SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

પલંગ પર બેસીને આરામથી કરી ચોરી, બેડરૂમના CCTVમાં કેદ:ભગવાન કૃષ્ણનું ચિત્ર ફાડ્યું, સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની એક અજીબ ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી CCTV કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી. ચોરે પોતાનું ઘર હોય તેમ પલંગ પર જમાવી બેઠકCCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, ચોર જ્યારે બેડરૂમમાં પ્રવેશ્યો ત્યારે તે બિલકુલ ડર્યા વગર, જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો. બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી. તેની આ તમામ હરકતો હાઈ-ડેફિનેશન કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે પાછળથી તેને પકડવા માટે મુખ્ય પુરાવો સાબિત થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના સ્કેચનું અપમાનચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા ચોરે એક ગંભીર ભૂલ કરી હતી. તેણે બેડરૂમમાં મુકેલા ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્કેચને ફાડી નાખ્યું હતું. કદાચ ચોરને એમ હશે કે ભગવાનની તસ્વીર હટાવી દેવાથી તે બચી જશે, પરંતુ તે ભૂલી ગયો કે ટેકનોલોજીના જમાનામાં કેમેરાની નજર તેની દરેક હિલચાલ નોંધી રહી છે. આ કૃત્ય તેના માટે નસીબના દરવાજા બંધ કરનારું સાબિત થયું. સ્માર્ટફોન ચોરતાં પોલ ખુલી ચોરે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે 1 મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. આ તેની સૌથી મોટી ભૂલ હતી. સ્માર્ટફોન ચોરવો એ પોલીસ માટે લોકેશન ટ્રેક કરવાનું સૌથી સરળ સાધન બની જાય છે. વરાછા પોલીસે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને તેને છુપાઈ જવાની તક જ ન આપી. પોલીસે 3 કલાકમાં આરોપીને દબોચ્યોઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8:00 વાગ્યે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. આશ્ચર્યની વાત એ છે કે સવારે 11:00 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે રૂ. 1,40,000 નો મુદ્દામાલ રિકવર કર્યોપોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન, જેમાં મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ સામેલ હતી, તે જપ્ત કરી લીધી છે. આશરે 1,40,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે સુરક્ષિત રીતે પરત મેળવ્યો છે. આટલી ઝડપી કામગીરીના કારણે ઉદ્યોગપતિના પરિવારમાં રાહત અને પોલીસ પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 12:01 am

યોગીનો 'કાલનેમી' પ્રહાર vs કેશવ મૌર્યના 'ચરણ સ્પર્શ': શંકરાચાર્ય મુદ્દે ભાજપમાં બે ફાંટા કે રણનીતિ?

Avimukteshwaranand Magh Controversy : ઉત્તર પ્રદેશમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના માઘ મેળામાં પ્રવેશને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજ્યના રાજકારણમાં પહોંચી ગયો છે. પ્રયાગરાજમાં માઘ મેળામાં મૌની અમાસના દિવસે અવિમુક્તેશ્વરાનંદ અને મેળાના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. એટલું જ વિવાદ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાક્ષણ 'કાલનેમી'નો ઉલ્લેખ કરીને નિવેદન આપ્યું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શંકરાચાર્યને પૂજ્ય સંત કહીને ચરણ સ્પર્શ કરવાની વાત કહી છે. હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આ વિરોધાભાષી નિવેદન સામે આવ્યા બાદ ભાજપના આંતરિક ડખો ઉભો થયો હોવાની નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 10:47 pm

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી ચોરાયેલી બાઈક મળી:પાટડીના શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર પોલીસે ST બસ સ્ટેન્ડ પરથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાટડીના પદિવાળા ગામનો મુનાભાઈ જાનુભાઈ ફતેપરા છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે વાહન ચોરી જેવા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપથી પકડવા એલ.સી.બી.ને નિર્દેશ આપ્યો હતો. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના આઈ/સી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ, દેવરાજભાઈ અને કોન્સ્ટેબલ અશ્વિનભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે મુનાભાઈ જાનુભાઈ ફતેપરા (રહે. પદિવાળા ગામ, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર) ને ચોરી કરેલી મોટરસાઈકલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે હિરો કંપનીનું સફેદ કલરનું પ્લેઝર સ્કૂટર (રજી.નં. GJ-13-PP-8744) જેની કિંમત આશરે ₹15,000 છે, તે કબજે કર્યું હતું. આરોપી અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:33 pm

પોરબંદરમાં VISWAS અને નેત્રમ ટીમે ખોવાયેલું બાઈક શોધી કાઢ્યું:માલિકને પરત અપાઈ, CCTVના આધારે હાથ ધરાઈ હતી તપાસ

પોરબંદરમાં VISWAS પ્રોજેક્ટ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતાથી એક નાગરિકનું ખોવાયેલું મોટરસાયકલ ઝડપથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે ચોરી જેવી ઘટના ટળી હતી અને મોટરસાયકલ તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. ઘટનાની વિગત મુજબ, તા. 24 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે આશરે 12:00 વાગ્યે રામધામ સોસાયટી, છાયા, પોરબંદરના રહેવાસી મહેશ રમણીકલાલ વાધેલાએ પોતાનું રૂ. 80,000/- ની કિંમતનું મોટરસાયકલ પૂજા મેડિકલ પાસે પાર્ક કર્યું હતું. આશરે 1:30 વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે તેમનું મોટરસાયકલ ત્યાં હાજર નહોતું.આ અંગે અરજદારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રૂબરૂ અરજી કરી હતી. નેત્રમ સ્ટાફે ANPR સિસ્ટમ અને VISWAS પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન, ઉપરોક્ત મોટરસાયકલ હનુમાન ગુફા તરફથી પસાર થતું જોવા મળ્યું હતું. તે સ્થળે અન્ય એક મોટરસાયકલ પણ પડેલું જોવા મળ્યું. આ બીજા મોટરસાયકલના માલિક, રાજીવનગરના રહેવાસી અલ્કેશભાઈ રાજેશભાઈ ચામડીયાનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે ભૂલથી અરજદારનું મોટરસાયકલ લઈ લીધું હોવાનું જણાવ્યું. ત્યારબાદ બંને પક્ષોને નેત્રમ કચેરી ખાતે બોલાવી ચકાસણી કર્યા બાદ મહેશભાઈ વાધેલાનું મોટરસાયકલ તેમને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું.આ ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ અરજદાર મહેશભાઈ વાધેલાએ નેત્રમ ટીમ અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના શહેરમાં સીસીટીવી આધારિત દેખરેખ અને ટેક્નોલોજીના સદુપયોગથી નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બની રહી હોવાનું સ્પષ્ટ દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:32 pm

બોલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા ભારતમાં પરત ફરી:કહ્યું- ત્યાં પરિસ્થિતિ ખુબ ખરાબ હતી, ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહતી; એજન્ટ પાસે 7 લાખ પરત માંગ્યા

નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. જે આખરે ભારત પરત ફરી છે. વડોદરાના એક એજન્ટે તેમને ફ્રૂટ પેકિંગની ‎‎નોકરી અપાવવાની લાલચ આપી વિદેશ મોકલી તબેલાનું કામ કરાવ્યું હતું. મીના જોશી નામની આ મહિલાએ બેલારૂસમાં પોતાના શોષણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી મદદ માંગી હતી. આ વીડિયો વાયરલ થતાં તંત્ર અને બ્રહ્મસમાજ સહિતના સંગઠનો તેમની મદદ માટે સક્રિય થયા હતા. સર્વત્રથી દબાણ આવતા, જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા, તેણે મીના જોશીને બેલારૂસથી ભારત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. મહિલા ઘરે પરત ફરતા તેમના પરિવારે ભાવુક થઈને તેમનું સ્વાગત કર્યું હતું. મીના જોશીએ વિદેશ જવા માટે ખર્ચાયેલા કુલ સાત લાખ રૂપિયા એજન્ટ પાસેથી પરત કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો એજન્ટ આ પૈસા પરત નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલા મીના જોશીએ જણાવ્યું કે, મને એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં સારી જોબ છે અને પગાર પણ 70-80 હજાર છે. મારે સ્ટ્રોબેરી પેકિંગમાં કામ કરવાનું રહેશે. પરંતુ ત્યાં ગયા પછી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે, શું વાત કરું. મને મીંક્સ (બેલારૂસની રાજધાની)થી 300-400 કિલોમીટર દૂર એક સાવ પછાત ગામડામાં મોકલી દીધી હતી. મારા સાથીદારો તો બે-ત્રણ દિવસમાં જ ત્યાંથી ભાગી ગયા હતા, પણ મેં ઘણું દેવું કર્યું હોવાથી હું ત્યાં જ રોકાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે, હું અહીં જોબ કરીશ, પણ જ્યારે કંઈ થઈ શક્યું નહીં ત્યારે હું પાછી મીંક્સ આવી ગઈ. ત્યાં મેં છૂટક કામ કરીને રહેવા-ખાવાનો ખર્ચ કાઢ્યો, પણ છેવટે મેં પાછા આવવાનું નક્કી કર્યું હતું. ખાવા-પીવાની કોઈ ખાસ વ્યવસ્થા નહોતી, માત્ર રહેવા માટે હોસ્ટેલ આપવામાં આવી હતી. મેં મીંક્સ આવ્યા પછી તે વીડિયો બનાવ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકો અને ભારતીય ભાઈઓએ મારી ઘણી મદદ કરી હતી. હવે હું પાછી આવી ગઈ છું અને મારે મારા પૈસા પાછા જોઈએ છે. મારે મારા બાળકોનું ધ્યાન રાખવાનું છે. હું એકલી જ બધું કરું છું. મેં 7-8 લાખ રૂપિયાનું દેવું કર્યું છે, એટલે મને મારા પૈસા મળવા જ જોઈએ. મેં એજન્ટને કોઈ ખોટા પૈસા તો નથી આપ્યા ને? હવે જાણો કે બેલારુસમાં ફસાયેલી મહિલાનો સમગ્ર મામલો શું હતો… નવસારીનાં મીનાબેન જોષી વડોદરાના એજન્ટોના ‎સંપર્કમાં આવતાં તેમને બેલારુસમાં ફ્રૂટ‎પેકિંગના કામમાં દર મહિને 90 હજાર ‎રૂપિયાના માતબર પગારની વાત કરતાં તેમણે પોતાની જિંદગીની જમા પૂંજી અને ‎લોન કરીને કુલ 5.50 લાખ રૂપિયા ‎એજન્ટોને ચૂકવી દીધા હતા. બેલારુસ‎ પહોંચ્યાં બાદ મીનાબેનને ખબર પડી કે ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ફ્રૂટ‎પેકિંગને બદલે એક તબેલામાં પશુઓની‎ સારસંભાળ રાખવાના કામમાં ધકેલી દેવામાં ‎આવ્યાં હતાં. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)5,000 કિમી દૂર ફસાયેલી માતાની યાદમાં દીકરીની રોકકળ નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતાં અને ‎‎ત્રણ બાળકની માતા અને વિધવા મહિલા ‎‎મીનાબેન જોષીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની ‎‎નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ ‎‎લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાં ‎‎નિઃસહાય હાલતમાં છોડી દીધાં હતા. 5 હજાર કિ.મી. દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી એેમાંનું કશું પણ તેને બેલારુસમાં નથી મળ્યું. બીજી તરફ, તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે નવસારીમાં રહેતાં મીનાબેન જોષીના પરિવારની મુલાકાત લીધી હતી. અને પરિવાર સાથે વાતચીતમાં સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:14 pm

મહિલાનો સોનાના દાગીના ભરેલો થેલો રીક્ષામાં ભુલાયો:બી ડિવિઝન પોલીસે CCTVની મદદથી શોધીને પરત કર્યો

વઢવાણ તાલુકાના કેરાળા ગામના ગીતાબેન મદારસંગભાઈ ચાવડાનો ત્રણ તોલા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ થેલો મૂળ માલિકને પરત કર્યો છે. ગીતાબેન સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી મેગામોલ નજીક બસ પકડવા જઈ રહ્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા. આ થેલામાં ત્રણ તોલા સોનાના દાગીના ઉપરાંત અન્ય કિંમતી ચીજવસ્તુઓ હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા, પોલીસે તાત્કાલિક સુરેન્દ્રનગર નેત્રમની મદદ લીધી હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરીને રીક્ષા અને તેના ચાલક વિશે માહિતી મેળવવામાં આવી હતી. પોલીસની સઘન તપાસ બાદ સોનાના દાગીના સહિતનો થેલો શોધી કાઢવામાં આવ્યો હતો અને ગીતાબેનને હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો. આ સરાહનીય કામગીરીમાં બી ડિવિઝન પોલીસ મથકના બળદેવસિંહ પઢિયાર, ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મોરી, મુકેશભાઈ ઉતેરીયા અને અજીતસિંહ જાદવ સહિતની ટીમ જોડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:03 pm

શ્રીજીધામ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ:26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના 13મા દિવ્ય પાટોત્સવ સાથે 26 જાન્યુઆરી સુધી યોજાશે. શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. શિક્ષાપત્રી એક દિવ્ય ગ્રંથ છે, જે સમાજના ધાર્મિક, સામાજિક અને આર્થિક પાસાઓને સ્પર્શે છે. તે માનવ જીવનને ઉત્તમ અને મૂલ્યનિષ્ઠ બનાવવાનો સંદેશ આપે છે. મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા, કથા-વાર્તા, શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું પ્રદર્શન, બાળનગરી, શિક્ષાપત્રી પૂજન અને શાકોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ભાગ લેશે. શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ હરિભક્તો અને શ્રદ્ધાળુઓને આ પાવન મહોત્સવમાં ભાગ લઈ આધ્યાત્મિક લાભ લેવા આમંત્રણ અપાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:18 pm

બેંકના નિવૃત અધિકારી સાથે સાયબર ફ્રોડ:ગઠિયાએ પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવાનું કહીં 15.99 લાખની છેતરપિંડી આચરી

રાજકોટમાં બેંકના નિવૃત્ત અધિકારી સાથે 15.99 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું કહીં છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે દેનાબેંક અને હાલ બેંક ઓફ બરોડાના નિવૃત ક્લાસ વન ઓફિસર હસમુખભાઈ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.72) એ ફેસબૂકની આઇડીના એક ધારક, ઇન્ડસલેન્ડ બેંકના ખાતાધારક અને અન્ય એક રેઝરપે એકાઉન્ટના ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેંક ઓફ બરોડાના પેઇજની યુઆરએલ પર ક્લિક કર્યું હતુંહસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 6 નવેમ્બર 2025ના રોજ હું ફેસબુક ઉપર સર્ફીંગ કરી રહ્યો હતો, ત્યારે ફેસબુક પર બેંક ઓફ બરોડાના નામથી એક પેઇજ જોવા મળતાં તેની યુઆરએલ લિંક ઓપન કરતા તેમાં બેંક ઓફ બરોડા-પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું ફોર્મ જોવા મળ્યું હતું. અગાઉ હું દેના બેંકમાં નોકરી કરી નીવૃત થયો એ પછી દેનાબેંક બેંક ઓફ બરોડા બેંકમાં મર્જ થઇ હોવાથી મેં તેમાં એપ્લાઇ બટન પર ક્લિક કર્યું હતું. બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાંએકાદ કલાક પછી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જે મેં રિસીવ કર્યો હતો. જો કે આ વીડિયો કોલમાં સામેવાળાનો માત્ર બેંક ઓફ બરોડોનો લોગો જ દેખાતો હતો. આ દરમિયાન મને એપ્લાય કર્યું હોવાથી મારી વિગતો આપવાનું કહેતાં મેં મારું પેન્શન જે બેંકમાં જમા થાય છે તે બેંકના એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ મારું એડ્રેસ વેરીફાય કરાવ્યું હતું. હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતોલગભગ અડધો કલાક જેટલો સમય સુધી વીડિયો કોલ ચાલુ રહ્યો હતો. આ પછી મને કહ્યું કે કાર્ડ જનરેટ થઇ રહ્યું છે. ત્યાર બાદ ફોન કટ થઇ ગયો હતો. મેં મારો ફોન ચેક કરતા તે લોક થઇ ગયો હતો અને ઓપન થતો ન હતો. આથી હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો અને ફોન ફોર્મેટ કરાવ્યો હતો જેથી અન્ય તમામ માહીતી મારા ફોનમાંથી ડીલીટ થઇ ગઇ હતી. સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરીમને બીજા દિવસે જાણવા મળ્યું કે, મારા બે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેકશન થઇ ગયા છે. જેમા એક રૂપિયા 1,99,008નું અને અન્ય બે ટ્રાન્ઝેકશન 10 લાખ તથા 4 લાખના રેઝર-પે મારફતે થયા હતા જે મળી કુલ રૂ. 15,99,008 બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા. હાલ બનાવ અંગે ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:16 pm

ગોધરા કોમર્સ કોલેજની સાત દિવસીય શિબિર સંપન્ન:કુલપતિ હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને સંબોધ્યા, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સન્માનિત

ગોધરા તાલુકાના છારીયા ગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની સાત દિવસીય શિબિર સંપન્ન થઈ. આ સમાપન સમારોહમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સેક્રેટરી કુ. કામિનીબેન સોલંકી, બ્રહ્માકુમારીઝ સેન્ટરના પંચમહાલ-દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. સુરેખા દીદી, યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ડો. સંજયભાઈ જોશી અને કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના સમાપન પ્રસંગે કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિબિર એ શીખવાની પ્રક્રિયા છે. તેમણે અનુભવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, વાંચેલી, લખેલી કે જોયેલી વાત કરતાં અનુભવેલી વાત જીવનમાં કાયમ યાદ રહે છે. તેમણે વિદ્યાર્થીઓને શિબિર દરમિયાન કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એનએસએસ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, કુ. હર્ષિતા ચતવાણીને શ્રેષ્ઠ લીડર તરીકે વિશેષ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. શિબિરાર્થીઓને તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં કરેલી કામગીરી બદલ 70 ટ્રોફી અને તમામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે, એનએસએસના કોઓર્ડિનેટર ડો. સંજય જોશી, મુખ્ય મહેમાન કુ. કામિનીબેન ગોપાલસિંહજી સોલંકી અને અતિથિ વિશેષ બ્ર.કુ. સુરેખા દીદીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા. આ સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી કેન્દ્ર, છારીયા દ્વારા નોંધપાત્ર સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે અંજલી સાકુનિયાએ આભાર વિધિ કરી હતી, જ્યારે વિદ્યાર્થીની કુ. માનસી ખરાદીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:01 pm

11 રાજ્યોમાં તરખાટ મચાવનાર સતપાલ ફૌજી ગેંગનો સાગરીત ઝડપાયો:પૂર્વ આર્મી જવાને જેલના મિત્રો સાથે મળી બનાવી ગેંગ, ફ્લેટની બહાર ન્યૂઝપેપરનો ઢગલો હોય તેને નિશાન બનાવતા

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ' વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદના રહેવાસી અને આ ગેંગના સક્રિય સભ્ય દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ પોલીસને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં થયેલી 29 જેટલી મોટી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ભારતભરમાં તરખાટ મચાવનારી 'સતપાલ ફૌજી ગેંગ'આ ગેંગનો ઈતિહાસ કોઈ ફિલ્મી પટકથાથી ઓછો નથી. ગેંગનો લીડર સતપાલ ઉર્ફે ફૌજી હરિયાણાનો વતની છે અને 1997માં આર્મીમાં જોડાયો હતો. 8 વર્ષની ફરજ બાદ તેનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યું હતું. આર્મીમાંથી બહાર આવ્યા બાદ તેણે હત્યાના ગુનામાં 3 વર્ષ જેલવાસ ભોગવ્યો, જ્યાં તેની મુલાકાત અન્ય રીઢા ગુનેગારો સાથે થઈ અને ત્યાંથી જન્મી ભારતભરમાં તરખાટ મચાવનારી 'સતપાલ ફૌજી ગેંગ'. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, જેલમાંથી છૂટ્યા બાદ સતપાલે ફુલસિંગ, સોમવીર, પરમવીર અને ઝડપાયેલા આરોપી દિનેશ ઉર્ફે લાલાજી સાથે મળીને એક મજબૂત નેટવર્ક તૈયાર કર્યું હતું. 11 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામઆ ગેંગના સભ્યો એટલા વ્યવસ્થિત હતા કે તેઓએ અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને દિલ્હી સહિત કુલ 11 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે. જે ફ્લેટની બહાર ન્યૂઝપેપરનો ઢગલો હોય તેને નિશાન બનાવતાઆરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ માત્ર દિવસ દરમિયાન જ ફ્લેટોમાં ચોરી કરતા હતા. ગેંગના 8થી 9 સભ્યો પોશ સોસાયટીઓમાં રેકી કરતા અને જે ફ્લેટના દરવાજાની બહાર ઘણા દિવસોના ન્યૂઝપેપર પડ્યા હોય અથવા દરવાજા પર ધૂળ જામી હોય, તેને નિશાન બનાવતા હતા. આ સંકેતો પરથી તેઓ ખાતરી કરતા કે ઘરમાલિક ઘણા સમયથી બહારગામ છે. ગેટે કોઈ વ્યક્તિનું ખોટું નામ આપીને છટકી જતાચોરી કરતી વખતે ગેંગના સભ્યો અદ્યતન ટેકનોલોજી અને સાવચેતીનો ઉપયોગ કરતા હતા. જો સોસાયટીમાં કોઈ તેમને ટોકે, તો તેઓ નીચે રહેતા કોઈ વ્યક્તિનું ખોટું નામ આપીને છટકી જતા. જ્યારે ગેંગના મુખ્ય સભ્યો ઘરનું તાળું તોડતા હોય, ત્યારે અન્ય સાગરીતો નીચે વોચ રાખતા અને વોટ્સએપ કોલ દ્વારા સતત સંપર્કમાં રહેતા જેથી પોલીસ કે અન્ય કોઈના આવવાની જાણ તુરંત થઈ શકે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઈતિહાસઝડપાયેલો આરોપી દિનેશ ઉર્ફે લાલાજી પોતે એક રીઢો ગુનેગાર છે. તેણે 2010માં અમદાવાદના રખિયાલમાંથી બાઈક ચોરીથી ગુનાખોરીની દુનિયામાં કદમ મૂક્યો હતો. જેલવાસ દરમિયાન તે સતપાલ ફૌજીના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ આ આંતરરાજ્ય ગેંગનો હિસ્સો બની ગયો. દિનેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં 34 જેટલા ગુના નોંધાયેલા છે, જે પૈકી 29 ગુનાઓ માત્ર અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છે. ઉમરા 26 લાખની ચોરીમાં પણ આ ગેંગ સંડોવાયેલીગુજરાતમાં આ ગેંગે સુરત, અમદાવાદ અને જામનગર જેવા શહેરોને નિશાન બનાવ્યા હતા. 2020માં સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 26 લાખની મોટી ચોરીમાં પણ આ ગેંગ સંડોવાયેલી હતી. દિનેશ આ કેસમાં 2020થી નાસતો ફરતો હતો અને તેની ધરપકડ માટે CRPC 70 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. જેલમાંથી મુક્ત થયા બાદ પોતાની અલગ ગેંગ બનાવીતાજેતરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, 2025 ફેબ્રુઆરીમાં ઓડિશાની જેલમાંથી મુક્ત થયા બાદ દિનેશે પોતાની અલગ ગેંગ બનાવી હતી. તેણે સોમવીર અને મોનુ સોની જેવા સાગરીતો સાથે મળીને મહારાષ્ટ્રના નાસિક, નાગપુર અને આંધ્રપ્રદેશના નેલ્લુર જેવા શહેરોમાં ફરીથી 29 જેટલી ઘરફોડ ચોરીઓ કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિનેશને દબોચ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.એન. ગોસ્વામી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા દિનેશને ઝડપી પાડ્યો છે. આ સફળતાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય 10 રાજ્યોની પોલીસને પણ મોટી રાહત મળી છે, કારણ કે આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ હતી. વણઉકેલાયેલી ચોરીઓના ભેદ ઉકેલાશેપીઆઈ આર. આઈ .જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત પોલીસ દિનેશની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે આ ધરપકડ બાદ ગેંગના અન્ય ફરાર સભ્યો સુધી પહોંચવામાં અને દેશભરમાં થયેલી અનેક વણઉકેલાયેલી ચોરીઓના ભેદ ઉકેલવામાં મોટી મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:52 pm

બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ આવેલા નેપાળી યુવાનનું મોત:લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધો, પરિવારમાં કલ્પાંત છવાયો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની 6 માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ જરૂરી કાર્યવાહી હાટ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશભાઇ રિક્ષા ચાલક છે તેમને લગ્નના 10 વર્ષ બાદ દીકરી દેવાંશીનો જન્મ થયો હતો. જો કે માત્ર 6 મહિનામાં પરિવારની ખુશી માતમમાં ફરી ગઈ છે. બે દિવસ પહેલા બાળકીને શરદી થતા ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. દરમિયાન આજે સવારે તેણી બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકની એક પુત્રીનો શરદીએ ભોગ લેતા પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઇ જવા પામ્યો છે. બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટમાં ભાઇના ઘરે યુવકનું મોતબેંગ્લોરની હોટલમાં કામ કરતા પવન દાનીશિંગ નેપાળી (ઉ.વ.18) નામના યુવાને ગત તા. 19 જાન્યુઆરી 2026ના રોજ બેંગ્લોરમાં ઝેરી દવા પી લીધી હતી. બાદમાં બેંગ્લોરમાં સારવાર દીધા બાદ રાજકોટ માધાપર ચોક પાસે હરીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મોટાભાઇ વિરેન્દ્રના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે પવનની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોતગુરુવારે સાંજે 5 વાગ્યાં આસપાસ હનુમાન મઢી ચોકથી આગળ એરપોર્ટ રોડ પર છોટુનગર પાસે નિલ દા ઢાબા હોટલ પાસે બાઈક અને એક્ટિવા સામસામે અથડાયા હતા. જેમાં રેશમ નરબહાદુર થાપા (ઉં.વ.40)ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજ રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન નિર્મલા રોડ પર લોન્ડ્રીની દુકાનમાં કામ કરતો હતો અને બનાવના દિવસે દુકાનેથી ઘરે બાઈક પર જતો હતો. રેશમ થાપા મૂળ નેપાળનો વતની છે અને તેને સંતાનમાં 3 દીકરા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સામા પક્ષે ડબલ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલા હર્ષ સુભાષભાઈ ગોરણીયા (ઉં.વ.32) અને વિરલ મહેશભાઈ પરમાર (ઉં.વ.25) બંને ફાયર સેફટીનું કામ કરે છે. ધંધામાં પાર્ટનર છે. તેઓ સાઈટ પર કામ જોઈ ઘરે જતા હતા. બંનેને ઇજા થતા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલની લેબમાં સફાઈ કરતી મહિલાકર્મીને વીજ કરંટ લાગ્યોસુનિતાબેન કાંતિભાઈ મકવાણા (ઉં.વ.40) આજરોજ બપોરના 12.30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગમાં 12 નંબરની લેબમાં હતા, ત્યારે કોઈ કારણોસર વીજ કરંટ લાગતા સિવિલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુનિતાબેન લેબમાં સફાઈ કરતા હતા ત્યારે પોતું મારતી વખતે ત્યાં આર.ઓ. પાણી માટેનો ફ્રીઝ પ્લાન્ટ હોય ત્યાં ભીનું પોતું અડી જતા અથવા કોઈ અન્ય કારણસર વીજ ઝાટકો લાગતા ઢળી પડ્યા હતા. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:51 pm

પ્રેમિકાના દાગીના છોડાવવા ભાઈએ બહેનના ઘરે ચોરી કરી:પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, દેવું ભરપાઈ કરવા પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા

મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણે પોતાની પ્રેમિકા પાસેથી લીધેલા પૈસા પરત કરવા માટે કરી હતી. મહીસાગર એસઓજીએ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે અને ચોરાયેલા દાગીના પણ પાછા મેળવ્યા છે. આ ઘટના અંગે 15 જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. લાખોની આ ચોરીનો ભેદ ઉકેલવા માટે મહીસાગર એસઓજીએ તપાસ હાથ ધરી હતી. એસ.ઓ.જી. પીઆઇ વી.ડી. ધોરડાને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો આરોપી ચોરીના દાગીના વેચવા વીરપુર આવવાનો છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે વીરપુર બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં ખભે થેલો ભરાવીને આવતા આરોપી સુરપાલ બાબુભાઈ ખાંટને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તેની ઝડતી લેતા થેલામાંથી ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી સુરપાલ બાબુભાઈ ખાંટે પોલીસની સઘન પૂછપરછમાં કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, તે અગાઉ અમદાવાદ, ગાંધીધામ અને હાલોલમાં શ્રીજી લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હતો, જેમાં તેને આશરે બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા. પ્રેમિકા તેના ગીરવે મૂકેલા દાગીના પાછા માંગતી હોવાથી અને તેની પાસે પૈસા ન હોવાથી, તેણે 14 જાન્યુઆરી, 2026ની રાત્રીએ પોતાની બહેનના ઘરેથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, કારણ કે તેને બહેનના દાગીના તિજોરીમાં હોવાની જાણ હતી. આ ચોરી કરનાર શખ્સ હવે જેલના સળિયા પાછળ છે. એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડા અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખીને સફળતાપૂર્વક કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:36 pm

હિંમતનગર નજીકથી 6.129 કિલો અફીણ સાથે બે ઝડપાયા:6 દિવસના રિમાન્ડ મંજૂર, પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો

હિંમતનગર તાલુકાના આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે 6.129 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 30,64,500 આંકવામાં આવી છે. પોલીસે અફીણ આપનાર અને લેનાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SC/ST સેલના DYSP કુલદીપ નાયીએ આ અંગે માહિતી આપી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામી, PSI પીએસ. ચૌહાણ, પી.એચ. ડોડીયા અને સ્ટાફને મળેલી બાતમીના આધારે ગાંભોઈથી ભિલોડા રોડ પર આવેલા આડાહાથરોલ ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ શરૂ કરાયું હતું. બાતમી મુજબ આવી રહેલી એક બાઈક પર સવાર બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ વ્યક્તિઓની તલાશી લેતા તેમના કાળા રંગના થેલામાંથી 6.129 કિલોગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અફીણ ઉપરાંત રૂ. 20,000ના બે મોબાઈલ ફોન અને રૂ. 50,000ની બાઈક સહિત કુલ રૂ. 31,34,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બે આરોપીઓ અને અફીણ સપ્લાય કરનાર બે તથા ખરીદનાર એક એમ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 17(C), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસની વધુ તપાસ SOG દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ પૂછપરછ દરમિયાન, ઝડપાયેલા આરોપીઓએ અફીણનો જથ્થો મોકલવામાં મહેસાણા જિલ્લાના એક અને રાજસ્થાનના બે વ્યક્તિઓ સહિત કુલ ત્રણ જણાના નામ કબૂલ્યા છે. ઝડપાયેલા આરોપીઓના નામ 1. મુકેશ ચંપાલાલજી મીણા (ઉંમર 30, રહે. ઉકાલા, કમલેશ્વર મંદિરની બાજુમાં, પોસ્ટ-નાગદી, થાના-સાલમગઢ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ, રાજસ્થાન) 2. પપ્પુ મોતીલાલ થોરી (ઉંમર 22, રહે. દુધિયા તલાવ, પો. સેવન, જિ. પ્રતાપગઢ, રાજસ્થાન) પકડવાના બાકી આરોપીઓમાં સુરજ ગૌતમ થોરી (રહે. ઉકાલા, કમલેશ્વર મંદિરની બાજુમાં, પોસ્ટ-નાગદી, થાના-સાલમગઢ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ), ગુફુ મીણા (રહે. ઘોડા ઘાટ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ) અને લાલજી પટેલ (રહે. ઉમરેચા, તા. સતલાસણા, જિ. મહેસાણા)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:24 pm

સ્લીપર બસ સુરક્ષા નિયમો: સમયમર્યાદા વધારવા ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત:વલસાડ સાંસદને મળી સંચાલકોએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખવા વિનંતી કરી

વલસાડ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલને મળીને સ્લીપર બસો માટેના નવા સુરક્ષા નિયમોના અમલીકરણની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. સરકારે જાહેર કરેલા આ નિયમોના પાલન માટે અપાયેલી 30 દિવસની ટૂંકી મુદતને કારણે ટ્રાવેલ્સ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં સરકારે લક્ઝરી સ્લીપર બસો માટે ફાયર સેફ્ટી અને ઈમરજન્સી એક્ઝિટ વિન્ડો જેવા નવા સુરક્ષા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફારો કરવા માટે સંચાલકોને માત્ર 30 દિવસનો સમય અપાયો છે. ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં બસો હોવાથી અને બોડી બિલ્ડરોની અછતને કારણે આટલા ટૂંકા સમયમાં તમામ ફેરફારો કરવા શક્ય નથી. તેથી, એસોસિએશને આ મુદત વધારીને 6 મહિના કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, 8-10 વર્ષ જૂની બસોના પાર્સિંગ સમયે આરટીઓ દ્વારા બોડી બિલ્ડિંગના જૂના બિલો માંગવામાં આવે છે, જે હાલમાં ઉપલબ્ધ કરાવવા મુશ્કેલ છે. આ પ્રક્રિયામાં છૂટછાટ આપવા પણ વિનંતી કરવામાં આવી હતી. જૂની બસોમાં રહેલી 3X2 બર્થ વ્યવસ્થામાં ટેકનિકલ મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરાઈ હતી. ટ્રાવેલ્સ સંચાલકોની રજૂઆત સાંભળ્યા બાદ, સાંસદ ધવલ પટેલે આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ ગંભીર મુદ્દે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને રજૂઆત કરશે. તેમણે ટ્રાવેલ્સ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે જવહર દેસાઈ અને જયેશભાઈ સહિતના ટ્રાવેલ્સ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:19 pm

માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:બટાકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 74 લાખનો દારૂ સહિત રૂ. 95 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરથી બટાકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹74.60 લાખથી વધુ છે, જ્યારે કુલ ₹95.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ ટીમો બનાવી હતી. આ ટીમોને જિલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ LCB ટીમે જનેતા રામદેવ હોટલ સામે હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન RJ.04.GB.1983 નંબરના ટ્રકને રોક્યો હતો. ટ્રકની તપાસ કરતા, બટાકા ભરેલા શણના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂમાં કુલ 12,564 નંગ બોટલ અને બીયર ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹74,60,208 છે. આ ઉપરાંત, ₹20,00,000ની કિંમતનો ટ્રક, ₹15,000ના બે મોબાઈલ ફોન અને ₹52,500ના 175 બટાકાના કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ ₹95,27,708નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રતારાસર ડેર ગામના પુખરાજ માલારામ સવ (જાટ) નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ટ્રકના માલિક જેસારામ (બાડમેર, રાજસ્થાન), લુધિયાણા કૃષિ મંડી પર દારૂ ભરેલો ટ્રક આપનાર અજાણ્યો ઇસમ અને ગાંધીધામમાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:12 pm

વલસાડ પોલીસે ભાડે વાહન લઈ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:5 આરોપીઓ રૂ. 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વાહનો ભાડે લઈ છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આશરે રૂ. 25.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વાહન માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી વાહનો ભાડે લેતી અને પછી તેને ગીરો મૂકી કે વેચી દેતી હતી. આ મામલે 22 જાન્યુઆરી 2026ના રોજ વાપી ટાઉન પોલીસ મથકે દીપકભાઈ ઉત્તમભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાને મોટી કંપનીઓના દલાલ તરીકે ઓળખાવી મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન ભાડે લીધું હતું. જોકે, તેમણે ન તો નક્કી કરેલું ભાડું ચૂકવ્યું કે ન તો વાહન પરત કર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે અન્ય છ જેટલા લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હતી. વલસાડ એસ.પી. યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંદીપ વસંતભાઈ પ્રજાપતિ, મનિષકુમાર બાબુભાઈ ચાંપાનેરી, અરવિંદકુમાર ઉર્ફે વિકાસ રામસુંદર સિંગ, મુસ્તાકઅલી અહેમદભાઈ ગૌરી અને પરશ મુરઘન પાલતેવરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹25.30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં એક હ્યુન્ડાઈ વેન્યુ કાર, બે મારુતિ ઈકો કાર, એક હોન્ડા અમેઝ કાર અને પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી મુસ્તાકઅલી ગૌરી અને મનિષકુમાર ચાંપાનેરી સામે અગાઉ વાપી, નવસારી અને બિલિમોરા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, દારૂબંધી અને મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. એસ.પી. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ગેંગ દ્વારા અન્ય ઘણા લોકો સાથે પણ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે. તેમણે આવા કોઈ પણ પીડિત નાગરિકોને તાત્કાલિક વલસાડ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:59 pm

મોરબી નમો વન મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:40 હેક્ટરમાં લીલાછમ બનેલા વન જોઈ રાજીપો વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. તેમણે નમો વનના ઝડપી વિકાસ અને લીલાછમ વાતાવરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના વધુ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળા વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. આ નમો વન, જે 40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને દસ લાખ વૃક્ષોનું વનકવચ ધરાવે છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કર્યું હતું. તેનું સંચાલન શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ચાર મહિનાના ટૂંકા ગાળામાં નમો વન વૃક્ષોના વિસ્તારથી લીલુંછમ બનતા મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાષ્ટ્રના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવાની વડાપ્રધાનની નેમને સુપેરે સાકાર કરી રહી છે. રાજ્ય સરકાર પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવી તેની માવજત કરવા કટિબદ્ધ છે. મોરબી ખાતે વિકસતું આ નમો વન શહેરની શોભા વધારવાની સાથે ઓક્સિજનમાં વધારો કરશે અને લોકોને પર્યટન સ્થળ પણ પૂરું પાડશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:55 pm

1 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ:સુરત રેલવે સ્ટેશન પર DRIનું ઓપરેશન, 50 ગ્રામ કોકેઈન અને 950 ગ્રામ મેથામ્ફેટાઈમાન ઝડપાયું

સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક વિદેશી મહિલા પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહી હતીDRIના અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે ટ્રેન સંખ્યા 12904 ના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે સુરત સ્ટેશન પર ટ્રેન આવતા જ કોચ H-1 ની સીટ નંબર A-2 પર તપાસ હાથ ધરી હતી. ત્યાં મુસાફરી કરી રહેલી નાઇજીરિયન મૂળની મહિલા અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની બેગની તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા હતા. તલાશી દરમિયાન 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યુંમહિલાની તલાશી દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 50 ગ્રામ કિંમતી કોકેઈન અને આશરે 900 ગ્રામથી વધુ મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. જેમાં કોકેઈનની કિંમત 10 લાખ અને મેથામ્ફેટામાઈનની કિંમત આશરે 90 લાખ રૂપિયા જેટલી થાય છે. DRI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો માત્ર એક મહિલા પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. આ નશીલા પદાર્થોનો જથ્થો દેશના વિવિધ મોટા શહેરોમાં સપ્લાય કરવાનો હતો. હાલમાં આ નાઇજીરિયન મહિલાને હિરાસતમાં લઈને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી પેડલરોની વિગતો મેળવી શકાય.આ હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. એસી ફર્સ્ટ ક્લાસ જેવા પ્રીમિયમ કોચમાં વિદેશી નાગરિક દ્વારા થતી આ પ્રકારની તસ્કરીએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. સુરત સહિતના મુખ્ય રેલવે જંકશનો પર હવે બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ તપાસના તાર વધુ ઊંડા ઉતરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:43 pm

ઘોઘંબાના ચાઠી ગામે વિકસિત ભારત યોજના કાર્યક્રમ:સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગ્રામજનોને લાભો સમજાવ્યા

ઘોઘંબા તાલુકાના ચાઠી ગામે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી.રામ.જી યોજના' (VB-GRAMG) અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોના ઉત્થાન અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ ગ્રામજનોને 'વિકસિત ભારત જી.રામ.જી યોજના'ના મુખ્ય ઉદ્દેશ્યો વિશે માહિતગાર કર્યા હતા. યોજના હેઠળ મળતા વિવિધ લાભો, રોજગારીની તકો અને તેના અમલીકરણ પ્રક્રિયા અંગે સરળ ભાષામાં વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ સમજણનો હેતુ વધુમાં વધુ ગ્રામજનો આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની શકે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને સામાજિક કાર્યકરો પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ નાગરિકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામીણ વિકાસ અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક યોજનાની વિગતો જાણી હતી અને સરકારના આ લોકકલ્યાણકારી અભિગમને બિરદાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:41 pm

મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબ્યો:લુણાવાડા નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ, હજુ ભાળ નથી મળી

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને આજે સવારે આ અંગેની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આ વ્યક્તિ ગઈકાલે માછીમારી કરવા ગયો હતો તે દરમિયાન નદીમાં ડૂબી ગયો હતો. તે મૂળ બિહારનો વતની હોવાનું અને અહીં રહીને માછીમારીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીમાં ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, નદીમાં પાણી ઊંડું હોવાને કારણે હજુ સુધી વ્યક્તિની કોઈ ભાળ મળી શકી નથી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:29 pm

સુરતમાં લોખંડની ભારે પ્લેટ નીચે દબાતા પિતા-પુત્રીનું મોત:કઠોળ ગામે બુલેટ ટ્રેનના બ્રિજના કામ સમયે દુર્ઘટના, તાપી નદીમાં પિતા-પુત્રી માછીમારી કરતા હતા

સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડ્યો હતો. આ પ્લેટ નીચે માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરી રહી છે, જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:27 pm

‘અમેરિકા હુમલો કરશે તો...’ મિડલ ઈસ્ટમાં ટ્રમ્પે સેના તહેનાત કરતા ઈરાન ભડક્યું, આપી ધમકી

US-Iran War Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે અત્યંત ભયાનક સ્થિતિ પર પહોંચી ગયો છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેહરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો તેને 'ઓલ-આઉટ વોર' માનવામાં આવશે અને તેનો જવાબ અત્યંત ભયાનક હશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક કમાન્ડરે પણ ચેતવણી આપી છે કે, તેમની આંગળી ટ્રિગર પર છે. ‘જો આ વખતે હુમલો થયો તો..

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:26 pm

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુનાં મોત:પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક ડિવાઈડર કૂદી સામેની કારને અડફેટે લીધી, રાજસ્થાનથી આવતાં પરિવારને કાળ ભેટ્યો

પાલનપુર-આબુ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આબુરોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી રહેલી કાર પર કાળ બનીને ત્રાટકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:23 pm

બનાસકાંઠા: ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને મારી ટક્કર

Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કારનોકચ્ચરઘાણ વળી ગયો મળતી માહિતી અનુસાર, અમીરગઢના ઈકબાલગઢ હાઈવે પરથી પસાર થઈ રહેલી કારને સામેથી રોંગ સાઈડ ધસમસતી આવતી ટ્રકે અડફેટે લીધી હતી.

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:15 pm

ગેરેજ સંચાલક વ્યાજના વિષચક્રમાં ફસાયો:યુવકને 11 કલાક ગોંધી રાખી વ્યાજખોરોએ બંદૂકની અણીએ ફ્લેટનું સાટાખત લખાવી લઇ પઠાણી ઉઘરાણી કરી

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે, જેમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હોવાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગેરેજ સંચાલક યુવકને રૂપિયાની જરૂર ઉભી થતા 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ વ્યાજખોરે આ સમયે 2.40 આપી બાદમાં 20% જેટલું વ્યાજ માંગણી કરવાનું શરૂ કર્યું હતું. ગત ડિસેમ્બર મહિનામાં આરોપીઓએ યુવકને સતત 11 કલાક ગોંધી રાખી બંદૂકના નાળશે પઠાણી ઉઘરાણી કરી ફ્લેટનું સાટાખત લખાવી લીધું હતું. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2.40 લાખના બદલામાં ફરિયાદીએ કાર અને ચેક ગીરવે આપ્યા હતોબેડી ચોક પાસે આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ પ્રકાશ સિધ્ધપુરા (ઉં.વ.28)એ પ્રશાંત શૈલેષ તરાવીયા, શૈલેષ તરાવીયા, કરણ પેથાણી, યશ લીંબાશીયા, સાહિલ ગાજીપરા, પ્રભાત આહીર અને યશ ખૂંટ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, અગાઉ સ્પીડવેલ ચોક પાસે રહેતા હતા, ત્યારે બાપાસીતારામ ચોક પાસે ગેરેજ ચલાવતા પ્રશાંત સાથે મિત્રતા થઇ હતી. પૈસાની જરૂરીયાત ઉભી થતા પ્રશાંત પાસેથી 3 લાખ વ્યાજે લીધા હતા. સૌ પ્રથમ પ્રશાંતએ રૂપિયા 2.40 લાખ આપ્યા હતા, જેના બદલામાં ફરિયાદીએ કાર અને એક ચેક ગીરવે આપ્યા હતા. 2.40 લાખની સામે આરોપીએ 15 હજાર કાપી લીધા હોવાનુ અને બાકીના 60 હજાર સગવડ થાય ત્યારે આપવાનુ કહ્યુ હતું. આમ છતા પ્રશાંતે 60 હજાર ન આપી ઉઘરાણી શરૂ કરી હતી. 6 ડિસેમ્બરે પૈસાની વાત કરવા માટે ફરિયાદીને બોલાવ્યોઆ સમયે તેમણે 5%ની બદલે 20% લેખે 3 લાખ આપ્યાનું કહેતા ધર્મેશએ આટલું વ્યાજ નહીં ભરી શકે તેમ જણાવ્યુ હતું. આમ છતા આરોપી પ્રશાંતે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. 6 ડિસેમ્બર, 2025ના રોજ ફરિયાદી સહકાર મેઇન રોડ પર આવેલા પોતાના ઘરેથી શાપરમાં તેમની પત્નીને લેવા માટે ઘર બહાર નીકળ્યા ત્યારે ત્યાં અગાઉથી જ ઉભેલા પ્રશાંતના ગેરેજ કામ કરતા યશ લીંબાસીયા અને કરણ પેથાણીએ કહ્યુ કે, તેમને પ્રશાંતના પિતા શૈલેષભાઈ ગેરેજ બોલાવે છે. પૈસા બાબતે વાત કરવી છે, તેમ કહી બંને ગાડીમાં બેસાડી ગેરેજમાં લઇ ગયા અને પૈસા ઉઘરાણી કરી હતી. જેથી ધર્મેશે હાલ પૈસા નથી બે મહિના પછી પૈસા આપી દઇશ તેમ જણાવ્યુ હતું અને પૈસા ન હોય તો સાટાખત કરી આપવુ પડશે તેમ કહ્યુ હતું. બેફામ માર મારી લમણે બંદૂક મુકીઆ પછી આરોપી પિતા-પુત્રએ પરાણે ધાક-ધમકીથી બાઇકમાં બેસાડી મવડી ચોકડી ખાતે વકીલની ઓફિસે લઇ જઇ બળજબરી પૂર્વક જામનગર રોડ પર આવેલ ફલેટનું સાટાખત લખાવી લીધું હતું. ત્યારબાદ અલગ અલગ સમયે પ્રશાંતના મિત્ર સાહીલ ગાજીપરા અને પ્રભાત આહીરએ કારમાં આવી બેફામ મારમાર્યો હતો અને ત્યારબાદ અન્ય કારમાં આવેલા યશ ખૂંટે ધર્મેશના લમણે બંદૂક રાખી કહ્યુ કે, તું બીજા બધાને ભૂલી જજે તારે હવે રૂપિયા મને આપવાના તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ લોકોને આજીજી કરતા અંતે 11 કલાક બાદ તેઓએ ધર્મેશને જવા દીધો હતો. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:12 pm

'નેચરોથેરાપી'ના બહાને વડોદરાના ડોક્ટરે 4 લાખ ખંખેર્યા:સ્ટેશનરીના વેપારીને બે લાખ ન આપી ધમકી; ખેડૂતની 73-Aની જમીન પચાવી પાડવાર પરિવાર સામે ફરિયાદ

છેતરપિંડી અને ઠગાઈ અંગે ત્રણ અલગ-અલગ કિસ્સાઓમાં લિંબાયત, અઠવાલાઇન્સ અને ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વેપારીઓ સાથે નોટબુકના નામે લાખોની છેતરપિંડી, બીમારી દૂર કરવાના બહાને મહિલા પાસેથી નાણાં પડાવનાર લેભાગુ ડોક્ટર અને આદિવાસી ખેડૂતની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો જમાવનાર રબારી પરિવારના સભ્યો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. મુદ્દત બાદ પૈસા ન આપી ઉઘરાણી કરતા ધમકી આપીસુરતના લિંબાયત વિસ્તારમાં વેપારીઓ વચ્ચે વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. કામરેજ કેનાલ રોડ પર રહેતા 26 વર્ષીય નીરજ ભાવેશભાઈ બોરડ, જેઓ નોટબુક બનાવતી કંપનીના પ્રતિનિધિ તરીકે સામાન વેચવાનું કામ કરે છે, તેમની સાથે ગોડાદરાના બે શખસે છેતરપિંડી કરી છે. મે, 2025થી જુલાઈ, 2025 દરમિયાન, ગોડાદરાની ધ્રુવ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ છકુરભાઈ કાતરીયા અને સત્યમ સ્ટેશનરી વતી અલ્પેશ નામના શખ્સે નીરજભાઈ પાસેથી કુલ રૂ. 1.71 લાખની નોટબુક અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરી હતી. આ સોદો 45 દિવસની પેમેન્ટ કન્ડીશન પર થયો હતો. જોકે, મુદત વીતી ગયા પછી પણ બંને આરોપીઓએ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. જ્યારે નીરજભાઈએ પોતાના નાણાંની ઉઘરાણી કરી, ત્યારે આરોપીઓએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું કે, પૈસા નહીં મળે, થાય તે કરી લેજો. આ મામલે અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાઈ છે. ‘નેચરોથેરાપી’ના બહાને વડોદરાના ડોક્ટરે રૂ. 4 લાખ ખંખેર્યાબીજો કિસ્સો તબીબી ક્ષેત્રે વિશ્વાસઘાતનો છે, જ્યાં વડોદરાના એક કથિત ડોક્ટરે ગંભીર બીમારીની સારવારના નામે એક મહિલાને લાખોનો ચૂનો લગાવ્યો છે. અઠવાલાઇન્સના સિલ્વર પામ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પતિ 'સર્વાઈકલ ડીસ્ટોનીયા' નામની ગંભીર બીમારીથી પીડાતા હતા. વડોદરાના ડો. સમીર પુનાવાલા તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે નેચરોથેરાપી દ્વારા આ બીમારી સચોટ રીતે મટાડી શકે છે. તેણે જણાવ્યું હતું કે, શરીરમાં લોહીની નસ બ્લોક હોવાથી બગડેલું લોહી કાઢવું પડશે. આ સારવારના બહાને તેણે મહિલા પાસેથી રૂ.4,00,000 પડાવી લીધા હતા. જોકે, જ્યારે મહિલાએ ડોક્ટરના ક્લિનિકની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર હરીભક્ત સોસાયટીમાં આવું કોઈ સેન્ટર કે રહેણાંક મકાન અસ્તિત્વમાં જ નથી. આખરે છેતરાયેલી મહિલાએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નકલી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતની 73-AA ની જમીન પચાવી પાડતો પરિવારજમીન કૌભાંડનો ત્રીજો કિસ્સો ગોડાદરા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે રહેતા આદિવાસી ખેડૂત મહેશભાઈ બુધીયાભાઈ વસાવા (ઉં.વ.51)એ પોતાની કિંમતી જમીન હડપ કરી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે. દેવધ ગામમાં આવેલી મહેશભાઈની બ્લોક નં. 48, સર્વે નં. 37, ખાતા નં. 494 વાળી જમીન 73-A ની શ્રેણીમાં આવે છે. કાયદા મુજબ, આવી આદિજાતિની જમીન સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી કે મૂળ માલિકની સંમતિ વગર વેચી કે કબ્જે કરી શકાતી નથી. આમ છતાં, રબારી પરિવારના ત્રણ સભ્ય ભગવાનભાઈ મક્ષીભાઇ રબારી, બાબરભાઈ મોહનભાઇ રબારી, મેનાબેન મોહનભાઈ રબારી, આ ત્રણેયે 23-08-2021 થી આ જમીન પર બિનઅધિકૃત રીતે કબ્જો જમાવી દીધો હતો. ખેડૂત દ્વારા લાંબી લડત બાદ, ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ અને છેતરપિંડીના પાસાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:09 pm

MSUના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરનાર ટ્રાફિક-કોન્ટેબલની હેડ ક્વાર્ટરમાં બદલી:ટીઆરબી જવાનને પણ ફરજમુક્ત કરાયો, વડોદરા પોલીસ કમિશનરની કાર્યવાહી

વડોદરાની એમએસયુના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલની વડોદરા પોલીસ કમિશનરે તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે. વિવાદિત ટ્રાફિક કોન્સ્ટેબલને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પર રહેલા ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પીએસઆઈ અને તેના સ્ટાફે યુવકને રોકીને અસભ્ય વર્તન કર્યું હતુંઆ સમગ્ર ઘટના ગત તારીખ 22 જાન્યુઆરી, 2026ના રોજ કાલાઘોડા સર્કલ પાસે બની હતી. વિદ્યાર્થીના આરોપ મુજબ, ટ્રાફિક પીએસઆઈ અને તેમના સ્ટાફે તેને રોકીને અસભ્ય વર્તન કર્યું હતું. વિદ્યાર્થીને આપવામાં આવેલા ટ્રાફિક મેમોમાં ચહેરા અને વાહન નંબરના બદલે માત્ર હાથનો ફોટો જ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેમોમાં ખોટું સરનામું દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ઉંડેરા વિસ્તારનું સરનામું લખવામાં આવ્યું હતું. ‘3000ની માંગણી કરીને મને ધમકાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા’વિદ્યાર્થીએ વધુમાં આરોપ કર્યો છે કે, પોલીસે તેમના પાવરનો દુરુપયોગ કર્યો હતો. તેમને જેલમાં નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને મોટો કેસ કરવાની વાત કરીને ડરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 3000ની માંગણી કરીને તેમને ધમકાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. ટ્રાફિક કોન્સ્ટેબલની બદલી અને ટીઆરબી જવાન ફરજમુક્ત કરાયોઆ ઘટનામાં સામેલ ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણભાઈ ગોબરભાઈ જોગદીયાને તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ કોન્ટેબલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યો છે. તેઓ કૌશલસિંહ જાટ કેસમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની તપાસ ડીસીપી ટ્રાફિક પશ્ચિમ રૂષિકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે તપાસનો અહેવાલ 28 જાન્યુઆરી, 2026 પહેલાં રજૂ કરવાની સૂચના આપી છે. તપાસ રિપોર્ટના આધારે જરૂર જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:55 pm

નરસિંહ મહેતા સરોવરનું 28મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ:​જૂનાગઢવાસીઓની પ્રતિક્ષાનો અંત: રૂ. 68 કરોડના ખર્ચે નવપલ્લિત થયેલું નરસિંહ મહેતા સરોવર 28 જાન્યુઆરીથી જનતા માટે ખુલ્લું મુકાશે.

જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર છે. આ સરોવરના નવીનીકરણ પાછળ આશરે 68 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકાર્પણ પૂર્વે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ​દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈનર સંસ્થાએ તૈયાર કર્યો પ્લાન નરસિંહ મહેતા સરોવરની નવીનીકરણ પ્રક્રિયામાં તેની ડિઝાઈન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમદાવાદ અને દિલ્હીના અનેક મહત્વના સ્ટ્રક્ચર્સ ડિઝાઈન કરનાર ખ્યાતનામ સંસ્થા HCP ડિઝાઈન એન્ડ કન્સલ્ટન્સી દ્વારા આ સરોવરનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ઓરિજનલ ડિઝાઈન બાદ અનેક નવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો, જેના કારણે કુલ ખર્ચ 68 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. અદ્યતન સુવિધાઓ અને સુરક્ષાનો સમન્વય સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમાં અનેક સુવિધાઓ ઉમેરાઈ છે.જેમાં સરોવરની ચારેબાજુ વોકિંગ વે બનાવવામાં આવ્યો છે.સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 400 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર તૈયાર કરાયું છે.સરોવરમાં બે આઈલેન્ડ અને સાત જેટલા વ્યુઈંગ ડેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સરોવરનો નજારો માણી શકાશે.સમગ્ર સંકુલમાં CCTV કેમેરા, પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ અને ઈમરજન્સી માટે પેનિક બટનની સુવિધા પણ આપવામાં આવી છે. ​શરૂઆતમાં એન્ટ્રી ફ્રી, મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં ફી વસૂલાશે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં લોકો માટે સરોવર નિઃશુલ્ક ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ ઘણો મોટો હોવાથી તેના મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં OM (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એજન્સીની નિમણૂક કરવામાં આવશે. તે સમયે મેન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે ચોક્કસ એન્ટ્રી ફી નક્કી કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તેનું સંચાલન મનપા દ્વારા જ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી બ્યુટીફિકેશનની કામગીરીને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાર્ડન અને મનોરંજનના સાધનોથી સજ્જ આ સરોવર જૂનાગઢના નાગરિકો માટે સાંજના સમયે વિહાર કરવાનું ઉત્તમ સ્થળ બની રહેશે. 28 તારીખે મુખ્યમંત્રીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:48 pm

ગાંધીનગર લોકભવનમાં પાંચ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી યોજાઈ:વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું મનમોહક સંગમ જોવા મળ્યું

ગાંધીનગરના લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું મનમોહક સંગમ જોવા મળ્યું. 'રાષ્ટ્રની એકતાનો શક્તિશાળી સંદેશ'રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત હંમેશા ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના વિચાર સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરતો દેશ રહ્યો છે. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રની એકતાનો શક્તિશાળી સંદેશ છે તેમ તેમણે જણાવ્યું. રાજ્યપાલે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરીતેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નેતાઓ શાસક નહીં પરંતુ સેવક બનીને જનતાની વચ્ચે રહે – આ ભાવનાને અનુરૂપ ‘રાજભવન’ને ‘લોકભવન’માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અભ્યાસ કરતા તેમજ વસતા વિવિધ રાજ્યોના નાગરિકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા તેમણે તેને ભારતની એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. '11 વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી'રાજ્યપાલએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો, રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ અને વિકાસકાર્યો ભારતની નવી ઓળખ બની છે. સાથે જ છેલ્લા 8 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોવાનું ઉલ્લેખ કરી તેમણે દેશના આર્થિક ઉત્થાન પર ભાર મૂક્યો. અસમ અને મણિપુરના રાજ્યપાલના વીડિયો સંદેશ રજૂઆ પ્રસંગે ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસાત્મક સંબંધો અને પ્રધાનમંત્રીના વિઝન અંગે વાત કરી. કાર્યક્રમની શરૂઆતમાં અસમ અને મણિપુરના રાજ્યપાલોના વીડિયો સંદેશ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યોના નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:42 pm

ગોવિંદ ગુરુ લીમડીના પાણિયા તળાવે અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો:હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ હોવાની આશંકા, મોતનું રહસ્ય ઉકેલવા પોલીસની ટીમોએ ચક્રો ગતિમાન કર્યાં

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પાણિયા ગામે આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલા પેથાપુર તળાવ કિનારેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની ઉચ્ચ પોલીસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તળાવ પાસેથી પસાર થતા રાહદારીઓની નજર મહિલાના મૃતદેહ પર પડતા આ અંગેની જાણ ગામમાં ફેલાઈ હતી. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મળતા જ લીમડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને 'ક્રાઈમ સીન' સ્થાપિત કરી તપાસ શરૂ કરી હતી. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે દાહોદ જિલ્લાની LCB અને SOG ટીમોએ મોરચો સંભાળ્યો છે. પોલીસે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા FSL ટીમની મદદ લીધી છે. ગુનેગારોના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ કામે લગાડવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ સમક્ષ મૃતક મહિલાની ઓળખ કરવાનો સૌથી મોટો પડકાર છે. અજાણી મહિલાના પરિવારજનોની શોધખોળ માટે પોલીસે આસપાસના વિસ્તારો અને અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલ વ્યક્તિઓની વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસે આ રહસ્ય ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:42 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અસામાજિક તત્ત્વોએ વાસણામાં થાર પર ચડી તોફાન મચાવ્યું, શક્તિસિંહના ભત્રીજા-વહુના મોત કેસમાં નવો ઘટસ્ફોટ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:35 pm

CUGમાં ભારતીય જ્ઞાન પરંપરા કાર્યક્રમ સંપન્ન:66 સહભાગીઓએ 27 સત્રોમાં ભારતીય જીવનમૂલ્યો આધારિત શિક્ષણનું માર્ગદર્શન મેળવ્યું

ગાંધીનગર સ્થિત ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી (CUG) ના UGC-MMTTC દ્વારા આયોજિત ‘પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાન-પરંપરાના સમાવેશ’ વિષય પરના 6-day ક્ષમતા સંવર્ધન કાર્યક્રમનો તાજેતરમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના સંયુક્ત સચિવ ડૉ. ગોપીચંદ મેરુગુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન-પરંપરા એ કોઈ વિશિષ્ટ કાર્યક્રમ નથી, પરંતુ તમામ વિષયોમાં ભારતીય મૂલ્યો અને ચિંતનનો સમન્વય કરવાની એક પદ્ધતિ છે. સર્વાંગી વિકાસ અને ચરિત્ર નિર્માણ ડૉ. મેરુગુએ ઉમેર્યું કે શિક્ષણને ભારતીય જીવનમૂલ્યો સાથે જોડીને વધુ પ્રાસંગિક બનાવવું અનિવાર્ય છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં ભારતીય ચિંતન આધારિત સંશોધનને વેગ મળશે અને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થશે. કાર્યક્રમની અધ્યક્ષતા કરતા ઇનચાર્જ કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્યએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય જ્ઞાન-પરંપરા માત્ર સંસ્કૃત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આધુનિક અને પ્રાદેશિક ભાષાઓમાં પણ પથરાયેલી છે. તેને સમજવા માટે એક વ્યાપક વિચારપ્રણાલી કેળવવી જરૂરી છે. કાર્યક્રમની રૂપરેખા અને સહભાગીઓ આ 6-day કાર્યક્રમ દરમિયાન કુલ 16 વિષય નિષ્ણાતોએ 27 સત્રોમાં ગહન ચર્ચાઓ કરી હતી. સમગ્ર ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી કુલ 66 પ્રતિભાગીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કુલસચિવ પ્રો. એચ. બી. પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જ્યારે ડૉ. જયપ્રકાશ સિંહ અને ડૉ. સત્યજિત દેશપાંડેએ કાર્યક્રમનું સંકલન સંભાળ્યું હતું. આ ક્ષમતા સંવર્ધન કાર્યક્રમ દ્વારા શિક્ષણવિદોને પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાનને કેવી રીતે વણી લેવું તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં પાયાનું કામ કરશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:34 pm

સ્માર્ટ સિટીના નામે ભ્રષ્ટાચારની ‘પાઈપલાઈન’, પ્રજા ત્રાહિમામ:સેક્ટર-24માં ગટર-પાણીની લાઈનમાં કૌભાંડનો આક્ષેપ, મત લેવા આવતા કોર્પોરેટરો સમસ્યા સમયે ડોકાતા નથીઃ સ્થાનિકો

પાટનગરને સ્માર્ટ સિટી બનાવવાના બણગાં ફૂંકતા સત્તાધીશો અને ચૂંટણી વખતે હાથ જોડીને મતો માંગવા આવતા નગરસેવકો સામે સેક્ટર-24ના રહીશોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. આદર્શનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ અને હાલમાં ચાલી રહેલા ગટર પાણીના કામોમાં દેખીતા ભ્રષ્ટાચારને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોર્પોરેટરો મતો મળ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમસ્યાના સમયે કોર્પોરેટર કે પ્રશાસનના લોકો ડોકાતા પણ નથી. રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. કોર્પોરેટર મતો મેળવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયાઃ સ્થાનિકોગાંધીનગર મહાનગરપાલિકાના કરોડોના બજેટ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સેક્ટર-24ના રહીશો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. આજે સેક્ટર-24ની આદર્શનગર સોસાયટીમાં મહિલાઓ અને રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનો આક્રોશ છે કે, ચૂંટણી ટાણે બે હાથ જોડીને આવેલા કોર્પોરેટર મતો મેળવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અમારી સમસ્યા સાંભળવાની તેમને ફુરસદ નથી. કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની પાઈપલાઈન વાપરી હોવાનો આરોપ આદર્શનગર સોસાયટીના રહીશોએ આજે મહાનગરપાલિકાના વહીવટ અને હલકી ગુણવત્તાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી હાલમાં ચાલી રહેલા ગટર અને પાણીની લાઈનના કામમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાની પાઈપલાઈન વાપરવામાં આવી રહી છે. પાણીની પાઈપલાઈન નબળી હોવાથી ગમે ત્યારે લીકેજ થવાનો અને ગટરનું ગંદુ પાણી ભળવાનો ભય સતાવી રહ્યો છે. લેખિત-મૌખિક રજૂઆતો બાદ પણ સમસ્યા યથાવત્આ અંગે અનેક વખત ગાંધીનગર મહાનગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. સોસાયટીમાં માત્ર લાઈનો જ નહીં પરંતુ દબાણની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની છે. પાટનગરમાં અગાઉ પ્રદૂષિત પાણીને કારણે ટાઈફોઈડના અનેક કેસો નોંધાયા હતા. સ્થાનિકોએ કામગીરી અટકાવી આંદોલનની ચીમકી ઉચ્ચારીઆદર્શનગરના રહીશોનો દાવો છે કે, હાલમાં પણ તેઓ ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે. કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં મહાનગરપાલિકા લોકોને શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સોસાયટીમાં રહેતા મેહુલ પટેલ, કોમલબેન રાવલ, વિનુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ રાવલ અને કેયરભાઈ રાવલ સહિતના રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં ગંદકી, દબાણ અને પાયાની સુવિધાઓનો અભાવ છે. જો આગામી સમયમાં કામગીરીની ગુણવત્તામાં સુધારો કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને ઉકેલ નહીં લાવે તો રહીશો દ્વારા ચાલી રહેલી કામગીરી અટકાવી દેશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:26 pm

સાબરમતીમાં 27 જાન્યુઆરીએ અનેક ટ્રેનો રદ અને રૂટ બદલાશે:ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામને કારણે ટ્રેનોને અસર

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે આગામી 27 તારીખે ટ્રેનોમાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 27 જાન્યુઆરી, 2026ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે અમદાવાદ–વિરમગામ રેલવે રૂટ પર દોડતી કેટલીક ટ્રેનો રદ થશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે અને કેટલીક ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંશિક રીતે રદ થનારી ટ્રેનો: 27 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે નહીં ચાલે. ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આ દિવસે અમદાવાદ સુધી નહીં જાય અને સાબરમતી બીજી સ્ટેશન પર જ અટકશે. આ ટ્રેન સાણંદ, સાબરમતી જંક્શન અને અમદાવાદ સ્ટેશને નહીં રોકાય. સંપૂર્ણ રીતે રદ થનારી ટ્રેનો: અમદાવાદ–વિરમગામ અને વિરમગામ–અમદાવાદ મેમૂ ટ્રેનો બે દિવસ માટે રદ રહેશે. વડોદરા–જામનગર અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આ તારીખોમાં રદ કરવામાં આવી છે. વલસાડ–વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ 27 જાન્યુઆરીએ નહીં ચાલે. રૂટ બદલાયેલી ટ્રેનો: જોધપુર–દાદર, યોગ નગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ, યશવંતપુર–બાડમેર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ અને ભગત કી કોઠી–પુણે એક્સપ્રેસ જેવી ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગના બદલે વૈકલ્પિક માર્ગ પરથી દોડશે. આ ટ્રેનો સાબરમતી બીજી સ્ટેશનના બદલે સાબરમતી જેલ સાઇડ સ્ટેશન પર રોકાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:22 pm

સુરતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સમિટનું આયોજન:વેલંજામાં સમિટ દરમિયાન કવાડક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન કરાશે

સુરતના વેલંજા ખાતે આગામી 25 January ના રોજ ‘એડવાન્સ સેમીકન્ડક્ટર મટીરીયલ એન્ડ ટેકનોલોજી 2026’ (ISASMT 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કવાડક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સમિટ ભારતને ડીપ-ટેક ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનો મહાકુંભ આ સમિટમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, ટોચની યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ અને હાઈ-ટેક ઉદ્યોગના નિષ્ણાતો એક મંચ પર એકઠા થશે. અહીં ખાસ કરીને 2D સામગ્રીના ડિવાઈસ ફેબ્રિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લીકેશન જેવા જટિલ વિષયો પર ટેકનિકલ સેશન યોજાશે, જે સંશોધન અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સેતુ બનાવશે. નવી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન આ પ્રસંગે વેલંજાના મારુતિ ટ્રેડ સેન્ટર ખાતે ‘કવાડક્વોન્ટમ રીસર્ચ એન્ડ ઇનોવેશન લેબ’નું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ લેબ 2D સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ મટિરિયલ્સના સંશોધન માટે સમર્પિત રહેશે. મટિરિયલ-લેવલ ઇનોવેશનથી લઈને સિસ્ટમ-લેવલ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈન વિકસાવવાનું આ લેબનું મુખ્ય લક્ષ્ય છે, જે સુરતને હાઇ-ટેક હબ બનાવવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:20 pm

રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામગીરી નિહાળી:ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપી

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા નહેર સુધારણા પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરી. મંત્રીએ જલાલપોર તાલુકાના મહુવર અને એરુ ગામમાં ચાલી રહેલા લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈનું પાણી છેવાડાના ખેતર સુધી મળી રહે તે માટે નહેરોનું આધુનિકીકરણ અનિવાર્ય છે. જૂના અને જર્જરિત સ્ટ્રક્ચરોને બદલીને નવા સ્ટ્રક્ચરો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ નહેરોની લાઈનીંગ સાથે ખેડૂતોની અવરજવર અને પાક પરિવહન માટે નહેરોની બાજુમાં પાકા અને મોટરેબલ રસ્તાઓ પણ બનાવવામાં આવશે. મંત્રીએ એરુ ગામે સબ-માઈનોર નહેરો અને મહુવર ગામે માઈનોર નહેરના ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. તેમણે ટેકનિકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્પષ્ટ સૂચના આપી કે નહેરના લાઈનીંગ કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. કામગીરી નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય, જેથી આગામી સિઝનમાં ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી ન પડે. આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, નાયબ કલેકટર કેયુર ઇટાલિયા સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ઈજનેર આર.એમ. પટેલ અને અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખે મંત્રીને ટેકનિકલ પાસાઓ વિશે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:19 pm

સુરેન્દ્રનગરમાં મતદારયાદીમાંથી નામ કમી કરવાના આક્ષેપ:કોંગ્રેસે ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો, કલેક્ટરને રજૂઆત, તટસ્થ તપાસની માંગ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ખોટી રીતે નામો કમી કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી છે. કોંગ્રેસ સમિતિના ઋત્વીક મકવાણા અને નૌશાદ સોલંકી સહિતના આગેવાનોએ લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું હનન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. SIRની કામગીરી બાદ પ્રસિદ્ધ થયેલી યાદીમાં ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વિરોધ પક્ષ તરફી ઝુકાવ ધરાવતા મતદારોના નામ કાઢવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 ભરવામાં આવી રહ્યા છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, નામ કમી કરવા માટે ભરાયેલા ફોર્મ નં. 7 સાથે કોઈપણ પ્રકારના મજબૂત દસ્તાવેજી પુરાવા જોડવામાં આવ્યા નથી. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને સાચા મતદારોના મતાધિકાર પર તરાપ મારવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કોંગ્રેસે વહીવટી તંત્ર પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. તેમણે 22,000 ફોર્મ નં. 7 અરજીઓની નકલો લેખિતમાં આપવાની પણ માંગ કરી હતી. જો પુરાવા વગર નામ કમી કરવામાં આવશે અથવા આ ષડયંત્ર સામે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ કોંગ્રેસે આપી છે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં સામૂહિક ધોરણે ભરાયેલા ફોર્મ નં. 7 (નામ કમી કરવા માટેની અરજીઓ)ની તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરવાનો સમાવેશ થાય છે, જેથી કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ ખોટી રીતે નામ કમી ન થાય. પંચનામા વગર નામ કમી ન કરવા: કોઈપણ સાચા મતદારનું નામ માત્ર અરજીના આધારે કાઢી ન નાખતા, તેની રૂબરૂ ખાતરી કરવી અને કાયદેસરનું પંચનામું કર્યા બાદ જ આગળની પ્રક્રિયા કરવી જેથી કોઈનો મતાધિકાર છીનવાય નહીં. ષડયંત્રખોરો સામે કડક કાર્યવાહી: ખોટા પુરાવા ઊભા કરીને અથવા પુરાવા વગર મતદારયાદીમાં ચેડાં કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અરજદારોની યાદી જાહેર કરવી: ફોર્મ નં. 7 ભરનાર વ્યક્તિઓની યાદી અને જે મતદારોના નામ સામે વાંધો લેવામાં આવ્યો છે, તે તમામની વિગતવાર યાદી કોંગ્રેસ પક્ષને અને જનતાને પૂરી પાડવામાં આવે જેથી પારદર્શિતા જળવાય. વીડિયો ફૂટેજની માંગ: સૌથી મહત્વની માંગણી કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે, તા. 15, 16, 17 અને 18 જાન્યુઆરી 2026 દરમિયાન પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીમાં જે શંકાસ્પદ રીતે ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે, તે સમયના સીસીટીવી (CCTV) વીડિયો ફૂટેજ જાહેર કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:18 pm

મોબાઈલ ટાવરના કોપર કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:રાત્રિના સમયે ટેમ્પો અથવા બાઈક લઈને નીકળીને ચોરી કરતા, 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરીની વધતી ફરિયાદોને પગલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે ગેંગના ચાર આરોપી વિકાસ યોગી, પપ્પુનાથ યોગી, અભિષેક બારી અને જગદીશ માલીની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે લાખ રૂપિયાથી વધુ કિંમતનું 213.500 કિલોગ્રામ કોપર, ચોરીમાં વપરાયેલું મોટરસાયકલ, ટેમ્પો અને કેબલ કટર સહિત કુલ 3.80 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેંગ મોબાઈલ ટાવર પરથી કોપરના કેબલની ચોરી કરતીપોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં આવેલા મોબાઈલ ટાવર પરથી કોપરના કેબલની ચોરી કરતા હતા. આરોપી જગદીશ અને અભિષેક ટેકનિકલ નોલેજ ધરાવતા હોવાથી તેઓને કેબલ કાપવાની અને કાઢવાની સંપૂર્ણ સમજ હતી. આ બંનેએ વિકાસ અને પપ્પુનાથને સાથે રાખીને ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે ટેમ્પો અથવા બાઈક લઈને નીકળીને ચોરી કરતાઆરોપીઓ રાત્રિના સમયે ટેમ્પો અથવા બાઈક લઈને નીકળતા અને મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરી કરતા હતા. કોપરની બજાર કિંમત વધુ હોવાથી વધુ નફાની લાલચે તેઓ ચોરી કરીને સ્ક્રેપ માર્કેટમાં વેચતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં બે ટેકનિશિયન, એક સ્ક્રેપ ડીલર અને એક વાહનચાલકનો સમાવેશ થાય છે. પાંચ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરીઅમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અસલાલી અને કણભા વિસ્તારમાં થયેલા કોપર વાયર ચોરીના પાંચ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ અમદાવાદમાં રહેતા હતા, પરંતુ તેઓ મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે નહીં, તેમજ ચોરાયેલો કોપર ક્યાં ક્યાં વેચવામાં આવ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ ચોરી કરાઈ છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:16 pm

સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓ માટે ખેલ મહોત્સવ:વિજેતા દર્દીઓને 26 જાન્યુઆરીના રોજ પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનિત કરાશે

અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ માનવતાભરી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 24 January ના રોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાંબી સારવાર લેતા દર્દીઓમાં માનસિક સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. 22 દર્દીઓએ રમતગમતમાં બતાવ્યો ઉત્સાહ આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં કુલ 22 દર્દીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્હીલચેર કે અન્ય શારીરિક મર્યાદાઓ હોવા છતાં, દર્દીઓના ચહેરા પરનો આનંદ અને જીતવાની જિજ્ઞાસાએ હોસ્પિટલના વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. આ રમત-ગમત પ્રવૃત્તિઓ દર્દીઓને શારીરિક પીડા ભૂલાવી સકારાત્મકતા તરફ દોરી ગઈ હતી. તબીબોનું માર્ગદર્શન: માનસિક મજબૂતી અનિવાર્ય કાર્યક્રમમાં જાણીતા સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલ અને ડો. શ્રેયા શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. મિત્તલે જણાવ્યું હતું કે, કોઈપણ ગંભીર બીમારીમાંથી ઝડપી રિકવરી મેળવવા માટે માત્ર તબીબી સારવાર પૂરતી નથી, પરંતુ દર્દીની માનસિક મજબૂતી અને સકારાત્મક અભિગમ 50% થી વધુ અસર કરે છે. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની હિંમત વધારી હતી. પુરસ્કાર વિતરણ અને સન્માન રમત-ગમતમાં વિજેતા બનેલા અને ભાગ લેનારા તમામ દર્દીઓને આગામી 26 January ના રોજ પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમમાં પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની આ પહેલ રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલો માટે પણ ઉદાહરણરૂપ બની છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:10 pm

સાબરમતીના ન્યૂ રાણીપમાં વૃદ્ધ દંપતિ સાથે છેતરપિંડી:સાધુના વેશના વ્યકિતએ વૃદ્ધ દંપતિને ભોળવ્યા, મદારી ગેંગનો એક સભ્ય ઝડપાયો

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ન્યૂ રાણીપમાં ગત 8 જાન્યુઆરીના રોજ એક વૃદ્ધ દંપતિ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી. આ મામલે વૃદ્ધ દંપતિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મદારી ગેંગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સાધુના વેશમાં બેઠેલા વ્યકિતને બતાવીને વૃદ્ધ દંપતિને ભોળવ્યાપોલીસને મળેલી માહિતી અનુસાર, જ્યારે વૃદ્ધ દંપતિ ન્યૂ રાણીપ વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાળા રંગની કારમાં આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા. પોતે ઉજ્જૈનથી આવ્યા હોવાનું કહીને નજીકના મંદિર અથવા ધર્મશાળાનું સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ કારમાં નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિને બતાવી, તે મોટા સાધુ હોવાનું અને ભાગ્યે જ બહાર આવે છે તેવી વાતો કરી વૃદ્ધ દંપતિને વાતોમાં ભોળવ્યા હતા. એક લાખથી વધુની કિંમતના દાગીના પડાવ્યાસાધુના વેશમાં બેઠેલા આરોપીએ પોતે પરીક્ષા કરી રહ્યો હોવાનું કહી વૃદ્ધ દંપતિનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેમની પાસે રહેલી સોનાની વીંટી, સોનાનું કડુ સહિત એક લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના પડાવી લીધા હતા. મદારી ગેંગનું કારસ્તાનઘટનાની તપાસ દરમિયાન પોલીસે વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ અગાઉ આવી રીતે થયેલા ગુનાઓની તપાસ કરી હતી. જેમાં આ ગુનો મદારી ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. મદારી ગેંગના સભ્યની ધરપકડએલસીબી ઝોન-2ની ટીમે કાર્યવાહી કરીને મદારી ગેંગના સભ્ય રાહુલનાથ મદારીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી સોનાની વીંટી, સોનાનું કડુ, મોબાઈલ ફોન અને કાર સહિત ત્રણ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 4 જિલ્લામાં છેતરપિંડીના કેસ આ ઉપરાંત અન્ય આરોપી કરણનાથ મદારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ અને આગળની તપાસમાં જાણવા મળ્યું છે કે મદારી ગેંગ સામે અગાઉ ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આરોપીની વધુ પૂછપરછ શરૂહાલ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ લોકોને છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તેમજ આ ગુનામાં અન્ય કોઈ સભ્યો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:02 pm

સુરતમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ કંઠસ્થ શિક્ષાપત્રી સંભળાવી અને ભાવિકોએ વિવિધ ભાષામાં લેખન કર્યું

સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગીતાજી અધ્યાત્મ શાસ્ત્ર છે, જ્યારે શિક્ષાપત્રી એ જિંદગીનું 'મેનેજમેન્ટ શાસ્ત્ર' છે. 212 શ્લોકો ધરાવતી આ સંહિતામાં સદાચાર, સામાજિક શિસ્ત અને સ્ત્રી ગૌરવ જેવા ક્રાંતિકારી મૂલ્યોનો સમાવેશ થાય છે. ભક્તિમય કાર્યક્રમો અને અભિષેક મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે ભગવાન અને શિક્ષાપત્રીજી પર પંચામૃત, પુષ્પ પાંખડી અને ધાન્યથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. મહોત્સવમાં યોજાયેલા શિક્ષાપત્રી યજ્ઞમાં સંતો અને હરિભક્તોએ આહુતિ અર્પી હતી. લેખન ભક્તિ અને શિષ્યોનું કૌશલ્ય આ અવસરે 200 થી વધુ ભાવિકોએ વિવિધ ભાષાઓમાં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. આશ્ચર્યજનક રીતે ગુરુકુળના 30 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિક્ષાપત્રી કંઠસ્થ સંભળાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સમાપન ભવ્ય મહારાસ સાથે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:02 pm

નવસારીમાં મંત્રી નરેશ પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું:કલિયારીમાં પંચાયત ભવન, આછવણીમાં આધુનિક લાઈબ્રેરી સમર્પિત

નવસારી જિલ્લામાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલે શનિવારે વિવિધ જનસુવિધાના કાર્યોનું લોકાર્પણ કર્યું. તેમણે ચીખલી તાલુકાના કલિયારી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન અને ખેરગામ તાલુકાના આછવણી ગામે આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. કલિયારી ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ નવા ભવનના નિર્માણથી ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સુચારુ, ઝડપી અને કાર્યક્ષમ બનશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામ્ય વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધ છે. ખેરગામના આછવણી ગામે લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આ લાઈબ્રેરી ગ્રામ્ય વિસ્તારોમાં વાંચન પ્રત્યે રુચિ જગાડશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે ઉપયોગી બનશે. આનાથી જ્ઞાનવર્ધન દ્વારા ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોએ વિકાસલક્ષી કાર્યોને આવકાર્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 pm

સુરતમાં જેઠાણીએ કરેલી દેરાણીની હત્યાનો કેસ:સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ જેઠાણીને હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો

વર્ષ 2016 માં સુરતની સેશન્સ કોર્ટમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુન્હાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2019માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે જેઠાણીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને જેઠાણીને નિર્દોષ છોડી હતી. જેઠાણી પર દેરાણીની હત્યા કરવાનો આરોપ હતોકેસની વિગતો જોતા દેરાણી અને જેઠાણી વચ્ચે ઘરેણા બાબતે બોલાચાલી થતી હતી. એક દિવસ જ્યારે દેરાણી ઊંઘતી હતી. ત્યારે જેઠાણી તેની ઉપર ધોકો લઈને તૂટી પડી હતી અને તેને માથામાં ગંભીર ઇજાઓ કરી હતી. દેરાણી મૃત્યુ પામતા તેની ઉપર એસિડ છાંટીને તેનું એસિડ પીવાથી મૃત્યુ પામી હોવાનું નાટક કર્યું હતું. બાદમાં તેના શરીર પરથી ઘરેણા ઉતારી લીધા હતા. મૃતકના પિયરિયાને આ અંગે જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં મૃતકના મોઢાના ભાગે ઈજાઓ, તેમજ આરોપી જેઠાણીના શરીરની ઇજાઓ અને દાઝેલા હાથ જોઈને શંકા ગઈ હતી. તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે 20 સાહેદ અને 38 પુરાવાને આધારે જેઠાણીને સજા ફટકારી હતી. સાથે જ એવી બાબત પણ સપાટી ઉપર આવી હતી કે આરોપી જેઠાણીને તેના દિયર એટલે કે મૃતકના પતિ સાથે આડા સંબંધ હતા. મકાનની લિફ્ટના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી મહિલા એસિડની બોટલ લઈને આવતી હોવાનું દેખાતું હતું. દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી અને મૃતક છેલ્લે બંને સાથે હતા. જેઠાણીએ કહ્યું હતું કે ખૂબ જ ગરમ પાણીના કારણે તે દાઝી હતી. જે ધોકા દ્વારા હત્યા કરાઈ હતી તેને કબ્જે કરવામાં આવ્યો હતો. તેની ઉપરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. મૃતકના ઘરેણા પણ આરોપીએ જ આપ્યા હતા. સેશન્સ કોર્ટેના ચુકાદાને રદ કરી હાઈકોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યોગુજરાત હાઇકોર્ટની અપીલમાં નોંધાયું હતું કે, જે ધોકા વડે હત્યા કરવામાં આવી તેની ઉપર કોઈ ફિંગર પ્રિન્ટ નહોતા. CCTV 17 દિવસ બાદ રજૂ કરવામાં આવ્યા હતા. હથિયાર અને જ્વેલરીની રિકવરીમાં પંચનામુ અને પ્રોસેસ સંતોષકારક નહોતા. જ્વેલરીને કારણે ઝઘડો થયો હોવાનું લાગી રહ્યું હતું. જ્યારે આરોપીનું કહેવું હતું કે, તે જેઠાણીને બચાવતી વખતે દાઝી ગઈ હતી. DNA પ્રોફાઈલ કરવામાં આવી નહોતી. ફક્ત સંભાવનાને આધારે જેઠાણીને સજા કરવી યોગ્ય નથી. આ સાથે જ હાઇકોર્ટે જેઠાણીની અપીલ ગ્રાહ્ય રાખીને તેની સજા રદ્દ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 pm

માયા આહીરના દીકરાની ધરપકડ:કોળી યુવક પર હુમલાનો આક્ષેપ હતો, ગેનીબેનની ગાડીએ યુવકને લીધો અડફેટે, રાજ્યમાં ઠંડીનો ચમકારો

24 કલાકમાં તાપમાન 3 થી 7 ડિગ્રી ઘટ્યું 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 3થી 7 ડિગ્રી ઘટ્યો. અમદાવાદમાં પણ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. હજુ આગામી બે દિવસ ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગોળી આકસ્મિક નહીં, હત્યાના ઈરાદે ચલાવાઈ હતી અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં ફાયરિંગ કેસમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશકુમાર સિંહ ગોહિલ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગોળી આકસ્મિક નહીં, ઈરાદા પૂર્વક ચલાવાઈ હોવાનું સામે આવ્યું. .21 જાન્યુઆરીએ મોડી રાત્રે યશકુમારે પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગેનીબેનની ગાડીથી અકસ્માત, ફોટો -વીડિયો ડિલિટ કરાવ્યા પાલનપુરના કુશકલ નજીક સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને ટક્કર મારી, સાંસદના માણસોએ મદદ કરવાને બદલે અકસ્માતના ફોટો-વીડિયો ડિલીટ કરાવ્યા.બીજા દિવસે સાંસદ હોસ્પિટલ પહોંચ્યા. પરિવારે કાયદેસર કાર્યવાહીની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો શંકરાચાર્યના અપમાનનો વડોદરામાં વિરોધ પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજના કથિત અપમાન મામલે વડોદરામાં એનએસયુઆઈએ વડોદરામાં વિરોધ કર્યા. યુપીના સીએમ યોગી આદિત્યનાથના ફોટો પર શ્યાહી લગાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો માયા આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ.. એસઆઈટીએ ત્રણ દિવસમાં આજે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો કોન્સ્ટેબલના આપઘાત મુદ્દે PSI પર આક્ષેપ ભાવનગરના કોન્સ્ટેબલ આપઘાત મામલે પરિવારે પીએસઆઈને જવાબદાર ગણાવ્યા. પીએસઆઈ કોન્સ્ટેબલને સતત પ્રેશર આપી, સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો થાર પર ચડીને અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે થાર પર ચડી અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી.. ગ્યાસપુરના વેપારીની ગાડીને આંતરી ફિલ્મી ઢબે તોડફોડ કરી..પોલીસે તપાસ હાથ ધરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી વડોદરાના ગોરવામાં બેટરીના ગાોડાઉનમાં ભીષણ આગ લાગી. આગના કારણે નજીકની સોસાયટીના લોકોને દૂર ખસેડી દેવા પડ્યા હતા.. પાંચ ફાયર સ્ટેશનોની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો માતા-પુત્રએ સાબરમતિમાં કૂદી આપઘાત કર્યો અમદાવાદમાં માતા-પુત્રએ સાબરમતિ નદીમાં કૂદી આપઘાત કર્યો. વલ્લભસદન રિવરફ્રન્ટ પાસેથી બંનેના મૃતદેહ મળ્યા. દીકરો માનસિર અસ્વસ્થ હોવાથી બંનેએ અંતિમ પગલું ભર્યાનું અનુમાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો સરસ્વતી પૂજામાં ડાન્સર્સ બોલાવી તમાશો સુરતમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ડાન્સર્સ બોલાવાઈ. વેડ રોડની આનંદ પાર્ક સોસાયટીમાં મહિલાઓના અશ્લીલ ડાન્સથી લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:55 pm

નરહરિ અમીન દ્વારા 'VB G RAM' યોજનાનું માર્ગદર્શન:ગામડાંઓની સમૃદ્ધિનો નવો રોડમેપ; શ્રમિકોને 15 દિવસમાં કામ ન મળે તો ફરજિયાત બેરોજગારી ભથ્થું

ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામોમાં તાજેતરમાં 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ (VB G RAM G) બિલ 2025' અંતર્ગત જન જાગરણ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીને વિશેષ ઉપસ્થિત રહીને ગ્રામજનોને આ ક્રાંતિકારી યોજનાના ફાયદાઓ અને સરકારની કલ્યાણકારી નીતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. રોજગારીના દિવસોમાં વધારો અને ખેતીનું સંતુલન શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, અગાઉની મનરેગા યોજનામાં શ્રમિકોને 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે 'વિકસિત ભારત યોજના' હેઠળ શ્રમિકોને 125 દિવસની ગેરંટીડ રોજગારી આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે વાવણી અને કાપણીની સીઝન દરમિયાન 60 દિવસ સુધી આ યોજના હેઠળ કામ બંધ રહેશે, જેથી શ્રમિકો ખેતીમાં વ્યસ્ત રહી શકે. આમ, 125 દિવસ યોજનાના અને 60 દિવસ ખેતીના મળીને કુલ 185 દિવસની આજીવિકા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેનાથી કૃષિ વિકાસને પણ વેગ મળશે. વિકાસ કાર્યોની ચાર સ્પષ્ટ શ્રેણીઓ અગાઉની યોજનાઓમાં આયોજનના અભાવે કાચા રસ્તાઓ કે અધૂરા કામોની સમસ્યા રહેતી હતી. હવે, તમામ કાર્યોને 4 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે: જળ સુરક્ષા માટેના જળ સંબંધી કાર્યો. મુખ્ય ગ્રામીણ પાયાની સુવિધાઓ (Infrastructure). આજીવિકા સુધારવા માટેની પાયાની સુવિધાઓ. પ્રતિકૂળ હવામાન અને આપત્તિ સામે લડવા માટેના વિશેષ કાર્યો. વહીવટી સુધારા અને જવાબદારી યોજનાને વધુ પારદર્શક બનાવવા માટે વહીવટી ખર્ચની મર્યાદા 6% થી વધારીને 9% કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર રોકવા માટે દર 6 મહિને સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે. જો કોઈ શ્રમિકને કામ માગ્યાના 15 દિવસમાં રોજગાર નહીં મળે, તો તેને બેરોજગારી ભથ્થું આપવું અનિવાર્ય બનશે, જે આ બિલની સૌથી મજબૂત કાનૂની જોગવાઈ છે. સ્થાનિક નેતૃત્વની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકા ભાજપ પ્રમુખ નિયલભાઇ પટેલ, APMC ચેરમેન રમેશભાઈ પટેલ, મધુર ડેરીના ડિરેક્ટર, વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મણિભાઈ, બળદેવભાઈ અને જસુજી ઠાકોર સહિતના સ્થાનિક સભ્યોએ ગ્રામીણ ઉત્થાનના આ અભિયાનમાં સક્રિય રસ દાખવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:54 pm

20 દિવસની બીમાર બાળકીને સુરત સિવિલમાં છોડી જનેતા ફરાર, CCTV:NICUમાં માસૂમના જીવન-મરણ વચ્ચે ઝોલા; જંગલમાં જન્મ સમયે ઝેરી જંતુ કરડી હતી; નિર્દયી માતાની શોધખોળ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ખટોદરા પોલીસ હાલ એક નિર્દયી માતાની શોધખોળ કરી રહી છે. આ મહિલા પોતાની માત્ર 20 દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના NICU વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મહિલા હોસ્પિટલના પહેલા માળેથી ઉતરીને તરત જ રિક્ષા પકડીને નાસી છૂટી હતી. બાળકીને વલસાડથી 108 મારફતે સુરત સિવિલ લવાઈઆ ગંભીર કિસ્સામાં નવજાત બાળકીની તબિયત જન્મથી જ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. માતાએ અગાઉ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારમાં રહે છે, જ્યાં બાળકીના જન્મ બાદ માથાના ભાગે ઝેરી જીવ-જંતુઓ કરડી હતી. આ ગંભીર ઇજાની સારવાર માટે તેને વલસાડથી સુરત સિવિલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવી હતી. મહિલા હોસ્પિટલમાંથી રિક્ષામાં બેઠી ફરારખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી છે, જેમાં આરોપી મહિલા લીલા રંગના કુર્તામાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ મહિલાની ઓળખ બબ્લી સોનુ ઠક્કર તરીકે થઈ છે, જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ગામની વતની છે. ફૂટેજમાં તે બાળકીને દાખલ કર્યા બાદ તક મળતા જ હોસ્પિટલના દરવાજેથી ઉતાવળે રિક્ષામાં બેસીને પલાયન થતી નજરે પડે છે. પોલીસે આ તમામ વીડિયો પુરાવા તરીકે લીધા છે અને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલ તંત્રએ માતા સામે ફરિયાદ નોંધાવીસિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર બરખા પટેલે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે, કાયદાકીય રીતે નવજાત શિશુને આ રીતે બિનવારસી હાલતમાં મૂકી દેવું એ સજાપાત્ર ગુનો બને છે. હાલમાં પોલીસ આરોપી માતાના રહેઠાણ અને તેના સંબંધીઓની વિગતો મેળવીને તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:54 pm

ગીર સોમનાથ પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા:હથિયાર સાથે ફોટા મૂકનાર, સજા વોરંટ અને 25 વર્ષથી ફરાર આરોપી પકડાયા

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ સતત સક્રિય છે. જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટા મૂકનાર, સજા વોરંટના આરોપી અને છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટા કે વીડિયો મૂકીને ભય ફેલાવનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. ગઢવીના નેતૃત્વ હેઠળ અને પી.એસ.આઈ. આર.આર. રાયજાદાની રાહબરીમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, એક વ્યક્તિએ છરી સાથેના ફોટા અપલોડ કર્યા છે. આ માહિતીના આધારે, વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી મહમદ અલીભાઈ મુગલ (ઉં.વ. 20, રહે. ચમોડા, તા. વેરાવળ)ને છરી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લામાં સજા વોરંટ અને પકડ વોરંટના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી સજા વોરંટના કામે નાસતા ફરતા તોસીફભાઈ હનીફભાઈ સેલત (ઉં.વ. 40, રહે. બાગે યુસુફ કોલોની, વેરાવળ)ને ઝડપી પાડ્યો હતો. તે ફોજદારી કેસ નં. 612/2018માં વોન્ટેડ હતો. ગીર સોમનાથ પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એમ.કેસ. નં. 02/2001 (ઈ.પી.કો કલમ 406, 420, 417, 114) મુજબ છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ગુનામાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે ગુજરાત સિદ્ધિ સિમેન્ટમાંથી ધુવારણ ખાતે મોકલાવવાની 300 થેલી સિમેન્ટ બારોબાર વેચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ગુનો કર્યા બાદ આરોપી નામ અને સ્થળ બદલીને વર્ષોથી ફરાર હતો. મિસિંગ સેલના ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ. જે.આર. ડાંગર તથા તેમની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે દામોદર સાંગાણી પટેલ, ઉ.વ. 54 રહે. રાચરડા (કલોલ), ગાંધીનગરતેમજ અગાઉ અમદાવાદ, જામનગર અને રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતો આ આરોપીને ગાંધીનગર જિલ્લાના રાચરડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે જિલ્લામાં ગુનાખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત થયો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:51 pm

સતલાસણાના મોદી માર્કેટમાં આવેલ મકાનમાં આગ:મકાનમાં હાજર એક મહિલાનો માંડ જીવ બચ્યો, ફ્રીજ સહિતની ઘરવખરી બળીને ખાખ

સતલાસણાના મુખ્ય વિસ્તાર ગણાતા મોદી માર્કેટમાં આવેલ એક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. મોદી માર્કેટમાં કાર્યરત કોહિનૂર પ્રિન્ટિંગ પ્રેસના ઉપરના માળે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. સદનસીબ સ્થાનિક લોકોની તાત્કાલીક કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા મકાનમાં અફરાતફરીમળતી માહિતી મુજબ આ મકાનમાં રોડ કોન્ટ્રાક્ટના કામ અર્થે આવેલા શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો ભાડેથી રહેતા હતા. આજે સવારે પાણી ગરમ કરવા માટે મૂકેલું હીટર ચાલુ રહી ગયું હતું, જેના કારણે શોર્ટ સર્કિટ સર્જાયું હોવાનું પ્રાથમિક તારણ છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં પડેલા ફ્રીજને પણ ઝપેટમાં લઈ લીધું હતું. આગ લાગતા જ મકાનમાં હાજર એક મહિલા તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતરી ગઈ હતી. સ્થાનિકોએ એકઠા થઈને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોસ્થાનિક વેપારી અસબાક ભાઈએ જણાવ્યું હતું કે, ઉપરના માળે આગ લાગતા જ નીચેની દુકાનોમાં રહેલા લોકો અને આસપાસના રહીશો મદદે દોડી આવ્યા હતા. સતલાસણામાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં, સ્થાનિકોએ એકઠા થઈને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં ફ્રીજ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. સમયસર આગ ઓલવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:40 pm

ધરમપુરમાં 9.90 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત:નાણાં મંત્રી કનુ દેસાઈ અને લોકસભાન દંડક ધવલ પટેલના હસ્તે ખાતમુહૂર્ત; નવું પાલિકા ભવન બનશે

ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 9.90 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં, શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક તથા સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોમાં ધરમપુર નગરપાલિકાના નવા ભવનનું નિર્માણ, મહારાણી કુશળ કુંવરબા તળાવ ખાતે આવેલી ઐતિહાસિક દેરીઓનું નવીનીકરણ તેમજ ત્રણ દરવાજાથી આસુરા વાવ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઈન અને પંપિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. મંત્રી કનુ દેસાઈએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ધરમપુરની પાવન ધરતી પર સ્વામિનારાયણ ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી જેવી મહાન વિભૂતિઓએ વિચરણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે સર્વાંગી વિકાસ કર્યો છે. જ્યોતિગ્રામ યોજના, વાઇબ્રન્ટ ગુજરાત અને વનબંધુ કલ્યાણ યોજના જેવી યોજનાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી અને રોજગારીની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે 2 લાખ કરોડની વિકાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેના કારણે આગામી સમયમાં ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોને પણ વિકાસનો વિશેષ લાભ મળશે. તાજેતરમાં જ 17 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં બોપીમાં વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસ, ધરમપુરમાં રમતગમતનું મેદાન અને ઓડિટોરિયમ સહિતના અનેક વિકાસ કાર્યો અમલમાં આવશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરવામાં આવ્યું છે, જેમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ, શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નવા નગરપાલિકા ભવન માટે 5.82 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને તે આગામી બે વર્ષમાં તૈયાર થશે. આ ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સિટી સિવિક સેન્ટર, પ્રથમ માળે વિવિધ વિભાગોની કચેરીઓ અને બીજા માળે કોન્ફરન્સ હોલ હશે. આધુનિક ભવન રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સજ્જ હશે. અન્ય વિકાસ કાર્યોમાં ત્રણ દરવાજાથી આસુરા સર્કલ સુધી 3.5 કિલોમીટરની ગટર લાઈન અને પંપિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહારાણી કુશળ કુંવરબા તળાવની ઐતિહાસિક દેરીઓનું રીડેવલપમેન્ટ અને લેન્ડસ્કેપિંગ પણ કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:36 pm

'21 કરોડની તકલાદી ટાંકી બનાવનાર એજન્સીએ ભાજપને 1,00,000નું ફંડ આપ્યું':'જયંતી સુપર કન્સ્ટ્રકશન'ના સુરત જિલ્લામાં ચાલી રહેલા કામોની કોંગ્રેસે તપાસ માગી

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે નવનિર્મિત 11 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી તૂટી પડતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. સરકારી કામની ગુણવત્તાને લઈ સવાલો ઉભા થતા મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો. સરકારે તાત્કાલીક બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરી એજન્સી સામે ફરિયાદ કરી ચૂકવણું અટકાવી દીધું છે. 21 કરોડ રૂપિયાની તકલાદી ટાંકી જે એજન્સી દ્વારા બનાવવામાં આવી હતી તે 'જયંતી સુપર કન્સ્ટ્રકશને' વર્ષ 2017-18માં માત્ર ત્રણ મહિનામાં જ ભારતીય જનતા પાર્ટીના ફંડમાં 1,00,000 રૂપિયાનું દાન કર્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ એજન્સીના હાલ સુરત જિલ્લામાં જે કામો ચાલી રહ્યા છે તેની તપાસ માગવામાં આવી છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલી ટાંકી ટ્રાયલ દરમિયાન તૂટી પડી હતીપાંચ દિવસ પૂર્વ સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાં રૂ. 21 કરોડના ખર્ચે બનાવાયેલી 11 લાખ લિટરની ક્ષમતાની પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ તૂટી પડી હતી. ટાંકી બેસી જવાના કારણે ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો હતો. ગાંધીનગરથી તપાસના આદેશ છૂટતા મે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા અને તેમના જવાબદાર માણસો, બાબુભાઈ અંબાલાલ પટેલ (મહેસાણા) અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ. (અમદાવાદ)ના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર, જય એસ. ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અંકિત પી. ગરાસિયા, કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તકલાદી ટાંકી બનાવનાર એજન્સીએ 5 વર્ષમાં કરેલા કામોની કોંગ્રેસે તપાસ માગીતડકેશ્વરમાં તૂટી પડેલી ટાંકી બનાવનાર એજન્સી સામે કોંગ્રેસે તપાસ માગી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, “જયંતી સુપર કન્સ્ટ્રકશન” નામની એજન્સી દ્વારા સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની યોજના હેઠળ 21 કરોડ રૂપિયાના ખર્ચે 11 લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં બનાવવામાં આવેલ હતી. જેમાં ટેસ્ટિંગ કરવા માટે પહેલી વખત જ પાણી ભરતા આખી પાણીની ટાંકી તૂટીને પડી ગયેલ છે. જેમાં પ્રથમ દ્રષ્ટિએ જ દેખાઈ આવે છે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. ટેસ્ટિંગ સમયે માત્ર 9 લાખ લિટર પાણી ભરતા જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ત્રણ મજૂરોને ઈજા પહોંચી. આ અકસ્માતના કારણે સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એજન્સી ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી એજન્સીનું ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે. આ જ એજન્સીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અનેક કરોડો રૂપિયાના કામો સોંપવામાં આવ્યા છે. “જયંતી સુપર કન્સ્ટ્રકશન અને કૃષ્ણ કોર્પોરેશન” સહિત અન્ય નાની-મોટી એજન્સી/કોન્ટ્રાકટરોને ઓલપાડ તાલુકામાં ઓલપાડ-સરસ રોડ, ખલીપોર, મુળદ અને કુકણી ગામોમાં ઓવરહેડ પાણીના કામો તેમજ દીહેણ, ખોસડીયા, નરથાણ, ખલીપોર, કુકણી, ટકારમા, વડોલી ચોકડી, સરસ અને મુળદ સહિતના જુદા જુદા ગામોમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઇનના તેમજ અંડરગ્રાઉન્ડ પાણીના સંપ વિગેરેના આશરે 150 થી 200 કરોડ રૂપિયાના કામો આપવામાં આવ્યા છે. જે પૈકી મોટાભાગના પાણીના પ્રોજેક્ટ કામોનું ટેસ્ટિંગ અને ચુકવાનું બાકી છે. એક જ ખોદકામમાં ત્રણ-ત્રણ પાઈપલાઈન નાખી હોવાની રજૂઆતકોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ઓલપાડ તાલુકામાં ઓલપાડથી કુદીયાણા, ઓલપાડથી ઓરમા ગામ તેમજ ઓલપાડથી હાથીસા ગામ સુધીમાં એક જ ખોદકામમાં ત્રણ–ત્રણ પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એટલે કે એક જ ખોદાણમાં ત્રણ પાઇપલાઈનો નાખી દીધેલ છે અને એક જ કામ કરી જુદા જુદા ત્રણ ખોદકામના ખોટા બિલો મૂકી પૈસા ચૂકવી દેવામાં આવેલ છે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામ ખાતે છેલ્લા 10 વર્ષથી પાણીની ટાંકી બનાવેલ છે આજની સ્થિતિ એ પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહેલ નથી . તેથી આ પાણીની ટાંકી અન્વયે જે ચૂકવણાઓ કરવામાં આવેલ છે તે અંગે પણ એજન્સીની યોગ્ય તપાસ થાય એ જરૂરી છે અને આવી એજન્સીને સમર્થન કરતાં અધિકારીઓ સામે પણ તટસ્થ અને કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આખા સુરતમાં આ એજન્સીને આપેલ કામોના બિલો, કામ પૂર્ણતાના ખોટા પ્રમાણપત્રો આપવામાં આવેલ છે તેની પણ ખાસ ટીમની રચના કરી તપાસ કરાવવામાં આવે. જેથી આજદિન સુધીમાં એજન્સી દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની વિગતો બહાર આવે અને જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય. તકલાદી ટાંકી બનાવનાર એજન્સીએ ત્રણ મહિનામાં ભાજપને 1 લાખનું ફંડ આપ્યુંસુરત જિલ્લામાં નબળી કામગીરીના કારણે હાલ જે એજન્સી વિવાદમાં સપડાઈ છે તે 'જયંતી સુપર કન્સ્ટ્રકશન' દ્વારા વર્ષ 2017માં માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ ભારતીય જનતા પાર્ટીને એક લાખ રૂપિયાનું ફંડ આપ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:28 pm

ચીખલીના નોગામામાં બંધ મકાનમાંથી ₹1.50 લાખની ચોરી:તસ્કરો સ્લાઈડિંગ બારી તોડી સોનાના ઘરેણાં લઈ ફરાર

નવસારીના ચીખલી તાલુકાના નોગામા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી છે. અજાણ્યા ચોર ઈસમો ઘરના આગળના ભાગે આવેલી સ્લાઈડિંગ બારીનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટની તિજોરીમાંથી અંદાજે ₹1.50 લાખના સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના નોગામા ગામના મીઠાકુવા ફળીયામાં રહેતા મહેશભાઈ સવજીભાઈ પટેલના બંધ મકાનમાં બની હતી, જેઓ હાલ આહવા-ડાંગ ખાતે નોકરી કરે છે. તસ્કરોએ 21 જાન્યુઆરી, 2026 ના રાત્રિના 10:00 વાગ્યાથી 22 જાન્યુઆરી, 2026 ના સાંજના 04:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ઘરની આગળની સ્લાઈડિંગ બારીનું લોક તોડી પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ, દિવાલ સાથે ફિટ કરેલા લાકડાના કબાટની તિજોરીનું લોક કોઈ સાધન વડે તોડી નાખ્યું હતું. તિજોરીમાં રાખેલા ₹1,50,500/- ની કિંમતના સોનાના અલગ-અલગ ઘરેણાં ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં મહેશભાઈ પટેલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(એ), 331(3), અને 331(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.સી. ગઢવી આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:15 pm

વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાનું અપહરણ:ભાજપ નેતા આક્રમક, વિપક્ષ પર વોટબેંક રાજનીતિનો આક્ષેપ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક આદિવાસી સગીરાના કથિત અપહરણની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. આ ગંભીર બનાવ અંગે ભાજપના સ્થાનિક નેતાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સાથે જ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. ભાજપ નેતાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ સાથે મળીને જિલ્લા પોલીસ વડા (SP) અને પોલીસ ટીમ સાથે તાત્કાલિક સંકલન સાધવામાં આવ્યું છે. તેમણે પોલીસની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સગીરાને વહેલી તકે હેમખેમ પરત લાવવામાં આવશે અને આરોપીને એવી કડક સજા અપાશે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલાં અનેક વાર વિચાર કરશે. આ પ્રસંગે ભાજપ નેતાએ વિપક્ષી નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના નામે રાજનીતિ કરનાર વિપક્ષી નેતાઓ આ ગંભીર ઘટનામાં સંપૂર્ણ મૌન છે. તેમણે જણાવ્યું કે વિપક્ષ આદિવાસી સમાજને માત્ર વોટબેંક તરીકે જ જુએ છે. તેમણે ભૂતકાળની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દાભેલમાં થયેલી આદિવાસી યુવકની હત્યા સમયે પણ વિપક્ષી નેતાઓએ કોઈ અવાજ ઉઠાવ્યો નહોતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજના સુખ-દુઃખમાં સાથે રહી છે. અંતમાં ભાજપ નેતાએ વિશ્વાસ આપ્યો હતો કે સરકાર તથા પોલીસ પ્રશાસન પીડિત પરિવારની સાથે ઊભા છે અને આ મામલે ન્યાય અપાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:07 pm

ભરૂચ નાઈટ શેલ્ટર હોમની સરાહનીય કામગીરી:મહારાષ્ટ્રની બીમાર મહિલાને સ્વસ્થ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચના નાઈટ શેલ્ટર હોમે મહારાષ્ટ્રની એક બીમાર અને નિરાધાર મહિલાને આશ્રય આપી સ્વસ્થ કરી છે. આશ્રયસ્થાનની મદદથી મહિલાનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન થયું હતું, જે ઘરવિહોણા અને સંકટગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રની એક યુવાન મહિલા ગંભીર બીમાર અને નિરાધાર હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન પર મળી આવી હતી. એક જાગૃત નાગરિકની મદદથી તેમને ભરૂચના નાઈટ શેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા હતા. મહિલાની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને, શેલ્ટર હોમના સંચાલકોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોની સતત દેખરેખ અને યોગ્ય સારવારને કારણે માત્ર સાત દિવસમાં મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. મહિલા સ્વસ્થ થયા બાદ, શેલ્ટર હોમના સ્ટાફ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો ભરૂચ આવી મહિલાને ભાવુક મિલન બાદ પોતાની સાથે લઈ ગયા હતા. ભરૂચનું નાઈટ શેલ્ટર હોમ દર વર્ષે સરેરાશ 20થી 25 મહિલાઓને આશ્રય પૂરો પાડે છે, જેઓ વિવિધ કારણોસર ઘર છોડવા મજબૂર બને છે. સેવાયજ્ઞ સમિતિ દ્વારા સંચાલિત આ આશ્રયસ્થાનમાં માત્ર રાત્રિ રોકાણ જ નહીં, પરંતુ દિવસ દરમિયાન રહેવાની વ્યવસ્થા, પૌષ્ટિક ભોજન અને બીમારીની સ્થિતિમાં સંપૂર્ણ તબીબી સારવાર પણ પૂરી પાડવામાં આવે છે. આ રીતે, ભરૂચનું નાઈટ શેલ્ટર હોમ જરૂરિયાતમંદ અને નિરાધાર મહિલાઓ માટે માનવતા, સંવેદના અને સહાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:01 pm

અરવલ્લીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું:મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન મેઘરજ ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલમાં કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાએ ઉપસ્થિત રહી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે ચર્ચા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા પરેડનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તમામ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મેઘરજ તાલુકા ખાતે થવાની હોવાથી, આજે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર આયોજન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:59 pm

મહીસાગર LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 આરોપીઓને ઝડપ્યાં:વિદેશી દારૂની 1483 બોટલ, બે કાર અને ત્રણ એક્ટિવા સહિત કુલ રૂ. 18.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 1483 બોટલ વિદેશી દારૂ, બે કાર અને ત્રણ એક્ટિવા સહિત કુલ રૂ. 18,35,075નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ પ્રોહી વોચ રાખી રહ્યો હતો. આ દરમિયાન LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ડીટવાસ તરફથી લીંબડીયા થઈ રણજીતપુરા ગામ તરફ કાર અને અલગ-અલગ જ્યુપિટર એક્ટિવાઓમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ માહિતીના આધારે, LCB ટીમે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના રણજીતપુરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમીવાળા વાહનો આવતા જ LCB સ્ટાફે તેમને આંતરી લીધા હતા. દારૂ ભરી જતી એક કાર, પાયલોટિંગમાં રહેલી સ્વિફ્ટ ગાડી અને ત્રણ જ્યુપિટર એક્ટિવા સાથે કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રથમ કેસમાં, ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1249 બોટલો (કિંમત રૂ. 3,86,375), કાર (કિંમત રૂ. 8,00,000), સ્વિફ્ટ કાર (કિંમત રૂ. 5,00,000) અને ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 17,01,375નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં પ્રવીણ વિક્રમભાઈ બારીયા (રહે. દાજીની મુવાડી, જુના રેણા, તા. શહેરા, જી. પંચમહાલ), ભરત હરીભાઈ પટેલ (રહે. જુના રેણા, તા. શહેરા, જી. પંચમહાલ) અને જીજ્ઞેશ છત્રસિંહ બારીયા (રહે. હમીરપુર નિશાળ ફળિયું, તા. ગોધરા, જી. પંચમહાલ)નો સમાવેશ થાય છે. બીજા કેસમાં, જ્યુપિટર એક્ટિવાઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 234 બોટલો (કિંમત રૂ. 38,200), ત્રણ એક્ટિવા (કિંમત રૂ. 75,000) અને પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,500) મળી કુલ રૂ. 1,33,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં જગદીશ મહેશભાઈ પરમાર (રહે. ડીટવાસ ખેડા ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), નવીન મોહનભાઈ ડામોર (રહે. ડીટવાસ ખેડા ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), જીતેન્દ્ર કૈલાશભાઈ ડાલકે (હાલ રહે. ડીટવાસ એકલવ્ય સ્કૂલ પાસે, તા. કડાણા, જી. મહીસાગર, મૂળ રહે. ચિચલી, તા. ઠીકરી, જી. બડવાની, મધ્યપ્રદેશ), મહેન્દ્ર ભારતભાઈ રાવત (રહે. કેશવપુરા રાવત ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), અરવિંદ ભારતભાઈ પગી (રહે. વાવિયા (ઈસરોડા), તા. ખાનપુર, જી. મહીસાગર) અને રાજુ અજમેલભાઈ પગી (રહે. વાવિયા (ઈસરોડા), તા. ખાનપુર, જી. મહીસાગર)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ વાહનો અને વિદેશી દારૂ કબજે કરી બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ-અલગ બે ગુના નોંધ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:53 pm

પોપટપુરામાં કારખાના માલિક સામે SOGની કાર્યવાહી:પરપ્રાંતીય શ્રમિકોની માહિતી છુપાવવા બદલ ગુનો નોંધાયો

ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા પોપટપુરા ગામમાં એક કારખાના માલિક સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. મીનરલ પ્રોડક્ટ સેલ નામના આ કારખાનામાં રાજ્ય બહારના શ્રમિકોની નોંધણી બાબતે બેદરકારી દાખવવા બદલ BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બહારના રાજ્યોમાંથી આવતા શ્રમિકોની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. આમ છતાં, પોપટપુરા સ્થિત મીનરલ પ્રોડક્ટ સેલ કારખાનામાં કામ કરતા અન્ય રાજ્યના શ્રમિકોની કોઈ પણ પ્રકારની જાણકારી સ્થાનિક પોલીસને આપવામાં આવી ન હતી. આ બેદરકારીના પગલે પોલીસે કારખાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:47 pm

સોનગઢમાં આદિવાસી સંમેલન યોજાયું:ભાજપના પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત, પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી એક ભવ્ય રેલી સોનગઢ નગરમાં કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને આદિવાસી નૃત્યો સાથે નગરના માર્ગો પર ફરી હતી. આ રેલી સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. સભાને સંબોધતા આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજ માટે કરાયેલા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આદિવાસીઓ પ્રત્યેની માનસિકતા અંગે પણ ટીકા કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કક્ષાએ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓનું ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ લગભગ ૨૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જે રાજકીય દૃષ્ટિએ નોંધપાત્ર ઘટના હતી. આ સભા આગામી પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હોવાનો ગણગણાટ સભામંડપમાં વ્યાપી ગયો હતો. આ કાર્યક્રમ દ્વારા ભાજપે આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:45 pm

સાર્વજનિક યુનિવર્સિટીનો 4થો દીક્ષાંત સમારોહ સંપન્ન:2,114 વિદ્યાર્થીઓને પદવી એનાયત, 53 ગોલ્ડ મેડાલિસ્ટોનું સન્માન

સુરત શહેરની પ્રતિષ્ઠિત અને 113 વર્ષ જૂની શૈક્ષણિક વિરાસત ધરાવતી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત 'સાર્વજનિક યુનિવર્સિટી'નો 4થો પદવીદાન સમારોહ અઠવાલાઇન્સ સ્થિત MTB ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયો હતો. શૈક્ષણિક શિસ્ત અને ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જે તેમના શૈક્ષણિક જીવનનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયો છે. 2,114 વિદ્યાર્થીઓને પદવી એનાયતસમારોહની મુખ્ય વિશેષતા એ રહી કે, કુલ 2,114 વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને PGD ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોતાની વિદ્યાશાખામાં શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરનાર 53 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને 'ગોલ્ડ મેડલ' થી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવની લાગણી જોવા મળી હતી, જ્યારે વાલીઓએ પણ પોતાના સંતાનોની આ સિદ્ધિને હર્ષના આંસુ સાથે વધાવી લીધી હતી. શિક્ષણને સમાજ ઉપયોગી બનાવવા પર ભાર મૂક્યોઆ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ્ ડૉ. રાકેશ મોહન જોશીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ભારતની શક્તિ વધી રહી છે, ત્યારે યુવા પેઢીએ માત્ર ડિગ્રી મેળવીને અટકવું જોઈએ નહીં પરંતુ સતત નવું શીખવાની વૃત્તિ રાખવી જોઈએ. તેમણે શિક્ષણને સમાજ ઉપયોગી બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રવિ આર. ત્રિપાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા. 9,239 વિદ્યાર્થીઓને જરૂરિયાતો મુજબ શિક્ષણ આપી રહીસાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ આશિષ વકીલે સમારોહના અધ્યક્ષ સ્થાનેથી યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 8 ઘટક કોલેજો દ્વારા સંચાલિત આ યુનિવર્સિટી હાલમાં 53 જેટલા વિવિધ અભ્યાસક્રમો દ્વારા 9,239 થી વધુ વિદ્યાર્થીઓને બદલાતી જરૂરિયાતો મુજબ શિક્ષણ આપી રહી છે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ વિશે વિગતો આપી હતી. ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:32 pm

ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ 'ક્લીન બોલ્ડ', સ્કોટલેન્ડને મળી 'ફ્રી હિટ': ICCનો કડક આદેશ

ICC Replaces Bangladesh with Scotland for T20 World Cup 2026 : ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. શું છે સમગ્ર મામલો?

ગુજરાત સમાચાર 24 Jan 2026 4:22 pm

માતા-પુત્રએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી:રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ પાસેથી બંનેની લાશ મળી, આપઘાત કર્યાની શકયતા

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવી છે. માતા દીકરાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. બંનેના મૃતદેહ પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:22 pm

SIRની કામગીરી અંતર્ગત લિંબાયતમાં 5000થી વધુ વાંધા અરજી:અનેક મતદારો હયાત હોવા છતા મતદાર યાદીમાં દૂર કરાયાની રજૂઆત, તંત્રએ કહ્યું- ખોટી અરજી પર નામ કમી નહીં થાય

સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લિંબાયત વિધાનસભા બેઠક આ યાદીમાં અપવાદ બની છે. અન્ય તમામ બેઠકો પર વ્યક્તિગત ધોરણે વાંધા અરજીઓ મળી છે, જ્યારે લિંબાયતમાં આશરે 5,000 થી વધુ વાંધા અરજીઓ રાજકીય હેતુથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા આ બલ્ક અરજીઓને કારણે વહીવટી તંત્ર પર ભારણ વધ્યું છે અને સ્થાનિક સ્તરે રાજકીય ખેંચતાણ તેજ બની છે. ભાજપ કોર્પોરેટર સામે આક્ષેપો અને વિવાદઆ વિવાદના કેન્દ્રમાં ભાટેના વિસ્તારના અનવર નગરની વિગતો છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ દ્વારા અંદાજે 220 જેટલા લોકો સામે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ અરજીઓમાં લગભગ 80 ટકા લોકોને 'મૃત' જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા વાંધા અરજી કરાઇ છે.આ સમાચાર પ્રસરતા જ મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક મતદારો હજુ હયાત હોવા છતાં તેમને સરકારી રેકોર્ડમાં મૃત ગણાવી મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો છે. કોઈપણ પૂર્વગ્રહ વગર ન્યાયિક પ્રક્રિયા કરાશે- એડિશનલ ચૂંટણી અધિકારીવધતા વિવાદ વચ્ચે એડિશનલ ચૂંટણી અધિકારી અમિત ચૌધરીએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, 18મી તારીખ સુધીમાં વાંધા અરજીઓ સ્વીકારવાની છેલ્લી મુદત હતી. 16 બેઠકોમાંથી માત્ર લિંબાયતમાંથી જ આવી સામૂહિક રાજકીય વાંધા અરજીઓ મળી છે. તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને કોઈ પણ પૂર્વગ્રહ વગર ન્યાયી પ્રક્રિયા કરવાની ખાતરી આપવામાં આવી છે. વેરિફિકેશનની કામગીરી અને BLOની ભૂમિકારાજકીય વાંધા અરજીઓના પૂર બાદ હવે બી.એલ.ઓ. (Booth Level Officer) ની કામગીરીમાં મોટો ઉછાળો આવશે. જે પણ અરજીઓ મળી છે, તેના વેરિફિકેશન માટે BLO દરેક મતદારના ઘરે રૂબરૂ જશે. આ પ્રક્રિયામાં મતદારોની પ્રત્યક્ષ હાજરી તપાસવામાં આવશે. જો કોઈને મૃત જાહેર કરવામાં આવ્યા હશે, તો તેમની જીવિત હોવાની પુષ્ટિ કરવામાં આવશે અને જો ખરેખર મૃત્યુ થયું હોય તો જ મરણના દાખલાના આધારે નામ કમી કરવામાં આવશે. સ્થળાંતરિત મતદારો માટેના નિયમોમાત્ર મૃત્યુ જ નહીં, પણ જે લોકો અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાના દાવા સાથે વાંધા ઉઠાવાયા છે, તેમની પણ તપાસ થશે. BLO દ્વારા તે વ્યક્તિ જે-તે સરનામે હાજર છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે. રહેઠાણના પુરાવા અને આધાર પુરાવાઓની ચકાસણી બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. જો વાંધા અરજીમાં આપેલી માહિતી ખોટી જણાશે, તો તે અરજી રદ કરવામાં આવશે અને કોઈ પણ હયાત મતદારનું નામ યાદીમાંથી કમી થશે નહીં.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:22 pm

જાહેરમાં દેશી દારુ ગટગટાવનાર 3 પોલીસકર્મીઓ સામે ગુનો:સસ્પેન્ડ કરાયાનો ઓર્ડર લેવા ગયા ત્યારે પણ પીધેલા હતા, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દારૂ પીવાના આરોપસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તપાસમાં તેઓ નશામાં હોવાનું સાબિત થતાં તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 23 જાન્યુઆરી, 2026ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ પોલીસ યુનિફોર્મમાં દારૂ પીતા જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ અધિક્ષક દ્વારા ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની બજવણી કરવા માટે જ્યારે ત્રણેય પોલીસકર્મીઓને પીઆઈની ઓફિસમાં બોલાવવામાં આવ્યા, ત્યારે પણ તેઓ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. નશામાં ઝડપાયેલા પોલીસ કર્મચારીઓમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ બાબરસિંહ ઠાકોર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ખિમજીભાઈ ખરાડી અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહીકુમાર રામાભાઈ પુનડીયાનો સમાવેશ થાય છે. પંચોની હાજરીમાં તેમની તપાસ કરતા તેમની આંખો લાલચોળ હતી અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેમની પાસે દારૂ પીવા માટે કોઈ પાસ કે પરમિટ મળી આવ્યું ન હતું. આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર જગદિશભાઈ પંચાલને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:19 pm

એકાઉન્ટન્ટે બે વર્ષમાં માલિકના ખાતામાંથી 3 કરોડ સેરવી લીધા:3 શખસે મળી RTGS ફોર્મ અને ચેકબુકનો દુરુપયોગ કર્યો, મોબાઈલમાંથી OTP ચોરી IMPS દ્વારા નાણા ટ્રાન્સફર કર્યા

હીરા અને કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાંથી નાણાકીય છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી રાધાકૃષ્ણ માર્કેટની એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના મળતિયાઓ સાથે મળીને માલિકના વિશ્વાસનો ખૂન કર્યો છે. આરોપીઓએ છેલ્લા 2 વર્ષ દરમિયાન માલિકની જાણ બહાર પેઢીના બેંક ખાતાઓમાંથી અધધ 3,13,88,701ની રકમ સેરવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. નોકરી સમયે માલિકનો વિશ્વાસ જીતી લીધોકૈલાશ મહાવીર પ્રસાદ અગ્રવાલની માલિકીની પેઢીમાં આરોપી બલરામ ભવરલાલ ગોદારા છેલ્લા 2 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. બલરામે લાંબા સમય સુધી માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો, જેના કારણે તેને પેઢીના હિસાબી કામકાજ અને બેંકિંગ વ્યવહારોની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વિશ્વાસની આડમાં બલરામે અન્ય 2 શખ્સો, હંસરાજ ગોપાલરામ શર્મા અને શ્રવણરામ ભગવાનરામ સાથે મળીને લાખો રૂપિયાની ઉચાપત કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. ફરિયાદીની પેઢીના કોરા ચેક અને ફોર્મનો દુરુપયોગ કર્યોઆરોપીઓએ છેતરપિંડી કરવા માટે ખૂબ જ ચાલાકીપૂર્વક પદ્ધતિ અપનાવી હતી. ફરિયાદીની પેઢીમાં અગાઉથી સહી કરેલા ચેકો અને RTGS ફોર્મ રાખવામાં આવતા હતા. આરોપી બલરામે આ કોરા ચેકો અને ફોર્મનો દુરુપયોગ શરૂ કર્યો હતો. જે પેઢીઓ સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નહોતો, તેવી અન્ય આરોપીઓની પેઢીઓ (શ્રી જય અંબે ટેક્સટાઇલ અને ક્રિષ્ના ટેક્સટાઇલ)ના નામ ફોર્મમાં ભરીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીએ ફરિયાદના ફોનમાંતી OTP પણ મેળવી લીધોઆ રીતે આરોપીઓએ બેંકિંગ સિસ્ટમમાં ગેરરીતિ આચરી ફરિયાદીના નાણાં પોતાના મળતિયાઓના ખાતામાં જમા કરાવ્યા હતા .માત્ર ચેક કે RTGS જ નહીં, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ નાણાંની ચોરી કરવામાં આવી હતી. આરોપી બલરામે ફરિયાદીના મોબાઈલ ફોનને કામના બહાને પોતાની પાસે રાખી, તેમની જાણ બહાર OTP મેળવી લીધા હતા. આ OTP ના આધારે તેણે IMPS દ્વારા અલગ-અલગ સમયે નાણાં પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પેઢીના હિસાબોની તપાસ કરતા કૌભાંડનો પર્દાફાસ થયોફરિયાદીને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ પ્રક્રિયા એટલી ગુપ્ત રીતે થતી હતી કે, લાંબા સમય સુધી આટલી મોટી રકમની ઉચાપતની જાણ થઈ શકી નહોંતી. જ્યારે પેઢીના હિસાબોની તપાસ કરવામાં આવી અને બેંક સ્ટેટમેન્ટમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા, ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં બહાર આવ્યું કે, સ્વસ્તિક ટેક્સટાઇલ, કોમલ ટેક્સટાઇલ અને ઓમ સાઈ ટેક્સટાઇલ જેવી વિવિધ પેઢીઓના નામે પણ ખોટા વ્યવહારો બતાવીને રકમ સેરવવામાં આવી હતી. કુલ મળીને 3 કરોડથી વધુની માતબર રકમની આર્થિક નુકસાની પહોંચાડી આરોપીઓએ અંગત આર્થિક લાભ મેળવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાઆ ઘટના બાદ વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા દ્વારા આ મામલે B.N.S. ની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ 66 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:12 pm

રખડતી બે ગાય છોડાવવા આવેલા પશુપાલક સામે ફરિયાદ નોંધાઈ:નવાપુરા એસએસસીની ઓફિસ નજીક પાલિકાની કાર્યવાહી

વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી અને ત્યારબાદ રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયાદ નોંધાવતા નવાપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રખડતા ઢોરના કારણે કેટલીય વાર અકસ્માતો સર્જાયાઉલ્લેખનીય છે કે, ગૌ પાલકો પોતાના રખડતા પશુને નિયત સમયે દોહવા માટે શોધીને લઈ આવતા હોય છે. દોહી લીધા બાદ એઠવાડ ખાવા પોતાની ગાય સહિતના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે. પરિણામે આવા રખડતા ઢોરના કારણે કેટલીય વાર અકસ્માતો સર્જાયા છે. રાહદારીઓને પણ અનેકવાર સિંગડે ચડાવવાના બનાવો પણ નોંધાયેલા છે. રખડતી બે ગાયને પકડી લાલબાગના ઢોર ડબ્બામાં પૂરી દીધી પાલિકાની ઢોર પાર્ટીએ રખડતા ઢોરને પકડવા માટે નવાપુરા, એસએસસીની જુની ઓફિસ પાસેથી પાલિકાની ઢોર પાર્ટીએ રસ્તે રખડતી બે ગાયને પકડી લાલબાગના ઢોર ડબ્બામાં પૂરી દીધી હતી. આ અંગે પશુ માલિક રબારી ભાવેશ હસમુખભાઈ (રહે. રબારીવાસ, ખડેરાવ મંદિર પાછળ, નવાપુરા) આધાર પુરાવા સાથે પોતાની ગાય ઢોર છોડાવવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાઈ પરિણામે પાલિકા તંત્રના કેટલ પોન્ડ સુપરવાઇઝર વિજય પંચાલે રખડતા ઢોરથી કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ બને એવી રીતે છુટા મૂકી દીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેથી નવાપુરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:10 pm

'થાર' પર ચડીને તોડફોડ, CCTV:'તમે ફાયરિંગ કરીને આવ્યા છો' કહીને વાસણામાં ફિલ્મી ઢબે હુમલો, પોલીસે બ્રેઝા કારમાં આવેલા શખસોની શોધખોળ હાથ ધરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક કાર ચાલકને રોકીને તોડફોડ કરી મારામારી કરી હતી.ગ્યાસપુરના વેપારીની થાર ગાડીને આંતરી 3-4 શખ્સોએ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે CCTV અને ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. તમે ફાયરિંગ કરીને આવ્યા હોવાનું કહી હુમલો કર્યો ગ્યાસપુરના રહેતો અને પર્સનો વ્યવસાય કરતા શાહનવાજ મોહમ્મદ યાસીન 23મી જાન્યુઆરીની રાત્રે જમાલપુર સ્થિત પોતાની દુકાન વધાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની માલિકીની થાર ગાડી જ્યારે વાસણા પોલીસ સ્ટેશનની હદમાં પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પાછળથી પૂરઝડપે આવેલી એક બ્રેઝા ગાડી એ તેમને ઓવરટેક કરીને આંતર્યા હતા.બ્રેઝા ગાડીમાંથી 3 થી 4 અજાણ્યા શખ્સો નીચે ઉતરી આવ્યા હતા અને શાહનવાજ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.હુમલાખોરોએ એવો વિચિત્ર આક્ષેપ કર્યો હતો કે, તમે પાછળ કોઈ ફાયરિંગ કરીને આવ્યા છો. ત્રણ શખસોએ થારના કાચમાં લાતો મારીફરિયાદીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ પોતાની પાસેના સાધનો વડે થાર ગાડીના મેઈન ગ્લાસ અને સાઈડ ગ્લાસ પર હુમલો કરી ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. બનાવને પગલે શાહનવાજે રાત્રે અંદાજે પોણા બે વાગ્યાની આસપાસ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.ફરિયાદીના પરિવારના સભ્ય હાલ સેલ્બી હોસ્પિટલ માં સારવાર હેઠળ હોવાથી વિધિવત તપાસ થોડી વિલંબમાં છે.પોલીસે બ્રેઝા ગાડીના નંબર ના આધારે આરોપીઓને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ હુમલો કોઈ જૂની અદાવતને કારણે થયો છે કે માત્ર રસ્તા પરની બોલાચાલી ની ઘટના છે, તે અંગે પોલીસ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:03 pm

ગોહિલની ખાણ રોડ પર ખાડામાંથી 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો:ઘટનાસ્થળની પરિસ્થિતિ શંકાસ્પદ જણાતા હત્યા કે આત્મહત્યાની શક્યતાઓ અંગે ચર્ચા, પોલીસ તપાસ ચાલુ

કોડીનારના ગોહિલની ખાણથી મૂળ દ્વારકા તરફ જતા રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે JCBની મદદથી પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકની ઓળખ સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના 55 વર્ષીય લખમણભાઈ ખીમાભાઈ ચાવડા તરીકે થઈ છે. જાણવા મળ્યા મુજબ, તેઓ ધામળેજ ગામે એકલા રહેતા હતા, જેથી તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, રાત્રિના સમયે અકસ્માતે પુલ પરથી સરકીને પાણી ભરેલા ખાડામાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતા છે. જોકે, ઘટનાસ્થળની પરિસ્થિતિ શંકાસ્પદ જણાતા હત્યા કે આત્મહત્યાની શક્યતાઓ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં કોડીનાર પોલીસ દ્વારા આ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:01 pm

કંવલ રેખી IITGN માં આપશે ગુરુમંત્ર:26 જાન્યુઆરીએ ટેકનોલોજી લીડર સાથે વિદ્યાર્થીઓનો વિશેષ ‘થિંકિંગ બિગ’ સંવાદ

IIT ગાંધીનગર (IITGN) દ્વારા 26 જાન્યુઆરી, 2026ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વવિખ્યાત ઉદ્યોગસાહસિક અને ટેકનોલોજી લીડર કંવલ રેખી વિદ્યાર્થીઓ સાથે ‘થિંકિંગ બિગ, બિલ્ડિંગ બોલ્ડ’ વિષય પર પોતાના જીવનના અનુભવો શેર કરશે. આ સત્ર ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વના ગુણો વિકસાવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક સમાન છે. આ સત્રમાં શ્રી રેખી તેમના દાયકાઓના બહોળા અનુભવમાંથી મેળવેલા મહત્વના બોધપાઠ વિશે વાત કરશે. વિદ્યાર્થીઓને નેતૃત્વ શૈલી, મજબૂત નિર્ણય લેવાની ક્ષમતા અને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની કળા (resilience) વિશે સીધું માર્ગદર્શન મળશે. ખાસ કરીને, નૈતિક ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક જીવનની અનિશ્ચિતતાઓને કેવી રીતે સફળતામાં ફેરવવી, તે અંગે તેઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. ટેકનોલોજી જગતના આ દિગ્ગજ નેતા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવાની વ્યૂહરચનાઓ પણ સમજાવશે. ભારતની વૈશ્વિક ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં તેમનું પ્રદાન અતુલ્ય છે, ત્યારે વિદ્યાર્થીઓને તેમના વ્યવહારુ દ્રષ્ટિકોણથી ભવિષ્યના ટેકનોલોજી સાહસો માટે નવી દ્રષ્ટિ મળશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:59 pm

પોલીસે 'Z' આકારે બેરિકેટિંગ કરી નાકાબંધી કરી:બાલાપીર સર્કલ પાસે ભવાની ટ્રાવેલ્સમાં આવેલો દારૂનો જથ્થો કલોલ પહોચાડે તે પહેલાં જ પોલીસે ખેલ પાડ્યો

ગાંધીનગર અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે બાલાપીર સર્કલ પાસે લક્ઝરી ટ્રાવેલ્સમાંથી ઉતારેલો દારૂનો જથ્થો રિક્ષામાં કલોલ પહોંચાડે તે પહેલા જ હાઈવે રોડ પર 'Z' આકારે બેરિકેટિંગ કરી અમદાવાદના બે ઈસમને દારૂ બિયરના જથ્થો મળીને કુલ 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 'Z' આકારે બેરિકેટિંગ કરી નાકાબંધી કરીગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગરની અડાલજ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને સીએનજી રિક્ષામાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એલ. ડી.ઓડેદરાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (નં. GJ-27-Y-7097)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કલોલ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે અડાલજ-મહેસાણા પીકઅપ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પર 'Z' આકારે બેરિકેટિંગ કરી નાકાબંધી કરી હતી. પીળા કલરના પ્લાસ્ટિકના કવરથી વીંટાળેલી પેટીઓ મળી આવીત્યારે રાત્રિના સમયે શંકાસ્પદ રિક્ષા આવતા જ પોલીસે તેને ટોર્ચના ઈશારે રોકી હતી. બાદમાં રિક્ષાની પાછળની સીટ પર તપાસ કરતા પીળા કલરના પ્લાસ્ટિકના કવરથી વીંટાળેલી પેટીઓ મળી આવી હતી. જે ખોલીને જોતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રિક્ષાચાલક અજય સોમાભાઇ પટણ અને તેની સાથે બેઠેલા અલ્કેશ જયંતીભાઈ પટણી (બંને રહે. કઠવાડા, અમદાવાદ)ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતીા. જથ્થો ભવાની નામની ટ્રાવેલ્સમાંથી ઉતાર્યો હતોપૂછપરછમાં સામે આવ્યું કે, આ દારૂનો જથ્થો અડાલજ બાલાપીર સર્કલ પાસે ભવાની નામની ટ્રાવેલ્સમાંથી ઉતાર્યો હતો. જે અમદાવાદના વોન્ટેડ બુટલેગર કેતનના કહેવાથી તેઓ કલોલ તરફ સપ્લાય કરવા જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી 61 હજાર 560નો દારૂનો જથ્થો, રિક્ષા, મોબાઇલ મળીને કુલ રૂ.1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:56 pm

TRP અગ્નિકાંડ બાદ પણ કોર્પોરેશન અધિકારીઓ સુધર્યા નહીં:ચાંદખેડામાં આગમાં ખાખ ઈ-કોમર્સ કંપનીના ગોડાઉનની BU પરમિશન નહોતી, સીલ તોડી વપરાશ ચાલુ છતાં AMCની કાર્યવાહી નહીં

રાજ્યના સૌથી ચકચારી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે મોટા શેડ બનાવી દેવામાં આવે છે. જેની કોઇપણ પ્રકારની વપરાશ પરવાનગી વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શહેરના ચાંદખેડા TP-44 વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિરની સામે ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કંપનીના માલસામાનના ગોડાઉનમાં 23 જાન્યુઆરી શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. ઇ-કોમર્સ કંપનીના માલસામાનનું ગોડાઉન ગેરકાયદેસર રીતે બીયુ પરવાનગી વિના વપરાશ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી રદ કરી સીલ માર્યું હોવા છતાં પણ તેનો વપરાશ કરવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ ત્રણ કંપનીઓના વેરહાઉસ એક જ પ્લોટના ગોડાઉનમાં ત્રણ ભાગમાં આવેલા હતા. 23 જાન્યુઆરી શુક્રવારે વહેલી સવારે ગોડાઉનમાં આગ લાગીરાજ્યમાં ગેમ ઝોન જેવા અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નિયમ મુજબના બાંધકામ અને ફાયર NOC લઈને અનેક જગ્યાએ તપાસ કરી કાયદેસરના નિયમ મુજબ બાંધકામ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા હોવા અંગે કડક આદેશ આપ્યા હતા. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિયમ મુજબના કાયદેસર બાંધકામને લઈને ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ચાંદખેડા વિસ્તારમાં TP 44માં ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જે માલસામાનના ગોડાઉનની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાશ પરવાનગી (બીયુ) આપવામાં આવી નથી. જેને સીલ પણ મારવામાં આવ્યું હતું. AMCએ સીલ માર્યા બાદ પણ ગોડાઉનનો વપરાશ કરાતો હતોઇ-કોમર્સ કંપનીના ગોડાઉનના માલિક દ્વારા જૂન 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અરજી કરવામાં આવી હતી. 11 ઓગસ્ટ 2025ના રોજ કોર્પોરેશન દ્વારા તેમની અરજી ના મંજૂર કરી દેવામાં આવી હતી. બીયુની અરજી ના મંજૂર કર્યા બાદ વપરાશ બંધ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા 14 ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ નોટિસ આપ્યા બાદ પણ વપરાશ બંધ કરવા 19 ઓગસ્ટના રોજ આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સીલ માર્યા બાદ પણ આ ગોડાઉનનો વપરાશ માલિક દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો હતો. એસ્ટેટ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયાચાંદખેડામાં આવેલું ફ્લિપકાર્ટનું ઇ-કોમર્સ કંપનીનું ગોડાઉન પાંચ મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. સરકારી સીલ માર્યું હોવા છતાં પણ કેવી રીતે ગોડાઉનનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો સીલ માર્યું હતું તો ત્યાં ફરીથી વપરાશ શરૂ થયો છે કે કેમ તે અંગે કેમ કોઈ તપાસ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી નહીં. જો સીલ તોડવામાં આવ્યું હતું તો તેમ સીલ તોડનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ સુધર્યા નહીંશેડ પ્રકારના ગોડાઉનમાં શુક્રવારે ગંભીર આગની ઘટના બની હતી. જોકે સદનસીબે વહેલી સવારે આગ લાગી હતી અને કોઈપણ ત્યારે હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી પરંતુ દિવસ દરમિયાન કામગીરી ચાલી રહી હોય અને ત્યારે જો આ આગ લાગવાની ઘટના બની હોત અને કોઈ જાનહાની થઈ હોત તો એને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ હજી અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રીતે બનતા અને ઉપયોગ થતી મિલકતો સામે કાર્યવાહી કરતા નથી, ત્યારે આવા અધિકારીઓની તપાસ કરવામાં આવે તો અનેક બાબતો સામે આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:55 pm

પોરબંદરમાં વિશાલ ગેડીયાએ 19 લોકો સાથે છેતરપિંડી કરી:દાગીના ગીરવે મૂકી ₹1.35 કરોડ હડપ્યા, પોલીસની અપીલ

પોરબંદરમાં વિશાલ ગેડીયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. તેણે 19 લોકોના સોના-ચાંદીના દાગીના ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી આશરે ₹1.35 કરોડ હડપ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. કીર્તિ મંદિર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, વિશાલ ગેડીયા લોકો પાસેથી સોનાના દાગીના મેળવીને તેને અલગ-અલગ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકતો હતો. નિયમ અનુસાર, લોનની રકમ દાગીનાના માલિકને મળવી જોઈતી હતી, પરંતુ આરોપીએ ચાલાકીપૂર્વક આ રકમ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. અત્યાર સુધીમાં 19 ભોગ બનનાર વ્યક્તિઓ સામે આવ્યા છે જેમની સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ છે. પોલીસને આશંકા છે કે આ કૌભાંડનો ભોગ બનેલા અન્ય ઘણા લોકો પણ હોઈ શકે છે. પોલીસ અધિકારીએ એક અખબારી યાદીમાં જાહેર અપીલ કરી છે. જો કોઈ અન્ય વ્યક્તિએ પણ વિશાલ ગેડીયા પાસે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હોય અથવા તેની સાથે કોઈ આર્થિક વ્યવહાર કર્યો હોય અને તેમાં છેતરપિંડી થઈ હોય, તો તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. છેલ્લા છ મહિનામાં વિશાલ ગેડીયાએ અનેક લોકોને નિશાન બનાવ્યા છે. જેમાં ખાંભોદર વાડી વિસ્તારના આતિયા મસરી ગોઢાણીયાના ₹8 લાખ રોકડા, કોલીખડાના જીગર ઉમેશ પંડયાનું ₹67,344નું સોનું, લીમડાચોકના વૈશાલીબેન વિશાલભાઈ ઓડેદરાનું ₹13.40 લાખનું સોનું, બોખીરાના દેવશી દુલા ગોરાણીયાનું ₹4.60 લાખનું સોનું, પાવની સીમના વીજુબેન રાણાજી ઓડેદરાનું ₹5.83 લાખનું સોનું, ભડ ગામના રમેશ ગીગા મોઢવાડીયાનું ₹3.73 લાખનું સોનું, કલ્યાણપુરના કિશન લક્ષ્મણ ચેતરીયાનું ₹13.97 લાખનું સોનું અને ₹1 લાખ રોકડા, તેમજ નરસંગ ટેકરીના ઋષિરાજસિંહ જગદીશસિંહ જાડેજાના ₹3 લાખ રોકડાનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓએ દાગીના બનાવવા કે ખરીદવા માટે રોકડ અને ઘરેણાં આપ્યા હતા, જેનો કુલ આંકડો ₹1.35 કરોડથી વધુ થાય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:53 pm

ગોધરામાં 525 યુવાનોને નિઃશુલ્ક તાલીમ અપાઈ:365ને રોજગારી મળી, પીપલ ટ્રી ફાઉન્ડેશનનો યુવકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

પીપલ ટ્રી ફાઉન્ડેશન દ્વારા ગોધરામાં સંચાલિત CSR તાલીમ યોજના હેઠળ 525 યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ પૂર્ણ કરનાર 365 યુવાનોને સફળતાપૂર્વક રોજગારી મળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને મફત શિક્ષણ અને નિશ્ચિત રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો છે. પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જેવા અંતરિયાળ અને પછાત વિસ્તારોના યુવાનોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. સંસ્થા દ્વારા વર્ષ 2024 થી 2026 દરમિયાન કુલ 525 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (આરોગ્ય સંભાળ) અને મલ્ટી સ્કિલ ટેકનિશિયન જેવા રોજગારલક્ષી કોર્સ સંપૂર્ણપણે વિનામૂલ્યે શીખવવામાં આવે છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ તાલીમ કેન્દ્ર ગોધરામાં બામરોલી રોડ પર, ચંદન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા શિવ શક્તિ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:50 pm

રિક્ષામાં ચોરોએ થેલો કાપી પાકીટની ઉઠાંતરી કરી:મહેસાણામાં મુસાફરી દરમિયાન વૃદ્ધાના થેલામાંથી 2 લાખથી વધુના દાગીના અને રોકડની ચોરી

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા એક પરિવારની વૃદ્ધા સાથે મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની છે. વતન કંબોઈ ખાતે ધાર્મિક પ્રસંગમાં જવા નીકળેલા મધુબેન જોષીના થેલાને કોઈ અજાણ્યા શખ્સે કાપી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલું પાકીટ સેરવી લીધું હતું. આ મામલે તેમના પુત્ર અનંતકુમાર જોષીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધએ ઘરે જઈને તપાસ કરતા ચોરીની જાણ થઈઘટનાની વિગતો મુજબ, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે મધુબેન પોતાના ઘરેથી કપડાં અને દાગીના ભરેલો થેલો લઈ વતનમાં જવા નીકળ્યા હતા. તેઓ મોઢેરા ચોકડીથી રિક્ષામાં બેસી રાધનપુર ચોકડી પહોંચ્યા હતા અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા ચાણસ્મા થઈ કંબોઈ ગયા હતા. વતનમાં ઘરે પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમના થેલા પર કાપો મારેલો હતો અને અંદર રાખેલું કિંમતી પાકીટ ગાયબ હતું. દાગીના સહિતની ચોરી થતાં ફરિયાદ નોંધાવીપાકીટમાં આશરે દોઢ તોલા સોનાની બે બંગડીઓ અને એક કંઠી કિંમત 1,80,000, 200 ગ્રામ ચાંદીની સેરો કિંમત 40,000 તથા 1000 રૂપિયાની રોકડ રકમ હતી. આમ કુલ 2,21,000ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં પ્રસંગ હોવાથી અને પોલીસમાં રહેલા સંબંધીઓ દ્વારા તપાસ ચાલુ હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. અંતે કોઈ ભાળ ન મળતા અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:47 pm

સમાધાન કરવા ભેગા થયેલા પરિવારો વચ્ચે જામી પડી, VIDEO:પતિ-પત્નીના ઝઘડામાં પિયરિયા અને સાસરિયા વચ્ચે લાકડીઓ ઉડી, સુરતમાં જાહેર રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયા

સુરતના ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં આજે (24 જાન્યુઆરી) રસ્તા પર ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા, જ્યાં એક દંપતી વચ્ચેના પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્ની વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા, જેને ઉકેલવા માટે બંને પક્ષના સગા-સંબંધીઓ અને પરિચિતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. શરૂઆતમાં વાતચીત દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચા દરમિયાન ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં આ દલીલોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના લોકો એકબીજા પર દંડા લઈને તૂટી પડ્યા હતા. મારામારી શરૂ થતાં તંગદિલી ફેલાઈઘટના એટલી ગંભીર હતી કે, રસ્તા પરથી પસાર થતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. વિવાદ વધતા બંને પક્ષના લોકોએ જે હાથમાં આવ્યું તેનાથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ હેલ્મેટથી સામેના પક્ષને ફટકારી રહ્યો હતો, તો કોઈ લાતો અને મુક્કા વડે પ્રહાર કરી રહ્યું હતું. આ હિંસામાં લાકડીઓ અને હેલ્મેટનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાહેર માર્ગ પર ચાલી રહેલી આ મારામારીના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. લોકો આ દૃશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યોઆ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળતા જ ઉત્રાણ પોલીસનો મોટો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના આવવાથી મચાવેલી ધમાલ શાંત પડી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મારામારીમાં સામેલ બંને પક્ષના તમામ લોકોને કોર્ડન કરીને અટકાયતમાં લીધા હતા. સ્થળ પર વેરવિખેર પડેલા હેલ્મેટ અને લાકડીઓ પોલીસે કબ્જે કર્યા હતા અને તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જેથી મામલો વધુ ન વણસે. તમામ લોકો સામે અટકાયતી પગલા લીધાઃ SPઉત્રાણ પોલીસ મથકના પીઆઈ દિગ્વિજયસિંહ બારડે આ ઘટના અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દંપતી વચ્ચેના અંદરોઅંદરના વિવાદના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા. પરંતુ આ દરમિયાન વાતચીત વણસી ગઈ હતી અને એક પક્ષના લોકોએ ગુસ્સામાં આવી જઈ હુમલો કરતા મામલો બિચક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસે હાલ તમામ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:36 pm

'એક બે વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઈ શકે':બગદાણા કેસના પીડિત બાલધિયાના હુંકાર સામે બાવળિયાનું નિવેદન, ક્યાં એજન્ડાથી કોળી સમાજનું સંમેલન બોલાવ્યું તે સ્પષ્ટ નથી

ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલા કેસમાં સરકારે SITની રચના કર્યા બાદ જયરાજ આહીરની પણ પુછપરછ કરવામાં આવ્યા બાદ આ વિવાદ શાંત થવા બદલે ઉગ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવી છે. ‘આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં’જો કે આ આંદોલન અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક બે વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઈ શકે, ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન ક્યાં હેતુંથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટતા નથી, હક્ક અને અધિકાર માટે બોલાવવામાં આવે પણ તેનો હેતુ શું તે જાહેર હોવું જોઈએ, આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં. બગદાણા કેસમાં SIT તપાસ કરે છે હજુ તપાસ શરૂ છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહિ આવે તેવી સાંત્વના આપી છે માટે તપાસ પૂર્ણ થાય પછી ચર્ચા કરવી જોઈએ. હાલ હજુ આ તપાસ પણ ચાલુ છે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કોઇ સંમેલનનું આયોજન ન થવું જોઈએ. ‘આ કેસની હજુ તપાસ પૂર્ણ થઈ નથી માટે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં’કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, બગદાણા ખાતે કોળી સમાજના યુવાનને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી છે અને આ તપાસ હજુ પણ ચાલુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ તપાસમાં જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ કેસની હજુ તપાસ પૂર્ણ થઈ નથી માટે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં. તપાસ દરમિયાન જે કોઈ લોકોના વધુ નામ આપવામાં આવ્યા છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે માટે તપાસના અંતે આગળની જે કંઈ પણ રજૂઆત હશે તે સરકારના ધ્યાને મૂકવામાં આવશે. ‘હું કદાચ પોતે પણ એકલો જાહેરાત કરું તો પણ સમાજ ન આવે’બાવળીયાએ વધુમાં કહ્યું કે, આ કેસમાં પણ આગામી દિવસોમાં જરૂર જણાય તો સંમેલન પણ કરવામાં આવશે પરંતુ હાલમાં મુખ્યમંત્રીએ આપેલા ભરોસાને માન્ય ગણાય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ સંમેલનની જાહેરાત માન્ય ગણવી જોઈએ નહીં. ‘જે સંમેલન મળવાનું છે તેની જાણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને પણ નથી’સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બગદાણાના કેસમાં મુખ્યમંત્રીએ SIT રચનાની જાહેરાત કરી છે અને SIT આ મુદ્દે તપાસ પણ કરી રહી છે. હજુ તપાસ પૂર્ણ થઈ નથી, માટે આ અંગે કોઈ પણ પ્રકારે નિવેદન કરવું જોઈએ નહીં. કોઈ એક કે બે વ્યક્તિની વ્યક્તિગત જાહેરાતથી સમાજ એકત્રિત થાય તે જરૂરી નથી ભાવનગર ખાતે જે સંમેલન મળવાનું છે તેની જાણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને પણ નથી. ‘સંમેલનની જાણ કે એજન્ડા હજુ સુધી કોઈપણ સંગઠન સુધી પહોંચ્યો નથી’ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ભાવનગરના સંમેલનની જાણ કે એજન્ડા હજુ સુધી કોઈપણ સંગઠન સુધી પહોંચ્યો નથી માટે આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાની કોઈ વાત હાલના તબક્કે નથી. જો યોગ્ય રજૂઆત થશે દરેક સમાજ સંગઠન એક થઈ નક્કી કરશે તો સંમેલનમાં જોડાશે, વ્યક્તિગત જાહેરાતથી સમાજ સંમેલનમાં આવે તે જરૂરી નથી. ‘સમાજને કોઈ રોકી ન શકે સમાજ તેના હક અને અધિકાર માટે લડી શકે છે’ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, બગદાણામાં જે ચાલી રહ્યું છે તેને લઈ પાર્ટીના તમામ ધારાસભ્યોએ અને લોકોએ રજૂઆત સરકારને કરી છે. સરકારે SITની રચના કરી છે. 'ત્યાંના આયોજક દ્વારા મને આમંત્રણ પાઠવવામાં આવશે તો હું ચોક્કસથી સંમેલનમાં જઈશ'વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, SITનો રિપોર્ટ હજુ આવ્યો નથી એટલે એ વિષય પર આપણે કાંઈ કહી શકાય નહીં. SITનો રિપોર્ટ આવ્યા પછી કહી શકાય. સમાજનું જે આયોજન છે અને ત્યાંના આયોજક દ્વારા મને આમંત્રણ પાઠવવામાં આવશે તો હું ચોક્કસથી સંમેલનમાં જઈશ. SITનો રિપોર્ટ આવ્યા વગર તેના પર કોઈ વાત કરવી મને યોગ્ય લાગતી નથી. અમારા કોળી સમાજમાં ધીમે ધીમે એકતા થાય છે. ધીમે ધીમે સમાજમાં એજ્યુકેશન વધતું જાય છે. શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે. કોળી સમાજમાં ઓછી ટિકિટો આપવામાં આવતી હવે બધી જ પાર્ટીમાં ટિકિટો કોળી સમાજને વધુ પ્રમાણમાં આપવામાં આવી રહી છે. 2027ની ચૂંટણીમાં પ્રયત્નો કરશું કે વધારે કોળી સમાજમાં ટીકીટો મળે જેથી કોઈની તાકાત નથી કે કોળી સમાજના મુખ્યમંત્રી બનતા અટકાવી શકે. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન:નવનીત બાલધિયાએ સમાજને જોડાવા હાંકલ કરીબગદાણા ધામના ચકચારી હુમલાની ઘટના શાંત પડવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહી છે. ભોગબનનાર નવનીત બાલધિયાના સમર્થનમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર શહેરના અક્ષરપાર્ક કુંભરવાડા ખાતે મળવા જઇ રહ્યું છે. નવનીત બાલધીયાએ સમાજના તમામ આગેવાનો-લોકોને જોડાવા વીડિયો મારફતે હાંકલ કરી છે. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે. નવનીત બાલધિયાએ કહ્યું હતું- ‘હુમલામાં જયરાજનો હાથ’નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યાં છે. 17 જાન્યુઆરીએ બે પોલીસ ઈન્સ્પેક્ટરના નિવેદન લેવાયાં બાદ 19 જાન્યુઆરીને સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે, સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું. (સંપૂર્ણ સમાચાર વાંચો) મને જ્યારે બોલાવવામાં આવશે, ત્યારે હું જવાબ આપવા હાજર રહીશઃ જયરાજતો બીજી તરફ માયાભાઈના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા 21 જાન્યુઆરીએ SIT સમક્ષ હાજર થયો હતો. SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે, ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 13 થયોબગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:35 pm

હિંમતનગરમાં માર્ગ સલામતી મેરેથોન દોડનું આયોજન:2000થી વધુ સ્પર્ધકો જોડાશે, 6 કિમીમાં 4 સ્ટોલ ઉભા કરાશે

સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર ખાતે 25 જાન્યુઆરીના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને દોડવીરો સહિત 2000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. 6 કિલોમીટરની આ મેરેથોન દરમિયાન ચાર સ્ટોલ ઉભા કરવામાં આવશે. સાબરકાંઠા ટ્રાફિક વિભાગના PSI એ.વી. જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેરેથોન દોડનો પ્રારંભ 25 જાન્યુઆરીના રોજ સવારે 6 કલાકે હિંમતનગર સ્થિત એસપી ઓફિસ સામેના સાયબર પોલીસ સ્ટેશનથી થશે. જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ આ દોડમાં જોડાશે. આ 6 કિલોમીટરની મેરેથોન દોડ પોસ્ટ ઓફિસ, ટાવર સર્કલ, મહાવીરનગર સર્કલ, છાપરિયા ચાર રસ્તા, મોતીપુરા કેનાલથી બસસ્ટેન્ડ થઈને હેડ ક્વાર્ટર પરત પહોંચી પૂર્ણ થશે. દોડના માર્ગ પર ચાર સ્થળોએ સ્ટોલ ઉભા કરાશે. આ સ્ટોલ પોસ્ટ ઓફિસ, મહાવીરનગર, ખેડ તાસિયા રોડ પરના પેટ્રોલ પંપ અને ઉમાશંકર રેલવે ઓવરબ્રિજના છેડે પ્લુટો હોસ્પિટલ પાસે હશે. આ સ્ટોલ પર મેડિકલ સુવિધા, પાણી, એનર્જી ડ્રિંક્સ અને સાઉન્ડ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે, જેમાં પોલીસ જવાનો પણ સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:31 pm

ગોધરાના વાવડી રેલવે સ્ટેશન નજીક અંડરપાસની કામગીરી શરૂ:'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ રેલવે દ્વારા કામગીરી

ગોધરા તાલુકાના વાવડી રેલવે સ્ટેશન નજીક LC 64 અંડરપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ગોધરા-આણંદ રૂટ પર હાથ ધરવામાં આવી રહી છે. રેલવે દ્વારા 'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે ફાટક પર થતા અકસ્માતો ઘટાડવાનો અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો છે. અંડરપાસના નિર્માણ કાર્યને કારણે હાલમાં રેલવે ફાટક પરની અવરજવર બંધ કરવામાં આવી છે. જેના કારણે વાવડી અને તેની આસપાસના ગામોના વાહનચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલી પડી શકે છે. આ કામગીરીને કારણે કઠોડિયા, મહેલોલ, રાયસિંગપુરા, છોગાળા, પતંગડી, વાવડી રેલવે સ્ટેશન નવી વસાહત સહિતના ગામના લોકોને હાલ 5 થી 7 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડી રહ્યું છે. એકવાર અંડરપાસ તૈયાર થઈ ગયા પછી, ટ્રેનને કારણે વારંવાર ઊભા રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને અકસ્માતનો ભય પણ ઘટશે. સ્થાનિકો દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:23 pm

વસ્તી ગણતરીમાં 1.20 લાખ શિક્ષકો જોડાશે:કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર સમક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજૂઆત

વસ્તી ગણતરીની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે સંઘ દ્વારા વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતની આ મહત્ત્વની કામગીરીમાં સંઘ સાથે જોડાયેલા અંદાજે 1 લાખ 20 હજાર શિક્ષકો જોડાશે. શિક્ષકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા સૂચનાપરેશ પટેલે જણાવ્યું કે, વસ્તી ગણતરી તેમજ SIR જેવી કામગીરી દરમ્યાન શિક્ષકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સંઘે સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી છે. કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે અને તેના ઉકેલ માટે સૂચનો આપવામાં આવ્યા છે. અન્ય 26 કેડરના કર્મીીઓને પણ વસ્તી ગણતરીની જોડવા રજૂઆતમહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન ધરપકડ, વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. ઉપરાંત, કામગીરી સરળ બને તે માટે દરેક ટીમને એક સહાયક આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારના અન્ય 26 કેડરના કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું મહાસંઘે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:22 pm

ગોધરાના ટુવા ગામનું તળાવ ગંદકીમાં ગરકાવ:જાળવણીના અભાવે વિદ્યાર્થીઓ માટે જોખમ વધ્યું, તળાવની ફરતે પ્રોટેક્શન વોલ કે ફેન્સિંગ કરવા માગ

સરકાર દ્વારા 'અમૃત સરોવર' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ગોધરા તાલુકાના ટુવા ગામમાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. તંત્રની ઉદાસીનતાના કારણે ગામનું મુખ્ય તળાવ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે, જે હવે સ્થાનિક રહીશો અને શાળાના બાળકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. સફાઈના અભાવે દુર્ગંધનું સામ્રાજ્યલાંબા સમયથી જાળવણીના અભાવે તળાવમાં જંગલી વનસ્પતિ અને ગંદા પાણીનો ભરાવો થયો છે. આ સ્થગિત પાણીને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષથી તળાવની સફાઈ અને બ્યુટીફિકેશન માટે વારંવાર દરખાસ્તો કરવામાં આવી છે, તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો માટે ‘મોતનો કૂવો’આ તળાવની ચિંતાજનક બાબત એ છે કે તેની બિલકુલ નજીક જ ગામની પ્રાથમિક શાળા આવેલી છે. તળાવની ફરતે પ્રોટેક્શન વોલ કે ફેન્સિંગ જેવી કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સુરક્ષાનો અભાવ: તળાવ ખુલ્લું હોવાથી શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય રહે છે. વાલીઓમાં ફાળ: રિસેસ દરમિયાન બાળકો રમતા-રમતા તળાવમાં ખાબકે તેવી શક્યતાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. તંત્રની અનિચ્છા સામે સવાલએક તરફ રાજ્ય સરકાર જળાશયોના ઊંડા સફાઈ અને સૌંદર્યીકરણના દાવા કરે છે, ત્યારે ટુવા ગામના આ તળાવની હાલત તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને તળાવની ફરતે સંરક્ષણ દીવાલ બનાવી સત્વરે સફાઈ કામગીરી હાથ ધરે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:20 pm

કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ખતરો:ગંભીર કિસ્સાઓમાં જીવલેણ મગજનો ચેપ થવાની પણ શક્યતા; અસરગ્રસ્ત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

કોરોના મહામારી બાદ હવે દેશમાં એક વધુ જીવલેણ વાયરસે ચિંતા વધારી છે. ભારતના વિવિધ રાજ્યોમાં નિપાહ વાયરસના કેસો સામે આવી રહ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના કેસ નોંધાતા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સંક્રમણને ફેલાતું અટકાવવા પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ચામાચીડિયાંમાંથી નિપાહ વાયરસ ફેલાઈ છેનિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. ખાસ કરીને ચામાચીડિયાંને તેનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. નિપાહ વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો સામાન્ય રીતે 4થી 14 દિવસમાં દેખાય છે. શરૂઆતમાં દર્દીને તાવ અને માથાનો દુખાવો થાય છે. ત્યારબાદ ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં મગજનો ચેપ એટલે કે એન્સેફેલાઇટિસ થવાની પણ શક્યતા રહે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ સાવચેત રહેવા જણાવ્યું આ તરફ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ નિપાહ વાયરસ અંગે ચેતવણી આપી છે અને દેશોને સાવચેત રહેવા જણાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ નિપાહ વાયરસના 5થી વધુ કેસો સામે આવ્યા છે, જેના પગલે 100થી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. WHO અનુસાર નિપાહ વાયરસ અત્યંત ગંભીર અને ઘાતક છે, તેથી સમયસર ઓળખ અને સારવાર અત્યંત જરૂરી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને લક્ષણો જણાય તો તરત ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:19 pm

બહેનની સામે બનેવીની હત્યા કરનાર સાળા સહિત બે ઝડપાયા:3 દિવસના રિમાન્ડ મંજૂર, પ્રેમલગ્ન મામલે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હતી

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે યુવાનની હત્યા કરનાર સાળા સહિત બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની મદદથી જામકંડોરણા પાસેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને જામનગર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ છે. આ ઘટના ગઈકાલે સવારે બની હતી, જેમાં જામનગરના વંડાફળી સ્થિત આદિનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 502માં રહેતા 40 વર્ષીય નીલય કુડલીયાની હત્યા કરવામાં આવી હતી. તેમના સાળા મનીષ જેરામભાઈ મોરી અને સોહીલ સલીમભાઈ સોઢાએ છરીના આડેધડ ઘા ઝીંકી નીલયની હત્યા કરી હતી. હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ઘટનાને પગલે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી હતી. DYSP જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ, LCBના PI વી.એમ. લગારીયા અને સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાએ તેમની ટીમો સાથે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે બંને આરોપીઓ હત્યા કર્યા બાદ મોટરસાયકલ પર નાસી છૂટ્યા છે. આથી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ PSI બી.બી. સિંગલનો સંપર્ક કરીને બાઇકની હિલચાલનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. ટેકનિકલ એનાલિસિસમાં બાઇકની હિલચાલ કાલાવડ-વાવડી ચોકડી આસપાસ જોવા મળી હતી. આ માહિતીના આધારે અલગ અલગ ટીમો કાલાવડ તરફ રવાના કરવામાં આવી. વધુ તપાસ અને હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળ્યું કે, આરોપીઓ કાલાવડથી જામકંડોરણા તરફ ભાગી રહ્યા છે. PSI એમ.વી. ભાટીયાની ટીમ અને જામકંડોરણા પોલીસની મદદથી આરોપીઓનો પીછો કરીને તેમને સાતુદડ ગામની સીમમાંથી પકડી પાડવામાં આવ્યા. હત્યાના બંને આરોપીઓને જામનગર લાવ્યા બાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. આજે સિટી એ પોલીસ સ્ટેશનના PI નિકુંજ ચાવડા દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યાના આયોજન અને તેના કારણ અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:02 pm

જયરાજ આહીરને SITનું ત્રણ દિવસમાં ફરી તેડું:નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો, નવા જૂનીના એંધાણ

નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે આજે બપોરે 3 વાગ્યે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો છે. SIT દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક પુછપરછ ચાલી હતીત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયો હતો. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરી હતી. તે સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 13 થયોબગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:02 pm

દાહોદમાં આખલાઓના યુદ્ધમાં એકનું મોત:રેલવે વિભાગે મૃત આખલાને ટ્રેક્ટરથી ઘસડ્યો, વીડિયો વાઈરલ

દાહોદ શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા બી-કેબિન વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. બે આખલાઓ વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં એક આખલાએ જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દુખદ ઘટના બાદ તંત્રની જે સંવેદનહીનતા સામે આવી છે તેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. મૃત પશુના દેહને ટ્રેક્ટર પાછળ બાંધીને જાહેર માર્ગો પર ઘસડવામાં આવતા રેલવે વિભાગ સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. યુદ્ધમાં આખલાનું કરુણ મોતસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બી-કેબિન વિસ્તારમાં લાંબા સમયથી રખડતા ઢોરોનો જમાવડો રહે છે. ગત રોજ બે શક્તિશાળી આખલાઓ એકબીજા સાથે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ લડાઈ દરમિયાન રેલવે વિભાગ દ્વારા કામગીરી અર્થે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ખાડો ઊંડો હોવાથી અને પડવાની ગંભીર ઈજાઓને કારણે આખલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે જેસીબીની મદદથી ભારે જહેમત બાદ મૃત દેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. રેલવે તંત્રની અમાનવીયતા સામે સવાલનગરપાલિકાએ આખલાને બહાર તો કાઢ્યો, પરંતુ ત્યારબાદની કામગીરીમાં રેલવે વિભાગે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. મૃત પશુના દેહનો યોગ્ય નિકાલ કરવાને બદલે, રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા આખલાના પગ દોરડા વડે ટ્રેક્ટર પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. આ મૃતદેહને માનવીય અભિગમ રાખ્યા વગર જાહેર રસ્તાઓ પર નિર્દયતાથી ઘસડીને લઈ જવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા. જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર માગઆ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દાહોદવાસીઓમાં રેલવે તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી જન્મી છે. જીવતા પશુઓનો ત્રાસ તો સહન કરવો જ પડે છે, પરંતુ મૃત્યુ બાદ પશુ સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, રખડતા ઢોરોના મુદ્દે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને પશુ પ્રત્યે ક્રૂરતા દાખવનાર જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 3:01 pm

ગોધરા સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:જુનિયર-સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ અલગ-અલગ વેશભૂષા સાથે કરાટે કરતબ બતાવ્યા

ગોધરામાં આવેલી ડિવાઇન વર્ડ કિન્ડરગાર્ડન સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે 24 જાન્યુઆરી, 2026ના રોજ જુનિયર અને સિનિયર કેજીના નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા સાથે ડાન્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આધારિત વેશભૂષા સાથે ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા હતા. આ ઉપરાંત, જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા કરાટેના કરતબ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યોગેશભાઈ પાટીલ, ડિવાઇન વર્ડ કિન્ડરગાર્ડન સ્કૂલના બ્રધર કિશોર અને સિસ્ટર જોયેશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ યોગેશભાઈ પાટીલ અને બ્રધર કિશોરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કરાટેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાના ભૂલકાઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનિયર અને સિનિયર કેજીના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:59 pm

પાટણ પાલિકાના કર્મીઓ પર હુમલો કરનારા સામે પાસા:ચાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ, તમામને અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા

પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલ.સી.બી. પાટણ દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં રખડતા ઢોર મૂકી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડનારા અને ફરજ બજાવતા નગરપાલિકાના રાજ્યસેવકો પર હુમલો કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને પી.સી.સી. સેલ પાટણ દ્વારા ચાર શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી ચારેય ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલોમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પાસા હેઠળ અટકાયત કરાયેલા શખ્સોમાં રોહિત માતમભાઈ ભરવાડ (રહે. રંગીલા હનુમાન પાછળ, પાટણ) નો સમાવેશ થાય છે, જેની વિરુદ્ધ પાટણ સીટી એ અને બી ડિવિઝનમાં હુમલા અને પાલિકાના કાયદા ભંગના ગુના નોંધાયેલા છે. તેને સુરત મધ્યસ્થ જેલ મોકલાયો છે. બીજા અટકાયતી બચુ જામાભાઈ ભરવાડ (રહે. કનસડા દરવાજા, પાટણ) વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાથી તેને અમરેલી મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે. ત્રીજા શખ્સ યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ (રહે. શાહવાડો, પાટણ) ને દાહોદ મધ્યસ્થ જેલ અને ચોથા શખ્સ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ (રહે. ધાંધલની શેરી, પાટણ) ને વલસાડ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પી.આઈ. એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:44 pm

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં BJPને ઝટકો:ચૈતર વસાવાની હાજરીમાં બે સરપંચો ઝાડુ પકડ્યું, આપના ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ ભાજપને રામરામ કર્યા

ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ (આપ) દાહોદ જિલ્લામાં આક્રમક રણનીતિ અપનાવી ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડવાનું શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન ભાજપની કાર્યશૈલીથી નારાજ 2 ચાલુ સરપંચોએ કેસરીયો છોડી વિધિવત રીતે ‘ઝાડુ’ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૈતર વસાવાની હાજરીમાં પક્ષ પલટોડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આ રાજકીય ફેરબદલ યોજાયો હતો. નિનામા પ્રતાપભાઈ: સરપંચ, કાળીમહુડી ગામ મનોજભાઈ ભાભોર: સરપંચ, લીલવાદેવા ગામ બંને નેતાઓએ ભાજપની નીતિઓ અને સ્થાનિક વિકાસના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પારદર્શક શાસન અને જનસંવાદના અભાવે તેઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. ‘આપ’ની સંગઠનાત્મક રણનીતિ સફળઆ પક્ષ પલટા પાછળ આમ આદમી પાર્ટીનું સુચિત આયોજન હોવાનું મનાય છે. જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ડામોરના નેતૃત્વમાં ગ્રામ્ય સ્તરે ચાલી રહેલા સંપર્ક અભિયાનને કારણે ભાજપના પરંપરાગત મતદારો અને સ્થાનિક નેતાઓમાં ‘આપ’ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનો વધતો પ્રભાવ ભાજપ માટે સીધો પડકાર સાબિત થઈ રહ્યો છે. ભાજપ માટે ચિંતા અને કોંગ્રેસ હાંસિયામાંજિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિમાં અત્યારે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાતી નથી, જેને કારણે મુખ્ય જંગ ભાજપ અને ‘આપ’ વચ્ચે ખેલાઈ રહ્યો છે. ચાલુ સરપંચોનું રાજીનામું એ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ ગ્રામીણ સ્તરે બદલાતા જનમતના સંકેત છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નુકસાનની ભરપાઈ કરવા કેવા પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:40 pm

બનાસકાંઠા પોલીસે સાયકલ રેલી યોજી:રોડ સેફ્ટી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફ્ટી માસ અને 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાયેલી આ રેલીમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ 20 કિલોમીટર સાયકલ ચલાવીને નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવાનો અને સાયકલ ચલાવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસ દરમિયાન રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસે આ સાયકલ રેલીનું આયોજન કર્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માર્ગ પોતાના અને અન્ય માટે વધુ સલામત બને છે. સાયકલ ચલાવીને સ્વસ્થ રહીએ અને માર્ગ સલામતીનું પણ ધ્યાન રાખીએ, એ જ આજનો મુખ્ય સંદેશ છે. રેલી દરમિયાન લોકોને માર્ગ સલામતી, હેલ્મેટ, સીટબેલ્ટ, સ્પીડ લિમિટ અને જવાબદાર ડ્રાઇવિંગના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નાગરિકોએ પણ આ રેલીને ઉત્સાહપૂર્વક આવકારી સહકાર આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:37 pm

જામનગરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો:35 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત, શહેરના માર્ગો સુમસામ, લોકો ઘરમાં રહેવા મજબૂર

જામનગર શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે. આ ઠંડા પવનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાત્રિ દરમિયાન શહેરના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. વહેલી સવારે પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે, અને જે લોકો બહાર નીકળે છે તેઓ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળી રહ્યા છે. સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલાસર ઘરની વાટ પકડી લે છે, જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર સન્નાટો છવાઈ જાય છે. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે, જેના કારણે દરરોજ સવાર ઝાકળભીની હોય છે અને માર્ગો પણ ભીના રહે છે. આ ઝાકળભીના માર્ગો પર વહેલી સવારે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, હવામાન વિભાગ દ્વારા ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી દર્શાવવામાં આવી રહ્યો છે, પરંતુ નગરજનોનો મત છે કે વાસ્તવિક ઠંડી આ આંકડા કરતાં વધુ છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જ્યારે પવનની સરેરાશ ગતિ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:29 pm

શંકરાચાર્યના અપમાન સામે પાટણમાં બ્રહ્મસમાજના ધરણા:પ્રયાગરાજ માઘ મેળામાં પોલીસના કથિત ગેરવર્તનનો વિરોધ

પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણમાં બ્રહ્મસમાજ અને અન્ય સમાજના આગેવાનોએ પ્રતીક ધરણા યોજ્યા હતા. શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પાટણમાં પણ પડ્યા છે. પાટણના જગન્નાથ મંદિર ખાતે બ્રહ્મસમાજની સાથે અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકાર સામે વિરોધ દર્શાવવા પ્રતીક ધરણા પર બેઠા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પવિત્ર ધાર્મિક પ્રસંગે પોલીસે બ્રાહ્મણોની ચોટી ખેંચી અને માર મારીને અપમાનિત કર્યા છે. પાટણ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, માઘ મેળો કુંભ મેળા જેટલું જ મહત્વ ધરાવે છે. આવા પવિત્ર અવસરે કરોડો હિન્દુઓની હાજરીમાં પોલીસ દ્વારા સર્વોચ્ચ ધર્મગુરુ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અસ્વીકાર્ય છે. તેમણે સરકારના મૌન સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના નગરદેવી કાળી મંદિરના પૂજારી અશોક વ્યાસ સહિતના અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. શંકરાચાર્યના સમર્થનમાં પાટણમાં 2 દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના દ્વારા શક્તિ પ્રદર્શન અને વિરોધ નોંધાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:26 pm

અમદાવાદમાં 'આઝાદીનો ઉત્સવ':બોપલમાં ટ્વિસ્ટેડ રૂટ્સ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો જલસો

26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદના બોપલ વિસ્તારમાં દેશભક્તિના રંગે રંગાયેલો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી 'ટ્વિસ્ટેડ રૂટ્સ' (Twisted Roots) ખાતે 25 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યે આઝાદીનો ઉત્સવ અંતર્ગત વિખ્યાત 'એહસાસ બેન્ડ' પોતાની પ્રસ્તુતિ આપશે. સ્ટાર કલાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં 'લાલો' ફિલ્મના અભિનેતા મૌલિક ચૌહાણ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને જનકભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ હાજર રહેશે. આ કાર્યક્રમ રાષ્ટ્રભાવના અને કલાનો અનોખો સંગમ બની રહેશે, જેમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ અપાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:22 pm

પાવરગ્રીડ-જેટકોની હાઈટેન્શન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:કાયદાકીય પ્રક્રિયા વિના કામ શરૂ થયો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો

ભરૂચ જિલ્લાના બંબુસર ગામ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોએ પાવરગ્રીડ અને જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ-ટેન્શન વીજ લાઈનોના કામ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ કામમાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કાયદાકીય પ્રક્રિયાઓને અવગણીને એકતરફી રીતે કામ શરૂ કરવામાં આવ્યું છે, જે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. પાવરગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈ-ટેન્શન લાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ જમીનધારક ખેડૂતોને અગાઉથી કોઈ લેખિત નોટિસ આપવામાં આવી નથી. કોઈપણ સંમતિ કે ચર્ચા વિના સીધું કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, કલેક્ટર કચેરીમાં દાખલ કરાયેલી અરજીઓ કે ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી નથી. આના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, અનેક કિસ્સાઓમાં તેમને સાંભળ્યા વિના જ એકતરફી (Ex-parte) હુકમો પસાર કરવામાં આવ્યા છે. બંબુસર ગામના ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે, કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સુનાવણીની નોટિસ પણ તેમને આપવામાં આવી ન હતી. સુનાવણી અંગે જાણ ન હોવાથી ખેડૂતો પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા, જે ન્યાયપ્રક્રિયાની ગંભીર ખામી દર્શાવે છે. ખેડૂતોએ અન્ય એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે કેટલાક કેસોમાં ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અથવા ગેરમાર્ગે દોરતા અહેવાલ રજૂ કરીને એકતરફી નિર્ણયો લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આવા કેસોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના અધિકારોનું દમન ન થવું જોઈએ. તેમની માંગ છે કે, પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે, ખેડૂતોને પૂરતું સાંભળવામાં આવે અને જમીનના વળતર સહિત તમામ કાયદાકીય હક્કોનું રક્ષણ કરવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમને સાંભળ્યા વિના એકતરફી હુકમો પસાર કરવાનું બંધ નહીં થાય અને ખોટા રિપોર્ટ અંગે તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ માટેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 2:21 pm