બાર ગોળ ચૌધરી સમાજના દરેક ગામમાં દરેક સમાજની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બુધવારના રોજ 8 ગામના સર્વે સમાજની 316 દીકરીને દાતાઓના સહયોગથી રસી અપાઈ હતી. મેવડ, પુનાસણ, લક્ષ્મીપુરા (ખારા), ગોકળગઢ, મેઘાઅલિયાસણા, રામપુરા, ગુંજાળા, સામેત્રા ગામની ચૌધરી તેમજ ગામમાં રહેતી અન્ય જ્ઞાતીની તમામ 9થી 14 વર્ષની દીકરીઓને ગારડીયા સીલ 9 રસી કેન્સર હોસ્પિટલ અમદાવાદના તબીબી સ્ટાફ દ્વારા મેવડ કિસાનભારતી વિદ્યાસંકુલમાં આપવામાં આવી હતી. બે કેમ્પમાં 546 જેટલી દીકરીઓનું રસીકરણઆ અગાઉ બોરીઆવી, કુકસની 230 જેટલી દીકરીઓને આ રસી અપાઈ હતી. બે કેમ્પમાં થઈ કુલ 546 જેટલી દીકરીઓને રસીકરણ થઈ ચુક્યું છે. ભારતમાં દર 8 મિનિટે 1 મહિલા ગર્ભાશયના કેન્સરના કારણે મૃત્યુ પામી રહી છે. આ કેન્સર આગળ ફેલાઈ જાય પછી જ જાણકારી મળતી હોવાથી આવી મહિલાઓનું જીવન બચાવવું મુશ્કેલ હોય છે. જેથી તબીબી વિજ્ઞાન દ્વારા શોધાયેલ સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે આ વેકિસન અસર કારક હોય છે. સંશોધન મુજબ આ રસી લીધેલ સ્ત્રીને ગર્ભાશયનું કેન્સર થવાની શકયતાઓ નહીંવત્ થઈ જાય છે. તેમજ આ રસી લેવાથી કોઈ આડઅસર પણ ન થતી હોવાનું તબીબોનું કહેવું છે. સર્વે સમાજની 316 દીકરીને બુધવારે રસી મુકાઈ જેથી બાર ગોળ ચૌધરી સમાજના કાર્યકરો દ્વારા તમામ ગામોમાં સર્વે સમાજની દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. બુધવારે અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત કિસાનભારતી વિદ્યા સંકુલમાં 8 ગામના દાતાઓના સહયોગથી અને કિસાનભારતી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ઉષાબેન ચૌધરી અને તમામ સ્ટાફની મદદથી 316 દીકરીઓનું રસીકરણ સફળતા પૂર્વક કરાયું હતું. વિવિધ દાતાઓ દ્વારા દીકરીઓને રસી અપાઈસર્વાઈકલ કેન્સર રસીકરણ દાતા ગોકળગઢની 30 દીકરીને લવજીભાઈ કરસનભાઈ ચૌધરી હસ્તે રાજુભાઈ (ઓસ્ટ્રેલિયા) તરફથી અપાઈ હતી. જ્યારે મેવડ ગામની 75 દીકરીને તુષારભાઈ નારાયણભાઈ ચૌધરી અને તરુણભાઈ (નારાયણ ગૃપ) તરફથી, ગુંજાલાની 60 દીકરીને સમસ્ત ગામ તરફથી સર્વાઈકલ રસી અપાઈ હતી. જ્યારે લક્ષ્મીપુરા (ખારા)ની 35 દીકરીને વિષ્ણુભાઈ શંકરભાઈ ચૌધરી, ગામજનો તરફથી, મેઘાઅલિયાસણામાં 25 દીકરીને દિનેશભાઈ રૂગનાથભાઈ ચૌધરી (સીટીસી ચૌધરી ટ્રાન્સપોર્ટ કંપની), પુનાસણની 60 દીકરીને બીબીસીસી ટ્રસ્ટ સહ પરિવાર તરફથી, રામપુરામાં 24 દીકરીને ડી. કે. ચૌધરી, મહેશભાઈ (આરટીઓ) અને સામેત્રામાં 7 દીકરીને દિનેશભાઈ લવજીભાઈ ચૌધરી (દીપ એન્ટરપ્રાઈઝ) તરફથી રસી અપાઈ હતી. આ પ્રસંગે મેવડના સુરેશભાઈ ચૌધરી, તરુણભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, હરદેસણના અનિકેત ચૌધરી, ગુંજાલાના દિલુભાઈ ચૌધરી, પુનાસણના લલીતભાઈ ચૌધરી સહિત દરેક શાળાના શિક્ષકો અને સ્વયંસેવકોએ ખડેપગે આ કેમ્પમાં સેવા આપી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જણસી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની એક કિમી સુધીની લાઈનો લાગી હતી. ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાલાવડ APMC પહોંચ્યા હતા. જામનગર હાઇવે પર આવેલા આ માર્કેટિંગ યાર્ડમાં વાવડી રોડથી જામનગર રોડ સુધી એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. આ વાહનોમાં મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી ભરેલી હતી. કાલાવડ APMCમાં કપાસના પ્રતિ મણના રૂ. 1510 અને મગફળીના રૂ. 1260 જેવા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે APMC દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
શોપિંગ માટેની જાણીતી એમેઝોન એપ્લિકેશન મારફતે અમદાવાદના યુવક તેના પરિવાર અને મિત્રએ મળીને સસ્તામાં ગોલ્ડ કોઈનની ઓફર જોઈને ગોલ્ડ કોઇન ખરીદવા 12.36 લાખ રૂપિયા ભર્યા હતા.બજાર કરતા સોનાના 5 ગ્રામના ભાવમાં 10 હજારનો ફાયદો જોઈને બુકિંગ કરાવ્યું હતું પરંતુ ડિલિવરી મળી જ નહોતી.એપ્લિકેશનમાં બુકિંગના એક મહિના અગાઉ જ ડિલિવરી થઈ હોવાનું બતાવતા હતા.યુવકે આ અંગે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક ચાર વર્ષથી એમેઝોન કંપનીમાં પ્રાઈમ મેમ્બર છેજમાલપુર વિસ્તારમાં આવેલા જુના વણકરવાસમાં રહેતા ફિરોજ ટાટાવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 12.60 લાખની ચિંટીગની ફરિયાદ કરી છે. ફિરોજ સંયુક્ત પરિવારમાં રહે છે અને આસ્ટોડીયા જ્યુસ સેન્ટરમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ફિરોજ છેલ્લા ચાર વર્ષથી એમેઝોન કંપનીમાં પ્રાઈમ મેમ્બર છે અને જેનું મેમ્બર કાર્ડ પણ આપવામાં આવ્યુ છે. પ્રાઈમ મેમ્બર હોવાથી ફિરોજ ઈ-કોર્મસ વેબસાઈટ એમેઝોન પર જે ચીજવસ્તુઓનો ઓર્ડર કરે તે વહેલો મળી જાય છે. એમેઝોન પર ગોલ્ડ કોઇનની જાહેરાત આવી હતીથોડા સમય પહેલા ફિરોજે પ્રાઈમ મેમ્બર બનવા માટે એમેઝોન કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો અને તેમા સામેથી જણાવ્યુ હતું કે જો તમે કંપનીમાં પ્રાઈમ મેમ્બર બનશો તો તમે આપેલી ઓર્ડરની ડીલીવરી વહેલી મળી જશે.એમેઝોન કંપની તરફથી ફિરોજને આઈસીઆઈસીઆઈનું ક્રેડીટકાર્ડ મળ્યુ હતું. ફિરોજ પ્રાઈમ મેમ્બર બનવા માટે દરવર્ષે 1500 રૂપિયા પણ ચુકવે છે. 25 માર્ચના રોજ એમેઝોન પર એક જાહેરાત આવી હતી હતી જે સુપર સાયલીયમ પેઢીની વેજ જ્વેલર્સની હતી. જાહેરાતમાં જણાવ્યુ હતું કે સોનાનો એક કોઈન પાંચ ગ્રામનો 35 હજારની કિંમતનો છે. બજારમાં પાંચ ગ્રામનો ભાવ 45 હજાર રૂપિયા હોય જેથી વેજે જ્વેલર્સથી ગોલ્ડ કોઈન ખરીદવાનું નક્કી કર્યુ હતું. ટ્રેકીગ આઈડી ચેક કરતા ડીલીવરી થઈ ગયાનું બતાવ્યુંફિરોજે 10 ગોલ્ડ કોઈન એમેઝોનથી ખરીદી કર્યા હતા જેની કિંમત 3.50 લાખ રૂપિયા હતી. ક્રેડીટ કાર્ડથી ફિરોજે પેમેન્ટ કર્યુ હતું જેનો ઓર્ડર નંબર અને બીલ પણ મળ્યુ હતું. બીજા દિવસે ગોલ્ડ કોઈનની ડીલીવરી થશે તેવો મેસેજ પણ આવ્યો હતો. બીજા દિવસે ગોલ્ડ કોઈન નહી આવતા તેને મોબાઈલમાં ટ્રેકીગ આઈડી ચેક કર્યો હતો.ટ્રેકીગ આઈડી ચેક કરતા ડીલીવરી થઈ ગઈ હોવાનું બતાવ્યું હતું. ફિરોજે ચેક કરતા તેને જાણવા મળ્યુ હતું કે ડીલીવરી બેંગ્લોર થઈ છે. ફિરોજને કઈંક ગડબડ લાગતા તેણે એમેઝોનના કસ્ટર કેર પર ફોન કરીને ઓર્ડર કેન્સલ કરીને રૂપિયા પરત માંગી લીધા હતા. કસ્ટમર કેરમાંથી ગોળગોળ જવાબ મળ્યોએમેઝોનના કસ્ટમર કેરમાંથી ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હાલ ઓર્ડર કેન્સલ થશે નહી. તમે ત્રણ દિવસ પછી કોલ કરજો. ફિરોજને એમેઝોનના કસ્ટમર કેર તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો. ઉપરી અધિકારીઓને વાત કરો, સેલર સાથે વાત કરીને જણાવીશુ તેમ કહીને ફિરોજને જવાબ આપતા હતા. કસ્ટમર કેર તરફથી કોઈ યોગ્ય જવાબ નહી આપતા ફિરોજ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યુ હતું. ક્રેડીટકાર્ડથી પેમેન્ટ થઈ ગયું પણ ટ્રેકિંગ રિપોર્ટ ખોટાફિરોજે 3.50 લાખ રૂપિયાના 10 ગોલ્ડ કોઈન ખરીદી કર્યા હતા જ્યારે તેની પત્ની તયસ્સરાએ પણ ક્રેડીટકાર્ડથી 70 હજારના બે ગોલ્ડ કોઇન ખરીદ્યા હતા. તયસ્સરાએ પણ જે ગોલ્ડ કોઈન ખરીદી કરી તેમાં પણ ખોટુ ટ્રેકીગ રીપોર્ટ આવેલો હતો. ફિરોજના મિત્ર અસ્ફાકે પણ 4.90 લાખની કિંમતના 14 ગોલ્ડ કોઈન ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ પણ ક્રેડીટકાર્ડથી થયુ હતું અને તેમા પણ ખોટા ટ્રેકીગ રીપોર્ટ આવ્યા હતા. ફિરોજના પિતા રમજાનીએ પણ 3.50 લાખની કિંમતના 10 ગોલ્ડ કોઈન ખરીદી કર્યા હતા, જેમા પણ ચિંટીગ થઈ ગયુ હતું.
દિવાળીના તહેવારો પૂર્વે જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ બેઠકમાં DYSP જયવીરસિંહ ઝાલાએ અગ્રણીઓને ખાસ સૂચના આપી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ધર્મ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવી નહીં. જો કોઈ આવું કૃત્ય કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે દિવાળી વેકેશનમાં વતન જતા નોકરિયાત વર્ગને પોતાના કિંમતી દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાં અથવા સુરક્ષિત સ્થળે રાખ્યા બાદ જ પ્રવાસ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવા અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવા પણ સૂચના અપાઈ હતી. DYSP જયવીરસિંહ ઝાલા અને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાએ બંને સમાજના અગ્રણીઓને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ કાળજી લેવા અને જો કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. અગ્રણીઓએ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સૌને દિવાળીના તહેવારની શુભકામનાઓ પણ પાઠવી હતી.
જુગાર:પોલીસ બે અલગ-અલગ સ્થળોએથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, 50,330 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરતનગર અને ઘોઘા રોડ પોલીસે જુગારના બે અલગ-અલગ દરોડા પાડી 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.50,330 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મંદિરની બાજુમાં જાહેર રોડ પર જુગાર રમતા 4 શખ્સોને ઝડપ્યા જુગારના પ્રથમ બનાવ અંગે ભરતનગર પોલીસે ખાનગી બાતમીના આધારે ગાયત્રી મંદિર ની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે, ગાયત્રીમંદિર ની બાજુમાં રોડ ઉપર જાહેર જગ્યાએ કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી જુગાર રમતા 4 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.35,280 અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સુનિલ અરજણભાઈ ગોહિલ ઉ.મ.22 રહે. ઘોઘા રોડ, રમેશ લાલજીભાઈ મકવાણા ઉ.મ.35 રહે.અકવાડા, જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઉ.મ.22 રહે. મફત નગર ઘોઘા રોડ તથા મુન્ના નાનજીભાઈ બારૈયા ઉ.મ.45 રહે. ઘોઘા રોડ વાળા તમામ ને ઝડપી લીધા હતા, આ 4 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે મંદિર પાસે જુગાર રમતા 3 શખ્સોને પકડ્યા ઘોઘા રોડ પોલીસ શિવાજી સર્કલ પાસે આવતા સરદારનગર 50 વરિયા રામજી મંદિર પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગંજીપતાનાં પાનાં વડે હારજીતનો જુગાર રમે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા 3 શખ્સો ગોળ કુંડાળુ વળીને જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોઓમાં બાબુ રઘુભાઈ પરમાર ઉ.મ.34 રહે.ભંડારિયા, અનિલ દિનેશભાઈ મોરી રહે.ઘોઘા જકાતનાકા તથા સાહિલ અશોકભાઈ પરમાર ઉ.મ.21 રહે.દેસાઈનગર વાળાને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી કુલ રૂ.15,050 નો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ સહિત મંદિરમાં બિરાજમાન તમામ દેવી-દેવતાઓને 56 ભોગ સાથે 175થી વધુ પ્રકારની વાનગીઓનો મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવશે. દીપાવલી નિમિત્તે એક લાખ પચાસ હજાર દીવડાની દીપમાળા પણ યોજાશે. અન્નકૂટની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી શરૂ થઈ હતી. આજે પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરામાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે. ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું કે, નરનારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિરના 15 વર્ષના ગાળામાં યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન 25 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. આ મહાઅન્નકૂટની તૈયારીઓમાં મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસ અને પાર્ષદ કોઠારી જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજી, ગૌલોકવિહારી દાસજી, શાંતિસ્વરૂપદાસજી, પુરષોતમસ્વરૂપદાસજી, કૃષ્ણવિહારીદાસજી સહિત 51 સંતોની ત્રણ જુદી જુદી ટીમો કાર્યરત છે. તેમની સાથે પાર્ષદ ખીમજી ભગત, હરિકૃષ્ણદાસજી, ધ્યાનસ્વરૂપદાસજી, હરિશ્વરુપદાસજી, હરિદાસજી, પ્રેમવલ્લભદાસજી, હરી પ્રસાદદાસજી, નૌતમચરણદાસજી અને 100થી વધુ સંતો, સત્સંગી હરિભક્ત ભાઈ-બહેનો, સાંખ્યયોગી બહેનો તેમજ કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળના સભ્યો અન્નકૂટ બનાવવાની સેવામાં જોડાયા છે. 175થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓમાં મુખ્યત્વે મૈસુક, ફાફડા, સુખડી, લાડુ, મોનથાળ, સકર પારા, સાટા, બુંદી, અડદિયા, ટોપરા પાક, ગુલાબ પાક, પેંડા, બરફી, અમૃતપાક, ગુંદરપાક, સાલમપાક, ગેવર જેવા ફરસાણ અને મિષ્ટાનનો સમાવેશ થાય છે. આ માટે 19,000 કિલો જુદા જુદા લોટ અને બેસન, 5,000 કિલો ફાફડા, 3,500 કિલો મગજ, 3,500 કિલો સુખડી, 1,500 કિલો મોતીયા લાડુ, 1,500 કિલો કણી મોનથાળ, 3,000 કિલો ફરસાણ, 1,000 કિલો મિષ્ટાન, 750 ગુણી ખાંડ, 750 દેશી ઘીના ડબ્બા અને 400 ડબ્બા તેલ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મહા દીપોત્સવના અન્ય કાર્યક્રમોમાં 20 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન, 21 ઓક્ટોબરે દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને 22 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનો સમાવેશ થાય છે. ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજીએ આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા સ્નેહપૂર્વક જણાવ્યું છે. આ અન્નકૂટનો પ્રસાદ બે લાખથી વધુ ભક્તોને દેશ-વિદેશમાં વસતા હરિભક્તો સુધી પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, નૈરોબી, તાંઝાનિયા, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ, યુ.એ.ઈ. અને અન્ય દેશોમાં એર સુવિધા દ્વારા તેમજ ભારતના દરેક રાજ્યમાં વસતા સંપ્રદાયના સત્સંગીઓને પણ પ્રસાદ પહોંચાડવામાં આવશે.
ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઈલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. એરપોર્ટથી ઓલપાડ સુધી બ્લેક કારના કાફલા સાથે રેલી યોજીરાષ્ટ્રીય જન લોક પાર્ટી (RJP)ના સંયોજક શેરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા. તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને 'VIP' સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે. રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કારો આવી પહોંચી હતી, જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુવી હતી. આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી. પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો. આ રેલીની રીલ્સ અને વીડિયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા, જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી. કોણ છે શેરસિંહ રાણા?શેરસિંહ રાણા મૂળ નામ પંકજ સિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે. 2001માં સાંસદ ફૂલનદેવીની હત્યાનો આરોપ તેમના પર છે, જે તેમણે બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો કર્યો હતો. આ ગુનામાં જેલમાં ગયા બાદ, 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા. જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરીને મીડિયામાં છવાઈ ગયા હતા. હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું. નોંધનીય છે કે, તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે. મંજૂરી વગર રેલી યોજવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરીકારોની રેલી કાઢીને કાયદાની અવગણના કરવા બદલ સુરત પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ રેલીમાં સામેલ કાર માલિકો અને આયોજકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ અને ગેરકાયદેસર રેલી કાઢવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા વ્યક્તિએ તેમની ટેક્સી પાસિંગ ઇનોવા ગાડી પરિચિત વ્યક્તિને એક દિવસ માટે ભાડે આપી હતી જે માટે 3000 ભાડું નક્કી કર્યું હતું.ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ એક દિવસનું કહીને ત્રણ દિવસ સુધી ગાડી પોતાની પાસે રાખી હતી.જે બાદ ટ્રાવેલ એજન્સીના માલિકે જીપીએસમાં ચેક કર્યું તો ગાડી રાજસ્થાનમાં હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ રાજસ્થાનમાં વેચી દીધી છે.આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક દિવસનું કહીને ગાડી લઈ ગયોચાંદખેડામાં રહેતા સંજીબ શર્મા ટ્રાવેલ એજન્સી ધરાવી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે.તેમની પાસે ભાડે આપવા માટે 2022ના મોડલની ઇનોવા ગાડી હતી.છેલ્લા બે મહિનાથી તેઓ આસિફ ગરાસિયા નામના વડોદરાના વ્યક્તિને બે ત્રણ વખત ગાડી ભાડે આપતા હતા જેથી તેમને આસિફ સાથે પરિચય થયો હતો.6 ઓક્ટોબરના રોજ આસિફે સંજીબભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારે કસ્ટમર માટે લોકલમાં ફરવા માટે એક દિવસ ગાડીની જરૂર છે.સંદીપભાઈએ એક દિવસ માટે 3000 ભાડું અને ગાડીની 3000 ડિપોઝિટ નક્કી કરી હતી.આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ,આધાર કાર્ડની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ પણ મેળવ્યા હતા.સંજીબભાઈનો કર્મચારી મહિપાલ ઇનોવા ગાડી લઈને આસિફને આપવા નમસ્તે સર્કલ આવ્યો હતો.જેની સામે આસિફે 6000 રૂપિયા આપ્યા હતા. ગાડી રાજસ્થાનમાં વેચી દીધીબીજા દિવસે ગાડી પરત ના આવતા સંજીબભાઈએ લોકેશન ચેક કર્યું ત્યારે ગાડી બાડમેર રાજસ્થાનમાં હતી તેથી તેમણે આસિફનો સંપર્ક કર્યો ત્યારે આસિફે કહ્યું કે મારા સંબંધીની તબિયત ખરાબ હોવાથી ઇમર્જન્સીમાં મારે બાડમેર જવાનું થયું હતું. ત્યારબાદ ત્રીજા દિવસે પણ જ્યારે સંજીબભાઈએ લોકેશન ચેક કર્યું તો ગાડી બાડમેર ખાતે જ હતી તેથી તેમણે આસિફને ફોન કર્યો તો આસિફનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.સંદીબભાઈએ તપાસ કરી ત્યારે તમને જાણ થઈ કે આસીફે તેમની ગાડી રાજસ્થાનમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે.આમ સંદીપભાઈને 17 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વેકેશન પડતાની સાથે જ સુરત દિવસ અને રાત ખાલી થઈ રહ્યું હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. મીની ભારત તરીકે ઓળખાતા સુરતમાંથી અન્ય રાજ્યમાંથી આવેલા લોકો ટ્રેન મારફતે વતન જઈ રહ્યા છે, જ્યારે ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં કતારગામ ખાનગી બસ પાર્કિંગથી લઈને કામરેજ સુધી 15 કિલોમીટરના વિસ્તારમાં લક્ઝરી બસમાં બેસવા માટે 10 કિ.મી સુધી લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ 10 કિમીના વિસ્તારમાં બસના થપ્પાઓ પણ લાગી જાય છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 સુધી પહોંચ્યોસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના રહેવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે. આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ સુરતના હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં બેવડ વળી ગયેલા રત્નકલાકારોને લક્ઝરી બસ સંચાલકો લૂંટી રહ્યાં છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લોકો પણ કહી રહ્યા છે કે મંદીના માહોલમાં અહીં રહી શકાય એમ નથી અને ગામડે તો દિવાળીએ જવું જ પડે. છેલ્લા છ દિવસમાં લાખો લોકો સુરતથી વતન જતા રહ્યાવેકેશન પડતાની સાથે જ સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અન્ય રાજ્યના લોકો ટ્રેન મારફતે પોતાના વતન પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓના લોકો એસટી અને ખાનગી બસ દ્વારા પોતાના વતન પહોંચી રહ્યા છે. છેલ્લા છ દિવસથી લાખો લોકો વેકેશનને લઈને સુરતથી વતન જતા રહ્યા છે. જેને પગલે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે. 19 ઓક્ટોબર સુધી વતન તરફનો ધસારો ટ્રેન, એસટી અને પ્રાઇવેટ બસોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. રાત્રે ખાનગી બસમાં વતન જવા માટે 10 કિમીમાં મેળાવડોસુરતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ જતા લોકો માટે કતારગામ ખાતે પાર્કિંગથી ખાનગી બસ ઉપડે છે. કતારગામથી કામરેજ 15 કિલોમીટરના રોડ પર 10 કિલોમીટરમાં રાત્રે ખાનગી બસમાં વતન જવા માટે મેળાવડાઓ થઈ જાય છે. પહેલો સ્ટોપ ગૌશાળા હોય છે, જ્યાંથી રિદ્ધિ સિદ્ધિ, હીરાબાગ, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા ઢાળ, પ્રાણીસંગ્રહાલય, સરથાણા જકાતનાકા, નવજીવન હોટલ, શ્યામધામ પાર્કિંગ, પાસોદરા, લસકાણા અને અંતે કામરેજ સહિતના અલગ અલગ પોઇન્ટ પર ખાનગી બસો ઉભી રહેતી હોય છે. આ તમામ સ્થળો પર મેળાવડો જોવા મળતો હોય છે. આ તમામ સ્ટોપ પર બસો ઊભી રહેતી હોવાથી બસોના થપ્પા લાગી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. આ સાથે ટ્રાફિકને પણ અસર પહોંચે છે. લક્ઝરી બસનાં સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છેખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસનાં સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે. ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે, એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ 1000 મળી કુલ 3000થી 4000 રૂપિયા ચૂકવી રહ્યાં છે. ભાવનગર જવા માટે સિંગલનાં સોફાના સામાન્ય દિવસોમાં 600 રૂપિયા હોય છે, હાલ 1400 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. અમરેલીના 600નાં 1200 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. દિવાળીમાં લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ થઈ જાય છેખાનગી બસ ચાલકો દ્વારા આ સમસ્યા નવી નથી. દર વર્ષે દિવાળીના થોડા દિવસો પૂર્વે ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત મોટાભાગની ખાનગી લક્ઝરી બસોના ભાવો બમણાં કે ત્રણ ગણા સુધી થઈ જાય છે. વર્ષોવર્ષ રત્નકલાકારો, તેમના સંગઠનો દ્વારા સત્તાધીશોને ફરિયાદો થતી રહી છે, પરંતુ આ સમસ્યાનું હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવી શકાયું નથી. એક બાજુ મંદી ને બીજી તરફ ઉઘાડી લૂંટખાસ કરીને હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે, તો ઘણાં અડધા પગારે જેમ તેમ ઘરનું ગાડું ચલાવી રહ્યાં છે. ત્યારે આવા વિપરીત સંજોગોમાં આવા બેહાલ રત્નકલાકારોને લૂંટવાનું કાવતરૂં અસહ્ય બની રહ્યું છે. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ અન્ય કામ-ધંધા પણ મંદીને કારણે ઠપ્પ છે. જોકે લોકો વર્ષમાં એકવાર વતન દિવાળી ઉજવવા માટે જતા હોય છે. આ સાથે વર્ષોથી ખાનગી બસમાં જ વતન પહોંચી રહ્યા હોવાથી પ્રાઇવેટ બસના સહારે વતન પહોંચતા હોય છે. ‘થોડાક ભાડા ઘટાડવા જોઈએ’મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની અલ્પેશભાઈ દેવજીભાઈ ટાઢાએ જણાવ્યું હતું કે, અત્યારે વતનમાં જઈએ છીએ, પણ અત્યારે ભાડાના હિસાબે અને તકલીફના હિસાબે બહુ વિનંતી છે કે થોડાક ભાડા ઘટાડવા જોઈએ. સામાન્યરીતે ભાડું ઓછું હોય છે પણ અત્યારે દિવાળીની સિઝનમાં આ લોકો ભાડા થોડા વધારી દે છે એટલે થોડુંક ઓછું કરે એટલું સારું પડે. એટલે અમારી નમ્ર વિનંતી છે. વતનમાં જઈએ તો સારું લાગે થોડું. પણ અત્યારે મંદીને કારણે અહીંયા રહેવાય એવી પરિસ્થિતિ નથી. સરકારને અરજી છે કે થોડુંક ભાડું ઓછું કરાવે તો સારું કહેવાય. ‘ભાડાં આ વર્ષે 2800 છે, ગયા વર્ષે 3000 હતા’વતન જતા સાગર વેકરિયાએ જણાવ્યું હતું કે, હું 10 વર્ષથી આ સુરતમાં રહું છું. ચાની હોટલ ચલાવું છે. દિવાળી ઉપર તો માહોલ તો એવો જ છે, પણ થોડીક મંદી જણાય છે. એ માટે કારીગરો થોડાક નારાજ છે. ડાયમંડ, કાપડ, બધીયે થોડી થોડી મંદી જણાય છે. ગામડે જઈ તો માહોલમાં જ મજા આવે ને. ભાડાં આ વર્ષે 2800 છે. ગયા વર્ષે 3000 હતા અત્યારે આ ટાઈમ પર. અમે પરિવારમાં વતન જઈએ છીએ. ‘મંદીના કારણે આ વર્ષે ભાડું વધારે લાગે છે’વતન જતા આકાશભાઈએ જણાવ્યું હતું કે, મારો જન્મ જ અહીંયા છે ને મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે. દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે પણ આ વર્ષે થોડોક ડીમમાં છે મંદીના કારણે. એટલે આ વર્ષે થોડાક ગામડે વહેલા જઈએ છીએ. વતનમાં પરિવાર સાથે બેસીએ, ટાઈમ પાસ કરીએ, આનંદ આનંદ આવે, ભાઈબંધ મિત્રો સાથે બેસીએ. ગામડે તો બાપુ મજા જ આવે ને વતન જ કહેવાય આપણું ઈ આપણી જન્મભૂમિ છે. ત્યાં જાવું જરૂરી છે. ભાડું દર વખતે લિમિટમાં જ હોય, બરોબર જ હોય પણ આ વર્ષે મંદીના કારણે આપણને થોડુંક પ્લસ લાગે. મંદીનો માહોલ જોયો સુરતમાં એટલે બિઝનેસ બધાના ઠપ છે એટલે ભાડું તેના રીતના જ ચાલે.
નવસારીના ટાટા તળાવ ખાતે 4.20 લાખના ખર્ચે નિર્મિત મ્યુઝિકલ ફાઉન્ટેનનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા તળાવની થીમ પર વિકસાવવામાં આવેલ આ ફાઉન્ટેનને નિહાળવા માટે ગઈકાલે રાત્રે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મ્યુઝિકલ ફાઉન્ટેનના ત્રણેય શો હાઉસફુલ રહ્યા હતા, જેમાં અંદાજિત 1200 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પ્રથમ શો સાંજે 7:30 વાગ્યે શરૂ થાય છે અને છેલ્લો શો રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થાય છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે. બોલીવુડના ગીતોના તાલે તળાવનું પાણી નૃત્ય કરતું હોય તેવો આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ આ ફાઉન્ટેન સુપરહિટ સાબિત થયો, જેમાં દરેક શોમાં 200 થી વધુ અને અંતિમ શોમાં 500 થી વધુ લોકોએ હાજરી આપી હતી. શહેરમાં પ્રથમ વખત આવા પ્રકારનું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં રવિવાર સુધી મ્યુઝિકલ ફાઉન્ટેન જોવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. ત્યારબાદ, પ્રવેશ ફી તરીકે 30 રૂપિયા વસૂલવામાં આવશે, જ્યારે નાના બાળકોને નિશુલ્ક અથવા નજીવા દરે પ્રવેશ અપાશે. આગામી સમયમાં અહીં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે, જે સહેલાણીઓની સુવિધામાં વધારો કરશે. અત્યાર સુધી નવસારીના શહેરીજનો મનોરંજન માટે દાંડી, ઉભરાટ, ઉનાઈ કે જાનકીવન જેવા સ્થળોએ જતા હતા. શહેરની મધ્યમાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનથી હવે સ્થાનિક સ્તરે જ એક નવું નજરાણું ઉપલબ્ધ થયું છે, જે અમદાવાદના કાંકરિયા તળાવ જેવું આકર્ષણ બનવાનું સ્વપ્ન કમિશનર દેવ ચૌધરીએ જોયું છે.
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં ફટાકડાના બજારો શરૂ થઇ ગયા છે. વડોદરાથી 15 કિમી દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે. ઠેર-ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે. સાથે અહીંયા આવેલા મુખ્ય હોલસેલર અને ફેક્ટરી આઉટ લેટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. અહીંયા ન માત્ર વડોદરા શહેર જિલ્લાના લોકો પરંતુ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકો પણ જથ્થાબંધ અને છૂટક ફટાકડા ખરીદવા માટે આવે છે. આ વર્ષે ફટાકડાના ભાવોમાં નજીવો વધારો છે, ત્યારે મોડીરાત સુધી લોકો દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. ફટાકડાનું ધૂમ વેચાણ થતાં વેપારીઓમાં ખૂશીનો માહોલ છે અને 30 કરોડના વેપાર થવાની અંદાજ છે. બાળકોના ફટાકડામાં અવનવી વેરાયટીઓવડોદરાના દિવાળીપુરામાં આવેલ રેઈન્બો ક્રેકર્સ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર સાથે ખરીદી માટે ભરોસાપાત્ર સ્થળ બન્યું છે. અહીંયા લોકો ખરીદી કરવા આવે ત્યારે તેઓના બાળકો રમી ફરી શકે તે માટે બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સાથે વડીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા માટે બાંકડા મૂકેલા છે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. હાલમાં દર વર્ષ કરતા ફટાકડામાં વિવિધ વેરાયટીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં ફૂટી ટીન કોઠી, ફ્રેન્સી ડ્રોન, AK 47 ફાયર ગન, બાલાજી ગન, ફ્લાવર વિલ (ચકેડી સાથે કોઠી), પિકોક કલર ફાઉન્ટન, સિમ્બા જેવા ફટાકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે પણ બાળકોના ફટાકડામાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીંયા ખરીદી કરવા આવું છુંઃ ભારત મિત્તલઆ અંગે ખરીદી કરવા આવેલા ગ્રાહક ભારત મિત્તલે જણાવ્યું હતું કે, હું વડોદરાથી અહીંયા ખરીદી કરવા આવ્યો છું. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીંયા ખરીદી કરવા આવું છું. લાઇન તો હંમેશા લાંબી રહે છે. અહીંયા ભાવમાં ફરક છે અને વડોદરા કરતા થોડું સસ્તું છે, શહેરમાં થોડું મોંઘુ પડે છે. અમારા સોસાયટીના અને મિત્રો અહીંયા ફટાકડા લેવા આવતા હોય છે. અહીંયા વેરાયટી સ્ટાન્ડર્ડ મળે છેઃ નયન વસાવાખરીદી માટે આવેલ નયન વસાવાએ જણાવ્યું હતું કે, હું છેક 90 કિલોમીટર દૂર વાઘરાથી આવું છું. અહીંયા ખૂબ સારા સ્ટાન્ડર્ડ ફટાકડા અને વ્યાજબી ભાવે મળે છે. અહીંયા લાઇનમાં ઊભી રહેવાની તકલીફ થાય છે, પરંતુ અહીંયા છેલ્લા પાંચ વર્ષથી આવું છું. અહીંયા વેરાયટી સ્ટાન્ડર્ડ મળે છે. વસ્તુ સારી મળે એટલે લાઇનમાં ઊભા રહેવું પડેઃ આશિષભાઈવડોદરાના માણેજાથી આવેલા આશિષભાઈએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે અહીંયા ફટાકડા લેવા માટે આવતા હોઈએ છીએ. અહીંયા અમે દર વર્ષે લાઇનમાં ઊભા જ રહેતા હોઈએ છીએ અને અહીંયા બજાર કરતા ભાવ સસ્તા હોય છે અને કોલિટી સારી છે. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવું છું અને પંદરથી વીસ હજારની ખરીદી કરીએ છીએ. દર વખત લાઇનમાં ઊભા રહેવું પડે છે અને મજા આવે છે. વસ્તુ સારી મળે એટલે લાઇનમાં ઊભા રહેવું પડે. શહેર કરતા અહીંયા ભાવમાં ઘણો ફર્ક છેઃ દિક્ષિતા જોશીખરીદી કરવા આવેલી મહિલા દિક્ષિતા જોશીએ જણાવ્યું કે, અહિયાથી છેલ્લા દસ બાર વર્ષથી આવું છું. અહીંયા ફટાકડા ખૂબ સારા હોય છે. અહીંયા આવ્યા બાદ એટલી લાઇન થાય છે કે ચાર પાંચ કલાક તો નીકળી જાય છે. અહીંયા વેરાયટી ખૂબ સારી છે. અહિયાથી તારા મંડળ, પોપોપ, ચકેડી અને કોઠી જેવી વસ્તુઓ બાળકો માટે ખરીદી કરી છે. અમે કારવણથી આવ્યા છીએ. શહેર કરતા અહીંયા ભાવમાં ઘણો ફર્ક છે. ભાવમાં ગત વર્ષની કંપેરમાં 5થી 7 ટકાનો વધારો છેઃ ઇસ્માઇલભાઈઆ અંગે રેઈન્બો ક્રિકર્સન ઓનર ઇસ્માઇલભાઈએ જણાવ્યું હતું કે, માહોલ ખૂબ સારો છે, રિટેલની ઘરાકી પણ ખૂબ સારી છે. લોકો મહારાષ્ટ્ર અને સુરતથી પણ અહીંયા ખરીદી કરવા આવી રહ્યા છે. અમારો વર્ષો જૂનો ધંધો છે, બાપદાદાની પેઢીથી ધંધો કરતા આવ્યા છે. 50- 60 વર્ષ જૂનો ધંધો છે. આ વર્ષે માહોલ બહુ સારો છે. લોકો પરચેસિંગ પણ સારી એવી કરી રહ્યા છે અને ભાવમાં બહુ વધારો નથી. ગત વર્ષની કંપેરમાં પાંચથી સાત ટકાનો વધારો છે. ‘વાર્ષિક પચીસ ત્રીસ કરોડનો ફટાકડાનો વેપાર’વધુમાં કહ્યું કે, લાઇનમાં ઊભા રહીને પણ લોકો ભરોસાના લીધે તેઓ અહીંયા ખરીદી કરે છે. નવી વેરાયટીમાં મોટા ગુબ્બારા વધુ ચાલી રહ્યા છે. જેમાં ચાર, પાંચ અને છ ઇંચના પાઇપો આવે છે, એવી આઇટમો વધારે ચાલે છે. બાળકોમાં પોપોપ, ગન, ઢીંગલી જેવી આઇટમો વધારે વેચાઈ રહી છે. આખા વડોદરા મળીને વાર્ષિક પચીસ ત્રીસ કરોડનો ફટાકડાનો વેપાર થાય છે. ફટાકડાના ભાવમાં પાંચથી સાત ટકા જેટલો વધારો છે, GSTમાં કોઈ ફેરફાર થયો નથી. ફાયર સેફટીને લઈ અહીંયા બધીજ વ્યવસ્થા કરવામાં આવી છે.
PGVCLએ સાંપ્રત ટ્રસ્ટને મારુતિ ઇકો કારનું દાન કર્યું:CSR કાર્યક્રમ અંતર્ગત સેવાકાર્યોને મળશે નવો વેગ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગીર સોમનાથ સ્થિત 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ'ને મારુતિ સુઝુકી ઇકો કારનું દાન આપવામાં આવ્યું છે. આ દાન કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમ હેઠળ કરાયું છે. કાર હસ્તાંતરણના આ પ્રસંગે જૂનાગઢના લોકસભા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાય અને PGVCLના કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, PGVCLનું આ યોગદાન સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે, આ વાહન સાંપ્રત ટ્રસ્ટના સેવાકાર્યોને વધુ સરળ અને અસરકારક બનાવશે. જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે કહ્યું કે, જિલ્લામાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને કોર્પોરેટ ક્ષેત્ર તરફથી મળતો સહયોગ સકારાત્મક પરિવર્તન માટે પ્રેરક સાબિત થાય છે. PGVCLના કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલાએ સાંપ્રત ટ્રસ્ટના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, સમાજહિતના કાર્યમાં સહભાગી થવાની તક મળવી એ તેમના માટે ગૌરવની બાબત છે. 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ'ના સંચાલકોએ PGVCL અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ દાન ટ્રસ્ટના સામાજિક અને શૈક્ષણિક કાર્યોને વધુ વ્યાપક બનાવવામાં મદદરૂપ થશે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જાહેરમાં થઈ રહેલી ઉજવણી અને મારામારી બાદ હવે પૂર્વ કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેના વિવાદિત નિવેદનને કારણે ભાજપના નેતા ફરી ચર્ચામાં આવ્યા છે. દુબેએ ઉધનાના ઈન્દ્રાનગર વસાહત ખાતે ખાનગી જમીન પરના વર્ષો જૂના દબાણને હટાવવાની કાર્યવાહી સામે ખુલ્લેઆમ વિરોધ દર્શાવી ભાજપ શાસિત તંત્ર પર જ ગંભીર સવાલો ઉઠાવતો એક વીડિયો જાહેર કર્યો છે, જે હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યાઉધના રોડ નંબર 7 પર આવેલી ઈન્દ્રાનગર વસાહતમાં ખાનગી જમીન પરના દબાણ સામે કાર્યવાહી શરૂ થતાં, યજુવેન્દ્ર દુબે સ્થાનિક લોકોના 'હમદર્દ' બનીને ત્યાં પહોંચ્યા હતા. તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી અને એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેમણે સત્તાવાર તંત્ર અને જમીન માલિક મળેલા હોય તેવી આશંકા વ્યક્ત કરી. ‘ટેક્સ ભરવા છતાં રાહત નહીં’દુબેએ વીડિયોમાં જણાવ્યું કે, અહીં જે લોકો રહી રહ્યા છે, તેઓ તમામ પ્રકારના ટેક્સ ભરે છે અને વેરાબિલ પણ ભરે છે. તેમ છતાં તેમને રાહત મળતી નથી અને તેમના મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, અહીં પૈસાની લેતીદેતી ચાલી રહી છે. જ્યારથી અહીં વિકાસ થવા લાગ્યો છે, તેણે ખતરાની ઘંટી વગાડી દીધી છે. લોકો કહે છે કે વિકાસથી પ્રગતિ થાય છે, પરંતુ ઈન્દ્રાનગર વસાહતના લોકો વિકાસ થવા પર ભયભીત છે. ક્યાંક ઇન્દ્રા નામ તો હાવી નથી થઈ રહ્યું?દુબેએ આશંકા વ્યક્ત કરી કે, ક્યાંક એમની ઉપર ઇન્દ્રા નામ તો હાવી નથી થઈ રહ્યું? તેને હટાવવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો? કબજો કરવા માંગી રહ્યા છે અથવા તો તંત્ર સાથે મળીને કેટલાક વચેટિયાઓ એમની પાસેથી લઈને કોઈ નવો પ્રોજેક્ટ તો નથી બનાવવા માંગતા? યજુવેન્દ્ર દુબેએ અંતમાં કહ્યું કે જે કંઈ પણ હોય, હું એમની સાથે છું. અઢી વર્ષ પહેલાં પણ હું એમની સાથે જ હતો. જમીન માલિકે દબાણ હટાવવા લેન્ડ ગ્રેબિંગની અરજી કરીઈન્દ્રાનગર વસાહતનો આ વિવાદ શું છે તે અંગે જાણવા મળ્યું છે કે, જમીન માલિકે આ દબાણ હટાવવા માટે ઉધના પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જમીન પર રહેતા લોકો શરતને આધીન વીજળી બિલ અને વેરા બિલ ભરી રહ્યા છે. દુબેની મુખ્ય દલીલ એ જ છે કે તમામ ટેક્સ અને સુવિધાના બિલો ભર્યા બાદ પણ લોકોના મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે. યજુવેન્દ્ર દુબેનો વિવાદિત રાજકીય ઇતિહાસયજુવેન્દ્ર દુબે અગાઉ ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે, પરંતુ હંમેશા તેઓ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા રહ્યા છે. અગાઉ એક નિવેદનને કારણે તેઓ ચર્ચામાં આવ્યા બાદ તેમને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી. નારાજ થઈને તેમણે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા. જોકે, ત્યાં પણ તેઓ પોતાના નિવેદનોના કારણે વધુ દિવસ ટકી શક્યા નહોતા અને આખરે ફરીથી ભાજપમાં ઘરવાપસી કરી હતી. તેઓ પોતે ઉત્તર ભારતીય છે અને ઇન્દ્રા વસાહતના લોકો પણ યુપીના છે. ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ યજુવેન્દ્ર દુબેના નિવેદનને લઇ હાઈકમાન્ડ સુધી ફરિયાદ કરી ચૂક્યા છે. મહત્વનું છે કે, આવનાર મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી છે અને દરેક ભાજપ કાર્યકર્તા ટિકિટ મેળવવા માટે પોત પોતાની રીતે પ્રચારમાં લાગી ગયા છે. દુબેનું આ વિવાદિત નિવેદન, જે સત્તાધારી પાર્ટીને જ ઘેરી રહ્યું છે, તે ચૂંટણીના સમયે રાજકારણને વધુ ગરમાવી શકે છે.
ગાંધીનગરના કોબા કે. રાહેજા રોડ સ્થિત ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરીના બાકી નાણાંની ઉઘરાણી મામલે મૂળ દાહોદના આદિવાસી શ્રમિકે મજૂરીના કામની 10 લાખની બાકી ઉઘરાણી મામલે સાઈટની લેબર કોલોનીમાં પોતાના રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ મૃતકે આરસીસીનું કામ રાખ્યું હતુંમૂળ દાહોદના રાહુલ નરસુભાઈ પસાયા (આદિવાસી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અને તેનો મોટાભાઈ અર્જુનભાઈ નરસુભાઈ પસાયા ગાંધીનગરના કોબા કે. રાહેજા રોડ પર આવેલ 'ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ' પર મજૂરી કામ કરતા હતા. અહીં અર્જુને આર.સી.સી.નું કામ સાઇટ કોન્ટકટર કૌશિકસિંહ રાજપૂત રાજપૂત પાસેથી મજૂરી ઉપર ભાવથી રાખ્યું હતું. આથી અર્જુને 15 જેટલા માણસો સાઇટ પર મજૂરી અર્થે રાખ્યા હતા. બાદમાં અર્જૂન અને અન્ય 15 જેટલા મજૂરો દ્વારા સાઇટના A અને B બ્લોકના બેઝમેન્ટથી માંડીને પહેલા માળ સુધીનું કોન્ક્રીટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પેટે કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપૂત પાસેથી રૂ. 10 લાખની રકમ લેવાની નીકળતી હતી. જે બિલની રકમ અવારનવાર ઉઘરાણી કરવા છતાં કૌશિકસિંહ આપતો ન હતો. મૃતકે આપઘાત પહેલાં પોતાની મજબુરી વર્ણવી હોવા છતાં કોન્ટ્રાક્ટરે પૈસા ન આપ્યાંઆથી પંદરેક દિવસ પહેલા રાહુલે તેના પિતા નરસુભાઈને સાઇટ ખાતે બોલાવ્યા હતા. બાદમાં બંને પુત્રો રાહુલ અને અર્જુન સાથે નરસુભાઈ સાઇટ ઉપર કૌશિકસિંહને મળ્યા હતા. દિવાળીના તહેવારો હોવાથી પૈસા ન મળવાથી મજૂરોને પગાર નહીં ચૂકવી શકે તો આત્મહત્યા કરવી પડશે તેમ કહી અર્જુને પોતાની મજબુરી વર્ણવી હોવા છતાં કોન્ટ્રાક્ટરે પૈસા આપવાની ના પાડી દીધી હતી. બીજી વાર પૈસા માગતા આરોપી જાતિ વિષયક અપશબ્દો બોલ્યોઆ દરમિયાન કૌશિકસિંહે એકદમ ઉશ્કેરાઈ જઈ જાતિવિષયક અપશબ્દો બોલી બને પુત્રોની સામે નરસુભાઈને લાફો મારી દીધો હતો. તે દિવસે અર્જુન બહુ રડ્યો હતો અને સાઇટ એન્જિનિયરે રૂપિયા અપાવી દેવાની હૈયા ધારણા આપતા કામ ચાલુ રાખ્યું હતું. જોકે 13 ઓક્ટોબરે પણ અર્જુને પૈસાની ઉઘરાણી કરતા કૌશિકસિંહે ફરી જાતિ વિષયક અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી અને પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. એ દિવસે રાતે પણ અર્જુન એકલો બેસીને બહુ રડ્યો હતો અને રાહુલને કહ્યું હતું કે, 10 લાખ નહીં મળે તો મજૂરોને પગાર નહીં ચૂકવી શકીએ અને આબરૂ પણ જશે કહી મરવાની વાતો કરતો હતો. જેથી રાહુલે તેને સમજાવ્યો પણ હતો. સવારે ભાઈએ આવીને જોયું તે મોટોભાઈ રૂમમાં લટકી રહ્યો હતોબાદમાં અર્જુન પોતાની ઓરડીમાં સૂવા ગયો હતો. અને એકલતાનો લાભ ઉઠાવી લોખંડની એંગલમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. બીજા દિવસે સવારે રાહુલ મોબાઇલનું ચાર્જર લેવા ગયો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. જેથી રૂમના પતરામાંથી જગ્યા કરીને અંદર જોયું તો અર્જુન ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવરાત્રી અને દશેરા બાદ હવે દિવાળીના તહેવારોની ઉજવણીનો ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના બજારો પણ તહેવારોને અનુરૂપ સજી રહ્યા છે. પ્રકાશના આ પર્વનો પ્રારંભ 17મી ઓક્ટોબરે વાઘબારસથી થશે. તહેવારોને કારણે બજારોમાં પણ ચમક જોવા મળી રહી છે, જ્યાં મીઠાઈ, ડ્રાયફ્રુટ અને રેડિમેડ ગારમેન્ટની દુકાનોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. પાટણ જિલ્લાના વતનીઓ જેઓ ધંધા-વેપાર કે રોજગાર અર્થે બહારગામ વસેલા છે, તેઓ પણ તહેવારોની ઉજવણી કરવા પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. બસો અને ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ તહેવારોની શૃંખલામાં 18મી ઓક્ટોબરે શનિવારે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 19મી ઓક્ટોબરે રવિવારે કાળી ચૌદશ, 20મી ઓક્ટોબરે સોમવારે દિવાળી અને 22મી ઓક્ટોબરે બુધવારે નૂતન વર્ષનો પ્રારંભ થશે. આ તહેવારો લાભપાંચમ અને દેવ દિવાળી સુધી ચાલશે. ધનતેરસના દિવસે લોકો લક્ષ્મીજી અને કુબેરની પૂજા કરીને આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના કરશે. જ્વેલર્સને સોના-ચાંદીના સિક્કાની સારી ખરીદી થવાની અપેક્ષા છે, ભલે ભાવ ઊંચા હોય. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળશે, જ્યાં ભક્તો દાદાને તેલનો અભિષેક કરશે. કેટલાક લોકો ભૈરવની પણ પૂજા કરતા હોય છે. દિવાળીના પર્વ નિમિત્તે ધૂમ દારૂખાનું ફૂટવાની અપેક્ષાએ જિલ્લાના બજારોમાં ફટાકડાના સ્ટોલ પણ ખુલ્યા છે. નૂતન વર્ષના દિવસે લોકો એકબીજાને 'સાલ મુબારક' કહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. તહેવારોની આ ઉજવણી 23મી ઓક્ટોબરે ગુરુવારે ભાઈબીજ અને 26મી ઓક્ટોબરે રવિવારે લાભપાંચમ સુધી ચાલશે. લાભપાંચમના દિવસે વેપારીઓ અને ધંધાર્થીઓ શુભ મુહૂર્તમાં પોતાના ધંધા-રોજગારની શરૂઆત કરશે. છેલ્લે, 5મી નવેમ્બરે બુધવારે દેવ દિવાળી ઉજવાશે.
સેલવાસના આમલી વિસ્તારમાં આવેલી 'હોરિઝોન હાઇટ્સ' સોસાયટીમાં પીવાના પાણીમાં સીવરેજનું પાણી ભળી જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને કારણે સોસાયટીના 40 ફ્લેટના અનેક રહેવાસીઓ, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, બીમાર પડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, સોસાયટીની બિલ્ડિંગ 'બી' દ્વારા સીવરેજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ બિલ્ડિંગ 'એ'ને જાણ કર્યા વિના કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સીવરેજ લાઇનનો પાઇપ તૂટી ગયો. તૂટેલી પાઇપલાઇનમાંથી ગંદુ પાણી સીધું જ બિલ્ડિંગ 'એ'ના પીવાના પાણીની ટાંકીમાં ભળી ગયું. આ ગંભીર બેદરકારીને કારણે 'એ' બિલ્ડિંગના લગભગ 40 ફ્લેટના મોટાભાગના રહેવાસીઓ ઝાડા-ઉલટી, તાવ અને પેટના દુખાવા જેવી બીમારીઓનો ભોગ બન્યા. લોકોને સતત બીમારીના લક્ષણો જણાતા શંકા ગઈ અને તપાસ શરૂ કરવામાં આવી. બિલ્ડિંગની ટીમે તપાસ કરતાં માલૂમ પડ્યું કે સીવરેજ લાઇન તૂટવાથી ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડિંગ 'બી'ના કેટલાક સભ્યોની બેદરકારી જવાબદાર હોવાનું જણાયું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેમને સીવરેજના કામ વિશે કોઈ જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે તેઓ જરૂરી સૂચનો પણ આપી શક્યા નહોતા. રહીશો દ્વારા સેલવાસ નગરપાલિકાને ટોલ-ફ્રી નંબર પર જાણ કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ સ્થળ પર આવીને તપાસ કરી હતી. સોસાયટીના રહેવાસીઓએ આ ગંભીર બેદરકારી પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હવે નગરપાલિકા આટલા બધા પરિવારો, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા બદલ જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલાની મોકડ્રીલ:ચેતક કમાન્ડોએ 3 આતંકવાદીઓને પકડી બંધકોને છોડાવ્યાં
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો, SOG, QRT, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમોએ ભાગ લીધો હતો. આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને પકડીને બંધકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા. રાજ્યના મહત્વના વાઈટલ ઈન્સ્ટોલેશન પર ભવિષ્યમાં સંભવિત આતંકવાદી હુમલાનો સામનો કરવા અને પ્રથમ પ્રતિભાવ આપનાર ટીમ તરીકે ચેતક કમાન્ડો ફોર્સની તૈયારી સુનિશ્ચિત કરવા આ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. વાર્ષિક એક્શન પ્લાન-2025ના ત્રીજા ક્વાર્ટર અંતર્ગત આ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેથી કમાન્ડો વાઈટલ પોઈન્ટ્સથી વાકેફ થાય. મોકડ્રીલ અંતર્ગત બપોરે ત્રણ વાગ્યા બાદ APL ટર્મિનલ, પીપાવાવ પોર્ટ ખાતે ત્રણ આતંકવાદીઓ વિસ્ફોટકો અને AK-47 હથિયારો સાથે ઘૂસ્યા હોવાનો સંદેશ મળ્યો હતો. આતંકવાદી હુમલાની પ્રથમ જાણ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનને થતાં, તેમણે તાત્કાલિક સંલગ્ન એજન્સીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ અમરેલી ખાતેથી SOG, QRT, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલી જિલ્લા પોલીસ વતી ધારીના ASP જયવીર ગઢવીએ ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે મોરચો સંભાળ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ આતંકવાદીઓએ કબજે કરેલા વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન, આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા, જેમને આરોગ્ય વિભાગની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ગાંધીનગરથી અમદાવાદ થઈને વિમાન માર્ગે દીવ એરપોર્ટ પહોંચેલી ચેતક કમાન્ડોની ટીમ સંઘપ્રદેશ દીવથી મોટરમાર્ગે પીપાવાવ પોર્ટ આવી પહોંચી હતી અને આગળનો મોરચો સંભાળ્યો હતો. સ્નાઈપર ગન સહિતના સાધનોથી સજ્જ ચેતક કમાન્ડોએ ઇન્સિડન્ટ કમાન્ડરના માર્ગદર્શનમાં મરીન બિલ્ડિંગમાં ઘૂસેલા આતંકવાદીઓને જીવિત અથવા મૃત પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગડિયા ગામમાં એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના 14 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે બની હતી. મૃતક મહિલાનું નામ સવલીબેન દેવીસિંહ રાઠવા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સવલીબેનના પતિ દેવીસિંહ રાઠવાએ ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દેવીસિંહ અને સવલીબેન રાત્રે લગભગ નવ વાગ્યે જમીને ઘરની ઓસરીમાં ખુલ્લામાં ખાટલા ઢાળીને સૂતા હતા. તેમની વહુ શર્મિષ્ઠા અને નાનો દીકરો શિવરામ ઘરના અલગ રૂમમાં સૂતા હતા. રાત્રે આશરે અગિયાર વાગ્યે અચાનક અવાજ આવતા દેવીસિંહ જાગી ગયા. તેમણે જોયું તો પત્ની સવલીબેનના કપાળમાં ઈજા થઈ હતી. તેમણે બૂમાબૂમ કરતા વહુ શર્મિષ્ઠા અને દીકરો શિવરામ જાગીને ઓસરીમાં આવ્યા. લાઈટ ચાલુ કરીને જોતા સવલીબેનના માથા, મોઢા અને જમણા ખભા પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. સવલીબેન કોઈ પ્રત્યુત્તર આપતા ન હતા. શિવરામે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોવાથી ફળિયાના માણસોએ સવલીબેનને ઉંચકીને રસ્તા સુધી લાવ્યા. ત્યાંથી શિવરામ અને ભત્રીજા ખજુરભાઈ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા. દેવીસિંહ અને તેમના ભત્રીજા કેહરસિંગ પણ પાછળથી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરે સવલીબેનને મૃત જાહેર કર્યા. દેવીસિંહ રાઠવાએ જણાવ્યું કે તેમની પત્નીના શરીર પરથી કે ઘરમાંથી કોઈ દાગીનાની ચોરી થઈ નથી. રાત્રિ દરમિયાન સૂતેલી સવલીબેનના ખાટલા પાસે કોઈ અજાણ્યો શખ્સ આવીને માથા, મોઢા અને જમણા ખભા પર હથિયાર મારી હત્યા કરી હોવાનું તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં મોડીરાતે હત્યાની ઘટના સામે આવી છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલાં 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખસ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે. મૃતક જુનાગઢનો વતની હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે.
પાવાગઢ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં આગ:હાલોલ ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો
પાવાગઢ રોડ પર આવેલા ગીતા ભવન હોટલ સામેના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પાણીનો મારો ચલાવી તેને નિયંત્રણમાં લેવામાં આવી હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ ગંભીર નુકસાન થયું ન હતું.
યુવી ઇન્ડેક્સ:દાહોદ શહેરમાં તાપમાન 31 સે. ડિગ્રી પરંતુ યુવી ઇન્ડેક્સ 6.1 હાનિકારક સ્તરે ઉંચો નોંધાયો
દાહોદમાં બુધવારે તાપમાનમાં સામાન્ય કરતા થોડી વધારે ગરમીનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન પારો 31 ડિગ્રી સુધી પહોંચતા લોકોમાં ગરમીનો અહેસાસ વધ્યો હતો. તાપમાન સાથે જ શહેરનો મહત્તમ યુવી ઇન્ડેક્સ 6.1 ઉંચો નોંધાયો હતો. જે ત્વચા અને આંખ માટે હાનિકારક સ્તરે પહોંચ્યો હતો. દાહોદ શહેરમાં બુધવારના રોજ તાપમાનનો પારો 31 ડિગ્રી રહ્યો હતો. આ સાથે યુવી ઇન્ડેક્સ એટલે કે અલ્ટ્રા વાયલટ કિરણો 6.1 ઉંચો હાનિકારક સ્તરે નોંધાયો હતો. આ ઇન્ડેક્સ બાળકો અને વૃદ્ધો માટે આ સમયગાળો વધુ જોખમકારક ગણાય છે. આ ઇન્ડેક્સ હોય અને સતત તાપમાં રહેતાં મોઢા અને શરીરે 30 મિનિટમાં બળતરા થવાની શક્યતાઓ રહે છે. બુધવારે દિવસ દરમિયાન પૂર્વ દિશામાંથી સરેરાશ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. જે ક્યારેક 22 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34 ટકા નોંધાયું હતું. આકાશમાં 51 ટકા વાદળો છવાયેલા રહ્યા હતા. જેના કારણે ક્યારેક સૂર્યપ્રકાશ ઝાંખો દેખાતો હતો. દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક છાયડાના દૃશ્યો જોવા મળ્યા હતાં. એકંદરે બુધવારનો દિવસ દાહોદમાં ગરમ, ભેજવાળો અને ઝાંખા સૂર્યપ્રકાશવાળો રહ્યો હતો. બપોર બાદ ગરમીનો મારો યથાવત રહ્યો હતો જ્યારે સાંજ અને રાત્રિના સમયે હળવી ઠંડક અનુભવાઈ હતી. તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી પરંતુ યુવી સ્તર ઊંચું રહેવાને કારણે સૂર્યપ્રકાશથી બચાવ જરૂરી રહેશે. શુ છે યુવી ઇન્ડેક્સ યુવી ઇન્ડેક્સ(UV Index) એટલે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવાનું એક પ્રમાણ છે. તે બતાવે છે કે સૂર્યપ્રકાશ ત્વચા અને આંખ માટે કેટલો હાનિકારક કે સુરક્ષિત છે. 0થી 2 સુધીનું સ્તર સુરક્ષિત ગણાય છે, જ્યારે 6થી વધુ સ્તર ત્વચા માટે જોખમી બને છે.
ફરિયાદ:જૂની અદાવતે મારામારી કરતા 5 સામે ફરિયાદ
ગોધરાના સર્વોદય નગરમાં રહેતા 1098 હેલ્પલાઇનની મહિલા કો-ઓર્ડિ. અંજનાબેન બામનિયાના પતિ સંજયકુમાર તથા જેઠ નિલેશભાઈ તેમના કાકા સાથે તા.14 ઓક્ટો. વાતચીત કરી રહ્યા હતા. ત્યારે સુનિલભાઈ પરમાર મોપેડ લઈ પસાર થતા તેણે સંજયકુમાર અને નિલેશભાઈને ગાળો બોલી કહ્યું કે “તમે મારા પપ્પા પર ફરિયાદ કેમ કરી?” એમ કહી ઉશ્કેરાઈ મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય સભ્યો વિનોદ પરમાર, પ્રદીપ પરમાર અને ભરત પરમારે મળીને સંજયકુમારયાને ઘેરી અને હેમંત પરમારે માર માર્યો હોવાનો આક્ષેપ છે. અંજનાબેને 112 ઈમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરી પોલીસને બોલાવી હતી. બાદમાં પ્રદીપકુમાર મનુભાઈ બામનિયા તથા નિલેશભાઈ પ્રવિણભાઈ બામનિયાની સાથે જઇ અંજનાબેને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
સુવિધા:જયપુરથી બાંદ્રા સુધીની સ્પે. સુપરફાસ્ટ ટ્રેનને હવે દાહોદ - ગોધરા શહેરમાં રોકાણ અપાયું
તહેવારો દરમ્યાન મુસાફરોની વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા જયપુર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રતલામ મંડળ સહિત ગુજરાતના અનેક શહેરો પર આ ટ્રેન રોકાશે અને મુસાફરોને અનુકૂળ સવલતો મળશે. 09725 નંબરની ટ્રેન જયપુરથી બાંદ્રા ટર્મિનસ માટે 15મી બાદ 22 અને 29 ઑક્ટોબરે બુધવારે રવાના થશે. જયપુરથી સાંજે 4:05 વાગે નીકળી આ ટ્રેન બીજે દિવસે બપોરે 12 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ચિતોડગઢ, નીમચ, મંદસૌર, રતલામ અને દાહોદ જેવા સ્ટેશનો પર રોકાશે. તેમજ, 09726 નંબરની ટ્રેન બાંદ્રા ટર્મિનસથી જયપુર માટે 16, 23 અને 30 ઑક્ટોબરના ગુરુવારે રવાના થશે. બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:40 વાગે નીકળેલી ટ્રેન બીજે દિવસે સવારે 10:50 વાગે જયપુર પહોંચશે. આ ટ્રેન દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ અને ચિતોડગઢ સુધીની વચ્ચેના સ્ટોપ ધરાવે છે. ટ્રેન બંને દિશાઓમાં અજમેર, ભીલવાડા, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર પણ રોકાશે, જેથી ગુજરાતના ઘણા મુસાફરો માટે આ ટ્રેન ખુબ ઉપયોગી સાબિત થશે. આ સ્પેશિયલ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે અને તેમાં સેકન્ડ એસી, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.
મારમાર્યો:એક લાખની ઉઘરાણી કરી માતા-પુત્રી, પુત્રને ચાર શખ્સોએ મારમાર્યો
ઘોઘાના ભીકડા ગામે બે પડોશીઓ વચ્ચે એક લાખ રૂપિયાની ઉઘરાણી પેટે સામસામી ઉશ્કેરાઇ જઇ, માતા-પુત્ર અને પુત્રી ઉપર મહિલા સહિત ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી, લોખંડના પાઇપ ઝીંકી, ઇજા કરી ફરાર થતાં મહિલાએ ચાર શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘોઘાના ભીકડા ગામે રહેતા સીતાબેન હિમતભાઇ ગોહેલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દિકરી દક્ષાબેન ભાવનગર ખાતે સાસરે હોય અને તેમના જમાઇ અજયભાઇ બારૈયાએ પાંચેક માસ અગાઉ અજય સુરાભાઇ ચૌહાણ પાસેથી આઇશર ટ્રક વેચાણે લીધેલ હોય જેના એક લાખ રૂપિયા અજય ચૌહાણને આપવાના બાકી નિકળતા હોય અને અજયભાઇના સાળા વિશાલભાઇ સીતાબેનના મકાનની બાજુમાં રહેતા હોય. જેના બનેવીને આપાવના એક લાખ રૂપિયાની ઉઘરાણી પેટે સીતાબેનના ઘર પાસે આવી વીશાલ, સતીષ દિનેશભાઇ ગોહેલ, હિતેશ દિનેશભાઇ ગોહેલ અને કિરણ વિશાલભાઇ ગોહેલએ એક સંપ કરી સીતાબેન તેમની દિકરી દક્ષબેન અને તેમના દિકરા નિકુલભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી, લોખંડના પાઇપના ઘા ઝીંકી, ઇજા કરી ફરાર થઇ જતાં સીતાબેને ચારેય શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલસે તમામ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. એક લાખ રૂપિયાની ઉઘરાણી થતા ગામમાં ભારે ચકચાર મચી છે.
ગ્રામજનોમાં ફફડાટ:દીપડાના આંટા ફેરાથી રાતડીયા, રાણીપુરા, અભલોડમાં ફફડાટ
દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા, રાણીપુરા અને અભલોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. સાંજના સમયે દીપડો જાહેર માર્ગો અને ગામની આસપાસ દેખાવા લાગ્યો છે. જેના કારણે નોકરી ધંધે જતા લોકો તથા શાળાના નાના બાળકોમાં ડરનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત વિગત મુજબ દેવગઢ બારિયા તાલુકામાં આવેલા કેટલાક ગામોના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને રોજ ઘરથી દૂર પગપાળા કાપીને શાળાએ જવું પડે છે, કારણ કે આજદિન સુધી કોઈ પણ પ્રકારની બસ સેવા ઉપલબ્ધ નથી. સ્થાનિક વાલીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી બાળકો માટે બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી. બાળકોના વાલીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે દીપડો વહેલી સવારે અને સાંજના સમયે રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. જેના કારણે બાળકો માટે શાળાનું દૈનિક આવન જાવન જોખમી બની ગયું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગ્રામજનો હવે તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેઓએ વન વિભાગને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ શિક્ષણ વિભાગને શાળાઓ સુધી બસ સેવા શરૂ કરવાની માંગણી કરી છે, જેથી બાળકો સુરક્ષિત રીતે અભ્યાસ ચાલુ રાખી શકે અને ગામોમાં ફેલાયેલ ભયનું વાતાવરણ ઓછું થઈ શકે.
ફરિયાદ:કોઠંબા તાલુકાની શાળામાં શિક્ષિકાની છેડતી કરનારા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ
મહીસાગર જિલ્લાના કોઠંબાની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, શિક્ષિકાની છેડતી બદલ શિક્ષક વિરુદ્ધ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશ પટેલે શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાને વારંવાર વિવિધ કોમેન્ટો કરી, અયોગ્ય ભાષામાં વાતચીત કરી અને તેમની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરાતું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી આ શિક્ષક તેમને પ્રેમસંબંધ માટે દબાણ કરી હેરાન કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અવારનવાર છેડતી કરી માનસીક રીતે શિક્ષક હેરાન કરતો હોવાથી શિક્ષિકા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. છતાં શિક્ષણ વિભાગ દ્વારા આવા લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન કરતા આખરે શિક્ષીકા દ્વારા લુણાવાડા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાથી શાળાના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે અવાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
જીવલેણ હુમલો:દુધની ડેરીએ બેસેલા યુવક ઉપર પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
ભાવનગરના સિહોરના સખવદર ગામે રહેતો એક યુવક દુધની ડેરીએ બેઠો હતો તે વેળાએ પાંચ શખ્સોએ એક સંપ કરી જીવલેણ હુમલો કરી, લોહિયાણ ઇજાઓ કરી ફરાર થઇ જતાં યુવકે પાંચેય શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શાળામાં બાળકોએ ઝઘડો કર્યાની દાઝ રાખી પાંચ શખ્સોએ મારમાર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. સિહોરના સખવદર ગામે રહેતા અને દુધની ડેરીનો વ્યવસાય કરતા દર્શનભાઇ ભાયાભાઇ ચાડએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દુધની ડેરીએ તેમના કાકાના દિકરા સાથે બેઠા હતા તે વેળાએ તેના ગામમાં રહેતો અજુ ભુરાભાઇ કુવાડીયાએ દર્શનભાઇને દુધની ડેરીની બહાર બોલાવી, કોલર પકડીને બહાર ખેંચી. લાલા ધિરૂભાઇ કુવાડીયા, હમીર ઓઘાભાઇ કુવાડીયા, વાસુર લખાભાઇ કુવાડીયા અને દેહુર કાબાભાઇ કુવાડીયાએ લોખંડ તેમજ લાકડીના ધોકા સાથે ધસી આવી દર્શનભાઇને શરીના ભાગો ઉપર આડેધડ ઘા ઝીંકી, લોહિયાળ ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા . ઘટના બાદ દર્શનભાઇને ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વીસેક દિવસ અગાઉ તેમના કાકા વાલાભાઇ પાંચાભાઇ ચાડનો દિકરો અને અજુ ભુરાભાઇ કુવાડીયાનો દિકરાએ શાળામાં ઝઘડો કર્યો હોય જેની દાઝ રાખી પાંચેય શખ્સોએ દર્શનભાઇ ઉપર હુમલો કર્યાની પોલીસને જણાવી સિહોર પોલીસમાં પાંચેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
બુદ્ધિનું પ્રદર્શન:વલભીપુર હાઇવે પર બમ્પની આગળ પીળા કલરનાં પટૃામારી સંતોષ માન્યો
વલભીપુરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવે પર ભાવનગર-અમરેલી બાજુથી આવતા વાહનોની ગતિરોધક માટે એક બમ્પ પ્લોટ જૈન દેરાસરના પ્રવેશ દ્વારા નજીક અને અમદાવાદ બાજુથી આવતા વાહનોની ગતિરોધક માટે જુના જકાત નાકા પાસે ગંભિરદાદાના ગેરેજ પાસે માર્ગ-મકાન વિભાગ દ્વારા બમ્પ બનાવવામાં આવેલ છે. નવા બનાવેલ બમ્પની આગળ ચેતવણી સાઇન બોર્ડ કે બમ્પ ઉપર સફેદ અને કાળા કલરના પટ્ટા કરવામાં નથી આવ્યા તેના કારણે મોટા વાહનો ફુલ સ્પીડમાં આવતા હોય અને એકા એક બમ્પ દેખાય ત્યારે મોડુ થયુ ગયુ હોય છે તેના કારણે વાહનો પલ્ટી મારી જાય તે રીતે ઉછળે છે . આ અંગેના સમાચાર સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકમાં ગત તા. 11/10/25 નાં પ્રસિધ્ધ થયા બાદ માર્ગ-મકાન વિભાગ દ્રારા સ્પીડ બ્રેકર ઉપર સફેદ અને કાળા કલરના પટૃા મારાવાને બદલે સ્પીડ બ્રેકરથી આશરે 10 થી 15 મીટર દુર પીળા કલરના પટૃા મારી સંતોષ માની લીધેલ છે. ખરી જરૂરત સ્પીડ બ્રેકર ઉપર પટૃા મારવાની હતી.
સ્મારકો ઢંકાયા:લુણાવાડામાં જાહેર સ્થળો, ઇમારતો ઉપરાંત સ્મારકો હોર્ડિગ્સથી ઢંકાયા !
લુણાવાડામાં ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડી સસ્તી પ્રસિધ્ધિ મેળવાનારા તત્વાએ શહેરને રીતસર બાનમાં લીધું છે. વિવિધ જાહેર સ્થળો, ઐતિહાસિક ઈમારતો અને સ્માકરો વગેરે સ્થળાએ વહિવટી ચાર્જ લઈને પણ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી નહીં આપવાનો મ્યુનિ. કમિશનરનો પરિપત્ર છે. તેમ છતાં લુણાવાડામા હોર્ડિંગ્સનું જંગલ ઉભું થઈ ગયું છે. લુણાવાડામાં ઠેરઠેર ગેરકાયદે હોર્ડિંગ્સો ઉભા કરી પાલિકાને લાખો રૂપિયાનો ચૂનો લગાવતાં આવી રહ્યો છે. જેમાં શહેરની ઐતિહાસિક ઈમારતોને પણ છોડી નથી. જેમા શહેરમાં વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના કાર્યક્રમો, શુભેચ્છાઓ, સરકારી કાર્યક્રમો, જુદીજુદી ખાનગી કંપનીઓ, શોરૂમ, બિલ્ડર્સ, જવેલર્સ, સ્કુલ - કોલેજ અને કોચીંગ કલાસીસની જાહેરાતો કરાય છે. શહેરના અનેક ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્લન દેખાય નહીં તેવી રીતે હોર્ડિંગ્સ લગાવાય છે. તેમ છતાં પાલિકા કે પોલીસ તંત્ર હોર્ડીંગ્સ માલિક સામે કોઈ પગલાં ભરાતા નથી. નગરમાં લાગેલા હોર્ડિગ્સના માલિકો દ્વારા પાલિકામાંથી કોઈ મંજૂરી લેવાતી નથી.જ્યારે ઐતિહાસિક ઈમારતો અને સર્કલો પાસે હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી નહીં આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. ત્યારે વિવિધ બિલ્ડરો અને ખાનગી સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના માલિક હાઈકોર્ટના આદેશને પણ ધોળીને પી ગયા હોય તેવું લુણાવાડામાં જોવા મળી રહ્યું છે. જેથી લુણાવાડામા હોર્ડિંગ્સનું જંગલ ઉભું થઈ ગયું છે. ત્યારે ચીફ ઓફિસર દ્રારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તો ગેરકાયદેસર હોડિંગ લાગ્યા છે તેના પર શું કાર્યવાહી કરવામાં આવશે એ એક મોટો સવાલ ઉભો થયો છે. હોર્ડિગ્સ માટે કોઈને મંજૂરી આપી નથીલુણાવાડામાં અત્યારે જે હોડિંગ લાગ્યા છે તેની કોઈ મંજુરી આપવામાં આવી નથી. જે છે એ મંજુરી વગરના છે જેને ઉતારી દેવામા આવશે. જે લોકોએ ગેરકાયદેસર હોડિંગ લગાવ્યા છે તેમને સૂચના આપી હતી. પરંતુ તેઓએ ઉતાર્યા નથી અમે અમારા માણસો દ્રારા ઉતારાવી તેઓ સામે કાર્યવાહી કરીશું. - નરેશભાઈ મુનીયા, ચીફ ઓફિસર, નગરપાલિકા લુણાવાડા
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના 1984 માં શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થાની શાળામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે કામકાજના દિવસો દરમિયાન મફત ભોજન આપવામાં આવતુ હોય છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો, બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું, સમાજના ગરીબ વિધ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તથા યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે. પંચમહાલમાં શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના દ્વારા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓને પોષણ ક્ષમ ભોજન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. મધ્યાહન ભોજનાની યોજનાના અનાજ માટે સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અને જે એજન્સીને ટેન્ડર ફળવાય છે. તે એજન્સી દ્વારા પુરવઠા વિભાગને શુધ્ધ અને સાત્વીક અનાજ પહોચાડવુ જરૂરી હોય છે. પંચમહાલના ગોધરા અને શહેરા પુરવઠા વિભાગને મધ્યાહન ભોજન યોજના હેઠળ અમદાવાદની સિદ્ધાર્થ દાળ એન્ડ ફ્લોર મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ મારફતે 241 ટન તુવેર દાળનો જથ્થો સપ્લાય કર્યો હતો. જેમા ગોધરા અને શહેરા પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલ તુવેર દાળના નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જેમા ગોધરા પૂરવઠા નિગમને 21 ટન અને શહેરા પૂરવઠા નિગમને સપ્લાય કરેલ 14 ટન તુવેર દાળના નમૂનાનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. રિપોર્ટના આધારે જીલ્લા પૂરવઠા વિભાગે કુલ 35 ટન તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સીને પરત મોકલાશે. અગાઉ પણ તુવેર દાળના નમૂના પરીક્ષણમાં ફેલ આવ્યા હતાપંચમહાલ જિલ્લામાં અગાઉ પણ મધ્યાહન ભોજન યોજનાની તુવેર દાળના નમૂના પરીક્ષણ દરમિયાન ફેલ આવ્યા હતા. ત્યારે પણ પુરવઠા વિભાગ દ્વારા ખાનગી એજન્સીને જથ્થો પરત કરાયો હતો. અને ગુણવત્તા યુક્ત જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આ વખતે પણ નમૂનો ફેલ જતાં ખાનગી એજન્સીને જથ્થો પરત મોકલી ગુણવત્તા યુક્ત જથ્થાની માંગણી કરવામાં આવી છે.
ભાવનગર પોલીસ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરના યુવાનો નશાના દુષણથી દુર રહે જેને લઇને ભાવનગર પોલીસ દ્વારા ગાંજા, ચરસ તેમજ અન્ય નશાઓમાં વપરાતા ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપરનો ઉપયોગ થાય છે. જેના વેચાણ ઉપર પ્રતિબંધ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ જાહેરનામું બહાર પાડવા માટે લેખિત રજૂઆત થયેલ જે માન્ય રહેતા શહેર જિલ્લામાં ગોગો સ્મોકિંગ તેમજ રોલીંગ પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું બહાર પડાયું છે. ભાવનગર શહેર જિલ્લામાં ખૂંણે ખાંચરે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ, જુગારધામ, બુકીઓ વિરૂદ્ધની કાર્યવાહીઓ તેમજ સ્પા સેન્ટરોમાં દરોડા પડાયા બાદ ભાવનગર એસ.પી. દ્વારા યુવાનોના સ્વાસ્થયને ધ્યાને રાખી વધુ એક સરાહનીય પગલું ભર્યું છે. શહેરમાં ચોકે ચોકે આવેલી પાન માવાની દુકાનોમાં વેચાણ થતાં ગોગો સ્મોકિંગ કોન, રોલીંગ પેપરનો ઉપયોગ કરી શહેરના યુવાઓ ગાંજો, ચરસ તેમજ હાઇબ્રીંડ ગાંજાનું સેવન કરી રહ્યા છે. તેમજ તેની બનાવટમાં ટાઇટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયલ નાઇટ્રેટ, કૃત્રિમ રંગો, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લિચ જેવા ઝેરી પદાર્થના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. જેના વેચાણ અટકાવવા માટે થઇ ભાવનગર પોલીસ દ્વારા વેચાણના પ્રતિબંધ ઉપર જાહેરનામાને લઇ લેખિત રજૂઆત કરવામાં આવતા જે રજૂઆત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માન્ય રાખતા શહેર જિલ્લામાં ગોગો સ્મોકિંગ તેમજ રોલીંગ પેપરના વેચાણ ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું છે. કોઇપણ વેપારીઓ દ્વારા રોલીંગ પેપર તેમજ ગોગો સ્મોકીંગ કોનના વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં પોલીસ દ્વારા દુકાનોમાં દરોડા પડાશેભાવનગર પોલીસ દ્વારા આગામી સમયમાં ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલીંગ પેપરનું વેચાણ કરતા પાન-માવાની દુકાનો, કરીયાણા સ્ટોર, ચા નાસ્તાની દુકાનો જેવા સ્થળોએ દરોડા પાડવામાં આવનાર છે ત્યારે પોલીસ દ્વારા વેપારીઓ પાસે ગોગો સ્મોકિંગ કોન, રોલીંગ પેપરનો સ્ટોક હોય તેનો તાત્કાલિક નાશ કરવા અપીલ કરાઇ છે.
ઠગાઇ:ભાગીદારી પેઢીમાં હક જતો કરવાનું લખાણ કરાવી 4 શખ્સોની ઠગાઇ
શહેરમાં રહેતા ચાર શખ્સોએ તેમની સંયુક્ત ભાગીદારી પેઢી ભોગીલાલ ટીમ્બર નામની પેઢીમાં ભત્રીજી પાસે ભાગીદારીમાં હક જતો કરવાનો દસ્તાવેજમાં સહી કરાવી તેના બદલામાં રૂપિયા નહીં આપી ભત્રીજી સાથે છેતરપિંડી આચરતા ભત્રીજીએ તેના કાકા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના જુનાબંદર રેલ્વેના પાટા પાસે આવેલ ભોગીલાલ ટીમ્બરના નામે પેઢી ધરાવતા મહેન્દ્રભાઇ, શશીકાંતભાઇ તેમજ ગીરીશભાઇ પૈકી શશીકાંત ભાઇ તેમજ તેમના પત્નિ કુમુદબેનના અવસાન બાદ મહેન્દ્રભાઇ તેમજ તેમના પરિવારના ચાર સભ્યોએ શશીકાંતભાઇના દિકરી અંજલીબેન પાસે ભાગીદારી હકો જતો કરવાનું તેમજ તેના દસ્તાવેજમાં સહી કરવાના બદલામાં રૂપિયા આપવાનું વચન આપી. આજદિન સુધી ન ચુકવતા છેતરપિંડી આચરી હતી. તેમજ ભાગીદારી પેઢીમાં હક ન આપી, હક જતો કરવાનું દબાણ કરાવી, ગુન્હીત કાવતરૂ રચી છેતરપિંડી આચરતા શશીકાંતભાઇના પુત્રી અંજલીબેન ભૌતિકભાઇ પટેલે તેમના કાકા મહેન્દ્રભાઇ ભોગીલાલ પટેલ, સ્નેહલભાઇ મહેન્દ્રભાઇ પટેલ, ગાયત્રીબેન સ્નેહલભાઇ પટેલ અને કૃતાર્થ સ્નેહલભાઇ પટેલ (રહે. તમામ પ્લોટ નં. 606, વિજયરાજનગર) વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુવિધા:ભાવ.-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં AC કોચ સુવિધા
પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નંબર 19209, 19210માં હંગામી ધોરણે છ મહિનાના ગાળા માટે એક વધારાનો થર્ડ એસી કોચ લગાવવાની સુવિધા આપવામાં આવી હતી. યાત્રિયો તરફથી આ એસી કોચને મળેલા ઉત્કૃષ્ટ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને તેની અવધિમાં વધુ બે મહિનાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ, યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ એર કન્ડિશન્ડ કોચનો સમયગાળો વધારવામાં આવ્યો છે. ટ્રેન નં.19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 2 ડિસેમ્બર 2025 સુધી માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની સમયાવધિ વધારીને 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી છે. ટ્રેન ક્રમાંક 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 3 ડિસેમ્બર 2025 સુધી માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને 31 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી છે. ટ્રેનના સ્ટોપ, સંરચના અને સમયપત્રક અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોએ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવા જણાવાયુ છે.
2025નું વર્ષ રોકાણકારો માટે મુશ્કેલીભર્યું રહ્યું. જેમકે શેર-મ્યુચ્યુઅલ ફંડમાં નહિંવત્ રિટર્ન, સોના-ચાંદીમાં હાલની તેજીમાં રિટર્ન જોખમી હોવાનું રોકાણકારો માની રહ્યાં છે ત્યારે એકમાત્ર વિકલ્પ હવે રિયલ એસ્ટેટ રહ્યો છે. આ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયથી રિયલ રિટર્ન સાથે ભાડાની કમાણીમાં પણ મહત્વનો રોલ ભજવ્યો છે. ગુજરાતમાં અમદાવાદનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. 2036ના ઓલમ્પિકની અમદાવાદ તૈયારી કરી રહ્યું છે. સરકાર અમદાવાદના ગ્રોથ પર ફોકસ કરી રહી છે. એક દાયકા સુધી અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત વધારો થવાનો છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો છેલ્લા સાત વર્ષમાં આ સેગમેન્ટમાં બમણું રિટર્ન મળ્યું છે. આગામી વર્ષોમાં સરેરાશ 8-12 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિનો અંદાજ છે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં હવે ઘર ખરીદવું સામાન્ય લોકો માટે સપનું બની ચૂક્યું છે ત્યારે હવે ગ્રાહકો તેમજ રોકાણકારો શેલા, વૈશ્નવદેવી સર્કલ તેમજ ગાંધીનગર સુધી નજર દોડાવી રહ્યાં છે. અનેક ડેવલપર્સે છેલ્લા છ માસમાં સ્કિમ રજૂ કરી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અન્ય રાજ્યોના શહેરોની સરખામણીએ અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઘણું સસ્તું દેશમાં ટોચના શહેરોની તુલનામાં અમદાવાદમાં પ્રોપર્ટીનો ભાવ અન્ય રાજ્યના શહેરો કરતા હજુ ઘણા નીચા છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીઆરટીએસ, મેટ્રો જેવી કનેક્ટિવિટી હોવાથી ખૂબ ઝડપી ગ્રોથ થઇ રહ્યો છે. અમદાવાદ ઇન્ડસ્ટ્રીઝ-કોર્પોરેટ સેક્ટરમાં હબ બનવા લાગ્યું છે ત્યારે તેનો પણ ફાયદો મળી રહ્યો છે. ગાંધીનગર રોકાણકર્તા માટે હોટ ડેસ્ટિનેશન બન્યુંગાંધીનગર રોકાણકારો માટે હોટ ડેસ્ટિનેશન બન્યું છે તેનું મુખ્ય કારણ અમદાવાદથી સરળ કનેક્ટિવિટી, ફાઇનાન્સિયલ ગિફ્ટ સિટીનો ફાયદો ઇન્ડસ્ટ્રીઝને ઝડપી મળી રહ્યો છે. ફાઇનાન્સિયલ સેગમેન્ટમાં ગિફ્ટ સિટીનું વૈશ્વિક સ્તરે આકર્ષણ વધ્યું છે ગાંધીનગર ઘર ખરીદનારા માટે પસંદગી સેન્ટર બની રહ્યું છે. અમદાવાદમાં રોકાણ કરવા એસજી હાઇવે, દક્ષિણ બોપલ, ચાંદખેડા, મણિનગર, શેલા, ઘુમા, નિકોલમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.
મારમાર્યો:સગાઇમાં બનેવી સહિત ચાર શખ્સોએ સાળાને મારમાર્યો
ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા એક યુવકના બહેન રિસામણે હોય અને સગાઇ પ્રસંગમાં સાળા-બનેવી આમને સામને આવી જતાં રિસામણેની દાઝ રાખી બનેવી સહિત ચાર શખ્સોએ લોખંડ તેમજ લાકડાના ધોકા વડે સાળા ઉપર જીવલેણ હુમલો કરી, ઇજા કરી ફરાર થતાં સાળાએ બનેવી સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના બાપુનગર મેલડીમાં મંદિર વાળી શેરીમાં રહેતા મનોહરસિંહ ગણપતસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બહેન કાજલબેન રિસામણે હોય જેથી તેઓ પિયરમાં તેમની સાથે રહે છે. જ્યારે આજે તેમના કાકાની દિકરીનો સગાઇ પ્રસંગ હોય જ્યાં તેમના બનેવી જયપાલસિંહ પણ આવેલા હોય જે જયપાલસિંહે તેમના પત્નિ કાજલબેન સાથે સગાઇ પ્રસંગમાં બોલાચાલી કરતા મનોહરસિંહે અટકાવ્યા હતા જેની દાઝ રાખી જયપાલસિંહ મહિપતસિંહ રાઠોડ, રઘુભા રાઠોડ, રાજપાલસિંહ રાઠોડ અને ઓમદેવસિંહ રાઠોડે એક સંપ કરી મનોહરસિંહ ને લોખંડ તેમજ લાકડાના ધોકા વડે ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં મનોહરસિંહે ચારેય શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝઘડામાં ચારેય શખ્સોએ સાળાને માર મારી ફરાર થતા ફરી સાળાને મારી નાંખવાની ધમકી આપી હતી.
ફરિયાદ નોંધાઈ:મૈત્રી કરારમાં રહેતી યુવતીની માતા અને પિતા સહિત છ સામે ફરિયાદ
ભાવનગર શહેરમાં રહેતી એક યુવતીએ છ માસથી એક યુવક સાથે મૈત્રી કરાર કરી યુવકના ઘરે સાથે રહેવા જતી રહેતા યુવતીના માતા-પિતા સહિત છ જેટલા શખ્સો યુવતીને ઘરે પરત લાવવા માટે સમજાવવા ગયા હતા જ્યાં ઉશ્કેરાટમાં આવીને બોલાચાલી થતાં યુવતીને મારી નાંખવાની ધમકી આપી હતી. ભાવનગર શહેરના ખારસી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન નટુભાઇ સરવૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે છ માસ અગાઉ સિદસર રોડ, માધવાનંદ સોસાયટીમાં રહેતા તેના મિત્ર મયુર રાજેશભાઇ મોરી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બાદમાં મયુરભાઇના ઘરે જ તેઓ રહેતા હતા. જેને લઇ ક્રિષ્નાબેનને ઘરે પરત લાવવા માટે તેમના પિતા નટુભાઇ, માતા ગીતાબેન, ફઇ શોભનાબેન, કાજલબેન, ફુવા મનોજભાઇ, ચિથરભાઇ સોલંકી તેમજ અશોકભાઇ ખીમજીભાઇ ડાભી મયુરભાઇના ઘરે ગયા હતા જ્યાં ક્રિષ્નાબેનને માતા-પિતા સાથે બોલાચાલી થતાં, નટુભાઇ સહિતનાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ક્રિષ્નાબેને માતા-પિતા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સિધ્ધિ:સ્વામિનારાયણ વિદ્યાલયની SGFC હોકી ટુર્નામેન્ટમાં સિધ્ધિ
સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ), જી.આઇ.ડી.સી ,ચિત્રા, ભાવનગર ખાતે અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ એ એસ.જી.એફ.સી .ટુર્નામેન્ટ જે જિલ્લા કક્ષા એ યોજાઇ હતી, જેમાં હોકીમાં અંદર-14 (બહેનો) અને અંદર-14 (ભાઈઓ)ની ટીમે ભાગ લીધો હતો. જેમાં બહેનોની સમગ્ર ટીમ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. તેમજ 8 ખેલાડી ભાઈઓ જેમને રાજ્યો કક્ષાએ પસંદગી પામેલ છે. શાળા પરિવાર માટે આ ખૂબ ગૌરવની બાબત છે.
પરિણીતાને ત્રાસ:કેનેડા રહેતા પતિ અને જેઠે શહેરની પરિણીતાને ત્રાસ આપ્યો
ભાવનગર ખાતે સાડા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પરિણીતાને કરિયાવર બાબતે મેણાં ટોણા મારી, શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી કેનેડા ખાતે રહેતા પતિ સહિત સાસરીયાઓએ અવાર નવાર ત્રાસ ગુજારતા પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર ખાતે રહેતા પ્રિયાબા હરવિજયસિંહ વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત આઠેક વર્ષ અગાઉ વડોદરા ખાતે રહેતા હરવિજયસિંહ વાઘેલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અવાર નવાર તેમના જેઠ તેમજ સાસુએ પતિ-પત્નિને સાથે ન રાખવાના ઘણા પ્રયાસો કરી અને કરિયાવર અને ઘરકામ બાબતે શારિરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતા હતા અને જે બાદ કેનેડા ખાતે રહેતા પતિ હરવિજયસિંહે ભાવનગર ખાતે પ્રિયાબાને મોકલી દિધા હતા અને બાદમાં પ્રિયાબા કેનેડા ખાતે જતાં ત્યાં તેમના પતિ અને જેઠએ લેવા ન આવી, સમાધાન ન કરતા પ્રિયાબા પતિને મળ્યા વગર જ ભાવનગર ખાતે પરત ફર્યા હતા. પરિણીતાને આજદિન સુધી સાસરીએ તેડી ન જતાં પ્રિયાબાએ મહિલા પોલીસ મથકમાં પતિ હરવિજયસિંહ ભુપતસિંહ વાઘેલા, જેઠ મયુરધ્વજસિંહ ભુપતસિંહ વાઘેલા, લીનાબા ભુપતસિંહ વાઘેલા, ગાયત્રીબા ગજેન્દ્રસિંહ જાડેજા અને પ્રગતિબા મયુરધ્વજસિંહ વાઘેલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પતિ સહિત જેઠ અને સાસરીયાઓએ પરિણીતાઓને એટલો ત્રાસ આપ્યો કે પરિણીતા તેના પતિને કેનેડા મળવા ગઈ ત્યારે તેના પતિ અને જેઠ ઘરને બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
ભારતમાં રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં બુધવારનો દિવસ ઐતિહાસિક પુરવાર થયો છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવાની ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં યોજાવાનું નક્કી છે. બોર્ડની ભલામણના આધારે આગામી 26 નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ સ્પોર્ટ્સની મહાસભામાં અંતિમ નિર્ણય લેવાશે. કોમનવેલ્થ બોર્ડના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, આ સફળતાનો શ્રેય વડાપ્રધાનના નિરંતર પ્રયાસોને જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણયને ગુજરાત તથા ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ડૉ.પી.ટી.ઉષાએ 100મા કોમનવેલ્થ ગેમ્સને ગેમ્સ ફોર ધ ફ્યુચર ગણાવતા કહ્યું હતું કે અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ સ્થિરતા, સર્વસમાવેશિતા અને નવીનતા પર આધારિત રહેશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ રમતોત્સવનું આયોજન દરેક માટે ગર્વની બાબત ગણાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી આ રીતે મજબૂત બની પ્રેઝન્ટેશનથી પ્રભાવિત ટીમલંડનમાં ત્રણ પ્રેઝન્ટેશન થયા અને કોમનવેલ્થ ટીમ બે વખત ગુજરાત આવી. તેમણે માળખાકીય તૈયારી જોઇને નોંધ્યું કે, તત્કાળ પણ રમતોનું આયોજન અમદાવાદમાં થઇ શકે છે. વિશ્વસ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરએસવીપી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સાવરકર કોમ્પલેક્સમાં એક્વેટિક-ઇન્ડોર-ટેનિસ સ્ટેડિયમ, કરાઇમાં 50 હજાર ક્ષમતાવાળું સ્ટેડિયમ તથા નવા શૂટિંગ અને ઇન્ડોર અરેના તૈયાર થઇ રહ્યા છે. રાજકીય સ્થિરતા અને સહયોગમહાનગર પાલિકા, રાજ્ય અને કેન્દ્ર — ત્રણે સ્તરે એક જ પક્ષની સરકાર હોવાથી સમન્વય અને નિર્ણયો ઝડપથી થઇ શકે છે. અન્ય દેશોમાં આવા અભાવના દાખલા છે. ભારતની ઓળખ અને વારસો1930થી શરૂ થયેલી રમતોના 100 વર્ષ ભારતમાં થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી અને યુવાશક્તિ ધરાવતું, વિવિધતામાં એકતા ધરાવતું દેશ — ભારત, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સફળ આયોજન અને શહેરી સુવિધાઓભારત કોમનવેલ્થમાં 3–4 સ્થાન પર રહ્યું છે. અમદાવાદ સ્વચ્છ શહેર છે, ફાઇવ સ્ટાર હોટેલ્સ અને ખાણીપીણીની સુવિધાઓ છે. દુનિયાભરમાં 200 કરોડ લોકો ગેમ્સ નિહાળશે, ખર્ચ કરતા ત્રણ ગણો ફાયદો અર્થવ્યવસ્થામાં શું ફાયદો?કોમનવેલ્થના આયોજનથી ગેમ્સ પહેલા અને પછી અમદાવાદના અર્થતંત્રમાં 12 હજાર કરોડથી વધુ ઉમેરાશે. 23 હજારને રોજગારી મળશે. જેટલું રોકાણ થશે તેનું ત્રણ ગણું રિટર્ન મળશે. દર્શકો, ટૂરિઝમ પર શું અસર?આયોજનથી શહેરના ટુરિઝમમાં 25% વધારો થશે. દુનિયાભરથી 200 કરોડથી વધુ દર્શકો ટીવી પર અમદાવાદની યજમાની નિહાળશે. કુલ 4500 કરોડનો ડીલ-રોકાણ થશે. અમદાવાદના સામાજિક માળખા બદલાવ? આયોજનથી અમદાવાદને 700 જેટલા એફોર્ડેબલ ઘર મળી શકે છે. શહેરમાંતી સ્પોર્ટ્સમાં 15% લોકો વધુ જોડાશે, કમ્યુનિટી ઇન્ફ્રસ્ટ્રક્ચરમાં વધારો થશે કેટલા એથ્લીટ, દર્શકો અમદાવાદ આવશે?20 લાખ દર્શકો અમદાવાદ આવશે. 5 હજારથી વધુ એથ્લેટ્સ ભાગ લેશે. 2026ની ગેમ્સ ગ્લાસગોમાં યોજાશે... અમદાવાદ પહેલા 23મી કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાશે. 23 જુલાઇથી 2 ઓગસ્ટ 10 સ્પોર્ટ્સની 200થી વધુ ઇવેન્ટ્સ રમાશે. તેમાં 1300 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થશે. ‘આયોજન અને વહીવટી પ્રક્રિયાની સજ્જતાની નોંધ બોર્ડ દ્વારા લેવાઈ’વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાત સરકારે પહેલેથી જ કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોની યજમાની માટે મજબૂત ઇરાદા સાથે ગંભીર પ્રયત્ન કર્યા છે, માળખાકીય સુવિધાથી માંડીને રમતોના આયોજનને લગતી બીજી વહીવટી પ્રક્રિયાને લઇને અમે સજ્જ છીએ તે બાબત કોમનવેલ્થ રમતોના આયોજકોને પહેલા જ તબક્કે સ્પર્શી ગઇ હતી. કોમનવેલ્થને એક સદી પૂર્ણ થઇ રહી છે તે જ વર્ષમાં આપણે તેની યજમાની કરી રહ્યા છીએ તે સૌથી મોટી બાબત છે. - અશ્વિની કુમાર, અગ્ર સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ દારૂબંધી અપવાદરૂપ કિસ્સો નહીં બનેગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વિદેશી સહેલાણીઓ માટે તેના નિયમોમાં જડતા નથી. સરકાર પર્યટકોને ઝડપથી અને સરળતાથી દારૂનો પરવાનો આપે છે. અહીં લીકર શોપ્સ પણ પૂરતા પ્રમાણમાં છે. તેથી દારૂબંધી કોમનવેલ્થ ગેમ્સ માણવા આવતા સહેલાણીઓ માટે અપવાદરૂપ કિસ્સો નહી બને.
ખાતમુહૂર્ત:3.11 કરોડના ચાર વિકાસ કામો કરાશે
સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના કુલ રૂા.3.11 કરોડના ચાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકીના હસ્તે કરાયું હતું. નાયબ મુખ્ય દંડકે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન દ્વારા યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત ગરીબ-મધ્યમ વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવીને વર્ષ 2047 સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પરિણામલક્ષી પ્રયાસો થઇ રહ્યા છે. શહેરી વિકાસ વિભાગનું 30 હજાર કરોડથી વધુના બજેટનો હેતુ પણ નાગરિકોના સર્વાંગી વિકાસનો છે.આ પ્રસંગે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું હતું. છોટાઉદેપુર નગરપાલિકાના જે રૂા.3.11 કરોડના ખર્ચે ચાર કામો હાથ ધરાયા છે, તેમાં લાલબહાદુર શાસ્ત્રી ગાર્ડન અને ચંદ્રસિંહજી લાઇબ્રેરીનું લોકાર્પણ તેમજ પ્રીકાસ્ટ ગટર અને લાઇટ વિથ પોલના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
વિશ્વ એનેસ્થેસિયા દિવસ:એનેસ્થેસિયાના સહારે 4 વર્ષમાં 25896 ઓપરેશન
અમેરિકાની એક જનરલ હોસ્પિટલમાં ડૉ.વિલિયમ થોમસ ગ્રીન મોર્ટર દ્વારા 16મી ઓક્ટોબર-1846ના રોજ ઈથર એનેસ્થેસિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની યાદમાં ભારત સહિત દુનિયાભરમાં દર વર્ષે 16 ઓક્ટોબરના દિવસની વિશ્વ એનેસ્થેસિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એનેસ્થેસિયાનો ઉપયોગ મેડિકલ ઓપરેશન દરમિયાન દર્દીના શરીરના કોઇ અંગને સુન્ન કરવા કે દર્દીને બેહોશ કરવા માટે કરાય છે ત્યારે ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલમાં એનેસ્થેસિયાના સહારે 4 વર્ષમાં 25896 સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં સારવાર્થે આવતા દર્દીઓને પદ રહિત ધનિષ્ઠા સારવાર આપતા પૂર્વે એનેસ્થેસિયા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ.સી.યુ. વિભાગ ઉપરાંત પીડા રહિત પ્રસુતિ, કેન્સર, શરીરના લાંબા સમયના દુ:ખાવા અંગેના ઓપરેશનમાં પણ સૌ પ્રથમ એનેસ્થેસિયાનો સહારો લેવામાં આવે છે. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં તા.1લી જાન્યુઆરી-2022થી તા.30મી સપ્ટેમ્બર-2025 સુધીમાં કુલ 25896 સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના ઉપક્રમે વિશ્વ એનેસ્થેસિયા દિવસ અન્વયે તા.13થી 17મી ઓક્ટોબર-2025 દરમિયાન આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે વિશ્વ એનેસ્થેસિયા દિવસે તા.16મીને ગુરુવારે સરકારી સર ટી. હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગની ટીમો દ્વારા વિક્ટોરિયા પાર્ક અને પીલગાર્ડમાં આવતા મોર્નિંગ વોકર્સને સવારે 7 થી 8 દરમિયાન સી.આર.પી. જાગૃતિ તાલીમ આપવામાં આવશે. એનેસ્થેસિયા પદ્ધતિમાં છેલ્લા ત્રણ દાયકામાં બદલાવ179 વર્ષ જૂની એનેસ્થેસિયા પદ્ધતિમાં છેલ્લા ત્રણ દાયકામાં ઘણો બદલાવ આવ્યો છે. શરૂઆતની ઓપન ડ્રોપ મેથડના સ્થાને અત્યારની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરાય છે. રિજનલ એનેસ્થેસિયા અને જનરલ એનેસ્થેસિયા એમ બે પ્રકારની પદ્ધતિમાંથી દર્દીના ઓપરેશનને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવે છે. > ડો.કોમલ શાહ, એસોસિએટ પ્રોફેસર, એનેસ્થેસિયા વિભાગ, સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ભાવનગર વર્ષ-2025માં થયેલ સર્જિકલ ઓપરેશન (માસ - કેસ) ◾જાન્યુઆરી- 2025 : 745 ◾ફેબ્રુઆરી-2025 : 677 ◾માર્ચ-2025 : 680 ◾એપ્રિલ-2025 : 654 ◾મે-2025 : 739 ◾જૂન-2025 : 654 ◾જુલાઈ-2025 : 732 ◾ઓગસ્ટ-2025 : 715 ◾સપ્ટેમ્બર-2025 : 727
મંત્રીમંડળની ‘સૂરત’ બદલાશે:નાયબ મુખ્યમંત્રીના સમીકરણો બની શકે, શુક્રવારે શપથવિધી યોજાશે
ગુજરાત સરકારમાં નવા મંત્રીઓની શપથવિધીનો સમારોહ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થશે. આ દરમિયાન ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇ કમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી તેથી સરકારમાં મોટાપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોય તેવી શક્યતા જોવાઇ રહી છે અને વિધાનમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે તેવી પણ સંભાવના ભરપૂર છે. આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે તે સ્વર્ણિમ સંકુલના બન્ને વિભાગની તમામ ચેમ્બરોની સફાઇ કરી દેવામાં આવી છે. સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાંક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. કોણ કપાઇ શકે નવા ચહેરાંમાં કોની શક્યતા
આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું:12 દી’માં 4 લાખનો તેલ ઘીનો જથ્થો સીઝ કરાયો
ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગને પણ દિવાળી આવી હોય તેમ તહેવારોને ધ્યાનમાં રાખી મીઠાઈ, ફરસાણ અને અન્ય રો મટીરીયલ તથા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને છેલ્લા 12 દિવસમાં 4.07 લાખનો ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, જમાદાર શેરી, એમ.જી.રોડ, ખારગેટ, સુભાષ નગર રોડ, ચિત્રા, તળાજા રોડ અને તેની આસપાસના વિસ્તારો પર વેચાણ કરતા અને ઉત્પાદન કરતા એકમો પર તપાસ કરી હતી. તપાસણી દરમિયાન શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુઓ જેવી કે, પનીર, ઘી, તેલ સહિતના રો મટીરીયલ અંદાજે 43 જેટલા વેપારીઓ પાસેથી ગત તારીખ 3જી ઓક્ટોબરથી આજ સુધી 66 નમોનાઓ લઈ તપાસ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ અરિહંત ઘી ભંડારમાંથી શંકાસ્પદ નમોનાઓ લઈ 15 કિલોગ્રામ ના 14 લેબલ વગરના 1.37 લાખના ઘી ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે . તે સિવાય અમીપરા વિસ્તારમાંથી એલીયા ઓઇલ ડેપોના ગોડાઉનમાંથી 1.08 લાખની કિંમતના 50 પેક ડબ્બાઓ સીઝ કરવામાં આવ્યા છે. જ્યારે સત્યનારાયણ રોડ પર દેવ સેલ્સ એજન્સીમાંથી કૈલાશપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમુના લઇ 1.62 લાખની કિંમતના 75 પેક ડબ્બાઓ સીઝ કરવામાં આવ્યા છે. લેવામાં આવેલા નમુનાઓના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તદુપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મીઠાઈ, ફરસાણ, માવો વગેરે મળીને 13 નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ભાસ્કર વિશેષ:સુરતના બિઝનેસમેન 21 હજાર દીકરીની 15 કરોડ સ્કૂલ ફી ભરશે
સુરતના એક વેપારી જરૂરિયાતમંદ એવી 21000 દીકરીઓની 15 કરોડ રૂપિયાની ફી ચૂકવશે. તેઓ એક વિદ્યાર્થિની દીઠ સાડા સાત હજાર રૂપિયાની મદદ કરશે. સરકારી શાળાઓમાં ફી ભરવાની હોતી નથી તો સ્ટેશનરી કે અન્ય કોઈ રીતે આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના અને સુરતમાં ટેક્સટાઇલ અને બિલ્ડીંગ વ્યવસાય સાથે જોડાયેલા સુરતના 33 વર્ષીય પિયુષ દેસાઈ સુરતની 21000 વિદ્યાર્થિનીઓની સાડા સાત હજાર રૂપિયા ફી ભરશે. 15 કરોડથી વધારે રકમ દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની તૈયારી બતાવતા પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન કન્યા કેળવણી પર વધારે ભાર મૂકે છે તે વાતને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી દીકરી દીક 7500 રૂપિયા અને 21મી સદી હોવાથી 21000નો આંકડો નક્કી કરી શૈક્ષણિક સહાય માટે નો સંકલ્પ કર્યો છે. હીરાબાનો ખમકાર યોજના હેઠળ સુરત શહેરની તમામ શાળાઓમાં ભણતી દીકરીઓમાંથી જે જરૂરિયાત મંદ હોય અથવા માતાપિતા ના હોય તેવી દરેક દીકરીઓની ફી ભરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતી દીકરીઓને ફી ભરવાની હોતી નથી પરંતુ તેઓને જરૂરિયાત મુજબ સ્ટેશનરી અથવા તો શૈક્ષણિક કોઈપણ ચીજ વસ્તુઓ માટે સાડા સાત હજાર રૂપિયા અમે આપીશું. કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલના હસ્તે આ અંતર્ગત 251 દીકરીઓને સહાય આપી કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. ધનતેરસના દિવસે વધુ 151 દિકરીઓને સહાય કરવામાં આવશે. વર્ષના અંતે 21000 દીકરીઓને 15 કરોડથી વધારે ની સહાય પૂર્ણ કરી આપવામાં આવશે. દીકરીઓને શૈક્ષણિક સહાય આપવા માટેનો હેતુ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે દીકરી માતાપિતા અને સાસરી બે કુળને તારે છે. આવનારી પેઢીને પણ શિક્ષિત અને સંસ્કારી કરે છે તેથી દીકરીનું શિક્ષણ એ સમાજના માટે ખૂબ જ મહત્વનુંછે. આવી રીતે વિદ્યાર્થિનીઓને મદદ મળશેપિયૂષ દેસાઈની ઓફિસ 502, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, રિંગ રોડ છે, જ્યાં જરૂરિયાતમંદ વિદ્યાર્થિની માટે એક ફોર્મ મળશે. આ ફોર્મમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે પછી પીયૂષભાઈની ટીમ આવેદન કરનાર વિદ્યાર્થિનીને ખરેખર જરૂરિયાત છે કે તેની ખરાઈ કરશે અને જે પ્રમાણેની જરૂરિયાત હશે તે મુજબ આર્થિક સહાય કરવામાં આવશે.
ભૂમાફિયાઓમાં ફફડાટ:પથુભાએ કબ્જે કરેલ 25 કરોડની સરકારી જમીન જપ્ત
ભાવનગરના વરતેજ ગામની સીમમાં 18 વીઘા જેટલી અંદાજે 20 થી 25 કરોડની સરકારી જમીન પચાવી પાડી તેના પર ફાર્મ હાઉસ, આલીશાન બંગલો, સ્વિમીંગ પુલ બનાવી નાખનાર પથુભા મેરૂભા ગોહિલ પીપરાળી વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં વિસ્તણ અધિકારી દ્વારા સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ જમીન ના જ કેસમાં સુરત સરકીટ હાઉસમાંથી પથુભાની ધરપકડ કરાયા બાદ હાલ તે જેલમાં છે ત્યારે જ વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. પથુભાના પત્ની ગીતાબાના નામે વરતેજમાં સર્વે નં. 278ની જમીન આવેલી છે. આ જમીન ની પાસે રહેલી સર્વે નં. 279 સરકારી ગૌચરની જમીન ઉપર પથુભાએ કબ્જો જમાવી આલીશાન ફાર્મ હાઉસ ઉભું કરી દિધું હતું. આ ફાર્મ હાઉસમાં જ જમીનના બોગસ દસ્તાવેજો સહિતના કામો થતા હતા તેવું પોલીસ માની રહી છે. હાલ સરકાર દ્વારા આ આલીશાન ફાર્મ હાઉસનો કબ્જો સંભાળી લીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાવનગર શહેર તેમજ જિલ્લાની અમુક જમીનોમાં બોગસ દસ્તાવેજથી જુદી જુદી જમીનો પચાવી પાડનાર પથુભા મેરૂભા ગોહિલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવાના તેમજ બોગસ દસ્તવેજના ગુનાઓમાં ગુજસીટોક હેઠળ જેલમાં રહેલ પથુભા મેરૂભા ગોહિલ પીપરાળી વિરૂદ્ધ ફરી એક વરતેજ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધવામાં આવતા ભુમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં રહેતા વિસ્તરણ અધિકારી કલ્પેશભાઇ ભટ્ટ દ્વારા વરતેજ ગામના સર્વે નં. 278 પૈકી 1 થી 3 ની કુલ જમીન 5-37-1 હે. આરે. ચો.મી. જમીન જે ગીતાબા પથુભા ગોહિલના નામે રેવન્ય રેકોર્ડમાં ચાલ છે જે જમીનની બાજુમાં સર્વે નં. 279ની ગૌચરની જમીનમાં 18 વીઘામાં જમીન પચાવી પાડવા મામલે પથુભા મેરૂભા ગોહિલ વિરદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આ ફાર્મ હાઉસનો કબ્જો સરકારે પોતાના હસ્તક લીધો છે. ભાવનગર જિલ્લામાં ગૌચરની મોટા ભાગની જમીન પર દબાણો થયા છે. ગૌચરની જમીન પર આલીશાન મકાન, સ્વિમીંગ પુલ બંધાયા છતા વર્ષો સુધી તંત્ર એ કેમ પગલા નથી લીધા? એ પ્રશ્ન પણ લોકોમાં ઉભો થયો છે. ફરિયાદી બનનાર વિસ્તરણ અધિકારી કલ્પેશ ભટ્ટ આગામી મહિને નિવૃત થઇ રહ્યા છે. આ અગાઉ પણ અનેક માથાભારે શખ્સો સામે તેમણે પોતાની ફરજ દરમિયાન પોલીસે ફરિયાદો નોંધાવી છે. ગેરકાયદે કબ્જો છતાં વીજ કનેક્શન કેમ?સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી તે સ્થળેથી ગેરકાનુની ધંધાઓ પથુભા કરતા હતા તેવું પોલીસ માની રહી છે. દરમિયાનમાં વર્ષોથી આ સ્થળ પર લાઇટ,પાણી, ડ્રેનેજ સહિતની સુવિધાઓ કેવી રીતે આપવામાં આવી હતી તે અંગેની તપાસ કરવી પણ જરૂરી છે. બે સ્વિમીંગ પુલ, 1900થી વધુ વૃક્ષો, ફાર્મ હાઉસપથુભાના આલીશાન મહેલ જેવા ફાર્મ હાઉસનું પંચનામું કરી આજે સરકારે કબ્જો સંભાળી લીધો છે. અંદાજે 25 કરોડથી વધુ કિંમતના મનાતા આ ફાર્મ હાઉસમાં આલીશાન મકાન, બે સ્વિમીંગ પુલ, 1900 થી વધુ વૃક્ષો આંબા, લીંબુના ઝાડ અને અન્ય ઝાડ અને બીજી અનેક સુવિધાઓ છે. મહેસુલી કર્મચારીઓ અને પોલીસ તંત્ર આજે સવારથી આ સ્થળનું વિસ્તૃત પંચનામું કરી રહ્યા છે.
સુવિધા:ભરૂચ જિલ્લામાં 782.95 લાખના કામોનું ખાતમુહૂર્ત
ભરૂચ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુલ 645.95 લાખની રકમના 80 કામોનું ખાતમૂર્હત અને 137 લાખની રકમના 71 કામોનું લોકાર્પણ કરાયું હતું. બુધવારે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં 1.37 કરોડના 71 કામોનું લોકાર્પણ અને રૂ. 6.45 લાખથી વધુનું 80 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે કામોમાં રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વાળા બનાવવાનું કામ, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ સહિતના વિવિધ વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાનોને રોજગારી પૂરી પાડવા તેમના કૌશલ્ય સર્જન માટે મહિલાઓની સુરક્ષા અને તેમને પગભર બનાવી તેમના આર્થિક ઉત્થાન માટે, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ સહિતની યોજનાનો લાભ આપવા સરકાર સફળ બની છે. આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ વિભૂતી યાદવ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારી, મામલતદાર, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કામગીરીની સમીક્ષા કરી:વિકાસના કામો સમયસર- ગુણવત્તાસભરરીતે થવા જોઇએ :મંત્રી ભીખુસિંહ પરમાર
વિકાસના કામો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થવા જોઇએ તેમ નર્મદાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે અધિકારીઓને જણાવ્યું હતું. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. ખાસ કરીને પીવીટીજી સમુદાયોના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.આદિમજૂથ લોકો સુધી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર પહોંચે, શિક્ષણ-પોષણ,સ્વાસ્થ્ ય પર ખાસ ભાર આપ્યો હતો. ગુજરાત પેટર્ન યોજના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામો, કામોની મંજૂરી, મંજુર થયેલા કામોની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા અને ગુણવત્તાસભર રીતે થાય તે જોવા અધિકારીઓને સૂચના આપી હતી.
ખેડૂત સમાજે મોરચો માંડ્યો:ઉકાઈ નહેર રિપેરિંગ પ્રક્રિયાની કેગ અને વિજિલન્સ તપાસ માટે ખેડૂતોની માગણી
ઉકાઈ જમણા કાંઠા નહેર રિપેરિંગના નામે 90 દિવસ બંધ રાખવાના નિર્ણય સામે ખેડૂત સમાજે ફરી એક વખત મોરચો માંડતાં સમગ્ર પ્રક્રિયા સામે શંકા વ્યક્ત કરતા સી.એ.જી અને વિજિલન્સ તપાસની માગણી કરી છે. નોન ડિસ્ટ્રકટીવ ટેસ્ટીંગના રિપોર્ટમાં પણ ગરબડ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. વિભાગ દ્વારા ફકત કેચરીના નોટિસ બોર્ડ ઉપર એક નોટ મુકીને નહેર બંધ કરવાની કરાયેલી જાહેરાત સરકારી નીતિ નિયમો નેવે મુકીને કરાઈ રહેલી પ્રક્રિયા સામે ગંભીર તપાસ આદરી જવાબદારો સામે દાખલા રૂપ પગલાં ભરવાની માગ કરાઈ છે. ખેડૂત સમાજ દ્વારા એક વર્ષ પૂર્વે આયોજનની જાણ કર્યા વિના વિભાગ દ્વારા લેવાયેલા અણઘડ નિર્યણને કારણે શેરડી અને ડાંગરના પાકને બે હજાર કરોડનું નુકશાન થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે. રિપેરિંગનું કામ કોણ કરશે તે હજી સુધી નક્કી નથીખેડૂત સમાજે વધુમાં જણાવ્યું છે કે, એન.ડી.ટી. તેમજ સ્ટ્રકચર માટે જાહેર રજાના દિવસે તા. 15મી ઓગષ્ટે વર્ક ઓર્ડર અપાયા છે. સાથે જ એન.ડી.ટી. કયાંરે અને કોની હાજરીમાં કરવામાં આવ્યું તે બાબત પણ તપાસ માંગી લે છે. સાથે જ રિપેરિંગનું કામ કંઈ એજન્સીને સોંપવામાં આવશે એ નક્કી નથી. ચોક્કસ ખાનગી એજન્સીને આર્થિક લાભ કરાવવા માટે કામ થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરતા જયેશ પટેલ અને રમેશ પટેલે આ સમગ્ર પ્રક્રિયાની સી.એ.જી. અને વિજિલન્સ દ્વારા તપાસ કરાવાની માગણી કરી છે.
નકલી પોલીસ ત્રાટકી:હીરાદલાલ પાસેથી નકલી પોલીસે અઢી લાખના હીરા પડાવ્યા
સરથાણાના હીરાદલાલ પાસેથી નકલી પોલીસે અઢી લાખના હીરા લઈ પડાવી લીધા હતા. દલાલના મિત્રએ આ હીરા લઈ બાઇક જતા હતા. જેમાં દલાલ પાસે હીરા લેવા આવેલા શખ્સ પણ સામેલ હતો. આ અંગે હીરાદલાલ જીતેન્દ્ર ગજેરાએ ફરિયાદ આપતા પોલીસે વિમલ બાબુ નસીત (રહે, સ્વામીનારાયણ સોસા, સરથાણા) સહિત 3 સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે સરથાણામાં રહેતા અને હીરાની દલાલી કરતા જીતેન્દ્ર ગજેરાની પાનના ગલ્લા પર મિત્રના મિત્ર વિમલ સાથે ઓળખાણ થઈ હતી. તે વખતે વિમલે હીરાદલાલને કહ્યું કે મારા મિત્ર બિલ્ડર છે અને તેમના પરિવારમાં ઘરેણાં બનાવવા સારૂ હીરા ખરીદવા માંગે છે. તમે સારી ગુણવત્તા અને સસ્તી કિંમતના હીરા વેચવાના હોય તો મને કહેજો, હીરાદલાલે મિત્રને વિમલ વ્યવહાર બાબતે વાત કરી ત્યારે મિત્રએ કહ્યું કે મને બે વખત ઉછીના પૈસા આપેલા છે અને વિશ્વાસુ માણસ છે.
અંગદાન:ભેસ્તાનના બ્રેનડેડ વૃદ્ધની કિડનીના દાનથી એક દર્દીને નવજીવન મળશે
ભેસ્તાનના બ્રેનડેડ વૃદ્ધની કિડનીનું દાન કરી પરિવારે એક વ્યક્તિને નવજીવન આપ્યું છે. ભેસ્તાન બાલકૃષ્ણ રો હાઉસ ખાતે રહેતા 66 વર્ષીય રામગોપાલ ભારદ્વાજ નિવૃત્ત હતા. 11 ઓક્ટોબરે તેમને લકવાનો હુમલો થતાં નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મગજની નસ બ્લોક હોવાનું નિદાન થતાં સર્જરી કરવામાં આવી હતી. જો કે, 13મીએ તબીબોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારે અંગદાનની ઈચ્છા હોવાથી ડોનેટ લાઈફ, સોટોને જાણ કરાઈ હતી. સોનોગ્રાફીના રિપોર્ટ મુંજબ તેમની એક જ કિડની સારી હતી તેમજ લિવર પણ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હોવાથી એક કિડનીનું દાન કરાયું હતું. દાનમાં મળેલી કિડનીનું અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
દિવાળી-છઠ માટે સુરત અને ઉધના સ્ટેશનો પર વતન તરફ જતાં મુસાફરોની ભારે ભીડ જામી રહી છે. આ સ્થિતિમાં મુસાફરોને જનરલ ટિકિટ ખરીદવા કાઉન્ટર પર જવાની જરૂર રહેશે નહીં, બુધવારથી બુકિંગ ક્લાર્કો ટિકિટ આપવા મુસાફરો સુધી પહોંચ્યા હતા. પ્લેટફોર્મ અને પેસેન્જર હોલ્ડિંગ વિસ્તારમાં મોબાઇલ મોબાઇલ ટિકિટિંગ ડિવાઇસ (TVS મોબાઇલ UTS મશીનો) દ્વારા ટિકિટ જારી કરવાની સુવિધા મંગળવારથી શરૂ થઈ હતી. પહેલા દિવસે 1,500 જનરલ ટિકિટ જારી કરાઈ હતી. ઉધનામાં અનરિઝર્વ્ડ બુકિંગ ક્લાર્ક વિભાગને આવા છ મોબાઇલ ડિવાઇસ અપાયા છે. આ વર્ષે ભીડનું સરળ સંચાલન કરી નાસભાગ ટાળવા માટે આ સિસ્ટમ લાગુ કરાઈ છે. ક્લાર્ક હવે મુસાફરો પાસે જઈને ટિકિટ આપી રહ્યા છે, જેનાથી સમય બચે છે અને સ્ટેશન પરિસરમાં ભીડ થતી નથી. પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર વિસ્તારમાં રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છેસ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે વધારાનો સ્ટાફ તૈનાત કરાયો છે. પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર વિસ્તારોમાં રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરાયું છે. સ્ટેશન પરિસરમાં હોલ્ડિંગ એરિયા, પીવાના પાણીની વ્યવસ્થા, વધારાની ટિકિટ બારીઓ અને ઇમરજન્સી એન્ટ્રી-એક્ઝિટ ગેટ બનાવાયા છે. 10થી 14 ઓક્ટોબર 33થી વધુ ટ્રેનોમાં 56,000 મુસાફરો યૂપી-બિહાર વતન તરફ પહોંચ્યા10થી 14 ઓક્ટોબર સુધીમાં ઉધના સ્ટેશનથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા માટે ૩૦ નિયમિત અને ખાસ ટ્રેનો રવાના થઈ હતી, જેમાં ત્રણ અનરિઝર્વ્ડ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં ૫૬,૦૦૦ થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાંથી આશરે ૩૦,૦૦૦ મુસાફરોએ સામાન્ય ટિકિટ પર મુસાફરી કરી હતી.
ધારાસભ્યના ગંભીર આક્ષેપો:નર્મદામાં 60 કરોડના કામોને બિનજરૂરી ખર્ચમાં ગણાવી ભ્રષ્ટાચાર : ચૈતર વસાવા
નર્મદા જિલ્લા સેવાસદન ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્નના કામોના આયોજન ની બેઠક યોજાઈ હતી. આ બેઠક બે વાર રદ થઈ ને ત્રીજી વાર યોજાઈ હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા, ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જિલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત પેટર્ન યોજનામાં જિલ્લામાં તાલુકા વાઇસ થયેલા આયોજનમાં 17 કરોડના દેડીયાપાડામાં વિકાસના કામોનું જ્યારે સાગબારા તાલુકામાં 11 કરોડનું આયોજન હતું. જેમાં 90 ટકા કામો લોક ઉપયોગી બિનજરૂરી ખર્ચમાં ગણાવી કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને પોષવાનો સીધો ધંધો આયોજનની યાદીમાં દેખાતો હોય બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા અને પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટર પર ગંભીર આક્ષેપ કરતા બેઠકમાં ગરમાવો વધ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રભારી મંત્રી એવા ભીખુસિંહ પરમાર સામે આક્ષેપ કરી બોલ્યા કે તેમણે એમના જ મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપી દીધા છે.વડોદરા,સુરત અને અમદાવાદ ની વિવિધ ખાનગી એજન્સીઓને કરોડો રૂપિયાના બિન જરૂરી કામો આપી મંત્રી એ ભ્રષ્ટાચાર આચર્યો છે અને અધિકારીઓ પણ તેમના કમિશનો લઈને બેસી ગયા હોવાની વાત કરી ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખેતી લાયક કામો કરાવતા નથી આ યોજનાઓમાં માત્ર ભ્રષ્ટાચાર થાય છે કામો થતા નથી એટલે આ તમામ સામે મારો વિરોધ છે.
ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે કરવામાં આવશે. 17 ઓક્ટોબર શુક્રવારના રોજ બપોરે 12:30 વાગ્યા આસપાસ વિજય મુહૂર્તમાં શપથ સમારોહ યોજવામાં આવશે. સમાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી, એને બદલે આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું. જોકે, અચાનક આજે મળનારી કેબિનટ પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ મળે એવી સંભાવના છે. બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ દ્વારા રાજીનામું આપી દેવામાં આવી શકે છે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય મહા મંત્રી સુનિલ બંસલ રાત્રે પહોંચશે, કમલમમાં બેઠક કરશેમંત્રી મંડળના વિસ્તરણ પહેલા ભાજપના કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને બે દિવસ સુનિલ બંસલ ગુજરાતમાં રોકાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આજે 16 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ધારાસભ્યો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક કરી શકે છે. જેપી નડ્ડા અને અમિત શાહ આવે એવી સંભાવનાકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ગુજરાત આવે તેવી ચર્ચા જાગી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આજે મોડી સાંજે અથવા રાત્રે ગુજરાત આવશે. રાજ્યપાલનો વતન પ્રવાસ ટૂંકાવાયોગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ અનિવાર્ય રીતે ટૂંકાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ગેરહાજરીમંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ મંગળવાર અને બુધવારે એમ બે દિવસ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 11 વાગ્યે મુંબઈ જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગ્યે પરત ફરી શકે છે. સૌરાષ્ટ્રનું વજન વધવાની સંભાવનાસચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત આપના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુભાઈ પટેલને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુભાઈ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વના પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતારાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે. ગોપાલ ઈટાલિયા ફેક્ટરને ધ્યાનમાં રખાશેમંત્રીમંડળમાંથી કયા મંત્રીની હકાલપટ્ટી કરવી અને કોને એન્ટ્રી આપવી એનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરતા હોય છે, પરંતુ એવી અટકળો થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનોની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે, જેમાં ગોપાલ ઈટાલિયાને પણ ખાસ ધ્યાનમાં રખાશે. સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે. કયા મંત્રી પડતા મુકાઈ શકે છે ?કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયા, ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓ પડતા મુકાવાની શક્યતા છે એમાં મત્સ્ય અને પશુપાલના મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે. વિસ્તરણ અંગે રાઘવજી પટેલે કોમેન્ટ કરવાનું ટાળ્યુંદિવાળી પહેલા જ મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલેને મંત્રીમંડળમાંથી પડતા મુકાય એવી શક્યતા છે. આજે ગોધરામાં યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાઘવજી પટેલને જ્યારે વિસ્તરણ અંગે સવાલ કરાયો ત્યારે તેમણે કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું. કયા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતા ? પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી(રાજુલા), સાવરકુંડલા ધારસભ્ય મહેશ કસવાલા અથવા તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં ધર્મપત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અમરેલી જિલ્લાના ત્રણ ચહેરા ચર્ચામાંસૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં એપીસેન્ટર રહેલા અમરેલી જિલ્લામાંથી પણ કોઇ એકને મંત્રીપદ મળી શકે છે. વર્ષ 2017માં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી, જોકે વર્ષ 2022ની વિધાનસભામાં ભાજપે કોંગ્રેસનો એકદમ સફાયો કરી દીધો હતો. આ ઉપરાંત નગરપાલિકાથી લઇને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો જ ભગવો લહેરાયેલો છે. બીજી તરફ પાટીદાર અને કોળી સમાજનું અહીં હંમેશાં પ્રભુત્વ રહ્યું છે. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠક પર પાટીદાર ધારાસભ્યો છે, જ્યારે એક બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે. કોળી સમાજમાંથી આવતા અને રાજ્ય સરકારમાં વર્તમાનમંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી જો તેમને રિપીટ ન કરવામાં આવે તો કોળી સમાજમાંથી આવતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને મંત્રીપદ મળી શકે છે. બીજી તરફ જો પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી આવતા કૌશિક વેકરિયા અથવા મહેશ કસવાલા બેમાંથી એક પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે. વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રખાશેજિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર અને પૂર્વ નેતાઓ નારાજ હોવાથી વ્યક્તિગત કાર્યાલયો ખોલી દીધાં છે અને તેમણે આવનારા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી ચૂંટણીમાં પક્ષપલટો કરી વર્તમાન ધારાસભ્યો સામે ચૂંટણી લડવા થનગનાટ કરી રહ્યા હોય એવો પણ સ્થાનિક લેવલે ગણગણાટ શરૂ થઇ ગયો છે. જિલ્લાની ધારી બેઠક જૂનાગઢની વિસાવદર બેઠકને અડીને આવેલી હોવાથી અહીં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ અવરજવર વધી ગઇ છે, જેને લઇને કેટલાક સિનિયર આપમાં જોડાઇ જાય એવી પણ સ્થિતિ ઊભી થઇ શકે છે, જેની માહિતી હાઇકમાન્ડમાં પહોંચી હોવાથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનું પણ ગણિત શઇ શકે છે.
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ફિલ્મફેરમાં અધિકારીઓની મોજ તો બંદોબસ્તમાં પોલીસકર્મીઓ ભૂખ્યા-તરસ્યાઅમદાવાદના યોજાયેલા ફિલ્મફેર એવોર્ડના અનેક VVIP હાજર રહ્યા હતા. ત્યારે એવોર્ડ નિહાળવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા. કેટલાક અધિકારીઓ ભૂલથી રેડ કાર્પેટ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મીડિયાએ અધિકારીઓને ફોટો વીડિયો લઈ લીધા હતા તો કેટલાક અધિકારીઓ મીડિયાને જોઈએ ઊભા પણ ન રહ્યા અને નીચું જોઈને ફાટફાટ અંદર જતા રહ્યા હતા. તો બીજી તરફ આ એવોર્ડમાં બંદોબસ્તમાં આવેલા પોલીસકર્મીઓએ રોડ પર ખડેપગે ફરજ બજાવી હતી, પરંતુ પોલીસકર્મીઓને ફરજ દરમિયાન જમવાનું કે નાસ્તાની પણ વ્યવસ્થા ન મળી. જ્યારે બંદોબસ્તમાં આવેલા અધિકારીઓએ પેટ પૂજાની પોતાની વ્યવસ્થા તો જાતે જઈને પણ કરી લીધી હતી. અધિકારી ખખડાવે છતાં PI સાહેબના શહેરમાં ચાલતા જુગાર સામે આંખ આડા કાનબાપુના ગુજરાતમાં દારૂબંધી તો છે છતાં તેનો પૂરો અમલ થતો નથી, ત્યારે હવે અમદાવાદમાં બાપુના નગરમાં હવે ડિજિટલ માધ્યમથી ગેરકાયદેસર ગેમિંગ પણ શરૂ થઈ છે. અલગ અલગ ધાર્મિક યંત્રોના નામે ચાલતો જુગાર અગાઉ કાયદેસર અને ગેરકાયદેસર હોવાની ગેરસમજ ઉભી થઈ હતી. જોકે આખરે યંત્રથી ચાલતો જુગાર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં બંધ કરાવવામાં આવ્યો હતો, પરંતુ પૂર્વના એક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બેફામ યંત્રોના નામે જુગારધામ ચાલી રહ્યા છે જેને લઈને સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. આ વિસ્તારના પીઆઇ પણ ક્યારેક ઉચ્ચ અધિકારીઓની સૂચનાનું ગંભીરતાથી પાલન ન કરતા અધિકારીઓ દ્વારા તેમને ખખડાવવામાં આવ્યા હતા છતાં પીઆઇ પોતાની મરજીથી કામ કરી રહ્યા છે. પીઆઇ આવ્યા તે અગાઉથી યંત્રોથી જુગાર ચાલી રહ્યો હતો જે તેમને આવ્યા બાદ પણ ચાલુ રહેવા દીધો છે. મારામારીના કેસમાં બંને પક્ષ સમાધાન માટે તૈયાર છતાં ACP સાહેબને ફરિયાદમાં રસસુરતના દરિયાકિનારે આવેલા એક પોલીસ સ્ટેશનમાં હાલમાં જ મારામારીનો એક કિસ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જોકે, આ હાઇ પ્રોફાઇલ મારામારીની ઘટના બાદ બંને પક્ષો સમાધાન કરવા માટે લગભગ તૈયાર થઈ ગયા હતા, પરંતુ આ વચ્ચે એસીપીની એન્ટ્રી થઈ. બંને પક્ષ લગભગ સમાધાનના મૂડમાં હતા, પણ સમાધાન ન થાય તે માટેના એસીપી પ્રયત્ન કર્યા. ડિગ્રી વગરના વકીલ તરીકે આખા શહેરમાં પ્રખ્યાત અધિકારીના દબાણને કારણે ફરિયાદીને ફરિયાદ દાખલ કરવી પડી હતી. યુવકના મોત મામલે પોલીસે પરિવારની ફરિયાદ ન લઈ આંખ આડા કાન કર્યાઅમદાવાદમાં થોડા સમય અગાઉ એક ઇન્ડસ્ટ્રીની બેદરકારીના કારણે નિર્દોષ યુવકનું મોત થયું છે. મૃતકના પરિવારે પોલીસ સ્ટેશનમાં મોત મામલે ફરિયાદ નોંધાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા હતા છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નહોતી. ઇન્ડસ્ટ્રી સામે ફરિયાદ લેવાની હોવાથી પોલીસ ઢીલ મૂકી રહી હોવાની ચર્ચા જોર પકડ્યું છે. પરિવારે દીકરો ગુમાવ્યો છતાં પોલીસ તપાસનું રટણ કરીને કયા કારણથી ફરિયાદ નથી લઈ રહી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ વિસ્તારમાં શહેરના છેવાડે અને ઇન્ડસ્ટ્રીની વચ્ચે હોવાથી અનેક બાબતમાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ગુનેગારોને પકડવા કરતા બે પોલીસકર્મીને કારમાં બેસી સોડા પીવામાં વધુ ઇન્ટરેસ્ટપાર્કિંગની માથાકૂટ અને હપ્તા વસૂલી કરનાર ગેંગ હાલ સુરતમાં એક્ટિવ થઈ છે, પરંતુ ગેંગના મુખ્ય સૂત્રધારને પકડી પાડવામાં હજુ પણ ખાડી નજીક આવેલા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓને રસ નથી. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનાર આરોપીઓ અંગે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી નથી, જેના કારણે તેમના જ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીઓ જણાવી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની અંદર કામ કરવાની જગ્યાએ, પોતાની કારની 'છત્ર' નીચે 'સોડા' પીને બે કર્મચારીઓ વધારે કેસોની વિગતો મેળવતા હોય છે. ચર્ચા એ પણ છે કે કેસોનો નિકાલ કઈ રીતે કરવો, આ માટે તેમની એક ખાનગી ઓફિસ પણ છે. આ ઓફિસ નજીકથી ટ્રેન પણ પસાર થતી હોય છે.
કરોડોની ઠગાઈ:શેરબજારમાં રોકાણ માટે ભાગીદારી પેઢી શરૂ કરી CA અને તેની પત્નીની રૂ. 2.67 કરોડની ઠગાઈ
સરથાણામાં પ્રીતિ ઇન્વેસ્ટમેન્ટના નામે ભાગીદારી પેઢી શરૂ કરીને શેર બજારમાં રોકાણ કરવાના બહાને પૈસા લઇને ભાગીદાર સાથે રૂ.2.67 કરોડની છેતરપિંડી કરનાર સી.એ દંપતિ સામે સરથાણા પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. અડાજણ સમર્થ પાર્ક શક્તિ ટાવરમાં રહેતા મહેશકુમાર ખુશાલચંદ જાજુએ 2023માં સી.એ નરેન્દ્રભાઇ બાથાણીના ઘરે ગયા હતા. તેમની મુલાકાત વરાછા મીનીબજાર ખાતે ચિત્રકુટ સોસાયટીમા રહેતા સી.એ માર્શલ કનુ સરખેદી અને તેની પત્ની નિધી કનુ સરખેદી સાથે થઇ હતી. દરમિયાનમાં માર્શલે શેરબજારમાં રોકાણ માટેની વાત કરી હતી.જેમાં તે તથા તેની પત્ની અને વેપારી મહેશકુમાર અને બાબુભાઇ ધામલીયા સાથે મળીને શેરબજારમાં રોકાણ માટેની કંપની શરૂ કરવાની વાત હતી. જેમાં માર્શલ તથા તેની પત્ની નિધીનો 10% હિસ્સો હતો. મહેશકુમાર અને બાબુભાઇનો 45-45 ટકા હિસ્સો હતો. નુકસાન થયું છતાં નફો થયાનું બતાવ્યુંમહેશકુમારે આ કંપનીમાં ટુકડે ટુકડે રૂ.4.35 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેમાંથી સરખેદી દંપતિએ તેમને નફાના નામે રૂ 1.75 કરોડ પરત આપ્યા હતા. જોકે, બાદમાં નફો થયો હોવાનું બોગસ લેઝર તથા સ્ક્રીપ્ટવાઈઝ ગ્લોબલ રિપોર્ટ બનાવીને આપ્યું હતું. હકિકતમાં કંપનીને શેરબજારમાં નુકસાન થયું હતું. આખરે મહેશકુમારે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
કાયમી શિક્ષક મળશે:સરકારી પ્રાથમિક શાળાને દિવાળી બાદ 227 કાયમી શિક્ષક મળશે
ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં તે માટે તાજેતરમાં ભરૂચના ઝાડેશ્વરમાં શિક્ષણ વિભાગે કેમ્પ યોજીને 161 નવા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ 227 કાયમી શિક્ષકની ભરતી કરાશે. પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી મુજબ 135 શિક્ષક સમાજવિદ્યા અને 92 શિક્ષક ભાષાના વિષય માટે પસંદગી પામ્યા છે. આ તમામ 227 શિક્ષકો દિવાળી વેકેશન બાદ શાળાની પસંદગી કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી પ્રાથમિક શાળામાં સમાજવિદ્યા અને ભાષાના શિક્ષકો મળતા વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળી રહેશે. આમ શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે.સાથે શિક્ષણ સમિતિના ચેરમેને સરકારમાં શિક્ષકો માટે રજૂઆત કરતાં હોય છે. જેના પરિણામે ભરૂચ જિલ્લામાં અવાર નવાર શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી:કેવડિયામાં ટેબ્લો સહિતની કામગીરી શરૂ કરાઇ
રાષ્ટ્રીય એકતા દિવસ તથા સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની ઉજવણીની તૈયારીઓનો કેવડિયામાં પ્રારંભ થઇ ચૂકયો છે.બુધવારે કલેક્ટર એસ.કે.મોદીએ રેવા ભવનની બાજુમાં આવેલા મેદાન પર ટેબ્લો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી પુરવઠા વિભાગ દ્વારા મેદાન પર સ્ટેન્ડપોસ્ટની સ્થાપના, નગરપાલિકા દ્વારા મોબાઇલટોયલેટની વ્યવસ્થા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેદાન લેવલિંગ અને લાઈટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.તેવી જ રીતે ગરૂડેશ્વર મામલતદાર તરફથીવિવિધ રાજ્યોમાંથી આવનારી ટીમો માટે રહેઠાણ તથા લેબર શેડની વ્યવસ્થા હાથ ધરાઈ છે.કલેક્ટરે તમામ વિભાગોને સુચના આપી આયોજનને સફળ બનાવવા માટે દરેક વિભાગ એકબીજા સાથે સતત સંકલનમાં રહે અને આગામી દિવસોમાં આ સ્થળ એકતા, સમર્પણ અને વિકાસનું પ્રતિક રૂપ બની રહે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.આગામી દિવસોમાં આ મેદાન એકતા અનેસમર્પણના ભાવનું પ્રતિક બની રહે તે દિશામાં ઝડરભેર કાર્ય થઈ રહ્યું છે.
લૂંટ:લિંબાયતમાં વેલ્ડરના ગળે ચાકુ મુકી 7 હજારની લૂંટ
લિંબાયતમાં રહેતા મોહમ્મદ ઈકબાલ આરીફ ગયાસુદ્દીન સિદ્દીકી લિંબાયત કાંતિનગરમાં વેલ્ડિંગની દુકાન ધરાવે છે. તા.3-10-2025ના રોજ માથાભારે આસિફ ખાન ઈસરત ખાન પઠાણ (રહે ગોવિંદ નગર લિંબાયત) તથા તેના સાગરીત તાલીબ તલવાર, નાસીર શેખ અને નેહાલ પીંજારી સાથે આવ્યો હતો. હપ્તો માગી ગળે ચાકુ મૂકી 7 હજાર લૂંટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
છેતરપિંડી:કારખાનેદાર સાથે વેપારીની રૂ. 10.33 લાખની છેતરપિંડી
ખટોદરા સ્થિત સોમા કાનજીની વાડીમાં આવેલા સાડીના બોક્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર પાસેથી ઉધારમાં રૂ.10.33 લાખની કિંમતના બોક્સ ખરીદી તેના નાણા નહીં ચૂકવી છેતરપિંડી કરનાર રિંગરોડ રઘુકૂળ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સામે છેતરપિંડી કરી હતી. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા એલ.એચ.રોડ સ્થિત હેપ્પી બંગ્લોઝમા રહેતા હરેકૃષ્ણા સુરેશચંદ્ર પરીખ ખટોદરા સોમા કાનજીની વાડી સોરઠીયા કમ્પાઉન્ડ સિધ્ધી વિનાયક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સહજાનંદ એન્ટરપ્રાઈઝના નામથી સાડીના પેકિંગ બોક્સ બનાવવાનું કારખાનું ધરાવે છે. વર્ષ 2022માં તેમનો સંપર્ક રિંગરોડ ખાતે આવેલી રધુકૂળ ટેક્સટાઇલ માર્કેટમાં આદીલશક્ષી પ્રિન્ટ્સના નામે કાપડનો ધંધો કરતા અજય મહાદેવ જયસ્વાલ (રહે, અકાશ ઈક્કો પોઈન્ટ અલથાણ) સાથે થયો હતો. પહેલા અજયે ઉધારમાં બોક્સ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં તા.6 એપ્રિલ 2022 થી 9 નવેમ્બર 2023 દરમિયાનમાં અજયે રૂ.10.33 લાખની કિંમતના બોક્સ ઉધારીમાં ખરીદ્યા હતા. નિયત સમયમાં તેણે પેમેન્ટ નહીં કરતા કારખાનેદાર હરેકૃષ્ણાએ ઉઘરાણી શરૂ કરી હતી. જ્યારે અજયે પહેલા બહાના બનાવ્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ઉંચા કરી દીધા હતા. આખરે હરેકૂષ્ણ પરીખે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
ગોઝારો અકસ્માત:કામરેજ ટોલનાકા પાસે ટ્રક અડફેટે આધેડનું મોત
કામરેજ ટોલનાકા પાસે પુરપાટ ઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે બાઈક સવાર આધેડને અડફેટમાં લઈ કચડી નાંખતા આધેડનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કામરેજ ધોરણ પારડી, નવી પારડી ખાતે રહેતા 55 વર્ષીય સતબીર હનુમાનરામ જાટ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મંગળવારે તેઓ બાઈક પર બેંકમાં કામ અર્થે જવા નીકળ્યા હતા. તેઓ કામરેજ ટોલનાકા પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે તેમને અડફેટમાં લઈ કચડી નાંખતા સતબીરભાઈનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉતરાણ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઠગાઈ:સ્મીમેરના આસિ. પ્રોફેસર સાથે રોકાણના નામે 21 લાખની ઠગાઈ
સાઇબર હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસરે ઊંચા વળતરની લાલચમાં 21.45 લાખની રકમ ગુમાવી છે. આ અંગે સાઇબર ક્રાઇમમાં આસિસ્ટન્ટ પ્રોફેસરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી અલગ અલગ મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. રાંદેરમાં રહેતા 29 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર પર 15મી માર્ચએ ટેલિગ્રામ એપ્લિકેશનમાં એક ગૃપમાં એડ થયા હતા. જે ગૃપ ટોબી વલ્કર અને નેન્સી ચલાવતા હતા. આ ગૃપમાં ક્રિપ્ટો કરન્સીને લે-વેચ અને ટ્રેડીંગમાં સારો નફો થશે એવી લોભામણી જાહેરાત કરી હતી. પછી બીજા દિવસે યુએસડીટી બીટીસી ક્રિપ્ટો કરન્સીમાં 120 સેકન્ડમાં ટ્રેડ કરવા જણાવ્યું હતું. ટોબી વલ્કર અંદાજે 3-4 ગૃપમાં ટ્રેડ કરાવતા હતા. આસિસ્ટન્ટ પ્રોફેસરે આવી ઠગ કંપનીની વાતમાં આવી શરૂઆતમાં 10 હજારની રકમ રોકાણ કરાવી હતી. ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસરે 15મી માર્ચ-25 થી 22મી જુલાઇ-25 સુધીમાં ટુકડે ટુકડે કરી 21.45 લાખની રકમ પડાવી હતી. વધુમાં આસિસ્ટન્ટ પ્રોફેસરે રકમ ઉપાડવા માટે અરબીટ હેલન ઈન્વેસ્ટેમેન્ટ નામની કંપનીના નામે ટેક્ષ ભરવા માટે કહ્યું હતું. એટલું જ નહિ 8 ટકા ટેક્ષની રકમ ભરવાની વાત કરી હતી. છેવટે ચીટીંગનો ભોગ બનેલા આસિસ્ટન્ટ પ્રોફેસરે સાઇબર ક્રાઇમના ટોલ ફી નંબર ફરિયાદ કરી હતી.
સપાટીમાં ઘટાડો:નર્મદા ડેમ 138.29 મીટરે પહોંચી 24 કલાકમાં 15 સેમીનો ઘટાડો થયો
સરદાર સરોવર નર્મદા બંધ ની જળસપાટી 138.29 મીટર પર પહોંચી છે. પાણીની આવક 6424 ક્યુસેક થાય છે. જ્યારે પાણીની જાવક 46,933 ક્યુસેક છે. એટલે આવક કરતા જાવક વધારે નોંધાતા સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં આવેલ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ બંધ થતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાડો થયો. આમ પાણીની આવક બંધ થતા ડેમના તમામ દરવાજા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. નવમાં નોરતાએ નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો. ઉપરવાસમાં આવેલા ડેમોના વીજ ઉત્પાદન મથકો બંધ કરી દેવામાં આવતા સરદાર સરોવરમાં પાણીની આવક નજીવી થઇ છે. નર્મદા ડેમના પાવર હાઉસ ચાલુ રાખી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આવકની સામે જાવક વધારે હોવાથી નર્મદા ડેમની સપાટીમાં 15 સેમીનો ઘટાડો નોંધાયો છે.
સુરત સહિત રાજ્યભરની પ્રાઇમરી સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટેની TET-1 આગામી 14 ડિસેમ્બર, 2025ના યોજાનારી છે. જે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ 29 ઓક્ટોબરથી ભરાશે. આ કાર્યવાહી સીધી 12 નવેમ્બર સુધી ચાલનારી છે. આ જ મામલે રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરનામુ બહાર પાડ્યું છે.અહીંયા TET-1ની પરીક્ષા બાદ TET-2ની પરીક્ષાનું જાહેરનામુ જાહેર થવાની વાત જણાય આવી છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષક સાથે વિદ્યાસહાયકની નિમણૂકના નિયમો શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ-1 થી 5ની પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક કે પછી વિદ્યાસહાયક બનવા માટેની લાયકાત મેળવવા માટે ટિચર એલિજિબિલિટી ટેસ્ટ-1 એટલે કે TET-1 પાસ હોવું ફરજિયાત છે. જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં આવે છે. આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી મારફતે કરાશે. દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેર કરેલા જાહેરનામા અનુસાર ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની કાર્યવાહી 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 નવેમ્બર સુધી ચાલશે. ફોર્મ ભરવા સાથે નેટ બેંકિંગ મારફતે ફી સ્વીકારવાની કામગીરી પણ 29 ઓક્ટોબરથી જ શરૂ કરાશે અને 14 નવેમ્બર સુધી ફી ભરી શકાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર છે. ધોરણ-1થી 5ની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ઉમેદવારોએ નક્કી થયેલી શૈક્ષણિક અને તાલીમી લાયકાત મેળવવી જરૂરી છે. જેમાં ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ-12 પાસ અને તાલીમી લાયકાતમાં બે વર્ષ પીટીસી અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશનનો કોર્ષ કરેલો હોવો જોઈએ. પરીક્ષા ત્રણ ભાષાઓમાં લેવામાં આવશેટેટ-1માં બહુવિકલ્પ અને હેતુલક્ષી પ્રશ્નો હશે. હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને તેના જવાબો લખવા 120 મિનિટનો સમય અપાશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. પરીક્ષા માટે કેટેગરીના ઉમેદવારોની ફી રૂ. 250 નક્કી કરવામાં આવી છે. જ્યારે જનરલ ઉમેદવારોએ રૂ. 350 ફી ભરવાની રહેશે. આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભર્યું હશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર અપાશે.
અનોખી પહેલ:દિવાળીમાં ખંડિત મૂર્તિઓ કે તૂટી ગયેલા ધાર્મિક ફોટાઓ ‘ભગવાન રક્ષા પેટી’માં એકત્રિત કરાશે
સૌ પ્રથમ સુરતમાં ભગવાન રક્ષા પેટી સત્ય સેવા જીવદયા ટ્રસ્ટની અનોખી પહેલ કરવામાં આવી છે. દરેક ઘરોમાં દિવાળીની સાફ-સફાઈ થાય ત્યારે ખંડિત થયેલી મૂર્તિઓ તૂટી ગયેલી ભગવાનના ફોટાની ફ્રેમ અથવા તો અન્ય કોઈપણ ધાર્મિક સામગ્રીઓ કચરામાં ફેકવાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હોય છે. તેથી લોકો કોઈ મંદિરના દરવાજા પર, તાપી કિનારે અથવા તો કોઈ વૃક્ષના સ્થળ નીચે મૂકીને જતા રહેતા હોય છે. તેના કારણે તે સ્થળ પર ગંદકી અથવા કચરો જમા થઈ જાય છે તે વાતને ધ્યાનમાં લઈને લોકોની શ્રદ્ધા પણ સચવાય અને શહેરની સ્વચ્છતા પણ જળવાય તે હેતુથી સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ અડાજણ દ્વારા સૌ પ્રથમવાર શહેરમાં ભગવાન રક્ષા પેટી સ્થાપિત કરવામાં આવી છે. આ અનોખી પહેલનો હેતુ એ છે કે ભગવાનના ખંડિત ફોટા, પ્રતિમા અથવા પૂજા સામગ્રીનું સન્માનજનક વિસર્જન થઈ શકે. ટ્રસ્ટ તરફથી ભગવાનના ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ રક્ષા પેટી દ્વારા લોકો પોતાના ઘરમાંથી ખંડિત ભગવાનની પ્રતિમાઓને ધાર્મિક રીતે વિસર્જિત કરી શકશે. ઓમ તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિર, પાલ ઉમરા પુલની બાજુમાં, પાલ આરટીઓ બાજુમાં આ પહેલ સુરતના ધાર્મિક અને સામાજિક જાગૃતિ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, જેનાથી લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવશે. ગત વર્ષે દરેક ઝોન, વોર્ડ ઓફિસે આ પ્રવૃત્તિ થતીગત વર્ષે મેયર દક્ષેશ માવાણીએ પણ દરેક ઝોન અને વોર્ડ ઓફિસોમાં ધાર્મિક ચીજવસ્તુઓ જમા કરાવવા અપીલ કરી હતી. જ્યાં ઘણા ફોટા, મંદિરો, ખંડિત મૂર્તિઓ વગેરે આવતું પરંતુ, ‘આરંભે શુરા’ જેવો ઘાટ સર્જાયા બાદ પાલિકાએ પણ ધ્યાન આપ્યું નહીં અને જનતા પણ જાગૃત થઈ નહી. નદી કિનારે સાંસદ દ્વારા મુકેલા કળશ ગાયબવર્ષો પહેલા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી તાપી નદીના દરેક ઓવારા પર ધાર્મિક ચીજ-વસ્તુના નિકાલ માટે કળશ મુકવામાં આવ્યા હતા. પરંતુ સમય જતો આજે કોઈ કિનારા પર આ કળશનું નામો નિશાન પણ જોવા મળતું નથી. ગૌસેવક ટ્રસ્ટદ્વારા સિદ્ધ કુટીર ખાતે પેટી મુકાઇ છેકાપોદ્રા સિદ્ધ કુટીર ઓવારા ખાતે તાપી કિનારે ગૌસેવક ટ્રસ્ટ દ્વારા એક પેટી મૂકવામાં આવી છે તેના લીધે લોકો તે પેટીમાં બધુ મુકતા થયા છે. નદી કિનારો સાફ રહે છેલ્લા અમુક સમયે બધું એકત્ર થાય ત્યારે ભૂદેવને બોલાવી વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે.
પશ્ચિમ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ છે. માંડવી તાલુકાના કોડાય ગામના બે મિત્રો અને ધંધાના પાર્ટનર ગાડીમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં પૈસા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈને રાજપર નજીક હત્યા કરવામાં આવી હતી.બનાવને અંજામ આપી આરોપી સામેથી હાજર થયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગઢસીશા-રાજપર રોડ પર રાજપર ગામની સીમમાં બુધવારે સવારે આ બનાવ બન્યો હતો. માંડવી તાલુકાના કોડાય ગામમાં રહેતા 46 વર્ષીય વિજય મનુભાઈ વૈષ્ણવ અને ગામમાં રહેતા પરિમલ બિહારીલાલ પંડ્યા બંને આજુબાજુમાં રહે છે અને સારા મિત્રો સાથે નાના મોટા કોન્ટ્રાકટ રાખી ધંધામાં પાર્ટનર છે. બુધવારે સવારે બંને બોલેરોમાં બેસીને ગઢસીસા તરફ જતા હતા ત્યારે રસ્તામાં નાણાંની લેતી દેતીના હિસાબ મામલે બંને વચ્ચે માથાકૂટ થઈ ત્યારે ઉશ્કેરાઈને રાજપર રોડ પર ગાડી ઉભી રખાવી આરોપી પરિમલ પંડ્યાએ વિજય વૈષ્ણવના ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બનાવ અંગે હતભાગીના પિતા મનુભાઈએ કોડાય પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, આરોપી પરિમલ બિહારીલાલ પંડ્યાએ પૈસાની લેતીદેતી મામલે રાજપર નજીક પુત્ર વિજય સાથે ઝઘડો કરી ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી મોત નીપજાવ્યું હતું. આ બનાવ અંગે ગઢસીસા પીઆઇ આર. બી. ટાપરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મામલે બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રે મહત્વનું છે કે, મંગળવારે નખત્રાણાના વિગોડી ગામે પિતાએ કામ ધંધો કરવાનું કહેતા પુત્રએ પથ્થર મારી હત્યા કરી હતી. જ્યારે બીજા દિવસે રાજપરમાં મિત્ર સાથે ધંધાના નાણાની બોલાચાલીમાં છરી મારી ખુનના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. બંને ઘટનાઓમાં ક્ષણીક આવેશ કારણભૂત રહ્યો છે. સતત બીજા દિવસે હત્યાના બનાવથી અરેરાટી ફેલાઇ હતી. બનાવ બાદ આરોપી સામેથી હાજર થઈ ગયોધંધાના પૈસા બાબતે થયેલી બોલાચાલીમાં રાજપર નજીક આવેશમાં આવીને મિત્રની હત્યા કરી આરોપી પરિમલ સીધો કોડાય પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતે ખૂનના બનાવને અંજામ આપ્યો હોવાની જાણ કરી હતી જોકે ઘટના સ્થળ ગઢશીશા પોલીસ મથકની હદમાં હોવાથી ગઢસીસા પોલીસને જાણ કરાઈ અને પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને ગઢસીસા સીએસસી ખાતે ખસેડી પીએમ સહિતની કાર્યવાહી કરવા સાથે ફરિયાદ નોંધી આરોપીનો કબજો મેળવ્યો હતો.
ઠગાઈ:વરાછામાં ઓફિસ આપવાના બહાને કાર્ટિંગ એજન્ટ સાથે 10 લાખની ઠગાઈ
વરાછા મીનીબજાર ઠાકરોદ્વાર સોસાયટીમાં આવેલી ઓફિસ વેચવાના બહાને મહિલાએ કાર્ટિંગ એજન્ટ પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા બાદ ઓફિસનો દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કર્યાનો બનાવ વરાછા પોલીસમાં નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા એલ.એચ રોડ સ્થિત તિરૂપતિ સોસાયટીમાં રહેતા નિલેશ વિનુભાઇ દૂધાત વરાછા વિસ્તારમાં રેતી કપચીની દલાલીનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના ભત્રિજા ઘનશ્યામની વરાછા મીની બજાર સ્થિત ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા શિવરત્ન કોમ્પ્લેક્ષમાં હીરાની ઓફિસ ધરાવે છે. નિલેશ અવાર નવાર ભત્રિજાની ઓફિસે જતા હતા ત્યારે તેમને આ ઓફિસ વેચવાની હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે ઓફિસના માલિક જાગુતિ બેન મયુર કુમાર વેકરીયા (રહે, તિરુપતિ સોસાયટી યોગીચોક વરાછા) સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમની વચ્ચે ઓફિસના રૂ.10 લાખ નક્કી થયા હતા. આ મિલકતનો જે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો તે મુજબ નિલેશે રૂ. 10 લાખ જાગૃતિબેનને ચૂકવી આપ્યા હતા. જોકે બાદમાં અવારનવાર કહેવા છતાં જાગૃતિબેન દસ્તાવેજ કરી આપતા ન હતા. જેથી નિલેશે પોતાના પૈસા પરત માંગ્યા હતા. પણ જાગૃતિબેને તેમને પૈસા પણ પરત કર્યા ન હતા. આખરે નિલેશ દુધાતે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
રોગચાળો વકર્યો:તાવ, ઝાડા અને ઊલટીના કારણે વધુ ત્રણનાં મોત થયા
શહેરમાં વકરી રહેલા રોગચાળા વચ્ચે વધુ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં હજીરામાં તાવમાં સપડાયેલા યુવકનું તેમજ ઝાડા ઉલટી બાદ આધેડનું મોત નીપજ્યું હતું. તેવી જ રીતે અમરોલીમાં પણ ઉલટી બાદ યુવકનું મોત નીપજ્યું છે. હજીરા મોરા ટેકરા ઘનશ્યામ પાર્ક ખાતે રહેતા 35 વર્ષીય સુશન ઘાઈભાઈ હજીરા વિસ્તારની કંપનીમાં કામ કરતો હતો. બે દિવસથી સુશનને તાવ આવતો હતો. મંગળવારે રાત્રે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં હજીરા સુવાલી એલએન્ડટી કોલોની ખાતે રહેતા 50 વર્ષીય પરશુરામ મહાકુંડને બે દિવસથી ઝાડા થતા હતા. બુધવારે મળસ્કે તેમની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય રમેશ પરમાર છેલ્લા 20 દિવસથી બીમાર હતા અને તેમને ઉલટી થતી હતી. બુધવારે બપોરે તબિયત વધુ લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મંગળવારે લિસ્ટિંગ બાદ રોકાણકારોને ફાળવણી:રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડની આજે NSEમાં રિંગિંગ સેરેમની
પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવા પાલિકાએ બહાર પાડેલો દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ 200 કરોડના ગ્રીન બોન્ડની ગુરુવારે 16 ઓક્ટોબરના રોજ મુંબઇ એનએસઇ ઓફિસ ખાતે રિંગિંગ સેરેનમી રાખવામાં આવી છે. રિગિંગ સેરેનમીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિંગિંગ સેરેનમીમાં ખાસ ઉપસ્થિત રહેશે. મેયર દક્ષેશ માવાણી, સ્થાયી ચેરમેન રાજન પટેલ, મ્યુ.કમિશનર શાલિની અનગ્રવાલ તેમજ એકાઉન્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. 9 ઓક્ટોબરની રોજ આ ઇશ્યુ બંધ થઈ જતાં કુલ 8.05 ગણું (રૂ. 1600 કરોડથી વધુ) સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું. અરજદારોને નિર્ધારિત માપદંડ પ્રમાણે બોન્ડ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ગુરુવારે મુંબઇ ખાતે એનએસઇની ઓફિસમાં બપોરે 12.30 વાગ્યે રિંગીંગ સેરેમની યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. 200 કરોડના લક્ષ્યાંક સામે મળેલા પ્રતિસાદ મુજબ કયુઆઇબી કેટેગરીમાં 8.90 ગણું, એચએનઆઇ કેટેગરીમાં 7.82 ગણું અને રિટેલ રોકાણકારોમાં 5.03 ગણું ભરણું ભરાયું હતું.
સિટી એન્કર:આજથી 8 ડાયરેક્ટરના સ્થાન માટે 20 ઉમેદવારો મેદાનમાં
સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનની અત્યાર સુધીથી સૌથી ચર્ચીત ચૂંટણીની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં કુલ 8 એસઆરસીના ડાયરેક્ટરના પદ માટે 20 પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા ઓનલાઈન મતદાન બાદ 20 કે 21ના તેના પરિણામ જાહેર થઈ શકે છે. અગાઉ ક્યારેય જોવા ન મળ્યા હોય તેવા શહેરમાં વિશેષ વોટિંગ પોલીંગ બુથ પણ શરૂ કરાયા છે. એસઆરસીની આ ચૂંટણીમાં 8 પદ માટે 8-8 સભ્યો ધરાવતી બે પેનલ પ્રોગેસીવ પેનલ અને ભાઈપ્રતાપ પેનલ અને 4 સ્વતંત્ર ઉમેદવાર મેદાને ઉતર્યા છે. જે ચાર સ્વતંત્ર ઉમેદવાર છે તેમાં કંડલા ટિમ્બર એસોશીએશનના પ્રમુખ નવનીત ગજ્જર, મહેશ આહુજા, વિક્રમ ભાટીયા, ઓમપ્રકાશ નાવાણીનો સમાવેશ થાય છે. તો પ્રોગેસિવ પેનલમાં નીલેશ પંડ્યા, કલ્પેશ આહુજા, અનિલ ચંદનાની, ધૃવ દરિયાણી, મહેશ લખવાની, ભરત રાજાણી, હરિચંદ થારવાની, લલિત વિધાણી અને ભાઈપ્રતાપ પેનલમાં નરેશ બુલચંદાણી, મુકેશ બાલાણી, શશીકાંત ધનવાણી, ધર્મેશ દોશી, સંજય જગેસીયા, મુકેશ લખવાણી, સતીષ લાલવાણી, મનિષ ઠક્કરનો સમાવેશ થાય છે. આમ તો એસઆરસીના કુલ 15 હજાર જેટલા શેર છે, પરંતુ ચૂંટણીમાં મતદાન કરવા માટે ઈ મેઈલ આઈડી નોંધાવવાની પ્રક્રિયા છે, જે અનુસાર 7200 જેટલા મત પડશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે. આજે એટલે કે 16 ઓક્ટોબરથી શરૂ થનારી આ ચૂંટણી 17 અને 18 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 18ના એજીએમ મળશે, જેમાં એટલા અલ્પ સમય માટે જે બાકી મતદાતા રહી ગયા હોય તે મતદાન કરી શકસે. ત્યારબાદ સ્કૃટનાઈઝરના નિર્ણય અનુસાર 20 કે 21ના વિજેતાઓથી ઘોષણા થઈ શકે છે. આ ચૂંટણી મુંબઈની બીગ શેર કંપની કન્ડક્ટ કરાવી રહી છે. 20 દિવસ પહેલા હોબાળા બાદ મુલત્વી રહી હતી ચૂંટણીએસઆરસીના બોર્ડના વિસ્તાર માટે આ વખતે 8 ડાયરેક્ટરની જગ્યા માટે ચૂંટણી થવાની હતી, જે માટે 20 ઉમેદવારો મેદાને હતા. પરંતુ ચૂંટણી અધિકારી અને એજન્સીની ઉપસ્થિતિમાં એટલો હોબાળો મચ્યો કે આખો મામલો ટલ્લે ચડી ગયો અને ચૂંટણી એજન્સીએ પણ ચૂંટણી કરાવવાથી પીછે હટ કરી દેતા તેને મુલત્વી રાખવાની ફરજ પડી રહી છે.
ત્રીજા દિવસે ITની તપાસ યથાવત:શેર ટ્રેડિંગ કંપનીમાં 10 હજારથી વધુ સ્ક્રિપ્ટની ચકાસણી કરાઈ
અમૃતસરની આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા શહેરની નામાંકિત શેર ટ્રેડિંગ કંપની પર હાથ ધરેલું સર્ચ ઓપરેશન બુધવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. અધિકારીઓએ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્તાર્ધતાનું સ્ટેટમેન્ટ પણ લીધું હોવાની માહિતી મળી છે. જે રૂપિયા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રોકવામાં આવ્યા છે કે ફેરવવામાં આવ્યા છે તેની ઝીંણવટભરી વિગતો અધિકારીઓ મેળવી રહ્યા છે. અમૃતસરની ટીમને મળેલી બાતમીના આધારે સુરતમાં રિટર્ન ફાઇલ કરતી શેર ટ્રેડિંગ કંપની પર તપાસ કરવામાં આવી હતી. ત્રીજા દિવસે પણ અમૃતસરથી આવેલા અધિકારીઓ શેર ટ્રેડિંગના ડેટા ચેક કરવાનું ચાલુ રાખ્યું હતું. અંદાજે 10 હજારથી વધુ સ્ક્રિપ્ટ ચેક કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અધિકારીઓએ એક ખાસ ફંન્ડિગ મામલે તપાસ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દિવસભર આ જ કાર્યવાહી ચાલી હતી. બીજી તરફ શેર બજારમાં ટ્રેડિંગ પણ ચાલુ હોવાથી અધિકારીઓએ કેટલાક ડોકયુમેન્ટ અને કોમ્પ્યુટર જપ્ત કરી પોતાની તપાસ આગળ ધપાવી હતી. અધિકારીઓની તપાસ ચાર દિવસ ચાલે એવી સંભાવનાગુરુવારે તપાસનો ચોજો દિવસે છે અને મોડી સાંજ સુધી તપાસ ચાલે એવી સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત, શનિ અને રવિના રોજ માર્કેટ બંધ રહેતું હોય છે. આ સ્થિતમાં અધિકારીઓ સુરત રોકાય પણ શકે છે. અમૃતસરની ટીમ સાથે સુરતના સ્થાનિક અધિકારીઓ પૈકી ઘણા જ જુજ તપાસમાં જોડાયા છે.
‘સ્વચ્છ-સુંદર શહેર’ યોજના હેઠળ આયોજન:ડુંભાલ ખાડી કિનારે વોક-વે અને સેલ્ફી પોઇન્ટ બનાવાશે
ખાડી કિનારે ઠલવાતાં એંઠવાડની સફાઇ બાદ પણ ગંદકીથી ઉભરાતા ન્યુસન્સ સ્પોટને હવે બ્યુટિફિકેશન કરી જાગૃતિ લાવવાનું આયોજન નક્કી કરાયું છે. સરકારની ‘સ્વચ્છ અને સુંદર શહેર’ યોજના અંતર્ગત ડુંભાલના નિર્માણાધિન હેલ્થ સેન્ટરની પાછળ ખાડી કિનારે વોક-વે, સેલ્ફી પોઇન્ટ, એકસરસાઇઝ ઝોન અને ચિલ્ડ્રન પ્લે એરિયાનું 1.10 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવા તૈયારી દર્શાવાઇ હતી. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન ભાઇદાસ પાટિલે કહ્યું કે, ટીપી-33 ડુંભાલના ફાઇનલ પ્લોટ નં-R3 પૈકીની ખાડી કિનારેની વિશાળ જમીન ઉપર લોકો એંઠવાડ ઠાલવી જાય છે. વિભાગ દ્વારા સફાઇ કરવા છતાં અવાર-નવાર થઇ રહેલી ગંદકીનાં લીધે રાહદારીઓ પરેશાન છે. જેને પગલે ખાડી કિનારેના ગ્રીન સ્પેશ અને નિર્માણાધિન ડુંભાલ હેલ્થ સેન્ટરની પાછળ લોકો બેસી શકે અને ખુલ્લા વાતાવરણમાં વોકિંગ કરી શકે તે માટે બ્યુટિફિકેશન કરવા નિર્ણય લેવાયો છે. બ્યુટિફિકેશન પાછળ 1.10 કરોડ રૂપિયાના ખર્ચના અંદાજને પણ મંજૂરી અપાઇ હતી.
50,000થી વધુ બાળકોને મળશે લાભ:આજથી રત્નકલાકારોની ફી સહાય સ્કૂલના ખાતામાં જમા થવા માંડશે
હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ગંભીર મંદીએ સુરત સહિત રાજ્યભરના રત્નકલાકારોને આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે સહાય આપવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત હવે સહાયની રકમ વિદ્યાર્થીઓની સ્કૂલના બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે. સુરતમાં કુલ 74,268 જેટલા રત્નકલાકારોએ સ્કૂલ ફી સહાય માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 47,599 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી અરજીઓના આધારે 50,241 વિદ્યાર્થીઓ માટે કુલ 65.50 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ રકમ સીધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા શાળાના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. રાજ્ય સરકારે આ યોજના ખાસ કરીને હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત થયેલા રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયરૂપ બનાવવા માટે શરૂ કરી હતી. ઘણાને ઓછું કામ મળવા છતાં ઘર ચલાવવાના ફાંફાછેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હજારો રત્નકલાકારો રોજગાર ગુમાવી બેઠા છે અથવા ઓછું કામ મળી રહ્યું છે, જેના કારણે બાળકોની સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી ફી સહાય યોજનાએ હજારો પરિવારોને રાહત પૂરી પાડવાની આશા ઊભી કરી છે.
આરોગ્ય વિભાગને તાકીદ:‘2 દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્યપદાર્થોના નમૂના લો, ખોટા ધતિંગ ન કરો’
તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ રહી છે. જો કે, ઘારીના સેમ્પલોનો રિપોર્ટ 12 દિવસે પણ ન આવતાં આરોગ્ય સમિતિની બેઠકમાં શાસકોએ અધિકારીઓનો ક્લાસ લઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ‘2 દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્યપદાર્થોના નમૂના લો, ખોટા ધતિંગ ન કરો’. શાસકોએ આ ઉપરાંત રખડતા ઢોર, જન્મ-મરણ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફાળવણી, ગંદકીની સફાઇ અને પે એન્ડ યૂઝ મુદ્દે સૂચન પણ કર્યાં હતાં. આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સી શાહે જણાવ્યું કે, ઘારી ખવાઇ ગયા પછી પણ સેમ્પ્લોના રિપોર્ટ રજૂ કરાયા નથી. ‘જેથી હવે માત્ર બે-ત્રણ દિવસમાં જ રિપોર્ટ આવવાના હોય તો જ સેમ્પલો લેવાશે.’ તેમણે કહ્યું કે, ફૂડ વિભાગની કામગીરી સ્ટાફ ઘટના લીધે વિલંબે પડી છે, 48 ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત સામે માત્ર 24થી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જોકે 21 ઇન્સ્પેક્ટરની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. બેઠકમાં ડુમસ-એરપોર્ટ રોડના સાયલન્ટ ઝોનમાં જંગલી ઢોરોનો ત્રાસ વધ્યો હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. આ સાથે જ અઠવા ઝોનના જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારતા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ચેરમેન નેન્સી શાહે ઓફિસ ટાઈમ સુધી ફોર્મ ફરજિયાત સ્વીકારવા આદેશ કર્યા હતા. દિવાળીની સફાઇ શરૂ થતાં રોજનો 1 હજાર ટન કચરો વધી જતાં કચરાના ઢગલા પડી રહેતા હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. સામાન્ય દિવસોમાં રોજિંદા 3 હજાર ટન કચરાની સામે હાલમાં 4 હજાર ટન કચરો કલેક્શન કરાઇ રહ્યો છે. જેથી ટેમ્પરરી ટ્રેક્ટરો વધારવા માંગ કરાઇ હતી. રખડતા ઢોર, જન્મ-મરણ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સફાઇ અને પે એન્ડ યૂઝ મુદ્દે સૂચનો પણ કરાયાં 12 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પાલિકાએ શહેરની માવાની દુકાનોમાંથી લેવાયેલા નમૂનાઓના રિપોર્ટ આવી શક્યા નથી. વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે સર્વે કરીને પ્લાન્ટ સ્થપાશેટેક્સટાઇલ વેસ્ટના નિકાલ માટે સુરત પાલિકાએ અન્ય શહેરોમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓને અમલી બનાવવા તૈયારી દર્શાવી છે. આ પ્રક્રિયા માટે શહેરમાંથી કેટલાં પ્રમાણમાં ટેક્સ્ટાઇલ વેસ્ટ નીકળી રહ્યો છે? તેનો સર્વે હાથ ધરાશે સાથે જ પ્રોસેસિંગ યુનિટ ધરાવતાં શહેરોમાં સ્ટડી ટૂર પણ કરાશે તેમ સમિતિએ ઉમેર્યું હતું. એજન્સી વગરનાં શૌચાલયોમાં ચોરી-તોડફોડ થતાં ગાર્ડ મુકાશેપે એન્ડ યુઝ શોચાલયોનું સંચાલન કોન્ટ્રાક્ટથી ફાળવાયું છે પરંતુ ઘણાખરા શૌચાલય સરખી રીતે સાફ કરાતા નથી. જેથી લોકો જાહેરમાં જ ગંદકી કરે છે. એજન્સીઓએ કોઈ તસ્દી ન લેતાં હવે કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. સમિતિએ કહ્યું કે, એજન્સી વગરનાં શૌચાલયોમાં ચોરી અને સ્ટ્રક્ચરને નુકસાન કરાતું હોવાથી હવે ગાર્ડ મુકાશે.
દિવાળીના તહેવારોમાં વતન જનાર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી સુરત વિભાગ એસ.ટી.નિગમે મોટું આયોજન હાથ ધર્યું છે. વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતમાંથી કુલ 1,600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ બસો દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારો માટે સીધી સેવા ઉપલબ્ધ થશે. દરેક મુસાફર સુધી જાહેર પરિવહનની કનેક્ટિવિટી પહોંચાડવા રાજ્ય સરકારે ખાસ માળખું ઉભું કર્યું છે. દિવાળીના દિવસોમાં સુરતમાંથી હજારો મુસાફરો પોતાના વતનમાં જતા હોય છે, જેને સુવિધા આપવા માટે વધારાની બસોનો કાફલો તૈયાર છે. જરૂર પડશે તો વધારાની બસો ફાળવવામાં આવશે. ખાસ કરીને આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ સીધી તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની સેવા ઉપલબ્ધ રહેશે. એક્સ્ટ્રા બસો સાંજે 4થી રાત્રે 10 વાગ્યા વચ્ચે દોડશે. મુસાફરો એડવાન્સમાં બુકિંગ કરી શકશે, જે માટે સુરત સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કડોદરા સહિતના તમામ સ્ટેશનો પર સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત www.gsrtc.in વેબસાઇટ અને GSRTC મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. ગત વર્ષે સુરત વિભાગે 1,359 ટ્રિપ ચલાવી 86,599 મુસાફરોને પહોંચાડ્યા હતા. સુરતથી મુખ્ય સ્થળોનાં ભાડાં સ્થળ - ભાડું (રૂ.) અમદાવાદ - 310 રાજકોટ - 425 ભાવનગર - 385 જુનાગઢ - 480 જામનગર - 480 અમરેલી - 440 સાવરકુંડલા - 470 રામચોક, મોટા વરાછા, સેન્ટ્રલ સ્ટેશન, અડાજણથી સંચાલન
હમણાં જ બોલિવૂડના ઓલટાઇમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ગયો. ફરી એક વખત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી કે અમિતાભ પછી કોણ? એના જેવો ન ભૂતો ન ભવિષ્યતિ કલાકાર થશે ખરો વગેરે વગેરે! હિન્દી ફિલ્મના શોખીન અને જાણકાર લોકોનું ચાલે તો વિશ્વના શ્રેષ્ઠ અભિનેતાના લિસ્ટમાં અમિતાભ બચ્ચનને પ્રથમ નંબર આપી દે એટલી બધી એમની લોકપ્રિયતા છે અને સાચા કારણોસર પણ છે. પણ વિશ્વના શ્રેષ્ઠ અભિનેતાનું લિસ્ટ જે વખતો વખત બહાર પડતું હોય છે એમાં એક થી પાંચ નંબર પર અમિતાભ ક્યાંય નથી અને જે કલાકાર આ લિસ્ટમાં વારંવાર એન્ટ્રી મારે છે એ છે, બ્રિટિશ-અમેરિકન એક્ટર ડેનિયલ ડે લુઇસ...ધ ડેનિયલ ડે લુઇસ, સર ડેનિયલ ડે લુઇસ! અને ફિલ્મોથી અમુક વર્ષો દૂર રહ્યા પછી બ્રિટનમાં જન્મેલા, આઇરિશ મૂળ ધરાવતા આ એક્ટર 2025માં 'એનીમોન' નામની એમના જ દીકરા રોનન ડે લુઇસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મથી ફરી એક વખત એક્ટિંગમાં એન્ટ્રી માટે હાલ ચર્ચામાં છે કે ગ્રેટેસ્ટ ઓફ ગ્રેટ ડેનિયલ આ વખતે શું લઇને આવ્યા હશે? અને હોલિવૂડ ફિલ્મ રસિયાઓમાં આ ચર્ચા થવી સ્વાભાવિક છે કારણ કે ત્રણ ટાઇમ ઓસ્કાર જીતનાર આ અભિનેતા ડેનિયલ ડે લુઇસે ભૂતકાળમાં આવા એકથી એક ચઢિયાતા પર્ફોર્મન્સીસ આપીને સિનેમા લવર્સ અને મેકર્સને મંત્રમુગ્ધ કર્યા છે. અને માટે જ એમની ફિલ્મોની રાહ જોવાવી સ્વાભાવિક છે. 1957માં જન્મ થયો29 એપ્રિલ, 1957માં લંડન સ્થિત કવિ પિતા અને એક્ટર માતાને ત્યાં જન્મ લેનાર ડેનિયલ નાના હતા ત્યારે એટલા તોફાની અને રિબેલિયન હતા કે એમના પેરેન્ટ્સે એમને બોર્ડિંગ સ્કૂલમાં મુખ્ય અને ત્યાંથી પણ એ 7 વખત નાસીને આવ્યા અને પછી બીજી એક બોર્ડિંગ સ્કૂલમાં વાતાવરણ માફક આવતા સ્થાયી થયા અને અહીં એમણે એમની જિંદગી જીવવા માટે ત્રણ કારણો મળ્યા: લાકડાની કોતરણીનું કામ, એક્ટિંગ અને ફિશિંગ. ચૌદમે વર્ષે સન્ડે બ્લડી સન્ડે ફિલ્મથી એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર ડેનિયલ ડે લુઇસ એ ત્યાર પછી પાછળ વળીને જોવું નથી પડ્યું એવી પ્રતિભાના એ માલિક છે. જે કામ કર્યું એ હવે ઇતિહાસ છેમેથડ એક્ટર તરીકે જાણીતા ડેનિયલને જો કે એક્ટિંગમાં આવતા પહેલાં લાકડાના કબાટો બનાવવાની નોકરી કરવામાં વધારે રસ હતો પણ એમાં અનુભવ નહીં હોવાને કારણે એમને એ ક્ષેત્રમાં જોબ મળી નહીં અને એ વિશ્વ સિનેમાના સારા નસીબે અભિનયમાં આવ્યા અને ત્યાર પછી એમણે જે કામ કર્યું એ હવે ઇતિહાસ છે. થિએટર અને ટેલિવિઝનથી આ અભિનય કારકિર્દી શરૂ કરનાર ડેનિયલ ડે લુઇસ, જાણીતા બન્યા 1985માં આવેલી ફિલ્મ 'માય બ્યૂટિફૂલ લોન્ડ્રેટ'માં ગે ઇંગ્લિશ મેનનો રોલ ભજવીને. અને પછી 1987 માં જાણીતા ઇટાલિયન નવલકથાકાર મિલાન કુંડેરાની નવલકથા પરથી એ જ નામની બનેલી ફિલ્મ, 'ધ અનબેરેબલ લાઇટનેસ ઓફ ધ બીઇંગ' (આ લખનારની વ્યક્તિગત ફેવરિટ પણ )માં ઝેક સર્જનનો રોલ કરીને ડેનિયલ ડે લુઇસ છવાઇ ગયા. ફિલ્મ કારકિર્દીની વચ્ચે વચ્ચે એમના પ્રથમ પ્રેમ થિએટરમાં આંટો મારી આવનાર ડેનિયલ એ પછી તો, માય લેફ્ટ ફૂટ, ધ લાસ્ટ ઓફ મોહિકન્સ, ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક, ધેર વિલ બી એ બ્લડ અને લિંકન જેવી અપ્રતિમ ફિલ્મો આપીને 3 ઓસ્કર્સ, 4 બાફ્ટા અને 2 ગોલ્ડન ગ્લોબ જેવા અતિ પ્રતિષ્ઠિત એવોર્ડસ મેળવ્યા. શૂટિંગ દરમિયાન પાત્રમાં ડૂબી જાય છેડે-લુઇસને એક મેથડ એક્ટર માનવામાં આવે છે, જે તેમની ભૂમિકાઓ પ્રત્યે સતત નિષ્ઠા અને રિસર્ચ માટે જાણીતા છે. 'પારા જેવી તીવ્રતા' અભિનયમાં દર્શાવતા, ડેનિયલ ઘણીવાર તેમની ફિલ્મોના શૂટિંગ દરમિયાન સંપૂર્ણપણે પાત્રમાં ડૂબી જવા જાણીતા છે અને એ ત્યાં સુધી કે એ વાત , તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પણ કરે છે. માય લેફ્ટ ફૂટ ફિલ્મ માટે તેઓ પાત્રમાં ઊંડાણ લાવવા પગ વડે લખતા શીખ્યા, માર્ટિન સકારકોશીનીની ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક માટે ન્યૂયોર્કની ગેંગ્સ વચ્ચે બોલાતી બોલી શીખ્યા અને ધ લાસ્ટ ઓફ મોહિકેનસ માટે શિકાર કરતા અને કાનોપી બનાવતા શીખ્યા. ફિલ્મ ઉદ્યોગના સૌથી પસંદગીના કલાકારોમાં એક એવા ડેનિયલે 1998 થી માત્ર 7 ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં કોઇ વખત 2 રોલ વચ્ચે 8 વર્ષનો અંતરાલ હોય. આવા સર ડેનિયલ ડે લુઇસ માટે વિવેચકો અને ફિલ્મ પત્રકારો વચ્ચે એ કેમ વિશ્વના મહાન કલાકારોમાં સ્થાન ધરાવે છે એ બાબત ચર્ચા ચાલતી જ રહેતી હોય છે એવું વિશિષ્ટ અને ઇમ્પ્રેસિવ કામ એમણે કર્યું છે. 1996માં લગ્ન થયા6 વર્ષ ફ્રેન્ચ એક્ટર ઇસાબેલ અડજાણી સાથે સંબંધમાં રહ્યા પછી એમણે 1996માં જાણીતા લેખક આર્થર મિલરની દીકરી અને દિગ્દર્શક રેબેકા મિલર સાથે લગ્ન કરનાર ડેનિયલ એમની વ્યક્તિગત જિંદગીને વ્યક્તિગત રાખવા માટે અને લો પ્રોફાઇલ લાઇફ જીવવા માટે જાણીતા છે. ભાગ્યે જ કોઇ વિવાદમાં આવનાર ડે લુઇસ એમની એથિક્સ અને કામથી કામ રાખવા માટે જ એમના સહકર્મીઓમાં ખૂબ આદર ધરાવે છે. નાઇટહૂડ નો ખિતાબ મેળવનાર ધ ડેનિયલ ડે લુઇસ ઓછું પણ ગુણવત્તાસભર કામ કરીને એમની અનન્ય પ્રતિભા માટે જીવતે જીવ દંતકથા બની ગયા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂગર્ભ જળમાં વધારો થયો છે. કુદરતે પોતાનું કામ કરી બતાવ્યું છે અને હવે જો તેમાં લોકો આગળ આવી વધુમાં વધુ ભૂગર્ભ જળસંચય એટલે કે વોટર હાર્વેસ્ટિંગ કરી વરસાદના પાણી જમીનમાં ઉતારશે તો વધુ તળ ઉંચા આવશે. આગામી સમયમાં કે આગળના દશકામાં કેવો વરસાદ પડશે તે નક્કી નથી, વધુ પડે, આ જ રીતે ચાલુ રહે અથવા તો ઓછો પડે પણ સૌ એ જ વિચારવાનું કે, જળસંચય કરશું તો ભવિષ્ય નહિ પણ અત્યારે જ કામ આવવાનું છે. રાજકોટનું ઉદાહરણ લઈએ તો 2014ના અભ્યાસ મુજબ 8.14 મીટરે ભૂગર્ભ જળ હતું જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઊંડાઈ છે આ ઊંડાઈ 2025માં ઘટીને 6.80 મીટર થઈ છે આમ છતાં હજુ પણ રાજકોટમાં સૌથી ઊંડા તળ છે એટલે જ ખૂબ ઊંડા બોર થઈ રહ્યા છે.જળસંચય માટે સૌથી પહેલાં સૌરાષ્ટ્રનું ભૂપૃષ્ઠ સમજવું જરૂરી છે. ગુજરાતની પશ્ચિમે આવેલા સૌરાષ્ટ્રના વિસ્તારની ભૂસ્તરીય રચના મહત્તમ અગ્નિકૃત ખડકોની છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો વિસ્તાર ચૂનાના પથ્થરો તથા ચીકણી માટી (ક્લે) તથા સૌરાષ્ટ્રના અમુક જૂજ વિસ્તારો માટીવાળા સ્તરો ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળની સ્થિતિ વરસાદ આધારિત છે કારણ કે, મોટાભાગની જમીનમાં ખડકો જ છે તેથી તેમાં જેટલું પાણી ભરાશે તેટલું જ રહેશે.ચેકડેમ અને ખેત તલાવડી તથા નાના નાના આડબંધ દ્વારા વરસાદી પાણી રિચાર્જ થતાં ભૂગર્ભ જળની સ્થિતિ સુધરે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી ખાડીઓના કારણે તેની આસપાસના વિસ્તારોના પાણી ક્ષારયુક્ત રહેવાના છે. જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલી ખેતીની જમીનમાં વરસાદ ઉપરાંતની સિઝનમાં ખેતી થાય ત્યારે કૂવામાંથી સિંચાઈ થાય છે. કૂવાઓમાંથી પાણીનું ખેંચાણ વધુ પ્રમાણમાં થાય ત્યારે દરિયાઈ પાણી ચૂનાના પથ્થરોની પોરોસિટી એટલે છિદ્રતાના કારણે જમીન તરફ આગળ વધે છે તેથી ભૂગર્ભમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય છે. ક્ષાર વધતો અટકાવવા માટે સરકાર દ્વારા દરિયા કિનારાના વિવિધ વિસ્તારોમાં મોટા મોટા બંધારાઓ બાંધે છે તથા ટાઈડલ રેગ્યુલેટર એટલે કે, દરિયાઈ ભરતીનું પાણી ખાડીઓ તરફ આગળ વધતું અટકાવવા માટે આડ બંધ કે બંધારા બનાવે છે જેથી ખારું પાણી આગળ વધતું અટકાવી શકાય. સૌરાષ્ટ્રના ભવિષ્યના ભૂગર્ભ જળના આયોજન માટે અલગ અલગ આયોજનો હાથ ધરાય છે જે પૈકી વરસાદી પાણીને વહી જતું અટકાવી તેને સંગ્રહિત કરી રિચાર્જ કરવું તે એકમાત્ર અકસીર ઉપાય જણાય છે. સરકાર વિવિધ યોજનાઓ હેઠળ વધુમાં વધુ ચેકડેમ બનાવે છે તેથી વરસાદી પાણીને રોકી શકાય અને સંગ્રહિત કરવાથી ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય. પણ જમીનમાં પાણી ઉતારવા માટે બોર રિચાર્જ એ શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકલ્પ પૈકીનો એક છે.(ઈમરાન હોથી સાથે થયેલી વાતચીતના આધારે) માહિતી આપનાર ભાસ્કર એક્સપર્ટ - બી એમ ગરવા, ભૂસ્તર જળશાસ્ત્રી, રાજકોટ - GWRDC ભૂગર્ભ જળ નિરીક્ષણ માટે વરસાદ પહેલાં અને પછી સેમ્પલ લઈ થાય છે લેબ ટેસ્ટજુદા જુદા જિલ્લાઓમાં ભૂગર્ભ જળના નિરીક્ષણ માટે રાજ્ય સરકારે નિરીક્ષણ કૂવાઓ અને પિઝોમીટર્સ નિર્ધારિત કરેલા છે. વરસાદ પહેલાં એટલે ક પ્રિ-મોન્સૂન અને વરસાદ પછી એટલ કે પોસ્ટ મોન્સૂનમાં પાણીની સ્થિર સપાટી ચકાસી તેના પાણીનું સેમ્પલ લઈને કેમિકલ એનાલિસિસ કરી પાણીમાં દ્રાવ્ય ક્ષારો અને કેમિકલની ગુણવત્તા ચકાસવામાં આવે છે. ક્ષાર કૂવાની ઊંડાઈ પર આધારિતદરિયાકાંઠાથી 15 કિ.મી. સુધીના વિસ્તારની ક્ષારયુક્ત પાણીની ખારાશ કૂવાની ઊંડાઈ પર આધારિત હોય છે જેમ કે કૂવાની ઊંડાઈ જો દરિયાની સપાટી કરતા વધુ ઊંડી થાય તો તે કૂવાઓના પાણીમાં ક્ષાર ભળી જાય છે. દરિયાકાંઠાનો આ વિસ્તાર ચૂનાના પથ્થરો અને ગજ લાઈમ સ્ટોનની ભૂસ્તરીય રચનાવાળા છે સામાન્ય રીતે 15થી 20 મીટર ઊંડાઈ થાય તો પાણી ખારાશવાળુ આવે છે ઓછી ઊંડાઈ હોય તો પાણી પીવાલાયક મીઠું હોય છે. સૌરાષ્ટ્ર-રાજકોટમાં ભૂગર્ભ જળની સરેરાશ ઊંડાઈ (GWRDCના અભ્યાસ મુજબ, મીટરમાં)
APMC ખાતે મિનિ વેકેશન:દિવાળીના તહેવારમાં યાર્ડમાં તા.20થી 25 સુધી રજા રહેશે
દિવાળીના તહેવારો નિમિત્તે રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસનું મિનિ વેકેશન જાહેર કરાયું છે. ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેચવા માટે નહીં લાવવા સત્તાધીશોએ પરિપત્ર જારી કર્યો છે. સેક્રેટરી તેજાણીની યાદીમાં જણાવ્યા અનુસાર તા.20થી 25 સુધી બેડી મુખ્ય યાર્ડ, શાકભાજી વિભાગ-સબ યાર્ડ, ડુંગળી વિભાગ-સબ યાર્ડ, ઘાસચારા-સબ યાર્ડમાં દિવાળીની રજા જાહેર કરાઇ છે. જ્યારે બટેટા વિભાગમાં તા.21થી 24 સુધી સબ યાર્ડ બંધ રહેશે.
ભાસ્કર વિશેષ:સ્વામિત્વ યોજનામાં ડ્રોન સર્વેની 83 ટકા કામગીરી પૂર્ણ
કચ્છ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોના દસ્તાવેજીકરણ અને માલિકી હકને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વામિત્વ યોજના હેઠળ 83 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. જિલ્લાના કુલ 846 ગામોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી 701 ગામોમાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન ઉડાનથી માપણીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા બાકી રહેલા ગામોમાં હાલમાં ભુજ તાલુકામાં ડ્રોન સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઝડપી પ્રક્રિયાના કારણે અત્યાર સુધીમાં 454 ગામોના નકશા સર્વે ઓફ ઈન્ડિયા તરફથી જિલ્લા વહીવટી તંત્રને પ્રાપ્ત થયા છે. તેમાંથી 354 ગામોમાં સર્વેયર/તલાટી મારફતે ગ્રાઉન્ડ ટ્રીંગની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. યોજનાના આખરી તબક્કામાં 342 ગામોની હકકચોકસીની કામગીરી પૂરી કરીને 325 ગામોનું પ્રમોલગેશન કરવામાં આવ્યું છે. ડીઆઈએલએલ કચેરીના અધિક્ષક એચ.એસ રબારીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને અત્યાર સુધીમાં કુલ 26,612 પ્રોપર્ટી કાર્ડની વિતરણ કરવામાં આવ્યું છે, જે તેમના માલિકી હકનો કાયદેસર દસ્તાવેજ છે. સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડ નખત્રાણા તાલુકામાં 5869 અને માંડવી તાલુકામાં 5,580 કાર્ડ વિતરિત થયા છે. આ યોજના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમની રહેણાંકની જમીનનો માલિકી હક આપીને આર્થિક સશક્તિકરણ તરફ દોરી જશે અને જમીનને લગતા વિવાદોમાં પણ ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર વખતે ડ્રોન ઉડાવાની પરવાનગી ન હોવાને કારણે અંદાજીત બે માસ સુધી ડ્રોન સર્વેની કામગીરી બંધ રહી ગઇ હતી. જોકે હવે પ્રતિબંધ હટી જતાં કચ્છના સરહદીય વિસ્તારોમાં આવેલા ગામડાંઓમાં ડ્રોન સર્વેની કામગીરી ફરી શરૂ થઇ ગઇ છે અને બાકી રહેલા ગામોનું સર્વે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તાલુકા પ્રમાણે વિતરીત પ્રોપર્ટી કાર્ડની સંખ્યા તાલુકો ગામની સંખ્યા કાર્ડની સંખ્યા ડ્રોન સર્વેથી ગ્રામ્ય વિસ્તારોને થશે આ ફાયદાપ્રોપર્ટી કાર્ડ દ્વારા હવે ગ્રામ્ય નાગરિકો પોતાની મિલકત પર અધિકૃત માલિકીનો પુરાવો મેળવી શકશે, જેનાથી જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે. આ કાર્ડ દ્વારા નાગરિકોને આર્થિક સશક્તિકરણ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, કારણ કે પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ હવે બેંકો પાસેથી લોન મેળવવા કે અન્ય આર્થિક વ્યવહારો માટે કોલેટરલ તરીકે થઈ શકે છે. તે ઉપરાંત, જમીનના સ્પષ્ટ દસ્તાવેજો હોવાને કારણે વેચાણ અને ખરીદીની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બની છે. ડ્રોન સર્વે દ્વારા તૈયાર કરાયેલા સચોટ નકશા ગ્રામ પંચાયતોને માળખાકીય સુવિધાઓ તથા વિકાસ આયોજનમાં મદદરૂપ બની રહ્યા છે. સાથે સાથે મિલકતોની સ્પષ્ટ માપણી થવાને કારણે ગ્રામ પંચાયતો માટે કરવેરાનું સચોટ આંકલન શક્ય બન્યું છે.
જીવલેણ હુમલો:રાજકોટના થોરાળામાં કુરિયર કર્મચારીને સાથી કર્મચારીએ છરી ઝીંકી દીધી , ઈજાગ્રસ્ત
રાજકોટના ભાવનગરરોડ પર થોરાળા પોલીસ સ્ટેશન પાસે કુરિયર કંપનીના બે કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતા એક કર્મચારીએ તેના સાથી કર્મીને છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ જંગલેશ્વર અંકુર સોસાયટી-9માં રહેતાં અખ્તર કાદરભાઇ જીરૂકા(ઉ.વ.19) નામના યુવાનને સાંજે ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશનથી આગળ પટેલ પાન નજીક આવેલ કુરિયર કંપનીની ઓફિસ પાસે હતો. ત્યારે કુરિયરમાં સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સે છરીથી હુમલો કરી પેટમાં ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આઇસીયુમાં દાખલ કરાયો છે. અખ્તર જીરૂકા ત્રણ ભાઇમાં નાનો છે અને કુરિયર કંપનીમાં નોકરી કરે છે. સાંજે તે નોકરીના સ્થળે હતો ત્યારે સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સ સાથે કોઇ કારણે બોલાચાલી થતાં ભાવેશે છરીથી હુમલો કરી દીધો હતો. અખ્તર સારવાર હેઠળ હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડ્રાઇવરોએ મ્યુનિ. કમિશનરને પાઠવ્યું આવેદન:મનપાના 203 ડ્રાઇવર વાયદા મુજબ પગાર ન મળતા હડતાળ પર
રાજકોટ મહાનગરપાલિકામાં વાયદા મુજબ પગાર નહીં ચૂકવાતા 203 ડ્રાઇવર બુધવારે ફરી હડતાળ પર ઉતરી જતા દોડાદોડી થઇ ગઇ હતી અને ઇમર્જન્સી સેવાઓ પણ ઠપ થઇ ગઇ હતી. આ હડતાળમાં ફાયર બ્રિગેડ વિભાગના 81, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 95 અને કંઝર્વન્સી વિભાગના 27 ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા હતા. મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં પગારના મુદ્દે કંઝર્વન્સી વિભાગના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હતા ત્યારે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. પગાર થઇ જશે તેવી ખાતરી આપી હતી. આ ખાતરીની મુદત પૂર્ણ થઇ જતા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ફાયર શાખા અને કંઝર્વન્સી વિભાગના 203 ડ્રાઇવર હડતાળ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરોએ પગાર વધારો, બોનસ અને ઇએસઆઇ કાર્ડ મળવું જોઇએ સહિતની માગણીઓ સાથે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ હડતાળના પગલે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને નોટિસ આપવામાં આવી છે. અગાઉ પણ ડ્રાઇવરો પગાર મુદ્દે અધિકારીઓને રજૂખાત કરી હતી.
માનવતાવાદી સહાય:કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકાના સિયેરા લિયોન માટે માનવતાવાદી સહાય રવાના
ભારતે આફ્રિકન દેશ સિયેરા લિયોનને જાહેર આરોગ્ય સુવિધાઓ સુધારવામાં મદદ કરવાના ભાગરૂપે માનવતાવાદી સહાયનો મોટો જથ્થો કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી રવાના કર્યો છે. આ સહાયમાં 15 હિમો-ડાયાલિસિસ મશીનો, તેની સાથે પોર્ટેબલ RO યુનિટ્સ અને જરૂરી ઉપભોક્તા કિટ્સ શામેલ છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પગલું સિયેરા લિયોનના જાહેર આરોગ્યને સુધારવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું કે, આ ‘એકતા અને દક્ષિણ-દક્ષિણ સહયોગની ભાવના’ છે, જે સિયેરા લિયોનમાં આરોગ્ય સંભાળના માળખાને મજબૂત કરવા અને જાહેર આરોગ્યના પરિણામો સુધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ શિપમેન્ટ દર્શાવે છે કે કઇ રીતે મુન્દ્રા પોર્ટ માત્ર વેપારી ગતિવિધિઓનું કેન્દ્ર ન રહેતા, હવે ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક ભાગીદારીને ટેકો આપતા મહત્વના દરવાજા તરીકે પણ ઉભરી આવ્યું છે. આ મોકલાયેલી સહાય ભારત અને સિયેરા લિયોન વચ્ચેના વધતા દ્વિપક્ષીય સંબંધોનો એક ભાગ છે. અગાઉ, 10 માર્ચના રોજ બંને દેશો વચ્ચે વિદેશ કાર્યાલય પરામર્શ નો બીજો રાઉન્ડ યોજાયો હતો. આ પરામર્શમાં વેપાર, રોકાણ, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ અને લોકો-થી-લોકોના આદાનપ્રદાન સહિતના સહયોગના મુખ્ય ક્ષેત્રોની વ્યાપક સમીક્ષા કરાઇ હતી.
દિવાળી પર્વ નજીક આવતા બજારોમાં ખરીદી માટે લોકો ઊમટી રહ્યા છે. જેમાં લોકો પરંપરાગત પહેરવેશ, ચિરોડી કલર, ફટાકડા, ઘર સુશોભનની વસ્તુઓ, પૂજાઘરની સામગ્રી સહિતની વસ્તુઓમાં પણ આ વર્ષે વધુ ખરીદી જોવા મળે છે. આ ઉપરાંત તહેવાર દરમિયાન લોકોની મુખવાસ તથા ડ્રાયફ્રૂટ્સમાં પણ વધુ માંગ જોવા મળે છે. આ અંગે ડ્રાયફ્રૂટ્સના વેપારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાયફ્રૂટ્સમાં જી.એસ.ટી. ઘટ્યા છે, પરંતુ સામે તેનો ભાવ પણ વઘ્યો છે. આ સંજોગોમાં પણ સુકામેવાની ખૂબ માંગ છે. હાલ ગમે તેટલો ભાવ વધી ગયો હોવાથી લોકોએ ઉપહાર સ્વરૂપે ડ્રાયફ્રૂટ્સ આપવાની પરંપરા જાળવી રાખી છે. સાથોસાથ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃતિ વધતી જાય છે. આ ઉપરાંત આકર્ષક પેકિંગવાળા ગિફ્ટ હેમ્પર પણ લોકો વધુ પસંદ કરે છે. ડ્રાયફ્રૂટ્સમાં 12% જી.એસ.ટી. હતો જે 7% ઘટીને હાલ 5% છે. દિવાળીમાં ધમાકેદાર વેપાર
84 દુકાનો હટાવાઈ:ના.સરોવરના વેપારીઓની દિવાળી બગડી
લખપતના તીર્થધામ નારાયણ સરોવરમાં 10 દિવસ અગાઉ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 101 કરોડના વિકાસ કામોના થવાના હોઇ મુખ્ય ચોકથી બસ સ્ટેશન સુધીની 84 દુકાનો હટાવવામાં આવી હતી પણ હજુ સુધી કામ શરૂ ન થતાં ધંધા વગર દિવાળી કેમ ઉજવી તેવો પ્રશ્ન વેપારીઓ દ્વારા કરાઇ રહ્યો છે. પ્રશાસને વેપારીઓને હટાવવામાં ઉતાવળ કરી છે તેવું વેપારી જણાવી રહ્યા છે. વેપારીઓ કચ્છના સાંસદ, અબડાસાના ધારાસભ્ય તેમજ નખત્રાણાના નાયબ કલેક્ટરને રૂબરૂ મળવા ગયા હતા અને દિવાળી સુધીનો સમય માગ્યો હતો પણ માગણી ન સંતોષાતાં હાલે 84 દુકાનદારોમાં માંડ 10 વેપારીઓ રેક્ડી અથવા પ્લાસ્ટિક બાંધીને પોતાનો ધંધો કરી રહ્યા છે બાકીના વેપારીઓ મોટા તહેવારોના સમયે બેરોજગાર બન્યા છે. આઇસ્ક્રીમ અને ઠંડા પીણા જેવા ધંધા રેકડી પર કરવા શક્ય ન બનતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. દિવાળી પૂર્વે જ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે પણ દુકાન નથી માટે ધંધો પણ નથી તેઓ વસવસો વેપારીઓના ચહેરા પર નજર પડી રહ્યો છે. વેપારી અનિલ જોશીએ જણાવ્યું હતું કે દિવાળી આવી ગઈ અને કામ શરૂ ન થયું જેના કારણે તમામ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ લેખિતમાં આપ્યું હતું કે કામ શરૂ થશે તે સમયે અમે દુકાન ખાલી કરી દેશું. પંચાયતના સભ્ય યોગેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે બહારથી આવતા પ્રવાસીઓ પણ સગવડ ન મળતા ખરાબ છાપ લઈને જશે. વહેલી તકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ગ્રામજનોને સાથે રાખીને કામ શરૂ કરે તેવી માંગણી તેમણે કરી હતી. કોટેશ્વરમાંથી બે વર્ષ પહેલાં દુકાનો દૂર કરાઇબે વર્ષ પહેલાં કોટેશ્વરમાં 36 દુકાનો તોડી ત્યાં પણ આજ દિન સુધી વેપારીઓને જગ્યા મળી નથી અને હવે નારાયણ સરોવરમાં 84 દુકાનો હટાવતા લખપત તાલુકાના બે પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થધામોના વેપારીઓ દુકાનો વગર બેઠા છે. ટૂંક સમયમાં જગ્યા નહીં મળે તો વેપારીઓને પરિવાર સાથે નારાયણ સરોવર મુકવાનો વારો આવશે તેની સાથે યાત્રિકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે. સમુદ્રી સુરક્ષાના નામે રોજગારી ન છીનવોકચ્છમાં છેલ્લા બે વર્ષથી સમુદ્રી સુરક્ષાના નામે કોટેશ્વરથી કંડલા સુધી દબાણો હટાવાયા છે. જેમાં લોકોની રોજગારી પર પણ અસર થઇ રહી છે. જખાૈમાં મોટાપાયે દબાણો હટતા માછીમારી ઉદ્યોગને ફટકો પડ્યો હતો. તો બીજીબાજુ કોટેશ્વરમાં પણ મંદિર બહારની દુકાનો તોડી પાડવમાં આવી હતી. જેમાં વૈકલ્પિક જગ્યા આપવા વારંવાર માગણી કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેના પગલે આ લોકો હાલ લારી રાખીને ધંધો કરી રહ્યા છે. તેવામાં સરહદી વિસ્તારમાં સરકાર સુરક્ષાની સાથે લોકોની રોજગારીનું પણ ધ્યાન રાખે તે જરૂરી છે.
હવે દિવાળી તહેવાર આડે ગણતરીના કલાકો જ બાકી છે. જેને પગલે સૌ કોઈ પોતાના વતન જવા માટે બસોનું બુકિંગ કરાવી રહ્યા છે. આ તકનો લાભ લઈને ખાનગી બસ સંચાલકોએ ઉઘાડી લૂંટ કરવાનું શરૂ કર્યું છે. હાલ ટ્રેનો હાઉસફૂલ છે અને ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ બનીને ભાડા વસૂલી રહ્યા છે. ટિકિટ બુકિંગને લઈ થતી આ લૂંટને કારણે પ્રવાસીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે દિવ્ય ભાસ્કરે અમદાવાદ અને સુરતમાં આ બસ સંચાલકોનું મુસાફર બનીને સ્ટિંગ ઓપરેશન કર્યું છે. સુરત શહેરને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેરોના લોકો મોટી સંખ્યામાં તહેવારો પર વતન થતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલા વતન જતા લોકો પાસેથી ખાનગી બસ સંચાલકો દ્વારા વધુ ભાડું લઈને લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે દિવ્યભાસ્કરે વરાછામાં આવેલા હીરાબાગ ખાતે બે ટ્રાવેલ્સની ઓફિસમાં બસના ભાડા અંગે તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટર: ભાવનગર જવું છે શું ભાડું છે? ડેસ્ક પર બેસેલી વ્યક્તિ: 19 ઓક્ટોબરે ટિકિટ મળશે, 18 સુધીનું બુકિંગ ફૂલ છે. ટિકિટનો ભાવ તો એસીના 1000 અને નોન એસીના 900 ચાલે છે ભાઈ. હાલ તમામ બસોના ભાડામાં વધારો થયો છે અને પાંચમ સુધી રહેશે. રિપોર્ટર: ભાવનગર જવું છે શું ભાડું છે? ડેસ્ક પર બેસેલી વ્યક્તિ: ટિકિટનો ભાવ 1000થી 1100 ચાલે છે. દિવાળી પછી જ ભાડા ઘટશે. પછી 800-900 રહેશે. ટિકિટનો ભાવ આજે(15 ઓક્ટોબર) 650 છે. 16 ઓક્ટોબરથી 800,પછી 900 અને ત્યાર પછી 1000 થશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના લોકો સુરતને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે. વારે તહેવારે તમામ વતન જવા ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરે છે. જોકે દર વર્ષે ખાનગી ટ્રાવેલ્સ ના ભાડામાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવે છે. આ મામલે દર વર્ષે લોકો રોષ પણ વ્યક્ત કરે છે. હાલ પણ સામાન્ય દિવસમાં 600 રૂપિયા ટિકિટ હોય છે તે વધીને દિવાળી પહેલા 1100 થી 1200 રૂપિયા થઈ જશે. દિવાળી નજીક આવતા જ ભાડામાં હજુ વધારો થશેઅમદાવાદથી રાજ્યભરમાં દોડતી ખાનગી બસ સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઈ લૂંટનો કારોબાર શરૂ કર્યો છે. મુસાફરોને લૂંટવા માટે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં દોઢથી બે ગણાનો વધારો કરી દીધો છે. તેમજ હજુ પણ દિવાળી નજીક આવશે તેમ ભાડામાં વધારો કરવાની વાત પણ ખાનગી બસના સંચાલકો કરી રહ્યા છે. સામાન્ય દિવસ કરતા આગામી 25 તારીખ સુધી બસના ભાડામાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદથી રાજ્યભરમાં કોઈ પણ જિલ્લામાં જતી ખાનગી બસના ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એટલે સામાન્ય દિવસ કરતા સિટિંગ અને સ્લીપર એમ બંને બસના ભાડામાં 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે. મોટા ભાગની બસમાં બુકિંગ ફુલએક ટ્રાવેલ ઓફિસમાં રાજકોટ જવા 18 તારીખથી બસમાં બુકિંગ માટેની વાત કરવામાં આવી ત્યારે મોટા ભાગની બસમાં બુકિંગ ફુલ જોવા મળ્યું હતું. તો કેટલાક ખાનગી બસ સંચાલકોએ રાત્રે જ મોટા ભાગની બસ દોડાવવાનું નક્કી કરી લીધું છે. સવારે જે ખાનગી બસ જતી તે બંધ કરીને રાત્રે વધુ ભાડા બસનું ટાઇમિંગ સેટ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલીક ખાનગી બસમાં અમુક સીટ ખાલી હતી. તેમાં પણ 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું ખાનગી બસના સંચાલકે જણાવ્યું હતું. રિપોર્ટર: રાજકોટ જવું છે શું ભાડું છે? ડેસ્ક પર બેસેલી વ્યક્તિ: સીટરના 750 ચાલે છે અને સ્લીપરના 1000થી 1100 છે, હજુ 100-200 વધી શકે સ્લીપરના ભાડા તો 1100એ પહોંચ્યાસામાન્ય દિવસમાં જો કોઈને અમદાવાદથી રાજકોટ જવું હોય તો સીટર બસમાં 500 રૂપિયા વસૂલવામાં આવતા હોય છે. પરંતુ દિવાળી ટાણે મુસાફરોને લૂંટવા માટે 500થી વધારીને ભાડું 700થી 750 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું છે. તો સ્લીપર ખાનગી બસમાં સામાન્ય દિવસમાં 500 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું, જે વધારીને 1000થી 1100 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું છે. તેમજ હજુ પણ 100થી 200 રૂપિયા ભાડું વધી શકે છે તેવું ખાનગી બસના સંચાલકો કહી રહ્યા છે. મુસાફરોની મજબૂરીનો લાભ લેવા લાગ્યાખાનગી બસના ભાડામાં તોતિંગ વધારો કરાયો છતાં પણ મોટા ભાગની ખાનગી બસો ફુલ ગઈ છે. અમુક જ બસ ખાલી હશે તેમાં પણ 5થી 10 સીટ જ ખાલી જોવા મળી રહી છે. તેથી કહી શકાય કે મુસાફરો પણ દિવાળીના તહેવાર માટે પોતાના ઘરે જવા માટે ભાડામાં તોતિંગ વધારો કરાયો હોવા છતાં મજબૂરીમાં પણ ખાનગી બસમાં બુકિંગ કરાવી રહ્યા છે. એટલે કે દિવાળીના તહેવાર સમયે ખાનગી બસ સંચાલકોને ખબર જ છે કે ભાવ ગમે તેટલો વધારે હોય મુસાફરો મજબૂરીના વધુ ભાડું આપીને પણ પોતાના વતન જવાના જ છે જેનો લાભ લઈ લૂંટ ચલાવવામાં આવી રહી છે. જો સરકાર તહેવાર સમયે ધ્યાન આપે અને ખાનગી બસના સંચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે તેના પર કાબુ લગાવે તો તહેવાર સમયે લોકોના ખિસ્સા ખાલી થતા બચી શકે છે.
દિવાળી આવતા જ બજારોમાં જેટલી રોનક જોવા મળે છે, એટલી જ ઝાકમઝોળ ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ દેખાય છે. 70 ટકા સુધી ડિસ્કાઉન્ડના દાવા કરતી આ વેબસાઇટ ગ્રાહકોને ખૂબ આકર્ષે તો છે પણ તેની આડમાં એવા ફ્રોડ થાય છે કે લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. જો તમે પણ દિવાળીના તહેવારોમાં સસ્તા ભાવે અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મનપસંદ વસ્તુ ખરીદવા માગતા હોય તો જરા ચેતજો. કારણ કે સાયબર ક્રિમિનલ ફ્લિપકાર્ટ, એમોઝોન અને મીશો જેવી નામાંકિત ઇ-કોમર્સ વેબસાઇટની આબેહૂબ નકલી વેબસાઇટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આજના આર્ટિકલમાં વાંચો, તહેવારોની સિઝનમાં હવે સાયબર ગઠીયા કેવી ત્રણ ટ્રીકથી લોકોને છેતરે છે? તેનાથી બચવા માટે શું સાવધાની રાખવી અને મોબાઇલમાં કઈ એપ્લિકેશન રાખવાથી ભોગ બનતા બચી શકાય. ગુજરાત રાજ્યમાં પણ સાયબર ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને દિવાળીમાં તેમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હોય છે. ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન, વર્ષ 2023માં નવરાત્રિ-દિવાળી દરમિયાન સાયબર ક્રાઈમમાં 54% અને 2024માં 60% નો વધારો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે પણ 60% નો ઉછાળો થવાની ધારણા છે. દેશભરમાં સાયબર ક્રાઇમની સ્થિતિ આ ગ્રાફ પરથી સમજો. મુખ્યત્વે લોકો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી નામાંકિત વેબસાઇટ્સ પણ પોતાના પ્રોડક્ટનું વેચાણ વધારવા વિવિધ સ્વરૂપે માર્કેટિંગ અને જાહેરાતો રીલ, પ્લેટફોર્મ અને લિંક સ્વરૂપે વાયરલ કરતી હોય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી મોટી કંપનીઓની સાથે સાથે ઇન્ટરનેટ અને ઓનલાઈન શોપિંગની દુનિયાના નાના વેપારીઓ પણ પોતાનું વેચાણ વધારવા માટે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય છે. આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવીને સાયબર ક્રિમિનલ એક્ટિવ થયા છે. તેઓ નામાંકિત વેબસાઇટ જેવી જ આબેહૂબ નકલી વેબસાઇટ્સ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે. જેના કારણે નિયમ પાળીને તેમજ ગ્રાહકોના હિતને ધ્યાને રાખીને ધંધો કરતી પ્રતિષ્ઠિત ઇ-કોમર્સ વેબસાઇટના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક સ્ક્રિનશોટની મદદથી સમજો કે કેવી રીતે સાયબર ગઠીયા નકલી વેબસાઇટ બનાવીને લોકોને તથા જે તે વેબસાઇટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. આ સ્ક્રીનશોટ જુઓ એમેઝોન વેબસાઇટની URLમાં આલ્ફાબેટ X જોડી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે URLમાં કોઈનું ધ્યાન નથી જતું. એટલે લોકો ખોટી વેબસાઇટ પરથી શોપિંગ કરીને છેતરપિંડીનો ભોગ બને છે. એવી જ રીતે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટના નામે પણ નકલી વેબસાઇટ કોઈકે બનાવી હતી. જેમાં ફ્લિપકાર્ટ લખ્યા પછી વધુ એક શબ્દ જોડી દીધો. આ વેબસાઇટનો કલર કોડ તેમજ વિવિધ સ્કિમના પોસ્ટરને જોતા વેબસાઇટ પર શંકા જાય જ નહીં એ કક્ષાની તૈયારી સાયબર ક્રિમિનલ કરી રાખે છે. સસ્તી વસ્તુ વેચવાના નામે જાણીતી મીશો નામની ઇ-કોમર્સ સાઇટના નામે પણ લોકોને છેતરવાનો પ્રયાસ થયો હતો. એમાં પણ URLમાં થોડો ઘણો ફેરફાર કરીને અસલી વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટ બનાવાઈ હતી. સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડે કહ્યું, ઓનલાઈન શોપિંગ કરવાનું ટાળવું જેટલું શક્ય હોય. જો તમારે ખરીદી કરવી જ હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ પર શોપિંગ કરતી વખતે પણ ધ્યાન રાખવું કે જે સેલર છે તેની ડિટેલ તપાસો કે તે ખરેખર અસલી છે કે નહીં. તેના રિવ્યૂ જુઓ, પ્રોડક્ટના રિવ્યૂ જુઓ. આવી બેઝિકલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું, તમે જે ઓનલાઈન શોપિંગની એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો તે પ્લે સ્ટોર પરથી કરો. સાયબર ફ્રોડ કરનારા લોકો માટે બીજો હથિયાર એટલે સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતોમોટાભાગના સોશિયલ મીડિયા પર નામાંકિત કંપનીઓથી માંડીને વિવિધ પેજ કે હેન્ડલ પણ બિઝનેસની જાહેરાતો કરતા હોય છે. એટલે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા-કરતા જ્યારે આવી જાહેરાતો આડે આવે તો લાલચમાં આવીને લોકો તેના પર ક્લિક કરી બેસે છે. જો કે કેટલાક કિસ્સામાં એવું પણ હોય છે કે એક ક્લિક કરવાથી તમે એવા પ્લેટફોર્મ પર પહોંચી જશે જે સાયબર ગઠીયાઓએ બનાવ્યું હોય. સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડે આ મુદ્દે કહ્યું, મેં જોયું છે કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ પર એડ્સ દેખાય તો ત્યાં ક્લીક કરી દેતા હોય છે. આ ક્લિક કરવાની સાથે જ તમારા મોબાઈલ ફોનની અંદર કોઈ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન્સ ડાઉનલોડ થઈ જાય છે, જેના લીધે તમારો ફોન હેક થઈ શકે છે. જેથી તમારો OTP પણ સાયબર એટેકરને મળી જશે. તેમણે કહ્યું, કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો એક વખત ગૂગલ પર સર્ચ કરી લેવું કે જે તે એપ્લિકેશન યોગ્ય છે કે નહીં. જો છેતરપિંડીનો ભોગ બનો તો તમે 1930 નંબરની હેલ્પલાઇન પર કોલ કરી શકો છો. જેમ જેમ ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે, તેમ તેમ સાયબર ગઠીયાઓને ઝડપી પાડવા અને સાયબર ક્રાઇમ ઘટાડવા માટે રાજ્યનું પોલીસ તંત્ર પણ ખડે પગે કામ કરી રહ્યું છે. આ માટે પોલીસ વિભાગમાં સાયબર સેલ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે 24 કલાક કોઈપણ સમયે ફરિયાદ કરી શકો છો. ગુજરાત રાજ્યના સાયબર સેલ સેન્ટ્રલ ઑફ એક્સલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જે. પરમાર સાથે અમે સાયબર સુરક્ષા બાબતે વાતચીત કરી. જેમાં તેમણે સાયબર ગઠીયાઓની છેતરપિંડીની ત્રીજી ટ્રીક જણાવી અને તેનાથી બચવાનો ઉપાયો પણ કહ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પરમારના જણાવ્યા અનુસાર દિવાળી જેવા તહેવારો વખતે સાયબર ગઠીયાઓ પણ અલગ-અલગ મોડસ ઑપરેન્ડીથી લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે બુકિંગ ઑફર, ડિસ્કાઉન્ટ ઑફર, ટ્રાવેલ ઑફર. એટલું જ નહીં, ધાર્મિક સંસ્થાઓમાં રજિસ્ટ્રેશનના બહાને અથવા VIP એન્ટ્રીના બહાને એ લોકો અલગ અલગ રીતે કોલ, SMS અને સોશિયલ મીડિયાની જાહેરાત મારફતે સંપર્ક કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરે છે. સાયબર ફ્રોડ કરનાર લોકો તેમની નકલી વેબસાઇટ હોવાની જાણ ન થાય એ માટે ટાઇની યુઆરએલ (Tiny URL) બનાવી નાખે છે. એટલે તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે ઓરિજનલની જગ્યાએ નકલી વેબસાઇટ ઉપર જાઓ છો. તમે ઓર્ડર આપો છો ત્યારે તમને ઇમેઇલ પણ મળશે, ટ્રેકિંગ પણ કરી શકશો કે તમારો ઓર્ડર થઈ ગયો છે. પણ પ્રોડક્ટ તમને નહીં મળે ત્યારે તમને ખ્યાલ આવે છે કે મારી સાથે સ્કેમ થઈ ગયો છે. આવી ફાઇલ વ્હોટ્સએપ પર આવે તો ક્લિક ન કરવી સાયબર ક્રિમિનલ આપણી માનસિક કમજોરીને જ ટાર્ગેટ કરે છે. દાખલા તરીકે તેમને ખબર છે કે આઇફોન એ બહુ મોંઘી વસ્તુ છે. જો તેને 30 હજાર કે 40 હજારના ડિસ્કાઉન્ટ ઉપર અથવા મોટી ઑફર સાથે વેચવાનું બતાવીશું તો ચોક્કસ લોકો તેના પર ક્લિક કરશે અને લેવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે વ્હીકલ જેવી મોંઘી વસ્તુઓ કોઈ વેબસાઇટ પર એકદમ ઓછા ભાવમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે બતાવવામાં આવે છે ત્યારે માણસ તેમાં ફસાય છે. તેમણે કહ્યું, હું લોકોને ખાસ અરજ કરીશ કે તેમને જે કોઈ કોલ, SMS અથવા સોશિયલ મીડિયામાં જાહેરાત દેખાય તેને ચકાસો અને પૂરી સમજદારીથી તેના ઉપર ધ્યાન આપો. જેન્યુઇન વેબસાઇટથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો. આવી સ્થિતિથી બચવા માટે ત્રણ વાતો પર ધ્યાન આપવું. કોલ, SMS અને સોશિયલ મીડિયાની જાહેરાત. કોઈ અજાણ્યા નંબરથી ધમકીભર્યો કોલ આવે તો ગભરાવું નહીં અને કોઈ લાલચમાં પણ ન આવવું. તમને શંકા લાગે તો નંબર બ્લોક કરી દો. એવી જ તકેદારી SMSમાં પણ રાખવી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા જાહેરાતો જોઈને પણ પોતાની જાત પર કંટ્રોલ રાખવો અને લાલચમાં આવવું નહીં. સરકારી એપ્લિકેશન ફ્રોડથી બચાવશે'M-Kavach 2' નામની એપ્લિકેશન એન્ડ્રોઇડ યૂઝરે ઇન્સ્ટોલ કરવી જોઈએ. જેથી તમારા મોબાઈલમાં કોઈ APK ફાઇલ હશે તો બતાવશે અને તમે તેને દૂર કરી શકશો. ડિજિટલ એરેસ્ટ સ્કેમ મોટા ભાગે સિનિયર સિટિઝન સાથે થાય છે. કારણ કે તેમને બે વાતનો ડર હોય છે. એક તો નાણાંકીય બાબતોનો અને બીજું છે તેમની સમાજમાં પ્રતિષ્ઠાનો. એટલે ફ્રોડ કરનાર લોકો પણ તેમને આ ડર બતાવીને ફાયદો ઉઠાવે છે. ડિજિટલ સ્કેમમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી, તો આ બાબતોથી ડરવાની બિલકુલ જરૂર નથી. જ્યારે પણ કોઈ આવો કોલ આવે છે તો બ્લોક કરો અને તમે 1930માં રિપોર્ટિંગ કરો. અમારી ટીમ 24 કલાક કાર્યરત છે. તમારી સમસ્યા સાંભળીને તુરંત જ નિરાકરણ કરવામાં આવશે.
યોજનાનો લાભ:કચ્છમાં 29389 વિદ્યાર્થિનીને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો
રાજ્ય સરકારે અમલી કરેલી નમો લક્ષ્મી યોજનાએ રાજ્યની લાખો દીકરીઓને માધ્યમિક શિક્ષણ લેતી કરી છે. કચ્છમાં વર્તમાન સમયમાં 29389 કિશોરીઓ આ યોજનાનો લાભ લઇ રહી છે. ધો. 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરતી દીકરીઓને અભ્યાસ દરમિયાન કુલ 50 હજારની સહાય આપતી આ યોજનાએ અનેક વાલીઓને પોતાની દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. કચ્છમાં અત્યાર સુધી રાજ્ય સરકારે આ કન્યાઓને સહાય પેટે રૂ.17,44,92,500ની સહાય પુરી પાડી છે. આ યોજનાનો લાભ લેતી ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ધો.11ની છાત્રા આરના મહેતા જણાવે છે કે, આ યોજનાના કારણે પરિવારને આર્થિક રાહત મળી છે. આર્થિક કારણોસર કે અન્ય કોઇ બાબત થકી જે વાલીઓ પહેલા ધો.૮ પછી કન્યાઓને આગળ ભણાવી ન હોતા શકતા તે વાલીઓ પણ હવે સરકારની આ યોજના દ્વારા મળતી મદદના કારણે દીકરીઓને ધો.૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરવા કટિબદ્ધ બન્યા છે. નમો લક્ષ્મી યોજનામા ધો. 9 અને 10 માટે કુલ 20 હજારની અને ધો.11 અને 12 માટે કુલ 30 હજારની સહાય મળે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીનીની માતાના ખાતામાં જમા કરવામાં આવે છે. માતા હયાત ન હોય તે કિસ્સામાં જ રકમ છાત્રાના બેંક ખાતામાં જમા થાય છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે નવી ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલા માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમના વિદ્યાર્થીઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે મંત્રાલયમાં કામ કરવાની તક મળશે. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા સંચાલન અંગે કામ સોંપાશે અને મહિને15,000 સ્ટાઇપેન્ડ અપાશે. આ ઇન્ટર્નશિપ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ (DoWR, RD GR) હેઠળ ચલાવવામાં આવી રહી છે. અરજદાર એવા હોવા જોઈએ, જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થા પાસેથી ગ્રેજ્યુએશન, પોસ્ટ-ગ્રેજ્યુએશન અથવા રિસર્ચ સ્કોલર તરીકે માસ કોમ્યુનિકેશન અથવા પત્રકારિતા સાથે સંકળાયેલ અભ્યાસ પૂર્ણ કર્યો હોય. ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ઓફ ઇન્ટર્નશિપ પણ અપાશે. કાર્યક્રમ 6થી 9 મહિનાનો રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર, 2025 છે. ઇચ્છુક ઉમેદવાર ઑનલાઇન https://mowr.nic.in/internship પરથી અરજી કરી શકે છે. ગયા અઠવાડિયે જળશક્તિ મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં જળ પુરવઠા વ્યવસ્થા સુધારવા માટે નવી ડિજિટલ પહેલ શરૂ કરી છે. વિભાગે રૂરલ પાઇપ્ડ વોટર સપ્લાય સ્કીમ્સ (RPWSS) માટે અપગ્રેડેડ ડિજિટલ મૉડ્યૂલ રજૂ કર્યું, જે ગ્રામીણ જળ તંત્રને ડિજિટલ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
એક તરફ દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વગરના શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં શિક્ષણનો ભાર બાળકોની કમર તોડી રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા રાજકોટની 20થી વધુ શાળાઓના નર્સરીથી ધો.12 સુધીના 100 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના સ્કૂલબેગના વજન કર્યા જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. ભણતરનો ભાર માત્ર પાઠ્યપુસ્તકો પૂરતો સીમિત ન રહેતા, તે શારીરિક બોજ બનીને બાળકોના ખભા પર લાદવામાં આવ્યો છે. જે બાળકનું વજન 17.35 KG હતું તેના જ સ્કૂલબેગનું વજન 3.40 KG હતું. ધો.12ના વિદ્યાર્થીના સ્કૂલબેગનું જેટલું વજન હોવું જોઈએ એટલા વજનનું બેગ તો હાલ HKGમાં ભણતા ભૂલકાંઓ ઉઠાવી રહ્યા છે! રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને શિક્ષણ મંત્રાલયની પોલિસીમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે, સ્કૂલના બાળકનો જેટલો વજન હોય તેના 10% થી વધુ સ્કૂલબેગનો વજન ન હોવો જોઈએ, પરંતુ સ્કૂલબેગના વજન અંગે કરાયેલા સરવેમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. ભણતરનો ભાર માત્ર વિદ્યાર્થીઓના મગજ પર જ નહીં, પણ તેમના ખભા અને સ્કૂલબેગ પર પણ વધી રહ્યો છે. ભાસ્કરના ચેકિંગમાં સામે આવ્યું છે કે શહેરની મોટાભાગની શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલી આ સ્કૂલબેગ પોલિસીનું પાલન થતું નથી. નિર્ધારિત મર્યાદા કરતાં અનેકગણું વધારે વજન બાળકોને ઉપાડવું પડે છે. સ્કૂલબેગ પોલિસી અનુસાર પ્રિ-પ્રાઇમરી એટલે કે નર્સરી, LKG, HKGના બાળકો માટે તો ‘નો બેગ’ પોલિસી છે એટલે કે બેગ જ લઇ જવાનું નથી, પરંતુ શહેરની મોટાભાગની શાળાઓમાં પ્રિ-પ્રાઇમરી સ્કૂલના ભૂલકાંઓ પણ 1.50 કિલોથી લઈને 5 કિલો સુધીના વજનવાળા સ્કૂલબેગ ઊંચકીને જાય છે. સ્કૂલબેગ પોલિસી-2020 પ્રમાણે ધોરણ પ્રમાણે બેગનું વજન નક્કી કરાયું છે ચેક લિસ્ટવાલીઓ બાળકના સ્કૂલબેગનું વજન ઘટાડવા આ 10 મુદ્દા તપાસો ભારના બે કારણવધુ ખાનાવાળા બેગનો ક્રેઝ, બધા પાઠ્ય પુસ્તકો સાથે રાખવાની આદતવિદ્યાર્થીઓમાં મોટા અને વધુ ખાનાવાળા બેગનો પણ ક્રેઝ છે તેથી ખાલી સ્કૂલબેગનું વજન પણ વધુ હોય છે. ટાઈમ ટેબલ સિવાય બિનજરૂરી પુસ્તકો પણ વિદ્યાર્થીઓ બેગમાં જ સાથે રાખતા હોવાથી સ્કૂલબેગનું વજન વધે છે. પાઠ્ય પુસ્તક, સ્વાધ્યાયપોથી, પાકી બુક, રફબુક, એસાઈન્મેન્ટ બુક સહિતના ચોપડાઓ એકસાથે ભરેલા હોય છે. નુકસાન સ્નાયુ ખેંચાય છે, કરોડરજ્જુ પર અસર, છાતીમાં દબાણ થાય છે: વાલીઓ સ્નાયુઓમાં ખેંચાણ અને થાક : ભારે બેગ ઉઠાવવાથી ખભા, હાથ અને પીઠના સ્નાયુઓ પર દબાણ પડે છે પીઠ વાંકી થવી અથવા ખભા ઝૂકી જવા : શરીરનું સંતુલન બગડે છે, જેના કારણે પીઠ વાંકી વળવાની અથવા ખભા નીચે ઝૂકી જવાની સમસ્યા થાય છે. ગળા અને પીઠમાં સતત દુખાવો : કરોડરજ્જુ પર ભાર વધવાથી ગળા અને પીઠમાં સતત દુખાવો રહે છે. કરોડરજ્જુ વળી જવી અથવા નુકસાન થવું : લાંબા સમય સુધી ભારે બેગ ઉઠાવવાથી કરોડરજ્જુના હાડકાં પર દબાણ પડે છે, જે તેને વાંકી બનાવે છે. છાતી પર દબાણથી શ્વાસ લેવામાં તકલીફ : ભારે બેગની પટ્ટીઓ ખભા અને છાતી પર દબાણ લાવે છે, જેના કારણે ફેફસાં પર અસર પડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.
ગૃહમંત્રી કચ્છ આવશે:આગામી 22મી નવેમ્બરના ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવશે
દેશની સરહદોની સુરક્ષા કરતા સીમા સુરક્ષા દળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આગામી 22મી નવેમ્બરના કચ્છમાં થવાની શક્યતા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સામાન્ય રીતે 1 ડીસેમ્બરના બીએસએફનો સ્થાપના દિવસ ઉજવાય છે, જો કે આ વર્ષે સ્થાપના દિવસ નિમિતે 22 નવેમ્બરના રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કચ્છમાં કરાશે. આ કાર્યક્રમમાં BSFના જવાનો દ્વારા શૌર્ય અને પરાક્રમનું પ્રદર્શન કરતી પરેડનું આયોજન કરાશે, જેમાં દેશના ગૃહમંત્રી જવાનોને સંબોધિત કરશે અને તેમની રાષ્ટ્રસેવાને બિરદાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી જવાનોનો ઉત્સાહ વધારશે. બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં આર્મી, એરફોર્સ અને નેવીના વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આર્મી કેમ્પસમાં આ બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. હાલ તૈયારીઓ ચાલી રહી છે. કેમ થઇ હતી બીએસએફની સ્થાપનાવર્ષ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રાજ્ય સશસ્ત્ર પોલીસ બટાલિયન સરહદ સુરક્ષા માટે જવાબદાર હતી. 1965 માં 09 એપ્રિલના પાકિસ્તાને કચ્છમાં સરદાર ચોકી, બેરિયા બેટ અને છાર બેટ પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં અન્ય બાબતોની સાથે રાજ્ય સશસ્ત્ર પોલીસ દળની યુદ્ધ સમયની તાલીમમાં પણ ખામીઓ જોવા મળી હતી. હુમલાના કારણોની સમીક્ષા દરમિયાન સામે આવ્યું કે સરહદની સુરક્ષા માટે સશસ્ત્ર અને પ્રશિક્ષિત સમર્પિત સુરક્ષા દળોને તૈનાત કરવા જોઈએ. જેથી તે સમયે ભારત સરકાર દ્વારા 1 ડિસેમ્બર 1965ના આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરી હતી. આ BSF સ્થાપના દિવસ પર દર વર્ષે જવાનોની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે.
ભાવમાં વધઘટ:બોલો, ભંગારના ધંધામાં પણ 50 ટકાનો ઘટાડો!
ઓન લાઈન અને મોલ કલ્ચરે કાપડના વેપારીઓ, તૈયાર વસ્રો અને પગરખા સહિતના વિક્રેતાના વેપાર ઉપર આડઅસર કરી છે એમ ટેકનોલોજીએ ભંગારના ધંધા ઉપર પણ વિપરીત અસર કરી દીધી, જેમાં કોમ્પ્યુટર, ઈન્ટરનેટે સ્ટેશનરીનો ઉપયોગ ઘટાડી દીધો છે અને સાપ્તાહિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક સામયિકો ડિઝિટલ ઓન લાઈન વંચાવા લાગ્યા છે, જેથી પ્રિન્ટિંગ કામ બંધ થઈ ગયું છે. જેની આડઅસર રૂપે ભંગારના ધંધામાં પણ 50 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે! વળી ભંગારના બજારમાં રોકાણ પણ ઘટી ગયું છે. એવું ભંગારના જથ્થાબંધ વેપારી દિનેશભાઈ નગીનદાસ મહેતાએ જણાવ્યું હતું. એક સમય હતો જ્યારે ગૃહિણીઓ તાંબૂ, પિત્તળ, એલ્યુમિનિયમ, સ્ટીલના વાસણો વસાવતી હતી. પરંતુ, સંયુક્ત કુટુંબ પ્રથા રદ થયા ઉપરાંત કાચ, પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ વધી ગયો છે, જેથી નવી ખરીદી અને જૂનાનો નિકાલ ઘટી ગયો છે. પરિણામે ઘરોઘર કે દુકાનોમાં જઈને ભંગાર એકઠો કરનારા ફેરિયાઓને હવે બારે માસ ધંધો મળતો નથી. તેઓ પણ સિઝનેબલ ધંધાની જેમ નવરાત્રિ પછી દસેક દિવસ દરમિયાન જેટલો એકઠો થાય એટલો કરીને જથ્થા બંધ વેપારીને આપી આવે છે અને પછી દિવાળીના તહેવારોની રંગોળીના રંગો, સ્ટિકર, દિવડા વગેરેના અન્ય સિઝનેબલ ધંધામાં ગોઠવાઈ જતા હોય છે. બીજું, ઓન લાઈન સાહિત્યને કારણે પ્રિન્ટેડ સાહિત્યનો યુગ લગભગ પૂરો થઈ ગયો છે. એકમાત્ર દૈનિક પત્રોએ પગદંડો હજુયે જમાવી રાખ્યો છે, જેથી પૂરતા પ્રમાણમાં પસ્તી પણ મળતી નથી. બીજું સોમવારથી રિસાઈકલિંગ કરતા કારખાનામાં માલ લેવાનું બંધ થઈ ગયું છે અને હવે છેક લાભ પાંચમ કે અગિયારસ પછી ખૂલશે એટલે ફેરિયાઓએ ઘરોઘર એકઠો કરવાનું પણ બંધ કરી દીધું છે. રોજેરોજ ભાવમાં વધઘટજથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, ફેરિયાઓ પાસે વાડાવાળા, વાડાવાળા પાસેથી જથ્થાબંધ વેપારીઓની પણ ક્રમશ: ત્રણ ચાર શ્રેણી હોય છે. ત્યારબાદ ગાંધીધામ, અમદાવાદ, રાજકોટ, જામનગર, ધોરાજી સ્થિત કારખાનામાં પહોંચતો હોય છે, જેથી માલના ભરાવા, જરૂરિયાત અને ગરજ મુજબ ભાવમાં રોજેરોજ વધઘટ થતી હોય છે. અડધાથી 3 ટકા ઉપર ધંધોભંગારના ધંધામાં પણ મૂડી રોકાણ ઉપર વ્યાજ જેવો ધંધો થઈ ગયો છે. સાૈથી વધુ ગ્રાહકને ત્યારબાદ ફેરિયાને અને પછી ક્રમશ: જથ્થાબંધ વેપારીઓને ઘટતા ઘટતા અડધા ટકા ઉપર પહોંચી જતો હોય છે. આમ, રૂપિયે બે રૂપિયે ધંધો થઈ ગયો છે.