વિરોધ:સ્પ્રિંગવુડ રેસિડન્સીમાં મુસ્લિમ સમાજના વ્યક્તિને મકાન વેચતાં રહીશોનો વિરોધ
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સ્પ્રીંગવુડ રેસીડન્સી-2ના રહિશોએ સોસાયટીમાં રહેતા રહિશે મુસ્લિમ કોમના વ્યક્તિને મકાન વેચતાં કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે અન્ય કોમના વ્યક્તિઓ વારંવાર સોસાયટીમાં આવીને તણાવભર્યો માહોલ ઊભો કરતા હોવાની પણ રજૂઆત કરી છે. ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સ્પ્રીંગવુડ રેસીડન્સી-2 એસોસિયેશનના રહિશોએ જણાવ્યું હતું કે, અમારી અને આનંદવન સોસાયટી પહેલા એક જ સોસાયટી ગણાતી હતી. પરંતું પાછળથી આનંદવન સોસાયટી અલગ પડી હતી. બંને સોસાયટીનો અશાંતધારામાં આવે છે. આનંદવન સોસાયટીમાં આવેલા મકાન નંબર ડી-2 અતરીયાદેવી પોપટલાલ પુરોહિતનું છે. આ મકાન તેમને અન્ય કોમના વ્યક્તિને વેચ્યું છે. રહિશોનો આક્ષેપ છે કે, આ વ્યક્તિ વારંવાર સોસાયટીમાં આવીને હિંદુઓના અન્ય ઘરમાં આવીને સ્ત્રીઓને પૂછે છે કે તમારે ઘર વેચવાનું છે? જેથી તણાવનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક રહિશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, અમારી સોસાયટીમાં અન્ય કોમના લોકો-બ્રોકરની અવરજવર અટકાવવા તેમજ અશાંતધારાની પરવાનગી અટકાવવા અને જો કોઈ વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય તે તેને રદ કરવા માટે અરજી કરી છે. સ્થાનિક રહિશોએ આ અંગે અગાઉ બે વખત નાયબ કલેક્ટર અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અન્ય કોમના રહીશને મકાન ન આપવા પોલીસને પણ જણાવ્યું હતુંસ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં 1 વર્ષ પહેલાં પોલીસ પૂછપરછ કરવા આવી હતી કે, તમારી પાડોશમાં મુસ્લિમ કોમના પરિવાર રહેવા આવે તો તમને કોઈ વાંધો છે? જેમાં અમે ના પાડી હતી. તેમ છતાં અન્ય કોમના લોકો સોસાયટીમાં વારંવાર આવીને પૂછપરછ કરી વાતાવરણ ડહોળે છે. તાંદલજા રોડની મુક્તિનગર સોસાયટીમાં પણ રહીશો નારાજશહેરના તાંદલજા રોડ પર આવેલી મુક્તિનગર સોસાયટીમાં રહેતા રહીશે અન્ય કોમના બ્રોકરનો સંપર્ક કર્યો હતો અને તે વ્યક્તિઓએ સોસાયટીમાં આવીને મકાન માલિકને વધુ કિંમત આપીને મકાન ખરીદવા માટે જણાવ્યું છે. જ્યારે આ મકાન અન્ય કોમના વ્યક્તિને વેચાણ ન આપવામાં આવે તે માટે પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
પેપર ચેકિંગ:નવા પરીક્ષા ભવનમાં એપ્રિલથી તમામ ફેકલ્ટીની ઉત્તરવહીની ચકાસણી કરાશે
એમ.એસ. યુનિવર્સિટીમાં નવો બનેલો પરીક્ષા વિભાગ એપ્રિલથી કાર્યરત કરાશે. નવા પરીક્ષા ભવનમાં ચાલુ વર્ષથી તમામ ફેકલ્ટીની ઉત્તરવહી ચકાસાશે. જ્યારે કોઇ પણ ફેકલ્ટીમાં ચકાસણી કરી શકશે નહિ. અત્યાર સુધી કોમર્સ, આર્ટ્સ, સાયન્સની ઉત્તરવહી હેડ ઓફિસના સેનેટ હોલમાં ચકાસણી કરાતી હતી. અન્ય ફેકલ્ટી દ્વારા ઉત્તરવહીની ચકાસણી તેમની ફેકલ્ટીમાં કરાતી હતી. યુનિવર્સિટીમાં 5 વર્ષે બનાવાયેલો પરીક્ષા વિભાગ કાર્યરત થયો છે. યુનિવર્સિટી હેડ ઓફિસના પાછળના ભાગે નવું બિલ્ડિંગ બનાવાયું છે, જે માત્ર પરીક્ષા વિભાગની તમામ કામગીરી કરવા તૈયાર કરાયું છે. જ્યાં 10થી વધુ રૂમોમાં ઉત્તરવહીની ચકાસણી કરાશે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી પરીક્ષા વિભાગનું અલગથી બિલ્ડિંગ ન હોવાથી મોટાભાગની ફેકલ્ટી દ્વારા વાર્ષિક પરીક્ષાનું મૂલ્યાંકન પોતાના સ્તરે કરાતું હતું. જોકે હવે તમામ ફેકલ્ટીઓએ ઉત્તરવહી ચકાસણી કરવા પરીક્ષા વિભાગમાં આવવું પડશે. અધ્યાપકો પરીક્ષા વિભાગમાં આવીને મૂલ્યાંકન કરશે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ, આર્ટ્સ તથા સાયન્સની ઉત્તરવહી ચકાસણી કરવા સેન્ટ્રલ એસેસમેન્ટ સેલની રચના કરાતી હતી. આ 3 ફેકલ્ટીની જ 1 લાખ કરતાં વધારે ઉત્તરવહીની ચકાસણી હેડ ઓફિસ ખાતે કરાતી હતી. આર્ટ્સ, કોમર્સ સહિતની તમામ ફેકલ્ટીની ઉત્તરવહી પરીક્ષા વિભાગમાં ચકાસાશે 3 લાખ ઉત્તરવહીની ચકાસણી કરાય છેએમ.એસ. યુનિવર્સિટીની 14 ફેકલ્ટીઓમાં 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીની 3 લાખ જેટલી ઉત્તરવહી થાય છે, જેની ચકાસણી પરીક્ષા ભવનમાં કરવામાં આવશે. યુનિવર્સિટીમાં છેલ્લાં 50 વર્ષથી ફેકલ્ટીમાં જ ઉત્તરવહીની ચકાસણી કરાતી હતી3 ફેકલ્ટીઓ છોડીને યુનિવર્સિટીમાં અન્ય જેટલી પણ ફેકલ્ટીઓ આવેલી છે તે તમામ ફેકલ્ટીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી જે તે ફેકલ્ટીમાં જ કરવામાં આવતી હતી. હવે એક જ જગ્યા પર ઉત્તરવહી ચકાસણી કરાશે.
આફ્રિકાના ગિની-બિસાઉના પૂર્વ પ્રધાનમંત્રી રુઇ ડુઆર્ટે દે બારોસ પારુલ યુનિ.ના મહેમાન બન્યા હતા. જ્યાં ગ્લોબલ પર્સપેક્ટિવ સિરીઝમાં આંતરરાષ્ટ્રીય જાતિવાદ નાબૂદી દિવસની ઉજવણી કરાઈ હતી. વિવિધ દેશો અને સમુદાયો વચ્ચેના અંતરમાં ઘટાડો કરતાં જાણીતા અર્થશાસ્ત્રી અને ગિની-બિસાઉના પૂર્વ પ્રધાનમંત્રી રુઇ ડુઆર્ટે દે બારોસ પારુલ યુનિવર્સિટી ખાતે ગ્લોબલ પર્સપેક્ટિવ સિરીઝમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંતર્ગત ચર્ચાનો વિષય આંતરરાષ્ટ્રીય જાતિવાદ નાબૂદી દિવસની ઉજવણી સંબંધિત હતો. કાર્યક્રમમાં ચર્ચાના મુદ્દા સામાજિક પહેલ, જાતિવાદ તથા ઇન્ડિયા-આફ્રિકાના સંબંધોના ભવિષ્ય પર કેન્દ્રિત હતાં. પારુલ યુનિ. ખાતે આઇઆઇએમયુએનના સહયોગથી આયોજિત ગ્લોબલ પર્સપેક્ટિવ સિરીઝ દ્વારા જાતિવાદ નાબૂદ કરવા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે રુઇ ડુઆર્ટે દે બારોસે જાતિવાદ, ભેદભાવને દૂર કરવા માટેની સામાજિક પહેલો સહિતના મુદ્દે વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં પારુલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, રુઇ ડુઆર્ટે દે બારોસેને હોસ્ટ કરવા અને તેમના વિચારો સાંભળવા અમારા માટે સન્માનની વાત છે.
શક્તિની આરાધના:માંડવી સ્થિત મા અંબાના ઐશ્વર્ય-પોષણના સ્વરૂપની પૂજા કરી ભવ્ય અન્નકૂટ ધરાવાયો
શહેરમાં ચૈત્ર નવરાત્રી અને શ્રી પંચમીના પવિત્ર અવસરે સોમવારે માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી પંચમીના દિવસે માતાજીને ઐશ્વર્ય અને પોષણના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ દિવસે અંબા માતાના મંદિરે માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 5થી 8 યોજાયેલા આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક લાભ લીધો હતો. આ વર્ષે દુર્ગાષ્ટમી અને રામનવમી આગામી તારીખ 26 માર્ચ, ગુરુવારના રોજ ઉજવાશે. છઠ્ઠા નોરતે આદ્યશક્તિના મા કાત્યાયની સ્વરૂપની પૂજા થશેનવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા અર્ચના કરાશે. જે કન્યાઓના લગ્નમાં અવરોધ આવતા હોય, તેમણે આજના દિવસે દેવી કાત્યાયનીની આરાધના કરવી જોઈએ. મા કાત્યાયની નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ અને વરદાયની દેવી છે. તેઓ શત્રુઓનો નાશ કરી સાધકને મનવાંછિત ફળ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં વર્ણવેલા વૃતાંત અનુસાર, કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેમનું નામ કાત્યાયની તરીકે વિખ્યાત થયું હતું. જ્યોતિષી સત્યમ જોષીએ જણાવ્યું હતુ કે, મા ભગવતીએ દુષ્ટોના સંહાર માટે કાત્યાયની અવતાર ધારણ કર્યો હતો. તેમણે મહિષાસુરનો વધ કર્યો હોવાથી તેઓ મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. દેવીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તેમને ચાર ભુજાઓ છે, જેમાં એક હાથમાં કમળનું પુષ્પ, બીજા હાથમાં તલવાર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરદ મુદ્રામાં છે. મા કાત્યાયની સિંહ પર સવાર છે. ભગવતી કાત્યાયનીનું પૂજન કરવાથી સ્ત્રીઓને લગ્ન સંબંધી અવરોધોમાંથી રાહત મળે છે. ચૈત્રી શુક્લ પંચમીનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ અને મહત્વ
આંગણવાડીની પહેલ:બાળકોમાં વાંચન વધે તે માટે પુસ્તક વાંચી લીધા બાદ પાડોશીને આપવાનો નિયમ
સમા-સાવલી રોડ પર આવેલી અગોરામોલ આંગણવાડીમાં બાળકો માટે શહેરની એકમાત્ર અનોખી લાઇબ્રેરી કાર્યરત છે. 5 વર્ષથી આ લાઇબ્રેરી એક નવતર અભિગમ સાથે ચલાવાઈ રહી છે. વોર્ડ નં-3ના પૂર્વ કોર્પોરેટર ડો. રાજેશ શાહે આ આંગણવાડી દત્તક લીધી અને તેમના દ્વારા જ આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે, અહીંથી પુસ્તક લઈ ગયા બાદ તેને પરત કરવાનું હોતું નથી, પરંતુ વાંચ્યા પછી બાજુમાં રહેતા અન્ય પરિવારને આપવાનું હોય છે. ત્યાર બાદ તે પાડોશી અન્ય કોઈને વાંચવા માટે પુસ્તક આપે છે. આ રીતે અંદાજે 500 જેટલા પુસ્તકો અત્યારે વોર્ડ નં-3ના પરિવારોમાં ફરી રહ્યા છે. બાળકો મોબાઈલથી દૂર રહે, પરિવારમાં વાંચનવૃત્તિ વધે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશયથી આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આંગણવાડીના બાળકો મેળવશે ટેક-શિક્ષણ: ડૉ. રાજેશ શાહે બે કોમ્પ્યુટર દાનમાં આપ્યાંઆંગણવાડીમાં હવે બાળકોને કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. બાળકો કોમ્પ્યુટર પર ડ્રોઇંગ બનાવી રહ્યા છે, જેથી તેઓ ટેકનોલોજીથી માહિતગાર થાય અને તેમનો મહાવરો વધે. ઉલ્લેખનીય છે કે, બાળકોના શિક્ષણ માટે ડૉ. રાજેશ શાહ દ્વારા બે કોમ્પ્યુટર દાનમાં આપવામાં આવ્યાં છે. રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીમાં અગોરામોલ આંગણવાડી પ્રથમ ક્રમેરાજ્ય સરકારે જાહેર કરેલા યશોદા એવોર્ડમાં શહેરની અગોરા મોલ આંગણવાડીએ રાજ્યની 53 હજાર આંગણવાડીમાંથી પ્રથમ ક્રમ મેળવ્યો છે. બાળકોને શિક્ષણ આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ બદલ આ સન્માન અપાયું છે. આ એવોર્ડ અંતર્ગત આંગણવાડી કાર્યકરને રૂ. 51 હજાર અને તેડાગર ધર્મિષ્ઠાબેન પરમારને રૂ. 31 હજારનું રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા.
હાર્ટ એટેકથી શ્રદ્ધાળુનું મોત:નર્મદા પરિક્રમા માટે ગયેલા આસિસ્ટન્ટ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત
વાઘોડિયા રોડ પર રહેતા ખાનગી કંપનીના આસિ.ક્વોલિટી કંટ્રોલ મેનેજર મિત્રો સાથે નર્મદા પરિક્રમા કરવા ગયા હતા. દરમિયાન રામપુરા પાસે તેઓ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવ મળ્યું કે, હૃદયરોગના હુમલાથી તેઓનું મોત થયું છે. વાઘોડિયા રોડ પર આવેલી અમીધારા સોસાયટીમાં આવેલા લકુલેશ ફ્લેટમાં રહેતા 52 વર્ષીય યજ્ઞેશ શાહ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. રવિવારે તેઓ કંપનીના મિત્રો સાથે નર્મદા પરિક્રમા કરવા માટે ગયા હતા. દરમિયાન તિલકવાડાથી આગળ રામપુરા પાસે તેઓને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. જેને કારણે તેમના મિત્રોએ તેમને સીપીઆર પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
યુદ્ધની અસર:મેડિકલ-સર્જિકલ સાધનોના ભાવ 15 ટકા વધ્યા
ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. સૌપ્રથમ એલપીજી સિલિન્ડરને કારણે શહેરમાં અરાજકતા ફેલાઈ હતી. જોકે હવે યુદ્ધની અસર મેડિકલ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. મેડિકલની સર્જિકલ ડિસ્પોઝેબલ સાધનો ઉપરાંત સર્જિકલ સાધનો વિદેશથી ઈમ્પોર્ટ કરાય છે. જેને કારણે તમામ વસ્તુ પર 15 ટકાનો ભાવ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે, તેવું સર્જિકલ એસોસિયેશનના અગ્રણી કેતન શાહે જણાવ્યું હતું. કંપનીઓ હોલસેલના વેપારીઓને ભાવ વધારા સાથેના ભાવપત્રકો મોકલી રહ્યા છે. જેની સીધી અસર દર્દી પર થશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગનાં મેડિકલ અને સર્જિકલ સાધનો પ્લાસ્ટિકમાંથી બને છે, તેને કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં 300 હોસ્પિટલો છે, જ્યાં દરરોજ સરેરાશ 5 થી 8 સર્જરી કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલમાં પણ એક મહિનામાં અલગ-અલગ વિભાગમાં 800 અને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં 500થી વધારે સર્જરીઓ કરવામાં આવે છે. આમ આખા શહેરમાં દર મહિને 10 હજારથી વધારે સર્જરીઓ કરવામાં આવે છે. હાલમાં થયેલા ભાવ વધારાની અસર આ તમામ સર્જરીઓ પર જોવા મળશે. સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવોઃડો.ઐયરસયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, પહેલેથી જ દરેક વિભાગને કહેવામાં આવ્યું છે કે, દરેક વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હોસ્પિટલની તમામ ખરીદી સરકારી પોર્ટલ પરથી કરવામાં આવી રહી છે. જોકે હાલમાં હોસ્પિટલ પાસે પૂરતો સ્ટોક છે, દર્દીઓને કોઈ તકલીફ નહીં થાય. હાલમાં જૂના સ્ટોક પ્રમાણે ભાવ લેવા IMAની અપીલઆઈએમએના પ્રમુખ ડો.મિતેષ શાહે જણાવ્યું હતું કે, હાલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જોકે તમામ તબીબોને કહેવામાં આવ્યું છે કે, હાલમાં તેમની પાસે જે સ્ટોક છે ત્યાં સુધી ભાવ વધારો ન કરવો જોઈએ. સ્વદેશી કંપનીઓ પાસે 1 થી 2 મહિના ચાલે તેટલો કાચો માલ તો છે જ. ફાર્માસિસ્ટ એસોસિયેશનને પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી તેમની પાસે સ્ટોક હોય ત્યાં સુધી ભાવ વધારો ન લેવો. ભાવ પત્રક (હોલસેલ) ગ્લૂકોઝ બોટલના ભાવ રૂા.20થી વધીને રૂા.40, કોટનનો ભાવ રૂા.110થી વધી 132 અને એક્ઝામિન ગ્લવ્ઝનો ભાવ 290 થયો છે.
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે. બીજા મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના એલાન સાથે જોડાયેલા રહ્યા. તેઓ પોતાની 'ચતુરંગિણી સેના' બનાવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. યુપીના સંભલમાં શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ મામલે સિવિલ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. મોદીએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી:કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી, એક થઇને લાંબો સમય લડવાની તૈયારી કરો; વાતચીતથી જ ઉકેલ આવશે પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યુ. મોદીએ કહ્યું- હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. લોકસભામાં 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે તણાવનો અંત આવવો જોઈએ. વાતચીત જ એકમાત્ર ઉકેલ છે. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા અસ્વીકાર્ય છે. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું સ્વીકાર્ય નહીં. પીએમએ કહ્યું, સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં એક કરોડ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે કહ્યું- મુજતબા ખામેનીનું મોત નથી ઇચ્છતો:વેનેઝુએલા જેવી ઈરાનમાં નવી સરકાર બનશે, આ માટે તેઓ એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીનું મૃત્યુ નથી ઈચ્છતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ નથી જાણતા કે મુજતબા જીવિત છે કે નહીં. ફ્લોરિડામાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને આ દિશામાં એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત ચાલી રહી છે. અમેરિકા ઈરાનમાં નવી રાજકીય વ્યવસ્થાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેનેઝુએલાની જેમ કોઈ નવો નેતા સામે લાવી શકાય છે અથવા પછી અમેરિકા સાથે મળીને જોઈન્ટ લીડરશિપનું મોડેલ પણ અપનાવી શકાય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે અને જલ્દી સમજૂતી કરવા માંગે છે. તેમણે કહ્યું કે 5 દિવસ કે તેનાથી ઓછા સમયમાં આ ડીલ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો:અઠવાડિયામાં 10%નો કડાકો, રોકડ માટે ખાડી દેશો સોનું વેચવા માંડ્યા, રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ, ચાંદી પણ ક્રેશ આજે 23 માર્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું સવારે 12,077 રૂપિયા ઘટીને 1.35 લાખ રૂપિયા પર ખુલ્યું, પરંતુ સાંજે 7,649 રૂપિયાના ઘટાડા સાથે 1.40 લાખ રૂપિયા પર બંધ થયું. આ પહેલા તેની કિંમત 1.47 લાખ હતી. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત સવારે 30,864 રૂપિયા ઘટીને 2.01 લાખ રૂપિયા પર ખુલી, પરંતુ સાંજે 17,760 રૂપિયાની રિકવરી પછી 13,104 રૂપિયાના ઘટાડા સાથે 2.19 લાખ પર બંધ થઈ. આ પહેલા શુક્રવારે તેની કિંમત 2.32 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. 40 વર્ષમાં સોનાની કિંમતમાં આટલો મોટો ઘટાડો થયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શંકરાચાર્ય 2.18 લાખ સૈનિકોની ચતુરંગિણી સેના બનાવશે:કાશીમાં કહ્યું- સેના ગાય, ધર્મ-શાસ્ત્ર અને મંદિરની રક્ષા કરશે; પહેલા રોકશે, ટોકશે પછી ઠોકશે વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સોમવારે ચતુરંગિણી સેના બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું- ચતુરંગિણી સેનામાં 2 લાખ 18 હજાર 700 સૈનિકો હશે. તેમાં દેશભરમાંથી લોકો ભરતી થશે. તેમણે જણાવ્યું- આ સેના ગૌરક્ષા, ધર્મ રક્ષા, શાસ્ત્ર રક્ષા અને મંદિર રક્ષાનું કાર્ય કરશે. તેમનો ડ્રેસ પીળો હશે. હાથમાં પરશુ હશે. તેના માટે શ્રીશંકરાચાર્ય ચતુરંગિણી સભાની રચના કરી છે. તેમાં 27 સભ્યો હશે. તેના અધ્યક્ષ તેઓ પોતે હશે. શંકરાચાર્યે કહ્યું- 1 પત્તી (ટીમ)માં 10 લોકો હશે. 21 હજાર 870 ટીમો બનશે તો સેના તૈયાર થઈ જશે. ભારતમાં હાલ લગભગ 800 જિલ્લા છે. જો દરેક જિલ્લામાં 27 ટીમો, એટલે કે 270 લોકો તૈયાર થઈ ગયા, તો 2 લાખ 16 હજાર લોકો તૈયાર થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘ધુરંધર’માં રણવીરનો 'ઘોસ્ટ લુક':મેકઅપની મહેનતનો BTS વીડિયો વાઈરલ; બોક્સઓફિસ પર 'કિંગ ઓફ લ્યારી'નું રાજ, 4 દિ'માં 750 કરોડની રેકોર્ડબ્રેક કમાણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’એ ફક્ત ચાર દિવસમાં વિશ્વભરમાં ₹750 કરોડની કમાણી કરી છે. ગઈકાલે રવિવાર આ ફિલ્મે ફક્ત ભારતમાં ₹114.85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે શાહરુખ ખાનની ‘પઠાણ’ અને ‘RRR’ દ્વારા અગાઉના સપ્તાહના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરુખ ખાનની ‘પઠાણ’ એ પાંચ દિવસના વિસ્તૃત સપ્તાહના અંતે ₹287 કરોડની કમાણી કરી હતી. ‘ધુરંધર 2’ એ હવે ‘બાહુબલી 2’ (₹591 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹500 કરોડ) અને ‘RRR’ (₹470 કરોડ) દ્વારા સ્થાપિત શરૂઆતના સપ્તાહના રેકોર્ડને વટાવી દીધો છે. તે હવે ભારતીય સિનેમા ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ શરૂઆતના સપ્તાહના અંતે ઉભરી આવી છે, જે ફક્ત ‘પુષ્પા 2’ (₹762 કરોડ) પછી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાઈ, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો:સરકારે કહ્યું- ' તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી', અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એકશનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી છે. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-઼ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી છે. સંઘવીએ કહ્યું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'મોદીને ટ્રમ્પે એપ્સ્ટિનથી કંટ્રોલ કરી રાખ્યા છે':PMએ કહ્યું તમે જેમ હુકમ કરશો એમ કરીશું, કોઈ પાસેથી તેલ નહીં ખરીદીએ, વડોદરામાં આદિવાસીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેઓ 4.45 વાગ્યે દિલ્હી જવા રવાના થયા હતા. ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે 34 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : તમિલનાડુમાં ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે:કેરળ ભાજપ પ્રમુખ ચંદ્રશેખરની ઉમેદવારી રદ કરવાની માંગ:કોંગ્રેસનો દાવો- સોગંદનામામાં માહિતી છુપાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસથી ઈરાનની રેકોર્ડ કમાણી:હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ લઇ જવા માટે 18.8 કરોડનો ટોલ ટેક્સ નાખ્યો; ખાડી દેશોનું ઉત્પાદન 70% સુધી ઘટ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ ધરાશાયી, 4નાં મોત:20 લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ; 1 કિમી સુધી ફેલાયો એમોનિયા ગેસ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ન્યૂયોર્ક એરપોર્ટ પર વિમાન-ટ્રકની ટક્કર, બંને પાયલોટના મોત:એર ટ્રાફિક કંટ્રોલરે સ્ટોપ-સ્ટોપ બૂમ પાડી, 72 મુસાફરો સવાર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર!:ટ્રમ્પની ઈરાન પર હુમલા રોકવાની જાહેરાત પછી ગ્લોબલ માર્કેટમાં ઉછાળો, ક્રૂડ ઓઈલમાં એક ઝાટકે ઘટાડો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સૌરભ દુબે-દસુન શનાકા IPLમાં સામેલ:હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટ પર નિર્ણય બાકી; લીગમાં અત્યાર સુધી 10 ખેલાડીઓના રમવા પર શંકા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નવરાત્રિ, સર્વાર્થસિદ્ધિ અને રવિ યોગનો દુર્લભ સંયોગ:માઁ સ્કંદમાતાની આરાધનાથી ખુલશે સંતાન સુખના દ્વાર; પૂજા દરમિયાન પીળા વસ્ત્રો-ભોગનું મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ માછલીએ કાર ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ નેધરલેન્ડમાં બ્લબ નામની એક ગોલ્ડફિશ માછલીએ કાર ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાણીથી ભરેલી ટેન્કમાં લગાવવામાં આવેલી મોશન સેન્સર ટેકનોલોજી માછલીની દિશાને ટ્રેક કરતી હતી, જેના કારણે કાર પણ તે જ દિશામાં ચાલતી હતી. આ માછલીએ માત્ર 1 મિનિટમાં 40 ફૂટથી વધુ અંતર કાપ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘આસારામનો પડછાયો પણ ઘરમાં ન જોઇએ’: દીપેશના ઘરે આસારામ બેઠા એ ગાદી લોકોએ બાળી નાખી! જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, શું 100 પાર કરશે? તમારા ખિસ્સા કેવી રીતે ખાલી થશે; સરકાર શું કરી રહી છે? 3. મંડે મેગા સ્ટોરી : ઈરાન હાર કેમ નથી માની રહ્યું: 22 દિવસના યુદ્ધમાં કેટલું નુકસાન થયું; શું ટ્રમ્પ-નેતન્યાહુ યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો શોધી રહ્યા છે? 4. ભાસ્કર એક્સક્લૂસિવ : 'ઈરાન - અઝરબૈજાન બોર્ડર પર ફસાયા, ધડાકાઓમાં રાત કાઢવી મુશ્કેલ': ભારતીય વિદ્યાર્થીઓ બોલ્યા- 1.5 લાખની ટિકિટ નકામી, નવી લેવાના પૈસા નથી 5. Editor's View: ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો: ખામેનીની દફનવિધિ ન થવાની ત્રણ સંભાવના, મોજતબા પર સસ્પેન્સ, જાણો ઇરાનની સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની રહસ્યમય કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: સિંહ-કન્યા રાશિ માટે સફળતાનો માર્ગ મોકળો બનશે, કુંભ રાશિએ આર્થિક લેવડ-દેવડ પર રોક લગાવી! વાંચો સંપૂર્ણ રાશિફળ
ગેસની અછતની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે. અમરનાથ યાત્રા દર વર્ષે જૂનના અંતમાં શરૂ થતી હોય છે. સામાન્ય રીતે માર્ચમાં મેડિકલ ચેકઅપની પ્રક્રિયા શરૂ થાય છે અને તે પછી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે માર્ચ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં યાત્રાની તારીખ નક્કી થઈ નથી. વડોદરાના ભંડારા સંચાલકોના જણાવ્યા અનુસાર, અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હજુ સત્તાવાર સૂચના અપાઈ નથી, જેથી યાત્રા યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. નોંધનીય છે કે, પંજાબથી પહેલગામ અને બાલતાલ સુધીના માર્ગમાં 140 જેટલા ભંડારા હોય છે. દરેક ભંડારામાં જમવાનું, નાસ્તો બનાવવા અને પાણી ગરમ કરવા રોજ સરેરાશ 7 બોટલની જરૂર પડે છે. આ હિસાબે સમગ્ર માર્ગ પર રોજ 980 બોટલની જરૂર રહે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે આટલો ગેસનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવો તે મોટો પડકાર બની રહ્યો હોવાનું ભંડારા આયોજકોએ જણાવ્યું હતું. શ્રાઈન બોર્ડ-ગૃહ મંત્રાલય વચ્ચે હજુ બેઠક મળી નથીગૃહ મંત્રાલય-શ્રાઈન બોર્ડ વચ્ચે યાત્રા અંગે બેઠક યોજાઈ નથી, તેમ જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે બેઠક પછી તારીખ જાહેર થાય છે. > મિલિંદ વૈદ્ય, ચેરમેન, મા શિવાની રંગ અમરનાથ ચેરિ. ટ્રસ્ટ જમનાબાઈ અને સયાજી હોસ્પિટલને મેડિકલ પ્રક્રિયા અંગે હજુ સૂચના મળી નથીઅમરનાથ યાત્રાએ જનારામાં અમદાવાદ-સુરત કરતાં વડોદરા અને તેની આસપાસના લોકોની સંખ્યા વધુ હોય છે. અંદાજે 30 હજાર લોકો યાત્રા માટે જાય છે. ગત વર્ષે માર્ચમાં જમનાબાઇ-સયાજી હોસ્પિટલમાં મેડિકલ પ્રક્રિયા શરૂ થઈ હતી, આ વર્ષે હજુ જમ્મુ-કાશ્મીર બેંક કે પંજાબ નેશનલ બેંકની સૂચના આવી નથી. ચારધામ યાત્રા માટે પણ અનિશ્ચિતતા22 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થશે. જોકે યાત્રી માટે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પ્રશ્ન ટૂર ઓપરેટરોને સતાવે છે. આ સ્થિતિને પગલે બસ દ્વારા ચારધામની ટૂર ઓપરેટ કરનારા સંચાલકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અમે સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છીએભંડારાના આયોજન માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, પરંતુ જ્યાં સુધી સરકાર સત્તાવાર રીતે જાણ ન કરે ત્યાં સુધી અમે રાહ જોઈશું. > મનોજ બજાજ, દિલ્હી, ભંડારા આયોજક વૃંદાવનમાં રૂા.5 હજારમાં 1 સિલિન્ડર લેવો પડે છેહાર્દિક શાસ્ત્રીની કથા માટે 140 લોકોને સાથે વૃંદાવન આવ્યા છીએ. 6 માસ પૂર્વે ટ્રેન સહિતનાં બુકિંગ કર્યાં હોવાથી રદ કરી શકાય તેમ નથી. જમવા માટે રોજ 1 બોટલ 5 હજારમાં ખરીદવો પડે છે. > ચિરાગ પટેલ, ટ્રાવેલ્સ એસો.
ડેટા એન્ટ્રીનું કામ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા બાદ તેમાંથી ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવનાર મહિલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના વિરાર ખાતેથી ઝડપી લીધી છે. વર્ષ 2004માં રૂા.30 લાખની છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપી 22 વર્ષથી વોન્ટેડ હતી. વડોદરા ક્રાઈમ બ્રાચના જણાવ્યા અનુસાર, ડેટા કન્વર્ઝન અને પ્રોસેસિંગનું કામ કરતા ફરિયાદીને અમેરિકાથી ડેટા એન્ટ્રીનું સીધું કામ અપાવવાનો મહિલા આરોપી સુનિતા રાજેશ માંડલ (ઉ.વ.56, રહે. પૂનમ પાર્ક વ્યૂ, વિરાર, મુંબઈ) દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો હતો. આ કામ માટે સુનીતા માંડલ દ્વારા 2 હજાર પીસી માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટની કુલ ફી રૂા. 60 લાખ નક્કી કરાઈ હતી, જેની સામે ફરિયાદીએ આરોપીઓને રોકડેથી અને ચેકથી કુલ રૂા. 45 લાખ ચૂકવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને ડેટા એન્ટ્રીનું કોઈ કામ આપ્યું ન હતું અને આ નાણાંનો ઉપયોગ ‘સંત તુકારામ’ નામની ફિલ્મ બનાવવા માટે કરી નાખ્યો હતો. તે પછી ફરિયાદી દ્વારા વારંવાર માગણી કરવામાં આવતાં આરોપીઓએ રૂા.15 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂા. 30 લાખ પરત કર્યા ન હતા. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મુંબઈના નાલા સોપારા ખાતે પોલીસની ટીમોએ ધામા નાખ્યા બાદ બાતમીના આધારે આરોપીની દબોચીક્રાઈમ બ્રાંચને આરોપી મુંબઈના નાલા સોપારા ખાતે રહેતી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે મુંબઈના પાલઘર જિલ્લામાં વિરાર ખાતેથી આરોપી સુનિતા માંડલની ધરપકડ કરવામાં આવી હતી. ઓનલાઈન પોર્ટલના ડેટાનો ઉપયોગ કરીને ફોન કરાય છેસાયબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગઠિયાઓ મોટાભાગે ઓનલાઈન પોર્ટલના ડેટાનો ઉપયોગ કરીને લોકોને ઘર બેઠાં નોકરી, જેમાં ડેટા એન્ટ્રીનો ફોન કરીને રૂપિયા કમાવવાની લાલચ આપી રહ્યાં છે. જ્યારે કામ આપ્યા બાદ સમયસર કામ પૂરું થયું નથી, તેમ જણાવીને લીગલ નોટિસના બહાને રૂપિયા પડાવે છે.
આજે વિશ્વ ટીબી દિવસ:સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે 95 ટકા ટીબીના દર્દીઓ સાજા થયા
છેલ્લા ત્રણ વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં ટીબીના દર્દીઓને શોધવા અને તેમને સમયસર સચોટ સારવાર આપીને સાજા કરવાના ગ્રાફમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં જિલ્લામાં ટીબીના દર્દીઓનો રિકવરી રેટ 95% સુધી પહોંચ્યો છે. એટલે કે ગત વર્ષે 95 ટકા ટીબીના દર્દીઓ સાજા થયા હતા. વર્ષ 2023માં 4501 દર્દી હતા. જે 2024માં ઘટીને 4346 તથા 2025માં ઘટીને 4259 દર્દીઓ થયા. વર્ષ 2023માં 4501 દર્દીમાંથી 4231 દર્દીઓ એટલે કે, 94% દર્દીઓ સાજા થયા હતા. જ્યારે વર્ષ 2024માં 4346 દર્દીઓમાંથી 4058 દર્દીઓ એટલે કે 93% તથા વર્ષ 2025માં 4259 દર્દીઓમાંથી 4058 દર્દીઓ ટીબીના રોગમાંથી મુક્ત થયા હતા જે દર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે 95 % રહ્યો હતો. ટીબીના દર્દીઓને માત્ર મફત દવા જ નહીં, પરંતુ નિક્ષય પોષણ યોજના અંતર્ગત આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે નિક્ષય મિત્રો દ્વારા દર્દીઓને દત્તક લઈને પૌષ્ટિક આહાર પૂરો પાડવાની પ્રવૃત્તિઓના લીધે વર્ષ 2025ના પરિણામો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સાબરકાંઠામાં સાબરકાંઠામાં તલોદ તાલકુાના 24, હિંમતનગર તાલુકાના 15, વિજયનગર તાલુકાના 1, ઇડર તાલુકાના 13, પ્રાંતિજ તાલુકાના 13 તથા વડાલી તાલુકાના 4 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવશે.
CM દ્વારા સન્માન કરાયું:200 સખીમંડળોની રચના કરનાર આંગણવાડી સુપરવાઈઝરને માતા યશોદા એવોર્ડ એનાયત
હિંમતનગરના ઈલોલ સેજામાં ફરજ બજાવતા સુપરવાઈઝર આનંદીબેન બી.પટેલે બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાના મિશન અને 200 જેટલા સખીમંડળો દ્વારા મહિલાઓને પગભર કરવાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત માતા યશોદા એવોર્ડથી સન્માનિત કર્યા છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આનંદીબેનને આ સન્માન એનાયત કરાયો હતો. જેમાં એવોર્ડ શિલ્ડ, પ્રશસ્તિ પત્ર અને 61હજાર રાશિનો સમાવેશ થાય છે. 1988માં એક સામાન્ય આંગણવાડી વર્કર તરીકે કારકિર્દી શરૂ કરનાર આનંદીબેન આજે 37 આંગણવાડી કેન્દ્રોના માર્ગદર્શક તરીકે કાર્યરત છે. તેમની કામગીરીમાં માત્ર આંકડાઓ જ નહીં પરંતુ બાળકો પ્રત્યેની મમતા પણ ઝળકે છે. તેમણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને હેત પ્રોજેક્ટ હેઠળ અતિ ઓછા વજનવાળા બાળકોને લાડુ વિતરણનું 100% અમલીકરણ કરાવી કુપોષણના દરમાં ઘટાડો નોંધાવ્યો છે. માત્ર પોષણ જ નહીં, પરંતુ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમણે અંદાજે 200 સખીમંડળોની રચના કરી છે. વધુમાં સરકારી ગ્રાન્ટની રાહ જોયા વિના તેમણે ઉદાર દાતાઓના સહયોગથી આંગણવાડીઓમાં સિલિંગ ફેન, સ્કૂલ બેગ, વોટર બોટલ અને ગરીબ બાળકો માટે કપડાં જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. પા પા પગલી પ્રોજેક્ટથી લઈને આધુનિક ટેકનોલોજીના ઓનલાઈન એન્ટ્રીના કામમાં પણ અવ્વલ રહીને આનંદીબેને સાચા અર્થમાં માતા યશોદાની ભૂમિકા સાર્થક કરી છે.
ભિલોડાના શંકરપુરામાં પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી)ના પાવન સાંનિધ્યમાં સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મુમુક્ષુ ભાઈ-બહેનોને શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેશીંગબાપાના બોધવચનોનું રસપાન કરાવાયું હતું. પૂ.બાપાએ જણાવ્યું હતું કે સત્સંગ એ માત્ર ભેગા થવાનો નહીં. અંતર્મુખ થવાનો માર્ગ છે. પરમ પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું હતું કે સત્સંગમાં શા માટે આવ્યા છીએ તેનો મર્મ સમજાવાવો જોઈએ. માત્ર રોટલા ખાઈને વિખેરાઈ જવાનો આ માર્ગ નથી. જન્મ-મરણના ફેરામાંથી અને અનેક માતા-પિતા કરવાના ચક્રમાંથી બચવા માટે જ આ સત્સંગ છે. શંકરપુરામાં પૂર્વજન્મનું જે દેવું કર્યું હતું તે ચૂકવવા આવ્યા છીએ. હવે નવા કર્મો ન બંધાય તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. સત્પુરુષોના યોગબળનો મહિમા સમજાવતા તેમણે કહ્યું કે, જો કોઈ જીવ પૂર્વની કમાણી વાળો હોય તો તેના માટે પાંચ મિનિટનો સત્સંગ પણ અંતર્મુખ થવા માટે પૂરતો છે. દર્પણ ચોખ્ખું હોય તો બધું દેખાય એમ અંદરથી બધી વાત સમજાય છે. આત્મા એ જ પરમાત્મા: કમાવું, ખાવું ને મરી જવું એ તો પશુઓ પણ કરે છે મનુષ્ય જન્મની દુર્લભતા અને જીવનના વાસ્તવિક હેતુ પર પ્રકાશ ફેંકતા પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું કે, મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. આ અવતારમાં કરવા જેવું એકમાત્ર કામ આત્માનું કલ્યાણ છે. માત્ર કમાવું, ખાવું અને મરી જવું એ તો અન્ય પશુ-પક્ષીઓ અને જીવો પણ કરે છે. પરંતુ જો જીવ ધારે તો તે શિવ બની શકે છે.
સોમવારે હિંમતનગર પાલિકાની નવા સીમાંકન પ્રમાણે 11 વોર્ડ માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતાં 8 કાઉન્સિલર અને 12 હજાર મતદારોનો વધારો થયો છે. સૌથી વધુ મતદાર 100 ટકા લઘુમતી વોર્ડ નં-3 માં 8827 છે. જ્યારે સૌથી ઓછા મતદાર વોર્ડ નં-8 માં 4503 છે. નવા સીમાંકન બાદ ભાજપનું સંખ્યાબળ વધશે તેવી વોર્ડ રચના જણાઈ રહી છે. આ વખતના મતદાનમાં એસઆઈઆર બાદની આખરી મતદાર યાદીનો અમલ નહીં થાય તેવું જાણવા મળી રહ્યું છે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડમાં મતદારોની સંખ્યા આશરે 7 થી 8 હજારની આસપાસ રહી છે. ચાર વોર્ડમાં 6 હજારની આસપાસ મતદાર છે, એક વોર્ડમાં માત્ર સાડા ચાર હજાર મતદાર છે. ચાર વોર્ડમાં સાત હજારની આસપાસ તો બે વોર્ડમાં 8-9 હજાર આસપાસ મતદાર છે. બે વોર્ડ વધવા છતાં અને 12 હજાર મતદારોનો વધારો થવા છતાં ભાજપનું સંખ્યાબળ વધનાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા બનેલ વોર્ડ નં-10 અને વોર્ડ નં-11નો આખો પટ્ટો ભાજપનો ગઢ ગણાય છે. મતદારો અને વિસ્તાર વધવા છતાં ભાજપ માટે સમસ્યા જણાય તેવી નથી પરંતુ ચૂંટણી લડવામાં ઉમેદવારોને ભારે હરીફાઈનો સામનો કરવો પડશે. વાંધા અરજી માટે 5 દિવસ અપાયા
વનવિભાગ દોડતું થયું:મોડાસા આરટીઓ બાયપાસ પર જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો
મોડાસામાં જીઆઈડીસી અને બાયપાસ પર આવેલ એઆરટીઓ કચેરી પાછળના જંગલ જેવા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતાં આ વિસ્તારમાં દીપડો હોવાની પુષ્ટી થઈ છે. જેના પગલે વન વિભાગે તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગ દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવીને બાયપાસ ઉપર આવેલા આસપાસના જંગલ વિસ્તારમાં સંભવિત સ્થળોએ દીપડાની શોધખોળ કરી રહી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સાથે સાથે વન વિભાગે સ્થાનિક રહીશોને સાવચેત રહેવા અપીલ કરી જણાવ્યું છે કે જો કોઈને દીપડો દેખાય તો તરત જ વિભાગનો સંપર્ક કરવો.આ માટે વન વિભાગના અધિકારીએ પોતાનો પર્સનલ નંબર 92651 94573 પણ જાહેર કર્યો છે. જેથી લોકો સમયસર માહિતી આપી શકે વન વિભાગની ટીમો પગેરા અને અન્ય પુરાવાઓના આધારે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. બાયપાસ પર આવેલી 25 કરતાં વધુ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
નવીન ડામર રોડ બનાવવાની માંગ:પાલનપુરના વાસણથી કુંપર (ભા) વચ્ચેનો ધુળીયો રસ્તો નવો બનાવો
પાલનપુર પાલનપુર તાલુકાના વાસણ (ધા) થી કુંપર ભાટવડીને જોડતો ધૂળીયો માર્ગ ડામર રોડ બનાવવામાં આવે તો આજુબાજુના દસથી વધુ ગામોના લોકોને અવર- જવરમાં રાહત થાય તેમ છે. પાલનપુર તાલુકાના વાસણ (ધા) બસ સ્ટેન્ડથી કરજી રામદેવપીરજી મંદિરથી સીધો કુંપર (ભાટવડી) જતો માર્ગ વર્ષોથી ધુળીયો છે. આ માર્ગ ડામર રોડ બનાવવામાં આવે તો ગોળા, માણકા, ગોપાલપુરા, વાસણ સહિતના આઠથી દસ ગામોના લોકોને માલણ, બાલારામ જવામાં સરળતા રહેશે. આ માર્ગ ઉપર ઉમરદશી નદીનું વ્હેણ પણ આવે છે. જ્યાં રપટ બનાવવામાં આવે તેવી પણ લોકોની માંગણી છે. વાસણથી કુંપર (ભા) વચ્ચે ધુળીયો રસ્તો ડામર રોડ બનાવવા માંગ છે.
પાલનપુર પંથકમાં પરણાવેલી યુવતીનું છ વર્ષનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું હતું. પતિ સતત છુટાછેડાની માંગણી કરી રહ્યો હતો. પોતાનું અને બે દીકરીઓના ભવિષ્યનું શું થશે તેનો વિચાર કરી યુવતીએ પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી હતી. કાઉન્સિલરે તેણીના પતિને બે દીકરીઓના દુઃખદ ભવિષ્યનો ચિતાર આપતા આખરે પતિનું હૃદય પરિવર્તન થયું હતું અને ત્રણેયને અપનાવી લીધા હતા. પાલનપુર રેન્જ આઈ.જી. કચેરી પાસે આવેલા મહિલા સહાયતા કેન્દ્રમાં એક પીડિત પત્ની ન્યાયની આશાએ આવી હતી. લગ્નના છ વર્ષ બાદ પણ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી તે ભાંગી પડી હતી. છૂટક કામ કરતો પતિ વાત-વાતમાં અપશબ્દો બોલી પત્નીને કાઢી મૂકવા મથતો હતો. પતિની એક જ માંગ હતી: તું જતી રહે અને દીકરીઓ મને સોંપી દે, મારે તારી સાથે નથી રહેવું.આ અંગે મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર જીગીશાબેન તરાલે જણાવ્યું હતું કે, સમક્ષ જ્યારે આ મામલો આવ્યો, ત્યારે પરિસ્થિતિ નાજુક હતી. સમાજ દ્વારા અગાઉ થયેલા સમાધાન નિષ્ફળ રહ્યા હતા. બે માસૂમ દીકરીઓનું ભવિષ્ય માતા-પિતા વગર કેવું અંધકારમય બનશે તેનું ચિત્ર પતિ સમક્ષ રજૂ કર્યું હતું. પતિને કાયદાકીય ગૂંચવણો અને ભવિષ્યની મુશ્કેલીઓ સમજાવી હતી. કાઉન્સિલિંગની એવી અસર થઈ કે પથ્થર દિલ પતિનું હૃદય પીગળ્યું હતું. તેણે પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં ખાતરી આપી કે હવે તે પત્નીને સારી રીતે રાખશે. થોડા સમય બાદ જ્યારે ફોલોઅપ મીટિંગ લેવામાં આવી ત્યારે પત્નીના ચહેરા પર સ્મિત હતું. તેણે ગદગદિત હૃદયે જણાવ્યું કે, હવે પતિ સુધરી ગયા છે, તેઓ છૂટાછેડાનું નામ પણ લેતા નથી અને અમે સુખેથી રહીએ છીએ.
અકસ્માતની ભીતિ સર્જાઈ:સદરપુર- સોનગઢ માર્ગે અંડરપાસમાંતૂટેલી ચેમ્બરથી અકસ્માતનો ખતરો
સદરપુર-સોનગઢ માર્ગના અંડરપાસમાં તૂટી ગયેલા ડ્રેનેજ ચેમ્બર કારણે એ ક મહિનાથી સમસ્યા યથાવત છે, છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા અકસ્માતનો ખતરો વધ્યો છે. ખાડામાં પડવાના બનાવોમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલનપુરના સદરપુરથી સોનગઢને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ રેલ્વે અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ આ ચેમ્બર તૂટી જતા અંડરપાસમાં મોટો ખાડો પડી ગયો છે, જે વાહનચાલકો માટે અકસ્માત નોતરી રહ્યો છે. સદરપુરના ગ્રામજનોને જણાવ્યું હતું કે, આ માર્ગ સદરપુર અને સોનગઢ વચ્ચેનો મહત્વનો જોડાણ માર્ગ હોવાથી દરરોજ ખેડૂતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરે છે. ખાડાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યાર સુધીમાં ચારથી પાંચ બાઈક સવાર પરિવાર સાથે આ ખાડામાં પડ્યા હોવાના બનાવી બન્યા છે. જ્યારે કેટલીક મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જવાની ઘટનાઓ બની હતી. અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે,તંત્ર તાત્કાલિક ધ્યાન આપી તૂટી ગયેલા ચેમ્બરનું ઢાંકણું બદલાવી માર્ગને સરખો કરે, નહીં તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં.
અફવાને તેડું:પાલનપુરમાં પેટ્રોલ પંપ પર ભીડ
અમદાવાદમાં પેટ્રો લ-ડીઝલ ખૂટવાની અફવાઓ વચ્ચે તેની અસર પાલનપુર શહેર સુધી પહોંચી હતી. સોમવારે સાંજથી અચાનક અફવાઓ ફેલાતા શહેરના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી.શ હેરના મુખ્ય સાત પેટ્રોલ પંપ પર બાઈ ,એક્ટિવા લઈને કાર અને ભારે વાહનો સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી. શરૂ આતમાં ટૂ-વ્હીલર ચાલકો લાઈનમાં દેખાયા હતા, પરંતુ સમય જતાં કાર અને મોટા વાહનોની સંખ્યા પણ ઝડપથી વધી ગઈ હતી. ઘણા લોકો ગભરા ટમાં વધુમાં વધુ પેટ્રો લ-ડીઝલ ભરાવવા દોડ્યા હતા.પંપ સંચાલકો દ્વારા સ્થિતિ કાબૂમાં રાખવા મર્યાદા નક્કી કરવામાં આવી હતી. કારમાં વધુમાં વધુ ₹2000 સુધીનું ડીઝલ આપવ માં આવી રહ્યું હતું, જ્યારે ડમ્પર અને મોટા વાહનો માટે 100 લિટર સુધી મર્યાદા રાખવામાં આવી હતી. બાઈક અને એક્ટિવા ચાલકો પણ ₹500થી ઓછું પેટ્રોલ ભરાવતા ન હતા.વા નચાલકો વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા.ગે રવપરાશ અટક વવા માટે કેરબા અને બોટલમાં પેટ્રોલ આપવાનું સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્ લાના વડગામ તાલુકા માં તેમજ થરાદમાં પણ પેટ્રોલ પુરાવવા માટે પંપ પર વાહનોની કતારો મોડી સાંજે સર્જાઈ હતી. કલેક્ટર મિહિર પટેલ સ્પષ્ટ કર્યું કે જિલ્લામાં પેટ્રોલ -ડી લની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેમણે નાગર કોને અપીલ કરી કે અફવ ઓથી દૂર રહી શાંતિ જાળવે અને અનાવશ્ક પેનિક ન ફેલાવે.
ગટર ઉભરાવવાની સમસ્યા વકરી:દુર્ગંધથી રાત્રે સુઈ શકાતું નથી :રહીશોની વ્યથા
પાલનપુર કોટ અંદરના વોર્ડ નં. 5ના ખાસદારફળી વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રસ્ત બન્યા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરમાં જુદાજુદા વિસ્તારોમાં ભૂર્ગભ ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યાં કોટ અંદરના વિસ્તારમાં વોર્ડ નં.5ના ખાસદારફળી વિસ્તારમાં ગટરો ઉભરાઇ રહી છે. આ અંગે રહિશોએ જણાવ્યું હતુ કે, ઘર આગળ જ ગટરો ઉભરાઇ રહી છે. ગંદકી અને બદબુથી સરખી રીતે જમી શકાતું નથી. રાત્રે સુઇ પણ શકાતું નથી. દરમિયાન નગરપાલિકા દ્વારા ચેમ્બરોની સફાઇ હાથ ધરવામાં આવી હતી.
10 લાખના જૂના ઝઘડાને લઈને પાટણ-ઊંઝા હાઈવે પર ફિલ્મી અંદાજમાં આર્ટિગા ગાડી પર હુમલા નો પ્રયાસ થયો હોવાની ઘટનામાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો પર ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડવા માટે એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લગાડી છે. પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પંદરેક દિવસ પહેલા સાંજના સમયે નંબર પ્લેટ વગરની ચાર કાળી ગાડીઓમાં આવેલા શખ્સોએ પાટણ-ઊંઝા હાઈવે પર આર્ટિગા કારને ઘેરી લોખંડની પાઈપોથી હુમલો કર્યો હતો. જોકે, ટાર્ગેટ બનેલા જીતુભા રાઠોડે ફોરચ્યુનર કારને ટક્કર મારીને પોતાની ગાડી ભગાવી દીધી હતી. આ મામલે ઝિલીયાના ભાવેશ બળદેવભાઈ દેસાઈ, ભાર્ગવ બળદેવભાઈ દેસાઈ, નાગલપુરના અક્કી દેસાઈ અને માલસુંદના દેવું દેસાઈ સહિત અંદાજે 6થી 7 અજાણ્યા શખ્સો સામે પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાતા જ તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
બાયોમેટ્રિક ફેસિલિટી ઘરઆંગણે મળશે:પાટણમાં 1 એપ્રિલથી જીએસટી બાયોમેટ્રિક સુવિધા શરૂ કરાશે
પાટણ કાર્યક્ષેત્રના કરદાતાઓને નવા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અત્યાર સુધી પાલનપુર જવું પડતું હતું. પરંતુ હવે આગામી 1 એપ્રિલથી પાટણ ખાતે જ બાયોમેટ્રિક ફેસિલિટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે જી.એસ.કે. સેવા કેન્દ્ર પાલનપુરનો સ્ટાફ દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે પાટણમાં હાજર રહેશે.આ બે દિવસ તેઓ ગાયત્રી મંદિર રોડ પર શ્રીકુંજ પ્લાઝાના ત્રીજા માળે આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ખાતે સેવા આપશે. નવા જી.એસ.ટી. નોંધણી માટે વેપારીઓએ અગાઉથી ઓનલાઇન સ્લોટ બુકિંગ કરાવવું પડશે, જેથી તેઓ પાટણ ખાતે જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે. નોંધનીય છે કે પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, ચાણસ્મા, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકા, તેમજ શંખેશ્વર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના વેપારીઓ માટે પાટણમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે.જ્યારે સિદ્ધપુર તાલુકાના નવા વેપારીઓએ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અગાઉની જેમ પાલનપુર જવું પડશે. સંયુક્ત રાજ્ય વેરા કમિશનર મહેસાણા મિતેષભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે પાટણ જિલ્લાના નવા વેપારીઓને હવે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાલનપુર સુધી જવું ન પડે, તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
24 માર્ચ વિશ્વ ટીબી દિવસના અવસરે જ્યારે દેશ ક્ષય મુક્ત ભારતનો સંકલ્પ કરી રહ્યો છે, ત્યારે પાટણના રાધનપુરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ચિરાગ ચાવડા સાચા અર્થમાં નિ-ક્ષય મિત્ર સાબિત થયા છે. છેલ્લા 9 વર્ષથી તેઓ પોતાના પગારમાંથી દર મહિને 10 ટકા રકમ અલગ કાઢી ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને 300 જેટલા દર્દીઓને આ કીટ આપી દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી છે. રાધનપુર તાલુકાના ગોતરકા પીએચસી હેઠળ કમાલપુર-2 આયુષ્માન આરોગ્ય મંદિરમાં (MPHW) આરોગ્ય કર્મચારી તરીકે કાર્યરત ચિરાગ ચાવડાએ માનવતાની અનોખી કેડી કંડારી છે. ટીબી જેવી ગંભીર બીમારીમાં માત્ર દવા જ પૂરતી નથી, પરંતુ તેની સાથે પ્રોટીનયુક્ત આહાર પણ અનિવાર્ય છે. આ બાબતને ધ્યાને રાખી ચિરાગભાઈએ પોતાના અંગત ખર્ચમાંથી મગ, ચણા, ખજૂર, સીંગદાણા અને મિક્સ દાળ જેવી પોષક તત્વોથી સભર ન્યુટ્રિશન કીટ તૈયાર કરી વિતરણ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેઓ 1.50 લાખથી વધુનો ખર્ચ 300 જેટલા દર્દીઓને કીટ આપી છે. તેમની આ કાર્યને કારણે વર્ષ 2019થી 2025 દરમિયાન અનેકવાર જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ માત્ર કીટ આપીને અટકી જતા નથી, પરંતુ દર્દીઓને 6 મહિના સુધી દત્તક લઈ તેમના સ્વાસ્થ્યનું સતત ફોલોઅપ પણ લે છે. એકલી દવા ગરમ પડતી, કીટથી ઝડપી સ્વસ્થ થયારાધનપુર વિસ્તારમાં મજૂરી કામ કરતા એક ગરીબ દર્દીએ ભાવુક થઈ જણાવ્યું કે, ટીબી થયો ત્યારે કામ છૂટી ગયું અને ખાવાના ફાંફા હતા. દવાઓ ગરમ પડતી હતી, પણ ચિરાગ સાહેબે આપેલી કઠોળ અને ખજૂરની કીટથી મારા શરીરમાં શક્તિ આવી. તેમના માર્ગદર્શન અને સહાયને કારણે જ આજે હું ફરી બેઠો થયો છું. આવો સરકારી કર્મચારી મે પહેલો જોયો છે. જે પગારમાંથી દર્દીઓની સેવા કરી રહ્યો છે. ચિરાગ ચાવડાએ જણાવ્યું હતું કે, 2017માં જ્યારે હું ફિલ્ડ વિઝિટમાં જતો ત્યારે જોતો કે ગરીબ દર્દીઓ ટીબીની આકરી દવાઓ તો લે છે, પણ ઘરે પૂરતું ખાવાનું ન હોવાથી નબળાઈને કારણે ટકી શકતા નથી. આ જોઈ મારું મન દ્રવી ઉઠ્યું અને મેં નક્કી કર્યું કે મારા પગારનો એક ભાગ આ દર્દીઓના પોષણ માટે વાપરીશ. મેં છેલ્લા 9 વર્ષથી મારો જન્મદિવસ પણ આ જ દર્દીઓ વચ્ચે કીટ વિતરણ કરીને ઉજવવાનું નક્કી કર્યું છે.
પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળસંકટ એક ગંભીર સમસ્યા વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પર્યાવરણવિદ્ મહેશભાઈ પંડ્યાએ જળ સમસ્યાના ગંભીર પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત આયોજિત આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા મહેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2026ની થીમ (જળ અને જાતિ) રાખવામાં આવી છે. તેમણે સદ્રષ્ટાંત સમજાવ્યું કે ઉદ્યોગોના કેમિકલ્સથી નદી અને દરિયામાં વધતું પ્રદૂષણ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને શહેરોમાં ભરાતા ગંદા પાણીને કારણે ઉભી થતી ગંભીર સમસ્યાઓ પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો સરકાર અને સમાજમાં પાણીના શુદ્ધિકરણ સાથે રક્ષણની પ્રબળ ઈચ્છાશક્તિ જાગે તો જ ભવિષ્યમાં આ સંકટથી બચી શકાશે. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ સ્વાગત પ્રવચન કરતા પાટણમાં પાણી ભરાવાના અને ગટર ઉભરાવાના સ્થાનિક પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. વક્તાનો પરિચય નગીનભાઈ ડોડીયાએ આપ્યો હતો, જ્યારે રમેશભાઈ પટેલ અને શિવમભાઈ મોદી સહિતના શ્રોતાઓએ પ્રશ્નોત્તરી દ્વારા સુંદર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના ગાર્ગીબેન રાવલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં મહાસુખભાઈ મોદીએ આભારવિધિ કરી હતી.
ભાસ્કર એનાલિસિસ:ઉ.ગુ.માં 50% સિઝન પૂર્ણ, મહેસાણામાં 80% થી વધુ વાવણી
ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટર જમીનનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે કે કુલ અંદાજના 50.83% વાવણી પૂર્ણ થઇ છે. અરવલ્લી જિલ્લો 88.78% અને મહેસાણા જિલ્લો 87.04% વાવેતર સાથે રેકોર્ડબ્રેક સ્પીડથી આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં જ અંદાજ મુજબનું વાવેતર પૂર્ણ થશે. જોકે, સૌથી મોટો વાવેતર વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં હજુ સુધી માત્ર 35.77% (64,056 હેક્ટર) જ વાવણી નોંધાઈ છે, જે દર્શાવે છે કે આ જિલ્લામાં હજુ મોટાભાગની જમીન પર વાવેતર બાકી છે 6 જિલ્લામાં વાવેતરની સ્થિતિ 1. મહેસાણા:પશુપાલનનો ગઢ, ઘાસચારાનું રેકોર્ડબ્રેક વાવેતર મહેસાણામાં 44,977 હેક્ટરના લક્ષ્યાંક સામે 39,148 હેક્ટર (87.04%) વાવણી પૂર્ણ થઈ છે. અહીં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી સૌથી વધુ 23,655 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં માત્ર મહેસાણામાં જ ડાંગર (347 હેક્ટર) નું વાવેતર નોંધાયું છે, જે અન્ય જિલ્લાઓમાં શૂન્ય છે. 2. પાટણ: મર્યાદિત સાધનો વચ્ચે ઘાસચારા પર ભાર પાટણમાં 27,491 હેક્ટરના લક્ષ્યાંક સામે 18,235 હેક્ટરમાં (66.33%) વાવેતર થયું છે. ખેડૂતોએ પશુધનને બચાવવા 11,045 હેક્ટરમાં ઘાસચારો વાવ્યો છે. 6,230 હેક્ટરમાં બાજરીનું વાવેતર નોંધાયું છે. 3. બનાસકાંઠા: મોટો લક્ષ્યાંક, પણ રફ્તાર હજુ ધીમી બનાસકાંઠામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી માત્ર 64,056 હેક્ટર (35.77%) જ વાવેતર થયું છે. અહીં મગફળી (14,598 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે. બાજરી (24,296 હેક્ટર) અને ઘાસચારો (19,857 હેક્ટર) પણ મુખ્ય પાકોમાં છે. 4. વાવ-થરાદ: બાજરીનો સૌથી મોટો હબ આ પંથકમાં 1,28,664 હેક્ટરના લક્ષ્યાંક સામે 59,095 હેક્ટરમાં (45.93%) વાવણી થઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર (45,741 હેક્ટર) આ વિસ્તારમાં નોંધાયું છે. અહીં શાકભાજી (5 હેક્ટર) અને અન્ય પાકોનું પ્રમાણ નહિવત છે, ખેડૂતો માત્ર ટકાઉ પાકો પર નિર્ભર છે. 5. સાબરકાંઠા: મકાઈ અને શાકભાજીનું કેન્દ્ર સાબરકાંઠામાં 30,662 હેક્ટરના લક્ષ્યાંક સામે 21,741 હેક્ટર (70.91%) વાવેતર સંપન્ન થયું છે. અહીં શાકભાજી (4,059 હેક્ટર) અને મકાઈ (1,124 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા વધુ જોવા મળે છે. મગફળીનું 1,928 હેક્ટરમાં વાવેતર 6. અરવલ્લી: વાવેતરની ટકાવારીમાં સમગ્ર રીજનમાં ટોપર અરવલ્લી જિલ્લો ઉનાળુ વાવેતરમાં સૌથી આગળ છે. અહીં 17,278 હેક્ટરના લક્ષ્યાંક સામે 15,340 હેક્ટરમાં (88.78%) વાવેતર થઈ ગયું છે. ખેડૂતોએ સૌથી વધુ બાજરી (6,935 હેક્ટર) અને ઘાસચારા (4,706 હેક્ટર) પર ભાર મૂક્યો છે. અહીં મગ (584 હેક્ટર) અને શાકભાજી (2,065 હેક્ટર) નું પણ સપ્રમાણ વાવેતર જોવા મળે છે. સિઝનનો ઓવરઓલ ટ્રેન્ડ: બાજરી અને ઘાસચારો જ કેમ?કુલ વાવેતરમાં બાજરીનો હિસ્સો 44.36% અને ઘાસચારાનો હિસ્સો 36.66% છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉનાળામાં પાણીની ખેંચ વચ્ચે આ પાકો ઓછા પાણીએ તૈયાર થાય છે અને પશુપાલકોને આર્થિક ટેકો પૂરો પાડે છે. શાકભાજીનું વાવેતર માત્ર 5.78% વિસ્તારમાં જ સીમિત રહ્યું છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:સાગબારા-બોરદાનો નવો બ્રિજ બનશે 5 સપ્ટેમ્બર સુધી વાહન માટે ડાયવર્ઝન
નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે. મોદીએ સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પાટગામ પાસે જૂનો મેજર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો હોવાથી આ નિર્ણય લેવાયો છે. જાહેરનામા મુજબ, આ ડાયવર્ઝન આજથી 5 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજપીપલા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને સૂચિત રસ્તા પર જરૂરી બોર્ડ અને બેરિકેટ્સ લગાવવા આદેશ અપાયો છે, જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.વાહનચાલકોની જાણકારી માટે રસ્તા પર નિયમાનુસાર જરૂરી દિશા-સૂચક બોર્ડ,બેરીકેટ્સ અને પ્રતિબંધિત પ્રવેશના ચિન્હો લગાવવાની જવાબદારી સ્ટેટ (મા.મ) વિભાગની રહેશે. રસ્તો બંધ હોવા અંગેના જરૂરી બોર્ડ-બેરિકેટ્સ લગાડવાની, વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તથા તેને આનુષંગિક તમામ કામગીરી કાર્યપાલક ઈજનેર, સ્ટેટ (માર્ગ અને મકાન) વિભાગ, રાજપીપલાએ કરવાની રહેશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની શિક્ષાને પાત્ર થશે.
હવામાન વિભાગની આગાહી:26 માર્ચથી 2 એપ્રિલ સુધી ઉ.ગુ.માં ફરી પ્રિ-મોનસૂન વરસાદની શક્યતા
ભેજવાળા પવનના પ્રભાવથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે. 82 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી પાર જતાં સવારે ઠંડક ઘટી છે, જ્યારે આગામી ત્રણ દિવસમાં ગરમી વધુ 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. જોકે, 26 માર્ચ બાદ પ્રિ-મોનસૂન વરસાદની એક્ટિવિટી ફરી સક્રિય બનતાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ઘટી છે. સોમવારે સરેરાશ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભેજવાળા પવન ફૂંકાતાં દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું. ભેજનું પ્રમાણ 33 થી 62 ટકા વચ્ચે નોંધાતાં દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં આશરે 4 ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીનો પારો 22.5 થી 23.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. નોંધનીય છે કે, 82 દિવસ બાદ તાપમાન 23 ડિગ્રી પાર જતા સવારે ઠંડકમાં ઘટાડો થયો છે. આ અગાઉ 31 ઓક્ટોબર, 2025ના રોજ આવી સ્થિતિ નોંધાઈ હતી. દિવસ દરમિયાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. જોકે, 26 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ફરી પ્રિ-મોનસૂન વરસાદની શક્યતા છે. આ ગાળામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં 1 થી 3 મીમી વરસાદ વરસી શકે છે.
ભાસ્કર એનાલિસિસ:મનપામાં વોર્ડ દીઠ સરેરાશ 13,345 મતદારો, નગરપાલિકામાં 13,691 મતદારો હતા
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી સોમવારે જાહેર કરાઇ છે. જે મુજબ 13 વોર્ડમાં 89,653 પુરુષ અને 83,822 સ્ત્રી મળી કુલ 1,73,477 મતદારો નોંધાયા છે. નગરપાલિકા સમયે 11 વોર્ડમાં 1,50,605 મતદારો હતા. એટલે કે, નગરપાલિકા કરતાં બે વોર્ડ વધતાં મતદારોની સંખ્યા 22872 વધી છે. નગરપાલિકામાં વોર્ડ દીઠ સરેરાશ 13,690 મતદારો હતા. જેની તુલનાએ મહાનગરપાલિકામાં 13,345 મતદારો નોંધાયા છે. વિશેષજ્ઞના મતે, નગરપાલિકાની મતદાર યાદી SIR પહેલાંની હતી, જ્યારે SIR પ્રક્રિયામાં મૃતક, સ્થળાંતરિત અને ડુપ્લીકેટ મતદારો દૂર કર્યા બાદ નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવતાં આ ફેરફાર જોવા મળે છે. મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી કલેકટર કચેરી, મનપા કચેરી તેમજ મનપાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. મનપાના કુલ મતદારોમાં વોર્ડ નં.3 અને 12માં એક-એક મળી કુલ બે થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે. મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, મતદારોને જો કોઈ વાંધા કે સૂચનો હોય તો તેઓ 27મી તારીખ સુધી રજૂ કરી શકશે. ત્યાર બાદ 30 માર્ચ સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ મતદાન મથક માટેની દરખાસ્ત રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપવા કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં વોર્ડ દીઠ બુથ વિસ્તાર અને મતદારો આવશે. આ વિસ્તારમાં મહેસાણા શહેર સાથે જોડાયેલા 19 ગામો અને 5 ગામોના ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે. શહેરની કુલ વસ્તી 2,31,917 માંથી 74.80 ટકા લોકો મતદારો તરીકે નોંધાયા છે. પુરુષોમાં સૌથી વધુ વોર્ડ-4માં 8923 અને સૌથી ઓછા વોર્ડ-6માં 5132 મતદારો છે. મહિલામાં સૌથી વધુ વોર્ડ-4માં 8503 અને સૌથી ઓ છા વોર્ડ-10માં 4797 મતદારો છે. મતદાર યાદીમાં SIR અને રોજગારી બંનેની અસરનગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચે વોર્ડ દીઠ સરેરાશ મતદારોમાં મોટા ફેરફાર ન થવાના બે મુખ્ય કારણો છે. SIR પ્રક્રિયા અને રોજગારી માટેનું સ્થળાંતર. મહાનગરપાલિકામાં ગામડાઓનો સમાવેશ થયો છે, પરંતુ રોજગારી માટેનું સ્થળાંતર પણ મોટું કારણ હોવાથી કુલ મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર નોંધાયો નથી. હવે વોર્ડ દીઠ સરેરાશ મતદારોમાં મોટો તફાવત નથી એટલે વિસ્તાર વધવાથી રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં મહેનત વધશે, પણ બહુ ફાયદો થવાનો નથી.> પ્રો.વિમલ વૈદ્ય મનપા વોર્ડ મુજબ મતદારો મહેસાણા વિધાનસભામાં SIRપછી 40,372 મતદારો ઘટ્યામનપા વિસ્તાર મહેસાણાવિધાનસભા ક્ષેત્રમાં આવે છે.SIR પહેલાં અહીં કુલ 2,90,894મતદારો હતા, જ્યારે SIR બાદઆ સંખ્યા ઘટીને 2,50,522 થઈછે. એટલે કુલ 40,372મતદારોનો ઘટાડો નોંધાયો છે.
રાજકારણ:સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી 20 વકીલો પક્ષમાં જોડાયા
સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની આગેવાનીમાં સંગઠનની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધારે નામી વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.જેમાં એડવોકેટ, નોટરી હિંમતભાઈ બગડા, અમિતભાઈ રાઠોડ, ગોપાલભાઈ વિરાણી, ઈરફાનભાઈ સુમરા, દિનેશભાઈ બગડા, લલિતભાઈ ચૌહાણ, અતુલભાઈ ડાભી, અશોકભાઈ વિંઝુડા, દિનેશભાઈ વેગડા, હર્ષદભાઈ સોંદરવા, બાબુભાઈ ડેરૈયા, વિજયભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, ભરતભાઈ ખુમાણ, પ્રશાંતભાઈ ડાભી, મહેશભાઈ મકવાણા સહિતના જોડાયા હતાં. સાવરકુંડલા તાલુકાના ખેડૂત યુવા આગેવાન પિયુષભાઈ સાવલિયા, ભરતભાઈ સાવલિયા, રાહુલભાઈ મોલડીયાએ વિધિવત રીતે ગુજરાત સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને દિલ્હી મ્યુનિસિપાલિટીના પૂર્વ મેયર મહેશભાઈ ખીશીના હાથે ખેસ પહેરીને આપની પાર્ટીમાં જોડાયા હતા.
રહીશો પરેશાન:સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં ઠેર- ઠેર ગટરો ઉભરાતા ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ગટરો ઉભરાતા ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સતાવી રહી છે. કરજાળા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજાળા ગામની શાળા, આંગણવાડી આસપાસ તેમજ રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર ગંદકી ફેલાતા ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી રહી છે. ગટરોનું ગંદુ પાણી સતત ઉભરાતા દૂષિત પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ વ્યાપી છે. મચ્છર અને જીવાતોનું પ્રમાણ વધતા ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવાની શક્યતા વધતી જાય છે. ગટરોની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. છતાં ગ્રામ પંચાયતના સતાધીશો અને અધિકારીઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનો દ્વારા ઘણીવાર રજૂઆત કરવા છતાં સમસ્યાને ઠાલવવામાં આવી રહી છે. જેના કારણે હાલત વધુ બગડી રહી છે. કરજાળા ગામના આગેવાનો અને રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગટરોની સફાઈ, લાઇન રિપેરિંગ અને નિયમિત દેખરેખ રાખી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ અને દવાઓના છંટકાવ જેવી કામગીરી પણ કરજાળા ગામમાં તાત્કાલિક શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.
વાતાવરણ:અમરેલીમાં ફરી ગરમી વધી મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી
અમરેલીમાં આજે ફરી તાપમાનમાં વધારો થયો હતો. મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી પર પહોંચતા ગરમી વધી હતી. તડકાની તીવ્રતા વધતા લોકોએ બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેના કારણે આકરી ગરમી પડી હતી. હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાતા ગરમી સાથે ઉકળાટનો અનુભવ થયો હતો. બપોરના સમયે અમરેલીના માર્ગો સુમસામ બન્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.5 કિલોમીટર રહી હતી. જેના કારણે ગરમીમાં ખાસ રાહત મળી ન હતી.કમોસમી વરસાદ બાદ ફરી આજે અમરેલીના તાપમાનમાં વધારો થતા આકરી ગરમી પડતા રોગચાળામાં વધારો થયો છે.
આયોજન:બાબરાના ગરણી નજીક શક્તિધામ આશ્રમમાં ચૈત્રી નવરાત્રિ રાસોત્સવ
બાબરાના ગરણી ગામ નજીક આવેલા શક્તિધામ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. નોરતાના નવ દિવસ અહીં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે પૂજા અર્ચના કરે છે. ત્યારે આજે આ પરિસરમાં રાસોત્સવનો આજથી પ્રારંભ કરાયો છે. વાલબાઈમાંની પવિત્ર જગ્યાએ યોજાયેલા લોકપ્રિય લોકગાયક જયદાન ગઢવી, જશુબેન આહિર, રાહુલ બારોટ અને હર્ષાબેન બારોટ સહિતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન બહેનો પરંપરાગત વેશભૂષામાં રાસ-ગરબા રમતા જોવા મળી રહ્યાં હતાં. સમુહ આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા.
ફરિયાદ:રાજુલામાં PGVCLના નાયબ ઈજનેરને મારી નાખવાની ધમકી
રાજુલા PGVCLના નાયબ ઇજનેર મહેન્દ્રભાઈ મનુભાઈ શીયાળ (ઉ.વ.36) મિશન માર્ચ અંતર્ગત બાકી રહેલા વીજબીલોની વસુલાત તથા ડિસકનેક્શનની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ગઈ કાલે બપોરે તેઓ સાથી કર્મચારીઓ સાથે રાજુલા આગરીયા જકાતનાકાથી આગળ પુલ પાસે ભડીયા રોડ ઉપર આવેલ એક વાડી ખાતે વીજબીલની વસુલાત માટે પહોંચ્યા હતા. આ વાડીમાં A1 કેટેગરીનું ખેતીવાડી વીજ કનેક્શન હંસાબેન ગભરૂભાઈ બોરીચાના નામે હતું અને રૂ.4.2 હજાર જેટલું વાર્ષિક વીજબીલ બાકી હતું. આ બાકી રકમ વસુલવા અધિકારીઓ વાડી પર ગયા હતા. આ દરમિયાન છતડીયા ગામના દાનુ સાદુળભાઈ ખાચર એ ફોન પર ટીમ સાથે વાતચીત કરી વીજબીલ ભરવાની ના પાડી હતી. ઉપરાંત અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત દાનુએ રાજુલા PGVCL કચેરીએ પહોંચી મહેન્દ્રભાઈ તથા અન્ય કર્મચારીઓને ધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે નાયબ ઇજનેર મહેન્દ્રભાઈ શીયાળે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસએ દાનુ સાદુળભાઈ ખાચર સામે સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઉભી કરવી અને મારી નાખવાની ધમકી આપી હતી.
અમરેલી જિલ્લો ખેતીવાડી પર નભી રહ્યો છે અને રાજકીય રીતે પણ ખેડૂત નેતાઓનો પ્રદેશ ગણાય છે. છતાં આ વિસ્તારમાં સૌથી વધુ છેતરપીંડી ખેડૂતો સાથે થઈ રહી છે. જેનું ઉદાહરણ આજે શેત્રુંજીના પટ્ટમાં જોવા મળ્યું હતું. જ્યા અજાણ્યા શખ્સો કોઈ કારણે કપાસના કોટેડ બિયારણનો 800 કિલો જેટલો ફેંકી ગયા હતા. ખેતીવાડી વિભાગે તો આ દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી. આ ઘટના આજે અમરેલી-સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા ગામ નજીક શેત્રુંજી નદીના પટ્ટમાં બની હતી. જ્યા મુખ્ય રસ્તાથી એક કિલોમીટર અંદરની સાઈડમાં કોઈ અજાણ્યા શખ્સો કપાસનું બિયારણ ફેકીં ગયા હતા. આ તમામ બિયારણ લુઝ હાલતમાં હતું અને 20-20 કિલોની બોરીમાં ભરેલું હતું. કોઈ અજાણ્યા શખ્સો આ બિયારણની આવી 40 બોરી વાહનમાં ભરી અને ફેકીં ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ખેતીવાડી વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બંને ખાતાના અધિકારી અને કર્મચારી અહીં દોડી આવ્યા હતા. જો કે ખેતીવાડી વિભાગે તો આ તમામ બિયારણ લુઝ હાલતમાં હોય તે બિયારણની વ્યાખ્યામાં આવતું ન હોવાનું કહી હાથ ઉંચા કરી દીધા હતા. જ્યારે અમરેલી તાલુકા પોલીસે આ બારામાં જાણવા જોગ દાખલ કરી હતી. ઉપરાંત આ બિયારણ કેમિકલથી કોટેડ હોય તેને જેસીબીની મદદથી ખાડો ખોદી દાટી દઈ તેનો નાશ કરાયો હતો. સામાન્ય રીતે ચોમાસાં પહેલા આ વિસ્તારના ખેડૂતો જાણીતી કંપનીઓનું પેકીંગમાં મળતું કોટેડ બિયારણ ખરીદે છે જે બધુ રાજ્યના અન્ય જિલ્લામાં બને છે. અમરેલી પંથકમાં કપાસનું બિયારણ કોઈ કંપની બનાવતી નથી. ત્યારે આ પ્રકારનું બિયારણ જાણીતી કંપનીઓના નામે નકલી પેકીંગ બનાવી વેચવાનું કૌભાંડ હોવાની શંકા સેવાઈ રહી છે. પરંતુ આ દિશામાં કોઈ તપાસ શરૂ કરાય નથી. મગફળી કે અન્ય બિયારણ ખેડૂતો જાતે બનાવે છે પરંતુ કપાસનું બિયારણ ખેડૂતો હવે જાતે બનાવતા નથી. તેટલું જ નહી લુઝમાં ખરીદતા પણ નથી. છતાં અહીં આટલો મોટો લુઝ બિયારણનો જથ્થો મળવો તે જ નકલી બિયારણ કૌભાંડની દિશામાં આંગળી ચિંધે છે. લેબોરેટરી કે તપાસ કરવાની થતી નથી: ડેપ્યુટી ડાયરેકટર અમારા કાયદા મુજબ લુઝ વસ્તુ બિયારણની વ્યાખ્યામાં આવતી નથી. તેનું ઉત્પાદન એક્સપેરી ડેટ વિશે માહિતી ન હોય તેની લેબોરેટરી કે તપાસ કરવાની થતી નથી. > બી. એસ. પીપળીયા, ખેતીવાડી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર
ગાયના મારણથી ખેડૂતોમાં ભય:રાજુલા તાલુકાના કોટડી ગામે સિંહનો ત્રાસ: ખેડૂતની ગર્ભવતી ગાયનું મારણ
રાજુલાના કોટડી ગામે ગઈ રાત્રી દરમિયાન સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગામના ખેડૂતની ગર્ભવતી ગાય પર સિંહે હુમલો કરી મારણ કરતા પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી રાજુલા તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધતા પશુઓ પર હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. રાજુલાના કોટડી ગામના ખેડૂત અને પશુપાલક આલાભાઈ પાસાભાઈ ચુડાસમાની વાડીમાં પોતાની ગાય બાંધી હતી. આ દરમિયાન રાત્રે સિંહ ગામની નજીક આવી પહોંચ્યો હતો. સિંહને ભાળી જોતાજ ગાય સાંકળ તોડાવી ભાગવા લાગી હતી, પરંતુ સિંહે પીછો કરી ગાય પર હુમલો કર્યો અને ગાયને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખેડૂત આલાભાઈના જણાવ્યા મુજબ ગાય સાત મહિનાની ગર્ભવતી હતી અને સારી ઓલાદની હતી. તાજેતરમાં જ ગાય માટે રૂ.30 હજારની કિંમતે માંગી હતી. ગાયનું મારણ કર્યા બાદ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ કરી આ સિંહને પાંજરે પુરવા માટે કાર્યવાહી શરૂ કરાય હતી.
રામનવમી નિમિત્તે ભવ્ય આયોજન:નવનિર્મિત શ્રીરામ મંદિરમાં રામલલ્લાનો જન્મોત્સવ યોજાશે
મહેસાણા શ્રી રામ સેવા સમિતિ દ્વારા 27 માર્ચને ગુરુવારે 45મી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. 45 વર્ષમાં પહેલીવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહાઆરતી નવનર્મિત શ્રીરામ મંદિરમાં યોજાશે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાતી આ યાત્રામાં જિલ્લાના 120 ગામોના ભક્તો જોડાશે. સવારે 9:30 વાગ્યે રથમાં મૂર્તિઓની સ્થાપના બાદ બપોરે 2 વાગ્યે તોરણવાળી માતાના ચોકથી રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ રથયાત્રા તોરણવાળી ચોકથી નીકળી રેલવે સ્ટેશન થઈ રાજમહેલ રોડ, ગોપીનાળા, ડેરી રોડ, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, એસટી વર્કશોપ રોડ, ભમ્મરીયા નાળા, રબારીવાસ, કરબા, ઊંચી શેરી, પટવાપોળ, વી.કે. વાડી, ભોંયરાવાસ, સિદ્ધપુરી બજાર, આઝાદચોક થઈ 7 કિમીના રૂટ પર પરિભ્રમણ કરી રાત્રે 10 વાગ્યે તોરણવાળી માતાના ચોક પર પરત ફરશે. યાત્રા દરમિયાન ભક્તો માટે અનેક સેવાસ્ટોલ ઉભા કરવામાં આવશે. પરા રામજી મંદિરથી 50 કિલો પુષ્પવર્ષાસાથે રામનવમીની રથયાત્રા પ્રસ્થાન કરશેમહેસાણા શહેરના પરા રામજી મંદિર ખાતે રામનવમીને લઇ ગુરૂવારે બપોરે 12 કલાકે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે. ચોકમાં આરતી બાદ સાધુ-સંતોના આશીર્વચન બાદ બપોરે 1.30 કલાકે રથને પ્રસ્થાન કરાવાશે. આ સમયે ક્રેઇન દ્વારા 50 કિલો ગુલાબની પુષ્પવર્ષા કરાશે. ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઇ લક્ષ્મણ સાથેની આ રથયાત્રા પરાથી પ્રસ્થાન કરશે. આ રથયાત્રા જૂનાપરા થઈ લાખવડી ભાગોળ, વી.કે.વાડી, પટવાપોળ, આઝાદ ચોક, સમર્પણ ચોક, ગાયત્રી મંદિર રોડ, માનવ આશ્રમ ચોકડી, પાટીદારનગર, ઊંડીફળી ભીલા પાટીદાર માઢ થઈને 7 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરશે. રથયાત્રાના આકર્ષણો
જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દીવ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ માટે એક વિશિષ્ટ રેફરલ કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં સામાન્ય ક્ષય રોગ ઉપરાંત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB) તથા એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) જેવા જટિલ કેસોની રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સારવાર કરવામાં આવે છે. વર્ષ 2025 દરમિયાન આશરે 1015 જેટલા સામાન્ય ટીબીના દર્દીઓ અને 159 જેટલા ગંભીર ટીબીના દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. વિભાગના વડા પ્રોફેસર ડૉ. ઈવા ચેટરજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ વિભાગમાં દર્દીઓને માત્ર દવા જ નહીં, પરંતુ માનવતાપૂર્ણ અભિગમ સાથે કાઉન્સેલિંગ અને માનસિક ટેકો પણ પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓ લાંબી અને જટિલ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે.ક્ષયરોગના ઉપચારમાં પોષણનું મહત્વ અત્યંત હોવાથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓને મળતી સરકારી સહાય સમયસર મળે તે માટે સંકલિત પ્રયત્નો કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ આ વિભાગ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ક્લિનિકલ તાલીમ આપીને સારવારની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ છે. 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વિભાગ દ્વારા ટીબી હારશે, દેશ જીતશેના લક્ષ્ય સાથે દરેક શ્વાસને કિંમતી ગણી દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે.
કામગીરી:જામનગરમાં વેરો ન ભરનાર વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ કરતું તંત્ર
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની રિકવરી ટીમે કડક ઉઘરાણી યથાવત રાખી છે અને સોમવારના રોજ વધુ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. વેરો ન ભરનારા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામ્યુકોના મિલકતવેરા શાખાની રીકવરી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સોમવારે બાકી વેરો ઉઘરાવવા માટે ટેક્સ ઓફિસર હસમુખ પાંડેર તેમજ ટીમના ટેક્સ ઈન્સ્પેકટર વિજય ભટ્ટી, અભિજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ સહિતની ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં બેડેશ્વરમાં હર્ષિદાબેન અશોકકુમાર બદિયાણીએ રૂ.2,33,525નો મિલકતવેરો તેમજ વામ્બે આવાસાની બાજુમાં મયુરનગરમાં ખોડાભાઈ લિંબાભાઈ વકાતરે રૂ.58,058 અને મયુરનગરમાં જ મેઘાભાઈ લિંબાભાઈ વકાતરે રૂ.58058 મિલકતવેરો ન ભરતા તેની મિલકતો સીલ કરવામાં આવી છે. જેથી તે વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા એક માસમાં રીકવરી ટીમ દ્વારા 40થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. 100 ટકા વ્યાજમાફીના 7 દિ' બાકી જામ્યુકોએ ચાલુ નાણાંકિય વર્ષ 2025-26માં તા.13 ફેબ્રુઆીથી તા.31 માર્ચ સુધી મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજમાફી તથા કારખાના લાઈસન્સ અને ભાડાની રકમ ઉપર ચડત પેનલ્ટીમાં 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી હતી. જઆ યોજના હવે માત્ર 7 દિવસ જ બાકી રહ્યા છે.
કામગીરી:હાલારમાં વીજતંત્ર દ્વારા 29,412 બાકીદારો પાસે 15.71 કરોડની વસૂલાત માટે કવાયત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજતંત્ર દ્વારા હજુ બાકીદાર 28,231 ગ્રાહકો પાસેથી રૂા.15.71 કરોડની વસુલાત માટે ચાલુ માસમાં જ આજે બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં વિવિધ 36 પેટા વિભાગીય કચેરીઓમાં વિશેષ ઝુંબેશ માટે 360 જેટલી ટીમ દ્વારા સવારથી કાર્યવાહી હાથ ધરાશે. જામનગર-દેવભૂમિમાં વીજ તંત્ર દ્વારા નાણાકિય વર્ષ માર્ચ- 2026 દરમિયાન વીજ બીલ પેટે કુલ 58,915 બાકીદાર પાસેથી રૂા. 28.57 કરોડ જેટલી બાકી વસુલાત માટે એકાદ માસથી વિશેષ ઝુંબેશ શરૂ કરાઇ છે.જે સાથે જ બાકીદારોના વીજ જોડાણો કાપવા માટે દૈનિક ઘોરણે પણ 250થી વધુ ટીમ દ્વારા કાર્યવાહી અંતર્ગત મીટર કે સર્વિસ અથવા જરૂર પડયે ટીસી ઉતારવા માટે ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. જેના પગલે હાલ માર્ચ સુધીમાં 28,231 બાકીદારો દ્વારા વીજ બીલના રૂા. 11.02 કરોડ ભરપાઇ કરાયા હતા જયારે 1272 જેટલા બાકીદારોએ રૂા. 1.84 કરોડની રકમ ભરપાઇ ન કરતા તેઓના વીજજોડાણો કાપી નાખ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે હજુ 29,412 બાકીદારોના રૂા. 15.71 કરોડની વસુલાત કામગીરી અવિરત રખાઇ છે જેમાં મંગળવારે વીજ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિમાં મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં ખાસ 360 ટીમો જોડાશે. વીજ વિભાગ દ્વારા ઓનલાઇન સહિત વિવિધ માધ્યમથી નાણાની ચુકવણી માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા બાકી રોકાતી માતબર રકમની વસુલાત માટે દૈનિક કામગીરી સાથે સમયાંતરે મેગા ડિસકનેકશન ડ્રાઇવ પણ યોજાય છે. ફેબ્રુ.-માર્ચની ખાસ ડ્રાઇવમાં 10,273 જોડાણો કટ્ટ થયા'તા જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા ગત 25મી ફેબ્રુઆરીના રોજ ખાસ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં વીજતંત્ર દ્વારા બાકીદારોના 5,598 વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.જયારે ગત સપ્તાહે યોજાયેલી બીજી ખાસ ડ્રાઇવમાં પણ વીજતંત્રે 4,673 વીજજોડાણ જે તે સમયે ડીસ કનેકટ કર્યા હતા.જોકે,જે તે ગ્રાહકો બાકી રકમ ભરપાઇ કરે ત્યારે નિયમોનુસાર તેઓના વીજજોડાણ વીજતંત્રે જે તે સમયે પુર્વવત કર્યા હોવાનુ વીજ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ. 24મી માર્ચે વીજ તંત્ર દ્વારા બાકી લેણાની વસૂલાત માટે વધુ એક મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.
કાર્યવાહી:મેઘપરના ચીટીંગ ગુનામાં શખસ પંદર વર્ષે પકડાયો
જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતા-ફરતા શખસને પંજાબથી મેઘપર પોલીસે પકડીને જામનગર લાવીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં ગુરભેજસિંઘ ઉર્ફે ગુરપેજસિંઘ મુખ્તારસિંઘ (રે.પંજાબ તરન તારન જિલ્લાના ચક સિકંદર ગામ) નામનો શખસ છેલ્લા 15 વર્ષથી પોલીસથી નાસતો-ફરતો હતો. હાલ આરોપી પોતાના ગામમાં રહેણાંકે હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ પી.ટી.જયસ્વાલની સુચનાથી ટીમના પીએસઆઈ એ.જી.જાડેજા તેમજ ટીમના ધર્મેન્દ્રસિંહ રમુભા ઝાલા, નિર્મળસિંહ મનુભા જાડેજા સહિતની ટીમે પંજાબ ખાતે રવાના થઈ હતી. પંજાબ પોલીસને સાથે રાખીને આરોપી ગુરભેજસિંઘને પોતાના ઘરેથી ઝડપી લઈને જામનગર લાવ્યા હતા અને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. લગભગ દોઢ દસકા પૂર્વેના ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની સ્થાનિક પોલીસે વિધિવત ધરપકડ કરી સમગ્ર પ્રકરણ મામલે ઘનિષ્ઠ પૂછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
ધરપકડ:છેલ્લા 2 મહિનાથી નાસતો ફરતો સુરતનો શખ્સ મધ્યપ્રદેશથી ઝબ્બે
બોટાદ વિભાગીય પોલીસ અધિક્ષકની ટીમે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના પરદા ગામ ખાતેથી ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં બે માસથી નાસતો ફરતો મુખ્ય આરોપી સંજય મથુરભાઇ ખસીયા (મુળ બોટાદ, હાલ રહે એચ.આર.પી. બંગ્લોઝ, કેનાલ રોડ, કામરેજ-સુરત) છેલ્લા બે માસથી નાસ્તો ફરતો હોઇ જેને ઝડપી લેવા બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા બોટાદ ડિવિઝનની ટીમની રચના કરાઈ હતી. ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સથી બાતમી મળેલ કે, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પકડવાનો બાકી મુખ્ય આરોપી સંજય મથુરભાઇ ખસીયા હાલ મધ્યપ્રદેશના મનાસા તાલુકાના પરદા ગામ ખાતે વાડી વિસ્તારમાં હોવાની હકિકત મળતાં બોટાદ એલસીબી પીઆઈ તથા ટીમની ટેકનિકલ મદદ મેળવી બોટાદ ડિવિઝનની ટીમ દ્વારા મધ્યપ્રદેશના મનાસા તાલુકા ખાતે જઇ તપાસ કરતાં આરોપીને ઝડપી લઇ પોલીસ જાપ્તા સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
કૃષિ જગત:ભદ્રાવડીના ખેડૂતે નેટહાઉસ દ્વારા બાગાયતી ક્રાંતિ સર્જી
બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના 45 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયાએ સરકારની ‘રક્ષિત ખેતી’ યોજનાનો લાભ મેળવીને બાગાયતી ખેતીમાં નવી રાહ ચીંધી છે. શું છે રક્ષિત ખેતી? રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી અમલમાં મૂકાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ નાના ખેડૂતોની આવક બમણી કરવાનો છે. આ પદ્ધતિમાં શેડ-નેટ હાઉસ બનાવીને પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેનાથી પાકને અતિશય ગરમી, ઠંડી, કમોસમી વરસાદ અને જીવાતોથી રક્ષણ મળે છે. નેટહાઉસમાં સૂર્યપ્રકાશનું નિયંત્રણ થતું હોવાથી ભેજ જળવાય રહે છે અને ઓછા પાણીમાં પણ શાકભાજી કે ફૂલોનો ઉછેર શક્ય બને છે. ભદ્રાવડી ગામના ખેડૂતની સફળતાની ગાથા: ખેડૂત પરિવારમાંથી આવતા અશોકભાઈ પાસે 90 વીઘા જમીન છે, જેમાં તેઓ વર્ષોથી ઋતુ મુજબ પાક લેતા હતા. પરંતુ વધુ વળતર મેળવવાના આશયથી તેમણે અન્ય ખેડૂત મિત્રો પાસેથી માહિતી મેળવી બોટાદ જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કર્યો હતો. માર્ગદર્શન મળ્યા બાદ તેમણે વર્ષ 2024-25માં રક્ષિત ખેતી યોજના હેઠળ સબસીડી મેળવી પોતાના ખેતરમાં નેટહાઉસ તૈયાર કર્યું છે. અશોકભાઈ જણાવે છે કે, આ પદ્ધતિમાં ગુલાબ, જર્બેરા જેવા ફૂલો ઉપરાંત કેપ્સિકમ, બ્રોકોલી અને કાકડી જેવા પાકોનું ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. નેટહાઉસ તૈયાર કરવા રૂ.24 લાખનો ખર્ચ થાય છે. : અશોકભાઈ ખેડૂતઆ તકે અશોકભાઈએ જણાવ્યું હતું કે, એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રૂ.24 લાખનો ખર્ચ થાય છે. પરંતુ, સરકાર દ્વારા તેઓને રૂ.16.50 લાખ સુધીની સબસીડી મળતાં આર્થિકરીતે ઘણો લાભ થયો છે. તેઓએ નેટ હાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે, જે એક એકરમાં સરેરાશ રૂ.8500ના બિયારણ અને લેબર તથા અન્ય ખર્ચાઓ સહિત રૂ.2.5લાખનું રોકાણ સામે 40 થી 60 ટન જેટલું ઉત્પાદન કરે છે. તેઓ વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે વધુમાં વધુ ત્રણ પાકોનું વાવેતર કરે છે. જેના પર બજાર ભાવ પ્રમાણે ચોખ્ખો નફો પણ પ્રાપ્ત થાય છે. તેઓના પિતરાઈ કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે.
ધાર્મિક:ખારવા સમાજ દ્વારા કેદારેશ્વર કુંડ ખાતે ગોરમાવડીનું વિસર્જન કરાયું
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચોથા નોરતે ઢોલ, નગારા, શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ગોરમાવડી નું ભક્તિમય વાતાવરણ માં વિસર્જન કરાયું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગોરમાવડી ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં રજવાડા ના સમય થી ચૈત્રી નવરાત્રિ નિમિતે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ-ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે. ફાગણવદ અગિયારસે ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતા સુધી પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે, જેમાં ખારવાવાડમાં અલગ અલગ ૯ સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોરમાવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે. ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા-અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોરમાવડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ખારવા સમાજ ના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા વ્રતનું મહત્તમ અને પરંપરા ગૌરમાંના વ્રત અંગે વાત કરીએ તો ખારવા સમાજ ગણગૌરના વ્રતની શરૂઆત ફાગણવદ એકમ થી કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા નદી કે કાંઠે લાકડાનો બાજોઠ કે પાટલો લઇ જાય છે તેઓ પવિત્ર જળથી તેને ધુએ છે. ત્યાંના કાંઠેથી ચીકણી અને કઠણ માટી લઈ પાંચ થી છ ઈંચના આકારની ગણગૌરની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે, આ મૂર્તિ સુકાય એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે, ત્યારબાદ તેને ચુંદડી ઓઢાડી બાજોઠને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મુકી, ગૌરમાતાના ગીત ગાતા-ગાતા ઘરમાં સ્થાપન કરે છે અખંડ દીવો રાખે છે, સવાર-સાંજ ધૂપ-અગરબતી કરી સ્ત્રીઓ ગૌરમાંના ગીતો ગાય છે. ફાગણવદ અગિયારસના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઈ માટી લઈ આવે છે, વાંસની નાની બે ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગૌરમાંના નોરતા શરૂ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા આવે છે.
સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સાધુતાનું અનોખું પ્રતિબિંબ ગણાતો માધવપુર (ઘેડ)નો રાષ્ટ્રીય લોકમેળો હવે ઢુકડો આવ્યો છે. તા. 27 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય લોકમેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના પૌરાણિક વિવાહ પ્રસંગની સ્મૃતિઓ સાથે લાખો ભાવિકોની ઉપસ્થિતિ નોંધાશે. શિક્ષણવિદ ડો. એ.આર. ભરડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર-માંગરોળ વચ્ચે આવેલું માધવપુર દર વર્ષે ચૈત્ર સુદ 9થી 13 દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકજીવનના સંગમરૂપ મહોત્સવ તરીકે ખીલે છે.આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે, જાણે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્મણીના લગ્ન ફરી જીવંત બની ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ જોવા મળે છે. માન્યતા છે કે વિદર્ભની રાજકુમારી રૂક્મણીને શ્રીકૃષ્ણે હરણ કરી મધુવનમાં વિધિવત લગ્ન કર્યા હતા. આ ઐતિહાસિક ગાથાને આજ સુધી લોકો હૈયામાં સંઘરીને રાખી છે અને મેળા રૂપે ઉજવે છે.માધવપુરનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ વિશેષ છે. મેળાની શરૂઆત રામનવમીના દિવસે મંડપારોપણ અને પોથીયાત્રાથી થાય છે. દસમ અને અગિયારસે ફૂલેંકા, બારસે વિવાહોત્સવ અને તેરસે કરુણ વિદાય સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે. ખાસ કરીને કડછ ગામ તરફથી આવતું રૂક્મણીનું મામેરું મેળાનું મુખ્ય આકર્ષણ બની રહે છે, જેમાં શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ લોકમેળો હવે રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ પામી રહ્યો છે. ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા ભારતની એકતા અને વૈવિધ્યતાનું પ્રતિબિંબ જોવા મળે છે. આમ માધવપુરનો મેળો માત્ર ધાર્મિક મેળો નહીં પરંતુ સોરઠની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો જીવંત ઉત્સવ છે, દર વર્ષે લાખો લોકોના હૃદયમાં ભક્તિ અને આનંદની લાગણી પ્રગટાવે છે. ભજન, લોકગીતો, રાસ- ગરબાની રમઝટ જામે છેભાદર, ઓઝત અને મધુવંતી નદીઓના સંગમથી પવિત્ર બનેલી આ ધરા પર મેળા દરમિયાન ભજન, લોકગીતો, દુહા, રાસ-ગરબા અને લોકસાહિત્યની રમઝટ જામે છે. મહેર, રબારી, કોળી, આહીર સહિતના વિવિધ સમાજોના લોકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લેતા સોરઠી સંસ્કૃતિનું જીવંત દ્રશ્ય સર્જાય છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તેવામાં હવે સરકાર દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા 5 દિવસ પૂર્વે કે.વાય.સી.નથી તેવા ગ્રાહકોને બાટલો નહિ મળે તેવી જાહેરાત કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં કે.વાય.સી. વિહોણા 10 હજાર ગ્રાહકોના ગેસના સિલિન્ડરના બુકિંગ ટલ્લે ચડ્યા છે. જેને લઈને ગ્રાહકો હવે કે.વાય.સી.કરાવવા માટે એજન્સીની ઓફિસ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ગેસની અછતને ન નિવારી શકવાની નિષ્ફળતાનું કલંક ન લેવુ પડે તે માટે 5 દિવસ પૂર્વે ગ્રાહકો પાસેથી ફરજીયાત કે.વાય.સી.કરાવવા ફરજ પડાઈ રહી છે. અમેરિકા,ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલ યુદ્ધને લઈને હાલ સમગ્ર વિશ્વમાં ક્રૂડની તેમજ ગેસની અછત ઉભી થઇ છે.ઈરાન દ્વારા સમુદ્રી માર્ગ પર કન્ટેનરો તેમજ શીપના અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેથી હાલ ભારતમાં પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતમાં યુ.એ.ઇ.સહિતના દેશમાંથી આવતો ગેસનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે તેમજ અમુક પુરવઠો ઈરાન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ સમુદ્રી જલમાર્ગ પર અટવાયો છે જેથી ભારતમાં હાલ ઘટેલું તેમજ ઇન્ડસ્ટ્રીઝ ગેસની અછત જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે.જિલ્લામાં હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ બંધ છે તો ઘરેલુ ગેસના સિલિન્ડર પણ સમયસર મળતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે તેવામાં જ સરકાર દ્વારા ગેસની અછત દૂર કરવાની બદલે નવા નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે.જેથી હવે લોકોને સરકારનો વિકાસ હવે ટીકળમબાજી પર ઉતર્યા હોય તેવી ચર્ચા જાગી છે. સરકાર દ્વારા ગેસની અછત દૂર કરવાનો બદલે હવે ગેસના સિલિન્ડર મેળવતા ગ્રાહકોને 5 દિવસ પૂર્વે ફરજિયાત કે.વાય.સી.માંગવામાં આવી રહ્યા છે જેથી પોરબંદર જિલ્લામાં આવેલ અલગ અલગ 5 એજન્સીઓમાં કે.વાય.સી. વિહોણા 10 હજાર ગ્રાહકોના ગેસના સિલિન્ડરના બુકિંગ ટલ્લે ચડ્યા છે. સરકાર દ્વારા ગેસની અછત છે તેને ન નિવારી શકવાની નિષ્ફળતાનું કલંક ન લેવુ પડે તે માટે 5 દિવસ પૂર્વે ગ્રાહકો પાસેથી ફરજીયાત કે.વાય.સી.કરાવવા ફરજ પડાઈ હોવાની ચર્ચા જાગી છે.
હાશકારો:આખરે પોરબંદરના કીર્તિમંદિરનું બંધ શૌચાલય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ સોચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારિત થતાની સાથે જ તંત્ર પ્રવાસીઓ માટે આ સોચાલય ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે.આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ કીર્તિમંદિર આવેલ છે.રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે દિવસ દરમ્યાન દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ રાષ્ટ્રીય સ્મારકના પટાંગણમાં રહેલ જર્જરીત સોચાલય બ્લોક દૂર કરી નવું સોચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. આ સોચાલય બ્લોક તૈયાર થઈ ગયા બાદ કોઈ કારણોસર સોચાલય બ્લોકને તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી પ્રવાસીઓ દ્વારા તેમની સમસ્યા રોષભેર વિઝીટ બુકમાં વ્યક્ત કરી રહ્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારીત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને દિવસોથી બંધ સોચાલય બ્લોકના તાળા ખોલી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
સાથી હાથ બઢાના:પોરબંદરના મોઢવાડાના વતની એનઆરઆઈએ વતન પ્રેમ દાખવી ટ્રેક્ટર ભરી ઘઉંનું વિતરણ કર્યું
પોરબંદરના મોઢવાડા ગામે દાન અને સેવાભાવની પરંપરા જીવંત રાખતા એનઆરઆઈ લાખણશીભાઈ નાગાભાઈ મોઢવાડિયા દર વર્ષે પોતાના ખેતરમાં પાકતા વધારાના તમામ ઘઉં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અર્પણ કરે છે. જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર પંક્તિ મોઢવાડાની ધરતી પર સાબિત થાય છે, જ્યાં શૂરવીરતા સાથે દાતાની પરંપરા પણ જીવંત રાખી છે. મૂળ મોઢવાડાના વતની લાખણશીભાઈ વર્ષોથી યુકેના લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાં મહેર સમાજના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. વતન પ્રત્યેનો લાગણીસભર સંબંધ જાળવી રાખતા તેઓ દર વર્ષે વાડીમાં ભાગીદારીથી ઘઉંનું વાવેતર કરે છે અને પોતાના ભાગમાં આવતા વધારાના ઘઉં ગરીબોને અર્પણ કરે છે. ચૈત્રી બીજના દિવસે તેમણે ટ્રેક્ટરભર ઘઉં લઈ મોઢવાડા ગામે ઉગમણી મઢી ખાતે, શિવ મંદિર પ્રાંગણમાં જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે લાભાર્થી પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લાખણશીભાઈએ જણાવ્યું હતું કે આવનાર રામ નવમીના દિવસે આદિત્યાણા ગામે વિતરણ કરવામાં આવશે. લાખણશી ભાઈએ ગામમાં ઉગમણી મઢી, આથમણી મઢી અને હનુમાનજી મંદિર ખાતે લાખોના ખર્ચે ડોમ નિર્માણ કરાવ્યા છે. તસવીર- ધીરૂભાઇ નિમાવત
જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી:બોખીરા આવાસ પાસે પોલીસે શંકાના આધારે તલાસી લેતા છરી સાથે શખ્સ ઝડપાયો
પોરબંદરના બોખીરા આવાસ કોલોની પાસેથી પોલીસે શંકાના આધારે શખ્સની તલાસી લેતા શખ્સ પાસેથી છરી મળી આવતા પોલીસે છરી કબ્જે કરી, આરોપીને ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના બોખીરા ચોરાની બાજુમાં ઠેબાના ફળિયા વિસ્તારમાં રહેતો નાગા દેવા વાજા નામનો શખ્સ બોખીરા આવાસ કોલોની પાસે રોડ પર ઉભો હતો ત્યારે પોલીસને જોઈને આ શખ્સ આડો અવળો થતા પોલીસે શંકાના આધારે શખ્સની તલાસી લેતા આ શખ્સના કબ્જા માંથી છરી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ છરી કબ્જે કરી, હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બેઠક:રામનવમી, હનુમાન જયંતિ અને આંબેડકર જયંતિ પૂર્વે શાંતિ સમિતિ બેઠક યોજાઈ
આગામી સમયમાં ઉજવાનાર રામનવમી, હનુમાન જયંતી તથા બાબા સાહેબ આંબેડકર જયંતિના તહેવારોને ધ્યાનમાં રાખીને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ડીવાયએસપી ઋતુ રાબા સહિત પોલીસ અધિકારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યોજાનાર કાર્યક્રમો, રેલી તથા યાત્રાઓના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પોલીસ બંદોબસ્ત કેવી રીતે ગોઠવાશે તેની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે આયોજકોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા બેઠક મળી હતી.
યમદૂત બની દોડતા વાહનોથી જનતામાં ફફડાટ:રાણપુરમાં નંબર પ્લેટ વગરના ખનીજ ડમ્પરો સગીરોને હવાલે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર હવે સામાન્ય જનતા માટે જીવનું જોખમ બની રહ્યો છે. અત્યાર સુધી માત્ર ખનીજની ચોરીની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે ખનીજ માફિયાઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સગીર વયના બાળકો પાસે ભારે વાહનો ચલાવડાવી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલુકાના વિવિધ માર્ગો પર રેતી અને પથ્થર ભરેલા ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનોના સ્ટિયરિંગ પર અનુભવી ડ્રાઈવરને બદલે સગીર વયના કિશોરો જોવા મળે છે. ટ્રાફિકના નિયમો મુજબ સગીર વ્યક્તિ વાહન ચલાવી શકતી નથી, છતાં ખનીજ માફિયાઓ સસ્તા મજૂર તરીકે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ગુનો છે. આટલું ઓછું હોય તેમ, રાણપુરના રસ્તાઓ પર અનેક ડમ્પરો અને ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર જ દોડી રહ્યા છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો વાહનની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય તેમ છે.
રળોલમાં સમ્પનું ખાતમુહૂર્ત:44 લાખના ખર્ચે આ સમ્પનું કાર્ય અંદાજે 4 માસમાં જ પૂર્ણ કરાશે
લીંબડીના રળોલ ગામમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. નર્મદા યોજનાની એસ2-એસ3 પાઈપ લાઈન અંતર્ગત રળોલ ગામે 12.40 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સમ્પનું પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. યોજના સાકાર થવાથી રળોલ ગામમાં પીવાના પાણીની પડતર સમસ્યાનો અંત આવશે. 44 લાખથી વધુના ખર્ચે બનનારા આ સમ્પનું કાર્ય અંદાજે 4 માસમાં પૂર્ણ કરાશે તેવો આશાવાદ છે. આ પ્રસંગે એપીએમસી પ્રમુખ અજીતસિંહ ટાંક, હરપાલસિંહ રાણા, લાલજીભાઈ કમેજળિયા સહિત સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના સભ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. નવી સુવિધાનું નિર્માણકાર્ય શરૂ થતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં નિયમિત પાણી પુરવઠો મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાણે જણાવ્યું કે, રળોલ ગામમાં 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. સુવિધા વધે તે હેતુથી 44 લાખથી વધુના ખર્ચે સમ્પ બનાવાશે. 4 માસમાં કામ પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ છે. સ્થાનિક મહિલાઓને પાણી માટે પડતી મુશ્કેલીઓ દૂર થશે.
ઝાલાવાડની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ:સવા આયુષ હોસ્પિ.માં રોબોટિક સર્જરી શરૂ
સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે. આ નવા વિભાગોનું લોકાર્પણ નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં રોબોટિક અને આરઆઇઆરએસ લેસર સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફાયદો થશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. આ કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો. ટ્રસ્ટી ડી.વી. શાહના આર્થિક સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરાશે. આ અંગે ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યુ કે હોસ્પીટલમાં વસાવાયેલી આધુનિક અને અસરકારક ટેકનોલોજી છે. રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ: ગોઠણના ઓપરેશનમાં 10%ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ.RIRS લેસર સ્ટોન સર્જરી: પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે. મણકા અને ગાદીની તકલીફો માટે હવે મોટા ચીરાની જરૂર નથી.અમારો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને ગંભીર બીમારીઓ માટે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે તેવી વ્યવસ્થા કરવાનો છે તેમ આ તકે જણાવવામાં આવ્યુ હતુ.
ઇંધણની અછતની અફવા ઉડી:પેટ્રોલ, ડીઝલની અછતની અફવા, પંપ પર લાંબી લાઇનો
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને પગલે સુરેન્દ્રનગર પેટ્રોલ, ડીઝલ સહિત પંપો પર સમી સાંજે વાહનોન કતારો લાગી જવા પામી હતી. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે, તેથી નાગરિકોએ અફવાઓમાં ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવા જણાવાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લો ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી અહીં ઇંધણની માંગ હંમેશા ઊંચી રહે છે. હાલમાં ખેતીની સિઝન અને પિયતની જરૂરિયાતને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો વપરાશ વધ્યો છે. વળી, અમદાવાદ-રાજકોટ હાઈવે પરના ટ્રાફિકને કારણે પણ ઇંધણની મોટી માંગ રહે છે. જેમાં દરરોજ અંદાજે 200થી 300 કીલો લીટર પેટ્રોલ અને 500થી 700 કિલોલીટર ડીઝલ ઇંધણની જરૂરીયાત માંગ મુજબ વધઘટ રહે છે. આ સ્થિતિમાં અછતની અફવાઓ ફેલાતા લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. જે બાબતે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ તંગી ઊભી થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું. પૂરતો પુરવઠો છે, ખોટી અફવાથી દૂર રહેવુંસુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ સહિત ફ્યુઅલનો તમામ ડેપો પરથી ઇંધણનો જથ્થો સમયસર પંપો સુધી પહોંચી રહ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગ અને વહીવટી તંત્રએ નાગરિકોને સૂચના છે કે ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવાથી બચવું. જો અફવા ફેલાવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરાશે. - એ.જી. ગજ્જર, જિલ્લા પુરવઠા અધિકારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાલુકા અને શહેરના વિવિધ મોરચાની જાહેરાત કરાશે
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈને શહેર તથા તાલુકાના વિવિધ મોરચાના સંગઠનની એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવે તે માટેની કવાયત જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ સંગઠનની કારોબારીની પણ જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવા ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. ટર્મ પૂરી થતી હોવાથી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લા અને મહાનગર પાલિકા પ્રમુખ અને સંગઠનની જાહેરાત પ્રદેશ ભાજપ દ્વારા કરી નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા કામગીરી કરી રહ્યા છે. ઉપર વિવિધ જ્ઞાતિઓને સાથે રાખીને દરેકને ન્યાય મળે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શહેર અને તાલુકા ભાજપ વિવિધ મોરચાના પ્રમુખ, માહામંત્રી, મંત્રી, કોસાઘ્યક્ષ, કાર્યલય મંત્રી સહિત હોદેદારો અને વિવિધમોરચાના હોદેદારોની એક સાથે જાહેરાત કરવામાં આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાની શક્યતા જોવા મળી રહી છે. અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જિલ્લા ભાજપના નવા સંગઠનમાં જ્ઞાતિ, જાતિ સાથે કામગીરી અને વિધાનસભા વિસ્તાર મુજબ નિમણૂંક કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈ ફરી વિજય મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે. આગેવાનો દ્વારા પોતાના કાર્યકરોની કામગીરીને ધ્યાનમાં લઈ નિમણૂંક કરવામાં આવે તે માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. નવા હોદેદારો માટે વિસ્તાર અને જ્ઞાતિ સમીકરણો ઘ્યાનમાં લેવાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈ વિવિધ વિસ્તારોમાં પ્રતિનિધિ મળી. જ્ઞાતિ, જાતિના સમીકરણને પણ ધ્યાનમાં લઈ જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, ટીમ દ્વારા અભ્યાસ કરીને પ્રદેશમાંથી માર્ગદર્શન મેળવીને જાહેરત કરાશે.
આજના આધુનિક યુગ અને સિમેન્ટ-કોંક્રિટના જંગલો વચ્ચે લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રશંસનીય અને અનોખું અભિયાન સ્પેરો વિલેજ (ચકલી ગામ) શરૂ કરાયુ છે. પર્યાવરણના જતન અને ચકલીઓના સંરક્ષણ માટે શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં એક ગામને ચકલી ગામ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રખાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી પાંચ ગામોમાં આ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. વધતા શહેરીકરણને કારણે ચકલીઓને માળા બાંધવા માટે કુદરતી જગ્યાઓ મળતી નથી, જેના કારણે તેમની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને રોકવા માટે વઢવાણ તાલુકાના ખારવા ગામના વતની, ખેડૂત પુત્ર અને શિક્ષક મુકેશભાઈ બદ્રેસિયા દ્વારા છેલ્લા 18 વર્ષથી ચકલી બચાવો મિશન ચલાવાઈ રહ્યું છે. મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ હજારો લાકડાના ચકલીઘર તૈયાર કરી તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચકલીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવાનો છે. મુકેશભાઈએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપણે ચકલીઓને બચાવવા આજે ગંભીરતાથી પ્રયાસ નહીં કરીએ, તો આવનારી પેઢી ચકલીઓને માત્ર પુસ્તકોના ચિત્રોમાં જ જોઈ શકશે. આ અભિયાન દ્વારા લોકભાગીદારી વધારીને પર્યાવરણનું સંતુલન જાળવવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવી રહ્યો છે. “સ્પેરો વિલેજ” એટલે એવું ગામ, જ્યાં 80% ઘરોમાં ચકલીના માળા હશે. જ્યાં ચકલીઓને સુરક્ષિત આશ્રય અને ખોરાક મળે. જ્યાં લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે.તેવો આશય રખાયો છે. સ્પેરો શાળા પણ બનશે: 4 ગામોમાં શરૂ કરવામાં આવેલું અમલીકરણ આ અભિયાન અંતર્ગત શાળાઓમાં પણ ચકલીઘર લગાવવામાં આવી રહ્યા છે.દરેક શાળામાં 15થી 20 માળા મુકવાની યોજના છે, જેથી બાળકોમાં પ્રકૃતિપ્રેમ અને સંવેદના વિકસે.હાલમાં કેટલાક ગામોમાં સ્પેરો વિલેજની શરૂઆત થઈ ગઈ છે. રાઈ ગામ (વઢવાણ),નવા સુદામડા (સાયલા),ચંદ્રેલિયા (થાન), રામપરડા (મૂળી),બીજા તાલુકાઓમાં પણ આ અભિયાન ઝડપથી વિસ્તરી રહ્યું છે. બાળકોને તાલીમ અને જોડાણવેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ચકલીઘર બનાવવાની તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પ્રકૃતિ સાથે જોડાય અને આ અભિયાનમાં સક્રિય ભાગ ભજવે.
હવે જાહેરનામાનો અમલ:વેરાવળ બંદર પર રિક્ષામાં તાડપત્રી ઢાંકવી ફરજિયાત
વેરાવળમાં તાજેતરમાં બંદરમાં માછલી ભરીને અવર જવર કરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે માછીમારોને જિલ્લા કલેક્ટરના જાહેરનામાં અંગે સમજ આપવા માટે સિટી પોલીસ ખાતે પીઆઇ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ જણાવ્યું હતું કે આ રસ્તો મોટો ભાગે માછીમારી સાથે સંકળાયેલા વાહનો માટે છે પરંતુ હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે મોટે ભાગે વાહનોની અવર જવર અહીંથી થઈ રહી છે.અંતે રિક્ષામાં જે મચ્છી ભરીને જતા હોય તેમને બેસન રાખવા અને પ્લાસ્ટિક ઢાંકી રાખવા માટે તંત્ર, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાં અકસ્માતોમાં વધારો થતા માછલીના છકડા પર અંકુશ લાવવા રજૂઆતો કરવામાં આવી હતી.ત્યારે માછીમારોના ધંધા રોજગાર પણ ચાલતા રહે અને જાહેરનામાનું પણ અમલ થાય તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પીઆઈ અને એસઓજી પીઆઈની આગેવાનીમાં બેઠક યોજી તેમને છકડા રિક્ષામાં તાલપત્રી, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ રાખવા જણાવવામાં આવ્યું હતું. ઓવરબ્રિજનું કામ ધીમીગતિએ ચાલે છેવેરાવળ બંદર પર દરરોજ મોટી સંખ્યામાં માછીમારીના ધંધા સાથે સંકળાયેલા રિક્ષાચાલકો, બોલેરો ચાલકો અને અન્ય વાહનો પસાર થાય છે.જેના પગલે ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે.અકસ્માતો નિવારવા જિલ્લા કલેક્ટર દ્વારા થોડાક સમય અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોય જેના પગલે સોમનાથ સુધી મોટે ભાગે અવર જવર કરવા માટે તમામ વાહનોને અહીંથી પસાર થયું પડે છે.
શહેરના વિકાસ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને પહોંચી વળવા પાલિકા ₹1000 કરોડના બોન્ડ જારી કરશે. રાજ્ય સરકારે માત્ર ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવાની સૂચના આપી છે. આગામી અઠવાડિયામાં રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી સાથે બેઠક યોજાશે, જેમાં બોન્ડ અંગે ચર્ચા કરી આગળની રૂપરેખા નક્કી કરાશે. પાલિકા દર વર્ષે ₹3500 કરોડના વિકાસ કામો કરે છે, જેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ ગ્રાન્ટ આધારિત છે. સરકાર દર વર્ષે ₹3000 કરોડની ગ્રાન્ટ ફાળવે છે. મ્યુનિસિપલ બોન્ડ એટલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા જારી કરતા ઋણપત્રો, જેના માધ્યમથી રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરી રોડ, ફ્લાયઓવર, પાણી પુરવઠો, ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા જેવા પ્રોજેક્ટોમાં ખર્ચવામાં આવે છે. કયા પ્રોજેક્ટો માટે બોન્ડ બહાર પાડવા તે અંગે હાલ આંતરિક સ્તરે તૈયારી ચાલી રહી છે. આ પહેલાં ક્રેડિટ રેટિંગ, વ્યાજદર નક્કી કરવો તેમજ વિવિધ નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. બોન્ડ માટે આગળની પ્રક્રિયા મ્યુનિસિપલ બોન્ડ શું છે? પાલિકાનાં વિકાસ કાર્યો અને ગ્રાન્ટ
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓએ વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીને લપેટમાં લીધું છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઈન ખોરવાતા મોરબીના ઉદ્યોગની જીવાદોરી સમાન પ્રોપેન અને નેચરલ ગેસનો પુરવઠો સાવ તળિયે બેસી ગયો છે. પરિણામે, ધમધમતા કારખાનાઓ હવે નિર્જીવ શરીર જેવા ભાસી રહ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ ફેક્ટરીઓ ગેસના અભાવે બંધ થઈ ગઈ છે, જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે. વધતા ખર્ચ સામે સામૂહિક વેકેશનનો નિર્ણય, સ્થિતિ સામાન્ય થયા બાદ નવા ભાવગેસ સપ્લાય ક્યારે રાબેતા મુજબ થશે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે ગેસના નવા ભાવ અને ઉત્પાદન ખર્ચના આધારે નવા ભાવ જાહેર કરી એકસૂત્રતા જાળવવાનો અમારો પ્રયાસ રહેશે. > મનોજ એરવાડિયા, પ્રમુખ, સિરામિક એસોસિએશન રેલવે સ્ટેશને ભીડ, લેબર ક્વાર્ટર્સ ખાલી થયાફેક્ટરીઓ બંધ થતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવેલા 4 લાખથી વધુ શ્રમિકોની હાલત દયનીય બની છે. છેલ્લા બે અઠવાડિયાથી મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશનો પર વતન જવા માંગતા શ્રમિકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધતા ખર્ચને પહોંચી ન વળતા શ્રમિકો વતન જવા મજબૂર બન્યા છે.
ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. જે શિક્ષિકા પાસે ધો.10માં અભ્યાસ કરતો હતો તે શિક્ષિકાનો 12 વર્ષ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી લગ્ન કર્યા બાદ વિદેશ સ્થાયી થવાની લાલચ આપી શિક્ષિકા પર અનેકવખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ ઉપરાંત બિઝનેસમાં ખોટ ગઈ છે તેવું કહી રોકડ રકમ, પીએફ અને સોનું વેચાવી 7 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. લગભગ અઢી વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા શિક્ષિકાએ તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં એકલા જ રહેતા શિક્ષિકાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’ ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવીલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. નવેમ્બર 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવીલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવીલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવીલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવીલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવીલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23-12-2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવીલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવીલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવીલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવીલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવીલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવીલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર અરજી લઈ અઢી મહિને કાર્યવાહી કરીશિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવીલના માતા-પિતા અને ધ્રુવીલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી. આ સમયે ધ્રુવીલના પિતાએ બે હાથ જોડીને માફી આપી દેવા વિનંતી કરી હતી. જોકે પોતે પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતી. આમ છતાં તપાસના નામે પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત નોંધનીય છે કે, રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, જ્યારે દુષ્કર્મ જેવો ગંભીર ગુનો હોય ત્યારે તાકીદે ફરિયાદ નોંધી લેવી પરંતુ આ કેસમાં પણ અરજીના નામે પોલીસે દુષ્કર્મ પીડિતાને અઢી મહિના સુધી માત્ર ધક્કા ખવડાવ્યા હતા. નફ્ફટાઈની પરાકાષ્ઠા: વિદ્યાર્થીએ અઢી વર્ષ સુધી દુષ્કર્મ કર્યા બાદ શિક્ષિકાનેકહી દીધું, ‘હું તમને ઓળખતો પણ નથી, તમે મને રૂપિયા પણ આપ્યા નથી’!શિક્ષિકાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની કથની વર્ણવતા કહ્યું હતું કે, અઢી વર્ષ સુધી ધ્રુવીલે પોતાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પૈસાની પણ મદદ મેળવી હતી. તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી આમ છતાં તે મારી પાસે ખોટું બોલીને મને ભોગવતો હતો. છેલ્લે અઢી વર્ષ બાદ જ્યારે હું તેના દૂધના પાર્લર પર ગઈ હતી અને કહ્યું હતું કે, તું મારા રૂપિયા તો પાછા આપી દે. ત્યારે ધ્રુવીલે કહ્યું હતું કે, ‘હું તને ઓળખતો પણ નથી તે મને પૈસા પણ આપ્યા નથી. તારા જેવી કેટલી મારા જીવનમાં આવી ગઈ છે અને તેમાંથી બે ત્રણે તો સ્યૂસાઈડ પણ કરી લીધું છે. તારે જે કરવું હોય તે કરી લેજે.’ ધ્રુવીલની આ અત્યંત આઘાતજનક વાતથી પોતે સ્તબ્ધ થઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
પાટનગર ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-2 સર્કલ પાસે જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સમગ્ર વિવાદ પૈસાની ઉઘરાણીને લઈને શરૂ થયો હતો. આ ઘટનામાં એક પત્રકારને ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની નીકળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નાણાં વસૂલવા માટે પત્રકાર પોતાની સાથે ઉનાવા ગામના એક શખસને લઈને ગ-2 સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને પત્રકાર પક્ષ તરફથી રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ગોળી સામે પક્ષની વ્યક્તિના પેટમાં વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા , ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુના વાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે પાટનગરના જાહેર માર્ગ પર દિવસે-દહાડે થયેલા આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ દ્વારા સંડોવાયેલા પત્રકાર અને ઈજાગ્રસ્ત સહિતના તમામ શખસોની સત્તાવાર ઓળખ પ્રસ્થાપિત કરવાની તજવીજ ચાલી રહી છે. આ અંગે સેકટર 7 પીઆઇ બી બી ગોયલે કહ્યું કે, કોઈ પત્રકારને પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું છે. પત્રકાર સાથે ઉનાવાનો એક રબારી શખસ પણ હતો. પત્રકાર પક્ષ તરફથી ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.જેમાં એક યુવકને ગોળી વાગી છે. જેની વધુ તપાસ ચાલી રહી છે. ઉનાવા ગામનો જીતુ રાઠોડ નામનો પત્રકાર હિતેશ રબારીને લઈને ગાંધીનગર આવ્યો હતો. જેને પ્રદીપ જાડેજા નામની વ્યક્તિ પાસે કોઈ પ્લોટની 20 લાખની ઉઘરાણી નીકળતી હતી. જેની માથાકૂટમાં હિતેશ રબારીએ ફાયરિંગ કર્યું હતું.
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે. રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે. 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશોઆ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની તૈયારી શરૂઆવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડોદરા મનપાની મતદારયાદી જાહેર, 12 લાખ મતદારો નોંધાયો; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. વધુ માહિતી જોવા ક્લિક કરો AMC ઓફિસ ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશેરાજ્ય ચૂંટણી પંચ દ્વારા 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા અલગ-અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે. વધુ માહિતી જોવા ક્લિક કરો રાજકોટ મનપાની પ્રાથમિક મતદારયાદી જાહેર, શહેરના 1 લાખથી વધુ મતદારો ઘટ્યારાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો હતો. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી 23 માર્ચના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. વધુ માહિતી જોવા ક્લિક કરો પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી જાહેર, 1,08,999 મતદારો નોંધાયાપાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી મુજબ, પાટણ શહેરના કુલ 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે. આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. વધુ માહિતા જોવા ક્લિક કરો
સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે સોસાયટીના મેઇનટેઇન્સ અંગે ડોક્ટર સહિત ત્રણે બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો ઉતરનાર અને અન્ય બાળકો સહિતના લોકો આ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ગયા હતા. આ મામલે ચિરાગ કાંતીલાલ કોસંબિયા (રહે. જાનકી રેસીડેન્સી, જહાંગીરપુરા) એ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતીપોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે લગભગ સાડા 11 વાગ્યે ચિરાગ કોસંબિયા સોસાયટીના બી–5 અને બી–6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડીયા અનેડો. વિપુલ બરોડીયાને બોલાવી નીચે લાવ્યા હતા. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યા હતા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે ગાળો ભાંડી ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ કહી ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા હતા. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યુંભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વીડિયો બનાવવામાં આવી રહેલો હતો. વીડિયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ગયા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આકારણી અધિકારી અશ્વિન પટેલને 13 વર્ષ જૂના લાંચના કેસમાં કોર્ટે કડક સજા ફટકારી છે. વર્ષ 2013માં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલા આ અધિકારીને સુરતની સ્પેશિયલ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ નીતિન ચોડવડિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ભ્રષ્ટાચારને સમાજ માટે કાળચક્ર સમાન ગણાવ્યું હતું. દુકાનની આકારણી માટે 15 હજારની માગણીઆ કેસની વિગત મુજબ, રાંદેર રોડ પર રહેતા અને ઉધના સાઈબાબા કમ્પાઉન્ડમાં ત્રણ દુકાનો ધરાવતા ફરિયાદીએ વર્ષ 2013માં પોતાની મિલકતની આકારણી કરાવવા માટે ઉધના ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત તત્કાલીન આકારણી અધિકારી અશ્વિન પટેલ સાથે થઈ હતી. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે દુકાનની કુલ આકારણી 30 થી 35 હજાર જેટલી થશે, પરંતુ કામ પતાવવા માટે ઉપરથી 15 હજાર રૂપિયા આપવા પડશે. 5 હજાર પર સેટલમેન્ટ અને ટ્રેપફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, આરોપી અધિકારી અને ફરિયાદી વચ્ચે રકઝક બાદ અંતે 5 હજાર રૂપિયામાં સેટલમેન્ટ થયું હતું. એસીબીએ છટકું ગોઠવ્યું અને જેવી ફરિયાદીની પોતાની દુકાને આરોપી અશ્વિન પટેલે પાંચ હજારની લાંચ સ્વીકારી, કે તરત જ ટીમ ત્રાટકી હતી અને તેને રંગેહાથે ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. ભ્રષ્ટાચાર એ નાગરિકોના અધિકારોનું હનનઆ કેસના ચુકાદામાં નામદાર કોર્ટે અત્યંત આકરી અને સૂચક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દેશના સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનો વિનાશ કરતું અને માનવ અધિકારોનું હનન કરતું કાળચક્ર છે. આવા કૃત્યોથી માત્ર તંત્રની છબી ખરડાય છે એવું નથી, પરંતુ સામાન્ય જનતાનો લોકશાહી અને કાયદા પરથી વિશ્વાસ પણ ડગમગી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહીના મૂલ્યોને જડમૂળમાંથી વજ્રઘાત કરતું પરિબળ છે. જ્યારે કોઈ સરકારી અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી લાંચ માંગે છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર જનતાની નજરમાં શંકાસ્પદ બની જાય છે. ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓ પરથી સાબિત થયું હતું કે આરોપીએ જાણીબૂઝીને આર્થિક લાભ મેળવવા માટે પદનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દયા બતાવવી એ સમાજ માટે જોખમીસજાના પ્રમાણ અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ભ્રષ્ટાચાર સાબિત થયો હોય તેવા કેસમાં જરૂર કરતાં વધુ દયા બતાવવામાં આવે, તો તેનાથી સમાજનું હિત જોખમાય છે. સમાજમાં કાયદાનું શાસન પ્રવર્તમાન રહે અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે હેતુસર આરોપીને દાખલારૂપ સજા કરવી એ અદાલતની નૈતિક અને કાયદાકીય ફરજ છે. આ ચુકાદાથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની અછત નથી. કલેક્ટરે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. આવા બિનજરૂરી સંગ્રહથી કૃત્રિમ અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરી અવ્યવસ્થા ન સર્જવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.
સુરત શહેરના ધમધમતા રીંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસોમાર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'કપૂર લહેંગા, શૂટ અને સાડી' નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માતને કારણે અચાનક આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકો અને વેપારીઓએ એકઠા થઈને લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. નજીકના ત્રણ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. 23 દિવસમાં બીજી વખત આગની ઘટનાનોંધનીય છે કે, બરાબર 23 દિવસ પહેલા પણ આ જ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે માર્કેટના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. માર્કેટમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીની અમલવારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠારવાની અને 'કુલિંગ' કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. મનપાની ચૂંટણી માટે 1131 મતદાન મથકઆ પ્રસિદ્ધ કરવામાં આવેલી નવીનતમ આંકડાકીય માહિતી અનુસાર, વડોદરાના કુલ 19 વોર્ડમાં મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યા 1131 નોંધાઈ છે. શહેરના કુલ નોંધાયેલા 12,08,021 મતદારોમાં 6,12,825 પુરુષ મતદારો અને 5,95,099 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 97 અને સર્વિસ મતદારોની સંખ્યા 400 જેટલી છે. આ મતદારો આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2021ની સરખામણીમાં મોટો ફેરફારનોંધપાત્ર બાબત એ છે કે, સને 2021ની સરખામણીમાં આ વખતે આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની સરખામણીએ મતદાન મથકોની સંખ્યામાં 164નો ઘટાડો થયો છે, તેમજ કુલ મતદારોની સંખ્યામાં 2,38,191 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, વિવિધ કારણોસર યાદીમાંથી 10,099 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય બાબત એ છે એક એસઆઇઆરની કામગીરી બાદ અનેક મતદારોના નામ કમી થયા છે. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો સુધારો કરાવી શકાશેતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું નામ સંબંધિત વિધાનસભા મતદાર વિભાગની યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી મુસદ્દારૂપ યાદીમાં કોઈ કારણોસર રહી ગયું હોય, તો તેઓ સુધારો કરાવી શકે છે. આવા રહી ગયેલા મતદારોએ જરૂરી પુરાવાઓ સાથે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી રૂમ નં. 127, ઇલેક્શન શાખા ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી પૂર્વે કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પોતાની વિગતો ચકાસી લેવા અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરશો? તંત્ર દ્વારા જાહેર કરાયેલા નીચેના સ્થળોએ જઈને તમે વોર્ડવાર મતદારયાદીમાં તમારું નામ ચકાસી શકો છો. મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળે, ઇલેક્શન શાખા (રૂમ નં. 127).વોર્ડ કચેરી: તમારા વિસ્તારની જે-તે વહીવટી વોર્ડ નં. 1 થી 19 ની કચેરી ખાતે.અન્ય સરકારી કચેરીઓ: કલેક્ટર કચેરી અથવા પાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરી શાખા ખાતે પણ આ યાદીઓ નિદર્શન માટે મૂકવામાં આવી છે. ઓનલાઇન નામ ચેક કરવા માટે VMC વેબસાઇટ
વેરાવળમાં શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યુવા પાંખ ‘એરાઇઝ ક્લબ’ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 150 ફૂટ લાંબા તિરંગા સાથે 300થી વધુ યુવાનો જોડાયા હતા. યાત્રા ચોપાટીથી શહીદચોક સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા ગુંજી ઉઠ્યા હતા. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ ફૂલ વરસાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રા દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ હતી. યુવાનોના હાથમાં ફરકતો તિરંગો અને તેમના ચહેરા પરનો ઉત્સાહ દેશપ્રેમની ભાવના દર્શાવતો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીર સોમનાથ જિલ્લાના સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર શહીદ થયેલા યુવાનોના બલિદાનને ભૂલી શકાય નહીં. આવા શહીદોની યાદમાં અને તેમની પ્રેરણાથી યુવા પેઢી રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રરક્ષા માટે સજાગ બને તેવા આશયથી આ યાત્રાનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વંદે માતરમ” ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે અને તે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના પરશુરામ રોડ પર આવેલી ત્રણ ગેરકાયદેસર દુકાનોને સીલ કરી દીધી છે. આ દુકાનોની અંદાજિત 50 લાખ આંકવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે આ સરકારી જમીન પરના દબાણનો વિધિવત કબજો સંભાળી લીધો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસીયાના જણાવ્યા અનુસાર, સંજયભાઈ લગધીરભાઈ ઓડેદરા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ અગાઉ આ દબાણકર્તાને નોટિસ ફટકારીને 30 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાનો નિર્ણય કરાયો હતો. આજ રોજ હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન, PGVCLની ટીમે દુકાનોના બે વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખ્યા હતા અને બંને વીજ મીટરો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગે આ ₹૫૦ લાખની મિલકતનો સત્તાવાર કબજો લીધો હતો. એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનધિકૃત બાંધકામ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે. નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ કાયદાનું પાલન કરે અને મંજૂરી વિનાના દબાણોથી દૂર રહે. આ સમગ્ર ઓપરેશનમાં એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયા સાથે સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ ઓડેદરા અને હાર્દિકભાઈ બોરીચા સહિતનો સ્ટાફ જોડાયો હતો. તંત્રની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં કડક સંદેશ ગયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો છે. વેરાવળ સહિત જિલ્લાના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાંજ પડતા જ ઈંધણ ભરાવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જિલ્લામાં એવી અફવાઓ ફેલાઈ હતી કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે. આ અફવાઓના પગલે લોકો ઉતાવળમાં ઈંધણ ભરાવવા પંપો તરફ દોડી આવ્યા હતા. પરિણામે, સામાન્ય દિવસોની સરખામણીએ પંપો પર અનેક ગણો વધારાનો ઘસારો નોંધાયો અને લાંબી કતારો લાગી. ગીર સોમનાથ જિલ્લા પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામસીભાઈ બારડે આ પરિસ્થિતિ પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. પ્રથમ કારણ એ છે કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા અગાઉ પંપ માલિકોને ડેબિટમાં ઈંધણ પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલમાં આ સુવિધા બંધ કરવામાં આવી છે. આના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને હાઇવે પર આવેલા કેટલાક પંપો પર સમયસર સપ્લાય ન મળતા ડ્રાય સ્થિતિ ઊભી થઈ હતી. બીજું કારણ ભાવમાં તફાવત છે. કંપનીઓ દ્વારા કન્ઝ્યુમર વેચાણમાં પ્રતિ લિટર રૂ. 20 થી 22 જેટલો વધારો નોંધાતા, મોટા જથ્થાના ગ્રાહકો સસ્તું ઈંધણ મેળવવા રિટેલ પંપો તરફ વળ્યા હતા. આથી રિટેલ પંપો પર અચાનક ભાર વધ્યો અને ભીડમાં વધારો થયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશન બંનેએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોઈ વાસ્તવિક અછત નથી અને સપ્લાય નિયમિત રીતે ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે ઈંધણ ભરાવવા દોડી ન જાય. જોકે, આ સ્પષ્ટતા છતાં વેરાવળ સહિત જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર સાંજથી જ લાંબી કતારો યથાવત જોવા મળી રહી છે, અને કેટલાક સ્થળોએ લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.
મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સ્થિત લકુલીશ યોગાશ્રમના લાભાર્થે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુંબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ તેમજ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 23મી માર્ચ, શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને મદનલાલ જેવા યુવાનોના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે શહીદોને અંજલિ આપતા તે સમયના ઇતિહાસને તાજો કર્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક સૂર પુરાવ્યો હતો.ડૉ. ત્રિવેદીએ હળવી હાસ્યની વાતો સાથે શ્રોતાઓને સમાજ સેવા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. તેમણે હાસ્ય રસ દ્વારા દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જગાડ્યો હતો. લકુલીશ યોગાશ્રમની સેવાઓથી પ્રભાવિત થઈને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ સંસ્થા માટે રૂ. એક લાખના દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલે પણ રૂ. એક લાખનું દાન આપવાની ઘોષણા કરી હતી. તેમની અપીલ બાદ પાંચ મિનિટમાં જ સભામાંથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વામી પ્રીતમ મુનિએ આશ્રમમાં ચાલતી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને જનતાને સહયોગ આપવા હાકલ કરી હતી. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્યાએ સૌનું સ્વાગત કરી સંસ્થાની સેવાઓનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશ પટેલ, અમરીશ પંડ્યા ઉપરાંત જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, આકરૂંદના મુખ્ય શિક્ષક, સાહિત્યકાર અને લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ શાહ, મહેન્દ્રમામા અને અશોક જોષી દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
સુરત ભારતની આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિના જ્વાળાને પ્રજ્વલિત રાખવા માટે અને રાષ્ટ્રગાન વંદે માતરમ્ સર્જનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે (ફેઝ-2) ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત મહાપાલિકા દ્વારા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24મી માર્ચ, 2026 ના રોજ સુરત શહેરની ગલીએ ગલીમાં અને મહાપાલિકાની તમામ કચેરીઓમાં એકસાથે ‘વંદે માતરમ્’ ના સૂર ગુંજી ઉઠશે. સવારે 10:30 કલાકે ગુંજશે રાષ્ટ્રભક્તિનો સૂરસુરત મહાપાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, 24 માર્ચના રોજ સવારે ઠીક 10:30 કલાકે મુખ્ય કચેરી (મુગલીસરા) સહિત શહેરની તમામ 8 ઝોન ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટરો, મ્યુનિસિપલ હોસ્પિટલો, લાયબ્રેરીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ સુમન શાળાઓમાં ‘વંદે માતરમ્’ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને સ્વાતંત્ર્ય સંગ્રામના આ અમર ગીતની ગરિમાને ઉજવવાનો છે. તમામ કર્મચારીઓએ ફરજિયાત હાજર રહેવુંઆ આયોજનને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મહાપાલિકાના તમામ શ્રેણીના અધિકારીઓ, કાયમી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સ્ટાફે પણ આ સામૂહિક ગાનમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. શિસ્તબદ્ધ આયોજન માટે દરેક કચેરીના વડાને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે કચેરીના પટાંગણમાં અથવા નક્કી કરેલા હોલમાં તમામ સ્ટાફે એકત્રિત થઈને ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રગાન કરવાનું રહેશે. 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણીમાત્ર એક દિવસના સમૂહગાન પૂરતું આ આયોજન મર્યાદિત નથી. સુરત મહાપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ અને સુમન હાઈસ્કૂલોમાં 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘વંદે માતરમ્’ ના 150 વર્ષની ઉજવણીના પ્રથમ તબક્કા બાદ હવે આ બીજા તબક્કામાં વ્યાપક જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત મહાપાલિકા હંમેશા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં અગ્રેસર રહી છે.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ વિવાદ સર્જાયો છે. યુવતીના પિતાએ રાજ્ય સરકાર પાસે મદદની માંગ કરી છે. બીજી તરફ, સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી પોતે મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની નેહા પરમાર નામની યુવતી આશરે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તે પરત ન ફરતા, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેના પર કોઈ દબાણ નથી અને તે સુરક્ષિત છે. તેણે પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ તથા પોલીસ કેસને અયોગ્ય ગણાવ્યા છે. નેહાએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેને, તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષની રહેશે. તેણે વધુમાં આક્ષેપ કર્યો છે કે તેના પરિવારને એક વર્ષથી તેના મોઈઝ સાથેના સંબંધોની જાણ હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરી રાખી હતી, બહાર જવા દેતા ન હતા, મારપીટ કરતા હતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા. યુવતીના પિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, જો તેમની પુત્રી દુનિયાના કોઈ પણ ખૂણેથી પાછી આવી શકે છે, તો ભારતમાં કે ગુજરાતમાં મોટા નેતાઓ હોવા છતાં વિધર્મી યુવક પાસેથી તેમની પુત્રીને કેમ પાછી લાવી શકાતી નથી. તેમણે રાજ્ય સરકાર પાસે આ મામલે તાત્કાલિક મદદની માંગ કરી છે. આ પણ વાંચો : રાજુલાની ગુમ થયેલી યુવતીનો ચોંકાવનારો VIDEO VIRAL:'મેં મારી મરજીથી મુહિસ સાથે લગ્ન કર્યા છે, અમને કઈ પણ થશે તો જવાબદારી મારા પરિવારની'
જુનાગઢ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રખડતા આખલા સાથે બાઈક અથડાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવાર પર આભ ફાટ્યું છે. ગોપાલ વામજા નામનો યુવક પોતાની મોટરસાયકલ લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક કદાવર આખલો રસ્તા પર આડો ઉતર્યો હતો. અંધારામાં કે પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. દિલાવરનગર પાસે 'ધણખૂટ' નો આતંક: સ્થાનિકોમાં રોષ આ ઘટના અંગે વંથલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને ધણખૂટનો એટલો આતંક છે કે વાત પૂછો માં. હજુ ગઈકાલે જ અહીં એક અકસ્માત થયો હતો અને આજે ફરી 45 વર્ષના એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર સામે સવાલો: ઢોરને બચાવવા કરતા માણસોને બચાવો સ્થાનિક રહીશો અને અગ્રણીઓની માંગ છે કે હાઈવે પર રખડતા ઢોરના કારણે વારંવાર થતા અકસ્માતો રોકવા માટે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર કડક પગલાં ભરે. મારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે. કોઈનો વંશ ઉજાઈ જાય એ પહેલા તંત્ર જાગે. પશુઓને ડબ્બે પૂરવા કે પાંજરાપોળ મોકલવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જેથી અન્ય કોઈ યુવાનનો જીવ ના જાય, તેમ દીપેશ બારૈયાએ ઉમેર્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો અકસ્માતની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક ગોપાલ વામજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.વંથલી હાઈવે પર અગાઉ પણ રખડતા આખલાઓના કારણે અનેક અકસ્માતો થયા છે. ભૂતકાળમાં અનેક લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે અથવા કાયમી અપંગતાનો ભોગ બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ આખલાઓને હટાવવા માટે કોઈ પણ જાતની મક્કમ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા અત્યારે તેના નાણાકીય વર્ષના અંતિમ તબક્કે મથામણ કરી રહી છે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓની વસૂલાતમાં ધાર્યો લક્ષ્યાંક પ્રાપ્ત થયો નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે ડિમાન્ડમાં મોટો વધારો થયો હોવા છતાં, વાસ્તવિક રિકવરીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિમાન્ડ વધી પણ તિજોરી ખાલી રહીસુરત મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ 2559 કરોડની ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી. જેની સામે માર્ચ મહિનાના અંત સુધીમાં માત્ર 1732 કરોડની રિકવરી થઈ શકી છે. જો આ આંકડાઓને ગત વર્ષ સાથે સરખાવવામાં આવે તો ચિત્ર કંઇક આવું જણાય છે ગત વર્ષ 2024-25 2390 કરોડની ડિમાન્ડ સામે 1720 કરોડની વસૂલાત થઈ હતી, જે કુલ ડિમાન્ડના 72 ટકા જેટલી હતી. ચાલુ વર્ષ 2025-26 રુપિયા 2559 કરોડની ડિમાન્ડ સામે રૂપિયા1732 કરોડ વસૂલાયા છે, જેની ટકાવારી આશરે 67.7 ટકા થાય છે. વસૂલાતની ટકાવારીમાં 4.3% નો ઘટાડો નોંધાયોઆમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વસૂલાતની ટકાવારીમાં આશરે 4.3% નો ઘટાડો નોંધાયો છે. જોકે, રકમની દ્રષ્ટિએ ગત વર્ષ કરતા 12 કરોડ વધુ વસૂલાયા છે, પરંતુ ડિમાન્ડમાં થયેલા 169 કરોડના તોતિંગ વધારાની સામે આ રિકવરી ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદારપાલિકાના વર્તુળોમાં આ ઘટાડા અંગે ચર્ચાઓ તેજ બની છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પાલિકાનો સ્ટાફ મિલકતો સીલ કરવાની અને નોટિસો ફટકારવાની કામગીરીમાં રાત-દિવસ એક કરી દેતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. ચાલુ વર્ષ દરમિયાન વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને વેરા વસૂલાત સાથે સંકળાયેલા સ્ટાફની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. નવા અધિકારીઓને જે-તે ઝોનની ભૌગોલિક સ્થિતિ, મોટા ડિફોલ્ટરોની યાદી અને બાકી લેણાંની સમજ મેળવવામાં ઘણો સમય વીતી ગયો. વહીવટી ફેરફારને કારણે રિકવરીની ગતિ જે ફેબ્રુઆરી-માર્ચમાં હોવી જોઈએ તે જળવાઈ શકી નહીં. ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈનપાલિકાનો મોટો સ્ટાફ SIRની અન્ય મહત્વની કામગીરીમાં રોકાયેલા રહ્યા હતા. વહીવટી પ્રોજેક્ટ્સ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં સ્ટાફની વ્યસ્તતાને કારણે પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈન થવું જોઈએ, તે થઈ શક્યું નથી.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. પરમારની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં બદલી થઈ છે. બે વર્ષ અને એક મહિનાના કાર્યકાળ બાદ તેમની બદલી થતા વલસાડના શહેરીજનોએ તેમને ભવ્ય વિદાય આપી હતી. આ વિદાય સમારોહમાં શહેરીજનોએ પીઆઈ પરમારને ખભે બેસાડીને શહેરના રસ્તાઓ પર સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડી અને ફૂલહાર કરી તેમનું અભિવાદન કર્યું હતું. સાધુ-સંતો અને અગ્રણીઓની હાજરીમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોતાની બદલી અંગે પ્રતિક્રિયા આપતા ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ અને એક મહિનાથી હું વલસાડ સિટી PI તરીકે કાર્યરત હતો. વલસાડની જનતાએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે હું આજીવન યાદ રાખીશ. તહેવારો હોય કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, વલસાડની શાંતિપ્રિય જનતાએ હંમેશા પોલીસને સાથ આપ્યો છે. પીઆઈ પરમારે વધુમાં ઉમેર્યું કે, પોલીસની નોકરીમાં સમયનું કોઈ ઠેકાણું હોતું નથી. આવા સમયે મારા પરિવારે, બાળકોએ અને પત્નીએ જે સહકાર આપ્યો છે તેના કારણે જ હું જનતાની સેવા કરી શક્યો છું. પોલીસ અધિકારી તરીકે ડ્યુટી બજાવવી અને જનતાનો વિશ્વાસ જીતવો એ જ સૌથી મોટી સફળતા છે. વલસાડ જિલ્લામાં જ તેમની બદલી થતા હવે તેઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના પીઆઈ તરીકે કાર્યભાર સંભાળશે. તેમની કામગીરી અને જનતા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે શહેરીજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાઓ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર ચાલકો ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં, મોડાસાના સહયોગ પેટ્રોલ પંપ સહિત શહેરના વિવિધ પંપો અને સાકરીયા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. આ સ્થિતિ માત્ર અફવાઓના કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મોડાસા બાયપાસ પરના સહયોગ પેટ્રોલ પંપના માલિક ચંદ્રકાંતભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ઓઇલ કંપનીઓ તરફથી સતત જથ્થો મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની કોઈ જરૂર નથી. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અપ્રમાણિત માહિતીથી દૂર રહે. માત્ર જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ભરાવે, જેથી બિનજરૂરી ગભરાટ ટાળી શકાય અને સામાન્ય સ્થિતિ જાળવી શકાય.
રાજકોટમાં રહેતી યુવતીએ જામનગર રહેતા મંગેતર સાથે સગાઈ તોડી નાખતા તે બેફામ બન્યો હતો અને યુવતી તેમજ તેના માસીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગાઈ બાદ યુવક યુવતીને ફરવા લઈ ગયો હતો. જ્યાં કહ્યું હતું કે, પિતાને કેન્સર હોવાથી મજબૂરીમાં લગ્ન કરી રહ્યો છે. જેથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી અને એકબીજાની વસ્તુઓ પરત લેવાયા બાદ યુવકે માર મારતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યુંસાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય યુવતીએ જામનગરમાં સ્વામીનારાયણનગરમાં રહેતા દિવ્યેશ સવજીયાણી વિરુદ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. તેમની સગાઈ ગઈ તા. 22 ના રોજ જામનગરના દિવ્યેશ સાથે થઈ હતી. સગાઈ બાદ હરવા-ફરવા દ્વારકા અને સુરત ગયા હતાં. દરમિયાન દિવ્યેશે જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હોવાથી તે મજબૂરીમાં આ લગ્ન કરી રહ્યો છે. આ વાતની જાણ યુવતીએ પોતાના પરિવારને કરતા, વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સગાઈ તોડવા બાબતે યુવતીને બિભત્સ ગાળો આપીસગાઈ તૂટતા બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત કરવાનું નક્કી કર્યું હતું. આ અંતર્ગત 22 માર્ચ 2026ના રોજ સાંજે 6.30 વાગ્યે યુવતી અને તેમના માસી યુનિવર્સિટી રોડ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ શિલ્પન ઓનેકસ નજીક પામ યુનિવર્સ ખાતે વસ્તુઓ પરત કરવા ગયા ત્યાં આરોપી દિવ્યેશ અને તેનો પરિવાર હાજર હતો. વસ્તુઓની આપ-લે પૂર્ણ થયા બાદ દિવ્યેશે સગાઈ તોડવા બાબતે યુવતીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપીજ્યારે યુવતીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા દિવ્યેશે તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝઘડા દરમિયાન યુવતીને બચાવવા તેમના માસી વચ્ચે પડતા દિવ્યેશે તેમને પણ ઈજા પહોંચાડી હતી. હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી દિવ્યેશને શાંત પાડી બહાર મોકલ્યો હતો પરંતુ જતી વખતે તેણે યુવતી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મના આરોપીને પકડવામાં પોલીસને લાંબો સમય લાગ્યોશહેરમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાના ગૂનામાં 13 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે વર્ષ 2013 માં નોંધાયેલા ગુનાના આરોપીને ઝડપવામાં પોલીસને આટલા બધા વર્ષો લાગતા આશ્ચર્ય જનમ્યું છે. શહેરના મહીલા પોલીસ સ્ટેશનમાં તા.17 નવેમ્બર, 2013 ના રોજ દુષ્કર્મનો ગૂનો દાખલ થયો હતો. જે ગુન્હાના નાસતા ફરતા આરોપી 40 વર્ષીય વિજય બટુકભાઈ મોરીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડે શાપર હાઈવે પકડી પાડ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. રિક્ષા ગેંગે યુવાનના ખિસ્સામાંથી રૂ.19 હજાર સેરવી લીધા, પોલીસે 3 ને દબોચ્યાશહેરમાં રિક્ષા ગેંગના વધુ એક આતંક સામે આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક રહેતા યુવાનને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.19 હજારની રોકડ સેરવી લઇ રિક્ષા ચાલક સહીત ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. જે ચોરીની ઘટનામાં આજીડેમ પોલીસની ટીમે ગુનો નોંધી રિક્ષા ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા. બનાવ અંગે 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક સરસ્વતીનગર શેરી નં.10 માં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા 21 વર્ષીય યુવાન વિશાલભાઈ સુરેશભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.19 ના સવારના ઘરેથી નાનાભાઈ વિકીને જુના માર્કેટીંગયાર્ડે શાકભાજી લેવા મોકલ્યો હતો. તેને રૂ. 19 હજાર રોકડા આપેલ હતા. જે બાદ શાકભાજી લેવા ગોંડલ ચોકડી ખાતે બ્રીજ પરથી એક રીક્ષામાં બેસી માર્કેટીંગ યાર્ડે જવા નીકળ્યો હતો. જોકે આજીડેમ ચોકડીના બ્રીજ પર ચાલકે મને રિક્ષામાંથી ઉતારી દીધો હતો. જેથી કહ્યુ કે, મારે માર્કેટીંગ યાર્ડ જવું છે. અહિંયા કેમ ઉતારી દીધો તો રિક્ષાચાલક કહેવા લાગ્યો કે, આ રિક્ષા ત્યાં નથી જતી, તારું ભાડુ નથી જોઈતુ કહી રીક્ષાચાલક ત્રણ પેસેન્જરોને લઈ જતો રહ્યો હતો.જે બાદ ખીસ્સામાં તપાસ કરતા રૂ.19 હજાર ગાયબ હતા. યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, માસૂમે પિતાની છત્રછાયા ગુમાવીશહેરની રેલનગરની ટાઉનશીપમાં 27 વર્ષીય મયુર ધામેચાએ ગળાફાંસો આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘરના સભ્યો મરણ પ્રસંગે જૂનાગઢ ગયા હતા, પાછળથી આ પગલું ભર્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ રહેતા પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, મયુર ચંદુભાઈ ધામેચા (ઉં.વ. 27, રહે. લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ, રેલનગર, રાજકોટ) 22 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયો હતો. પરિવારે જણાવ્યું કે, મયુર છુટક ઇલેક્ટ્રિક કામ કરતો. તેમના પત્નીનું નામ શિલ્પાબેન છે. પોતે 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. તેને સંતાનમાં એક દીકરો છે. તેના માતા પિતા જૂનાગઢ મરણ પ્રસંગે ગયા હતા. ઘરે પતિ - પત્ની હતા. રાત્રે જમીને પત્ની ઘરનુ કામ કરતી હતી ત્યારે રૂમમાં જઈ પંખામાં ચૂંદડી બાંધી મયુરે પગલું ભરી લીધું હતું. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. સજાના વોરંટમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોશહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સજાના વોરંટના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 60 વર્ષીય આરોપી હારૂન ધોલકિયા પેડક રોડ પર હોવાની સચોટ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને તે દરમિયાન આરોપી ત્યાં હાજર હોવાથી તેને ઝડપી પાડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત બે દિવસીય 'મિલેટ મહોત્સવ' અને 'પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નું ગતરોજ સફળતાપૂર્વક સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મિલેટ મિશન’ને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી આયોજિત આ મેળાને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ મહોત્સવમાં 20થી વધુ સ્ટોલ્સ દ્વારા ‘શ્રી અન્ન’ અને ઝેરમુક્ત ખેત પેદાશો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉત્પાદનોની ખરીદી માટે નાગરિકોનો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ખેડૂતો અને મહિલા સખી મંડળોમાં ઉત્સાહ વધ્યો. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સીધા ખેતરથી ગ્રાહક સુધીની કડી જોડી. સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ-ચુડા, હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ-ચોટીલા અને શક્તિ-માધર પ્રાકૃતિક ફાર્મ જેવા વિવિધ સ્ટોલ્સ પરથી બાજરી, જુવાર અને રાગી જેવા મિલેટ પાકોનું વેચાણ થયું. સુરતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે જોડાયેલા વિશ્વાબેન ગામીતના રાગી ઉત્પાદનો અને ‘અનુબંધ’ સંસ્થા દ્વારા પીરસવામાં આવેલી મિલેટ ખીચડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આ પ્રદર્શનમાં બાજરી, જુવાર અને રાગી જેવા પૌષ્ટિક મિલેટ્સ મુખ્ય આકર્ષણ રહ્યા. મુલાકાતીઓએ માત્ર અનાજ જ નહીં, પરંતુ મિલેટ્સના મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં પણ રસ દાખવ્યો. ખેતીવાડી અને આત્મા વિભાગ દ્વારા મિલેટ્સના પૌષ્ટિક ગુણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. મુલાકાતીઓએ જંક ફૂડના બદલે રાગીના લાડુ, પાપડ અને મિલેટ ખીચડી જેવા વિકલ્પો સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું સ્વીકાર્યું. મિલેટ મહોત્સવની સાથે યોજાયેલા પ્રાકૃતિક ખેત બજારમાં રાસાયણિક ખાતર વગર પકવવામાં આવેલા શાકભાજી, ફળો અને મસાલાઓનું મોટા પાયે વેચાણ થયું. જિલ્લાના ખેડૂતો દ્વારા સ્ટોલ્સ પર પ્રદર્શિત કરાયેલ મધ, હળદર અને તાજા શાકભાજી ગ્રાહકોએ ખરીદ્યા. આ માધ્યમથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ અને ગ્રાહકોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત આહાર મળ્યો. આ મહોત્સવ માત્ર વેપાર પૂરતો મર્યાદિત ન રહેતા એક સાંસ્કૃતિક ઉત્સવ પણ બની રહ્યો. બે દિવસ દરમિયાન બાળકો માટેના પ્લે એરિયા અને રાત્રિના સમયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું. હુડો રાસ, પઢાર નૃત્ય, ગરબો અને લોકસાહિત્યની રમઝટે ઝાલાવાડની સંસ્કૃતિને જીવંત કરી. આ સાથે જ, મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલ ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. આમ, મુખ્યમંત્રીના ‘મિલેટ મિશન’ અને ‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં આ મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થશે.
જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈને હવાઈ ચોક સુધી યોજાઈ હતી. હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનોમાં શહીદો જેવી પ્રેરણા જગાડવાનો અને સમાજમાં થતા અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની વીરતા કેળવાય તેવો સંદેશ પહોંચાડવાનો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો દેશભક્તિના જોશ સાથે જોડાયા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા કુંભઘાટ પર થોડા દિવસો પહેલા ટ્રકમાં લાગેલી આગની ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વીમાની રકમ હડપવા માટે ડ્રાઇવરે જ ટ્રક સળગાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા ફરાર છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ટ્રકમાં ભરેલા આશરે 900 બેગ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. દાણા વેચ્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે, ટ્રકમાં બાકી રહેલા થોડા માલ સાથે તેને કુંભઘાટ પર સળગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરીને કંપની અને વીમા કંપની પાસેથી લાખો રૂપિયાનો ક્લેમ મેળવવાનો તેમનો ઇરાદો હતો. પ્રારંભિક રીતે અકસ્માત લાગી રહેલી આ ઘટનામાં કપરાડા પોલીસને શંકા જતાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને હકીકતોના આધારે આ સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. કપરાડા પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તેમજ ચોરી કરાયેલો માલ ક્યાં અને કોને વેચાયો છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિશ્વાસઘાત અને વીમા છેતરપિંડી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને પેનિક થવાની કોઈ જરૂર નથી. તંત્રએ પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરવાથી કૃત્રિમ અછત સર્જાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા ન સર્જવા પણ અપીલ કરવામાં આવી છે.
નવસારીમાં ઇંધણ ખૂટવાની અફવા ફેલાઈ:સાંજે પંપો પર વાહનચાલકોનો જમાવડો, લોકોએ ટાંકી ફૂલ કરાવી
ગુજરાતના અન્ય શહેરોમાં ઇંધણની અછતની અફવા બાદ નવસારીમાં પણ તેની અસર જોવા મળી હતી. ઇંધણ ખૂટી પડવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અફવાને કારણે સાંજ પડતા જ શહેરના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા વાહનચાલકોએ ગભરાટમાં આવીને પોતાની વાહનોની ટાંકી ફૂલ કરાવી હતી. દિવસ દરમિયાન બપોર સુધી શહેરમાં ઇંધણની સ્થિતિ સામાન્ય હતી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો. જોકે, અન્ય શહેરોમાં ફેલાયેલી અફવાએ નવસારીમાં પણ અછત સર્જાવાની અફવા ફેલાઈ હતી. સ્થાનિક સૂત્રો અને પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, હાલમાં નવસારીના પંપો પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા અપીલ કરી છે. આ અફવાઓને કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર 16 વર્ષની કિશોરીએ પિતાના અવસાનના છ મહિના બાદ પણ તે આઘાતમાંથી બહાર ન આવી શકી અને અંતે પિતા પાસે પહોંચી જવા માટે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાના જવાથી દીકરી એકલતા અનુભવવા લાગીડિંડોલીના લક્ષ્મણનગરમાં રહેતા મિસ્ત્રી પરિવારમાં 6 મહિના પહેલા દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરના મોભી સુનિલભાઈ મિસ્ત્રી લાંબા સમયથી ટીબીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આખરે 6 મહિના પહેલા તેમનું અવસાન થયું હતું. પિતાના અવસાન સમયે 16 વર્ષની દીકરી કવિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કવિતા તેના પિતાની અત્યંત લાડકી હતી અને તેમના જવાથી તે એકલતા અનુભવવા લાગી હતી. માતાને મદદ કરવા સાડીના કારખાને જતી હતીકવિતાએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. પિતાના અવસાન બાદ ઘરની આર્થિક જવાબદારી માતા ઉષાબેન પર આવી પડી હતી. ઉષાબેન આંજણા ફાર્મ પાસે આવેલા એક સાડીના કારખાનામાં મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. કવિતા પણ ઘરની સ્થિતિ સમજીને તેની માતાને એકલી ન મૂકતી અને દરરોજ કારખાને તેમની સાથે મદદ કરાવવા જતી હતી. જોકે, કામમાં વ્યસ્ત હોવા છતાં તેના મનમાંથી પિતાની યાદો જતી નહોતી. ભાઈ કોલેજમાં અને બહેન પિતાના વિરહમાંકવિતાનો 18 વર્ષીય ભાઈ વિજય હાલ આર્ટસ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. પિતાના ગયા પછી વિજય પર પણ મોટી જવાબદારી હતી, પરંતુ નાની બહેન કવિતા અંદરથી કેટલી હદે તૂટી ગઈ છે તેનો ખ્યાલ કદાચ કોઈને નહોતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કવિતા સતત પિતાના ફોટા જોતી રહેતી અને અવારનવાર કહેતી કે તેને પપ્પા પાસે જવું છે. પિતાના મૃત્યુનો આઘાત તેના કુમળા માનસ પર ઊંડી અસર કરી ગયો હતો. ઘરે કોઈ નહોતું ત્યારે અંતિમ પગલું ભર્યુંબનાવની વિગત મુજબ, જ્યારે પરિવારના સભ્યો કામ અર્થે બહાર હતા અથવા ઘરમાં હાજર નહોતા, ત્યારે કવિતાએ પિતાની યાદમાં આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. જ્યારે પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે કવિતાને મૃત હાલતમાં જોઈ પાયમાલ થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક મેસેજ બાદ નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ અઠવાલાઇન્સ, અડાજણ, રાંદેર, ઉધના, કતારગામ, વરાછા, કાપોદ્રા સરથાણા અને ડીંડોલી સહિતના તમામ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં એવી ભીતિ છે કે આગામી સમયમાં પેટ્રોલનો જથ્થો ખૂટી જશે અથવા ભાવમાં તોતિંગ વધારો થશે, જેના કારણે લોકો પોતાની ગાડીની ટેન્ક ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકો માત્ર પેમેન્ટ ડિસ્પ્યુટને 'સ્ટોક ખતમ' થવાની અફવા સમજી બેઠાવહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પેટ્રોલની અછતને કારણે નહીં પરંતુ નાણાકીય લેવડદેવડને કારણે સર્જાઈ છે. મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર અને પેટ્રોલિયમ કંપનીઓ વચ્ચે ક્રેડિટ અને પેમેન્ટ સેટલમેન્ટ બાબતે પ્રશ્નો ઉભા થયા છે. આ આંતરિક પેમેન્ટ ઇશ્યૂને કારણે સપ્લાય ચેઇનમાં થોડો વિલંબ થયો હોઈ શકે છે, પરંતુ તે જથ્થાની કમી દર્શાવતું નથી. લોકો માત્ર પેમેન્ટ ડિસ્પ્યુટને 'સ્ટોક ખતમ' થવાની અફવા સમજી બેઠા છે. નિવાસી અધિક કલેક્ટરે અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યુંસુરત નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ સાહેબે અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું તેમ સુરત શહેર કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. ડિસ્ટ્રિબ્યુટર અને કંપની વચ્ચે માત્ર ક્રેડિટ કરાવવા માટેના પૈસા બાબતનો ટેકનિકલ મુદ્દો છે. સોશિયલ મીડિયાના આધારે લોકોએ પેનિક થવાની કે ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. ખોટી રીતે ભીડ એકત્ર ન કરોવહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ખોટી અફવાઓના ડરથી લાઈનોમાં ઉભા રહીને મુશ્કેલી ન સર્જવી. લોકો પોતાની જરૂરિયાત મુજબ શાંતિથી જથ્થો મેળવી શકે છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહે તે માટે કંપનીઓ સાથે સંપર્કમાં છે. પેનિક બાયિંગથી બચવા નાગરિકોને સૂચનાજ્યારે પણ આવા પેમેન્ટ વિવાદો સામે આવે છે ત્યારે અફવા બજાર ગરમ થાય છે. અત્યારે સુરતના પેટ્રોલ પંપ પર જે સ્થિતિ છે તે 'પેનિક બાયિંગ'નું પરિણામ છે. તંત્રએ ખાતરી આપી છે કે, ઇંધણનો પુરવઠો સતત મળી રહેશે, તેથી નાગરિકોએ અફવા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરવાથી બચવું જોઈએ અને બિનજરૂરી સંગ્રહખોરી કરવી જોઈએ નહીં.
પાટણ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ઈંધણની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર ફેલાયેલી વાતો માત્ર અફવા છે. જિલ્લા પુરવઠા તંત્રએ નાગરિકોને આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વર્તમાનમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. આ ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાને રાખી ભારત સરકારે તરલીકૃત ગેસ અંગે મહત્વના નિર્દેશો આપ્યા છે, પરંતુ આ યુદ્ધની પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર થઈ નથી. જિલ્લામાં કાર્યરત ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા અછતના સમાચાર પાયાવિહોણા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી, પાટણે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જનતાએ ખોટી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ખોટી ભીડ એકત્ર ન કરવી અને પુરવઠા બાબતે તંત્ર પર વિશ્વાસ રાખવો. જોકે, આ અફવાઓને કારણે પાટણ શહેરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો જોવા મળી હતી.
ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાઈજીપુરાથી પીડીપીયુ તરફ જતા માર્ગ પર આવેલા લવકુશ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર ત્રાટકી પાંચ જુગારીઓને 90 હજારથી વધુની મત્તા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ દરોડા દરમ્યાન ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપીને અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યાગાંધીનગરના ભાઇજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક રોડ પર તાજેતરમાં જ પોલીસે બાઇકર્સ ગેંગ પર ઘોષ બોલાવી દઈ નબીરાઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા. ત્યારે અત્રેનો વિસ્તાર એજયુકેશન હબ હોવાથી ઇન્ફોસિટી પીઆઇ વી. આર ખેરે સ્ટાફને સઘન પેટ્રોલિંગ હાથ ધરી દારુ જુગાર અને ખાસ કરીને નાર્કોટિક્સ પ્રવૃતિઓ પર નજર રાખવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ઇન્ફોસિટી પોલીસ ચોકીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે લવ-કુશ રેસીડેન્સીની બાજુમાં આવેલા કાચા છાપરાઓની પાછળ કેટલાક શખસો એકત્રિત થઈને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીજોકે, પોલીસે ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સો પૈકી રાજકુમાર રામાભાઈ સલાટ, ટોપજીભાઈ જવાનજી સલાટ, ગુપ્તાજી જગરૂભાઈ સલાટ, મુલતાન જાદુજી મદારી અને સાયર નાગજીભાઈ મદારીને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. પરંતુ ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ નાસી જવામાં રહ્યા હતા. અંગ ઝડતી દરમિયાન કુલ 10,60 ની રોકડ ઉપરાંત જુગારના દાવ પરથી 70,500ની મોટી રોકડ રકમ પણ હાથ લાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 81,100 ની કુલ રોકડ, બે મોબાઈલ ફોન જેની કિંમત 9,000, ગંજીપાના અને અન્ય સામગ્રી મળીને કુલ 90,100 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં ગેસ પુરવઠાને લઈને અસર પહોંચી છે. કોમર્શિયલ અને ઘરેલું ગેસ બંને પુરવઠા પર અસર પહોંચતા ઓછો જથ્થો આવી રહ્યો છે ત્યારે પી.એન.જી. (Piped Natural Gas)ને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવે છે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નવા પી.એન.જી. કનેક્શન આપવા માટે ઉક્ત ત્રણ એજન્સીઓ દ્વારા રોડ ઓપનીગ પરમિટ (આર.ઓ.) માટે કુલ 820 અરજીઓ કરવામાં આવી છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી છે. રોડ ઓપનીંગ પરમિટ (આર.ઓ.)ની મંજૂરી અપાઈહાલ અમદાવાદમાં અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા પી.એન.જી ગેસનું વિતરણ કરવામાં આવે છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લઈ એલ.પી.જી (Liquefied Petroleum Gas) ને સ્થાને પી.એન.જી.ને પ્રાધાન્ય આપવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જુદા જુદા ઝોન ખાતે સદર અરજીઓ માટેની રોડ ઓપનીંગ પરમિટ (આર.ઓ.)ની મંજૂરી તાત્કાલિક ધોરણે આપવામાં આવી છે. કોઈપણ જાતના ચાર્જીસ વસૂલ્યા સિવાય કામગીરી કરાવવા મંજૂરીજે પૈકી ડિફેક્ટ લાયેબિલીટી પૂર્ણ થઈ હોય તેવા રોડ માટેની મંજુરીની સત્તાઓ જે તે ઝોનના એડી.સિટી ઈજનેરને તથા ડિફેક્ટ લાયેબિલીટી ચાલુ હોય તેવા રોડ માટેની મંજુરીની સત્તા જે તે ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. હાલની પદ્ધતિ મુજબ પૈસા ભરી અને પરમિશન આપવાની જગ્યાએ કોઈપણ જાતના ચાર્જીસ વસૂલ્યા સિવાય કામગીરી કરાવવા મંજૂરી આપવામાં આવી છે. રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી AMC દ્વારા એજન્સીના ખર્ચે કરશેડિફેક્ટ લાયેબિલીટી ચાલુ હોય તેવા રોડ ઉપર મિનિમમ ખોદાણ થાય તે મુજબ કામગીરી કરાવવા ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવામાં આવી છે. આર.ઓ. પરમિટમાં સમાવેશ કરેલા રોડ ઉપર ખોદાણ બાદ થનાર રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી એજન્સી દ્વારા કરવાની થાય છે, પરંતુ રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી AMC દ્વારા એજન્સીના ખર્ચે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની મીટીંગ બોલાવવામાં આવી હતીઅમદાવાદ શહેરના તમામ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા એલ.પી.જી.ને બદલે પી.એન.જીનો ઉપયોગ કરવામાં આવે તે બાબત ધ્યાનમાં રાખીને હાલમાં જે હોટલ કે રેસ્ટોરન્ટ એલ.પી.જીનો વપરાશ કરે છે તે માટે તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની મીટીંગ બોલાવવામાં આવી હતી. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનનો સાનુકૂળ પ્રતિસાદ મળ્યો હતો. જે હોટલ એલ.પી.જી.નો વપરાશ કરે છે તેને પી.એન.જીમાં રૂપાંતરીત કરવા માટે એસોસિએશન તરફથી સુચના આપવામાં આવી છે.
સુરત હવે વૈશ્વિક સ્તરે સ્વચ્છ શહેર તરીકે પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહ્યું છે. વર્ષ 2023થી સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પ્રથમ ક્રમાંકે આવતું સુરત શહેર આ વખતે પણ પોતાની હેટ્રિક જાળવી રાખવા માટે સજ્જ થયું છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના નેતૃત્વ હેઠળ સુરત મહાનગરપાલિકાએ 'સ્વચ્છતા સર્વેક્ષણોમાં પ્રથમ આવવા કમર કસી છે. શહેરના ખૂણે-ખૂણે સફાઈ અભિયાન અને સુશોભનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ગમે ત્યારે શહેરમાં ત્રાટકી શકે છે. વરાછા, કતારગામ, અઠવા અને રાંદેરમાં વહેલી સવારથી જ સરપ્રાઈઝ ચેકિંગસ્વચ્છતાના આ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કમિશનર દ્વારા શહેરના વિવિધ ઝોન જેમ કે વરાછા, કતારગામ, અઠવા અને રાંદેરમાં વહેલી સવારથી જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કમિશનરની આ મુલાકાતો માત્ર મુખ્ય માર્ગો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ આંતરિક ગલીઓ, જાહેર શૌચાલયો, કચરાના ડેપો અને ટ્રાન્સફર સ્ટેશનોની પણ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. જે વિસ્તારોમાં સફાઈમાં બેદરકારી જોવા મળે છે ત્યાં સ્થળ પર જ અધિકારીઓને ખખડાવીને તાત્કાલિક કામગીરી સુધારવા આદેશો આપવામાં આવી રહ્યા છે. સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, અને આ બ્રિજો શહેરની સુંદરતામાં વધારો કરે તે માટે પાલિકાએ વિશેષ આયોજન કર્યું છે. હાલમાં શહેરના બ્રિજો પર રંગ-રોગાનની કામગીરી ચાલી રહી છે. બ્રિજોની નીચેના ભાગમાં થતું દબાણ દૂર કરી ત્યાં પેવર બ્લોક નાખવા અથવા આકર્ષક પેઇન્ટિંગ્સ બનાવવાનું કામ પૂરજોશમાં છે. પાલિકાના દરેક કર્મચારી અને સફાઈ કામદારોએ સુરતને સુઘડ બનાવવા કમર કસીસ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા અત્યંત કડક અને પારદર્શક હોય છે. દિલ્હીથી આવતી ટીમ ક્યારે આવશે અને કયા વિસ્તારની મુલાકાત લેશે, તેની જાણ સ્થાનિક પાલિકાના ઉચ્ચ અધિકારીઓને પણ હોતી નથી. આ ટીમ સામાન્ય નાગરિકો બનીને શહેરમાં ફરે છે, હોટલો, રેસ્ટોરન્ટ્સ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોની મુલાકાત લે છે. ગયા વર્ષે પણ આ જ સમયગાળા દરમિયાન ટીમે સુરતની મુલાકાત લીધી હતી અને નાગરિકોના ફીડબેક (અભિપ્રાય) લીધા હતા. આ વર્ષે પણ ટીમ ગમે ત્યારે આવી શકે છે, તેથી પાલિકાના દરેક કર્મચારી અને સફાઈ કામદારો સુરતને સુઘડ બનાવવા કમર કસી રહ્યા છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન શહેરના 100% ઘરોમાંથી કચરો એકઠો કરવામાં આવે છેવર્ષ 2024-25માં સુરતને સ્વચ્છતા પ્રીમિયર લીગમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે સુરતમાં સ્વચ્છતા હવે માત્ર સરકારી કામ નથી, પરંતુ એક જન-આંદોલન બની ગયું છે. પાલિકા દ્વારા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, રહેણાંક સોસાયટીઓ અને વિવિધ NGO ને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. સુરત પાલિકા કચરાના નિકાલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન શહેરના 100% ઘરોમાંથી કચરો એકઠો કરવામાં આવે છે. ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સુરતના ઈચ્છાપોરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને સોશ્યલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ ગુજારવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ સહિત તેના 4 સાગરીતોની ધરપકડ કરી છે. જેમાં અભયકુમાર શર્મા નામના શખ્સે AI એપની મદદથી આરોપીનું નામ બદલી 'અભિષેક ગુપ્તા' કરી નકલી આધારકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને સોશિયલ મીડિયા પર ફસાવીસુરતના ઈચ્છાપોરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને પ્રેમની વાતોમાં ભોળવી વિશ્વાસ જીત્યો હતો. યુપીની વતની એવી આ કિશોરી આરોપીની બદદાનતથી અજાણ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ વાતચીત અંતે એક ગંભીર ગુનામાં પરિણમી હતી. અભયકુમાર શર્માએ AIથી નકલી આધારકાર્ડ બનાવ્યુંપોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીને મદદ કરવામાં તેના મિત્ર અભયકુમાર પ્રદીપ શર્માની મુખ્ય ભૂમિકા હતી. અભયકુમાર શર્માએ પોતાના મોબાઈલમાં રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોહમ્મદ સાજીદના આધારકાર્ડમાં છેડછાડ કરી હતી. તેણે મુસ્લિમ નામ હટાવીને 'અભિષેક ગુપ્તા' જેવું હિન્દુ નામ એડિટ કરી આપ્યું હતું. આ નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને આરોપીએ હોટેલમાં એન્ટ્રી મેળવી હતી અને સગીરાની ઉંમર પણ ખોટી રીતે વધારીને દર્શાવી હતી. હિન્દુ નામ ધારણ કરી હોટેલમાં ગુજાર્યું દુષ્કર્મનકલી આધારકાર્ડમાં 'અભિષેક ગુપ્તા' નામનો ઉપયોગ કરી આરોપી મોહમ્મદ સાજીદ સગીરાને સુરતની એક હોટેલમાં લઈ ગયો હતો. હોટેલ સંચાલકોને હિન્દુ નામનું આઈડી બતાવીને તેણે રૂમ ભાડે રાખ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને અંધારામાં રાખીને અને સમાજમાં ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા આ કૃત્યની જાણ જ્યારે સગીરાના વાલીઓને થઈ, ત્યારે તેઓએ તુરંત જ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. બિહાર ભાગે તે પહેલા જ દબોચાયોઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે તુરંત તપાસના આદેશ આપ્યા હતા. ઈચ્છાપોર પોલીસ મથકના પી.આઈ. એ.સી. ગોહિલની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ધરપકડના ડરથી પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં છે. પોલીસે સમયસૂચકતા વાપરીને નાકાબંધી કરી અને આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણને ટ્રેન પકડવા જાય તે પહેલા જ રવિવારે દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ બન્યો હતો વચેટીયોઆ ગુનામાં અન્ય એક આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ રાયનની પણ સંડોવણી બહાર આવી છે. ખુરશીદ સગીરા અને આરોપી વચ્ચે મેસેન્જર તરીકે કામ કરતો હતો. જ્યારે સગીરા આરોપી સાથે વાત ન કરતી હોય ત્યારે ખુરશીદ વચેટિયા તરીકે રહીને તેઓનો સંપર્ક કરાવી આપતો હતો. એટલું જ નહીં, તેણે જ આરોપીને દુષ્કર્મ માટે સુરક્ષિત હોટેલ શોધી આપવામાં મદદ કરી હતી. પોલીસે ખુરશીદની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે કે તેણે અગાઉ અન્ય કોઈને મદદ કરી છે કે કેમ. સગા ભાઈએ ગુનેગારને ભગાડવા વાહનની વ્યવસ્થા કરીજ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે મુખ્ય આરોપીને નાસી છૂટવામાં તેના સગા ભાઈ મોહમ્મદ તાબીશ પઠાણે પૂરેપૂરો સાથ આપ્યો હતો. તાબીશને ખબર હતી કે તેના ભાઈએ સગીરા સાથે જઘન્ય અપરાધ કર્યો છે, તેમ છતાં તેણે કાયદાની પકડમાંથી બચાવવા માટે વાહનોની વ્યવસ્થા કરી આપી હતી. ભાઈને સુરતની બહાર સુરક્ષિત રીતે કાઢવા માટે તેણે કરેલી આ મદદ બદલ પોલીસે તેની પણ ધરપકડ કરી છે. લોહીના સંબંધોનો દુરુપયોગ કરી ગુનામાં સાથ આપનાર તાબીશ હવે જેલના સળિયા પાછળ છે. જામીર રાજા શેખની ધરપકડ અને ગુનાહિત ભૂમિકાઆ કેસમાં પાંચમો આરોપી જામીર રાજા શમસુલ શેખ છે, જે પણ ઈચ્છાપોર વિસ્તારમાં જ રહેતો હતો. જામીર રાજાએ મુખ્ય આરોપીને પોલીસની હિલચાલ વિશે અપડેટ આપવાનું અને તેને છુપાઈ રહેવા માટે જગ્યા પૂરી પાડવાનું કામ કર્યું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ આખી ટોળકી એકબીજાના સંપર્કમાં હતી અને સગીરાને ટાર્ગેટ કરવામાં મોહમ્મદ સાજીદને દરેક તબક્કે મદદ કરતી હતી. જામીરની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં મદદગારી કરનારા તમામ કડીઓને જોડી દીધી છે. નકલી દસ્તાવેજો અને આઈટી એક્ટની કલમોનો ઉમેરોપોલીસે આ કેસમાં માત્ર દુષ્કર્મ જ નહીં પરંતુ નકલી દસ્તાવેજો બનાવવા બદલ છેતરપિંડી અને આઈટી એક્ટની કલમો પણ ઉમેરી છે. અભયકુમાર શર્માએ જે રીતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજ ગણાતા આધારકાર્ડમાં છેડછાડ કરી તે અત્યંત ગંભીર બાબત છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા નકલી આઈડી કાર્ડ બનાવ્યા છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો આવો દુરુપયોગ પોલીસ માટે પણ એક નવા પડકાર સમાન સાબિત થયો છે. સગીરાનું હાલ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુંપોલીસે ભોગ બનનાર 16 વર્ષીય સગીરાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે, જે રિપોર્ટ કેસમાં મજબૂત પુરાવા તરીકે કામ કરશે. સગીરા હાલ આઘાતમાં છે અને તેને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે સગીરાને ન્યાય અપાવવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કોર્ટમાં કરવામાં આવશે. બિહારના નાલંદા અને સિવાન કનેક્શનની તપાસપકડાયેલા તમામ પાંચ આરોપીઓ મૂળ બિહારના અલગ-અલગ જિલ્લાના વતની છે. જેમાં મુખ્ય આરોપીઓ નાલંદા જિલ્લાના છે, જ્યારે નકલી કાર્ડ બનાવનાર અભયકુમાર શર્મા સિવાન જિલ્લાનો વતની છે. સુરતમાં રોજગારી માટે આવેલા આ યુવકો કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે. બિહાર પોલીસ સાથે પણ સંપર્ક સાધીને આ આરોપીઓનો કોઈ જૂનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે બાબતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પીઆઈ ગોહિલે જણાવ્યું છે. હાલ પાંચેય આરોપીઓ રિમાન્ડ હેઠળ પીઆઈ અનિરુદ્ધ સિંહ ગોહિલના જણાવ્યા મુજબ, સગીરા સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ સાંખી લેવામાં આવશે નહીં. આ કેસમાં જે રીતે હિન્દુ નામોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરવામાં આવી છે, તેનાથી લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પોલીસે અપીલ કરી છે. હાલ પાંચેય આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ સ્ફોટક ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર અને રોગચાળા મુક્ત રાખવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સીધા માર્ગદર્શન હેઠળ આજે સુરતના નોર્થ ઝોન (કતારગામ) વિસ્તારમાં સફાઈ અને જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનીક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પણ ખભેખભા મિલાવીને ભાગ લીધો હતો. 53 હજારનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છેનોર્થ ઝોનના ગોટાલાવાડી વોર્ડ વિસ્તારમાં કિરણ હોસ્પિટલથી લઈને દીપુનો ટેકરો, ટોરેન્ટ પાવર અને જૂની ઝોન ઓફિસ રોડ સુધીના મુખ્ય માર્ગો પર ઓપરેશન હેલ્થકેર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ, નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારની અંદાજે 80 જેટલી સંસ્થાઓ અને વ્યાપારી એકમોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતુંજેમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ન કરતી સંસ્થાઓ અને જરૂરી લાયસન્સ વગર વ્યવસાય કરતા 45 શખસો વિરુદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 35 સંસ્થાઓને ગંદકી બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 53,000 જેટલી રકમનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પરિબળો સામે લાલ આંખ કરતા પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અખાદ્ય પદાર્થોના વેચાણ પર પણ તરાપ મારવામાં આવી હતી, જેમાં 13 કિલોગ્રામ જેટલા અયોગ્ય ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. 2860 જેટલા જાગૃત નાગરિકોએ રસ્તા પર ઉતરી શ્રમદાન કર્યું હતું15 જેટલી બિન-સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમો જોડાઈ હતી. અને 16 સુપરવાઈઝરી સ્ટાફ અને 118 સફાઈ કામદારોએ સમગ્ર રૂટને ચકાચક કર્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ અને નોર્થ ઝોનના ઝોનલ ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓ તેમજ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. માત્ર સફાઈ કરવાથી શહેર સ્વચ્છ નથી રહેતું, પરંતુ કચરાનો યોગ્ય નિકાલ પણ એટલો જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમોએ ઘરે-ઘરે અને દુકાને-દુકાને જઈને લોકોને સૂકો અને ભીનો કચરો અલગ પાડવા માટેની વૈજ્ઞાનિક સમજ આપી હતી.

28 C