SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

સૌરઉર્જા આધારીત ગ્લોબલ ગ્રીન એનર્જી હબ:વાઈબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મ પર ચમકશે ખાવડાનો RE પાર્ક

એક સમય હતો જ્યારે કચ્છના રણને નિર્જન અને બિનઉપજાઉ માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ રણ દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનની પ્રેરણાથી કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. આગામી તા.11-12 જાન્યુઆરી2026 ના રોજ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કચ્છ સહિત ગુજરાતની ગ્રીન ઉર્જા ક્ષમતાને પ્રદર્શિત કરાશે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પોર્ટ એન્ડ લોજિસ્ટિક તેમજ વિન્ડ એન્ડ સોલાર એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ સૌરાષ્ટ્ર કચ્છ એ આ સંભાવનાઓને પારખીને ટકાઉ વિકાસની દિશામાં નવા રોકાણ અને રોજગારીનું પ્રબળ માધ્યમ બનશે. આ કોન્ફરન્સ ગ્રીન એનર્જી, પોર્ટ-લોજિસ્ટિક્સ અને રોજગારીની નવી તકોનું દ્વાર ખોલશે અને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ તરફનું મજબૂત પગલું બનશે. ભારત સરકારના વર્ષ 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પાર્કમાં સૌર અને પવન ઊર્જાનો સંયોજન કરીને કુલ 37 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ 15 ડિસેમ્બર, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. શરૂઆતમાં તેની ક્ષમતા 30 ગીગાવોટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આધુનિક ટેક્નોલોજી અને સુનિયોજિત આયોજનના કારણે આ ક્ષમતા વધીને 37 ગીગાવોટ થઈ છે. અંદાજે 72,600 હેક્ટર જમીન પર ફેલાયેલ આ પ્રોજેક્ટમાં લાખો સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઈનો સ્થાપિત થઈ રહ્યા છે. હાલ સુધીમાં આ પ્રોજેક્ટની 11.33 ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે, જેમાં 9.82 ગીગાવોટ સૌર અને 1.51 ગીગાવોટ પવન ઊર્જાનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2026 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત બનશે. કુલ રૂ. 1.50 લાખ કરોડના ખર્ચે બની રહેલા આ પાર્કથી 23 હજારથી વધુ લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળી રહી છે. દેશની સરહદી ક્ષેત્રની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે આર.ઈ.પાર્કખાવડા એનર્જી પાર્કની સૌથી મોટી અસર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર જોવા મળી રહી છે. અગાઉ આ સરહદી પટ્ટી પર માનવ વસ્તી નહિવત હતી, પરંતુ હવે હજારો કર્મચારીઓ અને એન્જિનિયરોની હાજરીને કારણે આ વિસ્તાર રણનીતિક રીતે જીવંત બન્યો છે. પ્રોજેક્ટ માટે આંતરિક રસ્તાઓ અને એર કનેક્ટિવિટીને કારણે સંસાધનોની અવરજવરમાં નોંધપાત્ર સુધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કાર્યવાહી:સુમરાસર સીમમાં ખાનગી વાહનોથી ફ્લાઇંગ સ્ક્વોર્ડની સરપ્રાઈઝ ચેકિંગમાં ખનિજચોરી પકડાઈ

ભુજ તાલુકાના સુમરાસર અને શિરાયા વિસ્તારમાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે આકસ્મિક દરોડા પાડીને ખનીજચોરી પકડી પાડી છે. મળતી વિગતો મુજબ, સુમરાસર સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાની ચોક્કસ બાતમી ટાસ્કફોર્સને મળી હતી. બાતમીદારોને શંકા ન જાય તે હેતુથી ટીમ દ્વારા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા એક લોડર GJ-12-CM-8113 અને ડમ્પર GJ-12-BX-4051 ઝડપાઈ ગયા હતા. તંત્રએ અંદાજે રૂપિયા 35 લાખની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરી બંને વાહનોને સીઝ કરીને ભુજ સ્થિત સરકારી ગોદામ ખાતે કસ્ટડીમાં સોંપ્યા છે. જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ તંત્ર દ્વારા જે રીતે ફરિયાદોને ગંભીરતાથી લઈ આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે, તેનાથી ખનિજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. શિરાચા પાસે રોયલ્ટી વગર માટીનું વહન ઝડપાયુંમુન્દ્રા તાલુકાના શિરાચા પાસે આવેલ વી-કોંક્રિટ પ્લાન્ટ ખાતે બીજી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં તપાસ દરમિયાન એક ડમ્પર નંબર GJ-12-Z-3190 સાદી માટીનું વહન કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ વગર કરતા મળી આવ્યું હતું. આ ડમ્પર સહિત અંદાજે રૂપિયા 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ વાહનને વી-કોંક્રિટ પ્લાન્ટ ખાતે કસ્ટડીમાં સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

સિટી એન્કર:માધાપરમાં પુસ્તકાલય સંમેલન શરૂ : ગ્રંથાલયોની પુનઃકલ્પના અંગે મંથન

માધાપરના યક્ષ મંદિર ખાતે શુક્રવારથી ત્રણ દિવસીય ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના આયોજન હેઠળ 41મું પુસ્તકાલય સંમેલન તથા 11મું રાષ્ટ્રી઼ય સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી 150થી વધુ ગ્રંથપાલો, શિક્ષણવિદો અને પુસ્તક પ્રેમીઓએ હાજરી આપી રહ્યા છે. આ વર્ષના સંમેલનનો મુખ્ય વિષય ગ્રંથાલયોની પુનઃકલ્પના અને પુસ્તકાલયોનું પરિવર્તન વિશે વૈશ્વિક શિક્ષણના સક્રિય કેન્દ્ર છે જેથી આ સંમેલનનમાં ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દિવસે કાર્યક્રમમાં ડિજિટલ લાઈબ્રેરી, વાચન સંસ્કૃતિ, જ્ઞાન સંવર્ધન, આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યના ગ્રંથાલયોના માળખા અંગે વિવિધ સત્રોમાં વિચારણા કરાઇ હતી. આ સંમેલનમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નવચેતન અંધજન મંડળ તરફથી લાલજીભાઈ પ્રજાપતિ, જીણાભાઈ દબાસિયા તેમજ ભારતીબેન ચાવડા સહિતના પ્રતિનિધિઓની હાજરી રહી હતી. સંધની સાથે રાજા રામમોહન રાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કોલકાતા તથા ડિરેક્ટોરેટ ઓફ લાઈબ્રેરીઝ ગાંધીનગરના સહયોગથી કાર્યક્રમને વધુ સકારાત્મક દિશા મળી છે. કાર્યક્રમમાં ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના પ્રમુખ પંકજભાઈ બાવીસી, ઉપપ્રમુખ નવલસિંહ વાધેલા, મંત્રી કિરીટભાઈ ગંધકવાલા તથા ખજાનચી હિમાંશુ પાનધીએ હાજરી આપી હતી. રાજ્યભરના ગ્રંથપાલોને જૈનાચાર્ય દ્વારા લિખિત મહાભારત વિષયક પુસ્તકો ભેટ અપાયાઆ પ્રસંગે જૈનાચાર્ય યોગ્તિલકસૂરેશ્વરજી મહારાજ દ્વારા લેખિત પુસ્તક એવા મહાભારતની તારવણી વિષયક પાંચ ભાગના પુસ્તકોનો સેટ ગુજરાતભરના તમામ ગ્રંથપાલોને આધ્યાત્મક પરિવારના મનીષ શાહ દ્વારા ભેટ સ્વરૂપે અર્પણ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

મુન્દ્રાનો પરિવાર કથામાં આવ્યો અને તસ્કરોએ ખાતર પાડ્યું હતું:સહજાનંદ પાર્કમાં થયેલી ચોરીમાં ગયેલા સોનાના દાગીના રીકવર કરાયા

શહેરના મુન્દ્રા રોડ પર આવેલ સહજાનંદ પાર્કમાંથી તસ્કરો ભાગવત સપ્તાહમાં આવેલા પરિવારના સોનાના દાગીના ચોરી કરી લઇ ગયા હતા જેમાં પોલીસે અગાઉ આરોપીઓને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બાકી રહેલ મંગળસુત્ર અને સોનાનો સેટ પણ રીકવર કરી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 30 ઓક્ટોબરના ચોરીની ફરિયાદ નોધાઇ હતી.મુન્દ્રાનો પરિવાર પ્રમુખસ્વામી નગર ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં આવ્યો હતો.એ દરમિયાન સહજાનંદ પાર્કમાંથી તસ્કરો સોનાના દાગીના ઉઠાવી ગયા હતા.પીઆઈ એ.એમ.પટેલની સુચના અને માર્ગદર્શથી આરોપી હીરા રમેશ વડેચા,ભરત કમલેશ દેવીપુજક અને બાબુ ઉર્ફે બબુ કેશા કુવારીયાને પોલીસે ઝડપી લીધા હતા. જે બાદ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાનું મંગળસુત્ર,સોનાનો હાર,સોનાની કાનની બુટ્ટી અને સોનાની વીંટી આરોપીઓ પાસેથી કબ્જે લેવામાં આવી હતી.આરોપીઓએ કબુલાત ન આપતા ચોરીમાં ગયેલ મંગળસુત્ર અને સોનાનો સેટ કબ્જે થયો ન હતો.પરંતુ પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ બાકી રહેલો મુદ્દામાલ પણ રીકવર કરી લેતા ચોરીમાં ગયેલો કુલ રૂપિયા 12.17 લાખનો મુદ્દામાલ રીકવર કરી લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર વિશેષ:આજે ભારત સહિત 18 દેશના ઉત્સાહી પતંગબાજો ધોળાવીરાના આકાશમાં રચશે પતંગની રંગોળી : ધોળાવીરામાં પ્રથમવાર

ધોળાવીરાના ભજંડાદાદાના મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવશે જેમાં 18 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યના પતંગબાજો પતંગ ઉડાવશે.આજે સવારે 9.30 કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ પતંગ મહોત્સવમાં 18 દેશના 45 તથા 7 રાજ્યના 23 પતંગબાજો ધોળાવીરાના આકાશમાં અવનવી પતંગોની રંગોળી રચશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની ધરા પર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. પતંગ મહોત્સવમાં કચ્છના નાગરિકોને જોડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રવાસન વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે હડપ્પન ધરા પર સંગીત, કલા અને વારસાનો મહાઉત્સવભુજ : આજે 10 જાન્યુઆરીના વિશ્વવિખ્યાત હડપ્પન સ્થળ ધોળાવીરામાં ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. ઐતિહાસિક વારસા અને આધુનિક સંગીતના સંગમરૂપ આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સંગીત સાથે કચ્છ અને રાજસ્થાનના લોકસંગીત, લોકનૃત્ય અને તસવીર પ્રદર્શન દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક માહોલ સર્જાશે.ક્રાફ્ટ ઓફ આર્ટના સંયોજક બિરવા કુરેશી કહે છે કે, ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ વિશ્વપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશીની પ્રસ્તુતિ રહેશે. તેઓ પોતાના પિતા ઉસ્તાદ અલ્લારખા અને ભાઈ તબલા સમ્રાટ ઝાકીર હુસેનની સંગીત પરંપરાના વારસદાર છે. તેમની સાથે ગ્રૅમી એવોર્ડ વિજેતા ગણેશ રાજાગોપાલન (વાયોલિન અને વોકલ્સ), સેલ્વાગણેશ (કાંજીરા, મૃદંગમ), યુવક વાયોલિનવાદક અક્ષય ગણેશ, સ્વામીનાથન સેલ્વગણેશ જેવા પ્રતિષ્ઠિત કલાકારો હાજર રહેશે.શ્રોતાઓને પોતાની આગવી શૈલીથી ડોલાવનાર કચ્છના લોકગાયક મુરાલાલા મારવાડા અને ઉસ્તાદ ફઝલભાઈની જુગલબંધી જોવાલાયક હશે. સંચાલન જાણીતા ફિલ્મ અભિનેતા મોહન કપૂર કરશે.આ ફેસ્ટિવલનું આયોજન કરનાર ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લા 17 વર્ષથી દેશના અનેક ઐતિહાસિક સ્થળો પર સંગીત અને વારસાને જીવંત બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. સરખેજ રોજા, રાણી કી વાવ, મોઢેરા સૂર્ય મંદિર, ઈલોરા ગુફાઓ, ગોલકોન્ડા ફોર્ટ અને ધોળાવીરા જેવા સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં લોકોનો વિશાળ પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત ટુરીઝમનાં સહયોગથી આયોજિત આ સંગીત સમારોહમાં અત્યાર સુધી અસંખ્ય લોકોએ પોતાની નોંધણી કરાવી લીધી છે. પ્રવેશ મફત રહેશે, પરંતુ Book My Show પર પૂર્વ નોંધણી ફરજિયાત રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

જનજીવન ઠંડીથી પ્રભાવિત:સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છના જ 2 શહેરમાં લઘુતમ તાપમાન સિંગલ ડિઝિટમાં નોંધાયા

કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભારે ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. ખાસ કરીને ગત 3 જાન્યુઆરીથી નલિયામાં તાપમાન સતત સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. શુક્રવારે નલિયામાં આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે નલિયા સહિત આસપાસના વિસ્તારોમાં દિવસે પણ કાતિલ ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. કંડલા એરપોર્ટ ખાતે આ સીઝનનું સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજ શહેરમાં 11.2 ડિગ્રી અને કંડલા પોર્ટ ખાતે 11.9 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ભારે ઠંડીના કારણે વહેલી સવાર અને મોડી સાંજે જનજીવન પર અસર જોવા મળી હતી. લોકો ગરમ કપડાંમાં લપટાઈને બહાર નીકળતા નજરે પડ્યા હતા, જ્યારે સાંજે બજારોમાં પણ ઠંડીની અસરથી ઓછી ચહલપહલ જોવા મળી હતી. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો છે. હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ સુધી ઠંડીની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમ છતાં વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.ઉલ્લેખનીય છે જાન્યુઆરી માસમાં નલિયામાં શિયાળાનો એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલો છે. 21 જાન્યુઆરી 1962ના રોજ નલિયામાં 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આજદિન સુધી જાન્યુઆરી માસનો સોથી ઠંડો દિવસ રહ્યો હતો. નલિયામાં 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આજદિન સુધી જાન્યુઆરી માસનો સોથી ઠંડો દિવસ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

આહવામાં આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષનું સન્માન‎:આદિવાસી સમાજના ઉત્થાન માટે ભાજપ કટિબદ્ધ : ગણપત વસાવા

ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું ડાંગ જિલ્લા ભાજપ સંગઠન અને વિવિધ આદિવાસી સમાજો દ્વારા આહવામાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત આદિજાતિ મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આદિવાસી જિલ્લાઓના પ્રવાસના ભાગરૂપે તેઓ ડાંગની મુલાકાતે પહોંચ્યા હતા. આહવા-સાપુતારા માર્ગ પરથી રેલી સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને 'રંગઉપવન'માં જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. આ સન્માન સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, ડાંગ ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ડાંગ ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત,આદિજાતિ મોરચા મંત્રી સુભાષ ગાઈન તેમજ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આદિવાસી સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભાને સંબોધતા ઉપસ્થિત નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિસ્તારોના વિકાસ અને કલ્યાણલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે. સરકારની યોજનાઓ છેવાડાના આદિવાસી માનવી સુધી પહોંચી રહી છે. ગણપત વસાવાએ સન્માન બદલ ડાંગ જિલ્લા ભાજપ પરિવાર અને આદિવાસી સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો. સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

છેતરપિંડી:પૈસા પરત આપ્યા પછી ગીરવે મૂકેલી ગાડી પરત નહીં આપીને

રૂપિયાની જરૂર હોય સતલાસણા ખાતે રહેતા યુવકે સાબરકાંઠાના વડાલી ખાતે રહેતા પોતાના સાળા મારફતે 30 હજાર રૂપિયામાં પોતાની સ્કોર્પિયો ગાડી ગીરવે મૂકી હતી માત્ર થોડાક જ દિવસોમાં રૂપિયા પરત આપ્યા પછી પણ ગાડી રાખનાર શખ્સે પરત નહીં આપી ને ઠગાઇ આચરી હોવાની ફરિયાદ સતલાસણા પોલીસમાં નોંધાઇ છે. સતલાસણાના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા સોહીલ હુસેન ફકીર મહંમદ ભાઈ મેમણ બજારમાં શાકભાજીની લારી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે 25 જાન્યુઆરી 2023 ના રોજ તેમને 30 હજાર રૂપિયાની જરૂર હોય પોતાના સાળા મેમણ મહેબૂબ ભાઈ હુસેન ભાઈ રહે. વડાલી ને તેમણે વાત કરી હતી કે મને હાલ વ્યાજે પૈસા કરી આપો જેથી તેમના સાળાએ વ્યાજે હાલમાં કોઈ પૈસા આપતું નથી પરંતુ તમારી પાસે તમારી માલિકીની સ્કોર્પિયો ગાડી છે તે મૂકીને પૈસા અપાવો જેથી મહેબુબભાઇએ તેમના મિત્ર મેમણ ઇમરાન ભાઈ હિંમતનગર વાળા ને વાત કરી હતી જેથી આ બંને જણા તેમના ઘરે આવ્યા હતા અને ગાડી જોયા બાદ તેમને મઢાસણા વડનગર જવું પડશે તેઓ કહેતાં તેઓ પોતાના સાળા અને મેમણ ઇમરાન ભાઈ સાથે પોતાની જે જે 24 એ 4771 માં બેસીને મઢાસણા ગયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

અકસ્માત:ખેરાલુના સમોજામાં મહિલાની છેડતી મામલે હિંસક હુમલામાં ત્રણને ઇજાઓ

ખેરાલુ તાલુકાના સમોજા ગામે બુધવારે સાંજે મહિલાની છેડતી મામલે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ત્રણ જણાને ગંભીર ઇજા પહોંચી હતી. ખેરાલુ પોલીસે હુમલા અંગે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બુધવારે સાંજના સમયે તેઓ ઘરે એકલાં હતાં. તે સમયે વિનોદભાઈ પચાણભાઈ ચૌધરીએ ઘરે આવી હાથ પકડી છેડતી કરતાં તેમના પતિએ ઠપકો આપી ઘરેથી કાઢી મૂક્યો હતો. જેની અદાવત રાખી લાકડી લઈને પરત આવેલા વિનોદે પતિ અને પત્ની બંનેને માથાના ભાગે લાકડીના ફટકા મારી લોહીલુહાણ કરી દીધા હતા. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે વડનગર સિવિલ લઈ જવાયું હતું. આ મામલે પોલીસે વિનોદ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે સામા પક્ષે વિનોદભાઈ પચાણભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાગીયાની પત્ની મંજુલાબેન પાવડો આપવા માટે ગોકળભાઈ નરસંગભાઈ ચૌધરીના ખેતરે ગઈ હતી. જ્યાં ગોકળભાઈએ મંજુલાબેન સાથે ગાળાગાળી કરતાં તેઓ સમજાવવા ગયા હતા. આથી ઉશ્કેરાઈ ગયેલા ગોકળભાઈએ પાવડો તેમના માથામાં મારતાં ફેક્ચર થયું હતું. તેમને વડનગરથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કોર્ટે સગીરાને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો:14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર કડીના આરોપીને 20 વર્ષ કેદની સજા

14 વર્ષની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી તેના ઘરની પાછળની આવેલ ખુલ્લી જગ્યામાં દુષ્કર્મ આચરનાર કડીના આરોપીને મહેસાણા ની પોકસો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી સાથે ભોગ બનનાર સગીરાને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કડી તાલુકાના એક ગામડામાં પોતાના પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરાને કડી શહેરમાં રહેતો 20 વર્ષનો મોઈન ખાન ઉર્ફે નૌશાદ નસીબ ખાન સિપાઈ (પઠાણ) રહે જોગણી માતાના ટેબા ઉપર આદુન્દ્રા રોડ કડી નામનો યુવક લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરીને તેના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં અને હવેલીમાં અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું સાથે 22 નવેમ્બર 2024 ના રાત્રે 11 વાગ્યે સગીરાના ઘરે જઈ તેની છેડતી કરીએ જાતીય અત્યાચારનો પણ ગુનો કર્યો હતો જે અંગેની ફરિયાદ કડી પોલીસમાં નોંધાઈ હતી પોલીસે ચાર્જસીટ કર્યા બાદ આ કેસ શુક્રવારના રોજ મહેસાણાની પોકશો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રેખાબેન જોશી ની દલીલોની આધારે પોકસો જજ એસ એસ કાળે ધ્વારા આરોપી મોઈનખાન સિપાઈ ને પોકસો ની કલમ અંતર્ગત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને 50હજાર વળતર સગીરાને આપવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

4 શખ્સો સામે ફરિયાદ:મહેસાણામાં શિલ્પા ગેરેજ નજીક દુકાનનો કબજો લેવા ચાર શખ્સોએ છરીથી વેપારી પર હુમલો કર્યો

મહેસાણા હાઇવે પર આવેલા શિલ્પા કમ્પાઉન્ડ માં આવેલ દુકાનનો કબજો લેવા માટે વહેલી પરોઢે કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીને ધોકા થી અને ગડદા પાટુ નો માર માર્યો હતો સાથે ગેરેજ ને તોડી નાખતા ચારેય સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મહેસાણાની રામોસણા ચોકડી નજીક આવેલી મોતી સાગર સોસાયટીમાં રહેતા મોહમ્મદ તૌસિફ બાબલમિયાં સિંધી શિલ્પા ગેરેજ ના કમ્પાઉન્ડ નજીક ન્યુ ચેમ્પિયન બોડી વર્કસ ની ગેરેજ ચલાવે છે 8 જાન્યુઆરીના રાત્રે 11:30 વાગે તેઓ પોતાના મોટાભાઈ મોહમ્મદ હનીફ બંને જણા તેમજ બાજુ ના નાઈ અશોકભાઈ કાંતિલાલ અને તેનો મિત્ર સહિત બધા ગેરેજે બેસીને વાતચીત કરતા હતા ત્યારે 9 જાન્યુઆરીએ વહેલી પરોઢે ત્રણ થી સાડા ત્રણ વાગ્યાના સુમારે સુનિલ કેશુભાઈ ચૌધરી રહે આશીર્વાદ સોસાયટી રાધનપુર રોડ મહેસાણા અને તેની સાથે બીજા ત્રણ શખ્સો ચારેય જણા સ્કોર્પિયો ગાડી લઈને તેમની પાસે આવ્યા હતા જેમાં સુનીલ ચૌધરીએ તેમને જેસીબી થી તમારી દુકાન અને ગેરેજ તોડી નાખેલ છે તેમ છતાં તમે તમારો સામાન કેમ લઈ જતા નથી જેથી તેમણે અમે છેલ્લા ઘણા સમયથી ભોગવટો કરીએ છીએ અને દુકાન ખાલી કરવાના નથી તેમ કહેતા ચારે જણાએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો તે સમયે સુનીલ ચૌધરીએ તેમને જમણા હાથે છરી મારી હતી તે સમયે ન્યાયી અશોકભાઈ કાંતિલાલ છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ ચારે જણાએ લાકડાના ધોકા થી માર માર્યો હતો બુમા બુમ થતા ચારેય જણા ધમકી આપીને ગાડીમાં બેસી જતા રહ્યા હતા થોડીવાર પછી તેમણે પોલીસની જાણ કરતા બંને જણા ગાડીમાં બેસીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા જ્યાં તેમણે પોતાની પર હુમલો કરનાર સુનિલ ચૌધરી સહિત ચારેય સામે બી ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર યુટિલીટી:મહેસાણામાં રવિવારે 50 હજાર ઘરોમાં સવારે 8 થી સાંજે 5 લાઇટો બંધ રહેશે

મહેસાણા શહેરમાં ઉત્તરાયણ પહેલાં રવિવારે સવારે 8 થી સાંજે 5 સુધી વીજ સમારકામ માટે 9 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. જેનાથી શહેરના 80 ટકા વિસ્તારમાં 50 હજારથી વધુ ગ્રાહકોના ઘરમાં વીજ સપ્લાય બંધ રહેશે. એટલે રવિવારે સવારે 8 વાગ્યા પહેલાં ઘર, ઓફિસમાં ઇલેકટ્રીક મોટરથી પાણી ઓવરહેડ ટાંકીમાં સ્ટોર કરી લેવું, મોબાઇલ ચાર્જ જેવા ઇલેક્ટ્રીક ઉપકરણોથી જરૂરી કામકાજ કરી લેવા. સમારકામ પૂર્ણ થયે કોઈપણ જાણ કર્યા વગર વીજ પુરવઠો શરૂ કરાશે તેમ યુજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારે 66 કેવી મહેસાણા સબ સ્ટેશનમાં સમારકામ કરવાનું હોવાથી મહેસાણા સિટી-1માં આવતા 10 ફીડર ગોપીનાળા, સિટી, રોહિતનગર, માર્કેટયાર્ડ, માનવ આશ્રમ, ગૌરવ, એગ્રો, સોમનાથ, અયોધ્યાનગર અને અમરપુરા ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા તમામ 34,500 ગ્રાહકો અને સિટી-2 વિસ્તારમાં 5 ફીડર વિસ્તાર દૂધસાગર ડેરી, રાજકમલ, સર્કિટ હાઉસ, નાગલપુર (મોઢેરા ચોકડી) અને જીડીસીએલ (બાહુબલી)માંથી વીજ પુરવઠો મેળવતા તમામ 16 હજાર ગ્રાહકોને વીજ પુરવઠો નહીં મળે. મહેસાણા-1માં શોભાસણ સિવાય તમામ વિસ્તારમાં નવ કલાક શટડાઉન રહેશે. આ વિસ્તારોમાં વીજકાપ મહેસાણા-1માં શોભાસણ સિવાય તમામ વિસ્તાર ઘોબીધાટ, ઉચરપી રોડ, દેલા વસાહત, તાવડીયા, માનવ આશ્રમ, બજાર સહિતના વિસ્તારમાં, જ્યારે હાઇવેમાં રામોસણા રોડ, રાધનપુર રોડ કમળપથ સુધી, જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ અને સર્કિટ હાઉસ સામેનો રોડ, મોઢેરા ચાર રસ્તા સુધીનો વિસ્તાર.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:મનપાની પ્રેસ રિલીઝમાં પમ્પિંગ સ્ટેશન યથાવતના ઇશારા બાદ ધારાસભ્યએ કહ્યું : સ્થળ બદલાઇ શકે

મહેસાણામાં ગાંધીનગર લીંક રોડ પર સધી માતા મંદિર નજીક પીવાના પાણીના સમ્પ પાસે બની રહેલા ગટર પમ્પિંગ સ્ટેશનનો સ્થાનિક રહીશોમાં વિરોધ વંટોળ શરૂ થતાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ મામલો હાથમાં લઇ લીધો છે અને એવી શક્યતા છે કે ગટર પમ્પિંગ સ્ટેશનનું સ્થળ બદલાઈ શકે છે. બીજી તરફ, આ બાબતે મહાનગર પાલિકા તંત્ર દ્વારા ટેકનિકલ તજજ્ઞો સાથે સમીક્ષા કરાઇ હતી, જેમાં શરૂઆતમાં એવો દાવો કરાયો હતો કે પીવાના પાણી અને ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની કોઈ શક્યતા નથી. તંત્રના આ નિવેદનથી એવા સંકેતો મળ્યા હતા કે પમ્પિંગ સ્ટેશન તે જ નક્કી કરેલા સ્થળે બનશે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં ટૂંકા સમયમાં મોટો વળાંક આવ્યો હતો. મનપાના સાંજે 6.30 વાગ્યે પ્રેસ બ્રીફિંગના માત્ર અડધા કલાકમાં જ સ્થિતિ બદલાઈ હતી અને તંત્ર દ્વારા પમ્પિંગ સ્ટેશનનું સ્થળ બદલવા માટેની તજવીજ તેજ કરાઇ છે. પ્રેસ રિલીઝમાં બતાવાયું, પાણી મિક્ષ થવાની કોઇ સંભાવના જ નથી‎પમ્પિંગ સ્ટેશનની ઊંડાઇ ગ્રાઉન્ડ લેવલથી 36 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ એટલે કે 41 ફૂટનું બનવાનું છે. જ્યારે પીવાના પાણીના સમ્પની ઊંડાઈ જમીન લેવલથી 10 ફૂટ જેટલી છે. દીવાલની જાડાઇ પાયાથી 31 ફૂટ ઉપર સુધી 600 મીમી અને 10 ફૂટથી ઉપરના ભાગમાં 230 મીમીની જાડાઇ રાખવામાં આવે છે. પાણી સમ્પની ઊંડાઇ 10 ફૂટ સુધી જ છે. જ્યારે પમ્પિંગ સ્ટેશનનું પાણી 23 થી 31 ફૂટ સુધીના ભાગમાં હોઇ ગ્રાઉન્ડ લેવલ 0 થી 23 ફૂટ સુધીના ભાગમાં ગટરના પાણીની સંભાવના નથી. ઉપરાંત, પીવાનું પાણી સમ્પમાં સ્ટોર થાય. પમ્પિંગ સ્ટેશનનું પાણી સ્ટોરેજ કરવાનું નથી એટલે સીપેજ થવાની કોઇ સંભાવના રહેતી નથી. બંને વચ્ચે કમ્પાઉન્ડ વોલ બનાવીને બંને સ્ટ્રક્ચરને અલગ અલગ કરવામાં આવશે. મનપા : ઇન્દોરની ઘટના પછી‎લોકોમાં ગેરસમજ ઉભી થઇ‎ ‎મનપાના સત્તાવાર સૂત્રોએ સાંજે 6.30 વાગ્યાના‎અરસામાં કહ્યું કે, સધી માતા મંદિર નજીક‎પમ્પિંગ સ્ટેશનની કામગીરીમાં હમણાં સુધી કોઈ‎જ પ્રકારનો સ્થાનિક રહીશોએ વાંધો લીધો‎નહતો. પરંતુ, તાજેતરમાં ઇન્દોરની ઘટના બની‎પછી લોકોમાં એવી ગેરસમજ ઉભી થઇ કે‎ભવિષ્યમાં આ પમ્પિંગ સ્ટેશન અને તેનાથી‎અંદાજે 200 ફૂટ દૂર આવેલ શુદ્ધ પાણીના સમ્પનું‎પાણી મિક્સ થવાની શક્યતા છે, પરંતુ ટેકનિકલી‎બાબતો ચકાસતા આ શક્યતા જણાતી નથી.‎ ધારાસભ્ય: પમ્પિંગ સ્ટેશન માટે ખારી નદી આસપાસ સ્થળ ચકાસીએ છીએ વ્યવસાયે એન્જિનિયર એવા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલને શુક્રવારે મોડી સાંજે સધી માતા પમ્પિંગ સ્ટેશન ઇસ્યુ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, સ્થળ બદલવાની શક્યતા છે અને હાલ ચકાસી રહ્યા છીએ. ડ્રોઈંગનો અભ્યાસ કરીને સ્થળ બદલવાનો પ્રયાસ કરીએ છીએ. થોડી ટેકનિકલ મેથડ જોવી પડે. ખારી નદી આસપાસ સ્થળ ચકાસી રહ્યા છીએ. ભવિષ્યમાં કોઈને નડતરરૂપ ન થાય તે દિશામાં સ્થળ ચકાસણી કરીશું. પાણી લેવલ મળે છે કે નહીં, ફ્લો કેવી રીતે તે જોવું પડે તેને ધ્યાને લઇ હાલ તો પમ્પિંગ સ્ટેશનનું સ્થળ બદલવાની શક્યતાઓ ચકાસી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ગાંધીનગરવાળી ન થાય તે માટે આરોગ્ય તંત્રએ સર્વે કરી નવ લીકેજ રિપેર કરાવ્યા

ગાંધીનગરમાં દૂષિત પાણીના લીધે ટાઈફોડના કેસો વધ્યા છે ત્યારે તે પરિસ્થિતિ મહેસાણામાં ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા મહેસાણા તાલુકાના ગામડા અને શહેરી વિસ્તારમાં વિવિધ જગ્યાએથી પાણીના સેમ્પલ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત ગામડાઓમાં બામોસણા, લીંચ અને નુગર ત્રણેય વિસ્તારોમાં મળી આવેલા 7 લીકેજ તેમજ શહેરી વિસ્તારના રાધનપુર રોડના 2 મળી કુલ 9 લીકેજને રિપેર કરવામાં આવ્યા હતા. મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સુહાગ શ્રીમાળી અને તેમની ટીમે દૂષિત પાણીના લીધે કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે છેલ્લા બે દિવસથી તાલુકાના આખજ, ખેરવા સહિતના 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતી કુલ 25 લાખની વસ્તી પૈકી 12.54 લાખ વસ્તીની સર્વેલન્સની કામગીરી કરી હતી. આ જ રીતે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં અર્બન હેલ્થ સેન્ટર પૈકી 2.78 લાખની કુલ વસ્તી પૈકી 37,870ની સર્વેલન્સની અને ક્લોરિન ટેસ્ટની બે દિવસ દરમિયાન કામગીરી કરવામાં આવી છે. સાથે પીવાના પાણીની પાઇપલાઇન સાથે ગટરની પાઇપલાઇન કે અન્ય કોઈનું દૂષિત પાણી મિક્સ ન થઈ જાય તે માટે 11 આરોગ્ય કેન્દ્રના ગામડાઓમાં અને શહેરી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારોમાં લીકેજ શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 9 જેટલા લીકેજ મળી આવતાં રિપેર કરાયા હતા. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સેમ્પલો લેવાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કાયદેસરની કાર્યવાહી:બાઇક ઉપર આવેલા બે શખ્સો પોલીસને જોઈને બાઇક અને બંદૂક નાખી ભાગી ગયા

વડપગ ગામની સીમમાં વન્ય પ્રાણીઓના શિકારની નિયતે આવેલા બે શખ્સો પોલીસને જોઈને શખ્સો બાઇક તથા દેશી હાથ બનાવટની નાળી બંદૂક, ધાતુના 8 છરા, ધાતુની 18 ટીકડીઓ સહિતનો સામાન છોડીને બાવળોની જાડીમાં નાસી ગયા હતા. ઘટના સ્થળેથી પોલીસે હથિયાર અને ગોળીબાર સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાવ-થરાદની એસ.ઓ.જી. ગુરુવારે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે વડપગ-બેડા રોડ ઉપર નાકાબંધી ગોઠવી હતી. ત્યારે બેડા ગામ બાજુથી આવતી બાઇક નંબર જીજે-02-ઈએમ-0305 ને પોલીસે રોકવાનો ઇશારો કરતાં જ બંને શખ્સોએ અંધારાના લાભ લઈ બાઇક અને હાથમાં રહેલ બંદૂક સહિતની સામગ્રી મૂકીને નાસી ગયા હતા. પોલીસે બાઇક સહિત ગેરકાયદેસર દેશી હાથ બનાવટની એક નાળી બંદૂક, ધાતુના 8 છરા અને ધાતુની 18 ટીકડીઓ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દિયોદર રેન્જમાં નીલગાયના શિકારના ગુનામાં સંડોવાયેલા જુમા રમજાન સિંધી (રહે.રાણીસર, તા.સાંતલપુર, પાટણ) તથા વલીભાઈ સુમરાભાઈ સિંધી (મૂળ રહે.મહેસાણા, હાલ રહે.રાણીસર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

આપઘાત:થરાદ પંથકમાં સાસુ-સસરા, પતિના ત્રાસથી યુવતીએ ઝેરી દવા પી લીધી

થરાદ પંથકમાં પતિ તથા સસરા દારૂ પીવાની લતને કારણે થતા સતત ત્રાસ અને બોલાચાલીથી કંટાળીને એક યુવતીએ દાડમમાં નાખવાની ઝેરી દવા પી લેતા પરિવારજનોએ તાત્કાલિક યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. થરાદ પંથકની 25 વર્ષીય એક યુવતીના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ રહ્યું હતું, પરંતુ બાદમાં પતિ તથા સસરા બોલાચાલી અને ઝઘડા થતા હતા. સાસુ દ્વારા પતિને ચડામણી કરી ઝઘડા કરાવવામાં આવતા હતા. ઘરકામ યોગ્ય રીતે ન કરતી હોવાનું કહી સાસુ-સસરા વારંવાર મેણાટાણા મારવામાં આવતા હતા, તેમજ પતિ તરફથી માર મારવાની ધમકી આપવામાં આવતી હતી.લાંબા સમયથી ચાલતા આ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મંગળવારના રોજ ફરી એકવાર ઝઘડો થતાં યુવતીએ ઘરમાં રાખેલી દાડમમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ફસાયેલી સમડીને બચાવવામાં આવી:પાલનપુરમાં લીમડાના ઝાડ પર પતંગની દોરીથી ફસાયેલી સમડીને બચાવી લીધી

પાલનપુરમાં લીમડાના ઝાડ પર પતંગની દોરીથી ફસાયેલી સમડીને બચાવવામાં આવી હતી. જ્યાં જીવદયાપ્રેમીએ ઉત્તરાયણ અગાઉ જ 15 દિવસમાં 20 પક્ષીઓના જીવ બચાવ્યા છે. પાલનપુરમાં જમાદારવાસ વિસ્તારમાં આવેલા લીમડાના ઝાડ ઉપર પતંગની દોરીથી સમડી ફસાઇ ગઇ હતી. આ અંગે મુનવ્વર કુરેશીએ ફોન કરતાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી ત્યાં પહોચ્યા હતા. જેમણે ફાયર બ્રિગેડની ટીમની મદદથી બાજુના ધાબા ઉપર થઇ ઝાડ ઉપર દોરીથી ફસાયેલી સમડીને નીચે ઉતારી જીવ બચાવ્યો હતો. ઠાકોરદા ખત્રીએ છેલ્લા પંદર દિવસમાં શાકમાર્કેટ વિસ્તારમાં ગલુડીયુ, લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં ગાય, એક પોપટ, કુતરૂ, કાબર, 14 કબુતર સહિત 20 પક્ષીઓના જીવ બચાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

શહેરીજનોએ બે દિવસ સુધી પાણીનો કરકસરયુકત ઉપયોગ કર્યો:પાલનપુરમાં મોડી રાત્રે ધરોઇનું પાણી આવી ગયું, 50 બોરના પાણી સાથે વિતરણ કરાયું

ધરોઇ ખાતે પાલનપુરને સાંકળતી પાઇપલાઇનના સિફટીંગની કામગીરીને લઇ ત્રણ દિવસ પાણીનો કાપ અપાયો હતો. જ્યાં ત્રીજા દિવસે પાણીની અછત સર્જાવાની શક્યતાઓ હતી. જોકે, ગુરૂવારે મોડી રાત્રે જ ધરોઇથી પાણી આવી ગયું હોઇ તેમજ 50 બોરનું પાણી અપાતા શુક્રવારે પાણીની અછત સર્જાઇ ન હતી. ધરોઇ ખાતે પાલનપુરને સાંકળતી પાઇપલાઇનના સિફટીંગની કામગીરીને લઇ ત્રણ દિવસ પાણીનો કાપ અપાયો હતો. આ અંગે નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન આશિષભાઇ પઢિયારે જણાવ્યું હતુ કે, ત્રીજા દિવસે પાણીની અછત ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે, ગુરૂવારે મોડી રાત્રે ધરોઇ જુથ યોજનાનું પાણી શહેરમાં આવી ગયું હતુ. બીજી તરફ 50 બોરનું પાણી પણ વિતરણ કરાતાં શુક્રવારે પાણીની અછત સર્જાઇ ન હતી. સમગ્ર પરિસ્થિતિ દરમિયાન એક પણ ટેન્કર દ્વારા પાણી આપવાની જરૂર પડી નથી. બે દિવસ સુધી નાગરિકોએ કરકસરયુક્ત રીતે પાણીનો ઉપયોગ કર્યો હતો. બિનજરૂરી રીતે પાણી વેડફવાનું ટાળી ઘરેલુ જરૂરિયાત મુજબ જ પાણી વપરાયું હતું.જેના કારણે સંકટ વધુ ઘેરું બનતા અટકી ગયું હતુ.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કુલ સભ્યોની સંખ્યા તથા આરક્ષણ જાહેર કરવામાં આવ્યું:વાવ-થરાદ જિલ્લા પંચાયતનની 30 બેઠકો જાહેર 17 સામાન્ય, 8 ઓબીસી, 4 એસસી, 1 એસટી અનામત

ગુજરાત સરકારના તા. 06-01-2026ના ગેઝેટ દ્વારા વાવ–થરાદ જિલ્લા પંચાયત અને તેની હેઠળની તમામ તાલુકા પંચાયતો માટે કુલ સભ્યોની સંખ્યા તથા આરક્ષણ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતમાં કુલ 30 સભ્યો છે, જેમાં SC, ST, SEBC અને જનરલ વર્ગ માટે બેઠકો નક્કી કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ માટે પણ દરેક વર્ગમાં આરક્ષણ આપવામાં આવ્યું છે. તાલુકા પંચાયતોમાં કુલ 150 સભ્યો દર્શાવવામાં આવ્યા છે. આ નોટિફિકેશન પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જાહેર કરવામાં આવી છે અને આગામી પંચાયત ચૂંટણી માટે માર્ગદર્શક રહેશે. આ ગેઝેટ દ્વારા વાવ–થરાદ જિલ્લા પંચાયત તથા તેના હેઠળની તમામ તાલુકા પંચાયતો માટે કુલ સભ્યોની સંખ્યા અને આરક્ષણની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની કલમ 10 હેઠળ બહાર પાડવામાં આવી છે. જેમાં વાવ–થરાદ જિલ્લા પંચાયતના કુલ સભ્યો 30, આરક્ષણ પ્રમાણે બેઠકોની સ્થિતિ જોઈએ તો એસ.સી. 4, એસ.ટી.1, એસઈબીસી 8, જનરલ 17, જ્યારે મહિલાઓ માટે આરક્ષિત બેઠકોમાં SC મહિલા 2, એસ.ઇ.બી.સી મહિલા 4 જનરલ મહિલા 9નો સમાવેશ થાય છે. વાવ–થરાદ જિલ્લાની જુદી જુદી 8 તાલુકા પંચાયતો જાહેર કરાય છે જેમાં ભાભર, ધરણીધર, દિયોદર, લાખણી, રાહ, સુઈગામ થરાદ અને વાવ તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

તાળું તોડી ચાંદીના સિક્કા, દાગીના લઈ ગયા:કીર્તિ સ્તંભ પાસે બંધ ઘરમાંથી રૂ.35 હજાર મત્તાની તસ્કરી

પાલનપુર શહેરમાં કીર્તિ સ્તંભ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મધ્યરાત્રિએ હાથફેરો કર્યો છે. બુધવારે રાત્રિના સમયે તસ્કરોએ આ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીના સિક્કા, દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 35,000ની ચોરી કરી હતી. પાલનપુરના ગોબરી રોડ પર આવેલી તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા અને સીમલા ગેટ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા રાજેન્દ્રભાઈ અંબાલાલ શાહનું એક જૂનું મકાન કીર્તિ સ્તંભ પાસે આવેલું છે. આ મકાન છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં હતું, જેમાં જૂના વાસણો અને અન્ય ઘરવખરીનો સામાન રાખવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે જ્યારે રાજેન્દ્રભાઈના નાના ભાઈ કમલેશભાઈ આ મકાન પાસેથી પસાર થયા ત્યારે તેમણે મકાનનું તાળું તૂટેલું જોયું હતું અને તુરંત રાજેન્દ્રભાઈને જાણ કરી હતી. રાજેન્દ્રભાઈના માતાના જણાવ્યા અનુસાર, તસ્કરો આશરે 15 જેટલા જૂના ચાંદીના સિક્કા, રૂ. 15,000 રોકડ રકમ, ચાંદીની એક પાયલ અને પગમાં પહેરવાનું કડું ચોરી ગયા છે. પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

રજૂઆથ:અમીરગઢના કાકવાડાના બાળકો બનાસ નદીના પાણીમાં ચાલીને જવા મજબૂર બનતાં કલેક્ટરને રજૂઆત કરવા રૂબરૂ દોડી આવ્યા

અમીરગઢના કાકવાડાના બાળકો બનાસ નદીના ઠંડા પાણીમાં ચાલીને મજબૂર બનતાં કલેક્ટરને રજૂઆત કરવા રૂબરૂ દોડી આવ્યા હતા.ગામના બાળકો અને ગ્રામજનો છેલ્લા ત્રણ વર્ષથી બનાસ નદી પર પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રોજ જીવના જોખમે નદી પાર કરવી પડે છે. ચોમાસાના દિવસોમાં સ્થિતિ વધુ ભયાનક બની જાય છે. એકથી દોઢ મહિના સુધી નદીમાં પૂર રહેતા વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી, જેના કારણે શિક્ષણમાં ભારે ખલેલ પડે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સમગ્ર ગામ માટે નદી પાર કરવી એક મોટી સમસ્યા છે. બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવી હોય, પશુપાલન સંબંધિત કામ હોય કે રોજિંદા રોજગાર માટે બહાર જવું હોય, દરેક વખતે લોકો અકસ્માતની ભીતિ વચ્ચે નદી પાર કરવા મજબૂર બને છે. આ ગંભીર સ્થિતિથી કંટાળીને કાકવાડા ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ શુક્રવારે પાલનપુર પહોંચ્યા હતા. હાથોમાં બેનર લઈને “બ્રિજ નહીં તો વોટ નહીં”ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઉપરાંત ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્યું નથી. 3 વર્ષ પૂર્વે બ્રિજ બનાવવા ખાત મુહૂર્ત કર્યું હતું 3 વર્ષ અગાઉ બનાસ નદી પર બ્રિજ બનાવવા ખાત મુહૂર્ત થયું હતું, પરંતુ સોઈલ ટેસ્ટ દરમિયાન સ્ટ્રોંગ ફાઉન્ડેશન માટે ખર્ચ વધારવો પડે તેવી સ્થિતિ ઊભી થતા 19 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજનું બજેટ 30 કરોડ સુધી પહોંચી ગયું હતું જેની દરખાસ્ત હાલ સરકારમાં પેન્ડિંગ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધ્યો:ખાનગી ટ્રાવેલ્સ બસે બાઈકને હડફેટે લેતા 2 યુવાનને ઇજા

આદિત્યાણા કોલીખડા ઓવરબ્રિજ નીચે રોડ પર એક ટ્રાવેલ્સ બસના ચાલકે બેદરકારી પૂર્વક બસ ચલાવી પાછળથી બાઈકને હડફેટે લેતા બાઈક પર બેસેલ 2 યુવાનને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા સુલેમાન હાસમભાઈ મુંદરા નામના આધેડના ભત્રીજા અબ્દુલ ઇશા મુંદરા તથા આફ્રિદ ઇશા મુંદરા બન્ને પોતાની GJ-01-VJ-0783 નંબરની બાઇક ચલાવી આદિત્યાણાથી પોરબંદર જતા હતા ત્યારે કોલીખડા ઓવરબ્રીજ નીચે પહોંચ્યા તે દરમ્યાન પાછળથી ટ્રાવેલ્સ બસ GJ-10-TV-9242ના ચાલકે તેમની ટ્રાવેલ્સ મારંમાર અને ગફરલભરી રીતે ચલાવી બાઈકને પાછળથી હડફેટે લઇ બાઇક પર સવાર અબ્દુલ તથા આફરીદ બન્ને બાઇક પરથી નીચે પડી જતા અબ્દુલને જમણા હાથમાં કાંડા પાસે ફેકચર તથા કમરના ભાગે મુંઢ ઇજા તથા આફ્રીદને ડાબા હાથમાં કાંડા પાસે ફેકચર તથા માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ અંગે સુલેમાનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક ગજણ સિરાજ હુસેન સામે ગુન્હો નોંધી આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કાર્યવાહી:મેમણવાડમાં યુવતીની છેડતી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ કર્યું

પોરબંદરના મેમણવાળ વિસ્તારમાં એક શખ્સ ઘણા સમયથી સ્કૂટર ચલાવીને આવતો હતો અને પસાર થતી સગીરા અને અન્ય યુવતીઓની બિભત્સ છેડતી કરતો હતો. આ અંગે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીને ઝડપી લીધો હતો અને 2 સગીરા સાથે છેડતી કેસમાં પોકસો અને અન્ય 2 યુવતીની છેડતી કેસમાં કલમો હેઠળ આરોપીની અટકાયત કરી આરોપીનું 4 સ્થળે રિ કન્સ્ટ્રક્શન કરી પંચનામુ કર્યું હતું. મેમણવાળ વિસ્તારમાં કેટલાક સમયથી એક સ્કૂટર ચાલક પસાર થતો હતો અને આ વિસ્તારમાં વિવિધ શેરી માંથી પસાર થતી સગીરા અને યુવતીઓની બિભત્સ રીતે છેડતી કરતો હતો.આ અંગે કીર્તિમંદિર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ જે.જે. ચૌધરી, ડી સ્ટાફના હાથીભાઈ મોઢવાડીયા સહિતની ટીમ દ્વારા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.ઉલ્લેખનીય છેકે, આ આરોપીનું સ્કૂટર અને આરોપી અંગેનું વર્ણન કરવામાં આવ્યું હતું. છેડતી કરનાર આરોપીનું નામ સરનામું ન હોય જેથી પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને સ્કૂટર તથા આરોપીના વર્ણન પરથી પોલીસે આરોપીને શોધી કાઢ્યો હતો. 2 સગીરા અને 2 યુવતીની છેડતી કરનાર ખાપટ વિસ્તારનો હિતેશ નાથાલાલ કોટિયા નામના શખ્સને પોલીસે ઝડપી લઇ અટક કરી હતી અને આરોપીને સાથે રાખી પોલીસે બનાવના ચારેય સ્થળે રિ કન્સ્ટ્રક્શન પંચનામુ કર્યું હતું. આરોપી સામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળની કલમ લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર ઈમ્પેક્ટ:હેડ પોસ્ટ ઓફિસ ખાતે આખરે કેબિન‎વિના જ એટીએમ મશીન શરૂ કરાયું‎

પોરબંદરના રામટેકરી નજીક શિફ્ટ થયેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે 2 માસથી નવું એટીએમ મશીન આવ્યું છે, પરંતુ કેબિન બનાવવી અને ખાસ તો જમીનમાં ફિકસ કરવાની પ્રક્રિયાને કારણે મશીનમાં રૂપિયા નાખી શકાતા ન હોય જેથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે તેવો અહેવાલ ભાસ્કરે પ્રસિધ્ધ કરતા આખરે પોસ્ટ ઓફિસ ખાતે એટીએમ મશીન ચાલુ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ ખાતેથી જૂના એટીએમ મંગાવી નવા એટીએમ આપ્યા છે ત્યારે પોરબંદરના રામ ટેકરી નજીક શિફ્ટ થયેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે બે માસ પહેલા નવું એટીએમ મશીન ફાળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હેડ પોસ્ટ ઓફિસ ખાતે અનેક ગ્રાહકો આવે છે, ખાસ કરીને વિધવા સહાય યોજના અંતર્ગત બહેનો પણ રૂપિયા ઉપાડવા આવે છે, બે માસથી એટીએમ મશીન બંધ હોવાને કારણે રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભું રહેવું પડે છે અને સમયનો વ્યય થાય છે. સિનિયર સિટીઝનને પણ રૂપિયા ઉપાડવા લાઇનમા ઊભા રેહવામાં મુશ્કેલી પડે છે. મહત્વની વાત એછેકે, હેડ પોસ્ટ ઓફિસે મશીનમાં કેબિન મૂકવી અને જમીન સાથે મશીનને ફિક્સ કરવું ફરજિયાત છે. હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર મિલેશ વારાએ જણાવ્યું હતુકે, એટીએમ મશીન ચાલુ કર્યું છે. પિન જનરેટ, બેલેન્સ ચેક કરવી અને સ્ટેટમેન્ટ કાઢી શકાય પરંતુ ઉપરથી આદેશ છેકે, એટીએમ મશીન માટેની કેબિન, મશીનને જમીન સાથે ફિક્સ કરવું અનિવાર્ય છે. જમીનમાં ફિક્સ થાય પછીજ રૂપિયા મશીનમાં નાખી શકાય તેમ હોય જેથી હાલ તો રૂપિયા ઉપાડવા માટે એટીએમ મશીન બંધ હાલતમાં છે. આ અંગેની અહેવાલ સમયાંતરે દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિધ્ધ કરવામાં આવતા આખરે આ એટીએમ મશીન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જોકે ગ્રાહકોની સગવડતાને ધ્યાને લઈને કેબિન વિના જ એટીએમ મશીન ચાલુ કરી રૂપિયા ઉપાડવાનું સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

લોકલ તેમજ વિદ્યાર્થીઓના રૂટ બંધ રહેતા હજારો મુસાફરોને હાલાકી‎:વડાપ્રધાનના કાર્યક્રમમાં 35 એસટી બસ મોકલાતા 35 રૂટ બંધ રહ્યા

પોરબંદરના એસ.ટી. ડેપો દ્વારા સોમનાથ ખાતે વડાપ્રધાનના કાર્યકમમાં 35 જેટલી એસ.ટી. બસ ફાળવવામાં આવી છે જેથી પોરબંદર ડેપોના લોકલ તેમજ વિદ્યાર્થીઓના 35 જેટલા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.ડેપો દ્વારા બસના અભાવે રૂટ બંધ કરવામાં આવતા હજારો મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. સોમનાથ ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની એકત્રિત થવાની છે ત્યારે આ કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા 2 હજાર જેટલી એસ.ટી.બસ ફાળવવામાં આવી છે. જેમાં પોરબંદર એસ.ટી.ડેપોની પણ 35 બસો સોમનાથ ખાતે કાર્યકમમાં ફાળવવામાં આવી છે. પોરબંદરના ડેપો દ્વારા 35 જેટલી બસો ફાળવવામાં આવતા પોરબંદરના ડેપોથી સંચાલન થતા લોકલ તેમજ વિદ્યાર્થીઓ ટ્રીપના 35 રૂટ શનિ અને રવિવારે બંધ કરવામાં આવ્યા છે જેથી આ રૂટમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને હાલાકી વેઠવી પડશે.જોકે છેલ્લા 2 દિવસથી ડેપો દ્વારા અમુક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ રૂટ

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ગાંધી પુસ્તકાલયને તાળા:પોરબંદરમાં નિર્માણની સાથે‎વિવાદમાં ફસાયેલું ગાંધી સ્મૃતિ ભવન બિસ્માર બન્યા

પોરબંદરની ચોપાટી ખાતે વર્ષો પૂર્વે ગાંધી સ્મૃતિ‎ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ‎બિલ્ડિંગના નિર્માણની સાથે જ વિવાદ શરૂ થયો‎હતો જેથી આ ગાંધી સ્મૃતિ ભવન ક્યારેય એકધારૂ‎ન ચાલતા બિસ્માર બન્યું છે.હાલ ભવન અંદર‎આવેલ પુસ્તકાલય અને ગાંધી સંગ્રહલયમાં તાળા‎જોવા મળી રહ્યા છે. પોરબંદરની ચોપાટી ખાતે‎વર્ષ 2007માં તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના‎હસ્તે ગાંધી સ્મૃતિ ભવનના બાંધકામ માટે‎ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ બિલ્ડીંગના‎નિર્માણથી જ વિવાદિત બન્યું હતું ત્યારે હાલ આ‎ગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડીંગ બિસ્માર હાલતમાં‎જોવા મળી રહ્યું છે.બિલ્ડીંગમાં ઉપલબ્ધ બેઠક‎વ્યવસ્થા તૂટી ગઈ છે. તો અહીં ઉપલબ્ધ કરવામાં‎આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને‎પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ‎બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતા‎આ બિલ્ડિંગ ક્યારેય એકધારું ખુલ્લું રહ્યું જ નથી‎જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું‎છે.ગાંધીના ગામમાં જ તેમના નામે બનાવેલ‎બિલ્ડીંગ બિસ્માર હાલતમાં જોવા મળતા‎ગાંધીપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.‎ સ્કેટિંગ રીંગ તોડી‎બિલ્ડિંગ બનાવ્યું હતું‎પોરબંદરની ચોપાટી પર હાલ જ્યાં ગાંધી‎સ્મૃતિ ભવન ઉપલબ્ધ છે ત્યારે આ ભવન‎બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગ‎રીંગ તોડી પાડવામાં આવી હતી અને‎બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં‎આવ્યું હતું.જેથી વિવાદ ઉભો થયો હતો.‎ ગાંધીજીના જીવનચરિત્ર પરનો‎લેશર શો પણ પાણીમાં ગયો‎પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબદર‎નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવનચરિત્ર‎પરનો લેશર શો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો જે પણ વર્ષોથી‎બંધ થઈ ગયો છે અને આ પ્રોજેકટ પણ પાણીમાં ગયો હતો.‎

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લા પંચાયત બેઠકોનું રોટેશન બદલાયુ, 50 ટકા મહિલા માટે બેઠકો ફાળવાઇ

પોરબંદરના જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી 9 બેઠક મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકોનું વારાફરતી ફાળવણી (રોટેશન) નું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ફાળવણી ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદામાં તાજેતરમાં થયેલા સુધારા પછી પ્રથમ વખત લાગુ કરવામાં આવી છે, જેનાથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.ત્યારે ચૂંટણી આયોગ દ્વારા આખરી આદેશ જાહેર કરી પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકોનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે.જિલ્લા પંચાયતની 18 બેઠકમાં અનુસૂચિત જાતિ માટે 2 બેઠક, અનુસૂચિત આદિજારી માટે 1 બેઠક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 5 બેઠક, સામાન્ય સ્ત્રી માટે 5 બેઠક, બિન અનામત સામાન્ય માટે 5 બેઠક ફળવાઈ છે. જેમાં અનુસૂચિત જાતિની બેઠકમાં એક મહિલા અનામત,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતની બેઠકમાં 3 મહિલા અનામત અને સામાન્ય બેઠકમાં 5 બેઠક મહિલા અનામત રાખવામાં આવી છે. (1)અડવાણા-સામાન્ય સ્ત્રી (2)અમરદડ-સામાન્ય સ્ત્રી (3)બખરલા-સામાન્ય સ્ત્રી (4)બળેજ-સામાન્ય સ્ત્રી (5)ચૌટા-સા. શૈ.પછાત વર્ગ સ્ત્રી (6)દેગામ-સા.શૈ.પછાત વ ર્ગ સ્ત્રી (7)ફટાણા-સા.શે.પછાત વ ર્ગ (8)કડછ-અનુસૂચિત જાતિ (9)ખાગેશ્રી-સા.શૈ.પછાત વર્ગ (10)ખીરસરા-સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી (11) કોટડા-સામાન્ય સ્ત્રી (12)માધવપુર- બિનઅનામત સામાન્ય (13)મહિયારી- બિનઅનામત સામાન્ય (14)મોઢવાડા- અનુસૂચિત જાતિ સ્ત્રી (15) ઓડદર બિનઅનામત સામાન્ય (16)રાણાકંડોરણા-1- અનુસૂચિત આદિજાતિ (17)રાણાકંડોરણા-2- બિ ન અનામત સામાન્ય (18)વિસાવાડા- બિનઅનામત સામાન્ય નવા રોટેશન રાજકારણ સ્થાનિક બદલાશે‎આ નવા રોટેશનથી જિલ્લાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.‎દરેક તાલુકા અને ગામના રાજકીય કાર્યકરો હવે આ નવા ફેરફાર‎મુજબ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. OBC, SC, ST અને‎સામાન્ય વર્ગ માટેની બેઠકોમાં મહિલાઓને અડધી બેઠકોની ફાળવણી‎કરવામાં આવતા, આગામી ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોની‎સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.‎

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

જૂનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં!:મનપા હસ્તકની આર્ટ ગેલેરીનું વર્ષો જૂનું બિલ્ડિંગ અતિ જર્જરિત બન્યું

પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની આર્ટ ગેલેરીનું વર્ષો જૂનું બિલ્ડીંગ હાલ અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગ જર્જરીત હોવાછતાં પણ કાર્યકમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જર્જરીત બિલ્ડિંગમાં કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર મહા નગર પાલિકા હસ્તકના શહેરમાં અનેક બિલ્ડીંગ આવેલ છે.ત્યારે આ બિલ્ડીંગની મરામતના અભાવે હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તક આર્ટ ગેલેરી આવેલ છે. આ આર્ટ ગેલેરીનું બિલ્ડીંગ વર્ષો જૂનું રહેલ છે જેથી હાલ આ બિલ્ડિંગના છતમાંથી પોપડા પડી રહ્યા છે તો બિલ્ડિંગના કોલમ બીમમાં પણ તિરાડો જોવા મળી રહી છે તેમછતાં સમયાંતરે આ જર્જરીત આર્ટ ગેલેરીના બિલ્ડિંગમાં કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ જર્જરીત બિલ્ડિંગમાં અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં જર્જરિત બિલ્ડિંગને સીલ કરતું મનપા પોતાના બિલ્ડીંગને ક્યારે સીલ કરશે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગ સંચાલકો અને માલિકને નોટીસ તેમજ સીલ મારવાની કામગીરી કરે છે ત્યારે મનપા હસ્તકની જર્જરીત બિલ્ડિંગમાં ક્યારે સીલ કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં ચાલુ કાર્યક્રમે પોપડા પડ્યા હતા‎આર્ટ ગેલેરી ખાતે ભૂતકાળમાં ગેલેરીના બિલ્ડિંગ બહાર ચાલુ કાર્યકમ‎દરમ્યાન આર્ટ ગેલેરીના બિલ્ડીંગની બહાર છતના રવેશમાંથી પોપડા‎પડ્યા હોવાની પણ ઘટના બની હોવાની વિગતો જાણવા મળી છે.આ‎ઘટના સમયે શહેરના આગેવાનો પણ ઉપસ્થિત હતા.‎ 1969માં બિલ્ડીંગનું નિર્માણ કરાયું હતુંપોરબંદર નગરપાલિકા દ્વારા 16 ડિસેમ્બર 1969ના રોજ સ્વ.મહારાણા નટવરસિંહજી મત્યલય અને રમકડાઘરનું બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ આ બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી છે.આ બિલ્ડીંગને 56 વર્ષ જેવો સમય થઇ જતા જર્જરીત બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ટેન્ડર પ્રક્રિયા:13 કરોડના ખર્ચે આવાસ ખાતે રેલીંગ , વોટર પ્રૂફિંગ અને ફાયર સાધનો મુકાશે

પોરબંદરના બી.એસ.યુ.પી આવાસ ખાતે સીડીમાં રેલીંગ નથી અને ફાયર તથા વોટર પ્રૂફિંગ માટે મનપાના કમિશનર દ્વારા સરકાર સમક્ષ અંદાજિત રૂ.13 કરોડની માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને સૈધાંતિક મંજૂરી મળી હતી. આ કામગીરી માટે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર બાદ કામગીરી શરૂ કરાશે. પોરબંદરના બોખીરા કેકે નગર નજીક બી.એસ.યુ.પી આવાસ બનાવવામાં આવ્યા છે. આ આવાસ ખાતે 2448 જેટલા ફ્લેટ બનાવ્યા છે અને આ ફ્લેટોની ફાળવણી કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છેકે, આવાસ બનાવતી વખતે સીડીની રેલીંગ જ ટેન્ડરમાં મૂકવામાં આવી ન હતી જેને કારણે આવાસોમાં સીડીમાં રેલીંગ જ નથી. આ ઉપરાંત આવાસમાં અંદાજિત 7 હજાર જેટલા લોકો રહે છે ત્યારે ફાયર સેફ્ટી સિસ્ટમ ઊભી કરવાની જરૂર હોય તેમજ આવાસોમાં મોટાભાગના ફ્લેટમાં પાણી લીકેજ થાય છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ 192 જેટલા ફ્લેટ અતિ જર્જરિત આવ્યા છે તેમજ અન્ય ફ્લેટમાં પણ સમારકામની જરૂરિયાત રહેલ છે. મનપા બની છે ત્યારે આવાસ ખાતે સીડીની રેલીંગ, વોટર પ્રૂફિંગ અને ફાયર માટે અંદાજિત રૂ.13 કરોડની ગ્રાન્ટની માંગ સાથે સરકાર સમક્ષ મનપાના કમિશનર પ્રજાપતિ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને સરકારે સૈધાંતિક મંજૂરી આપી હતી ત્યારે આ કામગીરી હાથ પર લેવા માટે મનપા દ્વારા રૂ.13 કરોડના ખર્ચે સીડીમાં રેલીંગ, અગાસી પર વોટર પ્રૂફિંગ અને ફાયર સેફ્ટી સહિતના સાધનો અને સિસ્ટમ મૂકવા ટેન્ડર કરવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરાશે. પાલિકા વખતે મંજૂરી મળી ન હતી ઉલ્લેખનીય છેકે, જ્યારે પાલિકા હતી તે વખતે આવાસ યોજનામાં સીડીની રેલીંગ માટે પ્રાદેશિક કમિશનર સમક્ષ ગ્રાન્ટની દરખાસ્ત મૂકવામાં આવી હતી પરંતુ આ દરખાસ્ત પ્રાદેશિક કમિશનરે મંજૂર કરી ન હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ત્રણ દિવસ પશુ-પક્ષીની સારવાર‎:પોરબંદર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત પશુ પાલન નિયામક વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે

પોરબંદરમાં મકરસંક્રાંતિ દરમ્યાન પતંગના દોરથી પશુ પક્ષી ઘાયલ થતા હોય છે. કરુણા અભિયાન અંતર્ગત પશુ પાલન વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ વિવિધ સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અને આ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ પક્ષી પશુની સારવાર કરવામાં આવશે. મકરસંક્રાંતિ નિમિતે પતંગના દોરથી પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોય છે અને આવા ઇજાગ્રસ્ત પશુ પક્ષીની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે પોરબંદરના પશુ પાલન વિભાગના અધિકારી હાર્દિક બેઘડિયા દ્વારા 3 દિવસ માટે ખાસ કિસ્સામાં 6 જેટલી પશુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરુણા અભિયાન હેઠળ તા. 13 જાન્યુઆરીથી તા.15 જાન્યુઆરી સુધી 1962 એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત ખાતે, 1 પશુ એમ્બ્યુલન્સ ભનુની ખાંભી પાસે અને 1 એમ્બ્યુલન્સ નરસંગ ટેકરી ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે આ ઉપરાંત તાલુકા કક્ષાએ ઇમરજન્સી સારવાર માટે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ત્રણેય તાલુકામાં એક એક એમ 3 તાલુકાની એમ્બ્યુલન્સ ટીમ સાથે હાજર રહેશે. પશુઓને વધુ ખવડાવવાથી પશુને આફરો ચડે છે ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું મહત્વ હોય છે. લોકો આ દિવસે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. એક સાથે એક જ દિવસમાં લોકો ગૌધન સહિત પશુને નિરણ, ઘઉં અથવા બાજરાની ઘુઘરી ગોળ સાથે ખવડાવે છે અને રોટલી સહિતની ખાદ્ય સામગ્રી ખવડાવે છે ત્યારે વધારે ખાવાથી પશુને આફરો ચડે છે અને કેટલાક સંજોગોમાં આફરો ચડવાથી પશુના મોત થાય છે જેથી લોકોએ આ બાબતનું ધ્યાન રાખી પશુઓને યોગ્ય માત્રામાં અથવા એ નિમિતે અન્ય દિવસોમાં પશુઓને ભોજન ખવડાવવું જોઈએ તેવી પશુ વિભાગના અધિકારી હાર્દિક બેઘડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ફરિયાદ:શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ ઘરો પર પથ્થરમારામાં નુકસાન

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં પરિણિતા સાથે ફોનમાં વાતચીત કરતા હોવાની ખોટી શંકાઓ રાખીને બે જુથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને ઘરો ઉપર પથ્થરમારો કરીને નુકશાન પહોંચાડ્યાની પોલીસમાં સામ-સામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. શહેરના શંકરટેકરી સુભાષ્પરા શેરીનં-રમાં રહેતા અમીનાબેન શેરમામદ નોયડા (ઉ.વ.55) નામના પ્રૌઢા ગત તા.7ના રોજ પોાના ઘરે હતા. ત્યારે આરોપી વિજય કેશુભાઈ વરાણીયા, અભય વિજયભાઈ વરાણીયા, બેનાબેન રોહીતભાઈ લીંબડ, રોહીત લીંબડ, કાજલબેન રાહુલભાઈ વરાણીયા, સીમાબેન વિજયભાઈ વરાણીયા, જયેશ ગોરધનભાઈ દિહોરા, રાહુલ રાજેશભાઈ વરાણીયા, વાસંતિબેન દેવજીભાઈ વરાણીયા, પુજાબેન રાજેશભાઈ વરાણિયા, જશુબેન સુરેશભાઈ પરમાર ગેરકાયદેસર મંડળી રચીને છરી, ધોકા, તલવાર સાથે ઘરમાં ઘુસી ગયા હતા અને પ્રૌઢાની વહુને અગાઉ જગદીશ સાથે પ્રેમ સંબંધ હોય અને હવે વાત કરતી ન હોય તેમ છતા તેની શંકા રાખીને આરોપીઓએ ઘરમાં ધમાલ મચાવીને તોડફોડ કરીને નુકશાન કર્યુ હતું. જ્યારે સામાપક્ષના આરોપી અભયભાઈ ઉર્ફે પ્રફુલભાઈ વરાણીયા (ઉ.વ.19) નામના યુવાનના ભાઈને આરોપીની પત્ની સાથે અગાઉ સંબંધ હોય અને હજુ તે વાતચીત કરે છે તેવી ખોટી શંકાઓ રાખીને આરોપી સાહુ સંધી, હાર્દીક આહીર, જયદીપસિંહ જાડેજા, નીતીન દીનેશભાઈ સીંગરખીયા અને એક અજાણ્યા શખસોએ છરી, પાઈપ જેવા હથિયારો સાથે ઘર પાસે આવીને અપશબ્દો બોલીને પથ્થર અને સોડાની બોટલીઓના ઘર ઉપર તેમજ કાર ઉપર ઘા કરીને નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બન્ને પક્ષોની પોલીસે સામ-સામી ફરિયાદ નોંધીને પીએસઆઈ વી.બી.બરબસીયાએ તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રસ્ત:સલાયામાં જાનમાં અચાનક આખલો ધસી આવતા ભારે દોડધામ, 8 ઘાયલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક સલાયા ગામે મોડી સાંજે લગ્નની જાન બજારમાંથી પસાર થઇ રહી હતી જે વેળાએ અચાનક આખલો ધુસી આવતા ભારે અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.જેમાં ભાગદોડ વચ્ચે આઠેક લોકોને ઇજાઓ પહોચી હતી જેમાં બે લોકોને વધુ સારવાર અર્થે ખંભાળિયા ખસેડાયા હતા.આ બનાવના પગલે ભારે દેકારો બોલી ગયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા ઢોરની રંઝાડ ચરમસીમાએ પહોચી છે જેમાં સમયાંતરે આખલા સહિત રખઢતા ઢોરના કારણે અકસ્માતોના બનાવો સામે આવતા રહે છે.જેમાં દેવભૂમિના સલાયા ગામે મોડી સાંજે લગ્નની જાનમાં ભુરાયો થયેલો આખલો ધુસી આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી.મોડી સાંજે લગ્નની બજારમાંથી પસાર થઇ રહેલી જાનના પ્રસંગમાં લોકો ડીજેના સાથથી નાચતા હતા.જે દરમ્યાન અચાનક એક આખલો આ જાનમાં ધસી આવ્યો હતો.જેથી જાનૈયાઓમાં ભારે અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ હતી.જેમાં ભાગદોડમાં 7 થી 8 જેટલા લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી. જે પૈકીના બે લોકોને વધુ સારવાર અર્થે ખંભાળિયા ખસેડાયા હતા.હાલ દરેકની સ્થિતિ સારી છે.પણ આ આખલાના આતંકથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી બાજુ સલાયા સહિત પંથકમાં રખડતા ઢોરના ત્રાસે પણ માઝા મુકી છે. ત્યારે આ મામલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાઇ એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જામનગરના મોટી ખાવડી ગામે પણ એક ગાયે રાહદારી વ્યકિત પર રિતસર હલ્લો કરી કચડી નાખ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.જોકે, આવા બનાવો છેલ્લા કેટલાક સમયથી જામનગર અને દેવભૂમિ પંથકમાં લગભગ રોજીંદા બની રહયા હોવાનુ સામે આવ્યુ છે. હાલારમાં રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રસ્ત, તંત્ર સુષુપ્ત જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકના જુદા જુદા શહેરો સાથે ગ્રામ્ય પંથક ખાસ કરી ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોરના અડીંગા જોવા મળે છે.કયારેક આવા ભુરાયા થયેલા ઢોર લોકો પર હુમલો કરતા હોય તેવા દ્રશ્યો પણ સમયાંતરે઼ સામે આવે છે. જયારે માર્ગો પર ઢોરના જમાવડા નાના મોટા અકસ્માતોનો પણ લોકો ભોગ બનતા હોય છે.યાત્રાધામ દ્વારકામાં તાજેતરના નાતાલ મીની વેકેશનના સમયગાળા દરમિયાન વ્યાપક ભીડ વચ્ચે જગતમંદિર પરિસર નજીકના વિસ્તારોમાં રોડ પર દર્શનાર્થીઓની મસમોટી કતારો પાસે પણ આવા ઢોર અડીગો જમાવતા જોવા મળ્યા હતા.જોકે, હાલારભરમાં રખડતા ઢોરના ત્રાસ મામલે તંત્ર મહદઅંશે સુશુપ્ત રહયુ હોય, તેમ હજુ સુધી નકકર કાર્યવાહીનો અભાવ હોવાની ચર્ચા જાણકાર વર્ગમાં ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નવા નાગનામાં મૃત પશુઓના આડેધડ દફન, તિવ્ર દુર્ગંધના કારણે ગ્રામજનોનું જીવન દુષ્કર બની ગયું

જામનગર શહેરના ભાગોળે આવેલા નવા નાગના ગામ પાસે આવેલા મૃત પશુઓના મૃતદેહના આડેધડ દફનથી તિવ્ર દુર્ગંધના કારણે ત્રણ ગામોના 12 હજાર લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. મૃત પશુઓના ભયાનક અસહ્ય દુર્ગંધથી ગામની હાલતો નર્કાગાર જેવી બની ગઈ છે અને ત્રણેય ગામોના લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઈ ગઈ છે. શહેરના ભાગોળે આવેલા નવા નાગના ગામની માત્ર 50 મીટરના અંતરે મૃત પશુઓને માત્ર 1500 થી 2000 ફુટ જગ્યામાં આડેધડ દફનવિધિ કરવામાં આવે છે. ત્યાં દરરોજ 20 થી 30 મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે. આટલી નાની જગ્યામાં પશુઓની મોટી સંખ્યામાં પશુઓનો નિકાલ કરવામાં આવે છે. માત્ર એકાદ ફુટ જેટલો જ ખાડો ખોદીને મૃત પશુઓના શબની દફનવિધિ કરવામાં આવી છે. જેના કારણે રખડતા કુતરાઓ મૃત પશુઓને ખોરાક માટે ખોદીને બહાર કાઢી લે છે. કુતરાઓ પશુઓના અમુક અંગો બહાર કાઢીને ખોરાક લેતા હોય છે, અને ખોરાક આરોગ્ય પછી જે પશુઓનું માંસ વધે છે તે બહાર જ હોય છે. જેના પરિણામે ઉત્પન્ન થતી ભયાનક ગંદકી અને અસહ્ય અને દુર્ગંધને કારણે નવા નાગના, જુના નાગના અને વિભાપર ગામના 12 હજારથી વધુ લોકોને જીવવું હરામ થઈ ગયું છે, અને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. વહેલી સવારમાં ઉઠીએ તો દુર્ગંધથી માથા દુ:ખે છે નવા નાગના ગામના રહેવાસીઓ વહેલી સવારમાં ઉઠે તો મૃત પશુઓની આવતી અતિશય વાસ આવતી હોવાથી માથાઓ દુ:ખવા લાગે છે અને મોઢામાં કપડું બાંધવુ પડે તેવી હાલત બની જાય છે. જેથી વહેલી સવારમાં ઘરકામ માટે ઉઠતી મહિલાઓને ભારે તકલીફ પડી રહી છે. > શાંતાબેન રાઠોડ સ્થાનિક રહેવાસી વાડીએ જવામાં અતિશય આવતી વાશથી મુશ્કેલીગામવાસીઓ સવારમાં વાડીએ જતા હોય છે, ત્યારે અતિશય વાસ આવતી હોવાથી લોકોને વાડીએ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. તો શ્વાનો રસ્તામાં પશુઓના અંગો તેમજ હાડકાઓ લઈ આવતા હોય છે. જેથી અતિશય દુર્ગંધ આવતા લોકોને ભારે હાલાકી પડે છે. > જયશ્રીબેન રાઠોડ ગામ લોકોએ જામનગર મહાનગરપાલિકાની બિલ્ડીંગનો કર્યો ઘેરાવ ત્રસ્ત બની ગયેલા નવા-જુના નાગના અને વિભાપર ગામના મહિલાઓ સહિતની મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાની બિલ્ડીંગે પહોંચ્યા હતા. જ્યાં મ્યુ.તંત્રની બિલ્ડીંગના મુખ્યદ્વારે જમાવડો કરીને બેસી ગયા હતા અને કર્મચારીઓ અને અધિકારીઓને બહાર નિકળવા દીધા ન હતા. જે બાદ મ્યુ.તંત્રના અધિકારીઓએ નીચે આવીને લોકોની રજુઆત સાંભળી યોગ્ય નિકાલની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

જાહેરનામું:જામનગરમાં 154 રેડ-યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પ્રતિબંધ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.8-2-2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાકિય મુજબ શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

વાતાવરણ:ઠંડીનો પારો 2 ડિગ્રી ઉંચકાયો, લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું હતું. પરંતુ તેજીલા વાયરાઓના પગલે ઠંડીનો ચમકારો યથાવત્ રહેવા પામ્યો હતો. જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગુરૂવારે સવારમાં 24 કલાક દરમિયાન સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 13 ડીગ્રી અને મહત્તમ તાપમન અડધો ડીગ્રી ઘટીને 24.5 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ 20 થી 25 કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ વધુ રહેતા ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. સમી સાંજથી જ ઠંડીમાં વધારો થવા લાગ્યો હતો અને રાતથી લઈને વહેલી સવાર સુધી ખાસ કરીને ગ્રામ્ય અને નગરસિમ વિસ્તારો તથા ધોરીમાર્ગો પર તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. વાડી વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

વિવાદ:મહિલા પીએસઆઈ સાથે કારમાં આવેલા બે શખસોએ કરી બબાલ

જામનગર શહેરના જકાતનાકા પાસે ટ્રાફીક નિયંત્રણ માટે ગયેલા ટ્રાફીક મહિલા પીએસઆઈ સાથે સ્કોર્પિયો ચાલકે હોર્ન વગાડીને બોલાચાલી કરીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની બે શખસો સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર ટ્રાફીક શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મીનાબા જટુભા વાળા ગત તા.7ના રોજ પોતાની કાયદેસરની ફરજ પર હોય, અને શહેરના ગોકુલનગર જકાતા નાકા પાસે ટ્રાફીક જામ થયો હોવાથી તેના નિયંત્રણ માટે ઉપલા અધિકારી દ્વારા ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે મહિલા પીએસઆઈ અને સ્ટાફના કે.કે.કરંગીયા સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન કાળા કલરનો સ્કોર્પિયો કાર લઈને આવેલા મયુર ગોકુલભાઈ માળીયા નામનો શખસ સતત હોર્ન મારતો હોવાથી તેને હોર્ન ન મારવાનું કહેતા તે મહિલા પીએસઆઈ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારે સાથે રહેલા પોલીસકર્મીઓ આવી ગયા હતા અને કારમાંથી નીચે ઉતારીને કાગળો માંગતા આપતો ન હતો અને ભવ્યરાજસિંહ ગોહિલને ફોન કરીને બોલાવતા બન્ને શખસો બોલાચાલી કરવા લાગ્યા હતા. કાર અન્ય વાહનોને અડચણ થાય તે રીતે ઉભી રાખીને મહિલા પીએસઆઈની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

કામગીરી:જામનગર એસટી ડેપોમાં ગુટકાના વેચાણની ફરિયાદના આધારે ચેકિંગ

જામનગર શહેરમાં એસટી ડેપોમાં હજારોની સંખ્યામાં મુસાફરાઆવાગમન રહેતું હોય છે ત્યારે ડેપોમાં આવેલી કેન્ટીંગમાં બેફામ રીતે ગુટકાનું વેચાણ થતું હોવાથી ફરિયાદના આધારે ડેપો મેનેજર સહિતના અધિકારીઓએ વેચાણ અંગે ચકાસણી હાથ ધરવામાં આવતા કેન્ટીંગ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો અને ચેકિંગ દરમિયાન કોઇ પણ પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના એસટી ડેપોમાં આવેલી કેન્ટીંગમાં ગુટકાનું બેફામ રીતે વેચાણ થઇ રહ્યું હોવાનો અહેવાલ જામનગર દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ડેપોની તમામ કેન્ટીંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વેચાણ માટે રાખેલી તમામ ખાદ્ય સામગ્રી, પાન, મસાલા, પેકેટસ, ફ્રિજ તથા સ્ટોરેજ એરીયા વગેરે તપાસવામાં આવ્યા હતાં અને કોઇ પણ પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવ્યા ન હતાં. આ ચેકિંગ દરમિયાન કેન્ટિંગ સંચાલકોમાં અફડા તફડી મચી જવા પામી હતી. આ કાર્યવાહીમાં ડેપો મેૃનેજર દિગ્વિજય આર. મોરી, ઇલેશ સી. કાપડી, રાજેન્દ્ર જે. ગોસાઇ સહિતના જોડાયા હતાં.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

નવા ચણાની આવક શરૂ:હાપા માર્કેટીંગ યાર્ડમાં નવા ચણાના મુહૂર્તના સોદા, રૂપિયા 1,355 ભાવ

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં સીઝનના નવા ચણાની આવક શરૂ થઈ છે અને આજે મુર્હુતના રૂ.1355ના ભાવે સોદા થયા હતા. સૌથી વધુ મગફળીની 22750 મણ અને 11000 મણ ડુંગળીની આવક નોંધાઈ છે. હાપા યાર્ડમાં શુક્રવારે 936 ખડુતો 55,988 મણની 22 જણસીઓ હરરાજીમાં આવી હતી. જેમાં સુવરડા ગામના વિનોદભાઈ ચાંદ્રા નામના ખેડુત સિઝનના નવા ચણાની 30 ગુણી લઈને આવ્યા હતા. જેમાં મુર્હુતના સોદામાં રૂ.1355માં થયા હતા. જ્યારે જુવારની 3, બાજરી 43, ઘઉં 695, મગ 33, અળદ 260, તુવેર 5, ચોળી 39, મેથી 3, ચણા 423, એરંડા 85, તલી 95, રાયડો 140, લસણ 6723, કપાસ 6653, જીરૂ 323, અજમો 3229, અજમાની ભુસી 1788, ધાણા 198, મરચા 118, સોયાબીન 818, વટાણા 54 મણની આવક થઈ હતી. તો આજે શુક્રવારે સુકી ડુંગળીની 11000 મણ હરરાજીમાં આવી હતી. જેમાં 20 કીલો ડુંગળીના માત્ર રૂ.40 થી 320 સુધીના ભાવે સોદા થયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

ચકચાર:સર્કિટ હાઉસમાં બર્થડે પાર્ટી, ચોથા વર્ગના કર્મચારીની પોસ્ટથી દેકારો

જામનગર શહેરના સર્કિટ હાઉસને લઈને એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમો, ઉચ્ચ અધિકારીઓ તેમજ બહારથી આવતા વીવીઆઈપી અતિથીઓના નિવાસ માટે ઉપયોગમાં લેવાતા સર્કિટ હાઉસમાં ચોથા વર્ગના એક કર્મચારી દ્વારા પોતાના મિત્રો સાથે બર્થડે પાર્ટીની ઉજવણી કરાયાના ફોટા કર્મચારી દ્વારા સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરાતા ચકચાર મચી જવા પામી છે. ચોથા વર્ગના આઉટ સોર્સિગના કર્મચારીએ પોતાના જન્મ દિવસની ઉજવણીમાં સાથે અભ્યાસ કરતા ક્લાસમેટ તેમજ જીગરજાન મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. વાયરલ થયેલા ફોટાઓમાં સર્કિટ હાઉસના અંદરના ભાગમાં મિત્રો સાથે કેક કાપતા અને ઉજવણી કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરકારી મિલકતનો આ પ્રકારનો ખાનગી ઉપયોગ થતાં અનેક સવાલો ઊભા થયા છે. સર્કિટ હાઉસ જેવી સંવેદનશીલ અને પ્રતિષ્ઠિત સરકારી જગ્યાએ ખાનગી પાર્ટી યોજવાની મંજૂરી કોણે આપી..? તેમજ નિયમોનું પાલન થયું કે નહીં, તે બાબતે સરકારી બાબુઓ અને નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાથી સરકારી તંત્રની શિસ્ત અને દેખરેખ પર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે. હાલ સરકીટ હાઉસના કર્મચારીએ કરેલા આ કૃત્યથી સ્ટાફમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. તો બીજી બાજુ આ કર્મચારી આઉટ સોર્સિગમાં કામ કરતો હોવા છતાં આટલી બધી હિમ્મત કોના કહેવાથી આવી. તે પણ એક સવાલ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:00 am

આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત મહાનગરપાલિકાનો દબદબો:સુરત કમિશનર ઇલેવન અને મેયર ઇલેવન બંને ફાઇનલમાં સુરત વિજેતા, જ્યારે ભાવનગર મેયર ઈલેવનની કારમી હાર, રાજકોટ કમિશનર ઈલેવનની હાર

ભાવનગર ખાતે આંતર-મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ ની આજરોજ ફાઇનલ મેચ ભરૂચ કલબ ખાતે યોજાઇ હતી, જેમાં પ્રથમ કમિશનર ઇલેવન સુરતની મેચ રાજકોટ ઇલેવન સામે રમાઈ હતી જેમાં સુરતની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી, જ્યારે બીજી મેચમાં ભાવનગર મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં સુરત ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો, આમ, સુરત મહાનગરપાલિકાએ કમિશનર અને મેયર ઈલેવન બંને મેચમાં ફાઈનલ જીતી લીધી હતી. ભારે રસાકસી બાદ સુરત ટિમ વિજેતા બની જેમાં આજે પ્રથમ મેચ ​કમિશનર ઈલેવન ફાઇનલની ફાઈનલ મેચ સુરત અને રાજકોટ વચ્ચે રમાઈ હતી, જેમાં ​રાજકોટ ઇલેવન પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવ્યા હતા, જ્યારે આ લક્ષ્યાંક સુરતની ટીમે માત્ર 17.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવી જીત હાંસલ કરી હતી આમ, બને ટિમો વચ્ચે ભારે રસાકસી જામી હતી, જેમાં સુરત તરફથી ચિરાગ પટેલે 51 રનની શાનદાર અડધી સદી ફટકારી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, સુરતની ટીમે માત્ર 9.3 ઓવરમાં ફાઈનલ મેચ જીતી જ્યારે બીજી મેયર ઇલેવનની ફાઈનલ મેચ ભાવનગર અને સુરત વચ્ચે રમાઈ હતી, જેમાં​ભાવનગર ઈલેવનએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, પરંતુ સુરતની ધારદાર બોલિંગ સામે ભાવનગરની ટીમ 18.5 ઓવરમાં માત્ર 96 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં સુરત ઇલેવનની જીતવા માટેના 97 રનના લક્ષ્યાંકને સુરત મેયર ઇલેવનની ટીમે માત્ર 9.3 ઓવરમાં 8 વિકેટ બાકી રાખીને આસાનીથી હાંસલ કરી લીધો હતો, આમ, ભાવનગર મેયર ઈલેવનની ટિમની કારમી હાર થઈ હતી, આ મેચમાં ભાવનગરની ટીમ રનર-અપ રહી હતી, ​મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ​મેચના અંતે આયોજિત પૂર્ણાહુતિ સેરેમનીમાં સુરત અને ભાવનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા અને દંડકની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કલેક્ટર, કુલપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ અધ્યક્ષ, સંગઠનના મહામંત્રીઓ અને વિવિધ કમિટીઓના ચેરમેન સહિતના મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, ​સન્માન અને ખેલદિલી મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ​લાઇસનિંગ સ્ટાફ, ​ગ્રાઉન્ડ સ્ટાફ, ​અમ્પાયરો અને કોમેન્ટટ્રેટરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, ​સમગ્ર ટુર્નામેન્ટ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સુંદર આયોજન સાથે સંપન્ન થઈ હતી, જેમાં સુરતની ટીમે ડબલ જીત હાંસલ કરી મેદાન મારી લીધું હતું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:41 am

અલથાણમાં 235 કિલો સડેલા બટાકા-ચણા અને 10,000 પુરીઓનો નાશ:કચરા કૌભાંડમાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને શો-કોઝ નોટિસ, નવા નિયમો સાથે રિ-ટેન્ડરિંગની તૈયારી

સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાએ ઝુંબેશ તેજ કરી છે. અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી-ગલ્લાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તંત્રએ સ્થળ પર જ કાર્યવાહી કરી અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા-મસાલાનો નાશ કર્યો હતો, જે લોકોના પેટમાં જઈને મોટી બીમારી નોતરી શકે તેમ હતા. 10,000 નંગ પુરીઓ ફેંકી દેવાઈલોકોના જીવ સાથે રમત કરનારાઓને 48 હજારનો દંડ આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન જોયું કે અનેક વિક્રેતાઓ વાસી અને દુર્ગંધ મારતી પુરીઓ ગ્રાહકોને પીરસી રહ્યા હતા. પરિણામે, 10,000 નંગ જેટલી અખાદ્ય પુરીઓનો જથ્થો તાત્કાલિક ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ 18 જેટલા એકમો પાસેથી કુલ 48,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેનાથી ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભ્રષ્ટ એજન્સીને અઢી કરોડનો જંગી દંડબીજી તરફ, સુરતના ચકચારી ખજોદ કચરા કૌભાંડમાં પાલિકા કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. કચરાનું પ્રોસેસિંગ કર્યા વિના જ તેને બહાર વેચી દેવાના અને વજનમાં ગેરરીતિ આચરવાના ગુનામાં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને 2.50 કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. એજન્સીએ અધિકારીઓ સાથે મળીને કરેલા આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે પાલિકા તંત્રમાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને શો-કોઝ નોટિસઆ કૌભાંડમાં માત્ર ખાનગી એજન્સી જ નહીં, પણ પાલિકાના પોતાના અધિકારીઓની મિલિભગત પણ સામે આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી અને એન્વોયરમેન્ટ એન્જિનિયર શરદ કાકલોતરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને છાવરવા બદલ આ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહીથી પાલિકાના એન્જિનિયરિંગ વિભાગમાં ગભરાટનો માહોલ છે. નવા નિયમો સાથે રિ-ટેન્ડરિંગની તૈયારીકચરા કૌભાંડમાં બદનામી થયા બાદ હવે વહીવટી તંત્રે આખી સિસ્ટમને પારદર્શક બનાવવાનો નિર્ણય લીધો છે. જૂના કોન્ટ્રાક્ટરોની મુદત પૂર્ણ થતા હવે બે જ દિવસમાં નવા નિયમો અને કડક શરતો સાથે રિ-ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ નવા ટેન્ડરમાં કચરાના નિકાલની પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે ડિજિટલ મોનિટરિંગ અને કડક ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી, ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:25 am

ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં આગ:ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લીધો, 6 કલાકે કાબૂ; દસ્તાવેજો સહિત બધુ જ બળીને ખાખ, આગ શંકાના દાયરામાં

સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં પડેલી ભાગેડુ નિરવ મોદીની જર્વેલરીની કંપનીમાં ગુરુવાર રાત્રે ગ્રાઉન્ડ ફલોર આગ ફાટી નીકળ્યા બાદ શુક્રવારે ફરી આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફડાતફડી અને નાસભાગ થઇ જવા પામી હતી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં આગ લાગી કે પછી આગ લગાવવામાં આવી હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ કંપની વર્ષોથી ED દ્વારા સીલ કરવામાં આવી હતી. વીજળી, પાણી, ડ્રેનેજ સહિતના બધા કનેક્શન કાપેલા હોવા છતાં આગ લાગી. જેના કારણે આગને લઈને સૌથી મોટા સવાલ ઊભો થાય છે. ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લીધોફાયરબ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડું નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ નામક જર્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ગુરુવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગ ફેલાતા પહેલો માળ પણ ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સચીન નોટી ફાઇડ ફાયરને જાણ થતા ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોશુક્રવાર ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફડાતફડી અને દોડધામ થઈ જવા પામી હતી. જોકે પાલિકાના ફાયર બિગ્રેડને કોલ મળતા લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ઘસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓફિસની ફાઈલ સહિતનું બળીને ખાખઆગના લીધે એ.સી, કોમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીન, એલિવેશન, સ્ટોરેજ કરેલો સામાન, ઓફિસની ફાઈલ, વાયરિંગ સહિતની વસ્તુને નુકસાન થયું હતું. આ બનાવામાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું. સચીન નોટિફાઈડ ફાયરે બુઝવેલી આગ બાદ ફરી લાગીજર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી. જેથી સચીન નોટિફાઇડ ફાયરજવાનો ત્યાં પહોચીને કામગીરી કરતા આગ કાબુમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતા ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતા આગ કાબુમાં આવી હતી. સચીન નોટિફાઇડ ફાયર કંન્ટ્રોલ આગની માહિતી આપવા અખાડાજર્વેલરીની કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી. આ અંગે સચીન નોટિફાઇડ ફાયર કંન્ટ્રોલ દ્વારા માહિતી આપી નહીં, એટલુ નહીં આગ અંગે જરૂરી માહિતી માટે ત્યાંના અધિકારીનો ફોન નંબર પણ આપ્યો નહી, જોકે સચીન જી.આઈ.ડી.સી કેટલીક વખતે ત્યાં કંપનીમાં આગના બનાવો અંગે જરૂરી માહિતી ત્યાંના ફાયર અધિકારીઓ આપવા અખાડા કરે છે. જોકે સચીન નોટિફાઇડના અમુક ફાયરના અધિકારીઓને સચીન જી.આઇ.ડી.સીના કંપની કે મીલ સહિતના ખાતા વાળા સાથે સારા સંબંધ હોવાના લીધે જરૂરી માહિતી આપતા નહી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. આગ લાગી કે લગાવવામાં આવી તેને લઈને શંકાલાંબા સમયથી બંધ હાલતમાં રહેલી ભાગેડું નિરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી હોવાનું કહેવાતી આ કંપનીમાં આગ લાગી કે પછી આગ લગાવવામાં આવી હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે. મોડી રાતે રહસ્યમય સંજોગોમાં લાગેલી આગ પર બીજા દિવસે કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગ અકસ્માત છે કે પછી પુરાવા નષ્ટ કરવાનું ષડયંત્ર?મળતી માહિતી પ્રમાણે કંપનીના ગેટ અને બારીઓ તૂટેલી હાલતમાં મળી આવી છે. એટલે સવાલ એ છે કે સીલ બંધ કંપનીમાં કોણ ઘૂસ્યું? SEZ જેવી કડક સુરક્ષા ધરાવતી જગ્યા પર આ કેવી રીતે શક્ય બન્યું? ફાયર વિભાગની અનેક ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો, કલાકો સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રહ્યું, પરંતુ કરોડોની મશીનરી અને દાગીના અંગેની ચર્ચાઓએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ શું આ આગ પાછળ મોટું કવર-અપ છે? શું કોઈ મહત્વના પુરાવા નષ્ટ કરાયા? આગના પગલે અનેક સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:24 am

મહેસાણામાં રવિવારે 9 કલાકનો મેગા પાવર કટ:શહેર અને હાઈવેના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે

ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આગામી રવિવાર, 11 જાન્યુઆરી 2026ના રોજ વીજ તંત્ર દ્વારા મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 66 KV મહેસાણા સબ સ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરીને પગલે મહેસાણા-1 અને મહેસાણા-2 (હાઈવે) હેઠળ આવતા અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણા-1 વિભાગની વિગતો મુજબ રવિવારે સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી ગોપીનાળા, સીટી ફીડર, રોહિત નગર, માર્કેટ યાર્ડ, આશ્રમ, ગૌરવ, એગ્રો, સોમનાથ, અયોધ્યા નગર અને અમરપુરા ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક અને વ્યાપારિક ગ્રાહકોને પાવર કટનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે શોભાસણ રોડ સિવાય મહેસાણા-1 ના તમામ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજળી ઉપલબ્ધ રહેશે નહીં. બીજી તરફ મહેસાણા-2 એટલે કે હાઈવે વિસ્તારમાં પણ હાઈવે ફીડર, રાજકમલ, સર્કિટ હાઉસ, જીડીસીએલ, નાગલપુર અને ડેરી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જેમાં ખાસ કરીને રામોસણા રોડ, રાધનપુર રોડ (કમળ પથ સુધી), જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ તેમજ સર્કિટ હાઉસની સામેના રોડથી મોઢેરા ચાર રસ્તા સુધીના વિસ્તારો પ્રભાવિત થશે. વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ગમે ત્યારે પુનઃ સ્થાપિત કરવામાં આવશે. રવિવારના રજાના દિવસે જ લાંબા સમયનો પાવર કટ હોવાથી નાગરિકોને પોતાના જરૂરી કામો વહેલા પતાવી લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:22 am

​જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ, VIDEO:​નશામાં ધૂત કારચાલકે કહ્યું- 'ટ્રેક્ટર સહેજ અડતા જ ગુસ્સો આવ્યો ને ચડાવી દીધી', અકસ્માતમાં બે મજૂરો ઈજાગ્રસ્ત

​જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. નશો એટલો હદબહાર હતો કે અકસ્માત બાદ શખસે શરમ અનુભવવાને બદલે સ્થળ પર હાજર લોકો અને મજૂરો સાથે ગાળાગાળી કરી હતી. આ અકસ્માતમાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સામે આવ્યું છે. નશામાં ધૂત ડ્રાઇવરે ટ્રેક્ટર પર કાર ચડાવ્યાનું કબૂલ્યુંઅકસ્માત એટલો ભયાનક હતો કે, ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર પર ચડી ગઈ હતી. નશામાં ધૂત કાર ચાલકની શાન ઠેકાણે નહોતી, તેણે સ્થળ પર જાહેરમાં કબૂલાત કરી હતી કે, ટ્રેક્ટર સહેજ અડતા જ તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે જાણીજોઈને ટ્રેક્ટર પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ આ શખ્સે રોડને બાનમાં લીધો હતો અને મનફાવે તેમ અપશબ્દો બોલી ધમાલ મચાવી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતોકારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, ટ્રેક્ટરમાં ભરેલી માલસામાનની બોરીઓ હાઈ-વે પર વેરવિખેર થઈ ગઈ હતી. લક્ઝરી ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાને પગલે હાઈ-વે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ​બે મજૂરોની હાલત ગંભીર, ચાલક ફરારઆ હિટ એન્ડ રન જેવી ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર બે નિર્દોષ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી અને ધમાલ મચાવ્યા બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વડાલ પોલીસ આ મામલે ગુનો નોંધી નશાખોર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:20 am

મ્યાનમારમાં ફસાયેલા બરોડિયન યુવકે ઘરે પહોંચતા જ જણાવી આપવીતી:કહ્યું- થાઇલેન્ડમાં ડેટા એન્ટ્રીની નોકરી આપવાનું કહી જંગલના રસ્તેથી લઈ ગયા'તા

વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલો વડોદરાના સાવલી ગામનો યુવક આજે વડોદરા એરપોર્ટ પર આવતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સો.મીડિયામાં થોડા સમય પહેલા એક યુવકે વીડિયો વાઇરલ કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવા માટે આજીજી કરી હતી, ગુજરાતના આશરે 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાઈ જવાની એક ઘટના સામે આવી હતી ત્યારે આજરોજ વડોદરાના ગુંજને એરપોર્ટ પર પહોંચી મ્યાનમારમાં તેની સાથે શું-શું થયું અને કેવા અનુભવો રહ્યા તેની આપવીતી જણાવી હતી. દરેક વ્યક્તિને અલગ-અલગ બહાનાથી બોલાવવામાં આવ્યા હતાગુંજન શાહે મ્યાનમારમાં ઘટેલી ઘટનાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ડેટા એન્ટ્રીની જોબના નામે અમને બધાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિને અલગ-અલગ બહાનાથી ત્યાં બોલાવવામાં આવ્યા હતા. એવુ નહોતું કે, દરેક વ્યક્તિને સ્કેમિંગની ખબર હતી. મોટાભાગે ડેટાએન્ટ્રી અને અન્ય નાના-મોટા કામના બહાને લોકોને ત્યાં બોલાવ્યા હતા. કોઈને 70-75 હજારની સેલેરી ઓફર કરી હતી તો કોઈને લાખો રુપિયાની સેલેરી ઓફર કરવામાં આવી હતી. આપણા 5 ભારતીયો પણ મ્યાનમારની જેલમાં ફેબ્રુઆરીથી છેઅમને બહાર લાવવા માટે સરકારનો પૂરતો સપોર્ટ મળ્યો અને ત્યાં મ્યાનમારમાં પણ અનેક NGOએ અમારી મદદ કરી હતી. નોકરી માટે પહેલા અમને થાઈલેન્ડ કીધુ હતું અને ત્યાંથી અમને જંગલના રસ્તે ડાયરેક્ટ મ્યાનમાર લઈ ગયા હતા. અમે હજુ નવા-નવા પહોંચ્યા હતા એટલે અમારા પર એટલો ત્રાસ નહોતો ગુજાર્યો પણ જે લોકો પહેલાથી અહીં હતા તેમાંથી અમુક તો જેલમાં છે. આપણા 5 ભારતીયો પણ મ્યાનમારની જેલમાં ફેબ્રુઆરીથી છે, જે હજુ સુધી ત્યાં ફસાયેલા છે. નોકરી છોડવી હોય તો 4.5-5 લાખ રુપિયા ભરવાના હતા આ જોબસ્કેમના કૌભાંડમાં અમુક એજન્ટો તો અમુક અન્ય લોકો પણ સામેલ હોય છે, જે સામાન્ય લોકોને ઊંચા પગારે જોબની લાલચ આપીને ત્યા લઈ જતા હોય છે. અમારી જોડે પૈસા નહોતા માંગ્યા પણ જો અમારે નોકરી છોડવી હોય તો 4.5-5 લાખ રુપિયા ભરવાના હતા કે તમે તે ભરો તો જ અહિંથી નીકળી શકો છો. ગુજરાતના આણંદ-અમદાવાદ સહિત અનેક શહેરોના લોકો હતાવધુમાં તેણે જણાવ્યું કે, ત્યાં ઓલરેડી વોર ચાલી રહી હતી. મ્યાનમારની જ બે આર્મીઓ વચ્ચે વોર ચાલી રહી હતી તો તેમાં અમે ત્યાંથી બચીને નીકળી ગયા હતા. ગુજરાતના અમે લગભગ 19 લોકો હતા. અમે NGOમાં જે જગ્યાએ શરણાર્થીઓ બન્યા હતા ત્યા ગુજરાતના આણંદ-અમદાવાદ સહિત અનેક શહેરોના લોકો હતા. તે સિવાય ઉતરાખંડ, હિમાચલ જેવા અનેક રાજ્યોના ફસાયેલા લોકો પણ હતા, જે દિલ્હી પહોંચી રહ્યા છે. તદુપરાંત કેનેડા, ઈથોપિયા, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાલ સહિતના દેશના લોકો પણ ત્યા ફસાયેલા હતા. હજુ અમુક લોકો જોબની લાલચમાં કે બીજા લોકોને બોલાવવા માટે બોસની સાથે કંબોડિયા પણ ગયા છે. હજુ પણ બીજા લોકોની ડિટેઈલ્સ મારી પાસે છે, એ મે સોંપી દીધી છે. અહીં બોસનું નામ ચાઈનીઝ હોય છે, જે ઓરિજિનલ નેમ નથી હોતા. એ બધા જ ચાઈનીઝ લોકો હતા પણ મોટાભાગે ત્યા લોકોને બોલાવવામાં આપણા લોકો જ હતા.સરકાર, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સ ને અમારા તરફથી ધન્યવાદ છે. મ્યાનમારમાં ફસાયેલા યુવકે વધુ 3 ઓડિયો શેર કર્યા વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલા વડોદરા અને ગુજરાતના આશરે 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાઈ….(સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો) મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું રેકેટ વિદેશમાં ઊંચા પગારની નોકરી મેળવવાની ઘેલછા હવે ગુજરાતી યુવકો માટે જીવનું જોખમ બની રહી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના યુવક સહિત કુલ 10 યુવાન મ્યાનમારમાં ફસાઈ ગયા….(સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:05 am

કોટંબી સ્ટેડિયમમાં રવિવારે IND-NZ વચ્ચે જંગ:કોહલી-રોહિતે નેટ્સમાં પરસેવો પાડ્યો; સુરક્ષા માટે 1200થી વધુ પોલીસ જવાન તહેનાત, 11,700 વાહન પાર્કિંગની વ્યવસ્થા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં બંને ટીમો પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. કોટંબી સ્ટેડિયમમાં ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ સહિત તમામ ખેલાડીઓએ સખત મહેનત કરી હતી. સ્પિનર કુલદીપ યાદવે પણ સતત બોલિંગ પ્રેક્ટિસ કરી અને સપોર્ટ સ્ટાફ સાથે મસ્તીભર્યા પળો વિતાવ્યા હતા. ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓ કે.એલ.રાહુલ, વોશિંગ્ટન સુંદર પણ પૂરી તાકાતથી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે પણ સ્ટેડિયમમાં લાંબી પ્રેક્ટિસ સેશન કરી હતી અને કોઈ કસર છોડી નહોતી. 6 વર્ષ પહેલા મેં પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળી: પ્રણવ અમીનબરોડા ક્રિકેટ એસોસિયેશન(BCA))ના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, સૌથી પહેલા મારા પિતા અને ત્યારબાદ સમરજીતસિંહ ગાયકવાડ અને BCAના તમામ કમિટી મેમ્બર્સ આ માટે વર્ષોથી પ્રયત્નશીલ હતા. જ્યારે 6 વર્ષ પહેલા મેં પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળી, ત્યારે અમારું મુખ્ય લક્ષ્ય આ સ્ટેડિયમનું નિર્માણ પૂરું કરવાનું હતું. વચ્ચે કોવિડનો સમયગાળો આવ્યો હોવા છતાં, અમે કામ ચાલુ રાખ્યું અને આજે અહીં શાનદાર ફેસિલિટી તૈયાર છે. બરોડા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે કે રવિવારે અહીં મેચ રમાવા જઈ રહી છે.​ BCCI ભવિષ્યમાં આપણને હજુ પણ ઇન્ટરનેશનલ મેચો ફાળવશેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની જનતા ક્રિકેટની ખૂબ જ ચાહક છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ સ્ટેડિયમમાં આવીને મેચનો આનંદ માણશે અને શિસ્તબદ્ધ વર્તન કરશે. અગાઉ જ્યારે વુમન્સ પ્રીમિયર લીગમાં પણ જનતાએ જે રીતે સપોર્ટ કર્યો હતો, તેના કારણે જ વડોદરાને વધુ મેચો મળી રહી છે. જો આપણે આ વખતે પણ સારું વાતાવરણ જાળવીશું, તો BCCI ભવિષ્યમાં આપણને હજુ પણ વધુ ઇન્ટરનેશનલ મેચો ફાળવશે. ​એન્ટ્રી-એક્ઝિટ અને ખાણી-પીણીની વ્યવસ્થા પર ખાસ ધ્યાનતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આમાં માત્ર BCA જ નહીં, પરંતુ BCCIનો સ્ટાફ, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર પણ જોડાયેલું છે. ઘણી બધી મિટિંગો થઈ છે, જેમાં હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેડિયમની અંદર સેફ્ટી મેનેજમેન્ટ, પ્રેક્ષકોની એન્ટ્રી-એક્ઝિટ અને ખાણી-પીણીની વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમને આશા છે કે બધું જ પ્લાનિંગ મુજબ પાર પડશે. ​1200થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશેવડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, 11મી જાન્યુઆરીના રોજ અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચનું આયોજન થવાનું છે. પોલીસ દ્વારા તેનું અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું છે. મેચની ​સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ​1200થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ​6થી વધુ DYSP કક્ષાના અધિકારીઓ દેખરેખ રાખશે. ​100થી વધુ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ આખી વ્યવસ્થા સંભાળશે. ​પાર્કિંગ બાબતે અમે BCA સાથે સંકલન કરીને પર્યાપ્ત વ્યવસ્થા કરી છે, જેથી મેચ જોવા આવતા લોકોને કોઈ તકલીફ ન પડે.​ 'શું કરવું અને શું ન કરવું'ની યાદી પણ બહાર પાડીઅમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, દૂર-દૂરથી આવતા ક્રિકેટ પ્રેમીઓને એક સુખદ અનુભવ મળે. આ માટે અમે 'શું કરવું અને શું ન કરવું' (Dos and Don'ts)ની યાદી પણ બહાર પાડી છે. લોકો સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વડોદરા શહેરથી સ્ટેડિયમ સુધીના રૂટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. મેચ પૂરી થયા બાદ જ્યારે ટ્રાફિકનું ભારણ વધશે, ત્યારે ટ્રાફિકમાં રાહત મળે તે માટે એક વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ મેચ વડોદરા જિલ્લા અને શહેર માટે ખૂબ જ ગૌરવની વાતતેઓએ ઉમેર્યું હતું કે, આ મેચ વડોદરા જિલ્લા અને શહેર માટે ખૂબ જ ગૌરવની વાત છે. અમે અત્યારે આ નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમમાં ઉભા છીએ, જે વિશ્વના શ્રેષ્ઠ સ્ટેડિયમોમાંનું એક બનશે. મેનેજમેન્ટ ટીમ અને પોલીસે ખૂબ મહેનત કરી છે. મારી તમામ લોકોને અપીલ છે કે મોટી સંખ્યામાં આવે અને આ મેચનો આનંદ માણે. આ મેચ આપ સૌના માટે યાદગાર બની રહે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:05 am

ભારતીય કિસાન સંઘની મોટી જાહેરાત:વડાપ્રધાનના કાર્યક્રમના પગલે ખેડૂતોનું આંદોલન હાલ સ્થગિત

ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 તારીખે યોજાનાર કિસાનોના આંદોલનને હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સંઘના મહામંત્રી આર.કે. પટેલે સત્તાવાર નિવેદન આપીને માહિતી આપી છે. વડાપ્રધાનના મહત્વપૂર્ણ કાર્યક્રમ તેમજ પ્રોટોકોલ અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘના જણાવ્યા અનુસાર, સરકાર સાથે થયેલી ચર્ચામાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ સર્જાઈ છે. કિસાનોના હિતને લગતા અનેક પ્રશ્નોમાં સરકાર સકારાત્મક વલણ દાખવી રહી હોવાનો દાવો પણ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં સંઘે હાલ તણાવ ન વધે અને વ્યવસ્થાઓ સુચારુ રીતે ચાલે તે માટે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સંઘના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, આંદોલન સંપૂર્ણ રીતે પાછું ખેંચવામાં આવ્યું નથી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને થોભાવવામાં આવ્યું છે. જો આવનારા સમયમાં કિસાનોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ નહીં આવે, તો ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે કિસાનોને શાંતિ જાળવવા અને સંઘના આગામી નિર્ણય સુધી રાહ જોવા અપીલ કરી છે. સરકાર સાથે સંવાદ ચાલુ રાખીને કિસાનોના હક અને હિત માટે લડત યથાવત રહેશે તેમ પણ સંઘે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 11:38 pm

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા:પત્નીનું અપમાન કરનાર મિત્રને બે મિત્રોએ મોતને ઘાટ ઉતાર્યો

મગદલ્લા જંક્શન પાસે ચાની દુકાન ચલાવતા રોહિતસિંઘની હત્યાના કેસમાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ રહી હતી કે, અનેક મહત્વના સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હોવા છતાં, વૈજ્ઞાનિક પુરાવાઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ન્યાય મળ્યો હતો. મરનારનું લોહી જે આરોપીઓના કપડાં અને હથિયાર પર મળી આવ્યું હતું, તે જ પુરાવો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે નિર્ણાયક સાબિત થયો હતો. 80 હજારના દેવામાંથી મુક્તિ મેળવવા રચાયું હત્યાનું કાવતરુંઘટનાની વિગત મુજબ, આરોપી અજય સદામ ગઢાઈએ રોહિતસિંઘ પાસેથી 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. રોહિતસિંઘ દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતા, અજયે નાણાં પરત ન આપવા પડે તે માટે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 16 સપ્ટેમ્બર 2021ના રોજ, જ્યારે રોહિતસિંઘ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અજયે તેના સાથીદાર કિશન ગુપ્તા સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફરિયાદી પક્ષના વકીલોની દલીલો અને લોહીના નમૂનાના મજબૂત પુરાવાને માન્ય રાખી કોર્ટે બંનેને સખત સજા કરી છે. ડિંડોલીમાં પત્ની વિશેની અભદ્ર ટિપ્પણીએ લીધો મિત્રનો જીવબીજી તરફ, સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતાના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. માનસી રેસિડેન્સી પાસેના ખુલ્લા મેદાનમાં ત્રણ મિત્રો વચ્ચે બેસીને વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવી બે મિત્રોએ મળીને ત્રીજા મિત્ર ઉમાશંકરસિંઘ પાંડેની હત્યા કરી નાખી હતી. ઉમાશંકર પાંડેસરામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. મિત્રો સાથેની બેઠકમાં તેમણે એક મિત્રની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો, જે અંતે લોહીયાળ સંઘર્ષમાં પરિણમ્યો હતો. પત્નીની મર્યાદા બાબતે ઠપકો આપતા ઝઘડો ઉગ્ર બન્યોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 8મી જાન્યુઆરીની સાંજે ઉમાશંકર તેમના મિત્રો આશુ અને દિલ્લુ યાદવ સાથે મેદાનમાં બેઠા હતા. વાતવાતમાં ઉમાશંકરે આશુની પત્ની વિશે ખરાબ શબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આશુએ તેને પત્ની વિશે આવી વાત ન કરવા વારંવાર સમજાવ્યો હોવા છતાં ઉમાશંકર ગાળો બોલતા રહ્યા હતા. આ બાબતે આશુ અને દિલ્લુ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમાશંકરને ઢીક-મુક્કી તેમજ બોથડ પદાર્થ વડે એટલો ઢોર માર માર્યો કે હોસ્પિટલ પહોંચતા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા થઈ રહી હતી ત્યારે જ પત્નીનો ફોન આવ્યો, પણ 'મેટર' ન ઉકેલાઈઆ કેસનો સૌથી કરુણ વળાંક એ છે કે, જ્યારે ઉમાશંકર પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે જ તેમની પત્ની રુચિસિંઘનો ફોન આવ્યો હતો. રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ઉમાશંકરે ફોન ઉપાડીને પત્નીને ફક્ત એટલું જ કહ્યું હતું કે, હું મિત્રો આશુ અને દિલ્લુ સાથે બેઠો છું અને એક મેટરમાં ઝઘડો ચાલી રહ્યો છે. આટલું કહીને ફોન કપાઈ ગયો હતો. એ સમયે પત્નીને અંદાજ પણ નહોતો કે જે મિત્રોના નામ તેનો પતિ લઈ રહ્યો છે, તે જ લોકો તેને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પોલીસ તપાસ અને સ્મીમેર હોસ્પિટલમાં લાશ મળતા પરિવારમાં માતમબીજા દિવસે સવાર સુધી ઉમાશંકર ઘરે ન પહોંચતા અને ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. અંતે તપાસ કરતા જાણવા મળ્યું કે ઉમાશંકરની લાશ સ્મીમેર હોસ્પિટલમાં પડી છે. ડિંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આમ, સુરતમાં બનેલી આ બે અલગ ઘટનાઓ દર્શાવે છે કે, ક્યારેક સામાન્ય બોલાચાલી કે નાણાકીય લેણદેણ માણસને જનમટીપ સુધી પહોંચાડી દે છે અથવા જીવ ગુમાવવાનો વારો આવે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 11:30 pm

જિલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમ ઝડપાયો:પોરબંદરમાં બીરલા હોલ રોડ પરથી પોલીસે પકડ્યો

પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ જિલ્લામાંથી તડીપાર કરાયેલા એક ઇસમને ફરી જિલ્લામાં પ્રવેશ કરતા ઝડપી પાડ્યો છે. સંજય બાબુભાઈ ગોરાણીયા નામના આ આરોપીને પોરબંદર શહેરના બીરલા હોલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો, અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે સંજય બાબુભાઈ ગોરાણીયા સામે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, કુતિયાણા દ્વારા તડીપારીનો આદેશ અપાયો હતો. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સંજય બાબુભાઈ ગોરાણીયા, રહે. હનુમાનગઢ ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદરને ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી બે વર્ષ માટે પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ છતાં, આરોપી સંજય બાબુભાઈ ગોરાણીયા (ઉંમર ૩૧) પોરબંદર શહેરના બીરલા હોલ રોડ પર ધોબી સમાજ પાસે હાજર હતો. તે હનુમાનગઢ ગામના વાડી વિસ્તાર ગંડીયાવાળા નેસ તરફ જતા રસ્તે મળી આવ્યો હતો, જેના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી માટે તેને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. એલ.સી.બી.ની આ કાર્યવાહી તડીપારીના આદેશનો ભંગ કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:56 pm

RGT કોલેજ ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા:પોરબંદર LCBએ દરોડો પાડી ₹20,600 રોકડા જપ્ત કર્યા

પોરબંદરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે જુગાર પર કાર્યવાહી કરવામાં આવી છે. બીરલા ફેક્ટરી સામે આવેલા RGT કોલેજના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ દેવાયતભાઈ મોરી, ભરતસિંહ મનુભા જેઠવા, રામા ઉર્ફે ભભન પાંચાભાઈ કટારા અને ભીખુ જીવાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI ગોવિંદભાઈ મકવાણા અને HC જીતુભાઈ દાસાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચારેય આરોપીઓ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર માટે વપરાતા ગંજીપાનાના પાનાં અને કુલ ₹20,600/- રોકડા જપ્ત કર્યા હતા.આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:49 pm

મુખ્યમંત્રીએ હિંમતનગરમાં કુષ્ઠ યજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી:પદ્મશ્રી સુરેશભાઈ સોનીના સેવાકાર્યને બિરદાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ખાતે આવેલી સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી હતી. તેઓ શામળાજી મહોત્સવમાં જતા પહેલા સાંજે 5:30 કલાકે સંસ્થા પહોંચ્યા અને લગભગ 40 મિનિટ રોકાઈને 6:20 કલાકે શામળાજી જવા રવાના થયા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સંસ્થાના સ્થાપક અને જાણીતા સમાજસેવક પદ્મશ્રી સુરેશભાઈ સોનીની માનવસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કુષ્ઠરોગથી પીડિત વ્યક્તિઓની સારવાર અને પુનર્વસન માટે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ, તાલીમ કેન્દ્રો અને નિવાસી સંકુલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી. પદ્મશ્રી સુરેશભાઈ સોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, સુરેશભાઈએ પોતાનું સમગ્ર જીવન કુષ્ઠરોગીઓના પુનર્વસન અને તેમના સન્માનજનક જીવન માટે સમર્પિત કર્યું છે. તેમની આ નિઃસ્વાર્થ સેવાના પરિણામે હજારો દર્દીઓ સમાજની મુખ્યધારામાં જોડાઈ શક્યા છે. મુખ્યમંત્રીએ સંસ્થામાં આશ્રય લઈ રહેલા દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે સંસ્થાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો અને સમર્પિત કાર્યકરોની સેવાભાવનાને બિરદાવી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, સંસ્થાના પરિવારજનો અને સંચાલકો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:25 pm

મુખ્યમંત્રીએ શામળાજી મહોત્સવનું સમાપન કર્યું:અરવલ્લી જિલ્લાને ₹168 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા શામળાજી મહોત્સવનું સમાપન કર્યું હતું. આ પ્રસંગે તેમણે અરવલ્લી જિલ્લાને ₹168 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્ય સરકારે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ કાર્યક્રમ હતો. આ શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ સમાન બન્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લા માટે ₹1232 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી, વિરાસત ભી મંત્રનો ઉલ્લેખ કર્યો હતો, જે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની દિવ્યતા જાળવીને આધુનિક વિકાસ સાધે છે. તેમણે ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારોને આવાસ, અભ્યાસ, આજીવિકા અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. આદિજાતિ વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ શરૂ થવાથી આદિવાસી પરિવારોના સંતાનો માટે ડોક્ટર અને એન્જિનિયર બનવાની તકો ખુલી છે. રાજ્ય મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી મહોત્સવ આદિજાતિ સમુદાયની એકતા, સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતીક છે. આ વર્ષે હજારો લોકોની ભાગીદારી અને કલાકારોના લોકસંગીત, નૃત્ય તથા ભક્તિમય વાતાવરણથી સમુદાયનો વારસો વધુ મજબૂત બન્યો છે. તેમણે ઉમેર્યું કે, આજે મળેલા વિકાસ કાર્યો અને લોકાર્પણથી અરવલ્લીના વિકાસને વધુ વેગ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના ₹107.02 કરોડના પ્રકલ્પો, શિક્ષણ વિભાગના ₹24.49 કરોડના વિવિધ પ્રકલ્પો, રમતગમત વિભાગના ₹19.9 કરોડના પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ₹12.5 કરોડના પ્રkલ્પો અને જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ₹3.46 કરોડના પ્રકલ્પો સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમો અને કિશન મિશન મંગલમ જૂથોને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શામળાજી મહોત્સવના સમાપન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો ભીખુસિંહજી પરમાર અને ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:23 pm

ગાંધીનગરમાં પ્રથમ રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન, PM મોદીની વિઝનરી લીડરશીપમાં માઈનિંગ સેક્ટરનો રોડમેપ તૈયાર થશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ત્રણ દિવસીય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નવા ભારતના નિર્માણ માટે માઈનિંગ સેક્ટરનો સ્પષ્ટ અને દ્રઢ રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે. માઈનિંગ સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, વડાપ્રધાન દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે વ્યાપક સુધારાઓ લાવ્યા છે. ક્લિયર પોલિસી, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે માઈનિંગ સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસના સિદ્ધાંત પર આધારિત ગ્રીન માઈનિંગ, સાયન્ટિફિક રેક્લેમેશન અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત લિગ્નાઈટ, લાઈમસ્ટોન અને બોક્સાઇટ જેવા મુખ્ય ખનિજોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે ખાણ ખનિજ ક્ષેત્રને પારદર્શિતા, અનુશાસન અને નિયમોની કડક અમલવારીનું પ્રતીક બનાવ્યું છે. ખાણથી અંતિમ સ્થળ સુધી ખનિજ પરિવહન માટે GPS આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાત પોતાની ખનિજ સંપત્તિ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’થી ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. 11 વર્ષમાં મિનરલ એક્સપ્લોરેશનમાં 190 ટકાનો વધારો થયો છે કેન્દ્રીય કોલસા અને ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, ભારતનું માઈનિંગ ક્ષેત્ર વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે. છેલ્લા 11 વર્ષમાં મિનરલ એક્સપ્લોરેશનમાં 190 ટકાનો વધારો થયો છે અને પારદર્શક હરાજી તથા DMFના કારણે રાજ્યોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. લિથિયમ, કોબાલ્ટ અને ટંગસ્ટન જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારત હવે માત્ર ખનન નહીં પરંતુ રિફાઇનિંગ, રિસાયકલિંગ અને રિપ્રોસેસિંગની સમગ્ર વેલ્યુ ચેઇન તરફ આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત @2047ના લક્ષ્ય માટે ખનિજ ક્ષેત્ર અને જળ વ્યવસ્થાપન વચ્ચેનું સંકલન અનિવાર્યકેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ખનિજ ક્ષેત્રને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાવતા કહ્યું કે, વિકસિત ભારત @2047ના લક્ષ્ય માટે ખનિજ ક્ષેત્ર અને જળ વ્યવસ્થાપન વચ્ચેનું સંકલન અનિવાર્ય છે. તેમણે ‘માઈનિંગ વિથ માઇન્ડફુલનેસ’નો મંત્ર આપતા પર્યાવરણ અને જળ સંસાધનોની જાળવણી સાથે જવાબદાર ખનન પર ભાર મૂક્યો. આ ચિંતન શિબિરમાં બિહારના ઉપમુખ્યમંત્રી સહિત દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ, કેન્દ્રીય રાજ્ય મંત્રી સતિષચંદ્ર દુબે અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આગામી વર્ષો માટે માઈનિંગ ક્ષેત્રનો વ્યૂહાત્મક પ્લાન તૈયાર કરવા, ડિજિટાઈઝેશન, આરએન્ડડી, કૌશલ્ય વિકાસ અને ‘અર્બન માઈનિંગ’ જેવા વિષયો પર વિસ્તૃત મંથન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:14 pm

લગ્ન પહેલા થેલેસેમિયા રિપોર્ટ મેળવવો જરૂરી:ગોધરા કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો, નિષ્ણાતોએ આપી માહિતી

ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે NSS વિભાગ દ્વારા થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો. અરુણસિંહ સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દીકરા-દીકરીઓના લગ્ન નક્કી કરતી વખતે જન્માક્ષર મેળવવા કરતાં થેલેસેમિયા રિપોર્ટ મેળવવો વધુ જરૂરી છે. ડો. સોલંકીએ ચેતવણી આપી હતી કે જો બે થેલેસેમિયા માઈનર પાત્રોના લગ્ન થાય, તો તેમના સંતાનને થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે, જે એક ગંભીર તબીબી સ્થિતિ છે. તેમણે થેલેસેમિયા માઈનર અને મેજર વચ્ચેનો તફાવત, રોગના કારણો અને મેજર બાળકોના વાલીઓને પડતી મુશ્કેલીઓ વિશે સરળ ભાષામાં સમજણ પૂરી પાડી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડેએ વિદ્યાર્થીઓને થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા માટે પ્રેરણા આપી હતી. સમાજમાં આ રોગ અંગે જાગૃતિ લાવવા અને તેના ફેલાવાને અટકાવવા માટે લગ્ન પૂર્વે બ્લડ ટેસ્ટ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. સ્નેહાબેન વ્યાસ, ડો. પાયલબેન વ્યાસ, ડો. ઉન્નતીબેન પરમાર, પ્રો. મયંક કોંકણી અને જી.એસ. સંસ્કૃતિ દવે સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં ડો. વીણાબેન પટેલ અને ડો. અજીતસિંહ ચૌહાણનો સહયોગ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 10:10 pm

12મીએ વાહનચાલકોએ વૈકલ્પિક રૂટ લેવો પડશે:PMના પ્રવાસને લઈને વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધી પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ બંને તરફ બંધ રહેશે, ટ્રાફિક પોલીસનું જાહેરનામું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 12મીએ વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને વૈકલ્પિક રોડની અવર જવર માટે ઉપયોગ કરવો પડશે. પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં હાજરી આપવાના છે તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં VIP અને VVIP પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવાના છે. જેથી પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકોને ડાયવર્ઝન રૂટ માટે વાડજ સ્મશાન ગૃહ કટ થઈ વાડજ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, ઇન્કમટેક્સ ઓવરબ્રિજ મધ્યભાગ, બાટા શો રૂમ, ડી લાઇટ ચાર રસ્તા, ટાઉન હોલ ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા થઈને અવર જવર કરી શકશે. આ જાહેરનામાંનો અમલ 12મીએ સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરવો પડશે તેમજ જો કોઈ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છેશહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગનું કામ ચાલી રહ્યું છે. કેડિલા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ, કેડિલાબ્રિજ પર ટેક્નિકલ કારણોસર રેલ્વેના શિડ્યુલને કારણે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ નથી. જેથી આ કામગીરી આગામી 30 તારીખ સુધી કરવામાં આવશે. જેથી ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. BRTS રોડ ઉપયુક્ત સમયગાળા માટે બંને છેડાથી આશરે 600 મીટર જેટલો બંધ રહેશેજેમાં કેડિલા બ્રિજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ ઉપયુક્ત સમયગાળા માટે બંને છેડાથી આશરે 600 મીટર જેટલો બંધ રહેશે. જેથી, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે કેડિલા બીજ ઉપરથી અવર જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે તેમજ સદર કેડીલા બ્રિજ ઉપર રાત્રિ દરમિયાન અવરજવર કરતા વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે એટલે કે જે સાઇડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવરજવર કરી શકશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:52 pm

મોરબીની સેવાભાવી સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ:દીવાલમાં બાકોરું પાડી નરાધમોએ રૂમ ઘૂસી હવસનો શિકારી બનાવી, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

મોરબી શહેરમાં સમાજને લાલબત્તી સમાન એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. શહેરની એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ પર અજાણ્યા નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા હવસખોરોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. હવસખોર શખ્સોએ સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી, તેની દીવાલમાં બાકોરું પાડીને શખ્સો અંદર ઘૂસ્યા હતા. નરાધમોએ રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી અને ગુનો આચરી ફરાર થઈ ગયા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટઆ ગંભીર બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક પુરાવાઓ અને સંસ્થાની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. વધતી વિકૃતિ ચિંતાનો વિષયવર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, ત્યારે મોબાઈલ પર ઉત્તેજના ફેલાવતી સામગ્રી જોયા બાદ માનસિક વિકૃતિના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું જણાય છે. અગાઉ પણ નાની બાળાઓ અને સગીરાઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ માટે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે. હાલમાં મોરબી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:48 pm

દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં બાળકોનું પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું:નર્સરી અને શિશુવર્ગના વિદ્યાર્થીઓએ તહેવારો-પ્રકૃતિ રજૂ કરી

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં નર્સરી અને શિશુવર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાળકોએ વિવિધ વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. નર્સરીના વિદ્યાર્થીઓએ ઝાડ અને ફૂલોના સુંદર પ્રોજેક્ટ બનાવ્યા હતા. નર્સરી-ક,ખના વિદ્યાર્થીઓએ ઝાડ અને નર્સરી-ગ,ઘના વિદ્યાર્થીઓએ ફૂલોના પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા. આ વર્ગોના શિક્ષકો રૂચિતાબહેન રાવળ, હિમાલીબેન, નંદાબહેન અને રૂચિતાબહેન શાહના માર્ગદર્શન હેઠળ બાળકો ઝાડ અને ફૂલ બનીને આવ્યા હતા. શિશુવર્ગના વિદ્યાર્થીઓએ રથયાત્રા, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રી, હોળી, જન્માષ્ટમી, ગણેશચતુર્થી અને રાષ્ટ્રીય તહેવારો જેવા વિવિધ તહેવારોના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. બાળકોએ પોતાના પ્રોજેક્ટ વિષય પર સુંદર વક્તવ્ય પણ આપ્યા. શિશુવર્ગના શિક્ષકો જયશ્રીબહેન દેસાઈ, મિતાલીબહેન સરવૈયા અને અલ્પાબેન સોલંકીએ બાળકોને આ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને શિક્ષકોના કાર્યની સરાહના કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે કર્યું હતું. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે નર્સરી અને શિશુવર્ગના શિક્ષકોએ સઘન પ્રયાસો કર્યા હતા, જેમાં વાલીઓનો પણ સહકાર મળ્યો હતો. કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:47 pm

UGVCL ક્રિકેટ ટુર્નામેન્ટની કાલે ફાઇનલ:હિંમતનગર અને પાલનપુર સર્કલ વચ્ચે 18મી ઇન્ટર સર્કલ ટ્રોફી માટે મુકાબલો

UGVCL દ્વારા આયોજિત 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આવતીકાલે હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલ વચ્ચે રમાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર UGVCL સર્કલના યજમાન પદે આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ હિંમતનગરના ધ ગેલેક્સી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. ટુર્નામેન્ટના પ્રારંભે 20 ઓવરની પ્રથમ મેચ સાબરમતી સર્કલ અને મહેસાણા કોર્પોરેટ ઓફિસ વચ્ચે રમાઈ હતી. જેમાં મહેસાણા કોર્પોરેટ ઓફિસે 6 વિકેટે 123 રન બનાવ્યા હતા, જ્યારે સાબરમતી સર્કલની ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ હતી. આથી, મહેસાણા કોર્પોરેટ ઓફિસ 30 રને વિજયી બન્યું હતું. શુક્રવારે સવારે હિંમતનગર સર્કલ અને મહેસાણા સર્કલની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં હિંમતનગર સર્કલે 9 વિકેટે 133 રન કર્યા હતા, જ્યારે મહેસાણા સર્કલ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન બનાવી શકતા 4 રનથી હાર્યું હતું. આ જીત સાથે હિંમતનગર સર્કલ ફાઇનલમાં પહોંચ્યું હતું. બીજી મેચ 20 ઓવરની પાલનપુર સર્કલ અને મહેસાણા કોર્પોરેટ વચ્ચે યોજાઈ હતી. જેમાં પાલનપુર સર્કલે 6 વિકેટે 198 રન બનાવ્યા હતા. તેની સામે મહેસાણા કોર્પોરેટ ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેથી પાલનપુર સર્કલનો વિજય થયો હતો. UGVCL દ્વારા આયોજિત આ 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે સિલેક્ટર રિપલ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે 40 ઓવરની ફાઇનલ મેચ હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલ વચ્ચે રમાશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:45 pm

પાટણના 4 એવોર્ડી શિક્ષકોનું સન્માન:રાજ્ય શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણ મંત્રીના હસ્તે બહુમાન.

ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશન દ્વારા ગાંધીનગરના સુઘડ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ ખાતે વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લાના ચાર એવોર્ડી શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. આ શિક્ષકોને શિક્ષણ મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાંથી સન્માનિત થયેલા શિક્ષકોમાં ડિજિટલ ગુરુ તરીકે ડો. એલ.કે. ચૌધરી સાહેબનો સમાવેશ થાય છે, જેમણે શિક્ષણ અને ICT ક્ષેત્રે કરેલી કામગીરી બદલ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના પારિતોષિકો મેળવ્યા છે. કલ્પેશભાઈ અખાણી સાહેબને સાહિત્ય સાધના પારિતોષિકથી સન્માનિત કરાયા હતા, જેમણે ગણિત અને સાહિત્ય ક્ષેત્રે કરેલી કામગીરી બદલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવ્યું છે. વર્ષ 2024ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન બદલ ડો. હેમાંગીનીબેન પટેલ અને ડો. ઝુઝારસંગ સોઢાનું પણ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને શિક્ષકોને તેમની શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. આ ચાર શિક્ષકોએ સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે બોરીસાગર સાહેબે જણાવ્યું હતું કે શિક્ષક હોવું એ ગૌરવની વાત છે અને શિક્ષકોએ સ્વયંમાં ગૌરવ તથા સ્વાભિમાન જગાવવાની જરૂર છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.સી. જોષી સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને વિચાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટી કમલ મંગલજીએ જીવન વિદ્યા અને તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. શિક્ષકોના એસ.ટી. બસના પાસ બાબતના પ્રશ્નોના નિરાકરણ અંગે માનનીય ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 5 સપ્ટેમ્બર, 2023ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો માટે નિગમની તમામ બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી હતી, જેનો અમલ પણ થઈ ગયો છે. પ્રવર્તમાન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌ શિક્ષકો આદરને પાત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના બે લાખ શિક્ષકોમાં વિશિષ્ટ કાર્ય કરીને આ એવોર્ડી શિક્ષકોએ પોતાની શાળાનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ અધિવેશનને સફળ બનાવવા માટે શૈલેષભાઈ, સંજયભાઈ અને સમગ્ર ટીમે સઘન પ્રયાસો કર્યા હતા. પાટણ જિલ્લા એવોર્ડ ટીચર્સ ફેડરેશનના કન્વીનર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઘેમરભાઈ દેસાઈ સહિત પાટણમાંથી કુલ 22 જેટલા સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:44 pm

શાંતિ એશિયાટિક સ્કૂલમાં પ્રાયમરી ક્લાસ માટે સ્પોર્ટ્સ ડે:વિદ્યાર્થીઓએ ફૂટબોલ, સ્કેટિંગ, ચેસ સહિત કૌશલ્યનું પ્રદર્શન કર્યું

અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં પ્રાયમરી ક્લાસના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓએ રમતગમત કૌશલ્ય અને ટીમવર્કનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ખોખો, ફૂટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ અને ચેસ જેવી વિવિધ રમતોનો સમાવેશ થતો હતો. ધોરણ એક થી પાંચના પ્રાયમરી ક્લાસના વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતના વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટે વિદ્યાર્થીઓને ખેલદિલી, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:43 pm

3 વર્ષથી ફરાર અપહરણ, દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો:પોક્સો ગુનામાં વચગાળાના જામીન પરથી ભાગી છૂટ્યો હતો, નામ બદલીને રહેતો હતો

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને સાયલા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વચગાળાના જામીન પરથી ભાગી છૂટ્યો હતો અને પોતાનું નામ બદલીને રહેતો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) એ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના I/C પો.સબ.ઈન્સ. એન.એ. રાયમાના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ કર્યું હતું અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી સંજય લાભુભાઈ સુરેલાને સાયલા સુદામડા રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સંજય લાભુભાઈ સુરેલા (ઉં.વ. 25, ધંધો-મજુરી, રહે. લીંબડી, ચુનારાવાડ, રેલવે સ્ટેશન સામે, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર) રાજકોટ મધ્યસ્થ જેલનો કાચા કામનો કેદી હતો, જે છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાની રજા પરથી ફરાર હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI જે.વાય. પઠાણ, PSI એન.એ. રાયમા, HC મુન્નાભાઈ નાનજીભાઈ, PC શક્તિસિંહ જોરુભા, PC કપિલભાઈ ખોડાભાઈ અને SL.HC વિક્રમભાઈ નારાયણભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:43 pm

ડોંગરેજી શાળાના વિદ્યાર્થીએ નિપુણ ભારત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:ઝોન 3 URC કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં શાળાનું ગૌરવ વધાર્યું

ઝોન 3 URC કક્ષાએ નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગોદડીયા વીર રવિભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ 4ના વિદ્યાર્થી ગોદડીયા વીર રવિભાઈએ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, સાક્ષી નિશાંત કદમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ બંને વિજેતા બાળકોનું શાળાના પ્રાર્થના સંમેલનમાં સન્માન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:42 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી છાત્રાલયને રાશન, કપડાં ભેટ:જૂના પાણીના બાળકો માટે એક મહિનાની ભોજન સામગ્રી, ગરમ વસ્ત્રો અપાયા

દાહોદ જિલ્લાના જૂના પાણી ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા આધાર ટ્રસ્ટ અને મોજાળ ફળિયા ગ્રામ્ય સમિતિ સંચાલિત સ્થળાંતરિત આદિવાસી બાંધકામ શ્રમિક વિદ્યાર્થી છાત્રાલયના બાળકોને ભેટ આપવામાં આવી હતી. ધોરણ 1 થી 9 માં અભ્યાસ કરતા બાળકો માટે એક મહિનાથી વધુ ચાલે તેટલી ભોજન સામગ્રી, ગરમ વસ્ત્રો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું.આ ભેટમાં ઘઉંનો લોટ (108 કિલો), ચોખા (112 કિલો), તુવેર દાળ (26 કિલો), મગની દાળ (26 કિલો), મગ (26 કિલો), ખાંડ (26 કિલો), ગોળ (26 કિલો), મસાલા (મરચું, ધાણાજીરું, હળદર - કુલ 15 કિલો), તેલ (20 કિલો) અને ચા (7 કિલો) જેવી ભોજન સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગરમ ટોપી, ગરમ ધાબળા, વેસેલિન, બાળકોના નવા કપડાં, પડદા, ચવાણું, બિસ્કિટ, કાપડની થેલી, મીણબત્તી, માચીસ અને રમકડાં પણ આપવામાં આવ્યા હતા.આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, વિજય દલાલ અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આધાર ટ્રસ્ટના વિપુલ પંડ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને માર્ગદર્શન કર્યું હતું. છાત્રાલયના લક્ષ્મીબેન અને નરેશભાઈએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.આ છાત્રાલયમાં દાહોદ જિલ્લાના જૂના પાણી ગામ અને આસપાસના સાત ગામના બાંધકામ મજૂરોના સંતાનો રહીને અભ્યાસ કરે છે. કાર્યક્રમ દરમિયાન બાળકોએ આદિવાસી ગીતો પણ રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:41 pm

નવાવાડજમાં મનોદિવ્યાંગજનો માટે દેવી ભાગવત કથા:નવજીવન ટ્રસ્ટ અને સ્મિત સેન્ટર દ્વારા નવદુર્ગા મહોત્સવ ઉજવાયો

નવાવાડજમાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પાંચમા દિવસે નવદુર્ગા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કથાનું આયોજન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્મિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વાડી ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન, એક મનોદિવ્યાંગ દીકરી સહિત કુલ નવ દીકરીઓને નવદુર્ગાના સ્વરૂપે બિરાજમાન કરવામાં આવી હતી. તેમનું પૂજન કરીને ભેટ અર્પણ કરવામાં આવી હતી અને આરતી ઉતારવામાં આવી હતી. નવદુર્ગા બનેલી દીકરીઓએ રાસ પણ રમ્યો હતો. કથા અંતર્ગત આ વિશેષ પ્રસંગનું યજમાનપદ સંગીતાબેન નિલેશ પંચાલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પણ પૂજન અને આરતીનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:40 pm

આર.કે. યુનિવર્સિટીમાં ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ પર FDP:ફિઝિયોથેરાપી સ્કૂલે બાયોમેડિકલ સંશોધન માટે કાર્યક્રમ યોજ્યો

રાજકોટ સ્થિત આર.કે. યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા 30 ડિસેમ્બરે ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ (GCP) અને બાયોમેડિકલ રિસર્ચ વિષય પર એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવ સંશોધનમાં નૈતિકતા, ગુણવત્તા અને નિયમનકારી માર્ગદર્શિકાઓ વિશે જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન આર.કે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમિત લાઠીગારાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ FDP માટે ડૉ. પ્રિયાંશુ રાઠોડને સંસાધન વ્યક્તિ તરીકે આમંત્રિત કરાયા હતા.ડૉ. રાઠોડે ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસની માર્ગદર્શિકાઓ, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ અને બાયોમેડિકલ સંશોધનની નૈતિક બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓમાંથી ફેકલ્ટી સભ્યો અને સંશોધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપનમાં પ્રતિસાદ સત્ર યોજાયું હતું અને કાર્યક્રમ સંયોજક ડૉ. પાર્થકુમાર દેવમુરારી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:39 pm

યુનાઇટેડ વે ઓફ ગરબા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ:વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળાની દીકરીઓને સહાય

યુનાઇટેડ વે ઓફ ગરબા દ્વારા વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કીટ શાળામાં અભ્યાસ કરતી ગરીબ અને માતા-પિતા વિહોણી દીકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના હેતુથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત, શાળાના આચાર્ય વિપુલ મકવાણા અને સમગ્ર શાળા પરિવારે યુનાઇટેડ વે ઓફ ગરબાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સહાયથી વિદ્યાર્થીનીઓને શિક્ષણ મેળવવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:38 pm

સાબરમતી કુમાર શાળાનો રસોત્સવ ગાંધીનગર ટાઉનહૉલ ખાતે યોજાયો:વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર સાંસ્કૃતિક પર્ફોમન્સ રજૂ કર્યા

મણિલાલ મગનલાલ સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સાબરમતીની કુમાર શાળા દ્વારા ગાંધીનગર ટાઉનહૉલ ખાતે રસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, મહાનુભાવો, આમંત્રિતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રસોત્સવમાં નગીનદાસ મગનલાલ હાઈસ્કૂલ અને પોપટલાલ મગનલાલ પ્રાથમિક શાળા, સાબરમતીના કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકા, જુનિયર અને સિનિયર વિભાગના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પર્ફોમન્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગણેશા થીમ, ઓપરેશન સિંદૂર, રાધે રાધે, કાશ્મીર ટુ કન્યાકુમારી, તારક મહેતા, મોર્ડન ગરબા, દશાવતાર, એજ્યુકેશન થીમ ડાન્સ અને બોલીવુડ ધમાકા જેવી વિવિધ થીમ પર આકર્ષક પ્રસ્તુતિઓ આપી હતી. ઉપસ્થિત સૌએ પર્ફોમન્સ કરનાર તમામ વિદ્યાર્થીઓ અને આયોજનમાં જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:38 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ:છત્તીસગઢમાં યોજાનારી પ્રથમ નેશનલ રોવર-રેન્જર જાંબોરીમાં ભાગ લેશે

સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી 9 થી 13 જાન્યુઆરી, 2025 દરમિયાન છત્તીસગઢ ખાતે યોજાનારી પ્રથમ નેશનલ રોવર-રેન્જર જાંબોરીમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ યુનિવર્સિટીના 'ધ ભારત સ્કાઉટ ગાઇડ સેલ'ના વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ તક મળી છે. આ રાષ્ટ્રીય સ્તરની જાંબોરીમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના કુલ 15 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેઓ પ્રોગ્રામ ઓફિસર ધ્રુવાભટ્ટ (ગુજરાત કન્ટિજેંટ લીડર)ના માર્ગદર્શન હેઠળ જોડાશે. આ કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યોમાંથી 17 થી 25 વર્ષ વયજૂથના યુવાનો એકત્રિત થશે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના ભાવને સાકાર કરશે. જાંબોરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં માર્ચ પાસ્ટ, કેમ્પફાયર, ફોક ડાન્સ, ફૂડ પ્લાઝા અને સ્ટેટ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું આદાન-પ્રદાન થશે. આ ઉપરાંત, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફન એક્ટિવિટીઝ તથા ડિબેટ જેવી પ્રવૃત્તિઓ આ જાંબોરીના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ જાંબોરી રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા, સંસ્કૃતિ અને નેતૃત્વ કૌશલ્ય પ્રદર્શિત કરવાની એક મહત્વપૂર્ણ તક સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:37 pm

સુરતના રેપિયર જેકાર્ડ વિવર્સનો હૂંકાર:મંદીના કારણે 'નો અન્ડર કોસ્ટિંગ' નુકસાનના સોદા પર પૂર્ણવિરામ, ડિફોલ્ટર્સ અને ખોટા રીટર્ન સામે 'બ્લેકલિસ્ટ' જાહેર કરાશે

સુરતની શાન ગણાતી 70 હજાર કરોડની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી હાલમાં પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. જે ઉદ્યોગમાં એક મશીન દીઠ 60 લાખથી 1 કરોડ રૂપિયાનું તોતિંગ રોકાણ હોય, ત્યાં મંદીના ઓછાયા વિવર્સની કમર તોડી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી ઉગરવા અને 3,500 થી વધુ વિવર્સના હિતોનું રક્ષણ કરવા માટે 'રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન' દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના સભ્યોએ નવા નિયમો ઘડ્યાસુરતની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી આજે 70 હજાર કરોડના ટર્નઓવર સાથે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગમાં એક-એક મશીનની કિંમત 60 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીની હોય છે. આટલું મોટું મૂડીરોકાણ હોવા છતાં, હાલની વૈશ્વિક મંદી અને કાચા માલના વધતા ભાવને કારણે વિવર્સ આર્થિક ભીંસમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એસોસિએશનના 3,500 થી વધુ સભ્યોએ એકસંપ થઈને નવા નિયમો ઘડ્યા છે. 'નો અન્ડર કોસ્ટિંગ' નુકસાનના સોદા પર પૂર્ણવિરામબેઠકનો સૌથી મહત્વનો નિર્ણય 'અન્ડર કોસ્ટિંગ' બંધ કરવાનો લેવાયો છે. અત્યાર સુધી મંદીના કારણે માલ કાઢવાની ઉતાવળમાં વિવર્સ પોતાની પડતર કિંમત કરતા પણ નીચા ભાવે માલ વેચતા હતા, જેનાથી સમગ્ર ઉદ્યોગને નુકસાન થતું હતું. હવે સર્વાનુમતે નક્કી કરાયું છે કે કોઈપણ વિવર નક્કી કરેલા રેટથી નીચે માલ નહીં વેચે. નુકસાન વેઠીને વેપાર કરવા કરતા ઉત્પાદન મર્યાદિત રાખવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. MSMEના 45 દિવસના નિયમનું કડક પાલનપેમેન્ટ સાયકલને પાટા પર લાવવા માટે એસોસિએશને કેન્દ્ર સરકારના MSME નિયમોનો સહારો લીધો છે. હવેથી તમામ વિવર્સ દ્વારા 45 દિવસમાં પેમેન્ટ લેવાનો આગ્રહ રાખવામાં આવશે. લાંબા સમય સુધી નાણાં રોકાઈ રહેવાને કારણે વિવર્સની વર્કિંગ કેપિટલ ખોરવાઈ જતી હતી, જેનો ઉકેલ લાવવા માટે આ કડક ધારાધોરણ અમલી બનાવવાનું નક્કી થયું છે. આનાથી ઉદ્યોગમાં નાણાકીય તરલતા જળવાઈ રહેશે. ડિફોલ્ટર્સ અને ખોટા રીટર્ન સામે 'બ્લેકલિસ્ટ' હથિયારવેપારમાં ઘણીવાર પાર્ટીઓ ખોટી રીતે જી.આર. આપીને માલ પરત ધાબડી દેતી હોય છે અથવા પેમેન્ટમાં ધાંધિયા કરતી હોય છે. આવા લેભાગુ તત્વો સામે લાલ આંખ કરતા એસોસિએશને નિર્ણય લીધો છે કે જે પણ પાર્ટી ખોટું કરશે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, આવી પાર્ટીઓના નામ મીડિયામાં જાહેર કરીને અન્ય વિવર્સને પણ સાવચેત કરવામાં આવશે, જેથી છેતરપિંડીના કિસ્સાઓ અટકાવી શકાય. 900થી વધુ વિવર્સની હાજરીમાં લોકશાહી ઢબે નિર્ણયએસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અંદાજે 900 જેટલા વિવર્સ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. જ્યારે પ્રમુખે ઉદ્યોગના હિતમાં આ કડક નિર્ણયોની દરખાસ્ત મૂકી, ત્યારે તમામ વિવર્સે એકસાથે હાથ ઊંચા કરીને તેને આવકાર્યા હતા. આ એકતા દર્શાવે છે કે સુરતનો વિવર હવે જાગૃત થયો છે અને પોતાના હકની લડાઈ લડવા સક્ષમ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:30 pm

મહેસાણામાં બે યુવકો પર જીવલેણ હુમલો:ગેરેજ ખાલી કરાવવા મામલે હુમલાખોરોએ છરી, ધોકા વડે હુમલો કરતા બે ઇજાગ્રસ્ત

શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગેરેજ ખાલી કરવા બાબતે ચાલી રહેલા વિવાદમાં વળાંક આવ્યો છે. ગત રાત્રિના સમયે સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ ગેરેજ પર બેઠેલા યુવકો પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે સ્કોર્પિયોમાં આવેલા શખસોએ બબાલ કરીફરિયાદી મોહમદ તૌસિફ અને તેમના ભાઈ મોહમદહનીફ અન્ય મિત્રો સાથે રાત્રિના સમયે પોતાની ગેરેજ પાસે બેસીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે આશીર્વાદ સોસાયટીમાં રહેતો સુનિલ ચૌધરી અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈને ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ અગાઉ જેસીબીથી ગેરેજ તોડી પાડી હોવા છતાં સામાન કેમ હટાવતા નથી તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ગાળો બોલવાની ના પાડતા છરીથી હુમલો કર્યોજ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા સુનિલ ચૌધરીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાને રોકવા જતાં ફરિયાદીને જમણા હાથે ઇજા પહોંચી હતી. વચમાં છોડાવવા પડેલા અશોકભાઈ નાયીને પણ અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે જો ગેરેજ ખાલી નહીં કરો તો જાનથી મારી નાખીશું. ઇજાગ્રસ્ત થતા બે વ્યક્તિ હોસ્પિટલ ખસેડાયાઘટના બાદ ભોગ બનનારે તુરંત 112 નંબર પર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં બંનેની સારવાર ચાલી રહી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:16 pm

ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં મહત્વની સૂચના જાહેર:હેડ કોન્સ્ટેબલ, PSI સહિતની જગ્યાઓ માટે 29 જાન્યુ. સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા રાજ્ય પોલીસ દળમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે મહત્વની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વિભાગ તેમજ હેડ કોન્ટેબલ, ડ્રાઈવર મેકેનિક (ગ્રેડ-1) સહિતના વર્ગ-3 સંવર્ગ માટે ભરતીની પ્રક્રિયા અંગે ઉમેદવારો માટે જરૂરી તમામ માર્ગદર્શિકા આ સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવી છે. 29 જાન્યુ. સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશેભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ (ojas.gujarat.gov.in) પર 9 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ છે અને 29 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉમેદવારો અરજી કરી શકશે. જરૂરી દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક વાંચવીસૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતી સંબંધિત લાયકાત, વયમર્યાદા, શારીરિક ધોરણો, કેટેગરી મુજબની જગ્યાઓ અને જરૂરી દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક વાંચવી ફરજિયાત રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ પોતાના પાસેથી સાચવી રાખવાનું રહેશે અને જરૂર પડ્યે રજૂ કરવું પડશે. ઉમેદવારોની અરજી કોઈપણ તબક્કે રદ કરાઈ શકેભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, અરજીમાં ખોટી અથવા અધૂરી માહિતી આપનાર ઉમેદવારોની અરજી કોઈપણ તબક્કે રદ કરવામાં આવી શકે છે. ફોટો અને સહી અપલોડ કરતી વખતે નિર્ધારિત સાઈઝ અને ફોર્મેટનું ખાસ ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. બોર્ડની વેબસાઇટ અને OJAS પોર્ટલ પર અપડેટ્સ તપાસવા અપીલગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા પારદર્શક અને નિયમસર થાય તે માટે આ વિગતવાર સૂચના જાહેર કરવામાં આવી હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે. ઉમેદવારોને નિયમિત રીતે ભરતી બોર્ડની વેબસાઇટ અને OJAS પોર્ટલ પર અપડેટ્સ તપાસવાની અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:11 pm

70 વર્ષીય બિલ્ડર મનસુખ લાખાણીની જામીન અરજી નકારાઈ:સેશન્સ કોર્ટે ભાગીદારની હત્યા કરવા 1.20 કરોડની સોપારી આપ્યાના ચાર્જશીટમાં પુરાવા જોતાં રજૂઆત ફગાવી

ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની તીક્ષણ હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી ત્યારે પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા રજૂઆત કરી હતીઆ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા રજૂઆત કરી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપી 70 વર્ષની ઉમરના છે. તેઓએ ખૂન કરેલ નથી. સોપારી આપ્યાનો કોઈ પુરાવો નથી. સામે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, વર્તમાન અરજદાર આરોપીએ મૃતકની હત્યા માટે 1.20 કરોડની સોપારી આપી હતી અને ભાડુતી માણસો પાસેથી હત્યા કરાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ચાર્જશીટમાં સોપારી આપ્યાના પુરાવા છે ત્યારે આરોપીને જામીન આપી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 9:08 pm

AMCમાં વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર:થલતેજમાં રોડ અને પેવર બ્લોક નાખવા 8 કરોડનું ટેન્ડર એક જ કોન્ટ્રાક્ટરને આપી તરત મંજૂરી આપી દેવાઈ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ વોર્ડમાં રોડ બનાવવા અને પેવર બ્લોકના કામ માટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી કામ મંજૂર કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. શહેરમાં રોડ, ફૂટપાથ, પેવરબ્લોક સહિતનાં ઇજનેર ખાતા સબંધિત કામો માટે ઝોન અને પ્રોજેક્ટમાં સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો હોવા છતાં 8 કરોડનું કામ સિંગલ ટેન્ડરથી બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લીને આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં કામગીરી કરવા માટે અનેક કોન્ટ્રાક્ટર ઓછા ભાવથી પણ કામ કરતા હોય છે છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ન ભર્યું અને બીજા પ્રયત્નોમાં સિંગલ ટેન્ડરથી કામ આપી દેવામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે. પ્રથમ વખતમાં કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું જ નહીં ઉત્તર પશ્ચિમ ઝોનનાં ઇજનેર વિભાગ દ્વારા થલતેજ વોર્ડમાં હીરક એપાર્ટમેન્ટથી ગુરૂકુળ રોડ, શ્રેયા અમલ્ગાથી પુરૂષોત્તમ બંગ્લોઝથી રબારીવાસ રોડ, નારાયણ ધામથી શિવધારા-અલ્પાઇન રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલથી સેંટ એન સ્કૂલ રોડ સહિત જુદી જુદી જગ્યાએ આરસીસી રોડ તથા પેવરબ્લોક નાખવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. પ્રથમ વખતમાં કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું નહીં. જે આશ્ચર્યજનક હતું અને બીજી વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર ખાતાએ ફરી ટેન્ડર બહાર પાડ્યુ અને માત્ર બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. નામનાં કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું હતું. કોન્ટ્રાક્ટરે છેલ્લે 12 ટકા વધુ ભાવે કામ કરવાની તૈયારી દાખવી હતીઇજનેર ખાતાએ આ કામ માટે 6.76 કરોડનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડ્યુ હતું. જોકે, કોન્ટ્રાક્ટર કંપની બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. નામનાં 18 ટકા ઉંચા ભાવ ભર્યા હતા. સિંગલ ટેન્ડર હોઇ તેને રદ કરવાને બદલે ઇજનેર ખાતાએ કોન્ટ્રાક્ટર સાથે રાબેતા મુજબ વાટાઘાટો કરતાં કોન્ટ્રાક્ટરે છેલ્લે 12 ટકા વધુ ભાવે એટલે કે 7.58 કરોડ અને GST અલગથી ચૂકવવાની શરત સાથે કામ કરવાની તૈયારી દાખવી હતી, જેને ઇજનેર ખાતાએ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી માટે મુકતા તેને મંજૂર કરી દીધું હતું. 8 કરોડનું સિંગલ ટેન્ડર મંજૂર કરાયુંસૂત્રો મુજબ દરેક ઝોનમાં રોડનાં નાના કામો, પેચવર્ક, ફૂટપાથ, પેવરબ્લોક વગેરે પ્રકારનાં કામો માટે ચોક્કસ કોન્ટ્રાક્ટરોની રીંગ બનેલી હોય છે. જ્યારે RCCના મોટા રોડ કે ડામરનાં મોટા રોડ માટે મોટા કોન્ટ્રાક્ટરો પણ છે તેમછતાં અન્ય કારણોસર 8 કરોડનુ સિંગલ ટેન્ડર મંજૂર કરાયુ છે. આ ટેન્ડરને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દેવામાં આવતા સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:37 pm

આડોડીયાવાસમાં ભઠ્ઠી તોડી પાડવાના કેસમાં LCBનો સપાટો:સડેલો ગોળ-યીસ્ટ વેચતા 2 વેપારી સહિત 7ની ધરપકડ, દેશી દારૂ-આથો સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો

ભાવનગર શહેરના આડોડીયાવાસમાં 5 ડિસેમ્બરમાં રોજ દેશી દારૂની ભઠ્ઠીમાં LCB ટીમે રેડ કરી જેમાં રેડ દરમિયાન દેશી દારૂ, આથો, વિદેશી દારૂની બોટલો, સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટે અખાદ્ય સડેલો ગોળ પૂરો પાડનાર શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા નદીમ ટ્રેડર્સ નામની દુકાને રેડ કરી અખાદ્ય (સડેલો) ગોળ મળી આવતા નાશ કર્યો હતો. જેમાં સડેલા ગોળ અને યીસ્ટનું વેચાણ કરતા બે વેપારી સહિત 7ની ધરપકડ કરવામાં આવી હતી. આડોડીયાવાસમાં દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડવામાં આવી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી મુજબ, તા 5 ડિસેમ્બરના રોજ ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતાં નીતાબેન સરજુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીની બાતમી મળી હતી. જે આધારે LCB ટીમે રેડ કરતાં દેશીદારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સહિતના સાધનો, દેશી દારૂ 229 લીટર, ઈગ્લીશ દારૂની નાની-મોટી બોટલ 52 નંગ, આથો 3225 લીટર, નાના મોટા બેરલ 25 નંગ મળી કુલ રૂ. 1,47,925નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અખાદ્ય સડેલો ગોળ પુરો પાડનાર 2 વેપારીઓની ધરપકડસમગ્ર બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટે અખાદ્ય સડેલો ગોળ પુરો પાડનાર દાણાપીઠ વિસ્તારમાં આવેલા નદીમ ટ્રેડર્સ નામની દુકાને રેડ કરવામાં આવી હતી. અખાદ્ય સડેલો ગોળ 300 કિલો રૂ.12,600 નો મળી આવતા અખાદ્ય સડેલો ગોળનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં અખાદ્ય (સડેલો) ગોળ પુરો પાડનાર તથા યીસ્ટ પુરૂ પાડનાર 2 વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશી દારૂની ભઠ્ઠીમાં સંકળાયેલા આરોપીઓ

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:18 pm

ચાઈનીઝ માંજાનું વેચાણ અટકાવવા વાપી GIDC વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ:મકર સંક્રાંતિ પહેલા પ્રતિબંધિત દોરીના વેચાણ પર કડક કાર્યવાહી

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન સક્રિય બન્યું છે. પોલીસે ચાઈનીઝ માંજાના ગેરકાયદેસર વેચાણ અને ઉપયોગથી થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, પતંગ અને માંજા વેચતી દુકાનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે માંજાની ગુણવત્તા, પ્રકાર અને કાયદેસરતાની ચકાસણી કરી હતી. પોલીસ અધિકારીઓએ દુકાનદારોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ક્યાંય પણ પ્રતિબંધિત ચાઈનીઝ માંજાનો સંગ્રહ કે વેચાણ મળી આવશે, તો સંબંધિત દુકાનદાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે ચાઈનીઝ માંજા માનવજીવન, વાહનચાલકો, બાળકો તેમજ પક્ષીઓ માટે ગંભીર જોખમરૂપ છે. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં PSI દિપાંજલિ ત્રિપાઠી, PSI કે.કે. પરમાર, PSI એલ.જી. વડવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે જનતાને પણ ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને તેના ગેરકાયદેસર વેચાણ અંગે માહિતી આપવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:15 pm

વાપી પાલિકાએ 127 ચાલી રૂમો સીલ કરી:રૂ. 16.78 લાખનો ઘરવેરો વસૂલ્યો, સ્થળ પર 4.22 લાખની વસૂલાત

વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી 127 ચાલી રૂમોને સીલ કરી છે. આ અભિયાન અંતર્ગત કુલ રૂ. 16.78 લાખનો વેરો વસૂલવામાં આવ્યો હતો, જેમાંથી રૂ. 4.22 લાખની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી હતી. કમિશનર યોગેશ ચૌધરીની સૂચના અને નાયબ કમિશનર અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ઠક્કર અને ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયાની ટીમે વેરો ન ભરનાર ચાલીના મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરી હતી. મિલકતધારકોને નોટિસો આપવા છતાં વેરો ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચલા વિસ્તારમાં નિરંકારી નગર, હળપતિવાસ અને અપનાઘર સહિતના વિસ્તારોમાં 39 રૂમોને સીલ કરવામાં આવી હતી, જેનાથી રૂ. 6.35 લાખની વસૂલાત થઈ. આ ઉપરાંત, ડુંગરા વિસ્તારના ઢોડિયાવાડ, આહીરવાડ અને કોળીવાડ જેવા વિસ્તારોની 77 રૂમોને સીલ કરીને રૂ. 8.78 લાખનો વેરો વસૂલવામાં આવ્યો. વાપીમાં કબ્રસ્તાન રોડ, ખડકલા રોડ અને ટાંકી ફળિયા સહિતના વિસ્તારોમાં 11 રૂમોને સીલ કરી રૂ. 1.65 લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં, લાંબા સમયથી વેરો ન ભરનારા ગ્રામ્ય વિસ્તારના ચાલીના મિલકતધારકોને નોટિસો આપવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઓક્ટોબર-2025 થી દર મહિને 1% લેખે દંડકીય વ્યાજ વધશે અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ થઈ શકે છે. પાલિકાએ ચાલીના માલિકોને સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:11 pm

ગેરકાયદે રેતી ખનન પર ટાસ્કફોર્સની કાર્યવાહી:ભુજ-માંડવીમાં ત્રણ વાહન જપ્ત, રૂ. 52 લાખનો મુદ્દામાલ કબજે

કચ્છના ભુજ અને માંડવી તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન તથા વહન સામે ટાસ્કફોર્સે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને રૂ. 52 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ભુજ તાલુકાના સુમરાસર સીમ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે ખાનગી વાહન દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, લોડર (રજીસ્ટ્રેશન નં. GJ-12-CM-8113) અને ડમ્પર (રજીસ્ટ્રેશન નં. GJ-12-BX-4051) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ટાસ્કફોર્સે આ બંને વાહનોને અટકાવી કુલ રૂ. 35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને સીઝ કરીને ભુજ ખાતેના સરકારી ગોદામમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. આ અંગે નિયમોનુસારની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વી-કોંક્રિટ શિરાચા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં ડમ્પર (રજીસ્ટ્રેશન નં. GJ-16-Z-3190) રોયલ્ટી પાસ વગર સાદી માટીનું ગેરકાયદેસર વહન કરતું ઝડપાયું હતું. ટાસ્કફોર્સે આ ડમ્પરને અટકાવી રૂ. 17 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડમ્પરને સીઝ કરીને વી-કોંક્રિટ પ્લાન્ટ, શિરાચા ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આ મામલે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:09 pm

સોમનાથમાં સાધુ-સંતોની રવાડી:જૂનાગઢના શિવરાત્રી મેળા જેવો માહોલ સર્જાયો, દિગમ્બર સાધુઓના કરતબોએ લોકોને આશ્ચર્ચચકિત કર્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળી હતી. આ રવાડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું. સોમનાથમાં જાણે જૂનાગઢના શિવરાત્રી મેળા જેવો માહોલ સર્જાયો હતો. રવાડીનું મુખ્ય આકર્ષણ દિગમ્બર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા દિલધડક કરતબો રહ્યા હતા. સાધુઓએ પોતાની કઠોર સાધના અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરતા પરંપરાગત શૌર્યકલાઓ રજૂ કરી હતી. તેમણે તલવારબાજી સહિત વિવિધ અંગકસરતના દાવ દ્વારા શિસ્ત, આત્મવિશ્વાસ અને શૌર્યકલા પ્રત્યેની નિપુણતા પ્રગટ કરી હતી. દિગમ્બર સાધુઓના આ શૌર્યપ્રદર્શનથી દર્શકોમાં વિશેષ કૌતુક અને આશ્ચર્ય જોવા મળ્યું. તેમના આત્મવિશ્વાસભર્યા કરતબોને જયઘોષ અને તાળીઓથી વધાવવામાં આવ્યા હતા, જેનાથી માહોલ ઉત્સાહપૂર્ણ બન્યો હતો. આ દ્રશ્ય શિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા પરંપરાગત મેળાની યાદ અપાવતું હતું, જ્યાં ધાર્મિક ઉત્સવ સાથે લોકસંસ્કૃતિની જીવંત ઝલક જોવા મળે છે. સાધુ-સંતોની આ રવાડી અને દિગમ્બર સાધુઓના કરતબોએ સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યતા અને ગૌરવમાં વધારો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:07 pm

ગાંધીનગરમાં ટાઈફોઈડનો આંકડો 200 નજીક:ગંદા પાણી ઉભરાયા છતાં મનપા 'ઘોર નિદ્રા'માં, 250 કરોડની નવી પાઈપલાઈને જનતાને હોસ્પિટલ ભેગી કરી

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બહાર આવી છે. શહેરના જૂના સેક્ટરોમાં ઘરે-ઘરે બીમારીના ખાટલા છે. એક તરફ ટાઈફોઈડનો આંકડો 200 સુધી પહોંચવા આવ્યો છે. ત્યારે હવે ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં બે દિવસથી ગંદા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. સિટી પલ્સ પાસે સૂકુન સ્કાય ફ્લેટની સામે ગટરનું દૂષિત પાણી રોડ પર વહી રહ્યું હોવા છતાં, ‘સબ સલામત’ના દાવા કરતું મનપા તંત્ર હજુ પણ હરકતમાં આવ્યું નથી. 15 નવા કેસ સામે આવતા 75 દર્દીઓ સારવાર હેઠળગાંધીનગર મનપા અને સિવિલ હોસ્પિટલના આંકડાઓમાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે. જે તંત્રની દાનત સામે સવાલો ઉભા કરે છે. મનપાનો દાવો કરે કે આજે માત્ર 15 નવા કેસ અને કુલ 75 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સિવિલની વાસ્તવિકતા મુજબ છેલ્લા 24 કલાકમાં જ નવા 35 દર્દીઓ દાખલ થયા છે. હાલ સિવિલમાં 89 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 52 પોઝિટિવ અને 37 શંકાસ્પદ છે. આ તફાવત સાબિત કરે છે કે વહીવટી તંત્ર રોગચાળાની ગંભીરતા ઘટાડી કઈ અલગ બતાવવા મથી રહ્યું છે. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળ્યુંગાંધીનગરમાં 24 કલાક પાણી આપવા માટે 250 કરોડના ખર્ચે જે નવી પાઈપલાઈન નાખવામાં આવી હતી, તે જ આજે આફત બની છે. નવી લાઈનમાં ઠેર-ઠેર લિકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. અત્યાર સુધીમાં 48 લિકેજ મળી આવ્યા છે. સેક્ટર-24, 26 અને આદિવાડા વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આશ્ચર્યની વાત એ છે કે નવી લાઈન નંખાઈ ત્યારે જ લિકેજની ફરિયાદો થઈ હતી, પણ ત્યારે તંત્રએ આ આક્ષેપોને કાને ધર્યા ન હતા. દૂષિત પાણીની લાઈનો રિપેર ન થાય તો વિસ્તાર ટાઈફોઈડના ભરડામાંનઘરોળ તંત્રની પોલ ત્યારે ખુલી જ્યારે ખુદ મેયરના જ વોર્ડમાં ગટરના ગંદા પાણી બેક મારવા લાગ્યા છે. જે રોડ પર અગાઉ હિટ એન્ડ રનમાં માસૂમનો જીવ ગયો હતો, ત્યાં જ હવે ગંદા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં તંત્ર મચક આપતું નથી. જો આ દૂષિત પાણીની લાઈનો તાકીદે રિપેર નહીં થાય તો આ વિસ્તાર પણ ટાઈફોઈડના ભરડામાં આવી જાય તો નવાઈ નહીં. ગંદા પાણીના ફુવારા તંત્રની નિષ્ફળતાબીજી તરફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ આ ગંભીર બેદરકારી બદલ ગુજરાત સરકાર પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હાલમાં ગાંધીનગર મનપાની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી થઈ ગઈ છે. એક તરફ સર્વેલન્સ અને ક્લોરીનેશનના બણગા ફૂંકવામાં આવે છે, તો બીજી તરફ રસ્તા પર વહેતા ગંદા પાણીના ફુવારા તંત્રની નિષ્ફળતાની જીવતી જાગતી સાક્ષી પૂરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:03 pm

પાટણ નગરપાલિકામાં 22 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી:પસંદગી સમિતિએ લેખિત પરીક્ષા અને એજન્સી નક્કી કરવા નિર્ણય લીધો

પાટણ નગરપાલિકામાં વિવિધ સંવર્ગની કુલ 22 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી સમિતિની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષાના આયોજન અને ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે એજન્સીની નિમણૂક કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્રાદેશિક કમિશનર, ગાંધીનગર ઝોન દ્વારા મંજૂર કરાયેલા મહેકમ મુજબ, પાટણ નગરપાલિકામાં વર્ગ-3ની 22 જગ્યાઓ પર સીધી ભરતીની મંજૂરી મળી છે. પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ હીરલબેન પરમારના અધ્યક્ષસ્થાને મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ અંગેનો એજન્ડા રજૂ કરી ઠરાવ નંબર 1 પસાર કરાયો હતો. આ ભરતીમાં ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, ઓડિટર, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર, ટાઉન પ્લાનર અને વાયરમેન સહિતના વિવિધ ટેકનિકલ અને વહીવટી સંવર્ગોનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે લેખિત પરીક્ષા લેવા અને મેરિટ તૈયાર કરવા સરકાર માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ પાસેથી ભાવો મંગાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે 7 દિવસની સમયમર્યાદામાં દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવશે. સૌથી ઓછા ભાવ આપનાર યોગ્ય સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારના ધારાધોરણ મુજબ પરીક્ષા ફીની ચુકવણી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ સરકાર દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. સમિતિ દ્વારા જણાવાયું છે કે સંપૂર્ણ પ્રક્રિયા મેરિટના આધારે પારદર્શક રીતે કરવામાં આવશે. આ બેઠકમાં ચીફ ઓફિસર હીરલ ઠાકર સહિત સમિતિના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:02 pm

Editor's View: ટન મોઢે સોનું અને હવામાં લટકતું શિવલિંગ:સોમનાથનાં એ ગૂઢ રહસ્યો, ગઝનવીનાં આક્રમણથી અડિખમ આસ્થા સુધી, એક હજાર વર્ષની ગૌરવગાથાનો અધ્યાય

11 જાન્યુઆરી 2026. આ કોઈ તારીખ કે કેલેન્ડરનું પાનું નથી પણ ભારતીય ઈતિહાસનું એક કરુણ અને ગૌરવશાળી અધ્યાયની નિશાની છે. બરાબર 1 હજાર વર્ષ પહેલા 1026માં ગઝનીના મહમૂદ ગઝનવીએ સોમનાથ પર 30 હજારથી વધુ લડવૈયાઓની સેના સાથે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. તેમને લાગ્યું હશે કે તે માત્ર મંદિર તોડી રહ્યા છે પણ ગઝનવી ભારતની સંસ્કૃતિના આત્માને કચડી રહ્યો હતો. સોમનાથ મંદિર બચાવવા જતા કહેવાય છે કે અંદાજે 50થી 70 હજાર લોકોએ પોતાનો જીવ દઈ દીધો હતો. આજે આક્રમણકારોની કબર ક્યાં છે તે કોઈને ખબર નહીં હોય પણ સોમનાથ મંદિર આજે પણ અનેકવાર ખંડિત થયા બાદ ચટ્ટાનની જેમ અડીખમ ઊભું છે. સોમનાથ દાદાનું મંદિર એ વાતનો પુરાવો છે કે પથ્થરો તોડી શકાય છે પણ પરંપરાઓ નહીં...આજે આપણે સોમનાથ મંદિર સાથે જોડાયેલા ગૂઢ રહસ્યો, પુરાતત્વીય અજાયબીઓ, વૈજ્ઞાનિક તથ્યો તથા સિદ્ધિઓ, ભુલાયેલા વીર યોદ્ધાઓ અને આઝાદી પછીના રાજકીય વિવાદોની વાત કરવી છે. નમસ્કાર... ઈ. પૂ. 206માં હોકાયંત્ર બન્યું, 1849માં હવામાં ઉડતું બલૂન બન્યું, 1903માં એરક્રાફ્ટ બન્યું, 1930ના દાયકામાં પહેલું ડ્રોન, 1957માં સેટેલાઈટ બન્યો, 2006માં ગૂગલ અર્થ બન્યું. આ બધું જ આવ્યા પછી આપણને ખબર પડી કે પૃથ્વી પર કઈ વસ્તુ ક્યાં છે. પરંતુ આજથી હજારો વર્ષ પહેલા સોમનાથના બાણસ્તંભે દુનિયાને કહી દીધું હતું કે દુનિયામાં કયાં-કયાં શું-શું છે. બાણસ્તંભમાં સંસ્કૃતમાં લખાયું છે કે, સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીના માર્ગમાં કોઈ અવરોધ કે જમીનનો ટુકડો આવતો નથી. સ્કંદપુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ આજે જ્યારે આપણે ગૂગલ અર્થ પર સોમનાથથી દક્ષિણ દિશામાં 10,000 કિલોમીટરની રેખા દોરીએ છીએ, ત્યારે આશ્ચર્ય વચ્ચે એ સાચું સાબિત થાય છે! વિચાર કરો, જ્યારે સેટેલાઈટ નહોતા, ડ્રોન નહોતા, ત્યારે ભારતીયોએ પૃથ્વીના નકશાનું આટલું સચોટ જ્ઞાન કેવી રીતે મેળવ્યું હશે? માટે જ સોમનાથ મંદિર માત્ર શ્રદ્ધાનો વિષય નથી; તેની પાછળ વિજ્ઞાન પણ છે. સ્કંદ પુરાણ મુજબ રાજા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ બ્રહ્માની સલાહથી સોનાનું મંદિર બનાવ્યું હતું. પૌરાણિક માન્યતાઓ મુજબ મંદિર સમયાંતરે જુદા-જુદા દ્રવ્યોમાથી બનતું આવ્યું છે. નામ અને દ્રવ્યની વાત કરીએ આપણે બધા જ જાણીએ છીએ કે પોલો કોએલોનું એલ્કેમિસ્ટ નામનું પ્રખ્યાત પુસ્તક વિશ્વમાં કરોડો લોકોએ વાંચ્યું. તેમાં ધાતુને સોનામાં બદલવાની વાત છે. જાણીને નવું લાગે પણ 12મી સદીમાં ફેમસ થયેલો એલ્કેમિસ્ટ શબ્દ આપણા પુરાણોમાં તો સદીઓ પહેલા ઉલ્લેખ થઈ ગયો છે. એ પણ સ્યમંતક મણિના સ્વરૂપે. 11મી સદીમાં ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે તેમની સાથે ઈતિહાસકાર અને લેખકો પણ આવેલા હતા. અલ બરૂનીએ પોતાના પુસ્તકોમાં આક્રમણની વાત કરી જ્યારે બાદમાં ઝકરિયા અલ કવિઝે આશ્ચર્ય સાથે લખ્યું કે, ઝકરિયા અલ કવિઝે લખ્યું કે…'જ્યારે અમે ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે શિવલિંગ કોઈ પણ આધાર વગર હવામાં અદ્ધર લટકતું હતું'. સોમનાથઃ શ્રદ્ધા અને સાયસન્સનું અદ્ભૂત મિશ્રણ આજના બુલેટ ટ્રેનના યુગમાં આપણે જેને મેગ્નેટિક લેવિટેશન કહીએ છીએ તે ટેક્નોલોજી 11મી સદીના ભારતીય મંદિરોમાં વપરાતી હતી. આ જ સમયે ગઝનવીએ જ્યારે છતના પથ્થરો હટાવવાના આદેશો આપ્યા ત્યારે ચુંબકીય સંતુલન બગડ્યું હતું અને શિવલિંગ નીચે પડી ગયું હતું. ટૂંકમાં 11મી સદીમાં ભારત પાસે ચુંબકીય વિજ્ઞાનનું જ્ઞાન હતું. સોમનાથનો ઈતિહાસ વિનાશનો જ નહીં પણ શૌર્યનો પણ છે. મહમૂદ ગઝની, ખીલજી, ઝફરખાન અને બેગડા જેવા આક્રમણખોરોનો ઈતિહાસ ફંફોળીએ તો હમીરજી ગોહીલજી અને વેગડા ભીલનો પણ ઉલ્લેખ મળે છે. વીર હમીરજી ગોહીલઃ લગ્નમંડપથી રણમેદાન સુધી ચારણી સાહિત્ય મુજબ અરઠીલા-લાઠીના રાજકુમાર વીર હમીરજી ગોહિલના લગ્ન દ્રોણગઢડા ગામમાં લેવાયા હતા. એવામાં સોમનાથ આક્રમણના સમાચાર મળતા હમીરજીએ સંસારના માંડવાના બદલે સોમનાથના રક્ષણે ચઢ્યા હતા. લોકવાયકા મુજબ તેમણે જતાં-જતાં પત્નીને કહ્યું હતું કે, “હું સોમનાથની સખાતે જાઉં છું, કદાચ પાછો ના પણ ફરું.” સોમનાથ રક્ષામાં માથું કપાયું, ધડ લડતું રહ્યું અંતે તેમનું જુઝાર થયું. એટલે કે માથું કપાયું પણ યુદ્ધ રણમાં ધડ લડતું રહ્યું. આ પરાક્રમમાં ક્ષત્રિયો સાથે ખભેખભો મિલાવીને વનવાસી નેતા વેગડા ભીલ પણ જોડાયા, શહીદ થયા અને સામાજિક એકતાનું ઉદાહરણ આપતા ગયા. કહેવાય છે કે આવી જ રીતે ગઝનવીના આક્રમણમાં 50થી 70 હજાર લોકોએ શિવાલય માટે પોતાનો જીવ ખપાવ્યો હતો. કદાચ એક મંદિર પાછળ વિશ્વના ઈતિહાસની સૌથી મોટી રક્તરંજિત લડાઈ હશે. સોમનાથ અને અહિલ્યાબાઈની ચતુરાઈ સોમનાથ મંદિર સાથે ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરનું પણ નામ જોડાયું છે. કહેવાય છે કે 1782માં તેમને સપનામાં શિવજી આવ્યા અને આદેશ કર્યો કે તેમનું મંદિર જીર્ણ અવસ્થામાં છે. અહિલ્યાબાઈએ મંદિર બનાવવા માટે ચતુરાઈ વાપરી. તેમણે શિવલિંગને જમીન નીચે ભૂગર્ભમાં સ્થાપિત કરીને નવું મંદિર બનાવ્યું. જેથી ભવિષ્યમાં કોઈ આક્રમણકારો આવે તો મુખ્ય મંદિર પર કોઈ આક્રમણ ન કરે અને મુખ્ય શિવલિંગની પવિત્રતા જળવાઈ રહે. નવા મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં જવાની મનાઈ છે પણ અહિલ્યાબાઈ મંદિરમાં ગર્ભગૃહમાં ઉતરીને શિવલિંગને સ્પર્શ કરી પૂજા કરી શકાય છે. હાથવગા તથ્યો મુજબ 2 હજાર વર્ષ પહેલા ઉજ્જૈનના વિક્રમાદિત્યએ પથ્થરનું સોમનાથ મંદિર બનાવડાવ્યું હતું. સામેની બાજુ મંદિરને અનેકવાર લૂંટવામાં કે નષ્ટ કરવામાં આવ્યું છે. હિંદુઓને ખુશ કરવા બ્રિટિશરે ભગો વાળ્યો બ્રિટીશ શાસન કાળ સમયે પણ સોમનાથ મંદિરની એક વાતનો ઉલ્લેખ છે. 1842માં લોર્ડ એલનબરોએ હિન્દુઓને ખુશ કરવા એક આદેશ આપ્યો કે ગઝનીમાંથી સોમનાથના સુખડના દરવાજા પાછા લાવવામાં આવે. દરવાજા આવ્યા ખરા, પણ પછી ખબર પડી કે તે સુખડના નહીં પણ દેવદારના હતા અને તેના પરનું કોતરકામ સોલંકી કાળનું નહીં પણ ઈસ્લામિક શૈલીનું હતું. આ કિસ્સો બતાવે છે કે પશ્ચિમી શાસકો ભારતીય વારસાને સમજવામાં કેટલા કાચા હતા. અંતે એ દરવાજાઓએ આગ્રાના કિલ્લામાં ધૂળ ખાધી હતી. સોમનાથ મામલે સરદાર-નેહરુ સામસામે આવ્યા નજીકના સમયની વાત કરીએ તો સોમનાથ મંદિરના પુનઃનિર્માણ સમયે આઝાદ ભારતની મોટી રાજકીય કસોટી જામી હતી. 1947માં નવભારતના નિર્માણ પછી 13 નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પ્રભાસ પાટણ આવ્યા હતા ત્યારે તેમણે હાથમાં જળ લઈને સમુદ્ર કિનારે પ્રતિજ્ઞા લીધી હતી કે સોમનાથનું પુનઃનિર્માણ થશે. અફસોસ તેમનું નિધન થયું પણ આ જવાબદારી કનૈયાલાલ મુનશીએ સંભાળી. જો કે આ મામલે નેહરુનું માનવું હતું કે ભારત બિનસાંપ્રદાયિક છે. ભારતમાં તમામ ધર્મો સમાન છે. દેશની સરકારે મંદિર નિર્માણની જગ્યાએ દેશ નિર્માણમાં ધ્યાન દેવું જોઈએ. તેમણે આને હિન્દુ પુનરુત્થાનવાદ ગણાવ્યો હતો અને રાજેન્દ્ર પ્રસાદને પણ ઉદ્ઘાટનમાં ન જવાની સલાહ આપી હતી. જો કે મુનશીએ જવાબમાં સોમનાથિઝ્મ શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે સરકારે રૂપિયા નથી આપવાના. લોકફાળે ટ્રસ્ટ દ્વારા મંદિર બનશે. અંતે વિરોધ બાદ પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા. સોમનાથના કારણે ધમધમતું સૌરાષ્ટ્ર આજે સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ સૌરાષ્ટ્રના અર્થતંત્રની ધરી છે. સોમનાથના કારણે જ વેરાવળ, પ્રભાસ પાટણ અને જૂનાગઢના હોટલ, ટ્રાન્સપોર્ટ અને નાના વેપારીઓ નફો કમાવી રહ્યા છે. સુરત કે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે પણ સોમનાથ આસ્થાનું કેન્દ્ર છે. 2017માં IIT ગાંધીનગરે મંદિર પરિસસમાં ગ્રાઉન્ડ પેનેન્ટ્રેટિંગ રડાર એટલે કે GPRથી સર્વેક્ષણ કર્યું હતું. અને છેલ્લે આવનાર 11 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સહિત અનેક ભક્તો સોમનાથ દાદાના સાનિધ્યમાં હશે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા પણ સોમનાથથી જ શરૂ થઈ હતી. આ કાર્યક્રમ ભારતનો સાંસ્કૃતિક દસ્તાવેજ બની જશે. શાસક પક્ષ આ કાર્યક્રમને ભક્તિ અને શ્રદ્ધાનો વિષય કહી રહ્યું છે જ્યારે વિપક્ષ વોટબેંકની રાજનીતિ કહી રહ્યું છે. બંનેથી પર થઈને વાત કરીએ તો સોમનાથ સાક્ષી છે કે સમય ગમે તેટલો ક્રુર હોય, પણ જેનો રક્ષક સ્વયં કાળ હોય તેનું અસ્તિત્વ ભૂંસવું અશક્ય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:02 pm

ભરૂચના તણછામાં એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ:ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓનું માર્ગદર્શન મળ્યું

ભરૂચ જિલ્લાના તણછા ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, તણછા અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને સંશોધન નિયામક ડો. ટી.આર. અહલાવત તેમજ સહ સંશોધન નિયામક ડો. વી.આર. નાયકના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નવીનતમ કૃષિ તકનીકોથી પરિચિત કરાવવાનો હતો. શિબિર દરમિયાન, ખેડૂતોને કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા તુવેર, તરબૂચ, પાપડી અને દિવેલાના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા તેમને આધુનિક ખેતી તકનીકો વિશે પ્રાયોગિક અને વિગતવાર માહિતી આપવામાં આવી. કેન્દ્રના વડા ડો. અંકિત ગઢિયાએ કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજણ આપી. ત્યારબાદ, વિસ્તારના વિવિધ પાકોની ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેતીમાં આધુનિકરણ અપનાવીને ખર્ચ ઘટાડીને કેવી રીતે નફાકારક ખેતી કરી શકાય તે અંગેની જાણકારી પણ પૂરી પાડવામાં આવી. સરદાર સરોવર નર્મદા નિગમના સિનિયર રિસર્ચ ફેલો પ્રતિક પટેલે ખેડૂતોને સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં કુલ 54 ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખા, આમોદના વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી ધવલસિંહ રાજે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. જ્યારે ખેતીવાડી શાખા, વાગરાના વિસ્તરણ અધિકારી (ખેતી) દિલીપ વસાવાએ ખેતીવાડી શાખાની કાર્યપદ્ધતિ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:01 pm

પહેલા માળેથી પાંચ વર્ષના બાળકનું પડી જતા મોત:વતનથી રાજકોટ આવતા નેપાળી યુવકને જયપુર નજીક એટેક આવી જતાં મોત આઘાતમાં મોટાભાઇનું પણ હૃદય બેસી ગયુ

રાજકોટમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં રાજુ કૃષ્ણભાઈ ટમટા નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હ્રહ્યરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન મુળ નેપાળનો વતની હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક રાજુ ટમટાનો નાનો ભાઈ જોગીયા કૃષ્ણભાઈ ટમટા પોતાના વતન નેપાળમાં આંટો મારવા ગયો હતો અને તે નેપાળથી પરત રાજકોટ આવી રહ્યો હતો ત્યારે જયપુર પહોંચતાં તેને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો જ્યાં જયપુરની હોસ્પિટલમાં જોગીયા ટમટાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. નાના ભાઈના મોતના સમાચાર સાંભળી મોટાભાઈ રાજુ ટમટાનું હ્રહ્ય બેસી ગયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પહેલા માળેથી પાંચ વર્ષના બાળકનું પડી જતા મોત રાજકોટ શહેરના મવડી ગામે બાયાસિતારામ ચોક નજીક રહેતો પાંચ વર્ષનો બાળક મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દિપેશ ખંખેન્દ્રભાઇ કડાયત (ઉ.વ.5) ગઇકાલે મોડી રાત્રે મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં દિપેશ એક બહેનનો એકનો ભાઇ હતો અને તેમના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. એક કરોડની ઠગાઈ કેસમાં આરોપી ગાંધીનગરથી ઝડપાયો કોઠારીયા રોડ પર રહેતા મિતેશભાઇ સાયાણી નામના વેપારીએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મન્સૂર અરબિયાની, વિનુ કાસુન્દ્રા, જમીલ મંસુરી, અમજદ મેવ, બદરૂદ્દીન હફિફઉલ્લા ઉર્ફે હાફિજી અમજદનું નામ આપતાં જણાવ્યું હતું કે, મન્સૂર અરબિયાનીએ પોતાની ઓળખ સોપારીના દલાલ તરીકે આપી અન્ય આરોપીઓને સોપારીના વેપારી તરીકે બતાવી તેમની પાસેથી વર્ષ 2023માં કટકે કટકે 27,910 કિલો સોપારી મેળવી લઇ રૂ1,08,28,004ની રકમ નહિ ચૂકવી ઠગાઈ આચરી હતી જે અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી નાસ્તો ફરતો હોવાથી પેરોલ ફર્લો સ્કોડ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસ આધારે વિનોદ છગન કાસુન્દ્રાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી ભક્તિનગર પોલીસના હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એકટીવાના હપ્તા બાબતે ઝઘડો થતા યુવાને ફિનાઈલ પી લીધું રાજકોટ શહેરમાં રામનાથ પરા શેરી નંબર 16માં રહેતા અને ટેલિકોમ કંપનીના ખાનગી કર્મચારી તરીકે નોકરી કરતા અલીભાઈ જમાલભાઈ સુમરા (ઉં.વ.40)એ ગઈકાલે રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસે અલી ભાઈનું નિવેદન નોંધ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં અલી ભાઈએ તેમના માસીજીને લોન ઉપર એકટીવા લઈ દીધું હતું તેના થોડા હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરીને પૈસા આપવાનો ઇન્કાર કરતા સામસામે પોલીસમાં અરજી કરી હતી જેથી કંટાળી અલીભાઈએ ફિનાઈલ પી લીધું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 8:01 pm

મહિલા PSIનો માતૃપ્રેમ અને PIનો પિતાતુલ્ય નિર્ણય:મંદિર નજીક મળેલી ફૂલ જેવી બાળકીની છઠ્ઠી ઉજવાશે, 'હસ્તી'ના ભવિષ્ય માટે PIના નામે બેંક ખાતું ખૂલશે

સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે, કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જ જનેતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી. જે દીકરીને જોઈને પથ્થર દિલના માણસનું હૃદય પણ પીગળી જાય, તેને રામના આશરે નિરાધાર છોડી દેવામાં આવી હતી, પરંતુ કહેવાય છે કે 'જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે', અને આ કિસ્સામાં ભગવાન બનીને ડીંડોલી પોલીસ વ્હારે આવી છે. હોસ્પિટલના બિછાને પડેલી આ માસૂમ બાળકીને જ્યારે ડીંડોલી પોલીસના મહિલા સ્ટાફે જોઈ, ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું. મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી હતી અને તેમણે બાળકીને પોતાની ગોદમાં લઈ એવી રીતે વ્હાલ કર્યું જાણે તે તેમની પોતાની જ દીકરી હોય. પોલીસ દીકરીના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે આ બાળકીને ભલે જનેતાએ રડતી છોડી દીધી હતી, પરંતુ ડીંડોલી પોલીસે તેના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે તેનું નામ 'હસ્તી' રાખ્યું છે. પોલીસ ઈચ્છે છે કે આ બાળકીના જીવનમાં ક્યારેય રડવાનો વારો ન આવે અને તે હંમેશા હસતી રહે. અનાથ ગણાતી આ બાળકી હવે અનાથ નથી, કારણ કે આખું ડીંડોલી પોલીસ સ્ટેશન તેનું પરિવાર બન્યું છે. રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી, ડીંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ-વિધાન પૂર્ણ કરશે. ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે. છઠ્ઠીના દિવસે PIના નામે બેંકમાં એક એકાઉન્ટ ખોલાશેમાત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં, પણ 'હસ્તી' નું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડીંડોલી પીઆઈ આર.જે. ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં ડીંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ 'ભવિષ્ય નિધિ' તરીકે રકમ જમા કરાવશે. આ નાણાં હસ્તીના શિક્ષણ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે, જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે. કાયદેસર દતક કોઈ ન બને ત્યાં સુધી પોલીસ કાળજી રાખશેપીઆઈ આર.જે. ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, બાળકી જ્યાં સુધી સક્ષમ ન થાય અથવા તો કોઈ તેને કાયદેસર દતક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું. બેંક એકાઉન્ટ ખોલાવવાનો હેતુ એ જ છે કે તેને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. પોલીસ સ્ટેશનના નાનામાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ પોતાની દીકરી સમજીને આ ભંડોળમાં ફાળો આપવા ઉત્સાહિત છે. ખાખી વર્દી પહેરીને ગુનેગારોને પકડતી પોલીસ જ્યારે એક રઝળતી બાળકીની ઢાલ બને છે, ત્યારે સમાજમાં માનવતા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. ડીંડોલી પોલીસની પહેલથી ખરા અર્થમાં સુરતની દીકરી બનીતળાવના કિનારે ઠંડીમાં ધ્રૂજતી એ માસૂમ બાળકી આજે હોસ્પિટલમાં સ્વસ્થ છે અને તેને મળેલા નવા પરિવારના કારણે સુરક્ષિત છે. જનેતાએ આપેલી પીડાને ડીંડોલી પોલીસના પ્રેમ અને મમતાએ ભુલાવી દીધી છે. જ્યારે મહિલા પીએસઆઈ તેને તેડે છે ત્યારે હસ્તીના ચહેરા પર આવતું સ્મિત એ વાતની સાક્ષી પૂરે છે કે લોહીના સંબંધો કરતા ક્યારેક લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે. ડીંડોલી પોલીસની આ પહેલથી 'હસ્તી' ખરા અર્થમાં હવે સુરતની દીકરી બની ગઈ છે. ડીંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામીઆમ, દેલાડવા ગામના મંદિર પાસે તરછોડાયેલી આ બાળકી હવે ડીંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામી છે. પોલીસના આ માનવીય અભિગમે એ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુસીબતમાં મુકાયેલા નિરાધાર નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ છે. હસ્તીનું ભવિષ્ય હવે અંધકારમાં નથી, પણ ડીંડોલી પોલીસના રક્ષણ હેઠળ સુરક્ષિત છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:57 pm

મહુવા બગદાણા હુમલા કેસમાં SITને માત્ર 3 દિવસના રિમાન્ડ:8 આરોપીઓના વધુ 7 દિવસની માંગ નકારી, મેડિકલ ચેકઅપ પછી તપાસ તેજ

મહુવા તાલુકાના બગદાણા ગુરુ આશ્રમમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 29 ડિસેમ્બરના રોજ બગદાણામાં અજાણ્યા અને ઓળખીતા 8 આરોપીઓએ પાઈપ અને ધોકા વડે નવનીતભાઈ પર હુમલો કર્યો હતો, જેની તપાસ હાલ SITના પક્ડામાં ચાલી રહી છે. ગઈકાલે SITએ જેલમાંથી આરોપીઓનો કબજો લઈને તેમનો મેડિકલ ચેકઅપ સરટી હોસ્પિટલમાં કરાવ્યો હતો, જે પછી કોર્ટમાં રજૂઆત કરી હતી. આ ઘટના બાદ નવનીતભાઈને 11 દિવસની સારવાર પછી હોસ્પિટલમાંથી રજા મળી છે, પરંતુ તેઓ હજુ પૂરી રિકવરીની અવસ્થામાં છે. SITની તપાસમાં 'ગુનાહિત કાવતરા' (BNS 109, જૂના IPC 307 જેવી) જેવી નવી કલમો ઉમેરાઈ છે અને માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર આરોપો લાગ્યા હોવાનું ચર્ચામાં છે. જોકે DySP રીમાબાએ તપાસમાં તેમની સંડોવણીના પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં SITએ તપાસને ધમધમાટ આપ્યો છે, જેમાં આરોપીઓના રિ-કન્સ્ટ્રક્શન, મોબાઈલ રેકોર્ડ અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. આ કેસમાં કોળી સમાજના નેતાઓ પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, કુંવરજી બાવળિયા સહિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી તટસ્થ તપાસ અને SITની રચનાની માંગ કરી હતી, જેના પગલે IPS જયવીર ગઢવીના નેતૃત્વમાં 5 સભ્યોની SIT રચાઈ છે. બગદાણા પીઆઈ ડાંગરની પણ બદલી થઈ છે અને સમાજમાં ન્યાયની માંગ ઉચ્છલાઈ છે. પોલીસે દરરોજ સરકારને રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે, જેથી કેસની તટસ્થતા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:57 pm

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ':કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સિટી પ્લાનિંગનો જ એક અભિન્ન ભાગ બની ગયું છે. સરકારનું મુખ્ય લક્ષ્ય 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને એવા આંતરરાષ્ટ્રીય સ્તરના માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનું છે, જે ભવિષ્યની મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ માટે પાયાનું કામ કરે. વર્ષ 2014 પછી દેશમાં 'ખેલો ઇન્ડિયા' અને 'ફિટ ઇન્ડિયા' જેવા અભિયાનો દ્વારા જે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે, તે હવે 'ખેલો ભારત' નીતિ અને 2036 ઓલિમ્પિક્સના મક્કમ સંકલ્પ તરફ આગળ વધી રહ્યું છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે 'એથલીટ સેન્ટ્રિક' બની રહ્યો છે. વર્ષોથી પડતર રહેલા 'સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ' દ્વારા ફેડરેશનોમાં પારદર્શિતા લાવવામાં આવશે જેથી ખેલાડીઓના હિતોને સર્વોપરી રાખી શકાય. આગામી 10 વર્ષ માટે ખાસ 'મેડલ સ્ટ્રેટેજી' તૈયાર કરવામાં આવી છે, જેનો અંતિમ ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને દુનિયાના ટોચના પાંચ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સામેલ કરવાનો છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ હેઠળ રમતગમતને શૈક્ષણિક ક્રેડિટ સાથે જોડીને ખેલાડીઓ માટે સુરક્ષિત કારકિર્દી અને નિવૃત્તિ પછી કોચિંગ કે મેનેજમેન્ટમાં નવી તકો ઊભી કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં આવેલી રમતગમતની ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભને કારણે રાજ્યના ખેલાડીઓની માનસિકતા બદલાઈ છે અને આ વર્ષે 73 લાખ ખેલાડીઓની વિક્રમી સહભાગીદારી નોંધાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં માત્ર 20 મહિનામાં તૈયાર થયેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેની ઝડપી કામગીરી અને આધુનિક સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કેન્દ્રીય મંત્રીની નવી સ્પોર્ટ્સ બ્લુપ્રિન્ટને ‘રમત જગતની ગીતા’ ગણાવી હતી, જે આગામી 25 વર્ષો માટે દેશના ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડશે. ગુજરાત સરકારની યોજનાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે છેવાડાના ગામડાના બાળકો પણ ઓલિમ્પિકમાં જવાનું સપનું જોઈ રહ્યા છે. ભારત વર્ષ 2036ના ઓલિમ્પિકમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવા માટે 'પૂલ થી પોડિયમ' રણનીતિ પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત શાળા સ્તરેથી ટેલેન્ટની શોધ કરી, તેમને AI અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. 'વન સ્ટેટ, વન સ્પોર્ટ' નીતિ અને સ્પોર્ટ્સ સાધનોના સ્વદેશી ઉત્પાદન દ્વારા ભારત રમતગમત ક્ષેત્રે સ્વનિર્ભર બની વૈશ્વિક ફલક પર નવી ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ છે તેવી ચર્ચા આ કોન્ક્લેવમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પી.ટી. ઉષા, વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ સેક્રેટરી રવિ રંજન, ગુજરાતના સ્પોર્ટ્સ સેક્રેટરી રાહુલ ગુપ્તા સહિત વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:47 pm

65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા

India-Germany Submarine Deal : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલર (અંદાજે 65 હજાર કરોડ રૂપિયા)ના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે. જર્મન-ભારતની કંપનીઓ ભારતીય સેના માટે બનાવશે છ સબમરીન આ ઐતિહાસિક ડીલ હેઠળ ભારતીય નૌસેના માટે 6 અત્યાધુનિક સબમરીન બનાવવામાં આવશે, જેમાં વધુ 3 સબમરીન બનાવવાનો વિકલ્પ પણ સામેલ હશે.

ગુજરાત સમાચાર 9 Jan 2026 7:40 pm

જૂનાગઢ પુરવઠા વિભાગની લાલ આંખ,અપાત્ર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી.:જૂનાગઢમાં ઈ-કેવાયસી બાદ રેશન કાર્ડમાં મોટી કાર્યવાહી, 33,678 અપાત્ર સભ્યો NFSA માંથી દૂર, 3 વાર નોટિસ આપવા છતાં પુરાવા રજૂ ન કરનારા સામે તંત્રની ત્રાટક.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અનાજ અને કઠોળ પૂડું પાડવા માટે અનેક યોજનાઓ અમલી છે. જોકે, ઘણા આર્થિક સધ્ધર લોકો પણ ગરીબોના હકનું અનાજ પડાવતા હોવાની વિગતો સામે આવતી હોય છે. આ દિશામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી (e-KYC) ની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડેટાની ચકાસણી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે 33 હજારથી વધુ અપાત્ર સભ્યોને NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) ની યાદીમાંથી કમી કરવાનો આદેશ આપ્યો છે. 1.37 લાખ સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો ​જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કુલ 9,32,121 સભ્યો નોંધાયેલા છે. સરકારના આદેશ મુજબ જ્યારે આ સભ્યોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું, ત્યારે કુલ 1,37,527 સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ઘણા સભ્યો પાસે મર્યાદા કરતા વધુ જમીન હતી, કેટલાક ઈન્કમ ટેક્સ ભરતા હતા, તો કેટલાક કિસ્સામાં સભ્યનું અવસાન થયું હોવા છતાં તેમના નામે અનાજ ઉપાડવામાં આવતું હતું. 33,678 સભ્યોને NFSA માંથી હટાવી સામાન્ય કાર્ડમાં ફેરવાયા ​તંત્ર દ્વારા છેલ્લા 6 મહિનાથી આ યાદી તૈયાર કરી ફિલ્ડ લેવલે ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તમામ કાર્ડધારકોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપીને આધાર પુરાવા કે આવકના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી. આમ છતાં, 33,678 સભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ ન કરાતા, તેમને 'અપાત્ર' જાહેર કરવામાં આવ્યા છે. હવે આ સભ્યોને NFSA (સસ્તા અનાજના લાભાર્થી) માંથી દૂર કરી Non-NFSA (સામાન્ય રેશન કાર્ડ) કેટેગરીમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે 99,246 સભ્યોએ પુરાવા રજૂ કરતા તેઓ પાત્ર ઠર્યા છે. જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર NFSA સભ્યોની સ્થિતિ ​પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અપાત્ર સભ્યોની સંખ્યા • ​જૂનાગઢ શહેર (ઝોન 1 અને 2): શહેરી વિસ્તારમાં કુલ 1,47,145 સભ્યોમાંથી 6,367 સભ્યો અમાન્ય ઠર્યા છે. • ​જૂનાગઢ તાલુકો: 79,906 સભ્યોમાંથી 5,561 સભ્યોને યાદીમાંથી દૂર કરાયા છે.• ​માંગરોળ પંથક: સૌથી વધુ 1,64,072 સભ્યો છે, જેમાંથી 4,067 સભ્યો અમાન્ય થયા છે.• ​વિસાવદર: 65,324 સભ્યોમાંથી 3,874 સભ્યો અપાત્ર ઠર્યા છે.• ​માળીયા હાટીના: 1,24,989 સભ્યોમાંથી 3,532 સભ્યોને નોન-NFSA માં ખસેડાયા છે.• ​કેશોદ: 1,23,484 સભ્યોની સામે 2,302 સભ્યો અપાત્ર જણાયા છે.• ​માણાવદર: 78,076 સભ્યોમાંથી 2,996 સભ્યો અમાન્ય થયા છે.• ​મેંદરડા અને ભેંસાણ: આ બંને તાલુકાઓમાંથી અંદાજે 1,730 અને 1,614 સભ્યોને યાદીમાંથી કમી કરાયા છે.• ​વંથલી: 58,014 સભ્યોમાંથી 1,635 સભ્યો અમાન્ય ઠર્યા છે. ​સાચા જરૂરિયાતમંદોને લાભ મળે તેવો ઉદ્દેશ્ય ​પુરવઠા અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા પરિવારો જે તે સમયે ગરીબી રેખા હેઠળ હતા, પરંતુ સમય જતાં તેમની આર્થિક સ્થિતિ સુધરી હોવા છતાં તેઓ NFSA ના લાભ લેતા હતા. આ સક્રિય કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખરેખર જરૂરિયાતમંદ ગરીબ પરિવારો અનાજથી વંચિત ન રહે. જો કોઈ પાત્રતા ધરાવતો સભ્ય ભૂલથી રહી ગયો હોય, તો તે મામલતદાર કચેરીએ અરજી કરી શકે છે. દર મહિને મામલતદાર કચેરી ખાતે મળતી કમિટીની મીટિંગમાં આવી અરજીઓની પુનઃ ચકાસણી કરી સાચા પાત્ર લાભાર્થીને ફરીથી NFSA માં સમાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:33 pm

ગાંધીનગરમાં આંખ આંજી દે એવું 300 કરોડનું 'વિશ્વ આંજણાધામ':ચૌધરી સમાજના 2500થી વધુ વિદ્યાર્થીઓને સમાવતું 13 માળનું ભવન, AI કોમ્પ્યુટર લેબથી માંડીને જીમની સુવિધાઓ આપશે

ગાંધીનગરમાં શિક્ષણ અને યુવા વિકાસને નવી ઊંચાઈ આપવાના ભવ્ય પ્રયાસના ભાગરૂપે આંજણા ચૌધરી સમાજ દ્વારા અંદાજે 300 કરોડથી વધુના ખર્ચે 'વિશ્વ આંજણાધામ'નું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે આગામી તા. 11 જાન્યુઆરીએ ભૂમિપૂજન સાથે પ્રારંભ થશે. જમિયતપુરા ખાતે 6.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ઉભરી આવનાર આ 13 માળના આધુનિક ભવનમાં 2500થી વધુ વિદ્યાર્થીઓને એક જ છત્ર હેઠળ રહેવા, અભ્યાસ, સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારી, AI આધારિત કોમ્પ્યુટર લેબ, વિશાળ લાયબ્રેરીઓ, હાઈજેનિક ડાઇનિંગ એરિયા અને ઇન્ડોર-આઉટડોર રમતગમતની સુવિધાઓ સાથે આત્મનિર્ભર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ ભૂમિપૂજન કાર્યક્રમ આંજણા સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત અને વૈજ્ઞાનિક ખેતી-પશુપાલનમાં આગળ વધારીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારવાના સંકલ્પનું પ્રતીક બનશે. 11 જાન્યુઆરીની સવારે આંજણાઘામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે'શિક્ષણ' એ કોઈપણ સમાજના સર્વાંગીણ વિકાસનો મુખ્ય 'આધારસ્તંભ' છે, જેને સાકાર કરવા સમગ્ર આંજણા ચૌધરી સમાજના પ્રયત્નોથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં જમિયતપુરા ખાતે અંદાજે 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય 'વિશ્વ આંજણાધામ' આકાર પામશે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા સહિત દાતા તથા સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા. 11 જાન્યુઆરીને રવિવારે સવારે 9.30 કલાકે વિશ્વ આંજણાઘામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે. 6.50 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ભવન તૈયાર થશેઉલ્લેખનીય છે કે, આંજણા ચૌધરી સમાજ દ્વારા નિર્માણાધીન 'વિશ્વ આંજણાધામ' શિક્ષણ, રમતગમત અને આત્મનિર્ભરતાનું એક અભૂતપૂર્વ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જે અંદાજે 6.50 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ઉભરી આવશે અને 2500થી વધુ વિદ્યાર્થીઓને એક જ છત્ર હેઠળ તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડશે. આ 13 માળના ભવ્ય ભવનમાં વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર 572 કક્ષો ધરાવતી આધુનિક હોસ્ટેલ, 200 વિદ્યાર્થીઓને બેસી શકે એવા પ્રોજેક્ટરથી સજ્જ બે વિશાળ વર્ગખંડો તેમજ અન્ય છ ખંડો, 250થી વધુ કોમ્પ્યુટર સાથેની AI આધારિત અત્યાધુનિક કમ્પ્યુટર લેબ, ત્રણ 25 હજાર ચોરસ ફૂટની અદ્યતન લાઇબ્રેરીઓ અને હાઈજેનિક ડાઇનિંગ એરિયા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરની રમતગમતમાં યુવાનોને તૈયાર કરવા માટે 285 મીટરનું રનિંગ ટ્રેક, ફૂટબોલ, બેડમિન્ટન, વોલિબોલ, બાસ્કેટબોલ કોર્ટ તેમજ ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધાઓ ભવનના 12મા અને 13મા માળે ઉભી કરવામાં આવશે, જેથી આંજણા સમાજના યુવાનો શિક્ષણ સાથે રમતગમતમાં પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળી ઉઠે. 2,500થી વધુ દીકરા-દીકરીઓ અહીં રહીને સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારી કરી શકશેઆંજણાધામના પ્રમુખ મણીભાઈ ચૌધરીએ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે,ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે અડાલજ ટોલ નાકા નજીક જમિયતપુરામાં આધ વિશ્વ આંજણાધામ આકાર પામશે. અંદાજે 6.50 લાખ ચોરસ ફૂટમાં વિસ્તારમાં વિશ્વ આંજણા ધામ તૈયાર થશે. જેમાં 2,500થી વધુ દીકરા-દીકરીઓ રહીને અભ્યાસ-સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે એવી આધુનિક વ્યવસ્થા સાથેના આંજણાધામનું નિર્માણ કરવામાં આવશે. 25 હજાર ચોરસ ફૂટની ત્રણ અદ્યતન લાઇબ્રેરીઓની વ્યવસ્થાદીકરી અને દીકરાઓને રહેવા માટે કુલ 572 સુવિધાસભર કક્ષ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વિશ્વ આંજણાધામમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ અને વાંચન માટે 25 હજાર ચોરસ ફૂટની ત્રણ અદ્યતન લાઇબ્રેરીઓની વ્યવસ્થા, 200 વિદ્યાર્થીઓ સાથે ટ્રેનિંગ, લેક્ચર એટેન્ડ કરી શકે એવા વિશાળ વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઈન્ટરવ્યૂ રુમની પણ વ્યવસ્થાઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ શકાય એવી ક્ષમતાનો ઇન્ટરવ્યૂ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સમયને અનુરૂપ 250થી વધુ AI આધારિત સજ્જ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવશે. અંદાજે 650 વિદ્યાર્થીઓ ભોજન લઇ શકે તેટલી ક્ષમતાનો હાઈજેનિક ડાઇનિંગ એરિયા અને ભોજન તૈયાર કરવા માટે વિશાળ રસોડાનું નિર્માણ થશે. સમાજના યુવાનો કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં જાય તે માટે ઇન્ડોર ગેમ્સની પણ વ્યવસ્થાઆંજણાધામના મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે વિશ્વ આંજણાધામમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ માટે પણ ચૌધરી સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે 285 મીટર રનિંગ ટ્રેક, ફૂટબોલ અને બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ, બાસ્કેટ બોલ કોર્ટ ઉપરાંત ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સરકારી નોકરીમાં સમાજના યુવાનો આગળ રહે એવા ધ્યેયથી ધામ‌ તૈયાર થશેતેમણે કહ્યું કે, આ ભવનમાં 12મા અને 13મા માળે વિવિધ ઇન્ડોર રમતો માટે 11,300 ચોરસ ફૂટ જગ્યામાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આંજણા સમાજના યુવાનો અને યુવતીઓને સરકારમાં ઉચ્ચ નોકરીઓની તૈયારીઓ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાના ધ્યેય સાથે આ ધામ‌ તૈયાર થવા જ‌ઈ રહ્યું છે.રમત ગમત ક્ષેત્ર યુવાનો બેઝિક લેવલથી તૈયારીઓ માટેની સુવિધાઓ આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારૂ પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારવા તૈયાર કરવામાં આવશે. 300 કરોડની રકમ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી છેઆ ઉપરાંત ખેતીવાડી અને પશુપાલન સાથે જોડાયેલા આંજણા સમાજને ખેતી-પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે જોડી વધુ ઉત્પાદન અને આવક મેળવવામાં માર્ગદર્શન પુરુ પાડવામાં આ આંજણા ધામ ખૂબ જ મદદરૂપ બનશે. વધુમાં બે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, ઓફિસ, વેઇટિંગ એરિયા,કાફેટરિયા તેમજ પાર્કિંગ એરિયાનો જેવી વિવિધ વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડની રકમ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:30 pm

વિજલપોરના બે પોલીસકર્મીઓ સામે વધુ એક ગંભીર આક્ષેપ:પૂર્વ પોલીસકર્મીએ ‘તોડ’ના કારનામાનો પર્દાફાશ કર્યો, અગાઉ તેમને ફસાવીને સસ્પેન્ડ કરાવ્યા હતા

વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરત હીરામણ પાટીલ અને ચેતન ધીરુ પટેલ સામે ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલિંગના વધુ ગંભીર આક્ષેપો થયા છે. કાપડના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવવાના આક્ષેપ બાદ, હવે એક પૂર્વ પોલીસ કર્મચારીએ આ બંને કોન્સ્ટેબલોની કાર્યપદ્ધતિ અને ભૂતકાળના કિસ્સાઓનો પર્દાફાશ કર્યો છે. તેમણે બંનેને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પૂર્વ પોલીસ કર્મચારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં જ્યારે તેઓ નવસારી જિલ્લા B.D.D.S.માં ફરજ બજાવતા હતા, ત્યારે ભરત પાટીલ અને ચેતન ધીરુએ તેમના ગોવાના ફોટાને દાંડી રોડ પરની દારૂની મહેફિલ તરીકે રજૂ કરી ખોટા સમાચાર છપાવ્યા હતા. આ મામલે પતાવટ માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન આપતા, ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરી અરજદાર સહિત P.S.I. એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ કડવાભાઈ અને ASI ઈશ્વરદાસ સામે ખાતાકીય તપાસ કરાવી તેમને ફરજમોકૂફ કરાવ્યા હતા. જોકે, બાદમાં તેઓ નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી ફરી ફરજ પર હાજર થયા હતા. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ બંને કોન્સ્ટેબલોએ અંગત અદાવત રાખી વર્ષ 2024માં તેમના પુત્ર સૂરજકુમાર ઈશ્વરદાસ પાનપાટીલનું નામ મારામારીના એક કેસમાં ખોટી રીતે સંડોવ્યું હતું. તે સમયે પણ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને માંગણી પૂરી ન થતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે, આ બંને પોલીસ કોન્સ્ટેબલો વર્ષ 2014થી 2023 સુધી વિજલપોર પોલીસ મથકમાં કઈ રીતે ફરજ બજાવતા રહ્યા? કયા ક્લાર્કની રહેમનજર હેઠળ તેમની 8-9 વર્ષ સુધી બદલી કરવામાં આવી નથી? અનેક ફરિયાદો છતાં તેમને છાવરનાર જવાબદારો કોણ છે? ભોગ બનનાર પૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે, આ બંને કર્મચારીઓ તોડ કરવામાં માહેર છે અને લોકો તેમના ડરથી ફરિયાદ કરતા ગભરાય છે. તેમની સામે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા તપાસ થવી જોઈએ. અગાઉનો મામલો શું હતો ?માત્ર બે દિવસ અગાઉ જ વિજલપોરના એક કાપડના વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, તેના દીકરાને કેસમાંથી બચાવવા માટે આ બંને પોલીસકર્મીઓએ 2,75,000 રૂપિયાનો તોડ કર્યો હતો. આ અરજીની તપાસ હજુ શરૂ થાય તે પહેલા જ વધુ એક સ્ફોટક અરજી આવતા નવસારી પોલીસની છબી ખરડાઈ છે

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:24 pm