નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમની નું સ્ટોકહોમ થી લાઈવ પ્રસારણ રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજરોજ નોબેલ પ્રાઈઝ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 600થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ અવસરે, સ્ટોકહોમથી નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું જીવંત પ્રસારણ કરીને વિશ્વના આ પ્રતિષ્ઠિત સન્માનની ઝલક વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, વિજ્ઞાન ને લગતી જુદી જુદી 5 થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે. જેમાં નોબલ પ્રાઈઝ ફિઝિયોલોજી ઓર મેડિસિનની વિશેષ ગેલેરી છે, જેમાં 1901 થી 2025 સુધીના માનવ કલ્યાણ માટે ફિઝિયોલોજી ઓર મેડિસિન ક્ષેત્રે મળેલ નોબલ પ્રાઈઝ ધરાવતા વૈજ્ઞાનિકો તેમના દ્વારા કરેલ સંશોધનો ની માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે. ઇન્ટરએક્ટીવ એગ્ઝિબિટ્સ તેમજ ઓડીઓ-વિડીઓ ના માધ્યમ થી સવિસ્તાર માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે, નોબેલ પ્રાપ્તકર્તાઓને ફિઝિયોલોજી ઓર મેડિસિનના ઉમદા પારિતોષિક થી સન્માનિત કરવામાં આવેલ છે. આ નોબલ પ્રાઈઝ ગેલેરી વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ માં અદભુત માહિતી અને નવી પ્રેરણા પુરી પાડી રહી છે. નોબલ પ્રાઈઝ વિષે જાણીએ તો સ્વીડિશ મુળના શોધક રસાયણશાસ્ત્રી, એન્જિનીયર અને ઉધોગપતિ આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલ ની અંતિમ ઈચ્છામાં નિર્ધારિત કર્યા મુજબ તેમની સંપત્તિ માંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, શાંતિ અને સાહિત્યમાં ઓસ્લો, નોર્વેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નોબલ પ્રાઈઝએ વિશ્વના ટોચના પ્રસિધ્ધ પુરસ્કાર પૈકી એક છે. દર વર્ષે 10 ડિસેમ્બર ના રોજ આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે નવા વિજેતાઓને પુરસ્કાર આપવા માટે સ્ટોકહોમમાં એવોર્ડ સમારંભ યોજાય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ડિસેમ્બર 2025 ના રોજ આરએસસી ભાવનગર ખાતે નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું સ્ટોકહોમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, તદુપરાંત નોબલ પ્રાઈઝ (ફિઝિયોલોજી ઓર મેડિસિન) ગેલેરીની વિઝિટ, નોબેલ લોરીએટ્સ વિષે રસપ્રદ માહિતી, વર્ષ 2025માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાન અથવા દવા ના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઑ અને તેમના સંશોધનો વિષે એક્સપર્ટસ ડો.હેમ ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર (ભૌતિકશાસ્ત્ર), શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર, ડૉ.એસ આદિમૂર્તિ, મુખ્ય વૈજ્ઞાનિક, MNPB-વિભાગ, CSIR-CSMCRI, ભાવનગર તથા ડૉ.જયેશ સોલંકી, એસોસિયેટ પ્રોફેસર, ફિઝિયોલોજી વિભાગ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર દ્વારા વર્ષ 2025માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાન ના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઑ અને તેમના સંશોધનોએ સમાજમાં અને વિશ્વમાં તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડો.ચિન્મય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ દિવસે આરએસસીના સ્ટાફ દ્વારા નોબેલ ગેલેરીના પ્રવેશદ્વાર પર ફૂલોની અત્યંત મનમોહક અને કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, તદુપરાંત, આ પ્રસંગને અનુરૂપ નોબેલ ગેલેરીને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી હતી, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. આરએસસી ભાવનગર લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વ ની ભૂમિકા ભજવી રહ્યું છે.
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. LCBએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 પરથી રૂ. 12.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. તા. 09/12/2025ના રોજ નવસારી LCBના પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતુકમાર બહાદુરસિંહ અને અર્જુનકુમાર હર્ષદભાઇને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, દારૂનો જથ્થો સેલવાસથી ભરીને અસલાલી લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે મોજે. આરક-સિસોદ્રાના પાટીયા પાસે નેશનલ હાઈવે નંબર-48 (મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક) પર નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન, LCBની ટીમે રજીસ્ટ્રેશન નંબર DD 01 Z 9131 ધરાવતો એક ટેમ્પો અટકાવ્યો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 1032 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 12,61,520/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 2,51,520/- ની કિંમતના 1032 ટીન વિદેશી દારૂ (બિયર), રૂ. 10,00,000/- ની કિંમતનો EICHER PRO 2119 L HSD BSVI ટેમ્પો અને ₹10,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી અમોલકુમાર લાલસિંગ જોરસિંગ યાદવ (ઉંમર 34, ધંધો: ડ્રાઇવિંગ, રહેવાસી: નગલા હર્ર ગામ, થાના. એદિલ, તા. ભર્થના, જી. ઇટાવા, ઉત્તર પ્રદેશ) ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે, દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત ચાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ આરોપીઓમાં સેલવાસનો કમલેશ બાજપેઇ (જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો), કમલેશ બાજપેઇ સાથે દારૂ ભરી આપવામાં મદદ કરનાર બે અજાણ્યા ઇસમો, અને અસલાલી ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યો ઇસમનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાનના શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે કોંગ્રેસે Say No to Drugs અભિયાન અંતર્ગત વ્હોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો. જેમાં દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની વિગતો આપવા નાગરિકો પાસે અપીલ કરી હતી. જેના પર નાગરિકોએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ કયા ચાલે છે અને કોણ ચલાવે છે તેની વિગતો મોકલી આપી છે. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેથી કોંગ્રેસે પાલનપુરમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની યાદી જાહેર કરી છે. તેમજ મુખ્યમંત્રી યાદીની તપાસ કરી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણને બંધ કરાવે તેવી કોંગ્રેસે માગ કરી છે. દારૂ, ડ્રગ્સના અડ્ડાઓની વિગતો નાગરિકો પાસે માંગવામાં આવી હતીગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણને બંધ કરવાની માગ સાથે લડત લડી રહી છે. નાગરિકોને સાથે રાખીને પણ અલગ અલગ કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે. જેથી થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. જેના પર રાજ્યમાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓની વિગતો નાગરિકો પાસે માંગવામાં આવી હતી. જેમાં ઘણા બધા નાગરિકોએ યુવાઓને દૂષણના રવાડે જતા રોકવા માટે કોંગ્રેસના વ્હોટ્સએપ નંબર પર વિગતો મોકલી આપી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાની પોલ ખોલી નાખીજાહેરમાં નાગરિકો બોલી શકતા ન હોવાથી તેમને કોંગ્રેસના નંબર પર દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની વિગતો આપી છે. કોંગ્રેસે નાગરિકોએ મોકલેલી જાહેર કરી છે. એમાં પણ આવતીકાલે મુખ્યમંત્રી જ્યાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપવાના છે ત્યાંની જ વિગતો જાહેર કરી છે. કોંગ્રેસે વિગતો જાહેર કરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડા ક્યાં ચાલે છે, કોણ ચલાવે છે તેની વિગતો જાહેર કરી છે. તેમજ મુખ્યમંત્રી સરકારી કાર્યક્રમ માટે હાજરી આપવા માટે જઈ રહ્યા છે તો તેમની પાસે યાદીની ચકાસણી કરી કાયમી ધોરણે દારૂ, ડ્રગ્સ, જુગાર અને ગાંજાનું વેચાણ બંધ કરવા માટે માગ કરવામાં આવી છે. સરકાર દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યુંગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં જે પ્રકારે દારૂ, ડ્રગ્સ અને કતલખાના ચાલી રહ્યા છે તેના માટે કોંગ્રેસ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર નાગરિકો પાસેથી નશાકારક પદાર્થોનું વેચાણ થાય છે તેની વિગતો આપવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં માહિતી સામે આવતા સરકાર દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસની ટીમે ગુજરાતના અલગ અલગ જગ્યાએ ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાની વિગતો જાણવા લોકોનો સંપર્ક કર્યો હતો. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠાના પાલનપુરમાં જઈ રહ્યા છે. ત્યારે ત્યાંની જનતાએ તેમનો ગુસ્સો, લાગણી અને માંગણી મોકલી આપી છે. આવા અડ્ડાઓ CM અને ગૃહમંત્રી કાયમી બંધ કરાવે તેવી માગવધુમાં ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, જનતાએ જે વિગતો મોકલી આપી છે ત્યાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી કાયમી ધોરણે બંધ કરાવે તેવી માગ કરીએ છીએ. ગુજરાતમાં બોલિવૂડ ફિલ્મના જેમ ડાયલોગ બોલાવવામાં આવે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ પ્રકારના ડાયલોગનો દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચલાવનાર પર કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી. બેફામ રીતે યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને યુવાનો દૂષણ પાછળ ધકેલાઈ રહ્યા છે છતાં મુખ્યમંત્રી કોઈ પગલા ભરતા નથી. બુટલેગર વીડિયો જાહેર કરીને હોમ ડિલિવરી કરવાની વાત કરી રહ્યા છે અને કહે છે તેની પોલીસ સાથે ભાગીદારી છે છતાં પણ કોઈ પગલા લેવાતા નથી. કોંગ્રેસે CMના પ્રવાસ પહેલા પાલનપુરમાં ચાલતા અડ્ડાઓની વિગત જાહેર કરીગૃહમંત્રી સામે સવાલ કરતા હિરેન બેન્કરે જણાવ્યું કે, ગૃહમંત્રી કહેતા હતા કે અડધી રાત્રે કોલ કરજો તો તેમને અમે નાગરિકોએ મોકલેલી વિગતો જાહેર કરીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચાલે છે. ગુજરાતના જાગૃત નાગરિકે ડ્રગ્સ, દારૂ અને જુગાર ક્યાં રમાય છે તેની વિગતો વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી છે. જો સામાન્ય નાગરિક પાસે આટલી વિગત હોય તો ગુજરાતમાં 30 વર્ષથી ચાલતી સરકાર પાસે કેમ કોઈ વિગતો નથી. જો સામાન્ય નાગરિક વિગત આપી શકતો હોય તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ આ મામલે કોઈ કાર્યવાહી કરી શકતું નથી. આવતીકાલે મુખ્યમંત્રી તે વિસ્તારમાં જાય છે તો અમે આપેલી યાદીની ચકાસણી કરી પાલનપુરમાં દારૂ ન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી અમારી માગ છે. કોંગ્રેસ પક્ષના નશા મુક્ત ગુજરાત અભિયાનના વ્હોટ્સએપ નંબર પર મળેલી બનાસકાંઠાનાં પાલનપુરમાં ચાલતા અડ્ડાઓની વિગત.ડ્રગ્સનું વેચાણ ગાંજા સાથે: જુગાર : ઈંગ્લિશ દારૂના અડ્ડા :રવિ માળી, ચકો ઠાકોર, શૈલેષ મોચી, છલિયો સલાટ, બબલુ ઠાકોર, દીપક ઠાકોર, ખત્રી, અન્ય 12 જેટલા લોકો હોમ-ડિલીવરી કરવા જાય છે દેશી દારૂના અડ્ડા નીચેના સ્થળો પર ચાલે છે :દિલ્લી ગેટ, અમીર રોડ, ગોબરી રોડ, ભીલ વાસ, શક્તિનગર, માન સરોવર, રેલવે સ્ટેશન, મસ્જિદ પાસે, અશોક સોસાયટી, જનતા નગર, ઢૂંઢિયાવાડી, મફતપુરા, જનતા નગર, ચામુંડા વાસ.
વલસાડ જિલ્લા પોલીસે 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 131 લાભાર્થીઓને ₹36 લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ કાર્યક્રમ મોંઘાંભાઈ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો. ચાલુ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુમ થયેલા અને ચોરીના કેસોમાં પોલીસે સક્રિય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓની ધરપકડ કરીને ગુમ થયેલો અને ચોરાયેલો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલો મુદ્દામાલ અરજદારોને સરળતાથી પરત મળી રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી હતી. સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહના વલસાડ પ્રવાસ દરમિયાન તેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો, જ્યાં મુદ્દામાલ માલિકોને સુપ્રત કરાયો. રેન્જ IG પ્રેમ વીર સિંહે કેટલાક અરજદારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, લાભાર્થીઓના ચહેરા પરની ખુશી અને પોલીસ વિભાગ પ્રત્યેનો આભાર જોઈને પોલીસ જવાનોનો થાક દૂર થઈ જાય છે.
ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ સુરતના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી.એક વાર કાબૂમાં આવ્યા બાદ ફરી એક વાર આગ ભભૂકી ઉઠી.. કરોડોન નુક્શાનનો અંદાજો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુ-જુગાર મુદ્દે ભાજપના નેતાનો કોંગ્રેસ પર આક્ષેપ ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ ગોમતીપુરમાં કોંગ્રેસના નેતાઓ દારુ,જુગાર અને ડ્રગ્સના ગોરખધંધા ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો,જવાબમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે કહ્યું કે સરકાર તો તમારી જ છે , તો દરોડા કેમ નથી પડાવતા? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોશીનામાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં ગાંજાની ખેતી પકડવા SOGએ ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું.જેમાં પોશીનામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું..ઘરની આગળ ખુલ્લી જમીનમાં ગાંજાના 558 છોડ વાવેલા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બલોચ સમાજે કર્યો ફિલ્મ ધૂરંધરનો વિરોધ બોલિવુડ ફિલ્મ ધુરંધરનો જૂનાગઢના બલોચ સમાજે વિરોધ કર્યો.ફિલ્મના આ ડાયલોગથી સમાજની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાથી ફિલ્મ પર બેનની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ લાંબા સમયથી સત્તાથી વંચિત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી. સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઇ.તેમણે કહ્યું કે પ્રજા ભાજપના લાંબા સમયના શાસનથી કંટાળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસ શોકમાં રહી હેવાનિયતનો ભોગ બનેલી બાળકી રાજકોટના જસદણમાં હેવાનિયતનો ભોગ બનેલી બાળકીની હાલત હાલ સ્થિર છે. ચોથી ડિસેમ્બરે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ રહેતા આરોપીએ તેના ગુપ્તાગમાં સળિયો નાખ્યો હતો.. બાળકી સતત બે દિવસ સુધી શોકમાં રહી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો NH-48 પર અકસ્માતમાં દંપતીનું મોત વડોદરા પાસે NH-48 પર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું. .બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની પહેલા ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવ્યાં, બાદમાં તેમના પર ટ્રક ફરી વળતા મોતને ભેટ્યા. હાઈવે પર માંસના લોચા વિખેરાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનમાં ગુજરાતીઓનો કાળજું કંપાવતો અકસ્માત રાજસ્થાનના સિકરમાં થયેલા બસ અને ટ્રકના અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા. વલસાડના અલગ અલગ ગામના 50 લોકો વૈષ્ણોદેવી અને રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે પણ ઈન્ડિગોની 23 ફ્લાઈટ્સ કેન્સલ આજે પણ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 23 ફ્લાઈટ્સ કેન્સલ થઈ.અન્ય એરલાઈન્સની ફ્લાઈટ પણ ડિલે થઈ. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી માત્ર 40 ફ્લાઈટ ઓપરેટ થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઉતાર-ચડાવ જોવા મળશે.. અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 અને રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન રહ્યું. તો નલિયા 10 ડિગ્રી સાથે ઠુંઠવાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત શહેરના 8 થી 11 વર્ષની વયજૂથના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં સફળતાપૂર્વક નવો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ બાળકોએ ગણિતજ્ઞોની આ સિદ્ધિને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ રેકોર્ડ બ્રેકિંગ ઇવેન્ટમાં, આ ચારેય યુવા અંકગણિતના જાદુગરોએ કેલ્ક્યુલેટર, પેન કે કાગળની મદદ વગર જટિલ ગણતરીઓ કમ્પ્યુટર જેવી ઝડપ અને ચોકસાઈ સાથે કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. 90 દાખલા માત્ર 4 મિનિટ અને 53 સેકન્ડમાં પૂરા કર્યાઆ ચારેય અંકગણિતના જાદુગરોએ કેલ્ક્યુલેટર, પેન અથવા કાગળની મદદ વગર જટિલ ગણતરીઓ કમ્પ્યુટર જેવી ઝડપ અને ચોકસાઈ સાથે કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સિદ્ધિ મેળવનારા ચાર બાળકોમાંના પ્રથમ છે, દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 2 માં અભ્યાસ કરતા 7 વર્ષીય કિયાશ ઠક્કર, જેમણે 2 અંકની 3 સંખ્યાઓનો સરવાળો કરવાના કુલ 90 દાખલા માત્ર 4 મિનિટ અને 53 સેકન્ડમાં પૂરા કર્યા. તેમની આ સિદ્ધિ અદભૂત એકાગ્રતા અને વીજળી જેવી ઝડપી ગણતરી કરવાની ક્ષમતા દર્શાવે છે. 8 વર્ષીય પૂરવે 140 દાખલા માત્ર 3 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણબીજી અસાધારણ સિદ્ધિ દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 3માં અભ્યાસ કરતા 8 વર્ષીય પૂરવ અગ્રવાલે મેળવી છે. પૂરવે 1 અંક x 2 અંકનો ગુણાકાર કરવાના 140 દાખલા માત્ર 3 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણ કરીને મેન્ટલ મલ્ટિપ્લિકેશનમાં એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ત્રીજા વિદ્યાર્થી છે શ્રી સ્વામિનારાયણ એકેડમીના ધોરણ 4 માં અભ્યાસ કરતા 9 વર્ષીય દિવિત દેસાઈ, જેમણે 0.5 સેકન્ડની ઝડપે ફ્લેશ થતા 1 અંકના 610 નંબરોનો સરવાળો કરીને એક મુશ્કેલ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્લેશ સ્પીડ પર ફોકસ અને ચોકસાઈ જાળવી રાખવાની તેમની ક્ષમતા સૌથી મુશ્કેલ ગણનારી સિદ્ધિઓમાંની એક ગણાય છે. 11 વર્ષીય બાળકે 115 દાખલા 5 મિનિટ અને 2 સેકન્ડમાં પૂર્ણઆ જૂથમાં ચોથી સિદ્ધિ અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષીય યુગ અગ્રવાલે હાંસલ કરી છે. યુગે 3 અંકને 1 અંક વડે ભાગાકાર કરવાના 115 દાખલા 5 મિનિટ અને 2 સેકન્ડમાં પૂર્ણ કર્યા, જે તેમની ઉત્કૃષ્ટ સંખ્યાત્મક સ્પષ્ટતા અને ઝડપ દર્શાવે છે. વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવો એ એક દુર્લભ સિદ્ધિ છે, પરંતુ 4 વિદ્યાર્થીઓના જૂથમાં બે વાર આવું કરવું એક વારસો સ્થાપિત કરે છે. આ સાથે ફન ડિજિટ્સે મેન્ટલ મેથ્સમાં કુલ 31 રેકોર્ડ બનાવ્યા છે જે વિશ્વમાં સૌથી વધુ છે. 'નાની ઉંમરે એકાગ્રતા, વિઝયુલાઇઝેશન અને માનસિક ચપળતા'ફન ડિજિટ્સ એકેડમીના હેડ કોચ દીપેશ દેસાઈએ આ યુવા સિદ્ધિ વિશે વાત કરતા કહ્યું, આટલી નાની ઉંમરે એકાગ્રતા, વિઝયુલાઇઝેશન અને માનસિક ચપળતાનું આ સ્તર પ્રદર્શિત કરતા આ બાળકો ખરેખર પ્રેરણાદાયી છે. આ રેકોર્ડ તેમની સખત મહેનત અને તેમના માતાપિતાના મજબૂત સમર્થનને આભારી છે. આ બાળકોએ માત્ર પોતાની ક્ષમતા સાબિત નથી કરી, પરંતુ મેન્ટલ મેથ્સની શક્તિને પણ રેખાંકિત કરી છે. 'આ સ્પર્ધા મગજના બંને ગોળાર્ધને સક્રિય કરે છે'તેઓએ જણાવ્યું હતું કે, મેન્ટલ મેથ્સ એ માત્ર ગણતરી નથી, પરંતુ તે એક એવી શિસ્ત છે જે મગજના બંને ગોળાર્ધને સક્રિય કરીને એકાગ્રતા, ફોટોગ્રાફિક મેમરી અને સાંભળવાની કૌશલ્યને વધારે છે. આ યુવા પ્રતિભાઓએ માત્ર રેકોર્ડ્સ જ નથી તોડ્યા, પરંતુ સમગ્ર યુવા પેઢી માટે ગણિતના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે સરકારે રાહત પેકેજ જાહેર કર્યા બાદ પ્રાથમિક તબક્કામાં જ સહાય ચૂકવણી શરૂ કરી દીધી છે. વડોદરા જિલ્લામાં 98229 ખેડૂતોએ પાક નુકસાની બદલ સહાય મેળવવા માટે અરજી કરી હતી. જે પૈકી જિલ્લા ખેતીવાડી વિભાગે ટૂંક સમયમાં જ સર્વે કરીને 72 હજાર ખેડૂતોને પ્રાથમિક તબક્કામાં જ કુલ રૂ. 94 કરોડથી વધારેની સહાય રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. 72 હજાર ખેડૂતોને 94 કરોડથી વધારેની સહાય રકમ ચૂકવાઈઓક્ટોબરમાં વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને ટૂંક સમયમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરાવીને ઐતિહાસિક કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું હતું. જે સંદર્ભે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પાક નુકસાની બદલ સહાય મેળવવા માટે અરજી કરી હતી. 26210 ખેડૂતોના બેંક ખાતામાં ટૂંક સમયમાં સહાયની રકમ જમા થશેખેતીવાડી વિભાગે આ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરીને 72 હજાર ખેડૂતોના ખાતામાં સીધી રીતે સહાયની રકમ જમા કરાવી દીધી છે. બાકી રહેતા 26210 ખેડૂતોના બેંક ખાતામાં પણ તબક્કાવાર અને ટૂંક જ સમયમાં સહાયની રકમ જમા કરાવી દેવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. 'સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે'વડોદરા જિલ્લામાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક રાહત મળે તે માટે પાંચ મદદનીશ ખેતી નિયામક, 9 વિસ્તરણ અધિકારી, 107 ગ્રામસેવકો, તમામ ગામોના વી.સી.ઈ. સહિત જિલ્લા ખેતીવાડી શાખાના સ્ટાફ દ્વારા સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે. જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય છે, તેમના ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે.
નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરોએ ₹1.89 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. પરિવારના સભ્યો નોકરી પરથી રાત્રે પરત ફરતા ચોરીની જાણ થઈ હતી, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી શિવકુમાર નાનુભાઈ રાઠોડ (ઉં.વ. 24, ઇલેક્ટ્રિશિયન) તેમના માતા લક્ષ્મીબેન સાથે સંસ્કૃત એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 301, ગ્રીડ રોડ, કબીલપોર ખાતે રહે છે. તેમણે આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટના ગત સોમવાર, તા. 08/12/2025 ના રોજ બપોરે 02:00 થી રાત્રે 10:00 વાગ્યાની વચ્ચે બની હોવાનું મનાય છે. શિવકુમાર અને તેમના માતા લક્ષ્મીબેન (પારસી હોસ્પિટલમાં હાઉસ કીપિંગ) સવારે 7 વાગ્યે નોકરી પર ગયા હતા. બપોરે 1 વાગ્યે જમવા માટે ઘરે આવીને તેઓ પરત તાળું મારી નોકરી પર ગયા હતા. રાત્રે 10 વાગ્યે બંને પરત ફર્યા ત્યારે ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. તસ્કરોએ ફ્લેટમાં પ્રવેશ કરી બે બેડરૂમમાં રાખેલા કબાટોના દરવાજા અને અંદરની તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા. કબાટમાં રાખેલો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. ચોરી થયેલા મુદ્દામાલમાં રોકડ અને દાગીનાનો સમાવેશ થાય છે. તપાસ બાદ કુલ ₹1,89,600/- નો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટનાના એક અઠવાડિયા બાદ વિપક્ષ દ્વારા અચાનકજ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શહેરમાં 69 બ્રિજનું ચોમાસા પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી બ્રિજ, સુભાષ બ્રિજ અને સરદાર બ્રિજ એમ ત્રણેય બ્રિજને રિપેરિંગની જરૂરિયાત હોવા અંગેનો બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવા છતાં તેમાં બ્રિજની ઓવર ઓલ ફેર કન્ડીશન બતાવી દેવામાં આવી હતી તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુભાષ બ્રિજના કેન્ટી લીવરમાં રિપેરિંગની જરૂરિયા હોવા અંગેની જાણ હોવા છતાં ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજની કન્ડીશન સારી બતાવવામાં આવી હોવાનું જણાવી વિપક્ષ દ્વારા ઇન્સ્પેક્શન રિપોર્ટ સામે સવાલો ઊભા કર્યા છે. બે કંપનીઓ દ્વારા 69 બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાયું હતુંવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે એક અઠવાડિયા બાદ શહેરના 69 બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ અચાનક જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને 35 બ્રિજ તથા જીઓ ડીઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લીને 34 બ્રિજ એમ બે કંપનીઓને કુલ 69 બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાનું કામ આપ્યું હતું. સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનનું કામ પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ 9 જુલાઈના રોજ આપવામાં આવ્યો હતો. ઓવર ઓલ ફેર કન્ડીશનનો રિપોર્ટ કેવી રીતે આપ્યો?પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી. કંપની દ્વારા સુભાષ બ્રિજની કન્ડીશન ઓવર ઓલ ફેર એટલે કે એકંદરે સારી કન્ડીશન છે તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. વિપક્ષ નેતાએ આ રિપોર્ટ સામે સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ કંપની દ્વારા આપવામાં આવેલો ઇન્સ્પેક્ટર રિપોર્ટ યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કર્યા વગર અવાસ્તવિક અને ગેરમાર્ગે દોરનારો હોય તેમ સ્પષ્ટ જણાવે છે. જે સમયે બ્રિજની અંદરની બાજુના બોક્ષમાં ચામાચીડિયા હોવાને કારણે બોક્ષનું ઇન્સ્પેક્શન કરી શક્યાં ન હતા તેવું તેમના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે તો પછી ઓવર ઓલ ફેર કન્ડીશનનો રિપોર્ટ કેવી રીતે આપ્યો? બ્રિજનું શું ઇન્સ્પેક્શન કર્યું? તે તપાસનો વિષય બની જાય છે. જેથી બ્રિજ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ સ્પષ્ટ રીતે ખોટો પુરવાર થાય છે. જેથી રિપોર્ટ વાસ્તવિકતાથી દૂર હોય તેમ જણાઈ આવે છે. જેથી પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને કામમાં બેદરકારી કરવા બદલ તાકીદે બ્લેકલિસ્ટ કરવી જોઇએ. આ બ્રિજનું ઝીણવટભર્યું કે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થયું નથીબ્રિજના ઇન્સ્પેક્શન સામે વધુ સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ બ્રિજનું ઝીણવટભર્યું કે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થયું નથી અને ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજની વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરવામાં આવી નથી. આ ઇન્સ્પેક્શનનું કામ જે ખાસ અગત્યનું અને પ્રજાની સલામતી બાબતે હોવા છતાં તેમાં બેદરકારી રાખવામાં આવે. સત્તાધારી પક્ષ તથા તંત્ર મુક પ્રેક્ષક બની પ્રજાની સલામતીની અવગણના કરે જે શરમજનક બાબત છે. શહેરના તમામ બ્રિજોનું સાયન્ટિફિક રીતે વિવિધ ટેસ્ટ તથા ઇન્સ્પેક્શન કરી ત્યાર બાદ તેનો રિપોર્ટ પ્રજાહિતમાં તાકીદે જાહેર કરવો જોઇએ. તમામ બ્રિજોનું અલગ અલગ એજન્સી દ્વારા ઇન્સ્પેક્શન કરાયુંવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવી હતી. જેમાં પ્રથમ અને બીજા તબક્કાના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. જે ઇન્સ્પેક્શન બાદ તેમાં ખામી જોવામાં આવતા તાત્કાલિક ધોરણે કોઈપણ દુર્ઘટના ન થાય તે માટે બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. AMCના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલુ છેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલી જ રહી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાં પણ ઇન્સ્પેક્શનથી લઈને અલગ અલગ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ ભરતી કરવામાં આવશે.
રાજકોટ એરપોર્ટ જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં ઈન્ડિગોની 29 ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 600 મુસાફરોને રિફંડ આપવામાં આવ્યુ છે. DGCA દ્વારા અમુક કલાકો જ ફ્લાઇટ ઉડાવવી. અમુક કલાકો બાદ પાયલોટને આરામ આપવો જોઈએ. આ ઉપરાંત વધુમાં વધુ બે નાઈટ લેન્ડિંગની મંજૂરી છે. આ નિયમ અંગે એક વર્ષ પહેલા ઈન્ડિગોને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમના દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવ્યું અને તેને કારણે ક્રૂ અને પાયલોટની અછત જોવા મળી. ઈન્ડિગો એરલાઈન્સ ના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈન્ડિગો 60 થી 70 ટકા એરલાઈન્સ હિસ્સો ધરાવે છે જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. મોનોપોલીના લીધે આ પરિસ્થિતિ વધારે વણસી છે જોકે સરકાર હવે પગલા લઈ રહી છે. તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી છે. લોકોને કોઈ હાલાકી પડે તો તે માટે MAY I HELP YOU 9409303371 નંબર જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 12 મી ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે. રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોસ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8 માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9 માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો 8 ડિસેમ્બરના 8 માંથી 4 ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે 9 ડિસેમ્બરના 9 માંથી 2 ફ્લાઈટ કેન્સલ રહી હતી. જ્યારે હજુ 12 ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે 13 મી ડિસેમ્બરથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે. ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ડિસેમ્બર સુધી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 17.55 વાગ્યાની રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ છે ઉપરાંત 19.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. આ સિવાયની સવારની 8.05 વાગ્યાની દિલ્હી, 9 વાગ્યાની મુંબઈ, 10.25 વાગ્યાની પુણે, 12 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગ્લોર અને 4.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આ 2 ફ્લાઈટ રદ 6E 5025/5009 - રાજકોટ - દિલ્હી - રાજકોટ6E 273/274 - રાજકોટ - મુંબઈ - રાજકોટ આ ફ્લાઈટ ચાલુ 6E -6557/6558 - રાજકોટ - દિલ્હી- રાજકોટ 6E - 6132/6133 - રાજકોટ - મુંબઈ- રાજકોટ6E - 6241/6245 - રાજકોટ - પુણે - રાજકોટ6E -6371/6372 - રાજકોટ - હૈદરાબાદ - રાજકોટ6E - 154/155 - રાજકોટ - ગોવા- રાજકોટ6E 6507/6508 - રાજકોટ - બેંગ્લોર - રાજકોટ6E 936/937 - રાજકોટ - મુંબઈ - રાજકોટ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા કાચા 200 જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવી પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો. દરમ્યાન અચાનક એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્થળેથી કાચા ઝૂંપડા તોડતા સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. દશામાં મંદિર પાસે ઝૂપડાં પર બુલડોઝર કાર્યવાહીશહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર પાસે આવેલ ગેરકાયદેસર ઝૂંપડા બનાવી શ્રમજીવીઓ રહેતા આવ્યા છે. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ બસો જેટલા ઝૂંપડા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ તંત્ર દ્વારા જણાવાયું હતું. દબાણ શાખાની ટીમે 200 જેટલા ઝૂંપડા તોડી પાડ્યા હતાપરિણામે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રહીશોની રકઝક અને બોલાચાલી બાદ પોલીસે કેટલીક મહિલાઓને પકડી લઈ ગઈ હતી. આ દરમ્યાન પાલિકાની દબાણ શાખાની ટીમે 200 જેટલા તોડી પાડ્યા હતા. 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો જ્યારે બીજી બાજુ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારની શાક માર્કેટ સહિત આસપાસના દુકાનદારો દુકાન આગળ દબાણ કરી શેડ બાંધીને વેપાર ધંધો કરતા તેમજ લારી ગલ્લા પથારાવાળાના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દરમ્યાના 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 71મુ રાષ્ટ્રીય અધિવેશન ઉત્તરાખંડના દેહરાદૂનમાં 28થી 30 નવેમ્બર દરમિયાન યોજાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશનમાં કુલ 5 પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ પ્રકારે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાના છે. ABVP તમામ હોસ્ટેલમાં જઈને ત્યાંની સુવિધા અને વિદ્યાર્થીઓની જરૂરિયાતનું ફેબ્રુઆરી મહિનાથી સર્વેક્ષણ કરવાના છે. તેમજ કોમેન્વલેથ ગેમ્સની યજમાની કરવાની તક અમદાવાદને મળી છે, પરંતુ રાજ્યમાં પૂરતા સ્પોર્ટ્સ કોચ ન હોવાથી તેને લઈને લઈને પણ આંદોલનાત્મક કાર્યક્રમ યોજશે. 71મુ રાષ્ટ્રીય અધિવેશન દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતુંઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 71મુ રાષ્ટ્રીય અધિવેશન 28થી 30 નવેમ્બર 2025 દરમિયાન દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. ત્રણ દિવસીય આ અધિવેશનમાં તમિલનાડુ, જમ્મુ- કારમીર, ગુજરાત તથા ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યો સહિત દેશભરના 1211 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અધિવેશન દરમિયાન સંગઠનના વિકાસ, શૈક્ષણિક નીતિઓ અને સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ પર ઊંડું વિચાર-મંથન કરવામાં આવ્યું તથા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓને એકરૂપ માળખા હેઠળ લાવવા અંગેનો પ્રસ્તાવભગવાન બિરસા મુંડા નગરમાં યોજાયેલા અધિવેશનમાં કુલ 5 પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. પર્યાપ્ત નાણાકીય ફાળવણી સાથે બધા શૈક્ષણિક સંસ્થાઓને એકરૂપ માળખા હેઠળ લાવવા અંગેનો પ્રસ્તાવ', 'બાંગ્લાદેશી ઘુસણખોરી: રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી માટે પડકાર', માનવસર્જિત કુદરતી આપત્તિ નિવારણમાં સમાજની ભૂમિકા', અને 'વિભાજનકારી તાકાતો સામે સંગઠિત સમાજ જ ઉપાય'-આ ચાર પ્રસ્તાવો પ્રતિનિધિઓના સૂચનો અનુસરી સુધારીને પારિત કરવામાં આવ્યા હતા. તેમજ 'સમાજ પરિવર્તનનો વાહક બને યુવા' વિષયક પ્રસ્તાવ 27 ડિસેમ્બરે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકમાં મંજૂર થયો હતો. ABVPનું પ્રદેશનું 57મુ અધિવેશન આણંદમાં યોજાશેABVPના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ આજની સમાજનો ખૂબ મોટો મુદ્દો છે. PG અને બેચલરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે હોસ્ટેલની સ્થિતિ શું છે તેની તપાસ કરવામાં આવશે. મહાનગરમાં હોસ્ટેલમાં કેવા પ્રકારની સુવિધા છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો છે. તેમજ આવનાર વર્ષ માટે કેવા પ્રકારની સુવિધાની જરૂર છે તેના માટે ગુજરાત સહિત દેશભરમાં સર્વેક્ષણ અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓ પરિષદના કાર્યકર્તા હોસ્ટેલ સર્વેક્ષણ લઈને ફેબ્રુઆરી મહિનામાં કામગીરી કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશનું 57મુ અધિવેશન 5, 6, 7, 8 જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાવાનું છે. આ અધિવેશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. એક પ્રસ્તાવ કોમનવેલ્થ ગેમ્સને લઈને પારિત કરવામાં આવશેવધુમાં સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધિવેશનમાં જે ચર્ચા થઈ છે તેને લગતી ચર્ચા તો જશે જ સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા, સમાજની સમસ્યાને લઈને 3 દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. 1200 જેટલા પ્રતિનિધિઓ આ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે જેમાં પણ પ્રસ્તાવ પારિત કરવામાં આવશે. જેમાં એક પ્રસ્તાવ કોમનવેલ્થ ગેમ્સને લઈને પારિત કરવામાં આવશે. કારણ કે હજુ પણ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તેવું નથી. જે જિલ્લામાં છે ત્યાં પૂરતા પ્રમાણમાં કોચ નથી. અમુક યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે, સ્વિમિંગ બનાવ્યા છે પરંતુ પૂરતા કોચ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ તકલીફનો સામનો કરે છે. જેને લઈને વિદ્યાર્થી પરિષદ આંદોલનાત્મક કાર્યક્રમ કરશે. વિદ્યાર્થીઓને અને સમાજને કેવા પ્રકારની જરૂર છે તેને લઈને ચર્ચા કર્યા બાદ વધુ કેટલાક પ્રસ્તાવ પારીત કરવામાં આવશે.
રાજકોટ મહાપાલિકા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત રીતે પાણી પહોંચાડી શકાય તે માટે રૂ. 143 કરોડનાં ખર્ચથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સહિતની કુલ 24 દરખાસ્તો સામેલ છે. આ દરખાસ્તો અંગે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટરાજકોટ મહાનગરપાલિકા સૌરાષ્ટ્રનો સૌથી મોટો 150 MLD (મિલિયન લિટર પ્રતિ દિન) ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના પાછળ અંદાજે રૂ. 143.07 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, તેના પર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. રાજકોટ પશ્ચિમના નવા ભળેલા વિસ્તારો અને ભવિષ્યમાં જોડાનાર સંભવિત વિસ્તારોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ એડવાન્સ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વેસ્ટ ઝોનના લોકોને પૂરતું અને ફિલ્ટર થયેલું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરશે. ન્યારી-1 ડેમ આધારિત આ WTP કણકોટ રોડ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, વોર્ડ નં. 11ના મવડી ટીપીના બે પ્લોટમાં લગભગ 54,558 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. મૂળભૂત રીતે, 150 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 117.24 કરોડનો ખર્ચ થશે. આ કામમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. 9.33 કરોડનો પણ સમાવેશ થાય છે, જેનાથી કુલ ટેન્ડર રકમ રૂ. 136.70 કરોડ થાય છે. આ ઉપરાંત, રૂ. 20.36 કરોડ જીએસટી (GST) અને OM ના રૂ. 9.60 કરોડ સહિત અધિકારીઓએ કુલ રૂ. 143.07 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. આ યોજનામાં WTPના તમામ સ્ટ્રક્ચર યુનિટ્સ, અંદાજિત 65.00 ML ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (GSR), 3 ML ક્ષમતાનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR), પમ્પિંગ સ્ટેશન, તેને લગતા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામો, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઓફિસ બિલ્ડિંગ અને એરિયા ડેવલપિંગના કામોનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ ભાગમાં ન્યારી ડેમથી આવતી 1400 mm (મિલીમીટર) ડાયામીટરની આશરે 5.90 km (કિલોમીટર) લાંબી વોટર પાઇપલાઇન નાખવાનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેક્ટમાં પાંચ વર્ષનો કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ સામેલ છે. કામ માટે ટેન્ડર પ્રક્રિયામાં ચેન્નાઈની ઇકો પ્રોટેક્શન એન્જિનિયરિંગ અને રાજકોટની સ્ટર્લિંગ ઇન્ફ્રા. કંપનીના જોઈન્ટ વેન્ચરે 26.99 ટકા 'ઓન' માંગ્યો હતો, જ્યારે અમદાવાદના ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા. લિ. અને ક્રિષ્ના કન્સલ્ટન્ટના જોઈન્ટ વેન્ચરે 4.66 ટકા 'ઓન' રજૂ કર્યો હતો. આ નીચા ભાવને ટેક્નિકલ ઇવેલ્યુએશન કમિટીએ મંજૂર કર્યો છે. જો આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો, તે રાજકોટના પાણી પુરવઠા માળખામાં એક મોટું સીમાચિહ્નરૂપ પરિવર્તન લાવશે. આ યોજના પાંચ વર્ષ પહેલાં સરકારી મંજૂરી મેળવ્યા બાદ હવે સાકાર થવા જઈ રહી છે. અન્ય મહત્ત્વની દરખાસ્તો પર નિર્ણય લેવાશે આવતીકાલની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 24 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે, જેમાં ઉપરોક્ત વિશાળ WTP યોજના ઉપરાંત અન્ય બે મુખ્ય બાબતો અને કર્મચારીઓના પગાર ધોરણને લગતા નિર્ણયો પણ સામેલ છે. એક મહત્ત્વની દરખાસ્ત મનપાના વિવિધ કાર્યક્રમો માટેના 'તત્કાલ' ખર્ચની મંજૂરીને લગતી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓ મારફત જ કામગીરી કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભમાં, રેટ કોન્ટ્રાક્ટ કરેલા કે ન કરેલા, મંડપ, લાઇટ, સાઉન્ડ, એલઇડી, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ડ્રોન, બેનર, પ્રિન્ટિંગ, પ્રચાર-પ્રસાર, જાહેરાત, અલ્પાહાર, ભોજન અને વાહનની વ્યવસ્થા જેવા તમામ કાર્યો માટે હવે સરકારી એજન્સીઓને એમ્પેનલ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ નિર્ણયથી નાના અને ઇમરજન્સી ખર્ચ માટે વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો મોકલવા જરૂરિયાત દૂર થશે અને કમિશનર કક્ષાએ ઝડપી મંજૂરી મળી શકશે, જેનાથી કાર્યક્રમોનું સંચાલન સરળ બનશે. હોર્ડિંગ અને જાહેરાત કોન્ટ્રાક્ટને લગતી અન્ય એક મહત્ત્વની દરખાસ્તમાં એસ્ટેટ વિભાગે એજન્સીઓની માંગણીને ધ્યાનમાં રાખીને કુલ 35 હોર્ડિંગ સાઇટના કોન્ટ્રાક્ટની મુદત ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષની કરવા ભલામણ કરી છે. આ નિર્ણય હેઠળ 2030 સુધી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જેમાં દર વર્ષે 6 ટકાનો ભાવ વધારો લાગુ થશે. આ પગલું કોર્પોરેશનની આવકમાં વધારો કરશે તેવો દાવો દરખાસ્તમાં કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી વર્ષમાં આટલો લાંબો કોન્ટ્રાક્ટ આપવા અંગે આવતીકાલે સમિતિ નિર્ણય લેશે. આ 35 સાઇટમાં નવા ભળેલા વિસ્તારો ઉપરાંત ડો. યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, રેસકોર્સ રીંગ રોડના વિવિધ ભાગો, કાલાવડ રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ સહિતના મુખ્ય માર્ગો પરના હોર્ડિંગ બોર્ડ, કિયોસ્ક બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના હક્કોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં કુલ 9 એજન્સીઓએ રસ દાખવ્યો હતો, જેમાં 3 એજન્સીઓ ડિસ્કવોલિફાય થઈ હતી, અને નીચા ભાવ રજૂ કરનાર એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લેવાઈ શકે છે. અન્ય દરખાસ્તોમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કુલ 9 સંવર્ગોના પગાર ધોરણમાં સુધારો કરવાનું સામેલ છે. આ સુધારાનો લાભ ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) અને સફાઈ સુપરવાઈઝર સહિત 9 કેડરના લગભગ 75 કર્મચારીઓ અને અધિકારીઓને મળશે. પગાર સુધારા બાબતનો હુકમ થયાની તારીખથી આ કર્મચારીઓને સુધારેલું પગારધોરણ મળવાપાત્ર થશે, જેનાથી કોર્પોરેશનના પગાર ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 દરખાસ્તોના એજન્ડામાં સબ ઓડિટરોની ખાલી જગ્યા પર બઢતી, અલગ અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામ, ફર્નિચરની ખરીદી, સ્ટોર્મ અને ડ્રેનેજ લાઇન નાખવાના કામો, ગત બેઠકની પેન્ડિંગ હાઈસ્કૂલનું બિલ્ડિંગ સંસ્થાને સોંપવા અંગેની દરખાસ્ત અને નાકરાવાડી સાઈટ પાછળ કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતનાં કામોનો પણ સમાવેશ થાય છે.
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાતનાં કપડાં-વાસણોનું વિતરણ કર્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ સમિતિએ આ માનવસેવાનું કાર્ય હાથ ધર્યું હતું. કુલ 4000 ધાબળા, મોટી માત્રામાં જૂના કપડાં તથા વાસણો જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હતા. સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કર્યા બાદ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજે છે. આ વર્ષે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડેડીયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળા અપાયા હતા. ભરૂચવાસીઓ પાસેથી મોટી માત્રામાં જૂના કપડાં અને વાસણો એકત્ર કરીને સંસ્થાએ આ અંતરિયાળ વિસ્તારોમાં વહેંચ્યા હતા. આ વિતરણથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને સીધી મદદ મળી હતી. આ સમગ્ર સેવાકાર્યમાં સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હેમંત પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિની ભટ્ટ, એકતા પટેલ અને હેતલ પરીખ સહિતના સભ્યો જોડાયા હતા.
અમદાવાદના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ IT ની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલે મંગળવારે આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે. હજી પણ આ સર્ચનો દાયરો વધી શકે છે. ગઈકાલે મંગળવારે પાડેલા દરોડામાં તુલીપના એક બંગલામાંથી 21 લાખથી વધુની રોકડ રકમ તથા સોના - ચાંદીના દર દાગીના મળી આવ્યા છે. તેની કિંમત આંકવા આજે વેલ્યુઅરને બોલાવીને જાણવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે IT ની ટીમો દ્વારા તપાસગઈકાલે મંગળવારે આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે.આજે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી છે. આજે ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે IT ની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. જોકે આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. 35 સ્થળો પર ITની ટીમનું સર્ચ ઓપરેશનસુત્રોના જણાવ્યા મુજબ વિનોદ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેમના નિવાસસ્થાન સહિત કુલ 35 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાની કામગીરીમાં આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ - કર્મચારીઓની ટીમ જોડાઈ છે. IT ની ટીમે તપાસનો દાયરો વધાર્યો છે અને હજી પણ આ સર્ચનો દાયરો વધી શકે છે. ગઈકાલે વિનોદ મિત્તલને ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો મળ્યાગઈકાલ મંગળવારના સર્ચ દરમિયાન IT ની ટીમને વિનોદ મિત્તલના ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો પણ મળ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. IT ની ટીમ દ્વારા બેંક ખાતા સહિત તમામ દાગીના સહિતની બાબતોની તપાસ ચાલુ છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલે રોબોટિક્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. કેન્દ્રીય વિદ્યાલય ટોકરખાડા, સેલવાસ ખાતે ધોરણ-6માં અભ્યાસ કરતી પૂર્વીએ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપ જીતીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી મેળવી હતી. પૂર્વીએ રોબોટિક્સ એન્ડ કોડિંગ અભિયાન અંતર્ગત તાલીમ લીધી હતી. ત્યારબાદ, પૂણે, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સ્થાન મેળવ્યું. યુરોપના એસ્ટોનિયા દેશના તાલીન શહેરમાં યોજાયેલી રોબોટેક્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં તેણીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં, પૂર્વીની ટીમે ફોલ્ક રેસ ચેલેન્જમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવીને દેશ અને સમાજનું ગૌરવ વધાર્યું છે. પૂર્વીના માતા-પિતા સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલા છે. તેમના દાદા સ્વ. અશોકભાઈ પટેલ પણ જલારામ બાપાના સેવાભાવી ભક્ત હતા અને સમાજની ઉન્નતિમાં તેમનો ફાળો રહ્યો છે. પૂર્વીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) સીઝન 2નો પ્રારંભ થયો. જેમાં હૈદરાબાદના ગચીબોલીના GMC બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે મેગાસ્ટાર અને ISRLના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનની હાજરીમાં બીજો રાઉન્ડ શરૂ થયો હતો. તેલંગાણા સરકારના માનનીય મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા આ કાર્યક્રમને સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. મૂળ વડોદરાની ટીમ ગુજરાત ટ્રેલબ્લેઝર્સે રાઉન્ડ 2માં વિજય મેળવ્યો છે. બીબી રેસિંગ (ફ્રાન્સ)ના એન્થોની બોર્ડન હોન્ડા CRF 450 R પર સવાર થઈને 450cc ઇન્ટરનેશનલ ક્લાસ જીતવા માટે આગળ વધ્યા હતા, જ્યારે કેલ્વિન ફોનવિલેએ (ફ્રાન્સ) યામાહા YZ 250 પર 250cc ઇન્ટરનેશનલ ક્લાસમાં વિજય મેળવ્યો. 250cc ઇન્ડિયા-એશિયા મિક્સ કેટેગરીના ભારે સ્પર્ધાત્મક રાઉન્ડમાં ટીમ બિગરોક મોટરસ્પોર્ટસના (ઇન્ડોનેશિયા) નાકામી મકારિમે કાવાસાકી KX 250 પર શોર કરતા ચાહકોની સામે જ ચેકર્ડ ફ્લેગ પોતાને નામે કર્યો હતો. 18,000થી વધુ ચાહકોની હાજરી સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું, જેનાથી સ્પીડ, કૌશલ્ય અને વૈશ્વિક રેસિંગ શ્રેષ્ઠતાનો અવિસ્મરણીય નજારો જોવ મળ્યો હતો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે: “તેલંગાણા હંમેશાથી વિશ્વ કક્ષાના સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકોના માધ્યમથી યુવાનોને સશક્ત બનાવવામાં માનતું આવ્યું છે. ISRL જેવી આંતરરાષ્ટ્રીય-સ્તરની મોટરસ્પોર્ટ લીગનું સ્વાગત રમતગમતમાં નવીનતા, રોજગાર સર્જન, પ્રવાસનમાં વૃદ્ધિ અને હૈદરાબાદને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારની ઈવેન્ટ્સ આપણા યુવાનોમાં શિસ્ત, પ્રતિરોધકતા અને ગર્વને પ્રેરણા આપે છે. ISRLના બ્રાન્ડ એમ્બેસેડર, મેગાસ્ટાર સલમાન ખાને જણાવ્યું હતું કે, હૈદરાબાદની ઉર્જા અવિશ્વસનીય હતી. ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સને ભારતીય ભૂમિ પર એકસાથે તેમની મર્યાદાઓને આગળ વધારતા જોવા ખરેખર રોમાંચક હતું. ISRL આપણા દેશના યુવાનો માટે કંઈક અર્થપૂર્ણ સર્જન કરી રહ્યું છે, જ્યાં વિશ્વ કક્ષાના સલામતી ધોરણો વચ્ચે પ્રતિભાનો તક સાથે સંગમ થાય છે. આ યાત્રાને પ્રત્યક્ષ રીતે જોવી એ આનંદની વાત છે. ISRL અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે, આજની રાત ISRL અને દરેક મહત્વાકાંક્ષી ભારતીય રાઇડર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ચિયર કરતા ચાહકો દર્શાવે છે કે મોટરસ્પોર્ટ ભારતીય યુવાનો સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. પ્રતિભાને પોષતી અને વૈશ્વિક માર્ગો પ્રશસ્ત કરતી વિશ્વ-સ્તરીય મોટરસ્પોર્ટ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના અમારા વિઝનને ટેકો આપવા બદલ અમે તેલંગાણા સરકારના આભારી છીએ. આ રમત માટે પરિવારો, સમુદાયો અને યુવાનોની એકતા ખરા અર્થમાં શક્તિશાળી છે. પુણેમાં જબરદસ્ત આરંભિક રાઉન્ડથી મળેલી ગતિને આગળ ધપાવતાં, હૈદરાબાદે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએસએ, જર્મની, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના ટોચના ખેલાડીઓ સાથે ખરા અર્થમાં વૈશ્વિક રાઇડર્સ રોસ્ટરનું પ્રદર્શન કર્યું, સાથે જ તેઓ ઋગવેદ બરગુજે અને ઇક્ષાન શાનબાગ સહિત ભારતના શ્રેષ્ઠ રાઇડર્સ સાથે પણ સ્પર્ધામાં ઉતર્યા. આ સીઝનમાં 21 દેશોના 36થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લીટ રેસિંગમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ISRLએ ભારતને સ્પર્ધાત્મક સુપરક્રોસ માટે એક નવા વૈશ્વિક હબ તરીકે મજબૂત રીતે સ્થાન અપાવ્યું છે.
અમરેલીના જાફરાબાદના શિયાળબેટ ગામના લોકોએ પીપાવાવ પોર્ટ દ્વારા થઈ રહેલા ડ્રેજિંગ કાર્ય સામે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર સુપરત કરી ડ્રેજિંગનું કામ અટકાવવાની માગ કરી છે. આ તકે હીરા સોલંકીએ કહ્યું કે, ઉદ્યોગના ભોગે ગામ આખુ બરબાદ થઈ જાય એવુ નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહેવો જોઈએ અને સાથે ગામ પણ રહેવું જોઈએ. ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ. પીપાવાવ પોર્ટ નજીક એક ખાનગી કંપની દ્વારા LPG ગેસ જેટી માટે ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ ડ્રેજિંગને કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા છે, જેનાથી તેમની પેઢી દર પેઢીની રોજગારી પર સંકટ આવ્યું છે. ગ્રામજનોના મતે, ઊંડાણ પૂર્વક કરવામાં આવતા ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવી રહ્યા છે, જે ટાપુ પર આવેલા શિયાળબેટ ગામ માટે જોખમ ઊભું કરી શકે છે. તેમણે દરિયાઈ નિષ્ણાત ટીમો સાથે ડ્રેજિંગની કામગીરી કરવાની માગ કરી છે, જેથી માછીમારોની રોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, જાફરાબાદ તાલુકામાં શિયાળબેટ ટાપુ છે, અહીંયા પીપાવાવ પોર્ટમાં જેટીનું કામ શરૂ થયુ છે. અહિં અનેક માછીમારો રહે છે. ત્યારે આ બોટ આવવાના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ડ્રેજિંગના કારણે શિયાળબેટનું અસ્તિવત જ મટી જશે. બોયા અને જાળમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં વળતર આપવામાં આવતું નથી. સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે. આજે મેં પણ આવેદન પત્ર આપ્યુ છે. જો અમારી માંગણીનું સંતોષકારણ નિવારણ નહીં આવે, ઉદ્યોગ સાથે અમને કોઈ વિરોધ નથી, પણ ઉદ્યોગની સાથે ગ્રામજનોને પણ રોજીરોટી મળવી જોઈએ. વધુમાં જણાવ્યું કે, ઉદ્યોગના ભોગે ગામ આખુ બરબાદ થઈ જાય એવુ નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહેવો જોઈએ અને સાથે ગામ પણ રહેવું જોઈએ. ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ. આ ગામના લોકોને આવવા જવામાં જો તકલીફ પડતી હોય તેમ છતાં આવડી મોટી કંપની જો બોટની પણ સુવિધા ન આપતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ છે. શિયાળબેટના સરપંચ મંજુબેન બાળધીયાએ જણાવ્યું હતું કે, પીપાવાવ પોર્ટની નવી જેટીના નિર્માણ માટે થતા ડ્રેજિંગથી શિયાળબેટને મોટું નુકસાન થઈ રહ્યું છે. નાના પાયાના માછીમારોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે અને તેમના બોયા પણ તોડી નાખવામાં આવ્યા છે. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે, પીપાવાવ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિક લોકોને 50 ટકા રોજગારી આપવામાં આવતી નથી. આજે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી, શિયાળબેટના સરપંચ અને ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમક્ષ ડ્રેજિંગની કામગીરીને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પીપાવાવ પોર્ટમાં ચાલી રહેલા ડ્રેજિંગ કાર્યને કારણે વિવાદ સર્જાયો છે.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં એક વિશાળ મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલ લગભગ 3 કિલોમીટર લાંબુ હશે અને તે તૈયાર થયા પછી અમદાવાદ રેલવે સ્ટેશન પર પડતો ટ્રાફિકનો ભાર ઘણો ઓછો થશે. આ નવા ટર્મિનલથી હવે અમદાવાદ વિસ્તારમાંથી રોજ કરતા ઘણી વધારે ટ્રેનો ચલાવી શકાશે. હાલ જ્યાં મર્યાદિત ટ્રેનોનું સંચાલન થાય છે, ત્યાં ભવિષ્યમાં 150થી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. રોજ 51 ટ્રેનોની સરળતાથી હેન્ડલિંગ શક્ય બનશેઆ ટર્મિનલમાં ટ્રેનોની જાળવણી માટે આધુનિક સુવિધાઓ બનાવવામાં આવશે. અહીં 12 પિટ લાઇનો, 29 સ્ટેબલિંગ લાઇનો, વોશિંગ લાઇનો અને ખરાબ કોચો સુધારવા માટે ખાસ લાઇનો હશે. સાથે જ, નવા 6 પ્લેટફોર્મ પણ તૈયાર થશે. વટવા ટર્મિનલ શરૂ થયા બાદ રોજ 51 ટ્રેનોની સરળતાથી હેન્ડલિંગ શક્ય બનશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ મંડળની કુલ ક્ષમતામાં લગભગ 85 ટકા વધારો થશે. એક્સપ્રેસ, મેમુ, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોની સુવિધા મળશેઆ સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીનગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ અપગ્રેડેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેના કારણે અલગ-અલગ સ્ટેશનો પરથી વધુ ટ્રેનો ચલાવી શકાશે. આ સમગ્ર વિકાસ પછી મુસાફરોને સૌથી મોટો ફાયદો થશે. હાલ જે મુસાફરોની ક્ષમતા છે તે વધીને લગભગ અઢી ગણો વધારો થશે. મુસાફરોને એક્સપ્રેસ, મેમુ, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોની સુવિધા મળશે. આ પ્રોજેક્ટથી ટ્રેનો વધુ સમયસર ચાલશે, ભીડ ઘટશે અને મુસાફરી વધુ સરળ થશે. આ રીતે, વટવામાં બનતું મેગા ટર્મિનલ અમદાવાદને રેલવે ક્ષેત્રે એક નવી ઊંચાઈ સુધી લઈ જશે.
સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ કાર્યરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે પોશીના તાલુકાના લાખિયા ગામેથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગાંજાનું વાવેતર શોધવા માટે ડ્રોનથી સર્વેલન્સ કર્યુ હતું. ઘર આગળ ગાંજાની ખેતીSOG ટીમે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતા હાંમથા ડાભી (ઉં.વ. 38) નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે તેના રહેણાંક મકાનની આગળની જમીનમાંથી 226.237 કિલોગ્રામ વજનના કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. 1,13,11,850 (₹1.13 કરોડ) જેટલી થાય છે.આ પણ વાંચો, બોટાદના રાણપુરમાં SMCએ ગાંજાનું વાવેતર ઝડપ્યું SOGને બાતમી મળીજિલ્લામાં ડ્રગ્સના વેચાણ અને સેવન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે SOG PI ડી.સી. પરમાર અને PSI પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ SOG ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જયદીપકુમાર, પંકજકુમાર અને નિલેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે હાંમથાભાઈ ડાભી પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરે છે. ડ્રોન દ્વારા ખરાઈબાતમીની ખરાઈ કરવા માટે SOG ટીમે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેથી સ્થળની ચોક્કસ માહિતી મળી શકે. ચોક્કસ બાતમી મળ્યા બાદ, સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહીSOG ટીમે આરોપી હાંમથાભાઈ ડાભીના કબજા ભોગવટાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બોટાદમાં કપાસના ખેતરમાંથી ₹1 કરોડના 93 લીલા છોડ જપ્ત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છૂપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. રાતના અંધારામાં SMCના આ દરોડામાં, આશરે ₹99.50 લાખ એટલે કે એક કરોડની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ ખેતરના માલિક અજીતસિંહ જીવાભાઈ બારડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 આરોપી ફરાર છે.આ પણ વાંચો, સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર સુરેન્દ્રનગર SOGએ સાયલામાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું હતુંગત મહિને 25 નવેમ્બરે સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. SOGની ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા હતા. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. SOGની ટીમે સતત 19 કલાક સુધી કામગીરી કરીસુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. SOGની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવામાં આવી હતી. જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય તેવા જવાનોની મદદથી ગાંજાના તમામ છોડને ખેતરમાંથી ઉખેડી જપ્ત કરાયા હતા.
ઉધના વિસ્તારમાં BRTS બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર એક યુવકની અટકાયત કરી પોલીસે તલાશી લેતા ગંભીર માદક પદાર્થની હેરફેરનો પર્દાફાશ થયો છે. પોલીસે યુવકના ખિસ્સામાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ચરસના બે પેકેટ કબજે કરીને તેની ધરપકડ કરી છે. શાંતિ ભંગ કરવા બદલ પોલીસ યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈઉધના પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, લિંબાયત લાલ બિલ્ડીંગ પાસે પ્રતાપનગરમાં રહેતા અને BRTS બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય નઈમુદ્દીન અમીનુદીન શેખ દક્ષિણામુખી હનુમાન મંદિર નજીક BRTS રૂટ પર બસ ચલાવી રહ્યા હતા. તે જ સમયે, બાઈક પર પાછળ આવી રહેલા 23 વર્ષીય યુવક ઈશ્વર રામદાસ બેડસે (રહે. કાશીનગર આવાસ, ઉધના) એ બસ ડ્રાઈવર સાથે રસ્તા પર જ તકરાર શરૂ કરી હતી. ઝઘડો વધતા ડ્રાઈવર નઈમુદ્દીને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ઉધના પોલીસે શાંતિ ભંગ કરવા બદલ યુવક ઈશ્વર બેડસેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તલાશી લેતા યુવકના ખિસ્સામાંથી શંકાસ્પદ વસ્તુ મળીપોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ યુવક ઈશ્વર બેડસેની પૂછપરછ શરૂ કરી અને તેની નિયમ મુજબ અંગત તલાશી લેવામાં આવી. તલાશી દરમિયાન, ઈશ્વરના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. યુવક આ શંકાસ્પદ વસ્તુ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો. પોલીસે આ પદાર્થની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તેને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો હતો. FSLના પૃથક્કરણમાં આ પદાર્થ પ્રતિબંધિત માદક દ્રવ્ય ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈડ્રાઈવર સાથે ઝઘડો કરનાર યુવક પાસેથી ચરસ મળી આવતા ઉધના પોલીસે ઈશ્વર બેડસે વિરુદ્ધ NDPSની સંબંધિત કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવક પાસેથી જે ચરસ મળી આવ્યું છે જેની બજાર કિંમત 4459 રૂપિયા છે. મામૂલી ટ્રાફિક વિવાદમાંથી ડ્રગ્સની હેરફેરનો કેસ બહાર આવતા પોલીસે હવે ઈશ્વર બેડસે આ ચરસ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મોબાઈલ ફોન કોલ્સ અને અન્ય સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસે ટ્રાફિકથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા અને નાગરિકોના આડેધડ થતા પાર્કિંગ અંગે જાગૃતતા લાવવા અપીલ કરી હતી. આ દરમ્યાન શહેર ટ્રાફિક એસીપી અને પોલીસ કમિશનર પણ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન વિસ્તારમાં માઇક દ્વારા અનાઉન્સમેન્ટશહેરના રેલ્વે સ્ટેશન ખાતે દૈનિક ટ્રાફિકજામની સમસ્યા જોવા મળતી હોય છે. અહીં રીક્ષા ચાલકો અને ટેક્સી પાસિંગ વાહનો આડેધર પાર્ક થતા અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રેલવે સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરો ખૂબ હેરાન થઈ રહ્યા હોય છે. જેના પગલે શહેર ટ્રાફિક પોલીસે આજે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેર પાસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.. એક્ઝિટ ગેટની વચ્ચોવચ કોઈએ વાહન ઊભું ન રાખવા અપીલટ્રાફિક પોલીસના જવાનો લાઉડ સ્પીકર દ્વારા રીક્ષા ચાલકો તથા ટેક્સી પાસિંગના કાર ચાલકોને પોતાના વાહન સાઈડમાં ઉભા રાખવાની સૂચના આપી હતી અને એક્ઝિટ ગેટની વચ્ચોવચ કોઈએ વાહન ઊભું ન રાખે તેવી અપીલ કરાઈ હતી. જેના પગલે રિક્ષા ચાલકો સુવ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. જેને કારણે રેલવે સ્ટેશન બહાર માર્ગ ખુલ્લો થતાં ટ્રાફિકની અવરજવર સામાન્ય થઈ શકી હતી. ટ્રાફિક સમસ્યા દૂર કરવા ટ્રફિક પોલીસનું અભિયાનટ્રાફિક પોલીસ અવર નવાર આ પ્રકારે કાર્યક્રમ કરે છે. પરંતુ આ વિસ્તારમાં રેલવે સ્ટેશનને બસ સ્ટેશન હોવાથી મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પેસેન્જર રિક્ષામાં બેસવા સીધું સ્ટેન્ડ પર જતું નથી અને બીજી તરફ રીક્ષા ચાલકો પણ પેસેન્જર લેવા માટે આગળ આવી જાય છે. દરિમયાન ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેથી આ અંગે રિક્ષા ચાલકો અને મુસાફરો જાગૃત થાય અને ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ ન બને તેવો પ્રયાસ આજે કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે એક સફેદ રંગની હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી મોટી માત્રામાં બીયર જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત કુલ 5,04,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે ચાલક ફરાર થઈ ગયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ વાઘોડિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને બાતમીદાર તરફથી માહિતી મળી કે અજવા-નિમેટા રોડ પર એક સફેદ રંગની વેન્યુ ફોરવ્હીલ કાર (રજી. નં. GJ-06-PE-7524)માં દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ તરત જ બે પંચોને બોલાવીને તેમને અને સ્ટાફને વાકેફ કર્યા હતા. ત્યારબાદ અજવા ચોકડી પહેલા વોચ ગોઠવીને બેઠા હતા. પોલીસને બાતમી અનુસારની કાર આવતી જોવા મળી હતી. કાર જોતા જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કારને યુ-ટર્ન લઈને સયાજીપુરા ગામ તરફ ભાગી ગયો હતો. પોલીસ ટીમ અને સ્ટાફે તરત જ તેનો પીછો કર્યો હતો અને આગળ જઈને જોતા ફ્રુટ માર્કેટમાં ગોપાલ ફરસાણની ફ્રેન્ચાઈઝી સામે કાર પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી. કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કારનો આગળનો કાચ તૂટેલો હતો અને લોખંડના પાતળા સળિયાની મદદથી દરવાજાનું લોક ખોલવામાં આવ્યું હતું. પંચોની હાજરીમાં કારની તલાશી લેતા પાછળના ભાગમાં સ્પેર વ્હીલમાંથી ભારતીય બનાવટના બીયરના ટીન મળી આવ્યા. આ ટીનોની કુલ કિંમત 4,500 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કાર અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. કપુરાઇ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા મહાનગરપાલિકાની મહત્વાકાંક્ષી એફોર્ડેબલ હાઉસિંગ યોજના અંતર્ગત EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માટેના 2700થી વધુ મકાનોનો ડ્રો આજે સવારે યોજાવાનો હતો, જેને લઈ લાભાર્થીઓ ડ્રો સ્થળે પહોંચ્યા હતા. જો કે આજના બદલે આવતીકાલે આ ડ્રો યોજવાનો ફેરફાર થયો હોવાની વિગતો અધિકારી દ્વારા લાભાર્થીઓને મેસેજ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પહેલાં ડ્રો યોજાશેનો મેસેજ મળ્યો અને પછી મોકૂફ રખાયાનો મેસેજઆજે સવારે 10 વાગ્યે સયાજીનગર ગૃહ ખાતે ડ્રો યોજાશે તેવો મેસેજ મળ્યા બાદ કેટલાક લાભાર્થીઓ ઘરેથી નીકળી પડ્યા હતા. જોકે, બપોર પછી આવેલા મેસેજમાં ડ્રો 11મી તારીખે મોકૂફ રખાયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. જો કે તે પહેલા આજે સયાજીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચી ગયા હતા. ડ્રો રદ થયાનું જાણવા મળતાં લાભાર્થીઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. 'અમને મેસેજ મળ્યો ન હતો'આ અંગે વાસણા રોડથી આવેલા લાભાર્થી મહિલાએ જણાવ્યું હતું કે, અમે આવાસ યોજના માટે ફોર્મ ભર્યું હતું. અમને મેસેજ મળ્યો ન હતો. આજે આ ડ્રો કેન્સલ ગયો છે અને આવતી કાલે આજવા ખાતે છે ત્યાં કઈ રીતે જઈશું. 'અમે આજે રજા પાળીને અહીંયા આવ્યા છીએ'આ અંગે લાભાર્થી મનીષા રાજપૂતે જણાવ્યું કે, મારા મોબાઈલમાં મેસેજ નથી આવ્યો અન્યના મોબાઈલમાં મેસેજ આવ્યો હશે. અમે એક વર્ષથી પૈસા ભર્યા છે તો આજે ડ્રો અંગે મેસેજ કરવો જોઈએને અમે આજે રજા પાળીને અહીંયા આવ્યા છીએ. અમારો નંબર આપેલ છે તો અમારા મોબાઈલમાં મેસેજ આવવો જોઈએ ને અહીંયા કોઈ આવ્યું નથી. અમે મજૂરી કરી ફોર્મ 100 રૂપિયા દર વખતે ભરીએ છીએ પરંતુ લાભ આપવામાં આવતો નથી. તો અમારા આ મજૂરીના પૈસા કેમ પાછા નથી આપતા. 'અમે 3000 હજારથી વધુ લાભાર્થીઓને બે વાર મેસેજ કર્યા'આ સમગ્ર મામલે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર વસંત સિંગલે ટેલિફોનીક જણાવ્યું કે, અનિવાર્ય સંજોગોને કારણે આજનો ડ્રો આવતીકાલે (11મી ડિસેમ્બર) યોજાશે. અમે પ્રથમ મેસેજ 10મી તારીખનો મોકલ્યો હતો, પરંતુ પછી બે વખત 11મી તારીખ અને નવા સ્થળની જાણકારી સાથે મેસેજ મોકલવામાં આવ્યા હતા. અમે 3000 હજારથી વધુ લાભાર્થીઓને બે વાર મેસેજ કર્યા છે.
શાસ્ત્રીનગરમાં આવેલી જ્વેલર્સ શોપના માલિકે સોનાના હોલસેલના વેપારી પાસેથી 6.10 કરોડ રૂપિયાનું સોનું લીધું હતું. એક્ઝિબિશનમાં દાગીના લઈ જવાના છે કહીં ત્રણ જણાએ કરોડોના દાગીના મેળવ્યા હતા. સામે ચેક આપ્યો હતો જે વેપારીએ ભરતા રિટર્ન થયો હતો. આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ઓળખીતાની શાસ્ત્રીનગરમાં જ્વેલર્સની શોપ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રહેતા ઋષભ શાહ સીજીરોડ પર આવેલા સુપર મોલમાં ઋષભ જ્વેલર્સના નામથી દાગીના બનાવવાનું કામ કરે છે. ઋષભના હાથ નીચે 50 કારીગરો કામ કરે છે. જ્વેલર્સનો શો-રૂમ ધરાવતા વેપારીઓ દાગીનાની ડીઝાઈન ઋષભને બતાવીને બાદમાં ઓર્ડર આપતા હોય છે. ઋષભના ઓળખીતા હરનેશ શાહ શાસ્ત્રીનગર ખાતે રત્નાકર જ્વેલર્સ નામનથી શો-રૂમ ધરાવતા હતા. હરનેશ સાથે તેનો દીકરો હર્ષ શાહ પણ શો-રૂમ પર બેસતો હતો. આરોપીએ સમયસર પેમેન્ટ ચુકવીને વિશ્વાસ કેળવ્યોવર્ષ 2017માં હરનેશે ઋષભની મદદ માંગી હતી અને જરૂરીયાત મુજબ દાગીના આપવાની વાત કરી હતી. પરિચીત હોવાથી ઋષભે હરનેશ સાથે ધંધાકીયા વ્યવ્હાર શરૂ કર્યો હતો. હરનેશ અને તેનો પુત્ર અવારનવાર ઋષભના શો-રૂમ પરથી સોનાના દાગીના જાંગડ ઉપર લઈને જતા હતા. હરનેશને પસંદ આવે તે રીતે દાગીના રાખતા હતા અને બીજા દાગીના પરત કરી દેતા હતા. આ સિવાય દાગીના વેચાય તેનું પેમેન્ટ પણ હરનેશ ઋષભને સમયસર કરી દેતો હતો. ધંધામાં હરનેશ સમયસર પેમેન્ટ ઋષભને આપી દેતો હોવાથી એક વિશ્વાસ ઉભો થયો હતો. એક્ઝિબિશન રાખવાના નામે 6 કિલો દાગીના લીધાહરનેશ અને તેના ઓળખીતા નિકેશ શાહે તારીખ 10 જૂન 2023ના રોજ 1.33 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીના ઋષભ પાસેથી ખરીદી કર્યા હતા જેમાં તેમણે ટુકડે ટુકડે પેમેન્ટ કરી દીધું હતું. એપ્રિલ 2025માં હરનેશ, હર્ષ અને નિકેશ સીજીરોડ પર ઋષભને તેના શો-રૂમ પર મળવા માટે આવ્યા હતા. ત્રણેયે જણાએ ઋષભને જણાવ્યુ હતું કે અમારે ગાંધીનગર, ધોળકા અને બીજી બે ત્રણ જગ્યાએ સોનાના દાગીનાનું એક્ઝિબિશન રાખવાનું છે જેથી 6 કિલો જેટલા દાગીના જરૂર છે. ઋષભે સિક્યોરીટી પેટે ચેક માંગ્યો હતો જેથી હરનેશે અને નિકેશે કોરો ચેક આપ્યો હતો. ત્રણેય પર વિશ્વાસ હોવાથી ઋષભે 6 કિલો સોનાના દાગીના તેમને આપી દીધા હતા. દાગીના પરત ન કરી પેમેન્ટ પણ ન ચુકવતા અંતે ફરિયાદ નોંધાઈદાગીના આપી દીધા બાદ હરનેશે જણાવ્યુ હતું કે, એક મહિના પછી તમે ચેક બેંકમાં ભરાવી દેજો. ઋષભે 6.10 કરોડના દાગીના એપ્રૂવલ વાઉચર બનાવીને આપી દીધા હતા. હરનેશે બાહેધરી પણ લીધી હતી કે એક્ઝિબિશનમાં જે દાગીનાનો ઓર્ડર ફાઈનલ થાય તે રાખીને બાકીના દાગીના પરત આપી દઈશું. ઋષભ હરનેશની વાત માની લીધી હતી અને તેઓ દાગીના લઈને જતા રહ્યા હતા. સમય જતા હરનેશ અને નિકેશે દાગીના પરત નહીં આપતા ઋષભે માંગણી શરૂ કરી હતી. ઋષભની માંગણી બાદ નિકેશે જણાવ્યુ હતું કે, એક્ઝિબિશન પતાવીને દાગીના પરત આપીશું. ઋષભ ત્રણેય પર ગિન્નાયો હતો અને કહેવા લાગ્યો હતો કે, દાગીના પરત આપી દો નહીંતો રૂપિયા આપી દો. નિકેશ સહિતના લોકોએ કોઈ જવાબ નહીં આપતા અંતે ચેક બેંકમાં જમા કરાવી દીધો હતો. 6.10 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થતા અંતે ઋષભે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બોટાદ પોલીસે કુખ્યાત સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ કરી છે. વેપારી પાસેથી ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.બોટાદમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપરા પાસેથી સિરાજે ખંડણીની માંગણી કરી હતી. શંકરભાઈએ સિરાજને 9.19 લાખ રૂપિયા અને એક બેરેજા કાર આપી હતી. તેમ છતાં, સિરાજે દર મહિને 1 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે શંકરભાઈએ ગત ૧ ડિસેમ્બરે બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક સિરાજ ઉર્ફે સિરો હુસેન ખલીયાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કર્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઈ ખરાડી સહિત પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો હતો. સિરાજ ઉર્ફે સિરો વિરુદ્ધ ભૂતકાળમાં ગુજસીટોક, ધાકધમકી, ખંડણી, શરીર સંબંધી ગુનાઓ, જુગાર અને પ્રોહિબિશન સહિત કુલ 39 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2023માં તેની સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો, જેમાં તે જામીન પર છૂટ્યા બાદ અન્ય ગુનાઓ આચરી રહ્યો હતો. બોટાદ પોલીસ દ્વારા સિરાજના જામીન રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.આ અંગેની માહિતી બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે આપી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા બ્રિજ પાસે આજે એક ઈકો કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન આશરે 10 થી 15 ફૂટ નીચે ખાળિયામાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈકો કારમાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમયસરની મદદથી મોટી જાનહાનિ ટળી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે પટેલવાવ વિસ્તારમાં આજે શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પરબતભાઈ હમીરભાઈ વાળાના આશરે 6 વીઘા શેરડીનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ખેતરમાં આવેલા PGVCL ના વીજ થાંભલાના જમ્પરમાં શોર્ટ સર્કિટ થતાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ફેલાઈ હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતને આશરે સાત લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. લોઢવા ગામના સરપંચ હીરાભાઈ વાઢેરે PGVCL પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વીજલાઇન અને સાધનોની યોગ્ય જાળવણી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સરપંચ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) એ 8થી 12 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપોસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 10મી સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં ઓપ્ટિક્સ અને ફોટોનિક્સમાં જે પ્રકારે બદલાવ થઈ રહ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓ વાફેક થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કોપોસિસ 2025માં 500થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યા છે, જેમાંથી 14 વિદેશી ઇન્સ્ટિટયૂટમાંથી 20 જેટલા સાયન્ટિસ્ટ આવ્યા છે અને બાકીના ઇન્ડિયન સાયન્ટિસ આવ્યા છે જે આ તમામ વિષયો પર ચર્ચા કરશે અને તેમાં કેવા પ્રકારના બદલાવ આવી રહ્યા છે તેને લઈને ચર્ચા કરશે. સ્વદેશી ક્વોન્ટમ પ્રોડક્ટ ડેવલપમેન્ટ જોનાકી અને સમય ( ટાઇમ ટુ ડિજિટલ કન્વર્ટર ) પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સ્વદેશી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી પ્રોડક્ટનું લોન્ચિંગઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદ અને વર્કશોપ સ્કોપોસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન PRL સ્ટુડન્ટ ચેપ્ટર ઇન ઓપ્ટિક્સ એન્ડ ફોટોનિક્સ (SCOP) દ્વારા, ઓપ્ટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા (OSI)ના સહયોગથી અને સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITGN)ના સંયુક્ત આયોજનથી કરવામાં આવી રહ્યું છે. જેમાં ISRO ના અધ્યક્ષ, PRL કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના અધ્યક્ષ, એ.એસ. કિરણકુમાર, PRL, IITGN અને SACના ડિરેક્ટરો તેમજ ઓપ્ટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા (OSI)ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. PRL ખાતે વિકસિત સ્વદેશી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી પ્રોડક્ટનું લોન્ચિંગ અને ઉદ્યોગ અને પ્રદર્શન પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પરિષદSCOP 2016માં PRL દ્વારા શરૂ કરાયેલ વિદ્યાર્થી-આયોજિત વાર્ષિક ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પરિષદ છે. જે દર વર્ષે એક જ સંસ્થામાં સતત યોજાય છે. OSISએ ભારતીય ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ સમુદાય માટે મુખ્ય મંચ તરીકે સેવા આપી છે. SCOP સાથે તેનું સંકલન વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગ નેતાઓ અને વૈશ્વિક વૈજ્ઞાનિક નિષ્ણાતો વચ્ચે સહયોગ માટે ગતિશીલ માર્ગ બનાવે છે. બે દિવસીય વર્કશોપ યોજાશેપાંચ દિવસના આ કાર્યક્રમમાં બે દિવસીય વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 160 વિદ્યાર્થીઓ માટે 16 ટ્યુટોરિયલ્સ આપવામાં આવશે. ત્યારબાદ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરિસંવાદ યોજાશે જેમાં એક કોલોક્વિયમ વ્યાખ્યાન, 80 આમંત્રિત વાર્તાલાપ, 65 યોગદાન આપેલ મૌખિક પ્રસ્તુતિઓ, 200 પોસ્ટર પ્રસ્તુતિઓ, પેનલ ચર્ચા અને ઉદ્યોગ પ્રદર્શનનો સમાવેશ થશે. 13 દેશો અને ભારતના 22 રાજ્યોના સહભાગીઓનું પ્રતિનિધિત્વસ્કોપોસિસ 2025માં લગભગ 500 સહભાગીઓએ ભાગ લીધો છે. જેમાં યુએસએ, જર્મની, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જાપાન, ઇઝરાયલ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, ફિનલેન્ડ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક અને નેધરલેન્ડના 350 રાષ્ટ્રીય અને 20 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ પરિષદ 13 દેશો અને ભારતના 22 રાજ્યોના સહભાગીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં રાજ્ય અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IIT, NIT, IISER, ડીમ્ડ યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો, ખાનગી સંસ્થાઓ, વિદેશી યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 500 કરતા વધુ લોકો ભાગ લઈ રહ્યા છેPRLના ડિરેક્ટર અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા PRL માં શરૂઆત થઈ હતી જેનું આ વર્ષે 10મુ એડીશન છે. જેનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી કોન્ફરન્સ. જે ફૂડ વિદ્યાર્થીઓ છે તે આનું આયોજન કરે છે. જેનો ઉદ્દેશ્ય છે કે ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર જે બદલાવ આવે છે તેના પર ચર્ચા કરવાનું અને એક્સપર્ટની બોલાવીને પણ તેના પર ચર્ચા કરવામાં આવે છે. આ PRL માં દસ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે એક નવો અધ્યાય જોડવામાં આવ્યો છે. ઓપ્ટિકલ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાની એન્યુઅલ કોન્ફરન્સ થાય છે તે આની સાથે જોડવામાં આવી છે. જેમાં 500 કરતા વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યાવધુમાં અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ, કોન્ટમ કોમ્યુનિકેશન સહિતના વિષય પર ચર્ચા કરવામાં આવશે. કોન્ટમ કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવશે. લેઝરના ડેવલોપમેન્ટ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે અને જે પ્રકારના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેનાથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યા છે, જેમાં 14 વિદેશી ઇન્સ્ટિટયૂટમાંથી 20 જેટલા સાયન્ટિસ્ટ આવ્યા છે અને બાકીના ઇન્ડિયન સાયન્ટિસ આવ્યા છે જે આ તમામ વિષયો પર ચર્ચા કરશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરૂણિયા બાયપાસ પર એક ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. આ ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો કાચો કપાસિયા તેલનો જથ્થો ગાયબ થઈ ગયો છે. અકસ્માત બાદ ટેન્કરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેથી ટ્રાન્સપોર્ટરે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છના ગાંધીધામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ અજીતસિંહ ભાટીયાએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 5 ડિસેમ્બર, 2025ના રોજ સવારે લગભગ 11 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેમનું ટેન્કર ગોધરાના દરૂણિયા ગામ બાયપાસ પાસે પલટી ખાઈ ગયું છે. આ ટેન્કર (નંબર GJ.12.CJ.3396) આદિલાબાદની એ.જી.એસ. ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસેથી 29 નવેમ્બર, 2025ના રોજ કાચું કપાસિયા તેલ લઈને મહેસાણાની એન.કે. પ્રોટીન્સ, કડી ખાતે પહોંચાડવાનું હતું. ટેન્કરના ડ્રાઈવર તરીકે ચાંમુડા નગર, ગાંધીધામના રહેવાસી ઓમપ્રકાશ માલી હતા. માહિતી મળતા જ પરેશભાઈએ તેમના કર્મચારી ઘનશ્યામ આહીરને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઘનશ્યામ આહીરે સ્થળ પર પહોંચીને પરેશભાઈને ફોન પર જણાવ્યું કે ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાધેલી હાલતમાં પડ્યું છે, પરંતુ ટેન્કરમાં ભરેલું કપાસિયા તેલ સંપૂર્ણપણે ખાલી છે. અકસ્માત બાદ ડ્રાઈવર ઓમપ્રકાશ માલી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેના બંને મોબાઈલ નંબર બંધ આવતા હતા. પરેશભાઈ ભાટીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડ્રાઈવર ઓમપ્રકાશ માલીએ ટેન્કરને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પલટી ખવડાવી હતી. જેના કારણે ટેન્કરમાં ભરેલું કાચું કપાસિયા તેલ જમીન પર ઢોળાઈ ગયું અથવા તો તેની ચોરી થઈ ગઈ છે. આથી, તેમણે 9 ડિસેમ્બર, 2025ના રોજ ડ્રાઈવર ઓમપ્રકાશ માલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની શોધખોળ અને તેલ ક્યાં ગયું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના નવા ચેરપર્સન તરીકે રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક કરી છે. energy Petrochemicals Department દ્વારા 10 ડિસેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર રાજ્ય સરકારે ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003 અનુસાર આ નિયુક્તિ અમલમાં મૂકી છે. સરકાર દ્વારા ગઠિત સિલેકશન કમિટીએ બે યોગ્ય નામોની પેનલ રાજ્ય સરકારને ભલામણ કરી હતી. વિચારવિમર્શ બાદ સરકારે પંકજ જોશીની પસંદગી કરીને તેમને જર્કના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પોતાના કાર્યભાર સંભાળે એ દિવસથી આ નિયુક્તિ અમલમાં આવશે. પંકજ જોશી લાંબા સમય સુધી રાજ્ય સરકારમાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે અને વહીવટી ક્ષેત્રે તેમનો વિશાળ અનુભવ હવે વીજક્ષેત્રની નીતિઓ અને નિયમનક્ષેત્રે ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
વડોદરા શહેરમાં ફેસબુક મારફતે હનીટ્રેપના વધુ એક કિસ્સાએ સનસનાટી મચાવી છે. શહેરના વારસિયા રીંગ રોડ પર રહેતા 68 વર્ષીય વૃદ્ધને અજાણી યુવતી અને તેના સાથીઓએ ફસાવીને ડ્રગ્સ કેસમાં સંડોવી દેવાની ધમકી આપી હતી. આ ટોળકીએ વૃદ્ધ પાસેથી 7 લાખ રૂપિયાનો બેરર ચેક મેળવીને રકમ ઉપાડી લીધી અને પલાયન થઈ ગયા હતા. આ મામલે શિનોર પોલીસે અપહરણ, ખંડણી અને કાવતરાની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. પોલીસે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતતા અભિયાન ચલાવ્યુંતાજેતરમાં કાયાવરોહણમાં સાયબર ઠગાઈનો શિકાર બનેલા વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી, જેના પગલે પોલીસે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતતા અભિયાન ચલાવ્યું હતું. તેમ છતાં, આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. આ કિસ્સામાં વૃદ્ધને ફેસબુક પર 'પીન્કી પટેલ' નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તેને સ્વીકાર્યા બાદ ચેટ શરૂ થઈ અને બંનેએ મોબાઈલ નંબરની આપલે કરી હતી. સફેદ કારમાં આવેલા કેટલાક ઈસમોએ વૃદ્ધ અને યુવતીને અટકાવ્યાગત 2 ડિસેમ્બરે યુવતી વડોદરા આવી અને વૃદ્ધ સાથે એક્ટિવા પર માલસર, શિનોર ગયા હતા. પરત ફરતા સમયે ગરનાળા પાસે સફેદ ફોર-વ્હીલર કારમાં આવેલા કેટલાક ઈસમોએ તેમને અટકાવ્યા હતા. તેઓએ પોલીસ તરીકેની ઓળખ આપી અને કહ્યું કે યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી છે, તેથી વૃદ્ધ પણ તેમાં ફસાઈ જશે. વૃદ્ધને કારમાં બેસાડીને તેમનું મોપેડ સાથે લઈને વડોદરા તરફ લઈ ગયા હતા. નકલી પોલીસ બનેલી ટોળકીએ 9 લાખ રૂપિયાની માંગણી કરીરસ્તામાં નકલી પોલીસ બનેલી ટોળકીએ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ વૃદ્ધે ગભરાઈને 7 લાખમાં સમાધાન કર્યું હતું. તેઓ વૃદ્ધને તેમના ઘરે લઈ ગયા, બેરર ચેક મેળવીને બેંકમાંથી રકમ ઉપાડી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. ઝડપાયેલા આરોપીએ પત્રકાર હોવાની હકીકત પોલીસને જણાવીઆ સમગ્ર મામલે શિનોર પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હાર્દિક કનૈયાલાલ શેઠની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે નાગરિકોને ઓનલાઈન અજાણી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવતા સાવચેત રહેવા અપીલ કરી છે. આ ઘટનામાં ઝડપાયેલ આરોપી પોતે પત્રકાર હોવાની હકીકત પોલીસને જણાવી છે. હાલમાં શિનોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણના અશ્વ અણહિલે પંજાબમાં ત્રીજું સ્થાન મેળવ્યું:ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં 80 ઘોડાઓને હરાવ્યા
પાટણ જિલ્લાના દિઘડી ગામના અશ્વ અણહિલે પંજાબમાં યોજાયેલી ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શામળા ફાર્મ હાઉસના માલિક આનંદભાઈ દેસાઈના આ અશ્વે 80 ઘોડાઓને હરાવીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અણહિલનો જન્મ રજુભાઈ દેસાઈના સેવાળા ખોડિયાર સ્ટડ ફાર્મમાં થયો હતો. આ સિદ્ધિને કારણે મારવાડી અશ્વ જગતમાં દિઘડી ગામનું નામ જાણીતું બન્યું છે. આ ઉપરાંત, પાટણ જિલ્લાના જંગરાલ ગામના અશ્વ રુશાને પણ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી મોટી અશ્વ સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રુશાને રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામસિંહ ગામમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ભારતભરમાંથી 500 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો. અગાઉ, રુશાને પુષ્કર મેળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જંગરાલ ગામના પીનાકીનભાઈ બારોટ જયવીર સ્ટડફાર્મ ખાતે અશ્વ ઉછેરનો શોખ ધરાવે છે. તેઓ બાળપણથી જ ઘોડાઓ પ્રત્યે લગાવ ધરાવે છે અને તેમની દૈનિક દેખભાળ રાખે છે. રુશાન અશ્વની ઓલાદ પણ વિશિષ્ટ છે. તેના પિતાનું નામ પર્સન છે, જે હાલમાં પાંચ કરોડ રૂપિયામાં પંજાબમાં વેચાયો છે. રુશાનની માતા અનામિકા અને તેની માતા આલામારા પણ આ ઘોડાના પરિવારનો ભાગ છે. પીનાકીનભાઈના અશ્વને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાઓમાં પણ એવોર્ડ, ટ્રોફી અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. આ બંને અશ્વોની સિદ્ધિ બદલ તેમના માલિકો અને ગામના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, તેમ પ્રતિકભાઈ બારોટ અને શિવમ દલવાડીએ જણાવ્યું હતું.
આગામી દિવસોમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે લાંબા સમયથી સત્તાથી વંચિત કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ અગાઉથી હાથ ધરવામાં આવી છે.જેમાં આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાવનગર સર્કિટહાઉસ ખાતે એક કારોબારી બેઠક યોજી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો, નગરસેવકો, એ.આઈ.સી.સી. પી.સી.સી. ડેલીગેટ યુવા કોંગ્રેસ, NSUI સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર સર્કિટહાઉસ ખાતે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની વિવિધ પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે પ્રભારી દેવેન્દ્ર યાદવે કહ્યું કે, ભાજપ અત્યારે શિખર પર છે જેથી હવે તેનાથી ઉપર નહિ જઈ શકે માટે જો કોંગ્રેસના કાર્યકરો આગામી સમયમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવા SIR ને ધ્યાને રાખી એક રણનીતિ બનાવી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે તો ચોક્કસ એક સારું પરિણામ કોંગ્રેસ મેળવી ભાજપને પછાડી શકશે. સાથે આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં કોંગ્રેસને નુકશાન કરી રહી છે ત્યારે ભાજપ અને આપ પાર્ટી સામે આગામી ચૂંટણીમાં તાકાતથી લડી લેવા અપીલ કરી હતી, જ્યારે આ અવસરે અનેક નાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા જેને દેવેન્દ્ર યાદવે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે પણ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, દારૂ, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે લડત ચલાવી રહી છે.
જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાઈક સ્ટંટના વીડિયો અંગે કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા નામના યુવક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ, ભયજનક ડ્રાઇવિંગ અને બાઈક સ્ટંટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. આ સૂચનાના અનુસંધાને, 3 ડિસેમ્બર, 2025ના રોજ એક બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ધ્યાને આવતા, 9 ડિસેમ્બર, 2025ના રોજ PSI બી.બી. સિંગલની સૂચનાથી તપાસ શરૂ કરાઈ હતી. એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, પો.કોન્સ. સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા અને પારૂલબા જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ હ્યુમન સોર્સના આધારે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સ્ટંટ કરનાર મોટરસાયકલનો નંબર GJ-10-DL-0739 હતો. ITMS સોફ્ટવેરમાં આ મોટરસાયકલની મુવમેન્ટ ચેક કરતા, વાયરલ રીલ્સ સાથે સરખામણી કરીને બાઈક સ્ટંટ કરનારની ઓળખ થઈ. RTO ડેટા તપાસતા, તે જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પરેશભાઈ ખાણધર અને સંજયભાઈ જોડે શંકર ટેકરી વિસ્તારમાં તપાસ કરતા, મોટરસાયકલ ચાલક તેના નિવાસસ્થાનેથી મળી આવ્યો. પૂછપરછમાં તેણે 25 નવેમ્બર, 2025ના રોજ આ વીડિયો રીલ્સ બનાવ્યાની કબૂલાત કરી હતી. કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો. પો.કોન્સ. સંજયભાઈ જોડે ફરિયાદી બનીને દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડિંગ, બાઈક સ્ટંટ અને રફ ડ્રાઇવિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર સી.સી.ટી.વી. કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નજર રાખી રહ્યું છે. તમામ વાહનચાલકોને પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. <
અભયમ 181 હેલ્પલાઇન ટીમે તાજેતરમાં એક જટિલ કેસમાં ત્વરિત અને માનવીય કામગીરીનું અતિ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનામાં એક મહિલા એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સમગ્ર ઘટનાક્રમ રહસ્ય અને શંકાઓથી ઘેરાયેલો હોવા છતાં, અભયમની ટીમે મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી. બનાવની વિગતો મુજબ, અભયમ 181 હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક કોલ પ્રાપ્ત થયો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક અજાણી બહેન બેભાન હાલતમાં પડી હતી અને તેને તાત્કાલિક મદદની ખૂબ જરૂર હતી. આ માહિતી મળતાની સાથે જ, ફરજ પરની 181 ટીમને કોલના સ્થળ તરફ પૂરી ઝડપે રવાના કરવામાં આવી હતી. ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં કોઈ વિલંબ થયો ન હતો. સ્થળ પર પહોંચીને 181 ટીમે જોયું હતું કે મહિલા જમીન પર સૂતેલી હતી અને તેની હાલત ગંભીર જણાતી હતી. ટીમના સભ્યોએ ધીરજપૂર્વક અનેક પ્રયત્નો કર્યા, જેના પરિણામે મહિલાને ભાનમાં લાવવામાં તેઓ સફળ રહ્યા હતા. આ દરમિયાન, ટીમે કોલ કરનાર જાગૃત નાગરિકનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. તેમના દ્વારા ટીમને જાણવા મળ્યું હતું કે આ બહેન છેલ્લા બે-ત્રણ કલાકથી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેભાન અવસ્થામાં હતા. વધુમાં, કોલ કરનારે એક મહત્ત્વની વિગત આપી હતી કે મહિલા થોડા સમય પહેલા એક છોકરી સાથે એપાર્ટમેન્ટમાં આવી હતી, પરંતુ પાછળથી તે છોકરી ક્યાં ગાયબ થઈ ગઈ, તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી, જેણે સમગ્ર કેસમાં એક રહસ્ય ઉમેર્યું હતું. મહિલા ભાન આવ્યા બાદ, 181 ટીમે તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. દરમિયાન આ મહિલા પોતાનું નામ તો જણાવી શકી હતી, પરંતુ તેના સરનામા વિશે તે બે અલગ-અલગ અને વિસંગત માહિતી આપી રહી હતી. આ સંજોગોમાં, મહિલાનું સાચું સરનામું શોધી કાઢવું એ 181 ટીમ માટે એક પડકારરૂપ કાર્ય હતું. ટીમે તરત જ સોશિયલ મીડિયા અને અન્ય ઉપલબ્ધ માધ્યમો મારફતે મહિલાની વિગતોની તપાસ શરૂ કરી હતી. તેમની સતત મહેનત અને કુશળતાના પરિણામે, ટીમ આખરે મહિલાનું સાચું સરનામું શોધવામાં સફળ રહી હતી. આ દરમિયાન, મહિલાની તબિયત સંપૂર્ણપણે સામાન્ય ન હોવાથી, 181 ટીમે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને બોલાવી હતી. જોકે, મહિલાએ હોસ્પિટલ જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જેને માન આપીને, 181 વાનમાં જ 108ની ટીમે મહિલાને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી, જેથી તેની સ્થિતિ વધુ સ્થિર બની હતી. પ્રાથમિક સારવાર બાદ, 181 ટીમે મહિલાને તેના દ્વારા જણાવવામાં આવેલા અને ટીમે શોધેલા સાચા સરનામે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. આ સરનામે પહોંચતા, આજુબાજુના લોકોએ ખાતરી આપી હતી કે મહિલા ખરેખર તે જ એપાર્ટમેન્ટમાં રહે છે, જેનાથી તેની ઓળખ સ્પષ્ટ થઈ હતી. થોડા સમયમાં જ મહિલાના પતિ, પુત્ર અને અન્ય સગાંઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેમાં મહિલા પોતાના પરિવારજનોને ઓળખી શકી હતી. આ સમયે મહિલાના પતિએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે 181 ટીમને જણાવ્યું હતું કે જ્યારે તેમની પત્ની ઘરમાંથી નીકળી હતી, ત્યારે તેની સાથે એક છોકરી હતી. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ હતી કે મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ હતી. પતિએ જણાવ્યું હતું કે પત્ની તે છોકરીને ઓળખે છે પરંતુ શું થયું તે અંગે કંઈપણ યાદ કરી શકી નહોતી. આ અસ્પષ્ટ સંજોગો અને ચોરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 181 ટીમે મહિલાના પતિને આ સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને વ્યાપારી મંડળ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટરે ઉદ્યોગો સંબંધિત મુશ્કેલીઓ, વિવિધ વહીવટી મુદ્દાઓ અને ઉદ્યોગ ક્ષેત્રની રજૂઆતો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે અધિકારીઓને વિવિધ પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરી અને આગામી આયોજન માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
પાલનપુરની 11 વર્ષીય સનાયા નાદીરહુસેન સિંધીએ રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 10મી નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. સનાયાએ કાટા ઇવેન્ટ અંડર 11-12માં ગોલ્ડ મેડલ અને કુમીતે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નેશનલ શોટોકન કરાટે એસોસિયેશન ઇન્ડિયા દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરની સી.બી. ગાંધી નૂતન પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી સનાયાએ કરાટે ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ જીતથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે. નોંધનીય છે કે, સનાયાએ સતત બીજા વર્ષે આ સિદ્ધિ મેળવી છે. ગત વર્ષે આણંદ ખાતે યોજાયેલી 9મી નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ 2024માં પણ તેણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. સનાયાના પિતા નાદીર હુસેન સિંધીએ જણાવ્યું કે, તેમની દીકરી ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે સજ્જ બની રહી છે. આ માટે તે સતત મહેનત અને પ્રેક્ટિસ કરી રહી છે. તેમણે બનાસકાંઠા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે. બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્યત્વે એક ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે: હંમેશા બોલતા હું બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં. 'માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી'પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને તેનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. 10 દિવસમાં કાર્યવાહી ન થાય તો કોર્ટ જવાની ચીમકીઆ વિરોધના ભાગરૂપે, જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ આવતીકાલે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવશે. પ્રમુખ એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે. તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રીપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે. ગુજરાતમાં 8 લાખ બલોચ કરે છે વસવાટબલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસ્તી દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એડવોકેટ એજાજ મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે સખત રીતે વખોડવાલાયક છે. તેમણે વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે, અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટના તમામ પગલાં ભરવા માટે તૈયાર છે.
ભુજના માધાપરમાં તાંત્રિક વિશાલ રાજગોર સામે પૈસા પડાવવા બદલ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ઘરની તકલીફો દૂર કરવાના બહાને એક મહિલા પાસેથી રૂ. 3.11 લાખ પડાવી લીધા હોવાનો આરોપ છે. માધાપર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, આરોપી વિશાલ રાજગોર બીમારી અને ઘરની અન્ય તકલીફો દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહીને ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી પૈસાની માંગણી કરતો હતો. તે ફરિયાદીને દિવસ દરમિયાન તેના ઘરે એકલી બોલાવતો હતો. રૂમમાં ફરિયાદી એકલી હોય ત્યારે આરોપી તેના કપાળ પર કંકુનો ચાંદલો કરતો અને ખોટા મંત્રો બોલતો હતો. તે ફરિયાદીને કહેતો કે તેના શરીરમાં આત્મા છે જેને બહાર કાઢવાની છે. આ બહાને તે ફરિયાદીને ઝાપટો મારતો, તેના વાળ ખુલ્લા કરાવતો અને વિધિ કરવાના નામે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતો હતો. આરોપી ધમકી આપતો હતો કે, જો પૈસા નહીં આપવામાં આવે તો ઘરમાં ઘણી તકલીફો આવશે. આ રીતે તેણે ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી કુલ રૂ. 3,11,000 પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે આ જ તાંત્રિક વિશાલ રાજગોર સામે એક મહિલાને નડતર દૂર કરવાના બહાને છેડતી કર્યાની પણ ફરિયાદ નોંધાઈ હતી.
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી આજે એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. લાશ અવાવરુ જગ્યાએથી મળી આવી છે અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. અંકોડિયા ગામની સીમમાંથી યુવતીની લાશ મળીવડોદરા નજીક આવેલ અંકોડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં આજે એક યુવતીની લાશ મળી હોવાનો કોલ સ્થાનિક વ્યક્તિએ પોલીસને આપ્યો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ વડોદરા તાલુકા પોલીસની ટીમ, પીઆઇ વિક્રમસિંહ ટાંક અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તથા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસને યુવતીની હત્યા થઈ હોવાની આશંકાહાલ યુવતીની ઓળખ થઈ નથી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આસપાસના લોકો પાસેથી પણ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય તથા રોષનો માહોલ સર્જ્યો છે. પોલીસે હત્યારા કે હત્યારાઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી દીધી છે. શરીર પર ઈજાના નિશાન, હત્યાનું અનુમાનતાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ ટાંકે જણાવ્યું હતું કે, ખેતરમાંથી યુવતીની લાશ મળી હોવાનો કોલ મળતાં અમે તુરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં છે, જેથી હત્યાનું અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ અમારી ટીમો સઘન તપાસમાં લાગી ગઈ છે. અગાઉ યુવતી સાથે લૂંટની ઘટના બની હતીઅંકોડિયા ગામના અગ્રણી અલ્પેશભાઈએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારા ગામને કોઈની નજર લાગી હોય તેમ લાગે છે. થોડા સમય પહેલાં પણ અહીં એક યુવતી પાસેથી લૂંટની ઘટના બની હતી અને હવે આવી દુઃખદ ઘટના બની. ગામના એકાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, જેને લઈને અમે પંચાયત દ્વારા વારંવાર વુડાને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
અમદાવાદમાં ફરી એકવાર સાયબર ઠગે નકલી CBI અધિકારી બનીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જુગારના કેસમાં ફસાવવાની ધમકી આપીને વૃદ્ધને લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધને અજાણ્યા શખ્સે ફોન કરીને મોબાઈલ નંબર અને જીયો ફાયબર સર્વિસ બંધ કરવાની ધમકી આપી હતી. આ પછી અન્ય શખ્સે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપીને વૃદ્ધ સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જુગારના કેસમાં ગુનો દાખલ થયો હોવાનું કહીને ધમકાવ્યા હતાં. એટલું જ નહીં EDનો નકલી લેટર પણ મોકલ્યો હતો. સાયબર ઠગે વૃદ્ધ પાસેથી 20,53,986 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે અંગે નિવૃત્ત મેનેજરે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વૃદ્ધને અજાણ્યા શખ્સનો વોટ્સએપ કોલ આવ્યોઅમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધને તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સે પોતે જીયો કંપનીનો કાર્તિક યાદવ બોલતો હોવાનું જણાવી મોબાઇલ નંબર અને જીયો ફાઈબર સર્વિસ બંધ થવાની વાત કહી હતી. આ પછી થોડિક જ વારમાં આ કોલ CBIના અધિકારી શંકર સુરેશ પાટીલ તરીકે ઓળખ આપતા બીજા શખ્સ તરફ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચાઇલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગનો કેસ, EDનો નકલી લેટરઆ શખ્સે વૃદ્ધના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને સુરેશ અનુરાગ નામના વ્યક્તિએ ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ઇલીંગલ ગેમ્બલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં થયો છે એવું કહી વૃદ્ધને વધુ ડરાવ્યા હતાં. આ ઉપરાંત સર્વેલન્સ ટીમના આનંદ રાણા નામના ગઠિયાએ સુપ્રીમ કોર્ટનો બનાવટી લેટર મોકલ્યો હતો. ત્યારબાદ તેણે વોટ્સએપ વીડિયો કોલ દ્વારા પોલીસ ડ્રેસ પહેરેલા મુંબઈના CBI અધિકારી સાથે વૃદ્ધની વાત કરાવી હતી. આમ સાયબર ઠગે વૃદ્ધને સતત વોટ્સએપ કોલ કરીને ધમકાવ્યા હતા. એટલું જ નહીં વૃદ્ધને ઘરની બહાર જવું હોય તો પણ ગઠિયાઓની મંજૂરી લેવાની ફરજ પડી હતી. 20.53 લાખ પડાવ્યા આ પછી આનંદ રાણાએ FEMA અને PMLA જેવા કાયદા હેઠળ વધારાના ગુનાઓ લાગ્યા હોવાનું જણાવી વૃદ્ધને વધુ ધમકાવીને કહ્યું કે, ઉંમરને ધ્યાને લેતા ધરપકડ નહીં થાય, પરંતુ ‘પ્રાયોરીટી ઇન્વેસ્ટિગેશન’ માટે નાણાં ટ્રાન્સફર કરવાં પડશે. આ પછી ઘબરાયેલા વૃદ્ધે પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ વેચ્યા અને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી હતી. ફરિયાદ નોંધાઈનાણાં જમા થયા બાદ ગઠિયાઓએ સતત જુદા જુદા નંબર પરથી વિડિયો કોલ કરી વધુ નાણાંની માંગણી ચાલુ રાખી. અંતે વૃદ્ધે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંઘાવી છે.
શંખેશ્વરના મેઈન બજાર વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાહેર માર્ગ પર અચાનક આખલાઓ યુદ્ધે ચઢતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દુકાનદારો અને રાહદારીઓ સલામત સ્થળે ખસી ગયા હતા. મેઈન બજારમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેના કારણે અવારનવાર જીવલેણ ઘટનાઓ બનવાનો ભય ઊભો થયો છે. આ સમસ્યાથી સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યાનું મુખ્ય કારણ શાકભાજી વેચતા વેપારીઓ છે. તેઓ શાકભાજીનો કચરો જાહેર રસ્તા પર જ ફેંકી દે છે. આ કચરો ખાવા માટે આખલા સહિતના ઢોર બજાર વિસ્તારમાં આવે છે અને પછી માર્ગો પર જ અડિંગો જમાવી લોકોને પરેશાન કરે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં પણ એક આખલાએ એક જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ) જવાનને અડફેટે લીધો હતો, જેમાં જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આવા બનાવો છતાં વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડી પાડવા કે જાહેર માર્ગ પર કચરો ફેંકતા વેપારીઓ સામે પગલાં લેવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેપારીઓ દ્વારા રસ્તા પર કચરો ફેંકવાની પ્રવૃત્તિ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સલામત તથા સુસંસ્કૃત કાર્ય-શૈક્ષણિક વાતાવરણ વિકસાવવા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બી. એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ ખાતે POSH (Prevention of Sexual Harassment) અને સાઇબર સુરક્ષા વિષય પર કેન્દ્રિત હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કેરાલાના POSH ટ્રેનર અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યા મધુ (એગ્રીકલ્ચર ઓફિસર, કેરાલા સ્ટેટ કોઓપરેટિવ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ) ઉપસ્થિત રહ્યા હતા. સાઇબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે સાઇબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી અને એ.એસ.આઈ. મુસ્તકીમ મલેક પણ હાજર રહ્યા હતા. સાઇબર સુરક્ષા સેશનમાં મુસ્તકીમ મલેક અને સી.પી. ચૌધરીએ ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, સાઇબર બુલિંગ, ઓળખ ચોરી, સોશિયલ મીડિયા સલામતી, મજબૂત પાસવર્ડ, ડેટા ગોપનીયતા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ જેવા વિષયો પર મહત્વપૂર્ણ અને વ્યવહારુ માહિતી આપી હતી. તેમણે વાસ્તવિક ઉદાહરણો દ્વારા નિવારક પગલાં સમજાવ્યાં અને વિદ્યાર્થીઓને જરૂરી સંપર્ક નંબરો આપીને સાવચેત કર્યા. દિવ્યા મધુએ POSH અધિનિયમ, 2013 હેઠળ લૈંગિક સતામણીની વ્યાખ્યા, મહિલાઓના અધિકારો, આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની ભૂમિકા, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અને સંસ્થાકીય જવાબદારીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સલામત અને સન્માનજનક કેમ્પસ સંસ્કૃતિ વિકસાવવામાં સૌની સામૂહિક ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
સુરત શહેરમાં વધી રહેલા સાયબર ફ્રોડની ઘટનાઓ અને તેમાં મ્યુલ એકાઉન્ટ તેમજ બોગસ દસ્તાવેજોના આધારે ખોલવામાં આવતા કરંટ એકાઉન્ટના દુરુપયોગને અટકાવવાના હેતુથી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા શહેરની તમામ બેન્કોના 60થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય એજન્ડા સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો પર તાત્કાલિક અને અસરકારક રીતે અંકુશ લાવવા અંગેની સઘન ચર્ચા હતી. પોલીસ અને બેન્ક વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા માટે આ પહેલ કરવામાં આવી હતી. સામાન્ય જનતા સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકેબેઠક દરમિયાન, પોલીસ કમિશનર દ્વારા બેન્ક અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે, નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે, જેથી સામાન્ય જનતા સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકે. ખાસ કરીને, નવા કરંટ એકાઉન્ટ ખોલતી વખતે દસ્તાવેજોનું વેરીફિકેશન અને સ્થળનું વેરીફિકેશન ખૂબ જ ઝીણવટપૂર્વક અને સારી રીતે થાય તે માટે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા ખાતાઓ અને બોગસ દસ્તાવેજોના આધારે ખોલાયેલા ખાતાઓ પર કેવી રીતે તાત્કાલિક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મ્યુલ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના દુરુપયોગના મુદ્દાઓ પર ચર્ચાઆ સમગ્ર મામલે વધુ માહિતી આપતા ડીસીપી બિશાખા જૈન જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના દુરુપયોગ સહિતના સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ખાસ કરીને સાયબર ફ્રોડની ઘટના બને ત્યારે બેન્કમાંથી એકાઉન્ટ સંબંધી જે વિગતો મેળવવાની હોય છે, તે વિગતો ઝડપથી અને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા બેન્ક કર્મચારીઓને સૂચના આપી હતી. ડીસીપીએ જણાવ્યું કે, વિગતો મેળવવામાં વિલંબ થવાથી સાયબર ફ્રોડ સામેની કાયદેસરની કાર્યવાહીમાં પણ મોડું થાય છે, જે ગુનેગારોને ફાયદો પહોંચાડે છે. સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન પર અંકુશ લાવવાની દિશામાં ઝડપી કાર્યવાહીપોલીસ કમિશનરે આશા વ્યક્ત કરી હતી કે, બેન્ક અધિકારીઓ આ સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરશે અને પોલીસને ઝડપી કાર્યવાહી કરવામાં સહયોગ આપશે. આ બેઠક દ્વારા પોલીસ વિભાગે બેન્ક અધિકારીઓ સાથે મળીને એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે, જેથી સાયબર ફ્રોડના ગુનેગારોને પકડી શકાય અને નાગરિકોના પૈસા સુરક્ષિત રાખી શકાય. બેન્ક કર્મચારીઓના સહયોગથી હવે સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન પર અંકુશ લાવવાની દિશામાં ઝડપી કાર્યવાહી થવાની સંભાવના છે.
મોરબીમાં સાયબર ફ્રોડના 4 ગુના નોંધાયા:15 આરોપીઓ સામે ફરિયાદ, 6ની ધરપકડ; મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ
મોરબી શહેરના એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ચાર ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં લોકોના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની રકમ સાયબર ફ્રોડ દ્વારા મેળવીને ચેક અથવા એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવી હતી. કુલ 15 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ યશપાલ જીતેન્દ્રભાઈ દવે અને રજનીભાઈ કાંતિભાઈ પટેલ (બંને રહે. મોરબી) સામે નોંધાઈ છે, જેમાં યશપાલ જીતેન્દ્રભાઈ દવેની ધરપકડ કરવામાં આવી છે. બીજી ફરિયાદ વર્સ વિરેન્દ્રસિંહ ધામા (રહે. મોરબી), આયુષરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા (બંને રહે. અનંતનગર, મોરબી) સામે નોંધાઈ છે. આ કેસમાં વર્સ વિરેન્દ્રસિંહ ધામા (રહે. વૃંદાવન પાર્ક, કર્ણાવતી હોટલ પાસે, મોરબી)ની ધરપકડ કરાઈ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં ભરતભાઈ પરસોતમભાઈ બારડ (રહે. નવલખી રોડ, રણછોડ નગર, મોરબી), રોહિતભાઈ બચુભાઈ મુંજારિયા (રહે. મહેન્દ્રપરા શેરી નંબર 14, મોરબી), રાહુલ બચુભાઈ મુંજારિયા (રહે. રવેચી બંગલો વાળી શેરી, રવાપર, મોરબી), રાજા રામભાઈ મકવાણા (રહે. દલવાડી સર્કલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મોરબી), લક્ષ્મણભાઈ ભરવાડ (રહે. વાવડી રોડ, મનીષ વિદ્યાલય પાસે, મોરબી) અને મનીષભાઈ ડાયાભાઈ દોશી (રહે. નવા બસ સ્ટેશન સામે, સદગુરુ પાન વાળી શેરી, મોરબી) સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં ભરતભાઈ પરસોતમભાઈ બારડ, રોહિતભાઈ બચુભાઈ મુંજારિયા અને રાહુલ બચુભાઈ મુંજારિયાની ધરપકડ કરવામાં આવી છે. એ જ રીતે, એ ડિવિઝનમાં અન્ય એક ફરિયાદ આનંદભાઈ સોમાભાઈ હળવદિયા (રહે. આનંદ નગર શેરી નંબર 3, સનાળા રોડ, મોરબી), કરણભાઈ સોમાભાઈ હળવદિયા (રહે. આનંદનગર, સનાળા રોડ, મોરબી), વિપુલભાઈ રામજીભાઈ ગડા (રહે. અંધેરી, મુંબઈ) અને હેમુભાઈ (રહે. અમદાવાદ) સામે નોંધાઈ છે. આ ગુનામાં આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા. ત્યારબાદ, તેઓ ચેક અથવા એટીએમનો ઉપયોગ કરીને આ રકમ ઉપાડી લેતા હતા. આ પછી, તેઓ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને અન્ય સંબંધિત વ્યક્તિઓ અને એજન્ટોની મદદથી આ ફ્રોડની રકમને સગેવગે કરી દેતા હતા. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ગુનાઓ નોંધી આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.
બોટાદ જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ (DLP)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 19 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 10.30 કલાકે ગઢડા રોડ સ્થિત મહાદેવ હોટલ ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટર જીન્સી રોયની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કુલ 30 ઔદ્યોગિક એકમો સાથે રૂ. 300 કરોડથી વધુના મૂડીરોકાણના સમજૂતી કરારો (MoU) કરવામાં આવશે. આ MoU દ્વારા બોટાદ જિલ્લામાં નવા ઉદ્યોગો, રોજગારની તકો અને આર્થિક પ્રવાહમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ઉદ્યોગોની આ ઉપસ્થિતિ બોટાદને રોકાણ માટેનું કેન્દ્ર બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમને વધુ માહિતીસભર અને પ્રદર્શનમુખી બનાવવા માટે એક દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં કુલ 25 સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેમાં જિલ્લા સ્તરની વિવિધ સરકારી કચેરીઓ, બેન્કો અને ઔદ્યોગિક એકમોના 15 સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હસ્તકલા અને આર્ટીઝન ક્ષેત્રના 10 સ્ટોલ્સ પણ હશે, જે સ્થાનિક કલા અને કારીગરીને પ્લેટફોર્મ પૂરું પાડશે. ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા માટે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) સત્રો પણ આ કાર્યક્રમની વિશેષતા છે. B2B મીટિંગમાં આશરે 73 ઔદ્યોગિક એકમો વચ્ચે રૂ. 75 કરોડથી વધુના વેપાર થવાની ધારણા છે. બીજી તરફ, 19 ડિસેમ્બરના રોજ B2C હેઠળ સામાન્ય નાગરિકો માટે વિવિધ સ્ટોલ્સ પરથી ખરીદી કરવાની તક ઉપલબ્ધ રહેશે, જે સ્થાનિક ઉત્પાદકોને સીધા ગ્રાહકો સાથે જોડશે. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટાર્ટઅપ યુવાનો, હસ્તકલા કારીગરો અને તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિકાસને નવી દિશા અને ઊર્જા આપતો આ મહોત્સવ બોટાદ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે તેવી આશા વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં શંકાસ્પદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ પકડી પાડી છે અને બસ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. કૃણાલ એમ.પટેલ દ્વારા તાલુકાઓમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ક્રાઇમ બ્રાન્ચના પો. હેડ કોન્સ. જાદવભાઈ સુવાને ચોક્કસ બાતમી મળી હતી કે, મેંદરડાથી સાસણ તરફ જતા રોડ પર મેંદરડાથી બહાર નીકળતા એક લક્ઝરી બસના ગેરેજમાં 'શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ' નામની બે બસમાં એક સરખી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવાયેલી છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી. એક જ નંબરની બે બસ જપ્ત તપાસ દરમિયાન ગેરેજમાંથી બ્લુ કલરની અને જાંબલી કલરની બે સ્લીપર લક્ઝરી બસ મળી આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે, આ બંને બસમાં એક જ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ AR-01-U-0729 લગાવેલી હતી. આ ગેરકાયદેસર કૃત્ય બદલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક બંને બસ જપ્ત કરી હતી.આરોપી બસ માલિક કૌષિકભાઈ યોગેશભાઈ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે બંને બસ મળીને કુલ 50,00,000/- (પચાસ લાખ) રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં બ્લુ કલરની લક્ઝરી સ્લીપર બસ કિં.રૂ. 25,00,000 અને જાંબલી કલરની લક્ઝરી સ્લીપર બસ કિં. રૂ. 25,00,000 નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. પી.કે.ગઢવી,પો.હેડ કોન્સ.જાદવભાઈ સુવા,પો.કોન્સ.મયુરભાઈ કોડીયાતર અને વરજાંગભાઈ બોરીચા સહિતના સ્ટાફ જોડાયો હતો.
પ્રભાસ પાટણ વિસ્તારમાં 'પથિક' સોફ્ટવેરમાં યાત્રાળુઓની ઓનલાઈન એન્ટ્રી ન કરવા બદલ હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. ગીરસોમનાથ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ હોટલ, ગેસ્ટહાઉસ, રિસોર્ટ અને ફાર્મહાઉસ માટે 'પથિક' સોફ્ટવેરમાં મહેમાનોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ જાહેરનામાના કડક અમલ માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડાની આગેવાનીમાં એસ.ઓ.જી.ની ટીમે પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ અને ગેસ્ટહાઉસનું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક હોટલ અને ગેસ્ટહાઉસમાં આવતા યાત્રાળુઓની આઈડી, દસ્તાવેજો અને વાહન વિગતોની ફરજિયાત એન્ટ્રી કરવામાં આવી ન હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ સવજીભાઈ (પ્રભાસ પાટણ), દિપેશભાઈ મનહરલાલ ચૈનાણી (પ્રભાસ પાટણ) અને મયુરભાઈ દિનેશભાઈ વાજા (પ્રભાસ પાટણ) સહિતના સંચાલકો/માલિકો વિરુદ્ધ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે હોટલ-ગેસ્ટહાઉસમાં આવતા મહેમાનોની ઓનલાઈન એન્ટ્રી ન કરવી એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના સ્ટાફ દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઈ શામળા, ભુપતગીરી મેઘણા (એ.એસ.આઈ.), વિપુલભાઈ ટીટીયા (હેડ કોન્સ્ટેબલ), મહાવિરસિંહ જાડેજા અને કૈલાશસિંહ બારડ (કોન્સ્ટેબલ) જોડાયા હતા. જિલ્લા પોલીસે અગાઉ પણ ચેતવણી આપી છે કે આવા પ્રકારની બેદરકારી સામે ભવિષ્યમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ગુજરાતમાં 40 લાખથી વધુ બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડનાર આશરે 1 લાખ 6 હજાર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો મામલે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. આજે પણ બહેનોએ સત્યાગ્રહ છાવણી એકઠા થઈ વિરોધ નોંધાવી પડતર માગો તાત્કાલિક ઉકેલ લાવવા માગ કરી છે. સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરાઈગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે આંગણવાડી બહેનોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજયા છે. સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરાઈ છે કે ,તારીખ 9 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા મહાસંમેલન બાદથી આ રજૂઆત કરવામાં આવી રહી છે. ખુદ મુખ્યમંત્રીએ 4 ડિસેમ્બરના કાર્યક્રમમાં આ બહેનોની કામગીરીની પ્રશંસા કરી હોવા છતાં 10 માર્ચ 2025 પછી આ પ્રશ્નો બાબતે એક પણ બેઠક યોજાઈ નથી, જે લાખો બાળકોના પાયાના ઘડતરમાં અગત્યની કામગીરી બજાવનાર બહેનો પ્રત્યે સરકારની અવગણના દર્શાવે છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુતમ વેતનનોવધુમાં આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું કે, લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુતમ વેતનનો છે. આ બહેનોને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઓછું અને લઘુતમ વેતન કરતાં પણ ન્યૂનતમ મહેનતાણું મળે છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટની બે જજની બેન્ચે પણ તા. 20 ઓગસ્ટ, 2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં સરકાર અંગત રસ દાખવી નિર્ણય લેતી નથી. પોષણ આહારના દરોમાં તાત્કાલિક સુધારો લાવવા માગબીજી તરફ હજારો કુપોષિત બાળકોને આપવામાં આવતા પોષણ આહારના દરો વર્ષ 2019માં નક્કી કરાયેલા છે. વર્તમાન મોંઘવારીમાં બાળક દીઠ શાકભાજી માટે માત્ર 10 પૈસા અને સુવાવડી માતાને એક ટાઈમ પૂરતું ભોજન આપવા માટે માત્ર રૂ. 19 આપવામાં આવે છે, જે તાત્કાલિક આ દરોમાં સુધારો કરવાની માગ છે. ડિજિટલ કામગીરીના કારણે બાળકોના પોષણ-પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર અસરએજ રીતે બહેનો દ્વારા કરાતી ડિજિટલ કામગીરીનો બોજ પણ ગંભીર સ્તરે પહોંચ્યો છે. 2022માં નવા મોબાઈલ આપવાની ખાતરી અપાઈ હોવા છતાં આજદિન સુધી નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી, જેના કારણે ડિજિટલ કામગીરી ઉપર અસર પડે છે. આંગણવાડી વર્કરો ઉપર ICDS સિવાયની રોજબરોજની અન્ય કામગીરી, છેલ્લે બી.એલ.ઓ. (BLO)ની કામગીરી સહિતનો બોજ લાદવામાં આવી રહ્યો છે. આ માત્ર ડિજિટલ કામગીરીના દબાણને કારણે બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સમય જ રહેતો નથી. આંગણવાડી વર્કર હેલ્પરની નિવૃત્તિ વય મર્યાદા વધારવા માગદેશભરમાં આંગણવાડી વર્કર હેલ્પરની નિવૃત્તિ વય મર્યાદા 60 કે તેથી વધુ હોવા છતાં ગુજરાતમાં 58 છે, તે વધારવા બદલીની તક આપવા અને પોષણ આહારના ખર્ચની રકમ એડવાન્સમાં ત્રણ મહિનાની સંસ્થાકીય ખાતામાં જમા કરવાના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયના નિર્ણયનો અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંગઠને ચેતવણી આપી છે કે, 2022 પછી બેઠક ન યોજાતા બહેનોની ધીરજ ખૂટી ગઈ છે. લાખો બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી તાત્કાલિક બેઠક માટે સમય ફાળવીને ન્યાયી પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી અમારી માગ છે.
બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11મી ડિસેમ્બરે તેનું ઉદ્દઘાટન કરશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની માનસિકતા વિકસે તેવો પણ પ્રયાસ કરાશે. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ 14 સ્થળોએ મોબાઈલ વાહન દ્વારા નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશન રજૂ કરવામાં આવશે. અહીં બાળકોને વૈજ્ઞાનિક શોધો, નોબેલ વિજેતાઓ અને તેમની પ્રેરણાદાયક યાત્રા વિશે જાણકારી મળશે. આ ઉપરાંત, જિલ્લા સ્તરે વિશેષ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને નોબેલ પ્રાઈઝ મ્યુઝિયમ, સ્વીડનની મુલાકાત લેવાનો અવસર મળશે. અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ અપાશે. વિદ્યાર્થીઓની પસંદગી માટે પ્રથમ તબક્કાની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ 19 જાન્યુઆરીએ દ્વિતીય તબક્કાની પરીક્ષા આપશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઇન્ટરવ્યું લેવાશે અને અંતિમ તબક્કે બે વિદ્યાર્થીઓની પસંદગી કરાશે. આ નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશન બાળકોને વૈજ્ઞાનિક દુનિયા સાથે સીધો સંપર્ક સાધવાનો અને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાનો અનોખો અવસર પૂરો પાડશે. આ જિલ્લાની શૈક્ષણિક પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડા તાલુકાના જનડા ગામે ત્રણ દિવસ માટે યોજાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવા દર વર્ષે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન જીસીઈઆરટી ગાંધીનગરની પ્રેરણા હેઠળ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-બોટાદ, જિલ્લા શિક્ષણ સમિતિ-બોટાદ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં યોજાયું હતું. આ વર્ષે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM) વિષયને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાની 20 પ્રાથમિક શાળાઓ અને 15 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો, મોડેલો અને નવીન વિચારો દ્વારા પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા પ્રદર્શિત કરી હતી. વૈજ્ઞાનિક મોડેલો સાથે આકાશદર્શન અને 7D વીડિયો શો જેવી વિશેષ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે વધુ ઊંડો રસ જાગ્યો હતો. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરત વઢેરે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંગે માહિતી આપી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એક સપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે પણ અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જ્યારે ઈન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં 20 અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. આજે પણ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 23 ફ્લાઇટ કેન્સલઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એક સપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે .ઓપરેશનલ મુદ્દાઓને કારણે આજે પણ અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કઈ કઈ ફ્લાઈટો કેન્સલ થઈ
વેરાવળમાં રોડ કામ ધીમું:મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ, ધૂળ અને અકસ્માતનો ભય, દોઢ માસથી નાગરિકો પરેશાન
વેરાવળ શહેરના પ્રવેશદ્વારથી ચાલી રહેલા આઇકોનિક રોડના નવીનીકરણનું કામ ગોકળગતિએ ચાલતા નાગરિકો છેલ્લા દોઢ માસથી પરેશાન છે. રોડ ખોદાયા બાદ કામગીરીમાં ઝડપી પ્રગતિ ન થતા શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ, ધૂળધૂળાટ અને અસ્તવ્યસ્ત અવરજવર જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. સામાજિક કાર્યકર અનિષ રાચ્છે તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, શહેરના મુખ્ય માર્ગ પર ધીમી ગતિએ ચાલતા કામને કારણે નાગરિકો, વાહનચાલકો અને વ્યવસાયિકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, તંત્રે યોગ્ય આયોજન વગર કામ શરૂ કર્યું છે, જેના પરિણામે આજે આખા શહેરને મુશ્કેલી વેઠવી પડી રહી છે. સામાન્ય નાગરિકો સુરેશ આગિયા અને સંતોષ ગોસ્વામીએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જોખમી ડાયવર્ઝન, ખાડા-ખાબચિયા અને રોડ પર પડેલા બાંધકામ સામગ્રીને કારણે વારંવાર અકસ્માતોની પરિસ્થિતિ ઊભી થાય છે. ગોકળગતિએ ચાલતા કામને કારણે રોજ મુસાફરી કરવી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઉમેર્યું. આ કાર્યમાં થતા વિલંબ અંગે પાલિકા તંત્રના મ્યુનિ. એન્જિનિયર ભગીરથ પઢીયારે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, વેરાવળ-જૂનાગઢ રોડના નવીનીકરણ દરમિયાન PGVCL દ્વારા 66 KVના અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરૂ થયું છે. આ સાથે ભૂગર્ભ ગટર લાઇનમાં ગંભીર બ્લોકેજ મળી આવતા તેની સુધારણા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પઢીયારે વધુમાં જણાવ્યું કે, રોડ બની ગયા બાદ ફરી ખોદકામ ન કરવું પડે તે હેતુથી બંને વિભાગનું કામ પહેલાં પૂર્ણ કરાઈ રહ્યું છે. તંત્ર દ્વારા બંને વિભાગોને કાર્ય ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. તેમ છતાં, શહેરવાસીઓ કામમાં વેગ લાવવા, વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવવા અને તાત્કાલિક રાહત આપવા તંત્ર સમક્ષ પ્રબળ માંગ કરી રહ્યા છે. નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરીને વિકાસ કાર્યને ગતિ આપવામાં આવે તેવી અપેક્ષા શહેરમાં વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે.
જામનગરમાં આજે ધોળે દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલા છુટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા-ફોઇના ભાઇઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિલીપ ચૌહાણને તેની પત્ની સાથે છુટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જે વાતથી દિલીપને મંજૂર ન હોવાથી આજે સાડા અગીયાર વાગ્યાના અરસામાં દિલીપે છરીના ઘા ઝીંકીને જયેશનું ઢીમ ઢાળી દીધુ છે. અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ...
બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઈમ અને મ્યુલ એકાઉન્ટ સામે રાજ્યવ્યાપી 'ઓપરેશન મ્યુલ હંટ' અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં તમામ બેંકોના મેનેજરોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ કાનૂની કાર્યવાહી વધુ અસરકારક બને તે માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ બેંક મેનેજરોને મ્યુલ એકાઉન્ટના વધતા જોખમો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે બેંક મેનેજરોને શંકાસ્પદ એકાઉન્ટ્સને સમયસર બ્લોક કરવા અને તેની જાણ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવવા સૂચનાઓ આપી હતી. બેઠકમાં એલસીબી અને સાયબર સેલના અધિકારીઓએ પણ બેંકો સાથે સંકલન વધારવા માટેની તકેદારી અને ટેકનિકલ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોલીસ અને બેંકોના આ સંયુક્ત પ્રયાસોથી લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં એલસીબી પીઆઈ એ.જી. સોલંકી, સાયબર સેલના પીએસઆઈ વિજયભાઈ જાદવ સહિત બોટાદ જિલ્લાની તમામ બેંકના બ્રાન્ચ મેનેજરો હાજર રહ્યા હતા.
સિંગવડ તાલુકાના બરેલા ગામે મધરાતે ગેસ બોટલ બ્લાસ્ટ થતાં ત્રણ મકાનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર બકરાંના મોત થયા હતા, જ્યારે ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. બરેલા ગામ દાહોદ ફાયર સ્ટેશનથી આશરે 61 કિલોમીટર દૂર છે, જ્યારે ગોધરા ફાયર સ્ટેશન માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરાથી ટીમ મોકલવામાં આવી હતી. ફાયર ફાયટરોએ ટૂંક સમયમાં બરેલા ગામે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમની સમયસરની કામગીરીને કારણે આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મધરાત્રે એક મકાનમાં રાખેલો ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. આ મકાનમાં ચાર ભાઈઓનો પરિવાર સંયુક્ત રીતે રહેતો હતો. આગને લીધે ઘરમાં રહેલું અનાજ, કપડાં અને અન્ય ઘરવખરીનો તમામ સામાન બળી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી. જોકે, આગની લપેટમાં આવી જવાથી ચાર બકરાંના મોત થયા હતા. ગોધરા ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.
મોરબીમાં ચક્કરવાળા રોડ પર મહાપાલિકાની ટીમે આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. સામાકાંઠે આવેલા હાઉસિંગ બોર્ડથી નેશનલ હાઈવે સુધીના આ માર્ગ પરથી કાચા-પાકા 25થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મોરબીના પ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડના નિર્માણ માટે કરવામાં આવી છે. આ દોઢ કિલોમીટર લાંબો રસ્તો મહારાણા સર્કલ પાસેના હાઉસિંગ બોર્ડથી નિત્યાનંદ સોસાયટી થઈને નેશનલ હાઈવે સુધી જાય છે. આ માર્ગ 'ચક્કરવાળા રોડ' તરીકે ઓળખાય છે. રસ્તાની બંને બાજુએ રહેણાંક મકાનોમાં ઓરડીઓ અને દીવાલો સહિતના કાચા-પાકા બાંધકામો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેના પગલે આજે મહાપાલિકાની ટીમે બે જેસીબી મશીનનો ઉપયોગ કરીને રોડ સાઈડના તમામ દબાણો તોડી પાડ્યા હતા. આ કાર્યવાહી 'વન ડે વન વીક' અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી, જેમાં નવા રોડ નિર્માણવાળા વિસ્તારોને પ્રાથમિકતા અપાય છે. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ચક્કરવાળા રોડના નવીનીકરણનું કામ શરૂ થશે. આ રોડ નવી અને આધુનિક ટેકનોલોજી સાથે લગભગ 6.5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે મોરબીનો સૌપ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડ બનશે.
કવાંટના યુવકે નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરી:છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
કવાંટના યુવક પરેશ રાઠવાએ ઇન્સ્ટાગ્રામ પર ખૂંખાર નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરી હતી. આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવાથી સુલેહ-શાંતિનો ભંગ થાય છે, દેશના સાર્વભૌમત્વને નુકસાન થાય છે અને દેશની એકતા, અખંડિતતા તથા સુરક્ષા જોખમમાં મુકાય છે. છોટાઉદેપુર જિલ્લા SOG દ્વારા પરેશ રાઠવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ પોસ્ટ ધ્યાને આવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના આ યુગમાં લાઈક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ન કરવી, જે કાયદાકીય મુશ્કેલી ઊભી કરે. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવાની અપીલ પણ તેમણે કરી હતી.
શહેરાના જોધપુર મંદિરમાંથી ચાંદીની પેટી ચોરાઈ:₹25,000ની કિંમતની પેટી ગાયબ, પોલીસ તપાસ શરૂ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામમાં આવેલા દત્તાત્રેય ભગવાનના મંદિરમાંથી ચાંદીની પેટીની ચોરી થઈ છે. આશરે ૫૦૦ ગ્રામ વજનની, ₹25,000 ની કિંમતની આ પેટી ગાયબ થતાં શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેન્દ્રભાઈ અર્જુનભાઈ ડામોર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી કાકાના સુતકની વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે હતા. તેમના ઘરની બાજુમાં આવેલા દત્તાત્રેય મંદિરમાં પૂજારી ચંદ્રેશ કેશવલાલ મોદીએ સાંજે સાત વાગ્યા આસપાસ પૂજા-આરતી કરીને મંદિરનો દરવાજો બંધ કર્યો હતો. રાત્રિના સમયે મહેન્દ્રભાઈ તેમના કાકાના ઘરે ભજન વિધિમાં ગયા હતા અને મોડી રાત્રે ઘરે આવીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે આઠ વાગ્યા આસપાસ તેમણે દત્તાત્રેય મંદિર ખોલ્યું. મંદિરની અંદર પ્રવેશ કરતાં તેમને દત્તાત્રેય ભગવાનના ફોટા પાછળ રાખેલી ચાંદીની પેટી જોવા મળી ન હતી. આ અંગે તેમણે પૂજારી ચંદ્રેશ મોદીને પૂછતાં તેમણે સાંજે પેટી ત્યાં જ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહેન્દ્રભાઈએ તેમના ઘરના સભ્યો, ગામના ડેપ્યુટી સરપંચ ખુશાલભાઈ રણછોડભાઈ ડામોર, આગેવાન ગોવિંદભાઈ રણછોડભાઈ ડામોર અને શંકરભાઈ રામજીભાઈ ડામોરને જાણ કરી. સૌએ મળીને મંદિરની આસપાસ અને અન્ય જગ્યાએ તપાસ કરી, પરંતુ ચાંદીની પેટી મળી ન હતી. કોઈ અજાણ્યો ઈસમ દત્તાત્રેય ભગવાનના મંદિરમાંથી આ ચાંદીની પેટી ચોરી કરીને લઈ ગયો હોવાનું મનાય છે. મહેન્દ્રભાઈ ડામોરે ગઈકાલે 9/12/2025 ના રોજ શહેરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ બેંકોના અધિકારીઓ વચ્ચે પોલીસ ભવન ખાતે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં પોલીસ કમિશનર દ્વારા સાયબર ક્રાઇમ અંગેના ગુનાની તપાસ દરમિયાન બેંકમાંથી સરળતાથી માહિતી મળી રહે અને શહેરના નાગરીકોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ ખાતા તરફથી બેંક પાસે જયારે પણ શંકાસ્પદ બેંક ખાતઓની માહિતી માંગવામાં આવે, ત્યારે સમયસર માહિતી આપવી, જેથી ભોગ બનનારના નાણાં રીફંડ કરાવી શકાય તથા આરોપી સુધી પહોચી શકાય તેમજ આરોપીઓ દ્વારા ખોલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટને રોકવા બેંક ખાતા ધારકનુ વેરીફિકેશન કરવા માટે RBI ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત રીફંડ અંગેના કોર્ટ ઓર્ડરનું બેંકો દ્વારા અગ્રિમતામાં પાલન કરી ભોગ બનનારના ખાતામાં નાણાં જમા થાય તે સારૂ પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સમયે શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ કમિશનર સહિતના DCP કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 30.33 કરોડ રૂપિયા કોર્ટ ઓર્ડર થકી સાયબર ક્રાઈમનો ભોગ બનનાર અરજદારને રિફંડ કરાવવામાં આવ્યા છે.
કોડીનારમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો:ત્રણ દિવસથી રાહ જોઈ છતાં 250થી વધુ ખેડૂતોને ખાતર નથી મળતું
ગીર સોમનાથ જિલ્લાભરમાં રવિ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત વચ્ચે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનાર ખાતે આવેલ ગુજકોમસોલના ખાતર ડેપો પર 250થી વધુ ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ છે, પરંતુ છતાં પણ પૂરતું ખાતર મળતું નથી. ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, પરંતુ ત્રુટક ત્રુટક માત્ર એક-એક ગાડી ખાતર આવતાં જૂજ ખેડૂતોને જ ખાતર મળી રહે છે, જ્યારે મોટા ભાગના ખેડૂતો ખાલીખમ પરત ફરવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એવડી ગંભીર બની છે કે હવે તો પુરુષો સાથે મહિલાઓ પણ ઘરકામ છોડીને ખાતર માટે લાઈનમાં ઊભી રહેવા મજબૂર બન્યા છે. ડેપોમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન આવતાં હાલ સ્થિતિ વધુ બગડી રહી છે. ખેડૂતોનો ઉગ્ર આક્રોશકોડીનાર તાલુકાના પાવટી ગામના ખેડૂત બચુભાઈ રામાભાઈ અને પીપળી ગામના ખેડૂત પૂંજાભાઈ ગોહેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ખાતર ત્રુટક ત્રુટક આવે છે, એક ગાડી આવે તો થોડાં લોકોને જ મળે છે. અમારે ત્રણ દિવસથી ધક્કા ખાવા પડે છે. રવિ પાક માટે આ સમય અત્યંત મહત્વનો છે, પરંતુ સાચા સમયે ખાતર ન મળતાં અમે બેહાલ બની ગયા છીએ.” સરકાર સામે ઉગ્ર માંગરવિ પાકને લઈ ખેડૂતો પર સંકટ ઊભું થતાં હવે સરકાર તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સત્વરે પૂરવઠો સુધારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ખેડૂતોનું નુકસાન વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિદિવસીય 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 21થી 23 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાશે. તેના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળાના આયોજન અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત આ મેળો મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ જિલ્લા સ્તરીય મેળો મહિલાઓના સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે મહિલાઓની આર્થિક ભાગીદારીને વેગ આપશે. આ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને નોડલ અધિકારીઓની નિમણૂક કરીને તેમને કામગીરી સોંપવામાં આવી હતી, સાથે જ જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, નાયબ ડીડીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં દારૂ-જુગાર અને ડ્રગ્સ મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જંગ શરૂ કર્યા બાદ કોંગ્રેસ પણ સાથે જોડાઈ છે. કોંગ્રેસની આ લડતના રાષ્ટ્રીય લેવલે પડઘા પડ્યા છે. ત્યારે અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા જ દારૂ-જુગાર અને ડ્રગ્સના અડ્ડા ચલાવાતા હોવાનો આક્ષેપ કરાતા રાજનીતિ ગરમાઈ છે. જો કે, રાજકીય આક્ષેપોની વચ્ચે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ ગોમતીપુર વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા બંધ ન થાય તો પરિવાર સાથે પોલીસ સ્ટેશન પર ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે પૂર્વ ધારાસભ્યને પડકાર ફેંકતા કહ્યું છે કે, તમારી જ સરકાર છે તો પોલીસ શા માટે દરોડા નથી પાડતી? કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટરો દારુ-જુગારના અડ્ડા ચલાવતા હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપઅમદાવાદના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલાએ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં દારૂ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને લઈને જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સરકારમાં દારૂબંધીથી લઈને તમામ કાયદાનો કડક અમલ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દારૂ અને જુગારના અડ્ડા સદંતર બંધ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે તેઓએ જણાવ્યું હતું કે ખૂબ દુઃખની સાથે કહેવું પડે છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂ, જુગાર અને સટ્ટો તેમજ ડ્રગ્સ ગાંજો જેવી નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. તેઓ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ તેમજ સગાવહાલાઓ દ્વારા દારૂ અને જુગાર તેમજ ડ્રગ્સ ગાંજાની અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પોલીસને અનેકવાર લેખિત રજૂઆત કરી પણ પરિણામ શૂન્યા- જીતુ વાઘેલાવધુમાં જીતુ વાઘેલાએ જણાવ્યું હતું કે,આ બાબતે તેઓએ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી રાણાને અનેક વખત લેખિત અને મૌખિકમાં રજુઆત કરી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે રજૂઆત કરીએ ત્યારે એક બે દિવસ બંધ થઈ જાય છે. બાદમાં 15 દિવસ પછી ચાલુ થઈ જાય છે. આ બાબતે મેં છેલ્લી વખત ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખ્યો છે જો 4 દિવસમાં ખૂણે ખાચરે પણ જાહેરમાં નહીં પરંતુ ક્યાંય પણ જો દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચાલતી હશે તો હું મારા પરિવાર સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે ગાંધી ચીંધ્યા માર્ગે અનશન- ઉપવાસ પર બેસીશ. 'દારૂ-જુગારની બદી નાબૂદ કરવામાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સદંતર નિષ્ફળ'અનેક પત્રો દ્વારા લેખિતમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને તેમના દ્વારા પણ પોલીસ કમિશનર તેમજ સેક્ટર 2ને પણ પત્ર પહોંચાડવામાં આવ્યો છે. પત્ર મારફતે પોલીસ કમિશનર અને સેક્ટર 2 દ્વારા અમલ કરાવવા માટે સૂચના આપવામાં આવે છે અને જે તે પોલીસ સ્ટેશને બંધ કરાવવાનું હોય છે. ગોમતીપુર પોલીસ આ બાબતે સદંતર નિષ્ફળ નીવડી છે. ગોમતીપુરમાં 25 થી 30 દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરો, માજી ધારાસભ્યો અને હોદ્દેદારો દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. બોલો, ભાજપના નેતાએ મેવાણીને દારૂની બદી અટકાવવા કહ્યું!કોંગ્રેસ જ્યારે મોટી મોટી અને ખોટી વાતો કરી રહી છે ત્યારે હું તેમને કહેવા માગું છું કે તમારા જ દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય અને ઉપનેતા શૈલેષ પરમાર તેમજ કોંગ્રેસના કોર્પોરેટરોના મતવિસ્તારમાં આવી નાની મોટી પ્રવૃત્તિઓ થતી હોય તો તેને કેમ અટકાવવા માટે આવતા નથી. આ વિસ્તારમાં કેમ રેલી કરવામાં આવતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે એટલે તમે કરતા નથી. જો કોંગ્રેસના ધારાસભ્ય-કોર્પોરેટર દારૂ-જુગારના ધંધા સાથે સંકળાયેલા હોય તો કાર્યવાહી કરો- ઈકબાલ શેખગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તો પોતે કોર્પોરેટર અને ધારાસભ્ય રહી ચૂક્યા છે અત્યારે તેમની પોતાની સરકાર છે. જો કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર કે કાર્યકર્તા દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તો કાર્યવાહી કરો તેમની સામે કેસ કરો અને ખુલ્લા પાડો તમને કોણ રોકે છે. ગોમતીપુર વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સાથે હું સો ટકા સંમત છું પરંતુ સરકાર તમારી છે રાજ્યના ગૃહ મંત્રી તમારા છે અને પોલીસ કમિશનર પણ તમારા છે તો પછી તમને કોણ રોકે છે? જીતુ વાઘેલાને ટોણો મારતા કહ્યું- 'સરકાર તમારી છે અધિકારીની બદલી કરાવી દો'પૂર્વ ધારાસભ્યને ટોણો મારતા કહ્યું હતું કે, તમારું સરકારમાં કોઈ સાંભળતું નથી તમે આવા પાંચથી છ વખત આવેદનપત્ર આપી ચૂક્યા છો પરંતુ કાર્યવાહી થતી નથી. અત્યારે હાલમાં ચૂંટણી આવે છે એટલે આવી બધી વાતો કરવામાં આવે છે. જો ગોમતીપુર વિસ્તારમાં દારૂ જુગાર અને ડ્રગ જેવી પ્રવૃત્તિઓ ચલાવવામા આવતી હોય અને રજૂઆત છતાં પણ કાર્યવાહી ન થાય તો તમારી સરકાર અને પોલીસ કમિશનર તમારા છે તમે અધિકારીની બદલી કરાવી દો. જ્યારે જ્યારે દારૂ, જુગાર અને ડ્રગ જેવી પ્રવૃત્તિની બાબત આવતી હોય છે અમે રજૂઆત કરતા હોઈએ છીએ અને તમે જો કહેતા હોય તો અમે પણ તમારી સાથે છીએ. ખાલી વાતોથી કઈ થાય નહીં જો કોઈ પણ સંડોવાયેલો હોય તો તેની સામે કાર્યવાહી કરો અમે તમારી સાથે છીએ
સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ડૉ. તુષાર ચૌધરી સહિત કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ આજે DG ઓફિસે પહોંચી ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી. આગેવાનોનું કહેવું છે કે સુરત, વલસાડ અને કચ્છ વિસ્તારમાં કિસાનોને પૂછ્યા વગર ઉભા પાક વચ્ચે હેવી વાયરનાં થાંભલા અને લાઈનો નાખવામાં આવી રહ્યા છે. વિરોધ કરનારા કિસાનો સામે પોલીસ એજન્ટની જેમ વર્તન કરીને ગામને કોર્ડન કરી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભય અને અસંતોષ વ્યાપ્યો છે. કિસાનોના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન: લાલજી દેસાઈલાલજીભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો કે, ગુજરાત પોલીસ અદાણી–અંબાણી જેવી મોટી કંપનીઓ માટે એજન્ટ બની કાર્ય કરે છે, જ્યારે કિસાનોના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. તેમણે કહ્યું કે, પોલીસ વડાને આ સમગ્ર ગતિવિધિની ફરિયાદ અને કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, કિસાનની સંમતિ લીધા વિના થતી કામગીરી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. માત્ર થોડા ઉદ્યોગપતિઓને ફાયદો મળે તે માટે કાયદાની જોગવાઈઓને અવગણીને કામગીરી કરવામાં આવે છે. બિનકાનૂની રીતે ચાલુ પ્રોજેક્ટો રોકીને કિસાનોને ન્યાય આપવા માગડૉ. ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, નબળી સિસ્ટમ અને સરકારની નિષ્ફળતા વચ્ચે કિસાન આજે ડુંગળીના ભાવ ન મળતા પહેલેથી જ પરેશાન છે અને હવે ઉભા પાકમાં થતી આવી કામગીરીથી તેઓ વધુ ત્રાસનો સામનો કરી રહ્યા છે. આગેવાનોની માગ છે કે, બિનકાનૂની રીતે ચાલુ પ્રોજેક્ટો રોકીને કિસાનોને ન્યાય અને સુરક્ષા આપવામાં આવે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ તાલુકાના હલદરવા ગામે 'સરદાર સ્મૃતિ વન'નું લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું. રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવા સ્મૃતિ વનનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં હલદરવા ખાતે આ સ્મૃતિ વનનું લોકાર્પણ યુનિટી માર્ચ પછીના મુખ્ય કાર્યક્રમ તરીકે યોજાયું હતું. આ સ્મૃતિ વનની વિશેષતા એ છે કે તેમાં 19 જાતના 562 વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ વૃક્ષો સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 562 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારત બનાવ્યું હતું તેનું પ્રતીક છે. અહીં એક વિશેષ નકશા દ્વારા દરેક રજવાડાની માહિતી પણ પ્રદર્શિત કરાઈ છે, જેથી ભવિષ્યની પેઢી સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ રાખી શકે. લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.બી. ડાભી અને હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર LCB ટીમે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાંથી રૂ. 4.35 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક વાડીની ઓરડીમાં સંતાડેલો આ દારૂ કબજે કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સપ્લાયરનું નામ ખુલ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે, રાજસ્થાનથી આયાત કરાયેલો ઇંગ્લિશ દારૂ હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે LCBની ટીમે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી 1,314 નંગ નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે કુલ રૂ. 4,35,600ની કિંમતનો દારૂ અને એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. દારૂના ધંધાર્થી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (રહે. હાડાટોડા)ની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જયપાલસિંહે જણાવ્યું કે તેણે રાજસ્થાનના જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી આ દારૂ મંગાવ્યો હતો. પોલીસે જગદીશભાઈને ફરાર જાહેર કરી વધુ તપાસ રાજસ્થાન સુધી લંબાવી છે.
રાજકોટમાં બર્થ ડે સેલિબ્રેશન કરવા ગયેલા 7 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં ભિખારીને હેરાન કરતા 18 વર્ષના યુવાન ધાર્મિક મકવાણાનું બર્થ ડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈ ભાઈ મયુર લઢેરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. જે ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મયુરને ઝડપી પાડ્યો હતો અને આજે તેને બનાવ વાળી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તે પોલીસના મારને કારણે લંગડાતો ચાલતો હતો. હત્યાની ઘટનાના રિ કન્સ્ટ્રક્શન વખતે આરોપીએ બે હાથ જોડી તમામની માફી માગી હતી. રાજકોટમાં બે દિવસમાં બીજી તો 18 દિવસમાં હત્યાની 4 ઘટના સામે આવતા પોલીસની પકડ સામે સવાલો ઊભા થયા છે. સોમવારે મોડી રાત્રે બર્થ ડે સેલિબ્રેશન કરવા ગયેલા 7 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બર્થ ડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈ ભાઈ મયુર લઢેરે 18 વર્ષના યુવાન ધાર્મિક મકવાણાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધાર્મિક ભીખારીને હેરાન કરતો હતો જેને સમજાવવા જતા ધાર્મિકે ગાળો આપતા તેનું ઢીમ ઢાળી દીધાનું પોલીસે જાહેર કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મૃતક ધાર્મિકના પિતા અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદાર પ્રકાશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સોમવારે મારો પુત્ર ધાર્મિક તેના મિત્ર રાહુલ વાઘેલાના જન્મદિવસના સેલિબ્રેશન માટે ગયો હતો. ધાર્મિક સહિત 7 મિત્રો બર્થ ડે સેલિબ્રેશન માટે જયુબેલી પાસેની મોમાઈ હોટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં સાત મિત્રો વચ્ચે કોઈ કારણથી માથાકૂટ થઈ હતી. જેમાં રાહુલના પિતરાઈ ભાઈ મયુર લઢેરે મારા પુત્રને છરીના ઘા મારી દેતા તેનું મૃત્યુ નિપજ્યું હતુ. હત્યા કરનાર મયુર પેડક રોડ પર રહે છે. જ્યારે વાલ્મિકી સમાજના પ્રમુખ મુકેશ પરમારે જણાવ્યું હતુ કે, શહેરના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારના નિર્દોષ યુવાનની હત્યા કરવામાં આવી છે. જે તેમના પિતાનો સૌથી મોટો પુત્ર હતો અને પરિવારનો આધાર સ્તંભ હતો. હત્યા કરનાર રાહુલ માથાભારે શખ્સ છે જેથી તેની સામે કડક કાર્યવાહી કરી મૃતક યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવામાં આવે તે જરૂરી છે. આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. મંગળવારે રાજકોટ ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે દોઢ વાગ્યા આસપાસ હત્યાની ઘટના બની હતી. પંચનાથ પ્લોટ વિસ્તારમાં યુવાન ધાર્મિક મકવાણાની હત્યા કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક તોરલ કોમ્પલેક્ષમાં આવેલા ભિખારીને હેરાન કરતો હતો જેથી તેના અન્ય મિત્રોએ હેરાન કરવાની ના પાડી. જોકે બાદમાં ધાર્મિકે મિત્રો સાથે મારામારી કરી હતી. જેથી તે મિત્રોએ અન્ય બે ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને તેમાંના એક રિક્ષા ચાલક મયુર લઢેરે પણ ધાર્મિકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેને રીક્ષા ચાલક મયુરને ગાળો આપી હતી. જેથી ઉશ્કેરાઈ જઈને મયુરે ધાર્મિકને છાતીના નીચેના ભાગે છરીનો ઘા મારી દેતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હતુ. જે બનાવમાં એ ડિવિઝન પોલીસે હત્યારા મયુરની ધરપકડ કર્યા બાદ રિ કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતુ.
જામનગરના હાપામાં વેપારીના મકાનમાં ચોરી:તસ્કરો 50 હજાર રોકડ, મોબાઈલ ફોન લઈ ફરાર
જામનગરના હાપા વિસ્તારમાં એક વેપારીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો મકાનમાંથી રૂ. 50,000 રોકડા અને એક મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાપા મેઈન બજાર વિસ્તારમાં રહેતા અને ફેરીનો વેપાર કરતા ઇન્દ્રકુમાર અર્જુનદાસ પરસરામાણીના મકાનને ગઈ રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી રૂ. 50,000 રોકડ રકમ અને રૂ. 17,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. ઇન્દ્રકુમાર પરસરામાણીએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન ખનિજ અધિકારીઓએ સુંઢિયા, લાડોલ,નુગર નજીક ખનિજચોરી જતાં ચાર ડમ્પર ઝડપી લઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગ્રેવલ ખનિજચોરીના વાહનમાલિકને રૂ. 3.81 લાખનો દંડ ફટકારી તેની રીકવરી કરી ગાડી મુક્ત કરવામાં આવી હતી. ગેરકાયદે ડસ્ટ બ્લેક ટ્રેપનો જથ્થો ભરી જતાં એક ડમ્પર ઝડપ્યોવડનગર તાલુકાના સુંઢિયા ગામ નજીક ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મહેસાણા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે ગેરકાયદે ડસ્ટ બ્લેક ટ્રેપનો જથ્થો ભરી જતાં એક ડમ્પરને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે વડનગર પોલીસ સ્ટેશનમાં મુકાવી દીધો હતો. વાહન માલિક પાસેથી 3.81 લાખનો દંડ વસૂલી ગાડીને છોડી મુકીવિજાપુરના લાડોલ રોડ પરથી અનધિકૃતરીતે ગ્રેવલ ખનિજ ચોરી જતાં એક ડમ્પર ટ્રકને ઝડપી લીધો હતો. જેના વાહન માલિકને ભૂસ્તર તંત્રએ રૂ. 3.81 લાખનો દંડ ફટકારી તેની ઓનલાઈન વસુલાત કરી ગાડી છોડી મૂકી હતી. તેમજ મહેસાણાના નુગર બાયપાસ રોડ પરથી રોયલ્ટી પરમીટ વગર રેતી ભરી જતાં બે ડમ્પર ઝડપી લઈ નુગર સ્ટોકયાર્ડમાં મૂકી તેના વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તર ટીમે આશરે સવા કરોડના ચાર ડમ્પરને ખનિજચોરીમાં ઝડપ્યાઆમ મહેસાણા ભૂસ્તર ટીમે આશરે સવા કરોડના ચાર ડમ્પરને ખનિજચોરીમાં ઝડપી લીધાં હતા. જેમાંના લાડોલ પાસેથી પકડાયેલાં ડમ્પર માલિક પાસેથી રૂ. 3.81 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું રોયલ્ટી ઓફિસરે જણાવ્યું હતું.
નવસારી શહેરના છાપરા રોડ પર પટેલ સોસાયટી નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં એક ટોયોટા હાઇરાઇડર કાર ઊભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટોયોટા હાઇરાઇડર કારના ચાલક વિનોદ પટેલ (રહે. પંચવટી સોસાયટી) હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી. આ અકસ્માતમાં ઊભેલા ટેમ્પો ટ્રાવેલરની આગળ પાર્ક કરેલા મોપેડ (એક્ટિવા) પર બેઠેલા ગણેશ રાણા અને અશોક રાઠોડ નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારની ટક્કરને કારણે મોપેડ સીધું ટેમ્પો ટ્રાવેલરની નીચે ઘૂસી ગયું હતું, જેને જેક લગાવીને બહાર કાઢવું પડ્યું હતું. બંને ઇજાગ્રસ્તોને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગાય પણ રોડની બાજુમાં ફેંકાઈ ગઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર ઊભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ અથડાતી સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાએ ફરી એકવાર નવસારી શહેરમાં રખડતા ઢોરના કારણે સર્જાતી દુર્ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. શહેરીજનો દ્વારા મહાનગરપાલિકાને રખડતા ઢોરને કાબૂમાં લેવા અને તેમને પાંજરાપોળમાં પૂરવા માટે ફરીથી માંગણી કરવામાં આવી રહી છે, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય.
ગિરનાર જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં મોડીરાત્રે એકસાથે 7 જેટલા સિંહોનું ટોળું બિન્દાસ્ત આંટાફેરા મારતું જોવા મળતાં સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. આ ઘટના ગત મોડીરાત્રિ દરમિયાન બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સિંહોનું આ મોટું ટોળું શેરીઓ અને જાહેર માર્ગો પર લટાર મારી રહ્યું છે. જંગલ વિસ્તારની નજીક આવેલા બિલખા રોડ પર અવારનવાર સિંહોની અવરજવર જોવા મળે છે, પરંતુ એકસાથે 7 સિંહોનો પ્રવેશ ચિંતાનો વિષય બન્યો છે. સિંહોની સંખ્યામાં વધારો, ટોળું હવે મોટું થયુંવન વિભાગના અધિકારી સાથે આ મામલે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ સિંહોનું ટોળું છેલ્લા બે વર્ષથી જંગલ નજીકના વિસ્તારોમાં આંટાફેરા મારતું જોવા મળતું હતું. બે વર્ષ પહેલાં આ સિંહોના બચ્ચાં નાના હતા, જે હવે સમય જતાં મોટા થયા છે. હાલ આ ટોળામાં અંદાજે બે-બે વર્ષના સિંહોનો સમાવેશ થાય છે, જે હવે પરિવાર સાથે જંગલ નજીકના રેવન્યુ વિસ્તારમાં વારંવાર લટાર મારી રહ્યા છે. આ ટોળું 2025 ની વસ્તી ગણતરીમાં ગિરનાર જંગલમાં સિંહની વધેલી સંખ્યામાંનું એક હોવાનું પણ જાણવા મળ્યું છે. સિંહોનું આ ટોળું ઘણીવાર શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહનો વીડિયો થયો હતો વાયરલજૂનાગઢ વિસ્તારમાં સિંહોની વધતી અવરજવરના બનાવો સતત સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ સિંહોનું એક ટોળું શહેર નજીક આવેલા રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહ્યું હોવાનો વીડિયો એક રાહદારીએ કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. બિલખા રોડ પર પણ અગાઉ સિંહોના આંટાફેરાના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે એકી સાથે 7 સિંહોનું રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં પ્રવેશવું લોકોમાં ડરની લાગણી પેદા કરી રહ્યું છે. સ્થાનિકો રાત્રે બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. વન વિભાગ સતર્ક, સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુવારંવાર શહેરી વિસ્તારમાં આવી ચડતા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને કારણે વન વિભાગની કામગીરી વધી ગઈ છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આ સિંહોના રહેણાંક વિસ્તારમાં ઘૂસવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક જગ્યાએ પહોંચે છે. વન વિભાગ દ્વારા આ સિંહોને ટ્રેક કરીને તેમને યોગ્ય અને સલામત સ્થળે જંગલમાં ખસેડવાની કામગીરી સમયાંતરે હાથ ધરવામાં આવે છે, જેથી માનવ વસાહત અને વન્યપ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય.
વડોદરા જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવા-યુવતીઓને અને નોકરિયાત તકો શોધી રહેલા ઉમેદવારોને વધુ રોજગાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી વડોદરા દ્વારા તા. 12 ડિસેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 10:30 કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પહેલો માળ, આઈ.ટી.સી બિલ્ડીંગ, આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. આ ભરતી મેળામાં ટેકનીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોર્ડિનેટર, એકાઉન્ટન્ટ, ટીચર સહિત 173થી વધુ જગ્યાઓ માટે સર્વિસ સેક્ટર તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિખ્યાત કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. જેઓને શિક્ષણ ક્ષેત્રમાં રસ હોય તથા બી.એ. અથવા બી.એડ. જેવા અભ્યાસક્રમ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે પણ આસિસ્ટન્ટ ટીચર અને ટીચર પદોની ઇન્ટરવ્યુ માટે વડોદરાની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. લાયકાત ધરાવતા અઠાર થી ચાલીસ વર્ષ વયસમૂહના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ ભરતી મેળો છે. આ ભરતી મેળામાં ઉમેદવારો તથા નોકરીદાતાઓને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, ઓવરસીઝ રોજગાર તકો, તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે. રસ ધરાવતા તમામ ઉમેદવારોને પોતાના બાયોડેટા/રેઝ્યુમનો 5 કોપી સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળે સમયસર હાજર રહેવાનું રહેશે. ભરતી મેળાનું આયોજન અને પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
નવસારી જિલ્લામાં દીપડાઓનું ગ્રામ્યમાંથી શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર થતાં શહેરીજનોમાં ભયનો માહોલ છે. માનવ વસાહતો નજીક દીપડા નિયમિતપણે જોવા મળી રહ્યા છે. ગણદેવી તાલુકાના તલોધ ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા બે દિવસમાં દીપડાએ એક વાછરડું અને એક ભૂંડનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે અને વન વિભાગ સક્રિય બન્યું છે. દીપડાને પકડવા માટે વન વિભાગે સંભવિત વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા છે. તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપી છે. દીપડાઓ ડાંગ જિલ્લામાંથી ધીમે ધીમે નવસારી જિલ્લા તરફ સ્થળાંતર કરી રહ્યા છે. નવસારીના શેરડીના ખેતરો તેમને છુપાવવા અને આરામ કરવા માટે યોગ્ય આશ્રયસ્થાન પૂરું પાડે છે. પૂર્ણા, કાવેરી અને અંબિકા જેવી નદીઓમાંથી તેમને પીવાનું પાણી સરળતાથી મળી રહે છે. આ કારણોસર, દીપડાઓ પરિવાર સહિત મોટી સંખ્યામાં આ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. અગાઉ દીપડાઓ નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે તેમની હાજરી પશ્ચિમ વિભાગના ગામડાઓ સુધી પણ વિસ્તરી છે. દીપડાઓના આ વધતા સ્થળાંતરને કારણે નવસારી જિલ્લાના વન અને શહેરી વિસ્તારો વચ્ચે માનવ-પ્રાણી સંઘર્ષની શક્યતાઓ વધી રહી છે.
ઝાલોદ તાલુકાના રીંછુમરા ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ કમલેશ નરસિંગ હઠીલા પર ગામના ઈતેશ બચુ નિનામાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે સરપંચને ત્રણ પુત્રો હોવા છતાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં માત્ર બે જ બાળકો હોવાનું દર્શાવી ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. અરજદારના જણાવ્યા મુજબ, સરપંચના ત્રણ પુત્રો યુવરાજ, દિલરાજ અને દિલબર છે. આ ત્રણેયની નોંધણી આંગણવાડી મોજણી રજિસ્ટરમાં તેમજ આધારકાર્ડમાં થયેલી છે. આમ, ઉમેદવારી દરમિયાન ફોર્મમાં ફક્ત બે જ બાળકો હોવાનું જાહેર કરીને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 30(1)(ત) તથા વર્ષ ૨૦૦૫ પછીની બે બાળકોની જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે ત્રીજા પુત્ર દિલબર (જન્મ તા. 14/06/2010)ની હકીકત છુપાવવા માટે સરપંચે તા. 28/03/2025ના રોજ ઝાલોદ મામલતદાર કચેરીમાં એક તરફી અરજી કરી હતી. આ અરજી દ્વારા બાળકનો જન્મ દાખલો પોતાના કાકા રાજુ દલસિંગ હઠીલાના પુત્ર તરીકે નોંધાવ્યો છે અને જન્મ તારીખ પણ 05/01/2011 દર્શાવી છે. આ આક્ષેપો સાબિત કરવા માટે અરજદારે કમલેશ હઠીલા, તેમની પત્ની, રાજુભાઈ હઠીલા, તેમની પત્ની તથા બાળક દિલબરનો તાત્કાલિક DNA ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. આ સાથે જ સરપંચને તુરંત પદેથી દૂર કરવા તેમજ ખોટા સોગંદનામા બદલ ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારે ચેતવણી આપી છે કે જો 45 દિવસમાં અરજીનો નિર્ણય નહીં લેવાય, તો ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 અને 227 હેઠળ રિટ પિટિશન દાખલ કરવામાં આવશે. આ આક્ષેપોને પગલે રીંછુમરા ગ્રામ પંચાયતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
પાટણ તાલુકાના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પરેશ બેચરભાઈ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે બાલીસણા પોલીસે બંને આરોપી પરેશ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પરેશ પટેલના 11 ડિસેમ્બર સુધીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે ઝાકીરહુસેન મેમણને કસ્ટડીમાં મોકલી આપ્યો. આરોપીઓએ મહિલાના એકાકીપણાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ, તેના ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે રૂ. 27.25 લાખ પડાવી લીધા હતા. પોલીસના રિમાન્ડ રિપોર્ટ મુજબ, આરોપી પરેશભાઈ પટેલે ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તપાસ કરવા માટે આરોપી પરેશને 6 અને 7 ડિસેમ્બરના રોજ પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, તેનું મેડિકલ થઈ શક્યું ન હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી અન્ય ઘણા મોબાઈલ નંબર, ફોટો અને સ્ક્રીનશોટ મળ્યા છે. તેની તપાસ માટે આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. આરોપીએ આવી રીતે અન્ય કેટલા નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા છે તે અંગે પણ તેના મોબાઈલની રૂબરૂ તપાસ અને ક્રોસ વેરિફિકેશન કરવાની જરૂર છે. આથી, કોર્ટે સાબરકાંઠાના વડાલી તાલુકાના મોરડ ગામના રહેવાસી પરેશભાઈ બેચરભાઈ પટેલના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બે કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ બેનઝાઇલ ક્લોરાઇડની રીસીવર ટેન્કમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, મામલતદાર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની વધતી સંખ્યા સલામતી ધોરણોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિકો અને કામદાર યુનિયનોએ કંપની મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. મોરિયા અને ચાંદોદ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર થાંભલા નંબર 19/18 પાસે એક અજાણ્યા વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચણોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. એક્તાનગરથી ટ્રેન અમદાવાદ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયોએકતાનગર(સ્ટેચ્યુ ઓફ યુનિટી)થી અમદાવાદ જતી (ટ્રેન નંબર-20950) અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ચણોદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 60 વર્ષની વયના અજાણ્યા વૃદ્ધને ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં તે ફંગોળાઈ ગયા હતા. ટક્કરની તીવ્રતા એટલી હતી કે, વૃદ્ધને મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેનો ડાબો પગ કપાઈ જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રેનના ડ્રાઈવરે તાત્કાલિક રેલ્વે તંત્રને આ ઘટના અંગે મેસેજ આપ્યો હતો. આ માહિતી મળતાં જ ચાંદોદ પોલીસ અને રેલ્વે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ તપાસની શરૂઆત કરી હતી અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સાથે વાતચીત કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે અકસ્માતમાં વૃદ્ધના મોઢાના ભાગને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી અને તેનો ચહેરો વિકૃત થઈ ગયો હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતકના વસ્ત્રો અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. આત્મહત્યા છે કે દુર્ઘટના તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવીચાંદોદ પોલીસે મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી દવાખાને મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યા વૃદ્ધની ઓળખ મેળવવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આસપાસના ગામો અને યાત્રાધામના મુલાકાતીઓ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને મૃતકના પરિવારજનોને જાણ કરી શકાય. આ ઘટના રેલ્વે ટ્રેક પરના અકસ્માતોની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. રેલ્વે વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા લોકોને રેલ્વે ટ્રેક પર અનધિકૃત રીતે ચાલવા અથવા આવવા સામે વારંવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. આ અકસ્માતને કારણે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસે લોકોને વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોર વ્હીલર ચાલકે પૂરઝડપે એક્સેસ ચાલકને ટક્કર મારી હતી જેના કારણે એક્સેસ પર બેઠેલા યુવકોને ઇજા પહોંચી છે.બનાવમાં એક યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને વધારે ઇજા પહોંચી છે.હાલ યુવક સારવાર હેઠળ છે.બી ડિવિઝન ટ્રાફિક પોલ્સ ફોર વ્હીલર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. એક્સેસ પર જતા બે યુવકોને કારચાલકે ટક્કર મારીસાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરી બજાર જતા રસ્તા પર બે યુવકને એક્સેસ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક વેગેનાર ગાડીનો ચાલક આવી રહ્યો હતો.વેગેનાર ગાડીએ પૂર ઝડપે એક્સેસને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે એક્સેસ પર બેઠેલો યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને મોઢાના અને શરીરના ભાગે ઇજા પહોંચી છે જ્યારે અન્ય યુવકને સામાન્ય ઇજા પહોંચી છે.અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેગનઆર કારના ચાલક સામે ગુનો નોંધાયોઅકસ્માત મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વેગેનાર કાર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.કાર ચાલકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.પોલીસ દ્વારા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
વડોદરા પાસે NH 48 પર અકસ્માત, 2ના મોત:બાઇક સવાર બે લોકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી ગયા
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલી કપુરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઇક સવાર બે લોકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત થયા છે. સુરત તરફ જવાના માર્ગે અકસ્માત થયો છે. આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સુરતના પ્રવત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. માર્કટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી પ્રસરી હોવાનું સામે આવ્યું છે. આગમાં 20થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે. સુરત શહેરના 9 ફાયર સ્ટેશનોની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ( આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
રાજસ્થાનના સિકરમાં થયેલા બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વલસાડ તાલુકના ફલધરા ગામના ચાર લોકોના મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી માતાના મંદિરે અને રાજસ્થાન પ્રવાશે નીકળ્યા હતા. જે દરમિયાન રાજસ્થાનના બિકાનેર હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.આ દરમિયાન સિકર પાસે અકસ્માત થયો હતો. આ બસમાં વલસાડ તાલુકાના ફલધરા ગામના 18 વ્યક્તિઓ પણ સવાર હતા, જેમાં આગળ બેસીને ડ્રાઇવરને રસ્તો બતાવતા પોલીસકર્મીનું પણ મોત થયું છે. ડ્રાઇવર સહિત ત્રણના મોતઆ અકસ્માતમાં બસ ડ્રાઇવર કમલેશ અને યાત્રી મયંકનું મોત થયું છે. જ્યારે અન્ય બે મૃતકની હજુ ઓળખ થઇ નથી. જ્યારે 15 ઘાયલોને સીકર રિફર કરવામાં આવ્યા છે. ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયામળતી માહિતી મુજબ મંગળવારે મોડી સાંજે સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટક્કર થતાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી જતાં હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો રોકાઈ ગયા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અમે પાછળ બેઠા હતા, આગળ શું થયું એની કંઇ ખબર ન પડી: પ્રવાસીધરમપુર તાલુકાના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, અમે વૈષ્ણોદેવીથી રાજસ્થાનના ખાટુશ્યામના દર્શન માટે જઇ રહ્યા હતા. અમે 50 લોકો બસમાં હતા, અમે તો પાછળ બેઠા હતા, આગળ શું થયું એની અમને કંઇ ખબર ન પડી. આ બસમાં મારા ગામના ઘણા પ્રવાસીઓ છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના SHO સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે, અકસ્માત મોડી રાત્રે થયો હતો. સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહ્યો હતો. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.
રાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સવારે 4 વાગ્યાના અસરસામાં આગ ફાટી નીકળી હતીઆગ લાગવાની જાણ થતાં રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આગની ગંભીરતાને જોતા 4થી વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરોનો કાફલો બોલવાયો હતો. વહેલી સવારના અંધારામાં અને જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાને કારણે આગને કાબૂમાં લેવાની કામગીરી ફાયર વિભાગ માટે પડકારજનક બની હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે સતત 5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોના પ્રયાસો રંગ લાવ્યા હતા. ફાયર વિભાગની ટીમે બહાદુરીપૂર્વક કામગીરી કરીને આગ પર લગભગ 80 ટકા જેટલો કાબૂ મેળવી લીધો છે. હાલમાં જ મળેલી માહિતી મુજબ, હાલમાં બાકીની 20 ટકા આગને સંપૂર્ણપણે બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી કરીને નુકસાન વધુ ન થાય અને આગ ફરીથી ન ભડકે. આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી છે અને કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. જોકે પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં બળીને ખાખ થતા મોટા નુકસાનની શક્યતા જોવાઇ રહી છે. આગ લાગવાનું કારણ અકબંધસ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ વહેલી સવારે 4 વાગ્યે લાગી હતી અને પ્લાયવુડને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. 4થી વધુ ફાયર ફાઈટરોની મદદથી સતત 5 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ આગના કારણે ફેક્ટરીમાં રહેલા પ્લાયવુડના મોટા જથ્થાને નુકસાન થયું છે, અને આર્થિક નુકસાન લાખો રૂપિયામાં થવાનો અંદાજ છે. આગ કાબુ થયા બાદ ફેક્ટરીના માલિકો દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અને આગનું કારણ જાણવા માટે વધુ તપાસ પણ કરવામાં આવશે. હાલ બાકી રહેલી 20% આગ કાબુમાં લેવા માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ટૂંક સમયમાં આગ કાબુમાં આવે તેવી શક્યતા છે.
હિંમતનગરમાં બુધવારે સવારે 7.15 કલાકની આસપાસ આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે એક પછી એક પાંચથી વધુ વિમાન કે રોકેટ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પસાર થતા દેખાયા હતા. આકાશમાં પસાર થઈ રહેલા આ યંત્રો પર સૂર્યના કિરણો પડતા એક અલગ જ દ્રશ્ય સર્જાયું હતું. સૂર્યપ્રકાશને કારણે તેમનો દેખાવ વધુ આકર્ષક બન્યો હતો. આ વિમાન કે રોકેટના ધુમાડાથી પણ આકાશમાં વિવિધ આકારો અને દ્રશ્યો રચાયા હતા, જેણે આ નજારાને વધુ રસપ્રદ બનાવ્યો હતો.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં એક ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એક એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. નલિયા બાદ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું. વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાઅમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 15 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
વલસાડ રૂરલ પોલીસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલાં સક્રિય બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. ૧૧.૦૭ લાખનો વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૨૧.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, પીઆઈ એસ.એન. ગડ્ડુના નેતૃત્વ હેઠળ વલસાડ રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તેમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક ટેન્કર (GJ-15-UU-7776) વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે, વલસાડ રૂરલ પોલીસે સરોણ હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. લાલ-સફેદ રંગનું ટાટા કંપનીનું શંકાસ્પદ ટેન્કર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ટેન્કર ચાલક પોલીસને જોઈને ટેન્કર છોડીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેન્કરની તપાસ કરતાં તેમાંથી ૨૦૦ પેટીઓમાં કુલ ૬૭૭૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. ૧૧.૦૭ લાખ આંકવામાં આવી છે. ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ. ૨૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે ટેન્કર ચાલક અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષની ઉજવણી પહેલાં રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ દ્વારા સતત કડક વોચ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. કે. સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગ એ. પટેલ જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત આ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટમાં પશ્ચિમી ક્ષેત્રના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા – માંથી કુલ 93 ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી રમાશે. આ વિશાળ સ્પર્ધામાં 93 ટીમોના કુલ 1300 ખેલાડીઓ ઉપરાંત 186 ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલૈયાઓની રોનકથી છલકાઈ ઉઠ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટીના ડાયરેક્ટોરેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, યુથ કલ્ચરલ એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું મહત્વ એ છે કે અહીંથી ટોચની ચાર ટીમોની પસંદગી કરવામાં આવશે, જે આંતર યુનિવર્સિટી ઇન્ટર ઝોનલ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26માં ભાગ લેવા માટે ચેન્નાઈ જશે. આ ઇન્ટર ઝોનલ ચેમ્પિયનશિપ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન એસ.આર.એમ. યુનિવર્સિટી, ચેન્નાઈ ખાતે યોજાશે.
સીંગવડના બારેલા ગામે મોડી રાત્રે ભીષણ આગ:પાંચ ભાઈઓના મકાનો બળીને ખાખ, ચાર બકરાના મોત
સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં પાંચ ભાઈઓના પાંચ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં ચાર બકરાના કરુણ મૃત્યુ થયા હતા, જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટના મધરાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, મકાનના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી, જેણે પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મકાનોમાં ઘાસ ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને થોડા જ સમયમાં પાંચેય મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગનો ભોગ બનેલા મકાનો એક જ પરિસરમાં આવેલા હતા અને તે પટેલ પ્રતાપભાઈ વજાભાઈ, પટેલ મોહનભાઈ વજાભાઈ, પટેલ દલપતભાઈ વજાભાઈ, પટેલ વિરસિંગભાઈ વજાભાઈ અને પટેલ રંગીતભાઈ વજાભાઈના હતા. આ પાંચેય ભાઈઓના પરિવારના સભ્યો આ મકાનોમાં રહેતા હતા. ઘટના સમયે પરિવારના સભ્યો ભોજન કર્યા બાદ ઊંઘી રહ્યા હતા. જોકે, આગની ચિંગારીઓ જોઈને પરિવારજનો સમયસર બહાર નીકળી આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને સૌ સુરક્ષિત બચી ગયા હતા. આ ભીષણ આગમાં પાંચેય મકાનોમાં રહેલો ઘરગથ્થુ સામાન, અનાજ, કપડાં અને જરૂરી દસ્તાવેજો સહિતનું તમામ માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત, મકાનમાં બાંધેલા ચાર બકરાઓ આગમાં ફસાઈ જતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પાંચેય મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભીષણ ઘટનાને કારણે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની વારાહી કોર્ટે રોકાણના નામે છેતરપિંડી કરવાના 20 વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સંજય ચૌધરીની કોર્ટે આરોપી પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કર (રહે. થરા, તા. કાંકરેજ) ને IPC કલમ 420 હેઠળ ઠગાઈના ગુનામાં દોષિત ઠેરવી 3 વર્ષની સાદી કેદ અને ₹10,000 દંડની સજા ફટકારી છે. કોર્ટે આદેશ કર્યો છે કે જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ બે માસની કેદ ભોગવવી પડશે. જોકે, IPC કલમ 406 (વિશ્વાસઘાત) ના ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ ઠગાઈ કરવાનો હતો. આ કેસની વિગત મુજબ, જુલાઈ 2002માં વારાહી સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રાઘવેન્દ્ર બહાદુરસિંહ પાસે આરોપી પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કર આવ્યા હતા. આરોપીએ પોતાને 'ફ્યુચર વિઝન કંપની' અને 'એલ.આઈ.સી.' ના એજન્ટ તરીકે ઓળખાવ્યો હતો. આરોપીએ ડોક્ટરને લોભામણી લાલચ આપી હતી કે સ્કીમમાં સભ્યો બનાવવા અને ₹12,000 નું રોકાણ કરવાથી ગિફ્ટ તેમજ ₹2,65,000 નું વ્હીકલ વાઉચર મળશે. આરોપીની વાતોમાં આવીને ફરિયાદી ડોક્ટરે ₹39,000 નું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, આરોપીએ સાહેદો જયંતિભાઈ અને પરષોત્તમભાઈ તેમજ તેમના ભાગીદારો પાસેથી પણ અલગ અલગ રકમનું રોકાણ કરાવી કુલ ₹4,14,000 જેવી માતબર રકમ ઉઘરાવી લીધી હતી. બાદમાં કંપની બંધ થઈ ગઈ હતી અને રોકાણકારોને તેમની મૂડી કે વળતર મળ્યું ન હતું. વારાહી કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ફરિયાદી અને સાહેદોને મોટી રકમના વળતરની લાલચ આપી હતી અને રસીદોમાં સહી કરવાનું ટાળીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો, જે તેનો ગુનાહિત ઈરાદો સાબિત કરે છે. આ ચુકાદાથી આર્થિક ગુનાઓ આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચોટીલામાં ખાણ ખનીજનો દરોડો:મોટા કાંધાસર ગામમાંથી રૂ. 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોટા કાંધાસર ગામના ખાનગી સર્વે નંબર 158 અને સરકારી સર્વે નંબર 300 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન હાર્ડમોરમ (કોરર્વેશ)નું કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનોનો કુલ અંદાજિત મુદ્દામાલ રૂ. 1,41,00,000 આંકવામાં આવ્યો છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખોદકામ આઇબાબેન મોકાભાઈ દ્વારા કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉક્ત ઈસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ સંડોવાયેલા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

34 C