SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ જાહેરાત

Platform Ticket Sales Ban in Mumbai-Gujarat Railway Station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર થતી ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી મુજબ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ તેમજ, ગુજરાતના વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર 15થી 31 ઓક્ટોબર સુધી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, તહેવારોની ભીડ દરમિયાન સ્ટેશનમાં મુસાફરોની સરળ અવરજવર રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયનો છે. આ ચાર પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ બંધ તહેવારોની સિઝનમાં મુસાફરોની સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સમાચાર 14 Oct 2025 11:34 pm

ભાવનગર મહાનગરપાલિકાનો સ્વદેશી મેળો 18 ઓક્ટોબર સુધી લંબાયો:નાગરિકો અને સ્ટોલ ધારકોની માગને ધ્યાને લઈ મેળાની અવધિ વધારાઈ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને નગરજનો તરફથી મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદને પગલે મેળાની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ મેળો 15 ઓક્ટોબર 2025 સુધી ચાલવાનો હતો, પરંતુ નાગરિકો તથા સ્ટોલધારકોના આગ્રહને ધ્યાનમાં રાખી હવે મેળો 18 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. જવાહર મેદાન ખાતે ચાલી રહેલા આ મેળામાં અનેક સ્વદેશી ઉત્પાદકો અને સ્ટોલધારકો પોતાના હસ્તકલાત્મક અને ઘરેલું ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરી રહ્યા છે. નગરજનોમાં મેળાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. મહાનગરપાલિકાના આ ઉપક્રમે સ્થાનિક ઉત્પાદન આત્મનિર્ભર ભારતના ધ્યેયને વાસ્તવિક આકાર આપ્યો છે. નગરજનોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 10:52 pm

સાંતેજ GIDCની સોનલબેન ખાખરાવાળા ફેક્ટરીમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે, આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ

કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાણીતા સોનલબેન ખાખરાવાળા ની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 10:52 pm

વડોદરા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ કેસ:રતનપુરના કુખ્યાત બુટલેગર રહેશ ઉર્ફે લાલો સહિત તેના પરિવારના ત્રણ મળી પાંચ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજી પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિતોની આ ગુનાહીત પ્રવૃત્તિને નેસ્તાનાબુદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી તેમના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથીવડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇગ્લીંશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલમુકત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃતિ શરૂ કરી દેતા હોય છે. તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી. તેમની આ અસામાજીક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે. ખોટા દસ્તાવેજો બનાવવા સહિત 31 ગુના નોંધાયેલાત્યારે એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ જે 2005ની સાલની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલો છે. તેની સામે ખૂનની કોશિષ, સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરતો, લાખોના દારૂની હેરાફેરી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા સહિત 31 ગુના નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃતિ ચાલુ જ રહી હતી. એટલું જ નથી તેના પરિવારના હિતેષ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ, તેનો દિકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડીયા રોડ, હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું. અસામાજિક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલતેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પૂરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામાં પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 10:49 pm

નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસ નોનવોજની દુકાનો વધી:મંદિરની આસપાસ પાથરણાંવાળાઓ બાદ હવે નોનવોજની વધતી દુકાનો બંધ કરાવવા ટ્રસ્ટની AMCને રજૂઆત

અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસ ગેરકાયદેસર પાથરણાં વાળાનો ત્રાસ સતત વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે હવે નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસમાં આવેલી નોનવેજની દુકાનોને બંધ કરવા માટેની રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી છે. ભદ્ર પરિષદની આસપાસ લાયસન્સ વાળી અને લાયસન્સ વગરની દુકાનો અને લારીઓમાં નોનવેજ વેચાય છે. જેને બંધ કરાવવા માટે ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે. નોનવેજનું વેચાણ કરતી દુકાનો-લારીઓમાં વધારોભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભદ્ર મંદિર પરિસરની આસપાસ અનેક નોનવેજનું વેચાણ કરતી દુકાનો અને લારીઓ ખૂબ જ વધી ગઈ છે. જેથી દર્શનાર્થે આવતા ભક્તોને તકલીફ પડતા પ્રિન્સિપલ કોર્પોરેશનમાં આ બાબતે પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે. નોનવેજની દુકાનો વધતાં દર્શને આવતાં નાગરીકોને તકલીફ અમદાવાદનું સૌથી જાણીતું અને નગરદેવી ગણાતા એવા ભદ્રકાળી માતાનું મંદિર લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે. રોજના અનેક લોકો ભદ્રકાળી મંદિર પરિસરમાં દર્શન માટે આવે છે, પરંતુ વેપાર કરવા માટે થઈને મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓ બેસી જાય છે જેના કારણે થઈને લોકોને વાહન લઈને આવવામાં તકલીફ પડે છે. ત્યારે મંદિરની 1000 ચોરસ મીટર વિસ્તારમાં અનેક નોનવેજની દુકાનો ખુલી જતાં ત્યાં દર્શને આવતાં નાગરીકોને તકલીફ પડી રહી છે. લાયસન્સવાલી દુકાનોના લાયસન્સ રદ કરવા માગભદ્ર મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં લાયસન્સ મેળવીને તેમજ લાયસન્સ મેળવ્યા સિવાય ગેરકાયદેસર રીતે નોનવેજની દુકાનો ચાલી રહી છે. જેથી ભદ્રકાળી દેવસ્થાન સંચાલીત ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર લખી જાણ કરી છે કે, ભદ્રકાળી મંદિરની આસપાસ 1000 ચો.વાર જગ્યામાં ધીરે ધીરે અનેક નોનવેજ નાસ્તા અને જમવાની દુકાનો કાયદેસર અને ગેરકાયદેસર ચાલી રહી છે. જેને કારણે ધર્મમાં માનનારા તેમજ દર્શનાર્થીઓની લાગણી દુભાઇ રહી છે. તેમણે નોનવેજ વેચનારી લાયસન્સ વિનાની દુકાનો બંધ કરાવી અને લાયસન્સવાલી દુકાનોના લાયસન્સ રદ કરવા માગ કરી છે. સત્વરે યોગ્ય પગલા લેવા માટે માગભદ્રકાળી મંદિરની આસપાસ એક તરફ અનેક ગેરકાયદે પાથરણાંવાળાને કારણે નાગરીકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારે નોનવેજ વેચતા એકમો વધી રહ્યા છે જેને કારણે દર્શન કરતાં આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ આ વિસ્તારની પવિત્રતા પણ જળવાતી નથી. આ સ્થિતિમાં સત્વરે યોગ્ય પગલા લેવા માટે માગ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 10:30 pm

સામાન્ય ધક્કો લાગતા વિદ્યાર્થી પર સળિયાથી હુમલો:માથાના ભાગે ગંભીર ઈજા થતાં સાત ટાંકા આવ્યા, ચાર લોકો સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાળા છૂટ્યા બાદ નજીવી બાબતમાં ઝઘડો થતાં ધોરણ અગિયારના એક વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં સાત ટાંકા આવ્યા છે. માત્ર વિદ્યાર્થી જ નહીં, પરંતુ તેના પિતાએ પણ વિદ્યાર્થીને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય ધક્કો બન્યો હુમલાનું કારણઆ ઘટના લિંબાયત વિસ્તારમાં તા. 14 ઑક્ટોબર, 2025ના રોજ સવારના આશરે 11 વાગ્યાના સુમારે બની હતી. લિંબાયત છત્રપતિ શિવાજી નગર વિસ્તારમાં રહેતા અને ફ્રૂટ વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાએ આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમનો 16 વર્ષીય પુત્ર, જે માઉન્ટ મેરી મિશન હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે, તે દિવસે શાળા છૂટ્યા બાદ પોતાના મિત્ર સાથે ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં, મથુર ટ્રેઇલરની દુકાન પાસે ચાલતી વખતે, મિત્રનો ધક્કો વિદ્યાર્થીને લાગી ગયો. ધક્કો લાગવાથી તે બાજુમાં ચાલતા સલીમ (નામ બદલેલ છે) નામના યુવક પર પડી ગયો હતો. આ સામાન્ય ધક્કાને કારણે સલીમે તરત જ વિદ્યાર્થીને ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીએ સલીમને સમજાવ્યું કે 'ધક્કો ભૂલથી લાગી ગયો છે, ગાળો ન આપ' - પણ સલીમે ગાળો આપવાનું ચાલુ રાખ્યું, જેનાથી બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. વિચાર્યા વગર સળિયો વિદ્યાર્થીના માથામાં મારી દીધોબોલાચાલી બાદ વિદ્યાર્થી અને તેનો મિત્ર ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. તેઓ મારુતિનગર સર્કલ નજીક નવદુર્ગા ઝેરોક્ષ વાળી ગલી પાસે પહોંચ્યા, ત્યારે સલીમે પાછળથી આવીને વિદ્યાર્થીને બૂમ પાડી બોલાવ્યો. વિદ્યાર્થી સલીમ પાસે ગયો ત્યારે સલીમના હાથમાં સળિયો હતો. તેણે વિચાર્યા વગર આ સળિયો વિદ્યાર્થીના માથાના ભાગે મારી દીધો. બાદમાં સલીમનો એક મિત્ર પણ ત્યાં પહોંચ્યો અને વિદ્યાર્થીને હાથથી મારવા લાગ્યો હતો. આ દરમિયાન, વિદ્યાર્થીના પિતાને તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે 'નવદુર્ગા ઝેરોક્ષ પાસે દીકરાનો ઝઘડો થયો છે, તમે અહીં આવો'. પિતા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે પોતાના દીકરાના માથામાંથી લોહી નીકળતું જોયું. વિદ્યાર્થીના પિતાને મુક્કા વડે માર મારવાનું શરૂ કર્યું પિતાએ દીકરા પાસેથી સમગ્ર હકીકત જાણ્યા બાદ સલીમ અને તેના મિત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, થોડી જ વારમાં સલીમના કાકા અને સલીમના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સલીમના પિતાએ આવીને ઉશ્કેરાઈને કહ્યું કે, 'તેં મારા દીકરા સાથે કેમ ઝઘડો કર્યો?' અને ગાળો આપવાનું શરૂ કર્યું. પિતાએ ગાળો આપવાની ના પાડતા, સલીમના પિતા, સલીમના કાકા અને સલીમના મિત્ર એમ ત્રણ લોકોએ મળીને વિદ્યાર્થીના પિતાને મુક્કા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. સલીમના પિતાએ પિતાને ધમકી આપતા કહ્યું કે, 'અગલી બાર મેરે લડકે કે સાથ ઝઘડા કીયા તો તેરે કો ખતમ કર દુંગા.' ઝઘડાના કારણે લોહી નીકળતું જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા, જેથી આ ચારેય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરનાર ડોક્ટરના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીના માથાના ભાગે સાત ટાંકા આવ્યા છે. વિદ્યાર્થીની સારવાર કરાવ્યા બાદ, તેના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં સલીમ, સલીમના પિતા, સલીમના કાકા અને સલીમના મિત્ર (જેમાંથી કોઈના પણ પૂરા નામ-સરનામાની તેમને ખબર નથી) વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તમામ ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 10:15 pm

અમરેલીમાં ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી:વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી

અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના જૂના માર્કેટિંગ યાર્ડના પ્રવેશ ગેટ પાસે બની હતી, જ્યાં જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. ગેસ લાઇન લીકેજ થતાં જ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના શોરૂમ અને દુકાનદારો તેમજ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભરચક વિસ્તારમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર ટીમ, પ્રાંત અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂપે લોકોને ઘટનાસ્થળથી દૂર ખસેડવામાં આવ્યા હતા. ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ 25,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને નિયંત્રણમાં લીધી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ યાર્ડ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દિવાળીના તહેવારને કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હતી, તેવા સમયે આગ લાગવા છતાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલીના ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની જાણકારી મળતા જ તેમની ટીમ પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ ગેસ લાઇન લીકેજ થવાથી લાગી હોવાનું જણાય છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:57 pm

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:62 ઠરાવો સર્વાનુમતે મંજૂર, શહેરમાં 52.94 કરોડના વિકાસના કામોને લીલી ઝંડી

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરી વિકાસલક્ષી એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાની અધ્યક્ષતામાં કુલ 62 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 52.93 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. આ વિકાસના કામોમાં મુખ્યત્વે આવાસ યોજનામાં પાણીની લાઈનો, કાયમી સ્થળો પર લાઇટિંગ ફિટ કરાવવા, નાઈટ સેલ્ટરના નવા બાંધકામ, વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, આર.સી.સી. રોડ અને કસરતના સાધનો નાખવાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળના વિદ્યાર્થીઓના અકસ્માતે કે અકાળે મૃત્યુના કિસ્સામાં અપાતી સહાયની રકમ 20,000ના બદલે વધારીને 40,000 કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. 62 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજરોજ જે બેઠક મળી હતી. તેમાં 62 ઠરાવો મુકવામાં આવ્યા હતા જે તમામ તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ 52 કરોડ 93 લાખના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષસ્થાનેથી રાજ્ય સરકાર દ્વારા જે રજાનો નિર્ણય કર્યો છે તેની હકીકત જાહેર કરવામાં આવી હતી. 40 હજારની સહાય ચુકવવાની દરખાસ્તને પણ મંજૂરીસાથે મહાનગરપાલિકાના કર્મચારીઓની ભરતી અને ભરતીના જે નિયમો હતા તેમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેની મંજૂરી આપવામાં આવી છે ખાસ સ્ટેન્ડિંગ કમિટીની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર જે વિદ્યાર્થીઓનું અકસ્માતે અથવા અકાળે મૃત્યુ પામે તો રૂપિયા 20,000ના બદલે વધારીને રૂપિયા 40 હજારની સહાય ચુકવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:56 pm

જિલ્લા જેલમાં બેઠક:જિલ્લા જેલ ખાતે સલાહકાર સમિતિની બેઠકમાં જેલનું નિરીક્ષણ કરી કેદીઓની મુક્તિ, સુવિધાઓ પર બેઠક યોજાઈ

જેલમાં બે કેદીઓની વહેલી મુક્તિની અરજી પર વિચારણા ભાવનગર જિલ્લા જેલ ખાતે આજે સાંજે જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ અને જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેય, ડિસ્ટ્રિક્ટ જજ તેમજ સલાહકાર સમિતિ ના સભ્યો દ્વારા જિલ્લા જેલ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જેલની વિવિધ વ્યવસ્થાઓ અને કેદીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે ​કલેક્ટર ડો.મનીષકુમાર બંસલે આ મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે જેલમાં જે મુલાકાતી બોર્ડ, જેલ સલાહકાર સમિતિની કોર કમિટીની મીટિંગ થઈ હતી. અને એમાં બે કેદી વિષે જે વહેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે. ​વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીંયા શું શું સુવિધાઓ છે કેદીઓ માટે અને શું આપણે ઉમેરી શકાય, એની પણ એટલે કે આપણે ચર્ચા કરવામાં આવી હતી, જેલ સલાહકાર સમિતિમાં ભાવનગર કલેકટર, એસપી, ડિસ્ટ્રિક્ટ જજ, જેલ અધિક્ષક, ધારાસભ્યો તથા સામાજિક કાર્યકર સમિતિમાં હોય છે સમિતિમાં ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલ, એસપી નીતિશ પાંડેય, ડિસ્ટ્રિક્ટ જજ, જેલ અધિક્ષક ડી.ડી.પ્રજાપતિ, ધારાસભ્યો ગૌતમભાઈ ચૌહાણ તથા ભીખાભાઈ બારૈયા, સામાજિક આગેવાન તરીકે ભરતભાઈ મેર, ધર્મિષ્ઠાબેન સહિતના સમિતિમાં હોય છે, સમિતિને મુખ્ય બે પ્રશ્નો સામે આવ્યા હતા, જેમાં રોડ-રસ્તાનો પ્રશ્ન તેમજ જે 15 વર્ષથી વધુ જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીની દયા અરજીઓ કરવામાં આવે છે જેમાં બે કેદીઓ જેલ મુક્તિ માટે વિચારણા કરવામાં આવી છે, ​આ મુલાકાતમાં કલેક્ટર અને એસપીએ જેલના તમામ ભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કેદીઓ માટેની હાલની સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમજ, કેદીઓના પુનર્વસન અને કલ્યાણ માટે જેલમાં વધુ સારી સુવિધાઓ કેવી રીતે ઉમેરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત જેલ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:55 pm

નખત્રાણામાં પુત્રએ પિતાની હત્યા કરી:કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો, પથ્થરના ઘા ઝીંકી પિતાનો જીવ લીધો

નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. જે બાદ પુત્ર નાસી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. પિતાએ પુત્રને કામ ધંધો કરવા અંગે જણાવતા પુત્રએ આ વાતનું મન દુઃખ રાખી પિતાની માથાના ભાગે પથ્થરોના ઘા મારી હત્યા કરી દીધી હતી. કામકાજને લઈ પિતા-પુત્ર વચ્ચે બબાલ થઈઆ અંગે નખત્રાણા પીઆઈ અશોક મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે પિતા-પુત્ર વચ્ચે કામકાજને લઈ બબાલ થઈ હતી. પિતાએ દીકરાને કંઈક નોકરી ધંધો કરવા કહ્યું હતું. આ વાતનું મનદુઃખ રાખી પુત્ર સાંજે જમ્યા વિના બહાર જતો રહ્યો હતો. દરમિયાન હતભાગી જમીને ઘરના આંગણામાં સુતા હતા, ત્યારે રાત્રિના 8:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધીમાં પુત્રએ પિતાની હત્યા કરી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પિતાની હત્યા કરી પુત્ર ફરાર થયોવિગોડી મફતનગરમાં રહેતા ફકીર મહંમદ આમદ નોડે (ઊ.વ 70) ગઈ રાત્રે જમીને સુતા હતા. તે દરમિયાન તેમના પુત્રએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી એવા પુત્ર અબુભકર ફકીર મામદ નોડેએ આ હત્યા પિતાએ આપેલા ઠપકા અન્યવે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી અબુભકર ફકીર મામદ નોડે પણ ચાર પુત્રનો પિતા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરીઅત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નખત્રાણા તાલુકાના કા દિયા ગામે પુત્રએ માતાની હત્યા કરી હતી. આ જ પ્રકારનો બનાવ આજે વિગોડી ગામે બન્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પૈસા માટે 20 વર્ષ નાની પત્નીએ પતિને જીવતો સળગાવ્યોકચ્છમાં હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ભુજ તાલુકાના સામત્રા ગામે પત્નીએ પૈસા બાબતે પતિને જીવતો સળગાવી દીધો હતો. આ બનાવમાં ઘાયલ પ્રૌઢનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:48 pm

રાજકોટ સમાચાર:કલેક્ટર કચેરીમાં કાલે લેન્ડગ્રેબીંગની બેઠક, 3 દિવસ મહેસૂલ અપીલનું બોર્ડ મળશે

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.15ને બુધવારના સાંજના 5-30 કલાકે લેન્ડગ્રેબીંગની બેઠક તેમજ તા.16,17 અને 18 એમ ત્રણ દિવસ મહેસુલ અપીલનું બોર્ડ કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા બોલાવવામાં આવેલ છે. જેમાં લેન્ડગ્રેબીંગની બેઠકમાં 20 કેસ મૂકવામાં આવેલ છે. જયારે મહેસુલ અપીલના તા.16થી 3 દિવસ ચાલનારા બોર્ડમાં 90 કેસ સુનાવણી માટે મૂકવામાં આવેલ છે. જેમાં પ્રત્યેક દિવસ 30 કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબીંગની બેઠક રાજય સરકારની નવી ગાઈડલાઈન મુજબ આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં લેન્ડગ્રેબીંગ કમિટીના તમામ સદસ્યોને હાજરી આપવી ફરજિયાત કરવામાં આવી છે. લેન્ડગ્રેબીંગની બેઠકમાં પારકી મિલ્કત પચાવી પાડનારાઓ તેમજ સરકારી જમીન હડપ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લેન્ડગ્રેબીંગની બેઠક પૂર્વે મોટાભાગના કેસોમાં સમાધાન અને કેસ ડ્રોપ કરાતા હોય માત્ર જૂજ કેસોમાં જ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જયારે આવતીકાલથી ત્રણ દિવસ કલેકટર કચેરીમાં યોજવામાં આવેલ મહેસુલી અપીલના બોર્ડમાં 90 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. BIS દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો થકી વિકાસમાં યોગદાન આપનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોનું સન્માન ભારતીય માનક બ્યૂરો (BIS)ની રાજકોટ અને ગાંધીધામ શાખા દ્વારા સંયુક્તપણે આજે 'વિશ્વ માનક દિવસ' નિમિત્તે માનક મહોત્સવ - 2025નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉત્પાદનોમાં ઉચ્ચ માપદંડોનું પાલન કરીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો, BIS અંગે જનજાગૃતિમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા માધ્યમો તેમજ શાળાઓનું સાંસદ રામ મોકરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. આ અવસરે અખિલ ભારતીય લાયસન્સ મેળવનારા રાજકોટના બે ઉદ્યોગ ગોદાવરી પાઇપ્સ તથા લોકવેર ઇન્ડસ્ટ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ દેશના વિકાસમાં ઉદ્યોગોની ભૂમિકાની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થકી અને તેની વિદેશમાં નિકાસ કરીને હૂંડિયામણ રળીને ઉદ્યોગકારો અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે. વસ્તુઓ, ઉત્પાદનોના માનકીકરણમાં ભારતીય માનક બ્યૂરોના સતત પ્રયાસો અને કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને અનુસરવા અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા, ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.આ કાર્યક્રમમાં બી.આઈ.એસ. રાજકોટ શાખાના અધ્યક્ષ પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચન સાથે વિશ્વ માનક દિવસની પૂર્વભૂમિકા આપી હતી. આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર CMનાં કાર્યક્રમનું રેસકોર્સ ખાતે જીવંત પ્રસારણ કરાશે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કાલે મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાનો લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેની સાથે કોર્પો. દ્વારા પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, મહાપાલિકાના રૂ.8.64 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સવારે 10:30 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમજ કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, સાંસદ પરસોત રૂપાલા, રામ મોકરીયા, ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિત મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ હાજર રહેશે. રાજકોટ મનપાનાં કર્મચારીઓને શુક્રવાર સુધીમાં પગાર ચૂકવાશે, રૂ. 3.60 કરોડનું મોંઘવારી ભથ્થું રાજય સરકારની કચેરીઓની જેમ મહાપાલિકાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પણ તા.17 સુધીમાં પગારનું ચુકવણું થઇ જશે. તો મનપામાં પણ ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતા વર્ષે રૂ. 3.60 કરોડનો પગાર બોજ વધશે. રાજય સરકારે ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરતા મનપાને પગારમાં દર મહિને રૂા.30 લાખનો ખર્ચ વધશે. સરકારની જેમ દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પણ ભથ્થા લાગુ કરવામાં આવે છે. મનપામાં 4580 કાયમી કર્મચારી અને 3300 જેટલા પેન્શનર છે. વર્ગ-4ના કર્મચારીઓને પણ સરકારે કરેલી જાહેરાત મુજબ બોનસ ચુકવવાનું હોય રૂ. 1.30 કરોડનું કુલ બોનસ મનપા દ્વારા ચુકવવામાં આવશે. રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન માટે વાલ્વ બંધ કરાતા 4 વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું રાજકોટમક દિવાળીના તહેવારમાં એકતરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અલગ અલગ વોર્ડમાં નવી ડીઆઇ પાઇપલાઇનનું કનેકશન આપવા માટે આજે વોર્ડ નં.2ના ઘણા વિસ્તારો, વોર્ડ નં.8, 11 અને 13ના ઘણા ભાગોમાં 6 થી 8 કલાક પાણી વિતરણ મોડુ થયું છે. નવી લાઇનમાંથી પાણીની સપ્લાય ચાલુ કરવા માટે પુરવઠો રોકવામાં આવ્યો હતો અને આવતીકાલે પણ કામગીરી ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. આજે રૈયાધાર આધારીત સોજીત્રાનગર ઇએસઆરથી આજે પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. સોજીત્રા અને ન્યારી ડેમ આધારીત ન્યુ રાજકોટ સાથે જોડાયેલા વિસ્તારોમાં આજે પાણી બે થી પાંચ કલાક મોડુ થયું હતું. અને વોર્ડ નં.2ના અલ્કાપુરી, છોટુનગર, રંગઉપવન સોસા. સહિત અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બે-ત્રણ કલાક મોડું થયું હતું. આજે સવારથી બપોર સુધી આ કામ ચાલ્યું હતું જે કારણે ચાર વોર્ડમાં વિતરણ પર અસર થઇ હતી. હજુ શહેરના અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં નવી લાઇનમાં જોઇન્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી વિતરણ ઉપર અસર થવાની શક્યતા છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પૂરી ગંગા સાગર સાથે કાશી રામલલ્લા દર્શન યાત્રાનો રાજકોટથી પ્રારંભ થશે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પૂરી ગંગા સાગર સાથે કાશી રામલલ્લા દર્શન ટ્રેન દોડાવાશે.આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તા.: 23.10.2025થી 02.11.2025 (10 રાત્રી / 11 દિવસ)નું રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારામનગર થી બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા જગન્નાથ પુરી, ગંગાસાગર, ગયા, બનારસ (કાશી), અયોધ્યાના દર્શન કરવાનો લાભ મળશે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. 15 ઓક્ટોબરની હાપા-નાહરલાગુન સ્પેશિયલ હવે તેના નિર્ધારિત માર્ગ પર ચાલશે ​પશ્ચિમ રેલ્વેના રતલામ ડિવિઝન પર સ્થિત ઉજ્જૈન યાર્ડમાં ચાલી રહેલું રિમોડેલિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ​આ મહત્વપૂર્ણ કાર્યને કારણે, ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલને આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે કાર્ય પૂર્ણ થવાને કારણે, 15 ઓક્ટોબર, 2025ના રોજ ઉપડનારી આ સ્પેશિયલ ટ્રેન તેના પૂર્વ નિર્ધારિત માર્ગ પરથી જ ચાલશે. ​રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ આ નવીનતમ ફેરફારને ધ્યાનમાં રાખે અને તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે. રાજકોટ યાર્ડમાં દિવાળીનાં વેકેશનની તારીખો જાહેર, 20થી 25 ઓક્ટોબર રજા રહેશે રાજકોટ યાર્ડમાં દિવાળીનાં વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી તા. 20થી 25 ઓક્ટોબર મુખ્ય યાર્ડ, શાકભાજી- ડુંગળી, ઘાસચારા વિભાગનાં કામકાજ બંધ રહેશે. એકમાત્ર બટેટા વિભાગ 20 ઓક્ટોબરે ચાલુ રહેશે. જેમાં તા. 21થી 24 ઓક્ટો. રજા રહેશે. આવતા સપ્તાહમાં દિવાળીની રજા હોવાને કારણે માલના ઢગલા થઈ રહ્યા હોય તેમ આજરોજ મગફળી, કપાસ, સોયાબીન,જીરૂ, તલ સહિતની ચીજોથી યાર્ડ છલકાઈ ગયુ હતું. મગફળીમાં આજે સિઝનની સૌથી મોટી આવક થઈ હતી.84000 મણ મગફળી ઠલવાઈ હતી. 700 થી 1280 સુધીના ભાવે ભારે હરરાજીમાં વેચાણ થયુ હતું. હવે ચાર દિવસ પછી દિવાળીનું મીની વેકેશન શરૂ થવાનું છે. ત્યારે આ માલનું વેચાણ થાય છે કે કેમ તેના પર મીટ છે. માલનો નિકાલ થયા પછી નવી આવકની છુટ આપવામાં આવતી હોય છે. હાલ તુર્ત નવી આવક બંધ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:45 pm

100 કિલોના મહાકાય મગરનું રેસ્ક્યૂ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સમયે મહાકાય મગર આવ્યો, 25 ફૂટ ખાડામાંથી ક્રેનની મદદથી ઊંચક્યો

વડોદરાના મકરપુરા વિસ્તારમાં બુલેટ ટ્રે પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો. અહીંયા ચાલતી એલ એન્ડ ટી પ્રોજેક્ટ પાસે પીલ્લર કામગીરી સ્થળે મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણા ટીમ દ્વારા રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી 100 કિલોના મગરને 25 ફૂટ ઊંડેથી સફળ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સાડા છ ફૂટનો મહાકાય મગર આવતા કામદારોમાં ફફડાટઆ વિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે તે સ્થળે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે તે જગ્યાએ પીલ્લર કામગીરી સ્થળે સાડા છ ફૂટનો મહાકાય મગર આવી જતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. નદી હોવાથી અહીંય મગરો આવતા હોય છે અને કામગીરી સ્થળે કીચડ અને પાણી હોવાથી અહીંયા મગર માઇગ્રેટ કરતા હોય છે. ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ક્રેનની મદદથી મગરને ઊંચક્યોઆ અંગે હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, અગાઉ આજ જગ્યા પર મગર આવ્યો હતો અને તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. અહીંયા પીલ્લર માટે લોખંડના બોક્સમાં મગરો આવી જાય છે. અમે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. અમે પાણીમાં ઉતર્યા બાદ મગર કીછડ અને પાણીમાં અંદર જતો રહ્યો હતો. જેથી અમે મોટર દ્વારા પાણી બહાર કાઢ્યું હતું, અને ત્યારબાદ હાઇડ્રાલિકની મદદ લઈ અને મગરની બહાર કાઢ્યો હતો. નદી કિનારે શું સાવચેતી રાખવી?

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:39 pm

ડ્રીમ-11માં 1 કરોડ જીતનાર યુવક સાથે મોટી છેતરપિંડી:ગઠિયાએ બનાવટી એકાઉન્ટ ખોલાવી ટેક્સ રિફંડના પૈસા પડાવી લીધા, DSના 29 લાખ રૂપિયા પણ પોતાનો હોવાનો દાવો કર્યો

ઓનલાઈન ગેમિંગના યુગમાં, શહેરના વટવામાં જ્યાં ડ્રીમ-11 ગેમમાં એક કરોડ રૂપિયા જીતનાર યુવક સાથે મોટી છેતરપિંડી થઈ છે. ગઠિયાએ યુવકના નામે બનાવટી એકાઉન્ટ ખોલાવીને તેના જીતેલા રૂપિયા પોતાના હોવાનો દાવો કર્યો છે. વટવામાં રહેતા અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય અમિત રમાકાંત ત્રિવેદી છેલ્લા છ વર્ષથી ડ્રીમ-11 ગેમ રમતા હતા. ક્રિકેટની ટીમો બનાવીને તેઓ થોડા ઘણા રૂપિયા કમાઈ લેતા હતા. પરંતુ, આ વર્ષે એપ્રિલ મહિનામાં અમિત ત્રિવેદીને જાણે લોટરી લાગી. તેઓ ડ્રીમ-11માં એક કરોડ રૂપિયા જીત્યા હતા. 70 લાખ રૂપિયા ગેમિંગ એપ્લિકેશનના વોલેટમાં જમા થયાનિયમ મુજબ, રૂપિયા એક કરોડમાંથી TDSના 29 લાખ રૂપિયા કપાયા અને બાકીના 70 લાખ રૂપિયા ગેમિંગ એપ્લિકેશનના વોલેટમાં જમા થયા, જે યુવકે પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા. આ મોટી રકમ જીત્યા બાદ અમિતે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને તે માટે GST નંબર મેળવીને વર્ષ 2022-2023 અને 2025-2026ના ટેક્સ રિટર્ન પણ ભર્યા. રિફંડના રૂપિયા પંજાબ નેશનલ બેંકના ખાતામાં જમા થયાસમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમિતને ટેક્સ રિફંડના રૂપિયા તેના એકાઉન્ટમાં જમા ન થયા. આ અંગે તપાસ કરવા માટે યુવક તેના સીએની ઓફિસે પહોંચ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે ટેક્સ રિફંડના રૂપિયા પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં જમા થયા છે. આ જાણીને અમિત ચોંકી ઉઠ્યો, કારણકે તેનું પંજાબ નેશનલ બેંકમાં કોઈ ખાતું હતું જ નહીં. ઠગબાજે TDSના 29 લાખ પણ પોતાનો હોવાનો દાવો કર્યોવધુ તપાસમાં ભાંડો ફૂટ્યો કે પશ્ચિમ બંગાળના દિનહાતા બ્રાંચમાં કોઈ અજાણ્યા ગઠિયાએ અમિત ત્રિવેદીના નામ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને બનાવટી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલું જ નહીં, આ ગઠિયાએ આ નકલી એકાઉન્ટમાં ટેક્સ રિફંડના રૂપિયા મેળવી લીધા હતા. આ ઉપરાંત, ગઠિયાએ ડ્રીમ-11માં જીતેલા રૂપિયા અને TDSના 29 લાખ રૂપિયા પર પણ પોતાનો દાવો કર્યો હતો. વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદછેવટે, પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી બાદ અમિત ત્રિવેદીએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બનાવટી એકાઉન્ટ ખોલાવનાર અને છેતરપિંડી કરનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે. ડિજિટલ યુગમાં આ પ્રકારના કિસ્સાઓ ઓનલાઈન વ્યવહારો અને વ્યક્તિગત દસ્તાવેજોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:36 pm

જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીને કેન્દ્રની મંજૂરી:પ્રસ્તાવિત બદલી સામે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વિરોધ સ્વરૂપે હડતાળ કરવામાં આવી હતી

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ.રોયની ટ્રાન્સફરને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ભટ્ટની ટ્રાન્સફર મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે કરવામાં આવી છે. જ્યારે જસ્ટિસ રોયને તેમની મૂળ હાઇકોર્ટ આંધ્રપ્રદેશ હાઇકોર્ટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ભટ્ટની બદલીના કોલેજિયમના પ્રસ્તાવ બાદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જસ્ટિસ ભટ્ટની ટ્રાન્સફર નહીં કરવાની રજૂઆત કરવામાં આવી હતી. 14 હાઈકોર્ટના જજોની ટ્રાન્સફરનો પ્રસ્તાવ મૂક્યો હતોસુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઓગસ્ટમાં જસ્ટિસ ભટ્ટ અને રોય સહિત જુદી-જુદી 14 હાઈકોર્ટના જજોની ટ્રાન્સફરનો પ્રસ્તાવ મૂક્યો હતો. જસ્ટિસ સંદીપ ભટ્ટની પ્રસ્તાવિત બદલીનો ગુજરાત બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં 26મી ઓગસ્ટે એડવોકેટ્સ કોર્ટના કામકાજથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. પ્રસ્તાવિત ટ્રાન્સફર સામે વિરોધ વ્યક્ત કર્યો હતોગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના એક પ્રતિનિધિમંડળે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈને મળીને કોલેજિયમને જસ્ટિસ ભટ્ટની ટ્રાન્સફરના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. બાર તરફથી સૌથી પ્રામાણિક અને સંનિષ્ઠ, નમ્ર, સ્પષ્ટ જજો પૈકી જસ્ટિસ ભટ્ટ એક હોવાની દલીલ કરી હતી અને તેમના પ્રસ્તાવિત ટ્રાન્સફર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. હાઇકોર્ટમાં વર્ષ 1994માં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતીનોંધનીય છે કે, જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનો જન્મ રાજકોટ ખાતે થયો છે. વર્ષ 1993માં તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એડવોકેટ તરીકે એનરોલ થયા હતા. ત્યાર બાદ તેમણે વકીલાતના વ્યવસાયમાં સફળતાપૂર્વક મંડાણ કર્યું હતું. તેઓ તજજ્ઞ એડવોકેટ્સના કુટુંબથી જ આવે છે અને તેમના પિતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન પણ રહી ચુક્યા છે. જસ્ટિસ સંદીપ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 1994માં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2023 માં તેમની આંધ્રપ્રદેશથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી કરાઈ હતીડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ સહિત અનેક રાષ્ટ્રીય બેંક માટે તેમણે એડવોકેટ તરીકેની સેવાઓ પુરી પાડી હતી. તેઓ વર્ષ 2021માં ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા. બીજી તરફ જસ્ટિસ રોયને તેમના મૂળ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં પરત મોકલતા તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નવેમ્બર, 2023 માં તેમની આંધ્રપ્રદેશથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:35 pm

મોરબીમાં અપમૃત્યુના ચાર બનાવ:ટંકારા, નવા જાંબુડિયા, ઉમિયાનગર, ઉમા ટાઉનશીપ પાસે એક વૃદ્ધા, એક આધેડ અને બે યુવાનના મોત

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યાએ અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને બે યુવાનના મોત થયા છે. પોલીસે તમામ બનાવની નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, ટંકારા તાલુકાના નસીતપર ગામના અરજણભાઈ શીવાભાઈ કોળી (ઉં.વ. 55) મોરબી તાલુકાના થોરળા ગામના પાટિયા પાસે શિવ ફાર્મ નજીક નાળામાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને મોરબી તાલુકા પોલીસે આ અંગે જાણ કરી હતી. બીજા બનાવમાં, મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ શિવમ બોર્ડર ટાઇલ્સ કારખાનામાં કામ કરતા મડકામ ટોસે બીરુઆ (ઉં.વ. 41) ગઈકાલે બપોરે ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો અને મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. ત્રીજી ઘટનામાં, મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉમિયાનગરમાં રહેતા વિજયાબેન તુલસીભાઈ દેત્રોજા (ઉં.વ. 75)એ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક આયુષ હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેઓ લાંબા સમયથી ઢીંચણના દુખાવાથી પીડાતા હતા અને તેનાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી છે. ચોથા બનાવમાં, મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે રહેતો મેહુલ રસિકભાઈ જોગીયાણી (ઉં.વ. 25) ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઓટલા પરથી પડી ગયો હતો. તેને માથાના આગળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેના પિતા રસિકભાઈ જોગીયાણી તેને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:30 pm

મહીસાગરમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી:કુપોષણ મુક્ત જિલ્લાના ધ્યેય સાથે કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના મહત્ત્વાકાંક્ષી 'પોષણ અભિયાન' અંતર્ગત મહીસાગર જિલ્લામાં 'પોષણ સંગમ જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના ધ્યેય સાથે તમામ તાલુકાઓમાં ગ્રામ્ય અને શહેરી સ્તરે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. આયોજન જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો દ્વારા ગામ દીઠ અને વોર્ડ દીઠ કરવામાં આવ્યું હતું.પોષણ સંગમ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવાનો છે. આ અંતર્ગત SAM/MAM/SUW/MUW કેટેગરીમાંથી ઉપલા ગ્રેડમાં (લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં) આવેલા બાળકોના માતા-પિતાનું વિશેષ સન્માન કરાયું. વાલીઓને પોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથરૂમાલ આપી ગૌરવ વધારવામાં આવ્યું, તેમજ સુપોષિત બાળકોને ક્રેયોન્સ કલર અને કલર બુક ભેટ અપાઈ. આ પ્રસંગે સમુદાયમાં પોષણ જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોનો રોજીંદા જીવનમાં ઉપયોગ થાય તે માટે જાગૃતિ કેળવાઈ. તાલુકાના છેવાડાના ગામડાઓમાં પણ સમુદાયને પોષણ મૂલ્યો અંગે જાગૃત કરી તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા.પંચાયત હોલ, આંગણવાડી કેન્દ્ર અથવા અન્ય મોટી જગ્યાએ આયોજિત આ કાર્યક્રમોમાં આંગણવાડીના લાભાર્થીઓના વાલીઓ, સરપંચો, સ્થાનિક અધિકારીઓ/પદાધિકારીઓ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, દૂધ સહકારી મંડળીના હોદ્દેદારો, ગ્રામસેવક, સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:22 pm

દિવાળી પહેલાં ઘીના સાત નમૂનાઓ ફેલ:કોસાડની ડેરીમાંથી લેવાયેલા ઘીના નમુનાઓમાં 'ટ્રાન્સ ફેટી એસિડ' બે ટકાથી વધુ, ઇન્ટરએસ્ટરીફાઇડ ચરબી મળી

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક્શન મોડમાં છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. શહેરમાં ડુપ્લીકેટ ઘીની આશંકાએ અગાઉ પોલીસ સાથે ફૂડ ખાતાએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા, તેમાંથી લેવાયેલા ઘીના તમામ 7 નમૂનાઓ ફેલ જાહેર થયા છે. આ રિપોર્ટ બાદ શહેરના ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ તમામ નમૂનાઓ ખાદ્ય સુરક્ષાના ધારા ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોસાડની ડેરીમાંથી 7 નમૂનાઓ લેવાયા હતાગત તારીખ 3 ઓક્ટોબરના રોજ અમરોલી-કોસાડ ગામ નજીક પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમે આ વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવા ડેરી પ્રોડક્ટસ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને ન્યૂ આદિનાથ ડેરી (ગોડાઉન) સહિતની સંસ્થાઓમાંથી 'ઘી'ના કુલ સાત નમૂનાઓ લીધા હતા. દિવાળીના તહેવારમાં ઘી અને મિઠાઈઓનો વપરાશ વધતો હોવાથી ફૂડ વિભાગે આ સંસ્થાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નમૂનાઓ લીધા બાદ તેને પૃથક્કરણ માટે મહાપાલિકાની પબ્લિક ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઘીના 7 નમૂનાઓ ફેઇલ જાહેર કરાયામહાપાલિકાની પબ્લિક ફૂડ લેબમાં ફૂડ એનાલિસ્ટ સાહિદ હરાદવાલા દ્વારા આ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે, જેને કારણે આ 7 નમૂનાઓ ફેઇલ જાહેર કરાયા છે. ઘીમાં મળી 'બાહ્ય ચરબી'આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરના જણાવ્યા મુજબ, આ નમૂનાઓ ગુણવત્તાહીન ઘીની શ્રેણીમાં આવે છે. કારણ કે તેમાં બાહ્ય ચરબીની હાજરી મળી આવી છે અને તે શુદ્ધ ઘી માટે FSSAI દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરતા નથી. ઘીમાં ટ્રાન્સ ફેટી એસિડ (TFA)નું પ્રમાણ 2 ટકાથી વધુઆ નમૂનાઓ નિષ્ફળ જવા પાછળનું સૌથી ગંભીર કારણ એ છે કે તપાસમાં ઘીમાં ઇન્ટરએસ્ટરીફાઇડ બાહ્ય ચરબી મળી આવી છે. આ ઉપરાંત, ઘીમાં ટ્રાન્સ ફેટી એસિડ (TFA)નું પ્રમાણ 2 ટકાથી વધુ હોવાનું બહાર આવ્યું છે. ટ્રાન્સ ફેટી એસિડનું વધુ સેવન હૃદયરોગ સહિત અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને તે ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ જરાય માન્ય નથી. આ તારણો સ્પષ્ટ કરે છે કે વેપારીઓ ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકીને નફાખોરી કરી રહ્યા હતા, જે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006નું સીધું ઉલ્લંઘન છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે કાર્યવાહી કરાશેઆ સાતેય નમૂનાઓ ફેલ થતા ફૂડ વિભાગે હવે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પૃથક્કરણ રિપોર્ટના આધારે આ તમામ સંસ્થાઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર એડજ્યુડિકેટિંગ ઓફિસર, સુરત અને મ્યુનિસિપલ કોર્ટ, સુરત સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે. મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, દિવાળીના તહેવારમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:22 pm

મહીસાગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી:ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને યોજનાઓનું માર્ગદર્શન મળ્યું

ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં 'કૃષિ વિકાસ દિન' અને 'રવિ કૃષિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રવિ સિઝનના પાકો માટે આધુનિક કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન પૂરું પાડવાનો અને વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવાનો હતો. મહીસાગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ લુણાવાડાની 42 પાટીદાર સમાજવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ ગોધરા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કૃષિ કાર્યમાં મદદરૂપ થવા માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આનાથી ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવામાં પ્રોત્સાહન મળશે. આ મહોત્સવમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવો અને ખેડૂતોએ કૃષિ અને આનુષંગિક વિભાગો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. આ મહોત્સવ ખેડૂતોને આધુનિક ખેતીની જાણકારી અને સરકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરવામાં સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:18 pm

કુતિયાણા નજીક અકસ્માતમાં યુવાનનું મોત:મહિલા સરપંચના પુત્ર સામે ફરિયાદ; બેંકમાં બખેડો, હદપાર કરાયેલો શખ્સ ઝડપાયો

પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક ચૌટા ગામે એક માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. હમીરભાઈ લખમણભાઈ વરુ નામનો યુવાન પોતાના મોટરસાયકલ (નંબર GJ11CE8038) પર કુતિયાણા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બોલેરો પીકઅપ (નંબર GJ37T8416) ના ચાલકે તેને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં હમીરભાઈ લખમણભાઈ વરુને જીવલેણ ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ વીરાભાઈ વરુએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બોલેરો પીકઅપ વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા સરપંચના પુત્ર સામે જાહેરનામા ભંગની ફરિયાદઅન્ય એક ઘટનામાં, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામના મહિલા સરપંચના પુત્ર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. વેજાભાઈ મારખીભાઈ વરુએ તંત્રની મંજૂરી વગર રામ મંદિર ચોકમાં રાજકીય જનસભાનું આયોજન કર્યું હતું.આયોજન માટે જરૂરી પરવાનગી ન લેવા બદલ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જોવા મળી રહી છે. ધારીયું લઈને બેન્કમાં પ્રવેશ્યો શખ્સવિસાવાડા ગામે આવેલી બેંક ઓફ બરોડામાં અનિલ સાંજણ કેશવાલા નામના શખ્સે ધારીયું લઈને પ્રવેશ કર્યો હતો. તેણે બેંક કર્મચારી સૌરભકુમાર પ્રબોદકુમારને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની ફરજમાં રૂકાવટ કરી હતી.આ બનાવ અંગે મિયાણી મરીન પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.દ હદપારીના આદેશનું ઉલ્લંઘન કરનાર ઝડપાયોપોરબંદર જિલ્લામાંથી છ મહિના માટે હદપાર કરાયેલા એક શખ્સને મિયાણી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. વિસાવાડા ગામનો રહેવાસી નાગાજણ લખમણ ઓડેદરાને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો. હદપારીના આદેશનું ઉલ્લંઘન કરીને તે મિયાણી ગામેથી મળી આવતા, મિયાણી મરીન પોલીસે તેની સામે હદપારી ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 9:11 pm

દાંતીવાડા ડેમમાં યુવકની હત્યા મામલે ચાર ઝડપાયા:ફિશિંગ કોન્ટ્રાક્ટ વિવાદમાં યુવકને બોટમાંથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

દાંતીવાડા ડેમમાં 8 ઓક્ટોબરની રાતે એક યુવકની હત્યા થઈ હતી. જે કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત ચાર શખસોની ધરપકડ કરી છે. ફિશિંગ કોન્ટ્રાક્ટના વિવાદમાં યુવકને બોટમાંથી પાણીમાં ફેંકી ડુબાડી દેવામાં આવ્યો હતો. આ ઘટના અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મળતી માહિતી મુજબ, મકસુદ મુસ્તફા નામના યુવકે દાંતીવાડા ડેમમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. રાત્રિ દરમિયાન તે ડેમમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જેથી અન્ય કોઈ માછલીઓ ન પકડે. તે સમયે તેને ચાર શખસો ફિશિંગ કરતા જોવા મળ્યા. મકસુદે તેમને પોતાનો કોન્ટ્રાક્ટ હોવાથી ફિશિંગ ન કરવા જણાવ્યું. આથી ઉશ્કેરાયેલા શખસોએ તેને પોતાની બોટમાં ખેંચી લીધો હતો. ઝપાઝપી બાદ તેને પાણીમાં ફેંકી દેવામાં આવ્યો અને બહાર ન આવવા દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ પોલીસે ગણતરીના દિવસોમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ચારેય શખસોને ઝડપી પાડ્યા હતા. હાલ તેમને રિમાન્ડ પર રાખી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:55 pm

મોરબી હત્યા-લૂંટનો આરોપી 23 વર્ષે મથુરાથી ઝડપાયો:સાધુના વેશમાં છુપાયેલો હતો, કોર્ટે 18મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

મોરબીમાં 23 વર્ષ પહેલા થયેલી વૃદ્ધાની હત્યા અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલને પોલીસે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સાધુના વેશમાં છુપાયેલો હતો. મોરબી કોર્ટે આરોપીના 18મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો આપવામાં આવી હતી. આ ગુનો વર્ષ 2002માં મોરબી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રાજપર ખારીમાં બન્યો હતો. ફરિયાદી અશોકભાઈ પોપટભાઈ વરાણીયાની નવી માતા ચંપાબેન (60)ની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ ચંપાબેનને કપડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને તેમના પહેરેલા સોનાના પાટલા, ચેન તેમજ ચાંદીના કડલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં મૃતક મહિલાની સેવા કરતી સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઈ પરમાર (મૂળ સોખડા, તા. ડોદરા) અને પ્રેમસિંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલ (મૂળ અવાર, તા. કુહેર, રાજસ્થાન)ના નામ સામે આવ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તેમના વતનમાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. તાજેતરમાં મોરબી જિલ્લા એલસીબી ટીમને માહિતી મળી હતી કે પ્રેમસિંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલ મથુરા જિલ્લામાં સાધુના વેશમાં રહે છે. એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેમની ટીમે વેશપલટો કરીને મથુરાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલા હનુમાનજી મંદિરે પહોંચી હતી. આરોપીએ સ્થાનિક લોકોના સહયોગથી આ મંદિર બનાવ્યું હતું અને ત્યાં સાધુ તરીકે સેવા પૂજા કરતો હતો. પોલીસે આરોપીની ઓળખ તેના પરિવારજનો સાથે કરાવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. મથુરાથી મોરબી લાવીને તેને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરતા તેના 18મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:54 pm

'કોર્પોરેટરોને નવા પ્રદેશ પ્રમુખ માટે ગંભીરતા નથી':જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહની બેઠકમાં 20માંથી 10 કોર્પોરેટર ગેરહાજર, MP દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરી

ગુજરાત રાજ્યના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો 17 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા અભિવાદન સમારોહ યોજાવાનો છે. જેને લઈને અમદાવાદ શહેર ભાજપ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાની આગેવાનીમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરથી લઈને તમામ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપણી કમનસીબી છે કે, બેઠકમાં 20માંથી 10 કોર્પોરેટર ગેરહાજર છે. ચૂંટણીના ત્રણ મહિના બાકી છે. આપણા અમદાવાદના જ નિયુક્ત ગુજરાત પ્રેદેશ પ્રમુખના અભિવાદન સમારોહ માટે જો ગંભીરતા ન હોય તો આપણે શું સમજવું જોઇએ. પાર્ટીના મોરચાના પ્રમુખ અને મહામંત્રી તો પોન કરે પરંતુ ચૂંટાયેલી પાંખને તો પોતાની ગંભીરતા હોવી જોઇએ. 'દરેક કાર્યક્રમમાં કોણ હાજર અને કોણ ગેરહાજર બધી માહિતી છે'ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં દિનેશ મકવાણાએ તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરોની હાજરીમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ એક ખાનગી રિપોર્ટ રાખે છે. પ્રમુખે મને પૂછાવડાવ્યું છે કે, પૂછો તમે કે કેટલા કોર્પોરેટરો હાજર છે. 20માંથી 10 કોર્પોરેટરો ગેરહાજર છે. શહેર પ્રમુખ પાસે દરેક કાર્યક્રમમાં કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે બધી માહિતી છે. બધાને બોલાવીને કહે છે જેમાં કેટલાકને ખાનગીમાં કહે છે તો કેટલાકને જાહેરમાં પણ કહે છે. કેટલાક કોર્પોરેટરોને તો અનુભવ પણ હશે. આ સમગ્ર બેઠકમાં દિનેશ મકવાણાએ જે નારાજગી વ્યક્ત કરી છે તેનો વીડિયો સામે આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ દિનેશ મકવાણાએ બળાપો ઠાલવ્યોગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમદાવાદ શહેરમાંથી મળ્યા છે, પરંતુ ભાજપના કેટલાક કોર્પોરેટરો આ બાબતે ગંભીર ન હોવાનો બળાપો શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ દિનેશ મકવાણાએ ઠાલવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરોથી ખૂબ નારાજ હોવાનું સામે આવ્યું છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 2000 લોકોને ભેગા કરવાના છે. જેના માટે શહેર ભાજપના તમામ મોરચાથી લઈ કાર્યકર્તાઓને બેઠકો કરવામાં આવે છે. કોર્પોરેટરો પક્ષ માટે ગંભીર નથી તો પ્રજા માટે ગંભીર કેમ રહેશેત્રણ દિવસથી શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ દિનેશ મકવાણા સાથે અને અન્ય હોદ્દેદારો સાથે ચર્ચા કરી અને પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં કાર્યકર્તાઓની હાજરીને લઈને ચર્ચા વિચારણા કરે છે, પરંતુ ભાજપના કોર્પોરેટરોને જાણ કરવા છતાં પણ તેઓ આ બાબતે ગંભીર નથી અને વાતચીત કરવા માટે હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પહેલા જ જો ભાજપના કોર્પોરેટરો તેમના પક્ષ માટે જ ગંભીર નથી તો પ્રજા માટે ગંભીર રહેશે કે કેમ તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગી સ્પષ્ટ દેખાઈઉલ્લેખનીય છે કે, આ સમગ્ર બાબત જ્યારે દિનેશ મકવાણા કહી રહ્યા હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહના મોઢા ઉપર ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:41 pm

SOG અને આરોગ્ય વિભાગની કાર્યવાહી:યોગીચોકમાંથી બે ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત, 70 કિલો રો-મટીરીયલ અને ક્રીમનો જથ્થો મળી આવ્યો

સુરત શહેરના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે ભેળસેળ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. પુણા-યોગીચોક વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર સંયુક્ત દરોડો પાડીને શંકાસ્પદ 80 કિલો માખણનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 70 કિલો રો-મટીરીયલ અને ક્રીમનો જથ્થો પણ મળી આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે બંને ડેરીઓ પર દરોડાસુરત SOG ઘણા સમયથી શહેરના ડેરી ઉત્પાદકો અને મીઠાઈની દુકાનો પર નજર રાખી રહી હતી. ચોક્કસ બાતમી મળી હતી કે પુણા યોગીચોક વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીની ખોડીયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો દ્વારા ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે SOGની ટીમે SMCના ફૂડ સેફ્ટી ઓફિસર સેજલબેન વ્યાસ અને રિદ્ધિબેન પટેલને સાથે રાખીને તાત્કાલિક બંને ડેરીઓ પર દરોડા પાડ્યા હતા. 60 કિલો અને 20 કિલોનો શંકાસ્પદ જથ્થો જપ્તસંયુક્ત કાર્યવાહી દરમિયાન, બંને ડેરીઓમાંથી શંકાસ્પદ માખણનો જંગી જથ્થો મળી આવ્યો, ખોડીયાર ડેરીના સંચાલક અશોકભાઈ લાલજીભાઈ સોલંકી (રહે. મહાવીર નગર સોસાયટી, યોગીચોક) પાસેથી 60 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ કાળાભાઈ ઠુમ્મર (રહે. સપન વિલા સોસાયટી, કામરેજ) પાસેથી 20 કિલો શંકાસ્પદ માખણ મળી આવ્યું હતું. આમ, કુલ 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત, માખણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 70 કિલો રો-મટીરીયલ અને ક્રીમનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે અને SMCની ટીમે કુલ્લે રૂપિયા 36 હજારની કિંમતનો આ તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. લેબ ટેસ્ટિંગ બાદ કડક કાયદાકીય પગલાંSMCની ફૂડ સેફ્ટી ટીમે જપ્ત કરાયેલા માખણના જથ્થામાંથી તાત્કાલિક જરૂરી સેમ્પલ લઈ લીધા છે. આ સેમ્પલને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જો લેબ ટેસ્ટિંગમાં આ નમૂનાઓ ભેળસેળવાળા સાબિત થશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના ધારાધોરણોમાં ફેલ જશે, તો બંને ડેરી સંચાલકો વિરુદ્ધ કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:33 pm

રિવરફ્રન્ટ પર યોજાયેલા એક લગ્ન રિસેપ્શનમાં ચોરી:ઇવેન્ટ સેન્ટર બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી 1.80 લાખની કિંમતી મતાની ચોરી, CCTV આધારે તપાસ શરૂ

અમદાવાદ શહેરના એલિસબ્રિજના કાગદીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા ફહામ તીરમીઝીના લગ્ન બાદ ગત તારીખ 12 મીએ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં લગ્નનું રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. આશરે બે હજાર જેટલા મહેમાનોએ નવદંપતીને ગિફ્ટ, દાગીના અને કવરમાં વ્યવહાર આપ્યો હતો. પરિવારજનોએ આ તમામ કિંમતી વસ્તુઓ ઇવેન્ટ સેન્ટરની બહાર પાર્ક કરેલી ગાડીમાં મૂકી હતી. જોકે, રિસેપ્શન પૂરું થયા બાદ રાત્રે આશરે બાર વાગ્યાની આસપાસ જ્યારે પરિવાર ગાડી લેવા ગયો, ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા. ગાડીનો કાચ તૂટેલો હતો. તાત્કાલિક ગાડીમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગાડીમાં મૂકેલા દાગીના, પર્સ, વ્યવહારમાં આવેલા રોકડ રકમવાળા કવરો અને ગિફ્ટ સહિત કુલ 1.80 લાખ રૂપિયાની કિંમતી મતાની ચોરી થઈ ચૂકી હતી. આ સમગ્ર મામલે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી ચોરોને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:32 pm

16 વર્ષ પૂર્વે જજની ફરજિયાત નિવૃત્તિને હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી:જજ સામે પક્ષપાત પૂર્ણ કાર્યવાહી થઈ હોવાની કોર્ટ સમક્ષ રજુઆત, બાકીનો પગાર અને નિવૃતિ લાભો મળશે

સાંબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ પામેલા જજને 16 વર્ષ પૂર્વે ફરજિયાત નિવૃત્ત કરવાના નિર્ણયને હાઇકોર્ટની ખંડપીઠે રદ કર્યો છે. હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન.રેની બેંચે ચુકાદો આપતાં એવું અવલોકન કર્યું હતું કે આ મામલે સમીક્ષા સમિતિ તરફથી સંભવિત પક્ષપાત થયો હોઇ ન્યાયિક અધિકારીની ફરજિયાત નિવૃત્તિ રદ કરવામાં આવે છે. જ્યુડિશિયલ અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતીહાઇકોર્ટની બેંચે એમ પણ નોંધ્યું હતું કે, 16 વર્ષ પહેલાં અરજદાર જ્યુડિશિયલ અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી. પરંતુ આ અધિકારીની શંકાસ્પદ પ્રામાણિકતા અંગેની પ્રતિકૂળ ટિપ્પણી માટે આધારભૂત પુરાવા નહોતા અને નિર્ણય લેનારી સમિતિના મનમાં પક્ષપાત હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેના તેમના કાર્ય અંગે ટીકાત્મક ટિપ્પણી કરી હતીઆ કેસમાં અરજદાર જજ તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાઈકોર્ટની એક ડિવિઝન બેંચે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેના તેમના કાર્ય અંગે ટીકાત્મક ટિપ્પણી કરી હતી. એ બે ન્યાયાધીશોમાંથી એક પાછળથી એ જ સમિતિનો ભાગ બન્યા હતા, જેમણે અરજદારની ફરજિયાત નિવૃત્તિની ભલામણ કરી હતી. જે જજે અરજદારની ટીકા કરી હોય તેમણે સમિતિની બેઠકમાંથી પોતાને દૂર રાખવા જોઈતા હતા. અધિકારીની પ્રામાણિકતા વિશેની ગુપ્ત નોંધો મૂળ રેકોર્ડમાં ખૂટે છેઆ દલીલ હાઇકોર્ટની ખંડપીઠે ગ્રાહ્ય રાખતાં નોંધ્યું હતું કે, આપણા માટે એ અવગણવું મુશ્કેલ છે કે એક જજે વર્ષ 2006ના રોજ અરજદારની ન્યાયિક કાર્યપદ્ધતિ વિશે પોતાનો મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને તેમ છતાંય તેઓ સમીક્ષા સમિતિનો ભાગ હોઈ શકે. આ પરિસ્થિતિઓ દર્શાવે છે કે ફૂલ કોર્ટનો અરજદાર પ્રત્યેનો નિર્ણય પ્રભાવિત થયો હતો. ACRમાં અધિકારીની પ્રામાણિકતા વિશેની ગુપ્ત નોંધો મૂળ રેકોર્ડમાં ખૂટે છે. અધિકારીના શંકાસ્પદ વર્તન અથવા પ્રતિષ્ઠાનો અંદાજ લગાવી શકાતો નથીબેંચે એવી નોંધ પણ કરી હતી કે માત્ર શક્યતા અથવા અફવા ફેલાવવાથી ન્યાયિક અધિકારીના શંકાસ્પદ વર્તન અથવા પ્રતિષ્ઠાનો અંદાજ લગાવી શકાતો નથી. ન્યાયિક પક્ષે નિર્ણય લેવામાં કાયદાની કોઈપણ ભૂલ પછી તે ગમે તેટલી ગંભીર હોય તેને અયોગ્ય હેતુઓ માટે જવાબદાર ન ગણવી જોઈએ. આ કોર્ટનું માનવું છે કે અરજદારની શંકાસ્પદ પ્રામાણિકતા અંગે રિપોર્ટિંગ અધિકારી દ્વારા દાખલ કરાયેલી પ્રતિકૂળ ટિપ્પણી ગુપ્ત નોંધના રૂપમાં કેટલાક આધારભૂત મટિરિઅલ પર આધારિત હોવી જોઈએ. અરજદાર નિવૃત્તિ લાભોના બાકી રકમ મેળવવા માટે હકદારકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, જો અરજદારના સર્વિસ રેકોર્ડમાં જ તેમના ન્યાયિક કાર્ય વિશે વાત કરવામાં આવી હોત તો ફરજિયાતપણે નિવૃત્ત કરવા અંગેની પરિસ્થિતિ કંઇક અલગ હોત. આ સંજોગોમાં કોર્ટે નોંધ્યું હતું કે કોર્ટ એવા નિષ્કર્ષ રપ પહોંચી છે કે સમીક્ષા સમિતિ દ્વારા અરજદારના સર્વિસ રેકોર્ડ જેવી સામગ્રીના મૂલ્યાંકનની કવાયત જાહેર હિતમાં લેવામાં આવેલા નિર્ણયમાં પરિણમી ન હતી. નિર્ણય લેવાની પ્રક્રિયા પક્ષપાતની વાજબી સંભાવનાના આધારે દુષિત થયેલી જણાય છે અને પરિણામે નિર્ણયને જાહેર હિતમાં નહીં પરંતુ બદઇરાદા ભરેલી ગણી શકાય છે. સાથે જ કોર્ટે અરજદારની અરજીને મંજૂર રાખતાં ફરજિયાત નિવૃત્તિને રદ કરતાં આદેશ કર્યો હતો કે અરજદાર તેના પગાર તેમજ નિવૃત્તિ લાભોના બાકી રકમ મેળવવા માટે હકદાર છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:30 pm

ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી ઝડપાઈ:રાજપરથી ₹1.32 લાખનો દારૂ અને આથો જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી ગામ તરફ જતા રસ્તા પરથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે દારૂ, આથો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,32,000નો જથ્થો જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં 245 લિટર દેશી દારૂ (કિંમત ₹49,000), 3000 લિટર આથો (કિંમત ₹75,000), 2 ગેસના બાટલા (કિંમત ₹2,000) અને 2 ગેસના ચૂલા (કિંમત ₹1,000) મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પો.હેડ કોન્સ્ટેબલ દશરથ ઘાંઘર અને પો.કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કેસમાં ગોપાલ ઠાકોર (રહે. વાવડી, તા. ધ્રાંગધ્રા) અને મનસુખ પ્રભુભાઈ કોળી (રહે. રાજપર, તા. ધ્રાંગધ્રા) નામના બે આરોપીઓ પકડવાના બાકી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:23 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કૈલાસબેન સોલંકી (ઉં.વ.27)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કૈલાસબેનના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા તેમના પતિ દિલીપસિંહ સોલંકીને કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે પાનની દુકાન છે. કૈલાસબેનના પિતા નાનુભાઈ ગોહિલ ખેતી કામ કરે છે. ગઈકાલે રાત્રે જમીને વાસણ સાફ કર્યા બાદ કૈલાસબેન પોતાના રૂમમાં ઉપરના માળે જતા રહ્યા હતા. પતિ દિલીપસિંહ અને ઘરના બીજા સભ્યો ટીવી જોતા હતા. ટીવી જોઈને પ્રદીપસિંહ ઉપર રૂમમાં સુવા માટે ગયા ત્યારે રૂમમાં બાથરૂમનો દરવાજો બંધ હોવાથી ખખડાવતા તે ન ખોલતા ઘરના બીજા સભ્યોને બોલાવી દરવાજો તોડતા, કૈલાશબેન બાથરૂમમાં ગળાફસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવતા ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ચિલઝડપ કરનાર અને ચોરીનો માલ રાખનાર બેલડી પાસામાં ધકેલાઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનાના દાગીનાની ચિલઝડપ તથા ચોરીનો માલ રાખનાર શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા પોલીસ કમિશ્નર દ્રારા પાસા મંજુર કરવામાં આવતા આરોપી ધર્મેશ ભુરા સનુરા (ઉ.વ.31)ને વડોદરા જેલ તથા કમલેશ હર્ષદ માંડલીયા (ઉ.વ.24)ને સુરત જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આરોપીઓએ છેલ્લા દોઢ માસમાં ચાર ચિલઝડપને અંજામ આપી ચુક્યાનું અને તમામ મુદ્દામાલ સોની બજારમાં પેઢી ધરાવતા વેપારી કમલેશ હર્ષદભાઈ માંડલીયાને વેંચ્યા હતાં. આરોપી મોટાભાગે 60 થી 70 વર્ષની ઉમર ધરાવતી વૃદ્ધાઓને જ ટાર્ગેટ કરતા હતા. જેમાં સાંજના સમયે ઘરની બહાર નીકળતી વૃદ્ધાઓએ ગળામાં પહેરેલ સોનાના ઘરેણાંની ચિલઝડપ આચરી બાઈક પર ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે, ચોરીનો માલ ખરીદનાર કમલેશ માંડલીયા લિસ્ટેડ બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર હોવાનું તેમજ આરોપી ધર્મેશ સનુરા ચાર ગુન્હામાં તેમજ કમલેશ માંડલીયા બે ગુન્હામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો અફઝલ સૈયદ ઝડપાયો ભક્તિનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હુડકો અરવિંદભાઇ મણીયાર સી-કવાર્ટર શેરી નં.46 કવાર્ટર નં.32 જયશ્રીબેન વડગામાના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ ગાંજાનો જથ્થો વેંચવાની ફિરાકમાં હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી અફઝલ રજાકમીયા સૈયદ (ઉ.વ.37) ને પકડી પાડી ગાંજાનો જથ્થો 999.600 ગ્રામ રૂ.9,960 અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આજીડેમ પીઆઇ એ.બી.જાડેજાએ હાથ ધરી છે. પકડાયેલ શખ્સ મૂળ ધોરાજીનો વતની છે અને અહીં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરે છે. તે જૂનાગઢથી ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની પ્રાથમિક કબૂલાત આપી છે. ફાલ્કન પંપમાંથી કોપરની ચોરી કરનાર આરોપી ઝડપાયો વાવડી સ્થિત ફાલ્કન પંપ ખાતે આઈટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ દીલીપસિંહ જાડેજાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.21.09.2025ના રોજ લંચ બ્રેક દરમ્યાન પ્રોડક્શન સુપરવાઇઝર વત્સલભાઈ ભાલોડીયાએ જણાવ્યું કે, ફાલ્કન પંપ ખાતે પ્રેસ ખાતાના વર્કર તરીકે કામ કરતા અમોદકુમારએ સ્ટોર ડીપાર્ટમેન્ટ ખાતેથી એક પ્લાસ્ટિકના પાણીના જગમાં કોપર રોડ ચોરી કરી લઇ જવાના ઇરાદે ડાયકાસ્ટ ડીપાર્ટમેન્ટ ખાતે છુપાવી રાખેલ છે જેને મોટર ફીટીંગ ખાતામાં નોકરી કરતા મહાવીર રામએ રોડ ભરી છુપાવતા જોયેલ છે. જેથી અમોદકુમારને સાથે રાખી તેણે જે પાણીનો જગ છુપાવી રાખેલ હતો તેમા તપાસ કરતા 10 કિલોગ્રામનું કોપર રોડ બંચ મળી આવ્યું હતું. બાદમાં તેણે ચોરીના ઇરાદે આ બંચ છુપાવ્યું હોય અને અગાઉ પણ આ પ્રકારે ચોરી કર્યાનું જણાવ્યુ હતું. બાદમાં અમોદકુમાર ડાયકાસ્ટ ડીપાર્ટમેન્ટ ખાતે આવી બારીમાંથી બહાર કુદી નાસી ગયો હતો. તપાસ કરતા એકાદ મહીના દરમ્યાન આશરે 200 કીલોગ્રામ કોપર રોડના બંચ અમોદકુમાર ચોરી કરી ગયાનું જાણવા મળતા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી આરોપી અમોદકુમાર ઉર્ફે અમન રામસ્વાર્થ સિંઘ રાજપુત (ઉ.વ.32)ને ઝડપી તાલુકા પોલીસ હવાલે કરતા તાલુકા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:20 pm

વણોદમાં રૂ. 1.44 કરોડના ખર્ચે 9 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત:પાટડીની પે.સેન્ટર પ્રાથમિક શાળામાં ધારાસભ્યના હસ્તે નિર્માણ કાર્ય શરૂ

પાટડી તાલુકાના વણોદ ગામે પે.સેન્ટર પ્રાથમિક શાળામાં રૂ. 1.44 કરોડના ખર્ચે 9 નવા ઓરડા-વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતર અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ અવસરે વિકાસ રથયાત્રા દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી અને લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પાટડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ રમેશ ઠાકોર, તાલુકા સદસ્ય ધવલ પટેલ, આગેવાનો ખેંગાર ડોડીયા, સરદારજી ઠાકોર, હસુ પાવરા સહિત અનેક આગેવાનો, અધિકારીઓ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:18 pm

પ્રાથમિક શિક્ષકો માટે TET-1 પરીક્ષાનું શેડ્યુલ જાહેર:29 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી, 14 ડિસેમ્બરે પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓ (ધોરણ 1થી 5)માં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા હજારો યુવાનો માટે TET-1 પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક માટે પાત્રતા મળશે. પરીક્ષા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઑક્ટોબર, 2025થી શરૂ થશે, જ્યારે 14 ડિસેમ્બર, 2025ના રોજ પરીક્ષા યોજાશે. 150 પ્રશ્નો માટે 90 મિનિટનો સમય ફાળવવામાં આવશેરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા પ્રાથમિક શિક્ષકો (વર્ગ 1થી 5) માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ-1 (TET-1) 2025ની સૂચના જારી કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્રતા મળશે. જાહેરાત ક્રમાંક TET1/2025/12028-12140 અનુસાર, ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઓક્ટોબર 2025થી શરૂ થઈને 12 નવેમ્બર 2025 સુધી ચાલશે. પરીક્ષા તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે. આ પરીક્ષા 150 માર્ક્સની હશે, જેમાં 150 મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs) હશે અને સમય 90 મિનિટનો રહેશે. જાણો કેટલી સમય મર્યાદા અને અરજી માટેની ફી કેટલીપાત્રતા માપદંડો અનુસાર ઉમેદવારોએ ક્વોલિફિકેશન મેળવેલું હોવું જોઈએ. સામાન્ય વર્ગ માટે વયમર્યાદા 18થી 35 વર્ષ છે, જ્યારે અનુસૂચિત જાતિ/જનજાતિ, SEBC, PH અને EWS વર્ગ માટે છૂટછાટ આપવામાં આવી છે. અરજી ફી સામાન્ય વર્ગ માટે રૂ. 350 અને અન્ય વર્ગો માટે રૂ. 250 રાખવામાં આવી છે. TAT-1ની જાહેરાતથી હજારો યુવા ઉમેદવારોને તક150 માર્ક્સની આ પરીક્ષામાં ભાષા, ગણિત, સામાન્ય જ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર જેવા વિષયો આવરી લેવાશે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) પર અરજી કરવાની રહેશે. વિગતવાર અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. ઉમેદવારોએ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને ફોટો/સહી અપલોડ કરવાના રહેશે. આ જાહેરાતથી હજારો યુવા ઉમેદવારોને તક મળશે અને રાજ્યની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:10 pm

નવસારી પોલીસે 'ત્રણ વાત તમારી' કાર્યક્રમ યોજ્યો:ગણેશ મંડળોને સન્માનિત કરાયા, રીક્ષા ચાલકોને આઈડેન્ટિટી નંબર અપાયા, આંગડિયાને ગાઈડલાઈન

નવસારી જિલ્લા પોલીસે 'ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી' નામનો એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થયેલા ગણેશ મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આદર્શ મંડળનું ઉદાહરણ પૂરું પાડનાર ગણેશ મંડળોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કુલ 10 પોલીસ સ્ટેશનના 50 આદર્શ ગણેશ મંડળોને પ્રોત્સાહન ઇનામ પણ વિતરણ કરાયા હતા. આ ઉપરાંત, નવસારી જિલ્લામાં આવેલા વિજલપોર અને ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં ફરતી આશરે 2500 જેટલી રીક્ષાના ચાલકોને આઇડેન્ટિટી નંબર આપવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને રીક્ષામાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન આંગડિયા પેઢીઓમાં મોટા પાયે પૈસાની લેવડ-દેવડ થતી હોય છે, જેમાં લૂંટની ઘટનાઓ બનવાની શક્યતા રહે છે. આને રોકવા માટે નવસારી શહેરના આંગડિયા અને જ્વેલર્સને દિવાળી દરમિયાન સુરક્ષિત રીતે વેપાર કરવા અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. જિલ્લા પોલીસે આંગડિયા પેઢીના કરોડોના હેરાફેરી માટે જરૂર પડ્યે પ્રોટેક્શન આપવાની પણ તૈયારી દર્શાવી હતી. વેપારીઓને તહેવાર દરમિયાન કીમતી દાગીનાઓને કઈ રીતે સાચવવા અને પોલીસની મદદ કઈ રીતે લઈ શકાય તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે ઝીણવટભરી રીતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 8:08 pm

ગઢડા-ઢસા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત:બોટાદના યુવકનું ઘટનાસ્થળે મોત, મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો

ગઢડા-ઢસા રોડ પર CNG પમ્પ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ચાલક ઢસાથી ગઢડા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ ટક્કરના કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ તપાસમાં મૃતક બાઈક ચાલકની ઓળખ બોટાદના વિશાલભાઈ રમેશભાઈ બારૈયા તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતાં જ ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. હેમાન માંકડે આ અંગે પ્રાથમિક માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:59 pm

Editor’s View : શરીફે ચાપલુસીની હદ વટાવી:ટ્રમ્પને શાંતિદૂત ગણાવી દીધા, મોદીએ ઈજિપ્ત ન જઈને સણસણતો જવાબ આપ્યો; શાંતિ સમિટની ઘટનાઓથી દુનિયા દંગ

ઈજિપ્તમાં પીસ સમિટ હતી. શાંતિની વાતો તો થઈ પણ કેન્દ્ર સ્થાને ઈટાલીનાં 48 વર્ષનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની રહ્યાં. ડોનાલ્ડ ટ્રમ્પે મંચ પરથી મેલોનીને બ્યુટિફૂલ લેડી કહ્યાં તો હળવા અંદાજમાં તુર્કીના રાષ્ટ્રપતિએ મેલોનીને એવું કહ્યું કે તમે પ્લેનમાંથી ઉતરતાં હતાં તો બહુ સુંદર લાગતાં હતાં. પછી તો તુર્કીના રાષ્ટ્રપતિએ મેલોનીને એવું કહ્યું કે તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ ત્યારે બાજુમાં ઊભેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન એવું બોલ્યા કે ઈમ્પોસિબલ… ઈજિપ્તની પીસ સમિટમાં વાતો તો થઈ પણ આવી મોમેન્ટના કારણે આ સમિટ વધારે ચર્ચામાં રહી. એમાં પણ શાહબાઝ શરીફે ટ્રમ્પને જે ‘સાષ્ટાંગ’ કર્યા તેની ચર્ચા તો બહુ જ થઈ. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ટ્રમ્પ પાસે ઘૂંટણિયે પડી જાય છે. આ વખતે પણ એવું જ થયું. ઈઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ પછી ઈજિપ્તના શર્મ-અલ-શેખ રિસોર્ટ સિટીમાં શાંતિ સમિટ હતી. જેમાં 20 દેશના નેતાઓ હાજર રહ્યા હતા. મોદીને પણ આમંત્રણ હતું પણ તે ગયા નહિ. તેના બદલે વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધનસિંહ ઈજિપ્ત ગયા હતા. આજે શાહબાઝની ચાપલુસી, મોદીની ગેરહાજરી અને ગાઝા પીસ સમિટના આટાપાટાની વાત... નમસ્કાર, ગાઝા અને ઈઝરાયલ વચ્ચે બે વર્ષથી ચાલતું યુદ્ધ અંતે ખતમ થયું. એનાથી મીડલ ઈસ્ટમાં સૌ સારાંવાનાં થઈ ગયાં. આ યુદ્ધ ખતમ કરવા ડોનાલ્ડ ટ્રમ્પે જે 20 પોઈન્ટનો પીસ પ્લાન તૈયાર કર્યો છે તેના પર સહી કરવા 20 દેશોના નેતાઓને ઈજિપ્તમાં ભેગા કર્યા હતા. ઈજિપ્તમાં ગાઝા પીસ પ્લાન માટે પીસ સમિટ યોજાઈ હતી. અમેરિકા અને ઈજિપ્ત બંને દેશોએ સાથે મળીને આ સમિટનું આયોજન કર્યું હતું. આમંત્રણ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હતું, જોકે એ સમજીને ગયા નહિ. ટ્રમ્પે ઈજિપ્તની શાંતિ સમિટમાં શું કહ્યું? શાહબાઝ શરીફને અચાનક માઈક આપી દીધું ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે શાંતિ સમિટમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે પાછળ ઊભેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને નજીક બોલાવીને માઈક આપ્યું ને કહ્યું કે હવે તમે પણ કાંઈક બોલો. શાહબાઝ શરીફને માઈક મળ્યું ને ટ્રમ્પના વખાણ કરવા ઉતરી પડ્યા. શાહબાઝ શરીફે શું કહ્યું તે વાંચો... શર્મ-અલ-શેખ, ઈજિપ્તમાં આવેલું રિસોર્ટ સિટી શર્મ-અલ-શેખ શહેરમાં યોજાયેલી સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું હતું પણ મોદી પોતે ગયા નહોતા. ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધનસિંહ ઈજિપ્ત (મિસ્ર)ની રાજધાની કાહિરા પહોંચ્યા હતા. અહિથી તે શર્મ-અલ-શેખ શહેર સમિટમાં ગયા હતા. શર્મ-અલ-શેખ શહેર એક ફેમસ રિસોર્ટ સિટી છે. જે ઈન્ટરનેશનલ સમિટ માટે વધારે ઓળખાય છે. અહિ અરબ લીગની મિટિંગ, 2022ની ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ સમિટ અને અરબ-ઈઝરાયલ વચ્ચે ઘણી મિટિંગ થઈ છે. યુરોપ અને ઈજિપ્તના લોકોમાં રજાઓ ગાળવા માટેનું મનપસંદ સ્થળ છે. અહિ આલિશાન રૂમ્સ, મોટાં ગાર્ડન, આઠ લેન રસ્તા, ખુલ્લી જગ્યા, અલગ અલગ રેસ્ટોરન્ટ્સ, સ્થિર અને શાંત દરિયો છે. અહિ મોલ, થિયેટર બધું જ છે. અંદર લોકો રહે પણ છે. આ રિસોર્ટ સિટી 44 ચોરસ કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે. શર્મ-અલ-શેખ સિટીમાં આ પીસ સંમેલન અમેરિકા અને ઈજિપ્તે સાથે મળીને આયોજિત કર્યું હતું. મોદીને આમંત્રણ છતાં તે ઈજિપ્ત કેમ ન ગયા? વિશ્વના 20 દેશોના નેતાઓ આ ઈન્ટરનેશનલ સમિટમાં પહોંચ્યા છે તો પછી આમંત્રણ છતાં વડાપ્રધાન મોદી આ સમિટમાં કેમ ન ગયા? સ્વાભાવિક રીતે આ સવાલ દરેકને થાય. મીડલ ઈસ્ટ ઈન્સાઈટ્સ પ્લેટફોર્મનાં સ્થાપક ડો.શુભદા ચૌધરીએ કહ્યું હતું કે મોદી પહેલેથી જ ઘણા કાર્યક્રમોમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીને મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ-સીસી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને નિમંત્રણ આપ્યું હતું. પણ તે રહીરહીને 11 ઓક્ટોબરે અપાયું હતું. કોઈપણ રાજનીતિક મામલામાં જો હેડ ઓફ સ્ટેટને બોલાવવામાં આવે તો સમય આપવો પડે છે. આના માટે 48 કલાકનો સમય બહુ ઓછો છે. શર્મ-અલ-શેખ મામલે ઘણી વાતો અજીબ છે. તેમાં ઈઝરાયલ અને હમાસ બંને સામેલ થયા નહોતા. ઈઝરાયલે સિક્યોરિટીનું કારણ આપ્યું અને હમાસે આ સમજૂતીની કેટલીક શરતોના કારણે જવાનું ટાળ્યું. જામીયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પ્રોફેસર રેશમી કાઝીનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે અમેરિકા અને ભારત બંને દેશો વચ્ચેના સંબંધો તંગ છે. એટલે આ ઉચિત સમય નથી કે પીએમ મોદી આ નેતાઓને મળે. ક્યારેક ક્યારેક બે ડગલાં પાછળ ચાલવું પણ દેશના હિતમાં હોય છે. મોદીનો ન જવાનો નિર્ણય ચતુરાઈભર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ મેલોનીને કહ્યું, સ્મોકિંગ છોડી દો ઈજિપ્તની પીસ સમિટ દરમિયાન નેતાઓ હળવા મૂડમાં હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગન, ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોન સાથે ઊભા ઊભા વાત કરતા હતા. એવામાં તુર્કીના રાષ્ટ્રપતિએ મેલોનીને કહ્યું કે, તમે સ્મોકિંગ છોડી દો. પાસે ઊભેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોન હસ્યા ને બોલ્યા, ઈટ્સ ઈમ્પોસિબલ. મેલોનીએ પણ વાત હસવામાં કાઢી નાખી ને કહ્યું, મને ખબર છે કે સ્મોકિંગ સારું નથી પણ હું ધૂમાડાથી કોઈને મારવા માગતી નથી. જોકે મેલોનીએ ત્યારે સ્પષ્ટતા કરી કે, મારી બુકમાં પણ મેં મારા સ્મોકિંગની વાત લખી છે. હું એક સમયે ચેઈન સ્મોકર હતી. પછી 13 વર્ષ સુધી સ્મોકિંગથી દૂર રહી પણ ફરીથી શરૂ કરી દીધું છે. ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાનને રાષ્ટ્રપતિ કહી દીધા, પછી જોવા જેવી થઈ ઈજિપ્તમાં થયેલી ગાઝા શાંતિ સમિટમાં પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ભૂલથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને પ્રાઈમ મિનિસ્ટરને બદલે પ્રેસિડેન્ટ કહી દીધા. ભાષણ પછી માર્ક કાર્ની ટ્રમ્પને મળ્યા ને હસતાં હસતાં કહી દીધું કે તમે મને રાષ્ટ્રપતિ બનાવી દીધો. તમે મને પ્રેસિડેન્ટ કહી દીધું. આના માટે તમારો આભાર. ટ્રમ્પ હસ્યા ને બોલ્યા, એમ? મેં એવું કીધું? સારું થયું ને મેં તમને ગવર્નર ન કહી દીધા. આમ તો ટ્રમ્પે એક રીતે માર્ક કાર્નીને સિક્સર મારી દીધી હતી. ટ્રમ્પે ડિસેમ્બર 2024માં કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ગ્રેટ સ્ટેટ ઓફ ગવર્નર ઓફ કેનેડા તરીકે ઓળખાવ્યા હતા. ટ્રમ્પ અવાર નવાર કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવાની વાત કરતા આવ્યા છે. ટ્રમ્પે બ્રિટીશ PMને સ્ટેજ પર બોલાવ્યા પણ બોલવા ન દીધા કાર્નીને રાષ્ટ્રપતિ કહી દીધા પછી સાથેની મજાક પછી તરત જ ટ્રમ્પે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર તરફ ઈશારો કરીને કહ્યું, કીર, તમારું શું છે? ચાલો, બોલો! સ્ટાર્મર ઊભા થઈને મંચ તરફ ગયા કે તેમને બોલવાનું કહેવાયું છે. ઉત્સાહથી આગળ વધ્યા. પણ ટ્રમ્પે તેમને રોકતાં કહ્યું, ના, ના, બસ એક મિનિટ રાહ જુઓ. તમારો વારો પછી આવશે. સ્ટાર્મર અકળાઈ ગયા. આસપાસ જોતા હતા, પછી ધીમે ધીમે પાછળ હટીને જગ્યાએ બેસી ગયા. સ્ટાર્મરે હળવા સ્મિત સાથે પરિસ્થિતિને સંભાળી લીધી, પરંતુ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. ઈજિપ્ત પીસ સમિટમાં ટ્રમ્પ બેફામ બન્યા, ગમે તેની સાથે ગમે તેમ વર્તવા લાગ્યા ટ્રમ્પે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને કહ્યું, તમે ઇજિપ્તને ફરીથી મહાન બનાવ્યું, પરંતુ મારી મદદ વિના તે શક્ય નહોતું. સીસીએ હસીને તાળીઓ પાડી પરંતુ કેટલાક વિશ્લેષકોએ કોમેન્ટ કરી કે ટ્રમ્પ ક્રેડિટ ચોરી રહ્યા છે. ટ્રમ્પે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને જૂના મિત્ર કહ્યા, પણ એમ પણ કહ્યું, તમારે મારી સલાહ સાંભળવી જોઈતી હતી, નહીં તો આ યુદ્ધ આટલું લાંબું ન ચાલ્યું હોત. ટ્રમ્પે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મીડલ ઈસ્ટના સાચા બોસ કહ્યા. પછી પરંતુ કટાક્ષમાં કહ્યું, આ સોદામાં પૈસા તમારા હતા પણ અક્કલ મારી હતી.'' છેલ્લે, ટ્રમ્પને નાની ગિફ્ટ ગમતી નથી. કતારે 40 કરોડનું જેટ આપ્યું તે પહેલાં નેતન્યાહૂ એકવાર ગોલ્ડન પેજર આપી ચૂક્યા છે. હવે ટ્રમ્પ જ્યારે ઈઝરાયલ ગયા હતા ત્યારે 4 કિલો વજનનું 24 કેરેટ સોનાનું કબૂતર ટ્રમ્પને ભેટમાં આપ્યું હતું. આજનો સોનાનો ભાવ બધા જાણે છે. હિસાબ માંડી લેજો કે નેતન્યાહૂએ આ કબૂતર માટે કેટલો ખર્ચ કર્યો હશે... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:55 pm

રાજપીપળાના 127 વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનનું રિનોવેશન થશે:ઇન્ટેકના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ, કો-કન્વીનર વિરાજબા મહિડા સહિતની ટીમે લીધી મુલાકાત

રજવાડી નગરી રાજપીપળા તેના સમૃદ્ધ ઇતિહાસ અને ગોહિલ રાજવી પરિવાર દ્વારા મળેલી 10થી વધુ ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે. આ ઇમારતો પૈકી એક છે વિક્ટોરિયા ગાર્ડન જેની સ્થાપના 27 એપ્રિલ, 1898ના રોજ રાણી વિક્ટોરિયાના નામ પર કરવામાં આવી હતી. આ ભવ્ય માળખું આજે 127 વર્ષ જૂનું છે, અને તેની સાથે લાલ ટાવર, કિશોર નિવાસ પેલેસ, બેન્ડ સ્ટેન્ડ, સૂર્ય દરવાજા જેવી અન્ય અનેક ઇમારતો પણ શહેરનું ગૌરવ વધારે છે. યુવરાજની આગેવાનીમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાતઆ તમામ ઐતિહાસિક વારસાની જાળવણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ઇન્ટેક-INTACH ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમે પહેલ કરી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ સાથે કો-કન્વીનર વિરાજબા મહિડા અને રામકૃષ્ણ પરમાર તથા પાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ અને ઇજનેર હેમરાજસિંહ સહિતની ટીમે વિક્ટોરિયા ગાર્ડનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ઇમારત પર લાગેલા ઝાડી-ઝાંખરા તાત્કાલિક હટાવવા અને તેને ખાસ રિનોવેશન મટીરીયલ વડે રિનોવેટ કરવાની માંગણી કરી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને, પાલિકાની ટીમે આગામી દિવસોમાં આ તમામ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટેનો એક વિગતવાર પ્રોજેક્ટ તૈયાર કરીને કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. હેરિટેજ સિટી બનાવવાની રજૂઆતપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે યુવરાજ માનવેન્દ્રસિંહ અને તેમની ટીમની મુલાકાતને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આ ઐતિહાસિક ઇમારતોની ખાસ જાળવણી કરવામાં આવી રહી છે અને જે ઇમારતોને સમારકામની જરૂર છે, તેનો સર્વે કરીને સમારકામ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે માહિતી આપી હતી કે આ તમામ હેરિટેજ ઇમારતોની જાળવણી માટે ઇન્ટેક ચેપ્ટર પણ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે મુખ્યમંત્રી સમક્ષ રાજપીપળા શહેરને 'હેરિટેજ સિટી' જાહેર કરવા માટે રજૂઆત કરી છે, કારણ કે આ ઐતિહાસિક વારસાની જાળવણી ખૂબ જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:53 pm

અંગદાન એજ મહાદાન:સુરતમાં 66 વર્ષીય વૃદ્ધના કિડનીનું દાન કરી એક વ્યક્તિને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન નિર્મલ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. બ્રેઇનડેડ રામગોપાલ તોતારામ ભારદ્વાજ ઉ.વ 66ના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની કિડનીનું દાન કરી એક વ્યક્તિને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી હતી. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો ચાલીસથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. AB/૮૯, બાલકૃષ્ણ રોડ હાઉસ, BRTS વર્ક શોપની પાસે, જીઆવ રોડ, ભેસ્તાન, સુરત મુકામે પોતાના પરિવાર સાથે રહેતા અને નિવૃત જીવન જીવતા રામગોપાલ તોતારામ ભારદ્વાજ ઉ. વ. ૬૬ ને તા. ૧૧ ઓક્ટોબર ના રોજ લકવાનો હુમલો થતાં પરિવારજનોએ તેઓને તાત્કાલિક મજુરાગેટ પર આવેલ નિર્મલ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT બ્રેઇન કરાવતા નાના મગજની લોહીની નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. તેથી નસનું બ્લોકેજ ખોલવા માટે લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અડાજણમાં આવેલ નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. મગજની નસોની તપાસ કરતાં જમણા મગજની નસમાં ૧૦૦% બ્લોકેજ હોવાનું નિદાન થતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. તા. ૧૩ ઓક્ટોબરના રોજ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સમાજ સેવક ગોપાલ ગૌસ્વામીએ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી રામગોપાલ ભારદ્વાજના બ્રેઈનડેડ અંગેની જાણકારી તેમજ પરિવારની અંગદાનની ઈચ્છા છે તેમ જણાવ્યુ હતું. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી રામગોપાલ ભારદ્વાજના પુત્રો નિતેશ, વિકેશ અને જિતેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી અંગદાનનું મહત્વ સમજાવ્યું રામગોપાલ ભારદ્વાજના પુત્રોએ જણાવ્યુ કે તેમના પિતાશ્રી ખૂબ જ સેવાભાવી હતા, તેઓ હંમેશા જીવનમાં બીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા હતા. આજે તેઓ બ્રેઇન ડેડ છે ત્યારે તેમની કિડની અને લિવર નું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. રામગોપાલ ભારદ્વાજ ના પરિવારમાં પત્ની કાંતાદેવી ઉં.વ. 62, 3 પુત્રો, 3 પુત્રવધૂ અને 6 પૌત્રો છે. તેમનો એક પુત્ર નિતેશ ઉ.વ. 40 ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. બીજો પુત્ર વિકેશ ઉ.વ. 39 મુંબઈમાં આવેલ બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સ લિ.માં મેઇનટનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને ત્રીજો પુત્ર જિતેશ ઉ.વ. 36 એમ્બ્રોડઈરી ડિઝાઇનર તરીકે કાર્ય કરે છે. અડાજણમાં આવેલ નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલ ઓર્ગન એન્ડ ટીસ્યુ રીટ્રાઈવલ હોસ્પિટલ તરીકે (ORTH) રજીસ્ટર ન હોવાને કારણે SOTTOનું માર્ગદર્શન મેળવીને અંગદાનની પ્રક્રિયા માટે રામગોપાલ ભારદ્વાજને મજુરાગેટ નિર્મલ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પીટલ ખાતે શીફ્ટ કરવામાં આવ્યા હતા. પરિવારજનો તરફથી કિડની અને લિવરના દાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.સોનોગ્રાફીના રિપોર્ટ અનુસાર એક જ કિડની સારી હતી તેમજ ફેટી લિવર હોવાને કારણે લિવરની બાયપ્સી કરવામાં આવી હતી. જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હોવાનું માલૂમ પડ્યું હતું. તેથી લિવર નું દાન થઈ શક્યું ન હતું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં એક જરૂરિયાતમંદ દર્દી કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:44 pm

જૂનાગઢમાં JCBથી ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન ફાટવાનો મામલો:જામીન માંગનાર અરજદારે કહ્યું કે તે ઘટના સ્થળે હાજર નહોતો, હાઇકોર્ટે કહ્યું પુરાવા મૂકો, અરજદાર પગાર લેતો હતો

ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી વિવેક કાચેલા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે સરકારી વકીલે હાઇકોર્ટના રેકોર્ડ ઉપર કાગળિયા મૂક્યા હતા કે આરોપી જે કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતો હતો, ત્યાં પગાર તેને નિયમિત મળતો હતો. અરજદારના વકીલે કહ્યું હતું કે ઘટના સમયે અરજદાર ઘટના સ્થળે હાજર નહોતો. હાઇકોર્ટે કહ્યું હતું કે તો અરજદાર તેના પુરાવા કોર્ટ સમક્ષ મૂકે. આ બાબતે વધુ સુનવણી આગામી આયામ યોજાશે. FIRમાં ફક્ત JCB ડ્રાઈવરનું નામ નોંધાયુંહાઇકોર્ટે આ જામીન અરજીની સુનાવણીમાં અગાઉ પોલીસ અને JMCની આકરી ઝાટકણી કાઢી હતી. આજની સુનવણીમાં કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે JMCએ વિનાયક એન્ટર પ્રાઈઝને અપાયેલ કોન્ટ્રાક્ટ મુજબ તેનું કામ એન્જિનિયર પૂરા પાડવાનું હતું. જે JMC અંતર્ગત કામ કરતા હતાં બીજી તરફ ગુણાર્થ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડનું કામ JCB ચલાવવાના માણસો પૂરા પાડવાનું હતું. FIRમાં ફક્ત JCB ડ્રાઈવરનું નામ નોંધાયું છે. કોન્ટ્રાક્ટ કંપનીના અધિકારી કે JMC ના અધિકારીનું નામ નથી. તપાસમાં ફક્ત નાની માછલીઓને પકડવાનું કામ ચાલી રહ્યું છે. ખોદકામની જગ્યા નીચે ગેસ પાઇપલાઇન હોવાની આરોપીઓને ખબર હતીકોર્ટના છેલ્લા નિર્દેશ મુજબ SPએ તપાસ Dyspને સોંપી છે. JMC કાર્યપાલક ઇજનેર જયેન્દ્ર સિંહ ઝાલા સામે પણ કેટલાક પુરાવા મળી આવ્યા છે. જો કે તે ભાગેડું છે, તેની સામે વોરંટ પણ નીકળ્યું છે. એક નાગરિકની પાણી ભરાવવાની ફરિયાદ ઉપર કોર્પોરેશનની સૂચનાથી જયેન્દ્ર સિંહ ઝાલાએ પાઇપ રિપેરિંગ કરવાનું મોનિટરિંગનું કામ વિવેક કાચેલાને સોંપ્યું હતું. જ્યાં ખોદકામ કરવાનું હતું ત્યાં નીચેથી ગેસ પાઇપલાઇન પસાર થવાની ખબર આરોપીઓને ખબર હતી. સુનવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે બનાવટી કાગળિયા મૂકીને કોર્ટને ગેરમાર્ગે દોરાઈ રહી છે. કોન્ટ્રાક્ટ ઉપર આરોપીની સહી જ નથી. કોર્ટે પૂરતા પુરાવા રજૂ કરવાનો આદેશ કર્યો હતો. મે મહિનામાં ખોદકામ સમયે ગેસની પાઇપ ફાટી હતીઆ કેસમાં જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે મેે મહિનામાં ફરિયાદ નોધાઇ હતી કે ફરિયાદીની દુકાન આગળ જૂનાગઢ મહાનગર પાલિકાના JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન JCB થી જમીન નીચે આવેલી ટોરેન્ટ કંપનીની ગેસની પાઇપલાઇન ફાટી હતી. જેમાંથી ગેસ લીક થઈને આગ લાગી હતી. જેથી ફરિયાદીની દુકાનમાં મોટા પાયે આગ પ્રસરતા ફરિયાદી પોતે, તેમની પત્ની, દીકરી અને પિતા દાજી ગયા હતા. જેઓને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદીની પત્ની, દીકરી અને મિત્રનું મોત થયું હતુંઆ બનાવમાં ફરિયાદીની પત્ની, દીકરી અને તેમના મિત્રનું હોસ્પીટલમાં અવસાન થઈ ગયું હતું. તેઓ ફાસ્ટફુડની દુકાન ચલાવતા હતા. દુકાન બાજુમાં આવેલી પોલીસ ચોકી પણ સળગી હતી. ફરિયાદી પોતાની પત્ની અને દીકરીને બચાવવા ગયા પણ આગ વિકરાળ હોવાથી તેઓ પોતે ગંભીર રીતે દાઝી ગયા અને લોકોએ તેમને ફરીથી અંદર જતા રોક્યા હતા. બનાવાના સ્થળે રોડ નીચેથી ગેસની પાઇપલાઇન જતી હોવાની સૂચના પણ મારી હતી. આમ છત્તા નિયમો વિરુદ્ધ કામગીરી કરાઈ હતી. ઉપરોક્ત ઘટનામાં જૂનાગઢ મહાનગર પાલિકાએ એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટથી કામ આપ્યું હતું. કામ કરતા JCB ચાલક સામે પોલીસ ફરિયાદ નોધાઇ હતી. હાઇકોર્ટે ગત સુનાવણીમાં આગોતરા જામીન અરજી ઉપર પ્રશ્ન કર્યો હતો કે JMCના અધિકારીઓ સામે ગુન્હો નોંધાયો છે કે ફકત અરજદાર જ આ ઘટના માટે જવાબદાર છે? અરજદારને આગોતરા જામીન મળશે પછી, બીજા લોકો કોર્ટ સમક્ષ આવશે કે અરજદારનો મોટો રોલ હતો તેને જામીન આપ્યા તો અમને પણ આપો! આવા પ્રકારના કેસ સતત આ કોર્ટ સમક્ષ આવી રહ્યા છે. શું Dyspની ડ્યુટી નહોતી કે એ તપાસ ઉપર નિરીક્ષણ કરે ? કોર્ટની નોટિસનો ઓથોરિટી જવાબ નથી આપતી! કોર્ટ અઘરા પગલા લેવા ચીમકી ઉચ્ચારે પછી કોર્ટ સમક્ષ હાજર થાય છે ! 04 મહિના કરતા વધુ સમય થયો બીજા આરોપીઓ ક્યાં છે ?ફરિયાદ નોંધાયાને 04 મહિના કરતા વધુ સમય થયો બીજા આરોપીઓ ક્યાં છે ? બીજા આરોપીઓને ખુલ્લા ફરવા દીધા છે ? જો PI અને PSI ને જ બધી તપાસ કરવાની હોય તો જિલ્લામાં Dysp એ શું કરવાનું ? તેની તપાસ ઉપર નિરીક્ષણની જવાબદારી છે કે નહીં ? આવી પરિસ્થિતિ આખા રાજ્યમાં છે. તમારા ઘરમાંથી કોઈ ગુજરી જશે ત્યારે દોડશો ? મૃતકના પરિજનોને વળતર આપી દીધું એટલે બધું પૂરું ? સિસ્ટમ સુધરતી નથી અને માણસો મરતા જાય છે. આ કેસ પેન્ડિંગ છે અમદાવાદમાં પાણી ભરાયેલા રોડમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત થયા હતા ! કોઈ સલામત નથી ! જે SOP અને ગાઈડલાઇન બનાવી છે તે મુજબ કામ કરવાનું કે નહીં ? આ ખૂબ જ દયનીય સ્થિતિ છે. Dysp યોગ્ય તપાસ કરે નહીંતર કોર્ટ પગલા લેશે. રાજ્યમાં અપરાધીઓની કેવી કાર્યશૈલી છે તે કોર્ટને ખબર છે. ઓથોરિટી અપરાધીઓને ખાતરી આપે છે કે કશું નહીં થાય ! નોટિસ મળે તો પણ કોર્ટમાં નહીં જવાનું. માણસ મરે તો મરે, દંડ લઈને લોકોને છોડી દેવાના ! દોષિતોને પકડો, 04 મહિનાથી શું કરો છો ? ગુન્હેગારોને પોલીસની બીક લાગવી જોઈએ. JMC ના આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ હજુ નોકરી કરે છે અને પોલીસ પાસે બધા જ કાગળ છે, તેમ છત્તા પગલા લેતી નથી. બીજા આરોપીઓએ આગોતરા જામીન નથી મુક્યા, કારણ કે તેમનું નામ જ પોલીસ પેપરમાં નથી ! SP જૂનાગઢ આ કેસમાં તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપે. અરજદારે જણાવ્યું હતું કે આરોપી જેને બનાવાયો છે. તેનો કોન્ટ્રાક્ટ તો વર્ષ 2024 માં પૂર્ણ થઈ ચૂક્યો હતો. કોઈ કાગળ નથી કે તેને 2025 માં કોન્ટ્રાક્ટ અપાયો હોય. અરજદારનું ભણવાનું હમણાં જ પત્યું છે, તે કંપનીમાં ઇન્ટર્ન હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:27 pm

અમદાવાદના સમાચાર:સાબરમતી અને નારણપુરામાં રોડ પર ગંદકી કરનારી દુકાનો સીલ કરાઈ

શહેરને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે ત્યારે જાહેર રોડ ઉપર ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના સાબરમતી અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ગંદકી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 346 દુકાનોને તપાસ કરી 215 દુકાનોને નોટિસ આપવામાં આવી છે તેમજ નવ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. રૂ. 1.68 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:21 pm

કૃષિ વિકાસ‌ દિન-રવિ કૃષિ મહોત્સવ'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખેડૂતોને આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ભાવનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન મીયાણીએ શિહોર તાલુકાના સણોસરાથી કૃષિ વિકાસ દિન ની સાથે જિલ્લાકક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ‌‌-2025'નો પ્રારંભ કરાવ્યો હતો. જેનો હેતુ ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાનો છે. પ્રકૃતિને અનુકૂળ હોય તેવી ખેતી આપણે સૌએ કરવી જોઈએસણોસરા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અરૂણભાઈ દવેએ જણાવ્યું હતુ કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોની આવક વધે તે માટે સરકારે હરહંમેશા પ્રયાસ કર્યો છે, રવિ કૃષિ મહોત્સવ જેવાં અનેક કાર્યક્રમો યોજીને ખેડૂતોને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શક પુરૂં પાડવામાં આવી રહ્યું છે ત્યારે આપણી પણ એક જવાબદારી બને છે કે, પ્રકૃતિને અનુકૂળ હોય તેવી ખેતી આપણે સૌએ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ખેતી એટલે ખોટનો ધંધો એવું બધાં માને છે પરંતુ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય ખેતીની આવકમાં વધારો કરી શકાય છે. તેમણે કહ્યું કે, આજે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી ગંભીર પ્રકારની બિમારીઓ લોકોમાં જોવા મળી રહી છે ત્યારે અવશ્ય પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત લોક-79 જાતની શોધ કરીવધુમાં તેમણે ઉમેર્યું કે, ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરા દ્વારા લોક-1 પછી 44 વર્ષે સંશોધનકારોની મૂલ્યનિષ્ઠ ધીરજના પરિણામે ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત લોક-79 જાતની શોધ કરી છે અને આ ઘઉંની જાતને ભારત દેશે માન્યતા આપી છે. લોક-1 જાત ઉત્પાદન ક્ષેત્રે તો લોક-79 જાત પોષણયુક્ત ગુણવત્તા ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ છે.આમ આજે 44 વર્ષ પછી પણ લોક-1 તેની ગુણવત્તા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને ટકી રહી છે. આવી જ રીતે લોક-79 જાત પણ ઘઉંના સંશોધન ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઉભું કરશે.લોકભારતી દ્વારા ટૂંકાગાળામાં જ લોક-83 જાતનું સંશોધન પણ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આ વેળાએ કૃષિ વિકાસ કેન્દ્ર સણોસરાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લે લોકભારતી સણોસરા ખાતે ઘઉંની જાત‌ અંગે‌ થતાં સંશોધનોની જાણકારી આપી મહત્તમ પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી. ખેડૂતોને આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યામહાનુભાવોના હસ્તે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત રૂ. 8 કરોડથી વધુની‌ સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી,‌ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના મહાનુભાવોએ બાગાયતી પાકો અંગેના પ્રદર્શની સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. સણોસરા સંસ્થા ખાતે યોજાયેલા 'કૃષિ વિકાસ દિન' અને 'રવિ કૃષિ મહોત્સવ'ના સમારંભોમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:20 pm

હિંમતનગર નગરપાલિકાના નવા ભવનનું આવતીકાલે લોકાર્પણ:વિકાસ સપ્તાહ અંતર્ગત મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

હિંમતનગર નગરપાલિકાના ટાવર રોડ પર રૂપિયા 6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે.જૂના નગરપાલિકા ભવનને દૂર કરીને ત્રણ માળનું આ અદ્યતન ભવન તૈયાર કરાયું છે. બુધવારે સવારે 10 વાગ્યે યોજાનાર આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો વી.ડી. ઝાલા અને ઉપેન્દ્ર ગઢવી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:14 pm

હિંમતનગરના કડોલીમાં કૃષિ વિકાસ દિનની ઉજવણી:રવિ કૃષિ મહોત્સવમાં 'સ્માર્ટ કૃષિ – સમૃદ્ધ ખેડૂત'ની જાણકારી, નિષ્ણાતો સાથે સીધો સંવાદ

સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર તાલુકાના કડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાતોએ ખેડૂતોને રવિ પાકોની નવીન ટેક્નોલોજી, સુધારેલી જાતો, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ અને વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 'સ્માર્ટ કૃષિ – સમૃદ્ધ ખેડૂત'ના સંદેશ સાથે ખેડૂતોને કૃષિ એપ્લિકેશન, ડિજિટલ માર્કેટિંગ અને પાણી બચતના ઉપાયો વિશે પણ જાણકારી અપાઈ હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાના નિષ્ણાતો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, ઉપપ્રમુખ હિતેશ પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાર્થ પરમાર, સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:09 pm

'જૂનાગઢમાં TDO જ સરપંચોને ભ્રષ્ટાચાર કરતા શીખવાડે છે':ઈવનગરના ઉપસરપંચનો આક્ષેપ, અધિકારીઓની લેબર કોન્ટ્રાક્ટ સાથે વાતચીતની ઓડિયો વાઈરલ

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયત લેવલે કઈ રીતે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ઈવનગર ગ્રામ પંચાયતના ઉપરસરપંચ દ્વારા જૂનાગઢના TDO રાજેન્દ્ર ઠાકોર અને વિસ્તરણ અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. આ બંને અધિકારી સરપંચોને ભ્રષ્ટાચાર શીખવાડતા હોવાનો આક્ષેપ કરાયો છે. અધિકારી અને લેબર કોન્ટ્રાક્ટર વચ્ચેની કથિત વાતચીતની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં મજૂરી અને બ્લોકના ભરવામાં આવેલા નીચા ભાવમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. TDO જ તાલુકાના સરપંચોને ભ્રષ્ટાચાર કરતા શીખવે છે- પરેશ ભૂતઇવનગરના ઉપસરપંચ પરેશભાઈ એ જણાવ્યું હતું કે, આ વાતચીત સાબિત કરે છે કે TDO અને વિસ્તરણ અધિકારી નીચા ભાવ (₹6.50/ફૂટ) ભરેલા કોન્ટ્રાક્ટરને ટેન્ડર રદ કરવા દબાણ કરે છે. તેમનો હેતુ પોતાના માનીતાઓને ₹12 થી ₹13 માં મજૂરીકામ અને ₹40 થી ₹45 ના ઊંચા ભાવે બ્લોકનું ટેન્ડર ભરાવીને લાખોનો ભ્રષ્ટાચાર કરવાનો છે.પરેશભાઈએ આક્ષેપ કર્યો કે ₹35/ફૂટના ભાવે બ્લોક આપનાર યમુના સિમેન્ટના બ્લોકને પણ નબળી ગુણવત્તાના છે તેવું કહીને રિજેક્ટ કરી દેવાની સૂચના અપાઈ હતી. TDO રાજેન્દ્ર ઠાકોર પાસે વિસાવદર તાલુકા પંચાયતનો ચાર્જ પણ છે અને ત્યાં પણ ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ છે. પરેશભાઈએ રજૂઆત કરતા માંગ કરી છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવે. તેમને ટૂંક સમયમાં પ્રમોશન મળવાનું હોવાથી, સરકારે આવા ભ્રષ્ટ અધિકારીઓને પ્રમોશન ન આપતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. વિસ્તરણ અધિકારી અને કોન્ટ્રાક્ટ વચ્ચેની કથિત વાતચીતવાયરલ થયેલી ઓડિયો ક્લિપ પેવર બ્લોકના કામ માટેના મજૂરીકામના ભાવ અંગેની છે. વાતચીત જુનાગઢ તાલુકા વિસ્તરણ અધિકારી અને લેબર કોન્ટ્રાક્ટર અને ઈવનગરના પૂર્વ સરપંચ સમજુભાઈ છે. વિસ્તરણ અધિકારી: ટીડીઓ સાહેબે એવું કહ્યું હતું કે પેવર બ્લોકના મજૂરોના ભાવ બાબતે જે ₹6.50 અને ₹ 7 છે રૂપિયાના એમાં આપ કંઈક લખીને આપી દેવાના છો ? સમજુભાઈ: 'એ તો મેં કર્યો હતો સાહેબને ફોન' TDO (રાજેન્દ્ર ઠાકોર): 'તો આજે આપી દો ને, આજે પંચાયતની બેઠક છે' જૂનાગઢ તાલુંકા વિસ્તરણ અધિકારી દ્વારા સરપંચને બીજી ક્લિપમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તમે છે ને સમજુભાઈને ચાલુ મીટીંગે ફોન કરજો કે, ભાઈ ₹6.50 રૂપિયામાં તમને મજૂરી કામ ખોદાણ સાથેનું કરવાનું છે ? એટલે તે ના પાડી દેશે તમને. એટલે તે ભાવ મંજૂર નહીં થાય. પછી તમે યમુના વાળા બ્લોક ચેક કરવા જવાના હતા તે બધાએ શું કર્યું ? TDOએ નીચા ભાવનું ટેન્ડર પાછું ખેંચી લેવા કહ્યું :સમજુભાઈ​​​સમજુભાઈએ જણાવ્યું કે, વિસ્તરણ અધિકારીએ તેમને TDO સાથે વાત કરાવી ટેન્ડર પાછું ખેંચી લેવા જણાવ્યું હતું.TDOએ તેમને સીધું કહ્યું કે આજે ગામની બેઠક છે તમે ત્યાં કહી દેજો કે તમારે કામ નથી કરવું.સમજુભાઈએ સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓને ટેન્ડર ભરવા કે પાછું ખેંચવાનું કહેવાનો કોઈ નિયમ નથી, જે સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.નિયમ મુજબ 5 લાખ સુધીના કામો પંચાયત દ્વારા જ કરવાના હોય છે. પરંતુ આ રીતે જે અધિકારીઓ વાત કરી રહ્યા છે તે ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. TDOએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાઆ સમગ્ર મામલે TDO રાજેન્દ્ર ઠાકોરે તેમના પર થયેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ભાવ રજૂ કરનાર વ્યક્તિએ સામેથી કહ્યું હતું કે તે ભાવ ખોટી રીતે રજૂ થયા છે. છતાં સરપંચને સૂચના આપવામાં આવી હતી કે, આ વ્યક્તિને રૂબરૂ બોલાવીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. TDOએ વધુમાં જણાવ્યું કે આક્ષેપ કરનાર ઉપસરપંચ પોતે અગાઉ સરપંચ હતા અને તેમના દ્વારા કરાયેલા ₹12 લાખના કામોમાં કોઈ ફરિયાદ મળી નહોતી. આ સમગ્ર વિવાદની વચ્ચે ઓડિયો ક્લિપ વાઈરલ થઈ જતા આજે મળેલી બેઠકમાં મજૂરીના અને બ્લોકના જે નીચા ભાવો ભરવામાં આવ્યા હતા તેના જ ટેન્ડર મંજૂર થયા હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:07 pm

પાટણમાં ખાતરની અછતને લઈ ખેડૂતોમાં રોષ:ધારાસભ્ય કિરીટ પટેલની કૃષિમંત્રીને રજુઆત, જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે તેની સામે તપાસ કરો

પાટણ જિલ્લામાં હાલ યુરિયા સહિતના ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવણી પૂર્ણ થયા બાદ પાકને જરૂરી ખાતર મેળવવા ખેડૂતોને લાંબી કતારમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અનેક વિતરણ કેન્દ્રો પર ખેડૂતો સવારથી કતારમાં હોવા છતાં જરૂરી માત્રામાં ખાતર મળતું ન હોવાથી આક્રોશ ફાટી નીકળ્યો છે.ખેડૂતોના આ રોષ અને મુશ્કેલીને ધ્યાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મળી તાત્કાલિક ખાતરની સપ્લાય વધારવાની રજુઆત કરી છે. ધારાસભ્યે જણાવ્યું કે, અત્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પાટણની અંદર લાંબી લાઈનો લાગે છે, પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી જેની ફરિયાદો મને મળી, ગઈકાલે પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને આપ્યા સિવાય બારોબાર કાળાબાજાર કરી મળતીયાઓને જથ્થાબંધ ખાતર આપી દેવાના વીડિયો અને રજુઆત પણ મને મળી હતી. આ રજુઆતને પગલે આજે કૃષિમંત્રી રાઘવજી પટેલને મળ્યો છું. પાટણ જિલ્લામાં ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં યુરિયા અને ખાતર મળી રહે અને જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે અને કાળા બજાર કરવામાં આવે છે તેમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના દબાણ વિના આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરી છે.ખાતરની અછતને કારણે ખેડૂતોમાં હાલ નિરાશા અને ચિંતા વ્યાપી રહી છે. સરકાર સમયસર હસ્તક્ષેપ કરીને સપ્લાય સુનિશ્ચિત કરે તેવી ખેડૂતોમાં અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:05 pm

ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:ઓઈલ કલરના કેનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ખ રોડ ઉપર આવેલા વારાઈ મસાલા ભંડાર નજીકની ઘટના

ગાંધીનગરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા ખ રોડ ઉપર આવેલા વારાઈ મસાલા ભંડારની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ઢળતી સાંજે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા ઓઈલ અને કલરના કેનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળીગાંધીનગરના ખ રોડ ઉપર આવેલા વારાઈ મસાલા ભંડારની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ગંભીરતા જોતાં તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલ પોતાની સંપૂર્ણ ટીમ સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા. ઓઇલ અને કલરના કારણે આગ વાંરવાર ભભૂકી ઉઠતી હતીભંગારના ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક, ઓઈલ અને કલરના જ્વલનશીલ કેન રાખવામાં આવ્યા હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને તેને બુઝાવવી પડકારજનક સાબિત થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ચાર ટેન્કર મારફતે પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, ઓઈલ અને કલરના કારણે આગ વારંવાર બુઝાઈ ગયા પછી પણ ભભૂકી ઊઠતી હતી, જેનાથી કામગીરી જટિલ બની હતી. JCBની મદદથી સળગેલા માલને તાત્કાલિક હટાવાયોઆખરે ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમોએ આયોજનપૂર્વક અને સતત પાણીનો મારો ચલાવીને જ્વલનશીલ પદાર્થોને ઠંડા પાડવાની કામગીરી હાથ ધરી હતી અને અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ભંગારમાં રહેલા પ્લાસ્ટિક, ઓઈલ અને કલરના કેનને કારણે ફરીથી આગ ન ભભૂકી ઊઠે તે માટે ફાયરની ટીમે મોટું પગલું ભર્યું હતું. સ્થળ પર જેસીબી મશીન મંગાવીને સળગી ગયેલા કાટમાળને તાત્કાલિક અસરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગનો ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતોઆ ભીષણ આગમાં ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને સઘન કામગીરીના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:05 pm

ખાદ્ય પદાર્થોમાં બેફામ મિલાવટનો પર્દાફાશ:RMCએ લીધેલા ગુલ્ફી, ઘી અને દૂધના 5 નમૂના લેબોરેટરીમાં ફેલ, અન્ય 20 ધંધાર્થીઓને લઈ 35 નમૂનાની ચકાસણી કરાઈ

રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા છેલ્લા થોડા સમયમાં લેવામાં આવેલા ગુલ્ફી, ઘી અને દૂધ સહિતના 5 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ જાહેર થતાં ખાદ્ય પદાર્થોમાં ચાલી રહેલી બેફામ મિલાવટનો પર્દાફાશ થયો છે. આ પાંચેય નમૂનામાં વેજીટેબલ ફેટ સહિતની ભેળસેળ મળી આવી છે, જેના પગલે સંબંધિત પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી માટે કેસ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓના પૃથક્કરણ રિપોર્ટમાં ગુલ્ફીમાં ઓછું મિલ્ક ફેટ, ઘીમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલ) અને દૂધમાં કૃત્રિમ ફેટની હાજરી જોવા મળી છે. ફેઇલ થયેલા નમૂનાઓની વિગતો આ પાંચેય પેઢીઓ સામે નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવા માટે કેસ રજૂ કરવાની કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર જ નમૂનાની ચકાસણી કરીઆ ઉપરાંત આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે સેફ્ટી વાન સાથે શહેરના એ.જી. ચોક હોકર્સ ઝોન વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર જ નમૂનાની ચકાસણી કરી હતી. આ સાથે દિવાળીને ધ્યાનમાં રાખીને વધુ 35 નમૂના લેવામાં આવ્યા હતા. દશેરાના સમયથી ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના નમૂના લેવાની જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, તે દિવાળી સુધી ચાલુ રાખવાના નિર્દેશો છે. સર્વેલન્સ ચેકિંગના ભાગરૂપે ફૂડ વિભાગે દુકાનો, ડેરી, બેકરી અને ફરસાણ માર્ટ સહિતના સ્થળોએથી અલગ અલગ પ્રકારની મીઠાઈ, તેલ અને ડ્રાયફ્રૂટના વધુ 35 નમૂના એકત્ર કર્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ જણાશે તો વેપારી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નમુનાની વિગતો આ તમામ 35 નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 7:00 pm

દિવાળી પહેલા સ્થાનિક બજારોમાં મંદીનો માહોલ:ઓનલાઈન ખરીદીથી વેપારીઓ ચિંતિત, અંતિમ દિવસોમાં તેજીની આશા

દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં સ્થાનિક બજારોમાં ખરીદીનો માહોલ ફિક્કો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં કપડાં, મીઠાઈ, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરેણાં જેવી વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકોની ભીડ હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ઉત્સાહનો અભાવ વર્તાઈ રહ્યો છે. આ મંદીનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ખરીદીનો વધતો પ્રભાવ માનવામાં આવે છે. ગ્રાહકો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક દુકાનો પર ગ્રાહકોની અવરજવર ઘટી છે. વેરાવળના વેપારી સંજય મેરવાનાએ જણાવ્યું કે, હાલ બજારમાં ગ્રાહકોની અવરજવર ઓછી છે અને તહેવારની ખરીદીનો જોઈએ તેવો માહોલ નથી. તેમણે ઉમેર્યું કે ઓનલાઈન ખરીદીથી સ્થાનિક વેપારને મોટું નુકસાન થઈ રહ્યું છે. મેરવાનાના મતે, જ્યારે લોકો ઓનલાઈન ખરીદી કરે છે, ત્યારે તેનો નફો વિદેશી કંપનીઓ લઈ જાય છે. આના કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન વેઠવું પડે છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે ચિંતાજનક સ્થિતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દિવાળી જેવા તહેવારો દરમિયાન લોકોએ ઓનલાઈન પ્લેટફોર્મને બદલે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવી જોઈએ. આનાથી સ્થાનિક ધંધા-રોજગાર જળવાઈ રહેશે અને સ્થાનિક સ્તરે આવકનો પ્રવાહ વધશે. વેપારીઓમાં આશા છે કે તહેવારોના છેલ્લા દિવસોમાં બજારમાં રોનક પાછી ફરશે અને લોકો ફરીથી સ્થાનિક બજાર તરફ વળશે, જેનાથી વેપારમાં ખુશહાલી આવશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:46 pm

આણંદમાં ફૂડ વિભાગે 17 પેઢીઓ તપાસી:3 પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી, 50 નમૂના લેબોરેટરીમાં મોકલાયા

દિવાળીના તહેવારો પૂર્વે આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મદદનીશ કમિશનરની કચેરી દ્વારા વિવિધ ખાદ્ય ચીજો અને મિલ્ક પ્રોડક્ટની ગુણવત્તા ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ આણંદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી કુલ 17 પેઢીઓની તપાસ કરી હતી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોને શુદ્ધ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. તપાસ દરમિયાન, મીઠોમાવો, બરફી સ્વીટ (લુઝ), માવો (લુઝ), પનીર (લુઝ) અને ચીઝ મિલ્ક (લુઝ) જેવી મિલ્ક પ્રોડક્ટના કુલ 67 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉત્પાદન અને સંગ્રહ પ્રક્રિયામાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની પણ ચકાસણી કરાઈ હતી. ત્રણ પેઢીઓમાં ત્રુટિઓ જણાતા તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે, જેના જવાબ મળ્યેથી આગળની કાર્યવાહી કરાશે. મિલ્ક પ્રોડક્ટ ઉપરાંત, એડિબલ ઓઇલ, બેકરી પ્રોડક્ટ અને કન્ફેક્શનરી/ચોકલેટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેટેગરીમાંથી ખાદ્યતેલના 14, બેકરી પ્રોડક્ટના 28 અને કન્ફેક્શનરી/ચોકલેટના 8 એમ કુલ 50 નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 'ફૂડ સેફટી ઓન વ્હીલ' દ્વારા દૂધના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:42 pm

ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત:ભોયણ પાટીયા નજીક ટ્રેલર-ટ્રક પલટી, બેના ઘટનાસ્થળે મોત

આજે ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા ભોયણ પાટીયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલર-ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ નીચે દટાઈ જવાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છીએ

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:35 pm

અજાણ્યા માનવનો કપાયેલો પગ મળ્યો:વૃદ્ધનો પગ હોવાનું અનુમાન, લાખવડી ભાગોળ નજીક કુક્સ રોડ પરની ઘટના

મહેસાણા શહેરમાં આજે લાખવડી ભાગોળ નજીક આવેલ કુક્સ રોડ પર ખારી નદી પાસે એક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. રોડની વચ્ચેથી અજાણ્યા માનવનો કપાયેલો પગ મળી આવતા લોકોમાં ભય અને કુતૂહલ ફેલાયો હતો.પગ કપાયેલી હાલતમાં રોડ પર પડ્યો હોવાથી આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. આ પગ વૃદ્ધ માણસનો હોવાનું અનુમાનપ્રાથમિક દ્રષ્ટિએ આ પગ વૃદ્ધ માણસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ મહેસાણા શહેર એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પગ કપાયેલી હાલતમાં મળતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને પગ કોનો છે, તે ક્યાંથી આવ્યો અને આ ઘટના પાછળનું કારણ શું છે, તે જાણવા માટે ઉડી તપાસ હાથ ધરી છે. આ રહસ્યમય બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:18 pm

ગોધરા નજીક રેલવે એન્જિન પર કડાકા-ભડાકા, LIVE વીડિયો:માલગાડીને રોકવા લોકોએ લાલ કપડાં કાઢી ઝંડા લહેરાવ્યા, માઈન્સ બ્લાસ્ટમાં પથ્થરથી ઓવરહેડ વીજકેબલ તૂટ્યા બાદ બનાવ

ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવેના મુખ્ય વીજ કેબલની સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ તૂટી જતાં વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ ઘટનાને કારણે રેલવેનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.પંડ્યાપુરા ગામમાં આવેલી ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થરનો એક ભાગ ઉછળીને રેલવેના મુખ્ય OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) કેબલની સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ સાથે અથડાયો હતો, જેના કારણે વીજ કેબલને નુકસાન થયું હતું.ઘટના બાદ ગ્રામજનો દ્વારા રેલવે લાઇન પરથી પસાર થતી માલગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ લાલ રંગના કપડા બતાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.મુખ્ય OHE વીજ લાઇન ક્ષતિગ્રસ્ત થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ટ્રેન થંભી ગઈ હતી. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને ટેકનિશિયનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ દ્વારા ક્ષતિગ્રસ્ત વીજ કેબલને પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સ્થાનિકો દ્વારા ભગીરથ માઇન્સ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ અવારનવાર કોઈપણ પ્રકારની સલામતી રાખ્યા વિના બ્લાસ્ટિંગ કરે છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:15 pm

જામનગરમાં વૃદ્ધાવસ્થા માટે આયુર્વેદ સારવાર પર કોન્ફરન્સ:ITRAના સ્થાપના દિવસ અને ઇન્ટરનેશનલ સેન્ટરના 25 વર્ષની ઉજવણી

જામનગરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA) દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 'આયુર જેરીયકોન-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ વૃદ્ધાવસ્થા માટે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવારને શક્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપતા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રના 25 વર્ષ પૂર્ણ થવાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન ડો. બી. એલ. મહેરા અને ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. દેશ અને દુનિયામાંથી આયુષ અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓની સંસ્થા અને યુનિવર્સિટીઓના 26 જેટલા વડાઓ અને તજજ્ઞો ઓફલાઇન તેમજ ઓનલાઇન જોડાશે. નીતિ આયોગ, ભારત સરકારના હેલ્થ રીસર્ચ ઓફિસર શોભિત કુમાર સહિત વિવિધ વિદ્યાશાખાઓના તજજ્ઞો પણ પોતાનું જ્ઞાનરૂપી યોગદાન આપશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વ માટે આયુર્વેદના સહયોગથી વૃદ્ધાવસ્થાને સ્વાસ્થ્ય સમૃદ્ધ કરવા માટે નીતિ અને માર્ગદર્શિકા તૈયાર કરવાનો છે. જામનગર આયુર્વેદ માટે જનક ભૂમિ સમાન છે, જ્યાં તેના સુગ્રથિત શિક્ષણની શરૂઆત થઈ છે. સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ માટે એક અલાયદું કેન્દ્ર પણ જામનગર ખાતે જ શરૂ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રની રજત જયંતિ સફરમાં અત્યાર સુધીમાં વિશ્વભરના કુલ 67 દેશોમાંથી 525 વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે. આ સિદ્ધિ આયુર્વેદના વૈશ્વિક પ્રસારમાં જામનગરના યોગદાનને દર્શાવે છે. આઇ.ટી.આર.એ. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં એલોપથી ચિકિત્સા પદ્ધતિમાં જીરીયાટીક એટલે કે વૃદ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે, પરંતુ આયુર્વેદમાં આજ સુધી તે માત્ર સંદર્ભ ગ્રંથોમાં સીમિત હતું. હવે તેની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે વિચાર મંથન અને આગામી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે આ 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી 500થી વધુ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને અભ્યાસુઓ ભાગ લઈ રહ્યા છે અને સંશોધન પત્રો પણ રજૂ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો વક્તા તરીકે વિવિધ 10 જેટલા પેટા વિષયો પર પરિસંવાદમાં જોડાશે, જેમાં અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકાથી પધારેલા નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કુલ 10 વકતાઓ દ્વારા 3 દિવસમાં વિવિધ સત્રોમાં આ સમગ્ર પરિષદ યોજાઇ રહી છે. કુલ 6 જેટલાં વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શન દ્વારા વિવિધ માર્ગદર્શીકા પણ તૈયાર થશે. આ પરિષદમાં કલિનિકલ જીરિયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનરો માટેની તૈયાર થયેલી ડિજીટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પરિષદમાં આયુર્વેદ થકી વૃધ્ધાવસ્થાની સારવાર માટેની અલગ અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ તૈયાર કરવો, માળખું ઘડવું અને પ્રાયોગિક કાર્યો માટેની વ્યવસ્થાનું સંપૂર્ણ માળખું પણ તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં સમગ્ર દેશ-દૂનિયા માટે દીવાદાંડી સમાન બની રહેશે. આ કોન્ફરન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે જીરીયાટીક હેલ્થ માટેનો એક્શન પ્લાન અને ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે, જેને નજીકના ભવિષ્યમાં કાર્યમાન કરવામાં આવશે અને વૃધ્ધાવસ્થા માટે આયુર્વેદ પધ્ધતિથી ઉપચારની એક નવું સિમાંકન અંકિત થશે. આઇ.ટી.આર.એ. ખાતે આયુર્વેદ પધ્ધતિથી સંચાલિત રિજ્યોનલ કેર સેન્ટર પણ નજીકના ભવિષ્યમાં સ્થાપવામાં આવશે જ્યાં વિશેષ રીતે વૃધ્ધોની સારવાર આપવામાં આવશે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડિઝ કેન્દ્રની રજત જયંતિ જામનગરના આયુર્વેદ પરિસારમાં આવેલું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડિઝ કેન્દ્ર વર્ષ 2000માં ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના તત્કાલીન કુલપતિ સ્વ. પ્રોફેસર વૈદ્ય પી.વી.એન. કુરૂપ અને આઇ.પી.જી.ટી.આર.એ.ના તત્કાલીન ડાયરેક્ટર સ્વ. પ્રોફેસર વૈદ્ય એમ. એસ. બઘેલની દીર્ઘ દ્રષ્ટીથી સ્થાપવામાં આવ્યું હતું. આજે આ કેન્દ્ર આયુષ મંત્રાલયના આઇ.ટી.આર.એ. દ્વારા સંચાલન કરવામાં આવે છે. વર્ષ 1992માં જ ત્રણ માસનો ટુંકાગાળાનો અભ્યાસ્ક્રમ શિખવા વિદેશી વિદ્યાર્થીઓ અત્રે આવતા જ હતાં પરંતુ દીર્ઘ દ્રષ્ટીકોણ ધરવતા નેતૃત્વના સફળ પ્રયત્નોથી ભારત સરકાર દ્વારા 10 વિદેશી વિદ્યાર્થીઓ માટે વિશેષ સીટ ફાળવવામાં આવી હતી, અને ત્યારબાદ વર્ષ 2000માં ખાસ કેન્દ્રની અલગથી સ્થાપના થઇ અને તબક્કાવાર આ કેન્દ્ર માસ્ટર ડીગ્રી અને હવેતો પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. હાલ વિશ્વના 70થી વધુ દેશોમાં અહીંથી આયુર્વેદનો અભ્યાસ કરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશમાં આયુર્વેદ ક્ષેત્રે ચિકિત્સક અને સંશોધક તરીકે કાર્ય કરી રહ્યાં છે. જાપાન, બ્રાઝિલ, રશીયા, શ્રીલંકા, મોરેશ્યસ, યુનાઇટેડ કિંગડમ, નેપાલ અને ભૂટાન જેવા દેશોમાં આ અયુર્વેદ વૈદ્યોની પ્રેક્ટિસનો લાભ લેવા ત્યાંના દેશવાસીઓ ઉત્સાહ અને વિશ્વાસભેર સારવાર યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા દૂનિયાના 10 દેશોની ટોચ કક્ષાની સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે જે ખૂબ જ ધ્યાનાકર્ષક બાબત ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ અભ્યાસ માટે અલગ વર્ગો, નિવાસી વ્યવસ્થા, ખાસ ભાષાકિય શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણ ઉપલબ્ધ બનાવી શકાય તેવું સમગ્ર દેશમાં એક માત્ર કેન્દ્ર એટલે ઇટ્રાનું આઇ.સી.એ.એસ. કેન્દ્ર છે. નવાનગર-જામનગરના રાજવી પરિવાર દ્વારા રાજ્યાશ્રય પામી રોપવામાં આવેલો આયુર્વેદનો છોળ આજે એક વટવૃક્ષ બની વિશ્વભરમાં પ્રસરાયો છે અને છાયડારૂપી ચિકિત્સા સૌને ઉપલબ્ધ કરાવી રહ્યો છે. જામનગર માટે આ અત્યંત ગૌરવશાળી બાબત ગણાય.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:12 pm

સીમરમાં દરિયામાંથી દારૂનો જથ્થો ઝડપાયાનો મામલો:56 લાખથી વધુનો દારૂ પૂરો પાડનાર વેપારી વલસાડથી પકડાયો, પૂછપરછ શરૂ

નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના દાંડી ગામેથી રૂ. 56 લાખથી વધુનો દારૂ પૂરો પાડનાર રોનક લાલજી ટંડેલને ઝડપી પાડી નવાબંદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. ગત તારીખ 10ના રોજ ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. રાણાને બાતમી મળતા દારૂનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ નવાબંદર મરીન પોલીસના ઇનચાર્જ પી.એસ.આઈ. એચ.એલ. જેબલિયાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રૂ. 56 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રોનક લાલજી ટંડેલનું નામ ખુલ્યું હતું. તેને વલસાડ જિલ્લાના દાંડી ગામેથી ઝડપી પાડી નવાબંદર પોલીસ સ્ટેશન પર લાવી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂનો આ મોટો જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો અને ઉના પંથકમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. પકડાયેલા રોનક નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આગામી સમયમાં ઉના વિસ્તારમાં દારૂ સપ્લાય થવાનો હતો તે નામ પણ ખુલે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:11 pm

નજીવી બાબતે મારમાર્યો:ટાણા ગામે ઘર પાસે ખોદકામ કરવાની ના પાડતા પરિવાર પર 8 શખ્સોનો હુમલો

ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે એક યુવાને તેના ઘર પાસે ખોદકામ કરવાની ના પાડતા આઠ શખ્સોએ ફરિયાદ યુવાન તથા તેના માતા-પિતા પર ધારિયા, પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના ટાણા ગામે બુઢણા રોડ પર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતો અને અભ્યાસ સાથે ખેતી કામ કરતા અલ્પેશ રાજુ બારૈયા ઉં.વ.24 એ આજ ગામના પથુભા દશરથસિંહ ગોહિલ, યુવરાજસિંહ અનોપસિંહ ગોહિલ, પ્રતાપસિંહ દશરથસિંહ ગોહિલ, મેઘરાજસિંહ અનોપસિંહ ગોહિલ, અને પૂર્વરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ તથા ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ 8 વ્યક્તિ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી પથુભા ફરિયાદીના ઘર પાસે જેસીબી વડે ખોદકામ કરતો હોય આથી ફરિયાદીના પિતા રાજુએ તેને ઘર પાસે ખોદકામ કરવાની ના પાડતા પથુભાએ તેના સાગરીતોને બોલાવી પ્રથમ રાજુ ઉપર હુમલો કર્યો હતો એ દરમિયાન રાજુનો પુત્ર અને ફરિયાદી એવો અલ્પેશ પિતાને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેના પર પણ ધારિયા અને પાઇપ વડે હુમલો કરતા અલ્પેશ ની માતા દક્ષા, પતિ અને પુત્રને બચાવવા વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દરમિયાન લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પિતા પુત્ર અને માતાને સારવાર અર્થે પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર બાદ અલ્પેશે આઠેય હુમલાખોરો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:09 pm

મનપાનાં 60 કર્મચારીઓને ગાંધીનગર જવા આદેશ:રાજકોટમાં વિવિધ વિભાગમાં કાર્યરત કર્મચારીઓ ચાલુ નોકરીએ મહાત્મા મંદિરે યોજાનાર સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે, અરજદારોને હાલાકી થવાની શક્યતા

રાજકોટ મહાપાલિકાનાં 60 કર્મચારીઓને ગાંધીનગર સરકારી કાર્યક્રમમાં જવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં વોટર વર્ક્સ, ડ્રેનેજ, ટીપી, અને ટેક્સ બ્રાન્ચ જેવા મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા 60 કર્મચારીઓનાં નામજોગ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ઓર્ડરમાં બધા કર્મચારીઓ માટે સ્પેશિયલ 2 બસ કરવા અને તમામને આવતીકાલે સવારે 8:30 કલાકે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તો સાથે જ ઉચ્ચ અધિકારીઓને પણ આ કર્મચારીઓનો ઓનડ્યુટી પ્રવાસ મંજુર કરવા અને ડીએ સહિતના લાભ આપવા આદેશ કરવામાં આવ્યો છે. મનપાના 60 જેટલા કર્મચારીઓ આવતીકાલે ગાંધીનગર જવાના હોવાથી અહીં વિવિધ કામો માટે આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પૂરતી શક્યતા છે. મહાપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાના મધ્યસ્થ વહીવટી તંત્ર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા 'વિકાસ સપ્તાહ' અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તારીખ 15/10/2025 ના રોજ સવારે 9:00 કલાકે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ગૃહ નિર્માણ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા પાણી પુરવઠા વિભાગના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. આ પ્રસંગે રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રહેવા જણાવાયું છે. આ આદેશ મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના 60 અધિકારીઓ અને કર્મચારીઓને ટીમ-01 અને ટીમ-02 માં વહેંચવામાં આવ્યા છે, જેમાં 30-30 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓને આવતીકાલે સવારે 8:30 કલાકે મહાત્મા મંદિર ખાતે હાજર રહેવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. કર્મચારીઓમાં મહાપાલિકાના અતિ મહત્વના વિભાગો જેવા કે વોટર વર્ક્સ (ઈન્ડોર), ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ, ટેક્સ બ્રાન્ચ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સેલ અને કાયદા બ્રાન્ચ) જેવી શાખાઓના કર્મચારીનો સમાવેશ થાય છે. આ તમામ 60 અધિકારીઓ-કર્મચારીઓને ગાંધીનગર લઈ જવા માટે સ્પેશિયલ 2 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ રાજકોટથી તારીખ 14/10/2025 ની સાંજે 6:00 કલાકે ગાંધીનગર જવા રવાના થશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તારીખ 15/10/2025 ના રોજ રાત્રે 8 કલાકે રાજકોટ પરત ફરશે. ઉચ્ચ અધિકારીઓને આ તમામ કર્મચારીઓનો પ્રવાસ ઓન-ડ્યુટી મંજૂર કરવા અને તેમને પ્રવાસ ભથ્થું (ડી.એ.) સહિતના તમામ લાભો ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. મહાપાલિકાના વોટર વર્ક્સ, ડ્રેનેજ, ટેક્સ બ્રાન્ચ અને ટાઉન પ્લાનિંગ જેવા અગત્યના વિભાગોમાંથી એકસાથે 60 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીનગર જઈ રહ્યા હોવાથી કાલે આવા વિભાગોમાં કામકાજ સંપૂર્ણ ખોરવાઈ જવાની કે ધીમું પડી જવાની શક્યતા છે. પાણી, ડ્રેનેજ, મિલકત વેરા સંબંધિત કામકાજ, બાંધકામ પરવાનગીઓ અને અન્ય વહીવટી કામો માટે આવતા અરજદારોને જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓની ગેરહાજરીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે અને ધક્કો ખાવાનો વારો આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:09 pm

હળવદ કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેઠક વ્યવસ્થા મુદ્દે વિવાદ:ભાજપ ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ કર્યો હોબાળો, વીડિયો વાયરલ

હળવદના નવા ઇસનપુર ગામે મંગળવારે યોજાયેલા કૃષિ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેજ પર બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ થયો હતો. ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગામના મહિલા સરપંચના પતિને સ્ટેજ પર બેસવા દેવામાં આવ્યા ન હતા. આ બાબતે શહેર કોંગ્રેસના તાલુકા પ્રમુખ ગોપાલભાઈ દોરેલા સહિતના આગેવાનોએ સ્ટેજ પર જઈને વિરોધ નોંધાવ્યો હતો અને માથાકૂટ કરી હતી. હાલ સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે. ઉદ્ઘાટન સમારોહમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપરાંત ભાજપના તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તેમના પતિઓ પણ સ્ટેજ પર હાજર હતા. નવા ઇસનપુરના મહિલા સરપંચના પતિ ધીરજભાઈ પરમારે જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા સભ્યોને સ્ટેજ પર બેસવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના પતિઓને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા, પરંતુ સરપંચના પતિ તરીકે તેમને બેસાડવામાં આવ્યા ન હતા. તેમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કંઝારીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકારના કૃષિ મહોત્સવ કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે કોઈ મુદ્દો ન હોવાથી સ્ટેજ પર બેસવા બાબતનો મુદ્દો બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 6:07 pm

ગોધરા સિગ્નલ ફળીયા ગેંગ સામે ગુજસીટોક કેસ:વડોદરા ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે 2 આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ચાલુ ટ્રેનને ધીમી પાડી લૂંટ ચલાવતા

પશ્ચિમ રેલવે વડોદરા પોલીસે ગોધરાની સિગ્નલ ફળીયા ગેંગના 6 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જે પૈકી બે આરોપીની ધરપકડ કરીને આજે વડોદરા ગુજસીટોક, સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગેંગ ટ્રેનનું સિગ્નલ બદલી નાખતા હતાં. આ ઉપરાંત બે કોચ વચ્ચેનો વાલ્વ ખોલી એર પ્રેશર ઓછું કરી નાખતા અને ટ્રેન ધીમી પડ્યા બાદ ટ્રેન ગુડ્સ ટ્રેનમાંથી માલ-સામાનની અને પેસેન્જર ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી માલ-સામાનની ચોરી કરતા હતા. ટ્રેન ઉથલાવી નાખવાનો પણ પ્રયાસ કરતાઆ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવેલા કુલ 31 ગુનાઓમાંથી, 29 ગુનાઓ ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર છે, જે ગુજસીટોક કાયદા હેઠળ ગુનાહિત ટોળકીની વ્યાખ્યામાં આવે છે. આ ગેંગ રેલ્વે ટ્રેકના બંને પાટાઓને જોડતી ફિશર પ્લેટને નુકસાન પહોંચાડી અથવા કાઢી નાખીને ટ્રેન ડિરેલમેન્ટ થાય તેવા કૃત્યો પણ કરે છે, જેનાથી પેસેન્જર ટ્રેનના મુસાફરોના જાનમાલને ગંભીર નુકસાન થાય છે અને તેમના સામાનની ચોરી કે લૂંટ કરવામાં આવે છે. સિગ્નલ ફળીયા ગેંગના બે આરોપીઓ ફરદીન ઇનાયત અલી મકરાણી અને સુલતાન નિશાર ખાલપાને પકડી પાડવામાં આવ્યા છે. અન્ય બે આરોપીઓ, હસન ઉર્ફે ટકન સલીમ શેખ અને હુસેન સલીમ શેખ, હાલ રેલવેની રાષ્ટ્રીય સંપત્તિની ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ છે. પોલીસ તેમનો કબજો મેળવવા કાર્યવાહી કરી રહી છે, જ્યારે ઈમરાન નિશાર ખાલપા અને યાસીન સલીમ શેખ નામના અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે, જેમને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સક્રિય પ્રયાસો ચાલુ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડીરેલવે લાઇન પર સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલા આઉટર સિગ્નલ કે હોમ સિગ્નલના થાંભલા પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ લાઇટને લાલ કરી દે છે. આના કારણે ટ્રેનના લોકોપાયલોટને સિગ્નલ ન મળવાથી ટ્રેન ધીમી પડે છે અથવા ઊભી રહે છે, જેનો લાભ લઈને ગેંગ પેસેન્જર ટ્રેનમાં ચઢી લૂંટ કરે છે અથવા બારી પાસે બેઠેલા મુસાફરોના કિંમતી સામાનને ખેંચીને ચોરી કરે છે. સિગ્નલ ફળીયા ગેંગના બે આરોપીઓ ફરદીન ઇનાયત અલી મકરાણી અને સુલતાન નિશાર ખાલપાને આજે વડોદરા ગુજસીટોક, સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. કોર્ટે બંને આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સિગ્નલ ફળીયા ગેંગના આ 6 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:58 pm

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ થશે

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. તેમજ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર અને વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાઇલેન્ટ ઝોન ગણવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે ગુનો પણ નોંધવામાં આવશે. અમદાવાદીઓને 10 જેટલા નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેવા ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં.ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી અને વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી બાંધેલા ફટાકડા ફોડી શકાશે નહીં. લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઈ કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણવામાં આવશે જેથી તેની કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા રાખી શકાશે નહીં અને તેનું વેચાણ પણ કરી શકાશે નહીં.બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ નજીક, બોટલિંગ પ્લાન્ટ, એલ.પીજી, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોડાઉન અને હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના ચાઇનીઝ તુક્કલનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈ પણ સ્થળોએ ઉડાવી શકાશે નહીં.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:53 pm

ઉદ્યોગનગર રેલવે ફાટક વિવાદ:મહિલાઓ મેદાને, કલેક્ટરને આવેદન; રેલવે વિભાગે આપેલો વૈકલ્પિક રસ્તો પાણીનું વહેણ હોવાનો કર્યો આક્ષેપ

પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરવાના વિરોધમાં આજે ફરી મહિલાઓ મેદાને આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફાટક ખોલવાની માંગ કરી હતી.આ વિસ્તારના લોકોમાં ફાટક બંધ થવાને કારણે નારાજગી જોવા મળી રહી છે. અગાઉ બે વખત ફાટક નજીક દેખાવો કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરવા છતાં ફાટક ન ખોલાતા સ્થાનિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે.કલેક્ટરને આવેદન આપ્યા બાદ મહિલાઓ રેલવે વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી. તેમણે અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જેમ તમે ફાટક બંધ કરી દીધું, તેમ જો અમે ટ્રેનને રોકી દઈએ તો તમને કેવું લાગશે? મહિલાઓએ જણાવ્યું હતું કે રેલવે વિભાગે જે વૈકલ્પિક રસ્તો આપ્યો છે તે પાણીનો વહેણ છે અને યુવતીઓ-મહિલાઓ માટે સલામત નથી.જો ફાટક નહીં ખોલવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાનને પણ પત્ર લખવામાં આવશે તેમ જણાવાયું હતું. મહિલાઓએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:52 pm

સુરેન્દ્રનગરમાં પઢાર મહિલાઓએ પટોળા કળાથી વિકાસની કેડી કંડારી:'PM જનમન' અભિયાન થકી આત્મનિર્ભર ઉદ્યોગ સાહસિક બની

કેન્દ્ર સરકાર દ્વારા વંચિત સમુદાયોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે 'પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન' ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આદિમજૂથની જાતિઓ જેવી કે કોલઘા, કાથોડી, કોટવાળિયા, પઢાર અને સિદ્દીને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પઢાર સમુદાયની મહિલાઓએ પટોળા કળા દ્વારા આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રાણાગઢ, નાની કઠેચી, આનંદપુર, જસમતપર, રળોલ, ગેડી, પરનાળા અને પરાલી સહિત આઠ ગામોમાં પઢાર સમુદાય વસવાટ કરે છે. આ પૈકી પરાલી ગામની મહિલાઓએ તેમના પરંપરાગત ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરી છે. પરાલી ગામનું 'પ્રથમ સ્વસહાય જૂથ' ગ્રામીણ મહિલાઓના સ્વમાન અને આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યું છે. આ જૂથની બહેનોએ પ્રાચીન ભારતીય હસ્તકલા પટોળાના ઉત્પાદનને પોતાનું માધ્યમ બનાવ્યું છે. આ કળા દ્વારા તેઓ નોંધપાત્ર આર્થિક અને સામાજિક પ્રગતિ કરી રહી છે. સ્વસહાય જૂથના પ્રમુખ મંજુલાબેન સોયાએ જણાવ્યું કે, અમારા સખી મંડળની બહેનો પટોળા વણાટની ઝીણવટભરી કારીગરીમાં નિપુણતા ધરાવે છે. અમે કૉટન અને પ્યૉર સિલ્કની આકર્ષક પટોળા સાડીઓ, સ્ટૉલ, શાલ, હાથ રૂમાલ, તેમજ સિંગલ ઇકત અને ડબલ ઇકતની તકનીકથી દુપટ્ટાઓ અને સાડીઓ બનાવીએ છીએ. તેમણે આ સફળતાનો શ્રેય સરકારના સહયોગને આપ્યો. આ કારીગરી તેમની પેઢીઓ જૂની કળાને જીવંત રાખવાની સાથે તેને આધુનિક બજારની જરૂરિયાત પ્રમાણે ઢાળીને આર્થિક સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ બનાવી રહી છે. સરકારી પ્લેટફોર્મ્સ વેચાણ અને રોજગારનો આધાર બન્યા છે. મંજુલાબેનના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા યોજાતા સ્વદેશી મેળાઓ અને હસ્તકલા પ્રદર્શનો જેવા કાર્યક્રમો થકી તેમના ઉત્પાદનોનું સારું વેચાણ થાય છે. આ પ્લેટફોર્મ્સને કારણે ગ્રામીણ મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે અને તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની છે. તેઓ ખાસી એવી રોજી કમાઈને પોતાના પરિવારના આર્થિક ઉત્થાનમાં મોટો ફાળો આપી રહી છે, સાથે જ દેશની આર્થિક ઉન્નતીમાં પણ યથાયોગ્ય યોગદાન આપી રહી છે. આ સરકારી પ્લેટફોર્મ્સ 'ઘર ઘર સ્વદેશી'ના મંત્રને બળ પૂરું પાડીને સ્થાનિક કલાને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવવામાં મદદરૂપ થયા છે. જેના પરિણામે સખી મંડળની બહેનો સારી કમાણી કરીને પોતાના પરિવારના આર્થિક ઉત્થાનમાં મોટો ફાળો આપી રહી છે. પરાલી ગામનું આ સખી મંડળ 'પીએમ જનમન' અભિયાનની ભાવનાને સાકાર કરતું એક જીવંત ઉદાહરણ છે. આ સખી મંડળ એ સંદેશ આપે છે કે, જો આપણે 'ઘર ઘર સ્વદેશી' અપનાવીએ અને સ્થાનિક કલાને સન્માન આપીએ, તો દેશના આદિમજૂથો અને ગ્રામીણ કારીગરો આર્થિક રીતે સક્ષમ બનીને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:48 pm

કાજલીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ:જિલ્લાના 2076 ખેડૂતોને ₹7 કરોડથી વધુની સહાય અપાઈ

કાજલી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ-2025ના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના 2076 ખેડૂતોને ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર અને સોલાર યુનિટ સહિત ₹7 કરોડથી વધુની ખેતીલક્ષી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે રવિ પાકોમાં ઉત્પાદન વધારવા માટે આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો, નવી ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું.જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી વિભાગે 24,549 ખેડૂતોને સહાય ચૂકવી છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1,13,000 ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય મળી રહી છે. તાજેતરમાં, 20મા હપ્તામાં ₹25 કરોડની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. કાજલી ખાતે આયોજિત સ્ટોલોમાં ખેડૂતોએ નવીન ટેકનોલોજી, સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયાબહેન ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:41 pm

રાજકોટ એસટી વિભાગની 100 એકસ્ટ્રા બસ દોડતી થઈ:રાજકોટ, મોરબી, સુ.નગરથી દૈનિક મુસાફરોની સંખ્યા 30000એ પહોંચી, દૈનિક આવક રૂ.60 લાખને પાર થશે

દિવાળીના પર્વમાં સલામત સવારી ગણાતી એસટી બસમાં લોકોની ચિક્કાર ભીડ ઉમટી પડશે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા તેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 550 જેટલી બસ દોડે છે. જોકે દિવાળીમાં લોકો પોતાના સ્નેહીજનોને ત્યાં જવા માટે તેમજ હરવા ફરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન આજથી શરૂ થઈ ગયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઊંચા ભાડા આપી લૂંટાવવુ ન પડે. રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે 25000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે 5000 નો વધારો થશે. ઓનલાઈન બુકીંગ કરાવવા અપીલએસટી બસ સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી કથા ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTC ની વેબસાઈટ અથવા તો એપ્લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ એસટી વિભાગની દૈનિક આવક રૂ. 60 લાખ જેટલી છે. જે દૈનિક આવક રૂ.70 લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે. રાજકોટમાં 100 એકસ્ટ્રા બસો મૂકવામાં આવીરાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં 80 એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે 100 બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી 20, ગોંડલથી 15 અને સુરેન્દ્રનગરથી 10 સહિતની વધારાની બસો મુસાફરોની સગવડતા માટે મૂકવામાં આવી છે. જેમાં દિવાળીની પહેલા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ભુજ તરફ જતી બસોમાં વધુ ભીડ હોવાથી ત્યાં જતી બસોમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ ભાઈબીજના દિવસે લોકલ ટ્રાફિક વધુ રહે છે. જેમાં રાજકોટથી જૂનાગઢ, દ્વારકા, મોરબી, ગોંડલ, વડોદરા સહીતના સ્થળોએ જતી બસમાં ટ્રાફિક જોવા મળશે. ઓનલાઇન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં પણ એક્સ્ટ્રા બસો ઉમેરી દેવામાં આવી છે. મુસાફરો www.gsrtc.in વેબસાઇટ તેમજ GSRTC ની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જેથી એસટી બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે મુસાફરોની ભીડ ઓછી રહે. પદ્માકર ભુજબલે જણાવ્યુ હતુ કે, પુના રહુ છું. પુનાથી રાજકોટ એક કામ માટે આવ્યો હતો અને હવે રાજકોટથી પુના જઈ રહ્યો છુ. દિવાળીનો તહેવાર હોવાથી એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. માર્કેટમાં પણ ભીડ છે પરંતુ આ દિવાળીનો તહેવાર તમામ દેશવાસીઓ ઉજવતા હોવાથી તમામ જગ્યાએ ભીડ જોવા મળે છે. સરકારી એસટી બસ હોવાથી મુસાફરો માટે સેફટી સૌથી વધુ હોય છે અને મુસાફરો સાથે વાતચીત કરવાની સ્ટાફની રીત પણ સારી હોય છે. તેમણે જણાવ્યું કે, હું પ્રાઇવેટ કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરું છું. એસટી બસની ટિકિટ પણ હાલ સરળતાથી મળી ગઈ છે. દિવાળીના દિવસો નજીક આવતા ભીડમાં વધારો થશે. દિવાળીમાં કયા ડેપોથી કેટલી એક્સ્ટ્રા બસ મૂકાઈ? મુસાફરોના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર ગુજરાત રાજ્યમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સહિતની બાબતના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર છે જે 1800-233-666666 છે. આ એક ટોલ ફ્રી નંબર છે. જે નંબર પર મુસાફર ફોન કરતા જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પર ફોન જશે. જ્યાં ફરિયાદ કરતાની સાથે જ મુસાફરોની સમસ્યાનું નિરાકરણ આવી જશે. ગુજરાત બહાર ચાલતી રાજકોટ ડિવિઝનની એસટી બસો​​​​​​​રાજકોટથી નાથદ્વારા, રાજકોટથી સૂંઢા માતા અને ગોંડલથી નાસિક જવા માટે બસ ચાલે છે. રાજકોટથી નાથદ્વારા માટે વોલ્વો દરરોજ સાંજે 4.30 વાગ્યે તો સાદી સ્લીપર બસ 5.30 વાગ્યે ઉપડે છે. જ્યારે રાજકોટથી સૂંઢા માતા જવા માટે સાદી સ્લીપર બસ દરરોજ સાંજે 7.30 વાગ્યે ઉપડે છે. જ્યારે ગોંડલથી નાસિકની બસ ગોંડલથી સાંજે 7 વાગ્યે ઉપડે છે અને આ બસ રાજકોટથી રાત્રે 8 વાગ્યે ઉપડે છે. નાથદ્વારા અને સૂંઢા માતા ધાર્મિક સ્થળ છે જેથી ત્યા સૌરાષ્ટ્રમાંથી જતાં લોકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. આ સાથે જ નાસિક હરવા ફરવાનું સ્થળ હોવાથી ત્યાં તહેવારોના દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. જેથી રાજકોટથી નાસિકની બસ ચાલે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:40 pm

ભાજપના નવા પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં શિક્ષકોને હાજર રહેવા ફરમાન!:કોંગ્રેસે કહ્યું- પુસ્તકથી સ્વાગતની આશા, શિક્ષણ પ્રત્યે નિરાશા; શિક્ષકોને રાજકીય કાર્યક્રમથી દૂર રાખવા માગ

આગામી 17 તારીખના ઓક્ટોબર ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અમદાવાદના રિવરફ્રન્ટ પર સત્કાર સમારોહ યોજવાનો છે. આ સત્કાર સમારોહને લઈને કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે. સત્કાર સમારોહમાં દરેક શાળામાંથી બે શિક્ષકોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. તેમજ સત્કાર સમારોહમાં સ્વાગત માટે શિક્ષકોને શાળા બંધ રાખીને હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકીય કામગીરીથી શિક્ષકોને દૂર રાખવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. શિક્ષકોનો 8 ટકા સમય અન્ય કામગીરીમાં વેડફાઈ રહ્યો છેગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત શિક્ષણમાં અધોગતિ તરફ જઈ રહ્યું છે. એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. સમીક્ષા કેન્દ્ર પાછળ કરોડોનો ખર્ચ છતાં ધોરણ 2નો વિદ્યાર્થી ભાષા બરોબર વાંચી શકતો નથી. અનેક કામગીરી શિક્ષકને સોંપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ કરી શકતા નથી. શિક્ષકોનો 8 ટકા સમય અન્ય કામગીરીમાં વેડફાઈ રહ્યો છે. ગુજરાતના શિક્ષણની અધોગતિ થઈ રહી છેવધુમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ફરી એક વખત હિટલર શાહી આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના નવ નિયુક્તના સન્માન સમારોહમાં DEO દ્વારા આદેશ આપવામાં આવે છે કે ઓછામાં ઓછા બે શિક્ષક મોકલવા રહેશે. આ કોઈ સરકારી કાર્યક્રમ નથી આ પક્ષનો સન્માન સમારોહ છે છતાં પણ આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે. આ રીતે જ ગુજરાતના શિક્ષણની અધોગતિ થઈ રહી છે. જગદીશ વિશ્વકર્માએ કહેવું જોઈએ કે શાળાના શિક્ષકોને મારા સમારોહમાં આવવાની કોઈ જરૂરત નથી. બાકી ગુજરાતના શિક્ષણને પરખના રિપોર્ટથી કાળો ધબ્બો લાગ્યો છે. જેથી રાજકીય કાર્યક્રમથી શાળાઓના શિક્ષકોને દૂર રાખવામાં આવે તેવી અમારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:36 pm

અરવલ્લી પોલીસે 50 દિવસમાં ₹9 કરોડના નશીલા પદાર્થો જપ્ત કર્યા:દિવાળી પૂર્વે 20 સરહદી ચેકપોસ્ટ પરથી દારૂ, ગાંજો, ચરસ ઝડપાયા

અરવલ્લી જિલ્લા પોલીસે દિવાળીના તહેવારો પૂર્વે સઘન કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 50 દિવસમાં જિલ્લાની 20 સરહદી ચેકપોસ્ટ પરથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આમાં વિદેશી દારૂ, ગાંજો અને ચરસ જેવા માદક પદાર્થોનો સમાવેશ થાય છે. બુટલેગરો દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પરપ્રાંતમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ સક્રિય બની છે. જિલ્લાની સરહદો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એક્શનમાં છે. ગુજરાત-રાજસ્થાન સરહદ પર દારૂની હેરાફેરી રોકવા માટે વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. જિલ્લાની કુલ 20 બોર્ડર ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના કારણે ગુજરાતના યુવાધનને બરબાદ થતું અટકાવવામાં મદદ મળી છે. બુટલેગરો સામેની આ સફળ કામગીરી માટે અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:32 pm

મહેસાણા કોર્ટ 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી:યુવતી ભગાડી જવાની અદાવતમાં જન્મ દિવસની ઉજવણીમાં આવેલા યુવાનનું અપહરણ કરી મારમારી ફેંકી દીધો હતો

મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં વર્ષ 2019માં થયેલા યુવતી ભગાડી જવાની અદાવતના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બનાવમાં, યુવતી ભાગી જતાં તેના ઘરે આવેલા મહેમાન યુવાનને આરોપીઓએ જન્મદિવસની ઉજવણી દરમિયાન અપહરણ કર્યું હતું અને યુવતી પાછી ન આવે ત્યાં સુધી તેને બંધક બનાવી રાખવાની ધમકી આપી હતી. યુવાનનું અપહરણ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવ્યો હતો. સરકારી વકીલ ભરત જી. પટેલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ (રહે. કસલપુર, જોટાણા), પટેલ સંજયભાઈ રમણભાઈ (રહે. બલોલ), અને પટેલ સમીરભાઈ રમણભાઈ (રહે. બલોલ) ને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે, આ કેસમાં એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. શું હતો મામલો?મહેસાણા ધોબીઘાટ રોડ પર આવેલી ધરતી ટાઉનશીપમાં રહેતા હંસાબેને 16 એપ્રિલ 2019માં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, એમના દીકરા મૌલિકનો જન્મ દિવસ હોવાથી થરાદથી તેનો મિત્ર ચૌધરી વિષ્ણુ ભાઈ તેના ઘરે આવ્યો હતો.એ જ દિવસે ફરિયાદીનો દીકરો બલોલ ગામની યુવતીને લઈ ભાગી ગયો હોવાથી ફરિયાદીને ઘરે યુવતીના મામા સહિતના લોકો આવી ગાળાગાળી કરી હતી, અને જ્યાં સુધી તેઓની દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ ફરિયાદીના દીકરાના મિત્ર ચૌધરી વિષ્ણુભાઈને તેઓના ઘરેથી ગાડી મારફતે અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ભોગ બનનાર ચૌધરી વિષ્ણુ ભાઈને યુવતીના પરિવારજનો ગાડીમાં અપહરણ કરી તેઓના ગામ બલોલ પાસે આવેલ ખેતરની ઓરડીમાં લઈ ગયા હતાં. જ્યાં ભોગ બનનારને પાવડાના હાથ માથામાં માર્યા હતા.ત્યારબાદ ભોગબનનારને બીજી ગાડીમાં બેસાડી તેઓ લોહીલુહાણ હાલતમાં એક સર્કલ પર ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસ આવતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:28 pm

ઈમરજન્સી સેવાઓ ખોરવાશે:રાજકોટમાં તહેવારો સમયે મનપાનાં ફાયર વિભાગના 81 કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની હડતાળ, દોઢ માસથી પગાર નહીં મળ્યાનો આરોપ

રાજકોટમાં દિવાળીના તહેવારો ગણતરીના દિવસોમાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કુલ 81 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા દોઢ મહિનાથી પગાર ન મળવા અને અન્ય વિભાગના કર્મચારીઓની જેમ બોનસ ન આપવાના આક્ષેપો સાથે ડ્રાઈવરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળના કારણે ફાયર વિભાગની ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાની અને તહેવારોમાં આગના બનાવો વખતે મોટી મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે. રાજકોટ ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા સોમાકિયા ઈશ્વરકુમાર રસીકભાઈએ જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી અમારો પગાર થયો નથી. આ બાબતની જાણ અમે કોન્ટ્રાક્ટ ધારક આરકેને કરી હતી. તો તેમણે અમને કહ્યું કે અમારો કોન્ટ્રાક્ટ તો એક મહિના પહેલા જ પૂરો થઈ ગયો છે. તેમ છતાં અમને 1 મહિનો અને 15 દિવસ નોકરી કરાવી અને જ્યારે અમે પગારની માંગણી કરી, ત્યારે તેમણે હાથ ઊંચા કરી દીધા કે પગાર નહીં આપી શકીએ. ત્યારબાદ આ બાબતની જાણ અમે રાજકોટના ચીફ ઓફિસરને કરી, તો તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટ કેટલાક સમયથી પૂરો થઈ ગયો છે એટલે અમારે કોન્ટ્રાક્ટર સાથે કોઈ લેવાદેવા નથી. આજરોજ અમે બધા એટલા માટે ભેગા થયા છીએ કે અમારો પગાર અને વાર્ષિક બોનસ પણ મળવું જોઈએ. કોર્પોરેશનના અન્ય તમામ ખાતામાં બોનસ આપવામાં આવ્યું છે, પણ અમને બોનસના પૈસા આપવામાં આનાકાની કરે છે. ઈશ્વરકુમારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, અત્યારે 81 જણા છીએ. અમે ફાયર બ્રિગેડના તમામ વ્હીકલો ઓપરેટ કરી છીએ. ગઈકાલનો જ બનાવ છે. ગઈકાલે દીવાનપરામાં આગ લાગી હતી. ત્યારે કોઈ પણ કાયમી ડ્રાઈવરમાંથી કોઈએ લાલ ગાડી કાઢી નહોતી. ત્યારે આ કપરા સમયમાં અમારા કોન્ટ્રાક્ટના 5 ડ્રાઈવરો ત્યાં જઈ અને આગને કાબુ લેવામાં મદદરૂપ થયા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે ઈમરજન્સીની પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોએ જ શહેરની સુરક્ષાની જવાબદારી નિભાવી હતી. ત્યારે જ્યાં સુધી અમારો પગાર અને બોનસ નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે,દિવાળીના દિવસોમાં આગના નાના -મોટા 100 કરતા વધુ બનાવો નોંધાતા હોય છે. કોન્ટ્રાક્ટ બેઝ પરના 81 ડ્રાઈવરોની હડતાળના કારણે ફાયર વિભાગના ઘણા વાહનો ઓપરેટ કરવાની કામગીરી થંભી જશે, જેની સીધી અસર તહેવારો દરમિયાન ઈમરજન્સી સેવાઓ પર પડશે. જો આ હડતાળ લાંબી ચાલે, તો તહેવારોમાં રાજકોટવાસીઓની મુશ્કેલીમાં અને શહેરની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:27 pm

ત્રણ આરોપીઓને 15 વર્ષની કેદ અને 2.50 લાખનો દંડ:અમદાવાદના મોતી મહાલ રેસ્ટોરન્ટ પાસેથી DCB એ 61 લાખના ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા

વર્ષ 2020માં અમદાવાદના DCB પોલીસ મથકે NDPS એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસાર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી તે મુજબ અમદાવાદના કાલુપુરમાં આવેલ મોતી મહાલ રેસ્ટોરન્ટ પાસેથી તેમને ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જેની ઝડતી લેવાતા તેમની પાસેથી 30.50 લાખનું 305 ગ્રામ MD ડ્રગ્સ અને 30.60 લાખનું 51 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. ત્રણ આરોપીઓને 15 વર્ષની કેદ અને 2.50 લાખનો દંડઝડપાયેલા આરોપીઓમાં મુંબઈના રમેશ દીપચંદ રાઠોડ, અમદાવાદના કારંજમાં રહેત અઝરુદ્દીન શેખ અને અમદાવાદના પથ્થરકુવાના રહેવાસી અરબાઝ કુરેશીનો સમાવેશ થતો હતો. જેમની સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં આવેલ NDPS ની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને કુલ 2.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં આરોપીઓને આપતો હતોઆરોપીઓ પૈકી રમેશ રાઠોડ શતાબ્દી એક્સપ્રેસમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો. જે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં આરોપીઓને આપતો હતો. આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ. એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવાને આધારે જજ વી.બી. રાજપૂતે ત્રણ આરોપીઓને ઉપરોક્ત સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:14 pm

પુષ્ય નક્ષત્ર પર વડોદરામાં 150 કરોડનો વેપાર:વેપારીએ કહ્યું- ગત વર્ષ કરતા આ વર્ષે સોનાની ખરીદીમાં 50% નો ઘટાડો; ગ્રાહકે કહ્યું- અત્યારે સોનું ખરીદવું થોડું રિસ્કી છે

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનું ખાસ મહત્વ હોય છે. વડોદરામાં ગત વર્ષ કરતા આ વર્ષે સોનાની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો પુષ્ય નક્ષત્ર હોવાથી સારા મુહૂર્ત માટે સોનાની ખરીદી તો કરી રહ્યા છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં સતત વધારો થતાં ખરીદી ઘટી છે. ગત વર્ષ શહેરમાં 250 કરોડનું સોનું અને ચાંદી વેચાયા હતા અને આ વર્ષે 150 કરોડના વેચાણનો અંદાજ છે. 'ઇન્વેસ્ટરોએ પહેલાંથી જ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી દીધું છે'આ અંગે સારા ગણદેવેકરના ડાયરેક્ટર સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું હતું કે, ખરીદી જોવા જઈએ તો ભાવ તો રોજે લગભગ 2000 કે 2500 જેટલો વધી જાય છે અને ફ્લક્ચુઅશન બહુ વધારે છે. દિવસમાં ચાર-ચાર વખત કે પાંચ-પાંચ વખત રેટ ચેન્જ થઈ રહ્યા છે. ખરીદીના અકોર્ડિંગલી જો આપણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ મહિનાથી અમારો જે કસ્ટમર વર્ગ છે એની અંદર થોડું એ લોકોનું પ્રિડિક્શન હતું કે જે બજાર છે અને જે ભાવ છે એ દોઢ લાખ સુધી પહોંચી શકે છે દિવાળીની આસપાસ. જે ઇન્વેસ્ટમેન્ટ કરનારા ગ્રાહકો છે એમણે ઓલરેડી ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. એટલે એ લોકો બહુ જ બેનિફિટમાં છે, આજે પુષ્ય નક્ષત્ર છે કે પછી દશેરા હોય કે ધનતેરસ જેવા આપણા જે મુહૂર્ત છે જેમાં એક પ્રથા છે કે થોડું ઘણું તો સોનું ખરીદીએ. આપણે ભારતીય જે પરંપરા છે એ પ્રમાણે કરતા જ હોઇએ. તો લગભગ નાના નાની લગડી જે કે 1 ગ્રામ, 2 ગ્રામ કે 5 ગ્રામ કે 10 કે 20 ગ્રામ ત્યાં સુધીની ખરીદી ગ્રાહકો કરી જ રહ્યા છે. વધુમાં કહ્યું કે, અમારા માટે ભાવને લઈને રિસ્ક તો છે. કારણ કે રેટ આટલો બધો વધી રહ્યો છે અને સ્વાભાવિક છે કે જૂના રેટમાં લીધેલું સોનું હોય અથવા તો પછી ગ્રાહકો મેઈન તો ઓછા થઈ જાય. ખરીદી ઓછી થઈ શકે સૌથી મોટી વસ્તુ તો એ જ છે. આજે બિઝનેસ કહીએ તો જે ઇન્વેસ્ટમેન્ટ હોય ગોલ્ડની પાછળનું, જ્વેલરી પાછળનું, જો સેલ્સ ન મળે તો એમાં લોસ જતો હોય છે વેપારી વર્ગને. આ વર્ષે ખાસો ફરક છે, મતલબ 50 ટકા પણ નથી એમ કહી શકાય છતાં પણ મુહૂર્તની જે ખરીદી છે એ આજના દિવસે થઈ રહી છે. 'સોનાનો ભાવ ઉપર છે છતાંય ઘરાકી સારી દેખાઈ રહી છે'આ અંગે ખરીદી કરવા આવેલા ગ્રાહક સુધીર દવેએ જણાવ્યું હતું કે, આજે માહોલ તો સારો છે. આટલો ભાવ સોનાનો ઉપર છે છતાંય ઘરાકી સારી દેખાઈ રહી છે. જે પ્રમાણે શોરૂમમાં જોઇએ છીએ, જોતા એવું લાગે છે કે, બાકી સોનાનો ભાવ વર્ષની અંદર નિયરલી 70 ટકા એક વર્ષમાં વધી ગયો છે. છતાંય પણ ઘરાકીમાં કોઈ ફેર પડ્યો એવું લાગતું નથી. જે પ્રમાણે માહોલ જોઈએ છીએ એ પ્રમાણે. 'અત્યારે સોનું ખરીદવું થોડું રિસ્કી છે'વધુમાં કહ્યું કે, અમે ખરીદી કરવા આવ્યા છીએ. સોનાની લગડી લેવા આવ્યા છીએ. હા, પુષ્ય નક્ષત્ર એક મહત્ત્વનો આપણો ઉત્સવ છે. હિંદુ કેલેન્ડરમાં કે આખા વર્ષમાં પુષ્ય નક્ષત્રના દિવસે થોડી કંઈક ખરીદી તો કરે બધા. સોનાનું હોય કે ચાંદીનું હોય પણ ખરીદી કરે એ આપણે પુષ્ય નક્ષત્રનું વધારે મહત્ત્વ છે. અત્યારે સોનું ખરીદવું થોડું રિસ્કી છે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ લ્યો તો જુદી વાત છે. પણ હવે વર્ષની અંદર 65-70 ટકા વધી ગયું છે એટલે નેક્સ્ટ યર એટલું વધે તો મુશ્કેલી લાગે છે. 'રશિયા-યુક્રેનની વોર પતી જાય તો થોડું ઘટેય ખરું'વધુમાં કહ્યું કે, સોનું ડાઉન જવાના ચાન્સીસ ખરા, પણ આ શું છે કે જિયો-પોલિટિકલ સિચ્યુએશન ઉપર છે. હવે આજે રશિયા-યુક્રેનની વોર પતી જાય તો થોડું ઘટેય ખરું. એમ અને ચાઈના ઉપર જે ટેરિફ લગાડી છે ટ્રમ્પે, એ જો ટ્રમ્પ પાછી ખેંચી લે તો સોનું અને ચાંદી થોડું ઘટી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:12 pm

અમદાવાદમાં એકાઉન્ટ મેનેજર સાથે ઠગાઈ:ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાનું કહીને 6 ગણો નફો બતાવી 11.40 લાખ પડાવ્યા

સાયબર ગાઠીયા દિવસે ને દિવસે અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાના નામે 11.40 લાખ રૂપિયા પડાવ્યા છે.ભરેલી રકમ સામે છ ગણો નફો પણ બતાવ્યો હતો અને નફા સાથેની રકમ ઉપાડી હોય તો 30 ટકા ટેક્સ ભરવાનું કહ્યું હતું જેથી યુવકને શંકા જતા સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતો યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. યુવકને થોડા સમય અગાઉ ટેલિગ્રામમાં એક મેસેજ આવ્યો હતો જેમા ફોરેક્ષમાં ટ્રેડિંગ કરવાનું જણાવ્યું હતું.જેથી યુવકે રસ દાખવતા સામેવાળી વ્યક્તિએ એક લિંક મોકલી હતી. જે લિંક યુવકે ખોલતા વેબસાઈટ ખુલી હતી જે બાદ વેબસાઈટમાં યુવકે રજીસ્ટ્રેશન કરાવીને બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો પણ ભરી હતી. જેથી યુવકનું એક આઈડી બનાવીને આપવામાં આવ્યું હતું. આઈડી બનાવ્યા બાદ સામેવાળી વ્યક્તિએ યુવકને તેની બેંકની વિગત આપી હતી અને ટ્રેડિંગ કરવા માટે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા ભરવા કહ્યું હતું. શરૂઆતમાં યુવકે 20 હજાર રૂપિયા સામેવાળાના ખાતામાં ભર્યા હતા જેમાં ટ્રેડિંગ કર્યા બાદ યુવકને 20 હજાર રૂપિયા પરત પણ મળ્યા હતા.યુવકને વિશ્વાસ આવતા લાલચમાં આવીને ટુકડે ટુકડે બીજા 11.40 લાખ રૂપિયા ભર્યા હતા જેની સામે યુવકને 60.64 લાખ રૂપિયા નફો બતાવ્યો હતો. યુવકે જ્યારે નફા સાથેની રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે 30 ટકા ટેક્સ ભરવો પડશે તેવું જણાવ્યું હતું. યુવકે શંકા જતા ભરેલી રકમ પરત માગી તો આપવામાં આવી ન હતી.આ અંગે યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:11 pm

આત્મીય વિદ્યાપીઠના છાત્રોએ જરૂરતમંદોને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું:ગાંધીધામના શ્રમ વિસ્તારોમાં દિવાળી પૂર્વે સેવાકાર્ય

ગાંધીધામની આત્મીય વિદ્યાપીઠ દ્વારા મંગળવારે, 14 ઓક્ટોબર, 2025ના રોજ 'આત્મીય અક્ષયા - યુફોરિયા ઓફ બેનેવેલેન્સ' કાર્યક્રમ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ વિવિધ જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન કર્યું હતું. જેમાં બંગડી, નેકલેસ, દીવા, તોરણ, સ્વસ્તિક, માતાજીના ફોટા, રંગોળી, મીઠાઈ, મુખવાસ, બ્લેન્કેટ, ઘઉં, ચોખા, દાળ અને ખાંડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આદિપુર અને ગાંધીધામના વિવિધ ગરીબ અને જરૂરતમંદ વિસ્તારોમાં આ વસ્તુઓની કીટ બનાવી વિતરણ કર્યું હતું. આદિપુરના મુન્દ્રા સર્કલથી બસ સ્ટેન્ડ સુધી, અંજારમાં શનિદેવ મંદિર સામે અને કાર્ગો ગાંધીધામ જેવા વિસ્તારોમાં આ વિતરણ કાર્ય હાથ ધરાયું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આત્મીય વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ હેમંત કાછડીયા, અંગીરા કાછડીયા, માયા ચાવડા અને ડૉ. પૂર્વી ચાવડા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આત્મીય વિદ્યાપીઠના પ્રિન્સિપાલ શ્રીવિદ્યા બાયજુ, હેડ કોઓર્ડિનેટર શ્રીદેવી વેણુગોપાલ અને નિશા માલસત્તરે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:04 pm

ભાવનગર યુનિ. કેમ્પસના રસ્તાઓ માથાનો દુઃખાવો બન્યા:બિસ્માર રસ્તાઓના કારણએ વિદ્યાર્થીઓ પરેશાન, તાત્કાલીક સમારકામ કરાવવાની માગ

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુનિવર્સિટી કેમ્પસના આંતરિક રસ્તાઓની બિસ્માર હાલતથી વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટીના માર્ગની આ પરિસ્થિતિ છે આ માર્ગ ઉપરથી યુનિવર્સિટીના કુલપતિ પણ પસાર થાય છે પરંતુ આમ છતાં ખાડા વાળા બિસ્માર્ગ નો ઉધાર થઈ શકતો નથી ત્યારે યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા ત્વરિત બિસ્માર રોડની મરામત કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ જવા માર્ગની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી ખરેખર ચિંતાજનક બની છે. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટથી લઈને યુનિવર્સિટી ભવન સુધીનો આંતરિક રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તાની મરામત કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ખાસ કરીને યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે તેને લઈ પરિસ્થિતિ વધુ વણસી છે. અને વાહનચાલકો અને પગપાળા વિદ્યાર્થીઓ બંને માટે આ રસ્તો ખૂબ જ જોખમી બન્યો છે આમ છતાં બિસ્માર માર્ગનું રીપેરીંગ કામ કરાવવામાં આવતું નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. બિસ્માર રોડ મુદ્દે શહેર NSUIના ઉપપ્રમુખ અભિજીતસિંહ ચુડાસમા એ જણાવ્યું કે યુનિવર્સિટી અંદર આવેલ તમામ રોડ રસ્તાઓ બિસ્માર છે. જેમાં મેઈન ગેઇટથી લઈ કુલપતિની ઓફિસ સુધી અને શામળદાસ કોલેજથી લઈ હોસ્ટેલ સુધી બધા રસ્તા તદ્દન બિસ્માર થઈ ગયા છે,જેમાં અનેક વખત રજુઆત ,આવેદન આપવામાં આવ્યા અને વિરોધ પ્રદશન કરવામા આવ્યા તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશોની રસ્તા રીપેર કરવા માટે આંખ ખુલતી નથી અને છેલ્લા ઘણા વર્ષોથી આ રોડ રસ્તા બિસ્માર થયા છે અને જ્યાં ત્યાં મોટા પથરા નાખી ખાડાઓ બુરવામાં આવ્યા છે જેને લઈ અનેક નાના મોટા અકસ્માત સર્જાઈ છે જો આ બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતમા મોત થશે તો તેનું જવાબદાર કોણ રહશે ? છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રોડ મુદ્દે યુનિવર્સિટી ના કુલપતિ ડો.ભરત રામાનુજ એ જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના જે રસ્તાઓ છે તે રસ્તાઓની રી કાર્પેટ માટેની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અંદાજિત 3 કરોડના ખર્ચે બિસ્માર રોડનું રિકાર્પેટનું કામ હાથ ધરવામાં આવશે એટલે કે ટેન્ડર પણ થઈ ગયું છે ટેન્ડરના આધારે જે લોકો એટલે કે એલ 1 પાર્ટી હતી તેને ઓર્ડર પણ અપાઈ ગયો છે. માત્ર વરસાદના કારણે આ પ્રક્રિયામાં મોડું થયું છે હવે વરસાદનો સમયગાળો પણ પૂરો થયો છે અને હાલ રસ્તાઓની અંદર ડિવાઇડરની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખૂબ જ ઝડપથી આ કામ પૂર્ણ થવાનું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડનું કામ આખરે ક્યારે પૂર્ણ થાય છે અને ક્યારે વિધાર્થીઓને સારા રસ્તાઓની સવલતો મળશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:04 pm

ખેડૂતોના ખાતામાં ₹1.35 લાખ જમા કરો:ધોળા દિવસે દીવડાં પ્રગટાવી કોંગ્રેસનો સરકાર સામે વિરોધ, રજિસ્ટ્રેશન કરનાર ખેડૂતની 300 મણ મગફળી ખરીદવા માગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મગફળીની નોંધણી કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1,35,000 જમા કરાવવાની અથવા 300 મણ મગફળીની ખરીદી કરવાની માગ કરી છે. કોંગ્રેસે આજે ધોળા દિવસે દીવડાં પ્રગટાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘની માગપ્રદેશ કોંગ્રેસના નેતા અને કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર સમક્ષ એક આવેદન પત્ર રજૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1,35,000 જમા કરાવવા અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવાનો સમાવેશ થાય છે. ICRIER રિપોર્ટના આધારે કોંગ્રેસની રજૂઆતપ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત 'ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી' (ICRIER)ના અહેવાલને ટાંકીને આ માગ કરી છે. આ કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ સીધી સહાય આપવાની ભલામણ કરી હતી. સરકારને પ્રતિ મણ ₹640નું નુકસાનસમિતિના અહેવાલ મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિકિલોગ્રામ ₹32 અથવા પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે. આ નુકસાનની રકમને આધાર બનાવીને કોંગ્રેસે સૂચન કર્યું હતું કે, સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર ₹1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ. 300 મણની ખરીદી ફરજિયાતની માગજો સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવા માંગતી હોય, તો પ્રદેશ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી થવી જોઈએ. જો 300 મણ કરતાં ઓછી ખરીદી થાય, તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ (લગભગ ₹1000) અને ટેકાના ભાવ (₹1452.60) વચ્ચેનો તફાવત એટલે કે પ્રતિ મણ ₹452 લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવો જોઈએ. આ રકમ 300 મણ પર ₹1,35,600 જેટલી થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:01 pm

વાપીમાં ACBની સફળ ટ્રેપ:CGST કચેરીના બે અધિકારીઓ રૂ. 2000ની લાંચ લેતા ઝડપાયા

વાપીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) કચેરીના બે અધિકારીઓને રૂ. 2,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી વાપી સ્થિત CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, વાપી CGST કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપિલ નટવરલાલ જૈન (ઉંમર 35) અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા (ઉંમર 47) એ ફૂલછોડના કુંડાના પુરવઠા માટેના બિલની મંજૂરી આપવા માટે રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBની ટીમે 14 ઓક્ટોબર, 2025ના રોજ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ વાપી CGST કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી, જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી કપિલ જૈને ફરિયાદી પાસેથી રૂ. 2,000ની લાંચ સ્વીકારી હતી, જ્યારે રવિશંકર ઝા લાંચની માંગણીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ACBની ટીમે સ્થળ પરથી લાંચની રકમ રૂ. 2,000 રિકવર કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:59 pm

ધૂળ ઊડવાની બાબતે હુમલો:ફતેહવાડીમાં તોફાની તત્વોએ મહિલાઓ સાથે મળીને યુવક પર હુમલો, કારમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ

અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં ધુળ ઉડવા જેવી બાબતે ટ્રાવેલ્સનું કામ કરતા યુવક પર પતિ પત્નિ સહિત આઠ લોકએ જીવલેણ હુમલો કરીને કારની તોડફોડ કરતા મામલો બીચક્યો છે. યુવક પર હુમલો થયો તે તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોડીરાતે યુવકની ઓફિસમાં ઘુસીને હુમલો કરાયો હતો અને બાદમાં કારના કાચ તોડવામાં આવ્યા હતા. યુવકના ડ્રાઈવર સાથે પણ ટોળાએ મારામારી કરી હતી. સરખેજ વિસ્તારમાં આવેલા અઝવદ રેસીડેન્સીમાં રહેતા તનવીર ચારોલીયાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં શાહરૂખ, અમન, શાહરૂખની પત્નિ, મુસ્કાન, સાનીયા, હસીનાબાનુ, રાજુ ઉર્ફે લીટી અને લીકવીડ વિરૂદ્ધ હુમલો અને તોડફોડની ફરિયાદ કરી છે. તનવીર સંયુક્ત પરિવારમાં રહે છે અને ટ્રાવેલ્સનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તનવીર તેનો નાનો ભાઈ તૌફીક, કાકા વાહીદ કાર લઈને મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. બીજા દિવસે તે પરત આવ્યા ત્યારે મુકી પાર્કીગ ખાતે તેમની ટ્રક પડી હતી. તનવીર અને ડ્રાઈવર મસુર ટ્રક લઈને શીફા ટ્રાવેલ્સ ખાતે આવવા માટે નીકળ્યા હતા. ટ્રક લઈને ફતેહવાડી સુધી પહોચ્યા ત્યારે બર્ગમેન પર શાહરૂખ અને તેની પત્નિ ઉભા હતા. શાહરૂખની પત્નિએ તનવીરને કહ્યુ હતુંકે ધીમ ટ્રક ચલાવતા હોય તો ધુળ અમારી ઉપર ઉડે છે. શાહરૂખે ગાળો બોલવાની શરૂ કરતા તનવીરે શાંતીથી વાત કરવાનું કહ્યુ હતું. શાહરૂખે તનવીર સાથે મારઝુડ કરી હતી.તનવીર પોતાની ઓફિસમાં જતો રહ્યો હતો ત્યારે શાહરૂખની પત્નિ આવી પહોચી હતી અને મારઝુડ કરવા લાગી હતી.તનવીર ઓફિસના પહેલા માળે જતો રહ્યો હતો. શાહરૂખની પત્નિ દંડો લઈને આવી હતી અને તેની સાથે મારજુડ કરવા લાગી હતી. દરમિયાનમાં વિજય નામનો ડ્રાઈવર તનવીરની કાર લઈને આવ્યો હતો. શાહરૂખ તેમજ તેના પરિચિત વ્યકિતોએ કારને રોકીને વિજય ઉપર હુમલો કરી દીધો હતો જેથી તે ત્યાથી ભાગી ગયો હતો. ત્યારબાદ શાહરૂખ સહિતના લોકોએ તનવીર સાથે બબાલ કરીને મારમારવા લાગ્યા હતા. શાહરૂખે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને તેના ગળાના ભાગે મારી દીધી હતી.શાહરૂખ સાથે આવેલા ઉશ્કેરાયેલા ટોળાઓએ કારમાં તોડફોડ પણ કરી હતી.તનવીરને શરીર પર ઈજા પહોચતા તે નાસી ગયો હતો અને સીધો હોસ્પિટલમાં એડમીટ થઈ ગયો હતો. શાહરૂખ અને તેના પરિચીત વ્યકિતએ તનવીર પર જીવલેણ હુમલો કર્યો અને કારનો કાચ પણ તોડી નાખ્યો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ સરખેજ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:56 pm

આણંદમાં 3977 ખેડૂતોને ₹12.40 કરોડની સહાય:રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાનો પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું

વિકાસ સપ્તાહ અંતર્ગત આણંદના સાંગોડપુરા ખાતે પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન જિલ્લાના કુલ 3977 લાભાર્થીઓને રૂપિયા 1240.04 લાખ (આશરે ₹12.40 કરોડ)ની સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ તબક્કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી. રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ કૃષિ પરિસંવાદ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, રવિ કૃષિ મહોત્સવના માધ્યમથી આણંદ જિલ્લામાં 3977 લાભાર્થીઓને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ ₹1240.04 લાખની સહાય આપવામાં આવી રહી છે. તે પૈકી આણંદ તાલુકામાં 643 લાભાર્થીઓને ₹165.82 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સોલંકીએ અનુરોધ કર્યો કે, જિલ્લાનો કોઈ પણ ખેડૂત કે પશુપાલક સહાયથી વંચિત ન રહે. રમણભાઈ સોલંકીએ જિલ્લાના ખેડૂતોને રવિ પાક વિશે આધુનિક કૃષિ તકનીકો, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેનું માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા પણ અપીલ કરી હતી. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સરકારે ખેડૂતો માટે ₹42 હજાર કરોડથી વધુની યોજનાઓ બનાવી છે. તેમણે ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના પ્રધાનમંત્રીના આયોજનનો ઉલ્લેખ કર્યો અને કઠોળની ખેતી તરફ વળવા માટે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ કલેકટર સન્ની પટેલ, મામલતદાર ચાર્મી રાવલ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યઓ સહિત આણંદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:55 pm

સાયબર ફ્રોડ કેસનો આરોપી દિલ્હીથી ઝડપાયો:નકલી ફર્મ બનાવી ફ્રોડના નાણાંની હેરફેર કરતા હતા, 100 સીમ કાર્ડ અને 160 જીમેઈલ એકાઉન્ટની વિગત મળી આવી

નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મરચન્ટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરફેર કરતી ટોળકીના એક આરોપીને વડોદરા શહેરની સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીએ ફેસબુક પર શેરમાર્કેટ અંગેની જાહેરાત પર ક્લિક કર્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટર કર્યું હતું અને તેમાં પોતાની વ્યક્તિગત વિગતો ભરી હતી, ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મારફતે ફોરેક્સ ટ્રેડિંગ માટેના મેસેજ આવ્યા હતા. ફરિયાદ આધારે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂ. 23,35,133નું ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કર્યું હતું. વિશ્વાસ જમાવવા માટે આરોપીઓએ રૂ. 3,072 જેટલી રકમ પ્રોફિટ તરીકે પરત કરી હતી. બનાવટી વેબસાઇટમાં અનેકગણું રિટર્ન અને પ્રોફિટ દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નાણાં મળ્યા નહીં. આમ, કુલ રૂ. 23,35,133ની નાણાકીય છેતરપિંડી થયાનું જણાતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓની તપાસ માટે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આરોપીનું લોકેશન દિલ્હીમાં મળતાં એક ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતાં આરોપી સાવન પ્રવીણકુમાર ખરબન્દા (ઉંમર: 37 વર્ષ, રહે : ટાગોર ગાર્ડન, વેસ્ટ દિલ્હી)ની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અન્ય સહ-આરોપીઓ સાથે મળીને નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચંટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરફેર કરતો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન: 69- લેપટોપ: 01- ચેક બુક: 35- ડેબિટ/ક્રેડિટ કાર્ડ: 38- રબર સ્ટેમ્પ: 72- કમ્પ્યુટર સિસ્ટમ: 02- આધાર કાર્ડ: 03- પાન કાર્ડ: 37- રાઉટર: 03 1. આરોપી પાસેથી 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી છે, જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. 2. આરોપી પાસેથી 160થી વધુ જીમેઇલ એકાઉન્ટની વિગતો અને 100થી વધુ સિમ કાર્ડ મળ્યા છે. ગુન્હાની મોડસ ઓપરેન્ડી ભોગ બનનારને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટેલીગ્રામ અથવા યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટ અંગેની લોભામણી જાહેરાતો પર ક્લિક કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓને શેર માર્કેટ ટિપ્સ અંગેના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવે છે. સુરક્ષા માટેની ટિપ્સ

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:48 pm

ડીસામાં 230 વિકાસ કાર્યોનું ખાતમુર્હુત-લોકાર્પણ થશે:નગરપાલિકા હસ્તકના રૂ. 1513 લાખના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

બનાસકાંઠા જિલ્લામાં 15 ઓક્ટોબરના રોજ ડીસા ખાતે જિલ્લા કક્ષાનો વિકાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા હસ્તકના કુલ 230 વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ શરૂ થયેલી વિકાસયાત્રાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'વિકાસ સપ્તાહ' અંતર્ગત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ 230 વિકાસ કાર્યો કુલ 1513 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા હસ્તક પૂર્ણ થયા છે અથવા શરૂ થવાના છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેકટર મિહિર પટેલે કાર્યક્રમ માટેની તમામ આનુવંશિક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવા માટે સૂચનો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:39 pm

જૂના ઝઘડાની અદાવતમાં મારામારી:ઉન-ભેસ્તાનમાં આરોપીએ બોલાચાલી કરી યુવકને માર માર્યો, પોલીસે આોપીની અટકાયત કરી

સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં એક જૂના ઝઘડાની અદાવતને લઈને થયેલી બોલાચાલી અને ગાળા-ગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાના સીસીટીવીમાં કેદ થતાં આોપીની અટકાયત કરવામાં આવી છે. જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઉન-ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બનાવની ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ મો. રિયાઝ લતીફ અહેમદ અંન્સારી (ઉંમર- 36 વર્ષ, ધંધો- વાયરમેન) છે. તેઓ ભેસ્તાન, સુરત શહેરના રહેવાસી છે. તેમણે પોલીસ સમક્ષ નોંધાવ્યું હતું કે, તેઓ બરકત ચાની હોટલ પાસે ઊભા હતા. તે જ સમયે, સામાવાળા આરોપી જીબ્રામ ઉશિંદ આલમ ખાન (ઉંમર- 27 વર્ષ, ધંધો- છૂટક મજૂરી, રહેવાસી- રોયલ રેસિડેન્સી, ઉન-ભેસ્તાન) ત્યાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, જીબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખીને મો. રિયાઝ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગંદી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે મો. રિયાઝે તેને ગાળાગાળી કરવાની ના પાડી, ત્યારે સામાવાળાએ વધારે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આરોપીને ઝટપી પાડ્યોઆ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે ફરિયાદી મો. રિયાઝે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ચાર્જમાં રહેલા અધિકારીઓએ અરજીના આધારે સામાવાળા જીબ્રામને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી જીબ્રામનો સ્વભાવ ખૂબ જ માથાભારે, ઝનૂની અને તકરારી છે. પોલીસને પાકો શક-વહેમ હતો કે આ વ્યક્તિ જાહેર સ્થળ પર ગમે ત્યારે સુલેહ શાંતિનો ભંગ કરી શકે છે અથવા કરાવડાવી શકે છે. આ ગંભીર આશંકાને પગલે, પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:35 pm

પાટણમાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી:કેબિનેટ મંત્રી બળવંત રાજપૂતે ₹16 કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું

વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત કૃષિ વિકાસ દિન-2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ-2025નો કાર્યક્રમ પાટણના શાકભાજી માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન અને ખેડૂતલક્ષી યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે ₹16 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી રાજ્યનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે. તેમણે 21મી સદીને ખેડૂતોની સદી ગણાવી હતી. મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓની વિગતો આપી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર, સન્માન પત્રો તેમજ મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ડ્રોન દીદી, બાગાયતી ખેત પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, ગાયના છાણ આધારિત પ્રોડક્ટ્સ, ખેતીવાડી વિભાગ તથા પીએમ કિસાન યોજના જેવા વિવિધ વિષયવસ્તુ ધરાવતા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં પાટણ APMCના ચેરમેન સ્નેહલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીઓ, ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:35 pm

આ વર્ષે પુષ્ય નક્ષત્રએ 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ:અમદાવાદમાં સોના-ચાંદીનું રેકોર્ડબ્રેક વેચાણ, 150-200 કરોડના વેપારનો અંદાજ, સુરત, વડોદરા, રાજકોટમાં ગણ્યાં ગાંઠ્યા જ ખરીદદારો

આજે હિન્દુ ધર્મના સૌથી શુભ અને પવિત્ર મુહૂર્ત પૈકીના એક એવા પુષ્ય નક્ષત્રનો પાવન દિવસ છે. આ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરવી એ ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવનારી માનવામાં આવે છે. પરંપરાગત રીતે, આજના દિવસે જ્વેલરી શોરૂમ્સ પર મોટી ભીડ જોવા મળે છે. જોકે, આ વર્ષે આ શુભ અવસરે બજારમાં એક અનોખું અને બેવડું ચિત્ર જોવા મળી રહ્યું છે. સુરતમાં 22 કે 24 કેરેટના સોનાની ખરીદીને બદલે 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે, લોકો મુહૂર્ત સાચવવા માટે માત્ર પ્રતિકાત્મક ખરીદી કરી રહ્યાં છે. જે ગત વર્ષે 10 ગ્રામની ખરીદી કરતા હતા તેઓએ 5 ગ્રામની ખરીદી કરતા ઘરાકીમાં 50% ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદના ઝવેરીઓનું અનુમાન છે કે, ભાવ વધારો હોવા છતાં લોકો આગોતરું આયોજન અને લગ્નસરાની ખરીદી કરી રહ્યા છે, જેના પરિણામે શહેરમાં આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર લગભગ 150થી 200 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. રાજકોટ અને વડોદરાની પણ સોની બજારમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે. જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી ઓછી જોવા મળી રહી છે. ગત વર્ષે શહેરમાં 250 કરોડનું સોનું અને ચાંદી વેચાયા હતા અને આ વર્ષે 150 કરોડના વેચાણનો અંદાજ છે. આ વર્ષે ચાંદીની માગની તુલનામાં બજારમાં તેનો પુરવઠો ઓછો હોવાથી રોકાણ માટે એક કિલોથી વધુ ચાંદીની ખરીદી કરનારાઓને નિરાશા મળી છે અને તેમને દિવાળી પછી ડિલિવરી લેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડ્યું છે. સુરતબજેટમાં 50%નો કાપ અને 9 કેરેટ ગોલ્ડનું આકર્ષણઆ વર્ષના પુષ્ય નક્ષત્રમાં સૌથી મોટો અને ચોંકાવનારો ટ્રેન્ડ એ છે કે ગ્રાહકોએ પોતાના ખરીદીના બજેટમાં લગભગ 50%નો સીધો કાપ મૂક્યો છે. સોનાના ભાવ આટલા ઊંચા હોવાને કારણે, પરંપરાગત રીતે સૌથી વધુ વેચાતા 22 કેરેટ અને 24 કેરેટ સોનાની જ્વેલરીની જગ્યાએ લોકો 9 કેરેટ ગોલ્ડની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ગ્રાહકોએ 5 ગ્રામ સોનાની ખરીદી કરી મુહૂર્ત સાચવ્યુંડી. ખુશાલદાસના જ્વેલર્સના માલિક દીપકભાઈ ચોકસીએ આ બદલાવ વિશે વિગતવાર માહિતી આપી હતી. વીઆઇપી રોડ પર આવેલા તેમના શોરૂમમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો, પરંતુ ખરીદીનું કદ નાનું હતું. તેમણે જણાવ્યું, લોકો ખરીદી તો કરી રહ્યા છે, પણ પહેલા જ્યાં 10 ગ્રામ સોનાની ખરીદી થતી હતી, ત્યાં હવે મુહૂર્ત માટે ફક્ત 5 ગ્રામની સોનાની જ્વેલરી ખરીદવામાં આવી રહી છે. ગ્રાહકો હવે 22 કે 24 કેરેટ ગોલ્ડની જગ્યાએ 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ ઉપરાંત, આ વખતે લાઈટ વેટ જ્વેલરીની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. આ વખતે 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ વધુ: જ્વેલર્સ માલિકદીપકભાઈ ચોકસીએ આ પાછળનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું કે, ગયા વર્ષે 18 કેરેટ ગોલ્ડની જે કિંમત હતી, તે જ કિંમતમાં હાલમાં 9 કેરેટ ગોલ્ડ મળી રહ્યું છે. આ કિંમત ગ્રાહકોના બજેટને અનુકૂળ છે અને સરકારે 9 કેરેટ ગોલ્ડને સર્ટિફાઇડ માન્યતા આપી હોવાથી ગુણવત્તા બાબતે પણ કોઈ શંકા રહેતી નથી. ગ્રાહકોનો અભિપ્રાય: 'ફૂલ નહીં, પાંખડી ખરીદી'નો નવો મંત્રપુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી માટે આવેલા ગ્રાહકોએ પણ આ નવા વલણ પર પોતાની મહોર મારી હતી. શીતલબેન નામના એક ગ્રાહકે પોતાનો અનુભવ જણાવતા કહ્યું, અમે દર વખતે પુષ્ય નક્ષત્ર પર સોનાની ખરીદી અચૂક કરીએ છીએ. જોકે, આ વખતે ગોલ્ડની પ્રાઇસ સર્વોચ્ચ સપાટી પર હોવાના કારણે અમે મોટી ખરીદી કરવાનું ટાળ્યું છે. અમે ફૂલ નહીં, પણ ફૂલની પાખડી સમાન સોનાની ખરીદી કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વખતે જ્યારે સરકારે 9 કેરેટ ગોલ્ડને માન્યતા આપી છે અને તે સંપૂર્ણપણે સર્ટિફાઇડ છે, ત્યારે અમે બજેટને ધ્યાનમાં રાખીને 9 કેરેટ ગોલ્ડની જ્વેલરી પર વધારે ફોકસ કર્યું છે. આનાથી પરંપરા પણ જળવાઈ રહે છે અને ખિસ્સા પરનો બોજ પણ ઓછો થાય છે. આ પ્રકારનો પ્રતિકાત્મક અભિગમ એ વાતનો સંકેત છે કે લોકો આર્થિક પડકારો વચ્ચે પણ પોતાની ધાર્મિક આસ્થા જાળવી રાખવા તૈયાર છે. ચાંદીની અછત અને દિવાળી પછીની ડિલિવરીસોનાની જેમ જ, આ વર્ષે ચાંદીની ખરીદીમાં પણ મોટો અવરોધ આવ્યો છે. બજારમાં ચાંદીની માગની તુલનામાં પુરવઠો ઘણો ઓછો છે, જેના કારણે ચાંદીની અછત સર્જાઈ છે. જ્વેલર્સને ગ્રાહકોને માત્ર મર્યાદિત માત્રામાં જ ચાંદીની વસ્તુઓ આપવી પડી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ માટે દિવાળી પછી મળશે ચાંદીવર્તમાન પરિસ્થિતિ મુજબ, ગ્રાહકોને માત્ર 10 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીની નાની ચાંદીની વસ્તુઓ જ આપવામાં આવી રહી છે. આનાથી ઘર વપરાશની કે ભેટ આપવાની વસ્તુઓ તો મળી રહે છે, પરંતુ રોકાણકારો માટે મુશ્કેલી ઊભી થઈ છે. રોકાણ માટે જે ગ્રાહકો એક કિલોથી વધારે ચાંદી ખરીદવા માટે આજે આવ્યા હતા, તેમને મોટાભાગના જ્વેલરી શોરૂમ્સમાંથી નિરાશા હાથ લાગી છે. દુકાનદારો હાલમાં માત્ર એડવાન્સ બુકિંગ જ સ્વીકારી રહ્યા છે અને રોકાણના હેતુસર મોટી માત્રામાં ચાંદી દિવાળીના તહેવાર પછી આપવાની ખાતરી આપી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ વર્ષે પુષ્ય નક્ષત્રએ ગ્રાહકોએ આર્થિક રીતે સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે. 9 કેરેટ ગોલ્ડ તરફનું વલણ એ દર્શાવે છે કે ઊંચા ભાવે પણ પરંપરા નિભાવવા માટે ગ્રાહકો તૈયાર છે, જ્યારે ચાંદીની અછત બજારમાં સપ્લાય ચેઇનની ગંભીર સમસ્યાઓને ઉજાગર કરે છે. અમદાવાદ'હજી પણ આગળ ભાવ વધશે એવા સંજોગો'સોનાના વધેલા ભાવ અંગે મનોજ અરવિંદભાઈ સોની, એબી જ્વેલર્સના ઓનર તેઓએ જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું એક એવું નક્ષત્ર છે, જેમાં સમૃદ્ધિ વધારવા રૂપી માહોલ બનતો હોય છે અને એ રીતે લોકો ખરીદારી કરતા હોય છે. ઘર, મકાનની, વાહનોની, કે સોના-ચાંદીની, સમૃદ્ધિ વસાવવા વાળી વાત હોય છે આ મુહૂર્તમાં. અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામનો 1,30,000 છે અને ચાંદીનો 1 કિલોનો 1,80,000 જેટલો ભાવ છે છતાં લોકો આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છે. હજી પણ આગળ ભાવ વધશે એવા સંજોગો બનેલા જ છે. 'આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે'- જ્વેલર્સના માલિકજ્યારે ઓમ ઝાયરા ડાયમંડના ઓનર ઓમ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગોલ્ડનો ભાવ ગત વર્ષ કરતા ડબલ છે. 2005માં ગોલ્ડનો રેટ 7000 રૂપિયા હતો અને આજના રેટ પ્રમાણે 1,31,000 રૂપિયા છે. બટ આપણા કલ્ચરમાં આજનો દિવસ, એટલે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો દિવસ, બહુ જ કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ ધરાવે છે. એટલે રેટ્સ આટલા હાઈ હોવા છતાં પણ લોકો 10,000થી લઈને 10-10 કરોડ સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અમદાવાદમાં આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે. સોના-ચાંદીનો ભાવ ટોચ પર છતાં લોકોમાં ખરીદી ઉત્સાહખરીદી કરવા આવેલા ગ્રાહક શ્વેતા બેને જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્રનું હિન્દુઓમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે, આ દિવસે ખરીદેલા સોના, ચાંદી, હીરા, ઝવેરાત તમને અનેક ઘણો લાભ અપાવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલો બધો ભાવ હોવા છતાં પણ હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા માટે આવ્યા છીએ. જ્યારે ખરીદી કરવા આવેલા અન્ય ગ્રાહક ભાવનાબેન શાહે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે લગડી ખરીદતા હોઈએ છીએ, સિક્કા પણ ખરીદતા હોઈએ છીએ. અમે એડવાન્સથી નક્કી કરીને રાખ્યું હતું કે, અમે પુષ્ય નક્ષત્રના દિવસે જ ખરીદી કરવા જઈશું. રાજકોટરાજકોટની સોની બજારમાં મંદીનો માહોલદિવાળીનો તહેવાર નજીક આવે એટલે રાજકોટની સોનીબજારમાં ચમક વધી જતી હોય છે. આજના પુષ્ય નક્ષત્રમાં ખાસ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા બજારમાં પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ હોવાથી રાજકોટની સોની બજારમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે. જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી જોવા મળી રહી છે. કોઈ લોકો માત્ર શુકન સાચવવા તો કોઈ લગ્નસરાની સીઝનમાં જરૂરી સોનાની ખરીદી માટે બજારમાં આવી રહ્યા છે. લગ્નસરાની સિઝન બાકી છતાં ઘરાકી પૂરતી નહીંરાજકોટના પ્રખ્યાત રાધિકા જવેલર્સના મુકેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હિન્દૂ સંસ્કૃતિમાં અક્ષય તૃત્યા, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ આ 3 દિવસ સોના ચાંદી ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવતો હોય છે. આ ત્રણ દિવસોમાં લોકો કોઈપણ મુહૂર્ત જોયા વગર સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. દર વર્ષની સરખામણીએ આ વખતે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો માહોલ ખુબ ઓછો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થશે આમ છતાં બજારમાં ઘરાકી પૂરતી જોવા નથી મળી રહી. આ દિવસે સોનું-ચાંદી ખરીદવાથી રિદ્ધિ-સિદ્ધિ આવી તેવી માન્યતારાજકોટમાં રહેતા કૃતિકાબા પરમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે. આજના દિવસે સોનું-ચાંદી ખરીદી કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ આવે તેવી માન્યતા છે. માટે આજના દિવસે લોકો સોના ચાંદીના દાગીના ખરીદી કરતા હોય છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે પણ વિશ્વ આંખમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સોનાનો ભાવ ઓલટાઈમ હાઇ છે. હજુ ભાવ વધે એવી શક્યતા છે પણ શુકન મુજબ સોનાની ખરીદ કરવામાં આવે છે. હું પણ સોનાની ખરીદી કરવા માટે આજે બજારમાં આવી છું. વડોદરાવડોદરામાં પણ પુષ્ય નક્ષત્રની ખરીદી પર ભાવ વધારાની અસરવડોદરા શહેરમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત નિમિત્તે લોકો પરંપરા જાળવવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, પરંતુ સોનાના ભાવમાં સતત અને જંગી વધારો થતાં બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે વડોદરામાં સોના-ચાંદીનું કુલ 250 કરોડનું વેચાણ નોંધાયું હતું, જ્યારે આ વર્ષે તેમાં સીધો ૫૦ ટકાનો ઘટાડો થવાનો અને રૂ. 150 કરોડના વેચાણનો અંદાજ છે. લોકોએ શુકન સાચવવા 1થી 20 ગ્રામની લગડીઓ ખરીદીસારા ગણદેવેકરના ડાયરેક્ટર સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં બજારનું પ્રિડિક્શન દોઢ લાખ સુધી પહોંચવાનું હતું, તેથી ઘણા રોકાણકારોએ અગાઉ જ સોનામાં રોકાણ કરી દીધું છે. જોકે, પુષ્ય નક્ષત્રના મુહૂર્તને કારણે ગ્રાહકો હાલમાં 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ કે 20 ગ્રામ સુધીની નાની લગડીઓ ખરીદીને પરંપરા જાળવી રહ્યા છે. વેપારીઓ માટે આ ભાવ વધારો જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે ઊંચા ભાવને કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને વેચાણ ન મળવાથી નુકસાન જવાની શક્યતા છે. સત્તત વધી રહેલા ભાવના કારણે 50 ટકાનો ઘટાડોબીજી તરફ, ગ્રાહકોનું કહેવું છે કે, સોનાનો ભાવ એક વર્ષમાં લગભગ 70% જેટલો વધી ગયો હોવા છતાં, પુષ્ય નક્ષત્રના મહત્ત્વને કારણે થોડી ખરીદી કરવી જરૂરી છે. ગ્રાહકો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો થવાના ચાન્સ ભવિષ્યની જિયો-પોલિટિકલ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે, જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ અથવા ચાઈના પરના આંતરરાષ્ટ્રીય ટેરિફ પાછા ખેંચાય તો ભાવ ઘટી શકે છે. આમ, ભાવ આસમાને હોવા છતાં, લોકો શુભ મુહૂર્તને મહત્ત્વ આપીને રોકાણના હેતુ કરતાં શુકન પૂરતી ખરીદી કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:35 pm

ગટરમાં પડી જતા યુવકનું મોત:ઉસ્માનપુરા અંડરપાસ પાસે ગટરના રિહેબની કામગીરી, સવારથી ગુમ યુવકનો મૃતદેહ ગટરમાંથી મળ્યો

અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે પતરાની આડાશ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઈનના રિહેબની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગટરમાં પડી જતાં એક યુવકનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગટર લાઈનની સફાઈ કામગીરી કરતો હતો તે દરમિયાન ગટરમાં પડી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉસ્માનપુરા અંડરપાસ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. ગટરના રિહેબિલિટેશનની કામગીરી રાત્રે ચાલતી હતી. જે કામગીરી દિવસે બંધ હતી. રિહેબના પીટમાં તેઓના કામમાં દિવસે કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સીનો દેખરેખ રાખી રહેલો યુવક અકસ્માતે પડી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. કેપિટલ એન્જિનિયરિંગ નામની કંપનીને ગટર રિહેબિલિટેશનની કામગીરી સોંપવામાં આવી છે. દિવસ દરમિયાન બેથી ત્રણ માણસો જગ્યા પર ધ્યાન રાખવા માટે મૂકવામાં આવતા હોય છે, ત્યારે સવારથી યુવક ગુમ થયો હતો જે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગટરમાં પડી ગયો હોવાની શંકાના આધારે પોલીસને અને ફાયરને જાણ કરવામાં આવતા ગટરમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ અભિષેક હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:27 pm

પર્સ ચોરી થતા મહિલા રડતી રડતી પોલીસ પાસે આવી:સુરતમાં ચૌટા બજારમાં ભીડનો લાભ લેવા માટે ચોર ટોળકી સક્રિય, શી ટીમ સહિત પોલીસનું સતત પેટ્રોલિંગ, જાગૃતિ માટે એનાઉન્સમેન્ટ

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી છે. ત્યારે આ ભીડનો લાભ લેવા માટે ચોર ટોળકી અને ખિસ્સા કાતરૂઓ પણ સક્રિય થઇ ગયાં છે. ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. દરમિયાન એક વૃદ્ધ મહિલાનું મોબાઈલ અને રૂપિયા ભરેલું પર્સ ચોરી થતા રડવા લાગ્યા હતા. દિવાળીના તહેવારને લઈને સુરતના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, અને આ ભીડનો લાભ લઈને કોઈ તકસાધુ કે ચોર લોકોની મહેનતની કમાણી ન લૂંટી લે તે માટે સુરત પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના મુખ્ય ખરીદી કેન્દ્રો પૈકીના એક ચૌટા બજારમાં આજે ખરીદી માટે લોકોની જબરી ગિરદી જોવા મળી હતી, તે દરમિયાન લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ચેકિંગ કરવા આવી તેના થોડા સમય પહેલા જ ભીડનો ફાયદો ઉઠાવીને એક ચોરે એક મહિલાનું પાકીટ ચોરી લીધું હતું. આ ઘટના બાદ પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીનો ભોગ બનેલી મહિલાએ પોલીસકર્મીઓ સમક્ષ જ ભારે આજીજી કરી હતી. મહિલાના પાકીટમાં મહેનતના ₹૧૦,૦૦૦ રોકડા અને ₹૩૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન હતો, જે ચોરાઈ ગયો હતો. ચોરીની ઘટનાથી દુઃખી અને આઘાતમાં સરી પડેલી આ મહિલા પોલીસ સમક્ષ ચૌધાર આંસુએ રડી પડી હતી. પોલીસે તાત્કાલિક મહિલાને સાંત્વના પાઠવી હતી અને ચોરને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ ઘટનામાંથી બોધપાઠ લઈને બજારમાં હાજર અન્ય તમામ ખરીદદારોને સાવધાન કર્યા હતા. પોલીસે અપીલ કરી હતી કે ભીડમાં ખરીદી કરતી વખતે લોકોએ પોતાના કીમતી સામાન અને બેગનું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. પોલીસે આ દરમિયાન બજારમાં શંકાસ્પદ જણાતા લોકોનું સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધર્યું હતું. દિવાળીના આ માહોલમાં ખરીદીની મજા માણો, પરંતુ સાથે જ સાવધાન રહો જેથી તકસાધુઓનો ભોગ ન બનવું પડે. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચૌટા બજાર વિસ્તાર છે, જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે. અહીંયા અમે ખાસ કરીને અમે મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે. આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે. અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને બૅગ અથવા મોબાઈલ પોતે અવેર ન હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં જો કોઈ આવા ધ્યાને આવે બનાવ બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન તે કે કિસ્સો ધ્યાનમાં આવેલો, એમાં એક બેન હતા, એમની જોડે એક પોકેટ હતો અને પોકેટ એ રીતનો હતો કે લટકાવીને જતાં હતા અને એને કોઈ ચૅન કે એવું કોઈ હતું નહીં. અને એમાંથી કોઈ ઈસમ આ પર્સ ચોરેલું છે. તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવી ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બૅગ રાખવી જોઈએ અને ચૅનવાળા બૅગ રાખવી જોઈએ. આ સિવાય તેમણે જરૂરી ન હોય તો કીમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ન જાય એ રીતે પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:17 pm

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા:BNS અમલમાં આવ્યાના બીજા જ દિવસે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, શહેરનો ઐતિહાસિક ચુકાદો

1 જુલાઈ 2024ના રોજ ભારતીય ન્યાય સંહિતા-BNS–2023 અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ સુરતની વિશેષ કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ નવા કાયદા હેઠળ શહેરમાં નોંધાયેલા બળાત્કારના પ્રથમ કેસમાં આરોપીને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. BNS અમલના બીજા જ દિવસે, એટલે કે 2 જુલાઈ, 2024ના રોજ શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 5 વર્ષની બાળકી બળાત્કાર અંગેનો આ ગંભીર ગુનો દાખલ થયો હતો. ગુનાની વિગત મુજબ, આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર-37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી)એ પાંચ વર્ષની બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદમાં નોંધાઈ હતી. ભોગ બનનાર પાંચ વર્ષની બાળકીના માતા-પિતા બંને દિવસ દરમિયાન નોકરી-ધંધા પર જતા હતા, જેના કારણે બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. આરોપી સુરેશ ગોસ્વામી બાળકીના પડોશમાં રહેતો હતો અને આ પરિવારથી સારી રીતે પરિચિત હતો. એટલું જ નહીં, આરોપીનું બાળકીના ઘરે અવર-જવર પણ રહેતી હતી. આ જ પરિચયનો લાભ લઈને આરોપી સુરેશે બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો, જેના કારણે દાદા-દાદીને શરૂઆતમાં કોઈ શંકા નહોતી થઈ. જોકે, લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા-દાદી ચિંતામાં મુકાઈને સુરેશના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે બાળકીને લોહીલુહાણ હાલતમાં અને ખૂબ જ ડરેલી જોઈ. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સુરેશની પકડમાંથી છોડાવી હતી, પરંતુ તે દરમિયાન આરોપી સુરેશ ગોસ્વામી ઘરેથી નાસી છૂટ્યો હતો. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા હેઠળ સુરત પોલીસે આ કેસમાં સમયસર અને મજબૂત પુરાવા એકઠા કરવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે વીડિયોગ્રાફી દ્વારા તમામ પંચનામા કર્યા હતા, જે કોર્ટમાં નક્કર પુરાવા તરીકે કામ આવ્યા. આ ઉપરાંત, પોલીસે મહત્ત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો પણ કાળજીપૂર્વક નોંધ્યા હતા. આ પૈકી ચાર સાક્ષીઓના નિવેદનો B.N.S.S. (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) કાયદાની કલમ 183 મુજબ નામદાર કોર્ટ મારફતે મેળવવામાં આવ્યા હતા, જે કેસને મજબૂત બનાવવામાં નિર્ણાયક સાબિત થયા. આ ગુનામાં પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાનું વિસ્તૃત ચાર્જશીટ તૈયાર કર્યું હતું. આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક, સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો. તમામ રજૂ કરાયેલા પુરાવાઓ, જુબાની અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે, નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ભારતીય ન્યાય સંહિતા – 2023 અધિનિયમની કલમ 65(2) હેઠળ આજીવન કેદની સજા ફરમાવી છે. કોર્ટના ચુકાદા મુજબ, આરોપીએ તેના બાકી રહેતા કુદરતી જીવનની છેલ્લી ક્ષણો સુધી સખત કેદમાં રહેવું પડશે. આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમો હેઠળ પણ 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. BNS હેઠળ આટલો ઝડપી અને કડક ચુકાદો એ દર્શાવે છે કે, બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો હવે બિલકુલ ઢીલ નહીં રાખે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:15 pm

ભરૂચમાં કૃષિ વિકાસ દિવસ ઉજવાયો:પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં ખેડૂતોને ₹28.30 લાખની સહાય વિતરણ

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષસ્થાને બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના 13 લાભાર્થીઓને રૂ.28.30 લાખથી વધુ રકમના સહાય ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગોના 15 જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન પણ રજૂ કરાયું હતું. પ્રભારીમંત્રી કુંવરજી હળપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જનસેવાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતહિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ખેડૂત આકસ્મિક મૃત્યુ સહાય યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, ડ્રોન દીદી સહિતની યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પ્રભારીમંત્રીએ વધુમાં જણાવ્યું કે“વોકલ ફોર લોકલ”ના સંકલ્પને સાકાર કરવા દીવાળીના તહેવાર દરમિયાન સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.આ પ્રસંગે નિષ્ણાતોએ પ્રાકૃતિક અને આધુનિક ખેતી, ટકાઉ ખેતીની પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, ઓર્ગેનિક ખેતી, પાક વૈવિધ્યકરણ અને સિંચાઈના આધુનિક ઉપાયો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને બજાર જોડાણ, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને નવીનતા અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ સસ્ટેનેબલ ફાર્મિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:14 pm

કફ સીરપ જપ્ત કરી લેબોરેટરીમાં મોકલાઈ:સિદ્ધપુર ગામના બાળકોને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, બંનેની હાલત સ્થિર; રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાશે

વડોદરા જિલ્લાના સિદ્ધપુર ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, બાળકો દ્વારા સૂડેક્સ ડીએસ સીરપ જેનું ઉત્પાદન લિયોફોર ફોર્મ્યુલેશન પ્રાઇવેટ દ્વારા કરવામાં આવ્યું છે તેનું સેવન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાનગી ક્લિનિકના ડોક્ટરે બાળકોને કફ સીરપ આપી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, સિદ્ધપુર ગામના બે બાળકો એકની ઉંમર આશરે અઢીથી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચથી છ વર્ષ, પોતાના માતા-પિતા સાથે ખાંસી અને તાવની સારવાર માટે ગામમાં જ આવેલી ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા. ક્લિનિકના ડોક્ટર દ્વારા બંને બાળકોને કફ સીરપ તથા દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં તાત્કાલિક રીતે બંનેને પ્રમુખસ્વામી હોસ્પિટલ, ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ડભોઈ પોલીસે સંબંધીત ખાનગી ડોક્ટરને કસ્ટડી લીધોલગભગ 10થી 12 કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. હાલમાં બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા અપાઈ છે. આ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ દ્વારા સંબંધીત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કફ સીરપના સેમ્પલ ડભોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ ડભોઈ ખાતે પહોંચી ગઈ છે. તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે. બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હાલ કોઈ તકલીફ નથીઆ અંગે ડોક્ટર એમ.એમ. લાખાણી (જિલ્લા આરસીએચ ઓફિસર, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા) એ જણાવ્યું હતું કે, આજે ડભોઈ મુકામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે હું આવ્યો છું. બે બાળકોને તકલીફ થયાનું જણાયું હતું, જેની તપાસ અમે કરી રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ અને બાળરોગ નિષ્ણાંત (પિડિયાટ્રિશિયન) સાથે અમે તપાસ કરી રહ્યા છીએ. બાળકોની રૂબરૂ મુલાકાત લીધી હતી, અને બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમને હાલ કોઈ તકલીફ નથી. કઈ સીરપ હતી અને તેનો ડોઝ શું હતોઆ બાબતે સરકારના નિયમો અનુસાર જે પણ કાર્યવાહી જરૂરી હશે, તે અમે કરી રહ્યા છીએ. અમે માહિતી એકત્ર કરી રહ્યા છીએ, જેમાં કઈ સીરપ આપવામાં આવ્યું હતું, તેનો ડોઝ શું હતો, તેની તમામ વિગતો એકઠી કરી રહ્યા છીએ. જરૂરિયાત મુજબ પોલીસ વિભાગની પણ મદદ લઈ રહ્યા છીએ. સંપૂર્ણ વિગતો મળ્યા બાદ અમે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે સરકારને અહેવાલ સુપરત કરીશું. હાલમાં તપાસ ચાલુ છે, અને અમે આ બાબતે વધુ કશું ચોક્કસ કહી શકીએ તેવી સ્થિતિમાં નથી. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સીરપનું સેમ્પલ લેવાયુંવધુમાં જણાવ્યું કે, કઈ સીરપ આપવામાં આવ્યું હતું, તે પણ તપાસનો વિષય છે. અમે આ માહિતી એકત્ર કરી રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સીરપનું સેમ્પલ પણ લેવામાં આવી રહ્યું છે. આપે જે પ્રશ્નો પૂછ્યા, તેની માહિતી અમને તપાસ દરમિયાન જરૂરી છે, અને આ બધી વિગતો મળ્યા બાદ અમે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીશું. રાજ્ય સરકારની સૂચનાઓ અને નિયમો અનુસાર જે પણ કાર્યવાહી કરવાની હોય, તે નિયમિત રીતે થતી રહે છે. આ ડોક્ટર કોણ છે, તેમની ડિગ્રી શું છે, તે પણ તપાસનો વિષય છે. અમે અમારી ટીમ સાથે મળીને આ બધી તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:13 pm

અફેરની દાઝ રાખી પરિવાર પર હુમલો:જમાઈના અફેરની દાઝે પરિવાર પર હુમલો, બે ભાઈઓએ પાવડા-લાકડી વડે માર મારતા એકને ફ્રેક્ચર

ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ગત 10 ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યે જમાઈના અફેરની દાઝ રાખીને બે સગા ભાઈઓએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ આધેડ પર પાવડા અને લાકડી વડે હુમલો કર્યો હતો, આધેડએ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ​ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ઠોંડા ગામના કરશનભાઈ મનજીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, કરશનભાઈની દીકરી હિરાબેનના જમાઈ પ્રકાશભાઈનું જલાલપર માંડવા ખાતે તેમના કાકાના દીકરાની પત્ની સાથે અફેર ચાલતું હતું. આ કારણે હિરાબેન પિયર, એટલે કે કરશનભાઈના ઘરે આવી ગઈ હતી. કરશનભાઈના કાકા જીવરાજભાઈએ આરોપી ભાવિક અને જીગાને ઉશ્કેર્યા હતા, જેના કારણે બંને ભાઈઓએ આ દાઝ રાખીને હુમલો કર્યો હતો. આરોપીઓ કરશનભાઈના ઘરે આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો દેવાની ના પાડતા આરોપી ભાવિકે ઉશ્કેરાઈને પાવડા વડે કરશનભાઈના સાથળના ભાગે ઘા માર્યો હતો. જ્યારે જીગાએ લાકડી વડે કરશનભાઈના જમણા હાથના કાંડા, બાવડા અને વાસાના ભાગે ફટકા માર્યા હતા. આડેધડ માર મારવાથી ભરતભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કરશનભાઈ અને ભરતભાઈને તાત્કાલિક 108 મારફતે ઢસા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા કરશનભાઈને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન કર્યું હતું. હુમલાખોરો જતા-જતા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયા હતા. ​સમગ્ર મામલે કરશનભાઈ મકવાણાએ ભાવિક કાળુભાઈ કોતર અને જીગા કાળુભાઈ કોતર વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:10 pm

શિવરાજપુર બીચ પર વોટરસ્પોર્ટ્સ બંધ થવાથી ધંધાર્થીઓ પરેશાન:ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું, નેતાઓ ઈચ્છે છતાં એક્ટિવિટી શરૂ નથી થતી

દ્વારકાના બ્લ્યૂ ફ્લેગ બીચ શિવરાજપુર પર સીઝન શરૂ થઈ હોવા છતાં વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. આના કારણે ત્રણ ગામના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.છેલ્લા આઠ દિવસથી શિવરાજપુર, મકનપૂર અને મોજપ ગામના સ્થાનિક લોકો, જેઓ બીચ પર વ્યવસાય કરે છે, તેઓ દ્વારકા ખાતેની SDM કચેરી સમક્ષ પ્રતીક ધરણા પર બેઠા છે. કોઈ નિર્ણય ન આવતા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે.આજે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક SDM કચેરી પહોંચ્યા હતા. તેમણે ધરણા પર બેઠેલા ત્રણ ગામના લોકો સાથે વાતચીત કરી હતી અને મીડિયાને પણ સંબોધિત કર્યા હતા. પબુભા માણેકે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત સૌ કોઈ બીચ એક્ટિવિટી ફરીથી શરૂ થાય તેમ ઈચ્છે છે. અધિકારીઓને આ અંગે સૂચનાઓ પણ આપવામાં આવી છે, તેમ છતાં એક્ટિવિટી કેમ શરૂ નથી થઈ રહી તે સમજાતું નથી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:06 pm

સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે પણ ખરીદીનો ઉત્સાહ:પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં સોના-ચાંદીનું રેકોર્ડબ્રેક વેચાણ, આ વર્ષે અમદાવાદમાં 200 કરોડના વ્યાપારનો અંદાજ

પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો શુભ સમય શરૂ થઈ ગયો છે. આજે અને આવતીકાલે પુષ્ય નક્ષત્ર પર સોના-ચાંદીની ખરીદીને ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ-શુભ માનવામાં આવે છે. બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં, લોકોમાં ખરીદીનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. લોકોએ આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છેઃ એબી જ્વેલર્સના ઓનરસોનાના વધેલા ભાવ અને ખરીદીના માહોલ વિશે દિવ્ય ભાસ્કરે જ્વેલર્સ અને ગ્રાહકો સાથે વાત કરી હતી. જ્યાં એબી જ્વેલર્સના ઓનર મનોજ અરવિંદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું એક એવું નક્ષત્ર છે, જેમાં સમૃદ્ધિ વધારવા રૂપી માહોલ બનતો હોય છે અને એ રીતે લોકો ખરીદારી કરતા હોય છે. ઘર, મકાનની, વાહનોની, કે સોના-ચાંદીની, સમૃદ્ધિ વસાવવા વાળી વાત હોય છે આ મુહૂર્તમાં. અત્યારે ગોલ્ડ-સિલ્વરની વાત કરીએ તો સોનાનો ભાવ 10 ગ્રામનો 130000 છે અને ચાંદીનો 1 કિલોનો 180000 જેટલો ભાવ છે. લોકોએ આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છે. હજી પણ આગળ ભાવ વધશે, એવા સંજોગો બનેલા જ છે, એને લઈને અત્યારે સારી ખરીદી કરી રહ્યા છે. આવનારા લગ્ન પ્રસંગની અને આગોતરા આયોજન રૂપી ખરીદી કરી રહ્યા છે. આજના દિવસે ઘરે લક્ષ્મી આવે એનું સિગ્નિફિકેન્સ છેઃ ઓમ પંડ્યાજ્યારે ઓમ ઝાયરા ડાયમંડના ઓનર ઓમ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગોલ્ડનો ભાવ લાસ્ટ યર કરતા ડબલ છે. તમે જુઓ તો 2005માં ગોલ્ડનો રેટ 7000 રૂપિયા હતો અને આજના રેટ પ્રમાણે 1,31,000 રૂપિયા છે. બટ આપણા કલ્ચરમાં આજનો દિવસ, એટલે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો દિવસ બહુ જ કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ ધરાવે છે. એટલે રેટ્સ આટલા હાઈ હોવા છતાં પણ લોકો 10000થી લઈને 10-10 કરોડ સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ‘આ વર્ષે લગભગ 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે’​​​​​​​આજના રેટ પ્રમાણે સોનાનો ભાવ 10 ગ્રામનો 131000 રૂપિયા છે અને સિલ્વર છે 1 કિલોના 186000 રૂપિયા. ભલે ભાવ ખૂબ ઊંચા છે, પણ આપણે ત્યાં આજના દિવસને સાંસ્કૃતિક રીતે બહુ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગોલ્ડ અને સિલ્વરને માતા લક્ષ્મીનું વાહન ગણીએ છીએ. લોકો નાનું-નાનું લે, પણ ઘરે આજના દિવસે લક્ષ્મી આવે એનું સિગ્નિફિકેન્સ છે. અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અમદાવાદમાં આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે. હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા આવ્યા છીએઃ શ્વેતાબેન​​​​​​​ખરીદી કરવા આવેલ ગ્રાહક શ્વેતાબેનએ જણાવ્યું કે, પુષ્ય નક્ષત્રનું હિન્દુઓમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે આ દિવસે ખરીદેલા સોના, ચાંદી, હીરા, ઝવેરાત તમને અનેક ઘણો લાભ અપાવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલો બધો ભાવ હોવા છતાં પણ હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા માટે આવ્યા છીએ. અમે ખરીદી કરવાનું એડવાન્સથી નક્કી રાખ્યું હતુંઃ ભાવનાબેનઅન્ય ખરીદી કરવા આવેલ ભાવનાબેન શાહ એ જણાવ્યું હતું કે, દર વર્ષે અમે લગડી ખરીદતા હોઈએ છીએ, સિક્કા પણ ખરીદતા હોઈએ છીએ. અમે એડવાન્સથી નક્કી કરીને રાખ્યું હતું કે, અમે પુષ્ય નક્ષત્રના દિવસે જ ખરીદી કરવા જઈશું. ઉનેખનિય છે કે, આસમાને પહોંચેલા ભાવ હોવા છતાં, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા આ શુભ દિવસે લોકો સોનું, ચાંદી અને ઝવેરાતમાં રોકાણ કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી આશા સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:03 pm

હાપા યાર્ડમાં કૃષિ વિકાસ દિવસની ઉજવણી:વિવિધ યોજનાના 13 લાભાર્થીઓને કુલ રૂ.19 લાખથી વધુની સહાયના ઓર્ડર એનાયત

જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના 13 લાભાર્થીઓને કુલ રૂ.19 લાખથી વધુની સહાયના ઓર્ડર એનાયત કરાયા હતા. આ મહોત્સવમાં બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. એચ.એમ. ભૂવાએ સસ્ટેનેબલ ફાર્મિંગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ વિભાગોના 16 જેટલા સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશના વિકાસમાં ખેડૂતોનો મહત્વનો ફાળો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના માર્ગદર્શન અને પોતાની સૂઝબૂઝથી ઉત્તમ ખેતી કરીને રાજ્યને દેશમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. તેમણે કૃષિ મહોત્સવના ઇતિહાસ અને ઉદ્દેશ્યો વિશે પણ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2005-06માં ખેડૂતોનું ઉત્પાદન વધારવા, નવી તકનીકો પહોંચાડવા, વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા અને ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવાના હેતુથી કૃષિ મહોત્સવ શરૂ કરાયો હતો. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમોનું આયોજન થાય છે અને વિવિધ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, જેનાથી તેમને આર્થિક લાભ મળે છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણી ડો. વિનોદ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહિલ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:02 pm

દેરોલ ઓવરબ્રિજ અઢી મહિના બાદ હળવા વાહનો માટે શરૂ:હિંમતનગર-મહેસાણાને જોડતા માર્ગ પર વાહનચાલકોને રાહત

સાબરકાંઠા અને મહેસાણાને જોડતો સાબરમતી નદી પરનો દેરોલ ઓવરબ્રિજ અઢી મહિના બાદ આજથી હળવા વાહનો માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિકો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા આ ઓવરબ્રિજને સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધતા સુરક્ષાના કારણોસર આ પગલું ભરવામાં આવ્યું હતું. બ્રિજ બંધ થવાને કારણે વાહનચાલકોને મહેસાણા જવા માટે ઇડરના સપતેશ્વર ઓવરબ્રિજ અથવા પ્રાંતિજના સાદોલિયા ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ મહેસાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેરોલ ઓવરબ્રિજનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળવારથી, અઢી ટનથી ઓછું વજન ધરાવતા અને અઢી મીટરથી ઓછી ઊંચાઈના વાહનો માટે બ્રિજ પર અવરજવર શરૂ કરવામાં આવી છે. જોકે, ભારે વાહનો અને એસ.ટી. બસોને હજુ પણ આ ઓવરબ્રિજ પરથી પસાર થવાની મંજૂરી નથી. આ વાહનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:01 pm

ગોધરાના સિમલામાં ત્રિપલ અકસ્માત:હાઈડ્રો ક્રેન, ટ્રક અને પીકઅપ વાન અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં આજે બપોરે એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક હાઇડ્રો ક્રેન, એક ટ્રક અને એક પિકઅપ વાન સામસામે અથડાઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે એક હાઇડ્રો ક્રેન રસ્તા પરથી બહાર નીકળી રહી હતી. તે જ સમયે, રસ્તેથી પસાર થઈ રહેલી એક ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી તીવ્ર હતી કે રસ્તા કિનારે ઉભેલી એક પિકઅપ વાનને પણ તેની ઝપેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતમાં સામેલ ત્રણેય વાહનો – હાઇડ્રો ક્રેન, ટ્રક અને પિકઅપ વાનને – નાનામોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં સ્થાનિક લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 3:57 pm

જગદીશ વિશ્વકર્મા આવતીકાલે રાજકોટમાં:રાજકોટ અને મોરબીના 20 હજાર કાર્યકરો રેસકોર્સમાં કરશે અભિવાદન, સંગઠન માળખામાં સ્થાન મેળવવા જુના જોગીઓ એક્ટિવ થયા

ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે સાંજે 5 વાગ્યે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખને આવકારવા માટે એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવનો ઉપસ્થિત રહેવાના છે. ભાજપ દ્વારા 20,000થી જનમેદની એકઠી કરવા લક્ષ્યાંક સાથે આજે અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઠેર ઠેર પ્રદેશ પ્રમુખને આવકારતા હોર્ડિંગ્સ અને બેનર પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્તાની સાથે ભાજપમાં ફરી જુના જોગીઓ એક્ટિવ થયા છે અને આગામી સમયમાં પ્રમુખની ગુજરાત ભ્રમણ યાત્રા પૂર્ણ થયા બાદ સંગઠન માળખામાં ફેરફાર થયે પોતાનો વારો આવશે તેવી આશાએ સૌ કોઈ સાઈડમાં બેઠેલા એક્ટિવ જોવા મળી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા ખાસ વિમાન મારફત રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચશે જયાં રાજકોટ મહાનગર-જીલ્લા તથા મોરબી જીલ્લા ભાજપના આગેવાનો સ્વાગત કરશે બાદમાં એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ-મોરબી જીલ્લાના કાર્યકર્તાઓ કાર-રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે અને આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1000 જેટલા બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેઓને બાઈક રેલીના આગેવાનીમાં રેસકોર્ષ સુધી લઈ આવશે જ્યાંથી સીધા સભા સ્થળે પહોંચશે. રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શકયતા સેવાઈ રહી છે. સૌ પ્રથમ જગદીશ વિશ્વકર્મા હિરાસર એરપોર્ટ પહોંચશે આ પછી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ શહેરના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5.30 વાગ્યાથી સભા યોજવામાં આવનાર છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લા જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે. નવ નિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોઈ બુકે કે ફૂલ ભેંટ સ્વીકારવામાં આવતા નથી અને તેના સ્થાને તેઓ ચોપડા અને બૂક સ્વીકાર કરે છે જે પછી આ ભેંટ તેઓ જે તે જિલ્લાના બાળકોને આપવા માટે જ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીમાં કાર્યકર્તાઓનો આંતરિક જુથવાદ અને આપની દિવસે દિવસે વધતી જતી લોક ચાહના એ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે ત્યારે આવતીકાલે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં કોણ કોણ જુના જોગીઓ હાજર રહેશે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 3:57 pm

પાટણ યુનિવર્સિટી માસ કોપીમાં વિદ્યાર્થીઓને દંડ, સંસ્થાને મુક્તિ:'યુવા અધિકાર ન્યાય ચળવળ'નો વિરોધ, કોલેજ પર કાર્યવાહીની માંગ

પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા માસ કોપી કૌભાંડ બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 182 વિદ્યાર્થીઓ પર ₹10,000નો આર્થિક દંડ લાદી તેમની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે 'યુવા અધિકાર ન્યાય ચળવળ' દ્વારા સખત વિરોધ નોંધાવી અન્યાયી કાર્યવાહી સામે ન્યાયની માંગ કરવામાં આવી છે. 'પરીક્ષા ચોરીના ગુનામાં સજા હાથમાં મોબાઇલ ધરાવતા વિદ્યાર્થીને શા માટે, જ્યારે મોબાઇલ આપનાર ગુનેગારને કેમ નહીં? આવેદનપત્રમાં જણાવાયું છે કે સંસ્થા,પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ પર કડક પગલાં લેવાને બદલે માત્ર વિદ્યાર્થીઓને સજા કરવી એ ભ્રષ્ટાચારને છાવરવાનો ખુલ્લો પ્રયાસ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી.પોરિયા સમક્ષ યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ દ્વારા 'યુવા અધિકાર ન્યાય ચળવળ'ના નેજા હેઠળ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આ આવેદનપત્રનો મુખ્ય વિષય પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજના 182 વિદ્યાર્થીઓને અન્યાયથી બચાવવા અને સાચા દોષીઓ સામે ન્યાયસંગત કાર્યવાહી કરવાનો છે. ચળવળ દ્વારા આક્ષેપ કરાયો છે કે ચોરી કરાવનાર સંચાલકો,ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે પ્રશ્નપત્ર વોટ્સએપ પર મૂકીને કોલેજને નકલી ડિગ્રી ફેક્ટરી માં ફેરવી દીધી. તેમ છતાં, યુનિવર્સિટીએ આ સંસ્થાને છોડીને માત્ર વિદ્યાર્થીઓને પાપનો ભાગીદાર ઠેરવ્યા છે. 'યુવા અધિકાર ન્યાય ચળવળ' દ્વારા માંગ કરવામાં આવી છે કે દંડ વિદ્યાર્થીઓને નહીં, પરંતુ સંસ્થા પર લાદવો જોઈએ અને પરીક્ષાની ફી પણ કોલેજ દ્વારા જ ભરવામાં આવવી જોઈએ. સંચાલકોએ એડમિશન સમયે પાસિંગ ગેરંટી કાર્ડ આપીને ₹1 લાખથી વધુ વસૂલ્યા હોવા છતાં તેમના પર દંડ કેમ નહીં, તેવો સવાલ ઉઠાવાયો છે.આ ઉપરાંત, ઇન્ટરનલ પરીક્ષા રદ ન કરવામાં આવે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, પ્રોફેસરની દેખરેખમાં લેવાયેલ ઇન્ટરનલ પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી. પ્રેક્ટિકલ પરીક્ષા પણ રદ ન કરવાની માંગ કરાઈ છે. અન્ય માંગણીઓમાં વિદ્યાર્થીઓ પરનો કુલ દંડ સંસ્થા પર લાદવામાં આવે, સંચાલકો તથા સંસ્થાને વિદ્યાર્થીઓ કરતાં પણ કઠિન સજા આપવામાં આવે, પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજની માન્યતા રદ કરવામાં આવે,પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને એક્ઝામ કોઓર્ડિનેટર સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે અને નિરીક્ષકની જવાબદારી નક્કી કરી તેને પણ સજા કરવામાં આવે તે મુખ્ય છે. કોલેજ દ્વારા કબજે કરાયેલા FY, SY અને M.Sc. ના વિદ્યાર્થીઓના તમામ ઓરિજનલ દસ્તાવેજો, પ્રમાણપત્રો અને અગાઉના સેમેસ્ટરની માર્કશીટ તાત્કાલિક પરત કરવામાં આવે. એડમિશન કેન્સલ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ફી બાબતે રાહત આપવામાં આવે અને અન્ય કોલેજમાં ટ્રાન્સફર ઇચ્છુક વિદ્યાર્થીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટની મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું કે, સંસ્થાને બચાવીને વિદ્યાર્થીઓને સજા કરવી એ ભ્રષ્ટાચારને છાવરવાનો ખુલ્લો પ્રયત્ન છે. કુલપતિ કે સી પોરીયા એ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ પ્રમાણે જે સજા કરવાની હોય છે તે કમિટી ધ્વરા ભલામણ કરવામાં આવી હતી કમિટી ની ભલામણ અનુસાર દરેક વિદ્યાર્થી ને 10હાજર નો દંડ પેટે ભારવનું જણાવ્યું છે .20તારીખ સુધી ભરવાની છે માસ કોપી ના સ્ટેસ્ચ્યુ પ્રમાણે દંડ કરવામાં આવ્યો છે પરીક્ષા નું કેન્દ્ર રદ કરવા કમિટી ની ભલામણ હતી એટલે રદ કર્યું છે અને કોલેજ ને જણાવી દીધું છે એમની માંગ વધુ દંડ કરવાની છે એટલે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ રચના થયેલી છે તો તમમાં બાબતો ફરી થી બોર્ડ ઓફ મેનજમેન્ટ માં મુકીશું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે નિર્ણય લેશે એ પ્રમાણે યુનિવર્સિટી કાર્યવાહી કરશે આવતી કાલે મેનેજમેન્ટ અને સમિતિ ના સભ્યો ને બોલાવી બન્ને ની રજૂઆત સાભળી બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં મૂકીશું તેમ જણાવ્યું હતું

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 3:52 pm