SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

પીઆઇની બદલીમાં ભલામણને સ્થાન નહીં:બદલી થઈને આવેલા PIને કામગીરી, ઇનામ અને વર્તણુંકને આધારે અને વિવાદિતને સાઈડ પોસ્ટિંગ અપાશે

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે. કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને લઈને પોતાના અધિકારીઓને પોસ્ટિંગ કરાવવા માટે વહીવટદારો અને વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. અગાઉ વિવાદમાં આવેલા પીઆઇને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે. PIની પોસ્ટિંગમાં વચેટિયાઓની મહત્વની ભૂમિકાકેટલાક અધિકારીઓને બાદ કરતાં અમદાવાદ શહેરમાં જ્યારે પણ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થાય કે પછી તેમને પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી. વચેટિયા પોતાના પીઆઇને ચોક્કસ પોલીસ મથકમાં પોસ્ટિંગ અપાવે પછી તેની મરજી મુજબ જ PIને કામગીરી કરવી પડે. બીજી તરફ જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના PIને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય. ટ્રેક રેકોર્ડને આધારે પોસ્ટિંગથી કેટલાક નારાજ તો કેટલાક ખુશઆ તમામ પરિબળોને દૂર રાખીને પીઆઇની કામગીરી તેમનો ટ્રેક રેકોર્ડ જોઈને તેમની યોગ્યતા મુજબ પોસ્ટિંગ આપવાની પ્રથા હાલ ચાલી રહી છે. જેને કારણે કેટલાક અધિકારીઓ નારાજ છે તો કેટલાક મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખુશ છે. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં 3 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. પીઆઇનના પોસ્ટિંગમાં ભલામણને સ્થાન નહીંહવે તાજેતરમાં જ રાજ્યના સાડા પાંચસો કરતાં વધુ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 65 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. બદલી સાથે અમદાવાદ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ગણતરીના કલાકોમાં પોસ્ટિંગ આપી દેવાશે. કમિશનર કચેરી દ્વારા કોઈ પણ PIના પોસ્ટિંગ માટે ભલામણ કરનારને “સોરી” કહી દેવામાં આવી રહ્યું છે. અધિકારીને તેની યોગ્યતા મુજબ જ પોસ્ટિંગ મળે તેવી કવાયત ચાલી રહી છે. વિવાદિત પીઆઇને સાઇડ પોસ્ટિંગઅગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા કામગીરી નબળી હોય તેવા પીઆઇને કંટ્રોલ રૂમ કે ટ્રાફિકમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હાલમાં ફરજ બજાવતા કેટલાક પીઆઇને આંતરિક બદલી આવે તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

AMTS ડ્રાઈવર મોહસીન પઠાણે મોહિત બની મહિલાને પ્રેમજાળમાં ફસાવી:ત્રણ બાળકો છતાં અપરિણીત હોવાનું કહી દુષ્કર્મ આચર્યું, ઓળખ છૂપાવવા નકલી આધાર બનાવ્યું; આરોપીની ધરપકડ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં AMTS બસ ડ્રાઈવર મોહસીન પઠાણે પોતાની ઓળખ છુપાવી 'મોહિત પટેલ'ના નામે એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ ખોટું આધાર કાર્ડ બનાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેનો ભાંડો ફૂટતા ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો?શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં નોકરી કરતી મહિલા બસમાં અવરજવર દરમિયાન ડ્રાઈવર મોહસીન પઠાણના સંપર્કમાં આવી હતી. મૂળ ગોધરાનો રહેવાસી અને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મોહસીને પોતાનું નામ 'મોહિત પટેલ' હોવાનું અને પોતે અપરિણીત હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની ખાતરી આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. હોટલમાં એન્ટ્રી માટે તે 'મોહિત પટેલ'ના નામનું નકલી આધાર કાર્ડ પણ રજૂ કરતો હતો. મોબાઈલ તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યોમહિલાને શંકા જતાં તેણે આરોપીનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી તેને આરોપીની બહેનનો નંબર મળી આવ્યો હતો. તેની બહેન સાથે વાતચીત કરતા સત્ય સામે આવ્યું કે તેનું સાચું નામ મોહસીન પઠાણ છે. વધુમાં તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો પણ છે. જ્યારે મહિલાએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે મોહસીને તેને ધમકી આપી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીપીડિત મહિલાએ સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ નકલી આધાર કાર્ડ કોની મદદથી બનાવ્યું હતું અને અગાઉ આ પ્રકારે અન્ય કોઈ મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ. આગામી રિમાન્ડ દરમિયાન આ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

પનીર અંગેનું બોર્ડ ન લગાવતા ભૈરવનાથ પંજાબી તડકા સીલ:અમદાવાદમાં 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. AMC ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું જેથી તેને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબદી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવતો અને રસોડામાં ગંદકી જોવા મળી હતી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્તમ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી 6 નામના કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી રાધે ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 199 કિલો અને 318 લિટર અખાદ્ય જથ્થો નાશઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ 30 કોર્પોરેટરની ટિકિટ કાપશે!:વિવાદો, ત્રણ ટર્મ સહિતના મુદ્દે દિગ્ગજોના પત્તા કપાશે, જાણો કયા વોર્ડમાં કોની બાદબાકી થઈ શકે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે જેમાં આપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા બાદ આગામી બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપે નવા સંગઠનની જાહેરાત સમયે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા તે રીતે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતમાં અનેક દિગ્ગજો અને વિવાદિત ચહેરાઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપશે તેવી રાજકોટ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વખતે ભાજપના ઉમેદવારોની જાહેરાત પૂર્વે ઘણા વોર્ડમાં જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી છે, જેની મતદાન અને ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી અસર થશે તે જોવાનું રહ્યું. જૂના અને વિવાદિત કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે!રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તે પહેલા આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નવા સિમાંકન અને પાર્ટીના ટિકિટના માપદંડને કારણે આ વખતે અનેક જૂના અને વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પત્તા કપાવાની શક્યતા સેવાઈ રહી છે. ગત મનપાની ચૂંટણીમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. જે પૈકી લગભગ 25થી 30 જેટલા કોર્પોરેટરોને કાપી ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભાનુ બાબરિયા અને હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે!વોર્ડ-1માંથી ભાનુ બાબરિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ હાલ રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વોર્ડ-1માંથી યુવા કોર્પોરેટર હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે. કારણ કે, તેમની સામે આક્ષેપો થયા હતા કે, TRP અગ્નિકાંડના આરોપી ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયા સાથે તેમની સાંઠ ગાંઠ છે અને પોતે આ વોર્ડના સ્થાનિક રહેવાસી પણ નથી. તેઓ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી પણ વાકેફ ન હોવાથી વોર્ડ 1ના ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓ પણ ક્યાંક નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત સામાજિક લેવલે પણ તેમનો વિરોધ ખુબ ચર્ચાસ્પદ રહ્યો છે. દર્શિતા શાહ અને મનિષ રાડિયાની ટિકિટક કપાશે!વોર્ડ-2માં ડો.દર્શિતાબેન શાહની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ હાલ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે. આ ઉપરાંત મનિષ રાડિયા કે જેઓ ગત ટર્મમાં મનપામાં દંડક રહી ચૂક્યા છે અને તેમની ઉંમર હાલ 61 વર્ષની છે માટે તેમની ટિકિટ કપાવાની શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે. આ ઉપરાંત મીનાબા જાડેજાની ટિકિટ પણ કપાઈ શકે છે અને જ્ઞાતિ આધારિત સમીકરણો બેલેન્સ કરવામાં આવશે, જ્યારે વોર્ડ-3માંથી બાબુ ઉધરેજાની ટિકિટ કપાઈ શકે છે અને કુસુમબેન ટેકવાણીના બદલે સિંધી સમાજમાંથી અન્ય મહિલાને ટિકિટ ફાળવે તેવી ચર્ચા છે. પતિ સામે કૌભાંડના આક્ષેપોને કારણે વજીબેન ગોલતર ટિકિટ કપાઈ શકે!વોર્ડ-4માંથી નયનાબેન પેઢડિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ પોતાના છેલ્લા અઢી વર્ષમાં મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન સતત વિવાદોના ઘેરામાં સપડાયેલા રહ્યા છે. જ્યારે વોર્ડ-5માંથી વજીબેન ગોલતર કે જેમના પતિ દ્વારા ગેરકાયદેસર આવાસ મેળવી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થતા પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજ વોર્ડના યુવા કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલને સીમાંકનના કારણે કાપવામાં આવે તેવી શક્યતા છે. નેહલ શુક્લને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણવોર્ડ-6ના દેવુબેન જાદવે પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી છે. તેમની સાથે વોર્ડ-6માંથી ભાવેશ દેથરિયાની પણ બાદબાકી કરી પાર્ટી દ્વારા નવા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-7માંથી દેવાંગ માંકડે દાવેદારી જ નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં આવશે નહીં, જ્યારે નેહલ શુક્લ ગત અઢી વર્ષ દરમિયાન સતત કોઈને કોઈ વાતને લઈ સ્ટેન્ડિંગ બેઠકમાં વિરોધ નોંધાવી પાર્ટીથી વિરૂદ્ધ રહેતા હોવાના આક્ષેપ થયા તેમને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ કરવામાં આવી છે. પુષ્કર પટેલે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા નવા ચહેરાને તકવોર્ડ-8માંથી ડો. દર્શના પંડ્યા કે જેમને દાવેદારી નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં નહીં આવે. આજ વોર્ડના બદલેલા સીમાંકનના આધારે અશ્ચિન પાંભર અને બિપીનભાઈ બેરાને બદલે અન્યને સ્થાન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-9માં સીમાંકન બદલતા પૂર્વ કોર્પોરેટર જીતુભાઈ કોટડિયાના બદલે તેમના પત્નીએ દાવેદારી નોંધાવી છે. જ્યારે બે-બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલે આ વખતે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા તેઓની પણ ટિકિટ કપાશે અને નવા ચહેરાને તક આપવામાં આવશે. વોર્ડ-12માં પતિના બળવાથી પત્નીની ટિકિટ કપાશેવોર્ડ-10માં નરેન્દ્રસિંહ વાઘેલાને કાપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આજ રીતે વોર્ડ-11માં રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠિયાની ટિકિટ કપાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે વોર્ડ-12માં મગન સોરઠિયા અને અસ્મિતાબેન દેલવાડિયાની ટિકિટ કપાશે. કારણ કે, અસ્મિતાબેનના પતિએ બળવો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે માટે અસ્મિતાબેનને પક્ષ ટિકિટ ફાળવશે નહીં. ત્રણ ટર્મથી ટિકિટ ફાળવણીને કારણે જયાબેનને બદલે અન્યને ટિકિટવોર્ડ-13માં જયાબેન ડાંગર પણ કપાશે. કારણ કે, તેમના પરિવારમાંથી 3 ટર્મ કરતા વધુ સમયથી ટિકિટ ફાળવણી થઈ રહી છે માટે આ વખતે તેમના બદલે અન્યને ટિકિટ આપવામાં આવશે. જ્યારે નિતીન રામાણીનું નામ પણ TRP ગેમઝોન અગ્નિકાંડ સમયે ચર્ચામાં આવ્યું હતું અને તેમની પણ ક્યાંકને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી હોવાના કારણે વિવાદોમાં આવી ચૂકેલાને ટિકિટ ફાળવશે નહીં. વિનુ ઘવાની 3 ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકેવોર્ડ-16માં નરેન્દ્ર ડવની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે વોર્ડ-17માં અનિતાબેન ગોસ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ દાવેદારી કરી નથી અને વિનુ ઘવાની ત્રણ ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકે છે. આજ રીતે વોર્ડ-18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા વિવાદમાં આવતા તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે. ભાજપ આ કોર્પોરેટરોને રિપીટ કરી શકે છેઉલ્લેખનીય છે કે, આગામી એક કે બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદારોની યાદી જાહેર કરે તેમાં રિપીટ કોર્પોરેટરના નામોમાં પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરિયા અથવા તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર અંજના મોરઝરિયા, કંચનબેન સિદ્ધપુરા, જ્યોત્સનાબેન ટીલાડા, સુરેન્દ્રસિંહ વાળા, લીલુબેન જાદવ, ડો. રાજેશ્રીબેન ડોડિયા, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા અને દિલીપ લુણાગરિયાનો સમાવેશ થઈ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 am

પાટણના 71 શ્રમજીવી પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ:સોસાયટીના સભ્યોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી, વૈકલ્પિક જગ્યાની માગ સાથે સામૂહિક આપઘાતની મહિલાની ચીમકી

પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં વસવાટ કરતા 71 ગરીબ પરિવારો પર બેઘર થવાનું સંકટ આવ્યું છે. સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ પરિવારોને 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર, ગત 2 એપ્રિલ, 2026ના રોજ નોટિસ આપીને માત્ર એક અઠવાડિયામાં (9 એપ્રિલ, 2026 સુધીમાં) મકાનો ખાલી કરી દેવાનો આદેશ કરાયો છે. રોજ કમાઈને ખાનારા આ શ્રમજીવી પરિવારો માટે આટલા ટૂંકા ગાળામાં અન્યત્ર ક્યાં જવું તે મોટો પ્રશ્ન બન્યો છે. આજે સોસાયટીના સભ્યો પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેઓ કાયદાના વિરોધમાં નથી, પરંતુ તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ જમીન કે મકાન નથી. તેમણે માંગ કરી હતી કે જો સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવે, તો તેઓ સ્વેચ્છાએ આ જગ્યા ખાલી કરવા તૈયાર છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર આવી જવાની ભીતિ વ્યક્ત કરતા રહીશોએ માનવતાના ધોરણે વધુ સમય આપવા અને પ્લોટ ફાળવવા આજીજી કરી હતી. રજૂઆત દરમિયાન સોસાયટીની એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી પાસે બીજું કોઈ ઘર નથી. જો અમને રહેવા માટે અન્ય જગ્યા ફાળવવામાં નહીં આવે અને અમારા મકાનો તોડી પાડવામાં આવશે, તો અમે શ્રમજીવી સોસાયટીમાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈશું. આ નિવેદનને પગલે વાતાવરણ ગંભીર બન્યું હતું.શ્રમજીવી સોસાયટીના રહીશોએ નગરપાલિકા અને સરકારને અપીલ કરી છે કે ગરીબ માણસોના હિતમાં નિર્ણય લઈ, તેમને ઘરવિહોણા થતા બચાવવામાં આવે અને યોગ્ય પ્લોટની ફાળવણી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:31 pm

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય!

Global Population Crisis : માનવજાતના અસ્તિત્વ પર મોટું પ્રશ્નચિહ્ન લગાવે એવા ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક નવો વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે કે, માનવવસ્તીને સહન કરવાની પૃથ્વીની ક્ષમતા ઓછી થઈ રહી છે. જો આપણે આપણી જીવનશૈલી નહીં બદલીએ તો 2060 સુધીમાં વિશ્વની વસ્તી 12 અબજ સુધી પહોંચી જશે. એટલે કે, પૃથ્વી પર લોકોની સંખ્યા એટલી વધી જશે કે કુદરત પાસે આપણને જરૂરી પાણી, હવા અને ખોરાક આપવાની તાકાત રહેશે નહીં. વિજ્ઞાનીઓ કહે છે કે અત્યારે પણ આપણે મર્યાદા કરતાં વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે મુદ્દો કેટલો ગંભીર અને ચિંતાજનક છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 11:30 pm

પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ:જિલ્લામાં બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી, 248 ફોર્મ ઉપડ્યા

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર જમા થયું નથી. નોંધનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાં એક પણ ઉમેદવારી પત્ર વિધિવત રીતે ભરાયું નથી. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ધસારો સૌથી વધુ જોવા મળ્યો છે. આજે વધુ 92 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. છેલ્લા બે દિવસમાં ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી કુલ 248 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. નગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતોમાં પણ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા તાલુકા પંચાયતમાં બે દિવસ દરમિયાન કુલ 75 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આદિવાસી બહુલ મોરવા હડફ તાલુકામાં પણ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં બે દિવસમાં 28 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. રાજકીય પક્ષો દ્વારા મેન્ડેટ અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ હોવાથી ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરાવાની પ્રક્રિયામાં વેગ આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:16 pm

પંચમહાલ SOG એ રાયોટીંગના બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓ ગોધરામાંથી પકડાયા

પંચમહાલ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ગોધરામાં રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી ફરાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી રાયોટીંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. રેન્જ આઈજી વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના હેઠળ, SOG પીઆઈ એમ.એ. વાઘેલાના માર્ગદર્શનમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહસીન મહંમદયુસુફ કાલું (રહે. વચલા ઓઢા, મુસ્લિમ સોસાયટી-એ, વેજલપુર રોડ, ગોધરા) અને ફરદીન અલ્તાફ ઝબા (રહે. ઈશાક મસ્જિદની પાછળ, સિંગલ ફળીયા, ગોધરા) નો સમાવેશ થાય છે. મોહસીનને મુસ્લિમ એ સોસાયટી વિસ્તારમાંથી અને ફરદીનને મેડ સર્કલ પાસેથી પકડવામાં આવ્યો હતો. હાલમાં, બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:11 pm

બોટાદ SOGએ હડદડમાંથી 1 કિલો ગાંજો ઝડપ્યો:રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો, વેચનાર-ખરીદનારની ધરપકડ

બોટાદ SOG પોલીસે હડદડ ગામમાંથી 1.002 કિલોગ્રામ સુકો ભેજયુક્ત ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ગાંજો વેચનાર અને ખરીદનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 60,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે, હડદડ ગામે રહેતા પ્રદિપસિંહ ભીખુભા ગોહિલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી 1.002 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો વેચનાર પ્રદિપસિંહ ભીખુભા ગોહિલ અને ગાંજો ખરીદવા આવેલા બોટાદના રામકુભાઈ કાળુભાઈ ગીડાની અટકાયત કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:10 pm

મોરબીમાં ત્રણ વાહનમાંથી 9924 દારૂની બોટલ જપ્ત:57.43 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો, પાંચની શોધખોળ

મોરબી પોલીસે ગુલાબનગર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જુદા જુદા ત્રણ વાહનમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 57.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.સી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબનગર વિસ્તારમાં ખાનગી વાહનોમાં દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે, પોલીસે મોરબીના બાયપાસ રોડ પર આવેલ ગુલાબનગર શેરી નંબર 1 માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે સ્થળ પરથી ત્રણ શંકાસ્પદ વાહનો શોધી કાઢ્યા હતા. જેમાં કેરી ગાડી નંબર GJ 3 BZ 1336, કેરી ગાડી નંબર GJ 3 BZ 5747 અને બોલેરો ગાડી નંબર GJ 36 V 0323 નો સમાવેશ થાય છે. આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા. વાહનોની તલાશી લેતા તેમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 50,38,800 રૂપિયા આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 7 લાખ રૂપિયાની કિંમતના ત્રણ વાહનો અને 5000 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, કુલ 57,43,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (ઉંમર 19, રહે. ગુલાબનગર શેરી નંબર 1, મોરબી) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં, મુસ્તકિમે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), ઓમાન અશરફભાઈ ધારાણી (રહે. ખોજા સોસાયટી, લાયન્સ નગર, મોરબી), યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા (રહે. વજેપર, મોરબી) અને ભીમશી કોળી (રહે. કાગદડી, તા. રાજકોટ) ના નામ આપ્યા હતા. પોલીસે કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા પાંચ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:08 pm

હિંમતનગર: હાથમતી નદી કિનારે 5 ઓરડીઓ ધરાશાયી:કમોસમી વરસાદથી માટી ધોવાતા મકાનો પડ્યા

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલી પાંચ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મકાન માલિકોએ આ અંગે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ઘટના મંગળવારે સાંજે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રાજેન્દ્રબાગ નજીક બની હતી. હાથમતી નદી કિનારે આવેલી નંદુભાઈ ડાભીની ત્રણ અને તેમની બાજુમાં આવેલી નરોત્તમભાઈ જયશ્રીરામ પાલની બે, એમ કુલ પાંચ બંધ ઓરડીઓ ધરાશાયી થઈ હતી. નદીમાં પાણીના પ્રવાહને કારણે માટીનું ધોવાણ થતાં આ ઓરડીઓ પડી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં દિવસ દરમિયાન આશરે 1 ઇંચ (23 મિમી) અને તલોદમાં પોણો 1 ઇંચ (18 મિમી) વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે: ખેડબ્રહ્મા: 00 મિમી, વિજયનગર: 08 મિમી, વડાલી: 10 મિમી, ઇડર: 03 મિમી, હિંમતનગર: 23 મિમી, પ્રાંતિજ: 08 મિમી, તલોદ: 18 મિમી, પોશીના: 00 મિમી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:04 pm

નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર:રાજપીપળા શહેરી વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ

નર્મદા જિલ્લામાં એક નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાતાની સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો સક્રિય બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. આથી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા ફ્લેગમાર્ચ યોજી જરૂરી વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને ગામોમાં ફ્લેગમાર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજપીપળા નગરપાલિકાના સાત વોર્ડમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને રાજપીપળા ટાઉન વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની આગેવાની હેઠળ ટાઉન પીઆઈ અને તેમની ટીમે ફ્લેગમાર્ચ કરી હતી. આ ફ્લેગમાર્ચ કાછિયાવાડ, કસ્બાવાડ, દરબાર રોડ, સોનીવાડ, માલીવાડ, દોલત બજાર અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:02 pm

મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન સામે વિરોધ:મોરબીમાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યાં, કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા હતા. આ નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ભાજપ પરિવારે મંગળવારે સાંજે 7 વાગ્યે ભક્તિનગર સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે તેવી માંગ કરી હતી. પ્રદર્શન દરમિયાન 'ગુજરાત વિરોધી કોંગ્રેસ હાય હાય' અને 'મલ્લિકાર્જુન ખડગે હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, નયનભાઈ કવર, નીતેશભાઇ બાવરવા, નિલેશભાઈ પટેલ, સુરેશભાઈ શિરોહીયા, નિર્મળાબેન હડિયલ અને મમતાબેન સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા રહી છે. તેમણે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ પાસેથી તાત્કાલિક માફીની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 11:01 pm

ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોરબીમાં વિરોધનો સૂર:વોર્ડ 8માં આયાતી નહીં, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ; અન્યથા અપક્ષમાંથી ઉમેદવારી કરાવી તેમને જીતાડવાની ચીમકી

મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના દ્વારા આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતાને પગલે વિરોધનો સૂર ઉઠ્યો છે. ચિત્રકૂટ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનો મુખ્ય હેતુ ભાજપ દ્વારા આ વોર્ડમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચાઓનો વિરોધ કરવાનો હતો. સ્થાનિકોની માંગ છે કે, ભાજપના જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની માંગણી કરી છે, તેમાંથી કોઈ એકને ટિકિટ આપવામાં આવે. જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક લોકો ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટાડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપે હજુ સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી નથી, ત્યારે જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. અગાઉ, મોરબીના વોર્ડ નંબર 3માંથી ઓબીસી સમાજના લોકોએ જિલ્લા, શહેર અને પ્રદેશ ભાજપને આવેદનપત્ર પાઠવીને આયાતી નહીં, પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. આ ઘટનાક્રમ બાદ આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વોર્ડ નંબર 8ના મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને ભજીયા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર કે આગેવાન દ્વારા નહીં, પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી આ વિસ્તારમાં ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓની ટિકિટની માંગણીને અવગણીને પક્ષ દ્વારા આયાતી ઉમેદવારને મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ સંકલ્પ કર્યો હતો કે, જો ભાજપ દ્વારા વોર્ડ નંબર 8માં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો તેઓ સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટણીમાં વિજય અપાવશે. મોરબીના જુદા જુદા વોર્ડમાંથી ઉઠી રહેલા આવા વિરોધના સૂરને કારણે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:47 pm

ઈન્ડિયન રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 1.80 લાખની છેતરપિંડી:વીડિયો કોલ કરી વૃદ્ધને ફસાવ્યા, વાઇરલની ધમકી આપી ડરાવ્યા; યુટ્યુબના જનરેલ મેનેજર બની રૂપિયા પડાવ્યા

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર ગઠીયાઓની જાળમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. વોટ્સએપ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઇલિંગનો ભોગ બનેલા આ વૃદ્ધ પાસેથી ઠગ ટોળકીએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કુલ ₹1.80 લાખ પડાવી લીધા છે. આ મામલે ભોગ બનનારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો?ભારતીય રેલવેમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધને 26 ડિસેમ્બર 2025ના રોજ નમાઝના સમયે એક અજાણી મહિલાનો વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. વૃદ્ધે કોલ રિસીવ કરતા જ સામે મહિલા દેખાતા તેમણે તરત જ કોલ કટ કરી દીધો હતો. બીજા દિવસે એટલે કે 27 ડિસેમ્બરે વીડિયો વાઇરલ કરવાની ધમકી મળવાનું શરૂ થયું હતું. 28 ડિસેમ્બરે એક વ્યક્તિએ 'દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર યોગી' તરીકે ઓળખ આપી વૃદ્ધને ડરાવ્યા હતા. ઠગ ટોળકીએ વીડિયો ડિલીટ કરવાના બહાને 'યુટ્યુબના જનરલ મેનેજર અજય શર્મા' સાથે વાત કરાવી હતી અને બલરામ નામના વ્યક્તિના બેંક ખાતામાં રકમ જમા કરાવવા દબાણ કર્યું હતું. વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂડરના માર્યા વૃદ્ધે ટુકડે-ટુકડે ₹1.80 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા, તેમ છતાં ગઠીયાઓએ વધુ ₹50 હજારની માંગણી ચાલુ રાખી હતી. અંતે છેતરપિંડીનો અહેસાસ થતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:26 pm

વઢવાણ વાઘેશ્વરી માતાજીને એક કિલો સોનું અર્પણ:સોની સમાજ દ્વારા 45મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો

વઢવાણ ખાતે વાઘેશ્વરી માતાજીનો 45મો પાટોત્સવ સોની સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે માતાજીને એક કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા સોની સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ભવ્ય આયોજનમાં સોની સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે સમાજ દ્વારા આ વિશેષ સુવર્ણ અર્પણ કરવામાં આવ્યું હતું, જે પાટોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. મંદિર પરિસરમાં વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન-કીર્તન અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ ધર્મલાભ લીધો હતો. સમગ્ર પાટોત્સવનું આયોજન સોની સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે આ ઉત્સવ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:24 pm

વાવોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:પ્લાસ્ટિક, ટાયર ને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો

ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા એક વિશાળ ભંગારના ગોડાઉનમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કચરાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્લાસ્ટિક, ટાયરને કારણે આગ ઝડપથી પ્રસરીન્યૂ વાવોલ પાસે સ્થિત આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી પ્રસાર કર્યો હતો, જેના ધુમાડાના ગોટા દૂર સુધી આકાશમાં દેખાયા હતા. ગાંધીનગર ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, ભંગારના જથ્થાના અંદરના ભાગમાં આગ હોવાથી ફાયર કર્મીઓને તેને સંપૂર્ણપણે ઓલવવામાં ભારે જહેમતનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાયોઆ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાનપ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:20 pm

સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પરબો શરૂ:જૈન સોશિયલ ગ્રુપ અને દીપ્તિબેન ટ્રસ્ટના સહયોગથી ત્રણ સ્થળોએ સેવા શરૂ

સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને સામાન્ય જનતાને ઠંડું પાણી પૂરું પાડવા માટે ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અને દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવાના ઉમદા હેતુથી આ પરબો શરૂ કરાઈ છે. આ પહેલમાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વિના સૌને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરબો સુરેન્દ્રનગરના ત્રણ અલગ અલગ સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે. જેમાં મહેતા મોબાઈલ (ફોનવાલે), એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે; રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક; અને શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડનો સમાવેશ થાય છે. આ સેવાકીય કાર્યના પ્રારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. ઉનાળાની ઋતુમાં રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:19 pm

ભીમરાડ અને રાંદેરની દુર્ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું:જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય ફરજીયાત, સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી પડશે

સુરત શહેર આજે આધુનિક ગગનચુંબી ઇમારતોનું હબ બની રહ્યું છે. મુંબઈ જેવી મેટ્રો સિટીની જેમ અહીં પણ હાઈરાઈઝ બિલ્ડિંગોનો ક્રેઝ વધ્યો છે, પરંતુ આ ભવ્યતાની નીચે એક ગંભીર જોખમ પણ દટાયેલું છે. તાજેતરમાં શહેરના ભીમરાડ, રાંદેર અને અડાજણ જેવા વિસ્તારોમાં નિર્માણાધીન સાઇટ્સ પર બૅઝમેન્ટના ખોદાણ દરમિયાન જે રીતે પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તેણે સુરત મહાનગરપાલિકાને એક્શન મોડમાં લાવી દીધી છે. બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યાસુરતમાં જમીનના ભાવ આસમાને હોવાથી બિલ્ડરો હવે વધુમાં વધુ એફ.એસ.આઈ. (FSI) નો ઉપયોગ કરી રહ્યા છે. નિયમ મુજબ પાર્કિંગની સુવિધા આપવા માટે બિલ્ડરો જમીનની અંદર 3થી 4 માળ ઊંડા બૅઝમેન્ટ બનાવી રહ્યા છે. આ ખોદાણ 40થી 60 ફૂટ સુધી ઊંડું હોઈ શકે છે. આટલી ઊંડાઈએ જ્યારે ખોદાણ કરવામાં આવે ત્યારે આસપાસની જમીન અને મિલકતોને પકડી રાખવા માટે ‘ડી-વોલ’ બનાવવામાં આવે છે. જો આ દીવાલ જરા પણ કાચી પડે તો આખી સાઈટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે. 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતીભીમરાડ વિસ્તારમાં આવેલી વિવાન પ્રોજેક્ટની સાઈટ પર બનેલી ઘટનાએ ટેકનિકલ નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા હતા. અહીં 40 ફૂટ પહોળી મજબૂત ગણાતી ડી-વોલ ધસી પડી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આસપાસની મિલકતો પર મોટું જોખમ ઊભું થયું હતું. દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, મજબૂત દીવાલ ટકી શકતી નથીનિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં 'વોટર ટેબલ' (ભૂગર્ભ જળ સ્તર) ખૂબ જ ઊંચું છે. જ્યારે બૅઝમેન્ટ માટે ઊંડું ખોદાણ કરવામાં આવે છે, ત્યારે બહારની તરફથી પાણીનું અને ભીની માટીનું પ્રચંડ દબાણ દીવાલ પર આવે છે. જો આ દબાણની ગણતરીમાં સહેજ પણ ભૂલ થાય, તો ગમે તેવી મજબૂત દીવાલ પણ ટકી શકતી નથી. જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્યસામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રે GDCRના નિયમોનું પાલન થતું હોય છે. વર્તમાન GDCRમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે બૅઝમેન્ટની મંજૂરી માટે સોઈલ ટેસ્ટિંગ કે જીઓ ટેકનિકલ રિપોર્ટ આપવો જ જોઈએ. જોકે, સુરત મનપાના સેન્ટ્રલ ટીડીઓ વિભાગે જોયું કે કાયદાકીય જોગવાઈઓની રાહ જોવામાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આથી, મનપાએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે બે કે તેથી વધુ બૅઝમેન્ટ હોય ત્યાં જીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય અનિવાર્ય.નકશા પાસ કરતા પહેલા જમીનની ભીતરની સ્થિતિનો વૈજ્ઞાનિક રિપોર્ટ તપાસવો. માત્ર સ્ટ્રક્ચર એન્જિનિયર નહીં, પણ સોઈલ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ જ પ્રોટેક્શન વોલ બનાવવી. મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું મનપાએ આ નવા નિયમનો કડક અમલ શરૂ કરી દીધો છે. તેના બે તાજા ઉદાહરણો સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં વિવાન પ્રોજેક્ટ (ભીમરાડ): અહીં અકસ્માત બાદ ટેકનિકલ કમિટીએ તપાસ કરી. જીઓ ટેકનિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે 3 બૅઝમેન્ટ બનાવવાથી જમીન પરનું દબાણ અસહ્ય થઈ જશે. પરિણામે, મનપાએ બિલ્ડરને પ્લાન રિવાઇઝ કરવા જણાવ્યું અને હવે અહીં 3 ને બદલે માત્ર માણીયા હોસ્પિટલ (અડાજણ): અડાજણની આ સાઈટ પર પણ દીવાલ તૂટવાની ઘટના બની હતી. પરંતુ અહીં જ્યારે જીઓ ટેકનિકલ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે જરૂરી સુધારા-વધારા સાથે 3 બૅઝમેન્ટ સુરક્ષિત છે. એક્સપર્ટે અહીં સંખ્યા ઘટાડવાનું સૂચન ન આપતા, 3 બૅઝમેન્ટ યથાવત રાખવા દેવાયા છે. આ બે કિસ્સાઓ સાબિત કરે છે કે હવે મનપા 'વન સાઈઝ ફિટ્સ ઓલ' ના બદલે દરેક સાઈટની ભૌગોલિક સ્થિતિ મુજબ નિર્ણય લઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:17 pm

134 બેન્ક ખાતામાં 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરીને સાયબર ફ્રોડ કર્યું:ભાવનગરમાં ગુજસીકોટ દાખલ કરી 9ની ધરપકડ, બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા; મુખ્ય સુત્રધાર ફરાર

ભાવનગરમાં શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસમાં ગુજસીકોટનો ઉમેરો કરી 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે 9 આરોપીને ઝડપી પાડી રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે હજુ માસ્ટર માઈન્ડ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. 134 બેન્ક એકાઉન્ટ ને 21 કરોડથી વધુનું ટ્રાન્જેકશનભાવનગર જીલ્લામાં દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી જુદા-જુદા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં કુલ 134 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. 21,37,22,197 કે તેથી વધુનું ટ્રાન્જેકશન કર્યા હતાં. બોરતળાવ પોલીસે ગુજસીકોટ દાખલ કર્યોજેમાં NCRP પોર્ટલ પર કુલ કમ્પ્લેઈન 272ની થયેલ જેમાં કુલ રૂ. 8,11,81,246નું ફ્રોડ ટ્રાન્જેક્શન કરી બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી જે નાણા ચેક તથા એટીએમ મારફતે ઉપાડી ફ્રોડ કરીને રકમ સગેવગે કરી નાખી હતી. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણે ફરીયાદ આપતા ગેંગ વિરુધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4), 61(2) તથા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015ની કલમ કલમ.3(1), 3(2), 3(4), 3(5)હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 9 શખસની ધરપકડ, ગેંગનો માસ્ટર માઈન્ડ ફરારટોળકીના સભ્યો આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ, શાફીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ સરવૈયા, અમન ઈસુક્ભાઈ ઓફ્થાની, હર્ષદસિંહ અનકુભા સરવૈયા, દીપક વિઠ્ઠલભાઈ ગોહીલની ધરપકડ કરી લઈ રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે ઉક્ત સાયબર ફ્રોડના ગુનાનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે. કરોડો બેંક એકાઉન્ટમાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાઆરોપીઓએ ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગોનાઈઝ્ડ ક્રાઈમ સીંડીકેટ બનાવી સંગઠીત થઈ પોતાની ટોળકીનો ગુનાહિત હેતુ સિદ્ધ જુદા-જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એકટીવીટી માટે ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. તે ખાતાઓમાં સાયબર ક્રાઈમના ભોગબનનાર વ્યક્તિઓના નાણા મેળવી તે નાણા બેંક ખાતાની ઓનલાઈન નેટ બેંકીંગ સુવિધા મારફતે ખાતાઓમાં ટ્રાન્સફર કરી જુદી જુદી રીતથી રોકડમા રૂપાંતરીત કરી અથવા તે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લીધાં. આ ટોળકી દ્વારા આવા ગંભીર પ્રકારના ગુના આશરે છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર શહેર તથા રાજકોટ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આચરવામા આવ્યા હતાં. 'ફરિયાદમાં કલમ ઉમેરો કરીને ગુજસીટોક દાખલ કરાયો'ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમએ જણાવ્યું હતું કે, 24 તારીખે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાઇબરફ્રોડનો એક ગુનો દાખલ થયો હતો, જે આરોપીઓનો અમે ગુનાહિત ઇતિહાસ તપાસ્યો અને તેના આધારે અમને જાણવા મળ્યું કે તે તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આમાં ‘ગુજસીટોક’ (GUJCTOC) ની કલમો ઉમેરવાનો રિપોર્ટ કર્યો, જેને અમને IG અને SP તરફથી હકારાત્મક મંજૂરી મળી. જે આધારે આ ફરિયાદમાં કલમ ઉમેરો કરી ગુજસીટોક દાખલ કરવામાં આવી. 'મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો'ASP ગૌતમએ જણાવ્યું કે, જે મુખ્ય આરોપી છે દશરથ જેને કેટલાક વર્ષોથી તેને ભાવનગરમાં સંગઠિત સ્તરે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule Accounts) નું ખેડાણ કર્યું હતું. મ્યુલ એકાઉન્ટ્સના ખેડાણનો અર્થ એ છે કે, તેણે કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમને પોતાની નીચે બેસાડ્યા તથા તેમને ચોક્કસ કાર્યો સોંપ્યા. જેમ કે, કેટલાકને કહ્યું કે તમે જઈને મારા માટે અલગ-અલગ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ લઈ આવો. અને તે મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો. 'લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી'​ASPએ કહ્યું કે, અત્યાર સુધી અમે જે માહિતી એકઠી કરી શક્યા છીએ, તેમાં અમને ચાર સ્તરો જોવા મળ્યા છે અને બે MO (કાર્યપ્રણાલી) જોવા મળી છે. જો હું MOની વાત કરું, તો પહેલી MO એ છે કે કેવી રીતે મ્યુલ એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી. લોકોને વારંવાર લાલચ આપવામાં આવતી હતી કે તમે તમારા આધાર કાર્ડ અને ફોન નંબરના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી આપો. તેઓ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા, પછી એક વ્યક્તિ તે એકાઉન્ટ્સ મેળવતી હતી અને તેના ઉપરના વ્યક્તિને આપતી હતી. આ રીતે ચાર સ્તર પર ભાવનગરમાં સંગઠિત સ્તરે જાણે કે મ્યુલ એકાઉન્ટ્સની ફેક્ટરી જ ખોલી હોય તેમ આખું નેટવર્ક કાર્યરત હતું. 'આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે'ASP ઘનશ્યામ ગૌતમએ કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ અમે કુલ 134 એકાઉન્ટ્સની વિગતો મેળવી છે, જેમાં આશરે 21 કરોડ જેટલું ફ્રોડ જોવા મળ્યું છે. મને લાગે છે કે જેમ-જેમ અમે આની ઊંડી તપાસ કરીશું, તેમ-તેમ આ કદાચ માત્ર એક હિમશૈલાની ટોચ સાબિત થશે અને આ રકમ તથા એકાઉન્ટ્સની સંખ્યા હજુ વધી શકે છે. હાલમાં મુખ્ય આરોપીની શોધમાં પોલીસ લાગેલી છે. સૌથી મહત્વની વાત એ છે કે દશરથ નામનો જે વ્યક્તિ છે, તે કદાચ ગુજરાતનો એવો પહેલો વ્યક્તિ છે જેના પર બે વખત ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. અત્યાર સુધી આ ગેંગમાં કુલ 10 આરોપીઓ સામે આવ્યા છે, જેમાંથી દશરથ (મુખ્ય આરોપી) હજુ ફરાર છે, જે ભરૂચ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બાકીના 9 આરોપીઓની અમે ધરપકડ કરી લીધી છે. 'કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું'ભાવનગર પોલીસ જાહેર જનતાને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિને કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું. તેમજ ઉપરોકત ઇસમો પૈકી કોઇને પોતાના બેંક એકાઉન્ટની માહીતી કે પાસબુક ચેકબુક એ.ટી.એમ વિગેરે વસ્તુઓ આપેલ હોય તો બોરતળાવ પો.સ્ટેનો સંપર્ક કરવો અને સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત જ 1930 પર કોલ કરવો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:13 pm

કોલેજ વિદ્યાર્થિનીએ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:આવેગીક પરિપક્વતા અને મનોભાર પર અભ્યાસ, ચારૂત્તર વિદ્યા મંડળે ગ્રાન્ટ આપી

નલિની અરવિંદ અને ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની કાજલ એમ. ગોહિલે મનોવિજ્ઞાન વિષયમાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે ડૉ. હસમુખ એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા અને મનો-શારીરિક મનોભારનો અભ્યાસ વિષય પર પોતાનો માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સંશોધન કાર્યમાં કાજલ ગોહિલે ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા (Emotional Maturity) અને મનો-શારીરિક મનોભાર (Psychosomatic Stress) વચ્ચેના સંબંધનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કર્યું છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓના ભાવનાત્મક વિકાસ, માનસિક દબાણ અને તેના શરીર તથા મન પર પડતા પ્રભાવ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આજના સ્પર્ધાત્મક શૈક્ષણિક વાતાવરણમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને સમજવા માટે આ પ્રકારનું સંશોધન અત્યંત ઉપયોગી છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એમ. પરમાર દ્વારા કાજલ ગોહિલ અને તેમના માર્ગદર્શક ડૉ. હસમુખ એમ. ચાવડાને આ શૈક્ષણિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આવા સંશોધન કાર્યો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનક્ષમતા અને વિચારશીલતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચારૂત્તર વિદ્યા મંડળ દ્વારા આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીનીને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. પ્રિન્સિપાલે આશા વ્યક્ત કરી કે કાજલ ગોહિલ ભવિષ્યમાં પણ મનોવિજ્ઞાન ક્ષેત્રે વધુ ઊંડું સંશોધન કરીને સમાજને ઉપયોગી યોગદાન આપશે. આ પ્રસંગે કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ કાજલ ગોહિલને અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:13 pm

કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો ઉગ્ર વિરોધ:સુરેન્દ્રનગરમાં ધરણાં, મહિલા મોરચાએ કોંગ્રેસ અધ્યક્ષના ફોટાને ચપ્પલ મારી રોષ વ્યક્ત કર્યો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના નાગરિકોને 'અભણ' ગણાવતા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મેગા મોલ પાસે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે માટે એક કલાક સુધી રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના ફોટાને ચપ્પલ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકરોએ ખડગેના આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું અને તેમની તાત્કાલિક માફીની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 10:12 pm

સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. શાખા અને સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું. આ રેઇડ દરમિયાન પાવર હાઉસ પાસે આવેલી 'હોટલ ધ પેલેસ'ના સંચાલક ભવાનીસિંહ ક્રિપાલસિંહ જાડેજા અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી 'હોટલ બ્લુ બર્ડ'ના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ.ની કલમ ૨૨૩ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તેમના વાલીની સંમતિ વગર રૂમ ભાડે આપવા નહીં. આ ઉપરાંત, દરેક ગ્રાહકની વિગત 'પથિક' સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવી અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ એક મહિના સુધી સુરક્ષિત રાખવું. પોલીસ ટીમો દ્વારા શહેરની સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલ સહિત અન્ય સ્થળોએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ તેમજ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:59 pm

સુરત વરાછા બેંક ચૂંટણી રિઝલ્ટ:પરિણામ પૂર્વધારણા મુજબ સહકાર પેનલના પક્ષમાં રહ્યું, તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી જીત મેળવી

સુરતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ'ના સંચાલક મંડળની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. અપેક્ષા મુજબ જ, બેંકમાં વર્ષોથી શાસન કરી રહેલી 'સહકાર પેનલ'નો ભવ્ય વિજય થયો છે. વિરોધ પક્ષના તમામ પડકારોને પછાડીને સહકાર પેનલે ક્લીન સ્વીપ મેળવી બેંકના વહીવટ પર પોતાની પકડ ફરી એકવાર સાબિત કરી દીધી છે. ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરીઆજે વહેલી સવારથી જ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધારૂકા શૈક્ષણિક કેમ્પસના ઓડિટોરીયમ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપર પદ્ધતિ અને મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાને કારણે ગણતરીની પ્રક્રિયા ખૂબ જ ધીમી અને ચોકસાઈપૂર્વક ચાલી હતી. કુલ ત્રણ રાઉન્ડમાં યોજાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં શરૂઆતથી જ સહકાર પેનલના ઉમેદવારોએ વિરોધીઓ પર મોટી લીડ જાળવી રાખી હતી. 9,766 સભાસદોએ મતાધિકારનો ઉપયોગ કર્યોચૂંટણી માટે બેંકના કુલ 65,000 સભાસદોમાંથી 53,300 સભ્યો મતદાન માટે લાયક ઠર્યા હતા. જોકે, ઉત્સાહપૂર્વક થયેલા મતદાનમાં કુલ 9,766 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ મતોમાંથી 8,785 મત માન્ય ગણાયા હતા, જ્યારે ટેકનિકલ ભૂલો કે ક્ષતિઓને કારણે 981 મતો અમાન્ય (રદ) જાહેર કરવામાં આવ્યા હતા. નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવાશેનિયમ મુજબ, મતગણતરીના આંકડા જાહેર થયા હોવા છતાં વિજયની સત્તાવાર જાહેરાત સહકારી ચૂંટણી પ્રાધિકરણ, નવી દિલ્હીની અંતિમ મંજૂરી બાદ જ કરવામાં આવશે. દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ નવનિર્વાચિત ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવશે. આ બેઠકમાં બેંકના ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહસહકાર પેનલની એકતરફી જીતથી સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામો સ્પષ્ટ થતા જ ધારૂકા કેમ્પસની બહાર સમર્થકોએ વિજયના નારા લગાવ્યા હતા. સભાસદોએ ફરી એકવાર વર્તમાન શાસકોની પેનલ પર વિશ્વાસ મૂકતા બેંકના ભાવિ વિકાસ અને નવી યોજનાઓ અંગે આશા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:46 pm

રાજ્ય સરકારી શિક્ષક સંઘના નવા પ્રમુખ નિયુક્ત:પરેશ ચૌધરી પ્રમુખ, નિલેશ આંબલીયા મહામંત્રી, રાજેન્દ્ર જોષી અધ્યક્ષ બન્યા

ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવી રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આ નિયુક્તિઓ કરાઈ છે. પાટણ જિલ્લાની જવાબદારી સંભાળતા પરેશભાઈ ચૌધરીને રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, જામનગરના નિલેશભાઈ આંબલીયાને મહામંત્રી અને બનાસકાંઠા સંઘમાં જવાબદારી સંભાળતા રાજેન્દ્રભાઈ જોષીને અધ્યક્ષ તરીકે સ્વ-સંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિઓ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રમુખ એસ.ડી. જોશી અને પૂર્વ અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા સહિત વર્ગ-2 તરીકે બઢતી પામેલા અન્ય કારોબારી હોદ્દેદારોનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. પૂર્વ રાજ્ય કારોબારીની અવધિ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:31 pm

ગ્રિન્ડર એપ્લિકેશન પર મિત્રતા યુવકને ભારે પડી:જહાંગીરપુરામાં બે શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ બંધક બનાવીને 30 હજાર લૂંટી લીધા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 'ગ્રિન્ડર' ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી એક 26 વર્ષીય યુવકને અવાવરું ખેતરમાં બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 18 માર્ચ 2026ના રોજ બનેલી આ ઘટનામાં રાજુભાઈ મેર અને નરેશ મારુ નામના બે શખ્સોએ વિશ્વાસઘાત કરી યુવકને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવી લીધા હતા. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુલાકાતના બહાને અવાવરૂ સ્થળે લઈ ગયામૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહેતા પીડિત યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુભાઈ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી. આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રિવાન્ટા વર્ણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘોડા ગરનાળા ફાટક પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો. યુવકને ઢોર માર મારી લૂંટી લીધોખેતરમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક-ધમકી આપી તેને ડરાવી દીધો હતો. આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પીન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ યુવકના બેન્ક ખાતામાંથી કુલ 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ શરૂ કરીભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છાપરાભાઠા તાડવાડી વિસ્તારના રહેવાસી રાજુભાઈ મેર અને નરેશ સાજનભાઈ મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:27 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીમાં લાગવગનો આક્ષેપ:જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પાસ 30 ઉમેદવારોને ખોટી રીતે રિજેક્ટ કરાતા રજીસ્ટ્રારનો ઘેરાવ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં નોન ટિચિંગની 59 કાયમી જગ્યા પર ભરતી માટે 767 ઉમેદવારોએ 16 માર્ચના પરીક્ષા A આપી હતી. જે અગાઉ પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારોને ઘેર લાયક ઠેરવવામાં આવ્યા હતા. જેમાં પણ બબ્બે વખત ફાઈનલ સબમિટના ઓપ્શનથી ઉમેદવારો ભૂલ કરી બેઠા હતા. ગેરલાયક ઠરતા રોસ જોવા મળ્યો હતો. જે બાદ આજે 30 જેટલા ઉમેદવારોને એજ્યુકેશન ડોક્યુમેન્ટ સબમિટ ન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા. જેથી તેઓ પરીક્ષા B નહીં આપી શકે. જોકે આ ઉમેદવારો એવા છે કે જેમનું ફોર્મ યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવ્યું. જે બાદ તેમની પરીક્ષા લેવામા આવી અને તેમને પાસ પણ કરવામાં આવ્યા પરંતુ બાદમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં એજ્યુકેશનના ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોવાનું કહી રીજેક્ટ કરવામાં આવ્યા છે. જોકે ઉમેદવારોએ યુનિવર્સિટી ન વેબસાઈટની એરરના આ થયું હોવાનો આક્ષેપ કરી કુલસચિવ અજયસિંહ જાડેજાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને યુનિવર્સિટીની ભરતીમાં સેટિંગ થયાનો આક્ષેપ કરાયો હતો. જોકે આ બાબતે કુલસચિવે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. અમરેલી જિલ્લામાંથી આવેલા ઉમેદવાર પાયલ બાબરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક ની ભરતી માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં હું પાસ થઈ છું તેથી મને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી હતી. જોકે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફાય નથી. કારણકે તમે ડોક્યુમેન્ટ સબમીટ કરેલા નથી. જોકે મેં ડોક્યુમેન્ટ સબમિટ કરેલા છે. અમને કહેવામાં આવ્યું કે ડોક્યુમેન્ટ સબમીટ કર્યા હોય તેનું પ્રુફ શું છે? અમે જે પ્રિન્ટ કાઢેલી છે તેમાં પણ ડોક્યુમેન્ટ સબમિટ બાબતે અમને બતાવતા નથી. આ તો એવું થયું કે યુનિવર્સિટીએ કાયમી નોકરી માટે મોઢામાં આપેલો કોળિયો પરત લઈ લીધો. પાંચ વાગ્યાના અમે અહીં આવેલા છીએ અને અત્યારે 08:00 વાગ્યા છે. આમ છતાં પણ અમને જવાબ આપવામાં આવ્યો નથી. મને પરીક્ષામાં 39.50 માર્ક આવેલા છે. અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે ગ્રેજ્યુએશન કર્યું નથી કારણકે એજ્યુકેશન ડોક્યુમેન્ટ અપલોડ થયા નથી. જો એવું જ હોય તો અમને પરીક્ષા શા માટે આપવા દીધી? અને પાસ શા માટે કર્યા? જ્યારે અન્ય ઉમેદવારે બિંદિયા રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમારું જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું. 25 થી 30 ઉમેદવારોને કહેવામાં આવ્યું કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા જ નથી. જોકે મારી પાસે પ્રૂફ છે કે મેં ગ્રેજ્યુએશનની સેમેસ્ટર 6 ની માર્કશીટ અપલોડ કરેલી છે. યુનિવર્સિટીની ટેકનીકલ એરરના કારણે અમે શા માટે તેનો ભોગ બનીએ. કોઇ ફોટો અપલોડ કે સહી ભૂલી જાય પરંતુ અહીં તો તમામ ઉમેદવારો પોતાના એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ જ અપલોડ કરતા ભૂલી ગયા છે. તેવું કઈ રીતે હોઈ શકે. ધોરાજીના છત્રાસા ગામે રહું છું અને છેલ્લા છ મહિનાથી આ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મારે 33.25 માર્ક છે. ત્રણ વાગ્યે અમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતું. SC કેટેગરીમાં મારો ત્રીજો ટર્ન હતો. અમે રજીસ્ટ્રાર સહિત તમામને રજૂઆત કરી પરંતુ કોઈ અમને સાંભળતું નથી. હું રાત્રે 03:00 વાગ્યે ઘરે પહોંચીશ. મને એકલી છોકરીને કઈ થયું તો જવાબદારી યુનિવર્સિટી લેશે? ઉમેદવાર પ્રમલભાઈએ જણાવ્યું હતું કે, હું અમરેલીથી આવું છું, આ ભરતી પ્રક્રિયામાં વિવાદનો શિકાર હું જ સૌથી પહેલા બન્યો છું. કારણ કે મને એવું કહેવામાં આવ્યું કે તમે ક્વોલિફિકેશન નાખ્યું નથી. મને પહેલા એવું લાગ્યું કે મારે એકને આવું થયું હશે પરંતુ મારા જેવા ૧૫-૨૦ ઉમેદવારો એવો શિકાર બનતા હું રજૂઆત કરવા ગયો હતો. ટેકનિકલ ભૂલ અનેક થતી હોય છે પરંતુ જો આવી રીતે જ રિજેક્ટ કરવાનું હતું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા જ લેવાની જરૂર ન હતી. એક પરીક્ષા પાસ કરી અને બીજી પરીક્ષામાં અમે ક્વોલિફાઇડ ન હોવાનું કહે છે તે યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:24 pm

ગુજરાત હાઇકોર્ટના બનાવટી ઓર્ડરનો કેસ:ગ્રામ્ય કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારી, હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસના આદેશ પર સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી

ગુજરાત હાઇકોર્ટનો નકલી ઓર્ડર બનાવવા મુદ્દે આરોપી નિરવ જેબલિયાને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે સરકારી વકીલ એમ.પી.ભરવાડની દલીલો, 10 સાહેદ અને 14 પુરાવા તપાસીને 3 વર્ષની સાદી કેદ તેમજ 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસને અરજદારની ફરિયાદ નોંધવા હાઇકોર્ટ નિર્દેશ આપે તેવી માંગ કરી હતીમૂળ આ કેસમાં અમદાવાદના દિનેશભાઇ રાણાએ એડવોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજીમાં પોલીસને અરજદારની ફરિયાદ નોંધવા હાઇકોર્ટ નિર્દેશ આપે તેવી માંગ કરાઈ હતી. આ અરજી જજ સમીર દવેની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી.દિનેશભાઈ રાણા અમદાવાદમાં રહે છે. તેઓ એક મિત્રના માધ્યમથી નિરવ જેબલિયાના સંપર્કમાં આવ્યા હતા. જેઓ કોર્ટનું કામકાજ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. નિરવે સ્ટે ઓર્ડર કરાવવા 5 લાખ રૂપિયા ફી નક્કી કરી હતીઆ દરમિયાન અરજદારના મિત્ર રાજીવ મેવાડાનો ફોન અરજદાર પર આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ મેહુલ મેવાડા પર બનાસકાંઠામાં ડીસા પોલીસ મથકે NDPS(ડ્રગ્સ) સંબંધિત કેસ થયો છે. જે મુદ્દે તેની વારે તહેવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. પોલીસ આવી અટકાયત ન કરે તે માટે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવવા સારા વકીલની જરૂર છે. આથી અરજદારે આ કેસ માટે નિરવ જેબલિયાનો સંપર્ક કર્યો હતો. નિરવે હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્ષમાં એક વકીલના ઓફિસે તેમને બોલાવ્યા હતા. જ્યાં વકીલ નહીં પણ તેમનો વિજય નામનો આસિસ્ટન્ટ હાજર હતો. જેને અરજદારની એક કાગળ પર સહી લીધી હતી. તેમજ નિરવે સ્ટે ઓર્ડર કરાવવા 5 લાખ રૂપિયા ફીના નક્કી કર્યા હતા. પિટિશનની તારીખમાં વર્ષ 2023ના બદલે વર્ષ 2013નો ઉલ્લેખનિરવે બાદમાં અરજદારને ગુજરાત હાઇકોર્ટનો મેહુલ મેવાડા તરફી સ્ટે ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. જેમાં પિટિશનની તારીખમાં વર્ષ 2023ના બદલે વર્ષ 2013નો ઉલ્લેખ હતો. આથી અરજદારે નિરવને જણાવતા બે દિવસ બાદ 2023ના વર્ષનો સુધારેલ ઓર્ડર મોકલી આપ્યો. પરંતુ તે ઓર્ડર હાઇકોર્ટમાં ઓનલાઈન જોવા ન મળતા અરજદારે નિરવને જણાવતા નિરવે ત્રણ દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારના સ્ટેમ્પ અને સહી કરેલો ઓર્ડર અરજદારને આપ્યો હતો. અરજદારને પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યુંઆ દરમિયાન ડીસા પોલીસ મેહુલ મેવાડાની અટકાયત કરવા ગયેલ ત્યારે નિરવે ફોન કરીને પોતાની ઓળખ રીટાયર્ડ IG ના પુત્ર તરીકે આપી હતી. તેને પોલીસને કહ્યું હતું કે હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર છે પોલીસને મળી જશે તેમ કહીને મેહુલને છોડાવ્યો હતો. પરંતુ ઓર્ડર હાઇકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન જોવા ન મળતા આરોપીએ અરજદારને ઓનલાઈન ઓર્ડર નંબરનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ તે ઓનલાઈન ના દેખાતા અરજદાર હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્ષમાં વકીલને ત્યાં ગયા હતા. વકીલે આવો કોઈ ઓર્ડર નહીં થયો હોવાનું જણાવ્યું હતું. આમ અરજદારને પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ નિરવને અરજદાર વકીલને મળવા ગયા હોવાની જાણ થઈ હતી. તેમજ નિરવે અરજદારને આ અંગે પોલીસને જાણ કરાશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અરજદારે ફરિયાદ નોંધવા જતા પોલીસે FIR નોંધી નહોતીઆ અંગે અરજદારે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જતા પોલીસે FIR નોંધી નહોતી. વળી અરજદારને પોલીસે નિરવ જેબલિયા સાથે સેટલમેન્ટ કરવા કહ્યું હતું. આથી અરજદારે હાઇકોર્ટમાં સોલા પોલીસ નિરવ વિરુદ્ધ FIR નોંધે તે સંદર્ભે અરજી કરી હતી. જો કે આ કેસમાં હાઇકોર્ટના ખોટા ઓર્ડર ઉભા કરાયેલ હોવાથી જજ સમીર દવેએ હાઇકોર્ટ દ્વારા આ વિશે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ? તેવું અરજદારના વકીલને પૂછ્યું હતું. જે સંદર્ભે સોલા પોલીસ મથકે આવી કોઈ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પક્ષકાર તરીકે જોડાવવા હુકમ કર્યો હતોઆથી જજ સમીર દવેએ આ કેસમાં વર્ષ 2023 માં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પક્ષકાર તરીકે જોડાવવા હુકમ કર્યો હતો. તેમજ સોલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને DCP ઝોન 1ને કોર્ટમાં ઉપસ્થિત રહેવા હુકમ કર્યો હતો. કેસની આગળની સુનવણીમાં સોલા પોલીસ મથકના ઇન્સ્પેકટર અને ACP ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે DCPની માતાનું ઓપરેશન હોવાથી તે ઉપસ્થિત થયા નહોતા. સરકારી વકીલ મિતેષ અમીને કોર્ટને 3 ઓગસ્ટના સાંજના 4.30 કલાક સુધીમાં FIR નોંધાઇ જવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓને ડિસ્ટર્બ કરવામાં કોર્ટને કોઈ રસ નથી. પરંતુ પોલીસ જેવી રીતે સામાન્ય નાગરિકોને ટ્રીટ કરી રહી છે તે ચિંતાજનક છે. હાઇકોર્ટના ખોટા ઓર્ડર બન્યા છે તે વિશે તમે શું પગલાં લીધા છે?આ દરમિયાન પક્ષકાર તરીકે જોડાયેલ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને જજ સમીર દવેએ પૂછ્યું હતું કે, હાઇકોર્ટના ખોટા ઓર્ડર બન્યા છે તે વિશે તમે શું પગલાં લીધા છે? આ મુદ્દે જવાબ આપતા રજિસ્ટ્રાર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે તે સમયે એક્ટિંગ ચીફ જસ્ટિસના ધ્યાને આ મુદ્દો મુકાતા ચીફ જસ્ટિસે વર્ષ 2023 માં પોલીસ ફરિયાદ કરવા નિર્દેશ આપ્યા હતા. જો કે હાઇકોર્ટના અધિકારીઓ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા PI સાહેબ ઉપસ્થિત નથી. તેમ કહીને ત્રણ વખત ધક્કો ખવડાવ્યો હતો. છેલ્લે 30 જુલાઈ, 2023 એ હાઇકોર્ટના અધિકારીઓની ફરિયાદ લીધી હતી, પરંતુ FIR નહોતી નોંધી. પોલીસ પગલાં લેશે અને જણાવશે તેમ કહ્યું હતું પરંતુ પોલીસે બાદમાં કોઈ જવાબ આપ્યો નહોતો. ઉપરાંત અન્ય એક આવા કેસમાં હાઇકોર્ટના ખોટા ઓર્ડર આપીને એક અરજદાર પાસેથી 6.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે જેની પણ પોલીસે ફરિયાદ નોધી નથી. પોલીસ હાઇકોર્ટના ઓફિસરોને ધક્કા ખવડાવે છે?આ મુદ્દે કોર્ટે પોલીસને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. જેથી સરકારી વકીલે પોતે અને પોલીસે કોર્ટની માફી માંગી હતી. પરંતુ કોર્ટે જવાબદાર પોલીસ અધિકારીઓને કંટેમ્પટનો સામનો કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આરોપી એક ઉચ્ચ અધિકારીનો દીકરો હોવાથી પોલીસ હાઇકોર્ટની FIR પણ નહીં નોંધે? સોલા પોલીસ અરજદારની ફરિયાદ નોંધવાની અરજી સીધી ડીસા પોલીસ મથકે મોકલી પોતાનું ભારણ ઘટાડવા માંગે છે? શું આ ફરિયાદ તેમના ક્ષેત્રમાં નથી આવતી? પોલીસને કાયદાની ખબર નથી? પોલીસ હાઇકોર્ટના ઓફિસરોને ધક્કા ખવડાવે છે? રીટાયર્ડ થયા પછી પણ IGનું આટલું ચાલે છે? 3 ઓગસ્ટ, 2023 સાંજ સુધીમાં સોલા પોલીસે ચાર FIR નોંધી હતીજો કે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, મંત્રીઓએ પણ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય તો રીટાયર્ડ ઓફિસર શું છે? પોલીસને એક તક આપવામાં આવે. કોર્ટને જાણ થઈ હતી કે માર્ચ મહિનાથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે. અરજદાર 1 અને 8 જૂન, 2023 ના એમ બે વખત ફરિયાદ આપવા સોલા પોલીસ મથકે જાય છે પણ પોલીસ FIR નોંધતી નથી. પરંતુ સરકારી વકીલ કોર્ટને ખાતરી આપતા કોર્ટે પોલીસને FIR નોંધવા સમય આપ્યો હતો. 3 ઓગસ્ટ, 2023 સાંજ સુધીમાં સોલા પોલીસે ચાર FIR નોંધી હતી. જેમાં નિરવ જેબલિયા વિરુદ્ધ પોલીસે કોર્ટના સૂચનો પ્રમાણે IPC ની કલમ 193, 420, 465, 467,468 અને 471 મુજબ ગુનો નોંધ્યો હતો. વકીલ નિલકેશ દેસાઈએ 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતાજ્યારે સુરતના આવા જ એક કેસમાં મકસુદ કુરેશીના પુત્રનાં નામના હાઇકોર્ટના ખોટા જામીન ઓર્ડર બનાવનાર વકીલ નિલકેશ દેસાઈએ 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેની સામે પણ પોલીસે ઉપરોક્ત કલમ મુજબ ગુન્હો નોંધ્યો હતો. અરજદાર દિનેશ રાણાને ગન પોઇન્ટ પર કોરા કાગળ પર હસ્તાક્ષરના કેસમાં આરોપી સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. જ્યારે ચોથી ફરિયાદ મકસુદ કુરેશીના કેસમાં અન્ય એક વકીલને આરોપીના વકીલ તરીકે દર્શાવી ખોટા ઓર્ડરનો કેસ નોંધ્યો હતો. હાઇકોર્ટની જ નહીં સામાન્ય નાગરિકની ફરિયાદ પણ લેવાવી જ જોઈએવળી અરજદારના વકીલ તરફથી તત્કાલીન સોલા પોલીસ ઇન્સ્પેકટર જીજ્ઞેશકુમાર અગ્રાવતને ઇનવેસ્ટીગેશન ઓફિસર બનાવતા વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, PI એ જ તેમને નિરવ જેબલિયા સાથે સમાધાન કરવા કહ્યું હતું અને બે મહિના સુધી ફરિયાદ લીધી નહોતી. અરજદાર પક્ષે વકીલે તપાસ સક્ષમ અધિકારીને આપવા માંગ કરાઈ હતી. જો કે કોર્ટે તપાસ PI ને કરવા દેવા અને આગળ એવું લાગે તો તપાસની ટ્રાન્સફર માટેની અરજી આપવા કહ્યું હતું. ઉપરાંત હાઈકોર્ટે સરકારી વકીલને પૂછતાં તેમને કોર્ટને જણાવ્યું હતું કે સોલા પોલીસને કડક શબ્દોમાં સમજાવી દેવાઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે ફક્ત સોલા પોલીસ જ નહીં સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને સમજવું જરૂરી છે કે હાઇકોર્ટની જ નહીં સામાન્ય નાગરિકની ફરિયાદ પણ લેવાવી જ જોઈએ.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:22 pm

વલસાડ કાનૂની સેવા સત્તા મંડળને નવી MUV ફાળવાઈ:કાનૂની જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે ઉપયોગ થશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીને એક મલ્ટી યુટીલીટી વ્હીકલ (MUV) મહિન્દ્રા બોલેરો ગાડી ફાળવવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ કાનૂની જાગૃતિ કાર્યક્રમો, કાયદાના પ્રચાર-પ્રસાર અને લીગલ એઈડ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (નાલસા) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી આ વાહનની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે એક ફ્લેગ-ઓફ સેરેમની યોજાઈ હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી. અંજારીયા, ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી અને મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન ન્યાયમૂર્તિ એ. વાય. કોગ્ને સહિત અન્ય ન્યાયમૂર્તિઓએ વાહનને ફ્લેગ ઓફ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સભ્ય સચિવ હેતલ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતોના મુખ્ય જિલ્લા ન્યાયાધીશો અને વલસાડ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. નિપા રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં લોક અદાલત, મધ્યસ્થીકરણ અને કાનૂની જાગૃતિ જેવા લીગલ એઈડના કાર્યક્રમો સક્રિયપણે ચાલી રહ્યા છે. આ વાહનની ફાળવણીથી વલસાડ જિલ્લામાં કાનૂની જાગૃતિની કામગીરીને વધુ વેગ મળશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડના ચેરમેન કુ. નિપા રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ વાહનનો ઉપયોગ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી કાનૂની જાગૃતિ પહોંચાડવા અને વધુમાં વધુ આઉટરીચ પ્રવૃત્તિઓ કરવા માટે થશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:13 pm

રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ:શુભમંગલ પાર્કમાં ચાલીને જતી યુવતીના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરનાર ઝડપાયો, હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ મંગલપાર્કમાં રહેતા રચનાબેન રામજીભાઈ ડોલરીયા (ઉં.વ.21)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.06.04.2026ના રોજ સવારે 9.30 વાગ્યા આસપાસ ઘરેથી ચાલીને નોકરીએ જતી હતી ત્યારે શેરીની બહાર પહોંચતા પાછળથી મોટરસાયકલ પર અજાણ્યા શખસે આવીને હાથમાંથી રૂ.7 હજારની કિંમતનો મોબાઇલ આંચકી લીધો હતો. બાઈકની પાછળ દોટ મુકતા ચાલકે ઝડપથી બાઈક ચલાવી નાસી ગયો હતો. ઘરે આવી માતાને બનાવની જાણ કરતા આ અંગે આસપાસ તપાસ કરી હતી અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે રણુજા મંદીરની સામે લાપાસરી ગામ જતા રોડ ઉપરથી આરોપી ધર્મેશ દરશરથ પરમાર (ઉ.વ.31) ને ચિલઝડપ કરેલ મોબાઇલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ રાજકોટ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પંચાયત ચોક પાસે અવધ-2 એપાર્ટમેન્ટ નજીક રોડ પર ઉપર બે શખ્સો જાહેરમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભા છે જેના આધારે દરોડો પાડી ત્યાં હાજર બંને શખ્સોને પકડી તેનું નામ પૂછતા મૌલિક અશોક જેઠવા (ઉ.વ.28) અને મયુર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્ષ દીલીપ જાડા (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સોની જડતી લેતાં તેમની પાસેથી 1.21 લાખનો માદક પદાર્થ મેફેડ્રોન 40.420 ગ્રામ જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, બાઈક સહિત રૂ.2.21 લાખનો મુદામાલ કબ્જે કરી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. પકડાયેલ બંને શખ્સો મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ આવી છૂટક પડીકી બનાવી રાજકોટમાં નક્કી કરેલ ગ્રાહકોને વેંચતા હતાં. બંને શખ્સો છેલ્લા બે વર્ષથી ડ્રગ્સના ધંધા સાથે સંકડાયેલ હોવાનો પણ ઘટસ્ફોટ થતાં પોલીસે બંનેના રિમાન્ડ માંગવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મૌલિક જેઠવા વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી સહિતના 10 ગુના અને મયુર ઉર્ફે લાલો જાડા વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પોપટપરાના રીક્ષા ચાલકએ આપઘાતનો પ્રયાસ કર્યો આસિફ હુસેનભાઈ જેડા (ઉં.વ.34) આજે સવારે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો તેમને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. આસિફ ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં છ મહિનાની એક દીકરી છે અને પોતે ત્રણ ભાઈમાં નાનો છે. આજે સવારે તેની પત્નીને ઘર પાસે આવેલી દુકાને ગાંઠીયા લેવા માટે મોકલી હતી અને પાછળથી પોતે રસોડામાં પતરાના લોખંડના એંગલમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્નીએ પરત આવીને જોયું તો પતિ ગળાફસો ખાધેલી હાલતમાં ટીંગાતો હતો જેથી તુરંત જ છરી વડે ચુંદડી કાપી નાખી હતી અને આસપાસથી અન્ય લોકોને બોલાવતા 108 મારફત તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતા આસિફનું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી. પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું ભાવનગર રોડ પર મહિકા ગામની પાટીયા પાસે રહેતી આરતી વશરામભાઈ પરમાર (ઉ.વ.24) નામના મહિલા નર્સે આજે બપોરે 12 વાગ્યા આસપાસ મહાનગર પાલિકાના ગેઈટ પાસે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી જવા પામી હતી. મહિલાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેણી બે ભાઈ એક બહેનમાં મોટી અને વિજય પ્લોટમાં આવેલા RMCના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઈઝ પર સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી તે આરોગ્ય કેન્દ્રમાં સાથે જ નોકરી કરતી ફિમેઈલ હેલ્થ વર્કર કિરણબેન ચૌહાણ તેને અવારનવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં હોય અને કામ બાબતે હેરાન કરતાં હોય જે બાબતે તેણે કિરણબેન વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને પણ અરજી કરી હતી પરંતુ કોઈ જવાબ ન આવતાં તેણે સમાજ કલ્યાણ વિભાગમાં અરજી કરી હતી. આમ છતાં કિરણબેન વિરૂધ્ધ કોઈ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમણે મહિલા હેલ્થ વર્કર કિરણબેનના ત્રાસથી ગત તા.11.03.2026નાં રોજ રાજીનામું આપી દીધું હતું. આજે તેઓ ફેબ્રુઆરી મહિનાનો પગાર લેવા માટે ગયા ત્યારે નિતાબેને કહેલું કે ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ જેથી તેણીએ કોર્પોરેશનમાં દરવાજા પાસે જ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડનું ફ્રોડ કર્યાંના ગુનામાં આરોપીના વચગાળાના જામીન મંજુર ફરીયાદીએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જે ગુનામાં તા.04.12.2025 ના રોજ આરોપી શાફીન કુરેશીની અટકાયત કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપીના પિતા બિમાર હોવાથી વચગાળાની જામીન અરજી સેસન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપીના પિતા સિનિયર સિટીઝન છે. તેમની બંને કીડનીઓ ખરાબ થઈ ગઈ છે. ફેફસામાં પણ પાણી ભરાઈ છે. પિતાની હાલત ખુબ જ ગંભીર છે. આરોપી તેના ઘરનો મોટો દીકરો હોવાથી ઘરની તમામ જવાબદારી તેના ઉપર છે. પિતાની દેખરેખ કરવા અને સારવાર કરાવવા અર્થે આરોપીને માનવતાના ધોરણે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવે. જે દલીલ અને દસ્તાવેજોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી શાફીન કુરેશીને 15 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:11 pm

10.43 કરોડ કાપડ ઓળવી જનાર ઠગ ટોળકી ઝડપાઈ:શેરબજારના નામે 18 કરોડના ફ્રોડ કરનાર અને ઓનલાઇન શોપિંગના બહાને છેતરતી ગેંગને દબોચી લેવાઈ

સુરત ઇકોસેલ અને ક્રાઈમ બ્રાંચે આધારકાર્ડમાં છેડછાડ કરી ટેક્સટાઈલ વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી કરનાર તમિલનાડુની ગેંગને ઝડપી પાડી છે. બીજી તરફ, સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે, જેના બેંક ખાતામાંથી 17.97 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત, સારોલી વિસ્તારમાં ઓફિસ ખોલી ખોટી વેબસાઇટ દ્વારા ઓનલાઇન ઓર્ડર મેળવી છેતરપિંડી કરતી વધુ એક ટોળકીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટમાં 10.43 કરોડની ઠગાઈસુરતના કાપડ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતી કરોડોનો માલ પડાવી લેવાનું મોટું ષડયંત્ર ઇકોસેલ અને ક્રાઈમ બ્રાંચે ખુલ્લું પાડ્યું છે. આરોપીઓએ કર્ણાટકના મૈસુર ખાતે 'શિવમ ટ્રેડર્સ' નામે ખોટી પેઢી ઉભી કરી હતી. આ માટે તેઓએ પોતાના આધારકાર્ડમાં એડ્રેસ બદલીને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. શરૂઆતમાં સુરતની ‘ઓશ્યનવેવ્સ’ ફર્મના વેપારી પાસેથી માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 2.84 કરોડના એડવાન્સ ચેકો આપીને કુલ 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓ, જેની કિંમત 10,43,43,748/- થાય છે, તે વી.આર.એલ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવી લીધી હતી. 3 આરોપીની ધરપકડમાલ મળી ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ ચુકવ્યું નહોતું અને આપેલા ચેકો પણ રિટર્ન થયા હતા. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકોસેલે તમિલનાડુના કૃષ્ણા ગિરી જિલ્લાના ત્રણ શખ્સો રમેશ સાગાદેવન, માધૈયન મુરૂગન ઉર્ફે રાહુલ અને ગોવીંધરાજ સોકકાનની ધરપકડ કરી છે. આ ટોળકી ટેક્સટાઈલ માર્કેટમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓને પણ નિશાન બનાવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. શેરબજારમાં રોકાણના નામે ફ્રોડસુરત સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં રોકાણ કરી 300% નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હિરેન સોજીત્રા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીઓ “Mo Prospera X” અને “Ares Diversified” જેવી બનાવટી ટ્રેડિંગ એપ્સ અને વેબસાઇટ બનાવી લોકો પાસે રજિસ્ટ્રેશન કરાવતા હતા. ફરિયાદીઓ પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ જ્યારે તેઓ નફો ઉપાડવા માંગતા ત્યારે ટેક્સ અને અન્ય ચાર્જના બહાને વધુ નાણાંની માંગણી કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીઓ રાજેશ રૂડાણી અને પ્રફુલ માંડણકા પકડાઈ ચૂક્યા છે. આરોપીના ખાતામાં 17.97 કરોડના ટ્રાન્ઝેક્શનધરપકડ કરાયેલા હિરેન સોજીત્રાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે 1.50% કમિશન પર સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. તેના નામે રહેલા ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં ભારતભરમાંથી કુલ 12 જેટલી ફરિયાદીઓ નોંધાયેલી છે, જેમાં કુલ 17,97,11,348/- ના ફ્રોડની રકમ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ આરોપી વિરુદ્ધ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. સારોલીમાં ઓનલાઇન શોપિંગના નામે ચાલતું રેકેટ પકડાયુંસુરતના સારોલી વિસ્તારમાં આવેલા કોહીનુર-2 ટેક્સટાઈલ પ્લાઝામાં ઓફિસ ભાડે રાખી ઓનલાઇન શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને સાયબર સેલે ઝડપી લીધી છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેઇડમાં અંકિત અજુડીયા અને મૌલિક દુધાગરા નામના બે શખ્સો પકડાયા છે. આ શખ્સો સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર કિંમતી કપડાંની આકર્ષક જાહેરાતો મૂકતા હતા. ગ્રાહકો જ્યારે ઓર્ડર આપે ત્યારે તેમની પાસેથી પ્રી-પેઇડ અથવા સીઓડી (COD) દ્વારા નાણાં મેળવી લેતા હતા, પરંતુ વસ્તુઓ મોકલતા નહોતા અથવા હલકી ગુણવત્તાનો માલ પધરાવી દેતા હતા. દેશભરમાં 3762 ઓર્ડર મેળવીને છેતરપિંડી કરીપોલીસે આ ઓફિસમાંથી 10 મોબાઈલ ફોન, અલગ-અલગ કંપનીના સિક્કા, સીપીયુ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 3762 ઓર્ડર મેળવી કુલ 22,86,685/- ની છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીઓ દ્વારા જે બેંક ખાતાઓમાં નાણાં મેળવવામાં આવ્યા હતા તેની વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:09 pm

સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસના દરોડા:ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ 2 હોટલ સંચાલકો સામે કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે હોટલો અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડ્યા હતા. એસ.ઓ.જી., સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ દરોડામાં બે હોટલના સંચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ કાર્યવાહી દરમિયાન, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે બે હોટલના સંચાલકો સામે BNS ની કલમ 223 હેઠળ કેસ દાખલ કર્યા છે. જેમાં પાવર હાઉસ પાસે આવેલી હોટલ ધ પેલેસના સંચાલક ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા (રહે. ધ્રાંગધ્રા) અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી હોટલ બ્લુ બર્ડના સંચાલક દેવાંગ મનુ ખાંભલા (રહે. કોરડા ગામ, તા. ચુડા) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત, સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય હોટલો પણ તપાસવામાં આવી હતી. જેમાં સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલનો સમાવેશ થાય છે. હોટલ ચેકિંગ દરમિયાન, સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી નીચેના સગીરોને વાલીની સંમતિ વગર રૂમ ભાડે ન આપવા, ગેરકાયદેસર હેતુ માટે હોટલોનો ઉપયોગ ન કરવા, સી.સી.ટી.વી. રેકોર્ડ એક મહિના સુધી સાચવવા અને પથિક સોફ્ટવેરમાં દરેક ગ્રાહકની ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત કરવા જણાવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ અને સ્ટાફ; એ ડિવિઝન PSI બી.કે. મારુડા, PSI આર.જી. ચુડાસમા અને સ્ટાફ; તેમજ બી ડિવિઝન PSI એમ.બી. ઝેબલીયા, PSI જે.એમ. પટેલ અને સ્ટાફ રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:08 pm

બનાસકાંઠાને NALSA તરફથી MUV મળ્યું:ગ્રામ્ય વિસ્તારોમાં મફત કાનૂની સહાયનો પ્રસાર થશે

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA), નવી દિલ્હી દ્વારા બનાસકાંઠા જિલ્લાને એક અત્યાધુનિક 'મલ્ટી-યુટિલિટી વ્હીકલ' (MUV) ફાળવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મારફતે આ વાહન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાને સુપરત કરાયું છે. આ વાહનનો મુખ્ય ઉદ્દેશ્ય કાનૂની જાગૃતિ અભિયાનને વેગ આપવાનો અને કાનૂની પ્રવૃત્તિઓને જિલ્લાના છેવાડાના અને દુર્ગમ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો છે. આ પહેલ અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. MUV ના માધ્યમથી લોકોને તેમના પાયાના કાનૂની અધિકારો, સરકારની મફત કાનૂની સહાયની વિવિધ યોજનાઓ અને લોક અદાલતના ફાયદાઓ વિશે સ્થળ પર જ વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વાહન આધુનિક પ્રસાર સુવિધાઓથી સજ્જ હોવાથી, ફિલ્ડમાં કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન વધુ અસરકારક બનશે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આ વાહન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભ્રમણ કરશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી બનાસકાંઠાના નાગરિકોને ઘરઆંગણે જ કાયદાકીય માર્ગદર્શન સરળતાથી મળી રહેશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે, તેમ સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:05 pm

ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં દસાડાના પરિવારની અનોખી સિદ્ધિ:પુત્ર-પુત્રીએ 4 ગોલ્ડ જીત્યા, પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના એક પરિવારે ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં અનોખી સિદ્ધિ મેળવી છે. પુત્ર અને પુત્રીએ કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે, જ્યારે પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. આ પરિવારે કુલ પાંચ મેડલ જીતીને રણકાંઠાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગરના વલાડ ખાતે યોજાયેલી 45મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં 17 વર્ષીય ઝુવેરીયા ખોખરે સિંગલ ટ્રેપ શૂટિંગ અને ટીમ ઇવેન્ટ શૂટિંગ સ્પર્ધામાં યુથ કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના નાના ભાઈ ઝીશાનખાન ખોખરે પણ સિંગલ ટ્રેપ શૂટિંગ અને ટીમ ઇવેન્ટ શૂટિંગ સ્પર્ધામાં યુથ કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ જ સ્પર્ધામાં તેમના પિતા અયુબખાન હમીદખાન ખોખરે ડબલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, એક જ પરિવારના ત્રણ સભ્યોએ કુલ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સહિત પાંચ મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઝુવેરીયા અને ઝીશાનની માતા નાઝમીનબાનું ખોખર અને કાકા અલ્તાફખાન હમિદખાન ખોખરે પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગત 1 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન દિલ્હી ખાતે યોજાયેલી 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બહેન ઝુવેરીયા ખોખર ઓલ ઇન્ડિયામાં 11મા સ્થાને અને ભાઈ ઝીશાન ખોખર 16મા સ્થાને રહીને ક્વોલિફાઈ થયા હતા. આ પ્રદર્શનથી તેઓ રીનાઉન્ડ શૂટર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:04 pm

આણંદ PI બ્રહ્મભટ્ટની અનોખી વિદાય:ફૂલોને બદલે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો, સ્ટાફે સંકલ્પ લીધો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) માંથી બદલી થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી. સામાન્ય રીતે ફૂલોની વર્ષા કરીને વિદાય અપાતી હોય છે, પરંતુ પી.આઈ. બ્રહ્મભટ્ટે સ્મૃતિ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની અમદાવાદ શહેર ખાતે બદલી થઈ છે. પી.આઈ. બ્રહ્મભટ્ટે સ્ટાફને પુષ્પવર્ષા કરવાને બદલે વૃક્ષારોપણ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફૂલો થોડા કલાકોમાં કરમાઈ જાય છે, જ્યારે વૃક્ષ લાંબા સમય સુધી જીવંત રહે છે અને પર્યાવરણને લાભ આપે છે. આણંદ LCB કચેરીના પ્રાંગણમાં પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટના હસ્તે આંબાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. LCB સ્ટાફે આ છોડનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો અને તેને પી.આઈ. બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિ વૃક્ષ તરીકે ઉછેરવામાં આવશે. આ પહેલનો હેતુ તેમની વર્ષોની સેવાને હંમેશા જીવંત રાખવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. આ વૃક્ષ જેમ જેમ મોટું થશે તેમ તેમ તેમની કાર્યનિષ્ઠા અને માર્ગદર્શનની યાદ કચેરીના આંગણમાં કાયમ રહેશે. વૃક્ષારોપણ ઉપરાંત, પોલીસ સ્ટાફે પી.આઈ. બ્રહ્મભટ્ટને ભાવસભર વિદાય આપી હતી. સ્ટાફ દ્વારા ફૂલોથી શણગારેલી LCBની ગાડીને ખેંચીને તેમને વિદાય આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:01 pm

ભરૂચના કિશન રાણા ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત:રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026નું આયોજન

અમદાવાદમાં રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં ભરૂચના કિશન રાણાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 1500થી વધુ નોમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એસ.જી. હાઈવે કેમ્પસ ખાતે યોજાયો હતો. ગુજરાત સહિત દેશભરના 1300થી વધુ મૂળ ગુજરાતી ક્રિએટર્સે તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. સપ્તરંગ ક્રિયેટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ ફેસ્ટમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એન્ટરપ્રેન્યોર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ એક મંચ પર એકત્ર થયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનો અને તેમના કાર્યને માન્યતા આપવાનો હતો, જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપી સન્માનિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 9:01 pm

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ:6થી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, સ્થળોની યાદી જાહેર

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને કોડીનાર સિવાયની નગરપાલિકાઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણી યોજાશે. આ પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના 1 એપ્રિલ, 2026ના આદેશ અનુસાર, ગીર સોમનાથ જિલ્લાની તમામ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 એપ્રિલ, 2026થી શરૂ થઈ ગઈ છે અને 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે. ઉમેદવારી પત્રો દરરોજ સવારે 11:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ઉમેદવારી ફોર્મ મેળવવા અને રજૂ કરવા માટેના સ્થળોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટેના નિર્ધારિત સ્થળોનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા દરેક બેઠક માટે અલગ-અલગ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સંબંધિત કચેરીઓમાં ફોર્મ સ્વીકારવા અને ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આનાથી ઉમેદવારોને પ્રક્રિયામાં સરળતા રહેશે અને પારદર્શિતા જળવાશે. ઉમેદવારી પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની ભીડ ઉમટી છે. વિવિધ બેઠકો પર આંતરિક ચર્ચાઓ અને મનોમંથન તેજ બન્યા છે. કેટલાક વિસ્તારોમાં એક જ બેઠક માટે અનેક દાવેદારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે, જે પક્ષો માટે ઉમેદવારોની પસંદગીમાં પડકારો ઊભા કરી રહી છે. રાજકીય પક્ષો ઉપરાંત, સ્થાનિક સ્તરે લોકપ્રિયતા ધરાવતા સ્વતંત્ર ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા સજ્જ થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત પ્રભાવ ધરાવતા ઉમેદવારો પોતાની દાવેદારી મજબૂત બનાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કચેરીઓમાં સહાયક સ્ટાફ તૈનાત કરાયો છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:59 pm

BCAની ચૂંટણીમાં વચગાળાની વ્યવસ્થા યથાવત:બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટમાં 14 એપ્રિલ વધુ સુનાવણી

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. આજે પક્ષકારોને સાંભળીને વધુ સુનાવણી 14 એપ્રિલે રાખવામાં આવી છે. ત્યાં સુધી સિંગલ જજે કરેલ વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યોવડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. BCAની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશેજો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા વધારવામાં આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરીમૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહીંજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીંબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છેગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:52 pm

ગુજરાતીઓનું અપમાન કરનાર ખડગે માફી માંગે:રાજકોટનાં કિસાનપરા ચોકમાં ભાજપના મૌન ધરણા, મનપાનાં જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખડગે દ્વારા ગુજરાતીઓને 'મૂર્ખ' અને 'અભણ' કહેતા સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે, જેની અસર રાજકોટમાં પણ જોવા મળી હતી. શહેરના કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ ધારણ કર્યા હતા, જેમાં 'અમે ગુજરાતીઓ મૂર્ખ નથી, માફી માંગે કોંગ્રેસ' અને 'ગુજરાત વિરોધી માનસિકતા બદલ માફી માંગો' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.મૌન ધરણામાં શહેર ભાજપનાંપ્રમુખ માધવ દવે, MLA રમેશ ટીલાળા અને પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતી આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના દિગ્ગજ નેતા દ્વારા આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તેનાથી દરેક ગુજરાતીની લાગણી દુભાઈ છે. ત્યારે હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી અમારી માંગ છે. ભાજપે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગુજરાતીઓના અપમાન બદલ કોંગ્રેસ માફી નહીં માંગે ત્યાં સુધી આ આક્રોશ શાંત નહીં થાય. મનપાના જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 3 દિવસથી અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં આરટીઇ હેઠળ એડમિશન માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટની કામગીરીની સાથે હવે નવા શૈક્ષણિક સત્ર માટે નવા ફોર્મેટમાં જન્મના દાખલા કઢાવવા વાલીઓ ઉમટી પડ્યા છે. આજે સિવિક સેન્ટર ખાતે ભીડ એટલી વધી ગઈ હતી કે લાઈનો મનપાના મુખ્ય ગેટ સુધી પહોંચી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા વિજીલન્સ પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. મનપા દ્વારા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી હતી. સરકારના નવા નિયમ મુજબ જન્મના દાખલામાં સંતાનના નામની સાથે પિતાનું નામ એક જ ફોર્મેટમાં હોવું ફરજિયાત છે. નવી શાળા કે કોલેજમાં એડમિશન માટે આ નવું ફોર્મેટ માન્ય રખાયું હોવાથી વેકેશન પહેલા વાલીઓ સુધારા સાથેના નવા પ્રમાણપત્રો મેળવવા દોડધામ કરી રહ્યા છે. આચાર સંહિતાના કારણે અન્ય વિભાગોમાં શાંતિ છે, પરંતુ જન્મ-મરણ વિભાગમાં અરજદારોના ધસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત, બે ઈન્ટરસિટી રદ્દ, અન્ય બે મોડી ચાલશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે 8 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડશે. આ બ્લોકને પરિણામે મુસાફરોની સુવિધા માટે દોડતી મહત્વની ઈન્ટરસિટી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી 8 એપ્રિલ, 2026 ના રોજ રદ રહેશે. આ ઉપરાંત, વળતી દિશાની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી 9 એપ્રિલ, 2026 ના રોજ રદ રાખવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેનો રદ થવા ઉપરાંત 8 એપ્રિલના રોજ અન્ય બે ટ્રેનો માર્ગમાં રેગ્યુલેટ એટલે કે મોડી પડશે. જેમાં સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (22718) અને ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ (15636) વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક જેટલી મોડી ચાલશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર સમયની ખાતરી કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ 108ની ટીમે અકસ્માતગ્રસ્ત યુવકની સારવાર કરવાની સાથે રૂ. 9 લાખની મત્તા પરત કરી રાજકોટના લક્ષ્મીનગર નાળા પાસે સર્જાયેલા એક અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 6 એપ્રિલ, 2026ના રોજ મોડી રાત્રે 3:18 કલાકે 24 વર્ષીય અભીરભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ બાઈક સ્લીપ થવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ કાલાવડ રોડ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અર્ધબેભાન હાલતમાં રહેલા યુવકને પ્રાથમિક સારવાર આપી સિનર્જી હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત યુવક પાસેથી એપલ iPhone 17 Pro Max, સોનાની ચેઇન, લકી અને રોકડ રૂ. 500 સહિત કુલ રૂ. 9,00,000ની કિંમતી વસ્તુઓ મળી આવી હતી. EMT રોશનીબેન ચાવડા અને પાઇલોટ મનુભાઈ જોટવાએ આ તમામ સામાન સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે હાજર જતીનભાઈ અધેરાને સુપરત કર્યો હતો. 108ની ટીમની આ ત્વરિત કામગીરી અને નૈતિકતાને જોઈને ઈજાગ્રસ્તના પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:50 pm

અમદાવાદ ગ્રામ્યમા 17 PIને પોસ્ટિંગ અપાયું:પોલીસ સ્ટેશન અને બ્રાન્ચ ફાળવવામાં આવી, જાણો કોને ક્યાં મૂકાયા

તાજેતરમાં રાજ્યના ડીજીપી દ્વારા 500 થી વધુ પીઆઇના એક સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.આ ઓર્ડર થયા બાદ અન્ય જિલ્લામાંથી બદલી થઈને અમદાવાદ જિલ્લામાં આવેલા પીઆઇની અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા બદલી કરવામાં આવી છે.ગ્રામ્ય એસપી દ્વારા અન્ય જિલ્લામાંથી આવેલા 17 પીઆઇની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. ડીજીપી દ્વારા કરવામાં આવેલી બદલીમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાંથી પણ અનેક પીઆઇની બદલી આવતા પોલીસ સ્ટેશન ખાલી થયા હતા,ત્યાં હવે બદલી થઈને આવેલા નવા પીઆઇની નિમણૂક કરવામાં આવી છે.એસ.પી ઓમ પ્રકાશ જાટ દ્વારા 17 જેટલા પીઆઈની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ અન્ય જિલ્લા કે શહેરમાંથી બદલી થઈને આવેલા પીઆઇ નિમણુકની રાહ જોઈ રહ્યા છે.અમદાવાદ શહેરમાં પણ બદલીના કારણે અનેક પોલીસ સ્ટેશન ખાલી થયા છે જે અત્યારે ઇન્ચાર્જ પીઆઈ પર ચાલી રહ્યા છે,જેથી ખાલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પીઆઇને પોસ્ટિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:47 pm

પતિના મિત્રનું કાંડ પરિણીતા પર દુષ્કર્મ, બ્લેકમેલિંગ પછી ધર્મપરિવર્તન:તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ, નગ્ન તસવીરથી બ્લેકમેલિંગ કરી 5 શખસનો રેપ, હનીટ્રેપનું દબાણ, ગર્ભવતી બનતાં તરછોડી

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી અને અશ્લીલ તસવીર-વીડિયોના આધારે બ્લેકમેલ કરી અલગ અલગ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે મુખ્ય આરોપી સહિત 5 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્રતાના બહાને ઘરમાં પ્રવેશ અને શોષણફરિયાદ મુજબ, મૂળ થરાદ પંથકની અને હાલ પાલનપુરમાં ભાડાના મકાનમાં રહેતી 30 વર્ષીય મહિલા અગાઉ બીમાર રહેતી હતી. આ દરમિયાન તેનો પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. પતિનો મિત્ર અખ્તરશા રજબશા ફકીર (રહે. પેગીયા, ધાનેરા) અવારનવાર તેમના ઘરે આવતો હતો. અખ્તરશાએ તેના દાદા તાંત્રિક વિધિ જાણે છે તેમ કહી મહિલાને સાજી કરી દેવાના બહાને વિશ્વાસમાં લીધી હતી. આ દરમિયાન પતિ સાથે અણબનાવ થતા પતિ તેને છોડીને વતન જતો રહ્યો હતો. મહિલાની એકલતાનો લાભ લઈ અખ્તરશાએ લગ્નની લાલચ આપી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. નગ્ન ફોટા પાડી બ્લેકમેલિંગ અને હનીટ્રેપનું ષડયંત્રમુખ્ય આરોપી અખ્તરશાએ મહિલાની જાણ બહાર તેના નગ્ન ફોટા અને અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તે મહિલા પાસે અન્ય લોકોને ફોન અને વીડિયો કોલ કરાવી પ્રેમજાળમાં ફસાવવા દબાણ કરતો હતો. આરોપીનું આયોજન એવું હતું કે મહિલા અન્ય પુરુષોને ઘરે બોલાવે ત્યારે અખ્તરશા અને તેના સાગરીતો ત્યાં પહોંચી જઈ પતાવટના નામે નાણાં પડાવી શકે. વિરોધ કરવા પર મહિલાને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. બળજબરીથી ધર્મ પરિવર્તનપીડિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને સતત ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો. આશરે 2 વર્ષ પહેલા તેને ઉનાવા દરગાહ ખાતે લઈ જઈ બળજબરીથી નમાજ પઢાવી, કલમા પઢાવી તેનું નામ બદલીને 'આયશાબાનુ' કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મકાન ભાડે મેળવવા માટે મહિલાના પતિના નામનો ઉપયોગ કરી ખોટું આધારકાર્ડ પણ બનાવ્યું હતું. અન્ય આરોપીઓ દ્વારા દુષ્કર્મજ્યારે મહિલા પાલનપુરની અંબર સોસાયટી વિસ્તારમાં રહેતી હતી, ત્યારે અખ્તરશાના ભાઈઓ અને સંબંધીઓ આરીફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવરશા જુનેજા અને સાહિલ ફકીરે પણ પીડિતાના નગ્ન ફોટા હોવાનું કહી તેને બ્લેકમેલ કરી હતી. આ શખસોએ મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કાર્યવાહીમહિલા ગર્ભવતી બનતા મુખ્ય આરોપીએ તેને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે હિંમત ભેગી કરી પીડિતાએ પોતાના પરિવારને જાણ કરી હતી અને પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:46 pm

'મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું':કોઈ રાજ્યની અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમના શબ્દો ગુજરાતીઓ માટે નહીં નેતાઓ માટે હતા: કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલની તીખી પ્રતિક્રિયા બાદ હવે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અનુપસિંહ રાજપૂતે વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન વાપી ખાતે પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર નિશાન સાંધ્યું હતું. અનુપસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ભાજપ દ્વારા જાણીજોઈને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. હું પણ એક ગુજરાતી છું. 'અભણ' કહેવું એ કોઈ ગુનો નથી. કોઈ રાજ્યનો ગૃહમંત્રી 8મું પાસ હોય તો તેને શું કહેવાય? અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમણે સ્પષ્ટતા કરી કે, ખડગેનું નિવેદન કોઈ વ્યક્તિગત સમાજ કે ગુજરાતની જનતા માટે નહોતું, પરંતુ તે ગુજરાતના નેતાઓ માટેના શબ્દો છે. રાજપૂતે વધુમાં ઉમેર્યું કે, ભાજપ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરી રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન, અનુપસિંહે સોશિયલ મીડિયા અને X (Twitter) પર સરકારના વધતા નિયંત્રણ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર શું રહેશે અને શું ડિલીટ થશે તે હવે સરકાર નક્કી કરી રહી છે. વાપી ખાતે કાર્યકરો સાથેની બેઠક બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જનતા ભાજપના ભ્રામક પ્રચારને સમજી ગઈ છે. તેમણે દાવો કર્યો કે, આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો મેયર કે પ્રમુખ બનશે તે નિશ્ચિત છે. ખડગેએ ગુજરાતીઓ વિશે શું કહ્યું હતું ?મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, “કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.” CMએ કહ્યું- ‘ખડગેના નિવેદને 6.5 કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિની ગરિમા લજવી છે’ખડગેના નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે-સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. ખડગેનું શરમનજક નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત મહેસૂસ કરે છે. પાંચ રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ ખડગે અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આપણે તો બધા ભણેલા ગણેલા છીએ પણ કોંગ્રેસના પ્રમુખને ખબર નથી. આપણે કોલેજમાં કેટલાય જણાની હાજરી પુરાવી દીધી છે. ખડગેના નિવેદન બાદ રવિવારે પણ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. આ 6.5 કરોડ ગુજરાતીઓનું ઘોર અપમાન : ભાજપભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ' કહીને સમગ્ર રાજ્યનું ઘોર અપમાન કર્યું છે. ધવલ પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓના મનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે નફરત ભરેલી છે, તે ફરી એકવાર બહાર આવી છે. તેઓ એવું માને છે કે ગુજરાતીઓ અભણ છે અને એટલે જ વારંવાર ભાજપને મત આપે છે, જે રાજ્યની જનતાનું સીધું અપમાન છે.”

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:39 pm

રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ:લગ્ન ગીતો ગવાઈ એ પહેલા યુવાને ગળેફાંસો ખાઈ અને ઝેરી દવા પી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સગાઇ બાદ પરિવાર લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીતો ગાય એ પહેલા રૈયાધાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે રાજકોટ નજીક ખીજડીયા ગામે વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બન્ને બનાવમાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રોહિત રઘુભાઈ કુવરીયા (ઉં.વ.20) ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત મૂળ રાધનપુરનો વતની હતો. અહીં માતા પિતા સાથે રહી મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે માતા-પિતા ઘરે હાજર ન હતા ત્યારે રોહિતે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી રોહિતની સગાઈ તેના વતન રાધનપુર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતા પરિવારજનો લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીત ગાય એ પહેલા યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીન છવાઈ જવા પામી છે. જો કે અપઘાત અંગે કારણ જાણવા ન મળતા યુનિવર્સીટી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયાના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યુંખીજડીયાના બાબુભાઈ સાવલીયા (ઉ.વ.63)એ ગઈકાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાબુભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે જો કે વૃદ્ધે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:26 pm

'48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં..', ટ્રમ્પની 'વોર્નિંગ' બાદ ઈરાનમાં ભારતીય દૂતાવાસે 'ઈમરજન્સી' એડવાઈઝરી જાહેર કરી

Iran Indian Embassy Advisory: ઈરાનમાં તબાહી મચાવવાની ટ્રમ્પની ધમકીઓ વચ્ચે તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે 'ઈમરજન્સી' એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ઈરાનમાં હાજર તમામ ભારતીયોને કડક સૂચના આપી છે કે તેઓ આગામી 48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં ઘરની બહાર ન નીકળે, તેમજ વીજળી અને સૈન્ય મથકોથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે ઈરાનમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. જ્યાં છો, ત્યાં જ રહો ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો ઈરાનમાં જ્યાં પણ હાજર છે, તેઓ આગામી 48 કલાક સુધી તે જ સ્થાને રોકાઈ રહે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 8:19 pm

આગ અને છેતરપિંડી માટે પોલીસ-વેપારીઓ વચ્ચે ‘મહા-સંવાદ’ યોજાયો:સુરક્ષા માટે નવો પ્લાન, ફાયર સેફ્ટી, ઈન્શ્યોરન્સ અને ભાડુઆતોની તપાસ માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ થશે

સુરત શહેરનું ટેક્સટાઇલ માર્કેટ એશિયાનું સૌથી મોટું માર્કેટ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં છેતરપિંડી અને આગની ઘટનાઓ માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પોલીસ-વેપારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સૂચના મુજબ એડિશનલ સીપી બલરામ મીના સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને આર્થિક છેતરપિંડીથી બચાવવા અને ઉનાળાની સિઝનમાં આગ જેવી જાનમાલની નુકસાની રોકવા માટે જાગૃતિ લાવવાનો હતો. 'ઇકો સિસ્ટમ બગાડનારા લેભાગુ તત્વોને નહીં છોડાય'એડિશનલ સીપી બલરામ મીનાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટની આર્થિક ઇકો સિસ્ટમને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ લેભાગુ તત્વોને છોડવામાં આવશે નહીં. તેમણે ખાતરી આપી હતી કે પોલીસ કમિશનરની કટિબદ્ધતા છે કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ દેશના કોઈપણ ખૂણે છુપાયો હશે, સુરત પોલીસ તેને શોધી લાવશે અને એવો સબક શીખવાડશે કે ફરી ક્યારેય ગુનો કરવાની હિંમત નહીં કરે. આ સંવાદમાં છેતરપિંડીના ઇરાદે માર્કેટમાં પ્રવેશતા તત્વોને કઈ રીતે ઓળખવા અને ભવિષ્યમાં તેની સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવઉનાળાની શરૂઆત સાથે જ માર્કેટમાં શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓ વધતી હોય છે. આ મુદ્દે બેઠકમાં ફાયર ઓફિસર અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે નિર્ણય લીધો છે કે હવે દરેક માર્કેટમાં પોલીસ, ફાયર વિભાગ અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવ ચલાવશે. જેમાં માર્કેટના ફાયર પંપ ચાલુ છે કે નહીં, ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાશે. ટોરેન્ટ પાવરના અધિકારીઓએ પણ આગ લાગવાના ટેકનિકલ કારણો અને વીજ લોડ મેનેજમેન્ટ અંગે વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટોક અને બિલ્ડિંગનો ઇન્શ્યોરન્સ કરાવવા અપીલમાર્કેટમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે વેપારીઓને કરોડોનું નુકસાન થાય છે. આ આર્થિક નુકસાન સામે સુરક્ષા મળી રહે તે માટે બેઠકમાં વીમા કંપનીના અધિકારીઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વેપારીઓને આગ્રહ કર્યો હતો કે માત્ર દુકાનનો જ નહીં, પણ દુકાનમાં રહેલા કાચા-પાકા માલ (સ્ટોક), બિલ્ડિંગ અને ટ્રાન્ઝિટમાં રહેલા માલનો પણ ઇન્શ્યોરન્સ જરૂર કરાવવો. વીમો લેવાથી કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે વેપારી પાયમાલ થતા બચી શકે છે. સમન્સ અને SIT મુદ્દે વેપારીઓની રજૂઆતસંવાદ દરમિયાન વેપારીઓએ પોતાની પ્રેક્ટિકલ મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઘણીવાર કોર્ટ આદેશ કરે છે પરંતુ સમન્સ સર્વ થતા નથી. ફરિયાદી સમન્સ લઈને ક્યાં સુધી ભટકશે? અગાઉ ગઢવી સાહેબના સમયમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા સારા કામ થયા હતા, પરંતુ બદલી બાદ હાલ કોનો સંપર્ક કરવો તે પ્રશ્ન હતો. પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ટૂંક સમયમાં એક મીટિંગ કરી જવાબદાર અધિકારીનું નામ અને એક કોમન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે, જેથી વેપારીઓ સીધો સંપર્ક કરી આરોપીઓ કે વોરંટ બાબતે માહિતી આપી શકે. ભાડુઆતોની તપાસમાં કડકાઈ, દરેક પોલીસ સ્ટેશનમાં ડેડિકેટેડ સ્ટાફની માંગવેપારી મંડળે પોલીસ સમક્ષ મહત્વની રજૂઆત કરી હતી કે માર્કેટ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશનોમાં ભાડુઆતોની નોંધણી માટે ખાસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. અત્યારે ઘણા કિસ્સામાં નકલી સિક્કા અને ખોટા દસ્તાવેજો બનાવીને લેભાગુઓ દુકાનો ભાડે રાખતા હોય છે અને પછી છેતરપિંડી કરીને ભાગી જાય છે. જો પોલીસ, માર્કેટ એસોસિએશન, બ્રોકર અને મેનેજર - આ ચારેયના સત્તાવાર સિક્કા અને વેરિફિકેશન હોય તો જ ભાડુઆતને મંજૂરી આપવી જોઈએ. પોલીસે આ સૂચનને આવકારી 24 કલાક તપાસ ચાલે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. સીધા સંવાદથી પોલીસ-વેપારી વચ્ચેનું અંતર ઘટશેકાર્યક્રમના અંતે એ નિષ્કર્ષ નીકળ્યો હતો કે પોલીસ ગમે તેટલી કડક હોય, પરંતુ વેપારીએ પોતે પણ સાવધ રહેવું પડશે. જોઈન્ટ સીપીએ વેપારીઓને સૂત્ર આપ્યું હતું કે સાવચેતી એ જ સલામતી’ સોદા કરતી વખતે સાવધાની રાખવી, અજાણ્યા અને શંકાસ્પદ ખરીદદારોની યોગ્ય તપાસ કરવી અને પોલીસને સહકાર આપવો એ વેપારીઓની પણ જવાબદારી છે. આ પ્રકારના સીધા સંવાદથી પોલીસ અને વેપારીઓ વચ્ચેનો વિશ્વાસ વધશે અને સુરતનું ટેક્સટાઇલ માર્કેટ વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 8:17 pm

Editor's View: ઇરાનમાં કતલની રાત:ટ્રમ્પની ડેડલાઇન પહેલા ખાર્ગ આઇલેન્ડ પર મહાવિનાશ, યુદ્ધ અપરાધ શું છે? રશિયા-ચીન સીધા અમેરિકાના વિરોધમાં

ઇરાન માટે આજની રાત કતલની રાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પાવર પ્લાન્ટ ડેનું ડેડલી કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. ડેડલાઇન પહેલા અમેરિકાએ ઇરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો બોલાવી દીધો છે. હવે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના બ્રિજ, રેલવે નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સને નિશાન બનાવી શકે છે. જો હોર્મુઝના દરિયાઈ દરવાજા ખોલવાની વાત માનશે નહીં તો આ ટચૂકડા દેશને રાખના ઢગલામાં ફેરવી દેવાનો અમેરિકાનો પ્લાન છે. આવું ન થાય અને આ ધમકી વોર ક્રાઈમ બને એ માટે ઈરાને લોકોને પાવર પ્લાન્ટ અને બ્રિજ ફરતે હ્યુમન ચેઈન બનાવવા અપીલ કરી છે. એક બાજુ તેલના ભાવ આપણા ખિસ્સાં ખાલી કરી રહ્યા છે તો બીજી બાજુ UNની સિક્યોરિટી કાઉન્સિલમાં મહાસત્તાઓ વચ્ચે એવો ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. જેમાંથી ત્રીજા વિશ્વ યુદ્ધની ગંધ આવી રહી છે. સમાચાર તો એવા પણ છે કે અમેરિકા યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને જર્મનીમાં સારવાર માટે મોકલે છે જેથી કોઈને જાનહાનીની ખબર ન પડી શકે. આ તરફ રશિયા ક્યૂબામાં તેલ ઉતારીને ટ્રમ્પની નાકાબંધીના ધજાગરા ઉડાવે છે. આ સ્થિતિમાં આ યુદ્ધ ગ્લોબલ કેઓસ બની ગયું છે. આજે આપણે યુદ્ધના પાંચ-સાત એવા પાસાઓની વાત કરવી છે જેના પર દુનિયાની નજર ઓછી પડી છે પણ પરિણામો ગંભીર આવી શકે છે. નમસ્કાર... જીઓપોલિટિક્સમાં એક કહેવત છે કે, જે જળમાર્ગ પર કબજો કરે તે વિશ્વના વેપાર પર રાજ કરે છે. હોર્મુઝ સ્ટ્રેઇટ અત્યારે એનું જ એપી સેન્ટર છે. દુનિયાની તેલ સપ્લાયનો લગભગ 20-22 ટકા હિસ્સો આ જ સાંકળી દરિયાઈ પટ્ટીથી પસાર થાય છે. યુદ્ધમાં ઇરાને આ વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે, જેનાં કારણે આખી દુનિયાની ઈકોનોમીની નસ સૂકાવા લાગી છે. અમેરિકાએ દુનિયાને મોંઘવારીના ભરડામાં ધકેલી પણ ખાલી હોર્મુઝમાં જ નહીં, ઈરાનના પ્રોક્સી સપોર્ટર્સ એટલે કે યમનના હુથી બળવાખોરોએ બાબ અલ-બંદેબ નામની સ્ટ્રેઇટમાં પણ તણાવ વધારી દીધો છે. આ બે ચેક પોઈન્ટ જો ચોક થઈ જાય તો તેલ અને ગેસની સપ્લાયમાં કાયમી અંધાધૂંધી થઈ શકે. આનાથી તેલ ને ગેસના ભાવો પણ આસમાને પહોંચી શકે તેમ છે. જો આવું થઈ જાય તો એશિયાથી યુરોપ સુધી આખી દુનિયા મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ જાય. હોર્મુઝ ખોલાવવા UNમાં ખતરનાક શબ્દો આવું ન થાય તેના માટે બહેરિને આગળ આવીને યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં એક નવું યુદ્ધ શરૂ કર્યું. બહેરિને હોર્મુઝ સ્ટ્રેઇટ અને બાબ અલ-મંદેબને ખોલાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ ડ્રાફ્ટમાં કેટલાક ખતરનાક શબ્દ હતા. એ શબ્દ હતા કે બંને બ્લોકેજ ખોલાવવા માટે ઓલ નેસેસરી નીડ (લશ્કરી કાર્યવાહી) કરીને પણ બ્લોકેજ ખોલવામાં આવે. ઈઝરાયલને બગાસું ખાતા પતાસું આમાં અમેરિકા અને ઈઝરાયલને તો બગાસું ખાતાં પતાસું મળવાં જેવું હતું પણ 2026નો વર્લ્ડ ઓર્ડર ટ્રમ્પનાં કારણે બદલાઈ ગયો છે. ટ્રમ્પનાં કારણે દુનિયા ઉંધાચત્તી થઈ ગઈ છે. એવામાં રશિયા અને ચીન ઈરાનની પડખે આવ્યા. રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયા અને ચીનના એમ્બેસેડર ફૂ કોંગે બંને બ્લોકેજમાં લશ્કરી કાર્યવાહી ન કરવા પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે જો ઠરાવમાં બળપ્રયોગની વાત કરવામાં આવશે તો તે વીટો વાપરશે. તેમણે દલીલ રાખી કે પશ્ચિમના કારણે જ આજે ગાઝા પટ્ટીના હાલ બેહાલ થયા છે. જો આવું થાય તો ઈરાન પણ બીજું ગાઝા બની શકે છે. અમે એવું થવા દઈશું નહીં. દુનિયાને ફરી વર્લ્ડ વૉર ભેટમાં મળી શકે સૌથી મહત્ત્વની વાત એ છે કે યુરોપનો ભાગ અને અમેરિકાના મિત્ર હોવા છતા ફ્રાન્સે રશિયા અને ચીનનો સાથ આપ્યો છે. ફ્રાન્સે આ બંને બ્લોક ખોલાવવા લશ્કરી કાર્યવાહી પર નહીં પરંતુ ડિફેન્સિવ નીડ પર ભાર મૂક્યો. આવું એટલા માટે કારણ કે યુરોપ સહિત આખી દુનિયાને ડર છે કે જો લશ્કરી કાર્યવાહી થાય તો સીધું યુદ્ધ ફાટી નીકળે. જો એવું થાય તો દુનિયા ફરી વર્લ્ડ વોરમાં ધકેલાઇ જાય. UNના ઠરાવમાં યુદ્ધના શબ્દો હટાવાયા છેલ્લે, ઠરાવ પસાર કરવાની તૈયારી ચાલી રહી છે અને હવે આ આક્રમક ઠરાવને નબળો બનાવી દેવામાં આવ્યો છે. કારણ કે ઓલ નેસેસરી નીડની જગ્યાએ ઓલ નેસેસરી એન્ડ પ્રોપોર્શિનેટ ડિફેન્સિવ મીન્સ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જોવા જેવી વાત અહીં એ પણ છે કે આ ઠરાવની મંજૂરી જુલાઈ સુધી જ લિમિટેડ છે, પછી તેની એક્સપાયરી ડેટ આવી જશે. UNમાં અમેરિકાની હાર રશિયા-ચીનની જીત એક પ્રકારે UNSCમાં આ અમેરિકાની હાર અને રશિયા-ચીનની જીત છે. 2003માં જેવું અમેરિકાનું એકહથ્થું સાશન ચાલતું હતું એ 2026માં નબળું પડી રહ્યું છે. વોશિંગ્ટનને મન ફાવે તેમ નિર્ણયો લેતા પહેલા મોસ્કો અને બેઈજિંગની પરમિશન લેવી પડે છે. પણ જ્યારે UNમાં ઠરાવની ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે વ્હાઈટ હાઉસમાં વેપારી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનો ખર્ચ કોણ ચૂકવશે એ સવાલ કર્યો. ટ્રમ્પ હોર્મુઝ પર હવે ટોલ વસૂલશે ટ્રમ્પે સજેશન આપ્યું કે ઈરાન જીતી ગયા પછી અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા બધા જહાજો પાસેથી પર્મનેન્ટ ટોલ વસૂલશે. એક રીતે આ વિચાર લૉ ઓફ ફ્રી ટ્રેડ ઈન ઈન્ટરનેશનલ વોટર્સના કાયદાની વિરોધમાં છે. ટ્રમ્પની ટેક ધ ઓઈલ વાળી નીતિ અહીં ઓગળીને જાય છે કારણ કે હવે તેનું મિશન પરમાણુ નહીં પણ એનર્જી રિસોર્સિઝ છે. ટ્રમ્પની હુમલાની ડેડલાઈન તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે ટ્રમ્પની પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની ધમકીની એક્સપાયરી ડેટ આવી ગઈ હશે. કારણ કે હમણા ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો હોર્મુઝના દરવાજા નહીં ખોલવામાં આવે તો 7 એપ્રિલ રાતે 8 વાગ્યા બાદ ઈરાનના બ્રિજ અને પાવર પ્લાન્ટ પર હુમલા શરૂ કરી દેવામાં આવશે. ઈરાનને અંધકારમાં ડૂબાડવા ટ્રમ્પ મરણિયા આ મિસાઈલના હુમલાની ધમકી નથી પણ એક દેશની કરોડરજ્જું તોડી પાડવાની ધમકી છે. ટ્રમ્પનું માનવું છે કે જો ઈરાન અંધકારમાં ડૂબી જશે તો તેની લડવાની ક્ષમતા અને જનતાનો ટેકો બંને છૂટી જશે. આ ધમકી જેટલી આક્રમક છે એટલી જ કાયદાકીય ગુંચવણોથી ભરેલી છે. જીનિવા કન્વેન્શનમાં વોર ક્રાઈમના નિયમો નક્કી થયા જ્યારે કોઈ મહાસત્તા પાવર પ્લાન્ટ્સ, ડેમ, સ્કૂલ, હેલ્થ યુનિટ વગેરે જેવી લોકોની સુખાકારીની વસ્તુઓને તોડી પાડવાની ધમકી આપે ત્યારે તે યુદ્ધ અપરાધ થઈ શકે છે. 1949ના જીનેવા કન્વેન્શન અને 1977ના એડિશનલ પ્રોટોકોલ્સ મુજબ જો યુદ્ધ ફાટી નીકળે તો શેના પર હુમલા થઈ શકે અને શેના પર હુમલા ન થઈ શકે. અહીં હુમલો થાય તો તે યુદ્ધ અપરાધ પાવર પ્લાન્ટ અને પુલ સીધી રીતે સૈન્ય મથકો નથી. જો તેના પર હુમલો કરવામાં આવે અને તેનાથી હોસ્પિટલ, પીવાના પાણી વગેરેને નુકસાન થાય તો તે વોર ક્રાઈમની કેટેગરીમાં આવી જાય. ટ્રમ્પનો હુમલો એટલે વોર ક્રાઈમ પ્રિન્સિપલ ઓફ પ્રપોર્શનાલિટીનો કાયદો કહે છે કે લશ્કરી ફાયદો લેવા માટે નાગરિકોને નુકસાન ન કરી શકાય. ટ્રમ્પની ધમકી આ પ્રિન્સિપલને ચેલેન્જ આપે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને UNના માનવાધિકાર પંચે પહેલેથી જ ચેતવણી આપી છે કે ઈરાનના પાવર ગ્રીડ પર હુમલો એ કલેક્ટિવ પનિશમેન્ટ જેવું ગણાશે. અમેરિકાની ક્રિયા, ઈરાનની પ્રતિક્રિયા સિદ્ધાંત પ્રમાણે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. ટ્રમ્પની ધમકીની ક્રિયાના જવાબમાં ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે. ઈરાનની સકરારે દેશના યુવાનો, કલાકારો અને રમતવીરોને આહવાન કર્યું છે કે તેઓ 7 એપ્રિલ 2026ના બપોરે 2 વાગ્યાથી દેશના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજની આસપાસ હ્યુમન ચેઈન બનાવીને ઉભા રહે. હુમલો ન થાય તેના માટે અહીં માનવ સાંકળ જો ટ્રમ્પ ભૂલથી પણ પાવર પ્લાન્ટ અને બ્રિજ પર મિસાઈલનો મારો ચલાવે અને હજારો લોકોના મોત થાય તો અમેરિકા યુદ્ધ અપરાધી બની જશે. ઈરાનની IRNA, Tasnim અને Farsના રિપોર્ટ મુજબ લોકોએ તો હ્યુમન ચેઈન બનાવવાની પ્લાનિંગ પણ ચાલી કરી દીધી છે. અહીં હ્યુમન ચેઈન બન્યાની અટકળો તમે હુમલો કરશો અમે શહીદ થઈશુંનો સંદેશ આવું એટલા માટે થયું કારણ કે ઈરાની સુપ્રીમ કાઉન્સિલ ફોર યુથ એન્ડ એડોલેસેન્ટ્સના સચિવ અલીરેઝા રહીમીએ ટીવીમાં ઈરાની જનતા અને દુનિયાને કહ્યું કે, અમે હાથમાં હાથ પરોવીને ઉભા રહીશું અને વિશ્વને કહીશું: માનવીય જરૂરિયાતો જેવી કે વીજળી અને પાણીના સ્ત્રોતો પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. વિરોધીઓ જ બન્યા દેશના રક્ષકો પણ આપણે એક ચોંકાવનારી વાત અહીં મિસ કરી જઈએ છીયે. જે ઈરાની જનતા એક સમયે ઉદ્ધ પહેલા ઈરાનની ઈસ્લામિક સરકારની સામે બાંયો ચઢાવીને વિરોધ પ્રદર્શનો કરી રહી હતી તે અત્યારે ઈરાનને બચાવવા માનવ સાંકળો બનાવી રહી છે. ઈરાનમાં રાષ્ટ્રવાદનો ઉભરો જ્યારે બહારનો દુશ્મન એટલે અહીં ઈરાનના કોન્ટેક્સમાં અમેરિકા આખા દેશને પથ્થર યુગમાં મોકલી દેવાની ધમકી આપે, ત્યારે જનતા આંતરિક મતભેદો ભૂલીને રાષ્ટ્રવાદના રંગે રંગાઈ જાય છે. ટ્રમ્પની આક્રમક ભાષાએ અજાણતા જ ઈરાન સરકારને આંતરિક મજબૂતી આપી દીધી છે. સરકાર સામે લડવા ટ્રમ્પે ઈરાનીઓને હથિયારો આપ્યા ગઈકાલે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે અનેક મોટા ધડાકા કર્યા હતા. તેમાંથી એક હતું કે જ્યારે ઈરાની લોકો ઈસ્લામિક સરકારના વિરોધમાં હતી ત્યારે તેમણે ઈરાની જનતાને સરકાર સામે વિરોધ કરવા યુદ્ધ પહેલા હથિયારો આપ્યા હતા. અમેરિકા આ હથિયારો કુર્દીશની મદદથી ઈરાન મોકલવાનું હતું પણ ટ્રમ્પે ફોડ પાડી કે તેમની સાથે તો ગેમ થઈ ગઈ છે. કુર્દોએ તે હથિયારો પોતાની પાસે જ રાખી લીધા અને તહેરાન કે ઈસ્ફહાનના પ્રદર્શનકારીઓ સુધી પહોંચાડ્યા જ નહીં. આનાથી ટ્રમ્પને એ વાતની તો ખબર પડી કે પ્રોક્સી વોર હંમેશા ધાર્યા પરિણામો આપે એ જરૂરી નથી. તો હથિયારોથી વાત ન બની તો ટ્રમ્પે સીધા બોમ્બમારા શરૂ કર્યા. અમેરિકન સૈનિકની માહિતી કોણે લીક કરી? પણ 21મી સદીના યુદ્ધો માત્ર જમીન કે આકાશમાં જ નથી લડાતા, સ્માર્ટફોન અને ટીવી સ્ક્રિન પર લડાય છે. ઈરાનમાં હમણા અમેરિકાએ લડાકુ વીમાનોએ આકાશથી મારો ચલાવ્યો. ઈરાને જવાબ આપ્યો અને હમણા જ સમાચાર આવ્યા કે અમેરિકાનું એફ-15 વિમાન તોડી પાડ્યું. એક પત્રકારે માહિતી લીક કરી દીધી કે આ તૂટેલા વિમાનમાંથી એક અમેરિકન સૈનિક ઈરાનના પહાડોમાં ફસાઈ ગયા છે. ટ્રમ્પે ધમકી આપી કે આ લીકને બીલકુલ નહીં સહન કરી શકાય. ઘાયલ સૈનિકોને જર્મનીમાં છૂપાવે છે અમેરિકા? અમેરિકાની સારા લક કે સૈનિક બચી ગયા અને અમેરિકાએ તેને બચાવી લીધા, પણ બધા બચતા નથી. અમુક શહીદ પણ થાય છે અને અમુકને જાનહાની પણ થાય છે. ભારતના એક વરિષ્ટ પત્રકાર આર. એન. ભાસ્કરનું કહેવું છે કે અમેરિકા અત્યારે પણ 2003ના ઈરાક યુદ્ધ જેવી રણનીતિ વાપરી રહ્યું છે. તેમણે ધડાકો કર્યો કે અમેરિકાના ઘાયલ સૈનિકોને વોશિંગ્ટનને બદલે જર્મનીના LRMC હોસ્પિટલમાં સિક્રેટ રીતે લઈ જવામાં આવે છે. એટલે અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા તે અમેરિકાથી દુનિયાને ખબર ન પડે. હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી રોકવામાં આવી તે સાબિતી છે કે લગભગ ખરેખર યુદ્ધના ઘાયલ અમેરિકન સૈનિકોને જર્મની જ લઈ જવામાં આવે છે. વેનેઝુએલામાં ટ્રમ્પની તેલ ગેમ પણ જ્યારે દુનિયાની નજર ઈરાન પર હતી, ત્યારે અમેરિકાએ પોતાના બેકયાર્ડ લેટિન અમેરિકામાં મોટો ખેલ પાડ્યો છે. જાન્યુઆરી 2026માં અમેરિકી દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને ન્યુયોર્કમાં ખસેડ્યા છે. આપણે એ બધી વાત કરી કે કેવી રીતે ટ્રમ્પ વેનેઝુએલાના તેલ ભંડારો પર કબજો જમાવ્યો. 100 મિલિયન બેરલ વેનેછુએલાનું તેલ અત્યારે અમેરિકા પ્રોસેસ કરી રહ્યું છે. ટ્રમ્પનું માનીએ તો તેલ યુદ્ધમાં મળેલો માલ છે અને તેમાં તેનો હક છે. આનાથી તેલ બજારમાં અમેરિકાની તાકાત તો વધી પણ ઈન્ટરનેશનલ સોવેર્નિટીના ચીંથરેહાલ પણ ઉડી ગયા. ક્યૂબામાં અમેરિકાને રશિયન તમાચો અમેરિકાના આ જ ડોનરો ડોક્ટ્રિનને ટક્કર મારવા ક્યૂબામાં રશિયાએ મોટો દાવ રમ્યો છે. અમેરિકી બ્લેકજ હોવા છતાં, એનાટોલી કોલોડકીન નામનું રશિયન તેલ ટેન્કર સક્સેસફુલી 7 લાખ 30 હજાર બેરલ જેટલું તેલ લઈને ક્યૂબાના માતાંઝાસ બંદરે પહોંચ્યું છે. ટ્રમ્પને ગમ્યું તો નથી પણ મજબૂરીમાં તેણે રશિયાના કામને માનવીય કામ ગણાવ્યું. અમેરિકા ઓલરેડી ઈરાન સાથે યુદ્ધમાં છે તે એવી બિલકુલ હાલતમાં નથી કે રશિયા સામે મોરચો માંડે. રશિયાએ ક્યૂબામાં તેલ આપીને સાબિત કરી દીધું છે કે તે અમેરિકાના ઘર આંગણે પણ પોતાની તાકાત બતાવી શકે છે. યુદ્ધ ગમે તે જીતે પણ માનવતા હારશે તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે જો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે તો તે માત્ર ઈરાનનો અંધકાર જ નહીં હોય પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ કાયમી અંધકાર હશે. કારણ કે બંદૂકના જોરે કોઈ દેશની જનતાને નથી બદલી શકાતી, ઊલટાનું બહારના હુમલાએ ઈરાની જનતાને તેમની સરકાર સાથે વધુ મજબૂત રીતે જોડી દીધા છે. અમેરિકા હવે દુનિયાનો એકમાત્ર શક્તિશાળી પોલીસમેન નથી, રશિયા અને ચીને યુએન અને કેરેબિયનમાં સાબિત કર્યું છે કેવી રીતે તેઓ અમેરિકાની આંખમાં આંખ પરોવી શકે છે. યુદ્ધમાં જીત ભલે ગમે તેની થાય પણ હાર હંમેશા સામાન્ય નાગરિકની જ થાય છે. શાળામાં પડતા બોમ્બ અને હોસ્પિટલમાં થીજી ગયેલા સૈનિકો 2026નું સૌથી કદરૂપું સત્ય છે. અને છેલ્લે... અમેરિકાની ધમકી વચ્ચે ઈરાનના જાણીતા મ્યુઝિશિયન અલી ગમસારીએ દમાવંદ પાવર પ્લાન્ટ સામે બેસીને માય હોમલેન્ડ નામનું મ્યૂઝિક વગાડ્યું હતું. તેમનું સંગીત શાંતિ સંદેશ હતો. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:55 pm

જસદણના ડોક્ટરે આર્થિક ભીંસમાં દારૂની હેરાફેરી શરૂ કરી:ચેકપોસ્ટ પર પોલીસ ચેકીંગ જોઈ 100ની ઝડપે દેશી દારૂ ભરેલી કાર ભગાવી, બે બાઈક ચાલકને અડફેટે લેતા એકનું મોત

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર BHMSની ડિગ્રી ધરાવનારા ડો.વિપુલ હાંડા (ઉ.વ.34) નામના વ્યક્તિએ પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં બેરીકેટ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન શંકાસ્પદ કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારી સરધાર ગામથી લોધીડા ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું હોવાનું સામે આવ્યું છે. આ પછી કાર ચાલકને મેડિકલ તપાસ સાથે હોસ્પિટલ લઈ જતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું અને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. કાર ચાલક ડો.વિપુલ હાંડાની પ્રાથમિક પૂછપરછમાં તેની કારમાં રહેલો દેશી દારૂ તે ભાડલા ખાતે રહેતા વનરાજ રામકુભાઇ ગીડા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીએ વર્ષ 2013-14માં રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી. શરૂઆતમાં પોતે નાનું ક્લિનિક ચલાવતો હતો પરંતુ બાદમાં પોતે લાખો રૂપિયાનું રોકાણ કરીને બોટાદના ગઢડા ખાતે હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં એમડી ડોક્ટર સહિતનાઓને તેણે રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલના વ્યવસાયમાં ખોટ જતા તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેના કારણે તે છેલ્લા બે ત્રણ વર્ષથી આર્થિક સંકળામણનો સામનો પણ કરી રહ્યો હતો અને તેની BHMSની પ્રેક્ટિસ પણ બંધ થઈ જતા પોતે દારૂની હેરાફેરી સાથે જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:31 pm

મલેશિયા-થાઈલેન્ડ એક્સપોર્ટ કેસ:ડ્રગ્સ કાર્ટેલ સાથે કનેક્શનના આરોપમાં પકડાયેલા ભૌતિક પદમાણી અને ચેતન વાવડીયાને કોર્ટે શરતી જામીન આપ્યા

એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર મલેશિયા અને થાઈલેન્ડ મોકલવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા આરોપીઓ ભૌતિક દામજીભાઈ પદમાણી અને ચેતન કનુભાઈ વાવડીયાને સેસન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની એ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી કે આરોપીઓ લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તપાસના તમામ દસ્તાવેજો પોલીસ પાસે હોવાથી હવે તેમને વધુ સમય જેલમાં રાખવાનું કોઈ કાયદાકીય કારણ જણાતું નથી. આ હુકમથી ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલા હોવાના આરોપનો સામનો કરી રહેલા બંને શખ્સોને મોટી રાહત મળી છે. શું હતો સમગ્ર મામલો?ATSના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. રહેવરને મળેલી બાતમીના આધારે નિકુંજ હરેશભાઈ ઘડીયા, ચેતન વાવડીયા અને ભૌતિક પદમાણી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવાનો કેસ દાખલ થયો હતો. આરોપ હતો કે તેઓ ઓટોમીડેટ પાવડરને એલોવેરા પાવડર અને ગીનોપોલ-24 ના સેમ્પલ તરીકે ખોટા લેબલ લગાવીને મુંબઈ એરપોર્ટથી વિદેશ મોકલતા હતા. ATS એ આક્ષેપ કર્યો હતો કે આ પાવડર મલેશિયા અને થાઈલેન્ડમાં પ્રતિબંધિત છે અને આરોપીઓએ બોગસ બિલ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી છે. બચાવ પક્ષની રજૂઆતઆરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર ભારત દેશમાં પ્રતિબંધિત નથી. તેનું ખરીદ-વેચાણ કાયદેસર છે અને તે GST બિલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રેશમવાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કોઈ પાવડર અન્ય દેશમાં પ્રતિબંધિત હોય, તો તે ગુનાની કાર્યવાહી ભારતમાં ચલાવી શકાય નહીં. વધુમાં, એક્સપોર્ટમાં કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી ન હોવાથી સરકારને કોઈ આર્થિક નુકસાન પહોંચ્યું હોવાના પૂરાવા પણ ATS રજૂ કરી શક્યું નથી. ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી, કોર્ટમાં દલીલકોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કોઈ ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી. આરોપીઓની ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને હિસાબી ચોપડાઓ તપાસ અધિકારીએ અગાઉથી જ જપ્ત કરી લીધા છે. સમગ્ર કેસ દસ્તાવેજી પૂરાવાઓ પર આધારિત છે અને હવે આરોપીઓ દ્વારા પુરાવા સાથે ચેડાં કરવાની કોઈ શક્યતા નથી, જેને ધ્યાને લઈ જામીન આપવા જોઈએ. કોર્ટની ટિપ્પણી અને જામીનની શરતોસેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે નોંધ્યું કે માત્ર મિસલેબલિંગ કરવાથી સરકાર સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો સાબિત થતો નથી, ખાસ કરીને જ્યારે વસ્તુ દેશમાં પ્રતિબંધિત ન હોય. આરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાની દલીલો સફળ રહી હતી અને બંને આરોપીઓને હવે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જેલમાંથી મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:22 pm

જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું:કોંગ્રેસમાંથી ચૂંટણી લડેની શક્યતા, વડોદરામાં પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી!

ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ ભાજપની કામગીરીથી નારાજ થઈને રાજીનામુ ધરી દીધું છે. 3 વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતાસોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને ભાજપમાં લઈ આવ્યા હતા. ત્યારે હવે જ્યારે પછી ચૂંટણીઓ આવી છે ત્યારે તેઓએ વધુ એક વખત પક્ષ બદલવાનું મન બનાવી લીધું છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા પંચાયતમાં વિકાસના નામે શૂન્યકિરણસિંહ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, હું ભારતીય જનતા પાર્ટીમાં ત્રણ વર્ષ પહેલા જ્યારે જોડાયો હતો ત્યારે મને એવું હતું કે સત્તામાં ભાજપ છે એટલે વિકાસ થશે. પણ ભારતીય જનતા પાર્ટીની જીલ્લા પંચાયત સતત ફેઈલ થઈ છે. વિકાસના નામે શૂન્ય છે. લોકોને રોજગારીનો પ્રશ્ન હોય, હું 2008થી કોંગ્રેસમાં હતો, ત્યારે હું સતત લોકો માટે લડતો રહેતો હતો અને લોકોના પ્રશ્નો, લોકોને રોજગારી મળી રહે, વિકાસના કામ થાય તે માટે સતત મેં પ્રયત્ન કર્યો છે. સોખડા જીલ્લા પંચાયતના લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને જીતાડ્યો હતો. પણ વિકાસના નામે શૂન્ય છે. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કિરણસિંહ હવે પુનઃ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે. અને કોંગ્રેસના બેનર ઉપરથી ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે અંતરંગ વર્તુળો તરફથી એવી પણ માહિતી મળી છે કે, આ વખતે ભાજપમાંથી તેઓનું પત્તુ કાપવાની સંભાવનાઓ કારણે તેઓએ રાજીનામું આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:22 pm

ચાંદીના વેપારી સાથે 17.33 લાખની છેતરપિંડી:સંબંધીએ ઓળખાણ કરાવ્યા બાદ અમદાવાદનો શખ્સ ચાંદી લઈ ગયો ને વેપારીને ચૂનો ચોપડી ભાગી ગયો

વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં ચાંદીનો ધંધો કરતા વેપારી સાથે 17.33 લાખ રૂપિયાના ચાંદીના દાગીના લઇને અમદાવાદનો ઠગ ફરાર થઈ ગયો હતો. જે રૂપિયા પરત નહીં આપતા વેપારીએ અમદાવાદના શખ્સ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયાવડોદરા શહેરનાં હરણી રોડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા અને અલકાપુરી વિસ્તારમાં અલંકાર આર્ટ સેન્ટર ખાતે ચાંદીના દાગીના વેચાણનો વ્યવસાય કરતા કલ્પેશ બિપિનચંદ્ર ઝીંઝુવાડીયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમના સંબંધીએ અમદાવાદના દર્શન સુરેશ વોરા નામના વ્યક્તિએ ઓળખાણ કરાવી હતી. ત્યારે દર્શન વોરા પ્રથમ વખત રૂ. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયા હતા. અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયાત્યારબાદ આ દર્શન વોરા વધુ ચાંદીની માંગણી કરતા અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયા હતા. જેમાંથી માત્ર રૂ. 50 હજાર રૂપિયા પરત આપ્યા હતા અને બાકીની રકમ માટે બે ચેક આપ્યા હતા. પરંતુ બાદમાં રૂપિયા નહીં ચૂકવી સતત બહાના બતાવતો હતો. ત્યારબાદ રૂપિયા માટે ફોન કરતાં તેણે ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અનેક પ્રયત્નો છતાં આ શખ્સ પૈસા પરત આપતો નહોતો. વેપારીને ચાંદીના બદલામાં રૂપિયા નહીં ચૂકવીને છેતરપીંડી આચરી હતી.જેથી વેપારીની ફરિયાદના આધારે અકોટા પોલીસે રૂ.17.33 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:21 pm

જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 26 એપ્રિલે મતદાન, 28એ મતગણતરી:11 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે, 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી. પંડ્યાએ પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને ઉમેદવારી પત્રો 15 એપ્રિલ સુધી પાછા ખેંચી શકાશે. જો પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો 27 એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે. કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની નિમણૂક સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકા, પંચાયતો અને નગરપાલિકાના કુલ 9,88,807 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓ કામગીરી વેગવંતી બનાવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદારો લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે જનજાગૃતિલક્ષી કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:20 pm

કમૌસમી વરસાદથી ખેડૂત-વેપારીને ફટકો:માણસા માર્કેટ યાર્ડમાં પાણી ફરી વળતા એરંડા તણાયા અને તબેલાના પતરા ઉડ્યા

ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો. માણસા શહેર સહિત સમગ્ર તાલુકામાં પડેલા આ વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને માણસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો એરંડાનો જથ્થો વરસાદી પાણીમાં તણાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખીઆજે ​બપોરના સમયે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો એરંડાનો મોટો જથ્થો દુકાનોની બહાર ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાઆ કમોસમી વરસાદનું જોર એટલું વધારે હતું કે યાર્ડના માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.જેના કારણે બહાર પડેલા એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ​પોતાનો કિંમતી માલ પાણીમાં વહી જતો જોઈ વેપારીઓ અને મજૂરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે મજૂરોએ એરંડાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી તેમ છતાં મોટા પ્રમાણમાં માલ પલળી જવાથી અને તણાઈ જવાથી આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં ઉભેલા પાકને લઈને ચિંતાતુર ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ફફડી ઉઠ્યા છે. તો માણસાના માણેક પુર ગામમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.જેના લીઘે એક તબેલાના પતરા પણ ઊડી ગયા હતા. ત્યારે ઉનાળાની શરૂઆતે જ ચોમાસા જેવો માહોલ સર્જાતા સમગ્ર પંથકના જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:19 pm

'કોંગ્રેસ માફી માંગે':ખડગેના નિવેદન સામે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. ગુજરાતની પ્રજા અભણ નથીમલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું હતું કે ગુજરાતની પ્રજા અભણ છે અને તેના કારણે ભાજપ તેમણે ભરમાવી રહી છે. આ નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યોજાયેલા મૌન ધરણામાં કાર્યકરોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તેઓ સંદેશ પહોંચાડ્યો હતો એ ગુજરાતની પ્રજા અભણ નથી. 'કોંગ્રેસ માફી માંગે'ભાજપના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતે અનેક વિભૂતિઓ દેશને આપી છે ત્યારે આ નિવેદન એ તમામ આગેવાનોનું અપમાન છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. આ કાર્યક્રમમાં દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ, પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો જોડાયા હતા. આગામી દિવસમાં અનેક વિરોધ કાર્યક્રમ યોજાશેભાજપ દ્વારા કોંગ્રેસના આ નિવેદનના પગલે આગામી દિવસોમાં અનેક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા પણ આ અંગે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવશે. ત્યારે ખડગેના આ નિવેદનના પગલે ભાજપ આક્રમક મૂડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:16 pm

ડિપ્લોમા ટુ ડિગ્રી માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે હવે 5-6 મેના રોજ પરીક્ષા, એન્જિ.માં 21,707 અને ફાર્મામાં 339 વિદ્યાર્થી પરીક્ષા આપશે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા રાજ્યના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026- 27 માટેની ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી પ્રવેશ પરીક્ષા માટે 26 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડીગ્રી ફાર્મસી માટેની પ્રવેશ પ્રક્રિયા 9 મેના રોજ યોજવામાં આવશે. 26 એપ્રિલે પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતુંટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાદ રાજ્યની અલગ અલગ 30થી વધુ યુનિવર્સિટીમાં ડિગ્રી ટુ ડિપ્લોમાના અભ્યાસક્રમ ચાલે છે. જેથી તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેની રજીસ્ટ્રેશનની કાર્યવાહી 30 માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 એપ્રિલના પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 એપ્રિલે મતદાન હોવાથી તારીખ બદલીપરંતુ તે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પણ 26 એપ્રિલના રોજ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાનારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પરીક્ષા 6 મેના રોજ યોજવામાં આવશે. જેથી હવે 5 અને 6 મેના ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગના 21707 વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં 339 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ જો વિદ્યાર્થીઓ પરીક્ષાના શહેરની પસંદગીમાં ફેરફાર કરવા માંગતા હશે તો તે 15 એપ્રિલ સુધી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:12 pm

ચેક રિટર્ન કેસનો નાસતો આરોપી ઝડપાયો:કમલાબાગ પોલીસે કલમ 138 હેઠળ સજા વોરંટનો આરોપી પકડ્યો

પોરબંદરની કમલાબાગ પોલીસે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સજા વોરંટના કામે ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધરપકડ આ અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત, પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. બાતમીના આધારે પોલીસે આરોપીના નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, પોરબંદર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના કેસ નંબર 1612/2025 મુજબ સજા પામેલો આરોપી સાગર તુંબડીયા (ઉંમર 31) પોતાના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. આરોપી સાગર તુંબડીયા પોરબંદરના માછલી ઘરની પાછળ, કંકાઈ મંદિર રોડ, બાપુના બંગલા પાસેનો રહેવાસી છે. પોલીસે આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કમલાબાગ પોલીસની આ કામગીરીથી સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:02 pm

સુપ્રીમે દરિયામાં ડ્રેજિંગ કરવા મામલે બે કંપનીઓને અયોગ્ય ઠેરવી:ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર મામલે ચુકાદો

સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેમાં બે મોટા ડ્રેજિંગ ઓપરેટરો ધરતી ડ્રેજિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સહારા ડ્રેજિંગ લિમિટેડને એક ઑફશોર કોન્ટ્રાક્ટમાંથી અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. આ ચુકાદાથી ગુજરાતના સમુદ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અમલીકરણનો માર્ગ ખુલ્લો થયો છે. આ કેસ ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર સાથે સંકળાયેલો હતો. આ ત્રણેય બંદરો કચ્છના ખાડી વિસ્તારમાં આવેલા છે, જે વ્યાપારિક તેમજ સંવેદનશીલ દરિયાકાંઠા માટે જાણીતા છે. આ બંદરોને ઊંડા, નાવચાલન માટે યોગ્ય અને કાર્યરત રાખવું માત્ર આર્થિક નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. મરિન ડ્રેજિંગ એટલે સમુદ્રના તળિયે એકત્રિત થયેલા કાંપ, રેતી અને અન્ય અવશેષોને દૂર કરવાની પ્રક્રિયા. સમય જતા આ જમાવટ પાણીની ઊંડાઈ ઘટાડે છે, જેના કારણે મોટા કાર્ગો જહાજો માટે પસાર થવું મુશ્કેલ બને છે. મરિન ડ્રેજિંગ ખાસ કરીને ખુલ્લા સમુદ્રમાં કરવામાં આવે છે, જ્યાં ઊંચા જ્વારભાટા અને અનિશ્ચિત પરિસ્થિતિઓ હોય છે. કાઢવામાં આવેલ સામગ્રીને સમુદ્રના વધુ ઊંડા ભાગોમાં નિકાલ કરવામાં આવે છે, જેને ડીપ સી ડિસ્પોઝલ કહેવામાં આવે છે. બીડર્સ પાસે મરિન ડ્રેજિંગનો અનુભવ જ નહોતોઓખા, મુન્દ્રા અને નવલખી જેવા બંદરોમાં ડ્રેજિંગ “સમુદ્રના હાઈવે”ને ખુલ્લા રાખવાનું કામ કરે છે. જો ડ્રેજિંગ ન થાય તો ક્રૂડ ઓઈલ, કોલસો, ખાતર અથવા આવશ્યક વસ્તુઓ લઈ જતા જહાજો બંદર સુધી પહોંચી શકશે નહીં. GMBએ સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત તે જ બિડરો પાત્ર ગણાશે જેઓ પાસે ખુલ્લા સમુદ્રમાં મરિન ડ્રેજિંગનો અનુભવ હોય, માત્ર નદી કે આંતરિક ડ્રેજિંગનો અનુભવ પૂરતો નહીં ગણાય. બિડ્સની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીડ બિડર પાસે એવો મરિન ડ્રેજિંગનો અનુભવ નહોતો અને તેમનું કામ મુખ્યત્વે નદી સંબંધિત પ્રોજેક્ટ્સમાં સીમિત હતું. બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતીતેમની અયોગ્યતા સામે બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને GMB દ્વારા જોહુકમી તથા દુર્ભાવના હોવાનો આરોપ લગાવ્યો હતો. GMB તરફથી હાજર સરકારી વકીલ જી.એચ.વીર્કે આ આરોપોનો વિરોધ કર્યો હતો અને પ્રોજેક્ટની ટેકનિકલ જટિલતા તથા જોખમોને ધ્યાનમાં રાખીને શરતોમાં છૂટછાટ ન આપવાની દલીલ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે નાવચાલનની સલામતી, બંદરોની કાર્યક્ષમતા અને માલસામાનની અવરજવરનો મુદ્દો હોય, ત્યારે ટેકનિકલ માપદંડોમાં સમાધાન થઈ શકે નહીં. નવલખી જેવા બંદરો સંપૂર્ણ રીતે કાર્યરત બનવા માટે ડ્રેજિંગની રાહ જોઈ રહ્યા છે, તેઓમાં મોટી સંભાવનાઓ છુપાયેલી છે. આ પ્રોજેક્ટ માત્ર પાણીની ઊંડાઈ વધારવાનો મુદ્દો નથી, પરંતુ આર્થિક ક્ષમતાઓને ઉજાગર કરવાનો, સતત સમુદ્રી પરિવહન સુનિશ્ચિત કરવાનો અને અનિશ્ચિત સમયમાં ભારતની ક્ષમતાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 7:01 pm

મહેસાણા મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો:'કોંગ્રેસનું કમિટમેન્ટ' નામે 11 મુદ્દા સમાવ્યા, નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચન

મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસનું કમિટમેન્ટ' શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લોન્ચિંગ પ્રસંગે સીડબલ્યુસી મેમ્બર જગદીશ ઠાકોર, જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રવક્તા યુવરાજસિંહ રાણા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આ મેનિફેસ્ટો દ્વારા શહેરની વર્ષો જૂની સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાનું વચન સૌથી મહત્વનું છે. આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા માટે સર્વે કરવાની અને પીવાનું શુદ્ધ પાણી સવાર-સાંજ બે સમય પૂરૂં પાડવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ગંદકી અને પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવાનું કમિટમેન્ટ પણ પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં જીવદયા અને પશુ ચિકિત્સા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સત્તામાં આવતા જ ગૌ-માતાની સારવાર માટે અલગ હેલ્પલાઈન, 24 કલાક કાર્યરત પશુ દવાખાનું અને પશુ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવાનું વચન આપ્યું છે. નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચનમનોરંજન અને સુવિધાઓની વાત કરીએ તો, શહેરમાં નવા બાગ-બગીચા, આધુનિક જિમ, સ્વિમિંગ પૂલ, બાળકો માટે ટોડલર ઝોન અને જિલ્લા કક્ષાનું પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કહી છે. સુરક્ષાના હેતુથી છેવાડાના વિસ્તારોમાં પોલીસ ચોકી માટે જમીન ફાળવવાનો મુદ્દો પણ મેનિફેસ્ટોમાં આવરી લેવાયો છે. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વચનો માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ સત્તામાં આવતાની સાથે જ તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. *મેનિફેસ્ટોના 11 મુદા નીચે પ્રમાણે છે* (1)સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (S.T.P) તાત્કાલીક શરૂ કરી ગંદકીનું નિરાકરણ લાવીશું. (2)હેસાણાનાં તમામ વિસ્તારોનો સર્વે કરી પાર્કિંગની સમસ્યાનું કાયમી સમાધાન લાવીશું. (3)મહેસાણા શહેરનાં અને મહાનગરપાલિકામાં વિલીન થયેલા ગ્રામીણ વિસ્તારમા નવીન બાગ, રમત-ગમતના મેદાનો, જિમ અને સ્વિમિંગ પુલની સુવિધાઓ ઊભી કરીશું. (4) મહાનગપાલિકાના તમામ ગામ તેમજ સીટી વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી સવારે અને સાંજે એમ બે વખત પહોંચાડીશું. (5)છેવાડાનાં ગામોને આવરી લેવાતા વિસ્તારમાં પોલીસ ચોકી બનાવા માટે જમીન ફાળવીશું. (6)રાધનપુર ચોકડી ઉપર ઓવરબ્રીજ બનાવીશું. (7)મહાનગરપાલિકના તમામ બાગ બગીચામાં નાના બાળકો માટે અલગથી રમત-ગમતના સાધનો મૂકી ટોડલર ઝોન બનાવીશું. (8)મહાનગરપાલિકા વિસ્તાર માટે સરકારી 24/7 કાર્યરત પશુ દવાખાનું બનાવડાવીશું. સાથે જ અલગથી પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરીશું. (9)પશુ ચિકિત્સા માટે અદ્યતન મશીનરી વસાવીશું. (10)ગૌ-માતાની ચિકિત્સા માટે અલગ હેલ્પલાઈન લાવીશું. (11)શહેરમાં જિલ્લા કક્ષાનું મોટું પ્રાણી સંગ્રહાલય (Z00) બનાવીશું તેમજ વિવિધ આયુર્વેદિક વૃક્ષોની વાવણી કરી નવી પેઢી ઔષધો પ્રત્યે જાગૃત થાય તેવો પ્રયત્ન કરીશું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:50 pm

'તેરા તુજકો અર્પણ':​નેત્રમ શાખાના CCTVની મદદથી ગણતરીની કલાકોમાં 9 અરજદારોના રોકડ, મોબાઈલ અને કિંમતી સામાન મળી કુલ 1.72 લાખનો મુદામાલ મૂળ માલિકોને સોંપાયો

​જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી નેત્રમ શાખાએ આધુનિક ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય સાધીને નવ જેટલા અરજદારોના ખોવાયેલા કિંમતી સામાન, રોકડ અને મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાએ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આશરે 1.72 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે. ​આ સમગ્ર કામગીરીમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ શહેરમાં કાર્યરત સીસીટીવી કેમેરા નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થયું છે. નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.પી. મકવાણા અને તેમની નિષ્ણાત ટેકનિકલ ટીમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરીને ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જે લોકોએ પોતાનો સામાન પરત મેળવવાની આશા છોડી દીધી હતી, તેમને પોલીસે સામેથી સંપર્ક કરીને તેમનો સામાન પરત સોંપતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ​આ સફળતામાં સૌથી મોટો કિસ્સો જૂનાગઢના રહેવાસી હર્ષલભાઈ ભરતભાઈ રાજાનો રહ્યો હતો. તેઓ રાયજીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાંથી 1,14,500 રૂપિયાની માતબર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ ગાંધીગ્રામ પાસે રસ્તામાં પડી ગયું હતું. આ બાબતની જાણ થતા જ નેત્રમ શાખાએ હર્ષલભાઈના રૂટ પરના સીસીટીવી કેમેરા અને લોકલ ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે પાકીટ શોધી કાઢીને હર્ષલભાઈને રૂબરૂ બોલાવી પૂરેપૂરી રકમ પરત કરી હતી. ​આવી જ રીતે, ફેઝાનભાઈ શરીફભાઈ શેખ નામનો યુવક સુખનાથ ચોક તરફ જતો હતો ત્યારે તેનો 14 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક બાઈક ચાલકે આ મોબાઈલ રસ્તા પરથી ઉઠાવ્યો હતો. પોલીસે બાઈક નંબરના આધારે તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને ગણતરીની કલાકોમાં મોબાઈલ પરત અપાવ્યો હતો. આ ઉપરાંત, ઈવનગર રોડ પરથી પસાર થતી એક પીકઅપ રિક્ષામાંથી 50 કિલો શિખંડ ભરેલું પાર્સલ રસ્તા પર પડી ગયું હતું. નેત્રમ શાખાએ સીસીટીવીની મદદથી વાહનનો નંબર શોધી કા્યો હતો અને મૂળ માલિક રાદડીયા ઘનશ્યામભાઈને સામેથી બોલાવી 12,500 ની કિંમતનો આ માલ પરત કર્યો હતો. ​શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ પોલીસની સતર્કતા જોવા મળી હતી. ગીરીરાજ રોડ તરફ જતા મહેશભાઈ ભટ્ટ પોતાનો સેમસંગ મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા, જ્યારે રાજકોટના દીપકભાઈ ધોળકીયા પોતાનું કપડાં ભરેલું બેગ ઝાંઝરડા ચોકડી પાસેની રીક્ષામાં ભૂલી ગયા હતા. નેત્રમ શાખાએ આ બંને કિસ્સામાં રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરીને રીક્ષા ચાલકોનો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકોએ પણ પ્રામાણિકતા દાખવીને સામાન પોલીસમાં જમા કરાવ્યો હતો, જે પોલીસે મૂળ માલિકોને સુપરત કર્યો હતો. આ ઉપરાંત ભાવેશભાઈ સરધારાનું પાકીટ, પવનકુમાર ડોડેચાનું બેગ અને અન્ય અરજદારોની ચીજવસ્તુઓ પણ સીસીટીવીની મદદથી તાત્કાલિક રીકવર કરવામાં આવી હતી. ​પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીથી તમામ અરજદારો અભિભૂત થઈ ગયા હતા. જેમને સામાન પરત મળવાની કોઈ આશા નહોતી તેવા લોકોએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ સમગ્ર કાર્યવાહીમાં પી.એસ.આઈ. એચ.પી. મકવાણાની સાથે ટેકનિકલ ઓપરેટર પ્રતીકભાઈ કરંગીયા, પાર્થભાઈ ચૌહાણ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દ્વારા પોલીસે સાબિત કર્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની સેવા અને સુરક્ષા વધુ સુદ્રઢ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:49 pm

ખડગેના નિવેદન સામે ભાજપ આક્રમક:મૌન ધરણા યોજી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો, ધારાસભ્યનો કટાક્ષ-રાહુલ ગાંધીને શાક કિલોમાં આવે કે લિટરમાં તેની પણ ખબર નથી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર એકમ દ્વારા સેક્ટર-21 ના શોપિંગ સેન્ટર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એક કલાક સુધી મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ ઉપસ્થિત રહેલા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે હતાશામાં આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. રીટાબહેને કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસની દાળ હવે પાકવાની નથી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જે નેતાને શાકભાજી કિલોમાં આવે કે લિટરમાં તેની પણ સમજ નથી તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી કોંગ્રેસ હંમેશા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે: રીટા પટેલગુજરાતની અસ્મિતાનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિ ગુજરાતની દેન છે. દેશના આર્થિક વિકાસમાં આજે પણ ગુજરાત 10 ટકાથી વધુ ફાળો આપી રહ્યું છે. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોની સફળતા પાછળ પણ ગુજરાતનું નામ જોડાયેલું છે, જે કોંગ્રેસે કદાચ વિસારે પાડ્યું છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતી આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યોગાંધીનગર શહેર ભાજપના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના મતે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન માત્ર પક્ષલક્ષી નથી પરંતુ તે રાજ્યની જનતાનું અપમાન છે જેને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. એક તરફ કોંગ્રેસના નિવેદનો અને બીજી તરફ ભાજપનો આ મૌન વિરોધ આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં નવા વળાંકો લાવશે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો ભાજપે આ મૌન આંદોલન દ્વારા કોંગ્રેસના નેતૃત્વને ઘેરવાની રણનીતિ અપનાવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:46 pm

વિશ્વ આરોગ્ય દિવસે વિજયનગરમાં HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ:કિશોરીઓ માટે ગર્ભાશયમુખ કેન્સર સામે SBCC અભિયાન યોજાયું

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિજયનગરના અંતરિયાળ ખારીબેડી ગામે કિશોરીઓ માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અંગે વ્યાપક જનજાગૃતિ અને વર્તન બદલાવ અભિયાન (SBCC) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાબરકાંઠાના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ખારીબેડી વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં HPV સંક્રમણ અને તેના ગંભીર પરિણામો, ખાસ કરીને ગર્ભાશયમુખ (સર્વાઇકલ) કેન્સર વિશે વૈજ્ઞાનિક આધારિત માહિતી પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા રસીકરણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કિશોરીઓને જણાવ્યું કે HPV એક સામાન્ય સંક્રમણ છે જે જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓને અસર કરે છે. તેમણે 9 થી 14 વર્ષની વયે અપાતી HPV રસીના ફાયદા સમજાવ્યા, જે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે અને ગર્ભાશયમુખ કેન્સરનું જોખમ ઘટાડે છે. કિશોરી વય રસીકરણ માટે સૌથી અસરકારક સમય છે કારણ કે આ ઉંમરે શરીર રસીને ઝડપથી અને લાંબા ગાળે સ્વીકારી શકે છે. આનાથી રસીની અસરકારકતા મહત્તમ બને છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્તદાન મહાદાન ના ઉમદા આશય સાથે તબીબી અધિકારીઓ, સ્ટાફ, આશા બહેનો અને ગ્રામજનો દ્વારા કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ GMERS બ્લડ બેંકના સ્ટાફના સહયોગથી યોજાયો હતો અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે પ્રતિક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:41 pm

વાંટડીના ગુમ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

હિંમતનગર તાલુકાના વાંટડી ગામનો એક યુવક છેલ્લા દસ દિવસથી ગુમ હતો. મંગળવારે તેનો મૃતદેહ ગામ નજીકના ડુંગર પરના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંટડી ગામના વિશાલસિંહ કમલેશસિંહ સોલંકી (ઉંમર આશરે 24 વર્ષ) ગાંભોઈમાં આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા નવ-દસ દિવસથી ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને જાણવાજોગ નોંધ પણ કરાવી હતી. મંગળવારે ગ્રામજનોને ગામના ડુંગર પર એક ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા તે ગુમ થયેલા વિશાલસિંહ સોલંકીનો જ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે અગમ્ય કારણોસર ઝાડ સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI બાલુસિંહ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ દસ દિવસ જૂનો હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:38 pm

વન વિભાગમાં 'સાફ સફાઇ'ની ઇનસાઇડ સ્ટોરી:વર્ષોથી એક જગ્યાએ જામેલા RFOને હટાવવા CMનો કડક નિર્ણય, જયપાલસિંઘને પ્રમોટ કરવા એ.પી.સિંઘની પાંખો કપાઇ

ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી RFOની બદલીઓએ વનવિભાગમાં પલિતો ચાંપ્યો છે. 30મી માર્ચે એકસાથે 365 જેટલા RFOની બદલીઓ થઇ હતી. જેમાં વિસ્તરણ અધિકારીઓને ગીરમાં અને ગીરના અધિકારીઓને વિસ્તરણમાં મૂકી દેવાતા વનવિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હકીકતમાં આ 'સાફ સફાઇ' પાછળ મુખ્યમંત્રીનો સીધો આદેશ હતો. મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતોટોચના સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વર્ષોથી પોતાની જગ્યા પર જામી ગયેલા RFOને હટાવવા માટે મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતો. જેના પછી બદલીનો આખો પ્લાન તૈયાર થયો હતો અને ઇતિહાસમાં પહેલી વખત આ રીતે બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત IFS અધિકારીઓની પણ બદલી કરાઇ હતી. ગીરમાં અનુભવ વગરના અધિકારીઓ મૂકાતા વિરોધનો વંટોળસામાન્ય રીતે ગીર જંગલમાં એવા અધિકારીઓને મૂકવામાં આવતા હોય છે જે પ્રાણીઓની બાબતમાં અનુભવી હોય પરંતુ આ વખતની બદલીઓમાં આવું નથી થયું. આ વખતે નોર્મલ રેન્જના અધિકારીઓને ગીર જંગલમાં મૂકી દેવાયા હતા એટલે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. પૈસા લઇને બદલી કરાતી હોવાનું ખૂલ્યું હતુંગીરના અધિકારીઓને હટાવવામાં વન વિભાગના વડા દ્વારા જ પૈસાનો વહીવટ કર્યાની રજૂઆત RFO એસોસિએશને મુખ્યમંત્રી અને વનમંત્રીને કરી હતી. જેના પછી મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તપાસ કરાવી તો ખૂલ્યું કે મોટાભાગની બદલીઓ વહીવટથી કરાય છે. જેથી મુખ્યમંત્રી નારાજ થયા હતા.જેના કારણે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે ફરજ બજાવતા એ.પી.સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને જયપાલસિંઘને ચાર્જ સોંપાયો હતો. જો કે આંતરિક ગણગણાટ મુજબ વહીવટની વાતો ચાલે છે પણ ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો હતો. જયપાલસિંઘને પ્રમોટ કરવાની કવાયતજયપાલસિંઘને ચાર્જ સોંપાવા પાછળનું એક કારણ એ પણ છે કે સરકારે તેમને પ્રમોટ કરવાની તૈયારી કરી લીધી છે. જયપાલસિંઘનું નામ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ (DG ફોરેસ્ટ) તરીકે મોકલાયું છે. જેથી તેમને અત્યારે ચાર્જ સોંપાય તો તે અપગ્રેડ થાય અને તેમના ચાન્સ વધી જાય. નાયબ સચિવને સાઇડ પોસ્ટિંગ!સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે. જેને સાઇડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. આને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જો કે સરકારનો આ નિર્ણય વનવિભાગની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:30 pm

ગુજરાતનું અપમાન સહન નહીં કરાય:કોંગ્રેસ અધ્યક્ષની ગુજરાત વિરોધી ટિપ્પણીના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે ‘મૌન ધરણા’

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આ નિવેદનના વિરોધમાં આજે ભાવનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા વીર સપૂતો આપ્યા છે, જેમણે દેશને વિશ્વ ફલક પર સર્વોચ્ચ સ્થાન અપાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતના અપમાનનો જનતાએ આગામી ચૂંટણીમાં મતાધિકાર દ્વારા એવો 'કરારો જવાબ' આપવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ ગુજરાતીઓ વિરુદ્ધ બોલતા પહેલા સો વાર વિચાર કરે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યઓ, શહેરના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારઓ, તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:19 pm

વેરાવળમાં ભાજપનું મહા જનસંપર્ક અભિયાન:સ્થાપના દિવસ નિમિત્તે વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડી

વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મહા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં જનસંપર્ક યાત્રા કાઢી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. કાર્યકર્તાઓએ સામાન્ય નાગરિકો સાથે સીધી મુલાકાત કરી સરકારના કાર્યો અંગે પ્રતિસાદ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' જેવા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ દેશપ્રેમથી છવાઈ ગયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી જયેશ પંડ્યા, મૌલિક વૈયાટા, મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન સુયાણી અને અમૃતાબેન અખિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનની એકતા અને સક્રિયતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપ દ્વારા આયોજિત આ મહા જનસંપર્ક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારના વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાનો અને આગામી સમયમાં જનસમર્થનને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:16 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:MLA કાનાણીની આપ સામે 'ધુરંધર' સ્ટાઇલમાં બેટિંગ, તાપી નદીમાંથી મહિલાની લાશ મળી

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:15 pm

'ઠંડુ પીણું પીવા ઉભો રહ્યો ને 1.70 લાખ ચોરાયા':કેશોદમાં બેંકમાંથી રૂ. 1.70 લાખ ઉપાડી ઠંડું પીવા ઉભેલા યુવકની નજર ચૂકવી ત્રણ ગઠિયાઓ રૂપિયા લઈ થયા રફુચક્કર, પોલીસે CCTVના આધારે તપાસ તેજ કરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામના યુવક આજે સવારે કેશોદની એસબીઆઈ (SBI) બેંકની શાખામાંથી રૂપીયા 1,70,000 રોકડા ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ તેઓ બાઈક લઈને રવાના થયા હતા અને બેંકથી માત્ર 150 મીટર દૂર આવેલા ચાર ચોક પાસે તિલક વિસ્તારમાં ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. ​બલભદ્રસિંહજીએ પોતાનું બાઈક પાર્ક કરીને ઠંડું પીણું પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી ત્રણ ગઠિયાઓએ બાઈક પર ટીંગાડેલા થેલાની ક્લિપ અને ચેઈન ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ ગઠિયાઓ થેલામાં રાખેલી 1.70 લાખની રોકડ રકમ કાઢીને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ ભાગી છૂટ્યા હતા. યુવકને જ્યારે શંકા ગઈ અને તેણે થેલો ચેક કર્યો ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનાર બલભદ્રસિંહજીએ જણાવ્યું હતું કે, મેં બેંકમાંથી પૈસા ઉપાડીને બાઈકના થેલામાં મૂક્યા હતા. ઠંડું પીવા માટે ગાડી રોકી ત્યારે નજર ચૂકવીને ત્રણ જણા પૈસા લઈને જતા રહ્યા હતા. મેં તાત્કાલિક પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસની દુકાનો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લૂંટ ચલાવીને જૂનાગઢ તરફના માર્ગે નાસી છૂટ્યા છે. પોલીસે જિલ્લાભરમાં મેસેજ પાસ કરીને ગઠિયાઓનો પીછો કરવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:06 pm

‘હું છું કિશોર ચીખલીયા’ મોરબી કોંગ્રેસનો સંકલ્પ:પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપશે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે પુષ્પરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સનાળા રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પક્ષની પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તો શહેરના વિકાસ અને પારદર્શિતા માટે ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો મુખ્ય સંકલ્પ તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ચૂંટણીને તેમના નામે લડવાનું નક્કી કર્યું છે. પક્ષના તમામ કાર્યકરો હું છું કિશોર ચીખલીયા ના સંકલ્પ સાથે પ્રચારમાં જોડાશે. કિશોર ચીખલીયાએ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા આપેલા યોગદાનને ધ્યાને રાખીને કાર્યકરો પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસની મુખ્ય પ્રતિબદ્ધતાઓ શુદ્ધ પાણીની સુવિધા: શહેરમાં હાલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી અશુદ્ધ પાણી સપ્લાય થઈ રહ્યું છે. કોંગ્રેસે ખાતરી આપી છે કે સત્તા પર આવતા જ તમામ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. જનરલ બોર્ડનું લાઈવ પ્રસારણ: પાલિકાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે જનરલ બોર્ડની બેઠકોનું સીધું પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી બોર્ડમાં થતી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયોની જનતાને સીધી જાણકારી મળે. પાયાની સુવિધાઓ: શહેરના રોડ-રસ્તાની હાલત સુધારવા તેમજ બાગ-બગીચા જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેર પ્રમુખે ઉમેર્યું હતું કે, કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન દ્વારા મોરબીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા પક્ષ કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:05 pm

ગુજરાત માથે ત્રણ સિસ્ટમ:અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ, આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું સ્કાયમેટનું અનુમાન, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ

AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી.. તો ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. 10 સભ્યો નક્કી કરશે કે ટિકિટ કોને આપવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો . પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આપમાં જોડાયા.. ઈસુદાન ગઢવીએ કહ્યું જે લોકો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે, એવા તમામ લોકોને અમે આવકારીએ છીએ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવીના કહેવાથી પોલીસે તેમના ઘરે તપાસ કરી , તેમની માતાની હેરાનગતિ કરી .સુરતના ડીસીપીએ આ આક્ષેપોને રદિયો આપ્યો કે આ વાતમાં કોઈ તથ્ય નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર એ છે કે સ્કાયમેટે આ વર્ષે ચોમાસું નબળુ રહેવાની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ ગુજરાત અને રાજસ્થાન ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો.. 5 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનની આવતું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંજૂરી વગર જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ અમદાવાદના જગન્નાથ મંદિર ટ્ર્સ્ટની 60 કરોડની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો.. મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે આ મામલો કોર્ટમાં છે.. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દયા-સુંદરના પિતા પંચમહાભૂતમાં વિલીન ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતા પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીના જણાવ્યા પ્રમાણે તેઓ દોઢ વર્ષથી પેરાલાઈઝ્ડ હતા..થલતેજ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલના રુમમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સાઈકૃપા હોટેલમાં 27 વર્ષીય યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું . તેની બેગમાંથી યુવતીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે.યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક આવ્યો.. 4 દિવસ બાદ 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો..માતા-પિતાના નિવેદન લેવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્ટો કારે ત્રણ ગુલાટી ખાધી,એકનું મોત અમરેલીના ધારીમાં અલ્ટો કાર પલટી ખાઈ ગઈ.ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે ત્રણ ગુલાટી ખાધી. બહાર નીકળવાના પ્રયાસમાં એકનું કાર નીચે દબાઈ જતા મોત થયું. તો બેનો આબાદ બચાવ થયો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:02 pm

વેરાવળમાં ઉમેદવારીના બીજા દિવસે એકપણ ફોર્મ નહીં:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં રાજકીય ગરમાવો યથાવત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ કોઈ ફોર્મ ભરાયું નથી. બપોરના ત્રણ વાગ્યા સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વેરાવળ નગરપાલિકાની એકપણ બેઠક માટે એકપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યો ન હતો. આ પરિસ્થિતિએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આના કારણે અંતિમ ક્ષણોમાં ભારે દોડધામ થવાની સંભાવના છે. વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ સ્તરે યોજાશે. જેમાં જિલ્લા પંચાયતની 5 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો અને વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો માટે રાજકીય પક્ષો, દાવેદારો અને કાર્યકરો સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તંત્ર દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌહાણને ચૂંટણી અધિકારી બનાવાયા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે તાલુકા વિકાસ અધિકારી રાજેશ ટીલાવતની નિમણૂક થઈ છે. વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે પ્રાંત અધિકારી કકડીયાને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. ઉમેદવારી પત્રો રજૂ ન થયા હોવા છતાં ફોર્મ ઉપાડવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 35 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 135 ઉમેદવારી ફોર્મ લેવાયા છે, જ્યારે વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 130 ફોર્મ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવારો અને પક્ષો હજુ પણ અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. ટિકિટ ફાળવણી, આંતરિક મતભેદો, ગઠબંધન અને સમીકરણોની ગોઠવણ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો દાખલ થવાની શક્યતા છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અંગે ચાલી રહેલી આંતરિક ચર્ચાઓને કારણે દાવેદારો રાહ જોઈ રહ્યા હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:57 pm

તળાવમાં માછલી પકડવા ગયેલી કિશોરીનું કરૂણ મોત:પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબી જતા જીવ ગૂમાવ્યો, વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કાળજું કંપાવતી ઘટના

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આજે સવારના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ભગવાન મહાવીર કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘરના પાસેના તળાવમાં માછલી પકડવા ગઈ હતી કિશોરીમળતી માહિતી મુજબ, અંજુમકુમારી ગોવિંદરા મહારા વેસુના ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી હતી. જે આજે 7 એપ્રિલના સવારે 11:15 વાગ્યે તળાવે માછલી પકડવા માટે ગઈ હતી. માછલી પકડતી વખતે અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.બાળકી પાણીમાં ડૂબતી હોવાનું જોઈ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરી હતી. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ જીવ બચાવી ન શકાયોઘટનાની જાણ થતાં જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાં લાપતા થયેલી અંજુમકુમારીને શોધી કાઢી બહાર કાઢી હતી. જોકે, બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હોવાથી તેની હાલત અત્યંત નાજુક હતી. સ્થાનિકો અને ફાયરના જવાનો દ્વારા વિલંબ કર્યા વગર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી. કમનસીબે, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ બાળકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં પરિવારના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:54 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોસ્ટમોર્ટમ માટે બાળકીની લાશ બહાર કાઢી, પિતાના નિધનથી 'તારક મહેતા...' ફેમ દિશા વાકાણી ભાંગી પડી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:45 pm

વિદ્યાનગરમાં નેશનલ ફૂટબોલ કેમ્પ શરૂ, 100 ખેલાડીઓ ભાગ લેશે:આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 'STAIRS સ્કૂલ ફૂટબોલ લીગ (SSFL) નેશનલ કેમ્પ 2026'નો પ્રારંભ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન અને STAIRS ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ 7મી અપ્રિલથી 9મી એપ્રિલ સુધી ચાલશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પાયાની ફૂટબોલ પ્રતિભાઓને નિખારવાનો છે. આ SSFL 2026 અંતર્ગત દેશભરના 12 રાજ્યો અને 29 શહેરોમાંથી 50,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રવ્યાપી સખત પસંદગી પ્રક્રિયા બાદ, 100 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને આ પ્રતિષ્ઠિત નેશનલ કેમ્પમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે CVM યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી અને DFA પ્રમુખ મેહુલ પટેલ, STAIRS ફાઉન્ડેશનના સ્થાપક સિદ્ધાર્થ ઉપાધ્યાય, આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ, ગોપાલ કાગ અને માધવન જાજુ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રિપબ્લિક ઓફ આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડે ખાસ હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને સ્પર્ધા કરતા જોવા એ એક અદભૂત પહેલ છે. ફૂટબોલ સખત મહેનત અને માનસિક મજબૂતી માંગે છે.” STAIRS ફાઉન્ડેશનના પ્રમુખ સિદ્ધાર્થ ઉપાધ્યાયે ઉમેર્યું કે, SSFL એ શાળા સ્તરેથી પ્રોફેશનલ ફૂટબોલ સુધી પહોંચવાનો સચોટ માર્ગ છે. આ કેમ્પ ગુજરાતના તેમજ દેશભરના યુવા ફૂટબોલરો માટે પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર ખોલશે. પ્રતિભા દરેક જગ્યાએ છે, માત્ર તકોની જરૂર છે — મેહુલ પટેલ આણંદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન (DFA) ના પ્રમુખ અને CVM ના જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવા ફૂટબોલરો માટે આ કેમ્પ પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર બનશે. ડેવિડ ફોર્ડ જેવા આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના માર્ગદર્શનથી ચરોતર પ્રદેશના ખેલાડીઓને વૈશ્વિક એક્સપોઝર મળશે . તેમણે ઉમેર્યું કે કેમ્પના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તાલીમ આપી ભારતીય યુથ આઈ-લીગ એકેડેમીમાં જોડાવાની તક અપાશે.ભવિષ્યનો મજબૂત પાયો: CVM ફૂટક્લબના ફૂટબોલ ડાયરેક્ટર ગોપાલ કાગે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ખેલાડીઓને પ્રોફેશનલ ફૂટબોલની વધુ નજીક લઈ જશે. સહભાગી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની શારીરિક અને માનસિક તાલીમ આપી ભારતના ફૂટબોલના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:41 pm

હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો:કૌટુંબિક બહેનનો પીછો કરવાની શંકાએ લોહિયાળ ખેલ ખેલાયો, ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

હળવદ તાલુકાના ટીકર ગામે કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખી એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના શું હતી? ટીકર ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા 22 વર્ષીય મહોમદઅયાઝ વારીશ કગથરાએ ફિરોજ સલીમ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ફિરોજને શંકા હતી કે મહોમદઅયાઝ તેની કાકાની દીકરી રૂકસાનાનો પીછો કરે છે. આ વહેમ રાખીને આરોપીએ બે દિવસ પૂર્વે ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીએ મહોમદઅયાઝ પર છરી વડે હુમલો કરી દીધો હતો. શરીરના અનેક ભાગે છરીના ઘા ઝીંક્યા હુમલાખોરે યુવાનના પેટના ડાબી બાજુના પડખામાં, જમણા હાથના બાવળા પર અને ગળાની હાંસળીની નીચે છાતીના ભાગે છરીના આડેધડ ઘા માર્યા હતા. હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાલત વધુ ગંભીર જણાતા તેને તાકીદે અમદાવાદની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી ઘટના અંગે હળવદ પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ફિરોજ હાલ ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:41 pm

માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ

ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરિયાઓએ વૃદ્ધા અને તેના પુત્ર પર હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે માતાએ દાઠા પોલીસ મથકમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રીને લેવા માટે ગયાને હુમલો થયો આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વૃદ્ધાના પુત્ર લાલજી અને પુત્રી ગીતાના લગ્ન સામસામે કુંચા પરિવારમાં કર્યા હતા. તાજેતરમાં દીકરીને તેના સાસરિયાઓ સાથે કોઈ મુદ્દે વાંધો પડતા ફરિયાદી બાલીબેન અને તેમનો પુત્ર લાલજી તેમની દીકરી ગીતાના દીકરા-દીકરીને તેડવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરીયા જેમાં જમાઈ દિલીપ કુંચા, ગીગા કુંચા, લાલજીની પત્ની સોનલ અને વિઠ્ઠલ કુંચાએ બાલીબેન અને તેમના પુત્ર લાલજી સાથે ઝઘડો કર્યો હતો. 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઝઘડો ઉગ્ર થતા માતા-પુત્ર પર ધોકા વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બબાલમાં ઈજાગ્રસ્ત માતા પુત્રને પ્રથમ દાઠા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. જો કે ત્યારબાદ વધુ સારવાર માટે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દાઠા પોલીસે દિલીપ કુંચા, ગીગાભાઈ કુંચા,વિઠલ કુંચા, સોનલબેન સહિતના તમામ વિરુદ્ધ BNS 115(2), 117(2), 352, 351(3), 54 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:37 pm

ગોધરામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ઝાડ પડ્યું:સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ઝાડ ધરાશાયી, અફરાતફરી મચી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઝાડ પડવાની ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:35 pm

ભાવનગરમાં ભૂમાફિયાનો આતંક:ખેડૂતોની જમીન પચાવી પાડતા 'બબૂચકો'ની 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ, 5 જેટલા ખેડૂતો SPને રજૂઆત દોડી આવ્યા

જિલ્લાના સિહોર, ઉમરાળા અને જેસર પંથકમાં માથાભારે તત્વો દ્વારા ખેડૂતોને પરેશાન કરવાના અને જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધતા, પીડિત ખેડૂતો અને સામાજિક આગેવાનોએ ભાવનગર એસ.પી.ને રૂબરૂ મળી કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્તરે પોલીસની મિલીભગતને કારણે આ 'બબૂચકો' બેફામ બન્યા છે. જમીન વેચી દે નહીંતર ખેતી કરવા નહીં દઉં, ​ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાના અને ખેડૂતોને ડરાવી-ધમકાવી તેમની કિંમતી મિલકત હડપ કરી લેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક ગંભીર મામલો ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં એક લાચાર ખેડૂતે પોતાની જમીન બચાવવા અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે, શાન ઠેકાણે ન આવતા તત્વોએ ફરી ધમકીઓ આપવાનું શરૂ કરતા ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુત્રના મોત બાદ પણ પઠાણી ઉઘરાણીથી કંટાળી ખેડૂત પરિવાર SPના શરણે ​ભાવનગર જિલ્લામાં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા તત્વોનો આતંક સીમા વટાવી રહ્યો છે ઉમરાળા તાલુકાના લિખાળા ગામના એક વૃદ્ધ ખેડૂતે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ભાવનગર એસ.પી.ને ન્યાયની ગુહાર લગાવી છે મકાન અને જમીન વેચીને મુદ્દલ ચૂકવી દીધી હોવા છતાં, પુત્રના અવસાન બાદ પણ વ્યાજખોર દ્વારા આપવામાં આવતી ધાક-ધમકીઓને કારણે ખેડૂત પરિવારે હવે પોલીસ રક્ષણની માંગ કરી છે, પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે દાદાગીરી કરે છે જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના એક ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે પોતાની જ માલિકીની જમીનમાં ખેતીકામ કરવા જતાં અટકાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ કંટાળીને ખેડૂતે ભાવનગર પોલીસ અધિક્ષક સમક્ષ ન્યાયની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે અવારનવાર કરાતી દાદાગીરી અને જમીન સસ્તામાં વેચી દેવા માટે અપાતા દબાણને કારણે ખેડૂત પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી સિહોરના મોટા સુરકા ગામના એક આસામી દ્વારા પોતાની માલિકીની રૂ.24 લાખની મશીનરી વેચ્યા બાદ, તે મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી કરી કામ અટકાવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે પીડિત દ્વારા ભાવનગર એસ.પી. ને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે,​​ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી પા ગામમાં 29 વીઘા જમીન ધરાવતા ખેડૂતને પોતાના જ ખેતરમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, આ મામલે વિક્રમદેવસિંહ રણુભા સરવૈયા અને મુનો રણુભા સરવૈયા નામના શખ્સો સામે આક્ષેપ છે કે તેઓ ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી આપી રહ્યા છે, ​મોટા સુરકાના ખેડૂત જયેશભાઈ દામજીભાઈ જસાણીએ રજૂઆત કરી છે કે, કછોટિયા ગામમાં આવેલી તેમની સાડા સાત વીઘા જમીનમાં પડોશી ખેડૂત ધીરસંગભાઈ પરમાર ગેરકાયદેસર રસ્તો વાપરી રહ્યા છે, જયેશભાઈએ જણાવ્યું કે, જ્યારે મેં તેને અટકાવ્યો ત્યારે તેણે ફોન પર નશાની હાલતમાં હોવાની અને 'તારે જે કરવું હોય તે કરી લેજે' તેવી ધમકી આપી હતી હાલમાં તેમના ખેતમજૂરોને પણ ડરાવવામાં આવી રહ્યા છે, ​'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ આ અંગે ખેડૂત આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ​એસ.પી. સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે, ખેડૂતોને હેરાન કરતા આવા 'બબૂચકો' સામે પોલીસ ટાંટિયાતોડ સર્વિસ જેવી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે ગામડાઓમાં માથાભારે તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, અને જો કોઈ જાય તો સ્થાનિક પોલીસ તેમની મદદ કરતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે, ​ખેડૂતોને પરેશાન કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. અમે એસ.પી.ને આવા ઈસમોને તેમના ઠેકાણે પાડવા વિનંતી કરી છે, ​એસ.પી. દ્વારા આ તમામ અરજીઓ સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:27 pm

પોલીસે મારા ઘરે જઈ માતા સાથે ગાળાગાળી કરી- ઈટાલિયા:'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે'

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક વીડિયોના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે, હર્ષ સંઘવી, તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી. તમારે મારી સાથે તકલીફ હોય તો હું વિસાવદરમાં જ છું. જે કલમ હેઠળ જ્યારે ધરપકડ કરવી હોય તેની છૂટ છે. અમે ડરી જવાના નથી. હર્ષ સંઘવી એક મહિનાથી પોતાને તીર માર ખાં સમજે છે- ગોપાલ ઈટાલિયાગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 'તીસ માર ખાં' સમજે છે. કઈ વાંધો નહીં, ઘણા તીસ માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના તીસ માર ખાની પણ વ્યવસ્થા થઈ જાહે જનતા દ્વારા. હર્ષ સંઘવીએ મારા પરિવારના સભ્યોને ધમકાવવાનું કામ કરાવ્યું- ગોપાલ ઈટાલિયાઆજે એવું થયું કે હર્ષ સંઘવીએ સવાર-સવારમાં મારા ઘરે પોલીસવાળાને મોકલ્યા. હું તો અત્યારે વિસાવદર બેઠો છું, આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર IB પાસે છે, મારું લોકેશન IB પાસે છે, મારી બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે, એને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, સુરત. એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધેસીધા મારા ઘરે ગયા, થોડીઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ અને પછી પાછળથી પાછો સારો એવો વીડિયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. તમારા IPSમાં તાકાત હોય તો મારી ધરપકડ કરી લેવાની છૂટ છે- ઈટાલિયાઈટાલિયાએ વધુમાં કહ્યું કે, અમે કંઈ ફાટી પડતા નથી. તમારામાં અને આઈપીએસમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. જ્યારે મજા આવે ત્યારે, જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. મારા માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ના બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીની સાથે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને જે હોશિયારીઓ બતાવી છે એ બિલકુલ વ્યાજબી વાત નથી.મારી મા સિનિયર સિટીઝન છે. હું રાજકારણમાં છું, મારા મમ્મીએ તો મને ઘણું કીધેલું કે બેટા રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખાઓ હોય, આમાં ગુંડાઓ હોય, બેટા આપણે આ નો કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ નો આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પરંતુ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય, તો હવે હુંય રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પૂરવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. ભાવનગરના કેસમાં પોલીસ સમન્સ લઈને ઈટાલિયાના ઘરે ગઈ હતી- ડીસીપીઆમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપ અંગે સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાવનગર કેસમાં સમન્સ લઈને પોલીસ તેમના ઘરે ગઈ હતી. તેમનું ઘર ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવે છે. જોકે તેઓ ઘરે નહોતા એટલે પોલીસ પરત આવી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:26 pm

જૂનાગઢમાં મહિલા વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ:​જૂનાગઢમાં લાયસન્સની આડમાં વ્યાજવટાવનો કાળો કારોબાર: દિવ્યા સાવલાણીએ ડ્રાઈવર પાસે 10% વ્યાજ વસૂલી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસે કરી ધરપકડ

​જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ રંગ લાવી રહી છે. શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા એક મજબૂર શખ્સને વ્યાજના વિષચક્રમાં ફસાવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલના કામ માટે રાખેલા પૈસા પણ પડાવી લેનાર મહિલા વ્યાજખોર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોષીપરાના નંદનવન રોડ પર રહેતા અશરફભાઈ અનવરભાઈ બ્લોચને ફેબ્રુઆરી 2024માં રૂપીયા 30,000ની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે જોષીપરામાં રહેતી અને મોતીબાગ પાસે ઓફિસ ધરાવતી દિવ્યા કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ પોતાની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાનું જણાવી રૂપીયા 30,000 આપ્યા હતા, પરંતુ લાયસન્સની શરતો બાજુ પર મૂકી દર મહિને 10% વ્યાજની માંગણી કરી હતી. આટલું જ નહીં, તેણે એડવાન્સ વ્યાજ પેટે રૂ. 6,000 કાપીને અશરફભાઈને માત્ર રૂ. 24,000 રોકડા આપ્યા હતા અને ગેરંટી પેટે બે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા. ​ફરિયાદી અશરફભાઈએ શરૂઆતમાં દર ગુરુવારે રૂ. 2,000ના હપ્તા નિયમિત ચૂકવ્યા હતા. જોકે, ધંધામાં મંદી આવતા જ્યારે તેઓ હપ્તો ભરી શક્યા નહીં, ત્યારે દિવ્યા સાવલાણીએ અસલી રૂપ બતાવ્યું હતું. દિવ્યાએ અશરફભાઈને પોતાની ઓફિસે બોલાવીને ધમકી આપી હતી કે, તું મને ઓળખતો નથી, મારી ઓફિસની નીચે જ મારા માણસો બેઠા છે, તારા ટાંટીયા ભંગાવી નાખીશ અને જાનથી મરાવી નાખીશ. ડરી ગયેલા અશરફભાઈ પાસે તે સમયે દવા લેવા માટે રાખેલા રૂ. 6,000 હતા, જે દિવ્યાએ બળજબરીથી પડાવી લીધા હતા. ​આ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે અશરફભાઈની ફરિયાદના આધારે આરોપી મહિલા દિવ્યા સાવલાણીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મહિલા વિરુદ્ધ એક મહિના પહેલા પણ ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. તેની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાના દાવાની પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ​ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ યોજાયેલા સેમિનારથી પ્રેરાઈને ફરિયાદીએ હિંમત દાખવી આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ડરે નહીં અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:26 pm

મંદિરમાં ચોરી કરનાર પોલીસના શરણે:છાણી જકાતનાકા ખાતે મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને આભૂષણોની ચોરી કરનારને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાંચે દબોચ્યા

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુનાનો ભેદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બેની ધરપકડ કરી છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો જતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરે કબૂલ કર્યું કે તેણે જ મંદિરમાંથી મેલડી માતાની ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી અને તેને તેના મિત્ર જય હસમુખભાઇ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ જય હસમુખભાઇ ભીમાણી (રહે. ભગવતનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા, વડોદરા) તથા આશીક રહેમત મલ્લીક (રહે. કૃષ્ણાવાટિકા ફ્લેટ, મધર્સ સ્કૂલ રોડ, પાદરા, વડોદરા)ને શોધી કાઢી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ છે કે આશીક મલ્લીકે ચોરીની મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી લીધી હતી. પોલીસે મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી , ગાભાના આભૂષણ હાર , મોબાઈસહિત સ્કૂટર સહિતનો કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક સગીર અને બે આરોપીને ફતેગંજ પોલીસના હવાલે કર્યા છે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:21 pm

દ્વારકામાં 8 થી 14 એપ્રિલ ભાગવત કથા:જગદ્ગુરુના આશીર્વાદથી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે

દ્વારકાની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે. આ કથા 8 એપ્રિલથી 14 એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે. આ જ્ઞાનયજ્ઞ શ્રી શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ મઠ ખાતે દરરોજ બપોરે 4 થી 7 વાગ્યા સુધી ચાલશે. જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના પરમ પ્રિય શિષ્ય પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથા વ્યાસ તરીકે બિરાજશે. તેઓ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સચોટ રસપાન કરાવી શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કરશે. આ કથા દ્વારા સમગ્ર દ્વારકા નગરીમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થશે. શારદાપીઠ પરિવારે તમામ સનાતનધર્માનુરાગી અને ધર્મપ્રેમી જનતાને આ પાવન જ્ઞાનયજ્ઞમાં પધારી કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:21 pm

દાહોદમાં વિશ્વ આરોગ્ય દિવસ, હોમિયોપેથી સપ્તાહની ઉજવણી:આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ

દાહોદ: નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ 2026' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના સમન્વય દ્વારા સમાજને નિરોગી બનાવવાનો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. ડો. સુધીર જોશીએ 'વિશ્વ આરોગ્ય દિવસ 2026'ની થીમ ‘Together for health. Stand with science’ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના જરૂરી હોવાનું જણાવ્યું. ડો. જોશીએ 'વન હેલ્થ એપ્રોચ' સમજાવતા કહ્યું કે માનવીય સ્વાસ્થ્ય પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પર્યાવરણ સુરક્ષિત હશે તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. તેમણે ભવિષ્યની આરોગ્ય કટોકટીઓનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને વૈશ્વિક એકતાને અનિવાર્ય ગણાવી. કાર્યક્રમમાં આયુર્વેદના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આયુર્વેદને માત્ર ઉપચાર પદ્ધતિ નહીં, પરંતુ જીવન જીવવાની એક કળા તરીકે રજૂ કરવામાં આવ્યું. દિનચર્યા અને ઋતુચર્યા મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરવાથી અનેક રોગોને અટકાવી શકાય છે. વક્તાઓએ ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂક્યો. શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા માટે પંચકર્મ અને માનસિક શાંતિ માટે યોગ-પ્રાણાયામની અસરકારકતા પણ સમજાવવામાં આવી. કાર્યક્રમના બીજા ચરણમાં ડો. મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં સૌ ઉપસ્થિતોએ સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:20 pm

AAP કાર્યકર દેવા મોરબીયાનો રાજુ બોરખતરિયા પર ટિકિટ વેચવાનો આરોપ:કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, ગોપાલ ઈટાલિયાના ગઢમાં AAPના કાર્યકર્તાઓમાં રોષ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે જૂનાગઢ જિલ્લામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોએ નેતાગીરી સામે બાયો ચડાવી છે. ખાસ કરીને વિસાવદર અને મેંદરડા વિસ્તારના સક્રિય કાર્યકરો દેવા મોરબીયા અને પુરુષોત્તમ વસાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રાજુ બોરખતરિયા પર ટિકિટોના સોદા કરવાના અને મનસ્વી રીતે ઉમેદવારો નક્કી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. દેવા મોરબીયાએ કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, જ્યારે પુરુષોત્તમ વસાણીએ કહ્યું કે, વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી. ગઈકાલે પણ જુનાગઢ જિલ્લા એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે રાજુ બોર ખતરીયા અને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો​સૌથી વધુ વિવાદ વિસાવદર બેઠક પર જોવા મળી રહ્યો છે, જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર ગણાય છે. અહીં ઉમેદવારની પસંદગીને લઈ કાર્યકરોમાં ભારે રોષ છે. કાર્યકરોનો આરોપ છે કે, જેમણે પક્ષ માટે લોહી રેડ્યું છે તેવા વફાદાર લોકોની અવગણના કરવામાં આવી છે. જે સીટ પર 14 સક્રિય કાર્યકરોએ ટિકિટ માંગી હતી, તે તમામને પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો મચ્યો છે. જે વ્યક્તિએ ક્યારેય દાવેદારી પણ નોંધાવી નહોતી તેને પક્ષે ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં એવો મેસેજ ગયો છે કે પક્ષમાં સંગઠન કરતા 'સેટિંગ' વધુ ચાલી રહ્યું હોવાના ગંભીર રાક્ષકો કરવામાં આવ્યા છે. 'મન અને ધનથી કામ કર્યું, છતાં અવગણના કરવામાં આવી'​વર્ષ 2018થી 'આપ' સાથે જોડાયેલા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 17માં ચારેય ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરનાર પુરૂષોત્તમભાઈ વસાણીએ જણાવ્યું કે, 'મેં ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયા માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. છેલ્લા 10 મહિનાથી મનોજ સોરઠીયાના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કર્યું, છતાં અંતે વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી.' પુરૂષોત્તમભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નારાજગી આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો સામે નથી, પરંતુ જે રીતે ખોટા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થઈ છે તેની સામે છે. રાજુ બોરખતરિયા ટિકિટો 'વેચી' રહ્યા​બીજી તરફ, મેંદરડા તાલુકાની આંબળા તાલુકા પંચાયત સીટના સહ-પ્રભારી દેવાભાઈ મોરબીયાએ કહ્યું, રાજુ બોરખતરિયા પક્ષને લોકશાહી ઢબે ચલાવવાને બદલે પોતાની 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે. દેવાભાઈએ વિડિયોમાં આરોપ લગાવ્યો છે કે રાજુ બોરખતરિયા લાયક ઉમેદવારને ટિકિટ આપવાને બદલે ટિકિટો 'વેચી' રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો પાયાના કાર્યકરોની આ રીતે જ અવગણના થશે તો 2026ની સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવતી હોવાનો આરોપ​આ બંને કાર્યકરોએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સામે પોતાની વાત મૂકી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા અને પ્રવિણ રામને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે. જો પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવે, તો સંગઠનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યા​જૂનાગઢમાં જે રીતે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, તે જોતા આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે લડવાને બદલે આમ આદમી પાર્ટીએ પોતાના જ નારાજ કાર્યકરોને મનાવવામાં વધુ શક્તિ ખર્ચવી પડશે. કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ છે કે તેમને પક્ષના પ્રતીક સામે વાંધો નથી, પરંતુ પક્ષમાં ઘૂસી ગયેલી 'વ્યક્તિગત મનમાની' અને 'ભ્રષ્ટ કાર્યપદ્ધતિ' સામે તેમનો જંગ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયોએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષનું મોવડી મંડળ આ વિવાદને કઈ રીતે થાળે પાડે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:02 pm

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેર પોલીસ સજ્જ:વડોદરા પોલીસ કમિશનરે કહ્યું: ચૂંટણી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા સચોટ એક્શન પ્લાન તૈયાર, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, કાયદો ભંગ કરનારાઓને છોડવામાં નહી આવે

વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ કરવામાં આવી હોવાથી તમામ કર્મચારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને બરદાશ્ત કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકા કરતાં વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગ થવાના બનાવોને રોકી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિ જાળવવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:57 pm

ચિયર લિડરે કોને ફ્લાઇંગ કિસ આપી?:ફિમેલ ફેને ક્રિકેટરનો હાથ ખેંચી લીધો, ઠેકડા માર્યાં; KKR ટ્રોલ થઈ, SRK ભડક્યો!, જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:55 pm

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કયા જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'? હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 4:52 pm

ગોપીપુરાને પુનર્જીવિત કરવાના સંકલ્પ સાથે હૃદય ખોલી 'સ્વર્ણદાન':જૈન મહિલાઓએ હસ્તા મુખે ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવી; 44 દેરાસરોની ભૂમિ ફરી ધબકશે

સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને 'ઊર્જા ભૂમિ'ના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી હતી. ખાસ કરીને મહિલાઓએ સોનાના વધતા ભાવોની પરવા કર્યા વગર પોતાના કિંમતી આભૂષણો દાનમાં અર્પણ કરીને ભક્તિ અને ત્યાગનો નવો ઈતિહાસ રચ્યો છે. ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવીકાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં દાન આપવા માટે ભારે હોડ જામી હતી. અનેક શ્રાવિકાઓએ હસતા મુખે પોતાના ગળામાંથી સોનાના ચેન, હાથની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને આંગળીમાંથી હીરાની વીંટીઓ ઉતારીને દાનપાત્રમાં પધરાવી દીધી હતી. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન ત્યારે થયા જ્યારે અનેક મહિલાઓએ અત્યંત પવિત્ર ગણાતા મંગળસૂત્ર પણ 'ઊર્જા ભૂમિ'ના સંકલ્પ માટે અર્પણ કરી દીધા હતા. આ દ્રશ્યો જોઈ શ્રેષ્ઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગોપીપુરા 44 દેરાસરોની પવિત્ર ધરોહર'તળ સુરત'ની ઓળખ સમાન ગોપીપુરા વિસ્તાર 44 જૈન દેરાસરો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને સુરતના અગ્રણીઓના સહયોગથી આ વિસ્તારને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની પધરામણી અને નૃત્યોત્સવ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપીપુરાના જીર્ણોદ્ધારની સાથે ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. નવી પેઢીના સંસ્કારો અને ભવ્ય રથયાત્રાકાર્યક્રમની શરૂઆત એક આકર્ષક રથયાત્રાથી થઈ હતી, જેમાં વિવિધ પાઠશાળાઓના 1500 થી વધુ બાળકો મનોહર વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. આ દ્રશ્ય જૈન ધર્મના સંસ્કારોનું નવી પેઢીમાં સિંચન થતું હોવાની પ્રતીતિ કરાવતું હતું. બાળકોએ પણ પોતાના ગલ્લાની બચત આ ઉમદા કાર્ય માટે અર્પણ કરી વડીલોની સાથે ખભેખભા મિલાવ્યા હતા. 'સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી'સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે દાનની અપેક્ષા રાખી હતી, પણ આ રીતે સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી. મહિલાઓએ જે રીતે લાઈનો લગાવીને પોતાના ઘરેણાં આપ્યા છે તે સુરતના જૈન સમાજની ઉદારતા અને ધર્મ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આ દાનનો ઉપયોગ ગોપીપુરાના જીર્ણોદ્ધાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વેગ અને ધાર્મિક શિક્ષણ માટે કરવામાં આવશે. આ પ્રસંગે દરેક ભક્તને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગોપીપુરાની પવિત્રતાનો અનુભવ કરવા એકવાર ચોક્કસ મુલાકાત લે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:42 pm

બીલીમોરામાં જ્વેલર્સના માલિક પર ફાયરિંગ:3 શખસનો લૂંટનો પ્રયાસ, હિંમતથી પ્રતિકાર કરતાં 'ચંચલ જ્વેલર્સ'ના ઓનર ઈજાગ્રસ્ત, આરોપીઓ ફરાર

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે સનસનાટીભરી ઘટના બની હતી. ધોળેદહાડે 'ચંચલ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઇરાદે ત્રાટકેલા 3 અજાણ્યા શખસોએ માલિક પર ગોળીબાર કર્યો હતો. જોકે, માલિકે હિંમતભેર પ્રતિકાર કરતા લૂંટારુઓ લૂંટ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ખાલી હાથે ભાગી છૂટ્યા હતા. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હથિયાર સાથે 3 શખસ ત્રાટક્યાબપોરના સમયે જ્યારે બજારમાં લોકોની ચહલપહલ હતી, ત્યારે 3 શખસો હથિયારો સાથે ચંચલ જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં ઘૂસીને લૂંટારુઓએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે ડર્યા વગર લૂંટારુઓનો સામનો કર્યો અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. માલિકની આ બહાદુરી સામે લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને દુકાનમાંથી કોઈ પણ કિંમતી સામાન ચોર્યા વિના જ બહાર દોડી ગયા હતા. ભાગતી વખતે એક રાઉન્ડ ફાયરિંગદુકાનમાંથી નાસી છૂટતી વખતે લૂંટારુઓએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 જિલ્લામાં નાકાબંધી અને પોલીસ તપાસઆ ઘટના અંગે ચીખલી ડિવિઝનના DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અજાણ્યા શખસો લૂંટ કરવાના ઇરાદે જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા, પરંતુ પ્રતિકારને કારણે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ શકી નથી. ભાગતી વખતે આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા નવસારી જિલ્લા સહિત પાડોશી જિલ્લા વલસાડ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:41 pm

કોંગ્રેસે સુરેન્દ્રનગર મનપા ચૂંટણી મેનીફેસ્ટો જાહેર કર્યો:શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા પર ભાર મુકાયો

કોંગ્રેસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનીફેસ્ટોમાં પક્ષે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં પ્રાથમિક શાળા અને દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળા સ્થાપિત કરવાનું વચન આપ્યું છે. વધુમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે દરેક વોર્ડમાં લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે, મેનીફેસ્ટોમાં દરેક વોર્ડ દીઠ એક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે, પક્ષે સુરક્ષિત અને એસી સુવિધાવાળી હોસ્ટેલના નિર્માણની પણ જાહેરાત કરી છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, કોંગ્રેસે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાનું પણ પોતાના મેનીફેસ્ટોમાં સમાવેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:29 pm

પાટણ રેલવે અંડરબ્રીજની કામગીરીમાં બેદરકારીનો કોન્ટ્રાક્ટર સામે ગુનો:ખાલકશાપીર ફાટક પાસે સુરક્ષાના અભાવે ખાડામાં પડતા ઊંઝા STના મિકેનિકને ગંભીર ઈજા થઈ હતી

પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૈરવ નગર સોસાયટી, પાટણના રહેવાસી અને ઊંઝા એસટી ડેપોમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવતા દિપનકુમાર પ્રવીણકુમાર રાઠોડ 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે ખાલકશાપીર રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા. અંડરબ્રીજનું કામ ચાલુ હોવા છતાં, કોન્ટ્રાકટર દ્વારા સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. રાત્રિના અંધકારમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે દિપનકુમાર બે અંડરગ્રાઉન્ડ બેઝ વચ્ચેની જગ્યામાં અચાનક પડી ગયા. આ અકસ્માતમાં દિપનકુમારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના મિત્ર અર્પિત દરજીએ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની જનતા હોસ્પિટલ પહોંચાડ્યા. તબીબી તપાસમાં તેમને ડાબા હાથની ચાર આંગળીઓ, જડબા, ડાબા ખભા અને જમણા પગના થાપાના ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. તેમને માથામાં સામાન્ય હેમરેજ પણ થયું હતું. જનતા હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના હાથ અને જડબાના ઓપરેશન કરવામાં આવ્યા. લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા પછી, દિપનકુમારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 125(b) હેઠળ બેદરકારીથી ઈજા પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એએસઆઈ જીગરકુમાર નટવરલાલ જોષીને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:28 pm

DIG વિધિ ચૌધરીએ દાહોદની મુલાકાત લીધી:અત્યાધુનિક પોલીસ કંટ્રોલ રૂમનું લોકાર્પણ; PI ને ચૂંટણી માર્ગદર્શન આપ્યું

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) વિધિ ચૌધરીએ તાજેતરમાં દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી, જેમાં તેમણે અત્યાધુનિક પોલીસ કંટ્રોલ રૂમનું લોકાર્પણ પણ કર્યું. તા. 7/4/2026 ના રોજ યોજાયેલી આ મુલાકાત દરમિયાન, DIG ચૌધરીએ જિલ્લામાં નવનિયુક્ત થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ, સુરક્ષા વ્યવસ્થા અને આચારસંહિતાના કડક અમલીકરણ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. પોલીસને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્ક રહેવા આદેશ અપાયા હતા. આ પ્રવાસનું એક મુખ્ય પાસું દાહોદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનું નવીનીકરણ અને લોકાર્પણ હતું. લોક સહયોગથી તૈયાર કરાયેલો આ અત્યાધુનિક કંટ્રોલ રૂમ હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ છે. તે ગુનાખોરી ડામવા અને કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ આપવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, મુખ્ય મથક દાહોદના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારી સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ તંત્રની આ સક્રિયતા દર્શાવે છે કે દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. આ આધુનિક કંટ્રોલ રૂમ કાર્યરત થવાથી જિલ્લામાં સર્વેલન્સ અને મોનિટરિંગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:27 pm