ગાંધીનગરને વધુ 'લવેબલ' અને 'લીવેબલ' બનાવવાની દિશામાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 68 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બગીચાઓના આધુનિકરણથી લઈ ફોર-લેન બ્રિજ ગાંધીનગર વાસીઓની સુવિધામાં વધારો કરશે. સ્પોર્ટસ સંકુલ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો આધુનિક યોગ હોલ બાળકોથી લઈ સિનિયર સિટીઝનને ખેલખૂદથી લઈ જીવનશૈલી સુધારવામાં મદદરૂપ થશે. ત્યારે આવો 68 કરોડના ખર્ચે ગાંધીનગરને મળેલી વિકાસભેટ કેવી છે તેના પર નજર કરીએ... નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારોએક સમયે માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર હવે જીવંત શહેર બની ગયું છે. વધતી વસ્તી સાથે શહેરનો વિકાસ પણ થયો છે અને નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થયું. ગુરુકુળ સ્કૂલની સામે આવેલા બગીચાનો 75 હજાર લોકોને મળશે લાભ7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકરણ કરાયું છે. જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતના સાધનો, બાળકોના રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે આવેલા આ બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે. 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણસ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 1.31 કરોડના ખર્ચે 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણ કરાયું છે. અહીં લોકર, ચેન્જિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓ ધરાવતા આ સ્ટુડિયોથી સિનિયર સિટીઝન સહિત આશરે એક હજાર નાગરિકોને ઘર નજીક જ ધ્યાન અને પ્રાણાયામની સુવિધા મળશે. દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી જગ્યામાં સ્પોર્ટ્સ સંકુલગાંધીનગર મહાપાલિકાએ રોડ નં-6 પર નિર્માણ પામેલા ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સુઆયોજિત ઉપયોગ કરીને એક અનોખો સ્પોર્ટ્સ ઝોન વિકસાવ્યો છે. સામાન્ય રીતે દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યામાં 2.07 કરોડના ખર્ચે રમતગમત સંકુલ તૈયાર કરાયું છે. અહીં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો સાથે ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી ઇન્ડોર રમતો પણ રમી શકાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ આશરે 500 નાગરિકોને મળશે. જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણએજ રીતે સેક્ટર-27ના જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે આ ઉદ્યાનમાં 9300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોક-વે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, સીસીટીવી અને રમતગમતના સાધનોનો સમાવેશ થાય છે. આ બગીચાના નવીનીકરણથી આશરે 70 હજાર નાગરિકોને લાભ થશે. આ વિકાસ કાર્યો ગાંધીનગરના નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સાથે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે 5 નવેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે આજે તેઓ તેના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ (જેઓ માણસામાં જે ડી પટેલ તરીકે ઓળખાય છે)ને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા હતાં. પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતોઅમિત શાહે ગાયત્રી નગર સ્થિત પોતાના પૂર્વ શિક્ષક 89 વર્ષના જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસસ્થાને જઈને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. શિક્ષકના ઘરે પ્રવેશતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના પગરખા પણ ઘરની બહાર ઉતાર્યા હતાં અને શિષ્ટાચાર જાળવ્યો હતો. અમિત શાહે જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતાં. 20 વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રીનું ગુરુ સાથે મિલનજીવણભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મુલાકાત 20 એક વર્ષ પછી થઈ છે. તેમણે કહ્યું કે, અમિતભાઈએ તેમને બાળપણના દિવસો યાદ કરાવ્યા અને ખાસ કરીને માણસામાં થયેલા વિકાસ અને મલાવ તળાવ એક વાર જોવા માટે આગ્રહ કર્યો હતો. 'અમિત શાહનું ભણતર સારું હતું અને તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા'અમિત શાહના શિક્ષક જીવણભાઈએ ઉમેર્યું કે તેમણે અમિત શાહને પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણાવ્યા હતા. તેમણે ભૂતકાળના શિક્ષકોને યાદ કરતા જણાવ્યું કે પહેલાના શિક્ષકો પૈસાનો મોહ રાખ્યા વિના બાળકોને શિક્ષણ આપતા અને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. શિષ્યને જોઈને ગુરુની આંખમાં હર્ષના આંસુઅમિત શાહની ઓચિંતી મુલાકાતથી જીવણભાઈની આંખમાં હર્ષના આંસુ અને સ્થાનિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે જતી વખતે સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું . પરેડ કરાવતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતાત્યારે જીવણભાઈના પુત્ર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી પપ્પાની મુલાકાત અમિત સર સાથે થતાં પપ્પાની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. અમિત શાહે શિક્ષકોની સ્ટ્રીક્ટનેસ અને વહેલી સવારે એનસીસી શિક્ષક (પપ્પા) કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યોકોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રીના અચાનક આગમનને કારણે ગાયત્રી નગરના સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો અને અભિવાદન જીલ્યું હતું. તેમણે એક માતાને તેની બાળકીને વ્હાલ કરીને આને ભણાવજો તેમ પણ કહ્યું હતું.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે આવેલા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક પ્લાન્ટ નર્સરી અને બિયારણ વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની રૂબરૂ માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાયઝન અધિકારી પ્રથિક દવેએ સંયુક્ત સચિવને જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો, મહિલાઓ દ્વારા સંચાલિત મસાલા ઉદ્યોગ અને મોડેલ ફાર્મ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન, સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીની ગુણવત્તા, જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આવકમાં આવેલા નોંધપાત્ર બદલાવ વિશે વિગતે જાણકારી મેળવી હતી. નિરાલાએ ખેડૂત બહેનોના અનુભવો અને પ્રતિભાવો પણ સાંભળ્યા હતા, જેથી પ્રાકૃતિક ખેતીના સકારાત્મક પરિણામોને સમજી શકાય.
ભુજ નજીક ગેરકાયદે રેતીનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા:કચ્છ ટાસ્કફોર્સે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કચ્છના ભુજ તાલુકાના કુરન ગામ નજીક ગેરકાયદે રેતીનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા છે. કચ્છ ટાસ્કફોર્સે આ કાર્યવાહી કરી કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અટકાવવા માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્કફોર્સ ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ નિયમિત કાર્યવાહી કરે છે. આજ રોજ એક ફરિયાદીની બાતમીના આધારે ખાનગી વાહન દ્વારા કુરન ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન GJ-12-CT-5656, GJ-12-CT-3634 અને GJ-12-CT-3436 નંબરના ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા પકડાયા હતા. ટાસ્કફોર્સે ત્રણેય ડમ્પર સહિત કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીઝ કરાયેલા વાહનોને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આ તપાસ અંગે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક વેન્યૂ કારમાંથી ₹1 કરોડ 5 લાખ રોકડા ઝડપી પાડ્યા છે. કપડાંની થેલીમાં ₹500ના દરની કુલ 21,000 નોટો સંતાડી હતી. આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક વાદળી રંગની શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી ₹500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી. પોલીસે રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે ₹1 કરોડ 5 લાખ રોકડા અને આરોપીની ધરપકડ કરી છે. આ રોકડ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વલસાડ નગરપાલિકા શહેરમાં સંભવિત દુર્ઘટનાઓ ટાળવા માટે જર્જરિત ઇમારતો સામે સક્રિય થઈ છે. નગરપાલિકા દ્વારા કરાયેલા સર્વેમાં 49 ઇમારતો ભયજનક હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, શહેરના અતિ જર્જરિત 'શ્રીજી એપાર્ટમેન્ટ'ના રહીશોને ત્રણ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને 24 કલાકમાં બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ અપાયો હતો. જોકે, રહીશોની વિનંતી પર પાલિકાએ માનવતાના ધોરણે 4-5 દિવસનો વધારાનો સમય આપ્યો છે. નિર્ધારિત સમયમાં મકાન ખાલી ન કરાતા, પાલિકા તેને સીલ કરશે. સર્વેમાં સામે આવેલી અન્ય જર્જરિત ઇમારતોને પણ બે-બે નોટિસ આપવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી નોટિસમાં બિલ્ડિંગનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા અથવા તેને સીલ કરવા અંગેની સૂચના આપવામાં આવશે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અતિ જર્જરિત મકાનો જ્યાં સ્લેબ તૂટી પડવાની કે જાનહાનિ થવાની ભીતિ છે, ત્યાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. લોકોના જાનમાલની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ફાયર સેફ્ટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી (મકાનની મજબૂતી) બંને અલગ વિષયો છે. ખાલી કરાયેલી ઇમારતોમાં રિનોવેશન થયા બાદ અથવા તેને તોડીને નવી બનાવ્યા બાદ જ પુનઃવપરાશની મંજૂરી મળશે.
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા યુવકને વ્યાજખોરોએ વ્યાજે 3 લાખ રૂપિયા આપ્યા હતા અને તેનું ઊંચા દરે વ્યાજ અને મુદ્દલ વસૂલ કરી લીધું હોવા છતાં મહિલા સહિત 3 વ્યાજખોર હજુ પણ પઠાણી વ્યાજની ઉઘરાણી કરે છે. જો રૂપિયા નહીં આપે તો હાથ પગ તોડી નાખવા સાથે અન્ય જગ્યા પર નોકરી નહીં કરવા દે તેવી ધમકી આપતા હોવાથી યુવકે 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ પર શ્રીહરિ ટાઉનશીપ પાસે આવેલા અંબિકા દર્શન કોમ્પલેક્ષમાં રહેતા દિપક શીવાજીરાવ વાઘે ફરિયાદ નોંધાવી છે કે, હું ભાડેથી મારા કુટુંબ પરીવાર સાથે રહુ છું અને આમોદર ન્યુ વાઘોડીયા રોડ ખાતે વન સ્ટોપ સલનમાં સલૂનના કારીગર તરીકે નોકરી કરું છું. વર્ષ 2019માં મારા પુત્રને ટાઇફોડ થતા તેના સારવાર માટે રૂપીયાની જરૂર પડતા પફેક્ટ કટ શોપના માલિક પ્રફુલ સંભાજી પાટીલ, રોમા પાટીલ તથા આકાશ પાટીલ (રહે. એચ 403 દર્શનમ્ એન્ટીકા, દંતેશ્વર, વડોદરા) પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે મારી પાસેથી ઘણી મોટી રકમ વ્યાજ પેટે વસૂલ કરી હતી. તેમ છતા આરોપી પ્રફુલ સંભાજી પાટીલ, આકાશ સંભાજી પાટીલ રોમા પ્રફુલ પાટીલ ત્રણેયે 2019થી આજદિન સુધી મજબુરીનો ફાયદો ઉઠાવી બળજબરી પુર્વક ચક્રવૃધ્ધિ વ્યાજ વસૂલ કરી લીધું હતું તેમની મુદ્લ ઉપર અનેકગણું વ્યાજ ચુકવી દીધું હોવા છતા વારંવાર ઉઘરાણી કરી ફોન પર તેમજ રૂબરૂમાં યુવક તથા તેમની પત્નીને ગાળો આપી મુદ્દલ તથા વ્યાજ નહીં આપે તો હાથ પગ તોડી નાખવાની તથા અન્ય કોઇ જગ્યાએ નોકરી નહી કરવા દઈએ તેવી ધમકી આપી હતી. જેથી મકરપુરા પોલીસે પ્રફુલ સંભાજી પાટીલ, આકાશ સંભાજી પાટીલ તથા રોમા પ્રફુલ પાટીલ ત્રણેય સામે ગુનો કાર્યવાહી હાથ ધરી છે.
આજે ઇન્ડિગોની 106 ફ્લાઇટ રદ પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે આજે ત્રીજા દિવસે ઇન્ડિગો એરલાઇનની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.રોષે ભરાયેલા પેસેન્જર્સે એરલાઇન્સ વિરૂદ્ધ નારા લગાવ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુભાષબ્રિજ ત્રણ મહિના સુધી બંધ રહી શકે અમદાવાદની સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જતા બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે.માહિતી મુજબ ઓવરલોડથી પિલ્લર પર તિરાડ પડવાથી બ્રિજનો ભાગ બેસી ગયો.4 મહિના પહેલાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ 55 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ જર્જરિત સુરતમાં 55 કરોડના ખર્ચે બનેલો અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત બન્યો છે.પિલરમાં તિરાડો પડતાસળિયા દેખાવવા લાગ્યા છે. થોડા સમય પહેલાં જ રિપેરિંગ માટે મહિનો બ્રિજ બંધ કરાયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર રજાઓ જોયા વિના જ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધુ. 4 માર્ચે ધુળેટી છે જે દિવસે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ 12ના બંને પ્રવાહમાં મુખ્ય વિષયોના પેપર રાખવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટેક્સટાઇલ ઉદ્યોગ પર દિતવાહ વાવાઝોડાની અસર દક્ષિણ ભારતમાં આવેલા દિતવાહ વાવાઝોડાની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે.ભારે વરસાદ અને પૂરને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જેથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 200 કરોડના નુકસાનનો ભય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માછીમારી કરી પરત ફરી રહેલી બોટ પલટી ગઈ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરી પરત ફરી રહેલી ફિશિંગ બોટ પલટી જતાં એક માછીમારનું મોત નિપજ્યું. જ્યારે અન્ય ત્રણ ખલાસીને બચાવી લેવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૂર્વ પત્નીના પતિની હત્યા કરનાર યુવકને આજીવન કેદ રાજકોટ શેસન્સ કોર્ટે પૂર્વ પત્નીના પતિની હત્યા કરનાર યુવાનને આજીવન કેદની સજા ફટકારી.પત્નીએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિએ યુવકની હત્યા કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત મુલાકાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે.ગાંધીનગરમાં તેમણે અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું.આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ₹1506 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢના MLA સંજય કોરડીયાનું ફેક ID બન્યું જૂનાગઢના MLAનું પાકિસ્તાનથી ફેક ID બન્યું.અજાણ્યા શખસોએ સંજય કોરડીયાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાદે ફેસબુક-ઇન્સ્ટાગ્રામનું ફેક ID બનાવ્યું.SOGએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૈસાની ઉઘરાણી બાબતે તલવાર-દંડા લઈ આતંક અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો.પૈસાની ઉઘરાણી બાબતે તલવાર અને દંડા લઈ ગાળાગાળી કરી.ગાળો બોલવાની ના પાડતા એક શખ્સ પર હુમલો પણ કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં 25 જેટલી પેઢીઓનું નિરીક્ષણ કરીને 12 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈની દેખરેખ હેઠળ, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહીસાગર માતાજીની ચોરી અને વહેરાખાડી મંદિર પરિસર આસપાસ 11 લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, બે પેઢીઓ પાસેથી પાપડીનો લોટ અને ચણા દાળના નમૂના લેવાયા હતા. મહીસાગર મંદિર, વાસદ ખાતે ચાર પેઢીઓની તપાસ કરતા, એક લિટર બળેલું તેલ, ત્રણ કિલો વાસી પાપડી અને 500 ગ્રામ ચટણી સહિત કુલ ચાર કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઇસ્કોન મંદિર નજીક પાંચ પેઢીઓમાંથી ચાર નમૂના અને લોટીયા ભાગોળ વિસ્તારમાં પાંચ પેઢીઓમાંથી છ નમૂના લેવામાં આવ્યા હતા. આમ, બીજા દિવસે કુલ 25 પેઢીઓમાંથી 12 નમૂના મેળવવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ લારી-ગલ્લા અને પેઢીઓને ખાદ્ય પદાર્થો સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખવા, શુદ્ધ, સાત્વિક અને તાજા પીરસવા સૂચના અપાઈ હતી. તેમને આસપાસ સ્વચ્છતા જાળવવા, ગ્લોવ્ઝ અને કેપ પહેરવા તેમજ ફૂડ સેફ્ટીના કાયદાનું પાલન કરવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આણંદ જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ અને તમામ વિધાનસભા બેઠકો માટે યુથ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિજેતા થયેલા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ મોરબીના શનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો.આ સમારોહમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયા, મહેશ રાજકોટિયા, દીપક પરમાર, અલ્પેશ કોઠીયા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નવનિયુક્ત યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ પીપરવાડિયા (મંસુરી) અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે વસીમ પીપરવાડિયા (મંસુરી) ચૂંટાઈ આવ્યા છે. મોરબી-માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે રાજ ખાંભરા, ટંકારા-પડધરી વિધાનસભાના પ્રમુખ પદે મિલન સોરીયા, વાંકાનેર વિધાનસભાના પ્રમુખ પદે આબીદ ગઢવારા અને હળવદ વિધાનસભાના પ્રમુખ પદે જીગ્નેશ પીપરીયાની વરણી થઈ છે. આ ઉપરાંત, મોરબી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પદે ચિંતન રાજ્યગુરુ, માળિયા શહેરના પ્રમુખ પદે શાહિદ જામ, ટંકારા શહેરના પ્રમુખ પદે રવિ ઘોડાસરા અને વાંકાનેર શહેરના પ્રમુખ પદે શાકિબ શેરશિયા ચૂંટાયા છે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે કુલદીપસિંહ જાડેજા, જ્યારે મહામંત્રી પદે મકબૂલ માથકિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ સંઘવાણી અને ઇમરાન કડીવારની નિમણૂક કરવામાં આવી છે.
ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ તથા ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આ પહેલાં પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે. ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમો બનાવાઈ હતી9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી અકસ્માત થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું. આ પણ વાંચો... મૃતકની બોડી પર ઈજાનો દાવો, વીડિયો ભાસ્કર પાસે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈઆપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે. આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ. ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપીશંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. ડ્રાઇવરે માલિકને રોઝડું આવી ગયું હોવાનું કહી ખોટું કીધુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવનાના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી. જોકે તેના ક્લીનરને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું. જે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે, રોજડુ આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે, ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી. આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો 12થી વધુ પસાર થયા હતા અને ટોટલ 46 વાહનો 15થી 20 મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈરાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડીયા આવ્યો ન હતો, થોડું બમ્પ જેવું આવ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઇવર દ્વારા જાણ કરવામાં આવી. યુવાનની ગુમ નોંધ તા. 6ના સવારે કરવામા આવી છે. જાણવાજોગની પ્રોસિઝર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સામે પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તા. 9ના આઇડેન્ટીફીકેશન થયું હતું. જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે અને 43 ઈજાની વાત છે તે તમામ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે. નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઈજા થવાની સંભાવના છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે. જેથી આગામી દિવસોમાં કલેરીફિકેશન આવશે. બનાવ બન્યો તે સ્થળે કોઈ CCTV જ નથીજે જગ્યાએ બનાવ બન્યો છે તેના સીસીટીવી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી. તેનાથી આગળ અને પાછળ સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મુવમેન્ટ જ દેખાય છે અને હાલ જે કબૂલાત કરવામાં આવેલી છે અને બસમાં જે ડેમેજ છે તેના આધારે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે કોઈપણ વાહન હતા તેની મુવમેન્ટ તપાસવામાં આવી છે. એમ્બ્યુલન્સના ધ્યાને બોડી આવતા સિવિલ ખસેડી હતી શંકાસ્પદ 78 વાહનોનું ઝીરોઇંગ કરી તેમાં આ બસ વધુ શંકાસ્પદ જણાતા અને આગળ તપાસ કરતા ડ્રાઇવર દ્વારા કબૂલાત આપવામાં આવી છે. હાલ ફેટલ એક્સિડન્ટ હોવાથી તેના ડિટેકશન ઉપર ફોકસ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કઈપણ શંકાસ્પદ જણાશે અને જે લોકો વિરુદ્ધ આક્ષેપો હશે અને જે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ હશે તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 108 એમ્બ્યુલન્સને આ બોડી ધ્યાને આવતા તેમના દ્વારા બોડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના અને આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યાઅગાઉ મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. 'દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં'મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં અક્સ્માતથી મોતગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોતને લઈ ACP રાજેશ બારિયાનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાનાં નિશાનો જોવા મળ્યાં છે. આ ઈજા પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતને કારણે હોય તેવું લાગી રહ્યું છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ હતીશાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. વાંચવા માટે ક્લિક કરો.... પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ
રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો મામલો હવે ગરમાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વકીલ આલમમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે ભારે ઉત્સાહ છે. પરંપરાગત રીતે, આ ચૂંટણીમાં બે મુખ્ય પેનલ, 'સમરસ પેનલ' અને 'RBA પેનલ' વચ્ચે સીધો જંગ જોવા મળે છે. આ જંગમાં વકીલોના હિત અને બાર એસોસિએશનના વર્ચસ્વની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે આ ચૂંટણી 'કાંટે કી ટક્કર' થવાના એંધાણ આપી રહી છે. આજે ફોર્મ ભર્યા બાદ પોતાનું ધ્યાન માત્ર વકીલોનાં હિત ઉપર કેન્દ્રિત હોવાનું પ્રમુખે જણાવ્યું હતું. આજે RBA પેનલ દ્વારા પોતાની સંપૂર્ણ ટીમ સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પેનલના તમામ ઉમેદવારોએ કોર્ટ પરિસરમાં એકઠા થઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી હતી. પેનલના મુખ્ય ચહેરા અને પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરાએ મીડિયા સાથે વાત કરતા તેમની પેનલના મુખ્ય ઉદ્દેશો અને કાર્યશૈલી સ્પષ્ટ કરી હતી. RBA પેનલના ઉમેદવારો RBA પેનલ દ્વારા રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2026ની ચૂંટણી માટે તમામ મુખ્ય હોદ્દાઓ અને કારોબારી સભ્યો માટે પોતાના ઉમેદવારોની દાવેદારી રજૂ કરી છે. પેનલના મુખ્ય હોદ્દેદારો પ્રમુખ: સુમિત વોરાઉપપ્રમુખ: બિમલ જાનીસેક્રેટરી: નિલેશ પટેલજોઇન્ટ સેક્રેટરી: જયેન્દ્ર ગોંડલિયાટ્રેઝરર: પ્રગતિ માકડીયાલાઇબ્રેરી સેક્રેટરી: કેતન ભટ્ટ આ મુખ્ય હોદ્દેદારો ઉપરાંત, પેનલમાં 7 કારોબારી સભ્યો અને 3 મહિલા અનામત સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ રીતે, RBA પેનલે સંપૂર્ણ 13 બેઠકો માટે પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણીના રણમાં ઝંપલાવ્યું છે. વકીલોના હિત અને કાર્યરત પેનલ હોવાનો દાવો પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરાએ તેમની પેનલને 'કાર્યરત કરતી પેનલ' તરીકે રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના જૂનિયર અને સીનિયર તમામ વકીલો જાણે છે કે RBA પેનલ માત્ર ચૂંટણીલક્ષી વચનો નહીં, પણ વાસ્તવિક કામગીરીમાં વિશ્વાસ ધરાવે છે. તેમની પેનલ દ્વારા વકીલોના હિત માટે છેલ્લા વર્ષોમાં જે કાર્યો કરવામાં આવ્યા છે, તે જ તેમની મુખ્ય ઓળખ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પેનલ કોઈ પ્રકારના દુષ્પ્રચારમાં માનતી નથી અને તેનું ધ્યાન માત્ર વકીલોના હિતો પર કેન્દ્રિત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમની પેનલ ભૂતકાળમાં પણ વકીલોના હિતના કાર્યો કરતી હતી. અને આ વર્ષે પણ એ જ કાર્યોને આગળ ધપાવશે. તેમની પ્રાથમિકતામાં વકીલાત ક્ષેત્રે જોડાયેલા સભ્યોને સારામાં સારી તક મળી રહે તેવા પ્રયાસો સામેલ છે. RBA પેનલનું એક મહત્ત્વનું લક્ષ્ય જૂનિયર વકીલોના વિકાસ પર કેન્દ્રિત છે. અમારી પેનલ એ બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે કે જૂનિયર વકીલો કઈ રીતે પોતાની કારકિર્દીમાં આગળ વધે. આ માટે, તેઓ જૂનિયર કમર એડવોકેટને દરેક કાયદાના મુદ્દા પર જ્ઞાન (નોલેજ) મળી રહે તેવા પ્રયત્નો કરશે. આવનાર સમયમાં, RBA પેનલ દ્વારા જૂનિયર વકીલો માટે જાગૃતિ (ઓવેરનેસ) કાર્યક્રમો, એટલે કે, વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો હેતુ જૂનિયર વકીલોને કાયદાકીય જ્ઞાનથી સજ્જ કરવા અને તેમની વ્યાવસાયિક સ્કિલને વિકસાવવાનો છે. આ પેનલ જૂનિયર વકીલોની કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે અથાક પ્રયત્નો કરવા પ્રતિબદ્ધ છે. અગાઉની કાર્યરત પેનલની સફળતાનો ઉલ્લેખ કરતા સુમિત વોરાએ જણાવ્યું કે, અગાઉ તેમની બોડી દ્વારા એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જો આ વર્ષે RBA પેનલ ફરીથી ચૂંટાઈને આવે છે, તો તેઓ નવા વર્ષમાં ફરીવાર નેશનલ લેવલના સેમિનારનું આયોજન કરશે. આ પ્રકારના સેમિનારથી વકીલોને રાષ્ટ્રીય સ્તરના કાયદાકીય નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવવાની અને પોતાના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તૃત કરવાની તક મળશે, જે રાજકોટના વકીલ આલમ માટે એક મોટી ઉપલબ્ધિ ગણાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બારની ચૂંટણીમાં ભાજપની જ બે પેનલો વચ્ચે ખરાખરીનો જંગ છે. જેમાં ગઈકાલે સમરસ પેનલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે આજે RBA પેનલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તા. 11 ડિસેમ્બરે ફોર્મ ચકાસણી થશે તે દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિધ્ધ થશે. તા. 12 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ઉમેદવારોની આખરી યાદી તા. 13 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પ્રસિધ્ધ થશે. તા.22 ડિસેમ્બરે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી સિવિલ કોર્ટ બિલ્ડીંગના પહેલા માળે મતદાન યોજાશે.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 'દિવ્યાંગ સાધન સહાય વિતરણ' કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગજનોને કુલ ₹15,40,575 ની કિંમતના હાર્મોનિયમનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના હસ્તે આ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. રાજ્ય સરકારની યોજના અંતર્ગત 167 લાભાર્થીઓને હાર્મોનિયમની ભેટ મળી હતી. આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, અગાઉ વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ભાઈઓ અને બહેનોને 'દિવ્યાંગ' તરીકે ઓળખ આપવામાં આવી છે. દિવ્યાંગ શબ્દને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેનો વિશાળ સંખ્યામાં દિવ્યાંગજનો લાભ લઈ રહ્યા છે. મંત્રી વેકરીયાએ વધુમાં કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હંમેશા દિવ્યાંગોની ચિંતા કરે છે અને તેમના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પહેલા જે યોજનાના લાભ લેવા માટે BPL સ્કોરના દાખલાની જરૂર પડતી હતી, તેના બદલે મુખ્યમંત્રીએ દરેક યોજનામાંથી BPL સ્કોરને દૂર કર્યો છે. તેમણે ઉમેર્યું કે, પહેલા દર મહિને ₹1,000 ની આર્થિક સહાય યોજના માટે 80% દિવ્યાંગતા જરૂરી હતી, તેના બદલે 60% દિવ્યાંગતાની મર્યાદા મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયના લીધે મહત્તમ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઈ રહ્યા છે. અમરેલીના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં દિવ્યાંગજનો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સંત સુરદાસ યોજનામાં 2,878 લાભાર્થીઓને, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો 37 દિવ્યાંગોને અને નિરામય હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાનો 1,109 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા 2,294 મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો છે. 154 લાભાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય યોજનાનો અને 101 લાભાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસ.ટી. બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજનાનો લાભ 16,729 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને અનેક યોજનાઓનો લાભ આપી રહી છે, જેનો મોટી સંખ્યામાં દિવ્યાંગજનોને લાભ મળી રહ્યો છે. તેમણે વધુમાં વધુ દિવ્યાંગજનોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એમ.પુરોહિતે રાજ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરશનું અભિવાદન કરીને પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ક્લસ્ટરના મોહબતપરા ગામ ખાતે 5 ડિસેમ્બર, 2025ના રોજ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એગ્રી અસિસ્ટન્ટ પારસ મારુએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રાયોગિક નિદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોને સ્વદેશી ઇનપુટ્સ અપનાવવાથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રવિ પાક અંગે માર્ગદર્શન, પાક સંભાળ અને ઉત્પાદન વૃદ્ધિ માટે જરૂરી બાબતો વિશે પણ ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું.
થાઇલેન્ડથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મંગાવીને સુરતના યુવાનોને વેચવાના એક મોટા નેક્સસનો પર્દાફાશ થયો છે. આ નેક્સસમાં સંકળાયેલા કાપડના વેપારી ઋષભ નવરત્મલ મહનોતના પેડલર સૌરભ નરેશભાઇ ચૌહાણની SOGએ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઋષભ હાલ ફરાર છે. 13 લાખથી વધુના ગાંજા સાથે પેડલર ઝડપાયો છે SOGએ છટકું ગોઠવી ડ્રગ પેડલરને પકડી પાડ્યોઅડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOGએ આરોપી સૌરભ ચૌહાણને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. SOGની ટીમે બાતમીના આધારે અડાજણ, હનીપાર્ક રોડ પર આવેલા સાંઇરામ રો હાઉસના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું. અહીંથી આરોપી સૌરભ નરેશભાઇ ચૌહાણ (ઉંમર: 27, ધંધો: કાપડનો વેપાર) ને પકડી પાડવામાં આવ્યો હતો. જપ્ત થયેલ ગાંજો વજન 374 ગ્રામ છે જેની કિંમત 13,09,000 છે. ઝડપાયેલો આરોપી સૌરભ ચૌહાણ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે અને તે ફરાર આરોપી ઋષભ મહનોતના ઘરે જ રહેતો અને તેના માટે ગાંજાની ડિલિવરી કરવાનું કામ કરતો હતો. થાઇલેન્ડ કનેક્શન અને 'યુથ લિસ્ટ'નો ખુલાસોSOGની તપાસમાં આ નેટવર્કનું ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપી ઋષભ મહનોત થાઇલેન્ડથી ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે મંગાવતો હતો, જે પછી સુરતના યુવાનોને વેચતો હતો. સૌરભ ચૌહાણની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરી, ત્યારે એક મોટો ખુલાસો થયો. SOGને મોબાઈલમાંથી નામ અને મોબાઈલ નંબર સાથેની યુવા ગ્રાહકોની એક લિસ્ટ મળી આવી છે. શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતાપોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ મામલે વિગત આપતા જણાવ્યું કે, આરોપીના મોબાઇલમાં મળેલી લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે, આ લોકો ખાસ કરીને શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતા હતા. મોબાઇલમાં VPN નંબર પણ મળી આવ્યા છે, જેના આધારે પુષ્ટિ થઈ છે કે આ ગાંજો તેઓ થાઇલેન્ડથી મંગાવતા હતા. હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાહાલમાં, પોલીસે આ લિસ્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે કે, આ આરોપીઓ કઈ રીતે યુવાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા. SOGની આ તપાસમાં થાઇલેન્ડથી ચાલતા આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે આ મામલે સૌરભ ચૌહાણ અને તેને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ (સાંઇરામ રો હાઉસમાં રહેતો, જે ડિલિવરી સમયે ફરાર થઈ ગયો) સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વાલીઓને પોલીસની ખાસ અપીલપોલીસ ઇન્સ્પેક્ટર સોનારાએ સુરત શહેરના વાલીઓને સાવધાન રહેવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગાંજો એક એવો પદાર્થ છે, જેની ગંધ કપડાંમાં લાંબા સમય સુધી રહે છે. તેથી, વાલીઓએ પોતાના બાળકોના કપડાં પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો કોઈપણ પ્રકારની ગાંજા જેવી ગંધ લાગે, તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરવો.
જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો રેલી ફરીબાઇક રેલીનું પ્રસ્થાન મહાપ્રભુજીની બેઠકથી કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ અને બેડી ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી. ટાઉન હોલના પટાંગણમાં જનસભા યોજાઇબાઇક રેલી બાદ ટાઉન હોલના પટાંગણમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત નેતાઓએ સભાને સંબોધી હતી. આ કાર્યક્રમનું આયોજન જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલી PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં શુક્રવારે વાર્ષિક ખેલકૂદ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, માલીવાડ ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન અને રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના આચાર્ય મહેન્દ્ર પ્રસાદે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ખેલકૂદ દિવસના પ્રારંભે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું અભિવાદન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગા, ડાન્સ અને એરોબિક્સના આકર્ષક પ્રદર્શન કર્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખેલકૂદ સ્પર્ધાઓનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ રમતવીર વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ કરી રમતમાં ભાગ લેવા માટેના શપથ લીધા હતા. એક દિવસીય ખેલકૂદ દિવસમાં દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, ફૂટબોલ, રસ્સા ખેંચ અને દેડકાદોડ જેવી વિવિધ સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દરેક ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાલયના તમામ સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન જહેમત ઉઠાવી હતી.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા અને એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવશે. આ સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યું હતું કે નિકિતાબેનનું મોત થઈ ગયું હોવા છતાં પણ તેના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું હતું. જ્યારે નિકિતાબેન તો સહી કરતા હતા. SIT કમિટી બનાવવા પરિવારની માગસુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પીટલ ખાતે 30 વર્ષીય નિકીતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરીયન ડિલવરી સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા (નિકીતા ગોસ્વામી)નું મૃત્યુ થયું છે. સાધુ સમાજની દિકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માગણીઓ છે, જે યોગ્ય ન્યાયિક અને પુરતી તપાસ માટે SIT કમિટીનું ગઠન કરવા રજૂઆત છે. 'હોસ્પિટલની બેદરકારીથી મારી બહેનનું મૃત્યુ થયું'મૃતક નિકિતાની ડોક્ટર બહેન હેતવાંશી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની બેદરકારીથી મારી બહેનનું મૃત્યુ થઈ જાય છે, પછી અમને બે-ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારા સગા છે એ મરી ગયો છે. એના હાથમાં ખોટા સહી સિક્કા અને અંગૂઠા લેવામાં આવે છે. આટલી બેદરકારી છે હોસ્પિટલવાળાની. અમારે બસ ન્યાય જોઈએ છે. આજે અમારી બેન-દીકરી, કાલે તમારી બેન-દીકરી હશે. બસ જો ન્યાય માટે માંગણી કરીએ. બધા કર્મચારીઓ અને સરકારી જે બધા છે ઈ અમને મદદ કરે અને ન્યાય માટે અમારી સાથે રહે. 'મૃતદેહ પાસેથી છાપ લઈ છે અંગૂઠાની'વધુમાં જણાવ્યું હતું કે, મારી બેનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યારે મારી બેન એકદમ તંદુરસ્ત રીતે અંદર જાય છે. બહાર નીકળે છે ત્યારે અમને ડૉક્ટર જાણ નથી કરતા કે તમારી તમારું જે પેશન્ટ છે એનું મૃત્યુ થઈ ગયું છે. ડોક્ટર બહેને કહ્યું - ડોક્ટરો માટે આ એક કલંક છેહેતવાંશી ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર ભગવાનનું એક રૂપ કહેવાયને પણ એવું કંઈ છે નહીં આમાં. અત્યારે ડોક્ટરની પૂરેપૂરી બેદરકારી છે. ડોક્ટર ભગવાનનું રૂપ માને છે એ જ તકલીફ છે કે આ એક અમારા માટે પણ એક કલંકની વસ્તુ છે કે એક ડોક્ટર થઈને અમે એક માણસને બચાવી નથી શકતા. હું ડોક્ટર છું એટલે મને ખબર છે. એ મારી બેન છે ને હું ડોક્ટર પણ છું. તો એ ખબર પડે. એની જગ્યાએ અમારા ઘરનું કોઈ ગયું હોત તો અમને કેટલી તકલીફ થાત? તો બસ એ જ છે. અમારો ન્યાય મળે. અમારી માગ છે બસ એમના છોકરાને અને એમને ન્યાય મળે અને પૂરેપૂરી રીતે કોઈ એટલે કોઈ ઇન્વેસ્ટિગેશન કરો કેસની કે જે જે વસ્તુ અંદર બની છે, જે વસ્તુ બધાની સામે આવે કે મતલબ કોઈને સામે લડવું હોય ને, કોઈ બેન-દીકરીને કંઈકથી લડવું હોય તો એનામાં હિંમત આવે કે ભલે આપણી બેન-દીકરીને કંઈ થયું છે પણ આપણે લડવું જ જોઈએ બધાની સામે અને ન્યાય મળે. બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીદશનામ ગોસ્વામી સમાજના હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નિકિતાબેનનું મોત થવાના કારણે તેમના બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. જેના પગલે સમા દ્વારા અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે. જેમ કે એનેસ્થેટિક ડોક્ટર કોણ હતા, ઓપરેશન પહેલા ક્યારે આવ્યા, ક્યારે ગયા તે સીસીટીવી રેકર્ડ મુજબ તપાસવુ. એનેસ્થેટિક ડોક્ટરે સારવાર પેપરમાં મારેલી નોંધ તેજ ડોક્ટરના અક્ષરો છે તેનો એફએસએલ રિપોર્ટ કરવુ. આઈસીયુમાં ક્યા પ્રકારની સારવાર આપેલ?પેશન્ટને ક્યા પ્રકારનું અનેસ્થેસિયા આપવામાં આવેલ હતુ અને શું કામ ? આઈસીયુ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોને આધિન છે કે કેમ ? (ડબલ ડોર અને પાંચ બેડ નથી). આઈસીયુમાં ક્યા પ્રકારની સારવાર આપેલ અને હાજર તમામ સ્ટાફની ડિગ્રી તપાસવી. આઈસીયુમાં બિનજરૂરી લોકોની અવરજવર મનાઈ હોય છે તો સીસીટીવી મુજબ તપાસ કરવી. ટ્વિન્સ બાળકો હતા માટે ઓપરેશન સમયે બાળકોના ડોક્ટર હાજર હતા કે કેમ તેની તપાસ કરવી. 'ડોક્ટરે કરેલા ઓપરેશનોમાં થયેલ બેદરકારીની તપાસ કરવી'જો ડોક્ટરને ખ્યાલ હતો કે પેશન્ટ હાઈ-રીસ્ક છે, તો ઈન્ટેન્સિવિસ્ટ તરીકે કોણ હાજર હતું? જો કેસ ઈમરજન્સી હતો તો ફિઝિશિયન ફિટનેસ રીપોર્ટ છે કે કેમ, કયા કારણોસર ઈમરજન્સી નક્કી કર્યું? હોસ્પીટલમાં પીએમજે યોજના કાર્યરત હતી તો ડિલવરી પીએમ જે યોજનામાં કેમ કરવામાં ન આવી. હોસ્પિટલ ચલાવવા માટે જરૂરી BUC, BMW, GPCB, ફાયર, ક્લિનિકલ એસ્ટૈબ્લિશમેંટ, વગેરે ચેક કરવું. ડૉ. વિણા કંડેલ અને ડૉ. વાળા દ્વારા અગાઉ થયેલ ઓપરેશનોમાં થયેલ બેદરકારીની અરજીઓ અને એફઆઈઆરની તપાસ કરવી.
સુરતના ચકચારી બીટકોઈન કેસમાં EDએ સતીશ કુંભાણી સહિત 6 લોકો સામે અમદાવાદમાં આવેલી વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અદાલતમાં કેસ દાખલ કર્યો છે. જે પૈકી ત્રણ આરોપીઓ હિતેશ ગોરસીયા, વર્ષાબેન માવાણી અને ગોરધન ગોરસીયા દ્વારા કેસમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે અદાલત સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નકારી દેતા તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા પરંતુ, ગુજરાત હાઇકોર્ટે પણ તેઓની અરજી નકારી નાખી છે. જુદી-જુદી ડિજિટલ કંપનીઓ બનાવી લોકોને ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરવા આકર્ષ્યાઆ કેસને વિગતે જોતા સુરતના CID ક્રાઇમ પોલીસ મથકે વર્ષ 2018માં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સતીશ કુંભાણી, ધવલ માવાણી વગેરે આરોપીઓએ RBIની મંજૂરી લીધા વગર જુદી-જુદી ડિજિટલ કંપનીઓ બનાવીને લોકોને ઊંચા વળતરની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા આકર્ષ્યા હતા. ત્યારબાદ એક દિવસ અચાનક જ કંપનીઓને તાળું મારીને તેઓ ગાયબ થઈ ગયા હતા. લોકોનું 61 કરોડો કરતાં વધુ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતુંવળી તેઓએ પોતાની રજીસ્ટર કંપનીઓ UKમાં બતાવી હતી. તેઓએ લોકોનું 61 કરોડો કરતાં વધુ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. આ પૈકી એક રૂપાળ શૈલેષ ભટ્ટે કંપનીના હોદ્દેદારોનું અપરણ કરીને 2091 બીટકોઈન અને 11,000 લીટકોઇન પડાવ્યા આવ્યા હતા. જેની તત્કાલીન કુલ કિંમત 152 કરોડની આસપાસ હતી. EDની તપાસમાં અત્યાર સુધીમાં 2000 કરોડથી વધુની મિલકતો, રોકડ, રોકાણ, ક્રિપ્ટો કરન્સી વગેરે મળી આવ્યા છે.
MH370નું રહસ્ય ખુલશે! 10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ
Malaysia Restarts MH370 Hunt After a Decade | મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે. 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 યાત્રીઓ અને ક્રૂ સભ્યો સહિત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. શરુઆતી શોધખોળ દરમિયાન મળેલા સેટેલાઇટ ડેટાને આધારે વિમાન તેના નિયત માર્ગથી ભટકીને દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્યાંક ક્રેશ થઈ ગયું હોવાનું મનાય છે. વિમાનની શોધ માટે બહુ પ્રયાસો કરાયા છતાં એમાં સફળતા નહોતી મળી. હવે, દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરુ કરાઈ રહ્યું છે.
મેમનગર વિસ્તારમાં આવેલી એચ.બી.કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં કેરિયર એજ્યુકેશન ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શહેરના સૌથી મોટા કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. HBK કનેક્ટ એજ્યુકેશન ફેરમાં અંદાજે 65 જેટલી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓ ભાગ લેવાની છે. 65 જેટલી યુનિવર્સિટીઓએ પોતાના અલગ અલગ સ્ટોલ તૈયાર કર્યા છે. કેરિયર એજ્યુકેશનમાં અલગ અલગ શાળાઓના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ ભાગ લેવાના છે. વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહમાં પોતાની કેરિયર પસંદગીમાં મદદરૂપ થશે. તેમજ વિદ્યાર્થીઓને નવા નવા અભ્યાસક્રમોથી માહિતગાર કરશે. અન્ય કોઈ વિદ્યાર્થીઓને પણ આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કારકિર્દીને લઈને માર્ગદર્શન મેળવી શકશે. છેલ્લા ત્રણ વર્ષથી કેરિયર એજ્યુકેશન ફેરનું આયોજનએચ.બી. કાપડિયા સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ રૂપલબેને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી કેરિયર એજ્યુકેશન ફેરનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે 65 કરતા વધારે ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. વિદ્યાર્થીઓને કેરિયરનું માર્ગદર્શન પૂરતું મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ધોરણ 12 પછી શું કરવું તેને લઈને વિદ્યાર્થીઓને વાલીઓ મૂંઝવણમાં હોય છે. જેથી કેરિયર નક્કી કરવાની પળમાં પૂરતું માર્ગદર્શન મળી રહે તેઓ અમારો આશ્રય છે. વિદ્યાર્થીઓ AI સહિતના નવા કોર્સથી વાકેફ થાય તેવો પ્રયાસએચ.બી. કાપડિયા સ્કૂલના અંગ્રેજી માધ્યમના પ્રિન્સીપાલ ઇન્દ્રાણીબેન બેનર્જીએ જણાવ્યું હતું કે, સતત ચાર વર્ષથી એજ્યુકેશન કેરિયર ફેરનું આયોજન કરીએ છીએ. દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા નવા કોર્સ આવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ નવા કોર્સથી વાકેફ થાય તેવો અમારો પ્રયાસ છે. સાચી દિશા વિદ્યાર્થીઓ મળી તે માટેનું પ્લેટફોર્મ અમે તૈયાર કરીએ છીએ. અત્યારે AIની સૌથી વધુ ડિમાન્ડ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, AI સૌથી વધુ કામ આવી શકે છે. તેમજ કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિશેની ડિમાન્ડ આજે પણ જોવા મળી રહે છે.
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી કાર અને ગુનામાં વપરાયેલ ચોરીનું બાઈક જપ્ત કર્યું છે. ગત 2જી તારીખે સાંજે 7:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (ઉં.વ. 44) યાર્ડમાંથી 6.90 લાખ રૂપિયા રોકડા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આનંદ બંગલોઝ નજીક બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેમને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. મરચાની ભૂકી છાંટીને આરોપીઓએ રજનીકાંત દેથરીયાના બાઈક (નંબર GJ 36 AM 6142) પર રાખેલા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હળવદ પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા (રહે. વીસીપરા, મોરબી) અને કિશન મોતીભાઈ પરસાડીયા (રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ પૈકી 5,11,800 રૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી આઈ 20 કાર (નંબર GJ 27 AH 2440) અને ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ ચોરીનું બાઈક (નંબર GJ 6 AR 2534) કબજે કર્યું છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જોકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બિનવારસી બેગની જાણ થતાં જ CISFના જવાનો તુરંત એક્શનમાંએરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં એક શંકાસ્પદ બિનવારસી બેગની જાણ થતાં જ CISFના જવાનો તુરંત એક્શનમાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે, CISF દ્વારા તાત્કાલિક અસરથી બેગની આસપાસના સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો. આ સુરક્ષા ઘેરાબંધીના કારણે બેગની નજીકથી કોઈપણ વ્યક્તિને પસાર થવા દેવામાં આવી નહોતી. સુરક્ષાની ખાતરી કરવા માટે, CISFની ટીમે તાત્કાલિક ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા બેગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બેગની અંદરથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી હતી. બેગની આંતરિક તપાસમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ ન જણાઈ આ બેગ કોણ છોડી ગયું છે, તે જાણવા માટે CISF દ્વારા એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે, સુરક્ષાકર્મીઓએ ગણતરીના સમયમાં જ બેગના વારસદાર યુવકને શોધી કાઢ્યો હતો. યુવક મળી આવ્યા બાદ, CISF દ્વારા તેના ડોક્યુમેન્ટ સહિતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. યુવકના નિવેદન અને બેગની આંતરિક તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નહોતી. બેગમાં સામાન્ય સામાન અને અંગત વસ્તુઓ મળી આવી હતી. બિનવારસી બેગનો મામલો માત્ર એક ભૂલભરેલો કિસ્સો સાબિત થયોતમામ સુરક્ષા અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, CISF દ્વારા યુવકને તેની બેગ સલામત રીતે હેન્ડઓવર કરી દેવામાં આવી હતી. બિનવારસી બેગનો મામલો માત્ર એક ભૂલભરેલો કિસ્સો હોવાનું સાબિત થતાં, એરપોર્ટ પર ફરજ બજાવતા તમામ સ્ટાફ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. CISFની આ સમયસર અને પ્રોફેશનલ કામગીરીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સજાગતા સાબિત કરી છે.
પોરબંદરમાં મહિલા સ્વરોજગાર-લોન મેળો યોજાયો:રોજગાર, લોન યોજનાઓ અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું
પોરબંદરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ તન્ના હોલ ખાતે મહિલા સ્વરોજગાર-લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સંયુક્ત રીતે આ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને રોજગાર, લોન યોજનાઓ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સ્વરોજગારની તકો વિશે વિગતવાર માહિતી આપી હતી. એફએલસી લીડ બેન્કના જાહિદ ખોખરે લોન યોજનાઓ, બેન્કિંગ પ્રક્રિયા અને ઑનલાઇન છેતરપિંડીથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેળામાં વાજપાઈ બેન્કેબલ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ, આઈટીઆઈ કોર્સિસ અને સીઈડી (CED) દ્વારા અપાતા માર્ગદર્શન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, “વ્હાલી દીકરી” યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરતી મેળાના ભાગરૂપે, લગભગ દસ જેટલી કંપનીઓએ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈને પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ શહેર નજીક આવેલા માધાપર ગામમાં આજે બપોરે એક ઘટના બની હતી. યક્ષ મંદિર સામેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે બપોરે લગભગ 1.30 વાગ્યાના અરસામાં બની હતી. આ કારો ભુજના રહેવાસી રશ્મિન મનસુખ દોશી અને સુનિલ અરવિંદ ઠક્કરની હતી. તેઓ પોતાની i20 અને મારુતિ સેલેરીઓ કાર પાર્ક કરીને મંદિરમાં આયોજિત લગ્ન પ્રસંગના ભોજન સમારોહમાં જમવા ગયા હતા. બંને કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ હતી. માહિતી મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. માધાપર પોલીસ દફતરે આ અંગે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ટીમે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેગ્ઝીનવાળી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ₹23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વાય. ચિત્તે અને તેમના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 04/12/2025ના રોજ A.S.I મોહમદફૈસલ મકબુલહુસેન અને A.S.I. નઇમખાન ડોસખાનને સંયુક્ત રીતે મળેલી માહિતી પરથી ટીમે વોચ ગોઠવી હતી. આ વોચ નવસારી ગ્રીડ ઓવરબ્રિજ સામે, સરોવર કાઠિયાવાડી હોટલની પાર્કિંગ સામેના જાહેર રોડ પર રાખવામાં આવી હતી. પોલીસે વોચ દરમિયાન સુરતાનભાઈ ફેન્દરીયા લોહારિયા (ઉ.વ. 45) અને નમરસિંહ રાવળિયા સસ્તિયા (ઉ.વ. 42) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જામલી ગામના રહેવાસી છે. તેમણે છકતલા, સોંઢવા, જિ. અલીરાજપુરના અજાણ્યા બે ઈસમો પાસેથી કારતૂસ વગરની દેશી બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ ખરીદી હતી. આરોપીઓ આ પિસ્તોલ ઊંચા ભાવે સારો ગ્રાહક મળી જાય તો વધુ પૈસા કમાવવાની લાલચમાં નવસારી વેચવા લાવ્યા હતા. આરોપી સુરતાનભાઈએ આ પિસ્તોલને વાદળી, કોફી અને કેસરી કલરની ડિઝાઇનવાળી કાપડની થેલીમાં ઓઢવાના ધાબળા અને મફલરની વચ્ચે છુપાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ (કિંમત ₹22,000), બે મોબાઈલ ફોન (કિંમત ₹1,000) સહિત કુલ ₹23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. A.S.I મોહમદફૈસલ મકબુલહુસેને (S.O.G. નવસારી) આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકા બાકી વેરા વસૂલવા કાર્યવાહી:ડિફોલ્ટરોની મિલકતો સીલ, પાણી-ડ્રેનેજ સેવા પણ કપાઈ શકે
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે બાકી રહેલા વેરાની વસૂલાત માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, મહાનગરપાલિકાની હદમાં આવેલા વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારોના બાકીદારો પાસેથી તાત્કાલિક વેરાની રકમ વસૂલ કરવામાં આવી રહી છે. વેરાની રકમ ન ચૂકવનાર મિલકત માલિકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલીક મિલકતો પર તાળાં મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં, આવા બાકીદારોની જળ પુરવઠા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સેવાઓ પણ બંધ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને સૂચના આપી છે કે જેમનો કોઈ પણ પ્રકારનો વેરો બાકી હોય, તેઓ તાત્કાલિક સંબંધિત વેરા કાર્યાલયનો સંપર્ક કરીને રકમ ચૂકવી દે. આ પગલું નાગરિકોના હિતમાં છે, જેથી તેમને કોઈ અસુવિધા કે કાર્યવાહીનો સામનો ન કરવો પડે. શહેરના વિકાસ અને સુવિધાઓના સતત સંચાલન માટે સમયસર વેરાની ચુકવણી અત્યંત આવશ્યક છે.
રાજકોટમાં અઢી વર્ષ પહેલાના લાંચ કેસમાં GST અધિકારી સામે હવે ગૂનો દાખલ થયો છે. 24 જાન્યુઆરી 2023 ના ગ્રાહકને કારખાનાના જીએસટી નંબર મેળવવા હતા જોકે તેના માટે તત્કાલીન સહાયક રાજ્ય વેરા કમિશનર ભરત સુરેલીયાએ રૂ.3000 ની લાંચ માંગી હતી. જોકે તેની તપાસ હવે પૂર્ણ થતા 4 ડિસેમ્બર, 2025 ના ગૂનો દાખલ કરવામાં આવેલો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી ગ્રાહકને પોતાના કારખાના માટે GST નંબર મેળવવા હતા. જોકે તાત્કાલિક સહાયક રાજ્ય વેરા કમિશનર અને વર્ગ - 1 ના અધિકારી ભરતભાઈ શામજીભાઈ સુરેલીયાએ રૂ.3000 ની લાંચ માંગી હતી. ગત 24 જાન્યુઆરી, 2023 ના GST કચેરીમાં ઘટક - 93 માં સહાયક રાજયવેરા કમિશનરની કચેરીમાં જ આ અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી. જોકે તે વખતે ACB એ ગોઠવેલા છટકામાં તેઓ ઝડપાઈ ગયા હતા. રાજકોટ ACB ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપર વિઝનમાં રાજકોટ ગ્રામ્યના એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ આ કેસમાં ફરિયાદી બન્યા હતા. જોકે ત્યારબાદ આ કેસમાં તપાસ ચાલી રહી હતી અને તાજેતરમાં જ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો અને તેમાં સાબિત થયું કે જીએસટી અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને તેથી 4 ડિસેમ્બર, 2025 ના રાજકોટ એસીબીમાં અધિકારી વિરુધ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી પાસેથી પોતાના અંગત ફાયદા માટે લાંચની માંગણી કરી, અનુચીત લાભ મેળવવા તેમજ પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી ગુન્હો કર્યો હોવાનું ખુલ્યુ છે.
ત્રણ દિવસ જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે:આજથી સુમિટોમો એકસેલ એકસપ્રેશન 2024 નો શિશુવિહાર સંસ્થા પ્રારંભ
સુમિટોમો કેમીકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એકસપ્રેશન 2025 અંતર્ગત ત્રણ દિવસ જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે, જેમાં આજથી પ્રારંભ થયો હતો, સુમિટોમો એકસેલ એકસપ્રેશન ના સતત 27 વર્ષથી આયોજન કઈ રહ્યું છે ત્રણ દિવસ દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ પ્રાથમિક વિભાગની સ્પર્ધાઓ યોજાયેલ હતી, જેમાં તત્કાલ ચિત્ર સ્પર્ધામાં 198 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારબાદ સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં 178 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને છેલ્લે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 195 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, આમ પ્રાથમિક વિભાગની સ્પર્ધાઓમાં કુલ 571 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવતીકાને તા.6 ના રોજ ફિલ્મ ગીત, તત્કાલ ચિત્ર, તથા વકૃત્વ સ્પર્ધા યોજાશે અને બપોર બાદ સામાન્ય જ્ઞાન લોક નૃત્ય ફિલ્મ ગીત તથા સમાચાર વાંચન યોજાશે, લોકનૃત્ય, સામાન્યજ્ઞાન સ્પર્ધા આમ આવતીકાલે પણ 576 વિદ્યાર્થીઓ ભાગ લેશે, તા.7 ના રોજ લોકગીત, સ્પર્ધા સાયન્સ અને ટેકનોલોજી ગ્રુપ સોંગ યોજાશે, ત્યારબાદ બપોરે ના લોકગીત સ્પર્ધા સમાચાર વાંચન સ્પર્ધાઓ યોજાશે. આમ ત્રણ દિવસ દરમિયાન 1500 થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ શર્મા એજીએમનું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર્સ વનરાજસિંહ ચાવડા તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
કેશોદ તાલુકાના બાલાગામમાંથી એક 14 વર્ષીય મંદબુદ્ધિના બાળક ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળક છેલ્લા છ દિવસથી લાપતા છે અને તેના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. કેશોદ તાલુકામાં એસપી તરીકે ફરજ બજાવતા બી.સી. ઠક્કર જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના બાલાગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો બાળક જે મંદબુદ્ધિનો છે, તે ગત 30 નવેમ્બરના રોજ પોતાના ઘરેથી ગુમ થયો હતો.બાળક ગુમ થયાની જાણ સૌપ્રથમ ગામના જ એક રિક્ષાવાળાએ બાળકના પરિવારને કરી હતી. આ મામલે બાળકના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે આગળની તપાસ હાથ ધરી છે. ગુમ થયેલા મંદબુદ્ધિના બાળકને વહેલી તકે શોધી કાઢવા માટે કેશોદ પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પોલીસે બનાવની જગ્યાનું પંચનામું કર્યું છે અને આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે.ગુમ થયેલા બાળકના પરિવારના તમામ સગા-સંબંધીઓ અને નજીકના વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. બાળકને શોધવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે, જેણે ગુમ થયાના સંભવિત માર્ગોની તપાસ કરી છે. પોલીસે બાળક ગુમ થયા બાબતે પોસ્ટર પણ લગાડ્યા છે, તેમજ સોશિયલ મીડિયાના અનેક વોટ્સએપ ગ્રુપમાં પણ બાળક ગુમ થયાની જાણ કરીને જનતા પાસે મદદની અપીલ કરવામાં આવી છે. આ બાળક ગુમ થયા મામલે બાલાગામ આસપાસના તમામ સરપંચોને પણ જાણ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય સ્તરે પણ કોઈ માહિતી હોય તો પોલીસને મળી શકે એસપી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા આ મંદબુદ્ધિના બાળકને શોધી કાઢવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફ દ્વારા મોડી રાત્રે શહેરના આડોડિયાવાસમાં ચાલતી દેશી દારૂની ઘમઘમતી ભઠ્ઠી પર રેઇટ કરી હતી, બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતાં, ઇલેક્ટ્રિક સગડીની મદદથી ચાલતી 4 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂ.1.47 લાખથી વધુનો દેશી-વિદેશી દારૂ, દારૂ બનાવવાનો આથો અને અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ રેઇડ દરમિયાન મકાન માલિકો સરજુ અને નીતા રાઠોડ દ્વારા પગાર પર દારૂ ઉતારવા રખાયેલા પરપ્રાંતિય કારીગર ક્રિષ્ના કાલીચરન તોમરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મકાન માલિક પતિ-પત્નિ સહિત ત્રણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દેશી દારૂની ઘમ ઘમતી ભઠ્ઠી ઝડપાઈ બાતમીવાળી જગ્યાએ રાત્રે રેઇડ કરતાં, મકાનમાંથી ક્રિષ્ના કાલીચરન તોમર ઉ.વ.24, રહે. નીતાબેન રાઠોડના મકાનમાં, મૂળ ઉત્તરપ્રદેશ હાજર મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં, એક રૂમમાં ઇલેક્ટ્રિક સગડીની મદદથી ચાલતી 4 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી, જ્યાં કાચની શીશીઓમાં દારૂ ભરવાનું કામ ચાલુ હતું. આ ઉપરાંત, આશરે 200 લિટરનું એક બેરલ દારૂ બનાવવામાં વપરાતા આથાથી ભરેલું જોવામાં આવ્યું હતું. દેશી અને ઈંગ્લીશ દારૂ મળી 1.40 લાખનો મુદ્દામાલ હાજર મળી આવેલ ક્રિષ્ના તોમર પાસે દારૂ બનાવવાનો કે રાખવાનો કોઈ પાસ-પરમિટ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ, દેશી દારૂ અને આથા સહિતની મોટી માત્રામાં ચીજવસ્તુઓમાં વિદેશી દારૂ ઇંગ્લિશ 750 MLની બેગપાઈપર વ્હિસ્કીની 12 બોટલ અને 8 PM વ્હિસ્કીની 40 બોટલ, કુલ ૫૨ બોટલ કિ.રૂ.18,000, દેશી દારૂ જુદા-જુદા કેન અને કોથળીઓમાં ભરેલો કુલ 229 લિટર દેશી દારૂ કિ.રૂ.45,800, દારૂ બનાવવાનો આથો 200 લિટર અને 100 લિટરના બેરલો તેમજ નાના ડબ્બાઓમાં ભરેલો કુલ 3225 લિટર આથો કિ.રૂ.80,820, પ્લાસ્ટિક/મેટલના નાના-મોટા 25 બેરલ/ડબ્બા કિ.રૂ.3,500 સહીત કુલ રૂ.1,47,925 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, દારૂની ભઠ્ઠીઓ પરના બેરલો અને આથો સ્થળ પર જ ઢોળી, તોડી, ફોડી નાશ કરવામાં આવ્યો હતો. દેશી દારૂ ઉતરાવા પગાર પર ઈસમને રાખ્યો હતો પકડાયેલ આરોપી ક્રિષ્ના તોમરે કબૂલ્યું કે, તે નીતા અને સરજુભાઈ રાઠોડના ઘરે રહીને દારૂ ઉતારવાનું કામ કરતો હતો અને તેના બદલામાં તેને રૂ.12,000 નો પગાર પર રાખ્યો હતો, પોલીસે હાજર મળી આવેલ આરોપી ક્રિષ્ના કાલીચરન તોમરની ધરપકડ કરી હતી. જ્યારે મકાન માલિકો સરજુ વજુભાઈ રાઠોડ અને નીતા સરજુભાઇ રાઠોડ જેઓ ઘટના સમયે હાજર નહોતા સહિત ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65 એ, બી, સી, ડી, ઈ, એફ, 81, 116 બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી શહેરને એક ઐતિહાસિક અને રોમાંચક કાર્યક્રમની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યો છે. જેમાં ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઇવ પરફોર્મન્સ માણવાની પણ તક મળશે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં વધુ એક રોમાંચક આકર્ષણનો ઉમેરો થયો છે. રવિવારના રોજ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઇવ પ્રદર્શન પણ થશે. આ ટીમના જાંબાઝ જવાનો ઉડતા એરક્રાફ્ટમાંથી આશરે 8000 ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવશે, જે દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તારમાં રવિવાર 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે આ કાર્યક્રમ યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે તા. 06-12-2025ને શનિવારના સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે. આ કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી. શનિવારના રોજ યોજાનારા ફૂલ ડ્રેસ રિહર્સલમાં સવારે 10:00 કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે. મુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહેશે. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેર માટે ગૌરવનો વધુ એક ક્ષણ ઉમેરાતા તા. 06 અને 07 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેશે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેક વાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે ઓળખાય છે. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચૂકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવશે. નાગરિકોને કાર્યક્રમ નિહાળવામાં સરળતા રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો ઊભા રહીને કે ભારતીય બેઠક કરીને સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઇટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાશે. શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઊભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઇવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે. આ ઉપરાંત, તા. 06 અને 07 ડિસેમ્બર એમ, બે દિવસ સુધી અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં બપોરના 12 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરફોર્સના સાધનો અને શસ્ત્રો નિહાળી શકાશે. આ બે દિવસ દરમિયાન લોકો ભારતીય વાયુસેનાના 'ગરુડ સ્પેશિયલ ફોર્સ' વિશે પણ માહિતી મેળવી શકશે, જેનું ગઠન 2004માં થયું હતું. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઇ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન અને કુદરતી આપત્તિમાં રાહત તથા બચાવ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષા છે. કાર્યક્રમને સુચારુરૂપે પાર પાડવા માટે અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ 7 (A થી G) વ્યુ પોઈન્ટ અને કુલ 8 પાર્કિંગ પ્લોટ (પાર્કિંગ B, C અને D રિઝર્વ પાર્કિંગ તેમજ પાર્કિંગ A, E, F, G, H જનરલ પાર્કિંગ) નક્કી કરવામાં આવેલ છે. સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગો નક્કી કરવામાં આવ્યા છે: કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ. જાહેર સલામતી માટે લોકોને BRTSના રસ્તા ખાલી રાખવા અપીલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા અને દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ઇવેન્ટ રાજકોટને દેશના નકશા પર નવી ઓળખ આપશે. તો વધુમાં વધુ લોકોને આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવા રાજકોટ મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં પોલીસના 'પટ્ટા ઉતારવા'ના નિવેદન બાદ હવે તેઓ કથિત બુટલેગર સાથેના સંબંધો મુદ્દે ઘેરાયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. ધારાસભ્ય વિરુદ્ધ તેમની બુટલેગર સાથેની સાંઠગાંઠ દર્શાવતા પોસ્ટરો વાયરલ થયા છે. આ પોસ્ટરોમાં વાંસદા પોલીસે પકડેલા ભીનાર ગામના બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથે અનંત પટેલના કથિત સંબંધો હોવાનો આક્ષેપ કરાયો છે. આ આક્ષેપોને સમર્થન આપતા એક કોલ રેકોર્ડ પણ વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા એક મહિનામાં બુટલેગર અભિષેકને 29 વખત ફોન કર્યા હતા. આ ઉપરાંત, બુટલેગર અભિષેક દ્વારા ધારાસભ્ય અનંત પટેલની કાર સાથે પડાવેલો એક ફોટોગ્રાફ પણ વાયરલ થયો છે. આ મામલે અનંત પટેલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, હું મારા ડ્રાઇવરના આવવાનો સમય જાણવા માટે આ ભાઈને ફોન કરું છું, બુટલેગરને નહીં. તેમણે આ પ્રયાસોને ભાજપ IT સેલ દ્વારા તેમને બદનામ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા. ધારાસભ્યના 'પોલીસના પટ્ટા ઉતારવા'ના નિવેદન સામે બુટલેગર સાથેના તેમના કથિત સંબંધોના વાયરલ પોસ્ટરોએ ચર્ચા જગાવી છે. વાંસદા ભાજપના મહામંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે. ડૉ. લોચન શાસ્ત્રીએ પણ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યું કે, પોલીસના પટ્ટા છોડાવવાની વાત કરનારા વ્યક્તિ જ બુટલેગર સાથે કનેક્શન ધરાવે છે. વિપક્ષ ભાજપે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પાસે વાંસદાની જનતાને તાત્કાલિક જવાબ આપવાની માંગ કરી છે. આ પણ વાંચો: 'વાસદાના ધારાસભ્ય બુટલેગરો સાથે કનેક્શન ધરાવે છે':સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ
AAP 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજશે:ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે કાર્યક્રમની જાહેરાત
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 7 ડિસેમ્બરે અમરેલી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે યોજાનારી આ મહાપંચાયતની જાહેરાત કરવા માટે આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાશે. આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારી, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી અને લોકસભા ઇન્ચાર્જ કાંતિ સતાસિયા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લાની ટીમ અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના મુદ્દે મહાપંચાયતો યોજી રહી છે. અમરેલીમાં યોજાનારી આ મહાપંચાયત પહેલાં બોટાદમાં રાજુભાઈ કરપડાએ કડદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ સુદામડા ગામે પણ કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સુદામડા મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીએ તમામ લોકસભા મતવિસ્તારોમાં કિસાન મહાપંચાયત યોજવાનું આહવાન કર્યું હતું. તે અંતર્ગત અમરેલીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે અને તેઓ સ્વયંભૂ ટ્રેક્ટરો ભરીને મહાપંચાયતમાં જોડાશે. સાવલિયાએ તમામ ખેડૂતોને આ મુહિમમાં જોડાઈને સરકારને જાગૃત કરવા અપીલ કરી હતી.
દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે. માત્ર સાત દિવસના ગાળામાં શહેરના બે અલગ-અલગ વિસ્તારો ઈચ્છાપુર અને સચિનમાંથી તાજી જન્મેલી બે ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ બંને માસૂમ બાળકીઓ કડકડતી ઠંડીમાં ત્યજાયેલી મળી હતી. કમનસીબે બંનેના મોત નીપજ્યા છે. સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો તાજેતરની અને વધુ હૃદયદ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે. અહીં નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે, જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી. જનેતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ CCTVની તપાસઘટનાની જાણ થતા જ સચિન પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ અમાનવીય કૃત્ય કરનારને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે, જેથી કડી મળી શકે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, પરંતુ હવે બીજી બાળકીનું મૃત્યુ થતા શહેરમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. 28 નવેમ્બરની મોડીરાતે જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકી મળી હતી રોજ સચિનની ઘટનાના ઠીક સાત દિવસ પહેલા એટલે કે, 28 નવેમ્બરના રોજ ઈચ્છાપુરના જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ બનાવ બન્યો હતો. અહીંથી પસાર થતા સ્થાનિક લોકોએ અચાનક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. ખુલ્લી જગ્યામાં ત્યજેલી હાલતમાં મળી આવેલી આ બાળકીની નાજુક સ્થિતિ જોઈને સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઈચ્છાપોર પોલીસે સમય વેડફ્યા વિના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) વિભાગમાં દાખલ કરી હતી. જોકે, બાળકીની તબિયત વધુ લથડતા બે દિવસ પહેલા જ આ માસૂમે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચવા ક્લિક કરો)
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા માટે નિર્માણ પામેલા અનેક પેટા આરોગ્ય કેન્દ્રો લોકાર્પણના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. આ કેન્દ્રો તૈયાર હોવા છતાં ગ્રામજનોને તેનો લાભ મળી રહ્યો નથી, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બોડેલી તાલુકામાં અંદાજે ૧૦ જેટલા પેટા આરોગ્ય કેન્દ્રો તૈયાર હોવા છતાં નિષ્ક્રિય પડ્યા છે. નાના અમાદરા ગામમાં આવેલું પેટા આરોગ્ય કેન્દ્ર પણ તૈયાર છે, પરંતુ ગામના લોકોને આજે પણ ચાર કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર સુધી જવું પડે છે. ગામના લોકો અને સરપંચ આ કેન્દ્રોના લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે. બોડેલી તાલુકાના કાશીપુરા ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ત્યાં પણ તાળા લટકી રહેલા જોવા મળ્યા હતા. આ તાળા કટાઈ ગયા હોવા છતાં તેનું લોકાર્પણ થયું નથી. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, કોઈ સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડે તો તેને ત્રણ કિલોમીટર દૂર લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી પડે છે. ગ્રામજનો સરકારની સેવાઓનો લાભ ગામમાં જ મળે તેવી ઝડપી લોકાર્પણની માંગ કરી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તેમના જ ગામમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે, જેના માટે સરકાર લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જોકે, અધિકારીઓની ઉદાસીનતાને કારણે આ સુવિધાઓનો લાભ લોકોને મળી રહ્યો નથી. હાલમાં જ્યાં પેટા આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, તે સુમસાન ભાસી રહ્યા છે. પેટા આરોગ્ય કેન્દ્રોની આસપાસ ઝાડી-ઝાખરા ઉગી નીકળ્યા છે અને બંધ દરવાજા પર લટકેલા તાળા કટાઈ રહ્યા છે. માત્ર રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવે તેની જ રાહ જોવાઈ રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી ૩૧ ડિસેમ્બર સુધીમાં આ પેટા આરોગ્ય કેન્દ્રો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લા મૂકવામાં આવનાર છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. તે પહેલા રાજકારણ ગરમાયું છે. બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ હરીફ RBA પેનલના સભ્યો સામે ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, જેના કારણે વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જોષીએ આક્ષેપ કર્યો છે કે, થોડા દિવસો પહેલા યોજાયેલા એક લીગલ સેમિનારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને 400 વકીલો પાસેથી રૂ. 2500 જેટલી મોટી ફી વસૂલવામાં આવી હતી. આ સિવાય, લો કોલેજોની પાસેથી પણ જંગી રકમ એટલે કે રૂ. 16 લાખ ઉધરાવવામાં આવ્યા હોવાનો સણસણતો આરોપ તેમણે લગાવ્યો છે. જોકે સામાપક્ષે બાર કાઈલઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં કો-ચેરમેન દિલીપ પટેલ અને બાર એસો.નાં પ્રમુખ પરેશ મારૂએ આરોપોને ફગાવ્યા હતા. અને જીજ્ઞેશ જોષી સામે વળતા પ્રહારો કર્યા હતા. રાજકોટ બાર એસોસિએશનનાં પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ આ આક્ષેપો કરતી વખતે આયોજકોના નામ પણ લીધા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ આયોજન સાથે સંકળાયેલા દિલીપ પટેલ, બારના વર્તમાન પ્રમુખ પરેશ મારૂ અને સુમિત વોરાએ આ રૂપિયા લીધા છે. જોષીએ જણાવ્યું કે, બાર એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ વકીલ સભ્યોના હિત માટે કામ કરવાનો હોય છે, નહીં કે તેમની પાસેથી કે લો કોલેજો પાસેથી ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલવાનો. વધુમાં તેમણે જણાવ્યું કે, એક તરફ વકીલો પાસેથી રૂ. 2500 જેવી માતબર ફી લેવામાં આવી અને બીજી તરફ લો કોલેજો પાસેથી રૂ. 16 લાખ જેવી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી. આમ વકીલોના નામે નાણાં ઉઘરાવવાનો આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને આ મામલે સભ્યો દ્વારા ચોક્કસપણે જવાબ માંગવો જોઈએ. આ મહત્વનું સત્ય ચૂંટણી પહેલા બહાર આવવું જરૂરી હતું. જેથી વકીલો સાચા અને ઈમાનદાર પ્રતિનિધિઓને ચૂંટી શકે.આ પ્રકારના ગંભીર આક્ષેપો બારની ચૂંટણી પહેલા જ લાગતા RBA પેનલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને ચૂંટણીનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે દિલીપ પટેલ અને પરેશ મારૂનો પલટવાર રાજકોટ બાર એસોસિએશન (RBA) પેનલના ઉમેદવારો સામે પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોષી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપ પટેલે અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારૂએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને ચૂંટણી ટાણેનું 'ગંદુ રાજકારણ' ગણાવીને આક્ષેપ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. દિલીપ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વકીલો માટે જે સેમિનાર યોજાયા હતા, તેમાં કોઈપણ દાન આવ્યું હોય, તો તે બેંક ખાતામાં જ આવ્યું છે અને તેના તમામ હિસાબો તેમની પાસે ઉપલબ્ધ છે. જો કોઈ ખોટું થયું હોય કે કોઈને દબાવીને દાન લેવામાં આવ્યું હોય તો તે લોકોએ ફરિયાદ કરવી જોઈએ. આ મામલે RBA પેનલ દ્વારા જીગ્નેશ જોષીને નોટિસ પણ આપવામાં આવી છે. જીગ્નેશ જોષીને અગાઉ પેપરમાં ચોરી કરાવવા મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદાકીય તમામ લડાઈ લડવામાં આવશે. તો સાથે જ આરોપોને સાબિત કરવાની ચેલેન્જ પણ તેમણે આપી હતી. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારૂએ આ આક્ષેપોને સાવ પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધું તો ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવારોની છબી ખરાબ કરવા માટેનું ષડયંત્ર છે. જીગ્નેશ જોષી સામે અગાઉ પણ ચોરીના કેસ થયેલા છે અને તે સસ્પેન્ડ પણ થયેલ છે, આથી આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ બધું તો ચૂંટણી ટાણે એક ગંદુ રાજકારણ ચાલુ થયું છે. જે ચલાવી લેવામાં આવશે જ નહીં. બારની ચૂંટણીનું રાજકીય સમીકરણ અને પેનલો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે બે મુખ્ય પેનલો મેદાનમાં છે.જેમાં સમરસ પેનલને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલનું સીધું સમર્થન છે. જ્યારે બીજી RBA પેનલને પણ ભાજપના જ એક અગ્રણી નેતા અને આક્ષેપમાં નામ લેવાયેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં કો-ચેરમેન દિલીપ પટેલનું સમર્થન છે. આમ, બાર એસો.ની ચૂંટણીમાં બે મુખ્ય પેનલો આમને-સામને છે, જેમાંથી બંનેને ભાજપના જુદા-જુદા જૂથોનું સમર્થન મળેલું છે. બંને પક્ષોનાં આરોપો-પ્રતિઆરોપોથી ચુંટણી દરમિયાન રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હેઠળ કામ કરતી રાજકોટ બાર એસોસિએશન વકીલોના હિતોનું રક્ષણ કરવા અને ન્યાય પ્રણાલીની ગરિમા જાળવવા માટે જવાબદાર છે. આવા સમયે જ્યારે તેની ચૂંટણી પહેલા જ આટલો મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે, ત્યારે તેની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. વિવાદને લઈ ચૂંટણી પરિણામો અને વકીલોના મતદાન પર મોટી અસર પડી શકે છે. જોકે સામાપક્ષે પણ વળતો પ્રહાર કરી તમામ આક્ષેપો ફગાવ્યા છે. અને આરોપો સાબિત કરવાની ચેલેન્જ આપી છે. ત્યારે હવે વકીલો કઈ પેનલને સપોર્ટ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સંસદસભ્યો 4થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન બનાસકાંઠા સ્થિત બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા 'સહકારી મોડેલ’ દ્વારા ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિમાં અપાયેલા યોગદાનને દર્શાવવાનો છે. આ પણ વાંચો, આજથી અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં:ગાંધીનગરમાં અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું-ગામડાઓને બાજુમાં રાખી દેશનો વિકાસ શક્ય નથી સહકારિતા મંત્રાલયની સમિતિ દ્વારા પ્રગતિની સમીક્ષાઅમિત શાહના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયની સલાહકાર સમિતિ આ પ્રવાસ દરમિયાન ડેરી વિકાસ, પરિપત્ર અર્થતંત્ર, કૃષિ મૂલ્ય સંવર્ધન, પશુધન ઉત્પાદકતા, જળ સંરક્ષણ અને ગ્રામીણ સહકારી સશક્તિકરણના ક્ષેત્રોમાં બનાસ ડેરી દ્વારા કરવામાં આવેલી વિવિધ પહેલોની સઘન સમીક્ષા કરશે. સહકારિતા રાજ્ય મંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોળ, તેમજ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રવાસમાં જોડાશે. 6 ડિસેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા સ્થિત બનાસ ડેરી પરિસરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની ત્રીજી બેઠક યોજાશે, જેમાં ‘સહકારી ડેરી વિકાસ’ સંબંધિત વિવિધ પહેલો પર સમીક્ષા કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન6 ડિસેમ્બર, 2025ના રોજ અમિત શાહ સણાદરમાં આયોજિત જનસભામાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ નીચેના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. અગથાળા ખાતે બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પરિપત્ર અર્થતંત્રની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ખેડૂતોની આવક વધારવાની સાથે સાથે સ્વચ્છ ઊર્જા ઉત્પાદનમાં પણ યોગદાન આપશે. સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે. સંસદસભ્યો દ્વારા વિવિધ સુવિધાઓનું નિરીક્ષણપ્રવાસ દરમિયાન સંસદસભ્યો વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે પાલનપુર મુખ્યાલય: અહીં ચીઝ, યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ જેવી અત્યાધુનિક પ્રક્રિયા સુવિધાઓની મુલાકાત લેશે. જ્યાં વે-પ્રોટીન રિકવરી દ્વારા હાઇ-પ્રોટીન લસ્સી, છાશ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. રૈયા: અહીં પશુધન-કેન્દ્રિત પહેલોની સમીક્ષા કરવા માટે ડામા સીમેન સ્ટેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર લેબની મુલાકાત લેશે. ડીસા: જમીની સ્તરની સહકારી સંસ્થાઓની ભૂમિકા સમજવા માટે 5 ડિસેમ્બર, 2025ના રોજ ડીસાના શેરપુરા ગામની ડેરી સહકારી સમિતિ (VDCS)ની મુલાકાત લેવામાં આવશે. થરાદ: બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબની સમીક્ષા કરશે. પર્યાવરણીય પહેલો: સંસદસભ્યો ઝેરડા ગામના અમૃત સરોવરની પણ મુલાકાત લેશે, જે બનાસ ડેરી દ્વારા વિકસાવવામાં આવેલા 319 અમૃત સરોવમાંનું એક છે. પર્યાવરણીય સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા, લૂણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે.
વડોદરા બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI ICAIની AI કમિટી દ્વારા અને આણંદ, ભરુચ ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ અને વાપી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે AI ઇનોવેશન સમિટ ગુજરાત 2025 નેવિગેટીંગ ધ ફ્યુચરની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે, વડોદરાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ઓડિટોરિયમ ખાતે આ કોન્ફરન્સ શરૂ થઈ છે. જેમાં દેશભરમાંથી અંદાજે 800 જેટલા સીએ ઉપસ્થિત રહ્યા છે. ICAI બરોડા ચેપ્ટરના ચેરમેન દ્રુવિક પરીખે જણાવ્યું હતું કે, આજની કોન્ફરન્સ એઆઇ ઇનોવેશન સમિટ છે. AIનો ભવિષ્યમાં સીએ ફિલ્ડમાં કેટલો ફાયદો થશે, તેની ચર્ચા માટે આજની કોન્ફરન્સ યોજાઇ છે. ભવિષ્યમાં સીએના ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરીને કામ સરળ અને ઝડપી બનશે. ICAI બરોડા ચેપ્ટરના પૂર્વ ચેરમેન રિકિન પટેલે જણાવ્યું હતું કે, 51 શહેરમાંથી સીએ આજની કોન્ફરન્સમાં આવ્યા છે. AI કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેન હાજર રહ્યા છે. જે લોકો હાજર રહી શક્યા નથી, તેઓ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા છે. અમે એક વર્ષથી AIની તૈયારી કરી રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 32 હજાર જેટલા CAને AIની સર્ટીફિકેટ કોર્સની ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને આ બે દિવસના કાર્યક્રમ એ AI માટે જ છે. AI lને કેવી રીતે અડોપ્ટ કરવુ અને અમારા કામમાં કેવી રીતે વાપરવું તેની ટ્રેનિંગ આપી રહ્યા છીએ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 4 માર્ચે ધૂળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્વોનું બોર્ડનું પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઇમેટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતા વાલીઓ અસમંજસમાંધૂળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજtઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. આ પણ વાંચો: ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ, સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 3 નવેમ્બરના આગ લાગી હતી. જેને પગલે બીજા દિવસે ભાવનગર ફાયર વિભાગની ટીમો શહેરની હોસ્પિટલમાં ચેકીંગ અર્થે નીકળી છે. અને બેઝમેન્ટ પડેલ સામાન અને અપૂરતી ફાયર સુવિધા હોઈ તેવી હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને નોટિસો આપવામાં આવેલ છે. ફાયરની 3 ટીમે શહેરમાં ચેકિંગ હાથ ધર્યુંભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે ખાનગી કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. જેમાં બાળકો સહિત 19 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અને મોટી દુર્ઘટના ટળી હતી. જેને પગલે ગઈ કાલથી ફાયર વિભાગ જાગ્યુ અને કામે લાગ્યું છે. અને 3 અલગ અલગ ટિમો બનાવી શહેરમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 2 સબ ઓફિસર અને 1 ફાયરનો સ્ટાફની 3 ટિમ બનાવી કુલ 9 લોકોની ટિમે શહેરી વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી છે. હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ના હોવાથી નોટિસફાયર વિભાગની 3 ટિમો દ્વારા શહેરની હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફટીનાં સાધનો જેવા કે, ફાયર એક્ષ્ટીંગ્યુસર ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ સ્મોક ડિટેક્ટર એલાર્મ સિસ્ટમ ઇમરજન્સી એકિઝટ, ઇમરજન્સી લાઇટીંગ, સ્ટાફ ટ્રેનિંગ તથા અન્ય સુરક્ષા સુવિધાઓની વિગતવાર તપાસ કરવામાં આવેલ, જે હોસ્પિટલોની ફાયર સેફટીની સુવિધામાં ખામી સામે આવેલ અને બેઝમેન્ટમાં પડેલ કોઈ સામન પડેલ હોવાનું સામે આવ્યું અને ટેરેસ પર સામાન મુકેલાનું સામે આવ્યું છે તેવા લોકો ને નોટીસો પાઠવવામાં આવેલ છે. 5 એકમોને નોટિસ ફટકારીજેમાં ફાયર વિભાગના ચેકીંગના પ્રથમ દિવસે સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષ, આયુષપ્લાઝા કોમ્પલેક્ષ અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષને નોટીસ પાઠવવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવેલ તમામ લોકો ને 8 થી 10 દિવસની અંદર તમામ સુવિધા પૂરી કરવી અને લેખિતમાં ફાયર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ. 'જ્યાં જોખમ હોય છે ત્યાં જય અને ચેકિંગ કરીએ છીએ'આ અંગે ફાયર સબ ઓફિસર કરણ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે દિવસથી આગ બનાવ પછીથી અને વિવિધ ક્ષેત્રોમાં જ્યાં ઇન્સ્ટિટયૂસનલ બિલ્ડીંગ છે. જ્યાં મોટી ઇમારતો છે. જ્યાં જોખમ હોય છે. બેઝમેન્ટ છે. કે ત્યાં જય અને ચેકિંગ કરીએ છીએ. અમારી સીટીની અંદર વિવિધ ત્રણ ટીમો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે તપાસ કરી રહી છે. જે પણ જગ્યાએ અમને એવી જગ્યા મળે છે. ત્યાં અમે જઈને નોટિસ આપીએ છીએ. અને તે સામાન છે. તે દૂર કરવા માટે વિઝિટ કરીએ છીએ. આઠ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ તપાસ તેને વધુમાં કહ્યું, અમે ગઈકાલ ટોટલ આઠ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરેલી હતી અલગ અલગ ટીમો દ્વારા જેની અંદર જે જે જગ્યાએ ખામી દેખાણી ત્યા અમે નોટિસ ફાળવેલી છે. નોટિસની અંદર અમે અત્યારે હાલ તો પાંચ દિવસનો ટાઈમ આપીએ છીએ. તેની અંદરથી જો અમને બેઝમેન્ટની અંદર જે કાંઈ વધારાની વસ્તુ વધારાનું સ્ટ્રક્ચર જોવા મળે એ અને દૂર કરવા માટે અમેં કીધેલું છે. અને ફાયરની સિસ્ટમમાં જે કાંઈ ખામીઓ અમને જોવા મળે છે. તે અમે પૂરતા કરવા માટે ટાઈમ આપેલો છે.
નવસારી ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હોય એવા દૃશ્યો સામે આવ્યા છે. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે આશાપુરી મંદિર સર્કલ પાસે યોજાયેલા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ સ્મારક ભૂમિ પૂજન કાર્યક્રમમાં જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખને વિજલપોર વિધાનસભા વિસ્તારમાં દખલગીરી ન કરવાની હસતા હસતા સલાહ આપી હતી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. 'અમારે માટે એટલું ઈનફ છે'કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પટેલે પોતાના સંબોધનમાં વ્યંગાત્મક રીતે જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને કહ્યું કે, તમે વિજલપુરની ચિંતા નહિ કરતા અમે અમારું ફોડી લેહું, તમે નવસારીનું ફોડી લેજો. ધારાસભ્યના આ નિવેદન પર સ્ટેજ પર ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જવાબ આપ્યો કે, મને તો આખા જિલ્લાની જવાબદારી આપી છે. જેના પ્રત્યુત્તરમાં ધારાસભ્ય પટેલે તરત જ કહ્યું, મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી એનો સવાલ નહિ, પણ અત્યારે અમને વિજલપુરની જવાબદારી આપો, અમારે માટે એટલું ઈનફ છે. આ વિવાદિત સ્પીચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી હતીઆ પહેલો કિસ્સો નથી જ્યારે ધારાસભ્ય આર.સી. પટેલે જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હોય. અગાઉ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે પોતાના સ્ટેટસમાં ધારાસભ્ય આર.સી. પટેલનો ફોટો ન મૂકતા, ધારાસભ્યએ આ મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો હતો, જે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. પોતાના સંબોધનમાં ધારાસભ્ય પટેલે રાજપૂત સમાજ અને કોળી સમાજ સહિત તમામ સમાજોને એકજૂટ રહેવા અને આંતરિક વિખવાદોને દૂર કરવાની અપીલ પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજ અકબંધ રહે તો જ નેતાઓ ટકી શકે છે.
સંતરામપુરમાં કારમાંથી ₹6.97 લાખનો દારૂ-મુદ્દામાલ જપ્ત:એક આરોપી ઝડપાયો, પોલીસની વધુ તપાસ શરૂ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાંથી ₹2.82 લાખથી વધુનો દારૂ અને કુલ ₹6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ વાંકાનાળા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હોન્ડા જાઝ કાર (નંબર GJ-01-RM-7093) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. બાતમીવાળી કાર સ્થળ પર આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી ભગાવી દીધી હતી. પોલીસે તરત જ પીછો કરી ઝાલા પાદેડી ગામ નજીક કારને રોકાવી કારચાલક અર્જુન રામસિંહ રાજપૂત (રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતા તેના ગુપ્ત ખાનાઓમાંથી કુલ 880 ક્વાર્ટર (180 ml) ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,82,880 છે. આ ઉપરાંત, આરોપી પાસેથી ₹15,000નો મોબાઈલ ફોન અને ₹4,00,000ની હોન્ડા જાઝ કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ₹6,97,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીને સંતરામપુર પોલીસ સ્ટેશન લાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદમાં મહિલાઓને કાયદાકીય અધિકારો અને કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવા એક મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GSDM) દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસિસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. અધિકારીઓએ આ અધિનિયમની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, જાતીય, ભાવનાત્મક અને આર્થિક હિંસા સહિત તમામ પ્રકારની હિંસાથી તેમનું રક્ષણ કરવાનો છે. મહિલાઓને જણાવવામાં આવ્યું કે પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન કે કોર્ટના લાંબા ચક્કરમાં પડ્યા વગર પણ તાત્કાલિક સહાય મેળવી શકે છે. આ તાત્કાલિક મદદમાં આશ્રય, તબીબી સહાય અને કાઉન્સેલિંગનો સમાવેશ થાય છે. આવી મદદ મેળવવા માટે મહિલાઓ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન-સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને શી ટીમનો સંપર્ક કરી શકે છે. ઘરેલું હિંસા અધિનિયમ ઉપરાંત, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે પણ મહિલાઓને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં 1098 હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ હેલ્પલાઇન દ્વારા ચિંતિત બાળકો તેમજ જરૂરિયાતમંદ પુખ્ત વયના વ્યક્તિઓ કઈ રીતે મદદ મેળવી શકે તેની માહિતી આપવામાં આવી, જેણે કાર્યક્રમને વધુ વ્યાપક બનાવ્યો. આ માર્ગદર્શન કાર્યક્રમ બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થયો છે, જેનાથી મહિલાઓ તેમના અધિકારો પ્રત્યે વધુ જાગૃત બનશે અને જરૂરિયાત સમયે યોગ્ય મદદ મેળવી શકશે.
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તે પહેલાં હવે બ્રહ્મ સમાજ સરકાર સામે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના મંડાણ પણ સૌરાષ્ટ્રના પોલિટિકલ હબ ગણાતા રાજકોટથી થવા જઈ રહ્યા છે. શહેરમાં 7 ડિસેમ્બરના ગુજરાત બ્રહ્મદેવ સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ શક્તિ પ્રદર્શનમાં રાજ્યના 34 જિલ્લાના 254 તાલુકાના બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે આ સંમેલનથી સરકાર અને વિપક્ષ દ્વારા કયા પ્રકારની રણનીતિઓ અપનાવવામાં આવે છે. ગુજરાતના બ્રહ્મદેવ સમાજનું મહાસંમેલન 7 ડિસેમ્બરના સાંજે 4 થી 7 વાગ્યા સુધી રાજકોટમાં અટલ સરોવરના અટલ પાર્ટી પ્લોટ ખાતે મળી રહ્યું છે ત્યારે તે પહેલા બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણના મુદ્દે અમારું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કર્મકાંડી બ્રાહ્મણો, દેવસ્થાનો અને EWS ને લગતી અમારી જે પડતર માંગણીઓ છે તેને રજૂ કરી શકે તે માટે શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બરના મળવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ સમાજના 31 તરગોળ ઉપસ્થિત રહ્યા છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ. 34 જિલ્લાના 254 તાલુકામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર રહેવાના છે. વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે. એક પક્ષને એવું લાગી રહ્યું છે કે આ અમારી વોટબેંક છે તો ક્યાં જવાના છે ત્યારે બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી. જેને કારણે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય તે મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાત બ્રહ્મ સમાજને એવી લાગણી છે કે અમારું રાજકીય પ્રતિનિધિત્વ નથી. વ્યક્તિગત કોઈને આપતા હોય તો તેની સામે અમને વાંધો ન હોઈ શકે પરંતુ બ્રહ્મ સમાજના પ્રતિનિધિ કે જે સમાજ સાથે કનેક્ટ હોય તેવા કોઈ પ્રતિનિધિઓ હાલની સરકારમા અમને દેખાતા નથી. હાલ અમે કોઈ રાજકીય આગેવાનને આમંત્રણ આપેલું નથી આ બ્રહ્મ સમાજને એકજૂટ કરી અને વેરવિખેર બ્રહ્મ સમાજને એક કરવાનો આ પ્રયાસ છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગના બે વિદ્યાર્થીઓ મોનક હઠિલા અને હેતલ પરમારની રાજ્ય કક્ષાના આપણી સરહદ ઓળખો 2025-26 કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભૂજ દ્વારા આયોજિત છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને દેશની સરહદો વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પામેલા યુવાનોએ કચ્છ-ભૂજ સરહદ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સરહદ સુરક્ષા દળોની કામગીરીથી વાકેફ થયા હતા. 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનો માટે યોજાતી આ શિબિરમાં શારીરિક ક્ષમતા અને મેડિકલ ફિટનેસના આધારે પસંદગી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી કુલ 100 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના આ બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓની પસંદગી બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને રાજ્યશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક સક્ષમતા અને વાલીની સંમતિ સાથે આ સાહસિક પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દસ દિવસના આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કચ્છના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ભુજ દર્શન (આઈના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર), રુદ્રમાતા જાગીર, મેકરણ દાદા, ગાંધી ગામ, ધોળાવીરા, ઐતિહાસિક લખપત કિલ્લો, ગુરુદ્વાર, પ્રાચીન દરગાહ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, અંબે ધામ મંદિર, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, ગાંધી સમાધિ, જેસલ તોરલ સમાધિ, મોમાઈ મોરા મંદિર જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે સરહદી વિસ્તારો જેવા કે કાળા ડુંગર, કુરન, ઇન્ડિયા બ્રિજ, હરદોઈ પોસ્ટ, ઝીરો લાઇન સીમા દર્શન, નળાબેટ સીમા દર્શન અને BSF પરેડ તથા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. કુદરતી સૌંદર્યમાં સફેદ રણ, ધીણોધર પર્વતારોહણ, જખો બંદર, માંડવી બીચ અને દરિયાકાંઠાનું પરિભ્રમણ પણ સામેલ હતું. વિદ્યાર્થીઓને કચ્છી ગ્રામ્ય જીવન, સાગર ખેડૂતો સાથે મુલાકાત અને વાગડ લોક સંસ્કૃતિનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું એક પ્રતિનિધિમંડળ આજે બનાસ મોડલની મુલાકાત લઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળે અંબાજી ખાતે માઁ અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ વાવ-થરાદ જિલ્લાના સણાદર સહિત બનાસકાંઠાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી, બનાસ ડેરી ખાતે ચીઝ, UHT અને પ્રોટીન પ્લાન્ટની મુલાકાત લેશે. આ ઉપરાંત, બનાસ મેડિકલ કોલેજ મોરિયા, બાદરપુરા પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન સ્ટેશન અને બાયો-સીએનજી પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવશે. પ્રતિનિધિમંડળ વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ઝેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત લેશે. ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથળા બાયો-સીએનજી પ્લાન્ટની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે. થરાદ સ્થિત બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબ અને સણાદર ડેરી ખાતેના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લઈને માહિતી મેળવવામાં આવશે. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સહકાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. બનાસ મોડલ દેશભરમાં જાણીતું બન્યું છે. બનાસકાંઠાના 5 લાખ પશુપાલકો બનાસ ડેરીના સહયોગથી દૂધ ઉત્પાદન અને અન્ય વ્યવસાયો દ્વારા આત્મનિર્ભર બન્યા છે.
સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે, થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોંક્રીટ તૂટી ગયુંપ્રાપ્ત માહિતી અનુસાર, અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના મધ્યભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી છે. આ તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોંક્રીટ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે. સ્થાનિકોના મતે, આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઈજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે. બ્રિજને રિપેરિંગ માટે એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતોઆ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે, થોડા સમય અગાઉ જ આ બ્રિજને મહત્ત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી. લાંબા સમય સુધી વાહનવ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા આ રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાય, તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી, તેવા પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે. સળિયા દેખાવા બ્રિજની માળખાકીય સલામતી માટે જોખમી સંકેતસુરતનું સીટી લાઈટ જંકશન અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે. દિવસ દરમિયાન હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. પિલરમાં સળિયા દેખાવા અને તિરાડો પડવી એ બ્રિજની માળખાકીય સલામતી માટે જોખમી સંકેત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની નિષ્ણાત ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂર છે. ઇન્સ્પેક્શનમાં બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા જણાયા હતાસુરતના અણુવ્રત ફ્લાયઓવર બ્રિજ જે 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલાં પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું. આ સર્વે દરમિયાન, પાલિકાના પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યું હતું. 2016માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ અને PMCની કામગીરી પર સવાલોસામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનતા બ્રિજની આયુષ્યમર્યાદા 20થી 25 વર્ષની હોવી જોઈએ. ત્યારે, માત્ર 9 વર્ષમાં જ આ બ્રિજને રૂ. 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવામાં આવ્યો હતો. બ્રિજનું CC સ્ટ્રક્ચર ડેમેજ હોવાનું બહાર આવ્યું હતું. રૂ. 55 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત થતો હોય, તો તેના નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી (રણજીત કન્સ્ટ્રક્શન, જે શહેરમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે), અધિકારીઓ અને PMC (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ)ની કામગીરી પર સવાલો ઉભા થાય છે. આ પણ વાંચો: અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો
પોરબંદરનો લાલશાહી આરોપી 6 વર્ષે ઝડપાયો:ઠગાઈ અને એટ્રોસિટી કેસમાં વૈભવ બબન નલાવડે મુંબઈથી પકડાયો
પોરબંદર કમલાબાગ પોલીસે છ વર્ષથી ફરાર લાલશાહી આરોપી વૈભવ બબન નલાવડેને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પર ઠગાઈ, ખોટા દસ્તાવેજો બનાવવા અને એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓનો આરોપ છે. આરોપી વૈભવ નલાવડે વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 74/2019 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5-1) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોરબંદરનો મૂળ રહેવાસી હોવા છતાં મુંબઈના કલ્યાણ, થાણે જિલ્લામાં આવેલા શંખેશ્વર પ્લેટિનિયમ ટાવરના રૂમ નંબર 1402માં રહેતો હતો. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને ઝડપી પાડ્યો હતો અને કમલાબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ સફળ કાર્યવાહી અંગે સદર ગુનાના મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલને પણ જાણ કરવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે છ વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢવો એ પોલીસ માટે એક મોટો પડકાર હતો, જે ટીમના સમર્પણ અને સઘન પ્રયાસોથી સફળ બન્યો.
રાજકોટના જસદણમાં પ્રતાપપુર ગામે પૂર્વ પત્નીના પતિની ઘાતકી હત્યા નિપજાવવાના ગુનામાં 3 વર્ષ બાદ પતિને શેસન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને રૂ. 15000 નો દંડ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં પતિ યશવંત મકવાણાએ પત્ની કોમલને છૂટાછેડા દીધા હતાં. જે બાદ પત્નીએ કમલેશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. જોકે તે લગ્નની બીજી જ રાત્રિના પૂર્વ પતિ યશવંત એ કમલેશની તેના ઘર પાસે જ છરીના ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી. પોતાની પત્નીને પરત લાવવા હત્યાનુ નક્કી કર્યું હતુંયશવંતે જૂન - 2022 માં પોતાના પત્નીને છુટાછેડા આપ્યા હતા. જે બાદ તેની પત્ની કોમલે કમલેશભાઈ મોહનભાઈ ચાવડા સાથે 15 ઓગસ્ટ, 2022ના રોજ લગ્ન કરી લીધા હતાં. જોકે આ લગ્નથી આરોપીને સારૂ ન લાગતા અને પોતાની પત્નીને પરત લઈ આવવા માગતા યશવંતે કમલેશની હત્યા કરવાનુ નક્કી કર્યું હતુ. 16 ઓગસ્ટે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યોજે બાદ તા.16 ઓગસ્ટ, 2022ના રોજ મોડી રાત્રીના સમયે આરોપી યશવંત કમલેશ ચાવડાના ઘરે પહોંચ્યો હતો અને તેને બહાર બોલાવી મકાનના નવેરામા ઉપરાછાપરી છરીના ઘા મારી તેનુ મૃત્યુ નિપજાવ્યું હતુ. આ સમયે કમલેશે દેકારો કરતા તેના ભાઈ અને બનેવી દોડી આવ્યા હતા અને બંનેએ હત્યાનો બનાવ નજરોનજર જોયેલો હતો. આ બાબતે કમલેશના ભાઈ વિનોદભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસના અંતે આરોપી યશવંત સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી. 22 સાક્ષીઓના નિવેદનો સામે ફક્ત 8 સાક્ષીઓની જુબાની આ કેસમા આરોપી તરફે રજૂઆત કરવામા આવી હતી કે, ફરીયાદ પક્ષે મરણજનારના મોત અંગે આરોપી વિરૂધ્ધ પૂરતા પુરાવા લાવવામાં આવ્યા નથી અને બનાવ નજરે જોનાર બન્ને કુટુંબીજનોમાથી ફકત એક ને જ સાક્ષી બનાવેલા છે. આ કેસમા 22 સાક્ષીઓના નિવેદનો હોવા છતા ફક્ત 8 સાક્ષીઓની જ જુબાની લેવામાં આવી છે. આ ઉપરાંત સાહેદોના નિવેદનોમા બનાવની ઘટનાને જે ક્રમમા દર્શાવવામા આવ્યા છે તેનાથી જુદા ક્રમમા જુબાની દરમ્યાન બનાવની ઘટના જણાવવામા આવેલી છે. આ સંજોગોમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવો જોઈએ. જોકે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોઈ પ્રસંગના ઘટનાક્રમને જુદા જુદા સમયે એક વ્યકિત ઉચ્ચારે તો પણ આવા ઘટનાક્રમના વર્ણનમા ફેર આવવો કુદરતી છે. કોર્ટમા જયારે જુબાની નોંધાતી હોય ત્યારે તેની સ્મરણશકિત કે બુધ્ધિમતાની પરીક્ષા નથી હોતી. કાયદાની જરૂરીયાત ફકત તેટલી જ છે કે ઘટનાક્રમની મહત્વની ઘટનાનો જુબાની દરમ્યાન ઉલ્લેખ થાય છે. આરોપીના કપડા પર મરણજનારના લોહીના ડાઘાઓ મળ્યાવકિલ એસ. કે. વોરાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત આરોપીના કપડા ઉપર મરણજનારના લોહીના ડાઘાઓ મળી આવેલા છે ત્યારે આરોપીએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો નથી. તે જ રીતે મરણજનારના ભાઈએ ફરીયાદ આપેલ છે તે ફરીયાદ હાલના આરોપી વિરૂધ્ધ કયા કારણોસર ખોટી આપેલ છે તે અંગે કોઈ જ કારણ દર્શાવેલ નથી. નજરે જોનાર સાક્ષીએ જુબાની દરમ્યાન એક ચોકકસ વર્ણન કરેલું હોય ત્યારે આરોપીએ જાતે જુબાની આપી સાહેદની જુબાની ન માનવાના કારણો દર્શાવવા જોઈએ. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ ત્રણ મહત્વના પરીબળોમાથી આરોપી કોઈ એક પણ પરીબળનુ ખંડન કરી શક્યા નથી. જેથી આરોપી સામેનો ગુન્હો પુરવાર માનવાનો રહે છે. કમલેશને હત્યા બદલ આજીવન કેદ અને 15 હજારનો દંડસરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે આરોપી યશવંત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. વડીયા મફતીયા પરા, અમરનગર રોડ, તા.વડીયા, જિ. અમરેલી)ને કમલેશભાઈ મોહનભાઈ ચાવડાની હત્યા બદલ આજીવન કેદની સજા સંભળાવી છે અને રૂ.15000 નો દંડ ફટકાર્યો છે.
ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. 7 ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), સેક્ટર–15 ગાંધીનગર ખાતે યોજાશે. ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભજિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. 7 ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર અને નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી થઈ રહ્યું છે. દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભ આશરે 450 કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું છે. તમામ દિવ્યાંગ ખેલાડીઓને આ મહોત્સવમાં ભાગ લેવા અપીલઆ સ્પર્ધાના વિજેતાઓ એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ખાસ કરીને, પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને રાજ્ય સ્તરના ખેલમહાકુંભમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળશે. આયોજકો દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગ ખેલાડીઓને આ મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ખેલાડીઓ નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંપર્ક નંબર 70168 35058 પર સંપર્ક કરવાનો રહેશે.
બોટાદના કાંગસિયા પરામાં ખુલ્લી ગટરનો પ્રશ્ન:ચાર વર્ષથી સમસ્યા, નગરપાલિકા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ
બોટાદ શહેરના કાંગસિયા પરા અને પકાશેઠની વાડી વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ખુલ્લી ગટરનો પ્રશ્ન સ્થાનિકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સેંકડો રહેણાંક મકાનો ધરાવતા આ વિસ્તારના રહીશો ગટર ઉભરાવવાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. રોડ-રસ્તાની ખરાબ હાલત અને ખાડામાં ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેમાં વાહનચાલકોને ઈજાઓ પણ પહોંચે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગટરના ગંદા પાણીને કારણે આસપાસના મકાનોમાં રહેતા બાળકો બીમાર પડી રહ્યા છે. નગરપાલિકા તંત્રમાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આજે સ્થાનિક લોકો એકત્ર થઈને ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ફરીથી માંગણી કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ પ્રશ્નનો ઝડપી ઉકેલ નહીં આવે, તો આગામી ચૂંટણી સમયે મત માંગવા આવતા કોઈને પણ આ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સ્થાનિક રહીશ વિરમભાઈ કાનજીભાઈ ગળોતરાએ આ અંગે માહિતી આપી હતી અને તંત્રને આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડામાં ફરી એકવાર સનસનાટી મચી છે. અહીંના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ કરતા બે અજાણ્યા નંબર પણ પોલીસના ધ્યાને આવ્યા છે. ફેક IDનું IP એડ્રેસ પાકિસ્તાનમાંથી બન્યું હોવાનું ખુલ્યુંધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેક્રેટરીએ જણાવ્યું કે, ગત તા. 7 જુલાઈના રોજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને તેઓ તેમના મત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર હતા, તે સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના ફોટો સાથે સંજય કોરડીયા નામનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. ફેક IDનો હેતુ ધારાસભ્યની છબીને નુકસાન પહોંચાડવાનો હતોઆ ફેક આઇડીનો ઉપયોગ કરીને ધારાસભ્યના ફોટો અને નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસરૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેનો હેતુ ધારાસભ્યની જાહેર છબીને નુકસાન પહોંચાડવાનો હતો. આ હકીકત સામે આવતા તુરંત જ હર્ષભાઈએ જૂનાગઢ એસઓજી (SOG)માં અરજી કરીને તપાસની માંગણી કરી હતી. એસઓજીની તપાસમાં ફેસબુક આઇડીની પ્રોફાઇલની વિગતો મેટા (Meta) પાસેથી મંગાવવામાં આવી હતી. તપાસમાં જે તથ્ય સામે આવ્યું તે મુજબ, આ ફેસબુક આઇડી પાકિસ્તાનમાંથી બનેલી હોવાની માહિતી મળી હતી. પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યાઆ સમગ્ર મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને ફેક આઈડી પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું અને તેમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર મળ્યા હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાન કનેક્શન અને બે શંકાસ્પદ નંબરો મળ્યા બાદ પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ માહિતીના આધારે સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ આજે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તે બંને અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેથી આ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચી શકાય. ભૂતકાળમાં પણ ધમકી અને ખંડણીનો કિસ્સોઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયા અગાઉ પણ આવા અજાણ્યા શખસોના ગુનાહિત કાવતરાનો ભોગ બની ચૂક્યા છે. ભૂતકાળમાં તેમને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપીને લાખોની ખંડણી માંગી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો હતો. તે કેસમાં જૂનાગઢ પોલીસે ધારાસભ્યને ધમકી આપીને ખંડણી માંગવાના કેસમાં સાઉથ આફ્રિકાના શખ્સ સમીર ગાલીફ રીંગબલોચ (ઇસ્ટ કોંગો), જે મૂળ ચિત્રાવડનો રહેવાસી છે, તેને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અન્ય બે ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી ધારાસભ્યની ફેક આઇડી બનાવીને તેમની ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેમાં પાકિસ્તાન કનેક્શન ખૂલતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ ગુનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા દિતવા ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર કરતા 7-8 હજાર જેટલા વેપારીઓ સીધી અસર હેઠળ આવ્યા છે. જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે 200 કરોડ સુધીનું મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે. એક વેપારીએ કહ્યું કે, પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટ વર્તાઈ રહ્યું છે. પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટપોંગલ પર્વને દક્ષિણ ભારતમાં સૌથી મોટી પરંપરાગત ખરીદીની સિઝન ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ સિઝન નવેમ્બર 15થી શરૂ થાય છે અને ડિસેમ્બર મહિનો તેનો પીક ટાઇમ ગણાય છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં સુરતની સાડીઓ, સૂટિંગ-શર્ટિંગ, ડ્રેસ મટિરિયલ અને ફેન્સી ફેબ્રિકની ભારે માંગ રહે છે. ઉદ્યોગ જગત દ્વારા આ વર્ષે 800 કરોડથી 1000 કરોડના વેપારની અપેક્ષા રાખવામાં આવી હતી. ગત વર્ષે આ બિઝનેસ લગભગ 900 કરોડ સુધી પહોંચ્યો હતો. 200 કરોડ કે તેનાથી વધુનું નુકસાનજોકે, દિતવા વાવાઝોડાને કારણે સિઝનની શરૂઆતમાં જ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જો આગામી એક સપ્તાહમાં દક્ષિણ ભારતમાં સ્થિતિ થાળે નહીં પડે, તો એકંદરે વેપાર 20%થી 30% સુધી પ્રભાવિત થવાની પ્રબળ સંભાવના છે, જે 200 કરોડ કે તેનાથી વધુનું નુકસાન સૂચવે છે. સપ્લાય ચેઇન તૂટી, માલ બજારમાં પહોંચી શકતો નથીદિતવાના તોફાનને કારણે સુરતથી દક્ષિણ ભારત સુધીની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. વેપારીઓ જણાવે છે કે હાલની પરિસ્થિતિમાં ન તો પરિવહન વ્યવસ્થા સરળતાથી ચાલુ છે કે ન તો ત્યાંના સ્થાનિક બજારો ખુલી રહ્યા છે. સ્ટોક પડ્યો રહેવાનો ડર, ઉદ્યોગની ચિંતા વધીટેક્સટાઇલ એસોસિએશનોનું કહેવું છે કે, પોંગલ એક ફિક્સ્ડ ડેટ વાળો તહેવાર છે. જો બજારો સમયસર નહીં ખૂલે તો ખરીદીની માગ ઓછી થઈ જશે અને વેપારીઓનો મોટો સ્ટોક તૈયાર માલના રૂપમાં પડી રહેશે. સુરતના કુલ ટેક્સટાઇલ બિઝનેસનો આશરે 30-35% હિસ્સો દક્ષિણ ભારતના બજારો પર નિર્ભર રહે છે. પોંગલનો વેપાર સતત નબળો રહ્યોછેલ્લા પાંચ વર્ષમાં, કોરોના (2020-21) મહામારી હોય કે વાવાઝોડાં અને પૂર (2022-23), પોંગલનો વેપાર સતત નબળો રહ્યો છે. આ વખતે પણ તે જ આશંકાઓ જોવા મળી રહી છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અસરજો આગામી દિવસોમાં હવામાન અને પરિવહન વ્યવસ્થા સામાન્ય નહીં થાય, તો 800-1000 કરોડનો અંદાજિત કારોબાર ઊંડાણપૂર્વક પ્રભાવિત થશે અને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગી શકે છે.
અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે (4 ડિસેમ્બર) રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા શખસ પર હુમલો કરી દીધો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગાળો બોલવાની ના પાડતા અસામાજિક તત્વોએ તલવાર-દંડા સાથે આતંક મચાવ્યોગઈકાલે રાત્રે કૃષ્ણનગરની પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કેવલાણી નામનો વ્યક્તિ પૈસાની ઉઘરાણી બાબતમાં ગાળો બોલતો હતો. જેને સોસાયટીના બંટી અને બંસીભાઈએ ગાળો નહીં બોલવા કહ્યું હતું. જે બાદ રાજા કેવલાણી નામનો શખસ ગુસ્સે થયો હતો અને તેના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા. આ પછી ચારથી પાંચ લોકો તલવાર અને દંડા સાથે આવ્યા હતા અને મારામારી કરીને આતંક મચાવ્યો હતો.આ ઘટનામાં એક વ્યકિતને ઇજા પહોંચી છે. આતંક મચાવતા અસામાજિક તત્વો CCTVમાં કેદઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સોસાયટીના CCTVમાં આ ઘટના કેદ થઈ હતી. જેમાં આ અસામાજિક તત્વો તલવાર અને ધોકા લઈને આવતા જતા જોવા મળે છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની અને આ હુમલો કરનારા શખસોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે (5 નવેમ્બરે) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા, તેમની દીકરી પૂજા મકવાણા, રિયા મકવાણા અને સાવન મકવાણાનો સમાવેશ થાય છે. પરિવારના વડીલ મહેમુદ મકવાણા જે મહેનત મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. દુર્ઘટના બાદ તેમના શરીરનું અડધું ભાગ કામ કરવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. યુવાને ટેમ્પો ચલાવીને પરિવારના ચારેય સભ્યોને કચડી નાખ્યાપરિવારનો આક્ષેપ છે કે, ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી, જ્યારે કે તેને ડ્રાઈવિંગ આવડતું જ નહોતું અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારમાંના ચારેય સભ્યોને કચડી નાખ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ ટેમ્પો ચલાવનાર પાસે લાઈસન્સ પણ ના હતુ. આ ઘટના બાદ ગોરવા પોલીસે ટેમ્પો ચાલક તેમજ બીજા યુવાનની અટકાયત કરી છે. ન્યાયની માગસ્થાનિક રહેવાસી તોસીફ પઠાણ સહિત વિસ્તારના લોકોએ ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા, અને ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવરની મદદ સાથે ન્યાય મળશે તેવી માગ કરી છે. ફૂટપાથ પર સૂતેલા પરિવારને કચડૃ્યોસ્થાનિક રહેવાસી તોસીફ પઠાણએ જણાવ્યું હતું કે, ગોરવા શાક માર્કેટ પાસે એક ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્યાં ફૂટપાથ પર સૂતેલા એક આખા પરિવારને કચડી નાખ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળક અને એક મહિલા સહીત 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. હાલમાં આ તમામને સારવાર અર્થે ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો ચાલક ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો, જોકે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. ટેમ્પો ચલાવતા આવડતું નહોતું તેમ છતાં ટેમ્પો ચલાવ્યોતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે ટેમ્પો ચલાવતો હતો તેનો ટેમ્પો નહતો, તે ટેમ્પો માં બેસી ગયો હતો અને ટેમ્પો ચલાવવા લાગ્યો હતો અને લોકોને કચડી નાખ્યા હતા. ટેમ્પો ચલાવતો હતો તે તો ચોળાફળી વેચે છે, તેને ટેમ્પો ચલાવતા આવડતું નહોતું તેમ છતાં ચાવી લઈને ટેમ્પોમાં બેસી ગયો હતો.
જામનગર જિલ્લાના 78- જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિભાગના રૂટ સુપરવાઇઝર ડો. કેતન ધોળકિયાને SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી 100% પૂર્ણ કરવા બદલ ચૂંટણી અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ડો. ધોળકિયા, જે એ.કે. દોશી મહિલા કોલેજમાં પ્રોફેસર પણ છે, તેમને રૂટ નંબર 16ના સુપરવાઇઝર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે આસિસ્ટન્ટ ઓફિસર ડો. ઓડેદરા પણ આ કામગીરીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, તેમના 7 બૂથ પૈકી 5 બૂથમાં ગણતરી ફોર્મ સંબંધિત તમામ કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બાકીના બે બૂથમાં ફોર્મ મેપિંગની કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે. તેમણે આ સફળતાનો શ્રેય બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) ના ટીમ વર્કને આપ્યો. ડો. ધોળકિયાએ કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી, મામલતદાર અને સમગ્ર ટીમને તેમની કામગીરી બિરદાવવા અને પ્રમાણપત્ર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની આ કામગીરીમાં સૌએ સહયોગ આપવો જોઈએ જેથી સાચા મતદારોની ઓળખ થઈ શકે.
ભરૂચ જિલ્લામાં જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતી સેવાયજ્ઞ સમિતિએ એક મહિલાને નવજીવન આપ્યું છે. અંકલેશ્વર તાલુકાના એક ગામની મહિલાએ દોઢ વર્ષ પહેલા એસિડ પી લીધું હતું, જેના કારણે તેની અન્નનળી અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલાના પતિનું રેલવે અકસ્માતમાં અવસાન થયા બાદ તેની સાસુ બાળકને લઈને વતન ચાલી ગઈ હતી. સંતાનને પાછું મેળવવાના સતત પ્રયાસો નિષ્ફળ જતાં મહિલા માનસિક તણાવમાં આવી ગઈ હતી અને આત્મઘાતી પગલું ભર્યું હતું. એસિડ પીધા બાદ મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની ગળાની અન્નનળી એટલી સંકોચાઈ ગઈ હતી કે તે કોઈપણ ખાદ્યપદાર્થ ગળી શકતી ન હતી. આ કારણે તે ચાર મહિના સુધી માત્ર ગ્લુકોઝની બોટલો પર જ જીવતી હતી. આ કપરી પરિસ્થિતિમાં મહિલાએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. સમિતિએ પ્રથમ તબક્કામાં ભરૂચ ખાતે મહિલાની સર્જરી કરાવી, જેથી તે પાણી અને અન્ય પ્રવાહી લઈ શકે. આ સર્જરી બાદ મહિલા પાણી, દૂધ અને અન્ય પ્રવાહીનું સેવન કરી શકતી થઈ હતી. જોકે, અન્ય લોકોને સામાન્ય ભોજન લેતા જોઈને મહિલા વ્યથિત થતી હતી અને પોતે પણ બધું ખાઈ શકવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી. તેની સમસ્યાને ધ્યાનમાં રાખીને, સેવાયજ્ઞ સમિતિએ તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં 'ઈસોફેગસ સ્ક્રીન ગ્રાફ્ટિંગ પાઇપિંગ' નામની અત્યંત જટિલ સર્જરી કરાવી હતી. આ જટિલ સર્જરી સફળ રહી હતી. સર્જરીના પરિણામે, આજે મહિલા ફરીથી તમામ પ્રકારનું ભોજન આરોગી શકે છે અને સ્વસ્થ જીવન જીવી રહી છે. સેવાયજ્ઞ સમિતિની આ માનવતાભરી સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં, બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. જોકે, અન્ય ત્રણ ખલાસીને સમયસર બચાવી લેવાયા હતા. આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં બોટ અકસ્માતનો ભોગ બનીઆ દુર્ઘટના ગુરુવાર, 4 ડિસેમ્બરના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે બની હતી. વેરાવળ જાલેશ્વરથી આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની “શ્રી ભવાની કૃપા” (IND–GJ–32–MM–265) નામની બોટ અકસ્માતનો ભોગ બની હતી. અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પલટીવેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે આપેલી માહિતી મુજબ, આ બોટ બુધવારે (3 ડિસેમ્બર) માછીમારી માટે રવાના થઈ હતી. ગુરુવારે સાંજે માછીમારી પૂર્ણ કરી પરત ફરતી વખતે, વેરાવળ જાલેશ્વર નજીક છેલ્લીવાર જાળ નાખવામાં આવી હતી. આ જાળમાં અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પર ભારે ઓવરલોડ આવ્યો હતો. જાળ ખેંચતાં જ ફીશીગ બોટ ઊંધી વળીજાળ પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે માછલીના અસામાન્ય વજનને કારણે બોટ એક તરફ વધુ પડતી ઝૂકી ગઈ હતી. જોતજોતામાં બોટ સંપૂર્ણપણે પલટી મારી ગઈ, જેના કારણે બોટમાં સવાર ચાર માછીમાર દરિયામાં પટકાયા હતા. ત્રણ ખલાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળીદુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી (Rescue Operation) હાથ ધરી હતી. આ ઝડપી કાર્યવાહીમાં ત્રણ ખલાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાયોજોકે, બોટમાં સવાર અરવિંદ ભારાવાલા ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકના પરિવાર અને માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર દરિયાઈ દુર્ઘટનાના પગલે માછીમાર સમુદાયમાં સલામતીના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
શાળા 199 માં બાલ સંસદ માટે ચૂંટણી યોજાઈ:વિદ્યાર્થીઓએ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો
આજરોજ શાળા ક્રમાંક 199 માં બાલ સંસદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શાળાની વિવિધ સમિતિઓ માટે યોગ્ય નેતાઓને ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પ્રક્રિયા દ્વારા શાળાની તમામ સમિતિઓ સુચારુ રૂપથી કાર્ય કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. આ ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહીમાં ચૂંટણીના મહત્વની સમજ કેળવી. આ સમગ્ર પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પૂનમ નિમિત્તે દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી 04-12-2025, ગુરુવારના રોજ દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવાયો હતો. દાદાને ફૂલની ડિઝાઇનવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા અને ઓર્કિડ તેમજ શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રીયલ ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ પણ ધરાવવામાં આવ્યો હતો. ભોગમાં 200 કિલો તલની સાની (કચરિયું) અર્પણ કરવામાં આવી હતી. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. સાંજે 06:30 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા દાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી. પૂનમ નિમિત્તે સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન યોજાયું હતું. આ પૂજન દરમિયાન દાદાને દિવ્ય શણગાર સાથે ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વગેરે ધરવવામાં આવ્યા હતા અને પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી સાળંગપુર ધામમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા અને આશીર્વાદ માટે દિવ્ય અને ભવ્ય રીતે કરવામાં આવે છે. આ ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે. આ 16 ચરણોમાં ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કારનો સમાવેશ થાય છે. આ વિધિઓ દ્વારા શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે.
સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ, NCC, NSS અને BSGના સંયુક્ત ઉપક્રમે SOU TALKS શ્રેણી અંતર્ગત એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અને નેતૃત્વના મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યા. ગુજરાતનું ગૌરવ એવા લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ જેવા સર્વોચ્ચ સન્માનોથી સન્માનિત છે. તેમની કારકિર્દી દરમિયાન, તેઓ UN પીસ કીપીંગ મિશનમાં ડેપ્યુટી ફોર્સ કમાન્ડર તેમજ નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે. 'લીડરશીપ બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી' વિષય પર યોજાયેલા આ સત્રમાં લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સુરક્ષાના પાઠ ભણાવ્યા હતા. તેમણે વૈશ્વિક ભૂ-રાજકીય સમીકરણો, સરહદી પડકારો અને ક્લાયમેટ ચેન્જ જેવા વિષયોની સરળતાથી છણાવટ કરી હતી. તેમણે પાકિસ્તાન પ્રેરિત 'સરોગેટ ટેરરિઝમ' અને 'સ્ટ્રેટેજિક ડેપ્થ' જેવા ગંભીર મુદ્દાઓનું પણ વિશ્લેષણ કર્યું. તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધના ઇતિહાસ, કાશ્મીરના 'સ્ટેન્ડસ્ટિલ' કરાર અને ઘૂસણખોરીની પદ્ધતિઓ સમજાવી હતી. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ ભારતીય સેનાના 'ઈન્ડો-પાક રિસ્પોન્સ મેટ્રિક્સ'માં આવેલા નિર્ણાયક બદલાવ પર ખાસ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉરી હુમલાનો જવાબ જમીની 'સર્જિકલ સ્ટ્રાઈક' દ્વારા અને પુલવામાનો જવાબ બાલાકોટ 'એર સ્ટ્રાઈક' દ્વારા કેવી રીતે અપાયો તે સમજાવ્યું. વિશેષમાં, તેમણે તાજેતરના પહેલગામ હુમલા બાદ સેનાની ત્રણેય પાંખોના સમન્વયથી હાથ ધરાયેલા ઐતિહાસિક ઓપરેશન સિંદૂરની વ્યૂહરચનાનું વર્ણન કર્યું. આ ઓપરેશન દ્વારા દુશ્મન સામે ભારતની સક્ષમ અને આક્રમક જવાબી કાર્યવાહીનો સ્પષ્ટ ચિતાર રજૂ કરાયો હતો. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ સત્રમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ભારતીય સેનાના શૌર્ય, શિસ્ત અને રાષ્ટ્રભક્તિમાંથી પ્રેરણા મેળવી હતી.
નવસારી મહાનગરપાલિકાનું દબાણ વિભાગ દિવાળીના તહેવારો બાદ ફરી સક્રિય બન્યું છે. પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવી 7.5 મીટર રોડ ખુલ્લો કર્યો છે. આ કાર્યવાહી પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસેની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી કરવામાં આવી છે. શહેરમાં લાંબા સમયથી દબાણ હટાવવાની કામગીરી ધીમી પડી હતી. નવસારીના સ્ટેશન વિસ્તારમાં કરોડોના ખર્ચે એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રકાશ ટોકીઝ ગરનાળાનો ઉપયોગ મોટા પાયે થતો હોવાથી ત્યાં નિયમિતપણે ટ્રાફિક જામ થાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણકર્તાઓ સામે કાર્યવાહી શરૂ કરી. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની નીચેના ભાગમાં દબાણો હટાવવામાં આવ્યા. આ કવાયત દરમિયાન 7.5 મીટર જેટલો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય. આ ઉપરાંત, પાલિકાએ પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ગરનાળાની આસપાસના દબાણોને દૂર કરવા માટે પણ કામગીરી શરૂ કરી છે. પાલિકાની આ કાર્યવાહીથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને માર્ગો પરની અવર-જવર વધુ સરળ બનશે.
અમદાવાદના રહેવાસી એક પતિને તેની અલગ રહેતી પત્નીને ફેમિલી કોર્ટ દ્વારા 45 લાખ રૂપિયાનું કાયમી ભરણપોષણ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. પતિએ આ આદેશને હાઇકોર્ટમાં પડકારતાં દલીલ કરી હતી કે તેની પત્નીએ તેની માતાની હત્યા કરી છે. ત્યારે આવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલી પત્નીને ભરણપોષણ ચૂકવવું અયોગ્ય છે. આથી હાઇકોર્ટે ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે મૂક્યો હતો. માતાની હત્યાનો ઉલ્લેખ કરીને છૂટાછેડા માટે અરજી કરી હતીપત્નીની ઓક્ટોબર, 2020માં તેની સાસુની લોખંડની સળિયાથી માર મારી હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે પત્ની ગર્ભવતી હતી અને પછી જેલમાં જ તેને એક સંતાનને જન્મ આપ્યો હતો. તેણીએ જામીન મળતા પહેલાં 02 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. વર્ષ 2021માં પતિએ પત્ની પાસેથી માનસિક અને શારીરિક ક્રૂરતાના આધાર પર છૂટાછેડા માટે અરજી કરી હતી અને તેમાં પોતાની માતાની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. ભરણ પોષણ પેટે 45 લાખ પત્નીને ચૂકવવા ફેમિલી કોર્ટનો આદેશફેમિલી કોર્ટે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં પતિ અને પત્ની વચ્ચેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પરંતુ ગ્રેનાઈટના વ્યાપારી એવા પતિને તેની આવકના આધારે કાયમી ભરણ પોષણ પેટે 45 લાખ રૂપિયા પત્નીને ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે મૂક્યોજેને પતિએ હાઇકોર્ટમાં પડકારતા ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશ ઉપર સ્ટે મૂકતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસ સામાન્ય છૂટાછેડાનો નથી, પરંતુ પતિ પર માનસિક અને શારીરિક બંને રીતે ક્રૂરતા કરવામાં આવી છે, માતાની હત્યાથી તેને વધુ દુઃખ પહોંચ્યું છે. આ કેસ ઉપર વધુ સુનવણી જાન્યુઆરી મહિનામાં યોજાશે.
ગોધરામાં અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ભુરાવાવના ડોડપા બળિયાદેવ મંદિર પાસે સવારે મૃતદેહ મળ્યો
ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 55 થી 60 વર્ષના લાગતા આ વૃદ્ધના મૃતદેહને પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધનું મોત કડકડતી ઠંડીના કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોએ વહેલી સવારે મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો પંચનામું કરી તેને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરવા અને તેમના વારસદારોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયાથી પંચમહાલ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં ફૂટપાથ પર રહેતા નિર્વાસિત અને શ્રમજીવી લોકો માટે રાત્રિ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. આ ઘટના ઠંડીના કારણે થયેલા મોતની શક્યતાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે, આ ઘટના શિયાળામાં નિર્વાસિત અને ગરીબ વર્ગના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા દર્શાવે છે.
મહેસાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વ્હેમિલા પતિના ગૃહકલહની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલ પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનીયત વરસાવતા પોતાનો જીવ બચાવવા મહિલાએ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમનો સહારો લીધો હતો. આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીને માર માર્યો હતોપતિના અત્યાચારોની શિકાર બનેલી પીડિત મહિલા અંગે માહિતી મળતા જ 181 અભયમની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી ગતિવિધી શમાવવા શાંતિપૂર્ણ સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શંકા અને ગુસ્સાની આગમાં સળગતો પતિ કાઉન્સેલીંગની ભાષા સમજવા કે સાંભળવા તૈયાર ન થતા મામલો વધુ ગંભીર બન્યો. પીડિત મહિલાને 181 અભયમની મદદ મળીત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા 181 ની ટીમે સમજદારી પૂર્વક મહિલાને કાનૂની રીતે સુરક્ષિત માર્ગ અપનાવવા માર્ગદર્શન આપ્યું. જે થી અણપઢ મહિલા પણ જ્ઞાનપૂર્ણ બની પોતાની સુરક્ષા અને ન્યાય માટે સીધી જ નજીકના પોલીસ મથકે પહોંચી અને પતિ વિરુદ્ધ સચોટ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક તેના પતિને કાબુમાં લઈ અટકાયત કરી કાયદાનો 'કરકસ શબક’ શીખવાડયો હતો. આમ 181 અભયમની ટીમની મદદથી મહિલાને સુરક્ષા અને માર્ગદર્શન મળ્યું હતું. તો પોલીસની કાર્યવાહી બાદ પતિની હઠ પણ ઢીલી પડી અને આખરે ગરમાયેલો મામલો ઠંડો પડયો.
વલસાડના ગૌરવ પથ પર એક મોપેડ ચાલકે ચાલુ મોપેડનું સ્ટેરિંગ સગીરને સંચાલન કરવા આપ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ વલસાડ સિટી પોલીસે વીડિયોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બાઈ સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં, મોપેડ નંબર GJ-39-A-6030 પર સવાર યુવકે મોપેડને પુરપાટ ઝડપે દોડાવતી વખતે આગળ બેઠેલા સગીરને સ્ટેરિંગ સોંપ્યું હતું. આ બેદરકારીભર્યા કૃત્યથી પોતાનો તેમજ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. લોકોએ મોપેડ ચાલક સામે કડક પગલાં લેવા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અનેક વાહનચાલકોએ બાળકોને ચાલુ વાહનનું સ્ટેરિંગ ન આપવા અપીલ પણ કરી છે. વલસાડ સિટી પોલીસને આ વીડિયો મળ્યા બાદ, પોલીસે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદમાં સહ પ્રભારી મંત્રીની બેઠક:વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના
દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી તેમજ દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લા અને વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રાથમિક માહિતી આપી હતી. બેઠક દરમિયાન આરોગ્ય, નેશનલ હાઇવે પર જંગલ કટિંગ, અને રસ્તા પરના દબાણ જેવા પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતા. આ ઉપરાંત, આયોજનના કામો, એટીવીટીના કામો, વિકેન્દ્રિત તાલુકા કક્ષાની પ્રોત્સાહક જોગવાઈ, પ્રાથમિક મંજૂરી, એમએલએ ફંડ, નગરપાલિકા જોગવાઈ અને નાણાકીય કામો અંગેની તાલુકાવાર માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ રજૂ થયેલી તમામ માહિતીની સમીક્ષા કરી હતી. તેમણે ડીઆરડીએ હેઠળના કામો, શિક્ષણ વિભાગ, નલ સે જલ યોજના, આદિજાતિ યોજનાઓ, રોડ-રસ્તા અને પુરવઠા વિભાગની કામગીરી અંગે વિભાગવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ અધિકારીઓને પ્રજાકીય અને વિકાસના કામો સમયસર, ઝડપથી અને નીતિ-નિયમોમાં રહીને પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. મંત્રીએ ચાલુ વર્ષની કામગીરી તે જ વર્ષમાં પૂર્ણ થાય તે માટે આપસી સંકલનથી કામ કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં દાહોદ જિલ્લામાં ચૂંટણી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બદલ ઈલેક્શન રિટર્નિંગ ઓફિસર (ઈ.આર.ઓ.) નું મંત્રીના હસ્તે ગુલદસ્તો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારીઓ, ધારાસભ્યો, ભાજપા જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
LIVE : રશિયન પ્રમુખ પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર, વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા
Putin India Visit : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો અને મુખ્ય દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ણીન્દ્રધામ ખાતે નીલકંઠ નેચરલ પાર્કનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો અને મહંતોની દિવ્ય હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઈ હતી. પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે, હાલ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાર્કનું સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ જ નીલકંઠ નેચરલ પાર્કનું નિર્માણ કાર્ય શરૂ કરાશે. વર્ણીન્દ્રધામ મંદિરની કેટલીક આગવી વિશેષતાઓ પણ છે. આ સ્વામિનારાયણ મંદિર 20 એકરમાં ફેલાયેલું છે. અહીં 108 ગૌમુખધારા સ્નાન અને મંદિર ફરતે 75 લાખ લિટર પાણીની વ્યવસ્થા છે. મંદિરમાં નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર થાય છે. ઉપરાંત, રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા પણ યોજાય છે. નીલકંઠધામની જેમ જ વર્ણિન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક કરવામાં આવે છે. અહીં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન પણ ચાલુ રહે છે. મંદિરમાં આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્રનું સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગુરુવાર કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગ અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આગામી છ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વ-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાશે. આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીમાં વધારો થતાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન ઉમરગામમાં 18 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન જોઇએ તો- વલસાડમાં 30C મહત્તમ અને 19C લઘુત્તમ, ધરમપુરમાં 33C મહત્તમ અને 19C લઘુત્તમ, વાપીમાં 30C મહત્તમ અને 21C લઘુત્તમ, કપરાડામાં 31C મહત્તમ અને 20C લઘુત્તમ, ઉમરગામમાં 29C મહત્તમ અને 18C લઘુત્તમ, અને પારડીમાં 30C મહત્તમ અને 20C લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વલસાડ, ધરમપુર અને ઉમરગામમાં આકાશ સ્પષ્ટ રહેશે, જ્યારે વાપીમાં વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનના સુસવાટા વચ્ચે ખેડૂતો રવિ પાક અને આંબાની માવજતમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રાત્રિનું તાપમાન 18 ડિગ્રી સુધી ઘટી શકે છે અને દિવસ દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
કેનેડાનો નવો PR પ્લાન, ખાસ કરીને ભારતીયો અને USમાં ફસાયેલા H1B વિઝાધારકોની મુશ્કેલી દૂર થશે!
Image: IANS (File Photo)
સુરતના ટેક્સટાઇલ સિટીમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ તાજેતરમાં એક એવા નકલી જેલરની ધરપકડ કરવામાં આવી હતી, જેણે સીધા જેલમાં બંધ આરોપીઓના સગાં-સંબંધીઓને નિશાન બનાવીને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદના આ ભેજાબાજ આરોપી રાજેશ નરેન્દ્ર ત્રિવેદીને સુરતની સચિન પોલીસે આખરે પાસા હેઠળ જેલભેગો કરી દીધો છે, અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જેલમાં VIP સુવિધાના નામે ખંડણી માગતોનકલી જેલર રાજેશ ત્રિવેદીએ સુરતના અનેક પોલીસ મથકોના કેસોમાં સંડોવાયેલા આરોપીઓના પરિવારજનોને નિશાન બનાવ્યા હતા. અડાજણના બ્લેકમેલિંગ કેસના આરોપીઓના પરિવારને કોલ કરીને તેણે પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપી હતી. તે કોલ દ્વારા આરોપીના સગાં અને મિત્રોને ધમકી આપતો હતો કે જો જેલમાં વીઆઇપી સુવિધા જોઈતી હોય તો તાત્કાલિક 15 હજાર આપવા પડશે, નહીંતર આરોપીને જેલમાં માર મારવામાં આવશે. છેતરપિંડી અને ખંડણીની ફરિયાદસુરતના મહિધરપુરા સચિન, સારોલી અને લસકાના જેવા અલગ-અલગ પોલીસ મથકોમાં તેની વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. આ ભેજાબાજની ધમકીથી ડરીને કેટલાક કિસ્સાઓમાં તો આરોપીના મિત્રોએ 15000 આપી પણ દીધા હતા. લાજપોર જેલર એ નકલી જેલર રાજેશ ત્રિવેદીનો ભાંડો ફોડ્યોઆ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે લાજપોર જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જેલના કોઈ સત્તાધીશ અધિકારી કે કર્મચારી દ્વારા આવી કોઈ રૂપિયાની માંગણી કરવામાં આવી નહોતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજેશ ત્રિવેદીને દબોચ્યોઅગાઉ, આ આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સચિન પોલીસે તેનો કબજો મેળવીને તપાસ હાથ ધરી હતી અને તેને જેલભેગો કર્યો હતો. પાસા હેઠળ કાર્યવાહીગુનાહિત પ્રવૃત્તિઓ અને લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખનાર રાજેશ ત્રિવેદી જામીન પર છૂટ્યા બાદ ફરીવાર આવી જ પ્રવૃત્તિઓ શરૂ ન કરે તે માટે સચિન પોલીસે કડક વલણ અપનાવ્યું. સુરત પોલીસે કાયદાનો દંડો પછાડતાં, આ ભેજાબાજ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરી, જેને મંજૂરી મળતા જ તેને ગણતરીના સમયમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો. આમ, અમદાવાદનો આ નકલી જેલર આખરે અમદાવાદની જ જેલમાં ધકેલાયો છે. નકલી અધિકારીઓ બનીને પૈસા પડાવતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાજેશ નરેન્દ્રભાઈ ત્રિવેદી માત્ર નકલી જેલર તરીકે જ નહીં, પરંતુ અગાઉ પણ તેણે પોતાને પોલીસ તરીકે, મહેસૂલ વિભાગના અધિકારી તરીકે અને ફૂડ સેફટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. લોકોમાં ભય અને વિશ્વાસ ઊભો કરીને કાયદાની આડમાં ગુનો આચરવાના તેના ઇરાદાને કારણે તેને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.
ચોટીલામાં પરિક્રમા રૂટની ચકાસણી:નાયબ કલેક્ટરે પગપાળા ચાલીને રૂટ અને પ્રસાદના ભાવ તપાસ્યા
ચોટીલા યાત્રાધામ ખાતે પરિક્રમા રૂટ નક્કી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂટની પગપાળા ચકાસણી કરી હતી. નાયબ કલેક્ટર મકવાણાએ નાના પાળીયાદથી મફતિયાપરા થઈને ભક્તિવન સુધી અને ત્યાંથી પરત નાના પાળીયાદ સુધીના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. આ રૂટ યાત્રાળુઓ માટે પરિક્રમા હેતુસર નક્કી કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે ચોટીલામાં વેચાતા નાળિયેર અને અન્ય પ્રસાદના ભાવો અંગે પણ તપાસ કરી હતી. યાત્રાળુઓને પોસાય તેવા ભાવ રાખવામાં આવે છે કે કેમ, તે જાણવા માટે તેમણે યાત્રાળુઓ સાથે રૂબરૂ વાતચીત કરી ખાતરી મેળવી હતી. આ પરિક્રમા રૂટની ચકાસણી દરમિયાન ચોટીલાના પોલીસ ઇન્સ્પેક્ટર, નાના મોલડીના પોલીસ ઇન્સ્પેક્ટર અને ચોટીલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના દિવ્યાંગ બહેન ગંગાબેન ઠાકોરને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે મળાવ્યા હતા. દિલ્હીમાં સંસદ ભવન બહાર આ મુલાકાત થઈ હતી. પ્રિયંકા ગાંધી લોકસભામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને ગંગાબેન મળવા ઈચ્છે છે તેમ જણાવ્યું. ગંગાબેન દિવ્યાંગ હોવાથી ચાલી શકતા નથી. આ સાંભળીને પ્રિયંકા ગાંધી પોતાની ગાડીમાંથી પાછા ફર્યા અને લગભગ 100 મીટર દૂર ઊભેલા ગંગાબેનને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ગંગાબેન સાથે સંવેદનશીલતાપૂર્વક સંવાદ કર્યો, તેમના ખબરઅંતર પૂછ્યા અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. 'મારી બહેન 'મા' જેવી ભૂમિકા ભજવે છે: સાંસદઆ મુલાકાત દરમિયાન સામાન્ય માણસને ગળે લગાવીને પરિવારની ભાવના સાથે મળ્યાનો અનુભવ થયો હતો.આ અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મારી બહેન ગંગા, જે મારા દરેક કામમાં પડદા પાછળ રહીને 'મા' જેવી ભૂમિકા ભજવે છે, તે આજે એક સામાન્ય માણસની જેમ જીવી રહી છે. પ્રિયંકાજીને મળીને તે પોતાની જાતને ધન્ય માને છે.' સાંસદ ગેનીબેનની સોશિયલ મીડિયા પર ભાવૂક પોસ્ટ
પ્રભાસ પાટણમાં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો:ખાનગી એકમોમાં મહિલાઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાઈ
પ્રભાસ પાટણના રામમંદિર ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. મહિલા અને બાળ અધિકારી એમ.જે. વારસૂરે શાબ્દિક સ્વાગત પ્રવચન આપતા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરવા માટે પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ આર્થિક રીતે આત્મનિર્ભર બનવું અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓને રોજગારલક્ષી દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબહેન રાઠોડે મહિલાઓ માટે આર્થિક ઉપાર્જન, આર્થિક સહાય અને સ્વરક્ષણ અંગે માહિતી આપી હતી. તેમણે તબીબી, પોલીસ, કાયદાકીય સહાય અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલિંગ જેવી સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે પાબીબહેન રબારી અને સુનિતા વિલિયમ્સ જેવી સફળ મહિલાઓના ઉદાહરણો આપી ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા આપી હતી. જિલ્લા રોજગાર પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ. રામે જણાવ્યું હતું કે, આદર્શ સમાજના નિર્માણ માટે સ્ત્રી અને શિક્ષક અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓને સમાનતાની ઉપલબ્ધ તકોનો લાભ લેવા જણાવ્યું હતું અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી હસ્તકની રોજગારલક્ષી યોજનાઓ તથા કચેરીના કાર્યો અને ઉપયોગીતા વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રસીલાબહેને કર્યું હતું, જ્યારે આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર એસ.એમ. ગજેરાએ કરી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત લાભાર્થીઓને દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટ પણ વિતરિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સુશીલાબહેન મસાણીને મહિલા સ્વાવલંબન સબસીડી મંજૂરી પત્ર એનાયત કરાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તેમણે રાયચુરા એનર્જી તાલાળા, બોનાન્ઝા સલૂન્સ એન્ડ એકેડમી, રાજકોટ અને વેરાવળની આદિત્ય બિરલા સનલાઈફ ઈન્સ્યૂરન્સ સહિતના ખાનગી એકમોમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી.
જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના સ્કિન વિભાગે જીવલેણ સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમ (SJS-TEN) થી પીડિત પોરબંદરની એક યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે. 20 દિવસની સઘન સારવાર બાદ યુવતી સંપૂર્ણ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂકી છે. પોરબંદરની 20 વર્ષીય યુવતીને સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી, જે ઝડપથી ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (TEN) માં રૂપાંતરિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્લભ અને જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામની દવા હતી, જે એક ગંભીર એલર્જીક પ્રતિક્રિયા રૂપે ચામડી પર વિનાશક અસર દર્શાવે છે. TEN માં ત્વચાનું ઉપરનું રક્ષણાત્મક સ્તર છૂટું પડી જાય છે, જે ગંભીર દાઝવા જેવી પરિસ્થિતિ સર્જે છે અને ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ તથા લોહીના ઝેરી ચેપ જેવી જીવલેણ જટિલતાઓ ઊભી કરે છે. સ્કિન વિભાગના પ્રોફેસર અને વડા ડો. દેવલ વોરાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે યુવતીની તરત જ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર શરૂ કરી. સહાયક પ્રોફેસર ડો. કાજોમી શિંગાળા, સિનિયર રેસિડેન્ટ્સ અને જુનિયર રેસિડેન્ટ્સ ડોક્ટરોની ટીમે દિવસ-રાત દર્દીની દેખરેખ રાખી. દર્દીને હાઈ ડોઝ IVIG (ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન), કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટિબાયોટિક્સ, પ્રવાહી ઉપચાર અને નિયમિત ડ્રેસિંગ જેવી જટિલ સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી. ડીન ડો. નંદિની દેસાઈ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દીપક તિવારીના ત્વરિત સહયોગથી તાત્કાલિક IVIG ઉપલબ્ધ થયું, જે સારવારની સફળતા માટે નિર્ણાયક સાબિત થયું. આશરે 20 દિવસની સતત અને સઘન સારવાર બાદ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. યુવતી હવે કોઈપણ ગંભીર જટિલતા વગર સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂકી છે અને સામાન્ય જીવન તરફ પાછી ફરી છે. દર્દીના પરિવારજનોએ જી.જી. હોસ્પિટલની તબીબી ટીમના કુશળ પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે ત્યારે આજે 5 ડિસેમ્બરના પણ ઈન્ડિગોની સવારથી સાંજ સુધીની 7 ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે રાત્રિની મુંબઈની એક ફ્લાઈટ ઉડાન ભરે તેવી શક્યતા છે. આ સિવાય હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલોર, 4.55 ની મુંબઈ, 5.55 ની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે જ્યારે રાત્રિના 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરે તેવી શક્યતા છે. ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે. રાજકોટ થી 36 કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલા ફ્લાઇટ કેન્સલ થયા નહીં એડવાન્સ જાણ કરવામાં આવતા એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે પરંતુ મેડિકલ ઈમરજન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી. આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે ઘણા કારચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગોનો ઉપયોગ કરે છે. આ સિટી રૂટ પર કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું મનાય છે. ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે, મનુબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગો પર વહેલી સવારે નિયમિતપણે ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવે. આનાથી આવા અકસ્માતો ઘટાડી શકાય છે.
પોરબંદરના દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરની પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 તારીખે દુબઈ ખાતે યોજાનારી લોંગ જમ્પ અને 100 મીટર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી તેમણે ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પ્રિયાબેન પોરબંદરના રાંધવા ગામના રહેવાસી છે. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2010માં શરૂ કરાયેલા 'ખેલ મહાકુંભ' થકી જ રમતગમત ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ યોજનાએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવામાં મદદ કરી છે. તેમણે જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરા અને કોચ અજયભાઈ કરંગીયા તેમજ રાહુલભાઈ કારકીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. પ્રિયાબેને અગાઉ નેશનલ કક્ષાની ઇવેન્ટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને 100 મીટરમાં ચોથો રેન્ક મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેમણે પોરબંદર જિલ્લામાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલની સુવિધાઓનો પૂરો લાભ લીધો છે. પ્રિયાબેન કોડીયાતરે પોતાની આ સફળતાનો શ્રેય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ખેલ મહાકુંભને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન ખેલ મહાકુંભની જાણ થઈ અને તેમાં ભાગ લીધો, ત્યારથી રમતગમત ક્ષેત્ર સાથે જોડાણ થયું અને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર રમવા માટે સ્થાન મળ્યું છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, જે જિલ્લાના ખેલાડીઓ માટે એક ઉત્તમ તક છે. તેમણે પોરબંદરના તમામ ખેલાડીઓને સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવાર-સાંજ ચાલતા તાલીમ સત્રોનો લાભ લઈને પોતાની રમતગમત કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
પાટણમાં 22,700 ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય ચૂકવાઈ:84.71 કરોડની સહાય સીધી બેંક ખાતામાં જમા, કામગીરી ચાલુ
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. આથી, સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં પાટણ જિલ્લામાં અગાઉના વર્ષો કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ખેડૂતોના હિતમાં સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. પાટણ જિલ્લાના ચાર તાલુકામાં 1.37 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને થયેલા નુકસાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવી રિપોર્ટ સરકારને સુપરત કરાયો હતો. આ રિપોર્ટના આધારે સરકારે રાહત પેકેજ માટે અરજીઓ સ્વીકારવાની મંજૂરી આપી. જિલ્લા ખેતીવાડી વિભાગને કુલ 95,015 અરજીઓ મળી હતી. આ અરજીઓ મળ્યા બાદ, SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ) ના નિયમો અનુસાર, ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000 પ્રમાણે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 22,700 અરજીઓના બિલ જનરેટ કરીને કુલ ₹84.71 કરોડની સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં જેમ જેમ બિલો જનરેટ થતા જશે તેમ તેમ બાકીના ખેડૂતોને પણ તેમની સહાય ચૂકવવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ OTP તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. OTPનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. બીજીતરફ તારીખ 8 ડિસેમ્બરની ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. OTP આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆતમાં ટ્રેન નંબર 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ તથા IRCTC મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે. ત્યારે મુસાફરોને રેલવે તંત્રની વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર આપે, જેથી OTP સત્યાપનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. 8 ડિસેમ્બરના રોજ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે ઉત્તર પશ્ચિમ રેલ્વેનાં ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો 1) 8 ડિસેમ્બર, 2025ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 2) 9 ડિસેમ્બર, 2025ના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો 1) 06.12.2025 અને 09.12.2025 ના રોજ ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે. 2) 04.12.2025 અને 08.12.2025 ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢ નો સમાવેશ થાય છે.
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ફૂડ એન્ડ સેફ્ટી સહિતના સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દર મહિને રેન્ડમ સેમ્પલિંગ, ઓનલાઈન વિતરણ વ્યવસ્થા જાળવવા, યોગ્ય તોલમાપ અને કેલિબ્રેશન ચેક કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આકસ્મિક તપાસણી અને ગેસ સિલિન્ડરના વજન બાબતે પણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સરકારે નિયત કરેલા માપદંડ અનુસાર ગ્રાહકોને યોગ્ય સંતોષ મળે તે દિશામાં કામ કરવું જોઈએ. લોકોને અનાજ ઓછું ન મળે તેની ખાસ તકેદારી રાખવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા પૂરવઠા અધિકારી પારસ વાંદાએ બેઠકમાં તાલાલા, ઉના અને ગીરગઢડા તાલુકાની વાજબી ભાવની દુકાનોના સ્થળફેર અને જાહેરનામા સહિતની બાબતો રજૂ કરી હતી. તાલાલા તાલુકામાં ઉમરેઠી, ધણેજ, જાંબુર ગામની વાજબી ભાવની દુકાનોના સ્થળફેર અને ગુંદરણ ગામની દુકાનને ધાવા દુકાન સાથે બ્રાન્ચ એફ.પી.એસ. કરવા અંગે ચર્ચા થઈ હતી. ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયા અને ઉના તાલુકાના સીમર, ભીંગરણ અને કોબ ગામની વાજબી ભાવની દુકાનોના જાહેરનામા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, ગીરગઢડા તાલુકાના ઝૂડવડલી ગામની બ્રાન્ચ એફ.પી.એસ. રદ કરી વડવિયાળા સાથે, સનવાવ-2 ગામની બ્રાન્ચ એફ.પી.એસ. રદ કરી સનવાવ દુકાન સાથે મર્જ કરવાના પ્રસ્તાવો રજૂ થયા હતા. કોડીનાર તાલુકામાં જમનવાડા વાજબી ભાવની દુકાનને નજીકના મોટી ફાફણી તેમજ આલીદર-૨નો પોઈન્ટ રદ કરી આલીદર-૧ સાથે મર્જ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત લાભાર્થીઓનો સમાવેશ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્ય ડાહ્યાભાઈ જાલોંધરા, અરશી ચાવડા, ફૂડ ઈન્સ્પેક્ટર એસ.એસ. રાવલ, આર.સી.એચ.ઓ. અરુણ રોય સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાથી મુંબઈ દિલ્હી પુણે અને ગોવા જતી ઇન્ડિગોની ચાર ફ્લાઈટ આજે રદ કરવામાં આવી છે. ઇન્ડિગોમાં સ્ટાફની અછતને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ્દ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. આ ફ્લાઇટસ રદ્દ કરાઈ ઇન્ડિગો ફ્લાઇટ 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી-વડોદરા-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટ 6E-6241/6245પુણે-વડોદરા-પુણે ઈન્ડિગો ફ્લાઇટ 6E- 2178/105હૈદરાબાદ-વડોદરા-ગોવા એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો હતો. જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો છે, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી છે. દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે છે આખરે ઇન્ડિગોથી તણાવ કેમ: ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે. હાલ કેટલો સ્ટાફ છે: હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ-મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે. તો ક્રૂની અછત કેમ છે: ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે.કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોનું શિડ્યૂલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી, જેના કારણે ઘણા મહત્ત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54 મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે અને ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 400 થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સ્પર્ધા સ્થળ પર જ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે જ્યારે આ વિજેતા ખેલાડીઓમાંથી ક્વોલીફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી યુનિવર્સિટીને મેડલ અપાવે તેવી આશા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, 10 થી 12 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં જે ક્વોલિફાય થશે તેઓ ઓલ ઇન્ડિયા સ્પર્ધા રમવા માટે મેંગ્લોરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. ખેલાડીઓ એથ્લેટિક્સની આ અલગ અલગ ઇવેન્ટમાં ખુબ જ સારુ પરફોર્મન્સ આપી મેડલ લાવવા માટે તત્પર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા 10 ડિસેમ્બરના વાર્ષિક ખેલકૂદ મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે. જેમાં માર્ચ પાસ્ટ, મશાલ રિલે, બેસ્ટ એથ્લેટ્સ અને મેડલ સેરેમની જેવી અલગ અલગ એક્ટિવિટીની આ વર્ષથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્પર્ધા દરમિયાન જ પરિણામ જાહેર કરી અને ખેલાડીઓને સ્થળ ઉપર જ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવશે. 54 મા ખેલકૂદ મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન એટલેટિક્સમાં ભાઈઓ અને બહેનોમાં 100, 200, 400, 800, 1500, 5000 અને 10000 મીટર દોડ, હાફ મેરેથોન, 20 કિલોમીટર વોક, ગર્લ્સ માટે 100 તો બોયઝ માટે 110 મીટર હર્ડલ્સ, 400 મીટર હર્ડલ્સની ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત લોંગ જમ્પ, ત્રીપલ જમ્પ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવલીન થ્રો, હેમર થ્રો, હેપ્ટાથોન, ડેકાથોન, સ્ટીપલ ચેઝ, 4*100 મીટર રિલે, 4*400 મીટર રિલે અને 4*400 મીટર મિક્સ રિલે એમ કુલ 26 ઇવેન્ટ યોજાશે.
વલસાડના તિથલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ અક્ષરપૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સવારે નગારા, શંખ, ઘંટનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. પવિત્ર સ્થળે પૂજ્ય સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાન સહિત રાધાકૃષ્ણ, શંકર પાર્વતી, સીતારામ, ગણપતિજી તથા ગુરુપરંપરાનો વિધિવત અભિષેક કરવામાં આવ્યો હતો. હરિભક્તોએ શાંતિ, સુખાકારી અને સર્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. અક્ષર-પુરુષોત્તમ મહારાજની ચલમૂર્તિનો પંચામૃત અભિષેક ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં પધારેલા શ્રદ્ધાળુઓએ જયઘોષ વચ્ચે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સુંદર અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મીઠાઈઓ, શાક, નાસ્તા અને ફળોનો વિશાળ ભોગ ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે આયોજિત સત્સંગ સભામાં ચિન્મયદાસ સ્વામી અને વિવેકસ્વરૂપ સ્વામીએ આધ્યાત્મિક જીવન, સંસ્કારસિંચન અને સેવા-ભક્તિના મૂલ્યો પર માર્ગદર્શન આપ્યું હતું. સંતોએ હરિભક્તોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પાટોત્સવની આ ભવ્ય ઉજવણી ભક્તોમાં શાંતિ, આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ ભરી ગઈ હતી, જેનાથી સૌએ મનની શાંતિની અનુભૂતિ કરી હતી. હવે જુઓ, પાટોત્સવની ખાસ તસવીરો
વલસાડ જિલ્લાના વાપી ડુંગરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા મળ્યા બાદ, કેસના સ્પેશ્યલ સરકારી વકીલ અને તપાસ કરનાર પોલીસ અધિકારીઓનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ વાપી DySP કચેરી ખાતે યોજાયો હતો. આ ઘટના ઓક્ટોબર 2023માં વાપીના ડુંગરા ખાતે બની હતી. એક શ્રમિક પરિવારની 6 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ડુંગરા પોલીસ મથકના તત્કાલીન PI મયુર પટેલે તત્કાલીન SP ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વ હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદ અને CCTV ફૂટેજના આધારે પોલીસે માત્ર 19 દિવસમાં કેસની ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી કોર્ટમાં કેસની સુનાવણી ચાલી હતી, જેમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ વાપી DySP કચેરી ખાતે સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલા, સરકારી વકીલ અનિલ ત્રિપાઠી, તપાસ કરનાર PI મયુર પટેલ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા વિસ્તારના સ્થાનિક અગ્રણીઓએ સરકારી વકીલ અને વલસાડ જિલ્લા પોલીસની ટીમને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કેસમાં ભોગ બનનાર બાળકીને ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને બિરદાવી હતી.
અમદાવાદના સૌથી વ્યસ્ત અને જુના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને નાગરિકો અને વાહનચાલકોની અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમ દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોન તેમજ સાબરમતી નદીમાં બોટ મારફતે નીચે જઈને ઇન્સ્પેક્શન કરવામાં આવશે. પાંચ દિવસ સુધી બંધ રહેનારા સુભાષબ્રિજ પરથી પસાર થનારા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. ડ્રોન મારફતે સ્પાનના અંદરના ભાગમાં તપાસ કરાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આજે બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ અને બ્રિજ કન્સલ્ટન્ટના અધિકારીઓના સાથે રાખીને બ્રિજનો જે તરફનો ભાગ બેસી ગયો છે, તેના સ્પાનમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે. જે તિરાડ પડી છે, તેની પણ તપાસ કરશે. બ્રિજ ઉપર રોડના સરફેસની તિરાડ છે કે કેમ? તે અંગે પણ તપાસ થશે. ડ્રોન મારફતે સ્પાનના અંદરના ભાગમાં તપાસ કરવામાં આવનાર છે. રાણીપ ડી-માર્ટ અને વાડજ સર્કલ પર વધુ ટ્રાફિક રહેશેસુભાષબ્રિજ બંધ થવાથી વાહનચાલકોને ડાયવર્ઝન રુટ તરીકે વાડજના દધિચી બ્રિજ પરથી શાહીબાગ અને દિલ્હી દરવાજા તરફ જવા માટે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો હોવાથી સૌથી વધારે ટ્રાફિક શહેરના રાણીપ ડી-માર્ટ અને વાડજ સર્કલ પર થશે. કારણ કે, આ એક જ રોડ પરથી વાહનચાલકો વધારે પસાર થશે. વાડજ સર્કલ પર બ્રિજ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેના કારણે થઈને વાડજ સર્કલ પણ કેટલાક ભાગને વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજ બંધ કર્યો હોવાના કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગથી વાડજ દધિચી બ્રિજથી સાબરમતી અને ચાંદખેડા તરફ આવનારા લોકોને વાડજના ગામમાં બસ સ્ટેન્ડ પાસે નીકળી શકાશે. કારણ કે, વાડજ સર્કલ પર બ્રિજનું કામ ચાલતું હોવાના કારણે પણ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકાશેચાંદખેડા અને સાબરમતી તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ થઇ નવા બનેલા રોડ ઉપર થઈ વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. સાબરમતી અને ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દીરાબ્રિજ થઈ એરપોર્ટ રોડ થઇ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. શાહીબાગ તરફથી સુભાષબ્રિજ જવાનો વૈકલ્પિક રસ્તોશાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલવેબ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇ મેલડી માતા સર્કલ થઈ દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકશે. જે વાહન ચાલકોને દિલ્હી દરવાજાથી આવું હોય તેઓ શાહપુર થઈ ગાંધીબ્રિજ પરથી આશ્રમ રોડ પાસે ઇન્કમટેક્સથી રિવરફ્રન્ટમાં ઉતરી અને વાડજ રિવરફ્રન્ટ બહાર નીકળીને રાણીપ ડી-માર્ટ તરફ જઈ શકશે. સુભાષબ્રિજ બંધ થતાં વૈકલ્પિક રૂટ જાહેર
ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરફેર કરતી બે પિકઅપ વાન જપ્ત કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ કાર્યવાહી કરી હતી. આ વાહનો કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાકડાનું વહન કરી રહ્યા હતા. જપ્ત કરાયેલા બંને વાહનોને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, 1951 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા પિકઅપ વાહનોના નંબર GJ-13-AX-5920 અને GJ-13-AX-3267 છે. વાહન માલિકોના નામ પ્રવીણભાઈ નાગરભાઈ સારલા અને રાજુભાઈ નાગરભાઈ સારલા છે, જેઓ પલાસા, તાલુકો મુળીના રહેવાસી છે. પિકઅપ વાહનોના ડ્રાઈવર જગમાલભાઈ દિલીપભાઈ દેકાવડિયા અને પ્રવીણભાઈ નાગરભાઈ સારલા છે. ઉપરોક્ત વાહન માલિકો અને વાહનચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, 1951 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પીપળાવ પાસેના આશાપુરી માતાજી મંદિર પરિસરની આસપાસના લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી. વેચાણકર્તાઓને ખોરાક યોગ્ય અવસ્થામાં, સારી સ્વચ્છતા સાથે અને તાજો પીરસવા અંગે સૂચનાઓ અપાઈ હતી. ઉપરાંત, યોગ્ય સાફ-સફાઈ રાખવા, ગ્લોવ્ઝ અને કેપ પહેરવા તેમજ ફૂડ સેફ્ટીના કાયદાનું પાલન કરવા જણાવાયું હતું. આ તપાસ દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ પાપડીનો લોટ, દેરાણી જેઠાણી પાપડીનો લોટ, જય ખોડિયાર પાણીપુરી અને ભેળ, સત કેવલ પાણીપુરી, દરબાર ટી સેન્ટર, જય આશાપુરી પાપડીનો લોટ, જલારામ પાપડીનો લોટ, જય મહાકાલી નાસ્તા હાઉસ, પટેલ ગોટા હાઉસ અને જે. કે. નાસ્તા હાઉસ સહિતના સ્થળોની તપાસ કરાઈ હતી. અહીંથી ખાદ્ય પદાર્થના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લાંભવેલ હનુમાનજી મંદિરની આજુબાજુના કુલ સાત લારી-ગલ્લા અને દુકાનોની તપાસ કરીને 4 નમૂના મેળવવામાં આવ્યા હતા. બોચાસણ સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં આવેલા લારી, પાનના ગલ્લા અને બેકરી સહિત કુલ 10 પેઢીઓ ખાતે તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી 7 નમૂના લેવાયા હતા. આ દરમિયાન પાઉનો એક પેકેટનો જથ્થો બિનઆરોગ્યપ્રદ જણાતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર તપાસણી દરમિયાન, પાણીપુરીનો માવો અને પાણીપુરીનું પાણી સહિત કુલ 13 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વેચાણકર્તાઓને પાપડીનો લોટ ઢાંકીને રાખવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા પણ સૂચનાઓ અપાઈ હતી. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવાયેલા નમૂનાઓને પૃથક્કરણ અર્થે સરકારી ખાદ્ય પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા છે. તેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે.

31 C