ભાસ્કર ઈનસાઈડ:3 દિ'માં 52 બસે 9 હજાર કિમી અંતર કાપી 11 હજારને મુસાફરી કરાવી
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે. આ મેળામાં બહારગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ થકી આયોજન કરીને ત્રણ દિવસ માટે વધારાની બસો ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ દરમિયાન આવવા જવા માટે 52 બસ થી 380 ટ્રીપ કરી હતી જેમાં મેળામાં જવા અને આવવા માટે 11 હજાર મુસાફરોએ લાભ લીધો હતો. આમ ત્રણ દિવસમાં બસોએ 9 હજાર કિમીનું અંતર કાપીને રૂપિયા 4 લાખની આવક એસટી વિભાગને થઈ હતી. ઉલેખનીય છે કે, ગત વર્ષે શુકલતીર્થ મેળામાં જવા આવવા માટે 21 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો જ્યારે આ વર્ષે તેમાં અંદાજે 47.62 ટકા મુસાફરોનો ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. મેળામાં આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચ ના ડીવીઝન અને ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ વધારાની બસ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી ચગડોળને મંજૂરી નહી મળતાં લોકોની સંખ્યા ઘટી ભરૂચના શુકલતીર્થ ગામમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે જેના માટે એસટી વિભાગ મેળામાં જવા માટે મુસાફરો માટે વધારાની બસ નું આયોજન કરે છે પણ આ વર્ષે ઘણા ઓછાં લોકો મેળામાં આવ્યા હતા, જેનું મુખ્ય કારણ માવઠાને કારણે તેમજ મેળામાં વિવિધ ચકડોળ ને પરમિશન નહીં મળતા બંધ રાખવામાં આવી હતી. જેથી લોકોએ મેળામાં નહીં જતા એસટી બસનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા દિવસોમાં નાના ચકડોળ ચાલુ કરવામાં આવતા લોકોની સંખ્યા થોડી વધી હતી. આમ ઓછાં એસટી બસ ના ઉપયોગના કારણે ગત વર્ષના પ્રમાણે મુસાફરો ઘટતા આવકમાં ઘટાડો થયો છે.
રાજસ્થાની કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યાં:કઠપૂતળીની કળા પ્રસારનું માધ્યમ બની
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન ભાટ તથા તેમના કાકા મહિપાલ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવન જાટે જણાવ્યું કે, દાદા- પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતાં આજે સરકારની યોજનાઓ પ્રચાર- પ્રસારનું માધ્યમ બની ગઈ છે. કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડાંમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યાં છે. તેઓ કહે છે કે, આ કળા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે કારણ કે કઠપુતળીની ભાષા દરેક સમજે છે. 2 હજાર વર્ષ જૂની માનવામાં આવે છેકઠપુતળી કળા તે સમયના ટેલિવિઝન કે મોબાઇલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી. આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએપોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશઆપવા માટે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કઠપુતળીની કળા આશરે બે હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કળાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણાપ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોકપ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે.
પ્રવાસીઓનું સઘન ચેકીંગ:પ્રવાસીના વાહનોની સઘન તપાસ બાદ જ કેવડિયામાં અપાતો પ્રવેશ
કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે. દિલ્હીમાં બોંબ ધડાકા બાદ એસઓયુ સહિતના પ્રોજેકટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યા હોવાથી પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ભારત પર્વની ઊજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. આગામી 15 મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂસપેઠના થાય એને લઈને પણ સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોની સઘન તપાસ બાદ જ પ્રવાસીઓને કેવડિયામાં પ્રવેશ અપાઇ રહ્યો છે.
શું તમે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે પ્રાઈવેટ પાર્ટી પ્લોટ કે હોલના દોઢ-બે લાખ રૂપિયાના ભાડાથી ટેન્શનમાં છો? તો હવે ચિંતા છોડો. જે ક્વોલિટી માટે તમે લાખો ચૂકવો છો, તે જ સુવિધા સરકારી કોમ્યુનિટી હોલમાં ખાલી 2000થી 50,000 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. લગ્નની સિઝનમાં વેન્યૂ પાછળ થતો મોટો ખર્ચ બચાવવાનો આ સૌથી સરળ અને સ્માર્ટ રસ્તો છે. સરકારી હોલની સુવિધા શું છે? ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 159 નગરપાલિકાઓમાં 300થી વધુ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ હોલ તમે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ બુક કરી શકો છો. ભાડું સામાન્ય રીતે ₹2000થી શરૂ થઈને ₹50,000 સુધીનું હોય છે, જેનો આધાર ત્રણ બાબતો પર છે: ઓનલાઈન બુકિંગની સ્માર્ટ ટ્રિક જો તમે મહાનગર સિવાયના નાના શહેરો કે નગરપાલિકા વિસ્તારમાં હોવ, તો બુકિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે: મોટા શહેરોના લોકોએ શું કરવું? ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે eNagar પર અમદાવાદ, રાજકોટ કે સુરતના હોલ કેમ દેખાતા નથી? ધ્યાન રાખો કે મોટા શહેરોની મહાનગરપાલિકાઓના પોતાના અલગ પોર્ટલ છે. આટલું ખાસ યાદ રાખો વધુ વીડિયો જોવા નીચે ક્લિક કરો
ભાસ્કર નોલેજ:પ્રાકૃતિક ખેતી માટે બાયો ઈનપુટ ખરીદવા388 ખેડૂતને 15.56 લાખની સહાય મળી
ભરૂચ જિલ્લામાં 21934 જેટલાખેડૂતો પ્રાકૃતિ ખેતી કરી રહ્યા છ.ત્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધેતે માટે આત્મા પ્રોજેક્ટ સતતપ્રયત્ન કરી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય આધારિત તૈયારથતા બીજામૃત, જીવામૃત,ઘનજીવામૃત, વગેરે બાયોઇનપુટ્સ પાયા ની જરૂરિયાતછે. પરંતુ ઘણા ખેડૂતો પાસે દેશીગાય ન હોય તો તેમણે પણપ્રાકૃતિક ખેતી કરવા માટેબીજામૃત, જીવામૃત ઘનજીવામૃત જેવા બાયો ઇનપુટ્સ તેમજપ્રાકૃતિક કૃષિ માં રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર,અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણીઅર્ક વગેરે સરળતાથી મળી રહેતે માટે ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના નું અમલીકરણ કરવામાં આવીરહ્યું છે. જેમાં સામાન્ય કેટેગરીમાં આવેલા ખેડૂતો ને 50 ટકામહત્તમ રૂપિયા 4 હજાર નીમર્યાદા માં અને અનુસૂચિતજાતિ અનુસૂચિત જનજાતિનાખેડૂતો ને 75 ટકા મહત્તમ 5હજારની મર્યાદામાં સહાયઆપવામાં આવી રહી છે. જેમાંજિલ્લામાં 388 લાભાર્થીખેડૂતોને રૂપિયા 1556930જેટલી સહાય અપાય છે. બાયો ઈનપુટ કોને કહેવાય અને ક્યાં મળશેબાયો ઈનપુટ એટલે પ્રકૃતિ માંથી મળેલા એવા તત્વો જે ખેતીને સ્વસ્થ સજીવ અને રાસાયણિક મૂક બનાવે છે. જેમાં દેશી ગાય આધારિત તૈયાર થતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો સમાવેશ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને સૌથી વધુ બાયો ઈન્પુટ ની જરૂરિયાત પડે છે. સાથે રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આમ જીલ્લામાં 5 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે
ઠંડીનો અનુભવ:ભરૂચમાં તાપમાન ઘટ્યું ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે જ્યારે રાત્રિનું તાપમાન ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય રહી છે, આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ ઘટીને 11 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સીધી થવાની શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે માવઠા બાદ તાપમાન અચાનક ઓછું થતાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (SSG) દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવોસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. લક્ઝરી પેવેલિયનમાં પીરસાશે સ્પેશિયલ વાનગીઓમેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ ફેસ્ટિવલમાં ભાગ લેશેફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી કહેવાય છે) માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે. ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશેઆ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે. ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે. વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તા. 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025' યોજાશે. 'બુક ફેસ્ટિવલ'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક સ્ટેજઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11 દિવસના જ્ઞાન મહાકુંભમાં જોડાવવા ખાસ આહ્વાન કર્યું છે. એક લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન થયું છે. આ 11 દિવસ સુધી ચાલનારા 'બુક ફેસ્ટિવલ-2025'માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાંત ફ્રી અન્ટ્રી રાખી છે અને કાર્યક્રમ સ્થળ પાસેના ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગ સુવિધા કરવામાં આવી છે. આ બુક ફેસ્ટિવલ માત્ર એક પુસ્તક મેળો નથી, પરંતુ ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ છે, જ્યાં કોઈ દીવાલો નથી. ધોરણ 1થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ ફ્રી નોંધણી કરાવીને આ ફેસ્ટિવલને તેમની વાર્ષિક શૈક્ષણિક યાત્રા બનાવી શકે છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે. આ કાર્યક્રમમાં કેવી રીતે જોડાઈ શકશો1. તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ Google ફોર્મ ભરો.2. તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.3. કન્ફર્મ થયેલા બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.4. યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (1.15ના રેશિયોમાં) માટે પ્રવેશ ફ્રી છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ 'અમદાવાદ નેશનલ બુક ફેર' નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-2024થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ નામકરણ કરાયું છે.
ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ગયા મહિને મહેસાણા આવ્યાં હતા જેના એક મહિના જેટલા ટૂંકા સમય પછી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુભાંશુ શુકલાની આ મુલાકાત દરમિયાન તેમણે ઈસરો, NIDના કેમ્પસની મુલાકાત લીધી હતી. NID કેમ્પસમાં હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણીશુભાંશુ શુકલાની NID અમદાવાદની મુલાકાત દરમિયાન કેમ્પસના અલગ અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સાથે જ અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. એટલું જ નહીં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ NID અમદાવાદ કેમ્પસમાં ડિનર પણ કર્યું હતું. જેમાં તેમણે હાંડવો અને રબડી જલેબીની લિજ્જત માણી હતી. શુભાંશુ શુકલા સ્પેસમાં પોતાની સાથે ગુજરાતી બાંધણી લઇ ગયા હતા, જુઓ અમદાવાદ NIDએ બનાવેલી 16 વસ્તુઓ કઇ હતી? શુભાંશુ શુકલા પોતાની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 16 જેટલી વસ્તુ લઇ ગયા હતા. આ વસ્તુઓ NID અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી. જેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓની સાથે લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર બનાવાયેલો ભારતનો મેપ તેમજ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા શબ્દો લખેલી ગુજરાતી બાંધણી પણ હતી. આ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ સંભારણારુપે ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. NIDના અમદાવાદ, ગાંધીનગર અને બેંગલુરુ કેમ્પસની કુલ 55 વિદ્યાર્થી ટીમે ISRO અને NASAના આ સંયુક્ત પ્રોજેક્ટ માટે 200થી વધુ ડિઝાઇન અને વસ્તુઓ મોકલી હતી, જેમાંથી 16ની પસંદગી કરાઈ હતી. આ દરેક વસ્તુ 20થી 25 ગ્રામની જ હતી, જે સર્જનાત્મક અને સારી ડિઝાઇન કરેલી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને ભારતની અવકાશયાત્રાની પ્રેરણાદાયી વાતો દર્શાવાઇ હતી. જ્યારે આ કૃતિઓ શુભાંશુ શુકલાને મળી ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યાં હતા. પ્રોડક્ટ ડિઝાઇનમાં અભ્યાસ કરતા પૃથુ ચિત્રે અને એક્ઝિબિશન ડિઝાઇનમાં અભ્યાસ કરતા શાનિકા જોષીએ પણ બાંધણી અને વૂડ કાર્વિંગની પ્રોડક્ટ તૈયાર કરી હતી. ગુજરાતી બાંધણી તૈયાર કરીપૃથુ ચિત્રેએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને એક્ઝિઓમ-4 મિશનનો હિસ્સો બનવાની તક મળી. અમે 20થી 25 આઇડિયા આપ્યા હતા, જેમાંથી અમારા 3 આઇડિયા પસંદ કરવામાં આવ્યાં હતા. એ બાદ અમે કોન્સેપ્ટ પર કામ કરીને એને તૈયાર કર્યું હતું. અમારી પ્રોડક્ટને શુભાંશુ શુકલા સ્પેસમાં લઇ ગયા હતા. પૃથુ ચિત્રે અને શાનિકા જોશીએ તૈયાર કરેલી ગુજરાતી બાંધણી'અમે બન્નેએ બાંધણીની પેટર્ન પર ક્રાફ્ટ તૈયાર કર્યું હતું, જે યુનિટી ઓફ ઇન્ડિયાની થીમ પર હતું. બીજી પ્રોડ્ક્ટ અમે વૂડ કાર્વિંગ પર તૈયાર કરી હતી. જ્યારે ત્રીજી પ્રોડક્ટ લીંપણ આર્ટ ઓફ ઇન્ડિયા પર હતી, જેમાં અમે લીંપણનો ઉપયોગ કરીને એમાં આભલાં ચોંટાડીને ભારતના મેપ પર ક્રાફ્ટવર્ક તૈયાર કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા જ ક્રાફ્ટવર્ક અમે 20 ગ્રામથી ઓછામાં અને પાંચ બાય પાંચની સાઇઝમાં તૈયાર કર્યાં હતાં.' NIDમાં પ્રોડક્ટ ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા મેઘ મલ્હાર સહાએ ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે અમારી મહેનત રંગ લાવી. મેઘમલ્હાર સહાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાં જવાના હતા. એ પહેલાં કલ્પના કરવામાં આવી હતી કે તેમની સાથે કેટલાક સોવેનિયર મોકલવામાં આવે, જે ભારતના ડેવલપમેન્ટને રિપ્રેઝન્ટ કરે. NIDના સ્ટુડન્ટ્સ માટે આ ઓપન કોલ હતો. આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. મારી ફાઈનલ સોવેનિયર માટે પણ પસંદગી થઇ હતી, જેમાં મેં ધ ડોકરા વિલેજ એસ્ટ્રોનોટ તૈયાર કર્યો હતો, જે બાદ અમે જાન્યુઆરી 2025 સુધીમાં તૈયાર કરીને મોકલી આપ્યા હતા. જ્યાં બાળપણ વીત્યું ત્યાંનું ક્રાફ્ટ બનાવ્યુંતેણે કહ્યું, અમને જે બ્રીફ આપવામાં આવી હતી એ ખૂબ જ મહત્ત્વની હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે ભારતીય ક્રાફ્ટની જ પ્રોડક્ટ તૈયાર કરવાની છે, જે ભારતના એસ્પિરેશનને દર્શાવતી હોય. હું બંગાળી છું અને મારું બાળપણ દુર્ગાપુરમાં વીત્યું છે. હું ક્રાફ્ટ કલ્ચરને જોઇને જ મોટો થયો છું, એટલે મેં વિચાર્યું કે હું સોવેનિયર માટે ડોકરા ક્રાફ્ટનો ઉપયોગ કરીશ. આ ક્રાફ્ટમાં કોઈ પણ વસ્તુ મોલ્ડમાંથી તૈયાર નથી થતી, દરેક વસ્તુને હાથથી જાતે તૈયાર કરવી પડે છે. એ માટે પહેલા વેક્સ પર કામ કરવું પડે છે. મેં ડોકરા ક્રાફ્ટ થકી એક એસ્ટ્રોનોટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. કારીગરોને સમજાવવા માટે વીડિયો બતાવ્યા'આ તૈયાર કરવા માટે હું બિકના ગયો હતો, જ્યાં ડોકરા આર્ટના કારીગરો સાથે મેં એક અઠવાડિયા જેટલો સમય વિતાવ્યો હતો. એના પછી સોવેનિયર તૈયાર કર્યું હતું. જ્યારે મેં પહેલીવાર એ કારીગરોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં માણસો જાય છે અને આ પ્રોડક્ટ તેમના માટે તૈયાર કરવાની છે ત્યારે તેઓ પણ ખૂબ જ શોક થઇ ગયા હતા. તેમને કંઇ ખબર જ નહોતી પડતી કે હું તેમને શું કહી રહ્યો છું. એ પછી તેમને સમજાવવા માટે મેં કેટલાક વીડિયો બતાવ્યા અને એ પછી કહ્યું કે સ્પેસ સ્ટેશનમાં જ્યારે કોઇ જાય છે ત્યારે આવાં કપડાં પહેરતાં હોય છે, આવી તૈયારીઓ કરતા હોય છે. એ પછી તેમના મગજમાં થોટ્સ પ્રોસેસ શરૂ થઇ. પછી મેં તેમને મારી પ્રોડક્ટ વિશે કહ્યું કે આપણે ડોકરા એસ્ટ્રોનોટ બનાવવાનો છે.' પડકાર શું હતો?પડકારોની વાત કરતાં તેણે કહ્યું હતું કે અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે એને 20 ગ્રામમાં તૈયાર કરવાનું હતું. આ માટે વેક્સમાંથી 2.5 ગ્રામ સોવેનિયર તૈયાર કરવામાં આવ્યું હતું. એ બાદ એના પર કાર્વિંગ કરવામાં આવ્યું હતું. એમાં તાર જોડીને કારીગરોએ કામગીરી કરી હતી. 'હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે ભારત જે ઇતિહાસ રચી રહ્યું છે એમાં મારું પણ નાનકડું યોગદાન છે. મને આવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જ્યારે શુભાંશુ શુક્લા અમેરિકામાં હતા ત્યારે અમારી તેમની સાથે વીડિયો કોલ પર વાત થઇ હતી. આ દરમિયાન અમે તેમની સાથે અમારી પ્રોડક્ટના કોન્સેપ્ટથી લઇને તૈયાર થવા સુધી ઓપન ચર્ચા કરી હતી. એ બાદ તેઓ ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે અમારી કામગીરીને બિરદાવી હતી. જ્યારે તેમને આ બધી પ્રોડક્ટ મળી અને તેમણે તેમના સાથી અવકાશયાત્રીઓને બતાવી તો તેઓ પણ ખૂબ જ ખુશ થયા હતા. જે ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.' NID અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું હતું કે સ્પેસ અને આઉટર સ્પેસ જેવાં ક્ષેત્રમાં દેશને જે જરૂરી હોય એવી ડિઝાઇન સોલ્યુશન આપવા માટે NID તેના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને ડિઝાઇન ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભર બને. આ સોવેનિયર ભારતના સ્પેસ હીરો માટે એક નાનકડું પગલું છે. આ પ્રોજેક્ટમાં સ્ટુડન્ટને ગાઇડન્સ આપવાથી લઈને કો-ઓર્ડિનેશનની કામગીરી કરનારા અને NIDના સિનિયર ફેકલ્ટી મેમ્બર વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી પ્રોડક્ટ જોઈને અવકાશયાત્રી શુભાંશુ શુકલા આશ્ચર્ય પામ્યા હતા. વિપુલ વિંઝુડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ISROએ NID સ્ટુડન્ટ અને ફેકલ્ટીને ઓક્ટોબર 2024માં સ્પેસને લગતો એક પ્રોજેક્ટ આપ્યો હતો, જેમાં 250થી વધુ કોન્સેપ્ટ અને સ્કેચિસ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ઇસરોએ બ્રીફ પણ આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આપણા અવકાશયાત્રી સ્પેસ મિશન માટે જવાના છે. તેમના માટે કેટલીક યાદગાર ડિઝાઇન તૈયાર કરવાની છે, જે તેમની સાથે સ્પેસમાં મોકલવાની છે. 20થી 25 ગ્રામ વજન'ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે કે એ તેમને ભારતની અને કલ્ચરની યાદ અપાવે. અમને એવું કહેવાયું હતું કે તમે જે ક્રાફ્ટ તૈયાર કરો એ માત્ર 20થી 25 ગ્રામના જ હોવા જોઇએ અને એની સાઇઝ 5 સેન્ટિમીટર કે પર્ટિક્યુલર ડાયમેન્શનમાં જ હોવી જોઇએ, સાથે જ સરળતાથી તૂટી જાય એવા મટીરિયલના ન હોવા જોઇએ.' 'આ પ્રોજેક્ટમાં અમદાવાદ, ગાંધીનગર અને બેંગાલુરુ એમ ત્રણેય કેમ્પસમાંથી અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટે 200થી વધુ આઇડિયા સબ્મિટ કર્યા હતા. આમાંથી ઇસરોની ટીમ સાથે મળીને કેટલાક આઇડિયા અને કોન્સેપ્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 નક્કી કરાયા હતા, એટલે ટોટલ 16 જેટલા ઓબ્જેક્ટ શુભાંશુ શુક્લા સાથે અવકાશમાં ગયા હતા.' લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપશુભાંશુ શુક્લા જે 16 પ્રોડક્ટ લઇને ગયા હતા એમાંથી ગુજરાતની કલાને પ્રેઝન્ટ કરતી એક પ્રોડક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું, બે સ્ટુડન્ટ દ્વારા લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર ભારતનો મેપ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતની બાંધણીમાં ટ્રાય કલરનો પણ સારી રીતે ઉપયોગ કરીને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં લખીને તૈયાર કર્યું હતું. આ મિશનમાં નોર્થથી સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટમાં આપણી જે ક્રાફ્ટની ડાઇવર્સિટી છે તેની ઝાંખી પણ આ 16 પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. શુભાંશુએ વિદ્યાર્થીઓ સાથે વાત કરીતેમણે વધુમાં કહ્યું કે, જ્યારે શુભાંશુ શુક્લા પાસે NIDના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલી આ પ્રોડક્ટ પહોંચી ત્યારે તેઓ એકદમ સરપ્રાઈઝ પણ થયા અને સાથે ખૂબ જ ખુશ પણ થયા હતા, કેમ કે પહેલીવાર કોઇ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આવી વસ્તુઓ કોઇ એસ્ટ્રોનોટ પોતાની સાથે અવકાશમાં લઇ જઇ રહ્યા હતા. શુભાંશુ શુક્લા જ્યારે સ્પેસમાં જવાના હતા એ પહેલાં તેમણે આ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં ઘણુંબધું કરી શકશે. હાલમાં તો શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાંથી પરત ફર્યા છે, પરંતુ હજુ પણ કેટલાક સોવેનિયર્સ ત્યાં જ છે, જે આવનારા સમયમાં પરત લાવવામાં આવશે. 'NID માટે આ ખૂબ જ ગૌરવની વાત છે, કેમ કે જે ઉત્સાહ સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવામાં આવ્યું છે અને જે રીતે સ્ટુડન્ટ્સે ક્રિએટિવિટી બતાવી છે એ ખરેખર બિરદાવવાલાયક છે. અમે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ ઉપલબ્ધિ બાદ અમને આશા છે કે આ ડિઝાઇન આવનારા સમયમાં સ્પેસ સાયન્સમાં વધુ સારી ઉપલબ્ધિ મેળવી શકશે.'
કોઈ ફિલ્મ જોઇને રડી રહ્યું છે તો કોઈ લાલાને લઈ થિયેટરમાં નાચી કૂદી રહ્યું છે. ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક લાલાના જયઘોષ સાથે ભક્તિ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં જ્યાં કૃષ્ણ નગરી છે ત્યાં બધે જ હર્ષોઉલ્લાસનો માહોલ છે. ત્યારે હવે લાલો ફિલ્મે જાણે કે થિયેટરોને કૃષ્ણ નગરી બનાવી દીધી હોય તેમ હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ ભભકાદાર પબ્લિસિટી કે જાણીતા પ્રસિદ્ધ કલાકારો વગરની ધીમા વાયરે શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો શરૂઆતમાં અમદાવાદમાં માત્ર 2 કે 3 થિયેટરમાં અને તે પણ મિનિપ્લેક્સમાં શો હતા. પણ હવે આ ફિલ્મ જાણે કે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું હોય તેમ તમામ રેકોર્ડ તોડવા છલાંગ લગાવી રહી છે. ‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે’ આ ફિલ્મનું ટાઇટલ જ કોઈ ચમત્કારથી ઓછું નથી. આમ પણ ગુજરાતમાં જયશ્રી કૃષ્ણ બોલવાનું ચલણ છે અને તેમાં પણ દ્વાપર યુગની દ્વારિકા નગરી, ભક્ત બોડાણાથી પ્રસિદ્ધ ડાકોર અને શામળાજીમાં બિરાજમાન ભગવાન ગુજરાતના પશ્ચિમ કાંઠેથી છેક ઉત્તર સુધી ગુજરાતીઓ પર આર્શિવાદ વરસાવી રહ્યા છે. આ ફિલ્મ જોવી એ જાણે કે કોઈ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હોય તેવી અનુભૂતિ હોય તેમ લોકો સહકુટુંબ પરિવાર સાથે ફિલ્મ જોવા ઉમટે છે. સ્થિતિ તો એવી છે કે ગુજરાતના થિયેટરોમાં લાલો ધૂમ મચાવી રહ્યો છે અને દર્શકો મનોરંજન સાથે ભક્તિના રંગે રંગાઇ રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ ગુજરાતના થિયેટરોમાં લાલો મૂવી જોઈ બહાર નીકળેલા લોકો સાથે વાત કરી તેમના અનુભવો જાણ્યા હતા. તો આવો સાંભળીએ તેમના મોઢેથી જ તેમના અનુભવો..... આવો શરૂઆત કરીએ સંસ્કારી નગરી વડોદરાથી...વડોદરાના સિનેમાઘરોમાં લાલો મૂવીને લઈ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વારસિયા વિસ્તારમાંથી મૂવી જોવા આવેલા વનિતા પવારે જણાવ્યું હતું કે, લાલો મૂવી ખુબજ સરસ છે, જોવા જેવું છે અને જે પિતા હોય તેઓ માટે સમજવા જેવું છે. પરિવાર સાથે લોકો જોઈ શકે તેવું મૂવી છે, આ સમજવા જેવું છે અને જે સમજે તેના માટે લાઇફ સુધારી જાય છે. આ મૂવી જોઈ 70 ટકા લોકો અન્યને મદદ કરશે: દીપ પટેલઅન્ય એક દર્શક દીપ પટેલે વખાણ કરતા કહ્યું કે ખૂબ સરસ અને જોરદાર મૂવી ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે. કૃષ્ણ ભગવાન સદા સહાયતે કે ભગવાન તમને કોઈ પણ અવતારમાં મદદ કરે છે. લોકો એક બીજાની મદદ કરે અને જો તમે મદદ કરશો તો ભગવાન તમને મદદ કરશે. આજની જનરેશન લોકોને મદદ કરવાનું ભૂલી ગઈ છે તે આ મૂવી જોઈ 70 ટકા લોકો લોકોની મદદ કરશે. ચોક્કસ એકવાર આ મૂવી જોવો તો ખબર પડી જશે કે કેવી મૂવી છે અને આ મૂવી માટે અપરથી લઇ લોઅર સીટો ફૂલ છે. કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે: જતીનભાઈમૂવી જોઈને આવેલા જતીનભાઈએ જણાવ્યું કે, મૂવી જે સમજી શકે તેના માટે ખૂબ સારું છે. પહેલા પણ આજ હતું અને આજે પણ આજ છે, પહેલા ભગવાનને બધા માનતા હતા આજે કળિયુગમાં ભગવાન આ રીતે લોકોને સમજાવે છે. જે લોકો સમજી શકે છે તે સમજી શકે, જે ટાઈમ પાસ કરવા આવે તે ટાઈમ પાસ કરે, જેને સમજવાનું છે તે સમજે. હવે આ ફેમિલીને સમજાવવું-દેખાડવું જરૂરી છે. હાલમાં ફાસ્ટ લાઇફ ચાલી રહી છે, આ બધું ભૂલી ગયા છે, એટલે ભગવાન રીપીટ કરે છે. મૂવી જોઈ યુવાઓ-વડીલોની આંખમાં આંસુ આવી જાય છે: ડૉ. ભૂમિકાતો રંગીલા રાજકોટના દર્શક કેમ લાલો જોવામાં પાછળ પડે તેમ મૂવી જોવા આવેલા એક દર્શક ડૉ.ભૂમિકાએ જણાવ્યું કે, લાલો મૂવી સરસ છે. તેમાં જે કૃષ્ણનું પાત્ર બતાવવામાં આવ્યું છે એ ખૂબ જ સારું છે. અત્યારના સમય પ્રમાણે શું સમજવા જેવું છે તે તેમાં આપવામાં આવેલું છે. જે આજની યુવા પેઢીએ શીખવા અને સમજવા જેવી બાબત છે. ધર્મને મોર્ડન રીતે સમજાવવાનો ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મૂવી જોઈને યુવાઓ અને વડીલોની આંખમાં આંસુ આવી જાય છે. એક્ટરે ભગવાનનો રોલ ખૂબ જ સારો કર્યો છે: રમેશ સોનાગ્રાફિલ્મની કાસ્ટ વિશે વાત કરતા દર્શક રમેશ સોનાગ્રાએ જણાવ્યું હતું કે, લાલો ફિલ્મ લોકોને ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે અને કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખવાની વાત કરે છે. પ્રભુના રોલમાં જે આવે છે તે આપણને ઇન્સ્પાયર કરે છે કે સૌએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ બનતી રહે તે ખૂબ જ જરૂરી છે. દાદાના જન્મદિવસે બા પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચ્યાદાદાના જન્મદિવસે પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલા બા જશુબેન શાહે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખુબ જ સારી છે અને તેમાં કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે. કચ્છથી રાજકોટ ફિલ્મ જોવા આવ્યા છીએ: હરદીપસિંહ જાડેજાકચ્છથી રાજકોટ લાલો ફિલ્મ જોવા માટે આવેલા હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાલો એ ખુબ જ સારી ગુજરાતી ફિલ્મ છે. આજના કળિયુગમાં લોકો પાસે ભાગવત ગીતા વાંચવાનો સમય નથી ત્યારે આ ફિલ્મ જોઈને આજના સમયમાં ગીતાની શીખ કેટલી જરૂરી છે તે જાણી શકાય છે. જેવા કર્મો કરો એવા ફળ મળશે: પ્રતિક્ષાબેનતો સુરતીઓ આ મૂવી જોવામાં કેમ પાછળ રહી જાય. લાલો મૂવી જોવા આવેલા પ્રતિક્ષાબેને જણાવ્યું કે મૂવી બહુ સરસ હતું. એમાં કહેવા માંગે છે કે જેવા કર્મો કરો એવા ફળ મળશે. એટલે જોવાની મજા આવી ગઈ અને કનૈયાનો જે અવતાર હતો, બહુ સુંદર જ હતો. તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ: દિવ્યામૂવી જોવા આવેલી દિવ્યાએ કહ્યું કે બહુ જ ફાઇન મુવી હતી એટલી મસ્ત શીખ આપી હતી કૃષ્ણ ભગવાને કે તમારે તમારો રસ્તો પોતે શોધવો જોઈએ બહુ જ ફાઇન મુવી છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે: ભાવનાબેનદર્શક ભાવનાબેને કહ્યું કે મૂવી બહુ જ ફાઇન છે. મન અને આત્મા અંદરથી ખુશ થઈ જાય છે અને સમજાવે છે કે આપણે જે કરેલા કર્મો છે એ ભોગવવા પડે છે. મૂવી બહુ ફાઇન છે. નિકિતાએ કહ્યું લાલો મૂવી બહુ સારી મૂવી છે. ભગવાન બીજે ક્યાંય નથી, તમારા હૃદયની અંદર જ છે, અને બીજી વાર મૂવી જોવા ચોક્કસ પાછા આવવું પડશે એટલી બધી મને ગમી છે. અને જે એમાં છે એવું મારી સાથે થયેલું પણ છે કે ભગવાન આપણા હૃદયની અંદર જ છે. ડિમાન્ડ વધતી ગઈ તો અમે શો વધાર્યા: ટિંકુ દુબેરૂંગટા સિનેમાના ટિંકુ દુબેએ જણાવ્યું હતું કે અમારા અહીંયા 'લાલો' ગુજરાતી મૂવી 3 તારીખથી આવી છે. એના પછી ડે બાય ડે એનો શો ઇન્ક્રીઝ કર્યા છે. અમારી પાસે જો 150ની કેપેસિટી છે તો હર શોમાં ઓલમોસ્ટ 140-145 જેવી કેપેસિટી આવી રહી છે. હાલની જનરેશનના લોકોએ લાલો મૂવી જોવી જોઇએ: સુરુચિબેનતો હેરિટેજ સિટી અમદાવાદમાં પણ લાલો ફિલ્મને લઇ દર્શકો ભાવૂક જોવા મળ્યા હતા. ફિલ્મ જોઈ બહાર નીકળેલા સુરુચિબેને જણાવ્યું હતું કે, બહુ જ સરસ મૂવી છે. એટલું બધું ઇમોશનલ છે, ખરેખર જાણે લાલાનો આપણે અનુભવ કરતા હોઇએ એવું હાર્ટ ટચ થઈ ગયું હતું. હાલની જનરેશનમાં મોટાભાગે લોકો ભગવાનને નથી માનતા, તો જો આ લાલો દરેક જણા જુએ તો તેમને ખબર પડશે કે ખરેખર ભગવાનને આપણે પૂજવા જ જોઈએ. આ જનરેશનમાં તો આવા મૂવીની તો બહુ જ જરૂર છે. ભગવાન શીખવાડે છે કે હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની: સાક્ષીતો ભગવાનનો સાક્ષાત અનુભવ કરનાર દર્શક સાક્ષીએ જણાવ્યું કે લાલો મૂવીમાં બધા તીર્થધામ બતાવ્યા છે અને આજની જનરેશન દારૂને બધું પીવે છે, એ લોકો માટે એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે આ ધંધા બંધ કરીને સારા ધંધા કરો. જેમ કે ઉધાર લઈને તમે તમારા ફેમિલીને જે રીતે હેરાન કરો છો, એ રીતે ન કરો. અને એમાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભગવાન હોય જ છે આપણી જોડે. આપણને એવું છે કે નથી, પણ હોય જ છે ભગવાન. પણ ભગવાન એમાંથી એવું શીખવાડવા માંગે છે કે, હું ખાલી તમને રસ્તો બતાવીશ, મહેનત તમારે કરવાની. ખાસ કરીને અત્યારની જનરેશનને એવું છે કે તેમને બેઠા-બેઠા બધું જોઈએ છે, એ ના મળે. ભગવાનનું એવું કહેવું છે કે એ તમને રસ્તો બતાવે પણ મહેનત તો તમારે જ કરવાની, તો તમારું કર્મનું ફળ મળે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે: બેનીકાબેનમૂવી જોઈને આવેલા બેનીકાબેને જણાવ્યું કે, બહુ જ સરસ મૂવી હતું. બહુ જ મજા આવી, એન્જોય કર્યું. દરેક જણે આ મુવી જોવું જોઈએ. મુવીની અંદર એવું બતાવ્યું છે કે ભગવાન છે. બધા કહે છે ભગવાન નથી, પણ ભગવાન ખરેખર છે. વિશ્વાસ નથી પણ વિશ્વાસ કરવો જોઈએ. સારા મૂવી આપણે જોઇશું, છોકરાઓને જોવડાવીશું તો કલ્ચર થોડું સુધરશે: નેહાબેનતો અન્ય એક દર્શક નેહાબેને ગુજરાતી ફિલ્મના પ્રોગેસની વાત કરતા કહ્યું કે લાલો મૂવી જોયું, બહુ સારું લાગ્યું. ભગવાનના મૂવી આમ લોકો ઓછો જોવા જાય છે. આ રીતે જ આપણે થોડું એ લોકોના મગજમાં પણ નાખી શકીશું. તમે ઘરે બેસીને છોકરાઓને ભગવાનની બુકો આપશો તો એ નહી વાંચે, પણ મૂવી થ્રુ બાળકોના મગજમાં ઉતારીશું તો તે લોકોને રિયાલિટીનો ખ્યાલ આવશે. મને લાગે છે કે આપણે હવે કલ્ચર સાઇડ થોડું વધારે વળવું જોઈએ. GEN-Z માટે આ મૂવી બહુ સરસ છે: પૂર્વીબેનદર્શક પૂર્વીબેને જણાવ્યું કે, લાલો બહુ જ સુપર મૂવી છે. અત્યારની જનરેશન આ મૂવી જુએ તો એનાથી એને ઘણું બધું શીખવા મળે એમ છે. GEN-Z માટે તો આ મૂવી બહુ જ સરસ છે. કારણ કે ધાર્મિકતા અને ભગવાન શું છે એ આ મૂવીમાંથી ઘણું બધું જાણવા મળે છે.
ગુજરાત ક્રાઇમ ફાઇલના ગઈકાલના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સુરતના ઓલપાડ નજીક એક ખેતરમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. લાશની નજીક સીમકાર્ડ, ભોજનનું પાર્સલ અને બીજો કેટલોક સામાન વેરવિખેર પડ્યો હતો. જેમાં દવાના પર હોસ્પિટલનું નામ પણ હતું. એટલે પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે મૃતક યુવતીનું નામ સોનલ છે. 12 વર્ષના લગ્નજીવન બાદ સોનલ શોએબ નામના એક યુવક સાથે ભાગી ગઈ હતી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) શોએબ તેની પ્રેમિકા સોનલ સાથે પોતાના મિત્ર વલ્લભના ઘરે રહેતો હતો. શરૂઆતમાં શંકાના ઘેરામાં શોએબ જ હતો. પોલીસે સોનલની હત્યાના ગણતરીના કલાકોમાં જ આકાશ-પાતાળ એક કરીને તેના પ્રેમી શોએબ તેમજ પ્રેમીના મિત્ર વલ્લભ તેમજ રાહુલને ઝડપી પાડ્યા હતા. પરંતુ ધરપકડ બાદ આરોપીઓએ આપેલા પ્રાથમિક નિવેદન અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળી આવેલા પુરાવા એકબીજાથી વિપરિત કહાની તરફ ઇશારો કરી રહ્યા હતા. એટલે હજુ સુધી મર્ડરનું સત્ય સામે આવ્યું ન હતું. હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…અગાઉ વલ્લભ પોતાના ઘરે બૂમો પાડતો પહોંચ્યો હતો કે મેં સોનલનું મર્ડર કર્યું છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં વલ્લભ કે રાહુલ સ્વીકારતો જ ન હતા કે તેમણે સોનલની હત્યા કરી છે. પોલીસને આ વાત ખૂબ અજુગતી લાગી. આ ઘટનાક્રમમાં ઘણી બાબતો એવી હતી જે હજુ સુધી ખુલ્લી નહોતી પડી. એટલે પોલીસે હવે પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. પોલીસે બન્ને આરોપીઓને પૂછ્યું કે સોનલના મર્ડર પહેલાના ત્રણ દિવસોમાં શું-શું થયું હતું? એ વાત ડિટેલમાં જણાવો. પછી તો ધાર્યું ન હતું એવી હકીકત સામે આવી. આ પ્રકરણની શરૂઆત નવરાત્રિના સાતમા નોરતાથી થઈ. પ્રેમમાં અંધ બનીને ભાગીને આવેલા શોએબ અને સોનલ વલ્લભના ઘરે રોકાયા હતા. પરંતુ એક ઘટના એવી બની જેના કારણે વલ્લભની પત્નીને વાંધો પડ્યો. સાતમા નોરતાની રાત્રે વલ્લભની પત્ની અને તેનો દીકરો ગરબા જોઈને ઘરે આવ્યા. ત્યારે વલ્લભ અને સોનલ બન્ને વાતો કરતા હતા. વલ્લભની પત્નીથી આ જોઈને રહેવાયું નહીં અને વલ્લભનો ઉધડો લઈ લીધો. તેણીને શંકા ગઈ કે વલ્લભ અને સોનલ વચ્ચે અફેર ચાલે છે. અડધી રાત્રે વલ્લભની પત્નીએ ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો મોટો થયો કે શોએબ પોતાની પ્રેમિકા સોનલને લઈને રાત્રે જ વલ્લભના ઘરેથી નીકળી ગયો. બીજા દિવસની સવાર પડી અને ફરી એકવાર આ મુદ્દે વલ્લભ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મુદ્દો એ જ હતો કે વલ્લભ અને સોનલ વચ્ચે શું ચાલી રહ્યું છે? પત્નીના ઝઘડાથી કંટાળીને સવારે વલ્લભ પણ ઘર છોડીને નીકળી ગયો. હવે શોએબ, સોનલ, અનવર અને રાહુલ એમ ચારેય લોકો એકસાથે વડોદરાથી સુરત સુધીના અલગ-અલગ રેલવે સ્ટેશન અને આ રૂટ પર ફરતી ટ્રેનમાં ચોરી કરતા અને રેલવે પ્લેટફોર્મ પર જ સુઈ જતા હતા. સોનલના મર્ડરની ઘટના બની એના એક દિવસ પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે વલ્લભ કોઈક કારણોસર જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો. નજીકમાં જ સોનલ બેઠી હતી. તેણે વલ્લભને કહ્યું કે તું ગાળો ન બોલીશ. છતાં વલ્લભે સોનલની વાત ધ્યાને ન લીધી અને બબડવાનું ચાલુ રાખ્યું. રોષે ભરાયેલી સોનલે વલ્લભને ધડાધડ બે તમાચા ઝીંકી દીધા. આ તમાચાની ગૂંજ તો શાંત પડી ગઈ પણ વલ્લભને હવે સોનલથી જાણે નફરત થઈ ગઈ હતી. એ ગમે એમ બદલો લેવા માગતો હતો. વલ્લભનો રોષ ઠંડો નહોતો પડ્યો ત્યાં તો 3 ઓક્ટોબરે બીજી એક ઘટના બની, જેણે ચારેય ચોરની ટોળકીમાં ફાંટા પાડી દીધા. વલ્લભની પત્ની બાદ હવે શોએબને પણ શંકા ગઈ કે સોનલ અને વલ્લભ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બન્નેને અફેર હોવાની શંકા રાખીને શોએબે ઝઘડો કર્યો અને બેફામ રીતે ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં, શોએબ તેના સાગરીત રાહુલ પર પણ ગુસ્સે થઈ ગયો અને માર માર્યો. કારણ કે થોડા દિવસ પહેલાં આ ચારેય લોકો પાલેજ હતા ત્યારે રાહુલે સોનલની શારીરિક છેડતી કરી હતી. એ બાબતે બાદમાં સમાધાન થઈ ગયું હતું. પણ વલ્લભ સાથે ઝઘડો થયો એ જ દિવસે એટલે કે 3 તારીખે જૂની વાત યાદ કરીને શોએબે ફરી એ વાત યાદ અપાવી અને રાહુલને માર માર્યો. શોએબના પ્રેમ પ્રકરણમાં હવે તેના મિત્રો વલ્લભ વસાવા તથા રાહુલ વિલન બની ગયા હતા. સોનલ સાથે અફેર હોવાની શંકા રાખીને તે અવારનવાર ઝઘડા કરવા લાગ્યો હતો. જેના કારણે વલ્લભ અને રાહુલ પણ કંટાળ્યા હતા. આ બન્નેએ ભેગા મળી શોએબને પતાવી નાખવા પ્લાન બનાવ્યો. આ ઝઘડો થયો એ પહેલાં 2 ઓક્ટોબરે જ કોસંબા રેલવે સ્ટેશન નજીકથી વલ્લભ અને રાહુલે શોએબની હત્યા માટે છરો ખરીદી લીધો. પરંતુ 3 તારીખે સાંજના સમયે શોએબે કીમ રેલવે સ્ટેશન પર તેની પ્રેમિકા સોનલ સાથે ઝઘડો કર્યો. એ સમયે રોષે ભરાયેલા શોએબે સોનલને માર મારતા તે લથડી પડી હતી. પછી શોએબે જ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવીને સોનલને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે જોયું કે તેણે નશો કર્યો છે. એટલે પોલીસને જાણ કરવી પડશે તેવી વાત કરતાં શોએબ તેની પ્રેમિકા સોનલને હોસ્પિટલમાં મૂકીને બહાર નીકળી ગયો. સારવાર પૂરી થઈ જતાં કોઈને જાણ કર્યા વગર થોડીવાર પછી સોનલ પણ હોસ્પિટલની બહાર આવી ગઈ. પોલીસના ડરથી શોએબ નજીકમાં જ સંતાયેલો હતો પણ સોનલને ખબર નહોતી. સોનલ બહાર આવી ત્યારે તેણીને વલ્લભ વસાવા તથા રાહુલ હોસ્પિટલની બહાર જ મળી ગયા. આ બન્નેએ સોનલને કહ્યું કે, શોએબ તને બોલાવે છે. પરંતુ શોએબે મારપીટ કરી હતી, એટલે સોનલ શોએબથી હજુ પણ નારાજ હતી. સોનલે શોએબ સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે આ પરિસ્થિતિમાં વલ્લભ અને રાહુલે બીજી યુક્તિ અપનાવી. તેમણે સોનલને સાથે રાખી ચોરી કરવાનું બહાનું કરીને મનાવી લીધી. હકીકતમાં વલ્લભ અને રાહુલના મનમાં કંઈક બીજું જ ષડયંત્ર ચાલી રહ્યું હતું. સોનલને તેમણે રિક્ષામાં બેસાડી તેમની સાથે લઇ ગયા. પછી થોડે આગળ જઈને રિક્ષા રોકાવીને રાહુલ નીચે ઉતર્યો. રસ્તામાંથી ત્રણેય માટે જમવાનું પાર્સલ લઈ લીધું. કેટલાક કિલોમીટર બાદ અંતરિયાળ વિસ્તાર આવતા રિક્ષામાંથી ત્રણેય ઉતરી ગયા અને પરીયા ગામની સીમમાં ખેતર તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યા. કાચા રસ્તા પર થોડા સમય ચાલ્યા બાદ ત્રણેય એક જગ્યાએ રોકાયા અને પછી ત્યાં પાર્સલ ખોલીને જમવા બેસી ગયા. જમવાનું પૂરું થતાં જ રાહુલના મનમાં સળવળાટ થયો અને તે સોનલની એકદમ નજીક પહોંચી ગયો. કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વગર રાહુલે સોનલ પાસે શારીરિક સંબંધ બાંધવાની માટે માગણી કરી દીધી. સોનલ આ સાંભળીને એકદમ ડઘાઈ ગઈ. કારણ કે અઠવાડિયામાં આ બીજી ઘટના હતી, જ્યારે રાહુલે અભદ્ર માગણી કરી હોય. સોનલ ગુસ્સે થઈ ગઈ અને કહી દીધું, તું મારાથી દૂર જતો રહે. નહીં તો હું બધી વાતની જાણ પોલીસને કરી દઈશ. પોલીસનું નામ સાંભળતા જ રાહુલને ગુસ્સો આવી ગયો. તેની પાસે શોએબનું મર્ડર કરવા માટે ખરીદેલો છરો હતો. પળભરમાં રાહુલે છરો કાઢ્યો અને સોનલ પર હુમલો કરી દીધો. સોનલના પેટમાં છરો વાગતા જ લોહીની ધાર વહી અને ચીસ નીકળી ગઈ. પણ રાહુલને માથે ઝનૂન સવાર હતો એટલે તેણે છરાથી ઘા મારવાના ચાલુ જ રાખ્યા. સોનલના ગળામાં તેમજ બંને હાથે કાંડા પાસે, પેટમાં તથા થાપાના ભાગે ઘા મારી દીધા. અચાનક હુમલો થતાં સોનલ પોતાનો બચાવ પણ ન કરી શકી. જ્યારે વલ્લભ આ બધું જોતો રહ્યો. તેણે સોનલને મદદ પણ ન કરી. રાતના અંધારામાં સોનલની ચીસો કોઈ સાંભળી ન શક્યું અને થોડા સમય સુધી તડફડિયાં માર્યા બાદ સોનલનો જીવ જતો રહ્યો. ત્યાર બાદ વલ્લભ અને રાહુલ સોનલની ડેડબોડીને હત્યાના સ્થળથી દસેક ફૂટ દૂર ઢસડી ગયા. લાશનું શું કરવું એ તેમની સમજમાં ન આવ્યું, કોઈ આવી જાય એનો પણ ડર હતો. એટલે લાશ પર ધાબળો નાખી દીધો અને ત્યાંથી નાસી છૂટ્યા. રાતના સમયે જ બન્ને દેલાડ ગામ પહોંચ્યા. જ્યાં બાંધકામની સાઇટ ચાલતી હતી. મર્ડર કર્યા બાદ રાત્રે કોઈ મજુરના ઝુપડીમાં ચાર્જ કરવા મૂકેલો મોબાઇલ ફોન ચોરી કરી લીધો. સવારે બન્ને રખડતા-રખડતા સાયણ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમને શોએબ મળી ગયો હતો. શોએબને ખબર ન હતી કે સોનલ છેલ્લે આ બન્ને લોકો સાથે ગઈ હતી. એટલે તે સોનલની ભાળ મેળવવા માટે આમતેમ ભટકતો હતો. શોએબે વલ્લભ અને રાહુલને પૂછ્યું, સોનલ ક્યાં છે? કંઈક ખબર છે? રાત્રે જ તેનું મર્ડર કરીને આવેલા બંનેએ ઠંડા કલેજે જવાબ આપ્યો, અમને ખબર નથી. પછી સોનલને શોધવાના બહાને ત્રણેય ત્યાંથી છૂટા પડી ગયા. બપોર સુધીમાં પરિયા ગામ નજીક એક યુવતીની હત્યા થઈ હોવાની વાત વીજળી વેગે બધે પહોંચી ગઈ હતી. લાશના ફોટા પણ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા. વલ્લભની પત્ની ઓળખી ગઈ કે આ તો સોનલ છે. વલ્લભ કેટલાય દિવસોથી ઘરે નહોતો ગયો. એટલે તેની પત્નીને વલ્લભની ચિંતા થવા લાગી. જેથી તેણી પોલીસ સ્ટેશને ગઈ. આ દરમિયાન વલ્લભ તેના સાગરીત રાહુલને લઈ પોતાના ઘરે ગયો. ત્યાં જઈને બૂમાબૂમ કરી કે… મેં સોનલને મારી નાખી છે. બીજી તરફ સોનલનો ક્યાંય અતોપતો ન મળતા શોએબ થાક્યો હતો. તેણે સાંભળ્યું કે એક યુવતીની લાશ મળી છે. એ લાશ સોનલની છે કે કેમ આ વાતની જાણકારી મેળવવા માટે શોએબ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. એક સમયે પોલીસને જેના પર હત્યાની શંકા હતી એ જ શખસ પોલીસની સામે ઉભો હતો. જેથી તેણે હત્યા કરી હોવાથી થિયરી નબળી પડી ગઈ. પોલીસે શોએબની પૂછપરછ શરૂ કરી. પ્રેમિકા ગુમ હોવાથી શોએબ પાસે સત્ય બોલવા સિવાય છૂટકો ન હતો. તેણે આગલી સાંજે સોનલ સાથે થયેલો ઝઘડો, 108માં હોસ્પિટલ લઈ જવાથી લઈને હોસ્પિટલમાંથી ભાગી જવા સુધીનો ઘટનાક્રમ કહ્યો. પોલીસે તેની અગાઉની હિસ્ટ્રી પણ પૂછી લીધી હતી. આમ, થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે શોએબે નહીં પણ વલ્લભ અને રાહુલે મળીને અથવા તો બેમાંથી કોઈ એકે જ સોનલની હત્યા કરી હોવી જોઈએ. એક તરફ શોએબની પૂછપરછ ચાલી રહી હતી એ અરસામાં વલ્લભ અને રાહુલ ભરૂચ પહોંચી ગયા હતા. રેલવે સ્ટેશનથી ચાલતા-ચાલતા બંને એક ગુરુદ્વારામાં પહોંચ્યા અને બપોરનું જમી લીધું. પછી ત્યાં જ પડ્યા રહ્યા અને સાંજનું પણ ભોજન ગુરુદ્વારામાં લઈને ઊંઘી ગયા હતા. 5 તારીખે સવારે બન્ને પાછા પાલેજ પહોંચ્યા. જ્યાં વલ્લભને એની મા મળી ગઈ. તેણીએ કહ્યું કે બેટા, પોલીસ તને શોધતી-શોધતી ઘરે આવી હતી. પોલીસ શોધતી હોવાની જાણ હોવા છતાં આ બન્ને આરોપીઓ આખો દિવસ પાલેજની બજારમાં ફરતા રહ્યા હતા. આરોપીની ઓળખ પણ થઈ ગઈ હતી. જેથી વલ્લભ અને રાહુલની ગતિવિધિની જાણ પોલીસને પણ થઈ. તેઓ આરોપીઓને શોધતા-શોધતા પાલેજની બજારમાં પહોંચ્યા અને બન્નેને ઝડપી લીધા હતા. છેલ્લા બન્નેએ પોલીસ સામે ગુનો કબુલી લીધો કે અમે જ સોનલની હત્યા કરી છે.
ગોંડલના રાજકારણમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઇમાં એક કેસે ખળભળાટ મચાવી દીધો. આ કેસ એટલે અમિત ખૂંટની આત્મહત્યા. અમિતની આત્મહત્યાના મામલે અનિરૂદ્ધસિંહની ધરપકડ બાદ હવે રાજદીપસિંહે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે. બન્ને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો અને ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડાઇ થઇ હતી. અમિતની આત્મહત્યાના 193 દિવસ બાદ પહેલીવાર તેના ભાઇ મનીષે કોઇ મીડિયા સાથે વાતચીત કરી છે. મનીષે દિવ્ય ભાસ્કર સમક્ષ અમિતની આત્મહત્યાના આગળના દિવસનો ઘટનાક્રમ, સુસાઇડ નોટ, જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ વિશે ખુલાસા કર્યા છે. અમિત ખૂંટ એટલે એ વ્યક્તિ કે જે જયરાજસિંહ જાડેજાના હરીફ ગણાતા દબંગ નેતા અનિરૂદ્ધસિંહ જાડેજાના ગામ રીબડામાં જ રહેતો યુવાન. તેણે ગામમાં જ રહીને અનિરૂદ્ધસિંહ સામે બાથ ભીડી હતી. 5 મે, 2025ના દિવસે આ યુવાને આપઘાત કરી લીધો હતો. અમિતે ભાઇને કહ્યું હતું મને બચાવી લેજોગળગળા થઇને વાતની શરૂઆત કરતા મનીષ ખૂંટ કહે છે કે, આપઘાત કરતાં પહેલાં અમિતે મારી સાથે કોઇ વાતચીત કરી નહોતી. જ્યારે કેસ થયાની વાત બહાર આવી ત્યારે અમિતે મને કહ્યું હતું કે મને ફસાવી દીધો છે, મારી સામે ષડયંત્ર કર્યું છે, મને બચાવી લેજો. મેં અમિતને કહ્યું હતું કે હું જોઇ લઇશ, તું ચિંતા ન કર. અમિત ખૂંટના આપઘાત અંગે જાણ થતાં ખુદ જયરાજસિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને માહિતી મેળવી હતી પણ આત્મહત્યાના આગલા દિવસે શું-શું બન્યું હતું તે વિશે મનીષે વિગતે વાત કરી. રાતે 2 વાગ્યા સુધી અમિતને શોધ્યો'પોકસોનો કેસ થયો એટલે બદનામીના ડરથી અમિત છુપાઇ-છુપાઇને ફરતો હતો. એક-બે દિવસ આવી રીતે ફર્યો એ પછી આપઘાતના આગળના દિવસે અમિતનો સાળો તેને વાડીએ મુકી ગયો હતો. એ સમયે હું બહાર હતો. અમિતના સાળાએ મને ફોન કરીને કહ્યું હતું કે હું અમિતને વાડીએ મૂકી જઉં છું. રાતે હું વાડીએ ગયો અને 2 વાગ્યા સુધી અમિતને શોધ્યો પણ તે મળ્યો નહીં. તેણે મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. છેવટે થાકીને હું ઘરે જતો રહ્યો હતો.' 'ઝાડ પર લટકતો મૃતદેહ જોઇ બેભાન જેવો થઇ ગયો''સવારે 6 વાગતાં જ અમારી વાડીમાં કામ કરતા અશોકભાઇનો મને ફોન આવ્યો હતો. મને થયું કે મારો ભાઇ અમિત મળી ગયો હશે. હું વાડીએ પહોંચ્યો તો તેણે આપઘાત કરી લીધો હતો.' અમિતની આત્મહત્યા બાદ તેની 4 પાનાંની સુસાઇડ નોટ વિશે પણ ઘણો વિવાદ થયો હતો. સુસાઇડ નોટના ત્રણ પાનાં સ્પાયરલ બાઇડિંગવાળી ડાયરીમાંથી ફાડેલાં હતાં, જ્યારે ચોથું પાનું અલગથી અન્ય એક ડાયરીનું હતું, જેથી આ સુસાઇડ નોટ સાથે ચેડાં થયા હોવાનો અને એમાં જયરાજસિંહ સામેલ હોવાનો દાવો અનિરુદ્ધસિંહે એક વીડિયો મારફત કર્યો હતો. જો કે મનીષે આ વાતનો છેદ ઉડાડી દીધો. સુસાઇડ નોટમાં અમિતના જ અક્ષરઃ મનીષઅમિતના આપઘાતને ઓપન કેસ ગણાવતા મનીષે ઉમેર્યું કે, ગોંડલવાળાનો કોઇ હાથ જ નથી. આ ઓપન કેસ છે. સુસાઇડ નોટ મળી છે. જેમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં અમિતની સહી છે. અક્ષર અમિતના જ છે. અમિત વાડીએ આવ્યો એ પહેલાં જ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગ્યું હતું કેમકે ઘરેથી ડાયરીમાંથી પાના ફાડીને પોતાની સાથે લઇ ગયો હતો. પેન લીધી હતી. મને એવું લાગે છે કે તેણે વાડીએ આવીને સુસાઇડ નોટ લખી હશે. રહી વાત નોટનાં મિસ મેચ પેજની તો હજુ સત્તાવાર પોલીસે આ વિશે કંઇ કહ્યું નથી. અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાના આરોપ અંગે અનિરુદ્ધસિંહે ભૂતકાળમાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યાં છે. અમારું ક્યાંય નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા તૈયાર છું. આ કાવતરું ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું છે. જો કે મનીષ ખૂંટ આ કાવતરાં પાછળ અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહનો જ હાથ હોવાનું કહે છે. અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહનું કાવતરૂંઃ મનીષતેણે કહ્યું, જયરાજસિંહ સાથે અમારે પારિવારિક સંબંધ છે. રીબડાવાળા બચવા માટે જયરાજસિંહનું નામ આપે છે. રીબડાવાળા અમારા ગામની જમીન સસ્તા ભાવથી પડાવી લેતા હતા. તેની સામે મારો ભાઇ અમિત અવાજ ઉઠાવતો હતો. અમિતના પત્ની અને મારો પરિવાર પણ એવું જ કહે છે કે આ બધાની પાછળ રીબડાવાળા અનિરૂદ્ધસિંહ અને તેના દીકરા રાજદીપસિંહનો જ હાથ છે. રીબડાવાળા અનિરૂદ્ધસિંહ, તેના દીકરા રાજદીપસિંહ અને તેમના મળતિયાએ મળીને આ આખું કાવતરૂં કર્યું હતું. ' 'આરોપી છોકરીઓએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે એટલે આ આખું ષડયંત્ર હતું એ પણ સાબિત તો થાય જ છે. હું અતાઉલ્લાને ઓળખતો નથી, તેને પણ જામીન મળી ગયા છે. ' જમીનની લે-વેચમાં વિવાદ થયો હતોવિવાદની શરૂઆત ક્યાંથી થઇ તેનો ઉલ્લેખ કરતાં મનીષે કહ્યું, અમારે 2022ની વિધાનસભા ચૂંટણીથી માથાકૂટ ચાલતી હતી. ચૂંટણી સમયે જમીનની લે-વેચ મામલે અમારે અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ સાથે વિવાદ થયો હતો. એ સમયે અમે ફરિયાદ પણ કરી હતી. આ લોકોએ તે ફરિયાદની અદાવત રાખી હતી. એ સિવાય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહને મળેલી સજા માફી સામે અમિતે અરજી કરી હતી. આ બધું ધ્યાને રાખીને અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહે આખું ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે નામજોગ ફરિયાદ નોંધાઇ હતી. જેના પછી બન્ને ફરાર હતા. થોડા સમય પહેલાં આ કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઇ હતી. જ્યારે તેના પુત્ર રાજદીપસિંહે 10 નવેમ્બરે સરેન્ડર કર્યું છે. જો કે મનીષ ખૂંટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે. પોલીસની કામગીરી પર સવાલતેણે કહ્યું, પોલીસે રાજદીપસિંહને પકડ્યો નથી પણ તે સામેથી હાજર થયો છે. આટલો લાંબો સમય ફરાર હતો તો પોલીસે કેમ તેને પકડ્યો નહીં? આરોપી આટલો સમય ફરાર રહે અને તેને મજા આવે ત્યારે સામે ચાલીને હાજર થાય તો પોલીસ સામે સવાલ તો છે જ. હજુ ઘણા આરોપી પકડવાના બાકી છે. 'મેં તાજેતરમાં જ અરજી કરી છે. જેમાં લખ્યું છે કે જેલની અંદર અનિરુદ્ધસિંહને સગવડો મળે છે. તેને મોબાઇલ મળે છે, છૂટથી હરી ફરી શકે છે.' અમિતના સ્વભાવ અને તેના જવાથી પરિવાર કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તેના વિશે મનીષે કહ્યું, અમિતનો સ્વભાવ નીડર અને અન્ય લોકોને મદદ કરવાનો હતો. અમિતે કોઇનું ખરાબ કર્યું નથી, અડધી રાતે ફોન કરો તો એ મદદ કરવા દોડી જતો હતો. હું સાવ એકલો થઇ ગયોઃ મનીષ'મારા માતા-પિતાનું 2-3 વર્ષ પહેલાં અવસાન થઇ ગયું, કોઇ બહેન નથી. અમે બે જ ભાઇઓ હતા. અમિતના જવાથી હું સાવ એકલો થઇ ગયો છું. પરિવારને ખૂબ જ અસર થઇ છે અને આઘાત લાગ્યો છે. અમારૂં મને જાણે છે કે અમે કઇ રીતે મેનેજ કરી રહ્યાં છીએ.' મનીષ ખૂંટ અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહને જામીન ન મળે તેવી કડક કલમ લગાવવાની માગ કરે છે. તેણે કહ્યું કે, અમિતના પત્ની એવું જ કહે છે કે કોઇને છોડવાના નથી. કાયદકીય લડાઇ લડવાની છે. આખો કેસ શું હતો?મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ રાજકોટ શહેરમાં 3 મેના રોજ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી ત્યાર બાદ 5 મે, 2025ના રોજ અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના પછી અમિતના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે કાર્યવાહીની ખાતરી મળતાં પરિવારે 6 મેના રોજ મૃતદેહ સ્વીકાર્યો હતો અને રીબડામાં અમિત ખૂંટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિતાની અંતિમ યાત્રા નીકળતા 9 વર્ષનો દીકરો ધ્રસુકે ધ્રુસકે રડ્યો હતો. ત્યાર બાદ તેણે અગ્નિદાહ આપ્યો હતો.
એ પતિ-પત્નીનાં લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા અને તેઓ બંને ડિવોર્સ લેવા માગતાં હતાં. શરૂઆતમાં તેઓ ડિવોર્સ કેમ લેવા છે તે અંગે કંઈ જ કહેતાં કંઈ જ કહેતાં નહોતાં. થોડા સમયના કાઉન્સિલિંગ બાદ પત્નીએ દુઃખી સ્વરે એવું કહ્યું કે જ્યારે તેઓ હનિમૂન પર ગયાં હતાં ત્યારે પતિએ અનનેચરલ સેક્સ (એનલ સેક્સ/ઓરલ સેક્સ) કર્યું હતું. એકવાર કર્યું પછી પતિ વારંવાર તેમ કરવા દબાણ કરી રહ્યો છે. આ અંગે પતિને સમજાવવામાં આવ્યા, પરંતુ પતિનો તો સ્પષ્ટ મત એ જ હતો કે બધાં કપલ્સ તો કરે જ છે અને આ એકદમ નોર્મલ વસ્તુ છે. પતિને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા કે અનનેચરલ સેક્સ ભારતમાં કાયદાની રીતે ખોટું છે અને જો પાર્ટનરની સંમતિ કે રુચિ ના હોય તો તમે જબરજસ્તી કરી શકો નહીં. પતિ આ રીતે જ સેક્સ માણવા માગતો હતો અને તે વાત સમજવા તૈયાર જ નહોતો. અંતે બંનેએ ડિવોર્સ કેસ લેવાનું નક્કી કર્યું. પત્ની પિયર જતી રહી હતી અને એક વર્ષ બાદ બંનેએ પરસ્પર ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. આ શબ્દો છે, અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગીના. આજની જનરેશન ફિઝિકલ રિલેશનને કારણે પણ ડિવોર્સ લઈ રહી છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘છૂટાછેડા’ના આજના એપિસોડમાં આ વિશે જ વાત કરીએ. દિવ્ય ભાસ્કરે આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી, વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી તથા સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સાથે આ મુદ્દે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસેથી આ કેમ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 'ઓપન રિલેશનશિપ ટ્રેન્ડમાં છે'સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સુરત-અમદાવાદની વાત કરતાં જણાવે છે, 'આજકાલ તો એવો ટ્રેન્ડ પણ છે કે પતિ કે પત્નીનું બહાર અફેર હોય અને બંનેને તેની જાણ હોય, પરંતુ તેઓ એમ માને છે કે આજે નહીં તો કાલે તે સુધરી જશે. જ્યારે પાર્ટનરને સામેના પાર્ટનરના અફેરની જાણ થઈ જાય પછી પતિ કે પત્નીને છૂટો દોર મળી જાય છે અને તે ઘરની તમામ જવાબદારીમાંથી ભાગી છૂટે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે ડિવોર્સ થઈ રહ્યા છે. આજકાલ લોકોને પહેલાંના સમયના લોકો જે શાંતિભર્યું જીવન જીવતા તે જીવવું પસંદ નથી. આજની પેઢીમાં ‘ફેડ અપ’ થઈ જવું (કંટાળી જવું) એક નવો શબ્દ આવ્યો છે. સમજણ તો બિલકુલ નથી. આજની જેન ઝી પેઢી ઓપન રિલેશનશિપમાં બહુ જ માને છે. ઓપન રિલેશનશિપ એટલે પતિ ને પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે રિલેશન હોય અન તેનો સ્વીકાર કરવાનો. સુરત-અમદાવાદ જેવા બિગ સિટીમાં ઓપન રિલેશનશિપ બહુ જ કોમન છે. આ ઉપરાંત અમદાવાદ-સુરતની હાઇ સોસાયટીમાં આજકાલ આ ટ્રેન્ડ જોવા મળે છે.' 'હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે'વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ પણ વાતમાં સૂર મિલાવતાં કહ્યું, 'આજકાલ હાઇ સોસાયટીમાં ઓપન રિલેશનશિપનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પ્રકારની રિલેશનશિપમાં પતિ કે પત્નીનું અફેર અન્ય સાથે હોય અને આ વાતની જાણ બંનેને હોય છે. આ પ્રકારની રિલેશનશિપમાં એવું છે કે પતિ કે પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સ્વીકાર કરીને જીવન પસાર કરવાનું. પહેલાં દિલ્હી, મુંબઈ, નોઇડા જેવા બિગ સિટીમાં જ આવું થતું હતું, પરંતુ હવે ગુજરાતમાં પણ આ કલ્ચર ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે. સાચું કહું તો આ થવા પાછળનું કારણ એ જ છે કે એલિટ મેરેજમાં બે પરિવાર એટલે કે બે બિઝનેસ કે કંપનીઓ ભેગી થાય છે. તેઓ બિઝનેસ અથવા તો સામાજિક મોભો વધારવા લગ્ન કરે છે, પણ તેઓ લગ્નજીવનથી ખુશ હોતાં નથી. ડિવોર્સ લેવા થોડા અઘરા છે એટલે ત્રાહિત વ્યક્તિ શોધે છે અને બંને પાર્ટનર્સને આ સામે વાંધો હોતો નથી. એવું નથી કે ઓપન રિલેશનશિપ હોવાથી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા આવતી નથી. સમસ્યા આવે એટલે તેઓ ડિવોર્સ લેવાનું નક્કી કરે છે, પરંતુ તેઓ કોર્ટમાં કે બીજે ક્યાંય પણ આ ઓપન રિલેશનશિપને ક્યારેય બહાર પાડતા નથી. હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે.' 'પતિ કે પત્ની બેડરૂમમાં ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધે'એડવોકેટ શિવાની ચાહવાલાએ આંચકાજનક ટ્રેન્ડ અંગે વધુ વાત કરતાં કહ્યું, 'પતિ-પત્ની એક પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે ભેગાં થાય. ત્યાં એક વ્યક્તિ (પછી તે સ્ત્રી કે પુરુષ હોઈ શકે)ને બોલાવવામાં આવે છે. પછી પતિ-પત્ની તે વ્યક્તિને લઈને પોતાના ઘરે જાય છે. બેડરૂમમાં પતિ આરામથી ખુરસી પર બેઠો હોય છે. બેડ પર પત્ની તે ત્રીજી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે ને પતિ પોતાની નજર સામે આ બધું જ જુએ ને માણે છે. ફિઝિકલ રિલેશન પૂરા થાય કે પછી ‘ફર્સ્ટ રાઉન્ડ’ પતે એટલે તે વ્યક્તિ બહાર નીકળી જાય. બેડરૂમમાં મસ્ત માહોલ સેટ થઈ ગયો હોય છે. હવે પતિ પોતાની પત્ની સાથે ફિઝિકલ રિલેશન માણે છે.' 'અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં આવું ચાલે છે''તમને જાણીને આંચકો લાગશે કે આવું કરવાનું કારણ માત્ર એટલું જ કે રોજે રોજ એકના એક રૂટિનથી તેઓ કંટાળી ગયા હોય છે એટલે કે ફેડ અપ થઈ ગયા હોય. આ જ કારણે તેઓ ત્રીજી વ્યક્તિને પોતાના બેડરૂમમાં બોલાવે છે. આ ત્રીજી વ્યક્તિ અલગ-અલગ સ્ટાઇલમાં પત્ની કે પતિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે અને ત્યારબાદ પતિ-પત્ની ફિઝિકલ રિલેશન માણે તો તેમાં એક્સાઇટમેન્ટ આવે. આ રીતે તેઓ લગ્નજીવન ચલાવે છે. આ માત્ર ને માત્ર અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં જ છે. પતિ કે પત્નીની નજર સામે ત્રાહિત વ્યક્તિ સાથે રિલેશન બાંધવામાં આવે છે, આમાં પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો પાયો જ રહેતો નથી. પતિ કે પત્ની એકબીજા પર વિશ્વાસ કરી જ શકે નહીં. હવે થોડા મહિનાઓ બાદ પતિ કે પત્ની જ એકબીજા પર શંકા કરવા લાગે છે કે તે મારી પીઠ પાછળ અન્ય કોઈ સાથે સંબંધો રાખ્યા જ હશે. હવે આ લોકોને કેમ સમજાવવું કે તમે એકબીજાની સામે જ ત્રાહિત વ્યક્તિ સાથે કરો છો તો તમે કેવી રીતે એમ માની લો કે તે પીઠ પાછળ નહીં જ કરતાં હોય. પછી આ મુદ્દે તેમની વચ્ચે ઝઘડા થાય. ભારતીય સમાજ લગ્નને એક સંસ્કાર ને બે પરિવારોનું મિલન સમજતો હતો, પરંતુ આ પરંપરા હવે આજની પેઢીમાં જોવા મળતી નથી', તેમ શિવાની ચાહવાલાએ ઉમેર્યું હતું. 'પતિ કે પત્ની અનનેચરલ ડિમાન્ડ કરતાં હોય છે'સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'ઘણીવાર છોકરા-છોકરી પેરેન્ટ્સ સાથે ડિવોર્સ કેસ અંગે ચર્ચા કરવા આવતા હોય છે. જ્યારે તેમને કારણ પૂછવામાં આવે ત્યારે પેરેન્ટ્સ જોડે હોય એટલે તેઓ આ મુદ્દે વાત કરતા શરમાય છે. આ સમયે તેઓ પેરેન્ટ્સને બહાર મોકલીને આવી વાત જણાવતા હોય છે. આ સંજોગોમાં અમે એમની વાત સાંભળીએ છીએ. જોકે, સાચું કહું તો આ ફુલપ્રૂફ નથી. આમાં એક જ સાઈડનું વર્ઝન એટલે કે પતિ કે પત્ની બેમાંથી જે અમારી પાસે આવે તેનું જ વર્ઝન હોય છે. જ્યારે આ મુદ્દો અમે કોર્ટમાં રજુ કરીએ અને લખીએ કે પતિ-પત્ની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ ભોગવી શકાય એવું રહ્યું નથી કે પછી ભોગવતા નથી. અનનેચરલ સેક્સની ડિમાન્ડ છે. ઘણીવાર આ બધી બાબતોમાં ખોટી રીતે બ્લેમ કરવાની વાત પણ બનતી હોય છે. માત્ર આને જ આધાર બનાવીને પિટિશનમાં કંઈ લખી શકાય નહીં. આની સાથે અન્ય કારણો પણ લખવા જ પડે. એ વાત સાચી કે આ એક ડિવોર્સ માટેનું કારણ જરૂરથી બને છે અને ઊભું થતું હોય છે.' 'સ્ત્રીની જરૂરિયાત ઘણા પુરુષો સમજી શકતા નથી'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આ અંગે વાત કરતાં કહે છે, 'ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ જૂના રીત રિવાજને કારણે અથવા તો એક પ્રકારના સામાજિક પ્રેશરને કારણે કે પછી સાંભળેલી વાતોને કારણે અમુક સ્ત્રીઓ કે પુરુષો અમુક જ પ્રકારના જૂના ખ્યાલોમાં બંધાઈને રહી જાય છે. તેમનામાં મનમાં એવું જ હોય છે કે ફિઝિકલ રિલેશન તો આમ જ કરાય, આમ ના જ કરાય. અમે ક્લિનિકમાં જે સમસ્યા જોઈ છે, તેમાં ફિઝિકલ રિલેશન દરમિયાન પાર્ટનર વચ્ચેનું કમ્યુનિકેશન થતું જ નથી. કોને કેવી જરૂરિયાત છે તે અંગે વાત જ થતી નથી અને પાર્ટનર એકબીજાને પૂછતાં પણ નથી. બસ એક મિકેનિકલ ફિઝિકલ રિલેશન થાય અને બંને અલગ પડી જાય. આ જ કારણે સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર જોયું છે કે ફોર પ્લે કે આફ્ટર પ્લેમાં એકબીજા સાથે વાત કરવાની, ઇમોશનલી નજીક આવવાનું… જે સ્ત્રીની જરૂરિયાત છે તે ઘણા પુરુષો સમજી શકતા નથી.' 'આ મુદ્દે જજમેન્ટ વધુ પડતા જોવા મળતાં નથી'વધુમાં સિનિયર એડવોકેટ લાખિયા જણાવે છે, 'પતિનું જે રીતનું વર્તન હોય છે તે પત્નીને ગમતું હોતું નથી. પત્ની ઘણીવાર કહેતી હોય છે કે અનનેચરલ ડિમાન્ડ કરે છે. અમે પિટિશનમાં લખતા પણ હોઈએ છીએ. અલબત્ત, આવા કેસમાં સાચી વાત બહાર આવતી નથી. આવી મેટરમાં સાયકોલોજિસ્ટ કે સેક્સોલોજિસ્ટ કે સાયકાયટ્રિસ્ટને કન્સલ્ટ કરીને આગળ વધવું જોઈએ, કેમ કે જે સાચું હોય એ આમ જ બહાર આવશે. નાના નાના મુદ્દે ઊભાં થયેલાં કારણોમાં સ્ટ્રેસ પણ મહત્ત્વનું પરિબળ છે. આજકાલ જોબમાં પણ એટલો બધો સ્ટ્રેસ વધી ગયો છે, પછી પૈસાનો પ્રોબ્લેમ હોય. આ ઇફેક્ટ થાય તેની સીધી અસર ફિઝિકલ રિલેશન પર પડતી હોય છે. પ્રેમ પર પણ પડે છે. આ બધું એક તાંતણે જોડાયેલું છે. આ એવી વાત નથી કે કોઈ એક સવારે તમે ઊઠો, બેડરૂમમાં જાઓ અને શારીરિક સંબંધ બાંધો, આ આવી વાત નથી. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે આજની તારીખે પણ કોર્ટ એ જોતી હોય છે. મોટા ભાગના કેસમાં કેવું થાય છે કે બંને પાર્ટી છેક હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થતી હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ બહાર આવતી હોય છે. અલબત્ત, કોર્ટનાં ચાર-પાંચ વર્ષના ધક્કા ખાઈને જ લોકો એ હદે કંટાળી જાય છે કે પછી સંમતિથી ડિવોર્સ લેવા તૈયાર થઈ જાય છે. આ પ્રકારના કેસમાં કોર્ટના જજમેન્ટ આ જ કારણે વધુ પડતા જોવા મળતાં નથી.' 'છ દિવસના લગ્નજીવનમાં એકવાર પણ ફિઝિકલ રિલેશન બંધાયા નહીં'એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા અન્ય એક કિસ્સા અંગે કહે છે, 'મારી પાસે એક એવો કેસ આવ્યો હતો કે લગ્ન હજી થયાં હતાં ને માત્ર છ દિવસ જ પતિ-પત્ની સાથે રહ્યાં. છ દિવસમાં પતિ-પત્ની વચ્ચે કોઈ જાતના ફિઝિકલ રિલેશન બંધાયા નહોતા. પતિની ફરિયાદ હતી કે પત્નીને ફિઝિકલ રિલેશન રાખવા જ નહોતા. પત્નીનું એવું કહેવું હતું કે પતિ ફિઝિકલી ફિટ જ નહોતો કે તે ફિઝિકલ રિલેશન રાખી શકે. છ દિવસ બાદ પત્ની પિયર જતી રહી. ત્યારબાદ પતિ-પત્ની સાથે રહેવા તૈયાર નહોતાં એ રીતે ડિવોર્સ કેસ ફાઇલ કરવામાં આવ્યા. આ કેસ બે-અઢી વર્ષ ચાલ્યો. પછી પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો. અંતે કોર્ટે સવા પાંચ લાખ રૂપિયા ભરણપોષણ આપવાની વાત કરી. ત્રણ વર્ષ બાદ પતિ-પત્નીએ પરસ્પર સંમતિથી ડિવોર્સ લીધા, પરંતુ સાડા પાંચ લાખ એલિમની તો આપવી જ પડી. બંને વચ્ચે અણબનાવ આ ફિઝિકલ રિલેશનને કારણે જ થયો. મેટર કોર્ટમાં ગઈ અને પછી બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ને તેમણે પરસ્પર સમંતિથી ડિવોર્સ લેવા માટે તૈયાર કર્યા.' 'પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સની ડિમાન્ડ ક્રૂરતાની શ્રેણીમાં આવે'એડવોકેટ અલ્પા જોગી અન્ય કેસ અંગે વાત કરતાં કહે છે, 'પતિ વિરુદ્ધ પત્નીએ FIR કરી હતી. પતિ અને તેના માતા-પિતા સાબરમતી જેલમાં સાત દિવસ કસ્ટડીમાં હતાં અને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. FIRની નકલ વાંચતાં ખબર પડી કે પત્નીએ પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સના આક્ષેપો કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો અને પત્ની એક મહિનાથી પણ વધુ સમયથી અલગ રહેતી હતી. આ જ કારણે મેડિકલી અનનેચરલ સેક્સની વાત સાબિત કરી શકાય નહીં. ઘણીવાર અનનેચરલ સેક્સની વાત કોર્ટમાં સાબિત કરવી અઘરી પડી જતી હોય છે. એલિગેશન મૂકવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવું કેવી રીતે?' 'પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ સંતોષ આપી શકતા નથી તેવો આરોપ મૂક્યો'સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ આ અંગે એક કિસ્સા અંગે વાત કરતા કહે છે, 'એક કિસ્સામાં હસબન્ડે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. પહેલું બાળક હતું અને બીજું બાળક IVFથી આવેલું. પતિ-પત્ની બંને વચ્ચે ફિઝિકલ રિલેશન ઘણા સમયથી નહોતા. હવે પતિએ કોર્ટમાં એવું કહ્યું કે અમારી વચ્ચે તો શારીરિક સંબંધો જ નથી. એ મને સંતોષ આપી શકતી નથી. પતિએ પત્ની પર ઘણાં એલિગેશન મૂક્યાં. હવે પત્ની પણ ગાંજી જાય એવી નહોતી. તેણે કોર્ટમાં જવાબ આપ્યો કે પતિના તો એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા એટલે તેઓ તેની સાથે ફિઝિકલ રિલેશન માણતા નહોતા. પતિ એવું સાબિત કરવા માગતો હતો કે બંને વચ્ચે ફિઝિકલ રિલેશન નહોતા એટલે જ બીજું બાળક IVFથી કરાવવું પડ્યું. આ કેસ બે વર્ષ કોર્ટમાં ચાલ્યો અને પછી ડિવોર્સ થયા.' 'બાળકને કારણે સંમતિથી ડિવોર્સ લેવાનું સમજાવતા હોઈએ છીએ''સાચું કહું તો, પતિ-પત્ની આ મુદ્દે ડિવોર્સ ફાઇલ તો કરે, પરંતુ તેમને બાળક હોય તો પછી તેઓ આ મુદ્દાને કોર્ટમાં બહુ છંછેડતા નથી. કારણ કે આની સીધી અસર બાળક પર પડે છે. આજકાલ તો બારેક વર્ષનાં બાળકો પણ બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે. તેમને બધી જ ખબર પડતી હોય છે. હવે જો પતિ કે પત્ની આ મુદ્દાને પાયો બનાવીને પિટિશન ફાઇલ કરે, એલિગેશન કરે અને પછી આ જ મુદ્દે ડિવોર્સ પણ થઈ જાય. હવે જ્યારે બાળક મોટું થાય ત્યારે તે પેરેન્ટ્સના ડિવોર્સ કેમ થયા તે વાત જાણવા માગે અને પછી તે પિટિશન ને જજમેન્ટની કૉપી વાંચે ત્યારે તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આ જ કારણે અમે મોટાભાગે આ કિસ્સામાં પતિ-પત્નીને સમજાવતાં હોઈએ છીએ કે તેઓ સંમતિથી ડિવોર્સ લે એટલે ‘પેલી’ વાત પતિ-પત્ની વચ્ચે જ રહે. કહેવત છે ને કે બાંધી મુઠ્ઠી લાખની. આજકાલ નપુંસકતાને કારણે પણ પત્ની ડિવોર્સ કેસ ફાઇલ કરતી હોય છે', તેમ સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ ઉમેર્યું હતું. 'પોર્નોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે''ઘણીવાર પોર્નોગ્રાફી પણ ડિવોર્સમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પોર્નોગ્રાફિક ફિલ્મો-વીડિયો જોયા બાદ લોકો એવું સમજે છે કે આ જ રીતે ફિઝિકલ રિલેશન માણવાના હોય અને આ જ સાચું છે. વાસ્તવમાં આવું શક્ય જ નથી પોર્નોગ્રાફીમાં ફેન્ટસી ને કાલ્પનિક વાતો વધારે હોય છે. રિયલમાં એવું કંઈ જ હોતું નથી. અનેક લોકો આ પ્રમાણે અનુસરવા જાય ને પાર્ટનરને આ રીતે કરાવવા જાય ત્યારે વાત ડિવોર્સ સુધી પહોંચે છે, કારણ કે પાર્ટનર પોર્નોગ્રાફી પ્રમાણે ફિઝિકલ રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ક્યારેય શક્ય નથી. સ્ત્રી ઇમોશનલી એટેચ્ડ હોય છે અને પુરુષ આ વાત ઘણીવાર સમજી શકતો નથી. વ્યક્તિઓના સપનામાં સેક્સ્યુઅલ ફેન્ટસી કંઈક અલગ જ પ્રકારની ચાલતી હોય છે. આ જ કારણે લગ્ન તૂટતા હોય છે', તેમ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું. 'એડલ્ટરી ઇરાદાપૂર્વક હોય તો ક્રૂરતા ગણાય'એડવોકેટ ડૉ.અભીષ્ટ ઠાકર જણાવે છે, 'ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર કોલગર્લ્સ ફસાવે અને પછી પૈસા પડાવતા હોય છે. હવે જો યુવક પરિણીત હોય તો તે વધુ મુશ્કેલીમાં મુકાય છે. પૈસા તો જાય છે, પરંતુ પત્નીને જવાબ આપવો અઘરો થઈ પડે છે. આવા કિસ્સામાં મગજમારી વધી જાય છે અને પછી ડિવોર્સ કેસ ફાઇલ થાય છે. સોશિયલ મીડિયામાં આજકાલ AIથી જનરેટ કરેલા ફોટો ફરતા થાય છે. હું તો યુગલોને સલાહ આપીશ કે સો. મીડિયામાં AIથી બનેલા ફોટો છે કે સાચા? તે ખ્યાલ પણ આવતો નથી એટલે સો. મીડિયામાં ફરતા ફોટો પર વિશ્વાસ ના કરો. AI આબેહુબ લાગે તેવા નકલી ફોટો બનાવી શકે છે. AIને કારણે ઝઘડાઓ વધી ગયા છે. લગ્ન ના કર્યા હોય તો માત્ર બ્રેકઅપ જ થાય છે, પરંતુ લગ્ન થઈ ગયા તો વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. સો. મીડિયાને કારણે પણ ડિવોર્સ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. સો. મીડિયામાં ત્રાહિત વ્યક્તિ સાથે ચેટ કરશો તો તમારા મનમાં એડલ્ટરી (વ્યભિચાર)નો ઇન્ટેન્શન રહેલો છે. સો. મીડિયા ન હોત તો બીજી કોઈ રીતે કર્યું હોત એ નક્કી છે.' 'નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય'એડવોકેટ મિહિર લાખિયાએ પતિ-પત્ની સંતોષ નથી આપતી શકતા તે કિસ્સા અંગે વાત કરતા જણાવ્યું, 'પતિ-પત્નીના નવા નવા લગ્ન થયાં હતાં. બંને વર્કિંગ હતાં. પત્નીની સતત એક જ ફરિયાદ રહેતી કે પતિ મને સંતોષ આપી શકતો નથી. સાચી વાત એવી હતી કે પત્ની જોબ અર્થે બેથી ત્રણ વર્ષ અમેરિકા રહેવા જતી રહી. ત્યાં તેના એક વિદેશી સાથે એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા. પાછી ફરીને તેણે પતિ પર આવા આક્ષેપો કર્યા. પતિ આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતો. પતિએ પણ પત્ની સામે સંતોષ આપી શકતી નથી તેવા આક્ષેપો કર્યા. કોર્ટમાં હવે આ કંઈ સાબિત થવાનું નહોતું. બંનેને સમજાવીને સંમતિથી ડિવોર્સ લેવાનું કહ્યું. આવા કિસ્સાઓ બને જ છે, પરંતુ કોર્ટમાં પુરવાર કરવા અઘરા છે. નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય, પરંતુ આ સંતોષ આપી શકતો કે શકતી નથી તે કોર્ટમાં ક્યારેય પુરવાર થાય નહીં.' 'ફાસ્ટ લાઇફ જવાબદાર છે'આ પાછળના કારણો અંગે એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજની લાઇફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સ્ટ્રેસ ને ટેન્શન વધી ગયું છે. દેખાદેખીની તો વાત જ થાય એમ નથી. પહેલાં પતિ-પત્નીને આખા પરિવાર પ્રત્યે પ્રેમ હતો. દરેક સંબંધને પૂરતો સમય આપવો પડે, પરંતુ આ સમય જ કોઈ પાસે નથી. પતિ-પત્ની માટે ફિઝિકલ રિલેશન મહત્ત્વના છે, પરંતુ તેને કારણે જ લગ્નજીવન ટકે તેવું પણ ના હોવું જોઈએ, પરંતુ આજકાલ આવું જોવા મળે છે.' 'ડિવોર્સ થયા નહોતા ને પત્નીએ બીજું પાત્ર શોધવાની શરૂઆત કરી'એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા એક કિસ્સા અંગે જણાવે છે, 'એક કપલનું લગ્નજીવન સાતેક વર્ષ ચાલ્યું. પતિ-પત્નીને કોઈ બાળક નહોતું. આ જ કારણે ઘરનાનું થોડું પ્રેશર હતું કે હવે બાળક આવે તો સારું. પછી પતિ-પત્ની ડોક્ટર પાસે ગયાં અને બધા ટેસ્ટ થયા. પછી બંનેનો ફર્ટિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં એવું આવ્યું કે પતિમાં ઝીરો મોટિલિટી હતી, એટલે કે તેનામાં સ્પર્મ કાઉન્ટ જ મળે નહીં. હાઇ પ્રોફાઇલ કેસમાં પતિ કે પત્ની તરત જ ફર્ટિલિટી ટેસ્ટ કરાવે. સામાન્ય ઘરમાં આવું થતું નથી. પત્નીએ પોતાની રીતે ખાસ્સા એવા અખતરા કર્યા હતા. આ લોઅર મિડલ ક્લાસ પરિવાર હતો. પતિની સચ્ચાઈની ખબર પડી એટલે પત્નીને પછી પતિની દારૂની કુટેવ ને મારપીટ બધું જ યાદ આવવા લાગ્યું. હવે પત્નીને થયું કે મારું જીવન તો સાવ બરબાદ થઈ ગયું. તેને એવું લાગવા માંડ્યું કે તે મા તો બની શકશે નહીં ને પતિએ એવું કોઈ સુખ પણ આપ્યું નથી. પત્નીએ ડિવોર્સ પહેલાં જ નવું પાત્ર શોધવાનું શરૂ કરી દીધું, પણ આ વાત પણ ખોટી જ છે. પતિ કે પત્નીની કોઈ બીમારી લાઇફ પાર્ટનરને પ્રોવોક કરે છે, પાર્ટનર હતાશ ને ઉદાસ થઈ જાય છે. એની લાઇફ એકદમ કંટાળાજનક બની ગઈ છે અને તે જ કારણે તે બહાર ફાંફાં મારતી હોય છે. આ બધી વસ્તુઓ ઇન્ટર્નલી કનેક્ટ થઈ જાય છે. ફિઝિકલ રિલેશન સારા ના હોય તો પાર્ટનર બહાર ખુશીઓ શોધવા લાગે છે.' જેન ઝીના લગ્નજીવન અંગે વાત કરતાં એડવોકેટ શિવાની કહે છે, 'તેમનું લગ્નજીવન તો એકથી પાંચ વર્ષનું છે. પાંચ વર્ષ તો હજી પણ વધારે છે. એ લોકો તરત જ સામેના પાર્ટનરથી કંટાળી જાય છે. ડિવોર્સ આપે છે અને ‘મૂવ ઓન’ થઈ જવામાં માને છે. જેન ઝી જલ્દીથી એકબીજા પ્રત્યે ફેડ અપ થઈ જાય છે. આ ઉપરાંત આ પેઢીના લોકોને દારુ ને ડ્રગ્સની ટેવ છે. તમને આંચકો લાગશે પણ આ ટેવ માત્ર પતિને જ નહીં, પત્ની એટલે કે છોકરા-છોકરીઓ બંનેને હોય છે અને તેને કારણે પણ ડિવોર્સ થાય છે.' 'સેક્સ એજ્યુકેશનનો અભાવ મહત્ત્વનું કારણ'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીના મતે, 'સેક્સ એજ્યુકેશનનો અભાવ એ કારણ છે. અલબત્ત, સેક્સ એજ્યુકેશન એટલે સાયન્ટિફિક એજ્યુકેશનની વાત થાય છે. એક કિસ્સામાં, પતિને એવું હતું કે પત્ની અમુક રીતે ફિઝિકલ રિલેશન માણે તો જ સંતોષ મળે. તો સામે પત્નીને આ રીતે ડિસકમ્ફર્ટ થતું. પત્ની આ વાતની સતત ફરિયાદ કરે, પરંતુ પતિ સાંભળે જ નહીં. પતિ એવું કહે કે તું તો મને કો-ઓપરેટ જ કરતી નથી. આ મુદ્દે બંને વચ્ચે સતત ઝઘડા થતા. પછી પત્નીએ ગાયનેકોલોજિસ્ટને આ વાત કરતાં તેમણે એમ કહ્યું કે આ રીત યોગ્ય નથી અને કાયદાકીય રીતે કરવું યોગ્ય નથી. એનલ સેક્સની ઈચ્છા પાર્ટનરને ના હોય તો બીજો પાર્ટનર દબાણ કરી શકે નહીં. ભારત દેશમાં આ લીગલી સ્વીકાર્ય નથી. આપણે ભલે એમ માનીએ કે મંદિરોની દીવાલ પર તો મૂર્તિઓ આ રીતે બતાવવામાં આવી છે, પરંતુ કાયદાની રીતે માન્ય નથી. મહત્ત્વની વાત છે સંમતિ. બેમાંથી એક પાર્ટનરની સંમતિ નથી તો સાવ સિમ્પલ ફિઝિકલ રિલેશન પણ સ્વીકાર્ય નથી. આ કપલને પછી સાયકો થેરપી આપવામાં આવી ને ધીમે ધીમે બંને વચ્ચે ફિઝિકલ માલ એડજસ્ટમેન્ટ હતું તેની બદલે પ્રોપર એડજસ્ટમેન્ટ થયુ ને તેમનું જીવન સીધા પાટે આવ્યું.' 'સમાજ માટે લાલબત્તી સમાન છે'એડવોકેટ મિહિર લાખિયા ભારતમાં લગ્નસંસ્થા સામે જોખમ હોવાની વાત કહીને જણાવે છે, 'જોખમ અત્યારે જ છે. જે પ્રમાણે ડિવોર્સ કેસ ફાઇલ થાય છે તે પ્રમાણે અંદાજે ભારતમાં આજે સિત્તેરથી એંસી લાખ ડિવોર્સના પેન્ડિંગ કેસો પડ્યા છે. અમદાવાદ સિટી ને ડિસ્ટ્રિક્ટમાં વિરમગામ ધોળકા અને ધંધુકા આવે અને તેના કેસોનું ફાઇલિંગ અલગ થાય છે. જૂન, 2024માં ગુજરાતમાં નવી 82 ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી. તમે જ વિચારો કે કોર્ટ પર કેટલું ભારણ હશે કે આટલી નવી કોર્ટ શરૂ કરવી પડી. આ સમાજ માટે લાલબત્તી તો છે જ અને આગળ જતાં ઘણી જ ખરાબ વસ્તુ છે. ઘણા કિસ્સામાં બાળક હોય તો તેનું ભરણપોષણ આપવામાં આવે તે યોગ્ય છે, પરંતુ ઘણા લોકોએ આને પૈસાનું એક સાધન બનાવી દીધું છે. પતિ-પત્ની બંને કેપેબલ હોય, કમાતાં હોય, પરંતુ બતાવી દેવાની દાનતને કારણે બંને વચ્ચે સમસ્યા થાય છે. કોર્ટમાં પણ ભારણ વધી ગયું છે. જજ દિવસ દરમિયાન એવિડન્સ રેકોર્ડ કરે, જુબાની, ક્રોસ હિયરિંગ, ફાઇનલ હિયરિંગ અથવા વચગાળાનુ હિયરિંગ, વિઝીટેશન રાઈટની અરજીનું હિયરિંગ તો એ આખા દિવસ દરમિયાન દસથી પંદર મેટર ચાલી શકે, કેમ કે દરેક મેટર પાછળ ટાઈમ આપવો પડે છે.' 'જેન ઝીએ ધીરજ રાખવાની જરૂર છે'એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર માને છે, 'જેન ઝી મોટાભાગે આઠ-નવ-દસ વર્ષના અફેર પછી લગ્ન કરે છે અને આ લગ્ન એક મહિનો પણ ટકતા નથી. જીવન ઘણું જ સુંદર છે અને જીવનનાં કિંમતી વર્ષો કોર્ટ પાછળ વેડફશો નહીં.' તો એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'જેન ઝીની વાત કરું તો તેઓ કોઈ માથાકૂટમાં પડતા જ નથી. પતિ-પત્નીને બનતું નથી તો સીધા ડિવોર્સ. તેમને તો પૈસાની પણ પડી નથી. તેઓ એલિમની માટે પણ ઝઘડતા નથી. આ પેઢી તો લગ્નના બે મહિના પછી ફોન કરે કે અમને ફાવતું નથી તો અલગ થવું છે. શું કરી શકાય? ઘણીવાર તો અમે જ કોર્ટ મેરેજ કરાવ્યા હોય અને લગ્નના અઠવાડિયા પછી ફોન આવે કે હવે ફાવતું નથી તો અલગ કેવી રીતે પડાય. તેમને એ ખબર જ નથી કે ભારતમાં લગ્નના એક વર્ષ પહેલા ડિવોર્સ કેસ ફાઇલ થાય નહીં. છ મહિના કૂલિંગ પીરિયડ એટલે કે 18 મહિના પછી જ ડિવોર્સ મળી શકે. જોકે, જેન ઝી આટલી રાહ પણ જોવા તૈયાર નથી. તે તો બધું ફટાફટ માગે છે.' 'ડિવોર્સ એ સામાજિક સંકોચ નથી રહ્યા'સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સ્પષ્ટ માને છે, 'જેન ઝીની સહનશક્તિ ઘટી ગઈ છે. ઇન્સ્ટાએ પણ રીલ સ્પીડમાં જોઈ શકાય તેવી સુવિધા કરી આપી છે એટલે કે જેન ઝીને બધું સ્પીડમાં જોઈએ. ડોપામીનને ઘણું જ મહત્ત્વ મળી ગયું છે એટલે કે લોકોના આનંદ ઝડપથી જોઈએ છે અને એટલી જ ઝડપથી કંટાળી પણ જાય છે. આજકાલ ડિવોર્સ એ સામાજિક સંકોચ જેવું પણ રહ્યું નથી. પહેલાં ડિવોર્સ થાય તો તે ખરાબ બાબત ગણાતી, પરંતુ હવે તેને ખરાબ ગણવામાં આવતું નથી. આ જ કારણે ડિવોર્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.' (આવતીકાલે છૂટાછેડા સિરીઝના ચોથા એપિસોડમાં વાંચો, પત્નીએ ડિવોર્સ કેસમાં પૈસા માગવાને બદલે ક્લબની મેમ્બરશિપ માગી તો અન્ય કેસમાં પત્નીએ વટમાં આવીને પતિને ડિવોર્સ આપવાની ચોખ્ખી ના પાડી, મહિલાઓ ડોમેસ્ટિક વાયોલન્સના કેસ મોટાભાગે ખોટાં જ કરતી હોય છે...)
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:એજન્સીના માલિકનો 2021માં દેહાંત, પંચાયતે 2022માં બોગસ સહી કરી
જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં થયો છે. એક વેપારી 2021માં મૃત્યુ પામ્યો હોવા છતાં પંચાયતના 2022ના બિલમાં તેની સહી જોવા મળી રહી છે. મૃત્યુ પામેલાં વેપારીએ બિલ પર સહી કેવી રીતે કરી તે સવાલ ઉભો થયો છે. ગ્રામ પંચાયતે ગુજરાત ટ્રેડર્સ નામની સિમેન્ટની એજન્સી પાસેથી 600 થી વધારે ગુણ સિમેન્ટની ખરીદી કરી હતી. એજન્સીના માલિક યાકુબ આદમ નવાબનું 27મી મે 2021ના રોજ દેહાંત થઇ ગયું હતું તેમ છતાં પહેલી જાન્યુઆરી 2022ના રોજ તેમણે 2.22 લાખના બિલ પર સહી કરી હોવાનું જોવા મળ્યું હતું. યાકુબ આદમના નામે દેવલા ગ્રામ પંચાયતમાં 31મી ડિસેમ્બર 2021નું એક, 1 જાન્યુઆરી 2022ના બે તથા 2 ફેબ્રુઆરી 2022ના એક મળી કુલ 4 બિલ પંચાયતના રેકોર્ડમાં બોલી રહયાં છે. 2021માં યાકુબભાઇનું દેહાંત થયું હોવા છતાં 2022ના બિલ પર તેમની સહિ જોવા મળે છે અને પંચાયતે આ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે દિલિપ પંચાલ નામના વેલ્ડરને 3.77 લાખ રૂપિયા પંચાયત તરફથી ચૂકવવામાં આવ્યાં છે જયારે દિલિપ પંચાલ 8 વર્ષથી દેવલા ગામમાં આવ્યાં જ નથી. ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કુલ 23.70 લાખનો ભ્રષ્ટાચાર બોગસ બિલ તથા બોગસ સહીઓ કરીને કર્યો હોવાનો ઘટસ્ફોટ આરટીઆઇમાં થયો છે. તવકકલ ટ્રેડર્સના 4.42 લાખના બિલોમાં ગોબાચારીમૃતકની અસલ સહી દેવલા ગ્રામ પંચાયતે તવકકલ ટ્રેડર્સ પાસેથી સિમેન્ટની ખરીદી કરી હતી. જેમાં પહેલી નવેમ્બર 2011ના રોજ 1619 નંબરનું બિલ, 4 નવેમ્બરના રોજ 1620 નંબરનું, 1621 નંબરનું બિલ પણ નવેમ્બર મહિનામાં મંજૂર કરવામાં આવ્યું હતું. 1622 નંબરનું બિલ 18મી ડિસેમ્બરના રોજ જયારે 1623 નંબરનું બિલ 22મી નવેમ્બરના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું. કામો પૂરા થયા બાદ મટિરિયલ આવ્યુંદેવલા ગામમાં ભરકોદરા રોડ ખરી પ્રોટેકશન વોલ, ગામ તળાવ પ્રોટેકશન વોલ, બારીવાળી ખડકી સીસી રોડ, અજમેરી મસ્જિદ સીસી રોડ, ઇકબાલ દાઉદના ઘરથી ગોરધન તરફનો રોડ, ઇકબાલ નાકના ઘરથી મોટી મસ્જિદ સુધીનો રોડ, મસ્જિદે ઇબ્રાહીમથી નાના તળાવ રોડ, પાછલી ખડકીથી મોટી મસ્જિદ રોડ અને મોટી મસ્જિદથી ચકલા તરફના સીસી રોડના કામમાં ગોબાચારીનો આક્ષેપ થયો છે. આ તમામ કામોમાં કામ પુરા થયા બાદ મટીરીયલ આવ્યું હોવાનું તથા બિલોમાં સહી સહિતની અનેક ક્ષતિઓ જોવા મળી હતી. પૈસા ચૂકવી દીધા બાદ ઠરાવમાંલેવાયેલાં બિલોની વિગતો
ભાસ્કર ઈનસાઈડ:ICDSના પ્રોગ્રામ ઓફિસરનો મહિલા બાળવિકાસ ચેરમેન ઉપર હુમલો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પસ્ટ બહુમતીની બોડી હોવા છતા સદસ્યોમાં અંદરો અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી જ મોટાભાગના ચેરમેનો પંચાયતે આવવાનું ટાળી રહ્યાં છે ત્યારે મહિલા અને બાળ વિકાસના મહિલા ચેરમેન ઉપર આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે ચાલુ ઓફિસે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મંગળવારે ચેરમેન ગાંધીનગર દોડી ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન નંદુબેન ગુણવંતભાઇ વાઘેલા છે.તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યુ છે કે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ચેરમેન હોવા છતાં અમને કાઇ જાણ કરતા ન હતા નંદુબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, હું જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ ખાતાના ચેરમેન છું. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા તમામ નિર્ણય પોતાની મનસ્વી રીતે જ લેતા હતા.ચેરમેન હોવા છતાં અમને કોઇ નિર્ણય બાબતે જાણ કરતા ન હતા.ગાડીઓના બીલ ચૂકવવા,ભરતી કરવી, નોટીસો આપવામાં આવે તેની પણ અમને કાંઇ કહેતા ન હતા.આ બાબતે વાત કરવા માટે ગઇ હતી.ત્યારે ગાડીના પૈસા ચૂકવવા બાબતે કહેતા તે ઉશ્કેરાઇ ગયા અને વાળ ખેંચીને હુમલો કર્યો હતો. 1 ગાડીને 22,500નું ચુકવણું, ગેરરીતિની રાવ જિલ્લા પંચાયતમાં આઇસીડીએસ વિભાગમાં તાલુકા કક્ષાએના ઘટકો સહિતના અધિકારીઓ માટે તથા માલ સામાન માટે કુલ 14 ગાડીઓ ભાડે રાખવામાં આવી છે. એક ગાડીના મહિને રૂ.22500 ચૂકવવામાં આવે છે.તેમાં ગાડીને 25થી 50 કિમી સુધી ફેરવીને પુરે પુરૂ બીલ લેવામાં આવે છે.આ બાબતે તપાસ થાય તો મોટુ કૌભાંડ નિકળે તેમ છે. પ્રોગ્રામ ઓફિસર તેમની ચેમ્બરમાં આવ્યા હતા. બારણુ બંધ કરી દીધુ હતું. ત્યારે અમે તેમને કહ્યું હતું કે, જે ભાડે ગાડીના પૈસા બાકી છે તે ચૂકવી આપો.
ભાસ્કર બ્રેકિંગ:હવે ગાંધી હોસ્પિ.માં દર્દીને રિપોર્ટ લેવા ધક્કો નહીં ખાવો પડે, ફોનમાં આવી જશે
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ દર્દીઓને આપવામાં આવતા હતા. પરંતુ હવે અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અઘતન પેથોલોજી રિપોર્ટ તેમના સ્માર્ટ ફોનમાં વ્હોટ્સએપ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આગામી 10થી 15 દિવસમાં આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૈનિક 450થી વધુ ઓપોડી નોંધાતા દર્દીઓની ભીડ રહે છે. અહી આવતા દર્દીઓને તબીબનું કન્સલ્ટિંગ કરાવ્યા પછી બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યા બાદ અમુક કલાકો પછી તેનો પેથોલોજી રિપોર્ટ લેવા માટે બીજો ધક્કો ખાવો પડતો હતો. પરંતુ હવે હોસ્પિટલના સીડીએમઓ અને પેથોલોજિસ્ટ વર્ગ-1 ડોકટર તેમજ દાતાના પ્રયાસોથી લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ (એલઆઈએસ)ની મદદથી સિવિલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓને તેમના દર્દીની મેડિકલહિસ્ટ્રી આંગળીના ટેરવે જાણી શકાશેહાથથી લખેલા રિપોર્ટને બદલે ડિજિટલ પ્રિન્ટેડ રિપોર્ટમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. દર્દીઓને રિપોર્ટ લેવા માટે સ્પેશિયલ આવવું પડતું હતું, તે ધક્કાથી તેમને મુક્તિ મળશે. પોતાની પાસે સ્માર્ટ ફોનમાં લાંબો સમય સુધી રિપોર્ટ સાચવી શકશે અને ફરીથી બતાવવા આવે ત્યારે તે સમયે પણ આસાનીથી એક ક્લિકથી પોતાના મોબાઈલમાં ડોક્ટરને રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી બતાવી શકશે. તબીબને સારવારમાં પણ સરળતા રહેશેહોસ્પિટલના સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા આ હોસ્પિટલને અંદાજે રૂ. 70,000થી વધુની કિંમતનું પ્રિન્ટર ફાળવવાનું છે. તેની કાર્યવાહી પણ ચાલુ થઇ ગઇ છે. આગામી સમયમાં પ્રયાસો કરાશે કે રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી જાણી શકે. આ ઉપરાંત સારવાર કરવા માટે આવનાર દર્દીએ જે ડોક્ટરનું કન્સલ્ટિંગ કરાવ્યું છે તે ડોક્ટરને પણ સીધો જ તેના મોબાઈલ ઉપર આ રિપોર્ટ આપી દેવામાં આવશે. જેથી જે-તે તબીબને ઈન્ડોર કે આઉટડોર પેશન્ટની દવા ઝડપી કરવામાં વધુ સુઘડ બનશે.
ચેકિંગ:દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને લઇ જિલ્લામાં પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશને ચેકિંગ કરાયું
દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું હતું. આથી જિલ્લામાં પણ પોલીસ હાઇવે પર, બજારોમાં અને બસસ્ટેન્ડ સહિતની ભીડવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે રેલ્વે સ્ટેશનેને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા સુરેન્દ્રનગર, સ્ટાફ અને જીઆરપી સુરેન્દ્રનગર, સ્ટાફ અને ડોગ ઝૈનો અને ડોગ સ્ક્વોડ સ્ટાફ સાથે, સુરક્ષા પાસાને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન મુસાફરો, સ્ટેશન એક્સટેન્શન, રેલ્વે પરિસર, પાર્સલ વિસ્તાર, વેઇટિંગ હોલ અને પાર્કિંગમાં તોડફોડ વિરોધી તપાસ અને ચેકિંગ કરાયું હતું.
3 પરિવર્તિત માર્ગે ચાલશે:રાજકોટ ડિવિઝનની 2 ટ્રેન આંશિક રદ
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી 35 દિવસનો બ્લોક લેવાયો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આંશિક રીતે રદ થનારી ટ્રેનો 8 ડિસેમ્બર 2025ના રોજ ઓખાથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.આ જ રીતે, 9 ડિસેમ્બરે જયપુરથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. તેથી આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. પરિવર્તિત માર્ગથી દોડનારી ટ્રેનોમાં 13 નવેમ્બર 2025થી 12 ડિસેમ્બર સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે. 9 ડિસેમ્બર સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવાશે. આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે. 24 નવેમ્બર 2025થી 8 ડિસેમ્બર સુધી દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે.
ભાસ્કર નોલેજ:પાટણ શહેરમાં 10 દિવસમાં 412 લોકોનેશ્વાને બચકાં ભર્યાના સિવિલમાં કેસ
પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 10 દિવસમાં પાટણ સિવિલમાં 412 કેસ નોંધાયા છે.23 મહિનામાં 10459 લોકોને શ્વાન કરડવાના કેસ માત્ર સિવિલમાં નોંધાયા છે. પાટણ શહેરમાં રખડતા શ્વાન કરડવાના કેસ શિયાળો આવતા જ વધવા પામ્યા છે. જેમાં રાહદારીઓ અને વાહન ચાલકોને છેલ્લા 23 માસ કુલ 10459 લોકોને શ્વાન કરડવાના કેસ પાટણ સરકારી સિવિલમાં નોંધાયા છે.વર્ષ પ્રમાણે જોઈએ તો 2024માં કુલ 5480 લોકોએ શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા. જેમાં જાન્યુઆરી મહિનામાં 619,ફેબ્રુઆરીમાં 486, માર્ચમાં 528,એપ્રિલમાં 472,મે 523,જુનમાં 384,જુલાઈ 278, ઓગસ્ટમાં 270, સપ્ટેમ્બરમાં 234,ઓક્ટોબરમાં 432, નવેમ્બર 586 અને ડિસેમ્બર 663 લોકોને શ્વાન કરડવાના કારણે ઇન્જેક્શન લેવા પડ્યા હતા. શિયાળો આવતા શ્વાન વધુ આક્રમક બને છે ઠંડીના કારણે શ્વાનમાં આક્રમકતા વધુ હોય છે.ભાદરવા મહિનામાં મૈત્રીનો સમય હોય 60 દિવસ બાદ માદા શ્વાનનો પ્રસૂતિ થતા જેના કારણે માદા શ્વાન પોતાના બચ્ચાઓના રક્ષણ માટે આક્રમક થઈ જતી હોય છે.તેની પાસે થી કોઈ નીકળે તો તેને કરડે છે. ભાદરવા મહિનામાં સહિત શિયાળાના શરૂઆતના બે માસમાં શ્વાન કરડવાના કેસ વધુ સામે આવે છે.તેવું પશુ ચિકિત્સા અધિકારી ડો.નિલેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
મહેસાણા શહેરમાં આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પ્રથમવાર યોજાયેલી મેરેથોન દોડની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઉપરાંત નવસારી, ભરૂચ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાંથી કુલ 500 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 66 વર્ષિય સ્પર્ધક ધરમવીરસિંઘે માત્ર દોઢ મહિનાની પ્રેક્ટિસ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. મેરેથોન 5, 10, 21 અને 42 કિલોમીટર એમ ચાર શ્રેણીમાં યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત મહેસાણાના ઇસ્કોન મંદિરથી કરાઇ હતી. 42 કિલોમીટરની ફુલ મેરેથોનમાં 36 થી 45 વર્ષની વય જૂથના અજયકુમાર સિંઘે 2 કલાક 59 મિનિટમાં અંતર પૂર્ણ કરી નવો રેકોર્ડ રચ્યો હતો. એ જ વય જૂથમાં રાકેશ પટેલે હાફ મેરેથોન 1 કલાક 22 મિનિટમાં પૂરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 60થી વધુ સભ્યોએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ડૉ. નિર્ભય દેસાઇએ 46 થી 55 વય જૂથમાં 3.58 કલાકમાં દોડ પૂર્ણ કરી બીજું સ્થાન મેળવ્યું હતું. ઉત્સવ મિસ્ત્રીએ 18 થી 25 વય જૂથની હાફ મેરેથોનમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. 10 કિલોમીટરની દોડમાં અંજનાબેન પટેલે બીજું, ડૉ.દીપક રાજગોરે ત્રીજું અને અશોક તડવીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ મેરેથોનનું આયોજન 18 કિમી ગ્રુપ, મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે થયું હતું. 25 વર્ષ પછી મેરેથોન દોડનાર 66 વર્ષિય સ્પર્ધક પ્રથમ નંબરેહરિયાણાના 66 વર્ષિય નિવૃત્ત આર્મીમેન ધરમવીરસિંઘે જણાવ્યું કે, હું મોર્નિંગવોક કરી રહ્યો હતો, ત્યારે મિત્રોએ મેરેથોન વિશે માહિતી આપી. માત્ર દોઢ મહિનો મેરેથોનની પ્રેક્ટિસ કરી. 25 વર્ષ બાદ મારી દોડ થવા જઇ રહી હતી, એટલે હું ખૂબ જ ઉત્સુક હતો. 21 કિલોમીટરની આ દોડમાં 20 કિલોમીટરનું અંતર ક્યાં કપાઇ ગયું તેનો ખ્યાલ જ ન રહ્યો. છેલ્લું એક કિલોમીટરનું અંતર કાપતાં થાકનો અહેસાસ થયો, પરંતુ હિંમત રાખી દોડ પૂરી કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે આ દોડ મેં 2.29 કલાકમાં પૂર્ણ કરી 65 વર્ષથી વધુની કેટેગરીમાં પ્રથમ નંબર આવ્યો છે.
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં મંગળવારે મોડી સાંજે ફૂડ વિભાગે તપાસ આદરી બટાકા, ગ્રેવી સહિત વસ્તુનો નાશ કરાયો હતો. જેને પગલે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ફુડ વિભાગની ટીમ દ્વારા મંગળવારે સાંજે રાધનપુર રોડ પર આવેલ જયવીર ભાજીપાઉં, નીલકંઠ રેસ્ટોરન્ટ, કાઠીયાવાડી જાયકા, સાઉથ ઢોંસા, ચૂલા ઢોંસા અને ખાઉગલી સહિતના હોટલ અને રેસ્ટોરન્ટ મળી 10થી વધુ એકમોમાં ફ્રિજ સહિતની વસ્તુઓનું ચેકિંગ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં 15 કિલો અડદ દાળ, 8 લિટર બળેલુ તેલ, 15 કિલો મિક્સ ચટણી, 3 લિટર છાશ, 7 કિલો સડેલા બટાકા, 3 કિલો ગ્રેવી, 1 કિલો લુઝ બટર કબજે કરી, આ તમામ અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવાળી અને નવરાત્રીમાં તહેવારોમાં જ્યાં મોડી રાત સુધી હોટલો અને રેસ્ટોરન્ટો ગ્રાહકોથી ધમધમતી હતી તેવા સમયે ચેકિંગ નહીં કરનાર ફૂડ વિભાગ દ્વારા બિન સિઝનમાં કરાયેલા ચેકિંગે ભારે ચર્ચા જગાવી હતી.
પિતા-પુત્રમાં ફરિયાદ:5 વર્ષમાં ડબલની લાલચ આપી ઠગ પિતા-પુત્રએ 18 લાખનું ફૂલેકું ફેરવ્યું
મહેસાણાના હબટાઉનમાં સંજીવની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખોલીને લોકોને પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એફડી કરેલ રૂપિયાની પાકતી તારીખ આવે તે પૂર્વે માત્ર બે જ વર્ષમાં ક્રેડિટ સોસાયટી બંધ કરી ગુમ થઈ ગયેલા રાજસ્થાન બાડમેરના પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ મહેસાણા તાલુકાના વડસ્માના એક જ પરિવારના 7 સભ્યો આ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરીને છેતરાયો હોવાનું બહાર આવ્યું છે અને તે પરિવાર પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ છે. બીએસએનએલના નિવૃત્ત કર્મચારી, વડસ્માના જીલુજી કેશુજી ચાવડાને 2017માં મોઢેરા ચોકડી પર હબટાઉનમાં આવેલી સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના મેનેજરે તેમને મૂડી 4 વર્ષમાં ડબલ કરી અપાશે અને જો તમે ખાતામાં મૂડી રાખશો તો તમને બેન્કિંગ વ્યાજ કરતાં પણ ઊંચું વ્યાજ આપે છે એની વાત કરતાં, તેમણે 22 મે, 2018ના રોજ તેમનું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પાંચ વર્ષે ડબલ કરી આપવાનું કહ્યા બાદ રૂ.1,99,500ની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. ત્યાર બાદ તેમની મૃત પત્ની, બે પુત્ર અને તેમની બે પુત્રવધૂ અને તેમની પુત્રી સહિતના નામે રૂ.1,99,500થી લઇને રૂ.3,27,500ની મળી કુલ રૂ.13.90 લાખની ફિક્સ ડિપોઝિટ તેમના પરિવારના સાત સભ્યોના નામે મૂકી હતી. પાંચ વર્ષ પછી તેમની ફિક્સ ડિપોઝિટ પાકે તે પૂર્વે 2019માં આ ક્રેડિટ સોસાયટીની ઓફિસ બંધ થઈ ગઈ હતી. છેતરાયેલા લોકો પોલીસનો સંપર્ક કરે2017માં મહેસાણા ખાતે ખુલેલ સંજીવની ક્રેડિટ સોસાયટીમાં માત્ર જિલુજી ચાવડાનો જ પરિવાર નહીં, પરંતુ મહેસાણાના અનેક લોકો છેતરાયા હોવાનું પોલીસ પણ માની રહી છે. જેને લઇ બી ડિવિઝન પીઆઈ નિલેશ ઘેંટિયાએ અપીલ કરી કે, આ ક્રેડિટ સોસાયટીમાં ખાતું ખોલાવીને સેવિંગ્સમાં કે એફડીમાં રૂપિયા મૂકીને છેતરાયેલા લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. અમદાવાદમાં પણઓફિસ બંધ કરી દીધીમહેસાણાની જેમ અમદાવાદમાં પણ2017માં ખોલેલી સંજીવની ક્રેડિટસોસાયટીની ઓફિસ 2019માંરાતોરાત બંધ કરી દીધી હતી.અમદાવાદમાં પણ લોકો છેતરાયા છેપરંતુ ત્યાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી.પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાનુંકહી પિતા-પુત્રએ કરોડોનું ફૂલેકું ફેરવીગુમ થઈ ગયા હોવાનું મનાય છે.
રજૂઆત:પાટણ ડેપોમાં દુનાવાડા બાજુથી આવતી બસો રાણકીવાવ રોડ પર શરૂ કરવા માંગ
પાટણ ડેપોની રોડાથી દુનાવાડા થરા રૂટમાંથી પાટણ બસ ડેપોમાં આવતી એસટી બસોને કનસડા દરવાજા રાણકીવાવ રોડ દ્વારા ચાલુ કરવા બાબતે વિભાગીય નિયામકને રજુઆત કરી છે. પાટણ એસટી વિભાગ દ્વારા અગાઉ જુના સર્કિટ હાઉસ આગળ ટી આકારના રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનતો હોવાને કારણે રોડા દુનાવાડા બાજુથી બસ ડેપો પાટણ તરફ જતી આવતી એસ ટી બસોને કનસડા દરવાજાથી વાયા હારિજ ત્રણ રસ્તા સાંઈબાબા મંદિરથી એસ.ટી ડેપોમાં જવા માટે રૂટ ડાયવર્ટ કરેલ હતો.પરંતુ આ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ પુરુ થઈ ગયું છે. અને તેના ઉપર વાહનોની અવરજવર પણ ચાલુ થઈ ગઇ છે.માટે પહેલાંના આ રૂટ ઉપર જ ઉપર એસટી બસ ચાલુ કરવામાં આવે તો ફુવારા રેલવે સ્ટેશન અને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહી શકે તેમ છે. તે માટે દુધારામપુરાના જાગૃત નાગરિક પરષોત્તમભાઈ પરમાર દ્વારા પાટણ તાલુકા પંચાયત સમાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજૂઆત મળતા તેમણે આ બાબતે વિભાગીય નિયામક મહેસાણાને લેખિત રજૂઆત કરી છે.
જાહેરનામું:પાટણમાં કામ કરતા પરપ્રાંતીઓની ઓળખ ફરજિયાત કરાવી પડશે
પાટણ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર સંચાલકો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, જિનિંગ મિલો, સોલાર પ્રોજેક્ટ, ઇંટના ભઠ્ઠા, બાંધકામ કાર્ય, ખેતીકામ અને અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા કામે રાખવામાં આવતા પરપ્રાંતના (ગુજરાત રાજ્ય બહારના) તેમજ વિદેશી મજૂરો/કામદારોની સંપૂર્ણ ઓળખ ચકાસણી ફરજિયાત કરાઈ છે. અધિકારીએ જણાવ્યું કે હાલના સમયમાં અસંગઠિત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં મજૂરોને રોજગારી આપવામાં આવે છે.પરંતુ રોજગારી આપતી વખતે તેમની ઓળખ, નાગરિકતા અને પૂર્વ ઇતિહાસ અંગેની પુષ્ટિ માટે યોગ્ય પ્રક્રિયા અપનાતી નથી. જેના કારણે અસામાજિક તત્વો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા ભારતીય નાગરિકતા ન ધરાવતા વ્યક્તિઓને રોજગારી મળી રહે છે, જે રાજ્યની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ છે.તાજેતરમાં સ્પા/મસાજ પાર્લર જેવી કેટલીક જગ્યા પર નશીલા પદાર્થોનું સેવન, દેહવ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાના અહેવાલ મળ્યા છે. ઉપરાંત બહારના રાજ્યોમાંથી આવેલા મજૂરો સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ચોરી, લૂંટ, ઘરફોડ જેવી મિલકત વિરુદ્ધની ગુનાઓ આચરી પોતાના વતનમાં જતા હોય છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો છે.તમામ મજૂરોના નિયત નમૂનાના ફોર્મમાં ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે.
પાટણ જિલ્લામાં સરની કામગીરીમાં ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર 10 જ બાકી છે. જ્યારે 2002ની મતદારયાદી સાથે 60 ટકા મતદારોનું મેપિંગ થઈ ગયું છે. હાલમાં બીએલઓને ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી છે જેમાં સૌથી વધુ મુશ્કેલી સ્લમ વિસ્તારોમાં આ શિક્ષિત મતદારો હોય અપૂરતી માહિતીના કારણે અથવા ડોક્યુમેન્ટો પૂરતા ના હોય ફોર્મ ભર્યા જ ના હોય બેથી ત્રણ વાર ધક્કા ખાઈને ફોર્મ ભરાવાની પ્રક્રિયા કરવી પડી રહી છે. પાટણ જિલ્લામાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માં 1222 બુથ લેવલ ઓફિસરે ગણતરી ફોર્મ વિતરણની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ફરીથી ઘરે ઘરે ફરી ફોર્મ પરત લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.પરંતુ ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મતદારોએ ફોર્મ ભર્યા માં વિગતો ભરી હોતી નથી જેના કારણે બી.એલ.ઓને જાતે જ મતદારોની પ્રાથમિક વિગતો ભરવી પડી રહી છે. એક ફોર્મ ભરતા તેમને લગભગ પાંચ મિનિટ થાય છે. જે ઘરમાં લગભગ ચાર થી પાંચ સભ્યો હોય છે ત્યાં એક ઘર પાછળ 15 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. ઘણા ઘરોમાં લોકો તેમના ધંધા રોજગાર પર જતા રહ્યા હોય છે ઘરે માત્ર વૃદ્ધો જ મળે છે તેમની પાસે થી ખાસ કંઈ વિગતો મળતી નથી. એટલે આખો દિવસ આ કામગીરી પાછળ દોડે ત્યારે માંડ 50 જેટલા ફોર્મ પરત મેળવી શકે છે.બી.એલ.ઓ જે ફોર્મ મેળવી રહ્યા છે.તેને તેઓ બી એલ ઓ એપમાં સ્કેન કરી ઓનલાઇન પણ કરે છે. આ ગણતરી ફોર્મ પરત મેળવ્યા બાદ તેમાં 2002ની મતદાર યાદી પ્રમાણે વિગતો પડશે એટલે બી.એલો ને ઘરે આવ્યા બાદ પણ આ કામગીરી કરવી પડી રહી છે. ચાર ડિસેમ્બર સુધી ફોર્મ પર જ લેવાની કામગીરી ચાલશે. મહિલા બીએલઓને પરિવાર માટે ટિફિન બંધાવવા પડ્યાસરની કામગીરીમાં ખાસ કરીને મહિલા બી.એલ.ઓને વધારે મુશ્કેલી પડી રહી છે કારણ કે પરિવારની જવાબદારી સાથે તેમણે આ કામગીરી કરવી પડી રહી છે. પાટણના એક મહિલા બી.એલ.ઓ આ કામગીરી કરવા માટે તેમના પરિવારના તમામ સભ્યોના ટિફિન બંધાવવા પડ્યા છે.
ડ્રાઇવિંગ ટેસ્ટ:પાટણ RTOમાં સ્માર્ટ ટ્રેકના કામ માટે આજે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે
પાટણ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નવી એઆઈની સિસ્ટમ ટેક્નિકલ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરત હોય 12 નવેમ્બરના રોજ તમામ ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને નવી એપોઇન્ટમેન્ટ આપી તેમને મેસેજ મોકલ્યા છે.આજનો દિવસ હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. પાટણ આરટીઓમાં અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેકમાં AI આધારિત સ્માર્ટ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમની કામગીરી શરૂ કરી છે. કામગીરીને ધ્યાનમાં લઇ બાર નવેમ્બરના રોજ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રાખ્યા છે. કામગીરી પૂર્ણ થતા અરજદારોને ટેસ્ટ માટે સમય અને દિવસની આગામી દિવસોમાં ફાળવણી કરી હોય રાબેતા મુજબ શરૂ થઈ જશે. ટ્રેકમાં AI આધારિત સ્માર્ટ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા સિસ્ટમથી માનવ હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર અને ભૂલોની શક્યતા ઘટશે, તેમજ દરેક ઉમેદવાર માટે સમાન માપદંડથી મૂલ્યાંકન થશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાંધીનગર રાજકોટ અને અમદાવાદ જેવા આરટીઓઓમાં આ સ્માર્ટ ટ્રેક પહેલેથી જ કાર્યરત છે. ભવિષ્યમાં ફેશિયલ રેકગ્નિશન અને વોઈસ કમાન્ડ સિસ્ટમ પણ જોડાવાની શક્યતા છે. તેવું આરટીઓ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:પાટણના ચાર તાલુકાના 80 હજાર ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય મળશે, માવઠાંની નહીં
પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોનાં અંદાજે 80,000 ખેડૂતોને 300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે ફોર્મ ભરાવાનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જિલ્લામાં 4 તાલુકામાંથી 300 ખેડૂતોએ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિની સહાય ચાર તાલુકામાં ખેડૂતોને મળી છે પરંતુ માવઠામાં ભારે નુકસાન થતા પણ જિલ્લાનો સહાય સમાવેશ ના હોય ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં અતિવૃષ્ટિને લઈ કપાસ, દિવેલા, કઠોળ, મગફળી, ઘાસચારો સહિતના ખરીફ પાકોને નુકસાન થતા તલાટીઓની 50 સંયુક્ત ટીમોએ 1.85 લાખ હેક્ટરમાં સર્વે કર્યો હતો. જેમાં 1.38 લાખ હેક્ટર એટલે કે 75 ટકા વિસ્તારમાં ચાર તાલુકાના 221 ગામોમાં અંદાજે 80,000 ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોને થયેલ નુકસાનીની સહાય ચૂકવવા માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરે રૂ.22,000 સહાય આપવામાં આવશે. આમ કુલ 1.38 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકમાં નુકસાનીની સહાય પેટે કુલ રૂ.300 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવશે.જોકે આ કૃષિ સહાય પેકેજમાં 4 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને જ સહાય મળશે. બાકીના પાંચ તાલુકામાં થયેલાં કમોસમી વરસાદનાં નુકસાનીની સહાયનો આ પેકેજમાં સમાવેશ નથી. પાણી ભરેલા ખેતરોને હેક્ટરે વધુ 20,000 સહાય મળશે ભારે વરસાદના કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોય અને રવિ પાકનું વાવેતર કરી શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ 20,000 પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેના માટે પણ ખેડૂતે અરજી કરવી પડશે. તંત્ર તેની તપાસ કરી સહાય માટે મંજૂરી આપશે. ગામના VCE મારફતે 15 દિવસ સુધી ફોર્મ ભરાશે ખેડૂતોએ આ કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા માટે 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતો તેમના ગામના વીસીઇ/ વીએલઇના માધ્યમથી સમય મર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરી શકશે.ફોર્મ ભરવા માટે ખેડૂતને 7/12 , 8Aના ઉતારા , બેંકની વિગતો માટે પાસ બુક, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી પડશે. માવઠામાં ભારે નુકસાન છતાં કંઈ સહાય નહીંતાજેતરમાં માવઠામાં જિલ્લામાં અનેક ગામોમાં પાકોને નુકસાન થયુંછે. છતાં પાક નુકસાનની સહાય સરકાર દ્વારા મંજૂર કરાઈ નથી. જેબાબતે સરસ્વતીના ખેડૂતો વાઘાજી, શ્રવણજીએ જણાવ્યું હતું કેઅમારે માવઠામાં ભારે નુકસાન છે છતાં સરકાર કશું સહાય આપતીનથી. અમારે હાલમાં બિયારણ અને વાવેતરના ખર્ચ કરવા માટે પણપૈસા નથી ઉછીના લેવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા રહેમનજર હેઠળ સમગ્ર જિલ્લાને સહાય આપે એવી અમારી માંગ છે.
પાટણના સાલવીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોય રજૂઆત થતા પાલિકા દ્વારા દૂષિત પાણીની સમસ્યા લોકો નિરાકરણના લાવતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ રતનપોળ,ભરવાડ વાસ,ભઠ્ઠીનો માઢ અને થાનૈયાવાસમાં દૂષિત દુર્ગંધવાળું પાણી આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલના આવતા રહીશો જાતે પૈસા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. આ બાબતે સ્થાનિક રહીશ અબ્દુલ મન્સુરીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા પાણીવેરો,સ્ટિટલાઈટ વેરો, ભુગર્ભવેરો સહિતના વેરા લેવામાં આવે છે.પરંતુ પ્રાથમિક સુવિધા આપવા આવતી નથી. સમયસર વેરા ભરપાઈ ના કરાય તો પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી નાખવાની નોટિસો આપવામાં આવે છે. પરંતુ પાણીની સમસ્યા મામલે કોઇ કામગીરી કરવામાં આવતી નથી.આગામી નગરપાલિકાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને એકપણ કોર્પોરેટરોને મત આપવામાં આવશે નહિ તેવી ચીમકી આપી પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત હતા. આ કેસમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા ચીફ ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા મોટા સમાચાર એક્ઝિટ પોલ સંબંધિત હતા. બિહારમાં NDA સરકાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અનુમાન છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સર્વોચ્ચ અદાલત સંમતિથી સેક્સની કાયદેસર ઉંમર ઘટાડવાના કેસની સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. લખનઉમાં આતંકવાદીની ગર્લફ્રેન્ડના ઘરે ATSના દરોડા:ડૉ. શાહીન AK-47 સાથે પકડાઈ હતી, ભાઈ ડૉ. પરવેઝના ઘરે પણ દરોડા દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ, ATS (એટર્ની સેલ) ઉત્તર પ્રદેશમાં શ્રેણીબદ્ધ દરોડા પાડી રહી છે. ATS ટીમ, જમ્મુ અને કાશ્મીર (JK) પોલીસ સાથે, મંગળવારે બપોરે ડૉ. શાહીન શાહિદના ઘરે પહોંચી. તેમનું ઘર લખનૌના લાલબાગના ખંડેરી બજારમાં આવેલું છે. ટીમ આખા ઘરની તપાસ કરી રહી છે. પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. લખનૌ પોલીસ પણ બંને ટીમોને મદદ કરી રહી છે. સોમવારે ફરીદાબાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસે શાહીનની ધરપકડ કરી હતી. તે ડૉ. મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની કારમાંથી એક AK-47, એક પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 17 એજન્સીઓના સર્વેમાં NDA સરકાર:154 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનને 83 બેઠકો; PKની જન સુરાજ અસરહીન બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં NDAની મોટી લીડના સંકેત મળ્યા છે. 17 એજન્સીઓના પોલ ઓફ પોલ્સમાં NDAને 154 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધન 83 બેઠકો પર સીમિત થતું દેખાઈ રહ્યું છે, જ્યારે અન્યના ખાતામાં 6 બેઠકો જઈ શકે છે. પ્રથમ વખત ચૂંટણીમાં ઉતરેલી પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી અસરહીન જોવા મળી રહી છે. તેને 3-5 બેઠકો મળવાનો અંદાજ છે. છેલ્લી ચૂંટણીમાં NDAને 125, મહાગઠબંધનને 110 અને અન્યને 8 બેઠકો મળી હતી. એટલે કે આ વખતે NDAને લગભગ 29 બેઠકોનો ફાયદો, જ્યારે મહાગઠબંધનને 28 બેઠકોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'પપ્પાને કંઈ નથી થયું, ખોટી માહિતી ન ફેલાવો':ધર્મેન્દ્રના અવસાનના સમાચાર દીકરી ઈશાએ નકાર્યા; રાજનાથ સિંહ-જાવેદ અખ્તરે પહેલા શોક વ્યક્ત કર્યો, પછી પોસ્ટ ડિલિટ કરી દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના અવસાનના સમાચાર સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, પછી X પરની તેમની પોસ્ટ ડિલિટ કરી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા, જોકે તેમની દીકરીએ નારાજગી વ્યક્ત કરી અને અહેવાલોને નકારી કાઢ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત:27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; પાક. PMએ કહ્યું- હુમલો ભારતે કરાવ્યો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે. ધમાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે પોલીસ લાઇન્સ હેડક્વાર્ટર સુધી સંભળાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં ડર ફેલાઈ ગયો. દુર્ઘટના પછી બચાવ ટીમ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને આખા વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું ₹2,341 વધીને ₹1.24 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:2 દિવસમાં ₹4,047નો વધારો થયો; આજે ચાંદી ₹2,695 વધીને ₹1.54 લાખ પ્રતિ કિલો થઈ આજે 11 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,706 વધીને ₹1,24,147 થયો છે. અગાઉ, ભાવ ₹1,22,441 પ્રતિ 10 ગ્રામ હતો. માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં, તેમાં ₹4,047નો વધારો થયો છે. ગયા શુક્રવારે, તે ₹1,20,100 હતો. આ દરમિયાન, ચાંદીનો ભાવ ₹2,695 વધીને ₹1,54,338 પ્રતિ કિલોગ્રામ થયો. અગાઉ, તેનો ભાવ ₹1,51,643 પ્રતિ કિલોગ્રામ હતો. 17 ઓક્ટોબરના રોજ સોનું ₹1,30,874ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું, અને 14 ઓક્ટોબરના રોજ ચાંદી ₹1,78,100ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દાહોદમાં સિઝનની સૌથી ઠંડી રાત:12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા-ગાંધીનગરને પાછળ છોડ્યાં, રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે આ શિયાળાની સિઝનમાં દાહોદ માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 12.2 ડિગ્રી તાપમાન સાથે દાહોદ શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. જ્યારે અમરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ મિનિમન તાપમાન નોંધાયું છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા સુપ્રીમનો હુકમ:અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 18 નવેમ્બરે ચાર્જ ફ્રેમ થશે, ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત નિપજાવ્યા'તા વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ પ્રક્રિયાના કારણે તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પર કોઈ અસર થશે નહીં. હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામે 18 નવેમ્બરે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થઈ શકે છે. ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપીના 3 યુવકોના દિલ્હી બ્લાસ્ટમાં મોત:તેમાંથી બે મિત્રો હતા, મેટ્રો સ્ટેશન ગયા હતા ત્યારે જ વિસ્ફોટ થયો; મૃતદેહ અમરોહા પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત:27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; હુમલાખોરનું 'માથું' ઘટનાસ્થળ પર મળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 17 એજન્સીઓના સર્વેમાં NDA સરકાર:154 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનને 83 બેઠકો; PKની જન સુરાજ અસરહીન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- મોદી મને ફરીથી પ્રેમ કરશે:અમે ભારત સાથે નવા વેપાર કરારની નજીક છીએ; રશિયન તેલ ખરીદી પર ધીમે-ધીમે ટેરિફ ઘટાડશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : છૂટક ફુગાવો 1% થી નીચે આવી શકે છે:ઓક્ટોબરમાં છઠ્ઠા મહિનામાં 20 જરૂરી ચીજવસ્તુઓનો ઇન્ડેક્સ 3.6% ઘટ્યો; શાકભાજી, કઠોળ, ચોખા 51% સુધી સસ્તા થયા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલનો ચીનનો વિઝા રિજેક્ટ થયો:ચીની દૂતાવાસ પાસેથી મદદ માગી; ઓસ્ટ્રેલિયન ઓપન પ્લેઓફ માટે ચેંગડુ જવાનું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : આજે કાલભૈરવ અષ્ટમી:ભગવાન શિવનો ઉગ્ર અવતાર; પૂજા કરવાથી ભય અને નકારાત્મક વિચારો દૂર થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ખોટું બટન દબાઈ ગયું ને મહિલા કરોડપતિ બની ગઈ! અમેરિકાના ઓહાયોની નેન્સી નામની એક મહિલાએ લોટરી મશીન પર ખોટું બટન દબાવીને ભૂલથી 50,000 ડોલરથી વધુ જીતી લીધા. તેણે ભૂલથી કેશ એક્સપ્લોઝન ટિકિટ ખરીદી લીધી, જેના કારણે તે ટીવી શોમાં સ્થાન પામી. નેન્સીએ 58,285 ડોલર જીત્યા અને કહ્યું કે તે આ પૈસા તેના ઘરના બાંધકામ પર ખર્ચ કરશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: મુનીરના હાથમાં બ્લાસ્ટનું બટન:જૈશની ડૉક્ટર ટેરર લેબે દિલ્હી ધણધણાવ્યું, મોદીએ ગર્જના કરી અને પાકિસ્તાને ફાઇટર પ્લેન તહેનાત કરી દીધાં 2. શું છે દિલ્હી બ્લાસ્ટના એમોનિયમ નાઇટ્રેટ અને ફરીદાબાદ કનેક્શન?:20 સપ્ટેમ્બરે 25 Km દૂર ચલાન કપાયું, શું દરોડાના ડરથી વિસ્ફોટક લઈને ભાગ્યા? 3. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ':જયરાજસિંહ, ગણેશ અને વાઇરલ ઓડિયો પર જિગીષા પટેલના સ્ફોટક ખુલાસા 4. છૂટાછેડા-2 'વહુ સાથે સાસુને ફાવ્યું નહીં તો દીકરાનું બબ્બેવાર ઘર ભંગાવ્યું':'પત્ની યુઝ્ડ ને ગંદાં સેનિટરી પેડ્સ બાથરૂમમાં દિવસો સુધી રાખતી' 5. ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલપંપ સંચાલકો જ કંટાળ્યા:ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે, વાહનચાલકોને પણ નુકસાન, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર 6. તમારું ઘર જ તમને આપશે પેન્શન!:રિટાયરમેન્ટ પછી ખર્ચા કાઢવાની ચિંતા ગઈ! દર મહિને રૂપિયા મળશે, 15 લાખની મેડિકલ સહાય પણ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને મહેનતના પરિણામો મળશે, કર્ક રાશિના જાતકો માટે ગ્રહોનું ગોચર ઉત્તમ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
રજૂઆત:પાલનપુરમાં ઓનલાઈન કામગીરી કરવાની બીએલઓની ના,માનસિક તણાવ અને કામગીરીમાં સહકાર નથી મળતો
સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પાલનપુર તાલુકામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવતા તેમજ કામગીરીમાં મતદારોનો સહકાર ન મળતો હોવાના કારણે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. તેમને આ કામગીરીનો વિરોધ કરીને કલેકટર કચેરી ખાતે સાંજે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓની કામગીરી કરતા પ્રાથમિક શાળાના શિક્ષકો ડોર ટુ ડોર ફોર્મ વિતરણ અને ફોર્મ ભરી પરત લેવાનું કામગીરી કરી રહ્યા છે જોકે આ કામગીરીમાં ખેતરોના આંટાફેરા અને બહાર વસતા લોકોના પુરતા ડોક્યુમેન્ટ ન મળતા તેમજ તંત્ર દ્વારા દિવસમાં ચોક્કસ ફોમ ભરીને ઓન લાઇન કરવાનો ટાર્ગેટ આપવામાં આવતા બીએલઓ વહેલી સવારથી મોડી રાત સુધી માનસિક તણાવ વચ્ચે કામગીરી કરી રહ્યા છે તેમ છતાં તેમને તંત્ર દ્વારા સહકાર ન મળતા પાલનપુર તાલુકાના બીએલઓએ મોડી સાંજે કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને મતદાર યાદી સુધારણા કામગીરીનો વિરોધ કર્યો હતો અને ચૂંટણી અધિકારીને મળી મતદાર યાદી સુધારણામાં ફોર્મ ઓન લાઇન કરવાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. સાંજે કચેરી બંધ થવાના સમયે બીએલઓ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવા આવ્યા હતા.
લોકોમાં ફફડાટ:મોડાસા આરટીઓ કચેરીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં 48 વાહન ચાલકોને દંડ ફટકાર્યો
અરવલ્લી એ આરટીઓએ મોડાસાની શાળા-કોલેજો બહાર ચેકિંગ હાથ ધર્યું છે. આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓની 2 દિવસ ટ્રાફિક ડ્રાઈવમાં 48 વાહન કરતાં વધુ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં દંડનીય કાર્યવાહી કરાતાં ટ્રાફિકના નિયમનનો ભંગ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઝડપાયેલા વાહન ચાલકો સામે બે દિવસમાં 90હજાર દંડ કરાયો હતો.આરટીઓ કચેરી મોડાસા દ્વારા આગામી સમયમાં પણ સતત ટ્રાફિક ડ્રાય શરૂ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. મોડાસા શહેર તેમજ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતાં વાહન ચાલકો હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાયવિંગ લાયસન્સ અને અન્ડર એજ ડ્રાયવિંગ કરતા હોવાનું અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હોવાની છેલ્લા કેટલાય સમયથી બૂમ ઉઠી છે. તદુપરાંત શહેરની જુદી જુદી સ્કૂલમાં અભ્યાસ કરતાં છાત્રો પણ બદલ અંડર એજ હોવા છતાં ટ્રાફિકના નિયમનો ભંગ કરી દ્વિચક્રી વાહનો હંકારતાં હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. કલેક્ટરના આદેશ મુજબ અરવલ્લી આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તદઉપરાંત શહેરની સ્કૂલોમાં પ્રવેશતા મુખ્ય રસ્તાઓ ઉપર હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન 48 જેટલા વાહન ચાલકો સામે દંનીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છેલ્લા બે દિવસમાં આરટીઓ કચેરી દ્વારા રૂ.90 હજાર જેટલો દંડ ફટકારાયો હોવાનું જાણવા મળેલ છે. આરટીઓ કચેરી મોડાસા દ્વારા આગામી સમયમાં પણ સતત ટ્રાફિક ડ્રાય શરૂ રાખવા આયોજન કરવામાં આવ્યું છે.
ખુશીનો માહોલ:હિંમતનગર સહકારી જીનમાં બે દિવસમાં ટેકાના ભાવે 56 જેટલા ખેડૂતો મગફળી વેચવા આવ્યા
હિંમતનગરના સહકારી જીનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થયો છે. જેમાં બે દિવસમાં 56 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. હિંમતનગરમાં લગભગ 4500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તંત્ર દ્વારા દરરોજ 50 જેટલા ખેડૂતોને મેસેજ કરાય છે. બે દિવસમાં બંને સેન્ટર ઉપર થઇને 56 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા. જેમાં બજાર ભાવ કરતાં ખેડૂતોને 200 રૂપિયા વધુ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ખેડૂત હરજીવનભાઇ પટેલના જણાવ્યા અનુસાર બજારમાં મગફળીનો ભાવ 1000 થી 1200 મળે છે. જ્યારે સરકાર દ્વારા અહીં 1452 જેટલો ભાવ આપતાં ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. ખેડૂત વિક્રમભાઇના જણાવ્યા અનુસાર થોડી વહેલી ખરીદી કરાઇ હોત તો અમને થોડા વધારે પૈસા મળતા. અન્ય ખેડૂત વિરમભાઇએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી કરવા સરકાર દ્વારા મેસેજ અને ટેલીફોન કરાય છે તે સારી બાબત છે. પરંતુ હાલમાં બટાટા અને અન્ય વાવેતરનો સમય હોવાથી ખેડૂતો આવી શકતા નથી. જો સરકારે વહેલી ખરીદી ચાલુ કરી હોત તો ખેડૂતોને સમય મળી રહેતો. ખરીદ કેન્દ્રના મેનેજર શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે દરરોજ 50 ખેડૂતોને મેસેજ કરીને બોલાવીએ છીએ આ ઉપરાંત ફોન પણ કરીએ છીએ. પરંતુ હાલમાં ખેડૂતો બટાટાના વાવેતરમાં વ્યસ્ત હોવાના કારણે ઓછા આવે છે. હાલમાં રોજ 8 થી લઇને 15 ખેડૂતો આવે છે. તો અન્ય ખરીદ કેન્દ્રના મેનેજરના જણાવ્યા અનુસાર હાલમાં અમારા સેન્ટર ઉપર 15 થી 20 ખેડૂતો આવે છે. ખેડૂતોને મેસેજ અને ફોન કરાય છે.
તપાસ:ચાણસ્મામાં 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચરતાં 15 વર્ષની સગીરા ગર્ભવતી થઈ બાળકીને જન્મ આપ્યો
ચાણસ્મા જીઆઇડીસીમાંથી બે વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર કિશોર બે વર્ષ છુપાઈને રહ્યા બાદ અંતે બંને પોલીસના હાથે લાગ્યા છે. જેમાં સગીરા હાલમાં કિશોરની બાળકની માતા બની ચૂકી હોય પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કિશોરની અટક કરી છે. ચાણસ્માના જીઆઇડીસીમાં કામ કરતી રાજસ્થાનની કિશોરીને આરોપી કિશોર હેમંત બે વર્ષ પૂર્વે ભગાડીને લઈ ગયો હતો. બે વર્ષ બાદ કિશોર ચાણસ્મામાં રહેતા સંબંધીને મળવા આવતા બાતમી આધારે પોલીસે અટક કરી સગીરાની ભાળ મેળવી બંનેને પકડ્યા હતા. જે દરમિયાન સગીરા આ કિશોર ની ગર્ભવતી હોય પ્રસૂતિ સમય ગાળાનો સમય ચાલતો હતો. પોલીસને મળ્યા બાદ જ તેને પ્રસૂતિની પીડા ઉપડતા તાજેતરમાં જ હોસ્પિટલમાં તેનું એક બાળકીને જન્મ આપ્યો છે. સગીરા અને તેની જન્મજાત બાળકી બંને સહી સલામત છે. પરંતુ નાની વયે તેને ભગાડીને લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધવા અને ગર્ભવતી બનાવવા મામલે પોલીસ દ્વારા અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તેની અટક કરીને તપાસનો દોર શરૂ કરાયો છે. સમગ્ર ઘટનાનો ટૂંક સારાંશમાં જાણો
મગફળીની ખરીદી:મોડાસા યાર્ડમાં ત્રીજા દિવસે 35 ખેડૂતો પાસેથી 52650 કિલો મગફળીની ટેકાના ભાવે ખરીદાઇ
અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ દ્વારા મોડાસા નવા માર્કેટયાર્ડમાં ત્રીજા દિવસે ટેકાના ભાવે 35 ખેડૂતો પાસેથી 52650 કિલો મગફળીની ખરીદી કરાઇ હતી. શાકભાજી સહકારી સંઘ દ્વારા રોજિંદા 25 થી 30 કરતાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા મેસેજ કરાઇ રહ્યા છે. સહકારી માળખાના આગેવાનો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ચોમાસુ પાકોની ખરીદી શરૂ કરાઇ છે. સંઘના ડિરેક્ટર શામળભાઈ પટેલ દ્વારા રવિવારે શ્રીફળ વધેરી પૂજા વિધિ સાથે ખેડૂતોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની ખરીદી શરૂ કરાઇ હતી. ત્રીજા દિવસે મંગળવારે 35 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ હતી. મોડાસા નવા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી 52650 કિલો મગફળી ખરીદાઇ હોવાનું મેનેજર ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું. મોડાસા તાલુકાના 5 હજાર કરતાં વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મગફળી 7263નો ભાવ છે. જ્યારે અડદ માટે પ્રતિ ક્વિન્ટલ 7800નો ભાવ અને મગ માટે પ્રતિ ક્વિન્ટલ 8768નો ભાવ છે. તેમજ સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ 5328નો ભાવ નક્કી કરાયો છે. જિલ્લામાં સૌથી વધુ મોડાસા તાલુકામાં 16હજાર હેક્ટર કરતાં વધુમાં મગફળીના પાકને વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જોકે પાકનું મબલખ ઉત્પાદન થયું છે. પરંતુ સતત વરસાદ અને આછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળીના ઉત્પાદનમાં માઠી અસર પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં ખેડૂતોને અત્યારે સરકારે જાહેર કરેલા મગફળીના પ્રતિ એક મણ દીઠ ટેકાના ભાવ 1,452 મળવાના છે તેની સામે મગફળી સહિત અન્ય પાકોની ક્વોલિટીની પણ ચકાસણી કરાઇ રહી છે.
ચકચાર:ઇલોલમાં પં.નું રેકર્ડ ખાનગી વ્યક્તિ પાસેથી મળતાં ચકચાર
હિંમતનગરના ઈલોલમાં પંચાયતની સભામાં કોઈપણ જાતનો ઠરાવ કે સદસ્ય સાથે ચર્ચા કરી ઉચ્ચ અધિકારીની પરવાનગી લીધા વગર જ સરકારી રેકર્ડ ખાનગી વ્યક્તિના ઘેર પહોંચી ગયાની જાણ થતાં મહિલા સદસ્ય પંચાયતમાં પહોંચવા દરમિયાન જ ખાનગી વ્યક્તિ રેકર્ડનો થેલો લઈ આવી પહોંચતા થેલામાં શું છે પૂછતાં પ્રોપર્ટી કાર્ડ હોવાનું જણાવતા થેલો ખાલી કરાવતા અંદરથી રેવન્યુ રેકર્ડ નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો અને મહિલા સદસ્યે પોલીસ બોલાવી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી તપાસની માગ કરતાં ખળભળાટ મચી ગયો છે. ઇલોલ પંચાયતમાંથી અસલ રેવન્યુ રેકર્ડ કોઈ પણ પ્રકારના ઠરાવ કે પંચાયતની બોડીને જાણ કર્યા વગર લઈ જવાયાની જાણ થતાં વોર્ડ નંબર-1ના સદસ્ય વિલાસબા નરેન્દ્રસિંહ ઝાલા પંચાયતમાં ગયા હતા. તે જ સમયે સૈયદ સૈદુમિંયા એક્ટિવા પર પોટલું લઈને આવ્યા હતા. વિલાસબાને શંકા જતાં પૂછપરછ કરતાં સૈદુમિયાંએ જણાવેલ કે પ્રોપર્ટી કાર્ડ છે પણ પંચાયતના કર્મચારીઓ પાસે પોટલું ખોલાવતા અંદરથી અસલ રેવન્યુ રેકર્ડ અને બીજા રેકર્ડ નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરપંચના કહેવાથી રેકર્ડ બહાર ગયું હોવાની ખબર પડતાં વિલાસબાએ પોલીસ બોલાવી હતી. વિલાસબાએ કલેક્ટરને ફરિયાદ કરી છે કે પંચાયતનો અસલ રેકર્ડ ગેરકાયદેર રીતે બહાર લઈ જઈને રેકર્ડ સાથે ચેડાં અને નાશ કરવાનો પ્રયાસ કરાયો છે તેની પાછળ ઇન્ચાર્જ સરપંચ કમરઅલી ઢુંઢા વિરુદ્ધ તમામ જગ્યાએ લેખિતમાં કરેલી રજૂઆતો જવાબદાર છે. કોઈપણ જાતના અધિકાર સિવાય ઉપલા અધિકારીની પરવાનગી કે ઠરાવ સિવાય પંચાયતની માલિકીનું લેમિનેશન મશીન વેપારી અકબર અબુતાલીબના ઘેર લઈ ગયા છે. તમામ રેવન્યુ રેકર્ડ, જન્મ મરણના રજિસ્ટર નકશા વગેરે એક સપ્તાહથી વેપારીને ત્યાં રાખી ઇન્ચાર્જ સરપંચ ભેગા મળી રેકર્ડના આધારે સંબંધિત શખ્સોને તેના ઘેર બોલાવી રેકર્ડ સાથે ચેડાં કરી રહ્યા છે. ભવિષ્યમાં મિલકત હક અને હાલમાં ચાલી રહેલ સરકારના એસઆઈઆર કાર્યક્રમમાં જન્મ મરણના રેકર્ડમાં ચેડાં કરવાનો ઉદેશ જણાઈ રહ્યો છે. ઇન્ચાર્જ સરપંચ અને તલાટી બંનેનો સંપર્ક કરતાં ફોન ઉપાડ્યો ન હતો જેથી આઉટ પોસ્ટ જમાદાર મહેશ દેસાઈને ફોન કરીને બોલાવ્યા હતા. તેમણે તલાટીના અધિકારમાં આવતું હોવાનું જણાવતા બપોરે ટીડીઓને ફોન કર્યા બાદ તલાટીએ ફોન કરી સરપંચના કહેવાથી વેપારી અકબર અબુતાલીબને રેકર્ડ આપ્યાનું જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વિલાસબાએ જણાવ્યું કે હાલ સરકાર દ્વારા જૂનો સર્વે નંબર 1540 જેના નવા સર્વે નંબરો 135,142, 145 સર્વે નંબરોનો ટીપ્પણ પણ હતું જે સરકારના ખર્ચે માપણીનો ઓર્ડર થયેલ છે જેના પુરાવા નાશ કરવા અર્થે અકબર વેપારી સરપંચના કહેવાથી ઘરે લઇ ગયેલ હતા જેના માટે તપાસ થાય એ હેતુથી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી છે. સરપંચના કહેવાથી રિપોર્ટ બહાર ગયું છે.આ મામલે ઈલોલ તલાટી પ્રિયંક ગાંધીએ જણાવ્યું કે હું રજા પર હતો. સરપંચના કહેવાથી રેકર્ડ બહાર ગયું છે અને લેમિનેશન માટે રેકર્ડ મોકલ્યું હોવાનું જણાવ્યું છે. પ્રોપર્ટી કાર્ડ ન હતા. જન્મ મરણના દાખલાનું લેમિનેશન થઈ ગયું છે. ટીપ્પણ બાકી છે.
સર્વે કરાયો:હિંમતનગરના બ્રહ્માણી નગરમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ડીપીઆર બનાવવા સર્વે કરાયો
હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં પાણી ભરાઇ રહેવાની કાયમી સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યા બાદ થયે ઠરાવ અનુસંધાને મંગળવારે ચીફ ઓફિસરે સંલગ્ન તમામ વિભાગના વડા અને એજન્સી તથા પાલિકા વિરોધ પક્ષના નેતાને સાથે રાખી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરવા સૂચના આપી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવવા ડીપીઆર બનાવવા સર્વે હાથ ધરાતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના બ્રહ્માણીનગર વિસ્તારમાં થોડા વરસાદમાં પણ ઢીચણસમા પાણી ભરાઇ જાય છે અને મહિનાઓ સુધી આ પાણી જમીનમાં ઉતરે નહીં ત્યાં સુધી નિકાલ થતો નથી. ગંદકી અન મચ્છરોના ઉપદ્રવની કાયમી સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પાલિકાથી બેદરકારી મામલે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું અને 30 ઓક્ટોબરે યોજાયેલ સામાન્ય સભામાં પણ પાલિકા દ્વારા બ્રહ્માણીનગરમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ લાવવા ચર્ચા કરી સ્ટોર્મ વોટર લાઇન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા સર્વે કરવા નિર્ણય લેવાયો હતો. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, બ્રહ્માણીનગરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બાંધકામ ખાતાના વડા, આરોગ્ય વિભાગના વડા, વિરોધપક્ષના ઇમરાનભાઇ અલજીવાલા, સ્થાનિક રહીશો, ડીપીઆર બનાવવા પીએસપી ઇન્ડિયા કન્સલ્ટન્સી એજન્સીની ટીમ સાથે મંગળવારે બપોર બાદ બ્રહ્માણી નગરના નીચાણવાળા તમામ વિસ્તારોનો સર્વે કરી વિસ્તૃત ચર્ચા કરાઇ હતી અને આગામી ચોમાસા પહેલા રહીશોની સમસ્યાનું નિરાકરણ આવી જાય તેવું ઝડપથી કામ કરવા આયોજન કરાયું છે. હાલમાં પાણી નીચાણવાળા પ્લોટોમાં ભરાઇ રહેલ છે. તેના નિકાલ માટે મશીનરી લગાડી સત્વર કામગીરી હાથ ધરાશે.
ભાસ્કર એક્સક્લૂસિવ:રાપર-ભચાઉના 169 ગામને પાક સહાય મળશે
તાજેતરમાં પડેલા માવઠાં પહેલા સપ્ટેમ્બરમાં પણ કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ થતા સરકારે મોટા ઉપાડે રાહત પેકેજ જાહેર કર્યું હતું. પણ હવે તેમાં ચોંકાવનારી વિગતો આવી છે. હવે આ રાહત પેકેજમાં કચ્છના માત્ર ભચાઉ અને રાપર તાલુકાઓના ખેડૂતોને જ સહાય આપવામાં આવશે, જેથી બાકીના તાલુકાના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં ડિપ્રેશનના પગલે ભારે વરસાદના કારણે કચ્છના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકશાન થયું હતું. જે તે સમયે સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હવે માહિતીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છના માત્ર રાપર અને ભચાઉના 169 ગામના ખેડૂતોને વળતર મળી શકશે. આ માટે તેઓએ ફોર્મ ભરવાના રહેશે. અન્ય ખેડૂતોને વંચિત રાખવામાં આવતા ઉચ્ચાટ ફેલાયો છે. કચ્છમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા અતિભારે વરસાદથી નુકશાન થયું હતું. જેમાં સરકાર દ્વારા કચ્છ તેમજ જૂનાગઢ, વાવ-થરાદ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં નુકશાની માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યું હતું. જેમાં અગાઉ બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટર અને પિયત પાક માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી. જો કે હવે સરકારે બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે. કચ્છમાં સપ્ટેમ્બર માસમાં કચ્છના અનેક તાલુકામાં ભારે વરસાદ થયો હતો. રાપર અને ભચાઉમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકશાની થઇ હતી, ત્યાં વળતર મળશે પણ અંજાર, ભુજ માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં વરસાદના કારણે નુકશાની થઇ હતી છતાં તે તાલુકાના ખેડૂતોને લાભ નહી મળે. કેમ કે સર્વે માત્ર રાપર અને ભચાઉ વિસ્તારમાં જ કરવામાં આવ્યો હતો. જેથી કચ્છના અન્ય તાલુકાના ખેડૂતોને નુકશાનીનો કોઈ પણ લાભ મળશે નહી. જિલ્લા ખેતીવાડી કચેરીમાંથી મળેલી માહિતી મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદ બાદ ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાપર અને ભચાઉ વિસ્તારના 169 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. જે ખેડૂતોનો સર્વે થયો છે તેવા ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકશે. તે માટે તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. કચ્છમાં ખાતેદાર ખેડૂતો 5 લાખ, પેકેજનો લાભ મળશે માત્ર 52,611 ધરતીપુત્રોનેભારે વરસાદના કારણે કચ્છ જિલ્લામાં 5 લાખ ખેડૂતો સામે માત્ર રાપર અને ભચાઉના જ 52,611 ખેડૂતોને પાક નુકસાનની સહાય મેળવા પાત્ર છે, જયારે નુકશાની અન્ય લાખો ખેડૂતોને થઇ છે. જેથી બાકીના ખેડૂતો સહાય વિના રહી જશે, જેના કારણે ખેડૂત વર્ગમાં નારાજગી ફેલાઈ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને 90 ટકા નુકશાની થઇ છે, પરંતુ લાભ અંદાજીત 10 ટકા ખેડૂતોને જ મળવા પાત્ર થશે. નવા પેકેજની પણ હજુ કોઇ સ્પષ્ટતા નહી !હાલમાં ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદમાં પણ 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું છે. તેમાં પણ કચ્છના કેટલા તાલુકાનો સમાવેશ છે, તેની સ્પસ્ટતા કરવામાં આવી નથી. જેથી પણ ખેડૂતોમાં ઉચાટ છે, ત્યારે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
બાઇક રેલી:જમ્મુથી ભુજ આવતી બીએસએફની 1742 કિમી લાંબી બાઈક રેલી પંજાબમાં પહોંચી
બોર્ડર પર સરહદની સુરક્ષા કરતા બીએસએફનો 61મો સ્થાપના દિવસ ભુજ ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેની ઉપલક્ષમાં જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીની બાઇક રેલી શરૂ કરવામાં આવી છે. મહિલાઓ સહિત બીએસએફના 60 જવાનો 1742 કિલોમીટરનું અંતર કાપી ભુજ આવશે.આ બાઈક રેલી પંજાબમાં પહોચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સએ જમ્મુ BSF મેરેથોન અને જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ફ્લેગ ઓફ સમારોહ શહીદ વીર દેવ સ્ટેડિયમ, BSF કેમ્પ પલૌરા ખાતે યોજ્યો હતો. BSFના ડીજી દલજીતસિંહ ચૌધરી અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, પ્રખ્યાત પેરા આર્ચર રાકેશ કુમાર અને બોલિવૂડ અભિનેતા વિવેક રાઝદાન ઉપસ્થિત રહ્યા હતા.જમ્મુથી ભુજ સુધીના રૂટને આવરી લેતી આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારાઓ અનેક રાજ્યોમાંથી પસાર થશે, જેમાં દેશભરમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળશે.9 થી 20 નવેમ્બર સુધીની આ રેલી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં BSFના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા અને ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આશરે 1,742 કિમીનો પ્રવાસ કરશે. આ રેલી પંજાબમાં પ્રવેશી અને ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ પહોંચી ત્યારે ગુરદાસપુરના DIG HQ ગુરદાસપુર દ્વારા BSF અધિકારીઓ અને સૈનિકો સાથે વિશાળ જાહેર સભા યોજવામાં આવી જેમાં યુવાનોને પ્રેરણા આપવા માટે શસ્ત્ર પ્રદર્શન અને દેશભક્તિના પ્રદર્શન સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મોટરસાઇકલ રેલી ભુજ તરફ આગળ વધી રહી છે.10 નવેમ્બરના સવારે સેક્ટર હેડક્વાર્ટર બીએસએફ ગુરદાસપુરથી તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.ફિરોઝપુર પહેલા તે ડેરા બાબા નાનક, અજનાલા, અટારી બોર્ડર, ભીખીવિંડ અને ખેમકરણ થઈને આગળ વધી રહી છે.21 તારીખે ભુજમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીએસએફનો રાયઝિંગ ડે ઉજવાશે આ બાઇક રેલી 20 તારીખે ભુજમાં મુન્દ્રા રોડ 176 બટાલિતન ખાતે પહોંચશે જ્યાં ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. શિસ્ત અને ફિટનેસ પ્રત્યે BSF ની પ્રતિબદ્ધતાBSFના DG દલજીતસિંહ ચૌધરીએ તમામ સહભાગીઓના ઉત્સાહની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે આવી ઘટનાઓ મિત્રતાના બંધનને મજબૂત બનાવે છે અને શિસ્ત અને ફિટનેસ પ્રત્યે BSF ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
અદાણી ગ્રૂપે દેશના ઊર્જા ક્ષેત્રમાં નવી દિશા આપતાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રૂપે કચ્છના ખાવડાના 1126 મેગાવોટ પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ કલાક એનર્જી ક્ષમતા ધરાવતા ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને વિશ્વના એક સ્થાન પર આવેલા સૌથી મોટા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ 700થી વધુ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કન્ટેનર સ્થાપિત થશે અને તેને માર્ચ 2026 સુધી કાર્યરત કરવામાં આવશે. આ યોજના ભારતની ઊર્જા સુરક્ષા અને 24 કલાક સ્વચ્છ વીજળી પૂરવઠા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સિસ્ટમ પીક લોડ ઘટાડવા, ટ્રાન્સમિશન કન્ઝેશન ઓછું કરવા અને સૌર ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરશે, જે ગ્રિડની કાર્યક્ષમતા વધારશે. આ પ્રોજેક્ટ હાલ કચ્છના ખાવડા ખાતે અમલના અંતિમ તબક્કામાં છે જ્યાં વિશ્વનો સૌથી મોટો નવનિર્મિત ઊર્જા પ્લાન્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં અદ્યતન લિથિયમ-આયન બેટરી ટેકનોલોજીઅને સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે, જે ઉચ્ચ કાર્યક્ષમતા અને સ્થિરતા જાળવી રાખશે. આ સિસ્ટમ ઊર્જા શિફ્ટિંગ અને પીક લોડ મેનેજમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવશે, જે વીજ ક્ષેત્રના ડિકાર્બનાઇઝેશન માટે અત્યંત અગત્યનું છે. ઊર્જા સ્ટોરેજ રિન્યુએબલ એનર્જીનો આધારસ્તંભઅદાણી ગ્રૂપના ચેરમેનગૌતમ અદાણીએ જણાવ્યું કે ઊર્જા સ્ટોરેજ એ રિન્યુએબલ એનર્જીના ભવિષ્યનો મુખ્ય સ્તંભ છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ દ્વારા ગ્રૂપ માત્ર વૈશ્વિક સ્તરે નવા ધોરણો નક્કી કરતો નથી, પરંતુ ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા મજબૂત કરી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટમાં અદાણી માટે અગ્રણી રહ્યું કચ્છકચ્છમાં અદાણીના અનેક પ્રોજેક્ટ આવેલા છે, સૌ પ્રથમ અદાણીએ મુન્દ્રામાં પોર્ટ અને સેઝની શરૂઆત કરી હતી, ત્યાર બાદ કચ્છ કોપર, સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ, સોલાર પ્રોજેક્ટ બાદ માર્ચ 2026માં ખાવડામાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ થશે.
કામગીરી:નલિયાથી જખૌ અને વાયોર સુધી રેલવે પાટા પાથરવાની કામગીરી શરૂ કરાઇ
ભુજથી નલિયા સુધી રેલવે પાટા પાથરવામા આવ્યા પછી હાલમાં માલગાડી મારફતે ખનિજ પરિવહન ચાલુ છે હવે આ પ્રોજેકટનો વ્યાપ વિસ્તર્યો છે. ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરાતા 28 ઓક્ટોબર 2024ના પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું જે બાદ હવે નલિયાથી જખૌ પોર્ટ સુધીની 28.88 કિમીની નવી બ્રોડગેજ લાઇન પર કાર્ય ચાલી રહ્યું છે ઉપરાંત ભુજ-નલિયા રેલવે લાઇનને વાયોર સુધી (26.55 કિમી) વધુ લંબાવવાનું કામ પણ પ્રગતિમાં છે. તે પૂર્ણ થયા પછી દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે.આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થશે, જેનાથી મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનને સુવિધા મળશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નલિયા સુધી તો લાંબા સમયથી રેલવે ટ્રેક પાથરી દેવાયા છે. પરંતુ આ રૂટ પર હજી સુધી પ્રવાસી ટ્રેન શરૂ કરાઈ નથી. દેશલપર સુધી ટ્રેક પથરાઇ ગયા બાદ પણ લાંબા સમય સુધી માલગાડી શરૂ ન કરાતા કેગ દ્વારા ટીકા કરવામાં આવી હતી. હાજીપીર અને લખપત સુધીના નવા 2 લાઈન પ્રોજેકટથી 16 લાખ લોકોને ફાયદો થવાનો દાવોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગત 27 ઓગસ્ટ 2025ના દેશલપર-હાજીપીર-લુણા અને વાયોર-લખપત નવી લાઇન પ્રોજેકટને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી રેલ લાઇન દૂરના વિસ્તારોને કનેક્ટિવિટી પૂરી પાડશે. 145 કિમીના ટ્રેકનો અંદાજિત ખર્ચ 2526 કરોડ છે. પ્રવાસનને વેગ આપવા ઉપરાંત નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનને મદદ કરશે.હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા રેલ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો બનશે, જેનાથી 866 ગામડા અને 16 લાખ લોકોને લાભ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
દરોડો:વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં ખનિજચોરી પર દરોડો, 2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો
પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા વાગડ અને મુન્દ્રા વિસ્તારમાં તપાસ દરમ્યાન ગેરકાયદે ખનિજ ભરીને જતા વાહનો અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાં પુરાવા ન મળી આવતા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલની સુચના અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે તપાસટીમ દ્વારા વાગડ અને મુંદરા તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.સામખીયાળી- મોરબી હાઇવે પર તપાસ દરમ્યાન બિનઅધિકૃત રીતે ચાઈના કલે લઈને જતા વાહનો કબજે કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના ઝરપરા વિસ્તારમાં સાદી રેતીનું વહન કરતા એક્સેવેટર મશીન સહિતના વાહન પકડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન 6 ડમ્પરો તેમજ મશીન મળી 2 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખનિજનું બિનઅધિકૃત ખનન/ વહન ધ્યાને આવતા ડમ્પરોના ચાલક/ માલિક વગેરે કસુરદારો સામે ગુજરાત મિનરલ ( પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીથી ખનિજચોરીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
કેમ્પસ અપડેટ:યુનિ.એ 35 હજાર છાત્રોનો શૈક્ષણિક ડેટા ડીજી લોકરમાં અપલોડ કર્યો
ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ડેટા ઓનલાઇન ડીજી લોકર એપ પર અપડેટ કરવામાં આવી રહ્યો છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા અત્યારસુધીમા 35 હજાર વિદ્યાર્થીઓનો ડેટા ઓનલાઇન ડીજી લોકરમાં અપલોડ કરવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડીજી લોકર, એકેડેમિક બેન્ક ઓફ ક્રેડીટ અને નેશનલ એકેડેમિક ડીપોઝીટરી વિશે અવગત કરવામાં આવ્યા છે. ભારત સરકારના ડીજીટલ ઇન્ડિયા મિશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ કરાયેલા આ ઉપક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ક્રેડિટ્સ ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવાની સુવિધા મળે છે.જે વિદ્યાર્થીઓએ હજી સુધી પોતાની એબીસી આઇડી જનરેટ કરી નથી અથવા તેને ડીજી લોકર સાથે લિંક કર્યું નથી તેમની ડીગ્રી તથા માર્કશીટ સબંધિત માહિતી ડીજી લોકરમાં અપલોડ થઈ શકશે નહીં.જેથી બધા વિદ્યાર્થીઓએ તાત્કાલિક પોતાનું એબીસી આઈડી સક્રિય કરીને ડીજી લોકર એકાઉન્ટ સાથે લિંક કરવું જરૂરી છે. આ માટે આધાર કાર્ડ મુજબનું નામ તથા મોબાઈલ નંબર હોવો જોઇએ. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠ, સિસ્ટમ એન્જિનિયર ડો. અમર મહેતા, પ્રોગ્રામર સોયબ સમા સહિત કમ્પ્યુટર વિભાગ અને પરીક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનો ડેટા ડીજીટલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા તમામ વિધાર્થીઓને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના એબીસી આઇડી અને ડીજી લોકર એકાઉન્ટ તાત્કાલિક સક્રિય કરે, જેથી તેમના શૈક્ષણિક દસ્તાવેજો સુરક્ષિત રીતે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહે. અત્યારસુધીમાં યુનિવર્સિટી દ્વારા 35 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓનો ડેટા ડીજી લોકરમાં મૂકી દેવામાં આવ્યો છે. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા ABC (એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ)ને અમલમાં મુકવામાં આવ્યું તથા વર્ષ 2021-22 બાદના તમામ વિદ્યાર્થીઓ માટે ABC ID (APPAR ID) ભારત સરકારની વેબસાઈટ https://www.abc.gov.in/ પરથી કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. એબીસી આઈડી બન્યા બાદ વિદ્યાર્થીએ કચ્છ યુનિવર્સિટી દ્વારા અપાયેલ વિદ્યાર્થી લોગીનમાં આ માહિતી અપડેટ કરવી ફરજીયાત છે. વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર ડિજિટલ સ્વરૂપે NAD પર અપલોડ થશેનેશનલ એકેડેમિક ડીપોઝીટરી (NAD) એ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરે છે. NAD હવે ડીજી લોકર સાથે સંકલિત હોવાથી વિદ્યાર્થીઓ પોતાનાં દસ્તાવેજો સીધા ડીજી લોકર મારફતે જોઈ શકે છે. ડીજી લોકર શુ છે ?ડીજી લોકર એક સરકારી સુરક્ષિત ઓનલાઇન પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ, ડિગ્રી તથા અન્ય શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત રાખી શકે છે. આ દસ્તાવેજો સરકારી રીતે પ્રમાણિત હોવાથી દરેક શૈક્ષણિક અને નોકરી સંબંધિત પ્રક્રિયામાં ઉપયોગી બને છે. OBC આઈડી વિશે માહિતી જાણોએબીસી આઇડી વિદ્યાર્થીઓ માટેનું ડીજીટલ એકાઉન્ટ છે, જેમાં વિવિધ સંસ્થાઓમાંથી મેળવેલા શૈક્ષણિક ક્રેડિટ્સ જમા રાખી શકાય છે. કોલેજ કે યુનિવર્સિટી બદલાય ત્યારે આ ક્રેડિટ્સ નવી સંસ્થામાં ટ્રાન્સફર કરી શકાય છે.
ભાસ્કર નોલેજ:ખાવડા હાઇવે પર ભીરંડીયારા નજીક કેમિકલ ભરેલા ટેમ્પોની ટક્કરથી 2 ભેંસના મોત થયા
ખાવડા હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોની હડફેટે વાહન ચાલકો સહીત અનેક પશુઓ મોતને ભેટી ચુક્યા છે તેવામાં હવે ભીરંડીયારાથી હોડકો વચ્ચે રોડ પસાર કરતી ત્રણ ભેંસોને એગ્રોસેલ કંપનીમાંથી કેમિકલ ભરીને આવતા ટેમ્પોના ચાલકે હડફેટે લેતા બે ભેંસોના મોત નીપજ્યા છે જ્યારે એકને ઈજા પહોચતા માલધારીને રૂપિયા 2.38 લાખનું નુકસાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ભીરંડીયારાના ફરિયાદી ઉમરભાઈ જુમાભાઈ રાયશીએ ધોરડો પોલીસ મથકે આરોપી ટેમ્પો નંબર જીજે 12 સીટી 6752 ના ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી પોતાની ભેંસોને બન્નીના ચરિયાણ વિસ્તારમાંથી સાબુવાંઢ પાસે બનાવેલા વાડામાં લઇને જતા હતા.એ દરમિયાન ભીરંડીયારા અને હોડકો વચ્ચે આરોપી ચાલકે કેમિકલ ભરેલ ટેમ્પોથી ફરિયાદીની ત્રણ ભેંસોને ટક્કર મારી હતી.જેમાં બે ભેંસોને ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થઇ હતી.જેથી ફરિયાદીને રૂપિયા 2.38 લાખનું નુકસાન થયું હતું. બન્ની ભેંસ 2011 માં રાષ્ટ્રીય ઓલાદ જાહેર થઇ છેબન્નીની ભેંસ તેની દૂધની ક્ષમતાને કારણે લાખેણી બની છે.માલધારીઓ પણ આ ભેંસોને અલગ અલગ નામ આપી બોલાવતા હોય છે.અકસ્માતના આ બનાવમાં મોતને ભેટેલી ભેંસોને તેના માલિકે “મિસ” અને “મો” નામ આપેલા હતા.જ્યારે ઈજા પામેલી ભેંસનું નામ “ભી” રાખવામાં આવ્યું છે.ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વર્ષ 2011 માં બન્ની નસલની ભેંસને ભારતની અગિયારમી ભેંસની જાતી તરીકે માન્યતા આપવામાં આવી હતી. બીજા દિવસે વાતચીત બાદ સમાધાન ન થતા ગુનોરવિવારે અકસ્માતના બનાવ બાદ આરોપી ચાલકે તેના માલિક સાથે ફરિયાદીની વાત કરાવી હતી અને બીજા દિવસે આ બાબતે સમાધાન કરવા કહ્યું હતું.પરંતુ બન્ને વચ્ચે સમાધાન ન થતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ:જીકેમાં મહિને 60 દર્દીઓ મેળવે છે સારવાર
પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતા ન્યુમોનિયાને વર્તમાન યુગમાં રસીકરણથી કાબુમાં રાખી શકાય: તેમ છે.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગમાં દર મહિને અંદાજે 50 થી 60 ન્યૂમોનિયાના દર્દીઓ સારવાર લે છે. કેટલાક રોગ એટલા પ્રાચીન હોય છે કે, જેમની ગણના ગ્રીક યુગમાં પણ હતી આ પૈકી એક ન્યુમોનિયાને ગણી શકાય. આ રોગથી આજે પણ વિશ્વમાં અંદાજે ચાર મિલિયન વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. ન્યુમોનિયાની જાગૃતિ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે 12મી નવેમ્બરના વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ ડો. કલ્પેશ પટેલે વિશ્વ ન્યૂમોનિયા દિવસ નિમિતે કહ્યું કે, આ રોગને વર્તમાન યુગમાં કાબુમાં લેવા રસીકરણ ખૂબ જ મહત્વ ધરાવે છે. પાંચ વર્ષનાં બાળક માટે તેમના માતા-પિતા અને 50 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિ જો જાગૃત બનીને જરૂરી ન્યુમોકકલ વેક્સિન સમયસર લે તો આ રોગ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. જોકે આ રોગ તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. બેક્ટેરિયા, વાયરલ અને ફૂગથી થતો રોગ વૃધ્ધ અને બાળકોને ઝડપથી ચપેટમાં લઈ લે છેતબીબના જણાવ્યા અનુસાર, આ એક ફેફસાનો રોગ છે. જેના સામાન્યથી ગંભીર લક્ષણો જોવા મળે છે.ઉધરસ સાથે કફ, તાવ, ઠંડી, છાતીમાં દુખાવો વિગેરે તેના મુખ્ય લક્ષણો છે. કફમાં કેટલીક વખત લોહી પણ આવતું હોય છે. બેક્ટેરિયા, વાયરલ અને ફૂગથી થતો આ રોગ વૃધ્ધ અને બાળકને ઝડપથી ચપેટમાં લઈ લે છે.ન્યુમોનિયા સંભવિત વ્યક્તિઓએ બચવા માટે ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળવું અને જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવું. સામાન્ય દિવસોમાં પણ બહાર નીકળતી વખતે ખાસ કરીને પ્રદૂષણ વધુ હોય ત્યારે માસ્ક પહેરીને નીકળવું હિતાવહ છે.પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ વડીલો અને નાના બાળકોએ તો ખાસ રસીકરણ કરાવવું જ જોઈએ.જો ઉપરોક્ત લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવો.
આદેશ:ધોરડો અને ધોળાવીરામાં સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેક્ટરનો આદેશ
રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ધોરડો અને ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ તેમજ હોમસ્ટેના સંચાલકો બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે હોમસ્ટે અને રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. સાથે જ તેમને રિસ્પોન્સીબલ ટુરિઝમના ધ્યેય સાથે પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ આવે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને સ્થાનિક કલા તેમજ લોકકલાનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, તેવામાં પ્રવાસીઓનો અનુભવ સુખદ રહે તે માટે જરૂરી હાઈજીન જાળવવા, સ્વચ્છતા રાખવા અને પારદર્શિતા અપનાવવા કલેક્ટર આનંદ પટેલે તાકીદ કરી હતી. કચ્છ આવતા પ્રવાસીઓ ઓનલાઈન રણ પરમીટ મેળવી શકે તે માટે ક્યુઆર કોર્ડથી પરમીટ મેળવવા અંગે હોમસ્ટે અને રિસોર્ટ ધારકોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, ખાવડા સીનીયર નાયબ મામલતદાર અમિત પરમાર, ધોરડોના સરપંચ મિયા હુસેન અને ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા સહિત હોમસ્ટે અને રિસોર્ટના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
ઘટસ્ફોટ:હોટલમાં નોંધ એકની, તપાસ કરતા કાશ્મીરના 3 મળ્યા
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂમમાં તપાસ કરવામાં આવી ત્યારે મહિલા સહીત ત્રણ રોકાયેલા હોવાનું સામે આવતા હોટલના સંચાલક પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે જિલ્લાના તમામ પોલીસ મથકે સુચના આપી નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી કરવા આદેશ આપ્યો હતો.સરહદી જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરાતા પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ શહેરની હોટલોમાં રોકાયેલા મુસાફરોની તપાસ શરૂ કરી હતી.એ દરમિયાન હોટલ જનતાઘરમાં પહોચેલી ટીમે રજીસ્ટર તપાસતા તેમાં થયેલી નોંધમાં ગેરરીતી સામે આવી હતી. જે મામલે સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને તેના પુત્ર વિનય જનક ભાટિયા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીઓએ પોતાની હોટલના રજીસ્ટરમાં જમ્મુ કશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાન નામના વ્યક્તિની નોંધ કરેલી હતી. જેને રૂમ નંબર 251 આપવામાં આવ્યો હતો. હાઈએલર્ટ દરમિયાન પરપ્રાંતીય ઇસમ રોકાયેલો હોવાથી પોલીસ રૂમમાં વધુ તપાસ માટે ગઈ હતી. ત્યારે રૂમમાંથી જમીલખાન સહીત એક મહિલા નયિમ બેગમ અને મોહંમદ નયિમ અઝીજ ખાન મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ગત 1 નવેમ્બરથી હોટલના રૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું.આ મામલે આરોપી હોટલ સંચાલકની પૂછપરછ કરતા માત્ર એક વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ કરી હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગ સહીતની કલમો તળે ગુનો દાખલ કરી જમ્મુ કશ્મીરની મહિલા સહીત ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ કશ્મીરથી ચંદો ઉઘરાવવા ભુજમાં આવ્યા !આ ઘટના મામલે ભુજ એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવી સાથે વાત કરતા તેમણે માહિતી આપતા જણાવ્યું કે,મહિલા સહીત ત્રણેયની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી છે.જેમાં છેલ્લા દસ દિવસથી હોટલના રૂમમાં રોકાયેલા ઈસમો જમ્મુ કશ્મીરથી ચંદો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યા છે.જોકે આ મામલે હજી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસને બતાવવામાં આવેલા આધાર પુરાવા પર પણ જમ્મુ કશ્મીર પોલીસની મદદથી ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ આગળની તપાસ ચાલુમાં છે. સરહદી જિલ્લામાં કલેકટરના જાહેરનામાનો ભંગકચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી કલેકટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડી તેનું અમલ કરવા આદેશ આપવામાં આવે છે.પરંતુ હોટલ સંચાલકો તેની ગંભીરતાને ધ્યાને ન લઇ અવારનવાર ઉલંઘન કરતા હોવાના કિસ્સા સામે આવી ચુક્યા છે.પરપ્રાંતીય ઈસમો ગંભીર ગુનો આચરી કચ્છમાં આશ્રય લેતા હોવાના કિસ્સા પણ અગાઉ સામે આવી ચુક્યા છે.તેવામાં હાઈએલર્ટ દરમિયાન વધુ એકવાર જાહેરનામાંનું ભંગ થયો હોવાની ઘટના સામે આવી છે.
ભયનો માહોલ:કોલવડામાં હડકાયા વાનરનો આતંક, યુવક પર જંપ મારતા હાથ ભાંગ્યો
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમયથી ઝરખ જોવા મળી રહ્યુ છે. જેથી વન વિભાગની ટીમ તેને પકડવા દોડા દોડી કરી રહી છે. ત્યારે ગાંધીનગરના કોલવડા ગામમાં વાનરે આતંક મચાવ્યો છે. દરબાર ભાગોળથી એક યુવક તેની દુકાન તરફ જઇ રહ્યો હતો, ત્યારે વાનરે તેની ઉપર કુદકો લગાવ્યો હતો. જેમાં તેને શરીરે ઇજાઓ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં 3 નાગરિકોને ઇજાઓ પહોંચાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના કોલવડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે વાનર ચાળા કરી જાય છે. થોડા મહિના અગાઉ એક વૃદ્ધાને હાથ ઉપર બચકા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય એક યુવતીને કપાળના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે બે દિવસ પહેલા ગામમાં આવેલી દરબાર ભાગોળે એક યુવક ઉપર જંપ લગાવ્યો હતો. ગામમાં રહેતો આશરે 32 વર્ષિય સંદીપ ભરતભાઇ પ્રજાપતિ ગામમાંથી તેની દુકાન તરફ જઇ રહ્યો હતો. તે સમયે એકાએક વાંનર દોડતો દોડતો આવ્યો હતો અને યુવક ઉપર કુદ્યો હતો. જેથી યુવકને ડાબા હાથે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં તેને ફ્રેક્ચર થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. એક વાનરના કારણે ગામના નાગરિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અવાર નવાર ગામમાં વાનરનો આતંક જોવા મળી રહ્યો છે અને નાગરિકો ઉપર હુમલા કરી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગામના 3 નાગરિકો ઉપર હુમલા થઇ ચૂક્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા આતંક મચાવનાર વાનરને પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
નિર્ણય:જિલ્લાના 533 પ્રાથમિક સ્કૂલના 1042 શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવાયા
એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શનમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે એપ્રિલ-2025માં આદેશ કર્યો હતો. આદેશ બાદ સેવાપોથીનો અભ્યાસ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થનાર શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જિલ્લાના 1042 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી શિક્ષકોને સાત માસના લાંબા વિરામ બાદ તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો થશે. રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી કરાયેલા શિક્ષકોમાંથી એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ નહી કરાતા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે સ્વિકારીને એપ્રિલ-2025માં એપ્રિલ-2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો આદેશ કર્યો હતો. જોકે આદેશ કર્યા બાદ પ્રાથમિક શિક્ષકોની સર્વિસબુકની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત જૂની પેન્શન યોજનામાં સમાવેશ શિક્ષકો પાસેથી જરૂરી માહિતી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કર્યાબાદ જિલ્લાના 1042 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 19મી, નવેમ્બરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દરખાસ્ત કરવાની રહેશે. ત્યારબાદ રાજ્યના નાણાં વિભાગ દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યાનો આદેશ કરાશે. આથી રાજ્ય સરકારે આદેશ કર્યાને સાત માસ જેટલા લાંબા સમય બાદ જિલ્લાની 533 પ્રાથમિક શાળાના 1042 પ્રાથમિક શિક્ષકોને છેવટે જૂની પેન્શન યોજનાનો લાભ મળતો થશે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના પ્રાથમિક શિક્ષકોમાંથી કલોલના 260, માણસાના 155, ગાંધીનગરના 270 અને દહેગામના 347 શિક્ષકોનો સમાવેશ થાય છે. શિક્ષકોની માહિતી હોવા છતાં સાત માસ લાગ્યાશિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યાનો આદેશ થયાને સાત માસ પછી આખરે સમાવેશ કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર પાસે દરેક શિક્ષકની તમામ માહિતી હોવા છતાં આટલો લાંબો સમય કાઢવામાં આવ્યો તેવો ગણગણાટ શિક્ષક આલમમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આદેશ થયાની તારીખથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યા બાદ મળવાપાત્ર લાભો પણ આપવાના રહેશે. જોકે તેની અસર શિક્ષકો નિવૃત્ત થાય ત્યારે તેની ખબર પડશે.
ધરપકડ:ચોરી કરી 9 વર્ષથી ફરાર થયેલો આરોપી છત્રાલ પાસેથી પકડાયો
ગાંધીનગર જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટેનુ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે એલસીબીની ટીમ દ્વારા દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ભાગતા ફરતા આરોપીને છત્રાલ પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે સાંતેજ પોલીસ મથકમાં ચોરીના કેસમાં 9 વર્ષથી ભાગતા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી લીધો હતો. બંને આરોપીઓને પોલીસ મથકમાં સોપવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.પી. પરમારની ટીમના બી.એચ.ઝાલા તેમની ટીમ સાથે જિલ્લામાં ગુનાઓને અંજામ આપી ભાગતા ફરતા આરોપીઓની લીસ્ટ બનાવી શોધખોળ કરી રહ્યા હતા. જેમાં માહિતી મળી હતી કે, કલોલ તાલુકા પોલીસ મથકમાં એક વર્ષ પહેલા નોંધાયેલા દારૂના કેસમાં આરોપી દશરથ કાંતીભાઇ રાજગોર (રહે, બ્રાહ્મણવાસ, જાતગામ, દાંતીવાડા,બનાસકાંઠા)ની બાતમી મળી હતી કે, હાલમાં છત્રાલ બ્રીજ પાસે જોવા મળી રહ્યો છે. જેથી ટીમ તાત્કાલિક બાતમી મુજબના સ્થળે પહોંચી ગઇ હતી અને એક વર્ષથી પોલીસને ચકમો આપનાર આરોપીને ઝડપી લઇ કલોલ તાલુકા પોલીસને સોપ્યો હતો. જ્યારે બીજી તરફ સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરનાર વિરજી રોડાજી મીણા (રહે, ડાબાડા ફલા, છાણી ગામ, સરાડા, સલુમ્બર, રાજસ્થાન) ઘરફોડ કરીને 9 વર્ષ પહેલા ફરાર થઇ ગયો હતો. આરોપી પોલીસના હાથમાં આવતો ન હતો. જ્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સુત્રધારોને એક્ટીવ કરવામાં આવ્યા બાદ માહિતી મળી હતી કે, આરોપી હાલતમાં તેના રાજસ્થાનના ઘરે જોવા મળી રહ્યો છે. જેથી એક ટીમને તેના વતનમાં મોકલવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીને તેના ઘરેથી દબોચી લીધો હતો. સાંતેજ પોલીસને સોપવામાં આવ્યો હતો.
આદેશ:વર્ષ-2008ના 72, 2009ના 3 અને 2010ના 40 ફિક્સ પગારી શિક્ષકોને પુરા પગારમાં સમાવાયા
બે વર્ષ સુધી સારી રીતે નોકરી કરવા છતાં જિલ્લાના 150 વિદ્યાસહાયકોને નિવૃત્ત શિક્ષકોની સામે પુરા પગારનો લાભ આપવામાં આવ્યો નહી. જોકે રાજ્ય સરકારે કરેલા આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાસહાયકોને પાંચ વર્ષે જ પુરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી અન્યાયના વિરોધમાં વિદ્યાસહાયકો કોર્ટના દ્વાર ખખડાવતા આદેશ કરાયો હતો. આથી જિલ્લાના 150 વિદ્યાસહાયકોને વર્ષ-2008, વર્ષ-2009 અને વર્ષ-2010માં ભરતી થયેલા વિદ્યાસહાયકોને પુરા પગારનો લાભ આપવામાં આવ્યો છે. તેમાં તાજેતરમાં ડીપીઇઓ દ્વારા જિલ્લાના 115 વિદ્યાસહાયકોને 17મી, સપ્ટેમ્બર-2025ના રોજ પુરા પગારમાં સમાવેશનો આદેશ કર્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની ભરતી વખતે ઓર્ડરમાં જ બે વર્ષ સુધી સારી રીતે નોકરી કરેલી હોય તેમને પુરા પગારમાં સમાવેશનો લાભ મળવાપાત્ર ગણવામાં આવતા હતા. જોકે તેમાં તેની સામે જેટલા શિક્ષકો નિવૃત્ત થયા હોય તેટલા જ વિદ્યાસહાયકોને મેરીટના આધારે પુરા પગારમાં સમાવેશ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે 5મી, જુલાઇ-2010 પછી ભરતી થયેલા વિદ્યાસહાયકોને આ લાભ આપવાનો બંધ કરવાનો આદેશ કર્યો હતો. આથી 5મી, જુલાઇ-2010 પહેલાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને 2 વર્ષ સુધી સારી નોકરી બાદ તેની સામે નિવૃત્ત થયેલા શિક્ષકો જેટલા વિદ્યાસહાયકોને પુરા પગારનો લાભ મળવાપાત્ર હતો. તેમ છતાં ગાંધીનગર સહિત રાજ્યના ચારેય જિલ્લાઓમાં ખોટું અર્થઘટન કરીને બે વર્ષ પછી નિવૃત્ત થયેલા શિક્ષકોની સામે પુરાપગારમાં સમાવેશ થવા છતાં જિલ્લાના 150 વિદ્યાસહાયકોને પાંચ વર્ષ પછી પુરા પગારમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. આથી આ શિક્ષકોએ કોર્ટે જતા કેસ જીતી જતા રાજ્યના શિક્ષણ વિભાગે લાભ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ખોટું અર્થઘટન કરનાર અધિકારી સામે કોઇ જ પગલાં નહીજે તે વખતે પુરા પગારમાં સમાવેશ માટે હકદાર વિદ્યાસહાયકોને તેનો લાભ નહી આપીને તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટેના આદેશ બાદ વિદ્યાસહાયકોને પુરા પગારમાં સમાવેશનો આદેશ અને લાભ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના આદેશનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાસહાયકોને અન્યાય કરવા બદલ તત્કાલિન અધિકારીઓની સામે કોઇ જ પગલાં લેવાયા નહી હોવાની ચર્ચા શિક્ષકોમાં જોવા મળી રહી છે.
સચોટ કાર્યવાહી માટે કલેક્ટરની સૂચના:SIRમાં 8 દિવસમાં 11.47 લાખ ફોર્મનું વિતરણ કરાયું
મતદાર યાદીની સઘન ચકાસણી- SIR અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઇને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કે બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 4 નવેમ્બરથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ 8 દિવસમાં જ 1333 બુથમાં 11.47 લાખ ફોર્મ મતદારોના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર ઉત્તરમાં 1.75 લાખ, દક્ષિણમાં 3.44 લાખ, કલોલમાં 2.34 લાખ, માણસામાં 1.90 લાખ અને દહેગામમાં 2.02 લાખ ફોર્મ વિતરીત કરી દેવામાં આવ્યા છે. કુલ 13.89 લાખ મતદારોને ફોર્મનું વિતરણ કરવાનું થાય છે. જે થયા પછી ભરાયેલા ફોર્મ એકત્ર કરવાની કામગીરી શરૂ કરાશે. કલેક્ટર દ્વારા એક બેઠક યોજીને અધિકારીઓને સઘન અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તા.4થી શરૂ થયેલી ફોર્મ વિતરણની કામગીરીમાં અત્યાર સુધીમાં 11.47 લાખ ફોર્મ મતદારોના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. જિલ્લાના ચારેય તાલુકામાં ફોર્મ વિતરણની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. હજુ બાકીના મતદારોના ઘરે ફોર્મ પહોંચાડવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ફોર્મ વિતરણ બાદ તેને એકત્ર કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.
કામગીરી:મનપામાં હાજર થતાંની સાથે કર્મીઓએ અન્ય પરીક્ષા માટે એનઓસી માગ્યું
મહાનગરપાલિકામાં હજુ તો 1લી નવેમ્બરથી નવા ભરતી થયેલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેની સાથે જ તેમણે અન્ય સરકારી ભરતી પરીક્ષા માટે એનઓસીની માંગણી શરૂ કરી દીધી છે. કેટલાકે તો અન્ય ભરતીની પ્રાથમિક પરીક્ષા પાસ કરી દીધી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં આવનારા દિવસોમાં ભરતી બાદ પણ અનેક જગ્યા ખાલી રહે તેવી શક્યતા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં જૂનિયર ક્લાર્કની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવા નિયમોમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવાતી નહીં હોવાથી નવા ભરતી થયેલા ક્લાર્કની પણ આ ટેસ્ટ લેવામાં આવી નથી. પરિણામ એ આવ્યું છે કે મહાનગરપાલિકામાં નવા હાજર થયેલા ક્લાર્ક પૈકી મોટાભાગનાને ટાઇપીંગ સુદ્ધા આવડતું નથી. ક્લાર્કની રોજબરોજની કામગીરીમાં કોમ્પ્યુટર ટાઇપીંગની કામગીરી પણ રહેતી હોય છે. પરંતુ નવા ક્લાર્કને ટાઇપીંગ કે ઇ- સરકારનો અનુભવ નહીં હોવાથી સિનિયર કર્મચારીઓ અને શાખા અધિકારીઓ પર કામગીરીનું ભારણ બેવડાયું છે. પરિણામે આઉટસોર્સિંગ સ્ટાફ છૂટો કર્યા બાદ નવા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા પછી પણ સ્થિતિ રાબેતા મુજબ થઇ શકી નથી. 31મી ઓક્ટોબરે મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના 114 આઉટસોર્સિંગ ક્લાર્કને એકાએક છૂટા કરી દેવાયા હતા અને તે પછી કાયમી ભરતી થઇને આવેલા 136 જેટલા જૂનિયર ક્લાર્કને હાજર કરવામાં આવ્યા હતા. આ ક્લાર્કને બે દિવસ અગાઉ શાખા ફાળવણી કરવામાં આવી છે પરંતુ કામગીરીનો અનુભવ નહીં હોવાથી અને કોમ્પ્યુટરમાં ટાઇપીંગ જેટલું પણ નોલેજ નહીં હોવાથી શાખાના અન્ય કર્મચારીઓ પર કામનું મોટું ભારણ આવી પડ્યું છે. જેની સીધી અસર દૈનિક કામગીરી પર પડી રહી છે. વેઇટિંગ લિસ્ટ બન્યું નથી, જગ્યા ખાલી પડશે તો ફરી ભરતી કરવી પડશેગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગના જૂનિયર ક્લાર્કની સાથે મહાનગરપાલિકાના જૂનિયર ક્લાર્કની એટલે કે સંયુક્ત ભરતી કરવામાં આવી હોવાથી તેનું વેઇટીંગ લિસ્ટ પણ બનતું નથી. આથી ટૂંકા ગાળામાં આ પ્રકારે નવા ભરતી થયેલા કર્મચારીઓ જો અન્ય નોકરીમાં જતા રહે તો ખાલી પડેલી જગ્યા માટે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડે અથવા તો ફરી આઉટ સોર્સિંગ કર્મચારીઓનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ તો મહાનગરપાલિકામાં આ એક જ મુદ્દો ચર્ચામાં છે. નવા નિયમો પ્રમાણે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાતી નથીગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકીયાએ કહ્યું કે સરકાર દ્વારા કરાયેલા છેલ્લા સુધારા પ્રમાણે કોમ્પ્યુટર એફિસિયન્સી ટેસ્ટ લેવામાં આવતી નથી. માત્ર ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવે છે તેવું પ્રમાણપત્ર લેવાનું હોય છે.
ભાસ્કર ઈનસાઈડ:બીસીએની એજીએમમાં 20 મિનિટમાં 8 એજન્ડા પાસ, હોબાળો થતાં પૂર્ણ કરાઈ
બીસીએની 85મી એજીએમમાં 20 મિનિટમાં બહુમતીથી 8 એજન્ડા પાસ થયા હતા. જોકે સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યો ડાયસ પાસે ધસી જઈ હોબાળો કરતાં એજીએમ પૂર્ણ કરી દેવાઈ હતી. જ્યોતિ ગાર્ડનમાં યોજાયેલી એજીએમમાં 514 સભ્યો હાજર રહ્યા હતા. એજીએમ બાદ બીસીસીઆઈ તરફથી 150 કરોડ આવે તેવી શક્યતા છે. બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે, એજન્ડા, એકાઉન્ટ, ઓડિટર સહિત નિમણૂક એજીએમમાં કરાઈ હતી. એજીએમ મોડી થાય તો બીસીસીઆઈ પાસેથી રૂપિયા મળતા નથી, જે બીસીએ માટે યોગ્ય નથી. એજીએમમાં 10-90ની બહુમતીથી એજન્ડા પાસ થયા. ભારત-ન્યૂઝીલેન્ડની મેચ છે. ફરી ડબ્લ્યુપીએલ આવે તેમ લાગે છે. અમારો શરૂઆતથી એજન્ડા વડોદરામાં સ્ટેડિયમ બનાવવું અને ક્રિકેટ ડેવલેપમેન્ટ માટે કામ કરવાનો છે. સ્ટેડિયમ પર 340 કરોડ ખર્ચાયા નથી. બજેટ 220 હતું અને સ્ટેડિયમ 207 કરોડમાં બનાવાયું છે. અન્ય રૂપિયા અગાઉ જમીન, રસ્તા, પાણી લાવવા કરાયા છે. ખજાનચી શિતલ મહેતાએ કહ્યું કે, 2019-20ની બેલેન્સશિટમાં બીસીએ પાસે 34 કરોડની એસેટ હતી. સ્ટેડિયમ તથા અન્ય સુવિધા બાદ બીસીએની એસેટ 381 કરોડ છે. આ ભવિષ્યમાં ટેક્સ ભરવામાં ડેપ્રિસિએશન મળશે. બહુમતી કરવા 4 મિટિંગ કરી, પ્રેઝન્ટેશન બતાવી સંભવિત આક્ષેપો અંગે સભ્યોની સમજાવટ કરીરોયલ અને રિવાયવલ ગ્રૂપે એજીએમ પહેલાં 4 મિટિંગ કરી હતી. જેમાં ઓછામાં ઓછા 150 સભ્યો હાજર રહેતા હતા. બહુમતીથી એજન્ડા પાસ કરવા સક્રિય સભ્યોએ 10-15 સભ્ય લાવવા નક્કી કર્યું હતું. સામા પક્ષના સંભવિત આક્ષેપનું પ્રેઝન્ટેશન બનાવી બતાવ્યું હતું અને પહેલાં આંતરિક પ્રશ્નો હોય તો તે સમજાવ્યા હતા. સત્યમેવ જયતે ગ્રૂપ હિસાબો, સ્ટેડિયમ સહિતના દરેક એજન્ડામાં વિરોધ કરશે તેવું નક્કી કર્યું હતું. પરંતુ તેમની રણનીતિ ચાલી ન હતી. અમને વિરોધ કરવા જ ન દેવાયો ઃ ડો.બેંકરસત્યમેવ જયતે ગ્રૂપના ડો. દર્શન બેંકરે કહ્યું કે, અમને વિરોધ જ નથી કરવા દેવાયો. વિરોધ કરશો તો સભ્યપદ ડિસમિસ કરી દેવાશે તેવી ધમકી અપાઈ હતી. એજીએમ ગેરબંધારણીય હતી. 10 લાખ ઉપરનો ખર્ચો વેબસાઇટ પર મુકવાની હોય છે. પરંતુ તે મુકતા નથી.કૌશિક ભટ્ટ , જતીન વકીલ, અને કલ્પેશ પરમાર એક તરફી શાસન, સભ્યોની કોઇ વાત ન સાંભળવાનો ઇરાદો આજે પુરવાર થયો છે. બીસીએ દ્વારા આ એજન્ડા પાસ કરાયા હતા એજીએમમાં ચર્ચાયેલા મુદ્દાઓના કેટલાક અંશ
સુવિધા:મહિસા સહિત 12 ગામમાં નવા પશુ દવાખાના બનતા ઘર આંગણે સેવા મળશે
મહુધા મહીસા સહિત ખેડા જિલ્લાના 6 તાલુકાઓના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 12 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાની સરકારે મહોર લગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 150 નવીન પશુ દવાખાના સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.વર્ષ 2025-26 દરમ્યાન રાજ્યનાં બિનઆદિજાતિ વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તક મંજૂર થયેલા 150 પશુ દવાખાના માટેની જગ્યાં પણ જેતે ગામમાં નક્કી કરી લેવામાં આવી છે. નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચરલની ભલામણ અનુસાર દર 5 હજાર પશુધન એકમ દીઠ એક પશુ દવાખાનું હોવું જરૂરી છે.જેને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં રાજયમાં બિનઆદિજાતિ વિસ્તારોમાં 150 નવીન સ્થાયી પશુદવાખાનાની સ્થાપના અંગે રૂ.10.80 કરોડની નવી યોજના શરૂ કરવાં પૂર્વ અંદાજિતપત્રની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સેક્શન અધિકારી કામિની દેસાઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેને લઈ મહીસા ગામનાં સરપંચ સુનીતાબેન રાજેશકુમાર રોહિતે જણાવ્યું હતું કે ગામ અને પરા વિસ્તારના પશુ પાલકોને હવે પશુ લગતી સેવા ઘર આંગણે મળશે.જેમાં કુદરતી હોનારત અને રોગચાળા દરમ્યાન પશુચિકિત્સકની ગામમાં જ સીધી સેવા મળશે.એટલું જ નહીં પરંતુ એનિમલ હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાં,પશુસરવાર કેમ્પો, રસીકરણ ખસીકરણ અને રોગચાળો ફાટી નીકળે તે સમયે રોગચાળા નિયંત્રણની કામગીરી સહિતની ગામનાં પશુપાલકોને સેવા મળશે તેમ જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લૂસિવ:ફ્લાઇટમાં કેમિકલ લીક, લોકોની આંખમાં બળતરા થતાં રનવેથી પાછી વાળવી પડી
અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટના કાર્ગોમાં કેમિકલ લીક થતાં પેસેન્જરોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી, જેથી ફ્લાઇટને રનવે પરથી પાછી વાળવી પડી હતી. ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટ મંગળવારે સવારે 11.30 વાગ્યે ટેકઓફ થવાની હતી. તે ટેક્સી-વેથી મુખ્ય રન-વે પર જાય તે પહેલાં અટકાવાઈ હતી. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં લીક થયું હોવાથી તેની દુર્ગંધની અસર પેસેન્જરો સુધી પહોંચતા રીતસર આંખોમાં બળતરા શરૂ થઈ હતી અને ફ્લાઈટને રનવે પરથી પાછી વાળીને પાર્કિંગમાં લાવી 130 પેસેન્જરને નીચે ઉતારીને ટર્મિનલમાં લઈ જવાયા હતા ગ્રાઉન્ડ સ્ટાફે ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટને ચેક કર્યું હતું. એરલાઇન પાસે બીજી ફ્લાઇટની વ્યવસ્થા ન થતા આ જ ફ્લાઇટ સવા કલાક બાદ ટેકઓફ થઈ હતી. ફ્લાઇટમાં કેમિકલ લઈ જવા પર પ્રતિબંધ છે, કાર્ગોમાં રહેલા કેમિકલને મંજૂરી હતી કે નહિ તે દિશામાં તપાસફ્લાઇટમાં જ્વલનશીલ, વિસ્ફોટક અને સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવા કેમિકલને લઈ જવા પર પ્રતિબંધિત છે છતાં ફ્લાઇટમાં કયા પ્રકારનું કેમિકલ હતું તેની તપાસ ચાલી રહી છે. ફ્લાઇટ ટેકઓફ થઈ હોત તો પેસેન્જરના સ્વાસ્થ્યનો જોખમ થઈ શક્યું હોત. કેમિકલ કયું અને પરમિશેબલ હતું કે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:રેડઝોન અને એરપોર્ટ ઝોન બન્યાં અવરોધ, રાજ્યના 479 ગામો ડ્રોન સરવેની રાહમાં
કેન્દ્રની સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગામડાઓમાં મિલકતનો કાયદેસર પુરાવો એટલે કે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી રાજ્યના 17 જિલ્લાના 479 ગામોમાં પ્રાથમિક ચૂના માર્કિંગ કે ડ્રોન ફ્લાઇટ થઈ જ નથી.જમીન રેકોર્ડ નિયામક કચેરીએ તાજેતરમાં જિલ્લા કચેરીઓને સૂચના આપી છે કે બાકી ગામોમાં નવેમ્બર અંત સુધી ડ્રોન ફ્લાઇટ પૂર્ણ થાય. આ કામગીરી માટે સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા નવી ટીમો ફાળવવામાં આવી છે. સત્તાવાર માહિતી મુજબ રાજ્યના કુલ 14,305 ગામોમાંથી 13,826 ગામોમાં ડ્રોન ફ્લાઇટ પૂર્ણ થઈ છે, જેમાંથી 11,652 ગામોના પ્રાથમિક નકશા જિલ્લાઓને આપવામાં આવ્યા છે અને 9,326 ગામોમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ થયું છે. કચ્છના અનેક ગામ રેડઝોનમાં અને ગામઠાણ યોજનાઓ મુખ્ય અડચણકચ્છના 146 ગામો રેડઝોનમાં, વલસાડના 95 ગામોમાં એરપોર્ટ અને સમુદ્રી સીમા વિસ્તારના પ્રતિબંધ, જુનાગઢના 48 ગામો ગામઠાણ યોજનામાં સામેલ હોવાથી ડ્રોન પરવાનગી બાકી, નર્મદાના 28 ગામોમાં કેવડિયા સહિતના સ્ટેચ્યુ ઓફ યુનિટ વિસ્તારના પ્રતિબંધો. સુરતના મોરા, વાંસવા અને ભટલાઇ ગામો એરપોર્ટનો-ફ્લાય ઝોનમાં આવતા હોવાથી ડ્રોન ટીમો ત્યાં પહોંચી ન શકી. બાકી ગામોમાં ડ્રોન ફ્લાઇટ નવેમ્બર સુધી પૂર્ણ કરવા જણાવાયું છે. કેટલાક ગામો એરપોર્ટ રેડઝોનમાં આવતા હોવાથી પરવાનગી પ્રક્રિયા લાંબી ચાલે છે. - રવિરાજસિંહ રાજપૂત, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારી, મહેસાણા પ્રોપર્ટી કાર્ડ મળવાથી ગામડાંમાં લોકોને કાયદેસર માલિકીનો પુરાવો મળશે રાજ્યના મોટા ભાગના ગામડાઓમાં અત્યાર સુધી આકારણી પત્રક આધારિત મિલકત પુરાવા માન્ય હતા, જેના કારણે માલિકી અસ્પષ્ટ રહેતી. હાથથી દોરેલા નકશાઓ, અતિક્રમણના વિવાદો અને લોન મેળવવામાં અડચણ આવતી. સ્વામિત્વ યોજના અંતર્ગત દરેક ઘર કે દુકાનનું ડ્રોન મેપિંગ કરીને સ્પષ્ટ સીમા સાથે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય છે. આથી બેંકો લોન આપતી વખતે દસ્તાવેજી સ્પષ્ટતા મળે છે, તથા સરકારી અને ખાનગી જમીન વચ્ચેની હદ પણ સ્પષ્ટ થાય છે. પ્રોપર્ટી કાર્ડ શું આપે છે?
શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને નાથવા પોલીસ રાત્રિના વેપારીઓ અને શહેરીજનો સામે દંડા ઉગામી રહી છે, પરંતુ માથાભારે શખ્સો સામે પોલીસ ઘટના બની ગયા પછી જ પહોંચે છે. થોરાળામાં કેટલાક દિવસથી બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની હતી અને બંને જૂથે સામસામે પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકતા નાસભાગ મચી ગઇ હતી. આ બઘડાટીમાં બને જૂથના એક એક વ્યક્તિને ઇજા થઇ હતી જેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં નવા થોરાળા શેરી નં.2, સ્વામિનારાયણ સ્કૂલ પાસે રાઠોડ અને ઓડિયા જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને બંને જૂથે એકબીજા પર પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. સાંજે 4.30 વાગ્યે બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા સ્થળ પર દોડી ગયા હતા.હુમલામાં ઘવાયેલા ન્યૂ થોરાળા વિસ્તારના રોહિત મનજીભાઇ રાઠોડ (ઉ.વ.26) અને સામા જૂથના નયન દાફડા (ઉ.વ.22)ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રોહિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. શેરીમાંથી વાહન લઇને નીકળવા બાબતે બોલાચાલી થતાં મામલો તંગ થયાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર પક્ષે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, રાઠોડ જૂથ પર થયેલા હુમલામાં બોદુ ઓડિયા અને તેના મળતિયાઓના નામ પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યા છે. બોદુ ઓડિયાની સાથે હુમલામાં રાઠોડ જૂથના કેટલાક લોકો પણ સંડોવાયા છે. રાઠોડ જૂથ સાથે અગાઉ રહેલા કેટલાક શખ્સો કેટલાક સમયથી ઓડિયા જૂથ સાથે ઘરોબો રાખવા માંડ્યા હતા અને તે કારણે બંને જૂથ વચ્ચે કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી અને તે કારણે આજે બંને જૂથ સામસામે આવી ગયા હતા. એક જૂથ અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલું હતુંથોરાળા વિસ્તારમાં ચર્ચાતી વિગતો મુજબ બંને જૂથના કેટલાક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેક વર્ષ પહેલાં સલીમ નામના યુવકની હત્યા થઇ હતી તેમાં પણ એક જૂથના લોકોની સંડોવણી હતી. બંને બળુકા જૂથ વચ્ચેની ધમાલથી વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ડાંગમાં 2024ના પાક નુકસાનમાં વગદારોને બબ્બે વખત સહાય અને 100 ખેડૂતોને શૂન્ય
ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઉભા મોલ પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે ત્યારે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે 2024માં થયેલા નુકસાનની સહાય આજદિન સુધી તેમને મળી નથી. દિવ્ય ભાસ્કરે આ અંગે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં વગદાર રાજકીય કાર્યકરોને એક નહીં બે-બે વખત સહાય ચૂકવાઇ છે, જ્યારે સાચા અર્થમાં નુકસાન ભોગવાનારા 100થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી પણ સરકારે ચોપડે બોલે છે અમુક ખેડૂતોની તો અરજી જ રિજેક્ટ થઈ ગઈ હતી . જેમની અરજી મંજુર થઇ છે એવા કેટલાય ખેડૂતો છે કે, સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઇ ગઇ છે. પણ તેમના ખાતામાં કોઇ સહાય આવી નથી. ત્યારે કુદરતી આફતો, સરકારી તંત્ર અને વગદારો માટે જાણે નાણા કમાવવાની મોસમ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં 2024 ઓક્ટોબરમાં અતિભારે વરસાદના કારણે કુદરતી આફતે ડાંગરની ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રાજ્ય સરકારે કૃષિ વિભાગ મારફતે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી હતી. ભેદભાવ : મળતિયાઓને ભરપેટ, ગરીબોને નજીવી સહાય ... ગરીબ આદિવાસી ખેડૂતોને સહાયની વહેંચણીમાં ભેદભાવ કિસ્સો-1 આહવા તાલુકાના કોટમદર ના સરપંચ ગંગારામભાઈ ભોવાનભાઈ બાગુલ ને કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024 ની યાદી ક્રમાંક 133 ની રૂ 5,000 અને ક્રમાંક 143 ની રૂ 17,000 ની સહાય મળી છે .કિસ્સો -2 યશવંતભાઈ પાંડુભાઇ દળવીને યાદી ક્રમાંક 496 ની રૂ 17,000/અને રૂ 5,000 એમ બે સહાય ચૂકવાઈ છે.કિસ્સો -3 સુંદા ગામે કાર્યકર જયરામભાઈ તુલસીરામભાઈ ધૂમને યાદી ક્રમાંક 208/228 રૂ 5,000/અને રૂ 17,000 ની સહાય ચૂકવાઈ છે.કિસ્સો-4 કોટમદરના ગરીબ ખેડૂત આબાજીભાઈ નવસુ ભાઈ બાગુલની યાદી ક્રમાંક 21 ને રૂ 5,000 ઓનલાઇન ચૂકવ્યા હોવાનું દર્શાવાયું છે, પરંતુ તેમના બેન્ક ખાતામાં જમા થયા નથી.કિસ્સો - 5 બોરખેતના જયરામભાઈ એલ સાપ્ટેને ખેતીવાડી દ્વારા ઓનલાઇન સહાય આપી હોવાનું યાદીમાં દર્શવાયું છે, જ્યારે સ્થળ પર ચેક કરતાં તેમને તંત્ર કે સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવાઈ નથી. ગત વર્ષે અમારા ગામમાં એક પણ ખેડૂતને મદદ મળી નથીઅમારા ગામમાં એક પણ ખેડૂતને મદદ મળી નથી. પણ જે ગામોમાં સત્તાધારી પક્ષના લોકોના સંબંધ છે, ત્યાં તો ભરપૂર સહાય મળી છે!”મે 2023/24 માં તરબૂચ અને ડાંગરના પાકમાં કમોસમી વરસાદને પગલે સંપૂર્ણ પાક નષ્ટ થયો હતો. જે અંગે ખેતીવાડી અને બાગાયત વિભાગમાં સરકારી સહાય માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અરજી કરી હતી. પરંતુ આજ સુધી મને કોઈ સરકારી સહાય મળી નથી. આ વખતે નુકસાન છતાં સરકાર પાસે કોઈ આશા નથી. - સનતભાઇ પવાર , ખેડૂત, નડગખાદી (આહવા) સહાયમાં ભેદભાવ થયો હોવાથી પ્રક્રિયાની પારદર્શક તપાસ થાયડાંગ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્ય સરકારે 5 કરોડની માતબર સહાય ખેડૂતોને ચૂકવી હોવાનો દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. રાજકીય વગ ધરાવતા ખેડૂતોને વધુ સહાય ચૂકવી ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર ચૂકવાયું છે, તો કેટલાક ને સહાય મળી જ નથી .જેથી સહાય માં ગોબચારી થઈ હોઇ ખેડૂતો અને સ્થાનિક સંગઠનોની માંગ છે કે, રાજ્ય સરકાર પારદર્શક તપાસ કરે. - સુનિલભાઇ ગામીત, પ્રમુખ, આમ આદમી પાર્ટી, ડાંગ વિધાનસભા
ભાસ્કર એક્સક્લૂસિવ:પહેલી વાર આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી 3 કંપની પર દરોડા, 15 કરોડની ટેક્સ ચોરી પકડાઈ
શહેરમાં પહેલી વાર આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી ત્રણ મોટી કંપની પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડીને 15 કરોડની ટેક્સ ચોરી ઝડપી છે. સોમવારથી શરૂ થયેલી દરોડા કાર્યવાહી મંગળવાર રાત સુધી ચાલી હતી અને શહેરના સરખેજ-સાણંદ રોડથી લઈ વેજલપુર સુધી કુલ પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ડીજીજીઆઈની ટીમે પ્રથમ પાશ્વમ વોટર સોલ્યુશનની ઓફિસ અને રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી મળેલા ડેટાના આધારે અધિકારીઓએ તરત જ સરખેજની નવકાર વોટર સોલ્યુશન અને વેજલપુરની એક્સલ વોટર ટેક્નોલોજી પર કાર્યવાહી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય પેઢી પાણી શુદ્ધીકરણના ઉપકરણો (આરઓ)નું ઉત્પાદન અને વેચાણ તો કરતી હતી, પરંતુ મોટા પાયે બિલિંગ કર્યા વગર માલ વેચીને ટેક્સ ચોરી કરી રહી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પહેલી વાર છે જ્યારે આરઓ ક્ષેત્રમાં આટલી મોટી કરચોરી ઝડપાઈ છે. તપાસમાં મળેલા ડિજિટલ પુરાવા અને દસ્તાવેજોના આધારે વધુ કાર્યવાહી કરાશે. ઓનલાઇન બેકએન્ડમાં સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા અનેક પેઢીઓના બે નંબરના હિસાબો માટે ખાસ સોફ્ટવેર સિસ્ટમ વિકસાવાયું હતું. ભાસ્કરઇનસાઇટ; બેનામી હિસાબો માટે ઓનલાઇન બેકએન્ડ સિસ્ટમ ઊભી કરી હતી, 2 સર્વિસ પ્રોવાઇડર સામે પણ કાર્યવાહીપાશ્વમ વોટર સોલ્યુશન પર દરોડા પડ્યા ત્યારે બહાર આવ્યું કે પેઢી માત્ર બિલિંગ વગરનો વેપાર જ કરતી નહોતી, પણ તેના બે નંબરના હિસાબો ઓનલાઇન બેકએન્ડ સિસ્ટમમાં છુપાવતી હતી. આ બેકએન્ડ હિસાબો બે અલગ સોફ્ટવેર કંપની મારફતે સંચાલિત થતા હતા, જેમાં વેજલપુરની વી કેર સોલ્યુશન અને અન્ય એક સર્વિસ પ્રોવાઇડરનો સમાવેશ થાય છે. આ કંપનીઓ બેક એન્ડ ડેટા ડિલીટ કરવાનો પ્રયાસ કરી શકે છે. આથી અધિકારીઓએ વિલંબ કર્યા વિના બંને સર્વિસ પ્રોવાઇડર ઓફિસ પર છાપા મારી દીધા હતા. ટીમોએ ઓફિસમાંથી તમામ કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ જપ્ત કરી લીધાં, જેથી કોઈ પણ ડેટા ડિલીટ ન થઈ શકે. પાશ્ચમ, નવકાર, એક્સલ વોટર, કોણે કેટલી કરચોરી કરીસરખેજ-સાણંદ રોડ પર આવેલા સિગ્નેચરમાં પાશ્વમ વોટર સોલ્યુશનમાંથી 4.75 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ છે, જ્યારે સરખેજમાં સોમનાથ સોસાયટી પાસે આવેલી નવકાર વોટર સોલ્યુશનની 8 કરોડ અને વેજલપુરની એક્સલ વોટર ટેક્નોલોજીની દોઢ કરોડની કરચોરી પકડાઈ છે.
ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત ATSની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશેATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને વધુ તપાસ કરશેATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે. હૈદરાબાદથી આવેલા આતંકવાદીની ગાડીમાંથી ગન-કારતૂસ મળી હતીATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ: 9નાં મોત આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતોઆતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં. આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરતા હતાડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા. 7મી તારીખે બાતમી મળી હતી7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પણ વાંચો: એરંડાના બીજમાંથી સાયનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતાગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદી અંગે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે એની માહિતી એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે એવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. આ પણ વાંચો: આતંકવાદીને પકડવા PIએ ટોલ ગેટ બંધ કરી ટ્રાફિકજામ કરાવ્યો, ATSએ 2 દિવસમાં પાર પાડ્યું ઓપરેશન થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર-પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
ગાંધીનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઇ છું. મમ્મી-પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી-પપ્પા ખુશ રહેજો. સુસાઇડ નોટમાં લખી સેક્ટર 7 વીર ભગતસિંહનગરમાં રહેતી અને ગુરૂકુળમાં ધો. 6માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. માતા-પિતા નોકરીએ જતી વેળાએ સગીરાને ઘરમાં રાખી બહારથી દરવાજાને લોક મારીને જતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકોપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલા ભગતસિંહનગરમાં રહેતા જગદીશભાઈ ગોહિલ એમએસ બિલ્ડિંગ ખાતે આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની જાગૃતિબેન પ્રાઈવેટ નોકરી કરે છે. જેમને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. જે બંને ગુરૂકુળમાં અભ્યાસ કરે છે. દીકરી ઘરમાં અને પતિ બહારથી તાળું મારી નોકરી ગયાઆજે નિત્યક્રમ મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ-પત્ની નોકરી ગયા હતા. બપોરે બંને બાળકો સ્કૂલથી પરત ઘરે આવ્યા હતા. દરમિયાન જગદીશભાઈ બપોરે 1 વાગ્યા આસપાસ ઘરે જમવા આવ્યા હતા. બાદમાં 2:30 વાગ્યે તેમનો મોટો દીકરો ટ્યુશન જવા નીકળ્યો હતો. બાદમાં જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરીએ ગયા હતા. માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ દીકરીએ કોઈ જવાબ ન આપ્યોઆ સમયે 12 વર્ષની સગીરા ઘરે એકલી જ હતી. ઢળતી સાંજના સાડા ચાર-પાંચ વાગ્યે જાગૃતિબેન નોકરી પરથી પરત આવીને ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના એક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે દીકરીને બૂમો પાડીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ આવી રહ્યો નહોતો. જેના પગલે જાગૃતિબેને તેમના પતિ જગદીશભાઈને ઘરે બોલાવી લીધા હતા. દીકરીને પંખે લટકતી જોઈ પિતાના પગ તળેથી જમીન સરકી ગઈબાદમાં જગદીશભાઈએ રૂમની બારીમાંથી અંદર નજર કરતા દીકરી પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આ દૃશ્ય જોઇને જગદીશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં પતિ-પત્નીએ જેમ તેમ દરવાજો ખોલ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને દીકરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરીઆ બનાવની જાણ થતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ASI રતનલાલ તેમજ હવાલદાર ઉમેશ રાઠોડ તાત્કાલિક સિવિલ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ASI રતનલાલે જણાવ્યું હતું કે, ચાર દિવસથી પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો જેઓ ગઈકાલે રાતે જ પરત ફર્યા હતા. આજે સવારે જગદીશભાઈ બંને બાળકોને સ્કૂલે મૂકી આવ્યા હતા. બાદમાં પતિ-પત્ની પોતપોતાની નોકરીએ ગયા હતા. 'હાલમાં પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે': ASI રતનલાલબપોરના એકાદ વાગ્યે જગદીશભાઈ સ્કૂલેથી બંને બાળકોને પરત ઘરે લઈ આવ્યા હતા અને ત્રણેય જણા બપોરે સાથે જમ્યા હતા. બાદમાં મોટો દીકરો જે ધોરણ 11માં ભણે છે તે 2:30 વાગ્યાના અરસામાં ટ્યુશન જવા નીકળી ગયો હતો. જ્યારે જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરી ગયા હતા. આ દરમિયાન તેમની 12 વર્ષની દીકરી ઘરે એકલી જ હતી. જેણે એકલતાનો લાભ લઇ પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. હાલમાં પરિવારના નિવેદન લેવાનું તેમજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. 'મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય' સુસાઇડ નોટમાં લખ્યુંવધુમાં ASI રતનલાલે ઉમેર્યું કે, રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં સગીરાએ ઉલ્લેખ કર્યો છે કે, મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઈ છું. મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો. આ આ ચિઠ્ઠીને કબજે લેવામાં આવી છે, પરંતુ હજી સુધી સગીરાના આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારમાં શોકનું મહાવરો હોવાથી વધુ પૂછપરછ થઈ શકી નથી.
ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા.14 નવેમ્બર શુક્રવારના રોજ સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક મળશે. જેમાં વિકાસના કામોના 73 તુમારો છે, જેમાં કુલ 55.21 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવમાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા ખાતે તા. 14 નવેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં 73 તુમારો પર ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ જેમાં શહેરમાં અનેક વિકાસ કામોની મંજૂરી આપવામાં આવશે. ડ્રેનેજલાઈનના કામો, ફિલ્ટર પ્લાન્ટને લગતા કામો, કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, રમત-ગમત ઉધાનનું કામ, પેવિંગ બ્લોક અને પેવર રોડના કામો, આરસી રોડના કામો, રસ્તા રિકાર્પેટ કરવાના કામો, ટુ લેન બ્રિજનું કામ સહિતના અનેક કામો મળી કુલ વિકાસના 55.21 કરોડના વિકાસ કામો અંગે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજૂરી અંગે ચર્ચાઓ કરવામાં આવશે. ત્યાર બાદ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાજેશ રાબડીયાની જણાવેલ કે શહેરની જાહેર જનતાને લોક સુખા કારીની સગવડતાં આપવા માટે ભાવનગર મહાનગસ્પાલિકાને મળેલ અમૃન ગ્રાન્ટ, નીર્મલ ગુજરાત ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા સરકાર માંથી મળેલ અન્ય ગ્રાન્ટ માંથી તા.14 નવેમ્બરને શુક્રવારનાં રોજ મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં અંદાજીત રૂ.55.21 કરોડનાં ખર્ચથી વિકાસનાં કામો હાથ ધરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર- ગાદી છોડ' મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી વોટ ચોર ગાદી છોડ માટે લોકો પાસેથી સમર્થન મેળવવામાં આવ્યું હતું. મિસ્ડ કોલ અને ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ અલગ અલગ કાર્યક્રમ કરી લોકોના ઘરે ઘરે જઈને સમર્થન મેળવ્યા છે. જેથી હવે ઝુંબેશમાં ભેગા થયેલા ફોર્મ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્લી મોકલવામાં આવ્યા છે. ભાજપ સરકાર ચૂંટણી પંચનો દુરુપયોગ કરી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વોટ ચોર - ગાદી છોડ સહી ઝુંબેશ અને મીસ્ડકોલ અભિયાનને અત્યાર સુધી 7.50 લાખ નાગરિકોએ પોતાનું સમર્થન હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી જે પણ નાગરિકો પાસેથી સમર્થન સહી ઝુંબેશમાં મળ્યું છે તેને ભેગા કરીને રાજીવ ગાંધી ભવન એકઠા કરાયેલા ફોર્મ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્લી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કરતી હોવાના પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરના શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ નીચેના જાહેરાતના હક્કો કાયમી ધોરણે રદ્દ કરવાની દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય, તો એક તરફ બ્રિજનું બ્યુટીફિકેશન થશે, પરંતુ બીજી તરફ મહાપાલિકાને આગામી પાંચ વર્ષમાં થનારી રૂપિયા 6.79 કરોડથી વધુની જંગી આવક ગુમાવવી પડશે. ધારાસભ્યની રજૂઆત અને મનપાનો નિર્ણયઆ સમગ્ર પ્રક્રિયા સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિ એચ. બલરની રજૂઆતને પગલે શરૂ થઈ છે. ધારાસભ્યએ માગ કરી હતી કે, શ્રીનાથજી ફ્લાય ઓવરબ્રિજ નીચે લગાવેલા તમામ જાહેરાત બોર્ડ અને બેનરોને દૂર કરીને, તે જગ્યાનું આકર્ષક રીતે બ્યુટીફિકેશન કરવામાં આવે. ધારાસભ્યની આ રજૂઆતને માન આપીને, મહાપાલિકાએ વર્ષ 2024માં બ્રિજ નીચે વિવિધ એજન્સીઓને ફાળવેલા જાહેરાતના હક્કોને કાયમી ધોરણે દૂર કરવાની તૈયારી કરી લીધી છે. આ માટેની દરખાસ્ત હવે સ્થાયી સમિતિના અંતિમ નિર્ણય માટે મૂકવામાં આવી છે. મનપાને વાર્ષિક 1.35 કરોડનું નુકસાનમહાપાલિકાના આ નિર્ણયથી આવક પર સીધી અસર પડશે. બ્રિજના જુદા જુદા પિલર નીચે જાહેરાતના હક્કો જુદી જુદી એજન્સીઓને પાંચ વર્ષના કરાર માટે સોંપવામાં આવ્યા હતા. આ જાહેરાતોથી મહાપાલિકાને વર્ષે 1.35 કરોડથી વધુની આવક થતી હતી. પાંચ વર્ષનો ઇજારો ચાલુ રહે તો મહાપાલિકાને કુલ 6.79 કરોડની આવક થવાની હતી. જો સ્થાયી સમિતિ આ દરખાસ્તને મંજૂર કરે છે, તો કોન્ટ્રાક્ટ જેટલો સમય ચાલ્યો છે, તેટલા સમયની જ આવક મનપાને મળશે, અને બાકીના વર્ષોનો ઇજારો રદ્દ થવાથી 6.79 કરોડની પાંચ વર્ષની સંભવિત આવક પર બ્રેક લાગશે. કઈ એજન્સીઓના હક્કો રદ્દ થશે?દરખાસ્ત મુજબ, ઇજારદાર પ્રમોદ ટ્રેડિંગ અને શારદા પબ્લીસીટી એમ બે એજન્સીઓને પાંચ વર્ષનો જાહેરાતનો ઇજારો સોંપવામાં આવ્યો હતો. આ ત્રણેય ઇજારા મળીને થનારી વાર્ષિક 1.35 કરોડની આવક પર કાપ મુકાઈ જશે. રિપેરિંગ બાદ થશે બ્યુટીફિકેશનજાહેરાતના હક્કો કાયમી ધોરણે દૂર થયા બાદ મહાપાલિકાનું બ્રિજ સેલ આગળની કાર્યવાહી હાથ ધરશે. સૌ પ્રથમ, બ્રિજ સેલ દ્વારા આ બ્રિજના રિપેરિંગ, રિહેબિલિટેશન અને રંગરોગાનની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થયા બાદ, તેના નીચેના વિસ્તારમાં ધારાસભ્યની માંગ મુજબ સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે, જે શહેરના દેખાવને વધુ સુધારી શકે છે.
મોરબીમાં ડીઝલ ચોર ગેંગનો પર્દાફાશ:3 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, અન્ય બેની શોધખોળ
મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. લખધીરપુર ગામ નજીક ટ્રકમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મોરબી-લખધીરપુર રોડ પર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે બની હતી. ફરિયાદ મુજબ, ટ્રક ડ્રાઇવરે પોતાનું ટ્રક ટ્રેલર (નં. RJ 14 GQ 4374) પાર્ક કરીને કેબિનમાં સૂતો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી આશરે 140 લિટર ડીઝલ ચોરી લીધું હતું. રૂ. 13,000ના ડીઝલની ચોરી અંગે ટ્રક ડ્રાઇવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ જે.પી. કણસાગરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ડીઝલ ચોરીમાં સંડોવાયેલી સ્વિફ્ટ કાર (નં. GJ 3 HR 0581) જૂના ઘુંટું રોડ પર સ્મશાન પાસે ઊભી છે. એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરેશભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ બાલસાણીયા (ઉં.વ. 21, રહે. ભવાનીનગર, હળવદ) અને જીજ્ઞેશભાઈ ઉર્ફે જુગો ભરતભાઈ ખેર (ઉં.વ. 26, રહે. મેરૂપર, હળવદ)નો સમાવેશ થાય છે. તેમને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રેવર (રહે. સોલડી, ધાંગધ્રા) અને અમિતભાઈ ઠાકોર (રહે. કવાડીયા, હળવદ)ના નામ સામે આવ્યા છે, જેમને પકડવા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 3 લાખની કાર અને ડીઝલ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા 7 ખાલી કેરબા સહિત કુલ રૂ. 3,00,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકા વિસ્તારમાં, ખાસ કરીને જેતપર રોડ અને અન્ય સ્થળોએ રાત્રિના સમયે પાર્ક કરેલા ટ્રકો સહિતના ભારે વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ વાહનોની ડીઝલ ટાંકીના ઢાંકણા ખોલીને તેમાંથી ડીઝલની ચોરી કરતા હતા.
શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલવે લાઇનના ફાટક નં.205/B પર ઓવરબ્રિજના ચાલી રહેલા કામને લઈ શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ અંગેનું તા. 11 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 131 મુજબ યોગ્ય શિક્ષા ફટકારવામાં આવશે. જાહેરનામાનો અમલ સુનિશ્ચિત કરવા તથા તેના ભંગ અંગે કાર્યવાહી કરવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ પદ પરના ફરજ પરના અધિકારીને અધિકાર આપવામાં આવ્યો છે.
જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35)એ આજે સવારે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારની પ્રાથમિક પુછપરછમાં જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઈ કામ કરે છે. આજે સવારે તેમનો પુત્ર ઊઠી જોયું ત્યારે તેમની માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ તુરંત પિતાને જગાડ્યા હતા અને પતિ વિશાલે જ્યોતિને તાત્કાલિક નીચે ઉતારી લીધી હતી. ઘરના બીજા સભ્યો આવી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત કિશન ભાનુભાઈ ચારોલીયા (ઉં.વ.18) ગઈકાલે સાંજે ચાર વાગ્યાં આસપાસ ન્યારી ડેમ પાસે બેભાન હાલતમાં પડ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અને પિતા પુત્ર બન્ને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત યુવાનને નશો કરવાની ટેવ હોવાં પણ સામે આવ્યું છે. હાલ બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વેપારીનું સોનુ લઇ નાસી છૂટેલા શખ્સની ધરપકડ પેલેસ રોડ પરના બે સોની વેપારીના રૂ.27.27 લાખના દાગીના લઈ ફરાર થઈ જનાર આરોપીને અજમેરથી એલસીબી ઝોન-2 ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભકિતનગર સોસાયટીમાં રહેતા નીખીલભાઈ રાજેન્દ્રભાઈ રાણપરા (ઉ.વ.34)એ ફરીયાદમાં આરોપી તરીકે મનોજ મોહન શર્માનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ પેલેસ રોડ પર પ્રભુકૃપા જવેલર્સ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓ સોનાના દાગીના વેચાણ કરવા માટે દાગીના કારીગરો પાસે બનાવડાવે છે. આરોપી મનોજ શર્મા પાસે મજુરીકામથી કામ કરાવતા હતા. તા.20.02.2024ના આરોપીને શોરૂમ પર બોલાવી બે સોનાની માળા, એક જોડી સોનાના પાટલા સહિત રૂ.12.52 લાખના દાગીના ઝડતર કામ કરવા માટે આપ્યા હતા. જે બે દિવસમાં પરત આપી જવાનું મનોજે કહ્યું હતું. જે બાદ તેને અવારનવાર ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. ફરીયાદીના કાકાના દીકરા પાર્થને વાત કરતા તેમજ નિલેષભાઈ કાત્રોડીયાએ પણ મનોજને દાગીના ઝડતર કામ માટે આપતા હોય જેથી તેમને પૂછતાં જણાવ્યું કે તેઓએ પણ રૂ.14.75 લાખના દાગીના ઝડતર કામ માટે આપ્યા હતા. તેઓ પણ સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો જેથી બન્ને સોની વેપારી પાસેથી રૂ.27.27 લાખના દાગીના લઈ આરોપી ફરાર થઈ જઈ છેતરપીંડી આચરી હતી. ઓનલાઇન કસીનો ગેમ મારફત જુગાર રમતા શખ્સની ધરપકડ કુવાડવા રોડ ડિ-માર્ટ પાસે જાહેર રોડ બાકડા પાસે ઉભેલ શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન કસીનો ગેમમાં જુગાર રમે છે તેવી બી ડિવિઝન પોલીસને ચોકકસ બાતમી મળતા દરોડો પાડી તે શખ્સને અટકાયત કરી તેનું નામ પૂછતાં પોતાનુ નામ મહેશ ચંપકલાલ ઝીંઝવાડિયા (ઉ.વ.52) જણાવ્યું હતું. તેના મોબાઈલમાં તપાસ કરતાં BROWNEXCH નામની આઈ.ડી. મારફત કસીનો ડ્રેગન ટાઇગર નામનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. વધું તપાસમાં આરોપીએ ગુગલમાંથી Guruji book સર્ચ કરી તેમાંથી અન્ય એક મોબાઈલ નંબર પરથી રૂપીયા ટ્રાન્સફર કરી જુગાર રમતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ પત્નીના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ કટારીયા ચોક નજીક સરસ્વતી પાર્ટી પ્લોટ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા યુવકે જણાવ્યું કે, તે પોતે કડિયાકામ કરે છે. વર્ષ 2013માં તેના લગ્ન બામણબોરની યુવતી સાથે થયા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે જે હાલ તેના સાથે રહે છે. પત્નીને અફેર હોય, એક વર્ષ પહેલા નોટરી લખાણ કરી છૂટાછેડા આપી દીધા હતા. પત્ની બીજા કોઈ જોડે રહેવા જતી રહી હતી. આ પછી ફરી તેણીએ હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલા પોલીસમાં ખોટી દુષ્કર્મની અરજી કરી હતી જેનાથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાઈનીઝ દોરીની 15 ફીરકી સાથે વેપારીની ધરપકડ ઉત્તરાયણ પર્વને હજુ અઢી માસ જેટલો સમય બાકી ત્યારે અત્યારથી શહેરમાં દોરીનું વેચાણ શરૂ થઇ ગયું છે જેને લઇ આજીડેમ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કોઠારીયા રીંગ રોડ પર ખોખડદળ નદીના પુલ પાસેથી રસીક રણછોડભાઇ બાવળિયા(ઉ.વ. 43) ને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ વેપારી સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકાર હવે પોતાની તમામ કચેરીઓમાં નવી ઈમેલ સિસ્ટમ Zoho Email શરૂ કરી રહી છે. જૂની ઈમેલ સિસ્ટમને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે અને હવે રાજ્યના તમામ વિભાગો અને કર્મચારીઓ માટે ઝોહો ઈમેલનો ઉપયોગ ફરજિયાત બનશે. Zoho ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવીસાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પરિપત્ર બાદ કર્મચારીઓને નવા Zoho ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક વિભાગને માર્ગદર્શિકા મોકલાઈ છે જેમાં એકાઉન્ટ કેવી રીતે ખોલવું, લોગિન, પાસવર્ડ રીસેટ અને ડેટા માઈગ્રેશન જેવી પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ‘સ્વદેશ અપનાવો’ અભિયાનને આગળ ધપાવવાનો ઉદ્દેશસરકારની આ પહેલનો ઉદ્દેશ ‘સ્વદેશ અપનાવો’ અભિયાનને આગળ ધપાવવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો હેઠળ આ સિસ્ટમ ભારતીય કંપની Zoho દ્વારા વિકસાવવામાં આવી છે, જેથી ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેક્નોલોજીના પ્રોત્સાહન બંનેને વેગ મળશે. કર્મચારીઓને Zoho Mail દ્વારા ઈમેલ પ્રવેશ આપવામાં આવશેસત્તાવાર ઈમેલ સરનામાં હવે @gujarat.gov.in ડોમેન હેઠળ જ રહેશે, અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને Zoho Mail દ્વારા ઈમેલ પ્રવેશ આપવામાં આવશે. તાલીમ બાદ દરેક વિભાગમાં આ નવી વ્યવસ્થા સંપૂર્ણ રીતે અમલમાં આવશે.
જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને મહેસાણા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી-પીણીની હોટલો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ પર આવેલી હોટલોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જે હોટલોમાંથી અખાદ્ય ફૂડ સામગ્રી મળી આવી હતી. તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અખાદ્ય સામગ્રી રાખનાર હોટલ સંચાલકો વિરુદ્ધ વિભાગ દ્વારા નોટિસ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીથી શહેરમાં ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાઉંગલી મળી ફૂડ વિભાગે 10 એકમોમાં તપાસ આદરી મહેસાણાના રાધનપુર રોડ પર હોટેલોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ રોડ પર અનેક નાસ્તા હાઉસ પણ આવેલા છે. ત્યારે રાધનપુર રોડ પર આવેલ નવદુર્ગા ભાજીપાઉ, જયવીર ભાજીપાઉ, નિકલંઠ રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી જાયકા, સાઉથ ઢોસા, ચૂલા ઢોસા, અને ખાઉંગલી મળી ફૂડ વિભાગે 10 એકમોમાં તપાસ આદરી હતી. જેમાં ખુદ ફૂડ વિભાગના અધિકારીઓ વિપુલ ચૌધરી અને તેમની ટીમે ઝીણવટભરી રીત ચકાસણી કરતા જોવા મળ્યા હતા. અધિકારી એ પોતે ફ્રીઝ, ડ્રમ, બેરલ ખોલી ખોલીને અંદર પડેલા માલ સામાનની તપાસ કરી હતી. ફૂડ વિભાગના એક્શનથી નાસ્તા હાઉસના સંચાલકોમાં ફફડાટફૂડ વિભાગની ટીમોએ 15 કિલો અડદ દાળ, 8 લીટર બળેલું તેલ,15 કિલો મિક્ષ ચટણી, 3 લીટર છાશ, 7 કિલો સડેલા બટેકા, 500 ગ્રામ ધાણા, 3 કિલો ગ્રેવી, 1 કિલો લુઝ બટર કબ્જે કરી આ અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ અધિકારીએ સંચાલકોને સૂચના પણ આપી હતી કે, બેરલમાં મુકેલા લોટમાં એકપણ ધનેરા ના હોવા જોઈએ તેમજ બેરલ સાફ હોવું જોઇયે. જો ધનેરા જોવા મળશે તો એક્શન લેવામાં આવશે. સંચાલકોને કહ્યું દરેક વસ્તુ જાતે ચેક કરવું જરૂર હોઈ એટલી જ વસ્તુઓ લાવવી વધારે કોઈ વસ્તુ લાવવી નહિ. આમ ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે અન્ય હોટેલ અને નાસ્તા હાઉસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
CID ક્રાઇમે Bz સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે 6 હજાર કરોડના સ્કેમની ફરિયાદ કરી હતી. જે કેસમાં CID ક્રાઈમ અગાઉ 15 આરોપીઓને ઝડપી ચૂકી છે. ત્યારે વધુ 3 આરોપીઓ સાબરકાંઠાના ભગવાન વૈરાગી, થરાદના પ્રકાશ વેણ અને ગાંધીનગરના ધર્મેન્દ્રકુમાર જયસ્વાલને ઝડપીને 5 દિવસના રિમાન્ડની માગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ભુપેન્દ્ર ઝાલાને આરોપી ભગવાન વૈરાગીએ રાજસ્થાનમાં આશરો આપ્યો હતોસરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાને આરોપી ભગવાન વૈરાગીએ રાજસ્થાનમાં આશરો આપ્યો હતો, તે સ્થળ શોધવાનું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર ઝાલાને સીમકાર્ડ, ડોંગલ અને આઇફોન વગેરે લાવી આપ્યા હતા. તે ક્યાંથી લાવ્યા છે તે શોધવાનું છે. ભગવાન વૈરાગી અને તેની પત્નીએ ફૂલ 502 રોકાણકારો પાસેથી 12.76 કરોડનું રોકાણ કરાવ્યું હતું. તેમજ Bzમાંથી 6.49 લાખનો લાભ મેળવ્યો હતો. જે રકમ રિકવર કરવાની છે. પાલનપુરમાં Bzની ફ્રેન્ચાઇઝી ખોલી હતીઆરોપી પ્રકાશ વેણીએ કુલ 284 રોકાણકારો પાસેથી 8 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને Bz પાસેથી 32.5 લાખનો લાભ મેળવ્યો હતો. તેને પાલનપુરમાં Bzની ફ્રેન્ચાઇઝી ખોલી હતી. જેના રેકોર્ડ જપ્ત કરવાના છે. આરોપી ધર્મેન્દ્ર જયસ્વાલના ખાતામાં Bz તરફથી 19.80 લાખ જમા થયા હતા. આ આરોપીઓ નાસતા ફરતા હતા.
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમીનલ કેશમાં સંડોવાવું નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે. જામીન પર છૂટ્યા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યોઆરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે, એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. તેને મારી નાખવાની કોશિશ કરી છે. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડશે. 8 લાખ રૂપિયામાં લોક ડાયરાનું આયોજન કર્યું હતુંચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દેવાયત ખવડે ફરિયાદી સાથે ભોજન પણ લીધું હતુંફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યા નહોતા. દેવાયત ખવડ અને તેમનો PA પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદબેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. શું હતો બનાવ?ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ સનસનાટી મચી ગઈ હતી. મોડીરાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા. બંને વચ્ચે શું છે જૂની અદાવત?નોંધનીય છે કે સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી બંને જૂથ વચ્ચે વેરનાં બીજ રોપાયાં હતાં. વિવાદ અને દેવાયત ખવડને જૂનો નાતો છે. આ પહેલાં પણ દેવાયત ખવડ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.... દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદરાજકોટના બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે. અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે વિવાદટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો. વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું. બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદરૂપલમાં એક ડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.' એ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે 'મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.' બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું આ પણ વાંચો: દેવાયત ખવડે 'પૂજા પંડ્યા' બનીને મેસેજ કર્યા? FSLની ટીમે પુરાવા ભેગા કર્યા સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી વિવાદમાં આવ્યાદેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો. પૂર્વ CM રૂપાણીના વાઇરલ વીડિયોની ઉડાવી હતી મજાકથોડો સમય પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં 'ફ્રાય ફ્રેંચી' શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે 'અમને તો એમ હતું કે જમી લીધું હશે, તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.' આ પણ વાંચો: દેવાયત ખવડનો તાલાલામાં ધ્રુવરાજસિંહ પર હુમલો, બંદૂક બતાવી માર માર્યો
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા આયોજિત વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૨૫-૨૬ દહેગામ તાલુકામાં 11 નવેમ્બર, 2025ના રોજ યોજાયું હતું. આ પ્રદર્શન 'વિકસિત આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ' થીમ પર આધારિત હતું. દહેગામ તાલુકાના 19 ક્લસ્ટરમાંથી આશરે 585 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં 1170 બાળ વૈજ્ઞાનિકો અને 585 માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડાયટ (DIET) દ્વારા શાળાઓને ખર્ચ મર્યાદા ફાળવવામાં આવી હતી. આ ભંડોળનો ઉપયોગ માનદવેતન, પ્રમાણપત્ર ખર્ચ, પ્રોત્સાહક ઇનામો, બેનરો અને અન્ય આનુષંગિક ખર્ચાઓ માટે કરવામાં આવ્યો હતો. દહેગામ તાલુકામાં આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
દિલ્હી બ્લાસ્ટ બાદ પાવાગઢમાં સુરક્ષા સઘન:પોલીસ એલર્ટ, યાત્રાળુઓના વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશો મળ્યા છે. તેના પગલે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાવાગઢ મંદિરે જતા દર્શનાર્થીઓના તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પાવાગઢ તળેટીથી માંચી તરફ જતા રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. રાજસ્થાનની સરહદે આવેલો પંચમહાલ જિલ્લો સંવેદનશીલ ગણાય છે, તેથી પાવાગઢ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. જિલ્લાના તમામ મુખ્ય પ્રવેશદ્વારો, હાઈવે અને સર્કલ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. પોલીસ સૂત્રો અનુસાર, ગોધરા, હાલોલ અને પાવાગઢ સહિતના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરીને દરેક વાહનની તપાસ થઈ રહી છે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા વાહનો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ જણાતા વાહનો અને મુસાફરોની ઓળખ ચકાસણી, પૂછપરછ અને સામાનની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દેસાઈ વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોતે અતુલ ગ્રામ પંચાયતના સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી ઉપસરપંચ દર્શલ દેસાઈ દ્વારા સરપંચ વિરુદ્ધ કરાયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો બાદ કરવામાં આવી છે. ઉપસરપંચ દર્શલ દેસાઈએ DDO સમક્ષ સરપંચ વિરુદ્ધ કુલ 15 મુદ્દાઓ પર વિગતવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં મુખ્યત્વે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી અગાઉ થયેલા કામોના નાણાં કોઈપણ પૂર્વ મંજૂરી કે આયોજન વિના ચૂકવવામાં આવ્યા હોવાનો આરોપ હતો. આરોપ મુજબ, સરપંચે DDO કે TDOની પૂર્વ મંજૂરી વિના, તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા કામોની યોગ્ય ચકાસણી કર્યા વિના અને પોર્ટલ પર કામનો વર્ક ઓર્ડર આપ્યા વિના જ એજન્સીઓને પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવણી કરી હતી. આ રીતે નાણાકીય હિસાબોમાં ગેરરીતિ અને ગેરવહીવટ આચરવામાં આવ્યો હતો. DDO અતિરાગ ચપલોતે તપાસ દરમિયાન સરકારના નિયમોનું ઉલ્લંઘન, ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ અને વિવિધ એજન્સીઓ સાથેના શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા હતા. કેટલાક કેસોમાં અતુલ ગ્રામ પંચાયતના સરપંચ દોષિત સાબિત થતાં DDOએ તેમને ફરજ પરથી મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ ઘટનાને પગલે વલસાડ જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નોંધનીય છે કે, અતુલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ સરપંચે કરેલી ફરિયાદની અંતિમ સુનાવણી પણ નજીક છે. આગામી દિવસોમાં તે અરજી પર પણ જરૂરી પુરાવાઓના આધારે સુનાવણી કરવામાં આવશે.
વીંછીયા તાલુકામાં ખેલ મહાકુંભ-2025 અંતર્ગત શારદા વિદ્યાલય, છાસિયા ખાતે રમતગમત સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં શ્રી શારદા વિદ્યા વિહાર, છાસિયાની અંડર-17 ખો-ખો ટીમે પ્રથમ સ્થાન મેળવી વિજય હાંસલ કર્યો છે. ટીમના ખેલાડીઓએ દૃઢ સંકલ્પ, કઠોર મહેનત અને ઉત્તમ ટીમ ભાવના સાથે પ્રદર્શન કર્યું હતું. આ વિજયથી સંસ્થા અને વીંછીયા તાલુકાનું ગૌરવ વધ્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના શિક્ષકો, તાલીમદાતાઓ અને તાલુકાના રમતવીરોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
ગોધરામાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ:બેથી વધુ ગાડીઓ ખાખ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
ગોધરાના દરૂણીયા રોડ પર આવેલા સીમલા કમ્પાઉન્ડમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનામાં બેથી વધુ સ્ક્રેપ કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે સમયસર કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ સ્ક્રેપમાં રહેલા ઇંધણના અવશેષોને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મહિલા વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજયી બનાવનાર મહિલા ક્રિકેટ ટીમના વડોદરાના ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું અને ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તેમની આગળની કારકિર્દી માટે સફળતાની શુભકામનાઓ આપી હતી. રાધા યાદવે વર્ષ 2018માં T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાબરા શહેરમાં પીવાના પાણીના બિનજરૂરી બગાડને રોકવા માટે નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકરે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમણે શહેરના લોકોને પાણી બચાવવા અને પાલિકાને સહકાર આપવા અપીલ કરી છે. પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, તેમ છતાં લોકો પાણીના બચાવ પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. ઘરોમાં પાણી ભરાયા બાદ પણ નળ ખુલ્લા રાખવા, દીવાલો, શેરીઓ અને વાહનો ધોવા માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા જેવી અનેક ફરિયાદો પાલિકાને મળી છે. પ્રમુખ પ્રવીણભાઈ કરકરે જણાવ્યું હતું કે હાલ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. પાણીનો સંગ્રહ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી છે. તેમણે લોકોને જરૂર પૂરતું જ પાણી વાપરવા અને તેનો બગાડ ન કરવા અનુરોધ કર્યો હતો. પાણીનો બગાડ કરતા લોકો સામે કડક પગલાં લેવા માટે પ્રમુખે આગામી દિવસોમાં કર્મચારીઓની એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટી સ્થળ પર જઈને તપાસ કરશે અને જે લોકો બિનજરૂરી પાણીનો બગાડ કરતા જણાશે, તેમના નળ કનેક્શન કાપી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના ડભોઇ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીનું આજે જાહેર થયેલા પરિણામો ખુબજ ચોંકાવનારા આવ્યા છે. ભાજપ સમર્થિત સહકાર પેનલના 6 ઉમેદવારો અને ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં 63 જેટલા મત કેન્સલ થતા પરિણામોમાં મોટા ફેરફાર થયા છે. જેના કારણે શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળી હતી. દિલીપ પટેલ સતત આઠમી વખત વિજેતા બન્યાઆ APMC ચૂંટણીમાં છેલ્લા 40 વર્ષથી દબદબો ધરાવતા દિલીપ નાગજી પટેલ આ વખત પણ પોતાની આગવી સરસાઈ જાળવીને સતત આઠમી વખત વિજેતા બન્યા હતા. તેમને 410 મતથી વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત સહકાર પેનલને મોટો ફાયદો થયો હતો, આ પેનલમાં ફાટ પડ્યા બાદ પણ તેમણે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ડભોઇ APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયોઆ ચૂંટણી ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી. પ્રથમ વખત ડભોઇ APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયો છે. આ ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ માટે રસાકસી જોવા મળશે. ડભોઇ APMC અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ રહી હતી, પરંતુ હવે કેસરીયા રંગે રંગાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ડભોઇ APMCના આ પરિણામો આવતા સમયના સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે, કારણ કે સહકારી સંસ્થાઓમાં હવે ભાજપની સીધી પકડ જોવા મળી રહી છે. ચૂંટણીના મુખ્ય આંકડા અને વિજેતા ઉમેદવારો: વિજેતા ઉમેદવારોની યાદી:
દાહોદ પોલીસે ગુમ થયેલા 19 મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ ફોનની કુલ કિંમત ₹5,62,975 આંકવામાં આવી છે. આ કાર્યવાહી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, દાહોદ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે કેન્દ્રીય CEIR પોર્ટલ અને ટેકનિકલ સ્રોતોનો ઉપયોગ કરીને આ ફોન શોધી કાઢ્યા હતા. આ ફોન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાયા હતા અથવા ગુમ થયા હતા. આજરોજ એલસીબી કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફોનના મૂળ માલિકોને તેમના ગુમ થયેલા મોબાઇલ ફોન સત્તાવાર રીતે પરત કરવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા ફોન પાછા મળતાં અરજદારોએ ખુશી વ્યક્ત કરી હતી. આ કામગીરીથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવાના કારણે સ્થળાંતર કરનારા નાગરિકો માટે આગામી 13 થી 16 નવેમ્બર સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ મેળવવાથી વંચિત ન રહી જાય તે કેમ્પનું આયોજનઆ અંગે 54-દાણીલીમડા (અ.જા.) વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ દૂર કરવાની ઝૂંબેશના કારણે, વર્ષ-2025ની મતદારયાદીમાં નામો ધરાવતા અનેક મતદારો હાલ તે સ્થળે રહેતા નથી અથવા તો અન્યત્ર રહેવા ગયા છે. ત્યારે આવા મતદારો એન્યુમરેશન ફોર્મ મેળવવાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ફોર્મનું વિતરણજે અંતર્ગત, ચંડોળા તળાવ વિસ્તારના મતદારો માટે દાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ, દાણીલીમડા વિસ્તારના મતદારો માટે જઉલ્લેખનીય છે કે, આ કેમ્પ ફક્ત ચંડોળા તળાવ, દાણીલીમડા વિસ્તારના મતદારો માટે જ યોજાશે અને તેમાં માત્ર એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી જ કરવામાં આવશે. જ્યારે તા. ૨૧ નવેમ્બર બાદ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવા અલગથી કેમ્પ યોજવામાં આવશે. આમ, સંબંધિત તમામ મતદારોને આ કેમ્પનો લાભ લઈ સમયમર્યાદામાં ફોર્મ મેળવી લેવા દાણીલીમડા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ
Devayat Khavad News: સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, ફરિયાદ ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી.
સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા 6,01,09,381ની અધધધ કિંમતના લેબગ્રોન પોલીશ્ડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી. કરોડોના હીરાનો માલ ખરીદી ફૂટી કોડી પણ ન ચૂકવીઆ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપરાની ફરિયાદ પર આધારિત છે. કલ્પેશભાઈની માલિકીની બે પેઢીઓ, RAINBOW GEMS અને IRIS GROWN DIAMONDS, પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરશીભાઇ અણઘણ અને રાજીવભાઈ મહિડાએ સિફતપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળવ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ RAINBOW GEMS પાસેથી 03/07/2023થી 02/10/2023 દરમિયાન 3,23,03,929ની કિંમતના હીરા ખરીદ્યા હતા. IRIS GROWN DIAMONDS પાસેથી 06/06/2023થી 07/02/2023 દરમિયાન 2,78,05,452ની કિંમતના હીરા ખરીદ્યા, કુલ મળીને, કરોડો રૂપિયાનો પોલીશ્ડ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ, આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાંતલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું. ગુનાના મૂળ સુધી પહોંચવા EOWને તપાસ સોંપાઈગુનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ EOWને સોંપવામાં આવી હતી. EOWએ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને મહાલક્ષ્મી જ્વેલ્સના પ્રોપરાઇટર દિલીપ ઠાકરશીભાઇ અણઘણને મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો. આરોપી દિલીપ ઠાકરશીભાઇ અણઘણ (રહે. સાંતાક્રુઝ, મુંબઈ અને હાલ નવસારી, મૂળ ભાવનગર)નો રહેવાસી છે. EOWએ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 13/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. EOWનો ઉદ્દેશ્ય રિમાન્ડ દરમિયાન માત્ર ગુનાની કબૂલાત મેળવવાનો નથી, પરંતુ છેતરપિંડી કરીને મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકવામાં આવી છે. હીરાનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે અને આ નેટવર્કમાં અન્ય કયા વ્યક્તિઓ કે પેઢીઓ સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો છે. ભાડાની દુકાનમાં 'મહાલક્ષ્મી જ્વેલર્સ' નામથી વેપાર શરૂ કર્યોપોલીસ તપાસમાં આ સમગ્ર છેતરપિંડી પાછળની ચોક્કસ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જે સ્પષ્ટ કરે છે કે આ એક આયોજનબદ્ધ ગુનો હતો. દિલીપ અણઘણ અને સહ-આરોપી રાજીવ મહિડાએ પહેલા સુરતના ભાગળ વિસ્તારમાં 'ઓરમ જ્વેલર્સ' નામે ઓફિસ શરૂ કરી હતી. જોકે, તેમની વચ્ચે કોઈ કાયદેસરનો ભાગીદારી કરાર નહોતો અને ઓફિસનો ભાડા કરાર માત્ર દિલીપના નામે હતો. સુરતનો ધંધો બંધ કર્યા બાદ દિલીપે બેંગ્લોર ખાતે સીટી સ્વીટ રોડ પર એક ભાડાની દુકાનમાં 'મહાલક્ષ્મી જ્વેલર્સ' નામથી વેપાર શરૂ કર્યો અને તેના પ્રોપ્રાઇટર પોતે બન્યા. દિલીપ RTGS દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતોસહ-આરોપી રાજીવ મહિડા ફરિયાદીને બેંગ્લોર લઈ જઈ દિલીપ સાથે મુલાકાત કરાવતો. મહાલક્ષ્મી જ્વેલર્સના નામે ઓર્ડર આપવામાં આવતા અને 45થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું વચન અપાતું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે મહાલક્ષ્મી જ્વેલર્સના બેંક એકાઉન્ટમાં રાજીવ મહિડા રોકડ જમા કરાવતો અને દિલીપ RTGS દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતો. જોકે, એક ચોક્કસ હદ સુધી માલ મેળવ્યા બાદ, આરોપીઓએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું અને કરોડોના હીરાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, રાજીવ મહિડા વ્હોટ્સએપ પર બીલનો ફોટો મોકલતો હતો અને બીલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપ્રાઇટર તરીકે પોતે સહી કરતો હતો, જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણઘણના ધ્યાન પર પણ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા.
પાટડી તાલુકાના મેરા ગામે 63 વર્ષીય વૃદ્ધ પર હુમલો થયો છે. તેમની પત્નીના ખૂન કેસની આરોપી મહિલા સહિત સાત શખ્સોએ આ હુમલો કર્યો હતો. આ મામલે બે મહિલા સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના સાડા ત્રણ વર્ષ પહેલા થયેલા એક ખૂન કેસ સાથે સંકળાયેલી છે. વૃદ્ધ પાલા વાઘેલાની પત્ની ગજરાબેનની 10 જૂન, 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં લીલાબેન ચાવડા, જગદીશ ઉર્ફે જગો ચાવડા અને બાબુ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં, બાબુ વાઘેલા અને જગદીશ ઉર્ફે જગો ચાવડા જેલમાં છે, જ્યારે લીલાબેન ચાવડા જામીન પર મુક્ત છે. આ કેસ ધ્રાંગધ્રા સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરની ઘટનામાં, પાલા વાઘેલા ગામમાં એક બેસણામાં ગયા હતા ત્યારે લીલાબેન ચાવડા સહિત હરજી વાઘેલા, પ્રહલાદ વાઘેલા, રમેશ વાઘેલા, અશોક ચાવડા, રવિ ચાવડા અને સામીબેન બાપુએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ સમાધાન બાબતે બોલાચાલી કરી પાલાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે પાલાભાઈ પર છૂટા પથ્થરોના ઘા કર્યા, તેમનો શર્ટ ફાડી નાખ્યો અને તેમની ગાડી પર ધોકા મારી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના અંગે પાલા વાઘેલાએ દસાડા પોલીસ મથકે બે મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. માલવિયા ચલાવી રહ્યા છે.
સોમનાથમાં ડીમોલેશન રોકવા તોફાનનો મામલો:પોલીસ પર પથ્થરમારા બાદ 13 આરોપી ઝડપાયા, પોલીસ સરઘસ પણ કઢાયું
સોમનાથ શહેરમાં સરકારી ડિમોલેશન કાર્યવાહી દરમિયાન દરગાહ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે કેટલાક તત્વોએ તોફાન મચાવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં 13 તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે. પ્રભાસપાટણ વિસ્તારમાં દરગાહ દૂર કરવાના ડિમોલેશન સમયે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિત બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 17 વ્યક્તિઓના નામજોગ સહિત લગભગ 100 જેટલા તોફાની તત્વો સામે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને જાહેર શાંતિ ભંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જુદી જુદી પોલીસ ટીમો બનાવીને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે કુલ 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું, જ્યાં આરોપીઓએ હાથ જોડીને માફી માંગી હતી અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવાની ખાતરી આપી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઝડપી અને દૃઢ કાર્યવાહીને પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો અનુભવ થયો છે.
RSS શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં સંઘની શતાબ્દી યાત્રા-નેતૃત્વની દિશા અને ભૂમિકા પર વિશેષ વ્યાખ્યાન માળા, પ્રદર્શની અને મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના 4 દિવસીય વ્યાખ્યાન અને પ્રદર્શનનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અને સ્વયંસેવકોની કાર્ય પરણાલી વિશે સંબોધન કરી પ્રદર્શની નિહાળી હતી. RSS ની ૧૦૦ વર્ષની યાત્રાનું ભવ્ય પ્રદર્શનગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાના અભિલેખો, મહત્વપૂર્ણ પ્રસંગો અને મૂળ દસ્તાવેજો પણ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે. ડો. હેડગેવારનું ઘર, શાખાનું પ્રથમ સ્થળ મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, રામ મંદિર અને ભારત માતાનું 3D મોડેલ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. આગામી 14 નવેમ્બર સુધી વ્યાખ્યાન, મલ્ટી મીડિયા શો અને વ્યાખ્યાનનો શહેરીજનો લાભ લઈ શકશે. પ્રદર્શન અને મલ્ટિમિડીયા શો 11થી 14 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 4થી 8 કલાક સુધી રહેવાનો છે. 'રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વધુ વ્યાપક બની': CMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એક સંસ્થા નિરંતર 100 વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થાની આટલા વર્ષની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે. જે તેના વિચારોને દ્રઢતા 100 વર્ષમાં પણ વધુ વ્યાપક થઈ છે લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં સફળ રહી છે. ડો. હેડગેવારજીના વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે. ડોક્ટર જાણતા હતા કે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રપ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે જ ભારત સશક્ત રાષ્ટ્ર બની શકશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદભુત કામ કરી રહ્યા છે. શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થઈ રહી છે. સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી, 100 વર્ષ બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિસ્થિતિ અલગ છે. આપણે સૌએ સંઘના સંસ્કાર સાથે આગળ વધવું જોઈએ.
બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ, પ્રદેશ ભાજપની સૂચના મુજબ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત, ભાંભણ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં એક ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલનથી યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, ભાજપના વરિષ્ઠ નેતા પાલજીભાઈ પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી ભુપતભાઈ મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારોહ દરમિયાન, કાર્યકરો વચ્ચેના સ્નેહબંધને મજબૂત કરવા, સંગઠનની ઘનિષ્ઠતા વધારવા અને આવનારી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના નેતાઓએ કાર્યકરોને એકતા, સમર્પણ અને જનસેવાના ધોરણે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું. ભાંભણ ખાતે યોજાયેલ આ સ્નેહમિલન સમારોહ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ગોધરાના દારૂણીયા રોડ વિસ્તારમાં આવેલા એક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્ક્રેપમાં મુકેલી પાંચથી વધુ જૂની કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોધરા નગરપાલિકાનું ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સ્ક્રેપ યાર્ડમાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સક્રિયતાને કારણે આગને અન્ય વસ્તુઓ સુધી ફેલાતી અટકાવી શકાઈ હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાના કારણોની સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક દૃષ્ટિએ, શોર્ટ-સર્કિટ અથવા કોઈ જ્વલનશીલ પદાર્થનો સંપર્ક આગનું કારણ હોઈ શકે છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાંચથી વધુ કારો બળી જતાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા 'નો ડ્રગ ઈન સુરત' મેગા ઓપરેશનને મોટી સફળતા મળી છે. ચોકબજાર, પાલ અને સચિન GIDC વિસ્તારમાંથી લાખો રૂપિયાના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી, ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી શામેલ છે. પાન માવાની દુકાનમાંથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યોચોકબજાર સર્વેલન્સ ટીમે સિંગણપોર રોડ પર આવેલા જગજીવન નગરમાં ગોલ્ડન જોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દુકાનદાર જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા (ઉ.વ. 52) ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જીતુભાઇ પાસેથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 69,000 આંકવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 1,19,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સિગારેટ પીવા આવતો યુવક આપતોપૂછપરછમાં જીતુભાઇએ કબૂલ્યું કે, આ માદક પદાર્થ તેને તેની દુકાન પર સિગારેટ પીવા આવતો ધ્રુવ પ્રફુલભાઇ પટેલ (રહે. ડભોલી) આપતો હતો. પોલીસે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, પકડાયેલા આરોપી જીતુભાઈનો ભૂતકાળ ગુનાહિત છે અને તેના વિરુદ્ધ વલ્લભીપુર અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પાલમાં હાઈ-ફાઈ બિલ્ડીંગમાંથી 7 યુવાનો ઝડપાયાડ્રગ્સના વેપલાનું બીજું નેટવર્ક પાલ વિસ્તારના ગૌરવપથ રોડ પરની હાઈ-ફાઈ બિલ્ડીંગમાંથી ઝડપાયું છે. પાલ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે સાંત્વન સર્કલ પાસેની ઈવોક બિલ્ડીંગના બીજા માળે આવેલી દુકાન નં. 213 ખાતેથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડીને ગાંજો વેચનાર મુખ્ય આરોપી ધર્મરાજ ભરતભાઇ જગડ (ઉ.વ. 19) સહિત ગાંજાની ખરીદી કરવા આવેલા અન્ય 6 યુવાનોને ઝડપી પાડ્યા હતાં. આરોપી ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્તઝડપાયેલા યુવાનોમાં રેસ્ટોરન્ટના ધંધાર્થીથી માંડીને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (રચીત પાંડવ અને રિધમ ચોહાણ)નો પણ સમાવેશ થાય છે. પોલીસે ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઈબ્રિડ ગાંજો (કિં. રૂ. 11,760 ) જપ્ત કર્યો હતો. સાતેય આરોપીઓ પાસેથી ૭ મોબાઈલ, રોકડા રૂ. 27,000 અને બે વાહનો મળીને કુલ રૂ. 2,16,760 નો મુદ્દામાલ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સચિન GIDCમાં 720 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યોત્રીજા એક ઓપરેશનમાં, સચિન GIDC વિસ્તારમાં પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. બાતમીના આધારે તલંગપુર રોડ પર આવેલ માંગીલાલની ચાલ, શિવાંજલી ખાતેના રૂમ નં. 21 પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી મૂળ બિહારના રહેવાસી અજયકુમાર બુધુ મંડલ (ઉ.વ. 27) ને પોલીસે પકડી પાડ્યો હતો. અજયકુમાર પાસેથી 720 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 36,000 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 41,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો મારફતે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કને તોડવામાં પોલીસને આ એક મોટી સફળતા મળી છે.
ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરી ઈન્ટરસ્ટેટ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતી ગેંગને ઝડપવામાં સફળતા મેળવી છે. બીલીમોરામાં SMCની ટીમ પર ફાયરિંગ કરાયું'તુંઆ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે રાજ્યમાં જે એલર્ટ હતું જેને લઈને ડીજીપી દ્વારા એવી સુચના આપવામાં આવી હતી કે સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ-અલગ ટીમો આ એલર્ટ સંદર્ભે ધ્યાન રાખી કંઈપણ શંકાસ્પદ જણાય તો એની પર કાર્યવાહી કરે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અલગ-અલગ ટીમો દ્વારા કંઈ શંકાસ્પદ જણાઈ આવે તો તે બાબતે માહિતી એકત્ર કરી રહ્યા હતા તે સમય દરમ્યાન એસએમસીના પનારાને એક માહિતી મળી કે નવસારીમાં એક જગ્યાએ હથિયાર એકત્ર થયા છે અને અલગ-અલગ રાજ્યમાંથી લોકો આવ્યા છે અને ગુનાહીત કાર્યને અંજામ આપવાના છે. જેને લઈના પનારા તેમની ટીમને લઈને બિલીમોરા ગયા અને જે જગ્યા પર આ લોકો ભેગા થવાના હતા ત્યાં નાકાબંધી કરી હતી અને નાકાબંધીમાં સવારના સમયે એ લોકોએ ચાર લોકોની ઓળખ કરી, ચાર લોકો ભેગા થઈને ક્યાંક જવાના હતા તે દરમ્યાન એસએમસીની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી તેમની પુછપરછ શરુ કરી તે દરમ્યાન એક આરોપીએ પોતાની પાસે રાખેલું હથિયાર બહાર કાઢી અને પોલીસ પર ફાયરીંગ કર્યું અને તે દરમ્યાન પોલીસને કોઈ ઈજા ના થઈ પરંતુ બીજા ફાયરિંગમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ તે દરમ્યાન આરોપી ત્રીજો રાઉન્ડ ફાયરિંગ કરવાના હતા તે દરમ્યાન પીઆઈ પનારાએ પોતાની પાસેના હથિયારથી આરોપીના પગમાં ફાયરિંગ કર્યું, જેથી આરોપી પડી ગયેલ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને આરોપીને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 3 હથિયાર અને 27 રાઉન્ડ રિકવર કરાયાએક આરોપી કે જેને ગોળી વાગી હતી તેને તાત્કાલિક 108 અને નવસારી પોલીસને બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અને બાકીના ત્રણ આરોપીને કોર્ડની કરી તેમની પુછતાછ કરતા તેમની પાસેથી ત્રણ હથિયાર અને 27 રાઉન્ડ રિકવર થયા છે. કુલ 4 લોકો હતા તેમાંથી એક વ્યક્તિ નવસારીમાં હતો જેનું નામ છે મનીષ કુંપાવત, મનિષ મુળ મધ્યપ્રદેશનો છે અને એ લોકો ગઈકાલે ટ્રેન મારફતે નવસારીમાં રોકાયા હતા જે ત્રણ લોકો છે તેમના નામ છે યશસિંગ જે હરિયાણાનો છે, એક છે ઋષભ શર્મા, જે મધ્યપ્રદેશનો છે અને એક છે મદન કુંપાવત જે રાજસ્થાનનો છે. આ લોકોની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું કે આ હથિયાર તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કંઈક કામને અંજામ આપવાના હતા અને શું અંજામ આપવાના હતા તેની વિગતો એસએમસીની ટીમ મેળવી રહી છે. કુલ ચાર આરોપીને કબજે કર્યા છે અને સ્ટેટ મોનીટરીંગ સેલમાં એના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને હથિયાર દ્વારા પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવશે. આરોપીઓ સામે મર્ડર, ખંડણી, NDPS સહિતના ગુનાઓપ્રાથમિક રીતે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યો તો આ જે ચાર આરોપી છે તેઓ વિરૂદ્ધ મર્ડર, ખંડણી, એનડીપીએસ, મારામારી અને અન્ય આર્મ્સ એક્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે. આ ચારેય આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ એસએમસી ખાતે લઈ આવવામાં આવશે અને આ લોકો કઈ રીતે અલગ-અલગ રાજ્યોમાંથી નવસારી ખાતે ભેગા થયા અને આગળ શું કરવાના છે તેની વિગતો તપાસવામાં આવી રહી છે. તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ હથિયારોની કંડીશન સારી છે એટલે તે ક્યાંથી લાવ્યા હતા અને હથિયારનો શું ઉપયોગ કરવાના હતા તે બાબતે વિસ્તૃત પુછપરછ કરવામાં આવશે.

24 C