ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પૈસા ઉપાડવાના બહાને શોરૂમમાંથી બહાર નીકળી ગઈગોતામાં રહેતા વિપુલભાઈ જોષી ગોતામાં વીર કૃપા જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપ ધરાવે છે. 28 નવેમ્બરના રોજ તેમના શોરૂમમાં લગભગ 50 વર્ષની એક અજાણી મહિલા આવી હતી અને ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી સોનાની વીંટીઓ તથા બુટ્ટીઓ ખરીદવાની વાત કરી હતી. શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ મહિલા ગ્રાહકને અલગ-અલગ ડિઝાઈનવાળી વીંટીઓ અને બુટ્ટીઓ બતાવી હતી. મહિલાએ તેમાંથી પાંચ વીંટી અને એક બુટ્ટી પસંદ કરીને બાજુમાં મુકાવી હતી. શોરૂમમાં પસંદગી દરમિયાન જ આ અજાણી સ્ત્રીએ કર્મચારી અશ્વિન પ્રજાપતિની નજર ચૂકવી હતી. ચોરી કર્યા બાદ તેણીએ સામે એટીએમમાંથી પૈસા ઉપાડીને તરત જ પાછા આવવાનું કહીને શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. સીસીટીવી ચેક કરતા મહિલાએ ચોરી કર્યાની જાણ થઈસાંજે વિપુલભાઈ જોષી અને સ્ટાફે સ્ટોક ચેક કરવા માટે ઘરેણાંનું સ્ટોક પત્રક તપાસ્યું ત્યારે 6.440 ગ્રામ વજનની 'ઓમ'ની ડિઝાઇનવાળી એક સોનાની વીંટી ઓછી જણાઈ હતી, જેની કિંમત આશરે રૂપિયા 90,000 છે. આ ઘટની જાણ થતાં શોરૂમના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં દેખાયું હતું કે, ખરીદી કરવા આવેલી તે અજાણી સ્ત્રીએ પસંદ કરેલી વીંટીઓમાંથી બે વીંટીઓ હાથમાં લીધી હતી અને તેમાંથી એક વીંટી લઈને તે જતી રહી હતી. આ અંગે સોલા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડતા મોતને ભેટી હતી. માતાના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મહિલા ડોક્ટરની બેદરકારીના પગલે આ ઘટના બની હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પરિવારજનો દ્વારા હોબાળો મચાવીને મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે. આ સાથે જવાબદાર ડોક્ટર સામે ગુનો નોંધવાની માગ કરવામાં આવી રહી છે. સદવિચાર જનરલ હોસ્પિટલના ડોકટર પર પરિવારનો આક્ષેપમળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી અને સુરતના સણીયા હેમાદ વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં 30 વર્ષીય નિકિતા નિકુલગિરી ગોસ્વામી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ છે જે રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. લગ્ન થયા બાદ વર્ષો બાદ પત્નીને ગર્ભ રહેતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. ગત 30 નવેમ્બર ના રોજ નિકિતાને પ્રસુતિની પીડા ઉપાડતા પૂર્ણવિસ્તારમાં આવેલી સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. સિઝેરિયન ડિલિવરી ને આઈસીયુમાં મોતનિકિતાને ગર્ભ રહ્યા બાદ સદવિચાર જનરલ હોસ્પિટલમાં તેની તમામ સારવાર ચાલી રહી હતી. જેને પગલે ગતરોજ 1 ડિસેમ્બરની સાંજે સીજેરિયનથી ડીલીવરી કરેવી પડે તે સ્થિતિ આવી ગઈ હતી. નિકિતાની સિઝેરિયન ડિલિવરી બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે ડિલિવરી બાદ નિકિતાની તબિયત લથડવા લાગી હતી. જેથી તેની આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી હતી. રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને બાળકોની હાલત પણ ક્રિટિકલનિકિતાનું મોત અને નવજાત બંને બાળકોની હાલત પણ ક્રિટિકલ હોવાનું સામે આવ્યું હતું. એક નવજાત બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે અને બીજા નવજાત બાળકને વેન્ટિલેટર પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. માતાનું મોત અને બંને બાળકોની હાલત પણ ખરાબ હોવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યોઆ સાથે જ પરિવારજનોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. તેના પગલે હોસ્પિટલ ખાતે હોબાળો મચી ગયો હતો. આ અંગે પુણા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડિલિવરી થયા બાદ મહિલાની તબિયત લથડીમૃતક નિકિતાના પરિવારજન હેતલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નિકિતાની તમામ સારવાર સદવિચાર જનરલ હોસ્પિટલના મહિલા ડોક્ટર વીણાબેનની હેઠળ કરવામાં આવી આવી રહી હતી. ડિલિવરી થયા બાદ નિકિતાની તબિયત લથડી હોવા અંગે પણ ડોક્ટરો દ્વારા અમને જણાવવામાં આવ્યું ન હતું. આ સાથે જ નિકિતાના મોત અંગે પણ અમને 1:30 કલાક બાદ જાણ કરવામાં આવી હતી. ડોક્ટર વીણાબેન ની બેદરકારી ના કારણે બે નવજાત બાળકોએ પોતાની માતા ગુમાવી છે. મૃતદેહ સ્વીકારવા ઈનકારવધુમાં જણાવ્યું હતું કે, જવાબદાર ડોક્ટર સામે ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. આ સાથે જ હવે આ બંને બાળકોના પાલનપોષણ માટે પણ વર્તનની માગ કરવામાં આવી છે અને ન્યાય અપાવવા માટે પોલીસને રજૂઆત કરી છે. પુણા પોલીસ પણ મહિલા ડોક્ટરનો પક્ષ લઈને તેને હોસ્પિટલ ખાતેથી લઈને જતા રહ્યા હોય તે પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોપોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હોસ્પિટલ ખાતે હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી રહ્યો છે જેથી તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ કેસની તપાસ એસીપી પીકે પટેલને સોંપવામાં આવી છે.
જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શુટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે.જન્મથી જ સાંભળી ન શક્તા મોહમ્મદ મુર્તજા આ સિદ્ધિ મેળવનાર ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું. મોહમ્મદ મુર્તઝા વાણીયા રાયફલ શુટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે. ડેફલિમ્પિક્સમાં બ્રોન્જ અને સિલ્વર મેડલ મેળવ્યાસુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી. ગત વર્ષે મોહમ્મદ વાણિયાએ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું.હવે ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષના મોહમ્મદ મુર્તુઝા વાણિયાએ રાઈફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મૂકબધિર છે. માત્ર ચાર વર્ષની વયે તેમના કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું. અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતા, પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું. હાલ મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિ.માં B.Sc. ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. કાનના મશીનમાં તકલીફ થતી એટલે અન્ય રમતો મૂકી શૂટિંગ પ્રેકટિસ શરૂ કરીમોહમ્મદે શરૂઆતમાં ટેબલ ટેનિસ, સ્વિમિંગ, રેસ જેવી રમતોમાં ભાગ લીધો અને સારો દેખાવ પણ કર્યો. ચાર વર્ષની નિયમિત મહેનત દરમિયાન કોકલીયર ઇમ્પ્લાન્ટને કારણે ક્યારેક શારીરિક કસરતો અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ઘણીવાર કાનના મશીનમાં તકલીફ થતી હતી. જેથી વિકલ્પના રૂપે શૂટિંગમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. જિલ્લાકક્ષાની પ્રથમ ટુર્નામેન્ટમાં જ ગોલ્ડ મેડલ જીતતા તેમના સપનાઓને પાંખો મળી. અમે મોહમ્મદ સામાન્ય બાળકની જેમ રહી શકે તે રીતે ઉછેર કર્યો- પિતાઆ અંગે તેના પિતા મૃતુઝા વાણિયા એ કહ્યું કે, મોહમ્મદ નાનપણથી જ સાંભળી શકતો નથી. પરંતુ અમે તેને એ રીતે જ મોટો કર્યો કે જેના કારણે તે સામાન્ય બાળકોની જેમ રહી શકે અમે તેને સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રેરિત કર્યો ,પરંતુ અન્ય જે રમતો હતી તેમાં તેને વધુ પસીનો થતો જેના કારણે તેનું સાંભળવાનું મશીન બગડી જતું હતું. તેથી અમે એક એવી રમત શીખવાડી કે જ્યાં તેણે પસીનો પાડવો ન પડે અને અમે રાઈફલ શૂટિંગ પસંદ કર્યું. વધુમાં જણાવ્યું હતું કે, અમે તેને પ્રાયોગિક ધોરણે જ પહેલા શીખવાડ્યું અને ચાર વર્ષ પહેલા તેણે ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ તેની સફર શરૂ થઈ અને ધીરે ધીરે તે આમાં માસ્ટર બનતો ગયો. ગયા વર્ષે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યું હતું અને આ વર્ષે ડેફલિમ્પિક્સમાં તેણે ભારતને રીપ્રેઝન્ટ કર્યું હતું અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી માત્ર સુરતનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. એક પિતા તરીકે આજે મને ખૂબ જ ગર્વ થાય છે કારણ કે આપણા સુરતમાં પહેલું ડેફલિમ્પિકમાં મેડલ આવ્યો છે. કોચે કહ્યું- મોહમ્મદને સાઈન લેંગ્વેજથી શીખવાડવામાં આવ્યુંમોહમ્મદ વાણિયાના કોચ સાગર ઉકરે એ કહ્યું કે મારી પાસે છે જે બાળકો શૂટિંગ શીખવા આવતા હતા તેની સરખામણીમાં મોહમ્મદ શીખવાળવું ખૂબ જ અલગ હતું કારણ કે તે સાંભળી શકતો ન હતો, તેથી તેને સાઇન લેંગ્વેજથી શીખવાડવું પડતું હતું અને આ વસ્તુમાં મને તેમના માતા પિતાનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો. પરંતુ તે ખૂબ જ ઝડપી અન્ય બાળકો કરતા કેચપ કરી લેતો હતો..અને આજે મનેં ગર્વ છે કે તે ડેફલિમ્પિકમાં ભારત નું નામે રોશન કર્યું છે. પડકારો કોઈને રોકતા નથી, વ્યકિતનું મન જ તેને રોકે છે- મોહમ્મદ વાણિયામોહમ્મદ વાણિયા માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ઉદાહરણ સાબિત થયો છે. જન્મજાત પડકારોને પાછળ મૂકી, માતા-પિતા તથા કોચની મદદથી અનેક સિદ્ધિ હાંસલ કરી છે. મોહમ્મદ જણાવ્યું હતું કે, પડકારો કોઈને રોકતા નથી, પરંતુ વ્યક્તિનું મન જ તેને રોકે છે. સમર્પણ, મહેનત અને વિશ્વાસ હોય તો કોઈ લક્ષ્ય અઘરું નથી. ખેલ મહાકુંભથી ડેફલિમ્પિક્સ સુધીની આ સફર હજી ચાલુ રહેશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાફઈ ગામ પાસેથી લાખો રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક અકસ્માતગ્રસ્ત કારમાંથી ઝડપાયો હતો. ગત રાત્રિ દરમિયાન રાફઈ ગામ પાસે એક કાળા રંગની સ્કોર્પિયો કાર (GJ 16 DK 5911) ને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, રસ્તામાં નીલગાય આવી જતાં કાર બોનેટના ભાગે અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તપાસ કરતા કારમાંથી શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક FSL ટીમને જાણ કરી હતી, જે ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી. સંતરામપુર પોલીસે લાખો રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો કબજે કર્યો છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં એક વર્ષની બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડાને વનવિભાગે પાંચ દિવસની શોધખોળ બાદ પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. વનવિભાગની ટીમે રાત-દિવસની દોડધામ બાદ આ દીપડાને પકડ્યો હતો. આ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. તે દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો અને માતા કંઈ સમજે તે પહેલાં જ બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો. દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો. આ ઘટના બાદ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. વનવિભાગે દીપડાને પકડવા માટે તાત્કાલિક કવાયત હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ ખાંભાના ગીદરડી ગામમાં ખેતમજૂર મુકેશ સોલંકી પર સિંહે હુમલો કર્યો હતો. બગસરાના હામાપુર ગામની સીમમાં પણ એક ખેતમજૂર પરિવારના પાંચ વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. તે ઘટના બાદ વન વિભાગે સિંહણ અને તેનાં ચાર બચ્ચાંને પાંજરે પૂર્યાં હતાં. ત્રબકપુર ગામમાં પાંચ દિવસથી દીપડાની શોધખોળ ચાલી રહી હતી. આખરે, રાત્રિના સમયે વનવિભાગની ટીમને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. આબુરોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વાળવામાં આવી રહ્યા છે, જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટી તંત્ર માટે પડકારરૂપ રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો છતાં કોઈ કાયમી હલ મળ્યો ન હતો. તાજેતરમાં, જિલ્લા પોલીસ વડાએ એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ તેમણે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો માટે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવાનો નિર્ણય લીધો હતો. આ પ્રયોગ અંતર્ગત, આબુરોડથી આવતા તમામ ભારે વાહનોને પાલનપુરના એરોમા સર્કલ પરથી પસાર થવાને બદલે જગાણા થઈને સીધા અમદાવાદ તરફ મોકલવામાં આવી રહ્યા છે. આ ડાયવર્ઝન લાગુ પડ્યા પછી, પાલનપુરના એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં દિવસભર રહેતી ટ્રાફિકની ભીડમાં મોટો સુધારો જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, આ એક પ્રાયોગિક પગલું છે. આ પ્રયોગના પરિણામોના આધારે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના કાયમી ઉકેલ અંગે નિર્ણય લેવામાં આવશે.
વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં 11 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે ગોધરાની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં વર્ષ 2004 માં ગોધરાની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા તમામ આરોપીઓની નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે ગોધરા સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. સંતરામપુરમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ ગુનો નોંધાયો હતોકેસને વિગતે જોતા ગોધરા કાંડ બાદ સંતરામપુરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. હથિયારો સાથે ટોળાંએ ઘરો, વાહનો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લગાવી હતી. આશરે 1000 જેટલા વ્યક્તિઓનું ટોળુ રાત્રે 10 કલાકે લઘુમતી કોમના મિલકતોને નુકસાન કરવા અને લૂંટવાના ઇરાદે નવી વસાહતમાં ગયું હતું. જ્યાં પથ્થરમારો થયો હતો અને વાહન ,મકાનો તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં આગ લગાવીને લાખોની લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા હતાલોકલ પોલીસે ત્યાં પહોંચીને હવામાં ફાયરિંગ કરતા ટોળું ભાગી ગયું હતું. લઘુમતી કોમના વ્યક્તિઓ શહેર તરફ ભાગી નીકળ્યા હતા. 39 ઘરમાં આગજની કરાઈ હતી. તેના ત્રણ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં 21 સાહેદ અને 10 દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. એક આરોપીએ કહ્યું હતું કે ફરિયાદ કરનાર લઘુમતી કોમના સગા ભાઈએ એક બહુમતી કોમની દીકરીનું અપહરણ કર્યું હતું. તેનો વિરોધ તેને અગાઉ કર્યો હતો. જેથી તેનું ખોટું નામ પોલીસ ફરિયાદમાં આપી દેવાયું છે. ગોધરાની કોર્ટે નોંધ્યું હતુ કે ફક્ત ઘટના સ્થળે હાજર હોવાથી ગુનામાં સક્રિય ભાગીદાર કહી શકાય નહીં. ફરિયાદીએ કોર્ટ સમક્ષ અને પોલીસ તપાસમાં વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. જેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવે છે. કેસના અનેક સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા હતાએક સાહેદે પોલીસ નિવેદનમાં લખાવ્યું હતું કે એક આરોપીએ કેરોસીન છાંટી માચીસથી આગ લગાવી હતી. પરંતુ આ કેસમાં ઘણા સાક્ષી ફરી ગયા હતા. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે ફરિયાદીને આરોપીઓના ખોટા નામ ફરિયાદમાં લખાવવાનો કોઈ હેતુ નથી. ઘટના બની છે અને આગ લાગી છે તે વાત સત્ય છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે 4 દિવસ મોડી ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદીએ વધારી ચઢાવીને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યા છે, જેવું તેને તપાસમાં કંઈ કહ્યું નહોતું. ગોધરાકાંડનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતર્યા હતા. જે બધાને આરોપી કહી શકાય નહીં. 'ઘણા લોકો રસ્તા પર નીકળ્યા હોય તેટલા માત્રથી ગુનેગાર કહી શકાય નહીં'હાઇકોર્ટે ગોધરા સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા નોંધ્યું હતું કે, ફરિયાદીએ પોલીસ અને કોર્ટ સમક્ષ અલગ અલગ નિવેદન આપ્યા હતા. લઘુમતિ કોમના સભ્ય દ્વારા હિન્દુ યુવતીના અપહરણની વાત પણ સાચી છે. જે સંદર્ભનો કેસ પણ નોંધાયો છે. ફરિયાદી અને તેના સગા ભાઈએ આરોપીઓના નામ આપ્યા છે, બીજા કોઈએ નહીં. ગોધરાકાંડના વિરોધમાં હજારો લોકો રસ્તા ઉપર હતા. જ્યારે આવો જાહેર કેસ હોય ત્યારે કોઈ સામાન્ય પ્રકારના નિવેદનોને આધારે નિર્ણય લઈ શકાય નહીં. પણ ઘણા લોકો રોડ ઉપર નીકળ્યા હોય તેટલા માત્રથી તેમને ગુનેગાર કહી શકાય નહીં. લોકો કુતૂહલ વશ પણ બહાર નીકળ્યા હોય.
રાજકોટના વોર્ડ નં. 13માં આજે રાત્રિના આશરે સાડા આઠ વાગ્યે પીવાના પાણીની લાઈન તુટતા પંચશીલ સોસાયટીથી માલવિયાનગર સહિતના વિસ્તારમાં ભરશિયાળે જળબંબાકાર સર્જાયો હતો અને લાખો લિટર પાણીનો વેડફાટ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ બે કલાક સુધી અધિકારીઓ ત્યાં ફરકયા નહોતા. જેને લઈને પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. અને આ વોર્ડમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવા છતા તંત્ર કોઈ ધ્યાન આપતું નહીં હોવાનો આક્રોશ વ્યકત કર્યો છે. વોર્ડ-13ના કોર્પોરેટર જાગૃતિ ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડમાં તાજેતરમાં નાખવામાં આવેલી DI (Ductile Iron) પાણીની લાઇન વારંવાર તૂટી રહી છે. આ લાઇન તૂટવાનો ભ્રષ્ટાચારનો ભોરિંગ બહાર આવ્યો છે. હાલમાં શિવનગર, પંચશીલ સ્કૂલ પાસે પીવાના પાણીની મેઇન લાઇન અને ભૂગર્ભ ગટરની મેઇન લાઇન એકસાથે તૂટી ગઈ છે, જેના કારણે મોટું ગાબડું પડ્યું છે. આ ભંગાણને કારણે ગટરની લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી રહ્યું છે. આ દૂષિત પાણી હવે વિસ્તારના લોકોના ઘરોમાં વિતરણ થશે, જેનાથી રોગચાળો ફેલાવવાનો અને લોકો બીમાર પડવાનો ભય સર્જાયો છે. જાગૃતિ ડાંગરે આ સ્થિતિ માટે ભાજપના શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજી ગઈકાલે જ એક ભાઈએ વિડિયો મૂક્યો હતો કે વોર્ડ નંબર 13 માં રૂ. 69 કરોડના કામો કરાવ્યા છે, તો આ ભ્રષ્ટાચાર છે કે કામો? બે દિવસ પહેલાં બનેલો રોડ પણ આજે ખોદી નાખવામાં આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કરોડોના ખર્ચે થયેલા કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પાણી વિતરણમાં બેદરકારી રાખવા અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ અગાઉ પણ વોર્ડના ઇજનેર ગોહેલને કડક શબ્દોમાં ઉધડો લીધો હતો, છતાં તંત્રની કાર્યશૈલીમાં કોઈ સુધારો થયો નથી. પંચશીલ વિસ્તારમાં 300 મિમિ વ્યાસની લાઈનમાં ભંગાણ થયું હોવા છતાં, ઇજનેરો ભંગાણનું ચોક્કસ કારણ પણ સમજી શક્યા નહોતા. શહેરમાં આ રીતે નાની-મોટી પાઇપલાઇન રોજ તૂટતી રહે છે, અને એક તરફ પાણીના કરકસરભર્યા ઉપયોગની વાતોની ખુલ્લેઆમ ધજ્જીયા ઉડતી રહે છે, જ્યારે બીજી તરફ કરોડોના ખર્ચે થયેલા નબળા કામોને કારણે નાગરિકોને ગંદુ પાણી પીવાની ફરજ પડે તેવો ભયંકર માહોલ સર્જાયો છે. જાગૃતિબેને જણાવ્યું હતું કે, વારંવાર તૂટતી પાણીની લાઇનના નબળા કામોની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. તેમજ ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ.દૂષિત પાણીનું વિતરણ થતું અટકાવવા માટે તાત્કાલિક ધોરણે લાઇનનું સમારકામ કરવામાં આવે. અને વોટરવર્ક્સ વિભાગના અધિકારીઓ સમયસર સ્થળ પર હાજર રહે અને તેમની બેદરકારી બદલ જવાબદારી નક્કી કરવામાં આવે તે સહિતની માંગ પણ તેમણે કરી છે.
ગીર સોમનાથમાં ખાતરની અછત, ખેડૂતો પરેશાન:વેરાવળ APMC ખાતે લાંબી લાઈનો, રવિ પાકને નુકસાનની ભીતિ
ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકની મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. આના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. વેરાવળ APMC ખાતે ગુજકોમસોલ દ્વારા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાવદ્રા ગામના ખેડૂત હસમુખ પાતાળ અને ઇન્દ્રોઇ ગામના ખેડૂત વાજા મહેશે તેમની મુશ્કેલી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા, પરંતુ ખાતરની ગાડી આવી ત્યારે માત્ર 2 થી 3 થેલી ખાતર જ આપવામાં આવ્યું. એક વીઘામાં તો આટલું ખાતર એક જ વારમાં જરૂરી હોય છે. ખેડૂતોના મતે, હાલ રવિ પાક માટે ખાતરની અત્યંત જરૂર છે. ઘઉં, જીરું, ચણા સહિતના પાક માટે ખાતર ન મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાને કારણે ખેડૂતોને વારંવાર APMCના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ અંગે વેરાવળ APMC ખાતે આવેલા ગુજકોમસોલ ખાતર ડેપોના મેનેજર હરિસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, ડિમાન્ડ મુજબ ઉપરથી ખાતરનો જથ્થો આવતો નથી, તેથી તમામ ખેડૂતોને થોડું થોડું ખાતર આપીને વ્યવસ્થા ચલાવવી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવે તો રવિ પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ખેડૂત સમુદાયે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ખાતરની પૂરતી સપ્લાય શરૂ કરવાની માંગ કરી છે, જેથી તેમને રાહત મળી શકે.
હળવદના જુના ધનાળા ગામે માર્ગ અકસ્માતમાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. મોરબીથી પોતાના વતન મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા જઈ રહેલી મહિલાના એક્ટિવાને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું. મૃતક મહિલાનું નામ ગંગાબેન ઝાલા પરસાડીયા (ઉંમર 52) છે. તેઓ મૂળ હળવદ તાલુકાના ખોડ ગામના રહેવાસી હતા અને હાલ મોરબીના પીપળી ગામે લવજી પટેલના ભેંસના તબેલામાં રહેતા હતા. તેઓ તેમના ભાણેજ હરેશ રમણીકલાલ કોઠારી સાથે એક્ટિવા (GJ 36 AH 0335) પર જુના ધનાળા રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર નંબર GJ 36 X 2123ના ચાલકે તેમના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંગાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ ઝાલા રસાડીયા (ઉંમર 65) એ ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના દીકરાએ આપેલી માહિતી મુજબ, તેમની માતા હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ ભરવા સહિતની કામગીરી માટે મોરબીથી ખોડ ગામ આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
રાજ્યમાં તલાટી મંત્રીઓને હવે ગ્રામપંચાયત વિસ્તારોમાં રખડતા શ્વાનોની સ્થિતિ, તેમના પ્રવેશને રોકવા માટેની વ્યવસ્થા અને ફીડિંગ ઝોન અંગેની માહિતી એકત્ર કરવાની ફરજ સોંપાઈ છે. વિકાસ કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર થયેલા પરિપત્રમાં જિલ્લા પંચાયતોથી લઈને તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીની ભૂમિકાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પરિપત્રસુપ્રીમ કોર્ટના હુકમો અનુસાર, રખડતા શ્વાનોને લગતા મુદ્દાઓ પર રાજ્ય સરકારનું ધ્યાન ખેંચાયું હતું. જેને લઈને સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ સરકારી સંસ્થાઓએ તેમના પરિસરમાં કૂતરાઓના અનિચ્છનીય પ્રવેશને અટકાવવા તરત જ પગલાં લેવાની સૂચનાઓ છે. નોડલ ઓફિસરની નિયુક્તિ ફરજિયાતપરિપત્ર મુજબ ગ્રામ કક્ષાએ તલાટી–મંત્રી, તાલુકા કક્ષાએ-પશુચિકિત્સક અધિકારી, જિલ્લા કક્ષાએ-નાયબ નિયામક (પશુપાલન) નોડલ ઓફિસર તરીકે જવાબદાર રહેશે. તેમની વિગતો દરેક સરકારી ઈમારતના પ્રવેશદ્વાર પર સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજીયાત રહેશે. આઠ અઠવાડિયામાં માળખાકીય સુવિધાસંસ્થાના વહીવટી વડાઓએ 8 અઠવાડિયામાં પરિસરને સુરક્ષિત વાડ, બાઉન્ડ્રી વોલ અને યોગ્ય ગેટ, રખડતા શ્વાનોના પ્રવેશને રોકવા તાત્કાલિક પગલાં, ફીડિંગ ઝોન નિર્ધારિત કરવાના રહેશે. રખડતા શ્વાનોની ગણતરી અને રજિસ્ટર તૈયાર કરવાનું, જરૂરિયાત મુજબ સ્ટેરિલાઇઝેશન માટે યાદી મોકલવાની રહેશે. સ્થાનિક સંસ્થાઓની ભૂમિકાપરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ (Local Bodies)એ પોતાની તહેનાત ટીમો દ્વારા રખડતા શ્વાનોને પકડવા, તેમનું સ્ટેરિલાઇઝેશન કરવું, રસીકરણ (ARV), જરૂરી રેકોર્ડ મેઇન્ટેનન્સ સુનિશ્ચિત કરવું પડશે. તલાટી મંત્રીઓ પર નવી વહીવટી જવાબદારીઆ પરિપત્ર બાદ તલાટી–મંત્રીઓ પર નવી વહીવટી જવાબદારીઓ આવી છે. રખડતા શ્વાનો અંગે ગ્રામ્યસ્તરથી જિલ્લા સ્તર સુધી એક સંકલિત વ્યવસ્થા ઉભી કરવાની રાજ્ય સરકારની આ પહેલ છે, જે આવનારા સમયમાં રોડ પર રહેલા શ્વાનોની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે.
સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો છે. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલેલા આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી આશરે 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. લાખોની હાજરી છતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, જે ટ્રસ્ટના સુચારુ આયોજન અને વ્યવસ્થાનો પુરાવો છે. મેળાના અંતિમ દિવસે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત કલાકારો માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીએ લોકસાહિત્યના ગીતો રજૂ કર્યા હતા. ભજન-ભક્તિ, લોકગીતો અને સનાતન પરંપરાના સંદેશા સાથે મધરાત સુધી ચાલેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મેળાની સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિસ્તારને અનેક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગોના સંકલનથી એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો હતો. ફાયર ટેન્કર, જાહેર જાહેરાત પ્રણાલી અને તાત્કાલિક મદદની સુવિધાઓ 24 કલાક સક્રિય રાખવામાં આવી હતી, જેના કારણે મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શક્યો. મેળામાં બાળકો માટે 50થી વધુ રાઈડ્સ અને 200થી વધુ ફૂડ સ્ટોલ્સ ઉપલબ્ધ હતા. જેલના કેદીઓ દ્વારા બનાવેલા ભજીયા લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. 'સોમનાથ @ 70' ચિત્ર પ્રદર્શની, ઈન્ડેક્સ-સી હસ્તકળા સ્ટોલ્સ અને ગુજરાત સરકારના સરસ મેળાએ ગ્રામ્ય વેપારીઓને નવો વેપાર માર્ગ પૂરો પાડ્યો હતો. નવા સેલ્ફી પોઈન્ટ્સ યુવાનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને નગર સેવા સદનના સંકલિત પ્રયાસોથી આ મેળો માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ જ નહીં, પરંતુ સુચારુ વ્યવસ્થા, શિસ્ત અને મૈત્રીપૂર્ણ માહોલનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ગાંધીનગરના સેક્ટર-12 ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણ અને જનજાગૃતિના કાર્યમાં જોડાયેલા 115 ઉપાસકોને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 'આપણી અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ'હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ માત્ર એવોર્ડ સમારોહ નથી, પરંતુ આપણી અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે. તેમણે ઉમેર્યું કે સાંસ્કૃતિક વારસાની જાળવણીનું કાર્ય મુશ્કેલ અને ધીમી ગતિનું હોવા છતાં આ સૈનિકો અડગ સમર્પણ સાથે કાર્ય કરી રહ્યા છે અને રાજ્ય સરકાર હંમેશાં આવા કાર્ય માટે પ્રતિબદ્ધ છે. તેમણે અતુલ્ય વારસાની ટીમને આ કામગીરી માટે વધુ ગતિ આપવા પ્લાનિંગ તૈયાર કરવાનો આગ્રહ કર્યો અને ખાતરી આપી કે બજેટ ક્યારેય અવરોધ બનશે નહીં. 'કચરો ન ફેંકવાની એક આદત મોટો બદલાવ લાવી શકે છે'નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના ઐતિહાસિક અને પર્યટન સ્થળોની સ્વચ્છતા અંગે ભાર મૂકતા જણાવ્યું કે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈ કામદારોની નથી, પરંતુ સમાજના દરેક નાગરિકની છે. કચરો ન ફેંકવાની એક આદત મોટો બદલાવ લાવી શકે છે. બદલાવ માટે આપણે એક પગલું ભરીએ તો સરકાર દસ પગલાં ભરીને મદદ કરશે. રાજ્યભરમાં 10 હજાર લોકોને તાલીમસંઘવીએ સૌથી પ્રાચીન કેલેન્ડર ‘વિક્રમ સંવત’ વિષે જનજાગૃતિ લાવવાની જવાબદારી અતુલ્ય વારસાની ટીમને સોંપી હતી. તેમણે આવનારા બેસતા વર્ષ સુધીમાં રાજ્યભરમાં ઓછામાં ઓછા 10 હજાર લોકોને તાલીમ આપી વિક્રમ સંવતનો ઇતિહાસ, વિશેષતા અને દિવાળી પછી બેસતું વર્ષ કેમ ઉજવાય છે તે અંગે સમજ આપવા અપીલ કરી. કલાપ્રેમીઓ અને સંસ્કૃતિના ઉપાસકો ઉપસ્થિત રહ્યાઆ કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર સહિત અનેક કલાપ્રેમીઓ અને સંસ્કૃતિના ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં રોટરી ક્લબ ઓફ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા 4 જાન્યુઆરી 2026, રવિવારના રોજ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ અંગદાન અને કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આસ્થા કિડની હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી પાટણમાં સફળતાપૂર્વક મેરેથોનનું આયોજન કરી રહી છે અને આ વખતે રોટરી ક્લબ સાથે સહયોગી સંસ્થા તરીકે જોડાઈ છે. રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડો. પરિમલ જાનીએ જણાવ્યું હતું કે, અંગદાન અને કેન્સરના રોગો અંગે લોકોમાં જાગૃતિનો ઉમદા સંદેશો પહોંચાડવાના હેતુથી આ મેરેથોનનું આયોજન કરાયું છે. અંદાજિત 1000થી વધુ સ્પર્ધકો આ મેરેથોનમાં જોડાવાની શક્યતા છે, જે છેલ્લા બે વર્ષની મેરેથોનમાં પણ જોવા મળ્યા હતા. મેરેથોન દોડ માટે રજિસ્ટ્રેશન ફી ₹200 રાખવામાં આવી છે. આ ફીમાં દરેક સ્પર્ધકને ટી-શર્ટ, એક કીટ, રિફ્રેશમેન્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક અને સવારના નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. મેરેથોન માટેનું રજિસ્ટ્રેશન 21 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે અને તે ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને માધ્યમથી કરાવી શકાશે. આ મેગા ઈવેન્ટ દ્વારા વધુમાં વધુ પ્રચાર થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય તેવો રોટરી ક્લબ ઓફ પાટણનો મુખ્ય લક્ષ્ય છે. આ મેરેથોનમાં 2, 3, 5 અને 11 કિલોમીટર સુધીની દોડ યોજાશે, જેમાં ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. 2 કિલોમીટરની વોકેથોન 55 વર્ષથી ઉપરના લોકો માટે છે. 3 કિલોમીટરની દોડમાં 12 થી 45 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઈ શકશે, જ્યારે 5 કિલોમીટરની દોડમાં 17 વર્ષથી ઉપરના સ્પર્ધકો જોડાઈ શકશે. 11 કિલોમીટરની દોડમાં પણ 17 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. મેરેથોનમાં ભાઈઓ અને બહેનો બંને કેટેગરીમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે વિજેતા બનનારને રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન અપાશે. બંને કેટેગરીમાં મહત્તમ પુરસ્કાર ₹11,000નો રહેશે. આ મેરેથોન દોડ જીમખાનાથી શરૂ થશે.
ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને સ્થાનિક રહેવાસીઓએ આજે નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે લેખિત રજૂઆત પણ કરી હતી. AAPના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકો દ્વારા અનેકવાર ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં નગર સેવા સદન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ રજૂઆતમાં તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પિયુષ પટેલ, અન્ય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
જુનાગઢ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વતન બોટાદથી ઝડપી પાડ્યો છે. પરિણીત મહિલાને બ્લેકમેલ કરીબી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રહેતી એક પરિણીત મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપી 20 વર્ષીય કૃણાલ પ્રવિણભાઈ વઢવાણી આઠેક મહિના પહેલા ફરિયાદી મહિલાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. ત્યારબાદ આરોપી કૃણાલે ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને કોલ દ્વારા વાતચીત ચાલુ રાખી હતી. ફોટા વાયરલ કરવાની ધમકી આપીફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, સંપર્કમાં આવ્યા બાદ આરોપી વઢવાણીએ મહિલાના ફોટા મેળવી તેને ખરાબ રીતે એડિટ કર્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકે અગાઉ એક વખત બળજબરી પૂર્વક ₹ 1,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ ₹5,000 નહીં આપવામાં આવે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જુનાગઢ પોલીસે બોટાદ ખાતેથી યુવકને ઝડપ્યોઆ સમગ્ર બ્લેકમેલિંગની જાણ ફરિયાદી મહિલાના પતિને થતા, તેમને ગઈકાલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક બોટાદ ખાતેથી યુવકને ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસે કુણાલ વઢવાણીની ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 308(5) અને 351(3) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપી પૈસા પડાવ્યાજે પો. સબ. ઇન્સ. કે.એમ. વાઢેર દ્વારા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપી પૈસા પડાવવાની આ પ્રકારની ઘટનાઓ મહિલાઓની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેને લઈને પોલીસે લોકોને સોશિયલ મીડિયાના યુગમાં અજાણ્યા વ્યક્તિઓથી સતર્ક રહેવા માટે ખાસ સલાહ આપી છે..
આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પરથી દબાણ હટાવાયા:પાલિકાએ 12 લારી અને 1 ટેમ્પો જપ્ત કરી કાર્યવાહી કરી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના એ.વી. રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડને ગેરકાયદેસર દબાણમુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 12 લારીઓ અને 1 ટેમ્પો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી વેપારીઓ અને ફેરીયાઓએ આ ગ્રાઉન્ડની જમીન પર લારી-ગલ્લાં અને વાહનો મૂકી ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. શહેરને દબાણમુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે પહોંચી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વિભાગની ટીમે ગ્રાઉન્ડ પરથી તાત્કાલિક અસરથી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન, સ્થળ પરથી વેપાર-ધંધા માટે ઉપયોગમાં લેવાતી આશરે 12 લારીઓ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલો એક ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને કારણે વૃંદાવન ગ્રાઉન્ડનો મોટો ભાગ હવે ખુલ્લો થઈ ગયો છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે જાહેર જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રહેશે.
જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવનું વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું. આ નિરીક્ષણ અંતર્ગત પોલીસના વિવિધ વિભાગોની પરેડ અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ASP પ્રતિભા, DySP રાજેન્દ્ર દેવધા, જયવીરસિંહ ઝાલા, વી.કે. પંડ્યા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેડ દરમિયાન માઉન્ટેડ વિભાગના ઘોડેસવારોએ સ્ટંટ પ્રદર્શિત કર્યા હતા, જ્યારે ડોગ સ્ક્વોડે પણ પોતાની કુશળતા દર્શાવી હતી. વાર્ષિક નિરીક્ષણ દરમિયાન પોલીસના ટર્ન આઉટ, ડ્રિલ, માઉન્ટેડ યુનિટ, ડોગ સ્ક્વોડ અને નાઈટ ડ્રિલની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. આ ઉપરાંત, કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટેની મોકડ્રીલ તાલીમની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, પોલીસ દળ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, માઉન્ટેડ યુનિટ, એમટી, SOG અને LCB સહિતના તમામ વિભાગોની કામગીરીનું પ્રદર્શન કરાયું હતું અને તેમને સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી છે. જામનગર જિલ્લાના પોલીસ તંત્રની શારીરિક તંદુરસ્તી ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું પણ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની પ્રજાને પૂરતી સુરક્ષા પૂરી પાડવા, સાયબર ફ્રોડના ગુનાઓ અંકુશમાં રાખવા અને લોકોને સાયબર ટોળકીથી સાવચેત કરવા માટે સાયબર સેલ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓની અસરકારક કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત, દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે LCB અને SOG વિભાગની પોલીસ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર ચેકિંગ અને દરિયાકાંઠા વિસ્તારના લોકોમાં લોકજાગૃતિ લાવવા માટે સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમોનું પણ વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું.
મહેસાણા શહેરના તોરણવાળી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 'હેરિટેજ લુક' આપવાના નામે બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. શહેરનું આ મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યોમહાનગરપાલિકાના આ વિકાસ કાર્યને કારણે ધંધો-રોજગાર, પાર્કિંગ સહિતની સમસ્યાઓ સર્જાઈ હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. વેપારીઓનું કહેવું છે કે આ વિકાસ માત્ર તેમના ભોગે થઈ રહ્યો છે અને તેનાથી તેમનો વેપાર ઠપ થઈ જશે.રોષે ભરાયેલા વેપારીઓએ આજે સવારે મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વેપારીઓએ માગણી કરી છે કે, મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, જેથી તેમના ધંધા-રોજગારને નુકસાન ન થાય. બપોર સુધી ધંધા બંધ રાખી વેપારીઓએ મનપાની નીતિ સામેં વિરોધ નોંધાવ્યો હતો વાહનવ્યવહાર ચાલુ રહે તેવી વેપારીઓની માગવ્યાપારી ભીખાભાઈએ જણાવ્યું કે અમારો વિરોધ મહેસાણા તોરણવાળી માતા ચોકના અંદર નો વ્હીકલ ઝોન મહેસાણા મહાનગરપાલિકાએ જે જાહેર કરી અને જે હેરિટેજ લુક આપી અને ત્યાં આવતા ગ્રાહક તથા વેપારીઓને કાર, ટુ વ્હીલરની એક્સેસ બંધ કરી દેતા વેપારીઓના ધંધા-પાણી બંધ થઈ ના જાય એટલા માટે અમે ફક્ત કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરવાના છીએ કે ત્યાં રસ્તા ચાલુ રહે, પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રહે અને જે સાથે સાત રસ્તા ચોકને મળે છે ને ત્યાંથી જે એક્સેસ થાય છે એ ચાલુ રહે એવી વિનંતી માટે અમે સાહેબને મળવા આવ્યા છીએ. અમારી માગ આગળ પૂર્ણ નહીં થાય તો અમે શહેરી વિકાસમાં જઈશું, શહેરી વિકાસમાંથી અમને આનો રસ્તો નહીં મળે તો અમે હાઇકોર્ટ જઈશું.આજે બપોરે અહીંથી જઈને પાછા જઈને દુકાનો ખોલી દઈશું.
સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે.ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલાં જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. બે ડેરીમાંથી કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો જપ્તSOGની ટીમે સૌપ્રથમ દરોડો પૂણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો હતો, જ્યાંથી સંચાલક ભુપતભાઇ નારણભાઇ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 11,600 થવા જાય છે. આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો. જનતા ડેરીના માલિક/સંચાલક ધનશ્યામભાઇ જેરામભાઇ દુધાતની હાજરીમાં અહીંથી 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 17,000 જેટલી થવા જાય છે. આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી SOG દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. સેમ્પલને રિપોર્ટ અર્થે મોકલાયાકાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર જનતાના વપરાશ પહેલાં આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમો અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને રિપોર્ટ અર્થે લેબોરેટરીમાંં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડી.બી. મકવાણાની હાજરીમાં આ સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. માખણ ભેળસેળયુક્ત કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો સંચાલકો/માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશેપોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થો જપ્ત કરવા પૂરતી સીમિત નથી. લેબોરેટરીમાંથી આ નમૂનાઓનો રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવશે. જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે, તો બંને ડેરીના સંચાલકો/માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામે સોમવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. યામાહા MT-15 બાઇક ચાલકે સાઇકલ સવાર 74 વર્ષીય વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વૃદ્ધની ઓળખ સિદુમ્બર ગામના પ્રેમાભાઈ પટેલ તરીકે થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પ્રેમાભાઈ સાઇકલ પર સિદુમ્બર નિશાળ ફળીયા ખાતે એક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત મોજે સિદુમ્બર ખાતે પટેલ ફળીયામાં ધરમપુર–આવધા રોડ પર બન્યો હતો. પાછળથી પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી યામાહા MT-15 મોટરસાયકલ (GJ-05-LV-2646) ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે પ્રેમાભાઈ જમીન પર પટકાયા હતા અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી, જ્યાં ફરજ પરના કર્મચારીઓએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક આદિત્ય વટાર તેમજ બાઇક પર પાછળ બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી. તેમને 108 મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકના ભત્રીજા ચંદુભાઈ પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરસાયકલ ચાલક સામે પૂર ઝડપ, ગફલત અને બેદરકારીથી વાહન હંકારી મૃત્યુ નિપજાવવાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બાઇક પર સવાર ત્રણેય યુવકોની સારવાર ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ચાલી રહી છે.
રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની 18 ગ્રામ પંચાયતોને નવી કચેરી બનાવવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નવી ઈમારતોના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારીમાં વધારો થશે. જિલ્લામાં ગ્રામ પંચાયતોના જર્જરિત અને જોખમી મકાનોને તોડી પાડીને ત્યાં નવી ઈમારતો બનાવવામાં આવશે. રાજ્ય સરકારે અગાઉ 3 હજારથી વધુ વસ્તી ધરાવતી જર્જરિત ગ્રામ પંચાયતની ઈમારતોની માહિતી મંગાવી હતી, જેના આધારે આ નિર્ણય લેવાયો છે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે ઝાલાવાડની 18 ગ્રામ પંચાયત કચેરીઓ નવી બનાવવા માટે વહીવટી મંજૂરીની મહોર લગાવી છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ₹5,08,83,000નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ 18 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોની વસ્તી 5 હજારથી ઓછી છે, જ્યારે 6 ગ્રામ પંચાયતોની વસ્તી 5 હજારથી વધુ છે. જિલ્લાના 7 તાલુકાઓમાં આ નવી ગ્રામ પંચાયતો બનશે, જેમાં વઢવાણની 3, મુળીની 1, ધ્રાંગધ્રાની 2, ચોટીલાની 2, લીંબડીની 6, ચૂડાની 3 અને લખતરની 1 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. નવી ગ્રામ પંચાયત ઈમારતો બનાવવાની મંજૂરી મળ્યા બાદ, જૂના જર્જરિત પંચાયત ઘરોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેનો કાટમાળ સરકારી જાહેર હરાજી પદ્ધતિથી નિકાલ કરવાનો રહેશે અને તેમાંથી થતી ઉપજ નવા પંચાયત ઘરના યુનિટ કોસ્ટ સામે સરભર કરવાની રહેશે. જૂની ગ્રામ પંચાયત જમીનદોસ્ત કરવા માટે કોઈ અલગથી ગ્રાન્ટ મળશે નહીં. આ કામગીરીમાં પારદર્શિતા જાળવવા માટે, ગ્રામ પંચાયત ઘરનું કામ શરૂ કરતા પહેલા, કામ શરૂ થયા દરમિયાન અને પૂર્ણ થયા પછીના એમ 3 તબક્કાના ફોટા લઈ નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરે તેમના રેકર્ડમાં રાખવા પણ સૂચના આપવામાં આવી છે. નવી ગ્રામ પંચાયતમાં કઈ કઈ સુવિધાઓ હશે ?નવી બનનાર 18 ગ્રામ પંચાયતોની ઈમારત ભૂકંપ પ્રુફ બનાવવામાં આવશે. જયારે તેમાં તલાટીની ચેમ્બર, સરપંચની ચેમ્બર રહેશે. ગ્રામ પંચાયતમાં વીસીઈનું અલગથી ટેબલ અને બારી રહેશે. જયારે પંચાયત ઘરમાં પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. કચેરીએ આવતા મુલાકાતીઓ માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુઃખની બાબત છે. 20 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાયઃ અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની 4 ગ્રાન્ટેડ શાળાઓ છે. જેમાંથી 2 શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળવા મુશ્કેલ છે ત્યારે અન્ય એક શાળા માત્ર ગર્લ્સ માટે છે. આ સિવાયની એક શાળા ઓક્સિજન ઉપર ચાલતી હોવાના આક્ષેપો થયા છે. જેથી રાજકોટ શહેરમાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શહેરના ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ શરૂ થશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. રાજકોટના વેપારી જયદીપ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની સરકારી શાળા એક પણ નથી અને ગ્રાન્ટેડ શાળા માત્ર 4 છે. જેમાંથી 2 શાળા એવી છે કે જેમાં સામાન્ય બાળકને પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. આ સિવાયની એક સ્કુલ એવી છે કે જે માત્ર દીકરીઓ માટે છે બાકીની એક શાળા ઓક્સિજન ઉપર છે. હાલ જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારે અંગ્રેજી માધ્યમની વધુમાં વધુ સરકારી શાળાઓ શરૂ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સમગ્ર સમાજને કહેવા માગીએ છીએ કે સરકારી શાળામાં કાબિલિયત શિક્ષકો હોય છે કારણકે આ શિક્ષકો TET અને TAT ઉપરાંત PTC અને B.eD. જેવી પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક બને છે. જેથી તમામ લોકોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ કારણ કે ખાનગી શાળામાં લાયકાત વાળા શિક્ષકો ખૂબ જ ઓછા હોય છે. સૌરાષ્ટ્રનું શિક્ષણનું હબ ગણાતા રાજકોટ શહેરમાં 20 લાખની વસ્તી વચ્ચે એક પણ સરકારી ધો. 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની શાળા નથી. તે ખૂબ જ દુઃખની બાબત છે અને તેટલા માટે જ અમે તમામ વેપારી સંગઠનોએ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી, કમિશનર ઓફ સ્કૂલ અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત બાદ ચીફ મિનિસ્ટર ઓફિસમાંથી ઇમેલ પણ આવ્યો હતો કે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી વાલીઓને અપીલ છે કે તેઓ જાગે. તો આ રીતે જ થયું તો ભારત મહાસત્તા કેવી રીતે બની શકશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારી સાથે અલગ અલગ વેપારી સંગઠનો જોડાયેલા છે જેમકે હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસોસિયેશન, વિવિધ જ્ઞાતિ સંગઠનો, સિંધી સમાજ અને મોચી સમાજે લેખિતમાં ટેકો આપ્યો છે. જ્યારે વેપારી આગેવાન પરસોતમ પમનાણીએ જણાવ્યુ હતુ કે, ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી એ સર્વે જ્ઞાતિનું અભિયાન છે જેથી તમામ સાથ સહકાર આપવો જોઈએ. જ્યારે આ બાબતે રાજકોટ ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને જણાવ્યુ હતુ કે, રાજકોટમાં હાલ ધો.9 થી 12 માં ગુજરાતી માધ્યમની સરકારી કરણસિંહજી અને બાયસાહેબબા હાઈસ્કૂલ છે. જ્યારે નવી 2 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની તૈયારી છે જેમાં ભગવતીપરામાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં જૂન - 2026 થી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. જેમાં ધોરણ 9 માં 60 અને ધોરણ 10 માં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે, ગ્રાન્ટેડમાં સેન્ટ મેરી અને જી. ટી. શેઠ ગર્લ્સ અને બોયઝ માટે છે. જ્યારે પી. બી. કોટક માત્ર ગર્લ્સ માટે છે તો માતૃ મંદિર સ્કૂલ બંધ થવાના આરે છે.
સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત
Parliament Winter Session Live: સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. SIR મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે. આ સાથે સરકારના વલણને જોતાં વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. Parliament Winter Session Live UPDATES લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર અવારનવાર અકસ્માતો સર્જાયા હોય છે. આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલ ટેલરમાં ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબીનનો કચ્ચરઘાણ વળી જતા ડ્રાઈવર ફસાયો હતો. આ અંગેની કોલ મળતા ERC ફાયર સ્ટેશનની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ ટેમ્પાના કેબિનમાંથી દરવાજો કાપી ડ્રાયવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટેલરની પાછળ ટેમ્પો ઘૂસી જતા ડ્રાઈવર ફસાયો હતોવડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 દુમાડ ચોકડી બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જતા ટેલરમાં ટેમ્પો ઘૂસી જતા કેબિનમાં ડ્રાઈવર ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. આ અંગેની જાણ ERC ફાયર સ્ટેશનની ટીમને કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ ટેમ્પો ચાલકનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું. બે કલાકની જહેમત બાદ ડ્રાઈવરને હેમખેમ બહાર કઢાયોઆ અકસ્માતમાં રેસ્ક્યુ કરનાર ERC ફાયર સ્ટેશનના સૈનિક કાળુભાઈ ડામોરે જણાવ્યું હતું કે,આ અંગેનો અમને વહેલી સવારે 4.30 કલાકે કોલ મળ્યો હતો. અમે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર બચાઓ બચાઓની બુમો પડતો હતો. અમે પહોંચ્યા તે શાંત થયો અને અમે બે કલાકની ભારે જહેમત બાદ આ ટેમ્પો ડ્રોવરનું સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. અમે પહોંચ્યા ત્યારે ટેમ્પો ડ્રોવર કેબિનમાં ફસાયેલો નજરે પડ્યો હતો. અમે પોહચી હાઇડ્રોલિક સાધનો વડે કામ શરૂ કર્યું હતું. ડ્રાઈવર કેબિનમાં પગના ભાગે ગંભીર ઇજાઓને લઈ ફસાયેલ હોવાથી અમને રેક્સ્યુમ મુશ્કેલી પડી હતી. વધુમાં કહ્યું કે, અમારી ટીમે અત્યાધુનિક ફાયરનાં હાઇડ્રોલિક કટારી, સ્પેડર, રેમજેક જેવા સાધનો વડે ડેમેજ ભાગને કટ કરવાનું શરૂ કર્યું હતું. અમે દરવાજાના ભાગે અને કેબિન આંગળાના ભાગેથી ડ્રાયવરને ઇજાઓ ન પહોંચે તે રીતે બે કલાકની મહેનતથી એક તરફનો દરવાજો કાપી બહાર કાઢ્યો હતો. ડ્રાઇવર ગંભીર હતો અને પગમાં ઇજાઓ હતી જેથી તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ અકસ્માત અંગે હાલમાં હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર ક્યાંનો છે અને તેનું નામ શું છે તે તમામ વિગતો તપાસવામાં આવી રહી છે. હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફાયર વિભાગે કરેલ રેસ્ક્યુથી આ ટેમ્પો ચાલકનો જીવ બચાવી તેને સલામત બહાર કાઢ્યો છે.
નલિયા રાજ્યમાં સૌથી ઠંડું, તાપમાન 10 ડિગ્રી નોંધાયું:કંડલામાં પારો 7 ડિગ્રી વધ્યો, ઠંડીમાં ઘટાડો
કચ્છ જિલ્લામાં હવામાનમાં વિષમતા જોવા મળી રહી છે. રાજ્યના શીત મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે. બીજી તરફ, ગઈકાલે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહેલું કંડલા આજે 7 ડિગ્રીના વધારા સાથે 17.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી તાપમાન સતત નીચે સરકી રહ્યું છે. ગઈકાલે અહીં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આજે ઘટીને 10 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ સાથે નલિયા ફરી એકવાર રાજ્યના સૌથી ઠંડા સ્થળ તરીકે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જોકે, બપોરના સમયે વાતાવરણમાં ગરમીનો અહેસાસ થતાં દિવસભર વિષમ માહોલ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળતી ધૂંધળાશ ઘટતાં સૂર્યપ્રકાશનો પ્રભાવ પણ વધ્યો હતો. જિલ્લા મથક ભુજમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. અંજાર અને ગાંધીધામમાં પણ ઠંડીમાં વધઘટ જોવા મળી હતી, જ્યાં સવાર-સાંજ ટાઢકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નકારી કાઢી છે. ભુજ અને નલિયામાં લઘુતમ તાપમાન 11 થી 14 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
મોમ્સ સ્કૂલમાં કચ્છની સંસ્કૃતિ પર વાર્ષિક ઉત્સવ:બાળકોએ દેશભક્તિ સાથે ભાતીગળ કલા રજૂ કરી
ભુજ નજીક માધાપર સ્થિત મોમ્સ સ્કૂલ દ્વારા 29 નવેમ્બર, 2025 ના રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના કાર્યક્રમની થીમ સેન્ડસ્ એન્ડ સ્ટ્રીંગસ વેર કચ્છ કમ્સ અલાઇવ રાખવામાં આવી હતી, જેમાં કચ્છી પરંપરા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ કચ્છનો ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકગીતોને સુંદર રીતે રજૂ કર્યા હતા. તેમની પ્રસ્તુતિઓએ ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ઇનરવિલ ક્લબના પ્રેસિડેન્ટ મમતાબેન ભટ્ટ, પંકજ કુદેશીયા (VPW BKT), મોમ્સ સ્કૂલના ડિરેક્ટર મીનાબેન દાવડા, ટ્રસ્ટી વૈભવ દાવડા અને નિશેષ પટેલ, એનસીસી નવલ યુનિટના પી.ઓ. અમિત ગેરુલા અને શૈલેન્દ્ર બેલ વાત, માધાપર સ્કૂલના પ્રિન્સિપાલ ફરાહ ખાન અને ભુજ સ્કૂલના પ્રિન્સિપાલ કૃષ્ણ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોમ્સ સ્કૂલના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
જુનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પ્રત્યેનો પ્રજાનો અભિગમ બદલાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થાય તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે. તાજેતરમાં, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી ગુમ થયેલી ₹30,000 ની મોટરસાયકલ શોધી કાઢીને તેના મૂળ માલિકને પરત કરી છે. એ ડિવિઝન પી.આઇ વી.જે. સાવજની સૂચના બાદ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને બાતમી મળી હતી કે બે અજાણ્યા ઇસમો શંકાસ્પદ કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસે આંટાફેરા કરી રહ્યા છે.આ બાતમીના આધારે, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા, એ.એસ.આઈ. પંકજ સાગઠીયા અને અનક બોઘરાની ટીમે તાત્કાલિક જઈ દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસેથી બે ઇસમોને મોટરસાયકલ સાથે પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુરેન્દ્રનગરના વિકી રાજેશ વિરમગામીયા અને સુનીલ ધરમ વિરમગામીયા નામના બંને આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિંમત ₹30,000/- છે.કબજે કરેલી મોટરસાયકલની તપાસ કરતા જાણવા મળ્યું કે તે વેરાવળના અરજદાર મુનીર અબુબકર સિદી જે વેરાવળ રેલવે સ્ટેશન ક્વાર્ટર નજીક પાર્ક કરી હતી. તે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી ગુમ થઈ હતી. પોલીસે તુરંત જ અરજદાર મુનીર સિદીનો સંપર્ક કર્યો હતો અને તેમને મોટરસાયકલની ઓળખ માટે બોલાવ્યા હતા. અરજદારે મોટરસાયકલ તેની હોવાનું જણાવતા પોલીસે મોટરસાયકલ તેમને પરત સોંપી હતી.પોલીસે આ રીતે 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કર્યું હતું. આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઇ), 106 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં એ.ડીવી. પો.સ્ટે.ના પીએસઆઇ. વી.યુ. સોલંકી, પો.કોન્સ. કલ્પેશ ચાવડા, એ.એસ.આઈ. પંકજ સાગઠીયા અને પો.કોન્સ. અનક બોઘરાએ સારી કામગીરી કરેલ છે.
સુરત શહેર ટ્રાફિક નિયમોના કડક અમલ માટે જાણીતું બની રહ્યું છે, જ્યાં વાહનચાલકો દ્વારા નિયમભંગ બદલ RTO દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 1465 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી એકલા 2024માં જ 1230 અને 2025ના પ્રથમ થોડા મહિનામાં 235 લાઇસન્સ સસ્પેન્ડ થયા છે. આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે સુરત RTO ટ્રાફિક શિસ્ત જાળવવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે RTO દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષના ગાળામાં કુલ 1465 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2025માં, સુરત RTO દ્વારા અત્યાર સુધીમાં 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એપ્રિલ 2025 સુધીમાં સુરત શહેર પોલીસે ત્રણ લેટર દ્વારા 10 હજાર કરતાં વધુ લાઇસન્સ રદ કરવા માટે RTOને ભલામણ કરી છે. સંખ્યા મોટી છે, પરંતુ સમસ્યા એ છે કે આ ભલામણ પત્રોમાં વાહનચાલકની જગ્યાએ વાહન માલિકની વિગતો આપવામાં આવી છે. RTO અધિકારીના જણાવ્યા મુજબ, લાઇસન્સ ત્યારે જ રદ કરી શકાય છે. જ્યારે નિયમનો ભંગ કરનાર વાહનચાલકની સંપૂર્ણ અને ચોક્કસ વિગતો પૂરી પાડવામાં આવે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન વાહન માલિક દ્વારા નહીં, પણ વાહન ચલાવનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. જો RTO દ્વારા માત્ર વાહન માલિકની વિગતોના આધારે લાઇસન્સ રદ કરવામાં આવે, તો કાયદાકીય રીતે આ કેસ ખૂબ નબળો પડી શકે છે અને આરોપી સરળતાથી કોર્ટમાં પડકારી શકે છે. જો કોઈ વ્યક્તિની કાર તેનો પુત્ર ચલાવતો હોય અને તે રોંગ સાઈડમાં પકડાય, તો લાઇસન્સ પુત્રનું સસ્પેન્ડ થવું જોઈએ. પરંતુ જો પોલીસ માત્ર પિતા વાહન માલિકનું નામ મોકલે, તો RTO કોનું લાઇસન્સ સસ્પેન્ડ કરે? જો માલિકનું લાઇસન્સ સસ્પેન્ડ થાય તો તે કાયદેસર રીતે ખોટું ગણાય. 10,000થી વધુ કેસનો ઢગલો થયો આ પરિસ્થિતિને કારણે RTO અધિકારીઓ ધર્મસંકટમાં મુકાયા છે. એક તરફ, તેઓ ટ્રાફિક શિસ્ત જાળવવા માટે કડક કાર્યવાહી કરવા માંગે છે, અને બીજી તરફ, પોલીસ દ્વારા મોકલાયેલી અધૂરી વિગતોને કારણે હજારો લાઇસન્સ રદ કરવાની તેમની કાર્યવાહી અટકી પડી છે. 10,000થી વધુ કેસનો ઢગલો થયો છે, પરંતુ કાર્યવાહી કરવા માટે જરૂરી કાયદેસરના પુરાવાનો અભાવ છે. RTO અધિકારીઓનો સ્પષ્ટ મત છે કે જો ટ્રાફિક પોલીસે કેમેરા ફૂટેજ, મેમો કે અન્ય પુરાવાઓમાં વાહન માલિકને બદલે વાહન ચલાવનાર વ્યક્તિની સાચી ઓળખ અને લાઇસન્સ નંબરની વિગતો આપવાનું શરૂ કરે તો જ આ કાર્યવાહી અસરકારક બની શકે. 175 લાયસન્સ: 3 માસ (મહિના) માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 60 લાયસન્સ: 6 માસ (મહિના) માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2024માં 1200થી વધુ લાયસન્સ સસ્પેન્ડઆ પૂર્વે, વર્ષ 2024 દરમિયાન પણ RTO દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. આ વર્ષે કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 1138 લાયસન્સ: 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 92 લાયસન્સ: 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કયા નિયમોના ભંગ બદલ કેટલી સજા?RTO દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટ્રાફિકના ગુનાઓની ગંભીરતાના આધારે નક્કી કરવામાં આવે છે: 3 માસ માટે લાયસન્સ સસ્પેન્ડ 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ આ કડક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધારવાનો છે. સુરત RTO દ્વારા શહેરીજનોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને માર્ગ સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનચોરીના બનાવોની વણઝાર વચ્ચે તસ્કરોએ હવે 'નો-એન્ટ્રી' ગણાતા વિસ્તારને નિશાન બનાવ્યો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સઘન સુરક્ષા કવચ હેઠળ આવતા રાજભવન સ્ટાફ ક્વાર્ટસમાંથી જ એકસાથે બે બાઈકની ચોરી થતાં શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાએ પોલીસના સઘન પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. નો એન્ટ્રી ગણાતા વિસ્તારને તસ્કરોએ નિશાન બનાવ્યોરાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનચોરીના બનાવોની વણઝાર વચ્ચે તસ્કરોએ હવે 'નો-એન્ટ્રી' ગણાતા વિસ્તારને નિશાન બનાવ્યો છે. ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે તસ્કરોએ શહેરના સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારને નિશાન બનાવીને પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સઘન સુરક્ષા કવચ હેઠળ આવતા રાજભવન સ્ટાફ ક્વાર્ટસના પાર્કિંગમાંથી જ એકસાથે બે મોટરસાયકલની ઉઠાંતરી થઈ જતાં ચકચાર મચી ગઇ છે.સેક્ટર-19 સ્થિત રાજભવન સ્ટાફ ક્વાર્ટસના BCHH-2/204માં રહેતા અને સેક્ટર-26 GIDCમાં ખાનગી નોકરી કરતા શ્યામભાઈ તીલુભાઈ કનીજિયા દ્વારા આ ડબલ ચોરી અંગે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્વાર્ટરમાં બાઈક પાર્ક કરી પાવાગઢ ગયા'ને પાછળથી ચોરી થઈફરિયાદમાં જણાવાયા મુજબ, શ્યામભાઈએ પોતાનું 25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક ગત તા. 29 નવેમ્બર ના રોજ સવારે ક્વાર્ટર નીચેના પાર્કિંગમાં લોક મારીને પાર્ક કર્યું હતું.બાદમાં તેઓ પાવાગઢ ખાતે ગયા હતા. જયાથી 30મી નવેમ્બરે રાત્રિના લગભગ અઢી વાગે પરત આવ્યા ત્યારે તેમનું બાઇક પાર્ક કરેલું હતું જોકે, બીજા દિવસે સવારે તેઓ અમદાવાદ જવા માટે નીચે આવ્યા ત્યારે બાઈક પાર્કિંગમાંથી ગાયબ હતું . જેના પગલે તેમણે આજુબાજુમાં શોધખોળ કરેલી પરંતુ બાઈક મળી નહોતું.ત્યારબાદ સાંજના તેમના જ બ્લોકમાં રહેતા પાડોશી દીપકસિંહ દિલીપસિંહ બિષ્ટ પણ નીચે આવ્યા હતા.ત્યારે માલૂમ પડ્યું કે તેમનું બાઇક પણ ચોરાઈ ગયું છે. તેમણે પોતાનું 12 હજારની કિંમતનું બાઇક શ્યામભાઈના બાઇકની બાજુમાં જ લોક મારીને પાર્ક કર્યું હતું. આમ તસ્કરોએ કોઈ સાધન અથવા ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને એકસાથે બંને બાઈકની ઉઠાંતરી કરી હતી. જો અતિસુરક્ષિત ગણાતા રાજભવન સ્ટાફ ક્વાર્ટસમાં તસ્કરો બિન્દાસ ચોરીને અંજામ આપી શકતા હોય તો સામાન્ય રહેણાંક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. હાલમાં તો સેકટર 21 પોલીસે આ અંગે ગુનો નોંધીને ચોરી થયેલા વાહનો શોધવા દોડધામ શરૂ કરી દીધી છે.
મંગળવારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લાના ધરમપુર અને પારડીમાં લઘુત્તમ તાપમાનમાં 1-1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ઉમરગામમાં 3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ધરમપુરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઓછી ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિવસ દરમિયાન વલસાડનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વ પવનો ફૂંકાશે. આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડાની શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થતાં વહેલી સવારે ધુમ્મસ છવાયું હતું. સૂર્યદર્શન ન થતા ઠંડીનો અહેસાસ વધુ રહ્યો હતો. શહેરમાં લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ કપડાં પહેરીને નજરે પડ્યા હતા. પારનેરા ડુંગર પર ઠંડા પવનના સુસવાટા વચ્ચે ખેડૂતો રવિ પાક તથા આંબાની માવજત જેવા કાર્યોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ઠંડી વધતા ખેડૂતો આંબાના પાકમાં જીવાત રોકથામ માટે તકેદારી વધારી રહ્યા છે. દિવસ દરમિયાન 9 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવાથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે.
મહેસાણા મનપા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતો હોય છે. જેના ભાગરૂપે શહેરના 1.07 લાખ જેટલા મિલકતધારકોને પાલિકા તંત્ર દ્વારા વ્હોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરાબિલ મોકલવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 69,000 મિલકત પેટે અંદાજે રૂ.19 કરોડ જેટલી વેરા વસુલાતની કામગીરી થઈ હતી. જોકે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત્ હાથ ધરવામાં આવી રહી છે. 1.07 લાખ મિલકત ધારકોને વેરા બીલ મોકલાયામહેસાણા મહાનગરમાં શહેરીજનોને મળતી પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, રોડ, રસ્તા વેગેરે પ્રાથમિક અને ભૌગોલીક સુવિધા સામે નિયત વેરાની રકમ મિલ્કત ધરાક પાસે વસુલવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે રૂ.42 કરોડ જેટલી બાકી વેરા વસુલાતની કામગીરી કરતા રૂ.1.07 લાખ મિલકત ધારકોને વેરા બીલ મોકલવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મિલકત ધારકોએ ઓનલાઈન અને ઓફ્લાઈન મળી કુલ રૂ.19 કરોડ જેટલી રકમના વેરાની ભરપાઈ કરી હતી. વેરો ન ભરનારની મિલકત સીક કરાશેએક અંદાજ મુજબ 67,000 મિલકતોના વેરાની વસુલાત કરવામાં આવી છે. સામે હાલમાં 40,000 મિલકતોની વેરા વસુલાત બાકી જોવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત કરવા બાકીદારોની યાદી બનાવી તેમને નોટિસ મોકલવા તજવીજ શરૂ કરાઈ હતી. દર વર્ષની જેમ નોટિસ બાદ પણ વેરાની ભરપાઈ ન કરનાર મિલકત સામે પાલિકા તંત્ર દ્વારા મિલકત સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
જૂની અદાવતનો ખાર:ઘોઘા નજીક મોટા ખોખરામાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ
ઘોઘા તાલુકાના મોટા ખોખરા વાડી વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને એક ખેતમજૂર અને તેના પુત્ર પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો, હુમલામાં પિતા-પુત્રને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર લઈ વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ ફરિયાદી હરજીભાઇ લાલાભાઇ ડાભી ઉ.વ.55, ધંધો-ખેતમજૂરએ પોલીસને જણાવ્યું કે, તા.1 ડિસેમ્બરના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ તેમનો નાનો પુત્ર ચિરાગ ડાભી (જે જે.સી.બી. ડ્રાઇવર છે) બાંભણીયા ગામેથી કામ પતાવી પોતાની મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ચિરાગ ડાભી ગામના બુધા બાબુભાઈ ડાભીની વાડી પાસેથી પસાર થયો, ત્યારે બુધા અને તેના ભાઈ વિક્રમએ તેને રોકાવ્યો હતો. વિક્રમે ગાળાગાળી કરીને ચિરાગને અહીંથી કેમ નીકળ્યો છે તેમ કહીને તેની પાસે રહેલી લાકડીનો એક ઘા તેના વાસાના ભાગે માર્યો હતો. ચિરાગ ગભરાયેલી હાલતમાં ઘરે પરત ફર્યો હતો.પુત્ર પર હુમલો થતાં હરજીભાઇ જાતે બુધા અને વિક્રમને ઠપકો આપવા માટે તેમની વાડીના ઝાંપા પાસે પહોંચ્યા હતા. ઠપકો આપતા જ બુધા ઉશ્કેરાઈ ગયો હતો અને ઝાંપા પાસે પડેલો લોખંડનો પાઇપ લઈને હરજીભાઇ પર હુમલો કર્યો હતો. હરજીભાઇએ વચ્ચે હાથ આડો રાખતા પાઇપનો ઘા તેમના જમણા હાથની કોણી પાસે વાગ્યો હતો, જેનાથી તેમને ઇજા પહોંચી હતી. દેકારો થતાં બુધાનો ભાઈ વિક્રમ તથા તેના દીકરાઓ પંકજ અને અલ્પેશ પણ ત્યાં આવી ગયા હતા અને પિતા-પુત્ર બંનેને ગાળાગાળી કરી હતી, ઈજાગ્રસ્ત થતા પિતા-પુત્રએ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ પોલીસ સ્ટેશનમાં બુધા બાબુભાઈ ડાભી, વિક્રમ, પંકજ અને અલ્પેશ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, હુમલાનું કારણ ચાર વર્ષ જૂની અદાવતફરિયાદમાં હરજીભાઇએ જણાવ્યું છે કે આ હુમલાનું મુખ્ય કારણ આશરે ચાર વર્ષ પહેલાં બુધા બાબુભાઈ ડાભીની દીકરી બાબતે તેમની વચ્ચે થયેલી બોલાચાલીનું મનદુઃખ છે. આ જૂના ખારને કારણે જ બુધાના ભાઈ વિક્રમે વાડીના ઝાંપા પાસેથી નીકળેલા તેમના પુત્રને લાકડી મારી ઇજા પહોંચાડી હતી.
વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આવેલ મોબાઈલ શોપમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. આ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. શહેરના વડસર બ્રિજ પાસે આવેલ ઇ ટુ વૈકુંઠધામ સોસાયટીમાં આવેલ મકાનના આગળાના ભાગમાં આવેલ રામદેવ મોબાઈલ શોપમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને સવારે 5.45 કલાકે મળ્યો હતો. કોલ મળતા સાથે GIDC ફાયરનો ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. મોબાઈલ શોપમાં રહેલ લાખો રૂપિયાનો સામાન સહિત રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ લગતા વડોદરા ફાયર વિભાગ,પોલીસ અને વીજ કંપનીનો સ્ટાફ તાત્કાલિક પોહચી કામગીરી હાથ ધરી હતી. આ આગ મકાન માલિક અને પરિવાર સૂતો હતો અને મકાનના આગળના ભાગમાં આ મોબાઈલ શોપ આવેલી હતી. આ આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે જો પરિવારને ખબર ન પડી હોત તો આગ ઘરમાં પ્રસરોત અને જાનહાનિ થવાની સંભાવના હતી. જો કે મકાન અને દુકાન માલિકની સતર્કતાના કારણે આ ઘટનામાં જાનહાનિ ટળી છે. દુકાન માલિક બંસીલાલે જણાવ્યું હતું કે, વડસર બ્રિજ પાસે વૈકુંઠધામ સોસાયટીમાં મારું મકાન આવેલું છે અને તેના આગળના ભાગમાં મોબાઇલની દુકાન આવેલી છે. વહેલી સવારે અચાનક જ આગ લાગી હોવાનો અણસાર આવતા જ અમે પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. બહાર જોયું તો મોબાઈલની દુકાન ભડકે બળી રહી હતી. અમે ફાયર વિભાગને જાણ કરી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ અમારી દુકાન આખી માલ સામાન સાથે બળી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તેનું સ્પષ્ટ કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પરંતુ આ આગમાં ફાયર વિભાગના જણાવ્યા અનુસાર દુકાનદારનો 15 લાખથી વધુનો સામાન અને દુકાનમાં રહેલ અંદાજિત 10 હજારની રોકડ રકમ આ આગમાં ખોવાઈ ગઈ છે. આ આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉમરગામ તાલુકાના કરંજ ગામ ગ્રામ પંચાયત નજીક ગત રાત્રિએ એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કરંજ ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી, ત્યારે તેના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિ પારખીને ડ્રાઈવરે તાત્કાલિક કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને તે નીચે ઉતરી ગયો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતી. આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ પણ થયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગઈકાલે ઠંડીગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે. કંડલાના તાપમાનમાં 7 ડિગ્રીનો વઘારો નોંધાયો છે. એક દિવસમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો તો કયાક બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સાથે વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 68 ટકા તેમજ સાંજે 46 ટકા જેટલું નોંધાયું હતું. તેની સાથે જ રાજ્યમાં સૌથી વધુ ઠંડી 10 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાઈ હતી.
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે વિશ્વ એઈડ્સ દિન નિમિત્તે એન.એસ.એસ. યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાન યોજાયું હતું. વિદ્યાર્થીઓ અને સમાજમાં લોકજાગૃતિ કેળવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અમીરગઢ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે પ્રો. ફરહીના શેખ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રો. ડૉ. મહેશ પ્રજાપતિએ આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત રહેલા કાઉન્સેલર પરથી ચૌધરી અને ઈશ્વરનો પરિચય આપ્યો હતો. સૌપ્રથમ ઈશ્વરભાઈએ વિદ્યાર્થીઓને HIV વિશે સમજ આપી તેની નકારાત્મક અસરો વિશે માહિતી આપી હતી. ત્યારબાદ પરથી ચૌધરીએ એઈડ્સ રોગ સંબંધિત વિસ્તૃત માહિતી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોજિંદી જીવનશૈલીમાં એઈડ્સના સંક્રમણ તથા તેના સંલગ્ન રોગોથી બચાવવાનો હતો. આ વર્ષે વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી 'એઈડ્સ પ્રતિભાવમાં પરિવર્તન, વિક્ષેપોને દૂર કરવા' થીમ આધારિત રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં તંદુરસ્તી જળવાય અને તેઓ જાતીય અનૈતિક સંબંધોથી દૂર રહે તેમજ લોકજાગૃતિ વિકસે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. વ્યાખ્યાન બાદ વિદ્યાર્થીઓએ રેડ રીબીન આકાર રચી HIV એઈડ્સ જાગૃતિ અંગેનો સંદેશ આપ્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કૉલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. મહેશ પ્રજાપતિ અને સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. નિતિન જાદવ દ્વારા આચાર્ય ડૉ. એન. કે. સોનારાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. તમામ સ્ટાફમિત્રોનો પણ સારો સહકાર સાંપડ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરીના વધુ એક મોટા કિસ્સાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સરખેજ-બાકરોલ ટોલ પ્લાઝા નજીકથી ₹1.20 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ઘેટાં અને બકરાના ઊન (વુલ)ની આડમાં છુપાવેલો કુલ 53,369 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્તબાતમીના આધારે SMCના પી.પી. બ્રહ્મભટ્ટ (PI) અને સરખેજ પોલીસની ટીમે બાકરોલ ક્રોસ રોડ તરફ વોચ ગોઠવી હતી અને RJ02GB2821 નંબરની આઈસર કન્ટેનર ટ્રકને પકડી પાડી હતી. દારૂનો આ જથ્થો ચંદીગઢની જન્નત બેવરેજીસ (Zannat Beverages Pvt. Ltd.) અને એમ્પાયર અલ્કોબ્રેવ (Empire Alcobrev Pvt. Ltd.) નામની ડિસ્ટિલરીઝમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તે ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે જ માન્ય હતો. ડ્રાઇવર સહિત 6 આરોપી વોન્ટેડઆ રેડ દરમિયાન એકપણ આરોપી સ્થળ પરથી પકડાયો ન હતો. પોલીસે ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે: પોલીસે આ 6 વોન્ટેડ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 61(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરોડો રૂપિયાના દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર પાસે બે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતાં જ ઓઢવ-નિકોલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. હાઇવે પર એક તરફ વાહનોની અવરજવર છે તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે ધુમાડાના ગોટેગોટા વળ્યા છે. જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં અન્ય દુકાનો પણ છે. જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગવાની સંભાવના છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ આ પણ વાંચો: સુરતની સચિન GIDCમાં બરફની ફેક્ટરી પાસે એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફ્લેશ ફાયર, 4 લોકો દાઝ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય અને તેમના મિત્રોને જ્યોર્જિયાની વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાના મહિલા ઠગ એજન્ટ સહિત 5 શખ્સોએ મળીને 24.35 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય (ઉં.વ. 39)એ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જાન્યુઆરી-2025માં સોશિયલ મીડિયા પરની જાહેરખબરથી રિધાન ઇમિગ્રેશનનો સંપર્ક કર્યો હતો. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સ, થર્ડ ફ્લોર, રૂમ નં. 302 ખાતે આવેલી આ ઓફિસે ફરિયાદી તથા તેમના પાંચ મિત્રોને બોલાવ્યા હતા. જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરીમાં રૂ. 80થી 90 હજાર પગાર તથા રહેવા-જમવાની સુવિધા મળશે. પ્રત્યેક વ્યક્તિએ વિઝા-ટિકિટ માટે રૂ. 5.50 લાખ ચૂકવવાના હોવાથી શરૂઆતમાં 50 હજાર રૂપિયાની એડવાન્સ તરીકે કુલ રૂ. 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નોટરી એગ્રીમેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું કે દોઢ મહિનામાં વર્ક પરમિટ મળી જશે, પરંતુ નિયત સમયે વિઝા મળ્યા નહોતા. એપ્રિલ-2025માં વિઝા આવી ગયાનું કહી વધુ રૂ. 10.50 લાખ તથા પછી રૂ. 19.50 લાખ આપ્યા હતા. જુલાઈ-2025માં જ્યોર્જિયા જવાની ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા અને વાયદાઓ કર્યા હતા. યુવકે સતત પૈસા પરત માંગતાં આરોપીઓએ રૂ. 8.65 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. 24.35 લાખ પરત આપ્યા નથી. જેને પગલે યુવકે 5 આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં મુખ્ય આરોપી રિધાન ઇમિગ્રેશનના માલિક કાજલ જોશી તથા સ્ટાફ અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહનાં નામનો સમાવેશ થાય છે.
બરડા સફારીમાં ‘સમ્રાટ’ સિંહ દેખાયો:પ્રથમવાર સ્પષ્ટ દેખાતાં પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ
બરડા જંગલ સફારીમાં આજે પ્રવાસીઓને એક અનોખો અનુભવ થયો હતો. જાન્યુઆરી-2023માં નામકરણ કરાયેલો સિંહ ‘સમ્રાટ’ પ્રથમવાર સફારી રૂટ પર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જેનાથી વનપ્રેમીઓ અને પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગે 2023ની શરૂઆતમાં આ યુવરાજ સિંહને ‘સમ્રાટ’ નામ આપ્યું હતું. નામકરણ બાદ તે ભાગ્યે જ જોવા મળતો હતો અથવા માત્ર દૂરથી જ દેખાતો હતો. જોકે, આજે તે ખુલ્લા વિસ્તારમાં નિર્ભયપણે ફરતો જોવા મળ્યો હતો, જેને પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. વનકર્મીઓના જણાવ્યા અનુસાર, ‘સમ્રાટ’ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાની ટેરિટરીમાં સારી રીતે અનુકૂલન સાધી લીધું છે. સિંહના આ દર્શનથી પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે બરડા સફારીમાં ચહલપહલ વધી ગઈ છે. ‘સમ્રાટ’ના આ સ્પષ્ટ દેખાવથી સ્થાનિક પર્યટન અને વનપ્રદેશની લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે તેવું મનાય છે.
સુરતના સચિન GIDCમાં બરફની ફેક્ટરી પાસે ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગવાથી ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ છે. જેથી ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સુરતમાં નેચરલ ડાયમંડની માગમાં ઘટાડો અને તેના ભાવમાં 10% સુધી તૂટવાને કારણે દિવાળી પછી હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ છવાયો છે. આ સંકટના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રાજ્ય સરકારની શિક્ષણ સહાય યોજના હેઠળ નામંજૂર થયેલા 26,000 રત્નકલાકારોના ફોર્મને મંજૂર કરાવવાની માગ સાથે નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવા માટે સમયની માગ કરવામાં આવી છે. 26,000 ફોર્મ મંજૂર કરવાની માગડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલી શિક્ષણ સહાય યોજનાના જે ફોર્મ નામંજૂર થયા છે, તેને મંજૂર કરાવવા માટે યુનિયને સુરત કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જે રત્ન કલાકારોના ફોર્મ નામંજૂર થયા છે, તેઓ મોટાભાગે ગરીબ અને ભાડાના મકાનમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ કારીગરો છે અને તેમના બાળકોની ફી ભરવી અત્યંત જરૂરી છે. ફોર્મ રદ થવાનું કારણ જાણવા રજૂઆતફોર્મ રદ થવાનું ચોક્કસ કારણ જાણવા માટે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લેખિત રજૂઆત કરી હતી, તેમજ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, જે હજુ ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી-મુખ્યમંત્રી સાથે મુલાકાતની માગનામંજૂર થયેલા ફોર્મ અને રત્ન કલાકારોની ગંભીર પરિસ્થિતિ અંગે રૂબરૂ રજૂઆત કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે તાત્કાલિક સમય આપવાની માગ કરવામાં આવી છે. યુનિયનનો હેતુ એ છે કે આ ગરીબ રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમના ફોર્મને માન્યતા મળે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ એક કાયમી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. માત્ર ગોડાઉન કે ખૂણાઓ પૂરતો સીમિત ન રહેલો આ ઉપદ્રવ હવે દાખલ દર્દીઓના વોર્ડ સુધી પહોંચી ગયો છે. ઉંદરોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેઓ હવે સીલિંગની પાઈપો પર એટલે કે દર્દીઓના માથા પર જ આટાંફેરા મારતા જોવા મળે છે. જેના કારણે દર્દીઓ સતત ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં નાના-મોટા ઉંદરોનો વસવાટ વર્ષો જૂનોસિવિલમાં નાના-મોટા ઉંદરોનો વસવાટ વર્ષો જૂનો છે, છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ઉંદરોના ત્રાસ પાછળનું એક મુખ્ય કારણ દર્દીઓના સગાંઓ દ્વારા વોર્ડની આસપાસ ફેંકવામાં આવતો એંઠવાડ છે. ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાનઆ ત્રાસને કારણે ઘણીવાર દર્દીઓ આરામ કરી શકતા નથી અને હોસ્પિટલના અગત્યના દસ્તાવેજો પણ કાપી નાખવાના બનાવો બન્યા છે. થોડા વર્ષો પહેલાં સિવિલના ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા એક દર્દીની ઉંદરે આંખ કરડી ખાધી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી. આટલી ગંભીર ઘટના બાદ પણ તંત્ર દ્વારા માત્ર પાંજરા ખરીદવા જેવા કામચલાઉ પગલાં લેવાયા છે, જે સમસ્યાને નિયંત્રિત કરવામાં તદૃન નિષ્ફળ રહ્યા છે. તાત્કાલિક અને કાયમી નક્કર પગલાં લેવા માગદર્દીઓની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રએ આ ગંભીર ત્રાસથી મુક્તિ માટે તાત્કાલિક અને કાયમી ધોરણે નક્કર પગલાં લેવા માગ ઉઠી છે.
2023માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની જીપ સળગાવવા મામલે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં તેની સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહી રદ્દ કરવા અરજી કરી છે. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમનો અસીલ બાળપણથી તીવ્ર બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે અને ગુનાના સમયે તે પોતાને 'બેટમેન' સમજી રહ્યો હતો, જેના કારણે તેને પોતાના કૃત્યનું ભાન નહોતું. આ ડિસઓર્ડર જુદા-જુદા તબક્કામાં આવે છે, જેમાં વ્યક્તિ ક્યારેક હિંસક બની જાય છે. આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ પોતાને બીજું જ કઈ સમજી બેસે છે, જેમ કે સામાજિક કાર્યકર કે પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે અને તે તેના કેરેક્ટરમાં આવી જાય છે. તેને પોતાને પણ ખબર કે ભાન હોતી નથી. શું હતો સમગ્ર મામલો?2023માં એલિસબ્રિજ પોલીસ મથકે આંબાવાડીમાં રહેતા એક વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધાયો હતો. જે મુજબ સવારે 5 વાગ્યે તે બુલેટ લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશને આવ્યો હતો અને બ્રિજની નીચે પડેલી પોલીસની ગાડીમાં આગ લગાડીને જતો રહ્યો હતો. પોલીસે CCTV તપાસતા સામે આવ્યું હતું કે, એક વ્યક્તિ પોલીસની બોલેરો ગાડીનો દરવાજો ખોલીને જીપની અંદર બેસી ગયો હતો અને સળગતી વસ્તુ નાખીને બુલેટ લઈને જતો રહ્યો હતો. પોલીસે વ્યક્તિની ઓળખાણ માટે CCTV પોતાના બાતમીદારોને બતાવ્યા હતા, જે આંબાવાડી ખાતે આરોપીના ઘરે પોલીસને દોરી ગયા હતા. ઘટના સમયે અરજદાર પોતાને બેટમેન સમજતો હતોઃ વકીલબાદમાં આરોપી સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ છે અને કેસ ચાલી રહ્યો છે. ત્યારે તેને ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામે આરંભાયેલી કાનૂની કાર્યવાહી રદ કરવા અરજી કરી છે. તેના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર બાળપણથી તીવ્ર બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે. આ ઘટના સમયે અરજદાર આરોપી પોતાને બેટમેન સમજતો હતો અને તેના જ કેરેક્ટર ઝોનમાં હતો. તેનું ઘર પોલીસ સ્ટેશનથી નજીક હતું, તે પેપર સળગાવી જીપમાં નાખીને જતો રહ્યો હતો. તેને પોલીસે પકડ્યો ત્યારે તે જવાબ આપવાની પરિસ્થિતિમાં પણ નહોતો. તે અમદાવાદમાં પોતાની વૃદ્ધ માતા સાથે એકલો રહેતો હતો. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો અને જામીન મળ્યા બાદમાં તુરંત તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. ‘પોલીસે પણ ખૂબ માર્યો હતો, તે કણસતો હતો’અરજદાર આરોપીની પૂર્વ પત્ની સાથે વાત કરી છે. તેને બેંગલોરમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પણ રાખવામાં આવ્યો હતો. તેની મેડિકલ હિસ્ટ્રી મુજબ ગુસ્સે થવું, ભાગવાની વૃતિ, એક હેતુ પૂર્ણતાની પ્રવૃતિ, ડ્રગ્સ એડિક્ટ હોવાનું પણ જણાય છે. અરજદારની પૂર્વ પત્ની હજુ પણ આરોપીની વૃદ્ધ માતાને મદદ કરે છે. તેને પોલીસે પણ ખૂબ માર્યો હતો, તે કણસતો હતો. હાઇકોર્ટ સમક્ષ અરજદાર આરોપીની મેડિકલ હિસ્ટ્રી અને ટ્રીટમેન્ટ સમરી મૂકવામાં આવી હતી. તેના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર આખો દિવસ ક્યાં રહેતો તે તેની વૃદ્ધ માતાને પણ ખબર નહોતી. અરજદાર આરોપી આવા ડિસઓર્ડરથી પીડાય છે, તેવી કોઈ જ માહિતી પોલીસે ચાર્જશીટમાં મૂકી નથી. કોર્ટ અરજદારના વકીલને કેટલાક સવાલો કર્યાકોર્ટે પૂછ્યું હતું કે, શું મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી મૂકાઈ છે? મેજિસ્ટ્રેટે કોઈ ઓપિનિયન આપ્યો છે કે, આરોપી સાઉન્ડ માઇન્ડ હતો કે નહીં? બાયપોલર ડિસઓર્ડર ગંભીર બીમારી છે શું તે આ કેસ સિરિયસ નથી? અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર હાલમાં તેના ભાઈ અને ભાભી સાથે બેંગલોર રહે છે અને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. તેની નિયમિત સારવાર અને દવાઓ ચાલી રહી છે. બે અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરાશેજો કે, કોર્ટે કહ્યું કે આ ગુનો બહુ મોટો નહોતો, પરંતુ અરજદાર આનાથી કોઈ મોટો ગુનો કરી બેસે તો તેની બાહેધરી કોણ આપશે? જો કે, આ અંગે અરજદારના વકીલ તરફથી જણાવાયું હતું કે, તે અત્યારે સારું જીવન જીવી રહ્યો છે. આ અરજી પણ તેની પૂર્વ પત્નીની મદદથી કરવામાં આવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, આવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ સરકારી મનોચિકિત્સકનો ઓપિનિયન મંગાવી શકે છે અને જાતે પણ ઓપિનિયન આપી શકે છે. હાઇકોર્ટે અરજદારની અરજી ઉપર પક્ષકારોને નોટિસ પાઠવી હતી. મેજિસ્ટ્રેટ ઓપિનિયન મંગાવ્યો છે. તેમજ પ્રોડક્શન રિપોર્ટ, અરજદાર એ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી કોઈ ફરિયાદ, મેજીસ્ટ્રેટના પગલા, જામીન હુકમ વગેરે મંગાવ્યું છે. સાથે જ તપાસ અધિકારીને હાજર રહેવાનું જણાવી 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણી રાખી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા વ્યવસાયિક મહિલા સાથે હોટલ અને ગૂગલ મૅપને રેટિંગ આપવાની પાર્ટટાઈમ જોબના નામે ઠગ ટોળકીએ 31.61 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. મહિલાએ આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના ગોત્રી રોડ પર મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પ્રાઇવેટ કંપની ચલાવું છું. ગત 25 મેના રોજ મે ઈન્સ્ટાગ્રામ પર વર્ક ફોમ હોમની જાહેરાત જોઈ હતી, જે ક્લિક કરી મેં મારું નામ મોબાઈલ નંબર સહિતની ડિટેઈલ ભરી હતી. ત્યારબાદ મને સાયબર માફિયા ટોળકીનો વોટ્સએપ પર એવો મેસેજ મળ્યો હતો કે એક પાર્ટ ટાઈમ જોબ છે, જેમાં તમારે હોટલ અને ગુગલ મેપ પર ફાઈવ સ્ટાર રેટીંગ આપવાના રહેશે. ત્યારબાદ મને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીને મારી પાસેથી બેંક ખાતા સહિતની વિગતો મોલકીને એક ટાસ્ટ આપ્યો હતો જે પુરો કરીને ટેલિગ્રામમાં મોકલેલી લીંક પર મોકલતા મારા બેંક ખાતામાં 180 રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ મને બીજા ટાસ્ક કરીને વધુ પૈસા કમાવવા માંગો છો ? તેવું મેસેજમાં પુછતાં મે હાં પાડી હતી અને મને ટેલિગ્રામ લીંક મોકલી તેમાં રોજના 20 ટાસ્ક પુરા કરવા કહ્યું હતું અને તેના પેટે 20710 રૂપિયાની સેલેરી આપ્યા હતા. મને વિશ્વાસ આવતા મે રોજના 10 હજાર કમાવવા માંગીએ છે તેવો મેસેજ મોકલતાં મને ઈન્વેસ્ટ કરીને વધુ નાણાં કમાવવાની વિવિધ સ્કીમ આપી હતી. ઠગ ટોળકીએ મને અલગ અલગ બેંક ખાતા નંબર મોકલ્યા હતા જેમાં મે ગત ૨૭થી ૨૯મી મે દરમિયાન 31.61 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મેં મારા નાણાં વીડ્રો કરવાનો પ્રયાસ કરતાં નાણાં વીડ્રો થયા નહોંતા અને ઠગ ટોળકીએ મારા નાણાં પરત જોઈતા હોય તો ટેક્સ પેટે ૧૪ લાખ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન મારા પિતાને આ વિગતોની જાણ થયાં તેમણે ફરિયાદ કરવા કહ્યું હતુ અને મે સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર 1930 પર અરજી કરી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ઠગ ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને વધુ સુવિધાયુક્ત, સલામત અને આધુનિક બનાવવા કટિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-19 પર આશરે રૂ. 225 કરોડના ખર્ચે દૂધરેજ - વણા - માલવણ - પાટડી - દસાડા - બેચરાજી રોડને ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ફોરલેન રોડના નિર્માણથી આર્થિક વિકાસને વેગ મળશે. હાલમાં, આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ એટલે કે માલવણથી દસાડા સુધી 43/0 કિમીથી 77/0 કિમીની રેન્જમાં ફોરલેન રોડની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે. માર્ગ નિર્માણની પ્રારંભિક અને પાયાની કામગીરીમાં ગુણવત્તાના ધોરણો પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં, ઓપન ગ્રેડેડ લેયર (OGL) બેડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જે રોડના ઉપલા સ્તરને મજબૂત આધાર પૂરો પાડશે. અન્ય સ્થળો પર, સબગ્રેડનું કામ પણ આગળ વધ્યું છે, જેમાં રોડના મજબૂત આધાર માટે સબગ્રેડ રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે, એમ્બેન્કમેન્ટ ટોપ પર ફિલ્ડ ડેન્સિટી ડેટા ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે. આ ચકાસણી દ્વારા રોડ નિર્માણ માટે વપરાયેલ સામગ્રી યોગ્ય ઘનતા અને મજબૂતી ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે, જે રસ્તાના લાંબા આયુષ્ય અને સલામતી માટે અત્યંત નિર્ણાયક છે. આ જ ફોરલેન પ્રોજેક્ટના ભાગરૂપે, પાટડી અને જૈનાબાદ વચ્ચે એક મુખ્ય બ્રિજનું નિર્માણ ₹16 કરોડના અંદાજિત ખર્ચે થઈ રહ્યું છે, જે કનેક્ટિવિટીને વધુ સુગમ બનાવશે. શહેરી માળખાને સુદ્રઢ બનાવવાના હેતુથી, પાટડી શહેરમાં ₹12 કરોડના ખર્ચે અત્યાધુનિક પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (PQC) રોડની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વધતા ટ્રાફિક અને રહેવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ માર્ગને PQC માર્ગ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. PQC રોડ તેની લાંબી આયુષ્ય, નહિવત્ જાળવણી ખર્ચ અને ભારે ટ્રાફિક વહન કરવાની ક્ષમતા માટે જાણીતો છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળો અને ટકાઉ રસ્તો માત્ર શહેરના રહેવાસીઓ માટે જ નહીં, પણ લાંબા અંતરના પ્રવાસીઓ માટે પણ સુવિધાજનક અને સલામત સાબિત થશે. ગુજરાત સરકાર આ તમામ માર્ગ નિર્માણના કામો સમયસર અને નિર્ધારિત ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ કરવા માટે દૃઢ સંકલ્પબદ્ધ છે, જેથી રાજ્યના નાગરિકોને આધુનિક માર્ગ માળખાનો લાભ ઝડપથી મળી શકે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી સુરેન્દ્રનગર જિલ્લા અને આસપાસના વિસ્તારનો આર્થિક વિકાસ વધુ વેગવંતો બનશે અને પ્રવાસન તેમજ ઉદ્યોગને નવો આયામ મળશે. સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લીંબડી પેટા વિભાગ હેઠળના વનાળા- કંથારીયા-છલાળા- જોબાળા-નાગણેશ- રાણપુર રોડ પર મજબૂતીકરણ અને રિસર્ફેસિંગની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ મહત્ત્વપૂર્ણ માર્ગના નવીનીકરણથી સ્થાનિક રહેવાસીઓ અને હજારો વાહનચાલકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત પરિવહન મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. પ્રગતિમાં રહેલી આ કામગીરીની વિગતો પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રોડ પર 17 કિલોમીટર જેટલો ડીબીએમ એટલે કે ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ તથા 12 કિલોમીટર જેટલું બીટુમિનસ કોંક્રિટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરીથી સમગ્ર વિસ્તારના લોકોને ટૂંક સમયમાં જ મોટી રાહત મળશે અને તેમના સમય તેમજ ઇંધણની બચત થશે. આ કામગીરી માત્ર રસ્તાના સુધારણા પૂરતી સીમિત ન રહેતા, માળખાકીય સુવિધાઓને પણ સમાંતર રીતે વિકસાવવામાં આવી રહી છે. માર્ગ પર આવતા તમામ નાળા તેમજ માઇનોર બ્રિજનું કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે. આ કામો આવનારા ચોમાસા દરમિયાન પાણીના યોગ્ય નિકાલને સુનિશ્ચિત કરીને સરળ પરિવહન માટે અત્યંત જરૂરી છે. વરસાદના સમયે રસ્તાની બંને તરફની સાઇડોનું ધોવાણ ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં વધુ પડતા પાણીના વહેણનો મારો છે, ત્યાં પ્રોટેક્શન દિવાલનું કામ પણ પ્રગતિમાં છે. આ સંરક્ષણ દિવાલો રસ્તાના આયુષ્યને વધારવામાં અને ભવિષ્યમાં થતા જાળવણી ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે, જે સરકારના દૂરંદેશી આયોજનને દર્શાવે છે.
વડોદરા એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઇન્સની બે ફલાઈટ રદ થઈ છે. મુંબઈ અને દિલ્હીથી આવનાર ફ્લાઈટ રદ થતા મુસાફરો અટવાયા છે. ઇન્ડિગોની સવારની ફ્લાઇટ 6E-5126/6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી-વડોદરા-દિલ્હી રદ થઈ છે. બંને ફ્લાઇટ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. મુસાફરોને આગામી ફ્લાઇટમાં બેસાડવામાં આવશે અથવા ઇન્ડિગો એરલાઇન્સની પોલિસી મુજબ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
પાટડી નગરપાલિકા દ્વારા નગરની તમામ 15,000 મિલકતો પર QR કોડ લગાવવામાં આવશે. આ યોજના અમલમાં મૂકનારી પાટડી જિલ્લાની પ્રથમ નગરપાલિકા બનશે. આ QR કોડ દ્વારા નાગરિકો કોઈપણ ફરિયાદ સીધી નગરપાલિકામાં નોંધાવી શકશે. આ યોજના હેઠળ, પાટડી શહેરના અંદાજિત 15,000થી વધુ મકાનો અને દુકાનોની બહાર QR કોડ લગાવવામાં આવશે. આ કોડ માત્ર નગરપાલિકાના કર્મચારીઓ અને મિલકતના માલિકો જ સ્કેન કરી શકશે, જેનાથી મિલકતની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે. નાગરિકો આ કોડ સ્કેન કરીને નગરપાલિકાને સીધી ફરિયાદ પણ કરી શકશે. આ QR કોડ પાટડી નગરના લોકોના ટેનામેન્ટ નંબરના આધારે તૈયાર થશે અને તે મોબાઈલ આધારિત હશે. QR કોડ સ્કેન કરવાથી લોકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઈલ પર મળી જશે. વધુમાં, GIS મેપિંગના કારણે કોઈપણ સ્થળે થતું ગેરકાયદેસર બાંધકામ સરળતાથી પકડી શકાશે અને સંબંધિત વિભાગને જાણ કરીને કાર્યવાહી કરી શકાશે. આ અંગે પાટડી નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર નીરવ સુથારે જણાવ્યું હતું કે, આ સુવિધાનો લાભ લેવા માટે લોકોએ નગરપાલિકા તરફથી મોકલેલી ટીમ પાસે મિલકતના તથા માલિકના આધાર પુરાવાઓ આપી મિલકતની માપણી કરાવી લેવાની રહેશે. નોંધનીય છે કે, વારાણસી અને ગોવા જેવા શહેરોમાં પણ આ પ્રકારની QR કોડ આધારિત યોજનાઓ અમલમાં છે. ત્યાં કચરો લેવા આવતી ગાડીઓ પણ QR કોડ સ્કેન કરે છે અને નાગરિકો મ્યુનિસિપલ સંબંધિત ફરિયાદો QR કોડ દ્વારા નોંધાવી શકે છે.
સુરેન્દ્રનગર ખાતે સી.યુ. શાહ હાઇસ્કૂલ, ઉપાસના સર્કલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક વિદ્વાન વક્તાઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનની ચર્ચા કરી હતી. જોકે, બાલવાટિકામાં અભ્યાસ કરતી બાળકી સોચલિયા ખનક આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. નાનકડી ખનકે મંચ પર આવીને અદ્ભૂત આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 15મા અધ્યાય 'પુરુષોત્તમયોગ'ના બે શ્લોકોનું પઠન કર્યું હતું. તેના મધુર અને શુદ્ધ પઠને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અને વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું. આટલી નાની વયે સંસ્કૃત શ્લોકોનું સરળતાથી પઠન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે કે નવી પેઢીમાં પણ ભારતીય જ્ઞાન-પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થઈ રહ્યું છે. બાળકીનું આ પઠન ગીતા મહોત્સવના મુખ્ય ઉદ્દેશને સાર્થક કરતું હતું, જે ગીતાના સંદેશને સમાજમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. ખનકનો આત્મવિશ્વાસ, પ્રબળ સ્મરણશક્તિ અને શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ અન્ય વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. તેણે દર્શાવ્યું કે નાની ઉંમરથી જ ધર્મ, કર્મ અને જ્ઞાન સાથે જોડાવાથી જીવનમાં એક મજબૂત આધ્યાત્મિક પાયો તૈયાર કરી શકાય છે.
ગાધીનગર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે વીમા ક્ષેત્રે દાયકાનો સૌથી મોટો વિકાસ નોંધાવી રહ્યું છે. સાઉદી રી, કુવૈત રી અને અબુ ધાબી નેશનલ ઈન્શ્યોરન્સ કંપની (ADNIC) સહિત કુલ નવ વિદેશી કંપનીએ GIFT સિટીમાં તેમના IFSC ઈન્શ્યોરન્સ ઓફિસ (IIO) સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે ખાસ નીતિ માળખું પણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પગલાથી નવા રોકાણ, રોજગારનાં અવસરો અને નાણાકીય સેવાઓના ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે એવી શક્યતા છે. ગયા મહિને કોરિયન રીને ગિફ્ટ સિટીમાં IIO સ્થાપવાની મંજૂરી મળી હતી. કંપની એપ્રિલ, 2026થી કામગીરી શરૂ કરશે. વિસ્તાર પર સરકાર વિચારશેછેલ્લાં વર્ષોમાં GIFT સિટીને વિસ્તૃત કરવાની યોજના વારંવાર ચર્ચામાં આવી છે. શરૂઆતમાં 1,065 એકર વિસ્તારમાં આયોજન થયેલી સિટીને બાદમાં 3,365 એકર સુધી વિસ્તૃત કરવાની રજૂઆત થઈ હતી, પરંતુ જમીન અધિગ્રહણની અડચણોથી પ્રક્રિયા અટકી ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે હવે વિસ્તરણની શક્યતાઓનું ફરી મૂલ્યાંકન શરૂ કર્યું છે. 2028 સુધી GIFT સિટીની જમીન ફાળવણી પૂર્ણ થઈ જશેહાલ GIFT સિટી 1,065 એકરમાં ફેલાયેલ છે. તેમાં 741 એકર GIFT City Company Ltd.ની માલિકીની છે, જ્યારે બાકી ખાનગી જમીન છે. અત્યાર સુધીમાં આશરે 50% જમીન ટેન્ડર દ્વારા ફાળવી દેવામાં આવી છે. વધતી માંગને કારણે 2028 સુધી ઉપલબ્ધ જમીન પૂરી ફાળવાઈ જશે. હાલ GIFT સિટીમાં GIFT સિટીની કલ્પના કેવી રીતે ઉભી થઈ?ગુજરાતની રાજધાની નજીક વૈશ્વિક સ્તરની ફાઈનાન્સ અને ટેક સિટી ઊભી કરવાની કલ્પના નરેન્દ્ર મોદી દ્વારા (તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી) કરવામાં આવી હતી. 2007માં GIFT City Company Ltd.ની સ્થાપના થઈ. દુબઈ, સિંગાપુર જેવા ફાઇનાન્સ હબથી પ્રેરાઈને મોદીએ Vibrant Gujarat Summitમાં પ્રોજેક્ટની જાહેરાત કરી. 2011માં પ્રણવ મુખર્જી અને મોદીએ મળીને પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું.
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી ફેમિલી કોર્ટની બાર એસોસિએશનની ચૂંટણી હાલ વિવાદમાં સપડાઈ છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચઢી ગઈ છે. આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવાના નિર્ણયને પૂર્વ હોદ્દેદારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) સમક્ષ પડકાર્યો છે. જ્યાં સુધી BCGનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. પ્રમુખ અને ખજાનચીનું પદ મહિલાઓ માટે અનામત19 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. જાહેરનામા મુજબ, આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અવધિ 3 ડિસેમ્બર સુધીની છે અને સ્વીકારવાની અવધી 6 ડિસેમ્બર સુધીની છે. જ્યારે મતગણતરી 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ ચૂંટણી ફેમિલી કોર્ટમાં એસોસિએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોના પદ માટે યોજાવાની છે. હોદ્દેદારોમાં 6 પૈકી પ્રમુખનું પદ અને ખજાનચીનું પદ એમ બે પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા છે. જેમાં 17,500 રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહે છે, જ્યારે કારોબારી સભ્યમાં પણ 6 પૈકી 2 પદ મહિલા માટે અનામત રાખવામાં આવેલા છે. ખજાનચી માટે 7 વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરીપ્રમુખ પદ માટેની લાયકાતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અને અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવું જોઈએ. જ્યારે ખજાનચી માટે ઉપરની શરતોમાં 7 વર્ષનો વકીલાતનો અનુભવ માંગેલો છે. આ બધાની વચ્ચે ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબહુસેન ખોખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી છે. ‘બાર એસો.ના નિયમ મુજબ કોઈપણ ઉમેદવારી નોંધાવી શકે’જેમાં જણાવ્યું છે કે, ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ ઇંતેખાબહુસેન ખોખરની મહિલા અનામતને પડકારતી અરજી ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચુકાદો આપે નહીં, ત્યાં સુધી ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. ઇન્તેખાબહુસેને પોતાની અરજીમાં જણાવ્યું છે કે, બાર એસોસિએશનના નિયમ મુજબ લાયકાત ધરાવતા વ્યક્તિ કોઈપણ જાતના લિંગ ભેદ વગર કોઈપણ પદ ઉપર ઉમેદવારી નોંધાવી શકશે. મહિલા અનામત કાયમી છે કે કેમ? ખુલાસો મંગાયોગત બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખજાનચીના પદમાં મહિલા અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત કમિટીમાં પણ 30 ટકા મહિલા અનામત રાખવામાં આવી છે, જેમાં પ્રમુખ પદના અનામતને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. આથી ચૂંટણી કમિશનર આવું જાહેરનામું કરી શકે નહીં. આથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ અંગે ખુલાસો કરે અને એ પણ જવાબ આપે કે, મહિલા અનામત ફક્ત એક ટર્મ પૂરતી છે કે કાયમી છે?
દારૂના દૂષણને ડામવા ઉગ્ર દેખાવ:મોરબીમાં દારૂના દૂષણને ડામી દેવા અનુ.જાતિના આગેવાનો મેદાને પડ્યા
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના દારૂના અડ્ડાઓ મામલે પોલીસ અને ગૃહમંત્રી સામે આકરા પ્રહારો બાદ હવે આ દારૂબંધીનો સમગ્ર મામલો હોટ ટોપિક બની ગયો છે. ત્યારે હવે મોરબીમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અનુ.જાતિના આગેવાનો મેદાને આવ્યા છે. જિલ્લાના અનુસૂચિત સમાજના આગેવાનોએ સમાજને સાથે રાખીને આજે મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચીને દારૂબંધી મામલે નારા લગાવી ઉગ્ર દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દારૂના અડ્ડા બંધ ન થાય તોજનતા રેડની ચીમકીસમાજના આગેવાનોએ એસપીને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ વિસ્તારોમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણ બદી ખૂબ જ ફૂલીફાલી રહી હોય આ નશાની લત યુવાધનને બરબાદ કરી રહી છે.તેથી દારૂની બદી કોની મીઠી નજર હેઠળ ચાલે છે તેની તટસ્થ તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ કરી દારૂ અને ડ્રગ્સનું વેચાણ તાત્કાલિક બંધ કરવા, બુટલેગરો અને ડીલરોની નેટવર્કને તોડવા માટે જરૂરી દરોડા, જપ્તી, અને FIR જેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજના આગેવાન રાજેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ખાસ કરીને જ્યાં અનુ.જાતિ સમાજનો વસવાટ વધુ હોય તેવા વિસ્તારોમાં આવી દારૂની બદી ધમધમી રહી છે. દારૂ ક્યાં ક્યાં વેચાય છે એની પોલીસને ગંધ ન આવે એવું બને જ નહીં. કારણ કે અવારનવાર અમુક લોકોને પોલીસ દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપી તેમજ અમુક જગ્યાએ દારૂની ભઠ્ઠી પણ ઝડપી લે છે. તે બતાવે છે કે દારૂનું ખૂબ જ મોટાપાયે દુષણ છે. પણ દારૂબંધીનો પોલીસ કડક અમલ કરતી નથી. અગાઉ રાજકીય પક્ષે દારૂના અડ્ડાના લોકેશન સહિતની વિગતવાર માહિતીનું લિસ્ટ સાથે આવેદન આપ્યું હતું. હવે આ આવેદન બાદ એસપી કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તેની થોડા સમય સુધી રાહ જોઈશું નહિતર કાયદાની મર્યાદામાં શાંતિપૂર્વક આંદોલન અને જનતા રેડ કરવાની ચીમકી આપી છે.
આજે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઐતિહાસિક પળોનું સર્જન થવા જઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટના ‘કેપ્ટન કૂલ’ તરીકે પ્રખ્યાત મહેન્દ્રસિંહ ધોની પોતાની હાજરીથી કેમ્પસમાં રોનકનો માહોલ જમાવશે. આજે એમ.એસ. ધોનીનું વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું હતું, તેઓને જોવા પ્રશંસકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મનીષ પોલ અને કિકુ શારદા પણ યુવાનોને મનોરંજન પૂરુ પાડશેયુનિવર્સિટીના ફ્લેગશિપ મોટિવેશનલ કેમ્પેઇન “મિશન પોસિબલ – યહાં પોસિબલ હૈ” હેઠળ આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ધોની હજારો વિદ્યાર્થીઓને પોતાની સફળતા-સંઘર્ષની વાતો, દબાણમાં શાંત રહેવાની કળા અને મોટાં સપનાં જોવાની તાકાતનો સંદેશ આપશે. તેની સાથે જ એન્કર કમ હોસ્ટ મનીષ પોલ અને હાસ્ય કલાકાર કિકુ શારદા પણ આ સાંજે યુવાનોને ખખડાટ હસાવીને મનોરંજન પૂરુ પાડશે. જીવનમાં મેળવેલ સફળતા અને કામ કરવાની શૈલી અંગે ચર્ચા કરશેઆ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનો ભેગા થઈ પ્રેરણા અને નેતૃત્વના અનુભવ કરશે. એમ એસ ધીની પોતાના જીવનમાં મેળવેલ સફળતા અને કામ કરવાની શૈલી સાથે વિવિધ બાબતો અંગે ચર્ચા કરશે. આ સાથે લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ મનીષ પોલે પોતાના ગીતો સાથે કાર્યક્રમમાં ઉર્જા અને હૂંફ લાવવા સ્ટેજ પર હાજરી આપશે.
પોલીસ હેડક્વાર્ટર ખાતે CPR અને મેડિકલ ઇમર્જન્સી તાલીમ:મોરબીના પોલીસ જવાનો બનશે ‘જીવન રક્ષક’
કોઈપણ દુર્ઘટના કે મેડિકલ ઈમરજન્સી સમયે પોલીસ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચતી હોય છે. આવા સમયે જો પોલીસ જવાનોને પ્રાથમિક સારવાર અને CPR નું જ્ઞાન હોય તો અનેક કિંમતી જીવ બચાવી શકાય છે. આ ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા પોલીસ અને નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ સેશન રાખવામાં આવ્યું હતું. જેમાં મકનસર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડીવાયએસપી વી.બી. દલવાડી સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા પોલીસ જવાનોને ''1st Responder'' તરીકે તૈયાર કરવા માટે સઘન તાલીમ આપવામાં આવી હતી.જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર,ડૉ.મોનિકા પટેલ,ડૉ. માધવ સંતોકી, ડૉ.બ્રિન્દા ફેફર, ડૉ.અંકિતા કાંજીયા, ડૉ.દિપક ફુલતરીયા, ડૉ. જિનલ ભીલા વગરેે જોડાયા હતા. શું કરવું અને શું ન કરવું તેની સમજ અપાઇઆ કેમ્પ દરમિયાન નીચે મુજબની મેડિકલ ઈમરજન્સીમાં શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કાર્ડિયાક એરેસ્ટ : હૃદય બંધ પડી જાય ત્યારે CPR કેવી રીતે આપવું તાણ-આંચકી : દર્દીને ઈજા થતી અટકાવવી સુગર ઘટી જવું : ત્વરિત સારવારના પગલાં ક્યા લેવા બર્ન્સ અને ફ્રેક્ચર : વ્યક્તિને વધુ ઈજાથી બચાવવા અને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવાની પદ્ધતિઓ સમજાવાઇ હતી. અનુભવી તબીબોની ટીમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોલીસ જવાનોને તાલીમ આપી હતી. હોસ્પિટલનું સામાજિક અભિયાનઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં જઈને લોકોને મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે સજ્જ કરવામાં આવે છે.
મોરબી તેમજ રાજકોટ જિલ્લામાં આગામી સપ્તાહથી ઠંડીનું જોર થોડું વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલ મોરબી અને રાજકોટ જિલ્લામાં વહેલી સવારે લઘુતમ તાપમાન 18 થી 20 ડીગ્રી વચ્ચે નોંધાઇ રહ્યું છે. જો કે હવે આજથી શરૂ થતા સપ્તાહથી પવનની ગતિમાં થોડો વધારો થશે અને સવારે તેમજ રાત્રે ઠંડીમાં સામાન્ય વધારો થાય અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહે અથવા તો તેનાથી પણ થોડું નીચું જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે દિવસ દરમિયાન ખાસ ફેરફાર થવાની શક્યતા નથી જેથી બપોરના સમયે મહતમ તાપમાન 30થી 33 ડિગ્રી વચ્ચે રહેતા મિશ્ર ઋતુનો અહેસાસ થશે. સામાન્ય રીતે નવેમ્બર માસના પ્રથમ સપ્તાહથી હળવી ઠંડીનો અનુભવ થાય છે.અંતિમ સપ્તાહ સુધીમાં કડકડતી ઠંડી અહેસાસ થાય છે જો કે ચાલુ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઉત્તર પૂર્વથી આવતા ઠંડા પવન ગુજરાત સુધી ન પહોંચતા હજુ સુધી લોકોને ચાલુ વર્ષે શિયાળાના આકરા મિજાજનો અનુભવ થયો નથી. હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં ઠંડક વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે બપોરના સમયે ખાસ કશો ફેરફાર નહીં અનુભવાય. મહતમ તાપમાન 30 ડિગ્રી કરતા વધારે રહેવાના કારણે દિવસ ગરમ રહેતા હજુ પણ મિશ્ર ઋતુની અસર જોવા મળશે તેવી શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબો હવાકીય વિભાગના ગ્રામીણ કૃષિ મૌસમ સેવાની આગાહી મુજબ તા. 3 ડિસેમ્બર સુધીમાં 15 ડિગ્રી સુધી રહેશે તો મહતમ તાપમાન આ સમયગાળા દરમિયાન 33 થી 34 ડિગ્રી વચ્ચે રહેશે. હવામાં ભેજના પ્રમાણની વાત કરીએ તો સવારે 90 ટકા જયારે 3 ડીસેમ્બર સુધીમાં 70 ટકા આસપાસ રહેશે બપોર સમયે ભેજનું પ્રમાણ આ સપ્તાહ દરમિયાન 38થી 48 ટકા જેટલું રહેશે પવનની ગતિની વાત કરીએ 10 કિમીથી 12 કિમી પ્રતિ કલાક ઝડપ રહેશે. દિવસ દરમિયાન સવાર અને બપોરના તાપમાન વચ્ચે 15 ડિગ્રીના ઉતાર ચઢાવને કારણે મોરબીવાસીઓને સવારે ઠંડી તો બપોરના ગરમી જેવો અહેસાસ થતા એક દિવસમાં લોકોને બેવડી ઋતનું અહેસાસ યથાવત રહેશે જેના કારણે સીઝનલ બીમારીથી બચવા કાળજી રાખવી પડશે. અમુક શાળાએ સમય બદલ્યોજિલ્લાની અમુક શાળાના સંચાલકોએ આવનારા સપ્તાહમાં ઠંડી વધવાની આગાહીના પગલે આગોતરી જ તકેદારીના ભાગરૂપે શાળાનો સમય અડધો કલાક મોડો કરી નાખ્યો છે, જ્યારે અમુક સંચાલકો આ માટે વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘઉં - ચણાનું વાવેતર કરતા ખેડૂતોએ આટલી તકેદારી રાખવીચણાનું વાવેતર કરવા માગતા ખેડૂતોને પાયામાં ૨૦ કિગ્રા નાઈટ્રોજન 40 કિગ્રા ફોસ્ફરસ પ્રતિ હેક્ટર મુજબ આપી ચણાનું વાવેતર કરવા જ્યારે ઘઉંના પાકમાં વાવેતર વખતે 100થી 125 કિગ્રામાં પ્રતિ હેક્ટર રાખવા પાયામાં 130 કિગ્રા ડીએપી ૯- કિગ્રા યુરીયા અને 25 કિગ્રા ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર જમીનની જરૂરિયાત મુજબ આપવાની સલાહ સુકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડીયા તરફથી આપવામાં આવી છે. ઠંડા પીણાં ત્યજવા, કફજન્ય બીમારી વધવાની શક્યતામોરબી જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે આવી સ્થિતિમાં નાની બેદરકારી બીમાર કરી શકે છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા વહેલી સવાર અને રાતના સમયે ગરમ વસ્ત્રો પહેરવા ખાસ સલાહ આપવામાં આવી છે. દિવસ અને રાતના વાતાવરણમાં વધાર તફાવત રહેતો હોવાથી ઠંડા પીણાથી પણ દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.
નબળી કામગીરી:સંખેડા તાલુકાના વડીયા(રાયપુર)ની નવીન પ્રાથમિક શાળાની ટાઇલ્સ તૂટી
સંખેડા તાલુકાના વડીયા ગામે જૂની અને જર્જરિત શાળાનો ઓરડો ઉતારી લેવાયા બાદ ગામના એક ઘરમાં પ્રાથમિક શાળા ચાલતી હતી. અત્રે નવીન પ્રાથમિક શાળા બન્યા બાદ ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જોકે ગત વર્ષે જ ચોમાસા દરમિયાન અત્રે ટાઇલ્સનો કેટલોગ ભાગ બેસી ગયો હતો. જે બાદ આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. આ વર્ષે પણ ચોમાસા બાદ કેટલીક જગ્યાએ ટાઇલ્સ ઉપડી ગઈ છે. તો ક્યાંક તૂટી પણ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. શાળાના રેમ્પ ઉપરથી ક્યાંક ક્યાંક સિમેન્ટ ઉખડી ગયેલો જોવા મળી રહ્યો છે. તો શાળાની દિવાલની બાજુમાં જ આવેલા ઓટલા અને દિવાલ વચ્ચે તિરાડ પણ જોવા મળી રહે છે. ઉપર છતની પેરાફીટની દિવાલનો અંદરની બાજુનો કલર પણ ઉખડી ગયેલો છે. સરકાર દ્વારા શાળાના ઓરડા બનાવવા માટે પૂરતી ગ્રાન્ટ અપાતી હોવા છતાં નબળી કક્ષાની કામગીરી કેમ થાય છે? એવા સવાલો ચર્ચાનો વિષય બન્યા છે.
ઓરસંગમાં ગટરનું પાણી છોડાતાં સમસ્યા:20 દિવસમાં જ કમળના 120 કેસ નોંધાયાં
છોટાઉદેપુર નગરમાં પાણી જન્ય રોગનો કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 20 દિવસમાં 120 જેટલા કમળાના દર્દીઓ નોંધાયા છે. સ્થાનિક લોકો નગર પાલિકાના વોટર વર્કસમાં ગટરનું પાણી મિક્ષ થતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. છોટા ઉદેપુર નગરમાં પાણીજન્ય રોગનો પ્રકોપ વધી ગયો છે.છેલ્લા 20 દિવસમાં જ 120 જેટલા દર્દીઓ કમળા,ઊલટી,પેટમાં દુખાવો જેવા રોગોનો શિકાર બન્યા છે.અને સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લેવા જઈ રહ્યા છે. છોટા ઉદેપુર નગરમાં પાણીજન્ય રોગનો પ્રકોપ વધતા સ્થાનિક લોકો નગર પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.અને નગરની ગટર વ્યવસ્થા ફેલ થઈ ગઈ હોવાના કારણે ગટરનું પાણી ઓરસંગ નદીમાં છોડવામાં આવે છે અને આ ગટરનું પાણી વોટરવર્ક્સમાંથી લોકોના ઘર સુધી પહોંચાડતા પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો હોવાનું માની રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 120 જેટલા કમળાના દર્દીઓ નોંધાયા હોવાનું હાજર ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગટરનું પાણી ઓરસંગમાં મિક્સ થતાં રોગચાળો ફેલાય છે છોટા ઉદેપુર નગરમાં પાણી જન્ય રોગોના કેસ જોવા મળી રહ્યા છે.જે ખરેખર ચોમાસામાં થતા હોય છે.પણ અહીં શિયાળામાં જોવા મળી રહ્યો છે.જે ખરેખર પાલિકાની નિષ્ફળતાના લીધે છે.પાણી ચોખ્ખું નગરની જનતાને આપવું જોઈએ તે અપાઈ શકતા નથી.છોટાઉદેપુર નગરમાં પાણીની આવકનો સોર્સ ઓરસંગ નદીમાંથી છે.અને ખુલ્લી ગટરનું પાણી પણ ઓરસંગમાં જઈ રહ્યું છે. એ બે મિક્ષ થતું હોવાને લીધે આ રોગો ફાટી નીકળ્યા છે. > સુલેમાન રલીયા, સ્થાનિક આગેવાન, છોટા ઉદેપુર 120 દર્દી પોઝિટીવ આવ્યા છેછોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં આજરોજ પેટમાં દુઃખાવો,ઉબકા આવવા,પેશાબમાં પીળું આવવો,જેવા લક્ષણો સાથે 20 જેટલા દર્દી અમારે ત્યાં એડમિટ થયા છે. અને છેલ્લા 20 દિવસથી 120 જેટલા દર્દી આના પોઝિટિવ આવ્યા છે. જે ખરાબ પાણી પીવાથી ,એક બીજાંના ખરાબ હાથ પકડી લેવા, સંડાસ ગયા પછી હાથ નહીં ધોયા વગર ખાઇ લેવું. આવા દર્દીઓ આવ્યા છે. આ વાઈરસ છે તે હિપેટાઇટિસ એ કહેવામાં આવે છે. > ડૉ.શૈલેષ રાઠવા,ઇમરજન્સી વોર્ડ,જનરલ હોસ્પિટલ,છોટા ઉદેપુર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:છોટાઉદેપુરમાં 1000 ખેડૂતોને સડેલું બિયારણ અપાયું
છોટાઉદેપુર ખાતે આવેલી જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર જી એસ એફ સી ઉપર આજરોજ ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું હોવાનો સાથે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. આ બિયારણ 1000 જેટલા ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. સડેલું બિયારણ આપવામાં આવતા ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ભારે રોષે ભરાયા હતા. છોટાઉદેપુર તાલુકાના પાધરવાટ સહિત આસપાસના ગામોના લોકો ખેડૂતો બી પી એલ લાભાર્થીઓ છોટાઉદેપુર ખાતે આવેલી જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર બિયારણ ની કીટ લેવા આવ્યા હતા. જેમાં અગાઉ તારીખ 14 નવેમ્બરના રોજ જેઓ મકાઈના બિયારણ ની કીટ લઈ ગયા છે તેમાંથી ઘણાએ ખેતરમાં ઓરી પણ દીધી છે. પરંતુ પૂરતી ઉગી નથી 100 માંથી 30% ટકા જેટલી જ મકાઈ ખેતરોમાં ઉગી છે. જ્યારે હાલમાં તાજેતરમાં મળેલી મકાઈના બિયારણનું પેકિંગ ખોલતા તેમાં પણ સડેલી નીકળતાં ખેડુતોએ રોષ વ્યકત કર્યો હતો. ઘણા ખેડૂતોએ ઓરણી કરી દીધી છે પરંતુ તેમાંથી પણ ઘણાને મકાઇ ઉગી નથી તો તેમને નુકસાન પરત આપવામાં આવશે ? તે પ્રશ્ન થઈ પડ્યો છે. અગાઉ કમોસમી માવઠાનો માર સહન કરનારા ખેડુતો માટે શિયાળુ પાક લેવા ખાતરની જરૂર ઉભી થઇ રહી છે. પરંતુ ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળતુ ન હોવાની બુમ ઉઠી છે. બીજી બાજુ જે ખેડૂતોને બીયારણ મળી રહ્યુ છે તે સડેલુ નીકળતાં રોષે ભરાયા છે. અમને બિયારણ બદલી આપે ટ્રાયબલ વિસ્તારમાંથી જે લાભાર્થી છે તેઓ મકાઈના બિયારણની કીટ અગાઉ લઈ ગયા છે. તેઓને ખેતરમાં મકાઈ પૂરતી ઉગી નથી. 100 માંથી 30 % ટકાજ ઉગી છે. જ્યારે હમણાં અમે લોકો લેવા આવ્યા ત્યારે ખોલીને જોઈ તો તેમાં મકાઈનું ખરાબ બિયારણ નીકળ્યું છે. તેથી અમારી માંગ છે કે અમોને બિયારણ બદલી આપવામાં આવે. > રાહુલ અંબાલાલ રાઠવા, આગેવાન પાંધરવાટ બિયારણ લઇને આવે છે તેને બદલી આપીએ છે આ બાબતે અમોએ ખેડૂતોને જણાવ્યું છે કે, અમોને બિયારણ બાબતેની અરજી આપો. ઉપર ફરિયાદ કરીશું. તો કંપની એક્શન લેશે. અને વળતર આપશે. કમ્પ્લેઇન વગર એકશન લઈ શકાશે નહી. ટ્રાયબલ વિસ્તારમાં 1000 જેટલા ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં બગડેલું બિયારણ લઈને આવ્યા છે. તેઓને બદલી આપીએ છીએ અને જેઓએ ખેતરમાં વાવી દીધું છે. તેઓના ફોટોગ્રાફ અને અરજી ઉપર મોકલવામાં આવશે. ત્યારબાદ કંપની નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.> પાર્થ રાજસિંહ ચૌહાણ, કર્મચારી, કિસાન સુવિધા કેન્દ્ર
વોન્ટેડ આરોપી ઝડપાયો:5 જિલ્લાઓમાં 13 લૂંટ-ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ઝબ્બે
દાહોદ પોલીસે પાંચ વર્ષથી વિવિધ જિલ્લાઓમાં લૂંટ અને ઘરફોડ ચોરીની શ્રેણી સર્જી નાસતો ફરતો એક શાતિર આરોપી ઝડપી પાડ્યો છે. અરવલ્લી, રાજકોટ, જામનગર, ભરુચ અને આણંદ જિલ્લામાં કુલ 13 ગુનાઓમાં વોન્ટેડ આરોપી પોતાના વતન વજેલાવ ગામે છુપાયો હોઇ ઝડપી પાડ્યો હતો. દાહોદ LCBની ટીમને બાતમી મળી કે અનેક જિલ્લાઓમાં લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો કલસિંગ ઉર્ફે કલો મગનભાઈ ડામોર (ઉંમર 36, રહેવાસી વજેલાવ, ગરબાડા) પોતાના ઘરે આવ્યો છે. માહિતી મળતાં જ ટીમે સ્થળ પર પહોંચીને આયોજનબદ્ધ રીતે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે અરવલ્લી, રાજકોટ, જામનગર, ભરુચ તથા આણંદ જિલ્લામાં થયેલા કુલ 13 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં આરોપીને જરૂરી કાનૂની કાર્યવાહી આગળ વધારવા સંબંધિત જિલ્લાની પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષથી પોલીસને પલોળતો ફરતો આરોપી આરોપીએ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ઘરફોડ ચોરી તેમજ ધાડના બનાવો અંજામ આપ્યા હતા અને દરેક ગુનાની બાદ સ્થળ બદલતો રહેતો હતો. પોલીસને નજીક આવે તે પહેલાં જ ગામ-શહેર બદલવાની ટેવને કારણે તે લાંબા સમયથી નાસતો ફરતો હતો.
પંચમહાલ જિલ્લાના લીલેસરા, સારગંપુર અને દયાળ કાકરા ગામોમાં છેલ્લા એક મહિનાથી સતત વધતી પશુ ચોરીની ઘટનાઓ સામે સ્થાનિક ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમા ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ ચોરાઈ જવાથી ખેડુતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકને ખેડુતોએ આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે પશુ ચોરો મુખ્યત્વે રાત્રિના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સક્રિય રહે છે. તેઓ ગોધરા–દાહોદ બાયપાસ રોડ પરથી લીલેસરા તરફ પ્રવેશ કરીને તસ્કરીને અંજામ આપે છે. ચોરી માટે સ્કોડા, સ્કોર્પિયો, સ્વિફ્ટ ડિઝાયર, સેન્ટ્રો, ઈન્ડિકા અને મારુતિ વાન જેવી કારોનો ઉપયોગ કરે છે. જેથી પોલીસે મધ્યરાત્રિના પેટ્રોલિંગમાં વધારો કરવાની માગ ઉઠાવી હતી, ખેડુતોનું કહેવું છે કે પશુ ચોરીના બનાવોમાં વધારાને કારણે તેઓ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે. દુધાર પશુઓ બાળકો જેવી ઉછેરવામાં આવતા હોવાથી તેમની ચોરી ખેડુતો માટે આર્થિક તેમજ લાગણીશીલ નુકસાનનું કારણ બની છે. અનેક પશુઓ કતલખાનાઓમાં લઈ જવામાં આવી રહેલા હોવાના શંકાસ્પદ પગલા પણ ખેડૂતોને ચિંતિત કરી રહ્યા છે. તથા તમામ જૂની તેમજ નવી ફરિયાદોની ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવે, ચોરી કરનાર તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપવામાં આવે અને ચોરાયેલ પશુઓ ઝડપીને ખેડૂતોને વળતરરૂપ પરત અપાવવામાં આવે. વધુમાં પોલીસમાં કરાયેલી અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થવાથી ગુનેગારો નિર્ભય બની ગયા હોવાનું ખેડુતોએ જણાવ્યુ છે.
ગોઝારો અકસ્માત સર્જાયો:રાબડાળ પાસે હાઇવે ઉપર ટ્રાવેલ્સની ટક્કરમાં વોલ્વો ગાડીના હેલ્પરનું મોત
ઝારખંડના પંચાયત ચટ્ટી બ્લોક ઘનવાર ગામના મોહમ્મદ સયુમખાન હાસીનખાન ખાન અને તેની સાથે વિજયશંકર જગવિસ પટેલ રહે. ઉત્તરપ્રદેશના ગૌરારસ, અબદુલ કરીમસિંહ આનંદસિંહ, રબીન રખાલ મોઇતી રહે. પશ્ચમિમ બંગાળ, મુસ્તુફાહુસેન મજુમ શેખ રહે. ઝારખંડના વોલ્વો ગાડીમાં ટ્રાન્સફાર્મરનો સામાન ભરી લઇ વડોદરાના કરજણથી નીકળી મધ્યપ્રદેશના સિગ્રોલી જઇ રહ્યા હતા. દરમિયાન દાહોદના રાબડાળ ગામે રોકાઇ 30મીના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં ગાડી લઇને જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન તેમની ગાળી ધીમે ધીમે ચાલતી હતી અને હેલ્પર દીપ નારાયણ દુલારચંદ્ર રોડ પર લાલ કલરની રીફ્લેક્ટર સીગ્નલ લાઇટ લઇને પાછળથી આવતા વાહનને ધીમે રાખવા બતાવતા ગાડીની પાઠળ ધીમે ધીમે ચાલતો હતો. તે દરમિયાન પેસેન્જર ભરેલ ચામુંડા ટ્રાવેલ્સ લખેલી ગાડી વાળાએ તેની ગાડી બેદરકારીથી હંકારી ચાલતાં દીપ નારાયણ દુલારચંદ્ર રામને ટક્કર મારી ગાડી મુકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તને દાહોદ ઝાયડસ હોસ્પિલ લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મોહમ્મદ સયુમખાન ખાને શ્રી ચામુંડા ટ્રાવેલ્સના ચાલક સામે દાહોદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો કાર્યવાહી હાથ ધરી હતી.
જાગૃતિ રેલીનું આયોજન:દાહોદ અર્બન હોસ્પિ. રળિયાતીમાં વિશ્વ એઈડ્સ દિવસે જાગૃતિ રેલી
વિશ્વ એઈડ્સ દિવસ (1 ડિસેમ્બર)ની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે દિશા–ડાપકુના માર્ગદર્શન હેઠળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં HIV/AIDS અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ વિભાગો અને સંસ્થાઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઈ.વી. અધિકારી ડો. આર.ડી. પહાડિયા, અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી અને પ્રોજેક્ટ ડિરેક્ટર નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિશ્વ એઈડ્સ દિવસનો મુખ્ય હેતુ HIV/AIDS અંગે સમાજમાં યોગ્ય જાગૃતિ ફેલાવવો, સંક્રમણ અને નિવારણના ઉપાયો અંગે સાચી માહિતી પહોંચાડવી તેમજ HIV પીડિત વ્યક્તિઓને સહાય અને સમર્થન આપવા પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષની થીમ “એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દૂર કરો” રાખવામાં આવી છે.તેમજ આયોજિત કરાયેલી રેલી રળિયાતીથી પ્રસ્થાન કરી માર્કેટયાર્ડ, દોલતગંજ બજાર, નગરપાલિકા, ભગીની સમાજ અને ઝાયડસ હોસ્પિટલ માર્ગેથી આગળ વધતી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ હતી. માર્ગ દરમિયાન વિવિધ સૂત્રોચારો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રેલીમાં TI પ્રોજેક્ટનો સમગ્ર સ્ટાફ, એસ.આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગની પ્રિન્સિપાલ કે.એ. લતા તથા નર્સિંગ વિદ્યાર્થીઓ, લિંક વર્કર સ્કીમનાં કર્મચારીઓ તથા દિશા ડાપકુનાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દયનીય હાલત:ગોધરા સિવિલમાં પ્રસૂતા માટે બેડ 47 અને દર્દી 74
ગોધરાની સિવિલ હોસ્પિટલના પ્રસુતા વોર્ડમાંક્ષમતા કરતા વધુ પ્રસુતાની સારવાર ચાલીરહી છે. સગવડના અભાવે એક બેડ પર બેપ્રસુતા સુવવા મજબુર બની રહી છે. નવજાતબાળકોના સ્વાસ્થ્યને જોખમ હોવાથી સિવિલતંત્ર દ્વારા યોગ્ય સગવડ ઉભી કરવામાં આવેતેવી દર્દીના સગાઓની માંગ ઉઠી છે. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં શહેર સહિતજિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવારમાટે આવતા હોય છે. મેડીકલ કોલેજ માન્યસિવિલ હોસ્પિટલ હોવા છતા તંત્ર દ્વારા યોગ્યસગવડ ઉભી ન કરાતા હોવાની ધટનાઓવારંવાર બનતી હોય છે. જેને લઇને દર્દીઓનેભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આરોગ્યલક્ષી સગવડોનો ગંભીરઅભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સિવિલહોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં માનવતા મરીપરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.હોસ્પિટલના સત્તાવાર રેકોર્ડ મુજબ પ્રસુતિવિભાગની કુલ બેડની ક્ષમતા માત્ર 24 છે. પરંતુ હાલમાં 35 થી વધુ પ્રસુતાઓની સારવારચાલી રહી છે. ક્ષમતા કરતાં દોઢ ગણી વધુપ્રસુતિ મહિલાઓની સારવાર ચાલતી હોવાથીએક બેડ પર બે પ્રસુતા મહિલાઓનેસુવડાવવામાં આવે છે. જેથી નવજાતબાળકોના સ્વાસ્થ્યને જોખમ ઉભુ થવાને કારણેદર્દીઓના સગામાં સિવિલ તંત્ર સામે છુપો રોષજોવા મળી રહ્યો છે. 2 વોર્ડમાં 47 બેડની સામે74 દર્દીઓ સારવારમાંગોધરા સિવિલમાં પ્રસુતિ અનેમહિલા વોર્ડમાં 47 બેડની સામે 74દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.પેસન્ટોનો ધસારો હોવાથી થોડીતકલીફ પડી રહી છે. હોસ્પિટલતરફથી દર્દીઓને કોઇ તકલીફ ન પડેતે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવીરહ્યા છે. > ડૉ તનીશ બાલવાની ,મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ,ગોધરા. પ્રસૂત માતાઓની સિવિલમાં કફોડી હાલત, બાળકોમાં સંક્રમણનો માતાઓને ભયગોધરા હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં સગવડના અભાવે એક બેડ પર બે પ્રસુતા સુવવા મજબુરબની રહી છે. જેથી દાખલ પ્રસૂતા માતાઓની હાલત અત્યંત કફોડી અને દયનીય જોવા મળી રહીછે. દાખલ થયેલી પ્રસુતાઓ બાળકને જન્મ આપ્યા પછી આરામની જગ્યાએ અજાણી મહિલાસાથે જગ્યા વહેંચવી પડતા આક્રોશ વ્યક્ત કર્યો છે. નવજાત બાળકને અને પ્રસુતા મહિલાને સંક્રમણનો ડર લાગે છે. મહિલા બાળકનેશાંતિથી સ્તનપાન પણ કરવી શકતી નથી. સિવિલ હોસ્પિટલની ગંભીર સ્થિતિને જોતા, તાત્કાલિક ધોરણે પ્રસુતિ વિભાગમાં બેડની સંખ્યાવધારવામાં આવે જેથી માતા અને બાળકને પૂરતી અને સારી સારવાર મળી શકે. દર્દીઓની ફરિયાદ રજાઆપતા નથીગોધરા સિવિલમાં પંચમહાલ-મહિસાગરસહિત અન્ય રાજયોમાંથી દર્દીઓસારવાર માટે આવતાં હોય છે. સારવારમાટે આવતાં ગરીબ દર્દીઓે માટેઆર્શિવાદ સમાન આ સિવિલહોસ્પિટલ સાબીત થઇ રહી છે. પરંતુપ્રસુતી વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધતાભારે માતાઓને ભારે તકલીફ વેઠવાનોવારો આવે છે. એક દર્દીના વાલીએ કીધુકે અમારે રજા જોઇએ છે પણ આપતાન હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગ્રામસભા ગરમાઈ:ઝાલોદ–લીમડી તાલુકા સીમા વિવાદ ફરીથી ઉગ્ર બન્યો, લીમડીમાં જ રાખવા ઠરાવ
ઝાલોદ તાલુકામાંથી નવી રચાયેલ ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં ચાર ગામોને સમાવેશ અંગેનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. પેથાપુર, બેલેન્ડિયા, વખતપુરા અને પીપલેટ ગામોને ઝાલોદમાં જ રાખવા લેટરપેડ પરથી રજૂઆત કરાઇ હોવાનું બહાર આવતા ગ્રામજનોમાં નારાજગી ફાટી નીકળી છે. ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની રચના સમયે પેથાપુર, બેલેન્ડિયા, વખતપુરા અને પીપલેટ આ ચારેય ગામોનો સમાવેશ નવા તાલુકામાં કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં કોઈ આધિકૃત ઠરાવ વિના માત્ર લેટરપેડ પરથી આ ગામોને ઝાલોદ તાલુકામાં રાખવા માટે ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી. આ બાબત ગ્રામજનોને જાણ થતાં અસંતોષ ફેલાયો હતો. આ વચ્ચે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા પેથાપુર સહિતના ગામોના રિસફેસિંગ માર્ગોના ભૂમિપૂજન માટે આવ્યા હતા. ત્યારે ગ્રામજનોએ ધારાસભ્ય સમક્ષ ચારેય ગામોને લીમડી તાલુકામાં જ રાખવા જોરદાર રજૂઆત કરી હતી. ગ્રામજનોની માંગને પગલે સોમવારના રોજ સંયુક્ત ગ્રામસભા યોજવામાં આવી હતી. સભામાં ચારેય ગામોને ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં જ રાખવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જો કે ચર્ચા દરમ્યાન મુદ્દો ઉગ્ર બનતાં ગ્રામસભા તંગદિલ બની ગઈ હતી. ઝાલોદમાં સમાવવા ખોટી રજુઆત કરી છેઆ સભા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની આગેવાનીમાં યોજવામાં આવી હતી. જે અંગે પૂર્વ ઉપ સરપંચ અને ગ્રામ્યજનો દ્વારા પંચાયતના લેટરપેડ ઉપર ઝાલોદમાં સમાવવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. આ લેટરપેડ મે માત્ર લાયબ્રેરી બનાવવા આપેલ પરંતુ મારી જાણ વગર આ લેટરપેડનો દુરપયોગ કરવામાં આવેલ અને ઝાલોદમાં સમાવવા ખોટી રજૂઆત કરી છે.> રાજુભાઈ ખડીયા, સરપંચ
ગોઝારો અકસ્માત:અલીન્દ્વા ચોકડી પાસે ટ્રેક્ટર -બાઇકના અકસ્માતમાં 1 મોત
સાવલી તાલુકાના દીપાપુરા ગામે રહેતા ચેતનકુમાર ગોહિલનો ભત્રીજો ભૂમિષકુમાર દશરથસિંહ ગોહિલ હાલોલ જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. ગત સપ્તાહે મોટરસાયકલ લઈને આવતો હતો ત્યારે અલીન્દ્રા ચોકડી પાસે ટ્રેક્ટર ચાલકે ભુમિષની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરીને ચાલક ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ભૂમિષકુમારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર બાદ માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મરણ થયુ હતું. બનાવ બાબતે કાલોલ પોલીસમાં મૃતકના કાકા ચેતનકુમાર ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:ભરૂચ જિલ્લાના સાત હજાર ખેડૂતોને પાકનીનુકસાની બદલ પેકેજમાંથી 24 કરોડ મળ્યાં
ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકશાન થયું છે. ત્યારે સરકાર તરફથી 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને ગ્રામ પંચાયતમાં વીસીઇ અને વીએલઇના માધ્યમથી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભરાવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં 89 હજાર જેટલા ખેડૂતોએ સહાય માટે ફોર્મ ભર્યા છે. કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કેઆરપી પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે.14 નવેમ્બર થી પાક સહાય માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થતાં કેટલાક ખેડૂતો સહાય માટે રહી નહીં જાય તે માટે અરજી કરવાની તારીખ લંબાવી 5 ડિસેમ્બર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જેમ જેમ ખુડૂતોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. તેનું તાલુકામાં ખરાઈ કરીને જિલ્લા ખેતી વિભાગમાં આવતા તેની તાત્કાલિક મંજૂર કરતા સહાયની રકમ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 7 હજાર ખેડૂત ખેડૂતોને રૂપિયા 24 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં હાલ ડિઝાસ્ટર રિલિફ ફંડ માંથી સહાય આપવામાં આવી રહી છે. ત્યારે હવે ખેડૂતો સહાય મેળવવા માટે 5 ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને ફોર્મ ભરવા માટે ખેતીવાડી અધિકારીએ નુકસાન થયેલા ખેડૂતોને અનુરોધ કર્યો છે. સપ્તાહમાં જ પ્રથમ સહાયરકમ ખાતામાં આવી ગઇમારે સાડા ત્રણ એકરમાં તુવેરનો પાક ખરાબ થયો હતો ત્યાર બાદ હવે ઘઉં નો પાક કરવો પડ્યો છે. સરકારે સહાયની જાહેરાત કરતાં મે ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ એક સપ્તાહમાં મને સહાયની રકમ 27 હજાર જેટલી ખાતામાં આવી ગયા છે. હજી બીજો હપ્તો એટલે કે બીજા પ્રકારની સહાયની રકમ બાકી છે. જે ટૂંક સમયમાં આવી જશે તેવું જણાવવામાં આવ્યું છે. > ધવલ પટેલ, ખેડૂતો બે હપ્તાની રકમ મળી રૂ. 37હજાર ખાતામાં આવ્યા છેઆ વર્ષે માવઠાને કારણે પાકમાં મોટું નુકશાન થયું છે. તેના માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મે સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યાના 12 દિવસમાં મારા ખાતામાં સહાયની રકમ આવી ગઈ છે. જેમાં પહેલા 23 હજાર અને બીજા હપ્તામાં 14 હજાર આમ કુલ 37 હજારની રકમ મારા ખાતામાં આવી ગઈ છે. મારે અંદાજે કપાસ અને તુવરના પાકમાં 5 એકર જેટલા વિસ્તારમાં નુકસાન થયું હતું. > રોશન પટેલ, ખેડૂત આ કારણોથી સહાયની અરજી ના મંજૂર થઇ શકે છેભરૂચ જિલ્લામાં ખેડૂતો સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે. ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ અરજી કેટલાક કારણો સર રદ કરવામાં આવી શકે છે. જેમાં મુખ્ય કારણ બહાર ગામ રહેતા હોય, સંયુક્ત ખાતેદારમાં સંમતિ ન મળી હોય, ટ્રસ્ટની જમીન હોય કે મંદિરની જમીન હોય. પાક નુકસાન ન થયું હોય અને ફોર્મ ભર્યા હોય તેમજ પાક સેટેલાઈટમાં જુદો બતાવતું હોય તો અરજીના મંજૂર કરવામાં આવશે.
અંકલેશ્વરમાં 7મી ના રોજ સારંગ હેલિકોપ્ટરનો એર શો યોજવામાં આવશે. અમરતપુરા પાસે નિર્માણ પામી રહેલી એર સ્ટ્રીપ ખાતે આ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના સહયોગથી અંકલેશ્વર ખાતે 6 તારીખના રોજ રિહર્સલ અને 7મીના રોજ એર શો યોજવામાં આવશે. એર શો માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ,આરોગ્ય, ફાયર એન્ડ સેફ્ટી, પ્રોટોકોલ, આમંત્રણ, ઓડિયન્સ સહિત અન્ય સંબંધિત વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલીથાય તે માટે જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આરડીસીની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી.એર શો દરમિયાન જનસમુદાયની સુરક્ષા, સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સમન્વય જાળવવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 31મી ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કેવડિયામાં ભારતીય વાયુસેનાની સુર્ય કિરણ ટીમનો એર શો યોજાયો હતો. ભાસ્કર નોલેજમોરના રંગમાં રંગાયેલા હેલિકોપ્ટરનો ઉપયોગસારંગ ટીમ ધ્રુવ એમ.કે -I હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ટીમ પ્રદર્શન દરમિયાન સફેદ ધુમાડો ઉત્પન્ન કરવા માટે ખાસ મોર રંગના રંગમાં રંગાયેલા અને વિશિષ્ટ કેનિસ્ટરથી સજ્જ પાંચ હેલિકોપ્ટરનો વપરાશ એર શો માટે કરાઇ છે.
વેધર રિપોર્ટ:આગામી ચાર દિવસ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી જશે
ભરૂચ જિલ્લામાં બે દિવસથી મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થય રહ્યો છે. અને લઘુત્તમ તાપમાન 21 ડીગ્રી રહ્યું છે. જેના કારણે દિવસે ગરમી અને વહેલી સવારે થોડી ઠંડી અનુભવાય હતી. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 27 થી 50 ટકા અને પવનની ગતિ ઘટીને 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન ઘટી 30 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે હાલ વાતાવરણ સાફ રહેતા કપાસનો પાક તૈયાર થઈ ગયો છે તે ખેડૂતોએ કપાસની વીણી કરી લેવાનો યોગ્ય સમય છે. સાથે પવનની ગતિ ને ધ્યાને લઈને ખેતી પાકમાં દવા તેમજ ખાતર નાખવા માટે સલાહ આપવામાં આવી છે.
રવી સીઝનમાં ખેડૂતોને ફાયદો:સરકારે 2265 મેટ્રીક ટન યુરિયા ખાતર મોકલ્યું
ભરૂચ જિલ્લામાં રવિ પાકના વાવેતર માટે 2265 મેટ્રિક યુરિયા સહિત અન્ય ફોસ્ફેટિક ખાતર 2 હજાર મેટ્રિક ટન ઉપલબ્ધ છે. તેથી ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તેવું નાયબ ખેતી નિયામકે આયોજન કર્યું છે. ભરૂચ જિલ્લામાં હાલ રવિ કૃષિ પાકોનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં ખેડૂતો ઘઉં, શાકભાજી કઠોળ પાક મળી અંદાજે 50 હજાર હેક્ટર થી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેતી દરમિયાન યુરિયા અને ફોસ્ફેટિક ખાતરોની જરૂરિયાત ખેડૂતોમાં ખૂબ રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોમાં યુરિયા ડીએપી જેવા ખાતરો ની અછત હોવાની બૂમ પડી રહી છે. ખેડૂતોને સમયસર યુરિયા ખાતર અને અન્ય ફોસ્ફેટિક ખાતરો નહીં મળી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. એવા સમયે ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ડીએપી અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ખેડૂતોને રવિ પાક વાવેતર દરમિયાન ખાતર બાબતે કોઈ સમસ્યા ઉપસ્થિત ન થાય તે બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તેવું નાયબ ખેતી નિયામક પીએસ રાંક તરફથી જણાવવામાં આવ્યું હતું. આમ જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ 2265 મેટ્રિક ટન યુરિયા અને 2000 મેટ્રિક ટન જેવા અન્ય ફોસ્ફેટિક ખાતરો ઉપલબ્ધ છે. જેથી રવિ સીઝનમાં વાવેતર બાદ ખેડૂતોને ખાતરની અછત પડશે નહીં.
શિક્ષણના સ્તરનું મુલ્યાંકન કરાયું:સનદી અને પોલીસ અધિકારીઓએ સામોટ પ્રા. શાળાની મુલાકાત લીધી
દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક જૂથશાળા સામોટ ખાતે આઇપીએસ, આઇએએસ અને આઇએએફ જેવી વિવિધ કેન્દ્રીય સેવાના ટ્રેઇની અધિકારીઓએ નિરીક્ષણ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓએ વર્ગખંડોમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો તથા તર્કશક્તિ સંબંધિત પ્રશ્નો પૂછી તેમના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું. આચાર્ય તથા શિક્ષકો પાસેથી શાળામાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, આરોગ્ય- પોષણ, રમત ગમત, ડિજિટલ શિક્ષણ, વિદ્યાર્થીઓની હાજરી તેમજ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નોંધનીય છે કે, આવા નિરીક્ષણ મુલાકાતો દ્વારા શાળાઓમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ, વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પરિણામો, યોજનાઓની અસરકારકતા તથા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ઊભા થતા પડકારોને સમજવાની તક મળે છે. ભાસ્કર નોલેજસ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત 16 અધિકારીની પસંદગી કરાઇસ્પીપા અમદાવાદ તરફથી કેન્દ્રીય સેવાના અધિકારીઓ માટે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ હેઠળ નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામ ખાતે રોકાણ કરીનેકુલ 16 અધિકારીઓ બે જૂથમાં વહેંચાઈને તા. 5 ડિસેમ્બર સુધી જિલ્લાના વિવિધ આદિવાસી બહુલ ગામોમાં રહીને ગ્રામીણ વાસ્તવિકતાનો ઊંડો અભ્યાસ કરશે. વાસ્તવિકતાથી અવગત થવાનો આશયઓફિસર ટ્રેઇનો મુખ્ય આશય ગામડાંમાં કાર્યરત સંસ્થાઓનું મૂલ્યાંકન કરવું,ગ્રામીણ સમાજની સામાજિક-આર્થિક-રાજકીય સ્થિતિ સમજવી, સ્થાનિક પડકારો ઓળખવા, સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પોષણની વાસ્તવિક સ્થિતિ જોવી તેમજ સરકારી તેમજ બિન-સરકારી હસ્તક્ષેપોનીઅસરકારકતાનું નિરીક્ષણ કરીને ગ્રામીણ વાસ્તવિકતાનો ઉંડો અભ્યાસ કરવાનો છે.
ભાસ્કર એનાલિસીસ:છોટુ વસાવાનો ગઢ ગણાતી બેઠક પર ભાજપ 23,500 મતથી જીત્યું
ભરૂચ જિલ્લામાં હાલ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ( સર)ની કામગીરી ચાલી રહી છે. પહેલી ડિસેમ્બર સુધીમાં થયેલી કામગીરી દરમિયાન જિલ્લામાં નોંધાયેલાં 13.10 લાખ મતદારોમાંથી 56,691 મતદારો મૃત હોવાનું બહાર આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પર 2022માં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તે સમયે 2.58 લાખ મતદારો નોંધાયેલાં હતાં અને તેમાંથી 1.91 લાખ મતદારોને મતદાન કર્યું હતું. આ બેઠક પર પ્રથમ વખત ભાજપના ઉમેદવાર 23,500 મતથી વિજેતા બન્યાં હતાં. હાલમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરી દરમિયાન ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 11,620 મૃત મતદારો મળી આવ્યાં છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં હાલ ખાસ મતદારયાદી સુધારણા ( સર)ની કામગીરી ચાલી રહી છે. પહેલી ડિસેમ્બર –2025ની સ્થિતિએ જિલ્લામાંથી 56,691 મૃત મતદારો મળી આવ્યાં છે. ખાસ મતદારયાદી સુધારણાની કામગીરી હવે 11મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.મતદારયાદી સુધારણા હેઠળ ભરૂચ જિલ્લામાં 78.10 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ભરૂચની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં પહેલી ડિસેમ્બર–2025 સુધી થયેલી કામગીરીની વાત કરવામાં આવે તો જિલ્લાના કુલ 13.10 લાખ મતદારોને સરની કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યાં હતાં. બુથ લેવલ ઓફિસર મારફતે 13.09 લાખ મતદારો સુધી ફોર્મ પહોંચાડવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં કુલ 10.23 લાખ ફોર્મનું ડિજિટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. જેમાં 411 ફોર્મનું મતદારોએ જાતે જયારે 10.23 લાખ ફોર્મનું બીએલઓ મારફતે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. મતદારયાદી સુધારણાની કામગીરી દરમિયાન પાંચ વિધાનસભા મત વિસ્તારમાંથી 56 હજાર મૃત મતદારો મળી આવ્યાં છે. મતલબ કે આ મતદારોના મૃત્યુ થઇ ગયાં હોવા છતાં તેમના નામ મતદારયાદીમાં યથાવત રહયાં હતાં. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. ઝઘડિયા બેઠક પર સૌ પ્રથમ વખત ભાજપના ઉમેદવાર 23,500 મતથી વિજેતા બન્યાં હતાં. મતદાર યાદી સુધારણામાટે એક સપ્તાહનોસમય વધ્યોગુજરાત રાજયમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરી એક સપ્તાહ માટે લંબાવવામાં આવી છે. પહેલાં ચાર ડિસેમ્બર સુધી કામગીરી ચાલવાની હતી પણ હવે તે 11મી સુધી ચાલશે. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની કલેકટર ગૌરાંગ મકવાણાએ અધિકારીઓ તથા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. SIR અંતર્ગત થયેલી કાર્યવાહી વિધાનસભા વાર કુલ અને મૃત્યુ પામેલા મતદાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીતનું માર્જીન
ચુડાના મોરવાડ અને સમઢિયાળા ગામોમાં તંત્રની મીલીભગત કે રહેમ નજર હેઠળ ચાલતી રેતી ચોરી બંધ કરાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. વોશ પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. બેફામ, બેખોફ બનેલા ભૂમાફિયા રેતી ચોરી કરી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે. સમઢિયાળા અને મોરવાડ ગામોની નદીમાં રેતી ચોર કરતાં રેત માફિયાઓ તમામ હદ વટાવી ગયા છે. રેત માફિયાઓ નદીમાં રહેલા કુવા ખોદી નાંખ્યા છે. નદીમાં રેતી પાણીનો સંગ્રહ કરે છે. ભૂમાફિયા ચારેય બાજુથી રેતી કાઢી કુવા ઉઘાડા કરી નાંખે છે. જેનાથી પાણીના તળ નીચે ઉતરી ગયા છે. કુવામાં પાણી નહીં રહેતા જગતના તાત દયનીય સ્થિતિમાં મૂકાઈ ગયા છે. રેતી ચોરી કરી નદીનો પટ તળિયા ઝાટક કરનાર ભૂમાફિયા ગૌચર જમીનમાં રેતી કાઢવાનું શરૂ કરી દીધું છે. રેતી અને વીજ ચોરી અટકાવવાની જવાબદારી સંભાળતા અધિકારીઓ આળસ ખંખેરીને મોરવાડ અને સમઢિયાળા ગામોમાં થતી રેત અને વીજ ચોરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે. માત્ર દેખાડા પૂરતા જ દરોડા, 2-4 દિવસ પછી ફરી પાછી ચોરી ચાલુ નામ નહીં આપવાની શરતે એક ગ્રામજને જણાવ્યું હતું કે રેતી ચોરી રોકવા માટે ક્યારેક દરોડા થાય પણ આ દરોડા ખાલી દેખાડા પૂરતા થતાં હોય એવું લાગે છે. અધિકારીઓ દરોડો કરે પછી 2-4 દિ' ચોરી બંધ થઈ જાય અને ફરી પાછું રેતી ચોરવાનું ચાલુ થઈ જાય! રેત માફિયાઓએ આખે-આખી નદી ખાલી કરી નાખી છતાં તંત્રને ખબર ન હોય એ વાત ગળે ઉતરે ખરી?
ટ્રાફિક ડ્રાઇવનું આયોજન:ધ્રાંગધ્રા બેફામ બાઈક ચલાવતા 10 વાહન ઝડપ્યા, 20 હજારનો દંડ
ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરના વિવિધ વિસ્તાર ટ્રાફિકની ફરિયાદ અને જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને પીએસઆઈ તથા ટ્રાફિક જમાદાર દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો તથા લાયસન્સ કાગળો વગરના વાહનચાલકો શહેરમાં રોફ જમાવતા 10ને દંડ્યા હતા. ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાની ફરિયાદને લઈને જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને સિટી પીઆઈ એમ.યુ. મશીની સૂચનાથી પીએસઆઈ એ.કે. વાઘેલા, ટ્રાફિક કોસ્ટેબલ, મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફ દ્વારા જોગાસર પાણીની ટાંકી, ફુલેશ્વર મંદિર, રોકડિયા સર્કલ, સહિતના વિસ્તારમાં રોમિયોગીરી કરતા બાઈક ચાલકોને મેમો આપ્યા હતા. તથા ફેન્સી નંબર પ્લેટ 10 બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 20 હજારનો દડ કરી ટ્રાફિક સમસ્યા દૂર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને આંબેડકર સર્કલ અને રોકડીયા સર્કલ વિસ્તારમાં ઈકો ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગને દાદાગીરીને લઈને લોકો અને વાહનચાલકો પરેશાન થઈ જાય છે.
મહિલા શૌચાલયને તાળાં:થાનના નવા બસ સ્ટેશનમાં ગંદકીના ઢગ
ભાસ્કર ન્યૂઝ|થાન થાનગઢ વર્ષ પહેલાં 2024માં રૂ.1.69 કરોડના ખર્ચે થાનગઢ શહેરને નવું અને સુંદર બસ સ્ટેશન મળ્યું હતું. પરંતુ તંત્રની બેદરકારી અને લોકોની અસહકારને કારણે આજે તેની હાલત દયનીય બની ગઈ છે. બસ સ્ટેશનની અંદર ઠેર ઠેર ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. થાનગઢમાં વર્ષ 2024માં નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2 વર્ષમાં બસસ્ટેન્ડ બિસમાર બની ગયું છે. બસ સ્ટેશન સારું અને સુંદર લોકોને મળ્યું પણ લોકો પણ કચરો ગમે ત્યાં નાખે છે. બસ ડેપોમાં પણ ડસ્ટબીન નથી જ્યારે શૌચાલયની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં છે. મહિલા માટે અલગ શૌચાલય બનાવવામાં આવેલ પણ ત્યાં તાળું મારેલું છે. અત્યારે એક જ શૌચાલયની અંદર મહિલા અને પુરુષ શૌચાલયમાં જતા હોય છે. આથી ઘણી વાર મહિલા અંદર હોય તો પુરુષ જતા રહે છે પુરુષ હોય તો મહિલા જતા શરમજનક હાલત થતી હોય છે. મહિલા શૌચાલય બનાવવાનું કારણ શું ખરેખર તે ચાલુ હોવું જોઈએ સાફ-સફાઈ કુળાના કચરા લોકોની બેદરકારી હિસાબે કચરો જ્યાં ત્યાં ફેંકતા હોય છે. એવી જ રીતે ડેપોવાળાએ ડસ્ટબિન મૂકવા જોઈએ. 50,000ની વસ્તીમાં 19 બસ ચાલે છે. અત્યારે બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં નગરપાલિકાના પણ સંસાધનો રાખવામાં આવે છે. પાણીની વ્યવસ્થા માટે કુલર મુકવામાં આવેલ છે પણ પાણી ચોખ્ખું મળતું નથી. તાત્કાલિક શૌચાલય સફાઈ કામ કરાવવામાં આવે અને મુસાફરો માટે સુવિધા શરૂ કરવા માંગ છે.
સરકારની સૈદ્ધાંતિક મંજૂરી:5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ સાથે તળાવ ભરાશે
ધ્રાંગધ્રાના આગેવાનો અને નગરજનોની છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલી માંગણી અને મહેનત આખરે સફળ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ધ્રાંગધ્રાના ઐતિહાસિક માનસાગર તળાવ ભરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ધ્રાંગધ્રાના બગીચાના કાંઠે અને આર્મીના કાંઠે આવેલું માનસાગર તળાવ ભરવા માટે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા પ્રયાસ કરવામાં આવતા હતા. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફીસ મોન્ટીલભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા 15 વર્ષથી ધાંગધ્રાની માનસાગર તળાવ ભરવા માટેની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. આમ લાંબા સમયની મહેનત બાદ આગેવાનોની મહેનત રંગ લાવી છે અને માનસાગર તળાવ ફરવા માટેની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મંજૂરી આપવામાં આવી છે. 5 કરોડના ખર્ચે આ માનસાગર તળાવ ભરી અને એનું ફરતે ડેવલોપિંગ કરાશે. માનસાગર તળાવ 4 કિમી ફરતી ત્રિજયામાં આવેલો આમી રાજમહેલ કોલેજ અને બગીચાનો વિસ્તાર આવેલો છે. ત્યારે નગરપાલિકા દ્વારા 4 બોર પણ બનાવાયા છે. ત્યારે તળાવ ભરવાથી પાણીના તળ ઊંચા આવશે. હરીયાળો વિસ્તાર બનશે. બોટિંગ, ગેમ ઝોન, બગીચો, રેસ્ટોરન્ટ બનશેમાનસાગર તળાવ ભરવા સાથે કાંઠા વિસ્તારને ડેવલપમેન્ટ કરી તળાવમા બોટીંગની, પીકનીક પેઈન્ટ, બાળકો માટે ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ નગરપાલિકા દ્વારા સુવિધા ઉભી કરવામાં આવશે. જેને લઈને લોકો હરી ફરી શકે મજા માણી શકે તે માટે તે માટેનું આયોજન કરવામાં આવશે. > કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ
પોલીસ કાર્યવાહી:ટ્રકોમાંથી ડીઝલ ચોરી ઝડપી 19,825નો મુદ્દામાલ જપ્ત કર્યો
સાયલા પોલીસે નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી હોટલો પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. સાયલા ઇન્ચાર્જ પી.આઈ. ડી.ડી. ચુડાસમાની આગેવાની હેઠળની ટીમે ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, ગોસળ ગામના બોર્ડ પાસે આવેલી યુ.પી., બિહાર, દરભંગા હોટલનો સંચાલક રાજેશભાઈ રબીભાઈ શાહ રહે. બિહાર ચોરી કે છળકપટથી વાહનોમાંથી ડીઝલ કાઢી પોતાના કબજામાં રાખી વેચાણ કરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી હોટલના ગ્રાઉન્ડમાં આવેલા શૌચાલયના ઉપરના ભાગે સંતાડેલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.સાયલા પોલીસે રાજેશ શાહને ઝડપી પાડી તેની પાસેથી 215 લિટર ડીઝલ કિંમત રૂ. 19,350 , ખાલી કેન (કેરબા), માપીયું અને ડીઝલ કાઢવાની નળીઓ સહિત કુલ રૂ. 19,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ગર્વની વાત:ચોટીલાના પાર્થ ખાંભલાને ગુજરાત અંડર 19 ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું
ચોટીલાના પાર્થ જીવાભાઇ ખાંભલાનું પોરબંદર ખાતે છેલ્લા 15 દિવસથી દિલીપ ક્રિકેટ સ્કૂલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ કોચ મહિપાલસિંહ જેઠવા અને મેનેજર સંદીપ ચૌહાણ દ્વારા પ્લેયરને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપ્યું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અન્ડર 19 ક્રિકેટ ટીમ ગુજરાતની પસંદગી કરાઈ હતી. પાર્થ ગોહિલને બોલર તરીકે સિલેક્ટ કરાયો હતો. ગુજરાત અંડર 19 ટીમ બીજી ડિસેમ્બરથી હરિયાણાના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. ત્યારે ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમને શુભકામના પાઠવી હતી. ટીમના કોચ તરીકે મહિપાલસિંહ જેઠવા અને મેનેજરમાં સંદીપ ચૌહાણ ટીમ સાથે જોડાશે. 8માં ધોરણમાં હતો ત્યારથી નિયમિત પ્રેક્ટિસ કરતોપાર્થ ખાંભલાના પિતા જીવાભાઇ ખાંભલાએ જણાવ્યું કે, પાર્થ આઠમા ધોરણથી જ ક્રિકેટમાં બોલર તરીકે વધુ પ્રેક્ટિસ હાથ ધરી હતી.તે અંડર 14માં સ્ટેટ લેવલે બરોડા ખાતે 2020-21માં રમી તેની ક્ષમતા દર્શાવી હતી. આ વર્ષે ગુજરાતની ટીમમાં સિલેક્ટ થતા હરિયાણા ના હિસાર ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
વિકાસના કામનું આયોજન:રૂ.225 કરોડના ખર્ચે માલવણથી દસાડા ફોરલેનની કામગીરી શરૂ
સુરેન્દ્રનગરના દૂધરેજથી વાયા વણા, માલવણ થઇને પાટડીના રસ્તે દરરોજ હજારો વાહનોની અવર જવર રહે છે. ત્યારે આ રસ્તો રૂ.225 કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાલ માલવણથી દસાડા સુધી રસ્તો બનાવવાની કામગીરીઓ આરંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના દૂધરેજથી દસાડા સુધીનો રસ્તો બે માર્ગીય હતો. પરંતુ આ રસ્તા ઉપર દિવસે ને દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે. બહુચરાજી થઇને મહેસાણા તરફ જતો આ મુખ્ય રસ્તો છે. આથી દૂધરેજથી છેક બહુચરાજી સુધી રસ્તાને ફોરલેન બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં હાલ માલવણથી દસાડા સુધીનું કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ દૂધરેજથી પણ રસ્તાનું કામ ચાલુ થશે. આ સ્તાના જ ભાગરૂપી જૈનાબાદમાં રૂ.16 કરોડના ખર્ચે બ્રિજ પણ બનાવાશે. આ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ સુરેન્દ્રનગરની સાથે લખતર, પાટડી સહિતના ગામોને મોટી રાહત થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:સુરેન્દ્રનગર મનપાએ 127વાહન પર હવે GPS સિસ્ટમ લગાવી
સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન, ફાયર અને પાણી પુરવઠાના વાહનો ક્યાં ફરે છે તેની રજિસ્ટરમાં નોંધ રાખવામાં આવતી હતી. પરંતુ તેની ઉપર નજર રાખવામાં આવતી ન હતી. ત્યારે મનપાએ પોતાના કુલ 127થી વધુ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી દીધી છે. આથી હવે દરેક વાહનો ઉપર મનપામાં બેઠા બેઠા નજર રાખી શકાશે. સુરેન્દ્રનગર મનપા પાસે ખાસ કરીને સેનિટેશન વિભાગ, પવડી અને ફાયર વિભાગમાં જુદા જુદા અનેક વાહનો છે. આ ઉપરાંત શહેરમાં ચાલતા પાણીના ટેન્કરો પણ છે. અત્યાર સુધી આ વાહનોનો મોનિટરિંગ રજિસ્ટરથી કરવામાં આવતું હતું. પરંતુ દરેક વાહન ક્યાં ફરે છે તેમાં પણ ખાસ કરીને સફાઇ અને ડોર ટુ ડોર કચરા માટે રાખેલા વાહનો નિયત રૂટ ઉપર સમયસર કચરો એકત્ર કરવા માટે જાય છે કે નહીં તેનું મોનિટરિંગ થઇ શકે તે માટે મનપાએ કુલ 127 વાહનોમાં ચીપ ફીટ કરીને જીપીએસ સીસ્ટમથી સજ્જ કર્યા છે. જેમાં ફાયર વિભાગની એમ્બ્યુલન્સ, સબવાહીની સહિત કુલ 47 વાહનો તથા સફાઇના ડોર ટુ ડોરના 52,26 ટ્રેકટર મળીને કુલ 127 વાહનો જીપીએસની નજર હેઠળ આવી ગયા છે. આ નિર્ણયથી ખોટી રીતે વાહનોનો ઉપયોગ કરનાર ઉપર બ્રેક લાગશે. પાણીના ટેન્કરમાં ગોલમાલ નહીં થાય સંયુકત પાલિકા હતી ત્યારે પાણીના ટેન્કર ક્યાં અને કેટલા નખાયા તેના હિસાબ મળતા ન હતા. બારોબાર ટેન્કરો નાખીને રોકડી કરાતી હોવાની વાતો પણ સામે આવી હતી. પરંતુ આ જીપીએસ સિસ્ટમથી ટેન્કર ક્યાં જાય છે તેની સંપૂર્ણ વિગતો મનપાને મળી રહેશે. આથી ગોલમાલ થવાની શક્યતાઓ ઘટી જશે.
સુરેન્દ્રનગરમાં પોલીસની કાર્યવાહી:નડતરરૂપ 12 વાહન ચાલકને દંડ ફટકાર્યો
સુરેન્દ્રનગરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ત્યારે રસ્તા ઉપર આડેધડ વાહનો પાર્ક કરવાની મુશ્કેલી વધે છે. તેના માટે પોલીસની ટીમે પેટ્રોલિંગ વધારી દીધું છે. આવા નડતરરૂમ 12 વાહનોના માલિકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના ટાવર રોડ, ટાંકીચોક, જવાહર રોડ, પતરાવાળી ચોક તથા મિલન રોડ ઉપર વાહનો પાર્ક કરવા માટે જગ્યા ન રહે તેટલા બધા વાહનો પાર્ક કરેલા હોય છે. લોકો નિયમ અનુસાર વાહનો પાર્ક કરે તે માટે રસ્તાની બંને બાજુ સફેદ પટ્ટા પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ ઘણા લોકો પોતાનું વાહન આડેધડ પાર્ક કરતા હોય છે. તેના માટે પોલીસની ટોઇંગ ટીમ શહેરમાં સતત ફરી રહી છે. જેમાં 12 વાહનોને ટો કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અંગેની કાર્યવાહી કરવામાં આવતા આડેધડ વાહનો પાર્ક કરતાં વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ:ગઢવી સમાજની ત્રણ બહેનોની વિવિધ સ્પોર્ટ્સમાં રાજ્ય સ્તરે સિધ્ધિ
દેવલબેન રામભાઈ ગઢવી. જેઓ કેન્દ્રીય વિધાલય આર્મી સ્કૂલના ધોરણ 10 ના વિધાર્થીની છે. તેઓ શાળા તરફથી ધોરણ પાંચ થી જ યોગના વિવિધ આસનો કરે છે. તેમજ ગોલ્ડ મેડલ જીતનાર દિકરી છે. એમનો સૂર્ય નમસ્કાર ઓપન એજ ગુજરાત રાજ્યનો સંળગ 587 આસનનો રેકોર્ડ છે ત્યારે તે બાળકી ધોરણ 6માં હતી. ત્યારબાદ શાળા તરફ થી તથા ખેલ મહાકુંભ અંતર્ગત પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યો છે. હાલ વર્ષ 2025 દરમિયાન કેન્દ્રીય વિધાલય આર્મી સ્કૂલ તરફ થી અંડર 14 માં તેલંગાણા રમવા ગયેલ જયાં પ્રતિનિધિત્વ કર્યું. રિધમિક તથા આર્ટિસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હતા ને હાલ જ ખેલ મહાકુંભ અંતર્ગત એમ.એસ.વી હાઈસ્કૂલ ખાતે તાલુકામાં બન્ને ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. ગત તારીખ 23 નવેમ્બર, સ્વામી નારાયણ કન્યા વિદ્યાલય ખાતે જીલ્લા સ્તરની યોગ સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યું. સ્પોર્ટ્સ ટીચર દેવાંશીબેન બુદ્ધભટી અને યોગ કોચ જાનકીબેન જોષીનો સહયોગ રહ્યો હતો. સોનલબેન રામભાઈ ગઢવી જેઓ ધોરણ 11 માં કેન્દ્રીય વિધાલય, એરફોસ માં મેઈન વિષય ઈંગ્લિશ સાથે અભ્યાસ કરે છે તેમણે યુવા ઉત્સવ દરમિયાન વક્તવ્યમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ભાગ લીધો હતો. ઓપન એજમાં પ્રથમ સ્થાન નિશ્ચિત કરી ને ગાંધીનગર ખાતે રાજ્ય લેવલ ની 15 થી 35 ની એજ ગ્રુપ માં સમગ્ર ગુજરાત રાજ્ય માં દ્વિતિય સ્થાન નિશ્ચિત કરીને રુપીયા 51000/- નું રોકડ પુરસ્કાર મેળવ્યું હતું. રાજલબેન રામભાઈ ગઢવી જેઓ આર્મી સ્કૂલ ભુજ શહેરના ધોરણ 5 ના વિધાર્થીની છે તેમણે પણ સંસ્કૃત પાઠશાળા ખાતે પ્રબોધની પરીક્ષામાં પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યું છે. સાયન્સ સેન્ટર ભુજ ખાતે લેવાયેલ ચિત્ર સ્પર્ધા માં પણ પ્રથમ આવી. જીલ્લા લેવલની ઓપસટીકલ રેસ માં રોટરી હાઈસ્કૂલ ખાતે જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ભુજમાં વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે રેલી:કચ્છમાં 3300 દર્દીઓ એઇડ્સની સારવાર લઈ રહ્યા છે
દર વર્ષે ૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજીને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવાઇ હતી. અદાણી નર્સિંગ કોલેજ, સમગ્ર પ્રોજેક્ટ, ICTC, SSK, એ.આર.ટી ભુજ સંયુક્ત ઉપક્રમે ડી.ટી.એચ.ઓ ડો. મનોજ દવેના માર્ગદર્શન અનુસાર યોજાયેલી રેલી જનરલ હોસ્પિટલથી વિવિધ માર્ગો પર ફરી હતી. હાલ સમગ્ર કચ્છમાં કુલ 3300 દર્દીઓ એઇડ્સની સારવાર લઈ રહ્યા છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં એન્ટિરેટ્રોવાયરાલ સેન્ટરમાં એઇડ્સગ્રસ્ત માટે સારવાર, પરીક્ષણ અને કાઉસેલિંગ સહિતની પ્રવૃત્તિ થાય છે. એઆરટી સેન્ટરના તબીબી અધિકારી ડો. ભાનુશાલીએ કહ્યું કે, એન્ટીરેટ્રો વાયરલ એક એવી દવાનું સંયોજન છે, જેનાથી દર્દીઓનો ઈલાજ થાય છે. અહીં સમગ્ર પ્રોજક્ટ દ્વરા દર્દીને તબીબી સહાય અને શિષ્યવૃત્તિ અપાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત અત્રે જી.કે.માં એચ.આઇ.વી. પોઝિટિવ સગર્ભા માતાઓની તપાસ ,સોનોગ્રાફી, સારવાર અને પ્રસુતિ વિના મૂલ્યે કરવામાં આવે છે. ડાયાલિસિસ,આંખ, હાડકાં, લોહી ચડાવવું, ત્વચા રોગ નિવારણ મેડિસન અને સર્જરી સહિત તમામ સારવાર પણ મળી શકે છે. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, તથા મુખ્ય જિલ્લા તબીબી તેમજ જી.કે.ના પલ્મોનોલોજિસ્ટ અને નોડલ ઓફિસર ડો.કલ્પેશ પટેલનું માર્ગદર્શન ઉપલબ્ધ બને છે.
તાજેતરમાં મુન્દ્રા તાલુકાના બેરાજા અને રામાણીયા મુકામે અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા પાયે વનીકરણ પ્રોજેક્ટ નો શુભારંભ કરાયો છે.આ પહેલ નો ઉદેશ્ય 5500 સ્વદેશી વૃક્ષો વાવીને ચાર એકર જમીન માં ગાઢ જંગલ ઉભું કરવાનો છે.પર્યાવરણ માં નવા પ્રાણ ફૂંકતી વૃક્ષારોપણ ની આ ડ્રાઈવ અનેક રીતે સીમાચિહન રૂપ બની રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ રામાણીયા મધ્યે બે એકર જમીનમાં 3000 વૃક્ષો તથા બેરાજામાં બે એકર માં 2500 વૃક્ષો નું વાવેતર કરાશે .આ પ્રક્રીયા દરમ્યાન નીંદણ હટાવી જમીન ની ફળદ્રુપતા વધારવા વાડ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે લગભગ 40 પ્રકારના સ્વદેશી ફળ,ફૂલ અને ઔષધીય છોડ નું રોપણ પક્ષીઓ માટે ખોરાક સુનિશ્ચિત કરી સ્થાનિક સમુદાય ને વિપુલ પ્રમાણમાં ઓક્સિજનનો સ્ત્રોત પુરો પાડશે. વિશેષમાંબંન્ને ગામોમાં સુંદરવન કુટીર બનાવવામાં આવશે. જેનો વડીલો અને પ્રકૃતિ પ્રેમીઓ લાભ લઇ શકશે.રામાણીયા સરપંચ બળવંતસિંહ ગોહિલે ઉત્સાહ વ્યક્ત કરી સૂચિત વન પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહેવાની લાગણી દર્શાવી હતી. જયારે બેરાજા સરપંચ લાલુભા જાડેજાએ ગાઢ વન ગામની ટેકરીઓને મનોહર બનાવેશે તે બાબત પર ભાર મુક્યો હતો.આમ આ પહેલ માત્ર પર્યાવરણ સંબધિત લાભો નું વચન આપતી નથી પરંતુ વડીલો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદ માણવા એક જીવંત જગ્યા બનવાનો હેતુ ધરાવે છે.
ખાસ સુવિધા:ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધી સ્પેશિયલ 10 મીની બસ દોડાવશે
કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધોરડો રણોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર પહોંચવા સુધી પહોંચવા પ્રવાસીઓને મુશ્કેલી ઉભી ન થાય તે હેતુથી અવર જવર માટે 3જી ડિસેમ્બરથી સ્પેશિયલ 10 મીની બસ સેવા શરૂ કરવામાં આવનારી છે. ભુજથી ધોરડો અવર જવર માટે વધારાની 3 ટ્રીપો ચાલશે, જેમાં ભુજથી ધોરડો સવારે 8 વાગે, બપોરે 3.40 વાગે, સાંજે 5 વાગે (દર પૂનમે) ભુજથી ધોરડો (નિયમિત) સવારે 9.15 વાગે, બપોરે 2.30 વાગે, સાંજે 7 વાગે અને ધોરડોથી ભુજ સવારે 10.35 વાગે, સાંજે 6.35 વાગે, રાત્રે 11 વાગે (દર પૂનમે) ધોરડોથી ભુજ (નિયમિત) સવારે 7 વાગે, સવારે 11.30 વાગે, સાંજે 4.50 વાગે દરમિયાન ચાલશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર વધારાની 3 ટ્રીપો બસ સેવા ભુજથી ઉપડી વાયા ભીરંડીયારા, લોરીયાથી ધોરડો રૂટ પર ચાલશે જેનો કચ્છના લોકલ નાગરિકો તેમજ પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે. આ સેવાની ટિકિટનું એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે તેવું ભુજ એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. મહત્વનું છે કે ગત વર્ષથી શરૂ કરાયેલી આ સેવાને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
લાશ મળી આવી:માધાપર હાઇવે પર ભુજિયા ડુંગરની તળેટીમાં યુવાનનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ
શહેરમાં ઝાંસી કી રાની સર્કલથી નળ સર્કલને જોડતા માર્ગ પર આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં સોમવારે સવારે યુવાનનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી.પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા દેહને પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ડુંગરની સામે સથવારાવાસ માધાપરમાં રહેતા 26 વર્ષીય દિનેશભાઇ કેથાભાઇ સથવારાનો દેહ મળી આવ્યો હતો.હતભાગી સવારે ઘરેથી કૂદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા હતા બાદમાં ઘરે ન આવતા શોધખોળ કરવામાં આવી એ દરમ્યાન ભુજીયા ડુંગરની તળેટીમાં બાવળોની ઝાડીમાંથી દેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને સમાજના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા.પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા હતા.બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરી હતી.દેહને જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક તબક્કે હત્યાની વાતો સામે આવી હતી.જોકે શરીરે બાહ્ય ઇજાના નિશાના જોવા મળ્યા નથી. મોતનું સચોટ કારણ જાણવા માટે દેહને ફોરેન્સીક પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભુજ બી ડીવીઝન પીઆઈ એસ.એમ.રાણાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, દેહને ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવ્યો છે જેના રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ વિવિધ દિશાઓમાં તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
હાઈસ્પીડ કોરિડોર બને ત્યારે ઉધ્ધાર થાય:ભુજના પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડી પરનો પુલ જોખમી
શહેરની ભાગોળે આવેલા અને ભુજના પ્રવેશદ્વાર કહી શકાય તેવા માધાપર પોલીસ ચોકી પાસે ઇન–આઉટ એમ બે પુલ છે. એક પુલ રાજાશાહીના સમયનો છે તો બીજો 2009માં બનાવવામાં આવ્યો છે. આ બંને પુલમાંથી રાજાશાહી વખતનો હજુ પણ મજબૂત છે પરંતુ 16 વર્ષ પહેલાં બનેલા પુલ પર ચાર દિવસ પહેલા થીંગડા મારવામાં આવ્યા છે. જોકે પાયો અને તેનું માળખું સતત વાહન વ્યવહારને કારણે બહુ સમય કાઢે એમ નથી. જીએસઆરડીસી દ્વારા ભુજ ભચાઉ હાઈ સ્પીડ કોરિડોરનું કામ ચાલુ છે, પરંતુ નળ સર્કલથી શેખપીર સુધીનો પેચ ન રાષ્ટ્રીય કે ન રાજ્ય ધોરીમાર્ગ નો રહ્યો હોય તેમ ઉપેક્ષિત બન્યો છે. પૂર્વ કચ્છથી પશ્ચિમ કચ્છ તરફ જતો બધો જ વાહન વ્યવહાર આ પુલ ઉપરથી પસાર થાય છે. 24 કલાક દરમિયાન આ પુલ ઉપરથી અંદાજે 2000 થી વધુ ભારેથી અતિ ભારે વાહનો અને 4000 થી વધુ નાના-મોટા કાર જીપ જેવા વાહનો પસાર થાય છે. મતલબ કે દિવસભર 6,000 થી વધુ વાહનો પસાર થાય તે પુલ મજબૂત ન હોય તો બહુ જલ્દી ધબાય નમઃ થઈ જશે તેવું માધાપરના અગ્રણીએ જણાવ્યું હતું. જે વખતે આ પુલ બન્યો હોય ત્યારે તેની ક્ષમતા કરતા આજે દસ ગણા ભારનું પરિવહન થાય છે. માર્ગ અને મકાન વિભાગ, રાજ્યનો આ રસ્તો 14 વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમને સોંપી દેવાયો છે ત્યારે હવે હાઈ સ્પીડ કોરિડોર બનવાનું કામ ચાલુ છે તે પેકેજમાં આ પુલને નવો બનાવવા સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેવું આ વિભાગના નાકાઈ રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શેખપીરથી નળ સર્કલ સુધીનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ નવો ન બન્યો માટે ભુજ ભચાઉ હાઈ સ્પીડ કોરીડોરમાં સૌથી છેલ્લે બનાવવામાં આવે. હાઈ સ્પીડ કોરિડોર બનશે ત્યારે દબાણ હટાવવા એ પડકાર ભચાઉ થી ભુજના નળ સર્કલ સુધી હાઈ સ્પીડ કોરિડોર બનવાનો છે, ત્યારે આ માર્ગ પરના દરેક પુલ નવા બનશે તેવું માર્ગ નિગમના નાકાઈએ જણાવ્યું હતું ફોરલેન રસ્તો બનાવવા માટે જરૂરી માર્ગ વિસ્તૃતિકરણ માટેની જમીન મેળવવા દબાણો પણ હટાવવા પડે તેમ છે. જે વર્ષોથી રહેણાંક અને દુકાનો હોવાથી ખસેડવા એ પણ એક પડકાર બની રહેશે.
ચોર ઝડપાયા:ખાવડાના આરઇ પાર્કમાં ચોરી કરનારા રાજસ્થાનના શખ્સને ઝડપી લેવાયો
ખાવડાના આરઇ પાર્કમાં 1.30 લાખના બસબારની ચોરી કરનારા રાજસ્થાનના શખ્સને ઝડપી લેવાયો હતો. આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 29-30 ઓક્ટોબરના ખાવડા પોલીસ કર્મચારીઓ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં મોટા દિનારા ગામે વાહન ચેકીંગમાં હતા ત્યારે કોટડા ચેક પોસ્ટ બાજુથી એક બોલેરો કેમ્પર ગાડી નંબર RJ-04-GC-8609 વાળી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી તથા મુદામાલ મુકી આરોપીઓ નાસી ગયા હતા. દરમ્યાન નાસતા ફરતા આરોપીને લોકેશન આધારે આર.ઇ પાર્કમાંથી પકડી પુછપરછ કરતા આ મુદામાલ સ્ટરલીંગ વિલ્સન કંપનીના ફેસ 2માંથી ચોરી કરીને લાવ્યા હોવાની કબુલાત આપી હતી. જે બાબતે ખાવડા પોલીસમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેરના શિવ તાલુકાના આયદાન ખીયારામ ચારનને ઝડપી લીધો છે જ્યારે રાજસ્થાનના જગદીશકુમાર હેમારામ અને હરીશ ડાલુરામના નામ સામે આવ્યા છે. ગુના કામે 1.30 લાખના બસબાર રીકવર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં ખાવડા પીઆઈ વી.બી પટેલ તથા પીએસઆઈ એન.જે ભગોરા સાથે સ્ટાફના ભરતભાઇ ચૌધરી, મહેશભાઇ પરમાર, રમેશભાઇ પ્રજાપતિ, ધર્મેન્દ્ર પારેખ, ભીખુભાઇ નંદાણીયા જોડાયા હતા.
સોમા તળાવ ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે એક બાઈક ચાલકની આગળ 2 ગાય દોડતી આવી હતી જેના કારણે બાઈક ચાલક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુવકના સસરા મૃત્યુ પામ્યા હોવાને કારણે તેની પત્ની પિયરમાં ગઈ હતી. રવિવારે તે પત્નીને સાસરીમાં લેવા માટે ગયો હતો અને ત્યાંથી પરત ઘરે આવતા સમયે ઘટના બની હતી. શહેરમાં ગાયોને કારણે અકસ્માતોની ઘટનામાં છેલ્લા 1 મહિનામાં 3 કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક યુવકનું તો મોત થઈ ચૂક્યું છે. ત્યારે સોમા તળાવ ચોકડી પાસે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રસ્તે દોડતી ગાયે બાઈક ચાલકને અડફેટે લીધી હતી. ડભોઈ રોડ પર આવેલા હોમ ડુપ્લેક્ષ રેસીડન્સીમાં રહેતા મિતેશ જોષીના સસરાનું મૃત્યુ થયું હતું. પત્ની નેહાબહેન તેમના પિયર પ્રતાપનગર ગયા હતા. મોડી રાત્રે મિતેશભાઈ પત્નીને લેવા માટે સાસરીમાં ગયા હતા. રાત્રીના 1 વાગ્યાના અરસામાં તેઓ બાઈક પર પરત આવી રહ્યા હતા. ત્યારે સોમા તળાવ ચોકડી પાસે બે ગાય દોડતી તેમની બાઈકની સામે આવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. ઘટનાને પગલે માથાના ભાગમાં અને ચહેરાના ભાગે મિતેશભાઈને ઈજાઓ પહોંચતા તેઓને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની પત્નીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. છેલ્લા 6 મહિનામાં ગાયે એડફેટે લીધા હોવાની ઘટના મહેસાણાનગરની ઘટનામાં પોલીસને ઢોર માલિક ન મળ્યોનવેમ્બર મહિનાની 9મી તારીખના મળસ્કે મહેસાણા નગર સર્કલ પાસે ગાય આડે આવતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે ફરિયાદમાં ડિવાઈડર સાથે અથડાતા યુવકનું મોત થયું છે, તેવું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. પાલિકા તરફથી હજુ સુધી ઢોર માલિકની સામે ફરિયાદ નોંધવવામાં આવી નથી. હજુ સુધી પોલીસને ઢોર માલિક મળી આવ્યો નથી. સીસીટીવી બહાર આવ્યા બાદ પણ ફરિયાદમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની સોમવારે પારુલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેવા વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મહેન્દ્રસિંઘ ધોની આવવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. બીજી તરફ એરપોર્ટ બહાર ધોનીના ચાહકો મોટી સંખ્યામાં જમાવડો થયો હતો. ધોનીની ઝલક મેળવીને લોકોએ ચિચિયારીઓ પાડીને તેને આવકાર આવ્યો હતો. એરપોર્ટ પર જ ફેન્સ દ્વારા .એમ.એસ. ધોનીનું ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોની પારુલ યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનનાર છે, ત્યારે તેઓ મંગળવારે યુનિવર્સિટી ખાતે હાજર રહીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. ‘મિશન પોસિબલ, યહા પોસિબલ હે’ ના કેમ્પેન હેઠળ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત એક જ સ્થળે એકત્ર થઈને ચર્ચા કરશે. ધોની તેમના શરૂઆતના સમયથી લઈને શિષ્ટતા, દ્રઢતા સહિત લક્ષ્ય સુધી પહોંચવાના પોતાની જીવન અનુભવ જણાવશે. ફ્રેન્ડ્સ અને વિદ્યાર્થીઓ ધોનીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મંગળવારે એકત્ર થઈને સૌ ચર્ચા કરશે.

32 C