી પાણીપુરીની લારીઓ દૂર કરવા બાદ આજે 17 જાન્યુઆરી વહેલી સવારથી જમાલપુર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રોડ પરથી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરાયાજમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ અને પાથરણાંવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. જેના પગલે આજે 17 જાન્યુઆરીના રોજ સવારથી જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જમાલપુર એપીએમસી માર્કેટની બહાર રોડ પરથી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા. શાકભાજી સહિતનો સામાન એસ્ટેટ વિભાગે જપ્ત કર્યોમ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી જ જમાલપુર જગન્નાથ મંદિરની આસપાસ એપીએમસી માર્કેટ બહાર, જમાલપૂર ફાયરસ્ટેશનની સામે અને જમાલપુર બ્રિજની નીચે જાહેર રોડ ઉપર શાકભાજીની લારીઓ અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ પરથી તમામ દબાણો દૂર કરાયા હતા, શાકભાજી સહિતનો સામાન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર જે પણ આજુબાજુમાં લારીઓ અને લોકો ઉભા રહેશે હવે તેમનો સામાન પણ જપ્ત કરી લેવામાં આવશે. દબાણ દૂર કરવાનો સ્ટેન્ડિંગ કમિટિમાં નિર્ણયમ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ થઈ હતી કે જેને લઇ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરે આવતા જતા લોકો માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા આ રોડ પર કામ ચલાવતા શાકભાજી, ફૂલોનાં વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો કરાયા છે. જેમને યોગ્ય જગ્યા આપી હોવા છતાં આ બધા વેપારીઓ રોડ પર આવી જાય છે. જેથી લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી. તે માટે સ્ટેન્ડિંગ કમિટીની અંદર થયેલી ચર્ચા અનુસાર આ દબાણો દૂર કરવામાં આવશે. જેથી લોકો સહેલાઈથી જઈ શકે તે માટે રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યાં રહેલા છૂટા કામ ચલાવતા દબાણોને દૂર કરવામાં આવશે. વાહનોને લોક કરી દંડની કાર્યવાહીજાહેર રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી- પાથરણાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો વાહનો પાર્ક નહીં કરવા દે તો કોમ્પ્લેક્સ અને મિલકતો સીલ થશેમ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધા છે છતાં પણ વાહન પાર્કિંગ નથી કરવા દેવામાં આવતા તો આવા કોમ્પ્લેક્સ અને મિલકતોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. જેથી કોમ્પલેક્ષમાં જ્યાં પણ પાર્કિંગની સુવિધા છે ત્યાં વાહનો પાર્ક કરાવવા જ પડશે જો વાહનો પાર્ક નહીં કરવા દે તો તેને સીલ કરાશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામોમાં ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કુલ ₹12.72 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, માર્ગ અને ગ્રામીણ સુવિધાઓને લગતા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વીજપડી ગામે ₹7.66 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ CHC બનવાથી આસપાસના 24 ગામોના નાગરિકોને નજીકમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. માર્ગ સુવિધાઓ અંતર્ગત, જાંબુડા-હાડીડા રસ્તાનું (સી.સી. કામ, નાળા અને ડામર કામ) ₹1.22 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રોડનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરાયું. આ ઉપરાંત, હાડીદા-દાધિયા રિસરફેસિંગ રોડ ₹70 લાખના ખર્ચે બનશે. દાધિયા-વણોટ બ્રિજ અને રસ્તાના રિસરફેસિંગ માટે ₹1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનું દાધિયા ગામે ખાતમૂહર્ત થયું. ઘાંડલા-વણોટ રોડના રિસરફેસિંગ માટે ₹1.40 કરોડનું ખાતમૂહર્ત કરાયું. વણોટ-ચીખલી રોડ ₹1.05 કરોડના ખર્ચે બનેલ છે, જેનું લોકાર્પણ વણોટ ગામેથી કરવામાં આવ્યું. હાડીડા ગામે ₹17.90 લાખના ખર્ચે નવી ગ્રામ સચિવાલય બનશે. આ ઉપરાંત, હાડીડા ગામે મધ્યાન ભોજન શેડ ₹2.50 લાખ અને કોમ્યુનિટી હોલ ₹5 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યા. આ સાથે, હાડીડા ગામમાં કુલ ₹95.40 લાખના કામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ થયું. આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
12 જાન્યુઆરી, 2026ના રોજ કતારગામના ધનમોરા ચાર રસ્તા નજીક જે. કે. પી. નગરમાં સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી (ઉં.વ. 46) જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વીન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ સોલંકીની જે તે વખતે ધરપકડ કરી હતી. આ ઘટનામાં ફરાર ત્રણ આરોપીમાંથી હવે મુખ્ય આરોપી અજય સોલંકીને ઝડપાયો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. ઝડપાયેલો રતકલાકાર અગાઉ કારખાનામાંથી હીરાનો બદલો મારવાના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. કતારગામ પોલીસ દ્વારા આરોપી અજયને લઈને ઘટનાસ્થળે રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે બિલ્ડરને કેવી રીતે મોતને ઘાટ ઉતાર્યો તે જણાવ્યું હતું. બેથી વધુ લોકોએ બિલ્ડરને પકડી રાખ્યો હતો અને અજય દોડીને આવી બિલ્ડરના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. પત્ની સાથેના અનૈતિક સંબંધને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતોપ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર વિપુલને રત્નકલાકાર અજય શંભુ સોલંકી (ઉં.વ. 40 રહે. વચ્છરાજ એપાર્ટમેન્ટ, જે.કે.પી નગર સોસાયટી, કતારગામ અને મૂળ. ગીદરડી, તા. ખાંભા, અમરેલી)ની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. જેની જાણ અજયને થઇ જતા વિપુલ સાથે ઝઘડો પણ થયો હતો. તેમ છતા વિપુલ અનૈતિક સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હોવાથી અજયે તેના ભાઈ પલ્લુ સોલંકી, મિત્ર કુલદીપ ઉર્ફે ટકો અશોક પટેલ અને અશ્વીન સોલંકી તથા હિતેશ સોલંકી સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આજરોજ અજય સોલંકીની ધરપકડ કરી છે. વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડ્યોપૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, અજય અને વિપુલના પારિવારીક સંબંધ હતા. વિપુલ અને અજયની પત્ની સોશિયલ મીડિયા ઉપર શરૂઆતમાં ચોરી-છુપીથી વાત કરતા હતા. તેઓ વચ્ચે દોઢેક વર્ષથી અનૈતિક સંબંધ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. થોડાંક સમય બાદ પત્નીએ અજયની સમક્ષ આ વાત જાહેર કરી દીધી હતી. વિપુલ માંડાણીને પત્ની સાથે સંબંધ નહિ રાખવા વિનંતી છતાં તે ધરાર તેની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખવાની વાત કરતો હોવાથી મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજય અગાઉ વરાછા પોલીસમાં કારખાનામાં હીરાનો બદલો કરતા પણ ઝડપાય ચુકયો છે. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયુંકતારગામ પોલીસ દ્વારા આરોપી અજય સોલંકીને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. સસ્તા અનાજ ની દુકાન પાસે રહેલા બિલ્ડરને પિતરાઈ ભાઈઓ સહિતનાએ પકડી રાખ્યો હતો અને અજય દોડીને આવીને બિલ્ડર વિપુલના પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી બે હાથ જોડીને પણ નજરે પડ્યો હતો. હાલમાં આ કેસમાં વકીલ સહિત ચાર આરોપી ઝડપાયા છે અને હજુ પણ બે આરોપી ફરાર છે.
ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટી સામસામે ટકરાશે. જે બાદ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીની ટોપ - 16 ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 9 મેદાનો રાખવામાં આવ્યા છે. જ્યાં રણજી, IPL ના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. ટી - 20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર - 25 ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી યોજાશે. જે બાદ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાના 4 ઝોનની બેસ્ટ 4 એમ કુલ 16 ટીમ સામસામે ટકરાશે. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું તે ખૂબ જ કઠિન હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ વખતે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા છે કારણકે બે વર્ષ પહેલા વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાનો એક ખેલાડી એટલે રામદેવ આચાર્ય છે. જે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી ચૂક્યો છે. જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડ અને વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પાસે ખૂબ જ અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેડલ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ 9 ક્રિકેટ મેદાનો પર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે 1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન2. રુદ્રાક્ષ - 1, મુંજકા 3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ6. રુદ્રાક્ષ - 2, અટલ સરોવર7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી8. અનિલ પેવેલિયન, લીમડા ચોક9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ કેપ્ટન આદિત્ય રાઠોડ વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પુષ્પરાજસિંહ જાડેજા કેરવ રાવલનીલ પંડ્યા અભિષેક નિમાવત અક્ષત મકવાણા દેવાંશ ગેરેયાઅરબાઝ બુટાકશ્યપ સુવા લક્કીરાજસિંહ વાઘેલા
નડિયાદના મલારપુરા વિસ્તારમાં 20 વર્ષીય ધ્રુવ રજનીકાંત રાવળ પર સમાધાનના બહાને બોલાવી બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને પેટમાં ખંજર વાગતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. હાલમાં ધ્રુવ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યાપોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 16 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી ધ્રુવ રાવળ મલ્હારપુરા રોડ પર બૂમો પાડી રહ્યો હતો. તે સમયે જયેશ વાસુદેવ તળપદાએ તેને બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યા હતા. આ મામલે ધ્રુવે જયેશના કાકા ગોપાલ ઉર્ફે નાનકા તળપદાને ફોન પર ફરિયાદ કરી હતી. સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યોત્યારબાદ રાત્રિના આશરે 1 વાગ્યે ગોપાલ ઉર્ફે નાનકાએ ધ્રુવને ફોન કરીને જયેશ સાથે સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યો. ધ્રુવ ગોપાલના ઘરે પહોંચતા જ ગોપાલે તેને પકડી રાખ્યો. આ દરમિયાન જયેશ તળપદા હાથમાં ખંજર લઈને આવ્યો અને ધ્રુવના પેટના વચ્ચેના ભાગે તેમજ બંને પગની જાંઘ પર ખંજરના ઘા ઝીંકી દીધા. યુવક વડોદરામાં સારવાર હેઠળહુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલો ધ્રુવ લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો અને પરિવારને જાણ કરી. તેના બહેન અને બનેવી તેને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ઈજા ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. નડિયાદ ટાઉન પોલીસે જયેશ વાસુદેવ તળપદા અને ગોપાલ ઉર્ફે નાનકા તળપદા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અકસ્માત, એકનું મોત:પેસેન્જર લેવા ઉભેલી રિક્ષાને ટ્રેલરે ટક્કર મારી, 4 ઘાયલ
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ચાર પેસેન્જરો ઘાયલ થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર, રામદેવપુર ગામ તરફથી આવતી એક રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઉભી હતી. તે દરમિયાન માલવણ તરફથી આવતા RJ 36 GA 7174 નંબરના ટ્રેલરના ચાલકે ઉભેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલા સહિત ચાર પેસેન્જરોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરોએ રાજગઢના રહેવાસી 55 વર્ષીય પુંજાભાઈ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સોની તલાવડીના 65 વર્ષીય ગૌરીબેન વિરાણી અને હળવદ રોડના 65 વર્ષીય ગીતાબેન રુદાતલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. રામદેવપુરના 60 વર્ષીય શામજીભાઈ પરમારને સામાન્ય ઈજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માત થયા છે. આ ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતો દિયોદરના લુદરા અને ભાભર હાઈવે પર બન્યા હતા. ટ્રેક્ટર-સ્કોર્પિયો વચ્ચે ટક્કરપ્રથમ અકસ્માત ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા નજીક મોડી રાત્રે થયો હતો. અહીં એક ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માતબીજો અકસ્માત દિયોદરના લુદરા ગામ પાસે વહેલી સવારે થયો હતો. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક લાખાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA)ની ઘોર બેદરકારીને કારણે 42 નિર્દોષ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. એક તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની 'ભૂલ' સ્વીકારી રહ્યા છે, તો બીજી તરફ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કોલેજ પાસે વર્ષ 2025-26 માટે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)નું માન્ય એફિલિએશન (નોંધણી) જ નથી. પરીક્ષાના દિવસે જ 'ધડાકો': હોલ ટિકિટ ન આવતાં વિદ્યાર્થીઓ રડી પડ્યાગઈકાલે (16 જાન્યુઆરી) જ્યારે રાજ્યભરમાં MBA સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થઈ, ત્યારે રૂપારેલ કોલેજના 42 વિદ્યાર્થી ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જોકે, હોલ ટિકિટ ન મળતાં તેમને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. છેલ્લા એક મહિનાથી કોલેજ વહીવટીતંત્ર હોલ ટિકિટ આવી જશે તેવા ખોટા આશ્વાસનો આપતું હતું, પરંતુ અંતે પરીક્ષાના દિવસે જ આચાર્યએ ફોર્મ સબમિટ ન થયા હોવાની કબૂલાત કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા. આચાર્યનો લુલો બચાવ: “હાઈ બ્લડપ્રેશરને કારણે ફોર્મ ભરવાનું ભૂલી ગયો”વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, એડમિશન કમિટીમાં ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં મારી વ્યક્તિગત ક્ષતિ રહી છે. હાઈ બ્લડપ્રેશરના ડિપ્રેશનને કારણે હું 15 સપ્ટેમ્બરની ડેડલાઇન ચૂકી ગયો હતો. નોંધનીય છે કે, ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 ઓગસ્ટથી શરૂ થઈ હતી, છતાં 4 મહિના સુધી આ વાત છુપાવવામાં આવી હતી. ચોંકાવનારો વળાંક: કોલેજની માન્યતા પર જ સવાલોઆ સમગ્ર મામલે આપ નેતા ડૉ. નૂતન ગોકાણીએ તપાસ કરતાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. GTUની વેબસાઈટ મુજબ, વર્ષ 2025-26 માટે આ કોલેજનું એનરોલમેન્ટ જ થયેલું નથી. આનો અર્થ એ થાય કે કોલેજ પાસે યુનિવર્સિટીની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો માન્યતા જ ન હોય, તો વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રી પણ રદબાતલ ઠરી શકે છે. ₹12.60 લાખની ફી વસૂલી પણ સુવિધા શૂન્યઆક્ષેપ છે કે, કોલેજે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી સેમેસ્ટરની ફી પેટે અંદાજે ₹30,000 વસૂલ્યા છે. 42 વિદ્યાર્થીની કુલ ₹12.60 લાખ જેવી મોટી રકમ લીધા બાદ પણ તેમની કારકિર્દી સાથે ચેડાં કરવામાં આવ્યા છે. છાયા ગામ અને આસપાસના મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ પેટે પાટા બાંધીને આ ફી ભરી હતી, જે હવે એળે જતી દેખાય છે. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકાટ્રસ્ટી ભાનુપ્રકાશ સ્વામીએ આ ઘટનાને અધ્યાપકની ભૂલ ગણાવી સંસ્થાનો બચાવ કર્યો છે. જોકે, સવાલ એ ઉભો થાય છે કે, 4 મહિના સુધી મેનેજમેન્ટે આચાર્ય પાસેથી કોઈ ફોલોઅપ કેમ ન લીધું? શું આ આખું કૌભાંડ જાણીજોઈને આચરવામાં આવ્યું છે? ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. : વિદ્યાર્થીઆ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ડૉ. નૂતન ગોકાણીએ વાલીઓને જાગૃત થવા અપીલ કરી છે અને આ મામલે કાયદાકીય લડત લડવાની ચીમકી આપી છે. વિદ્યાર્થીઓની એક જ માંગ છે: ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષણ વિભાગ અને GTU આ 42 વિદ્યાર્થીના હિતમાં કોઈ વિશેષ નિર્ણય લે છે કે પછી આ શૈક્ષણિક સંસ્થાની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ જ બનવું પડશે.
કચ્છમાં વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, તેવા સમયે જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના હળવા કંપનોનો દોર યથાવત રહેતા લોકોમાં ચિંતાનું ફેલાઈ છે. ગત 13 જાન્યુઆરીના ધોળાવીરા નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે બે હળવા કંપનો અનુભવાયા હતા. જે બાદ આજે ફરીથી ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો છે. ખાવડાથી 55 કિ.મી દુર કેન્દ્ર બિંદુઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વદિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા નુકસાન થયુ નથી. શુક્રવારે બે આંચકા અનુભવાયાઆ પહેલાં શુક્રવારે પરોઢે 05:47 વાગ્યે રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં નારાણપર–ખેંગારપર રોડ પર આવેલા મોમાઈ માતાજીના મંદિર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ હતી અને ભૂકંપ જમીનની અંદાજે 11.1 કિલોમીટર ઊંડાઈએ થવાથી લોકો સુધી તેની અસર ખાસ અનુભવાઈ ન હતી. તે જ દિવસે બપોરે 01:50 વાગ્યે ભચાઉથી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપી કંપન નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખારોઈ–કકરવા રોડ પર આવેલા ધનુશ્વર મહાદેવ મંદિર નજીક નોંધાયો હતો. નાના કંપનો ભૂકંપીય ઊર્જા મુક્ત થવાનો સંકેત હોઈ શકે છે, છતાં પ્રશાસન અને નાગરિકોને ભૂકંપ સુરક્ષા અંગે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા માટે મૂળ દબાણ જવાબદાર છે. ત્યારે દબાણ શાખાની બિનઅસરકારક કાર્યવાહીથી આજે શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે સુરસાગર પાસે દબાણ હટાવવા ગયેલી દબાણ શાખાની ટીમે રોડ પરથી લારીઓ જપ્ત કરી હતી. આ ઘટનાને પગલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર જ દબાળશાખાના ટ્રક આગળ બેસી રામધૂન સાથે ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વેપારીઓ રોડ પર બેસી જતાં ટ્રાફિક સર્જાયોશહેરના સુરસાગર વિસ્તાર પાસે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચતાં જ મોટો હોબાળો મચી ગયો હતો. અહીં વેપાર-ધંધો કરતા વેપારીઓનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ધંધાર્થીઓએ દબાણ શાખાની ટ્રક આગળ બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર દબાણો, જે ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા હતા, તેને રાત્રે દૂર કરવાના કારણે હોબાળો વધુ વકર્યો હતો. દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી. કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ નારા લાગ્યાંમામલો વધુ ઉગ્ર બનતાં એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. લારી ધારક વેપારીઓએ દબાણ શાખાની ગાડી આગળ બેસીને ધરણા કર્યા અને રામધૂન બોલાવી હતી. તેમણે કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ 'હાય હાય' જેવા નારા લગાવીને આકરો વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓ રસ્તા પર ઉતરી આવતાં વાહન-વ્યવહારમાં મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. આખરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. એ લોકોના કહ્યાં મુજબ જ લારીઓ અંદર રાખીઃ મહિલાઆ કાર્યવાહી દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા લારીઓને અંદર મૂકવા કહેવામાં આવ્યું હતું, જે અમે તેમના કહ્યા મુજબ કર્યું હતું. છતાં તેઓ અચાનક આવીને લારીઓ ઉચકવા લાગ્યા. અમારી લારીઓ ક્યારેય કોર્પોરેશન દ્વારા આ રીતે લેવામાં આવી નથી. અમારી લારીઓ અંદર જ રહે છે, બહાર રાખતા નથી. તેઓએ બધાને અંદર રાખવા કહ્યું તો અમે અંદર રાખી, છતાં તેઓએ અમારી લારીઓ ઉચકી લીધી. અન્ય જગ્યાએ તો લારીઓ ચાલી રહી છે, પરંતુ અમારી જ બંધ કરાવી દીધી.
અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત(16 જાન્યુઆરી) મોડી રાત્રે એક્ટિવા પર પિતા-પુત્રી જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પૂરઝડપે BRTSની રેલિંગમાં અથડાતા એક્ટિવાચાલક પિતાનું સ્થળ પર જ ગંભીર ઇજાના કારણે મોત થયું છે જ્યારે 16 વર્ષની પુત્રીને માથામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈબાપુનગરમાં રહેતા કેતન પંચાલ તેમની 16 વર્ષની દીકરીને લઈને રાતે 11:30 વાગ્યે આસ્ટોડીયા દરવાજા પાસેથી BRTS કોરિડોરમાંથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈ હતી. પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થઈBRTS રેલીંગ સાથે અથડાતા જ એક્ટિવા ચાલક કેતન પંચાલને માથામાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેમની દીકરીને પણ માથામાં ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પિતાનું સ્થળ પર જ મોત, પુત્રી સારવારમાંઅકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે કેતન પંચાલનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમની દીકરીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે, આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રીહવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કોઈ મોટા હવામાનિક ફેરફારની શક્યતા નથી અને રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. તો બીજી તરફ, કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, 21થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે. આ વચ્ચે, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક 68 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંખમાં મરચાની ભૂકી નાખી બેગ લઈ ફરારઆ મામલે લીલારામ રેવાણીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ધંધો કરું છું અને વેપારી છું. હું દુકાનેથી ફોરવ્હીલર લઈ ઘરે રાત્રે પરત ફર્યો હતો ત્યારે ઘર આગળ જ બાઈક અને એક્ટિવા લઈ ચાર છોકરાઓ આવ્યા હતા. તેઓના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા. દરમિયાન હું ગાડીમાંથી નીચે ઉતર્યો તો એક છોકરો મને છાતી પર ફેટ મારવા લાગ્યો હતો. અન્ય એક છોકરાએ મારી આંખમાં મરચાંની ભૂકી નાખી અને ગાડીમાં રહેલા રોકડ 10 લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસો લૂંટ કરી ફરારઆ અંગે સ્થાનિક અને સંબંધી પુરુષોત્તમભાઈ પીતાંબરદાસ ટિલવાણીએ જણાવ્યું હતું કે , આ ઘટના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટી પાસે બની છે. મારા કાકા લીલારામભાઈ (ઉંમર આશરે 68 વર્ષ) તેમની દુકાનેથી ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખસોએ તેમની આંખમાં મરચું નાખી દીધું અને તેમના હાથમાં રહેલી પૈસા ભરેલી બેગ ઝૂંટવીને નાસી ગયા હતા. એક ચોરને વાહન સાથે પકડ્યોવધુમાં કહ્યું કે, તે કેટલા લોકો હતા તે અંદાજો નથી, પરંતુ એક વ્યક્તિને પકડ્યો છે અને ટુ વ્હીલર પણ પકડ્યું છે જેમાંથી પક્કડ અને ત્રણ અલગ અલગ નબર પ્લેટ મળી આવી છે અને તેને પોલીસ લઈ ગઈ છે. કાકાની આંખમાં મરચું હોવાથી અમે તરત જ તેમને ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. સાથે જ અમે તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ સમયસર આવી ગઈ હતી અને એક વ્યક્તિને લઈ ગઈ છે. તસ્કર ભાગવા ગયા પરંતુ વાહન ચાલુ થયું નહીંઆ અંગે અહીંના સ્થાનિક નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, અહીં રહેતા એક વડીલ કે જેમની શહેરના સંગમ ચાર રસ્તા પાસે ગિફ્ટ શોપ છે, તેઓ રાત્રે પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની પાસે દુકાનનો વકરો ભરેલી બેગ હતી. જ્યારે તેઓ પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે અચાનક લૂંટારૂઓએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. મરચું નાખ્યા બાદ લૂંટારૂઓ બેગ લૂંટીને ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ, લૂંટારૂની ગાડી ચાલુ થઈ શકી નહીં. આસપાસના લોકોએ એક શખસને પકડ્યોદરમિયાન વડીલે બૂમાબૂમ કરતા અમે આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતા લૂંટારૂઓ ગભરાયા અને એક શખસ ઝડપાઈ ગયો, જ્યારે તેના અન્ય સાથીદારો ભાગી છૂટ્યા હતા. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પકડાયેલી ગાડી એકદમ નવી લાગે છે. તેમાંથી અમને નંબર પ્લેટ, પક્કડ અને કાગળ મળી આવ્યા છે. આ ગાડી જોઈને લાગે છે કે તે હમણાં જ છોડાવેલી નવી ગાડી છે.
પાટણમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઇઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારીઆ દુર્ઘટના અંગે મળતી માહિતી પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા. જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારી હતી. એકનું ઘટનાસ્થળે જ મોત, છકડાનો કચ્ચરઘાણ વળી ગયોટર્બો અને છકડો વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે છકડો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટણીનું મોત થઇ ચૂક્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે EMT નિલેશ ચેતવાણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીમાંખરીયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતક સુનિલ પટણીને ત્રણ બાળકો છે.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારની જી.આઈ.ડી.સી. કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા 16 જાન્યુઆરીના રોજ અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ મામલે વાહનમાલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી ઉઠક-બેઠક કરાવી ભાઈગીરીના અભરખા ઉતર્યા હતા. એક આરોપીને ઝડપી પાડ્યો, અન્યની શોધખોળમાંજલપુર પોલીસને આ અંગેની અરજી મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર વિશાલ નથુભાઈ પાટીલ (ઉં.વ.25, રહે. ડાહીબાનગર જીઆઇડીસી કોલોની, વડોદરા)ને ઝડપી કાન પકડાવી કાર્યવાહી કરી હતી. જ્યારે આ કાર્યવાહીમાં વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઇસમ પાસેથી એક એક્ટિવા કબજે લેવામાં આવ્યું છે. તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતીમકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર વડ હુમલો કર્યો અને તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આવી માનસિકતા ધરાવનાર ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગ રૂપે આરોપીને પકડી કાર્યવાહી કરી છે. અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાનઆ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. તોડફોડ કરનાર આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પડ્યો છે, જ્યારે એક આરોપીની હજુ શોધખોળ ચાલુ છે.
વડોદરામાં અવાર-નવાર દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે બિશ્નોઈ ગેંગના બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે વાહનોની તપાસ કરીઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના 'સનરાઇઝ એસ્ટેટ' નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડીના આઇસર કંટેનર અને અશોક લે-લન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી. એકની ધરપકડ, બે વોન્ટેડ જાહેરઆ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહીમાંપોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 71,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત જરવામાં આવ્યો છે. આ આ સાથે આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત (ઉં.વ.34, ધંધો: ડ્રાઇવિંગ, રહેઠાણ: હોથી ગામ, તા. થાના-ચિતલવાના, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બિશ્નોઇ ગેંગના હિતેષ બિશ્નોઇ ( રહે સેનદરી ગામ, તા. થાના-સેનદરી, જિ. બાડમેર, રાજસ્થાન) અને હિતેષ બિશ્નોઇનો સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે 16 જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખસ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કઢનાર વ્યક્તિને દબોચી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પરંતુ રાજકીય આલમમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા શખસની પૂછપરછ શરૂઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થતા સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ હાલ પકડાયેલા શથસની પૂછપરછ કરી રહી છે કે તેણે કયા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. 5 ડિસેમ્બર, 2025: જામનગરમાં કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી ગોપાલ ઇટાલિયા પર છુટ્ટો જૂતાનો ઘા કર્યો હતો; કાર્યકરોએ લમધારી નાખ્યો જામનગરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ આમ આદમી પાર્ટીની જન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો અને આપના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 2017માં પ્રદીપસિંહ જાડેજા પર ઇટાલિયાએ જૂતાનો ઘા કર્યો હતો2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતુ ફેકવાના 8 વર્ષ બાદ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો હતો. 2017માં પ્રદીપસિંહ જાડેજા પર ઇટાલિયાએ જૂતાનો ઘા કર્યો હતો2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતુ ફેકવાના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો છે.
વલસાડ ધરમપુર રોડ પર સ્પીડ બ્રેકર મુકાયા:કોર્ટ પાસે વારંવાર થતા અકસ્માતો રોકવા નિર્ણય
વલસાડ શહેરના વ્યસ્ત ધરમપુર રોડ પર કોર્ટના મુખ્ય દરવાજા પાસે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પગલું વાહનોની ગતિ મર્યાદિત કરવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને જાનહાનિના જોખમને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યું છે. કોર્ટ પાસે લોકોની અવરજવર વધુ હોવાથી, સ્પીડ બ્રેકર વાહનોની ગતિ ધીમી પાડશે, જેનાથી અકસ્માતની સંભાવના ઘટશે. આ ઉપરાંત, પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે અને રાહદારીઓ તેમજ કોર્ટમાં આવતા લોકો માટે રસ્તો ઓળંગવો વધુ સુરક્ષિત બનશે. જોકે, સ્પીડ બ્રેકર મુકવાથી ગતિ પર કાબુ આવશે, તેમ છતાં વાહન ચાલકોએ આ વિસ્તારમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવું હિતાવહ છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
VIMS હોસ્પિટલમાં ભંગાર ચોરીનો પ્રયાસ:કર્મચારીઓએ ઓપરેટરને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો
વલસાડ હાઇવે પર આવેલી VIMS હોસ્પિટલમાં ભંગાર ચોરીનો પ્રયાસ થયો હતો. હોસ્પિટલના જ એક ઓપરેટરને કર્મચારીઓએ ₹15 હજારની કિંમતના લોખંડના ભંગાર સાથે રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે વલસાડના તીથલ રોડ પર રહેતા અને VIMS હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. અદિતિ સંદિપ દેસાઈએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગત રોજ સાંજે આશરે ૬:૫૦ વાગ્યાના અરસામાં બની હતી. ચોરીનો પ્રયાસ કરનાર આરોપી હોસ્પિટલનો STP/ETP પ્લાન્ટ ઓપરેટર યોગિનભાઈ છગનભાઈ પટેલ (રહે. ધરમપુર, બામટી) હોવાનું બહાર આવ્યું છે. તેણે હોસ્પિટલના પાછળના ભાગે આવેલા ઇલેક્ટ્રિકલ રૂમ પાસે રાખેલો લોખંડનો ભંગાર પોતાની સિલ્વર કલરની ઇકો કાર (નંબર: GJ-15-CB-3886) માં ભરી દીધો હતો. જ્યારે આરોપી ચોરીનો સામાન લઈને જઈ રહ્યો હતો, ત્યારે હોસ્પિટલના અન્ય જાગૃત કર્મચારીઓની નજરે ચડી ગયો હતો. કર્મચારીઓએ તેને સ્થળ પર જ અટકાવી ડૉ. અદિતિબેનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને બોલાવી આરોપી યોગિનભાઈ પટેલ અને ચોરીના સામાન ભરેલી કાર બંનેને વલસાડ રૂરલ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૦૬ (જે અગાઉ IPC ૩૮૧ - નોકર દ્વારા ચોરી તરીકે જાણીતી હતી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જીવલેણ હુમલો કરાયો:પારિવારિક દાઝે પાડોશી વચ્ચે થયેલો સશસ્ત્ર લોહિયાળ હુમલો
ભાવનગર શહેરના કરચલીયા પરા હનુમાન નગર વિસ્તારમાં ઝઘડાની જૂની દાઝને કારણે પાડોશીઓ વચ્ચે ગંભીર અને લોહિયાળ હુમલાની ઘટના બની હતી. ધારિયા, ધોકા અને છરી જેવા ઘાતક હથિયારો સાથે કરાયેલા આ હુમલામાં પરિવારના ચાર સભ્યોને ઇજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. . ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કરચલીયા પરા હનુમાન નગર ખાતે રહેતા હરેશભાઈ ઉર્ફે સાંગો સુરેશભાઈ સોલંકી તા. 15/1ની રાત્રે વાળુ પાણી કરીને પોતાના ઘર પાસે જ રહેતા સાસુના ઘરે પત્ની, સાળી તથા સાસુ સાથે ઘરની બહાર તાપણું કરી બેઠા હતા. તે દરમિયાન સામે જ રહેતા રાકેશ ચાંગુલભાઈ જાદવ, તેનો દીકરો ગોપાલ તથા સુનો નામનો વ્યક્તિ ઘાતક હથિયારો લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાળો બોલી ઉશ્કેરાટભર્યું વર્તન કર્યું હતું. તમારા ઘરનાં ઝઘડામાં સુનાની પત્ની મુસ્કાનબેનને ઈંટડું કેમ વાગ્યું તેમ કહી તેમણે અચાનક ધોકા અને ધારિયાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં હરેશભાઈના માથાના ભાગે ધારિયાનો ઘા વાગ્યો હતો. બચાવ માટે વચ્ચે પડેલા પરિવારજનોને પણ ઇજાઓ પહોંચી હતી અને દેકારો થતા હુમલાખોરો સ્થળ પરથી જતા રહ્યા હતા. થોડા સમય બાદ સુનાની પત્ની મુસ્કાનબેન તેની સાથે મનોજ ઉર્ફે બાડો તથા રવિ ઉર્ફે ટોટો ગાળો બોલતા ફરી આવી પહોંચ્યા હતા. મનોજના હાથમાં ખુલ્લી છરી હતી અને તેણે હરેશભાઈ ને ગુપ્ત ભાગ નજીક પેડુની જગ્યાએ છરીનો ઘા માર્યો હતો, જ્યારે રવિએ ધોકા વડે આડેધડ માર મારી હરેશભાઈની પત્ની અને સાળીને પણ ઇજાઓ પહોંચાડી હતી. જતા જતા ફરી અમારી સાથે માથાકૂટ કરી તો જીવતા નહીં રહો તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈ, તેમની માતા, પત્ની અને સાળીને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે આગલા દિવસે હરેશભાઈ ના બીજા સાળી અને સાઢુભાઈ વચ્ચે થયેલા પારિવારિક ઝઘડામાં મુસ્કાનબેનને ઈંટડું વાગ્યું હોવાની દાઝ રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
મોટી જાગધાર ગામે બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી:યુવતીના ફોટા પાડ્યાની શંકાએ બે જુથ વચ્ચે બઘડાટી
મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે પતંગ ચગાવવા વખતે કેટલાક શખ્સોએ બાજુની અગાશીમાં પતંગ ચગાવતી કેટલીક યુવતીઓના ફોટા પાડ્યાની શંકા રાખી, યુવતીઓના કાકા તેમજ ભાઇએ ફોટા પાડનાર શખ્સોને ઠપકો આપવા જતા બે જુથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે રહેતા મોહનભાઇ ઘેલાભાઇ પરમારએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉતરાયણના દિવસે તેમના ઘરે તેમની દિકરી તેમજ અન્ય દિકરીઓ અગાશીમાં પતંગ ચગાવતા હતા જે દરમિયાન તેમની અગાશીની બાજુમાં કેટલાક શખ્સો પણ પતંગ ચગાવતા હોય જે દરમિયાન યુવતીઓના ફોટા પાડ્યા હોય તેવી શંકા યુવતીઓના ભાઇ તેમજ કાકાને ગઇ હતી. જે બાદ ફોટા પાડનાર શખ્સના ઘરે જઇને મોબાઇલ ચેક કર્યા હતા. અને જે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઇને ઠપકો આપવા પહોંચેલા મોહનભાઇ, અશોકભાઇ અને વૈશાલીબેન સહિતનાઓ ઉપર નવ જેટલા શખ્સોએ લાકડી, ધોકા, પથ્થરો મારો કરી, જીવલેણ હુમલો કર્યો હતો. જે દરમિયાન ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખાતે ખસેડાયા હતા. જ્યારે સામાપક્ષે અશોકભાઇ, પરેશભાઇ અને હરદેવભાઇએ પણ હુમલો કર્યાનું પોલીસ મથકમાં જણાવતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોહનભાઇએ અજીતસિંહ રણુભા સરવૈયા, પદુભા ઉમેશસિંહ સરવૈયા, વિરમદેવસિંહ મનુભા સરવૈયા, હરદિપસિંહ અશ્વિનસિંહ સરવૈયા, અભયરાજસિંહ શૈલેશસિંહ સરવૈયા, અશોકસિંહ જામભા સરવૈયા, નરેન્દ્રસિંહ અજીતસિંહ સરવૈયા, અર્જુનસિંહ જામભા સરવૈયા અને અશ્વિનસિંહ ઘેલુભા સરવૈયા વિરૂદ્ધ અને અશોકસિંહ જામભા સરવૈયાએ અશોક પરમાર, પરેશ પરમાર અને હરદેવ પરમાર વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગામમાં ઉતરાયણ લોહિયાળ બનીમોટી જાગધાર ગામે કેટલાક શખ્સોના અણછાજતા વર્તનને લઇને બે જૂથ વચ્ચે સામસામી મારમારી સર્જાઇ હતી. અને ત્રણથી પાંચ લોકોને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લોકોને ગંભીર હાલતે વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
ખેડૂતોની રાત દિવસની મહેનત નિષ્ફળ ગઇ:સિહોર પંથકમાં ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને બેવડો માર
સિહોર પંથકમાં ખરીફ પાક લગભગ સંપૂર્ણપણે નામશેષ થઇ જતાં જગતના તાતને ધોળા દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વિક્રમ સંવત 2082નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કપરું શરૂ થયું છે.મગફળી,કપાસ,સરગવો અને હવે પછી ડુંગળીએ ખેડૂતોની આશા પર નિરાશાનું પાણી ફેરવી દીધું છે. કપાસ અને ડુંગળીએ ખેડૂતની આર્થિક સંકટતા દૂર કરી શકે છે પરંતુ આ વરસે આ બંને પાક નિષ્ફળ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. કપાસ બગડી જતાં ખેંચી નાખવાની નોબત આવી.હવે ડુંગળીનો રોપ પણ બગડી ખેડૂતોએ ડુંગળીના પાકમાં પાવડી મરાવી દીધી.પછી વીણાય એટલી ડુંગળી વીણી ઘઉંનું વાવેતર કરી દીધું. ત્રણ-ત્રણ ખરીફ પાક સમૂળગા નિષ્ફળ ગયા છે. મગફળી,કપાસ અને સરગવામાં જેટલું નુકસાન થયું એટલું જ નુકસાન ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીમાં પણ થયું છે.જો ડુંગળીનો ઉતારો એક વીઘે 200 મણનો આવે અને ભાવ રૂ.350થી 400 આવે તો જ ધરતીપુત્રોને વળતર મળે.અન્યથા તેની મહેનત અને ખાતર,બિયારણ,દવા પર પાણી ફરી વળે. અત્યારે એક વીઘે 50થી 100 મણનો ઉતારો આવે છે. આ ઉતારો અને ભાવમાં ડુંગળીને પોતાના ગામથી માર્કેટયાર્ડ સુધી લઇ જઇને શું કરવું એવો સવાલ ધરતીપુત્રોને ખૂંચી રહ્યો છે.અત્યારે ડુંગળીનો ભાવ મણે 100થી 150 રૂપિયા છે. બે વખત વાવેતર કર્યુ પણ એકેયમાં સફળતા ન મળીદિવાળી ઉપર અઢી વીઘામાં રોપની ડુંગળી ચોપી હતી. કમોસમી વરસાદે એ બગાડી નાખી પછી ફરીથી એજ અઢી વીઘાના પડામાં કળીની ડુંગળી ચોપી હતી. એ પાક પણ ભાવના અભાવે નિષ્ફળ ગયો. બેય વખતે 35-35 હજાર લેખે મારે કુલ 70 હજારનું નુકસાન થયું છે.ડુંગળીની નિકાસમાં સરકાર ધ્યાન ન આપતી હોવાથી, ડુંગળીના ભાવ તળિયે ગયા છે.> મહાસુખભાઇ જાની, ખેડૂત,રબારિકા 25થી વધુ ગામોમાં ડુંગળીનુ વાવેતર,ભાવ મણે 100થી 150 રૂપિયાસિહોર તાલુકાના ભાંખલ,થોરાળી,થાળા,પાલડી,બેકડી,ટાણા, વરલ, ઢુંઢસર, રબારિકા, દેવગાણા, બુઢણા,લવરડા, નવા જાળિયા, ભડલી,ધ્રુપકા, ખાંભા, સાગવાડી, ખારી,મઢડા, રાજપરા(ખોડિયાર), જૂના જાળિયા, મેઘવદર, કરકોલિયા, ઝરિયા, સણોસરા,ટોડા,ટોડી,માલવણ સહિતના ગામોમાં ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળીની છેલ્લી આશાએ ધરતીપુત્રોને નિરાશ બનાવી દીધા છે. સિહોર તાલુકામાં આ વરસે 1326 હેકટરમાં ડુંગળીનું વાવેતરસિહોર તાલુકામાં આ વરસે 1326 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. અને પ્રવર્તમાન સમયમાં 60 રૂપિયાથી શરૂ કરીને 150 રૂપિયો સુધીનો 20 કિલો ડુંગળીનો ભાવ છે.અત્યારે એક દાડિયો સાંજ પડ્યે મજૂરીના 450 રૂપિયા દાડી લે છે. સાંજ પડ્યે એની દાડી મજૂરને ચુકવવી પડે છે પણ ખેડૂતને એનું વળતર મળે પણ ખરું અને ન પણ મળે. એની કોઇ ચોક્કસ ખાતરી હોતી નથી. આથી ખેતી કરતો ખેડૂત માત્ર ભગવાન પર આધાર રાખીને જ ખેતી કરે છે.એક સિઝનમાં પાક નિષ્ફળ જાય તો બીજી સિઝનની રાહ જુએ છે.
પરિણીતાને ત્રાસ અપાયો:તળાજામાં પરિણીતાએ સાસરીયા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી
તળાજા શહેરમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમયથી સહન કરવો પડતો ત્રાસ અસહ્ય બનતાં અંતે કાનૂની માર્ગ અપનાવવો પડ્યો હતો તેમ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તળાજા ખાતે રહેતા શીતલબેન ચેતનભાઇ ચુડાસમાના લગ્ન તળાજાના રાજપરા ગામ નં. ૨ ખાતે રહેતા ચેતનભાઇ શાંતિભાઇ ચુડાસમા સાથે થયેલા હતા અને સંતાનમાં તેમને એક દીકરો હતો. તે સમયગાળા દરમિયાન તેઓ પોતાના પિતાના ઘરે પિયરમાં રહેતા હતા. શીતલબેન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ પતિ ચેતન શાંતિભાઇ ચુડાસમા, સસરા શાંતિ ધીરુભાઇ ચુડાસમા અને સાસુ ભાકુબેન શાંતિભાઇ ચુડાસમા તેમજ અન્ય પારિવારિક સભ્યોની ચડામણીથી તેમને વારંવાર શારીરિક હેરાનગતિ તથા માનસિક દુઃખ અને ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે કંટાળીને તેમણે સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
ચોરીનો મામલો આવ્યો સામે:પાલિતાણાના દીક્ષાના વરઘોડામાં 14.92 લાખના સોનાની ચોરી થઇ
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલા અઢીદ્રીપ ખાતે દીક્ષાના મહોત્સવ દરમિયાન યાત્રા અને વરઘોડા ની ભીડમાં એક શ્રદ્ધાળુ મહિલાના પર્સમાંથી અંદાજે રૂ. 14.92 લાખ કિંમતનું સોનાનું ઘરેણું ચોરી જવાની ઘટના સામે આવી છે, જેને લઈ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નાસિક, મહારાષ્ટ્રથી આવેલા લીલાબેન સુરેશભાઈ માલુએ પોલીસ ને જણાવ્યું હતું કે તેઓ પોતાની દીકરી, જમાઈ, પતિ અને પુત્ર સાથે પાલીતાણામાં અઢીદ્રીપ દીક્ષાના મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા અને જૈન ધર્મશાળામાં રોકાયા હતા. મહોત્સવ દરમ્યાન તેમની દીકરી અને જમાઈ શેત્રુંજય પર્વત પર જાત્રા કરવા ગયા હતા અને ત્યારબાદ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરી દીક્ષાર્થીઓના વરઘોડામાં જોડાયા હતા. આ સમયે લીલાબેનના પર્સમાં તેમની દીકરીના સોનાના ઘરેણાં સોનાની બંગડીઓ, પેન્ડલવાળી ચેન, 4 જોડ સોનાની બુટ્ટી અને 3 સોનાની વીંટીઓ સહિત કુલ 134 ગ્રામ સોનું રાખવામાં આવ્યું હતું, જેની અંદાજીત કિંમત રૂ. 14,92,799 થાય છે. વરઘોડાની ભીડ દરમિયાન અચાનક પર્સ તરફ ધ્યાન જતા તેની ચેન ખુલ્લી જણાઈ અને અંદર માત્ર મોબાઇલ દેખાતાં સમગ્ર પર્સ તપાસવામાં આવ્યું, જેમાં સોનાનો માલ સામાન ગાયબ હોવાનું બહાર આવ્યું. બાદમાં આજુબાજુ તથા અગાઉ ગયેલા ધાર્મિક સ્થળોએ શોધખોળ કરવામાં આવી, પરંતુ સોનાનું કોઈ અત્તાપત્તો ન મળતા આખરે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોડી બિલ્ડર વચ્ચે રસાકસીભરી સ્પર્ધા યોજાશે:કાલે મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું આયોજન કરાશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેરમાં મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન તા.18 જાન્યુઆરીને રવિવારે સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં શરીર સૌષ્ઠવ ધરાવતા પુરૂષ બોડી બિલ્ડર પોતાના શરીરના પેક દર્શાવશે. બોડી બિલ્ડર વચ્ચે રસાકસીભરી સ્પર્ધા યોજાશે અને અંતે મિસ્ટર ભાવનગરની જાહેરાત કરવામાં આવશે. ભાવનગર ખાતે તા.18 જાન્યુઆરીને રવિવારે સાંજે 5.30 કલાકથી 7.30 કલાક દરમિયાન 40મી ટોપ ટેન મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડિંગ સ્પર્ધા તેમજ મેન્સ સ્પોટર્સ ચેમ્પિયનશિપનું આયોજન ગણેશ ક્રિડા મંડળ, મોતીબાગ, ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્ય મહેમાનપદે એગ્રોસેલના સ્ટેટ હેડ સુમિત કક્કર અને અતિથિ વિશેષ તરીકે સુમિટોમો કેમિકલના હિરેન હલદરિયા તથા વનરાજસિંહ ચાવડા ઉપસ્થિત રહેશે તેમ પ્રમુખ મુકેશ ખનવાણી, ઉપપ્રમુખ એમ.કે. શર્મા અને સેક્રેટરી એ.એન.મલીકે જણાવ્યું છે.
વેધર રિપોર્ટ:શહેરમાં 3.8 ડિગ્રીના વધારા સાથે તાપમાન 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થયુ
ગઇ કાલે વાસી ઉત્તરાયણેના પર્વે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાવનગરમાં આ શિયાળાની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. જો કે ગઇ કાલ સાંજથી જ પવનની દિશા બદલાઇ જતા તેમજ ઝડપ ઓછી થઇ જતા આજે એક જ દિવસમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 3.8 ડિગ્રી વધીને 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ગઇ કાલે મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી હતુ તે આજે એક ડિગ્રી વધીને 29.2 ડિગ્રી થઇ ગયુ હતુ જે સામાન્યથી 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ.
વીજકાપ:વિઠ્ઠલવાડી અને માઢીયા રોડ સહિતના વિસ્તારોમાં વીજકાપ
પી.જી.વી.સી.એલ. દ્વારા આગામી તા.19મી જાન્યુઆરી-2026 સોમવાર થી તા.21મી જાન્યુઆરીને બુધવારે 11 કે.વી.ના શાસ્ત્રીનગર, સ્ટેશન રોડ અને વિઠ્ઠલવાડી ફિડરોમાં ત્રણ દિવસ મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.19મી જાન્યુઆરી-2026 સોમવારે 11 કે.વી. શાસ્ત્રીનગર ફિડર (આંશિક) નીચે આવતા ગોંડલિયાની વાડી, વિઠ્ઠલવાડી ત્રણ માળીયા, જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળનો વીસ્તાર (જુના કુવા) તથા ભાયાણીની વાડી, ઘંટીવાળો ચોક, પારસમણી ફ્લેટ, રત્નસાગર ફ્લૅટ, ઘાનાવાળો ખાંચો તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ લદાયો છે. મંગળવારે 11 કે.વી. માઢીયા ફિડર (આંશિક) નીચે આવતા માઢીયા રોડ, મ્યુ.ડ્રેનેજ, શર્મા રોલિંગ મિલ પાસેનો સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વીસ્તાર, જલારામ રોલિંગ મીલ, વિક્ટર રોડના ડેલા તેમજ આજુબાજુનો સમગ્ર વીસ્તાર, ઠક્કરબાપા સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ લદાયો છે. આ ઉપરાંત તા.21મી જાન્યુઆરી-2026 બુધવારે 11 કે.વી. વિઠ્ઠલવાડી ફિડર નીચે પ્રીત સરોવર હોટલ, જીઆઇડીસી ઓફિસ, વિઠ્ઠલવાડી જીઆઇડીસી, ગવર્મેન્ટ પ્રીન્ટીંગ પ્રેસ, ખોડીયાર આઈસ્ક્રીમ, શેઠ બ્રધર્સ, ઉદ્યોગનગર ઇન્ડોર તેમજ આજુબાજુનો વિસ્તારમાં વીજકાપ રહેશે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
શિપ રીસાયક્લિંગમાં નવો યુગ:વિશ્વનું સૌથી મોટું યાર્ડ અલંગ હવે વૈશ્વિક ધોરણો હેઠળ
ભારતના શિપ રીસાયક્લિંગ ઉદ્યોગમાં સલામતી, પર્યાવરણીય સંરક્ષણ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે શિપ રીસાયક્લિંગ રેગ્યુલેશન્સ, 2026ને નોટિફાઇ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરેખિત આ નવું માળખું, વિશ્વના સૌથી મોટામાંના એક, ગુજરાતના અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં કામગીરી પર સીધી અસર કરશે તેવી અપેક્ષા છે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી સાથે, શિપ રીસાયક્લિંગ એક્ટ, 2019ની કલમ 43 હેઠળ નિયમો ઘડવામાં આવ્યા છે. તે હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર ધ સેફ એન્ડ એન્વાયર્નમેન્ટલી સાઉન્ડ રિસાયક્લિંગ ઓફ શિપ્સ, 2009 સાથે સુસંગત છે, જે જહાજના ભાંગવાને નિયંત્રિત કરતો એક મુખ્ય વૈશ્વિક બેન્ચમાર્ક છે. નિયમોનો અવકાશ વિશાળ છે, જે ભારતમાં અથવા ભારતના વિશિષ્ટ પ્રાદેશિક અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત તમામ શિપ રીસાયક્લિંગ સુવિધાઓને આવરી લે છે. સ્થાનને ધ્યાનમાં લીધા વિના, ભારતમાં નોંધાયેલા નવા જહાજો, રીસાયક્લિંગ માટે ભારતીય પાણીમાં પ્રવેશતા વિદેશી જહાજો અને દેશમાં વિખેરી નાખવા માટે નિયુક્ત કરાયેલા યુદ્ધ જહાજો અને નૌકાદળ સહાયકો સહિત સરકારી માલિકીના જહાજોને લાગુ પડે છે. આ નિયમો પ્રાદેશિક પાણીમાં પ્રવૃત્તિઓ, વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને અન્ય દરિયાઈ ક્ષેત્રો સુધી વિસ્તરે છે જ્યાં ભારત પ્રદૂષણ નિયંત્રણ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે. સૂચનામાં જોખમી સામગ્રી, લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ (LDT), પ્રવેશ માટે સલામત અને હોટ વર્ક માટે સલામત પરિસ્થિતિઓ જેવા મહત્વપૂર્ણ તકનીકી અને કાર્યકારી શબ્દો માટે વિગતવાર વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે. તે રાષ્ટ્રીય સત્તામંડળ, રાજ્ય દરિયાઇ બોર્ડ, બંદર સત્તામંડળ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, PESO, અણુ ઊર્જા નિયમનકારી બોર્ડ અને ઔદ્યોગિક સલામતી નિર્દેશાલયોની ભૂમિકાઓને વ્યાખ્યાયિત કરતી સંસ્થાકીય માળખું પણ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. નવા શાસન હેઠળ, દરેક જહાજ રીસાયક્લિંગ સુવિધા પ્રથમ અનુસૂચિમાં સૂચવ્યા મુજબ સલામત અને પર્યાવરણીય રીતે યોગ્ય રીતે ડિઝાઇન, નિર્માણ અને સંચાલિત હોવી જોઈએ. સુવિધાઓ માટે પાંચ વર્ષ માટે માન્ય ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ મેળવવું જરૂરી રહેશે, અને શિપ રીસાયક્લિંગ નિયમો, 2021 હેઠળ મંજૂરી વિના કોઈપણ યાર્ડ કાર્યરત થઈ શકશે નહીં. કામદારો, સ્થાનિક સમુદાયો અને પર્યાવરણ માટે જોખમો ઘટાડવાના હેતુથી મેનેજમેન્ટ સિસ્ટમ્સ ફરજિયાત બનાવવામાં આવી છે. નિયમોનું એક મુખ્ય લક્ષણ ફરજિયાત શિપ રીસાયક્લિંગ ફેસિલીટી મેનેજમેન્ટ પ્લાન (SRFMP) છે. દરેક યાર્ડે આ યોજના મંજૂરી માટે સબમિટ કરવી આવશ્યક છે, જેમાં વ્યવસાયિક સલામતી અને પર્યાવરણીય નીતિઓ, તાલીમ કાર્યક્રમો, કટોકટીની તૈયારી, અકસ્માત રિપોર્ટિંગ પદ્ધતિઓ અને રાષ્ટ્રીય કાયદાઓ, ILO માર્ગદર્શિકા અને IMO ધોરણોનું પાલન શામેલ છે. અધિકારીઓએ ખામીઓ દૂર કરવાને આધીન, 30 દિવસની અંદર મૂલ્યાંકન અને ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે. નિયમો એક મજબૂત નિરીક્ષણ અને અમલીકરણ પદ્ધતિ પણ સ્થાપિત કરે છે, જેમાં વારંવાર પાલન ન કરવાના કિસ્સામાં ઓડિટ, સુધારાત્મક કાર્યવાહી અને અધિકૃતતા નકારવાની જોગવાઈઓ શામેલ છે. જહાજ માલિકોએ તેને તોડી પાડતા પહેલા રીસાયકલિંગ માટે તૈયાર પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે, જ્યારે જોખમી સામગ્રીના સંચાલન અને કચરાનો નિકાલ કડક નિયંત્રણોને આધીન રહેશે. ભારત, ખાસ કરીને અલંગ-સોસિયામાં, જહાજ રીસાયક્લિંગમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવાથી, સરકારે કહ્યું કે નવા નિયમો સલામતી વધારવા, પર્યાવરણીય નુકસાન ઘટાડવા અને પારદર્શિતા સુધારવાનો હેતુ ધરાવે છે. અધિકારીઓ માને છે કે શિપ રીસાયક્લિંગ રેગ્યુલેશન્સ, 2026 વૈશ્વિક દરિયાઈ રીસાયક્લિંગ ઉદ્યોગમાં ભારતની વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવશે. આજે મળ્યુ, કાલે મીટિંગમાં ચર્ચા થશેકેન્દ્ર સરકાર દ્વારા શિપ રીસાયકલિંગ રેગ્યુલેશન્સ-2026 નોટિફાઇ કરવામાં આવ્યુ છે, અને અમારા સુધી આજે જ આવ્યુ છે. આવતીકાલે અમારા એસોસિએશનની બેઠક મળશે અને તેમાં અલંગને સ્પર્શતા તમામ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. - હરેશભાઇ પરમાર, સેક્રેટરી, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) કામદારોની સલામતી પર વિશેષ ભારકામદારોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કરાર મજૂર, સમયાંતરે રિફ્રેશર અભ્યાસક્રમો, તબીબી પરીક્ષાઓ અને ગરમ કામ અને મર્યાદિત જગ્યા પ્રવેશ જેવા જોખમી કામગીરી માટે કડક અધિકૃતતા સહિત તમામ કામદારો માટે પ્રમાણિત તાલીમ ફરજિયાત કરવામાં આવી છે.
વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું:મોડી આવવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો
શહેરની કે.પી કોમર્સ કોલેજના બીકોમની વિધાર્થિનીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઉત્તરાયણના દિવસે મિત્રો સાથે ફરવા ગયેલી સ્નેહા રાત્રે મોડેથી આવતા પિતાએ ઠપકો આપ્યો હતો, જે વાતનું માઠું લગાવી પગલું ભરી લીધું હતું. વેડરોડ વિસ્તારમાં આવેલ ત્રિલોક સોસાયટીમાં સંતોષભાઈ કદમ ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. સંતોષભાઈ જરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેની 19 વર્ષીય પુત્રી સ્નેહા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ કે.પી કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઉત્તરાયણના દિવસે સ્નેહા તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. દરમિયાન તેના પિતાએ તેને સાંજે ઘરે પરત આવી જવા માટે કહ્યું હતું, પરંતુ તે રાત્રે મોડી આવી હતી. જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લગી જતાં સ્નેહાએ ગુરૂવારે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સ્નેહાના આપઘાત મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિશેષ પુસ્તકાલયનું લોકાર્પણ:ખાખીનું સપનું જોતા હોમગાર્ડ જવાનો માટે ભુજ કચેરીમાં પુસ્તકાલયનો પ્રારંભ
હોમગાર્ડના જવાનો માત્ર સહાયક દળ બનીને ન રહે પરંતુ પોલીસ દળનો કાયમી હિસ્સો બને તેવા ઉમદા આશયથી પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કચેરી ખાતે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર LRD અને PSI ની ભરતી પરીક્ષાની તૈયારી કરતા હોમગાર્ડ જવાનો માટે વિશેષ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના કમાન્ડન્ટ જનરલ પિયુષ પટેલ (IPS) એ તાજેતરમાં જિલ્લા કમાન્ડન્ટોની મીટિંગમાં દરેક જિલ્લામાં જવાનો માટે લાઈબ્રેરી હોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ વિચારને ત્વરિત અમલમાં મૂકી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ 16 જાન્યુઆરીની સાંજે કચેરી મધ્યે વાંચન સુવિધાથી સજ્જ પુસ્તકાલય ખુલ્લું મુકાયું હતું. આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર (SSO) મનીષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિત વાઢેરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનીષ ત્રિવેદીએ પશ્ચિમ કચ્છ હોમગાર્ડની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “કમાન્ડન્ટ જનરલની ઈચ્છાને સૌપ્રથમ કચ્છ જિલ્લાએ પૂર્ણ કરી છે. હોમગાર્ડ એ પોલીસનો પૂરક ભાગ છે, પણ હવે તમે આ તૈયારી થકી પોલીસનો પૂર્ણ ભાગ બનો તેવી શુભેચ્છા છે.” તેમણે પુસ્તકાલયમાં કોઈ પણ ઘટતી સુવિધા પૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી. જ્યારે ભૂમિત વાઢેરે જવાનોને પુસ્તકનું મહત્વ સમજાવી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાગત પ્રવચનમાં મનીષ બારોટે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, વાંચન માટે લાઈબ્રેરી ઉપરાંત દોડની પ્રેક્ટિસ માટે હોમગાર્ડ રુદ્રમાતા ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા માટે પણ જવાનો સંપર્ક કરી શકશે. કાર્યક્રમનું સંચાલન શિવુભા સોઢાએ અને આભારવિધિ ગૌરાંગભાઈ જોશીએ કરી હતી.
ગુજરાત અસ્મિતાના સોશિયલ મીડિયા પેજ પર ઓલપાડમાં દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થતા બદનામીના ડરે યુવકે ગુજરાત અસ્મિતાના તંત્રી સચિન પટેલ (વકીલ અને બાર કાઉન્સિલ મેમ્બર)નો સંપર્ક કરી વીડિયો ખોટો હોવાનું જણાવી ડિલીટ કરવા કહ્યું હતું. જેના બદલે સચિન પટેલે 10 હજારની માંગણી કરી હતી. યુવક મળવા જતા સચિન પટેલ, સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલે યુવકને ગળે છરી મૂકી 10 હજાર લૂંટી 5 હજારની માંગણી કરી હતી. યુવકની ફરિયાદ પર ઓલપાડ પોલીસે યજ્ઞેશ પટેલ ભટલાઈ) અને સુભાષ પટેલ (રહે. મોરાભાગળ)ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સચિન પટેલ, જેની સામે અગાઉ પણ સુરત શહેરમાં ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. વીડિયોમાં પોલીસ પર 50 લાખના વહીવટના આક્ષેપવાયરલ વીડિયોમાં માત્ર યુવકને જ નહીં, પણ ઓલપાડ પોલીસને પણ નિશાન બનાવાઈ હતી. વીડિયોની કેપ્શનમાં ઓલપાડ પોલીસ મહિને ₹50 લાખનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.
સુરત જિલ્લાની 21 ગ્રાન્ટેડ પ્રાયમરી સ્કૂલોમાં અત્યારે એજ્યુકેશન સિસ્ટમ સાવ ભાંગી પડી છે. એક તરફ સરકાર ભણશે ગુજરાત ના મોટા નારા આપે છે, બીજી તરફ સુરતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં RTEના નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. 190 શિક્ષકોના મહેકમ સામે 90 શિક્ષકની ઘટ નોંધાતા PTR એટલે પ્યુપિલ-ટીચર રેશિયો 75:1 પર પહોંચ્યો છે. સુરત જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘે આ બાબતે સ્ટેટ પ્રાયમરી એજ્યુકેશન ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી કાયમી સોલ્યુશનની માંગ કરી છે. ઉપરાંત પત્રમાં લખ્યું છે કે 6700 વિદ્યાર્થીઓના એજ્યુકેશન અને કેરિયરને જોતા જો તાત્કાલિક પરમેનન્ટ રિક્રુટમેન્ટ નહીં થાય તો આ સ્કૂલોને શિક્ષણ સમિતિમાં ભેળવી દેવાની પણ માંગ કરી છે. પરમેનન્ટ રિક્રુટમેન્ટ રેગ્યુલર થવી જોઈએ પરંતુ 2016થી એકપણ થઈ નથી જિલ્લા શિક્ષક સંઘે શિક્ષણ નિયામકને પત્ર લખ્યો કે ‘કાયમી ભરતી કરો અથવા સ્કૂલોને શિક્ષણ સમિતિમાં મર્જ કરી દો’ 20 જ્ઞાન સહાયકે રાજીનામું આપતા 21 ગ્રાન્ટેડ સ્કૂલનું શિક્ષણ ખોરવાયું, 6700 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું ભાસ્કર ઈનસાઈડઆ 3 મેઈન કારણોથી 21 ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત કફોડી થઈ
ચરિયાણ, ખેતીની જમીન બચાવવા રજૂઆત:લખપતના હરોડામાં બ્લેકટ્રેપ માઈનીંગ પ્રોજેક્ટનો વિરોધ
લખપતના મેઘપર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા હરોડા ગામના સીમાડામાં મંજૂર થયેલી બ્લેકટ્રેપની લીઝ સામે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્વે નંબર 138 પૈકી 1 ની 32.77 હેક્ટર જમીનમાં આ પ્રોજેક્ટ માટે સુનાવણી રખાઇ હતી, જેનો મેઘપર, જુણાચાય, અમીયા અને હરોડા સહિતના ગામોના લોકોએ સખત વિરોધ નોંધાવ્યો છે. મેઘપર જૂથ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશ.એ બલીયા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારના લોકોની રોજીરોટી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. વિસ્તારમાં અંદાજે 15,000 થી વધુ પશુઓ છે, પરંતુ અગાઉ 180 થી વધુ પવનચક્કીઓએ આડેધડ રસ્તા અને વીજલાઈનો નાખીને ચરિયાણની જમીનોનો નાશ કર્યો છે. હવે જો બ્લેકટ્રેપ માઈનીંગ શરૂ થશે, તો બાકી બચેલી ગૌચર જમીન પણ ખતમ થઈ જશે. આ વિસ્તારમાં મેઘપર-1 અને જુણાચાય જેવા મોટા સિંચાઈ ડેમ તથા ચાર ચેકડેમ આવેલા છે, જેનું પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. વર્ષ 2021 માં કલેક્ટર દ્વારા આ જ સર્વે નંબરની 150 હેક્ટર જમીન બગાયતી અને ઔષધીય પાકો માટે અનામત રખાઇ હતી. માઈનીંગને કારણે આ હેતુ જોખમમાં મુકાશે. જો આ લીઝ રદ નહીં કરાય તો પશુપાલકોને હિજરત કરવાની ફરજ પડશે.
નોકરી ન્યૂઝ:SBIમાં ડેપ્યુટી મેનેજર-VPની ભરતી, 45 લાખ સુધીનું પેકેજ
એસબીઆઇ ટેકનિકલ નિષ્ણાતો માટે 12 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી કરશે. જેમાં ડેપ્યુટી મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા મહત્વના પદો માટે B.E, B.Tech, M.E, M.Tech, M.Sc અને MCA પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં પસંદગી પામનારને વાર્ષિક રૂ. 45 લાખ સુધીનું પગાર પેકેજ મળશે. ઉમેદવારોએ 5 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. અનુભવ અને શોર્ટલિસ્ટિંગના આધારે ઇન્ટરવ્યુ દ્વારા ફાઈનલ પસંદગી કરાશે. આ રીતે કરો અરજી કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)
પ્લાસ્ટિક મુક્ત નિરોણા:છાત્રાઓ દ્વારા પર્યાવરણ માટે લેવાયેલો સશક્ત કદમ
‘પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા’ અભિયાન અંતર્ગત સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના આચાર્ય ડૉ વી.એમ.ચૌધરીના માર્ગદર્શન સાથે ઇકો ક્લબ ઓફિસર અલ્પેશ જાનીના સંકલનથી ધો.10ની જાનવી ગાગલે પોતાના 16મા જન્મદિવસને પરંપરાગત ઉજવણીથી અલગ રીતે ઉજવી સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. 16 પ્લાસ્ટિક બોટલમાં પ્લાસ્ટિકનો કચરો ભરી, તમામ બોટલ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળામાં વર્ગ શિક્ષકને જમા કરાવી હતી. આ પહેલથી પ્રેરણા લઈને ધો.11ની સુગરાબાઈ કુંભારે પણ પોતાનો જન્મદિવસ એ જ રીતે ઉજવી અભિયાનને આગળ ધપાવ્યું હતું. આ અભિયાનને વધુ વેગ આપતા ધો.9ની હેન્સી સીજુ અને ઝીલ નઝારે, ધો.10 રીંકુ નઝારની મદદથી પોતાની શેરીમાં પડેલી 127 ખાલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં જમા કરાવી હતી. એકત્રિત બોટલનો શાળા પરિવાર દ્વારા યોગ્ય નિકાલ કરાશે. એક દીકરીની વિચારશીલ પહેલથી શરૂ થયેલું આ નાનકડું અભિયાન હવે સામુદાયિક સ્વરૂપ ધારણ કરશે. ગામના નાગરિકો, વેપારી એસોસિએશન સ્વેચ્છાએ આ અભિયાનમાં જોડાઈ લોકભાગીદારીથી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે તેવી આશા સેવાઇ રહી છે. સરપંચ નરોત્તમભાઈ આહિરે આ હકારાત્મક પહેલને આવકારી છે.
કોમનવેલ્થના હોસ્ટ બનેલા અમદાવાદમાં હવે ઘણાં ફેરફારો થવાનો આરંભ થઈ ગયો છે. જો કે સૌથી મહત્વની બાબત હોય તો એ છે સિવિક સેન્સ. આ ઉપરાંત ઘણી બધી બાબતોથી અમદાવાદીઓ પરેશાન છે. આ ઇસ્યૂઝને લઈ દિવ્ય ભાસ્કરે યુવાઓને પૂછ્યું કે, જો એક જ બદલાવ લાવવો હોય તો શું ચેન્જ લાવશો? જેમાં યુવાઓએ એક ગજબનો ઇસ્યૂ ઉઠાવ્યો હતો.
મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ફાઈનલ મતદાન 52.94 ટકા
2017 ની તુલનાએ ઓછું મતદાન થયું ભાંડુપના વોર્ડ ૧૧૪માં સૌથી વધુ તો દક્ષિણ મુંબઈના વોર્ડ ૨૨૭માં સૌથી ઓછું મતદાન મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૨.૯૪ ટકા મતદાન નોંધાયું હોવાના ફાઈનલ આંકડા આજે જાહેર કરાયા હતા. ૨૦૧૭ની છેલ્લી ચૂંટણી દરમ્યાન ૫૫.૫૩ ટકા મતદાન થયું હતું.
સેવણી સતધામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા નૂતન મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગોત્રીથી પૂજારી રવિન્દ્ર પ્રસાદ અને ભાવનગર જિલ્લાના સિહોર મોંઘીબાની જગ્યાના મહંત જીણારામ બાપુ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભૂમિ પૂજન સાથે બ્રહ્મ ચોર્યાસીમાં સતશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે બ્રાહ્મણોનું ખૂબ મોટું યોગદાન છે. સાધુ, બ્રાહ્મણ, ગાય, મંદિર અને શાસ્ત્ર આ પાંચનું રક્ષણ થશે તો જ વૈદિક સંસ્કૃતિની ગરિમા જળવાશે. સતધામ પરિસરમાં સૌપ્રથમ વિદ્યામંદિર, ગૌ મંદિર, સંસ્કાર મંદિર અને યજ્ઞ મંદિર તૈયાર થયા છે જેના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ગાયોની સેવા, યજ્ઞ થાય છે અને સંસ્કાર મંદિરમાં બેસીને કથા, ભજન,કીર્તન થાય છે હવે ટૂંક સમયમાં ઈશ્વર મંદિર તૈયાર થશે. મંદિરો એ માત્ર સેવા પૂજા કરવા પૂરતા સિમિત નથી સંસ્કારો અને સંસ્કૃતિનું મજબૂત છત્ર છે. તે છત્રની નીચે સનાતન સંસ્કૃતિ ની મૂળભૂત પરંપરા પ્રમાણે અનેકવિધ ઉત્સવો ઉજવાશે 9 હજાર ચો. ફૂટમાં પિંક પથ્થરોથી કોતરણી કામવાળા મંદિરનું નિર્માણ થશેકોઠારી બાલકૃષ્ણ સ્વામી અને નિર્ગુણ સ્વામીએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેની વિધિ વિધાન અને વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે 9000 ચોરસ ફૂટ એરિયામાં રાજસ્થાનના બંસી પહાડપુરના પિંક પથ્થરોથી કોતરણી કામવાળું હજારો વર્ષોનુ આયુષ્ય ગણાય તેવું અત્યાધુનિક મંદિર નિર્માણ થશે. હજારો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:કચરા કૌભાંડમાં સોલિડ વેસ્ટ સહિત 16 અધિકારી-કર્મચારીઓની બદલી
કચરા કૌભાંડમાં પાલિકા કમિશનરે અગાઉ 5 ઉચ્ચ અધિકારીને શોકોઝ ફટકાર્યા બાદ હવે ખજોદ સાઈટ અને સોલિડ વેસ્ટ (SWM)ના 16 જેટલા અધિકારી-કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ કર્યા છે. ડેપ્યુટી કમિશનરની સહીથી મોડી સાંજે બહાર પડેલા ઓર્ડરને પગલે પાલિકામાં ફફડાટ વ્યાપી ગયો છે. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, આસી.ઇજનેરથી લઈને ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરો, સેનિટરી ઇન્સ્પેક્ટરો, એસએસઆઈ સોલિડ વેસ્ટમાંથી તમામને તગેડી મૂકાયા છે. ખજોદ સાઇટ ખાતે પ્રોસેસિંગ અને ડિસ્પોઝલની મલાઇદાર કામગીરી પર અત્યાર સુધી એક્ઝિક્યુટિવ સહિતના એન્જિનિયરોનો ઇજારો હતો. પરંતુ તમામ જવાબદારી આંચકી લઈ આરોગ્ય ખાતાના આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગર, અઠવા ઝોનના ડે. મેડિકલ ઓફિસર અને આસી. મેડિકલ ઓફિસરને હાલ જવાબદારી સોંપી છે. સોલિડ વેસ્ટ વિભાગમાં સામૂહિક બદલી આ ચીફ SI, SSIને સોલિડ વેસ્ટમાંથી હાંકી કઢાયા
ભૂકંપનો આંચકો:ભચાઉ-રાપરમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી
કચ્છમાં વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, તેવા સમયે જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના હળવા કંપનોનો દોર યથાવત રહેતા લોકોમાં ચિંતાનું ફેલાઈ છે. ગત 13 જાન્યુઆરીના ધોળાવીરા નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે બે હળવા કંપનો અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે પરોઢે 05:47 વાગ્યે રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં નારાણપર–ખેંગારપર રોડ પર આવેલા મોમાઈ માતાજીના મંદિર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ હતી અને ભૂકંપ જમીનની અંદાજે 11.1 કિલોમીટર ઊંડાઈએ થવાથી લોકો સુધી તેની અસર ખાસ અનુભવાઈ ન હતી. તે જ દિવસે બપોરે 01:50 વાગ્યે ભચાઉથી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપી કંપન નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખારોઈ–કકરવા રોડ પર આવેલા ધનુશ્વર મહાદેવ મંદિર નજીક નોંધાયો હતો. નાના કંપનો ભૂકંપીય ઊર્જા મુક્ત થવાનો સંકેત હોઈ શકે છે, છતાં પ્રશાસન અને નાગરિકોને ભૂકંપ સુરક્ષા અંગે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વરસામેડી–ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કામ હજુ અધૂરું હોવા છતાં ટોલ વસૂલાત શરૂ કરાતા કચ્છમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. ગુરુવારે ટોલ શરૂ થતાં જ વિવિધ ટ્રક સંગઠનો દ્વારા વરસામેડી ટોલ પ્લાઝા ખાતે સૂત્રોચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રક માલિકો અને વાહનચાલકો આક્રોશ સાથે જણાવે છે કે માર્ગની ગુણવત્તા નબળી હોવા છતાં ટોલ શરૂ કર્યો છે જે યોગ્ય નથી. કંડલા મુન્દ્રા કન્ટેનર વેલફેર સંગઠન દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.341ની ગુણવત્તા પરીક્ષણની તૈયારી કરવામાં આવી છે. ગુરુવારે સંલગ્ન તમામ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ટોલ વસૂલાત સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે કંડલા મુદ્રા કન્ટેનર વેલફેર એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જિલ્લા તંત્રને સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાશે તેવી આશા રાખી છે. જો સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંગઠન દ્વારા થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરાવવાની પણ તૈયારી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની ગુણવત્તા માટે નિશ્ચિત નિયમો છે, પરંતુ જો તે મુજબનું કામ નહીં થયાનું સાબિત થાય તો 1000 કરોડથી વધુના ખર્ચે બનેલા 65 કિલોમીટર લાંબા આ માર્ગમાં થયેલા સંભવિત ભ્રષ્ટાચાર સામે કન્સ્ટ્રક્શન કંપની જી.આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોર્ટમાં પડકારવામાં આવશે. તેમનો આક્ષેપ છે કે રતનાલ રેલવે ઓવરબ્રિજનું કામ પણ હજુ અધૂરું છે અને ગત ચોમાસામાં અનેક સ્થળે ખાડાઓ પડતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. આવી સ્થિતિમાં આ માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે કેવી રીતે સ્વીકારી શકાય તે પ્રશ્ન છે. ટ્રક ઓનર્સ વેલફેર ફાઉન્ડેશન, રતનાલના પ્રમુખ રાજેશભાઈએ છાંગાએ જણાવ્યું હતું કે ટોલ શરૂ કરવા પહેલા ઓછામાં ઓછું એક મહિનો અગાઉ જાહેર સૂચના આપવી જરૂરી હતી, જ્યારે અહીં એક જ દિવસમાં નિર્ણય લઈને ટોલ વસૂલાત શરૂ કરવી અયોગ્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કચ્છના વાહનચાલકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય સહન કરવામાં નહીં આવે અને જો ગુણવત્તાસભર માર્ગ નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
સ્નેહમિલન:સાર્વજનિક કુમાર છાત્રાલયમાં ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન
શહેરની લાલ ટેકરી પાસે આવેલી અને રાજાશાહી સમયમાં સન 1933માં સ્થપાયેલી કચ્છની ઐતિહાસિક ‘સાર્વજનિક કુમાર છાત્રાલય’ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ 18-01-ના રોજ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે. રાજાશાહી સમયમાં પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે આ છાત્રાલય કાર્યરત હતી. 1952થી 2025 સુધીના તમામ વિદ્યાર્થીઓની યાદી અહીં ઉપલબ્ધ છે. સ્નેહમિલન સાથે છાત્રાલયમાં નવનિર્મિત ડાયનિંગ હોલ અને રસોડાનું ઉદઘાટન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે, જેઓ પોતે આ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને જિ.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડા પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના પ્રમુખ રમેશ ભટ્ટીએ યાદીમાં જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટ દ્વારા અંજારમાં ઠક્કરબાપા વિદ્યાર્થી આશ્રમ પણ ચલાવવામાં આવે છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભુજ અને અંજાર ખાતે નવા અદ્યતન શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે સંકલ્પલેવામાં આવશે.
સુમન સ્કૂલના નિર્માણ માટે કતારગામમાં વર્ક ઓર્ડર મળ્યા બાદ બારોબાર ડભોલીમાં બાંધકામ શરૂ કરી દેવા મુદ્દે ભાજપ કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચેની ખેંચતાણ સરકાર સુધી પહોંચે તે પહેલાં શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીએ ચેન્જ ઓફ સાઇટની દરખાસ્ત મુલતવી રાખી છે. સાથે જ મંજૂરી વગર ડભોલીમાં બાંધકામ કેવી રીતે શરૂ કરાયું તે અંગે જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા હતા. ઉપરાંત બાંધકામ પર રોક લગાવી કતારગામમાં જ સ્કૂલ બનાવવાની તૈયારી દર્શાવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે કહ્યું કે વૉર્ડ નં-7 કતારગામની 31 સોસાયટીના રહીશોએ સ્કૂલ જૂના સ્થળે કતારગામમાં જ બનાવવા લેખિત માંગ કરી છે. તેથી હવે સ્થાનિકોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે. આ સાથે જ જૂના સ્થળે ઝડપથી સ્કૂલ નિર્માણ શરૂ કરવાનો પણ આગ્રહ દર્શાવાયો હતો. ધારાસભ્ય વિનુ મોરડિયાએ નવા સ્થળની ભલામણ કરી હતી, CMએ ફોન કરી કહ્યું, વિવાદ થયો છે, દરખાસ્ત મુલત્વી રાખોધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્કૂલનું સ્થળ બદલવા ભલામણ કરીને વર્ક ઓર્ડર વિના ડભોલીમાં ફાઉન્ડેશન પૂર્ણ થવા સુધી ઝોન અધિકારીઓ કેમ અજાણ રહ્યા તે પ્રશ્ન બેઠકમાં ઊઠ્યો હતો. જો કે, મુખ્યમંત્રીએ ફોન કરીને કહ્યું હતું કે, સ્કૂલના સ્થાનાંતરને લઈ વિવાદ થયો છે, જેથી દરખાસ્તને મુલત્વી રાખો. જો કે, ડભોલીમાં બાંધકામ શરૂ થતાં ઝોન અધિકારીઓની કામગીરી પણ શંકાના ઘેરામાં છે. આ મુદ્દે તપાસના આદેશ આપીને અધિકારીઓની ભૂમિકા અંગે રિપોર્ટ કરવા પણ તાકીદ કરાઇ હતી. નવું સ્થળ રદ કરાવવા આપનાં ધરણાં, નવું રાખવા ભાજપ મેદાનમાંસ્કૂલનું લોકેશન બદલી કાઢવા મુદ્દે ડો. કિશોર રૂપારેલિયાએ ગુરુવારે સ્થાયી ચેરમેનની ચેમ્બર બહાર વિપક્ષના વિરોધ પ્રદર્શન સાથે વિરોધ કર્યો હતો બાદ તેઓ ત્યાં જ આખી રાત ધરણા પર બેસી રહ્યાં હતા. સાથે કોર્પોરેટર દીપ્તિ સાકરીયા પણ હતા. આપ નેતા પાયલ સાંકરિયાએ કહ્યું કે, આપના વિરોધને પગલે શાસકોએ ઝુંકવું પડ્યું છે અને સ્ટેન્ડિંગની બેઠકમાં શાળા ફેરબદલી કરવાની દરખાસ્તને મુલતવી રાખવી પડી છે. જો કે બીજીતરફ, સ્કૂલનું સ્થળ નવું જ રાખવા ભાજપની લોબી મેદાનમાં પડી હતી. રાજકીય તણાવ એટલો વધી ગયો કે મેયર કક્ષમાં માજી વૉર્ડ પ્રમુખ અને કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમણે કોર્પોરેટરો પર મનમાનીના આક્ષેપ કર્યા હતા, જવાબમાં સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે 2 વર્ષ અગાઉ માજી વૉર્ડ પ્રમુખે પોતે ટેકો આપ્યો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
શહેરના દાદા-દાદી પાર્ક અને રામધૂન વિસ્તારમાં નવનિર્મિત રોડની કામગીરીમાં થયેલી ટેકનિકલ ક્ષતિના કારણે સર્જાયેલી અકસ્માતની સમસ્યા અંગે તંત્ર દ્વારા પગલા લેવાની ખાતરી અપાઇ છે. અહીં જૂના રોડને ખોદ્યા વિના જ નવો ડામર રોડ બનાવી દેવાતા રોડની ઊંચાઈ ડિવાઈડરની સમાંતર થઈ ગઈ હતી. આ બેદરકારીના કારણે ડિવાઈડરની અસરકારકતા શૂન્ય થઈ જતાં વાહનચાલકો આડેધડ વાહનો હંકારતા હતા અને વણાંકો પર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું હતું, જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે જાગૃત નાગરિક મિતેષભાઈ શાહે નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું. તેમણે ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર અને નગરસેવક મનુભા જાડેજાને રૂબરૂ સ્થળ પર બોલાવી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. ગંભીરતાને ધ્યાને લઈ, ઉપપ્રમુખે ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે ડિવાઈડરની ઊંચાઈ વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
સિટી એન્કર:ગુજરાત વતી માધાપરની પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો
બિહારના પટના ખાતે ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની પાંચમી નેશનલ ગોલબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું. તા. 11થી 13 જાન્યુઆરીના આયોજિત આ સ્પર્ધામાં ગુજરાત વતી માધાપરની નવચેતન અંધજન મંડળની મહિલા ટીમે શાનદાર રમત પ્રદર્શિત કરી ગુજરાત અને કચ્છનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરમાંથી ભાઈઓની 16 અને બહેનોની 11 ટીમોએ પાટલીપુત્ર સ્ટેડિયમ પર ભાગ લીધો હતો. માધાપર સ્થિત નવચેતન અંધજન મંડળની મહિલા ટીમ જેમાં જયશ્રી આહિર, પ્રિયાંશી જાડેજા, નયના પઢીયાર, અસ્મિતા ચાવડા, ભૂમિકા ગોંડલીયા અને મમતા ઠાકોરની ટીમે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં તમિલનાડુને પરાજય આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગુજરાતની ટીમને સેમીફાઇનલમાં મહારાષ્ટ્ર સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભાઈઓની ટીમ ગ્રુપ લેવલમાં બીજા ક્રમે રહી હતી, પરંતુ સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી શકી નહોતી. આ ટુર્નામેન્ટ દ્વારા માત્ર ખેલાડીઓજ નહીં પરતું માર્ગદર્શકોએ પણ સિદ્ધિ મેળવી હતી. ગોલબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના બે કર્મચારીઓ રસીલાબેન હીરાણી અને દિલીપ પાંડવે રેફરી માટેનો ‘લેવલ વન’ કોર્સ પૂર્ણ કર્યો હતો અને ટુર્નામેન્ટ દરમિયાન રેફરી તરીકે પોતાની સેવાઓ આપી હતી. ટીમની સફળતા પાછળ કોચ નીરવ ડાક, શંકરભાઈ પ્રજાપતિ અને ભક્તિબેન ત્રિવેદીનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન સંસ્થાના મંત્રી હિમાંશુ સોમપુરાએ આયોજન સમિતિના સભ્ય તરીકે ઉપસ્થિત રહીને મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની ટીમની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ કાનજી ગડા, ઉપપ્રમુખ હિરાલાલ આર. ચાવલા, જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, ખજાનચી ઝીણાભાઈ ડબાસીયા, મંત્રી વનરાજસિંહ જાડેજા તથા હિમાંશુ સોમપુરા તેમજ દિવ્યાંગ સ્પોર્ટ્સના સહમંત્રી દેવરામભાઈ ઢીલાએ તમામ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.
મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો:108 એમ્બ્યુલન્સને ઉતરાયણ પર્વે 360 મેડિકલ ઇમર્જન્સી કોલ મળ્યા
ઉતરાયણ પર્વ દરમિયાન કચ્છ સહિત રાજ્યભરમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પર મેડિકલ ઇમર્જન્સી કોલોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તહેવારની ઉજવણી દરમિયાન પતંગબાજી, ધાબા પર ચઢવાનું અને વધેલા વાહન વ્યવહારના કારણે અકસ્માતોના બનાવો વધતા 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ બે દિવસમાં કુલ 360 ઇમર્જન્સી કોલ પ્રાપ્ત થયા હતા. ] પ્રાપ્ત માહિતી મુજબ 14 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે 180 ઇમર્જન્સી કોલ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 30.22 ટકા વધુ હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 150 જેટલા કોલ મળતા હોય છે. આ દિવસે રોડ ટ્રાફિક એક્સિડન્ટના 55 કોલ, ધાબા પરથી કે પતંગના દોરાથી અથવા અન્ય રીતે પડી જવાના 32 કોલ અને પતંગના દોરાથી કપાઈ જવાના 6 કોલ નોંધાયા હતા. તે જ રીતે 15 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 180 કોલ પ્રાપ્ત થયા હતા. જેમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટના 28 કોલ, ધાબા પરથી કે અન્ય રીતે પડી જવાના 10 કોલ અને પતંગના દોરાથી કપાઈ જવાનો 1 કોલ સામેલ હતો. બંને દિવસોને મળીને કુલ 360 ઇમર્જન્સી કોલ મળ્યા હોવાનું 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડૉ. ભવર પ્રજાપતિએ જણાવ્યું હતું. આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન તહેવાર સંબંધિત મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો થયો છે.
પસંદગી પ્રક્રિયા:ગણિત-વિજ્ઞાનના ઉમેદવારો માટે 22મીએ સ્થળ પસંદગી પ્રક્રિયા
કચ્છ જિલ્લામાં ધોરણ 6 થી 8 માટે વર્ષ 2025 ની વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના ઉમેદવારો ગત તા. 27/11/2025 થી 01/01/2026 દરમિયાન જિલ્લા પસંદગી કરી છે, તેઓ માટે શાળા અને સ્થળ પસંદગી તેમજ નિમણૂંક ઓર્ડર મેળવવાની પ્રક્રિયા આગામી તા. 22/01/2026 ના રોજ સવારે 9:00 કલાકે માધાપર મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલી આ સૂચના મુજબ, લાયક ઉમેદવારોએ ડોક્યુમેન્ટ ચકાસણી અને નિમણૂંક પત્ર મેળવવા માટે નિયત સમયે અને સ્થળે અચૂક હાજર રહેવું પડશે અને જો કોઈ ઉમેદવાર આ પ્રક્રિયામાં ગેરહાજર રહેશે, તો તેઓ ભવિષ્યમાં શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો હકદાવો કરી શકશે નહીં તેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની ખાસ ભરતી માટેની પ્રક્રિયા દરમિયાન જિલ્લાને ધોરણ 6થી 8માં ભાષાના શિક્ષકોની ભરતી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છને 494 શિક્ષકો મળે તેવી શક્યતા છે.
નિયમોના ધજાગરા:બ્લેક કાર–થારમાં બ્લેક ફિલ્મ, હજુ એવા જુવાનિયા છે કે જે ગર્વ લે છે
ખાનગી વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવાના નિયમોને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા કડક અમલ કરવામાં આવે છે. માર્ગ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુસર ખાનગી કારમાં બ્લેક ફિલ્મ લગાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. માત્ર મર્યાદિત પ્રમાણમાં પારદર્શક ફિલ્મ જ સ્વીકાર્ય ગણાય છે. પોલીસ તપાસ દરમિયાન જો વાહનમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ મળી આવે તો ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ભુજમાં પ્રમાણમાં કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતી ઓછી દેખાય છે, પરંતુ ખાસ કરીને બ્લેક કલરની થાર, સ્કોર્પિયો કે અન્ય કારમાં નંબર પ્લેટ ન હોવી અને બ્લેક ફિલ્મ લગાવવી તે અમુક વર્ગ માટે ગર્વ હોય તેમ ફરે છે. પોલીસ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ જો ફિલ્મ ઉતારી નાખવામાં આવે તો પણ તરત જ કાર ડેકોરા શોપમાં જઈને ફરીથી લગાવી આવે છે. નિયમ મુજબ હાઈ પ્રોફાઇલ સરકારી અધિકારીઓ, ન્યાયાધીશો, ચોક્કસ પોલીસ અધિકારીઓ તેમજ Z અને Z+ સુરક્ષા ધરાવતા વ્યક્તિઓને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે. જોકે આ છૂટછાટ પણ સુરક્ષા એજન્સીની ભલામણ અને સરકારની સ્પષ્ટ મંજૂરી બાદ જ આપવામાં આવે છે. સામાન્ય નાગરિકો માટે આવા નિયમો લાગુ પડતા નથી. જાહેર માલિકીના તેમજ ખાનગી વાહનો માટેના નિયમ મુજબ આગળ અને પાછળના કાચની વિન્ડશિલ્ડમાં ઓછામાં ઓછું 70 ટકા દૃશ્યતા હોવી ફરજિયાત છે, જ્યારે બાજુના કાચમાં 50 ટકા દૃશ્યતા જરૂરી છે. આ કરતાં ઓછી પારદર્શિતા ધરાવતી કોઈ પણ ફિલ્મ ગેરકાયદેસર ગણાય છે. બ્લેક ફિલ્મ લગાવવાના ગુનામાં શહેર અને ગુનાની ગંભીરતા પ્રમાણે દંડ નક્કી થાય છે. સામાન્ય રીતે પહેલો દંડ 500 થી 1000 રૂપિયા સુધીનો હોય છે. વારંવાર ઉલ્લંઘન કરનાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.
ચોમાસામાં ભારે હાલાકી:વોર્ડ નંબર 1 અને 2 ના પાણીના વહેણ નષ્ટ થયા, સુધરાઈ પાસે કોઈ આયોજન નહીં !
ભુજિયાની તળેટીથી એરપોર્ટ રીંગ રોડ વચ્ચે આવેલી અંદાજે દસથી વધુ રહેણાંક વસાહતોમાં રહેતા અંદાજે બે હજાર પરિવારો વરસાદી પાણી ભરાવાનો ભોગ બને છે. શહેરમાં સરકારી જમીન પર બેફામ દબાણ, અનધિકૃત બાંધકામ અને તંત્રની રહસ્યમય મૌન સંમતિના કારણે વોર્ડ નંબર 1 થી 3 ના નાગરિકો દર વર્ષે ચોમાસામાં ભારે હાલાકી ભોગવે છે. શહેરના સીમ વિસ્તાર અને ઓછી અવરજવરવાળી જગ્યાઓમાં સરકારી જમીન પર ખુલ્લેઆમ દબાણ થઈ રહ્યું છે. જમીન રેકર્ડ અધિકારી અને સીટી સર્વે કચેરી પાસે સમગ્ર શહેર-સીમ વિસ્તારના નકશા ઉપલબ્ધ હોવા છતાં, કઈ રીતે સરકારી જમીનના સર્વે નંબર બદલાઈ જાય છે અને નકશા ખસેડાઈ જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદેસર ખાનગી જમીન સિવાય એકરોના હિસાબે સરકારી જમીન પર જમીન ધંધાર્થીઓએ સરકારી વિભાગોમાં ‘વ્યવહાર’ કરી દબાણ કાયમ કર્યું છે. આ દબાણોના કારણે પાણીના કુદરતી વહેણ સંપૂર્ણપણે અટકી ગયા છે. ભુતેશ્વર તળાવ, લખુરાઈ તળાવ અને રાતો તળાવ તેમજ અનેક નાના મોટા તળાવ, આ વિસ્તારના મહત્વના તળાવો માટી પુરાણથી નષ્ટ કરી દેવામાં આવ્યા છે. પાણીના મોટા વહેણને પસાર કરવા બદલે માત્ર દેખાવ પૂરતા નાના પાઇપ મૂકવામાં આવ્યા છે, જેથી કાગળ પર “વ્યવસ્થા” દેખાય પરંતુ હકીકતમાં પાણી ઘરોમાં ઘૂસી જાય છે. સ્થાનિક રહેવાસીઓને આક્ષેપ છે કે દેશલસર તરફ જતું કુદરતી પાણી દબાણ દ્વારા રોકી દેવામાં આવ્યું છે. કાયદેસર અને ગેરકાયદેસર મકાનોના ગટર જોડાણ બિન્દાસ્ત આપી દેવામાં આવતાં વરસાદી પાણી અને ગટર ભેગું થઈ રસ્તા અને ઘરોમાં ભરાઈ જાય છે. રીંગરોડ નીચેથી પસાર થતાં પાઇપ પણ પૂરી દેવામાં આવ્યા છેવરસાદી પાણી પસાર થઈ શકે તે માટે ભૂકંપ બાદ બનાવવામાં આવેલા રીંગરોડ નીચેથી પ્રમાણમાં નાના પરંતુ પાઇપ બેસાડવામાં આવ્યા હતા. ભૂતેશ્વર તળાવથી લખુભાઇ તરફ જતા મુખ્ય રસ્તા વચ્ચે આવતા આ પાઇપ પણ પૂરી નાખવામાં આવ્યા છે અને તેને લગોલગ દિવાલ બનાવી દેવામાં આવી છે તેવું સ્થાનિક નગરસેવિકાએ જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુઝિવ:15 હજાર લોકોને ડ્રેનેજ સમસ્યામાંથી મળશે મુક્તિ
ભુજ શહેરના સંસ્કારનગર વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન કોલોનીમાં ગટરના પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાતી રહી છે. ભારે વરસાદ પડતા નિકાસ વ્યવસ્થા નિષ્ફળ બનતી હોવાથી રહેવાસીઓએ અનેક વખત દુષિત પાણી, દુર્ગંધ અને આરોગ્ય જોખમોનો સામનો કરવો પડતો હતો. આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભુજ નગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એરપોર્ટ રીંગરોડથી ત્રિપુરા સુંદરી સર્કલ થઈને કોમર્સ કોલેજ ત્રિવેટે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવનાર છે. આ લાઈન પડતા ભુજના વોર્ડ નંબર 6, 7 અને 8ના અંદાજે 15,000 લોકોને મોટો લાભ મળશે. કોમર્સ કોલેજ ક્વાર્ટરથી ત્રિપુરા સુંદરી સર્કલ થઈને ત્રિમંદિર સુધી મુખ્ય લાઈન સાથે જોડીને વૈકલ્પિક ડ્રેનેજ લાઈન નાખવાનું નક્કી કરાયું છે. આ માટે અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ કરાશે. ભુજમાં અગાઉ ઘણી વખત ડ્રેનેજ લાઈનોના કામ થયા હોવા છતાં, જૂની લાઈનોમાં થતી ટેકનિકલ ખામીઓના કારણે સમસ્યા યથાવત રહી હતી. આ વખતે નગરપાલિકાએ જૂની લાઈન સાથે માત્ર પેચવર્ક કરવાને બદલે સંપૂર્ણ નવી અને આધુનિક ડ્રેનેજ લાઈન બિછાવીને સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી અનિલ જાદવએ જણાવ્યું હતું કે, સંસ્કારનગર તરફ જતી ડ્રેનેજ લાઈન આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પણ ડ્રેનેજમાં સામેલ થઈ જતું હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા વિકટ બની છે. તેનો ઉકેલ લાવવા માટે એરપોર્ટ તરફ જતી મુખ્ય ડ્રેનેજ લાઈનમાં કનેક્શન આપવામાં આવશે. ઇજનેરો દ્વારા આયોજનબદ્ધ રીતે નવી લાઈનને કોમર્સ કોલેજ પાસે આવેલી લાઈન સાથે જોડીને વધારાનું પાણી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં જ કામગીરી શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સંસ્કારનગર વિસ્તારમાં રહેતા અનેક પરિવારોને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે, વોર્ડ નં. 6,7 અને 8ના રહેવાસીઓને થશે રાહતનગરસેવક તથા સત્તાપક્ષના નેતા કમલભાઈ ગઢવીએ જણાવ્યું કે આ નવી ડ્રેનેજ લાઈનથી ચોમાસા દરમિયાન ગટરની સમસ્યા હળવી બનશે. ખાસ કરીને ઉમેદ નગર, સંસ્કાર નગર, કૈલાશ નગર, ગણેશનગર અને ગાયત્રી મંદિર તરફ જતા વિસ્તારોના રહેવાસીઓને આ યોજના થકી રાહત મળશે. નગર પાલિકા દ્વારા અગાઉ અનેક વખત મંગલમ સર્કલ સુધીની ડ્રેનેજ લાઈન મરમ્મત કરી છે. પરંતુ ઉકેલ આવ્યો નથી. કોમર્સ કોલેજથી ત્રિમંદિર સુધી ડ્રેનેજ લાઈન નખાતા આ વિસ્તારના અનેક પરિવારોને રાહત થશે.
ધમકી આપી:રાજકોટની સદર બજારમાં માંસના ધંધાર્થી યુવાનને ગૌરક્ષકની ધમકી
સદર બજાર ખાટકીવાડમાં રહેતા આસિફભાઇ અબ્બાસભાઇ બેલીમએ પ્ર.નગર પોલીસ મથકમાં ભાવિન પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આસિફભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ખાટકીવાડમાં માંસ વેચવાનો ધંધો કરે છે. ગત તા.10ના રોજ તે પોતાના ઘરે હતા ત્યારે ભાવિન પટેલ જે ગૌરક્ષક છે તેણે ફોન કરી ફરિયાદીને યાજ્ઞિક રોડ પર બાપા સીતારામના ઓટા પાસે બોલાવતા તે ત્યાં ગયા ત્યારે આ ભાવિને તેને વાત કરી કે “તારી ગાડીમાં જીપીએસ નખાવી દેજે’ તો તેણે ભાવિનને કહ્યું કે, કેમ જીપીએસ નાખવાનું કહો છો? તો ભાવિને કહ્યું કે, તું ગાડીમાં ઢોર ભરીને કેટલા ફેરા મારશ તેની મને ખબર પડે છે, તમે વધારે ફેરા મારો છો અને રૂપિયા ઓછા આપો છો એટલે તને જીપીએસ નાખવાનું કહું છું અને જો ગાડીમાં જીપીએસ નહીં નાખે કે વધુ રૂપિયા નહીં આપે તો તને મારી નાખીશ. આ અંગે યુવકે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મંદિરમાં ચોરી:કુવાડવા નજીક આવેલા ખેરડીના મંદિરમાંથી રૂ. 1.92 લાખની ચોરી
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ ઘર-મકાન બાદ મંદિરોને નિશાને બનાવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરીની શોધખોળ હાથ ધરી છે. ખેરડી ગામ રહેતા ખીમજીભાઈ સોમાભાઈ નકુમે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે નદીના કાંઠે મશાણી મેલડી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં મારા પિતા સવાર-સાંજ આરતી તથા દીવાબત્તીનું કામ કરે છે. ગઈકાલ પિતાએ મને ફોન કરી મંદિરમાં ચોરી થયેલ હોવાની વાત કરેલ જેથી હું મંદિરે જઈ જોતા દરવાજાના નકુચા તુટેલી હાલતમાં જોવા મળેલ જેથી અંદર જઈ તપાસ કરતા માતાજીની મૂર્તિ પરનો ચાંદીનો મુંગટ તથા ચાંદીના છત્તર, મંદિરમાં લગાડેલા સીસીટીવીનું ડીવીઆર સહિતનું જોવા ન મળતા કુલ રૂ.1.92 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ રજીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જી.સોલંકીએ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
ઠપકાનો ખાર રાખી હુમલો કરાયો:કોઠારિયા સોલવન્ટમાં પાલતુ શ્વાન મુદ્દે પાડોશીઓ બાખડ્યા
કોઠારિયા સોલવન્ટમાં શ્વાન બાબતે આપેલ ઠપકાનો ખાર રાખી 4 મહિલા સહિત 10 શખ્સએ છરી, પાઇપ અને ધોકાથી યુવાન ઉપર હુમલો કર્યો હતો. શહેરના કોઠારિયા સોલવન્ટમાં હુસેની ચોક પાસે રહેતી મુસ્કાનબેન ઇબનેમભાઇ ફારૂકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી વીકી, સંજય પાડલિયા, ગોગો, વીકીનો ભાઇ રોકી, મનીષ ઉર્ફે કકુ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વીકીની પત્ની, મનીષ ઉર્ફે કકુની બે બહેનો તથા મનીશ ઉર્ફે કકુની માતા જસુબેનના નામ આપ્યા હતા. તેણીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ બંને રાત્રે ઘરે હતા ત્યારે તેની શેરીમાં રહેતા વિકી તથા તેનો ભાઈ રોકી તથા તેમનો મિત્ર સંજય પાડલિયા તથા ગોગો તથા મનીષ ઉર્ફે કકુ તથા રવિરાજ કાઠી તથા જનકો કબુતરવાળો તથા વિકીના પત્ની તથા કકુની બે બહેનો તથા તેઓની માતા જશુબેન તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. ગાળો બોલતા તેણીના પતિ ઇબનેમએ ગાળો બોલવાની ના પાડતા ધોકા વડે હુમલો કર્યો હતો અને વીકી તથા સંજય પાડલિયાએ છરી કાઢી તેના પતિના છાતીના ભાગે છરીનો ઘા મારતા પોતે રાડારાડી કરવા લાગી હતી અને પડોશીઓ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર માર્યો હતો. આ મારામારી થવાનું કારણ એ હતું કે,ગત તા.14/01ના રોજ તેમણે વીકીના પત્ની તથા માતા તેઓના પાલતુ શ્વાનને ઘર પાસે શાૈચક્રિયા કરાવતા હોય જે બાબતનો ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી યુવક અને તેના પરિવાર પર હુમલો થયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
રાજકોટ મનપાએ તા. 15ના રોજ યોજેલી ટેક્સ મેગા રિકવરી ડ્રાઈવમાં એક જ દિવસે 378 મિલકતો સીલ કરી હતી તેમજ 485 મિલકતો સામે કાર્યવાહી કરીને રૂ. 4.92 કરોડની વસૂલાત કરી હોવાનો દાવો કર્યો છે. વસૂલાતના આ આંકડા પ્રશાસનિક દ્દષ્ટિએ નોંધપાત્ર ગણાય, પરંતુ આ સફળતાની પાછળ અપનાવવામાં આવેલી પદ્ધતિએ નાગરિકોમાં ગંભીર અસંતોષ અને ચિંતા જગાવી છે. ખાસ કરીને બાકીદારોની વિગતવાર યાદી મનપાની વેબસાઈટ પર જાહેર કરવાથી નાગરિકોની આબરૂ અને ગોપનીયતા અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. વેરા વસૂલાત એ મનપાની કાયદેસર ફરજ છે તેમાં કોઈ વાદ નથી. પરંતુ બાકીદાર નાગરિકોના નામ, મિલકત વિગતો અને બાકી રકમ જાહેરમાં મૂકીને ‘નામ ઉઘાડા’ની નીતિ અપનાવવી લોકશાહી વ્યવસ્થાને અનૂકૂળ નથી. મનપા પાસે પહેલેથી જ કાયદાની જોગવાઈઓ મુજબ નોટિસ, સીલ, પાણી કનેકશન કપાત અને હરાજી જેવા વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે વેબસાઈટ પર નામ જાહેર કરવું શું જરૂરી હતું? પારદર્શકતાના નામે ગોપનીયતાનો ભંગ કરવો યોગ્ય નથી. આ પ્રકારની કાર્યવાહીથી નાગરિકો અને શાસન વચ્ચે વિશ્વાસનું અંતર વધે છે. રૂ. 4.92 કરોડની વસૂલાતથી શહેરના વિકાસકાર્યોને ગતિ મળશે, પરંતુ જો તે માનવ સંવેદના અને નાગરિકોની પ્રતિષ્ઠાને બાજુ પર રાખીને થાય તો એવી સફળતા પ્રશ્નાર્થ બની જાય છે. રાજકોટના નાગરિકો આજે મનપાથી માત્ર કડક નહીં, પરંતુ સંવેદનશીલ અને સંતુલિત શાસનની અપેક્ષા રાખે છે.
વૃદ્ધાનું કરૂણ મોત:મિલપરામાં 100 વર્ષના વૃદ્ધાનું પહેલા માળેથી પડી જતાં મોત
શહેરના મિલપરામાં શેરી નં.13માં રહેતા 100 વર્ષના વયોવૃદ્ધાનું પહેલા માળની અગાસી પરથી પડી જતા તેને ઇજા થતા મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ મિલપરા શેરી નં.13માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ(ઉં.વ.100)નું ગુરુવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળે અગાસી પરથી પડી જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. વૃદ્ધાને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ. મકવાણા સહિતના સટાફે તપાસ હાથ ધરી હતી. મૃતક કંકુબેનને ચાર પુત્ર અને ચાર પુત્રી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા એએસઆઈની પત્ની પાસેથી ક્વાર્ટરની સામે જ રહેતા અન્ય નિવૃત્ત એએસઆઈના પુત્ર અને પુત્રવધૂએ લગ્ન પ્રસંગમાં જવાનું કહી ઘરેણાં પહેરવા માટે માંગ્યા બાદ એએસઆઈની પત્નીએ ઘરેણાં પરત માંગતા યેનકેન બહાના બતાવ્યા અને છેલ્લી વાર મદદના બહાને વધુ ઘરેણાં પડાવ્યા બાદ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદીએ તેના એએસઆઈ પતિની જાણ બહાર ઘરેણા આપ્યા હતા, પતિને મોઢાનું ચોથા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવ જાણી પતિને આઘાત ન લાગે તે હેતુથી અંત સુધી કરો નહોતી પરંતુ અંતે ઘરેણા પરત નહી આવે એવું જણાતા મહિલાએ પતિને બનાવની જાણ કરતા દંપતી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના અને હાલ રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટર, દસ માળિયા, એ.એસ.આઈ. બિલ્ડિંગ ક્વાર્ટર નં.101માં રહેતા છાયાબા ઇન્દ્રજીતસિંહ ઝાલા(ઉં.વ.32) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોલેક્ષ રોડ સાઈબાબા સર્કલ પાસે રહેતા સાગર જીવરાજભાઈ મકવાણા, તેની પત્ની બીનાબેન સાગર મકવાણા તેમજ તપાસમાં ખુલ્લે તેના નામ આપ્યા હતા. છાયાબા ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ વર્ષ 2022થી રાજકોટ ખાતે રહે છે. તેમના સામેના બ્લોકમાં જીવરાજભાઈ સવજીભાઈ મકવાણા રહેતા હોય જેઓ પણ પોલીસમાં એએસઆઈ તરીકે નોકરી કરતા હોય આ જીવરાજભાઈ વર્ષ 2025માં જૂન મહિનામાં નિવૃત્ત થયા હતા અને હાલમાં તે સાઈબાબા સર્કલ પાસે સર્વેશ્વર સોસાયટીમાં રહે છે. આ જીવરાજભાઈના નાના પુત્ર સાગર અને તેની પત્ની બીનાબેનને છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહે બહેન બનાવેલ હોય જેથી દર વર્ષે બીનાબેન રાખડી બાંધવા પણ ઘરે આવતા હતા. આમ બંને પરિવાર પારિવારિક સબંધ ધરાવતા હતા. જે દરમિયાન વર્ષ 2022માં છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહને મોઢાનું કેન્સર થયું હોય જેથી તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ પણ ઇન્ફેકશન રહેતું હોય જેથી સતત તેઓને સારવાર હેઠળ રાખેલ હતા. વર્ષ 2023માં જીવરાજભાઈની પુત્રવધૂ બીના તેણીના ઘરે આવી અને કહેવા લાગી કે, “મારે લગ્નપ્રસંગમાં જવું છે જેથી તમારા દાગીના પહેરવા આપો. હું તમને બાદમાં પરત આપી દઈશ.’’ તેણીના પતિએ બીનાને બેન બનાવેલ હોય જેથી એ સબંધના નાતે તેમણે બીનાને ઘરેણા પહેરવા આપ્યા હતા. તેના ઉપર વિશ્વાસ હોય જેથી પતિની જાણ બહાર સોનાનો પંજો, વીંટી, સોનાનો ગળાનો હાર, બુટીની જોડી, મંગળસૂત્ર તેમજ માથામાં પહેરવાનો ટીકો આપ્યા હતા. આ બીનાનો લગ્નપ્રસંગ પૂર્ણ થઇ જતા સોનાના ઘરેણા પરત માંગતા બીનાએ એવો જવાબ આપ્યો હતો કે, દાગીના મારી પાસે ભલે રહ્યા મારા ઘરે સચવાયેલા છે. તેમના પતિની સારવાર ચાલુ હોય જેથી દાગીના બીના પાસે જ રહેવા દીધા હતા. ત્યારબાદ અવારનવાર ઘરેણા પરત માંગતા ન જવાબ આપતા તેણીએ બીનાના પતિ સાગરને વાત કરી હતી. ત્યારે આ સાગરે જણાવ્યું કે, અમારે નાણાંની જરૂર પડતાં તમારા પહેરવા આપેલા સોનાના દાગીના અમે ગીરવે મૂકી દીધા છે’. આ બાબતે જીવરાજભાઈને વાત કરતા તેમણે કહ્યું કે, તમે ચિંતા ન કરો મારો દીકરો અને વહુ તમને તમારા ઘરેણાં પાછા આપી દેશે. ઘણો સમય વીતવા છતાં પૈસા પરત ન આપતા પતિને જાણ કરી દેવાની બીક બતાવતા આ સાગરે તેણીને કહ્યું કે, તમે તમારા બીજા ઘરેણા મને આપો હું તમારૂ મંગળસૂત્ર છોડાવી આપીશ. આમ અંત સુધી યેનકેન બહાના બતાવ્યા બાદ કુલ 189 ગ્રામ સોનું જેની કિંમત રૂ.9.81 લાખનું સોનું પરત ન આપી ઠગાઈ આચરતા પોલીસમાં ગુનો નોંધાયો છે. પતિને 4થા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવની જાણ નહોતી કરીઅંતે આ લોકો દાગીના તેણીને પરત નહીં આપે તેમ વિચારી તેણીએ તેના પતિને પણ સઘળી વાત કરી દીધી હતી. પતિએ દાગીના પરત માંગતા તેણે મિત્ર રાહુલને આપ્યા હોય અને રાહુલ હાલમાં ફરાર હોય તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ બીનાના પિતાએ કોલ કરી ઘરે બોલાવ્યા બાદ જણાવ્યું કે, મારા પુત્ર હિરેને તમારા ઘરેણા ઉપર લોન લીધેલ છે. ત્યારે આપેલ ઘરેણામાંના કેટલાક દાગીના તેમણે બંનેને આપી દીધા હતા. જમાદારના પત્નીએ ઘરેણા પરત માંગતા ગીરવે મુકેલા ઘરેણા છોડાવવા વધુ ઘરેણા આપવાની માંગણી કરીફરીયાદીએ ફરીથી આ સાગરને ઘરેણા આપ્યા હતા અને તેણે મંગળસૂત્ર છોડાવીને આપી દીધું હતું. ત્યારબાદ ફરી 2023માં દંપતી તેની પાસે આવેલ અને કહેવા લાગેલ કે રોકડ કે ઘરેણા આપો છેલ્લીવાર મદદ કરી આપો. તેમ કહી આ સાગર છાયાબાની રાહુલ ગૌસ્વામી નામના તેના મિત્ર સાથે કોલમાં વાત કરાવી હતી. બાદમાં ફરી વાર તેણીએ મદદના નામે બંનેને ઘરેણા આપ્યા હતા. બાદમાં બાકી બચેલું મંગળસૂત્ર લેવા ફરી બંને પતિ-પત્ની તેણીની પાસે આવેલા અને તેનું મંગળસૂત્ર ફોસલાવીને લઇ ગયા હતા. વારંવાર દાગીના માંગવા છતાય ન આપતા સાગરના પિતા જીવરાજભાઈએ જણાવ્યુ કે, મેં તપાસ કરી લીધી છે. તમારા તથા બીનાના દાગીના ખાનગી બેંકમાં મૂકી સાગરે તેના પર ગોલ્ડ લોન લીધેલ છે.
મુસાફરો માટે અત્યાધુનિક પહેલ:કિંમતી સામાન રાખવા રેલવે સ્ટેશને સ્માર્ટ લોકર મુકાયા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક અત્યાધુનિક પહેલ કરવામાં આવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર હવે મુસાફરો માટે ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ (સેલ્ફ-સર્વિસ ક્લોક રૂમ) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે મુસાફરોએ પોતાનો ભારે સામાન સાચવવા માટે રેલવે સ્ટાફ પર નિર્ભર રહેવું નહીં પડે. આ સુવિધા ખાસ કરીને એવા મુસાફરો માટે આશીર્વાદરૂપ છે જેઓ ટૂંકાગાળા માટે રાજકોટ આવ્યા હોય. તેઓ પોતાનો સામાન સ્ટેશન પર સુરક્ષિત મૂકીને નિશ્ચિંત થઈને શહેરની મુલાકાત લઈ શકે છે. આ ડિજિટલ લોકર રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સ્થિત અપર ક્લાસ વેઇટિંગ હોલની નજીક સ્થાપિત કરાયા છે. ટેકનોલોજી આધારિત આ સેવા માટે ત્રણ વર્ષનો કરાર કરાયો છે. રાજકોટ ઉપરાંત જામનગર અને દ્વારકા સ્ટેશન પર પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંપરાગત ક્લોક રૂમમાં સામાન રાખવા માટે લાંબી લાઈનો અને કાગળની પ્રક્રિયામાંથી હવે મુક્તિ મળશે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વયં સંચાલિત છે. લોકરનો ઉપયોગ OTP અને QR કોડ એક્સેસ દ્વારા કરી શકાય છે. તમામ વ્યવહારો કેશલેસ અને પારદર્શક છે. મુસાફરો કોઈપણ કર્મચારીની મદદ વગર જાતે જ સામાન રાખી અને મેળવી શકે છે. રાજકોટ જંકશન પર યાત્રિકોએ મુકેલો સામાન OTP કે QR કોડથી પરત મેળવી શકશે લોકરના દર : મુસાફરોની જરૂરિયાત મુજબ બે પ્રકારના લોકર ઉપલબ્ધ છે
કુલપતિ કાઉન્સિલ:VC છેલ્લી ઘડીએ ACમાંથી બે સભ્યો BOMમાં લઇ જવાનો એજન્ડા લાવ્યા, સભ્યોએ ઉડાવી દીધો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલ (AC)ની બેઠક તોફાની રહી હતી. બેઠકમાં 58 જેટલા એજન્ડાઓ તો મંજૂર કરી દેવાયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કુલપતિ દ્વારા રજૂ કરવામાં આવેલા એક મુદ્દાએ મિટિંગમાં હોબાળો મચાવ્યો હતો. કુલપતિએ પોતાની મરજી મુજબ સભ્યોની નિમણૂક કરવાની કોશિશ કરતા સભ્યોએ ‘સત્તાના દુરુપયોગ’નો આક્ષેપ કરી સભા ગજવી હતી. જો કે અંતે આ પ્રસ્તાવ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. બેઠકમાં વિવાદનું મુખ્ય કારણ એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) માં લઈ જવાનો મુદ્દો હતો. સ્ટેચ્યુટ મુજબ ACમાંથી BoMમાં બે સભ્યોની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર એકેડેમિક કાઉન્સિલના સભ્યોનો હોય છે. તમામ સભ્યોએ સાથે મળીને સર્વાનુમતે આ બે નામ નક્કી કરવાના હોય છે. પરંતુ, શુક્રવારે કુલપતિ પોતે જ બે નામ પહેલેથી નક્કી કરીને લાવ્યા હતા અને સભ્યો પાસે તેના પર મંજૂરીની મહોર લગાવવા દબાણ કર્યું હતું. સભ્યોએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, AC થી BoMમાં સભ્યો નિયુક્ત કરવાનો પાવર કુલપતિને નથી. વધુમાં, અનુભવના વર્ષોની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે બેઠકમાં ભારે માથાકૂટના દ્દશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ સભાના એક સપ્તાહ પહેલા સભ્યોને એજન્ડા મોકલવા અનિવાર્ય છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. જોકે, સભ્યોએ જણાવ્યું હતું કે તેમને માત્ર એક કે બે દિવસ પહેલા જ એજન્ડા મોકલવામાં આવે છે. આ રણનીતિ પાછળ યુનિવર્સિટી સત્તાધીશોની એવી મનસા હોય છે કે સભ્યો એજન્ડાનો પૂરતો અભ્યાસ ન કરી શકે અને વિવાદિત મુદ્દાઓ સરળતાથી પસાર થઈ જાય તેવી શંકા સેવાઈ રહી છે. જો કે એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બીઓએમમાં લઇ જવાનો મુદ્દો અંતે પેન્ડિંગ રાખવો પડ્યો હતો. ‘ગ્લોરિયસ ગેરરીતિ’ 5 વર્ષમાં જે કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ ભણી ગયા તે કોલેજને યુનિ.ની મંજૂરી જ ન હતી મળી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી આ બેઠકમાં ખુલ્લી પડી છે. શહેરની ગ્લોરિયસ કોલેજના જોડાણને લઈને એક ચોંકાવનારો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. બેઠકમાં ગ્લોરિયસ કોલેજના વર્ષ 2020-21ના જોડાણને મંજૂરી આપવાનો એજન્ડા મુકવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે જે કોલેજનું જોડાણ હજુ હવે મંજૂર કરવા જઈ રહ્યા છે, ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને નીકળી પણ ગયા છે! મોટો સવાલ એ છે કે જો કોલેજ પાસે છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીનું જોડાણ જ નહોતું, તો ત્યાં એડમિશન આપવાની મંજૂરી કોણે આપી? મંજૂરી વિના ભણેલા વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતા કેટલી? આટલા વર્ષો સુધી યુનિવર્સિટીના વહીવટદારો શું નિદ્રામાં હતા? આ મુદ્દો યુનિવર્સિટીમાં ચાલી રહેલા વહીવટમાં લાલિયાવાડીનો જીવંત પુરાવો બની ગયો છે.
CBSEનું શાળાઓને ‘હોમવર્ક’:વેબસાઈટ પર હવે પરિણામ, ફી, શિક્ષકોના નામ-લાયકાત મુકવા પડશે
સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતાનો નવો અધ્યાય શરૂ કરતા શાળાઓ સામે લાલ આંખ કરી છે. અત્યાર સુધી જે વિગતો માત્ર કાગળ પર રહેતી હતી તેને હવે જનતા સમક્ષ મૂકવા માટે બોર્ડે શાળાઓને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ તેમની વેબસાઇટ પર શિક્ષકોની લાયકાત અને શાળાની સુવિધાઓનો સંપૂર્ણ ચિતાર રજૂ કરે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સંલગ્ન તમામ શાળાઓને એક મહત્વપૂર્ણ પરિપત્ર પાઠવીને શૈક્ષણિક પારદર્શિતા વધારવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે, ઘણી શાળાઓ વારંવારની સૂચના છતાં તેમની સત્તાવાર વેબસાઇટ પર શિક્ષકોની વિગતો અને લાયકાત અપડેટ કરવામાં આળસ દાખવે છે. CBSE દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, તમામ સંલગ્ન શાળાઓએ 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ‘મેન્ડેટરી પબ્લિક ડિસ્ક્લોઝર’ હેઠળ શિક્ષકોની લાયકાત સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવી ફરજિયાત છે. જો આ સમયમર્યાદામાં પાલન નહીં કરવામાં આવે તો બોર્ડ દ્વારા તેને ગંભીર ઉલ્લંઘન ગણીને પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શાળા ખોટી વિગતો અથવા અમાન્ય દસ્તાવેજો અપલોડ કરશે તો તેમની સામે કાયદેસરના ધોરણો મુજબ કડક પગલાં લેવામાં આવશે. આ માટે પરિપત્રમાં ‘Appendix-IX’ મુજબનું નવું ફોર્મેટ પણ જાહેર કરાયું હતું. વાલીઓને જાણકારી માટે સાઇટ પર આટલી વિગતો મુકવી વાલીઓની જાગૃતિ માટે મહત્વનો નિર્ણયCBSE એ જણાવ્યું છે કે, આ માહિતી વાલીઓ માટે અત્યંત મહત્વની છે. વાલીઓ પોતાના બાળકને જે શાળામાં ભણાવે છે ત્યાં કેવી સુવિધાઓ છે અને કેવા શિક્ષકો અભ્યાસ કરાવે છે તે જાણવાનો તેમનો અધિકાર છે. આ પ્રક્રિયાથી શિક્ષણમાં પારદર્શિતા આવશે.
વિતરણ:રામકૃષ્ણ આશ્રમે 4 જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં 750 ધાબળાનું વિતરણ કર્યું
શહેરના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા વર્તમાન શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારોને ‘શીતકાળ રાહત કાર્ય’ સંપન્ન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત સંસ્થા દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને વાડી વિસ્તારોમાં વસતા ખેતમજૂરો તથા શ્રમિક પરિવારોને કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી આશ્રમ દ્વારા 750 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે તેમને સ્વામી વિવેકાનંદનો પ્રેરણાદાયી ‘સ્વદેશ મંત્ર’ અંકિત કરેલા કાર્ડ્સ અને પૌષ્ટિક નાસ્તાના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
નારી શક્તિ ઉદ્યોગ સંવાદ યોજાયો:નારી શક્તિ ઉદ્યોગ સંવાદમાં 20 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન
શહેરના મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ભાગરૂપે ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદ યોજાયો હતો. આ સેમિનારના મહત્વપૂર્ણ અવસરે લઘુ ઉદ્યોગ ભારતી મહિલા પાંખ અને CED વચ્ચે એક મહત્વના MOU કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટની બહેનોને વ્યવસાયિક તાલીમ આપવી, તેમની કલા-કૌશલ્યનો વિકાસ કરવો અને તેમને બજારની આધુનિક તકોથી માહિતગાર કરી આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત 500થી વધુ બહેનોને સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને આર્થિક સહાયની નીતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છની 20 પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રવિવારે મૌની અમાવસ્યા:આ દિવસે મૌન રહેવા, તીર્થમાં સ્નાન, દાન અને પિતૃતર્પણનું વધુ મહત્વ
પંચાંગ પ્રમાણે પોષ વદ અમાસને તા.18 જાન્યુઆરીના રોજ રવિવારે મૌની અમાસ છે. આ દિવસે સવારના નિત્ય કર્મ કરી સ્નાન કરવાના જળમાં હાથ રાખી માતા ગંગાજી, યમુનાજી અને સરસ્વતી માતાજીનું નામ બોલવું. જો ઘરમાં ગંગાજળ હોય તો તે પણ સાથે પધરાવવું અને ત્રણેય નદીઓના નામ બોલી કુંભ મેળામાં સ્નાન કરતા હોય તેવી ભાવના રાખવી અને સ્નાન કરવું ઉત્તમ ફળ આપનાર બનશે. ખાસ કરીને આ દિવસે મૌન વ્રત રાખવું જોઈએ અને આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું. સ્નાન કર્યા પછી નિત્ય પૂજા કરી મંદિરે પીપળાની પૂજા કરવી, પીપળે પાણી રેડવું, પીપળાની પ્રદક્ષિણા ફરવી અને પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા ઉત્તમ ગણાશે. આ દિવસે કરેલ પિતૃ તર્પણ પિતૃઓને મોક્ષ ગતિ આપનાર બનશે. જે લોકોને જન્મકુંડળીમાં રાહુ પીડા હોય તો આ દિવસે એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર ચઢાવવાથી રાહુ પીડા શાંત થશે. આ દિવસે કેતુ ગ્રહનો જન્મ થયો હોવાથી તેના જપ, પૂજા કરાવવી ઉત્તમરવિવારના દિવસે આવતી આ મૌની અમાવસ્યા પર ત્રિવેણી સંગમ તથા તીર્થમાં સ્નાન કરવાનું ખુબ મહત્વ રહેલું છે. આ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આ દિવસે મૌન રહેવાનું પણ વધારે મહત્વ છે તેથી ઘણા લોકો આ આખો દિવસ મૌન વ્રત ધારણ કરતા હોય છે. મુનિ શબ્દમાંથી જ મૌની નામ પડ્યું તેમ માનવામાં આવે છે. આથી આ દિવસે વ્રત રહેવાથી મુનિ પદની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૃથ્વીના સંચાલક મનુનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે કેતુ ગ્રહનો પણ જન્મ થયેલો છે. તેથી આ દિવસે કેતુ ગ્રહની પૂજા કરવી, કેતુ ગ્રહના જપ કરવા ઉત્તમ ગણાશે. આ દિવસે ગાયને ઘાસચારો નાખવો, ગરીબ કે જરૂરિયાતમંદને દાન દેવું, વસ્ત્રદાન તથા અન્નદાન દેવું, ધાર્મિકવિધિ કરાવવી, પિતૃ તર્પણ કરાવવું ઉત્તમ ફળ આપનાર બનશે.
હોબાળો:માંજલપુરમાં સગીરાએ વિસ્તારને માથે લીધો,પ્રેમીને ન મળવા દેતાં હોબાળો, પોલીસ વાન પર બેસી ગઈ
માંજલપુરમાં પ્રેમીને મળવા ગયેલી સગીરાએ વાસી ઉત્તરાયણની રાત્રે વિસ્તારમાં માથે લીધો હતો. સગીરા પોલીસ વાનના બોનેટ પર બેસી ગઈ હતી અને ‘મારી દઈશ’ તેવી ધમકી આપતી હતી. પોલીસ અને સ્થાનિકોએ માંડ-માંડ સગીરાને શાંત પાડી હતી. માંજલુપર જ્યુપિટર ચાર રસ્તા પાસે વાસી ઉત્તરાયણે રાત્રે 16 વર્ષીય સગીરાએ પોલીસ વાનના બોનેટ પર બેસી બૂમો પાડીને વિસ્તારમાં માથે લીધો હતો. પોલીસ સૂત્રો મુજબ સગીરા પ્રેમીને મળવા ગઈ હતી. જોકે પ્રેમીનાં માતા-પિતાએ મળવા ન દેતાં સગીરાએ હોબાળો કર્યો હતો. જેને પગલે પોલીસ વાન પહોંચી હતી. સગીરા પોલીસથી પણ કાબૂમાં રહેતી નહોતી તેમજ માતા-ભાઈ સાથે પણ બોલાચાલી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર મહિલા પોલીસે પહોંચી સગીરાને પોલીસ મથકે લઈ ગઇ હતી, જ્યાં તેનાં માતા-પિતાને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે સગીરા નશામાં હતી કે કેમ તે જાણવા બ્લડ સેમ્પલ લેવડાવ્યું હતું. છોકરાને બહાર કાઢવા પોલીસ વાન પર ચઢી ગઈજ્યુપિટર ચાર રસ્તા પાસે ગુરુવારે રાત્રે 9 વાગે ટોળું હતું. પોલીસનું વાહન પણ ત્યાં હતું. મને જાણવા મળ્યું કે, છોકરીએ છોકરાના ઘરમાં તોડફોડ કરી હતી. પોલીસે છોકરાને ગાડીમાં બેસાડ્યો હતો. જેથી છોકરી પોલીસ વાન પર ચઢી ગઈ હતી અને છોકરાને બહાર કાઢવા કહેતી હતી. તેના હાથમાં પક્કડ હતું. છોકરીની માતા અને ભાઈ પણ હતાં. છોકરી માતાને અપશબ્દો બોલતી હતી. તે અહીં જ ન્યાય જોઈએ છે, તેમ કહેતી હતી. મેં છોકરીને કહ્યું કે, હું આવું છું તારી સાથે, છોકરી માટે રિક્ષા બોલાવી મદદ કરી હતી. જોકે તે બેસતી નહોતી. મહિલા પોલીસ પોલીસ મથકે લઈ ગઈ હતી. (વડસર રોડના જયેશ પટેલ સાથે થયેલી વાતચીત મુજબ) વાઇરલ વીડિયો : ત્રણવાર મારી સાથે આવું થયું છે સગીરાનાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કરાયુંઘટના ગુરુવારે જ્યુપિટર ચાર રસ્તા નજીક બની હતી. સગીરાનાં માતા-પિતાને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરાયું હતું. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. > એલ.ડી.ગમારા, પીઆઈ, માંજલપુર પોલીસ સ્ટેશન

29 C