SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

અંતે કોંગ્રેસે અમદાવાદ મનપાની સંપૂર્ણ યાદી જાહેર કરી:48 વોર્ડની 192 બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર કોણ?, જુઓ સંપૂર્ણ લિસ્ટ

કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. અમદાવાદના 48 વોર્ડમાં વોર્ડ વાઈઝ ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર સાથેની યાદી જુઓ…

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:46 pm

વાપી મનપા ચૂંટણી:52 બેઠકો માટે 129 ઉમેદવારો, હવે ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર નજર

વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હવે 52 બેઠકો માટે 129 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ આંકડો સામે આવ્યો છે. હવે સૌની નજર ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર ટકેલી છે, જે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ કરશે. વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી માટે કુલ 179 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ડમી ઉમેદવારો સહિત કુલ 50 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે હવે 129 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો મહત્વનો દિવસ છે. આ તબક્કે કેટલા ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચે છે, તેના પર સૌની નજર છે. પરત ખેંચણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ, બાગી અને અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ પરિણામોને અસરકારક બનાવી શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. ચકાસણી બાદ વોર્ડવાઈઝ ઉમેદવારોની સ્થિતિવોર્ડ 1 માં 13 માંથી 3 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 2 માં 14 માંથી 3 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 3 માં 11 માંથી 2 રદ્દ થતા 9 ઉમેદવાર, વોર્ડ 4 માં 17 માંથી 6 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 5 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 6 માં 12 માંથી 1 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 7 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 8 માં 16 માંથી 5 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 9 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 10 માં 10 માંથી 2 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 11 માં 15 માંથી 7 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 12 માં 19 માંથી 5 રદ્દ થતા 14 ઉમેદવાર (સૌથી વધુ જંગ), અને વોર્ડ 13 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર બાકી રહ્યા છે. ચૂંટણીમાં હવે મુખ્ય ટક્કર ઉપરાંત બાગી અને અપક્ષ ઉમેદવારો કેવી અસર કરે છે અને પરત ખેંચણી પછી કયા વોર્ડમાં સીધી ટક્કર રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:46 pm

4 મિત્રોની ટોળકીએ ઘરેબેઠા ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ રચ્યું:10 હજારમાં નકલી લાયસન્સ આપી 50થી વધુ લોકોને લૂંટ્યા, બે RTO એજન્ટ પણ ઝડપાયા

સુરતમાં એક શાતિર ગેંગે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપીને લોકોને છેતરવાનો ધંધો ચલાવ્યો હતો. માત્ર 7થી 10 હજાર રૂપિયામાં ઘરેબેઠા લાયસન્સ અપાવી આપવાનું વચન આપીને આ ટોળકીએ 50થી વધુ લોકોને લૂંટ્યા છે. સુરત SOGની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી આ ચાર મિત્રોના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે આરટીઓ એજન્ટ પણ સામેલ છે. 13 નકલી લર્નિંગ લાઈસન્સ અને 4 મોબાઈલ જપ્તપોલીસે પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડીયા, પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ અને રવિ જેઠાભાઈ ગાંગડીયાને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ વરાછા, મોટા વરાછા અને કામરેજ વિસ્તારના રહેવાસી છે. તેમની પાસેથી 13 નકલી લર્નિંગ લાયસન્સ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. m-parivahan એપમાં ફોર્મ ભર્યાનો દેખાડો કરી વિશ્વાસ અપાવતોઆરોપીઓ વોટ્સએપ ગ્રુપ અને ફોન કોલ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા. તેઓ પોતાને આરટીઓના મોટા એજન્ટ તરીકે ઓળખાવતા અને કહેતા કે, તેમની RTOમાં મોટી વગ છે. વિશ્વાસ જીતવા માટે તેઓ m-parivahan એપ્લિકેશનમાં અધૂરું ફોર્મ ભરીને ગ્રાહકના મોબાઈલ પર OTP મંગાવતા. OTP મળતાં જ લોકોને લાગતું કે કામ સરકારી રીતે આગળ વધી રહ્યું છે. ગેંગે 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવી લોકોને છેતર્યાઆ પછી મુખ્ય આરોપી પ્રજેશ માણીયા WPS એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાયસન્સની સોફ્ટ કોપી એડિટ કરીને ગ્રાહકને મોકલી આપતો. આ રીતે કોઈ પરીક્ષા અપાવ્યા વગર અને સરકારી ફી ભર્યા વગર જ નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરી આપવામાં આવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવીને લોકોને છેતર્યા છે. પ્રફુલ પટેલ અને રવિ ગાંગડીયા RTO એજન્ટ તરીકે ઓળખાવીને લોકોને ફસાવતા હતા, જ્યારે ધર્મેન્દ્ર OTP મેળવવાનું કામ કરતો હતો. મુખ્ય સૂત્રધાર પ્રજેશ અગાઉ 7 ગુનાઓમાં સામેલ હોવાનો પોલીસ રેકોર્ડ છે. અજાણ્યા એજન્ટોને ડોક્યુમેન્ટ કે OTP આપવાનું ટાળોસુરત SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ કેસમાં BNS કલમ 316(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હાલ આ રેકેટમાં વધુ આરોપીઓ અને અન્ય શહેરોમાં ચાલતા આવા કૌભાંડોની તપાસ કરી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, લાયસન્સ અથવા અન્ય કોઈ સરકારી કામ માટે માત્ર સત્તાવાર વેબસાઈટ અથવા કચેરીનો જ ઉપયોગ કરે અને અજાણ્યા એજન્ટોને OTP કે ડોક્યુમેન્ટ આપવાનું ટાળે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:46 pm

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મોગલ ધામ તરઘરામાં:દક્ષાબા દ્વારા સન્માન કરાયું, કાર્યકર્તાઓ પણ સાથે રહ્યા

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત સુપ્રસિદ્ધ આઈ શ્રી મોગલધામની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોગલધામના દક્ષાબા દ્વારા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વનરાજસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓ પણ નિમુબેન બાંભણિયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:38 pm

ચિત્રકૂટ સોસાયટીએ લગાવ્યા 'કામ નહીં તો વોટ નહીં' બેનર:વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માગ

પાટણ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા આનંદ સરોવર પાછળની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે 'કામ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા આ બેનરોથી રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સનસનાટી મચી ગઈ છે. સોસાયટી પરિવારે લગાવેલા બેનરમાં જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી તેમની સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે આજુબાજુની સોસાયટીનો કચરો પણ અહીં આવે છે, જેનું આજદિન સુધી કોઈ નિવારણ થયું નથી. વધુમાં, સોસાયટીના રહીશો મધ્યમવર્ગના હોવાથી સોસાયટીનો અંદરનો રોડ પણ બનાવવામાં આવ્યો નથી. બાજુમાં આનંદ સરોવર આવેલું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે, પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. આના કારણે સોસાયટીના બાળકો અને વડીલોને બીમારીઓનો સામનો કરવો પડે છે. સોસાયટી દ્વારા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કલેક્ટરે ચાર માસનો સમય આપ્યો હતો. જોકે, આ વાતને આઠ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, સોસાયટી પરિવારે ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષે તેમની સોસાયટીમાં વોટ માંગવા ન આવવું તેવો ઉલ્લેખ કર્યો છે. આ માહિતી સોસાયટી પરિવારના પ્રજાપતિ રમેશભાઈ, શૈલેષભાઈ નાયી અને કનુભાઈ સુથારે આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:37 pm

કોંગી ઉમેદવારે પ્રદેશ પ્રમુખનું બેનર પેટ્રોલ છાંટી સળગાવ્યું:ભરૂચ પાલિકાના વોર્ડ 2માં મેન્ડેટ વિવાદ બાદ કોંગ્રેસમાં ભડકો, ચૂંટણી ફોર્મ રદ થતાં સમર્થકો સાથે પિત્તો ગુમાવ્યો

ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2 માં મેન્ડેટ વિવાદ બાદ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓના બેનરો સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં બે ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી. શરૂઆતમાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું. જોકે, બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં ઊંડા આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે. ચૂંટણી પહેલાં ઊભેલા આ વિવાદની પક્ષના પ્રદર્શન પર શું અસર થશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:35 pm

'મેં અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, માત્ર સિમ્પલ સાડી પહેરી હતી':વાઇરલ વીડિયો બાદ MSU વિદ્યાર્થિનીની સો.મીડિયા પોસ્ટ, રડતા રડતા કહ્યું- 'બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા છોકરીનો સહારો લીધો'

વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીનો 'ધક ધક' સોન્ગ પરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે આજે વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા ઉપર બે વીડિયો પોસ્ટ કર્યા કરી માફી માંગી હતી અને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. વીડિયોમાં રડતા રડતા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં અશ્લીલ કપડાં પહેર્યા નહોતા. માત્ર એક સિમ્પલ સાડી પહેરી હતી અને સ્ટેજ પર મારા આર્ટને રજૂ કરી રહી હતી. મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થિની છું. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, NSUI મારો વીડિયો વાઇરલ કરી રહ્યા હતા, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે આજે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ સસ્પેન્ડ કરાવી દીધી. આ આખો મામલો NSUIએ ચગાવ્યો હતો. જો કે આ કોઈ અશ્લીલ સોંગ નહીં પણ માત્ર એક ફિલ્મનું સોંગ છે. જેના પર 'બેટા' ફિલ્મમાં માધુરી દીક્ષિત જેવી સુપરસ્ટાર એક્ટ્રેસ ડાન્સ કરી ચૂકી છે. 'હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને રજૂ કરી રહી હતી'પહેલા વીડિયોમાં યુવતીએ રડતા રડતા કહ્યું હતું કે, જય શ્રી રામ... મેં આ વીડિયો એટલા માટે બનાવ્યો છે. કારણ કે, MSU કલ્ચરલ ફેસ્ટમાં મેં જે ડાન્સ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મેં વડોદરાની સંસ્કારી નગરીની મર્યાદા ઓળંગી છે અથવા અશ્લીલતા ફેલાવી છે. હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને સ્ટેજ પર રજૂ કરી રહી હતી. 'આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી'હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગું છું. પણ શું આ એટલી મોટી વાત છે કે તેને આટલો મોટો મુદ્દો બનાવવામાં આવે? મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થીની છું. મારો વિરોધ એ વાતનો છે કે, આ લોકોએ મારી પરવાનગી વગર મારો પર્સનલ વીડિયો કેમ મૂક્યો? માત્ર રાજકીય રોટલા શેકવા માટે કે બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા માટે એક છોકરીનો સહારો લેવો કેટલો યોગ્ય છે? આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી. 'લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે, દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દા છે'મારા પર શું વીતતી હશે એ કોઈ નથી સમજી રહ્યું. લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરામાં અને દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દાઓ છે, તેને છોડીને લોકોએ માત્ર મરચું-મસાલો મેળવવા માટે મને નિશાન બનાવી છે. શું આ પહેલા કોઈએ બોલિવૂડ સોંગ પર ડાન્સ નથી કર્યો? તો પછી મારા જ કેસમાં 'સંસ્કાર ભંગ'ની વાતો કેમ કરવામાં આવે છે? 'હું ગીતની પસંદગી માટે માફી માંગું છું'મારી વિનંતી છે કે, કોઈપણ વીડિયો શેર કરતા પહેલા એ વિચારો કે તે વ્યક્તિ પર શું અસર થશે. મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, મેં માત્ર મારી કલા પ્રદર્શિત કરી હતી. મહેરબાની કરીને કોઈના માનસિક સ્વાસ્થ્ય સાથે ન રમો. હું ફરી એકવાર ગીતની પસંદગી માટે માફી માંગું છું, પણ મને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે તે ખોટું છે. 'મેં મારી વાત રજૂ કરી તો મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી'યુવતી બીજા વીડિયોમાં કહે છે કે, એક તરફ NSUI વાળા 'મહિલા સશક્તિકરણ'ની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે કોઈ છોકરી પોતાના પર લાગેલા ખોટા આરોપોને સાબિત કરવા માટે પોતાની આઈડી પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેમનો અસલી ચહેરો સામે આવે છે. તેઓ મારી એ પોસ્ટથી ડરી ગયા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને માસ મીડિયાના સંપર્કોનો ઉપયોગ કરીને મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી. 'ગઈકાલે મારો વીડિયો વાઇરલ કરવામાં તેમને વાંધો નહોતો'જો તેઓ સાચા જ હતા, તો તેઓ ડર્યા કેમ? ગઈકાલે જ્યારે તેઓ મારો વીડિયો વાઇરલ કરી રહ્યાં હતાં, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ બંધ કરાવી દીધી. હા, ચોક્કસ. આ તેમની માનસિકતા છતી કરે છે કે જ્યારે કોઈ છોકરી પોતાના માટે અવાજ ઉઠાવે છે કે પોતાનો પક્ષ રજૂ કરે છે, ત્યારે તેમને તેનાથી કોઈ લેવા-દેવા નથી હોતું. તેમને માત્ર પોતાનો પ્રોપેગન્ડા અને રાજનીતિ ફેલાવવામાં જ રસ છે. 'તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો'એક છોકરીના અવાજને દબાવવા માટે તેની આઈડી સસ્પેન્ડ કરાવવી એ ખૂબ જ નીચું સ્તર છે. જો તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો, આવી રીતે ડરીને કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો. આ બતાવે છે કે તમે અંદરથી ડરેલા છો. “ધક ધક કરને લગા” સોન્ગ પર યુવતીના ડાન્સનો વીડિયો વાઈરલઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારી ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:28 pm

વર્કશોપમાં આગથી બે કાર બળીને ખાખ:સર્વિસમાં આવેલી અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીં, નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન વર્કશોપમાં બની ઘટના

મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન કારના વર્કશોપમાં આજે 13 એપ્રિલે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાર સર્વિસ સ્ટેશનના પેઈન્ટ સેક્શનમાં લાગેલી આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ગઈ હતી. જેમાં સર્વિસ માટે આવેલી બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટના બપોરે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોહાઈવે પર આવેલા આ વર્કશોપમાં ગાડીઓ અને પેઈન્ટના મટીરિયલ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીંફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે વર્કશોપમાં પડેલી અન્ય ચાર જેટલી કિંમતી કારને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બે ગાડીઓ બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:26 pm

બોટાદમાં મહાકાળી માતાજીનો માંડવો યોજાયો:પારેવાની છત્રીના લાભાર્થે ખારા વિસ્તારમાં ભક્તો ઉમટ્યા

બોટાદ શહેરના ખારા વિસ્તારમાં આવેલી વિજય સોસાયટી, સહકાર નગર પાસે શ્રી મહાકાળી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પારેવાની છત્રીના લાભાર્થે યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે પંચના ભુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવામાં થાંભલી વધાવવાનું મુહૂર્ત ૧૩ એપ્રિલ, ૨૦૨૬, સોમવારે સવારે ૭:૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. રાવળદેવ વિજયભાઈ શિવરાજપુરવાળા અને તેમનું સમગ્ર ગ્રુપ પણ આ માંડવામાં હાજર રહ્યું હતું. માતાજીના માંડવાના દર્શન કરવા, આશીર્વાદ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર આયોજન બોટાદના શ્રી મહાકાળી યુવક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:21 pm

નકલી ખાતર-બિયારણ અને દવાના વેચાણ સામે તંત્રની લાલ આંખ.:જૂનાગઢમાં ખેતીવાડી વિભાગના દરોડા: 1371 પૈકી 46 નમૂના નાપાસ જાહેર, નબળી ગુણવત્તાના કારણે ખેડૂતો પાયમાલ થવાની ભીતિ, ફોજદારી કાર્યવાહી શરૂ.

​જૂનાગઢ જિલ્લામાં ખેતીના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ગુણવત્તાને લઈને હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના ખેડૂતોમાં નબળી ગુણવત્તાના કૃષિ ઇનપુટ્સને કારણે ભારે ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે બજારમાં મોટા પાયે ઉપલબ્ધ ડુપ્લીકેટ અને નિમ્ન કક્ષાના ઉત્પાદનોને કારણે ખેતીની જમીન ધીમે ધીમે બંજર બની રહી છે અને દર વર્ષે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ માત્ર આર્થિક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ નુકસાનકારક છે, કારણ કે નબળી દવાઓનો છંટકાવ ખેત પેદાશો મારફતે મનુષ્યના શરીરમાં જઈ કેન્સર જેવા ગંભીર રોગો નોતરી રહ્યો છે. ​આ ગંભીર ફરિયાદો વચ્ચે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2025-26 ના આંકડા મુજબ, વિભાગ દ્વારા જિલ્લાભરમાંથી કુલ 1371 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કુલ લીધેલા નમૂનાઓ પૈકી 46 જેટલા નમૂનાઓ બિન-પ્રમાણિત એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જંતુનાશક દવાઓના 10, ખાતરના 29 અને બિયારણના 7 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેતી માટે વપરાતી પાયાની જરૂરિયાતોમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ​ખેડૂત અગ્રણી મનસુખભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ ખાતર, દવા અને બિયારણના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ રહી છે. જ્યારે ખેડૂત મોંઘા ભાવે ખરીદી કરે છે અને અંતે ઉત્પાદન મળતું નથી ત્યારે તેની આર્થિક કમર તૂટી જાય છે. તેમણે સરકારને નમ્ર અપીલ કરી છે કે જે કંપનીઓના સેમ્પલ ફેઈલ થયા છે, તેમને માત્ર નોટિસ આપીને સંતોષ ન માનવો જોઈએ. આવી કંપનીઓને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી અન્ય વિક્રેતાઓમાં કડક સંદેશ જાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે. ​ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક એસ. એન. ગધેસરીયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ નમૂનો નાપાસ જાહેર થાય છે, ત્યારે તંત્ર દ્વારા તુરંત જ કડક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ, જે-તે વિક્રેતા અને ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે. આ સાથે જ શંકાસ્પદ જથ્થાના વેચાણ પર 'સ્ટોપ સેલ'નો આદેશ આપી દેવામાં આવે છે, જેથી તે નબળું મટીરીયલ અન્ય કોઈ ખેડૂત સુધી ન પહોંચે. ત્યારબાદ આ તમામ પુરાવાઓ રાજ્ય કક્ષાએ મોકલીને મંજૂરી મેળવ્યા બાદ જવાબદાર વ્યક્તિઓ અને કંપનીઓ સામે ફોજદારી કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય છે. આવા નમૂના નાપાસ થવાના ધોરણો દરેક વસ્તુ માટે અલગ-અલગ હોય છે. દવામાં કન્ટેન્ટની ટકાવારી મુજબ તેના માપદંડો નક્કી હોય છે, જ્યારે ખાતરમાં તેના પ્રકાર (વોટર સોલ્યુબલ, ઓર્ગેનિક કે નેનો ફર્ટિલાઇઝર) મુજબ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. બિયારણમાં તેની ઉગવાની ક્ષમતા અને આનુવંશિક શુદ્ધતા તપાસવામાં આવે છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેમાં વર્ષની શરૂઆતમાં થયેલા કેસોની કાર્યવાહી વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ​હાલમાં જૂનાગઢના ખેડૂતો અને જનતામાં એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર માત્ર આંકડાકીય માહિતી ન આપે પરંતુ જે કંપનીઓ લોકસ્વાસ્થ્ય અને ખેડૂતોના નસીબ સાથે ચેડાં કરે છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરે. જો સરકાર યોગ્ય રસાયણો અને શુદ્ધ બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત નહીં કરે, તો આગામી સમયમાં ખેતીના પાક અને જમીનની ફળદ્રુપતા બંને જોખમાઈ શકે છે. વહીવટી તંત્રની આ કામગીરી હાલ તો ખેડૂતોને આશ્વાસન આપી રહી છે, પરંતુ કાયદાકીય લડત ક્યારે અંજામ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:48 pm

રાજકોટ મનપાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો:કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો. આજે ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. અમારા ઉમેદવારને દબાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે. એક પણ ઉમેદવારને ભાજપ ડરાવી ફોર્મ ખેંચાવી ન શકે એવી પૂરતી તૈયારીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 72 ઉમેદવાર છે. અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા. પરબટુ વોર્ડવાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે તે માટે અમે પૂરી તૈયારી કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:28 pm

સાધુ વાસવાણી રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ:ફાયર ફાઈટર્સ દ્વારા 7 કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ, મોટી જાનહાનિ ટળી

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગાર્ડન સિટી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એક કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં લાગેલી આગમાં ફસાયેલા 6 થી 7 કર્મચારીઓને ફાયર બ્રિગેડે લેડરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં લાખોની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનગાર્ડન સિટી કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા, જેના કારણે અંદર કામ કરતા કર્મચારીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ફસાયેલા કર્મચારીઓ બારી પાસે આવી બચાવ માટે આક્રંદ કરી રહ્યા હતા. ગભરાટમાં કેટલાક લોકોએ નીચે કૂદી પડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ટીમો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ લેડર (સીડી) મારફતે તમામ ફસાયેલા લોકોને એકપછી એક સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આગમાં ઓફિસનું ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બળી ગયા છે. તંત્ર દ્વારા હાલ બિલ્ડિંગના ફાયર NOC અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભારે હોબાળોરાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે દર્દીઓ અને અમરનાથ યાત્રીઓનો એકસાથે ધસારો વધતા વ્યવસ્થા ખોરવાઈ હતી. રૂટિન દર્દીઓ, અમરનાથ યાત્રાના હેલ્થ સર્ટિફિકેટ અને પોલીસ ફિટનેસ ટેસ્ટ માટે આવનારા લોકોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી પ્રતીક્ષા બાદ પણ વારો ન આવતા દર્દીઓએ દેકારો કર્યો હતો, જેને પગલે સ્થિતિ કાબૂમાં લેવા સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવા પડ્યા હતા. રેલવેના 12 જાગૃત કર્મચારીઓનું સન્માનરાજકોટ રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને તેમની સતર્કતા બદલ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવાને બદલે ગંભીર ટેકનિકલ ખામીઓ ઝડપી પાડી હતી ઓઈલ લીકેજ, તૂટેલી નકલ પિન અને ટ્રેક પરના અવરોધો સમયસર શોધી કાઢી સંભવિત રેલ અકસ્માતો ટાળવામાં આ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:28 pm

બનાસકાંઠા રેન્જ પોલીસે પાલનપુર હાઈવે પરથી દારૂ ઝડપ્યો:ટ્રકમાંથી 662 પેટી વિદેશી દારૂ, કુલ 91.52 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા રેન્જ પોલીસે પાલનપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે કુલ 91,52,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 66,32,160 રૂપિયાનો દારૂનો જથ્થો સામેલ છે. આ કાર્યવાહીમાં એક ઇસમને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુરની સૂચના હેઠળ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે રેન્જના જિલ્લાઓમાં પરપ્રાંતિય વિદેશી દારૂની હેરફેર કે વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.પરમાર, બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલી સચોટ બાતમીના આધારે પાલનપુર હાઇવે પર એરોમા સર્કલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ-18-BW-5348 નંબરના આઇસર ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રકની તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકના કટ્ટાઓમાં ભરેલા ભુસાની આડમાં પતરાનું પાર્ટેશન બનાવી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 662 પેટીઓ છુપાવવામાં આવી હતી. આ પેટીઓમાં કુલ 28,308 બોટલ/ટીન દારૂ હતો, જેની કિંમત 66,32,160 રૂપિયા આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં જોગારામ રાવ (રહે. બાયતુ, જિ. બાડમેર, રાજસ્થાન) નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ ષડયંત્રમાં સામેલ અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:25 pm

વલસાડમાં ફોર્મ ચકાસણી દિવસે રાજકીય ગરમાવો:આમ આદમી પાર્ટીના ઉમેદવારનું અપહરણ થયાનો આક્ષેપ, પોલીસ મથકે દોડધામ

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના એક ઉમેદવારનું અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે વલસાડના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠક પરથી રોલા ગામના ભીખુભાઈ સુમનભાઈ પટેલે 'આપ' તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભીખુભાઈ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં હાજર હતા. તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમને પોતાની સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભીખુભાઈનું અપહરણ કરીને તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ભાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, રોલા ગામના જ કોઈ વ્યક્તિ તેમને 'સમજાવટ' (દબાણ) માટે લઈ ગયા છે. હાલમાં ઉમેદવારનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. આ ઘટનાને પગલે 'આપ'ના કાર્યકરો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. 'આપ'ના આગેવાનોએ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મુલાકાત કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચૂંટણી ટાણે જ ઉમેદવારના કથિત અપહરણની વાત વહેતી થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ કૃત્ય ખરેખર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:21 pm

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ:15 એપ્રિલે ફોર્મ પરત ખેંચાશે, પછી ચિત્ર સ્પષ્ટ થશે

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભરાયેલા મોટાભાગના ફોર્મ માન્ય ઠર્યા છે, જ્યારે કેટલાક અમાન્ય જાહેર થયા છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 157 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ચકાસણી બાદ, 45 પત્રો અમાન્ય જાહેર થયા હતા, જ્યારે 115 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયત સ્તરે પણ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 98 ઉમેદવારી પત્રોમાંથી 34 અમાન્ય અને 64 માન્ય રહ્યા છે. ઇડરમાં 28 બેઠકો માટે 102માંથી 26 અમાન્ય અને 76 માન્ય પત્રો સ્વીકારાયા છે. તલોદમાં 20 બેઠકો માટે 67માંથી 9 અમાન્ય અને 58 માન્ય ઠર્યા છે. આ ઉપરાંત, પ્રાંતિજ તાલુકામાં 65માંથી 8 અમાન્ય અને 57 માન્ય પત્રો રહ્યા છે. વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 63માંથી 18 અમાન્ય અને 47 માન્ય થયા છે. પોશીનામાં સૌથી વધુ 132 ઉમેદવારી પત્રોમાંથી 68 અમાન્ય અને 64 માન્ય રહ્યા છે. વિજયનગરમાં 18 બેઠકો માટે 90માંથી 25 અમાન્ય અને 65 માન્ય થયા છે. હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 94માંથી 16 અમાન્ય અને 78 માન્ય પત્રો સ્વીકારાયા છે. નગરપાલિકા સ્તરે, હિંમતનગર નગરપાલિકાની 44 બેઠકો માટે 109 ઉમેદવારી પત્રોમાંથી 18 અમાન્ય અને 91 માન્ય જાહેર થયા છે. ઇડર નગરપાલિકાની 28 બેઠકો માટે 97માંથી 6 અમાન્ય અને 91 માન્ય રહ્યા છે, જ્યારે વડાલી નગરપાલિકાની 24 બેઠકો માટે 82માંથી 15 અમાન્ય અને 67 માન્ય ઉમેદવારી પત્રો સ્વીકારાયા છે. હવે 15 એપ્રિલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો દિવસ છે. આ પછી ચૂંટણીમાં કયા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:19 pm

શહેરા નગરપાલિકા ચૂંટણી 2026:28માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, ચૂંટણી પહેલા જ સ્પષ્ટ બહુમતી

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી છે. કુલ 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપે સત્તા પર કબજો જમાવ્યો છે. શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં ફેલાયેલી 28 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, ભાજપના 15 ઉમેદવારો સામે કોઈ હરીફ મેદાનમાં ન હોવાથી તેમને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 માં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો હતો, જ્યાં તમામ બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો ન હોવાથી ભાજપનો વિજય થયો છે. ચૂંટણી પહેલા જ સ્પષ્ટ બહુમતી મળી જતાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિણામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ માટે એક મહત્વપૂર્ણ જીત માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:15 pm

હિંમતનગર શંકરનગર સોસાયટીમાં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા:રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉકેલ માંગ્યો

હિંમતનગરની શંકરનગર સોસાયટીમાં કમોસમી વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સોસાયટીના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ પરિસ્થિતિ ગત ૭ એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે નિર્માણ પામી હતી. ખાસ કરીને શંકરનગર સોસાયટીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સમસ્યાના નિરાકરણ માટે સોમવારે શંકરનગર સોસાયટીના રહેવાસીઓ હિંમતનગર નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી. રહીશોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ચીફ ઓફિસરે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ નગરપાલિકા દ્વારા સોસાયટીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત થઈ શકે અને આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:13 pm

ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ':SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત, પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત, પ્રસાદીમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું

ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ' નવસારીમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો.. મેન્ડેટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી દીધી..તમામ બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા હોવાથી ભાજપે જીતની તૈયારી શરુ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો. સુરતમાં 300થી વધુ કાર્યકર્તાઓએ કાર્યાલયને ઘેરી વિરોધ કર્યો. તો અમદાવાદમાં પણ નેતાઓએ ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરવી પડી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની હાજરીથી હોબાળો ફોર્મ ચકાસણી વખતે ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન કલેક્ટરની કચેરીમાં હાજર રહેતા હોબાળો.. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ કરતા કલેક્ટરે તમામને બહાર કાઢ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાનો ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ -કોંગ્રેસની મિલીભગતનો આક્ષેપ કર્યો. .કહ્યું કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, એટલે ભાજપે ઉમેદવાર આપ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો જે.વી કાકડિયાની પત્નીનું વિવાદીત નિવેદન અમરેલીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડિયાની પત્નીના નિવેદનથી વિવાદ..કોકિલા કાકડીયાએ કહ્યું, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરુ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત સુરેન્દ્રનગરના છરાદ અને ભાસ્કરપુરા વચ્ચે પદયાત્રીઓ પર બેફામ સ્પીડે આવતું ડમ્પર ફરી વળ્યું. અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ પણ આ ગોઝારા અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના પર દુખ વ્યક્ત કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત વડોદરામાં ટ્રેનિંગ દરમિયાન એસઆરપી જવાનનું મોત થયું. સવારે પીટી બાદ 29 વર્ષના જવાનની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં ડોક્ટરની ચેમ્બર બહાર જ જવાન ઢળી પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બાળકીઓના મોતનું રહસ્ય ખૂલશે ઢોસાના ખીરુથી બાળકીઓના મોત મામલે માતાની પૂછપરછ.ભાવના પ્રજાપતિને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતાં જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. મોડી સાંજ સુધી એફએસએલનો રિપોર્ટ આવતા શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો લાડુમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું સુરતમાં પાડોશીએ પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને મારી નાખવાનું કાવતરું કર્યું..લાડુ ખાતા જ સસરા અને પુત્રવધુની તબિયત લથડી..સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બસ સ્ટેશનની હચમચાવતી દુર્ઘટનાના સીસીટીવી વડોદરા બસ સ્ટેન્ડમાં ચાંદખેડાના વૃદ્ધ પર પડેલા કાટમાળના ભયાનક સીસીટીવી સામે આવ્યા. વૃદ્ધ ડેપોની બહાર નીકળી રહ્યા હતા ત્યારે કાટમાળ પડતો જોઈને સિક્યોરિટીએ તેમને રોક્યા, પરંતું જેવા તેઓ પાછા ફરવા ગયા કે તેમના પર આખું સ્ટ્રક્ચર પડ્યું, અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:10 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછમાં ખુલી શકે રહસ્ય, ભાજપમાં હજુ પણ ભભૂકતો રોષ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 pm

AAPના વોર્ડ નં.7ના ઉમેદવારના પુત્રની ક્રિકેટ સટ્ટામાં સંડોવણી:રોડવેજનો ધંધાર્થી જયદીપ જાદવ અને લાઈટ ડેકોરેશનનો ધંધાર્થી દર્પણ બારસીયા ઓલ પેનલ આઈડી પંટરોને ફોરવર્ડ કરી IPLની મેચમાં જુગાર રમાડતાં

એક તરફ IPL નો જંગ જામ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ પણ જામ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ક્રિકેટમ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા લોકો પર ખા નજર રાખી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા IPL મેચ પર જુગાર રમાડતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા તેની ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપીઓને માસ્ટર આઈડી રાજકોટ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવાર પરેશ શીંગાળાના પુત્ર વત્સલ શીંગાળાએ આપી હોવાનું ખુલતા પોલીસ બે આરોપીની ધરપકડ કરી આપ નેતા વત્સલ સહીત ફરાર ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ PSI એસ.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે 150 ફુટ રીંગ રોડ પર આર.કે. પ્રાઈમ બિલ્ડીંગના બીજા માળે ઓફીસ નં.216માં અમુક શખ્સો IPLની ક્રિકેટ મેચમા જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ત્યાં બે શખ્સો હાજર મળી આવ્યા હતા જેનું નામ પુછતા જયદીપ દિનેશ જાદવ (ઉ.વ.30) અને દર્પણ હરેશ બારસીયા (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. જયદીપ જાદવના હાથમા એક મોબાઈલ હતો જે ચેક કરતાં તેમાં સફારી એપ્લીકેશનમાં ALL PANEL 777 નામનું આઈડી ખુલ્લુ હતું જેમા યુઝર આઈડી 10200 નામની માસ્ટર આઈડી ખુલી હતી. આઈડી બાબતે પુછતા પોતે મોબાઈલ ફોનમાં આ માસ્ટર આઈડીમાંથી અલગ-અલગ ટાઈપના કસીનો ગેમ તથા ક્રિકેટ મેચનો સટ્ટો રમી શકાય તેવી યુઝર આઇડી બનાવી પોતાના ગ્રાહકને આપી જુગાર રમાડતો હોવાની કબૂલાત આપી હતી. આ માસ્ટર આઇ.ડી. તેમને વત્સલ પરેશ શીંગાળા પાસેથી મેળવી હતી અને આ માસ્ટર આઈડીમાથી અલગ અલગ પોઇન્ટ વાળી કુલ 03 યુઝર આઇડી બનાવી બે આઈડી પોતે ઉપયોગ કરે છે અને એક આઈડી રાજકોટના વિજયભાઇ ઉર્ફે વી.એમ.ને આપી હોવાની કબૂલાત આપી હતી. જયારે દર્પણ બારસીયાનો મોબાઈલ ચેક કરતાં જુગારને લગત કોઈ આઈ.ડી. મળી ન હતી પરંતુ ઓફીસના સોફા ઉપરથી એક ચોપડો, બોલપેન તેમજ મોબાઇલ ફોન મળી આવ્યા જે બાબતે આરોપીએ જણાવ્યું કે, IPLની મેચમા ગ્રાહકો પાસેથી સેસન અને ભાવના લીધેલ જુગારના સોદાઓ છે તેમજ ગ્રાહકો બાબતે પુછતા રાજકોટનો દેવાંગ ડાભી તેમજ જે.ડી. હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા બંને શખ્સોને ઓફીસ બાબતે પુછતા જણાવ્યું હતું કે, ઓફીસ દર્પણ બારસીયાએ ભાડે રાખી છે અને બન્ને અહીં બેસીને IPLમાં સટ્ટો ભાગીદારીમાં રમાડે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જયદીપ જાદવ અને દર્પણ બારસિયાની ધરપકડ કરી રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરી માસ્ટર આઈડી આપનાર વત્સલ પરેશ શીંગાળા અને આઈડી મેળવી જુગાર રમતાં દેવાંગ ડાભી તેમજ જે.ડી અને વિજય ઉર્ફે વી.એમ.ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માસ્ટર આઈડી આપનાર બુકી વત્સલ શીંગાળાના પિતા પરેશ શીંગાળા રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં.7ના ઉમેદવાર હોવાનું સામે આવતાં રાજકીય આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:50 pm

મહીસાગર SOGએ અપહરણના આરોપીને ઝડપ્યો:કોઠંબા પોલીસ સ્ટેશનના ગુનામાં રાજકોટથી ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી લીધો

મહીસાગર SOGએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગીને રાજકોટ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર પણ મળી આવી હતી. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને ગુમ થયેલા બાળકોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. સિસોદીયા અને SOG સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) અને 87 હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગી, જે કોલવણ ઝરખલા ફળિયું, તા. લુણાવાડા, જી. મહીસાગરનો રહેવાસી છે, તે હાલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે એક કારખાનામાં મજૂરી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG પીએસઆઈ એચ.બી. સિસોદીયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર, કોન્સ્ટેબલ નથુભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ લીલાબેનની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી હતી. ત્યાંથી આરોપી રાજેશકુમાર પગી અને ભોગ બનનાર બંને મળી આવ્યા હતા. SOG ટીમે આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને ભોગ બનનાર સાથે મહીસાગર જિલ્લામાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને ભોગ બનનારને કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:45 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઉત્રાણમાં ઝેરી લાડુ ખાતા પરિવારના બે સભ્યો હોસ્પિટલના બિછાને, કલેક્ટર કચેરીએ ભાજપ-AAP વચ્ચે ભારે હોબાળો

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:45 pm

હિંમતનગર નગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના 42, કોંગ્રેસના 40 ફોર્મ માન્ય, AAPના 4, અપક્ષના 4 અને AIMIMનું 1 ફોર્મ પણ માન્ય

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપના 42, કોંગ્રેસના 40, આમ આદમી પાર્ટી (AAP)ના 4, અપક્ષના 4 અને AIMIM પક્ષનું 1 ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. ચકાસણી પ્રક્રિયા દરમિયાન કુલ 18 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. આમાં ભાજપના 9 અને કોંગ્રેસના 6 ફોર્મ મેન્ડેટના અભાવે રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ અપક્ષ ઉમેદવારોના ફોર્મ દરખાસ્ત અને ટેકેદારના અભાવને કારણે અમાન્ય જાહેર થયા હતા. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:32 pm

વિરપુરના ચોરસા ગામ નજીક ટ્રેક્ટર પલટતા 8 શ્રમિકો ઇજાગ્રસ્ત:દાહોદના શ્રમિકો ઘઉં કાપી મહેસાણાથી વતન પરત ફરતા વખતે અકસ્માતનો ભોગ બન્યા

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી જતાં આઠ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકો મજૂરી કામ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું. ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વતની છે. તેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ઘઉં કાપવાનું મજૂરી કામ પતાવીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને વિરપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ગંભીર ઇજા પામેલા સાત મુસાફરોને વધુ સારવાર માટે પહેલા લુણાવાડા અને ત્યારબાદ ગોધરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:27 pm

મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી:76 બેઠકોમાંથી 49 ઉમેદવારી ફોર્મ રદ, હવે 272 ઉમેદવારો મેદાનમાં

મોરબી જિલ્લા પંચાયતની 24 અને મહાનગરપાલિકાની 52 બેઠકો સહિત કુલ 76 બેઠકો માટે ભરાયેલા 321 ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. આ ચકાસણી પ્રક્રિયામાં કુલ 49 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષોના કુલ 272 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણી માટે 52 બેઠકો પર કુલ 204 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન ડુપ્લિકેટ ફોર્મ, ટેકેદારની સહીનો અભાવ જેવા કારણોસર કુલ 23 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. પરિણામે, મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હવે 181 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મહાપાલિકાના રદ થયેલા ફોર્મના વોર્ડવાર આંકડા જોઈએ તો, વોર્ડ નંબર 1 માં 1, 2 માં 3, 3 માં 4, 4 માં 2, 5 માં 1, 6 માં 1, 7 માં 0, 8 માં 2, 9 માં 1, 10 માં 3, 11 માં 0, 12 માં 2 અને 13 માં 2 ફોર્મ રદ થયા છે. આમ કુલ 23 ફોર્મ રદ થયા છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પક્ષનું મેન્ડેડ ન હોવા, અન્ય કારણો અને ડુપ્લિકેટ ફોર્મ જેવા મુદ્દાઓને કારણે કુલ 26 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયત માટે કુલ 91 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની છેલ્લી તારીખ 15મી છે. ત્યારબાદ બુધવારે સાંજે મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:24 pm

વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી વેપારીને છેતરતી ગેંગ ઝડપાઈ:ચિપથી વજન ઓછું બતાવી લાખોનો ભંગાર સસ્તા ભાવે ખરીદતા, ક્રાઈમ બ્રાન્ચે 7 સાગરીતોને દબોચ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાં વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી સ્ક્રેપ ખરીદીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો માસ્ટર માઈન્ડ સહિત 5 શખ્સો હજુ ફરાર છે. આ ટોળકી છેલ્લા 3 થી 4 વર્ષથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સક્રિય હતી. ચિપ અને રિમોટ કંટ્રોલનો ખેલક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ વજન કરવાના ઇલેક્ટ્રોનિક કાંટામાં ખાસ પ્રકારની ગેરકાયદેસર ચિપ ફિટ કરતી હતી. આ ચિપને કારણે મશીન પર સ્ક્રેપનું વાસ્તવિક વજન ઓછું દેખાતું હતું. આરોપીઓ પાસે વિશિષ્ટ રિમોટ કંટ્રોલ હતા, જેના દ્વારા તેઓ પોતાની મરજી મુજબ વજન ઘટાડીને ખોટી વજન ચીઠ્ઠી કઢાવતા હતા. ઓછું વજન બતાવી સસ્તા ભાવે સ્ક્રેપ ખરીદી અન્ય વેપારીઓને વેચી દઈ કંપનીઓ અને સ્ક્રેપયાર્ડને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. ગેંગનું માળખું અને કાર્યવિભાજનઆ ઠગ ગેંગ વ્યવસ્થિત નેટવર્ક દ્વારા કામ કરતી હતી. વોન્ટેડ માસ્ટર માઈન્ડ રજનીશ કશ્યપ જે ચિપ પૂરી પાડતો હતો. હેમંતકુમાર અને સંકેત રાવલ કંપનીઓનો સંપર્ક કરતા, જ્યારે વિજય ઠાકોર અને મનીષ રબારી ટેન્ડર ભરવાનું કામ કરતા હતા. ઠગાઈથી મેળવેલો સામાન વિનોદ, મુકેશ અને સુનિલ પટણી અન્ય વેપારીઓને વેચી દેતા હતા. પોલીસે 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી કુલ 19 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 80 હજારની કિંમતની 4 ઇલેક્ટ્રોનિક ચિપ, 65 હજારની કિંમતના 13 રિમોટ કંટ્રોલ અને 12 મોબાઈલ ફોન અને એક કાર જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:15 pm

વ્યારા નગરપાલિકા ચૂંટણી:5 ઉમેદવારોના ફોર્મ રદ, કોંગ્રેસના 4 અને AAPના 1 ઉમેદવાર અમાન્ય ઠર્યા

વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચકાસણી દરમિયાન કુલ પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે, જેમાં કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઘટનાથી ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં ટેકનિકલ ખામીઓ અથવા અન્ય કારણોસર આ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. અમાન્ય ઠરેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 1 માંથી AAP ના દિનેશભાઈ ભીખુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના રાજુભાઈ મનુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના સરલાબેન હિતેષભાઇ ઢોડિયા, અને વોર્ડ નંબર 7 માંથી કોંગ્રેસના ફતેસિંગ લક્ષ્મણભાઇ વસાવા તથા ભરત નટવરલાલ પંચાલનો સમાવેશ થાય છે. ફોર્મ રદ થયા બાદ, વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે હવે માન્ય ઉમેદવારોની સ્થિતિ નીચે મુજબ છે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 28 ઉમેદવારો, કોંગ્રેસના 17 ઉમેદવારો, આમ આદમી પાર્ટી (AAP) ના 9 ઉમેદવારો અને 2 અપક્ષ ઉમેદવારો. કોંગ્રેસ માટે મહત્વના ગણાતા વોર્ડ નંબર 7 માંથી બે ઉમેદવારોના ફોર્મ રદ થતાં પક્ષને મોટો ફટકો પડ્યો છે. આ પરિણામ સ્વરૂપે, ભાજપ તમામ 28 બેઠકો પર પોતાના ઉમેદવારો સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે વિપક્ષી પક્ષોએ મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:05 pm

ડૉ. આંબેડકર જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ટ્રાફિક ડાયવર્ઝન:માન દરવાજા ખાતે રેલી અને સભાના આયોજનને પગલે BRTS-સિટી બસના અનેક રૂટો બંધ

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ શહેરમાં નીકળનારી વિશાળ રેલીઓ અને જાહેર સભાઓને ધ્યાનમાં રાખીને સુરત સિટિ લિંક દ્વારા સંચાલિત BRTS અને સિટી બસ સેવાના અનેક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રૂટો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ભારે વાહનો માટે જાહેરનામુ બહાર પાડ્યું14મી એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે નીકળીને માન દરવાજા ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થશે, જે ત્યારબાદ જાહેર સભામાં પરિવર્તિત થશે. હાલમાં માન દરવાજા રિંગરોડ પર મેટ્રો ટ્રેનનું કામ ગતિમાં હોવાથી રસ્તાઓ સાંકડા થયા છે અને ટ્રાફિકનું ભારણ પહેલેથી જ વધારે રહે છે. આવી સ્થિતિમાં રેલીઓના આગમન સમયે જો ભારે વાહનોની અવરજવર ચાલુ રહે તો મોટી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ માનદરવાજા તરફ આવતા ભારે વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ ફેરફારોની ખાસ નોંધ લે અને મુસાફરી દરમિયાન પડનારી અગવડતા ટાળવા માટે અગાઉથી આયોજન કરે. તમામ રૂટો સવારે 06:00 વાગ્યાથી ડાયવર્ટ કરવામાં આવશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસની સૂચના મળતા જ તમામ બસ સેવાઓ ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:57 pm

અર્શદીપની GF મિસ્ટ્રી ગર્લ કોણ?:ચહલના ‘CUTE’ મેસેજ ઉઘાડા પડી ગયા; મેચ પછી બેબોએ MIની ટીશર્ટ બદલી નાખી

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:55 pm

રાષ્ટ્રપતિના હસ્તે 49 સ્નાતકોને MBBSની પદવી એનાયત:AIIMS રાજકોટનો પ્રથમ પદવીદાન સમારોહ, દ્રૌપદી મુર્મુ આજે રાજકોટની મુલાકાતે

રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) ખાતે વર્ષ 2026નો પ્રથમ પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સંસ્થાની પ્રથમ બેચના 49 MBBS વિદ્યાર્થીઓને તબીબી પદવી એનાયત કરી સમાજ સેવા માટે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યા હતા. 2020માં સ્થાપના બાદ ટૂંકા ગાળામાં શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી AIIMS રાજકોટે આ સિદ્ધિ હાંસલ કરી છે. 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયતસમારોહ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને બિરદાવવામાં આવી હતી. સફળતાપૂર્વક ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર 49 MBBS સ્નાતકો અને એક PDCC (Post Doctoral Certificate Course) તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કુલ 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ મેરિટ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. જેમાં ત્રણેય પ્રોફેશનલ વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાઆ ગરિમામય કાર્યક્રમમાં અંદાજે 1000 જેટલા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ હાજર રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી અધિકારીઓ, AIIMS ઇન્સ્ટિટ્યૂટ બોડી અને ગવર્નિંગ બોડીના સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની સફર અને ભવિષ્યનું વિઝનરાજકોટ AIIMSનો પ્રથમ પદવીદાન સમારોહ સંસ્થાની સફરમાં એક નિર્ણાયક ક્ષણ છે જે તબીબી શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સંભાળમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ઝડપથી પરિવર્તિત થઈ છે. 2020માં તેની સ્થાપના પછીના ટૂંકા ગાળામાં સંસ્થાએ શૈક્ષણિક વિસ્તરણ, ક્લિનિકલ સેવાઓ, સંશોધન આઉટપુટ અને સામુદાયિક જોડાણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ શરૂ કરવાથી લઈને તબીબી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવીન અભિગમોને એકીકૃત કરવા સુધી AIIMS રાજકોટ રાષ્ટ્રીય આરોગ્યસંભાળ પ્રાથમિકતાઓ સાથે જોડાયેલ ભવિષ્યલક્ષી વિઝન પ્રતિબિંબિત કરે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:53 pm

ભરૂચ જેલમાંથી કેદીને 26 વર્ષે મુક્તિ મળી:આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા કાસુ હઠીલા

ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુ ભલાભાઇ હઠીલાને 26 વર્ષ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન નોંધાયેલા ગુનામાં તેમને સજા થઈ હતી. વર્ષ 1986માં હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધરમશાળા ખાતે નોંધાયેલા એક કેસમાં એડિશનલ સેશન કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં કેદી નંબર 35355 તરીકે સજા ભોગવી રહ્યા હતા. સરકારી ધોરણો અનુસાર કાસુભાઈ વહેલી મુક્તિ માટે પાત્ર બનતા, ભરૂચ જેલ પ્રશાસન દ્વારા બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેલ અધિક્ષકે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવીને આ મામલો ડીજી પ્રિઝન, શિમલા (હિમાચલ પ્રદેશ) સુધી મોકલ્યો હતો. ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કાસુભાઈની વહેલી મુક્તિ અંગે સકારાત્મક અભિપ્રાય અપાયો હતો. તેના આધારે હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગે તેમની બાકી રહેલી સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપ્યો. આદેશ મળ્યા બાદ ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઈને જેલમુક્ત કરવામાં આવ્યા. જેલ પ્રશાસને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:45 pm

ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં નારાજગી:રાજકોટમાં RJ આભાને ટિકિટ આપતા વોર્ડ.10ના પ્રમુખે આપ્યું રાજીનામુ અને પૂર્વ વિપક્ષનેતાના પતિએ ટિકિટના સોડા થતા હોવાના લગાવ્યા આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપમાં કાર્યકર્તાની નારાજગી સામે આવ્યા બાદ હવે કોંગ્રેસમાં પણ ધીમેધીમે રોષ બહાર આવી રહ્યો છે. આજ રોજ વોર્ડ નંબર 10ના પ્રમુખે અને પૂર્વ વિપક્ષ નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે વોર્ડ નંબર 10માંથી જાણીતો ચહેરો RJ આભાને ટિકિટ આપતા વોર્ડ પ્રમુખ નારાજગી વ્યક્ત કરી સમાજમાં રોષ હોવાથી રાજીનામુ ધરી દીધું છે જયારે મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને તેના પતિ દ્વારા પણ ટિકિટ ન મળતા પક્ષમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે ટિકિટની વેચની થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી થતા કાર્યકર્તાની અંદર રહેલી નારાજગી એક બાદ એક સામે આવી રહી છે. વોર્ડ નંબર 7માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલાતા નારાજગી સામે આવ્યાના ગણતરીની કલાકોમાં વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી અને તેના પતિ પ્રવીણભાઈ સોરાણીએ રાજીનામુ આપ્યું હતું જેની થોડીક જ મિનિટોમાં શહેરના વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપક ગોઠીએ પણ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું અને મારા પત્ની છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. અમે પતિ પત્ની બન્ને 5 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ચુક્યા છીએ. છેલ્લા છ મહિનાથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મારા વિસ્તારના અન્ય આગેવાનો સાથે મારે વાંધા ચાલી રહ્યો છે. જે લોકો આપમાં ગયા હતા અને તેને પછી ફરી કોંગ્રેસમાં આવ્યા ત્યારથી લઈને અમારે વિવાદ ચાલતો આવે છે. વોર્ડ નંબર 15માંથી આ વખતે મેં ટિકિટની માંગણી કરી હતી મારા પત્ની તબિયત સારી નથી માટે મેં ટિકિટ માંગણી કરી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારે જે નારાજગી છે એ મામલે મેં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા કરી છે. કોળી સમાજના લોકો અમારી સાથે છે હું કોળી સમાજના આગેવાનોને મદદ જરૂર કરીશ પણ કોંગ્રેસના પ્રચારમાં મહી જાવ. ભાજપમાં જોડાવવાની ચાર મહિનાથી અફવા ચાલે છે પણ હાલ હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. મેં નક્કી કર્યું છે કે જે કોળી સમાજના જે પણ પક્ષના ઉમેદવાર હસે તેને મદદ કરીશ. મેં પહેલા જ કહેલું અને આજે પણ કહું છું કે ટિકિટ ના સોદાઓ થયા છે જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે અને આગળ પણ થશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10માં રાજકોટ શહેરમાં જાણીતો ચહેરો બનેલ RJ આભા દેસાઈને ટિકિટ ફાળવી દેવામાં આવતા વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપકભાઈ ગોઠીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને રાજીનામુ મોકલી આપ્યું છે. વોર્ડ નંબર10ના પ્રમુખ દ્વારા તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી હતી જો કે છેલ્લી ઘડીએ આભાને ટિકિટ આપવામાં આવતા તેઓ નારાજ થઇ ગયા હતા અને પટેલ સમાજમાં પણ આ નિર્ણયથી રોષ હોવાના કારણે પક્ષમાંથી તેઓએ રાજીનામુ આપી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:45 pm

ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યાપેલેસ હોટેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ યુવકનું મોત:ડેટિંગ એપના માધ્યમથી સંપર્કમાં આવેલી યુવતીને વડોદરાની હોટલમાં મળવા બોલાવી, હોટેલ રૂમમાં યુવતી સામે જ હાર્ટ એટેક આવતા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં 27 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે. મૂળ જૂનાગઢના ઉનાના રહેવાસી અને હાલ અમદાવાદમાં રહેતા હરિશ્રેય બાબુભાઈ ચૌહાણ મધ્ય પ્રદેશની રહેવાસી અને વડોદરામાં નોકરી કરતી એક યુવતી સાથે હોટલમાં આવ્યો હતો. બંને ડેટિંગ એપ મારફતે પરિચિત થયા હતા અને આ તેમની બીજી મુલાકાત હતી. હોટલના રૂમમાં ભોજન કર્યા બાદ હરિશ્રેય ચૌહાણને અચાનક ત્રણથી ચાર વાર ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ યુવતીની હાજરીમાં જ તેને આંચકી આવતા તબિયત વધુ બગડી ગઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. તરસ લાગતા પાણી પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણી પણ તરત જ બહાર નીકળી જતું હતું. આ પરિસ્થિતિમાં યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:42 pm

મતદાર યાદીમાં નામ ન હોવાથી વોર્ડ-15ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ:વડોદરા મનપામાં હિતેશ માછી નવા ઉમેદવાર, રાજેન્દ્ર બારોટે કહ્યું-'સત્તા પક્ષ ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કર્યા'

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં ન હોવાના ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર હિતેશ માછી કોંગ્રેસના નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તંત્ર અને સત્તા પક્ષ સામે ગંભીર આક્ષેપોરાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા કોંગ્રેસના અન્ય ઉમેદવાર આશિષ જોશીએ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એસઆઈઆર (SIR) પ્રક્રિયા બાદ નામ ઉમેરવા માટે છેલ્લા 15 દિવસથી ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં નામ ઉમેરાયું નથી. મતદાર યાદીની પુરવણી-2 જાહેર ન થતા માત્ર રાજેન્દ્ર બારોટ જ નહીં, પરંતુ અન્ય 2500 થી 3000 મતદારો પણ મતાધિકારથી વંચિત રહેશે. કોંગ્રેસને અગાઉથી જ ફોર્મ રદ થવાની આશંકા હોવાથી તેમણે સાવચેતીના ભાગરૂપે મજબૂત ડમી ઉમેદવાર ઉતાર્યો હતો. 'સત્તા પક્ષ મારાથી ડરી ગયો': રાજેન્દ્ર બારોટઓબીસી અનામત બેઠક પરથી ફોર્મ ભરનાર રાજેન્દ્ર બારોટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સત્તા પક્ષ તેમનાથી ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભલે હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ હવે અમે 'એક અને એક અગિયાર' બનીને ભાજપને હરાવીશું. મારા સ્થાને આવેલા હિતેશ માછીને જીતાડવાની જવાબદારી મારી છે. કોણ છે હિતેશ માછી?નવા જાહેર થયેલા ઉમેદવાર હિતેશ માછીના રાજકીય પ્રવાસમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે, તેઓ અગાઉ ભાજપમાં સક્રિય હતા અને વોર્ડ 5 તથા 15 માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આશિષ જોષીના સમર્થનમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ હવે તેઓ સીધા જ મુખ્ય ઉમેદવાર બની ગયા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:42 pm

ગોવાથી ચાલતી સાયબર ગેંગનો પર્દાફાશ:3 ટીમની કાર્યવાહીમાં 16 આરોપીઓ ઝડપાયા, 77 કરોડના ફ્રોડનો ખુલાસો

ગાંધીનગર CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશવ્યાપી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવા એમ ત્રણ સ્થળોએ એકસાથે દરોડા પાડીને કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે દેશભરમાં અંદાજે ₹77 કરોડની છેતરપિંડી આચરી છે. દરોડામાં કુલ 16 આરોપીઓની ધરપકડ સાયબર ક્રાઇમની ટીમે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અલગ-અલગ ટુકડીઓ બનાવી ગોવા, વડોદરા અને પાલનપુરમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગોવાથી મુખ્ય સૂત્રધાર જીતુભાઇ ભુરાભાઇ ઠક્કર (પાટણ) સહિત 9 લોકો ઝડપાયા છે, જેઓ ત્યાંથી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતા હતા. વડોદરાથી મુખ્ય સંચાલકો કિરણ જોષી અને સિદ્ધરાજ શિરવાડિયા સહિત 5 આરોપીઓ અને પાલનપુરથી મીત શ્રીમાળી તથા મેહુલ સોલંકી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો જપ્ત આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 15 લેપટોપ, 87 મોબાઇલ ફોન, 126 સીમકાર્ડ, 2 રાઉટર, 15 ડેબિટ કાર્ડ અને 4 કોરા ચેકનો સમાવેશ થાય છે. આ સાધનોનો ઉપયોગ ગેંગ દ્વારા દેશભરમાં સાયબર ગુનાઓ આચરવા માટે કરવામાં આવતો હતો. પૈસાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલી આપતા હતાતપાસમાં ખુલેલી વિગતો અનુસાર, આ ગેંગે દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 375 સાયબર ગુનાઓ આચરીને અંદાજે ₹૭૭ કરોડનું જંગી કૌભાંડ કર્યું છે. તેમની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ ખોટી પેઢીઓ ઊભી કરીને અથવા નિર્દોષ લોકોના નામે 'મ્યુલ એકાઉન્ટ્સ' (બેંક ખાતાઓ) ખોલાવતા હતા. સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ તે રકમને ડોલર કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેવામાં આવતી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. વિવેક ભેડાએ આ ગેંગની આંતરરાજ્ય સક્રિયતા અંગે જણાવતા કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી વધુ માહિતી મળતા હજુ પણ મોટા ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. આ સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિને લાલચમાં આવીને ભાડે કે અન્ય હેતુ માટે પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું. વધુમાં, શંકાસ્પદ લિંક, કોલ કે મેસેજથી સાવચેત રહેવું અને જો સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી જાણ કરવી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:38 pm

વોર્ડ-3ની એક બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે તકરાર:મહેસાણા કોંગ્રેસમાં 'મેન્ડેટ' યુદ્ધ, 10 લાખમાં મનપાની ટિકિટ કમલેશ સુતરિયાને આપી હોવાનો ઘનશ્યામ સોલંકીનો આક્ષેપ

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ની બેઠક માટે મેન્ડેટની ફાળવણી મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું મેન્ડેટ રદ કરી પૂર્વ વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાની પસંદગી કરવામાં આવતા, સોલંકીએ પ્રદેશ નેતૃત્વ પર 10 લાખ રૂપિયામાં ટિકિટ વેચી હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખતા રાજકીય ગરમાવોવોર્ડ નંબર 3 (SC બેઠક) માટે કોંગ્રેસે પ્રથમ ઘનશ્યામ સોલંકીને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ અંતિમ સમયે કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કોંગ્રેસના નેતાઓએ 15 લાખમાં મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યોઘનશ્યામ સોલંકીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ 10થી 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ 'વેચાતો' મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યો છે. તેઓ માત્ર RTI કરીને 'તોડ' કરવાનું કામ કરે છે અને પ્રજાની કોઈ સેવા કરી નથી. જે ઉમેદવાર વોર્ડ નંબર 4 માં રહે છે તેમને વોર્ડ 3 માં લડાવવા એ પક્ષની મોટી ભૂલ છે અને આવનારા દિવસોમાં તેનો ભારે વિરોધ થશે. મતદારોની માંગને ધ્યાને રાખી તેમના નામ પર મહોર મારીપોતાની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારતા કમલેશ સુતરિયાએ પક્ષના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સુતરિયાએ જણાવ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને તે હંમેશા સાચા કાર્યકરની કદર કરે છે. રૂપિયા લઈને ટિકિટ આપવાની વાત પાયાવિહોણી છે. RTI કરવી એ કોઈ ગુનો નથી, પરંતુ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું સાધન છે. ભાજપના શાસનમાં થયેલા કૌભાંડો RTI દ્વારા જ બહાર લવાયા છે, જેની પક્ષે કદર કરી છે. વોર્ડ નંબર 3 ના મતદારોની પ્રબળ માંગને ધ્યાને રાખીને જ પ્રદેશ કાર્યાલયે તેમના નામ પર મહોર મારી છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધી છતી થઈચૂંટણી પહેલા જ એક જ બેઠક માટે બે કદાવર નેતાઓ વચ્ચેના આ ગજગ્રાહ અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ કોંગ્રેસની આંતરિક જૂથબંધીને છતી કરી દીધી છે. જિલ્લા સંગઠનની ભલામણ અને પ્રદેશ સમિતિના ફેરબદલ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને કારણે સામાન્ય કાર્યકરોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:31 pm

65 વર્ષીય આરોપીએ શૌચાલયમાં એસિડ ગટગટાવ્યું:સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના, ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યો

સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવેલા એક વૃદ્ધ આરોપીએ શૌચાલયમાં રહેલું એસિડ પી લેતા, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહીગત 11 ફેબ્રુઆરી, 2026ના રોજ નોંધાયેલા ફોર વ્હીલ વાહન ચોરીના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરાના 65 વર્ષીય સૈયદ બદરૂદ્દીન મયુદ્દીનની સંડોવણી સામે આવી હતી. સચિન પોલીસની ટીમ તેને ગોધરાથી સુરત લાવી હતી અને ડી-સ્ટાફની ઓફિસમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. ACP નિરવ ગોહિલના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય જવાનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કર્મચારીની હાજરીમાં જ તે અંદર ગયો હતો અને ત્યાં સફાઈ માટે રાખેલું એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ તુરંત તેને ઉલટીઓ અને અસહ્ય દુખાવો થતા તેણે પોતે જ પોલીસને જાણ કરી હતી. ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યોગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સમર્પણ અને અંતે સીડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની સઘન સારવાર છતાં ઝેરી અસરને કારણે તેનું મોત નીપજ્યું હતું. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસ રેકોર્ડ અનુસાર, મૃતક સૈયદ બદરૂદ્દીન વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. તેની અગાઉ બાયપાસ સર્જરી પણ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે, તેની વય અને નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને તેની સાથે કોઈ પણ પ્રકારની મારઝૂડ કે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું નહોતું. કસ્ટોડિયલ ડેથ હોવાને કારણે નિયમ મુજબ આ કેસમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની પ્રક્રિયા તેજ કરી છે. મોતના ચોક્કસ કારણો જાણવા માટે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:30 pm

પાટણ પાસે યુવકનું અપહરણ, છરી મારી ઇજા:આરોપીઓએ ભૂલથી બીજા યુવકને ઉતારી દીધો, પોલીસે ગુનો નોંધ્યો

પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયડ ગામ નજીક હાઈવે પર એક યુવકનું અપહરણ કરી તેને છરી મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. જોકે, અપહરણકર્તાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે યુવકને અધવચ્ચે ઉતારી દીધો હતો. આ ઘટનામાં ભોગ બનનાર પરિવારે પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પોલીસે સામેથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 19 વર્ષીય અશ્વિનકુમાર વિનોદજી ઠાકોર 12 એપ્રિલ, 2026ના રોજ બપોરે તેમના પિતરાઈ ભાઈ સાથે વેગનર ગાડીમાં શિહોરીથી પાટણ જઈ રહ્યા હતા. વાયડ અને મેલુસણ ગામ વચ્ચે હાઈવે પર ભૂમિ એન્ટરપ્રાઈઝ નજીક એક સફેદ રંગની આઈ-20 ગાડીએ તેમની કારને આંતરી હતી. મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા શખ્સોએ અશ્વિનકુમારને છરી બતાવી બળજબરીથી પોતાની ગાડીમાં ખેંચી અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ ગાડીમાં અશ્વિનકુમારનો ફોટો પાડી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. તેમને જાણ થઈ કે તેમણે ખોટા યુવકનું અપહરણ કર્યું છે. પોતાની ભૂલ સમજાતા આરોપીઓએ અશ્વિનકુમારને માર માર્યો અને તેમના પેટના ડાબા ભાગે છરીનો ઘા ઝીંકી દૂધારામપુરા પાસે રસ્તામાં ઉતારી દીધો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સરસ્વતી પોલીસે ભોગ બનનાર યુવક અને તેના પરિવારની પૂછપરછ કરી હતી. જોકે, પરિવારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ધોળે દિવસે હાઈવે પર અપહરણ અને હુમલા જેવો ગંભીર ગુનો બન્યો હોવાથી પોલીસે જાહેર હિતમાં પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 140(3), 118(1), 115(2), 126(2), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:22 pm

સાંતેજના પીઆઈ સામે ભાજપના ઈશારે કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ:જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર, નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઈ સાજન મૂછાળ દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રાંત કક્ષાએ કોઈ ઉકેલ ન આવતા આખરે કોંગ્રેસે કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. સાંતેજ પીઆઈની બદલી છતાં ચાર્જ ન છોડતા વિવાદ વકર્યોજિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સાંતેજ પીઆઈ મૂછાળની બદલી થઈ હોવા છતાં છેલ્લા 15 દિવસથી તેઓએ પોતાનો ચાર્જ છોડ્યો નથી. કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે તેઓ સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને બદલી થઈ હોવા છતાં તે જ સ્થાને ટકી રહીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. ઉમેદવારોને ધમકાવવાના ગંભીર આક્ષેપોકોંગ્રેસે આવેદનપત્રમાં ચોંકાવનારા દાવા કર્યા છે કે, ભોયણ મોટી બેઠકના ઉમેદવાર અને તેમના પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી ચૂંટણી લડવા બાબતે ગર્ભિત ધમકીઓ આપવામાં આવી છે. કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજી ઠાકોરને પણ તેમના મોબાઈલ પર ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા બાબતે ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ભાજપના ઉમેદવારોને ફાયદો કરાવવા માટે કોંગ્રેસના ટેકેદારોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગકોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, જો પોલીસ જ રાજકીય હસ્તક્ષેપ કરશે તો નિષ્પક્ષ ચૂંટણી યોજવી અશક્ય બનશે. તેમની મુખ્ય માંગણી સાંતેજ પીઆઈને તાત્કાલિક અસરથી ચાર્જમુક્ત કરી તેમની બદલી વાળી જગ્યાએ મોકલવાની છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:20 pm

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી 2026:13 વોર્ડની 52 બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા; જુઓ ફોટો સાથેની સંપૂર્ણ યાદી

વાપી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. વાપી મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:17 pm

47 લાખના ડમી ચેક ફ્રોડનો વોન્ટેડ આરોપી 9 વર્ષે ઝડપાયો:પોતાના હિસ્સાના 16 લાખ લઈને ભાગતો હતો ને સુરત પોલીસે પકડ્યો, અગાઉ 7 આરોપીઓની ધરપકડ

સુરત શહેર પોલીસના ઝોન-3 એલ.સી.બી. શાખાએ એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2017માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 47.50 લાખ રૂપિયાના બેંક ફ્રોડના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે અમર માછીને પોલીસે બાતમીના આધારે કોસંબાથી દબોચી લીધો છે. આ આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરન્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ચૂંટણીને પગલે ખાસ ડ્રાઈવમાં આરોપી આબાદ ઝડપાયોરાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અનુપમ ગહલૌત અને નાયબ પોલીસ કમિશ્નર રાઘવ જૈનની સૂચનાથી એલ.સી.બી. ઝોન-3ની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી જીતેન્દ્ર માછી કોસંબાના તરસાડી વિસ્તારમાં છુપાયેલો છે. શું હતો સમગ્ર મામલો?વર્ષ 2017માં મહિધરપુરાની બેંક ઓફ ઈન્ડિયા શાખામાં એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં સહઆરોપીઓએ બેંક ઓફ ઈન્ડિયાની દિલ્હી સ્થિત સાકેત બ્રાન્ચનો ડમી ચેક બનાવ્યો હતો. આ ડમી ચેક દ્વારા 47.50 લાખ રૂપિયાની રકમ મેળવી લેવામાં આવી હતી. જેમાંથી 37 લાખ રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં RTGS મારફતે ટ્રાન્સફર કરીને રોકડમાં ઉપાડી લેવાયા હતા. હિસ્સામાં મળેલા 16 લાખ લઈ 9 વર્ષથી ફરાર હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ છેતરપિંડીના નાણાંમાંથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર માછીએ પોતાના હિસ્સા પેટે 16 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ ગુનામાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ જીતેન્દ્ર પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 9 વર્ષથી સતત નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરન્ટ પણ નીકળ્યું હોવા છતાં તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પોલીસની ટીમનું સફળ ઓપરેશનઝોન-03 LCBના પી.એસ.આઈ. એમ.જી. ભાદરકાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકર, ભરતભાઈ અને પ્રદિપકુમારની ટીમે ચોક્કસ બાતમીના આધારે તરસાડીથી આરોપીને પકડી પાડ્યો હતો. હાલમાં આ આરોપીનો કબજો મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:16 pm

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી:13 વોર્ડની 52 બેઠક પર ભાજપ ઉમેદવારોની ફોટો સાથેની સંપૂર્ણ યાદી જુઓ

પોરબંદર સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:13 pm

જામસાહેબ-હાઇવુડ્સ MOU પર સ્પષ્ટતા:જામનગરમાં મિલકતો વિકાસ માટે અપાઈ, જામસાહેબ ફંડ એકત્ર કરશે

જામનગરના સર્વાંગી વિકાસ માટે જામસાહેબ અને હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) અંગે નવી સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. આ સમજૂતી હેઠળ વિકાસ કાર્યોને વેગ આપવા માટે તમામ સંબંધિત મિલકતો હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. ફંડ એકત્રીકરણ અને આર્થિક પાસાંસ્પષ્ટતા મુજબ, જામસાહેબને આ મિલકતોના દસ્તાવેજોના આધારે અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ (ફંડ) એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રક્રિયાની મહત્વની શરત એ છે કે ભંડોળ એકત્રિત કરવાની પ્રવૃત્તિથી હાઇવુડ્સ કંપની પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ પડશે નહીં કે કંપની દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોમાં કોઈ અવરોધ ઊભો થશે નહીં. વિકાસ કામગીરી અને ફંડ રેઇઝિંગની બંને પ્રક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર અને સુચારુ રીતે ચાલે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દસ્તાવેજીકરણ અને મિલકત ટ્રાન્સફરજામસાહેબ દ્વારા આ મિલકતો લગભગ નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ કરાવાઈ છે. કાનૂની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરવામાં આવેલા દસ્તાવેજીકરણમાં કેટલીક મિલકતોનું મૂલ્ય બજાર કિંમતના અંદાજે 3% જેટલા નજીવા દરે દર્શાવવામાં આવ્યું છે. આ વ્યવહાર સામાન્ય વેચાણ નથી, પરંતુ માત્ર કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવેલું દસ્તાવેજીકરણ છે. વિકાસલક્ષી અભિગમજામસાહેબે આ અંગે જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનો આ સંબંધ કોઈ અંગત નાણાકીય હેતુ માટે નહીં, પરંતુ જામનગરના લાંબાગાળાના સુધારા અને પ્રગતિ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે સમગ્ર પ્રોજેક્ટ સંપૂર્ણ પારદર્શિતા અને સ્પષ્ટ સમજણ સાથે આગળ વધી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરનો સર્વાંગી વિકાસ છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:11 pm

કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં 'ભાજપ' લખતા ફોર્મ રદ:​જૂનાગઢમાં ચૂંટણી ફોર્મ ચકાસણીમાં ભારે ઉલટફેર, જગદીશ વિશ્વકર્માના પ્રહાર અને 'આપ'ના આક્ષેપો

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા દરમિયાન અનેક બેઠકો પર ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓને કારણે રાજકીય પક્ષોના ગણિત બગડ્યા છે. ખાસ કરીને ફોર્મ ભરવામાં થયેલી ગંભીર ભૂલોને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારીઓએ કડક વલણ અપનાવી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ​કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ​આજની ચકાસણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો માણાવદરની 14-કોયલાણા જિલ્લા પંચાયત અને 2-કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન જેન્તીભાઇ મગરા દ્વારા ફોર્મ ભરવામાં ભયંકર ટેકનિકલ ભૂલ કરવામાં આવી હતી. ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મમાં પક્ષના નામ તરીકે 'ભારતીય જનતા પાર્ટી' લખ્યું હતું, જ્યારે તેની સાથે મેન્ડેટ (પક્ષનું સમર્થન પત્ર) 'કોંગ્રેસ'નું રજૂ કર્યું હતું. આ વિસંગતતા સામે આવતા ચૂંટણી અધિકારીએ આકરું વલણ અપનાવ્યું હતું અને નીતાબેન મગરાનું ઉમેદવારી પત્ર રદ કરી દીધું છે. એક જ ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નામ જોઈને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સાથે ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ ઉમેદવારના અન્ય બેઠકો પરના ફોર્મ પણ રદ થયા​જિલ્લા પંચાયતની કણઝા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવાર ભીમાભાઈ ડાંગરનું ફોર્મ એફિડેવિટના અભાવે રદ કરવામાં આવ્યું છે. જોકે, ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર તેમના પુત્રી કિરણબેન ડાંગરનું ફોર્મ માન્ય રહ્યું છે, જેથી હવે આ બેઠક પરથી કિરણબેન ભાજપના સત્તાવાર ઉમેદવાર ગણાશે. બીજી તરફ, તાલુકા પંચાયતની ખડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજશીભાઈ ચૌહાણનું ફોર્મ સોગંદનામામાં ક્ષતિ હોવાને કારણે રદ કરવામાં આવ્યું છે, જેનાથી કોંગ્રેસને એ સીટ પર ફટકો પડ્યો છે. જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર​એક તરફ ફોર્મ ચકાસણી ચાલતી હતી, ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે અગતરાય, સમઢિયાળા અને ભેંસાણ જેવી જિલ્લા પંચાયત બેઠકો પર 'વિકાસ સંકલ્પ સભા' સંબોધી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઈન્ચાર્જઓ સાથે બેઠક કરી તેમણે ચૂંટણી વ્યૂહરચના ઘડી હતી અને બલિયાવાડમાં આઈશ્રી દેવલ માના આશીર્વાદ પણ લીધા હતા. સભાઓ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાતના વિકાસને રૂંધવાનું કામ કર્યું છે. તેમણે નર્મદા ડેમના દરવાજાના મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ માત્ર 17 દિવસમાં દરવાજાની મંજૂરી આપી ખેડૂતોની વેદના દૂર કરી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં આરોગ્ય માટે દાગીના ગીરવે મૂકવા પડતા, જ્યારે આજે આયુષ્માન કાર્ડને કારણે ગરીબોને સુરક્ષા મળી છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ગુજરાતીઓને અપમાનિત કરવાની કોંગ્રેસની માનસિકતાનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં આપશે. 'ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ' ​આપના ગંભીર આક્ષેપો​આ તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરખાને એક જ છે અને જનતાને છેતરી રહ્યા છે. કોયલાણા બેઠકનો હવાલો આપતા તેમણે કહ્યું કે, જે રીતે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ભાજપનું નામ લખાયેલું મળી આવ્યું, તે સાબિત કરે છે કે આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં ભાજપને બિનહરીફ વિજેતા બનાવી હોય ત્યાં કોંગ્રેસ નબળા ઉમેદવાર ઉતારે છે અથવા જાણીજોઈને ફોર્મમાં ભૂલો કરે છે. બોરખતરીયાએ જનતાને આ 'ગઠબંધન'થી સાવધ રહેવા અપીલ કરી છે. આજે જૂનાગઢમાં ફોર્મ ચકાસણીના દિવસે રાજકીય ડ્રામા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વહીવટી પ્રક્રિયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. હવે મેદાનમાં કોણ બાકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:10 pm

ગાંધીનગરમાં 16થી 18 એપ્રિલ GCCI વાર્ષિક ટ્રેડ એક્સ્પો:AI, સેમિકન્ડક્ટર અને MSME સેક્ટર પર વિશેષ ભાર; 450થી વધુ સ્ટોલ હશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આગામી 16થી 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE-2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે 10 વાગ્યે આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ (CREDAI) નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. આ એક્સપોમાં આગામી 25 વર્ષનો રોડ મેપ દર્શાવવામાં આવશે. ગુજરાતમાં નાના ઉદ્યોગકારોથી લઈ MSME અને અલગ-અલગ સેક્ટરના ઉદ્યોગોને કેવી રીતે આગળ લઈ જવા તેમજ કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવું તેનો રોડ મેપ રજૂ કરવામાં આવશે. એક્સપોમાં 450થી વધારે સ્ટોલ, દેશભરમાંથી ઉદ્યોગકારો જોડાશેGCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે GATE-2025ની અભૂતપૂર્વ સફળતા બાદ GATE-2026નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે યોજાનારા એક્સપોમાં 450થી વધારે સ્ટોલ હશે અને 30,000થી વધુ લોકો જોડાશે. ચાલુ વર્ષે AI, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક, મોબિલિટી, હેલ્થ કેર સહિત અલગ-અલગ સેક્ટરને પ્રોત્સાહન અપાશેે. માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાંથી એક્સપોમાં ઉદ્યોગકારો જોડાશે. અલગ અલગ સેક્ટરના સેમિનારનું પણ આયોજન કર્યું છે. AI, સેમિકન્ડક્ટરને પ્રોત્સાહન આપવામાં આવનાર છે, જેના ઉપર પણ સેમીનાર યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ યોજાનાર છે, ત્યારે અમે તેના ઉપર પણ અલગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે MSME અને સ્ટાર્ટઅપ તેમજ નાના ઉદ્યોગકારોને પણ અમે પ્રોત્સાહન આપીશું. સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ થશે. જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. GATE-2026માં સહભાગી પ્રદર્શકોને નિર્ણય લેનારાઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક મળશે, જ્યારે મુલાકાત લેનાર લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશે. મુખ્ય હાઈ-ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદો • CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.• મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન.• સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.• AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય.• સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.• સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ. ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરવા માટે GATE-2026માં 12 મહત્વના ક્ષેત્રોનો સમાવેશ1. ઓટોમોબાઈલ અને મોબિલિટી 2. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI) 3. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT 4. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ 5. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ 6. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ 7. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન 8. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) 9. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક 10. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન 11. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી 12. મહિલા ઉદ્યોગસાહસિકતા 13. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:08 pm

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી:જુઓ 13 વોર્ડની 52 બેઠક પર ભાજપ ઉમેદવારોની ફોટો સાથેની સંપૂર્ણ યાદી

મોરબી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. મોરબી મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:07 pm

રાધનપુરમાં કાર ચલાવવા મુદ્દે હિંસક હુમલો, CCTV:ગાડી કેમ ધીમી ચલાવતો નથી? કહી પેટ્રોલ પંપ પર લાકડી લઈ 4 શખસ તૂટી પડ્યા, જાનથી મારવાની ધમકી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ગાડી ધીમી ચલાવવાની સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અદાવત રાખી 4 શખસોએ એક યુવક પર લાકડીઓ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે 3 નામજોગ અને 1 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ યુવકને બરહેમીથી લાકડીથી માર માર્યો હતો. સમગ્ર ઘટના શું હતી ?સમી તાલુકાના ચોરાવાસ વિસ્તારમાં રહેતા મોહમદહીલાલ મોહમદહનીફ સૈયદ 8 એપ્રિલે બપોરે 12:00 વાગ્યાના સુમારે પોતાના મિત્રની કાર લઈને સમી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સમી ચાર રસ્તા પાસે ઉભેલા દાઉદ ઇબ્રાહીમ સૈયદે તેમને રોકી, ગાડી કેમ ધીમી ચલાવતો નથી? તેમ કહી બોલાચાલી કરી હતી. આ વિવાદ બાદ મોહમદહીલાલ કામ અર્થે રાધનપુર જવા નીકળી ગયા હતા. CCTVમાં શું દેખાય છે?એક શખસ સાથે યુવક બચાવ કરતો દેખાય છે. તેને બોચીએ પકડીને ઊંધો પટકે છે. દરમિયાન અન્ય શખસ લાકડી લઈને આવીને પગ પર મારવા લાગે છે. આ વચ્ચે ત્રીજો શખસ દોડી આવીને પટકાયેલા યુવકને મારવા લાગે છે. બંને વારાફરતી યુવકના પગ પર લાકડી ફટકારતા દેખાય છે. પેટ્રોલ પંપ પર હાજર લોકો બચાવવા માટે એકબીજા આગળ કરતા દેખાયછે . દરમિયાન એક શખસ આવીને હુમલાખોરોને રોકે છે. પેટ્રોલ પંપ પર હિંસક હુમલોબપોરે આશરે 4:00 વાગ્યે ફરિયાદી જ્યારે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસેના નાયરા પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા ઉભા હતા, ત્યારે સફેદ કલરની અર્ટીકા ગાડીમાં 4 શખસો લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોમાં મજીદ ઇસ્માઇલ સૈયદ, ઉમર દાઉદ સૈયદ, સોયેબ હબીબ સૈયદ અને એક અજાણ્યો શખસ સામેલ હતો. આ શખસોએ સવારની બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હુમલો કર્યો હતો. મજીદ સૈયદે માથાના પાછળના ભાગે, ઉમર સૈયદે જમણા પગે અને સોયેબ તથા અજાણ્યા શખસે ડાબા પગે લાકડીના ફટકા માર્યા હતા. યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 5 દિવસે ફરિયાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રાધનપુર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 296(b), 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ શંકરભાઈ આ કેસની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 4:00 pm

ભાજપ-કોંગ્રેસની મિલીભગત મુદ્દે AAP નેતા ઈટાલિયાના આક્ષેપ:‘અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ સહિતની જગ્યાએ ભાજપ જે માણસ આપે તેને કોંગ્રેસ ટિકિટ આપે છે’

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની 'મિલીભગત' મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. ઈટાલિયાએ દાવો કર્યો છે કે અનેક બેઠકો પર ભાજપના માણસો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જેથી 'આપ'ને જીતતા રોકી શકાય. ભાજપના ઉમેદવારો કોંગ્રેસમાંગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ભાજપ જે નામ નક્કી કરે છે, તેને કોંગ્રેસ ટિકિટ આપી દે છે. આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર છે, જેથી વિરોધ પક્ષના મતો વહેંચાઈ જાય. પુરાવા તરીકે ભાજપના ધારાસભ્યનું નિવેદનઈટાલિયાએ જણાવ્યું કે તેમણે વિસાવદર બેઠક બાબતે કરેલી વાતને ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. ધારાસભ્યએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, અમે કોંગ્રેસને ઉમેદવારો આપીએ છીએ, જે આ મિલીભગતનો સૌથી મોટો પુરાવો છે. બિનહરીફ બેઠકો પર સવાલદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીત્યું છે. ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે, અમે તો નવી અને નાની પાર્ટી છીએ, અમારી પાસે કદાચ સંગઠન ન હોય, પણ દાયકાઓ જૂની કોંગ્રેસ પાસે ઉમેદવારો કેમ નથી? ખેડા, નવસારી અને વલસાડમાં કોંગ્રેસે ઉમેદવારો કેમ ન ઉતાર્યા? વિસાવદર પેટાચૂંટણીનું ઉદાહરણતેમણે આક્ષેપ કર્યો કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના જ માણસોને કોંગ્રેસમાંથી લડાવીને પડદા પાછળ ગઠબંધન કર્યું હતું. ગોપાલ ઈટાલિયાના મતે, આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરીને ભાજપ અને કોંગ્રેસે છૂપું ગઠબંધન કર્યું છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા હવે આ કાવાદાવા સમજી ગઈ છે અને 'આપ' હવે લોકોના વિશ્વાસનું કેન્દ્ર બની ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:58 pm

અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં પારિવારિક જંગ:વોર્ડ નં. 9માં દેરાણી અને જેઠાણી વચ્ચે રાજકીય મહાસંગ્રામ, એક કોંગ્રેસ ઉમેદવાર અને બીજી ભાજપ

સમગ્ર રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્ર ભરાયા બાદ હવે પ્રચારના શ્રીગણેશ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આ વખતે ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે, કારણ કે અહીં જંગ કોઈ પારકા વચ્ચે નહીં પણ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે છે. ભાજપ અને કોંગ્રેસમાંથી જેઠાણી-દેરાણી સામસામે વોર્ડ નંબર 9માં આ વખતે દેરાણી અને જેઠાણી આમને-સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ પક્ષમાંથી તેમના જ દેરાણી કાજલબેન સોલંકી મેદાનમાં છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ-અલગ વિચારધારા સાથે સામસામે આવતા અમરેલીની રાજનીતિ ગરમાઈ છે. સંબંધોની મર્યાદા સાથે વિચારધારાની લડાઈચૂંટણી પ્રચાર દરમિયાન બંને ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર દેરાણી કાજલબેન સોલંકી વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, ગટર અને સફાઈને મુખ્ય મુદ્દા બનાવી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ વિસ્તાર લાંબા સમયથી વિકાસમાં પછાત રહ્યો છે. જોકે, તેઓ માને છે કે વિચારધારા અલગ હોઈ શકે પણ તેની અસર પારિવારિક સંબંધો પર નહીં પડે. તો ભાજપ ઉમેદવાર જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપ સરકારના વિકાસ કાર્યો અને શાસનની નીતિઓને આગળ ધરીને મત માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ લડાઈ વ્યક્તિગત નથી પરંતુ સંપૂર્ણપણે વિચારધારાની છે, અને જનતા વિકાસને જોઈને તેમને સમર્થન આપશે. સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષયસામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થતા હોય છે, પરંતુ અહીં એક જ પરિવારના સભ્યો પ્રતિસ્પર્ધી હોવાથી આ બેઠક આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણીના પરિણામ ગમે તે આવે, જીત તો સોલંકી પરિવારની જ થશે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 9 ના મતદારો વિકાસના નેરેટિવ પર ચાલતા જેઠાણીને પસંદ કરે છે કે પરિવર્તનની આશા સાથે મેદાનમાં ઉતરેલા દેરાણીને. આ મુકાબલો સ્થાનિક રાજકારણમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:53 pm

40 ફૂટ ઊંચેથી કાટમાળ પડ્યો ને અમદાવાદના વૃદ્ધ છૂંદાયા, CCTV:સિક્યોરિટી બૂમ પાડી રોક્યા છતાં મોત મળ્યું, 114 કરોડના વડોદરા બસ સ્ટેશન દુર્ઘટનાના હચમચાવતા દૃશ્યો

વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે વહીવટી તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી (POP) અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતાં અમદાવાદના એક વૃદ્ધ મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. બે સેકન્ડ અટક્યા ને કાળ ભેંટી ગયોCCTV ફૂટેજમાં જોવા મળે છે કે, 72 વર્ષીય વૃદ્ધ મુસાફર ડેપોની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી કાટમાળ પડતો જોઈ સિક્યોરિટી ગાર્ડે બૂમ પાડીને તેમને રોક્યા હતા. વૃદ્ધ ગભરાઈને ક્ષણભર ઊભા રહી ગયા અને જેવા પાછા ફરવા ગયા કે તુરંત જ 40 ફૂટ ઊંચેથી વિશાળ સ્ટ્રક્ચર તેમના પર પડ્યું હતું. સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાથી તેમના માથા, મોં અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. દુર્ઘટનાની વિગતો અને જાનહાનિબસ ટર્મિનલ પર બનેલી આ કરુણ દુર્ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશ નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે (ઉં.વ. 72) નું કરુણ મોત નીપજ્યું છે. અંદાજે 60 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું વિશાળ સ્ટ્રક્ચર 40 ફૂટની ઊંચાઈએથી ધરાશાયી થતાં આ જાનહાનિ થઈ હતી. નોંધનીય છે કે, અંદાજે રૂ. 114 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક બસ ડેપોનું લોકાર્પણ વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું તેમછતાં માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં આવી ગંભીર દુર્ઘટના સર્જાતા બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. તંત્રની બેદરકારી અને તપાસનો ધમધમાટઆ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી પણ સપાટી પર આવી છે, કારણ કે ડેપો સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે આ બિલ્ડિંગનું અનિવાર્ય ગણાતું ‘સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ ઉપલબ્ધ નહોતું. આ મામલે સત્ય બહાર લાવવા માટે GSRTC દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. વધુમાં, બાંધકામમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા ચકાસવા માટે RB વિભાગ, ‘ગેરી’ અને એફએસએલ (FSL) દ્વારા ઘટનાસ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં સયાજીગંજ પોલીસે આ અંગે ગુનો નોંધીને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે બનેલા આલીશાન બસ સ્ટેન્ડમાં આવી દુર્ઘટના ઘટતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:50 pm

ભાજપ-કોંગ્રેસની મિલિભગતનો આરોપ:AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી

ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી શરૂઆતથી જ કહી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરની મિલિભગત છે. તેમણે દાવો કર્યો કે ભાજપના એક નેતાએ સ્વીકાર્યું હતું કે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, ત્યાં ભાજપે પોતાના ઉમેદવારો આપ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવેદનનો ઉલ્લેખ કરતાં ગઢવીએ કહ્યું કે તેઓ લોકોમાં કહી રહ્યા છે કે AAPને મત ન આપતા, જો મત આપવો હોય તો ભાજપને આપો. વિસાવદરની પેટાચૂંટણીને લઈને પણ ગઢવીએ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ભાજપના કહેવા પર કોંગ્રેસના નેતાઓ બેફામ રીતે પૈસા વાપરી રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ભાજપ અને કોંગ્રેસની આ મિલિભગતના કારણે ખેડૂતો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓના મહત્વના પ્રશ્નો આજે સુધી ઉકેલાયા નથી. તેમણે જનતાને અપીલ કરતાં કહ્યું કે, ભાજપ કે કોંગ્રેસમાં તમારો સગો ભાઈ ઉભો હોય તો પણ મત ‘ઝાડું’ને જ આપજો. ‘એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે’વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે, એ આ લોકોને પોષાતું નથી, ગમતું નથી. એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે એમનો પણ વિડિયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. બંને ખુલ્લા પડી ગયા, એકના એક જ દિવસે ખુલ્લું સત્ય બહાર આવે જ છે. તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ, કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામ પણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે એવી વાતો સંભળાય છે. ‘ભાજપ અને કોંગ્રેસ એક છે’આ બંને એક છે ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે અને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી, અને બંને મિલિભગતથી કામ કરે છે. અને એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા નથી . ક્રાઈમ રેટ ઘટ્યો અને તમે જુઓ ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે. આ બંનેનું ગઠબંધન છે. એટલે જ હું આપને કહી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે સગો ભાઈ ઊભો હોય ભાજપ કે કોંગ્રેસમાંથી, પણ મત ઝાડુને જ દબાવજો કારણ કે તમારા માટે કોઈ લડી રહ્યું છે, કોઈ જેલમાં જઈ રહ્યું છે, કોઈ એફ.આઈ.આર. પોતાના ઉપર થઈ રહી છે તોય તમારા માટે મજબૂતીથી ઊભું રહ્યું છે, તો એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:49 pm

AMCની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ:ભાજપ MLA કૌશિક જૈનની કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિતિથી NSUIના શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો

AMCની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા છે. આમ 48 વોર્ડની 196 બેઠક સામે ઉમેદવારોનો આંકડો ઘણો ઊંચો છે. કલેક્ટર કચેરીમાં વિરોધઆજે તમામ ફોર્મની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી કરવામા આવશે. ફોર્મની ફાઇનલ ચકાસણી બાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે. ફાઇનલ લિસ્ટ મુજબના જ ઉમેદવારો ચૂંટણી લડશે. 15 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આજે કલેકટર કચેરીએ ફોર્મ ચકાસણીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ, જ્યારે અંદર ગયા ત્યારે ખબર પડી કે કૌશિક જૈન અંદર જ બેઠા છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ભેદભાવ નહી ચલાવી લેવામાં આવે. સાથે જ તેઓએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:47 pm

આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ:વોર્ડ નં.11 અને 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને રક્ષિત કલોલાના ફોર્મ સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો, ચૂંટણી અધિકારીએ બન્નેના ફોર્મ યોગ્ય ઠેરવ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે ફોર્મ રદ કરવા માંગ કરી હતી જો કે ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ફોર્મની ઊંડાણપૂર્વક ચકાસણી કરી કોંગ્રેસના આક્ષેપ સાથેના તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરતા આક્ષેપોમાં તથ્ય ન જણાતા બન્નેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધાઓ ઉભા કરતી હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મળવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર14ના આગેવાન રાજુભાઈ ચાવડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર કેતન પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં અનેક ક્ષતિઓ રહેલી છે. તેમના જણાવ્યા અનુસાર, કેતન પટેલે મિલકતોનો પૂરેપૂરો ઉલ્લેખ કર્યો નથી અને મિલકત વેરાના નાણાં પણ ભરપાઈ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, સોગંદનામામાં તેમની શૈક્ષણિક લાયકાત અંગે પણ યોગ્ય દસ્તાવેજો કે પ્રમાણપત્રો જોડવામાં આવ્યા નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર ખોટું સોગંદનામું રજૂ કરે અથવા તો મહત્વની વિગતો છુપાવે, તો તેનું ફોર્મ તત્કાલ અસરથી રદ થવું જોઈએ. કોંગ્રેસે માત્ર ઉમેદવાર નહીં પરંતુ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. રાજુ ચાવડિયાએ જણાવ્યું કે, કેતન પટેલના ફોર્મમાં સ્પષ્ટ ખામીઓ હોવા છતાં અધિકારીઓ તેમને વધારાનો સમય આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. કેતન પટેલને અધૂરા સોગંદનામાને પૂર્ણ કરવા અને પુરાવા રજૂ કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે, તે નિયમોની વિરુદ્ધ છે. ભાજપના ઉમેદવાર કેતન પટેલએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14માં અમારી જીત નિશ્ચિત છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે અમારી વિરુદ્ધ ખોટા વાંધાઓ અને આક્ષેપો લગાવી રહી છે. પ્રજા અમારી સાથે છે અને અમારી જીત નિશ્ચિત છે. જયારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મારા સરકારી વકીલ તરીકે નોકરી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો મેં 11 એપ્રિલના રોજ ફોર્મ ભર્યું હતું એ પહેલા 9 એપ્રિલના રોજ સરકારી વકીલ તરીકે મેં મારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. મેં પુરાવા સાથે મારી વાત રજૂ કરતા મારુ ફોર્મ મન રાખવામાં આવ્યું છે અને મરીનજીત નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને હિરેન ખીમાણીયા તેમજ વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિત કલોલા વિરુધ્ધ ફોર્મ રદ કરવા મામલે કોંગ્રેસે કરેલ અરજી ફગાવી દેવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ભાજપના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ન હોવાનું કહી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:42 pm

જોરાવરનગરમાં 6 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો:રહેણાંક મકાનમાંથી મળ્યો, 3 પકડાયા, મુખ્ય આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના ખાસ એક્શન પ્લાન હેઠળ જોરાવરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 423 બોટલો સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહીરાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ પ્રોહિબિશનના કેસો શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જોરાવરનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે શેરી નંબર 11માં રહેતો જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પ્રોબેશનરી ASP કરણકુમાર પન્નાની આગેવાનીમાં પોલીસે મકાન અને બહાર પાર્ક કરેલી ગ્રાન્ડ i10 કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતપોલીસે સ્થળ પરથી દારૂ, વાહનો અને મોબાઈલ સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ: કુલ 423 બોટલો/ચપલા (કિંમત 2,09,500) 750 ML ની બોટલ: 95 નંગ 375 ML ની બોટલ: 43 નંગ 180 ML ના ચપલા: 270 નંગ 650 ML ની બોટલ: 15 નંગ વાહનો: ગ્રાન્ડ i10 કાર (GJ 13 AH 1633): કિંમત 2,00,000 મોટરસાયકલ (2 નંગ): કિંમત 1,30,000 અન્ય: 4 મોબાઈલ ફોન (કિંમત 65,000) ઝડપાયેલા અને ફરાર આરોપીઓપોલીસે દરોડા દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ કમિશન પર ગ્રાહકો શોધવા અને દારૂ પહોંચાડવાનું કામ કરતા હતા: વિમલ મયુર ખરગીયા (રહે. સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર) નરેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા (રહે. પ્રતાપપાર્ક, સુરેન્દ્રનગર) ભાવેશ મનોજ મીનાવત (રહે. જોરાવરનગર) જ્યારે મકાન માલિક અને મુખ્ય આરોપી જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ટીમઆ સફળ કામગીરીમાં પ્રોબેશનરી ASP કરણકુમાર પન્ના, ASI રવિ રાણા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ, અશોકસિંહ તેમજ કોન્સ્ટેબલ વિજયસિંહ અને યુવરાજસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:30 pm

ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી ગઈ:વડોદરાના સુભાનપુરામાં વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ, તમામ ઈલેક્ટ્રીક પેનલ બળીને ખાખ થઈ ગઈ

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા શહેરના હાઈટેન્શન રોડ પર આવેલ વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માટે આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં હાજર તમામ લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ જતા ઓક્સિજન માસ્ક પહેરી ફાયર બ્રિગેડના જવાનોએ કુલિંગની કામગીરી કરી હતી. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને વર્ધમાન કોમ્પ્લેક્સમાં આવેલી બેંકમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી હતી. આગ બુજાવી દીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:28 pm

ભાવનગર મનપા ચૂંટણી:મનપાના 13 વોર્ડ માટે ફોર્મ ચકાસણી, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવતા મુકાબલો રસપ્રદ બનવાની શક્યતા છે આજરોજ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વોર્ડના ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા, આજરોજ ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી, ​ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે, અને ​મતદાનની તારીખ 26 એપ્રિલ ને રવિવાર ના રોજ યોજાશે, જયારે ​પરિણામની તારીખ 28 એપ્રિલ ના રોજ યોજાશે. ​આજરોજ હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણીના અંતે 13 વોર્ડમાં કુલ 389 ફોર્મ ભરાયા હતા, જેમાંથી હાલ 228 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાનું જણાય છે. આગામી 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારો મેદાન છોડે છે તેના પર સૌની નજર રહેશે, ત્યારે બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાન રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. વોર્ડ ભરાયા ઉમેદવાર ઉપડ્યા વોર્ડ 1 31 20 271વોર્ડ 2 41 22વોર્ડ 3 38 20 વોર્ડ 4 15 15 208વોર્ડ 5 19 19વોર્ડ 6 18 18 વોર્ડ 7 36 15 188વોર્ડ 8 32 16વોર્ડ 9 44 22વોર્ડ 10 25 16 વોર્ડ 11 31 18 184વોર્ડ 12 29 13વોર્ડ 13 30 14 કુલ13 389 228 851

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:24 pm

સુરેન્દ્રનગર ચોરીનો ભેદ ઉકેલાયો, બે મહિલા ઝડપાઈ:મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની સભ્યો મહારાષ્ટ્રના ધુલેથી પકડાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની બે મહિલા સભ્યોને મહારાષ્ટ્રના ધુલે ખાતેથી ઝડપી પાડી છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,84,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ચોરીના ગુનાઓ ઉકેલવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરના રિલાયન્સ ટ્રેન્ડ્ઝ પાસે આવેલી બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા ફરિયાદીની નજર ચૂકવી બે અજાણી મહિલાઓએ ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલાઓ હાલ મહારાષ્ટ્રના ધુલે ખાતે હતી. પોલીસે ત્યાં તપાસ કરી બે શંકાસ્પદ મહિલાઓને સુરેન્દ્રનગર લાવી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી ચોરી કરેલા 1,64,000 રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 1,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે તેમને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પકડાયેલ મહિલાઓમાં લલિતાબેન વા/ઓ સાકા ભારત સિસોદિયા અને બબલી વા/ઓ પ્રતાપ માતાદી સિસોદિયાનો સમાવેશ થાય છે, જે બંને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ગુલખેડી અને કડિયા સાસી ગામના રહેવાસી છે. આ ગુનામાં લલતાબેન ઉર્ફે મલકા ભારત સિસોદિયા અને સાકા ભારત સિસોદિયા નામના અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. લલિતાબેન સાકા સિસોદિયાનો ગુનાહિત ઇતિહાસ દિલ્હીના નજફગઢ અને સાઉથ દિલ્હીના કે.એમ.પુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. જ્યારે બબલી પ્રતાપ સિસોદિયાનો ગુનાહિત ઇતિહાસ મધ્યપ્રદેશના ઇદ્રગંજ ગ્વાલિયર, અગરમાલવા પોલીસ સ્ટેશન અને ઉત્તર પ્રદેશના વારાણસી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:23 pm

ઓસ્ટ્રેલિયા જવા પાલડીના CA પતિએ પત્ની પાસે ₹15 લાખ માંગ્યા:પિતા પાસેથી પૈસા ન લાવતા મારીને કાઢી મૂકી, દહેજ ભૂખ્યા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ

શહેરના પાલડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને ઓસ્ટ્રેલિયા જવું હોવાથી પત્ની પાસે ₹15 લાખના દહેજની માંગણી કરી, તેને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. લગ્નના શરૂઆતના વર્ષોથી જ માનસિક ત્રાસપાલડીમાં રહેતી યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ મિલીન અને સાસુ રેખા વિરૂદ્દ ઘરેલુ હિંસા, મારઝુડ તેમજ દહેજની ફરિયાદ કરી છે. યુવતીના લગ્ન 2006માં સમાજના રિતરીવાજ મુજબ ચાર્ટડ એકાઉટન્ટ મિલીન સાથે થયા હતા. લગ્ના બાદ યુવતી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના બે વર્ષ બાદ યુવતીને પ્રેગનનસી રહેતી ન હોવાથી મિલીન તેમજ સાસુ રેખા તેને મેણાટોણા મારતા હતા. સાસુ યુવતીને કહેતી હતી કે, તારામાં છોકરા જણવાની તાકાત નથી તો તે મારા દીકરા સાથે લગ્ન કેમ કર્યા? યુવતી સાસરીયાનો ત્રાસ ચુપચાપ સહન કરતી હતી. શ્રીમંત અને જીયાણાની વિધિમાં પણ બબાલયુવતી ગર્ભવતી થતા તેનુ શ્રીમત ભરવાનું હતું, જ્યા સાસુ રેખાએ વેવાઈને ફોન કરીને કહ્યુ કે, તમારે દીકરીને સોનાનો સેટ, મિલીનને સોનાની ચેઈન અને બીજા પરિવારને રોકડા રૂપિયાનું કવર ભરવુ પડશે. યુવતીના પિતાની આર્થિક પરિસ્થીતી સારી હોવાથી તેમણે સોનાના સેટની જગ્યાએ હીરાનું પેન્ડલ આપ્યુ હતું. રેખાના કહ્યા પ્રમાણે વ્યવ્હાર નહીં થતા તેણે યુવતીને કહ્યુ હતું કે, તારા બાપમાં વ્યવહાર કરવાની તાકાત નથી તો અહીયા કેમ આવ્યા છે. શ્રીમંતમાં યુવતીને અડધૂત કરીને બબાલ કરી હતી. ડિલિવરી માટે યુવતી પિયરમાં ગઈ હતી, જ્યાં તેને પુત્રને જન્મ આપ્યો હતો. યુવતીના પિતાએ જીયાણા માટે આપેલી ચીજવસ્તુઓ પણ રેખા અને મિલીનને ઓછી પડતી હતી, જેને લઈને બબાલ થઈ હતી. પતિ મહિલા મિત્રને ઘરે લાવતો, સવાલ કરતા માર માર્યોશ્રીમંત અને જીયાણામાં સાસરીયાના કહ્યા પ્રમાણે વ્યવ્હાર નહીં કરતા અંતે યુવતીને પિયરમાં જવાનું બંધ કરાવી દીધુ હતું. 2015માં યુવતીના દિયરના લગ્ન હતા, જેમાં તેના પિયરના કોઈ સભ્યને આમંત્રણ આપ્યુ નહીં. યુવતી અને મિલીન અલગ ભાડેથી રહેવા માટે જતા રહ્યા હતા, જ્યા મિલીનની સ્ત્રી મિત્ર તેને ઘરે મળવા માટે આવતી હતી. યુવતી મહિલા મામલે પુછે તો મિલીન તેની સાથે બબાલ કરતો હતો અને માર પણ મારતો હતો. રાજસ્થાનમાં દારૂ પી લોહીલુહાણ કરી2020-21માં મિલીને પાલડી ખાતેનું મકાન 72 લાખ રૂપિયામાં ખરીદી કર્યુ હતું. મિલીને મકાન માટે યુવતીને પોસ્ટમાં રહેલા બે લાખ રૂપિયાની એફડી લઈ લીધી હતી, જ્યારે પિયરમાંથી આવેલો સાત તોલાની સોનાની લગડી વેચી દીધી હતી. યુવતી અને મિલીન રાજસ્થાન ફરવા માટે ગયા હતા, જ્યા દારૂ પીને મિલીને તેને મારમારી લોહીલુહાણ કરી દીધી હતી. યુવતી અમદાવાદ આવીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી, જ્યા મિલીને માફી માંગીને સમાધાન કર્યુ હતું. ઓસ્ટ્રેલિયા જવા ₹15 લાખની માંગણીમિલીનને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી તેણે યુવતી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા હતા. યુવતીએ પિયરમાંથી 15 લાખ રૂપિયા લાવવાનો ઈન્કાર કરી દેતા અંતે તેવે મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી. યુવતીએ આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:21 pm

અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ, ગણતરીની કલાકોમાં FSLનો રિપોર્ટ પણ આવવાની શક્યતા

અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવનાને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન ડીસીપી,એસીપી અને પીઆઇ હાજર હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવનાની પૂછપરછ કરાશે. આ ઉપરાંત સાંજે FSLનો રિપોર્ટ આવવાની પણ શકયતા છે. 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું. પોલીસે દાદા-દાદીના નિવેદન લીધાઆ પહેલાં 11 એપ્રિલે બાળકીના કાકા અને ફોઈ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા. પોલીસ દ્વારા કાકા અને ફોઈનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાળકીના દાદીનું સવારે નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાદાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સપોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:13 pm

દ્વારકા ફિશિંગ બોટ કૌભાંડ:જૂની બોટને નવી દર્શાવી સરકારી યોજનામાં છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

દેવભૂમિ દ્વારકામાં માછીમારી બોટ કૌભાંડના મુખ્ય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ (ઉંમર 66) ને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં જૂની બોટને કાગળ પર નવી દર્શાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના બાદ, એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને પીએસઆઈ ડી.એ. વાળાની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ લાંબા સમયથી ફરાર હતો. એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને મળેલી બાતમીના આધારે ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુદર્શન સેતુ બ્રીજના મોરપીચ્છ સર્કલ પાસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 66 વર્ષીય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ 'અલ-અરફાત' (રજી. નં. IND-GJ-37-MM-4022) નામની બોટના બોગસ દસ્તાવેજો બનાવવાનું મુખ્ય કામ કરતો હતો.આરોપીએ ખાનગી ફિશરીઝ એજન્ટો સાથે મળીને જૂની માછીમારી બોટને નવી દર્શાવી તેના પર ખોટું રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવ્યા હોવાની કબૂલાત કરી છે.આ કૌભાંડમાં હજુ અનેક લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 3:07 pm

જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ વિરૂદ્ધ ગુન્હો દાખલ::વાયરલ વીડિયો મામલે ચેતન ફળદુ સામે એટ્રોસિટીની પોલીસ ફરિયાદ નોંધાય,વાલીઓ સામે પટેલ અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી...

​જૂનાગઢમાં થોડા સમય પહેલા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો. આ સમયગાળા દરમિયાન વાલીઓ પોતાની માંગણીઓને લઈ ટ્રસ્ટીઓના વિરોધમાં આંદોલન અને ઉપવાસ પર બેઠા હતા. આ વિવાદ જ્યારે ચરમસીમાએ હતો.ત્યારે મંડળના ટ્રસ્ટી કાંતિલાલ ફળદુના પુત્ર અને જાણીતા બિલ્ડર ચેતન ફળદુનો એક ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. આ વાયરલ થયેલી ક્લિપમાં ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા. જ્યારે સામેવાળી વ્યક્તિએ આ મામલો વડીલો અને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનકારી રસ્તે ઉકેલવાની સલાહ આપી ત્યારે ચેતન ફળદુ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. ​ભૂતકાળમાં વાયરલ થયેલા આ વીડિયોમાં ચેતન ફળદુએ નમ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સમાધાનનો ઈનકાર કરતા કહ્યું હતું કે આ મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું થતું નથી. એટલું જ નહીં, તેમણે આંદોલન કરી રહેલા અને ઉપવાસ પર થાણાપીપળી ગામના વાલીઓ વિશે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે આ લોકો પટેલ જ્ઞાતિના નથી પરંતુ અન્ય જ્ઞાતિના છે. આ વાતચીત દરમિયાન તેમણે અનુસૂચિત જાતિ માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો, તેનાથી સમગ્ર સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ હતી. ​ચેતન ફળદુ દ્વારા કરવામાં આવેલા આ જ્ઞાતિસૂચક અપમાન અને વાંધાજનક વાણી વિલાસને પગલે અનુસૂચિત જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલે કાયદાકીય લડત આપતા આખરે જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢના બિલખા રોડ પર રહેતા અને અનુસૂચિત જાતિના જાગૃત નાગરિક સંજયભાઈ મૂળજીભાઈ પરમારે આ મામલે ફરિયાદ પક્ષ બનવાનું નક્કી કર્યું હતું. તેમની ફરિયાદના આધારે ચેતન કાંતિલાલ ફળદુ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી ચેતન ફળદુએ ફરિયાદીની જ્ઞાતિ વિરૂદ્ધ ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં તેમણે અનુસૂચિત જાતિના લોકોને સમાજમાં ધિક્કારવાના અને જાતિ પ્રત્યે એકબીજામાં દુશ્મનાવટ ફેલાય તેવા હેતુથી ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા હોવાનું સામે આવ્યું છે. આ ક્લિપ જાહેર થતા સામાજિક સૌહાર્દ જોખમાયું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ​હાલમાં આ કેસની તપાસ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ અને એસ.સી./એસ.ટી. સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.સામાજિક ક્ષેત્રે અને બિલ્ડર લોબીમાં જાણીતા ચેતન ફળદુ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુન્હો નોંધાતા જૂનાગઢમાં ફરી એકવાર પટેલ કેળવણી મંડળનો વિવાદ અને તેના પરિણામો ચર્ચાની એરણે ચડ્યા છે..

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:55 pm

પાટણ નગરપાલિકા ચૂંટણીમાં 19 ઉમેદવારી પત્રો રદ:વોર્ડ-2ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ બે બાળકોની નીતિ હેઠળ કપાયું, ડમી માન્ય

પાટણ નગરપાલિકાની 44 બેઠકો પર વિજય મેળવવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોએ કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીમાં મોટા ઉલટફેર જોવા મળ્યા હતા. કુલ 134 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા 137 ફોર્મની ઝીણવટભરી તપાસ બાદ ચૂંટણી અધિકારીએ 19 ફોર્મ અમાન્ય જાહેર કર્યા હતા. ચકાસણી દરમિયાન કચેરીએ જામી ભીડચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કચેરી પરિસરમાં માનવ મહેરામણ ઉભરાતા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફોર્મ રદ થવાના મુખ્ય કારણોચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, ટેકનિકલ અને કાયદાકીય પાસાઓની ચકાસણી બાદ 19 ફોર્મ રદ કરાયા છે. ફોર્મ રદ થવા પાછળ વિવિધ કારણો જવાબદાર રહ્યા છે: વોર્ડ નંબર 2માં રાજકીય ગરમાવોવોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર દશરથલાલ ભીલનું ફોર્મ રદ થતા અનેક ચર્ચાઓ જાગી છે. 2005 ના અધિનિયમ મુજબ 5 બાળકો હયાત હોવાના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, જોકે રાહતની વાત એ છે કે તેમનું ડમી ફોર્મ માન્ય રહ્યું છે. આ ઉપરાંત, આ જ વોર્ડમાં રવિન્દ્રકુમાર પરમારનું ફોર્મ મતદાર યાદીમાં નામ ન હોવાથી અને ડિપોઝિટના અભાવે રદ થયું છે, જ્યારે મુકેશ પરમાર અને વિપુલ સોલંકીના ફોર્મ અધૂરી વિગતોને કારણે રદ કરાયા છે. ચૂંટણીનું આંકડાકીય ચિત્રકુલ વોર્ડ: 11કુલ બેઠકો : 44કુલ ભરાયેલા ફોર્મ: 137માન્ય ફોર્મ: 115રદ થયેલા ફોર્મ: 19 હવે ઉમેદવારી પત્રો ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ પાટણ નગરપાલિકાના ચૂંટણી જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:51 pm

નવસારીમાં કોંગ્રેસને મોટો ફટકો:મેન્ડેટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી, ભાજપના વિજયની તૈયારી

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના સત્તાવાર મેન્ડેટ (પાર્ટી ફોર્મ) નિયત સમય મર્યાદામાં રજૂ ન કરી શકવાને કારણે જિલ્લાની કુલ 32 બેઠકો પરથી કોંગ્રેસે હાથ ધોવા પડ્યા છે. આ તમામ બેઠકો હવે સીધી રીતે ભાજપના ફાળે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ'ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ બપોરે 3:10 કલાકે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારીએ 3:00 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી મેન્ડેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ચકાસણી દરમિયાન કોંગ્રેસના તમામ 18 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ ભૂલને કારણે કોંગ્રેસે માત્ર પાલિકા જ નહીં, પરંતુ અન્ય બેઠકો પણ ગુમાવી છે: આ લોકશાહીનું દમન - કોંગ્રેસનો આક્ષેપબીજી તરફ, નવસારી કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આ નિર્ણયને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમારા પ્રતિનિધિઓ 3:10 સુધી પ્રીમાઈસીસમાં જ હતા અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. અધિકારીએ રાજકીય દબાણ હેઠળ મેન્ડેટ સ્વીકાર્યા નથી. કોંગ્રેસે ગુજરાત એક્ટ 1950ની કલમ 33 અને જૂના કોર્ટ જજમેન્ટ્સનો હવાલો આપીને આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચી લેશે : ભાજપ ગણદેવી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું હતું કે, કાયદો તેનું કામ કરે છે. કોંગ્રેસે નિયત સમયમાં મેન્ડેટ રજૂ કર્યા નથી, તેથી તેમના ફોર્મ રદ થયા છે. ભાજપ ક્યારેય કોઈ કાવાદાવા કરતું નથી, અમે હંમેશા ચૂંટણી લડવાના મૂડમાં હોઈએ છીએ. હવે ગણદેવી પાલિકા સમરસ બને તેવી અમને આશા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચી લેશે. ગણદેવી નગરપાલિકા 'સમરસ' થવાની શક્યતાગણદેવી નગરપાલિકામાં હવે માત્ર ભાજપના ઉમેદવારો અને 6 અપક્ષો જ મેદાનમાં છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો ભાજપ અપક્ષોને મનાવી લેવામાં સફળ રહેશે, તો ગણદેવી પાલિકા બિનહરીફ (સમરસ) જાહેર થશે, જે ભાજપ માટે મોટી રાજકીય જીત ગણાશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:39 pm

મોરબી સિરામિક ઉદ્યોગને યુદ્ધથી 7 હજાર કરોડનું નુકસાન:કારખાના બંધ, પ્રત્યેક એકમને 50 લાખથી 1.5 કરોડનો ફટકો; પેપર મિલ પણ પ્રભાવિત

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના પ્રતાપે મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીના વમળમાંઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે 7,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. આ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે 50 લાખથી 1.50 કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગ પર પણ 36 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ ઝીંકાયું છે. ગેસના પુરવઠામાં અવરોધ અને અબજોનું ટર્નઓવર ઠપ્પમોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાં કાર્યરત 650 જેટલા સિરામિક એકમો વાર્ષિક 60,000 થી 70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. જોકે, છેલ્લા એક મહિનાથી ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને પગલે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી દેવી પડી છે, જેના પરિણામે અંદાજે 7,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે. નિકાસમાં અવરોધ: કન્ટેનર ફસાયા અને ખર્ચમાં તોતિંગ વધારોયુદ્ધની જ્વાળાઓએ નિકાસના માર્ગોને પણ પ્રભાવિત કર્યા છે. ગત એક માસમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 700 થી વધુ કન્ટેનરો પરત ફર્યા છે. આ સિવાય, આશરે 700 થી 800 જેટલા કન્ટેનરો વિદેશી બંદરો પર અધ્ધરતાલ ફસાયેલા છે, જેના પરત આવવાની કે નિર્ધારિત સ્થળે પહોંચવાની કોઈ નિશ્ચિતતા નથી. આ વિલંબને કારણે ઉદ્યોગપતિઓએ કન્ટેનર દીઠ 50,000 થી 1.50 લાખ રૂપિયા સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. ઈંધણની કટોકટી અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાનપ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાતા અને નેચરલ ગેસની પૂરતી ઉપલબ્ધતા ન રહેતા સિરામિકના ભઠ્ઠા શાંત થઈ ગયા છે. આ સ્થિતિમાં દરેક એકમને સરેરાશ 50 લાખથી 1.50 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આટલી મોટી નુકસાનીની ભરપાઈ કરવી અને ઉદ્યોગને ફરી પાટા પર લાવવો એ ઉદ્યોગકારો માટે અત્યારે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પેપર મિલ ઉદ્યોગ પર 36 કરોડનું ભારણસિરામિક ઉદ્યોગની પડખે ચાલતા પેપર મિલ ઉદ્યોગની દશા પણ કફોડી બની છે. વેસ્ટ પેપરના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પેપર મિલ માલિકોની ઊંઘ હરામ કરી દીધી છે. માત્ર એક જ મહિનામાં આ ક્ષેત્ર પર 36 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવી પડતા આખું સેક્ટર મુશ્કેલીમાં મુકાયું છે. ઉત્પાદનમાં 45,000 ટનનો મોટો ઘટાડો: શૈલેષભાઇ પટેલમોરબીની પેપર મિલોની ક્ષમતા અંગે વિગત આપતા એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે અહીં માસિક 1.56 લાખ ટન પેપર પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે. જોકે, છેલ્લા 40 થી 45 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોડક્શન ક્ષમતામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં મિલો માત્ર 60 થી 70 ટકા ક્ષમતા પર જ કાર્યરત હોવાથી અંદાજે 45,000 ટન જેટલું ઉત્પાદન ઘટ્યું છે. કાચા માલમાં ભાવવધારો: તૈયાર માલ મોંઘો થવાના એંધાણયુદ્ધ પહેલા પેપર મિલ માલિકો સ્થાનિક અને આયાતી વેસ્ટ પેપરના સમન્વયથી ઉત્પાદન કરતા હતા. પરંતુ યુદ્ધના કારણે આયાતી વેસ્ટ પેપરના ભાવમાં ટન દીઠ 25 ડોલરનો ઉછાળો આવ્યો છે. આ ભાવવધારાને લીધે મોરબીના પેપર મિલ ઉદ્યોગકારો પર માસિક 36 કરોડ રૂપિયાનું ભારણ વધ્યું છે. આગામી સમયમાં આ વધારાના ખર્ચની અસર તૈયાર માલના ભાવ પર પણ પડશે, જેના કારણે પેપર પ્રોડક્ટ્સ મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:28 pm

પારડીના મોતીવાડામાં જમીન સંપાદન સામે રોષ:કોનકર કંપનીના પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટરને આવેદન

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોનકર) દ્વારા જમીન સંપાદન કરવાની હિલચાલ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આ પ્રોજેક્ટ અન્યત્ર ખસેડવાની માંગ કરી છે, કારણ કે તેનાથી ગામનું અસ્તિત્વ જોખમાવાની ભીતિ છે. મોતીવાડા ગામના અગ્રણી જિતેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી કોનકર કંપની દ્વારા જમીન સંપાદન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સામે આવેલા નકશા મુજબ, ગામના અંદાજે ૭૦ થી ૮૦ જેટલા પાકા મકાનો, સરકારી આવાસ અને ગામની શાળા પણ આ પ્રોજેક્ટની ઝપેટમાં આવે તેમ છે. જો આ સંપાદન થાય તો અડધું ગામ નકશામાંથી સાફ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં ખેડૂતોએ રજૂઆત કરી છે કે અંદાજે 80 થી 90 એકર ફળદ્રુપ જમીન સંપાદિત થવાની શક્યતા છે. આના કારણે ૫૫ જેટલા ખેડૂત પરિવારોની ખેતીલાયક જમીન, 10 થી 15 કુવાઓ અને 80 જેટલા બોરવેલ પણ પ્રોજેક્ટમાં જશે, જેનાથી તેમની રોજગારી છીનવાઈ જવાનો ભય છે. આ ઉપરાંત, પર્યાવરણને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે. અંદાજે ૫૦૦૦ થી વધુ ફળાઉ ઝાડ (જેમ કે આંબા, ચીકુ, નાળિયેરી) અને ૪૦૦૦ થી વધુ ઇમારતી લાકડાના વૃક્ષો કાપવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ અગ્રણી જિતેશભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ ગામની જમીન રેલવે (DFCC) અને નેશનલ હાઈવેમાં ગઈ છે. હવે જો વધુ જમીન જશે તો ખેડૂતો ક્યાં જશે? અમે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ અને જરૂર પડે તો ભૂખ હડતાલ પર પણ ઉતરવા તૈયાર છીએ. ગ્રામજનોએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કલેક્ટરને રજૂઆત કરતા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તંત્ર દ્વારા આશ્વાસન અપાયું છે કે ગ્રામજનોની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ પ્રોજેક્ટ અહીંથી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:17 pm

મોરબીના ટેકઝો કાર સર્વિસ સ્ટેશનમાં આગ:શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક મોડી રાત્રે આગનો બનાવ, 5 કલાક બાદ કાબૂમાં

મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક આવેલા ટેકઝો કાર સ્ટુડિયોમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર વિભાગે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર કાર સર્વિસ સ્ટેશનમાં ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની તીવ્રતા એટલી હતી કે ટીમને સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. સર્વિસ સ્ટેશનમાં પાર્ક કરેલી કેટલીક કારોની ડીઝલ ટેન્કમાં ડીઝલ ભરેલું હોવાથી બ્લાસ્ટ થવાની શક્યતા હતી. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, ફાયર વિભાગે ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરી હતી. આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં સર્વિસ સ્ટેશનને મોટા પાયે નુકસાન થયું હતું. જોકે, ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાભીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના રહેણાંક મકાનો નજીક હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 2:14 pm

હવામાન વિભાગની આગાહી:આજે કચ્છમાં હીટવેવને લઈને યલો એલર્ટ, સૌથી વધુ રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસમાં તાપમાન સુકું રહેશે. આજે કચ્છમાં હીટવેવને લઈને માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર 40.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર 1.5 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા તાપમાન અને ભેજને કારણે ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે, જેનાથી ડિસ્કમ્ફર્ટ અનુભવાઈ શકે છે. કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગમી દિવસોમાં 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ દરમિયાન પવનની ગતિ 45 થી 55 કિમી/કલાક અને ઝાપટા સાથે 65 કિમી/કલાક સુધી રહી શકે છે. લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટસ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાંત તબીબના જણાવ્યા મુજબ, હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદી અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:56 pm

વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને કર્મચારીઓ આમને-સામને.:​11:15 વાગ્યા છતાં કર્મચારીઓ ગાયબ ? ટાઉન પ્લાનિંગ શાખામાં અરજદાર સાથે મારામારીના ગંભીર આક્ષેપો, રોષે ભરાયેલા કર્મચારીઓએ કચેરીને તાળા મારી હડતાળ પોકારી.

​જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ગંભીર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આજે સવારે 11:15 વાગ્યા હોવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ પોતાની ખુરશી પર હાજર ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરજદાર કરસન સોલંકી જ્યારે પોતાની અરજી બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કચેરી ખાલીખમ હોવાથી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ વિડીયોમાં લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓની ગેરહાજરી અને ખાલી ખુરશીઓ જોઈ શકાય છે. વિડીયો ઉતારવા બાબતે મોડેથી આવેલા કર્મચારીઓ અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ​અરજદાર કરસન સોલંકીએ વહીવટી તંત્ર અને કમિશનર સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ હવેલી ગલીમાં ચાલી રહેલા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે પાનસુરિયા સાહેબ અને અન્ય કર્મચારીઓએ તેમનો કાંઠલો પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ એવું બોલતા હતા કે કમિશનરે તેને પાડી દેવાની સૂચના આપી છે. તો બીજી તરફ આજની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. તો મહાનગરપાલિકાના કર્મચારીઓએ પોતાની ભૂલ છુપાવવા અને અરજદાર પર દબાણ લાવવા માટે કામકાજ બંધ કરી દીધું છે. કર્મચારીઓ કચેરીની બહાર એકઠા થઈ ગયા હતા અને 'અરજદારો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ'ના વિરોધમાં હડતાળની જાહેરાત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે અવારનવાર કેટલાક આવારા તત્વો કચેરીમાં આવીને ગેરવર્તણૂક કરે છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરે છે. કર્મચારીઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે અરજદારે જ તેમના પર હુમલો કર્યો છે. ​મહિલા કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્ને કર્મચારી શ્રેયા પાનેરીએ જણાવ્યું હતું કે જનસેવા કેન્દ્રમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન સામાન્ય બની ગયું છે. કર્મચારીઓની માંગ છે કે કચેરીમાં સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે અને ગેરવર્તણૂક કરનારા અરજદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હાલમાં મહિલા કર્મચારીઓ સહિતના સ્ટાફે મનપા કચેરીને તાળા મારી કામકાજ ઠપ્પ કરી દીધું છે, જેના કારણે અન્ય નિર્દોષ અરજદારો પણ હાલાકી ભોગવી રહ્યા છે. ​જૂનાગઢ મહાનગરપાલિકામાં વારંવાર ભ્રષ્ટાચાર અને વહીવટી શિથિલતાના આક્ષેપો થતા રહે છે. અરજદારોની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા લોકોએ મજબૂર બનીને વારંવાર ધક્કા ખાવા પડે છે. અધિકારીઓની આવી બેદરકારીને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પરંતુ જ્યાં સુધી સુરક્ષા અને સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખવાની જીદ પકડી છે. આ વિવાદને કારણે જૂનાગઢ મનપાનું તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:54 pm

કલોલના યુવકની IPL મેચ પર સટ્ટો રમાડતા ધરપકડ:કડીના બૂકી પાસેથી 20 હજારમાં આઈડી ખરીદી હતી, 11 હજારનો મુદ્દામાલ જપ્ત

IPL મેચ પર ગાંધીનગરના કલોલ શહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ગાંધીનગર LCBની ટીમે રહેમત રેસિડન્સીના પાર્કિંગમાંથી ઝડપી લીધો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં આઈફોન અને રોકડ રકમ સહિત 11,200નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. LSG અને GTની મેચ પર સટ્ટો રમાડતો હતોગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI દિવાનસિંહવાળાની ટીમ કલોલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે અલ્ફાઝ કુરેશી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં લખનઉ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. આરોપી અલ્ફાઝ કુરેશીની ધરપકડજેના પગલે પોલીસે રહેમત રેસિડન્સી ખાતે દરોડો પાડી આરોપી અલ્ફાઝને આઈફોન-8 પ્લસ સાથે રંગેહાથ પકડ્યો હતો. જેની તપાસ દરમિયાન તેના મોબાઈલમાં એક વેબસાઈટ ઓપન હતી. જેના પર તે આઈડી પાસવર્ડ દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રમાડતો હોવાનું ખુલ્યું હતું. આઈડી આપનાર કડીનો શખ્સ વોન્ટેડજેની કડકાઈથી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સટ્ટાનું આઈડી કડીના મલ્હારપુરામાં રહેતા અલ્ફાઝ પઠાણ ઉર્ફે બંટી પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. પોલીસે 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1,200 રૂપિયાની રોકડ મળી કુલ 11,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે અલ્ફાઝ કુરેશીની ધરપકડ કરી આઈડી આપનાર કડીના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:53 pm

દ્વારકા પોલીસ ચૂંટણી પહેલાં એલર્ટ:SP જયરાજસિંહ વાળાની બુટલેગરો, હિસ્ટ્રીશીટરોને કડક ચેતવણી

દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરી છે. તેમણે બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કડક ચેતવણી આપી છે. નાયબ પોલીસ અધ્યક્ષ સાગર રાઠોડ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા હાલ કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે 'લાલ આંખ' કરીને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ચેતવણીનો હેતુ ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો જાળવવાનો છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:48 pm

મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષની 3 દુકાનમાં મોડી રાત્રે આગ:મનપાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કપડા સહિતનો માલસામાન બળીને ખાખ

શહેરના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં 12 એપ્રિલની મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે કોમ્પલેક્ષમાં દુકાન નંબર 30, 31 અને 32માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર લાગેલી આ આગની જ્વાળાઓ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાએ ફાયર વિભાગને કરી હતી જાણઘટના અંગે કોમ્પલેક્ષમાં જ પાન પાર્લર ચલાવતા મિતલબેન ગોસ્વામીએ સતર્કતા દાખવી તુરંત મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેસાણા મહાનગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ અંદાજે 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુકાનમાં કપડા અને સામાન બળીને ખાખજોકે, આગ એટલી વિકરાળ હતી કે દરજીની દુકાનમાં રહેલો તમામ સામાન અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:41 pm

ટિકિટ કપાવાના બે દિવસ પહેલા જ ભાજપના ઈતિહાસ પર Ph.D:પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસાએ ‘ભાજપ’ પર જ થીસીસ લખ્યું, ટિકિટ ન મળી છતાં કહ્યું-‘હું નારાજ નથી

રાજકારણમાં જ્યારે ટિકિટ કપાય ત્યારે નેતાઓ કા તો ઘરે બેસી જાય અથવા પક્ષ સામે બળવો કરે. પણ સુરતના પૂર્વ કોર્પોરેટર ડૉ. સ્વાતિ સોસાનો કિસ્સો કંઈક અલગ જ છે. જે દિવસે પાર્ટીએ તેમનું નામ કાપ્યું, તેના માત્ર 48 કલાક પહેલા જ તેમણે ભાજપના ઈતિહાસ પર પીએચ.ડી. પૂર્ણ કરી 'ડૉક્ટરેટ'ની પદવી મેળવી હતી. નવાઈની વાત એ છે કે જે પાર્ટીએ તેમને ઉમેદવાર ન બનાવ્યા, તે જ પાર્ટીની પ્રગતિના રહસ્યો પર તેમણે થીસીસ લખ્યો છે અને હવે ટિકિટ વગર પણ તેઓ ચૂંટણી મેદાનમાં પ્રચાર કરી રહ્યા છે. સોમવારે Ph.D મળ્યું અને બુધવારે ટિકિટ કપાઈ ગઈસ્વાતિબેન સોસા માટે છેલ્લા કેટલાક દિવસો લાગણીઓના રોલર-કોસ્ટર જેવા રહ્યા. એકતરફ વર્ષોની મહેનત બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી, તો બીજી તરફ રાજકીય મોરચે જે વોર્ડ નંબર 13માંથી તેમણે દાવેદારી કરી હતી ત્યાંથી તેમનું પત્તું કપાઈ ગયું. સામાન્ય રીતે કોઈ પણ કાર્યકર્તા ભાંગી પડે, પણ ડૉ. સ્વાતિએ સ્મિત સાથે કહ્યું, ટિકિટ મળે કે ન મળે, હું ભાજપની વિચારધારા સાથે પરણેલી છું. જનસંઘના નેતાઓને ડેટા માટે ફોન કર્યાપોતાના સંશોધન દરમિયાન સ્વાતિબેને ભાજપના વરિષ્ઠ નેતાઓથી લઈને જનસંઘ સુધીના નેતાઓનો સંપર્ક કર્યો હતો. તેમણે ભાજપની 1947 થી 2022 સુધીના સફરને થીસીસમાં કંડારી છે. જ્યારે તેમને પૂછાયું કે ટિકિટ ન મળી તો દુઃખ નથી? ત્યારે તેમણે જવાબ આપ્યો, પાર્ટી વ્યક્તિ કરતા મોટી છે. મેં પાર્ટીની કાર્યપદ્ધતિ પર રિસર્ચ કર્યું છે, એટલે મને ખબર છે કે પક્ષ જે પણ નિર્ણય લે તે યોગ્ય જ હોય. દિલ્હીની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ગુંજશે સુરતની દીકરીનો થીસીસસ્વાતિ સોસાએ તૈયાર કરેલા આ રિસર્ચ પેપર માટે દિલ્હીની નેશનલ લાઈબ્રેરીમાંથી તેમને ફોન આવ્યો છે. આ થીસીસને ઈ-લાઈબ્રેરીમાં સ્થાન મળશે. એટલે કે, જે ભાજપે સુરતના એક વોર્ડમાં તેમને સ્થાન ન આપ્યું, તે જ ભાજપનો ઈતિહાસ હવે આખી દુનિયા સ્વાતિબેનની નજરે વાંચશે. સ્વાતિબેને થીસીસ લખવા માટે લાઈબ્રેરીઓમાં કલાકો વિતાવ્યા છે, જૂના જનસંઘીઓના ઈન્ટરવ્યુ લીધા છે. હવે ચૂંટણીના જંગમાં તેઓ આ જ જ્ઞાનનો ઉપયોગ કરશે. તેમણે જાહેરાત કરી છે કે, મારી ટિકિટ કપાઈ છે, મારા સંસ્કાર નહીં. હું એક વોર્ડ માટે નહીં, પણ સુરતના તમામ 30 વોર્ડમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે લોહી-પરસેવો એક કરીશ. વોર્ડ નંબર 13 નું ગણિત અને ‘લોકલ’ ફેક્ટર નડ્યું?સ્વાતિબેને વોર્ડ નંબર 13ની અનામત બેઠક પરથી પ્રબળ દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ સ્થાનિક ચહેરાઓને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવતા તેમની બાદબાકી થઈ હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સ્વાતિબેન જેવા ભણેલા-ગણેલા અને પીએચ.ડી. થયેલા કાર્યકર્તાનો ઉપયોગ પાર્ટી આગામી સમયમાં કોઈ મોટા હોદ્દા માટે કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:41 pm

રાજકોટમાં SIRની અસર:વોર્ડ નંબર 7 માં સૌથી વધુ મતદારો ઘટ્યા, વોર્ડ નંબર 11 માં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો, જાણો વોર્ડ વાઇઝ વિગતો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ધનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેર ગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં 1,08,039 નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021 માં જ્યારે છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે શહેરના 18 વોર્ડમાં કુલ 10,93,991 મતદારો નોંધાયેલા હતા, જે હવે 2026 ની આખરી મતદાર યાદી મુજબ ઘટીને 9,85,952 થઈ ગયા છે. મતદારોની સંખ્યામાં થયેલો વ્યાપક ફેરફાર SIR ની આ પ્રક્રિયા બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ, શહેરના મોટાભાગના વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળ ડબલ નામની બાદબાકી, સ્થળાંતર અને અવસાન પામેલા મતદારોના નામ રદ કરવાની કામગીરી મુખ્ય કારણ હોવાનું મનાય છે. જાતિવાર વિશ્લેષણ કરીએ તો, વર્ષ 2021 માં પુરુષ મતદારોની સંખ્યા 5,67,001 હતી, જે હવે 2026 માં ઘટીને 5,10,086 થઈ ગઈ છે. આમ, પુરુષ મતદારોમાં કુલ 56,915 નો ઘટાડો થયો છે. તેવી જ રીતે, સ્ત્રી મતદારોની સંખ્યા જે અગાઉ 5,26,970 હતી, તે હવે 4,75,848 નોંધાઈ છે, જેમાં 51,122 નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં પણ બે નો નજીવો ઘટાડો થયો છે, જે 20 થી ઘટીને 18 પર પહોંચી છે. વોર્ડ નંબર 11 અને 4 માં મતદારોનો વધારો આ આખી પ્રક્રિયામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શહેરના 18 વોર્ડમાંથી માત્ર બે જ વોર્ડ એવા છે જ્યાં મતદારોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. વોર્ડ નંબર 11 માં સૌથી વધુ 13,384 મતદારો વધ્યા છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં આ વોર્ડમાં 39,943 પુરુષ અને 36,819 સ્ત્રી તથા 2 ત્રીજી જાતિના મળી કુલ 76,764 મતદારો હતા. જે હવે 2026 માં વધીને 90,148 થઈ ગયા છે. આ વધારામાં 6792 પુરુષ અને 6592 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નંબર 4 માં પણ 90 પુરુષ અને 604 સ્ત્રી મતદારો સાથે કુલ 694 મતદારોનો વધારો નોંધાયો છે. આ વિસ્તારોમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સ અને વધતા જતા શહેરીકરણને કારણે મતદારોની સંખ્યામાં આ ઉછાળો જોવા મળ્યો હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 7 માં સૌથી મોટો ઘટાડો બીજી તરફ, રાજકોટના સેન્ટ્રલ ઝોન અને જૂના શહેરના વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 7 માં સૌથી વધુ 13,113 મતદારો ઘટ્યા છે. આ વોર્ડમાં 2021 માં 60,681 મતદારો નોંધાયેલા હતા, જે SIR ની પ્રક્રિયા બાદ હવે માત્ર 47,507 રહી ગયા છે. આ વોર્ડમાં 6684 પુરુષ અને 6429 સ્ત્રી મતદારોના નામ યાદીમાંથી ઓછા થયા છે. આ ઘટાડો સૂચવે છે કે જૂના શહેરના વિસ્તારોમાંથી લોકો મોટા પાયે નવા વિકસી રહેલા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વોર્ડવાર ઘટાડાનું ચિત્ર શહેરના અન્ય વોર્ડની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ નંબર 1 માં 4829, વોર્ડ નંબર 2 માં 10,794 અને વોર્ડ નંબર 3 માં 6003 મતદારોનો ઘટાડો થયો છે. વોર્ડ નંબર 2 માં થયેલો 10 હજારથી વધુનો ઘટાડો રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો વોર્ડ નંબર 5 અને 6માં અનુક્રમે 7620 અને 7954 મતદારો ઘટ્યા છે. વોર્ડ નંબર 8 માં 9439 મતદારો ઘટ્યા છે, જોકે અહીં ત્રીજી જાતિના બે મતદારો વધ્યા છે. વોર્ડ 9 માં 3874 અને વોર્ડ 10 માં 5780 મતદારો ઓછા થયા છે. વોર્ડ 12 માં 1027 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 13 માં 8580 અને વોર્ડ 14 માં 11,583 મતદારોનો મોટો ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15 માં 8857 મતદારો ઘટ્યા છે. વોર્ડ 16 માં 11,030 અને વોર્ડ 17 માં 10,458 મતદારોની સંખ્યા ઓછી થઈ છે. એટલું જ નહીં રાજકોટનો સૌથી મોટો વોર્ડ ગણાતો વોર્ડ નંબર 18, જે લગભગ સેન્ટ્રલ ઝોન જેટલો મોટો વિસ્તાર ધરાવે છે, ત્યાં આશ્ચર્યજનક રીતે સૌથી ઓછો ઘટાડો નોંધાયો છે. આ વોર્ડમાં માત્ર 1145 મતદારો જ ઓછા થયા છે, જેમાં 642 પુરુષ અને 503 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મતદારોની સ્થિરતા અન્ય વોર્ડની સરખામણીએ વધુ જોવા મળી છે. આમ, રાજકોટ મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણીમાં મતદારોની આ નવી સંખ્યા અને ખાસ કરીને સ્ત્રી-પુરુષ મતદારોના ઘટેલા આંકડા ઉમેદવારોની જીત-હારના માર્જિન પર મોટી અસર કરશે. તો રાજકીય પક્ષોએ હવે નવા આંકડા મુજબ પોતાના પ્રચાર પ્રસાર અને ગણિતમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ખાસ કરીને જ્યાં મતદારો વધ્યા છે તેવા વોર્ડ નંબર 11 અને 4 માં નવા મતદારોને રીઝવવા અને જ્યાં મોટા પાયે ઘટાડો થયો છે ત્યાં બાકી રહેલા મતદારોના સમર્થનને મજબૂત બનાવવું એ પક્ષો માટે મોટો પડકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:18 pm

સરદાર પટેલ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ તાલીમ યોજાઈ:કોલેજ કો-ઓર્ડિનેટરોને પ્રવેશ પ્રક્રિયાનું માર્ગદર્શન અપાયું

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ અંગે કોલેજના આચાર્યો અને કો-ઓર્ડિનેટરોને માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વેગ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સરદાર સાહેબનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરાયું. આ પ્રસંગે કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજનભાઈ પટેલે પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા પર ભાર મૂક્યો હતો. GCAS ટીમના સભ્ય ડૉ. રાજેશ કોઠારીએ પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યપદ્ધતિ સમજાવી. ડૉ. પારુલ દવેએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિદ્યાર્થીઓના હિતમાં પોર્ટલમાં થયેલા નવા સુધારાઓ વિશે વિગતવાર માહિતી આપી. એકેડેમિક વિભાગના નાયબ કુલસચિવ ડૉ. સૂર્યકાંત પારેખે કોલેજ અને સ્ટુડન્ટ લોગિનની ટેકનિકલ બાબતો સ્પષ્ટ કરી હતી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકે, કોલેજની પસંદગી, માર્કશીટ અપલોડ અને ઓફર લેટરના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાની પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં કોલેજ પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોનું GCAS ટીમ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન એકેડેમિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરાયું હતું. અંતમાં, એકેડેમિક વિભાગના કાર્યાલય અધિક્ષક શ્રી મુકેશભાઈ રાણાએ આભારવિધિ કરી. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને શ્રી પાર્થભાઈ સુથાર સહિતના મહાનુભાવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:06 pm

ભાજપ ઉમેદવારોનો વિરોધ થતાં નેતાઓ ભાગ્યા:ભુજના વોર્ડ નંબર 8 માં પ્રચાર દરમિયાન સ્થાનિકે અકસ્માત મુદ્દે ઘેર્યાં, જવાબ ન આપી શકતા ચાલતી પકડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક નાગરિકે તીખા સવાલો પૂછતા ગભરાયેલા ઉમેદવારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અકસ્માત અને મોતના મુદ્દે ઘેરાયા ઉમેદવારવોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મનુભા જાડેજા અને મનીષા સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દિગુભા જાડેજાએ તેમને અટકાવીને અગાઉ બનેલી એક દુર્ઘટના અંગે જવાબ માંગ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, 2 મહિના પહેલા એરપોર્ટ રોડ પર ભારે વાહનોની અવરજવરને કારણે અકસ્માત થયો હતો, જેમાં 2 યુવકોના મોત થયા હતા. તે સમયે તમે ક્યાં હતા? જવાબ આપવાને બદલે ચાલતી પકડીસ્થાનિક રહેવાસીના આક્રોશ અને ધારદાર સવાલોનો સામનો કરવાની હિંમત ઉમેદવારો બતાવી શક્યા નહોતા. પ્રજા વચ્ચે જવાને બદલે મનુભા જાડેજા અને મનીષા સોલંકી સ્થળ પરથી ઉતાવળે રવાના થઈ ગયા હતા. ઉમેદવારોનો આ રીતે પીછેહઠ કરતો વીડિયો હાલ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રચારમાં શાસક પક્ષના ઉમેદવારોને મુશ્કેલીચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભુજની આ ઘટનાએ શાસક પક્ષના ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી છે. પ્રજા હવે પાયાની સુવિધાઓ અને સુરક્ષાના મુદ્દે નેતાઓ પાસે હિસાબ માંગી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:57 pm

સુરેન્દ્રનગર LCB એ ચોરીનો ભેદ ઉકેલ્યો:₹3 લાખની ચોરીમાં MPની ગેંગની 2 મહિલા ધુળેથી ઝડપાઈ, ₹1.84 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹3 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. LCB એ આ અનડિટેક્ટેડ ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચોરી થયેલા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,84,000/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની બે મહિલા સભ્યોને ઝડપી પાડી છે. આ બંને મહિલા આરોપીઓની ધરપકડ મહારાષ્ટ્રના ધુળે ખાતેથી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:55 pm

પસવાડામાં અનંત અંબાણીનો જન્મોત્સવ:​અનંત અંબાણીના 31માં જન્મદિવસ નિમિત્તે પસવાડામાં ભવ્ય આયોજન: 8 હજાર લોકોએ લીધો પ્રસાદ, મહિલાઓને વસ્ત્ર સેવા અને રાત્રે લોકડાયરાની જમાવટ.

​જૂનાગઢના ભેંસાણ તાલુકાનું પસવાડા ગામ તાજેતરમાં એક ઐતિહાસિક અને યાદગાર પ્રસંગનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે 'અનંત સેવા - નિસ્વાર્થ સેવા'ના સૂત્ર સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પસવાડા સહિત આજુબાજુના પાંચ ગામોના પ્રસાદ સેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં પસવાડા, સામતપરા, કરિયા, માલિડા, હડમતીયા અને પાટલા જેવા ગામોનો લોકોના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું . ​દિવસના પ્રારંભે આયોજિત પ્રસાદ સેવામાં અંદાજે 8,000 જેટલા લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભોજનનો લાભ લીધો હતો. અંબાણી પરિવારની ઉદારતાનો પરિચય ત્યારે મળ્યો જ્યારે પ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓને આદરપૂર્વક 'વસ્ત્ર સેવા' તરીકે સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી ગ્રામીણ મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટી એ જણાવ્યું હતું કે અનંત અંબાણીના જન્મદિવસને સેવા અને ભજનના માધ્યમથી ઉજવીને એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે.રાત્રિના સમયે આયોજિત રંગારંગ ભવ્ય લોકડાયરાએ ગામની આબોહવાને ભક્તિ અને મનોરંજનથી ભરી દીધી હતી. લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો જેવા કે રાજભા ગઢવી, સાઈરામ દવે, દેવાંગી પટેલ અને વિમલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી હતી. કલાકારોના સૂરોની લહેરમાં લોકો મોડી રાત સુધી હિલોળા લેતા રહ્યા હતા. આ કાર્યક્રમે સાબિત કરી દીધું કે સેવા અને ભજન જ્યારે એક સાથે મળે ત્યારે વાતાવરણ કેટલું સકારાત્મક બની જાય છે. ​આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રિલાયન્સ ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી. અધિકારીઓની ટીમમાં સરવ્યા સાહેબ, રાવ સાહેબ, રાવલ સાહેબ, મોરી સાહેબ અને ભાલિયા સાહેબ સહિતના નામી-અનામી અધિકારીઓએ કાર્યક્રમના સંચાલન અને સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીએ તમામ ગ્રામજનોને સાથે રાખીને આ આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ​કાર્યક્રમના અંતે રિલાયન્સ ગ્રુપના અધિકારીઓ અને ગામના સરપંચ દ્વારા સેવા આપવા આવેલા તમામ લોકો તેમજ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન બદલ સમગ્ર પંથકના લોકોએ અંબાણી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ, પસવાડાના આંગણે યોજાયેલો આ કાર્યક્રમ અનંત અંબાણીના જન્મદિવસને સાર્થક કરતા 'સેવા મહોત્સવ'માં ફેરવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:43 pm

બોટાદના લાઠીદડથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:કેન્દ્રીય મંત્રી, કિસાન મોરચા અધ્યક્ષે ખેડૂત સંવાદ યોજ્યો

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. બોટાદના લાઠીદડ ગામે ભાજપ દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમ યોજીને પ્રચાર શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી દીપક સાબવા, વિજય ધલવાણીયા, મંગળસિંહ ટાંક, અશોકભાઈ માથોળીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન ખેડૂતો પાણી અને વીજળી જેવી સમસ્યાઓથી પરેશાન હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓએ ક્યારેય તેમની સમસ્યાઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને તેમને સશક્ત બનાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:40 pm

પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી લઈ ગયો:અભયમ્ ટીમે કાઉન્સેલિંગથી માતાને સંતાન પરત અપાવ્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઘરકંકાસના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો. 181 અભયમ્ ટીમના હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગ બાદ માતાને તેની દીકરી પરત મળતા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત મહિલા છેલ્લા કેટલાક સમયથી પોતાની દોઢ વર્ષની દીકરી સાથે પિયર ખાતે રહેતી હતી. આ દરમિયાન તેનો પતિ પિયર આવ્યો અને ઝઘડો કરી દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા દીકરીને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ મહિલાએ 181 અભયમ્ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. કોલ મળતા જ 181 અભયમ્ વલસાડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલાની વિગત મેળવી. મહિલાએ ટીમને જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 2023માં થયા હતા અને પતિ નાની-મોટી બાબતોમાં વારંવાર ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે તે છેલ્લા 15 દિવસથી પિયર ખાતે રહેવા ગઈ હતી. ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે પંચાયત બેસાડવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારબાદ અભયમ્ ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને મળવાની કાયદાકીય જોગવાઈ અંગે સમજ આપી. ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે પત્ની અને બાળકની યોગ્ય સંભાળ રાખવી તેની જવાબદારી છે અને ભવિષ્યમાં આવા વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. મહિલાએ હાલ થોડા દિવસ પિયર ખાતે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિએ અંતે દીકરીને માતાને સોંપી દીધી હતી. દીકરી પરત મળતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો અને 181 અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:28 pm

ભાજપે વાનચાલક રાજેશ માછીને મનપાની ટિકિટ આપી:‘લોકો કહેતાં કેમ ગાંડાની જેમ ભાગે છે, તને ક્યાં ઉમેદવાર બનાવશે?, મોદી સાહેબ ચા વેચીને આગળ આવ્યા, ગરીબોની વેદના સમજે છે’

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટાભાગે યુવાઓને ટિકિટ આપી છે. આ ઉપરાંત કેટલાક જુના જોગીઓને પણ પાછા લાવી છે. આ બધાની વચ્ચે એક નામ એવું પણ છે કે, જેઓ સ્કૂલ વર્ધી વાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વાત છે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેતા ભૂપેન્દ્ર ઉર્ફ રાજેશ માછીની... આમ તો તેઓ વિસ્તારમાં રાજેશ માછીના નામથી ઓળખાય છે. પહેલા રાજેશ માછી રિક્ષા ચલાવતા હતા. હાલ તેઓ સ્કૂલ વર્ધી વાન ચલાવે છે. ભાજપે તેમની કર્મનિષ્ઠા જોઈને તેમને મનપાની ટિકિટ આપી છે, તેનાથી તેઓ અને તેમના પરિવારજો ખૂબ જ ખુશ છે. ‘મને વિશ્વાસ હતો કે મારી મહેનતની કદર જરૂર થશે’વડોદરાના વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ઉર્ફ રાજેશ માછીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. પાર્ટીએ મને વોર્ડના મંત્રીથી લઈને વોર્ડના પ્રમુખ સુધીની જવાબદારીઓ સોંપી છે અને મને આગળ વધવાની તક આપી છે. હું પાર્ટીનો ખૂબ જ ઋણી છું. મને પણ વિશ્વાસ નહોતો કે, હું ઉમેદવાર બનીશ. શરૂઆતમાં હું જ્યારે કામ કરતો હતો, ત્યારે લોકો મને કહેતા હતા કે, તું કેમ ગાંડાની જેમ ભાગે છે? પાર્ટી તને ક્યાં ઉમેદવાર બનાવશે? પણ મને મારી પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ હતો. મોદી સાહેબ પોતે ચા વેચીને આગળ આવ્યા છે, એટલે તેઓ ગરીબોની વેદના સમજે છે. હું પણ રિક્ષા અને વાન ચલાવીને અહીં સુધી પહોંચ્યો છું. મને વિશ્વાસ હતો કે મારી મહેનતની કદર જરૂર થશે. ‘પત્ની માટે ટિકિટ માગી, કોંગ્રેસના ગઢમાં 3 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં લોહીના સંબંધો જેવી લાગણી હોતી નથી, જ્યારે ભાજપમાં નાનામાં નાના કાર્યકરના ઘર સુધીની શું પરિસ્થિતિ છે? તેની ચિંતા પાર્ટી કરે છે. એક કિસ્સો યાદ કરતા તેઓ કહે છે કે, 2015માં મેં મારી પત્ની માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ જે ઉમેદવાર નક્કી કર્યા હતા, તેમને જીતાડવા માટે મેં તનતોડ મહેનત કરી હતી. તે સમયે અહીં કોંગ્રેસનો ગઢ હતો, છતાં અમે કોંગ્રેસના 3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી હતી. પાર્ટીએ મારી આ મહેનત જોઈ અને આજે મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ‘ટિકિટ મળ્યાની મારા કરતા વધુ ખુશી વિસ્તારની જનતાને છે’તેઓએ કહ્યું હતું કે, અમારા વિસ્તારના કાઉન્સિલરોએ ઘણા કામો કર્યા છે, પણ પ્રજાની અપેક્ષાઓ હંમેશા રહેતી હોય છે. જેમ આપણે ઘર ગમે તેટલું સારું બનાવીએ, તો પણ કંઈક તો ખૂટતું જ હોય છે, તેમ વિસ્તારમાં પણ જે કામો બાકી છે તે પૂર્ણ કરવાની મારી પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને મારી સોસાયટીનો એક મોટો પ્રશ્ન છે, જે મેં લોકો સાથે ચર્ચા કરી છે અને તે હું જરૂરથી ઉકેલીશ. મને ટિકિટ મળતા મારા કરતા પણ વધારે ખુશી મારા વિસ્તારની જનતા અને મારા કાર્યકર્તાઓમાં છે. મને આનંદ છે કે, મારા કાર્યકર્તાઓ મારી સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. મારું નામ ભૂપેન્દ્ર માછી છે, પણ લોકો મને પ્રેમથી રાજેશ કહીને બોલાવે છે. ચૂંટણી આવે, ત્યારે તેઓ ઘર પણ ભૂલી જાયઃ જયશ્રીબેનભૂપેન્દ્રભાઈના પત્ની જયશ્રીબેન માછીએ જણાવ્યું કે, મારા પતિએ આટલા વર્ષોથી પાર્ટી માટે જે મહેનત કરી છે, તેને પાર્ટીએ ઓળખી અને આ ટિકિટ આપી છે. આ માટે હું દિલથી પાર્ટીનો આભાર માનું છું. મેં તેમનો સંઘર્ષ ખૂબ જ નજીકથી જોયો છે. તેમણે 20 વર્ષ સુધી સતત મહેનત કરી છે. જ્યારે પણ ચૂંટણી આવે, ત્યારે તેઓ ઘર ભૂલી જાય છે. તેમને ખાવા-પીવાનું કે આરામ કરવાનું ભાન નથી રહેતું. તેઓ બસ પાર્ટી માટે જ કામ કરે છે. ‘હું ખૂબ જ ખુશ છું અને પાર્ટીનો આભાર માનુ છું’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં ઘણીવાર તેમને કહ્યું હતું કે તમે આટલું બધું દોડધામ કરો છો, પણ આપણને કોણ ઓળખવાનું છે? આપણે તો નાના માણસો છીએ. ભાજપમાં તો મોટા મોટા બંગલા અને ગાડીઓ વાળા લોકો હોય છે, તો આપણને ટિકિટ કોણ આપશે? પણ આજે પાર્ટીએ તેમની મહેનતની કદર કરી છે. અત્યારે મને ખૂબ જ સરસ લાગી રહ્યું છે. પાર્ટીએ તેમની વર્ષોની મહેનત જોઈ અને તેમને તક આપી, તે બદલ હું ખૂબ જ ખુશ છું અને પાર્ટીનો આભાર માનુ છું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:28 pm

સમી-હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત:બે બાળકો સહિત 4 ઘાયલ, ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કરના CCTV

પાટણ જિલ્લાના સમી-હારીજ હાઈવે પર 12 એપ્રિલ, 2026ના રોજ આઈશ્રી હોટલ સામે ઈક્કો ગાડી અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આઈશ્રી હોટલની સામે થયો હતો, જેમાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈક્કો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, વાહનોને હટાવી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:24 pm

વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:SRP ગ્રુપ-1માં થઈ હતી નિમણૂક, ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા

વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. તેમની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમમાં જોડાયેલા હતા. સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી. કપડાં બદલતા સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ ઢળી પડ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા. ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. દીપક બારીયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. આ ઘટના સવારે 10 વાગ્યા આસપાસ બની હતી તેમને કોઈ અગાઉની ગંભીર બીમારી હોવાનું હજુ સામે આવ્યું નથી. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:22 pm

ચંદ્રુમાણામાં નાયક બંધુઓ દ્વારા ચૈત્ર માસની જાતર યોજાઈ:રાજા ભરથરી નાટક, મહાકાળી ગરબા સાથે ખપ્પરજ્યોત કરાઈ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર માસ નિમિત્તે નાયક બંધુઓ દ્વારા શ્રી ગૌરી માતાની જાતર પરંપરાગત રીતે યોજાઈ હતી. આ વર્ષો જૂની પરંપરામાં જાતર અને રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. કુણઘેરના નાયક બંધુઓ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે કુણઘેર ગામેથી જાતરની શરૂઆત કરવામાં આવે છે. આ જાતર પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં દેવી શક્તિની આરાધના માટે લઈ જવાય છે. જાતર પૂર્ણ થયા પછી બીજા દિવસે માતાજીના મંદિરે ઘૂઘરા છોડવામાં આવે છે. રવિવારે રાત્રે ચાચર ચોકમાં ભુંગળ વગાડીને જાતરનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. ઉપરાંત, મહાકાળી માતાના ગરબા સાથે સગડી જ્યોત અને ખપ્પર જ્યોત પણ રાખવામાં આવી હતી. આ જાતરની અભિવ્યક્તિમાં વાસુદેવભાઈ નાયક, દિલીપભાઈ નાયક, રમેશભાઈ, ભરતભાઈ, સેવંતીભાઈ અને સતિષભાઈ સહિતના કલાકારોએ ભાગ લીધો હતો. ગામલોકોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. બીજા દિવસે, સોમવારે શ્રી ગૌરી માતાના મંદિરે ઘૂઘરા છોડવાની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ, અગ્રણી પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, ભગાભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર સહિતના ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યથાશક્તિ લક્ષ્મી ભેટ અર્પણ કરી જાતરને માણી હતી. જાતરની પૂર્ણાહુતિ વખતે નાયક ભાઈઓએ ગામમાં સુખ-શાંતિ, સૌના સારા સ્વાસ્થ્ય અને દુઃખોના નિવારણ માટે તેમજ ગામલોકોમાં એકતા જળવાઈ રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:18 pm

નવસારી સ્થાનિક ચૂંટણી: શિક્ષિત ઉમેદવારોનું મહત્ત્વ:આધુનિક રાજકારણમાં શિક્ષણ અને અનુભવનો સમન્વય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકારણમાં શિક્ષણનું મહત્વ ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. ૨૧મી સદીના બદલાતા ભારતમાં વહીવટી પ્રક્રિયાઓ વધુ જટિલ બનતા, શિક્ષિત ઉમેદવારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ રહી છે. આ સંદર્ભે, નવસારીના ઉમેદવારોએ પોતાના વિઝન રજૂ કર્યા છે. પરંપરાગત રીતે રાજકારણમાં લોકસંપર્ક અને અનુભવને પ્રાધાન્ય અપાતું હતું. જોકે, આજના ડિજિટલ ગવર્નન્સના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને ઓનલાઈન સરકારી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રતિનિધિનું ટેક-સેવી હોવું જરૂરી છે. મહાનગરપાલિકા કે નગરપાલિકાના કરોડોના બજેટની ફાળવણી માટે આર્થિક સૂઝબૂઝ અને તાર્કિક નિર્ણયશક્તિ અનિવાર્ય છે. શિક્ષિત નેતા વહીવટી પ્રક્રિયાઓની ઊંડી સમજ ધરાવતા હોવાથી સિસ્ટમની ખામીઓ દૂર કરી પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકે છે. દિવ્ય ભાસ્કરે નવસારીના વિવિધ વોર્ડના ઉમેદવારો સાથે શિક્ષણ અને તેમના વિઝન અંગે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં ઉમેદવારોએ પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કર્યા. વોર્ડ નંબર ૧૨માંથી કોંગ્રેસના યુવા મહિલા ઉમેદવારે જણાવ્યું કે તેઓ ધોરણ 12થી સામાજિક કાર્યકર તરીકે સક્રિય છે. તેમનો મુખ્ય હેતુ સરકારી ગ્રાન્ટો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો છે. ઉપરાંત, પછાત વર્ગના બાળકો ધોરણ ૧૦ પછી અભ્યાસ ન છોડે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા એ તેમની પ્રાથમિકતા રહેશે. વોર્ડ નંબર 13માંથી ભાજપના મહિલા ઉમેદવાર, જેઓ બી.એસસી. મેડિકલ ટેકનોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટનું શિક્ષણ ધરાવે છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાં ભણેલા લોકોની ખૂબ જરૂર છે. તેમનું વિઝન માત્ર લોકોની નિષ્પક્ષ સેવા કરવાનું છે અને તેઓ પારદર્શક સેવા દ્વારા જનતાનો વિશ્વાસ જીતવા માંગે છે. ભાજપના ઉમેદવાર મુકેશ અગ્રવાલે શિક્ષણ અને અનુભવના સમન્વય પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ટેકનોલોજી સમજવા માટે શિક્ષિત નેતા હોવા જરૂરી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિમાંથી ઉપર આવેલા લોકોનું વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. વિઝનરી નેતૃત્વ માટે આજના સમયમાં શિક્ષણ અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:54 am

ભરૂચના નબીપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસ ફ્લેગ માર્ચ:સંવેદનશીલ ગામોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ

ભરૂચ તાલુકાના નબીપુર વિસ્તારમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ ગામોમાં સઘન પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને બંબુસર ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગામના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં પોલીસની હાજરી જોવા મળી હતી. ફ્લેગ માર્ચ દરમિયાન, પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કોઈપણ અફવા, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. આ કામગીરી પીઆઈ ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં પીએસઆઈ ટી.આર. મોદી, પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનો પણ જોડાયા હતા. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:49 am

ભાજપ ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા:પોસ્ટરમાં લખ્યું 'આ ઉમેદવાર યોગ્ય નથી', ભાજપના આગેવાન વિજય પવારની પણ વિવાદિત પોસ્ટ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મંડાણ થઈ ચૂક્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે. તો કેટલાક ઉમેદવારો સામે અપપ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરોધ પોસ્ટર વોર શરૂ થયો હતો. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા છે. બેનર થકી અસંતોષ વ્યક્ત કરવાનો પ્રયત્ન?શહેરમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળી રહ્યો છે. નારાજગી ખૂબ છે પરંતુ ખુલીને સામે આવી રહી નથી. ત્યારે કેટલાક લોકો આ રીતે બેનરો થકી પોતાની નારાજગી વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અથવા વિરોધીઓ પણ કાવતરા કરી શકે છે. શહેરના વોર્ડ 10માં ગોત્રી અને ભાયલી વિસ્તારમાં લાગેલા પોસ્ટર હાલ ચર્ચાનો વિષય બન્યા છે. 'એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે'ગોત્રી વિસ્તારના ચાર રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં અવની સ્ટેમ્પવાલાના ફોટો ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પર લખવામાં આવ્યું હતું. આ વાક્ય લખીને કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો છે. બેનર પર એન્ટી BJPનું હેશટેગઅવની સ્ટેમ્પવાલા સામે લાગેલા પોસ્ટર્સમાં નીચે હેશટેગ પણ આપવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં #anti bjp લખવામાં આવ્યું હતું. જો કે આ પોસ્ટર આ જ વોર્ડના અન્ય એક ઉમેદવાર કે જેઓ રિપીટ થયા છે તેઓ દ્વારા ઉતારી લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે આ તો માત્ર એક જ વોર્ડની વાત છે. હજુ અનેક વોર્ડમાં આગામી દિવસોમાં અસંતોષ ફૂટીને બહાર નીકળે તો નવાઈ નહીં. રિઝર્વ પ્લોટ મુદ્દે પૂર્વ કાઉન્સિલરો પર પ્રહારભાજપના નેતા અને આ વખતે ઉંમરના કારણે ટિકિટ કપાતા દુભાયેલા નેતા વિજય પવારે પોતાના ફેસબુક ઉપર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી. તેઓએ ભગવાન ગણેશને દર્શન કરતો ફોટો મૂકી લખ્યું છે કે, ગણેશજીને પ્રાર્થના કરું છું કે, આ વખતએ 76 કમળ જીતે. 6થી 7 કરોડ બજેટના પૈસા કે જે લોકોના ટેક્સના પૈસા છે તેનું વ્યવસ્થિત આયોજન સાથે વપરાય છે કે નહીં અને સાથે કામની ગુણવત્તા ચકાસી શકાય. લોકોને ટેક્સના પૈસાનું વળતર મળી રહે તે માટે ચૂંટીને મોકલે છે તે ભૂલી ન જવાય. ટીપીમાં પડેલા રિઝર્વ પ્લોટની ચિંતા કરી શકાય કોઈ ચોરી જાય કોઈ વેચી નાખે કોઈ દબાવી દે નહીં તેની ચિંતા કરી શકાય. કોઈ વેચી નાખે, કોઈ દબાવી દે નહિ તેની ચિંતા કરી શકાય. કટાક્ષમાં લખ્યું કે, હું તો 60 વર્ષ ઉપરનો થઈ ગયો છું કામ કરી શકતો નથી. 70 વર્ષનો થઈશ પછી પાછો મજબૂત થઈ પાછો કામ કરવા આવીશ. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ પ્લોટની વાત છંછેડીને તેઓએ કેટલાક પૂર્વ કાઉન્સિલરો અને તેઓના મળતિયા આગેવાનો ઉપર સીધું નિશાન તાક્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:36 am

ઓખામાં IPL સટ્ટા પર LCBનો દરોડો:પાન દુકાનદાર ધીરેન્દ્ર કાષ્ટા ₹7,700 મુદ્દામાલ સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા LCBએ ઓખા દરિયાકાંઠે IPL-2026ની મેચો પર ચાલતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટા પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં ઓખા આર.કે. બંદર મોરી ગેટ પાસે આવેલી જય સીયારામ પાન દુકાન પાસેથી ધીરેન્દ્ર મહેન્દ્રભાઈ કાષ્ટા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રેઇડ 12 એપ્રિલ, 2026ના રોજ સાંજે 18:50 કલાકે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધીરેન્દ્ર કાષ્ટા (ઉંમર 42, રહે. ઓખા) તેના મોબાઈલ ફોનમાં 99exch.live વેબસાઇટ પર ઓનલાઇન આઈડી મેળવી IPL ટ્રોફી-2026ની મેચોમાં રનફેર, વિકેટ, ઓવર અને હારજીતના પરિણામો પર પૈસાની લેવડદેવડ કરી ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. તેની અટકાયત સાંજે 19:50 કલાકે કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડા ₹2,700, એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) અને વેબસાઇટ સંબંધિત ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹7,700નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા LCBના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા ફરિયાદી તરીકે નોંધાયા છે. આ કાર્યવાહીમાં LCBના એ.એસ.આઈ. જગદીશભાઈ વજસિભાઈ કરમુર રૂબરૂ અધિકારી તરીકે અને ઓખા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જૈમિનભાઈ મહેન્દ્રભાઈ ડોડિયા દાખલકર્તા તરીકે સામેલ હતા. વધુ તપાસ ઓખા મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રમેશભા ધાંધાભા બઠિયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:26 am

તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ઈરાને અમેરિકાને બતાવ્યો અરીસો

Pezeshkian Warns US: મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ બાદ હાલ સીઝફાયર ચાલી રહ્યું છે. સીઝફાયર દરમિયાન શાંતિ સમજૂતી માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાઈ. જોકે બેઠકમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહી હતી. જે બાદથી અમેરિકા સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યું છે. એવામાં ઈરાને પણ પોતાનું વલણ વધુ આક્રમક બનાવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વોશિંગ્ટન ઈરાની પ્રજાના અધિકારોનું સન્માન કરે અને પોતાની જીદ છોડે, તો જ કોઈ પણ સમજૂતી શક્ય છે.

ગુજરાત સમાચાર 13 Apr 2026 11:20 am

ભાણવડમાં પઠાણી ઉઘરાણીનો કેસ:6 આરોપીઓ સામે લાયસન્સ વગર વ્યાજખોરીનો ગુનો નોંધાયો

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(2) તેમજ ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ 2011ની કલમ 40, 42(એ) અને 42(ડી) હેઠળ કલમો લગાડવામાં આવી છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં રાણપરડા ગામના નજમાબેન જુમાભાઈ હીંગોરાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વેજાભાઈ દેવાભાઈ કારાવદરા, પુરીબેન કારાવદરા, જયાબેન ઉર્ફે જાનવીબેન, કાજલબેન, પ્રતાપભાઈ ખીસ્તરીયા અને સાગરભાઈ ગરેજા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ લાયસન્સ વગર કટકે કટકે કુલ 7 લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું. આ રકમ પર 10 થી 30 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હતું. આરોપી નંબર એકે કોરા ચેક પર સહીઓ કરાવી એક ચેક પોતાની પાસે રાખ્યો હોવાનો પણ આક્ષેપ છે. આરોપીઓ દ્વારા આશરે 17 લાખ રૂપિયા જેટલી ઉઘરાણી કરવામાં આવી હતી, જેમાંથી 6 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા વસૂલવામાં આવી હોવાનો દાવો છે. ફરિયાદીએ ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કર્યો છે. આ કેસની તપાસ પો.સબ.ઇન્સ. બી.કે. કડછા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:19 am

પાટીદાર ગઢમાં ભાજપ-આપ વચ્ચે ખરાખરીનો જંગ:કાનાણીનો પારો ગરમ, ‘સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’; ફેસબુક પર કમેન્ટ કરનાર 'આપ' કાર્યકર્તાની જાહેરમાં ઝાટકણી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કાનાણી જ્યારે પોતાના વિકાસકાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે 'આપ'ના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો છે. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. બાપના પૈસા... વાળું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્રકુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, ‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’ કાનાણીના આ તેખા તેવર જોઈને સભામાં હાજર કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકાર ગમે તેની હોય, તે જનતાના ટેક્સથી જ ચાલે છે, પણ ભાજપ તે પૈસાનો સાચો ઉપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચારના મુદ્દે ‘આપ’ને ખિસ્સા ભરનારા ગણાવ્યાકાનાણીએ માત્ર જવાબ આપીને સંતોષ ન માન્યો, પણ આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા. તેમણે કહ્યું કે, અમે પ્રજાના પૈસા યોગ્ય જગ્યાએ વાપરીએ છીએ, અમે પૈસા ખાતા નથી. જ્યારે તમે લોકો (આપ) તો ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરો છો! તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, આપણે ઘરે-ઘરે જઈને આ લોકોને ખુલ્લા પાડવા પડશે અને ભાજપના શાસનમાં થયેલા પારદર્શક વહીવટનો હિસાબ આપવો પડશે. શિક્ષણના મુદ્દે ‘આપ’ના દાવાઓને પડકાર્યાઆમ આદમી પાર્ટી હંમેશા દિલ્હી અને પંજાબના શિક્ષણ મોડેલની વાતો કરે છે, જેની સામે કાનાણીએ સુરત મનપાની શાળાઓનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે, કયા મોઢે આ લોકો શિક્ષણની વાતો કરે છે? સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં ધોરણ 1થી 12 સુધી દીકરા-દીકરીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, ભાજપના શાસનમાં સુરતની શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી બની છે, તેથી ‘આપ’ના જુઠ્ઠાણાં અહીં નહીં ચાલે. પાટીદાર ગઢ બચાવવા કાનાણીએ એડીચોટીનું જોર લગાવ્યુંસુરતના પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું, તે ભાજપ ભૂલ્યું નથી. 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે 'આપ' વધુ આક્રમક છે, તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે, જેથી કરીને પાટીદાર મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધારી શકાય. 26 એપ્રિલની જંગ: ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલસુરત મહાનગરપાલિકાની 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે પોતાના તમામ દાવ ખેલવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે સ્ટાર પ્રચારકો અને ધારાસભ્યો મેદાને પડ્યા છે. કુમાર કાનાણીના આ આક્રમક નિવેદને સુરતના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે 'આપ' ના કાર્યકર્તાઓ અને નેતાઓ કાનાણીના આ બાપના પૈસા વાળા કટાક્ષનો શું જવાબ આપે છે. સુરતની જનતા કોના વિકાસના દાવા પર મહોર મારશે તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:17 am