SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં ખુલાસો:નેતાઓ અને RSSના લોકો પર હુમલાનું હતું પ્લાનિંગ, દેશમાં કટ્ટર વિચારો વાયરલ કરવા 12-13 વોટ્સએપ ગ્રુપ કર્યા'તા એક્ટિવ

ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોને પૂછપરછ માટે તૈયારી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. જુદા-જુદા ગ્રુપમાં વીડિયો અને મેસેજીસ મોકલ્યા હતાસોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સિરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. ATSની ટીમને સિદ્ધપુરથી MSCનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક ઇરફાન પઠાણને ઝડપી લીધો હતો. તેની સાથે સંકળાયેલા મુંબઈના મુરશીદને પણ ઝડપી લેવાયો છે. કટ્ટર વિચારો વાયરલ કરવા 12-13 વોટ્સએપ ગ્રુપ એક્ટિવબંનેના ફોનમાંથી કટ્ટર વિચારો વાયરલ કરવા માટે બનાવાયેલા 12-13 સભ્યોના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો મળી હતી. મોબાઇલમાંથી આવા ઘણા ગ્રુપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાયરલ કરવામાં આવ્યું હતું, જેની તપાસ ચાલી રહી છે. સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચબંને યુવાનોએ દેશભરમાંથી પોતાના જેવી માનસિકતા ધરાવતા યુવાનોને એકત્રિત કરી મોટી ઘટનાને અંજામ આપવા તથા યુદ્ધ છેડવાની તૈયારી કરી હતી. તેના માટે તેઓ ફંડિંગ અને હથિયાર મેળવવા પ્રયત્નશીલ હતા. હવે તેમણે આ દિશામાં કોઈ કામગીરી કરી હતી કે કેમ તથા હુમલા માટે તેમણે કોઈ લોકેશનની રેકી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ATS ઉપરાંત તમામ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:05 am

ભાજપના સ્ટાર પ્રચારક રૂપાલાએ સુરતના વોર્ડ નં-12માં ગજવી સભા:વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા, 'યુક્રેન યુદ્ધમાં સફેદ નહીં, તિરંગો હોય તો પણ નીકળી શકાતું હતું એવો ઇતિહાસ લખાશે'

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ આજે વોર્ડ નંબર 12માં જાહેરસભાને સંબોધિત કરી હતી. તાપી કિનારે કર્ણની ભૂમિ પરથી રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં 'મિની ભારત' ગણાતા સુરતના વિકાસ અને કેન્દ્ર સરકારની વૈશ્વિક સિદ્ધિઓની વાત કરી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. યુક્રેન યુદ્ધ અને તિરંગાની શાનનો કિસ્સોરૂપાલાએ યુક્રેન-રશિયા યુદ્ધ સમયનો એક હૃદયસ્પર્શી કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા હું એરપોર્ટ ગયો હતો. મેં એક દીકરાને પૂછ્યું કે તમે આ 'બહબહાટી' (યુદ્ધ) વચ્ચેથી બહાર કેવી રીતે નીકળ્યા? ત્યારે તે દીકરાએ ગર્વથી કહ્યું હતું કે અમને સૂચના મળી હતી કે હાથમાં તિરંગો લઈને નીકળજો, તમારી ઉપર ફાયરિંગ નહીં થાય. રૂપાલાએ ઉમેર્યું કે ઇતિહાસમાં અત્યાર સુધી યુદ્ધ અટકાવવા માટે માત્ર 'સફેદ ધ્વજ'નો જ નિયમ હતો, પરંતુ ભારતના તિરંગાએ એ સાબિત કર્યું કે હવે યુદ્ધભૂમિમાં તિરંગો હોય તો પણ સુરક્ષિત નીકળી શકાય છે. રામ મંદિર અને કલમ 370 પર વિપક્ષને આડે હાથ લીધાકોંગ્રેસ અને વિપક્ષ પર પ્રહાર કરતા રૂપાલાએ કહ્યું કે, પહેલા લોકો અમારી ટીકા કરતા કે 'મંદિર વહીં બનાયેંગે, પણ તારીખ નહીં બતાયેંગે'. હવે તારીખ પણ આવી ગઈ અને રામલલા પણ બિરાજી ગયા, પણ કરમની કઠણાઈ જુઓ કે ટીકા કરનારા દર્શન કરવા પણ ન જઈ શક્યા. કલમ 370 અંગે તેમણે કટાક્ષ કર્યો કે કોંગ્રેસીઓ કહેતા હતા કે મોદી 50 વર્ષ રહે તો પણ 370 નહીં હટે, પણ અમિત શાહે એક જ પ્રસ્તાવમાં તેને રદ કરી દીધી. હવે વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવું હોય તો આંટો મારી આવે. મહિલાઓની સુખાકારી: 'ઇજ્જત ઘર' અને નળથી જળગ્રામીણ અને શહેરી સુવિધાઓની વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી શૌચાલયને 'ઇજ્જત ઘર' કહીને માતા-બહેનોનું સન્માન વધાર્યું છે. એક જમાનો હતો જ્યારે બહેનોને કૂવા પર સીંચણ લઈને જવું પડતું, પલળેલા લાકડાથી ધુમાડામાં રસોઈ કરવી પડતી. આજે નળથી જળ અને ગેસ કનેક્શને આ બધી હાડમારી દૂર કરી છે. ‘સુરત હવે મિની સૌરાષ્ટ્ર નહીં, મિની ભારત છે’સુરત સાથેના પોતાના જૂના સંભારણા તાજા કરતા રૂપાલાએ કહ્યું કે, હું 1985થી સુરત આવું છું. પહેલા આને 'મિની સૌરાષ્ટ્ર' કહેતો, પણ હવે સુરત 'મિની ભારત' બની ગયું છે. અહીં આખા દેશના લોકો વસે છે. તેમણે 2006ના પૂરનો ઉલ્લેખ કરી યાદ અપાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 2 વાગ્યે પાયચા ચડાવીને સુરતની ગલીઓમાં સફાઈ અભિયાનનું નિરીક્ષણ કર્યું હતું. ‘મોદીની પીઠ થપથપાવવી હોય તો 26મીએ વહેલા મતદાન કરજો’સભાના અંતે તેમણે મતદારોને એક અનોખી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જો તમે મોદી સાહેબના કામથી ખુશ હોવ અને તેમની પીઠ થપથપાવવા માંગતા હોવ, તો 26મી તારીખે સવારે 8:30 વાગ્યે મતદાન કરી લાઈનોના વીડિયો વાયરલ કરજો. દિલ્હીમાં બેઠેલા મોદીજીને ખબર પડવી જોઈએ કે સુરતે મતદાન શરૂ કરી દીધું છે, એ જ તેમની સાચી પીઠ થપથપાવી કહેવાશે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:05 am

ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ:રાજ્યમંત્રી પરષોતમ સોલંકી દ્વારા આવતીકાલે અગત્યની બેઠકનું આયોજન, સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપને જીતાડવા અપીલ

ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે ઉમેદવારો તેમજ પક્ષના મોટા નેતાઓ દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એવા સમયે કોળી સમાજના કદાવર નેતા તેમજ રાજ્ય મંત્રી પરસોતમ સોલંકી દ્વારા આવતીકાલ સાંજના સમયે તેમનાં નિવાસ સ્થાને વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટણી લડતા ઉમેદવારો, ધારાસભ્યો,જિલ્લા-તાલુકાના સંગઠનોના કાર્યકર્તાઓ સાથે બેસી વિચાર વિમર્શ કરી ચૂંટણી જીતવાની વ્યુ રચના પ્રસ્થાપિત કરવામાં આવશે. ભાજપ તરફેણમાં મતદાન કરી તમામ ઉમેદવારોને મદદ કરોઆ અંગે રાજયમંત્રી પરશોત્તમ સોલંકી એ જણાવ્યું હતું કે, મારા બંગલે બધા આગેવાનોને અને ભાવનગરના તમામ સમાજોના આગેવાનોને મે સાંજના 7 વાગ્યે બધાને બોલાવ્યા છે અને બધાને કહેવાનું છે કે જે વસ્તુઓ બની છે એમાં તમે કોઈ ધ્યાન નહીં દેતા પણ આ જે ઈલેકશન છે એના હિસાબે ભાવનગરની આખી પરિસ્થિતિ ચેન્જ થવાની એટલે આમાં ધ્યાન દેજો અને ખૂબ એવું મતદાન કરજો કે કોઈ એમ ન વિચારી શકે કે આમાં કોઈએ મદદ નથી કરી. અમે બધા તમારી સાથે છીએ અને અમારાથી જેટલું થઇ એટલી મદદ તો કરી જ છે પણ ક્યાંક ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો પણ અમારા બધાની એક લાગણી છે કે, તમે ભાજપ તરફેણમાં મતદાન કરી અને ભાજપને અને એના ઉમેદવારોને તમામ મદદ કરી અને મતદાન કરજો એવી મારા તરફથી તમને બધાને નમ્ર અપીલ છે. બહુમતીથી વિજયી બનાવો એવી અપીલવધુમાં જણાવ્યું હતું કે, મારા તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા ભાજપ તરફણમાં અને નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં બધાને મારી નમ્ર અપીલ કે ભાજપ તરફણમાં મતદાન કરી અને એમને બધાને બહુમતીથી વિજયી બનાવો એવી તમને બધાને મારી નમ્ર અપીલ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 11:04 pm

આચારસંહિતા ભંગ બદલ અત્યાર સુધીમાં 2018 ફરિયાદો નોંધાઈ:જાહેર મિલકતો પર ગેરકાયદે પ્રચાર બદલ તંત્ર દ્વારા 1731 સ્થળોએ હટાવવામાં આવી સામગ્રી

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ શહેરમાં આચારસંહિતાના અમલ દરમિયાન કુલ 2018 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે જાહેર અને ખાનગી મિલકતો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ પ્રચારનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ચૂંટણી પંચે સુરક્ષાના ભાગરૂપે શહેરના 1137 મતદાન મથકોને 'સંવેદનશીલ' જાહેર કર્યા છે, જે પ્રશાસન માટે એક મોટો પડકાર બની રહેશે. આચારસંહિતા ભંગના કેસોમાં ઉછાળોચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમાં આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. નોંધાયેલા કુલ 2018 કેસોમાં સૌથી વધુ 1731 કેસો જાહેર મિલકતોના દુરુપયોગના છે. આંકડાકીય વિગત મુજબ, જાહેર સ્થળો પર 650 પોસ્ટર, 362 બેનર અને 649 અન્ય પ્રકારની ગેરકાયદે પ્રચાર સામગ્રી લગાવવામાં આવી હતી. પ્રશાસને આ તમામ 1731 સ્થળોએથી તાત્કાલિક ધોરણે પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને પૂર્વવત કરી છે. ખાનગી મિલકતો અને વાહનોના દુરુપયોગ પર તંત્રની બાજ નજરમાત્ર જાહેર મિલકતો જ નહીં, પરંતુ ખાનગી મિલકતો પર પણ પરવાનગી વગર પ્રચાર કરવાના 140 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં દીવાલ લેખન, પોસ્ટર અને બેનરોનો સમાવેશ થાય છે. જોકે, ખાનગી મિલકતો પર કાર્યવાહીની ગતિ થોડી ધીમી છે, જ્યાં અત્યાર સુધી માત્ર 40 સ્થળોએથી જ સામગ્રી હટાવવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચારમાં વાહનોના નિયમ વિરુદ્ધ ઉપયોગ બદલ પણ 147 કેસો નોંધવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાહન ચેકિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે. 1100થી વધુ મથકો પર વિશેષ વોચસુરત મનપા ચૂંટણી હેઠળ કુલ 2609 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જે 946 વિવિધ મતદાન સ્થળો પર ફેલાયેલા છે. ચૂંટણી પંચના વિશ્લેષણ મુજબ, આ પૈકીના 1137 મથકોને સંવેદનશીલ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અગાઉના વિવાદો અથવા ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 109 સંવેદનશીલ મથકો હોવાનું સામે આવ્યું છે, જે તંત્ર માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. મતદાન મથકોનું વર્ગીકરણ અને સુરક્ષાનું માળખુંતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ મુજબ, સુરતમાં એક પણ મથક હાલ 'અતિ સંવેદનશીલ' શ્રેણીમાં નથી, જે રાહતના સમાચાર છે. પરંતુ, 156 એવા સ્થળો છે જ્યાં એક જ બિલ્ડિંગમાં 5 કે તેથી વધુ મતદાન મથકો આવેલા છે. આવા સ્થળોએ ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઇક્રો-ઓબ્ઝર્વર્સ અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની સૂચના આપવામાં આવી છે. સુરતના વિવિધ વોર્ડમાં મતદાન મથકોની સંખ્યા અને તેની સંવેદનશીલતા અલગ-અલગ છે. વોર્ડ નંબર 8 માં પણ 60 જેટલા મથકો સંવેદનશીલ છે. પ્રશાસન દ્વારા દરેક વોર્ડ માટે અલગ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે દરરોજ આચારસંહિતાના અમલ અને સુરક્ષા વ્યવસ્થાનો રિપોર્ટ સોંપે છે. ખાસ કરીને લિંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયેલો હોવાથી ત્યાં વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ મોનિટરિંગ અને સી-વિજિલ એપનો ઉપયોગઆ વખતે ચૂંટણીમાં ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધવા માટે 'સી-વિજિલ' (cVIGIL) એપ પર નાગરિકો સક્રિય થયા છે. તંત્રને મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થઈ છે, જેના પર 100 મિનિટની અંદર કાર્યવાહી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર થતા ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક પ્રચાર પર પણ સાયબર ક્રાઈમ ટીમ વોચ રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 11:01 pm

પોલીસબેડામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત:IPS અધિકારીના કમાન્ડોએ બાજુના ખંડેર ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લોકેશન પરથી લાશ બાથરૂમમાંથી મળી

રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે. ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વ્હાલું કરતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP ગ્રુપ-2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર-20ની યુનિવર્સિટી સામેના બનેલા ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંગલા ફાળવણીના અભાવે ખંડેર બની ગયાગાંધીનગરના સેક્ટર-20 ખાતે આવેલી યુનિવર્સિટીની સામે IAS, IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે જે-તે સમયે બંગલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ કારણોસર અમુક બંગલા ફાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયા છે. આજે મૂળ માણસાના હિંમતપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે પરિવાર સાથે રહેતા અજયભાઈ રમેશભાઈ પટેલ ગાંધીનગરના સેક્ટર-20માં આવેલા પોતાના નોકરીના સ્થળની બાજુના એક ખંડેર બંગલામાં પહોંચી ગયા હતા. સવારે ટિફિન લઈને નોકરી પર જવા નીકળ્યા પણ પહોંચ્યા નહીબાદમાં કોઈ અગમ્ય કારણોસર તેમણે ત્યાં દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેઓ એક ઉચ્ચ પોલીસ અધિકારીના ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બંગલે અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ડીજી ઓફિસના ઉચ્ચ અધિકારીએ પરિવારને પૂછ્યું હતું ત્યારે જવાબ મળ્યો હતો કે, અજયભાઈ સવારે ટિફિન લઈને નોકરીએ આવવા નીકળ્યા છે પરંતુ, અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ઉચ્ચ અધિકારીએ તેમનું લોકેશન કઢાવી તપાસના આદેશો આપ્યા હતા. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુંજોકે ટેકનિકલ સોર્સના માધ્યમથી અજયભાઈ પટેલ સેક્ટર 20 ખાતે જ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ કાફલો લોકેશન ટ્રેક કરીને સેક્ટર 20 ખાતે પહોંચ્યો ત્યારે અજયભાઈનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા તેઓ જ્યાં નોકરી હતી એના બાજુના ખંડેર બંધ હાલતના બંગલાના બાથરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અજયભાઈના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પરંતુ કયા માનસિક તણાવ કે કારણોસર તેમણે આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મૃતકનો પરિવાર ઘેરા શોકમાં હોવાથી તેમની વિસ્તૃત પૂછપરછ બાકી છે. ​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પોલીસ જવાનોની આત્મહત્યાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ સચિવાલય સંકુલ જેવા અતિ સુરક્ષિત વિસ્તારમાં ફરજ બજાવતા કમાન્ડોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તે પૂર્વે સેક્ટર-7 પોલીસ મથકના એક જવાને પણ આત્મહત્યા કરી હતી. ટૂંકા ગાળામાં બનેલી આ ત્રીજી ઘટનાએ પોલીસ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં ગાંધીનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પરંતુ, સેકટર-21 પીઆઇ લતાબેન દેસાઈએ દર વખતની માફક ફોન રીસીવ નહીં કરી ભેદી ચુપકીદી સાધી લીધી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:57 pm

દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે છેતરપિંડી:3 સ્ટાર હોટલની લાલચ આપી રોકાણકારોના 1.07 કરોડ ઓળવી ગયા, બિલ્ડર પર પાસા અને ચેક રિટર્નના 35 કેસ

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બિલ્ડરોના નામે ચાલતી છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Eco Cell) એ એક મોટી સફળતા મેળવતા શહેરના જાણીતા બિલ્ડર ભરત ભરવાની ઉર્ફે ભરત સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ દમણ ખાતે લક્ઝુરિયસ હોટલ અને ફ્લેટ બનાવવાનું સપનું બતાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલઆ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, બિલ્ડર ભરત ભરવાની અને તેના સાથીદાર વિજય મહેતાએ મળીને દમણના કથીરીયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 77/1(4) અને 77/1(5) ની અંદાજે 639.72 ચોરસ મીટર જમીન પર 'સ્કાયડેક' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને અન્ય સાક્ષીઓને વિશ્વાસમાં લીધા હતા કે, આ જમીન તેમની સ્વતંત્ર માલિકીની છે અને ત્યાં તેઓ 11 માળનું ભવ્ય હોટલ કોમ્પ્લેક્સ તેમજ 3-સ્ટાર હોટલ અને ફ્લેટ્સ બનાવી રહ્યા છે. આ આકર્ષક સ્કીમમાં રોકાણ કરવાના બહાને તેમણે લોકો પાસેથી કુલ 1,07,62,000/- (એક કરોડ સાત લાખ બાસઠ હજાર) રૂપિયા પડાવી લીધા હતા. અધૂરું બાંધકામ અને અન્યને વેચાણઆરોપીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. રોકાણકારો પાસેથી લાખો રૂપિયા લીધા બાદ આરોપીઓએ સાઈટ પર ફ્લેટનું કામ અધૂરું મૂકી દીધું હતું. જ્યારે ફરિયાદીઓએ તેમના ફ્લેટ અથવા નાણાં પરત માંગ્યા, ત્યારે બિલ્ડરે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, જે ફ્લેટ્સ ફરિયાદીઓને ફાળવવાનું વચન અપાયું હતું, તે જ ફ્લેટ્સ આરોપીએ અન્ય લોકોને વેચાણ દસ્તાવેજથી વેચી દીધા હતા. લોકો પાસેથી મેળવેલી રકમનો ઉપયોગ બિલ્ડરે પોતાના અંગત વપરાશ અને મોજશોખ માટે કરી નાખ્યો હતો, જેનાથી રોકાણકારો રસ્તે રઝળી પડ્યા હતા. સીટીલાઈટનો બિલ્ડર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાંખટોદરા પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલા ગુના બાદ ઇકો સેલ હરકતમાં આવ્યું હતું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી ભરતભાઈ ઉર્ફે ભરત સિંધી મોહનભાઈ ભારવાની (ઉ.વ. 52, રહે. એ/101 મોનાલીઝા પાર્ક, સીટી લાઈટ, સુરત) ને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના દ્વારા આચરવામાં આવેલા અન્ય કૌભાંડોની વિગતો મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 6થી વધુ FIR અને 35 ચેક રિટર્ન કેસભરત સિંધી કોઈ નવો ગુનેગાર નથી, પરંતુ તે રીઢો છેતરપિંડી કરનાર હોવાનું પોલીસ રેકોર્ડ પરથી સાબિત થાય છે. તેની સામે અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બે અને સચિન પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 6 જેટલા છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તેની વિરુદ્ધ કોર્ટમાં 35 જેટલા ચેક રિટર્નના કેસો ચાલી રહ્યા છે. અગાઉ તેની સામે 'પાસા' (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી ન હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:51 pm

ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય થશે:પ્રદીપસિંહ જાડેજાનો વિશ્વાસ, વસ્ત્રાલ પાટીદાર સમાજે મતદાન માટે કર્યું આહ્વાન

વસ્ત્રાલ મા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા ભાજપના ચારેય ઉમેદવારોના ભવ્ય વિજય માટે સમાજ એકત્રિત થયો છે. સમાજે વિશેષ અપીલ કરતાં જણાવ્યું છે કે, 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહે અને મોટી સંખ્યામાં ભાજપ પક્ષના પક્ષમાં મતદાન થાય. વધુમાં તેઓએ કહ્યું કે, આવતીકાલે ઉમરેઠમાં મતદાન યોજાનાર છે અને તેઓ ઉમરેઠના નિરીક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશેતેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે ગુજરાતને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અકાળે અવસાન બાદ, તેમની જગ્યાએ તેમના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમને ભવ્ય બહુમતીથી વિજયી બનાવશે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકાર હેઠળ ઉમરેઠ અને ચરોતર વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળશે એવી આશા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે, ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:44 pm

નવસારીમાં ભાજપ ઉમેદવારે ગાંધીજીના વેશધારી પાસેથી આશીર્વાદ મેળવ્યા:વોર્ડ-9માં પ્રચાર દરમિયાન તુષાર વ્યાસ બન્યા આકર્ષણનું કેન્દ્ર

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા સઘન પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલના પ્રચારમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું. તેમણે મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરનાર એક યુવાન પાસેથી આશીર્વાદ મેળવ્યા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીજીનું રૂપ ધારણ કરનાર આ યુવાન અન્ય કોઈ નહીં પણ સ્થાનિક નિવાસી તુષાર વ્યાસ છે. તુષારભાઈ છેલ્લા ઘણા વર્ષોથી એપ્રિલ મહિનામાં, ખાસ કરીને 6ઠ્ઠી એપ્રિલે, મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરીને નીકળે છે. નોંધનીય છે કે તુષાર વ્યાસ અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. ગાંધીજીના વેશમાં રહેલા તુષાર વ્યાસ પાસેથી શુભેચ્છાઓ મેળવ્યા બાદ ઉમેદવાર ધર્મેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 9માં ભારતના ભીષ્મ પિતામહ ગણાય એવા ગાંધીજીના સ્વરૂપમાં મને જે આશીર્વાદ મળ્યા છે, તે બદલ હું તેમનો ખૂબ આભારી છું. તેઓ મારા જ વોર્ડમાં દિવ્ય સ્કૂલની બાજુમાં રહે છે. આ આશીર્વાદ મળવાથી હું રાજકારણમાં ધન્યતા અનુભવું છું. ભારતીય રાજકારણમાં ગાંધીજીના મૂલ્યોનું વિશેષ મહત્વ છે. ચૂંટણીના માહોલમાં 'ગાંધીજી'ના આશીર્વાદ મળતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો માટે પણ આ ઘટના આકર્ષણનું કેન્દ્ર બની હતી. નવસારી મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 9નો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:43 pm

ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો:આનંદીબેન પટેલની હાજરીમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી, 84ને મેડલ અપાયા

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 84 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે રૂ. 20 કરોડના ખર્ચે નિર્મિત ડિજિટલ હોસ્ટેલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 130 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓમાં પદવી એનાયત કરાઈ હતી. જેમાં 46 Ph.D. સ્કોલર્સ (20 પુરુષ, 26 મહિલા), માસ્ટર પ્રોગ્રામના 44 વિદ્યાર્થીઓ (14 પુરુષ, 30 મહિલા) અને બેચલર પ્રોગ્રામના 40 વિદ્યાર્થીઓ (21 પુરુષ, 19 મહિલા)નો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ કુલ 84 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા, જેમાં 42 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 42 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. માસ્ટર પ્રોગ્રામના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને 09 ગોલ્ડ અને 05 સિલ્વર મેડલ અપાયા હતા, જ્યારે બેચલર પ્રોગ્રામમાં 09 ગોલ્ડ અને 12 સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા કુલ 30 ગોલ્ડ અને 25 સિલ્વર મેડલનું વિતરણ કરાયું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે Ph.D. એ માત્ર એક પદવી નથી, પરંતુ એક નાનકડું સંશોધન છે. તેમણે સંશોધન માટે એવા વિષયો પસંદ કરવા પર ભાર મૂક્યો હતો જેનાથી સમાજને પ્રત્યક્ષ લાભ મળે અને ભવિષ્યમાં અન્ય લોકો તે વિષય પર આગળ કામ કરી શકે. તેમણે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેલમાં સજા ભોગવતા પીડિતો અને મિલકત કે હિસ્સાથી વંચિત મહિલાઓના પ્રશ્નો પર સંશોધન કરી તેમને ન્યાય અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ, જયેશ પટેલ અને એમ. એસ. રાવ દ્વારા તમામ એવોર્ડ વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. NAAC A ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:41 pm

મિડલ ઈસ્ટ સંઘર્ષ વલસાડમાં કેરી નિકાસ બજારમાં કડાકો:ગલ્ફ દેશોમાં મોકલાવેલા 360 જેટલા કન્ટેનર ગુમ; દૈનિક 400 કન્ટેન્ટરની સામે હાલ 25 કન્ટેન્ટરની જ નિકાસ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતીય કેરીના નિકાસ બજાર પર પડી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ સેવાઓ ખોરવાઈ જવાને કારણે કેરીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને મહારાષ્ટ્રથી ગલ્ફ દેશોમાં મોકલાવેલા લગભગ 360 જેટલા કન્ટેનર ગુમ થયા હોવાના અહેવાલ છે. ઉનાળાની સિઝન હોવા છતાં, કેરીનો ભાવ અગાઉના ₹2100 પ્રતિ મણથી ઘટીને હવે ₹1800 (ચોખ્ખો માલ) પર આવી ગયો છે. મુંબઈથી દર સિઝનમાં 12 હજાર મેટ્રિક ટનથી વધુ કેરીનો સપ્લાય થતો હતો. અગાઉ જ્યાં દરરોજ 400 કન્ટેનર વિદેશ રવાના થતા હતા, તેની સામે હાલ માત્ર 25 કન્ટેનર જેટલી જ નિકાસ થઈ રહી છે, જે 90% થી વધુનો ઘટાડો દર્શાવે છે. સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રથી ગલ્ફ કન્ટ્રીઝ મોકલાવેલા કન્ટેનરની છે. લગભગ 360 કન્ટેનર ગુમ અથવા મિસિંગ હોવાનું જાણવા મળ્યું છે. દુબઈના જુબેલલી પોર્ટ પર માલ ઉતારવાની મંજૂરી ન મળતા લાખોની કિંમતની કેરી અધ્ધરતાલ થઈ ગઈ છે. અરબ દેશોમાં કેરી મોકલવા માટે હોરમર્સ સ્ટેટ થઈને શિપ જતી હોય છે, જ્યાં યુદ્ધની સ્થિતિને કારણે શિપિંગ સેવાઓ ખોરવાઈ છે. આ સ્થિતિને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અખાત્રીજના મુહૂર્ત સમયે માર્કેટમાં 5 હજાર ગાડીઓની આવક થઈ હતી, પરંતુ લેવાલીના અભાવે વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે. હાલમાં મિડલ ઈસ્ટની સ્થિતિ જોતા વેપારીઓ 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે અને નવો માલ મોકલતા ગભરાઈ રહ્યા છે. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વિદેશમાં માલસામાન વહન કરવા માટે ભારતની પોતાની એકપણ મોટી શિપિંગ કંપની નથી. આ કારણે ભારતીય વેપારીઓએ વિદેશી શિપિંગ કંપનીઓની મનમાની અને ઊંચા ભાડા સહન કરવા પડે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:32 pm

વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન:ભવ્ય રોડશોમાં રાજલ બારોટે સૂર રેલાવ્યાં, ભાજપના ઝંડા-બેનરો સાથે કાર્યકરોના સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો

વેરાવળ નગરપાલિકા ચૂંટણીને લઈ હવે રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ તબક્કા નજીક આવતા તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરેપૂરો જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા આજે યોજાયેલ ભવ્ય રોડ શોએ શહેરના રાજકીય માહોલમાં નવી ચેતના ફૂંકી દીધી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયેલો આ રોડ શો મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ અંદાજે પાંચ કિલોમીટર સુધી ફર્યો હતો. માર્ગમાં જ્યાં જ્યાં રોડ શો પસાર થયો ત્યાં ભાજપના ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોનો ઉત્સાહ અને લોકોની ભીડે રોડ શોને જીવંત બનાવ્યો હતો. આ રોડ શોની સૌથી વિશેષ આકર્ષણ બની લોકપ્રિય લોકગાયિકા અને ઉના નગરપાલિકા ભાજપ ઉમેદવાર રાજલ બારોટ. ડીજેના તાલે તેમણે રજૂ કરેલા ભાજપ સમર્થનના ગીતોએ કાર્યકરોમાં નવી ઊર્જા ભરી દીધી હતી. સંગીતના તાલ સાથે નાચતા કાર્યકરો અને સમર્થકોનું દ્રશ્ય શહેરમાં ચૂંટણી ઉત્સવ જેવી લાગણી ઉભી કરતું હતું. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ભાવનાબેન હીરપરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તમામે મળીને પક્ષની એકતા અને સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું. રોડ શો દરમિયાન જૈન દેરાસર ચોક ખાતે ભાજપના બિનહરીફ ઉમેદવાર પ્રહલાદ શામળા અને તેમના સમર્થકો દ્વારા પુષ્પવર્ષા કરીને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો યાદગાર પળ બની રહ્યો હતો. ચૂંટણી પ્રચાર હવે અંતિમ ચરણમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આવી આક્રમક રણનીતિ અપનાવીને મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ સ્પષ્ટ જોવા મળે છે. ભવ્ય રોડ શો અને શક્તિપ્રદર્શન દ્વારા ભાજપે ચૂંટણીનો માહોલ પોતાના પક્ષે વાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ પ્રચારનો જોર મતદાન સુધી કેટલો જળવાઈ રહે છે અને મતદારો આ પ્રભાવને કેટલો સ્વીકાર આપે છે. આખરે, આ શક્તિપ્રદર્શનનો સાચો પરિચય તો મતગણતરીના દિવસે જ મળશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:12 pm

મોરબીમાં સ્થાનિક ચૂંટણી પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSPની હાજરીમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે મોરબી સિટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી જે.એમ. આલની હાજરીમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આ કાફલામાં આશરે 20 અધિકારીઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસનો આ કાફલો મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ખાસ કરીને, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેલ ચોક, કાલિકા પ્લોટ, રવાપર રોડ, સનાળા રોડ, નવા બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન, સરદાર રોડ, નગર દરવાજા, ગ્રીન ચોક જેવા વિસ્તારોને આવરી લેવાયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મહેન્દ્રનગર અને વીસીપરા સહિતના વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ મતદારોને કોઈપણ ભય વિના નિર્ભય બનીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 26મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 52 બેઠકો માટે જુદા જુદા બૂથ પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પોલીસ તંત્ર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સજ્જ હોવાનો સંદેશ આ પેટ્રોલિંગ દ્વારા આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:06 pm

ચૂંટણી ટાણે સુરજીપુરામાં બિરસા મુંડાની મૂર્તિ ખંડિત:નશામાં ધૂત નસવાડીના યુવકે મૂર્તિનું નાક તોડ્યું, પોલીસે ગુનો નોંધ્યો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભગવાન બિરસા મુંડાની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. મૂર્તિના નાકનો ભાગ તોડી નાખવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસની ટીમ તાત્કાલિક સુરજીપુરા ગામે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક સ્થાનિક યુવકે નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હતું. તિલકવાડા પી.આઈ. એ.પી. સોલંકીએ જણાવ્યું કે, વધુ પૂછપરછમાં સુનિલભાઈ અશ્વિનભાઈ ભીલ (ઉંમર ૨૦, રહે. ઘોડીસિમેલ, તા. નસવાડી, જિ. છોટાઉદેપુર) નામના યુવકે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું. પોલીસે સ્વયં ફરિયાદી બનીને મૂર્તિ ખંડિત કરનાર સામે ગુનો નોંધ્યો છે. આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેશસિંહ લાલસિંહ (બકલ નંબર ૪૫૦) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સુનિલે સુરજીપુરા ગામે સ્થાપિત બિરસા મુંડાની મૂર્તિના નાકનો ભાગ તોડી આશરે રૂ. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત, તે જાહેર રોડ પર વગર પાસ-પરમિટ દારૂ પીને નશાની હાલતમાં પકડાયો હતો. તિલકવાડા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:58 pm

ભાજપ નેતાઓની મગફળી-તુવેર ખરીદીમાં ગોલમાલની ચોંકાવનારી કબૂલાત:​ટેકાના ભાવે નબળો માલ જોખાયો હોવાનો મંત્રી અને પૂર્વ ઉપપ્રમુખનો સ્વીકાર, તંત્રની પારદર્શકતા સામે ઉઠ્યા ગંભીર સવાલ

​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસમાં સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જાહેર મંચ પરથી એક એવી વાસ્તવિકતા સ્વીકારી છે, જેનાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર અને સરકારી ખરીદી પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના ધંધુસર ખાતે આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, આ વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગુણવત્તાના ધોરણોને બાજુ પર મૂકીને ખેડૂતોની નબળી ગુણવત્તાની મગફળી પણ ખરીદી લેવામાં આવી છે. સરકારે અધિકારીઓની વાત માન્યા વગર 100 ટકા નુકસાની ગણીને વળતર આપ્યુંમંત્રીના આ નિવેદને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે, આડકતરી રીતે તે સરકારી તિજોરી પર બોજ અને ખરીદી પ્રક્રિયામાં થતી લાલિયાવાડીની કબૂલાત સમાન છે. મંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે, આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી જેના કારણે સરકારે અધિકારીઓની કોઈ પણ વાત માન્યા વગર 100 ટકા નુકસાની ગણીને વળતર આપ્યું છે. ​તમે ચિંતા ન કરો અમે તે નબળી મગફળીના પૈસા તમારી પાસે પાછા લેવા નથી આવ્યાઅર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતો પાસે બે પ્રકારની મગફળી હતી જેમાં એક સારી ગુણવત્તાની અને બીજી વરસાદને કારણે ડેમેજ થયેલી હતી. બજારમાં સારી મગફળીના ભાવ જ્યારે 800 થી 900 રૂપિયા હતા ત્યારે ખેડૂતો પોતાની નબળી મગફળી ટેકાના ભાવે સરકારી કેન્દ્રો પર વેચી આવ્યા છે. મંત્રીએ હળવા અંદાજમાં મતદારોને ખાતરી આપતા કહ્યું હતું કે તમે ચિંતા ન કરો અમે તે નબળી મગફળીના પૈસા તમારી પાસે પાછા લેવા નથી આવ્યા. જોકે, તેમણે સાવચેત પણ કર્યા હતા કે આવું માત્ર આ વર્ષે જ થયું છે કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું પરંતુ, દરેક વર્ષે આ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.વળી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મતદારોને ટકોર કરતા એ પણ કહી દીધું કે દરેક વખતે નહીં થાય, આ વર્ષે થયું કારણ કે નુકસાની થઈ હતી એટલે. વળી આવું પાછું એમ કે આવતા વર્ષે થશે અને અરવિંદભાઈને તમે પાછા હેરાન ન કરતા મંત્રીએ પોતાના વક્તવ્યમાં અરવિંદભાઈ લાડાણીને નરેન્દ્ર મોદીના સાઢુભાઈ ગણાવતા બંને લોક સેવક હોવાનો ઉલ્લેખ કરી સમર્થન આપવા અપીલ કરી હતી ત્યારે મંત્રીના આ વક્તવ્યથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ચૂંટણી જીતવા માટે અને ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે સરકારી નીતિ-નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે, જે લાંબા ગાળે સરકારી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઊભા કરે છે. સરકારી ખરીદીના કેન્દ્રો પર રાજકીય વગનો ઉપયોગ કરીને ગુણવત્તાના નિયમો નેવે મૂકાયાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માત્ર મંત્રી જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણીએ પણ પોતાના પ્રચાર દરમિયાન આવી જ આશ્ચર્યજનક કબૂલાત કરી છે. વિપુલ કાવાણીના પત્ની હાલ જિલ્લા પંચાયતની કાલસારી બેઠક પરથી ઉમેદવાર છે અને તેઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીતવા માટે જણાવ્યું હતું કે, જ્યારે તુવેરની ખરીદી ચાલતી હતી ત્યારે ઘણા ખેડૂતોના ફોન આવ્યા હતા કે માલ નબળો છે. કાવાણીએ મિશાલ આપતા કહ્યું કે, તેમણે ક્યારેય કોઈ પણ ખેડૂતનું ટ્રેક્ટર પાછું નથી જવા દીધું અને નબળો માલ હોવા છતાં પણ તેની ખરીદી કરી લેવામાં આવી છે. આ નિવેદન સ્પષ્ટપણે સૂચવે છે કે, સરકારી ખરીદીના કેન્દ્રો પર રાજકીય વગનો ઉપયોગ કરીને ગુણવત્તાના નિયમો નેવે મૂકવામાં આવે છે. તેમણે પોતાની દસ વર્ષની કામગીરીના વખાણ કરતા એમ પણ કહ્યું કે, તેઓ છેવાડાના માણસના કામ માટે હંમેશા હાજર રહ્યા છે અને કોઈ પણ અધિકારી પાસે ખોટી રીતે પૈસા લેવા દીધા નથી. જાહેર મંચ પરથી ગોલમાલની કબૂલાત કરવામાં આવી​જૂનાગઢમાં ભાજપના આ બંને નેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિપક્ષ અને સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 15,000 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે અને 11,500 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં નુકસાની પેટે જમા કરાયા છે. જોકે, આ આંકડાકીય માયાજાળ અને નબળા માલની ખરીદી વચ્ચેનો જે તાલમેલ બેસાડવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સરકારી સિસ્ટમની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. નેતાઓ દ્વારા મત મેળવવાની લ્હાયમાં જે રીતે જાહેર મંચ પરથી ગોલમાલની કબૂલાત કરવામાં આવી રહી છે..

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:54 pm

ગોધરાના વ્હોરવાડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:સ્થાનિકો ગંદકી અને પાણીની સમસ્યાથી પરેશાન

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા વ્હોરવાડ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવથી પરેશાન છે. છેલ્લા ઘણા સમયથી અહીંના રહીશો પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં પાણી માત્ર 10 થી 15 મિનિટ માટે જ આવે છે. ઘણીવાર પાણી આવવાના સમયે વીજળી ગુલ થઈ જતી હોવાથી પાણી ભરી શકાતું નથી. પીવાના પાણી માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહીશોનો આક્ષેપ છે કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે. વિસ્તારમાં ગટરો અને નાળાઓ કચરાથી ભરાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા દર શનિવારે સફાઈ માટે ટ્રેક્ટર અને કર્મચારીઓ મોકલવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં સફાઈ થતી નથી. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે. બિનવારસી પાર્ક કરેલા વાહનો નીચે રખડતા શ્વાનોનો જમાવડો રહે છે, જેના કારણે બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:48 pm

કડાણા પોલીસે ખોવાયેલા 6 મોબાઈલ પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ₹59,988નો મુદ્દામાલ સોંપાયો

મહીસાગર જિલ્લાના કડાણા પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ખોવાયેલા 6 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹59,988/- આંકવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની ખોવાયેલી અને ચોરી થયેલી ચીજવસ્તુઓ શોધીને પરત કરવા માટે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ ચલાવવામાં આવે છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને I/C નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરી (સંતરામપુર વિભાગ) દ્વારા જિલ્લા પોલીસને CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, કડાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એલ. કામોળને ખોવાયેલા મોબાઈલ ફોન અંગેની અરજીઓ મળી હતી. તેમણે કોમ્પ્યુટર ઓપરેટરને CEIR પોર્ટલ પર મોબાઈલ ફોનની માહિતી અપલોડ કરવા નિર્દેશ આપ્યો હતો. ટેકનિકલ માધ્યમથી મોબાઈલ ફોન એક્ટિવ થતાં, સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ ગણતરીના દિવસોમાં ગુમ થયેલા ફોન શોધી કાઢ્યા અને રિકવર કર્યા. આજે યોજાયેલા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં કુલ 6 મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા. પરત કરાયેલા મોબાઈલ ફોનમાં અંબાલાલભાઈનો OPPO (₹14,999), પ્રદીપકુમારનો Vivo (₹7,990), ભુલાભાઈનો Realme (₹7,000), રામાભાઈનો Redmi (₹9,500), હિતેશભાઈનો Vivo (₹11,999) અને પર્વતભાઈનો Vivo (₹8,500) નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:40 pm

સોલંકી પરિવારે હરિભક્તોના 2.05 કરોડ ઓહિયા કર્યા:પ્રસાદી વહેંચી વિશ્વાસ જીત્યો અને પછી લાખોનું રોકાણ કરાવી ઓફિસને તાળા મારી પિતા સંતાનો સાથે ફરાર, બેની ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોકાણના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શાંત ગણાતા ડભોલી અને મોટા વરાછા વિસ્તારમાં એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલીને ભોળા રોકાણકારોને લૂંટવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડની સૌથી મહત્વની બાબત એ છે કે, ઠગબાજોએ પોતાની જાળ બિછાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરના પરિસરનો ઉપયોગ કર્યો હતો. ભક્તિના ઓઠા હેઠળ આર્થિક લાભ મેળવવાની લાલચ આપીને સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જેટલા હરિભક્તોના અંદાજે 2.05 કરોડ સલવાઈ ગયા છે. આ મામલે ઇકો સેલે તપાસનો ધમધમાટ તેજ કરી પુત્ર જય અને પુત્રી જ્યોતિની ધરપકડ કરી લીધી છે. મંદિરમાં પ્રસાદી વહેંચી હરિભક્તોનો વિશ્વાસ જીત્યોછેતરપિંડીની આખી મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. મૂળ ભાવનગરના ઉમરાળાના વતની અને હાલ કામરેજના પાસોદરા ખાતે રહેતા અશોક મુળજી સોલંકી, તેનો પુત્ર જય અને પુત્રી જ્યોતિ નિયમિતપણે ડભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે જતા હતા. મંદિરમાં આવતા હરિભક્તો સાથે નિકટતા કેળવવા માટે આ પરિવાર અવારનવાર કાજુ-બદામની પ્રસાદી વહેંચતો હતો. આ દેખાડા પાછળનો મુખ્ય હેતુ હરિભક્તોમાં પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવાનો અને તેમને આકર્ષિત કરવાનો હતો. ડભોલી સ્વામિનારાયણ નગરમાં રહેતા અને ઓનલાઈન કપડાનો વેપાર કરતા અનિલભાઈ બલર પણ આ પરિવારના સંપર્કમાં આવ્યા હતા. એપીક ઇનોવેશન LLP અને ફોરેક્સ ટ્રેડિંગની માયાજાળમાર્ચ-2024માં અશોક સોલંકી અને તેના પુત્ર જયે હરિભક્ત અનિલભાઈ સાથે રોકાણ અંગેની વાતચીત શરૂ કરી હતી. તેઓએ જણાવ્યું કે તેમની 'એપીક ઇનોવેશન LLP' નામની ભાગીદારી પેઢી છે જે ફોરેક્સ ટ્રેડિંગમાં મોટું કામકાજ કરે છે. હરિભક્તોને લલચાવવા માટે તેઓએ દર મહિને 4 થી 5 ટકા જેટલું ઊંચું અને ફિક્સ વળતર આપવાની સ્કીમ સમજાવી હતી. આજકાલના સમયમાં બેંકો કરતા અનેકગણું વળતર મળતું હોવાની વાત સાંભળીને અનેક લોકો આ માયાજાળમાં ફસાયા હતા. ભવ્ય ઉદ્ઘાટન બાદ ટુકડે-ટુકડે 35 લાખનું રોકાણ કરાવ્યુંરોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ મોટા વરાછાના લજામણી ચોક પાસે આવેલા મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં એક આલીશાન ઓફિસ ભાડે રાખી હતી. આ ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અનિલભાઈ સહિતના હરિભક્તોને બોલાવીને મોટો તમાશો કરવામાં આવ્યો હતો. અહીં જ તેમની મુલાકાત પેઢીના અન્ય એક ભાગીદાર ઋષિ પટેલ સાથે કરાવાઈ હતી. વિશ્વાસમાં આવી ગયેલા અનિલભાઈએ ટુકડે-ટુકડે કુલ 35 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ વળતર પેટે થોડી રકમ ચૂકવી હતી, પરંતુ મોટું રોકાણ આવી ગયા બાદ ખેલ બદલાયો હતો. 14 હરિભક્તોના 2.05 કરોડ સ્વાહા, યાદી લાંબી થઈઇકો સેલની તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગ ટોળકીએ માત્ર અનિલભાઈ જ નહીં, પરંતુ અન્ય 13 હરિભક્તોને પણ શિકાર બનાવ્યા હતા. જેમાં અશોક તેજાણી (10 લાખ), ઘનશ્યામ સુતરિયા (21.50 લાખ), ત્રિભુવન સેંજલિયા (21.40 લાખ) અને જિગ્નેશ પટેલ (36.63 લાખ) જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે. આ રીતે કુલ 14 લોકો પાસેથી 2.05 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે રોકાણકારોએ પોતાની રકમ પરત માંગી ત્યારે આરોપીઓએ ઓફિસને તાળા મારી દીધા હતા અને પોતાના વતન ભાવનગર ભાગી ગયા હતા. દેવામાં ડૂબેલા પિતાએ ઝેર પીવાનો ઢોંગ કર્યોમુખ્ય આરોપી અશોક સોલંકી અગાઉથી જ આર્થિક સંકડામણમાં હોવાનું જાણવા મળ્યું છે. તેના પર અંદાજે 70-80 લાખનું દેવું હતું જે વ્યાજ સાથે વધીને 1.25 કરોડથી વધુ થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે ફોરેક્સ ટ્રેડિંગના નામે નવી છેતરપિંડી શરૂ કરી હતી. જ્યારે ભોગ બનનારા લોકોએ ઉઘરાણી માટે દબાણ કર્યું, ત્યારે અશોક સોલંકીએ ધરપકડથી બચવા અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ઝેર પી લેવાનો નાટક પણ કર્યો હતો અને કામરેજની હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. પુત્ર અને પુત્રી જેલના સળિયા પાછળઆ મામલે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલના પીઆઇ ચૌહાણે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી કરી હતી. પોલીસે સૌ પ્રથમ જય સોલંકી અને તેની બહેન જ્યોતિની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, પેઢીનો ભાગીદાર ઋષિ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કૌભાંડનો આંકડો 40 કરોડ સુધી પહોંચવાની શક્યતાપોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે સોલંકી પરિવારે આ લોભામણી સ્કીમ આપીને અંદાજે 40થી 50 જેટલા લોકો પાસેથી 40 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઓહિયા કરી છે. ભોગ બનનારાઓમાં અનેક વિધવા મહિલાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે, જેમણે પોતાની જિંદગીની જમાપૂંજી ગુમાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વોન્ટેડ આરોપી ઋષિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:38 pm

પંચમહાલ પોલીસે અપહૃત બે બાળકોને બચાવ્યા:મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બાળકો મુક્ત કરાયા

પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બે માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. આ મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) અપહરણકર્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર ચૌહાણના બે પુત્રો, 6 વર્ષીય અજય અને 4 વર્ષીય દીપકનું અપહરણ થયું હતું. એક અજાણ્યો ઈસમ તેમને મોટરસાયકલ પર નદીએ નવડાવવાના બહાને લઈ ગયો હતો. બાળકો મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા LCB ને તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. LCB ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પંચમહાલ પોલીસે કુશળતાપૂર્વક અપહરણકર્તાને આંતરી લીધો અને બંને બાળકોને સુરક્ષિત રીતે તેના કબજામાંથી મુક્ત કરાવ્યા. પોલીસે બંને માસૂમ બાળકોનો કબજો મેળવી તેમના પિતાને સોંપ્યા હતા. પંચમહાલ પોલીસની આ ત્વરિત અને કુશળ કામગીરીને કારણે બાળકો સુરક્ષિત રીતે પરિવાર પાસે પરત ફરી શક્યા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:36 pm

વેરાવળ ભાજપમાં પૂર્વ પ્રમુખનો સ્ફોટક ખુલાસો:શીર્ષ નેતૃત્વને અંધારામાં રાખી સ્થાનિક સ્તરે ગેરરીતિ, પક્ષવિરોધીને ટિકિટ, સક્રિય કાર્યકરોને અવગણના

વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિસ્ફોટ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા જાહેર કરાયેલા સ્ફોટક વીડિયો પછી પાર્ટીમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષો સુધી પાર્ટી માટે ખપનાર સક્રિય કાર્યકરોને બાજુએ મૂકી પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોને ટિકિટ આપવાના ગંભીર આક્ષેપો સાથે ફોફંડીએ ખુલ્લેઆમ પક્ષની અંદરની “ટિકિટ રમત”ને બેનકાબ કરી છે. ફોફંડીના વર્જન મુજબ, વોર્ડ નંબર 1માં જેને ભાજપે ઉમેદવાર બનાવ્યો છે તે વ્યક્તિ છેલ્લા દાયકાથી ભાજપના વિરોધમાં કાર્યરત રહી ચૂક્યો છે. વિધાનસભા અને નગરપાલિકા બંને ચૂંટણીમાં ભાજપ સામે જંગ લડનાર અને કોંગ્રેસી માનસિકતા ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવી એ “પાર્ટી પ્રત્યે વફાદાર કાર્યકરોનો અપમાન” હોવાનું તેમણે કહ્યું છે. તેમણે વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “જે કાર્યકરો વર્ષો સુધી ભાજપ માટે ખુરશીઓ ઉઠાવે છે, પાથરણાં પાથરે છે, ઘર-ઘર જઈ ઝંડા લગાવે છે, તેવા કાર્યકરોને અવગણીને એવા લોકોને ઉમેદવારી અપાઈ છે કે જેમણે ભાજપ કેવી રીતે હારે તે માટે પ્રયત્નો કર્યા છે.” ફોફંડીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સમગ્ર પ્રક્રિયામાં શીર્ષ નેતૃત્વને પણ અંધારામાં રાખવામાં આવ્યું છે. “રાજ્યના અગ્રણીઓ સુધી સાચી માહિતી પહોંચી નથી. સ્થાનિક કક્ષાએ જ ટિકિટ ફાળવણીમાં ગેરરીતિ થઈ છે,” એમ તેમણે જણાવ્યું. ચર્ચાનો વિષય બનેલો બીજો મુદ્દો એ છે કે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોની યાદી કેન્દ્રિય સ્તરે જાહેર થઈ હોવા છતાં વેરાવળ નગરપાલિકાની યાદી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોડી રાત્રે જાહેર થઈ. આ વિલંબને લઈને પણ “અંદરખાને કોઈ મોટો ખેલ રમાયો હોવાનો”શંકા વધુ ગાઢ બની છે. ફોફંડીના આ સ્ફોટક વીડિયોથી ભાજપના આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં અસંતોષ ઉગ્ર બન્યો છે અને ચૂંટણી પહેલા જ સંગઠન માટે આ મોટો પડકાર ઉભો થયો છે. બીજી તરફ આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારનો સંપર્ક કરતા આ મુદ્દે તેમની પ્રતિક્રિયા આપવા નું ટાળી મંડળ પ્રમુખ એટલે કે શહેર પ્રમુખ ની પ્રતિક્રિયા લેવા જણાવ્યું હતું,મંડલ પ્રમુખ શૈલેષ મેસવાણીયાનો સંપર્ક કરતાં તેણે પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા ના કરી અમે પિયુષ ફોફંડી જોડે વાત કરી પછી આપને જણાવશું તેમ જણાવ્યું હતું. જો કે,આ બધાની વચ્ચે ફોફંડીએ પાર્ટી પ્રત્યે પોતાની વફાદારી જાળવી રાખતાં અંતે ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની અપીલ પણ કરી છે. “પાર્ટી મોટી છે, વ્યક્તિ નહીં,”એવો સંદેશ આપતા તેમણે કાર્યકરોને એકતા જાળવવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:34 pm

રાજકોટમાં 108 સેવાની પ્રશંસનીય કામગીરી:એક મહિનામાં 1389 પ્રસુતિઓ અને 931 અકસ્માતનાં કેસ સહિત 7067 કોલમાં ઇમરજન્સી સારવાર અપાઈ, અનેક લોકો માટે સંજીવની બની

રાજકોટ શહેર અને જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. છેલ્લા 30 દિવસના ટૂંકા ગાળામાં ઇમરજન્સી સેવાને કુલ 7067 જેટલા કોલ્સ મળ્યા હતા. આ કુલ કોલ્સમાં વિવિધ પ્રકારની તબીબી કટોકટીઓનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને સગર્ભાવસ્થા સંબંધિત 1389 કોલ્સ આવ્યા હતા અને માર્ગ અકસ્માતના ગંભીર ગણાતા 931 જેટલા કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 'ગોલ્ડન અવર' દરમિયાન હૃદયની તકલીફવાળા 506 અને શ્વાસની ગંભીર બીમારી ધરાવતા 596 દર્દીઓને સમયસર સારવાર આપી નવજીવન બક્ષવામાં આવ્યું છે. 108નાં સુપરવાઇઝર જયેશભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટા દવાખાનાઓ દૂર હોય છે ત્યાં 108 ના તબીબોએ અદભૂત કામગીરી કરી છે. જેમાં ક્રિટિકલ ગણાતી 83 જેટલી પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં અથવા ગ્રામ્ય સ્થળે નિષ્ણાત તબીબો દ્વારા સફળતા પૂર્વક કરાવવામાં આવી છે, જેનાથી માતા અને નવજાત શિશુ બંનેના જીવ જોખમમાંથી બચી શક્યા છે. કોઈપણ ભેદભાવ વગર 24 કલાક મફત સેવા પૂરી પાડતી 108 ની ટીમે રાજકોટ જિલ્લામાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશાહીના પર્વમાં રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે કરી મતદાનની અપીલ રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીનો પરિવાર દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવવા માટે અનોખું મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે. આઝાદીની લડતમાં પિતાના યોગદાનને વારસામાં જાળવી રાખીને તેમના પુત્ર અશ્વિનભાઈ વિઠલાણી અને કિરણબેન વિઠલાણી પ્રત્યેક ચૂંટણીમાં નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. આ પરિવાર વર્ષોથી પોતાના પિતાના ફોટા સાથેના ખાસ બેનરો પ્રદર્શિત કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવે છે. અશ્વિનભાઈ પોતાના વ્યવસાયના સ્થળે આવતા ગેસના ગ્રાહકોને પણ રૂબરૂ મળીને 100 ટકા મતદાન કરવા માટે સંદેશો પાઠવે છે. આગામી 26મી એપ્રિલના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું મતદાન યોજાવાનું છે, ત્યારે વિઠલાણી પરિવારે દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કરે તેવી અપીલ કરી છે. ચૂંટણીલક્ષી રજૂઆતો માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત, નાગરિકો આંગળીનાં ટેરવે કરી શકશે ફરિયાદ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે એક ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની રજૂઆતો કે ફરિયાદો નોંધાવવા માટે સચોટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ કંટ્રોલરૂમ 25 અને 26 એપ્રિલના રોજ સતત કાર્યરત રહેશે. જેમાં નાગરિકો ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો માટે 079 232 55951, 079 232 55953 તેમજ 079 232 57381 અને 079 232 57383 નંબર પર સંપર્ક કરી શકશે. ચૂંટણી દરમિયાન પારદર્શિતા જળવાય અને મતદારોને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે આયોગ દ્વારા ટેલિફોનિક સુવિધા જાહેર કરવામાં આવી છે. જે કોઈપણ વ્યક્તિને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ જણાય અથવા પોતાની રજૂઆત કરવી હોય, તેઓ આ નિર્ધારિત સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા નંબર પર ફોન કરીને પોતાની વાત નોંધાવી શકશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:10 pm

મોરબી ફેક્ટરીમાં અકસ્માતમાં સગીરનું મોત:મશીનના ઓપરેટર સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ફેક્ટરીમાં મશીનના પટ્ટામાં ફસાઈ જવાથી ગંભીર રીતે ઘવાયેલા સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતક સગીરના ભાઈએ મશીન ઓપરેટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગત તા. 18 નવેમ્બર, 2025 ના રોજ તેમનો 11 વર્ષીય ભાઈ વિશ્વાસ, વિશાલ અને સુરેશ સાથે લખધીરપુર રોડ પર આવેલી કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં હતા. રાત્રિના લગભગ 9:30 વાગ્યાની આસપાસ કોલસો પૂરો થઈ ગયો હતો. સુરેશે મશીન ઓપરેટર બ્રિજેન્દ્ર રાજાવતને મિલ બંધ કરવા અને ટ્રેક્ટર ડ્રાઈવરને સાથે લઈ જવા કહ્યું હતું. જોકે, ઓપરેટર બ્રિજેન્દ્રની બેદરકારીને કારણે વિશ્વાસ કોલસા મિલના મશીનના પટ્ટામાં ફસાઈ ગયો હતો. તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત સગીરને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી, ત્યાંથી રાજકોટ અને ત્યારબાદ તેના વતનમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ચાલુ સારવાર દરમિયાન તા. 25 નવેમ્બર, 2025 ના રોજ વિશ્વાસનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મશીન ઓપરેટર બ્રિજેન્દ્ર રાજાવતની બેદરકારીને કારણે વિશ્વાસનું મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી બ્રિજેન્દ્ર રાજાવત (રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી, લખધીરપુર રોડ, મોરબી) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:07 pm

મોરબીના યુવાનની હત્યા, 6 સામે ફરિયાદ:હોથલ ફાયનાન્સના શિવમ રબારી સહિત આરોપીઓ પોલીસની પકડમાં

મોરબીના યુવાનની માળીયા (મી) હળવદ રોડ પર હત્યા કરવામાં આવી છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા ઝઘડા બાદ છરીના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ બનાવમાં હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારી સહિત કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મૂળ જેતપર ગામના અને હાલ મોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) તેના મિત્રો સાથે માળીયા હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે ઇકો ગાડીમાં આવેલા પાંચ શખ્સોએ અનિલ કંડિયા સાથે પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અનિલ કંડિયાને છરીના ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને તાત્કાલિક મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અનિલના મિત્ર વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારી, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ (તમામ રહે. મોરબી)ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ અને અનિલ કંડિયા ગૌરક્ષક પાર્થ મનસુખભાઈ નેસડીયા, વિશાલ મનસુખ નેસડીયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ સાથે ધ્રાંગધ્રા હાઈવે પર પાડા ભરેલ આઈસરની વોચ રાખી રહ્યા હતા. રાત્રે નાસ્તો કરવા ધૈર્ય હોટેલે પહોંચ્યા ત્યારે ઇકો ગાડીમાં આવેલા આરોપીઓએ અનિલને અમને શિવમ રબારીએ મોકલ્યા છે, તું કેમ તેના પૈસા આપતો નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો. કિશન ચૌહાણ અને રમેશ રબારીએ અનિલને મારી નાખવાના ઈરાદે છરીના ઘા માર્યા હતા. માળીયા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:02 pm

પાલડીના વૃદ્ધા સાથે 26 કરોડની છેતરપિંડી:LIC અને IPOના નામે ઊંચા વળતરની લાલચ આપી, બનાવટી દસ્તાવેજો વાપરી રૂપિયા પડાવ્યા

અમદાવાદમાં 'એમ.પી. ફિન કોર્પ સર્વિસીસ'ના માલિક મિહિર પટેલ અને તેના સાગરીતોએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કુલ ₹26.83 કરોડની ઠગાઈ આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ બે અલગ-અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે ₹26.40 કરોડની વિશ્વાસઘાત અને નકલી દસ્તાવેજોમિહિર પટેલે પાલડીમાં રહેતા સોનલબેન પરીખના પરિવાર સાથેના સંબંધોનો ફાયદો ઉઠાવી, તેમની વૃદ્ધ માતાને રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધા હતા. ચેક અને ડ્રાફ્ટ દ્વારા કુલ ₹26.40 કરોડ મેળવી મિહિરે આ રકમ પોતાના સાગરીતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. શંકા ન જાય તે માટે આરોપીએ વૃદ્ધાને 'પ્રધાનમંત્રી વય વંદન યોજના' અને LICની નકલી કલર કોપી વાળી પોલિસીઓ તેમજ બેંકની ખોટી એન્ટ્રીવાળી પાસબુક પણ આપી હતી. લાંબા સમય સુધી નફો કે મુદ્દલ પરત ન મળતા સોનલબેને મિહિર અને તેના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. IT એક્ઝિક્યુટિવ સાથે ₹43 લાખની ઠગાઈનવરંગપુરાના જીગર શાહ નામના વ્યક્તિને મિહિર પટેલ અને તેના મિત્ર હેમરાજસિંહ દ્વારા LIC મ્યુચ્યુઅલ ફંડ અને IPOમાં રોકાણ કરવાથી દર મહિને ₹30 થી 35 હજારના નફાની લાલચ અપાઈ હતી. શરૂઆતમાં ડિવિડન્ડના નામે થોડી રકમ પરત આપીને રોકાણકારનો વિશ્વાસ જીત્યો હતો. જીગરભાઈએ LICની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના નામે કોઈ રોકાણ થયું જ નથી. મિહિર અને હેમરાજસિંહે કુલ ₹43 લાખ હડપ કરી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યોઆર્થિક ગુના નિવારણ શાખાએ બંને કિસ્સામાં મિહિર પટેલ, હેમરાજસિંહ અને તેમના મળતીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે રોકાણકારોને સાવચેત રહેવા અને અધિકૃત એજન્સીઓ દ્વારા જ રોકાણ કરવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:44 pm

કોંગ્રેસ નેતાના બુલડોઝર સંબંધિત નિવેદનથી ભરૂચમાં રાજકીય ગરમાવો:ભાજપે સામાજિક વિભાજનનો પ્રયાસ ગણાવ્યો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા ઇસાક શેખ દ્વારા બુલડોઝર સંબંધિત અપાયેલા નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. ગત રાત્રિએ એક પ્રચારસભામાં ઇસાક શેખે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અંદાજે 80 લાખ મુસ્લિમ લોકો વસે છે. જો આ ચૂંટણીમાં આ તમામ લોકો મતદાન કરશે, તો તેમના ઘરો પર ક્યારેય બુલડોઝર નહીં આવે.” આ નિવેદન સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાજપે આ નિવેદનને સામાજિક વિભાજન ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નથી ફરતું, પરંતુ દેશ અને સમાજવિરોધી તત્વોની ગેરકાયદે મિલકતો સામે જ કાર્યવાહી થાય છે.” અટોદરિયાએ વધુમાં ઉમેર્યું કે, આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે અને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. આ ઘટનાને પગલે ભરૂચમાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે અને આગામી ચૂંટણીમાં આ મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:30 pm

તાપી કિનારે મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો:પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, ચોકબજાર પોલીસે આરોપીની ધરપકડ કરી

સુરતના ચોકબજાર વિસ્તારમાં તાપી નદીના કિનારેથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર પાકીટ ચોરીની શંકાના આધારે એક મિત્રએ જ બીજા મિત્રના માથામાં પથ્થર અને સિમેન્ટના બ્લોક ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજ ચકાસતા મૃતકની ઓળખગત 17 એપ્રિલ 2026ના રોજ ચોકબજાર કોઝવે ગેટ પાસે, તાપી નદીના દાદર નીચેથી અંદાજે 40 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ ચકાસતા મૃતકની ઓળખ ટુના ભગબાન પ્રધાન (રહે. વેડ રોડ, મૂળ ઓરિસ્સા) તરીકે થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પાકીટ ચોરીની શંકામાં હત્યાનો ખુલાસોપોલીસ પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સીસીટીવીમાં મૃતક સાથે દેખાયેલા કાન્હુચરણ ઉર્ફે મુન્નો નાયકની પૂછપરછ દરમિયાન હત્યાનો ખુલાસો થયો હતો. આરોપી રાજેન્દ્ર ભીમસેન જેનાને શંકા હતી કે તેનું પાકીટ ટુના પ્રધાને ચોર્યું છે. 17 એપ્રિલની સવારે આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને રાજેન્દ્રએ સિમેન્ટના કપચા અને બ્લોક પથ્થરના ઘા મારીને ટુનાની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભીમસેન જેના (ઉ.વ. 42) ને હરિઓમ મિલ પાછળથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ પાકીટ ન મળતા આવેશમાં આવીને ગુનો કર્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કામગીરીમાં પીઆઈ એસ.ડી. રાતડા, પીઆઈ એ.એ. રાઠવા અને પીએસઆઈ વી.ટી. ડોડીયા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:27 pm

ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીનું ફાર્મ જમીનદોસ્ત:12 હજાર ફૂટમાં ફેલાયેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું

જામનગરમાં ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફી અને તેની ગેંગ પર વહીવટી તંત્રએ તવાઈ કરી છે. શહેરના ટિટોડી વાડી અને બંગલા વાડી વિસ્તારમાં આવેલા આશરે 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા તેના ગેરકાયદે ફાર્મ હાઉસને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આશરે 12,000 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ દબાણ અલ્તાફ ખફી અને તેની ગેંગના સાગરીતો દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DYSP જયવીરસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપી હતી. જામનગરમાં ભૂમાફિયાઓ અને ગુનાહિત તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. અલ્તાફ ખફી શહેરના વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો આરોપી છે. વહીવટી તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની સૂચના અપાતા, શરૂઆતમાં દબાણ કરનારાઓ દ્વારા જ તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:26 pm

મહેસાણામાં હોસ્પિટલના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી:લાઘણજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો, CCTVના આધારે આરોપીની શોધખોળ શરૂ

મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે એક મહિલાના એક્ટિવા વાહનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 20 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના અંગે પીડિત મહિલાએ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હોસ્પિટલના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરીમળતી માહિતી મુજબ, ગોઝારીયાની શ્રીરામ સોસાયટીમાં રહેતા અને મૂળ ડાભલા (તા. વિજાપુર)ના વતની સુરેખાબા હર્ષદકુમાર ચાવડાએ પોતાનું એક્ટિવા (નંબર: જીજે-02-સીએમ-0863) 20 એપ્રિલના રોજ સવારથી બપોરના સમય દરમિયાન હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. કોઈ અજાણ્યા તસ્કરો અંદાજે ₹25,000ની કિંમતનું આ વાહન ચોરીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂવાહન ન જણાતા સુરેખાબાએ આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની સમગ્ર ઘટના તેમાં કેદ થયેલી જોવા મળી હતી. લાઘણજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:22 pm

પાલડીમાં મોબાઇલ સ્ટોર મેનેજરે 6 લાખની છેતરપિંડી આચરી:મોબાઈલ-એસેસરીઝના વેચાણની રકમ કંપનીમાં જમા કરવાને બદલે પોતાના પાસે રાખી, કંપનીના ઓડિટ રિપોર્ટમાં હકીકત સામે આવી

અમદાવાદના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવેલી પુજારા ટેલિકોમના સ્ટોર મેનેજરે મોબાઈલ અને એસેસરીઝના વેચાણની રકમ કંપનીમાં જમા ન કરાવી ₹6.24 લાખની છેતરપિંડી આચરી છે. કંપનીના આંતરિક ઓડિટમાં આ નાણાકીય ગેરરીતિ બહાર આવતા પાલડી પોલીસે આરોપી મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓડિટમાં ભોપાળું છતું થયુંગોતામાં રહેતા અને પુજારા ટેલિકોમમાં ફાઈનાન્સ હેડ તરીકે કાર્યરત મુકેશ વૈષ્ણવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, જાન્યુઆરી મહિનામાં પાલડી-ભઠ્ઠા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ₹4.91 લાખના વેચાણના બિલો ફાટ્યા હોવા છતાં તેની રકમ કંપનીના સત્તાવાર ખાતામાં જમા થઈ નહોતી. વધુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ છેતરપિંડીનો કુલ આંકડો ₹6.24 લાખ સુધી પહોંચ્યો હતો. 12 વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારીએ જ દગો દીધોઆ છેતરપિંડીમાં મુખ્ય આરોપી તરીકે સ્ટોર મેનેજર વરૂણ ગજેરા (રહે. મણીનગર, મૂળ જુનાગઢ) નું નામ સામે આવ્યું છે. વરૂણ છેલ્લા 12 વર્ષથી કંપની સાથે જોડાયેલો હતો. તેણે મોબાઈલ ફોન, ટેબલેટ અને અન્ય એસેસરીઝ ગ્રાહકોને વેચ્યા બાદ તે રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે પોતાની પાસે રાખી લીધી હતી. જ્યારે કંપનીએ આ અંગે સ્પષ્ટતા માંગી ત્યારે તેણે વિવિધ બહાના બતાવી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વરૂણ ગજેરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલકંપનીના સંચાલકોને છેતરપિંડીની ખાતરી થતા તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વરૂણ ગજેરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની અને નાણાં રિકવર કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:18 pm

વડગામમાં કોંગ્રેસની સભા, જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા:કહ્યું- ખેતીના ઓઝારો, પેટ્રોલ-ડીઝલ, તેલ, ગેસનો બાટલો તમામ વસ્તું મોંઘી થઈ

બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે આજે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સભા યોજી હતી. આ સભામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. જિગ્નેશ મેવાણીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે, 'દેવશી ભાટીનો ગુલાલ ઉડાડો અને ડંકાની ચોટ ઉપર જી.આર. ચૌધરી (ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌધરી)ને જીતાડો. અમે તેમને મોટા કરીને મોકલીશું.' તેમણે કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા પર ભાર મૂક્યો હતો. જાહેર સભાને સંબોધતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, મોંઘવારી એની ચરમસીમા પર છે. ખેતીના ઓજાર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખાતર, પેટ્રોલ, ડીઝલ, તેલનો, ગેસનો બાટલો, બાળકોની ફી, એમનું ભણતર તમામ મોંઘુ થયું છે. સાજા-માદા થયા હોય, કોઈ પ્રેગ્નન્ટ બેન પાલનપુર જઈને ડિલિવરી કરાવે, તો ડોક્ટરો કાતર લઈને બેઠા જ છે. 50,000 મૂકો અને બાળક લઈને જાઓ. આટલી ભયંકર મોંઘવારીની પરિસ્થિતિ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. મતદારોને આકર્ષવા માટે મોટા નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે અને સભાઓનો દોર ચાલી રહ્યો છે. નગાણા ગામે યોજાયેલી આ સભામાં કોંગ્રેસના તમામ ઉમેદવારો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર વેગ પકડી રહ્યો છે, ત્યારે મતદારો કોના પક્ષે પોતાનો નિર્ણય આપે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:18 pm

એમ.સી.શાહ કોલેજમાં ABVP અને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન:ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને સુવિધા ન અપાતી હોવાનો આક્ષેપ, જીમખાનું અને સ્પોર્ટ્સ રૂમનો ઉપયોગ કરવા મંજૂરી આપવા માંગ

એમ.સી.શાહ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ અને જીમખાનું હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે તેમજ વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકીને દૂર કરવા માટે માંગ કરી છે. તેમજ જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો ABVPએ આક્ષેપ કર્યોએમ. સી. શાહ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ માટે જીમખાના હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તેમજ કેન્ટીન કોલેજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં ન આવતી હોવાનો પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાની ફી લેવામાં આવતી હોવા છતાં યોગ્ય સુવિધા આપવામાં ન આવતી હોવાનો પણ ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ રૂમ અને જીમખાનું વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવેજેને લઇને મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટ રૂમ અને જીમખાનું વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે, કોલેજના સંપૂર્ણ સમય દરમિયાન કેન્ટીન ચાલુ રાખવામાં આવે અને આઉટડોર ગેમ્સ માટે પૂરતી ગ્રાઉન્ડ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની માંગણી નહી સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:17 pm

જૂનાગઢની આંબેડકર હોસ્ટેલમાં 9 વર્ષથી ગેરકાયદે રહેતા યુવકની આત્મહત્યા:હોસ્ટેલમાં અજાણ્યા લોકો 'ગેસ્ટ' બનીને રહેતા હોવાનું સામે આવ્યું, 16 દિવસ પહેલા જ થઈ હતી ફરિયાદ; વોર્ડને વાત કબૂલી

જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી 'ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય'માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છેલ્લા નવ વર્ષથી છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (એડમિશન) વગર 'ગેસ્ટ' તરીકે રહેતો હતો. આ ઘટનાએ સરકારી હોસ્ટેલોમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ગંભીર પોલ ખોલી દીધી છે. હોસ્ટેલ પ્રશાસનનો ગેરકાયદેસર કારોબારઆ ઘટનાએ હોસ્ટેલના વોર્ડન ભીખુ સોલંકીની અગાઉની કબૂલાતને ફરી ચર્ચામાં લાવી દીધી છે. દિવ્ય ભાસ્કર પાસે રહેલા વિડીયોમાં વોર્ડને સ્પષ્ટ સ્વીકાર્યું હતું કે, 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલમાં 25-30 યુવકો વર્ષોથી ગેરકાયદેસર રીતે 'ગેસ્ટ' બનીને રહે છે. ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી, જ્યારે લાગવગ ધરાવતા અને નોકરી-ધંધા કરતા લોકો અહીં વસવાટ કરે છે. આત્મહત્યા બાદ મીડિયાના સવાલો સામે વોર્ડન મૌન ધારણ કરી ગયા હતા, જે તેમની અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે. 16 દિવસ પહેલાની ફરિયાદ છતાં તંત્ર નિંદ્રામાંતંત્રની બેદરકારીની પરાકાષ્ઠા તો જુઓ કે, આ ઘટનાના માત્ર 16 દિવસ પહેલા જ 4 એપ્રિલ, 2026ના રોજ હર્ષ જાદવ નામના વિદ્યાર્થીએ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને લેખિતમાં આ ગેરકાયદેસર વહીવટની જાણ કરી હતી. વિદ્યાર્થીએ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી કે, હોસ્ટેલમાં ગેરકાયદે લોકો રહે છે. જો તે સમયે તંત્રએ તપાસ કરી હોત અને કાર્યવાહી કરી હોત તો કદાચ આજે એક આશાસ્પદ યુવાનનો જીવ બચી શક્યો હોત. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને વોર્ડન અને સિક્યુરિટી દ્વારા અત્યંત અભદ્ર રીતે ધમકાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે તંત્રની દાદાગીરી અને ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે. મૃતક યુવાનની માનસિક સ્થિતિ અને લાંબો ગેરકાયદેસર વસવાટમૃતક જયેશ સોલંકી MSC સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા ભીખાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જયેશ છેલ્લા 9 વર્ષથી આ હોસ્ટેલમાં રહેતો હતો. તે માનસિક રીતે બીમાર હતો અને દવાઓ ચાલુ હતી. અગાઉ પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે કે, ગંભીર માનસિક બીમારી ધરાવતો યુવાન કોઈપણ સત્તાવાર નોંધ વગર સરકારી હોસ્ટેલમાં કેવી રીતે 9 વર્ષ સુધી રહી શકે? હોસ્ટેલના CCTV હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ અધિકારીઓની નજરે ન ચડી? અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકાજ્યારે જૂનાગઢના સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને પૂછવામાં આવ્યું કે હોસ્ટેલમાં ગેરકાયદેસર લોકો કેવી રીતે રહે છે, ત્યારે તેમણે એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે તે મામલે વોર્ડન જ કહી શકશે, મને ખ્યાલ નથી. જવાબદાર અધિકારીની આ મને ખબર નથી વાળી નીતિએ જ આજે એક ગરીબ પિતાના પુત્રનો ભોગ લીધો છે. આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાનું સ્મારક છે. હોસ્ટેલના આ કૌભાંડમાં મોટું રાજકીય પીઠબળ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને વોર્ડન જેવા જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે. જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે અને લાયક વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનતા રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:13 pm

અમરેલીમાં કોંગ્રેસને ઝટકો: દિનેશ પરમાર ભાજપમાં જોડાયા:35 વર્ષના સિનિયર નેતાએ પક્ષ છોડી કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા

અમરેલીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતા દિનેશ પરમારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. દિનેશ પરમારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના વિકાસ કાર્યોથી પ્રભાવિત થયા છે અને આ કારણોસર ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે કોંગ્રેસ પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, તેમને ટિકિટ આપવામાં આવી નહોતી અને પક્ષમાં આંતરિક સેટિંગ થતું હોવાથી તેઓ નારાજ હતા. જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા દલિત સમાજના અગ્રણી તરીકે ઓળખાતા દિનેશ પરમારને આવકારવામાં આવ્યા હતા. આ ઘટનાથી અમરેલીમાં કોંગ્રેસ માટે રાજકીય પડકારો વધુ વધતા જોવા મળી રહ્યા છે. પરમારે વધુમાં જણાવ્યું કે, તેમણે 35 વર્ષ સુધી કોંગ્રેસની ખંત અને લગનથી સેવા કરી છે અને જુદા જુદા હોદ્દાઓ પર કામ કર્યું છે, જેમાં અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગનો પણ સમાવેશ થાય છે. તેમણે આક્ષેપ કર્યો કે, તેમની અને તેમના ધર્મપત્નીની ટિકિટ કાપવામાં આવી હતી અને તેમની વફાદારીને ધ્યાનમાં લેવામાં આવી નહોતી. તેમણે પાર્ટીનું સંચાલન કરતા અમુક લોકો પર જોહુકમી અને ટિકિટ બાબતે સેટલમેન્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ વિકાસમાં માને છે અને વર્તમાનમાં અમરેલીથી કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોવાથી સરકાર સાથે જોડાવું તેમની ફરજ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:08 pm

વી.એન.એસ.જી.યુ. ફાઇન આર્ટ્સ વિભાગની 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લે:પ્રદર્શન 22 થી 25 એપ્રિલ સુધી ખુલ્લું, વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ

વી.એન.એસ.જી.યુ.ના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 22 થી 25 એપ્રિલ, 2026 દરમિયાન સુરત ખાતે યોજાશે. ફાઇન આર્ટ્સ વિભાગે સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સુરત, ગુજરાત અને રાજ્ય બહાર પણ ફાઇન આર્ટ્સ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરીને યુનિવર્સિટીનું નામ રોશન કરી રહ્યા છે. આ પ્રદર્શન તમામ શહેરીજનો, કલા રસિકો અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, એડ્વર્ટાઇઝિંગ એજન્સીઓ અને કલા પ્રત્યે રસ ધરાવતા લોકોને મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે. પ્રદર્શનમાં પેઇન્ટિંગ, સ્કલ્પચર અને એપ્લાઇડ આર્ટના વિવિધ સુંદર અને સર્જનાત્મક આર્ટવર્ક્સ રજૂ કરાયા છે. વિદ્યાર્થીઓએ વિવિધ સામગ્રી અને નવીન વિચારોનો ઉપયોગ કરીને અનોખી કૃતિઓ બનાવી છે. તેમાં પોર્ટ્રેટ, લાઇફ સ્ટડી, કેલેન્ડર ડિઝાઇન, ટાઇપોગ્રાફી, સ્ટોરી બુક ડિઝાઇન, ટીવીસી, પ્રોડક્ટ કેમ્પેઇન અને બ્રાન્ડિંગ જેવા વિષયો પર આધારિત કૃતિઓનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન આજના AI યુગમાં પણ હેન્ડવર્ક અને સર્જનાત્મકતાના મહત્વને ઉજાગર કરે છે. પ્રદર્શિત કૃતિઓ દ્વારા AI હોવા છતાં આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું? તેનો જીવંત જવાબ સ્પષ્ટપણે જોવા મળશે. મુલાકાતીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાકૃતિઓનો આનંદ માણવા વિનંતી કરવામાં આવી છે. પ્રદર્શન ફાઇન આર્ટ્સ વિભાગ, વી.એન.એસ.જી.યુ., સુરત ખાતે સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:05 pm

Editor's View: યુદ્ધના ખર્ચે મહાસત્તાને મૂંઝવી:અમેરિકાની ઐસીતૈસી, હોર્મુઝ ખોલવા યુરોપનો પ્લાન-B તૈયાર, ભાઠે ભરાયેલા ટ્રમ્પે ધર્મનાં નામે પોલિટિકલ પેંતરો કર્યો

શું તમે કલ્પના કરી શકો છો કે તમે આટલું વાંચ્યું ત્યાં સુધીમાં તો અમેરિકાએ 20 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હશે? જી હાં! માનવામાં નહીં આવે પણ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા દર સેકન્ડે સાડા અગિયાર હજાર ડોલર એટલે કે 9.60 લાખ રૂપિયા વાપરી રહ્યું છે. એવામાં એવો માહોલ બની રહ્યો છે કે અમેરિકા પાસે લડવા રૂપિયા અને દારૂગોળો તો છે પણ ખર્ચ કરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલા માટે જ ડેડલાઈન પર ડેડલાઈન આપે છે પણ કંઈ કરી શકતું નથી. એક બાજુ ઈરાને હોર્મુઝ બ્લોક કરીને દુનિયાની આર્થિક નસ દબાવી છે તો બીજીબાજુ અમેરિકા ખર્ચા કરીને હાંફી ગયું છે. યુદ્ધમાંથી પાછળ હટવાની ચર્ચાઓ રોકવા માટે ટ્રમ્પે ધર્મનો સહારો લીધો છે. વોશિંગ્ટનમાં તે બાઈબલ વાંચવામાં અને વેચવામાં મસ્ત છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ બધુ થઈ જ રહ્યું છે ત્યારે લંડનમાં 30 દેશોએ અમેરિકાને સાઈડલાઈન કરીને હોર્મુઝ ખોલવા માટે પ્લાન-બી તૈયાર કર્યો છે. આપણાથી હજારો કિલોમીટર દૂર શું ખીચડી રંધાઈ રહી છે જેની આપણા રસોડાને અસર પડી શકે? આજે આપણે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર... બ્રાઉન યુનિવર્સિટીની વોટસન ઈન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે અમેરિકા અત્યારે જે યુદ્ધ લડી રહ્યું છે તેની કિંમત સામાન્ય માણસની સમજ બહાર છે. રિપોર્ટ મુજબ રોજ 1-2 બિલિયન ડોલરનો ખર્ચો થઈ રહ્યો છે. વધુ સહેલાઈથી સમજીએ તો દર કલાકે 390 કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમેરિકાએ 24 બિલિયન ડોલરથી પણ વધુ રકમ ઉડાવી દીધી છે જ્યારે ઈઝરાયલે 11.2 બિલિયન ડોલર યુદ્ધમાં વાપરી નાખ્યા છે. આ સાંભળતા એક સવાલ થાય કે રૂપિયા તો ખર્ચ થઈ રહ્યા છે! પણ વાપરવામાં ક્યાં આવી રહ્યા છે? જવાબ છે અમેરિકાના સૈનિકોના પગાર કે ભથ્થામાં નહીં પણ ટેક્નોલોજીવાળા એડવાન્સ હથિયારો અને મોંઘા દારૂગોળામાં. ઈરાન સસ્તા ભાવના ડ્રોનથી અમેરિકાના મોંઘા હથિયારો પર હુમલો કરે છે. જેના કારણે ઈરાનને ઓછું નુકસાન થાય છે પણ અમેરિકાને આર્થિક કમર ભાંગી જાય એવું નુકસાન થાય છે. ક્યાં 20 હજાર ડોલરનું ડ્રોન અને ક્યાં 20 લાખ ડોલરની ઈન્ટરસેપ્ટર મિસાઈલ, આ આર્થિક રીતે થકવી દેતી યુદ્ધ રણનીતિ છે. ટ્રમ્પ સરકાર અત્યારે યુદ્ધને લંબાવવા માટે વધારાના 200 બિલિયન ડોલર એટલે 18 લાખ 76 હજાર કરોડ રૂપિયાની માગ કરી રહ્યું છે. જો કે એક વાત એવી પણ છે કે આવનાર વર્ષમાં ડિફેન્સમાં ખર્ચો કરવા માટે 1.5 ટ્રિલિયન ડોલર એટલે 1 કરોડ 40 લાખ 70 હજાર કરોડ રૂપિયાના જંગી બજેટની પણ માગ ટ્રમ્પ સરકાર કરી રહી છે. આ રકમના કારણે જાહેર સેવાઓના રૂપિયા ઓછા ફળવાશે અને લોકોને તેનો ઓછો લાભ મળશે. શું અમેરિકાનો દારૂગોળો ખૂટ્યો છે?અમેરિકા માટે સૌથી મોટું ટેન્શન પૈસા નથી, પણ હથિયારો બનાવવાની ફેક્ટરી અને પ્રોડક્શનની સ્પીડ છે. આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ રશિયા અને યુક્રેનની વોર થઈ હતી. આ સિવાય દાયકાઓથી મિડલ ઈસ્ટ અને આફ્રિકન દેશો સાથે સંઘર્ષો ચાલી રહ્યા છે. જેણે અમેરિકાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ બેઝને નબળો પાડી દીધો છે. ખાસ કરીને 155 એમએમના આર્ટિલરી શેલ કારણ કે તેની માત્રા ઓછી થઈ રહી છે તેવા રિપોર્ટ્સ છે. જો કે અમેરિકા હવાઈ હુમલા કરે છે તે પણ ધ્યાને લેવું જોઈએ.. અમેરિકાને કેમ યુદ્ધ લડવામાં ફાંફાં?ડિફેન્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુક્રેન અને ઈઝરાયલમાં શેલનો વપરાશ થઈ રહ્યો છે તે પ્રોડક્શન કરતા ઘણો વધારે છે. જ્યારે અમેરિકા મહિને પ્રોડક્શન 40 હજારથી વધારીની 1 લાખ સુધી પહોંચાડવા માગે છે. ત્યારે વાસ્તવિકતા એ છે કે કાચા માલની કમી અહીં મેઈન પ્રોબ્લમ બની રહી છે. નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટનની ગ્લોબલ ક્રાઈસના કારણે ગન પાઉડર બનાવવાની પ્રોસેસ પણ ધીમી ડપી રહી છે. વધુમાં લોકહીડ માર્ટિન જેવા યુનીટ્સમાં થયેલી મજૂર હડતાલે મિસાઈલ પ્રોડક્શનને ખોરવી નાખ્યું છે. આમાં પણ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એડવાન્સ વેપન માટે જે ગેલિયમ વાપરવામાં આવે છે તેનો મોટા ભાગનો કન્ટ્રોલ ચીન પાસે છે. આના માટે અમેરિકાને અત્યારે યુદ્ધ લડવામાં વેપન્સની તકલીફ પડી રહી છે. હોર્મુઝ પર કબજો મોટું ટેન્શનમેદાનથી દરિયા બાજુ આવીએ તો પરિસ્થિતિ તેનાથી પણ ખતરનાક છે. 28 ફેબ્રુઆરી 2026ના ઈરાન પર થયેલા સીધા હુમલા પછી ઈરાને પોતાનું સૌથી શક્તિશાળી હથિયાર હોર્મુઝની નાકાબંધી કરીને વાપર્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે આ દરિયાઈ પટ્ટીને ચેકપોસ્ટ કે ટોલગેટ બનાવી દીધી છે જેના કારણે તેલ અને ગેસમાં વર્લ્ડવાઈડ ક્રાઈસિસ ઉભી થઈ ગઈ છે. 20 હજારથી વધુ મોતના સાયા હેઠળજેના કારણે ગ્લોબલ સપ્લાઈમાં મોટો જંગી ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં રોજ 100થી પણ વધુ જહાજો પસાર થતાં હતાં ત્યાં આજે માત્ર ગણ્યાં ગાંઠ્યા જહાજો જ હોર્મુઝ પાસ કરી રહ્યા છે. 120થી વધુ દેશોમાં તેલના ભાવ પણ વધી રહ્યા છે. માટે એક મોંઘવારીનો મારો દુનિયાભરમાં છવાઈ રહ્યો છે. આના કારણે આફ્રિકામાં જતા ખાતરની સપ્લાયને પણ પડ્યા પર પાટું લાગ્યું છે. ઉપરથી એક રિપોર્ટ મુજબ 20 હજારથી વધુ લોકો પર્શિયન ગલ્ફમાં મોતના સાયા હેઠળ જીવી રહ્યા છે. અમેરિકા વિના હોર્મુઝ ખોલવાનો યુરોપિયન પ્લાન આજના સૌથી મોટા સમાચાર અને ડિપ્લોમેટિક ફેરફાર આ છે. યુરોપ હવે અમેરિકા પર સોયની અણિ જેટલો પણ ભરોસો કરવા તૈયાર નથી. આજે લંડનમાં યુકે અને ફ્રાન્સની લીડરશીપમાં 30થી વધુ દેશોની મીટિંગ થઈ. આ મીટિંગનો મેઈન ઉદ્દેશ્ય એ હતો કે હોર્મુઝ ખોલવામાં આવે, તેમાં રહેલી માઈન્સને ક્લિયર કરવામાં આવે અને કોમર્શિયલ જહાજોની રક્ષા કરવામાં આવે. તેનાથી પણ મોટી વાત એ છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને મારે યુરોપની જરૂર નથી એવા નિવેદનોએ યુરોપને પોતાનો અલગ જ રસ્તો બનાવવા માટે મજબૂર કર્યા છે. બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટર જોન હિલી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્લાન બી તૈયાર કરી લીધો છે. આ 30 દેશોનું ગઠબંધન હોર્મુઝ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ એ જ યુરોપ છે જે એક સમયે અમેરિકાની છત્રછાયામાં મોજ કરતું હતું પણ હવે એકલા ચાલો રેમાં મજબૂર બન્યું છે. પાકિસ્તાનની છબી તેને મદદ કરશે?જ્યારે દુનિયાના શક્તિશાળી દેશો સંઘર્ષમાં અટવાયેલા છે, ત્યારે ઈસ્લામિક દેશ હોવાનો પાકિસ્તાનને ફાયદો મળ્યો છે. દાયકાઓ સુધી આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરનાર ઇસ્લામાબાદ આજે અમેરિકા અને ઇરાન વચ્ચે સંદેશવાહક તરીકે ઉભરી આવ્યું છે. આ પાછળનું કારણ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના અંગત સંબંધો છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. ટ્રમ્પે મુનીરને ફેવરિટ ફિલ્ડ માર્શલ તરીકે નવાજ્યા છે, જે કહી જાય છે કે પાકિસ્તાને ટ્રમ્પના પ્રશંસાના મોહનો બરોબરનો ઉપયોગ કર્યો છે. આ સંબંધોને વધુ મજબૂત કરવા પાકિસ્તાને ટ્રમ્પના ફેમિલિ બિઝનેસ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ સાથે પણ ભાગીદારી કરી છે, આનાથી પણ પાકિસ્તાનને ફાયદો થઈ શકે એમ છે. ટ્રમ્પ હવે ભગવાન ભરોસેપણ પાડોશી દેશથી ફરી પાછા અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પ પોતાના દેશમાં એક અલગ જ જંગ લડી રહ્યા છે. જે છે સાયકોલોજીકલ અને રિલિજિયસ નેશનાલિઝમ. 19 થી 25 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટન DCના બાઇબલ મ્યૂઝિયમમાં અમેરિકા બાઇબલ વાંચે છે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પે પોતે બાઇબલના અંશો વાંચ્યા હતા, જેનો હેતુ અમેરિકાને એક ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે ફરીથી સ્થાપિત કરવાનો છે. જો કે બંધારણ મુજબ અમેરિકાનો કોઈ ચોક્કસ ધર્મ નથી તે વાત અલગ છે. ધર્મને પણ વેચવાનો બાકી ન રાખ્યોખતરનાક ટ્રમ્પને અચાનક સંત એટલા માટે બનવું પડ્યું કારણ કે તેમની એક પોસ્ટ મામલે હમણા વિવાદ થઈ ગયો છે. ટ્રમ્પે ગોડ બ્લેસ ધ યુએસએ બાઈબલ પણ પ્રોમોટ કરી છે જેની કિંમત 1 હજાર ડોલર રાખવામાં આવી છે. આ બાઈબલમાં પવિત્ર લખાણોની સાથે અમેરિકન બંધારણ અને આઝાદીની ઘોષણા પણ કરવામાં આવી છે. ક્રિટિક્સનું કહેવું છે કે વેપારી ટ્રમ્પે ધર્મને પણ વેચાવાનો બાકી નથી રાખ્યો. પણ ટ્રમ્પ માટે આવનાર મિડ ટર્મ ઈલેક્શનમાં ધર્મ મોટું હથિયાર સાબિત થઈ શકે છે માટે તેઓ સમજી વિચારીને ધર્મનું વેપારીકરણ કરી રહ્યા છે. ટ્રમ્પ અને પોપનો શાબ્દિક ડખોમાત્ર આટલું જ નહીં ટ્રમ્પ આવું એટલા માટે પણ કરી રહ્યા છે કારણ કે તેનો ડખો હમણાં વેટિકન પોપ XIV સાથે થઈ ગયો હતો. પોપે અત્યારે ઈરાની સભ્યતાને નષ્ટ કરી દેવાની ટ્રમ્પની પોસ્ટની ટિકા કરી ત્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોપ વિશે અનાફ-શનાફ વાત કહી હતી. વધુમાં ટ્રમ્પે પોતાને ઈસુ ખ્રિસ્ત લેવલના ગણાવતી પોસ્ટ કરી હતી જેણે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. ટ્રમ્પના કટ્ટર સમર્થક લોકો તેને ઈશ્વરે મોકલેલા દૂત માને છે તો અમેરિકાનો બીજો પણ સમાજ છે જે આને લોકશાહી અને ધર્મ માટે અપમાન ગણે છે. અમેરિકા હવે પાવરફૂલ નથી રહ્યું?દુનિયા હવે અમેરિકા સેન્ટર્ડ નથી રહી. અમેરિકાની શસ્ત્ર અછત અને આંતરિક રાજકીય વિખવાદે તેને નબળું પાડ્યું છે. સૌથી મોટો રોલ ટ્રમ્પના સ્વભાવનો છે કારણ કે તેના કારણે અનેક દેશોના સંબંધો અમેરિકા સાથે બગડ્યા છે. આજે દુનિયા સામે 3 મોટા સવાલો ઉભા છે કે 1) શું વેપન પ્રોડક્શનની મંદી અમેરિકાને વિદેશ નીતિ બદલવા મજબૂર કરશે? 2) શું લંડન ગઠબંધન બળપ્રયોગ વગર હોર્મુઝ ખોલાવી વેપારને પાટે લાવી દેશે?3) શું ટ્રમ્પનું ધાર્મિક કાર્ડ અમેરિકાને જોડશે કે તોડશે? અને છેલ્લે ઇસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનના આર્મી જનરલ ચીફ મુનીર પાસે અમેરિકા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. IRNA મુજબ મુનીર ઈરાનને એવી ડીલ પર હસ્તાક્ષર કરવા માટે કહી રહ્યા હતા જે ઈરાની સાર્વભૌમત્વ વિરુદ્ધ છે. સ્થાનિક ઈરાની મીડિયાએ તો મુનિરને ટ્રમ્પના ઈશારે નાચનારા કહી દીધા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર(રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:01 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા:બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો, ધજા અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરીને બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં વડતાલ મંદિરના ચેરમેન સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી, ગઢપુર મંદિરના ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી અને ગોકુળધામ, નાર-કુંડળ-બોટાદના શ્રી શુકદેવ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:01 pm

સુરતમાં AAPનો EVM મશીનમાં ગેરરીતિનો આક્ષેપ:ઉધનાની સ્કૂલના વીડિયો રેકોર્ડિંગના પુરાવા સાથે હોબાળો, ઉમેદવાર-કાર્યકરોએ 'લોકશાહીની હત્યા'ના નારા લગાવ્યા

ચૂંટણી પૂર્વે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આર.એન. નાયક સ્કૂલના મતદાન મથક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોએ EVM મશીનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'આપ'ના પ્રતિનિધિઓએ મતદાનના આંકડામાં વિસંગતતા હોવાનું જણાવી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવતા સ્થળ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. મતદાનના આંકડામાં વિસંગતતાનો આક્ષેપઉધનાની આર.એન. નાયક સ્કૂલના રૂમ નંબર 14માં મતદાન પ્રક્રિયા દરમિયાન વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પુરાવા તરીકે વીડિયો રેકોર્ડિંગ રજૂ કરતા દાવો કર્યો હતો કે, મશીનમાં નોંધાયેલા મતો અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત છે. એક કાર્યકરના જણાવ્યા અનુસાર, મથક પર વાસ્તવમાં 14 મતો પડ્યા હોવા છતાં મશીન 22 મતો દર્શાવતું હતું, જે સીધી રીતે ટેકનિકલ ગડબડી અથવા છેતરપિંડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઉમેદવારોનો રોષ અને સૂત્રોચ્ચારઆ ઘટનાને પગલે 'આપ'ના ઉમેદવાર અને મહિલા પ્રતિનિધિઓ મતદાન મથકની અંદર ધસી ગયા હતા અને ચૂંટણી અધિકારીઓ સામે સીધો મોરચો માંડ્યો હતો. કાર્યકરોએ લોકશાહીની હત્યા બંધ કરો જેવા સૂત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની ગડબડી વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે, અને જ્યાં સુધી મશીનની ચોકસાઈની ખાતરી ન થાય ત્યાં સુધી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી હતી. પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહીપરિસ્થિતિ તંગ બનતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ મથકની અંદર ઘૂસી ગયેલા કાર્યકરોને સમજાવટથી બહાર કાઢવા અને શાંતિ જાળવવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ચૂંટણી તંત્રના અધિકારીઓએ આ ગંભીર આક્ષેપો અંગે તપાસ કરવાની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:00 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'આવિષ્કાર 2.0':પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન યોજાયું

સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આવિષ્કાર 2.0: પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન નામે એક અનોખા પ્રોજેક્ટ ફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને પ્રાયોગિક અભ્યાસ પ્રત્યે રસ વધારવાનો હતો. આ પ્રદર્શનમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મકતા અને ટેકનિકલ જ્ઞાનનું પ્રદર્શન કર્યું. પ્રોબ્લેમ બેઝ્ડ લર્નિંગ (PBL), ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, સંભવિત સ્ટાર્ટઅપ આઈડિયાઝ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ તેમજ ઉદ્યોગ અને સામાજિક સમસ્યાઓના ઉકેલ આધારિત પ્રોજેક્ટ્સ જેવી વિવિધ કેટેગરીઓ હેઠળ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટ્સમાં ટેકનિકલ ઊંડાણ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનો ઉત્તમ સમન્વય દર્શાવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાસ્તવિક જીવનમાં ઉપયોગી તથા સમાજ, ઉદ્યોગ અને પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રશ્નોના અસરકારક ઉકેલો રજૂ કરવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સને રિસર્ચ પેપર તરીકે વિકસાવવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ ફેર અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત સંસ્થાઓના બાહ્ય નિષ્ણાતોએ જજ તરીકે હાજરી આપી હતી. તેમણે પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું અને તેમના માર્ગદર્શન તથા રચનાત્મક પ્રતિસાદ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટ્સમાં સુધારો કરવા તેમજ વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા મળી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના કાર્યની પ્રશંસા કરી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:00 pm

ઇસ્કોન ભાડજમાં 4 દિવસીય પાટોત્સવ સંપન્ન:રાધા માધવના પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી

ભાડજ સ્થિત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં ચાર દિવસીય પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી નૃસિંહદેવ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગના મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પ્રથમ દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને સુંદર રેશમી વસ્ત્રોથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાર્ષિક રથયાત્રામાં અનેક ભજન મંડળીઓ, હાથીઓ, ઘોડાઓ અને ગરબા રમતી મંડળીઓ જોડાઈ હતી. મંદિર દ્વારા પ્રસાદ વાનમાંથી તમામ દર્શનાર્થીઓને પ્રસાદ વિતરણ કરાયો હતો. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી ઉતારી પુષ્પ અને ભોગ અર્પણ કર્યા હતા. બીજા દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવને વિશેષ અલંકારો અને તાજા સુગંધિત પુષ્પોથી સજાવવામાં આવ્યા હતા. તેમને ગજ વાહન રથમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા. હનુમદ વાહન ઉત્સવ બાદ ભગવાનને હિંડોળા ઉત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ગરુડ વાહન ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ. રંગીન પુષ્પોથી સુશોભિત સુંદર ગજ વાહન રથમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવને સવારી કરાવવામાં આવી. ભક્તોએ ભગવાનના તેજસ્વી શણગાર અને આભૂષણોના દર્શન કર્યા. રથ ખેંચતા પહેલાં ભક્તોએ આરતી ઉતારી અને નૃત્ય-કીર્તન સાથે આનંદમય વાતાવરણ સર્જ્યું. ગજ વાહન ઉત્સવ બાદ મંદિરના કુંડમાં વિશેષ નૌકા વિહાર યોજાયો હતો. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર પુષ્પો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. મંદિરને વિવિધ પુષ્પો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરાયો હતો. ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:58 pm

કાળઝાળ ગરમી અને મેલેરિયા સામે મનપાનું સઘન સર્વેલન્સ:ગાંધીનગરમાં બાંધકામ સાઇટો પર આરોગ્યની 17 ટીમો પહોંચી, શ્રમિકોનો ફિવર સર્વે કરી હીટવેવથી બચવા ઓઆરએસનું વિતરણ

આગામી 25 એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ' નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે વિશેષ ઝુંબેશ છેડવામાં આવી છે. કાળઝાળ ગરમી અને વાહકજન્ય રોગોના બેવડા જોખમ વચ્ચે તંત્ર દ્વારા બાંધકામ સાઇટ્સ અને લેબર કોલોનીઓમાં રાત્રિના સમયે સઘન તપાસ અને જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શ્રમિકોના દ્વારે આરોગ્ય તપાસશ્રમિકો દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત હોવાથી મનપાની ટીમોએ રાત્રિના સમયની પસંદગી કરી છે. સેક્ટર-3 થી 29, વાવોલ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં રાત્રિ ફિવર સર્વે કરવામાં આવ્યો. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના લોહીના નમૂના (બ્લડ સેમ્પલ) સ્થળ પર જ એકત્ર કરવામાં આવ્યા છે. હીટવેવ અને હીટસ્ટ્રોક સામે રક્ષણહાલમાં વધી રહેલા તાપમાનને જોતા ખુલ્લામાં કામ કરતા શ્રમિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. શ્રમિકોને પુષ્કળ પાણી પીવા, માથું ઢાંકીને રાખવા અને બપોરના સમયે સીધા તડકામાં કામ કરવાનું ટાળવા જણાવાયું છે. તંત્ર દ્વારા સ્થળ પર જ ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ) ના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી ડિહાઈડ્રેશનની સ્થિતિને નિવારી શકાય. મેલેરિયા-ડેન્ગ્યુ પર નિયંત્રણચોમાસા પૂર્વે મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે બાંધકામ સાઇટ્સ પર વિશેષ સૂચનાઓ અપાઈ છે. બાંધકામ સાઇટ પર રહેલા પાણીના પીપ, ટાંકા અને અન્ય પાત્રોને ઢાંકીને રાખવા તાકીદ કરવામાં આવી છે. સ્થગિત પાણીમાં મચ્છરોના ઈંડા ન મુકાય તે માટે સફાઈ બાબતે શ્રમિકોને જાગૃત કરાયા છે. જનજાગૃતિ અભિયાનમનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ બેનરો અને પત્રિકાઓ દ્વારા આ જનજાગૃતિ અભિયાન ચાલુ રહેશે. ગરમી અને રોગચાળાના પડકાર વચ્ચે શહેરીજનો અને ખાસ કરીને શ્રમિક વર્ગની સુખાકારી જળવાઈ રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:53 pm

દ્વારકાધીશ મંદિરની આવક પાંચ વર્ષમાં ₹101 કરોડ પાર:2023-24માં ₹23.78 કરોડ સાથે સર્વોચ્ચ આવક નોંધાઈ

શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા પાંચ નાણાકીય વર્ષની આવકના આંકડાઓ જાહેર થયા છે, જે દર્શાવે છે કે મંદિરની કુલ આવક ₹101 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, વર્ષ 2023-24માં ₹23.78 કરોડની આવક સાથે સર્વોચ્ચ આંકડો નોંધાયો છે, જે મંદિરના નાણાકીય વ્યાપમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. 22 એપ્રિલ, 2026ના રોજ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, વર્ષ 2021-22માં મંદિરની કુલ આવક ₹13,76,29,414 હતી. ત્યારબાદ, વર્ષ 2022-23માં તે વધીને ₹19,79,17,316 થઈ. વર્ષ 2023-24માં આવક ₹23,78,24,800 સુધી પહોંચી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ હતી. વર્ષ 2024-25માં ₹21,92,18,038 અને વર્ષ 2025-26માં ₹22,04,83,290ની આવક નોંધાઈ. આ પાંચ વર્ષની કુલ આવક આશરે ₹1,01,30,72,858 છે. આવક સાથે સંકળાયેલા અન્ય બે મુખ્ય માપદંડોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. 2% ચેરિટી કોન્ટ્રિબ્યુશન વર્ષ 2021-22માં ₹27,52,588 હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹44,09,659 થયું છે. તેવી જ રીતે, 15% ટ્રસ્ટ ઇન્કમ વર્ષ 2021-22માં ₹2,02,31,524 હતી, જે વર્ષ 2025-26માં ₹3,24,11,050 સુધી પહોંચી છે. વર્ષ 2023-24માં ટ્રસ્ટ ઇન્કમ ₹3,49,60,246 સુધી પહોંચી હતી, જે પાંચ વર્ષનો સૌથી મોટો ટ્રસ્ટ હિસ્સો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:52 pm

બિહારમાં હત્યા કરી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરીને પોલીસથી સંતાતો હતો, સાગરિતો સાથે મળીને ગળું કાપીને લાશ ફેકી દીધી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી બિહારથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. આરોપીએ પૂછપરછમાં હત્યાની કબૂલાત કરી હતીક્રાઈમ બ્રાન્ચના PI નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે, બિહારમાં દિલીપ કુમાર સિંહની ગળું કાપી નિર્દયી હત્યા કરનાર નજરે આલમ મોહમ્મદ નજબુલ (26) હાલ અમદાવાદમાં ફરી રહ્યો છે. તેની વિગતોની ખાતરી કરીને નિખિલ બ્રહ્મભટ્ટની ટીમે આરોપીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે દિલીપ કુમારની હત્યાની કબૂલાત કરી હતી. પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતોઆરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે હત્યા કરીને બિહારથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદના પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. હાલ તેને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચે નેપાળના વોન્ટેડ આરોપીને ઝડપી લઈને નેપાળ પોલીસને હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:45 pm

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:મહેસાણા જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ નામ સાથેનું સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 42 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:45 pm

‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’માં ₹622 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ચૂંટણીમાં 1251 અતિસંવેદનશીલ અને 7166 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હાલ બેવડા મોરચે લડી રહ્યું છે. એક તરફ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દ્વારા સાયબર માફિયાઓ પર ત્રાટકીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0થી ₹288 કરોડનું સાયબર નેટવર્ક ધ્વસ્તસાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સુરત, ભાવનગર, રાજકોટ અને ઉંઝામાં દરોડા પાડીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કનો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરની રેઇડમાં 8 આરોપીઓ અને છેલ્લા એક મહિનામાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 1,039 ફરિયાદોના આધારે કુલ ₹622 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેમાં મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે રાખેલા બેંક ખાતા) દ્વારા નાણાંની હેરફેર થતી હતી. વિસ્તાર મુજબ કાર્યવાહી આરોપીઓ ઠગાઈના નાણાં બેંક ખાતામાં મેળવી, તેને રોકડમાં ફેરવી આંગડિયા મારફતે હવાલા રૂપે સગેવગે કરવામાં આવતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાનો એક્શન પ્લાનચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન કર્યું છે. 60,000 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત રહેશે. મતદાન મથકોનું વર્ગીકરણ ચૂંટણી પૂર્વે 1,000 થી વધુ તડીપાર, વોરન્ટી અને ભાગેડુ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાલચમાં બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવોડીજીપી ડો. કે. એલ. એન. રાવે સ્પષ્ટ જણાવ્યું છે કે, સાયબર ગેંગોને નાબૂદ કરવા અને ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવો. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો. શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં સહકાર આપવો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:44 pm

ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતના રસ્તા પર લંડન જેવો નજારો:પાલિકાની ચૂંટણી ગિયર, જનતાનો રોષ ઠારવા રસ્તા પર ઉતારી ડબલ ડેકર, સ્ટેશનથી કામરેજ સુધીનું ટ્રાયલ જોઈ સુરતીઓ ઘેલા થયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરીજનોમાં પડતર પ્રશ્નોને લઈ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાના મિજાજને પારખીને એક નવો જ પેંતરો અજમાવ્યો છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ‘ડબલ ડેકર’ એસી ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ રન આજે સુરતના રાજમાર્ગો પર યોજાયું હતું. સ્ટેશનથી કામરેજ સુધી જ્યારે આ બે માળની બસ પસાર થઈ ત્યારે લોકોના મોઢા ખુલ્લા રહી ગયા હતા. વોટની ખેંચતાણ વચ્ચે લક્ઝરી સવારીશહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રશ્નોને લઈ મતદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી આગામી ચૂંટણીમાં ભારે ન પડે તે માટે તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગે છે. ચૂંટણીની આચારસંહિતા પૂર્વે જ આ ટ્રાયલ રન યોજીને પાલિકાએ એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સુરત ખરા અર્થમાં સ્માર્ટ સિટી બની રહ્યું છે. રસ્તા પર દોડતી આ બસ જાણે મતદારોને 'વિકાસ' બતાવી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. સ્ટેશનથી કામરેજ સુધીનું મેગા ટ્રાયલસુરતની જનતા માટે સારા સમાચાર એ છે કે આગામી ડિસેમ્બર માસમાં શહેરને બે કાયમી ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસો મળી જશે. આજે GSRTC દ્વારા આ બસનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્ટેશનથી કોસાડ અને ત્યાંથી કામરેજ સુધીના રૂટ પર બસ દોડાવવામાં આવી હતી. એન્જિનિયરોની ટીમે બ્રિજની ઊંચાઈ, ટ્રાફિક નડતર અને વળાંકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રાયલના રિપોર્ટ બાદ ફાઈનલ રૂટ નક્કી કરાશે. ડુમ્મસ સી-ફેસ પર હવે 'રોયલ' સવારીસુરતનું નવું નઝરાણું એટલે 'ડુમ્મસ સી ફેસ'. આ પર્યટન સ્થળને ધ્યાનમાં રાખીને જ પાલિકાના ટ્રાફિક-BRTS પ્રોજેક્ટ સેલે આ બસો ખરીદવાની દરખાસ્ત મૂકી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો ડબલ ડેકર બસના ઉપરના માળે બેસીને સુરતનો નજારો માણી શકે તેવો પાલિકાનો પ્લાન છે. આ બસ મુસાફરી માટે નહીં પણ સુરતના શાનદાર અનુભવ માટે દોડાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. 10 વર્ષનો મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટપાલિકા દ્વારા જે ડબલ ડેકર બસો લાવવામાં આવનાર છે, તેની ખરીદી માટેની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા જે સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લીમીટેડ, ચેન્નાઈને ઓર્ડર અપાયો છે, તે જ ભાવે સુરત પાલિકા પણ આ બસો ખરીદશે. આ સોદામાં 10 વર્ષનું કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ અને ચાર્જિંગ સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ અંગેની દરખાસ્ત હવે મંજૂરીના અંતિમ તબક્કે છે. રોડ પર કતારબદ્ધ ઉભા રહી લોકોએ લીધી સેલ્ફીજેવી ડબલ ડેકર બસ સુરતના રસ્તા પર નીકળી, લોકો કામધંધો છોડીને બસ જોવા ઉભા રહી ગયા હતા. ઘણા લોકોએ બસ સાથે સેલ્ફી લીધી તો ઘણાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ બસને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. બસની ભવ્યતા જોઈને લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, 'ચૂંટણી જે હોય તે, પણ બસ તો જોરદાર છે!' 450 બસો બાદ વધુ 600નો ઓર્ડરસુરત શહેરમાં જાહેર પરિવહનની કાયાપલટ થઈ રહી છે. હાલમાં જ 450 ઈલેક્ટ્રિક બસો રસ્તા પર દોડી રહી છે, ત્યારે PM E-Drive સ્કીમ હેઠળ વધુ 600 ઈલેક્ટ્રિક બસો લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ જંગી કાફલામાં જ્યારે ડબલ ડેકર બસ ઉમેરાશે ત્યારે સુરતનું પબ્લિક ટ્રાન્સપોર્ટ દેશભરમાં મોડેલ બનશે. ચૂંટણી પહેલા આ આંકડાઓ રજૂ કરીને પાલિકા પોતાની પીઠ થાબડી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:38 pm

સુરતમાં ઓનલાઇન ગેમનો ખતરનાક અંજામ:ફ્રી ફાયર પર મિત્રતા બાદ કેરળના હિશામ મુનીરે સુરતની યુવતીને ગર્ભવતી બનાવી, એબોર્શન કરવા દબાણ કરી તરછોડી

ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પાંગરતા પ્રેમમાં છેતરાવાની વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાં સામે આવી છે. 'ફ્રી ફાયર' ગેમ રમતા કેરળના એક 19 વર્ષીય વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ફ્રી ફાયર ગેમ અને સોશિયલ મીડિયાથી થઈ મિત્રતામૂળ સુરતના પુણા વિસ્તારની અને અભ્યાસ અર્થે કેરળમાં રહેતી 19 વર્ષીય યુવતીને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. અંદાજે એક વર્ષ પહેલા 'ફ્રી ફાયર' ગેમ રમતી વખતે તેની મુલાકાત 'એસ્ટ્રો' આઈડી ધરાવતા યુવક સાથે થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 'TENET-ASTRO' નામની આઈડીથી સંપર્ક વધારી યુવકે યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને દગાખોરીયુવતી જ્યારે કેરળમાં હતી, ત્યારે યુવકે તેને મળવા બોલાવી હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. યુવકની ઓળખ હિશામ મુનીર અબ્દુલ મુનીર (રહે. પલ્કાડ, કેરળ) તરીકે થઈ હતી. તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી-2026 સુધી સંબંધો રહ્યા બાદ માર્ચ-2026માં યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. હિશામ મુનીરે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. સુરત લાવીને યુવક ભાગી છૂટ્યોયુવતી લગ્ન માટે મક્કમ રહેતા ગત 7 એપ્રિલ 2026ના રોજ હિશામ તેને સુરત લઈ આવ્યો હતો. પુણાની યોગેશ્વર સોસાયટીમાં યુવતીના ઘરે થોડા દિવસ રહ્યા બાદ તે લગ્ન કરવાની ના પાડીને ભાગી છૂટ્યો હતો. અંતે છેતરાયેલી યુવતીએ માતા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી હિશામ મુનીર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:38 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બે મહિના પહેલાં જ પરણેલી ઉદ્યોગપતિની પત્નીએ ગળાફાંસો ખાધો, માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી શખ્સ નાસી છૂટ્યો

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:37 pm

BCAની ચૂંટણીનો દડો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો:હાઇકોર્ટમાં 9 જૂને સુનાવણી, વચગાળાની વ્યવસ્થા યથાવત; સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓ માટે અરજી કરાશે

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાનો પ્રસ્તાવ હાઇકોર્ટની ડબલ જજની બેંચ સમક્ષ મૂક્યો હતો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વધુ સુનાવણી 9 જૂને રાખવામાં આવી છે. ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યોવડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCA ની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના નિર્ણયો લઈ શકશે નહીંજો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા વધારવામા આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. BCAની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતીમૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ 09 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 03 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતીજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કાર્યરતબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યાગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:29 pm

આણંદમાં ₹8.50 લાખની છેતરપિંડી કરનારો ઝડપાયો:સોનાના દાગીના અને કારના સોદામાં વિશ્વાસઘાત કરનાર મિતુલ પઢીયારની ધરપકડ

આણંદ ટાઉન પોલીસે સોનાના દાગીના પર લોન અપાવવાના બહાને અને કારના વેચાણ પેટે કુલ ₹8.50 લાખની છેતરપિંડી આચરનાર મિતુલ રાજેશભાઈ પઢીયારની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી નિરવ અમૃતલાલ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મિતુલ પઢીયારે તેમને વિશ્વાસમાં લઈ 7 તોલા સોનાના દાગીના (આશરે ₹6 લાખની કિંમત) પર ₹4 લાખનું ધિરાણ અપાવ્યું હતું. ત્યારબાદ, આ ₹4 લાખ પરત મેળવી દાગીના છોડાવી આપવાના બહાને વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત, આરોપીએ ફરિયાદીની કાર ₹3.50 લાખમાં વેચાણથી રાખી હતી. તેણે રોકડા ₹1 લાખ આપ્યા હતા, પરંતુ બાકીના ₹2.50 લાખ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી મિતુલ પઢીયાર રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી. આ ઉપરાંત, રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:24 pm

અડાજણમાં એકના એક 19 વર્ષીય પુત્રનું અકસ્માતમાં મોત:કોલેજ ફંક્શનથી પરત ફરતા સમયે બાઈક સ્લિપ થયું, જેસલ મેસુરિયાના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું

સુરત શહેરના અડાજણ વિસ્તારના એક આશાસ્પદ યુવાન અને માતા-પિતાના એકમાત્ર સંતાન જેસલ મેસુરિયાનું માર્ગ અકસ્માતમાં નિધન થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રના આકસ્મિક મૃત્યુના આઘાત વચ્ચે પણ મેસુરિયા પરિવારે જેસલના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લઈને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોલેજ ફંક્શનથી પરત ફરતા નડ્યો અકસ્માતકે.પી. કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો જેસલ ભાવિન મેસુરિયા કોલેજના ફંક્શનમાંથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન શહેરના સધ્ધર બ્રિજ પર જેસલની બાઈક અચાનક સ્લિપ થઈ હતી. નિયંત્રણ ગુમાવતા જેસલ બ્રિજ પરના પથ્થરના ડિવાઈડર સાથે જોરદાર ટકરાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. તંત્રની બેદરકારી સામે આક્રોશસામાજિક કાર્યકર્તા છોટુભાઈ પટેલે સધ્ધર બ્રિજ પરના પથ્થરના ડિવાઈડરની ડિઝાઇન સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો અહીં પથ્થરને બદલે ફાઈબરના ડિવાઈડર હોત તો અકસ્માતની તીવ્રતા ઓછી હોત અને કદાચ આ તેજસ્વી યુવાનનો જીવ બચી શક્યો હોત. રસ્તાની આવી ખામીઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ભારે હૈયે ચક્ષુદાનનો ઉમદા નિર્ણયએકનો એક પુત્ર ગુમાવનાર પરિવારે શોકના સાગરમાં ડૂબેલા હોવા છતાં સામાજિક જવાબદારી ભૂલ્યા નથી. પરિવારે શરૂઆતમાં અંગદાન માટે તત્પરતા બતાવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તે શક્ય ન બનતા ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. જેસલના ચક્ષુદાનને કારણે બે અંધ વ્યક્તિઓના જીવનમાં અંધકાર દૂર થશે. પરિવારનું માનવું છે કે કોઈ અન્યની આંખો દ્વારા જેસલ આ દુનિયામાં જીવંત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:23 pm

ડીસામાં 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા, રૂ. 30 લાખનો મુદ્દામાલ રિકવર

બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો રૂ. 30 લાખ 36 હજાર 529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી. અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા. તે સમયે અન્ય ગાડીમાં આવેલા લૂંટારુઓએ તેમની ગાડી રોકી હતી. લૂંટારુઓએ ગાડીમાંથી 13 કિલો 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ 112 નંબર પર અને LCB અધિકારીઓને કરવામાં આવી હતી. માહિતી મળતા જ LCB દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી કાઢવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. લગભગ એક-બે કલાકની અંદર જ LCB ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારુઓની ગાડીને પ્રાઈવેટ ગાડી વડે બ્લોક કરી હતી. લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોકી ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઈઝિસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી. તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. લૂંટમાં સામેલ અન્ય ચાર મુખ્ય આરોપીઓમાં સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે. પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. LCB ની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:20 pm

વર્ષોથી નાસતા બે રીઢા આરોપીઓ ઝડપાયા.:​જુનાગઢ  પોલીસે જુગાર અને અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા.

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમોએ બે સફળ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી વોન્ટેડ એવા બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે તમામ પોલીસ સ્ટેશનોને મળેલી કડક સૂચનાના અમલીકરણ માટે બી-ડિવિઝન પોલીસની ટીમ સતત કાર્યરત હતી. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષ 2023 થી જુગારના ગુનામાં વોન્ટેડ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.​આરોપી એહમદ અનિશભાઈ મારફતીયા જૂનાગઢના તળાવ દરવાજા પાસે ઊભો હોવાની માહિતી મળતા જ પોલીસે ઓપરેશન પાર પાડી 37 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસથી બચવા ગુપ્ત રીતે વસવાટ કરતો હતો. હાલ તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, જૂનાગઢ પોલીસની ટીમે ગાંધીનગર સુધી લંબાઈને એક જટિલ ઓપરેશન સફળ બનાવ્યું છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનાનો આરોપી છેલ્લા ૪ વર્ષથી ફરાર હતો. આ આરોપી વિરુદ્ધ અદાલતે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રાજકુમાર ભાણજીભાઈ પારધી (રહે. બુરી ગામ, તા. માણાવદર) હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઈડીસી પાસે આવેલા એક કારખાનામાં મજૂરી કરીને છુપાયો છે. પોલીસે તાત્કાલિક દહેગામ પહોંચી દરોડો પાડ્યો હતો અને આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કર્યો હતો. હાલમાં આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે. ​જૂનાગઢ પોલીસની આ ડબલ સફળતાએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે અને કોઈ પણ નાસતો-ફરતો આરોપી બચી શકશે નહીં. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:20 pm

ચૂંટણીને લઈ 24 કલાક મોનિટરિંગ-સુરક્ષાનું સઘન આયોજન:ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 211 મતદાન મથકો સંવેદનશીલ જાહેર, મદદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે

ગાંધીનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા અને નાગરિકો માટે હેલ્પલાઇન સહિતનું દ્વિસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સંવેદનશીલ મથકોનું લિસ્ટજિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષાની સમીક્ષા બાદ કુલ 892 મતદાન મથકોમાંથી 211 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આશરે 23.5 ટકા મથકો પર વધારાના પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત રહેશે. કલોલ નગરપાલિકાના 102 પૈકી 42 મથકો પર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના 83 મથકો સહિત દહેગામ અને માણસાના વિસ્તારોમાં પણ વિશેષ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. જે-તે વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ અને અગાઉની ચૂંટણીઓના ઘર્ષણના બનાવોને આધારે આ સંવેદનશીલ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 24 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ અને હેલ્પલાઇનવહીવટી પ્રશ્નો અને આચારસંહિતા ભંગની ફરિયાદોના ત્વરિત નિરાકરણ માટે સેક્ટર-11 સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. નાગરિકો કોઈપણ સમસ્યા માટે 079-232 65900 પર સંપર્ક કરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના સુપરવિઝન હેઠળ આ રૂમ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી તમામ ગતિવિધિઓનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:12 pm

ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રેડ:19 હજારથી વધુના ઇંગ્લિશ દારૂ સાથે શખસ ફરાર

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી એક દરોડાની કાર્યવાહીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો?ઘોઘારોડ પોલીસ મથકના જવાનો ગત રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા જકાતનાકા પાસે આવેલી અખિલેશ સોસાયટીના પ્લોટ નંબર-1માં રહેતા રાહુલ ભુપત જેઠવા નામના શખ્સે પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. પોલીસની રેડ અને જપ્તીઆ બાતમીને આધારે ઘોઘારોડ પોલીસની ટીમે અખિલેશ સોસાયટીમાં આવેલા રાહુલ જેઠવાના મકાન પર ત્વરિત દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન રાહુલ ઘરે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ઘરની પાછળ આવેલા વાડાની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂના 102 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે 19,380 રૂપિયાની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો. દારૂ ઝડપાયા બાદ પોલીસે ફરાર આરોપી રાહુલ ભુપતભાઇ જેઠવા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં 'પ્રોહિબિશન એક્ટ' હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:12 pm

ચૂંટણીના દાવપેચમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ:ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના ભાઈની કોંગ્રેસ શહેર પ્રમુખ સામે અપહરણની ફરિયાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પણ રાજકીય દાવપેચને લગતી અરજીઓ આવી રહી છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા તેમજ હરદેવસિંહ દ્વારા પોતાના સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. જો કે હાઇકોર્ટે બંને અરજદારોને રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક પગલાં નહીં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપી દ્વારા ફરિયાદીના ભાઈનું અપહરણઆ કેસને વિગતે જોતા ફરિયાદી શૈલેષભાઈ દ્વારા તેમના ભાઈ ભરતની અપહરણની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની વડવા-અ સીટ ઉપર ઉમેદવારીની ટિકિટ મળી હતી. જો કે ફરિયાદીની ફરિયાદ મુજબ તેમના ભાઈ આ ચૂંટણી લડવા માંગતા નહોતા. તેમ છતાં જબરજસ્તીથી કોંગ્રેસ તેમની પાસેથી ચૂંટણી લડાવવા માંગતું હતું. જબરદસ્તીથી તેમના દસ્તાવેજો મેળવી લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજીઉપરોક્ત સઘળી હકીકત ફરિયાદીને ઉમેદવાર ભરતના મિત્રએ જણાવી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી આરોપીઓએ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ફરિયાદીના ભાઈ એટલે કે ખુદ ઉમેદવાર, જેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તેને એફિડેવિટ ફાઇલ કરી હતી કે ફરિયાદમાં જણાવ્યા મુજબની તેમનું કોઈ અપહરણ થયું નથી. પરંતુ 15, એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી મોટાપાયે હોર્સ ટ્રેડિંગની આશંકા હોવાથી ઉમેદવારોને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાની મરજીથી ત્યાં ગયા હતા અને તે સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીઅરજદારો જણાવ્યું હતું કે, ફક્ત દબાણ ઊભું કરવા માટે ઉપરોક્ત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં રાખી છે અને અરજદારો સામે નકારાત્મક પગલાં નહીં લેવા માટે આદેશ કર્યો છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત 7 લોકો સામે ફરિયાદવળી બીજી એક અરજીમાં વડોદરાની ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ પરત ખેંચી લીધું છે. તેઓએ કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત કુલ 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જાતિ વિષયક ગાળો અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સાતેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જો કે ગુનાની ગંભીરતાને જોતા હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી સુનાવણી આગામી સમયમાં રાખી છે, પરંતુ અરજદારોને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદીએ આપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુંઉલ્લેખનીય છે કે, ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એટ્રોસિટી અને ધમકીના આક્ષેપોમાં આરોપી અરજદારો વતી રજૂઆત કરાઈ છે. ફરિયાદીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તેને અને કોંગ્રેસ પક્ષને કોઈ લેવાદેવા પણ નથી. ખરેખર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તોડવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેશ ઉપર કોંગ્રેસ પક્ષે મૂક્યો છે. પરંતુ તેમની ફરિયાદ નોંધવાની જગ્યાએ તાલુકા પંચાયતથી ફક્ત 200 મીટર દૂર આવેલા પોલીસ મથકે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં પણ 6 કલાક જેટલો સમય લાગ્યો છે. ઘટના સંદર્ભના CCTV હાઇકોર્ટમાં મૂકવામાં આવ્યાજોકે સરકારી વગેરે જણાવ્યું હતું કે આ એક વ્યક્તિગત ફરિયાદ છે. ઘટના સંદર્ભમાં CCTV ફૂટેજ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમા અરજદારો ટોળામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. સરકારી વકીલની દલીલ મુજબ વ્યક્તિગત ફરિયાદને રાજકારણથી ઉપર જોઈને તેમાં તપાસની જરૂર છે. ત્યારે અરજદારોને રાહત આપી શકાય નહીં. જેનું સમર્થન ગુજરાત હાઇકોર્ટે કરતા તેમને રાહત આપી નથી. સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદવધુ એક અરજી દાહોદથી આવી હતી. જેના કાલીમહુડી ગામના સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા હતા. જો કે સેશન્સ કોર્ટે તેમને કાલીમહુડી ગામમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા હતા. કારણ કે ફરિયાદી પણ તે જ ગામનો રહેવાસી હતો. અરજદાર આરોપી પૈકી એક સરપંચ હોવાથી તેની પંચાયત કાર્યમાં જરૂર હોવાથી તેને ગ્રામ પ્રવેશ કરવાની શરતમાં છૂટ આપવા તેને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. જેને પણ નકારી નાખવામાં આવી છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેને મતદાનના દિવસે ત્રણ કલાક ગ્રામ પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:08 pm

ડોર-ટુ-ડોર વાનનું ચેક-અપ અભિયાન:માણસોનું નહીં પરંતુ ગાડીનું ચેકઅપ થયું, સફાઈથી લઇ એન્જિન ચેક સુધી સંપૂર્ણ સર્વિસિંગની તપાસ

અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાન વાહનોની નિયમિત દેખરેખ અને જાળવણી માટે 20 એપ્રિલ, 2026ના રોજ એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વાહનોના “હેલ્થ ચેક-અપ” દ્વારા તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે પગલાં લેવામાં આવ્યા હતા. ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતુંઆ અનુસંધાને આ અભિયાનની શરૂઆત AMCના સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) ખાતેથી કરવામાં આવી છે. જે આગામી સમયમાં શહેરના તમામ સાત ઝોનમાં કરવામાં આવશે. મધ્ય ઝોનમાં આવેલ વાન પાર્કિંગમાં ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં વાહનોની સંપૂર્ણ સફાઈ, રંગ-રોગાન, લુહારી કામ, ટાયરોમાં હવા ચેક, પીયુસી ચેક, એન્જિન ચેક, ઓઇલ ચેક, ફિલ્ટર ચેક સહિતની કામગીરીઓ સાથે માસિક સર્વિસિંગ કરવામાં આવ્યું હતું. તમામ ઝોનમાં વાહનોનું હેલ્થ ચેકઅપનું અભિયાન કાર્યરતટેન્ડર સ્પેસિફિકેશનના આધારે ડોર-ટુ-ડોર કલેકશનની આ વાનોના સર્વિસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેન્ટ્રલ ઝોનમાં આવેલી કલેકશનના વાહનો કાર્યરત છે, જેનું હાલ હેલ્થ ચેક-અપ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરના તમામ ઝોનના વાહનોનું હેલ્થ ચેક અપ કરી આ અભિયાનને કાર્યરત કરવામાં આવશે. આ પહેલ દ્વારા વાહનોની કાર્યક્ષમતા જાળવવામાં મદદ મળશે તેમજ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સહાય મળશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:02 pm

રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝન ખાતેથી ચાલતી ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતા મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરીના આયોજન પૂર્વે આ સમાચાર વાંચવા અત્યંત મહત્વના છે. રેલવે તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય ડિવિઝનમાં ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી મહત્વની ટ્રેનો પર અસર પડી છે. મુખ્યત્વે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝન હેઠળ આવતા નેઉરા–જટ ડુમરી સેક્શનમાં હાલ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. આ ટેકનિકલ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના માર્ગમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થનારી ટ્રેન સંખ્યા 15635 (ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ) તેના નિયત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી ચલાવવામાં આવશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા જહાનાબાદ–પટના થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે. ખાસ નોંધનીય છે કે, આ રૂટ પરિવર્તનને કારણે આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં. જે મુસાફરોએ બક્સરથી મુસાફરી કરવાનું આયોજન કર્યું હોય તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ પશ્ચિમ રેલવે દ્વારા માળખાગત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ નિર્માણ કાર્ય માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર રાજકોટ અને જામનગરના મુસાફરો પર પડશે. આ કામગીરીને કારણે વડોદરા અને જામનગર વચ્ચે દોડતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ઇન્ટરસિટી ટ્રેનોની વિગત 1. ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઇન્ટરસિટી): આ ટ્રેન 23 એપ્રિલ, 2026ના રોજ રદ કરવામાં આવી છે. 2. ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઇન્ટરસિટી): આ ટ્રેન 24 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે. ઉલ્લેખનીય છે કે, બંને ટ્રેનો રદ થવાને કારણે વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે અપ-ડાઉન કરતા અનેક મુસાફરો તેમજ વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનોના સમય અને રૂટ અંગેની ખાતરી કરે, હાલ રેલવે તંત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી મુસાફરોએ સહકાર આપવો જરૂરી છે. ટ્રેનોના સ્ટોપેજ સહિતના ફેરફારો અને નવીનતમ સમયપત્રક જાણવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે અથવા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપનો ઉપયોગ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:58 pm

મંડોર સરકારી શાળાને 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં એવોર્ડ મળ્યો:'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળ્યો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણીની સુવિધા, બાળકોનું આરોગ્ય, સલામતી અને વર્તન પરિવર્તન જેવી બાબતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાને 'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ ઉપરાંત, 'બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ' સબ-કેટેગરીમાં તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ ગીર સોમનાથના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંડોર સરકારી પ્રાથમિક શાળાને શિલ્ડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરબતભાઈ બારડ દ્વારા આ સિદ્ધિ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડોર સરકારી પ્રાથમિક શાળા દર વર્ષે તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે સરકાર દ્વારા વિવિધ મંચ પરથી નોંધ લેવાય છે. તાજેતરમાં જ આચાર્ય પરબતભાઈ બારડને તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળ્યો છે. વધુમાં, SIR રાષ્ટ્રીય કામગીરીમાં વેરાવળ તાલુકામાં સૌપ્રથમ કામગીરી પૂર્ણ કરવા બદલ આચાર્ય પરબતભાઈ બારડ અને શિક્ષક વિજયભાઈ વાળા બંનેને પ્રાંત અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. NMMS, જવાહર નવોદય અને અનેક શિષ્યવૃત્તિ તેમજ વિશેષ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે નોંધનીય સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ NMMS પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ભાલિયા મોઈન મયુદીનભાઈએ મેરિટમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળામાં વિશાળ, સુંદર અને સુઘડ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ, બાળકોના રમતગમત માટે વિશાળ મેદાન અને સાધનો, સુંદર બગીચો, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, CCTV, મધ્યાહન ભોજન, અનેક શિષ્યવૃત્તિઓ અને સરકારી યોજનાઓના લાભ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મોટા શહેરની ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી હોવાથી, મંડોર સરકારી શાળાની ખ્યાતિ આસપાસના વિસ્તારમાં પ્રસરેલી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ અહીં આકર્ષાય છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:52 pm

ગુજરાતથી કેદારનાથ દર્શને ગયેલા શ્રદ્ધાળુનું મોત:દીકરાના ગંભીર આરોપ- મૃતદેહ 2 કલાક સુધી તડકામાં પડી રહ્યો, એમ્બ્યુલન્સ માટે ₹16,000 માંગ્યા

કેદારનાથના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું. મૃતકના પુત્રએ પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. વડોદરાથી ટૂર ઓપરેટર હેમંતભાઈ (ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ) પોતાના માતા-પિતા સાથે દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું- પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ પડી ગયા. 100 નંબર પર ફોન કર્યો, મેડિકલ ટીમે 5-10 મિનિટમાં આવવાનું કહ્યું, પરંતુ દોઢ કલાક સુધી કોઈ આવ્યું નહીં. મજબૂરીવશ પિતાને પીઠ્ઠુ પર હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આખો પરિવાર 19 એપ્રિલના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ટૂર પર ગયો હતો. 70 લોકોની ટૂર છે. હેમંતભાઈ તેમના પત્ની અને માતા-પિતા સાથે ટૂર પર ગયા છે. આ દરમિયાન હેમંતભાઈના પિતાનું અવસાન થયું છે. 13 દિવસની યાત્રા છે. યાત્રા આગળ વધશે અને હેમંતભાઈ તેમના પરિવાર સાથે વડોદરા પરત આવશે. '2 કલાક તડકામાં પડી રહી ડેડ બોડી' અંકુરે આગળ કહ્યું કે, મારા પિતાનો મૃતદેહ 2 કલાક સુધી હેલિપેડ પર તડકામાં પડ્યો રહ્યો. પ્રશાસન કહે છે કે પગપાળા લઈ જાઓ. પગપાળા લઈ જવામાં 5-6 કલાક લાગશે, મૃતદેહની શું હાલત થશે. જો CM ને આવવા-જવા માટે હેલિકોપ્ટર મળી શકે છે, તો એક મૃત શ્રદ્ધાળુના મૃતદેહને નીચે પહોંચાડવા માટે કેમ નહીં? ડીએમ સાહેબ કહી રહ્યા છે કે DGCA સાથે વાત કરો. ગયા વર્ષે મૃતદેહ નીચે લઈ જવાની મંજૂરી હતી, તો આ વર્ષે અચાનક નિયમો કેમ બદલવામાં આવ્યા? શું મૃત્યુ પામેલા લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? પુત્ર બોલ્યો- 16 હજાર રૂપિયા માંગી રહ્યા છે અંકુરે ભાસ્કરને જણાવ્યું કે રુદ્રપ્રયાગ પ્રશાસન કોઈ મદદ કરી રહ્યું નથી. ઉપરથી પૈસા માંગવામાં આવી રહ્યા છે. રુદ્રપ્રયાગના DM વિશાલ મિશ્રાએ એમ્બ્યુલન્સનો નંબર આપ્યો, જે દિલ્હી એરપોર્ટ સુધી છોડવાના 16,000 રૂપિયા માંગી રહ્યા છે. હાલ તેઓ રુદ્રપ્રયાગની હોસ્પિટલમાં છે. UCADA બોલ્યું- હેલિકોપ્ટર સેવા આપવામાં આવી યુકાડા (UCADA) સીઈઓનું કહેવું છે કે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મેડિકલ ફેસિલિટી માટે સ્થાનિક પ્રશાસનની સંપૂર્ણ જવાબદારી હોય છે અને તેમના સ્તરેથી જ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેદારનાથ હેલીપેડ પર પરિવાર દ્વારા ઘણા કલાકો સુધી રાહ જોવાના સંબંધમાં કંટ્રોલ રૂમમાં પહેલા કોઈ સૂચના આપવામાં આવી ન હતી કે હેલીપેડ પર આ પ્રકારનો કોઈ કેસ છે. જેવી જ સૂચના મહાનિર્દેશક બંશીધર તિવારીએ બપોરે લગભગ 12 વાગ્યે તેમને ફોન કરીને જાણકારી આપી, તેના 10 થી 15 મિનિટની અંદર જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી અને વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને નીચે પહોંચાડી દેવામાં આવ્યો હતો. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓના મોત થયા ઉત્તરાખંડની ચારધામ યાત્રાના પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને હવે વધુ એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ચારધામ યાત્રાના પહેલા દિવસે ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી ધામ માર્ગ પર બે મૃત્યુ થયા હતા. મધ્યપ્રદેશથી પોતાના પતિ સાથે યાત્રા પર આવેલી એક મહિલાનું ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું. જ્યારે, મહારાષ્ટ્રથી આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુની પગપાળા ચઢાણ દરમિયાન અચાનક તબિયત લથડી. ચઢાણ કરતી વખતે તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ. પરિવારજનો અને પ્રશાસનની મદદથી તેમને તરત જ જાનકીચટ્ટી સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… 181 દિવસ પછી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ, DGCAએ હેલિ સેવા સ્થગિત કરી; બદરીનાથ પહોંચી ડોળીઓ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારે સવારે 8 વાગ્યે કેદારનાથ મંદિરના દરવાજા ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. પરંપરા મુજબ, મંદિરનો પૂર્વીય દરવાજો પહેલા ખોલવામાં આવ્યો હતો, અને મુખ્ય પૂજારી, રાવલ અને અન્ય હકદારોએ પ્રવેશ કર્યો હતો અને પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન ગયા વર્ષે દરવાજા બંધ કરતી વખતે જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવેલી રાખ દૂર કરવામાં આવી હતી અને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. દરવાજા ખોલવાના પ્રસંગે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંદિર પહોંચ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરી. વૈદિક વિધિઓ સાથે પૂજા પૂર્ણ થયા પછી મંદિરના મુખ્ય દરવાજા હવે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, અને દર્શન શરૂ થઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:30 pm

મહીસાગરમાં હીટવેવનો પ્રકોપ, બપોરે રસ્તા સૂમસામ:આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી, ORSનું વિતરણ શરૂ

ગુજરાત રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે જિલ્લા મથક લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીને લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો તમામ સાવચેતીના પગલાં ભરવા સૂચન કરાયું છે. ખાસ કરીને સવારે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં બહાર નીકળતી વખતે શરીરને સંપૂર્ણપણે ઢાંકીને નીકળવા અને વધુ માત્રામાં પાણી તેમજ ઠંડા પદાર્થોનું સેવન કરવા જણાવાયું છે. લોકોને લૂની પરિસ્થિતિમાં ચા, કોફી અને વધુ મસાલેદાર પદાર્થોનું સેવન ટાળવા માટે પણ જણાવાયું છે. જો કોઈને લૂના લક્ષણો જણાય, તો તરત જ તેને છાંયડામાં લઈ જઈ કપડાં ઢીલા કરવા, પાણીનો છંટકાવ કરવો, છાશ કે ORS પીવડાવવું. વધુ જરૂર જણાય તો નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે જવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ત્રણ એસટી ડેપો – બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર ખાતે મુસાફરો, બસ ડ્રાઈવરો અને કંડક્ટરોને લૂથી બચવા અને લૂ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સ્થળોએ નિઃશુલ્ક ORSનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:28 pm

હિંમતનગરમાં જલારામ-જલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ યોજાયો:જલારામ મંદિરનો 20મો અને જલેશ્વર મહાદેવનો ત્રીજો પાટોત્સવ

હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર અને જલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિરનો આ 20મો અને જલેશ્વર મહાદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ હતો. બુધવારે યોજાયેલા આ પાટોત્સવમાં યજમાનોના હસ્તે હવનનું આયોજન કરાયું હતું. જલારામ મંદિરના 20મા પાટોત્સવમાં બે યજમાનોએ હવનમાં ભાગ લીધો હતો. જ્યારે જલેશ્વર મહાદેવ મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે પાંચ યજમાનો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર હવન કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે સવારે હવનનો પ્રારંભ થયો હતો અને સાંજે હોમ સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. હવનની પૂર્ણાહુતિ બાદ યજમાનોના હસ્તે આરતી કરવામાં આવી હતી. સાંજે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:25 pm

વેરાવળ ચોપાટી પર ‘વિકાસ’ના દાવા સામે ‘ભ્રષ્ટાચાર’ના આક્ષેપો::ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોપાટી મુલાકાત દરમિયાન સુવિધાઓની ખામીઓ ઉઠાવી; ભાજપ સામે કોંગ્રેસનો સીધો હુમલો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ વેરાવળ નગરપાલિકાની રાજનીતિમાં તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. એક તરફ ભાજપ વિકાસના દાવા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ આ જ વિકાસને ‘ભ્રષ્ટાચારનો નકાબ’ ગણાવી તીખા પ્રહારો કરી રહી છે. હવે આ રાજકીય જંગનું કેન્દ્ર બની છે વેરાવળની ચોપાટી—જ્યાં વિકાસના દાવા સામે જ હકીકતોના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે ચોપાટી પર પહોંચી ગયા હતા અને ત્યાંની હાલતને ‘ભાજપના ભ્રષ્ટ શાસનનું જીવંત ઉદાહરણ’ ગણાવી હતી. જનસંપર્ક સાથે કરવામાં આવેલી આ મુલાકાત માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ ચૂંટણી પૂર્વેનો એક મોટો રાજકીય સંદેશ બની ગઈ છે. ચોપાટી, જે પ્રવાસન અને શહેરના ગૌરવનું પ્રતિક હોવું જોઈએ, ત્યાં હાલ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વોક-વેના બ્લોક્સ અને લાદીઓ થોડા જ સમયમાં ઉખડી જવાથી કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે “લોટપાણીને લાકડા જેવું કામ” કરી પ્રજાના પૈસા ગાળવામાં આવ્યા છે. રાત્રિના સમયે ચોપાટી પર અંધારપટ છવાઈ જાય છે—કારણ કે લાખો રૂપિયાના હાઈ-માસ્ટ લાઈટ પોલ બંધ હાલતમાં છે. શૌચાલયોમાં ગંદકીના ઢગલા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ, ‘સ્માર્ટ સિટી’ના દાવાઓને ખુલ્લો પડકાર આપે છે. વધુમાં, રખડતા પશુઓ અને કૂતરાઓના ત્રાસને કારણે પરિવાર સાથે ફરવા આવતા નાગરિકો માટે ચોપાટી જોખમી બની ગઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ પર આક્રમક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “આ વિકાસ નહીં, પણ ભ્રષ્ટાચારનું પ્રદર્શન છે. જનતાના કરોડો રૂપિયા ક્યાં ગયા તેનો હિસાબ ભાજપને આપવો પડશે. વેરાવળની જનતા હવે મૌન નહીં રહે આ ચૂંટણીમાં જવાબ મળશે.” ચૂંટણીના માહોલમાં કોંગ્રેસે ‘ચોપાટી મોડેલ’ને મુખ્ય મુદ્દો બનાવી ભાજપને રક્ષણાત્મક સ્થિતિમાં ધકેલી દીધું છે. બીજી તરફ ભાજપ હજુ સુધી આ આક્ષેપો પર ખુલ્લો જવાબ આપતું નથી, પરંતુ અંદરખાને નુકસાન નિયંત્રણની કોશિશો તેજ થઈ હોવાની ચર્ચા છે. સ્પષ્ટ છે કે વેરાવળની આ ચૂંટણી માત્ર મતદાન પૂરતી નહીં રહે, પરંતુ ‘વિકાસ સામે ભ્રષ્ટાચાર’ના નેરેટિવ પર લડી જશે. હવે જોવાનું એ રહેશે કે ચોપાટીનો મુદ્દો મતદારોના મનમાં કેટલો ઊંડો પ્રભાવ પાડે છે અને આ રાજકીય ઘમાસાણ અંતે કોના પક્ષે વળે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:14 pm

નિઝર પોલીસે રૂ. 30.74 લાખનો દારૂ ઝડપ્યો:મહારાષ્ટ્રથી બોલેરો પીકઅપમાં લવાતો જથ્થો કેસરપાડા પાસે પકડાયો

તાપી જિલ્લાના નિઝર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરહદ તરફથી આવતી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ. 28.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 30.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વિઠલપરા, PSI એમ.આઈ. વસાવા અને તેમની ટીમ કેસરપાડા ચોકી પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રિના આશરે ૩:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના ધાનોરા ગામ તરફથી એક સફેદ બોલેરો પીકઅપ ગાડી (નંબર: MH-15-HH-1956) શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીની પાછળના ભાગે કાળી તાડપત્રી બાંધેલી હતી. પોલીસે તપાસ કરતા અંદર પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી 'રીઝો પોર્ટ વાઈન ૧૦૦૦' બ્રાન્ડની વિવિધ માપની કુલ ૮,૭૬૦ બોટલો (૧૯૨૨.૪૦૦ લિટર) દારૂ જપ્ત કર્યો હતો. જેમાં ૭૫૦ મિ.લી.ની ૩૬૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦), ૩૭૫ મિ.લી.ની ૭૨૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦) અને ૧૮૦ મિ.લી.ની ૭,૬૮૦ બોટલ (કિંમત રૂ. ૨૦,૨૭,૫૨૦) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. ૨,૫૦,૦૦૦ ની બોલેરો પીકઅપ ગાડી અને રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. ૩૦,૭૪,૫૨૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગાડીના ચાલક રમેશભાઈ ચુનિલાલભાઈ ગાંવિત (ઉંમર ૨૬, રહે. સ્વામીનગર અંબડ, તા. ચાંદવડ, જિ. નાશિક, મહારાષ્ટ્ર) ની અટકાયત કરી છે. પૂછપરછમાં આરોપી પાસે દારૂના વહન માટે કોઈ પાસ કે પરમિટ મળી ન હતી. આ સફળ કામગીરી નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વિઠલપરા, પી.એસ.આઈ. એમ.આઈ. વસાવા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, કોન્સ્ટેબલ મુકેશભાઈ, યતિનભાઈ, સંતવાનભાઈ અને સંદીપભાઈ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:10 pm

ગોધરામાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ: ભાજપ મેન્ડેટનો મુદ્દો:ચૂંટણી અધિકારીના આદેશથી કોંગ્રેસ આક્રમક, કાયદાકીય લડતની ચીમકી

ગોધરા નગરપાલિકા ચૂંટણીમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભાજપનું મેન્ડેટ રજૂ ન કરવાના કારણે રદ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીના આ આદેશથી કોંગ્રેસ આક્રમક બની છે અને ન્યાય મેળવવા કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશમાં કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીનું ઉમેદવારી પત્ર અમાન્ય ગણાવવા પાછળનું કારણ દર્શાવવામાં આવ્યું છે. આદેશ મુજબ, ઉમેદવારે 'ભાજપનું મેન્ડેટ' રજૂ કર્યું ન હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. કોંગ્રેસના ઉમેદવાર પાસેથી ભાજપના મેન્ડેટની અપેક્ષા રાખતા આ હુકમે સૌને ચોંકાવી દીધા છે. આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે, ગત ૧૩ એપ્રિલના રોજ વોર્ડ નંબર ૧૦ના કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઉમેદવારી પત્ર સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ચૂંટણી અધિકારીએ પક્ષનું મેન્ડેટ રજૂ ન થયું હોવાનું જણાવી તેમનું ફોર્મ અમાન્ય ગણાવ્યું. ચૂંટણી અધિકારીના આ વિવાદાસ્પદ નિર્ણયથી કોંગ્રેસ આક્રમક બની છે. પક્ષે આ મામલાને ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડવાની અને જરૂર પડ્યે કેન્દ્ર સ્તરે પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં સત્તાધારી પક્ષના મેન્ડેટનું કારણ આપી વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવું, તે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. હવે રાજ્ય ચૂંટણી પંચ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:02 pm

વોર્ડ નંબર 4માં બ્યુટીફિકેશન થયું પણ પ્રાથમિક સુવિધા ભૂલાઈ:લોકોએ કહ્યું- નર્મદાનું એક ટીપુય પાણી નથી મળ્યું, બાલમંદિર અને પ્રાથમિક શાળા શરૂ કરવા માગ

નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકામાં આગામી 26 એપ્રિલે 13 વોર્ડની ચૂંટણી થવા જઇ રહી છે.ત્રણે પક્ષના ઉમેદવાર હાલમાં જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે મહેસાણાના વોર્ડ નંબર 4 માં આવેલા તાવડીયા રોડ પરની કેટલીક સોસાયટીમાં રહેતા રહીશોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો.આ મહાનગરપાલિકા બન્યા બાદ આ વિસ્તારમાં હાલમાં તો વિકાસના કામો થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે બીજી બાજુ આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પણ હોવાનું તેઓએ જણાવ્યું છે. બ્યુટીફિકેશનના કામો વચ્ચે પીવાના પાણીની સમસ્યાઆ વિસ્તારમાં વિકાસના કામોની વાત કરવામાં આવે તો તળાવ બ્યુટીફીકેશન નું કામ ચાલી રહ્યું છે.આઇકોનીક રોડ બની રહ્યા છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે લાઇન પણ નાખી દેવામાં આવી છે.પરંતુ આ વિસ્તારમાં પાયાની સુવિધા જેવી કે સોસાયટીમાં નર્મદાનું પાણી મળતું નથી,પાણી મળે છે તો ઓછા પ્રેશરમાં મળે છે,આ વિસ્તારમાં આંગણવાડી કે સરકારી શાળા ના હોવાથી વિદ્યાર્થીઓ ને આજુબાજુ ના વિસ્તારમાં ભણવા જવું પડે છે.ત્યારે આ વિસ્તારમાં રોડ,રસ્તા,ગટર ની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં થઇ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વિનુભાઈ રાવળે જણાવ્યું કે, તાવડીયા વિસ્તારમાં બાળમંદિર નથી. નાના ભૂલકાઓને મહેસાણાના માનવ આશ્રમ અથવા તાવડીયા ગામે ભણવા જવું પડે છે.નાના બાળકો માટે ખૂબ તકલીફ ભર્યુ કામ છે.અહીંયા બાળમંદિર,જુનિયર કે.જી,સિનિયર કે.જી ની રચના થાય અને 1 થી 8 ધોરણની સ્કૂલ અહીંયા ચાલુ થાય. જેથી બાળકો અને માતા પિતાને આસાની રહે.વિકાસની વાત કરીએ તો તાવડીયા ગામના તળાવનું બ્યુટીફીકેશન થઈ રહ્યું છે, વરસાદી પાણીના નિકાલ માટે ગટરની લાઇન પણ નાખવામાં આવી છે. વિકાસ તો થયો છે પણ અમારી પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ઘર વપરાશ નું પાણી અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે આવે છે.સાંજે પણ આવે છે પરંતુ એ પૂરતું નથી આવતું.ઉનાળામાં તો ટેન્કરો મંગાવવા પડે છે ને ખૂબ મોંઘા પડે છે.તેમજ નર્મદાનું પાણી તો અમને ટીપુંય મળતું નથી.આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે તો એ આશીર્વાદ રૂપ સાબિત થશે. અકસ્માત ઝોન ગણાતા વિસ્તારમાં સ્પીડબ્રેકર મૂકવા માગમગનભાઈ દેસાઈ એ જણાવ્યું કે, આ વિસ્તારમાં તો પહેલા તાવડિયા લિંક રોડ,વિસનગર લિંક રોડ ખરો ને ત્યાં અકસ્માત ઝોન છે. અને ત્યાં બે સ્પીડ બ્રેકર માંગેલા છે પણ આજ સુધી એ કામ થયું નથી. કારણ કે એ જોખમ છે.રસ્તો ક્રોસ કરવો મોટું જોખમ છે. તાવડિયા રોડ ખરો ને, SC, ST અને OBC ની મોટાભાગની પબ્લિક અહીંયા રહે છે. આ વિસ્તારમાં પ્રાથમિક શાળા,બાલમંદિરની પણ ખૂબ જરૂર છે. પીવાનું પાણી નર્મદાનું આવતું નથી જે આવે છે એ પ્રેશરથી આવતું નથી. એટલે જે પ્રાથમિક જીવન જરૂરિયાતો જે ખરી ને એ આ રોડ ઉપર ખૂબ જ જરૂર છે. અને એ સરકાર દ્વારા અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પૂરું થાય એવી અપેક્ષા રાખી છીએ. ​વધુમાં જણાવ્યું કે કોર્પોરેટરો આવતા, કેટલાય નેતાઓ આવતા. આ બધા વિકાસના કામો તો ચાલુ જ છે.પણ જે જે જરૂરિયાત છે એ જેમ કે પાયાની જરૂરિયાત પેલા સ્પીડ બ્રેકર તાવડિયા લિંક રોડ ઉપર.અને આ રોડ આખું પહોળો થાય,આ ગટરો રોડના લેવલે પુરાય, આ કેનાલો જે વરસાદી કરી ને એ રોડના લેવલ થાય તો રસ્તો પહોળો થાય. બાકી દબાણ હોય એ તોડી નાખો અને રસ્તો અત્યારથી પહોળો થાય તો પબ્લિકને સારી સુવિધા મળે. પીવાનું પૂરતું પાણી, સ્ટ્રીટ લાઈટ અને શિક્ષણ સુવિધાની માગ​ચૌહાણ ડાહ્યાભાઈ એ જણાવ્યું કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની જે લાઇન નાખી છે.એ 8 ફૂટ જગ્યા રોકી છે.ગટર લાઇન પાઇપ લાઇન દ્વારા નાખવામાં આવે તો રસ્તો પહોળો થઈ શકે છે.આ વિસ્તારમાં વારંવાર અકસ્માતનો ભય રહે છે,ટ્રાફિક સમસ્યા બહુ છે. લોકો આડેધડ પાર્કિગ કરતા હોય છે.જેના કારણે લોકોને આવવા જવામાં ભારે તકલીફ પડતી હોય છે. અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી મળતું નથી.અમારી બાલાજી સોસાયટીમાં જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારથી રજુઆત કરીયે છીએ.કે બે સમય પીવાનું પાણી મળે પરંતુ એ સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી.આ બાબતે અમે અમારા પ્રશ્નોની રજુઆત કરી છે.જેમાં પાણી,રોડ,સ્ટ્રીટ લાઇનનો પ્રશ્ન છે.રોડ પહોળો કરી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તો રોડની રોનક સારી આવે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 pm

પોરબંદરમાં 262 ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા:જુબેલી ચાર રસ્તા પાસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, પોરબંદર એસ.ઓ.જી.એ જુબેલી ચાર રસ્તા વિસ્તારમાંથી 262 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાએ સ્ટાફને ચોક્કસ બાતમીઓ પર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે, જુબેલી ચાર રસ્તા ખાડી કાંઠે જોષી સાયકલ સ્ટોર પાછળ આવેલા એક રહેણાંક મકાન પર સરકારી પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, જયદીપ બાબુભાઈ ચાવડા (ઉંમર 28, રહે. ગીતાનગર સોસાયટી, છાંયા) અને નારણભાઈ વરજાંગભાઈ વાજા (ઉંમર 66, રહે. જુબેલી ચાર રસ્તા વિસ્તાર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૂપિયા 13,100ની કિંમતનો 262 ગ્રામ સૂકો ગાંજો, રૂપિયા 500નો એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને રૂપિયા 2,500નો Nothing કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:58 pm

ઈટાલિયા ગાળ બોલ્યા, ધ્યાન દોર્યુ તો કહે નોર્મલ છે:નેતાઓને કર્મો દેખાડ્યા રામના નામે ભાગ્યા, કપરાડામાં અકસ્માતમાં 6ના મોત

AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા જૂનાગઢમાં ભેસાણમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાળ બોલ્યા હાજર આગેવાનો એ ધ્યાન દોરતા કહ્યુ ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મો દેખાડ્યા તો રામના નામે ભાગ્યા!અમદાવાદના શાહપુરમાં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારોને અધૂરા કામોને લઈને સ્થાનિકોએ ઘેર્યા .. ત્યારે જવાબ આપવાને બદલે ઉમેદવારો જય શ્રીરામના નારા લગાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાઈ સુરતના ગોરાટમાં હનુમાન મંદિરના વિવાદને લઈને સ્થાનિકોએ ભાજપ કાર્યકર્તાઓને રોક્યા તો કાર્યકર્તાઓ ધક્કામુક્કી પર ઉતરી મહિલાઓ સાથે જપાજપી કરી .. જેમા મહિલાને ધક્કો વાગતા તે દીવાલ સાથે અથડાઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ જિલ્લા પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો જૂનાગઢના કેશોદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જાહેરમાં બર્થડે ઉજવ્યો કેક કાપી ફટાકડા ફોડ્યા... કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ સહભાગી થયા... જાહેરમા ઉજવણી થી પોલીસની કાર્યવાહી પર સવાલો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત કપરાડા નજીક મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી પલટી મારી જતા 6 લોકોના મોત થયા.. કુલ 28 જેટલા વ્યક્તિઓ પરિવાર આણું વાળવા જતા હતા ત્યા અકસ્માત નડ્યો... ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત સુરતના સુભાષનગરમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના માત્ર બે જ મહિનામાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવર સ્પીડમાં બેલેન્સ ગુમાવતા મોત સુરતના કામરેજમાં પુરપાટ ઝડપે જતી મોટરસાયકલ વીજળીના થાંભલા સાથે અથડાઇ ... વતન જવા માટે સામાન લેવા જતા ત્યારે બાઇક પરથી કાબુ ગુમાવતા એકનું મોત નીપજ્યુ... પોલીસે આગળ તપાસ હાથ ધરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ.. સીસીટીવી ફૂટેજમાં અપહરણકાર બાળકીને ટ્રેનથી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાથી સુરત પોલીસની 20 ટીમો ઈન્દોર જવાના રવાના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા કરાઇ .. અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી ..સવારે 55 વર્ષીય કાનજીભાઈનો મૃતદેહ મળતા સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શેકાવા તૈયાર રહેજો, પારો 43 ડિગ્રી પહોચશે ગુજરાતમાં આગામી 7 દિવસ આગઝરતી ગરમીની આગાહી 24 તારીખથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે .. તાપમાનનો પારો 43 સુધી પહોંચવાની શક્યતા છે મતદાનના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:51 pm

ખેડાના ડાકોર પંથકમાં ભૂકંપનો આંચકો:4:35 વાગ્યે મોટા અવાજ સાથે આંચકાને કારણે ફાગવેલ અને કાલસરના ગ્રામજનોમા ફફડાટ; તીવ્રતા 3.4

ખેડા જિલ્લાના ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4:35 કલાકે 3.4 ની તીવ્રતા નોંધાઈવહેલી સવારે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કાલસર, આગરવા નેશ અને કાલસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે મહેસૂસ કરવામાં આવ્યો હતો. મોટા અવાજ સાથે ધરા ધ્રૂજતા ફફડાટભૂકંપનો આંચકો એકાએક મોટા અવાજ સાથે આવતા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલુકાનું વજેવાલ ગામ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ફાગવેલ તાલુકાના અનેક ગામોમાં અસરડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં પણ કેટલાક ગામોમાં ધરા ધ્રૂજી હતી. ફાગવેલ તાલુકાના વડોલ, કાપડીવાવ અને ફાગવેલ જેવા મુખ્ય ગામોમાં બરાબર 4:36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગભરાટના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા અચાનક આવેલા આંચકાથી ભયભીત થયેલા લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સમગ્ર પંથકના લોકોએ ભૂકંપનો આ હળવો આંચકો અનુભવતા લાંબા સમય સુધી લોકોમાં ફફડાટ વ્યાપેલો રહ્યો હતો.આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:28 pm

ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી

Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર, હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22થી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે: IMDની આગાહી હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.

ગુજરાત સમાચાર 22 Apr 2026 5:03 pm

કોહલીને 2 કરોડનો ધુંબો લાગતા બચ્યો!:ઉત્તર ગુજરાતના નારાયણ અને રિંકુએ ગામ ગાંડું કર્યું; પંડ્યા બ્રધર્સના કજિયાનો બોલતો પુરાવો મળ્યો, જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:55 pm

કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત:28 લોકો સવાર હતા, આણું વાળવા જતા પરિવારને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:51 pm

ભાજપના ઉમેદવાર દ્વારા મહિલાના અપમાન મામલે ‘આપ’ લાલઘૂમ:‘ભાજપના 30 વર્ષના શાસનથી જનતા કંટાળી, હવે પરિવર્તન નક્કી’, આંગડિયા મુદ્દે સિસોદિયાનો પડકાર, મહિલા અપમાન મુદ્દે મનોજ સોરઠીયાના આકરા તેવર

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લીધી હતી. સિસોદિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના લોકો હવે ભાજપની નીતિઓથી કંટાળી ગયા છે અને આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાનો વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે, વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા કાઉન્સિલરોએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કામો કર્યા છે, તેના આધારે જનતા ફરી વિશ્વાસ મૂકશે. આંગડિયા અને બ્લેક મની મુદ્દે ભાજપને ઘેર્યુંતાજેતરમાં ‘આપ’ પર લાગેલા હવાલાના આરોપોનો વળતો જવાબ આપતા સિસોદિયાએ સવાલ કર્યો હતો કે, જો મોદીજી બ્લેક મની નાબૂદીની વાત કરતા હોય તો ગુજરાતમાં આંગડિયાઓ કોના સંરક્ષણમાં અને કોના માટે કામ કરી રહ્યા છે? તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું કે, જો હિંમત હોય તો આંગડિયા પેઢીઓના એક મહિનાના CCTV ફૂટેજ જાહેર કરો. કયા નેતાઓ અને કોના સંતાનો ત્યાં લેવડ-દેવડ કરવા આવે છે તે જનતાને ખબર પડી જશે. માત્ર થોડી સેકન્ડના વીડિયો બતાવીને પ્રોપેગાંડા કરવાનું બંધ કરો અને સત્ય સામે લાવો. સુરતીઓએ 4 વર્ષ પહેલા 27 બેઠકો આપી અમારા પર વિશ્વાસ મૂક્યોAAPના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું હતુ કે, ભાજપે ગુજરાત માટે કંઈ કર્યું નથી, એ સત્યને અમે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલાં સુરતના લોકોએ 120માંથી 27 બેઠકો આપીને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ બતાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના વિઝન અને નેતૃત્વ હેઠળ દેશને આગળ લઈ જવાઈ શકે છે. એક સામાન્ય માણસના જીવનમાં સહુલિયતો આવે, લોકોના બાળકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે એ માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે કામ કરીને બતાવ્યું, તેના આધારે સુરતના લોકોએ અમને 27 બેઠકો આપી હતી. એ અમારા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? માત્ર આમ આદમી પાર્ટીને ગાળો આપવાનું કામ કર્યું. અમને ખરાબ કહેવાનું કામ કર્યું. પરંતુ પોતાના ભ્રષ્ટાચાર અને નિકમ્માપણાં સિવાય સુરત માટે કંઈ કર્યું નહીં. સુરતના સ્કૂલો માટે કંઈ કર્યું નહીં, હોસ્પિટલ માટે કંઈ કર્યું નહીં. સુરતના લોકોના જીવન સાથે જોડાયેલા જે મૂળભૂત પ્રશ્નો છે, જે મ્યુનિસિપલ મુદ્દાઓ છે, તેના માટે કંઈ કર્યું નહીં. પરંતુ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ વિરોધ પક્ષમાં રહીને પણ એ કામ કરીને બતાવ્યું, જેના માટે આમ આદમી પાર્ટી બની છે. વિરોધ પક્ષમાં રહીને પણ અમારા કાઉન્સિલરોએ સ્કૂલો બનાવડાવી,હોસ્પિટલોમાં બેડ વધારાવ્યા. આ વખતે પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં-જ્યાં ચૂંટણી થઈ રહી છે, ત્યાં અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અને આજે હું સુરતમાં છું. સુરતના લોકો વચ્ચે એ જ વિઝન, એ જ વિશ્વાસ અને એ જ આશા સાથે ફરી જઈ રહ્યા છીએ કે, ગયા વખતે તમે અમને વિશ્વાસ કરીને 27 બેઠકો આપી હતી, આ વખતે સુરત મહાનગરપાલિકામાં પૂર્ણ બહુમત આપો, જેથી અમે એ વિઝન પર કામ કરી શકીએ. સુરતના એક સામાન્ય માણસને પોતાની સરકાર પાસેથી, પોતાના નેતાઓ પાસેથી અને પોતાની મ્યુનિસિપલ લીડરશિપ પાસેથી જે અપેક્ષા હોય છે, એ દરેક જરૂરિયાત પર કામ કરી શકીએ. જ્યાં આપ સિસ્ટમમાં આવે છે ત્યાં કામ તો થાય જ છેમને પૂરો વિશ્વાસ છે કે સુરત મહાનગરપાલિકામાં અમારી સરકાર બનશે અને બહુમત મળશે. અને જ્યારે બહુમત મળશે ત્યારે ચોક્કસપણે સ્કૂલ અને હોસ્પિટલ પર કામ થશે જ. સારા સ્કૂલો બનાવાશે, સારી હોસ્પિટલો બનાવાશે. આ વાત આજે લોકોને સમજાવવાની જરૂર નથી, કારણ કે લોકોને ખબર છે કે જ્યાં-જ્યાં આમ આદમી પાર્ટી સિસ્ટમમાં આવે છે. એ પછી દિલ્હી હોય, પંજાબ હોય કે વિરોધ પક્ષમાં હોય ત્યાં સ્કૂલ અને હોસ્પિટલ પર કામ તો થાય જ છે. સુરતના લોકો માટે સારી મ્યુનિસિપલ સ્કૂલો બનાવવાનું કામ અમે કરીશું. બહુમતમાં આવીને એ દિશામાં મજબૂત પગલાં લઈશું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે ઘણો પૈસો છે. સુરતના લોકો હીરા ઉદ્યોગથી લઈને ટેક્સટાઈલ ઉદ્યોગ સુધી દેશને યોગદાન આપે છે. આંતરરાષ્ટ્રીય નકશા પર સુરતના વેપારીઓએ સુરતનું નામ રોશન કર્યું છે. એટલે અહીં પૈસાની કોઈ કમી નથી. પણ પ્રશ્ન એ છે કે પૈસા હોવા છતાં લોકો સુધી સુવિધાઓ કેમ નથી પહોંચતી? આ જ પ્રશ્નનો જવાબ હવે જનતા માંગે છે, અને આ જ જવાબ આમ આદમી પાર્ટી આપવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. સુરતમાં પૈસાની કોઈ કમી નથી. છતાં પણ લોકો પર એક પછી એક ટેક્સ લાદવામાં આવી રહ્યા છે. હવે તો પાણી પર પણ ટેક્સ લગાવવાની તૈયારી ચાલી રહી છે. આ વખતે બહુમત સાથે લોકો પાર્ટીને જીતાડશેહું સુરતના લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો લોકો પર પાણીનો ટેક્સ નહીં લાગે અને કોઈપણ પ્રકારના બિનજરૂરી ટેક્સ લાદવામાં નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મુદ્દો છે, પરંતુ સુરતના લોકો ખાસ કરીને આ મુદ્દે ખૂબ પરેશાન છે. સ્માર્ટ મીટરના નામે કેટલીક મળતિયાં કંપનીઓ દ્વારા ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ લૂંટ બંધ કરાવવા માટે પણ અમે લોકોને અપીલ કરીએ છીએ કે, જો તમે સ્માર્ટ મીટર સામે અવાજ ઉઠાવવા માંગતા હો, તો આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો. મનીષ સિસોદિયાએ કહ્યું કે નગર નિગમની ચૂંટણીમાં લોકોએ એક વખત આમ આદમી પાર્ટીને અજમાવી છે અને આ વખતે અમને પૂરો વિશ્વાસ છે કે અલગ-અલગ શહેરોમાં લોકો બહુમત સાથે આમ આદમી પાર્ટીને જીતાડશે. પોલીસ ગુજરાતમાં આંગડિયા ઓપરેશનને ખુલ્લેઆમ ચાલવા દે છેલોકો હવે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષ જૂના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને આગળ લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વિરોધ પક્ષમાં બેઠેલા લોકોની શું મજબૂરી હોઈ શકે, તેના વિશે હું કંઈ કહી શકતો નથી. પરંતુ જનતાને શું જોઈએ છે એ સ્પષ્ટ છે,જનતાને સારી સ્કૂલ જોઈએ, સારી હોસ્પિટલ જોઈએ અને લોકો પર ખોટા-ખોટા ટેક્સ ન લાદવામાં આવે. થોડા ભાજપના મિત્રોને ફાયદો થાય એ માટે જનતાને પરેશાન કરવી એ ચાલશે નહીં. આમ આદમી પાર્ટી પર કરોડોના હવાલાનો આરોપ લગાવવામાં આવ્યો હોવાના સવાલનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા મનિષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, તમે જ કહો છો કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે, અને ગુજરાત પોલીસ ગુજરાતમાં આંગડિયા ઓપરેશનને ખુલ્લેઆમ ચાલવા દે છે. તો શું તેનો અર્થ એ નથી કે ગુજરાત પોલીસ સ્વીકારી રહી છે કે ભાજપના શાસનમાં આંગડિયા ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે? પહેલા તો આ તપાસ થવી જોઈએ કે 30 વર્ષના શાસનમાં મોદીજી બ્લેક મનીની વાતો કરતા રહ્યા, પરંતુ ગુજરાતમાં આંગડિયા કોના માટે કામ કરે છે? કેમ કરે છે? અને કોના સંરક્ષણમાં કરે છે? 24 કલાકનું ફૂટેજ જાહેર કરો, ટીવી ચેનલોને આપોમનીષ સિસોદિયાએ કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં ગુજરાતમાંથી આંગડિયા અને હવાલા કારોબારીઓને ખતમ ન કરી શકી હોય, તો એનો અર્થ એ થાય છે કે ભાજપ આ વાત સ્વીકારી રહી છે.તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીનો કોઈ દૂરનો કાર્યકર્તા પણ પોતાના ધંધા માટે ચાર રૂપિયા લઈને જતો હોય અને જો તે ખોટું કરતો હોય, તો એને પણ પકડો. અમે ક્યાં મનાઈ કરીએ છીએ? જ્યારે અમે નિર્દોષ હોઈએ છીએ ત્યારે કોર્ટ અમને ખુલ્લેઆમ છોડી દે છે, કારણ કે અમારી સામે કેસ ટકી શકતો નથી. પરંતુ જો આંગડિયા ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ પાસે CCTV ફૂટેજ છે, તો 24 કલાકનું ફૂટેજ જાહેર કરો. ટીવી ચેનલોને આપો. એક અઠવાડિયાનો ફૂટેજ આપો. એક મહિનાનો ફૂટેજ આપો. બતાવો કે કયા આંગડિયા પાસે કયા નેતાઓ, કયા લોકો, અને કયા નેતાઓના બાળકો પૈસા લેવા-આપવા આવે છે. બધું જાહેર કરો. જો આમ આદમી પાર્ટીનો કોઈ દૂરનો કાર્યકર્તા પણ કોઈ CCTV ફૂટેજમાં પૈસા લેતો દેખાય, તો જનતા સામે મૂકો. પરંતુ ફક્ત થોડા સેકન્ડનો વીડિયો બતાવીને પ્રોપેગાંડા ન કરો. આખા દિવસનું, આખા મહિનાનું ફૂટેજ બતાવો. જે-જે લોકો આંગડિયા પાસે ગયા હોય, બધાનો ખુલાસો કરો. તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે જે વિસ્તારમાં આંગડિયાનો કારોબાર ચાલે છે, ત્યાંના ભાજપના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો આ કારોબાર ચલાવે છે કે સરકાર ચલાવે છે? ભાજપે આ વાતનો ખુલાસો કરવો જોઈએ. ‘30 વર્ષથી કંટાળી ગયા છીએ… થાકી ગયા છીએ’સી.આર. પાટીલે લગાવેલ આરોપનો જવાબ આપતા મનીષ સિસોદિયાએ કહ્યું કે છેલ્લા 30 વર્ષથી સુરત અને ગુજરાતના લોકોએ ભાજપને સરકાર બનાવી આપી છે એ આશાએ કે સ્કૂલ સુધરશે, શિક્ષણ સુધરશે. તમે 27 સ્કૂલ બતાવો સુરતમાં જે તમારી પાર્ટીએ સામાન્ય લોકોના બાળકો માટે સારી બનાવી હોય. જો તમે 27 સારી સરકારી સ્કૂલ બનાવી હોય, તો જનતા તમને 27 વર્ષ માટે પણ સરકાર બનાવી દેશે. પરંતુ જ્યારે-જ્યારે તમને સરકાર બનાવવાનો મોકો મળ્યો, ત્યારે તમે સ્કૂલ પર કામ કર્યું નથી. હું પાટીલ સાહેબને કહું છું સુરતમાં 27 સરકારી સ્કૂલ બતાવો, જે સામાન્ય લોકોના, મધ્યમવર્ગના બાળકો માટે ઉત્તમ શિક્ષણ આપવા માટે બનાવેલી હોય. ચાલો, જઈને જોઈ આવીએ. સ્કૂલ પર રાજનીતિ કરો, શિક્ષણ પર રાજનીતિ કરો એથી દેશ આગળ વધશે. કોણ કેટલી સીટ જીતશે, એ તો જનતા નક્કી કરશે. ગુજરાતની જનતા શું અનુભવી રહી છે એ મને આજે જ એક વ્યક્તિએ ખૂબ સરળ શબ્દોમાં સમજાવ્યું. તેમણે કહ્યું—સર, 30 વર્ષથી કંટાળી ગયા છીએ… થાકી ગયા છીએ.” આજે મને પહેલી વાર આ શબ્દનો અર્થ સમજાયો કે “કંટાળી ગયા” એટલે લોકો ખરેખર હવે થાકી ગયા છે. હું લોકોની જ ભાષામાં કહું તો ગુજરાતની જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે. 30 વર્ષ કોઈ એક પાર્ટી પર આશા રાખવા માટે બહુ લાંબો સમય છે. હું ફક્ત સુરતની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરું છું. કોઈપણ રાજ્યનું ભવિષ્ય સ્કૂલોથી લખાતું હોય છે. આજે પણ અમારી પાર્ટીએ સંઘર્ષનો રસ્તો મૂક્યો નથીકોઈપણ પરિવારનું ભવિષ્ય સ્કૂલોથી ઘડાતું હોય છે. પરંતુ શિક્ષણના મુદ્દે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં સંપૂર્ણપણે શૂન્ય સાબિત થઈ છે.30 વર્ષમાં ભાજપે ગુજરાતના બાળકોને શું આપ્યું? ન સારી સરકારી સ્કૂલો, ન વિશ્વસ્તરીય શિક્ષણ, ન એવું માહોલ કે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારના બાળકોને સારા ભવિષ્યની ખાતરી મળે. આજે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે, કારણ કે લોકો હવે સમજ્યા છે કે જો સ્કૂલ નહીં સુધરે, તો ભવિષ્ય નહીં સુધરે. અને આમ આદમી પાર્ટી એ જ ભવિષ્ય બદલવાની વાત કરે છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીને ગઈ ચૂંટણીમાં જે રીતે વિરોધ પક્ષમાં બેસવાની તાકાત મળી, ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે “સોનાની થાળીમાં લોખંડનો ખીલો આવી ગયો.” એ “લોખંડનો ખીલો” સોનાની થાળીમાથી દૂર કરવા માટે ભાજપે ખરેખર શાળાઓ બનાવવાની જરૂર હતી, દવાખાનાં બનાવવાની જરૂર હતી, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની જરૂર હતી, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી બનાવવાની જરૂર હતી. પરંતુ એ બધું કરવાની જગ્યાએ ખીલો કાઢવાની કોશિશના ભાગરૂપે અમારા કેટલાક લોકોને ડરાવ્યા, દબાવ્યા, ધમકાવ્યા, લલચાવ્યા અને તેમના પરિવારો પર દબાણ લાવી તોડફોડની રાજનીતિ કરી. પરંતુ અમે આજે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. 4 રાજ્યોમાં MLA ધરાવતી પાર્ટી પર એક કરોડનો આરોપઆ વખતે જે તમામ ઉમેદવારો ઊભા છે, તેઓ પૂરા તન-મન-ધનથી આમ આદમી પાર્ટી સાથે જનતાની સેવામાં જોડાયેલા છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે બહુમત પણ આવશે અને સુરતમાં જનતાનું સૌથી સારું કામ થશે. વધુમાં જણાવ્યુ હતુ કે આજે આંગડિયાનો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભાજપ અથવા પોલીસે આમ આદમી પાર્ટી પર એક કરોડ રૂપિયાનો આરોપ મૂક્યો છે. ઓફિશિયલી આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે. પંજાબમાં અમારી સરકાર છે, દિલ્હીમાં અમારા ધારાસભ્યો છે અને અમે વિરોધ પક્ષમાં છીએ, ગોવામાં અમારા ધારાસભ્યો છે, ગુજરાતમાં અમારા ધારાસભ્યો છે, કાશ્મીરમાં અમારા ધારાસભ્યો છે. ચાર રાજ્યોમાં ધારાસભ્યો ધરાવતી એક રાષ્ટ્રીય પાર્ટી પર માત્ર એક કરોડનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપના વોર્ડ લેવલના સામાન્ય કાર્યકર વર્ષે પાંચ કરોડનો “ભુક્કો” મારી જાય છે. તાલુકા પ્રમુખ કક્ષાના એવા લોકોને હું રૂબરૂ નામ-સરનામાથી ઓળખું છું, અમારા જ જિલ્લામાં એવા લોકો છે જેમણે પચાસ-પચાસ કરોડનો ભુક્કો મારી દીધો છે. અમારી પાસે એના બધા પુરાવા છે. અને હું આ પહેલી વાર જાહેરમાં નથી બોલતો અનેક વખત આ વાત કહી છે. વોર્ડ લેવલ અને તાલુકા પ્રમુખ લેવલના લોકો પચાસ કરોડનું પબ્લિકનું ખાઈ જાય અને એવી ભાજપ પાર્ટી અમારી આખી પાર્ટી પર એક કરોડનો આરોપ લગાડે છે. આવા વાહયાત આરોપો મૂકતા શરમ આવવી જોઈએ. આ તો હાસ્યાસ્પદ આરોપ છે. ‘મહિલા સાથે ધક્કામૂકી કરીને ધમકી આપી કે કપડા ઉતારીને રોડ પર દોડાવીશું’આરોપ મૂકવો હોય તો કંઈક એવો મૂકો કે અમારી ઈજ્જત રહે. અમારી જેવી મોટી પાર્ટી પર આટલો મામૂલી આરોપ મૂકવામાં આવે, તો અમારે તેનો શું જવાબ દેવો? આ તકે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતુ કે હર્ષ મહેતા નામના ભાજપના ઉમેદવારે મહિલા સાથે ધક્કામૂકી કરીને ધમકી આપી કે કપડા ઉતારીને રોડ પર દોડાવીશું. સુરતની જનતા અને ખાસ કરીને મહિલાઓ ભાજપને માફ નહીં કરે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:24 pm

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન:MLA ખેડાવાલાનું નિવેદન, ભાજપે રાજકીય મુદ્દો બનાવી કતલખાનું રદ કરાવ્યું, 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો છે. જમાલપુરમાં પેનલની જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું કોંગ્રેસે નાગરિકોને વચન આપ્યું છે. સ્લોટર હાઉસ બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે. પરંતુ ભાજપના નેતાઓએ ખોટી રીતે રાજકીય મુદ્દો બનાવી સ્લોટર હાઉસ રદ કરાવ્યું હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે. 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો છે. કોંગ્રેસે જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું વચન આપ્યુંઉમેદવારોની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મિટિંગ કરી કાર્યકર્તાઓની નારાજગી દૂર કરી છે. જેથી હવે તમામ કાર્યકર્તા એકસાથે આવીને કોંગ્રેસની પેનલને જીતાડવા માટે કામે લાગ્યા છે. જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ કોંગ્રેસની પેનલની જીત બાદ અતિ આધુનિક સ્લોટર હાઉસ બનાવવાનું નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આવતી હોવાથી સ્લોટર હાઉસની જરૂર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની વાત કરનાર ભાજપના નેતાઓને પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આડે હાથ લીધા છે. ભાજપના નેતાઓ પાસે વિકાસનો કોઈ મુદ્દો ન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાન અને ચિકનની લારીઓ બંધ કરાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. '30 વર્ષથી ભાજપનું શાસન, છતાં લોકો ઉમેદવારોને વિસ્તારમાં આવવા દેતા નથી'ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકોની રજૂઆત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. 30 વર્ષથી ભાજપનું શાસન છે છતાં ચૂંટણી દરમિયાન નાગરિકો ભાજપના ઉમેદવારોને વિસ્તારમાં જવા દેતા નથી. કોંગ્રેસને ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે. જમાલપુરમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અનેક વિકાસના કામ કર્યા છે. કોર્પોરેટર હતો ત્યારે અને ધારાસભ્ય છું ત્યારે પણ લોકોના મુદ્દા સરકાર સામે ઉઠાવુ છું. આ ચૂંટણીમાં અમે કોઈ વાદવિવાદમાં પડવા માંગતા નથી. રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, સારા રોડ હોય, ગાર્ડન હોય સહિતની વ્યવસ્થા અમે પૂરી કરી છે. 'ભાજપના લોકોએ રાજકીય મુદ્દો બનાવીને સ્લોટર હાઉસને રદ કરાવ્યું'સ્લોટર હાઉસ બનાવવાની વાત સાથે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર આવેલું છે ત્યારે બીજી તરફ ગીતા મંદિર આવેલું છે. જેની વચ્ચે સ્લોટર હાઉસ આવેલું છે અને તે દૂર કરવામાં આવે અને અન્ય સ્થળે તેને શિફ્ટ કરવામાં આવે. બહેરામપુરા વિસ્તારમાં પ્લોટ પણ ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો હતો જે જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવા માટેની વાત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ એ ખોટો મુદ્દો બનાવીને તેને રદ કરાવી દીધું હતું. 'કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી'ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે. ઇન્ટરનેશનલ લોકો અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ અમદાવાદ આવશે. ત્યારે તે લોકોને જે પ્રમાણેનું ફૂડ જોઈએ તે પ્રમાણેનું ફૂડ આપવું હોય તો આ પ્રકારની તમામ સુવિધાઓ કરવી જરૂરી છે. તેમજ અત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ કહે છે કે જમાલપુર જુહાપુરા બની જશે તેવી વાતો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. અમિત ઠાકર ફતેવાડીને જંગલેશ્વર કહે છે. કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ-દુકાનો બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. જેથી અમે ફક્ત અને ફક્ત વિકાસની વાતો કરી છીએ જેથી પ્રજાને જે જોઈએ છે તે આપવાની અમે ખાતરી આપીએ છીએ. 'જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે'જમાલપુર કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું. પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું હતું. જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે. બહાર આવતા લોકોને સરળતા રહે તે માટે વ્યવસ્થા કરીશું. અમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને અને ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યાં સુધી કટકી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:16 pm

પેટ્રોલપંપ લૂંટનો મુખ્ય સૂત્રધાર 27 વર્ષે ઝડપાયો:જામનગર LCBએ મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો

જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલપંપમાં આજથી 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી રૂ. 1,90,000ની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1999માં બનેલી આ લૂંટની ઘટનાએ તે સમયે ભારે ચકચાર જગાવી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર (રહે. કાકરાદરા, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોલીસની ધરપકડ ટાળવા માટે પોતાની ઓળખ છુપાવી નાસતો-ફરતો હતો. નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસે આરોપીના વતનના લોકોના ડેટા અને મતદાર યાદીઓ તપાસી 'ડીપ સર્ચ' ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અલગ-અલગ સમયે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આશરો લઈ રહ્યો છે. આથી LCBની ટીમે આ રાજ્યોમાં ધામા નાખ્યા હતા. અંતે, મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી બાબુ ઉર્ફે બાબી ડોડીયારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે ભૂતકાળમાં દ્વારકાના સુપ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરમાં થયેલી લૂંટના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ સફળ કામગીરીમાં LCBના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:10 pm

'ચાર-ચાર હોસ્પિટલમાં સારવાર કરાવી તોય જીવ ન બચ્યો':દહેગામમાં બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

દહેગામ તાલુકાના લવાડ - દહેગામ રોડ પર માર્ચ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 30 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ યુવકને કાળ ભરખી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ અકસ્માતના આશરે એક મહિના બાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંદિર પાસે એકાએક કૂતરુ આવી જતા બ્રેક મારતા બાઈક સ્લીપપ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલના કાલોલ તાલુકાના મેદાપુરા ગામના વતની અને હાલ દહેગામ ખાતે ખેતરમાં મજૂરી કરતો 30 વર્ષીય કમલેશ નરવતભાઈ નાયક ગત તા.25 માર્ચના રોજ રાત્રિના સમયે બાઈક લઈને ખેતરેથી પરત જઈ રહ્યો હતો ત્યારે લવાડથી દહેગામ જતા રોડ પર જોગણી માતાના મંદિર પાસે અચાનક એક કૂતરું આડે આવી જતાં તેણે બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને કમલેશને માથા તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતા જ તેના મોટા ભાઈ અને મિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રિક્ષા મારફતે તેને દહેગામ સરકારી દવાખાને લઈ ગયા હતા. ​ઇજાની ગંભીરતાને જોતા કમલેશને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ પીઠના ભાગે અસહ્ય દુખાવો થતા તેને ગોધરાની સરકારી હોસ્પિટલમાં બતાવતા ખબર પડી હતી કે તેને મણકાના ભાગે ગંભીર ઇજા થઈ છે. 4-4 હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ મોત ત્યારબાદ તેને વધુ ઓપરેશન માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં મણકાનું ઓપરેશન સફળતાપૂર્વક થયા બાદ કમલેશ વધુ સારવાર હેઠળ હતો. જોકે ગત તારીખ 15 એપ્રિલના રોજ રાત્રિના સમયે અચાનક તેની તબિયત લથડી હતી અને ઉલટી થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ કમલેશને કાળ ભરખી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:10 pm

રાજકીય કિન્નાખોરી સામે કાયદાનો વિજય:ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ શહેર પ્રમુખ સામેની FIR પર લગાવ્યો મનાઈહુકમ

ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે, ​શું છે સમગ્ર મામલો? ​જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલાએ જણાવ્યું હતું કે, ​આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું. વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,​​હાઈકોર્ટના ચુકાદા શહેર પ્રમુખ લાલભા ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ હતી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ડર્યો નથી કે મેં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી. ​તેમણે આ કાનૂની લડાઈમાં સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે હાઈકોર્ટમાં ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરી તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ જેમણે આ મામલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં કે ઝૂકશે નહીં. તમામ કાર્યકરો પક્ષ અને ઉમેદવારોના પ્રચારનું કામ નિડરતાથી ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:56 pm

હથિયાર સાથે બે પરપ્રાંતિયો ઝડપાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે રાજસ્થાનના બે શખસો હથિયાર સાથે ઝડપાયા, જિલ્લા SOGની કાર્યવાહી

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા બે પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે બંને શખસોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાં જિલ્લા SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બે વ્યક્તિઓ ગેરકાયદે અગ્નિશસ્ત્ર લઈને કુરાલીથી ગણપતપુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે SOG ટીમે બે શખસોને તેમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ મોબીનભાઈ મતાભાઈ સિંધી (મૂળ રહેઠાણ: બામનોર, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ધાવટ ગામ, તા. કરજણ) અને અમીનભાઈ હકીમભાઈ ગજુ (સિંધી) (મૂળ રહેઠાણ: ધાકોકાતલા, નવા તલા, રાઠોડા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ઉતરાજ, કિરણ બાપુના કુવા ઉપર, તા. શિનોર) તરીકે થઈ છે. બંને આરોપીઓ પાસેથી એક દેશી હાથબનાવટનો તમંચો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમંચો કોની પાસેથી મેળવ્યો હતો અને તેનો શું ઉદ્દેશ્ય હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:45 pm

સ્વાભિમાન પર્વ અંતર્ગત ઉત્તરપ્રદેશથી 1000થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યાં:પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરતાં રડી પડ્યા, સોમનાથનો ભવ્ય ઈતિહાસ જોઈ ભાવવિભોર થયા; ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી1000થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત માટે મંદિરમાં જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. લાઇવ આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો નજારો માણ્યો આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ LED સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેને જોઈને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રસાદ અને આતિથ્યભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને યાદગાર બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તોને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય આધ્યાત્મિક પ્રવાસઆ 1000થી વધુ ભક્તો સોમનાથ તીર્થમાં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે જાણકારી મેળવશે. આ ઉપરાંત, ભક્તો ભાલકા તીર્થ, રામ મંદિર, ગોલોકધામ તીર્થ અને ત્રિવેણી સંગમ સહિતના અન્ય પવિત્ર સ્થાનોની પણ મુલાકાત લેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને આતિથ્ય માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:42 pm

હિંમતનગરના મોતીપુરામાં મગફળી ભરેલા ટ્રકમાં આગ:ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતા લાગી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર મગફળી ભરેલો એક ઓવરલોડ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં મગફળીની બોરીઓ ઓવરલોડ ભરેલી હોવાને કારણે તે ઉપરથી પસાર થતાં વીજળીના તારને અડકી હતી. વીજ તાર મગફળીની બોરીઓને અડકતાં તણખા ઉડ્યા હતા, જેના કારણે થોડી જ વારમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ દરમિયાન, પાછળથી આવતો બીજો ઓવરલોડ ટ્રક સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ચાલક અને વેપારીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલી મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અને વીજ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રક ચાલક અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:40 pm

હીટવેવ સામે આરોગ્ય વિભાગનો એકશન પ્લાન:બપોરે 12 થી 3 દરમિયાન કામ વગર બહાર ન નીકળવા સલાહ, હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા

રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોને તેનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ગરમી સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બપોરે 12 થી 4 બહાર ન નીકળવા સલાહગરમીથી બચવા માટે નાગરિકોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, બહાર જવું જરૂરી હોય તો માથું ઢાંકી રાખવા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં પીવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વધારાની કાળજી રાખવા ભાર મૂકાયો છે. જો ચક્કર આવવું, માથાનો દુખાવો, વધુ તરસ કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર, દવાનો પૂરતો જથ્થો રાખવા તાકીદઆરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા માટે મજબૂત તૈયારી પણ શરૂ કરી દીધી છે. 1 માર્ચ 2026થી IHIP પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલમાં મુકાયો છે. હોસ્પિટલોમાં દવાઓ, ORS, IV ફ્લુઈડ્સ અને આઈસ પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉનાળામાં વધતા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિક લોડ ઓડિટ, અગ્નિ સુરક્ષા અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ગરમીને હળવાશથી ન લેતા સાવચેતી રાખે અને માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:30 pm

નશાની ચુંગાલમાંથી મુક્ત થયું દાંપત્ય જીવન:ગાંધીનગરમાં નશાની લતે ચડેલા પતિનું 181 અભયમે કર્યું હૃદય પરિવર્તન, તૂટતો પરિવાર બચાવ્યો

આજના આધુનિક યુગમાં પણ ઘરેલું હિંસા અને નશાખોરી સામાજિક દૂષણ બનીને અનેક પરિવારોને વેરવિખેર કરી રહી છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી હતી.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતો-રમતો પરિવાર બરબાદ થતા બચી ગયો છે. પતિ દારુ પીધા બાદ ઘરે પત્નીને માનસિક ત્રાસ આપતો હતોઆ ઘટનાની વિગત મુજબ એક પીડિત મહિલાએ લાચારીની સ્થિતિમાં 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ રડતા અવાજે જણાવ્યું કે, તેના પતિ કેફી દ્રવ્યોના રવાડે ચડી ગયા છે. નશો કરીને ઘરે આવ્યા બાદ તેઓ પત્ની સાથે મારપીટ કરે છે અને સતત માનસિક ત્રાસ આપે છે. આ કેસમાં કરુણતા એ હતી કે આ દંપતીએ એક જ ગામમાં રહીને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નને કારણે પિયર પક્ષે સંબંધો તોડી નાખ્યા હતા. જેના કારણે મહિલા પાસે કોઈનો સહારો રહ્યો નહોતો. એક વર્ષથી ધંધો મૂકીને નશાના રવાડે ચડ્યો હતોઆ ઘટનાની જાણ થતાં જ 181 અભયમની ટીમ પીડિત મહિલાના ઘરે પહોંચી હતી. ​પીડિત મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ સાસુ સસરાથી અલગ રહે છે અને તેમને બે નાનાં બાળકો છે. પતિ છેલ્લા એક વર્ષથી કામ ધંધામાં અનિયમિત થઈ ગયા હતા. નશાની આદતને કારણે ઘરમાં પૈસા આપવાને બદલે તેઓ પત્ની પાસે જ પૈસાની માંગણી કરતા હતા. બાળકો નાના હોવાથી મહિલા પોતે કમાવા જઈ શકતી નહોતી.પરિણામે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું . અભયમે પતિને પરિવારની સ્થિતિ સમજાવીને કાઉન્સેેલિંગ કર્યુંબાદમાં અભયમની ટીમે મામલાની ગંભીરતાને સમજીને બંને પક્ષોને સામસામે બેસાડીને સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. ટીમે મહિલાના પતિને કડક શબ્દોમાં કાયદાકીય પાઠ ભણાવ્યા હતા અને તેને સમજાવ્યું હતું કે તેનું આ વર્તન તેને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. ઉપરાંત પતિને અહેસાસ કરાવ્યો હતો કે નશાને કારણે તે માત્ર પોતાનું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પોતાના માસૂમ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલી રહ્યો છે. આખરે અભયમ ટીમના કાઉન્સેલિંગને અંતે પતિના હૃદયમાં પસ્તાવાની લાગણી જન્મી હતી. તેણે પોતાની ભૂલનો સ્વીકાર કરીને ભવિષ્યમાં ક્યારેય કેફી દ્રવ્યોનું સેવન ન કરવાની અને પરિવારની જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. આમ અભયમના કારણે એક વિખેરાતો પરિવાર ફરી એકવાર સુખદ સમાધાન સાથે એક થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:30 pm

SOG પોલીસે ડમી ગ્રાહક મોકલતા ભાંડો ફૂટ્યો:ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું, ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે.

વડોદરા શહેરમાં “નશામુક્ત વડોદરા” અભિયાન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર SOG કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ખાતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તેમજ નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં વધારો કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મેડિકલ અને ફાર્માસ્યુટિકલ દુકાનોમાં ચેકિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે શહેર એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વાડી વિસ્તારમાં આર.વી. દેસાઈ રોડ પર આવેલા “પ્રતાપનગર મેડિકલ” સ્ટોર પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સ્ટોરમાંથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વિવિધ પ્રકારની નશાયુક્ત કફ સીરપ અને ગોળીઓ મળી આવી હતી. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્ટોક રજીસ્ટર ચકાસતા કોઈપણ પ્રકારનો રજીસ્ટર જાળવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:27 pm

'મત લેવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં':મનપા ચૂંટણી પૂર્વે સુરતીઓ દ્વારા ખૂણે-ખૂણે નેતાઓનો વિરોધ; જાણો કયા વોર્ડમાં જનતાએ ઉમેદવારોને ભગાડ્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ ઝોનમાં પ્રચાર માટે નીકળેલા ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોને મતદારોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી રહ્યા છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપ સામે લોકોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફરિયાદો છોડીને ઉમેદવારોને ઘેરવાનું શરુ કરી દીધુ હતુંસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત પ્રચારના બદલે 'વિરોધનો પ્રચાર' વધુ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં સ્થિતિ સરખી જ છે. લોકોએ હવે માત્ર ફરિયાદો કરવાનું છોડીને સીધા ઉમેદવારોને ઘેરવાનું શરૂ કર્યું છે. રસ્તા, ગટર, પાણી અને સરકારી શાળાઓ જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં વર્ષોથી જમા થયેલો ગુસ્સો હવે ચૂંટણી સમયે બહાર આવી રહ્યો છે. શાસક પક્ષ સામે વિરોધનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે કોંગ્રેસને તેની નિષ્ક્રિયતા બદલ અને આપને આંતરિક જૂથવાદ માટે સાંભળવું પડી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ જે રીતે આગળ વધી રહ્યો છે, તેને આ 4 સ્ટેપમાં સમજી શકાય છે: ભાજપના ઉમેદવારોની ફજેતીપાંડેસરા-ભેસ્તાન વિસ્તારના વોર્ડ-28માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ જ્યારે કૈલાશનગરમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશ મનીષે વીડિયો બનાવતા આક્ષેપ કર્યો હતો કે, આ ચોર લોકો વોટની ભીખ માંગતા આવ્યા છે. પાણી ભરાવાની સમસ્યા અને ગેરકાયદે બાંધકામોની ફરિયાદો છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ નેતાઓને ખખડાવ્યા હતા. એેવી જ રીતે વોર્ડ-11 (અડાજણ-ગોરાટ) માં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાની ગાડી પર નંબર પ્લેટ ન હોવાથી અને 'ગાર્ડન' લખેલું હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે જો સામાન્ય જનતા આવી ભૂલ કરે તો પોલીસ 'આતંકવાદી' જેવો વ્યવહાર કરે છે, તો નેતાઓ માટે કાયદો અલગ કેમ? કોંગ્રેસ સામે મહિલાઓનો આક્રોશવોર્ડ-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા) ના માધવબાગ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને આશા હતી કે ભાજપના વિરોધનો તેમને લાભ મળશે. જોકે, ત્યાંની મહિલાઓએ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મહિલાઓએ સવાલ કર્યો કે, 35 વર્ષથી ભાજપ સત્તા પર છે છતાં કશું કરી શકી નથી, તો તમે વિપક્ષમાં રહીને શું કર્યું? હવે તમે આવીને કયો મોટો ફેરફાર કરી દેશો? આ ઘટનાએ વિપક્ષની મજબૂતી પર સવાલો ઉભા કર્યા છે. ટિકિટ ફાળવણી અને જ્ઞાતિવાદનો ભડકોસુરતના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા મહત્વનો રહ્યો છે. વોર્ડ-10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર) માં ભાજપના સમર્પિત મતદાર ગણાતા કોળી પટેલ અને કણબી સમાજમાં ભડકો થયો છે. અહીં સ્થાનિક કાર્યકરોની ઉપેક્ષા કરી બહારના મીનાક્ષી પાપૈયાને ટિકિટ અપાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ, અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજે પણ બેઠક યોજીને ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપની પડખે રહેવા છતાં તેમને કોઈ રાજકીય પ્રતિનિધિત્વ કે મહત્વ આપવામાં આવતું નથી. કોટ વિસ્તારમાં કોરોના ના હિસાબ માંગતી જનતાવોર્ડ-13 (વાડીફળીયા-નવાપુરા) ના લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ સણસણતો સવાલ કર્યો કે, કોરોના અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જ્યારે અમે મરતા હતા ત્યારે તમે ક્યાં હતા? હવે કયા મોઢે મત માંગવા આવ્યા છો? લોકોએ તેમને સમાજની તકલીફમાં ઉભા ન રહેવા બદલ પ્રચાર કરતા અટકાવી દીધા હતા. વરાછા અને કતારગામ જેવા ગઢમાં જ ગાબડાં પડ્યાસૌરાષ્ટ્રવાસીઓના ગઢ ગણાતા વરાછા અને કતારગામમાં પણ સ્થિતિ નાજુક છે. વોર્ડ-3 માં 'પાસ' ના પૂર્વ નેતા અને હવે ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયાનો ઉગ્ર વિરોધ થયો હતો. રસ્તાના પ્રશ્નો પૂછતી મહિલાઓ સામે નેતાઓએ વીડિયો ઉતારવાનો ઇનકાર કરતા મામલો વધુ બિચક્યો હતો. કતારગામના વોર્ડ-7માં ભાજપના રઘુ ખુંટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રહીશોએ વીડિયો વાયરલ કર્યા હતા. જ્યારે વોર્ડ-19 માં પૂર્વ ટીપી કમિટી ચેરમેન નાગર પટેલને સી.સી. રોડના પ્રશ્ને લોકોએ ઉધડો લીધો હતો. 2011માં 96 લાખ ભર્યા છતાં સ્થાનિકોને પાણીના ફાંફાંસૌથી મોટો વિરોધ વેસુની 'આશીર્વાદ વિલા' સોસાયટીમાં જોવા મળ્યો છે. વોર્ડ-22 ના આ રહીશોએ 2011 માં 96 લાખ રૂપિયા ભર્યા હોવા છતાં આજે પણ તેમને પાણીની સુવિધા મળી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફાર કરી સોસાયટીના મંજૂર રોડ ખાનગી પ્લોટમાં ફેરવી દેવાતા 2500 રહીશોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો છે અને પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:26 pm

'આપ'નું અધિકાર પત્ર જાહેર:રાજકોટમાં આપની સરકાર આવશે તો શિક્ષણ, આરોગ્ય સહીત 9 મુદ્દાઓ પર કામ કરવામાં આવશે, અધિકાર પત્રને પદાધિકારીઓ અને વોર્ડ ઓફિસમાં લગાડવામાં આવશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 'આપ'નું અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અગમ ચૂંટણીમાં રાજકોટ મહાનગર પાલિકામાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અધિકાર સાથે રાજકોટને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા જાહેરાત કરી છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીત અલગ અલગ 9 મુદાઓને આવરી લઇ આ અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જો મનપામાં આપ ની સરકાર બનશે તો જાહેર કરેલ અધિકાર પત્ર દરેક પદાધિકારીની ચેમ્બર, તેમજ વોર્ડ ઓફિસમાં લેમિનેટ કરાવીને રાખીશું જેથી જનતા પોતાના અધિકાર અંગે જાણી શકે અને કેટલા કામો થયા કેટલા બાકીનો હિસાબ મેળવી શકે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી અજિત લોખીલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજ રોજ આમ આ પાર્ટી દ્વારા અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મનપામાં અમારૂ શાસન આવશે તો અમે જનતાને તેમના અધિકારો માટેનું શાસન પૂરું પાડીશું આ માટે મુખ્ય 9 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. શું છે અધિકાર પત્રના મુખ્ય મુદ્દાઓ અધિકાર નં. 1 શિક્ષણ • પ્રત્યેક વોર્ડમાં વસ્તી પ્રમાણે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉભી કરીશું. રાજકોટમાં જે શાળાઓ જર્જરીત છે તેનું નવિનીકરણ કરીશું. • રાજકોટમાં સારામાં સારી સરકારી કોલેજો ઉભી થાય એ માટેના ઈમાનદાર પ્રયત્નો કરીશું. • પ્રત્યેક વોર્ડમાં E-Books સાથેના જાહેર વાંચનાલયો ઉભા કરીશું જેમાં પુસ્તકો, સામયિકો, કોમ્પ્યુટર વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય. અધિકાર નં. 2 આરોગ્ય• રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરતા તમામ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપીશું, જે અંતર્ગત કોઈ પણ પ્રકારની વધારાની શરતો વગર કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં તમામ બીમારીઓની સારવાર કરવામાં આવશે. • મહોલ્લા ક્લિનિકની જેમ જ રાજકોટમાં Clinic On Wheelની સુવિધા શરુ કરીશું જેમાં એક મોટા વાહનની અંદર સામાન્ય કક્ષાની બીમારીઓની તપાસ માટેની તમામ સુવિધાઓ, દવાઓ અને ડોક્ટર ઉપલબ્ધ હશે. દરેક ઝોનમાં પ્રાથમિક કક્ષાના તમામ ટેસ્ટ, સોનોગ્રાફી, એક્સ-રે વગેરે સુવિધાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવીશું. • ભેળસેળયુક્ત ખોરાકને સુનિશ્ચિત કરવા માટે ખાધપદાર્થોના ટેસ્ટીંગ માટે દરેક ઝોન દીઠ ફૂડ ટેસ્ટીંગ લેબ બનાવીશું. • ડ્રગ્સ લેવા માટે હોટસ્પોટ બનેલા ડાર્ક ઝોનને લાઈટ અને CCTV કેમેરાથી સજ્જ કરીશું અને ડ્રગ્સને સંપૂર્ણપણે નાબુદ કરવા માટેના તમામે તમામ પ્રયત્નો કરીશું. અધિકાર નં. 3 વેરાઓ• ઘર વેરો અડધો કરીશું, પાણી વેરો માફ કરીશું. તમામ પ્રકારના વેરાઓની નવેસરથી સમીક્ષા કરીશું. • પાણીના સમયમાં હાલના સમય કરતાં વધારો કરીશું અને પુરા ફોર્સથી પાણી આપીશું. • ભાડે આપેલી પ્રોપટીનો ટેકસ ઓછો કરીશું. અધિકાર નં. 4 પાર્કિંગ અને જાહેર પરિવડન • રાજકોટ શહેરમાં રોડ રસ્તા અને ફુટપાથની ગુણવતામાં સુધારો કરીને ટ્રાફીકની મહાકાય સમસ્યાનું નિરાકરણ કરીશુ. • મહિલાઓ, વિધાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે સીંટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરીશું. • વધુમાં વધુ જાહેર પાર્કિંગ ઉભા કરીશું અને બ્રીજ નીચે બનેલા પાર્કિંગમાં વાહન મુકવાનો કોઈ ચાર્જ વસુલ કરીશું નહીં. • વધુમાં વધુ રીક્ષા સ્ટેન્ડ બનાવીશું અધિકાર નં. 5 પર્યાવરણ • શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તો આ વિસ્તારોમાં પાણીના નિકાલ અને જળ સંચયની યોગ્ય વ્યવસ્થા ઉભી કરીશું. • વૃક્ષોની સંખ્યા બમણી કરીશું. • કચરાને રીસાયકલીંમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખાતર તથા ગેસમાં રૂપાંતર કરીને આર.એમ.સી.ની આવકમાં વધારો કરીશુ. અધિકાર નં. 6 સંસ્કૃતિ અને રમતગમત • શહેરીકરણને કારણે ઉભા થયેલા માનસિક તણાવ/થાક દૂર કરી ફરી બીજા દિવસ માટે મન પ્રકૃલ્લિત થાય તેવી પ્રવૃત્તિયઓ જેવી કે બાગબગીચા, હળવી કસરતો, લાફીંગ ક્લબ, વોકર્સ ક્લબ, સંગીતને પ્રોત્સાહન આપીશું. • સાંસ્કૃતિ/સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલિત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમના ચાર્જમાં મહતમ ઘટાડો કરીશું • રાજકોટના મૂર્ધન્ય કવિઓ, સાહિત્યકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓ અને વારસો જળવાય એ માટેની વ્યવસ્થાઓ ઉભી કરીશું. • યુવતીઓ માટે દરેક ઝોનમાં અલગ મહિલા સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરીશું. • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડેમી ઉભી થાય એ માટેના પ્રયત્નો કરીશું. અધિકાર નં. 7 જનસુવિધાઓ • નગરરાજ બીલ લાગુ કરીને રાજકોટનું બજેટ રાજકોટના નાગરિકોની જરૂરીયાત મુજબ રાજકોટનીશેરીઓમાં બનાવીશું. • પ્રત્યેક વોર્ડમાં એક-એક વોર્ડ ઓફીસ ઉભી કરીને સુવિધાઓનું વિકેન્દ્રીકરણ કરીશું જેથી કરીને લોકોને નજીકમાં જ તેમજ ઝડપથી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે. વોર્ડ ઓફીસ પર નક્કી કરેલા સમયે કોર્પોરેટરો હાજર રહીને લોકોની સમસ્યાઓને સાંભળશે. મહાનગરપાલિકાનો વહીવટ પક્ષની ઓફિસેથી નહી પણ વોર્ડની ઓફિસેથી થશે. • સાંસ્કૃતિક / સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલીત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમનાં ચાર્જમાં મહતમ ઘટાડો કરીશુ. • રાજકોટના ઘરવિહોણા લોકોની સંખ્યાનું મૂલ્યાંકન કરીને ખરેખર જરૂરીયાતમંદ લોકોને પરવડે એ ભાવે આવાસમાં ઘર ઉપલબ્ધ કરાવીશું. • ઈમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોય તો એનો સર્વે કરીને એને COR આપીશું. અધિકાર નં. 8 ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા • ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશું. • ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સામાન્ય સભાનું લાઇવ ટેલીકાસ્ટ કરીશું અધિકાર નં. 9 અન્ય • રખડતા પ્રાણીઓ માટે એનીમલ હોસ્ટેલ બનાવીશું જેથી કરીને પ્રાણીઓ અને નાગરિકો બંનેની સુવિધાઓ જળવાઈ શકે. અધિકારી એમને • લારી-ગલ્લાવાળાઓને અને ફેરિયાઓને ઓળખપત્ર આપીને એમને નિયમિત કરીશું, જેથી કોઈ પણ ખોટી રીતે હેરાન ન કરી શકે. સ્ટ્રીટ વેન્ડર્સ રેગ્યુલેશન કાયદાનું ચુસ્ત અમલીકરણ કરાવીશું. • રાજકોટ મહાનગરપાલિકા સાથે કામ કરતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યુનત્તમ વેતન અપાવીશું • ફાયર વિભાગની ખાલી જગ્યાઓ ભરીશું, સાધનોની પૂર્તિ કરીશું તેમજ NOCની વ્યવસ્થા વધુ સારી બનાવીશું. • રાજકોટની જરૂરિયાત પ્રમાણેની યોજનાઓ બનાવીશું. આયાતી યોજનાઓ નહી બનાવીએ.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:21 pm

વિશેષ ફેસિલિટેશન સેન્ટર પર મતદાન યોજાયું:વડોદરા મનપાની સામાન્ય ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું, બે સેન્ટરો પર કર્મચારીઓનું મતદાન

આગામી તારીખ 26/04/26ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતાપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન કરવા માટે અરજી કરી હતી અને જેમને નિયત પ્રક્રિયા મુજબ ઘરના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા એવા કર્મચારીઓ માટે આજ રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ફેસિલિટેશન સેન્ટરો ખાતે સવારે 9થી સાંજે 6 કલાક સુધી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. વહીવટી સરળતા અને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે વોર્ડ નંબર 1થી 12 ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને વોર્ડ નંબર 12થી 19ના કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ આ સુવિધાનો મહત્તમ લાભ લઈ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાના લાભ થકી કર્મચારીઓ ફરજની સાથે સાથે લોકશાહીના પર્વમાં પણ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:19 pm

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી:સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ અને 15 કૂલર મુકાયા

દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગદક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ચૂંટણીના માહોલ પર ગરમીનું ગ્રહણઆગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટવેવની અસર રાજકીય ગરમાવા પર પણ પડી શકે છે. બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્નઆઉટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવેડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકાયાસુરત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળેલોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનની પૂરતી કાળજી રાખોઆ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:16 pm

મુળીમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન, મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડા સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુળી તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:14 pm

મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલા પોલીસ વાનને અકસ્માત:બોટાદ-સેથળી વચ્ચે અશ્વદળનું વાન પલટી, ઘોડાઓને ઈજા

પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રસ્તા પર વાન પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવવાના છે, જેના બંદોબસ્ત માટે આ અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:14 pm

ધંધુકા હત્યાકાંડ, માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર:હત્યારાઓને આજીવન કેદ, હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ગત તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ ધંધુકાના હિન્દુ યુવક ધર્મેશભાઈ ગમારા (ભરવાડ) ની અમુક તત્વો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા છે. માલધારી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધંધુકામાં છેલ્લા દસ વર્ષમાં હિન્દુ યુવકોની હત્યાની આ પાંચમી ઘટના છે. અગાઉ કિશન ભરવાડની હત્યા બાદ ફરી આવી ક્રૂર ઘટના બનતા સમગ્ર સમાજમાં શોક અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. માલધારી સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે કે, ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓને કડક સજા, જેમાં આજીવન કેદ અથવા ફાંસીની સજાનો સમાવેશ થાય છે, તે ફટકારવામાં આવે. તેમણે હિન્દુઓની જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવા માટે સરકાર દાખલારૂપ પગલાં ભરે તેવી માંગ કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:11 pm

વાંસદાના ભીનાર ગામે કાચા મકાનમાં આગ:ઘરવખરી, બાઈક ખાખ; પરિવારનો આબાદ બચાવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ભાઠેલ ફળિયામાં આવેલા એક કાચા મકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મકાન અને તેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુ બહાર ગઈ હતી. આ પ્રચંડ આગમાં મકાનમાં રહેલી ઘરવખરી, અનાજ, પલંગ સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. એટલું જ નહીં, મકાનની પાસે પાર્ક કરેલી એક બાઈક પણ આગની ઝપેટમાં આવી જતાં તે સંપૂર્ણપણે બળી ગઈ હતી. સદનસીબે, જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો મકાનની બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ વાંસદા અને ચીખલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાંસદા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આગ લાગવાના કારણો અને થયેલા નુકસાન અંગે પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:03 pm

ભરૂચમાં ચૈતર વસાવાની આગેવાનીમાં બાઈક રેલી:ઝાડેશ્વર ગામના અંબાજી મંદિરથી જંબુસર બાયપાસ ચોકડી યોજાઈ, ધારાસભ્યએ AAPને વિકલ્પ ગણાવ્યા

ગુજરાતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આ રેલી ઝાડેશ્વર ગામ સ્થિત અંબાજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી. આ બાઈક રેલી ઝાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઈક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત પણ કરાયું હતું. રેલી દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપના ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. વસાવાએ દાવો કર્યો કે હવે લોકોને વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં જનતા ભારે બહુમતથી 'આપ'ના ઉમેદવારોને વિજયી બનાવશે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવડાવી રાજ્યમાં આશરે 700 બેઠકો બિનહરીફ જીતવાનો પ્રયાસ કરાયો છે. ગણપત વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, વિધાનસભામાં ઉઠાવાયેલા કૌભાંડના મુદ્દાઓને કારણે ભાજપના નેતાઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ પર મહિલાઓના મુદ્દે મૌન રહેવાનો આરોપ પણ મૂક્યો. અંતમાં, તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકતા જણાવ્યું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાઈક રેલીને લઈને ભરૂચ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેને ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:00 pm