વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકો અને તેના આજુબાજુના સમગ્ર પર્વતીય વિસ્તારમાં વરસાદ બાદ કુદરત પોતાનું અસલ રૂપ બતાવી રહી છે. વરસાદી માહોલે સમગ્ર વિસ્તારને લીલાછમ બનાવી દીધો છે અને હરિયાળીથી ઢંકાઈ ગયેલા ડુંગરો ફરી જીવંત થઈ ઉઠ્યા છે. પ્રકૃતિના શોભામય દૃશ્યો સૌના દિલ જીતી લઈ રહ્યાં છે. આકાશી દૃશ્યો અને મેઘમય વાતાવરણ વચ્ચે કપરાડાનું સમગ્ર પર્વતીય વિસ્તાર આજની તારીખે ગુજરાતના સૌથી મનોહર સ્થળો પૈકી એક બની ગયું છે. હરિયાળી, ડુંગર પર સરકતા વાદળ વૃક્ષો પર નવા પાંદડા, ઘાસના હરા ગાલિચા જેવી પડતી, ડુંગરો પર સરકતા વાદળો અને ઠંડા પવનની સરસરસાટ સહેજવારમાં મન મોહી લે એવા દૃશ્યો સર્જી રહ્યાં છે. કપરાડાના ટાપી, પાનસોળ, છીલી, પાંચ વેરા, ગિદ્ધડ તથા કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિનું સુંદર દૃશ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આશીર્વાદ સમાનસ્થાનિક વસ્તી માટે આ વરસાદ માત્ર ખેડૂત માટે નથી, પણ પ્રવાસન માટે પણ આશીર્વાદરૂપ છે. ખેડૂતો ખેતરમાં ઝુંબેશથી કાર્ય શરૂ કરી ચૂક્યા છે, જ્યારે બીજી બાજુ કુદરતના આ અનમોલ દ્રશ્યોને જોવા માટે આસપાસના ગામડાંઓ ઉપરાંત શહેરો પાસેથી પણ લોકો પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર-રવિવારના દિવસોમાં ખાસ કરીને કુટુંબો, નેચર લવર્સ અને ફોટોગ્રાફર્સ માટે આ સ્થળો હોટસ્પોટ બની રહ્યાં છે. જળસ્ત્રોતો પણ સક્રિય–નદી, નાળા અને કુવા ભરાયાડુંગરોના પેટા ભાગે વહેતા નાળાઓ ફરી જીવંત બન્યાં છે. અનેક જગ્યાએ નાનાં ઝરણાં વહેતા જોવા મળે છે. વૃક્ષોના ઊંડા છાંયા વચ્ચે પડતા પાણીના ધોધ અને તેમાં પડતાં વાદળોના પ્રતિબિંબો નયનસુખદ બનાવે છે. કપરાડા તાલુકાના ઉંચા ડુંગરોની વચ્ચે આવેલા કેટલાંક કુદરતી કુંડ અને તળાવો પણ પાણીથી ભરાયા છે. પ્રકૃતિની સુરક્ષા માટે અપીલપ્રકૃતિના આ દ્રશ્યો કેટલીયે વાર તાત્કાલિક આનંદ આપે છે, પરંતુ તેના રક્ષણ માટે પણ પગલાં લેવી જરૂરી છે. સ્થાનિક તંત્ર અને નાગરિકો દ્વારા આ વિસ્તારમાં સફાઈ, પ્લાસ્ટિકમુક્ત અભિયાન અને પ્રવાસન માટે શિસ્તબદ્ધ વ્યવસ્થા જરૂરી છે જેથી કુદરતનું આ સુંદર રૂપ નિરંતર ટકી રહે.
ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગઈકાલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી. રાજ્યના વિવિધ સ્થળે NDRF-SDRFની 32 ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આજે આ જિલ્લામાં વરસાદની આગાહી 3 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 4 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 5 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 6 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગહી 7 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદસામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યમાં હાલ ચોમાસુ નબળુ પડ્યું છે. જોકે, તેમ છતાં કેટલાય જિલ્લામાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી તાપી જિલ્લાના છેવાડાના તાલુકાના અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા કુકરમુંડા ગામથી 10 કિલોમીટરના અંતરે સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલ્હેરી ધોધ સક્રિય થયો હતો. તેમજ કચ્છ જિલ્લામાં પાલર ધુના, કડિયા ધ્રુવ સહિતના ધોધ જીવંત થયા છે. 1 જુલાઈના વરસાદનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં જોખમી સ્ટંટ કર્યું હતું. યુવકે પોતાની કાર સાથે કરેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી હિરેન પટેલની ઓળખ થઈ હતી. પોલીસે તેની કાર સાથે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે હિરેન પટેલ અગાઉ દારૂની હેરાફેરીના કેસમાં પણ સંડોવાયેલો હતો. આરોપી હિરેન પટેલ ખેરગામ, ધરમપુર અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. તેણે ધરમપુર વિસ્તારમાં પોતાની જીપ ગાડીથી સ્ટંટ કરી રીલ્સ બનાવી હતી. સોશિયલ મીડિયા પર વાયદાર યુવક તરીકેની છાપ ઊભી કરવા માટે તેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કર્યો હતો.
વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ઈસ્ટમાંથી ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિન્નપ્પા ધોત્રેને ઝડપી પાડ્યો છે. આરોપી વલસાડ સિટી અને ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમી આધારે કાર્યવાહી કરી. 47 વર્ષીય આરોપી મૂળ કર્ણાટકના ગુલબર્ગાનો વતની છે. તે હાલમાં વિરાર ઈસ્ટમાં રહેતો હતો. એલસીબી પોલીસની ટીમે વસઈ વિસ્તારમાં જઈને સ્થાનિક બાતમીદારોની મદદથી તેને શનિવારે તેના ઘરેથી ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે પોતાના જમાઈ રાહુલ સિલ્વરાજ મુપનાર સાથે મળીને અઢી મહિના પહેલા વલસાડ અને ભરૂચમાં ઘરફોડ ચોરી કરી હતી. શિવા ધોત્રે પોતાની ટોળકી સાથે વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. હવે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ તપાસ માટે તેને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે.
વાપીમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ:દમણગંગા નદીમાં કૂદનાર મહિલાને સ્થાનિક યુવકોએ બચાવી
વાપીના ડુંગરા વિસ્તારમાં માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાએ મંગળવારે દમણગંગા નદીના પુલ પરથી કૂદકો માર્યો હતો. મહિલા નદીમાં પડતાની સાથે જ નજીકના ગામના યુવાનોએ તરત જ નદીમાં છલાંગ લગાવી. ધસમસતા પાણીમાંથી મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકોએ તરત જ 108 અને ડુંગરા પોલીસને જાણ કરી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. મહિલાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હાલમાં તેની તબીબી તપાસ ચાલી રહી છે. પોલીસે મહિલાના આપઘાતના પ્રયાસના કારણોની તપાસ શરૂ કરી છે. સ્થાનિક યુવકોની સમયસૂચકતા અને બહાદુરીથી એક જીવ બચી જવા પામ્યો છે. આ ઘટનામાં યુવકોની હિંમત અને સૂઝબૂઝની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
માલવણ હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માત:પીપળીથી કાલીયાણા પરત ફરતા ત્રણ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં હેમરેજ
માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પીપળી રામદેવપીર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ યુવકોને ટ્રકે પાછળથી ટક્કર મારી છે. કાલીયાણા ગામના કૃણાલભાઈ રાવળ અને જીગ્નેશભાઈ ભરવાડ બાઈક પર પીપળી દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને પુનાભાઈ ઠાકોર મળ્યા હતા. ત્રણેય જણા બાઈક પર કાલીયાણા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. બાઈક ચાલક કૃણાલભાઈને કપાળે નવ ટાંકા આવ્યા છે. પુનાભાઈને માથામાં હેમરેજ થયું છે. તેમનો જમણો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. કોણીના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. જીગ્નેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કૃણાલભાઈએ બજાણા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બજાણા પોલીસ મથકના વી.બી.મેટાલીયા કેસની તપાસ કરી રહ્યા છે.
વાલિયા-વાડી માર્ગ પર જર્જરિત પુલ બંધ:ડાઈવર્ઝનમાં કરોડોનો ખર્ચ, AAP દ્વારા આંદોલનની ચીમકી
વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કિમ નદી પરનો બ્રિજ જર્જરિત અવસ્થાને કારણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પુલના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી. છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન ડાઈવર્ઝન રસ્તા ધોવાઈ જતાં વારંવાર મરામત કરવી પડે છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ, આ મરામતમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. છતાં કાયમી સમાધાન માટે નવા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું નથી. છેલ્લા ચાર દિવસથી બ્રિજ બંધ હોવાથી નાના વાહનોની અવરજવર અટકી ગઈ છે. ઉબળખાબડ ડાઈવર્ઝન રસ્તો ખરાબ હાલતમાં હોવાથી દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પુલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મળીને આંદોલન કરવામાં આવશે.
ફ્લાઇટ ઇન્સ્પેક્શન યુનિટ (FIU) VT-CNS આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. આ યુનિટ એરપોર્ટ પર નેવિગેશનલ એડ્સ અને વિઝ્યુઅલ લેન્ડિંગ સિસ્ટમ્સની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફ્લાઇટ ઇન્સ્પેક્શન યુનિટ (FIU) શું છે? FIU એ ઉડ્ડયન સત્તાવાળાઓનું એક વિશિષ્ટ એકમ છે. તેમનું મુખ્ય કાર્ય એરપોર્ટ પરના વિવિધ ઉપકરણો, જેમ કે ILS (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) અને PAPI (પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર) ને કેલિબ્રેટ કરવાનું છે. આ ઉપકરણો વિમાનના સલામત ઉતરાણ અને કાર્યકારી કાર્યક્ષમતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મુખ્ય કાર્યો: નેવિગેશનલ એડ્સ (NAVAIDs) નું ફ્લાઇટ કેલિબ્રેશન: FIU એરપોર્ટ પરના નેવિગેશનલ એઇડ્સની સચોટતા ચકાસવા માટે ફ્લાઇટ નિરીક્ષણ કરે છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવું: તે સુનિશ્ચિત કરે છે કે એરપોર્ટ પરની તમામ સિસ્ટમ્સ નાગરિક ઉડ્ડયન નિયમો અને ધોરણોનું પાલન કરે છે. વિમાન જાળવણી અને કામગીરીનું સંચાલન કરવું: આ યુનિટ વિમાનની જાળવણી અને કામગીરી સંબંધિત પાસાઓનું પણ સંચાલન કરે છે. સ્થિતિ માહિતી માટે એરફિલ્ડ સર્વેક્ષણો હાથ ધરવા: FIU એરફિલ્ડની વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે સર્વેક્ષણો પણ કરે છે. VT-CNS ના આગમનથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધુ સુધારો થશે તેવી અપેક્ષા છે.
ન્યુ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીરે ધીરે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. આ એજ્યુકેશન પોલિસીના નિયમ હેઠળનો એક નિયમ કે પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવો. આ નિયમની અમલવારી ગુજરાત સરકાર આ શનિવારથી દરેક પ્રાથમિક શાળામાં કરાવવા જઈ રહી છે. ન્યુ એજ્યુકેશન પોલીસીના નો સ્કુલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે, દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. અને આ ઉત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે. જે રીતે ગુજરાત સરકાર આ નવી એજ્યુકેશન પોલીસીના એક બાદ એક નિયમ એ ગુજરાતમાં લાગુ કરી રહી છે તે નિયમો હેઠળનો એક આ નો સ્કૂલબેગ ડેનો નિયમ એ આ શનિવારથી લાગુ થવા જઈ રહ્યો છે.
રાજકોટ શહેરમાં ભારતીય બનાવટની નકલી ચલણી નોટો સાથે SOG પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં આવેલા ચરખા રેસ્ટોરન્ટ પાસે પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિતેશ દાવડા નામનાં 61 વર્ષિય શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રૂ.100 ના દરની 17 નકલી ચલણી નોટો કબ્જે કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આ શખ્સ પોરબંદરનો રહેવાસી અને પત્રકાર હોવાની કબૂલાત આપી હતી. રાજકોટ શહેરના પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સહિતનાએ રાજકોટ શહેર વિસ્તારમાં ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલી છે, ત્યારે એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતો. આ વખતે બાતમીના આધારે રાજકોટની મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિતેષભાઇ કનુભાઇ દાવડા (ઉ.વ.61, ધંધો પત્રકાર રહે. વાડી પ્લોટ શેરી નં.5 ઉકાભાઈની ઘંટીવાળી શેરી, પોરબંદર) ને ભારતીય બનાવટી (ચલણી) નોટો સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. જેની પાસેથી પોલિસે રૂ.100 ના દરની ભારતીય બનાવટી 17 ચલણી નોટો, રૂ.1,480 ની કિંમતની અલગ અલગ દરની 52 ભારતીય ચલણી નોટો અને રૂ.5000 નો મોબાઇલ મળી રૂ.6480 નો મુદામાલ કબજે કરેલો છે.
સુરત મોટા વરાછામાં કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં 948 કરોડ રૂપિયાના ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ કૌભાંડમાં પકડાયેલા નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરિયા, જયદીપ કાનજી પીપળીયા, ભાવિન અરવિંદ હિરપરા, નવનીત ચતુરભાઇ ગેવરિયા, સાહીલ મુકેશ સુવાગીયા, ભાવેશ જીણાભાઇ કિહલા અને બકુલ મગન તરસરીયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. 8 આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતીઆરોપીઓ પાસેથી મળેલ બેંકના ખાતાઓની અને પકડાયેલ વેબ સોફ્ટવેર ગેરકાયદે ડેવલપ કરાવી ક્રિકેટ, ફૂટબોલ, કસિનો જેવી ઓનલાઇન ગેમ્સની તપાસ કરીને મોટું કૌભાંડમાં મોટા માથા સંડાવેયાલા હોય તેની તપાસ ચાલુ કરી છે. તપાસનીશ અધિકારીએ નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરિયા સહિત આઠ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચલાવામાં આવતું હતુંમુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, મોટા વરાછામાં લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચલાવામાં આવતું હતું. આરોપીઓ શેરમાર્કેટ ટ્રેડિંગ લગતા Castilo 9, stock grow વેબ સોફ્ટવેર, પ્રતિબંધિત BET FAIR.COM, NEXON, EXCH.COM, PAVANEXCH, ENGLISH999 વગેરે થકી ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ, કસિનો, ફૂટબોલ, ટેનિસ જેવી ગેમ્સ પર ગોરખધંધા કરતા હતા. ઓનલાઇન ગેમિંગના ખેલ કરી મોટી રકમ રોકાણ કરાવતા હતાઆરોપીઓની તપાસમાં 943 કરોડના વેબ સોફ્ટવેર મારફતે અને 4.62 કરોડના બેંક એકાઉન્ટ્સ મારફતે એમ કુલ 948 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોય તેની તપાસ કરવાની છે. વેબ સોફ્ટવેર ડેવલપ કરાવી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી શેરમાર્કેટમાં ટ્રેડિંગ અંગેની જાહેરાતો આપી-અપાવડાવી ગ્રાહકોને આકર્ષતા હતા. USER ID અને પાસવર્ડ ગ્રાહકોને આપી પ્રતિબંધિત સોફ્ટવેર મારફતે શેર તથા ઓનલાઇન ગેમિંગના ખેલ કરી મોટી રકમ રોકાણ કરાવતા હતા. આરોપીઓની સાથે રાખીને ગુજરાત સહિત અન્ય રાજયોમાં ઓનલાઇન ગેમિંગ કૌભાંડ હોય તેની તપાસ કરવાની છે. બ્લેકમનીનો ઉપયોગ કરવાની સુવિધાના નામે ગ્રાહકોને લલચાવતાઆરોપીઓ પાસેથી 19 મોબાઇલ, 4 લેપટોપ, 10 લાખ રોકડા, 2 ઇનવોઇસ ફાઇલ, 13 સિમકાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, 2 ડેબિટ કાર્ડ, 1 કલર પ્રિન્ટર, 1 પેપર કટિંગ મશીન મળી આવ્યુ હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓ પૈકી ભાવિન કિહલા અને બકુલ તલસરિયા સોફ્ટવેર ડેવલપર હોઇ તેઓ સોફ્ટવેરમાં સુધારા-વધારાની સાથે અપડેશનનું પણ કામ કરતા હતા. આરોપીઓ ઊંચા નફાની લાલચ આપીને તેમજ બ્લેકમનીનો ઉપયોગ કરવાની સુવિધાના નામે ગ્રાહકોને લલચાવતા હતા. ટ્રેડિંગમાં કોઇ નુકસાન થતું નથી અને કોઇ ટેક્સ પણ ભરવો પડતો નથી એવું ગ્રાહકો સમક્ષ રટણ કરતા હતા. કોર્ટે 8 આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાઆરોપીઓએ વિદેશમાં રોકાણ છે કે કેમ? આંગડિયાના વ્યવહારો મળ્યા છે, બેંક કીટ ગ્રાહકોને કમિશન આપ્યું છે કે કેમ? સિમકાર્ડ કોના નામે લીધા છે? તેની તપાસ કરવાની છે. આરોપીઓ પાસેથી 250 જેટલાં ગ્રાહકોએ ઓનલાઇન ટ્રેડિંગ-ગેમિંગ કર્યુ હોવાના ડેટા મળી આવ્યો હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓની પોલીસ કસ્ટડીમાં રાખીને તપાસ કરવાની હોય રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે 8 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે આજે મોટી સંખ્યામાં પશુપાલકો અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લાના 500થી વધુ પશુપાલકોએ અમૂલ ડેરીના એમડીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આગામી બે મહિનામાં યોજાનારી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી પહેલા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પશુપાલકોએ અમૂલ ડેરીની વર્તમાન બોડી પર જમીન ખરીદી અને કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા છે. બીજી તરફ આ અંગે અમૂલના એમ.ડી ડૉ.અમિત વ્યાસે જણાવ્યું કે, અમૂલ ડેરીમાં કોઈપણ કામ થતું હોય તો તે વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના તમામે તમામની પરવાનગી હોય અને સર્વ સંમતિથી મંજૂર થયું હોય એ જ કામ નીતિનિયમ હેઠળ થાય છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વીરપુર અને નડિયાદમાં જમીન ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં, કેટલાક ડિરેક્ટરો પર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો મૂકવામાં આવ્યા છે. પશુપાલકોએ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દૂધ મંડળીઓને ઓડિટના નામે હેરાન કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર, રાજકીય કિન્નાખોરીથી કેટલીક આદર્શ દૂધ મંડળીઓને 'ક' વર્ગમાં મૂકવાનું ષડયંત્ર રચાયું છે. પશુપાલકોએ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં નિવાસી અધિક કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે. તેમની મુખ્ય માગણી છે કે અમૂલના નિયામક મંડળની ચૂંટણી સમયસર યોજાય અને ભ્રષ્ટાચારના તમામ આરોપોની તટસ્થ તપાસ થાય. આ વખતે પશુપાલકોના હિતનો ઉમેદવાર જ જીતશે: કેસરીસિંહ સોલંકીખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જણાવે છે કે, ચૂંટણી આવી એટલે વાતો કરવા લાગ્યા કે, કેસરીસિંહ તો કોંગેસમાં જોડાઈ ગયાં અને કોંગ્રેસને ટેકો કર્યો. અરે આ કોઈ ભાજપ-કોંગ્રેસ પક્ષની નથી, આ આ લડાઈ ફકત અને ફકત ખેડૂત અને પશુપાલકોને થઈ રહેલાં અન્યાય સામેની લડાઈ છે. તમે એક બકરી પણ નથી રાખતા અને સત્તામાં બેસવું છે. આ વખતે અમુલમાં બેસી જુઓ, અમે જોઈએ છીએ. હું જાહેરમાં કહું છું કે તમે અમારું લોહી ચૂસીને રૂપિયા ભેગા કરેલા છે. પણ આ વખતે તમારા પૈસા પણ લઈ લઈશું અને આ વખતે પશુપાલકોના હિતનો ઉમેદવાર જીતશે તેવી ખાતરી આપું છું. '25-25 લાખ રૂપિયા લઈને બહારના લોકોને અમૂલમાં નોકરીએ લીધાં'ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભરતસિંહ પરમાર જણાવે છે કે, અગાઉ અમે માંગ કરી હતી કે, લાયકાત ધરાવતાં પશુપાલકોના દિકરા-દિકરીઓને અમૂલમાં નોકરીએ લેવાં, પરંતુ, આ લોકોએ 25-25 લાખ રૂપિયા લઈને બહારના લોકોને નોકરીએ લીધાં. તાજેતરમાં અમૂલના કામ માટે વિરપુર અને નડિયાદમાં જમીનો ખરીદવામાં આવી. એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાં. કોઈ ગામડાનો સારો પ્રતિનિધિ એમનો હરીફ ન બને તે માટે અ વર્ગની મંડળીને ક વર્ગમાં મુકવા માટેનું ષડયંત્ર કર્યું છે. આણંદ જિલ્લા રજીસ્ટાર મનસ્વી વહીવટ કરતાં હોવાનો આક્ષેપઆણંદ જિલ્લા રજીસ્ટારે જિલ્લાની કેટલીક આદર્શ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ કરી ખોટા ઓડીટ રીપોર્ટ તૈયાર કરી, (અ) વર્ગની મંડળીઓને (ક) વર્ગમાં મુકી, મનસ્વી વહીવટ કર્યો હોવાના આક્ષેપ પણ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યાં છે. આવેદનપત્રમાં જણાવેલા મુદ્દા પર ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશુંઆ અંગે અમૂલના એમ.ડી ડૉ.અમિત વ્યાસ જણાવે છે કે, આજે પશુપાલકો તરફથી મને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જે પણ કંઈ મુદ્દા લખ્યા છે, તેની ઉપર ચોક્કસપણે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે તેઓ જણાવે છે કે, અમૂલ ડેરીમાં કોઈપણ કામ થતું હોય તો તે વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના તમામે તમામની પરવાનગી હોય અને સર્વ સંમતિથી મંજૂર થયું હોય એ જ કામ નીતિનિયમ હેઠળ થાય છે.
બોટાદના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ બેઠકમાં મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. સોરઠીયાએ જણાવ્યું કે, પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેઓ સુધરવા તૈયાર ન થતાં તેમને પક્ષમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે, મકવાણાને જાણ હતી કે, ગોપાલ ઈટાલિયાની જીત બાદ પક્ષ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ કારણે તેમણે અગાઉથી જ રાજીનામું આપી દીધું હતું. બેઠકમાં બોટાદ વિધાનસભા બેઠકની સંભવિત પેટાચૂંટણીની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકરોએ ચૂંટણી લડવા માટે તત્પરતા દર્શાવી હતી. AAP જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં પણ પોતાના ઉમેદવારો ઉતારશે. આ બેઠકમાં જિલ્લા AAPના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ અને શહેર પ્રમુખ અભિષેકભાઈ સોલંકીની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:અક્સ્માત કર્યો છે કહી યુવાનની કારને રોકી રૂ.20 હજાર પડાવી લેતો શખ્સ ઝડપાયો
રાજકોટમાં જીવરાજપાર્કમાં આવેલ કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં ભાર્ગવભાઈ હસમુખભાઈ ચાંગેલા (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેને એમબીએનો અભ્યાસ મેલબોર્ન (ઓસ્ટ્રેલીયા) ખાતે કરેલ છે અને તેઓને યુનિવર્સિટી રોડ પર બાલાજી પાર્ક પ્લોટ નં.16માં ગ્રોકોન એકસપોર્ટ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. ગત તા. 27ના તેમના પત્નીનુ સ્કુટી જે ભકતીનગર ખાતે માધવ ટી.વી.એસ.માં સર્વિસ માટે આપેલ હોય જેથી તેઓ ત્યાં ગયેલ હતાં અને ત્યાંથી દસેક વાગ્યાની આસપાસ તેમની કાર લઈને ઘરે જવા માટે નીકળેલ અને નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટસની બાજુમાં 10.45 વાગ્યાની આસપાસ પહોંચેલ અને આ સર્કલ પાસે ડ્રાઇવર સીટની ડાબી બાજુ દરવાજા પાસે એક ટૂ વ્હિલર ચાલક તેને પહેરેલ કડાથી મુકા મારવા લાગ્યો અને તેના હાથના ઇશારા વડે ગાડી રોકવાનુ જણાવેલ હતું. જેથી તેઓએ ટ્રાફીક હોવાથી સર્કલથી આગળ નાનામવા રોડ પર શિવ ટ્રેડર્સ પાસે ગાડી ઉભી રાખેલ અને તે શખ્સ ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તમે મારા બાઇકમાં તમારી ગાડીનુ એકસીડેન્ટ કરેલ છે, જેથી તેને કહેલ કે, તમારા બાઈકમાં ક્યાં નુકશાન થયેલ છે અને જો એકસીડેન્ટ થયેલ હોય તો મારી કારમાં પણ નુકશાન થયુ હોયને તેમ કહેતાં તે શખ્સે કહેલ કે, આ નાનામવા રોડ મારા બાપનો છે. આ રોડ પર મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે અને મારા એકટીવામાં ભલે કોઇ નુકસાન થયું નથી તારે મારી સાથે પૈસાનો વહિવટ કરવો જ પડશે તેમ કહીં ઊંચા અવાજે રાડો પાડી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. ફરિયાદીને જીવનુ જોખમ લાગતા ગભરાઇ ગયેલ અને તે શખ્સને કહેલ કે, મારાથી જાણતા અજાણતા કોઇ ભુલ થઇ ગયેલ હોય તો માફ કરી દો હું નિર્દોષ છું અને મને જવાદો. તો તે શખ્સે કહેલ કે, તારા ગુગલ પે માં કેટલી રકમ છે? તે પહેલાં તું મને બતાવ અને તેના 10 ટકા પૈસા મને આપી દે એટલે જવા દઇશ તો કહેતાં તેને કહેલ કે, ભાઈ ગૂગલ પે ની રકમનુ શું કામ છે તમો 5000-10000 રૂપીયા લઇ મને જવા દો તો ભાઇએ કહેલ કે 5000-10000 માં નહિ પતે રૂ.20 હજાર રૂપીયા આપી દો, જેથી ફરીયાદી ભયભીત થઈ ગાડીમાં રાખેલ રૂ. 20 હજાર તેને આપી દીધેલ હતા. જેથી પોલિસે આરોપી કરણસિંહ મહિપતસિંહ ખેરડીયા (ઉવ.20, રહે. માયાણીનગર શેરી નં.02, ખીજડાવાળો મેઇન રોડ) ને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ.20 હજાર અને ટુ વ્હીલર કબ્જે કર્યું હતું. બાઈક સ્લીપ થતા ઘવાયેલા શિક્ષકનું સારવારમાં મોતરાજકોટ શહેરના એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા ખાનગી શાળાના શિક્ષક અરવિંદભાઈ મણવરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું.બનાવની પ્રાપ્ત વિગત મુજબ અરવિંદભાઈ શિવાભાઈ મણવર (ઉ.વ.63) (રહે.આલાપગ્રીન સિટી, રૈયારોડ, રાજકોટ) ગત તા.26/6/25ના રોજ સવારે 10 વાગ્યે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં. ત્યારે એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થઈ જતા માથા-શરીરે ગંભીર ઈજા થઈ હતી.તેઓને તત્કાલ 108માં હોસ્પિટલે ખસેડાયા હતા.જયાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે એ.ડીવીઝન પોલીસને જાણ થતા મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પરિવારજનો પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અરવિંદભાઈ શિક્ષક હતા.તેઓ ધ ડીવાઈન સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.તેઓ 3 ભાઈ અને 1 બહેનમાં વચ્ચેના હતા.તેમને સંતાનમાં એક દિકરી છે.બનાવના દીવસે અરવિંદભાઈના મિત્રએ મકાન લીધુ હોય તેનો વેચાણ દસ્તાવેજ નોંધણી કરવાનો હોય, જેમાં અરવિંદભાઈ જામીન તરીકે હાજર રહેવાના હોવાથી તેઓ ડી.એચ.કોલેજ કેમ્પસમાં આવેલી રજીસ્ટાર ઓફિસે જતા હતા.ત્યારે આ બનાવ બન્યો હતો. ટીપરવાન ચાલકને 3 શખ્સોએ માર માર્યોરાજકોટ શહેરમાં ગાડી મોરે મોરો ચલાવવાની બાબતમાં બબાલ થઈ ગઈ હતી. ત્રિવેણીનગરમાં મનપાની ટીપરવાનના ચાલક પર ધોકા વડે હુમલો થયો હતો. ચાલકનો હાથ ભાંગી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ગુરુપ્રસાદ ચોક ખાતે આવેલ વોર્ડ ઓફિસથી કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. માર મારવામાં ત્રણ લોકો સામેલ હતા. જેમની સામે ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે. અલ્કેશ રમેશભાઈ શિંગાળીયા (ઉ.વ.19, રહે. કોઠારીયા મેઈન રોડ, મૂળ દાહોદ) આજે સવારના 8 વાગ્યે પોતે કચરાની ગાડી લઈને જતા હતા ત્યારે કચરો ભરવા ગયા ત્યારે ત્રિવેણીનગર ગુરુપ્રસાદ ચોક પાસે શેરી નંબર 3 માં સામેવાળા અજાણ્યા માણસોએ ઝઘડો કરીને ધોકા વડે માર માર્યો હતો. અલ્કેશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.તેણે જણાવ્યું કે, આજે સવારે તેઓ જ્યારે ટીપરવાન લઈને ત્રિવેણીનગર ગુરુપ્રસાદ ચોક પાસે શેરી નંબર 3 માં ગયા હતા ત્યારે એક વ્યક્તિ સ્કૂટર ઉપર પોતાના બાળકને લઈને નીકળ્યો હતો. શેરીમાં ટીપરવાન ઉભી રખાવી તેણે કહ્યું કે કેમ મારી સામે શેરીમાં મોરે મોરો ગાડી આવવા દીધી. ચાલક અલ્કેશે કહ્યું કે હું તો સાવ ધીમે ગાડી ચલાવું છું. દરમિયાન ત્રણ વ્યક્તિ હાજર હતા અને અલ્કેશને ધોકા વડે બેફામ માર માર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. મારના કારણે અલ્કેશ જમીન પર પડી ગયો હતો. તેનો નાનો 5 વર્ષનો પુત્ર અને પત્ની સાથે હોય તેઓ ડરી ગયા હતા.તુરંત ગુરુપ્રસાદ ચોકમાં આવેલ વોર્ડ ઓફિસમાં જાણ કરી હતી. જેથી અન્ય કર્મચારીઓ ધર્મેન્દ્ર સોલંકી સહિતના દોડી ગયા હતા અને વધુ મારથી અલ્કેશને બચાવ્યો હતો. માલવિયાનગર પોલીસે નિવેદન નોંધી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. પાર્કિંગમાં ચાવી સાથે રાખેલા ટુ વ્હીલરને ટાર્ગેટ બનાવતો સગીર ઝડપાયોજામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામેથી ક્રાઈમ બ્રાન્ચે ચોરાઉ એક્ટિવા સાથે સગીરની ધરપકડ કરી ત્રણ એકટીવા ચોરીનો ભેદ ઉકેલ રૂપિયા 86,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ બાઈક તાલુકા, બી.ડિવિઝન અને થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે ઊભેલા શંકાસ્પદ સગીરને અટકમાં લઈ તેની પાસે રહેલ એકટીવાના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા તે ચોરાઉ હોવાનું ખુલતા પોલીસે પૂછપરછ કરતા આરોપીએ તાલુકા, થોરાળા અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એકટીવાની ચોરી કાર્યની કબુલાત આપી હતી.ક્રાઈમ બ્રાન્ચે રૂ.86 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મોડી રાત્રીના સમયે સોસાયટીના રહેણાંક મકાનના પાર્કીંગમાં/ ફળીયામાં રેકી કરી જે બાઈકની ચાવી અંદર હોય તે મકાનનો ગેઈટ અથવા દીવાલ કુદી મકાનના પાર્કીંગમાં / ફળીયામાં પ્રવેશ કરી અંદરથી ગેઈટ ખોલી બાઈકની ચોરી કરતો હતો. રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલી યુવતીનું સારવારમાં મોતસુરેન્દ્રનગરમાં રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલી 22 વર્ષીય દક્ષાબેનનું સારવારમાં મોત થયું હતું. ગત તા. 14 એપ્રિલથી દક્ષા વાળોદરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. ગઈકાલે સાંજે દમ તોડી દેતા પરિવારમાં. શોક છવાયો હતો. આ અંગે મળતી વિગત અનુસાર, દક્ષાબેન ઠાકરશીભાઈ વાળોદરા (ઉ. વ. 22, રહે. રતનપર એરીયા, મ્યુનિસિપલ ક્વાર્ટર, વાલ્મિકી વાસ, જોરાવરનગર, સુરેન્દ્રનગર) ગત તા.14/4/2025ના રોજ પોતાના ઘરે હતી ત્યારે ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ કારણોસર ચુલાની જાળ કપડામાં અડી જતા શરીરે દાઝી ગઈ હતી.
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીની અધ્યક્ષ તરીકે ચાર વર્ષ માટે પુનઃવરણી કરવામાં આવી. સંસ્થાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. મૂળરાજસિંહ ચુડાસમા માનદ મહામંત્રી તરીકે ચૂંટાયા. પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત અને ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી થઈ. સંદીપ દેસાઈને હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ બનાવાયા. અંકિત પટેલને માનદ ખજાનચી તરીકે નિયુક્ત કરાયા. 2024-25 દરમિયાન સંસ્થાએ 26 ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ ટુર્નામેન્ટમાં 1168 મેચ રમાઈ અને 6468 ગોલ નોંધાયા. ગુજરાતમાં 7400 સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4836 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓને એવોર્ડથી સન્માનિત કરાયા. અમદાવાદને સૌથી વધુ ખેલાડી નોંધણી માટે, સુરતને ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ આયોજન માટે અને રાજકોટને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ મળ્યો. ભાવનગરને બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ એનાયત થયો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને સંયુક્ત રીતે બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સનો એવોર્ડ અપાયો.
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ઇયળોના ઉપદ્રવે લોકોની મુશ્કેલીઓ વધારી છે. કરણધાર વિસ્તારમાં વરસાદ અને ગરમીના કારણે ઉત્પન્ન થયેલા બફારામાં જમીનમાંથી મોટી સંખ્યામાં ઇયળો બહાર નીકળી આવી છે. લાલ રંગની ઇયળોના ઢગલા ઘરોમાં જોવા મળી રહ્યા છે. નાના બાળકો ધરાવતા પરિવારો વિશેષ ચિંતામાં છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ ફોલ આર્મી વોર્મની ઇયળો ચારથી પાંચ વખત નિર્મોચન કરે છે. તેમની પાંચથી છ અવસ્થાઓ જોવા મળે છે. પ્રારંભિક અવસ્થામાં ઇયળો લીલાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. તેમના શરીર પર ભૂખરા રંગના ટપકાંની પાંચ હાર હોય છે. પૂર્ણ વિકસિત ઇયળની લંબાઈ 40-45 મિલીમીટર અને પહોળાઈ 5-6 મિલીમીટર હોય છે. તેમના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર અંગ્રેજી 'Y' આકારની સફેદ નિશાની સ્પષ્ટ દેખાય છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે જોખમી બની શકે છે.
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરાયેલા 943.37 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના રેકેટની તપાસમાં હવે તેજ ગતિ આવી છે. SOGએ આ કેસમાં મોટી કાર્યવાહી કરતા સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને સમગ્ર રેકેટના કાર્યપ્રણાલી સંબંધિત પુરાવા પ્રસ્તુત કર્યા. આ પુરાવાઓના આધારે કોર્ટે મુખ્ય આરોપીઓની 5 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. SOGના પોલીસ ઈન્સ્પેક્ટર અતુલ સોનારાએ માહિતી આપી કે, આ કેસના એક આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મિર્ઝાપુરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને હવે તેને સુરત લાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂછપરછ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેનાથી રેકેટમાં સામેલ અન્ય લોકો અને તેઓ આટલા લાંબા સમયથી આ નેટવર્ક કેવી રીતે ચલાવી રહ્યા હતા તે અંગે ખુલાસો થશે. ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતીપોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી 'સનરાઈઝ ડેવલપર્સ' નામની કન્સ્ટ્રક્શન ફર્મની આડમાં તેને મોટા પાયે સંગઠિત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા અને વિશાલ ગેવરિયાને આ નેટવર્કના માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવ્યા છે, જેમણે ઉચ્ચ વળતર અને ટેક્સ-ફ્રી આવકની લાલચ આપીને રોકાણકારોને ફસાવ્યા હતા. હવે પોલીસ તેમની પાસેથી પૈસાની લેવડદેવડ કયા માધ્યમોથી થતી હતી, કઈ કંપનીઓ કે દલાલોનો ઉપયોગ થતો હતો અને દેશ-વિદેશમાં કેટલી બેંક ખાતાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ આના દ્વારા સક્રિય હતા તે જાણવાનો પ્રયાસ કરશે. ફરાર આરોપીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા મુખ્ય નામ છે. SOG દ્વારા આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા 19 મોબાઈલ, 4 લેપટોપ, 87 ચેકબુક, 31 પાસબુક અને 10 લાખ રોકડા, પુરાવા નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી પેપર કટિંગ મશીન અને અન્ય દસ્તાવેજો તપાસમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. SOG હવે આરોપીઓ પાસેથી આ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે ડબ્બા ટ્રેડિંગ શેરબજારનું એક ગેરકાયદેસર સ્વરૂપ છે જેને SEBIની પરવાનગી વિના ચલાવવું દંડનીય અપરાધ છે. આ કેસ 943 કરોડ રૂપિયાનો છે અને તેમાં લાઇસન્સ વિના ટ્રેડિંગ થયું છે, તેથી SEBIનો રિપોર્ટ અને ભલામણ રેકેટના કાનૂની પાસાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી એ પણ જાણી શકાશે કે આ પૈસા મની લોન્ડરિંગ કે હવાલા દ્વારા તો વિદેશમાં નથી ગયા. મિર્ઝાપુરથી અમદાવાદ, પછી સુરતએક આરોપી જે લાંબા સમયથી ફરાર હતો, તેને મિર્ઝાપુર (યુપી) થી પકડવામાં આવ્યો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પહેલા અમદાવાદ અને પછી સુરત લાવવામાં આવ્યો. આ વ્યક્તિને નેટવર્કનો જૂનો ઓપરેટર માનવામાં આવે છે જે સોફ્ટવેર, બેંકિંગ ચેનલો અને ગ્રાહક સંવાદની જવાબદારી સંભાળતો હતો. પોલીસને તેનાથી ઘણા જૂના રોકાણકારો અને જૂના ટ્રાન્ઝેક્શન્સ વિશે માહિતી મળવાની આશા છે. સનરાઈઝ ડેવલપર્સની હકીકત'સનરાઈઝ ડેવલપર્સ' નામની કન્સ્ટ્રક્શન ફર્મની આડમાં ચાલતો આ કાળો કારોબાર ખરેખર નકલી ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. અહીં કર્મચારીઓને કોલર તરીકે બેસાડવામાં આવતા હતા અને રોકાણકારો સાથે ફોન કે વોટ્સએપ પર સંપર્ક કરવામાં આવતો હતો. કાગળો, રોકડ વ્યવહાર અને નકલી ચેકબુક્સને ઓફિસની અંદર જ એક પેપર કટર મશીન વડે નષ્ટ કરવામાં આવતા હતા જેથી કોઈ પુરાવા ન રહે.
કેવડિયા સરકારી શાળાની બિલ્ડિંગ માટે માગ:2017થી તૂટેલી શાળાનું નવું બાંધકામ કરવા ABVPની રજૂઆત
નર્મદા જિલ્લાના કેવડિયામાં સરકારી માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ બનાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. ABVPએ જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાની આ શાળાની જૂની ઇમારત 2017માં તોડી નાખવામાં આવી હતી. છ વર્ષ વીતવા છતાં નવી ઇમારતનું બાંધકામ શરૂ થયું નથી. હાલમાં શાળા ભાડાની ઇમારતમાં ચાલે છે. વિદ્યાર્થીઓને પૂરતા વર્ગખંડો અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે. યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન હોવાથી અભ્યાસ પર વિપરીત અસર થઈ રહી છે. ABVPએ ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. નવી બિલ્ડિંગ માટે તાત્કાલિક મંજૂરી આપવી, યોગ્ય જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવું બાંધકામ શરૂ કરવું અને વિદ્યાર્થીઓ માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવી.
ગોધરાની ફાર્મા કંપનીમાં ATSનો દરોડો:શંકાસ્પદ દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા
ગોધરાના વેજલપુર રોડ પર ચિખોદરા પાસે આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટીએસની ટીમે આજે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ દવાઓના ઉત્પાદનની તપાસ માટે એટીએસની ટીમે કંપનીમાં દરોડો પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપની કેપ્સ્યુલનું ઉત્પાદન કરે છે. એટીએસની ટીમે તપાસ દરમિયાન કેટલીક દવાઓના સેમ્પલ એકત્ર કર્યા છે, જેને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કંપની અગાઉ પણ નકલી દવાઓ બનાવવાના મામલે ચર્ચામાં આવી હતી. એટીએસની કાર્યવાહી દરમિયાન કંપનીમાંથી મળેલા દવાઓના સેમ્પલની લેબોરેટરી તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
સુરત શહેરમાં ચોમાસાના વરસાદી પાણી ઓસર્યા બાદ સુરત શહેરમાં ઠેર ઠેર તૂટી ગયેલા રસ્તાઓના દ્રશ્યો સામે આવતા, મહાનગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ, શહેરના માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે, 198 કરોડના જંગી ખર્ચે 118 નવા રસ્તાઓનું નિર્માણ અને તૂટી ગયેલા રસ્તાઓના રિ-કાર્પેટિંગ માટે શાસકો સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામગીરી દિવાળી પહેલાં શરૂ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઝોન વાઈઝ ખર્ચ અને મુખ્ય રસ્તાઓપ્રાથમિક અંદાજ મુજબ, માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ 12 રસ્તાઓના નવીનીકરણ માટે 50 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2018માં બનેલો અને લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલો હજીરા-સાયણ રોડ, જે શહેરના મહત્વના કનેક્ટિવિટી રોડ પૈકી એક છે, તેને સિમેન્ટ કોંક્રિટમાં તબદીલ કરવા માટે 13 કરોડ ખર્ચવામાં આવશે. આ રોડના નવીનીકરણથી હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળશે. પાલિકા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાદ બંધ થતાની સાથે જ ખાડા પુરવા અને તૂટી ગયેલી ટ્રેન્ચનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. આ સાથે જ, 118 રસ્તાઓના નિર્માણ માટે અત્યારથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ 118 રસ્તાઓમાં હજીરા-સાયણ રોડ ઉપરાંત જહાંગીરપુરાના MV સર્કલથી નિરવાણા શોપર્સ સુધીનો રસ્તો, જહાંગીરપુરા કેનાલ રોડ અને બંસીધર સોસાયટીથી આઉટર રિંગરોડ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે. આગામી બેઠકમાં મહત્વનો નિર્ણયઆ સમગ્ર પ્રોજેક્ટ માટે 198 કરોડના ખર્ચના અંદાજ સાથે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી 3જી જુલાઈના રોજ મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ રસ્તા નિર્માણના ખર્ચ અંદાજની મંજૂરી પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ, દિવાળી પહેલાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, જેથી શહેરના નાગરિકોને સુવિધાજનક અને સલામત માર્ગોનો લાભ મળી શકે.આ મેગા પ્રોજેક્ટ સુરતના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને શહેરના વિકાસને નવી ગતિ આપશે.
શહેરમાં રખડતા પશુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ઢોર નિયંત્રણ પોલીસે અમલમાં લાવવામાં આવી છે જે અંતર્ગત હવે પશુઓ રોડ ઉપર રાખી શકાશે નહીં પશુ રાખવા માટે લાઇસન્સ રાખવા ફરજીયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર પશુઓને રાખવાની જગ્યા અને લાયસન્સ અંગે તપાસ કરવામાં આવી હતી. ખાડીયા, ગોતા, સાયન્સ સીટી, ભાડજ, નિકોલ, નરોડા, ઘાટલોડીયા, સાબરમતી, ચાંદખેડા, રાણીપ, કાળીગામ અને વાડજ વગેરે વિસ્તારમાં પશુઓ રખડતા મુકવા સહિતની શરત ભંગ કરવામાં આવી હતી. જેથી પશુમાલિકે 25 કેટલા પશુ માલિકના લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ આપવામાં આવી છે. સૌથી વધારે શહેરના ચાંદખેડા, રાણીપ, નવાવાડજ, કાળીગામ, મોટેરા, સાબરમતી, સૈજપુર, કુબેરનગર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. એસ.પી.રીંગ રોડને અડીને આવેલા વિસ્તારો જેવા કે ભાડજ, હેબતપુર, ચિલોડા, અસલાલી, રામોલ, કઠવાડા, ગેરત નગર, છારોડી, ઓગણજ વિગેરે એરીયામાં સઘન ચકાસણી કરવામાં આવી છે. શહેરના હંસપુરા, દહેગામ રોડ, નરોડા, ઘાટલોડિયા, વાડજ, વટવા, ઇસનપુર, ભાડજ, સાયન્સ સિટી, રાણીપ, કેશવનગર, નિર્ણય નગર, ચાંદખેડા, અમરાઇવાડી, ભાઈપુરા, ગોતા, સરદારનગર વિસ્તારોમાં સર્ચ તપાસ, ફૂટપેટ્રોલિંગ કરી પોલીસ મદદથી 38 પશુઓ પકડવામાં આવ્યા છે. નાગરિકો તરફથી મળતી રોજની CCRS ફરીયાદ, ડેશકેમ/ CCTV ઇમેજ તથા રાઉન્ડ દરમ્યાન અલગ અલગ સ્થળો પરથી 88 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. પશુઓની નોંધણી કરાવવામાં આવી હતી પરંતુ લાઇસન્સ / પરમીટ લીધેલ ન હોય તેવા પશુ દંડ ભરી પરત આપવામાં આવતા નથી, પરંતુ તેનુ પશુ રખડતુ મૂકતા પકડાયેલા હોય તેવા 8 પશુમાલિકોની ઓળખ કરી નોટીસ ઇસ્યુ કરવામા આવી છે.
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમે આજે સુરતથી પ્રસ્થાન કર્યું છે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે. આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિશન લાઇફ'થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે. આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે. આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું કે હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એજ મારી જવાબદારી છે. પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણું વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે. આ ભવ્ય આયોજનને એસ આર કે ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે. આ રાઇડ ન માત્ર ઇલેકિટ્રક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે.
મોરબીમાં બાઇક ચોરીનો આરોપી ઝડપાયો:70 હજારની કિંમતના બે ચોરાઉ બાઇક સાથે શંકાસ્પદ શખ્સ પકડાયો
મોરબી એલસીબીની ટીમે ખાખરેચી દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈ જતા એક શખ્સને પકડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપી પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા છે. એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા નજીક એક શખ્સ શંકાસ્પદ રીતે બાઇક લઈને જતો હતો. પોલીસે તેને રોકીને પૂછપરછ કરતા તેની પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા. આરોપીની ઓળખ મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા તરીકે થઈ છે. તે કાલીકા પ્લોટ, મોરબીનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી કુલ 70 હજાર રૂપિયાની કિંમતના બે બાઇક કબ્જે કર્યા છે. આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી સામે અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે.
ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ડાંગ જિલ્લામાં આજથી 15 જુલાઈ સુધી તમામ આદિજાતિ ગામોમાં ક્લસ્ટર આધારિત અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વઘઇ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલના અધ્યક્ષ સ્થાને બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. વઘઇ તાલુકાના વઘઇ, ચીચીનાગાવઠા, ભેંડમાળ, દગડીઆંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો. નવા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ એમ. ગાવિત, મામલતદાર પી.કે.પટેલ અને તાલુકા વિકાસ અધિકારી સી.આર.પઢીયાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો તમે રાજકોટનાં નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો! નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીની એક શાખા ગ્રાહકોને વાસી અને એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સ વેચવા બદલ વિવાદમાં આવી છે. આ ઘટનાએ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ હતી. અને બેકરીમાં રહેલી તમામ વસ્તુઓની તપાસ કરી એક્સપયારી ડેટવાળી વસ્તુઓ વેચવા બદલ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્થળોએથી લીધેલા નમૂનામાંથી 7 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ. 1.96 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારે 799 રૂપિયાની કેક ખરીદી હતી. જોકે, ગ્રાહક ઘરે કેક લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી અને તે વાસી હોવાનું જણાયું હતું. આ અંગે ગ્રાહકે તાત્કાલિક અતુલ બેકરીનો સંપર્ક કર્યો અને કેક પરત આપી. બેકરી સંચાલક દ્વારા કેકના બદલામાં ગ્રાહકને અન્ય પ્રોડક્ટ, ચોકો પૉપના પેકેટ આપવામાં આવ્યા. પરંતુ, આ ચોકો પૉપના પેકેટ પણ એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહક જયદેવભાઈનાં જણાવ્યા મુજબ, જ્યારે નાણાં પરત માંગ્યા, ત્યારે તેમને ઉદ્ધતાઈપૂર્વકનો જવાબ મળ્યો હતો. આ સમગ્ર ઘટનાથી નારાજ થઈને પોતે વાસી કેક અને એક્સપાયરી ડેટવાળા ચોકો પૉપના પેકેટનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગ્રાહકને કેવી રીતે વાસી અને મુદત વીતી ગઈ હોય તેવી વસ્તુઓ પધરાવવામાં આવી રહી હતી. આ ગંભીર મુદ્દે ગ્રાહક જયદેવે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં અતુલ બેકરીના સંચાલક રાજેશભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહક કેક લઈ ગયા હતા તે ખરાબ હોવાનું કહેતા તરત પરત લઈ લીધી છે. જોકે તેઓ જે ચોકોપોપ લઈ ગયા તે શરતચુકથી અને ઉતાવળમાં એક્સપાયર થઈ ચૂકેલા હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. અને ગ્રાહકને નાણાં પરત આપી દીધા હોવાનો બચાવ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલી તમામ અતુલ બેકરીની શાખાઓમાં હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને નાણાવટી ચોક ખાતે આવેલી શાખામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જેટલો પણ અખાધ્ય (ખાવાલાયક ન હોય તેવો) જથ્થો ઝડપાશે, તેનો તાત્કાલિક અસરથી સ્થળ પર નાશ કરવામાં આવશે. આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે, એક્સપાયર થઈ ગયેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી ઝાડા, ઉલટી, અને પેટના ગંભીર રોગો થવાની શક્યતા રહે છે. આથી, અતુલ બેકરી ખાતે જુદા જુદા ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા છે, જે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે ગ્રાહકોએ કેટલી સાવધાની રાખવી જોઈએ. કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ચોક્કસપણે તપાસી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોએ ખાસ કરીને બેકરી પ્રોડક્ટ્સ જેવી કે કેક, બ્રેડ, અને અન્ય નાસ્તાની વસ્તુઓ ખરીદતી વખતે તાજગી અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. જો આવી કોઈ ઘટના તમારી સાથે બને, તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાનો અને ફરિયાદ નોંધાવવાની અપીલ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. આશા છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાં 7 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં કુલ 1,96,000/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની વિગતવાર માહિતી અજેન્દ્ર ડેરી ફાર્મ: સોરઠીયાવાડી ખાતેથી લેવાયેલ પનીર (લુઝ) ના નમૂનામાં ભેળસેળ જણાતા 1,00,000/- રૂપિયાનો દંડ. હિરવા હેલ્થ કેર: ગાંધીગ્રામ ખાતેથી લેવાયેલ MVHIR NUTRITIONAL FOOD SUPPLEMENT (10 TAB. PACKED) ના નમૂનામાં અનધિકૃત તત્વ મળી આવતા 42,000/- રૂપિયાનો દંડ. રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ: 150 ફૂટ રિંગ રોડ પરથી લેવાયેલ મંચુરિયન ફ્રાઈડ (પ્રિપેર્ડ-લુઝ) માં સિન્થેટિક ફૂડ કલરની હાજરી બદલ 20,000/- રૂપિયાનો દંડ. રાધે કેટરર્સ: રૈયા રોડ પરથી લેવાયેલ ફરાળી લોટ-ફરાળી પેટીશ માટેનો (લુઝ) માં મકાઈના સ્ટાર્ચની હાજરી બદલ 10,000/- રૂપિયાનો દંડ. શ્રી ખોડિયાર ડેરી ફાર્મ નમકીન: પુષ્કરધામ રોડ પરથી લેવાયેલ મિક્સ દૂધ (લુઝ) માં વેજીટેબલ ઓઈલ અને ઓછું SNF પ્રમાણ જણાતા 10,000/- રૂપિયાનો દંડ. પ્રકાશ સ્ટોર્સ (2 કેસ): નવા નાકા રોડ પરથી લેવાયેલ નંદા મુખવાસ-હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ) અને ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ) બંનેમાં વધુ સિન્થેટિક ફૂડ કલરની માત્રા બદલ પ્રત્યેક કેસમાં 7,000/- રૂપિયા, એમ કુલ 14,000/- રૂપિયાનો દંડ. આ ઉપરાંત, ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા (રામકૃષ્ણ રોડ, રાજકોટ) પાસેથી મીઠી ચટણી (લુઝ) અને નમકીન ઘૂઘરા (પ્રિપેર્ડ-લુઝ) ના નમૂના લેવાયા હતા. પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., c/o ધ ગ્રાન્ડ રિજન્સી (ઢેબર રોડ, રાજકોટ) પાસેથી પનીર અંગારા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) અને ચોળી મસાલા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) ના નમૂના પણ લેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસને અનેક વિસ્તારમાં ડ્રાઇવ ચાલી રહી છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાંથી SOGએ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા અને તેના બાળકોની અટકાયત કરી છે. આ મહિલા કેટલા સમયથી અહીંયા રહેતી હતી અને શું કામ કરતી હતી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. Sog ક્રાઈમે બાતમીના આધારે નારોલ પીરાણા ઢગલા પાસેથી અફસાના શેખ નામની શંકાસ્પદ મહિલાની 4 બાળકો સાથે અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે આ મહિલા પાસેથી ભારતીય હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. તપાસ દરમિયાન મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. મહિલા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અમદાવાદ આવીને રહેતી હતી. SOGએ મહિલાની બાળકો સાથે ધરપકડ કરી છે. મહિલા કેટલા સમયથી હતી, કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતી હતી કે કેમ તે મામલે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક કિસ્સામાં આર્થિક રીતે ભાંગી પડેલા પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતા, 181 અભયમ ટીમે પીડિત મહિલાની વહારે આવીને પરિવારમાં સુમેળભર્યું સમાધાન કરાવ્યું હતું. અને 20 વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલા આ ખટરાગનો સુખદ અંત લાવવામાં 181 અભયમ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના એક દંપતીના 20 વર્ષના સુખી લગ્નજીવનમાં પતિને ધંધામાં મોટી ખોટ જતાં આર્થિક સંકડામણ આવી પડી હતી. આર્થિક નુકશાનીને કારણે પતિ માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો અને તેની અસર પત્ની અને બે દીકરીઓ પર વર્તાવા લાગી હતી. પતિએ પત્નીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે પત્નીના તમામ ઘરેણાં પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. ઘર ખર્ચ માટે પૈસા માંગવામાં આવે કે દીકરીઓની કોલેજ ફી ભરવાની વાત આવે ત્યારે પતિ વધુ ત્રાસ આપતો હતો, જેના કારણે દીકરીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી હતી. પતિ દ્વારા થતા અસહ્ય ત્રાસથી કંટાળીને પીડિત મહિલાએ મદદ માટે હાથ લંબાવતા તેમને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે કાર્યરત 181 અભયમ ટીમ વિશે જાણ થતાં, તેમણે તાત્કાલિક અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ દર્શિતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પીડિત મહિલા સાથે વાતચીત કરી, તેમને સાંત્વના આપી અને તેમની આપવીતી ધ્યાનપૂર્વક સાંભળી હતી. મહિલાએ જણાવ્યું કે, તેમના પતિને ધંધામાં ખોટ ગઈ હોવાથી દેવું વધી ગયું છે અને તેઓ તેમના ઘરેણાં પાછા માંગે કે ઘર ખર્ચના પૈસા માંગે ત્યારે ત્રાસ આપે છે. દીકરીઓની કોલેજ ફી ન ભરાતા તેમના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અભયમ ટીમે ત્યારબાદ પતિ સાથે વાતચીત કરી અને તેમનું કાઉન્સિલિંગ કર્યું. તેમણે પતિને બાળકોના ભવિષ્ય વિશે વિચારવા અને એક પતિ તરીકેની તેમની ફરજો વિશે સમજાવ્યું. આ સાથે, તેમને કાયદાકીય માર્ગદર્શન આપી ભવિષ્યમાં આવા કૃત્યોના દુરોગામી પરિણામો અંગે ચેતવવામાં આવ્યા હતા. અભયમ ટીમના પ્રયાસોથી પતિ, પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું. પીડિત મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને પત્ની તથા બાળકો પ્રત્યેની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવાની બાંહેધરી આપી હતી. આ પ્રેરણારૂપ કિસ્સામાં 20 વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલી કડવાશનો અંત સુખદ અને સુમેળ ભર્યો આવતા ફરી એકવાર 181 અભયમ હેલ્પલાઇન સાચા અર્થમાં સાર્થક બની હતી.
PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ:436 રૂપિયાના પ્રીમિયમ સામે બનાસકાંઠાના ખેડૂત પરિવારને 2 લાખની સહાય
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા-ઢોળીયા ગામના ખેડૂત પ્રભુજી સોલંકીના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળ્યો છે. પ્રભુજી સોલંકીનું 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું હતું. વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમથી 2 લાખનો જીવન વીમો ધરાવતા પ્રભુજીના પુત્ર કિશનજી સોલંકીએ વીમા દાવો નોંધાવ્યો હતો. બેંક ઓફ બરોડા, ઇકબાલગઢ શાખા અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની ઝડપી કાર્યવાહીથી થોડા દિવસોમાં જ વીમાની રકમ ચૂકવાઈ. જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધીએ લોકોને ગ્રામ પંચાયત શિબિરો કે બેંકમાં જઈને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી-કેવાયસીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 18થી 50 વર્ષના બેંક ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કુદરતી કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વારસદારને વીમાનો લાભ મળે છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાએ અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં આધાર પૂરો પાડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ જતી ટ્રક નદીમાં ખાબકી છે. ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પુલની રેલિંગ તોડીને ભોગાવો નદીમાં પડ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેલર ચાલકની બેદરકારી સામે આવી છે.
તાપીના ઇન્દુ ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાનનો પ્રારંભ, 25થી વધુ લોકોએ લીધો લાભડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શીયલ સર્વિસ (DFS)ના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી નાણાંકીય સાક્ષરતા અભિયાન શરૂ થયું છે. આ અભિયાન 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદથી આ અભિયાનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગ્રામ પંચાયત ખાતે 'સંતૃપ્તિ અભિયાન' યોજાયું. ગામના સરપંચ સુનીતાબેન સંજયભાઈએ જણાવ્યું કે આ અભિયાનથી ગ્રામજનોને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ મળશે. લીડ બેંક મેનેજર રસિક જેઠવાએ દરેક ગ્રામ પંચાયતમાં અભિયાનનો વ્યાપ વધારવા અપીલ કરી. નાબાર્ડના ડીડીએમ ઉત્કર્શ દેશમુખે લોકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતી બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં જોડાવા જણાવ્યું. બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર સુબોધ પંજિયારાએ ખાતા ખોલવા અને CKYC પ્રક્રિયા માટે બેંકની તત્પરતા દર્શાવી. કાર્યક્રમમાં આરસેટીના ડિરેક્ટર કિરણ સાતપુતે, ભરતસિંહ, તલાટી રાજુભાઈ મહલે, FLCCના અનિલ ગામીત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. કેમ્પમાં 25થી વધુ લોકોએ બેંકની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો. કલકવા ગામે 29 લોકોને નવા જોબકાર્ડ અપાયાતાપી જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિયા ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 369 ગામોમાં વિવિધ સેવાના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ડોલવણ તાલુકાના કલકવા ગામમાં યોજાયેલા વિશેષ જનભાગીદારી કેમ્પમાં સરકારના વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી આપવામાં આવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ 29 લાભાર્થીઓને સ્થળ પર જ નવા જોબ કાર્ડ આપવામાં આવ્યા.લાભાર્થીઓએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો છે. આ અભિયાન 30 જૂનથી 15 જુલાઈ, 2025 સુધી ચાલશે. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં એક જ સ્થળે તમામ સરકારી સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈ 2025 સુધી આ અભિયાન ચાલશે. જિલ્લાના દાંતા, અમીરગઢ, થરાદ, પાલનપુર અને વડગામ એમ પાંચ તાલુકાના 167 ગામોમાં રહેતા 1,91,896 આદિવાસી લોકોને આ અભિયાનનો લાભ મળશે. 3 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાંતા તાલુકામાં પીપળાવાળી વાવ આશ્રમશાળા સહિત 9 પ્રાથમિક શાળાઓમાં કેમ્પ યોજાશે. અમીરગઢમાં ખૂણીયા, ઢોલીયા, રામપુરા અને કાનપુરા પ્રાથમિક શાળાઓમાં કેમ્પ થશે. થરાદ તાલુકામાં મોટા મેસરા સહિત 5 શાળાઓમાં, પાલનપુરમાં છાપરા અને વડગામમાં મોતીપુરા પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થશે. ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો વધારવામાં આવશે. આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવો એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ચૂંટણી પંચે 25 જૂન 2025થી આંગણવાડી કાર્યકરોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી કાર્યકરોએ તેમની રજૂઆતમાં જણાવ્યું કે, મોટાભાગની બહેનોએ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરેલું નથી. તેઓ હાલમાં આંગણવાડીના બાળકોની સંભાળ, પોષણ વ્યવસ્થા, સગર્ભા માતાઓની દેખરેખ, પોલિયો રસીકરણ અને કુપોષણ નિવારણ જેવી અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સરકારી કર્મચારી નથી, પરંતુ માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અને રદ કરવા જેવી BLOની કામગીરી તેમના માટે નવી છે. આ કામગીરીથી તેમને મુશ્કેલી પડશે અને વિવિધ ગામોમાં રાજકીય આક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આંગણવાડી કાર્યકરોએ BLO તરીકેની નિમણૂંકનો આદેશ તાત્કાલિક રદ કરવાની માગણી કરી છે. તેમણે વર્તમાન કાર્યબોજ અને નવી જવાબદારીઓના સંભવિત પડકારોને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે.
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ નજીક મુકતાનંદ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય અંબાલાલ પરમાર સાથે 40 લાખની ઠગાઈ થઈ છે. અંબાલાલ જીએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થયા છે. 17મી એપ્રિલે સવારે સવા નવ વાગ્યે તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેમના નામથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યું છે. આ સિમકાર્ડથી 16 ગુના આચરવામાં આવ્યા છે. વધુમાં, તેમના નામે કેનેરા બેંકમાં ખાતું ખોલી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. ફોન કરનારે સુપ્રીમ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નીકળ્યાનું જણાવી ધમકી આપી હતી. તબક્કાવાર ફોન કરી ધમકાવીને તેમની પાસેથી એફડી અને બેંક ખાતામાંથી કુલ 40 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ દરમિયાન ઈન્દોરના ચંદ્રશેખર શાંતિલાલ બાંગરને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે ઓર્ગેનિક અનાજ-કઠોળનો વેપાર કરે છે. કેરળના નાદીર નામના વ્યક્તિએ ગેમિંગ સટ્ટા અને બે નંબરના પૈસાની હેરાફેરી માટે તેનું બેંક એકાઉન્ટ માંગ્યું હતું. ચંદ્રશેખરે 3 ટકા કમિશનના બદલામાં પોતાનું સિમકાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગના યુઝર આઈડી-પાસવર્ડ આપ્યા હતા. તેના એકાઉન્ટમાં જમા થયેલા 40 લાખ રૂપિયા 20 અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ધંધામાં 20થી 25 લાખનું દેવું થવાથી તેણે આ કામ કર્યું હતું અને તેને 30 હજાર રૂપિયા કમિશન મળ્યું હતું.
જળ સમૃદ્ધિનો આનંદ:અબડાસાના તેરામાં ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો, રાજપરિવારે કર્યા વધામણા
અબડાસા તાલુકાના તેરા ગામમાં સારા વરસાદને કારણે ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો થયા છે. આ શુભ અવસરે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ તળાવોના વધામણા કર્યા હતા. તળાવોના વધામણા કાર્યક્રમમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દાતા ધનજી નારાણજી ભદ્રાના ભત્રીજા રાજેશ ભદ્રા, પ્રવીણ માધવજી રતડા અને સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલીએ પણ વધામણામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસરપંચ જુમા કોલી, ચેરમેન હરેશ મહેશ્વરી અને વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત ગોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. માજી સરપંચ આદમ લોધરા, જીલુભા સોઢા, મામદ કુંભાર અને પ્રભુલાલ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકો વાજતે-ગાજતે તળાવની પૂજનવિધિ માટે એકત્રિત થયા હતા. સમગ્ર ગામમાં જળ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઐતિહાસિક ક્ષણને માણી હતી.
વિકટ પરિસ્થતિમાં ખડેપગ રહી દર્દીઓને સેવા-સારવાર આપતા તબીબોની નિ:સ્વાર્થ ભાવનાને બિરદાવવાના હેતુથી દર વર્ષે 1 જુલાઈએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવાં આવે છે. જેના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ટીમે વિવિધ વિભાગોના તબીબી વડાઓનું તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી બદલ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું. તબીબોને સન્માનિત કરવામાં આવ્યાઆ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. ડોક્ટર અને દર્દી વચ્ચે મહત્વની કડી એટલે નર્સીસ દ્વારા આજે તબીબોને સન્માનિત કરવામાં આવ્યા છે. તબીબો સાચા અર્થમાં ઈશ્વરનું રૂપ છેતેમણે વધુમાં કહ્યું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. દર્દી ડોક્ટર પાસે દુઃખદર્દ લઈને આવે છે અને હસતો-હસતો, સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. એક સિક્કાની બે બાજુ સમાન ડૉક્ટર અને નર્સ કોઈ પણ જાતના ભેદભાવ વિના કુદરતી કે માનવસર્જિત સંકટમાં સતત સેવા આપી સમગ્ર સમાજને મદદરૂપ બને છે. કોરોનાકાળમાં હજારો લોકોના જીવન બચાવનાર અને દેશને મહામારીમાંથી ઉગારનાર તબીબો સાચા અર્થમાં ઈશ્વરનું રૂપ છે. ભારત આજે મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છેઉત્કૃષ્ટ તબીબી સેવાને કારણે ભારત આજે મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. ભારત અને ખાસ કરીને સરકારના પ્રયાસોથી તેમજ તબીબોની ઉચ્ચ ક્ષમતા અને કુશળતાના કારણે ગુજરાતમાં કેન્સર, રોબોટિક સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અનેક અત્યાધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ છે, અગાઉ આ માટે મુંબઈ જવું પડતું હતું. દર્દી પરિવાર જેવો માહોલ અનુભવે છેઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફોરેન્સિક DNA સાથેના પોસ્ટમોર્ટમ દાખલ દર્દીની સારવાર, પૂર, ભૂકંપ જેવી આફતોમાં પરિવારને છોડીને સેવા આપતા તબીબોની ભૂમિકા કાબિલેદાદ છે. કોઈપણ અપેક્ષા વિના તબીબો, નર્સિંગ અને સંલગ્ન સ્ટાફની પરિવારભાવનાથી દર્દી પરિવાર જેવો માહોલ અનુભવે છે અને ઝડપભેર સ્વસ્થ થાય છે, ત્યારે તબીબોને સન્માનિત કરવા એ આપણી ફરજ છે એમ જણાવી તબીબોને ઉમદા સેવા બદલ કડીવાલાએ અભિનંદન પાઠવ્યાં હતા.
બોટાદ જિલ્લામાં વિદેશી દારૂના ગુનાઓને નિયંત્રિત કરવા પોલીસે કડક પગલાં લીધા છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બોટાદ રૂરલના પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.સાકરીયાએ વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોયે આ દરખાસ્તને મંજૂરી આપી પાસા અટકાયત વોરંટ જારી કર્યું. બોટાદ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી અને તેમની ટીમે સમઢીયાળા-1ના રહેવાસી રાજેશભાઈ ગોરધનભાઈ શેખલીયાની ધરપકડ કરી. આરોપીને પાસા વોરંટની બજવણી કરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
વડોદરા ક્રાઇમ ન્યૂઝ:શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના આરોપીને ઝડપ્યો
વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોપેડ પર જતી બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગના બે ગુનાઓ અને અમદાવાદમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુનેગારને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર અને એન.જી. જાડેજાની સૂચનાઓ આધારે પો. સબ ઇન્સ્પેક્ટર એસ.ટી. સાડસુરની ટીમે મળેલી માહિતીના આધારે બાવામાનપુરા ઇમરાન ચેમ્બર્સ પાસેથી શંકાસ્પદ ઇસમ ફૈઝાન ઉર્ફે પંડીત મહમંદહુસેન શેખ (ઉ.વ. 24, રહે. જીશાન રેસિડેન્સી, મસ્તાન મસ્જીદ રોડ, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ અને ગુનાઓસઘન પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેણે તેના સાગરીત સાથે મળીને અમદાવાદથી ચોરેલી મોટરસાઇકલ પર વડોદરાના ખોડિયારનગર અને સમા વિસ્તારમાં રાત્રે 9થી 10 વાગ્યાના સમયે મોપેડ પર જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને ચોરી કરી હતી. આ ગુનાઓ બાપોદ અને સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. વધુમાં, આરોપી અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરીના ગુનામાં પણ નાસતો ફરતો હતો. આરોપીનો ગુનાહીત ઇતિહાસફૈઝાન ઉર્ફે પંડીત મહમંદહુસેન શેખ સામે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ અને વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેઇન સ્નેચિંગ, ખંડણી, મારામારી અને અન્ય ચોરીના કુલ 15 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તે ગુનાહીત પ્રવૃત્તિઓને કારણે બે વખત PASA હેઠળ પણ જેલમાં રહી ચૂક્યો છે. આરોપીને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને સમા તથા વેજલપુર પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.
રાજકોટનાં વોર્ડ નં 11માં આવેલ મોટામવામાં આજે ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમની મેઇન લાઇન લીકેજ થઈ હતી. આ અંગેની જાણ થતા જ તાત્કાલિક મેઇન લાઇન બંધ કરાવી રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ લીકેજ થવાથી તિરુમાલા સોસાયટીનું પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. જયારે બાકીના વિસ્તાર આંગન ગ્રીન સિટી રુદ્રા હેરીટેજ શ્રીનાથ પાર્ક તેમજ લાગુ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ લાઇન રીપેરીંગ એકાદ કલાક ચાલ્યુ હતું. તે બાદ તિરૂમાલા સોસાયટીમાં પણ પાણી વિતરણ કરી દેવાશે તેમ વોટર વર્કસ વિભાગે જણાવ્યું હતું. નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે, પત્રો પહોંચાડનારા પોસ્ટમેન હવે સ્માર્ટ બન્યાવિશ્વભરમાં ડાક સેવાને લઈને આમૂલ ફેરફારો કરવામાં આવ્યા છે. ભૌતિક ડાકથી ડિજીટલ ડાકના આ યુગમાં પોસ્ટ સેવામાં વિવિધતા સાથે ઘણા નવા પાસાંઓ જોડાયા છે. પોસ્ટમેન સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પહોંચાડતી એક મહત્વની કડી તરીકે ઊભરી આવ્યા છે. આ સમયે 1 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’ નિમિત્તે ડાક કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવાની પરંપરા ઊભરી છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’નો પ્રારંભ વોશિંગ્ટન રાજ્યના સીએટલ શહેરમાં વર્ષ 1997માં કર્મચારીના સન્માનમાં કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે ભારત સહિત અન્ય દેશોમાં પણ તેની ઉજવણી થવા લાગી. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાક કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાના માનમાં ઉજવવામાં આવે છે. હવે પોસ્ટમેનના હાથમાં સ્માર્ટ ફોન અને બેગમાં ડિજિટલ ઉપકરણ પણ છે. આજે પોસ્ટમેન ડિજિટલ ઉપકરણો દ્વારા રેશનકાર્ડ ધારકોનું ઇ-કેવાયસી કરી રહ્યો છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આર્થિક અને સામાજિક સમાવેશ હેઠળ પોસ્ટમેન મોબાઇલ એ.ટી.એમ. તરીકે નવી ભૂમિકા ભજવી રહ્યા છે. જાહેર સુરક્ષા યોજનાઓથી લઈને આધાર, ડીબીટી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ઈ-શ્રમ કાર્ડ, વાહન વીમો, ડિજિટલ જીવન પ્રમાણપત્ર જેવી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. તેમજ લોકોને પત્રો પહોંચાડનારા પોસ્ટમેન હવે સ્માર્ટ બન્યા છે. રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, આવતીકાલથી બુકીંગ શરૂમુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ- લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [9-9 ટ્રીપ્સ] અને ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ ને 7 જુલાઈથી 1 સેપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 જુલાઈથી 31 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ પૈકી ટ્રેન નંબર 05046ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 જુલાઈ, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ભાજપનાં શાસન સામે કોંગ્રેસ દ્વારા લોક આંદોલનની જાહેરાત, 18 વોર્ડના પ્રશ્નો ઉઠાવશેરાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ શાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજકોટને સ્માર્ટ સિટીના સપના દેખાડીને શહેરની હાલત ગામડા કરતાં પણ બદતર કરી દેવામાં આવી છે. વરસાદી સિઝનમાં ખાડા, ગંદકી, પાણી અને ટ્રાફિક જેવા પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, જ્યારે ભાજપના શાસકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. કોંગ્રેસે આગામી સમયમાં શહેરના તમામ 18 વોર્ડના પ્રશ્નોને લઈને પ્રજાકીય આંદોલન છેડવાની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે, શહેરના મુખ્ય પ્રશ્નોમાં ખરાબ રોડ-રસ્તા, અપૂરતો અને ડહોળો પાણી પુરવઠો, સફાઈનો અભાવ, વધતી ટ્રાફિક સમસ્યા, અને અટકેલા પ્રોજેક્ટ્સ જેવા કે આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય છે. આ ઉપરાંત, મહાનગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર, મસમોટા વેરા ઉઘરાવવા છતાં કામોનો અભાવ, જીઓ ટેગિંગ પ્રોજેક્ટનું સુરસુરિયું, શાળાઓ માટે માલિકીના મકાનો ન હોવા, અને વોર્ડ ઓફિસોમાં નાગરિક સુવિધાઓનો અભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં 6 વખત ઓપન હાઉસ યોજવાની અને હેલ્પલાઈન નંબર જાહેર કરવાની પણ માગ કરી હતી.
ખંભાળિયા તાલુકાના અનેક ગામોની જીવાદોરી સમાન વંગડી ડેમની આમ આદમી પાર્ટીના કિસાન સેલના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી છે. કાર્યકર્તાઓએ સ્થળ પર જઈને ડેમની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વંગડી ડેમનો પ્રશ્ન છેલ્લા 26 વર્ષથી પેન્ડિંગ છે. જો આ ડેમનું યોગ્ય નિર્માણ અને સુધારણા કરવામાં આવે તો જુવાનગઢ, માધુપર અને પીપળીયા સહિતના આસપાસના ગામોનો વિકાસ થઈ શકે છે. આ ઉપરાંત, વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની પાણીની સમસ્યા પણ હલ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માંગ કરી છે કે વંગડી ડેમનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. જેથી આસપાસના ગામોને તેનો લાભ મળી શકે અને સમગ્ર વિસ્તારનો વિકાસ શક્ય બને.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસ.ઓ.જી. પોલીસની સંયુક્ત ટીમે જાહેરમાં ધૂમ્રપાન કરતા યુવાનો અને આરોગ્યલક્ષી ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ એમ.એસ. યુનિવર્સિટી કમ્પાઉન્ડ અને ડેરીડેન સર્કલની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે દુકાનદારોએ તમાકુ મોત નોતરે છે લખાણવાળું નિયમ મુજબનું બોર્ડ નહોતું લગાવ્યું, જાહેરમાં ધૂમ્રપાન કરતા ઇસમો અને નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ-સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 4 અને 6(અ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 23 શખસો પાસેથી સમાધાન શુલ્ક પેટે દંડ વસૂલી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. નશામુક્તિ માટે પહેલ પોલીસ કમિશનરના મિશન ક્લીન અને ઓપરેશન ક્રેક ડાઉન જેવા પ્રયાસો ઉપરાંત, શહેરની જાહેર જગ્યાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના સતત પ્રયાસો ચાલુ છે. ટ્રાફિક શાખા-પશ્વિમની અડચણરૂપ/નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો વિરુધ્ધ કાર્યવાહીવડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેર રોડ પર અડચણરૂપ તેમજ નો પાર્કિંગ ઝોનમાં” પાર્ક કરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે અંતર્ગત ટ્રાફિક-પશ્વિમ પોલીસ દ્વારા અડચણરૂપ/નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ ફોર વ્હિલ-60 ને કારલોક મારી, દંડ રૂ.30000/- કરવામાં આવેલ છે.
જો તમે પક્ષીઓ જોવાના શોખીન હોય તો દર શનિ-રવિ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી જજો. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને લોકોને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લોકોને ટેલિસ્કોપ અને કેમેરાની મદદથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ બતાવવામાં આવશે. અમદાવાદમાં સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાઇવર્સિટી પાર્ક ખાતેથી બર્ડ વોચિંગની આગામી 5 જુલાઈથી શરૂઆત કરવામાં આવશે. પક્ષીઓ જોવા માટે દ્વારા આપવામાં આવેલા ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશેઅમદાવાદ શહેરમાં અનેક જાતિના પક્ષીઓ આવેલા હોય છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં સવારે અને સાંજે પક્ષીઓ આવતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા આવા પક્ષીઓની લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકો પક્ષીઓ જોઈ શકે તેના માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશે. ખાસ બોર્ડ વોચરના નિષ્ણાંતો દ્વારા ટેલિસ્કોપ, દૂરબીન, કેમેરા અને પક્ષીઓની માહિતી આપતી હેન્ડબૂક લોકોને આપવામાં આવશે. બર્ચ વોચિંગ કરવા આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શકાશેજે લોકો રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓ જોવા માંગતા હોય તેમણે https://forms.gle/EU24t1skQABryAZEA લિંક ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપરાંત એક સ્કેનર પણ આપવામાં આવ્યું છે જે મારફતે ગુગલ ફોર્મની લીંક મેળવી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર જેટલા લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. પક્ષીઓને જોવા માટે સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યાનો સમય રહેશે. આકાશમાં ઉડતા પક્ષીઓ, તેમના અવાજ તેમની અનોખી મનમોહક અદાઓ કેમેરામાં લોકો કેદ કરી શકશે. અમદાવાદમાં 191 પ્રજાતિના દર વર્ષે બે લાખ જેટલા પક્ષીઓ આવતા હોય છે ક્યાં ક્યાં લોકેશન
સુરતને વૈશ્વિક ગાર્મેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે માર્કેટ વિસ્તારમાં એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સૌથી આકર્ષક કેન્દ્ર 5 ફૂટ ઊંચી ટી-શર્ટ બની હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ટી-શર્ટ સુરતની ગાર્મેન્ટ ઉદ્યોગની વધતી ક્ષમતાનું પ્રતિક બની હતી. આ રેલી ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (CMAI), ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT), ફેડરેશન ઑફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિયેશન (FOSTTA) અને અન્ય સંગઠનોના સહયોગથી યોજાઈ હતી. રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પામ ટુ ફોરેન (કપાસથી વિદેશ સુધી)ના સૂત્રને સાર્થક કરવાનો અને ફિટ ઇન્ડિયા યોગ સાથે ગાર્મેન્ટ ઉદ્યોગને જોડવાનો હતો. આ પ્રસંગે, ભાજપ પ્રમુખ પરેશ પટેલ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ સહિત માર્કેટના વિવિધ વેપારી સંગઠનોના અગ્રણીઓએ રેલીને ફ્લેગ ઑફ કરીને શુભારંભ કરાવ્યો હતો. સુરત કાપડ ઉદ્યોગનું પાવરહાઉસઉલ્લેખનીય છે કે સુરત કાપડ ઉદ્યોગનું એક મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ પોલિએસ્ટર કાપડ અને સાડીઓનું ઉત્પાદન સુરતમાં થાય છે. દૈનિક આશરે 6,000 કરોડનું કાપડ અહીં બને છે. વિશ્વભરમાં ગાર્મેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે ત્યારે, સુરતને આ વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન અપાવવા માટે આ પ્રકારની જાગૃતિ રેલીઓ અત્યંત મહત્વની બની રહે છે. આ રેલીના માધ્યમથી મોટાભાગના વેપારીઓ ગાર્મેન્ટ ઉદ્યોગમાં આગળ વધે અને સુરતને ખરા અર્થમાં ગાર્મેન્ટ હબ બનાવી શકે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ગાર્મેન્ટ અવેરનેસ કાર્યક્રમ માં માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આગામી મોહરમ-તાજીયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. આ પ્રયાસોના ભાગરૂપે ઝોન-3 માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોકબજાર, સિંગણપોર, મહિધરપુરા અને કતારગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર (DCP) પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા. તેમની સાથે ઝોન-3 ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા. DCP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગઆ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો અને સામાન્ય જનતામાં પોલીસની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવાનો છે. DCP અને PI જેવા ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગ કરવું એ પોલીસ દળના પ્રતિબદ્ધતા અને જનતા સાથેના સીધા સંપર્કને કરવામાં માટે હતો. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે, જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે. તાજીયાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યુંસાયકલ પેટ્રોલિંગ ઉપરાંત, પોલીસ અધિકારીઓએ તાજીયાના રૂટનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ રૂટ પરના સંભવિત અવરોધોને દૂર કરવાનો અને તાજીયા સરઘસ સુચારુ રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવાનો હતો. પોલીસ દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સતત સંપર્કમાં રહી, તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધDCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, મોહરમ-તાજીયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાટકુવા ગામના બે યુવક સાથે પાવાગઢમાં એક કરુણ ઘટના બની છે. વડા તળાવમાં નહાવા પડેલા બે યુવકમાંથી એકનું મોત નિપજ્યું છે. વિપુલભાઈ અભેસિંગભાઈ રાઠવા (ઉંમર 20) અને જીગ્નેશભાઈ ગુજીભાઈ રાઠવા પાવાગઢ તળેટી ખાતે ફરવા આવ્યા હતા. બંને મિત્ર વડા તળાવમાં નહાવા પડ્યા હતા. તરતા ન આવડતાં બંને ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તરત જ હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડની આગેવાનીમાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ફાયરમેન વાય.કે. પટેલ, જયેશ કોટવાલ, ઉપેન્દ્રભાઈ બારીયા, વસંત ભાભોર અને રાજનસિંહ સોલંકી સહિતની ટીમે બચાવ કામગીરી શરૂ કરી. બચાવ ટીમે વિપુલભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે જીગ્નેશભાઈને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. જીગ્નેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટની કન્ટેમ્પ બેન્ચ દ્વારા આજે એક સિનિયર કાઉન્સિલ સામે કન્ટેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે 26 જૂનના રોજ જજ સંદીપ ભટ્ટની કોર્ટમાં સિનિયર કાઉન્સિલ ઓનલાઇન સુનવણીમાં હાજર થયા હતા. જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. તેઓ ફોન ઉપર વાતો કરતા હતા અને તેમને બિયર મગમાંથી પીણું પીધું હતું. આ પ્રકારની વર્તણૂકથી સિનિયર કાઉન્સિલ કોર્ટની ગરિમા ઓછી કરી છે. સિનિયર કાઉન્સિલ દ્વારા આવી વર્તણૂકથી યુવા વકીલોમાં ખોટી છાપ ઉભી થઈ છે. સિનિયર કાઉન્સિલ તરીકેની ગરીમા તેમને જાળવી નથી. તેમની સિનિયર કાઉન્સિલની પદવી ઉપર પ્રશ્ન સર્જાયો છે. વિડિઓ કોન્ફરન્સથી હાજર થતા લોકોએ કોર્ટની ગરિમા જાળવવાની હોય છે. આ મુદ્દે કોર્ટ સૂઓમોટો કન્ટેમ્પ અરજી દાખલ કરે છે. રજિસ્ટ્રી આ ઘટનાનો રીપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરશે અને વીડિયો સાચવી રાખશે. આ મુદ્દે બે અઠવાડિયા પછી સુનવણી યોજાશે. કન્ટેમ્પ બેન્ચ હુકમ ન કરે ત્યાં સુધી સિનિયર કાઉન્સિલર પોતાની બેન્ચ સમક્ષ વર્ચ્યુઅલ હાજર નહીં રહી શકેકન્ટેમ્પ બેન્ચે વધુ હુકમ ન થાય ત્યાં સુધી સિનિયર કાઉન્સિલને પોતાની બેન્ચ સમક્ષ વર્ચ્યુઅલ હાજર રહી શકશે નહીં તેવો હુકમ કર્યો હતો. સાથે જ સમગ્ર બાબત ચીફ જજના ધ્યાને મુકાઈ હતી. ઉપરોક્ત બાબતના બે કલાક જેટલો સમય વીત્યા બાદ કન્ટેમ્પ બેન્ચ સમક્ષ સિનિયર કાઉન્સિલ હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોર્ટની બિનશરતી માફી માંગે છે અને કોર્ટ હુકમ કરે તે સજા ભોગવવા તૈયાર છે. જો કે કોર્ટે કહ્યું હતું કે તમે માફી કન્ટેમ્પ અરજીની સુનવણીમાં રજૂ કરજો, અમે તેનો સ્વીકાર કરીશું. આ પણ વાંચોઃ HCની સુનાવણીમાં અરજદાર ટોઈલેટમાંથી ઓનલાઈન જોડાયો હવે, દરેક વકીલ પોતાના અસીલને કોર્ટમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેવા અંગે નિયમોની જાણ કરશેસિનિયર કાઉન્સીલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે તેમનો કોર્ટની ગરીમા ભંગ કરવાનો કોઈ હેતુ નહોતો. તે વખતે તેમની મેટર ઉપર સુનવણી ચાલતી નહોતી. તેઓએ વર્ચ્યુઅલ કોર્ટની બહાર નીકળવાનું બટન દબાવ્યું પણ ટેક્નિકલ કારણોસર તેમ થઈ શક્યું નહીં.આ માત્ર 15 સેકન્ડની ભૂલ હતી. આ સમયે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. તેમને તાજેતરમાં કોર્ટ ટોયલેટમાંથી એક પક્ષકાર જોડાયાનો વાયરલ વીડિયો અંગે કોર્ટને જાણ કરી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે તેની સામે પણ કન્ટેમ્પ અરજી દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્રિજેશ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક ઠરાવ પસાર કર્યો છે. જે મુજબ દરેક વકીલ પોતાના અસીલને કોર્ટમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત થવા અંગે નિયમોની જાણ કરશે.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી 30 જૂન 2025 સુધી એમ 6 મહિનામાં 15,688 પેટ ડોગના માલિકો દ્વારા 17,859 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ એક મહિના માટે લંબાવાઇ છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશનશહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 32,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી. ત્યારે હવે ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરી 500 રૂપિયા કરવામાં આવ્યા છે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે 31 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. સૌથી વધુ જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર સહિતના ડોગનું રજિસ્ટ્રેશનડોગ રજિસ્ટ્રેશન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા, જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. AMC ડોગ રાખનાર લોકો માટે પોલિસી બનાવી રહ્યું છેઅમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલિસી બનાવી તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ મહિનામાં જ આ પોલિસી લાગુ થઈ શકે છે. રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી 31 જુલાઈ સુધી કરાઈCNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં આવતી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 30 જૂન સુધી હતી. જેની તારીખ લંબાવીને 31 જુલાઈ 2025 સુધી કરવામાં આવી છે. શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે. જો કે આ પોલિસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. પેટ ડોગનું આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવોજે નાગરિકો પોતાના પેટ ડોગ રાખે છે તેઓને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in પર જવાનું રહેશે જેમાં important linksમાં ક્લિક કરતાંની સાથે અરજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે જેથી તરત ઓટીપી માંગવામાં આવશે. જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે. જેમાં પેટ ડોગના રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પેટ ડોગના માલિકના નામ મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાતિ તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો ભરવાની રહેશે. જે વિગતો ભર્યા બાદ પેટ ડોગના માલિકે પોતાના ઓળખના પુરાવા પણ જોડવાના રહેશે. પેટ ડોગના નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશેઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશે. જેમાં pay ઉપર ક્લિક કરી ફી પી ચુકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 જુલાઈ 2025 સુધીમાં કરાવવાનું રહેશે. જરૂરી પુરાવા/ પ્રક્રિયા
હાલોલમાં 30 વર્ષ જૂના દબાણો દૂર:તળાવ રોડ પરના ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર પાલિકાનું બુલડોઝર
હાલોલ નગરપાલિકાએ આજે તળાવ રોડ વિસ્તારમાં મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. તળાવની પાળે આવેલા 30 વર્ષથી વધુ જૂના ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. નગરપાલિકાએ અગાઉથી તળાવ રોડ વિસ્તારના દુકાન સંચાલકોને નોટિસ આપી હતી. દુકાનના માલિકો દ્વારા દબાણો દૂર ન કરતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ દુકાન સંચાલકોને તેમનો સામાન હટાવવા માટે સમય આપ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર, દબાણ શાખાની ટીમ અને MGVCLની ટીમ હાજર રહી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
કુતિયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ઈન્ડી એગ્રો ઉન્સોર્ટયમ ઉત્પાદક કંપની લિમિટેડના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ આઇ કિસાન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં 300 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પોરબંદર પિલાણા એસોસીએશનના વર્ષ 2025-26 માટે નવા પ્રમુખ તરીકે નિલેષભાઈ નાથાલાલ વાંદરીયાની વરણી કરવામાં આવી છે. ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતે વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી અને પંચપટેલ/ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત હર્ષસાગર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી પોરબંદરના સંયુક્ત પ્રયાસથી ખાડી વિસ્તારમાં ચેરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. મંડળીના ચેરમેન અરવિંદભાઈ પાંજરી રોપાઓની માવજત કરી રહ્યા છે. ચેરના વૃક્ષો દરિયાઈ ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને 'સમુદ્રના ફેફસા' તરીકે ઓળખાય છે.
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા પરના ખાડા, પાઇપલાઇનના ખોદકામ પછીની અવ્યવસ્થા, સફાઈ, આરોગ્ય, ગંદા પાણી અને ફાયર NOC જેવા અનેક પ્રશ્નોએ લોકોને ત્રાહિમામ પોકારાવ્યા છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પડઘા ચૂંટાયેલી બોડીમાં પણ પડ્યા છે. આજે સવારે મેયર અને ચેરમેન વચ્ચે થયેલી ચર્ચા બાદ પદાધિકારીઓએ સાંજે 5 વાગ્યે મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. પરંતુ મોડેથી આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાનપ્રાપ્ત વિગત મુજબ શહેરમાં છેલ્લા દિવસોમાં વરસાદ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ગઈકાલે વોર્ડ 8ના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર કામ, વોર્ડ 10ના રામપાર્કમાં ચાલુ વરસાદે થયેલા ડામર રોડના કામ અને સાધુ વાસવાણી રોડ પરથી ડામર ઉખડી જવાની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને અવારનવાર ચાલુ વરસાદે ડામર કામ ન કરવાની સૂચનાઓ હોવા છતાં આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, અને ગઈકાલે કોંગ્રેસે પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. લોકોના ઘર સુધી ખાડાનો ત્રાસ પહોંચ્યોમેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આજે સવારે મેયર ચેમ્બરમાં ચોમાસાની સ્થિતિ અને કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રિ-મોન્સુન કામગીરી બાદ હાલ ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે. રૈયા રોડ સહિતના ઘણા રાજમાર્ગો પર ઝાપટામાં પણ પાણી ભરાઈ જાય છે. જૂના રાજકોટ અને નવા રાજકોટમાં જ્યાં DI પાઇપલાઇનના કામો થયા છે, ત્યાં યોગ્ય ફિલિંગ, મેટલિંગ કે પેચવર્ક ન થવાને કારણે લોકોના ઘર સુધી ખાડાનો ત્રાસ પહોંચ્યો છે. બપોરે 2 વાગ્યે આ બેઠક મોકૂફ રાખવામાં આવીઆ સહિતના મામલે મિટિંગમાં ચર્ચા થવાની હતી. પરંતુ બપોરે 2 વાગ્યે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. રાજકોટના 18 વોર્ડમાં અનેક વિસ્તારોમાં ખાડારાજ જેવી સ્થિતિ છે. જ્યાં નવી પાણીની પાઇપલાઇનના કામો થયા છે, ત્યાં ખોદકામ પછી મેટલિંગ કામ યોગ્ય ન થતું હોવાથી શેરીઓમાં લોકોના ઘર કે એપાર્ટમેન્ટ પાસે રોડ બેસી ગયા છે. ચાલુ વરસાદે થતા ડામર કામો અંગે પણ ફરિયાદો આવે છે. બંને પદાધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, ખોદકામ બાદના ખાડા નિયમિત રીતે પૂરવાના થાય છે અને વરસાદ ન હોય ત્યારે પેચવર્ક પણ કરવાના થાય છે. દિવાળી સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓ રી-કાર્પેટ કરવાની શરત ટેન્ડરમાં પણ છે. રોડ-રસ્તાના કામો અંગે બેઠકમાં ખાસ ચર્ચા થવાની હતીશહેરમાં રોગચાળો, સફાઈ, આંગણવાડી અને દૂષિત પાણી સહિતના પ્રશ્નો પણ છે. આગામી દિવસોમાં આ મામલે પણ સમીક્ષા થવાની શક્યતા છે. આજની બેઠકમાં તમામ પદાધિકારીઓ, ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર, પાંચેય સિટી ઇજનેર, તમામ 18 વોર્ડના DE અને શાખા અધિકારીઓ હાજર રહેવાના હતા. તેમજ બાંધકામ શાખા હેઠળ આવતા રોડ-રસ્તાના કામો અંગે બેઠકમાં ખાસ ચર્ચા થવાની હતી. ચોમાસામાં ડ્રેનેજ અને રોશની શાખાને લગતી ફરિયાદોમાં પણ વધારો થાય છે, આથી આ વિભાગોની કામગીરી અને જરૂરી વ્યવસ્થા અંગે પદાધિકારીઓ સૂચના આપવાના હતા. પરંતુ હાલ આ ચર્ચા મુલતવી રહી છે. બેઠક ક્યારે મળશે તે અંગે આગામી સમયમાં જણાવીશુંમેયર નયનાબેન પેઢડીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ખાસ કરીને રોડ પરના ખાડા, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવા અને ડામર રોડના નબળા કામની ફરિયાદો સહિતના મુદ્દે બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા થવાની હતી. જોકે, કેટલાક અગમ્ય કારણોસર આ બેઠક હવે થોડા સમય પછી મળશે. આ બેઠક ક્યારે મળશે તે અંગેની જાણ હવે પછી કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
ગીર સોમનાથમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ:24 જુલાઈએ ઈણાજ સેવા સદન ખાતે સવારે 11 કલાકે યોજાશે
મુખ્યમંત્રીશ્રીની પહેલ અંતર્ગત નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગીર સોમનાથ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 24 જુલાઈ 2025ના રોજ સવારે 11 કલાકે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને અન્ય સંબંધિત અધિકારીઓ અરજદારોની રજૂઆતો સાંભળશે. નાગરિકો જિલ્લા કક્ષાએ નિકાલ થઈ શકે તેવા પ્રશ્નો કલેક્ટર કચેરી, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા રજૂ કરી શકશે. નાગરિકોએ દર માસની 1થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી વિગતો અને પુરાવા રજૂ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ નિકાલ ન થયેલી અરજીઓનો જ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. મહત્વની સૂચના મુજબ અસ્પષ્ટ રજૂઆત, એકથી વધુ વિભાગને લગતી અરજી, અધૂરી વિગતોવાળી અરજી, વ્યક્તિગત આક્ષેપવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં. નીતિ વિષયક બાબતો, સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટમાં ચાલતા કેસો અને પહેલા રજૂ થયેલા પ્રશ્નોની પુનઃ રજૂઆત કરી શકાશે નહીં.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. તાલાલાના ભીમદેવળ ગામમાં સર્વે નંબર 77 પૈકી 1 વાળી જમીનમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પુરવઠા વિભાગની ટીમને મોટી સફળતા મળી છે. ગોડાઉનમાંથી 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા અને 13 કટ્ટા બાજરો મળી આવ્યો છે. આ ઉપરાંત 3 વજનકાંટા અને એક હોન્ડા CD 110 ડીલક્ષ મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મળીને 5,23,150 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ગોડાઉનના માલિક મનોજ ડાવરાએ આ જગ્યા છેલ્લા ચાર મહિનાથી કુખ્યાત અનાજ માફિયા કાદુ, ઇકબાલ અને આરીફને ભાડે આપી હતી. કાદુ અગાઉ પણ રેશનિંગના સરકારી અનાજની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં તે વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બજરંગ એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવે છે અને અનાજનો વેપાર કરે છે. તાલાલા મામલતદારે જણાવ્યા મુજબ, બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા વિભાગે ગોડાઉન માલિક અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ રૂ.123 કરોડના મસમોટા કૌભાંડની તપાસ માટે CID ક્રાઈમે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાલનપુર અને મહીસાગરમાં દરોડા પાડ્યા છે. આ કૌભાંડમાં 620 ગામોના મહત્વના દસ્તાવેજો તપાસ માટે કબજે કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી બાદ આરોપીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. 12 અધિકારીએ માત્ર કાગળ પર જ કામ બતાવ્યુંઆ કૌભાંડમાં ગામડાઓમાં નલ સે જલ યોજના હેઠળ કામગીરી થઈ હોવાના ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. યુનિટ મેનેજર જી.રાજપરા સહિત 12 અધિકારીઓએ આ કામગીરી માત્ર કાગળ પર કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વડોદરા CID ક્રાઈમમાં ગુનો નોંધાયો છે અને તપાસ ડીવાયએસપી અશ્વિન પટેલને સોંપાઈ છે. CID ક્રાઈમે ચાર ટીમો બનાવીને સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાલનપુર અને મહીસાગરમાં દરોડા પાડ્યા હતા. આગામી દિવસોમાં 620 ગામોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. હાલમાં 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, પરંતુ આરોપીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે. CID ક્રાઈમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ મુખ્ય યુનિટ મેનેજર સહિત 12 આરોપીઓ ફરાર છે અને પોલીસ પકડથી બચી રહ્યા છે. કરારખત વગર નાણાં ચૂકવ્યા : ચકાસણી કરવામા આવેલ 620 પૈકી 169 ગામોમાં ટેન્ડર પ્રક્રિયાથી નક્કી કરેલ એજન્સી ઉપરાંત અન્ય એજન્સી પાસે કામો કરાવ્યા હોવાનું દર્શાવીને પેમેન્ટ કરાયા હતા. 12 ગામોમા કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના પેમેન્ટ કરાયા હતા. ખોટા ઇન્વોઇસના આધારે કરેલ ચુકવણાં : કુલ 620 ગામો પૈકી 467 ગામોમાં પાઇપ ખરીદીના ખોટા ઇનવોઇસ ઉભા કરી, ખોટા ઈનવોઈસના આધારે યુનીટ કચેરી દ્વારા પાણીસમિતિ અને પાણી સમિતિ દ્વારા એજન્સીને નાણા ચુકવી આપ્યા. પાઇપ ખરીદીમાં ઉંચા રેઝીન રેટનો લાભ લેવાયો : જે સમયે રેઝીન રેટ ઊંંચો હતો. તે સમયગાળાના પાઇપ ખરીદીના ખોટા/બનાવટી ઇન્વોઇસ ઉભા કરી ઉંચા રેઝીન રેટના આધારે ભાવવધારા (Price Variation) નો લાભ લેવામાં આવ્યો હતો. ચૂકવાયેલ બીલ કરતા સ્થળ પર ઓછો જથ્થો : 451 ગામોમા એજન્સી દ્વારા ખરીદ કરવામા આવેલ અને ખાતાકીય રીતે સપ્લાય કરવામાં આવેલ કુલ 4780 કિ.મી. પાઇપોના ચુકવણા કરવામાં આવેલ છે. જ્યારે સ્થળ પર 2480 કિ.મી. પાઈપલાઈન નાંખેલ હોય તેવી વિગતો મળી આવી હતી. સપ્લાય થયેલ પાઇપો સ્થળ પર નથી : કુલ 620 ગામો પૈકી 119 ગામોમાં ખાતા દ્વારા પાઇપો સપ્લાય કરવામાં આવી હતી. જે પૈકી 74 ગામોમાં વાસ્મોની વડી કચેરી પાસેથી ખાતાકિય રાહે પાઇપો મેળવીને ગામોમાં મોકલાવ્યાનું બતાવી પાઇપના ખોટા માપો નોંધીને તેના આધારે ખોટા બીલો બનાવીને નાણા ચુકવી આપ્યા. જ્યારે ખરેખર સ્થળ પર તપાસ દરમિયાન ખાતાકીય સપ્લાય થયેલ પાઈપો મળી આવેલ નથી.આ ઉપરાંત પાઇપલાઇનો સગેવગે કરીને અથવા તો અન્ય ગામોમાં વાપરીને એ ગામ માટે અલગથી પાઇપ ખરીદીના ખોટા બીલો રજુ કરી એકથી વધુ ગામોમાં ખોટા બીલો રજુ કરીને નાણા લેવાયા હતા. ઓછા ઘર જોડાણ અને ચુકવણાં વધારે : ઘર જોડાણની કામગીરીમાં જિલ્લામા 620 ગામોમાંથી 202 ગામોમાં ચુકવણા કરવામાં આવ્યા હતાં. જેમાં ઘર જોડાણની સંખ્યા કરતા સ્થળ પર ઓછા જથ્થામા ઘર જોડાણ જોવા મળ્યું હતું. આમ ઓછી સંખ્યામાં ઘર જોડાણ કરી વધારે નાણાં ચુકવી આપ્યા. જુની/હયાત પાઇપલાઇનનો અન્ય યોજનામાં ઉપયોગ: ચકાસણી દરમ્યાન અમુક ગામોમા એજન્સી દ્વારા ખરીદવામાં આવેલ પાઇપલાઇન કરતા વધુ પ્રમાણમા પાઇપલાઇનની કામગીરી સ્થળ પર જોવા મળેલ છે. અન્ય યોજનામાં નાખવામાં આવેલ પાઈપલાઈનનો ઉપયોગ કરી પૈસા લેવાયા હોવાની શક્યતા નકારી શકાય નહી. ટેન્ડર મંજૂરીની સત્તાનો દુરુપયોગ : વાસ્મો કચેરીના પરિપત્ર અનુસાર ટેન્ડર મંજુરી માટે સત્તા સોંપણી કરવામાં આવેલ છે. જલ જીવન મિશન યોજના અંતર્ગત વર્ષ 2020-21દરમ્યાન કુલ 8 ગામો કે જેના ટેન્ડર મંજુર કરવાની સત્તા યુનિટ મેનેજર પાસે ના હતી. તેમ છતા યુનિટ મેનેજર દ્વારા સોપાયેલ સત્તા સિવાયના ટેન્ડરોને મંજુરી આપવામાં આવ્યા.વાસ્મો કચેરી યુનીટ મેનેજરની સત્તા રૂ.25 લાખ સુધીની અંદાજીત કિંમત તથા 5% ઊંચા ભાવો સુધીની મર્યાદા છે.
સુરત પોલીસનું સત્તાવાર એક્સ એકાઉન્ટ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ એક્સ હેન્ડલનું નામ સુરત પોલીસ ને બદલે સુરત એરેના પોલીસ કરી દેવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા એકાઉન્ટ પર આપત્તિજનક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરીપ્રાથમિક માહિતી અનુસાર, આ હેકિંગની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક ધોરણે વીડિયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે જ્યારે અન્ય વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે, ત્યારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં, ખુદ સુરત પોલીસનું જ પેજ હેક થતાં, સુરત સાયબર સેલ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હેક થયેલા એકાઉન્ટને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસપોલીસ દ્વારા હેકર્સને શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ ઘટના પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સુરત પોલીસની ઓનલાઈન સુરક્ષા અને સાયબર સુરક્ષાના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે. સાયબર સેલ દ્વારા હેક થયેલા એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન પદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્યના અધિક રજિસ્ટ્રારે સહકારી માળખામાં મહત્વનો હુકમ કરીને હંસાબેન પટેલને મંડળીના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં 150થી વધુ શાખાઓ ધરાવતી આ બેંકના મહિલા ચેરમેન હંસાબેન પટેલના પદ સંભાળ્યા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. હિંમતનગરની સેવા સહકારી મંડળીઓના આરોપ મુજબ, હંસાબેન ખોટી રીતે સેવા સહકારી મંડળીના સભાસદ બનીને બેંકના ડિરેક્ટર અને ચેરમેન બન્યા છે. સ્થાનિક સહકારી મંડળીઓના આગેવાનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યા હતા. અધિક રજિસ્ટ્રારના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટપાલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં, ચેરમેન હંસાબેન પટેલ અને તેમના પતિ બેંકમાં મોટેભાગે ગેરહાજર રહે છે. જિલ્લા રજિસ્ટ્રારે પત્રવ્યવહાર દ્વારા આદેશની નકલ મોકલી છે અને તે મુજબ કાર્યવાહી કરવા આગેવાનોને સૂચના આપી છે.
વૃધ્ધને ટાર્ગેટ કરીને તેની પાસેથી પૈસા પડાવતી સાયબર ગઠીયા ગેંગે સેટેલાઇટના 80 વર્ષના વૃદ્ધને ટાર્ગેટ કરીને રૂપિયા 86.22 લાખ પડાવ્યા છે. મુંબઇ પોલીસના નામે ફોન કરી વડીલને ધમકી આપવામાં આવી હતી કે તમે સરકાર અને હિન્દુ ધર્મ વિરોધી મેસેજ કરી રહ્યા છો. તેની તપાસમાં તમારી ઘરપકડ થશે. ડરી ગયેલા વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી પૈસા પડાવવા ઉપરાંત 23 દિવસ સુધી તેમને એટલી હદે ડરાવવામાં આવ્યા હતા કે તેઓ દરરોજ સવાર -સાંજ પોતાના ઘરની વિગતો વીડિયો કોલ કરી બતાવતા અને રિપોર્ટીંગ કરતા હતા. આખરે આ બાબતે આધેડે સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. સરકાર અને હિન્દુ ધર્મ વિરુદ્ધ મેસેજ કરતા હોવાનું કહી ફસાવ્યાસેટેલાઇટમાં વૃધ્ધ પતિ પત્ની નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને 4થી જૂનના રોજ એક ફોન આવ્યો હતો. સામેથી બાદ્રા પૂર્વ સાયબર ક્રાઇમ ઓફિસના કર્મચારી જાનવી આહુજા તરીકે ઓળખ આપીને વાત કરવામાં આવી. વૃદ્ધને તમારા નામે મુંબઇ ખાતેથી એક સીમ કાર્ડ લેવામાં આવ્યું છે અને જે નંબરથી સરકાર અને હિન્દુ ધર્મ વિરુદ્ધ મેસેજ કરવામાં આવી રહ્યા છે. તેમ જણાવવામાં આવ્યું હતું. વૃદ્ધે પોતે સાડા ત્રણ વર્ષથી તો મુંબઇ જ નહિ આવ્યો હોવાની કેફીયત રજુ કરી હતી. અલગ અલગ વ્યકિતઓએ પોલીસ અધિકારીની ઓળખ આપી વાત કરીત્યાર બાદ તેમને સિનિયર સીટીઝન હોવાનું કહીને આ મુદ્દે તપાસ કરી રહેલ અધિકારીને મોબાઇલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેતે ગઠીયાએ પોતાની ઓળખ પોલીસ ઓફિસર મોહન કુમાર તરીકેની આપીને થોડી પુછપરછ કર્યા બાદ કોઇ વિવેક દાસને ઓળખતા હોવાની પૂછપરછ કરી હતી. સાથે સાથે જણાવ્યુ હતું કે, તમે વિવેક દાસને ખાતુ ભાડે આપ્યું છે. જેમાંથી તેણે 38 કરોડના હવાલા પાડ્યા અને તેનુ તમને 38 લાખ રૂપિયા કમિશન પણ મળ્યું છે. ડરી ગયેલા વૃદ્ધને પોલીસ અધિકારીએ સરકારી વકીલ દીપક વૈકન્ટરામનનો સંપર્ક કરાવવાનું કહી હૈયાધારણ આપી હતી. સાથે સાથે તેમને આ તમામ બાબતો ગૃપ્ત રાખવાનું કહી તેમના તમામ બેંક એકાઉન્ટ અને રોકાણો કે બચતોની વિગતો મેળવી લીધી હતી. ડરી ગયેલા વૃદ્ધ દંપતીને ઘરની બહાર નીકળવા પણ પરવાની લેવી પડતી હતી અને સવાર સાંજ આ ટોળકીને વીડિયો કોલથી રિપોર્ટીંગ કરવું પડતું હતું. ચાર કટકામાં ગઠિયાઓએ 86.22 લાખ ટ્રાન્સફર કરાવી લીધાવૃદ્ધ દંપતીના તમામ રૂપિયા તેમના જ એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ચાર ટુકડામાં ગઠીયાએ 86.22 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા .જો કે એક દિવસ તેમના સીએ ઘરે આવ્યા ત્યારે આ ડિજિટલ એરેસ્ટની જાણ થઇને તેમણે સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. ગઠીયાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને ડરાવી દીધા હતા. તેઓ બેંક કે સ્થાનિક પોલીસ મથકમાં ન પહોંચી જાય માટે સાયબર ગઠીયાઓએ તેમને ડરાવતાં કહ્યું હતું કે તમારી બેંક અને સેટેલાઇટ પોલીસના કેટલાક લોકોની પણ આ કૌભાંડમાં સંડોવણી છે માટે આ બાબતો સાવ ગુપ્ત રાખજો.
ગાંધીનગર મહાપાલિકાની મોટી કાર્યવાહી:રાયસણમાં 20 કરોડની કિંમતની 2000 ચો.મી. કોમર્શિયલ જમીન દબાણમુક્ત
ગાંધીનગર મહાનગરપાલિકાએ ટી.પી. અમલીકરણની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ પગલું લીધું છે. રાયસણ-રાંદેસણ વિસ્તારમાં અંતિમ નગર રચના યોજના નંબર-19 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્યુનિટી હોલ પાસે આવેલી જમીન પર કાર્યવાહી કરવામાં આવી છે. આ જમીન અંતિમ ખંડ નંબર 356 (પોસ્ટ ઓફિસ), 172 (પાર્કિંગ) અને 18 મીટર રોડની કપાતમાં આવે છે. અંદાજે 2000 ચોરસ મીટરની કોમર્શિયલ જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે. મહાનગરપાલિકાએ જમીન પરના પાકા દબાણો દૂર કર્યા છે. જમીનને ખુલ્લી અને સુરક્ષિત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસ, ગુજરાત ગેસ અને UGVCL તંત્રનો સહયોગ મળ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું કે, ટી.પી. અમલીકરણના ભાગરૂપે રસ્તાઓ અને રિઝર્વેશન હેઠળની જમીનોનો કબજો મેળવવાની કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે.
પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા સંઘના કાર્યાલયમાં યોજાઈ હતી. સંઘના અધ્યક્ષ સુરેશભાઈ સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકની શરૂઆતમાં તાજેતરના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજ પુરોહિતે એજન્ડા મુજબની કામગીરી રજૂ કરી હતી. તેમાં અંદાજપત્ર, વાર્ષિક રૂપરેખા, સહકારી શિક્ષણ કાર્યક્રમ અને 2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીનો સમાવેશ થાય છે. સભામાં ઉપસ્થિત જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ તમામ કામગીરીને સર્વાનુમતે મંજૂરી આપી હતી. પાટણ જિલ્લા સહકાર ભારતીના અધ્યક્ષ અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર હરિભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય સહકારી ઉજવણી કાર્યક્રમની માહિતી આપી હતી. આ કાર્યક્રમ 1થી 6 જુલાઈ દરમિયાન યોજાશે. અધ્યક્ષ સુરેશભાઈ પટેલે સંસ્થાઓને શિક્ષણ-તાલીમની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સંઘના ભંડોળને મજબૂત બનાવવા અને સહકારી સુધારાઓ સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં 2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી અંતર્ગત પાટણમાં વૃક્ષારોપણ અને નિબંધ લેખન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, ડિરેક્ટરો અને કર્મચારીઓએ હાજરી આપી હતી.
બોટાદ શહેરના ગઢડા રોડ પર સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે રસ્તા પરના મોટા ખાડાઓની પૂજા કરી છે. વિરોધ પ્રદર્શનમાં ખાડાઓમાં ફૂલ, અગરબત્તી અને ધૂપ કરવામાં આવ્યા. કોંગ્રેસના શહેર હોદ્દેદારો અને ગઢડા રોડના વેપારીઓ મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયા હતા. વેપારીઓએ જણાવ્યું કે આ ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતો થાય છે. પ્રદર્શનકારીઓએ ભ્રષ્ટાચાર બંધ કરો, ખાડા પૂરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. બોટાદ શહેરમાં પ્રવેશતા મોટાભાગના રસ્તાઓ પર ખાડા પડ્યા છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળે છે. સ્થાનિક લોકોની માગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક રસ્તાઓનું મજબૂત રીપેરિંગ કરે. જેથી નાગરિકોને સલામત રીતે અવરજવર કરી શકે.
બનાસકાંઠામાં આપાતકાલીન પરિસ્થિતિ માટે તૈયારી:13 તાલુકાઓમાં 801 લોકોને નાગરિક સંરક્ષણની તાલીમ અપાઈ
બનાસકાંઠા જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 633 લાભાર્થીઓ અને 168 આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી. નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968 અને નિયમો 1968 અંતર્ગત આ તાલીમનું આયોજન કરાયું હતું. વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ, પોલીસ, પંચાયત, આરોગ્ય, વન વિભાગ, નગરપાલિકા અને SDRF/NDRF દ્વારા સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં આપાતકાલીન વ્યવસ્થાપન, સેલ્ફ ડિફેન્સ, અકસ્માત સમયે કાર્યવાહી અને ફાયર સેફટીનો સમાવેશ કરાયો હતો. કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને આરોગ્યલક્ષી કટોકટી જેવી કે કોવિડ, કોલેરા, ડેન્ગ્યુ અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લાના 13 તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ તાલીમનું આયોજન કરાયું હતું. પાલનપુરમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજ, ધાનેરા અને થરાદમાં મોડેલ સ્કૂલ, સુઈગામમાં પ્રાંત કચેરી, અને અન્ય તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં તાલીમ યોજાઈ હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. આ તાલીમથી જિલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટેની ક્ષમતા વધશે.
કાલોલ નગરમાં અવિરત વરસાદને કારણે દોલતપુરા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. આ કોઝવે કાલોલ નગરને દોલતપુરા, મેદાપુર, જેતપુર ગોળા, મલાવ અને અડાદરા સહિત 30થી વધુ ગામડાઓ સાથે જોડે છે. કોઝવે ડૂબી જવાથી લોકોને કાલોલ નગર પહોંચવા માટે બોરુ ટર્નિંગના હાઇવેનો ઉપયોગ કરવો પડે છે. આ વૈકલ્પિક માર્ગથી લોકોને 4થી 5 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે. ગોમા નદીમાં પણ પાણીની આવક શરૂ થવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. કાલોલ નગર અને આસપાસના ગામો વચ્ચે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી નજીક અકસ્માત:ખરસાડ ગામ પાસે બાઇક સ્લિપ થતાં છાપર ગામના યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માત સર્જાયો છે. અબ્રામા-અમલસાડ રોડ પર ખરસાડ ગામની સીમ નજીક આ દુર્ઘટના બની હતી. નવસારીથી છાપર ગામ તરફ જઈ રહેલા બે યુવકોની બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. અકસ્માતમાં છાપર ગામના વિજય પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તેમની સાથે સવાર અન્ય એક યુવકને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અમલસાડ આઉટ પોસ્ટની પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં રાજકોટમાં નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર માટે રૂ. 21.55 કરોડ, આર્ટ ગેલેરીના ભાડા, 104 કરોડના ખર્ચે ખાડા પુરવા સહિતની વિકાસ કામોની જુદી-જુદી 63જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 17માં પારડી રોડ પર રૂ. 21.55 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાશે. પારડી રોડ પર આવેલા વિરાટનગરમાં કોઠારીયા રોડને પણ આ ફાયર સ્ટેશનનો લાભ મળશે. જેમાં કુલ 1700 ચોરસ મીટર જગ્યામાં G+7 માળનું ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 રૂમના 46 અને 3 રૂમના 4 સ્ટાફ ક્વાર્ટર પણ સામેલ છે. કુલ 9 હજાર ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં પ્રથમ માળથી ક્વાર્ટર બનશે. આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયામાં કુલ 6 એજન્સીઓએ ભાગ લીધો હતો, જેમાં એસ.એમ. શેલડીયાએ 6.70% ઓછા ભાવે કામ કરવાની ઓફર આપી છે. ફાયર વિભાગના મહેકમમાં ફેરફાર અને નવી ભરતીના નિયમો પર ચર્ચારાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખામાં ડેપ્યુટી ઓફિસર સહિતની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટેની લાયકાત, સેટઅપમાં સુધારો અને ભરતીના નિયમોમાં ફેરફારની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. આ ફેરફારોથી ફાયર વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે તેવી અપેક્ષા છે. રૂ. 104 કરોડના ખાડા પૂરવાના કામને વેગ મળશેન્યુ રાજકોટના પશ્ચિમ ઝોન હેઠળના 6 વોર્ડમાં ડામર કાર્પેટ અને રી-કાર્પેટ માટે રૂ. 104.33 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ચોમાસામાં ખાડા પૂરવા સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે આ જ કામમાં વધુ 2 પેવર રોડ કંપનીઓને જોડવાનો નિર્ણય લેવાયો છે. 2 વર્ષના કોન્ટ્રાક્ટમાં ચોમાસાનું કામ અન્ય એજન્સીઓ પાસેથી કરાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડા પર 63 દરખાસ્તો છે. વોર્ડ નં. 1, 8, 9, 10, 11 અને 12માં 2 વર્ષ માટે રસ્તા, ડામર અને રી-કાર્પેટનું કામ ક્લાસિક નેટવર્ક કંપનીને રૂ. 104.33 કરોડમાં આપવામાં આવ્યું છે. ચોમાસામાં કાર્પેટ અને રી-કાર્પેટનું કામ સમયસર પૂર્ણ કરવું જરૂરી હોવાથી, પવન કન્સલ્ટન્સી અને રાજ ચામુંડા કન્સલ્ટન્સી પાસેથી આ કામમાં જોડાવા માટે સંમતિ માંગવામાં આવી છે. તેઓએ મંજૂર થયેલા 12% ઓન ભાવે ટેન્ડરની શરતો મુજબ કામ કરવા તૈયારી દર્શાવી છે. આથી, મંજૂર થયેલા કોન્ટ્રાક્ટ આ બંને એજન્સીઓ પાસે પણ સમાંતર કોન્ટ્રાક્ટ આપીને કામ કરાવવાનું નક્કી કરાયું છે. જેનાથી ચોમાસામાં પશ્ચિમ ઝોનમાં કામો વધુ ઝડપથી થવાની આશા છે. નવો રિંગ રોડ અને અન્ય માર્ગ વિકાસના કામોનવો રિંગ રોડ: પશ્ચિમ ઝોનમાં નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીથી કટારીયા ચોક, કાલાવડ રોડ પાર્ટ-4માં નવો રોડ વિકસાવવાની દરખાસ્ત બેઠકમાં રજૂ કરાઈ છે. GST સહિત રૂ. 46.85 કરોડનું એસ્ટીમેટ 3.9 કિલોમીટરના રોડ માટે મંજૂર કરાયું હતું. જેમાં કેરેજ-વે, સ્ટોર્મ વોટર લાઇન અને 3 પાઈપ કલ્વર્ટના કામોથી અડધો લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ માટેના રી-ટેન્ડરમાં ક્લાસિક નેટવર્ક દ્વારા 4.32% ડાઉન ભાવથી કામ કરવાની ઓફર અપાતા, રૂ. 44.79 કરોડના ખર્ચે આ કંપનીને કામ આપવા દરખાસ્ત મૂકવામાં આવી છે. અમુલ સર્કલ: વોર્ડ નં. 15માં અમુલ સર્કલથી નેશનલ હાઈવે તથા રામવનના ગરુડ ગેટથી કોર્પોરેશનની હદ સુધીનો 60,500 ચોરસ મીટરમાં રોડ વિકસાવવા રૂ. 12.51 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં શ્રીજી દેવકોન ઇન્ડિયા દ્વારા 0.45% ઓછા ભાવ અપાતા, રૂ. 14.70 કરોડના ખર્ચે આ કામ આપવામાં આવશે. કણકોટ રોડ: વોર્ડ નં. 11માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી 24 મીટરનો TP રોડ વિકસાવવા ટેન્ડર બહાર પાડવામાં આવતા, શ્રીજી દેવકોન દ્વારા 3.15% ઓછા ભાવ અપાયા છે. આથી રૂ. 8.58 કરોડના ખર્ચે આ રોડ પણ વિકસાવવા દરખાસ્ત આવી છે. વૃક્ષારોપણ: જુદા જુદા વિસ્તારમાં વૃક્ષારોપણ ટ્રી ગાર્ડ સાથે કરી 3 વર્ષ માટે ઉછેરવા ટેન્ડર બહાર પડાયા હતા. જેમાં માનવ સેવા ટ્રસ્ટે રૂ. 3 હજાર લેખે નીચો ભાવ આપ્યો હોય, 40 હજાર વૃક્ષનું રૂ. 12 કરોડનું કામ આપવામાં આવશે. આ સાથે નવા જન્મેલા બાળકોના નામે વૃક્ષારોપણનું કામ પણ શરૂ કરાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ભાડાના દરો: રેસકોર્સ સંકુલમાં તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ડિપોઝીટ, ભાડાના દર અને નિયમો નક્કી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી છે. આ એ.સી. આર્ટ ગેલેરીમાં નવા ભાડા દર નક્કી કરવામાં આવ્યા છે, જે આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવશે. ગેલેરી-એ: સોમથી શુક્રવાર રૂ. 15 હજાર ડિપોઝીટ અને રૂ. 15 હજાર ભાડુ. ટિકિટ હોય તો 20-20 હજાર ચાર્જ રહેશે. ગેલેરી-બી: ફી વગર રૂ. 10-10 હજાર અને ટિકિટ સાથે રૂ. 15-15 હજાર ભાડુ નક્કી કરાયું છે. ગેલેરી-સી: આ ભાડું રૂ. 5-5 હજાર અને 10-10 હજાર રહેશે. શુક્રથી રવિવાર: ગેલેરી-એમાં રૂ.20-20 હજાર, બીમાં રૂ. 15-15 હજાર, ટિકિટ સાથે રૂ. 30-30 હજાર અને રૂ. 20-20 હજાર દર નક્કી કરાયો છે. ગેલેરી-સીમાં શુક્રથી રવિ ભાડુ રૂ.7થી 12 હજાર રહેશે. પ્રતિદિન મેન્ટેનન્સ રૂ. 2 હજાર, સફાઈ ચાર્જ રૂ. 1500, સિક્યુરિટી ચાર્જ રૂ. 1500, એડમિન ચાર્જ રૂ. 2 હજાર રહેશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. આ દરખાસ્ત મંજૂર થયા બાદ કલાપ્રેમીઓને ખૂબ પસંદ પડેલી આર્ટ ગેલેરી સંસ્થાઓના ઉપયોગમાં આવશે. ડો. દસ્તુર માર્ગ સામેના પુલ હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન પથરાશેવોર્ડ નં. 7માં ડો. દસ્તુર માર્ગ સામે એવીપીટીઆઈ કોલેજ પાછળ રેલ ટ્રેક હેઠળ પુલ બનાવવામાં આવ્યો છે. અહીંથી એસ્ટ્રોન નાળા સુધી વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન પાથરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી છે. ઇન્દ્રપ્રસ્થનગર અને એસ્ટ્રોન નાળા હેઠળથી વાહનોની અવરજવરનો રોડ છે. આ બંને નાળા વચ્ચે એવીપીટીઆઈ કોલેજના રસ્તે રહેલી રેલલાઈન હેઠળ મહાનગરપાલિકાએ રેલવે પાસે પુલ બનાવ્યો છે. આ પુલ મોટા ભાગે તૈયાર છે અને વાહન વ્યવહાર માટે ખુલ્લો થાય એટલે ટ્રાફિકમાં રાહત થાય તેમ છે. આ પુલ હજુ સુધી રેલવેએ મહાનગરપાલિકાને સોંપ્યો નથી. દરમિયાન આ પુલ હેઠળથી એસ્ટ્રોન નાળા સુધી વરસાદી પાણીની લાઇન પાથરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં વિનાયક એન્ટરપ્રાઈઝે 5.40% ઓન સાથે રૂ. 15.51 લાખમાં કામ કરવા ઓફર આપતા તે મંજૂર કરવા દરખાસ્ત આવી છે. સિટી એન્જિનિયર અતુલ રાવલે જણાવ્યું હતું કે, અહીંથી વરસાદી પાણીના નિકાલ માટે એક કનેક્શન છે, પરંતુ બીજી લાઇન પાથરવા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે યોજાનાર સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નવા ફાયર સ્ટેશન સહિતની કુલ 63 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં રૂ 104 કરોડના ખર્ચે રોડ-રસ્તા અને આર્ટ ગેલેરીનાં ભાડા સહિતની મહત્વપૂર્ણ દરખાસ્તો સામેલ કરવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી આવતીકાલે આ દરખાસ્તો અંગે શુ નિર્ણય લેશે તે જોવું રહ્યું.
દાહોદ શહેરના મુવાલિયા ક્રોસિંગ પાસે બે દિવસ પહેલાં એટલે કે 29 જૂન, 2025ના રોજ થયેલા એક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એસ.ટી. બસે બાઈકને અડફેટે લીધું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ગલાલિયાવાડ વિસ્તારના ગારી ફળિયામાં રહેતા વિજય ગારી નામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર વિજય ગારી સવારના સમયે પોતાની મોટરસાઇકલ પર દૂધની કેન લઈ મુવાલિયા ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, વડોદરા-દાહોદ રૂટ પર ચાલતી એસ.ટી. બસના ચાલકે વિજયની મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જે ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બાઈક ચાલક ટર્ન મારીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટઝડપે આવતી એસટી બસે બાઈકને અડફેટે લીધું હતું. આ ટક્કરની ઝડપ એટલી તીવ્ર હતી કે, વિજય મોટરસાઇકલ પરથી જમીન પર ફંગોળાયો હતો અને જોતજોતામાં બસના તોતિંગ પૈડાં તેમના શરીરપર ફરી વળ્યાં હતા. જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં એસ.ટી. બસ ચાલકની ગંભીર બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગની હકીકત ખુલ્લી પડી છે. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક પોલીસ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. 108ના તબીબે વિજયભાઈને ઘટનાસ્થળે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. દાહોદ શહેરમાં એસ.ટી. બસ ચાલકોની બેફામ ડ્રાઇવિંગની આ પહેલી ઘટના નથી. અગાઉ ગોધરા રોડ પર એક અઠવાડિયામાં બે અકસ્માતો થયા હતા, જેમાં એસ.ટી. બસે એક ફોર-વ્હીલર ગાડીને ટક્કર મારી હતી અને દેસાઈવાડ વિસ્તારમાં બસ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. આ બંને ઘટનાઓમાં જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ વખતે એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. CCTV ફૂટેજે આ ઘટનાની ગંભીરતાને વધુ સ્પષ્ટ કરી છે, જેમાં ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. જેથી એસટી બસના ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાયેલું હોવાથી વાહનોની ઝડપ નિયંત્રિત રાખવી જરૂરી છે, પરંતુ એસ.ટી. બસ ચાલકોની ઝડપી અને બેદરકાર ડ્રાઇવિંગને કારણે દાહોદ શહેરવાસીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે. લોકો એસ.ટી. વિભાગ પાસે ચાલકોને યોગ્ય તાલીમ અને સૂચનાઓ આપવાની તેમજ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ દાહોદ શહેરમાં એસ.ટી. બસ વિભાગ સામે ભારે રોષ ફેલાવ્યો છે, અને શહેરવાસીઓ નિર્દોષ જીવનની સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખે છે.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર શોધખોળ કરી રહ્યું હતું પણ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારને પોતાના એકના એક દીકરા અંગે જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને શંકા હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં: પિતાપિતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માર માર્યો હતો. ત્યાર બાદ પ્રિન્સિપલ પાસે લઈ જતા તેમણે પણ માર્યો હતો. આ સાથે જ તે વિદ્યાર્થીએ મારા દીકરાને બે દિવસમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી તે સાયકલ લઈને નીકળી ગયો હતો અને આજે તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. ત્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં.
કર્ણાવતી મહાનગર માતૃશક્તિના કલ્પનાબેનના નેતૃત્વમાં નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 45 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. બેઠકમાં ચંદ્રિકાબેન ચાંદલોડિયા, રંજનબેન વિભાગ અને જિલ્લા સંયોજિકા હેતલબેન વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સેવા, સત્સંગ અને બાળસંસ્કાર કેન્દ્રની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ માતૃશક્તિને જોડવાનો અને સમાજમાં તેમનું સ્થાન મજબૂત કરવાનો હતો. બાળસંસ્કાર કેન્દ્રમાં બાળકોને રમત-ગમત સાથે જ્ઞાન આપવાની પદ્ધતિ પર પણ ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં વંદે માતરમ્, પશ્ચિમ નગર, નારણપુરા અને વાડજ વિસ્તારની બહેનો પણ જોડાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કલ્પનાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ, સેટેલાઈટ અમદાવાદ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શ્રી નગાલાખા ઠાકરબાપાની જગ્યા, બાવળીયાળી ધામમાં તા. 27 જૂન 2025ના રોજ સવારે 10 વાગ્યે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ કાનાબાપાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. મહામંડલેશ્વર 1008 મહંતશ્રી રામબાપુની નિશ્રામાં અને શિક્ષણ પ્રણેતા શ્રી વિજયભાઈ ભરવાડના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ કરાયા. કાર્યક્રમમાં પધારેલા સંતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું. વ્હીલચેર વિતરણમાં બ્લેસડ ગ્રુપ ઓફ યુસ્ટન (યુએસએ)નો સહયોગ રહ્યો. રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિરે વરિયાળીના શરબતનું વિતરણ કરાયું. બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી નિરાંત વૃદ્ધ ગોપી મંડળની 25 બહેનોએ સેવા આપી. મેહુલભાઈ અને દીપ્તિબેને આ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. ત્યારબાદ મંગલ નવકાર મહેક ટ્રસ્ટના ભુદરપુરા કેન્દ્રના 50 બાળકોને પતંગ હોટલમાં વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવ્યું. મોટાભાગના બાળકો પ્રથમવાર પતંગ હોટલમાં ગયા હોવાથી તેમની ખુશીનો પાર ન રહ્યો. ટ્રસ્ટ દ્વારા આવા અનેક સામાજિક કાર્યો નિયમિત રીતે કરવામાં આવે છે.
વસ્ત્રાલ ખાતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 60 વર્ષથી વધુ વયના જરૂરિયાતમંદ વૃદ્ધ નાગરિકોને સહાય અને સમાજના હોનહાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેક આપવામાં આવ્યા. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ધારાસભ્ય બાબુસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. વટવા વોર્ડ પ્રમુખ પ્રતિકભાઇ પટેલ અને વસ્ત્રાલ વોર્ડ પ્રમુખ પ્રદિપભાઇ પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના આગેવાન રમેશભાઇ પટેલ અને સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમાજના જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારો અને આગેવાનોએ કાર્યક્રમના સફળ આયોજન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
અંબે ગ્રુપ ઑફ સ્કૂલ્સના સ્થાપક ટ્રસ્ટી ભારતીબહેન શાહે ડભોઈ દશાલાડ સમાજના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે આગામી 10 વર્ષ સુધી શિક્ષણ પુરસ્કાર સમારોહ માટે ₹10 લાખનું દાન આપ્યું છે. આ પુરસ્કાર સમારોહ 'સૂર્યકાંત શાહ - અંબે ગ્રુપ ઑફ સ્કૂલ્સ'ના નામથી યોજાશે. ભારતીબહેન શાહ અને તેમના પરિવારનો આ પ્રયાસ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેરિત કરશે. આ પુરસ્કાર યોજનાથી દશાલાડ સમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા વધુ સરળ બનશે. ડભોઈ દશાલાડ ભવન ટ્રસ્ટે ભારતીબહેન શાહનું વિશેષ સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો હાજર રહ્યા હતા. આ પહેલથી સમાજમાં શિક્ષણનું મહત્વ વધશે અને વધુ લોકો શૈક્ષણિક કાર્યોમાં જોડાશે. આગામી દાયકા સુધી ચાલનારી આ પુરસ્કાર યોજના અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે. આ પહેલ શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જુના નવાપુરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ડૉ. નીરજા ગોટરુ (IPS) ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહેમાનોમાં અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ નિરીક્ષક ઇન્દુબેન ચાવડા, સી.આર.સી. કોઓર્ડિનેટર કશિષભાઈ અજમેરી, જુના નવાપુરાના સરપંચ અને કેળવણી નિરીક્ષક જીગર પાઠક સહિત અનેક મહાનુભાવો અને દાતાશ્રીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાલ દેવો ભવ: ની ભાવનાને સાર્થક કરવાનો અને સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્રને ચરિતાર્થ કરવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને નવા વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું.
સુરતની સુમન હાઇસ્કૂલ નંબર 29, પાલનપુર ખાતે 30 જૂન 2025ના રોજ 'જંક ફૂડને જાકારો' વિષય પર વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. શાળાના ઈ.પ્રિન્સિપાલ ગોપાલભાઈ પટેલે કાર્યક્રમની શરૂઆત કરી. તેમણે વિદ્યાર્થીઓને સ્વસ્થ આહારનું મહત્વ સમજાવ્યું. શાળામાં દરરોજ પૌષ્ટિક નાસ્તો લાવવા માટે પણ સૂચન કર્યું. વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 9ના 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમણે જંક ફૂડની નુકસાનકારક અસરો વિશે પોતાના વિચારો રજૂ કર્યા. નિબંધ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. શિક્ષિકા ડીમ્પલબેન અને રોશનીબેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાયો અને પૌષ્ટિક આહાર અપનાવવાની પ્રેરણા મળી.
સુરતના ગોતાલાવાડી વિસ્તારમાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર 117, શ્રી સંત એકનાથ પ્રાથમિક શાળા નંબર 118 અને શ્રીમતી જ્યોત્સનાબેન શુક્લ પ્રાથમિક શાળા નંબર 120માં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ બલર પ્રમુખ તરીકે અને પૂર્વ કોર્પોરેટર તથા બાલવાડી કન્વીનર સ્વાતિ સોસા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષ તરીકે કોર્પોરેટર, એસએમસી સભ્યો અને દાતાશ્રીઓએ હાજરી આપી. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને ફૂગ્ગા, ચોકલેટ, યુનિફોર્મ, બૂટ અને સ્ટેશનરી કિટ આપવામાં આવી. શાળા પરિવારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. એસએમસીના શિક્ષણવિદ સભ્ય હરિશકુમાર નારણભાઈ ઝાલા તરફથી મોટો દીવો, પેન્સિલ અને વૃક્ષોને પાણી પાવા માટે જગની ભેટ આપવામાં આવી.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જય દાદા ફાઉન્ડેશન અને રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રામજી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ગુરુદેવચિરાગ દાદાની પ્રેરણાથી યોજવામાં આવ્યો છે. સંસ્થાના સ્વયંસેવકો અને અન્ય નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાનમાં ભાગ લીધો છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓ માટે મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. જય દાદા ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ આવા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે. આ પ્રયાસથી થેલેસેમિયા પીડિત બાળકોને નવજીવન મળી શકશે. ફાઉન્ડેશન દ્વારા સમાજસેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે. તેમાં રક્તદાન શિબિરને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ગાંધીનગર ખાતે 1 જુલાઈ 2025-GST દિવસ નિમિત્તે નાણા મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો ઓફિશિયલ લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ 2024-25 માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ નાણા વિભાગ દ્વારા રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારાઓ લાવવા માટે કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને વિશ્વાસની સ્થાપના, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ (પાલનની સરળતા) અને ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગ દ્વારા વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્ય કર વિભાગના નવા લોગોની વિશેષતા:NID અમદાવાદના ડો.ત્રિધા ગજ્જર, સિનિયર ફેકલ્ટી દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ સ્ટેટ GST વિભાગનો નવો લોગો વિભાગની વિકસતી ઓળખને સ્પષ્ટપણે રજૂ કરે છે. આ લોગો પારદર્શિતા, ટેક્નોલોજી-આધારિત સુધારાઓ અને ‘નાગરિક પ્રથમ’ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે. આ લોગો ડિજિટલ શાસનના યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ અને કરદાતા-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેના વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે. આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે. લોગોમાં દર્શાવેલ વાદળી રંગ કમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવે છે. જ્યારે, સોનેરી રંગ કરવેરા (Taxation) અને વિકાસનું પ્રતિક છે. આ નવો લોગો નાણા વિભાગની આધુનિક અને જન-કેન્દ્રિત શાસન પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે. આ લોગો અનાવરણ પ્રસંગે નાણા વિભાગના અગ્ર સચિવ ટી.નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો, નાણાં વિભાગના સચિવ આરતી કંવર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીના AWS ક્લાઉડ ક્લબ્સે IEEE SOU CS SBC અને TechCAFFEINE Club સાથે મળીને ક્લાઉડવિઝન 2025નું આયોજન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમમાં ક્લાઉડ ટેકનોલોજીની પાયાની સમજણથી માંડીને એડવાન્સ સોલ્યુશન્સની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ઉદ્યોગમાં તેના ઉપયોગો અને કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. મુખ્ય વક્તા તરીકે AWS ક્લાઉડ નિષ્ણાત નિલેશ વાઘેલાએ વિવિધ ડોમેઇનમાં ક્લાઉડના ઉપયોગ વિશે માહિતી આપી. તેમણે AWS સર્ટિફિકેશન, ટ્રેનિંગ પાથવે અને ઇન્ડસ્ટ્રીમાં વધતી માંગ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી. સત્રના અંતે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ કારકિર્દી અંગેના પ્રશ્નો પૂછ્યા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ક્લાઉડ ટેકનોલોજી ક્ષેત્રે નવો દૃષ્ટિકોણ મળ્યો. સિલ્વર ઓક યુનિવર્સિટી આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈશ્વિક ટેકનોલોજી ટ્રેન્ડ્સ અંગે જાગૃતિ લાવવા અને તેમની કારકિર્દીને યોગ્ય દિશા આપવા પ્રયત્નશીલ છે.
GST અને CA દિવસની ઉજવણી:એ-વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો
એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે 1 જુલાઈના રોજ GST દિવસ અને CA દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ કરમાફી વ્યવસ્થા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી વિશે જાણકારી મેળવી. કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શનમાં પણ ભાગ લીધો. ક્વિઝ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. શાળાના આચાર્ય અને કોમર્સ વિભાગના શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા. તેમણે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવામાં મદદ મળી.
સુરતની અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળા નંબર 185માં આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 જૂન 2025ના રોજ રૂપલ સોસાયટી, વેડ રોડ સ્થિત શાળામાં 'જંકફૂડને જાકારો' થીમ પર આધારિત બાળસભા યોજાશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ માટે ત્રણ મુખ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને તર્કસંગત ચર્ચા (ડિબેટ)નો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ કેળવવાનો છે. શાળાના આચાર્ય સુનિલ નેહતેના માર્ગદર્શન હેઠળ શિક્ષકમંડળે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિદ્યાર્થિનીઓ સ્પર્ધાઓમાં જંકફૂડથી થતી હાનિઓ અને સ્વસ્થ આહારના ફાયદાઓ વિશે પોતાના વિચારો રજૂ કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અને યોગ્ય પોષણ અંગે સમજ કેળવવાનો છે.
હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત બ્રાન્ચની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ છે. આ સભા 29 જૂન, 2025ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, વસ્ત્રાપુર ખાતે આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 50 જેટલા સભ્યો અને હોદ્દેદારોએ આ સભામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025-27 માટેની નવી કાર્યકારી સમિતિની પસંદગી કરવામાં આવી હતી. આ નવી સમિતિના પ્રમુખ તરીકે ડૉ. હરેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5-6 જુલાઈએ આણંદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 5 જુલાઈએ વાલ્મી ખાતે દેશની પ્રથમ ત્રિભોવન સહકારી યુનિવર્સિટીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. 6 જુલાઈએ અમૂલ ડેરી ખાતે સહકાર મંત્રાલયના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ દિવસે તેઓ જનસભા સંબોધશે અને અમૂલ બોર્ડ રૂમમાં બેઠક યોજશે. એનસીડીએફઆઈ મોગરની મુલાકાત લઈ તકતી અનાવરણ કરશે. એનડીડીબી ખાતે નવા ભવનનું લોકાર્પણ કરશે. એડીડીબી બોર્ડ રૂમમાં બેઠક યોજશે. મણિબેન પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આઈડીએમસી વિઠ્ઠલ ઉદ્યોગનગરની પણ મુલાકાત લેશે. કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓ અને સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. તેમણે જણાવ્યું કે, દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટી આણંદમાં સ્થપાઈ રહી છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. કલેક્ટરે પીવાનું પાણી, વીજળી, વાહન પાર્કિંગ, બેઠક વ્યવસ્થા અને પરિવહન વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિત અમૂલ અને એનડીડીબીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો...જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં પોણા ચાર ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સરકારની બેદરકારીએ બાળકનો જીવ લીધો ગાંધીનગરમાં સરકારની બેદરકારીએ બાળકનો જીવ લીધો. સેક્ટર-1માં નિર્માણાધીન આર્ટિફિશિયલ તળાવમાં ગઇકાલે એક બાળક રમતા-રમતા ગરકાવ થઇ ગયો હતો,જેનો આજે મૃતદેહ બહાર કઢાયો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જુલાઈમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આગાહી આ વર્ષે રાજ્યમાં જૂનમાં 11.55 ઇંચ વરસાદ વરસ્યો. જેથી જરૂર કરતાં 161% વધુ પડેલા વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો તો હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જુલાઈમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આગાહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નભોઈ કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતાં 5 લોકો ડૂબ્યા. ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ એક યુવતી સહિત 2ની લાશ બહાર કાઢી. જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખાડીપૂર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ ખાડીપૂર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ તોળાયું. વરસાદી પાણી ઊતર્યાં બાદ ત્યાંથી 8.12 લાખ કિલો કચરો નીકળ્યો ને તાવ, શરદી-ખાંસી, ઝાડાના 2900 કેસ નોંધાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી એક તરફ વરસાદથી તારાજી સર્જાઈ છે તો બીજી તરફ નખત્રાણાનો પાલર ધુના અને કુકરમુંડાનો વાલ્હેરી ધોધ વહેતો થતા તેમજ કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં કોલક નદી છલકાતા ને ચારેકોર લીલોતરી છવાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયાને નોટિસ ગત 17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિસ્ફોટક દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. લલિત વસોયાએ પોતાની કારમાંથી 2 લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા અને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવાનું કહ્યું હતું. આ આક્ષેપો બાદ હવે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ 10 કરોડ ચૂકવવા માટે નોટિસ પાઠવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કપડાં સુકવવા જતા, કરંટ લાગતા માતા-પુત્રીના મોત વ્યારાના જેસીંગપુરામાં કરંટ લાગતા માતા-પુત્રીના મોત થયા. ધાતુના તાર પર કપડાં સુકવવા જતા ઢોરવાડાના સીલિંગ ફેનના વાયરમાંથી વીજપ્રવાહ તારમાં વહ્યો ને કરંટ લાગતા માતા-પુત્રીના મોત નીપજ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કેમ્પસમાં ચાલીને જતા ત્રણ યુવકોને કારની ટક્કરે ફંગોળ્યા અમરેલીમાં કારની ટક્કરે હત્યાનો પ્રયાસ કરાયો. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ રાખી શખ્સે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી જતા ત્રણ યુવકોને ફંગોળ્યા. જેમાં 1નો બચાવ થયો છે જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઘરઘરાઉ લગ્નને માનવાના ફેમિલી કોર્ટના ચુકાદાને HCએ રદ્દ કર્યો 2011માં જૂનાગઢની ફેમિલી કોર્ટમાં પત્નીએ પતિ સામે ભરણપોષણની અરજી દાખલ કરી હતી. પણ તે ઘરઘરાઉ લગ્ન હોવાથી તેને માનવાનો ફેમિલી કોર્ટે ઇન્કાર કર્યો હતો જે ચુકાદાને આજે હાઈકોર્ટે રદ્દ કર્યો અને જૂનાગઢ ફેમિલી કોર્ટને ફરીથી અરજી સાંભળી કેસનો જલદી નિકાલ કરવા નિર્દેશ કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. તેમજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન કરવામાં આવે છે, પરંતુ નાગરિકોને ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં 60 ટકા વરસાદી પાણીની લાઈનો નથી. તેમજ ગટર લાઈનો સાફ કરવા માટે 498 સંસ્થાઓ કાર્યરત હોવા છતાં જૂન મહિનામાં નાગરિકોએ ઓનલાઈન ગટર મામલે 31,793 ફરિયાદો કરી છે. જેમાં 28,642 જેટલી માત્ર ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની ફરિયાદો મળી છે. વરસાદી પાણી ભરાવવાની 4,360 ઓનલાઇન ફરિયાદો મળી છે. ત્યારે ગટર લાઈનોની કેચપીટ તૂટી ગઈ હોવા અંગેની પણ ફરિયાદો મળી કુલ 36, 153 ફરિયાદો મળી છે. સૌથી વધુ સંસ્થાઓ કાર્યરત છે, ત્યાંજ ફરિયાદો વધુ: વિપક્ષના નેતામ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે શહેરમાં ગટર લાઈનો સાફ કરવા માટે 498 સંસ્થાઓ કાર્યરત હોવા છતાં ડ્રેનેજ ચોકઅપ થઇ છે. દરેક સંસ્થાઓને દર મહિને અંદાજે રૂ. 50 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ શહેરીજનો દ્વારા ગટર લાઈનની ફરિયાદો કરવામાં આવી છે. ડી-સીલ્ટીંગ માટેની સૌથી વધુ સંસ્થાઓ ઉત્તર ઝોનમાં 112, મધ્ય ઝોનમાં 99, પશ્ચિમ ઝોનમાં 107 અને દક્ષિણ ઝોનમાં 90 જેટલી કાર્યરત છે તેમ છતાં તે ઝોનમાં જ ફરિયાદો વધુ આવે છે. વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવા વિપક્ષની માગગટર લાઈન ચોકઅપ થવા મામલે મુખ્યત્વે ઉત્તર ઝોનની 6710, મધ્ય ઝોનની 6180, પશ્ચિમ ઝોનની 5038 અને દક્ષિણ ઝોનની 4825 ફરિયાદ છે. આ આંકડો માત્ર ઓનલાઇન ફરિયાદોનો છે તેમાં પણ વરસાદી પાણી રોડ પર ભરાઈ જવાની 4350 જેટલી ફરિયાદો તો અલગ, ત્યારે ઓફલાઇન એટલે કે રૂબરૂ ફરિયાદો કરી હોય તેની સંખ્યા જોડવામાં આવે તો ફરિયાદોની સંખ્યા ક્યાં પહોંચી હશે તે વિચારણા માંગી લે તેવી બાબત છે. દર મહિને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન મામલે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ સફાઈ ન થતી હોવાનું અને તેમાં ભ્રષ્ટાચાર ચોક્કસ થયો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવા વિપક્ષ દ્વારા માગ કરાઈ છે.
પાલનપુર કલેક્ટર કચેરીમાં સફાઈ ઝુંબેશ:મચ્છર નિયંત્રણ માટે પાલિકાના કર્મચારીઓએ દવાનો છંટકાવ કર્યો
પાલનપુર નગરપાલિકાએ આજે કલેક્ટર કચેરી પરિસરમાં મચ્છર નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન પાર્થ ઠાકોરના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. એસ.આઈ. ભાવેશના માર્ગદર્શન હેઠળ પાલિકાના બે સફાઈ કર્મચારીઓએ કામગીરી કરી હતી. ધીરજ મકવાણા અને કિશનભાઈએ સમગ્ર પરિસરમાં દવાનો છંટકાવ કર્યો હતો. આ પહેલ જાહેર આરોગ્યની સુરક્ષા અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોનઠા ગામમાં ગામતળની જમીનના પ્લોટની હરાજીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યાં છે. સર્વે નંબર 983ની જમીનમાં 47 પ્લોટનું વેચાણ ગ્રામજનોને જાણ કર્યા વગર કરી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે. ગ્રામ પંચાયત દ્વારા આ પ્લોટની હરાજી માટે કોઈ જાહેરાત કે નોટિસ બહાર પાડવામાં આવી ન હતી. સરપંચ, ટીડીઓ, તલાટી અને વિસ્તરણ અધિકારીએ મળીને સરપંચના સંબંધીઓ અને મળતિયાઓને સસ્તા ભાવે પ્લોટ ફાળવી દીધા હોવાના ગ્રામજનો તેમજ સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યાં છે. આ મામલે ગ્રામજનો અને સામાજિક કાર્યકર રાજુ કરપડાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, 12 લાખની બજાર કિંમત ધરાવતા પ્લોટ માત્ર 1 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યા છે. સ્થાનિક ભાજપના નેતાના ઇશારે અધિકારીઓએ આ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રામજનોએ માત્ર કાગળ પર થયેલી આ હરાજી રદ્દ કરી, ફરીથી જાહેર હરાજી કરવાની માગ કરી છે. સાથે જ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
સાબરડેરીનો મહત્વનો નિર્ણય:સાબરદાણના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો, 65 કિલોની બોરી હવે 1550 રૂપિયામાં મળશે
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે સાબરદાણના ભાવમાં રૂ 50નો ઘટાડો કરવાનો નિર્ણય આજે લીધા બાદ તેનો અમલ આવતીકાલથી થશે.જે મુજબ 65 કીલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું છે. આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, એમડી સુભાષ પટેલ, નિયામક મંડળના ર્ડા.વિપુલ પટેલ, મણીભાઈ પટેલ સહિત નિયામક મંડળની ઉપસ્થિતિમાં મંગળવારે યોજાયેલી બોર્ડ મીટીંગમાં દૂધ ઉત્પાદકોને ફાયદો થાય અને રોજબરોજ પશુઓને ખવડાવવામાં આવતા સાબરદાણના ભાવની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સાબરદાણના પ્રતિ 65 કિલોનો ભાવ રૂ.1600 હતો, તેમાં રૂ.50 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરાયા બાદ નિયામક મંડળની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ હતી. આ નવા ઘટાડેલા ભાવનો અમલ બુધવારથી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીના ચેરમેને વાતચીતમાં જણાવ્યું હતું. દરમ્યાન સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેના સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય છે. જોકે આ નવીન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંદાજે 30 હજાર ટન દૈનિક હોવાથી ભવિષ્યમાં સાબરદાણની માંગમાં વધારો થાય તો પણ અન્ય સ્થળેથી દાણ મંગાવવાની નોબત નહીં આવે તે આશયથી જ અગાઉથી જ પ્લાન્ટની ક્ષમતા વધારી દેવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આ ભાવ ઘટાડાને કારણે રોજનો રૂ 8 લાખ,માસિક રૂ 2.50 કરોડ વાર્ષિક રૂ.30 કરોડનો ફાયદો થશે તેવો દાવો કરાયો હતો. જોકે ગામડાઓમાં રહેતા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો પણ પોતાના પશુઓને નિયમિત રીતે સાબરદાણ ખવડાવતા હોવાને કારણે આ પશુઓ સાબરદાણ જ ખાય છે
ગુજરાત સહિત દેશના અલગ અલગ 11 રાજ્યોમાં બ્લાસ્ટની ધમકી આપતા મેલ કરી પોલીસને દોડતી કરનાર રેની જોશીલ્ડા ઝડપાયા બાદ હાલ અમદાવાદ પોલીસના કબજામાં છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓફિશિયલ મેલ આઈડી પર પણ ધમકીભર્યા ઈમેઈલ આવ્યા હોય સાયબર ક્રાઈમમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મેઈલ રેની દ્વારા જ કરવામાં આવ્યા હતા કે નહીં તે દિશામાં તપાસ થઈ શકે છે. એક તરફી પ્રેમમાં પાગલ ચેન્નાઇની યુવતીએ પ્રેમીના અન્ય યુવતી સાથે લગ્ન થઇ જતાં તેના નામનું બોગસ મેઇલ આડી બનાવી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અને જુદી જુદી સ્કુલોને બોંબ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ કર્યા હતા. જે દિવસે વિમાન દુર્ઘટના થઇ તેના બીજા દિવસે તેણે સિવિલ અને મેડીકલ કોલેજમાં પણ આ ફ્લાઇટ દુર્ઘટનાની જવાબદારી સ્વાકારતો મેઇલ કર્યો હતો. જોકે આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ બ્રાંચે ચેન્નાઇથી રોની જોશીલડાની ધરપકડ કરી લીધી છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસો.ના એડમીન મેનેજર તેજસ મહેતાએ નરેન્દ્ર મોદી સ્ટેડીયમને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપતા ત્રણ ઇમેઇલ મળ્યા હોવાની અજાણી વ્યકિત સામે ફરિયાદ સાયબર ક્રાઇમબ્રાંચમાં નોધાવી છે. તેજસ મહેતાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેમને ગુજરાત ક્રિકેટ એસો.ના ઓફિશીયલ ઇ મેઇલ આઇડી પર 13મી મેના રોજ એક ઇમેઇલ આવ્યો હતો. જે પ્રભાકર દિવીજ વાળા મેઇલ આઇડી પરથી આવ્યો હતો. જેમાં બોમ્બથી સ્ટેડીયમને ઉડાવી દેવાની ધમકી વાળા મેઇલ કરવાની જવાબદારી સ્વિકારવા ઉપરાંત હેદરાબાદની હોટલમાં દિવીજે યુવતી પર રેપ કર્યો છે અને તેને પોલીસ પકડતી નહિ હોવાથી પોલીસનું ધ્યાન દોરવા આ મેઇલ કરવામાં આવ્યો છે. આવા ત્રણ ઇમેઇલ ગુજરાત ક્રિકેટ એસોને મળ્યા હોવાની તેજસ મહેતાએ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ આદરી છે. રેનીએ જુદુ જુદી સ્કુલમાં પણ આવા મેઇલ કર્યા હોવાથી પોલીસ તેની તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમે જ્યારે રેનીની પૂછપરછ કરી ત્યારે તેણે રથયાત્રામાં પણ આવો મેઇલ કરવાની તૈયારી કરી હતી પરંતુ તે પહેલા પોલીસે તેને પકડી લીધી તેવી કેફીયત રજૂ કરી હતી.
વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ પર વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકો સાથે ભેદભાવ અને માનસિક છેડછાડના ગંભીર આરોપો લગાવ્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર, શાળા નિયમ વિરુદ્ધ ફી વસૂલે છે અને ફી ન ચૂકવનાર વિદ્યાર્થીઓ સાથે અસમાન વર્તન કરે છે. આ મામલે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન સાથે મળી વાલીઓ કલેક્ટરને આવેદનપત્ર આપી આ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી છે. વડોદરા કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યાવાલીઓએ આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સમક્ષ અનેક વખત રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું સમાધાન ન થતાં તેઓએ રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ (NCPCR) નો સંપર્ક કર્યો હતો. NCPCRના રજિસ્ટ્રારે 18 માર્ચ, 2025ના પત્ર દ્વારા વડોદરા કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના માતા-પિતા પર દબાણશાળા હોબી ક્લાસ અને એક્ટિવિટી પિરિયડ્સના નામે વધારાની ફી ન ચૂકવનાર વિદ્યાર્થીઓને નિયમિત વર્ગમાંથી બાકાત રાખે છે અને શિક્ષકો દ્વારા તેમના માતા-પિતા પર દબાણ લાવવામાં આવે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા કાર્યક્રમોમાં પણ આવા વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં આવતો નથી. વાલીઓએ કલેક્ટરને લેખિત અરજી કરીઆ નીતિઓથી વિદ્યાર્થીઓમાં હીનભાવના અને માનસિક તણાવ વધી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે, આ ઘટનાઓ ભારતના સંવિધાનની કલમ 14 અને 21, બાળ ન્યાય અધિનિયમ 2015, FRC અધિનિયમ 2017 અને RTE કાયદાનું ઉલ્લંઘન કરે છે. વાલીઓએ કલેક્ટરને લેખિત અરજી કરી, તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે અમે જિલ્લા શિક્ષણાઅધિકારી સાથે કરવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓના સંપર્ક થઈ શક્યો ન હતો.
ગત 12 જૂન, 2025ના રોજ બપોરે 1.38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.40 વાગ્યે અમદાવાદના ઘોડાકેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં સવાર 10 ક્રુ મેમ્બર, 2 પાઇલોટ અને 230 પ્રવાસી મળીને 242 લોકોમાંથી 241ના મોત થઈ ગયા હતા. 5 દિવસથી ઘટનાસ્થળે મૃતકોના પરિવારજનો દીવો અને પૂજા કરવા આવી રહ્યા છે. વિદેશી સહિતના 50 મૃતકોના પરિવાજનો પૂજા, ફૂલહાર, અગરબતી અને દીવો કરી ચૂક્યા છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ મનાઈ કરી હોવાથી ત્યાં જતાં મૃતકના પરિવારજનને પણ ફોટો પાડવા દેતા નથી. અંદર જતાં પહેલા એમના ફોન લઈ લેવામાં આવે છે. એમના નામ સહિતની વિગતો લઈને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. આ પ્લેનમાં સવાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ 15 જૂનના રોજ તેમના રાજકોટના રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ગત 26 જૂને પ્રભાસ તીર્થ ખાતે આવેલા સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. મૃતકોના સગા-સંબંધી અને પરિજનો ફૂલહાર અને દીવો કરવા આવે છે: નીતિન ભારદ્વાજજ્યારે ગઈકાલે(હવે 30 જૂન, 2025) પરિવારજનોએ પ્લેન ક્રેશ સાઇટ પર જઈને વિજયભાઈની આત્માની શાંતિ માટે પૂજાપાઠ કર્યા હતા. આ અંગે વિજયભાઈના અંગત મિત્ર નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે,વિધિ નથી કરાવી સાઇટ ઉપર જેટલા લોકોના સગા સબંધી પરિવારજનોના અવસાન થયા છે એ લોકો ફૂલહાર અને દીવો કરવા આવે છે. 'પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકોના પરિવારજનો ફૂલ હાર કરી દીવો કરી નીકળી જતા હોય છે. ટૂંકમાં પ્લેન ક્રેશ થયું એ સ્થળ પર જઈને બધા પૂજા અને ફૂલહાર કરે છે એક્ઝેટ જગ્યા તો કોઈને ખબર ન હોય,તેમજ ડેડબોડી જ બ્લેક મળી હતી આખી સાઇટ ઉપર જઈને દીવો કરે છે. ગઈકાલે વિજયભાઈનો દીકરો ઋષભ, અંજલિ બહેન અને હું તેમની સાથે ગયો હતો. કોઈ વિધિ નથી કરી ફૂલ હારને દીવો કર્યો છે. બધા પેસેન્જરના કુટુંબના લોકો આવ્યા હતા. ફોરેનના જે લોકો મૃતદેહ લેવા આવ્યા હોય એ લોકો પણ કરતા હોય છે.'
શું તમને લાગ્યું હતું કે આ વખતે 2025માં થોડો વધારે વરસાદ થયો છે? તો સાંભળો આ થોડો નહોતો – આ તો ઢગલાબંધ વરસાદ હતો! દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી વરસાદે જૂનમાં જે કમાલ કરી છે, એવી આજથી પહેલાં ક્યારેય નહીં થઈ હોય. ચાલો, દિવ્ય ભાસ્કર પર 2025ના ચોમાસાની જૂન અને જુલાઈની એવી વરસાદી માહિતી મેળવીએ જે અલગ અને ઈન્ટરેસ્ટિંગ છે. પહેલા થોડી નજર ડેટા પર ફેરવીએ સામાન્ય રીતે જૂનમાં 4.43 ઈંચ વરસાદ પડે છે, પણ 2025ના જૂનમાં પડ્યો 11.55 ઈંચ – એટલે સીધો 161% વધારે. આને એક ઉદાહરણથી સમજીએ. માનીલો કે તમારા ઘરની છત પર તમે એક કપ મૂક્યો અને તે વરસાદના કારણે એકવાર ભરાઈ ગયો. તો આ વખતે એટલો વરસાદ પડ્યો છે કે કપ એકવાર નહીં પણ અઢીવાર ભરાઈ જશે. ઝોન વાઈઝ જૂનનો વરસાદ– કોણ-ક્યાં-કેટલું ભીંજાયું? આ બધું જોઈને લાગે છે કે મેઘરાજા ગુજરાતી લોકો પર ખાસ વરસ્યા છે! પાણી ક્યાં ગયું? રાજ્યના 206 ડેમમાંથી 15 ડેમ આખા ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 22.77% પાણી ભરાઈ ગયું છે. આ વખતે વરસાદે અન્યાય નથી કર્યો કારણ કે જામનગરના રણજિત સાગરની નદી તો ઓવરફ્લો થઈ ગઈ છે. હવે વાત કરીએ જુલાઈની — હવે શું થશે? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જુલાઈમાં પણ વરસાદ નો ધમાકો જળવાઈ રહી શકે છે. એટલે છત્રી, રેઈનકોટ, અને WhatsApp forwarding memes તૈયાર રાખો! જુલાઈની ઝોનવાઈઝ આગાહી: જ્યારે જુલાઈના વરસાદ મામલે અમે હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, જુલાઈ મહિનાના પહેલા વરસાદી રાઉન્ડની શરૂઆત 4-5 જુલાઈથી શરૂ થશે. જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ વધારે રહી શકે. ઉત્તર કચ્છમાં ધોળાવીરા અને ખડીર વિસ્તારમાં ચોમાસું નબળું રહેશે ચોમાસાના વરસાદ મામલે ખાસ સૂચના હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઈ સુધી માછીમાર ભાઈઓને દરિયો ખેડવા ન જવું જોઈએ. અંતે થોડા ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પણ સાંભળતા જાવ. યાદ રાખો, 2.5 mm કે વધુ વરસાદ પડ્યો, એટલે એ દિવસ ‘વરસાદી દિવસ’ ગણાય છે. આવી જ માહિતી માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. વધુ માહિતી માટે ઉપરની GIF પર ક્લિક કરો અને વીડિયો જુઓ.
સુરતમાં આગામી 6 જુલાઈ, 2025ના રોજ મોહરમ પર્વ નિમિત્તે તાજિયા રાખવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તે હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 4 જુલાઈ, 2025થી 8 જુલાઈ, 2025 સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. પોલીસ કમિશનરની હદના વિસ્તારમાં મોહરમ પર્વ નિમિત્તે નિયંત્રણો લાગુ પડશે તાજિયાની ઊંચાઈ પર પ્રતિબંધ: 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ રહેશે.સ્થળ નિર્ધારણ: નિયત કરેલા સ્થળ સિવાય અન્ય કોઈ પણ સ્થળે તાજિયા મૂકી શકાશે નહીં.સ્વચ્છતા જાળવણી: તાજિયા બનાવવાની કે વેચવાની જગ્યાની આજુબાજુ કે નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા પર પ્રતિબંધ રહેશે.ટ્રાફિક અવરોધ પર પ્રતિબંધ: તાજિયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખી શકાશે નહીં.બિનવારસી તાજિયા: તાજિયાઓને બિનવારસી હાલતમાં મૂકવા પર પ્રતિબંધ છે.ધાર્મિક લાગણી ન દુભાય તેવું વર્તન: કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કોઈપણ પ્રકારનું વર્તન કરવા પર પ્રતિબંધ રહેશે.નિશ્ચિત રૂટનું પાલન: પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય કોઈ પણ રૂટ ઉપર તાજિયાનું સરઘસ કાઢી શકાશે નહીં.લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ: રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.સાઉન્ડ લિમિટર ફરજિયાત: દરેક સાઉન્ડ સિસ્ટમમાં ફરજિયાતપણે સાઉન્ડ લિમિટર લગાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આ જાહેરનામું મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી બહાર પાડવામાં આવ્યું છે.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં વૈદિક મૂલ્યોનું વર્તમાન શિક્ષા પ્રણાલીમાં મહત્ત્વ વિષય પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ, ફેકલ્ટી ઓફ આર્ટસના HOD કલ્પના ગવલી સહિત અન્ય ફેકલ્ટીના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય સંબોધન શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજીએ પોતાના સંબોધનમાં યુવા પેઢીને ગુણવત્તાયુક્ત જ્ઞાન અને ભારતની સાચી ઓળખ સમજાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યુવા પેઢી ધાર્મિક કામો અને ધર્મ તરફ વળી રહી છે, પણ અમને ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી જોઈએ. તેમણે ભારતના પ્રાચીન મહત્વ અને સ્વરૂપને સમજવાનું મહત્ત્વ દર્શાવતા કહ્યું, યુવાનોએ ભારતનું સાચું સ્વરૂપ, તેનું નામ, પ્રાચીન ભારતની સ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિને સમજવું જોઈએ. આનાથી યુવા પેઢી ભારતની સંસ્કૃતિ અને તેના નામનું મૂળ સમજી શકશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે, તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય માત્ર પર્યટન ન હોવો જોઈએ, પરંતુ દેવત્વ અને ધર્મની શક્તિ પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે હોવો જોઈએ. આ કાર્યક્રમે વૈદિક મૂલ્યોને આધુનિક શિક્ષણ સાથે જોડવાનું મહત્ત્વ રજૂ કર્યું અને યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો.
સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સોદાગરવાડ ખાતે બોમ્બે ફાસ્ટ ફૂડ નામની દુકાન ધરાવતા ત્રણ શ્રમિક યુવાનોને એક પોલીસકર્મી દ્વારા આઠ તમાચા મારી અપશબ્દો બોલવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દુકાનમાં હાજર વેપારી સહિત ત્રણ લોકોને તમાચા મારી ગાળો કાઢીતારીખ 28 જૂન, 2025, શનિવારના રોજ રાત્રે આશરે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં, PCR વનમાંથી આવેલા એક પોલીસકર્મી બોમ્બે ફાસ્ટ ફૂડની દુકાનમાં પ્રવેશ કરે છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દુકાનમાં પ્રવેશતાની સાથે જ પોલીસકર્મી સૌપ્રથમ દુકાનના માલિક વસીમ સૈયદના ભાઈને ચાર તમાચા મારે છે. ત્યારબાદ તે દુકાનદાર વસીમને એક તમાચો મારે છે. આટલેથી ન અટકતા, તે અંદર જઈને દુકાનમાં કામ કરી રહેલા કારીગરને પણ ત્રણ તમાચા મારે છે. આમ, એક બાદ એક ત્રણ લોકોને કુલ સાત તમાચા મારતા પોલીસકર્મી CCTV કેમેરામાં કેદ થયો છે. આ દ્રશ્યોમાં જોવા મળે છે કે, એક તરફ પોલીસકર્મી તમાચા મારી રહ્યો છે, ત્યારે બીજી તરફ ત્રણેય યુવાનો હાથ જોડીને તેમની પાસે માફી માંગી રહ્યા છે અને પગે પડી રહ્યા છે. તમાચા મારતી વેળાએ પોલીસકર્મી સતત ગાળો પણ બોલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સીસીટીવી કેમેરા માં ઓડિયો પણ કેપચર થયો છે. પોલીસનો ખુલાસો અને તપાસના આદેશઆ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, દુકાનદારને અનેકવાર સમયસર દુકાન બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઘણીવાર કહેવા છતાં પણ તેણે દુકાન ચાલુ રાખી હતી. એટલું જ નહીં, દુકાનનો શટર બંધ રાખીને વેચાણ કરી રહ્યો હતો આ પણ જાણવા મળ્યું છે. જોકે, જે ઘટના બની છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ અને હાલ આ મામલે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે.