હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતી મહોત્સવ આજથી શરૂ થયો છે. આ પ્રસંગે ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનો પ્રારંભ થયો, જેમાં યજમાનો દ્વારા મંડપ પ્રવેશ પૂજા કરવામાં આવી. ગોકુલેશ્વર મહાદેવ, અંબેમાતાજી, રાધાકૃષ્ણ, હનુમાનદાદા સહિતના દેવી-દેવતાઓના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે, બુધવારે સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરે 11:30 કલાકે મુખ્ય યજમાન સહિત 21 યજમાનો માટે મંડપ પ્રવેશ પૂજા યોજાઈ હતી. સાંજે 6:30 કલાકે આરતી કરવામાં આવશે. બીજા દિવસે, ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન થશે. ત્યારબાદ સવારે 9:30 કલાકે શોભાયાત્રા અને બપોરે 12 કલાકે ધજાનો ચઢાવો યોજાશે. બપોરે 2:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 6:30 કલાકે આરતી કરાશે. ત્રીજા અને અંતિમ દિવસે, શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન થશે. બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થશે, ત્યારબાદ સાંજે 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાશે. સાંજે 5 કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે. ત્રણ દિવસની ઉજવણી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે. બુધવાર, 21 જાન્યુઆરીના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટમાં રવિરામ હરિયાણી અને ગીતાબેન પટેલ દ્વારા સંતવાણી યોજાઈ હતી. ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 કલાકે હિંમતનગરના પ્રવીણભાઈ પંચાલના નિજાનંદ ગ્રુપ દ્વારા ભજન સંધ્યા યોજાશે.
ભરૂચ SOGએ ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો:અંકલેશ્વર NDPS કેસનો ફરાર આરોપી ભરૂચથી પકડાયો
ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપો પાસેથી પકડવામાં આવ્યો હતો. ભરૂચ SOGના પીઆઈ એ.વી. પાણમીયા અને એ.એચ. છૈયાના નેતૃત્વ હેઠળની ટીમને ATS ચાર્ટર મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, SOG ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસનો આરોપી કેશવ શાંતારામ ઘોટેકર ભરૂચના ભોલાવ બસ ડેપો પાસે હાજર છે. બાતમીના આધારે, SOG ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આરોપી કેશવ શાંતારામ ઘોટેકરને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ અને સરનામાની ખાતરી કર્યા બાદ તેની કાયદેસર અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર શહેરના જોગીવાડ ટાંકી વિસ્તારમાં આજે(21 જાન્યુઆરી) બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા પ્રદીપ મહેશભાઈ પડધરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવકનું ઘટનાસ્થળે જ મોતજોગીવાડ ટાંકી નજીક આજે બાઈક લઈને જઈ રહેલા પ્રદીપ મહેશભાઈ પડધરીયા (ઉંમર વર્ષ 38)ને પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયાબનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ભારે વાહનોની અવરજવર વધુ હોવાથી અકસ્માતના બનાવો બને છે: સ્થાનિકસ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં હેવી વાહનોની અવરજવર વધુ હોવાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
મોરબીમાં 6 ફેબ્રુઆરીએ ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ:ત્રણ સંસ્થાઓના સહયોગથી આદર્શ સ્કૂલ ખાતે આયોજન
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી, પાટીદાર વુમન્સ પાવર અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા મોરબીમાં ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ આદર્શ સ્કૂલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અને મોઢાના કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સ્ક્રીનિંગનો ખર્ચ ₹4,000 થી ₹5,000 જેટલો થતો હોય છે, પરંતુ આ કેમ્પમાં તે તદ્દન મફત ઉપલબ્ધ થશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરનું વહેલું નિદાન કરવાનો છે, જેથી દર્દીઓ સમયસર સારવાર મેળવી સ્વસ્થ જીવન જીવી શકે. આ સેવા ભાઈઓ અને બહેનો બંને માટે ઉપલબ્ધ રહેશે. આ એક દિવસીય કેમ્પમાં માત્ર 100 વ્યક્તિઓ જ લાભ લઈ શકશે, જેથી 'પહેલા આવો, પહેલા મેળવો' ના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
અંગ્રેજી નવું વર્ષ 2026 ભાવનગર મહાનગરપાલિકાની આ વર્ષની પ્રથમ સાધારણ સભા આગામી તા.31-1-2026 ને શનિવારના રોજ મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાશે, જેમાં અલગ અલગ 18 મુદ્દાઓ પર ચર્ચા થનાર છે, ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આગામી તા.31 ને શનિવારના રોજ મનપા કચેરીના સભાગૃહ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાશે, આ સભામાં સોલિડ વેસ્ટ વિભાગના સફાઈ કર્મચારી નું અવસાન થતા તેમના વારસદારને વારસાઈ હક તરીકે રાખવા ઉપરાંત કોર્પોરેશનના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની નિયમ મુજબ જોગવાઈ અને તે અંગેની સરકારમાં ભલામણ આ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાનોની હરરાજી સહિત કુલ 18 મુદ્દાઓ ચર્ચા છે, બીએમસી સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક ઠરાવો રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે, આ સાધારણ સભાને લઈને વિપક્ષ દ્વારા અલગ અલગ મુદ્દે શાસક પક્ષને ઘેરવા માટે હાલમાં તૈયારીઓ શરૂ કરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ખાસ કરીને શહેરમાં લાંબા સમયથી ચાલતા રોડ ડ્રેનેજ અને પાણીની લાઈનો પાથરવા સહિતના કામોમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે, આ સિવાય લોકોને પડી રહેલી હાલાકી ઉપરાંત કોર્પોરેશન દ્વારા લીઝ પર આપવામાં આવેલ પ્લોટ અંગે પણ ચર્ચા થનાર છે સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ દ્વારા વ્યૂહાત્મક પદ્ધતિ દ્વારા અધિકારીઓ અને શાસક પક્ષના હોદ્દેદારોને પકડમાં લેવા માટે પૂરતા પ્રયત્નો થનાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે વર્ષ 2026 ની પ્રથમ સાધારણ સભા યોજાઇ રહી છે.
આ ભૂલ કરી તો વાહન વેચી નહીં શકો, ફિટનેસ સર્ટિ. કે NOC પણ નહીં મળે! જાણો નવા નિયમ
Centre Tightens Rules on Highway Toll Violations : કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના નિયમો વધુ કડક કર્યા છે. હવે જો તમે ટોલ ટેક્સ નહીં ચૂકવો તો તમારા વાહનને NOC, ફિટનેસ સર્ટિફિકેટ અને નેશનલ પરમિટ નહીં મળે. ટોલ ટેક્સ ચોરી રોકવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો બનાવ્યા છે. નોંધનીય છે કે ઘણી વખત ફાસ્ટેગમાં કોઈ સમસ્યા હોય કે પછી ટેકનિકલ સમસ્યા સર્જાય ત્યારે ખાતામાંથી પૈસા નથી કપાતા અને ગાડીઓ ટોલ બૂથથી પસાર થઈ જાય છે. હવેથી આવા વાહનોનો અલગથી રેકોર્ડ રાખવામાં આવશે.
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલ 'કન્વીનર મીટ 2026' દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે. નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
જામ ખંભાળિયા-જામનગર નેશનલ હાઈવે પર કંચનપુર ગામના પાટિયા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને પેસેન્જર ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 3 મહિલાઓ અને 1 બાળકી સહિત કુલ 7 થી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર થયેલા આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
સુરતના ચર્ચિત બ્લૂ ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ ગણાતા જનક વિઠ્ઠલ જાગાણી સામે પોલીસે હવે 'લુક આઉટ નોટિસ' જાહેર કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. જનક હાલમાં લંડન ખાતે હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેથી તે અન્ય કોઈ દેશમાં નાસી ન છૂટે. દોઢ વર્ષ પહેલાં જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયોજનક જાગાણીના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તે સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા હીરાના કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મધ્યમવર્ગીય હીરા મજૂરનો પુત્ર હોવા છતાં, જનક ડ્રગ્સના કાળા કારોબારમાં કઈ રીતે સંકળાયો તે તપાસનો વિષય છે. જનક આશરે દોઢ વર્ષ પહેલાં જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયો હતો, પરંતુ ત્યાંથી તેણે સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવાનું શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. પરવટ પાટિયાની લેબમાં ડ્રગ્સ બનાવવાનું ષડયંત્રસુરતના પરવટ પાટિયા કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટરમાં 'ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરી' આવેલી છે. લંડન બેઠેલા જનકે આ લેબની માલિક ઈશા અણઘણને વિશ્વાસમાં લઈને તેના કહેવાથી બ્રિજેશ ભાલોડિયાને માત્ર 12 હજાર રૂપિયાના ભાડે લેબનો અમુક હિસ્સો અપાવ્યો હતો. આ નાનકડી 7 બાય 12 ફૂટની જગ્યામાં, ઈશાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને બ્રિજેશે જનકના ઈશારે હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં વપરાતું કેમિકલયુક્ત 'બ્લૂ મેફેડ્રોન' ડ્રગ્સ બનાવવાનું ગેરકાયદેસર યુનિટ શરૂ કરી દીધું હતું. કેમિસ્ટની મજબૂરીનો જનકે ઉઠાવ્યો ગેરલાભઆ કેસમાં પકડાયેલ બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. બ્રિજેશ ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં અંદાજે 3 લાખ રૂપિયા હારી ગયો હતો અને આર્થિક દેવામાં ડૂબી ગયો હતો. લંડન રહેતા જનક જાગાણીએ તેની આ નબળાઈનો સીધો ફાયદો ઉઠાવ્યો હતો. જનકે તેને ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કર્યો અને ઓર્ડર મુજબ કન્સાઈનમેન્ટ તૈયાર કરાવ્યા. બ્રિજેશ પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને માત્ર પાંચ દિવસમાં જ 1 કિલો જેટલું એમડી ડ્રગ્સ તૈયાર કરી શકતો હતો. સચીનની કેમિકલ કંપનીમાં પણ તપાસ લંબાવાઈબ્રિજેશ ભાલોડિયા સચીન જીઆઈડીસીની જે કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાંથી પણ તે ચોરી-છૂપીથી ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ લાવતો હોવાની પ્રબળ શંકા છે. SOG ના સ્ટાફે હવે તે કંપનીમાં પણ ઊંડી તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ માફિયાઓ કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા અને તે કેટલા સમયથી કંપનીમાંથી સામાનની ચોરી કરતા હતા તે અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. પોલીસ દ્વારા મુદ્દામાલની જપ્તી અને ધરપકડSOG ની રેડ દરમિયાન ઘટનાસ્થળેથી ડ્રગ્સ માફિયા બ્રિજેશ ભાલોડિયા સહિત પેડલર ખુશાલ વલ્લભ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો લાઠીયાની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પાસેથી ડ્રગ્સ બનાવવાનું સાહિત્ય, કેમિકલ્સ અને તૈયાર કરેલો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે મહિનામાં બ્રિજેશ પાંચથી વધુ વાર મોડી રાત્રે લેબ પર આવીને જનકના ઓર્ડર મુજબ ડ્રગ્સ બનાવતો હતો. આ નેટવર્ક દ્વારા સુરતમાં કેટલા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય થયું છે તેની વિગતો મેળવાઈ રહી છે. કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસહાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર જનક જાગાણી લંડનમાં હોવાથી તેની ધરપકડ કરવી પોલીસ માટે એક પડકાર છે, પરંતુ લુક આઉટ નોટિસ બાદ તેની મુશ્કેલીઓ વધવાની છે. પોલીસ દ્વારા લેબની માલિક ઈશા અણઘણની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. સુરત પોલીસનું આ ઓપરેશન શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટેનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ગુનેગારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 'કાંડ'! યુરોપથી લઈને હિંદ મહાસાગર સુધી હલચલ
Donlad Trump News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા 24 કલાકના પાંચ મોટા નિવેદનો અને આક્રમક વલણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પના આ પગલાં ભવિષ્યની મોટી ભૌગોલિક-રાજકીય ઉથલપાથલના સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને ગ્રીનલેન્ડ અને નોબેલ શાંતિ પુરસ્કારના મુદ્દે ટ્રમ્પનું વલણ અત્યંત આક્રમક જોવા મળી રહ્યું છે. 1.
ભાવનગર પેરોલ ફ્લો ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી કૈલાસ સોસાયટીના મકાનમાં રેડ કરી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 588 બોટલ સાથે એક શખસને ઝડપી પાડયો હતો. જ્યારે રેડ દરમિયાન કરશન પ્રવિણભાઈ મકવાણા (ખારશી) અને કૈલાસ સોસાયટીના બે શખસ હાજર મળી આવ્યા ન હતા. પેરોલ ફર્લો સ્ટાફે 3 શખસ સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂનો જથ્થો લાવ્યાની બાતમી મળી હતીઆ બનાવ અંગે પેરોલ ફ્લોની કચેરીથી મળતી માહિતી મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડનાં પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, લખન ઉર્ફે લખો જીવરાજભાઈ મકવાણા તથા સુનીલ અરજણભાઈ ગોહેલ (બંને ઘોઘારોડ, ચકુતલાવડી સામે, કૈલાસ સોસાયટીના રહેવાસી તથા કરશન પ્રવિણભાઈ મકવાણા (ખારશી) ઘોઘારોડ, ચકુતલાવડી સામે, કૈલાસ સોસાયટી, પ્લોટ નં.62ના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવ્યા છે અને ત્યાં સંતાડેલ છે. વિદેશી દારૂની 588 બોટલ અને 7.40 લાખનો મુદ્દામાલ જપ્તબાતમીના આધારે રેડ કરતા મકાનમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની બોટલ 564 નંગ કિ.રૂ.7,33,000 તથા 750 MLની 24 બોટલ કિ.રૂ.7680 મળી વિદેશી દારૂની 588 બોટલ કુલ રૂ.7,40,680નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી લખન ઉર્ફે લખો જીવરાજભાઈ મકવાણાની અટક કરી હતી. જ્યારે અન્ય સુનીલ અરજણભાઈ ગોહેલ અને કરશન પ્રવિણભાઈ મકવાણા (ખારશી) ભાવનગર હાજર મળી આવ્યા ન હતા.આ બનાવ પગલે પેરોલ ફર્લો સ્ટાફે 3 શખસ સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નશાકારક ગાંજાનું વેંચાણ થતુ હોવાની ફરીયાદને લઈ NSUIના કાર્યકર્તાઓએ રેડ કરતા બાઈક સાથે ઉભેલા બે શખસો નાસી છુટયા હતા. દરમિયાન બાઈકની તપાસ કરતા સીટ નીચે છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી સોપ્યો હતો. આ મામલે બાઈક ચાલક સામે નિલમબાગ NDPS હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે પોલીસે બાઈક ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે. બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પાછળ અમુક શખ્સો ગાંજાનું સેવન અને વેચાણ કરતા20 જાન્યુઆરીના રોજ ભાવનગર NSUI દ્રારા વ્યસન અને ડ્રગ્સ મુક્તિના કેમ્પનું આયોજન કર્યું હતું, જે કાર્યક્રમ પુર્ણ થતા NSUI કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે, ભાવનગર યુનિવર્સિટી કંમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પાછળ અમુક શખ્સો ગાંજાનું સેવન અને વેચાણ કરી રહયા છે. જે આધારે રેડ કરતા બે શખ્સ બાઈક મુકી નાસી છુટયા હતા. આ પણ વાંચો:મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગાંજો મળ્યો પોલીસે ગાંજો જપ્ત કર્યોજ્યારે તપાસ કરતા બાઈકની નીચે સીટમાં છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી હતી. ત્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભલગરીયા સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી બાઈક નંબર જીજે. 04. ઈબી- 4119 કબજે લઈ કાળી કોથળીમાં રહેલો લીલો ગાંજો 20 ગ્રામ કિંમત રૂા.1000 નો કબ્જે કર્યો હતો. NDPS એક્ટનો ગુનો નોંધાયો, બાઈકચાલકની શોધખોળજ્યારે આ બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.આર.ભલગરીયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બાઈક નંબર જીજે. 04. ઈબી- 4119 ના ચાલક સામે ગુન્હો દાખલ કરાવતા પોલીસે NDPS એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર એલસીબીએ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પરથી પ્રોહિબિશનના એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ.70 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પીઆઈ જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ બાલુભા ઝાલા (બેજ નં. 1405) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, તારીખ 20 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે લગભગ 5 વાગ્યે ચુડા તાલુકાના મોરવાડા બ્રિજ નજીક, અમદાવાદ-લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ટ્રક નંબર GJ 01 CX 4077ને રોકવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક રામભાઈ મોરી (ઉંમર 27, રહે. પોરબંદર)ની તપાસ કરતા, સોયાબીનના કોથળાની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 750 એમ.એલ.ની સીલબંધ બોટલોનો કુલ 4396 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 57,60,600/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, સોયાવડી મીણીયાની 580 થેલીઓ (કિંમત રૂ. 2,61,000/-), ટ્રક (કિંમત રૂ. 10000/-) અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 70,26,600/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો આરોપી નંબર ૨ જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ, પોરબંદર)ના કહેવાથી ભીલવાડાની સહયોગ હોટલ ખાતેથી ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યો હતો. આ જથ્થો જામનગરના એક અજાણ્યા ઇસમને પહોંચાડવાનો હતો. હાલ આરોપી નંબર 1 રામભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, પીએસઆઈ વી.એમ. કોડીયાતર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોમાં આરોપીએ લોકઅપની અંદર આવું અંતિમ પગલું ભર્યું.
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ખાસ કરીને ₹305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસ્લમ કુરેશી સહિત બેની ભૂમિકા ખુલતા પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. ભાજપના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સામે ગુજસીટોક જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને રાજકીય વગ ધરાવતા કુરેશી ભાઈઓ સામે પોલીસે ગાળિયો કસ્યો છે. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ તથા પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો ઈબ્રાહિમ કુરેશી સહિત કુલ 4 શખસ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. જેમાં કરીમ સીડા અને સેબાઝ કુરેશીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે .જેમાં ભાજપના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણના આ કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય. આ ગેંગ વિરુદ્ધ અગાઉ અનેક ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગંભીર ગુનાહિત ઇતિહાસ અને પોલીસ પર હુમલાની ઘટનાઓકુરેશી ગેંગ માત્ર આર્થિક ગુનાઓમાં જ નહીં, પણ શારીરિક હુમલાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ સામે હત્યાની કોશિશ, પોલીસ અધિકારીઓ પર હુમલો, જુગારધામ ચલાવવા, આર્મ્સ એક્ટ હેઠળ હથિયારો રાખવા અને સાયબર છેતરપિંડી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે જૂનાગઢ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હતી, જે પૈકીના જ એક સભ્ય હવે જેલના સળિયા પાછળ જશે. સાયબર ફ્રોડનું ₹305 કરોડનું આંતરરાષ્ટ્રીય નેટવર્કઆ સમગ્ર કેસના મૂળ ડિસેમ્બર 2025માં નોંધાયેલી એક ફરિયાદમાં છે. ₹305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની તપાસ દરમિયાન પોલીસને 192 શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા હતા, જેમાંથી 52 ખાતા જૂનાગઢના હતા. આ ખાતાઓમાં 'પ્રાઈમ ટ્રેડિંગ ગ્રુપ' જેવા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ગેમિંગની રકમ જમા કરવામાં આવતી હતી. આ નેટવર્ક દ્વારા ₹9.43 કરોડથી વધુની રકમ જૂનાગઢના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી, જેને ઉપાડીને આંગડિયા મારફતે ભાવનગર અને ત્યાંથી ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવતી હતી. દુબઈ કનેક્શન અને ઇરફાન જાદુગરની ભૂમિકાપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે જૂનાગઢના અલીમહમદ ઠેબા નામના શખસ દ્વારા આ મ્યુલ એકાઉન્ટ્સ ઓપરેટ કરવામાં આવતા હતા. કમિશન કાપીને આ નાણાં ભાવનગરના રાજુ ઉર્ફે રામ નામના શખસને અપાતા હતા. રાજુ આ નાણાંને USDT (ક્રિપ્ટોકરન્સી) માં રૂપાંતરિત કરી દુબઈમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ ઇરફાન જાદુગરને મોકલતો હતો. આ કેસમાં અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અસલમ કુરેશી, કરીમ સીડા અને સેબાઝ કુરેશી લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ સુખનાથ ચોકમાંથી ઝડપાયા હતા. 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ 17 આરોપીની ધરપકડસાયબર છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે ભાડે રાખેલા ખાતાઓ એટલે કે 'મ્યુલ એકાઉન્ટ્સ' વિરુદ્ધ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હાથ ધર્યું હતું. આ તપાસના તાર અવધૂત આશ્રમ સુધી પણ પહોંચ્યા હતા, જ્યાં એક સાધુની સંડોવણી પણ ખુલી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 17થી વધુ આરોપીઓ જેલ ભેગા થયા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને પીઆઈ વી. જે. સાવજની ટીમે ટેકનિકલ સોર્સ અને NCCRP પોર્ટલની મદદથી આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ પોલીસની કડક કાર્યવાહીહાલમાં પોલીસે અબ્બાસ કુરેશી અને તેની ગેંગ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતા હવે વધુ પૂછપરછમાં અનેક નવા નામો અને વધુ મિલકતોના ખુલાસા થવાની શક્યતા છે. આ કાર્યવાહીથી જૂનાગઢના રાજકીય અને ગુનાહિત આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સંગઠિત અપરાધ આચરનાર કોઈપણ શખસને છોડવામાં આવશે નહીં. આ પણ વાંચો: 305 કરોડના સાયબર ફ્રોડ માટે જૂનાગઢના 52 મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ, ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દુબઈ મોકલાતા, 9 ઝડપાયા; પૂર્વ કોર્પોરેટર સહિત 10 ફરાર
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જેતપર રોડ પર ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. રાત્રિના સમયે વિરાટનગરના પાટિયા પાસે બનેલી આ ઘટનામાં, ડમ્પરની કેબિનનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે અન્ય વાહનમાં દોરડા બાંધીને ડમ્પરની કેબિનને ખેંચવામાં આવી હતી. સફળતાપૂર્વક બહાર કઢાયા બાદ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અકસ્માતને કારણે જેતપર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, જોકે બાદમાં અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે પણ મોરબીના આમરણ ગામ પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતા સમાન પ્રકારનો અકસ્માત થયો હતો જેમાં પણ ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો.
પાટણ શહેરમાં સ્થાપિત 276 સીસીટીવી કેમેરાએ પોલીસની કામગીરીમાં નોંધપાત્ર મદદ કરી છે. આ ત્રીજી આંખ ને કારણે 2025ના એક વર્ષમાં પાટણ જિલ્લા અને શહેર પોલીસે પાંચ પ્રકારના કુલ 146 ગુનાઓ અને બનાવોનો ભેદ ઉકેલ્યો છે. આ કેમેરા ગુનાખોરીના પગેરાં શોધવામાં અને ગુમ થયેલી કે ચોરાયેલી વસ્તુઓ પાછી મેળવવામાં અત્યંત ઉપયોગી સાબિત થયા છે. પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે અત્યાધુનિક વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ રૂમ કાર્યરત છે. અહીં વિશાળ મોનિટરો દ્વારા 276 કેમેરા મારફતે પાટણ શહેરના મોટાભાગના વ્યૂહાત્મક વિસ્તારો પર નજર રાખવામાં આવે છે. હાલમાં, સિદ્ધપુરમાં 149 અને રાધનપુરમાં 99 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા વર્ષ 2025માં મિસિંગ પર્સન કેટેગરી હેઠળ 33 ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા. આમાં ઘરેથી કહ્યા વિના નીકળી ગયેલા, ગુમ થયેલા છોકરા-છોકરીઓ જેવા વિવિધ કિસ્સાઓમાં સીસીટીવી કેમેરા ખૂબ મદદરૂપ થયા હતા. આ ઉપરાંત, મિસિંગ થિંગ્સ એટલે કે ખોવાયેલી ચીજવસ્તુઓના 43 કેસમાં પણ કેમેરાએ મદદ કરી. આમાં એસીનું પાર્સલ ગુમ થવું, સીએનજી નોઝલ ભૂલી જવી, બે એક્ટિવા ગુમ થવા, પર્સ, પાર્સલ, 11 બાઈક, પાંચ મોબાઈલ અને રિક્ષામાં ભૂલી જવાયેલા સામાન (બેગ)ના 18 કેસનો સમાવેશ થાય છે. પોસ્ટ ઇન્સિડન્સ ઇન્વેસ્ટિગેશન (બનાવ બન્યા પછીની તપાસ) કેટેગરી હેઠળ 17 ગુનાઓ ઉકેલાયા હતા. આમાં છોકરીની છેડતી, ફાયરિંગ/મર્ડર/મારામારી સંબંધિત આઠ કેસ, પોક્સોનો એક, એસટી બસ અને અન્ય વાહનો પર પથ્થરમારાનો એક, દારૂના ત્રણ, એસબીઆઈ એટીએમમાં છેતરપિંડીનો એક, ચોરીનો એક અને અન્ય એક ગુનો સામેલ છે.વર્ષ 2025 દરમિયાન પાટણ જિલ્લામાં રોડ એક્સિડન્ટના 28 ગુનાઓ પણ સીસીટીવીની મદદથી ઉકેલાયા હતા. જ્યારે થિફ્ટ (ચોરી) કેટેગરીમાં કુલ 26 ગુનાઓનો ભેદ ઉકેલાયો. આમાં ઘરફોડ ચોરી અને અન્ય ચોરીના 13, બાઈક ચોરીના આઠ, મંદિરમાંથી ચોરીનો એક, મોબાઈલ ચોરીના બે અને સોનીની દુકાનમાંથી ચોરીના બે કેસનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ભૂસ્તર વિભાગની ટીમે સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડો પાડી 43 ગેરકાયદેસર કોલસાના કૂવા શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાની ખનીજચોરીનો પર્દાફાશ થયો છે. ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી 20 જાન્યુઆરી, 2025ના રોજ આ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ 43 કૂવામાંથી કાર્બોસેલ ખનીજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું જણાયું હતું. ટીમે ચરખી મશીનમાં વપરાતી મશીનરી, પાઈપો, સુંઢ, કેસિંગ, બકેટ તેમજ આશરે 100 મેટ્રિક ટન કાર્બોશેલ ખનીજનો જથ્થો સીઝ કર્યો છે. તમામ 43 કૂવા અને તેની આસપાસ પડેલા ખનીજના જથ્થાની માપણી કરવામાં આવી છે. માપણીના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડો ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસરૂપે પાડવામાં આવ્યો હતો.
(IMAGE - IANS) NASA Astronaut Sunita Williams Retires: ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસા(NASA)માંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ, ડિસેમ્બર 2025ના અંતમાં તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે.
વેરાવળ પાટણ શહેરમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર 2 અને 3માં ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેમ્પ દરમિયાન, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ નગરપાલિકાની બેદરકારી અને ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ભરાવાની સમસ્યાની સ્થળ પર મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ જોઈ અને તેમની રજૂઆતો સાંભળી હતી. સ્થાનિકોએ ગટર લાઈનોની ખામીને કારણે દુર્ગંધ, આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. કેમ્પમાં નાગરિકોની ફરિયાદો માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં લોકોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ નહીં આવે, તો આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે.
ગોધરા રેલવે સ્ટેશન રોડ પર ડામર કામ શરૂ:લાંબા સમયની હાલાકીનો અંત, વાહનચાલકોને રાહત
ગોધરા શહેરના વ્યસ્ત રેલવે સ્ટેશન રોડ પર વાહનચાલકોને લાંબા સમયથી પડતી હાલાકીનો અંત આવશે. ગોધરા નગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન રોડ, ખાસ કરીને પોલીસ ચોકી નંબર ૭ નજીકનો વિસ્તાર, શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે. આ માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકોને ખાડા અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. નગરપાલિકાએ આ માર્ગના નવીનીકરણનો નિર્ણય લીધો છે અને હાલમાં પોલીસ ચોકી નંબર ૭ આસપાસના વિસ્તારમાં ડામર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નવા ડામર રોડના નિર્માણથી વાહનચાલકોને ખાડાઓથી મુક્તિ મળશે અને અવરજવર સરળ બનશે. નગરપાલિકાની આ પહેલથી સ્થાનિક રહીશો અને વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે.
કાકણપુર પોલીસે 1.05 લાખના 6 મોબાઈલ પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ મૂળ માલિકોને સોંપ્યા
ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના અંતે શોધી કાઢેલા કુલ 6 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કર્યા હતા. આ મોબાઈલની અંદાજિત કિંમત ₹1.05 લાખ જેટલી થાય છે. લાંબા સમયથી ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન પરત મેળવવા માટે નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને આધારે કાકણપુર પોલીસની ટીમ કાર્યરત હતી. પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ-અલગ જગ્યાએથી આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે જ્યારે માલિકોને બોલાવી તેમના ફોન પરત કરવામાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. નાગરિકોએ કાકણપુર પોલીસની ત્વરિત કામગીરી અને પારદર્શક વહીવટની ભારોભાર પ્રશંસા કરી હતી. 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાની માલમિલકત શોધીને તેમને સુરક્ષિત રીતે પરત કરવાનો છે, જેથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ ગાઢ બન્યો રહે.
ગોધરામાં પરિણીતા પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ:પતિએ પોલીસમાં જાણવાજોગ નોંધાવી, શોધખોળ શરૂ
ગોધરા તાલુકાના સાંપા ગામમાંથી એક પરિણીતા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ છે. આ અંગે પતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંપા ગામના ડેરી ફળિયામાં રહેતા જયેશકુમાર છત્રસિંહ પગીની 33 વર્ષીય પત્ની સુમિત્રાબેન ગત 13 જાન્યુઆરીના રોજ સવારના સમયે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. તેઓ પોતાના પાંચ વર્ષના પુત્રને પણ સાથે લઈ ગયા હતા. પરિણીતા અને પુત્રની ઘણી શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આથી, જયેશકુમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોધરા તાલુકા પોલીસે આ મામલે જાણવાજોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રભાસપાટણમાં નાના કોળી સમાજ દ્વારા પરંપરાગત મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી. આ પર્વ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પ્રતિક બન્યું હતું. મહાબીજના દિવસે વહેલી સવારથી જ સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓએ માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. અંદાજે 8 થી 10 વિશાળ કડાઈઓમાં પરંપરાગત રીતે માલપુઆ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દિવસભર ચાલી હતી, જેમાં સ્વાદ અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તૈયાર થયેલા માલપુઆને મીની ટ્રેક્ટર દ્વારા સમાજની ઓફિસે લાવીને સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા રાત્રે ભક્તોને સુવ્યવસ્થિત રીતે મહાપ્રસાદ પીરસવા માટે કરવામાં આવી હતી. રાત્રિના સમયે મહાબીજ પર્વ નિમિત્તે 5,000થી વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓને માલપુઆનો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ દિવસે સમાજના લોકોએ પોતાના કામ-ધંધા બંધ રાખી ઉત્સવમાં ભાગ લીધો હતો, જેથી પરંપરા જીવંત રહી હતી. મહાબીજ પર્વના અવસરે રાત્રે રામદેવપીર મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભજન-સત્સંગ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા, આગેવાનો વજુભાઈ ગઢીયા અને જીતુભાઈ કામળીયા, તેમજ મહિલા સમિતિના હિરૂબેન ગરેજાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમણે વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, શાંતિ અને સ્વચ્છતાનું ઉત્તમ સંચાલન કર્યું હતું. મહાબીજ પર્વની આ ઉજવણી સમાજની એકતા, સેવા ભાવના અને સંસ્કૃતિને આગળ વધારવાનો સંદેશ બની રહી. નાના કોળી સમાજ દ્વારા જાળવાતી આ પરંપરા આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
દમણમાં 12 કલાકની જહેમત બાદ દીપડો પકડાયો:વન વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ
દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ધોબી તળાવ અને નાઈટ માર્કેટ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દમણના ડી.સી.એફ. હર્ષરાજ સિંહના જણાવ્યા મુજબ, દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ કેમેરા ટ્રેપ્સ અને પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે દીપડો ધોબી તળાવ વિસ્તારમાં દેખાતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે સવારે દીપડો નાઈટ માર્કેટ વિસ્તારમાં આવેલી એક દુકાનના પહેલા માળે અને બાદમાં ત્રીજા માળની દાદર પર બેઠેલો જોવા મળ્યો હતો. આ માહિતી મળતાની સાથે જ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડો અત્યંત ચપળ અને આક્રમક હોવાથી દમણ વન વિભાગે વલસાડ, સુરત અને ડહાણુ વન વિભાગની ટીમોની મદદ લીધી હતી. આ સંયુક્ત ઓપરેશનમાં વલસાડ અને ડહાણુની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમો સામેલ થઈ હતી. દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન દ્વારા ડાર્ટ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાએ વન વિભાગના એક કર્મચારી પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. સવારે 11:30 વાગ્યે શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન રાત્રે 11:30 વાગ્યે પૂર્ણ થયું હતું. લગભગ 12 કલાકની કઠિન મહેનત બાદ દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરવામાં આવ્યો છે. પકડાયેલા દીપડાને હવે કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડી.સી.એફ. હર્ષરાજ સિંહે જણાવ્યું કે દમણ જેવા શહેરી વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના ઘણા વર્ષો પછી બની છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસ, વન વિભાગ તથા કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
અમેરિકાના ભાવિ શિક્ષકો કચ્છના રણમાં:અગરિયા બાળકોના શિક્ષણ પર સંશોધન કર્યું
અમેરિકાના ભાવિ શિક્ષકો અને પ્રોફેસરોની એક ટીમે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોના શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી. મિયામી યુનિવર્સિટી (ઓહિયો)ના પ્રોફેસર મેઘન અને લી આર્મ્સસ્ટ્રોંગના નેતૃત્વ હેઠળ 16 ભાવિ શિક્ષકોની આ ટીમ કચ્છ પહોંચી હતી. તેમણે રણની વિષમ પરિસ્થિતિઓમાં કાર્યરત 'રણ બસશાળા' અને 'સાવડા આશ્રમ શાળા'ની મુલાકાત લીધી હતી. ટીમે દસાડા રણ રાઇડર રિસોર્ટ ખાતે રોકાઈને રણકાંઠાના પછાત વિસ્તારોમાં ચાલતા શિક્ષણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને, અગરિયા બાળકો માટે રણમાં જઈને શિક્ષણ આપતી 'મોબાઈલ બસશાળા' તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમણે બાળકો અને સ્થાનિક શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને એક વિસ્તૃત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સાવડા આશ્રમ શાળાના સંચાલક પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે, અમેરિકન વિદ્યાર્થીઓએ શાળાના બાળકો સાથે સામુહિક પ્રાર્થના કરી અને ગીતો ગાયા. તેમણે ગુજરાતની શિક્ષણ પદ્ધતિને સમજી અને અમેરિકાની શિક્ષણ પ્રણાલી વિશે પણ અહીંના બાળકો અને શિક્ષકોને માહિતગાર કર્યા. દસાડા રણરાઇડરના રિઝવાન મલિકે માહિતી આપી કે, આ ટીમ અગાઉ 10 વર્ષ પહેલા પણ આ વિસ્તારની મુલાકાતે આવી હતી, જે કચ્છના આ અનોખા શિક્ષણ મોડેલમાં તેમની ઊંડી રુચિ દર્શાવે છે. રવિવારની રજા હોવાથી તેઓ ગ્રામ્ય શાળાની મુલાકાત લઈ શક્યા નહોતા, પરંતુ રણશાળાના અનુભવોથી તેઓ પ્રભાવિત થયા હતા.
રાપરમાં વ્યાજખોર ઝડપાયો:વિકલાંગને ઊંચા વ્યાજે પૈસા આપી બમણું વ્યાજ વસૂલતો હતો
રાપર પોલીસે વ્યાજખોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. કિશોરભા કાનાભા ગઢવી (ઉંમર ૩૮, રહે. અયોધ્યાપુરી, રાપર, કચ્છ) નામના આ આરોપીએ એક વિકલાંગ ફરિયાદીને ઊંચા વ્યાજે પૈસા આપી, બમણું વ્યાજ વસૂલીને હેરાન કર્યા હતા. આ અંગેનો ગુનો ૧૬ જાન્યુઆરીના રોજ બપોરે ૪ વાગ્યે રાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કરોડીયા અને પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ સાગર બાગમાર દ્વારા ઊંચા વ્યાજ દરે પૈસા આપતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે રાપર પોલીસે આ કાર્યવાહી કરી છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેમને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ વ્યાજના બમણા રૂપિયાની જોર-જબરદસ્તીથી ઉઘરાણી કરીને હેરાન-પરેશાન કર્યા હતા. આ ગુનાના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાને મળેલી બાતમીના આધારે આરોપી કિશોરભા કાનાભા ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનો ધ નાણા ધીરધાર અધિનિયમની કલમો હેઠળ દાખલ કરાયો છે. રાપર પોલીસ જાહેર જનતાને અપીલ કરે છે કે જો કોઈ નાગરિકને આરોપી કિશોરભા કાનાભા ગઢવી કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ રીતે ઊંચા વ્યાજે રૂપિયા આપી ગેરકાયદેસર વસૂલી કરવામાં આવતી હોય, તો રાપર પોલીસ સ્ટેશનના મો.નં. ૬૩૫૯૬ ૨૬૮૬૨ પર ફોન કરીને જાણ કરવી અથવા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળીને માહિતી આપવી. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 અને લોકરક્ષક (Lokrakshak) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં આજે 21 જાન્યુઆરીએ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ લેવાશે. પુરુષો માટે 11 અને મહિલા અને માજી સૈનિક માટે 4 ગ્રાઉન્ડઆ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે આજે 21 જાન્યુઆરીથી શરૂ . પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે આજે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે. આ પણ વાંચો: LRDની રનિંગ ટેસ્ટ 25 મિનિટમાં પૂરી કરવા શું કરવું? SP કક્ષાના અધિકારી ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે નિયુક્તદરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની મદદ માટે 90થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત, દરેક ગ્રાઉન્ડની દેખરેખ માટે DIGP અથવા IGP કક્ષાના અધિકારીને સુપરવિઝન અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. સમગ્ર ભરતી પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દોડ કસોટી દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ યોજાશે. શારીરિક માપ કસોટીમાં પુરુષ ઉમેદવારોની ઊંચાઈ અને છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમતમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. શારીરિક કસોટીના માપદંડ મુજબ પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. ઊંચાઈના માપદંડ મુજબ અનુસૂચિત જનજાતિ (ST)ના પુરુષ ઉમેદવારો માટે 162 સે.મી. અને અન્ય માટે 165 સે.મી. ઊંચાઈ ફરજિયાત છે. મહિલા ઉમેદવારોમાં ST માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. તમામ પુરુષ ઉમેદવારોની છાતીનું ન્યૂનતમ માપ 79 સે.મી. અને ફુલાવા સાથે 84 સે.મી. હોવું જરૂરી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે પંચમહાલ જિલ્લાના એક ચોંકાવનારા કેસ વિશે વાંચ્યું. જેમાં રાજ નામના યુવકના રણછોડ સાથે સમલૈંગિક સંબંધો હતા. રાજથી કંટાળીને એક દિવસ રણછોડે ઘરે આવીને રાજના મોટાભાઇ સહિત આખા પરિવાર સામે ભાંડો ફોડી દીધો. ત્યાર બાદ મોટો ઝઘડો થયો હતો. આ ઘટનાના બીજા દિવસે રાજ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. પોલીસે જ્યારે તપાસ કરી તો ત્રીજા દિવસે નર્મદા કેનાલ પાસેથી તેનું બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જો કે નર્મદા કેનાલમાં તરવૈયાઓની મદદથી શોધખોળ પણ હાથ ધરવામાં આવી. તેમ છતાં રાજની ડેડબોડી ન મળી. રાજના ગુમ થયાના લગભગ અઠવાડિયા બાદ અચાનક એક દિવસ તેનો મોબાઇલ એક્ટિવ થયો. પરિવારના એક સભ્ય પર ફોન એક્ટિવ થયાનો મેસેજ આવ્યો એટલે તેના પર કોલ કર્યો. સામા છેડે રણછોડ કોઇ અન્ય વ્યક્તિ સાથે વાત કરતો હોય એમ સંભળાયું. એટલે કે ફોન ભૂલથી ઉપડી ગયો હતો. આ જ કારણે પોલીસ રાતોરાત ફરીથી રણછોડને ઉપાડી લાવી અને પૂછપરછ શરૂ કરી. પહેલો પાર્ટ વાંચવા અહીં ક્લીક કરો હવે આગળનો ઘટનાક્રમ વાંચો… પોલીસ સ્ટેશનના એક ખૂણામાં લેમ્પના પ્રકાશ નીચે રણછોડ બેઠો હતો. શરૂઆતમાં તો દરેક પાકા ગુનેગારની જેમ તેણે એ જ રટણ ચાલુ રાખ્યું, સાહેબ, મને કંઇ ખબર નથી. હું તો મારા ઘરે હતો. રાજ ક્યાં છે એની મને શું ખબર? કલાકો સુધી પૂછપરછ ચાલી. રણછોડની આંખોમાં ડર હતો પણ જીભ હજુ સત્ય બોલવા તૈયાર હોય એમ લાગતું નહોતું. તે વારંવાર એક જ વાત રિપીટ કરતો હતો કે તે નિર્દોષ છે. પોલીસને પણ એક ક્ષણ માટે એવું લાગ્યું કે કદાચ રણછોડ ખરેખર અજાણ છે અને મોબાઇલની વાતમાં કોઇ ટેકનિકલ ભૂલ હોઇ શકે. રણછોડ પોલીસની કસ્ટડીમાં નીચું જોઇને બેઠો હતો. ટેબલ પર રાજનો એ ગુમ થયેલો મોબાઇલ પડ્યો હતો, જે રણછોડ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. પીએસઆઇ ચુડાસમા ખૂબ અનુભવી હતા. તેમણે જોયું કે સીધી આંગળીએ ઘી નીકળે તેમ નથી. રણછોડ સાથે કડકાઇ છોડીને યુક્તિ વાપરવાનું નક્કી કર્યું. તેમણે રણછોડને વિશ્વાસમાં લીધો. જાણે તેઓ તેને બચાવવા માંગતા હોય તેવી રીતે વાતચીત શરૂ કરી. મનોવૈજ્ઞાનિક દબાણ અને પોલીસની એ ચતુર ચાલમાં રણછોડ આખરે ફસાઇ ગયો. તેના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. તેનું મૌન તૂટ્યું અને તે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો. પોલીસે રણછોડને બોલવાનો આદેશ આપ્યો. 54 વર્ષના એ આધેડ વ્યક્તિના અવાજમાં ધ્રૂજારી હતી પણ શબ્દોમાં કચવાટ હતો. સાહેબ, રાજ મને છોડતો નહોતો. તે અવારનવાર મને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતો. હું થાકી ગયો હતો એટલે જ એ સાંજે હું એના ઘરે ફરિયાદ કરવા ગયો હતો પણ એ વાતથી રાજ ભડકી ગયો પછી એણે મને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી. રણછોડે આગળ જણાવ્યું, 8મી જાન્યુઆરીની બપોરે રાજ પાવાગઢના નવાગામમાં આવેલી વાડીએ આવ્યો. એ બરાબરનો ગુસ્સે થયેલો હતો. એણે મને કહ્યું કે 'તેં મારા ઘરે જઇને આપણા સંબંધોની વાત કેમ કરી? હવે તારે મારું જ કહ્યું કરવાનું, ક્યાંય પણ જાય તો મને પૂછીને જવાનું, નહીં તો તને મારી નાખીશ અને તારા નગ્ન ફોટા દુનિયાને બતાવી દઇશ.' સાહેબ, એની પાસે મારા વાંધાજનક વીડિયો અને ફોટા હતા. મેં ડરમાં ને ડરમાં એનો મોબાઇલ ઝૂંટવી લીધો. એ પછી રાજ બાઇક લઇને ત્યાંથી જતો રહ્યો. મેં ડરના માર્યા એ ફોન પાવાગઢના ગાઢ જંગલમાં છૂપાવી દીધો હતો. એ મોબાઇલ ફોન ખોલીને તપાસ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી. એ ફોન ગંદી તસવીરો અને વીડિયોથી ભરેલો હતો. રાજ માત્ર રણછોડ જ નહીં, પણ અન્ય કેટલાય પુરુષો સાથે સજાતીય સંબંધો ધરાવતો હોવાના પુરાવા તેમાં મળ્યા. રાજનું એક બીજું જ પાસું દુનિયા સામે આવી રહ્યું હતું. પરંતુ, પોલીસની નજર રણછોડના નિવેદનમાં રહેલી ખામીઓ પકડી રહી હતી. પીએસઆઇ ચુડાસમાએ ટેબલ પર હાથ પછાડતા પૂછ્યું, રણછોડ… જો તે ફોન ઝૂંટવી લીધો અને રાજ બાઇક લઇને જતો રહ્યો તો એની બાઇક કેનાલ પાસે બિનવારસી હાલતમાં કેમ મળી? અને રાજ પોતે ક્યાં છે? જો તે આત્મહત્યા કરી હોય તો લાશ કેમ નથી મળતી? રણછોડ પાસે આ વાતનો કોઇ જવાબ નહોતો. તે ફરી એ જ વાતનું રટણ કરવા લાગ્યો કે રાજ ત્યાંથી નીકળી ગયો હતો. જે તે સમયે પોલીસ પણ રણછોડ પાસેથી વધારે વિગતો કઢાવી ન શકી એટલે તેને જવા દેવામાં આવ્યો. આમ ને આમ એક અઠવાડિયું વિતી ગયું હતું. રાજ ગુમ થયાને 8 દિવસ થયા હોવા છતાં પોલીસ હજુ પણ અંધારામાં હતી. રણછોડની કબૂલાત કાયદાકીય રીતે માત્ર મોબાઇલ ચોરી સુધી સિમિત હતી પણ રાજનો પત્તો ક્યાંય નહોતો. રાજના ભાઇ અજયની આશા હવે તૂટી રહી હતી. પોલીસને લાગતું હતું કે રણછોડ હજુ પણ ઘણું છૂપાવી રહ્યો છે. પીઆઇ જાડેજા અને પીએસઆઇ ચુડાસમાની અનુભવી નજરો રણછોડના ચહેરા પરના બદલાતા હાવભાવને પકડી રહી હતી. રણછોડ જે રીતે વારંવાર નિવેદન બદલતો હતો તેનાથી સ્પષ્ટ હતું કે સત્ય અત્યંત બિહામણું છે. પોલીસે હવે રણછોડના પરિવારની પણ ગુપ્ત તપાસ કરી અને તેને એવો વિશ્વાસ અપાવ્યો કે જો તે સાચું કહી દેશે તો કદાચ કોઇ રસ્તો નીકળશે. અંતે, રણછોડની ધીરજ ખૂટી. તેના મન કેટલાક દિવસથી ગોંધાઇ રહેલા પાપનો ભાર હવે તે ખમી ન શક્યો. તેણે જે ઘટસ્ફોટ કર્યો તે સાંભળીને પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો. સાહેબ, છેલ્લા એક વર્ષથી હું નરકમાં જીવતો હતો... રણછોડે માંડીને આખી વાત શરૂ કરી. રણછોડે કબૂલાત કરી કે રાજ સાથે તેને છેલ્લા એક વર્ષથી સજાતીય સંબંધો હતા. રાજનો અતિરેક અને તેની જીદ રણછોડ માટે માનસિક ત્રાસ બની ગઇ હતી. સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર અને રાજની સતત વધતી માંગણીઓથી કંટાળીને રણછોડે અજયના ઘરે જઇને વાત કરી હતી. પણ આ વાતથી રાજ આ હદે ગુસ્સે થઇ જશે એવી રણછોડને કલ્પના નહોતી. 8 જાન્યુઆરી, 2023 રવિવારનો બપોરનો એ રક્તરંજિત સમય. બપોરના બારેક વાગ્યા હતા. રણછોડ નવાગામમાં પોતાની વાડીમાં હતો. રાજ ત્યાં રાતોચોળ થઈને આવ્યો. બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ગાળાગાળી અને ધમકીઓના દોર બાદ રાજ થાકીને વાડીમાં આવેલી ઝૂંપડીમાં આડો પડ્યો. તેને ખબર નહોતી કે તે કાળની ગોદમાં માથું મૂકી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં થયેલા બે મોટા ઝઘડાના કારણે રણછોડના મનમાં વેર અને બીકનું ઝેર ચડ્યું હતું. રણછોડને લાગ્યું કે જો આજે રાજને ખતમ નહીં કરે તો તેને જીવવા નહીં દે. રણછોડ આસપાસ જોયા વગર ઝૂંપડીમાં પડેલી ધારદાર કુહાડી ઉપાડી અને રાજ પર તૂટી પડ્યો. રણછોડે એક પછી એક ઘા રાજના ગળા અને કપાળ પર ઝીંકી દીધા. એક ક્ષણ પહેલાં જીવતો-જાગતો રાજ હવે લોહીથી રંગાઇ ગયો હતો અને તરફડી રહ્યો હતો. ગળામાંથી નીકળતા લોહીના ફૂવારાથી ઝૂંપડાની જમીન લાલ-લાલ થઇ ગઇ હતી. થોડી જ વારમાં રાજનો દેહ શાંત થઇ ગયો પણ રણછોડનો ફફડાટ વધી ગયો. રણછોડે હવે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેને ભાન થયું એટલામાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. હવે રણછોડે આ લાશનો નિકાલ કરવાનું નક્કી કર્યું. તે લોહીલુહાણ લાશને એક જૂની ગોદડીમાં લપેટીને ખભે ઊંચકીને બાજુના ખેતર તરફ ચાલવા લાગ્યો. પડોશીના ખેતરમાં વરિયાળીનો પાક લહેરાતો હતો ત્યાં પૂર્વ દિશાએ આવેલા એક ઘટાદાર ખેરના ઝાડ નીચે ખાડો ખોદ્યો પછી પુરાવા નાશ કરવા માટે તે મીઠું લઇ આવ્યો. તેણે લાશ પર મીઠું નાખ્યું જેથી દેહ જલ્દી ઓગળી જાય. લાશને દાટી દીધા પછી તેણે રાજના ચપ્પલ અને પાકીટ પણ અલગ-અલગ જગ્યાએ જમીનમાં ધરબી દીધા. તે પાછો પોતાની ઝૂંપડીએ આવ્યો અને જમીન પર પડેલા રાજના લોહી પર માટી નાખી દીધી. જાણે ત્યાં કંઇ બન્યું જ ન હોય. આ સાંભળીને પોલીસકર્મીઓ પણ સ્તબ્ધ હતા. જેને તેઓ કેટલાક દિવસથી નર્મદા કેનાલમાં શોધી રહ્યા હતા તેની લાશ તો પાવાગઢની એક વાડીમાં ઝાડ નીચે દફન હતી. રણછોડની કબૂલાતે હાલોલ પોલીસને ચોંકાવી દીધી હતી પરંતુ કાયદો માત્ર શબ્દો નહીં, પુરાવા જુએ છે. રણછોડ સાચું બોલે છે કે પોલીસને ભટકાવે છે, તેની ખાતરી કરવા માટે પીઆઇ આર.એ.જાડેજા અને પીએસઆઇ ચુડાસમાએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને ચકાસણી કરવાનું નક્કી કર્યું. 15 જાન્યુઆરી, 2023ના રોજ બપોરના સમયે પોલીસનો કાફલો રવાના થયો. વળી ઘટનાસ્થળ પાવાગઢ પોલીસની હદમાં હોવાથી તેમને પણ જાણ કરવામાં આવી. એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ અને પંચોની હાજરીમાં રણછોડને પાવાગઢમાં આવેલા નવાગામની વાડીમાં વરિયાળીના ખેતર પાસે લઇ જવામાં આવ્યો. રણછોડના પગ ધ્રૂજતા હતા પણ આજે તે ભાગી શકે તેમ નહોતો. તેણે ખેતરના શેઢા પાસે આવેલા ખેરના ઝાડ તરફ આંગળી ચીંધી. પોલીસે ખોદકામ શરૂ કરાવ્યું. જેમ-જેમ માટી હટતી ગઇ, તેમ-તેમ વાતાવરણમાં એક અસહ્ય દુર્ગંધ પ્રસરવા લાગી. થોડી જ વારમાં ગોદડીમાં લપેટાયેલી એક ડેડબોડી દેખાઇ. લાશ પર મીઠું નાખેલું હોવાઓથી ઘણા અંશે ડિકમ્પોઝ થઇ ગઇ હતી પરંતુ કપડાં હજુ એવાને એવા જ હતા. લાલ, સફેદ અને કાળા રંગનું બનિયાન અને ટ્રેક પેન્ટ જોઇને અજયની ચીસ નીકળી ગઇ…. આ જ મારો ભાઇ રાજ છે રાજના કપાળ અને ગળા પર કુહાડીના એ ઘા હજુ પણ રણછોડની ક્રૂરતાની સાક્ષી પૂરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી લોહીવાળી માટી, કુહાડી, રાજના પાકીટ-ચપ્પલ અને લોહીના ડાઘાવાળા લાકડાના ટુકડા જપ્ત કર્યા. ફોરેન્સિક તપાસ માટે બ્લડ સેમ્પલ અને કપડાં પણ કબજે લેવાયા. જ્યાં ગુનો બન્યો તે સ્થળ પાવાગઢ પોલીસની હદમાં હોવાથી આ ગુનાની આગળની તપાસ પાવાગઢ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.જે. જાડેજાએ હાથ ધરી હતી. તેમણે રણછોડની ધરપકડ કરી. તપાસના અંતે 13 એપ્રિલ, 2023ના રોજ હાલોલની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. કેસની ગંભીરતા જોતા તેને સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટમાં જ્યારે આ કેસ ચાલ્યો ત્યારે વાતાવરણ ભાવુક અને ગંભીર હતું. એક તરફ સમાજની મર્યાદાઓ તોડતા સજાતીય સંબંધોનો વિવાદ હતો તો બીજી તરફ એક મિત્રએ જ કરેલી મિત્રની નિર્મમ હત્યા હતી. એડિશનલ સેશન્સ જજ સંજયકુમાર સી. ગાંધી સામે તમામ સાંયોગિક પુરાવાઓ, મેડિકલ રિપોર્ટસ અને સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરવામાં આવી. રણછોડના વકીલે બચાવમાં દલીલ કરી હતી પરંતુ પુરાવાઓ કંઇક અલગ જ કહી રહ્યા હતા. હત્યા કરીને લાશને મીઠું નાખી દાટી દેવી એ ઘટના પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારો કરતી હતી. 6 ઓક્ટોબર, 2025ના રોજ એ સમય આવ્યો જ્યારે કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટ રૂમમાં પિન-ડ્રોપ સાયલન્સ હતું. 56 વર્ષના રણછોડના ચહેરા પર પસ્તાવો હતો કે નહીં તે કહેવું મુશ્કેલ હતું પરંતુ કાયદાનો હાથ તેના ગળા સુધી પહોંચી ગયો હતો. જજે ચુકાદો સંભળાવ્યો… આરોપી રણછોડને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ તકસીરવાન ઠેરવવામાં આવે છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. કોર્ટના આ હુકમ સાથે જ પંચમહાલના એ રહસ્યમયી મર્ડર કેસનો અંત આવ્યો. રાજની હત્યાના લોહીના ડાઘા ભલે મીઠા અને માટીમાં ભળી ગયા પણ કાયદા સામે સત્ય બહાર આવી જ ગયું. એક ભૂલ ભૂલામણી જેવા સંબંધોનો કરુણ અને રક્તરંજિત અંજામ જેલના સળિયા પાછળ જઇને અટક્યો. (નોંધ- પાત્રોના નામ બદલેલા છે)
ભારતીય ક્રિકેટરોએ પેંચમાં જંગલ સફારીની મજા માણી
નાગપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા સચિન તેન્ડુલકર અવારનવાર ટાઇગર સફારીમાં જાય છે ઃ રિલેક્સ થયેલા ખેલાડીઓનો આજે મુકાબલો મુંબઇ- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતી કાલે નાગપુરમાં પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે એ પૂર્વે ભારતીય ક્રિકેટરોએ પેંચનાં જંગલમાં જઇ વાઘ-દર્શનનો આનંદ માણ્યો હતો. નાગપુરના વી.સી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બીજા મોટા સમાચાર પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદના હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે રહેશે. કુરુક્ષેત્રમાં પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 2. અરવલ્લી રેન્જ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું-સુપ્રીમ કોર્ટના ખભા પર બંદૂક ના મુકો:તમે ક્યાં સુધી આ રીતે છટકી શકશો? વહીવટીતંત્રે તેમના શંકરાચાર્ય દરજ્જાના પુરાવા માંગ્યા હતા પ્રયાગરાજમાં પાલખી રોકવા મામલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળા પ્રશાસન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ખભા પર બંદૂક રાખીને પ્રશાસનથી જે ભૂલ થઈ છે, તેને આ લોકો છુપાવવા માગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટનો ખોટો હવાલો આપીને આ લોકો ક્યાં સુધી બચી શકશે? ખુદ સરકારે મહાકુંભમાં એક પત્રિકા છાપી હતી, તેમાં મને શંકરાચાર્ય તરીકે નામ છાપવામાં આવ્યું હતું. આ પહેલા ધરણા પર બેઠેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને માઘ મેળા પ્રશાસને નોટિસ જારી કરી હતી. મેળા પ્રાધિકરણે તેમને 24 કલાકમાં એ સાબિત કરવા કહ્યું છે કે તેઓ જ અસલી શંકરાચાર્ય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદીએ કહ્યું, હું ભાજપનો કાર્યકર્તા ને નીતિનજી મારા બોસ:નીતિન નબીનની પીઠ થપથપાવી, હાથ પકડીને BJP અધ્યક્ષની ખુરશી પર બેસાડ્યા; દીકરીને ખોળામાં લઈને રમાડી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું, ભાજપે શૂન્યથી લઈને શિખર સુધીની યાત્રા જોઈ છે. ભાજપના એક સંસ્કાર છે, એક પરિવાર છે અને સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે, જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. અહીં અધ્યક્ષ બદલાય છે, પણ આદર્શ બદલાતા નથી. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શેરીમાં કૂતરાંને બિસ્કિટ આપતાં પહેલાં બેવાર વિચારજો:સુપ્રીમ કોર્ટે કહ્યું, રખડતાં કૂતરાં કોઈને કરડે તો ખવડાવનાર પણ જવાબદાર; અમારી ટિપ્પણીઓને મજાક ન સમજો, અમે ગંભીર છીએ સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતાં કૂતરાંના હુમલાઓ પર સખત ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું, 'રખડતાં કૂતરાંના કોઈ હુમલામાં ઈજા કે મૃત્યુ થાય તો નગરપાલિકાની સાથે ડોગ ફીડર્સની જવાબદારી પણ નક્કી કરી શકાય છે.' કોર્ટે કહ્યું- અગાઉની સુનાવણીની ટિપ્પણીઓને મજાક સમજવી ખોટી હશે. અમે ગંભીર છીએ. કોર્ટ જવાબદારી નક્કી કરવામાં પાછળ નહીં હટે, કારણ કે વર્તમાન વ્યવસ્થામાં સ્થાનિક તંત્રની નિષ્ફળતા સામે આવી છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું- કોર્ટ ખાનગી પક્ષોની દલીલો પૂરી કરીને આજે જ સુનાવણી સમાપ્ત કરવા માગે છે. આ પછી રાજ્યોને એક દિવસનો સમય આપવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા!:સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, શું ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જીદની અસર? ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તબાહીનો મંજર જોવા મળ્યો. મંગળવારે સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટીને 82,180.47 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25,232.50 પર બંધ થયો. નિફ્ટી બેંકમાં 487 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જોકે ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ સુધી ગગડી ગયા હતા. આટલા મોટા કડાકાને કારણે મંગળવારે રોકાણકારોના 10.12 લાખ કરોડ રૂપિયા એક ઝટકામાં સ્વાહા થઈ ગયા. BSEના ટોપ 30 શેરોમાં માત્ર HDFC બેંકને બાદ કરતાં બાકીના તમામ 29 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. સૌથી વધુ ઘટાડો Zomatoના શેરમાં (4%થી વધુ) રહ્યો. આ સિવાય બજાજ ફાઈનાન્સ, સનફાર્મા, ઇન્ડિગો, રિલાયન્સ અને TCS જેવા દિગ્ગજ શેરો પણ ધરાશાયી થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પની ફ્રેન્ચ વાઈન પર 200% ટેરિફ લગાવવાની ધમકી:મેક્રોનનો પ્રાઈવેટ મેસેજ લીક કર્યો, તેમણે ગાઝા મુદ્દે સાથ આપવાનો ઈનકાર કર્યો હતો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે. તેમણે કહ્યું, 'જો મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’ વાંચો સંપૂર્ણ સમાચાર 6. GPSCની પરીક્ષાઓના કોલલેટરની તારીખો જાહેર:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી સાત ભરતીની હોલ ટિકિટ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હવે મારે મરવા સિવાય કોઈ રસ્તો નથી':મારી પત્ની બીજા સાથે ભાગી તોપણ મેં સાચવી, હવે છૂટાછેડાના બે લાખ માગે છે; પત્ની-સાસરિયાંના ત્રાસથી યુવકની આત્મહત્યા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા યુવકે પત્ની અને સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવીને સાસરિયાં પર આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ પુત્રના મોતનું કારણ તેનાં સાસરિયાં હોવાનું જણાવ્યું છે. આ અંગે હાલ પોલીસે એ.ડી. નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા ધનાભાઈ સોંદરવા મોટા પુત્ર ગોપાલના પહેલા લગ્ન ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા, જોકે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ ગોપાલના બીજા લગ્ન 11 મહિના પહેલાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામે રૂપલ નામની યુવતી સાથે થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : DGPના ‘ડર્ટી પિક્ચર’થી કર્ણાટક સરકાર હચમચી:અશ્લીલ વીડિયો કાંડમાં રામચંદ્ર રાવ સસ્પેન્ડ; DGP બોલ્યા- આ વીડિયો 8 વર્ષ જૂનો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વિશ્વયુદ્ધના ભણકારા? ગ્રીનલેન્ડ પર કબજા માટે ટ્રમ્પની જીદ:અમેરિકાએ મિલિટરી એરક્રાફ્ટ મોકલ્યું, જર્મની, ફ્રાન્સ સહિત 7 દેશે સૈનિકો મોકલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : BMC મેયર પદ- શિવસેનાએ ફરી દાવેદારીના સંકેત આપ્યા:શિંદેએ કહ્યું- કાર્યકરોની ઈચ્છા, બાળ ઠાકરેની જન્મશતાબ્દી પર શિવસૈનિક મેયર બને વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેના PMએ કહ્યું- નોબેલ સરકાર નહીં, કમિટી આપે છે:ટ્રમ્પની ફરિયાદ પર જવાબ આપ્યો; ટ્રમ્પે કહ્યું- હવે ઇનામ નહીં દેશનો ફાયદો વિચારી રહ્યો છું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹10,888 વધીને ₹3.05 લાખની ઓલટાઇમ હાઇ પર:20 દિવસમાં કિંમત ₹74 હજાર વધી, સોનું ₹2,429 વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શું રોહિત-કોહલીને કરોડોનો ફટકો પડશે?:અજિત અગરકરે નવું ગતકડું કાઢ્યું, ગિલને પ્રમોશન નક્કી; સેન્ટ્રલ કોન્ટ્રેક્ટનું માળખું બદલાયું તો RO-KOને ડિમોશન મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતે રાજાના અહંકારનું આભરણ તોડ્યું:જીવનનો બોધપાઠ આપતા કહ્યું- 'પરિસ્થિતિ ગમે તે હોય, સંતોષ જ સાચું સુખ છે' વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 25,00,000 રૂપિયામાં બન્યું લગ્નનું કાર્ડ જયપુરમાં એક પિતાએ પોતાની દીકરીના લગ્ન માટે 3 કિલો ચાંદીમાંથી વેડિંગ કાર્ડ તૈયાર કરાવ્યું છે. તેમાં 65 દેવી-દેવતાઓની કોતરણી છે. આ કાર્ડની કિંમત અંદાજે ₹25 લાખ રૂપિયા છે. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: UP પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને કહ્યું- 'તમે શંકરાચાર્ય જ નથી, 24 કલાકમાં જવાબ આપો'; આખરે શું છે શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા 2. Editor's View: ધર્મયુદ્ધ Vs. સત્તાયુદ્ધ: અસલી શંકરાચાર્ય કોણ? નોટિસે બળતામાં ઘી હોમ્યું, જાણો અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વિવાદની કહાની 3. ભાસ્કર એક્સક્લૂસિવ : ઝીરો સેલરી લઈને સૌથી અમીર પાર્ટી સંભાળશે નીતિન નબીન: એકાઉન્ટમાં 10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ 4. એક્સક્લૂસિવ : નોકરી માટે બેલારુસ ગયેલી મહિલા અને એજન્ટ આમને સામને: મહિલાએ કહ્યું, મારી સાથે ફ્રોડ થયું, એજન્ટનો દાવો- બેદરકારી બદલ કંપનીએ કાઢી મૂક્યા 5. 'ટ્રમ્પની નવી નીતિથી ગુજરાતીઓને મોટો ફટકો પડશે': વિઝાની તારીખ મેળવવા માટે પણ ફાંફાં, એક્સપર્ટે કહ્યું, વિદ્યાર્થીઓ અમેરિકા સિવાયનો બેકઅપ પ્લાન તૈયાર રાખે 6. બંદીવાન-2 : ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’: દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA ને બની ગયો હત્યારો’ 7. ગે પાર્ટનર સાથેનો ઝઘડો ઘર સુધી પહોંચ્યો, યુવક ગુમ થયો: અઠવાડિયા બાદ ભૂલથી ફોન ઉપાડ્યો ને ભાંડો ફૂટ્યો, જેને નિર્દોષ સમજી છોડ્યો એ જ હત્યારો નીકળ્યો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન રાશિના અટકેલા કામ પૂરા થશે, મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે, કર્ક જાતકો સાથે છેતરપિંડી થવાની શક્યતા વાંચો સંપૂર્ણ રાશિફળ
ભાસ્કર ગાઈડ:4 જ દિવસમાં 66 હજાર મતદારોના નામ રદ્દ
કચ્છ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 1 ઓક્ટોબર 2025થી 15 જાન્યુઆરી સુધીના અંદાજે 100 દિવસમાં કાચબા ગતિએ ચાલતી કામગીરીમાં અચાનક ભારે ઉછાળો નોંધાયો છે. 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધીમાં જ્યાં માત્ર 2,397 મતદારોએ નામ કમી કરવા માટે ફોર્મ 7 ભર્યા હતા, ત્યાં માત્ર ચાર દિવસમાં જ 66,440 મતદારોએ ફોર્મ-7 ભરી પોતાના નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કરી છે. માત્ર 96 કલાકમાં આવેલી આ અચાનક ‘સુનામી’એ અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. લાંબા સમય સુધી ધીમી ગતિએ ચાલતું તંત્ર અચાનક મોટી સંખ્યામાં અરજીઓ કેવી રીતે એકત્ર કરી શક્યું, તે પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં છે. સૌથી વધુ ચોંકાવનારી સ્થિતિ અબડાસા વિધાનસભા વિસ્તારમાં જોવા મળી છે. અહીં છેલ્લા ચાર દિવસમાં જ 13,705 મતદારોએ પોતાના નામ કમી કરવા માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે, જે જિલ્લાની કુલ સંખ્યામાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. કચ્છ જિલ્લામાં એક તરફ 100 દિવસમાં માત્ર 2,397 ફોર્મ મળ્યા અને બીજી તરફ ચાર દિવસમાં 66,440 અરજીઓનો ઢગલો થઇ ગયો છે. મતદાર યાદીમાંથી નામ કમી નથી થયું ને? આ રીતે કરો ચેકકચ્છ જિલ્લામાં છેલ્લા 4 જ દિવસમાં 66 હજાર જેટલા નામો કમી થવાની ચોંકાવનારી વિગતો બાદ સામાન્ય મતદારોમાં ચિંતા જોવા મળી રહી છે. જો તમે પણ તમારો મતાધિકાર સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જઈને તુરંત ચકાસણી કરી શકો છો. આ પોર્ટલ પર ‘Search in Electoral Roll’ વિકલ્પમાં જઈ તમે તમારા EPIC (ચૂંટણી કાર્ડ) નંબર અથવા નામ અને વિગત દ્વારા યાદીમાં તમારું નામ છે કે નહીં તેની ખાતરી કરી શકો છો. આ ઉપરાંત, પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ‘Voter Helpline App’ અને ટોલ-ફ્રી નંબર 1950 પર SMS કરીને પણ વિગતો જાણી શકાય છે. જાણો વિવિધ ફોર્મનું શું છે મહત્વમતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ફોર્મ 6, 7 અને 8 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફોર્મ-6 નવા મતદારોનું નામ ઉમેરવા ભરવામાં આવે છે, 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે આ ફોર્મ ઉપયોગી છે. ફોર્મ-7 મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે છે, જેમ કે મતદારનું મૃત્યુ થયું હોય, સ્થળાંતર થયેલું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. જ્યારે ફોર્મ-8 મતદારની વિગતોમાં સુધારા માટે ભરાય છે, જેમ કે નામ, સરનામું, ઉંમર કે અન્ય માહિતીમાં ભૂલ સુધારવા માટે. આ ફોર્મ્સથી મતદાર યાદી વધુ ચોક્કસ અને પારદર્શક બને છે. ચૂંટણી પંચે મુદતમાં વધારો કર્યોભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની સુવિધા અને કોઈપણ પાત્ર મતદાર રહી ન જાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે, દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે મતદારો 30 જાન્યુઆરી, 2026 સુધી પોતાની વિગતો અપડેટ કરાવી શકશે. 4 દિવસમાં નામ રદ્દ કરવા આવેલી અરજીઓ
ભાસ્કર એક્સક્લૂસિવ:પશ્ચિમ ભારતમાં કચ્છમાંથી કરોળિયાની 3 પ્રજાતિ શોધાઈ
ભુજના કુકમા નજીકના જંગલમાં પશ્ચિમ ભારતની અનોખી શોધ સામે આવી છે, ત્રણ કરોળિયાની પ્રજાતિ અહીંથી મળી આવી છે. કચ્છ યુનિવર્સિટી અને આર. આર. લાલન કોલેજના સંશોધકોએ જીવવિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્ર અનુસાર, પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાતમાંથી કરોળિયાની ‘યેલો સેક સ્પાઈડર’ ફેમિલીની ત્રણ દુર્લભ પ્રજાતિઓ પ્રથમ વખત મળી છે. આ સંશોધન લાલન કોલેજના ડિપાર્ટમેન્ટ હેડ ઓફ ઝૂઓલોજી, પ્રણવ જે. પંડ્યા અને સુભાષઆઈ. પરમાર દ્વારા કરાયું હતું, જેમાં સંશોધકોએ કાઈરાકેન્થિયમ એડજેસેન્સોઈડ્સ, કાઈરાકેન્થિયમ ઈન્સીગ્ને અને કાઈરાકેન્થિયમ ઈરાનિકમ નામની ત્રણ કરોળિયાની પ્રજાતિઓની પશ્ચિમ ભારતમાં પ્રથમવાર હાજરી નોંધી છે. આ પ્રજાતિઓ કુકમા નજીકના શુષ્ક વિસ્તારોમાંથી મળી આવી છે, જે આ પ્રદેશની જૈવવિવિધતાનું મહત્વ દર્શાવે છે. આ નામોમાં કાઈરાકેન્થિયમએ તે કરોળિયાના વંશનું નામ છે અને પાછળના નામો તેની ચોક્કસ પ્રજાતિ દર્શાવે છે. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ ‘એન્ટોમોલોજિકલ ન્યૂઝ’માં પ્રકાશિત થયું છે. અત્યાર સુધી ભારતમાં કાઈરાકેન્થિયમ વંશના કરોળિયા પર પૂરતું સંશોધન થયું નહોતું. આ નવા રેકોર્ડ્સ ભારતમાં કરોળિયાના વિતરણ, વિવિધતા અને તેમની પરિસ્થિતિકીય ભૂમિકાને સમજવામાં ખૂબ જ મદદરૂપ થશે. સંશોધકોએ આ પ્રજાતિઓના શારીરિક લક્ષણો અને તેના રહેઠાણ વિશેની વિગતવાર માહિતી રસપ્રદ રીતે સંશોધનમાં રજૂ કરી છે, જે આગામી સમયમાં દેશના અને કચ્છના વન્યજીવ પ્રેમીઓ, સંશોધકો અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થશે. શિકાર શોધવા એન્ટેનાની જેમ પગનો ઉપયોગ કરે છેઆ કરોળિયા સામાન્ય રીતે આછા પીળા, બદામી અથવા લીલાશ પડતા રંગના હોય છે. તેમનું શરીર થોડું પારદર્શક જેવું લાગે છે, તેઓ કદમાં નાનાથી મધ્યમ હોય છે આશરે ૫ થી ૧૦ મિલીમીટર. તેમના આગળના બે પગ બાકીના પગ કરતા થોડા લાંબા હોય છે, જેનો ઉપયોગ તેઓ શિકાર શોધવા માટે એન્ટેનાની જેમ કરે છે. ઝેર છોડી શિકારને લકવા લગાડે છે, બાદમાં ચૂસી લે છેઆ કરોળિયાની પ્રજાતિઓ ઝેરી હોય છે, જે તેના શિકારના શરીરમાં પહેલા ઝેર આપે છે. બાદમાં ચૂસી લે છે. આ પ્રકારના પ્રહારથી તેના ખોરાક એવા નાના જીવ-જંતુ તેની જાળમાં આસાનીથી ફસાઈ જાય છે. આ કરોળિયા અન્ય કરોળિયાની જેમ શિકાર પકડવા માટે મોટું ગોળ જાળું બનાવતા નથી, રાત્રે સક્રિય થાય છે અને છોડ કે જમીન પર ફરીને સીધો જીવડાંનો શિકાર કરે છે. દિવસ દરમિયાન આરામ કરવા માટે તેઓ પાંદડાની વચ્ચે, પથ્થર નીચે અથવા ઘરના ખૂણામાં રેશમની નાની કોથળી સેક જેવું ઘર બનાવે છે., તેથી જ તેમને ‘સેક સ્પાઈડર’ કહેવાય છે.
કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીને પગલે રાજ્ય સરકાર દ્વારા અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભુજ, રાપર, લખપત, અબડાસા, મુન્દ્રા, માંડવી અને ભચાઉ તાલુકા પંચાયતો માટે કયા વર્ગને કેટલી બેઠકો મળશે તેનો વિગતવાર આદેશ પ્રસિદ્ધ થતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સૌથી વધુ 32 બેઠકો ધરાવતી ભુજ તાલુકા પંચાયતમાં સામાન્ય વર્ગ માટે 18 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં પુરુષ/બિન અનામત: અનુસૂચિત જાતિ - 4, અનુસૂચિત જનજાતિ - 1, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ - 9. મહિલા અનામત: SC - 2, ST - 0, SEBC - 5 અને સામાન્ય મહિલા માટે 9 બેઠકો ફાળવાઈ છે. રાપર તાલુકા પંચાયતની 24 બેઠકોમાં SC - 3, ST - 1, SEBC - 6 અને સામાન્ય માટે 14 બેઠકો, જયારે મહિલાઓ માટે SC - 2, SEBC - 3 અને સામાન્ય મહિલા માટે 7 બેઠકો અનામત રહેશે. લખપત તાલુકા પંચાયતની 16 બેઠકો માટે SC- 2, ST - 1, SEBC - 4 અને બિન અનામત માટે 9 બેઠકો. મહિલાઓ માટે SC - 1, ST - 0, SEBC - 2 અને સામાન્ય મહિલા માટે 5 બેઠકો નક્કી કરાઈ છે. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે સામાન્ય ફાળવણીમાં SC - 2, ST - 1, SEBC - 5 અને બિન અનામત માટે 10 બેઠકો. તો મહિલાઓ માટે ST-1, SEBC - 3 અને સામાન્ય મહિલા માટે 5 બેઠકો ફાળવવામાં આવી છે. મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે SC - 3, ST - 1, SEBC - 5 બેઠકો ફાળવાઈ છે. જેમાં મહિલાઓ માટે SC - 1, ST - 1 અને SEBC - 2 બેઠકો અનામત રહેશે. માંડવીની 20 બેઠકોમાં SC-૩, ST-1, SEBC-5 અને સામાન્ય બિન અનામત માટે 11 બેઠકો છે. મહિલાઓ માટે - 1, ST - 1 અને SEBC - 2 બેઠકો ફાળવાઈ છે. ભચાઉની 20 બેઠકોમાં સામાન્ય ફાળવણીમાં SC -2, ST - 1, અને SEBC -5 અને સામાન્ય બિન અનામત માટે 12 બેઠકો ફાળવવામાં આવી છે. મહિલાઓ માટે SC - 1, ST - 1 અને SEBC - 2 અને સામાન્ય બિન અનામત માટે 6 બેઠકો અનામત રહેશે. આ રોટેશન જાહેર થતા જ સ્થાનિક સ્તરે મુરતિયાઓની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો ગોઠવવા માટે રાજકીય પક્ષોએ કમર કસવાની શરૂઆત કરશે. મહિલા અનામત બેઠકોને કારણે અનેક બેઠકો પર નવા ચહેરાઓ ચુંટણીમાં દેખાય તેવી શક્યતા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક છે ત્યારે આ જાહેરનામા બાદ આંતરિક તૈયારીઓ તેજ બની છે.
દીકરીઓ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી છે તેમાં વ્હાલી દીકરી યોજના ખૂબ ઉપયોગી છે જેમાં દિકરીના જન્મના એક વર્ષમાં આધાર પુરાવા સાથે અરજી કરવામાં આવે તો સરકાર દ્વારા 1.10 લાખની સહાય આપવામાં આવે છે. કચ્છમાં ગત વર્ષે ફ્રેબ્રુઆરીથી ડિસેમ્બર દરમ્યાનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 21,574 દીકરીનો જન્મ થયો છે જે લાભ લેવા હક્કદાર બને છે પણ અત્યારસુધી માત્ર 1300 દિકરીના વાલીઓ આગળ આવ્યા છે.કચ્છમાં વધુમાં વધુ દીકરીઓ સુધી વ્હાલી દીકરી યોજનાનો લાભ પહોંચાડવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ યોજના અંતર્ગત પ્રથમ 3 સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રકમ 1.10 લાખની સહાય 3 હપ્તામાં આવવામાં આવે છે. પ્રથમ હપ્તો દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.4 હજાર મળવાપાત્ર રહેશે.બીજો હપ્તો દિકરીને નવમાં ધોરણમાં પ્રવેશ સમયે રૂ.6 હજાર મળવાપાત્ર રહેશે. ત્રીજો/છેલ્લો હપ્તો દિકરી 18 વર્ષની ઉમરે પહોંચે ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે 1 લાખ સહાય મળવાપાત્ર રહેશે. જે ગામમાં 10 થી વધારે લાભાર્થી હોય ત્યાં ગામમાં આવીને ફોર્મ ભરી અપાશેજે ગામમાં 10 થી વધારે લાભાર્થી હોય ત્યાં આ યોજનાના ફોર્મ ગામમાં આવીને પણ ભરી આપવામાં આવશે તેવી તૈયારી પણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દર્શાવાઇ છે ત્યારે ગામના સરપંચ સહિત આગેવાનો આગળ આવે તે પણ જરૂરી બન્યું છે. ઓનલાઈન- ઓફલાઈન ફોર્મ ભરી શકાશેવ્હાલી દીકરી યોજના અંતર્ગત અરજદાર પોતે http://emahilakalyan.guj.gov.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે ઉપરાંત યોજનાનો લાભ લેવા સંબંધીત વિસ્તારની મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર તેમજ ગ્રામ્ય કક્ષાએ વીસીઈ અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી પાસેથી અરજી ફોર્મ મેળવી શકાશે. હેલ્પલાઇન નંબર જાહેર કરાયાવ્હાલી દિકરી યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ ખાતે તથા નંબર 02832 230010, 95103 06197 પર સંપર્ક સાધી શકાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું છે. લાભ લેવા માટે આ પુરાવા જરૂરીઅરજી સાથે લાભાર્થી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, માતા-પિતાનું લગ્નનું નોંધણી પ્રમાણપત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ, રેશનકાર્ડ (લાભાર્થી દીકરીનું રેશનકાર્ડમાં નામ હોવું જરૂરી) નિયત નમૂના મુજબ સ્વ ઘોષણાપત્રક (ફોર્મ સાથે ઉપલબ્ધ છે), વાલીનું કુલ વાર્ષિક આવક પ્રમાણપત્ર (બે લાખથી ઓછી), નિયત નમૂનામાં એકરારનામું, લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ સહિતના આધાર પુરાવા રજૂ કરવાનાં રહેશે. અત્યાર સુધી 10,395 દીકરીને લાભગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર કટીબદ્ધ છે. આ કટીબદ્ધતાને સાર્થક કરવા, દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબૂત બનાવના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019થી વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. કચ્છમાં અત્યારસુધીમાં 10,395 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:મુસાફરોના સંતોષમાં વધારો : ભુજ એરપોર્ટ 30માંથી 24મા સ્થાને પહોચ્યું
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના હવાઈમથકો પર મુસાફરોને મળતી સુવિધા અને પ્રવાસીઓને મળતા સંતોષ અંગે દર છ મહિને કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે કરવામાં આવે છે. તાજેતરના સર્વેના પરિણામોમાં ભુજ એરપોર્ટના ક્રમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. AAI દ્વારા સંચાલિત દેશના કુલ 62 એરપોર્ટમાં ગુજરાતના વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભુજ, ભાવનગર અને કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2024ના જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરાયેલા સર્વેમાં ભુજ એરપોર્ટ 20મા ક્રમે હતું. ત્યારબાદ જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળામાં ભુજ એરપોર્ટ 30મા સ્થાને ખસક્યું હતું. જોકે, જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરાયેલા તાજેતરના સર્વેમાં ભુજ એરપોર્ટ ફરી એકવાર સુધારો દર્શાવી 24મા ક્રમે પહોંચ્યું છે. આ સર્વેમાં મુસાફરો પાસેથી કુલ 33 પેરામીટર્સ પર અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ સુધીની પરિવહન સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રોલીની ઉપલબ્ધતા, ચેક-ઇનમાં લાગતો સમય, સ્ટાફ અને સુરક્ષા સ્ટાફનું વલણ, ચેકિંગ પ્રક્રિયા, એરપોર્ટની અંદર માર્ગદર્શક સુવિધા, ફ્લાઈટ માહિતી દર્શાવતી સ્ક્રીનો, ટર્મિનલના વૉકિંગ એરિયા, શોપિંગ સુવિધા, ઈન્ટરનેટ સેવા, શૌચાલયોની સ્વચ્છતા, એરપોર્ટ પરિસરની સફાઈ, વાતાવરણ તેમજ બેગ ડિલિવરી સેવાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળામાં ભુજ એરપોર્ટને 5માંથી 4.34 પોઇન્ટ પ્રાપ્ત થયા હતા, જ્યારે જુલાઈથી ડિસેમ્બર સમયગાળામાં સ્કોર વધીને 5માંથી 4.63 પોઇન્ટ થયો છે. પોઇન્ટ્સમાં થયેલા આ વધારાનો સીધો અસર એરપોર્ટના રેન્કિંગમાં થયો હોવાનું સામે આવ્યું છે. ભુજ એરપોર્ટ અગાઉ 30મા ક્રમે હતું, જે હવે ક્રમ સુધારી 24મા સ્થાને પહોંચ્યું છે. મુસાફરોના સંતોષમાં થયેલો આ વધારો ભવિષ્યમાં એરપોર્ટને વધુ ઉચ્ચ ક્રમે લઈ જવાની આશા જગાવે છે.
મુન્દ્રા વિસ્તારમાં 6 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટના બાદ તેને યોગ્ય સારવાર ન મળવા મામલે પોક્સો કોર્ટે નોટીસ ફટકારતા મંગળવારે અદાણી મેડીકલ કોલેજના ડીન સહીતના છ જવાબદાર અધિકારીઓ અને તબીબો કોર્ટમાં હાજર થઇ આ મામલે પોતાનો ખુલાસો રજુ કરતા કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ મુન્દ્રા વિસ્તારની દુષ્કર્મ પીડિત બાળકીની યોગ્ય સારવાર ન થઇ હોવા મામલે રીપોર્ટ રજુ કર્યો હતો. આરોપીએ એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી હતી. જેને ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રાની સિવિલ હોસ્પિટલ અને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ બાળકીની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. તેમજ જી.કે.જનરલ હોસ્પિટલમાં 12 કલાક સુધી બાળકીને તેડી તેની માતા રઝળી હતી. ગંભીર બેદરકારી મામલે પોક્સો કોર્ટમાં રીપોર્ટ બાદ કોર્ટે જવાબદારોને નોટીસ ફટકારી આ મામલે ખુલાસો આપવા 20 જાન્યુઆરીના કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો. આ મામલે સોમવારે પોક્સો કોર્ટ ખાતે અદાણી મેડીકલ કોલેજના ડીન, જિલ્લા સિવિલ સર્જન, ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, મુન્દ્રા સિવિલના મેડીકલ ઓફિસર, જી.કે.જનરલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર અને ગાયનેક તબીબ કોર્ટમાં હાજર રહ્યા હતા. તમામ જવાબદાર અધિકારી અને તબીબોએ બાળકીની સારવાર મામલે પોતાની ખુલાસો લેખિતમાં રજુ કર્યો હતો.આ મુદ્દે કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે.
કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહેલા છ દિવસીય રાષ્ટ્રીય વર્કશોપમાં મંગળવારે ફાર્માસ્યુટિકલ કંપની અને રોજિંદા જીવનમાં તેના મહત્વ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આપણે કોઈપણ ફાર્મા ડ્રગ જેમકે ટેબ્લેટ, કેપસ્યુલ વગેરે ખાઈએ છીએ તે શરીરમાં કઈ રીતે અસર દેખાડશે તેનો અભ્યાસ કરવો જરૂરી હોય છે જેને ઈન વિટ્રો સ્ટડી કહેવામાં આવે છે. આ વિષય ઉપર વર્કશોપના બીજા દિવસે ઇલેકટ્રોલેબ કંપનીના ઉમંગ પટેલે કાર્યોની રૂપરેખા આપી હતી. એપ્લિકેશન સાયન્ટિસ્ટ કોમલ ચંદ્રાએ ઓનલાઇન જોડાઈને ડિઝોલ્યુશન ટેસ્ટિંગ જેવી અઘરી લાગતી પદ્ધતિઓને સમજાવી હતી. ડીજોલ્યૂશન સ્ટડીમાં થઇ રહેલા મોર્ડનાઇઝેશન વિષય ઉપર પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.સ્પેક્ટ્રોલેબના જોય દશને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના નવા પ્રવાહો વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.બપોર પછીના સત્રમાં વિદ્યાર્થીઓને ડિઝોલ્યુશન ટેસ્ટર પ્રત્યક્ષ શીખવવાનો મોકો મળ્યો હતો. કોમલ ચંદ્રા અને સ્વપ્નીલ ઘોલાપે ઓનલાઇન માધ્યમથી ડિઝોલ્યુશન ટેસ્ટર કેવી રીતે કામ કરે છે તેનું જીવંત પ્રદર્શન આપ્યું હતું. ઉમંગ પટેલ અને શિલ્પ પરમારે વર્ચ્યુઅલ પ્રિન્ટર દ્વારા લેબના ડેટાને કેવી રીતે ડિજિટલ બનાવી શકાય તેનું લાઈવ ડેમો બતાવ્યું હતું.રસાયણશાસ્ત્ર વિભાગના આ પ્રયાસથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં કેવા મશીનો વપરાય છે અને ત્યાં કેવી રીતે કામ થાય છે, તેની પ્રેક્ટિકલ સમજ મળી હતી. વર્કશોપના બીજા દિવસે પણ તાલીમાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા સાધનોની થિયરી અને પ્રેક્ટિકલ સ્કિલ વિદ્યાર્થીઓને નોકરી મેળવવા તથા સંશોધન કરવા માટે ઉપયોગી થશે તેવું નેશનલ વર્કશોપના કોઓર્ડીનેટર ડો.વિજય રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નોટિસ:સડકની મધ્ય રેખાથી 20 મી. દબાણ હટાવવાની નોટિસથી ફફડાટ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગોની સુધારણા તથા પંચાયતના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે ખાસ કિસ્સામાં ભુજ શહેરના 18 રીંગ રોડને પણ પહોળા અને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના વધતા ટ્રાફિક ભારણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગોના વિસ્તૃતિકરણ માટે જ્યુબિલી સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી સુધી સડકની મધ્ય રેખાથી 15 મીટર અને ત્યારબાદ પ્રિન્સ રેસીડેન્સીથી સુખપર ત્રિભેટા સુધી 20 મીટર પહોળાઈ સુધીમાં આવતા અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અખબારમાં પ્રસિદ્ધ થતા જ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કેબિન, ફ્રુટ સ્ટોલ જેવા નાના વેપારીઓ ઉપરાંત કેટલાક મોટા શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા ફૂટપાથ સુધી સિમેન્ટના પાકા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. માર્ગ વિસ્તૃતિકરણ દરમિયાન આવા અનધિકૃત પાર્કિંગ અને બાંધકામો તોડવામાં આવશે જેથી ફૂટપાથ અને માર્ગ બંને ખુલ્લા અને સુરક્ષિત બની શકે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કલ્પેશ નાઈએ જણાવ્યું હતું કે હાલ સડકની મધ્યરેખાથી દેખાતી 15 અને 20 મીટર સુધીની હદમાં આવેલા દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. પ્રિન્સ રેસીડેન્સી સર્કલ પાસે 15 મીટર પહોળા માર્ગ બને છે આરટીઓ સર્કલ તરફ આવતો ટ્રાફિક નાગોર રેલવે ઓવરબ્રિજ થઇને એરપોર્ટ રીંગરોડ તરફ ડાયવર્ટ થતા ભારે વાહનોનો ટ્રાફિક વધ્યો છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પ્રિન્સ રેસીડેન્સી સર્કલ પાસેથી 15 મીટર પહોળાઈના અંદાજે 100 મીટર લાંબા માર્ગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભુજના એરપોર્ટ રીંગ રોડ પર વાહન વ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે.
ફોર્મ ચકાસણી:બીસીએમાં પરાગ પટેલ-ચેતન પવારનાં ફોર્મ રદ કિરણ મોરે રિવાઇવલના પ્રમુખ પદના ઉમેદવાર
મંગળવારે સવારથી ચૂંટણી અધિકારીઓએ બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની ચૂંટણીના ફોર્મની સ્ક્રૂટિની કરી હતી. આ સ્ક્રુટિનીમાં બે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં હતા. બીજી તરફ આ ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેને પ્રમુખના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીસીએએ જાહેર કરેલા શિડ્યુઅલ મુજબ મંગળવારે સવારે 11 વાગ્યાથી સ્ક્રૂટિની શરૂ થઇ હતી. પહેલા પ્રમુખ માટેના ફોર્મની સ્ક્રુટિની કરાઇ હતી. જેમાં સત્યમેવ જયતે ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર ડો.દર્શન બેંકર ગેરહાજર રહ્યાં હતા. જોકે આ માટે તેમણે પુત્રીનું ગોવામાં લગ્ન હોવાથી કોર્ટની વિશેષ મંજૂરી લીધી હતી. બીસીએની ચૂંટણીના નિયમ મુજબ ઉમેદવારે સ્ક્રુટિનીમાં રૂબરૂ ફરજિયાત હાજર રહેવાનું હોય છે. જોકે ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતની 9 પદો માટેની સ્ક્રુટિની થઇ હતી. સ્ક્રુટિની દરમિયાન સત્યમેવ જયતે ગ્રૂપના પરાગ પટેલ અને રિવાઇવલ ગ્રૂપના ચેતન પવારના ફોર્મ રિજેક્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીજંગ માટે સૌથી વધુ સત્યમેવ જયતે ગ્રૂપના 78 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે રોયલ ગ્રૂપના 41 અને રિવાઇવલ ગ્રૂપે 45 ફોર્મ ભર્યા હતા. આ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પૂર્વ ચીફ સેક્રેટરી વરેશ સિન્હા ઉપરાંત મ.સ.યુનિ.ના પૂર્વ પ્રાધ્યાપક ડો.આઇ.આઇ.પંડ્યા અને ડેપ્યૂટી કલેકટર ડીઆર પટેલ કાર્યરત રહ્યાં છે. મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલી હતી. પરાગ પટેલ સસ્પેન્ડેડ હોવાથી, ચેતન પવાર સરકારી કર્મચારી હોવાને કારણે રિજેક્ટ થયાં બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સ્ક્રૂટિમાં સભ્યોએ પરાગ પટેલની ઉમેદવારી રદ કરી હતી. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સામે ગંભીર આક્ષેપની તપાસ હતી અને તાજેતરમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે નહીં. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પરાગ પટેલે દલીલ કરી હતી કે મને ચૂંટણીની જાણ કરતો કાગળ મળ્યો છે અને પોસ્ટમાં મને સસ્પેન્શનનો કાગળ મળ્યો નથી. પણ સસ્પેન્શનની જાણ કરતો સત્તાવાર કાગળ મળ્યો હોવાનું સ્વીકાર્યું હતું. બીજી તરફ 11મીની ભારત-ન્યૂઝિલેન્ડની મેચના પાસ મળ્યા હતા કે નહીં તેના જવાબમાં પરાગ પટેલે નન્નો ભણ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ બીસીએના સિસ્ટમની ખામી છે. જેથી તમે સસ્પેન્ડ નથી એવું ન કહી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારત-ન્યૂઝિલેન્ડ મેચ ના થાય તે માટે પણ બીસીસીઆઇમાં રજૂઆત કરીને માગણી પણ તેઓ કરી ચૂક્યા હોવાની વાત પણ ફેલાઇ હતી. ચેતન પવાર સીજીએસટીમાં હોદ્દો ધરાવતા હોવાથી તેઓ સરકારી કર્મી છે, જે એપેક્સના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે નહીં. જોકે તેમણે સામી દલીલ કરી હતી કે, ચૂંટણી 15મી ફેબ્રુઆરીએ છે અને પોતે 31મી જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થાય છે. આ સ્થિતિમાં તેમને નિવૃત્ત જ ગણવામાં આવે. સાંજ સુધી તેમની ઉમેદવારી માટે મંડાગાઠ સર્જાઇ હતી. જોકે તેઓ એપેક્સ માટે ઉમેદવારી નોંધાવી શકે નહીં. જ્યારે તેમણે દલીલ કરી હતી કે, હાઇકોર્ટનો એક ઓર્ડર છે, જેના આધારે ચૂંટણીમાં ઉમેદવારીની મંજૂરી મળવી જોઇએ. ચૂંટણી અધિકારીઓએ તેમને બુધવાર સુધીમાં હાઇકોર્ટનો ઓર્ડર લાવવાનો સમય આપ્યો છે. જો તેઓ લઇ આવે તો તેમના વિશે નિર્ણયની ફેરવિચારણા કરાશે. રિવાઇવલ ગ્રૂપમાં મેરેથોનનાં ચેરપર્સન તેજલ અમીન, યુનાઇટેડ વેના મિનેશ પટેલ સામેલએજ્યુકેશનાલિસ્ટ અને બરોડા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને રિવાઇલ ગ્રૂપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વડોદરા ક્રિકેટની વધુ પ્રગતિ કરાવવાની છે. ડબલ્યુપીએલ પણ વડોદરામાં આવી છે. વડોદરા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આ પ્રસંગે અપિલ કરી હતી. આ ઉપરાંત યુનાઇટેડ વેના મિનેશ પટેલે પણ રિવાઇવલ ગ્રૂપાંથી ઉમેદવારી નોંધાવી છે એક કરતાં વધુ પદ માટે ફોર્મ ગઠબંધન માટે ભરાયાં કે આત્મવિશ્વાસની કમી!કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ પદ માટે ફોર્મ ભર્યા છે. આ ફોર્મ ભરાવા પાછળનું ગણિત રોયલ અને સત્યમેવજયતે ગ્રૂપનો જરૂર જણાયે હાથ મિલાવવાની ગણતરીની શક્યતાની ચર્ચા છે. જ્યારે કેટલાક ઉમેદવારોએ બે કે તેથી વધુ પદ માટે ફોર્મ ભરતાં આત્મવિશ્વાસની કમી હોવાની પણ ચર્ચા હતી.
કાર્યવાહી:ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્વોલિફિકેશન વિનાના શિક્ષકો, સીસીટીવી બંધ, રુ 30 હજારનો દંડ કરાયો
શહેરના વાસણા ભાયલી કેનાલ રોડ પર આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 30 હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીએ અન્ય વિદ્યાર્થીએ બેડટચ કર્યો હોવાની ફરિયાદના આધારે ડીઇઓ કચેરીની ટીમને સીસીટીવી ચાલુ હાલતમાં ના હોવાનું તથા શિક્ષકો ક્વોલિફાય ના હોવાનું મળી આવ્યું હતું. શહેરમાં સીબીએસઇ માધ્યમ ધરાવતી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દંડનીય કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે. ડીઇઓ કચેરી ખાતે સ્કૂલના જ એક વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જેમાં જણાવ્યું હતું તે પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થિનીની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી દ્વારા બેડટચ કર્યો છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સ્કૂલ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. ડીઇઓ કચેરીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને દંડનીય કાર્યવાહી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓની આરટીઇ એકટ હેઠળ માનસિક ત્રાસને પણ ટાંકવામાં આવ્યું હતું, જેના માટે 10 હજારનો દંડ, શાળામાં સીસીટીવી ચાલતા ના હોવાથી 10 હજારનો દંડ તથા શિક્ષકો ક્વોલિફાય ના હોવાના મુદ્દે 10 હજારનો દંડ મળીને કુલ 30 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો સ્કૂલોને દંડ ફટકાર્યા બાદ મોનિટરિંગ કરાતું નથીડીઇઓ કચેરી દ્વારા અત્યાર સુધી છેલ્લા 1 વર્ષમાં 5થી વધારે સ્કૂલોને નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે ત્યારબાદ આ સ્કૂલોમાં નિયમીતતા થઇ છે કે નહીં તે અંગે કોઇ પણ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવતું નથી. જેના પગલે લાખો રૂપિયા કમાતી સ્કૂલો દ્વારા દંડ ભર્યા બાદ પણ મનફાવે તે પ્રકારે વહીવટ કરવામાં આવે છે, જેથી વાલીઓની પરેશાનનો અંત આવતો નથી.
ભાસ્કર ઈનસાઈડ:જમીનોના વિવાદો ઉકેલવાના કરોડો ખંખેરતો નકલી પીએસઆઇ મોબિન સોદાગર ઝડપાયો
નકલી પીએસઆઇ બની કરોડોની ઠગાઇ કરનારને શહેર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી પોલીસનો યુનિફોર્મ, આઈ કાર્ડ, લેપટોપ, મોબાઇલ ફોન, 2 કાર સહિત 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાંદલજા રહેતો મોબિન ઈકબાલભાઈ સોદાગર નકલી પીએસઆઇ બનતો હતો. જમીનોના વિવાદમાં નાણાં પડાવતો હોવાની બાતમી એસ.ઓ.જીના પીઆઇ એસ.ડી.રાતડાને મળી હતી. તાંદલજા ઝમઝમ ટાવર પાછળ અલ કબીર બંગલા નં-3માં દરોડો પાડી મોબિન ઈકબાલભાઈ સોદાગરને ઝડપી પાડ્યો હતો. જ્યાંથી નંબર પ્લેટ વગરની પોલીસ લખેલી ક્રેટા તેમજ આર્ટિગા કાર, પીએસઆઇના ગણવેશ, નકલી આઈકાર્ડ, સિક્કા મળ્યાં હતા. આરોપીએ નકલી પીએસઆઇ બની રોડ પર ઊભા રહી નાણાં ઠગ્યા હોવા ઉપરાંત જમીન વિવાદો ઉકેલવા નાણાં ઠગ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે જે.પી.રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મોબિને નકલી પીએસઆઇ બની કેટલી ઠગાઈ કરી એની તપાસ હાથ ધરાઇ છે. રુ 30 કરોડની જમીનના વિવાદમાં ઓર્ડર લાવવા એનઆરઆઇ પાસે રુ 1.05 કરોડ પડાવ્યા હતાનકલી પીએસઆઇ મોબિન સોદાગરે ભરૂચની મોકાની ~30 કરોડની જમીનના એસ.આઈ.ટીમાં ચાલતા વિવાદમાં ઓર્ડર લાવવા ~1.05 કરોડ પડાવ્યા હતા. એનઆરઆઇ વૃદ્ધ અને મહિલા પાસે પ્રથમ 5 લાખ બાદમાં હાઈવે પર પેટ્રોલ પંપ પાસે ~75 લાખ અને કોર્ટમાં તારીખના સમયે 25 લાખ એક્સપ્રેસ હાઈવે પર લીધા હતા. વૃદ્ધ અને મહિલા સાથે મોબિનનો સંપર્ક ભરૂચના મુક્તેશ બારોટે કરાવ્યો હતો. જેથી ભરૂચમાં સંજય બેલિફ સહિત 3 સામે ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.
શહેર કોંગ્રેસમાં ભડકો:હરણી બોટકાંડ બાદ અમી રાવત પીડિતો સાથે ન રહ્યાંનો આક્ષેપ
બોટકાંડ બાદ પાર્ટીએ કરેલા વિરોધ કાર્યક્રમમાં અમી રાવત ગેરહાજર રહ્યાં અને પાર્ટીના આદેશ વિરુદ્ધ ઊભાં રહ્યાં છે, તેવા આક્ષેપ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કર્યા છે. જેમ ભાજપે પાર્ટીના વિચાર વિરુદ્ધ બોટકાંડના પીડિતો સાથે રહેનારા આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા તેમ પાર્ટીની સામે ઊભાં રહેનારને કાઢી ન મૂકવા જોઈએ? તેવો પ્રશ્ન કર્યો હતો. શહેર કોંગ્રેસ મહામંત્રી સાંઈ ઢેકાણેએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી વિપક્ષનાં પૂર્વ નેતા અમી રાવત સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, બોટકાંડમાં ભાજપ સાથે વિપક્ષના કોર્પોરેટર ભળી ગયાં છે. બોટકાંડ બાદ તેઓ મૃતકના પરિવારને સાંત્વના આપવા ગયાં નથી. 14 ફેબ્રુઆરી,2024માં સભામાં વળતરની માગ સાથે વિરોધ કરીશું તેવું નક્કી થયું હતું, એ સભામાં અમી રાવત ગેરહાજર હતાં. 6 મહિના બાદ ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ પરિવારને મળવાનું નક્કી કર્યું હતું. તે સમયે તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. જ્યારે રાહુલ ગાંધીને પરિવારને મળવા લઈ જવાના હતા ત્યારે આગળ રહ્યા હતા. પહેલી વરસી વેળાએ મારે કામ છે, કહી નીકળી ગયાં હતાં. બોટકાંડ બાદ અમે દરેક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાંહરણી બોટકાંડ બાદના દરેક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં હતાં અને સૌથી વધુ સ્ટેટમેન્ટ અમે આપ્યાં છે. આ રીતે સાંઈ ઢેકાણેએ પાર્ટી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો તેને સસ્પેન્ડ કરવો જોઈએ. > અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા
ગોરવામાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધાને લગ્ન જીવનના 35 વર્ષીય બાદ પતિએ જણાવ્યું હતું કે, મેં તારી પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, પણ હવે તું મારા કોઈ કામની નથી રહી. મારા ઘરમાંથી નીકળી જા. વૃદ્ધાને આંખે તકલીફ થતાં પતિની માગણી સંતોષી ન શકતાં તેણે પત્નીને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ 67 વર્ષિય પતિએ પત્નીની આંખનું ઓપરેશન કરાવ્યું હતું. વૃદ્ધાએ અભયમની મદદ લેતાં ટીમે વૃદ્ધને સમજાવીને દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. અભયમની ટીમ વૃદ્ધાના ઘરે પહોંચી ત્યારે તેઓએ જણાવ્યું કે, મારા લગ્નને 35 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને હું પુત્રવધૂ અને પતિ સાથે રહું છું. હાલમાં જ મારી આંખનું આપરેશન કરવામાં આવ્યું છે, જેમાં 3 લાખ જેટલો ખર્ચ થયો હતો. જે બાદ મારા પતિ મને ધમકી આપે છે કે, તારી પાછળ મેં ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, હવે હું તારું પૂરું નહીં કરી શકું, તું મારા કોઈ કામની નથી, તું ઘરમાંથી નીકળી જા. આ ઉપરાંત વૃદ્ધાની પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મારા પતિ વિદેશમાં નોકરી કરે છે. મારા સસરા મને અપશબ્દો બોલે છે. મને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી હું ચાલી નથી શકતી. છતાં મારા સસરા મને પિયર ચાલી જવા કહે છે. મારા સસરા 2 દિવસથી સાસુ સાથે મારઝૂડ કરે છે અને તેમને પણ તેમના ભાઈના ઘરે ચાલ્યા જવાનું કહે છે. ટીમે તમામ હકીકત સાંભળ્યા બાદ વૃદ્ધાના પતિનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા કે, તમારી પત્ની બીમાર છે. આવી હાલતમાં તેમના પર અત્યાચાર ન કરી શકો. તમારી પત્નીનું આંખનું ઓપરેશન છે, જોવામાં તકલીફ પડે છે, તેનો મતલબ એવો નથી કે, તેમને ઘરમાંથી કાઢી મૂકો. તમારી જવાબદારી બને છે કે, તમે તેઓની કાળજી લો. ઉપરાતં જો દીકરો ઘરમાં ન હોય તો પુત્રવધૂનું ધ્યાન રાખવું એ પણ તમારી ફરજ છે. જેથી વૃદ્ધાના પતિએ ભૂલ સ્વીકારી બાંહેધરી આપતાં સમાધાન કરાયું હતું. તમને દીકરો રૂપિયા આપે છે, તમારું કરી લે જોઃવૃદ્ધવિદેશમાં રહેતો વૃદ્ધાનો દીકરો તેની માતા અને પત્ની માટે ખર્ચના રૂપિયા મોકલતો હતો. જેથી વૃદ્ધાનો પતિ ધમકી આપતો હતો કે, તમારો દીકરો તમને રૂપિયા મોકલી જ આપે છે. તમે તમારું કરી જ લો છો એટલે આ ઘરમાંથી નીકળી જાવ.
ચેકિંગ:દિવાળીપુરા, ફતેગંજ, ડભોઇ રોડ ઉપર ખોરાક શાખા ત્રાટકી,વાસી ખોરાક બદલ 10 દુકાન સીલ
માંજલપુરના ધારાસભ્યની કડક સૂચના બાદ વર્ષોથી માત્ર નમૂના લેતી ખોરાક શાખાની ટીમે એકાએક દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે. સતત બીજા દિવસે ડભોઇ રોડ, ગણેશનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન ચાર રસ્તા, સયાજીગંજ, ફતેગંજ અને દિવાળીપુરામાં 49 યુનિટમાં ચેકિંગ કરી 873 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે 10 દુકાનો સીલ કરવા સાથે બે યુનિટોને તાત્કાલિક બંધ કરાવ્યાં હતાં. પાલિકાની ખોરાક શાખાની ટીમે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 5 હોકર, 5 રિટેલર, 17 ફુટ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 3 ઉત્પાદક પેઢી મળી કુલ 49 યુનિટોપ પર ચેકિંગ કર્યું હતું. જેમાં પાઉં અને રો મટિરિયલ, મેદાનો બાંધેલો લોટ, બિરયાનીનો 20 કિલો અખાદ્ય જથ્થો, 30 કિલો ચિકન અને ગ્રેવી, 2 કિલો મન્ચુરિયન, 2 કિલો નૂડલ્સ, 20 કિલો સોફ્ટ ડ્રિંક્સ, બટાકાનો મસાલો અને ચટણી મળી 873 કિલો જથ્થાનો નાશ કર્યો હતો. તદુપરાંત 35 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક મળતાં 58 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 7 દુકાનો પાસે લાઈસન્સ પણ નહોતું
બેદરકારી:છાણીના 21 કરોડના ગૌરવ પથમાં વીજ કંપનીએ 2 સ્થળ પર ખાડા ખોદી નાખ્યા
મુખ્યમંત્રીએ રોડની ક્વોલિટી અને નવો રોડ બન્યા બાદ તેને ન ખોદવા માર્મિક ટકોર કરી હતી. જોકે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ શહેરમાં નવા રોડ તોડવામાં આવી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી રૂા.21 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગૌરવપથને વીજ કંપનીએ 2 જગ્યાએ ખોદી નાખતાં કાઉન્સિલરોએ નારાજગી વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ત્રણ જગ્યાએ મસમોટા ખાડા ખોદ્યા હોવા છતાં રોડ પ્રોજેક્ટ વિભાગે માત્ર 1 લાખની પેનલ્ટી ફટકારતાં વિભાગ કેટલો ગંભીર છે તે સ્પષ્ટ જણાય છે. છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી પાલિકાએ કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને ગૌરવપથ બનાવવા માટેનું કામ સોંપ્યું હતું. હજી રોડની કામગીરી અધૂરી છે. તેવામાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે છાણી જકાતનાકા નજીક રોડ પર 2 મોટા ખાડા ખોદી નાખતાં ભારે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે સ્થળ પર પહોંચી પાલિકાના તંત્ર અને વીજ કંપનીની આકરી ટીકા કરી હતી. બીજી તરફ રોડ પ્રોજેક્ટ વિભાગને આ અંગેની જાણ થતાં તેઓએ વીજ કંપનીનું કામ રોકાવી 1 લાખની પેનલ્ટી વસૂલવા નોટિસ ફટકારી છે. જોકે નવો બનેલો રોડ તોડનાર વીજ કંપનીને માત્ર 1 લાખની જ પેનલ્ટી ફટકારતાં પાલિકા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. માંજલપુરમાં મોતની ઘટના પરથી વીજ કંપનીએ પાઠ ભણ્યો, ખાડાઓ પાસે બેરિકેડ ન મૂક્યાંછાણી જકાતનાકા નજીક વીજ કંપનીએ કાર ખાબકી જાય તેટલા મોટા ખાડા ખોદ્યા છે. આ ખાડા પાસે બેરિકેડ મૂકવાને બદલે માત્ર ભયજનક લખેલી પ્લાસ્ટિકની પટ્ટી મારી હતી. બેરિકેડના અભાવે વાહન ખાડામાં ખાબકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. માંજલપુર ખુલ્લી ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત થયું હતું. આ ઘટના બની હોવા છતાં વીજ કંપનીએ બેરિકેડ ન મૂકવાની ગંભીર બેદરકારી દાખવી હતી. ખાડાઓનું ગૌરવ લેવા રોડ બનાવ્યો હોય તેમ લાગે છેહજી આ રોડ અધૂરો બન્યો છે, તેની પાછળ 21 કરોડ ખર્ચાશે. જોકે રોડ બને તે પહેલાં જ 2 સ્થળે ખોદી નાખ્યો છે. આસપાસ બેરિકેડ પણ નથી મૂક્યાં એટલે બીજો વિપુલસિંહ ઝાલા જેવો કોઈ યુવક ખાબકે અને તંત્રના પાપે મૃત્યુ પામે. વીજ કંપની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માગ છે. > જહા ભરવાડ, કાઉન્સિલર, વોર્ડ 1 ફૂટપાથ પર ખોદવાની મંજૂરી હતી અને કોન્ટ્રાક્ટરે રોડ ખોદી નાખ્યોપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગ અને વોર્ડ 2 દ્વારા વીજ કંપનીના કોન્ટ્રાક્ટરને ફૂટપાથ પર કામગીરી કરવા માટેની મંજૂરી આપી હતી. જોકે કોન્ટ્રાક્ટરે ફૂટપાથની જગ્યાએ રોડ ખોદી નાખ્યો હતો. કાઉન્સિલરે ધ્યાન દોરતાં પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. રોડ પ્રોજેક્ટ વિભાગે પરવાનગી વિના રોડ ખોદી નાખતાં વોર્ડને ખાડા ખોદવાની પરવાનગી રદ કરવાની સૂચના આપી છે. જોકે માત્ર 1 લાખના દંડ સાથે ખાડાનું પુરાણ કરાવ્યું છે.
વૈકલ્પિક વ્યવસ્થાની માગ:સરકારી જમીન પર 39 વર્ષથી દબાણો, 14 ગોડાઉન તોડ્યાં, 21 મકાનનો આજે નિર્ણય
સરસિયા તળાવ પાસે સરકારી જમીન પર 39 વર્ષથી કરાયેલાં દબાણો પર તંત્રે બૂલડોઝર ફેરવ્યું હતું. તંત્રે 35 બિલ્ડિંગમાંથી 14 ગોડાઉન તોડ્યાં હતાં, બાકીનાં 21 મકાનોના રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતાં બુધવારે નિર્ણય કરાશે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ હતો કે, તેઓ 60 વર્ષથી રહે છે. 60 હજાર ચો.ફૂટ જગ્યામાંથી 20 હજાર ચો.ફૂટ જગ્યા ખુલ્લી હતી, જ્યારે અન્ય 40 હજાર ચો.ફૂટમાંથી 25 હજાર ચો.ફૂટ જમીન ખુલ્લી કરાઈ છે. સરસિયા તળાવ પાસે મગર સ્વામી આશ્રમની આસપાસની જમીન, ગોસ્વામી સમાજનું સ્મશાન, શિવજી અને હનુમાનજીના મંદિર સહિતની જમીન પર 1987થી દબાણ થયાં હતાં. કલેક્ટરે 3 માસ પૂર્વે 35 બિલ્ડિંગને નોટિસ આપી હતી. 6 જાન્યુઆરીએ ઉત્તર મામલતદારની કચેરીએ 39 લોકોને સામાન ખસેડી લેવા કહ્યું હતું. નોટિસ બાદ કલેક્ટર તંત્ર, પાલિકા અને પોલીસનો સ્ટાફે પહોંચી દબાણો તોડવાનું શરૂ કર્યું હતું. દબાણો તોડાય તે પૂર્વે સોમવારે રહીશોએ કલેક્ટરને આવેદન આપી વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી. રહીશે સવારે 10:30 વાગે હાઈકોર્ટમાંથી સ્ટે લીધોમકાન તોડવાનું શરૂ કરાય તે પૂર્વે સવારે 10:30 વાગે 1 રહીશે હાઈકોર્ટમાં અર્જન્ટ હીયરિંગ કરી સ્ટે લીધો હતો. હાઈકોર્ટે બુધવારે નિર્ણય લેવાનું જણાવ્યું હતું. જેથી ઘરોને મંગળવારે તોડ્યાં નહતાં. પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો, ડ્રોનથી નજર રાખીપોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની સાથે ડ્રોનથી નજર રખાતી હતી. ડિમોલિશન સમયે 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ, 180 એસઆરપી અને પોલીસ જવાનોનો બંદોબસ્ત હતો. દબાણો દૂર કરવા મહિલા મંત્રીએ રજૂઆત કરી હતીયાકુતપુરામાં સરસિયા તળાવની પાસે મગર સ્વામી આશ્રમની આસપાસ અને ગોસ્વામી સમાજના સ્મશાનમાં થયેલાં દબાણો હટાવવા રાજ્ય સરકારનાં મંત્રી મનીષાબેન વકીલે રજૂઆત કરી હતી. જે બાદ કલેક્ટર કચેરીએ દબાણો હટાવવા જણાવ્યું હતું. 70 ટકા જમીન ખાલી થઈમગર સ્વામી આશ્રમની આસપાસના વિસ્તારમાં કુલ 35 યુનિટ આવેલાં છે, જેમાંથી 14 જેટલાં કોમર્શિયલ યુનિટને તોડી દેવામાં આવ્યાં છે, જેથી 70 ટકા જમીન ખાલી થઈ ગઈ છે. જ્યારે બાકીનાં 21 મકાનોને હાઈકોર્ટના આદેશ બાદ તોડાશે. > વી.કે. સાંબળ, પ્રાંત અધિકારી સાસુ ચાલી નથી શકતાં, રોડ પર પલંગમાં સૂવડાવ્યાં17મીએ નોટિસ અપાઈ હતી. મારું ઘર 2 માળનું છે. કોર્ટમાં કેસ ચાલે છે. મારાં સાસુ ચાલી નથી શકતાં, જેથી રોડ પર પલંગ લાવી સૂવડાવ્યાં છે. મારા ભાઈને દેખાતું નથી. આવી હાલતમાં બાળકોને લઈ ક્યાં જઈશું. અમને વિકલ્પ તો આપવો જોઈએ. શું અહીં શાળા-દવાખાનું બનાવાશે? ખોટું કામ થઈ રહ્યું છે. > રીવાન તસ્લીમ દીકરીની બોર્ડની પરીક્ષા છે,કેવી રીતે તૈયારી કરશેઅમે 60 વર્ષથી રહીએ છીએ. આજે બાળકોની પરીક્ષા છે, તેઓ તૈયારી નથી કરી શકતાં. મોટી દીકરીની બોર્ડની પરીક્ષા છે. રમઝાન મહિનો આવશે, ઘર નહીં હોય તો અમે કેવી રીતે રમઝાન ઊજવીશું. ઘરના બદલામાં ઘર અપાશે કે કેમ તેની જાણકારી અપાઈ નથી. > સાહેદાબાનુ સૈયદ
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે 40 ટકાથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા સતલાસણા તાલુકાના ઉમરેચા ગામને પ્રધાનમંત્રી આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 20 લાખ રૂપિયાના ફંડ દ્વારા અલગ અલગ વિકાસના કામો કરવામાં આવનાર છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી છે.અધિક કલેક્ટર જશવંત જેગોડાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગામમાં થનારા વિકાસના કામોને લઈ મંગળવારના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય કક્ષાની વીએલસીસી કમિટી દ્વારા સૂચવવામાં આવેલા વિકાસના કામોની ચર્ચા કરાઇ હતી. જે અંતર્ગત 4 લાખના ખર્ચે સીસી રોડ, કોમ્યુનિટી હોલની આગળ પેવર બ્લોક, બે લાખના ખર્ચે મેન ગટર લાઇનથી બીજી ગટર લાઈન, રોહિતવાસમાં જાહેર ચોકમાં બે લાખના ખર્ચે અધૂરા પેવર બ્લોક, પરમાર વાસથી મેઇન રોડ સુધીનો 2 લાખના ખર્ચે સીસી રોડ સહિત રૂ.20 લાખના 9 વિકાસના કામો કરવામાં આવનાર છે.
કડક કાર્યવાહી:જિલ્લામાં 2025માં આરટીઓએ 5420 વાહન ચાલકો પાસેથી 4.53 કરોડથી વધુનો દંડ વસૂલ્યો
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનાર, ખાસ કરીને ઓવરલોડ, પરમિટ વિના વાહન ચલાવવું, દસ્તાવેજોની અછત, અન્ય નિયમોના ઉલ્લંધન બદલ કુલ 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ આરટીઓ વિભાગે રૂ. 4.53 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર-2025 એટલે કે એક વર્ષમાં કુલ 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ આરટીઓ વિભાગે રૂ. 4,53,39,702 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. જેમાં ઓએલ(ઓવરલોડ)ના 1194 કેસો કરીને રૂ. 2,93,88,292, ઓડીસીના (ઓવર ડાયમીગસર કન્ટ્રોલ)ના 379 વાહન ચાલકો પાસેથી રૂ.27,69,000, ટેક્સ બાબતે 216 વાહનચાલકોને રૂ.68,09,240 તેમજ નિયમોનાં ભંગ કરતા અન્ય 2831 વાહનચાલકોને રૂ. 64,32,170નો દંડ કરાયો હતો. બીજી તરફ આસ્ટીઓ દ્વારા કરવામાં આવતી સતત અને કડક ચેકિંગ કામગીરીના કારણે નિયમો ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ બેફિકર રીતે ઓવરલોડ કે નિયમો વિના વાહન ચલાવનારા ચાલકો હવે સાવચેત બન્યા છે. નિયમોનું પાલન કરવા અપીલ કરાતી હોય છેઆરટીઓ અધિકારીઓ દ્વારા વાહનચાલકોને નિયમોની જાણકારી અપાય છે અને દસ્તાવેજો પૂર્ણ રાખવા ઓવરલોડ ન કરવા તથા સલામતિના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. આરટીઓની આ કામગીરીથી જિલ્લામાં ટ્રાફિક શિસ્તમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. { પી.કે.પટેલ, આરટીઓ અધિકારી,
વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન લે-વેચના નામે નિર્દોષ રોકાણકારો અને જમીન માલિકોને ચૂનો લગાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વડોદરા શહેરના કુખ્યાત બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ ઉર્ફે ટીનો શાહ અને તેના સાગરીત વિજય પંચાલની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 4 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદી સાથે છેતરપિંડી થતા તેઓ અમેરિકાથી દોડી આવ્યા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક જમીન સોદામાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી, જમીન માલિકોને અંધારામાં રાખી અને રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઓપરેશન હાથ ધરી, માંજલપુર ખાતે રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ અને છાણી વિસ્તારમાં રહેતા તેના સાગરીત વિજય પંચાલને દબોચી લીધા હતા. આ ઉપરાંત મયુરીકા પટેલ અને પી કે મારે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેમની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. વડોદરા નજીકના ગોત્રી ગામમાં જમીન વેચાણને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદી અને તેમના સાક્ષીઓએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ મળીને ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેમની જમીન પર કબજો કરવાનું કાવતરું રચ્યું છે. આ મામલે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપો મુકવામાં આવ્યા છે. ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદી અને તેમના સાક્ષીઓએ 7 ડિસેમ્બર 2000ના રોજ ગોત્રી ગામના રેવન્યુ સર્વે નંબર 249 (ક્ષેત્રફળ 8701 ચોરસ મીટર) અને તેની સાથે જોડાયેલા રેવન્યુ સર્વે નંબર 292 (ક્ષેત્રફળ 12849 ચોરસ મીટર)ની જમીન મૂળ માલિકો ભરત મોહનભાઈ પટેલ અને અન્ય 14 વ્યક્તિઓ પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (રજિસ્ટ્રેશન નંબર 7569) દ્વારા ખરીદી હતી. આ જમીનનું ટાઇટલ ક્લિયર કરવા માટે ફરિયાદીઓએ આરોપી ભૂપેન્દ્ર શાહને જવાબદારી સોંપી હતી અને તેને પાવર ઓફ એટર્ની પણ આપી હતી. ટાઇટલ ક્લિયર થયા બાદ ફરિયાદીઓએ જમીનનો વિકાસ કરવાની યોજના બનાવી હતી. જોકે, આરોપી ભૂપેન્દ્ર શાહ, વિજય પંચાલ અને પી કે મોરેએ 4 સાથે મળીને આ જમીનને લઈને ખોટું અને બનાવટી 'બાનાખત' (વેચાણ કરાર) તૈયાર કર્યું હોવાનો આરોપ છે.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં બાળકોની રમતગમત માટેના સાધનો અને જીમના સાધનો મૂકવામાં આવેલા છે. ત્રણ વર્ષ પહેલા જ વિવિધ ગાર્ડનમાં આ સાધનો પાછલ 6 કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હતો. હવે ફરી ત્રણ વર્ષમાં જ નવા સાધનો માટે 10 કરોડના ખર્ચની દરખાસ્ત સવાલોના ઘેરામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવાતા હવે સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ એજન્સીને કામ સોંપાયુંક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા 300થી વધુ ગાર્ડનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ નવા સાધનો મુકવા માટે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બંને જગ્યાએ અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે પણ બગીચામાં રમતગમતના અને ઓપન જીમના સાધનો જર્જરી અથવા તૂટી ગયા હશે ત્યાં નવા લગાવવામાં આવશે. હીચકા લપસણી જેવા સાધનો બદલવામાં આવશે. જે ટેન્ડર કરવામાં આવ્યું છે તેમાં નવા અલગ અલગ 22 પ્રકારના સાધનો પણ લગાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ આ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રમત ગમતના સાધનો લગાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે તેમાં સાધનોના મેન્ટેનન્સની શરત રાખવામાં આવી નહોતી. આ ટેન્ડરમાં મેન્ટેનન્સ ની શરત રાખવામાં આવી છે જેથી કોઈપણ સાધન ખરાબ થાય તો જે તે એજન્સી દ્વારા તેને રીપેરીંગ કરવાનું રહેશે. ત્રણ વર્ષ પહેલા રૂ. 5.73 કરોડના ખર્ચ કરાયો, હવે 10 કરોડનો ખર્ચ થશેશહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા બગીચાઓમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે નાના બાળકો બગીચામાં રમવા માટે આવતા હોય ત્યારે બગીચાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપન જીમ અને રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેરના અલગ અલગ બગીચાઓમાં રમત ગમતના સાધનો અને ઓપનજી તેમજ દિવ્યાંગો માટેના સાધનો મૂકવા માટે બગીચા ખાતા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા જ રૂ. 5.73 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને અલગ અલગ જગ્યાએ આવા સાધનો મૂકવામાં આવ્યા હતા. બગીચા ખાતા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ જેટલી એજન્સીઓ આવી હતી જેમાં એક એજન્સી વિવાદાસ્પદ રીતે ડિસ્કવોલીફાય થઈ હતી જેના માટેનું કારણ ભાજપના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવા માટે જે ટેન્ડર ફી ભરવી પડે છે તે ભરવામાં આવી નહોતી જેના કારણે તેને ડીસ્ક્વોલીફાય કરવામાં આવી છે. બગીચા ખાતા દ્વારા જે ટેન્ડરની શરત કરવામાં આવી હતી તે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે મુજબ કરાઈ હતી જેમાં શરત મૂકવામાં આવી હતી કે પાંચ ઝોનમાં જો એક જ કોન્ટ્રાક્ટર કંપની ક્વોલિફાય થાય તો સત્તા ની મંજૂરીએ બંને કંપનીઓને કામગીરીની વહેંચણી કરવી. બે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂરમ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરના 101 જેટલા બગીચાઓમાં રૂ. 14.43 કરોડના ખર્ચે રમત ગમત અને જીમના સાધનો મૂકવા માટેની ટેન્ડર ત્યાં હતા જેમાં શરતો મૂકી હતી. આ ટેન્ડરમાં હની ફન એન્ડ થ્રીલ કંપની અને સેન્સન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની બંને કંપનીઓ ક્વોલીફાઈ થઈ હતી. ને કંપનીઓએ રમતગમત ના સાધનો અને ઓપન જીમના સાધનો મૂકવા માટે થઈને કામગીરી મેળવવા 10- 15 ટકા નહીં પરંતુ 30કાથી ઓછા ભાવ આપ્યા હતા. અલગ-અલગ ઝોનમાં બે કરોડથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીના સાધનો મૂકવા માટે આ બંને કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત રીક્રીએશનલ કમિટીમાં મૂકવામાં આવી હતી જેને ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. ભૂતકાળમાં બગીચા ખાતાએ વર્ષ 2022-23માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બગીચાઓમાં રમતગમતના સાધનો અને ઓપન જીમના સાધનો મુકવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં જે ભાવનો અંદાજ મૂકવામાં આવ્યો હતો તેના કરતાં આઠ ટકા વધુ ભાવે એટલે કે રૂ. 5.73 કરોડના ખર્ચે અલગ અલગ જગ્યાએ સાધનો મૂકવાને મંજૂરી આપવામાં આવી હતી. બગીચા ખાતાના ઉચ્ચ અધિકારીઓએ માત્ર ત્રણ વર્ષમાં જ ફરીથી નવા સાધનો મુકવા માટે થઈને એક સાથે રૂ. 9.88 કરોડના ખર્ચે સાધનો મૂકવા માટે ટેન્ડર કર્યું અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના ચેરમેને મંજૂરી આપી દેતા પણ વિવાદ થયો છે.
સુરત SOGએ 19 જાન્યુઆરીના રોજ 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં અમદાવાદના ઘનશ્યામ સોની અને વડોદરાના પ્રશાંત શાહ વચ્ચેની જૂની મિત્રતા આ ગુનાનું મૂળ બની છે. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા હતા. આ 10 લાખનું દેવૂ ચૂકવવા અને શોટકટમાં કરોડપતિ બનવા પ્રશાંત અને મકરંદ કોબ્રા સાપનું ઝેર વેચવા તૈયાર થયા અને એક પછી એક લોકો જોડાતા ગયા હતા. જોકે, આ મામલે સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 લાખ ઉછીના લઈ ધંધો કર્યો પણ સફળતા ન મળીઘનશ્યામ સોની પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પ્રશાંત અને મકરંદે વડોદરાના પોર GIDC વિસ્તારમાં પ્લાસ્ટિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, આ ધંધામાં સફળતા મળી નહીં અને ટૂંક સમયમાં જ ભારે આર્થિક ખોટનો સામનો કરવો પડ્યો હતો. ધંધો સંપૂર્ણ ઠપ થઈ જતાં તેઓ ધનશ્યામ પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કરી શક્યા નહોતા. જેના કારણે તેમની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ હતી. દેવું ચુકવવા પ્રશાંત અને મકરંદ ગુનાખોરી તરફ વળ્યાજોકે, ધંધામાં નુકસાની જતાં ઘનશ્યામ સોનીએ ઉછીના આપેલા 10 લાખ રૂપિયા પરત માગ્યા હતા અને કડક ઉઘરાણી શરૂ કરી હતી. અવારનવાર ફોન કરીને કે રૂબરૂ મળીને નાણા પરત માગતો હતો. પ્રશાંત અને મકરંદ પાસે આવકનું કોઈ સાધન બચ્યું નહોતું છતાં ઘનશ્યામ સતત દબાણ કરતો જેના કારણે પ્રશાંત અને મકરંદ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. 10 લાખ ચૂકવવા માટે તેઓ કોઈપણ માર્ગ અપનાવવા તૈયાર થઈ ગયા હતા અને જે અંતે તેમને ગુનાખોરી તરફ લઈ ગઈ હતી. ઘનશ્યામે બંનેને દેવુ ચૂકતે કરવા સાપનું ઝેર વેચવા કહ્યુંજ્યારે ઘનશ્યામ સોની મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે પ્રશાંત અને મકરંદ સાથે તેની એક નિર્ણાયક મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ઘનશ્યામ સોનીએ સ્વીકાર્યું કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે માટે હું તમને સાપનું ઝેર આપું છું. તેણે દાવો કર્યો હતો કે આ ઝેર વેચવાથી કરોડો રૂપિયા મળશે તેનાથી તેમનું 10 લાખનું દેવું અને અન્ય તમામ આર્થિક બોજ સરળતાથી દૂર થઈ જશે. કરોડોની કિંમતનું સાપનું ઝેર વેચવા બંને તૈયાર થયાઘનશ્યામ સોનીએ તે મુલાકાત સમયે પ્રશાંતને કોબ્રા સાપના ઝેરની બોટલ સોંપી હતી. ઘનશ્યામે પ્રશાંતને કહ્યું હતું કે, આ ઝેરની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોમાં કિંમત છે અને તેના ગ્રાહક શોધવા મુશ્કેલ નથી. પ્રશાંત અને મકરંદે પણ પોતાના 10 લાખના દેવામાંથી મુક્તિ મેળવવા અને રાતોરાત કરોડપતિ બનવા આ ઝેર પોતાની પાસે રાખી લીધું હતું. ગ્રાહકોની શોધમાં બે પરિચિતને કામે લગાવ્યાસાપનું ઝેર હાથમાં આવ્યા પછી પ્રશાંતે તેના પરિચિત સમીર અને પ્રવીણને આ માલ વેચવા માટે ગ્રાહક શોધવાની જવાબદારી સોંપી હતી. પ્રવીણે વડોદરાના જાણીતા સિવિલ વકીલ કેતન શાહનો સંપર્ક કર્યો હતો. વકીલ પણ આર્થિક ફાયદામાં ભાગીદાર બનવા તૈયાર થયો હતો. આ તમામ લોકોનું એક જ લક્ષ્ય હતું કે, ગમે તે રીતે આ ઝેર વેચીને ઘનશ્યામ સોનીના 10 લાખ પરત કરવા અને બાકીના કરોડો રૂપિયા અંદરોઅંદર વેચી લેવા જેથી તેમની ગરીબી દૂર થાય. કોબ્રાના ઝેરની 9.10 કરોડમાં ડીલ ફાઈનલ કરીકેતન શાહના મિત્ર મનસુખ જે સુરતમાં મેરેજ બ્યુરો ચલાવે છે તેણે આ કિંમતી ઝેર માટે ગ્રાહક શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ આ કોબ્રાના ઝેરનો સોદો કુલ 9.10 કરોડમાં નક્કી કર્યો હતો. ડીલ નક્કી થતા જ તમામ આરોપીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓને લાગ્યું કે, હવે ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા ચૂકવવામાં કોઈ વાંધો આવશે નહીં. ડીલ માટે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી મનસુખની ઓફિસને મુખ્ય મંથક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. રૂપિયાની વહેંચણીનો અગાઉથી જ પ્લાન તૈયાર કર્યોઆ 9.10 કરોડની રકમની વહેંચી માટે આરોપીઓએ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો. નક્કી થયા મુજબ 5 કરોડ રૂપિયા પ્રશાંત, મકરંદ અને ઘનશ્યામ સોનીને લેવાના હતા. જેમાંથી ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા અને વ્યાજની પતાવટ કરવાની હતી. બાકીના 4.10 કરોડ રૂપિયા વકીલ કેતન શાહ, સમીર, પ્રવીણ અને મનસુખ વચ્ચે કમિશન તરીકે વહેંચવાના હતા. નાણાની હેરાફેરી માટે આંગડિયા મારફતે હવાલો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય લોકોની મદદ લેવાઈ હતી. ડમી ગ્રાહક મોકલી SOGએ સાત આરોપીને ઝડપી પાડ્યાસુરત SOGના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, તા. 19 જાન્યુઆરીના રોજ લસકાણાના સહજાનંદ હબમાં જ્યારે આ તમામ આરોપીઓ ડીલ કરવા માટે ભેગા થયા હતા, ત્યારે સુરત SOG પોલીસની ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 5.85 કરોડની બજાર કિંમતનું કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું અને સાત આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા પરત મેળવવાના ચક્કરમાં વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ અને વેપારીઓ સહિતની આખી ટોકળી પોલીસના સકંજામાં ફસાઈ હતી. વન વિભાગે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યોઝડપાયેલા આરોપીઓમાં વકીલ કેતન શાહ, વેપારી મકરંદ અને પ્રશાંત સહિત કુલ 7 લોકોનો સમાવેશ થાય છે. સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીની સઘન શોધખોળ કરી રહી છે, જેણે 10 લાખના દેવા પેટે આ ઝેર આપ્યું હતું. આ કેસમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે આટલું કિંમતી ઝેર ક્યાંથી આવ્યું તે રહસ્ય અકબંધ છે. કયો સાપ નશા માટે વપરાય છે?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, ભારતમાં નશાના વ્યસનીઓ દ્વારા નશા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સાપના નામ નાજા નાજા એટલે કે કોબ્રા, બંગરસ કેરુલિયસ એટલે કે કોમન ક્રેટ અને ઓફિઓડ્રિસ વર્નાલિસ એટલે કે ગ્રીન સ્નેક છે. આ સિવાય જે લોકો ઓછા ઝેરી સાપનો નશો ઈચ્છે છે તેઓ દારૂ સાથે રેટ સ્નેક અને ગ્રીન બેલ સ્નેકનું ઝેર લેશે. નશામાં શા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે?નશા માટે સાપના ઝેરના ઉપયોગ વિશે બહુ ચર્ચા નથી. જોકે એના કેસ પહેલાં પણ આવતા રહ્યા છે. નિષ્ણાતો માને છે કે એનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ મોર્ફિન અને કોકેન જેવી નિયમિત દવાઓથી કંટાળી ગયા છે. જર્નલ ઓફ સાઇકોલોજિકલ મેડિસિન અનુસાર, જો સાપનું ઝેર ઓછી માત્રામાં લેવામાં આવે તો એની સાઇકોએક્ટિવ અસર થાય છે. એનો અર્થ એ કે એ માનવ ચેતાતંત્રને ધીમું કરે છે. કેટલાક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોબ્રાના ઝેરમાં મોર્ફિન ડ્રગ જેવો નશો હોય છે. જ્યારે સાપનું ઝેર શરીરમાં પ્રવેશે છે ત્યારે સક્રિય ચયાપચય, એટલે કે ખોરાકના પાચન પછી બનેલા પદાર્થો લોહીમાં મુક્ત થાય છે. એમાં સેરોટોનિન, બ્રેડિકિનિન, પેપ્ટાઇડ્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને અન્ય સમાન પદાર્થો છે. આ માનવ શરીરમાં ઊંઘ અને શાંત પ્રતિક્રિયાઓનું કારણ બને છે. સાપનું ઝેર બજાર કેવી રીતે કામ કરે છે?એક સમાચાર અનુસાર, એક ગ્રામ કોબ્રા ઝેરની કિંમત 4 હજાર રૂપિયાથી લઈને 26 હજાર રૂપિયા સુધીની છે. આ કિંમત નક્કી કરવા માટે વપરાયેલા માપદંડ એ છે કે કોબ્રા કેટલું ઝેરી છે. જેનું ઝેર વધુ ઝેરી હોય એની કિંમત વધારે હશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમતો વધુ વધે છે. ઉદાહરણ તરીકે, એક ગ્રામ સાપનું ઝેર 150 ડોલરથી વધુ એટલે કે લગભગ 10 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે કિંગ કોબ્રા ઝેરના એક ગેલનની કિંમત લગભગ 1 લાખ 53 હજાર ડોલર છે. આ તમામ કિંમતો ગેરકાયદે રીતે દાણચોરી કરાયેલા સાપના ઝેરની છે. સાપના ઝેરનો વેપાર સમગ્ર વિશ્વમાં કાયદેસર અને ગેરકાયદે બંને રીતે ચાલે છે. કાયદેસર રીતે, સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. ચીનમાં સાપની ખેતી અને વેપાર થાય છે. જિસિકિયાઓ નામનું એક ગામ છે, જ્યાં તેમનો ઉછેર થાય છે. એનું ઝેર પછી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વેચવામાં આવે છે. ચીન ઉપરાંત ભારત, મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સાપના ઝેરનો ગેરકાયદે વેપાર મોટા પાયે થાય છે. સાપની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે દેશમાં બે કાયદા છે… નશો કરવા માટે સાપ કેવી રીતે કરડાવવામાં આવે છે, એનો નશો કેટલો સમય ચાલે છે અને આ બજાર કેટલું મોટું છે? સૌથી પહેલા તો વાંચો અલગ-અલગ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા આ 3 કેસ રિપોર્ટ, જેમાં નશા માટે સાપના ડંશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો... કેસ સ્ટડી 1: જ્યારે બ્રાઉન શુગર બિનઅસરકારક બની ગયું, ત્યારે મેં સાપ પાસે દંશ મરાવવાની શરૂઆત કરી22 વર્ષનો મુસ્લિમ યુવક, જેણે આઠમા પછી અભ્યાસ છોડી દીધો હતો. ખાનગી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો હતો. તેને બ્રાઉન શુગરની લત લાગી ગઈ. શરૂઆતમાં એ દરરોજ બ્રાઉન શુગરના બે સેચેટ વાપરતો હતો. ધીમે ધીમે તેણે દિવસમાં 4થી 5 સેચેટ લેવાનું શરૂ કર્યું. તેણે નશા માટે કફ સિરપનો ઉપયોગ પણ શરૂ કર્યો. આ હોવા છતાં તેને વધુ દવાઓની જરૂર લાગતી હતી. એક વર્ષમાં તેણે નશામાં આવવા માટે સાપના ડંશનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે એક બોટલમાં લીલો સાપ હતો. જ્યારે સાપ તેના માથા પર ટેપ કરતો હતો ત્યારે તે અંગૂઠા અથવા જીભને ડંશ મારતો હતો. એક સાપ કરડવાની કિંમત 2500 રૂપિયા હતી. સાપે ડંખ માર્યા પછી તેની દૃષ્ટિ ધૂંધળી થવા લાગી, તે બેભાન થવા લાગ્યો અને તેની ઉત્તેજના વધે છે. આ પછી તે 18થી 20 કલાક સુધી ગાઢ ઊંઘમાં જતો હતો. ધીરે ધીરે સાપ કરડવા છતાં એની અસર ઓછી થવા લાગી અને તે માત્ર 10થી 12 કલાક સુધી મર્યાદિત હતી. કેસ સ્ટડી 2: નશામાં આવવા માટે સાપનો વપરાશ જીભને કરડાવવા માટે થાય છે22 વર્ષનો મુસ્લિમ છોકરો, 10મું પાસ અને વ્યવસાયે સફાઈ કામદાર. બ્રાઉન શુગરની લતને કારણે હોસ્પિટલમાં દાખલ. તે 4 વર્ષથી બ્રાઉન શુગર લેતો હતો. ધીમે ધીમે એનો વપરાશ વધીને દરરોજ 5 સેચેટ થઈ ગયો. એકવાર તે તેના મિત્રો સાથે મુંબઈમાં એક રેવ પાર્ટીમાં ગયો હતો. ત્યાં બધાને બ્રાઉન શુગર લીધા પછી સાપ કરડતો હતો. તેણે પણ આ કર્યું. એક બોક્સમાં એક સાપ હતો, જેના છિદ્રમાં જીભ મૂકવી પડી. સાપ તેને કરડતો હતો. બ્રાઉન શુગર લીધા પછી વ્યક્તિએ તેની જીભ છિદ્રમાં મૂકી અને સાપે ડંશ માર્યો. આ સાપના ડંશ પછી તે 12થી 14 કલાક સુધી સૂતો રહ્યો. આ પછી તેને સાપનાં દંશની આદત પડી ગઈ અને આવી પાર્ટીઓમાં અવારનવાર જવાનું શરૂ કર્યું. કેસ સ્ટડી 3: સાપનો નશો એક અઠવાડિયા સુધી ચાલ્યોરાંચીમાં રહેતો 28 વર્ષનો સાપ ચાર્મર રોજ દારૂ પીતો હતો. અનેક વખત પ્રયાસ કરવા છતાં 15 વર્ષ જૂનું વ્યસન છૂટતું ન હતું. એકવાર તેને સાપ કરડ્યો. તે 6થી 7 દિવસ સુધી નશામાં રહ્યો. ધીમે-ધીમે તેને દારૂની લતમાંથી મુક્તિ મળવા લાગી, પરંતુ સાપ કરડવાની તેની લત વધતી ગઈ. દારૂના નશામાં સાપ કેવી રીતે કરડ્યો?જુદા જુદા કિસ્સાઓમાં નશામાં આવવા માટે સાપ કરડાવવાની વિવિધ પદ્ધતિઓ છે... આ સિવાય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાપના ઝેરથી બનેલો પાઉડર છે. એને પીણાં સાથે મિશ્રિત કરીને પીવામાં આવે છે. આ પાઉડરને સર્પદંશ પાઉડર કહેવામાં આવે છે. આમાં પણ કોબ્રા ઝેરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ અધિકારીઓનું કહેવું છે કે નશો અમુક કલાકોથી લઈને આખા દિવસ સુધી રહી શકે છે. એ નશો કરવા માટે લેવામાં આવેલા ઝેરની માત્રા પર આધાર રાખે છે.
અમદાવાદની એલ.જે યુનિવર્સિટીમાં ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન અંદાજે 4 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા અલગ અલગ કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી અને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ પીએચડી કરેલા વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે. 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત દીક્ષાંત સમારોહ દરમિયાન અલગ અલગ અભ્યાસક્રમો જેમ કે ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયતઆ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાનના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 48 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક, 1157 વિદ્યાર્થીઓ પોસ્ટગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટના 2100 અને ડિપ્લોમાના 1129 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. 'પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ'દીક્ષાંત સમારોહના સંબોધન દરમિયાન બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાને જણાવ્યું હતું કે, એલ.જે યુનિવર્સિટીની માનવીય, સંવેદનશીલ અને સામાજિક રીતે જવાબદાર નાગરિક ઘડવાની વિચારધારાને બિરદાવી હતી. સાથે જ યુનિવર્સિટીના સંશોધન, નવીનતા, રમતગમત, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ પર પ્રશંસા કરી હતી. આજે આનંદ થાય છે કે આટલા બધા પ્રતિભાશાળી વ્યક્તિઓને મળવાની તક મળી હતી. વિદ્યાર્થીઓ જે પણ ઉપાધિ પ્રાપ્ત કરી છે તેની શુભકામનાઓ પાઠવીએ છીએ. શિક્ષણ ગુણવત્તા ધરાવતું હોવું જોઈએ અને કોઈની પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ. જેના માટે તમામ લોકોએ કામ કરવું ખૂબ જ જરૂરી છે. 'સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી અપાઈ'એલ.જે યુનિવર્સિટીના વાઇસ ચાલ્સલર દિનેશ અવસ્થિએ જણાવ્યું હતું કે, આ વર્ષે 4000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. ફાર્મસી એન્જિનિયરિંગ પોલિટેકનિક સહિતના અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવી છે. સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી છે.
વન કર્મચારીઓ માટે મડાસણામાં મેડિકલ કેમ્પ:સામાજિક વનીકરણ વિભાગે આરોગ્ય તપાસ શિબિર યોજી
મોડાસા તાલુકાના મડાસણા બળીયાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અરવલ્લી જિલ્લા ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મોડાસા વિસ્તરણ રેન્જના RFO પી.વી. આંજણા, મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મોડાસા રેન્જમાં ફરજ બજાવતા વનપાલ, વનરક્ષક, રોજમદાર કર્મચારીઓ, વન વિભાગના શ્રમિકો તેમજ ગ્રામજનોના આરોગ્યનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. PHC સરડોઈના મેડિકલ સ્ટાફ દ્વારા બ્લડ પ્રેશર, સુગર અને એચ.આઈ.વી. સહિતના પરીક્ષણો કરાયા હતા. આ ઉપરાંત, તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બીમારીઓ માટે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 100 જેટલા વન કર્મચારીઓ અને ગ્રામજનોએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.
સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં શહેરના પાયાના માળખાકીય સુધારા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રાફિક, સ્વચ્છતા અને રસ્તાના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂરસુરતના ગીચ રહેણાક ધરાવતા લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ કમર કસી છે. ઉધના રેલવે યાર્ડ નજીક નિલગીરી અને સંજયનગર સર્કલ પર 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. આ વિસ્તારમાં રેલવે યાર્ડને કારણે સિમેન્ટના ભારદારી વાહનોની સતત અવરજવર રહે છે, જેને લીધે ભૂતકાળમાં શાળાઓમાં જતા માસૂમ વિદ્યાર્થીઓના અકસ્માતે જીવ ગયા છે. આ નવા બ્રિજના નિર્માણથી હાઈવે કનેક્ટિવિટી સીધી મળશે, જેનાથી લિંબાયત, ગોડાદરા અને પરવત પાટિયાનો આંતરિક ટ્રાફિક હળવો થશે અને સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓની માર્ગ સલામતીમાં મોટો વધારો જોવા મળશે. 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશેદેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે સુરતનો દબદબો જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પ્રોફેશનલ એપ્રોચ અપનાવી રહ્યું છે. આગામી 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26' માં પણ નંબર-1 નું સ્થાન ટકાવી રાખવા અને શહેરને સંપૂર્ણ 'ગાર્બેજ ફ્રી' બનાવવા માટે 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. આ માટે એક ખાસ ‘પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ’ બનાવવામાં આવશે, જે ગાર્બેજ ફ્રી સિટીના રેટિંગ સુધારવા અને કચરાના નિકાલની પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે કાર્ય કરશે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા હેઠળ શહેરના દરેક ખૂણાને સ્વચ્છ રાખીને સુરતના ગૌરવવંતા તાજને જાળવી રાખવા પાલિકા તજજ્ઞોની મદદથી ટેકનિકલ વ્યૂહરચના તૈયાર કરી રહી છે. સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે મજબૂત સીસી ઓવરલે રોડ બનશેવરાછા અને મોટા વરાછા વિસ્તારના નાગરિકોને દર ચોમાસે રસ્તા પર પડતા ખાડાઓ અને કાદવના ટેન્શનમાંથી મુક્તિ આપવા પાલિકાએ એક ટકાઉ માર્ગ બનાવવાનું આયોજન કર્યું છે. સીમાડા નાકાથી સવજી કોરાટ બ્રિજ થઈ મોટા વરાછા સ્વામીનારાયણ મંદિર સુધીના વ્યસ્ત માર્ગને 14.98 કરોડના ખર્ચે સીસી ઓવરલે ટેકનોલોજીથી નવો બનાવવામાં આવશે. ડામરના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જવાની સમસ્યાનો આ એક મજબૂત વિકલ્પ છે, જે હાઈવે જેવી ટકાઉક્ષમતા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અદ્યતન રસ્તાથી હજારો વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ સુખદ બનશે, જે માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. માણેકચોક સ્થિત રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટના એક મકાનમાં રહેતા બંગાળી યુવકે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી. આર્થિક તંગીમાં સુસાઈડ કર્યું હોવાની શક્યતાપ્રાપ્ત માહિતી મુજબ મૃતક છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાં હતો અને દેવું વધી જતાં માનસિક દબાણમાં રહેતો હતો. દેવાના ભારને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોજો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનમાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ખાડિયા પોલીસે તપાસ શરૂ કરીપોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે, તેમજ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે ખાડિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા જમિયતપુરા ગામ પાસેનો મુખ્ય કટ બંધ કરવાની વહીવટી તંત્રની હિલચાલને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં 8લેન હાઈવેની કામગીરી અને ત્રિમંદિર પાસે નવો ઓવરબ્રિજ બન્યા બાદ જૂના કટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આજે જ્યારે તંત્ર દ્વારા આ કટને કાયમી ધોરણે બ્લોક કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. જમિયતપુરા કટ બંધ કરવાના મુદ્દે ગ્રામજનોમાં રોષગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર જમિયતપુરા ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય કટને બ્લોક કરવાની વહીવટી તંત્રની હિલચાલનો ગ્રામજનોએ સખત વિરોધ કર્યો છે. આજે જ્યારે તંત્રના માણસો કામગીરી માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો . ગ્રામજનો નું કહેવું છેકે જો ગામ પાસેનો આ મુખ્ય કટ બંધ કરી દેવામાં આવશે તો જમિયતપુરા ગામના લોકોનો અડાલજ અને ગાંધીનગર સાથેનો સીધો સંપર્ક કપાઈ જશે. લાંબો ફેરો કરીને ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડશેઆ સ્થિતિમાં ગ્રામજનોએ ફરજિયાતપણે લાંબો ફેરો કરીને ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડશે. વારંવાર ટોલ ચૂકવવો પડતા સ્થાનિકો પર આર્થિક બોજ વધશે અને રોજિંદા કામકાજ માટે સમયનો પણ ભારે બગાડ થશે. ગ્રામજનોના આક્ષેપ મુજબ આ આયોજનમાં સ્થાનિક લોકોની સુવિધાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવી છે. 'મોટા સ્પીડ બ્રેકર અથવા સાઈનબોર્ડ જેવી વ્યવસ્થા કરો'જોકે તંત્ર દ્વારા અકસ્માત નિવારવા માટે આ કટ બંધ કરવામાં આવી રહ્યો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામજનો આ નિર્ણય સાથે સહમત નથી. ગ્રામ પંચાયતે પાટનગર યોજના વિભાગને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે સુરક્ષાના હેતુ માટે ત્યાં મોટા સ્પીડ બ્રેકર અથવા સાઈનબોર્ડ જેવી વ્યવસ્થા કરી શકાય છે, પરંતુ માર્ગ બંધ કરવો એ કોઈ કાયમી કે વ્યવહારુ ઉકેલ નથી. હાઈવે ચક્કાજામ કરવાની ચીમકીખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ વર્ગ માટે આ માર્ગ જીવનરેખા સમાન હોવાથી તેને ખુલ્લો રાખવાની માંગ છે. પંચાયતે ચીમકી આપી છે કે જો તંત્ર પોતાની જીદ પર અડગ રહેશે અને ગામનો મુખ્ય માર્ગ બંધ કરશે તો આગામી દિવસોમાં હાઈવે પર ચક્કાજામ કરીને વ્યવહાર ખોરવી નાખવામાં આવશે.
ભાવનગર નજીકના વરતેજ તાબેના બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પુર્વે માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સામાપક્ષે થયેલી મારામારીમાં સંડોવાયેલી એક મહિલા આરોપીને પણ કોર્ટ બે વર્ષની સજા ફટકારી હતી. ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદઆ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદી નીતાબેન બુધાભાઈ મેરે પોતાના મરણજનારના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણાને આ બનાવના આરોપી કાના પોપટભાઈ રાઠોડના માતાને વર્ષ પહેલા એક દિવસ માટે ભગાડીને લઈ ગયેલ હોય જેની દાઝ રાખી આરોપીએ તેના ઘરે આવી તેને તથા મરણજનારને ગાળો દઈ ફરીયાદીના ભાઈ કાળુ રવજીભાઈ મકવાણાને છાતીમાં છરીના બે ઘા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયોલા કાળુભાઈનું મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આજીવન કેદની સજા અને 25 હજારનો દંડઆ બનાવની વરતેજ પોલીસ મથકમાં ગત 20 જુલાઈ 2022ના રોજ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી કાના પોપટભાઈ રાઠોડ સામે આઈ.પી.સી. કલમ 302, 504, 447, તથા જી.પી.એક્ટ 136 મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ ભાવનગરના જીલ્લા સરકારી વકિલ મનોજભાઈ જોષીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી કાના પોપટભાઈ રાઠોડની સામે ઈ.પી.કો. કલમ 302 સહિતનો ગુનો સાબિત માની આરોપીને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડ રૂપીયા 25 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. સામા પક્ષની આરોપી મહિલાને પણ બે વર્ષની કેદની સજાજ્યારે સામાપક્ષે મારા મારી થતા મરણજનાર કાળુભાઈ તથા તેમના બહેન આરોપી નીતાબેન તથા નીતાબેનના સાસુ આરોપી કમુબેન પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ પણ આજે ચાલી જતા ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબએ સરકારી વકિલ મિતેષ મહેતાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતાબેનને બે વર્ષની કેદની સજા અને રોકડ દંડ કોર્ટે ફટકાર્યો હતો.
NIA એ ગુજરાતમાં અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આતંકી સંગઠન દ્વારા સંવેદનશીલ યુવાઓને ઓનલાઈન રીતે રેડિકલ બનાવવા સંબંધિત કેસમાં પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. મોહમ્મદ ફરદીન, કુરેશી સેફુલ્લા, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી અને શમા પરવીન સામે UAPA એક્ટ, BNS એક્ટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. AQISના ભારત વિરોધી વિચારોનું પ્રચાર, સમર્થન અને પ્રસારNIAની તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પ્રતિબંધિત AQISના ભારત વિરોધી વિચારોનું પ્રચાર, સમર્થન અને પ્રસાર કર્યો હતો. તેમણે વિવિધ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મારફતે ઉશ્કેરણીજનક પોસ્ટ્સ, જેમાં વીડિયો, ઓડિયો અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ભોળા યુવાઓને રેડિકલ બનાવવાનો પ્રયાસ કર્યોNIAએ વધુમાં જાણવા મળ્યું કે, આ પોસ્ટ્સ દ્વારા આરોપીઓએ લોકશાહી રીતે ચૂંટાયેલી ભારતીય સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાની અપીલ કરી હતી. તેમજ શરિયત કાયદા આધારિત ખિલાફતની સ્થાપનાની માંગ કરી હતી. તેમણે અન્ય પ્રતિબંધિત આતંકી સંગઠનોના અતિરેકવાદી વિચારોનું પણ પ્રચાર કરીને ભોળા યુવાઓને રેડિકલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસો અને તલવાર પણ કબ્જે કરીઆ તપાસ ATS ગુજરાત પાસેથી NIAએ લીધી હતી. તપાસ દરમિયાન ATS ગુજરાતે કાગળ અને ડિજિટલ સ્વરૂપમાં અનેક આપત્તિજનક સામગ્રી જપ્ત કરી હતી. તેમજ પાંચમાંથી બે આરોપીઓ પાસેથી સેમી-ઓટોમેટિક પિસ્તોલ, કારતૂસો અને તલવાર જેવા ઘાતક હથિયારો પણ કબ્જે કર્યા હતા. NIAએ આગળની તપાસ દરમિયાન ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરી આરોપીઓ સામેના પુરાવાઓને વધુ મજબૂત બનાવતા આપત્તિજનક પોસ્ટ્સ ઓળખી કાઢ્યા હતા. સમાજના એક વર્ગ સામે હિંસા ઉશ્કેરતી સામગ્રી શેર કરીNIAના તારણ મુજબ જૂના દિલ્હીના રહેવાસી મોહમ્મદ ફૈકે સાજિશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે જિહાદ, ગઝવા-એ-હિંદ અને સમાજના એક વર્ગ સામે હિંસા ઉશ્કેરતી સામગ્રી શેર કરી હતી. તેણે AQIS અને જૈસ એ મોહમ્મદના નેતાઓની વિચારધારા પ્રચારતી અતિરેકવાદી સાહિત્યના અંશો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમજ ખાસ આ હેતુ માટે બનાવેલા ગ્રુપ મારફતે ફેલાવ્યા હતા. અન્ય આરોપીઓ સાથે મળીને હિંસક વિચારધારા અને સામગ્રી વ્યાપક રીતે ફેલાવવાના ષડયંત્રમાં પણ તે સામેલ હતો. ભારતીય સરકાર સામે બળવો ઉશ્કેરતી પોસ્ટ્સ કરતાઅમદાવાદના શેખ મોહમ્મદ ફરદીન, ગુજરાતના મોડાસાના કુરેશી સેફુલ્લા અને ઉત્તર પ્રદેશના નોઇડાના ઝીશાન અલી પર પણ પ્રતિબંધિત આતંકી સંગઠનોનું પ્રચાર કરતી ઓડિયો, વીડિયો અને અન્ય સામગ્રી ફેલાવવાના ષડયંત્રમાં સક્રિય રીતે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. તેઓ નિયમિત રીતે જિહાદ, ગઝવા-એ-હિંદ અને લોકશાહી રીતે ચૂંટાયેલી ભારતીય સરકાર સામે બળવો ઉશ્કેરતી પોસ્ટ્સ પર લાઈક, ટિપ્પણી અને સહકાર આપતા હતા તેમજ ખિલાફત અને શરિયત કાયદાની વકાયત કરતા હતા. ફોનમાંથી વીડિયો અને પાકિસ્તાની સંપર્ક નંબરો મળી આવ્યાઆગળની તપાસમાં જાણવા મળ્યું કે, કર્ણાટકના બેંગલુરુની શમા પરવીને પોતાના સોશિયલ મીડિયા મારફતે AQISના વીડિયો પ્રસારિત કર્યા હતા અને પહલગામ હુમલા તથા ઓપરેશન સિંદૂર બાદ અતિરેકવાદી સામગ્રી પ્રચાર કરતી ગ્રુપ્સમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. તે પાકિસ્તાની નાગરિક સુમેર અલી સાથે નિયમિત સંપર્કમાં હતી અને તેને સ્ક્રીનશોટ્સ મોકલતી હતી તેમજ પ્રતિબંધિત સાહિત્ય અને કામગીરી અંગે ચર્ચા કરતી હતી. તેની મોબાઇલ ફોનમાંથી અતિરેકવાદી વિચારકો દ્વારા લખાયેલા આપત્તિજનક પુસ્તકો, વીડિયો અને પાકિસ્તાની સંપર્ક નંબરો મળી આવ્યા હતા, જે તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ હજુ ચાલુ છે.
સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનું અકસ્માત થતા મોત નિપજ્યું છે. પુરઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર bmw બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોપલ પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. BMW બાઇકચાલકે મજૂરને જોરદાર ટક્કર મારીમૂળ બિહારના અને હાલ સાઉથ બોપલમાં રહેતા 40 વર્ષીય સુરેન્દ્ર શહાની મજૂરી કામ કરતા હતાં. સોમવારે સવારે તેઓ સેવન ક્લબ રોડ પર આવેલી ધ ગેલેક્સી સાઈટ પર કામ કરવા ગયા હતા. બપોરે આશરે ચાર વાગ્યાની આસપાસ કામ પૂર્ણ કર્યા બાદ તેઓ રેઈન ફોરેસ્ટની સામે આવેલા વીઆઈપી રોડ પર કોલોની તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલી બીએમડબલ્યુ બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ફંગોળાઈને રોડ પર પટકાયા બાદ મોતટક્કરના કારણે સુરેન્દ્ર શહાની ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી યુવક કર્ણાવતી યુનિવર્સિટીનો વિદ્યાર્થીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાઇકચાલકનું નામ વેદ નીરવકુમાર ભાવસાર છે, તેની ઉંમર 18 વર્ષ છે અને તે સનાથળ તાલુકાના સાણંદમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહે છે. આરોપી કર્ણાવતી યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરે છે અને તેના પિતા સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. બોપલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વર્ષ 2003માં વલસાડ સેશન્સ કોર્ટે નિરંજન કુમાર મહેતાને ઘરેલુ હિંસા અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં સાત વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની રજૂઆતો ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે અરજદારને નિર્દોષ છોડ્યો છે. પતિના ત્રાસથી પત્નીએ રેલવે ટ્રેક પર બાળક સાથે આપઘાત કર્યોકેસને વિગતે જોતા અરજદારના લગ્ન 1994માં થયા હતા. પતિ દારૂ પીને પત્નીને મારતો હતો. જેથી એક દિવસ કંટાળી જઈને પત્નીએ રેલવે ટ્રેક ઉપર એક વર્ષના બાળક સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના માત્ર લગ્નના બે વર્ષમાં ઘટી હતી. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતોઅરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીને જ્યારે જામીન અરજી દાખલ કરી હતી, ત્યારે પત્નીના ઘરના લોકોએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતો અને બંનેના પરિવારો એકબીજાના ઘરે લૌકિક ક્રિયાઓમાં પણ ગયા હતા. નશાની હાલતમાં પતિ જો પત્નીને માર પણ મારતો હોય તો તેનો ઈરાદો તેને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગણી શકાય નહીં. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરી નથીઆ કેસમાં કોઈ સ્વતંત્ર સાહેદો તપાસવામાં આવ્યા નથી. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની કોઈ ફરિયાદ કરી નથી. તેની પાસેથી દહેજ કે કોઈ પૈસા માગ્યા હોવાની ફરિયાદ તેને કરી નહોતી. તેને બે વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિએ માર માર્યો હોય અને મેડિકલ સારવાર લેવી પડી હોય તેવા પણ કોઈ પુરાવા નથી. તેને છૂટાછેડા પણ માગ્યા ન હતા. રેલવે ટ્રેક ઉપર પડી જતા આસક્મિક મૃત્યુ થયું હતુંપત્ની જ્યારે ઘટનાના એક મહિના પહેલા પિયરમાં ગઈ હતી. ત્યારે પતિ તેને સામે ચાલીને તેડી આવ્યો હતો. આ લગ્ન પરિવારની ઓળખાણમાં થયા હતા. પત્ની જ્યારે ગાયબ થઈ ત્યારે પતિ તેને શોધવા નીકળ્યો હતો અને તેના પિયરમાં પણ તેના અંગે પૂછપરછ કરી હતી. પત્ની ખરેખરમાં છત્રી લઈને બાળકને લઈને પિયર જવા નીકળી હતી. પરંતુ તે રેલવે ટ્રેક ઉપર પડી જતા આ આસક્મિક મૃત્યુ થયું હતું. વળી રેલવેમાંથી કોઈ સાહેદ તપાસાયા નથી. પત્ની જ્યારે પોતાના પિયર જતી ત્યારે તેના ઘરના લોકોને પતિ શરાબ પીને માર મારતો હોવાની વાત કરી હતી. વળી તેની નાની બહેન જ્યારે તેના ઘરે રહેવા ગઈ ત્યારે તેને પણ ઘરે પરત ફરીને માતા પિતાને આ અંગે જાણ કરી હતી. દીકરીને પિયરીયાઓએ સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીંહાઇકોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન પછી જ્યારે મહિલાને તેની સાસરીમાં ત્રાસ મળતો હોય ત્યારે દીકરીએ ક્યાં રહેવું કે નહીં તે સાસરીવાળા કે પિયર વાળા નક્કી કરે નહીં. તે દીકરીએ સ્વતંત્ર નક્કી કરવું જોઈએ. વળી દીકરી પિયર આવે તો પિયરીયાઓએ તેને સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીં. હાઇકોર્ટે આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યોઆરોપીના વકીલે કહ્યું હતું કે મહિલાએ બાળકનો જીવ લેવાનો અધિકાર નથી. આવા કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાયાના કેસો જોવા મળ્યા છે. જ્યાં મહિલાએ બાળકને લઈને આપઘાત કર્યો હોય. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકતા આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભારતમાં ન પ્રસરે તે જરૂરી છે. આ ઉપરાંત ઝેન જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવાની વાત કરી હતી. ‘અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો’હિન્દુ સમાજને જ સૌથી મોટો ગણાવતા ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો છે અને સ્વીકૃતિ વધી છે, તે હિન્દુ સમાજના આશીર્વાદથી જ થયું છે. જે લોકો દેશહિતમાં કામ કરે છે. તે સંઘ સાથે જોડાયેલા હોય કે ના હોય તેઓ સંઘના સ્વયંસેવકો જ છે. તેવું સંઘ માને છે. ‘સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી’તેમણે વધુમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, સંઘના સ્વયંસેવકો સંઘમાં તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી. શુદ્ધ સાત્વિક પ્રેમ, આત્મીયતાના આધારે સંઘનું કાર્ય ચાલે છે. સંઘ શાખાના માધ્યમથી સંસ્કાર આપીને સ્વયંસેવકને તૈયાર કરે છે. પછી સ્વયંસેવક પોતાના વિવેક અનુસાર કાર્ય કરે છે. આ લોકો દેશ માટે જીવે અને જરૂર પડ્યે દેશ માટે સમર્પણ આપવા તૈયાર રહે છે. સંઘની આ મેથડોલોજી છે. સંઘ શું નથી તેની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સંઘ પ્રતિક્રિયા, વિરોધ કે સ્પર્ધા માટે નથી શરૂ થયો પરંતુ સ્વતંત્રતા સંગ્રામના કાળમાં એક સમયે દેશહિત માટે ચાલતી તમામ વિચારધારાઓ અને કાર્યોનો સમન્વય સંઘમાં છે. દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત….સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીના જીવન પ્રસંગોના ઉલ્લેખ સાથે ભાગવતે કહ્યું હતું કે, ડૉક્ટરજીએ આ જન્મમાં માત્ર દેશહિત માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશની આઝાદી માટે અનેક મહાનુભાવો કાર્યરત હતા, પરંતુ ડૉક્ટરજીએ ઈતિહાસનું મંથન કર્યું અને દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત, આત્મગૌરવયુક્ત અને શક્તિશાળી સમાજના નિર્માણ માટે સંઘની શરૂઆત કરી હતી. આ માટે તેમણે પહેલા 10 વર્ષ સમાજ જીવનમાં પ્રયોગો કર્યા. બાદમાં 1925માં સંઘની સ્થાપના કરી. એ પછી સતત 14 વર્ષ સુધી વિરોધ, ઉપેક્ષા વચ્ચે ધરાતલ પર કામ કરતાં-કરતાં સંઘની કાર્યપદ્ધતિ તૈયાર થઈ છે. ‘ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો’હિન્દુત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે. જે વિચારમાંથી સંવિધાન તૈયાર થયું છે, સંઘ એ જ પદ્ધતિથી કામ કરે છે. હિન્દુ એ ગુણ અને સ્વભાવ દર્શાવે છે, તે ભારતનો જવાબદાર સમાજ છે. તેમણે કહ્યું કે, દુનિયાના દેશો શક્તિશાળી બન્યા પછી ક્યા માર્ગે ચાલે છે, તે બધા જુએ છે. પરંતુ ભારત જ એવો દેશ છે, જે શક્તિશાળી બન્યા પછી પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરે છે. ભારત વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન કરશે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોએ પોતાને ચોક્કસ મત-પંથના દેશો ગણાવ્યા અને દુનિયાના અન્ય દેશો પણ પોતાને ચોક્કસ મત-પંથના દેશ કહે છે. ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો, કારણકે હિન્દુ સૌ મત-સંપ્રદાય-પંથનું સ્વાગત કરે છે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોના લોકો સાથે પણ સંવાદિતાથી કામ થાય તેવો વિચાર રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા લોકોના મનમાં ચાલી રહ્યો છે. ‘મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે’સંઘની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં સર સંઘચાલકે કહ્યું કે, સંઘે પ્રારંભથી જ નક્કી કર્યું હતુ કે, સંઘ વોટબેન્કની રાજનીતિમાં નહીં પડે. સંઘ રાજનીતિ સાથે સંબંધ નથી રાખતો. મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે. આજે અનુકૂળતાના માહોલમાં પણ સંઘ વિરક્તિ-ભાવ, સાદગીના ગુણને વળગીને આગળ વધી રહ્યો છે અને સમાજના જ કામને આગળ વધારી રહ્યો છે. હજુ પણ દરેક ગ્રામ અને નગર સુધી શાખા પહોંચાડવાની છે. હજુ પણ કાર્યનો વિસ્તાર અને દ્રઢિકરણ કરવાનું છે. ‘ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે’આ તકે પ્રમુખજનો સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, ઝેન-જી કોરી સ્લેટ છે. તે ખૂબ પ્રામાણિક છે. તેમને સાંભળો અને પછી માર્ગદર્શન કરો. ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે. વૈશ્વિકિકરણમાં સંઘ અને ભારતની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, ભારતના વસુધૈવ કુટુંબકમનો ભાવ જ સાચું ગ્લોબલાઈઝેશન છે. અન્ય દેશોના ગ્લોબલાઈઝેશનનો વિચાર દુનિયાને માર્કેટ બનાવે છે અને જો ઉપયોગમાં ના રહે તો ફેંકી દે છે. આપણે ગ્લોબલ પરિવારમાં માનીએ છીએ. આ બાબતે ભારત વિશ્વગુરૂ છે. પડોશી દેશના તોફાનો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, મુસ્લિમો અને હિન્દુઓ સાથે ન રહી શકે તેવા વિચારને ત્યાં ફરી બળ અપાઈ રહ્યું છે. ભારતમાં આ વિચાર ન પ્રસરે તે જરૂરી છે, તે માટે સમાજની જાગૃતિ જરૂરી છે.
વાહન ચાલકો સાવધાન... જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો
FASTag New Rule : કેન્દ્ર સરકારે હાઈવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઈવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ'માં મહત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે. કયા કામો પર લાગશે રોક? નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.
Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ? પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે.
‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો
BMC Mayor : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના મેયર પદને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ હવે જાસૂસીના આરોપો સુધી પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરતા જણાવ્યું હતું કે, ભાજપ અત્યારે તેના પોતાના અને શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ કરી રહી છે. દિલ્હીથી મેયર નક્કી થવો એ મહારાષ્ટ્રનું અપમાન : સંજય રાઉત મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મુંબઈનો મેયર કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન છે. લક્ઝરી હોટલમાં લઈ જવાયેલા શિવસેનાના કોર્પોરેટરો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યકર્તાઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.
સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ના હસ્તે જ્યારે પ્રી-એડોપ્શન ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારે બેંક કર્મચારીઓના ચહેરા પર લાખોના વ્યવહાર કરતા પણ વધુ મોટી ખુશી જોવા મળી હતી. 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિએ વિધિવત રીતે દત્તક લીધાસંતાન સુખની ઝંખના રાખતા સચિન સુરેશ શાહ (બેંક કર્મચારી) અને તેમના પત્ની અશ્વિની શાહે સુરત આવીને એક બાળકને વિધિવત રીતે દત્તક લીધું હતું. તેવી જ રીતે, અભિષેક મોહન પાટીલ અને લીના પાટીલ, જેઓ બંને બેંકમાં કર્મચારી તરીકે કાર્યરત છે, તેઓ પણ સુરતના એક માસૂમ બાળકને દત્તક લઈને હવે મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના આ હાઈ-પ્રોફાઈલ બેંકિંગ પરિવારોમાં હવે બાળકની કિલકારીઓ ગુંજશે, જે સુરત માટે ગર્વની વાત છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે. 'નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન'જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન થયું છે. એડોપ્શન રેગ્યુલેશન-2022 ના નિયમો મુજબ તમામ કાયદેસરની તપાસ પૂર્ણ કર્યા બાદ, રવિવારના પવિત્ર દિવસે આ બાળકોને નવા માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યા હતા. કલેકટરે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે બેંક કર્મચારી દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યુંજોકે, તંત્રએ આ પ્રસંગે એક મહત્વની ચેતવણી પણ આપી છે. બાળક દત્તક લેવાની ઈચ્છા રાખતા દંપતીઓએ માત્ર કેન્દ્ર સરકારની ‘મિશન વાત્સલ્ય’ (CARA) વેબસાઇટ પર જ નોંધણી કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિ પાસેથી સીધું કે બિનકાયદેસર રીતે બાળક દત્તક લેવું એ ગંભીર અપરાધ છે. સુરતની વિશિષ્ટ દત્તક સંસ્થા 0થી 6 વર્ષના બાળકો માટે આ કાયદેસરના સેતુ તરીકે કામ કરી રહી છે, જેથી કોઈ માસૂમ બાળક ફરી ક્યારેય અનાથ ન રહે.
જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ લેતું અને ત્યાર બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. શું છે સમગ્ર મામલો?કેશોદના સોની બજારમાં આવેલી 'પાલા પ્રિયમ જ્વેલર્સ'ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા કહ્યું કે, 10 તારીખે સાંજે 6 વાગ્યે તેમની દુકાને એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ સોનાના દાગીના એક્સચેન્જ કરવાની વાત કરી હતી. તેઓએ વેપારી પાસેથી બે સોનાના ચેઈન પસંદ કર્યા અને તેનું બિલ બનાવડાવ્યું હતું. ત્યાર બાદ પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું. નકલી હાર પધરાવી રોકડ અને અસલી દાગીના લૂંટ્યાઆ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી ₹2,62,000ની કિંમતના બે સોનાના ચેઈન અને ઉપરથી ₹22,000 રોકડા મેળવી લીધા હતા. કુલ ₹2,85,000નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. વેપારીને શંકા જતા અને અન્ય ન્યુઝ દ્વારા માહિતી મળતા તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા હતા. સીસીટીવી ફૂટેજમાં આ કપલ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પંચધાતુ પર સોનાનો વરખ ચડાવવાની છેતરતાજૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતો હતો. આ દાગીના પ્રથમ દૃષ્ટિએ કે લેબ ટેસ્ટમાં પણ સોનાના જ જણાઈ આવતા હતા, પરંતુ જ્યારે તેને ઓગાળવામાં આવે ત્યારે તેમાંથી માત્ર 30% જ સોનું નીકળતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાસેથી આરોપીઓને દબોચ્યાવેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પી.આઈ. કુનાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી સ્ત્રી અને પુરુષ બંનેને હસ્તગત કર્યા હતા. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પટના અને બનારસથી સંચાલિત થતું હતું આખું નેટવર્કપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ માસ્ટરમાઈન્ડ દ્વારા કપલને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં ₹7,000નું કમિશન મળતું હતું. તેઓ અત્યંત સાવચેતી રાખતા અને એક શહેરમાં માત્ર એક જ વેપારીને નિશાન બનાવી તરત જ બીજું શહેર પકડી લેતા હતા જેથી સ્થાનિક પોલીસ તેમને પકડી ન શકે. દેશના 15 રાજ્યોમાં 56 મોટી છેતરપિંડી આચરીપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કપલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના 15 અલગ-અલગ રાજ્યોના 56 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેઓએ અંદાજે 900 ગ્રામ જેટલા સોનાના અસલી દાગીના વેપારીઓ પાસેથી પડાવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં જ 10થી 12 સોની વેપારીઓ આ ગેંગનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. ભોગ બનનાર વેપારીઓને પોલીસનો સંપર્ક કરવા અપીલહાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે. જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે, જેથી આ ગુનેગારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી બાદ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ, આર્મ્સ એક્ટ મારામારી જેવા ગંભીર 15 સહીત કુલ 34 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે મહિનામાં ચોથી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. ખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોરાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર આતંક મચાવનાર કુખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 9 આરોપી ઝડપાયારાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી અરબાઝ રાઉમાં, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા, ઈમ્તિયાઝ ઓડિયા, નયન દાફડા, આબીદ ઓડિયા, અનીશ ઓડિયા, અબ્દુલ દલ, શાહિદ ઓડિયા, અને મિત પરમારની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ જયારે મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ હોય જેથી તેનો કબ્જો મેળવી ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઆરોપી અરબાઝ રાઉમાં વિરુધ્ધ 4 ગુના, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા વિરુધ્ધ 5 ગુના, ઈમ્તિયાઝ ઓડિયા વિરુધ્ધ 4 ગુના, નયન દાફડા વિરુધ્ધ 4 ગુના, આબીદ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અનીશ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અબ્દુલ દલ વિરુધ્ધ 2 ગુના, શાહિદ ઓડિયા વિરુધ્ધ 2 ગુના, મિત પરમાર વિરુધ્ધ 3 ગુના અને મુખ્ય આરોપી અવેશ ઓડિયા વિરુધ્ધ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાન મંદિરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં નુકસાની કરનાર શખ્સને સમજાવવા ગયેલા એક આધેડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વેગડવાવ ગામના લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (ઉંમર 55) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગામમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલાએ ખીજડીયા હનુમાનજીના મંદિરમાં વસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ફરિયાદી અને અન્ય સાહેદો રામજીભાઈને આ બાબતે સમજાવવા ગયા, ત્યારે આરોપીએ તેમને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ લાલજીભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં રામજીભાઈ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, મોરબી જિલ્લામાં પોલીસે દારૂબંધી ભંગના ત્રણ જુદા જુદા દરોડા પાડી કુલ 19 નાની-મોટી દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 6536 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રથમ દરોડામાં, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ પર આવેલ આઈટીઆઈ સામેની ઓમ શિવમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી પોલીસે દારૂની 16 નાની બોટલો જપ્ત કરી હતી. પોલીસે રૂ. 2240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ગોટી (ઉંમર 40, રહે. પ્રભુ કૃપા બાલાજી હોમ્સ-2, બ્લોક નં-704, મહેન્દ્રનગર, મોરબી) ની ધરપકડ કરી હતી. બીજા દરોડામાં, મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા વિક્રમભાઈ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા (ઉંમર 19, રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે, શીતળામાતા વિસ્તાર, મોરબી) ને રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 3600 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. ત્રીજા દરોડામાં, મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા રવિભાઈ શામજીભાઈ ડંડેયા (ઉંમર 30, રહે. હાલ હોલો સેનેટરી સિરામિક કારખાનામાં, ઘુટુ રોડ, મોરબી) ને પોલીસે રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 696 ની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગઢડા ખાતેના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગઢડા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં એક આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોને સમયસર અને શિસ્તબદ્ધ આયોજન સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી થીમ આધારિત ટેબ્લો, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ વિભાગની માર્ચપાસ્ટ પરેડ મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે. જિલ્લા પ્રશાસન દ્વારા બોટાદ જિલ્લાના નાગરિકોને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ મનો દિવ્યાંગ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણની સરકારી શ્રીમતી કે.કે. કન્યા વિદ્યાલયની મનોદિવ્યાંગ વિદ્યાર્થીની માહી નીતિનકુમાર મોદીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. માહી મોદીએ બોસી (Bocce) રમતમાં 16 થી 21 વર્ષની વયજૂથ (બહેનો) શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ દ્વારા તેણે પાટણ જિલ્લા અને તેની શાળાનું નામ રાજ્યમાં રોશન કર્યું છે. આગામી સમયમાં માહી મોદી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સફળતા અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડૉ. દિનેશકુમાર પ્રજાપતિ સહિત સમગ્ર શિક્ષકમિત્રો અને શાળા પરિવારે માહી મોદીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
મોરબી સિરામિક કારખાનામાં યુવાનનું મોત:એલિવેટર મશીનમાં ગળું આવી જવાથી ગંભીર ઇજા
મોરબીના ઘુટુ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. એલિવેટર મશીનમાં આવી જવાથી એક યુવાન શ્રમિકનું ગળામાં ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉંમર 29) તરીકે થઈ છે. તે સિલ્ક સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ ઘટના ગઈકાલે સાંજના સમયે બની હતી. કારખાનામાં મશીન પર કામ કરતી વખતે રાકેશકુમાર અચાનક એલિવેટર મશીનમાં આવી ગયો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ (રાંદેર) ઝોનમાં રહેતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી તારીખ 22 જાન્યુઆરી 2026, ગુરૂવારના રોજ રાંદેર વોટર વર્કસ, જોગાણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકથી પૂરો પાડવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતને પગલે રાંદેર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા લાખો લોકોએ પાણીની અછતનો સામનો કરવો પડી શકે તેમ છે. 22 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપમહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, રાંદેર ઈન્ટેકવેલ અને રાંદેર વોટર વર્કસ ખાતે DGVCL દ્વારા R.M.U. લગાવવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી ગુરૂવારે સવારે 9:00થી સાંજના 5:30 કલાક સુધી ચાલશે. વીજળી કંપનીની આ કામગીરીને કારણે વોટર વર્કસમાંથી પાણી પમ્પિંગ કરવાનું શક્ય નહીં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ લાદવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં પાણી કાપ, લાખો લોકોને અસરઆ પાણી કાપની અસરમાં મુખ્યત્વે જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પાલ અને પાલનપુર યોજના હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં રામા રેસીડેન્સી, વીર સાવરકર હાઇટ્સ, ઇસ્કોન સર્કલથી સરોલી બ્રીજ સુધીનો વિસ્તાર, તેમજ પાલ ગામ અને ગૌરવપથ રોડ આસપાસની સોસાયટીઓમાં અલગ-અલગ સમયે પાણી પુરવઠો બંધ રહેશે. અગવડતાને ધ્યાને રાખી અગાઉથી જ પાણીનો સંગ્રહ કરજોખાસ કરીને જોગાણીનગર જળ વિતરણ મથક હેઠળ આવતી મેરૂલક્ષમી, રંગઅવધુત અને કોઝ-વે આસપાસની સોસાયટીઓમાં સાંજના 5:00થી 8:50 ના ગાળામાં પાણી નહીં મળે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ અગવડતાને ધ્યાને રાખી અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લે, જેથી દૈનિક કાર્યોમાં કોઈ મુશ્કેલી ન પડે. પાલિકા તંત્ર દ્વારા શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાનું જણાવાયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી. ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી અમુબેન મકવાણા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમણે બુમો પાડતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા રાણપુર પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની વાડજ પોલીસ દ્વારા એક બાતમીદારનું નામ અને નંબર FIRમાં જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસને માહિતી પૂરી પાડનાર વ્યકિતએ કહ્યું હતું કે, પોલીસની આ બેદરકારીના કારણે મારા જીવને જોખમ ઉભું થશે તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પોતાની જાણ બહાર જ પોતાના નામ નંબરનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ચાઈનીઝ દોરીના ઉપયોગ અંગેની બાતમી પોલીસને આપી હતીવાસી ઉતરાયણના દિવસે વાડજ વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા વ્યક્તિની માહિતી યુવકે (બાતમીદાર) પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી.યુવક પોતે જીવદયા પ્રેમી તરીકે NGO પણ ચલાવે છે.પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગે વાડજ પોલીસને જાણ કરવામાં આવી હતી.વાડજ પોલીસને મેસેજ મળતા તાત્કાલિક પોલીસની એક ટીમ યુવકે આપેલી માહિતીના સ્થળે પહોંચી હતી.યુવક અને તેમની ટીમના માણસો પણ હાજર હતા. વાડજ પોલીસે ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.આ અંગે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી તેમાં માહિતી આપનાર વ્યક્તિ તરીકે યુવક (બાતમીદાર)નું નામ લખ્યું હતું સાથે જ તેનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો. મારી જાણ બહાર પોલીસે મારા નામ-નંબરનો ઉલ્લેખ કર્યો- યુવકયુવકે ભાસ્કરને જણાવ્યું હતું કે વાડજ પોલીસ દ્વારા મારી મરજી વિના મેં ના પાડી હોવા છતાં મારું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું છે.બનાવના દિવસે મને પોલીસે જબરદસ્તી પોલીસ સ્ટેશન નિવેદન લખવા માટે બોલાવ્યો હતો.હકીકતમાં મેં માહિતી આપી અને મારું નામ ગુપ્ત રાખવા જણાવ્યું હતું છતાં મારું નામ જાહેર કરવામા આવ્યું છે.આ અંગે મેં ડીજીપી અને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે.મારી માંગણી છે કે ફરિયાદમાંથી મારુ નામ હટાવી લેવામાં આવે.મારા જીવને જોખમ થશે તો જવાબદાર કોણ રહેશે.મારા કર્મચારીની રેકી પણ કરવામાં આવી રહી છે. પોલીસે યુવકના આક્ષેપોને ફગાવ્યાઆ અંગે પોલીસે ખુલાસો આપતા જણાવ્યું છે કે, યુવકનો નામ જોગ મેસેજ કર્યો હતો.આરોપીને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે યુવક (બાતમી આપનાર) પણ હાજર હતા.યુવકે જાતે જ સાક્ષી તરીકે રહેવા ઇચ્છતા હોવાથી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.યુવક ખોટા આક્ષેપ કરવાની ટેવ ધરાવે છે,અગાઉ પણ તેમને પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા છે.
હિંમતનગરમાં શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા:પોલોગ્રાઉન્ડ ખાતે માઘ સુદ બીજે પ્રજાપતિ સમાજ જોડાયો
હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આરતી અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમો બાદ મંગળવારે શોભાયાત્રા નીકળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન તેમજ યુવાનોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર છે. WEF 2026 અંતર્ગત ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ભારતના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળો વૈશ્વિક રોકાણકારો સાથે ભારતના રોકાણ અવસર રજૂ કરી રહ્યા છે. રાજ્યોના પ્રતિનિધિમંડળોની રોકાણકારો સાથે સક્રિય બેઠકોઆ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મેળવનાર રાજ્ય રહ્યું છે. 2014 બાદ સમગ્ર દેશ વિકાસના માર્ગે આગળ વધ્યો છે અને WEF 2026માં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારે સમગ્ર વિશ્વ આરામમાં હોય ત્યારે પણ ભારતના રાજ્યોના પ્રતિનિધિમંડળો રોકાણકારો સાથે સક્રિય બેઠકો કરી રહ્યા હતા, જે ભારતની કાર્ય સંસ્કૃતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. 'વાઈબ્રન્ટમાં 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ'ગુજરાતની રોકાણ ક્ષમતાને ઉજાગર કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન રાજ્યમાં ₹45 લાખ કરોડના એમઓયુ થયા હતા. તે ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મારફતે રાજ્યમાં ₹11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થયા છે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં માત્ર રોકાણ આકર્ષવા નહીં પરંતુ નવી વૈશ્વિક પ્રવૃત્તિઓ શીખવા અને નવી તકો શોધવા માટે આવ્યું છે. 'એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ'નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દાવોસમાં આપણે અલગ-અલગ રાજ્યો તરીકે નહીં પરંતુ એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ. આપણા કૌશલ્ય, ક્ષમતાઓ અને મજબૂત ગવર્નન્સ મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો આ અવસર છે. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ જેવા ક્ષેત્રોમાં નવી તકોનું સક્રિય રીતે અન્વેષણ કરી રહ્યું છે, જે આગામી સમયમાં રાજ્યના વિકાસને નવી ઊંચાઈ આપશે.
વાંકાનેર રોડ પર બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા:વાહનોને નુકસાન, લોકોએ ભારે જહેમત બાદ છૂટા પાડ્યા
વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ મહામુસીબતે તેમને છૂટા પાડ્યા હતા, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લે છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે હાઈકોર્ટ પણ આ બાબતે ગંભીર ટિપ્પણી કરી ચૂકી છે. લોકોની માંગણી છે કે, આવા જીવલેણ અકસ્માતો સર્જાય તે પહેલા સ્થાનિક તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે નક્કર કામગીરી કરવામાં આવે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. લગ્નના માત્ર ચાર દિવસમાં જ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થતીમાનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. પહેલાં ટોળકીના 3ને પોલીસે દબોચ્યા હતાજેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઈપી મિશન ચર્ચ પાસેમાંથી લૂંટેરી દૂલ્હનને ઝડપી લેવાઈલાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેમાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે. નિર્દોષને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નવા ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો સામે આવે તેવી શક્યતા છે.
હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગામી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જી-રામ-જી યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, ગામડાના વિકાસ કાર્યોને ગતિ, પરિવારોની આવકમાં વધારો અને સ્થિરતા, સ્થાનિક કુશળતા અને કામદારીનો ઉપયોગ, સ્થળાંતરમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાનો આધાર સ્તંભ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, રાજુભાઈ પંચાલ, જયેશભાઇ બારોટ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ કરાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી છે. જાન્યુઆરી, 2026ના રાજ્ય સ્વાગત માટે નાગરિકો ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8.00થી 11.00 કલાક દરમિયાન ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.
ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્કોડ અને વેજલપુર પોલીસની સંયુક્ત રીતે ધરપકડ કરી છે. જુહાપુરા -વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ગાડી, રોકડ, વિદેશી ચલણી નોટો સહિત 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અઝહરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની ધરપકડજુહાપુરા વિસ્તારમાં ટપોરીથી માંડીને અનેક કુખ્યાત ગેંગનું વર્ચસ્વ હોવાથી પોલીસે આ ગેંગની કમર તોડી નાખવા અનેક ગુના નોંધી સકંજો કસ્યો હતો. જે દરમિયાન જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની વધુ એક વખત પોલીસે ધરપકડ કરી છે. અઝહર કિટલી પર 21 ગુના નોંધાયાઅઝહર કિટલીએ હત્યાની કોશિષ, હથિયાર, ખંડણી, મારામારી, ચોરી લૂંટ જેવા 21 ગુના નોંધાયા હતા. આરોપી અઝહર કિટલી સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં શરતી જામીન રદ્દ થતાં તે દોઢેક વર્ષથી ભરૂચ અને ખેડામાં રહેતો હતો. અઝહર કીટલી તેના અમદાવાદ ખાતેના ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી દોઢેક વર્ષથી ફરાર હતોઅનેક ગેંગ પૈકીની કિટલી ગેંગ પર પોલીસે ગુના નોંધી સકંજો કસ્યો હતો. કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલી સામે વર્ષ 2021માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ તેણે શરતી જામીનના હુકમનો ભંગ કરતા તેના જામીન રદ્દ થયા હતા. જેથી તે દોઢેક વર્ષથી ફરાર રહેતો હતો. તેવામાં અઝહર કીટલી તેના ઘરે આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા જ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુખ્યાત આરોપી અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે. 6.50 લાખ રોકડા અને વિદેશી કરન્સી મળી આવીઆરોપી છેલ્લા ઘણા સમયથી ખંડણી, લૂંટ, ખુનની કોશિષ, ધમકી, જમીન પચાવી પાડવી, હથિયાર રાખવા જેવા કુલ 21 ગુનાને અંજામ આપી ચૂક્યો હતો. આરોપી દોઢ વર્ષથી ભરૂચ અને ખેડામાં ફાર્મ હાઉસમાં રહેતો હતો. પોલીસે આરોપી પાસેથી 16.50 લાખ રોકડા અને 51 જેટલી સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, નેપાળની વિદેશી ચલણી નોટો કબ્જે કરી તે બાબતે પૂછપરછ હાથ ધરી છે. આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતોઆરોપી દોઢ વર્ષથી ફરાર હોવાથી પોલીસ સતત તેને ટ્રેસ કરવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે સાદા ફોનનો ઉપયોગ કરતો હતો. ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરતો ન હોવાથી પોલીસ તેને પકડી શકતી નહોતી. પરંતુ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસપોલીસે આરોપી પાસેથી રૂ.16.50 લાખ રોકડા અને વિદેશી ચલણી નોટો કબ્જે કરી છે. રોકડા 16.50 લાખ માતાના દાગીના વેચ્યા હોવાની રકમ હોવાની આરોપી કબૂલાત કરી રહ્યો છે. જ્યારે માતા હજ પઢવા ગઇ હતી ત્યારની વિદેશી ચલણી નોટો તેની પાસે રાખી હોવાની કહાની સંભળાવી રહ્યો છે. પરંતુ તેની પાસેથી નેપાળ સહિતની ચલણી નોટો મળતા તે વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તેના મુળ સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ઝડપાયો છે. આ આરોપી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 2,39,900 ના કેસમાં પોલીસને થાપ આપી ફરાર હતો. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રમેશભાઇ માલમ અને જીતેન્દ્રસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે આરોપી સમદ શેખ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એસપીની મંજૂરી મેળવી એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. એસ.ઓ.જી.ની ટીમે નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં પ્લોટ નં. 105, સેક્ટર 21 ખાતે દરોડો પાડી આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખને હસ્તગત કર્યો હતો. પોલીસ તેને જૂનાગઢ લઈ આવી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ રમેશભાઇ માલમ, જીતેન્દ્રસીંહ ચૌહાણ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ બકોત્રા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન અને છાતી માપ સહિતની કસોટીઓ લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ અને ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા,વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ઉમેદવારોને કોઈ અડચણ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં આગામી બે મહિના સુધી ચાલનારી આ શારીરિક કસોટીમાં અંદાજિત 60 હજાર ઉમેદવારો ભાગ લેશે. દરરોજ આશરે 1,600 ઉમેદવારો કસોટી આપી શકશે. ઉમેદવારોની સલામતી અને આરોગ્ય માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બહારથી આવનાર ઉમેદવારોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે, જેમની પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તેવા ઉમેદવારો માટે પોલીસ દ્વારા રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે આગમાં કાર ચાલકનું આબાદ બચાવ થયો હતો. લોકોએ એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, કાર જ્યારે રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના આગળના બોનેટના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી સમય સૂચકતા વાપરીને ડાઈવર બહાર નીકળી ગયો હતો. આગ લાગતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોતાના સ્તરે ફાયર એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ હોનારત ટળી હતી. મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈઆ ભીષણ આગમાં 60 લાખની કિયા કાર્નિવલ જેવી મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, સસરાએ તેની છેડતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 'પતિ પિયરમાંથી પૈસા લાવવા કહેતો અને દારૂ પીને મારપીટ કરતો'સમગ્ર બાબતે ભોગ બનનાર મહિલા હોમિયોપેથિક ડોક્ટર છે અને તેણે ડિસેમ્બર 2022માં ભાડે દુકાન રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિક માટેનો તમામ ખર્ચ મહિલાએ પોતે ભોગવ્યો હોવા છતાં, ક્લિનિકની માસિક આશરે રૂ. 35,000ની આવક સાસરિયાં લઈ લેતા હતાં. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તેના પતિએ ધંધા પર રૂ. 70 લાખની લોન લીધેલી છે. જેના હપ્તા ભરવા માટે પતિ અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો અને દારૂ પીને મારપીટ કરતો હતો. સસરાએ છેડતી કરી હોવાનો મહિલા ડોક્ટરનો આક્ષેપમહિલા ડોક્ટરે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, માર્ચ 2025માં જ્યારે તે તેના સસરાને જમવાનું પીરસવા ગઈ હતી. ત્યારે સસરાએ તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આ બાબતે પતિને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ આવવાને બદલે ઘરકંકાસ વધ્યો હતો. મહિલાના ક્લિનિક પર તાળાં મારી દીધા હતાસામાજિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી દારૂ પીને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પીડિતાના મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વધતા જતા ત્રાસથી કંટાળી મહિલા 12 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તેના ક્લિનિક પર સાસરિયાઓએ બીજા તાળાં મારી દીધા હતા. પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા ને ગાળાગાળી કરી15 ડિસેમ્બરના રોજ જ્યારે મહિલા તેના ભાઈ અને માતા સાથે ક્લિનિકે પહોંચી ત્યારે તેના પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અંતે મહિલાએ પોલીસને બોલાવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંતોના અપમાન સામે ગૌરક્ષકોનો વિરોધ:ઝાલાવાડમાં રક્તથી પત્ર લખી PMને આવેદનપત્ર પાઠવ્યું
સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા દરમિયાન મૌની અમાસના પવિત્ર દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય હિન્દુ સનાતની સાધુ-સંતો સાથે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અપમાનના પ્રત્યાઘાત રૂપે હતો. આક્રોશ વ્યક્ત કરવા માટે, ગૌરક્ષકોએ રક્તથી લખેલા પત્ર દ્વારા સંતોના સન્માનની રક્ષા કરવાની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન' ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું અપમાન એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે. યુપી પ્રશાસન અને સરકાર દ્વારા સંતો પ્રત્યે દાખવવામાં આવેલી આ ઉપેક્ષા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમની મુખ્ય માંગણીઓમાં પ્રયાગરાજમાં સંતો સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા, ધાર્મિક કાર્યક્રમોમાં સંતોની ગરિમા જળવાય તે માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને સનાતની પરંપરાઓ તથા સાધુ-સંતોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. ગૌરક્ષકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સંતોના સન્માનમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે કલેક્ટરને આ મામલે તાત્કાલિક વડાપ્રધાન કચેરી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરી હતી.
ભાવનાગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી પર 17 જાન્યુઆરીએ હુમલાની ઘટના સામે આવી હતી. હેબતપુર ગામે લગ્ન પ્રસંગમાં પૈસા બાબતે બોલાચાલી કર્યા બાદ અક્ષર પાર્ક વિસ્તારમાં પોલીસ સ્ટેશને અરજી આપી આવી રહેલા પતિ-પત્નીને ઉભા રાખી 8 શખસે ધોકા, ધારીયા, પાઇપ જેવા હથિયારોથી માર માર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા આજે (20 જાન્યુઆરી) બોરતળાવ પોલીસે ચાર શખસને ઝડપી પાડી પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે આરોપીઓ લગડાતા ચાતલા જોવા મળ્યાં હતાં. જૂની અદાવતમાં લગ્નપ્રસંગે ફરી ઝઘડો થયોઆ અંગેની મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષયપાર્ક સોસાયટીમાં રહેતા અજીત લખમણભાઈ રાહાણી બોરતળાવ પોલીસ મથકમાં નીતિન ગંગાભાઈ રાહાણી, મનીષ ગંગાભાઈ રાહાણી, ભરત ગંગાભાઈ રાહાણી, કુબેર ગંગાભાઈ રાહાણી, વિક્રમ ગંગાભાઈનો દીકરો અને અજાણ્યા 3 શખસ મળી કુલ 8 શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસમાં અરજી આપતા હુમલોતેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે નવીન રાહાણી સાથે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી ગત 17 જાન્યુઆરીના રોજ હેબતપુર ગામે સંબંધીને ત્યાં તેના પત્ની મુક્તાબેન બન્ને લગ્નમાં ગયા હતા. ત્યા નવીન રાહાણી સાથે પૈસા બાબતે અગાવ બોલાચાલી થઈ હતી, જે મારી સામે કાતર મારતો હોવાથી, મેં તેને કહ્યું કે, કેમ મારી સામે કતરાશ?. તેમ કહેતા અમારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈ મેં ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે નવીન વિરુદ્ધ અરજી આપી હતી. દંપતીને હાથ-પગ, મોઢા-માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી બાદમાં હું અને મારા પત્ની બંને ભાવનગરના દસનાળા ખાતે પહોંચતા મારા મોબાઈલ ફોનમાં અવાર-નવાર ફોન આવતા ફોન પર નવીન રાહાણી સાથે બોલાચાલી કરી હતી. જેથી હું અને મારી પત્ની સાંજે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપીને આવી રહ્યા હતા, તે સમયે શહેરના અક્ષર પાર્ક પાસે પહોંચતા આરોપીઓએ ધોકા, પાઈપ, ધારીયા લઈ આવી મારી અને પત્ની ઉપર હુમલો કર્યો હતો. હથીયાર અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ચારેય આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈઆ ફરિયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે બીએનએસ એકટ 118(1), 117(2), 115(2), 352, 351(3), 125(b), 189(2), 191(2), 190 અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આજે ભરત ગંગારામ રાહાણી, મનીષ ગંગારામ રાહાણી, કુબેર ગંગારામ રાહાણી, પિયુષ રમેશભાઈ રાહાણીને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા તમામને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ઘટના સમયના સમાચાર માટે ક્લિક કરો…કુંભારવાડામાં દંપતી પર ધોકા-ધારિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર સાથે માથા-આંખના ભાગે ઈજા, હોસ્પિટલમાં દાખલ

24 C