શિવરંજની ચાર રસ્તા પર આવેલા જાણીતા એ. બી. જ્વેલર્સ સાથે ઠગાઈનો બનાવ બન્યો છે. જ્વેલર્સના સંચાલકોએ રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ને કુલ 81,296 ગ્રામ જૂની ચાંદી શુદ્ધ કરવા આપી હતી. જે બાદ કંપનીના ડિરેક્ટરોએ 71,986 ગ્રામ શુદ્ધ ચાંદી પરત આપવાની જગ્યાએ માત્ર 38,836 ગ્રામ જ ચાંદી પરત આપી હતી. કંપનીના ડિરેક્ટરોએ 34 લાખની મતાની 33,132 ગ્રામ શુદ્ધ ચાંદી પરત ન આપીને ઠગાઇ આચરી હતી. આરોપીઓએ આપેલા ચેક પણ રિટર્ન થતાં આખરે એ.બી. જ્વેલર્સના શોરૂમ મેનેજરે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૂની ચાંદી શુદ્ધ કરવા માટે જથ્થો આપ્યો હતોન્યૂ રાણીપમાં રહેતા મયૂરભાઇ બારોટ શિવરંજની ક્રોસ રોડ ખાતેના એ.બી.જ્વેલર્સમાં શોરૂમ મેનેજર તરીકે નોકરી કરે છે. શોરૂમમાં જે ગ્રાહકો જુના ચાંદીના દાગીનાનું વેચાણ કરે તે દાગીના ખરીદવામાં આવે છે અને બાદમાં તેને ઓગાળીને ચાંદીને શુદ્ધ કરાવીને વેચાણ કરવામાં આવે છે. એ.બી. જ્વેલર્સ દ્વારા રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ને જૂની ચાંદી શુદ્ધ કરવા માટે જથ્થો આપવામાં આવે છે. કંપનીએ 38,836 ગ્રામ ચાંદી જ પરત આપી હતીએ.બી. જ્વેલર્સે આ કંપનીને ગત તા.11 ડિસેમ્બરે 81,296 ગ્રામ જૂની ચાંદી શુદ્ધ કરવા આપી હતી. જે ચાંદી શુદ્ધ કર્યા બાદ 71,986 ગ્રામ ચાંદી પરત લેવાની હતી. કંપનીએ 38,836 ગ્રામ ચાંદી જ પરત આપી હતી. 34 લાખની મતાની 33,132 ગ્રામ શુદ્ધ ચાંદી પરત ન આપી. જેથી કંપનીના ડિરેક્ટરોને વાત કરતા તે લોકોએ બાંયધરી આપીને બાદમાં વાયદા કરીને બહાના બતાવ્યા હતા. ગુજરાત બુલિયન રિફાયનરીના ડિરેક્ટર સામે ફરિયાદલાંબા સમય બાદ પણ આરોપીઓએ ચાંદી પરત ન આપીને માત્ર ચેક આપ્યા હતા. જે ચેક પણ રિટર્ન થતાં આખરે એ બી જ્વેલર્સના શોરૂમ મેનેજરે આ મામલે રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ના ડિરેક્ટર નિતીન કંસારા, તેના પુત્ર જય કંસારા અને દિલીપ પટેલ સહિતના લોકો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના સારંગપુર વિસ્તારમાં સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. જોકે ત્રીજા માળે ચાર વ્યક્તિઓ ફસાતા ફાયરબ્રિગ્રેડે દ્વારા હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા હતા. ફાયરની ટીમે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી ડકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુમેલ-1માં સી બ્લોકમાં ત્રીજા માળે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક ડકમાં આગમળતી માહિતી મુજબ સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટની પાછળ આવેલ સુમેલ-1માં સી બ્લોકમાં ત્રીજા માળે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક ડકમાં આવેલા વાયરોમાં આગ ફેલાતા ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ધૂમાડા પ્રસર્યા હતા. ધૂમાડા બહાર સુધી જોવા મળ્યા હતા જેને પગલે વેપારીઓ બહાર દોડી આવ્યા હતા. જોકે ત્રીજા માળ પર બે વેપારી અને બે મજૂર ધૂમાડામાં ફસાઇ ગયા હતા. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને ચાર તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઉપર ફસાયેલા અમીતભાઇ મલાણી, સંદિપભાઇ હસનાણી, લાલાભાઇ અને એક અજાણ્યા વ્યક્તિને હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહિસલામત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ લીધો હતો. જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદમાં વાનહ ચેકિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ રોંગ સાઈડ આવતા વાહનો સામે ડ્રાઈવની મોટી વાતો શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ દિન પ્રતિદિન રોંગ સાઇડમાં વાહન ચલાવવા અને દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુરમાં શહીદ ચોક પાસે દારૂના નશામાં રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માતની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન હંકારીને બે જેટલી કારને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જેના પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. સવારના સમયે બનેલી આ ઘટનાને લઈ દારૂ પીને વાહન ચલાવનારા તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે કાર્યવાહીના દાવા પોકળ સાબિત થયા છે. રોંગ સાઇડમાં આવતા કારચાલકે બે કારને અડફેટે લીધીશહેરના ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા નિરવભાઈ ઠક્કર વહેલી સવારે પોતાની વેગેનાર ગાડી જે ટેક્સી તરીકે ચલાવે છે તેને લઈને પેસેન્જરને લેવા માટે વસ્ત્રાપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શહીદ ચોક પાસે રોંગ સાઈડમાં એક બલેનો ગાડી આવતી હતી. કારચાલકે નિરવભાઈની ગાડીને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ત્યાર બાદ તેમની પાછળ આવતી બીજી એક ગાડીને પણ સામેથી ટક્કર મારી દીધી હતી, જેથી ગાડી રોકાઈ ગઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને બહાર કાઢ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યોકારચાલકે રોંગ સાઈડમાં આવી અને અકસ્માત કર્યો હતો, જેથી લોકોએ કારચાલકને પકડી રાખ્યો હતો અને તેને તપાસતા નશાની હાલતમાં હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આ બાબતે તપાસ કરતા કારચાલકનું નામ ગજેન્દ્ર પાટીદાર (રહે સુખ-શાંતિ અપાર્ટમેન્ટ, ચાંગોદર) હોવાનું જણાવ્યું હતું. આરોપી નશાની હાલતમાં હતો જેથી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે નિરવભાઈની ફરિયાદ લઈને દારૂ પીધેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. એટલે કે રાજ્યના 90 ટકા વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામવાનો છે. મહાનગરપાલિકામાં 1.10 કરોડ, નગરપાલિકાઓમાં 33 લાખ અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 2.74 કરોડ મળી કૂલ 4.18 કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીને 2027 વિધાનસભાની સેમિફાઈનલ પણ ગણવામાં આવી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મેગા સર્વે હાથ ધર્યો છે. જેમાં તમે તમારો ઓપિનિયન આપી શકો છો. જેના માટે તમારે ફક્ત 3 સવાલના જવાબ આપવાના રહેશે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તમારા વિસ્તારના નગરસેવક/સભ્યની કામગીરીથી તમે સંતુષ્ઠ છો?, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું પસંદ કરશો?. તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો ત્યાં પાણીની તંગી, ખરાબ રસ્તા, ટ્રાફઇક, ગટર ઉભરાવી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, સિટી બસ, રખડતા ઢોરમાંથી કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરવેમાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો
માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે. પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડોઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે સગીરાને *પાંચ માસનો ગર્ભ* છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બંને દીકરીઓને હવસનો શિકાર બનાવીહોસ્પિટલમાં માતાએ જ્યારે નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વિશે જણાવ્યું. આઘાતમાં સરેલી માતાએ તુરંત પોતાની બહેનને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મોટી દીકરી પણ રડી રહી છે. મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ બે માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અને રાત્રે ઘરમાં સૌ સૂઈ જાય ત્યારે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. ધમકી આપીને ચૂપ રાખતો હતોસગીરાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, પિતા તેમને ધમકાવતો હતો કે, જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ. આ ડરને કારણે માસૂમ દીકરીઓ લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતી રહી. પોલીસે આરોપીની ધરપકડ કરીસગીરાઓની માતાના નિવેદનને આધારે ચિખલી પોલીસે આરોપી અનિલભાઈ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગુના સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે અરવિંદ કેજરીવાલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલે PM મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની નબળી વિદેશ નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસની સપ્લાયમાં તકલીફ પડી રહી છે. યુદ્ધના એક દિવસ પહેલા મોદીએ ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી. ઈરાન સાથે દુશ્મની ન કરી હોત તો આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલની તકલીફનો સામનો કરવો ન પડ્યો હોત. આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 'આખા દેશને ટ્રમ્પના કદમોમાં રાખવાની શું જરૂર હતી'અરવિંદ કેજરીવાલે પેટ્રોલ-ડીઝલ મામલે નિવેદન આપાત જણાવ્યું હતું કે, ગુજરાતના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે. પ્રધાનમંત્રીએ જ કહ્યું કે, આવનારા દિવસો ચિંતાજનક છે. પીએમ મોદીએ યુદ્ધના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. આખા દેશને ટ્રમ્પના કદમોમાં રાખવાની શું જરૂર હતી. ઇરાન સાથે દુશ્મની કરવાની શું જરૂર હતી. આજે ભારતનું એકપણ જહાજ ત્યાંથી ગેસ કે, પેટ્રોલ લઈને નીકળી શકતું નથી. પીએમ મોદીએ ન્યુટ્રલ સ્ટેન્ડ રાખ્યું હોત તો આજે પેટ્રોલ અને ડીઝલ માટે આ પરિસ્થિતિ ન હોત. આગામી દિવસોમાં સરકાર આમ આદમી પાર્ટીની બનશેકેજરીવાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કહ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર પણ આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે. તેમજ બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે સરકાર આમ આદમી પાર્ટીની હશે. 'ગુજરાતના ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવશે'પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં અગાઉ અન્ય પક્ષની સરકાર હતી, ત્યારે ખેડૂતો સહિતના લોકો પરેશાન હતા, પરંતુ હવે ત્યાં ખેડૂતો ખૂબ જ ખુશ છે. ગુજરાતમાં પણ આ રીતે ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે.
દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું સુરત અત્યારે ધુમાડાના ગોટેગોટા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકાના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર પર્યાવરણીય મુદ્દો નથી રહી, પરંતુ તે કરોડો રૂપિયાના 'કચરા કૌભાંડ' તરફ આંગળી ચીંધી રહી છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ કરેલા સ્ફોટક ખુલાસાઓએ પાલિકાના વહીવટ અને શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે આગ લાગતી હોય છેતાજેતરમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફાળકો પેદા કર્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ જે તારણો રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે 'લેગસી વેસ્ટ' (જૂના કચરા) માં આગ લાગતી હોય છે, પરંતુ આ વખતે આગના લક્ષણો અલગ છે. '213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા આગ લગાડવામાં આવી'વિજય પાનશેરીયાના જણાવ્યા મુજબ, આગ માત્ર વર્ષો જૂના કચરામાં જ નહીં, પરંતુ દરરોજ ઠલવાતા તાજા કચરામાં પણ જોવા મળી છે. જ્યાં વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટેના પ્લાન્ટ્સ છે, ત્યાંથી જ આગ શરૂ થઈ અને જોતજોતામાં ચારેય બાજુ ફેલાઈ ગઈ. આ ઘટનાક્રમ સૂચવે છે કે આ આગ કુદરતી રીતે નથી લાગી, પરંતુ 213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા માટે લગાડવામાં આવી હોય તેવું જણાય છે. 30 લાખ મેટ્રિક ટન કરોડોનો કોન્ટ્રાક્ટસુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતે વર્ષોથી એકઠા થયેલા 30 લાખ મેટ્રિક ટન 'લેગસી વેસ્ટ' ના નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો માતબર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે હતો. '16 લાખ ટન કચરો ક્યાં ગયો?'ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવાનો હતો, પરંતુ હકીકતમાં માત્ર 14 લાખ ટન જ નિકાલ કરવામાં આવ્યો છે. બાકીનો 16 લાખ ટન કચરો ક્યાં ગયો? કામ અધૂરું હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટા પાયે પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટર નિયત સમયમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેને દંડ કરવા કે બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને વારંવાર મુદત વધારી આપીને કોના ઈશારે બચાવવામાં આવી રહ્યો છે? કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યાનો આક્ષેપસુરત શહેરને 2023થી 2025 દરમિયાન સતત સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચના ક્રમો મળ્યા છે. પરંતુ ખજોદની સ્થિતિ જોતા આ એવોર્ડ્સની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. વિજય પાનશેરીયાનો આરોપ છે કે સુરત મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારને કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યા છે. જો શહેરમાં 100% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ થતું હોત, તો ખજોદ ખાતે કચરાના આટલા મોટા પહાડો અને વારંવાર લાગતી આગની ઘટનાઓ ન બનત. આ એક ગંભીર બાબત છે કે શું એવોર્ડ મેળવવા માટે કેન્દ્ર સરકારને અંધારામાં રાખવામાં આવી રહી છે? કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે?થોડા સમય પહેલા ખજોદના કચરાને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે પાછલા બારણે દૂરના ગામડાઓમાં ફેંકી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ બાબતે હોબાળો થતા SMCએ એક તપાસ સમિતિની રચના કરી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં તે તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે? શું આ આગ તે તપાસ સમિતિના રિપોર્ટમાં રહેલા તથ્યોને જમીનદોસ્ત કરવા માટે લગાડવામાં આવી છે? કચરામાં અચાનક આગ લાગ હતીસુરત શહેરની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આજે બપોરે આર.ડી.એફ. કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવાઈબપોરે આશરે 1:15 વાગ્યે આગ લાગ્યાના અહેવાલ મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. આગની તીવ્રતાને જોતા અત્યાર સુધીમાં 32 જેટલા ફેરા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 6 જેસીબી અને 8 પોકલેન મશીનોની મદદથી કચરાનું ટર્નિંગ કરી, ફાયર લાઈન બનાવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી કરવામાં આવી રહી છે. ઝડપી અને સંકલિત પ્રયાસોને કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવવા પ્રયાસો ચાલુ છે.આગનું સંભવિત કારણ પ્રાથમિક તપાસ મુજબ, ઉનાળાના વધતા તાપમાન, મિથેન ગેસનું ઉત્સર્જન અને જ્વલનશીલ RDF સામગ્રીને કારણે કચરાના ઢગલામાં આંતરિક ગરમી વધતા આ આગ લાગી હોવાની શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નીચે મુજબના કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ સહિતના ગુનાને અંજામ આપનાર ગુજસીટોકનો મુખ્ય સૂત્રધાર બોડીયાને રૂરલ એલસીબીની ટીમે પાલીતાણા પંથકના અંતરિયાળ વિસ્તારમાં ખેતમજુરોનો સ્વાંગ રચી ટ્રકટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દબોચી લઈ કાર્યવાહી કરી હતી. ગેંગ લીડર સામે અગાઉ 45 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા શખ્સો વિરુધ્ધ સખ્તાઇથી કડક હાથે કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી વિંછીયા પોલીસ મથકમાં પૂર્વ આયોજીત કાવતરૂ કરી કુખ્યાત તસ્કરની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુના આચરતી ટોળકીના 19 શખ્સો સામે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા તથા સ્ટાફના માણસો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં અગાઉ 11 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. આ ગુનાનો મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (રહે.પાલીતાણા, ભાવનગર) ફરાર હોય તેને પકડી પાડવા એલસીબીની ટીમે ખેત મજુરોનો સ્વાંગ રચ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયોને અંતરીયાળ ડુંગરાળ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. તેને આ ગુનામાં ધોરણસર અટક કરી મુદ્દત હરોળ કોર્ટમાં રજુ કરી આરોપીના પોલીસ કસ્ટડીના રીમાંડની માગણી કરતા કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડિયો વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાયેલ છે જેમાં લૂંટ, દુષ્કર્મ, ચોરી સહિતના અનેક ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે. તેમજ 19 શખ્સોની ગેંગે 92 થી વધુ ગુનાને અંજામ આપેલ હોવાનું સામે આવ્યું હતુ. મુસાફરોના ખિસ્સામાંથી માલમતા સેરવી લેતી રીક્ષા ગેંગની ત્રિપુટી ઝડપાઈ શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ પોલીસે પકડી પાડી રૂ.28,500 ની રોકડ રિકવર કરી હતી. મુખ્ય સૂત્રધાર રામ ઉર્ફે લાલો બચુ લાકડીયા(ઉ.વ.22), સંજય વિઠ્ઠલ પરમાર (ઉ.વ.20) અને શૈલેશ જીવા ભરવાડીયા (ઉ.વ.35)ની ધરપકડ કરી રોકડ રૂ. 28,500 અને રિક્ષા મળી કુલ રૂ.88,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રિક્ષા ગેંગના સાગરીતોએ 13 મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત આપી હતી. જેમાં આશરે 25 દિવસ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 1500 કાઢી લીધેલ હતા. એક મહિના પૂર્વે રાજકોટથી મોરબી જતી વખતે માળિયા ફાટક નજીક પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.4000, 1 મહિના પૂર્વે મોરબી જતી વખતે વિધિ ફાટક નજીકથી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂ.9,000, બે મહિના પૂર્વે મોરબી-ટંકારા રોડ પર પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.3000, 1 મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા ગામ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2500, એક માસ પૂર્વે ગોંડલ ચોકડીથી સાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.5500, દસ દિવસ પૂર્વે મેટોડા જીઆઇડીસી પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500, 20 દિવસ પૂર્વે ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2000, બે મહિના પૂર્વે આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.3000, 15 દિવસ પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 5,000, 25 દિવસ પૂર્વે હુડકો ચોકડીથી શાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 6000 અને દસેક દિવસ પૂર્વે આજીડેમ ચોકડીથી રાજકોટ બસ સ્ટેન્ડ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500 કાઢી લીધાની કબુલાત આપી હતી. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો શહેરની ભક્તિનગર પોલીસે એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે જંગલેશ્વર આર.એમ.સી ક્વાર્ટર બ્લોક નંબર 9 અને 14 પાસેથી શહેરમાં ગાંજો વેચતા 21 વર્ષીય મુસ્તકીમ શોકત બુખારીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી પોલીસે રૂ.86,600 ની કિંમતનો 1.732 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ જથ્થો કોની પાસેથી લાવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સ સામે ઉપલેટા પોલીસ મથકમાં અગાઉ દારૂના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ માર માર્યો શહેરના નવાગામમાં મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. જે અંગે શ્યામભાઈ મુકેશભાઈ છૈયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈશ્વર, મૌલિક, વિવેક અને બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઈવિંગ કામ કરે છે. તેમના પરીવારમાં પિતા મુકેશભાઈ (ઉ.વ.48), માતા શોભનાબેન દાદી દેવકુબેન, મોટો ભાઈ રામભાઈ છે. ગત તા. 22 ના સવારના 8 વાગ્યે મોટાભાઈ રામભાઈ ગાડીનો ફેરો લઈ ઘરેથી નીકળ્યા અને પરત ઘરે આવ્યા ન હતા. પિતાને આ બાબતે જાણ થઈ હતી કે, મોટાભાઈ રામભાઈ કચ્છમાં રહેતા ઈશ્વરભાઈની દીકરી ડિમ્પલબેન સાથે પ્રેમ-સંબંધ હોય અને તેઓ બંને ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. જેથી તેમને બે દિવસથી શોધતા હતા. આ દરમિયાન 23 માર્ચના રાત્રીના આશરે 8.30 વાગ્યાની આસપાસ યુવાન પરીવાર સાથે ઘરે હતો અને પિતા કામથી બહાર ગયા હતા. જે દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ઘરની સામે આવી ઉભી રહી અને તેમાંથી 5 શખ્સો ઉતરી ઝઘડો કરવા લાગી હતા. તારો ભાઈ કયાં છે બોલ તેમ કહી ઝપાઝપી કરી બે-ત્રણ ફડાકા મારી દીધા હતા. જે બાદ કારમાં અપહરણ કરી રાજપરા ગામ થઈ નારણકા ગામથી લોઠડા ગામ થઈ ખોખડદડ ગામે શુભ ચોકડીએ લઈ ગયા હતા. જે પછી પાંચેય શખ્સો કહેવા લાગ્યા કે, તારા ભાઈના મિત્ર રાહુલના ઘરે લઈ જા. જેથી તેઓને રાહુલના ઘરે લઈ જતા તેનુ ઘર બંધ હતુ. જોકે તે બાદ નવાગામ જતા રસ્તે કારમાંથી ઉતારી દીધો હતો. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપ સાથે ગ્રામજનોએ એકસૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગામના જાહેર માર્ગો પર 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બેનરો લગાડવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. પીપલગભણ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. 'નળ સે જલ' યોજના હેઠળ નવી ટાંકી અને ઘર સુધી નળ જોડાણની કામગીરી પૂર્ણ ન થતા મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટેની મહત્વની 'માતૃ વંદના યોજના' નો લાભ મેળવવામાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ગામના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગામમાં ઠેર-ઠેર લાગેલા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નહીં આવે અને લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે કેમ અને રાજકીય નેતાઓ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. શારદાપીઠ કોલેજના ઇકોનોમિક્સના એસોસિએટ પ્રોફેસર પ્રકાશ વણકર પર હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકવાનો આરોપ છે, જેના પગલે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રોફેસર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં લખેલું હતું હિન્દુ કો લાત મારો, હિન્દુ કોઈ ધર્મ નહીં. આ વિડીયોમાં એક કથાવાચકનું નિવેદન કટ કરીને મૂકવામાં આવ્યું હતું અને સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ચારે વેદોમાં સનાતન શબ્દ નથી અને બૌદ્ધ ધર્મે સનાતન શબ્દ આપ્યો છે. હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશઆ ઘટનાના વિરોધમાં આજે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી બાદ સંગઠનના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગસંગઠનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ કે સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓ અયોગ્ય છે. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે. તેથી, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે: પ્રોફેસરની માનસિકતાની ઊંડી તપાસ થવી જોઈએ : હિન્દુ સંગઠનના પ્રમુખ આ ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલાની નોંધ લેવામાં આવી છે અને જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તેના પર છે. હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરીને યોગ્ય પગલાં લેવામાં આવે. કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદનપત્ર મોકલાયું છે : કોલેજના પ્રિન્સિપાલસમગ્ર મામલે શારદાપીઠ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંદીપ વાઢેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે અને આ કોલેજ ટ્રસ્ટની હોય, આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર શહેરની જોગીવાડની ટાંકી પાસે આવેલા ઉબેદ શેખના ઈન્ડીયા હાઉસમાં બે દિવસ પૃવે થેયલી ફાયરીંગની ઘટના બાદ એસપી સહિતના પોલીસ કાફલા સાથે સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત કાળીયારના 4 શીંગડા, પોકેટ મંકી, 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળી આવતા ગંગાજળીયા પોલીસ મથકમાં ઉબેદ શેખ અને તેના ભાઈ ઇમ્દાદ શેખ સામે હથિયાર ધારા અને પ્રોહિબીશન એક્ટ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધાયા હતાં. જેમાં એસઓજી પોલીસને હથિયારધારાની તપાસ સોપતા બન્ને ભાઈનો કબજો સંભાળી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જે રિમાન્ડ દરમિયાન તેના કબજામાંથી મળી આવેલા 50 કાર્ટીસ તેના પર્સલ બોડીગાર્ડના હોવાની કબુલાત આપી હતી. બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં. 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળીઆ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં તા.22 માર્ચની વહેલી સવારે ફાયરીંગના બનાવ બાદ જોગીવાડની ટાંકી વિસ્તારમાં આવેલા ઉબેદઉલ્લા ઉર્ફે ઉબેદ કરીમભાઈ શેખના ઈન્ડીયા હાઉસમાં બે દિવસ પૂર્વે સાંજના અરસા દરમિયાન ફાયરીંગના ગુનામાં સંડોવાયેલા વલી હાલારી અને તેનો ભાઈ તૌફિક હાલારી છુપાયા હોવાની બાતમી આધારે એસપી નિતેશ પાંડે સહિતના મસમોટા કાફલાએ સર્ચ હાથ ધર્યુ હતું. ગંગાજળીયા પોલીસે બન્નેની ઘરેથી જ ધરપકડ કરી લીધીજેમાં સર્ચ દરમિયાન તેના કબજામાંથી પોકેટ મંકી, 4 કાળીયારના શીંગડા, 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળી આવતા ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઈ શેખ અને તેના ભાઈ ઈન્દાદુલ્લાહ ઉર્ફે ઇમ્દાદ અબ્દુલ કરીમભાઈ શેખ સામે ગંગાજળીયા પોલીસે 1 ગુનો હથીયાર ધારા કલમ 25(1-B)(A), 29, મુજબ જ્યારે 2 ગુનો પ્રોહિબીસન 65(a) (a), 116-B, 81 એક્ટ તળે નોંધાયો હતો. અને કાળીયારના શીંગડા મામલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ગંગાજળીયા પોલીસે બન્ને ભાઈની ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી. બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયાગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાયેલા હથીયારધારાના ગુનાની તપાસ એસઓજી પોલીસ ને સોપાતા એસઓજીએ ઉબેદ શેખ અને ઇમ્દાદ શેખ બન્ને ભાઈનો કબજો મેળવી ગઈકાલના રોજ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા બન્ને ભાઈઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતાં. જે રિમાન્ડ આજરોજ પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટના આદેશ તળે ભાવનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. પર્સલન સિક્યુરીટી ગાર્ડના 50 જીવતા કાર્ટીસ હોવાનો ઘટસ્ફોટઆ બનાવના પગલે એસઓજી PI સુનેસરાએ દિવ્યભાસ્કર સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, પોલીસ રિમાન્ડ પર રહેલ ઉબેદ શેખ અનેં ઇમ્દાદ શેખ બન્ને ભાઈઓને તેના ઘરમાંથી મળી આવેલ 50 જીવતા કાર્ટીસ અંગે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે કાર્ટીસ તે તેના નહીં પણ તેના પર્સલન સિક્યુરીટી ગાર્ડના છે. અને તેના સિક્યુરિટી ગાર્ડ હાલ મધ્યપ્રદેશ તેના વતનમાં હોવાની જણાવ્યું હતું. કાર્ટીસ બાબતની ખરાઈ કરવા સિક્યુરિટી ગાર્ડને બોલાવવામાં આવશે અને તેની પુછપરછ હાથ ધરવામાં આવશે નું જણાવ્યું હતું.
બોટાદમાં SBI દ્વારા અકસ્માત વીમાનો 1 કરોડનો ચેક:સરકારી શિક્ષકના પરિવારને આર્થિક સહારો મળ્યો
બોટાદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા સરકારી શિક્ષકના પરિવારને રૂપિયા ૧ કરોડનો વીમા ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ સહાયથી પરિવારને મોટી આર્થિક રાહત મળી છે. મૂળ બોટાદના રહેવાસી અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સરકારી શાળામાં ફરજ બજાવતા ૨૮ વર્ષીય વિશાલ બારૈયાનું દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમનું સેલેરી એકાઉન્ટ SBI બેંકમાં હોવાથી, બેંકની અકસ્માત વીમા યોજના હેઠળ તેમના પરિવારને રૂપિયા ૧ કરોડની સહાય મળવાપાત્ર બની હતી. બોટાદ શહેરના જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવેલી SBI બેંક દ્વારા આ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. બેંક મેનેજર અને સ્ટાફ દ્વારા જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, મૃતકની માતાને રૂપિયા ૧ કરોડનો ચેક સુપરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અક્ષય બુડાણીયા IAS (ડીડીઓ), દેવેન્દ્ર પ્રસાદ શર્મા (રિજનલ મેનેજર, અમદાવાદ), ભરત વાઢેર (ડીપીઈઓ), આલોકકુમાર (લીડ બેંક મેનેજર), નવીન કુમાર (મુખ્ય પ્રબંધક) સહિત પેન્શનર, પીજીવીસીએલ, રેલ્વે અધિકારીઓ અને શિક્ષક કર્મચારી સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેંક મેનેજર નવીનકુમારે જણાવ્યું હતું કે, વ્યક્તિની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી, પરંતુ આ રકમનો યોગ્ય ઉપયોગ પરિવારના જીવન નિર્વાહમાં મદદરૂપ થશે. મૃતકના ભાઈએ પણ બેંકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ સહાય તેમના પરિવાર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા નિવૃત નાયબ સચિવના પરિવાર દ્વારા આચરવામાં આવેલા કરોડોના ફૂલેકા પ્રકરણમાં આખરે મોટો વળાંક આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી રહેલી મુખ્ય આરોપી નીરવ દવેની પત્ની મીરા દવેએ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જોકે ધરપકડ બાદ પણ મીરાએ પૈસા બાબતે હાથ અધ્ધર કરી મૌન સેવી લેતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. જેને પણ પતિ પુત્ર અને સસરાની માફક કોર્ટે સેન્ટ્રલ ધકેલી દેવાઈ છે. બીજી તરફ કરોડો રૂપિયા ક્રિપ્ટો કે હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાની આશંકાએ EDએ તપાસનો ધમધમાટ ચાલુ રાખતા હવે રોકાણકારોની હાલત પણ સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડપાટનગરમાં નિવૃત નાયબ સચિવના પુત્ર અને પુત્રવધુ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના હાઈપ્રોફાઈલ ઠગાઈ પ્રકરણમાં આખરે લાંબા સમયથી ફરાર મીરા દવેએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરોના નામે આચરેલા આ કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડ બોલી રહ્યો છે, પરંતુ પડદા પાછળ હજુ પણ અનેક નામાંકિત બિલ્ડરો અને ડોક્ટરો ભોગ બન્યા હોવાથી આ આંકડો 80 કરોડ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. મીરાના મોનથી પણ પોલીસ માથું ખંજવાળતી થઈ જોકે પોલીસ ધરપકડ બાદ પણ મીરા દવેએ તેના પતિ નીરવની માફક જ મૌન ધારણ કરી કરોડો રૂપિયા બાબતે કશું જ જાણતી ન હોવાનું રટણ શરૂ કરતાં ઇન્ફોસિટી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને ફસાવ્યાઆ સમગ્ર કૌભાંડની જાળ વર્ષ 2004થી ગૂંથવાની શરૂ થઈ હતી. આ શાતિર પરિવારે ઠગાઈ માટે હાઈપ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સનો સહારો લીધો હતો. ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને શીશામાં ઉતારવામાં આવતા હતા. નીરવ દવેનો પુત્ર યજત નકલી દસ્તાવેજો તૈયાર કરતોનીરવ દવે અને તેના પરિવારે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ અને અમરેલીના રાજમહેલ કિલ્લાના રિનોવેશન જેવા સરકારી કામોના નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતાં. આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત ડિજિટલ એડિટિંગ દ્વારા અસલી સરકારી પત્રોમાં છેડછાડ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કરતો હતો, જ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નિવૃત નાયબ સચિવ હોવાથી રોકાણકારોને આ સરકારી પ્રોજેક્ટ્સ સાચા હોવાનો પૂરો ભરોસો બેસી જતો હતો. તમામ ભોગ બનનાર સામે આવે તો આંકડો 80 કરોડને પાર થઈ શકેઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાલ ઠગાઈનો આંકડો 33 કરોડ નોંધાયો છે. પરંતુ સૂત્રો મુજબ, હજુ પણ 17 જેટલા એવા રોકાણકારો છે જેમના કરોડો રૂપિયા ડૂબ્યા છે. આ રોકાણકારોએ બ્લેક મની રોક્યા હોવાથી તેઓ સામે આવતા ડરી રહ્યા છે. જો આ તમામ ભોગ બનનાર સામે આવે તો કૌભાંડનો કુલ આંકડો 80 કરોડને પાર કરી શકે છે. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલાયાજોકે ઠગાઈની કરોડોની રકમ ક્યાં ગઈ તે અંગે પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ નક્કર વિગતો હાથ લાગી નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા છે. EDની એન્ટ્રી, નોટિસો ફટકારીને ખુલાસા માગ્યાઆ આર્થિક ગુનાની ગંભીરતાને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પણ ઝંપલાવ્યું છે. ED દ્વારા ભોગ બનનાર વેપારીઓને નોટિસો ફટકારીને એક મહિનામાં રોકાણ કરેલા નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેને પગલે અનેક રોકાણકારો હવે પોતાની સામે જ તપાસ ન શરૂ થાય તેવા ફફડાટમાં જીવી રહ્યા છે. મીરા અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતીઆ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી.આર. ખેરે જણાવ્યું કે, મીરા દવે અત્યાર સુધીમાં અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતી. છેલ્લે તે વૈષ્ણવોદેવી કોઈ ગામડામાં રોકાઈ હતી. જેને આજે સરન્ડર કરતા તેની ભાવિક સાથેની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથીવધુમાં, જેની પૂછતાછમાં પૈસાનો હિસાબ નીરવ રાખતો હોવાથી કશું તે જાણતી નહીં હોવાનું સામે આવ્યું છે. જેના UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથી. આગામી દિવસોમાં અન્ય ગુનાઓમાં ફરી ધરપકડ કરી આજ પ્રોસેસ કરીશું. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરીશું. આમાં હવે કરોડોની ઠગાઈ પ્રકરણમાં પોલીસ તપાસમાં પૈસાની આશાએ બેસી રહેલા રોકાણકારોને રાતા પાણીને રોવાનો વખત આવ્યો હોવાનો ઘાટ ઘડાયો છે.
બોટાદ અકસ્માત કેસમાં આરોપી નિર્દોષ જાહેર:ધારાશાસ્ત્રી રાજુભાઈ પરમારની દલીલોથી કોર્ટે મુક્ત કર્યો
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત અને બેદરકારીથી વાહન ચલાવવાના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બોટાદની ૨-એડિશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.આ કેસમાં બચાવ પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી રાજુભાઈ એમ. પરમાર રોકાયા હતા. તેમની કાયદાકીય કુનેહ અને તાર્કિક દલીલોના પરિણામે અદાલતે આરોપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો. એડવોકેટ રાજુભાઈ પરમારે સાક્ષીઓની ઝીણવટભરી ઉલટતપાસ કરી હતી. તેમણે પુરાવાઓનું સચોટ પૃથક્કરણ રજૂ કર્યું હતું અને સાબિત કર્યું કે ફરિયાદી પક્ષ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. નામદાર અદાલતે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ન્યાયિક આદેશ કર્યો હતો. આ ચુકાદાને પગલે બોટાદના કાયદાકીય વર્તુળોમાં એડવોકેટ રાજુભાઈ પરમારની કામગીરીની સરાહના થઈ રહી છે.
વડોદરા શહેરમાં આગામી રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેને લઈને સીટી પોલીસ સ્ટેશન તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ, લૉ એન્ડ ઓર્ડર) નિલેષ જાંજડિયાની અધ્યક્ષતામાં ડીસીપી ઝોન-04 એન્ડ્રુ મેકવાન, એસીપી જી-ડિવિઝન એમ.પી. ભોજાણી, સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ચૌહાણ, સેકન્ડ પીઆઈ કે.ડી. માંગરોલિયા તેમજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. પાંડવ, સેકન્ડ પીઆઈ બી.આર. ગૌડ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો હતો. શોભાયાત્રાનો રૂટ કુંભારવાડા પોલીસ સ્ટેશનથી શરૂ કરી બેલબજાર નાકા, હાથીખાના, અલીફનગર ત્રણ રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા થઈ માંડવી દરવાજા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોમી એકતા જળવાઈ રહે તે માટે મહોલ્લાના આગેવાનો અને એફ.ઓ.પી.ના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શોભાયાત્રાના રૂટ પર આવેલા હોરાઇઝન પોઇન્ટ્સ અને મકાનોનાં ધાબા ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખી ચેકિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની રકમ છે. નોનટેક્સ આવક તરીકે રિઝર્વ પ્લોટના વેચાણ તરીકે મળતી રકમ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ અને મોટેરા વિસ્તારમાં બે પ્લોટ વેચાણ માટે મુક્યા છે. બંને પ્લોટના વેચાણથી મ્યુનિ.ને રૂ. 260 કરોડથી વધારે રકમ ઉપજે જેવી શક્યતા છે. પ્લોટની આવકમાંથી પ્રજાના વિકાસ કાર્યોમાં ખર્ચ કરવામાં આવશે. માત્ર બોડકદેવના પ્લોટના વેચાણથી જ રૂ. 225.68 કરોડની આવક થશે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજમ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી સ્કીમ યોજના કપાતમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ હેતુના પ્લોટ મળે છે. જેમાંથી કેટલાક પ્લોટનું વેચાણ કરવામા આવે છે. જે પ્લોટના વેચાણથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડોની આવક થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા અને બોડકદેવ વિસ્તારમાં પ્લોટ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજ છે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશેઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા તળીયાની કિંમતમાં મોટેરાના પ્લોટની કિંમત પ્રતિ ચો.મી. રૂ. 1.42 લાખ જ્યારે બોડકદેવના પ્લોટની કિંમત રૂ. 2.80 લાખ નક્કી કરી છે. આગામી 16મી એપ્રિલ 2026ના રોજ આ બંને પ્લોટની ઇ-હરાજી થશે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશે. મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે. વર્ષ 2020થી 2025 દરમિયાન એટલેકે, છેલ્લા પાંચ વર્ષમાં ફેગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ 34.86 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે છતાં પરિસ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે. વર્ષ 2024-25માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા છે. મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવતમ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો દાવો છે કે મચ્છર દૂર કરવા ગુણવત્તાયુક્ત દવાઓ વાપરે છે,પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત હોવાથી આ કરોડોના ખર્ચની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ છેલ્લા પાંચ વર્ષના ખર્ચના આંકડાઓ મુજબ વર્ષ 2024-25માં તંત્રએ આક્રમક કામગીરીના નામે બજેટનો મોટો હિસ્સો વાપર્યો છે. જેમાં વર્ષ 2025માં માત્ર ફેગીંગ પાછળ જ 7.11 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ થયો છે. શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? વિપક્ષનો આક્ષેપ છેકે, જો આટલો જંગી ખર્ચ થતો હોય તો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો કેમ નથી દેખાતો ? શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? જોકે,વિભાગે સ્પષ્ટતા કરી છે કે દવાની ખરીદી બાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી હેલ્થ મેલેરિયા વિભાગની રહે છે. જોકે આ તમામ બાબતો ઉપર સવાલ ઉભા થયા છે.
સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર માટે આ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી રાજેશભાઈ શુકલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાના નેતૃત્વ હેઠળ કરાઈ હતી. આ સમાચાર બાદ સમાજ અને એડવોકેટ મિત્રો સહિત રાજકીય આગેવાનો તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાયા હતા. પોતાની નિમણૂક બદલ રૂસ્તમભાઈ પીલુડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચાના નાહીનભાઈ કાજી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ એ ડી વારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ. ઉદયપુર (રાજસ્થાન)નાં રહેવાસી અને સુરતના, પુણાગામ ખાતે માનવતાનો અનોખો ઉદાહરણ સામે આવ્યો છે, જ્યાં માત્ર 144 કલાકના નવજાત બેબી – અંગદાતા પાર્થ (બેબી ઓફ ભૂમિકાબેન પ્રકાશભાઈ સવર્ણકાર) દ્વારા અંગદાન કરીને ચાર લોકોના જીવનનોદીપ પ્રગટાવ્યો છે. તા. ૧૬/૦૩/૨૦૨૬ના રોજ સાંજે હોસ્પીટલમાં એક તરફ પરિવારજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભૂમિકાબેનએ નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ પછી બાળક દ્વારા રડવાનો પ્રતિસાદ ન મળતા તાત્કાલિક તેને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ ન્યુરોલોજીકલ મૂવમેન્ટ ન હોવાથી વિશેષ બ્રેઇન રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. સઘન સારવાર છતાં તા.૨૨/૦૩/૨૦૨૬ના રોજ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબો બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા, ડૉ. દર્શન ધોળકિયા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમના ડૉ. નિલેશ કાછડીયા, વિપુલ તળાવીયા અને જસ્વીન કુંજડિયા દ્વારા પરિવારજનોને અંગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેબીની માતા ભૂમિકાબેન નર્સિંગ સ્ટાફ હોવાથી તેમણે પોતાના પતિ પ્રકાશભાઈ અને અન્ય તમામ પરિવારના સ્વજન સાથે ચર્ચા કરીને અંગદાન માટે સંમતિ આપી જે સર્વત્ર સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય સાબિત થયો છે. અંગદાનની સંમતી મળતા સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. આ અંગદાન અંતર્ગત બંને કિડનીઓ IKDRC, અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ અંગદાનથી ચાર લોકોને નવજીવન મળશે. વિશેષ સહયોગ ગુજરાત પોલીસ દ્વારા દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, સિંગણપોર ચોકડી, કતારગામથી લઈને IKDRC, આસરવા, અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે અંગોને સમયસર પહોંચાડવામાં સફળતા મળી. આ દુઃખદ ઘટનામાંથી પણ માનવતાનો મહાન સંદેશ આપતા સવર્ણકાર પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે - “અંગદાન એટલે જીવનદાન” નો સંદેશ વધુ મજબૂત બન્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ અંગદાન અંતર્ગત બંને કિડની અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ-4ને નવજીવન મળશે.
રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકો માટે જનસંપર્ક સભા યોજાઈ હતી. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી પરેશાન અનેક લોકોએ જાહેરમાં રજૂઆત કરી હતી. જેમાં રાજકોટ તાલુકાના લોધીડા ગામના ખેડૂતે તેમના જ ભાણેજને નાણાની જરૂરિયાત હોવાથી ખેતીની જમીન ગીરવે મૂકી 30 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ નાણા પરત આપી દીધા બાદ પણ વ્યાજખોરો 1.48 કરોડની માંગણી કરતા પરિવાર રસ્તા પર આવી ગયો હોવાની રજૂઆત વખતે આજીડેમ પોલીસ સ્ટેશનના PI જાડેજા સાથે બોલાચાલીની ઘટના બની હતી. આ પરિવારના મહિલાએ તો રડતા રડતા કહ્યું કે, જો અમને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે. આ ઉપરાંત અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચર 33 લાખ ન આપતા હોવાની તો મની પ્લસ શરાફી મંડળીમાં રોકેલા 20 કરોડ ડૂબી ગયાની રજૂઆતો આવી હતી. જમીન વેચી પૈસા આપ્યા છતાં બેથી ત્રણ વાર મારા ઉપર હુમલો થયોજગાભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, સરધાર પાસેના લોધીડા ગામે રહીએ છીએ. અમારા ભાણેજ માટે વિનોદભાઈ, વિક્રમભાઇ અને વિરમભાઇ પાસેથી 30 લાખ લીધા હતા. મેં મારી જમીન વેંચીને પૈસા આપી દીધા. બેથી ત્રણ વખત મારા ઉપર હુમલો થયો. જેથી મેં દવા પી લીધી. મારી પાસે 1.48 કરોડ માંગવામાં આવ્યા. જેનું મારી પાસે મોબાઇલમાં રેકોર્ડિંગ પણ છે. 56 દિવસ થયા છતાં પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લેવામાં ન આવી. આ બાબતે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. મીડિયાની સમક્ષ હું નાણા આપવા માટે તૈયાર છું. જોકે અહીં પોલીસને રજૂઆત કરી તો આજીડેમ પોલીસ મથકના PI એ. બી. જાડેજાએ કહ્યું કે, મારી સાથે શા માટે આ રીતે બોલાચાલી કરી. 'ન્યાય નહીં મળે તો ગુજરાત છોડવું પડશે'હંસાબેન ઝાપડિયાએ જણાવ્યું હતું કે, અમે વિનોદ જસવંત ચૌહાણ માટે પ્રકાશ ચાવડા પાસેથી રૂપિયા 30 લાખ વ્યાજે લીધેલા હતા. પ્રકાશ ચાવડાએ કહ્યું કે મામા મને પૈસા આપો. નહીંતર હું મરી જઈશ. અમારી પાસે બીજું કઈ ન હતું. જેથી અમે અમારા સસરાની જમીન વેચી અને પૈસા આપ્યા હતા. જોકે, હવે તે પૈસા આપતો નથી અને હાથ ઊંચા કરી દીધા છે. પ્રકાશ ચાવડા અને વિનોદ ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બંનેને કારણે મારો પરિવાર આજે રોડ ઉપર આવી ગયો છે. અમારી પાસે વધુ પૈસાની માગણી કરી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી અમારો પરિવાર પણ ડર સાથે જીવી રહ્યો છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ગુજરાત છોડી અને ચાલ્યા જશું. 'હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો'આ ઉપરાંત વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ ગોપાલ દોંગા છે. જેની નાનામવા રોડ ઉપર મંડળી હતી. લોકો નાણા રોકે તે માટે હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો. તે કહેતો કે તમે આમાં પૈસા રોકો એટલે સોનાના નળિયા થઈ જશે. જેમાં લોકોની રૂ.20 કરોડની ડિપોઝિટ મૂકેલી હતી. અમુક લોકોએ તો પોતાની આખા જીવનની કમાણી ડિપોઝિટ તરીકે મૂકી હતી. જોકે હવે તે પૈસા પાછા આપતો નથી. અલ્પેશ પોતે ચાર વખત જેલમાં જઈ આવી ચૂક્યો છે અને જામીન લઈ છૂટી જાય છે. રાજકોટના PMC પ્રોજેક્ટના વાસુદેવ રોક સેન્ડ LLPના મગનલાલ મોહનભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ.43,83,633 નું ક્રસિંગ મટીરીયલ સાડા ત્રણ વર્ષ પહેલા આપ્યું હતું. જેની સામે રૂ.10,14,159 મળ્યા છે. જ્યારે રૂ.33,69,474 આપવાના બાકી છે.
વાપીમાં નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે સેમિનાર:વોકેશનલ શિક્ષણ શરૂ કરવા આચાર્યોને માર્ગદર્શન અપાયું
વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટે વોકેશનલ શિક્ષણ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો પ્રારંભ કરવાનો હતો. આ સેમિનારમાં જિલ્લાની વિવિધ નોન-ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આચાર્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંઘના પ્રમુખ અલ્પાબેન કોટડીયા, મંત્રી મિત્તલબેન ઢાકડા, ફાઉન્ડર કપિલસ્વામી અને SSA કો-ઓર્ડિનેટર શીતલબેન પણ હાજર રહ્યા હતા. સેમિનાર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત વોકેશનલ શિક્ષણના મહત્વ, તેના ઉદ્દેશો અને ભવિષ્યમાં તેની વધતી આવશ્યકતા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે શાળાઓમાં શરૂ કરી શકાય તેવા વિવિધ વોકેશનલ વિષયો, સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ કોર્સની પસંદગી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં તેની ભૂમિકા વિશે વિગતવાર સમજણ આપી હતી. આ ઉપરાંત, મૂલ્યાંકન પદ્ધતિ, પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારક્ષમતા વધારવા જેવા મુદ્દાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. ટંડેલે જણાવ્યું હતું કે, વોકેશનલ શિક્ષણથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા, કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણનો વિકાસ થશે. તેમણે વલસાડ જિલ્લાની તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી વોકેશનલ શિક્ષણ અસરકારક રીતે અમલમાં મૂકવા આચાર્યોને અનુરોધ કર્યો હતો અને તેમને સક્રિય કામગીરી માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત શિક્ષણવિદો દ્વારા આ માર્ગદર્શનને અત્યંત ઉપયોગી તથા પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને ફેલાઈ રહેલી વિવિધ અફવાઓ પર વિરામ મુકતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નાગરિકોને ખાતરી આપી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. 'ગાંધીનગરમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત'ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર જે. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓને કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાતો હોય છે, જેના પરિણામે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગાંધીનગર જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર સતત તેલ કંપનીઓ અને વિતરકોના સંપર્કમાં છે, જેથી પુરવઠા સાંકળમાં કોઈ અવરોધ ન આવે. 'નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી'કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લાના નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમામ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પાસે નિયમિત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી અને બિનજરૂરી સંગ્રહખોરીથી બચવું જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છેજિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છે. તમામ જનતાને જ્યારે પણ જરૂર હશે ત્યારે આવશ્યકતા મુજબનો પુરવઠો સરળતાથી મળી રહેશે. દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને તંત્રને સહકાર આપવા કલેક્ટરની અપીલઆથી, જાહેર જનતાને ગભરાટમાં આવ્યા વગર પોતાની દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા માટે કલેક્ટર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આ નિવેદનથી જિલ્લાના નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને બિનજરૂરી અફવાઓ પર રોક લાગવાની અપેક્ષા છે.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતના જગાવનાર અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક એવા રાષ્ટ્રગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ @ 150 વર્ષ (ફેઝ-2) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં સામૂહિક રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ યોજાયો હતો. 31 માર્ચ સુધી ઉજવણીનું આયોજનસને 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વંદે માતરમ ગીતે સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધ્યો હતો. આ ગીત આજે પણ દરેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. આ ભવ્ય વારસાને ઉજવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 23 માર્ચથી 31 માર્ચ, 2026 દરમિયાન વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં સહભાગી થયાઆજરોજ સવારે ન્યુ સીટીલાઈટ રોડ સ્થિત આઈ.સી.સી.સી. કચેરી ખાતે માનનીય મ્યુ. કમિશનર એમ. નાગરાજન (IAS)ની પ્રેરક ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતનું તેના મૂળ સ્વરૂપે ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રભક્તિના આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વંદે માતરમનો નાદ સાથે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું માત્ર મુખ્ય કચેરી જ નહીં, પરંતુ સુરત મહાનગરપાલિકાની તમામ શાખાઓમાં આ કાર્યક્રમની ગુંજ જોવા મળી હતી. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન તમામ ઝોન કચેરીઓ અને તમામ વિભાગો તેમજ વોર્ડ ઓફિસો અને હેલ્થ સેન્ટરો મસ્ક્તી હોસ્પિટલ, સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ પરિસર આ તમામ સ્થળોએ અધિકારીઓ અને કર્મચારીઓએ એકસાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચારઆ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રાખવાનો અને વંદે માતરમ ના માધ્યમથી મળેલી સ્વતંત્રતાના મૂલ્યોને યાદ કરવાનો છે. 31 માર્ચ સુધી ચાલનારી આ ઉજવણી અંતર્ગત હજુ પણ વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવામાં આવશે.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના ચેરમેન પદે માલવદીપસિંહ રાઉલજીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં તેમની સર્વસંમતિથી પસંદગી થઈ હતી. માલવદીપસિંહ રાઉલજી ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર છે. તેમની વરણીના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો, APMC ના સભ્યો અને ટેકેદારો ગોધરા APMC ખાતે એકઠા થયા હતા. ઉપસ્થિત લોકોએ નવનિયુક્ત ચેરમેનને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિનહરીફ વરણી બાદ માલવદીપસિંહ રાઉલજીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખેડૂતો અને વેપારીઓના હિતમાં પારદર્શક વહીવટ કરવાની ખાતરી આપી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની દરુણિયા સરકારી માધ્યમિક શાળાના દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધા 2026માં ગોળાફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આલિયા ખાન એક હાથે દિવ્યાંગ હોવા છતાં, તેમણે ક્યારેય હાર માની નથી. બે બાળકોની માતા તરીકે, જેમાં એક બાળક એક વર્ષથી પણ નાનું છે, તેમણે નાના બાળકની જવાબદારી, ઘરકામ અને શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવવાની સાથે મેદાન પર સઘન પ્રેક્ટિસ કરીને આ સિદ્ધિ મેળવી છે. આલિયાબેન માત્ર રમતગમતના મેદાન પર જ નહીં, પરંતુ વર્ગખંડમાં પણ એક આદર્શ શિક્ષક છે. તેઓ શાળાના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. રમતગમત પ્રત્યેની તેમની રુચિને કારણે તેમણે અત્યાર સુધીમાં ૬ રાષ્ટ્રીય મેડલ જીત્યા છે, જેમાં ગુજરાતના ખેલ મહાકુંભમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ સામેલ છે. આલિયા ખાનની આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ અને શાળાના આચાર્ય આસિફ મન્સૂરીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સફળતા સમાજને પ્રેરણા આપે છે કે દ્રઢ નિશ્ચય અને મહેનતથી શારીરિક મર્યાદાઓ કે પારિવારિક જવાબદારીઓ સપના પૂરા કરવામાં અવરોધ બનતી નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા મતદારોને રિઝવવા માટેના કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને મુદ્દો બનાવી સરકાર વિરુદ્ધ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર-પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના મારના મોટા બેનર સાથે બળદ ગાડા પર બેસી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ખાલી ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈને રસ્તો રોકતા પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દે વિરોધ પ્રદર્શનસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે સક્રિય બન્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શહેરના તમામ વોર્ડના સ્થાનિકોના મુદ્દે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દો ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોદી આવ્યા, મોંઘવારીના લાવ્યા જેવા સૂત્રો સાથે પોસ્ટર લઈને દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના માર મોટા જેવા બેનરો સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારા પણ લગાવ્યા હતા. ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરીયુથ કોંગ્રેસે બળદ ગાડા સાથે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાલી તેલના ડબ્બા અને ખાલી ગેસ સિલિન્ડરની બોટલ લઈને હાય રે મોંઘવારી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. બળદ ગાડા પર બેસીને મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ હાય હાય જેવા સૂત્રોચ્ચાર સાથે યુથ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરીયુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેસ સિલિન્ડર, તેલ સહિતની બોટલ સાથે રસ્તો પર બેસી ગયા હતા. રસ્તો બ્લોક કરીને મોંઘવારી કાબૂમાં લાવવવા માંગ કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી લેતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જે બાદ પોલીસે દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જો કે મોંઘવારી વિશે સરકાર નહીં વિચારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
અમેરિકા પાસે એક એવું સિક્રેટ હથિયાર છે જેના ઈશારે તે અત્યારે આખી દુનિયાને નચાવી પણ રહ્યું છે અને રાજ પણ કરી રહ્યું છે. આ હથિયાર એટલે પેટ્રો ડોલર. પણ તેલ એટલે ડોલરનો 50 વર્ષ જૂનો નિયમ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં એક્સપાયરી ડેટ પર આવી ગયો હોય તેવો માહોલ બની રહ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં લાગેલી આગ ખાલી બજાર સુધી જ નથી પણ ડોલરના સામ્રાજ્યમાં પણ બારૂદ બનીને સળગાવી રહી છે. ઈરાનને બરબાદ કરવાના ઈરાદાથી ઈઝરાયલ સાથે યુદ્ધમાં પડેલા ટ્રમ્પે જે જુસ્સાથી યુદ્ધની શરૂઆત કરી અત્યારે તેનું સૂરસૂરિયું થઈ રહ્યું છે અને થોડા દિવસો યુદ્ધ વિરામની વાત રાખવી પડી છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો ઈરાનથી એ સામે આવી છે કે ભારતના જે શિપમેન્ટ ઈરાન પાસેના હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી પસાર થતા હતા તેનું પેયમેન્ટ ચીની કરન્સીમાં કરાયાની વાતો થઈ રહી છે. આજે વાત કરીએ ડોલર ડોમિનન્સની અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો માંડનાર હિલેરી ક્લિન્ટનના એનાલિસિસ વિશે. સાથે જ સમજીશું કે કેવી રીતે ડોલરે સદ્દામથી ગદ્દાફી સુધીની લાશો બિછાવી.... નમસ્કાર... આ બધુ જાણવા માટે આપણે પહેલા પેટ્રો ડોલરને સમજવું પડશે. આ સિસ્ટમનો પાયો 1970ના દાયકાની શરૂઆતમાં નખાયો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે એક હિસ્ટોરિકલ ડિલ થઈ. જે મુજબ સાઉદી અરેબિયા તેનું તેલ માત્ર ડોલરમાં જ વેચશે અને બદલામાં અમેરિકા સાઉદીને એડવાન્સ અત્યાધુનિક મિલિટરી સિક્યોરિટી, હથિયારો અને પોલિટિકલ સ્ટેબિલિટીની ગેરંટી આપશે. એટલે પેટ્રો ડોલરનો જન્મ થયો આવું એટલા માટે થયું કારણ કે 1971માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સને ડોલરને સોના સાથે જોડતી સિસ્ટમને ખતમ કરી દીધી. જેના લીધે ડોલરનું વર્ચસ્વ જોખમમાં મૂકાયું. જેના કારણે આ ડિલ પાર પડી. આ જ કારણે અમેરિકા આજે વિશ્વની સૌથી શક્તિશાળી ઈકોનોમી છે. ત્યારે તેમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જે ઐતિહાસિક બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, “હવેથી અમેરિકન ડોલરની કિંમત સોનામાં નહીં, પણ અમેરિકાની શક્તિમાં મપાશે. આ ડિલ જોઈને ક્રુડ ઓઈલવાળા દેશોએ પણ અમેરિકાનું મોડલ અપનાવ્યું અને 1970થી પેટ્રો ડોલરના યુગની શરૂઆત થઈ. હવે પેટ્રો ડોલર કેવી રીતે કામ કરે છે અને તેનાથી અમેરિકાને કેવી રીતે ફાયદો થાય છે તે પણ સમજીએ. પણ... પણ... પણ... 28 ફેબ્રુઆરી 2026ના ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે ઈરાનનો સત્તા પલટો કરવાની આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ઈરાની લોકો પણ શાસનથી કંટાળ્યા છે. અને પછી હુમલા શરૂ થયા. શરૂઆતમાં ટ્રમ્પને એવું હતું કે ઈરાન હાર માની લેશે એટલે યુદ્ધના જ દિવસે દુનિયા સામે આવીને ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ લાંબુ નહીં ચાલે. અમારે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ તબાહ કરવો છે અને હુથી, હમાસ અને હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી નેટવર્કનો સફાયો કરવો છે. ત્યારે ટ્રમ્પે પાંચ વાત ધારી હતી. પણ ટ્રમ્પના ફેંકેલા પત્તા ઊંધા પડ્યાં. જે યુદ્ધ અમેરિકાની જીતથી ખતમ થવાનું સપનું હતું તેણે અમેરિકાને આર્થિક અને લશ્કરી ફટકો આપ્યો. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની ટોપ લીડરશીપનો તો ખાત્મો બોલાવ્યો પણ ઈરાની સેનાના મૂળિયા ન ઉખાડી શક્યું. આટલા નુકસાન બાદ પણ ઈરાન પડીને બેઠું થતું રહ્યું અને અમેરિકાના ઈરાની પરમાણું સાઈટ્સ નાશ કર્યાના દાવાઓ વચ્ચે ઈરાન ફરી-ફરીને ઈઝરાયલ, અમેરિકન બેઝ અને પાડોશી દેશો પર હુમલાઓ કરતું રહ્યું. આ યુદ્ધ અમેરિકા માટે આર્થિક અને લશ્કરી દલદલ બની ગયું. શું છે બ્રિક્સ સંગઠન? હવે આ મુદ્દાને થોડું બીજી બાજુ લઈ જઈએ અને વધુ એક એંગલથી સમજીએ. દુનિયાના દેશો પોતાનો પાવર દેખાડવા માટે અલગ-અલગ જૂથ બનાવે છે આપણે ત્યાં સોસાયટીઓમાં મંડળ બને છે તે જ રીતે. એમાનું એક જૂથ એટલે બ્રિક્સ. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, UAE, ઈજિપ્ત, ઈથોપિયા, ઈન્ડોનેશિયા અને ઈરાન જેવા દેશો કાયમી સભ્યો છે. જ્યારે બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઈજીરીયા, થાઈલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ પાર્ટનર દેશો છે. ટ્રંપની બ્રિક્સને 100% ટેરિફની ધમકી આ દેશો એક શક્તિશાળી જૂથ તરીકે ઉભરી આવ્યા છે. બ્રિક્સ પાસે દુનિયાના 40 ટકા ક્રુડ ઓઈલ પ્રોડક્શનનો હિસ્સો છે. જે પોતે તેલ વેચવા અને વેપાર કરવા માટે પોતાની એટલે કે બ્રિક્સ કરન્સી બનાવવાનો પ્લાન કરી રહ્યા હતા. જો આવું થાય તો દુનિયામાં ડોલર ડોમિનન્સને મોટો ફટકો પડે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ ગમ્યું નહીં. તેણે ડિસેમ્બર 2024માં જાહેરાત કરી કે, જે દેશો ડોલરને નબળો પાડવા માટે નવી બ્રિક્સ કરન્સી બનાવશે અથવા ટેકો આપશે તેમને અમેરિકન બજારમાં માલ વેચવા પર 100% ટેરિફનો સામનો કરવો પડશે. કાં તો ડોલર સાથે રહો અથવા અમેરિકા સાથે વેપાર ભૂલી જાઓ. અમેરિકાના પેટ્રો ડોલરનો પાયો હલ્યો? બ્રિક્સ દેશોની આ ધમકીનો અર્થ એવો હતો કે પેટ્રો ડોલર સિસ્ટમમાંથી કોઈ પણ દેશ એક્ઝિટ ન કરે. પણ આ ધમકીએ બ્રિક્સ દેશોને વધુ નજીક લાવી. યુક્રેન યુદ્ધ બાદ રશિયાની ડોલર સંપત્તિ ફ્રિઝ કરાતા રશિયાએ ડિડોલરાઈઝેશનને તેજ બનાવી. આ બનાવ બાદ એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રો ડોલર સિસ્ટમ હવે પહેલા જેવી મજબૂત નથી રહી. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડની સ્ટડી કહે છે કે, ગ્લોબલ રિઝર્વેશનમાં ડોલરનો હિસ્સો 71%થી ઘટીને 56%થી નીચે પહોંચી ગયો છે. IISSની સ્ટડી કહે છે કે, રશિયાના અનામત જપ્ત કરવાથી ડોલર પરનો વિશ્વાસ બીજા દેશોને ઘટ્યો છે. લોકો સેફ હેવન માટે સોના પર ભરોસો વધારી રહ્યા છે. રિસર્ચ ગેટની સ્ટડીમાં સામે આવ્યું કે, અમેરિકાનું 38 ટ્રિલિયન ડોલરનું દેવું અને વ્યાજની ચૂકવણી પેટ્રોડોલરની સ્ટેબિલિટી માટે મોટો ખતરો છે. ગ્રીન સેન્ટ્રલ બેંકિંગએ તારણ આપ્યું કે, રિન્યુએબલ એનર્જીના કારણે તેલની માગ ઘટતા ડોલરનું ડોમિનેન્સ કુદરતી રીતે નીચું આવશે. ટ્રમ્પના પાસા ઉંધા પડ્યા આ બધા વચ્ચે ટ્રમ્પને એવું હતું કે ઈરાન સાથે યુદ્ધ કરીને તે તેલ માફિયા બનશે પણ યુદ્ધના પહેલા જ અઠવાડિયામાં તેલના ભાવમાં આગ લાગતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ગણતરીઓ ઊંધી પડી. ઈરાનના વળતા હુમલા અને હોર્મુઝ બંધ કરતા ક્રુડ ઓઈલની ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ. સૌથી શક્તિશાળી દેશ 3 અઠવાડિયામાં ઘૂંટણીએ દુનિયામાં તેલ-ગેસની સંકટ જેવી પરિસ્થિતિઓ બની અને અમેરિકામાં ગેસોલિનના ભાવ આસમાને પહોંચ્યાં. જેના કારણે ટ્રમ્પ પર અમેરિકન રાજકીય દબાણ વધ્યું. ટ્રમ્પને લાગ્યું કે પેટ્રો ડોલરની ધાર બુઠ્ઠી થવા જઈ રહી છે. અને ટ્રમ્પે યુદ્ધ જીત્યા વિના પોતાની સ્વઘોષિત વિક્ટ્રી જાહેર કરીને થોડા દિવસો માટે યુદ્ધ રોકવા દુનિયામાં જાહેરાત કરી. જે ટ્રમ્પ યુદ્ધ પહેલા ઈરાનને ધૂળ ચખાડી દેશું જેવા મોટા-મોટા ડિંગા હાંકતા હતા તે ખાલી 3 જ અઠવાડિયામાં બેકફૂટ પર કેમ આવ્યાં? તેને 5 રીતે સમજીએ. ગ્લોબલ એનર્જી શોક અને ઓઈલ પ્રાઈઝ યુદ્ધમાં ભારે નુકસાન થવાની આશંકાઓ વચ્ચે ઈરાને અમેરિકાને જુકાવવા તેલનો સહારો લીધો અને હોર્મુઝ સ્ટ્રેટ કે જ્યાંથી દુનિયાનું મોટા ભાગનો તેલ અને ગેસનો જથ્થો જાય છે તેને બંધ કર્યો. અમેરિકા સહિત મોટા ભાગના દેશોમાં તેલ-ગેસની તંગી ઉભી થઈ અને ગ્લોબલ ઈકોનોમી હલી ગઈ. હવે પેટ્રોલ-ડીઝલ કે ગેસની કિંમતો વધે તો આવનાર મીડ ટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની સરકારને પણ ભારે ફટકો પડે તેવી શક્યતા છે. નેતન્યાહુનું ઉતાવળાપણું ટ્રમ્પને ન ગમ્યું બીજું કે, શરૂઆતમાં ટ્રમ્પ નેતન્યાહુ સાથે ખભેખભો મિલાવીને ઈરાન સામે યુદ્ધમાં જોતરાયા હતા. પણ બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગમાં તાલમેલ બગડ્યો. અમેરિકા જાણે છે કે ઈરાનના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખતરો આવશે તે ગ્લોબલ ઈકોનોમીને ભારે નુકસાન થશે. સામેની બાજુ નેતન્યાહુ એટલે કે ઈઝરાયલને ઈરાની ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મૂળથી ખતમ કરવું હતું. ટ્રમ્પ ઈરાનમાં સત્તા પરિવર્તન ન કરાવી શક્યા ત્રીજું કે, ઈઝરાયલ અને અમેરિકાને ઈરાનની ટોપ લીડરશીપને ખતમ કર્યા બાદ સત્તા પલટો કરાવવો હતો અને નેતાઓને પોતાના કન્ટ્રોલમાં કરવા હતા. પણ એવું થયું નહીં. શિયા આયાતોલ્લાહની હત્યા કરતા ઈરાની લોકોની ધાર્મિક લાગણી દુઃભાઈ અને લોકો અમેરિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. ટ્રમ્પને એવું હતું કે લોકો વિરોધ કરશે અને સત્તા પલટાવશે પણ એવું થયું નહીં. યુદ્ધમાં જાનહાની અને અમેરિકાનો વધતો ખર્ચો ચોથું કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના 13 સૈનિકો શહીદ થયા છે અને ઘણા ઘાયલ થયા છે. કતારથી ઓમાન સુધીના અમેરિકન બેઝ પર ઈરાને નિશાનાઓ લઈને મિસાઈલ હુમલા કર્યા છે જેના કારણે અમેરિકાને ઘણું નુકસાન થયું છે. અમેરિકા પર હવે દબાણ વધ્યું છે કે યુદ્ધ મોંઘું પડી શકે છે અને યુદ્ધમાં વધુ રૂપિયા નાખી શકે તેવી કન્ડિશનમાં અમેરિકા છે પણ તે ખર્ચશે નહીં. પીસ બ્રોકરની છબી બચાવવાનો મરણિયો પ્રયાસ પાંચમું અને છેલ્લું એ કે, ટ્રમ્પે નોબલ પ્રાઈઝ માટે ઘણા ધમપછાડા કર્યા હતા જો કે મળ્યો ન હતો. તે પોતાની જાતને પીસ બ્રોકર કહેતા રહ્યા પણ નોબલ સમિતિએ મારિયા મચાડોને નોબલ પીસ પ્રાઈઝ આપીને ટ્રમ્પને દુનિયા સામે શરમમાં મૂકી દીધા. પોતાની પીસ બ્રોકરની છબીને બરકરાર રાખવા ટ્રમ્પે એવો માહોલ ઉભો કર્યો કે યુદ્ધ લગભગ પૂરું થયું છે અને અમેરિકા જીતી ગયું છે. જેથી સન્માનજક રીતે અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી શકે. અમેરિકાની ઈરાન સાથે બંધ બારણે ચર્ચા? ટ્રમ્પ ભલે યુદ્ધ રોકવાની વાતો કરે, પણ પડદા પાછળ તેમના ખાસ વિશ્વાસુ સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર ઈરાની નેતા ગાલિબાફ સાથે સિક્રેટ શાંતિ વાટાઘાટો કરી રહ્યા છે. આ વાટાઘાટો માત્ર યુદ્ધ રોકવા માટે નથી, પણ મિડલ ઈસ્ટમાં ફરી અમેરિકાનું ઈકોનોમિક વર્ચસ્વ વધારવા માટે છે. પણ આપણે એ પણ સમજવું પડે કે યુદ્ધ વિશે અમેરિકાના વિપક્ષનું શું કહેવું છે? અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યુશનમાં યુદ્ધ મામલે ભાષણ આપ્યું. તેમણે ટ્રમ્પની ફોરેન પોલિસીને કેઓસ ગણાવી તેમણે કહ્યું કે, હિલેરી ક્લિન્ટને ટ્રમ્પને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું કે, “ટ્રમ્પનું મેનેજમેન્ટ બુદ્ધિશક્તિ કરતાં વ્યક્તિગત લાગણીઓ પર વધુ આધારિત છે, જે અમેરિકાની વિશ્વસનીયતાને નષ્ટ કરી રહ્યું છે.” હવે આપણે એ ભયાનક લોહિયાળ ઈતિહાસને પણ યાદ કરીએ જેમાં વિશ્વના નેતાઓએ ડોલરના ડોમિનન્સને પડકાર્યો અને બદલામાં મોત કે બીજી કોઈ વસ્તું મળી. ડોલરના બદલામાં યુરો અને સદ્દાનો ખાત્મો વર્ષ 2000ના નવેમ્બર મહિનામાં સદ્દામ હુસૈને જાહેરાત કરી હતી કે તે તેલના બદલામાં ડોલર નહીં પણ યુરો લેશે. અમેરિકાએ તેમનો ખાત્મો બોલાવ્યો અને 2003માં આક્રમણ પછી ઈરાકી તેલના વેચાણને ફરી ડોલરમાં ફેરવી. ડોલરે ગદ્દાફીનો કેવી રીતે ભોગ લીધો? વર્ષ 2011માં લિબિયાના શાસક મુઆમ્મર ગદ્દાફીએ પૂરા આફ્રિકા માટે ડોલરની જગ્યાએ તેલ ખરીદવા માટે ગોલ્ડ દિનાર નામનું સોનાનું ચલણ લાવવાની થિયરી આપી હતી. 2011માં નાટોના હસ્તક્ષેપ પછી ગદ્દાફીની હત્યા થઈ અને આ પ્રોજેક્ટ જ લિબિયાની ધરતીમાં દાટી દેવામાં આવ્યો. અડધી રાતે અમેરિકાએ માદુરોને ઉઠાવ્યા વર્ષ 2017થી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ડોલર વગરનો વેપાર અને ક્રિપ્ટોકરન્સીથી ક્રુડ ઓઈલ વેચવાનો પ્રયાસ કરતા હતા. જેના કારણે હમણા જ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને માદુરોને પકડીને અમેરિકા લઈ ગયું. જો કે તેના પહેલા અમેરિકાએ વેનેઝુએલા પર એટલા આકરા પ્રતિબંધો લગાવ્યા હતા કે વેનેઝુએલાનું અર્થતંત્ર જ પાયમાલ થઈ ગયું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જેણે ડોલરને પડકાર્યો છે, તેને અમેરિકાએ ક્યાં તો નકશામાંથી ભૂંસી નાખ્યો છે અથવા તો અર્થતંત્રના પાતાળમાં ધકેલી દીધો છે. હા! તે દેશને બરબાદ કરવાના કે નેતાઓને પતાવી દેવાના કારણ અમેરિકા અલગ-અલગ આપે છે પણ મૂળમાં તો પેટ્રોડોલર વોર થિયરી જ હોય છે. 20 વર્ષ લાંબી ઈરાની ડિ-ડોલરાઈઝેશન નીતિ હવે વારો ઈરાનનો છે. 20 વર્ષની લાંબી મથામણ પછી ઈરાને 2026 પહેલા પોતાની ઈકોનોમીને ડોલરથી અલગ કરી દીધી હતી. 2007માં ઈરાને તેલ વેચવા માટે ડોલર સિવાયની કરન્સીની માગણી શરૂ કરી. 2012માં ઈરાને ડોલરમાં વેપાર કરવાનું જ બંધ કરી દીધું. વર્ષ 2023 સુધીમાં તો ઈરાનનું 80 ટકાથી વધુનું તેલ વેચાણ ડોલર સિવાયની કરન્સીમાં જ થતું હતું. ઈરાન સાથે વેપાર કરવા ચીનનું સિક્રેટ પેમેન્ટ નેટવર્ક અને હવે ઈઝરાયલ-ઈરાન યુદ્ધના સૌથી મહત્વના અને બહુ ઓછા લોકોને ખબર છે તેવા પાસાની વાત કરીએ. ઈરાનનું સૌથી વધુ તેલ એટલે કે લગભગ 90 ટકા જેટલો હિસ્સો ચીન ખરીદે છે. ચીન આ તેલનું પેયમેન્ટ પોતાની કરન્સી યુઆનથી કરે છે. પેયમેન્ટ માટે બેંક ઓફ કુનલુન જેવી રેસ્ટ્રિક્શન વગરની બેંક્સથી થાય છે. અને ચુક્સિન નામનું એક સિક્રેટ ફાયનાન્શિયલ નેટવર્ક ચીન અને ઈરાને ઉભું કર્યું છે. આ જ નેટવર્કથી ચીન ઈરાન પાસેથી દર વર્ષે અબજો ડોલરનું તેલ ખરીદે છે અને એવી રીતે પેમેન્ટ કરે છે કે અમેરિકાને ગંધ પણ ન આવે. કહેવાય છે કે આ ખેલ પાછલ ચીન અને ઈરાનનો 400 અબજ ડોલરનો 25 વર્ષનો કરાર થયો છે. જે જહાજો હોર્મુઝમાંથી નીકળે છે તેને ઈરાન ધમકી આપે છે કે જો યુઆનમાં પેયમેન્ટ કરશો તો જ જવા દઈશું. આ પેટ્રો ડોલરની શબપેટીનો છેલ્લો ખિલ્લો પણ સાબિત થઈ શકે છે. બિટકોઈન અને ઈરાનનો વેપાર ખેલ ભારતની વાત કરીએ તો આપણે ઈરાની તેલ રૂપી-રિયાલ મેકેનિઝમથી કરતા હતા. માત્ર આટલું જ નહીં ઈરાન ઘણીવાર બીજા દેશોને તેલ આપતું હતું અને બદલામાં હથિયારો કે મશીનરી લેતું હતું. વર્ષ 2024 સુધીમાં તો ઈરાન વિશ્વના સાડા ચાર ટકા બિટકોઈન માઈનિંગનું સેન્ટર બની ગયું હતું, જેનો ઉપયોગ તે આયાત માટે કરતું હતું. હોર્મુઝ સ્ટ્રેટઃ ફસાયેલા ભારતીય જહાજોની કહાની હવે વાત આપણા હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજો વિશે કરીએ. માર્ચના શરૂઆતમાં જ્યારે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બ્લોક કર્યો ત્યારે દુનિયા સહિત ભારતમાં પણ તેલ-ગેસની મોટી કટોકટી ઉભી થઈ. ભારતના 37-38 જેટલા તેલ-ગેસ ભરેલા મોટા જહાજો ગલ્ફમાં ફસાઈ ગયા હતા. જો કે પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાતે વાતચીત કરી અને નંદાદેવી અને શિવાલિક જેવા LPG ટેન્કર્સને ઈરાને ભારત આવવા માટે જવા દીધા. આટલું જ નહીં જગ વસંત, જગ લાડકી અને પાઈન ગેસ નામના એલપીજી ટેન્કર પણ 20 માર્ચે પછી હજોરમેટ્રિક ટન ગેસ લઈને હોર્મુઝ ઓળંગ્યા હતા. ઈરાનને યુદ્ધમાં મદદ કરનાર ચીન? પણ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ સામે આવ્યા કે આ જહાજોને ઈરાને ત્યારે જવા દીધા જ્યારે ચૂકવણું યુઆનમાં થયું. આપ જાણો છો કે યુઆન કયા દેશની કરન્સી છે. આ વચ્ચે એવી વાતો સામે આવી કે ઈરાનને યુદ્ધ લડવા માટે છૂપી રીતે ચીન જ મદદ કરી રહ્યું છે. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે યુઆન પેયમેન્ટ મામલે જે અહેવાલો સામે આવ્યા હતા તેને બેઝલેસ ગણાવ્યા હતા અને ફગાવી દીધા હતા. ભારતની નવી એનર્જી પોલિસી આ બધી પરિસ્થિતિમાંથી આપણે એટલે કે ભારતે મોટો બોધપાઠ લીધો છે. ભારત માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પરથી વેપાર કરતું હતું તેણે પોતાનો દાયરો વધાર્યો છે. પહેલા આપણે 27 દેશો પાસેથી તેલ-ગેસ ખરીદતા હતા જે હવે એનર્જી ઈમ્પોર્ટ પોલિસીમાં બદલાવ બાદ 41 દેશો થઈ ગયા છે. આપણે હવે 70% ક્રુડ ઓઈલ એવા દરિયાઈ રસ્તાઓ પરથી મગાવીએ છીએ જે હોર્મુઝ સ્ટ્રેટથી પસાર નથી થતાં. રિપોર્ટ્સ મુજબ ભારત પાસે હાલ 74 દિવસનો તેલનો જથ્થો છે. જે આપણે કટોકટીના સમયે કામ લાગશે. વેપાર અને પેમેન્સ સિસ્ટમનું ગણિત આપણે ડોલરના ડોમિનન્સને બાયપાસ નથી કરતા પણ આપણા દેશને કોઈ સમયે તકલીફ ન આવે તે માટે અલગ-અલગ ચલણમાં તેલ ખરીદીએ છીએ. બ્રિક્સના દેશો એકબીજાના પેમેન્ટ સિસ્ટમને જોડી શકાય તેવી ટ્રાય કરી રહ્યા છે. જેમ કે ભારતની UPI અને ચીનની CIPS પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે જોડવી. RBIએ બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સીને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. ભારત અત્યાર સુધીમાં 22 દેશો સાથે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ નામના એકાઉન્ટ ખોલી ચૂક્યું છે જેથી રૂપિયામાં સીધો વેપાર થઈ શકે. ભારતની મજબૂરીનો ફાયદો ઉઠાવતું ઈરાન આપણા માટે અહીં ટેન્શનવાળા સમાચાર પણ છે. કારણ કે એકબાજુ ડોલર સામે ભારતીય રૂપિયો ગગડીને 93ના ઐતિહાસિક નીચેના સ્તરે પહોંચી ગયો છે તો બીજી બાજુ ઈરાન ભારત પાસે તેલ માટે વધારાના રૂપિયા માગી રહ્યું છે. હોર્મુઝ બંધ હોવાના કારણે ઈરાન રશિયા કરતા પણ મોંઘા ભાવે તેલ ઓફર કરીને ભારતની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે. દુનિયા મલ્ટી કરન્સી મોડલની રાહે? આ બધી વિગતોને ધ્યાને લઈને એક્સપર્ટ્સ માને છે કે દુનિયા અત્યારે મોનેટરી ટ્રાન્ઝિશન યુગમાં જીવી રહી છે. ટૂંકમાં ગમે ત્યારે ડોલરનો પાવર દુનિયામાંથી ઘટી શકે તેમ છે. કારણ કે ગ્લોબલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ડોલરનો હિસ્સો 57 ટકા પર આવી ગયો છે જે છેલ્લા 30 વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2025માં એશિયન દેશોએ એકબીજા સાથે વેપાર કર્યો તેમાં ડોલરનો ઉપયોગ ટાળ્યો છે. જેના કારણે વેપારમાં લોકલ કરન્સીનો હિસ્સો 112 ટકા વધી ગયો છે. આસિયાન દેશોએ પોતાની લોકલ કરન્સીમાં વેપાર કર્યો તેમાં 112 ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. ડોલર હજુ પણ સૌથી શક્તિમાન પણ ડોલરની તાકાતને ઓછું આંકવાની ભૂલ ન કરવી જોઈએ. ડોલર આજે પણ સૌથી શક્તિશાળી કરન્સીમાંની એક છે. ડોલર જેટલી લિક્વિડિટી કે કેપિટલ માર્કેટ કોઈ બીજી કરન્સીની નથી. આ સિવાય અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ હજુ પણ વિશ્વમાં સૌથી વધુ સિક્યોર ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે. અને છેલ્લે… મોટા ઉપાડે ઈઝરાયલની વાતોમાં આવીને ઈરાન સામે યુદ્ધ છેડનાર ટ્રમ્પ પહેલા કહેતા હતા કે થોડા જ સમયમાં યુદ્ધ પૂરું થઈ જશે પણ એવું ન થયું. યુદ્ધ ખેંચાયું અને અમેરિકાના સૈનિકોની જાનહાની વધી તો જગતના ટોણાથી બચવા જગતજમાદારે યુદ્ધની પૂરી જવાબદારી પેન્ટાગોન ચીફ પીટ હેગસેથ પર ઢોળીને હાથ ઉંચા કરી દીધા છે. યુદ્ધ જીતે તો હું જીત્યો અને હારો તો હું નથી હાર્યો તેના જેવું અહીં જોવા મળ્યું છે. કારણ કે ટ્રમ્પ તો શાંતિ દૂત જ છે ને?
બોટાદમાં પુલ તોડાયો, ડાયવર્ઝન નથી:8 દિવસથી બાળકો અને વૃદ્ધ સહિતના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર
બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર નવો પુલ બનાવવા માટે જૂના પુલને તોડી પાડવામાં આવ્યાના 8 દિવસ બાદ પણ તંત્ર દ્વારા ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક માર્ગના અભાવે લોકો હાલ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક પ્રયાસ કરયો હતો પણ નોરિપ્લાય રહ્યો હતો. નગરપાલિકા દ્વારા આશરે 8 દિવસ પૂર્વે આ પુલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈપણ પુલ તોડતા પહેલા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય હોય છે, પરંતુ અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડાયવર્ઝન ન હોવાને કારણે મહાદેવનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને દૈનિક કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોમાં અકસ્માતનો ભયસ્થાનિક રહીશ ગોવિંદ સોલંકીના જણાવ્યા અનુસાર, ડાયવર્ઝન ન હોવાથી લોકો તૂટેલા પુલની બાજુમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? તાત્કાલિક કામગીરીની માંગવારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કાચો માર્ગ કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને તાત્કાલિક અસરથી ડાયવર્ઝન માર્ગ તૈયાર કરે જેથી સુરક્ષિત રીતે અવરજવર થઈ શકે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર આ લોકપ્રશ્નનો નિકાલ ક્યારે લાવે છે.
નાગરિકોની સુરક્ષા અને સેવાના સંકલ્પ સાથે મહેસાણા પોલીસ દ્વારા વધુ એક સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને તેમના નાણાં પરત અપાવવાની મળેલી સૂચનાના આધારે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશને મોટી સફળતા હાંસલ કરી છે. ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોન પરત અપાયામહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ટીમ દ્વારા CEIR PORTAL પર નોંધાયેલી અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને અલગ-અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. 3.16 લાખ રિફન્ડ અપાવી ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને ડામવા માટે NCCRP પોર્ટલ પર મળેલી અરજીઓની સચોટ તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ ટીમે તપાસ કરી છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેંક ખાતામાં રૂપિયા 3,16,725 જેવી માતબર રકમ રિફન્ડ અપાવી હતી. 13.03નો મુદ્દામાલ અને નાણાં અરજદારોને પરત કર્યાપોલીસ દ્વારા માત્ર ટેકનિકલ સાધનો જ નહીં પરંતુ અન્ય કિંમતી ચીજવસ્તુઓ પણ શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવી હતી.જેમાં સાયબર રિફન્ડ 3,16,725 (બેંક ખાતામાં જમા) મોબાઈલ ફોન 10 નંગ (કિંમત રૂ. 1,81,499),સોનાના દાગીના 6 તોલા કિંમત રૂ.7,90,000),સાયકલ 4 નંગ (કિંમત રૂ.15,000) મહેસાણા બી-ડિવિઝન પોલીસે કુલ રૂપિયા 13,03,225 ની કિંમતનો મુદ્દામાલ અને નાણાં અરજદારોને પરત કરી હતી. પોતાની ગુમ થયેલી વસ્તુઓ અને છેતરાયેલા નાણાં પરત મળતા અરજદારોએ મહેસાણા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં સામેલ તમામ કર્મચારીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
વલસાડના રેલવે ગોદામમાં કેબલના જથ્થામાં આગ લાગી છે. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અમે આને અપડેટ કરી રહ્યા છીએ...
બોટાદમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શેલ્ટર હોમ ખાતે યોજાયો હતો. આ કીટ વિતરણ કાર્યક્રમમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ, જાયન્ટ્સ ગ્રુપના કાર્યકરો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ અને બોટાદના આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મળતી કાનૂની સહાય અંગે પણ જાણકારી અપાઈ હતી. જજ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે કાયદાકીય માહિતી પૂરી પાડી હતી. યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમ અંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયાએ માહિતી આપી હતી.
સુરત રિંગ રોડ પર આવેલી જાણીતી રઘુકુલ માર્કેટમાં એક એજન્ટ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે, આ હુમલો કોઈ મોટી અદાવતમાં નહીં, પરંતુ માત્ર 'નાક છીંકવા' જેવી ક્ષુલ્લક બાબતે કરવામાં આવ્યો હતો. માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું કામ કરતા હમાલોએ એજન્ટને ઢોર માર મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા. હાલ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માત્ર નાક સાફ કરવા જેવી નજીવી બાબતે વિવાદ વકર્યોબનાવની વિગત એવી છે કે, દિલીપ કુમાર પાંડે નામના વ્યક્તિ રઘુકુલ માર્કેટમાં એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ ગઇકાલે મથુરાના એક વેપારીનું કામ પતાવીને માર્કેટના દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન દિલીપભાઈને શરદી હોવાથી તેમણે અચાનક નાક છીંક્યું હતું. આ બાબત ત્યાં હાજર પાર્સલ ઉઠાવનારા હમાલોને ગમી નહોતી. તેમણે એજન્ટ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ત્રણથી ચાર શખ્સોએ ભેગા મળી દિલીપભાઈ પર હુમલો કરી દીધો હતો. 'પાર્સલ પેક કરવાની સોય અને કાતર વડે હુમલો કર્યો'ભોગ બનનાર એજન્ટ દિલીપ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હું નીચે ઉતરતો હતો ત્યારે મને છીંક આવતા મેં નાક સાફ કર્યું હતું. આ જોઈને ત્યાં પાર્સલ ભરનારા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મારી સાથે ગેરવર્તણૂક કરી અને મુક્કાબાજી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, પાર્સલ પેક કરવા માટે વપરાતી મોટી સોય અને કાતર જેવા સાધનો વડે પણ મને માર માર્યો હતો. હુમલાખોરોએ એજન્ટને એટલી હદે ફટકાર્યો હતો કે તેમના શરીર પર પહેરેલા કપડાં પણ ફાટી ગયા હતા. આ દ્રશ્યો જોઈ માર્કેટના અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. 'માર્કેટમાં ભારે દાદાગીરી, આખી ગેંગ અને યુનિટી છે'દિલીપભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આ હમાલોની માર્કેટમાં ભારે દાદાગીરી છે. તેમની આખી ગેંગ અને યુનિટી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમની સામે બોલે તો તેઓ ટોળું વળીને તૂટી પડે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજે તેમણે મારી સાથે માત્ર થૂંકવા કે નાક સાફ કરવા જેવી બાબતે મારપીટ કરી છે, જો તેમની સામે કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં તેઓ કોઈ વેપારીને ધોળા દિવસે લૂંટી પણ શકે છે અથવા ગળું પણ કાપી શકે છે. બે-ત્રણ હુમલાખોર રફુચક્કર થઈ ગયાદિલીપભાઈ જ્યારે લોકોને પોતાની આપવીતી જણાવી રહ્યા હતા અને હુમલાખોરો તરફ આંગળી ચીંધી રહ્યા હતા, ત્યારે પોલીસ અને મીડિયાના ડરથી બે-ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. માર્કેટમાં હાજર અન્ય લોકોના જણાવ્યા મુજબ, પાર્સલ ઉઠાવનારા આ શખ્સો અવારનવાર નાની વાતોમાં વેપારીઓ અને એજન્ટો સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે, જેના કારણે વેપાર કરવા આવતા લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે. સલાબતપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોબનાવ અંગે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનનારની પ્રાથમિક પૂછપરછ કરી હતી. પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. એજન્ટ દિલીપ પાંડેએ માંગ કરી છે કે આ હમાલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી માર્કેટમાં અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે આવી ગેરવર્તણૂક ન થાય.
મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવા માટે પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ સભામાં 7 થી 8 ભોગ બનેલા લોકોએ પોતાની આપવીતી વર્ણવી હતી. પોલીસે આ રજૂઆતોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ સભામાં હાજરી આપી હતી, જેમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરનારાઓનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ સામેલ હતા. મોરબી જિલ્લામાં ઠેરઠેર ગેરકાયદેસર વ્યાજના હાટડા ધમધમી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી, બાદમાં તેમની પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે છે. વ્યાજખોરો દ્વારા ધાકધમકી પણ આપવામાં આવતી હોવાથી અનેક પરિવારો ત્રાસનો ભોગ બની રહ્યા છે. એસ.પી. પટેલે ભોગ બનેલા લોકોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જે લોકોને ખરેખર નાણાંની જરૂર હોય તેમને મદદ કરવા માટે જુદી જુદી બેંકના કર્મચારીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ પણ સભામાં હાજર રહ્યા હતા. તેમણે સરળતાથી લોન કે ધિરાણ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીનો પ્રથમ આદેશ:9 પોલીસકર્મીઓને સ્ટ્રાઇકિંગ કોર્સમાં નિમણૂક અપાઈ
રાજ્યમાં તાજેતરમાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર અસારીની ભાવનગર રેન્જ IG તરીકે નિમણૂક થઈ હતી. નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અસારીએ પદભાર સંભાળ્યા બાદ તરત જ પ્રથમ આદેશ જારી કર્યો છે. આ આદેશ અંતર્ગત અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કુલ 9 પોલીસ કર્મચારીઓને સ્ટ્રાઇકિંગ કોર્સ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ નિમણૂક ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવી છે. આ પગલું રેન્જ IG દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી તરત જ લેવામાં આવ્યું છે, જે તેમની કાર્યશૈલીનો સંકેત આપે છે. સ્ટ્રાઇકિંગ કોર્સમાં નિમણૂક પામેલા 9 પોલીસ કર્મચારીઓમાં ભાવનગરના યોગેન્દ્રસિંહ જાડેજા, ઈમ્તિયાઝ ખાન, શક્તિસિંહ ઝાલા, અશ્વિનભાઈ પરમાર, રૂષિરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાંથી ભગીરથ સિંહ વીરસીંગભાઈ લીંબોલા અને જયપાલ સિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલી જિલ્લામાંથી જયપાલ સિંહ ઝાલા અને ભગીરથ ધાધલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીના કાર્યક્ષેત્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ ઔદ્યોગિક એકમો અને વિશાળ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ધરાવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ હેઠળ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી 2 શખ્સોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરીને વડોદરા મધ્યસ્થ જેલ અને સુરતની લાજપૌર મધ્યસ્થ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ મળતી માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ 2 શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે, પ્રોહીબીશનના ગુન્હા આચરતા બે શખ્સની પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્ત તૈયાર થતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે મોકલી આપવામાં આવી હતી. વોરંટની બજવણી કરીને સુરત-વડોદરા જેલમા ધકેલી દીધાજેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત માન્ય રાખી બંને શખ્સો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના બંને બુટલેગરો સામે પાસા વોરંટની બજવણી કરી હતી. જેમાં ભગીરથસિંહ ગજુભા ગોહિલ ઉ.વ.29 રહે. વલ્લભીપુર ને (મધ્યસ્થ જેલ વડોદરા) ખાતે, તેમજ વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ ઉ.વ.31 રહે.પચ્છેગામ તા.વલ્લભીપુરને (લાજપૌર મધ્યસ્થ જેલ સુરત) ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં આજે સવારના સમયે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં નચીકેતા સ્કૂલની બાજુમાં સ્થિત નંદન હિલ્સ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને આ અંગેની જાણ થતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. અને આગને કારણે ધુમાડામાં ફંસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, જીવરાજ પાર્કમાં આવેલા નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. 201 માં રહેતા જ્યાબેન મોહનભાઈ મોનપરાના મકાનમાં સવારના સમયે રસોઈ કામ ચાલુ હતું ત્યારે ચિમનીમાં આગ લાગી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર, રસોઈ દરમિયાન ચિમની સળગતા આગ જોતજોતામાં સંપૂર્ણ મકાનમાં પ્રસરી ગઈ હતી. આગમાં મકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, સોફા, ચિમની તેમજ અન્ય ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગના જયપાલસિંહે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો અને હીટનું પ્રમાણ વધી જતા ઉપરના માળે રહેતા રહીશો પણ ફસાઈ ગયા હતા. અને ધુમાડાનાં કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. જોકે નાનામૌવા ફાયર સ્ટેશનથી આવેલી ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઉપરના ફ્લોર પર ફસાયેલા આશરે 10થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. જોકે સોફાસેટ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલા લોકોની યાદી * દિવાળીબેન ગાંડુભાઈ રાણપરીયા (ઉંમર આશરે 80 વર્ષ) * જ્યાબેન નારાયણભાઈ મરવણ (ઉંમર આશરે 70 વર્ષ)* જ્યાબેન મોહનભાઈ રાણપરીયા * મોહનભાઈ ગાંડુભાઈ રાણપરીયા * નેન્સીબેન મનીષભાઈ ઉંજીયા * પાર્થભાઈ મનીષભાઈ ઉંજીયા (ઉંમર 32 વર્ષ) * કોમલબેન પાર્થભાઈ પાચાણીયા (ઉંમર 32 વર્ષ) * ધ્વિક પાર્થભાઈ પાચાણીયા (ઉંમર 2 વર્ષ - બાળક) * અવનીબેન રવિભાઈ મુનવર * આયુષ રવિભાઈ મુનવર ફાયર વિભાગે આ કામગીરીમાં બે ગાડીઓની મદદથી સતત 30 થી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના સમયે સ્થળ પર મકાન માલિક કાજલબેન સંતપરીયા અને જાણ કરનાર મનીષભાઈ ઉંજીયા હાજર રહ્યા હતા. સાથે-સાથે રાજકોટ તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે. શું છે સમગ્ર મામલો?ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી, આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. વકીલની જજ સામે જ ઉગ્ર રજૂઆતભલે થાય, જે થાય એ કરી લેવાનું...મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...એ વગાડ...સાહેબ તમે કોણ છો...ઓ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબતમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો...એ વગાડ... હું બેઠો છું... વગાડ... વગાડ...
ગાંધીનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન પેથાપુર ખાતે વર્ષો જૂની ગરબાની પરંપરાને આ વર્ષે નવી ઊંચાઈએ લઈ જવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. ચૈત્ર સુદ આઠમના પવિત્ર પર્વે અંબાજી માતાના મંદિરે યોજાતા પરંપરાગત ગરબાના મહોત્સવને વધુ ભવ્ય બનાવવા માટે આવતીકાલે તારીખ 25 માર્ચના રોજ પેથાપુર બસ સ્ટેન્ડ ખાતે એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા લોકગાયક વિજય સુંવાળા સુરતાલની રમઝટ બોલાવી ખેલૈયાઓને ડોલાવશે. LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાથી શ્રી રામની જન્મકથા મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે કાર્યક્રમમાં આધુનિકતાનો સ્પર્શ આપવામાં આવ્યો છે. આ લોકઉત્સવનો પ્રારંભ બાળકો દ્વારા રજૂ કરવામાં આવનારી ઇન્સ્ટ્રુમેન્ટલ ભજન સંધ્યાથી થશે. ત્યારબાદ, LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાના માધ્યમથી ભગવાન શ્રી રામની જન્મકથા રજૂ કરવામાં આવશે. જે શ્રોતાઓ માટે એક નવું આકર્ષણ બની રહેશે. વિજય સુંવાળા ગરબાની રમઝટ બોલાવશેઆ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતના લોકગાયક વિજય સુંવાળા પરંપરાગત ગરબાની પ્રસ્તુતિ કરશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2026 અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પેથાપુરની પ્રાચીન પરંપરાને આધુનિક ઓપ આપશે. સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યોત્યારે ચૈત્ર સુદ આઠમના ગરબા બાદ બીજા દિવસે રામનવમી નિમિત્તે પેથાપુરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. આ બંને પર્વોને ધ્યાનમાં રાખીને સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો છે. વિજય સુંવાળાની લોકપ્રિયતાને જોતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. આથી મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા, બેઠક અને પાર્કિંગ વ્યવસ્થા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લોકોને ઉમટી પડવા માટે કોર્પોરેશનનું આમંત્રણમહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય લોકઉત્સવમાં ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને ઉમટી પડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ પેથાપુરની ભવ્ય વિરાસતને ઉજવવાનો એક અવસર બની રહેશે.
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક સિદ્ધિ:13 ગામોને ગોલ્ડ મેડલ; કલેક્ટર અને આરોગ્ય ટીમની મહેનત
વિશ્વ ક્ષય દિવસ-2026 ના અવસરે મહેસાણા જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 146 પંચાયતોને સઘન તપાસ અને વેરિફિકેશન બાદ સત્તાવાર રીતે 'ટીબી મુક્ત' જાહેર કરવામાં આવી છે. આ સફળતા પાછળ ગ્રામ્ય સ્તરે થયેલી સક્રિય કેસ શોધ અને સમયસર નિદાનની કામગીરી મુખ્ય કારણ રહી છે. ગોલ્ડ અને સિલ્વર મેડલનો ઝળહળાટગામડાઓની કામગીરી અને ગુણવત્તાના આધારે આ પંચાયતોને ત્રણ વિશેષ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે: ગોલ્ડ (સુવર્ણ): 13 ગ્રામ પંચાયતો સિલ્વર (રજત): 40 ગ્રામ પંચાયતો બ્રોન્ઝ (કાંસ્ય): 93 ગ્રામ પંચાયતો તાલુકાવાર આંકડા જોઈએ તો મહેસાણા તાલુકાની સૌથી વધુ 32 પંચાયતોએ વેરિફિકેશનમાં સફળતા મેળવી બાજી મારી છે. ટીમવર્ક અને જનજાગૃતિનો વિજયઆ અભિયાન કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળી અને જિલ્લા ક્ષય અધિકારીની ટીમે આશા કાર્યકરો, નિક્ષય મિત્રો અને ટીબી ચેમ્પિયન્સ સાથે મળીને જનજાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું. દર્દીઓને મફત નિદાન અને પોષણ સહાય પૂરી પાડીને જિલ્લાને રોગમુક્ત કરવાની દિશામાં મહત્વનું કામ થયું છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટીબીના લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવી મહેસાણાને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવામાં સહયોગ આપે.
વેરાવળના ભીડીયા વિસ્તારમાં હાલ ભક્તિ અને સામૂહિક એકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત 'રામદેવજી ભક્તિ માનસ પારાયણ જ્ઞાનયજ્ઞ' શ્રદ્ધાપૂર્વક ચાલી રહ્યો છે. 20 માર્ચથી શરૂ થયેલ આ ધાર્મિક કાર્યક્રમ 26 માર્ચ સુધી ભીડીયા પ્લોટ સ્થિત રામદેવજી મંદિરના વિશાળ પટાંગણમાં યોજાશે. વિજય ઉપાધ્યાયની વાણીમાં કથામૃતજૂનાગઢના વિખ્યાત કથાકાર વિજય ઉપાધ્યાય વ્યાસપીઠ પરથી રામદેવજીના જીવન પ્રસંગોનું ભાવભીનું વર્ણન કરી રહ્યા છે. રામદેવજીના જન્મ, વિવાહ અને સમાધિ સુધીના પ્રસંગોનું રસપાન કરી શ્રોતાઓ ભક્તિમાં તલ્લીન બન્યા છે. કથાના દરેક પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જા જોવા મળી રહી છે. ભવ્ય વરઘોડો અને લગ્નોત્સવમંગળવારના રોજ રામદેવજીના વિવાહ પ્રસંગે સમગ્ર ભીડીયા વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો. ભીડીયા રામેશ્વર મંદિરેથી રામદેવજીનો ભવ્ય વરઘોડો ઢોલ-શરણાઈના નાદ સાથે નીકળ્યો હતો. અશ્વ પર સવાર રામદેવજીના જીવંત સ્વરૂપે ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વરઘોડામાં ખારવા સમાજના લોકો સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કન્યાદાનનો લ્હાવોવરઘોડો કથા સ્થળે પહોંચતા જ શાસ્ત્રોક્ત વિધિ સાથે રામદેવજીના પ્રતીક વિવાહ સંપન્ન થયા હતા. આ અવસરે ભીડિયા સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ રમેશ રામજી ડાલકીએ સજોડે કન્યાદાન કરી ધાર્મિક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજન અને લોકસંપર્કકાર્યક્રમનું સફળ સંચાલન ભીડિયા સમસ્ત ખારવા સમાજના પ્રમુખ રતિલાલ સાકર ગોહેલ અને હોડી એસોસિયેશનના પ્રમુખ ચુની લાલજી ડાલકીના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપસ્થિતિ: ભીડીયા બંદર, વેરાવળ, માઢવાડ, સુત્રાપાડા અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ખારવા અને કોળી સમાજના લોકો ઉમટી પડ્યા છે. સંદેશ: ખારવા સમાજ દર વર્ષે આવા આયોજનો દ્વારા સામાજિક સમરસતા અને સંસ્કારોનું સિંચન કરે છે.
ઉમરકોટમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:જાગૃતિ રેલી યોજાઈ, અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉમરકોટ ખાતે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા અધિકારી ડો. સંજય સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડો. મહેશ કાપડિયા, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ ચંદેલ અને ડો. રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોચ્ચાર અને માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ રેલી સબ સેન્ટરથી શરૂ થઈને જાહેર માર્ગો પરથી પસાર થઈ પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી. આ રેલીમાં શાળાના બાળકો, ગામના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમરકોટના પ્રણામી દુર્ગેશભાઈ (MPHS), કુવેર શર્મા (CHO) અને અલકેશભાઈ (MPHW) દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી નકલી નોટો સાથે યોગ ગુરુ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતાં. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને તપાસ કરતા અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં. પ્રદીપ 50 ટકા નફો લઈને અન્ય આરોપીને બાકી સરખે ભાગે વેચી દેતોક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ ગુરુ પ્રદીપ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે અનેક મોટા ખુલાસા થયા હતાં. પ્રદીપે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી નોટો છાપવાની કાવતરું 6 મહિના અગાઉ ઘડ્યું હતું. પોતાના આર્થિક ફાયદા માટે પ્રદીપે અશોક માવાણી નામના આરોપીના ઘરે તમામને સાથે રાખીને મિટિંગ કરી હતી. પ્રદીપે નકલી નોટો છાપીને જે નફો થાય તેમાં 50 ટકા નફો લેવાનું નક્કી કર્યું હતું જ્યારે બાકીનો 50 ટકા નફો અન્ય આરોપીને સરખે ભાગે વેચી દેવાનો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી નોટો આપતાં આરોપીઓએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે એક લાખની અસલી નોટો સામે ત્રણ લાખની નકલી નોટો આપવાની હતી. જેથી 33% નફો થાય. આરોપીઓ પાસેથી 2.48 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. જોકે આરોપીઓએ 10 થી 12 લાખ રૂપિયાની નકલી નોટો વેચી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હાલ પ્રદીપ ગુરુના મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે ટ્રસ્ટનું એકાઉન્ટ ચાર વર્ષથી એક્ટિવ નથી. પ્રદીપ ગુરુ દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હતો અને તેનો ઉપયોગ પણ પર્સનલ કામ માટે કરતો હતો. આયુષ મંત્રાલય લખાવ્યું તેની પણ કલમ ઉમેરાશેહાલ પ્રદીપ ગુરુની મિલકત ત્યાં અને કેટલી છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે. પ્રદીપે ગાડીમાં આયુષ મંત્રાલય લખાવ્યું હતું તેની કલમ પણ ઉમેરવામાં આવશે. આ પણ વાંચો સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક' અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. આ પણ વાંચો : 'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરૂ તો ગજબનો નીકળ્યો, આશ્રમમાં ઓપરેશન થિયેટર! આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ સાથે ખૂલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ 'ભોગગુરુ' સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ પણ વાંચો: નકલી ‘યોગગુરુ’ પ્રદીપના કારનામા ખુલ્યાં માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં યુટ્યુબના સહારે ડોક્ટર બની બેઠેલા આ ઠગ વિરુદ્ધ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કડક તપાસના આદેશ આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી યોગ ગુરૂ પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની મુશ્લેકીમાં હવે મોટો વધારો થયો છે. અત્યાર સુધી માત્ર પોલીસ તપાસનો સામનો કરી રહેલા આ ઢોંગી બાબા સામે હવે સુરતના આયુર્વેદિક ડોક્ટરો લાલઘૂમ થયા છે. યોગ શીખવવાની આડમાં કોઇપણ મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદિક પ્રેક્ટિસ કરી લોકોના સ્થાસ્થ્ય સાથે ચેડાં કરનાર પ્રદીપ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી વિસ્તારમાં બે યુવક વચ્ચે કાતર મારવા બાબતે અને બાઈક સાઈડમાં લેવાના મામલે બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બની બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. બન્ને પક્ષે લાકડી અને ધોકા વડે મારામારી સર્જાયા બાદ મામલો પોલીસ મથક પહોંચતા બોરતળાવ પોલીસ મથકમાં સામ સામે ગુના નોંધાયા હતા. યુવકને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા દિપક કાળુભાઈ બોરીયાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો ભત્રીજો મીત તેઓની શેરીમાં દુધ લેવા જતો હતો, ત્યારે પ્રદિપ અને પરેશે તેના ભત્રીજાને તું સામુ કેમ જોવે છે અને કાતર કેમ મારે છે તેમ કહી લાફા મારી દેતા તેઓ અને તેના દીકરા સમજાવવા માટે જતા બુધા રબારી અને પ્રવિણ રબારીએ તેને તેમજ તેના દીકરાને સરલ, ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી તેઓની જ્ઞાતી વિશે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને લઈ પોલીસે પ્રદિપ બાબુભાઈ રબારી, પરેશ ઉર્ફે નનો રબારી, બાબુ રબારી, પ્રવીણ રબારી તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS 118(1), 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 અને અનુસુચિત જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ અધિનિયમ તળે ગુનો દાખલ કર્યો હતો. લાકડી-ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીજ્યારે સામા પક્ષે ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પોલા બુધાભાઈ સાંબડે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ દુધ દેવા જતા હતા, ત્યારે ધ્રુવ દિપકભાઈએ તેઓને બાઈક સાઈડમાં લેવાનું કહી તેની સાથે બોલાચાલી અને ઝધડો કરી ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામે વારાફરતી આવી લાકડી અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ વાગવા માંડ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સત્તાવાર રીતે તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી, તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા માટે મૂરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ 460 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની મહત્વની જિલ્લા પંચાયત સીટો માટે જ્યારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, ત્યારે આ તમામ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ તમામ ઉમેદવારોએ એકત્રિત થઈને ભક્તિભાવ સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાનું નક્કી કર્યું હતું. આ પરંપરાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ જાહેર થયેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના પદાધિકારીઓ સાથે ખોરાસા ગામે આવેલા પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના મંદિરે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. અહીં પવિત્ર વાતાવરણમાં ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવીને તેઓએ પોતાની ચૂંટણીલક્ષી ગતિવિધિઓનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ઉમેદવારોએ ભગવાન પાસે આવનારા પાંચ વર્ષ દરમિયાન જનતાની સેવા કરવાની શક્તિ અને વિજય માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન કણઝા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પ્રવીણભાઈ વી. ચાવડાના પુત્રએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પક્ષના શીર્ષ નેતૃત્વએ તેમના પિતા પ્રવીણભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ આભારી છે. આ સાથે જ 14-કોયલાણા જિલ્લા પંચાયત બેઠક પરથી હંસાબેન જીવાભાઈ મારડીયાની પણ પસંદગી કરવામાં આવી છે. તેઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી વિજય મેળવશે અને આવનારા પાંચ વર્ષ સુધી જનતાના કામોને પ્રાથમિકતા આપીને વિસ્તારનો સર્વાંગી વિકાસ કરશે. તેમણે પક્ષના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભ્રષ્ટાચારી શાસનમાં પ્રશ્નોની કોઈ અછત નથી, ઉલટાનું ક્યાં પ્રશ્ન નથી તે શોધવું મુશ્કેલ છે. ગામડાઓમાં રોડ-રસ્તાની ખરાબ હાલત, પીવાના પાણીની સમસ્યા અને પાયાની સુવિધાઓના અભાવ જેવા અનેક પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે. આમ આદમી પાર્ટી આ તમામ લોકપ્રશ્નોને વાચા આપશે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની નેમ સાથે જનતાની વચ્ચે જશે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. બીજી તરફ, સાસણ બેઠકના ઉમેદવાર રાજેશભાઈ ઘૂસાભાઈ મકવાણાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને મળેલી આ તક બદલ તેઓ અત્યંત ગર્વ અનુભવે છે. તેઓએ પણ ખોરાસા બાલાજીના ચરણોમાં વંદન કરી ચૂંટણી જંગમાં કૂદી પડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજેશભાઈએ ઉમેર્યું હતું કે તેઓ આવતીકાલથી જ સઘન જનસંપર્ક અને પ્રચારની શરૂઆત કરી દેશે. તેઓ છેવાડાના માનવી સુધી પહોંચશે અને જનતાની જે પણ સમસ્યાઓ હશે તેનો નિકાલ કરવા માટે પૂરા પ્રયત્નો કરશે. આમ, જૂનાગઢમાં હવે રાજકીય માહોલ જામ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આશીર્વાદ અને આત્મવિશ્વાસ સાથે પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે, જેના કારણે આગામી દિવસોમાં અહીંનો રાજકીય જંગ અત્યંત રસપ્રદ બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે.
સુરતના લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં એક શખસે જાહેરમાં મહિલા અને તેની પુત્રીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા શખસે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ તોડફોડ કરી આતંક મચાવ્યાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. લાકડાના ફટકા વડે મોપેડમાં તોડફડો કરીસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીનો આતંક સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં દેખાય છે કે આરોપી હાથમાં લાકડાનો મોટો ફટકો લઈને આવે છે. તે આવતાની સાથે જ સૌથી પહેલા ઘરની બહાર પડેલી મોપેડ પર જોરથી વાર કરે છે. ત્યારબાદ તે મોપેડને જમીન પર પટકી દે છે અને તેના પર લાકડાના ફટકા મારી ભારે નુકસાન પહોંચાડે છે. ‘તુ મેરે બીચ મેં મત આ...’ કહી મહિલાને ધમકાવીલિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના પતરાની ચાલમાં રહેતા 43 વર્ષીય શેહનાઝ અંસારીના ઘરે બની હતી. આરોપી રીતીક સંતોષ પીપળીએ ફરિયાદી અને તેની પુત્રી અરબીનાને ગંદી ગાળો આપી હતી. આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે, તુ મેરે ઔર સહનાઝ કે બીચ મેં મત આ, નહિ તો તુઝે જાનસે માર દુંગા. આ ધમકીને પગલે પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મધરાત્રે આતંક મચાવી 5 હજારનું નુકસાન કર્યુંઆ ઘટના 22 માર્ચની રાત્રે 9 વાગ્યાથી 23 માર્ચની વહેલી સવારના 5 વાગ્યા દરમિયાન બની હતી. રીતીક પીપળીએ માત્ર ધમકી જ ન આપી, પરંતુ આવેશમાં આવીને ફરિયાદીના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, મોપેડ અને કેમેરા મળીને કુલ રૂપિયા 5,000 જેટલું મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભયના માહોલ વચ્ચે લિંબાયત પોલીસમાં ફરિયાદજાહેરમાં બનેલી આ ઘટનાને પગલે મીઠીખાડી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાએ હિંમત દાખવીને લિંબાયત પોલીસ મથકે રીતીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય નાગરિકો શાંતિથી રહી શકે. આરોપીની શોધખોળ માટે પોલીસના ચક્રો ગતિમાનઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને ફરિયાદીના નિવેદનને આધારે આરોપી રીતીક સંતોષ પીપળીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આરોપીના રહેણાંક વિસ્તાર અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવશેઆ વિવાદ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવત હોવાનું લાગી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ બાદ જ સત્ય હકીકત સામે આવશે કે તેણે શા માટે મહિલાને ધમકી આપી અને તોડફોડ કરી. હાલમાં પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સાંજે 5:41 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં માત્ર 7 કિલોમીટર દૂર મવડી અને વાવડી વચ્ચે જમીનમાં 15 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકો પ્રમાણમાં હળવો હોવાથી શહેરના અમુક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હતી, જ્યારે અન્ય ઘણા લોકોને આ અંગે કોઈ જાણ પણ થઈ ન હતી. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે કુતૂહલ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઉર્જા કટોકટી અને બદલાતી પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને નેટવર્કનું વિસ્તૃતીકરણ ઝડપથી પૂર્ણ કરવા માટે આગામી 4 અઠવાડિયા સુધી ગુજરાત ગેસ કંપની અને અન્ય સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સંસ્થાઓને વિશેષ છૂટછાટો જાહેર કરવામાં આવી છે. રાત્રિના સમયે ગેસ લાઈન નાખવાની કામગીરી કરી શકાશેરાજ્ય સરકારના દિશાનિર્દેશો મુજબ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે શહેરમાં રાત્રિના સમયે પણ ગેસ લાઈન નાખવાની કામગીરી કરી શકાશે, જેનાથી સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને ગેસ કનેક્શનની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થશે. રાત્રિના સમયગાળામાં પણ ખોદાણ કરવાની મંજૂરીવર્તમાન આદેશ મુજબ, આગામી ચાર અઠવાડિયા સુધી ગુજરાત ગેસ કંપનીને ખાસ કિસ્સામાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ ખોદાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને એચ.ડી.ડી. પદ્ધતિનો ઉપયોગ કરીને લાઈન નાખવાની વિશેષ છૂટ આપવામાં આવી છે. આ પદ્ધતિથી રસ્તાઓ પર મોટા પાયે તોડફોડ કરવાની જરૂર રહેતી નથી, પરિણામે જાહેર મિલકતોને નુકસાન ઓછું થાય છે. અરજી કર્યાના 24 કલાકમાં મંજૂરી આપવાની ફરજિયાત જોગવાઈસુરત મહાનગરપાલિકાએ વહીવટી કામગીરીમાં વેગ લાવવા માટે એક સીમાચિહ્નરૂપ જોગવાઈ કરી છે. હવેથી કોઈ પણ નવી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પરવાનગી માટે અરજી કર્યાના માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી લાલિયાવાડી અને વહીવટી વિલંબનો અંત આવશે. રોડ રિસ્ટોરેશન ચાર્જ અને પરમિશન ચાર્જમાં મોટી રાહતમળતી માહિતી મુજબ, 1 માર્ચ 2026થી આજદિન સુધીમાં વિવિધ ઝોનમાંથી કુલ 24 જેટલી અરજીઓ મળી હતી, જે તમામનો નિકાલ ત્વરિત ધોરણે કરી દેવામાં આવ્યો છે. આ બાબત પાલિકાની કામગીરીની સક્રિયતા દર્શાવે છે. ગેસ નેટવર્કના ઝડપી અમલીકરણ માટે પાલિકાએ આર્થિક રીતે પણ કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડતા રોડ રિસ્ટોરેશન ચાર્જ અને પરમિશન ચાર્જમાં મોટી રાહત આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાલિકાની તિજોરી પર ભારણ ઘટશે અને કામ ઝડપથી થશેજોકે, આ રાહતની સાથે એક શરત પણ મૂકવામાં આવી છે કે, ગેસ વિતરણ સંસ્થાઓએ જરૂરી અંડરટેકિંગ (બાહેંધરી) આપવાની રહેશે કે તેઓ જાહેર સંપત્તિનું પુનઃસ્થાપન પોતાના ખર્ચે અને નિયત ગુણવત્તા સાથે કરશે. આનાથી પાલિકાની તિજોરી પર ભારણ ઘટશે અને કામ ઝડપથી થશે. કંપનીએ તમામ પ્રકારના સેફટી મેઝર્સ લેવાના રહેશેરાત્રિ દરમિયાન કામગીરી અને 24 કલાકના વર્કિંગ અવર્સની છૂટ આપવામાં આવી હોવાથી સલામતીનો પ્રશ્ન અત્યંત મહત્વનો બની જાય છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે કામગીરી દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ તમામ પ્રકારના સેફટી મેઝર્સ લેવાના રહેશે. જેમાં કામગીરીના સ્થળે પૂરતી લાઇટિંગ વ્યવસ્થા બેરિકેડિંગ અને રેડિયમ સાઈનબોર્ડ્સ લગાવવા ટ્રાફિકના નિયમન માટે વોચમેન કે માર્ગદર્શકોની નિમણૂક કરવી અનેઈ મરજન્સી પ્રતિસાદ ટીમની હાજર રાખવાની રહેશે. લાઈન નાખતી વખતે અન્ય અંડરગ્રાઉન્ડ સેવાઓને નુકસાન ન પહોંચેસમગ્ર પ્રોજેક્ટના મોનિટરિંગ માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એક વિશેષ વહીવટી સંકલન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા ગેસ કંપનીઓ અને પાલિકાના વિવિધ વિભાગો જેમ કે ડ્રેનેજ, વોટર સપ્લાય અને ઇલેક્ટ્રિકલ વિભાગ વચ્ચે સંકલન સાધવામાં આવશે, જેથી લાઈન નાખતી વખતે અન્ય અંડરગ્રાઉન્ડ સેવાઓને નુકસાન ન પહોંચે.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. આજે પક્ષકારોની સહમતિથી સુનાવણી 7 એપ્રિલના બપોરે નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી સિંગલ જજે કરેલ વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતોવડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. BCAની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશેજો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારવામાં આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી મૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતોજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીંબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથીગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દૃષ્ટિએ નોંધ્યું હતું કે, BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે.
કોડીનાર રેલવે સ્ટેશન પાસે ચાલુ કારમાં લાગી આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, બે લોકોનો આબાદ બચાવ
કોડીનાર શહેરમાં આજે બપોરના સમયે રેલવે સ્ટેશન સામેના વ્યસ્ત માર્ગ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. શ્રદ્ધા માર્બલ નજીક બનેલી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર રસ્તા પર જઈ રહી હતી ત્યારે તેમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ કોડીનાર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બંને વ્યક્તિઓ સમયસર બહાર નીકળી ગયા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જોકે, આગને કારણે કારને વ્યાપક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના વાહનોમાં નિયમિત ચકાસણી અને સુરક્ષા સાવચેતીના મહત્વ પર ભાર મૂકે છે.
વડોદરા શહેરના ધનિયાવી રોડ પર આવેલાં ડીજેના 2 ગોડાઉન પર જઈને યુવકે સામાન જોયા બાદ ક્વોટેશન કઢાવીને પોતાનું ડીજે લેવાના નામે સાગરીત સામે મળીને જુદા-જુદા સામાનની 4.81 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાંઈનાથનગરમાં દિલીપ વસાવા ધનિયાવી રોડ પર માતાજી ફાર્મમાં એક ગોડાઉનમાં ત્રિનેત્ર સાઉન્ડ નામે ડીજે બનાવવાનું કામ કરે છે. 4 ફેબ્રુઆરીએ રાત્રે તેમના ભાઈ અતુલભાઈ ગોડાઉનને લોક કરીને રાત્રે 10 વાગે ઘરે ગયા હતા. બીજા દિવસે અતુલભાઈએ ગોડાઉનમાં પહોંચી ડીજેનો સામાન ટેસ્ટિંગ માટે બહાર કાઢતા હતા ત્યારે 2 એમ્પ્લિફાયર, મીડનાં 12 સ્પીકર સહિત કુલ 3.42 લાખનો સામાન મળ્યો નહોતો. તસ્કરોએ ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જયવંતસિંહ સોલંકી પાર્ટનરશિપમાં ધનિયાવી રોડના બ્લીસ ફાર્મ પાસે એક ગોડાઉનમાં વી.સી. ઓડિયોના નામે ડીજે બનાવે છે. 16 માર્ચે તેમના પાર્ટનર વસીમભાઈ ગોડાઉનને લોક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે ગોડાઉન ખોલી જોતાં એમ્પ્લિફાયર, સાઉન્ડ લિમિટર, ખંજરી, ઈલેક્ટ્રિક વાયર સહિત રૂા.1.39 લાખના સામાનની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને ડીજેના ગોડાઉમાંથી તસ્કરો રૂા.4.81 લાખની મતાની ચોરી કરી ગયા હતા. કપુરાઈ પોલીસે બંને મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. આરોપી અક્ષય પોતાનું ડીજે શરૂ કરવું હતું. તે અગાઉ ડીજે ક્ષેત્રે નોકરી પણ કરતો હતો. જેથી તે ડીજે ખરીદવા માટે અલગ-અલગ ગોડાઉને ફર્યો હતો અને ક્વોટેશન કઢાવ્યાં હતાં. ત્યારબાદ સામાન જોઈને ચોરી કરવાનું આયોજન કર્યું હતું. યુવકે ચોરી માટે મામાના દીકરા દેવાંગની પણ મદદ લીધી હતી. વિવિધ સામાનની ચોરી કરીને તેણે ધીમે-ધીમે આખી સિસ્ટમ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. એક મહિનામાં એક ગોડાઉનમાં ચોરી કરી બીજા મહિને અન્ય ગોડાઉનમાં ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એન. બારૈયાની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે કપુરાઈ ચોકડી નજીક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી હતી. કારની તપાસ દરમિયાન તેમાં બેઠેલા અક્ષય ગોપાલભાઈ રાઠવા અને દેવાંગકુમાર ગોપાલભાઈ રાઠવા (રહે. નિશાળ ફળીયા, ચાચક ગામ, તા. બોડેલી, જી. છોટા ઉદેપુર) પાસેથી કારની પાછળની સીટ પરથી જુદી જુદી કંપનીના એમ્પ્લિફાયર, ખંજરી અને સાઉન્ડ લિમિટર મળી આવ્યા હતા. માલ સંબંધિત બિલ-પેપર્સ અંગે પૂછપરછ કરતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપી અક્ષય રાઠવાએ કબૂલાત કરી હતી કે, અંદાજે દોઢ મહિના પહેલા ધનિયાવી રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી ડી.જે. સિસ્ટમના સામાનની ચોરી કરી હતી તેમજ સાત દિવસ પહેલા ધનિયાવી રોડ પર આવેલ ‘વી.સી. ઓડિયો’ નામના ગોડાઉનમાંથી પણ ડી.જે. સિસ્ટમની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ ડી.જે. સિસ્ટમનો માલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મારૂતિ બ્રેઝા કાર સહિત કુલ રૂ. 10,11,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 9 એમ્પ્લિફાયર, 8 ખંજરી, 1 સાઉન્ડ લિમિટર (રૂ. અને એક કારનો સમાવેશ થાય છે. આરોપી અક્ષય ગોપાલભાઈ રાઠવા સામે અગાઉ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, કરાલી અને છોટાઉદેપુર પોલીસ મથકોમાં પ્રોહીબિશના 3 ગુના નોંધાયેલા છે.
છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાવાના કારણે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના વિસ્તારમાં બેનરો લગાવ્યા છે આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયામાં પણ મેસેજ ફરતો કર્યો છે કે જો અફવા ફેલાવે છે તેઓથી સાવધાન રહો. લોકોને અફવાથી દૂર રહેવા અપીલમાંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ લગાવડાવ્યા છે, જેમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે કે અફવા ફેલાને વાલેહી અડાજકતા ફેલાતે હૈ. છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ મોડી રાત સુધી લાંબી કતાર લગાવી હતી. જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ ખૂટી ગયો હતો, ત્યારે આવી અફવાઓથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. અફવાથી વડોદરામાં હજુ પણ કેટલાક પંપ ઉપર લાઇનોવડોદરા શહેરમાં આજે સવારથી કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી જોકે વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે જેથી પેનિક કરવાની કોઈ જરૂર નથી. તેમ છતાં લોકોએ પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી દીધી હતી. સોશિયલ મીડિયામાં પણ સંદેશ અપાયોધારાસભ્ય યોગેશ પટેલે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ આ પોસ્ટ ફરતી કરી હતી તેઓએ લોકોને સંદેશ આપવાની કોશિશ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો દેશમાં પૂરતા પ્રમાણમાં છે ત્યારે હાલમાં કોઈએ અફવાથી પ્રેરાવાની જરૂર નથી.
ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દાહોદ હાઈવે પર પ્રભા રોડ નજીક સ્થિત આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ગોધરાના વ્યસ્ત ગણાતા દાહોદ હાઈવે વિસ્તારમાં આવેલું આ બે માળનું બિલ્ડિંગ છે. આ કોમ્પ્લેક્સમાં યુકો બેન્ક અને શ્રીરામ ફાયનાન્સ જેવી પ્રતિષ્ઠિત ખાનગી કચેરીઓ કાર્યરત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ તરફ ઈશારો કરી રહ્યું છે.
જામનગર નજીક યુવાનો પર ફાયરિંગ અને હુમલાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી દેશી બનાવટના હથિયારો, જીવતા કાર્ટીસ, લોખંડના પાઇપ અને મોટરકાર સહિત કુલ રૂ. 18.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો જૂની અદાવતનો ખાર રાખીને કરવામાં આવ્યો હતો. નવ જેટલા શખ્સોએ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર યુવાનો પોતાની થાર કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કારને ઠોકર મારી રોડ પરથી નીચે ઉતારી દીધી હતી. કાર રોડ પરથી ઉતરી ગયા બાદ આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે યુવાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બનાવને પગલે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સુપરવિઝન હેઠળ LCB, SOG અને સિક્કા પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી. જિલ્લાભરમાં નાકાબંધી કરીને ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી છ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહસીન ઉર્ફે મુસો મહેબુબ રૂમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેઝ રફીક હાલાણી, નુરમામદ ખલીલ સીદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોઝખાન શેખ અને વિજય ઉર્ફે ગોનો ઘેલા સીંગરખીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા બે દેશી બનાવટના કટ્ટા (તમંચા), ત્રણ જીવતા કાર્ટીસ, ચાર લોખંડના પાઈપ, એક લોખંડનો કોઈતો, છરી અને હથોડી જપ્ત કર્યા છે. આ ઉપરાંત, રૂ. 15 લાખની કિંમતની થાર મોટરકાર (GJ-10-EC-0786) અને રૂ. 3 લાખની અન્ય એક મોટરકાર સહિત કુલ રૂ. 18,10,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી સહિત અન્ય છ આરોપીઓ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગરમાં 'અજરામર એક્ટિવ અસોર્ટ (AAA)' ગ્રુપ દ્વારા ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને 'ઠંડા પાણીની પરબ' સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા 121 દિવસ સુધી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સેવા દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિસ્તારો અને રાહદારીઓને ઠંડું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરરોજ અંદાજે 90 થી 100 ઠંડા પાણીના જગ દ્વારા હજારો લોકોને તરસથી રાહત આપવામાં આવી રહી છે. સંસ્થા 'જળ સેવા એજ પ્રભુ સેવા' અને 'Give a little help a lot' ના સૂત્ર સાથે કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા માનવતાના કાર્યરૂપે આશરે 1500 લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. જીવદયા અંતર્ગત લગભગ 300 કુંડા (પક્ષીઓ માટે પાણીના પાત્રો)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સેવાભાવી કાર્યકરોનો સંસ્થાના હોદ્દેદારો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારની નિઃસ્વાર્થ કામગીરીથી સુરેન્દ્રનગરમાં માનવતાની સુવાસ ફેલાઈ રહી છે.
બોપલમાં મયૂર ડાયકેમના વેપારીના ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા ત્યારે દરોડા દરમિયાન ઘરમાંથી દારૂની બોટલ મળી આવી હતી જે મામલે પોલીસ જાણ કરતા બોપલ પોલીસે વેપારી સુજલ પટેલના સામે ગુનો નોધી 1.13 લાખના દારૂ સાથે ધરપકડ કરી હતી. 33 દારૂની બોટલ સાથે સુજલ પટેલની ધરપકડ અમદાવાદના મયૂર ડાયકેમ કેમિકલના વેપારી મયુર પટેલ અને સુજલ પટેલના ઇન્કમટેક્ષની રેડ પડી હતી. આ રેડ દરમિયાન સાઉથ બોપલના વસંત બહારના બંગલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. રેડ દરમિયાન ઇન્કમટેક્સના અધિકારીએ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે સ્થળ પર પહોંચીને મોંઘીદાટ 33 દારૂની બોટલો કબજે કરી છે જેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. બોપલ પોલીસે ગુનો નોધી સુજલ પટેલની ધરપકડ કરી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને માનવીય સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. 27 ડિસેમ્બર 2020 થી શરૂ થયેલા આ સેવા યજ્ઞએ માત્ર 5 વર્ષ અને 87 દિવસના ટૂંકા ગાળામાં 1000 અંગો અને પેશીઓના દાનનો આંકડો પાર કરીને દેશભરમાં એક નવી રાહ ચીંધી છે. 1000મો આંકડો અને રમેશભાઈનું અમર દાનઆ ઐતિહાસિક સિદ્ધિ સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાનથી પ્રાપ્ત થઈ છે. અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયેલા રમેશભાઈના પત્ની નાથીબેન અને પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ મક્કમતા દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા મળેલા 1 લીવર, 2 કિડની અને 2 આંખોએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનની નવી આશા જન્માવી છે. જીવનથી જીવન સુધીની પવિત્ર સફરતબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ સફળતા પાછળ ટીમવર્ક અને પારદર્શકતા રહેલી છે. અત્યાર સુધીમાં કુલ 1000 દાનમાં 767 અંગો અને 233 પેશીઓનો સમાવેશ થાય છે, જેનાથી 745 થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ NOTTO અને ROTTO દ્વારા તેને બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર સહિતના અનેક રાષ્ટ્રીય એવોર્ડ્સથી નવાજવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા પરિવારો અને તબીબોનું સન્માન કરવામાં આવ્યું છે. આંકડાકીય વિગત અને વિશેષ રેકોર્ડછેલ્લા પાંચ વર્ષમાં 232 બ્રેઇન ડેડ અને 86 મૃતદાતાઓએ આ સેવામાં યોગદાન આપ્યું છે. મળેલા અંગોમાં 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડાનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, સિવિલ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ હાથનું અને પ્રથમ નાના આંતરડાનું દાન મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અંગદાતાઓમાં 41 થી 60 વર્ષની વયના 90 લોકો અને 13 થી 25 વર્ષના 44 યુવાનો સામેલ છે. દાનનો આ વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને નેપાળ જેવા પાડોશી દેશના લોકોએ પણ અહીં અંગદાન કરીને માનવતા મહેકાવી છે.
મહીસાગરમાં 'ટીબી મુક્ત ભારત અભિયાન 2.0' શરૂ:DDOએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી
24 માર્ચ, વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે, મહીસાગર જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 - 100 દિવસીય ઝુંબેશનો પ્રારંભ થયો છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થે જિલ્લા સેવા સદનથી અર્બન હેલ્થ સેન્ટર સુધીની જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ 100 દિવસીય સઘન ઝુંબેશનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી પહોંચી ટીબીના કેસોનું વહેલું નિદાન અને સચોટ સારવાર પૂરી પાડવાનો છે. ટેક્નોલોજીના માધ્યમથી ટીબી નિર્મૂલનની પ્રગતિને વેગ આપી વર્ષ 2025-26 સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું આયોજન છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાના 177 હાઈ રિસ્ક ગામોમાં 100 ટકા એક્સ-રે (X-Ray) સ્ક્રીનિંગ કરવામાં આવશે. ટીબી સ્ક્રીનિંગ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સક્ષમ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનોનો મહત્તમ ઉપયોગ કરાશે જેથી ત્વરિત નિદાન શક્ય બને. મોબાઈલ મેડિકલ યુનિટ્સને 'નિક્ષય વાહન' તરીકે ઉપયોગમાં લઈ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી તપાસની સુવિધા પહોંચાડવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 'આયુષ્માન આરોગ્ય શિબિરો'નું આયોજન થશે. તેમાં બીપી, સુગર અને હિમોગ્લોબિનની તપાસ સાથે છાતીનો એક્સ-રે અને NAAT ટેસ્ટિંગ પણ કરાશે. આ ઉપરાંત, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એન.જી.ઓ., અને 'My Bharat' સ્વયંસેવકોને જોડીને જનઆંદોલન ઊભું કરવામાં આવશે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'નિક્ષય મિત્રો' દ્વારા ન્યુટ્રીશન કીટ્સ પૂરી પાડવા પણ પ્રોત્સાહિત કરાશે. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ટીબી હારેગા, દેશ જીતેગાના નારા સાથે સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો:નાના ભૂલકાઓએ રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા
બોટાદના પાળીયાદ રોડ, જવાહર નગર અને ગઢડા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ પાર્ક ખાતેની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ 22 માર્ચ, રવિવારના રોજ બોટાદની બ્રહ્મ સમાજ વાડી ખાતે યોજાયો હતો. આ મહોત્સવમાં પ્લે ગ્રુપ, નર્સરી, KG 1 અને KG 2 ના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌ વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મામલતદાર મનસુખભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં વાલીગણ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. મહોત્સવના અંતે, આખા વર્ષ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વાર્ષિકોત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જોનીભાઈ દરેડવાળા અને નેહનલબેન જોનીભાઈ કુંવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ સઘન જહેમત ઉઠાવી હતી.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) સંચાલિત એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) દ્વારા રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ૩૦ ખેડૂતો માટે સાત દિવસીય વિશેષ કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમ ૧૫ થી ૨૧ માર્ચ દરમિયાન સંપન્ન થયો. આ કાર્યક્રમનું ઉદઘાટન ICAR-DMAPR ના નિયામક ડૉ. મનીષ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આંતર-રાજ્ય તાલીમ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો. આ પ્રસંગે AERC ના નિયામક પ્રો. ડૉ. શ્રીકાંત કલમકરે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણની અનિવાર્યતા સમજાવી હતી. તાલીમ દરમિયાન, ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો, ટકાઉ ખેતી, સજીવ ખેતી, વર્મીકમ્પોસ્ટિંગ અને બજારલક્ષી અભિગમો અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમબદ્ધ ખેડૂતોએ અમૂલ ડેરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઔષધીય છોડ સંશોધન કેન્દ્ર-બોરિયાવી જેવી અગ્રણી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. ૨૧ માર્ચના રોજ આયોજિત વિદાય સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. યોગેશ સી. જોષી અને ડૉ. પી.એલ. સારન ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. હેમંત શર્મા અને ડૉ. કલ્પના કાપડિયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના તાલીમ કાર્યક્રમોથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં નોંધપાત્ર વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉનાળુ સીઝન માટે સ્વિમિંગ પુલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 વર્ષના બાળકોથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 20 એપ્રિલ, 2026 થી ખાસ બેચનું આયોજન કરાયું છે. નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:00 થી 2:00 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. ભરેલા ફોર્મ 7 એપ્રિલ, 2026 થી 9 એપ્રિલ, 2026 દરમિયાન સવારે 11:00 થી 1:00 અને બપોરે 3:00 થી 4:00 કલાક સુધી જમા કરાવી શકાશે. ફોર્મ ફી 50 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યાને કારણે 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ અપાશે, જેમાં એક વ્યક્તિને વધુમાં વધુ બે ફોર્મ મળશે. વિદ્યાર્થીઓ માટેની ખાસ બેચ 20 એપ્રિલ, 2026 થી 19 મે, 2026 સુધી ચાલશે. આ બેચમાં 10 વર્ષના બાળકો અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. બેચનો સમય સવારે 8:00 થી 9:00 અને 9:00 થી 10:00 કલાકનો રહેશે. પ્રવેશ ફોર્મ સાથે શાળાનું ઓળખપત્ર (આઈ-કાર્ડ) અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે. વહીવટી સરળતા માટે ફોર્મ લેવા અને જમા કરાવવા માટે ભાઈઓ અને બહેનો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જાહેર જનતાને અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ ખુલ્લા કેન કે કેરબામાં ઇંધણ ન આપવા કે મેળવવા સૂચના આપી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂરી દોડાદોડી ટાળી શાંતિ જાળવવા તેમણે અનુરોધ કર્યો હતો. વહીવટી તંત્રએ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેમની પાસે જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પ્રજાને સતત પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. સુરક્ષાના કારણોસર, તમામ પેટ્રોલ પંપોને કડક તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને છૂટક રીતે ખુલ્લા કેન, કેરબા કે અન્ય કોઈ કન્ટેનરમાં પેટ્રોલ-ડીઝલ ન આપવું. નાગરિકોને પણ આવી રીતે ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપ પર ન જવા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિકને પેટ્રોલ-ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડે અથવા કોઈ ચોક્કસ ફરિયાદ હોય, તો તેઓ તાત્કાલિક ધોરણે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ઇંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે વહીવટી તંત્રને સહયોગ આપવા માટે પણ અનુરોધ કર્યો છે.
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે 24 માર્ચના રોજ પાલનપુરમાં 'ટીબી મુક્ત ભારત અભિયાન-2026' અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ વિશે લોકોને જાગૃત કરવાનો અને સમયસર તપાસ તથા સંપૂર્ણ સારવાર લેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ રેલી પાલનપુર સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ કિર્તીસ્તંભ સુધી પહોંચી હતી અને પરત સિવિલ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે 'ટીબી હટાવો-દેશ બચાવો' અને 'તપાસ કરાવો - ટીબી હરાવો' જેવા સૂત્રોચ્ચાર કરીને લોકજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સમયસર નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહે, સતત તાવ આવે કે વજનમાં ઘટાડો જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ એકજૂથ થઈ 'ટીબી મુક્ત ભારત' બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સંજય સોલંકી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મહેશ કાપડિયા તેમજ પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.પી. અનાવાડીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 29 માર્ચ, 2025ના રોજ યોજાનારી ગુજકેટ જાહેર પરીક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ છે. જાહેરનામા મુજબ, 29 માર્ચ, 2025ના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 18:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારમાં કડક નિયંત્રણો લાગુ રહેશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી નથી. કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવો કે પરીક્ષાર્થીઓને નકલ કરવા માટે પ્રેરિત કરવા અથવા મદદરૂપ થવું સખત રીતે પ્રતિબંધિત છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, ઈયરફોન, લેપટોપ, કેલ્ક્યુલેટર સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વર્જિત છે. આ ઉપરાંત, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે અન્ય કોઈ પણ પરીક્ષા સંબંધિત સાહિત્ય સાથે લઈ જવું ગેરકાયદેસર ગણાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ઝેરોક્ષ સેન્ટરો, ફેક્સ મશીન અને કોપીઅર મશીન સંચાલકોને પણ પરીક્ષા સમયગાળા દરમિયાન સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ માઈક, લાઉડસ્પીકર કે ડી.જે. વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ઓસારા ગામ સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. માતાજીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર વાહનોની પણ ભારે ભીડ રહી હતી. આ સુપ્રસિદ્ધ મંદિર દક્ષિણ ગુજરાતમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે અને તે માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલ્લું રહે છે. ચૈત્ર નવરાત્રિના શક્તિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વધુમાં, 26 માર્ચે નવરાત્રિના આઠમના દિવસે મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવનમાં હજારો ભક્તો હાજરી આપશે અને માતાજીની કૃપા મેળવવા માટે શ્રીફળ હોમી પ્રાર્થના કરશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
અમરેલીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા તંત્રની બીજી વખત સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા અપીલ
રાજ્યના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારીએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે. તંત્રએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી કુંભાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના તમામ 150 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી. વધુમાં, પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત, જિલ્લામાં એલ.પી.જી.ની કુલ 26 એજન્સીઓમાં પણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું હતું. રાંધણ ગેસ બોટલના બુકિંગ અંગે, શહેરી વિસ્તારમાં 25 દિવસ બાદ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ બાદ બુકિંગ થઈ શકશે. જિલ્લા પુરવઠા અધિકારીએ પાઈપ્ડ નેચરલ ગેસ (પી.એન.જી.) કનેક્શન મેળવવા માટે લોકો સ્વયં જાગૃત બને અને નોંધણી કરાવે તે માટે જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઇફેકટીવ કમ્યુનિકેશન સ્કિલ્સ વિષય પરનો ૧૫ દિવસીય સર્ટિફિકેટ કોર્સ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ કોર્સમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ૨૫થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોર્સના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સંવાદની કળા કેળવવી અત્યંત અનિવાર્ય છે. આ પ્રસંગે જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના ડૉ. સ્નેહા બજાજ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. નમ્રિતા કોલા અને વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા પણ હાજર રહ્યા હતા.૧૫ દિવસ સુધી ચાલેલા આ સઘન કોર્સમાં દરરોજ ૨ કલાકના વ્યાખ્યાનો યોજાયા હતા. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ડૉ. નમ્રિતા કોલા, ડૉ. કોમલ મિસ્ત્રી, ડૉ. અલ્કા મેકવાન, ડૉ. પારુલ પોપટ, ડૉ. કિંજલ અહીર અને ડૉ. વિરાજ રોઘેલિયા સહિત વિવિધ વિષય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય તેવી સ્કિલ્સનું માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, ડૉ. ભૂમિકા બારોટ, ડૉ. નીપા ભરૂચા, ડૉ. કોમલ પટેલ, ડૉ. સુનિલ શાહ, ડૉ. શિલ્પા તલાટી, ડૉ. મેઘના જોશી અને ડૉ. પૌલોમી દલાલ જેવા નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીઓને કમ્યુનિકેશનના વિવિધ પાસાઓથી અવગત કરાયા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. નમ્રિતા કોલા અને ડૉ. વિરાજ રોઘેલિયાના સંયુક્ત પ્રયાસોથી આ સમગ્ર શૈક્ષણિક પ્રવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વેગ આપવાનો હતો.
જિલ્લા કર્ણાવતી ભાગવત વિભાગ અને ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતૃશક્તિ દ્વારા સત્સંગ સ્વરૂપે યોજાયો હતો. આ સત્સંગમાં ઉત્તર ગુજરાત પ્રાંત સહસંયોજિકા ચંદ્રિકાબેનનું વક્તવ્ય રહ્યું હતું. તેમની સાથે ભાગવત વિભાગના માતૃશક્તિના સંયોજિકા રંજનબેન, નારણપુરા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા હેતલબેન પરી, નારણપુરા જિલ્લા સહસંયોજિકા જ્યોતિબેન, નીતાબેન, નેહાબેન અને અન્ય બહેનો પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રામના ભજન, હનુમાન ચાલીસા અને કૃષ્ણના ભજન ગાવામાં આવ્યા હતા. બહેનો દ્વારા આધ્યાત્મિક વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. વક્તવ્યમાં કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે વધુ એક વેપારી પરિવાર બરબાદીના આરે આવી ગયો છે. અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. કરુણતા તો એ છે કે, દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો?શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા મોદી મહોલ્લામાં ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સ મશીનનું જોબવર્ક કરતા હતા. તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. લાંબા સમયની ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા. બાકીના અઢી કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો, ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા. પોલીસ મથકે સમાધાનને બદલે ધમકી આપીગઈકાલે કાપડ વેપારીએ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો. યુવાનને આશા હતી કે અહીં તેના નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધત વર્તન કરી 'તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ' તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ માનસિક ત્રાસ સહન ન થતા યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. પુત્રને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ પોતને પણ ઝેર પીધુંયુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોતાના એકના એક જુવાનજોધ દીકરાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ માતા ભાંગી પડી હતી. તેમણે પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધીને જે કાપડ વેપારીએ નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેપારીના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધીદવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, પેલા વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું. મારી પાસેથી ચેક લીધા હતા. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા. એની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે ચેક ડિપોઝિટ કર્યા. વેપારીએ દાબ-ધમકીથી બધા ભાવ ભરાવી લીધા અને મને જે ભાવ ભરવાનો હતો એ આપ્યો નહીં. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યુંઅત્યારે મારે એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે. એણે મને 71 લાખ રૂપિયા આપ્યા. પછી મને હિસાબ જ નથી કરાવ્યો, મારા ચલણ પણ નથી આપતા. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે. મને કંઈ વસ્તુ આપતા જ નથી. હું જાઉં છું તો કહે છે બધો હિસાબ પૂરો થઈ ગયો. વેપારી સિવાય બીજા કોઈનું પ્રેશર નહોતું મને. અન્ય ખાતાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઉભા છે. એ બધા તો કહેતા હતા કે અમે આવીએ બધા, વેપારીમાં આવીએ બધા તમારી જોડે. ત્રાસ આપનાર વેપારીનું આશિષભાઈ શાહ છે.
કહેવાય છે કે સપના જોવાની કોઈ કિંમત નથી હોતી, પણ તેને પૂરા કરવા માટે ક્યારેક આકરી કિંમત ચૂકવવી પડે છે. સુરતના પાંડેસરામાં રહેતા 21 વર્ષના કૌશિક મિશ્રાની વાત કંઈક આવી જ છે. જેણે ગરીબી સામે હથિયાર હેઠા મૂકવાને બદલે રસ્તા પર બિલાનું શરબત વેચીને પોતાનું CA બનવાનું સપનું જીવંત રાખ્યું છે. જાન્યુઆરી 2026માં CA ઇન્ટરમીડિએટ પાસ કરનાર આ યુવાન આજે CA ફાઈનલની ફી ભરવા માટે ધોમધખતા તાપમાં પરસેવો પાડી રહ્યો છે. સરકારી શાળાનો પાયો અને ધોરણ 12માં 83% મેળવ્યાકૌશિકનો પરિવાર છેલ્લા 35 વર્ષથી સુરતમાં સ્થાયી થયો છે. અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારના સંતાન કૌશિકે પોતાનો પ્રાથમિક અભ્યાસ (ધોરણ 1થી 8) મ્યુનિસિપલ પ્રેમનાથ પ્રાથમિક શાળા નંબર 265 માંથી પૂર્ણ કર્યો હતો. ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં ભણતા આ બાળકની આંખોમાં કંઈક મોટું કરવાની તમન્ના પહેલેથી જ હતી. ત્યારબાદ તેણે ભટારની વિદ્યાભારતી શાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કર્યો. પિતાની લારી પર મદદ કરવા છતાં તેણે ધોરણ 12માં 83% મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ફ્રુટની લારી પરથી CA બનવાનો માર્ગ કેવી રીતે મળ્યો?કૌશિકના પિતા સુરતના રસ્તાઓ પર ફ્રુટ વેચીને 5 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે. કૌશિક પણ નવરાશના સમયે પિતાને મદદ કરવા લારી પર જતો હતો. એક દિવસ લારી પર ફ્રુટ લેવા આવેલા માનવ અને કમલ નામના બે CA વિદ્યાર્થીઓની નજર કૌશિક પર પડી. તેની વાત કરવાની રીત અને ભણતર પ્રત્યેની રુચિ જોઈને તેમણે કૌશિકને CA કોર્સ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જ કૌશિકને રવિ છાવછરીયા સર સાથે મુલાકાત કરાવી આપી, જે કૌશિકના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. રવિ સર દ્વારા તેની ઘણી મદદ કરવામાં આવી અને તેને સીએ કોર્ષ કરવા માટે મદદ કરવામાં આવી. લાઇબ્રેરીમાં 12 કલાકની તપસ્યા અને સેલ્ફ સ્ટડીCAનો અભ્યાસ મોંઘો અને અઘરો ગણાય છે, પણ કૌશિક માટે તે એક પડકાર હતો. તે જણાવે છે કે, હું સવારે 7:45 વાગ્યે અટલ બિહારી વાજપેયી લાઇબ્રેરી પહોંચી જતો, કારણ કે 8 વાગ્યે તે ખુલે ત્યારે મારે શાંતિથી ભણી શકાય તેવી જગ્યા જોઈતી હતી. રાત્રે 8 વાગ્યા સુધી ત્યાં બેસીને રવિ સરના ઓનલાઇન લેક્ચર્સ જોતો. જો કોઈ ટોપિક ન સમજાય તો હું ગૂગલ પર સર્ચ કરીને પોતે જ શીખી લેતો. રાત્રે ઘરે જઈને માત્ર થોડો નાસ્તો કરી ફરી રાત્રે 12 વાગ્યા સુધી તે પુસ્તકોમાં ડૂબેલો રહેતો હતો. જાન્યુઆરીમાં CA ઇન્ટરમીડિએટ પાસ કરી ઇતિહાસ રચ્યોકૌશિકની મહેનત રંગ લાવી અને તેણે જાન્યુઆરી 2026માં CA ઇન્ટરમીડિએટની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી લીધી. એક રૂમ-રસોડાના નાના મકાનમાં રહીને, જ્યાં પિતા ફ્રુટ વેચતા હોય, ત્યાંથી કોઈ છોકરો CA ના બીજા પડાવ સુધી પહોંચે તે આખા વિસ્તાર માટે ગર્વની વાત હતી. પરંતુ, આ સફળતા પછી તેની સામે એક મોટો પહાડ ઊભો હતો – તે હતો CA ફાઈનલના ક્લાસની ફીનો ખર્ચ. ફી માટે શરૂ કરી 'બેલ રસ'ની લારીCA ઇન્ટરમીડિએટ પાસ કર્યા પછી હવે કૌશિક સામે CA ફાઈનલના મોંઘા ક્લાસની ફીનો પ્રશ્ન ઊભો થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ લાખોની ફી ભરી શકે. કૌશિકે હાર માનવાને બદલે વિચાર્યું કે તે પોતે કંઈક કરશે. તેણે સિટી લાઈટ વિસ્તારમાં 1 અઠવાડિયા પહેલા બિલાના શરબતની લારી શરૂ કરી. કૌશિક કહે છે, કોઈપણ કામ નાનું નથી હોતું. આ શરબત વેચીને જે પણ આવક થશે, તેનો ઉપયોગ હું મારા ફાઈનલના ક્લાસ માટે કરીશ. સવારે 7થી રાતના 10 સુધીનો નિત્યક્રમઆજે કૌશિકનો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે. તે ઘરેથી શરબત બનાવવા માટેની સામગ્રી તૈયાર કરીને લારી પર પહોંચે છે. આખો દિવસ આકરી ગરમીમાં ઊભા રહીને તે લોકોને ઠંડક આપતું શરબત પીવડાવે છે અને સાંજે 7થી 10 વાગ્યાના સમયગાળામાં ઘરે પરત ફરે છે. આટલી શારીરિક મહેનત પછી પણ તેના ચહેરા પર ક્યારેય થાક જોવા મળતો નથી, કારણ કે તેની નજર સામે CA ની ડિગ્રી છે. મારું સપનું CA બનીને દેશની સેવા કરવાનું છેકૌશિક માટે CA માત્ર એક ડિગ્રી નથી, પણ ગરીબીમાંથી બહાર આવવાનો રસ્તો છે. તે કહે છે, મને ખબર છે કે મધ્યમ વર્ગના છોકરાઓ માટે ભણવું કેટલું અઘરું છે. હું CA બનીને માત્ર પૈસા કમાવવા નથી માંગતો, પણ દેશની આર્થિક વ્યવસ્થામાં યોગદાન આપવા માંગું છું. મારે એવા બાળકોને મદદ કરવી છે જેઓ પ્રતિભાશાળી છે પણ પૈસાના અભાવે ભણી શકતા નથી. સુરતવાસીઓ માટે પ્રેરણાનું ઝરણુંકૌશિકની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. લોકો તેની મહેનત અને હિંમતને દાદ આપી રહ્યા છે. જે યુવાનો નાની મુશ્કેલીમાં નાસીપાસ થઈ જાય છે, તેમના માટે કૌશિક એક જીવતું-જાગતું ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે જો તમારા ઇરાદા મજબૂત હોય, તો રસ્તા પર શરબત વેચતા-વેચતા પણ આકાશને આંબી શકાય છે.
છઠિયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:નવીન શિક્ષિકા ભાવનાબેન પટેલ ભોજન દાતા બન્યા
મહેસાણા તાલુકાની છઠિયારડા પ્રાથમિક કુમાર શાળામાં નવીન નિમણૂક પામેલા શિક્ષિકા ભાવનાબેન અંબાલાલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ભોજનનો આનંદપૂર્વક લાભ લીધો હતો. શાળાની સવારની પ્રાર્થના સભામાં આચાર્ય જયપ્રકાશ સથવારાએ તિથિ ભોજનના દાતા શિક્ષિકા ભાવનાબેન પટેલનું સન્માન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અન્નદાન એ મહાદાનનું મહત્વ સમજાવ્યું અને ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભાવનાબેન પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી એનાયત:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું
ડૉ. સુભાષ મહિલા કોલેજના વિદ્યાર્થિની ઋતુ બલરામભાઈ ચાવડાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા કોમર્સ વિષયમાં પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે ‘એનેલાયઝિંગ ધ ઈમ્પેક્ટ ઓફ ડિવિડન્ડ ઓન માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વીટી શેર્સ ઓફ સિલેક્ટેડ આઈ.ટી. સોફ્ટવેર બેઝ કંપની ઇન ઇન્ડિયા’ વિષય પર પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો. આ શોધનિબંધ ડૉ. પિયુષ મર્થકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ આ સંશોધનને માન્ય રાખી ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી પ્રદાન કરી છે. ઋતુ ચાવડાએ તેમની શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે બી.કોમ.માં ડૉ. સુભાષ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને એમ.કોમ.માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ગુજરાત એલિજીબીલીટી ટેસ્ટ (GSET-૨૦૨૫) પણ પાસ કરી હતી. પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરીને ઋતુ ચાવડાએ ડૉ. સુભાષ મહિલા કોલેજ અને આહીર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવસિંહ ડોડીયા, સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, મીતાબહેન ચાવડા અને ડૉ. સુભાષ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીના SOIS બાયોટેકનોલોજી વિભાગે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) ના સહયોગથી 'એમ્પાવરિંગ ધ નેક્સ્ટ જનરેશન બાયોટેકનોલોજીસ્ટ્સ' નામનો ૧૫ દિવસનો પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમમાં બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી સ્ટ્રીમ્સના 100થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન, ગુજરાત અને અન્ય રાજ્યોની પ્રતિષ્ઠિત સંસ્થાઓના કુલ 55 નિષ્ણાત વક્તાઓએ સત્રો લીધા હતા. આ સત્રો IIT JAM, CUET અને GATB જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી વ્યૂહરચના પર કેન્દ્રિત હતા, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદરૂપ થયા. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત આ 15દિવસીય તાલીમમાં વ્યવહારુ શિક્ષણ, વૈચારિક સ્પષ્ટતા અને વ્યૂહાત્મક પરીક્ષાની તૈયારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સહભાગીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. કાર્યક્રમનું સમાપન એક વિશેષ સત્ર સાથે થયું, જેમાં 9 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
ગઇકાલે(23 માર્ચ) રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી. ગઇકાલ બાદ આજે રાજ્યમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ગઇકાલની સ્થિતિએ પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની ભીડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી અને સ્થિતિ કાબૂમાં છે અને લોકોને ખપ પૂરતુ પેટ્રોલ પણ મળી રહ્યું છે. ગઇકાલે ગુજરાતના શહેરો તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ માઝા મૂકી હતી. જબરદસ્ત પેનિકની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કર પણ એક જવાબદાર મીડિયા તરીકે લોકોને અપીલ કરી રહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે, તેથી નાગરિકોએ બિનજરૂરી પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી જોઇએ નહીં અને વાહનોમાં ખપ પૂરતુ જ પેટ્રોલ પુરાવવું જોઇએ. ગઇકાલે પેટ્રોલ પંપ પર સર્જાયેલી પેનિકની સ્થિતિની કેટલી તસવીરો
અમદાવાદના સોલા રોડ ખાતે ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, ઉત્તર ગુજરાત ઝોનની રીડિંગ રૂમ-કમ-લાઇબ્રેરી અને ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દાતા રમેશભાઈ અને મહેશભાઈ મણિલાલ શાહ છાલાવાળા પરિવાર દ્વારા 15 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષ રમેશભાઈ જી. શાહ, સુરત મહાસંઘના ચાન્સેલર રાજેશભાઈ દોશી, સંસ્થાપક અને ભૂતપૂર્વ ચાન્સેલર તેમજ સહયોગી દાતા અશોકભાઈ સોમચંદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કટારિયા ઓટોમોબાઈલ્સના રાજેન્દ્રજી કટારિયા, નરેશભાઈ જૈન, યુનિવર્સલ હોન્ડાના કૌશિકભાઈ શાહ અને નિખિલભાઈ મહેતા, કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ, વાપીથી સુભાષભાઈ કોટડિયા, મહારાષ્ટ્ર ઝોનના ગવર્નર અને સહયોગી દાતા નવનીતલાલ શાહ, તેમજ વડોદરાથી ભૂતપૂર્વ અધ્યક્ષ મહેશભાઈ એમ. શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મહાસંઘના મહારાષ્ટ્ર (મુંબઈ), સાઉથ ગુજરાત (સુરત), અને મધ્ય ગુજરાત (વડોદરા) ઝોનના ગવર્નરો તેમના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના અન્ય ડિવિઝનોના પ્રમુખો પણ તેમના કારોબારી સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ સમારોહમાં કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ અને ગવર્નર અજીતભાઈ મહેતાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2024-25 માટેનો 'બેસ્ટ ઝોન એવોર્ડ' ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર અજીતભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તર ગુજરાત ઝોન અને અમદાવાદ ડિવિઝનના કારોબારી સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ માં લેવાતી 'પ્રખરતા શોધ કસોટી'નું પરિણામ જાહેર થયું છે. ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશ્યલ વિભાગના કુલ 30 વિદ્યાર્થીઓએ આ કસોટીમાં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.આ કસોટી દર વર્ષે યોજાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ 1000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે.પરિણામ મુજબ, હેત મનીષ સોનેસરાએ સમગ્ર ગુજરાતમાં 12મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, ટોપ 50માં કવિતકુમાર ભારતકુમાર ઇટાલિયા (મેરિટ: 19), કવીશ જયદેવસિંહ માલાવાડિયા (મેરિટ: 25) અને પ્રિન્સ પ્રકાશભાઈ બારૈયા (મેરિટ: 30) નો સમાવેશ થાય છે. ટોપ 100 તેજસ્વી વિદ્યાર્થીઓમાં સત્યમકુમાર ભીલ (62) સહિત કુલ 30 વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે.આ સફળતા બદલ સંસ્થાના સંચાલક કે.પી. સ્વામી અને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનના સભ્યો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં પેન્શનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ બી.ડી. મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત આસિસ્ટન્ટ કલેક્ટર એસ.એસ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરના પ્રમુખ આઈ.કે. પટેલ અને મહામંત્રી જી.કે. પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મંડળના અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ભગુભાઈ સિંઘલ, ઉમેશભાઈ ત્રિવેદી, આઈ.એસ. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, ડી.જી. સોલંકી, હસમુખભાઈ શર્મા અને કાળુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લા યુનિટના સહમંત્રી નવીનભાઈ વાણિયા તેમજ બનાસકાંઠા જિલ્લા કન્વીનર ખેંગારભાઈ સોલંકી, પાટણ જિલ્લા કન્વીનર સુરેશભાઈ સોની, સાબરકાંઠા જિલ્લા કન્વીનર વસંતભાઈ પંચાલ અને જામનગર જિલ્લા કન્વીનર વિઠ્ઠલભાઈ ધોળકિયા સહિત વિવિધ જિલ્લાના મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, અને મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રમુખ આઈ.કે. પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત ઝોનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાના મંડળના સભ્યોની ઉપસ્થિતિ સંતોષજનક છે. તેમણે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોમાં પણ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી. મહામંત્રી જી.કે. પરમારે જણાવ્યું કે, આપણો સંબંધ 'કામ'થી શરૂ થયો હતો, પરંતુ આજે તે 'લાગણી'માં પરિવર્તિત થયો છે. જેમ અલગ અલગ ફૂલો હોય પણ માળા એક હોય છે, તેમ આપણે ભલે અલગ અલગ કચેરીઓમાં કામ કર્યું હોય, પણ આજે આપણે 'પેન્શનર્સ પરિવાર' તરીકે એક છીએ. નિવૃત્તિ પછીના આ સમયને ભાર ગણવાને બદલે તેને જીવવાની નવી તક ગણીએ. મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, મંડળ દ્વારા આવા કાર્યક્રમો યોજીને અલગ અલગ કચેરીઓમાંથી નિવૃત્ત થયેલા મિત્રોને એક જ મંચ ઉપર ભેગા કરવાનું કાર્ય પ્રશંસનીય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણી દ્વારા તેમના સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોને યાદગીરી રૂપે આકર્ષક ભેટ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપલ પરમારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ ઉત્તર ગુજરાત ઝોનના સહમંત્રી નારણભાઈ પ્રજાપતિએ કરી હતી.
મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત “Kalai Saaral 2026” ઓલ ઈન્ડિયા નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ ફેસ્ટિવલ ચેન્નઈ ખાતેની Sathyabama Institute of Science and Technology માં 10 થી 14 માર્ચ 2026 દરમિયાન યોજાયો હતો. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી માટે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને ગૌરવ અપાવ્યું છે. Association of Indian Universities દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના ઇન્ટર-યુનિવર્સિટી ફેસ્ટિવલમાં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ યુવા પ્રતિભાઓ માટે સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય અને ફાઇન આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં પોતાની કલા અને કુશળતા રજૂ કરવા માટે એક સશક્ત મંચ પૂરો પાડે છે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: વેસ્ટર્ન વોકલ (સોલો): બ્રાયન પીટર – પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ: જસ્ટિન કુનાંગ – પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) ક્લાસિકલ ડાન્સ: પ્રિયંશી ગઘડા – ત્રીજું સ્થાન (બ્રોન્ઝ મેડલ) ડિબેટ: કમોદ વર્ધન અને અભિનવ સિંહ – ચોથું સ્થાન આ ફેસ્ટિવલમાં સંગીત (વેસ્ટર્ન અને ઇન્ડિયન), નૃત્ય (ક્લાસિકલ અને લોકનૃત્ય), સાહિત્યિક સ્પર્ધાઓ (ડિબેટ, એલોક્યુશન, ક્વિઝ), તેમજ થિયેટર અને ફાઇન આર્ટ્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જ આ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક આપવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધાનું સ્તર ખૂબ ઊંચું રહ્યું હતું. “Kalai Saaral 2026” માં મારવાડી યુનિવર્સિટીની ભાગીદારી અત્યંત સફળ અને પ્રશંસનીય રહી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ તેમની પ્રતિભા, મહેનત અને યુનિવર્સિટીના સાંસ્કૃતિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મારવાડી યુનિવર્સિટીના ઉપપ્રમુખ અને સહ-સ્થાપક જીતુભાઈ ચંદારાણાએ વિદ્યાર્થીઓને તેમની રાષ્ટ્રીય સ્તરની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી સિદ્ધિઓ યુનિવર્સિટીના મૂલ્યો અને પ્રતિભાને દેશભરમાં પ્રતિષ્ઠિત બનાવે છે. આ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. આર.બી. જાડેજાએ વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આ સફળતા ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરણારૂપ બનશે અને યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે સહકાર આપતી રહેશે. ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ ગૌરવપૂર્ણ ટ્રોફી સ્વીકારી અને જણાવ્યું કે, આવી સિદ્ધિઓ મારવાડી યુનિવર્સિટીની સતત પ્રગતિ અને સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ છે, અને ભવિષ્યમાં આવી ઘણી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સફળતા યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવા પ્રેરણા આપે છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના રાજભવન ખાતે સિલ્વર ઓક યુનિવર્સિટીના સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વર્ષ 2025-26 દરમિયાન સમુદાય સેવા, સ્વચ્છતા અભિયાન, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વિવિધ કૌશલ્ય-આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં તેમને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ધ્રુવ ભટ્ટે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીથી લઈને પુરસ્કાર મેળવવા સુધી મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઇડ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, સેવા ભાવના અને જવાબદારીનો વિકાસ કરે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવશ્યક છે. આ કાર્યક્રમથી તમામ વિદ્યાર્થીઓને સમાજ સેવા પ્રત્યે વધુ સમર્પિત બનવાની પ્રેરણા મળી.
સાબરકાંઠા સાંસદે રેલ મંત્રીને રજૂઆત કરી:જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસ મજબૂત કરવા માંગ
સાબરકાંઠાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત રજૂઆત કરી. સાંસદે ખેડબ્રહ્માથી હડાદ-અંબાજી સુધીની નવી રેલવે લાઇન માટે મંજૂર થયેલા DPRનો અંદાજ તાત્કાલિક તૈયાર કરવા અને તેની રકમ ઝડપથી મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર CRS અને PCEE દ્વારા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે ત્યારે હવે આ લાઇન વહેલી તકે કાર્યરત થાય તે માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકોને વડોદરા, સુરત, વાપી, વલસાડ અને મુંબઈ જવા માટે લગભગ 80 કિલોમીટર દૂર અમદાવાદ જઈને ટ્રેન પકડવી પડે છે. આના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, ખેડબ્રહ્માથી મુંબઈ સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલ મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેનો શરૂ કરવા અંગે ખાતરી આપી હતી. મુંબઈથી અમદાવાદ આવતી ઘણી ટ્રેનો અમદાવાદમાં 10 થી 12 કલાક સુધી રોકાય છે. સાંસદે આ પૈકી કોઈ એક ટ્રેનને હિંમતનગર અથવા ખેડબ્રહ્મા સુધી લંબાવવા વિનંતી કરી હતી. નડિયાદ-કપડવંજ-બાયડ-મોડાસા રેલવે લાઇન પર 53 જેટલા રેલવે ફાટકના કારણે અગાઉ ચાલતી ટ્રેન ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી. રેલવેની ઝડપ વધારવા માટે નાના ગ્રામ્ય માર્ગો પર રેલવે અંડરપાસ, સ્ટેટ હાઇવે પર ફ્લાયઓવર બ્રિજ અને નજીકના અંડરપાસ પાસે RCC સર્વિસ રોડ બનાવવા માટે પણ રજૂઆત કરાઈ હતી. સાંસદે ઉદયપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી ખાતે સ્ટોપેજ આપવા બદલ અને બાયડ રેલવે સ્ટેશનને D ગ્રેડમાંથી B ગ્રેડમાં અપગ્રેડ કરવા માટે અંદાજે 30 કરોડ રૂપિયા ફાળવવા બદલ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો. આ તમામ મુદ્દાઓ અંગે મંત્રીએ સકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને શક્ય તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને બેનામી નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલનપુરના મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવતામહેસાણા LCBના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચોટ બાયપાસ પાસે આવેલ શ્યામ સ્કાયલાઇન ફ્લેટના મકાન નંબર એમ-503માં કેટલાક ઇસમો ભેગા મળીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ શખ્સો ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી બેંક એકાઉન્ટો ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા મોટાપાયે નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના GST સર્ટિફિકેટ મેળવતાઆ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. આરોપીઓ સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના જીએસટી સર્ટિફિકેટ મેળવતા હતા. આ દસ્તાવેજોના આધારે અલગ-અલગ પાર્ટીઓના નામે ફેક કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા. ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમિંગમાં લોકો સાથે થયેલી છેતરપિંડીના નાણાં આ બેંક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં ATM, ચેક કે UPI દ્વારા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય સૂત્રધાર મિતેષ ડાહ્યાલાલ ઠક્કર (રહે. પાલનપુર)ના જણાવ્યા મુજબ સગેવગે કરવામાં આવતા હતા. પાંચ શખસોને ઝડપી પાડી 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યોમહેસાણા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. હાલમાં ફરાર મુખ્ય આરોપી મિતેષ ઠક્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટના તાર અન્ય ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી વિપુલકુમાર કાન્તીભાઈ પટેલ (મહેસાણા), અંકિતકુમાર રામચંદ્ર પઢિયાર (ડીસા), હિમાંશુ વિજયભાઈ જોષી (ડીસા), પ્રતિક ઉર્ફે પરેશ અશોકભાઈ દરજી (ધાનેરા) અને મુકેશકુમાર અરવિંદભાઈ ઠક્કર (ડીસા)ની અટકાયત કરી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 2,78,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં દિન-પ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ નજીકના આરપી વસાણી સ્કૂલ પાસેથી કૃષ્ણનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને બાકરોલ ખાતે ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરનારા બંને શખસ જોધપુરના એક ઢાબા પરથી અજાણ્યા શખસ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 28 ગ્રામ ડ્રગ્સ અને વાહન સહિત 1.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધાઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી. એચ. જોશી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નરોડા નિકોલ રોડ ઉપર મોડીરાત્રે ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા નારોલ નરોડા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આર. પી. વસાણી સ્કૂલ રોડ ઉપર સિનિયર સિટીઝન ગાર્ડન પાસે વોચ ગોઠવી તે દરમિયાનમાં બાઈક ઉપર બે અજાણ્યા શકમંદો આવ્યા હતા. પોલીસે બંને આરોપીને પકડી તેમનું નામ પૂછતા રામપાલ બિસનોઈ અને મહેન્દ્ર બિસનોઈ (બંને રહે, એમ. એન. ફેક્ટરી બાકરોલ ગામ, મૂળ. જોધપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે તપાસ કરતાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ જોધપુર-જેસલમેર હાઇવે પરના ઢાબા પરથી ડ્રગ્સ લાવ્યાં હતાં પડીકીમાં રહેલું ડ્રગનું વજન કરતાં 28 ગ્રામ જેટલું ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને છૂટકમાં એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. આ ડ્રગનો જથ્થો જોધપુર-જેસલમેર હાઇવે પર આવેલા એક ઢાબા ખાતે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. બંને આ ડ્રગ્સનો જથ્થો લાવી અને અમદાવાદ ખાતે વેચવા માટે નીકળ્યા હતા. બંને આરોપી મજૂરી કામ કરે છે અને પૈસા કમાવા માટે આ પ્રમાણે ડ્રગ્સ વેચવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતનો દબદબો જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. મનપા કમિશનર એમ. નાગરાજન પોતે સવારના વહેલા પહોરમાં શહેરના વિવિધ વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરી રહ્યા છે. આજે તેમણે તાપી નદીના કિનારે અને શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને વધુ ગતિશીલ બનાવ્યું છે. નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓસુરતની જીવાદોરી સમાન તાપી નદીની પવિત્રતા અને તેના કિનારાની સ્વચ્છતા કમિશનરના એજન્ડામાં ટોચ પર છે. કમિશનરે તાપી નદીના કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં જમા થયેલા કચરા તેમજ નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓ આપી હતી. નદી કિનારે લોકો દ્વારા કચરો ન ફેંકાય તે માટે જનજાગૃતિ લાવવા અને સતત મોનિટરિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યોસુરતનું ગૌરવ ગણાતી ઐતિહાસિક ચોપાટી નેહરુ ગાર્ડન અને તેની આસપાસના વીઆઈપી વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ રોડ પર સફાઈની સ્થિતિ ચકાસવામાં આવી હતી. કમિશનરે આ વિસ્તારોમાં ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો. રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવી, ફૂટપાથની સફાઈ અને ગાર્ડનની જાળવણી બાબતે તેમણે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી ત્યાં સફાઈનું સ્તર ઉચ્ચ કક્ષાનું રાખવા જણાવાયું છે. તમામ ઝોનલ ઓફિસરો એલર્ટ મોડ પરસ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્રીય ટીમ ટૂંક સમયમાં સુરતની ઓચિંતી મુલાકાત લઈ શકે છે. આ ટીમ દ્વારા જાહેર શૌચાલયો, રસ્તાઓ, કચરાનો નિકાલ અને શહેરના બ્યુટીફિકેશનના આધારે ગુણ આપવામાં આવે છે. આ વખતે સ્પર્ધા વધુ કડક છે, ત્યારે કમિશનર એમ. નાગરાજન કોઈ પણ પ્રકારની કચાસ છોડવા માંગતા નથી. તેમણે તમામ ઝોનલ ઓફિસરોને એલર્ટ મોડ પર રાખ્યા છે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ LPGની ફાળવણી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો પુરતા બફર સ્ટૉક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઇ પણ પ્રકારની બાધ નથી, તેથી નાગરીકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ પેટ્રોલપંપની બહાર લાઇન નહીં લગાડવા સરકારની વિનંતી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા સર્વેને સરકારની વિનંતી છે. કોમર્શીયલ LPGની વધારાની ફાળવણીકેન્દ્ર સરકાર દ્વારા LPGનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાતા તેમજ શહેરી વિસ્તારમાં PNGને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શીયલ LPGની ફાળવણી વધારવામાં આવેલ છે. રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ વગેરે જેવાં કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને PNG કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશેગઈકાલે 23 માર્ચ, 2026ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં LPGની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરોકત ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ જયાં PNG Network ઉપલબ્ધ ન હોય ત્યાં હવે નીચે મુજબ ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત, હવે દરેક જિલ્લામાં અગત્યના એક MSME સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે. અગાઉ નિયત થયેલ કોમર્શીયલ LPGની ફાળવણી નીચે મુજબના ક્ષેત્રો માટે યથાવત રહેશે. (1) ખાનગી તથા સરકારી હોસ્પિટલો 100% મુજબ (2) શૈક્ષણિક સંસ્થાઓ 100% મુજબ તથા (3) રજીસ્ટર્ડ વૃધ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને તેમજ (4) જે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 01 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોઇ તથા લોકોને નિયમિત ભોજન આપતી હોઇ તેનાં છેલ્લા 06 માસનાં ઉપયોગને ધ્યાને લઇ ૨૫%ની મર્યાદામાં (5) આ સૂચના અનુસાર જીલ્લામાં કોમર્શીયલ એલ.પી.જી ફાળવણી ઉપલબ્ધિ અને જરૂરીયાત મુજબ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ તથા જીલ્લા પુરવઠા સમિતિ દ્વારા કરવામાં આવશે. PNG હશે તો LPG રદ થશેજે પણ કોઈ વપરાશકર્તા LPG તથા PNG બંને ધરાવતા હોઈ તેમના PNG કનેક્શન ચાલુ રાખીને વપરાશમાં આવે તે સુનિશ્વિત કર્યા બાદ LPG કનેકશન O.M.C. દ્વારા Surrender કરાવવામાં આવશે. PNG ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં અપાશેજે વિસ્તારોમાં હાલના સમયે PNG નેટવર્ક મોજૂદ છે તે વિસ્તારોમાં PNG કનેક્શન માટેની પડતર અરજીઓ મંજૂર કરી PNG કંપનીઓ દ્વારા ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં આપવામાં આવશે. ત્યારબાદ L.P.G કનેક્શન O.M.C. દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ હોય ત્યાં કનેક્શન શરૂ કરાશેજે સોસાયટી/વિસ્તારોમાં PNG કનેક્શન ઉપલબ્ધ હોય તેમજ ગ્રાહકો વાપરી રહેલ હોય, તે સોસાયટી/વિસ્તારોના જે ગ્રાહકો હાલ ઘરેલું તથા કોમર્શિયલ LPG કનેક્શન ધરાવતા હોય પરંતુ PNG મેળવવા માટે અરજી કરી નથી તેઓને CGD (City Gas Distribution) કંપની દ્વારા અરજી કરાવી PNG કનેક્શન શરૂ કરવામાં આવશે. તેમજ LPG કનેક્શન સરેન્ડર કરાવવામાં આવશે. PNGનું કનેક્શન લેવડાવીને LPGનું કનેકશન રદ કરાવાશેજે વિસ્તારોમાં PNG કંપનીઓનું નેટવર્ક હાલમાં મોજુદ છે, પરંતુ તે વિસ્તારમાં કે તેની નજીકમાં જે સોસાયટી નવી બનેલ હોય અથવા છૂટી ગયેલ હોય તેઓની અરજી મેળવી મંજુરી આપી C.G.D. કંપની દ્વારા PNGનું કનેક્શન શરૂ કરાવી O.M.C. દ્વારા LPGનું કનેકશન Surrender કરાવવામાં આવશે. ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ ઉપરોકત કામગીરી કરવા માટે તમામ PNG કંપનીઓ તેમજ O.M.C. દ્વારા ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ કરવામાં આવી રહ્યું છે. નવા PNG કનેકશન આપવાની કાર્યવાહી C.G.D. કંપનીઓ દ્વારા કરવામાં આવશે. અને LPG કનેક્શન સરેન્ડર કરવાની કામગીરી O.M.C. દ્વારા કરવામા આવશે. સમગ્ર પ્રક્રિયા ઉપર કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા દેખરેખ રાખશે. CGD 24 કલાક કામગીરી કરી શકશેCGD (City Gas Distribution)કંપનીને સ્થાનિક સંસ્થાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કલાકમાં ROW (Right of Way) ની પરવાનગીઓ આપવામાં આવશે તથા તેઓ Right of Way માટેના ચાર્જ વસુલશે નહીં. CGD (City Gas Distribution)ને 24 કલાક કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવશે. હાલ અમદાવાદમાં 1200થી વધુ કોમર્શિયલ કનેકશનોઅમદાવાદ શહેરમાં નવા ઘરેલું તથા કોમર્શિયલ PNG કનેકશન આપવાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ કનેકશનો તથા 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક કનેકશનો P.N.G. માં તબદીલ કરવાની કાર્યવાહી અન્ન,નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, ઓઇલ માર્કેટીંગ કંપનીઓ અને શહેરની ત્રણ CGD (City Gas Distribution) કપનીઓ દ્વારા શરૂ કરાયેલ છે. અમદાવાદામાં 900 સોસાયટીમાં PNG નેટવર્કનો સમાવેશ થશેઆગામી 3 માસ દરમિયાન અમદાવાદમાં આશરે 900 સોસાયટીને પણ PNGના નેટવર્કમાં સમાવી લેવામાં આવશે. જેના માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવેલ છે. આવી જ રીતે બીજા શહેરોમાં પણ વધુમાં વધુ PNG કનેકશનો આપવાની કામગીરી ચાલુ છે.
અડિયા શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ
અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મંગળવારે, 24 માર્ચે અડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે ટીબી થવાના લક્ષણો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબીનું નિદાન ક્યાં કરાવવું અને નિયમિત દવા લેવાથી ટીબી 100 % મટી શકે છે.વધુમાં, નરેશભાઈએ ટીબી સંબંધિત પંક્તિઓ દ્વારા જાગૃતિ સંદેશ આપ્યો હતો. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને કાઉન્સેલિંગ કરીને બીડી છોડવા વિનંતી કરી હતી અને બાળકોને આ સંદેશ ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે બીડી, સિગારેટ જેવા વ્યસનોથી ટીબી થવાનો ભય વધે છે, તેથી ધૂમ્રપાનથી બચવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, સીએચઓ વિધીબેન, ફિહેવ આરતીબેન તેમજ શાળાના આચાર્ય, સ્ટાફગણ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય વિષ્ણુભાઈએ આભારવિધિ કરી હતી.
વર્ષ 2021માં અમદાવાદના DCB પોલીસ મથકે કાલુપુરના રહેવાસી આરોપી મુસ્તકીમ શેખ અને સરખેજના રહેવાસી મહંમદ સુલતાન શેખ સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા, કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. વેચાણ કરવાના ઈરાદાથી MD ડ્રગ્સ લાવ્યાકેસને વિગતે જોતા વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં પોલીસને બાતમી મળી હતી કે, વિશાલા ત્રણ રસ્તા પાસે આવેલ કાઠીયાવાડી હોટલની બહાર ટુ વ્હીલર ઉપર યુવકો MD ડ્રગ્સ સાથે ઉભા છે. તેઓ વેચાણ કરવાના ઈરાદાથી MD ડ્રગ્સ લાવ્યા છે. આરોપીઓના ખિસ્સામાંથી 54.43 ગ્રામ MD ડ્રગ્સ મળ્યુંઉપરોક્ત બાતમીને આધારે વિશાલા ત્રણ રસ્તા પાસેથી પોલીસે આરોપી મુસ્તકીમ શેખ અને મહંમદ સુલતાન શેખને ઝડપી પાડ્યા હતા. જેમના ખિસ્સામાંથી 54.43 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.43 લાખ રૂપિયા થવા જાય છે. કોર્ટે બંને આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારીઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કેસમાં કુલ ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી બે આરોપી ભાગેડુ છે. NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલિલો, સાક્ષીઓ અને પુરાવા તપાસીને બંને આરોપીને 10 વર્ષની કેદ અને 02- 02 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
દારૂની 90 હજાર બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું:મહેસાણામાં બે વર્ષમાં ઝડપાયેલા 3 કરોડના દારૂનો નાશ
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી. મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરાઈ હતીમહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બે વર્ષમાં અંદાજે 90,000થી વધુ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કાચ-પ્રવાહીને દાટી દેવાયુંઆ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, ડીવાયએસપી મિલાપ પટેલ તેમજ સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ કાફલાની કડક દેખરેખ હેઠળ યોજાઈ હતી. રોડ પર ગોઠવવામાં આવેલી હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ પર્યાવરણ અને સલામતીને ધ્યાને રાખી બાજુમાં જ ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આ તમામ કાચ અને પ્રવાહીને દાટી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બોટાદમાં બે મહિના પહેલા થયેલા મારામારીના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓ પૈકી ચારને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સંજય મથુર ખસીયા, સુનિલ ખસીયા, પ્રદિપ ખસીયા અને ભાવિન પરમારની ધરપકડ કરી છે. આ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. બોટાદ પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી સંજય ખસીયા મધ્યપ્રદેશમાં છુપાયો હતો. બોટાદ ડિવિઝનની ટીમે મધ્યપ્રદેશના મનાસા તાલુકાના પરદા ગામે પહોંચીને તેને પકડી પાડ્યો હતો. અન્ય ત્રણ આરોપીઓને બોટાદમાંથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. બોટાદ ટાઉન પીઆઈ ખરાડી અને પોલીસ કાફલા સાથે પકડાયેલા ચારેય આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટનાના રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
બનાસકાંઠામાં 31 લાખ લીટરથી વધુ ઇંધણનો સ્ટોક:કલેક્ટરે અફવાઓ ટાળી બિનજરૂરી લાઈનો ન કરવા અપીલ કરી
બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો ન કરવા અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાના કુલ 199 પેટ્રોલ પંપ પર 31 લાખ લીટરથી વધુ ઇંધણનો સ્ટોક છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઇંધણનો પુરવઠો જાળવી રાખવા માટે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી છે. કલેક્ટરે નોંધ્યું કે છેલ્લા 12 થી 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણો વધી ગયો છે. આ બિનજરૂરી ઉપાડ ગભરાટ અને અફવાઓને કારણે થઈ રહ્યો છે, જેના લીધે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. તેમણે ફરીથી સ્પષ્ટતા કરી કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કલેક્ટરે નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી રીતે લાઈનોમાં ઊભા ન રહેવા વિનંતી કરી છે.
શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી પરમાનંદ હાઉસિંગ સોસાયટીમાં મિલકત ટ્રાન્સફરના એક વિવાદાસ્પદ મુદ્દે શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, ટ્રસ્ટનો આક્ષેપ છે કે અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એજણાવ્યું હતું કે, શહેરના ક્રેસન્ટ શિશુવિહાર અને મહિલા સર્કલ જેવા વિસ્તારો સનાતની અને જૈન પરિવારોની વસ્તી ધરાવતા કેન્દ્રો છે અહીં ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું પવિત્ર દેરાસર પણ આવેલું છે જેમાં પરમાનંદ હાઉસિંગ સોસાયટીના પ્લોટ નં.605/એ-2 અને 605/બી-2 પર નિર્મિત 22 ફ્લેટનું વેચાણ સોસાયટીના પેટા-નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે, આ વેચાણથી સ્થાનિક સમુદાયની ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે અને વિસ્તારની શાંતિ જોખમાઈ શકે તેમ છે, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના મતે ધાર્મિક સ્થળની 500 મીટરની ત્રિજ્યામાં આવા ટ્રાન્સફર પર રોક હોવી જોઈએ, આ પત્રમાં જણાવ્યું હતું કે, આ મામલે ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ લાવવા અને તપાસ કરવા માંગણી કરાઈ હતી, જેની 2023 માં અશાંત ધારો જાહેર થયા બાદ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી, અને આ બાબતે રાજ્યના ગૃહમંત્રી, કલેક્ટર, ડી.એસ.પી. અને સ્થાનિક રાજકીય અગ્રણીઓને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે તાજેતરમાં દ્વારા આ વિવાદાસ્પદ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.

29 C