SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

વેરાવળમાં 12 એપ્રિલે અવર ગીર સોમનાથ એજ્યુકેશન એક્સપો:ગુજરાતની નામાંકિત સંસ્થાઓ એક મંચ પર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ

ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ્ધ થશે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ ધનાભાઈ બારડ અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા બાળકોના ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. મોટા શહેરોમાં ભટકવું, ફી સ્ટ્રક્ચર સમજવું અને યોગ્ય સંસ્થા પસંદ કરવી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ એક્સપો એક જ સ્થળે તમામ વિકલ્પો પૂરા પાડશે. ઉલ્લેખનીય છે કે, 2024માં અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેમાં વધુ સુધારો કરીને આયોજન કરાયું છે અને 35થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર હાજર રહેશે. આ એક્સપોમાં વિદ્યાર્થીઓને ₹50,000ની રોકડ સ્કોલરશિપ, વિવિધ સંસ્થાઓ તરફથી ફી માફી સ્કોલરશિપ અને નિષ્ણાતો દ્વારા મફત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપશે. અવર ગીર સોમનાથ એક્સપોના પ્રમોટર દિવ્યેશભાઈ જીવાભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. અવર ગીર સોમનાથની ઇન-હાઉસ ટીમ ઉપરાંત 50થી વધુ શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:25 pm

પોક્સો કેસમાં આરોપીને સજા:વડોદરામાં સગીરાની જાતીય સતામણીના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો

વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરી ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજીતનગર, પરશુરામ ભઠ્ઠા, વડોદરા)એ તા. 18 ઓક્ટોબર 2020ના રોજ સવારના સમયે સગીર બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. બાળકી પાણી ભરવા જતા આરોપીએ તેનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું. આ ઘટનાને અનુસંધાને પોલીસ દ્વારા તા. 20 ઓક્ટોબર 2020ના રોજ આરોપીની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પીઆઇ એસ.જી. સોલંકી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી, FSL તપાસ સહિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં, વિશેષ જજ અને અધિક સત્ર ન્યાયાધીશ સી.એમ. પવાર સમક્ષ ચાલી હતી. સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટને વિશ્વસનીય પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો. અંતે, તા. 7 એપ્રિલના રોજ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:19 pm

NDPS ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:ગીર સોમનાથ LCBની સફળ કાર્યવાહી, ગુપ્ત ઓપરેશન પાર પાડીને આરોપીને પકડ્યો

ગીર સોમનાથ પોલીસે NDPS ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપી લાંબા સમયથી NDPS સંબંધિત ગુનામાં વોન્ટેડ હતો. તેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. LCB ટીમે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને આરોપીને પકડી પાડ્યો હતો. આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:17 pm

મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા:પાદરા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું, ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી એક હજાર જેટલા કાર્યકરોએ AIMIMમાં જોડાવવાની જાહેરતા કરી હતી. ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યોઆતી ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ AIMIMની સદસ્યતા લીધી હતી. આ નારાજગીનું મુખ્ય કારણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં અસંતોષ છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવાથી ઘણા કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. 'મારી જોડે મતદારો અને કાર્યકર્તાઓ છે, છતાં ટિકિટની ફાળવણી કરી નથી'આ અંગે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ અબ્દુલભાઈ નૂરભાભાઈ જબ્બારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ઘણા ટાઈમથી સક્રિય કાર્યકર છું અને ગઈ ટર્મમાં વડોદરા જિલ્લા લઘુમતી સેલનો મહામંત્રી હતો. મારી જોડે એટલા બધા મતદારો અને કાર્યકર્તાઓ છે છતાં ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે અમે 1000થી 1200 લોકો સાથે AIMIMમાં જોડાઈ રહ્યા છીએ અને આ સીટ પર મહેનત કરી અમે જીતીશું. મને મારા મતદારો પર ભરોસો છે કે અમે અવશ્ય જીતીશું. કાર્યકર્તાઓમાં અસંતોષથી કોંગ્રેસમાં ભંગાણઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ કાર્યક્રમોમાં ટીકીટ ન મળતા નારાજગી હોય છે. ત્યારે ક્યારેક આ ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસમાં પડેલા ભંગાણ આગામી ચૂંટણી પર અસર પડે તેવી શક્યતાઓ છે. ત્યારે કાર્યકર્તાઓમાં અસંતોષ કેટલો ખતરારૂપ બને છે તે તો આવનાર સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:17 pm

જર્જરિત ઇમારતોને લઈ તંત્રની ઘોર બેદરકારી સામે વેપારીઓનો આક્રોશ.:કડીયાવાડ મોતના માચડા સમાન જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદન; હવે કોઈ હોનારત થશે તો જવાબદારી કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરની રહેશે તેવી વેપારીઓની ચીમકી.

ઐતિહાસિક નગરી જૂનાગઢના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયનું વાતાવરણ પ્રસરેલું છે. જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓ ફાળ અનુભવી રહ્યા છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જખમોને ફરી તાજા કરી દીધા છે. કડિયાવાડમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલી એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી વોર્ડ નંબર 9 અને 10 ના કોર્પોરેટરો, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી. ​કડિયાવાડ વિસ્તારની હાલત અત્યારે ટીકિંગ ટાઈમ બોમ્બ જેવી બની ગઈ છે. રહીશો દ્વારા યાદ કરવામાં આવ્યું હતું કે વર્ષ 2022 માં આ જ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડી નથી. હજુ પણ અનેક ભયજનક ઇમારતો અડીખમ ઉભી છે, જે ગમે ત્યારે નીચે આવી શકે તેમ છે. 4 એપ્રિલ 2026 ના રોજ બનેલી ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે રસ્તાઓ એટલા બિસ્માર અને સાંકડા થઈ ગયા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જોખમે મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી. ​વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આ ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના વર્તમાન રાજકારણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઘટના બને ત્યારે વિડીયો ઉતરાવવા અને ફોટા પડાવવા માટે અનેક લોકો પહોંચી જાય છે, પરંતુ લોકોની વાસ્તવિક પીડા અને પાયાની સુવિધાઓ માટે કોઈ લડત આપતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાના કામની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યારે કડિયાવાડના વેપારીઓ હક માટે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે માત્ર સંજયભાઈ જ તેમની પડખે ઉભા રહ્યા હતા, જે સાચા અર્થમાં પ્રજાના નેતા છે. ​આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરો મનનભાઈ અભાણી, ચંદ્રિકાબેન રાખસીયા, પલ્લવીબેન ઠાકર અને પરાગભાઈ રાઠોડની જવાબદારી બને છે કે તેઓ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે. કડિયાવાડમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ બચ્યા છે અને ગટરની વ્યવસ્થા પણ ભગવાન ભરોસે છે. ચોમાસા પૂર્વે જો આ જર્જરિત ઇમારતો અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો વધુ એક મોટી જાનહાનિની શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે કલેક્ટર સાહેબ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને કડક આદેશ આપે અને યુદ્ધના ધોરણે ભયજનક બાંધકામો દૂર કરવામાં આવે. ​આ વિસ્તારમાં લાખો લોકોની અવરજવર રહે છે અને વેપારી મથક હોવાથી અહીં આખો દિવસ ચહલપહલ હોય છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની આળસ ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. વેપારીઓએ અંતમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ઘટશે, તો આ આવેદનપત્રને જ પુરાવા તરીકે ગણીને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને પોતાના હક અને સુરક્ષા માટે મેદાને આવી છે, ત્યારે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:15 pm

ખડગેના નિવેદન મામલે ભાજપએ મૌન ધારણ કરી વિરોધ કર્યો:મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ફુવારા સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી જાહેર માફીની માંગ કરી હતી. ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન: ગીરીશ રાજગોરજિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધરણામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેરળની ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' કહીને સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. કોઈપણ પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે.પરંતુ કોઈ રાજ્યના નાગરિકોની ગરિમા હણવી તે અક્ષમ્ય છે. રાજગોરે વધુમાં ઉમેર્યું કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદન સાથે સહમત ન હોય તો તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ અન્યથા તેઓ પણ આ અપમાનમાં ભાગીદાર ગણાશે. કોંગ્રેસે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યોઆ પ્રસંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસને વર્ષોથી ગુજરાતનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. સરદાર પટેલને ભારત રત્ન આપવામાં વિલંબ, નર્મદા યોજનાને 60 વર્ષ સુધી અટકાવી રાખવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેવી તે કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની નફરત દર્શાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતના સમયે પણ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ધારાસભ્યો અને આગેવાનોની હાજરીમહેસાણાના ફુવારા સર્કલ ખાતે યોજાયેલા આ મૌન ધરણામાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અંદાજે બે કલાક સુધી મૌન પાળીને ભાજપે આ નિવેદનનો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ માફી માંગે તેવી મક્કમ માંગ દોહરાવી હતી. જ્યારે આજે બપોરે ખડગે ટ્વિટ કરીને માફી માગી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:12 pm

જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું કોમ્બિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી, 12 બાઇક ડિટેઇન

જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેની અમલવારી ખાસ કરીને સિટી-એ ડિવિઝન વિસ્તારમાં જોવા મળી રહી છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા ગત રાત્રિએ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પી.આઈ. વી.એમ. ડોડિયા, પી.એસ.આઈ. વી.આર. ગામેતી, પી.એસ.આઈ. એમ.એન. રાઠોડ અને સ્ટાફ જોડાયા હતા. શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફોર-વ્હીલરમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઈકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૨થી વધુ બાઈક ડિટેઈન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક લોકો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:59 pm

દંપતીએ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:વડોદરાના સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, દુકાન બંધ કરીને છુમંતર થઈ ગયા

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીને તેમની પડોશમાં રહેવા આવેલા દંપતીએ સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરશો તો તમને સારું વળતર આપીશ તેમ કહીને તેમની પાસેથી14.80 લાખ રૂપિયા પડાવી લીધા છે. રૂપિયા પડાવ્યા બાદ ઠગ દંપતિ દુકાન બંધ કરીને ભાગી ગયું હતું. જેથી વેપારી દંપતી સામે ફતેગંજ પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પરિમલ પાર્ક સોસાયટીમાં રહેતા ભૌમિકકુમાર વસંતકુમાર શાહ દાંડિયાબજાર વિસ્તારમાં લાઈટિંગનો ધંધો કરે છે, તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કેયુરભાઈ શેઠ અને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિચિત હતા. આ દંપતીએ સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝના વેપારમાં વધુ નફો થવાની લાલચ આપી હતી અને તેમની પાસે રોકાણ કરવાની વાત કરી હતી. દંપતીએ વિશ્વાસમાં લઈને વેપારી તથા તેમના પરિવારજનો પાસેથી 14.80 લાખ રૂપિયા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લીધા હતા. પૈસા લીધાના બીજા જ દિવસે દંપતીએ પોતાની દુકાન બંધ કરી દીધી અને દંપતી ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં બહારગામ ગયા હોવાનું લાગ્યું હતું, પરંતુ લાંબા સમય તેમનો સુધી કોઈ સંપર્ક થયો નહોતો, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી અન્ય લોકો પાસેથી પણ પૈસા લઈને ફરાર થઈ ગયું છે. જેથી વેપારીએ કેયુર શેઠ તથા તેની પત્ની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે દંપતિની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:56 pm

તાપી પોલીસનું 'ઓપરેશન યુપી':25 વર્ષ પહેલાના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઝડપાયો

કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વર્ષ 2000ના ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. શું હતો વર્ષ 2000નો એ રૂંવાડા ઉભા કરી દેતો ગુનો? માર્ચ 2000માં અંકલેશ્વરના આઠ જેટલા શખ્સોએ યાર્નના કાર્ટુન ભરેલી એક ટ્રક (નંબર MH-04-P-3476) લૂંટવાનું કાવતરું રચ્યું હતું. કીમ ચાર રસ્તાથી મુસાફર બની ટ્રકમાં બેઠેલા આરોપીઓએ વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી હતી. ત્યારબાદ ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી. ક્રૂરતાની હદ વટાવતા આરોપીઓએ ક્લીનરની લાશ પર ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું અને બંનેના મૃતદેહો ફેંકી દઈ 7 લાખના યાર્નની લૂંટ કરી હતી. 25 વર્ષનો વનવાસ અને વેશપલ્ટો આરોપી ગીરીશ મિશ્રા પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી-વાળ વધારી વેશપલ્ટો કરીને રહેતો હતો. તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુધ્ધાં ટાળતો હતો જેથી પોલીસના હાથે પકડાય નહીં. જોકે, તાપી પોલીસની બાજનજરથી તે બચી શક્યો નથી. પોલીસની ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન તાપી એસપીની સૂચના હેઠળ એલસીબી PI ડી.એસ. ગોહિલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શનમાં PSI એન.એસ. વસાવા અને તેમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી હતી. ASI ધર્મેશભાઇ અને પો.કો. રોનકભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ગામે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. અન્ય આરોપીઓની સ્થિતિ આ ગુનામાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા. જે પૈકીના બે આરોપીઓ ભરૂચ ખાતે જાપ્તામાંથી ફરાર થયા હતા, જેમાં શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હવે ગીરીશ મિશ્રાની ધરપકડ બાદ, અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં એલ.સી.બી. PI ડી.એસ. ગોહિલ, PI જે.બી. આહિર, PSI એન.એસ. વસાવા, PSI કે.આર. પટેલ, ASI ધર્મેશભાઇ, પો.કો. રોનકભાઇ અને ડ્રા. ASI કિરણભાઇ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:53 pm

IPS મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી:હવે રાજકારણમાં એન્ટ્રી, શું ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની રહી છે ત્યારે એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારી?સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. સ્વૈચ્છિક નિવૃતિ લઈને તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેઓ વિકાસના મુદ્દાઓ સાથે સીધા જ લોકો વચ્ચે કામ કરવા માગે છે. મનોજ નિનામાની નિવૃતિ ખાસ ચર્ચાનો વિષય બનીમાહિતી મુજબ, મનોજ નિનામા પોલીસ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા અને ટ્રાફિક વિભાગમાં પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની ઓળખ એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે રહી છે. રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલુ છે, જેમાં નવા ચહેરાઓને તક આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા સમયે નિવૃત્ત અધિકારી તરીકે મનોજ નિનામાની એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. આગામી દિવસોમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, ત્યારે મનોજ નિનામાનું નામ ભાજપમાંથી જાહેર થાય તો સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:52 pm

મોરબીમાં ભાજપને ઝટકો, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની ઘરવાપસી:મુકેશભાઈ ગામી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, બે વર્ષ પછી પુનરાગમન

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને ઝટકો લાગ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, જે છેલ્લા બે વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેમણે ભાજપ સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મુકેશભાઈ ગામી પોતાના સમર્થકો અને અગાઉ તેમની સાથે ભાજપમાં જોડાયેલા આગેવાનો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા મુકેશભાઈ ગામી અને તેમની ટીમને આવકારવામાં આવી હતી. મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, ક્ષણિક ક્રોધના કારણે તેઓ બે વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. જોકે, કોંગ્રેસ હંમેશા તેમના દિલમાં હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયાએ તેમને અનેક વખત કોંગ્રેસમાં પાછા ફરવા વિનંતી કરી હતી. આજે તેઓ કિશોરભાઈ ચીખલીયાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ફરી કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે તેઓ અને તેમની ટીમ તન, મન, ધનથી પ્રચાર-પ્રસારમાં જોડાશે તેવી તેમણે ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:41 pm

પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા:સમા વિસ્તારના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.76 લાખ મતાની ચોરી કરીને ફરાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઉપરના માળ પર પરિવારના સભ્યો ઊંઘતા હતા. તે દરમિયાન મોડી રાત્રીના મકાનનો દરવાજો તોડી ગ્રાઉન્ડ ફોરના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.76 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ મામલે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા શહેરના સમા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર ડાયાભાઈ પરમારે સમા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ન્યુ સમા રોડ ખાતે જય યોગેશ્વર સોસાયટી જલારામ મંદિર પાસે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 7 એપ્રિલની રાત્રે તેઓ નોકરી પરથી ઘરે પરત આવ્યા બાદ પરિવારજનો સાથે સુઈ ગયા હતા. તેમના પિતા ડાયાભાઈ પરમાર અને પુત્ર વિહાન બીજા માળે તથા પત્ની રૂપાલી ત્રીજા માળે સુતા હતા. ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં ને સામાન વેરવિખેર દરમ્યાન વહેલી સવારે આશરે 6 વાગ્યે પિતા અને પુત્ર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. લોખંડની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં રહેલો સામાન પણ ઉથલપાથલ હાલતમાં હતો. ત્યારબાદ પરિવારજનોને જાણ કરતાં તમામે મળી તપાસ કરતા તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. 1.76 લાખની મત્તાની ચોરી કરીને ફરારઆ ઘટનામાં અજાણ્યા ચોર ઇસમો સોનાની ચેઈન, કાન-નાકની ચુન્ની, પેન્ડલ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીની પાયલ ઉપરાંત અંદાજે રૂ.1 લાખથી વધુ રોકડ રકમ સહિત રૂપિયા 1.76 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોધવામાં આવ્યું છે. આ મામલે સમા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:39 pm

સાબરકાંઠા LCB અને SOGએ 5 ફરાર આરોપીઓને ઝડપ્યા:ખેરોજ, તલોદ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. આ અંતર્ગત, સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB અને SOG ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આ ઉપરાંત, ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી, જે પણ બે વર્ષથી ફરાર હતો, તેને હિંમતનગરના જૂની સિવિલ સર્કલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓને અનુક્રમે ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો. વધુમાં, સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે SOG ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉંમર આશરે ૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:37 pm

નજુપુરામાં પાણી મુદ્દે રોષ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી:10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:31 pm

સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત:અમરેલી ગીર પૂર્વમાં બીમારીથી મૃત્યુ, વન વિભાગે તપાસ શરૂ કરી

અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે સિંહોના મોનિટરિંગ અને ડી-વોર્મિંગ (કીડા નિવારણ)માં સંભવિત અભાવ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે. આ ઘટના બાદ સિંહના મૃત્યુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ બહાર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ હોવાના અહેવાલો છે. ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં અનેક સિંહોના બીમારીના કારણે મોત થયા હતા. ખાસ કરીને સિંહબાળમાં મૃત્યુદર વધુ હોવો ચિંતાજનક માનવામાં આવે છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યું છે અને સિંહોના આરોગ્ય પર ખાસ નજર રાખવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:23 pm

ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ મારફતે અપમાનજનક મેસેજ અને કોમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી છે. બાજવાના જ યુવકે યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જવાહરનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના અંગત ઉપયોગ માટે ખરીદેલા આઈફોન મોબાઈલમાં તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. 20 દિવસ પહેલા mahesh_sam_event_baroda નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી નહોતી. ત્યારબાદ તા. 6 એપ્રિલ 2026ના રોજ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવારજનો સાથેના ફોટાઓની સ્ટોરી મુકેલી હતી. આ સ્ટોરી જો્યા બાદ આરોપી ઇન્સ્ટાગ્રામ ધારકે ફોટાઓ પર 1000થી લઈને 5000 સુધીની રકમ લખીને તા. 7 એપ્રિલ 2026ના રોજ મેસેજ મોકલ્યો હતો. યુવતીએ આ અંગે પુછપરછ કરતાં પણ કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ સ્ટોરી પર અત્યંત અપમાનજનક કોમેન્ટ્સ કરી હતી. આ બનાવ અંગે યુવતીએ પોતાની જેઠાણીને જાણ કરતાં તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દેખાતો આરોપીની ઓળખ મહેશભાઈ ભરતભાઈ પરમાર, (રહેવાસી શુભ ટેનામેન્ટ, બાજવા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:21 pm

'ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા':'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતીઓ વિશ્વ સ્તરે ડંકો વગાડનારા છે', સુરત ભાજપ પ્રમુખનો પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ખડગેના શબ્દોને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ માનસિકતા ગુજરાત વિરોધી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા:પરેશ પટેલસુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે તેમની મૂર્ખતા દર્શાવે છે. સાડા છ કરોડ ગુજરાતીઓ જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ગુજરાતીઓ આનો વિરોધ કરશે. તેમણે ઉમેર્યું કે, જે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે, તેમને અભણ કે મૂર્ખ કહેવા તે અતિશયોક્તિ છે. ખડગેએ સમજવું જોઈએ કે ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ આજે આખું વિશ્વ માની રહ્યું છે. 'ગાંધી, સરદાર અને મોદીની ભૂમિનું અપમાન સહન નહીં થાય'પરેશ પટેલે ઈતિહાસ અને વર્તમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, જેમણે ભારતને આઝાદી અને એકતા અપાવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ આ જ માટીમાંથી આવે છે. જ્યારે નરેન્દ્ર મોદીને આખું વિશ્વ 'વિશ્વગુરુ' તરીકે સ્વીકારી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હીન કક્ષાના શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે. ગુજરાતીઓ ક્યારેય પોતાના નેતાઓ અને પોતાની ઓળખનું અપમાન સહન કરતા નથી. 'કોંગ્રેસને ગુજરાતીઓ સાથે શું વાંધો છે?'ભાજપ પ્રમુખે કોંગ્રેસની મનશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે?. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. 'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતની તાકાત'ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8 ટકા જેટલો જીડીપી ફાળો છે. પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે. જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય, તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે, તેમને અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે. ખડગે માફી માંગે તેવી ભાજપની માંગસુરત ભાજપ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ખુલ્લી પાડશે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો!રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું આ નિવેદન ભાજપ માટે મોટું હથિયાર બની ગયું છે. ભાજપ આને 'ગુજરાતી અસ્મિતા'નો મુદ્દો બનાવીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. પરેશ પટેલના નેતૃત્વમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેમ જણાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:16 pm

ભાવનગર મનપા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ:કોંગ્રેસમાં 'કોકડું' ગૂંચવાયું, AAP ને 4 વોર્ડમાં ઉમેદવારોની તંગી, ભાજપ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષોમાં અલગ-અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં આપ ને ચાર વોર્ડ માં ઉમેદવારો મળતા નથી, જ્યારે કોંગ્રેસ 13 વોર્ડમાં કોકડું ગુંચવાયું જ્યારે ભાજપ છેલ્લી ઘડીએ નામો જાહેર કરશે... છેલ્લી ઘડીએ 'સરપ્રાઈઝ' આપવાની તૈયારી ​સત્તાધારી ભારતીય જનતા પાર્ટી હંમેશની જેમ 'વેઇટ એન્ડ વોચ'ની રણનીતિ અપનાવી રહી છે, જ્યારે અન્ય પક્ષો યાદી જાહેર કરવામાં મથામણ કરી રહ્યા છે, ત્યારે ભાજપ હજુ પણ પેનલ સ્ક્રુટિનીમાં વ્યસ્ત છે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ છેલ્લી ઘડીએ જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે જેથી બળવાની શક્યતા ઘટાડી શકાય અને વિરોધ પક્ષોની વ્યૂહરચના સામે નવા અને મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતારી શકાય. જયારે ભાજપના ઉમેદવારો ના નામો પણ જાહેર નથી થયા ત્યાં તો શહેરમાં આજે રાત્રે કાર્યાલય ન ઉદ્ધાટન કરવામાં આવશે. ​13 વોર્ડમાં આંતરિક વિખવાદ અને 'કોકડું' ગૂંચવાયું ​ભાવનગર મનપાના તમામ 13 વોર્ડમાં મજબૂત દેખાવ કરવા મથી રહેલી કોંગ્રેસ અત્યારે આંતરિક જૂથબંધી અને ટિકિટ વિતરણના વિવાદમાં ફસાઈ હોય તેમ લાગી રહ્યું છે, અનેક બેઠકો પર દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અને પક્ષના જૂના જોગીઓ વિરુદ્ધ નવા ચહેરાઓની લડાઈમાં હજુ સુધી તમામ નામો પર મહોર મારી શકાઈ નથી,કોંગ્રેસ માટે 13 વોર્ડમાં ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસને વોર્ડ નંબર 1 માં એક નામ બાકી, વોર્ડ નંબર 2 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 3 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 4માં બે નામ બાકી, બોર્ડ નંબર 5 માં એક નામ બાકી, વોર્ડ નંબર 6 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 7 માં બે નામ બાકી, વોર્ડ નંબર 8 માં બે નામ બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં બે નામ બાકી, વોર્ડ નંબર 11 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 12 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 13 માં એક નામ બાકી સહિત કુલ 13 વોર્ડમાં 27 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ ​AAP 4 વોર્ડમાં ઉમેદવારો શોધવા પડકાર ​રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ કેટલાક વોર્ડમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને આક્રમક શરૂઆત કરી છે જોકે, ભાવનગરના કુલ 13 વોર્ડમાંથી 4 વોર્ડમાં પક્ષને સક્ષમ ઉમેદવારો મળતા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, અમુક વોર્ડમાં સંગઠન નબળું હોવાથી અથવા જીતી શકે તેવા ચહેરાઓના અભાવે 'આપ' માટે આ 4 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા મુશ્કેલ બન્યા છે, આપમાં વોર્ડ નંબર 4 માં ચારે ચાર ઉમેદવારો બાકી, વોર્ડ નંબર 6 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 7 મા ત્રણ નામો બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 12 માં ત્રણ નામો બાકી સહિત 15 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, આપ ના ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 ઈલાબેન પરમારવોર્ડ નં.1 બાલાભાઈ પરમારવોર્ડ નં.1 પ્રવીણસિંહ સરવૈયાવોર્ડ નં.1 હીરાબેન અલગોતર વોર્ડ નં.2 હેતલબેન ઝાપડીયાવોર્ડ નં.2 મુકેશભાઈ મેટાળીયાવોર્ડ નં.2 જગદીશભાઈ ભોકળવાવોર્ડ નં.2 યાસ્મીનબેન મલેક વોર્ડ નં.3 હર્ષદીપસિંહ જાડેજાવોર્ડ નં.3 જ્યોતિબેન સાપરાવોર્ડ નં.3 તોસીફ જુણેજાવોર્ડ નં.3 રસીલાબેન ચાવડા વોર્ડ નં.5 રાઠોડ ચંદુભાઈવોર્ડ નં.5 ભાવના ત્રિવેદીવોર્ડ નં.5 રેશ્માબેન શેખવોર્ડ નં.5 શબનમ પરમાર વોર્ડ નં.6 સલીમભાઈ મહેતર વોર્ડ નં.7 કલોત્રા સુનિલ વોર્ડ નં.8 બીનાબેન ચૌહાણવોર્ડ નં.8 ગીતાબા રાઠોડવોર્ડ નં.8 ઘનશ્યામભાઈ દેસાઈવોર્ડ નં.8 મલદા જુબેર એમ.મલદા વોર્ડ નં.9 ધવલ અંઝારાવોર્ડ નં.9 રેખાબેન મકવાણાવોર્ડ નં.9 મહેન્દ્રસિંહ સરવૈયા વોર્ડ નં.10 ચૌહાણ સેજલબેન વોર્ડ નં.10 સુધીરભાઈ તેજાણીવોર્ડ નં.10 હીરાભાઈ લકુમ વોર્ડ નં.11 સરવૈયા હરેશ વોર્ડ નં.11 મનીષા હિરાણીવોર્ડ નં.11 પ્રેરણા રામૈયાવોર્ડ નં.11 અશ્વિન સિહોરા વોર્ડ નં.12 જાગૃતિ બેન વોર્ડ નં.13 સંજય ભાઈવોર્ડ નં.13 માયાબેનવોર્ડ નં.13 ખસિયા જયદીપવોર્ડ નં.13 વાલા કૈલાસબા

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:12 pm

દ્વારકામાં જુગાર પર પોલીસનો દરોડો:બે આરોપી ઝડપાયા, ₹15,450 રોકડા જપ્ત

દ્વારકા ટાઉન વિસ્તારમાં પોલીસે જુગાર પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપી, ભરતસિંહ જાડેજા અને કારાભાઈ માડમ, જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹15,450 રોકડા જપ્ત કર્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. વિપુલ કોઠીયાએ ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન વિસ્તારમાં જુગાર વિરુદ્ધ કાર્યવાહી તેજ બની છે. આ દરોડો પણ આ જ ઝુંબેશના ભાગરૂપે પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધ્યક્ષની સૂચના તેમજ પી.આઈ. વિપુલ કોઠીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહેલ સહિતની ટીમે બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:12 pm

મતદાન મથકો આસપાસ 100 મીટર સુધી આ બાબતો પર પ્રતિબંધ:ડિજિટલ ડિવાઇસથી લઈને વાહનો સુધીના નિયમો, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) 2023ની કલમ-163 હેઠળ ખાસ પ્રતિબંધાત્મક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 100 મીટરની પરિસરમાં ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધઆ નિયમો મુજબ, દરેક મતદાન મથકથી 100 મીટરની પરિસરમાં કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદારો પર કોઈપણ પ્રકારનો પ્રભાવ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મતદાન મથકની અંદર મોબાઇલ ફોન સહિત કોઈપણ ડિજિટલ ડિવાઇસ લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની મનાઈ ચૂંટણીલક્ષી ચિહ્નો અથવા પોસ્ટર, બેનર જેવી નોટિસો પણ મતદાન મથક નજીક પ્રદર્શિત કરી શકાશે નહીં. આ ઉપરાંત મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની પણ મનાઈ રાખવામાં આવી છે, જેથી ભીડભાડ અને અવ્યવસ્થા ટાળી શકાય. જો કે, અપંગ અને અશક્ત મતદારોને સુવિધા માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશેચૂંટણી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:09 pm

વેરાવળ-સોમનાથ બાયપાસ પર હિટ એન્ડ રનમાં માતાનું મોત:મોપેડ પર માતા-પુત્રને ટક્કર, પુત્ર ગંભીર; ટ્રક ચાલક ફરાર

વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર, માતા-પુત્ર મોપેડ (નંબર GJ32AC7701) પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ભાર્ગવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી આ મામલે મૃતકના પુત્રએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં રોષ વેરાવળ-સોમનાથ બાયપાસ પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મતે ભારે વાહનોની બેફામ ગતિ અકસ્માતનું મુખ્ય કારણ છે.બાયપાસ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના સાધનોનો અભાવ છે.વારંવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, અચાનક બનેલી આ ઘટનાથી ગળચર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:02 pm

વીજ માંગમાં 3500 મેગાવોટનો ઘટાડો, રાજ્યને દૈનિક 60 કરોડનું નુકસાન:એક મહિનાની અંદર જ 600 કરોડ ધોવાયા, ખાડી દેશોના યુદ્ધથી ઉદ્યોગો પર મંદી

ખાડી દેશોમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદીનું માહોલ સર્જાતા રાજ્યમાં વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં અંદાજે 3500 મેગાવોટ જેટલી વીજ માંગ ઘટી હોવાનું સામે આવ્યું છે. એક મહિનાની અંદર જ 600 કરોડનું નુકસાનઉદ્યોગોની ગતિ ધીમી પડતા વીજ વપરાશમાં ઘટાડો થયો છે, જેના કારણે વીજ વિતરણ કંપનીઓના વેચાણ પર સીધી અસર પડી છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યને દૈનિક આશરે 60 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આ નુકસાનનો આંકડો અંદાજે 600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડોખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના સીધા અસરરૂપે નિકાસ આધારિત ઉદ્યોગો પર અસર પડી છે. ઓર્ડરોમાં ઘટાડો અને ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાવર ગ્રીડ પર ભારણ ઘટતાં નવી ચિંતા ઊભીવિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પાવર ગ્રીડ પર ભારણ ઘટવું સામાન્ય રીતે સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે આર્થિક મંદીનું સૂચક છે. ઉદ્યોગોની ગતિ ફરી સામાન્ય બનશે ત્યારે જ વીજ માંગમાં વધારો જોવા મળશે. આ પરિસ્થિતિ રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે વીજળીની માંગ ઉદ્યોગોની સ્થિતિનો મહત્વનો સૂચક છે. જો આવું જ ચાલુ રહ્યું, તો આગામી સમયમાં વધુ આર્થિક પડકારો ઊભા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:00 pm

સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મસાલાની સિઝન દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે વિભાગની ટીમે લાયસન્સ વિના કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડા પાડી 45 શંકાસ્પદ નમૂના જપ્ત કર્યા હતા. આ નમૂનાઓને તપાસ અર્થે ભુજની લેબમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે રિવરફ્રન્ટ રોડ, 80 ફૂટ રોડ અને દૂધરેજ રોડ પર આવેલી મસાલાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઘણી પેઢીઓ FSSAI લાયસન્સ વિના જ સિઝનલ વેપાર કરતી હોવાનું જણાયું હતું. ટીમે ધાણાજીરું, મરચાં, હળદર, રાઈ, હીંગ અને જીરું સહિતના વિવિધ મસાલાના નમૂના લીધા હતા. વિભાગ દ્વારા તમામ પેઢીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી એક અઠવાડિયામાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરે અને નિયમ મુજબ સ્વચ્છતા જાળવે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન કુલ 38 ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં લસ્સી, મઠ્ઠો, પનીર ટીકા અને વિવિધ મસાલાનો સમાવેશ થાય છે. અગાઉ લેવાયેલા 10 સેમ્પલોના રિપોર્ટમાં એક 'સેવ-ફરસાણ'નો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:43 pm

હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ગટર ભરાઈ ગઈ હતી. ઢાળ અને ખુલ્લા પ્લોટમાંથી પસાર થઈને ગટરનું પાણી સ્થાનિક રહીશ પ્રેમીલાબેન પંડ્યાના ઘર આગળના રસ્તા પર ભરાઈ ગયું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં જાણ કરવામાં આવતા, ગટર વિભાગના કર્મચારીઓ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ભરાયેલી ગટરની સફાઈ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગટરમાં કચરો અને કપડાં ભરાઈ જવાને કારણે પાણી ઉભરાયું હતું. ગઈકાલે વરસાદી પાણી હતું જે નીકળી ગયું હતું, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા સમસ્યા યથાવત રહી હતી. હાલ ગટરની સફાઈ થઈ ગઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ રોડ પર ભરાયેલું છે. આ પાણી સુકાય અથવા નીકળી જાય પછી જ અવરજવર સામાન્ય થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:40 pm

ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી કેસમાં આવી શકે નવો ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર ઘટના?ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ‘અન્ય કોઈને ખીરાથી ફૂડ પોઈઝનિંગ ન થયું’ આ મામલે L ડિવિઝન ACP ડી.વી રાણાએ જણાવ્યું હતું કે ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. બાળકીના ફીંડીગ મુદ્દે ડોક્ટરે શું કહ્યું? વિમલના ઘરે પોલીસ તેમજ FSLની ટીમે તપાસ કરી છે. દુકાનદારના CCTV ફૂટેજમાં બીજા કોઈ ગ્રાહક ફરિયાદ લઈને આવ્યા હતા કે નહી તેનું પણ ચેંકીગ થયુ હતું. ડોક્ટરે પોલીસ સમક્ષ એક હકીકત જણાવી હતી કે, માતાને ફૂડ પોઈઝિંગની અસર હોય અને બાળકી ફીંડીગ કરતી હોય તો તેને ફુડ પોઈઝનની અસર થતી નથી. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી પણ શક્યતા છે. હાલ FSL રિપોર્ટને 15 દિવસથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા આ ઘટના બહાર આવી તે સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:39 pm

માર્ગો પર ઘાસચારો નાખવા પર કલેક્ટરના પ્રતિબંધનો ઉલાળ્યો:હિંમતનગર ધાંણધા ફાટક પાસે રોડ પર ઘાસચારાને લીધે ગાયોના આતંકથી અકસ્માતનો ભય

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગો પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, હિંમતનગરમાં તેની અમલવારીમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને ધાંણધા રેલવે ફાટક નંબર 86 પાસે નિયમિતપણે ઘાસચારો નાખવામાં આવતો હોવાથી ગાયોના મોટા ટોળા જમા થાય છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ટ્રેનના હોર્નથી ગાયો ભડકતા દોડધામહિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર સ્થિત ધાંણધા ફાટક પાસેની સ્થિતિ વધુ ગંભીર છે. જ્યારે ખેડબ્રહ્માથી અસારવા જતી મેમુ ટ્રેન પસાર થવા માટે ફાટક બંધ કરવામાં આવે છે, ત્યારે ટ્રેનના જોરદાર હોર્નથી રોડ પર ઉભેલી ગાયો ભડકીને અસ્તવ્યસ્ત દોડવા લાગે છે. ફાટક બંધ હોવાના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે, તેવામાં ભડકેલી ગાયો વાહનચાલકો સાથે અથડાતા અકસ્માતની ભીતિ સર્જાય છે. પરીક્ષાર્થી દીકરીને ગાયે હડફેટે લીધીસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી હતી. પરીક્ષા આપવા જઈ રહેલી એક વિદ્યાર્થિનીને ગાયોના ટોળાએ હડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, ગાયો વારંવાર રેલવે ટ્રેક પર ચડી જતી હોવાથી ટ્રેન અકસ્માતનું જોખમ પણ સતત તોળાઈ રહ્યું છે. તંત્રની ઉદાસીનતા સામે રોષસ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરાવી ઘાસચારો નાખનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરીશું: ચીફ ઓફિસર આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રોડ પર ઘાસચારો નાખવા અંગે અને ગાયોના ટોળાની સમસ્યા બાબતે તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:34 pm

કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મેયરની બાદબાકી, ભરત બારડે વ્યક્ત કરી નારાજગી !

ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ દ્વારા 13 વોર્ડ માં મુરતિયા ગોતી રહી છે ત્યારે ગુજરાત ભાજપ કમલમ ખાતે પાલમેન્ટરી બોર્ડ ની બેઠક યોજાઇ રહી છે, જેમાં શહેર પ્રમુખ સહિત સંગઠનના કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાજપ ના મેયર ભરત બારડ ની બાદબાકી કરતા નારાજગી વ્યક્ત કરી હતી, ​રાજ્યમાં હાલ આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભાવનગરના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં ભાવનગરના મેયરને આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે મેયરે પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડી નારાજગી વ્યક્ત કરી હતી. ​મેયરએ કહ્યું હું અવઢવમાં છું દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી, હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું અને સામાન્ય રીતે દરેક વખતે મેયરને સાથે રાખીને જ ચર્ચા થતી હોય છે. ભાવનગરના મેયરની ક્રેડિટ હોય છે, ત્યારે આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક મિસ્ટેક થઈ રહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પાછળ કોઈનો બદ ઈરાદો નહીં હોય તેવી તેમને ખાતરી છે. ​નિર્ણય પ્રક્રિયામાં મેયરનું મહત્વ ​પાર્લામેન્ટરી બોર્ડની પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા મેયરે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર આખા શહેરમાં ફર્યા હોય છે, કયા નગરસેવકે કેવું કામ કર્યું છે, ક્યાં સફળતા મળી છે અને ક્યાં ઉણપ રહી છે, તેનો સચોટ ખ્યાલ મેયરને જ હોય છે તેથી ટિકિટ વિતરણ કે અન્ય મહત્વના નિર્ણયોમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ તેવું તેમનું અંગત માનવું છે. ​નવા ચહેરા અને વરિષ્ઠોનું મિશ્રણ ​આ ભારતીય જનતા પાર્ટી છે, અહીં કોની પસંદગી થશે તે અગાઉથી કહી શકાય નહીં, મને પણ ખબર નહોતી કે હું મેયર બનીશ, જે પણ આવશે તે શ્રેષ્ઠ ઉમેદવાર હશે, મેયરે યુવાનોને તક આપવાની સાથે વરિષ્ઠોના અનુભવને પણ પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, “યુવાનોની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ મારો વ્યક્તિગત વિચાર છે.”

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:30 pm

જામનગરમાં BSP પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા:પૂર્વ સાંસદ વિક્રમ માડમની હાજરીમાં ખેસ ધારણ કર્યો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફુરકાન શેખ અગાઉ વિવાદોમાં રહી ચૂક્યા છે. તેઓ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલમાં પણ તેમની સામે ACBનો કેસ ચાલી રહ્યો છે. તેમના પક્ષ પલટાને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:29 pm

ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના ગુજરાતીઓ અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાતીઓ અભણ હોવાના ખડગેના નિવેદનના વિરોધના ભાગરૂપે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખડગેના નિવેદનની સખત નિંદા કરી હતી. ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપ પ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ અને માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ભાજપના આગેવાનોએ માંગ કરી હતી કે મલ્લિકાઅર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગે. આ મુદ્દે રાજ્યભરમાં રાજકીય તણાવ વધવાની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આ નિવેદનની રાજકીય અસરો જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:26 pm

ઇટાલિયાનું ઓડિયો-વીડિયો WAR, પોલીસ ને હર્ષ સંઘવી પર આક્ષેપ:પોલીસે વોરંટ ઇસ્યૂ કરતા ગૃહમંત્રીને ઘેર્યા, રાત્રે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ, કહ્યું-બનાવનારાને પણ બુદ્ધિ નથી

ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘર પર પોલીસ મહેસાણામાં 2020માં પરવાની વિના રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે ગઈ હતી ત્યાર બાદ આપના ધારાસભ્ય ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું હતું કે, સુરત પોલીસે મારા ઘરે પહોંચી મારા માતા સાથે ગાળાગાળી કરી હતી. આ વિવાદ બાદ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં સામેની વ્યક્તિને કહે છે કે, પોલીસ ઘરે સમન્સ આપવા આવે તો આવવા દે, આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.આ કથિત ઓડિયો ક્લિપ મામલે ઇટાલિયાએ કહ્યું કે, આ ઓડિયોને AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બનાવનારાને બુદ્ધી નથી. આ પણ વાંચો: 'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે' વાઇરલ ઓડિયોમાં શું વાતચીત છે? જીતુ: હા ગોપાલભાઈ...ગોપાલ: હા જીતુ... બોલો.જીતુ: હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના હતા વોરંટ બજાવવા આજકાલમાં...ગોપાલ: હશે... ભલેને આવે.જીતુ: એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને...ગોપાલ: શેનો નિયમ?જીતુ: એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા ઘરે જાય અને પછી સાબિતી હાટુ પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે અને પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ન્યાં ગયા હતા એમ એને પકડવા એમ.ગોપાલ: હા તો પાડવા દો ફોટા... એ તો સારું ે આપણે? આપણે કહેવાનું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે બીજું શું...જીતુ: પણ તમે ઘરે નહીં હો ને?ગોપાલ: હા પણ માજી તો મળશે ને? આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.જીતુ: એમ નહીં...ગોપાલ: એ તો મૂક ને ભાઈ હું સમજી ગયો, એમાં કંઈ ફાટી નથી પડવાનું હોય... એ પોલીસવાળાને આવવા દો... એ તો હું જોઈ લઈશ પછી. ‘મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડ્યો તો AI ઓડિયો વાઇરલ થયો’આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચોરી અને એના ઉપર સીનાજોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાઇરલ થઈ ગયો! ‘અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં?’અરે વાહ! તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિષ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો. ‘અમે તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી’કંઈ વાંધો નહીં, કરો વાઇરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું, એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાજોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો! અને એ ઓડિયો પણ 8 પાસને છાજે એવો છે. 'અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે?' કોઈ નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતા માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો, એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં નવો નિયમ આવ્યો છે એમાં પછી આ ફોટો અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે અને કયો નિયમ નથી. એમાં મને કાંઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમ પણ કહે છે કે બા ઘરે એકલા છે. ઓહોહો... આટલી બધી ફેબ્રિકેટેડ વાત! ‘એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે’બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કંઈ લેવા-દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમારી ઘરે આવું થશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે, એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કંઈ વાતચીત એણે સામેલ કરી છે અને મેં જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવી આટલી-આટલી પ્રકારે દાદાગીરી કરી છે. જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે. ‘હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે’એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ પણ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં વટવા સાઈડ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજ પણ શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી-આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ માર મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી ત્યાં તો ઓડિયો બનાવ્યો અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભરેલા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવ્યો. ભાઈ કોઈ સનસનીખેજ નથી, સનસની તો 2027માં સનસનીખેજ ભરેલા સમાચાર આવવાના છે. ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે?: ઇસુદાન ગઢવીઆ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવાનો ષડયંત્ર રચાયું છે. શું ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે? શું તમને ખ્યાલ છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલ ઇટાલિયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા પર ઉતરી આવશે. ભાજપના જે કાર્યકર્તાઓ ગોપાલભાઈના ફેન છે એ પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:11 pm

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર:ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા, આ પરબ સુરેન્દ્રનગર શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ નાત-જાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પરબ મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે., રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ જેવા સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે આ સેવાકીય કાર્યના શુભારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. આ આયોજન દ્વારા ઉનાળામાં લોકોને ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:09 pm

મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વિવિધ આસામીઓ દ્વારા રોડની જગ્યામાં બે ફૂટથી લઈને છ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું. મચ્છુ કેનાલની બાજુમાં નવા રોડના નિર્માણ માટે આ કામગીરી ચાલી રહી છે. આ રોડના કામમાં અવરોધરૂપ થતા દબાણોને કારણે મહાપાલિકાએ આ પગલું ભર્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે. તેમણે લોકોને સ્વેચ્છાએ સરકારી જમીન પરના દબાણો હટાવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 pm

ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો

ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપાયો છે. પંચમહાલ SOGની ટીમે છ મહિનાથી ફરાર આ આરોપીને ફિલ્મી ઢબે વેશપલટો કરીને દબોચી લીધો હતો. ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર ઝભા મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો. તે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપી ઓળખી ન જાય તે માટે પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. SOGની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નાસિક રોડ પર આવેલી 'હોટલ અના સાગર' માંથી ઝાકીર ઝભાને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2025 ની મોડી રાત્રે બની હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભાને પોલીસ મથકે બોલાવવાને લઈને ગેરસમજ થતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ મથકનો ઘેરાવો કરવા ઉપરાંત પોલીસ ચોકી નંબર ચારમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે 100 થી વધુ ઇસમોના નામ જોગ અને 200 થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:04 pm

આગ લાગી કે લગાવવામાં આવી?:ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર નજીક કપડાના જથ્થામાં વહેલી સવારે આગ લાગી, તપાસ કરવા પોલીસને રજૂઆત

શહેરના ગોમતીપુર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે ફૂટપાથ પર જુના કપડા વેચીને ગુજરાત ચલાવનારા વેપારીના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાવવામાં આવી કે લાગી હતી તે મુદ્દે અસમંજસ છે. ત્યારે આ મુદ્દે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપી તપાસની માગ કરી હતી. વહેલી સવારે કપડાના જથ્થામાં આગ લાગી મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં ચાર રસ્તા નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહાર ફૂટપાથ ઉપર કેટલાક ગરીબો કપડાનો પથારો લગાવી અને વ્યાપાર ધંધો કરે છે. ત્યારે આજે સવારે કપડાનો જથ્થો અને એક લારીમાં આગ લાગી હતી. જેથી આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ગાડી ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનું કૃત્ય હોવાની આશંકા સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાડવામાં આવી હોઈ શકે છે. એટલું જ નહીં આસપાસમાં રહેતા કોઈ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે આવી અને આગ લગાડી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ મુદ્દે પોલીસ તપાસ કરે તેવી પણ માગ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:57 am

પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અખબારી અહેવાલો દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં પૂજ્ય મોરારીબાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે માનવતાવાદી અભિગમ દાખવીને પ્રત્યેક મૃતક યુવાનના પરિવારને ₹15,000 ની સહાય જાહેર કરી છે. કુલ ₹60,000 ની ‘હનુમંત સંવેદના’ સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુના આદેશ મુજબ, પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈને આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોના નિર્વાણ માટે હું ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના.' આમ, પૂજ્ય મોરારીબાપુએ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવીને પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:55 am

કોંગ્રેસના 3 ઉમેદવારના નામ AMCની મતદાર યાદીમાંથી ગાયબ:નવરંગપુરા, ઈન્દ્રપુરી અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે, નવા નામ જાહેર થશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદીત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યાં બીજા ઉમેદવારો ફોર્મ પણ નહીં ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 ઉમેદવાર ફોર્મ જ નહીં ભરી શકેકોંગ્રેસની પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 12 વોર્ડમાં તો આખી પેનલ જાહેર કરવામાં આવી છે તો કુલ 92 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે જેમાંથી 3 જેટલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ જ નહીં ભરી શકે. ટિકિટ મળ્યા બાદ ઉમેદવારોના ખુશી જોવા મળી હતી. પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કર્યું ત્યારે નવી મતદાર યાદી જોઈને ઉમેદવારો પણ ચોંકી ગયા હતા. 3 ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ3 જેટલા ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. ઉમેદવારની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદી નથી. ઉમેદવારોએ 2 દિવસ સુધી મતદાર યાદીમાં નામ એડ કરવા ધક્કા ખાધા છે, પરંતુ હવે આ ત્રણેય ઉમેદવારોના નામ મતદાર યાદીમાં એડ થઈ શકે તેવું નથી. જેથી ટિકિટ મળવા છતાં ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે એટલું જ નહીં મતદાન પણ નહીં કરી શકે. જેથી કોંગ્રેસે હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારના નામની જાહેરાત કરવી પડશે. ‘વિધાનસભાની યાદીમાં નામ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં નથી’નવરંગપુરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની યાદીમાં નામ છે, ભાગ નંબર સીરિયલ નંબર અને પોલીસ સ્ટેશનનું નામ પણ આવી ગયું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાં મારું નામ નથી. ચૂંટણી લડવા માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી. દરેક વોર્ડમાં જન સંપર્ક પણ શરૂ કરી દીધો હતો. તેમ જ પાર્ટીએ ટિકિટ આપતા ખુશી પણ હતી, પરંતુ હવે મતદાર યાદીમાં નામ ન હોવાથી ઘણું દુઃખ થઈ રહ્યું છે. કોર્ટમાં જવાની તૈયારીત્રણ વોર્ડમાં મારું નામ સમિતિએ મૂક્યું હતું. વિધાનસભાની મતદાર યાદીમાં નામ આવી ગયું હોવાથી એવું લાગ્યું હતું કે કોર્પોરેશનની મતદાર યાદીમાં પણ નામ આવી જશે. ત્રણ વોર્ડની યાદીમાં બુથ પ્રમુખો સાથે નામ ચેક કર્યું, પરંતુ ક્યાંય પણ નામ જોવા મળ્યું નથી. જ્યારે નવા વાડજમાં આવેલા મહેસૂલ ભવનમાં ગઈ ત્યારે ત્યાંના અધિકારીઓએ એવું કહ્યું હતું કે હવે આમાં અમે બીજી કોઈ મદદ નહીં કરી શકીએ. જેથી હવે વકીલોની સલાહ મુજબ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:51 am

મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના

શહેરના ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વોકિંગ કરતા હતાને મંગળસૂત્ર ખેંચી લીધું ટી. બી.હોસ્પિટલ પાસે ઓ.એન.જી.સી. સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. બાઈક પર બંન્ને શખ્સ ભાગી છૂટ્યા મહિલાએ બૂમાબૂમ કરતા બંને ગઠીયાઓ બાઈક લઈને આશ્રય હોટલ તરફ ભાગી છૂટ્યા હતા. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે કાળા રંગનું માસ્ક અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા શખ્સના ખભા પર થેલો અને હાથમાં હેલ્મેટ હતું. બંનેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની જણાઈ હતી. ઘટના બાદ મહિલાએ તુરંત જ GIDCમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા તેમના પતિને જાણ કરી હતી. દંપતીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ રાત્રિના સમયે સફળતા મળી ન હતી. અંતે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને ગઠીયાઓને પકડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:37 am

સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. હાલમાં ચૂંટણીને કારણે ઠેર ઠેર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન સંખેડા પોલીસ ગોલા ગામડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ગોળ ગામડી તરફ XUV ગાડી નંબર GJ 01 HZ 7135 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા, તેના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી લોટીયા તરફ વાળીને ભગાવી હતી. સંખેડા પોલીસે તેનો પીછો કરતા, ચાલક આગળ જઈને ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1535 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,19,797/- થાય છે. પોલીસે વિદેશી દારૂ અને XUV ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:33 am

બોટાદની કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં:બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા

બોટાદના પાળીયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ઉમા પાર્ક 4 માં આવેલી કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં શૈક્ષણિક સત્રના સમાપ્તિ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UKG માંથી ધોરણ 1 માં જતા બાળકો માટે વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. વિદાય સમારોહ દરમિયાન બાળકોએ પોતાની સુંદર પ્રતિકૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ ખૂબ જ મનમોહક રહ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રિન્સિપાલ રાખીબેન કમલકુમાર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને દરેક તહેવારોનું મહત્વ સમજાવીને તેની ઉજવણી પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:19 am

મુળચંદ ગામના ગ્રામજનોની ભાજપ પાસે માંગ:સ્થાનિક ચૂંટણીમાં ગામના 2 ઉમેદવારોને ટિકિટ આપો, નહીંતર વિરોધ

સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ રજૂઆત કરી હતી. મુળચંદ ગામ 3500થી વધુ વસ્તી ધરાવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ઉમેદવારોને ટિકિટ મળે તેવી તેમની અપેક્ષા છે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગામની મુલાકાત લીધી હોવા છતાં, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ભાજપમાં જ રહેવા માંગે છે. તેથી, તેઓ ભાજપ પાસેથી જ સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે, જેમાં મુળચંદ ગામ સહિત આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દરેક વોર્ડમાં 30થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને કુલ 500થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ 13 વોર્ડમાં કયા 52 ઉમેદવારોની પસંદગી કરશે તેના પર સૌની નજર છે. આ સંજોગોમાં, જો ભાજપ પક્ષ મુળચંદ ગામના ઉમેદવારોની પસંદગી નહીં કરે, તો ગામમાં વિરોધનો વંટોળ સર્જાઈ શકે છે અને નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:18 am

અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ

અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજીસવારના સમયગાળામાં વિવિધ તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. સવારે 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3, 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7:15 વાગ્યે 3.5 (લગભગ), 7:51 વાગ્યે 1.5 અને 8:57 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકા નોંધાયા હતા.આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂરભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:54 am

બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી

ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી કેબલની કરી હતી ચોરીસાંતેજ ગામની સીમમાં સુપરસીટી લકઝરીયા-3 નામની સાઇટ પર 31 માર્ચથી 1 એપ્રિલના સમયે કેબલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ અલગ અલગ સાઈઝના 1.81 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરી છે.જે મામલે કંપનીએ સ્ટોક અને કેબલની લંબાઈની ખરાઈ કર્યા બાદ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં 100થી વધુ CCTV ફૂટેજની તપાસફરિયાદના આધારે સાંતેજ પોલીસ મથકના PI એસ. આર. મૂછાળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે સાંતેજ ગામની સીમમાં ટીપી રોડ પર વોચ ગોઠવી ચોરીના કોપર વાયર સાથે જઈ રહેલી રિક્ષાને અટકાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી હત્યા, લૂંટના ગુનામાં પણ સંડોવણીજે આરોપીઓની પૂછપરછ દરમિયાન સુપરસીટી લક્ઝરીયા-3ની સાઇટ પરથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે PI મૂછાળે કહ્યું કે, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, ​કરણ પટણી અને ​રણજીત ઉર્ફે સાવલો પટણીને રુપિયા 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ​આ તમામ આરોપીઓ હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી શૈલેષ ઉર્ફે શેરડી પટણી અગાઉ પણ હત્યા, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:47 am

6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથા-મોઢા પર ગંભીર ઇજા, તંત્ર સામે કાર્યવાહીની માંગ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં રખડતા શ્વાનોનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:10 am

લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી

સુરેન્દ્રનગર એ.સી.બી.એ લખતર મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (ઉ.વ. 40, રહે. પાટડી) અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (ઉ.વ. 37, રહે. લખતર)નો સમાવેશ થાય છે. આ કેસમાં ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરી આપવા માટે આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં, આરોપી કનકસિંહ ઝાલાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની નોંધ પ્રમાણિત કરવા માટે રૂ. 50,000 આપવા પડશે, જે 'સર્કલ સાહેબ' દ્વારા માંગવામાં આવ્યા છે. વાતચીતના અંતે, લાંચની રકમ રૂ. 30,000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપીઓએ રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી. નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદીને લાંચના નાણાં આરોપી કનકસિંહ ઝાલાને આપવા જણાવ્યું હતું. કનકસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી રૂ. 20,000ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપીઓ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. આરોપીઓએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને સુરેન્દ્રનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા, એ.સી.બી. રાજકોટ એકમ, અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા, એ.સી.બી. રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:01 am

ભાજપ સ્થાપના દિવસે 'ઘર-ઘર સંપર્ક અભિયાન':સુરેન્દ્રનગરના વોર્ડ 4 અને 7 માં પત્રિકા વિતરણ, લોકસંપર્ક

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપના આદેશ મુજબ રાજ્યભરમાં “ઘર-ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વિવિધ વોર્ડમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ પરિવારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 4 માં જીગ્નાબેન પંડ્યા, ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને મિલિન્દ કોઠારી દ્વારા સઘન સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ અને પક્ષના આગામી લક્ષ્યો વિશે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પણ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો. વોર્ડ નંબર 7 ના બુથ નંબર ૨૧૫ માં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં વોર્ડ પ્રભારી શિલ્પાબેન રાઠોડ, ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ મોરી, રવિરાજસિંહ જાડેજા, વિરલભાઈ શુકલ અને ડો. હેતલબેન જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ સદસ્ય પિન્ટુબેન અસાણીયા, પારુલબેન શુકલ, નિતાબેન જોષી અને સ્મિતાબેન વોરાએ પણ બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતો દ્વારા સેવા અને સંગઠનના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:54 am

ભરૂચમાં ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યૂ:મકતમપુર વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો અજગર પકડ્યો, સલામત સ્થળે છોડશે

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની એકદમ નજીક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક સર્પમિત્રોની સતર્કતાને કારણે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર દેખાતા વનવિભાગને જાણ કરાઈમકતમપુર વિસ્તારમાં અચાનક અજગર દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમના રમેશ દવે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા RFO એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ સફળઅજગરને જોવા માટે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભીડ અને અજગરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અજગર કદમાં મોટો હોવાથી તેને કાબૂમાં લેવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અજગરને સહીસલામત પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કુદરતી આવાસમાં મુક્ત કરાશેરેસ્ક્યૂ કરવામાં આવેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અજગરના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની અપીલ કોઈપણ જંગલી જાનવર કે સાપ દેખાય ત્યારે તેની છેડતી કરવી નહીં. પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવું અને તાત્કાલિક વન વિભાગ અથવા નિષ્ણાત સર્પમિત્રોનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:47 am

કાટમાળમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યૂ, VIDEO:ફાયર જવાને પહેલા માળેથી ખભે ઉચકીને નીચે ઉતાર્યાં, કોટના વરિયાવી બજારમાં વહેલી સવારે જર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી

સુરત શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દીવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષના વૃદ્ધા માટે ફાયરના જવાનો 'દેવદૂત' બનીને આવ્યા હતા અને તેમનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. વહેલી સવારે સ્લેબ પડતા અફરાતફરી મચીમળતી માહિતી પ્રમાણે, વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે 3:50 કલાકે ભારે અવાજ સાથે કડાકો થયો હતો. એક માળના આ મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો જાગી ગયા હતા. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવ-બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. વૃદ્ધા કાટમાળ વચ્ચે જિંદગીની જંગ લડતા હતામકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસરે વૃદ્ધાને ઊંચકીને નીચે ઉતાર્યાંરેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા, આથી ઓફિસર બળવંતસિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યાં બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળી હતી, જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:43 am

હિંમતનગર રેલવે સ્ટેશન માર્ગે પાણી ભરાયું:સાબરકાંઠાના 7 તાલુકામાં કમોસમી વરસાદ, હિંમતનગર-તલોદમાં એક ઇંચ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 3 મિલીમીટરથી 26 મિલીમીટર સુધીના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંમતનગરમાં 24 કલાકમાં એક ઇંચ (24 મિલીમીટર) કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ગાયત્રી મંદિર પાસેની વિવિધ સોસાયટીઓ અને ટાવર ચોકથી પાંચ બત્તી થઈને રેલવે સ્ટેશન જવાના માર્ગે પાણી ભરાયા હતા. પાણીના નિકાલના અભાવે લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જિલ્લામાં 7 એપ્રિલ, મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, તલોદમાં 26 મિલીમીટર (એક ઇંચ), હિંમતનગરમાં 24 મિલીમીટર (એક ઇંચ), પ્રાંતિજમાં 13 મિલીમીટર, ઇડરમાં 10 મિલીમીટર અને વડાલીમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:40 am

આગ્રા કૅન્ટ-અસારવા એક્સપ્રેસનું નિયમિત સંચાલન શરૂ:સાબરકાંઠાના મુસાફરોને વધુ સુવિધા મળશે, ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે

NWR દ્વારા સંચાલિત આગ્રા કૅન્ટ–અસારવા એક્સપ્રેસ (ટ્રેન નં. 20178/20177)નું આજથી નિયમિત સંચાલન શરૂ થયું છે. આ નિર્ણય સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને વધુ સુવિધા પૂરી પાડશે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી અસારવા માટે દર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 20177 અસારવાથી આગ્રા કૅન્ટ માટે દર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે. તે ગંગાપુર સિટી, સવાઈ માધોપુર, કોટા, બુંદી, ચંદેરિયા, માવલી, ઉદયપુર સિટી, ડુંગરપુર, શામળાજી રોડ અને હિંમતનગર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અસારવા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 20177 અસારવાથી બપોરે 15:00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 07:15 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશને, આગ્રા કૅન્ટ-અસારવા ટ્રેન સવારે 9:35 વાગ્યે આવશે અને બે મિનિટના રોકાણ બાદ 9:37 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, અસારવા-આગ્રા કૅન્ટ ટ્રેન સાંજે 4:18 વાગ્યે આવશે અને બે મિનિટ રોકાઈને 4:20 વાગ્યે ઉપડશે. આ નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ થવાથી હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આગ્રા અને રાજસ્થાન તરફની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:35 am

પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞ યોજાયો:વાવાઝોડા વચ્ચે પણ ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો

પાટણ ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળા, રામનગર પદ્મનાથ મંદિર સામે મંગળવારે 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તો દ્વારા યોજાયો હતો. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુખલાલ ઈશ્વરલાલ ઠક્કર, નાયકા વાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણના મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:21 am

પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા

વડોદરમાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા જેવી સમાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠકબેઠક પણ કરી હતી. પાણી ઢોળવા મુદ્દે બે જૂથ આવ્યા સામસામે 06 એપ્રિલની રાત્રે એકતાનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથાપાઈ, મારામારી અને એકબીજા પર પથ્થરમારો સુધી પહોંચી હતી. આ ઘટનામાં બંન્ને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. બંન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઘટનાની ગંભીરતા જોતા બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડયો હતો. પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. જેમાં 14 સામે નામજોગ ફરિયાદ નોધવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ. પસ્તાગીયા અને તેમની ટીમે સીસીટીવી ફુટેજ, સ્થાનિક સાક્ષીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 14 આરોપીમાંથી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી આ કાર્યવાહીમાં આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક પણ પોલીસે કરાવી હતી. ફિરોઝ ઉર્ફે હુક્કા શફીભાઈ મન્સૂરી, ઇમરાન ઉર્ફે ઇલ્લુ મુસ્તાક મન્સૂરી , સાહિલ ફિરોઝ ઉર્ફે હુક્કા મન્સૂરી , સમીર ઉર્ફે કાકા અશરફભાઈ પઠાણ , જુબેર જાકીરભાઈ મન્સૂરી અને સામે પક્ષે સલીમુદ્દીન કુતુબુદ્દીન શેખ, તમીજુદ્દીન કુતુબુદ્દીન શેખ , બશીરભાઈ રસૂલભાઈ મલેક અને ફારુક ઉર્ફે બબલુ ફરીદખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:12 am

ગોધરામાં એ.કે. ટ્રેડર્સના સ્ક્રેપના જથ્થામાં આગ:2 ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં

ગોધરા શહેરના ચિખોદરા વિસ્તારમાં આવેલી 'એ.કે. ટ્રેડર્સ' નામની કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના ખુલ્લા સંકુલમાં રાખવામાં આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયાપ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે એ.કે. ટ્રેડર્સમાં રાખેલા ભંગાર (સ્ક્રેપ)માં એકાએક આગ લાગી હતી. જ્વલનશીલ પદાર્થો અને પ્લાસ્ટિકના મિશ્રણને કારણે આગની જ્વાળાઓએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાનો ફાયર કાફલો 2 ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને બાજુની મિલકતોમાં ફેલાતી અટકાવી હતી. અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે શાંત પડી હતી. મામલતદાર અને પોલીસ દોડી ગઈઆગની ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા સિટી મામલતદાર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:55 am

'બે દિવસ ફેરવવા માટે આપો' કહી ગઠિયાએ બોલેરો વેચી મારી:ચાણસ્માના દસ્તાવેજ લખનાર સાથે વિજાપુર અને ઇડરના બે શખસે ₹7 લાખની છેતરપિંડી આચરી, સાણંદમાં ગાડી વેચાઈ

ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા અને દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતા યુવક સાથે બોલેરો ગાડી ખરીદવાના બહાને 7.05 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વિશ્વાસ કેળવી માત્ર 1 લાખ રૂપિયા આપી, બાકીના નાણાં ચૂકવ્યા વગર ગાડી અન્યત્ર વેચી મારી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે વિજાપુરના વસાઈ ડાભલા અને ઇડરના કમાલપુરના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો શું છે ?કુલદીપ ડોડીયાએ વર્ષ 2023માં 12.65 લાખની કિંમતે મહિન્દ્રા બોલેરો નિયો ટેન ખરીદી હતી. આ ગાડી પર ચાણસ્મા કો-ઓપરેટિવ બેંકની લોન ચાલુ હતી. કુલદીપે ગાડી વેચવા માટે તેમના મિત્ર ચિરાગસિંહ (રહે. જીતોડા) સાથે વાત કરી હતી. દરમિયાન, 23 જાન્યુઆરી 2026ના રોજ અનીલગીરી ગોસ્વામી (રહે. વસાઈ ડાભલા, તા. વિજાપુર) અને ભૌતિકગીરી ગોસ્વામી (રહે. કમાલપુર, તા. ઇડર) કુલદીપકુમારના ઘરે આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે ગાડીનો સોદો 7.05 લાખમાં નક્કી થયો હતો. વિશ્વાસ કેળવી ગાડી પડાવી લીધીઆરોપીઓએ ગાડીની બાકીની લોન ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી અને 'બે દિવસ ફેરવવા માટે આપો' તેમ કહી કુલદીપનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને આર.સી. બુક સાથે ગાડી લઈ ગયા હતા. જોકે, બે દિવસ બાદ લોન ભરવા કે બાકીના નાણાં આપવા બાબતે આરોપીઓએ વાયદા શરૂ કર્યા હતા. ગાડી ત્રીજી વ્યક્તિને વેચી મારીકુલદીપે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલી તન્વી મોટર્સમાં રાહુલદાન ગઢવીને 5.80 લાખમાં વેચી દીધી હતી અને તેમની પાસેથી 4 લાખ રૂપિયા મેળવી લીધા હતા. રાહુલદાન ગઢવીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા, અંતે કુલદીપે પોલીસનો આશરો લીધો હતો.ચાણસ્મા પોલીસે આ મામલે અનીલગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:48 am

વલસાડ નગરપાલિકાના ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો:ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક મોપેડ પર કાટમાળ પડ્યો, મોટી જાનહાનિ ટળી; પાલિકા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવશે

વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક સ્લેબ મંગળવારે મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલું એક મોપેડ કાટમાળ નીચે દબાઈ જતાં તેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. 30થી 40 વર્ષ જૂનું બિલ્ડિંગ અત્યંત જોખમીઆ શોપિંગ સેન્ટર અંદાજે 30 થી 40 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. પ્રાથમિક તપાસ મુજબ, છતમાંથી પાણી ઉતરવાને કારણે લોખંડના સળિયામાં કાટ લાગી ગયો હતો, જેના કારણે ગેલેરીનો સ્લેબ નમી પડ્યા બાદ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારીએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી હતી. તમામ સેન્ટરોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થશે આ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ નિર્ણય લીધો છે કે તેના હસ્તકના તમામ શોપિંગ સેન્ટરોનો 'સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ' તૈયાર કરવામાં આવશે. સમારકામ: જે બિલ્ડિંગો રિપેર કરી શકાય તેવી સ્થિતિમાં હશે, તેનું ત્વરિત સમારકામ કરવામાં આવશે. ડિમોલિશન: જે ઇમારતો અત્યંત જોખમી અને રહેવા કે વેપાર કરવા લાયક નથી, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાડુઆતોને સહકાર આપવા અનુરોધનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારો અને ભાડુઆતોને અપીલ કરવામાં આવી છે કે, જો બિલ્ડિંગ જોખમી જણાય તો તેને ખાલી કરવામાં અથવા રિપેરિંગની કામગીરીમાં પાલિકાને પૂરતો સહયોગ આપે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને કારણે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે આ પ્રકારની કડક કામગીરી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:37 am

નવસારી મનપાનો વોર્ડ 12નો ગઢ સાચવવો ભાજપ માટે પડકાર:એપ્રિલની કાળઝાળ ગરમીમાં ચૂંટણીનો પારો આસમાને, ‘VIP’ વોર્ડનો વિકાસ, સુવિધા અને દુવિધા ઉમેદવારનું ભાવી નક્કી કરશે

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. એપ્રિલ મહિનાના કાળઝાળ તાપની સાથે જ ચૂંટણીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. નવસારીના વોર્ડ નંબર 12માં ભાજપના વર્ષો જૂના ગઢને સાચવવો એ પક્ષ માટે મોટો પડકાર બની રહ્યો છે. આ એક હાઈપ્રોફાઈલ વોર્ડ ગણાય છે, જ્યાં શિક્ષિત મતદારોના મિજાજ પર સૌની નજર ટકેલી છે. ત્યારે ‘વીઆઈપી’ વોર્ડ ગણાતાં વોર્ડ 12ના વિકાસ, સમસ્યા અને સુવિધા સહિતની સ્થિતિનો મિજાજ જાણવા દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. રાજકીય ગઢ અને નેતૃત્વનું કેન્દ્રવોર્ડ નંબર 12 ઐતિહાસિક રીતે નવસારીના રાજકારણનું એપીસેન્ટર રહ્યું છે. ભૂતકાળમાં નગરપાલિકાના શાસન દરમિયાન આ એક જ વોર્ડમાંથી 3 પ્રમુખો મળ્યા છે. નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ આ જ વોર્ડના મતદાર હોવાથી તેનું મહત્વ વધી જાય છે. મતદારોનું ગણિત અને જ્ઞાતિ સમીકરણવોર્ડમાં અપર મિડલ ક્લાસ અને સુશિક્ષિત મતદારોનું વર્ચસ્વ છે. છાપરા અને દાંતેજ ગામના જોડાણ બાદ વોર્ડનું ભૌગોલિક કદ અને મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અહીં સિંધી, ભરવાડ, કોળી, પાટીદાર અને આદિવાસી મતદારો છે. વિકાસ અને વેપારી વર્ગશહેરના મધ્યમાં સ્થિત આ વિસ્તારમાં હાલ છાપરા અને ઈટાળવા રોડને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. આ વોર્ડમાં મોટા પાયે સિંધી વેપારીઓ વસે છે, જેઓ APMC, બાંધકામ અને શાકભાજીના જથ્થાબંધ વેપાર સાથે જોડાયેલા છે. 'આંધળો વિકાસ' અને સંકલનનો અભાવસ્થાનિક મતદાર વિનોદ રાઠોડના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા બન્યાને દોઢ વર્ષ થયું હોવા છતાં આયોજનબદ્ધ કામગીરીનો અભાવ છે. એકવાર રસ્તો બનાવ્યા બાદ ફરી પાણી કે ગટરની લાઈન માટે તેને ખોદવામાં આવે છે. વીજળીના થાંભલા ખસેડ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. વિભાગો વચ્ચે 'કો-ઓર્ડિનેશન' ન હોવાથી જનતા હેરાન થઈ રહી છે. વરસાદી પાણીના નિકાલની જૂની સમસ્યાનૂતન સોસાયટી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. સ્થાનિક રહીશ હેમલતાબેન ચુનાવાલા જણાવે છે કે ચોમાસામાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી જાય છે. તંત્ર દ્વારા માત્ર રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ડિજિટલ સિસ્ટમ સામે સવાલોસ્થાનિક યુવાન ગૌરવ રાઠોડે નવસારી મહાનગરપાલિકા (NMC)ની એપ્લિકેશન પર આકરા પ્રહાર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગટરના ખુલ્લા ઢાંકણા જેવી ફરિયાદો કરવા છતાં સ્થળ પર કામ કર્યા વગર જ એપ્લિકેશનમાં ફરિયાદ 'સોલ્વ' બતાવી દેવામાં આવે છે. રસ્તા પર પાઈપોના ઢગલા કરી દેવાતા અકસ્માતનો ભય પણ રહે છે. રાજકીય પક્ષોનો પક્ષભાજપ તરફથી ટિકિટના દાવેદાર પ્રેમચંદ લાલવાણી વિકાસના કામોનો બચાવ કરતા જણાવે છે કે, છાપરા રોડથી ઈટાળવા સુધીના ફોર-લેન રસ્તા, ગામડાઓમાં આંતરિક રસ્તા અને તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મતદારો વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છેવોર્ડ નંબર 12 ના મતદારો હવે માત્ર વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છે. શિક્ષિત વર્ગ હોવાથી અહીં ટ્રાફિક વ્યવસ્થા, ડ્રેનેજ અને આયોજનબદ્ધ વિકાસ મુખ્ય મુદ્દા રહેશે. ભાજપ માટે પોતાના આ કિલ્લામાં ગાબડું પડતું રોકવું એ આગામી ચૂંટણીમાં સૌથી મોટી કસોટી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:00 am

સાંસદ અને રાજ્યમંત્રીના વોર્ડની શું છે સ્થિતિ?:પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ, તો ક્યાંક ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ; નેતાઓના વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 5 ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે અહિંના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અહિના મતદારો પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક મતદારોમાં ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ પણ જોવા મળ્યો હતો. નેતાઓના આ વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. ‘પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ સુવિધાઓ છે’વોર્ડ નંબર-5ની અવનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં સમસ્યાઓ બિલકુલ નહિવત છે. પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ પાયાની સુવિધાઓ સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સરકારની યોજનાઓ ખૂબ જ લાભદાયી છે, જેના કારણે દીકરીઓ અને મહિલાઓ ઉદ્યોગ અને નોકરીના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ‘નવી પાઈપલાઈન નંખાતા પૂરતું પાણી મળી રહે છે’વધુમાં જણાવ્યું કે, અગાઉ પાણીની સમસ્યા રહેતી હતી અને બે-ત્રણ દિવસે પાણી આવતું હતું, પરંતુ હવે નવી પાઈપલાઈન નંખાતા રોજ સમયસર અને પૂરતું પાણી મળી રહે છે. આ ઉપરાંત યોગ કેન્દ્રો, સ્વાસ્થ્ય અને આંગણવાડીની સુવિધાઓ પણ અમારા વોર્ડમાં ખૂબ જ પ્રશંસનીય છે. વોર્ડ 5માં ટ્રાફિક બાબતે કંચનસિંહે જણાવ્યું હતું કે, કંચનસિંહે જણાવ્યું હતું કે, પહેલા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ રહેતી હતી, જેના કારણે બસ કે ટ્રેન પકડવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે શહેરમાં અનેક નવા ઓવરબ્રિજ બની ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટો સુધારો આવ્યો છે. હવે ગમે તે સમયે નીકળીએ તો પણ ટ્રાફિકને કારણે મોડું થતું નથી, જે જામનગરના લોકો માટે મોટી રાહત છે. ‘રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે’તો બીજી તરફ વોર્ડ નંબર 5ના રહેવાસી રામદેવ ભાઈ ઓડેદરાએ ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, વોર્ડ નંબર 5માં ટ્રાફિક ઉપરાંત રોડ-રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ વારંવાર સર્જાય છે. તમે અહીં જોઈ શકો છો કે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ‘લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે’વધુમાં જણાવ્યું કે, ​જામનગરમાં મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે નીલકમલ ચોકડી પાસે છે, જ્યાં બાંધકામ દરમિયાન થયેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, માર્કેટ નવી જગ્યાએ શિફ્ટ થઈ હોવા છતાં અહીં લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. ખરાબ રસ્તા, ખાડાઓ અને પાણી ભરાવાની આ સમસ્યાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ‘મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો’મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5માં રહેતા મનીષાબેન મહેતાએ સ્વચ્છતા અને મહિલા ઉત્કર્ષની યોજનાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ​મનીષાબેને જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કચરાના ઢગલાઓ અને ડસ્ટબિનની સમસ્યાઓ રહેતી હતી, પરંતુ હવે સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. હવે નિયમિતપણે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની ગાડી આવે છે. સંગીતના માધ્યમથી ગાડીના આગમનની જાણ થતા જ લોકો પોતપોતાના ઘર કે પાર્કિંગમાંથી કચરો આપી શકે છે, જેનાથી વિસ્તારમાં ખૂબ જ સરસ ચોખ્ખાઈ જળવાઈ રહી છે. પ્રીતિબેન દ્વારા જણાવ્યું હતું કે, આરોગ્ય માટે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની છે. મોટી ઉંમરના લોકોને બહુ જ સરસ પાર્ક મળશે, જેમાં એ લોકો બહુ જ સારી રીતે વોક કરી શકશે. બધું જ એમને સારું ઓક્સિજન મળે તો એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા પાસે અમારી માંગણી તો બહુ જ ઓછી છે કારણ કે બધી માંગણી પૂરી કરી દીધી છે, છતાં પણ કંઈક રહેશે તો એ અમને એટલો કોન્ફિડન્સ છે કે મનપા અમારી માંગણી પૂરી કરશે જ. ‘અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં’વોર્ડ નંબર 5ના યુવાન ઉત્સવ પંડ્યાએ જણાવ્યું કે, વોર્ડ નં. 5માં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓથી લોકો પરેશાન છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ જોવા મળે છે. ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. અમારી અપેક્ષા માત્ર એટલી જ છે કે જે પણ ઉમેદવાર જીતે, તે જામનગરની જનતાને પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા, લાઈટ અને ડ્રેનેજ સિસ્ટમ પૂરી પાડે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, વોર્ડમાં કામ ઘણા સારા જ થયા છે અમે ઈચ્છીએ છીએ કે લોકોની વચ્ચે રહે એવા ઉમેદવાર ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર મળે જેથી લોકોના પ્રશ્નો વધારે હલ થાય. મેન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વોર્ડ નંબર 5માં આંકડાકીય વિગત મુજબ, કુલ 22,646 મતદારો છે, જેમાં 11,800 પુરુષ મતદારો અને 10,846 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં કેટલાક મુખ્ય પ્રશ્નો નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમાં આંતરિક રસ્તાઓનું નવીનીકરણ અને ખાડા મુક્ત રસ્તાની માંગ, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરતી ડ્રેનેજ સિસ્ટમ, તેમજ આરોગ્ય અને મચ્છર નિયંત્રણ દ્વારા સ્વચ્છતાની જાળવણીનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:05 am

પાલિકા-પંચાયત માટે આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે:ભાજપ મધ્ય અને ઉત્તર ગુજરાત ઝોનના ઉમેદવારો પર મંથન કરશે, 11 તારીખે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ

પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. 11 એપ્રિલ નામાંકનની અંતિમ તારીખ હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે સાંજે સુધીમાં છ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે, ભાજપ દ્વારા હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં હાલ ઝોન વાઈઝ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે અને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે આજે કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં દક્ષિણ-સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારો ફાઈનલભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાઈનલ યાદી તૈયાર કરાઈ હતી. જે આગામી એક બે દિવસમાં જાહેર કરાઈ શકે છે. આજે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને અંતિમ યાદી તૈયાર કરાશે. કોંગ્રેસ તેની બીજી યાદી આજે જાહેર કરી શકેકોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફક્ત 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મેનિફેસ્ટોના કાર્યક્રમના કારણે યાદી પર બ્રેક વાગી હતી. પરંતુ, હવે મેનિફેસ્ટોની કામગીરી પૂર્ણ થઈ હોય કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક':ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કઠોર અને વેલંજા વિસ્તારના જનપ્રતિનિધિઓ માટે જનતાએ અપેક્ષાઓનું ભાથું તૈયાર રાખ્યું છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે માત્ર વાતો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે તેવા નેતાઓની આજે જરૂર છે. આ વોર્ડમાં માળખાગત સુવિધાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર થતા ખોદકામે નાગરિકોની હાલાકીમાં વધારો કર્યો છે. તો બીજી તરફ, સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક છે. આમ, સામાન્ય જનતા પાયાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એમ બંને મોરચે સંઘર્ષ કરી રહી છે. સ્થાનિકોએ વરાછામાં અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી કરીલોકોની મુખ્ય માગણી સુરક્ષાને લઈને છે. હાલનું પોલીસ સ્ટેશન એવી જગ્યાએ કાર્યરત છે કે સામાન્ય નાગરિકને તે શોધવામાં પણ મુશ્કેલી પડે છે. મતદારોની માગ છે કે આગામી શાસકો પોલીસ સ્ટેશન માટે કોઈ મોકળાશવાળી અને મુખ્ય માર્ગ પરની જગ્યા ફાળવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની શકે. વધતી જતી વસ્તી અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાને રાખીને મોટા વરાછા વિસ્તારમાં એક અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી ઉઠી છે. બહારગામ જવા માટે લોકોને દૂર સુધી લાંબા થવું પડે છે, જો સ્થાનિક સ્તરે ડેપોની વ્યવસ્થા થાય તો હજારો મુસાફરોને રાહત મળી શકે તેમ છે. ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા મોટા વરાછા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં તેનું કામ હજુ સુધી કાગળ પર જ છે. વિકાસના આ કામમાં થઈ રહેલો વિલંબ લોકોમાં આક્રોશ જન્માવી રહ્યો છે. નવા બનેલા રોડ પર વારંવાર થતા ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આયોજન વગરના કામોને બદલે કાયમી અને મજબૂત રસ્તાઓ બને તેવી અપેક્ષા રખાઈ રહી છે. વિસ્તારમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓની સંખ્યા વધારવા તેમજ હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની માંગણી પણ જોર પકડી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોના વિકાસ અને આસપાસના રસ્તાઓના નવીનીકરણ માટે પણ લોકો નેતાઓ સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે. પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકોમાં રોષદર વર્ષે ચોમાસામાં મોટા વરાછા અને ઉત્રાણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા અને પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે દર વર્ષે સવાલો ઉઠે છે. જનતા આ વખતે એવા પ્રતિનિધિને પસંદ કરવા માંગે છે જે આ વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે. મોટા વરાછાની જનતા જાગૃત છે. આ વખતે ચૂંટણીમાં પક્ષ કરતાં 'કામ' અને 'સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ' ને વધુ મહત્વ આપવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય એ બંધ થવી જોઈએ'વિજય માંગુકિયા (સામાજિક અગ્રણી)એ જણાવ્યું હતું કે, સામાજિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સામાજિક દૂષણ તરીકે અત્યારે ઓયો હોટલ, જે મોટા વરાછા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ જે કામ પર જતી હોય છે, આઇટી સેક્ટરમાં ખૂબ અહીંયા વિકાસ થતો હોય છે ને આઇટી સેક્ટરના ઘણા બધા બિલ્ડીંગો બન્યા છે, કોમર્શિયલ બિલ્ડીંગો આવી રહ્યા છે. તો આ બધામાં નીચેના ભાગમાં હાઈ-ફાઈ ગલ્લાઓ હોય છે જ્યાં બીડી-સિગારેટ આદિ વ્યસનો કરવા માટે યુવાનો-યુવતીઓને સરળતાથી મળી રહે અને ત્રણ-ચાર માળમાં જે ઓફિસો આવેલી છે એમાં ઉપરના જે ટોપ ફ્લોર જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગો છે એમાં મોટા ભાગના બિલ્ડિંગોની અંદર ટોપ ફ્લોરની અંદર ઓયો હોટલ આવી છે. માંગુકિયાએ વધુમા કહ્યું કે, મોટા ભાગે જે શાકભાજી લેવાનો જે સમયગાળો હોય છે, જે મહિલાઓને બહાર નીકળવાનો સમયગાળો હોય છે એવા સમયે આ હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય છે અને આ હોટલો સદંતર પણે બંધ થવી જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર આ ‘પ્રતિક્ષા’ નામનું જે એપ છે એમાં એક પણ હોટેલના માલિકો, એક પણ હોટેલના જે સંચાલકો છે એ પોલીસ સ્ટેશનની અંદર એ એપનો ઉપયોગ કરતા નથી અને રજિસ્ટ્રેશન પણ કરતા નથી. 'એક પણ ST ડેપો આવેલો નથી'સ્થાનિક રોનક ઘેલાણીએ જણાવ્યું હતું કે, સુરત મનપામાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વરાછાના ગરનાળાથી લઈ છેક કામરેજ સુધી, આ બાજુ ઉમરા-વેલંજા સુધી અને આ બાજુ યોગીચોક સુધીમાં એક પણ ST ડેપો આવેલો નથી. તો તેમની માટે એક જગ્યા ફાળવવામાં આવે જ્યાં ટ્રાફિકનો બનાવ ન બને, તેવી જગ્યા સારી એવી સિલેક્ટ કરી અને ફાળવવામાં આવે જેથી કરીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વાર-તહેવાર અને પ્રસંગોપાત જતી પબ્લિક માટે એક સારી એવી સુવિધા પ્રાપ્ત થાય. 'પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર'ઘેલાણીએ વધુમાં કહ્યું કે, તેવી જ રીતે વોર્ડ નં. 2, 3 અને 4 હોય, આ તમામ જગ્યાએ લગભગ પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનેલી જગ્યાઓ છે, તેને ફિક્સ જગ્યા ફાળવી અને તેમને વિસ્તારની મધ્યમાં બનાવવામાં આવે જેથી કરીને પોલીસ સ્ટેશનનું કોઈપણને જ્યારે કામ પડતું હોય ત્યારે લોકોને શોધવું ન પડે અને પોલીસ પણ તત્કાલ ગણતરીની મિનિટોમાં ગુનેગારોને પકડવામાં મદદરૂપ બની શકતી હોય છે. '200 જેટલી બસો ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા'રોનક ઘેલાણીએ કહ્યું કે, સમસ્યામાં તો તમને ખ્યાલ છે કે ટ્રાફિકની સમસ્યા મોટા વરાછા વિસ્તારમાંથી સાંજે લગભગ 200 જેટલી બસો સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થતી હોય છે. ત્યારે વ્યવસ્થિત રોડ રસ્તા તો બની ગયા છે પરંતુ જો 'નો એન્ટ્રી' ઝોનને બાદ કરી એક મોટી જગ્યામાં ST ડેપો બની જાય તો ખરેખર આ ટ્રાફિકનું ન્યૂસન્સ પણ ઓછું થઈ શકે તેમ છે. તેવી જ રીતે એક સાયબર ફ્રોડનો મુદ્દો પણ આ વિસ્તારમાં બહુ મોટા પાયે આવે છે કે ગુજરાત બહારની પોલીસ અવાર-નવાર વરાછાના ઘણા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ગુનેગારોની અટકાયત કરવા માટે આવતી હોય છે. તો આગામી કોર્પોરેટરો જે કોઈ બને તે સ્થાનિક પોલીસને સાથે લઈ અને આ જે સાયબર માફિયાઓ છે તેની ઉપર ડામ મૂકવામાં આવે અને નવા ગુનેગારો ન પેદા થાય તેની તકેદારી રાખવામાં આવે. 'મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે'તેને વધુમાં કહ્યું કે, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો રિવરફ્રન્ટ ઉપર ઘણા પતંગોત્સવ, રમોત્સવ અથવા બહારનું ડેલિગેશન જ્યારે આવતું હોય ત્યારે મોટા મોટા કાર્યક્રમો થતા હોય, તેવી જ રીતે વરાછાના ગઢપુરથી લઈ કામરેજ સુધીમાં જો રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, તો આપણે પણ રમોત્સવ, પતંગોત્સવ તેવા ઘણા મોટા મોટા કાર્યક્રમો ઉજવી અને આ વરાછાની જનતાને ખુશ રાખી શકીએ તેમ છીએ. તો મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, લોકોને એક આસ્થાનું પ્રતીક અને એક ટુરિઝમ ડેવલપ કરવામાં આવે. 'અમે જીતાડીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે'જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમસ્યાઓ તો હાલ ઘણી છે, જે અમે ચાલુ કોર્પોરેશનને અમે જીતાડીએ છીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે તો અમારા વિસ્તારના વિકાસો થતા નથી. પક્ષ પલટો કરે એનોય અમને વાંધો નથી, પક્ષ પલટો કર્યા પછી પણ વિકાસના કામો નથી થતા અને ખાલી વાહ-વાહી કરે છે બધા. 'કોઈ સાફ-સફાઈ થતી નથી 'સ્થાનિક નિલેશ પોલરાએ જણાવ્યું હતું કે, મોટા વરાછા, ઓક્સિજન હાઉસની પાછળ રહું છું, શિવનગર સોસાયટીમાં. તો તે શિવનગર સોસાયટીની બાજુમાં, આગળ ઓક્સિજન હાઉસની પાછળ શાંતિકુંજ આવેલો છે. એ નિરાધાર પડેલો છે. એમાં કોઈ સાફ-સફાઈ થતી નથી અને એસ.એમ.સી. (SMC) વાળા એમ જ પગાર લઈ રહ્યા છે. અને 15 દિવસ પહેલા નાળિયેરી પડેલી છે, તો એસ.એમ.સી. વાળા બે કટકા કરી ગયા છે પણ ભરી નથી ગયા. અને ત્રણ-ચાર ફેર અમારા પ્રમુખે અરજી આપેલી છે, તોય પછી એનો કોઈ નિકાલ થયો નથી. 'એમનેમ પગાર લઈ રહ્યા છે'તેને વધુમાં કહ્યું કે, હાલની સ્થિતિ જોઈએ તો નાળિયેરી જે સાઈડમાં છે, ત્યાં હમણાં બહારના લોકો મહેમાન આવે, તો ત્યાં ગાડી પાર્ક કરતા. તો હવે ત્યાં ગાડી પણ પાર્ક કરવી મુશ્કેલી છે, એટલા માટે નાળિયેરી નડી રહી છે. શાંતિકુંજની સ્થિતિ અત્યારે સાવ નિરાધાર (ખરાબ) પડેલો છે. કોઈ ત્યાં બેસતું નથી, કૂતરા બેસે છે અને સાફ-સફાઈ થતી નથી, એમનેમ પગાર લઈ રહ્યા છે. 'પીક અવર્સના સમયમાં ફૂલ ટ્રાફિક સર્જાય છે'નમ્રિત જોગાણીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી વોર્ડ નંબર 2માં રહીએ છીએ. અહીંયા સરસ મજાનો વી.આઈ.પી. ટુ અબ્રામાનો મેઈન ટી.પી. રોડ બન્યો છે આર.સી.સી. પણ તે રોડમાં અમુક જગ્યાએ ખામી રહી ગઈ છે. ભૂતપૂર્વ કોર્પોરેટરના કારણે જે ઉતરાણ પાવર હાઉસની દીવાલ છે, ત્યાંથી રસ્તો 10 ફૂટ જેટલો સાંકડો થઈ જાય છે. કાયદેસર એ દીવાલ તોડીને તેને વ્યવસ્થિત રીતે રી-ડેવલપ કરી નાખવામાં આવે તો ત્યાંથી રસ્તો ઘણો પહોળો થઈ શકે એમ છે. 'વળાંકના કારણે અકસ્માત ને ભૂતકાળમાં 10 લોકોના મોત થયા છે'જોગાણીએ વધુમાં કહ્યું હતું કે, અહીંયા તાપી નદીના કાંઠે સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. તો ત્યાં જે સીટી વિસ્તાર છે, ત્યાં જેમ ઓવારા ડેવલપ કરેલા છે વ્યવસ્થિત રીતે, તો એ વિસ્તારના અમારા મહાદેવજીનો ઓવારો છે તેને પણ વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે. અહીંયા અબ્રામા ખાતે જે કબ્રસ્તાન આવેલું છે, ત્યાં વળાંકના કારણે ઘણા લોકો ડમ્પરનો ભોગ બને છે. ભૂતકાળમાં ત્યાં 10 જેટલી વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે, તો એ ભયંકર વળાંકનું પણ કંઈક સોલ્યુશન કરવામાં આવે એવી અમારી સ્થાનિક લેવલે રજૂઆત છે. 'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ઈંગ્લીશ મીડીયમના શિક્ષક છે'સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારે વોર્ડ નં. 2માં, મોટા વરાછામાં 4 સરકારી સ્કૂલો આવેલી છે. છેલ્લા 4 વર્ષથી એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચાલુ થયેલી છે. એ 4 વર્ષ થઈ ગયા પણ 4 વર્ષની અંદર 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. હવે વિચાર કરો કે ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવાના છે અને એક શિક્ષકથી કઈ રીતે શક્ય છે?. પણ અત્યાર સુધી 3 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવેલ નથી. '3-3 વર્ષ થઈ જાય છે અને ભણતર મળતું નથી'તેને વધુમાં કહ્યું કે, કોર્પોરેટરો કહે છે કે અમે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતા નથી. હવે મારી વારંવાર રજૂઆત એ જ છે કે તમે રસ્તા ખરાબ આપો તો ચાલશે, પીવાનું પાણી ના આપો તો પણ ચાલશે, પણ અમારા બાળકનું ભવિષ્ય ન બગડે એ વિશે થોડું વિચારો તમે. એનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. 2-2, 3-3 વર્ષ થઈ જાય છે પણ એ સમય પસાર થાય છે અને ભણતર મળતું નથી. 'વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો'દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ઝોનની અંદર એક પુસ્તકાલય હોય છે, તો ઝોન Aની અંદર પુસ્તકાલય આ ગયા વર્ષે-બે વર્ષ પહેલા બની ગયું છે. ઝોન B વરાછા-સરથાણા ઝોન બન્યું છે નવું, એ ઝોન ખૂબ વિશાળ છે, એમાં લગભગ સાતથી આઠ લાખ લોકોની વસ્તી રહી રહી છે. તો અમારી માંગણી એ છે કે તમે વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો, કે જેથી યુવાનો પુસ્તકો વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે અને પોતાનું કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે. 'ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના સ્વિમિંગ પુલ નથી'તેને વધુમાં કહ્યું કે, બીજી અમારી માંગણી એ છે કે મોટા વરાછામાં એક સ્વિમિંગ પુલની પણ જરૂર છે. સ્વિમિંગ પુલ છે પણ ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના નથી. દરેક સ્વિમિંગ પુલની સાઈઝ ઓલિમ્પિક સાઈઝની કોમ્પિટિશન માટેની બનાવવામાં આવતી હોય છે. ઝોન Aમાં છે એવા ઝોન Bની અંદર નથી બનાવવામાં આવેલા, તો અમારી એ પણ ડિમાન્ડ છે કે 'ખેલો ઇન્ડિયા', 'ખેલો ગુજરાત' નામે ગુજરાત સરકાર વારંવાર કાર્યક્રમ યોજતી હોય છે, તો અમે પણ એવું ઇચ્છીએ છીએ કે કાર્યક્રમની સાથે સાથે અમે એક એવી સુવિધા પણ આપવામાં આવે, જેથી કરીને સ્વિમિંગ પુલ સારો હોય તો યુવાનો તરતા શીખી શકે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર:કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા; કુમાર કાનાણીએ સ્ટેજ પરથી કોને લપેટામાં લીધા?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

પૌત્રીની નજર સામે જ પતિએ દાદીની હત્યા કરી:ગુજરાતનું ગામડું છોડી ચંદીગઢ પહોંચ્યા, ભાગ્યા પછી પોલીસ તપાસ પર સોશિયલ મીડિયાથી નજર રાખી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ગોરાડ ગામે પામુબેન નામના એક વૃદ્ધા રહેતા હતા. તેનો પુત્ર જોરૂભાઇ ભાવનગરમાં નોકરી કરતો હતો. જોરૂભાઇની પુત્રી નીકિતાના લગ્ન ત્રાસદ ગામે રહેતા મુમણ સાથે થયા હતા. જ્યારે મુમણની બહેનના લગ્ન નીકિતાના કાકા સાથે થયા હતા. લગ્ન બાદ નીકિતાના કાકી તેના કાકા સાથે રહેતા નહોતા એટલે પરિવાર નીકિતાને મુમણને છોડીને ગોરાડ રહેવા આવી જવા માટે કહેતો હતો પણ નીકિતા તે માટે તૈયાર નહોતી. એક દિવસ પામુબેનના ખબર અંતર પૂછવા માટે નીકિતા અને તેનો પતિ મુમણ ગોરાડ ગામે આવ્યા હતા. જ્યાં પામુબેને નીકિતાને રોકાઇ જવા માટે કહ્યું હતું. જેના પછી મુમણ અને પામુબેન વચ્ચે રકઝક ચાલુ થઇ હતી. હવે આગળ વાંચો.... રકઝક બાદ પામુબેનનો અવાજ ઊંચો થયો. પામુબેનઃ હું નીકિતાને કોઈપણ ભોગે ત્રાસદ જવા દેવાની નથી.મુમણે સામે બૂમ પાડી- નીકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે. એકાદ માણસ ઓછું થશે તો પણ હું એને ત્રાસદ લઇ જવાનો છું. આ રકઝક જોરૂભાઇએ ફોન પર સાંભળી લીધી. તે આગળ વધુ કંઇ સાંભળે તે પહેલાં તો મુમણે પામુબેનના હાથમાંથી ફોન લઇને કટ કરી નાખ્યો. હવે અહીં પામુબેન અને મુમણ વચ્ચેનો ઝઘડો વધતો જતો હતો. શબ્દોની ગરમાગરમી થપ્પડ સુધી પહોંચવાની હતી. પામુબેને ગુસ્સામાં આવીને જમાઇ મુમણને લાફો ઝીંકી દીધો. પામુબેનની આ હરકતથી મુમણ અને નીકિતા ડઘાઇ ગયા. આવું કંઇ બનશે તેવી બન્નેને કલ્પના જ નહોતી. પતિને પડેલી થપ્પડે અત્યાર સુધી શાંત ઊભેલી નીકિતાનું મૌન તોડ્યું. તે ત્રાડુકી.... બા, તમે લાફો કેમ માર્યો? આ તરફ મુમણનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. દાદી સાસુના આવા અણધાર્યા પ્રહારથી તે સમસમી ગયો. પગ પછાડતો ઘરની બહાર નીકળીને ભેંસ રાખવાની ગમાણ તરફ ગયો. ત્યાં જઇને આમ તેમ જોયું તો તેની નજરમાં પાવડો આવી ગયો. મુમણ પર ઝનૂન સવાર હતું. તે બીજું કંઇ વિચારવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે ઝડપથી પાવડો ઉપાડ્યો અને ઘર તરફ દોટ મુકી. ઘરનો દરવાજો ઓળંગીને અંદર આવ્યો ત્યારે નીકિતા પામુબેનની બાજુમાં જ ઊભી હતી. મુમણે નીકિતાને બાજુમાં હડસેલી દીધી અને નીકિતા કે પામુબેન કંઇ સમજે-વિચારે તે પહેલાં જ પોતાના હાથમાં રહેલો પાવડો જોરથી પામુબેનના માથામાં ફટકારી દીધો. પામુબેન વૃદ્ધ હતા વળી, મુમણે અચાનક દોડી આવીને આ રીતે હુમલો કર્યો હતો એટલે તે પોતાને બચાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતા. માથામાં પાવડો પડતાં જ પામુબેન લોહીલુહાણ થઇને જમીન પર ફસડાઇ પડ્યા. ગુસ્સાની આગમાં પળવારમાં એવું બની ગયું જે મુમણ અને નીકિતાની જિંદગીને અંધકારમાં ધકેલી દેવાનું હતું. પામુબેન ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. બીજી તરફ જોરુભાઇ સાથે એક વાર ફોનમાં વાત થઇ હતી. જેથી તેમને ચિંતા થતી હતી. તેમણે માતા પામુબેનને ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો. હવે જોરૂભાઇએ દીકરી નીકિતા અને જમાઇ મુમણને પણ ફોન કર્યો પરંતુ બન્નેના ફોન પણ બંધ હતા. જેથી જોરૂભાઇ વધુ ટેન્શનમાં આવી ગયા. ન રહેવાતા થોડીવાર બાદ તેમણે લીંબાસી ગામે રહેતા ભાણિયા જયપાલે ફોન જોડ્યો. જોરૂભાઇઃ જયપાલ, ઘરે જા. ત્યાં મમ્મી અને જમાઇ ઝઘડતા હતા. હવે બન્નેના ફોન બંધ આવે છે. તુ ત્યાં જઇને જો અને જે હોય તે મને કહેજે. આ વાત થયાને અંદાજે અડધા કલાકમાં જોરૂભાઇના નાનાભાઇ વિરલે તેમને ફોન કર્યો અને કહ્યું કે જયપાલે આપણા ફળિયામાં રહેતા નિકુલને ફોન કરીને બાના ઘરે મોકલ્યો હતો. નિકુલ ગયો તો બા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. બા મરી ગયા છે. ભાઇના આ શબ્દો સાંભળીને જોરૂભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ. તે ભાવનગરથી સીધા ગોરાડ જવા નીકળી ગયા. તેમને ચિંતા એટલી હતી કે રસ્તામાંથી પણ મુમણને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો. જેમતેમ કરીને જોરૂભાઇ ઘરે પહોંચ્યા પણ ત્યાંનો માહોલ જોઇને અવાચક થઇ ગયા. ઘરની બહાર ટોળું ઊભું હતું. પોલીસની વાન પડી હતી અને ઘરની અંદર માતાની લાશ હતી. પોલીસે જોરૂભાઇને વિગતો પૂછી તો તેમણે જણાવ્યું કે મારી દીકરી અને જમાઇ આવ્યા હતા અને પછી બોલાચાલી થઇ હતી. હવે દીકરી-જમાઇના ફોન બંધ આવે છે. આના પછી પોલીસે જોરૂભાઇ પાસેથી બન્નેના નંબર લીધા અને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે પણ બન્નેના ફોન સ્વીચ ઓફ જ હતા. નીકિતા અને મુમણની ઓળખ માટે હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો હતો, તેનો ફોટો. પોલીસે જોરૂભાઇ પાસે નીકિતાનો ફોટો માંગ્યો. જોરૂભાઇઃ મારી પાસે નીકિતાનો ફોટો નથી.પોલીસઃ કોઇ જૂના આલ્બમમાં હોય તો જુઓ.જોરૂભાઇઃ ના, મારી પાસે છે જ નહીં. પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ આવ્યું. આરોપીનો જૂનો ફોટો હોય તો પણ ઓળખ થઇ જાત. જો કે નસીબે પોલીસનો સાથ આપ્યો. છેવટે નીકિતાનો ફોટો મળી ગયો પણ મુમણનો ફોટો ન મળ્યો. પોલીસે બન્નેની તપાસનું પગેરૂં સગાસંબંધીઓના ઘર સુધી લંબાવ્યું પણ ત્યાંથી કંઇ મળ્યું નહીં. અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી. જેમાંથી નિમેશ પ્રજાપતિ નામના યુવકે કહ્યું કે મુમણે બપોરે એક વાગ્યે મારી પાસે બાઇક માંગ્યું હતું પણ મારે નોકરી પર જવાનું હતું એટલે મેં ન આપ્યું. સાંજે ભૂલથી મેં મુમણને મિસકોલ કરતાં તેણે સામે ફોન કર્યો હતો પણ મેં વાત નહોતી કરી. બીજા દિવસે મુમણે ફરી ફોન કરીને પૂછ્યું હતું કે તુ મારા ઘર તરફ ગયો હતો? મારા ભાઇઓ ક્યાં છે? મેં તેને કહ્યું હતું કે હું એ તરફ નથી ગયો, તારા ભાઇઓની મને ખબર નથી. આ વાતચીત બાદ મુમણે દરેક સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોલીસે મુમણના ગામ ત્રાસદમાં તપાસ કરી પણ બન્ને ગોરાડથી નીકળ્યા બાદ ત્રાસદ પહોંચ્યા જ નહોતા. પરિવારની પૂછપરછ કરી તો એ પણ આ બન્ને વિષે કંઇ જાણતો નહોતો. મુમણ અને નીકિતા જ્યારે ગોરાડથી બાઇક લઇને નીકળ્યા હતા ત્યારે મુમણે પાવડો સાથે લઇ લીધો હતો. જે રસ્તામાં ફેંકી દીધો હતો. પાવડો ફેંકતી વખતે બન્નેએ હોંશિયારી વાપરીને ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. ફોન કરવા હોય ત્યારે ભીડભાડવાળા વિસ્તરમાં જઇને ફોન કરી લેતા. મુમણ પરિવાર સાથે કોન્ટેક્ટમાં હતો. અઠવાડિયે એક વાર તે ઘરે ફોન કરી લેતો. બીજીતરફ પોલીસ પણ એને પકડવા તત્પર હતી. બન્ને પર વોચ ચાલુ જ હતી. એક દિવસ અચાનક મુમણના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન મળ્યાં. તપાસ કરી તો લોકેશન ચંદીગઢનું આવ્યું. હકીકતમાં મુમણ ત્યાં જઇને જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીએ મુમણનો પગાર જમા કરાવ્યો હતો. મુમણે ચંદીગઢમાં ખર્ચ કર્યો હોવાની એન્ટ્રી પણ તેના એકાઉન્ટમાંથી મળી હતી. આના પરથી એટલું તો સ્પષ્ટ હતું કે મુમણ ચંદીગઢમાં જ હોવો જોઇએ. પોલીસની ટીમ ચંદીગઢ પહોંચી ગઇ અને મુમણનું લોકેશન શોધ્યું. પોલીસને જોતાવેંત જ મુમણ અને નીકિતા ચોંકી ગયા. હવે તેમની પાસે કહેવા માટે કંઇ નહોતું અને સરેન્ડર કર્યા સિવાય છૂટકો નહોતો. પોલીસ બન્નેને પકડીને ગુજરાત લાવી. પૂછપરછ કરી તો ખુલાસો થયો કે મુમણ તેના પરિવારના સંપર્કમાં હતો. દૂરના મામા-મામી સાથે વાત કરીને કેસનું અપડેટ જાણી લેતો હતો. ચંદીગઢ પહોંચીને તેણે નવી જિંદગી શરૂ કરી હતી.એક ઘર ભાડે રાખ્યું હતું અને નવું સીમકાર્ડ ખરીદીને નવો મોબાઇલ નંબર પણ લીધો હતો. પોતે મજૂરી કરવા જતો. નીકિતા અને મુમણ જાહેર જગ્યાએ જઇને સોશિયલ મીડિયામાં એ પણ જોઇ લેતા હતા કે પોલીસની તપાસ કેટલે પહોંચી છે. જો આ કેસમાં મુમણ એકલો જ ભાગી ગયો હોત તો નીકિતા આરોપી ન પણ બનત પણ બન્ને સાથે મળીને ભાગ્યા અને પુરાવાનો નાશ પણ કર્યો એટલે નીકિતા પણ આરોપી બની. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પૌત્રીની નજર સામે જ પતિએ કરી દાદીની હત્યા, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:આજથી ગરમીમાં ક્રમશ: વધારો થશે શનિ-રવિમાં પારો 410ને પાર કરી જશે

છેલ્લા 15 દિવસથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી-ઠંડીની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. મગંળવારે પણ શહેરના વાતાવરણમાં બપોર પછી પલટો આવ્યો હતો. જેને કારણે પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા તેમજ 18 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ ગુરુવારથી શહેરમાં ગરમીમાં ક્રમશ: વધારો થશે જ્યારે શુક્રવારથી પારો 40 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 3.6 ડિગ્રી વધીને 36.4 અને લઘુતમ તાપમાન 1.3 ડિગ્રી વધીને 24.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થવાની શક્યતા છે. જેની અસરોથી ગુરુવારથી તાપમાનમાં વધારો થશે. 11 અને 12 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલે કહ્યું કે, 8 એપ્રિલે ધુપ-છાવનું વાતાવરણ રહેશે, પણ ગુરુવારથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. 5 વર્ષમાં એપ્રિલમાં ગરમી ક્યારે 40 ડિગ્રીએ પહોંચી વર્ષ 40 ડિગ્રી ક્યારે પહોંચી નોંધપાત્ર તાપમાન 2025 5 એપ્રિલ 7 એપ્રિલે 43 ડિગ્રી 2024 15-20 એપ્રિલ 17 એપ્રિલે 42.2 ડિગ્રી 2022 5-10 એપ્રિલ શરૂઆતથી જ આકરો તાપ 2021 15 એપ્રિલ બાદ મધ્ય એપ્રિલમાં ગરમી વધી 2023 એપ્રિલ અંતમાં મોડી ગરમીની શરૂઆત

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સિટી એન્કર:કચ્છના NRI દ્વારા છપૈયાથી ભુજ સુધી 1700 કિમીની રિક્ષા યાત્રા સંપન્ન

મેક એ ચેન્જ ફાઉન્ડેશન - UK દ્વારા કચ્છના NRI લોકોના સહયોગથી સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાના વતન ભુજ સુધીની એક રિક્ષા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1700 કિલોમીટર લાંબી આ યાત્રાનું સમાપન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનો હતો. આ 7 દિવસીય યાત્રામાં 29 રિક્ષાઓ સાથે કુલ 87 ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં ઇંગ્લેન્ડ, કેન્યા અને ઓસ્ટ્રેલિયા જેવા 3 દેશોના સહભાગીઓ સામેલ હતા. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે ફાઉન્ડેશનના 11 ટ્રસ્ટીઓ (જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી), યુકે સમાજના ખજાનચી અને અનેક મોટા બિઝનેસમેનોએ જાતે રિક્ષા ચલાવીને આ યાત્રામાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો. યાત્રા ઉત્તર પ્રદેશના અયોધ્યા, કાનપુર, આગ્રા તેમજ રાજસ્થાનના જયપુર, પાલી થઈને ગુજરાતમાં પાલનપુર અને રાપર માર્ગે ભુજ પહોંચી હતી. ગુજરાત બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ માટે ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રીઓના આરોગ્યની સંભાળ માટે એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સની સુવિધા 24 કલાક પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર માર્ગમાં સેવા સાધના સંસ્થા દ્વારા પરંપરાગત વેશભૂષામાં તિલક અને પુષ્પવર્ષાથી યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બાલકૃષ્ણદાસજીએ યાત્રીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના નિવાસ તથા અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. ભુજના સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં યાત્રીઓનું બેન્ડ વાજા અને ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મેક એ ચેન્જના પ્રમુખ કિરણભાઈ પીંડોરિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રવજીભાઈ ખેતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગોપાલભાઈ ગોરસીયાએ સંસ્થાના 100 ટકા પારદર્શક વહીવટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે મળેલા ફંડનો ઉપયોગ અન્ય ખર્ચમાં કરવાને બદલે માત્ર સેવા માટે જ થાય છે. નારાણભાઈ વેલાણીએ ફાઉન્ડેશનના હાજીપીર ગામના નિર્માણ સહિતના ભૂતકાળના સેવા કાર્યોની માહિતી આપી હતી. અંતમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા તમામ સહયોગીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન શ્રી રામજીભાઈ સેંઘાણી અને અશ્વિનભાઈ પાંડોરીયા દ્વારા તેમજ સંચાલન સચિન મેઘાણી અને જેન્તીભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યોની વણઝારયાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ 29 રિક્ષાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારોને તેમની આજીવિકા રળવા માટે વિનામૂલ્યે દાનમાં આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ આયોજન થકી મળેલા સહયોગનો ઉપયોગ કેન્યાના આફ્રિકન લોકો માટે આંખોના આરોગ્ય અર્થે યોજાનાર આઈ-કેમ્પમાં કરવામાં આવશે. મેક એ ચેન્જ દ્વારા રાપર સ્થિત સેવા સાધના કચ્છ સંચાલિત કુમાર છાત્રાલયની લાયબ્રેરી માટે કમ્પ્યુટર, ફર્નિચર અને પુસ્તકો વસાવવા 7 લાખ રૂપિયાનું માતબર દાન પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

જાળવણીનો અભાવ:4 વર્ષમાં ઓક્સિજન પાર્કના શ્વાસ રૂંધાયા; હેબતપુર પાર્કની કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો, પાણી ન મળતાં વૃક્ષો સૂકાયાં, દરવાજે તાળું

વર્ષ 2022માં થલતેજ વોર્ડના હેબતપુરમાં કરોડાના ખર્ચે બનેલા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરાયું હતું. જોકે બેદરકારી અને જાળવણીના અભાવે તેનાં તમામ વૃક્ષ સુકાઈ ગયાં છે. મિયાવાકી પદ્ધતિથી અંદાજે 88 હજાર વૃક્ષોનું વાવેતર કરીને શહેરને શુદ્ધ હવા આપવા પાર્ક બનાવાયી પીપીપી મોડલ પર ખાનગી કંપનીને દેખરેખ માટે અપાયો હતો, પરંતુ તેની સમયમર્યાદા પૂરી થયા બાદ મ્યુનિ.ના બગીચા વિભાગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. છેલ્લા 6 મહિનાથી પાણી આપવામાં ન આવતા અંદાજે 50 ટકાથી વધુ વૃક્ષો સુકાઈ ગયાં છે. બગીચામાં જાળવણીના નામે શૂન્ય કામગીરી હોવાથી હવે આ સુકાયેલાં વૃક્ષોનો બળતણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અને બગીચામાં જ ચૂલા સળગાવાય છે. ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પાર્ક લોકો માટે ચાલુ છે. ગાર્ડન વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ઓક્સિજન પાર્કની મુલાકાત લેવાના છે, જે પછી છેલ્લો નિર્ણય લેવાશે. બિલ્ડરોએ આ પાર્કમાંથી પાણીનાં ગેરકાયદે જોડાણ લીધાં: સ્થાનિકોસ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, ઓક્સિજન પાર્કના પ્રવેશદ્વાર પર છેલ્લા ઘણા સમયથી તાળું લટકેલું છે. બીજી તરફ પાર્કમાંથી ગેરકાયદે પાણીના કનેક્શન આસપાસના બિલ્ડરોએ લીધાં છે, જેને કારણે પાર્કમાં પાણીની તંગી સર્જાઈ છે અને વૃક્ષો મરી રહ્યાં છે. સફાઈના અભાવે બાળકોના રમતનાં સાધનો પણ ધૂળ ખાઈ રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

મ્યુનિ. ચૂંટણી:સગાં-અંગત વ્યક્તિને ટિકિટ અપાવવા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના ધારાસભ્યોએ પોતપોતાના માનીતાને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે, જેથી પાયાના કાર્યકરોમાં અસંતોષ છે. જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્યોએ તેમના અંગત લોકોને ટિકિટ મળે તે માટે લોબિંગ શરૂ કર્યું છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે આગામી ચૂંટણીમાં ‘લગ્નના ઘોડા’ને બદલે ‘રેસના ઘોડા’ (સક્ષમ ઉમેદવારો) ને મેદાનમાં ઉતારવામાં આવશે. જોકે, વર્તમાન સ્થિતિ જોતા આ વાત માત્ર ભાષણ પૂરતી સીમિત રહી હોય તેવું લાગે છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય જમાલપુર વોર્ડની અનામત બેઠક માટે પાલડીના રહેવાસી ડો. વસીમ ઠાકોર અને તેમના પત્ની માટે લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક કાર્યકરોનો આરોપ છે કે, વસીમ ઠાકોરે 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા એઆઈએમઆઈએમ માટે પ્રચાર કર્યો હતો. ભાજપમાં પણ હવે પરિવારવાદનો પંજો ઠક્કરબાપાનગરમાં સગાવાદ : ધારાસભ્યએ પોતાના અંગત સંબંધી માટે ટિકિટની માગણી કરી. જોકે, ધારાસભ્યનો દાવો છે કે તેઓ સંબંધી નહીં પણ ‘સંનિષ્ઠ કાર્યકર’ છે. હોદ્દેદારોને જ ટિકિટનો મોહ : આ સંબંધીઓ પક્ષમાં પહેલેથી જ હોદ્દા ભોગવી રહ્યા છે, છતાં તેમને જ ચૂંટણીમાં ઉતારવાની પેરવી થતા સામાન્ય કાર્યકરોમાં નારાજગી છે. એલિસબ્રિજમાં પૂર્વ ધારાસભ્યની એન્ટ્રી : એલિસબ્રિજના ધારાસભ્યએ જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યની ભત્રીજી માટે ટિકિટ માંગી છે. પાલડી કનેક્શન : ધારાસભ્યની દલીલ છે કે આ મહિલા કાર્યકર છેલ્લા 20 વર્ષથી પાલડીમાં રહે છે અને પક્ષ માટે સક્રિય હોવાથી તેમને ટિકિટ મળવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સિટી એન્કર:હવે સર્જરી વિના પાઇલ્સ, દવા વિના મેદસ્વિતા પર કાબૂ મેળવી શકાશે, શહેરના નેશનલ ફાર્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ત્રણ હેલ્થ પ્રોડક્ટ વિકસાવી

શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર)માં વૈજ્ઞાનિકોએ પાઇલ્સ, મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ માટે નવાં ફોર્મ્યુલેશન તૈયાર કર્યાં છે. નાઈપરના પ્રોફેસર ડો. રાકેશ ટેકાડેના જણાવ્યા મુજબ આ સંશોધન પર ટીમે 3 વર્ષ સુધી મહેનત કરી છે. સંશોધન હેઠળ કુલ 3 પ્રોડક્ટ વિકસાવાઈ છે, જેમાં પાઈલ્સ માટે 2 (ઇન્ટરનલ અને એક્સટર્નલ) અને મેદસ્વિતા માટે એક પ્રોડક્ટ સામેલ છે. લેબ ટેસ્ટ સફળ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ટેક્નોલોજી ટ્રાન્સફર હેઠળ આ પ્રોડક્ટ બજારમાં આવવાની તૈયારીમાં છે. એક્સટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશનબાહ્ય પાઈલ્સમાં દર્દીને સૌથી વધુ દુખાવો સોજો-ઈરિટેશનને કારણે થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્યૂબ આધારિત ક્રીમ દવા તૈયાર કરાઈ છે. આ ક્રીમ સીધી અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકાય છે, જેનાથી તે ઝડપથી શોષાઈ જાય છે અને તરત અસર બતાવે છે. આ દવા કેમ અસરકારક?સોજામાં ઝડપી ઘટાડો. ઈરિટેશન-બળતરા ઓછી થાય બેસવા અને ચાલવામાં સરળતા , દૈનિક જીવનમાં આવતી તકલીફમાં ઘટાડો. ઇન્ટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશનઆંતરિક પાઈલ્સની સારવારમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય દવાઓ અસરગ્રસ્ત આંતરિક ભાગ સુધી યોગ્ય પહોંચી શકતી નથી અથવા લાંબા સમય સુધી રહી શકતી નથી. આને ધ્યાનમાં રાખીને નાઈપરના વૈજ્ઞાનિકોએ ખાસ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કર્યું છે, જે દવાને અસરગ્રસ્ત ભાગમાં વધુ સમય સુધી જાળવી રાખે છે. આ દવા કેમ અસરકારક?બ્લીડિંગ, દુખાવો, સોજામાં ઘટાડો-રાહત, લાંબા ગાળે સર્જરીની જરૂરિયાત ઘટી શકે મેદસ્વિતા માટે ગમીસ ટાઈપ ઈઝી ટુ ઈટ સોલ્યુશનચાવી શકાય તેવી આ હેલ્થ પ્રોડક્ટ ડ્રગ ફ્રી છે. દવાઓ વગરનું સોલ્યુશન હોવા છતાં અસરકારક ફાયદો: વજન નિયંત્રણમાં સહાય, વધતી ભૂખ પર કાબૂ મેળવવામાં મદદ, શરૂઆતના સ્ટેજમાં બીમારીને કંટ્રોલ કરવાની તક, લાંબી, ખર્ચાળ સારવારમાં ઘટાડો કરે, ઘરે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી પ્રોડક્ટ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

લોહીનો સંબંધ:બંને કિડની ફેઈલ થઈ જતાં સુરેન્દ્રનગરની બહેને ડાકોર સ્થિત ભાઈને કિડની આપી નવજીવનબક્ષ્યું

આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા મર્યાદિત બનતા જાય છે, ત્યાં સુરેન્દ્રનગરની એક મહિલાએ પોતાના ભાઈ પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગરની હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા દીપિકાબેને ડાકોર ખાતે રહેતા અને બંને કિડની ફેલ થવાથી પોતાના ભાઈ પ્રિતેશભાઈને પોતાની કિડની દાનમાં આપીને નવું જીવન બક્ષ્યું છે. બ્લડ રિલેશનમાં કિડની વધુ સફળતાપૂર્વક મેચ થાય છે તેવી જાણકારી મળતા જ બહેને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અંગદાનનો નિર્ણય લીધો હતો. સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાએ ડાકોર રહેતા ભાઈને કિડની આપી ભાઈ-બહેનના પવિત્ર સબંધને ઉજળો કર્યો છે. મૂળ ડાકોરના 48 વર્ષીય પ્રિતેશભાઈ તેજાભાઈ દેસાઈ છેલ્લા 12-15 વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેમાં દર મહિને અંદાજે 25 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થતો હતો. તાજેતરમાં તેમની બંને કિડની ફેલ થતા તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. આ કપરા સમયે સુરેન્દ્રનગર ખાતે સાસરી ધરાવતા તેમના બહેન 46 વર્ષીય દીપિકાબેન સંદિપભાઇ પાણકુટા વહારે આવ્યા હતા. દીપિકાબેને સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અને તેની સુરક્ષા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ભાઈને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. યુટ્યુબ પર ટ્રાન્સપ્લાન્ટની વિગતો જાણી દીપિકાબેને લીધો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. ભાઇને કીડની આપવાની નિર્ધાર કર્યા બદા નડીયાદની મહાગુરાત હોસ્પિટલમાં કીડની ટ્રન્સ પ્લાન્ટનું સફળ ઓપરેશન થયું હતું. પતિ, સાસરી પક્ષનો સહકાર મળ્યોઆ નિર્ણયમાં દીપિકાબેનના પતિ સંદીપભાઈ પાણકુટા જેઓ દૂધ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમગ્ર સાસરી પક્ષે ખુલ્લા દિલથી સહમતિ આપી હતી. હરિપ્રકાશ સોસાયટીના પડોશીઓ શીતલબેન મકવાણા અને સંગીતાબેન સહિતના રહીશોએ તેમનું સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કાર્યવાહી:લાઈસન્સ વગર ધમધમતી 12 પેઢીમાં દરોડા : 45 સેમ્પલ લીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સાથે ચેડા કરીને ખાદ્યચીજવસ્તુઓના વેપારીઓ લોકોને પધરાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં મસાલાની સિઝન હોવાથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં મસાલાના વેચાણ તથા ઉત્પાદન કરતી પેઢીઓમાં મંગળવારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આરોગ્ય માટે હાનિકારક શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના સેમ્પલોની કામગીરી કરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેકટર પી.બી.સાવલીયા, એસ. જે.પ્રજાપતિ સહિતની ટીમે સિઝનબલ ટેમ્પરારી એવી લાયસન્સ વગરની ધમધમતી 12 પેઢી પર દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરતા ધાણાજીરૂ, મરચા, હળદર, રાઇ, હીંગ અને જીરૂ સહિતના 45 નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો ભુજની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. અઠવાડીયામાં લાઈસન્સ નહીં લે તો કાર્યવાહીતમામ પેઢીને એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન લાઇસન્સ લેવા, એફએસએસએઆઈના નિયમ મુજબ ચોખાઇ તથા હાઇજીન રાખવા તેમજ ફ્રેસ રો-મટિરિયલનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જો આ પેઢીઓ અઠવાડીયામાં લાઈસન્સની કાર્યવાહી નહી કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. - પી.બી.સાવલીયા, ફૂડ ઇન્સ્પેકટર જિલ્લામાં માર્ચમાં કુલ 38 સેમ્પલ લેવાયામાર્ચ માહિનામાં સર્વેલન્સ તેમજ રેગ્યુલર સહિત લસ્સીના 2, મઠ્ઠો, વણેલા ગાઠીયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝના 2, દાળફ્રાઇ,ટીડોરાનં શાક, પનીરટીકા, ચાનો માસલા, રાજમા મસાલા, મગનુ શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટુટીફૂટી, છાસ વગેરે 38 નમૂના લેવાયા હતા. જ્યારે અગાઉના 10 સેમ્પલોના રિપોર્ટમાં એક સેવ ફરસાણનો નમૂનો ફેલ થયો હતો. ગુજરાત મસાલા સહિતની પેઢીઓમાં ચેકિંગશહેરના રિવરફ્રન્ટ રોડ પર આવેલી ફેમશ મસાલા સેન્ટર, વતન મરચા ઘર, મીલન મસાલા, અંબર મરચા સેન્ટર, વતન મસાલ ઘર, ગુજરાત માસાલ, જ્યારે 80 ફૂટ રોડ પર આવેલ નસીબ મરચા સેન્ટર, ગુજરાત મસાલા, દૂધરેજ રોડ પર આવેલ જી.એલ. મરચા સેન્ટર, ઝાલાવાડ મરચા સેન્ટર, નસીબ મસાલા ભંડાર અને સરકાર મરચા સહિત 12 પેઢીઓમાં ચેકિંગ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાં‎ડૂબી જવાથી એક કિશોરનું મોત‎

ચુડાના ઝોબાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ન્હાવા ગયેલો ધો.9નો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થયો હતો. તેની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં રહેતા જગદીશભાઈ કાલિયાનો 14 વર્ષીય પુત્ર કુલદીપ ધો.9માં અભ્યાસ કરતો હતો. સોમવારે બે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. હસતા-રમતા બાળકોને ખ્યાલ નહોતો કે આ આનંદની પળો માતમમાં ફેરવાઈ જશે. ન્હાતી વખતે કુલદીપ અચાનક તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ મિત્રોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમો સાંભળી નજીકમાં રહેતા હસમુખભાઈ ચેખલિયા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધી કલાકની જહેમત બાદ કુલદીપને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તેને સારવાર અર્થે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ કુલદીપને મૃત જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ‎‎ચૂંટણીમાં ગામડાઓ ભળવાને ‎‎કારણે વોર્ડ મોટા થયા છે અને ‎‎મતદાનમાં પણ વધારો થયો છે.‎ત્યારે જોરાવરનગર અને‎વઢવાણની બોર્ડર ઉપર આવેલા‎વોર્ડ નં. 11 એવો છે કે જેના મતમાં ‎‎3125નો ઘટાડો થયો છે.‎ગત ચૂંટણીમાં આ વોર્ડમાં‎15056 મતદારો હતા. જ્યારે આ‎ચૂંટણીમાં 11931 મતદારો છે. તેનું‎મુખ્ય કારણ વઢવાણના જે‎વિસ્તારો હતા તેનો વોર્ડ નં. 12માં‎સમાવેશ કરવામાં આવ્યો અને‎જોરાવરનગરમાંથી આ વોર્ડમાં‎ઓછા વિસ્તારોનો સમાવેશ થતા‎વોર્ડ નાનો થઇ ગયો હતો. વોર્ડ‎નાનો હોવા છતાં હાર જીત માટે‎રસા કસી જામશે. મનપામાં નવા‎વોર્ડની રચના કરવામાં આવી તેમાં‎પાલિકાના સમયમાં વઢવાણનો‎ દાજીપરા, શિવરંજની અને રેલવે‎સ્ટેશનની આજુ બાજુ તથા‎ડાંગસીયા વસાહતનો વોર્ડ નં‎12માં સમાવેશ કરવામાં આવ્યો‎છે. જ્યારે સામે જોરાવરનગર‎રેલવે સ્ટેશન, લાતી બજાર, કંસારા‎બજારનો આ વોર્ડમાં સમાવેશ‎કરવામાં આવ્યો છે.‎ જેમાં વઢવાણના વધુ મત વોર્ડ‎નં 12માં જતા રહેતા આ વોર્ડ‎નાનો થઇ ગયો છે. ગત પાલિકાની‎ચૂંટણીમાં આ વોર્ડ માંથી 3‎ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર‎વિજયી થયા હતા.‎

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કલેકટરની અધ્યક્ષતામાં બેઠક:9 અને 10 એપ્રિલના તાલુકા મથકો પર 10 હજાર કર્મચારીઓને અપાશે ચૂંટણીની તાલીમ

કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે જિલ્લામાં ઉપલબ્ધ 9 હજાર જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ‘ફર્સ્ટ લેવલ ચેકિંગ’ આજે સાંજે પૂર્ણ થશે. આગામી 11 એપ્રિલના રોજ આ તમામ ચેક થયેલા EVM મશીનોને જે-તે તાલુકા મથકો પર રવાના કરવામાં આવશે. ત્યાં આ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે ‘સ્ટ્રોંગ રૂમ’માં રાખવામાં આવશે. મતદાનના એક દિવસ પૂર્વે, કચ્છના તમામ 1896 મતદાન મથકો પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ અવરોધ ન આવે. ચૂંટણી કામગીરીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે આગામી 9 અને 10 એપ્રિલના રોજ જિલ્લાના 10 હજાર જેટલા કર્મચારીઓ માટે તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં મતદાન પ્રક્રિયા, EVMનું સંચાલન, ફોર્મ ભરવાની પદ્ધતિ અને આકસ્મિક સંજોગોમાં લેવાના પગલાં અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 8355 જેટલા અધિકારી-કર્મચારીઓ મતદાન મથકો મતદાનના દિવસે હાજર રહેશે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે તે માટે 1178 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત માટે એક્શન પ્લાન ઘડાયોકચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છના બંને એસપી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ ઇવીએમ મશીનો સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પોલીસ સ્કોર્ટિંગની વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત દરેક મતદાન મથક પર પૂરતી સુરક્ષા ગોઠવવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે એક સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા એડવાઈઝરી:ગરમીમાં પશુઓને બપોરે છાંયડે રાખો દિવસમાં ચાર વાર ઠંડુ પાણી પીવડાવો

બનાસકાંઠામાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પશુપાલન અધિકારીઓએ બપોરના તાપમાં પશુઓને ખુલ્લામાં ન રાખવા તેમજ ઠંડક માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો થતા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા જિલ્લા પશુપાલન વિભાગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પશુપાલન અધિકારી ડો.મહેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, પશુપાલકોને બપોરના તાપમાં પશુઓને ખુલ્લામાં ન રાખવા અને છાંયડા કે હવા ઉજાસવાળા સ્થળે રાખવાની અપીલ કરી હતી. ગરમીની તીવ્રતા વધુ હોય ત્યારે પશુઓના શરીર પર ભીના કોથળા રાખવાથી રાહત મળે છે. સાથે જ દિવસમાં ત્રણથી ચાર વાર સ્વચ્છ અને ઠંડુ પાણી પીવડાવવું જરૂરી છે. પશુઓના ખોરાકમાં ઘટાડો ન થાય અને દૂધ ઉત્પાદન પર અસર ન પડે તે માટે તેમને વહેલી સવારે અથવા રાત્રે ચરાવવા લઈ જવા તથા મિનરલ મિશ્રણ આપવાની સલાહ આપવામાં આવી હતી. માંદા,અશક્ત પશુઓ માટે પંખા-ફોગર્સ લગાવવાબનાસકાંઠામાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી પશુપાલન વિભાગે માંદા અને અશક્ત પશુઓ માટે રહેઠાણમાં પંખા કે ફોગર્સની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. જિલ્લામાં આવેલી 70થી વધુ ગૌશાળા અને પાંજરાપોળોને પૂરતું પાણી અને રહેઠાણ સુવિધા જાળવવા આદેશ આપ્યા છે. પશુમાં માંદગીના લક્ષણો જણાય તો તરત દવાખાનાનો સંપર્ક અથવા 1962 હેલ્પલાઈન પર સારવાર લેવા અપીલ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

કામગીરી:પાલનપુર પોલિટેકનિક કોલેજ પાસે મૃત પશુઓનો નિકાલ

પાલનપુરમાં પોલિટેકનિક કોલેજના દરવાજા નજીક કુતરાના મૃતદેહનો નિકાલ કરવામાં આવતાં છાત્રો, સ્ટાફ અને આજુબાજુની સોસાયટીના રહીશોમાં રોષ ઉદ્ભવ્યો છે. મૃતદેહ હટાવી લેવાની માંગ છે. પાલનપુર માલણ દરવાજાથી પોલિટેકનિક કોલેજ માર્ગ ઉપર કોલેજના દરવાજા નજીક દિવાલને અડીને દોરીથી બાંધીને કુતરાનો મૃતદેહ ફેંકી દેવાયો છે. સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, વારંવાર અહિંયા પશુઓના મૃતદેહ ફેંકવામાં આવી રહ્યા છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવા નગરપાલિકામાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્વરિત મૃતદેહ હટાવી લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ધરપકડ:4 વર્ષિય બાળકનું અપહરણ,પોલીસે CCTV ફુટેજ-ફોટો વાયરલ કરી કલાકોમાં શોધી કાઢ્યો

વડગામના ધનપુરા પાટિયા નજીક ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા પરિવારના 4 વર્ષના બાળકને ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. ત્યારે બાળકને રૂ.10ની લાલચ આપી કાર ચાલક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બપોરે જ્યારે પરિવાર ઘરે આવ્યું અને બાળક ન દેખાયું એટલે તપાસ કરતા બાળકને કારમાં આવેલો કોઈ યુવક ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના પાલીથી સુજારામ રાણારામ ભીલ સોમવાર સવારે પોતાની પત્ની અને સાળા સાથે જલોત્રા ગામે ભિક્ષા માંગવા ગયા હતા, જ્યારે તેમના ત્રણ બાળકો ધનપુરા પાટિયા પાસે રમી રહ્યાં હતા. બપોરે 1 વાગ્યે પરત ફરતા તેમનો પુત્ર દેવ ઉર્ફે બાબુ ગુમ હતો અને અન્ય બાળકો રડતા હતા. બાળકોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દેવ ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. તે દરમિયાન એક અજાણી કાર આવી હતી, જેમાંથી ઉતરેલા એક શખ્સે રૂ.10ની લાલચ આપી દેવને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો. જે બાદ ગભરાઈ ગયેલા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી છતાં કોઈ ભાળ મળી નહોતી. એટલે વડગામ પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પી.આઈ. નિલેશ સોલંકીની આગેવાનીમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દરેકને તાકીદ કરી હતી જેનું પરિણામ એ આવ્યું કે પાલનપુર વડગામ અને દાંતાના ગામોમાં આ ઘટના તીવ્ર ગતિથી અત્યંત વાયરલ થઈ ગઈ હતી. અને પોલીસને કાર અંગેની ખાનગી બાતમી મળતા દાંતાના નારગઢ પાસેથી કારને પકડી પાડવામાં આવી હતી જેની અંદરથી બાળક પણ સહી સલામત મળી આવ્યો હતો. મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે એટલે યુવકની અટક દર્શાવાઇ નથી: વડગામ પોલીસબાળકને અપહરણ કરવાની સંવેદનશીલ ઘટનામાં આરોપીની ઓળખ છતી થાય તો અન્ય આરોપીઓને ફરાર થવાનો મોકો મળી જાય એટલે જેને બાળક સાથે ઝડપી લેવાયો છે તેની અટકાયત જાહેર કરાઈ નથી. બાળ તસ્કરી હોવાની પોલીસને આશંકાબે મહિના પહેલા બાળ તસ્કરી કાંડમાં બનાસકાંઠાના ગરીબ મજૂર દંપતીએ પોતાનો 10 દિવસનો પુત્ર આર્થિક સંકટને કારણે વેચી દીધો હતો જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દંપતી સહિત અત્યાર કુલ 9 ધરપકડ કરી છે. તપાસમાં 2 વર્ષમાં ઓછામાં ઓછા 20 આદિવાસી બાળકોને હૈદરાબાદમાં વેચાયા હોવાની શંકા છે. ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં એજન્ટો ગરીબ પરિવારોને નિશાન બનાવી રૂ.5 લાખથી 15 લાખ સુધીમાં બાળકોનું સોદાબાજી કરતા હતા. આ કેસમાં વધુ આરોપીઓ, એજન્ટો અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના જોડાણોની તપાસ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ફરિયાદ:તાંત્રિક વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ,ધર્મ પરિવર્તન કરાવ્યું

પાલનપુરમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ અખ્તરશા રજબશા ફકીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,પીડિતાની માંદગીનો લાભ ઉઠાવી અખ્તરશાએ તેના તાંત્રિક દાદા પાસે વિધિ કરાવવાના બહાને સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ, પીડિતાના પતિ સાથેના અણબનાવનો ફાયદો ઉઠાવી આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને બળજબરીથી બુરખો પહેરાવી રાખતો અને કલમા પઢાવતો હતો. ડરાવી-ધમકાવી ધાર્મિક સ્થાને લઈ જઈ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને તેનું નામ ‘આઈશાબાનુ’ રાખ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. વધુમાં, આરોપીએ પીડિતાને અન્ય પુરુષોને ફસાવવા મજબૂર કરી હતી જેથી તે હનીટ્રેપ દ્વારા પૈસા પડાવી શકે. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી. પીડિતાએ પરિવારની મદદથી પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતા મારફતે હની ટ્રેપ કરાવતો આરોપી અખ્તરશા પીડિતાનો ઉપયોગ કરી લોકોને ફસાવતો હતો. પીડિતા પાસે વિડીયો કોલ કરાવી લોકોને ઘરે બોલાવી તેના સંબંધીઓ (દિલાવરશા અને સાહીલ) સાથે મળી વિડીયો ઉતારી તોડબાજી કરવાનું આખું નેટવર્ક ચલાવતો હતો. ઓળખ છુપાવવા નકલી આધારકાર્ડ બનાવ્યું પીડિતાને ઘરની સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં ફોટો આરોપી અખ્તરશાનો હતો, પરંતુ નામ પીડિતાના પતિનું લખેલું હતું. આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે મુસ્લિમ હોવાથી તેને કોઈ ભાડે મકાન આપતું ન હતું, તેથી તેણે રહેઠાણ મેળવવા માટે આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. આમ, આરોપીએ પીડિતાના પતિની ઓળખનો દુરુપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. મુખ્ય આરોપી સહિત 5 શખ્સો સામે ફરિયાદ1. અખ્તરશા રજબશા ફકીર (રહે. પેંગીયા, તા. ધાનેરા) - મુખ્ય આરોપી. 2. દિલાવરશા હબીબશા જુનેજા (અખ્તરશાના મામાનો દીકરો, રહે. ચાંગડા, તા. થરાદ) - જે વીડિયો ઉતારવામાં અને દુષ્કર્મમાં સંડોવાયેલ છે. 3. સાહીલ ફતુશા ફકીર (અખ્તરશાના કાકાનો દીકરો, રહે. જુના ડીસા) - જેણે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. 4. આરીફ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) - જેણે નગ્ન ફોટાના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. 5. ઇલીયાસ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) - જેણે પણ પીડિતાને બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

છેતરપિંડી:વ્હોટ્સએપમાં મેસેજ બાદ આર્મીના ઇજનેર સાથે લોનના નામે 15.50 લાખની ઠગાઈ

શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડમાંથી લોન અપાવ્યા બાદ યોનો એપ્લીકેશન મારફતે રૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ ભુજના આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ફરિયાદી ઉમેશકુમાર રામવિશ્વાસ પાલે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે સાગર ગુલેરિયા નામના આરોપી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 10 માર્ચના આર્મીના વોટ્સએપ ગ્રુપ 143 માં લવકુશ અહીરવારે કોઈને આર્મી ગ્રૂપ ઇન્સ્યુરન્સ ફૂડ (AGIF) માથી લોન જોઇતી હોય તો જણાવજો તેવો મેસેજ નાખેલ હતો. જેથી ફરિયાદીએ તેની સાથે વાત કરતા પોતે પણ લોન કરાવેલ હોવાનું કહી આરોપીનો મોબાઇલ નંબર ફરિયાદીને આપ્યો હતો. આરોપી સાથે વાત કરતા પોતે પણ આર્મીમા ફરજ બજાવતો હોવાનું અને જવાનોને લોન મંજુર કરાવવા મદદ કરતો હોવાનુ જણાવ્યું હતું. ફરિયાદીએ રૂપિયા 15 લાખની લોન માટે આરોપીને વાત કરતા આરોપીએ 13 લાખ સબસીડી અને 2 લાખ ભરવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, આર્મી કાર્ડ, બેન્ક પાસબુક, છેલ્લા છ મહિનાની પગાર સ્લિપ, પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા ડોક્યુમેન્ટ લીધા હતા. ફરિયાદીને મેઈલ મારફતે રૂપિયા 16.15 લાખની લોન થઇ ગયેલી હોવાનું જાણવા મળ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઇ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 15.50 લાખ મેળવી લઇ પરત આપ્યા ન હતા. લોન બાબતે સલાહ આપનાર પણ ભોગ બન્યો !ફરિયાદીના ખાતામાં લોનના રૂપિયા જમા થયા બાદ આરોપીએ આ રૂપિયા આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડના ખાતાઓમાં જમા કરાવવા પડશે અને બાદમાં એકસાથે ફરિયાદીના ખાતામાં જમા થાય ત્યારે ઉપાડી શકાશે તેવું કહ્યું હતું. જે બાદ આરોપીએ Yono એપ્લિકેશન મારફતે ફરિયાદીના ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા. આ બાબતે ફરિયાદીએ પોતાના મિત્ર લવકુશ અહીરવારને વાત કરતા આ ફ્રોડ હોવાનું અને પોતે પણ ભોગ બનેલ હોવાનુ જણાવ્યું હતું. જે મામલે 27 માર્ચના સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 પર ફરીયાદ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ફરિયાદ:હિંમતનગરમાં 10 લાખની સામે 60 લાખ વસૂલતાં વ્યાજખોર સામે ગુનો

તાજેતરમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસંધાને હાજર થઈ છૂટી ગયેલ વ્યાજખોર વિરુદ્ધ હિંમતનગરના ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં શખ્સે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કર્યા બાદ બી ડિવિઝન પોલીસે સોમવારે મોડી સાંજે વધુ એક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં નઝરમોહમદ ઈદ્દીશભાઈ મેમણે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ​ઘટનાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. નઝરમોહમદને પોતાના કપડાંના ધંધા માટે પૈસાની જરૂર પડતાં તેમણે હિંમતનગરના જ ફિરોજખાન ઉર્ફે વકાર ઇકબાલભાઇ પઠાણ પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજદરે 10 લાખ ઉછીના લીધા હતા. ગેરંટી પેટે ફિરોજખાન પઠાણે નઝરમોહમદ અને તેની પત્નીના સહી કરેલા 10 કોરા ચેક પણ લખાવી લીધા હતા. ​નઝરમોહમદના જણાવ્યા મુજબ તેણે છેલ્લા પાંચ વર્ષમાં દર મહિને 1 લાખ લેખે કુલ 60 લાખ તો માત્ર વ્યાજ પેટે ચૂકવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2023માં તેમણે મુડી પેટે બીજા 5 લાખ પણ પરત કર્યા હતા. આમ છતાં, વ્યાજખોર ફિરોજખાનની ભૂખ સંતોષાઈ નહોતી. તેણે નવો હિસાબ કાઢી હજુ 15 લાખ બાકી હોવાનું જણાવી દર મહિને 15હજારની પેનલ્ટી વસૂલવાનું શરૂ કર્યું હતું. વ્યાજખોર નઝરમોહમદને જાહેરમાં ઉભા રાખી બિભત્સ ગાળો આપવી ઘરે જઈ તેની પત્ની અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપતો હતો. જેથી નઝરમોહમદ ડરના માર્યા અમદાવાદ રહેવા જતા રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તપાસ:ખેડબ્રહ્મા તાલુકાના નાકા પાસે જંગલમાંથી છાત્રનું કંકાલ મળ્યું

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ પાસેના જંગલમાંથી વિદ્યાર્થીનું કંકાલ અને તેના અભ્યાસની નોટબુક અને ચોપડીઓ મળતાં ચકચાર મચી હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પોશીનાના દેડકા ગામનો વિદ્યાર્થી ગત ઓગસ્ટ મહિનાથી ગુમ હોવાનું બહાર આવ્યું હતું. ખેડબ્રહ્માના નાકા ગામ પાસેના જંગલમાં વિદ્યાર્થીનુ કંકાલ મળી આવ્યું હતું. જેની જાણ થતાં પોલીસે સ્થળ તપાસ કરતાં તેની પાસેથી અભ્યાસના પુસ્તકો વિગેરે મળ્યા હતા. તેના આધારે તપાસ કરતાં આ નરકંકાલ પોશીનાના દેડકા ગામના ધોરણ 10 ના વિદ્યાર્થી સિરાજભાઈ બકાભાઈ પરમારનું હોવાનું માલૂમ પડ્યું હતું. સિરાજ ગત 19 ઓગસ્ટ 2025થી ગુમ હતો અને આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તસ્કરી:શંખલપુર મંદિરે ડૉક્ટરનો રૂ.3 લાખનો સોનાનો દોરો ચોરાયો

યાત્રાધામ બહુચરાજી પાસે આવેલા શંખલપુર બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમની રાત્રે દર્શન કરવા ગયેલા ડૉક્ટરના ગળામાંથી અજાણ્યો શખ્સ ભીડમાં રૂ.3.07 લાખની કિંમતનો સોનાનો દોરો ચોરી ફરાર થઈ ગયો હતી. જે મામલે બહુચરાજી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના અને હાલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા ડૉ. નિસર્ગ જીતેન્દ્રકુમાર પટેલ ગત ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે પત્ની તેમજ સાસુ અને સાળી સાથે શંખલપુર મંદિરે માતાજીની પાલખીના દર્શન કરવા આવ્યા હતા. રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેઓ મંદિરની આગળ પાલખીના દર્શન માટે ભીડમાં ઉભા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવી ગળામાં પહેરેલો આશરે 20 ગ્રામ સોનાનો દોરો તોડી ગયો હતો. તેની જાણ થતાં ડૉક્ટરે આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આખરે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

એપ્રિલમાં ફૂલ' વરસાદ:મહેસાણાથી અરવલ્લી પટ્ટામાં 2 ઇંચ સુધી પડ્યો; મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર,‎બહુચરાજી, જોટાણામાં જોરદાર ઝાપટાં‎

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મંગળવાર બપોરે પછી વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ચૈત્રમાં ચોમાસા જેવા આ માહોલમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાઠંબા તાલુકામાં સવા 2 ઇંચ અને બાયડમાં દોઢ ઇંચ ખાબક્યો હતો. વિજાપુર, હિંમતનગર અને તલોદમાં 1-1 ઇંચ નોંધાયો હતો. બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. મહેસાણા જિલ્લામાં સાૈથી વધુ વિજાપુરમાં 1 ઇંચ તેમજ વિસનગરમાં 7, ઊંઝા, વડનગર અને બહુચરાજીમાં 6, જોટાણામાં 4 અને મહેસાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં મંગળવાર સવારથી પશ્ચિમી પવનોના કારણે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 34.9 થી 35.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. આ દરમિયાન સવારે 11.30 કલાકથી પવનની ગતિમાં અસામાન્ય વધારો થતાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. મહેસાણા શહેરમાં મંગળવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સાંજે વરસાદી ઝાપટાં પડતાં રસ્તા પરથી પસાર થતાં લોકો ભીંજાયા હતા. અડધો કલાક દરમિયાન ધીમી ધારે વરસાદ વરસતા અરવિંદબાગ રોડ, મોહનપુરા, માલ ગોડાઉન રોડ તેમજ અર્બન બેંક વિસ્તાર સહિતના નિચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાઈ રહેતાં અવરજવર કરતાં વાહનચાલકોને કલાકો સુધી તકલીફ સર્જાઇ હતી. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં થયેલા વરસાદને લઇ એક્સપર્ટ ડૉ.રાજદીપસિંહ જાડેજા (સહ સંશોધક, કેવીકે ભચાઉ) સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત સવાલ : વાતાવરણમાં કયા બદલાવથી ફરી એકવાર વરસાદ થયો? માર્ચ અંતમાં એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવ્યું હતું. જે ઉત્તર તરફ જઇને પરત આવ્યું છે. જેને લઇ સપ્તાહમાં બીજી વખત વાતાવરણ પલટાયું. તેમજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. સવાલ : આ વરસાદથી ખેતી પાકોને શું અસર થઇ શકે છે? ઉનાળું પાકોને કોઇ નુકસાન નથી. ઉલટું એક પિયત મળ્યું કહેવાય. રવી સિઝનનો મોટાભાગનો પાક લેવાઇ ગયો છે. પાછોતરુ વાવેતર કરેલો પાક લેવાનો બાકી છે, તેમને નુકસાન થઇ શકે. ભારે પવન સાથેના વરસાદથી કેરીનો પાક હાલ ખાખડી અવસ્થાએ છે. તે પડી જતાં ઉત્પાદનને અસર થશે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી તડબૂચ અને ટેટીના પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળ્યો નથી. આ સ્થિતિમાં આ બંને પાકોના ફળનો વિકાસ રૂંધાય અને મીઠાશમાં પણ ઘટાડો થઇ શકે છે. સવાલ : વાતાવરણ ક્યારે સામાન્ય થઇ શકે છે? આગામી 11 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ વાતાવરણ સામાન્ય થવાની શક્યતા છે. એટલે ગરમીમાં પણ વધારો થશે. પવન સાથે વરસાદથી નુકસાનની સ્થિતિ - લાડોલ નજીક મુખ્ય રોડ પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોટકાયો. - બાયડના ચોઇલા પાસે આવેલા છાપરીયા ગામમાં મોટા કરા સાથે વરસાદ. - હિંમતનગરમાં હાથમતી નદીના કિનારે રહેતા નંદકિશોર નારાયણજી ડાભીના તબેલાના પાંચ રૂમ ધરાશાયી થયા. સદનસીબે જાનહાનિ ટળી. - દેસાસણ પ્રા.શાળા નજીક લીમડાનું વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી. - વરસાદી વિસ્તારોમાં તમાકુ, ઘઉં સહિતના રવિ સિઝનના પાછોતરા વાવેતરને ભારે નુકસાન. મહેસાણા જિલ્લામાં તમાકુના પાકને અસર. 20 તાલુકામાં વરસાદ- મહેસાણા : વિજાપુરમાં 1 ઇંચ, વિસનગરમાં 7 મીમી, ઊંઝા, વડનગર અને બહુચરાજીમાં 6-6 મીમી, જોટાણામાં 4 મીમી, મહેસાણામાં 2 મીમી - પાટણ : હારિજ-સમીમાં 2-2 - સાબરકાંઠા : હિંમતનગર -તલોદમાં 1-1 ઇંચ, પ્રાંતિજ- વડાલીમાં અડધો-અડધો ઇંચ, વિજયનગર 8, ઇડર 3 મીમી - અરવલ્લી : સાઠંબામાં સવા 2 ઇંચ, બાયડમાં દોઢ ઇંચ, મોડાસામાં પોણો ઇંચ, મેઘરજમાં 7 મીમી, ધનસુરામાં 1 મીમી

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

પાલિકા તંત્ર હરકતમાં:માંડવીના ટોપણસરમાં 90 લાખનું ફાઉન્ટેન 4 મહિના બાદ ફરી જીવંત!

માંડવી નગરપાલિકા દ્વારા અંદાજે 90 લાખના ખર્ચે બનાવાયેલ મ્યુઝિકલ લાઇટિંગ ફાઉન્ટેન, જેનું 12 ડિસેમ્બરે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં પડ્યું હતું. જાન્યુઆરી માસ દરમિયાન આશરે 7 હજારના ઈલેક્ટ્રિક ઉપકરણોની ચોરી થતાં ફાઉન્ટેન બંધ થઈ ગયું હતું અને લાંબા સમય સુધી કોઈ સુધારા કામ ન થતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો. આ બાબતે “90 લાખનું ફાઉન્ટેન ચાર માસથી બંધ” જેવી હેડલાઈન સાથે સમાચાર પ્રકાશિત થતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. ભાસ્કર ઈફેક્ટ જોવા મળ્યો હોય તેમ, તરત જ ટેકનિશિયનને કામે લગાડવામાં આવ્યા અને માત્ર એક જ દિવસમાં ફાઉન્ટેનનું મરામત કામ પૂર્ણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

રજૂઆત:માંડવીમાં ભારે વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું : ઝડપી બાયપાસ શરૂ કરવા માગ

માંડવી શહેરમાં ભારે ટ્રકો અને ડમ્પરોના બેફામ વાહનવ્યવહારને કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી સતત વધી રહી છે. લાંબા સમયથી બાયપાસ રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે ભારે વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે તેની સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. તાજેતરમાં 25 વર્ષીય યુવતીનું અકસ્માતે મૃત્યુ થતા ભારે વાહનોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ દિશામાં તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માગ મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. 6 એપ્રિલે સાંજે સ્વામિનારાયણ મંદિર નજીક સ્કૂટર ચલાવતી એક યુવતી ડમ્પર નીચે આવી જતા ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ માંડવી મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર સમય મર્યાદા લાદવી, પીક ટ્રાફિક સમયમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, બાયપાસ રોડનું કામ ઝડપી પૂર્ણ કરવું, જોખમી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત મંદિર, બજાર અને શાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ લિનેશ કે. શાહે જણાવ્યું હતું કે આ મુદ્દો હજારો નાગરિકોના જીવન અને સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય નહીં. એસોસિએશનના પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદાર પી. એ. જેઠવાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ લલિત આર. મહેતા, મંત્રી ગૌરવ બી. શાહ અને સહમંત્રી મુકેશ એસ. ભાનુશાલી હાજર રહ્યા હતા. અકસ્માતની ઘટનામાં વાહન નંબર છૂપાવવાનો પ્રયાસસ્વામિનારાયણ મંદિર નજીક અકસ્માત સર્જનારા વાહનની આગળ અને પાછળ બન્ને નંબર પ્લેટ પર પીછો મારી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે, જેના કારણે સાચો નંબર છુપાવવાનો પ્રયાસ થયાની શંકા ઉભી થઈ છે. હવે ચેસીસ નંબરના આધારે વાહનની સાચી ઓળખ બહાર લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડ્રાઈવરની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે, જ્યારે વાહનના માલિકની શોધખોળ હાલ ચાલુ છે. મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. બારોટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ધરપકડ:લૈયારી પાસે બોલેરોમાં 8 પાડા ભરી જતો અંજારનો ઇસમ ઝબ્બે

નખત્રાણા તાલુકાના લૈયારી ગામની નજીકથી બોલેરોમાં આઠ પાડાને ક્રુરતા પૂર્વક ભરી જતો અંજારનો ઇસમ પોલીસને હાથ લાગ્યો છે.પોલીસને જોઇને રણ માર્ગે બોલેરો લઈને ભાગેલા આરોપીને પોલીસે પીછો કરી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા પોલીસ મથકની ટીમ બીબર નજીક હાજીપીર પદયાત્રીઓ માટે પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,તલ ગામથી લૈયારી તરફ એક સફેદ કલરની બોલેરો નંબર જીજે 13 એડબ્લ્યુ 5439 વાળી આવી રહી છે જેમાં પશુ ખીચોખીચ ભરેલા છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહેતા આરોપી બોલેરો લઈને આવ્યો હતો.જેને ઉભો રાખવાનો પ્રયાસ કરતા આરોપી બોલેરો લઈને રણ વિસ્તારમાં ભાગ્યો હતો.જેથી પોલીસે તેનો પીછો કરી બોલેરોને રોકાવી હતી.ત્યારે અંજારનો આરોપી મામદહુશેન ગુલામશા શેખ બોલેરો મુકીને ભાગ્યો હતો પણ પોલીસને હાથ લાગી ગયો હતો.જે બાદ પોલીસે તપાસ કરતા બોલેરોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર આઠ પાડા ભરેલા હતા.જે બાબતે આરોપી પાસે કોઈ પાસ પરમીટ પણ ન હતી.તેમજ આરોપી વગર લાયસન્સે બોલેરો ગાડી પુરઝડપે ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આરોપીની અટકાયત કરી બોલેરોમાં ભરેલા પાડા પાંજરાપોળ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસે 500 ફોર્મ ઉપાડ્યા, ભાજપના ફોર્મ બાકી

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત ગાંધીધામ મહાનગરપાલિકા માટે ફોર્મ ઉપાડવાની પ્રક્રિયાના પ્રથમ બે દિવસમાં જ ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ બે દિવસમાં કુલ 448 બેઠકો માટે અત્યાર સુધીમાં 937 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે, જોકે આશ્ચર્યજનક રીતે હજુ સુધી એક પણ ઉમેદવારે સત્તાવાર રીતે ફોર્મ પરત ભર્યું નથી. કોંગ્રેસે 448 બેઠકો માટે 500 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. જો કે હજુ સુધી બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણીવાર પાર્ટી ટિકિટ ન મળતા ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે છે. કચ્છના ઇતિહાસમાં અગાઉ પણ અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ પ્રભુત્વ જમાવીને જીત મેળવી હોય તેવા દાખલા મોજૂદ છે, જે આ વખતે પણ પુનરાવર્તિત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ ઉત્સાહ ગાંધીધામ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે, જ્યાં 262 ફોર્મ વિતરણ થયા છે. 5 નગરપાલિકાઓમાં કુલ 321 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે, જેમાં મુંદરા-બારોઈ પાલિકા 96 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે અંજારમાં 85 માંડવીમાં 81 અને ભુજમાં 50 અને નખત્રાણામાં 09 ફોર્મ ઉપડ્યા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે 77 દાવેદારોએ ફોર્મ લીધા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો કુલ 277 ઉમેદવારો મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારી ફોર્મ મેળવી લીધા છે, જેમાં અંજારમાં સૌથી વધુ 61 અને ભચાઉમાં 61 ફોર્મનું વિતરણ થયું છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે અન્ય પાર્ટીઓ અને અપક્ષોને ઉમેરતા આ આંકડો ઘણો મોટો થઈ શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, કાલે કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે. જયારે ભાજપ આજે મોડી રાત્રે અથવા કાલે ઉમેદવારોની જાહેરાત કરી શકશે. કારણ કે 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. સંભવિત 10 તારીખના મોટાભાગના ઉમેદવારો પોતાની નોંધાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

તસ્કરી:ટુંડાવાંઢની વધુ એક કંપનીમાંથી 18 લાખનો મુદ્દામાલ ચોરાયો

થોડા દિવસ પહેલા મુન્દ્રાના ટુંડાવાંઢમાં આવેલ અદાણી કંપનીમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે હવે વધુ એક કંપનીમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 18 લાખની કિંમતનો મુદ્દામાલ ઉઠાવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સુધીરસિંહ પ્રવીણસિંહ ગોહિલે મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 1 માર્ચથી 1 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.જેમાં ટુંડાવાંઢ સીમમાં આવેલ એક્વાટેક સિસ્ટમ્સ એશિયા પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સ્ટોર પાસેની ખુલ્લી જગ્યામાં આરોપીએ હાથ માર્યો હતો.અને સ્થળ પરથી રૂપિયા 17,99,326 ની કિંમતના 50 એનબી સાઈઝના 9 બટરફ્લાય વાલ્વ,રેફ્રીજરેશનની ફીટીંગ સાથેની કોપર પાઈપ,કોપર આર્મર વાયર,એલ્યુમીનીયમ વાયર તેમજ ડોઝીંગ પંપ મોટર નંગ 8 સહીતનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે મુન્દ્રા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાનકર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ખેડૂતોમાં ભારે આક્રોશ:હિંમતનગર યાર્ડમાં તમાકુની હરાજી બંધ કરી દેતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો

હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં મંગળવારે તમાકુની ખરીદી અચાનક બંધ કરી દેવાતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ કોઈ પણ જાણકારી આપ્યા વગર હરાજી બંધ રખાતાં દૂર-દૂરથી માલ લઈને આવેલા ખેડૂતો અટવાયા હતા અને યાર્ડના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. ​યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે ​અમે રાત-દિવસ મહેનત કરીને તમાકુનો પાક તૈયાર કર્યો છે. કાલે હરાજી ચાલુ હતી અને અમને કોઈ પણ પ્રકારની અગાઉથી જાણ કરાઇ ન હતી કે આજે ખરીદી બંધ રહેશે. અમે ભાડાના સાધનો કરીને અહીં સુધી માલ લાવ્યા છીએ. હરાજી ન થાય તો અમારે આ માલ ક્યાં લઈ જવો ? વરસાદી વાતાવરણમાં માલ બગડવાની પણ ભીતિ છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્રએ ખેડૂતોના હિતમાં વિચારવું જોઈએ. ​બીજી તરફ, માર્કેટ યાર્ડના સંચાલકોએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આ આગાહીને પગલે વેપારીઓએ સુરક્ષાના કારણોસર તમાકુની ખરીદીથી અળગા રહેવાનું નક્કી કર્યું હતું. તમાકુ એવો પાક છે જે થોડા પણ ભેજ કે વરસાદમાં બગડી શકે છે, જેના કારણે વેપારીઓએ જોખમ લેવાનું ટાળ્યું હતું. ​યાર્ડના અધિકારી હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે ગઈકાલે મોટી માત્રામાં તમાકુની આવક થઈ હતી જેનો હજુ પૂરેપૂરો નિકાલ થયો નથી. વરસાદી માહોલ વચ્ચે ખુલ્લામાં પડેલો માલ બગડે નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોની માંગ છે કે જો વરસાદની આગાહી હોય તો તેમને અગાઉથી જાણ કરવી જોઈએ જેથી તેઓ ખર્ચ કરીને યાર્ડ સુધી ન આવે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

મતદાર યાદી પ્રસિદ્ધ:હિંમતનગરના વોર્ડ-3માં સૌથી વધુ 8476 મતદાર

હિંમતનગર પાલિકા વિસ્તારમાં આજુબાજુના 8 ગામના વિકસિત સર્વે નંબરોનો સમાવેશ કરાયા બાદ બે વોર્ડના વધારા સાથે નવું સીમાંકન જાહેર થયું હતું. જેમાં દરેક વોર્ડની વસ્તીમાં 8 થી 10 હજારનો માપદંડ રખાયો હતો. નવા સીમાંકન બાદ કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નં-11 માં વસ્તીની સાપેક્ષમાં 97.95 ટકા મતદાર છે. મતલબ આ વોર્ડમાં 18 વર્ષથી નીચેની સંખ્યા માત્ર 2.05 ટકા છે. જ્યારે વોર્ડ-2 માં સૌથી ઓછી વસ્તીની સાપેક્ષમાં સૌથી ઓછા 54.42 ટકા મતદાર છે. ​હિંમતનગર પાલિકામાં 2021 ની ચૂંટણીમાં 62513 મતદાર હતા. ગત સપ્ટેમ્બર માસમાં નવું સીમાંકન જાહેર થયા બાદ 11 વોર્ડની હદ સીમા વગેરે ઉરાઈ હતી. ત્યારબાદ એસઆઈઆર પ્રક્રિયા અને નવા સીમાંકન સામે વાંધા સૂચનોની આખરી સુનાવણી વગેરે પ્રક્રિયા લગભગ સમાંતર પૂર્ણ થતાં કુલ 72741 મતદારની તમામ વોર્ડની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. વોર્ડ સીમાંકનમાં દરેક વોર્ડમાં 8 થી 10 હજારની વસ્તીનું ધોરણ જાળવી રાખવામાં આવ્યું હતું. ​આખરી મતદાર યાદી જોતાં દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા બાબતે બહુ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સૌથી ઓછા મતદાર ધરાવતા વોર્ડ નં-2 માં વસ્તીની સાપેક્ષમાં મતદારોની ટકાવારી 54.42 છે. મતલબ આ વોર્ડમાં 55.58 ટકા બાળક, તરુણ, કિશોર છે. આનાથી ઉલટું નવા ઉમેરાયેલા વોર્ડ નં-11 માં 8315 ની વસ્તીની સામે 8145 મતદાર છે મતલબ વસ્તીની સાપેક્ષમાં 97.95 ટકા મતદાર છે. વોર્ડ નં-10 માં 8521ની કુલ વસ્તીની સાપેક્ષમાં 7333 એટલે કે 86.05 ટકા મતદાર છે. બાકીના વોર્ડમાં સરેરાશ 30 થી 45 ટકા બાળક, તરુણ, કિશોરની વસ્તી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

છેતરપિંડી:ચાણસ્માના યુવકને એક લાખ આપી ગાડી લઈ જઈ શખ્સે 5.80 લાખમાં વેચી નાખી

ચાણસ્માના યુવક પાસેથી 7.5 લાખમાં ગાડી ખરીદવાનું કહી એક લાખ આપી બે દિવસમાં લોન ભરાવી દઈશું તેમ કહી લઈ ગયા બાદ આરોપીઓએ કાર ત્રીજા વ્યક્તિને 5.80 લાખમાં વેચી નાખતાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ચાણસ્મા ઉગમણા દરવાજા બહાર રહેતા કુલદીપકુમાર બકુલેશભાઈ ડોડીયા (ઉ.વ.31) દસ્તાવેજ લખવાનું કામ કરે છે. તેઓએ વર્ષ 2023માં મહિન્દ્રા બોલેરો ગાડી ( GJ-24-AQ-6719) 12.65 લાખમાં ખરીદી હતી.જેમાં રૂ 2.65 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું હતું અને બાકીના 10 લાખની ચાણસ્મા કો.ઓ.બેંકમાંથી લોન લીધી હતી.વર્ષ 2026 સુધી ગાડી નો ઉપયોગ કર્યા બાદ ગાડીનું વેચાણ કરવાનું હોઈ મિત્ર મારફતે ઝાલા ચિરાગસિંહ દ્વારા ગોસ્વામી અનિલગીરી સુરેશગીરી અને ગોસ્વામી ભૌતિકગીરી રમેશગીરી સાથે સંપર્ક થયો હતો.બંનેએ ગાડી રૂ 7.05 લાખમાં ખરીદવાની સંમતિ આપી હતી. ગાડી પર લોન ચાલુ હોવાથી આરોપીઓને હપ્તા ભરવા કહેવામાં આવ્યું હતું.જોકે, આરોપીઓએ બે દિવસ માટે ગાડી આપો,પછી સંપૂર્ણ ચુકવણી કરીશું કહી વિશ્વાસમાં લઈ 23 જાન્યુઆરી 2026ના રોજ કાર આર.સી.બુક સાથે લઈ ગયા હતા. શરૂઆતમાં રૂ1 લાખ આપ્યા બાદ આરોપીઓ બહાના કરવા લાગ્યા હતા.બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલ તન્વી મોટર્સ ખાતે રાહુલદાન ગઢવીને રૂ5.80 લાખમાં વેચી હતી. રાહુલદાન ગઢવી પણ છેતરાયા હોવાનું જણાવતા તેઓએ રૂ 4 લાખ ગુમાવ્યાનું જણાવ્યું હતું.કારના મૂળ માલિક કુલદીપ કુમારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હાલ અનિલગીરી સુરેશગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી રમેશગીરી ગોસ્વામી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ફરિયાદ:બસ આગળ બાઈક આવતાં બ્રેક મારતાં ડ્રાઈવર પર શખ્સ તૂટી પડ્યો

ચાણસ્મા એસટી ડેપોની બસ અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે રોડ પર ક્રિકેટ રમતા યુવકો પૈકી એક શખ્સે ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો. બસની આડે અચાનક બાઈક આવી જતાં ડ્રાઈવરે બ્રેક મારી હતી,જેનાથી ઉશ્કેરાઈને યુવકે ડ્રાઈવરના કપાળના ભાગે ક્રિકેટના બેટનો ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં ફરિયાદના ત્રણ દિવસ પછી પણ આરોપીની ધરપકડ નહીં કરતાં કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ચાણસ્મા તાલુકાના મીઠીઘારીઆલ ગામના વતની અને ચાણસ્મા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ (36) 5 એપ્રિલના રોજ સુરત (ઉધના)થી પાટણ રૂટની બસ (GJ 18 Z 8839) લઈને જઈ રહ્યા હતા.વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બસ ખોખરા સર્કલ પાસે પહોંચી, ત્યારે શેર-એ-પંજાબ હોટલ સામે જાહેર રોડ પર અચાનક બાઈક સામે આવી ગયું હતું.અકસ્માત ટાળવા માટે ઈશ્વરભાઈએ બ્રેક મારી ઊભી રાખી દીધી હતી. આ સમયે ત્યાં રોડ પર કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા.જે પૈકીનો એક યુવક ડ્રાઈવર પાસે આવ્યો હતો અને બ્રેક કેમ મારી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો.ડ્રાઈવરે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે પોતાના હાથમાં રહેલા લાકડાના બેટનો એક ફટકો ઈશ્વરભાઈના કપાળના ભાગે જોરથી માર્યો હતો. જેને કારણે ઈશ્વરભાઈને ગંભીર ઇજા થઈ હતી. બસના કંડક્ટર હર્ષદભાઈ સોલંકીએ તુરંત 100 નંબર પર જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ખોખરા પોલીસે ડ્રાઈવર ઈશ્વરભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

વિરોધ:રોડ મામલે ડુંગરાસણના ઓગડપુરામાં ચૂંટણી બહિષ્કાર

કાંકરેજ તાલુકાના ઓગડપુરા-આકોલી વચ્ચેના 2 કિમી રસ્તાની દરખાસ્ત 7 મહિનાથી પેન્ડિંગ રહેતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. બિસમાર માર્ગને કારણે સ્કૂલ, આંગણવાડી અને 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. ડુંગરાસણ નજીકના ઓગડપુરા-આકોલી વચ્ચેના અંદાજે 2 કિમી કાચા માર્ગને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત તા. 25 ઓગસ્ટ 2025થી પેન્ડિંગ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રસ્તા પર પ્રાથમિક શાળા, આંગણવાડી, વિજળી કચેરી અને 100થી વધુ ઘરો આવેલાં હોવા છતાં માર્ગ બિસમાર હાલતમાં છે, ખાસ કરીને ચોમાસામાં બાળકોને ખેતરોમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે. સોમવારે રાત્રે ગામલોકોએ બેઠક બોલાવી નિર્ણય લીધો કે, રોડ નહીં બને ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાશે. સરપંચ વિક્રમજીએ જણાવ્યું હતું કે, મામલતદાર કચેરી શિહોરી ખાતે તેમજ વિવિધ નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. જેથી હવે 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કચરા નિકાલમાં કૌભાંડ, પ્રોસેસ કર્યો 76200 મેટ્રિક ટન, બતાવ્યો‎2.17 લાખ મે.ટન, એજન્સીને પાલિકાએ 6.32 કરોડ વધુ ચુકવ્યા‎

પાટણ નગરપાલિકાની માખણીયા ડમ્પિંગ સાઈટ પર શહેરમાંથી એકત્ર કરી ખડકાતાલેગસી વેસ્ટ (જૂના કચરા)ના નિકાલમાં એજન્સી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચીફ ઓફિસરની તપાસમાં આક્ષેપ કરાયો છે.જેમાં મશીનની ક્ષમતા કરતા ત્રણ ઘણું વધુ કામ બતાવી 6.32 કરોડના ખોટા બિલો ઉધારીને લીધેલ રકમ સાથે પાલિકાએ અમદાવાદની નાગેશ કોર્પોરેશન નામની એજન્સીને રૂ. 6.83 કરોડથી વધુની પેનલ્ટી અને વસૂલાતની નોટિસ ફટકારી છે. પાલિકાના કચરા નિકાલની કામગીરી કરનાર એજન્સીએ તેના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે તેણે 25 ઓક્ટોબર 2024થી 1 માર્ચ 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો છે. જોકે, ચીફ ઓફિસની તપાસમાં સામે આવ્યું કે ડમ્પિંગ સાઈટ પર લગાવેલા મશીનોની મહત્તમ ક્ષમતા જોતા આ સમયગાળામાં વધુમાં વધુ 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ થઈ શકે. એટલે કે, એજન્સીએ મશીનની ટેકનિકલ કેપેસિટી કરતા 300% વધુ કામગીરી કાગળ પર બતાવીને નગર પાલિકા પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે. પાલિકાએ એજન્સીને 15 દિવસની મહેતલ આપી છે. જો આ રકમ જમા નહીં થાય, તો એજન્સી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો (IPC) હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે શું માત્ર એજન્સી સામે જ કાર્યવાહી થશે કે ખોટા સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am