'ગાઝા યુદ્ધ પૂર્ણ થયું, હવે કાયમી શાંતિ હશે, 5 દિવસમાં બંધકોની થશે મુક્તિ', ટ્રમ્પની મોટી જાહેરાત
Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (9 ઓક્ટોબર, 2025) દાવો કર્યો હતો કે બે વર્ષથી ચાલી રહેલું ગાઝા યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. તેમણે ખાતરી આપી હતી કે ગાઝા યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કા હેઠળ બંધકોને સોમવાર (13 ઓક્ટોબર) અથવા મંગળવારે (14 ઓક્ટોબર, 2025) મુક્ત કરવામાં આવશે. અમે ગાઝામાં યુદ્ધનો અંત લાવ્યા: ટ્રમ્પ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું, બુધવાર (8 ઓક્ટોબર, 2025), અમે મધ્ય પૂર્વમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી, જે ઘણા લોકોએ કહ્યું હતું કે ક્યારેય થશે નહીં. અમે ગાઝામાં યુદ્ધનો અંત લાવ્યા છીએ, અને મારું માનવું છે કે આ એક કાયમી શાંતિ હશે.
ઉના નજીકના સીમર દરિયાકિનારે મરીન પોલીસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરીને મહારાષ્ટ્રની એક બોટમાંથી વિદેશી દારૂની 100થી વધુ પેટીઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે બોટ સાથે વલસાડના 6 ખલાસીઓની પણ ધરપકડ કરી છે. નવાબંદર પોલીસે મહારાષ્ટ્રની બોટને મધદરિયે અટકાવી દારૂ ઝડપી પાડ્યોનવાબંદર પોલીસને બાતમી મળી હતી કે ઉનાના સીમરના દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ માહિતી મળતા જ પી.આઈ. એન.એમ. રાણા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સીમર બીચ પર પહોંચી ગયો હતો. પોલીસે સત્વરે બોટ મારફત દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું અને ત્યાંથી પસાર થતી મહારાષ્ટ્રની બોટને અટકાવી તેની તલાશી લીધી હતી. બોટમાંથી વ્યાપક પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. બોટમાં વલસાડના 6થી વધુ ખલાસીઓ હતા, જેમને પોલીસે ઝડપીને કાંઠે લાવ્યા હતા. જોકે, હાલ દરિયામાં પાણી ઓછું હોવાને કારણે મુખ્ય બોટ કાંઠા સુધી પહોંચી શકી નહોતી. આ સંજોગોમાં, પોલીસે અન્ય સ્થાનિક બોટોની મદદ લીધી હતી. અન્ય બોટ મારફતે દારૂનો જથ્થો કિનારે લવાયોપોલીસે દરિયામાં જ દારૂના જથ્થાને મહારાષ્ટ્રની બોટમાંથી બીજી બોટમાં ટ્રાન્સફર કરાવ્યો હતો. દારૂ ભરેલી એક બોટ કિનારા પર લાવવામાં આવી હતી, જેમાં 100થી વધુ પેટી વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થાને કિનારે ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો હતો. હાલમાં, ઓટ હોવાને કારણે બોટ કિનારાથી દૂર હોવાથી, પોલીસ જવાનો અને માણસો દરિયામાં ચાલીને દારૂનો જથ્થો બોટમાંથી ટ્રેક્ટરમાં ભરી રહ્યા છે. મહારાષ્ટ્રની મુખ્ય બોટને મધદરિયે કોર્ડન કરાઈમહારાષ્ટ્રની મુખ્ય બોટ હજુ પણ મધદરિયે છે અને પોલીસે તેને કોર્ડન કરીને રાખી છે. પોલીસના જણાવ્યા મુજબ, દરિયામાં પાણી વધુ આવ્યા બાદ બાકીનો દારૂનો જથ્થો કાંઠે લાવવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં અવાર નવાર ભૂવા પડવાની સમસ્યા યથાવત રહેતી હોય છે. ત્યારે ગ્લાસ રિઇનફોર્સ પ્લાસ્ટિક ટેકનોલોજી દ્વારા પાઇપો નાખવાની કામગીરી પ્રથમવાર કરાઈ વડોદરામાં આજે કારવામાં આવી છે. જેનાથી વારંવાર પડતા ભૂવા હવે નહીં પડે સાથે કોર્પોરેશન દ્વારા ખર્ચવામાં આવતા નાણા અને સમયનો વેડફાટ નહીં થાય. પ્રથમ બેચની પાઇપો નાખવાની કામગીરીનો શુભારંભ કરાવવામાં આવ્યોસ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રેનિક પાર્ક સર્કલથી અટલાદરા STP સુધી 2.6 કિમી લંબાઈમાં આવેલ 1800 mmની મુખ્ય ડ્રેનેજ ટ્રંક સુએર લાઇનનું ગ્લાસ રિઇનફોર્સ પ્લાસ્ટિક (GRP) ટેકનોલોજીના માધ્યમથી રૂ. 93.56 કરોડના ખર્ચે રિહેબિલિટેશનનું કામગીરીનું નિરીક્ષણ મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ અને સ્થાનિક કાઉન્સિલરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે જ, GRP ટેકનોલોજીથી તૈયાર થયેલ પ્રથમ બેચની પાઇપો નાખવાની કામગીરીનો શુભારંભ પણ કરાવવામાં આવ્યો હતો. લાઇનમાં 50 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ખામી સર્જાશે નહીંવધુમાં જણાવ્યું કે, અકોટા શિવાજી સર્કલથી અટલાદરા STP સુધીની 2.6 કિમી લંબાઈની આ મુખ્ય ડ્રેનેજ ટ્રંક સુએર લાઇન ખૂબ જ જૂની અને જર્જરિત થઈ ગઈ હતી, જેના કારણે ગત વર્ષે વારંવાર ભૂવાં થવાની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે વિવિધ ટેકનોલોજી અને પદ્ધતિઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી, જેમાં આ લાઇન બદલવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. જો આ લાઇન મેન્યુઅલ ખોદકામ અથવા અન્ય પદ્ધતિથી બદલવામાં આવે તો અંદાજે રૂ. 170 કરોડથી વધુ ખર્ચ અને 2 વર્ષથી વધુ સમય લાગે, તેમજ આવી લાઇનની આયુષ્ય મર્યાદા 25-30 વર્ષની જ હોય છે તેના બદલે, GRP ટેકનોલોજના માધ્યમથી ફક્ત રૂ. 93.56 કરોડના ખર્ચે 1600 mmની સંપૂર્ણ નવી લાઇન ૧૫ માસ (ચોમાસા સિવાય)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ લાઇનની આયુષ્ય મર્યાદા 50 વર્ષની રહેશે અને આ લાઇનમાં 50 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ખામી સર્જાશે નહીં. આ સાથે જીઆરપી પાઇપની સરફેસ સ્મૂધ હોવાથી ફ્રિક્શન ઘટવાના કારણે મલિન જળની વહન ક્ષમતામાં 15 ટકાથી 20 ટકાનો વધારો થશે. આ પાઇપોનું જોડાણ પોલી યુરેથેનથી સીલ કરવામાં આવે છે અને આજુબાજુ સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પ્રથમ વખત આ પ્રકારના નવતર અભિગમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ફક્ત મેટ્રો સિટીઓમાં જ ઉપયોગમાં લેવાતી હતી. આ ટેકનોલોજીના ઉપયોગથી વડોદરા મહાનગરપાલિકા અને નગરજનોના પૈસા અને સમયની બચત થશે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને 24 વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય ? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની ઓ.પી.ડી. સેવાનો આજ સુધીમાં 5,82,839થી વધુ લોકોએ લાભ લીધો છે. જ્યારે સિવિલમાં ચાલુ વર્ષે 4.58 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. AIIMS માં 260 બેડની ઇન્ડોર પેશન્ટ સુવિધા સાથે ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે. જેનો 8 હજારથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે. અહીં દર્દીઓની સારવાર માટે જરૂરી લેબ ટેસ્ટ સામાન્ય દરે કરી આપવામાં આવે છે, જેમાં 6,14,810 લેબ રિપોર્ટ કરી આપવામાં આવ્યા છે. તો ટ્રોમા સહીત ઇમર્જન્સીના 17 હજારથી વધુ કેસમાં એઇમ્સ હોસ્પિટલ દર્દીને નવજીવન આપવામાં સહાયક બની છે. રાજકોટ એઇમ્સમાં માત્ર રૂ.10માં ઓ.પી.ડી. વિભાગમાં નિદાન કરી આપવામાં આવે છે. જેમાં બાળકોના, સ્ત્રી રોગ, આંખ, કાન, ગળા, મોં, ફેફસા, ચામડી, જનરલ મેડિસિન, મનોચિકિત્સક સહિતના વિભાગમાં દર્દીઓને તપાસ કરી આપવામાં આવે છે. જેમાં દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા સારવાર કરી આપવામાં આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સહીત તમામ વિભાગમાં ઓ.પી.ડી. તેમજ ઇન્ડોર સારવાર વિભાગ કાર્યરત છે. વર્ષ 2024માં રાજકોટ સિવિલની વિક્રમી 10 લાખથી વધુની ઓ.પી.ડી., 1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી સાથે 1.22 લાખ લોકોને ઇન્ડોર સારવાર પૂરી પાડવામાં આવી હતી. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર-2025માં સિવિલ હોસ્પિટલ ખાતે 4,58,539 ઓ.પી.ડી., 32,927 દર્દીઓની ઇન્ડોર સારવાર, 7657 મેજર સર્જરી, 18003 માઇનોર સર્જરી, 2,04,740 એક્સ-રે, તેમજ માતૃત્વ અને બાળ હોસ્પિટલ (ઝનાના) ખાતે 1,11,781 ઓ.પી.ડી. તેમજ મહિલા બાળ દર્દીઓની સારવાર તેમજ 5352 પ્રસૂતિ દ્વારા નવજાત બાળ અવતરણ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલી પાંચ માળની બિલ્ડીંગમાં અત્યાધુનિક ઓપરેશન થીએટરમાં ન્યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, રુમેટોલોજી, એન્ડોક્રાઇન, ગેસ્ટ્રોલોજી સહિતના વિભાગોમાં દર્દીઓને સારવાર-સર્જરી કરી આપવામાં આવે છે. તો અહીં ડાયાલીસીસ કેન્દ્રમાં કિડનીના દર્દીઓને નિઃશુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. યુ.એન.મહેતા હોસ્પિટલના સહયોગથી અહીં હૃદય રોગનું નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવે છે. તો કેન્સર સહિતની બીમારીની અહીં ઓ.પી.ડી. સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ સેન્ટરના સહયોગથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છના ગાયનેક અને બાળ દર્દીઓ માટે રૂ.100 કરોડના ખર્ચે નિર્મિત હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે. ઓર્થોપેડિક વિભાગમાં મણકા, ખભાના દર્દીઓની જટિલ સર્જરી કરી આપ્યાના અનેક કેસ જોવા મળે છે. તો પ્લાસ્ટિક, જનરલ સર્જરી સહિતના વિભાગમાં લાખો દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મેળવી છે. ઈ.એન.ટી., વિભાગ હેઠળ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી 200 જેટલા બાળકોની શ્રવણ શક્તિ ખીલવી આપી છે. સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન બેન્ક, કેથ લેબ, બ્લડ બેન્ક સહિતની સુવિધા ઉપલબ્ધ છે. કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી સારવારથી અનેક દર્દીઓના જીવ બચાવી શકાયા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, અહીં રોજબરોજ વિવિધ જિલ્લાઓમાંથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ સારવારની આશાએ આવે છે, જેના જીવનું રખોપું કરતી સિવિલ અને હવે એઈમ્સ હોસ્પિટલ દર્દીઓ માટે દેવદૂત સમાન બની રહી છે.
9 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય વિભાગની નર્સિંગ ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. 1903 જેટલી જગ્યાઓ માટે 53 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે, 100 પ્રશ્નોના પેપરની જવાબ સૂચિ જાહેર થતા ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી હતી કારણ કે, GTU દ્વારા સેટ કરાયેલ 100 પ્રશ્નોના આ પેપરમાં જવાબો ક્રમિક રીતે ABCD આવતા હતા. આ ભરતી પ્રક્રિયાને 50 જેટલા ઉમેદવારો દ્વારા એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે હાઇકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવેલ છે. જેની ઉપર સુનાવણીમાં આજે પસંદ થયેલા ઉમેદવારોએ પણ અરજીમાં જોડાવા માંગ કરી હતી તો રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ ઉપસ્થિત થયા હતાં. હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, તેઓ કેવી રીતે આ આંસર કી ને જસ્ટિફાઇ કરશે? 8થી 10 પ્રશ્નો અટેન્ડ કર્યા પછી તો ABCD જ કરે નેએડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, આન્સર કીમાં કશું ખોટું નથી અને પેપર લીક થયું હોય કે અન્ય કોઈ ગેરરીતિના આક્ષેપ નથી. પરીક્ષામાં 46 હજાર પરીક્ષાર્થી બેઠા હતા. જેમાંથી 1903 પસંદ થયેલા લોકો અરજદારોથી શ્રેષ્ઠ છે. પરીક્ષામાં કશું ખોટુ થયું નથી. હાઇકોર્ટે એડવોકેટ જનરલને કહ્યું હતું કે, ક્લાસ-4ની પરીક્ષામાં પણ જવાબો ક્રમિક રીતે ABCD હોય નહીં, તમે જીવનમાં આવું જોયું છે. આવા પેપર સેટરને ઘરે બેસાડી રાખવા જોઈએ. આવા પેપરમાં પરીક્ષાર્થીએ કોઈ મગજ વાપરવાની જરૂર જ નથી. 8થી 10 પ્રશ્નો અટેન્ડ કર્યા પછી તો ABCD જ કરે ને! એજન્સી અંગે માહિતી માંગીને આગામી સુનાવણી મંગળવારે રાખીસરકારી પક્ષે રજૂઆત કરાઈ હતી કે, GTUના ત્રણ પ્રોફેસરોએ ત્રણ પેપર સેટ બનાવ્યા હતા. જે સીલ કવરમાં પેપર અપાય હતા. તેમાંથી એક પેપર પસંદ કરાયું હતું. પેપર સેફ વોલ્ટમાં મુકાયા હતા. પેપરમાં પ્રશ્નોના ક્રમાંકમાં વેરિએશન કર્યું હતું. પરીક્ષાર્થીની ભરેલી OMR શીટ પણ ઓનલાઇન મુકાય છે. પ્રિન્ટિંગ એજન્સી સ્કેનિંગ દ્વારા OMR શીટ ચેક કરે છે. તમામ પ્રક્રિયા CCTV કેમેરા અંતર્ગત થાય છે. હાઇકોર્ટે રો ડેટા અને પરીક્ષા સાથે સંકળાયેલ એજન્સી અંગે માહિતી માંગીને વધુ સુનવણી મંગળવારે રાખી છે. ગત સુનવણીમાં હાઇકોર્ટે અરજદાર દ્વારા રજૂ કરેલા કાગળિયા જોઈને પ્રાથમિક રીતે કહ્યું હતું કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટેની આ ગોઠવણ લાગી રહી છે. હાઇકોર્ટે આ બાબતે એડવોકેટ જનરલને કેસમાં ઉપસ્થિત રહેવા જણાવવા સરકારી વકીલને સૂચના આપી હતી. અરજદારોએ આ સામગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી પરીક્ષા લેવા માંગ કરી છે. આ અરજીમાં રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર બનાવાયા છે. અરજદારોનું કહેવું છે કે, ગુજરાતીના જાણતા લોકો પણ સહેલાઇથી આ પરીક્ષા પાસ કરી શકે તેમ છે.
14 ગુનાનો રીઢા આરોપી ગત 15 જૂનથી મારામારીના ગુનામાં પોલીસને હાથતાળી આપતા રીઢા ગુનેગાર તૌફિકને ઝડપવા અનોખી રણનીતિ અપનાવી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીએ ફેક આઇડી બનાવ્યું. છેલ્લા એક મહિનાથી આરોપી સાથે પ્રેમભરી વાતચીત કરીને મિત્રતા કેળવ્યા બાદ, રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો હતો. મળવાના સમયે, મહિલા પોલીસે બુરખો ધારણ કર્યો હતો અને આરોપી તૌફિકે મહિલા પોલીસકર્મીને એક્ટિવા પર બેસવાનું કહેતા જ રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ આરોપી તૌફિકને કોર્ડન કરીને દબોચી લીધો હતો. આરોપીને પકડવા ઈન્સ્ટાગ્રામ પર ફેંક આઇડી બનાવ્યુંહિન્દી ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે 14 ગુના આચરી ચુકેલા રીઢા આરોપીને દબોચ્યો. લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી નાસી જવા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચુકેલા આરોપીને પ્લાનિંગના આધારે ઝડપાયો છે. આરોપી એક મારામારીના ગુનામાં ફરાર હતો. આરોપી પોલીસથી બચતો ફરતો હતો ત્યારે પોલીસે પ્લાન ઘડીને આરોપીને ઝડપી પાડ્યો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આરોપીને પકડવા ઈન્સ્ટાગ્રામ પર ફેંક આઇડી બનાવ્યું હતું. જે બાદ આરોપીઓનો સંપર્ક કર્યો હતો. પોલીસકર્મીએ ઈશારો કરતા જ તૌફીકને દબોચી લીધોમહિલા કોન્સ્ટેબલે આરોપી સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી. બાદમાં મહિલા પોલીસે આરોપી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે આ મહિલા પોલીસ બુરખો ધારણ કરીને આરોપીની રાહ જોઈને ઉભી હતી. કોઈ મહિલા મળવા આવવાની હોવાથી આરોપી પહોંચી પણ ગયો હતો. આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ. ત્યારે ચાલકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રીવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તૌફીકને કોર્ડન કરીને દબોચી લીધો હતો.
વડોદરા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજાનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ નુ ઊંચામાં ઊંચું જગતજનની માં ઉમિયાનું મંદિર અમદાવાદ ખાતે જાસપુરમાં નિર્માણ પામી રહ્યું છે, ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 1550 ધર્મ સ્તંભ ઉપર રાફટનું સતત 72 કલાક અને 600 જેટલા કારીગરો 3600 ટન સિમેન્ટ અને 250 જેટલા આર એમ સી મશીન સાથે કામ કરી એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થઈ ગયેલ છે. આ કામ પૂર્ણ થયા બાદ વડોદરા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજાનુ આયોજન કરાયું હતું આ નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા આર પી પટેલ યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી. સાથે સાથે વડોદરા સામાજિક સંગઠનના ચેરમેન યુવા સંગઠનના ચેરમેન તથા મહિલા સંગઠનના ચેરમેન મહિલા યુવા સંગઠનના ચેરમેન કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયા હતા અને મા ઉમિયાના જયઘોષ સાથે નવા કાર્યાલય ના શ્રી ગણેશ કર્યા હતા.
સુરત: શહેરના યુવાનોમાં ફિટનેસ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. પાર્લે પોઇન્ટ બ્રિજ નીચે વિકસાવેલા સફળ સ્પોર્ટ્સ ઝોન બાદ હવે કનકપુર વિસ્તારમાં સચીન રેલવે ઓવરબ્રિજની નીચે રૂ. 2.40 કરોડના ખર્ચે નવી સ્પોર્ટ્સ ફૅસિલિટી વિકસાવવામાં આવશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે ગુરુવારે આ પ્રોજેક્ટ સાથે બ્યુટિફિકેશનની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. લગભગ 2829 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ સ્પોર્ટ્સ ઝોનમાં વિવિધ રમતગમતની સુવિધાઓ ઉભી કરાશે. બ્રિજના 11 સ્પાન બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ,વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ગેમ્સ ઝોન, કેફે અને સિટિંગ એરિયા, પે એન્ડ પાર્ક સુવિધા ની સુવિધા હશે.. સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓનો ઉપયોગ રીક્રિએશન ઝોન તરીકે કરીને શહેરની લાઇફસ્ટાઇલને સુધારવાની દિશામાં આ એક મોટો પ્રયાસ છે. ઉધના ઝોન-બીના અધિકારીઓના મતે, આ પ્રોજેક્ટ વર્ષ 2026ના અંત સુધીમાં સાકાર થશે અને કનકપુર તથા આસપાસના વિસ્તારોના યુવાનો માટે રમતગમતનું નવું હોટસ્પોટ બની રહેશે. 45 વર્ષ પછી લાલદરવાજા-આયુર્વેદિક કોલેજ લાઇનદોરીનો અમલ સુરત શહેરમાં માળખાગત પ્રોજેક્ટના અમલ માટે 45 વર્ષ પહેલા, એટલે કે વર્ષ 1980માં મુકાયેલી લાઇનદોરીને હવે આખરે મંજૂરી મળી ગઈ છે. લાલદરવાજાથી આયુર્વેદિક કોલેજ સુધીના 80 ફૂટના રસ્તાની લાઇનદોરીનો અમલ સ્થાયી સમિતિએ મંજૂર કર્યો છે.આ લાઇનદોરીનો અમલ કરવો મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે અનિવાર્ય હતો, કારણ કે આ પ્રોજેક્ટ અંતર્ગત લાલદરવાજા તરફ એક બ્રિજનું આયોજન છે. શૈક્ષણિક સંસ્થાને રાહત આ લાઇનદોરીમાં લીલાબા સ્કૂલ, 6 કાચી-પાકી મિલકતો, 7 દુકાનો અને 2 મંદિર અસરગ્રસ્ત થઈ રહ્યા છે. જોકે, લીલાબા સ્કૂલના સંચાલકોએ રજૂઆત કરી હતી કે સ્કૂલ તૂટવાથી બાળકોના અભ્યાસ અને શિક્ષણને ગંભીર અસર થઈ શકે છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિએ સ્કૂલની રજૂઆત ગ્રાહ્ય રાખી અને લાઇનદોરીમાંથી સ્કૂલને બાકાત રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.હવે સ્થાયી સમિતિ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં, અસરગ્રસ્તોને અંતિમ નોટિસ ફટકારીને જગ્યાનો કબજો લેવામાં આવશે, જેથી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું કાર્ય ઝડપથી આગળ વધી શકે. આ નિર્ણય સુરતના વિકાસમાં દાયકાઓથી અટવાયેલા પ્રોજેક્ટ્સને ગતિ આપવાનો સંકેત આપે છે. NMCG એ વખાણ્યું સુરતનું વેસ્ટ વોટર રિસાયકલ-રીયુઝ મોડેલ સુરત મહાનગરપાલિકાની કાર્યશૈલી અને વિકાસલક્ષી પ્રકલ્પોની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન, જળશક્તિ મંત્રાલય, ભારત સરકારની સંસદીય સલાહકારી સમિતિએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલ ની અધ્યક્ષતામાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતે એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં SMCના અધિકારીઓએ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.ખાસ કરીને જે કામગીરી રજૂ કરવામાં આવી તેમાં સ્વચ્છ સુપર લીગમાં સુરતનું શ્રેષ્ઠ પ્રદર્શન, સેનિટેશન પ્રેક્ટિસ, અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન અને પંચ સેન્ટરની કામગીરી, સીસીટીવી મોનિટરિંગ અને જીઆઇએસ એપ્લિકેશન સહિતની તમામ કામગીરીનું સંકલન શામેલ છે. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત સૌથી વધુ પ્રભાવિત કરનારો પ્રોજેક્ટ સુએઝ વોટરના રિસાયકલિંગ અને રીયુઝનો રહ્યો. પાણીના પરંપરાગત સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા અને ગુજરાત સરકારની વેસ્ટ વોટર પોલિસીને વેગ આપવા સુરતે બમરોલી ખાતે 40 MLD અને 35 MLD ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TTP) સ્થાપિત કર્યા છે.આ પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલું પાણી SMC વિવિધ ઔદ્યોગિક એકમોને વેચીને વાર્ષિક Rs 140 કરોડથી વધુની આવક મેળવે છે. સમિતિના સભ્યોએ બમરોલી TTPની રૂબરૂ મુલાકાત લીધી અને ડિસ્ક ફિલ્ટર, અલ્ટ્રા ફિલ્ટરેશન, અને રિવર્સ ઓસ્મોસિસ જેવી આધુનિક પ્રક્રિયાઓની માહિતી મેળવી, જેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની છે. વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માંગતા અરજદારના માણસે મામલતદારની ચેમ્બરમાં ધસી આવી લાકડાની ખુરશીનો ઘા કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.નાયબ મામલતદાર ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા (ઉ.વ. 38) એ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર પ્રવીણચંદ્ર ચંદે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એફિડેવિટ માંગતા જ વિવાદ વકર્યો ફરિયાદ મુજબ, નાયબ મામલતદાર ધામેચા આજે બપોરના આશરે 12:00 વાગ્યાની આસપાસ ઓફિસે હાજર હતા. તેમની પાસે સર્કલ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ છે. આ સમયે તેમની ચેમ્બરમાં રવીન્દ્ર ચંદેના માણસો વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાની અરજી લઈને આવ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી કરતા મામલતદારે જોયું કે, ગામ નમૂના નંબર-7માં પાણી લેવાના તથા રસ્તાના હક લખાયેલા હતા, પરંતુ દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નહોતો.આ સ્પષ્ટતા કરવા માટે મામલતદાર ધામેચાએ વધારાનું એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું. આ બાબતે રવીન્દ્ર ચંદેને ફોન પર વાત કરવામાં આવતા, તેમણે નાયબ મામલતદાર ધામેચા સાથે ફોનમાં વાત કરી હતી. જોકે, સમજાવવા છતાં તેઓ સમજ્યા નહોતા અને ફોન પર જ ધામેચાને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને હું તમને જોઈ લઈશ તેમજ આર.ટી.આઈ. કરીશ તેવી ધમકીઓ આપી હતી. ચેમ્બરમાં ધસી આવી ખુરશીનો ઘા ઝીંક્યો ફોન પરની ઉગ્ર બોલાચાલી બાદ થોડીવારમાં જ રવીન્દ્ર ચંદે ગુસ્સામાં મામલતદારની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. તેમણે આવેશમાં આવીને લાકડાની ખુરશી ઉઠાવીને નાયબ મામલતદાર ધામેચા પર ઘા કર્યો. ખુરશીનો ઘા મામલતદારના હાથ અને શરીર પર લાગતા તેમને મૂંઢ મારની ઈજાઓ થઈ હતી. હુમલાખોર રવીન્દ્ર ચંદેએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારવા માટે આગળ વધતા ઝપાઝપી થઈ હતી. ચેમ્બરમાં હાજર અન્ય કર્મચારીઓએ તથા સ્ટાફે વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા અને રવીન્દ્ર ચંદેને બહાર લઈ ગયા હતા. CCTV ફૂટેજ અને પોલીસ કાર્યવાહી ઝપાઝપી થતા ચેમ્બરમાં હાજર હરેશ કાચા, રમેશભાઈ કાપડીયા અને ઓફિસનો ઇ-ધરા સ્ટાફ દોડી આવ્યો અને બંનેને છૂટા પાડ્યા હતા.આ સમગ્ર ઘટના ચેમ્બરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચાએ સિટી તલાટી આનંદકુમાર કાબા સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર ચંદે વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, મૂંઢ ઈજા પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ભયનો માહોલ ઉભો કરનાર અને 164 જેટલા ગુનાઓમાં સંડોવાયેલી કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 175માં દિવસે 9 આરોપી સામે 3500 પેજની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસમાં ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે મુખ્ય આરોપી હુસૈન સુન્નીના જમીન નામંજૂર કર્યા છે. હુસૈન સુન્ની સામે 69 ગુના નોંધાયેલા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હુસેન કાદરમીયા સુન્નીએ વર્ષ-2008માં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને તેને પોતાની સાથે તેના 3 ભાઇઓ અકબર કાદરમીયા સુન્ની, સિકંદર કાદરમીયા સુન્ની અને હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયા સુન્નીને જોડ્યા હતા. ત્યારબાદ શાહિદ જાકીર શેખ, વસીમ યુસુફખાન પઠાણ, મોહમ્મદઅલીમ સલીમખાન પઠાણ, સુફીયાન સીકંદર પઠાણ અને ગની ઉસ્માનમીયા શેખ પણ જોડાયા હતા. તેઓ દારૂની હેરાફેરી, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, રાયોટીંગ અને ચોરી જેવા ગંભીર ગુના આચરતી હતી. સંસ્કારીનગરીનું બિરુદ્ધ ધરાવતા વડોદરામાં છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી અલગ અલગ ગુનાઓ આચરતી કાસમઆલા ગેંગ પર 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં આજે 9 આરોપી સામે 3800 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. કાસમઆલા ગેંગ દારૂ અને જુગારની પ્રવૃતિ ચલાવતી હતી અને વેપારીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવતી હતી. કોઇ ખંડણી ન આપે તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો અને લોકો ગેંગથી તોબા પોકારી ગયા હતા. આ ગેંગ સામે વડોદરા શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપીઓ સતત ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા. કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હોવાથી ગેંગનું નામ કાસમઆલા પડ્યું હતું. આ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ આરોપી હુસૈન સુન્નીની રેગ્યુલર જામીન અરજી દરમિયાન ગુજસીટોક, સ્પેશિયલ કોર્ટ, વડોદરામાં દલીલો કરી હતી. કોર્ટે આરોપીના જામીનના નામંજૂર કર્યા છે. આરોપીઓના નામ હુસૈન કાદરમિયા સુન્ની અકબર કાદરમિયા સુન્ની શાહિદ ઉર્ફે ભુરીયો જાકીરભાઈ વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ સિકંદર કાદરમિયા સુન્ની હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુન્ની મોહમ્મદ અલી ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ- સુફિયાન સિકંદર પઠાણ ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ
મોરબીમાં જાન્યુઆરી મહિનામાં ઝડપાયેલા રૂ. 1.09 કરોડથી વધુના પેટકોક ચોરી કૌભાંડમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આકાશ ઉર્ફે હેરી દેવમુરારી અને જગજીતસિંહ રાણા નામના આ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી એલસીબી ટીમે ગત જાન્યુઆરીમાં જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા એબીસી મિનરલ નજીકના પ્લોટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પેટકોક ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આરોપીઓ ઈમ્પોર્ટેડ કોલસાની ગાડીઓના ડ્રાઈવરો સાથે સંપર્ક કરીને પેટકોકની ચોરી કરતા અને વાહનોમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવી દેતા હતા. પોલીસે સ્થળ પરથી 188 ટન ઈમ્પોર્ટેડ કોલસો, 100 ટન મિશ્રિત કોલસો, 70 ટન હલકી ગુણવત્તાનો કોલસો, એક ટ્રક, બે ટ્રેક્ટર લોડર, એક હિટાચી મશીન, એક બાઈક અને પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં નવઘણભાઈ જસાભાઈ બાલાસરા અને નિકુંજભાઈ રાજપરા સહિત કુલ 10 શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એલસીબીના પી.એસ.આઇ. બી.ડી. ભટ્ટ અને તેમની ટીમે જામનગરના આકાશ ઉર્ફે હેરી અશ્વિનભાઈ દેવમુરારી (ઉં.30) અને આદિપુર, કચ્છના જગજીતસિંહ પ્રદ્યુમનસિંહ રાણા (ઉં.32)ની ધરપકડ કરી હતી. તેમને બે દિવસના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયા છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર નવઘણભાઈ બાલાસરા અને નિકુંજભાઈ રાજપરાને પકડવા માટેની કાર્યવાહી હજુ ચાલુ છે.
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એક જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતના વિચારને જનજન સુધી પહોંચાડવાનો હતો. કાર્યશાળામાં પ્રદેશમાંથી પપ્પુભાઈ પાઠક અને મયંકભાઈ સુથાર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત કાર્યકરોને આત્મનિર્ભર ભારત અભિયાનના વિવિધ પાસાઓ અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આગામી સમયમાં આત્મનિર્ભર ભારતના સંદેશને લોકો સુધી લઈ જવા માટે ભાજપના તમામ કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના હોદ્દેદારોને હાકલ કરવામાં આવી હતી. આગામી ત્રણ મહિના સુધી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સૂત્ર સાથે લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યશાળામાં રાજેશભાઈ પાઠક, મયંકભાઈ સુથાર, પંચમહાલ ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, પ્રભારી ભરતભાઈ ડાંગર, પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સમગ્ર અભિયાન અને તેના ભાવિ આયોજન વિશે પત્રકારોને માહિતી આપી હતી.
બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ સ્વસ્થ બોટાદ, સમૃદ્ધ બોટાદ ના ધ્યેય સાથે આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છે. જિલ્લામાં 6 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 95 પેટા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વર્ષ 2024-25 દરમિયાન બોટાદ જિલ્લામાં કુલ 18,290 એ.એન.સી. રજીસ્ટ્રેશન અને 14,962 ડિલિવરી રજીસ્ટ્રેશન થયા હતા. આમાંથી 14,955 પ્રસુતિઓ સંસ્થાકીય રીતે કરવામાં આવી હતી, જે આરોગ્ય સેવાઓની પહોંચ દર્શાવે છે. આરોગ્ય કેન્દ્રો ખાતે માતા અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ ઉપરાંત, હાઈપર ટેન્શન, ડાયાબીટીસ, કેન્સર, આંખ, કાન, ગળા, માનસિક આરોગ્ય અને ડેન્ટલ સહિતની 12 પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પ્રાથમિક કક્ષાની સારવાર અને સંદર્ભ સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, નજીકના હેલ્થ અને વેલનેસ કેન્દ્ર (પેટા આરોગ્ય કેન્દ્ર) દ્વારા 155 જાતની દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 64 પ્રકારની લેબોરેટરી તપાસ અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે 14 પ્રકારની લેબોરેટરી તપાસ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા યોગા, પ્રાણાયામ, ધ્યાન, તંદુરસ્ત ખોરાક અને તંદુરસ્ત જીવનશૈલીની જાણકારી પણ આપવામાં આવે છે. તરુણ-તરુણીઓ, વૃદ્ધ લોકો અને બિન-સંચારી રોગોની તપાસ અને સારવાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 30 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓની હાઈપર ટેન્શન, ડાયાબીટીસ, મુખ કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.વર્ષ 2024-25માં રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૬,૪૨૭ સગર્ભા સ્ત્રીઓનું ટી.ડી. રસીકરણ કરવામાં આવ્યું હતું. બાળકોના રસીકરણમાં 17,286 બી.સી.જી., 16,732 પોલીયો, 16,762 ઓરી અને 16,181 બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીનો કામગીરી દરમિયાન માંડ-માંડ જીવ બચ્યો. રખડતી ગાયને પકડવામાં કર્મચારીનો પગ દોરડામાં ફસાતા જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. ભડકેલી ગાયે દોટ મૂકીને અડધો કિલોમીટર સુધી કર્મચારીને ઢસડ્યો, જેના કારણે કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. કર્મચારીના પગમાં ગાંઠ વાગી જતા ભડકેલી ગાય દોડી હતીગાય પકડવા ગયેલા ઢોર પાર્ટીના કર્મચારી ગાયને પકડવા ગયો ત્યારે ગળે બાંધેલો રસો કર્મચારીના પગમાં આવી જઈને ગાંઠ વાગી જતા ભડકેલી ગાય દોડી હતી, જેથી કર્મચારી અડધા કિલોમીટર જેટલો રોડ ઉપર ઢસડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓને લઈ કર્મચારીને 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રીજી ગાયને પકડવા જતા ઘટના સર્જાઈ હતીકોર્પોરેશન ઢોર પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતી ગાયોને પકડવા માટેનો અભિયાન ચલાવી રહી છે, જે અભિયાન અંતર્ગત આજે કોર્પોરેશનની ઢોર પાર્ટીના 8 કર્મચારીઓની એક ટીમ શહેરના વારસિયા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયોનો પકડવા માટે ગઈ હતી. વારસિયા વિસ્તારમાં એન્ટ્રી થતાની સાથે જ રોડ ઉપર રખડતી બે ગાયોને ઢોર પાર્ટીના કર્મચારીઓએ પકડી હતી. તે બાદ ત્રીજી ગાય સામેથી આવતી હતી, તે ગાયને પકડવા માટે મહેશ ધવલભાઈ પટેલ નામના કર્મચારીએ ગાયની ઉપર દોરડું નાખીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ગાયને ગળામાં બાંધેલો બીજું દોરડુ ઢોર પાર્ટીના કર્મચારીના પગમાં ભરાઈ જતા સમગ્ર ઘટના બની હતી. ગૌપાલક થાંભલે બાંધેલી ગાયને છોડીને લઈ ગયો ગાય વારસિયા વિસ્તારથી ફતેપુરા તરફ દોડતી એક કિલોમીટર સુધી આવી હતી. જોકે, આ ઘટનાને જોનાર સાથી કર્મચારી મહેશને બચાવવા માટે પાછળ દોડ્યો હતો. જોકે, ગાયને રસ્તે રોકીને દોરડા વડે થાંભલે બાંધી હતી પરંતુ, આ બનાવ અંગેની જાણ થતા ગૌપાલક રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને થાંભલે બાંધેલી ગાયને છોડીને લઈ ગયો હતો તો બીજી તરફ ગંભીર રીતે રોડ ઉપર ઢસડાઈને શારીરિક ઈજા પામનાર ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેની સારવાર હાથ ધરી છે. જો કે કર્મચારી મહેશને શરીર પર નાની મોટી ઇજાઓ થતા તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્વે વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે 650થી વધુ વાહનોની નોંધપાત્ર આવક થઈ હતી. આ વાહનોમાં મુખ્યત્વે મગફળી, કપાસ, જીરું અને સફેદ તલ જેવી જણસીઓનો સમાવેશ થતો હતો.યાર્ડમાં મગફળીની 28500 મણની આવક, સોયાબીન 8500 મણ, કપાસની 14200 મણ, જીરુંની 7500 મણ, અને સફેદ તલની 5100 મણની આવક નોંધાઈ હતી. આ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપીને તેમની ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉતરાઈ વ્યવસ્થા રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન તેમજ ડિરેક્ટર સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી. આ વિશાળ આવકને કારણે યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સારી અવરજવર જોવા મળી હતી. રાજકોટ રેલવે ડિવિઝનમાં 'સ્વચ્છતા પખવાડા અંતર્ગત વ્યાપક નિરીક્ષણ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સ્વચ્છતા પખવાડા અંતર્ગત ઑક્ટોબર 09, 2025 ના રોજ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત એક વ્યાપક નિરીક્ષણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાદ્ય સેવાઓ પૂરી પાડવાનો તેમજ રેલવે પરિસરોમાં સ્વચ્છતાના ધોરણોને મજબૂત બનાવવાનો હતો.અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનો પરના ફૂડ સ્ટોલોનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ખાતરી કરવામાં આવી કે ખાદ્ય પદાર્થો સ્વચ્છ વાતાવરણમાં તૈયાર થાય અને પીરસાય છે. સાથે જ, હાપા અને સુરેન્દ્રનગરના રનિંગ રૂમ તથા જામનગરના ફૂડ પ્લાઝામાં વાસણોની સફાઈ અને ખાદ્ય સુરક્ષાના ઉપાયોની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત, મોરબી સ્ટેશન પર એન્ટી-મેલેરિયા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ફૂડ સ્ટોલ સંચાલકોને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. 15 ઓક્ટોબરે હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં આવેલા ઉજ્જૈન યાર્ડના રિમોડેલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ઓક્ટોબરની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ આંશિક રીતે બદલાયેલા માર્ગ (પરિવર્તિત માર્ગ) પર દોડશે. તા. 15.10.2025 ના રોજ આ ટ્રેન હાપાથી પ્રસ્થાન કરીને તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-ઉજ્જૈન-મક્સી-રૂઠિયાઈ-શિવપુરી-ગ્વાલિયર ને બદલે આંશિક રીતે બદલાયેલા માર્ગ વાયા નાગદા-કોટા-રૂઠિયાઈ-ગ્વાલિયર થઈ દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ઉજ્જૈન, મક્સી, શાજાપુર અને બ્યાવરા રાજગઢ નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી રાજકોટથી રાજ્યભરના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી શનિવાર, તા. 11 ના રોજ સવારે 11 વાગ્યે રાજકોટની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ રાજકોટ સહિત સમગ્ર રાજ્યના પંચાયત વિભાગના કરોડોના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં આયોજિત કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લા સહિત રાજ્યના અંદાજે રૂ. 200 થી 300 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં આશરે દોઢ કલાકનું રોકાણ કરશે. દિવાળી પહેલા રાજ્યની જનતાને આ વિકાસ કામોની ભેટ મળશે.
આજ રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ-લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ રહી હતી. ગુજરાત પરિમંડલના પ્રાદેશિક કાર્યાલય ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકરના હસ્તે “ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી” વિષય પર વિશેષ આવરણ તથા વિશ્વ ડાક દિવસની થીમ પર વિશેષ વીરૂપણનું અનાવરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલ, અને નિદેશક સુરેખ રઘુનાથેન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ આપવામાં આવ્યા હતા. ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે, ડાક વિભાગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ સંદેશાવ્યવહાર અને વેપારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ‘ડાક સેવા એટલે જન સેવા’ ના સિદ્ધાંતને અનુસરીને, વિભાગ પરંપરાગત સેવાઓ સાથે નાણાકીય સશક્તિકરણની વિવિધ સેવાઓ પણ પૂરી પાડી રહ્યું છે અને સમર્પિત સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરી રહ્યું છે. ડાક વિભાગ પરંપરાગત સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ સમાવેશ અને નાગરિક સુવિધાના ક્ષેત્રોમાં પણ આગળ છે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ ની સંકલ્પનાને સાકાર કરવા માટે જ 9 ઓક્ટોબર, 1874 ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની સ્થાપના કરવામાં આવી હતી. ભારત 1 જુલાઈ, 1876 ના રોજ આ સંસ્થાનો સભ્ય બનનાર પ્રથમ એશિયાઈ દેશ હતો. તેમણે વધુમાં ‘એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0’ દ્વારા ડાક સેવાઓને આધુનિક યુગની ગતિ, પારદર્શિતા અને ગુણવત્તા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી.
ધનસુરાના શિકા ગામે એક ટ્રક ડ્રાઈવરનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત થયું છે. ડ્રાઈવર ટ્રકને ડાયરેક્ટ સેલ મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રક ચાલુ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના શિકા ગામે આવેલી ગોકુલ હોટલ પાસે બની હતી. ટ્રક ચાલકે પોતાની ટ્રક ત્યાં ઉભી રાખી હતી. જ્યારે તેણે ટ્રક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ચાલુ ન થઈ. આથી ડ્રાઈવરે ટ્રકના આગળના ભાગે એન્જિનના નીચેના ભાગમાંથી ડાયરેક્ટ સેલ મારીને ટ્રક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. ટ્રક ચાલુ તો થઈ, પરંતુ ગિયર પડવાથી તે એકાએક આગળ વધવા લાગી. પરિણામે, ટ્રક ડ્રાઈવર ટ્રક નીચે આવી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. ધનસુરા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ ઇમર્જન્સી સહિતની સંકલિત સેવાઓ ( 100, 101, 108, 1098, 1077, 181 હેલ્પ લાઈન) 112 જનરક્ષક વાન ટેક્નોલોજીના માધ્યમથી તમામ શહેર અને જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે જોડવામાં આવ્યો છે. ઘટના સ્થળે પોલીસ ઇમર્જન્સીમાં ઝડપી મદદ પૂરી પાડવા માટે 2 સપ્ટેમ્બર 2025ના રોજથી રાજ્ય વ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં 37 દિવસમાં 6654 કોલ મળ્યાં જેમાંથી 5790 કોલના સ્થળ પર 9 મિનિટમાં મદદ પહોંચી ગઇ હતી. 9 મિનિટની સમય મર્યાદામાં પોલીસ મદદ માટે પહોંચી ગઇવડોદરા શહેરમાં 30 જનરક્ષક વાન કાર્યરત કરવામાં આવી છે. જેના માધ્યમથી વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ ઈમરજન્સીના કિસ્સામાં નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. વડોદરા શહેરના નાગરીકો તરફથી અત્યાર સુધી 6654 કોલ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 હેલ્પ લાઈન ઉપર કરવામાં આવ્યાં છે. જેમાંથી 5790 જેટલા કોલને ઇમર્જન્સી કેટેગરીમાં સમાવિષ્ટ કરીને 112 જન રક્ષકવાન તરફથી અટેન્ડ કરવામાં આવ્યાં છે અને આ તમામ કિસ્સામાં એવરેજ 9 મિનિટની સમય મર્યાદામાં પોલીસ મદદ કરવા માટે સ્થળ પર પહોંચી ગઇ છે, જે સમગ્ર રાજયમાં સૌથી ઓછો રીસ્પોન્સ ટાઈમ હાંસલ કરીને પ્રથમ ક્રમાંક મેળવવામાં આવ્યો છે. પ્રથમ કિસ્સો112 નંબર ડાયલ કરનારનું લોકેશન ઓટોમેટિક પોલીસ જનરક્ષક વાનને મળતું હોવાથી તાત્કાલિક પોલીસ મદદ પૂરી પાડી શકાય છે. એક કિસ્સામાં જનરક્ષક વાનને કોલ મળ્યો હતો. એક અજાણ્યા અસ્થિર મગજના મહિલા મળી આવ્યા હતા. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાને જનરક્ષક વાનમાં બેસાડી કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. બીજો કિસ્સોએક હતાશ મહિલાના પતિ ઘરેથી આત્મહત્યા કરવા જાઉં છું, તેમ કહીને નીકળી ગયા હતા. તાત્કાલિક 112 જનરક્ષક વાન તરફથી તેમના પતિનો ફોટોગ્રાફ મેળવીને વડોદરા શહેરની તમામ 30 જનરક્ષક વાનને શોધવા માટે મોકલી અપાઇ હતી. દરમિયાન તેમના પતિને 112 જનરક્ષક વાન તરફથી હેમખેમ શોધી કાઢી ને સહી સલામત તેઓના ઘરે પરત મોકલી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમ, વડોદરા શહેર ખાતે કાર્યરત 30 જન રક્ષકવાન તરફથી ઝડપી અને અસરકારક પોલીસ મદદ ઓછામાં ઓછા સમયમાં પૂરી પાડવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કચેરી દ્વારા આયોજિત કુલ 205 ભરતીમેળા થકી 9056 ઉમેદવારોને રોજગારીની તકો મળી છે. આ સિદ્ધિ રાજ્યમાં ઉજવાઈ રહેલા 'વિકાસ સપ્તાહ'ના ભાગરૂપે સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તા.7 ઓક્ટોબરથી તા.15 ઓક્ટોબર સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત રાજ્યની વિકાસગાથાને જન-જન સુધી પહોંચાડવાનો હેતુ છે. રોજગાર મેળવનારા યુવાનોએ આ પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 કરોડના બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુનામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે મામલે નલિન કોટડિયાએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી છે. હાઇકોર્ટે અપીલ દાખલ કરી છે તો નલિન કોટડીયાની જામીન અરજી ઉપર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને 15 ઓક્ટોબરે સુનવણી રાખી છે. 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારીઆ મામલે ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને PI અનંત પટેલ સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. ACBની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતોઆ કેસની વિગતો જોતા વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં શૈલેષ ભટ્ટે બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જેના રૂપિયા ડૂબી ગયા હતા. તેથી તેણે કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI અનંત પટેલની ટીમે સરકારી વાહનમાં શૈલેષ ભટ્ટનું 11મી ફેબ્રુઆરી, 2018માં અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતીઅપહરણ કરનારાઓએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરીને 34 બિટકોઈન વેચાણ કરીને રૂ.2.35 કરોડ રોકડમાં આંગડિયામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ કરતા CID ક્રાઈમને તપાસ સોંપાઇ હતી. CID ક્રાઈમે તપાસ કરીને અમરેલીના પૂર્વ LCBના PI અનંત પટેલ, SP જગદીશ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતી.
હિંમતનગરમાં રોડ ન બનતા કોંગ્રેસનો વિરોધ:ખાડા પૂજન અને રામધૂન કરી અનોખો વિરોધ કરાયો
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રોડ બનાવવામાં ન આવતા ગુરુવારે સાંજે હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ખાડા પૂજન કરી અને રામધૂન બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં રોડ-રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે. આ ખખડધજ રસ્તાઓને કારણે પ્રજાજનો, વેપારીઓ, શાળાના બાળકો અને મહિલાઓને કમરના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ધૂળની ડમરીઓ પણ લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ, નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન બાદશાહ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, ટી.વી. પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ, કુમાર ભાટ, કમળાબેન પરમાર, અશોકભાઈ પટેલ અને ઈશ્વરસિંહ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવીઆજે હાઇકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારે કહ્યું હતું કે, 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળીયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રિપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. નગ્ન હાલતમાં યુવકની ડેડબોડી મળી હતીરાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડબોડી મળી હતી. જેને અકસ્માતમાં ખપાવાઈ રહ્યું છે. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, મૃતકના હાથ અને પગ ઉપર ચકામાંના નિશાન જોવા મળ્યા છે. જે અકસ્માતથી થાય નહીં તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે. વોઇસ સ્પેક્ટોગ્રાફી રિપોર્ટ FSLમાં મોકલી આપ્યોસરકારી વકીલે કહ્યું હતું કે, પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ તેને એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી અકસ્માત થયો છે. જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રિપોર્ટ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી, ત્યાર બાદ તેને અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરવામાં આવી છે. કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યાકોર્ટે પૂછ્યું હતું કે, જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો FSL રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેલ હતી? વળી હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા. તે એક્ઝેટલી શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી. CCTVમાં તેણે ગાડીમાં લઈ જતા દેખાય છે. કોર્ટે કાગળિયા અને કેસ જોઈને તેની તપાસ અન્ય એજન્સી અથવા CBIને આપવા માટેનો ફિટ કેસ ગણાવ્યો હતો. કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા છે. જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે. આ અંગે વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ યોજાશે. ગણેશ ગોંડલ અને તેના માણસોની પિતા-પુત્ર સાથે મારપીટહાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવ્યા મુજબ મૃતકના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાવની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો, ભણવામાં હોશિયાર હોવાથી તે UPSCની તૈયારી કરતો હતો. એક વખત પિતા પુત્ર બાઈક ઉપર પરત આવી રહ્યા હતા, ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો. પુત્રએ જે જગ્યાએ બાઈક ઊભું રાખ્યું હતું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઇજાઓપુત્રને ભણવામાં ડિસ્ટર્બ ના થાય તેથી પોતાના ઘરની સામે જ પિતાએ તેને ભાડાનું ઘર અપાવ્યું હતું. એક દિવસ પુત્ર ઘરેથી કંઈ કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. સવારે પુત્રને ન જોતા તેની શોધખોળ આચરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે થોડા દિવસ બાદ પોલીસને તેનો મૃતદેહ મળ્યો હોવાની જાણ તેના પરિવારને કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. જો કે તે તેના ઘરથી 60 કિલોમીટર દૂરનો તે વિસ્તાર હતો. વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ MLA કે તેના દીકરા સામે ફરિયાદ ન કરવા પિતાને ધમકીમીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઈક પણ હતા જે ફરાર થઈ ગયા હતા. વળી પૂર્વ MLA કે તેના દીકરા સામે ફરિયાદ નહીં કરવા પિતાને ધમકી મળી હતી. પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડાયિંગ ડિકલેરેશન લેવામાં આવ્યું ન હતું. પિતાના મત મુજબ જો કેસની તપાસ CBIને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાઓનો નાશ કરી દેશે. બીજી તરફ મૃતક ઊંધા રવાડે ચઢ્યો હોવાથી તેનું આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. હાઇકોર્ટનો CCTV ફૂટેજ સાચવવા અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશરાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી હતી. સમગ્ર અહેવાલ વાંચવા ક્લિક કરો... જયરાજસિંહ પર દીકરાને મારી નાખ્યાનો પિતાનો આક્ષેપગોંડલના મૃતક યુવક રાજકુમાર જાટની બોડી પર પરિવારે ઈજાનો દાવો કર્યો હતો. અગાઉ વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યાં હતા. જેમાં રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યા આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રોજકોટ-ગોંડલ વચ્ચે ખોડિયાર હોટલ પાસે ચાલીને જતો જોવા મળ્યો હતો. જોકે, એક તરફ મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દીકરાને મારી નાખ્યાનો આક્ષેપ કર્યા હતા તો બીજી તરફ ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવકની બોડી પર 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા ક્લિક કરો...
ભિલોડા તાલુકાના અસાલ GIDC માંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. જિલ્લા SOG અને ભિલોડા પુરવઠા વિભાગે શારાફ એગ્રો પ્રા. લિ. નામની પેઢી પરથી એક ટેમ્પોમાંથી 96 બોરી ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, ટેમ્પોમાં ભરેલી ઘઉંની બોરીઓ પર 'પંજાબ ગવર્નમેન્ટ' લખેલું જોવા મળ્યું હતું. આ સરકારી અનાજ ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યું હોવાની આશંકા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ટેમ્પો હિંમતનગરના કોઈ દલાલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. SOG અને પુરવઠા વિભાગે આ અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું, કોના દ્વારા મોકલવામાં આવ્યું અને શારાફ એગ્રો પ્રા. લિ. સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકાની દિવાળી પૂર્વેની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે. જેમાં રાજકોટનાં સ્માર્ટ સિટીમાં ગુજરાતની બેનમુન વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા તેમજ કટારીયા ચોકડીથી કણકોટ સુધી નવો રોડ બનાવવા સહિત 84 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં ભાદરની નવી પાઇપલાઇન, વાહનો ભાડે રાખવા રેટ કોન્ટ્રાકટ, જુદી-જુદી વિસ્તારમાં કોમ્યુનિટી હોલ સહિતની દરખાસ્તો સામેલ છે. પ્રાપ્ત વિગત મુજબ નવા રીંગ રોડ પર વિશાળ સ્માર્ટ સીટી સહિતનો રીંગ રોડ ડેવલપ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી ટીપી નં. 32 રૈયાના ફાઇનલ પ્લોટ નં.61 પૈકીના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા 49.80 કરોડનું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું છે. કામ કરતા બહેનોને રાજકોટમાં વિશાળ ઇન્ડોર અને આઉટડોર સલામત વ્યવસ્થા સાથેની આ ખાસ સુવિધા સરકારના માર્ગદર્શન હેઠળ આપવાની છે. આ વર્કિંગ હોસ્ટેલમાં 8110 ચો.મી.ના પ્લોટમાં 252 લાભાર્થી માટે 95 રૂમ, કેફે, રેસ્ટોરન્ટ, મેસ, ઇન્કયુબેશન સેન્ટર, સેલ્ફ ડિફેન્સ સ્ટુડિયો, જોગીંગ ટ્રેક, લોન્ડ્રી રૂમ, પીકલ બોલ, ઇન્ડોર ગેમ્સ, હોબી સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, આર્ટ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરીયા, વોલ ઓફ ઇન્સ્પીરેશન, વોલ ઓફ મેમરીઝ, ડે કેર સેન્ટર, આઉટ ડોર અને ઇન્ડોર જીમ, કલીનીક, ક્નવીનીયન્સ સ્ટોર વગેરે સુવિધા ઉભી કરવાની છે. આ માટેનું ટેન્ડર કમ્બાઇન કવોલીટી કમ કોસ્ટ બેઇઝડ સિલેકશન પધ્ધતિ આધારીત હોય, ત્રણ એજન્સી પૈકી વ્રજ ઇન્ફ્રા. પ્રા.લી., શાંતિ પ્રોકોન એલએલપીના જોઇન્ટ વેન્ચરના 7.21 ટકા વધુ ભાવ ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ મંજૂર કર્યા છે. એટલે કે 44.27 કરોડ અને જીએસટીનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પૂરા ગુજરાતની આ બેનમુન વુમન હોસ્ટેલ બનશે આ ઉપરાંત નવા 150 ફુટ રીંગ રોડ-2 કટારીયા ચોકથી કણકોટ રોડ નવો બનાવવાનું કામ રૂ. 31 કરોડના ખર્ચે કરવા તૈયારી કરવામાં આવી છે. તેમજ કાલાવડ રોડ પોણા ત્રણ કિ.મી.નો નવો ડેવલપ કરવા દરખાસ્ત આવી છે. થોડા સમય પૂર્વે મનપાએ આ રોડ પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી મીટીંગમાં કમિશનરે રજૂ કરેલી દરખાસ્ત મુજબ કટારીયા ચોકથી કણકોટ ચોક રસ્તાને ડેવલપ કરવા જીએસટી સહિત રૂ. 32.48 કરોડનો જેવો થવાની શક્યતા છે. કટારીયા ચોકથી કણકોટ રોડ નવો બનાવવા બંને તરફ 10.50 મીટરનો કેરેજ-વે, સ્ટોર્મ વોટર ડે્રેનેજ લાઇન, ત્રણ પાઇપ કલ્વર્ટના કામ સામેલ છે. આ માટે રૂ. 27.50 કરોડનું ટેન્ડર બહાર પડતા કલાસીક નેટવર્કે 3.96 ટકા અને પવન કન્સ્ટ્રક્શન કંપનીએ 4.50 ટકા ઓન માંગી હતી. બીજા પ્રયત્ને ટેન્ડરમાં ત્રણ પાર્ટી આવી હતી. તો કલાસીકે 4.32 અને જી.વી.સુતરીયાએ 4.32% ડાઉન ભાવની ઓફર કરી હતી. આથી કલાસીક કંપનીને 4.32 ટકા ઓછા ભાવે કામ આપવા દરખાસ્ત આવી છે. અને જીએસટી સહિત 31.05 કરોડમાં કામ આપવા માટેની દરખાસ્ત આવી છે. આવાસ યોજનાબીએસયુપી-2 તથા બીએસયુપી-3 યોજના હેઠળ ખાલી રહેલા 10પ6 આવાસો માટે લાભાર્થી નકકી કરવા કાલની મીટીંગમાં નીતિ રજૂ કરાઇ છે જે જનરલ બોર્ડમાં મોકલાશે. નાના મવા, પોપટપરા, સાધુ વાસવાણી કુંજ રોડ સહિતના વિસ્તારમાં 10પ6 આવાસ જર્જરીત હાલતમાં છે. જે રીપેર થયે લાભાર્થીને સોંપવામાં આવશે. નદી કાંઠા સહિતના ઝુંપડામાં રહેતા લોકોને તેમાં સામેલ કરવામાં આવશે. રેન્ટલ હાઉસીંગ પોલીસી સફળ ન થતા લાભાર્થીઓની પસંદગી કરવા ફોર્મ બહાર પડાશે. નાણાના ચુકવણામનપામાં ઓડિટ શાખા અને હિસાબી શાખા હેઠળ કરવામાં આવતા પેમેન્ટ સહિતની કામગીરી પર સુપરવિઝન મુકવામાં આવી રહ્યું છે. બંને શાખા માટે ફરજીયાત વેરીફીકેશન સહિતની સૂચના મંજૂર કરવા પણ દરખાસ્ત આવી છે. રાજકોટ મનપા દ્વારા ચાલુ વર્ષે પણ રેસકોર્સ રીંગ રોડ પર શાનદાર દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખર્ચ ઉપર નજર રહે તે માટે ડેકોરેટીવ લાઇટીંગ, લેસર શો સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાતા પોણો કરોડના ખર્ચે કામ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઇ છે. આ લાઇટીંગ દિવાળી કાર્નિવલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા દોશી ઇલે.એ 27.પ ટકા વધુ અને ગ્લોબલ કોમ્યુનિકેશને 13.5 ટકા ઓછા ભાવની ઓફર કરી હતી. આથી ગ્લોબલને 73.52 લાખમાં કામ આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂ. 85 લાખના અંદાજ સામે આ કામ હાલ સસ્તામાં થઈ રહ્યું છે. દરમ્યાન રેસકોર્સ રીંગ રોડ રાજકોટની શાન સમાન છે. આ રીંગ રોડ ફરતે અગાઉ મૂકાયેલી ડેકોરેટીવ લાઇટનો પ્રયોગ ફેઇલ ગયો છે આથી હવે ડેકોરેટીવ લાઇટીંગ એસઆઇટીસીના કામ માટે સલાહકાર નિમવાની દરખાસ્ત આવી છે. હવે કોર્પો. નિષ્ણાંત અભિપ્રાય લઇને, અમદાવાદના મે.વ્હાઇટ એનર્જી કંપનીને કોસ્ટના 1.ર1 ટકા લેખે ફી ચુકવી ડિઝાઇન નકકી કરશે. કોમ્યુનિટી હોલવોર્ડ નં.11માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે 26.97 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત આવી છે. વોર્ડ નં.3માં જામનગર રોડ પર સફાઇ કામદારો માટે કોમ્યુનિટી હોલ, રેલનગરમાં શાક માર્કેટ અને ફૂડ ઝોન, રેલનગર, માધાપર, મનહરપુર વિસ્તારમાં મેટલીંગ કરવાના કામની દરખાસ્ત આવી છે. ભાદર પાઇપલાઇનરાજકોટને ગોંડલ નજીકના ભાદર-1 ડેમમાંથી રોજ પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ દાયકાઓ જુની આ પાઇપલાઇન જર્જરીત બની ગઇ હોય, નવી પાઇપલાઇન પાથરવા હાઇવે ઓથોરીટી સાથે લાંબા સમયથી ચાલતા સંકલનના અંતે પાઇપલાઇન પાથરવાનું કામ દરખાસ્તમાં આવી ગયું છે. જુદા જુદા ચાર તબકકામાં ફોનિકસ પ્રોજેકટ, કલાસીક નેટવર્કને કામ આપવા પ્રસ્તાવ આવ્યો છે. ગોમટાથી રીબડા અને ગોંડલ ચોકડીથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી 43.11 કિ.મી.માં નવી પાઇપલાઇન પથરાશે અને આ માટે 1ર6 કરોડનો ખર્ચ થશે. લાઇન લીકેજ સહિતના ગંભીર પ્રશ્નોનો આ સાથે અંત આવવાની મનપાને ધારણા છે. નાકરાવાડીમહાપાલિકા હસ્તકના નાકરાવાડી ગામની જમીનમાં વર્ષોથી રહેલા જુના કચરા (લીગસી વેસ્ટ) 7.પ લાખ મેટ્રીક ટનને પ્રોસેસ કરીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો થાય છે. આ પ્રદુષણના પ્રશ્ન સામે ગામ લોકો ગ્રીન ટ્રીબ્યુનલ સુધી લડી રહ્યા છે અને તાજેતરમાં ફરી મહાપાલિકાને મોટો દંડ કરાયો હતો. મેસર્સ ડી.એચ.પટેલને પ્રતિ મેટ્રીક ટન રૂા.487.77 લેખે કામ આપવા કમીટીએ મંજૂરી આપી છે જે કામ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. હરીહર ચોક વોંકળોવોર્ડ નં.2માં પશુ દવાખાના, ફૂલછાબ ચોક પાસે, બિલેશ્વર મંદિરથી હરીહર ચોક સુધીના વોંકળામાં બોકસ ગટર બનાવી વોંકળો પાકો કરવાનું કામ મંજૂર કરવા સ્ટે.કમીટીમાં દરખાસ્ત આવી છે. આ માટે 89.91 લાખનો ખર્ચ થાય તેમ છે. હાલ સદરમાં હરીહર ચોક બંધ કરીને નવા વોંકળાનું કામ ચાલુ છે તે ઉલ્લેખનીય છે. વાહનો ભાડે રાખવાકોર્પો.ની અલગ અલગ શાખાના ઉપયોગ માટે બસ ટેમ્પો ટ્રાવેલ્સ ભાડેથી લેવા માટે નવો દ્વિવાર્ષિક રેટ કોન્ટ્રાકટ કરવાની દરખાસ્ત આવી છે. મનપા અવારનવાર વાહનો ભાડે લેતી હોય, એસી અને નોન એસી વાહનના ભાવ મંગાવ્યા છે. આશુતોષ ટ્રાવેલ્સને ભાવના આધારે આ કામ આપવા પણ કાલની મીટીંગમાં દરખાસ્ત રજૂ કરવામા ંઆવી છે. સ્ટે.કમીટીમાં રહેલી અન્ય મહત્વની દરખાસ્તો- અલગ અલગ શાખા માટે બસ, ટેમ્પો, ટ્રાવેલ્સ ભાડેથી રાખવા - લો કાર્બન માટે એમઓયુ અને કલાયમેટ રેસીલીયન્ટ સેલની રચના- વોર્ડ નં.13-15માં ડ્રેનેજ ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ- વોર્ડ નં.2 ફૂલછાબ ચોક પાસેથી હરીહર ચોક સુધી વોંકળાનું કામ- વોર્ડ નં.6 પરશુરામ ઇન્ડ.માં ડ્રેનેજ સુવિધા માટે સ્ટે.ચેરમેન અને કોર્પોરેટરોની ગ્રાન્ટ- મહિલા કોલેજ અંડરબ્રીજ પમ્પીંગ મશીનરીનું નવું મેન્ટેનન્સ- મુંજકા હેડવર્કસથી વોંકળા સુધી 600 મીમી ડાયાની પાઇપલાઇન અને જીએસઆરનું કામ- વોર્ડ નં.11 કણકોટ રોડ પર નવો કોમ્યુનિટી હોલ- વોર્ડ નં.11 બાળકોના સ્મશાનમાં જરૂરી સિવિલ કામ- આવાસ યોજનાના ખાલી 1056 આવાસના લાભાર્થી નકકી કરવા- વોર્ડ નં.12 પુનિતનગરથી વાવડી ગેટ સુધી 24 મીટરના રસ્તે સેન્ટ્રલ ડિવાઇડર- રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગ માટે સલાહકારની નિમણુંક- પે એન્ડ પાર્કિંગની બાકીની જગ્યા માટે રી-ટેન્ડર પરથી નિર્ણય કરવા- વિવિધ પેમેન્ટ માટે જરૂરી સુધારા અને કાર્યપ્રણાલી અમલમાં મુકવા- બજેટ મર્યાદા ઉપરાંત થનાર અગત્યના ખર્ચા માટે સત્તા સોંપણી કરવા- ગીર ગંગા ટ્રસ્ટ આયોજીત કુમાર વિશ્વાસની કથા માટે રેસકોર્સ મેદાન વિનામૂલ્યે ફાળવવા- વોર્ડ નં.12 વાવડી તપન હાઇટસ પાસે ફાયર સ્ટેશન- દિવાળી કાર્નિવલ 2025ના કામ માટે કોન્ટ્રાકટ આપવા- કટારીયા ચોક, કાલાવડ રોડથી કણકોટ ચોક રોડ ડેવલપ કરવા- નાકરાવાડીની જુની લેન્ડફિલ સાઇટ ખાતે મીયાવાંકી વૃક્ષારોપણ- શહેરી વિકાસ વર્ષના વિવિધ ટેકનીકલ કામ માટે ફિલ્ડ એન્જીનીયરની ભરતી- વોર્ડ નં.3 રેલનગરમાં શાક માર્કેટ અને ફૂડ ઝોન. સફાઇ કામદારો માટે કોમ્યુનિટી હોલ- રીબડાથી આવતી ભાદર પાઇપલાઇન પાથરવાના કામની દરખાસ્ત- વોર્ડ નં.5 લાલપરી, નવાગામ સહિતના વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન- કટારીયા ચોકડીએથી પાઇપલાઇન શિફટીંગ - કોઠારીયા સ્મશાન પાસે નદી ઉપર બ્રીજ (બોકસ કલ્વર્ટ) બનાવવા- વોર્ડ નં.5 માલધારી સોસાયટીમાં શાળા નં.67માં શહેરી આરોગ્ય કેન્દ્ર- વોર્ડ નં.4ના જુદા જુદા ટીપી રોડ વાઇડનીંગ કરી પેવર કામ- વોર્ડ નં.6 બેડીપરામાં ફાયર સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ- વોર્ડ નં.1 સ્માર્ટ સીટીમાં વર્કિંગ વુમન હોસ્ટેલ- લાયન સફારી પાર્ક માટે નવા બોલેરો વાહનની ખરીદી- રણછોડનગરમાં કોર્પો.ની સ્કુલનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજને લીઝ પર આપવા- નાકરાવાડીમાં પડતર 7.5 લાખ મે.ટન ગાર્બેજ પ્રોસેસ કરવા- બાંધકામ વેસ્ટ પ્લાન્ટના રીસાયકલનો વિવિધ કામોમાં ઉપયોગ- રેસકોર્સની સ્કેટીંગ રીંક સંસ્થાને આપવાની દરખાસ્ત સામેલ છે.
બોટાદમાં ગેરકાયદે ફટાકડા વેચતો શખ્સ ઝડપાયો:SOG પોલીસે ઉતાવળી નદી કાંઠે દુકાનમાંથી કાર્યવાહી કરી
બોટાદ SOG પોલીસે શહેરમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઉતાવળી નદીના કાંઠે આવેલી એક દુકાનમાંથી કરવામાં આવી હતી. પોલીસે ફારૂકભાઈ રહેમાનભાઈ માકડ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તે ખાદી ભંડાર શોપિંગમાં આવેલી દુકાનમાંથી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતો હતો. SOG પોલીસને બાતમી મળી હતી કે આ દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દુકાનમાં તપાસ કરતા આ હકીકત સામે આવી હતી. પોલીસે ફારૂકભાઈ માકડની ધરપકડ કરીને તેની પાસેથી ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:સગીરના વાળ ખેંચવાના પ્રકરણમાં કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરની ધરપકડ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીની ઘટનામાં સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વીડિયો વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે વાળ ખેંચનાર શૈલેષ તેમજ વીડિયો બનાવનાર પોલીસકર્મી પ્રદિપ ડાંગર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રથમ વાળ ખેંચનાર આરોપી શૈલેષની ધરપકડ બાદ આજે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સસ્પેન્ડેડ પ્રદીપ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં આરોપી પ્રદીપ ડાંગરે અજાણતા વીડિયો ઉતાર્યો હોવાનુ રટણ કર્યું હતું. જયારે વીડિયો વાયરલ કોણે કર્યો તે હજુ બહાર આવ્યું નથી. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પછી વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી પ્રદીપ ડાંગરની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી સસ્પેન્શનની કાર્યવાહી પણ પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી હતી. રોંગ સાઈડમાં આવતા છોટા હાથીએ એક્ટિવા-રિક્ષાને હડફેટે લેતા 4 લોકો ઘવાયાકેકેવી ચોક પાસે રોંગ સાઈડમાં આવતા બેકાબુ છોટાહાથીએ એક્ટિવા અને રીક્ષાને ઠોકરે લીધી હતી. જેમાં 4 લોકો ઘવાયા હતા. એક્ટિવા પર નીકળેલ દંપતી અને તેમની 10 વર્ષની પુત્રી તેમજ રિક્ષાચાલકને ઈજા થઈ હતી. લક્ષ્મીનગર શેરી નં. 3માં રહેતા હરેશભાઈ કાળુભાઈ અઘેરા (ઉં.વ. 55), તેમના પત્ની જોશનાબેન (ઉં.વ. 42) અને પુત્રી ધ્રુવી (ઉં.વ. 10) ગઈકાલે રાત્રે 12:30 વાગ્યા આસપાસ એક્ટિવા પર જતા હતા ત્યારે કાલાવડ રોડ કેકેવી સર્કલ પાસે રોંગ સાઈડમાંથી ફૂલ સ્પીડમાં આવેલા છોટા હાથીએ તેઓને અડફેટે લીધા હતા. ત્રણેયને ઈજા થતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.આ ઉપરાંત બેકાબુ બનેલા છોટા હાથીએ રીક્ષાને પણ ઠોકરે લીધી હતી. રિક્ષાચાલક તૌસીફભાઈ હનિફભાઈ હુનાણી (ઉં.વ. 32, નાણાવટી ચોક, નંદનવન સોસાયટી, રાજકોટ)ને પણ ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાંધીગ્રામ પોલીસે ઈજાગ્રસ્ત લોકોનું નિવેદન લઈ જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી અને છોટા હાથીના ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. પત્ની સાથે ચાલતી કાનૂની લડતથી કંટાળી યુવકે કોર્ટમાં ફિનાઈલ ગટગટાવ્યુડોમેસ્ટિક વાયોલન્સ, ભરણપોષણ સહિતના કેસોમાં કાયદાનો દુરુપયોગ થતો હોવાનું અદાલતો એ અગાઉ અનેક વખત અવલોકન કર્યું છે, ત્યારે રાજકોટમાં પત્ની સાથે ચાલતી કાનૂની લડતથી થાકી - કંટાળી ગયેલા યુવકે કોર્ટમાં ફિનાઈલ ગટગટાવ્યુ હતુ. મીથીલેશગીરી ગોસ્વામીએ રાજકોટની ફેમિલી કોર્ટમાં પગલું ભર્યું હતું. તેમને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે લખેલી સ્યુસાઈડ નોટમાં 5 લોકોના નામ લખ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મીથીલેશગીરી હર્ષદગીરી ગોસ્વામી (ઉં.વ. 33, રહે.રણુજા મંદિર પાછળ શ્યામ પાર્ક, રાજકોટ) આજે સવારે 11:30 વાગ્યા આસપાસ પોતે ફેમિલી કોર્ટ ખાતે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ (એમ.આર.) તરીકે નોકરી કરે છે. તેમના પત્ની ચાર વર્ષથી માવતરે રિસામણે રહે છે. વાહનોમાં તોડફોડ કરાઈ, 5 ને ઇજાશહેરમાં ગત રાત્રે 80 ફૂટ રોડના ખોડીયારનગરમાં બે પક્ષે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં વાહનોમાં તોડફોડ કરાઈ હતી. બનાવમાં પાંચને ઈજા થઈ હતી. બનાવ અંગે સામસામે 2 ગુના દાખલ થયા છે. બાળકને કૂતરું ભસતા બોલાચાલી થઈ હતી. બાદમાં શસ્ત્ર ધીંગાણું થયું હતુ. એક ફરિયાદમાં શબ્બીર અલ્લાહરખાભાઈ ચૌહાણ (ઉં.વ.33)એ જણાવ્યું કે, હું ખોડીયારનગર શેરી નં.5 માં મારા પત્ની અસમાનબેન, મારા પિતા અલારખાભાઈ, માતા જુબેદાબેન, મોટાભાઈ સીરીઝભાઈ, તેના પત્ની સલમાબેન અને તેઓના બાળકો સાથે રહું છું. હું લેથ મશીનને કલર કામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખી કલરકામ કરું છું. ગઈકાલ રાત્રિના અમારી શેરીમાં રહેતા લાલમામદ ફતેહશા શેખનો ચાર વર્ષનો દીકરો ખોડીયાર નગર મેઇન રોડ ઉપર ગયેલ ત્યારે ત્યાં રહેતા શીલ્પાબેન માણસુરભાઈ મકવાણાના પાલતું કુતરો બાળકને કરડવા ભસેલ હતો.જેથી હું તથા મારાં મોટાભાઈ ફિરોજભાઈ તથા ફતેહશા બાવાશાહ શેખ શિલ્પાબેનને સમજાવવા ગયા કે, કૂતરું રોડ ઉપર રેઢૂ મુકો નહીં. આવતા જતા માણસોને કરડી જશે. ત્યારે અમારે બંને પક્ષોને સામાન્ય બોલાચાલી થઈ હતી. ધાબા પરથી રમતા રમતા પડી જતા 3 વર્ષની બાળકીનું મોતકોઠારીયા સોલવન્ટ પાસે મકાનના ધાબા પરથી પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. પ્રિયા રાહુલભાઈ મંડલ (ઉં.વ. 3, કોઠારીયા સોલવન્ટ, શિવ શક્તિ પાર્ક) મકાનના ધાબા ઉપરથી રમતા રમતા પડી ગઈ હતી.તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. સારવારમાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના પિતા રાહુલભાઈ મજૂરી કામ કરે છે. બાળકી 1 ભાઈ એક બહેનમાં મોટી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે કાગળો કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મેટોડામાં યુવાનનો એસિડ પી આપઘાતરાજકોટના મેટોડામાં ગેઈટ નંબર 1 પાસે અંજલી પાર્કમાં રહેતા દિલીપ જીવાભાઈ ખાણીયા (ઉ.27)એ ગઈકાલે રાત્રે 12.15 કલાક આસપાસ એસીડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતુ. દિલીપ પોતાના ઘરે હતો ત્યારે એસીડ પી લીધુ હતું. તેના પરિવારના સભ્યોને જાણ થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં તેની સારવાર ચાલુ હતી. ચાલુ સારવારમાં દિલીપે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. દિલીપ મેટોડાની કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ યથાવત રાખી હતી.
અમદાવાદ શહેરના વેપારીને આફ્રિકામાં મેલેરિયા અને ડેન્ગ્યુની બીમારીમાં ઉપયોગ થતી દવા ઓછા ભાવે ખરીદી આફ્રિકામાં વધુ ભાવે વેચવાના નામે એડવાન્સ પેટે 27 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઈજીરીયન ગેંગ સાથે સંકળાયેલા કુલ પાંચ જેટલા સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ આંગડિયા મારફતે નાઈજીરીયામાં રહેલા આરોપીઓને પૈસા મોકલતા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ફોન સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી છે. વેપારીને દવાના નકલી સેમ્પલ મોકલી વિશ્વાસ જીત્યોમણીનગર વિસ્તારમાં રહેતા અને વેપારી મનહાર અમરજીત વમાગે ફરિયાદ નોંધાવી હતી કે, આફ્રિકન કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને કેટલાક લોકોએ તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેઓએ Eupatorium Mercola Liquid નામની હોમિયોપેથીક દવા ખરીદવાની વાત કરી અને ભારતમાં વેન્ડર તરીકે Sharma Enterprises Manufacturingનું નામ આપ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને દવાની ખરીદી માટે પ્રલોભન આપીને પહેલા 1 લીટર માટે રૂપિયા 5.52 લાખ ભરાવ્યા હતા અને નકલી સેમ્પલ મોકલી વિશ્વાસ જીત્યો હતો. 2.72 લાખની છેતરપીંડી બાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદબાદમાં આફ્રિકાના વ્યક્તિ પાસે સેમ્પલ એપ્રુવલ કરાવીને વેપારીને મોટો ઓર્ડર મળ્યો હોવાનું કહી વધુ રૂપિયા 27 લાખ એડવાન્સ પેટે ભરાવવા જણાવ્યું, પરંતુ જ્યારે ફરિયાદી રાજસ્થાનના ભીલવાડા સ્થિત બતાવેલ સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાનું જણાયું. કુલ રૂ. 32.72 લાખની છેતરપીંડી બાદ ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જામનગરથી પાંચ આરોપીઓની ધરપકડ પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. વાઘેલા તથા ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી જામનગરથી નાઈજીરીયન ગેંગ સાથે સંકળાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ પૈસા જમા કરાવડાવતા હતા. આરોપીઓ મળેલા નાણાં હવાલા મારફતે નાઈજીરીયન ગેંગ સુધી પહોંચાડતા હતા. ઉપયોગમાં લીધેલા બેંક એકાઉન્ટના ચંડીગઢ, તમિલનાડુ અને હરિયાણામાં પણ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પાંચેય આરોપીઓની પૂછપરછ ચાલુ છે.
ગુજરાત સ્ટેટ જીએસટી (SGST)એ જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા દ્વારા 560 કરોડના બોગસ બિંલિંગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરવામાં આવી છે. કૌભાંડના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે તપાસ દરમિયાન હજુ પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે. જામનગરમાં 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડાSGST વિભાગને મળેલી બાતમીના આધારે તપાસ અને રિસર્ચ કર્યા બાદ SGST વિભાગે 3 ઓક્ટોબરના રોજ જામનગરમાં 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની 'બ્રહ્મ એસોસિયેટ્સ'ના ઓફિસ અને તેના નિવાસસ્થાન પર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017ની જોગવાઈઓ અનુસાર રાજ્યભરની GST ઓફિસોમાંથી 27 ટીમો દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્સપેયરના GST નંબરોનો દુરૂપયોગ થયોતપાસ દરમિયાન 14 નકલી ટેક્સપેયર ફર્મો (બોગસ કંપનીઓ) દ્વારા ખોટા ઇન્વોઇસ બનાવી અને માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેઇમ કરાતા હોવાનું સામે આવ્યું હતું. અનેક ફર્મોમાં મૂળ ટેક્સપેયરના GST નંબરોનો દુરૂપયોગ પણ થયો હોવાનો પણ પર્દાફાશ થવા પામ્યો હતો. આવા કરદાતાઓએ GST પાલન સેવાઓના બહાના હેઠળ CA અલ્કેશ પેઢડિયા દ્વારા તેમના ઓળખપત્રો અને વિશ્વાસનું શોષણ કરવામાં આવતા આઘાત વ્યક્ત કર્યો છે અને સંકેત આપ્યો છે કે તેઓ છેતરપિંડી અને વિશ્વાસ ભંગ માટે FIR નોંધાવવાનું વિચારી રહ્યા છે. દસ્તાવેજો, કમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણો કબજે કર્યાદરોડા સમયે ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષા અને તટસ્થ તપાસ થાય તે માટે પોલીસને સાથે રાખવામાં આવી હતી. પોલીસે તેની ઓફિસમાંથી દસ્તાવેજો, કમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે, જેમાં ખોટા બિલિંગ અને નાણાંકીય હેરાફેરીના પુરાવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં અનેક બેંક એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી અને હવાલા વ્યવહારોના પુરાવા મળ્યા છે. તપાસ હેઠળની ઘણી કંપનીઓએ વિભાગના તારણોનો સ્વિકાર કર્યો છે અને વ્યાજ અને દંડ સાથેની તેમની કર જવાબદારીઓ ચુકવવાની જવાબદારી સ્વિકારી હોવાનું જાણવા મળ્યું છે. 1 કરોડથી વધુની રકમ ધરાવતા બેંક એકાઉન્ટ ફ્રીઝડિપાર્ટમેન્ટ દ્વારા 4.62 કરોડનું ખોટું ITC બ્લોક કરવામાં આવ્યું છે, 1 કરોડથી વધુની રકમ ધરાવતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને 36 કરોડના મૂવેબલ તથા ઇમૂવેબલ એસેટ્સ પ્રોવિઝનલી અટેચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આશરે 33 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સ્વૈચ્છિક રીતે ચૂકવવાના કેટલાક ટેક્સપેયરો આગળ આવ્યા છે. દંડ લાદવા અને સંપત્તિ જપ્ત સહિત કાર્યવાહી કરાશેગુજરાત SGST વિભાગ બોગસ ઇન્વોઇસિંગ, નકલી ITC દાવાઓ અને GST નોંધણી ઓળખપત્રોના દુરુપયોગ જેવી છેતરપિંડી પ્રત્યે તેની શૂન્ય-સહિષ્ણુતા નીતિને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે. વિભાગ આવી છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ તમામ વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને વ્યવસાયિક સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી, ભારે દંડ લાદવા અને સંપત્તિ જપ્ત કરવા સહિત કડક કાનૂની પગલાં લેશે. કેસમાં મુખ્ય તારણો અને અપડેટ્સબોગસ વ્યવહારો: રૂપિયા 560 કરોડના છેતરપિંડીભર્યા વ્યવહારો ઓળખાયા, જેમાં અંદાજિત 112 કરોડની કરચોરીનો સમાવેશ થાય છે.ITC બ્લોકેજ અને એકાઉન્ટ ફ્રીઝિંગ: 4.62 કરોડના મૂલ્યના અયોગ્ય ITC બ્લોક કરવામાં આવ્યા; 1 કરોડથી વધુ રકમ ધરાવતા બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા.સંપત્તિ જપ્તી: સરકારી આવકનું રક્ષણ કરવા માટે આશરે 36 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી છે.કર વસૂલાત: ઘણા કરદાતાઓએ વિભાગના તારણોનો સ્વીકાર કર્યો છે અને કર, વ્યાજ અને દંડ પેટે આશરે 33 કરોડ ચૂકવવા સંમત થયા છે.કાનૂની કાર્યવાહી: તપાસ હેઠળના 25 કરદાતાઓમાંથી, 14 કરદાતાઓ નોન જેન્યુઈન ટેક્સપેયર્સ (NGTP) હોવાનું જાણવા મળ્યું છે અને સરકારી આવકને સુરક્ષિત રાખવા માટે વધુ કાર્યવાહી ચાલુ છે.અન્ય મહત્વપૂર્ણ પગલાં: અનેક સમન્સ છતાં માસ્ટરમાઇન્ડ હજુ સુધી તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો નથી, તેથી તેને દેશ છોડીને ભાગી ન જવા માટે લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો છે. વધુમાં, તેના હાજર થવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યા છે.
સુરત વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં હીરાના વેપારને બદનામ કરતો અને ધંધાકીય વિશ્વાસને તોડતો વધુ એક મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. લગભગ 4.80 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીના મામલે સુરત પોલીસના ઇકો સેલે મુખ્ય આરોપીઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગર હીરા બજાર સાથે જોડાયેલા હતા પરંતુ, ધંધામાં દેવું ખૂબ જ વધી જતાં તેમણે આ ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દેવું ચૂકવવા માટે બનાવ્યો 'વર્ચ્યુઅલ' ચિટિંગ પ્લાનપોલીસ તપાસમાં જે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે, તે એ છે કે આ આરોપીઓએ વૈભવી જીવન કે સરળ રીતે પૈસા કમાવવા માટે નહીં પરંતુ, માથે ચડી ગયેલું કરોડોનું દેવું ચૂકવવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હતો. ધંધામાં મંદી આવતા કે ખોટ જવાથી દેવાનો બોજ એટલો વધી ગયો હતો કે દેવું ભરપાઈ કરવા માટે તેમણે પોતાના સોનાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા. જ્યારે દેવું ઓછું ન થયું ત્યારે અંતે તેમણે હીરાના આ આંતરરાષ્ટ્રીય સ્તરના ચિટિંગનો પ્લાન બનાવ્યો હતો. અમેરિકન કંપનીના નામે વિશ્વાસ કેળવ્યોઆરોપીઓની મોડસ ઓપરેન્ડી ઘણી આધુનિક અને ચાલાકીભરી હતી. તેમણે સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ 'રેપનેટ'નો ઉપયોગ કર્યો હતો. રેપનેટ એપ્લિકેશન પર સુરતના વેપારીઓએ જે હીરા વેચાણ માટે મૂક્યા હતા, તેની વિગતો, કંપનીના નામ અને ફોન નંબર મેળવ્યા.ત્યારબાદ, આરોપીઓએ અમેરિકાની નામાંકિત કંપનીઓ જેમ કે હશન ફિલ્ડ સ્ટેન આઇ.એન.સી-(યુએસએ) અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશનના નામે પોતાને બાયર તરીકે રજૂ કર્યા. આ કંપનીઓ અને તેના હોદ્દેદારોના લોગો અને ફોટોગ્રાફ્સ તેમણે અન્ય વેબસાઇટ્સ પરથી મેળવ્યા હતા. વર્ચ્યુઅલ નંબર દ્વારા ઓળખ છુપાવીપોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ ખાસ વર્ચ્યુઅલ મોબાઇલ નંબરોનો ઉપયોગ કર્યો હતો. કોઈ ચોક્કસ એપ્લિકેશન દ્વારા આ વિદેશી વર્ચ્યુઅલ નંબર મેળવી તેના પર વિદેશી કંપનીના કર્મચારીના ફોટાવાળું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું. આ નંબરો દ્વારા જ તેમણે સુરતના વેપારીઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ કરીને વિશ્વાસ કેળવ્યો અને 7 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરતે હીરાની ડીલ ફાઇનલ કરી હતી. આરોપીઓએ સુરતના વેપારીઓ પાસેથી કિંમતી હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ મંગાવ્યા. કુલ 5,34,220 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ. 4,80,79,800ની કિંમતના હીરાની ડિલિવરી લીધા બાદ આરોપીઓએ તરત જ આ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દીધા અને વેપારીઓને પેમેન્ટ ન ચૂકવીને વિશ્વાસઘાત કર્યો.ઇકો સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલા 7 હીરામાંથી 6 હીરા જપ્ત કર્યાઆ મામલે વેપારીઓની રજૂઆત બાદ સુરત પોલીસ કમિશનરના આદેશથી ઇકો સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૌ પ્રથમ નિકુંજ ભરતભાઇ આંબલિયા અને મિતુલકુમાર પ્રેમજીભાઈ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનુજ શાહ અને ચેતન સાગર નામના અન્ય બે વ્યક્તિઓની સંડોવણી ખુલી હતી. અનુજ શાહ (રહે. બોરીવલી વેસ્ટ, મુંબઈ) અને ચેતન રાજુભાઈ સાગર (સોની) (રહે. દહીંસર વેસ્ટ, મુંબઈ)ની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઇકો સેલે ઝડપાયેલા આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલા 7 હીરામાંથી 6 હીરા જપ્ત કર્યા છે. જ્યારે બાકીના આરોપીઓ અને અન્ય મુદ્દામાલની રિકવરી માટે વધુ તપાસ ચાલી રહી છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ દિલ્હીથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. જે બાદ શુક્રવારે તેઓ સોમનાથ અને સાસણ તો શનિવારે દ્વારકા દર્શનાર્થે જશે. જોકે રાજકોટમાં રાષ્ટ્રપતિના રોકાણને લઈને સર્કિટ હાઉસ અને તેની આસપાસ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. સામાન્ય વાહનચાલકોની અવરજવર બંધ રાખવામાં આવીત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા અને અમદાવાદની મુલાકાત લેવાના છે. જેમાં રાજકોટ અને સાસણ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. દરમિયાન આજે સાંજે રાષ્ટ્રપતિ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રાત્રિ રોકાણ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના રાજકોટ રોકાણને લઈને સર્કિટ હાઉસ રોડ પર સામાન્ય વાહનચાલકોની અવરજવર બંધ રાખવામાં આવી છે. હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશેરાજકોટ શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.8થી 10 ઓક્ટોબરનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ બાદ તા.10ના સવારે 10.30 વાગ્યા આસપાસ તેઓ રાજકોટથી હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાંથી હેલિકોપ્ટર મારફત સોમનાથ પહોંચી બપોરની 12 વાગ્યાની આરતીમાં જોડાઈ પૂજા-અર્ચન કરશે. રાષ્ટ્રપતિ બપોરની જંગલ સફારી કરવા માટે રવાના થશેસોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી 3 વાગ્યા આસપાસ હેલિકોપ્ટર મારફતે સાસણ ગીર ખાતે પહોંચશે. સાસણ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ બપોરની જંગલ સફારી કરવા માટે રવાના થશે. બે કલાકની સફારી પૂર્ણ કર્યા બાદ અડધો કલાક ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની પરંપરાઓ વિશે માહિતી મેળવશે. સાસણ ખાતે રાત્રિ રોકાણ કરી તા.11ના દ્વારકા જવા રવાના થશે. દ્વારકા ખાતે બપોરની આરતી અને દર્શનનો લાહવો લેશે. દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરી હેલીકોપ્ટર મારફત જામનગર અને ત્યાંથી પ્લેનમાં અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદ ખાતે 5 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે હાજરી આપી ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ શખ્સ તડીપાર:બોટાદ પોલીસે ત્રણ માસ માટે જિલ્લામાંથી હદપાર કર્યો
બોટાદ પોલીસે જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વારંવાર સંડોવાયેલા એક શખ્સને જિલ્લામાંથી ત્રણ માસ માટે તડીપાર કર્યો છે. બોટાદ શહેરમાં રહેતા તૌફીક રમજાનભાઈ કુરલાવાલા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તૌફીક કુરલાવાલા જુગાર રમવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતો હતો અને વારંવાર પોલીસ દ્વારા પકડાતો હોવા છતાં તેણે પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. આથી, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેની સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો. બોટાદ ટાઉન PI એસ. આર. ખરાડીએ તૌફીક કુરલાવાલાને બોટાદ જિલ્લા સહિત છ જિલ્લામાંથી હદપાર કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વિચારણા કરીને તૌફીક કુરલાવાલાને બોટાદ જિલ્લામાંથી ત્રણ માસ માટે તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ દ્વારા આ આદેશનો કડક અમલ કરીને તૌફીક કુરલાવાલાને જિલ્લાની હદમાંથી હટાવવામાં આવ્યો છે. બોટાદ પોલીસે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વો સામે સમાન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી રાધે એમ્પાયર વસાહતમાં ઘરની સફાઈ કરવા આવેલા ચાર શખસોએ એક રિસોર્ટ માલિકના ઘરમાં ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ શખસોએ ઘરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર, છ જીવતા કારતૂસ અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 1.75 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની સાફ સફાઈ કરાવીપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના વતની અને રિસોર્ટના માલિક પુંજાભાઈ જગમાલભાઈ બારડ તેમના પરિવાર સાથે કુડાસણની રાધે એમ્પાયર વસાહતમાં રહે છે. દિવાળીના તહેવાર નિમિત્તે તેમના પત્ની જશુબેને ઘરની સફાઈ કરાવવાનું નક્કી કર્યું હતું. ચારેય શખસો સફાઈ કામ બાદ રૂ.4500 લઈને નીકળી ગયાજશુબેને પાડોશીના ઘરે સફાઈ કરવા આવેલા શખસો પૈકીના શંકરલાલ નારાયણલાલનો સંપર્ક કર્યો હતો. બાદમાં ગત સોમવારે શંકરલાલ અને તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પુંજાભાઈના ઘરે સફાઈ માટે આવ્યા હતા. તે સમયે પુંજાભાઈ બહાર ગયા હોવાથી જશુબેન ઘરે એકલા હતા. ચારેય શખસોએ ઘરની સફાઈનું કામ પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ રૂ. 4500 લઈને ત્યાંથી નીકળી ગયા હતા. કબાટમાંથી લાયસન્સવાળી રિવોલ્વર ગાયબજોકે, બીજા દિવસે જ્યારે જશુબેન ઘરનો સામાન ગોઠવી રહ્યા હતા, ત્યારે તેમણે કબાટમાં રાખવામાં આવેલી લાયસન્સવાળી રિવોલ્વરનું ખાનું ખુલ્લું જોયું હતું. તપાસ કરતાં અંદરથી રિવોલ્વર અને છ જીવતા કારતૂસ ગાયબ હતા. આથી વધુ તપાસ કરતાં રૂ. 75,000ના સોનાના દાગીના પણ ચોરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઆ ઘટના બાદ જશુબેને તાત્કાલિક શંકરલાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. શંકરલાલ અને તેના સાગરીતોએ જ સફાઈના બહાને આ ચોરી કરી હોવાની દૃઢ શંકાના આધારે જશુબેને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના દિવાળીના તહેવારોને લઈ ઘરની અજાણ્યા શખસો પાસે ઘરની સાફ સફાઈ કરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય, મોડાસા ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી હર્ષદગિરી ગૌસ્વામીની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે માહિતી આપવા માટે હતી. ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ (25 સપ્ટેમ્બર) થી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ (25 ડિસેમ્બર) સુધી 'આત્મનિર્ભર ભારત' અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવશે. આગામી દિવસોમાં ભાજપના કાર્યકરો દરેક ગામડે જઈને લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરશે. આ અભિયાન દ્વારા 'આત્મનિર્ભર ભારત'નો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિતના મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના મુખ્ય કાર્યકરોની બેઠક યોજીને પણ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ખેરવા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચે તલાટી સાથે ઝઘડો કર્યો:તલાટીએ ફરજમાં રૂકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાવી
ખેરવા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી નિતેશસિંહ હઠુભા ઝાલાએ ઉપસરપંચ ઇનાયતખાન રહીમખાન વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગ્રામ પંચાયત કચેરીમાં બની હતી જ્યારે તલાટી વેરા વસૂલાતની કામગીરી કરી રહ્યા હતા. તલાટી નિતેશસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ખેરવા ગામે તલાટી તરીકે ફરજ બજાવે છે. ઘટનાના દિવસે, તેઓ ગ્રામ પંચાયતમાં બેસીને ગામના નાગરિકો પાસેથી બાકી ઘરવેરા અને પાણી વેરાની વસૂલાત કરી રહ્યા હતા. આશરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં પાટડી મામલતદાર ગ્રામ પંચાયતની મુલાકાતે આવ્યા હતા. મામલતદારની મુલાકાત દરમિયાન, પટ્ટાવાળા ભવાન મકવાણા, ઉપસરપંચ ઇનાયતખાન રહીમખાન, પંચાયત સભ્ય ત્રિભોવન મહાદેવભાઈ અને અન્ય ગ્રામજનો હાજર હતા. મામલતદારે સરકારી જગ્યા પરના દબાણ અંગે પૂછપરછ કરતા, તલાટીએ ઉપસરપંચ ઇનાયતખાન રહીમખાનનું દબાણ હોવાનું જણાવ્યું હતું. મામલતદારે લેખિતમાં જાણ કરવા જણાવી, વિઝિટ નોટમાં નોંધ કરીને ત્યાંથી રવાના થયા હતા. મામલતદારના ગયા બાદ, તલાટી ઝાલા કોમ્પ્યુટરમાં ઓનલાઈન એપ્લિકેશન દ્વારા નાગરિકોના બાકી વેરાની વિગતો જણાવી રહ્યા હતા. તે સમયે હાજર ઉપસરપંચ ઇનાયતખાને તેમની કાયદેસરની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી. ઉપસરપંચે જોરજોરથી બોલવાનું શરૂ કર્યું કે, તમે મારું જ કેમ કીધું? તલાટીએ તેમને પોતાનું કામ કરવા દેવા જણાવ્યું, પરંતુ ઉપસરપંચે વેરા વસૂલાતની ચાલુ કામગીરી અટકાવી દીધી. તેમણે તલાટીને કહ્યું કે, હું ગામનો ઉપસરપંચ છું. તમારે ખેરવા ગામમાં નોકરી કરવી હોય તો હું જે કહું તેવું કરવું પડશે, બાકી જોઉં છું તમે કેમ નોકરી કરો છો. તેમણે તલાટીને પંચાયતમાંથી બહાર નીકળી જવા કહ્યું અને અપશબ્દો બોલ્યા. ઉપસરપંચે વધુમાં જણાવ્યું કે, ગામના કોઈ પણ માણસોના હવે પછી વેરા ભરવા દેવાના નથી. તેમણે ટેબલ પર પડેલા પંચાયતના રેકોર્ડ્સ નીચે ફેંકી દીધા હતા. વેરો ભરવા આવેલા અન્ય નાગરિકોને પણ પંચાયતમાંથી બહાર કાઢી મૂક્યા હતા, આમ તલાટીની કાયદેસરની કાર્યવાહીમાં સંપૂર્ણપણે અવરોધ ઊભો કર્યો હતો. આ સમગ્ર મામલે બજાણા પીઆઈ એમ.બી. બામ્ભા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વેસુ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. હત્યાનું કારણ કોઈ જૂની દુશ્મની કે અંગત અદાવત નહીં, પરંતુ માર્ગ પર ચાલતા સમયે માત્ર એક સામાન્ય 'ધક્કો' લાગવો અને ત્યારબાદ થયેલી ગાળાગાળી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અતુલ જગબહાદુર સિંહને ઝડપી પાડ્યો છે. મૃતક બાબુ પટેલનો અકસ્માતે ધક્કો લાગી ગયો હતોવેસુના ઓમ આઇકોન અને સુમન સાગર આવાસની પાછળ 6 ઓક્ટોબર, 2025ના રોજ બાબુ પટેલ નામના યુવકની હત્યા થઈ હતી. આ ગુનો અનડિટેક્ટ હતો, જેને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. પકડાયેલા આરોપી અતુલ જગબહાદુર સિંહની કબૂલાત અનુસાર, તે છૂટક મજૂરી કામ કરતો હતો. ઘટનાના દિવસે તે મજૂરી કામે જવા માટે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર મૃતક બાબુ પટેલનો તેને અકસ્માતે ધક્કો લાગી ગયો હતો. મૃતકે આરોપી અતુલને ગંદી ગાળો આપી દીધીધક્કો લાગવાના કારણે બંને વચ્ચે તુરંત જ ઝપાઝપી અને તકરાર શરૂ થઈ. વિવાદ વકરતા મૃતક બાબુ પટેલે આરોપી અતુલને ગંદી ગાળો આપી દીધી. આરોપીએ ગાળો ન આપવા કહ્યું, પરંતુ વાત શાંત થવાને બદલે ઝઘડો ફરી વધ્યો. આરોપી અતુલ સિંહ ગાળો સાંભળીને એટલો ઉશ્કેરાઈ ગયો કે, તેણે પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી દીધો. તેણે પોતાની પાસે રહેલું ચાકુ કાઢ્યું અને મૃતક બાબુ પટેલને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. હત્યા બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતોપોલીસ તપાસ મુજબ, મૃતકના શરીર પર પેટના ભાગે, જમણા હાથે કોણીના ભાગે અને જમણા પગે જાંઘના ભાગે સહિત અન્ય જગ્યાઓ પર તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. હત્યા બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતોડીસીપી ભાવેશ રોઝિયાંએ આ કેસની વિગતો આપતા જણાવ્યું કે, આરોપી અતુલ સિંહ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે અને તે ઘણા સમયથી પોતાની પાસે ચાકુ રાખતો હતો. વધુમાં ચોંકાવનારી વિગત એ સામે આવી કે, વિવાદિત સ્વભાવને કારણે મુંબઈમાં રહેતા તેના માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગુરુવારે હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં પ્રદેશ અને જિલ્લાના ભાજપના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ના સૂત્રને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.વડાપ્રધાન દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે દેશની પ્રજાનો સહયોગ મેળવીને આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ અભિયાનને ઉજાગર કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર કાર્યશાળાઓ યોજાઈ રહી છે. કાર્યશાળાને સંબોધતા પ્રદેશના અગ્રણી હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સૂત્રને સાકાર કરવા માટે સૌએ ખભે ખભા મિલાવીને વડાપ્રધાનનો આ સંદેશ ગામડાંઓમાં રહેતા દેશવાસીઓ સુધી પહોંચાડવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ૨૧મી સદી ભારતની સદી છે તેવું માત્ર બોલવાથી નહીં, પરંતુ તેના માટે રોડમેપ બનાવીને દેશના ૧૪૦ કરોડ લોકોને સ્વદેશી અભિયાનમાં જોડવા જોઈએ. ભાજપના સદસ્ય રાજુભાઈ શુક્લાએ માહિતી આપી હતી કે દિવાળીના તહેવારો પછી સાબરકાંઠામાં તમામ શક્તિ કેન્દ્રોમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્નેહ સંમેલનો યોજવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ૨૫ ડિસેમ્બર સુધી 'સ્વદેશી અપનાવો' સંકલ્પ હેઠળ સાબરકાંઠામાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારતનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે માટે શહેરી, ગ્રામ્ય અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. હિંમતનગર ખાતે યોજાયેલી આ જિલ્લા કક્ષાની કાર્યશાળામાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સહકારી અગ્રણી જેઠાભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકાના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં રખડતા ઢોર નિયંત્રણની પોલિસી અમલમાં છે છતાં રોડ પર ઢોર જોવા મળી રહ્યા છે. રોડ અને ફૂટપાથ ઉપર લારી અને ગલ્લાના દબાણો જોવા મળે છે. કોર્પોરેશનની ટીમ દબાણો દૂર કરે છતાં પણ ફરીથી ત્યાં દબાણો થઈ જાય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCD તેમજ એસ્ટેટની ટીમ સાથે સિક્યુરિટીના સંકલન અને તેનું મોનિટરિંગ રાખવા માટે નિવૃત્ત કર્નલ કક્ષાના અધિકારીની છ મહિનાના કોન્ટ્રાક્ટ પર દર મહિને 1,00,000ના પગાર પર નિમણૂક કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. સુપરવિઝન માટે નિવૃત્ત આર્મી મેનની નિમણૂકસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર અને દબાણો દૂર કરવાની કામગીરી માટે SRPની ઈમો અને પોલીસની ટીમ સાથે રહેતી હોય છે. ત્યારે આ કામગીરી પર સુપરવિઝન નિવૃત્ત આર્મી મેન જેવો કર્નલ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ હસ્તકના મ્યુનિ.બિલ્ડીંગની સુરક્ષાને લગતી કામગીરી, ભદ્ર પ્લાઝા વિસ્તારમાં પીળા પટ્ટાથી માર્કિંગની જગ્યા સિવાય દબાણ મુક્ત રહે તે જોવાની પોલીસ સાથે સંકલન કરવાની તેમજ સિક્યોરીટી વિભાગના સુપરવિઝનની કામગીરી પણ આ અધિકારીને સોંપવામા આવશે. 6 મહિના કોન્ટ્રાક્ટ પર નિમણૂક કરાઈઆ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિવિધ વિરોધ પ્રદર્શન અથવા રજૂઆત માટે લોકો આવે ત્યારે સિક્યુરિટી સિક્યોટીરી, સ્ટાફની અસરકાર વહેંચણી કરવી, તેમની વર્તણુંક અને સ્કીલ ડેવલપમેન્ટની કામગીરી કરવી, તથા તમામ બાબતોમાં પોલીસ સાથે સંકલન કરી કામગીરી કરાવવાની જવાબદારી આ અધિકારીની રહેશે. નિવૃતા આર્મી મેન રુચિર વોરાની દર મહિને એક લાખ રૂપિયાના પગાર પર હાલ 6 મહિના માટે કોન્ટ્રાક્ટ પર નિમણૂક કરાઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અને અન્ય સ્ટાફ છતાં આ અધિકારીની નિમણૂક કેમ?જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચા જાગી છે કે સીએનસીડી વિભાગ અને એસ્ટેટ વિભાગને કામગીરી માટે સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ અને બેથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો પણ આ તમામ જગ્યા ઉપર સુપર વિઝન માટે મૂકવામાં આવ્યા છે છતાં પણ દર મહિને એક લાખ રૂપિયાના પગાર વાળા અધિકારીની નિમણૂક કેમ કરવામાં આવી રહી છે. જો આટલો બધો પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અને અન્ય સ્ટાફ હોવા છતાં પણ આવા અધિકારીને કેમ મૂકવામાં આવ્યા છે એ પણ સવાલ ઊભા કરી રહ્યું છે.
15 ઓગસ્ટ 2021ના દિવસે અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનનું રાજ આવ્યું. 5 વર્ષ પછી તાલિબાનની સ્થિર સરકાર છે. પણ તાલિબાન આતંકી સંગઠન હોવાથી અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા મળી નથી. હા, એકમાત્ર રશિયાએ તાલિબાનને માન્યતા આપી છે. બાકીના દેશોએ નહિ. ભારતે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા નથી આપી. હવે તાલિબાની સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકી એક અઠવાડિયાં માટે ભારત આવી પહોંચ્યા છે. 10 ઓક્ટોબર, શુક્રવારે દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મહત્વની મિટિંગ છે. મિટિંગના એજન્ડા બહાર આવ્યા નથી પણ કહેવાય છે કે તાલિબાનોને માન્યતા આપવી, ડ્રાયફ્રૂટ નિકાસ સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે. નમસ્કાર, આમિર ખાન મુત્તકી તાલિબાની સરકારમાં વિદેશમંત્રી ભલે રહ્યા પણ UNએ તેમને પ્રતિબંધિત આતંકીઓના લિસ્ટમાં મૂકી દીધા છે. એટલે તેમણે ભારત આવવા માટે UN સિક્યોરિટી કાઉન્સીલની મંજૂરી લેવી પડે. UN સિક્યોરિટી કાઉન્સીલે મુત્તકીને 9થી 16 ઓક્ટોબર સુધી ભારત મુલાકાતની ખાસ પરમિશન આપી છે. ભારતે મુત્તકીનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબજો જમાવી લીધો હતો તે પછી અફઘાનિસ્તાનના કોઈ મંત્રીની આ પહેલી ભારત મુલાકાત છે. નવાઈની વાત એ છે કે હજી સુધી ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા નથી આપી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે એવા એવા નિર્ણયો લીધા છે જે માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. જેમ કે તાલિબાને છોકરીઓના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મુત્તકીની ભારત મુલાકાત અંગે અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં લખ્યું છે કે આમીર ખાન મુત્તકીને વિદેશ મંત્રી તરીકે પ્રોટોકોલ સાથે સન્માન આપવામાં આવશે. તે 10 ઓક્ટોબરે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મિટિંગ કરશે. અફઘાન મીડિયામાં ભારત મુલાકાત ચર્ચાનો વિષય મુત્તકીની ભારત મુલાકાત અફઘાનિસ્તાનના મીડિયામાં ચર્ચાનો વિષય છે. પશ્તો ભાષાના અમુ ટીવીએ તેની વેબસાઈટમાં એક રિપોર્ટ છાપ્યો છે. તેમાં લખ્યું છે કે, બે સૂત્રોના જણાવ્યા મુજબ તાલિબાની વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકીને તેમના નેતા હિબાતુલ્લાહ અખુંદઝાદા તરફથી ભારત અને રશિયાની મુલાકાત લેવાના નિર્દેશ મળ્યા હતા. મુત્તકીને આ બંને દેશોની મુલાકાત પહેલા અખુંદઝાદાએ મળવા માટે કંદહાર બોલાવ્યા હતા. પણ બંનેની મિટિંગની કોઈ વિગતો બહાર આવી નથી. મુત્તકીને યુએન સિક્યોરિટી કાઉન્સીલે ભારત જવાની છૂટ આપી છે પણ રશિયાનો કોઈ ઉલ્લેખ નથી. મુત્તકીની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે હાલના મહિનાઓમાં મુત્તકીની ઘણી પૂર્વનિયોજિત પાકિસ્તાન મુલાકાત રદ્દ થઈ છે. એવું અખુંદઝાદાની આપત્તિના કારણે કે લોજિસ્ટિકલ કારણોથી થયું છે. અફઘાનિસ્તાનના અંગ્રેજી અખબાર ટોલો ન્યૂઝે લખ્યું છે કે મુત્તકીની ભારત મુલાકાતમાં ટોપ એજન્ડામાં મહત્વનો મુદ્દો છે તાલિબાનને માન્યતા આપવાનો. અફઘાનિસ્તાનના પોલિટિકલ એક્સપર્ટ શું કહે છે? ઝંડો રાખવાનો પડકાર ભારતે હજુ સુધી તાલિબાન શાસિત અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. આ કારણોસર ભારતે તાલિબાનને અફઘાન દૂતાવાસમાં પોતાનો ઝંડો રાખવાની મંજૂરી આપી નથી. ભારતમાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં હજુ પણ ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન (પદ પરથી હટાવાયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીના નેતૃત્વ હેઠળના શાસન)નો ધ્વજ લહેરાય છે. આ નિયમ અત્યાર સુધી ચાલુ છે. જ્યારે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મુત્તકી જયશંકર સાથે મુલાકાત કરશે ત્યારે રાજદ્વારી પ્રોટોકોલ મુજબ યજમાન દેશ (ભારત)નો ધ્વજ અને મુલાકાતી મંત્રીના દેશનો ધ્વજ બંને તેમની પાછળ અથવા ટેબલ પર રાખવા જરૂરી છે. ભારત તાલિબાનને માન્યતા આપતું નથી, તેથી અધિકારીઓ આ મુદ્દાનો ઉકેલ લાવવા મનોમંથન કરી રહ્યા છે. કાબુલમાં ભારતીય અધિકારીઓ અને મુત્તકી વચ્ચેની અગાઉની બેઠકોમાં તાલિબાન ધ્વજ પર ચર્ચા થઈ છે. જાન્યુઆરીમાં દુબઈમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની મુત્તકી સાથેની મુલાકાત દરમિયાન ભારતીય અધિકારીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે તેઓએ કોઈ ધ્વજ ફરકાવ્યો નહોતો, ન તો ભારતીય ત્રિરંગો કે ન તો તાલિબાન ધ્વજ. હવે જ્યારે આ બેઠક દિલ્હીમાં થઈ રહી છે ત્યારે તે એક મોટો રાજદ્વારી પડકાર બની જાય છે. તાલિબાન સરકારને માન્યતા આપવાની ચર્ચા થઈ શકે છે 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યા પછી તાલિબાન સરકારની રચના થઈ. એ પછી ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું. ત્યારથી બંને દેશો વચ્ચે કોઈ ઔપચારિક સંબંધ રહ્યો નથી. ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. જોકે ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાન સાથે બેકડોર ડિપ્લોમસી કરતું આવ્યું છે. ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ, ચાબહાર-રૂટ, પોર્ટ-લિંક, પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ પર પ્રતિબંધ, અફઘાન સરકારની આંતરરાષ્ટ્રીય માન્યતા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શું ભારત હવે તાલિબાન સરકારને ગંભીરતાથી લે છે? JNU ખાતે આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત અને સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિયેટ પ્રોફેસર રાજન રાજ કહે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ભારત સાથે જે વાટાઘાટો શરૂ કરી છે તે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે ભારત હવે તાલિબાન સરકારને ગંભીરતાથી લઈ રહ્યું છે અને તેને અફઘાનિસ્તાનની પ્રતિનિધિ સંસ્થા તરીકે સ્વીકાર કરે છે. ભારતને અણસાર આવી ગયો છે કે તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં લાંબા સમય સુધી રહી શકે છે એટલે તેમની સાથે વાતચીત જરૂરી છે. હવે એવું લાગે છે કે અફઘાનિસ્તાનમાં આંતરિક સંઘર્ષનો અંત આવી ગયો છે અને તાલિબાનનું શાસન સ્વીકારાઈ ગયું છે. હવે એવું તાલિબાન સત્તામાં આવ્યું છે જે લગભગ તમામ સંગઠનોને સાથે લઈને ચાલી રહ્યું છે. આ પહેલાં હામિદ કરઝાઈની સરકાર હતી. એવું કહેવાતું કે તે કાબુલના ચેરમેન છે, તેનાથી વધારે કાંઈ નહિ. બાકી આખા દેશ પર તાલિબાનનો જ કબજો રહેતો હતો. બીજીવાર જે તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી આપણી સામે એક મજબૂત અફઘાનિસ્તાન છે. કોણ છે આમિર ખાન મુત્તકી? ભારત સાથે દોસ્તી રાખવાથી અફઘાનને શું ફાયદો? પ્રોફેસર રાજન કહે છે, ભારતે અફઘાનિસ્તાન પર જે વેપાર અને આર્થિક પ્રતિબંધો લાદ્યા છે તે હળવા થઈ શકે છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાન ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવી રહ્યું છે. ભારતે અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપ દરમિયાન પણ નોંધપાત્ર સહાય અને રાહત સામગ્રી મોકલી હતી. ભારત અને તાલિબાન વચ્ચેની બેઠક અફઘાનિસ્તાનના લોકો માટે પણ મહત્વપૂર્ણ છે. રશિયા, ચીન અને અમેરિકા એ બધી મોટી શક્તિઓ છે જે અફઘાનિસ્તાન સાથે વાતચીતમાં રોકાયેલી છે.આવી સ્થિતિમાં ભારતને લાગે છે કે જો તે પાછળ રહેશે તો દક્ષિણ એશિયામાં તેના હિતોને અસર થશે. રાજન રાજ કહે છે, ભારતના વાતચીત તરફ આગળ વધવા પાછળનું એક કારણ ફોમો (ચૂકી જવાનો ડર) હોઈ શકે છે. ભારતે અગાઉ અફઘાનિસ્તાનમાં માળખાંગત સુવિધાઓના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી બંને દેશો વચ્ચે ઉદ્ભવેલા અંતરને દૂર કરવાના પ્રયાસો હવે ચાલી રહ્યા છે. ભારત તાલિબાન સાથે આ મિટિંગ ટાળતું રહ્યું છે પણ હવે ભારતે કૂણું વલણ અપનાવ્યું છે. જો ભારતે વાત ન કરી હોત તો ત્યાંના કટ્ટરપંથી આતંકવાદી જૂથો ભારત વિરોધી બની શક્યા હોત. આવી સ્થિતિમાં હવે તાલિબાનની જવાબદારી રહેશે કે તે તેની ધરતી પર કોઈપણ ભારત વિરોધી પ્રવૃત્તિને મંજૂરી ન આપે. ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન - તાલિબાન પાકિસ્તાનને અલગ પાડી દેવાની કૂટનીતિ ઓપરેશન સિંદૂર પછી દક્ષિણ એશિયાની રાજનીતિ ઘણી બદલાઈ રહી છે. ભારતમાં આ વાત પર સહમતી બની રહી છે કે પાકિસ્તાનને અલગ કરવાની વ્યૂહરચના પર કામ કરવામાં આવે. તાજેતરનાં વર્ષોમાં ચીનની મદદથી પાકિસ્તાને પોતાને સુધાર્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં જે પણ ઊથલપાથલ થઈ એનો ફાયદો પાકિસ્તાનને જરૂર થયો છે. ભારત માટે એ જરૂરી હશે કે ભારત પાડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ્સ, શ્રીલંકા સાથે સારા સંબંધો બનાવે. સરકાર આ દિશામાં કામ પણ કરી રહી છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રીનો ભારત પ્રવાસ માત્ર બે દેશો વચ્ચેની વાત નથી પણ આખા દક્ષિણ એશિયા પર એની અસર થશે. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર પ્રભાવ હક્કાની નેટવર્ક દ્વારા રહ્યો હતો. હક્કાની નેટવર્ક એક અફઘાન સુન્ની ઇસ્લામવાદી ઉગ્રવાદી જૂથ છે, જે મુખ્યત્વે પૂર્વી અફઘાનિસ્તાન અને ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનમાં સક્રિય છે. હવે જ્યારે ભારતની તાલિબાન સાથે સીધી વાતચીત થાય છે ત્યારે પાકિસ્તાન ભારતને નિશાન બનાવવા તાલિબાનનો ઉપયોગ નહિ કરી શકે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાને તેમનો ગેરકાયદે ફાયદો ઉઠાવ્યો, અફઘાનીઓ એ સમજી ગયા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને પાડોશી દેશો છે. અફઘાન જિહાદના સમયમાં અફઘાનિસ્તાન બંને દેશો વચ્ચે લૉન્ચ બેઝ અને સપોર્ટ બેઝ રહેતો હતો. મોટેપાયે અફઘાની શરણાર્થીઓ હજી પણ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની અફઘાની જનતા અને રાજનીતિમાં ઊંડી અસર છે. અફઘાનિસ્તાનનાં સંગઠનો સમજી ગયા છે કે પાકિસ્તાને દેશની આ હાલતનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. એક પાડોશી હોવાના નાતે તેમણે મદદ તો કરી, પણ ગેરકાયદે ફાયદા બહુ ઉઠાવ્યા. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘણી રીતે હથિયારબંધ સમૂહોને તૈયાર કર્યા અને તેમને ટ્રેનિંગ આપી. પાકિસ્તાનને લઈને અફઘાનિસ્તાનમાં ઘણી નારાજગી છે. અફઘાનિસ્તાન પાકિસ્તાન પર પોતાની નિર્ભરતા ઘટાડવા માગે છે. તાલિબાનની સરકાર આવ્યા પછી તેમણે પાકિસ્તાન કરતાં ચીનથી નિકટતા વધારી છે. અફઘાનિસ્તાન અને ઈરાનના સંબંધો પણ સુધરી રહ્યા છે. ભારતને તેઓ સારા મદદગાર દેશ તરીકે જુએ છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું અફઘાનિસ્તાનના પાકિસ્તાન સાથેના સંબંધો ખરાબ થઈ જશે? તેના જવાબમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર પ્રોફેસર અનસ કહે છે કે, એવું નથી કે અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે પોતાના સંબંધો ખરાબ કરી લેશે. બસ, તે પાકિસ્તાનને આ અહેસાસ કરાવી દેશે કે હવે તમે જ એકમાત્ર પાડોશી નથી. અમારા બીજા પાડોશીઓ પણ છે. છેલ્લે, પાકિસ્તાને પાંચ મહિના પહેલાં ધમકી આપી હતી કે પાકિસ્તાનની અંદર રહેતા 80 હજાર અફઘાનિસ્તાન શરણાર્થીઓ પાછા ચાલ્યા જાય. ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ પેદા થઈ ગયો છે. બીજી તરફ પાકિસ્તાનના બે પ્રાંત બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહની બોર્ડર અફઘાનિસ્તાનને અડીને આવેલી છે અને બંને પ્રાંત બળવો કરી રહ્યા છે. ભારત સાથેની તાલિબાન મુલાકાત પછી બંને પ્રાંત તેના હાથમાંથી સરકી જવાનો ભય પણ છે અને એટલે જ પાકિસ્તાનને પરસેવો વળી રહ્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
પાટણમાં છીડિયા અંબાજી મંદિર ચોકમાં ગરબાનું આયોજન:શરદ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી
પાટણના છીડિયા અંબાજી મંદિર ચોક ખાતે છીડિયા સહ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારની મહિલાઓ, યુવક અને યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેટલીક મહિલાઓએ માથે બેડા (માટલાં) લઈને ગરબા રમીને માતાજી પ્રત્યેની આસ્થા અને પરંપરાગત સંસ્કૃતિને પ્રગટ કરી હતી. મંદિર ચોકને માતાજીની માંડવીના સુશોભન સાથે સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. શરદ પૂર્ણિમાની રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ગરબે રમીને આ પવિત્ર પર્વની આનંદમય ઉજવણી કરી હતી.
બાળકીને ટક્કર મારનાર કારચાલકને સજા:બોરસદ કોર્ટે એક વર્ષની કેદ, ₹2000 દંડ ફટકાર્યો
બોરસદ કોર્ટે બાળકીને ટક્કર મારી ઈજા પહોંચાડવાના કેસમાં ઈકો કાર ચાલક કિરણસિંહ મહીડાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ₹2000 દંડની સજા ફટકારી છે. આ ઘટના 11 નવેમ્બર 2022ના રોજ બોરસદ તાલુકાના નિસરાયા-અલારસા રોડ પર બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 11 નવેમ્બર 2022ના રોજ નિસરાયા-અલારસા રોડ પર જાંબુડી તલાવડી નજીક માતાજીનો રથ પસાર થઈ રહ્યો હતો. આ સમયે રમેશભાઈ ભીખાભાઈ ઠાકોરની પૌત્રી માર્ગ પર આવી હતી. તે દરમિયાન અલારસાના રહેવાસી કિરણસિંહ દશરથસિંહ મહીડા એ પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવી બાળકીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં બોરસદ ટાઉન પોલીસે ઈકો ચાલક કિરણસિંહ મહીડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનિષ નંદાણીની કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના સરકારી વકીલ એસ.એ. દવે દ્વારા 10 મૌખિક અને 4 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રજૂ કરાયેલા તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને ઈકો ચાલક કિરણસિંહ દશરથસિંહ મહીડાને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને એક વર્ષની સાદી કેદ અને ₹2000નો દંડ ભરવાનો આદેશ કર્યો છે.
લુણાવાડા ICDS દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી:પોષણ જાગૃતિ માટે વાનગી નિદર્શન, રંગોળીનું આયોજન
ગુજરાત સરકારના 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, લુણાવાડા તાલુકા આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ સેવાઓ) દ્વારા પોષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેવા કે સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષના બાળકોને ટેક હોમ રાશન (THR) વિશે માહિતી અપાઈ. પોષણનું મહત્વ સમજાવવા માટે મિલેટ (શ્રી અન્ન) અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરાયું. આ ઉપરાંત, લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી પણ બનાવવામાં આવી હતી. જેમાં મિલેટ્સ, કઠોળ, સરગવો, મેથી, પાલકભાજી અને અન્ય ધાન્યનો ઉપયોગ કરીને પોષક તત્વોનું મહત્વ દર્શાવવામાં આવ્યું. આ પ્રવૃત્તિએ ઉપસ્થિત સૌને પૌષ્ટિક આહાર વિશે સરળ અને દ્રશ્યમાન રીતે જ્ઞાન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સંકલન અધિકારી, તલાટી, સરપંચ, ઉપસરપંચ, આરોગ્ય વિભાગના સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આગામી દિવાળી પર્વ માટે 50,000થી વધુ સ્વદેશી દીવા બનાવ્યા છે. આ પ્રયાસનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાનો છે.આ દીવાઓમાં સાદા દીવા, ફેન્સી દીવા, મીણબત્તી, ફ્લોટિંગ દીવા, વેક્સ દીવા, કુલડી દીવા, શુભલાભ દીવા, સ્ટેન્ડ દીવા, મોર દીવા, કાચબા દીવા, દીવા પ્લેટ, હેંગિંગ દીવા, ઝુમ્મર દીવા, ઘર દીવા અને તુલસી દીવા જેવા વિવિધ પ્રકારોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક આ દીવાઓનું નિર્માણ કર્યું છે.આ દીવાઓનું વેચાણ જુદા જુદા પ્રદર્શનો યોજીને અને વેચાણ સહાયકો દ્વારા કરવામાં આવશે. આ વેચાણ દ્વારા પ્રાપ્ત થતી આવક મનોદિવ્યાંગ લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે, જે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક નિલેશ પંચાલના જણાવ્યા અનુસાર, આ પહેલ મનોદિવ્યાંગજનોને સમાજમાં સન્માનભેર સ્થાન અપાવવા અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ કદમ છે.
UK PM Keir Starmer Hindi Speech Viral Video: યુનાઇટેડ કિંગડમ (UK)ના વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ 9 ઓક્ટોબરના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. આ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાંથી તેમનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હિંદીમાં બોલતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટી ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુ ભક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દિગંબર જૈન પરંપરાના મહાન ગુરુઓ – આચાર્ય 108 શ્રી વિદ્યાસાગરજી મહામુનીરાજ, આચાર્ય 108 શ્રી સમય સાગરજી, આચાર્ય 108 શ્રી સુનિલ સાગરજી તથા ગણીની પ્રમુખ આર્યિકા 105 શ્રી જ્ઞાનમતી માતાજીના અવતરણ દિવસ નિમિત્તે ગુરુ ચરણોમાં આરાધનાના મુખ્ય હેતુ સાથે યોજાયો હતો. આ ભવ્ય આયોજનમાં 1,008 દીવો સાથે મહા આરતી કરવામાં આવી હતી, જે ભક્તિભાવથી સરાબોર રહી હતી. આશરે 700 થી 800 યુવક-યુવતીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમીને જૂની સંસ્કૃતિને આધુનિક ઉત્સાહ સાથે જીવંત કરી હતી. કુલ 1500 થી 1700 શ્રદ્ધાળુઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કાઉન્સિલર શ્રી મુકેશભાઈ પટેલે પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમના આયોજનમાં દિયા ગ્રુપ, આગમ ફાઉન્ડેશન, નેમીકુમાર ગ્રુપ, અવિજીત સમૂહ, પારસનાથ મહિલા મંડળ, શાંતિનાથ મહિલા મંડળ તથા અનેક સ્થાનિક મંદિર અને નવયુવક મંડળો સહિત વિવિધ સંગઠનો સહભાગી બન્યા હતા. વધુમાં, 8 થી 10 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ચેનલોએ હાજરી આપી કાર્યક્રમને સતત અપડેટ રાખ્યો હતો, જેના બદલ શાંતિનાથ ફાઉન્ડેશને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન માટે શાંતિનાથ ફાઉન્ડેશન અને તેના આગેવાનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. અમદાવાદના અગ્રણીઓએ પણ તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. સહયોગ આપનાર તમામ અગ્રણીઓનું માળાઓ, શાલ, તિલક અને મોમેન્ટો દ્વારા હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. શાંતિનાથ ફાઉન્ડેશનના પ્રમુખોએ દિગંબર જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્ય કરતી રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓ આચાર્યશ્રી વિદ્યાસાગરજીના 'ઈન્ડિયા નહીં ભારત', 'માતૃભાષા હિન્દી', 'ગૌરક્ષા' જેવા વિધાનોને અગ્રિમ રૂપમાં અનુસરવાની દિશામાં સક્રિય રહેશે.
પ્રશ્નાવડા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સાયક્લોન સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, જિલ્લા પંચાયતની લોઢવા અને ધામળેજ બેઠક હેઠળ કુલ રૂ. 80.50 લાખના 7 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂ. 42.98 લાખના 14 કામોનું ખાતમૂહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. વિકાસરથ દ્વારા ગ્રામજનોને વિવિધ યોજનાકીય સહાય પણ વિતરિત કરવામાં આવી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સહભાગી થવું જોઈએ. તેમણે નાગરિકોને સ્વચ્છતા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, પ્લાસ્ટિક નાબૂદી, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ તેમજ વ્યસનમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે આહવાન કર્યું. કાર્યક્રમ દરમિયાન, ધારાસભ્ય બારડ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, વૃદ્ધસહાય મંજૂરી હુકમ, એન.આર.એલ.એમ. સહાય સહિતના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ ટેકહોમ રાશનનું પણ વિતરણ કરાયું. સંચાલક રમેશભાઈ વાળાએ વડાપ્રધાનના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે આવેલા પરિવર્તન, જી.એસ.ટી. સુધારણા અને સોલાર રૂફટોપ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામોની માહિતી પણ પૂરી પાડી. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત સ્ટોલ અને આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક આહારનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી. ‘એક પેડ મારા નામે’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, અગ્રણી શૈલેન્દ્ર રાઠોડ, જાદવભાઈ ભોળા, મસરીભાઈ રાઠોડ, કેશુભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ગાંધીનગરની વૃન્દાવન નિવાસી પ્રાથમિક શાળા નભોઈ ખાતે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે હેર કટિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જીવનધારા અને અરુણા સેવા ગૃપના ઉપક્રમે આયોજિત કરાયો હતો.આર્યન ફેમિલી સલૂન, અમદાવાદના કાર્તિક કાલાવડિયા, રણજીતભાઈ પરમાર, દિનેશભાઈ, હર્ષ, વિવેક અને અલ્પેશ સહિતના સ્ટાફ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી હતી. ટીમે તમામ બાળકોના વાળ વિનામૂલ્યે કાપીને તેમને પસંદગી મુજબની હેરસ્ટાઈલ પણ કરી આપી હતી.આ પ્રસંગે જીવનધારા અને અરુણા ગૃપના સભ્યો જી.કે. પરમાર, યોગેન્દ્રસિંહ ચાવડા, ધીરજભાઈ પરમાર, કૌશિકભાઈ અંજારિયા અને ગિરધરભાઈ કાલાવડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ નિવાસી શાળામાં આદિજાતિ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે. તેમના રહેઠાણ વિસ્તારમાં વાળ કાપવાની દુકાનો ન હોવાથી, વાલીઓને રજા કે વેકેશન દરમિયાન નજીકના શહેરમાં બાળકોના વાળ કપાવવા લઈ જવા પડતા હતા, જે આર્થિક રીતે બોજારૂપ બનતું હતું.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં કાર્તિકભાઈ અને તેમની ટીમ દ્વારા શાળાના બાળકોના વિનામૂલ્યે વાળ કાપી આપવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત, ગિરધરભાઈએ તમામ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી અને કાર્તિકભાઈએ તેમને ચોકલેટ પણ વહેંચી હતી.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વિજય જયંતિલાલ શાહ ખોરજ ખાતેની કંપનીમાં એકાઉન્ટન્ટ-કમ કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ ફેસબુક ચેક કરી રહ્યા હતા ત્યારે આર્યા જોષી નામની મહિલાની સાથે વાત થઈ હતી. મેસેન્જર પર યુવતીએ તેમને પોતાનો નંબર મોકલ્યો હતો અને આર્યાએ જણાવ્યું હતું કે, તે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે, પરંતુ ફોરેક્સમાં ગોલ્ડનું ટ્રેડિંગ કરીને સારો નફો મેળવતી હોવાનું કહ્યું હતું. આર્યાની નફાની વાત સાંભળી વિજય શાહે પણ તેના કહ્યા મુજબ પહેલા 40 હજારનું રોકાણ કર્યું હતું, જેમાં માત્ર કલાકોમાં જ નફા સાથે રૂપિયા 45,600 તેમના એકાઉન્ટમાં જમા થયા હતા. જેને પગલે તેમને આ રોકાણ સલામત હોવાનું લાગ્યું હતું. ત્યાર બાદ વિજય શાહે આર્યાના કહેવા મુજબ જુદી જુદી જગ્યાએ કુલ સાડા સાત લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેના પર તેમને કુલ 18 લાખ બતાવવામાં આવ્યા હતા. હવે જ્યારે તેમણે આ નફા સાથેના રૂપિયામાંથી કેટલાક રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કહેવામાં આવ્યું કે પહેલાં એક મહિનાનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ચાલુ કરાવી દો, પછી રૂપિયા મળશે. તપાસ કરતાં ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પાંચ લાખનો હતો. બીજાં પાંચ લાખ રોકતા પહેલાં વિજય શાહે વિચાર્યું કે હવે ચીટિંગ થઈ રહ્યું છે. જેને પગલે તેમણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે. કાપડના વેપારીને 77.75 લાખનો ચુનો લગાવ્યોસેટેલાઇટ ખાતે રહેતા મહેશભાઇ અગ્રવાલ ન્યૂ કલોથ માર્કેટમાં શ્રીપતિ કોટ ફે નામે દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે. તેમની ફરિયાદ છે કે વર્ષ 2023માં ઘી કાંટા ખાતે રાધાકિશન એપેરલ્સ નામે ધંધો કરતા દિપક ભરતભાઇ ચાવડા તેમની દુકાને આવ્યા હતા અને તેમની સાથે ધંધો કરવાની વાત કરી હતી. પહેલા મહેશભાઇએ જેટલો માલ આપ્યો તેની નિયમિત ચુકવણી થઇ ગઇ હતી. ત્યાર બાદ તેમણે કરેલા 45.78 લાખના માલની ચુકવણી સામે માત્ર 4.38 લાખ રૂપિયા ચુકવ્યા હતા, જ્યારે 41.40 લાખ રૂપિયા ચુકવ્યા નહોતા. આવી જ રીતે પ્રકાશ અગ્રવાલને અન્ય ત્રણ કંપનીઓ શ્રી ચામુંડા ફેશનના માલિક સતીશ શાહે 7.46 લાખ, ઘનશ્યામ ટેક્સફેબના વિજય બજાજે રૂપિયા 18.54 લાખ તથા ટી.એસ. ટેક્સટાઇલ્સના તરનજીતસિંહ પાહવાએ રૂપિયા 10.35 લાખનો માલ લઇ રૂપિયા ચુકવ્યા નહોતા. આમ ચાર પેઢીઓએ મહેશ અગ્રવાલને કુલ 77.75 લાખનો ચુનો લગાવ્યો હતો.
દાંતીવાડા ખાતે રાષ્ટ્રીય પોષણ માસ-2025ની ઉજવણીના ભાગરૂપે પોષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના આસ્પી પોષણ અને સમુદાય મહાવિદ્યાલયના આહાર-પોષણ વિભાગ અને એન.એસ.એસ. યુનિટ દ્વારા યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમનું આયોજન એસોસિએટ પ્રોફેસર ડો. પ્રીતિ એચ. દવે (આહાર-પોષણ વિભાગ) અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમની મુખ્ય થીમ સ્વસ્થ નારી – સશક્ત પરિવાર હતી. ડો. પ્રીતિ એચ. દવેએ ગ્રામ્ય મહિલાઓ અને કિશોરીઓને દૈનિક આહારમાં મિલેટ, સ્થાનિક ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવા વિશે માહિતી આપી હતી. તેમણે પોષણ વાટિકા અને પરંપરાગત ખાદ્યો દ્વારા પૂરતું પોષણ મેળવવાની રીતો વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આસ્પી મહાવિદ્યાલયના આહાર-પોષણ વિષયના વિદ્યાર્થીઓએ પોષણ માસનું મહત્વ, સરગવાના આહારમાં ઉપયોગ અને ફાસ્ટફૂડથી થતા નુકસાન જેવા મુદ્દાઓ પર નાટક રજૂ કરીને જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય મહિલાઓ, કિશોરીઓ અને ICDS સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
VNSGU ના લોક પ્રશાસન વિભાગે વેબિનાર યોજ્યો:'ગુજરાત ગ્લોબલ ટૂરિઝમ હબ અને સ્ટાર્ટઅપ' વિષય પર ચર્ચા થઈ
વિકાસ સપ્તાહના ભાગરૂપે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના લોક પ્રશાસન વિભાગ દ્વારા ગુજરાત રાઈઝેસ એઝ એ ગ્લોબલ ટૂરિઝમ હબ એન્ડ સ્ટાર્ટઅપ વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. લોક પ્રશાસન વિભાગના કૉ-ઓર્ડીનેટર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મધુ એમ. થવાણીએ તેનું સંચાલન કર્યું હતું.સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રોફેસર પ્રો. જનકસિંહ મીના વેબિનારના મુખ્ય વક્તા હતા. તેમણે ગુજરાતના પર્યટન અને ઉદ્યોગસાહસ ક્ષેત્રમાં થયેલી મહત્વપૂર્ણ સફળતાઓનું વિગતવાર વિશ્લેષણ કર્યું. પ્રો. મીનાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, સોમનાથ, દ્વારકા મંદિર અને વિવિધ પ્રસિદ્ધ મ્યુઝિયમ્સ જેવા મુખ્ય પર્યટન સ્થળો પર પ્રકાશ પાડ્યો. તેમણે સુરક્ષા, મહેમાનનવાજી અને સાંસ્કૃતિક વારસાના મહત્વ પર પણ ભાર મૂક્યો, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં અત્યંત મહત્વપૂર્ણ છે.આ વેબિનારમાં ગુજરાતના ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોની ભાગીદારી, નવીનતા અને સહયોગી અભિગમ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરાયો. ડૉ. સ્વાતિ દેસાઈ, ડૉ. દીપિકા ગુપ્તા, શ્રીમતી મમતા મીના, ડૉ. મમતા ભક્કડ અને ડૉ. નિલમ પટેલ સહિતના સભ્યોની સક્રિય સહભાગિતા રહી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ વચ્ચે સક્રિય ચર્ચા અને વિચારોનું આદાન-પ્રદાન થયું, જેનાથી જાગૃતિ સર્જાઈ. આ દર્શાવે છે કે પર્યટન, નવીનતા અને સુશાસન ગુજરાતના સર્વાંગી વિકાસમાં સહયોગી ભૂમિકા ભજવે છે. કાર્યક્રમનું સમાપન ઔપચારિક આભાર પ્રસ્તાવ સાથે કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટી તંત્ર અને તમામ સહભાગીઓનો આભાર માનવામાં આવ્યો.
ગાંધીનગરના સેક્ટર-7/બી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધના ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ મળીને કુલ રૂ. 31 લાખ 22 હજારથી વધુની મત્તા ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધે તેમની દિવ્યાંગ દીકરીની જુબાનીના આધારે છેલ્લા દસ વર્ષથી ઘરે કામ કરતી કામવાળી બાઈ પર શંકા વ્યક્ત કરી સેકટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બેડરૂમમાં લોકરની ચાવી લટકતી હતી પણ અંદરનો કિંમતી સામાન ગાયબ હતોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેક્ટર-7/બી, પ્લોટ નં-720/1માં રહેતા રમણલાલ ભીખાભાઈ ઠક્કર ગત તા. 21 સપ્ટેમ્બરના રોજ સવારે બેંકમાંથી 1 લાખ રૂપિયા અંગત ખર્ચ માટે લઈને આવ્યા હતા. જે પૈસા તેમણે બેડરૂમના ફર્નિચરવાળા લોકરમાં મૂક્યા હતા. ત્યારબાદ તેઓ દવા અને નાસ્તો લેવા સેક્ટર-7ના શોપિંગ સેન્ટર ખાતે જવા ઉતાવળમાં લોકરને લોક કરવાનું ભૂલી જઈ ચાવી પણ લોકર પર જ લટકતી મૂકીને નીકળી ગયા હતા. એ વખતે ઘરે તેમની માનસિક રીતે દિવ્યાંગ 43 વર્ષીય દીકરી હાજર હતી. બાદમાં રમણલાલે શોપિંગથી પરત આવીને પૈસાનું પેમેન્ટ કરવા માટે બેડરૂમમાં જઈને જોયું તો લોકરની ચાવી ત્યાં જ લટકતી હતી પરંતુ, અંદર રાખેલો કિંમતી સામાન ગાયબ હતો. જેથી તેમણે વધુ તપાસ કરતા સોનાની લગડીઓ અને દાગીના રૂ.29.90 લાખ, રૂ.31,970 ની કિંમતના અલગ અલગ વજનના ચાંદીના સિક્કા, 1 લાખ રોકડા ,મિશ્ર ધાતુના 4 બાઉલ, 5 ચમચી મળીને કુલ રૂ. 31,22,470ની મત્તા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. 10 વર્ષથી કામ કરતી કામવાળી સિવાય કોઈ જ આવ્યુ નહોતુંઆ અંગે રમણલાલે ઘરે હાજર તેમની મા દિવ્યાંગ દીકરીને પૂછપરછ કરતા ઘરે છેલ્લા 10 વર્ષથી કચરા-પોતાનું કામ કરતા અલ્પાબેન રાજેશભાઈ દત્ત (રહે. સેક્ટર-7/બી) આવી હતી. જે કામ કરીને જતી રહી હતી. તેના સિવાય બીજું કોઈ વ્યક્તિ ઘરમાં આવ્યું નહીં હોવાનું જણાવ્યું હતું. જે બાબતે રમણલાલે ઘરઘાટી અલ્પા દત્તની પૂછપરછ કરવા છતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આથી, તેમણે પોતાના દીકરાને વાત કરી અલ્પા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય વાર્ષિક કાર્યક્રમ 'જુનિયર પ્રભાત'નો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં ધોરણ એક થી પાંચના લગભગ બે હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજરી આપી રહ્યા છે. 'જુનિયર પ્રભાત' કાર્યક્રમમાં યોગ, નાટક, સ્વરક્ષણ જેવી પરંપરાગત પ્રવૃત્તિઓ તેમજ લીડર્સ ઇન મી, કુકરી, જીકે, ટેક્નોવિઝાર્ડ જેવા સર્જનાત્મક અને શૈક્ષણિક વિષયોને આવરી લેતી 14 જેટલી આંતરિક સ્ટુડન્ટ્સ ક્લબ્સ ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત જુનિયર વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓ અને મોડેલો દ્વારા ઉત્સાહપૂર્વક તેમની પ્રતિભા દર્શાવી રહ્યા છે. વાલીઓ અને અન્ય મુલાકાતીઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત સર્જનાત્મકતા, પ્રયાસ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે. જીકે ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા 'અવર હેરિટેજ એન્ડ ધેર વર્લ્ડ પેરેલલ્સ' થીમ આધારિત મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતના ગેટ વે ઓફ ઇન્ડિયા, હવા મહેલ, ચાર મિનાર જેવી સાત ઐતિહાસિક ઇમારતો અને તેના પરથી પ્રેરિત થઈ વિશ્વના અન્ય દેશોમાં બનાવવામાં આવેલી ઇમારતોના મોડેલ્સ અને ચિત્રો પ્રદર્શિત કરાયા હતા, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
PM Modi Raises Khalistan Issue During UK PM Keir Starmer’s India Visit : ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ યુકેના વડાપ્રધાન કિએર સ્ટાર્મર બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. આજે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટ્રેડ, શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ખાલિસ્તાની કટ્ટરપંથનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
'ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત તો ગાઝામાં શાંતિ સમજૂતી શક્ય નહોતી', ટ્રમ્પનું મોટું નિવેદન
Image Source: IANS Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જો ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોત, તો ગાઝામાં શાંતિ સમજૂતી થવી સંપૂર્ણપણે અશક્ય બની જાત.
સમી કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ યોજાયો:બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૧ના ૧૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના એનએસએસ યુનિટ દ્વારા આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા જેવી આનુવંશિક બીમારી અંગે જાગૃતિ લાવવાનો અને સમયસર નિદાન કરવાનો હતો. આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના પ્રતિનિધિઓએ સહયોગ આપ્યો હતો. કેમ્પ ઇન્ચાર્જ સંજયભાઈ એસ. વાળંદ અને લેબ ટેકનિશિયન ચંદનસિંહ જે. પગી દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને થેલેસેમિયાના કારણો, લક્ષણો અને નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પમાં અંદાજે ૧૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના ટેસ્ટના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિ પ્રજાપતિએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થઈ હતી. એન.એસ.એસ. કમિટી, એન.એસ.એસ. યુનિટના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં વિશેષ યોગદાન આપ્યું હતું. તેમણે રજીસ્ટ્રેશન, વ્યવસ્થાપન અને જાગૃતિ અભિયાનમાં મદદ કરી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની રાત્રિએ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 2500 થી 3000 બહેનો અને દીકરીઓએ ગરબા રમવાનો લાભ લીધો હતો.આયોજકો દ્વારા બહેનો અને દીકરીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બાપા સીતારામ મંડળના સ્વયંસેવકો સતત ખડે પગે રહીને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા હતા, જેથી ગરબા રમવા આવનાર કોઈ પણ વ્યક્તિને ચિંતા કે ડર ન રહે.આ રાસ ગરબામાં માતાજીના ભજનો તેમજ ભગવાન કૃષ્ણના ગીતો પર બહેનોએ ઉત્સાહભેર ગરબા કર્યા હતા. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પોશાક પહેરીને જ ગરબા રમવાની પરંપરા જાળવવામાં આવી હતી, જેમાં જીન્સ કે ટી-શર્ટ જેવા પોશાકને મંજૂરી નહોતી. આ ઉપરાંત, કાર્યક્રમમાં માત્ર ગુજરાતી ભક્તિ ગીતો જ વગાડવામાં આવ્યા હતા, હિન્દી ગીતોનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. આ આયોજનમાં કમલ પાર્ક, ભગીરથ, પરિમલ, અભયનગર, સંતોષ નગર, મારુતિચોક, ભરતનગર, ઘનશ્યામનગર, તિરૂપતિ સહિત 15 થી વધુ સોસાયટીઓમાંથી બહેનો ગરબા રમવા માટે આવી હતી. ભગીરથ સોસાયટીમાં છેલ્લા 16 વર્ષથી આ પ્રકારે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.બાપા સીતારામ સેવા ટ્રસ્ટ, સુરત અને સર્વ સમાજના યુવા સ્વયંસેવકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ ગરબાનો લાભ દરેક સમાજની બહેનો અને દીકરીઓએ લીધો હતો. રાસ ગરબાના અંતે માતાજીની આરતી અને પ્રસાદી (પૌવા)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકનું આવતીકાલે શુક્રવારના બપોરે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ચોથા માળે આવેલા સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કમિશનર તરફથી આવેલી ભરતી નિયમો અને TP સ્કીમમાં ફેરફારો સહિતની વિવિધ મહત્ત્વની સાત દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે સામાન્ય સભા મળશે. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર લેવાનાર નિર્ણયોમાં સ્ટાફ નર્સના ભરતી નિયમોને મંજૂરી આપવા, ફાયર સર્વિસના ચાર્જમાં ફેરફાર કરવા અને બે અગત્યની ટાઉન પ્લાનિંગ (TP) યોજનાઓ સંબંધિત દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ સામાન્ય સભામાં ગત સભાના પ્રોસીડીંગ્સની મંજૂરી, ગત સામાન્ય સભાના કાર્યવાહી અહેવાલને મંજૂરી, મહાનગરપાલિકાના સ્ટાફ નર્સ, વર્ગ-3ની જગ્યાના ભરતી નિયમો અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજૂરી આપવા બાબતે નિર્ણય લેવામાં આવશે. ફાયર સર્વિસ ચાર્જમાં ફેરફારની પણ ભલામણGMC હદ વિસ્તારમાં અંગાર કોલ, બચાવ કોલ, બંદોબસ્ત વગેરે સેવાઓના ચાર્જમાં ફેરફાર અંગેની કમિશનરની ભલામણને મંજૂરી આપવા બાબત, TP સ્કીમ નં.1 (કોબા-રાયસણ) ની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતા પહેલાના તબક્કાની પુન:રચના અંગેના પાર્ટ પરામર્શની દરખાસ્તને અનુમોદન આપવા બાબત, TP સ્કીમ નં. 8 (સરગાસણ)માં અંતિમ ખંડ નં. આર-49 અને આર-48 પ્લોટ વાળી જમીનનો ઉપયોગ હેતુ 'સામાજીક માળખાકીય સુવિધા' માટે કરવા કલમ-70(ક) તળે ફેરફાર કરવા અંગેની ભલામણને મંજૂરી આપવામાં આવશે. TP સ્કીમ નં. 8 (સરગાસણ)માં જમીન ફાળવણીઅંતિમ ખંડ નં. આર-49 અને આર-48 ના પ્લોટવાળી જમીન સ્ટેટ ફાયર પ્રિવેશન સર્વિસના સ્ટેટ હેડ ક્વાટર્સ અંગેની ભલામણને મંજૂરી તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં મંડપ ડેકોરેશનની કામગીરી માટે મંજૂર થયેલ ટેન્ડરની રકમમાં રૂ. 1400 લાખનો વધારો કરવા અને રાષ્ટ્રીય તહેવાર, સરકારી સમારંભ વગેરેના ખર્ચની ગ્રાન્ટને રિવાઇઝ કરવા અંગેની કમિશનરની ભલામણને મંજૂરી આપવા આખરી નિર્ણય લેવામાં આવશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ ગુજરાત પોલીસ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) અને ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) માં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે એક ખાસ સપ્તાહાંત તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ભાવિ કાયદા અમલીકરણ અને જાહેર સેવા કર્મચારીઓની તૈયારી અને વ્યાવસાયિક ક્ષમતા વધારવાનો છે. આ વિશિષ્ટ કાર્યક્રમ 1 નવેમ્બર, 2025 થી શરૂ થઈને 22 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થશે, જેમાં કુલ ચાર શનિવારનો સમાવેશ થાય છે. દર શનિવારે યુનિવર્સિટીના અત્યાધુનિક કેમ્પસમાં સત્રો યોજાશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સહભાગીઓની તૈયારી, શારીરિક કાર્યક્ષમતા અને એકંદર વ્યાવસાયિક ક્ષમતામાં સુધારો કરવાનો છે. આ માટે નિષ્ણાત પ્રશિક્ષકોની દેખરેખ હેઠળ માળખાગત માર્ગદર્શન અને વ્યવહારુ સત્રો પ્રદાન કરવામાં આવશે.સપ્તાહાંત તાલીમ કાર્યક્રમનો અભ્યાસક્રમ વ્યાપક છે, જેમાં ઉપરોક્ત પરીક્ષાઓમાં સફળતા માટે મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે. તેમાં ભૂગોળ, ગણિત, તર્ક અને NCERT તથા GCERT અભ્યાસક્રમમાંથી મેળવેલી સામગ્રીનો સમાવેશ થાય છે. આ સર્વાંગી અભિગમ ઉમેદવારોને શૈક્ષણિક જ્ઞાન અને વિવેચનાત્મક વિચારસરણી કૌશલ્ય બંનેમાં સજ્જ કરીને સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠ બનવા માટે મદદ કરશે.આ કાર્યક્રમ માટે પ્રતિ વિદ્યાર્થી રૂ. 500 ફી લેવામાં આવશે. વ્યાખ્યાન સમયપત્રક બે સત્રોમાં વહેંચાયેલું છે: સવારનો સત્ર સવારે 10:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી અને બપોરનો સત્ર બપોરે 02:00 થી 05:00 વાગ્યા સુધી. આ લવચીક સમયપત્રક ઉમેદવારોને તેમની દૈનિક દિનચર્યામાં વિક્ષેપ પાડ્યા વિના તેમની તૈયારી ચાલુ રાખવાની સુવિધા પૂરી પાડે છે.
પાટણ નગરપાલિકા સામે શહેરીજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતાના આક્ષેપો કરાયા છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું જાહેર માર્ગો પર ફેલાવું, ઠેર ઠેર ખાડા અને પીવાના પાણીની તીવ્ર અછત જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે. આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો. ખાસ કરીને, પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા સોની વાડા વિસ્તારની ખેજડાની પોળમાં છેલ્લા બે થી ત્રણ માસથી પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. અહીં ઓછા પ્રેશરથી અને અપૂરતું પાણી આવતું હોવાથી રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારના સ્થાનિક લોકોએ વારંવાર કોર્પોરેટરોને આ અંગે જાણ કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આથી કંટાળીને ખેજડાની પોળની મહિલાઓએ સીધા નગરપાલિકા કચેરીએ પહોંચી પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવા પર ભાર મૂક્યો છે. તહેવારોમાં મહેમાનો અને ઘર વપરાશ માટે વધુ પાણીની જરૂરિયાત રહેતી હોવાથી, હાલમાં તેમને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. તેમની મુખ્ય માંગણીઓમાં વહેલી તકે પૂરતા પ્રેશરથી અને વધુ પાણી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગાંધીબાગના બોરનું પાણી આપવામાં આવે છે, જેમાં મોટર બળી જવાના કિસ્સાઓને કારણે વારંવાર પાણી આવતું નથી. આથી, અગાઉ કાજીવાળા બોરમાંથી ખેજડાની પોળમાં અપાતું પાણી ફરીથી ચાલુ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં ડ્રેસ કોડ નામે લેગિન્સ પહેરવા પર પ્રતિબંધ લગાવતા વાલીઓએ વિરોધ કર્યો હતો. જે બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ આજે સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે ગઈ હતી. જે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે સ્કૂલમાં સંચાલકો અને વાલીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન વાલીઓની રજૂઆત પણ સાંભળવામાં આવી છે. તેમજ આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને લેગિન્સ પહેરવાની છૂટ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થિનીઓ સ્કૂલમાં લેગિન્સ પહેરીને આવે તો તેમને હેરાન કરવામાં આવતી હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો હતો. જેને લઈને પણ વાલીઓ સાથે બેઠક કરીને લેખિત રજૂઆત લેવામાં આવી છે. ડ્રેસ કોડને લઈને ફેરફાર કરવા માટે પણ વાલીઓના સૂચન લેવામાં આવ્યા છે. તેમજ વાલીઓની અન્ય કોઈ ફરિયાદ હોય તો તે પણ જણાવવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી ડ્રેસકોડને લઈને અન્ય કોઈ નિર્ણય ના લેવાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને લેગિન્સ પહેરવાની છૂટ આપવા માટે પણ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને સૂચના આપી છે.
જામનગર જિલ્લામાં 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962' સેવાએ છેલ્લા આઠ વર્ષમાં 38,000થી વધુ ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓને સ્થળ પર જ સારવાર આપી નવજીવન બક્ષ્યું છે. આ સેવા 'સ્વસ્થ ગુજરાત'ના નિર્માણ અને પશુધનના કલ્યાણ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્ય સરકાર દ્વારા 6 ઓક્ટોબર, 2017ના રોજ શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજનાએ તાજેતરમાં સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવા મૂંગા પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થઈ છે. જામનગર જિલ્લામાં કુલ 38,188 જીવોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ નિ:શુલ્ક સેવામાં 25,555 શ્વાન, 9,105 ગાય, 7,425 બિલાડી, કબૂતર, સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા વિવિધ જીવોનો સમાવેશ થાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની દરેક વાન તમામ જરૂરી દવાઓ અને અધ્યતન સાધનસામગ્રીથી સજ્જ હોય છે, જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હંમેશા હાજર હોય છે. કરુણા પ્રોજેક્ટના આઠ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયના નાયબ પશુપાલન નિયામક ડો. અનિલ વિરાણી, એડીઆઈઓ ડો. ચિરાગ ભંડેરી, વેટરનરી પોલીસ ક્લિનિક સ્ટાફના સભ્યો, કરુણાના ડો. જીગરભાઈ કાણે અને પાયલોટ ભગવાનભાઈ, તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસમાંથી 1962 અને MVDUના કોર્ડીનેટર ચિંતનભાઈ પંચાલની હાજરીમાં સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન દ્વારા નગરના લોકોને અપીલ કરવામાં આવી છે કે શહેરના કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત કે બીમાર પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લે અને મૂંગા જીવોને મદદરૂપ થાય.
અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 8 દુકાનો ધરાશાયી થઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી તમામ દુકાનોને ખાલી કરાવી અને તોડી પાડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે વિસ્થાપિતો હતા, તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક ભાડા પટ્ટે આ જગ્યા ફાળવવામાં આવી હતી. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી દુકાનોને તોડી પાડવામાં આવશે અચાનક જ કાલુપુર બ્રિજના છેડા તરફની આઠ જેટલી દુકાનો પડી ગઈ હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની અંદાજિત 80થી વધારે દુકાનો આવેલી છે. વર્ષો જૂની આ દુકાનો જે નાગરિકો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે વિસ્થાપિત થઈને અમદાવાદ શહેરમાં રહેવા માટે આવ્યા હતા તેઓને વાર્ષિક ભાડાપટ્ટા ઉપર નક્કી કરેલા ભાવ મુજબ તેઓને ભાડે આપવામાં આવેલી હતી. 8 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રે અચાનક જ કાલુપુર બ્રિજના છેડા તરફની આઠ જેટલી દુકાનો પડી ગઈ હતી. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાલુપુર રેલવે બ્રિજ ઉપર આવેલી તમામ દુકાનો તોડી પાડવાનો નિર્ણય લેવાયોમ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ દુકાનો વર્ષો જૂની હતી અને જર્જરિત પણ હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે વિભાગ દ્વારા પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જે કામગીરીના કારણે કેટલુંક વાઇબ્રેશન છેલ્લા બે-ત્રણ દિવસથી થતું હોવાનું પણ સ્થાનિક લોકો તરફથી જાણવા મળ્યું હતું. જેથી, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. રેલવેની કામગીરીના કારણે વાઇબ્રેશનથી આ દુકાનો પડી છે કે કેમ તેની પણ તપાસ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે બ્રિજ ઉપર આવેલી તમામ દુકાનો અને ખાલી કરાવીને તોડી પાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ (EMRS)ની ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (ડી.એલ.સી.)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, દાહોદ જિલ્લાની તમામ EMRSના પ્રિન્સિપાલો અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, દાહોદ જિલ્લાની કુલ સાત EMRSના પ્રિન્સિપાલોએ પીપીટી દ્વારા કમિટીની કામગીરી, શાળાઓના કાર્યક્રમોનું શિડ્યુલ, વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓ અને EMRSને લગતી તમામ માહિતીનું વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ ઉપરાંત, EMRS સંબંધિત પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટર યોગેશ નિરગુડેએ આ પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના કરિયર સ્કિલ્સ વિકાસ પર પણ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. EMRSના પ્રિન્સિપાલોએ માહિતી આપી હતી કે દાહોદ જિલ્લામાં ખરેડી, ગરબાડા, લુખડીયા, ઝાલોદ, લીમખેડા, ફતેપુરા અને સીંગવડ ખાતે કુલ સાત EMRS કાર્યરત છે. આ શાળાઓના ધોરણ 12 (સાયન્સ) પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે ટાટા સાથે MOU કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના કરિયરને સુનિશ્ચિત કરી શકે.
દિવાળીના તહેવારો દરમિયાન સુરતની જનતાને છેતરપિંડીથી બચાવવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે 'નકલી પોલીસ'ના ગઠિયાઓ વિરુદ્ધ ખાસ સાવધાન રહેવાની અપીલ કરી છે. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં નાગરિકોને ચેતવ્યા છે કે, કોઈ પણ વ્યક્તિ રસ્તા પર પોલીસ તરીકે ઓળખ આપી બેગ ચેક કરવાનું કહે તો તેની વાત માનવી નહીં. ગઠિયાઓ પોલીસ બનીને પૈસા સેરવી લે તેવી શક્યતાઓદિવાળી પર્વ પર સુરક્ષા વ્યવસ્થા માટે સુરત પોલીસ ભવન ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ કમિશનર ગહેલોત કહ્યું હતું કે, દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળે છે અને આ સમયે ગઠિયાઓ પોલીસ બનીને લોકોને રોકીને તેમની પાસેથી પૈસા સેરવી લે છે તેવી શક્યતાઓ છે. પોલીસ કમિશનરના નિવેદન પર મુખ્ય ભારપોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરતની જનતાને ખાસ સૂચના આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ તમને ઓળખ આપીને કહે કે 'હું પોલીસમાં છું' અને તમારી બેગ ચેક કરવા માગે, તો બેગ ચેક કરવા દેતા નહીં. કોઈપણ વ્યક્તિ આ કહીને તમારી પાસેથી બેગ ચેક કરવાના બહાને પૈસા સેરવી લેશે. આવા લોકોથી સાવધાન રહેજો અને નજીકના પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહો. જો આવી કોઈ ઘટના બને અથવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે, તો તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરજો. સુરક્ષા માટે પોલીસ એક્શન મોડમાંકમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો છે કે, દિવાળી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે. હીરા બજાર, ટેક્સટાઇલ બજાર, ઝવેરી બજાર અને અન્ય ભરચક માર્કેટમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. ખરીદીના સ્થળોએ પુરુષ અને મહિલા પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં તૈનાત રહેશે અને ગઠિયાઓ પર સતત નજર રાખશે. સી-ટીમની મહિલા પોલીસકર્મીઓ પણ બોડીવોર્ન કેમેરા સાથે વોચ રાખશે. આ તમામ પગલાંનો હેતુ તહેવારના માહોલમાં લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
પહેલી રીજનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન મહેસાણાની ગણપત યુનિ.માં બે દિવસીય પ્રથમ રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ભાગ લેવા રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી ટ્રેનમાં મહેસાણા પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બહિયલ તોફાનકાંડ બાદ બુલડોઝર એક્શન નવરાત્રીમાં થયેલા કોમી તોફાન બાદ દહેગામના બહિયલ ગામમાં બુલડોઝર કાર્યવાહી. વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો હટાવવાનું શરુ કરાયું. કૂલ 190 કાચાપાકા દબાણો દૂર કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 70 કરોડનું ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ ખૂલ્યું જામનગરમાં જીએસટી વિભાગે કરેલા 6 દિવસના સર્ચના અંતે 70 કરોડનું ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સામે આવ્યું.. 21 પેઢીઓમાં થયેલા 400 કરોડના કૌભાંડ કેન્દ્રસ્થાને રહેલા સીએ અલ્કેશ પેઢડિયા સામે ફરિયાદ નોંધી.. પેઢીના માલિકોને નોટિસ આપી,ઓફિસો અને સંસ્થાનો સીઝ કરવાની કાર્યવાહી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનના બે સગીર પ્રેમી રણ પાર કરી કચ્છ પહોંચ્યા પાકિસ્તાનથી બે સગીર પ્રેમીઓ રણ પાર કરી કચ્છ પહોંચ્યા.પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બંનેની પૂછપરછ કરી.15 વર્ષની સગીરાનું કહેવું છે કે પરિવારને પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી દાદાએ જ હિન્દુસ્તાન ભાગી જવાની સૂચના આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લગ્નનો ઈનકાર કરતા બનેવીએ સાળા-સાળીની હત્યા કરી સુરતમાં બનેવીએ સાળી અને સાળાની હત્યા કરી..સાળીએ ત્રણ બાળકોના પિતા એવા બનેવીને લગ્નનો ઈનકાર કરતા તેણે પત્નીની હાજરીમાં જ સાળા-સાળીને રહેંસી નાખ્યા. પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પરની અડફએટે બે શ્રમજીવીઓના કરુણ મોત નડિયાદના કપડવંજમાં ડમ્પરચાલકે ફૂટપાથ પર સુતેલા ત્રણ શ્રમજીવીઓને કચડ્યા.જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. આ પછી ડમ્પરે બાજુમાં ઉભેલા એક જેસીબી મશીનને પણ ટક્કર મારી હતી.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેંગિગના આરોપીની ડિસ્ચાર્જ અરજી નકારાઈ ગુજરાત હાઈકોર્ટે રેગિંગના આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી. ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીને સાડા ત્રણ કલાક ઊભા રાખતા કાર્ડિયો રેસ્પિરેટરી એટેકથી મોત નીપજ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ સુરત મનપાના વોર્ડ નં 2ના આપના કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ.. 2021થી 2025 સુધીના કાર્યકાળ દરમિયાન કાયદેસરની આવક કરતા 68.50% વધુ મિલકત વસાવી હતી. અગાઉ આર્થિક ગેરરીતિના કારણે AAPએ સસ્પેન્ડ કર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો LIVE વીડિયો સુરતમાં બુધવારે ગેસ લીકેજ બાદ લાગેલી આગ દરમિયાન થયેલા બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો. ફાયરના બે જવાનો જેવા આગ બુઝાવવા પહોંચ્યા કે તરત જ બ્લાસ્ટ થતા બે ફાયર જવાનો અને એક સ્થાનિક ઘાયલ થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં અમદાવાદમાં બે-બે હત્યા ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં 24 કલાકમાં બે હત્યા થઈ.રાણીપમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવકને છરીના ઘા માર્યા, તો અસારવામાં સિવિલના ગેટ પાસે યુવકને ખંજર મારી હત્યા કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી મળી આવેલી ઉત્તર પ્રદેશની એક કિશોરીનું ચાઇલ્ડ હેલ્પલાઇન રેલવે યુનિટની ટીમે તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. ટીમે કિશોરીનું કાઉન્સેલિંગ કરી તેની ઓળખ મેળવી હતી અને સુરક્ષિત રીતે પરિવારને સોંપણી કરી. ગત રોજ આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક અજાણી કિશોરી મળી આવી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇન રેલવે યુનિટની ટીમે કિશોરી સાથે વાતચીત કરી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, કિશોરી ઉત્તર પ્રદેશના જલાલપોરની રહેવાસી છે. તે તેના પરિવાર સાથે અમદાવાદથી ટ્રેન દ્વારા વતન જઈ રહી હતી. મુસાફરી દરમિયાન આણંદ સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતા તે ભૂલથી ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી. કિશોરી માનસિક રીતે અશાંત જણાતા ટીમે તેની પાસેથી વધુ માહિતી મેળવી. તેણે પોતાના પિતાનો મોબાઈલ નંબર આપ્યો, જેના પર તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. કિશોરીના પિતાએ જણાવ્યું કે, તેઓ હાલ ટ્રેનમાં જ છે અને દીકરીને શોધી રહ્યા છે. તેમણે હેલ્પલાઇન ટીમને વિનંતી કરી કે તેઓ વળતી ટ્રેનથી આણંદ આવી દીકરીને લઈ જશે, ત્યાં સુધી કિશોરીની સંભાળ રાખવામાં આવે. થોડા સમય બાદ કિશોરીનો પરિવાર આણંદ રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. પરિવારે જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે કિશોરીને તેના પરિવારને સોંપી હતી. પરિવારજનોએ અધિકારીઓ અને હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો અને ટ્રેન દ્વારા પોતાના વતન જવા રવાના થયા હતા. ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા જણાવાયું છે કે, બાળ સુરક્ષા સંબંધિત કોઈપણ મુદ્દા, જેમ કે બાળ મજૂરી, બાળ હેરાનગતી, જાતીય સતામણી અથવા બાળ લગ્ન જેવા કિસ્સાઓમાં, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર ચોવીસ કલાક વિના મૂલ્યે સંપર્ક કરી મદદ મેળવી શકાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IUAC ન્યૂ દિલ્હી સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ICNIB–2025નાં બીજા દિવસે પણ આયન બીમ સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાનવિનિમયનો સક્રિય માહોલ સર્જાયો હતો. તજજ્ઞોનાં વ્યાખ્યાનો, ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ આગળ વધી હતી. આ સેમિનારમાં દેશ વિદેશથી પધારેલા 200થી વધુ વૈજ્ઞાનિકો સાથે રાજકોટ શહેરના મહાનુભાવો સાથે ગોષ્ઠિ યોજાઈ હતી. ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગી 2D નેનો ટેકનોલોજી, દરેક મંદિરની રચના માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હોવા અંગે ઉપરાંત મંદિરોમાં વૈજ્ઞાનિક રીતે આયોજન કરાયેલ દિશા, માપદંડો, ધ્વનિ-પ્રતિધ્વનિ તથા પ્રકાશના નિયમોનો ઉપયોગ અંગેની સમજ આપી હતી. નેનોસ્ટ્રક્ચર્સનાં આકાર અને કદનું એન્જિનિયરિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યુપ્રથમ સત્રમાં પ્રો. ડી. કે. અવસ્થી (UPES દેહરાદૂન)એ એનર્જેટિક આયન્સ દ્વારા મેટ્રિક્સમાં એમ્બેડ થયેલ નેનોસ્ટ્રક્ચર્સનાં આકાર અને કદનું એન્જિનિયરિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તેમણે સમજાવ્યું કે, આયન બીમની ઊર્જા અને ફ્લ્યુઅન્સને નિયંત્રિત કરીને નેનોસ્ટ્રક્ચર્સને મનગમતા આકાર અને કદમાં વિકસાવી શકાય છે. આ પ્રક્રિયામાં માઇક્રોફ્લાવર્સ જેવા અનોખા માળખા સર્જાઈ શકે છે, જે મટિરિયલ્સના ગુણધર્મોને અસરકારક રીતે બદલવામાં મદદરૂપ થાય છે. સંશોધન ભવિષ્યના ઓપ્ટોઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે મહત્વપૂર્ણજે બાદ શિન-ઇચિરો સાતો (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્વાન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તાકાસાકી, જાપાન)એ ગેલિયમ નાઇટ્રાઇડ નેનો સ્ટ્રક્ચર્સમાં લાન્થનોઇડ આયન્સ ઇમ્પ્લાન્ટેશનથી પ્રકાશોત્સર્જનની વૃદ્ધિ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તેમણે સમજાવ્યું કે, આયન ઇમ્પ્લાન્ટેશનની પદ્ધતિથી ગેલિયમ નાઇટ્રાઇડમાં લેન્થેનોઇડ આયન્સનું સ્થાનાંતરણ થતાં પ્રકાશોત્સર્ગની તીવ્રતા ઘણી વધી જાય છે. આ સંશોધન ભવિષ્યના ઓપ્ટોઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે મહત્વપૂર્ણ બની શકે છે. 2D નેનો મટિરિયલ્સ ઊર્જા ઉત્પાદન અને સંગ્રહ માટે અવિશ્વસનીય બીજા સત્રમાં શ્યામા રાઠ (દિલ્હી યુનિવર્સિટી તથા એઆઇસિટીીઇ, ન્યૂ દિલ્હી)એ સિલિકોન કાર્બાઇડમાં આયન ઇરેડિએશનથી સર્જાતા સિલિકોન અને નાઇટ્રોજન વેકેન્સી કોમ્પ્લેક્સ પોઇન્ટ ડિફેક્ટ્સના ફોટોલ્યુમિનેસન્સ અભ્યાસ વિષય પર પ્રવચન આપ્યું. તેમણે સમજાવ્યું કે, આવા પોઇન્ટ ડિફેક્ટ્સ મટિરિયલ્સની ઓપ્ટિકલ પ્રોપર્ટીઝમાં મહત્વપૂર્ણ ફેરફાર કરે છે અને ક્વોન્ટમ લેવલના અભ્યાસ માટે ઉપયોગી છે. ત્યારબાદ દિનેશ રંગપ્પા (વિશ્વેશ્વરૈયા ટેકનોલોજિકલ યુનિવર્સિટી, બેલગામ)એ 2D નેનો મટિરિયલ્સ: સંશ્લેષણ, પ્રોસેસિંગ અને ગ્રીન એનર્જી જનરેશન તથા સ્ટોરેજ એપ્લિકેશન્સ વિષય પર પ્રવચન આપ્યું. તેમણે દર્શાવ્યું કે, 2D નેનો મટિરિયલ્સ ઊર્જા ઉત્પાદન અને સંગ્રહ માટે અવિશ્વસનીય સંભાવનાઓ ધરાવે છે અને ગ્રીન ટેકનોલોજી માટે પાયો મૂકી શકે છે. ત્રીજા સત્રમાં ડૉ. લાર્સ બ્રોયર (યુનિવર્સિટી ઓફ ડ્યુઇસબર્ગ–એસન, જર્મની)એ ટાઈમ રિઝોલ્વ્ડ આયન–ઇન્ડ્યુસ્ડ ફોટોઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી: સિંગલ આયન ઈમ્પેક્ટ્સમાંથી અલ્ટ્રાફાસ્ટ ઇલેક્ટ્રોન હીટિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે સમજાવ્યું કે, કેવી રીતે એક માત્ર આયન ઇમ્પેક્ટથી નાના સમયગાળામાં ઇલેક્ટ્રોન હીટિંગ થાય છે અને તેને સ્પેક્ટ્રોસ્કોપિક રીતે માપી શકાય છે. ત્યારબાદ ડૉ. પી. કે. સાહૂ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – નાઇઝર, ભુવનેશ્વર)એ ટાઇટેનિયમ ડાયોક્સાઇડમાં ડિફેક્ટથી સર્જાતી ફેનો અસીમેટ્રી અને ઇલેક્ટ્રોન–ફોનોન કપલિંગ વિષય પર પ્રવચન આપ્યું. તેમણે બતાવ્યું કે, કેવી રીતે ડિફેક્ટ્સ ઇલેક્ટ્રોનિક તથા ઓપ્ટિકલ વર્તનમાં જટિલ અસર કરે છે. દરેક મંદિરની રચના માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હતીસાંજના સત્રમાં ડૉ. અંબુજ ત્રિપાઠી (ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર – ન્યૂ દિલ્હી)એએડવાન્સ્ડ સાયન્ટિફિકેટ પ્રિન્સિપલ્સ ઈન આર્કિટેક્ચર ઓફ ટેમ્પલ્સ ઓફ ભારત વિષય પર વ્યાખ્યાન આપ્યુ. તેમણે ભારતીય જ્ઞાન પરંપરાના વૈજ્ઞાનિક પાસાઓ પર પ્રકાશ પાડતાં સમજાવ્યું કે, પ્રાચીન ભારતનાં મંદિરોમાં સ્થાપત્યકલા અને વિજ્ઞાનનો અદભૂત સંગમ જોવા મળે છે. તેમણે શરૂઆતમાં દર્શાવ્યું કે, પ્રાચીન ભારતનું મંદિર સ્થાપત્ય જ્ઞાન કેટલું અદભુત હતું. દરેક મંદિરની રચના માત્ર ધાર્મિક નહીં પરંતુ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હતી. મંદિરના વિવિધ ભાગોનો ચોક્કસ વિભાજન કરવામાં આવતો હતો જેમ કે, દેવતા ક્યા સ્થાન પર સ્થાપિત થાય, ભક્તો માટે સભા સ્થાન ક્યાં રાખવામાં આવે અને ધાર્મિક વિધિઓ માટે કયા વિભાગો નિર્ધારિત થાય. ડૉ. ત્રિપાઠીએ એશિયાના વિવિધ પ્રદેશોમાં આવેલા ભારતીય મંદિરોની સ્થાપત્ય પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સમજાવ્યું કે આ મંદિરોમાં વૈજ્ઞાનિક રીતે આયોજન કરાયેલ દિશા, માપદંડો, ધ્વનિપ્રતિધ્વનિ તથા પ્રકાશના નિયમોનો ઉપયોગ જોવા મળે છે. મંદિરોની રચનામાં પ્રાચીન ભારતીય જ્ઞાનનો જે સચોટ ઉપયોગ થયો છે. આ પ્રવચનથી યુવા સંશોધકોને સમજ મળી કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક જ નહીં પરંતુ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અત્યંત સમૃદ્ધ છે. દિવસના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંગીત અને નૃત્ય દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. તેમના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણી રૂપે રાજ્યભરમાં વિકાસ સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે ગ્રામજનોએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાંધલપુર ગામે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને લાભાર્થીઓએ વિકાસ રથ દ્વારા ઘરઆંગણે મળેલા લાભો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષના શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી એક ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી, જે ગ્રામજનોએ નિહાળી હતી. આ કાર્યક્રમમાં સરપંચ રણછોડ તરગટા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રિતેશ દવે, તાલુકા વિકાસ અધિકારી એમ.વી. સોલંકી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દ. ગુજરાતમાં હજુ ચોમાસુ યથાવત:9થી 15 ઓક્ટોબર સુધી હળવો વરસાદ પડશે, અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ
ગુજરાત હવામાન વિભાગે ઓક્ટોબર મહિના માટે આગાહી જાહેર કરી છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર લાવે છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વાતાવરણ શુષ્ક થઈ જશે. ઓક્ટોબરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 9થી 15 ઓક્ટોબર સુધી હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 9થી 15 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહીડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, ઓક્ટોબરમાં પૂર્વ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉંચું રહેશે. લઘુત્તમ તાપમાન રાજ્યભરમાં સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. 9થી 15 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં દ્વારકાથી ગીર-સોમનાથ સુધી પણ સામાન્યથી હળવો વરસાદ થઈ શકે પરંતુ, ત્યારબાદ વાતાવરણ શુષ્ક થઈ જશે. હાલ શક્તિ વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અરેબિયન સમુદ્ર તરફ ગતિ કરી રહ્યું છે, જેની અસરથી હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ 10-15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધી રાજ્યમાં 24.3 મી.મી. વરસાદ નોંધાયો છે. ખેડૂતો અને નાગરિકો માટે રાહતઆગામી 24 કલાક બાદ વાતાવરણ શુષ્ક થવાથી ખેડૂતોને ઊભા પાકની ચિંતામાં રાહત મળશે. હળવા વરસાદની આગાહી હોવાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેનાથી ઠંડક અનુભવાશે.
છેલ્લા લાંબા સમયથી ખાડારાજનો કડવો અનુભવ કરી રહેલા રાજકોટવાસીઓ માટે આખરે રાહતના સમાચાર છે. છેલ્લા ચારેક દિવસથી વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 2931 ખાડા પડ્યા હતા જે તમામ પૂરી દેવામાં આવ્યા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તો ત્રણેય ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે મેટલિંગ અને ડામર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે તે નવેમ્બર સુધીમાં પૂરા કરી દેવાશે. જેને લઈને લાંબા સમય બાદ હવે રાજકોટનાં લોકોને ખરાબ રસ્તાની સમસ્યાથી છુટકારો મળશે. નવેમ્બર સુધીમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરાશેપ્રાપ્ત વિગત મુજબ વરસાદે વિરામ લેતાં તેમજ ઉઘાડ નીકળતાં સોમવારથી જ શહેરના તમામ ઝોનના વોર્ડ વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનનાં સિટી એન્જિનીયર અતુલ રાવલનાં જણાવ્યા મુજબ રાજકોટનાં ત્રણેય ઝોનમાં મળીને કુલ 2931 ખાડા પડયા હતા. આ તમામ ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મેટલિંગ અને ડામર કામો શરૂ કરવામાં આવ્યા છે. દિવાળીની રજાઓ સિવાય આ કામગીરી સતત ચાલુ રહેશે. અને આગામી નવેમ્બર સુધીમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રૂ. 137.86 કરોડનો ખર્ચ મંજૂરશહેરના તમામ વોર્ડમાં ડામરકામ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી જ રૂ. 137.86 કરોડનો ખર્ચ મંજૂર કરી દીધો છે. આ કામગીરીને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં નવેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવા માટે શાસકો તનતોડ મહેનત કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પૂર્વ આયોજન વગર શહેરમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા કામગીરી શરૂ કરાયા બાદ ચોમાસા પહેલાં ખોદકામને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા હતા. તેમાં પેચવર્ક ન થતાં ચોમાસા પહેલાંથી જ શહેરના તમામ 18 વોર્ડના જાહેર અને આંતરિક રોડ-રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા હતા. શહેરીજનોના આકરા વિરોધ બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે તા. 1 ઓક્ટોબરથી તમામ માર્ગો ડામરથી મઢવાની જાહેરાત કરી હતી, પરંતુ વરસાદના વિઘ્નને કારણે આ કામગીરી અટકી પડી હતી. ત્રણેય ઝોનમાં એકસાથે કામગીરીનો પ્રારંભછેલ્લા બે મહિનામાં રોડના સમારકામ માટે મહાપાલિકાએ રૂ. 188.70 લાખનો ખર્ચ કર્યો છે. હવે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા રૂ. 137.86 કરોડના ખર્ચ સાથે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં છેલ્લા 4 દિવસથી વરસાદનું જોર ઘટતાં તેમજ ઉઘાડ નીકળતાં મહાનગરપાલિકાએ ત્રણેય ઝોનમાં એકસાથે જાહેર માર્ગો પર ડામર પાથરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. વેસ્ટ ઝોનનાં સિટી એન્જિનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડીઆઈ પાઇપલાઇન કામો પુરા થયા બાદ પહેલા ડ્રેનેજ પછી ડીઆઈ અને આ પછી મેટલિંગ અને ડામર રોડની કામગીરી કરવામાં આવે છે. નાનામૌવા, વાવડી મવડી, ઘંટેશ્વર, વર્ધમાનનગર સહિત વિસ્તારોમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાને કારણે ખાડા વધુ હતા. જે પૂરી દેવામાં આવ્યા છે. હાલ મોટા ભાગના વિસ્તારોમાં મેટલિંગ તેમજ ડામર રોડના કામો છે. ઝોનવાઇઝ મંજૂર કરાયેલ ખર્ચરાજકોટમાં ડામર રીકાર્પેટની કામગીરીમાં ગેરેન્ટીવાળા રોડ-રસ્તાઓ, ટીપી રોડ, અને જ્યાં સીસી રોડ નથી તેવા તમામ માર્ગો સાથે શેરી અને ગલીના અંતરિયાળ માર્ગોનો સમાવેશ કરાયો છે. પ્રારંભિક તબક્કે રાજમાર્ગો પર કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ, સેન્ટ્રલ ઝોનના છ વોર્ડ માટે રૂ. 31,31,47,645 અને વેસ્ટ ઝોનના વોર્ડ માટે રૂ. 31,15,73,994ના ખર્ચે મેટલિંગ કામ મંજૂર કરાયું હતું. આ પછી ઈસ્ટ ઝોનના તમામ છ વોર્ડમાં રૂ. 74,03,56,802ના ખર્ચે ડામર કાર્પેટ, રીકાર્પેટ અને વાઈનિંગના કામો નવરાત્રિ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા હતા. બે મહિનામાં રોડના સમારકામ માટે મહાનગરપાલિકાએ રૂ. 188.70 લાખનો ખર્ચ કર્યોરાજકોટ શહેરના 2,327.58 કિલોમીટરમાં ફેલાયેલા મુખ્ય માર્ગોમાંથી 25 ટકા રોડ-રસ્તાઓમાં ખાડા પડ્યા હોવાનું કે ખરાબ થયા હોવાનું કમિશનરે ગત જનરલ બોર્ડમાં સ્વીકાર્યું હતું. તેમજ છેલ્લા બે મહિનામાં રોડના સમારકામ માટે મહાનગરપાલિકાએ રૂ. 188.70 લાખનો ખર્ચ કર્યો છે. હવે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કુલ રૂ. 137.86 કરોડના ખર્ચ સાથે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જો હવે વરસાદનું વિઘ્ન નહીં નડે તો ત્રણેય ઝોનમાં નવેમ્બર અંત સુધીમાં અનેક જાહેર માર્ગો અને આંતરિક રસ્તા ડામરથી મઢેલા જોવા મળશે. જોકે, અમુક સ્થળે રોડનું લેવલિંગ કે ખાડાંનું પૂરાણ કર્યા વગર જ ડામર પાથરવામાં આવતો હોવાની બુમ પણ ઊઠી રહી છે.
ગાંભોઇમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો:વિકાસ રથ દ્વારા સરકારી યોજનાઓની માહિતી અપાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ-2025 કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિકાસ રથ ગાંભોઇ પહોંચતા ગ્રામજનોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને વર્ક ઓર્ડર સહિત વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી અને વિકસિત ભારત અંગેની ફિલ્મ નિહાળી હતી. ગાંભોઇ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ પટેલ, સરપંચ મંજુલાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી સહિતના મહાનુભાવો, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે દેશભરમાં 'વોટ ચોર ગદ્દી છોડ' ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત કેન્દ્રની ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર વોટ ચોરીના સીધા આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે હાલ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા માટે હવે ઘરે ઘરે, ગામેગામ અને શહેરો-શેરીઓમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્રની ભાજપ સરકારે વોટ ચોરી કરીને સત્તા મેળવી છે અને લોકશાહીની ગરિમાને લાંછિત કરી રહી છે. 'વોટ ચોર, ગદ્દી છોડ' ના સૂત્રો સાથે કોંગ્રેસ ભાજપ સરકાર અને ચૂંટણી પંચને ઘેરી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વ્યારા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદના સ્થળે પણ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દ્વારા એકત્ર કરાયેલી સહીઓ ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે, જેથી આ ગંભીર મુદ્દાને ઉજાગર કરી શકાય.
દિવાળીના તહેવારોમાં કામકાજ માટે ખેડા જિલ્લામાં વસતા હજારો લોકો તેમના વતન તરફ પ્રયાણ કરતા હોય છે. મુસાફરો આરામથી અને સરળતાથી પોતાના ઘરે પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્સ્ટ્રા બસોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 24 કલાક બસ સેવાનડિયાદ ST વિભાગ દ્વારા ઓક્ટોબરની 15 તારીખથી લઈને 26 તારીખ સુધી 24 કલાક બસ સેવા ચાલુ રાખવામાં આવશે. હાલમાં નડિયાદ વિભાગને 835 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના દ્વારા આ સમયગાળા દરમિયાન 3000 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોની સંખ્યાને આધારે આયોજનવિભાગીય નિયામક સી. ડી. મહાજનના જણાવ્યા અનુસાર મુસાફરોની સૌથી વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને બસોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ-દાહોદ તરફ ગોધરા, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, હાલોલ, બારિયા તરફ જનારા લોકોની સંખ્યા વધુ હોવાથી આ રૂટ પર વધારે બસો મૂકવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ, જામનગર માટે પણ બસોની સંખ્યા વધારાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ભીડ ટાળવા ઓનલાઈન બુકિંગની સુવિધાબસ સ્ટેશન પર ટિકિટ બારી પર થતી અનિવાર્ય ભીડને ટાળવા અને મુસાફરોને સમયસર બસ મળી રહે તે માટે ST વિભાગ દ્વારા ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોને આ સુવિધાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે 6 કરોડની આવક થઇ હતીવર્ષ 2024માં એસટી વિભાગ દ્વારા કરાયેલા એક્સ્ટ્રા બસોના આયોજનમાં 6.88 કરોડની આવક થઇ હતી. જેમાં દિવાળીના દિવસોમાં આશરે 11 લાખથી વધારે લોકોએ મુસાફરી કરી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને શહેર ભાજપ કાર્યાલય 'કમલમ'ના બાકી વેરા મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ કાર્યાલયનો છેલ્લા 2 વર્ષથી વેરો વસૂલવામાં આવ્યો નથી અને તેની આકારણી પણ કરવામાં આવી નથી, જ્યારે સામાન્ય જનતા પર 18% વ્યાજ સાથે દંડો ઉગામવામાં આવી રહ્યો છે. જો કમલમ સામે કાર્યવાહી નહીં થાય તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ સાથે મનપામાં એક્સ આર્મીમેનની ભરતીમાં 11 માસના કોન્ટ્રાક્ટને કારણે ઉમેદવારો હાજર નહીં રહ્યા હોવા પર સરકારની નીતિઓની ટીકા કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટ મ્યુ. કમિશનર દ્વારા તહેવારો બાદ બાકીવેરાની આકરી વસૂલાત માટે જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ન ભરનારાઓ પર સીલ મારવા સુધીની ચીમકી અપાઈ છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કમિશનરને આપવામાં આવેલી લેખિત રજૂઆતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે 150 ફૂટ રિંગરોડ પર આવેલા વોર્ડ નંબર 2માં ભાજપના નવા કાર્યાલય કમલમનું આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે બાંધકામ છે. કાર્યાલયની 2 વર્ષથી આકારણી કરવામાં આવી નથી, અને વેરો પણ વસૂલવામાં આવ્યો નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, જો ખરેખર વેરો વસૂલાયો ન હોય અને આકારણી ન થઈ હોય, તો તાત્કાલિક દંડ સાથે આકારણી કરીને સામાન્ય જનતા પાસેથી જે 18% વ્યાજ વસૂલવામાં આવે છે, તે જ દરે વ્યાજ સાથે આ વેરો વસૂલવામાં આવે તે જરૂરી છે. જો વેરો ભરાઈ ગયો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર સહીતની તમામ વિગતો મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ જાહેર કરવાની કોંગ્રેસની માંગ છે. અને વેરો ન ભરાયો હોય તો જે અધિકારીઓએ આકારણી નથી કરી તેમના પર કમિશનર દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. સમગ્ર મામલે રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી પણ આપી છે. અને જણાવ્યું છે કે, બાકીવેરા વસૂલવા મનપા દ્વારા સામાન્ય લોકોના ઘરે-ઘરે જઈ ઢોલ વગાડી વસુલાત કરવામાં આવતી હોય છે. તાજેતરમાં મનપાએ દિવાળીનાં તહેવારો બાદ આ વસુલાત કરવાની જાહેરાત પણ કરી છે. ત્યારે જો કમલમ સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. ત્યારે ભાજપ કાર્યાલયનો વેરો વસુલ કરવામાં મ્યુ. કમિશનર કેમ ડરે છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. એક્સ આર્મીમેનની ભરતીના મામલે સરકારની નીતિઓ પર ટીકા રાજદીપસિંહ જાડેજાએ મનપામાં એક્સ આર્મીમેનની ભરતી પ્રક્રિયા પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજકોટ મનપામાં એક્સ આર્મીમેન માટે 53 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર હાજર રહ્યો નહોતો. ઓપરેશન સિંદૂર માટે દેશ ગર્વ લે છે, પરંતુ રાજ્ય સરકારની આ પ્રકારની નીતિઓને કારણે આર્મીમેનનું માન-સન્માન જળવાતું નથી. સરકાર એક્સ આર્મીમેનને માત્ર 11 મહિનાના માસિક કોન્ટ્રાક્ટ પર રાખે છે, જેના કારણે એક પણ ઉમેદવાર આ કોન્ટ્રાક્ટ પર કામ કરવા તૈયાર થયો નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપ સિંહ જાડેજાએ એકસાથે સત્તાધારી પક્ષના કાર્યાલયના વેરાની વસૂલાત અને એક્સ આર્મીમેનના રોજગાર મુદ્દે સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવી મનપાની ચૂંટણીઓ પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ તકે તેમણે ગાંધીનગરમાં એક્સ આર્મીમેનની રેલીમાં પોલીસ દ્વારા થયેલ કથિત ગેરવર્તણૂકનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ એક્સ આર્મીમેનનું સન્માન જાળવવા અપીલ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે મનપા કમિશનર કમલમ કાર્યાલયના વેરા મુદ્દે શું પગલાં લે છે.
વડોદરા શહેરની વધુ એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના નવાપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલી છે, જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલામાં બન્ને બાળકોના વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા છે. અહીં વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા દીકરાને 10થી 11 વિદ્યાર્થીઓએ મળીને માર મારતા બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાને ફરિયાદ કરતા તેઓએ પણ થાય તે કરી લેવાની ધમકી આપી હતી. હાલમાં સમગ્ર મામલો નવાપુરા પોલીસ પાસે પહોંચતા ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરના ઉધના સ્થિત મુખ્ય ભાજપ કાર્યાલયમાં શિસ્તના લીરેલીરા ઉડાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં બુધવારે ચા-નાસ્તાની નજીવી બાબતે શરૂ થયેલી રકઝકે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે સુરત મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં વોર્ડ નંબર-2ના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીનો ગુનો નોંધાવ્યો છે. ચા-નાસ્તા મુદ્દે છુટા હાથની મારામારી કરી હતીઘટના બુધવારે સાંજે બની હતી, જ્યારે કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટાવાળા સાથે ચા-નાસ્તાની નજીવી બાબતે બોલાચાલી કરી હતી. આ રકઝક જોઈને ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવાની ટકોર કરતાં મામલો ગરમાયો હતો.ખજાનચી શૈલેષ જરીવાલાની ટકોરથી ઉશ્કેરાયેલા દિનેશ સાવલિયાએ 'તું કોણ મને કહેવાવાળો' કહીને તેમની સાથે ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી, જે મારામારીમાં પરિણમી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. પાર્ટીએ પણ બંનેને નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યોશિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં જ આ પ્રકારનો બનાવ બનતા પક્ષની છબી ખરડાઈ છે અને ભાજપના શિસ્ત સમિતિ દ્વારા આ મામલે સખ્ત વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે પક્ષ દ્વારા આ બંને કાર્યકરો વિરુદ્ધ નોટિસ ફટકારીને અથવા અન્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-ઉદેપુર રેલવે લાઇન પર પાંચ દિવસ પહેલા ત્રણ અજાણ્યા ઇસમોએ રેલવે પાટા પર લોખંડનો રોડ મૂક્યો હતો. અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેનના ચાલકે સમયસર ઇમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના અંગે હિંમતનગર RPF પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 4 ઓક્ટોબર 2025 ના રોજ બપોરના 12.12 વાગ્યે હિંમતનગર-ઉદેપુર રેલવે લાઇન પર 321/11 અને 12 નંબરના પિલર વચ્ચે આ ઘટના બની હતી. ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ રેલવે પાટા પર લોખંડનો રોડ મૂકીને અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન આવતા જ ત્યાંથી ભાગી ગયા હતા. ટ્રેનના લોકો પાયલોટે આ રોડ જોતા જ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી, જેના કારણે મુસાફરોના જાનમાલને થનારું મોટું નુકસાન અટકાવી શકાયું હતું. રેલવેમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવાના ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાથી RPF દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. મેમુ ટ્રેન માત્ર બે મિનિટના રોકાણ બાદ ચિતોડગઢ તરફ રવાના થઈ હતી. લોકો પાયલોટે વાંટડા રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરને આ અંગે જાણ કરી હતી. લોકો પાયલોટના નિવેદનના આધારે હિંમતનગર RPF પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર
Shubman Gill on Rohit Sharma & Virat Kohli: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય માત્ર વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવવાનો જ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સાથે જોડાઈ રહેલા બે મોટા ખેલાડીઓ-વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ બધાની નજર રહેશે. આ બંને દિગ્ગજ ક્રિકેટરો ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 7 મહિનાના લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહ્યા છે. તેમની વાપસીથી ચાહકો ઉત્સાહિત છે, જોકે તેમનું વન-ડે ભવિષ્ય હાલમાં અનિશ્ચિત છે. આ પરિસ્થિતિ વચ્ચે, ભારતીય ટીમના નવા વન-ડે કેપ્ટન શુભમન ગિલે રોહિત-વિરાટ વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ગોધરાના યુવાન અક્ષત અનિલભાઈ સોલંકીએ તેમની સૂક્ષ્મ લેખનની અસાધારણ કલા દ્વારા સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. નરી આંખે માંડ દેખાય તેવા ઝીણા અક્ષરોમાં ધાર્મિક કૃતિઓ અને પવિત્ર સ્તોત્રોનું લેખન કરીને તેમણે એક નહીં પણ બે પ્રતિષ્ઠિત વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે, જેના માટે તેમને બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રથમ વર્લ્ડ રેકોર્ડ : શ્રી કષ્ટભંજન દેવની છબી પર મહાકૃતિઅક્ષતની પ્રથમ અદ્ભુત સિદ્ધિ વર્ષ 2024માં આવી, જ્યારે તેમણે અઢી બાય પોણા બે ફૂટની શ્રી કષ્ટભંજન દેવની છબી પર સૂક્ષ્મ લેખન કર્યું. આ કૃતિ માત્ર એક ચિત્ર નહોતું, પણ ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ હતો. આ કૃતિમાં સુંદરકાંડ, હનુમાન ચાલીસા, શ્રી બજરંગબાણ, શ્રી રામ સ્તુતિ, અને શ્રી રામ રક્ષા સ્તોત્રમ, હનુમાનજીના 331 વિવિધ નામો, 1001 વખત શ્રી રામ જય રામ જય જય રામ અને 5551થી વધુ વખત રામ રામ લખાણ કર્યું હતું. આ ઝીણવટભરી કારીગરી માટે તેમને ઈન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા 30 મે 2024ના રોજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજો વર્લ્ડ રેકોર્ડ : માતાજીની સ્તુતિ અને પ્રાચીન ગરબાનો સંગ્રહવર્ષ 2025માં અક્ષતે માતાજીની ભક્તિને સમર્પિત એક વધુ ભવ્ય કૃતિ તૈયાર કરીને પોતાનો બીજો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. 27 X 23 ઇંચની માતાજીની છબી પર સૂક્ષ્મ અક્ષરોથી લેખન કર્યું જેમાં માતાજીની સ્તુતિઓ, અંબે માર્ગની ભક્તિમય સ્તુતિ, પરંપરાગત મંત્રો, દેવીને અર્પણ કરાતા દૈવી અર્પણોની વિગતો, આરતી, અને ધાર્મિક પ્રાર્થનાઓ સાથે 212 પ્રાચીન ગરબાનો અનોખો સંગ્રહ અને કુંજિકા સ્તોત્રમ અને દુર્ગા સપ્તશતીનું સૂક્ષ્મ લેખન કર્યું હતું. ભક્તિ, ચોકસાઈ અને પ્રાચીન પરંપરાઓને આધુનિક કલાત્મકતા સાથે મિશ્રિત કરતી આ કલાકૃતિ માટે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. યુટ્યુબ કે ગુગલમાં ઉપલબ્ધ ન હોય તેવા ગરબા શોધ્યાંઅક્ષતની આ સિદ્ધિ પાછળ તેમનો નાનપણથી જ ધાર્મિક પુસ્તકો અને ગરબાના અભ્યાસ પ્રત્યેનો ઊંડો પ્રેમ જવાબદાર છે. તેમની માતાને પણ કલાકૃતિ અને લેખનનો ખૂબ રસ હતો, જે ગુણો અક્ષતમાં ઉતર્યા છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં પ્રાચીન અને પરંપરાગત ગરબા મેળવવા મુશ્કેલ છે, ત્યાં અક્ષતે તેમની માતાની મદદથી યુટ્યુબ કે ગુગલમાં પર ઉપલબ્ધ ન હોય તેવા ગરબા શોધીને પોતાના કાર્યમાં સમાવ્યા. આ અદ્ભુત કલાકૃતિઓ તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, મહેનત અને વારસાગત કલા-પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે.
કિસાન સંઘની સરકારને અપીલ, 9 માંગો પૂરી કરો:અન્યથા કચ્છના ગામોમાં ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરાશે
ભારતીય કિસાન સંઘ, કચ્છ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારને 9 જેટલી વિવિધ માંગણીઓના તાત્કાલિક નિવારણ માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. સંઘે જાહેરાત કરી કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 16 તારીખથી 'કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન' શરૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની માલિકીની જમીનમાંથી હેવી વીજ ટાવર લાઈનો પસાર કરવામાં આવી રહી છે. આ કામગીરી ખેડૂતોને કોઈપણ જાતનો વિશ્વાસમાં લીધા વગર, ઉભા પાકમાં ભારે મશીનો ઉતારીને અને પોલીસનો ડર બતાવીને કરવામાં આવે છે.ખેડૂતોને વળતર નક્કી કર્યા વગર કલેક્ટરના આદેશને ટાંકીને જંત્રી મુજબનું વળતર દર્શાવવામાં આવે છે. કિસાન સંઘની મુખ્ય માંગણી છે કે ખેડૂતોને બજાર કિંમત મુજબ વળતર ચૂકવવામાં આવે.આ ઉપરાંત, નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણીને 2006માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અનેક રજૂઆતો છતાં ચાર લિંક કેનાલની વહીવટી મંજૂરી મળી છે, પરંતુ તેનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ કામમાં ઝડપ લાવવાની પણ માંગ કરવામાં આવી છે.કેટલાક વીજ ફીડરોમાં અમલમાં આવેલી સ્કાય યોજના અંતર્ગત કૌશલ કંપની દ્વારા કરવામાં આવેલું કામ તદ્દન નિષ્ફળ ગયું છે. આ યોજના ખેડૂતો પર બોજ બની છે અને તેમને લાખોના વીજ બિલ આપવામાં આવ્યા છે. કિસાન સંઘે આવી કિસાન વિરોધી કંપનીઓને પ્રતિબંધિત કરવાની માંગ કરી છે. ભારતીય કિસાન સંઘે આહવાન કર્યું છે કે જો સરકાર 35 દિવસમાં આ માંગણીઓનો ઉકેલ નહીં લાવે, તો ભચાઉ તાલુકાના જંગી ગામેથી વિશાળ વિરોધ સાથે રથયાત્રા કાઢવામાં આવશે. આ રથ કચ્છના 600થી વધુ ગામડાઓમાં ફરશે અને દરેક ખેડૂતને જાગૃત કરવામાં આવશે. વધુમાં, ભુજમાં 50 હજારથી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરશે અને કચ્છના દરેક ગામમાં ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થી હિરેન પ્રજાપતિની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. તે 16 નવેમ્બર, 2024ના રોજ પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થી અનિલ પટેલના રેગિંગ દરમ્યાન થયેલા મોતના કેસમાં આરોપી છે. આ કેસમાં કુલ 15 મેડિકલ વિદ્યાર્થીઓ સામે કલ્પેબલ હોમિસાઇડ, ગેરકાયદેસર સભા, ગેરકાયદેસર રીતે રોકી રાખવાનો, તેમજ અશ્લીલ ગીતો અને શબ્દો બોલવાનો આરોપ છે. આરોપીએ સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યોચાર્જશીટ મુજબ, આરોપી વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને ત્રણ કલાકથી વધુ સમય સુધી ઊભો રાખ્યો હતો, જેના કારણે અનિલ બેભાન થઈ ગયો હતો અને પછી તેનું મોત થયું હતું. અરજદાર હિરેન પ્રજાપતિએ પાટણ સેશન્સ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે અરજદાર તેમજ અન્ય વિદ્યાર્થી અવધેશ પટેલની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તે આ ઘટનાથી કોઇ રીતે જોડાયેલો નથી. કારણ કે, CCTV ફૂટેજ મુજબ તે રેગિંગની ઘટના દરમિયાન હાજર જ નહોતો. કોર્ટે વકીલની દલીલો બાદ અરજી નકારી દીધીચાર્જશીટમાં તેના વિરુદ્ધના આરોપો અસ્પષ્ટ અને સામાન્ય સ્વરૂપના છે. વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીનું મોત અચાનક દમ ઘૂંટાવાથી અને તેના પરિણામે થયેલા કાર્ડિયો રેસ્પિરેટરી અટેકથી થયું હતું. પરંતુ પ્રોસિક્યુશનએ આ દલીલોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તપાસમાં તમામ 15 વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, જ્યારે અરજદાર-આરોપી વિરુદ્ધના આરોપો સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓ સાથે તપાસીએ ત્યારે તે ગંભીર સ્વરૂપના ગુનો દર્શાવે છે.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ 1/04/2021થી 31/03/2025 સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે, રૂપિયા 29,78,772ની અપ્રમાણસર મિલકત વસાવી છે. તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂંક આચરીને આ અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું છે. આર્થિક ગેરરીતિના કારણે AAPએ સસ્પેન્ડ કર્યા હતારાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે. તેઓ મૂળરૂપે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા. જોકે, આર્થિક ગેરરીતિઓના કારણે AAP દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડનો એક ઓડિયો વાઇરલ થયો હતોAAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની ઉઘરાણી કરવા બદલ તેમની વિરુદ્ધ ઉતરાણ પોલીસ મથકમાં ખંડણીનો ગુનો પણ દાખલ થયેલો છે. આ ઉપરાંત, સવા વર્ષ પહેલાં AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડ અંગેનો એક ઓડિયો વાઇરલ થયો હતો, જે બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ રૂ. 29,78,772ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતાં તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
કચ્છમાં ગેરકાયદે બોક્સાઇટ ખનન, 2 ટ્રક-JCB જપ્ત:પશ્ચિમ કચ્છ LCBની કાર્યવાહી, એક ડ્રાઈવરની અટકાયત
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બોક્સાઇટ ખનન અને વહન કરતા બે ટ્રક અને એક જે.સી.બી. મશીન જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન એક ટ્રક ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ડ્રાઇવર અને જે.સી.બી. ઓપરેટર ફરાર થઈ ગયા હતા. LCBના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠી અને પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજદીપસિંહ ગોહિલ નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, ફરાદી ગામથી તુંબડી ગામ તરફ જતા રોડની ઉત્તર દિશામાં આવેલ ફરાદી સીમ વિસ્તારમાં બોક્સાઇટનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને ટ્રકોમાં બોક્સાઇટ ભરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે તપાસ કરતા, મુંદરાના ફરાદી ગામથી તુંબડી ગામ વચ્ચેના કાચા રોડ પરથી બે ટ્રકો આવતી જોવા મળી હતી. પોલીસે પ્રથમ ટ્રક (રજી.નં. GJ 36 V 5742) ને રોકી હતી. તેના ડ્રાઇવર આવડાભાઈ વેજાભાઈ પાતા (મેર, ઉ.વ. 24, રહે. ઉદ્યોગનગર, પોરબંદર) એ જણાવ્યું કે ટ્રકમાં બોક્સાઇટ ખનીજ ભરેલું છે. તેની પાસે ખનન અને વહન માટે કોઈ રોયલ્ટી કે પાસ-પરમિટ નહોતી. આ ટ્રકમાં આશરે 35 ટન બોક્સાઇટ ભરેલું હતું.આ ટ્રકની પાછળ ઉભેલી બીજી ટ્રક (રજી.નં. GJ 16 AU 7941) નો ડ્રાઇવર સ્થળ પર હાજર મળ્યો ન હતો. અટકાયત કરાયેલા ડ્રાઇવરની મદદથી પોલીસે બોક્સાઇટ ખનન સ્થળની તપાસ કરી હતી. શિવમ માઇન્સની બાજુમાં આવેલા ટેકરા પાસે બોક્સાઇટના ઢગલા નજીક એક જે.સી.બી. મશીન (રજી.નં. GJ 12 CM 5238) મળી આવ્યું હતું, જેનો ડ્રાઇવર પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.પોલીસે તપાસ અર્થે રૂ. 10 લાખની કિંમતનું જે.સી.બી. મશીન, રૂ. 15 લાખની કિંમતની ખાલી ટ્રક (GJ 16 AU 7941), રૂ. 15 લાખની કિંમતની બોક્સાઇટ ભરેલી ટ્રક (GJ 36 V 5742) અને રૂ. 52,500/- કિંમતનું 35 ટન બોક્સાઇટ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, અટકાયત કરાયેલા ડ્રાઇવર પાસેથી રૂ. 5,000/- નો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. હાજર મળી આવેલા ઇસમ (ડ્રાઇવર) વિરુદ્ધ બી.એન.એસ.એસ. કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામ સ્થિત મહાકાળી માતાજી મંદિરના મહારાજ મૌની મંગલગીરીએ છ વર્ષનું મૌન વ્રત પૂર્ણ કર્યું છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા પૂર્ણ કુંભ મેળા દરમિયાન આ વ્રતનો ત્યાગ કર્યો. નિરંજન અખાડા સાથે સંકળાયેલા આ મહાકાળી મંદિરમાં સેવા પૂજા કરતા મહારાજ મૌની મંગલગીરીએ પ્રયાગરાજ અર્ધ કુંભ મેળા દરમિયાન આ મૌન વ્રતની શરૂઆત કરી હતી. તેમણે સતત છ વર્ષ સુધી મૌન ધારણ કર્યું હતું. ભક્તોની વિનંતી અને ગુરુજીની અનુમતિ મળ્યા બાદ તેમણે પૂર્ણ કુંભ મેળામાં આ સાધના સમાપ્ત કરી. બેરણાના આ મહાકાળી મંદિરમાં પૂનમ અને અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસોના એક દિવસ પહેલા માતાજીની મૂર્તિઓને બહાર લાવી સ્નાન કરાવી, તિલક કર્યા બાદ ફરી મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. દર મહિને પૂનમ અને અમાસ એમ બે વાર માતાજીને ચુંદડી અર્પણ કરાય છે. વાર-તહેવાર, પૂનમ અને અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાકાળી માતાજી મંદિરે દર્શનાર્થે આવે છે. આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી આજે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવ્યું છે. સ્થાનિકોએ આ અંગે 112 નંબર પર જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના હિંમતનગરથી ભોલેશ્વર જતા હાથમતી ઓવરબ્રિજ નીચે બની હતી. નદીના પટમાં પથ્થરો વચ્ચે સ્થાનિકોને આ મૃત ભ્રૂણ જોવા મળ્યું હતું.સ્થાનિકો દ્વારા 112 જન રક્ષકને જાણ કરાતા, 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ 112 દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અવરજવર કરતા લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા.
અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ:ગૌ ભાગવત કથા પ્રચાર માટે રથયાત્રાનું પ્રસ્થાન રવિવારે
પાટણની હરીઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાનાર શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત ગૌ ભાગવત કથાના પ્રચાર-પ્રસાર માટે ભવ્ય ગૌ રથયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા પાટણ પંથકમાં ભ્રમણ કરીને ગૌ ભક્તિનો સંદેશ ફેલાવશે. આ રથયાત્રાનું પ્રસ્થાન રવિવાર, 12મી ઑક્ટોબર 2025ના રોજ સવારે 9:00 કલાકે રાજપૂત સમાજ, વાળીનાથ ચોક ખાતેથી થશે. બાલ બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કપિલા રથ, સુરભી રથ અને દેવકી રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રથયાત્રાના પ્રસ્થાન સમયે દિવ્ય અને ગૌમય માહોલ સર્જાશે. આ પ્રસંગે 51 બાલિકાઓ ઘડા અને શ્રીફળ સાથે ઉપસ્થિત રહેશે. 21 ઢોલ, શરણાઈ, ફટાકડા અને શંખનાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે. રાજપૂત સમાજ સહિત પાટણ શહેરના શ્રેષ્ઠીઓ અને સજ્જન શક્તિ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજપૂત સમાજથી ટી.બી. ત્રણ રસ્તા સુધી ગૌ રથો અને ભગવી ઝંડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. વાળીનાથ ચોક આસપાસની સોસાયટીના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. પ્રસ્થાન પૂર્વે આસોપાલવના તોરણો બાંધી, ગૌ માતાની આરતી ઉતારી અને શ્રીફળ વધેરીને રથોને તાલુકાઓમાં પ્રચાર અર્થે રવાના કરવામાં આવશે. આ ગૌ રથયાત્રા ગામડે ગામડે ફરીને ભાગવત કથાનો પ્રચાર કરશે. રથોમાં એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા ગામોમાં ભાગવત કથાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. દરેક ગામમાં નાની સભાઓનું આયોજન કરીને ગ્રામજનોને ભાગવત કથામાં ભાગ લેવા માટે પ્રેમપૂર્વક આમંત્રણ અપાશે. ઉપરાંત, દરેક ગામમાં બેનરો, સ્ટિકરો લાગશે તથા દરેક ઘરમાં પેમ્ફલેટ પહોંચાડવામાં આવશે. હરીઓમ ગૌશાળા અનાવાડા તરફથી ગૌ ભક્તો તથા રાષ્ટ્રપ્રેમી સજ્જનોને 12 ઑક્ટોબરે સવારે 9 વાગ્યે વાળીનાથ ચોક ખાતે અવશ્ય ઉપસ્થિત રહેવા અને રથયાત્રામાં ઓછામાં ઓછો એક દિવસનો સમય દાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. મુકુંદ પ્રકાશજી મહારાજે વિરાટ માતૃશક્તિ સંમેલન અને વિરાટ સજ્જન શક્તિ સંમેલનને સફળ બનાવવા બદલ સૌ ગૌ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગૌ રથયાત્રાને પણ સફળ બનાવવા માટે પ્રાર્થના કરી હતી. પાટણ પંથકમાં કોઈપણ કાર્યક્રમની આ પ્રકારે આગોતરી તૈયારી સૌપ્રથમ વખત થઈ રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની ટીમ પોલીસ સાથે આજે આજવા રોડ પર આવેલા ફાતિમા કોમ્પલેક્સ, આયસા પા ઝેબન પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરાવવા પહોંચી હતી. તે દરમિયાન પાલિકાની કાર્યવાહીમાં લોકો દ્વારા વિક્ષેપ પાડવામાં આવતા પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આજવા રોડ વિસ્તારના લોકો દ્વારા પાલિકાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. માત્ર આજ વિસ્તાર નહીં પરંતુ આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા માગ કરી હતી. આ દરમિયાન ટોળું એકત્ર થતાં પાલિકા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઇને પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ..
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’નું આયોજન કરાયું છે. આ અંતર્ગત ફતેપુરા તાલુકાના માધવા ગામે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષપદે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતી રજૂઆત પણ ગ્રામજનો સમક્ષ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરાયું. ધારાસભ્ય રમેશ કટારાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ગામડાઓ સુધી પહોંચે તે હેતુથી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાય, આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની આરોગ્ય સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીવાના પાણી માટે કૂવા-બોરની સુવિધા, ગામડે-ગામડે રસ્તાઓ, PHC, CHC અને શિક્ષણ માટે આધુનિક શાળાઓની સ્થાપના જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજનાઓ ભેદભાવ વિના તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે. તાલુકા વિકાસ અધિકારીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન અને આયુષ્માન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. આ ઉપરાંત, તેમણે વર્મિકમ્પોસ્ટ ખાતર અને પ્રાકૃતિક ખેતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી, નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, પંચાયત સભ્યો, પશુ ચિકિત્સક, પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ICDSની બહેનો, ગામના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર 'પિન્ક પરેડ' (વોકાથોન)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટ આગામી રવિવાર, 12મી ઑક્ટોબર, 2025ના રોજ આનંદ સરોવર ખાતે યોજાશે. આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, આઇ.એમ.એ. પાટણ અને 100 રચયિતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ છે. વોકાથોન સવારે આનંદ સરોવર ખાતેથી શરૂ થશે અને પાટણ શહેરના લગભગ ત્રણ કિલોમીટર વિસ્તારમાં ફરીને પરત આનંદ સરોવર ખાતે સમાપ્ત થશે. આ ઇવેન્ટ માટે અત્યાર સુધીમાં 700થી વધુ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ સહભાગીઓ પિન્ક ટી-શર્ટ અને પિન્ક ટોપી પહેરીને જાગૃતિનો સંદેશ ફેલાવશે. વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા તબીબો ડૉ. જયેશ રાવલ, ડૉ. ભાવિન વડોદરિયા, ડૉ. નૈસર્ગીબેન અને ડૉ. નુપુર બેન દ્વારા કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેની મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવશે. આસ્થા હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાનીએ જણાવ્યું હતું કે, પાટણના ઇતિહાસમાં કેન્સરની જાગૃતિ માટે આટલા મોટા પાયે 'પિન્ક પરેડ'નું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપસ્થિત રહેશે. તમામ નાગરિકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત કરવા વિનંતી કરવામાં આવી છે.
ભુજમાં ડ્રગ્સ વેચતો વેપારી ઝડપાયો:રીયલ ફૂટવેરની દુકાનમાંથી 75 હજારનું મેફેડ્રોન જપ્ત
ભુજ શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલી એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રીયલ ફૂટવેર નામની આ દુકાનમાંથી ૭.૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત ૭૫,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. SOG પશ્ચિમ કચ્છ-ભુજે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે.નાર્કોટિક્સની બદીને નાબૂદ કરવાના પ્રયાસોના ભાગરૂપે, SOG પીઆઈ કે.એમ. ગઢવીની સૂચના હેઠળ વિભાગના કર્મચારીઓ સક્રિય હતા. પેટ્રોલિંગ દરમિયાન, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા અને પો.હેડ.કોન્સ. રઘુવીરસિંહ ઝાલાને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે કાર્યવાહી કરતા, SOG ટીમે ન્યુ સ્ટેશન રોડ પર આવેલી રીયલ ફૂટવેર નામની દુકાન પર દરોડો પાડ્યો હતો. દુકાનના માલિક અબ્દુલગની અકબરઅલી મેમણ (ઉં.વ. 29, રહે. મ.નં. 76, રોયલ સિટી, સુરલભીટ રોડ, ભુજ) પાસેથી 7.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત 75000 રૂપિયા છે. આરોપી વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ડ્રગ્સના જથ્થા ઉપરાંત, પોલીસે આરોપી પાસેથી અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જેમાં 45,500 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, 15,530 રૂપિયા રોકડા અને 2,000 રૂપિયાની કિંમતનું ડી.વી.આર. શામેલ છે. આમ, કુલ 1,38,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અમરેલીમાં સિંહણનો મૃતદેહ મળ્યો:વન વિભાગની ટીમે મૃતદેહનો કબજો લીધો, મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગને માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈને લીલીયાના ક્રાકચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ (પીએમ)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આસપાસના સ્થાનિક ખેડૂતોની પણ પૂછપરછ કરાઈપીએમ કર્યાં બાદ મૃતદેહના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. સિંહણના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના સ્થાનિક ખેડૂતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સિંહણનો મૃતદેહ કેટલા સમયથી આ વિસ્તારમાં પડ્યો છે તે અંગે તપાસવન વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે, સિંહણનો મૃતદેહ કેટલા સમયથી આ વિસ્તારમાં પડ્યો હતો. આ તપાસનો મુખ્ય હેતું સિંહણના મૃત્યુ પાછળના કારણો અને સંજોગોને સ્પષ્ટ કરવાનો છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી ટીમને માહિતી મળતા જ આરએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ ચાલી રહી છે અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે અંગેની તપાસ પ્રગતિમાં છે. ગીર ગઢડાની રાવલ નદીમાં સિંહનો મૃતદેહ મળ્યોઆજથી બે મહિના પહેલા ગીર ગઢડાના મોહબતપરા ગામ નજીક રાવલ નદીમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વન વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જંગલી ભૂંડના ત્રાસથી બચવા માટે ખેતરમાં મગફળીના પાકની ફરતે વીજકરંટ મૂકતા સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અહિં ક્લિક કરી આ સમાચારને વિસ્તારથી વાંચો બે મહિના પહેલા ત્રણ બાળસિંહનાં મોત થયાં હતાઆજથી બે મહિના પહેલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 જેટલા બાળસિંહમાં ભેદી રોગની શંકા જણાતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બાળસિંહનાં મોત થયાં હતા. અહિં ક્લિક કરી આ સમાચારને વિસ્તારથી વાંચો