SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

નગર પાલિકામાં બેઠકોનું રોટેશન:દાહોદ પાલિકાના વોર્ડ 4, 9માંથી અનુસૂચિત જાતિની બેઠકો બદલાઇ

દાહોદ નગર પાલિકાના તમામ વોર્ડમાં બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે.તેનાથી દલિત અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ રોટેશનના વિરોધમાં દલિત સમાજના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી રોટેશન બદલવા પ્રબળ માંગ કરી છે. દાહોદ નગર પાલિકાના નવેનવ વોર્ડમાં અનામત બેઠકોના રોટેશનથી આદિવાસી અને દલિત સમાજ અન્યાય થયાની લાગણી અનુભવી રહ્યો છે.કારણ કે વોર્ડ નંબર 4માં દલિત સમાજની સૌથી વધુ વસ્તી અને મહત્તમ મતદારો છે. તેવી જ રીતે વોર્ડ નંબર 9માં પણ અનુસૂચિત જાતિની નોંધપાત્ર વસ્તી હોવા છતાં આ બંન્ને વોર્ડમાંથી અનુસૂચિત જાતિની પુરુષ અને સ્ત્રી બંન્ને અનામત બેઠકો કાઢીને વોર્ડ નંબર 5 અને 1માં ફાળવી દીધી છે.ઉલ્લેખનિય છે કે આ બંન્ને વોર્ડમાં અનુસૂચિત જાતિની વસ્તી ઓછી અથવા તો ખૂબ ઓછી છે. તેવી જ રીતે વોર્ડ નંબર 7 અને 9માંથી આદિજાતિ અનામત બેઠકો બદલીને અન્ય વોર્ડમાં ફાળવી દેવામાં આવી છે. દલિત સમાજના એક સર્વ પક્ષીય નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન આપી રોટેશન બદલવાની માગ સાથે આંદોલનની શરૂ કરી દીધુ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:22 am

કોલસા ચોરી કૌભાંડ:દહેજ કંપનીમાં જતી ટ્રકોમાંથી કોલસા ચોરીમાં વધુ એક ઝબ્બે

હજીરાથી દહેજ જતી ટ્રકમાં વિદેશી કોલસાની ચોરીમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય પોલીસ મથકના રૂ.69 લાખના કોલસા કૌભાંડમાં એક વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ કરી હતી.પોલીસે વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડયાં છે. 2024માં નવેમ્બર માસમાં અંકલેશ્વરમાં રૂ.69 લાખના કોલસા ચોરીના કૌભાંડ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું. આરોપીઓ હજીરા બંદરથી દહેજની કંપનીમાં વિદેશથી આયાત કરેલો કોલસો લઇ જતી ટ્રકોને ગોડાઉન પર બોલાવતાં હતાં. ટ્રકોમાંથી વિદેશથી આયાત કરેલો કોલસો કાઢી લઇ તેમાં માટી અને ફલાયએસ મિશ્રિત કરી દેતાં હતાં. કોલસા કૌભાંડ ફરાર આરોપી અને સુરતનો રહેવાસી વાલિયા ચોકડી ખાતે હોવાની બાતમી મળી હતી. પોલીસે વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડયાં છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:16 am

બલેશ્વર ગામે મિલેટ વાનગીની સ્પર્ધા યોજાઈ:250 બહેનોએ રાગી, જુવારથી ઢોકળા,પીઝા બનાવ્યા

ભરૂચ જિલ્લામાં મિલેટ્સ વાનગીને પ્રોત્સાહન આપવા માટે ઝઘડિયાના બલેશ્વર ગામે મિશન મંગલમ યોજના સ્વસહાય જૂથો અને ક્લસ્ટર ફેડરેશન પોષણ અભિયાન અંતર્ગત મિલેટ વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઝગડિયા અને નેત્રંગ તાલુકાની 16 સેજાની 250 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓએ મીલેટ્સના ઉપયોગથી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં મુખ્યત્વે નાગલી, કાંગ, બન્ટી, મોર, જુવાર, બજારો સાથે મખાના, સરગવા, દેશી ઘી જેવી ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરીને શીરો, થેપલા, ઢોકળા, પિત્ઝા, પૂળા વગેરે વાનગીઓ બનાવી હતી. સાથે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા લાઇવલીહુડ મેનેજર પ્રવિણ વસાવાએ ગુજરાત સરકારના 24 વર્ષની વિકાસ ઉજવણી બાબતે યોજનાકીય માહિતી સાથે કુપોષણ ને નાથવા પોષણ યુક્ત આહાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા આજના ફાસ્ટફૂડ ને જાકારો આપી પ્રાકૃતિક અને સાત્વિક ભોજન તરફ વળી રોજિંદા ભોજનમાં મીલેટ્સનો સમાવેશ કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચંદ્રકાંત વસાવા સહિત તાલુકા અને જિલ્લાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.મિલેટસને રોજના ભોજનમાં સામેલ કરવા માટે સરકાર તરફથી પ્રયાસો ચાલી રહ્યા છે.લોકોમાં મિલેટસ પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર બહેનો વાનગીઓનું નિદર્શન કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:14 am

સુવિધામાં વધારો:ભરૂચથી દાહોદના રૂટ પર એસટીની વધુ નવીન બસો દોડાવવામાં આવશે

ભરૂચથી દાહોદના રૂટ પર એસટીની નવી બસો દોડાવવામાં આવશે.ભરૂચ એસટી ડેપોને નવી બે બસ ફળવાતા આજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દિવાળીમાં નોકરિયાતો તથા શ્રમજીવીઓ તહેવાર ઉજવવા માટે વતનમાં જતાં હોય છે. દર વર્ષે એસટી વિભાગ વધારાની બસ દોડાવતી હોય છે. તાજેતરમાં સરકારે વિવિધ ડેપોને નવી બસોની ફાળવણી કરી છે. ભરૂચ ડેપોને બે બસ મળતાં તેને દાહોદ રૂટ પર દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. બસ સેવાના પ્રારંભ અવસરે પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારી અને પદાધિકારી હાજર રહયાં હતાં.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:13 am

પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ:ભરૂચમાં જાહેરનામા ભંગના ચાર‎દિવસમાં 480 ગુના દાખલ કરાયાં‎

દિવાળીના તહેવારને લઈને ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 9 થી 12 મી ઓક્ટોબર સુધી ચાર દિવસની સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસે તમામ પોલીસ સ્ટેશનોમાં કુલ 37 ટીમો બનાવી વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લેબર કોલોની તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. મકાનમાલિકો અને દુકાન માલિકોએ પરપ્રાંતીય ભાડુઆતો અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવા ઉપરાંત ભાડા કરારનું રજીસ્ટ્રેશન ન કરાવ્યાના ગુના નોંધાયા હતા. તદુપરાંત હોટલ, ગેસ્ટ હાઉસ, સ્પા, મેડિકલ અને ફાર્મસી જેવા સ્થાનોમાં સ્પષ્ટ સીસીટીવી કેમેરા ન લગાવનાર તેમજ બહારગામના મજૂરોની પોલીસ વેરિફિકેશન ન કરાવનાર માલિક અને સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અભિયાન દરમ્યાન કુલ 480 જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને જાહેરનામાનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. ભરૂચ એસઓજીએ સૌથી વધુ 113 કેસ કર્યા હતાભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દરેક તહેવારો પહેલા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહે છે. જેમાં હાલ દિવાળી તહેવારને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ભરૂચ એસઓજીએ 113 જાહેરનામા ભંગનો કેસ કર્યા હતા. તે સિવાય અંકલેશ્વર, ભરૂચ, દહેજ, પાલેજ સહિતના તમામ તાલુકાના પોલીસ વિભાગે તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ તરફથી જાહેરનામાઓના અમલ અંગે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:11 am

મંદ ગતિમાં કામગીપી:ગોધરાના રેલવે અંડરપાસની કામગીરી માટે હજુ ફેબ્રુ. સુધી રાહ જોવી પડશે

ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પાસે એલસી 4 ગેટ ઉપર અંડરપાસની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અંડરપાસની કામગીરીના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડવા માંડી છે. જેને લઈને સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાનીની રજૂઆત બાદ પબ્લિક એપ દ્વારા અહેવાલ અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે તા 13 ઓક્ટોબરના રોજ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા શહેરા ભાગોળ ખાતેના નિર્માણાધીન અંડરપાસની સ્થળ મુલાકાત લઈને રેલવેના અધિકારીઓ, આર એન્ડ બીના અધિકારી અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓને જાહેરમાં ટકોર કરી હતી. સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. ધારાસભ્ય દ્વારા અંડરપાસનું નિરીક્ષણ કરી તમામ કર્મચારી અને અધિકારીઓને કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. જેને લઈને રેલવે વિભાગના અધિકારીઓ, આરએન્ડબીના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરે અંડર પાસ બ્રિજની કામગીરી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા માટે બાંહેધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:09 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PF એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી શકાશે, એક જ દિવસમાં ચાંદી 10,825 રૂપિયા મોંઘી; ટ્રમ્પે ગાઝા યુદ્ધવિરામ પ્લાન પર સાઇન કરી

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર ચાંદીના રેકોર્ડબ્રેક ભાવ હતા. બીજા મોટા સમાચાર હમાસની કેદમાંથી બધા ઇઝરાયલી બંધકોની મુક્તિ હતી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. ઇજિપ્તમાં ટ્રમ્પે ગાઝા યુદ્ધવિરામ પ્લાન પર સાઇન કરી:હમાસ અને ઇઝરાયલને આમંત્રણ નહીં; 20થી વધુ દેશોના નેતાઓ હાજર રહ્યા સોમવારે ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમણે તેને ખૂબ જ ખાસ ગણાવ્યું. ટ્રમ્પે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે પરિષદનું નેતૃત્વ કર્યું. 20થી વધુ દેશોના નેતાઓ હાજર હતા, પરંતુ ઇઝરાયલ અને હમાસને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહાર ચૂંટણી પહેલા લાલુ-રાબડી, તેજસ્વીને ફટકો:IRCTC કૌભાંડમાં આરોપો સાબિત થયાં, તેજસ્વીએ કહ્યું- શાહે ધમકી આપી હતી કે અમને ચૂંટણી લડવા યોગ્ય નહીં છોડે સોમવારે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને IRCTC કૌભાંડમાં આરોપી જાહેર કર્યા. હવે આ કેસ ત્રણેય સામે ચાલશે. કોર્ટે કહ્યું, ટેન્ડર કૌભાંડનું આખું કાવતરું લાલુની જાણકારીથી ઘડવામાં આવ્યું હતું. ટેન્ડરમાં તેમનો હસ્તક્ષેપ હતો. તેનાથી લાલુ પરિવારને ફાયદો થયો. આ દરમિયાન, લાલુએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. આ કેસ રાંચી અને પુરીમાં બે IRCTC હોટલના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. બિહારની ચૂંટણી દરમિયાન આ નિર્ણય લાલુ અને RJD માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અગાઉ, લાલુ વ્હીલચેરમાં કોર્ટમાં પહોંચ્યા, તેમની સાથે રાબડી દેવી અને તેજસ્વી યાદવ હતા. રાઉઝ એવન્યુ કોર્ટે આજે લેન્ડ ફોર જોબ્સ કેસમાં નિર્ણય મુલતવી રાખ્યો હતો. કોર્ટ હવે 10 નવેમ્બરના​​​​​ રોજ પોતાનો ચુકાદો આપશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચાંદી એક દિવસમાં 10,825 રૂપિયા મોંઘી:સોનું ₹1.23 લાખને પાર, ચાંદીનો ભાવ વધીને ₹1.73 લાખ પહોંચ્યો, અમદાવાદમાં 10 ગ્રામ સોનું ₹1.25 લાખને પાર પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં 13 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. એક જ દિવસમાં ચાંદીનો ભાવ એક કિલોના 10,825 રૂપિયા વધ્યા છે તે પોતાનામાં એક રેકોર્ડ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,244 વધીને ₹ 1,23,769 થયો છે. શુક્રવારે અગાઉ એ ₹1,21,525 હતો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,25,450 થયો છે. આ દરમિયાન ચાંદીના ભાવ એક જ દિવસમાં ₹8,625 વધીને ₹1,73,125 પ્રતિ કિલો થયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ ₹1,64,500 હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સિદ્ધારમૈયાના પુત્રએ RSSની તુલના તાલિબાન સાથે કરી:પ્રતિબંધની માગ; કર્ણાટક CMએ કહ્યું- સરકારી સ્થળોએ શાખાઓ ખોલવાની તપાસ થશે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેમણે સોમવારે કહ્યું કે, RSS તાલિબાન જેવી માનસિકતા ધરાવે છે. જે રીતે તાલિબાન ઇસ્લામના સિદ્ધાંતો લાદવા માટે ફરમાન બહાર પાડે છે તે જ રીતે તે હિન્દુ ધર્મ લાદવા માગે છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ત્યારે કહ્યું હતું કે RSS તેની શાખાઓ સ્થાપવા માટે સરકારી જગ્યાઓનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું, મેં મુખ્ય સચિવને તપાસ કરવા અને જોવા કહ્યું છે કે તમિલનાડુ સરકારે કયા પગલાં લીધાં છે અને શું તે કર્ણાટકમાં પણ લાગુ કરી શકાય છે. આ પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટકના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ 4 ઓક્ટોબરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે રાજ્યમાં સરકારી પરિસર અને જાહેર સ્થળોએ RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. EPF ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે:દસ્તાવેજો પણ સબમિટ કરવાની જરૂર નથી, EPFO​​એ સરળ નિયમો બનાવ્યા હવે EPF ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ સોમવારે (13 ઓક્ટોબર)ના રોજ યોજાયેલી તેના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ જાહેરાત કરી. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનેક રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો નોકરી કરતા વ્યક્તિઓ માટે તેમના EPF ભંડોળ ઉપાડવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવશે. EPFOની મિટિંગમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો વાંચવા અહિ ક્લિક કરો... વાંચો સંપૂર્ણ સમાચાર 6. AAPના નેતાઓની ઢસડીને ઢસડીને અટકાયત:બોટાદની બબાલ બાદ આપની મોટી જાહેરાત, 100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું રવિવારે (12 ઓક્ટોબરે) બોટાદના હડદડમાં થયેલા ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે. હડદડમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બૂટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. એને લઈને આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ કરવાની જાહેરાત કરી છે તેમજ APMCમાં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે તેમજ આગામી સમયમાં 400થી વધુ APMCને લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નવરાત્રિ બાદ હવે દિવાળીમાં પણ માવઠાની આગાહી:16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી નવરાત્રિના તહેવારોમાં વરસાદી વિધ્ન આવ્યા બાદ હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાંથી ચોમાસાની સત્તાવારી વિદાય થઈ ચૂકી છે. રાજ્યમાં સિઝનનો 118 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત છૂટોછવાયો વરસાદ રહેશે. 16 થી 19 ઓક્ટોબર સુધી માવઠની અસર રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદીને મળી કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ:ભારત-કેનેડા સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસો; વિદેશ મંત્રાલયે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં વિમાન રસ્તા પર પડ્યું, 2નાં મોત:'રનવે’ની જગ્યાએ હવામાંથી સીધું જ પાર્કિંગ એરિયામાં ક્રેશ થયું, ભયંકર બ્લાસ્ટ બાદ 2 ટુકડા થયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલે કહ્યું-શિક્ષણ થોડા લોકોનો વિશેષાધિકાર ન બનવું જોઈએ:ફક્ત ધનિકો લોકો સુધી મર્યાદિત ન હોવું જોઈએ; દરેક બાળકને શીખવાની- વિચારવાની સ્વતંત્રતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં પોલીસ ફાયરિંગમાં 250 લોકોના મોતનો દાવો:ગાઝા પીસ પ્લાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા; 1,500 ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : છૂટક ફુગાવો 8 વર્ષમાં સૌથી નીચો:સપ્ટેમ્બરમાં ઘટીને 1.54% થયો, ખાદ્ય ચીજો સસ્તી થવાની અસર; ઓગસ્ટમાં 2.07% હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી બિહાર રણજી ટીમનો વાઇસ કેપ્ટન બન્યો:પહેલા બે રાઉન્ડ માટે ટીમની જાહેરાત, સાકીબુલ ગની કેપ્ટનશીપ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : ધન તેરસના દિવસે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ:200 વર્ષ બાદ સર્જાશે શુભ સંયોગ; જાણો ગુરુનું કર્કમાં ગોચર કઈ-કઈ રાશિનું ભાગ્ય ચમકાવશે?​​​​​​​ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે​​​​​​​પ્રેમ લગ્ન કરવા પર ચિકન બિરયાની ખવડાવવાની સજા છત્તીસગઢના કાંકેરમાં પ્રેમ લગ્નની સજા એ છે કે સાસરીવાળાને ચિકન બિરયાની ખવડાવવી અને તેમને ₹2 લાખનો સામાન આપવો. જ્યારે એક યુવક આ પરંપરાનું પાલન કરવામાં નિષ્ફળ ગયો, ત્યારે છોકરીના ગામના આશરે 500 લોકો તેના ઘરે પહોંચ્યા. ગામલોકોનું કહેવું છે કે તેઓ ધાર્મિક વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ : રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે:5 ગેલરી, રાજવીઓના ભવ્ય ઇતિહાસની ઝાંકી, કેવડિયામાં 5.5 એકરમાં 367 કરોડનો પ્રોજેક્ટ 2. બાબા સિદ્દીકી મર્ડરનું એક વર્ષ: 27ની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર:પોલીસને મર્ડરનું કારણ ખબર નથી, વકીલ બોલ્યા, સત્ય છુપાવવામાં આવી રહ્યું છે 3. મંડે મેગા સ્ટોરી : પ્રશાંત કિશોર પર દરોડા કેમ નથી પડતા?:મોદીના એક કોલ પર UNની નોકરી છોડી, છ વર્ષમાં છ મુખ્યમંત્રી બનાવ્યા; PK પોલિટિક્સ શું છે? 4. આજનું એક્સપ્લેનર:તાલિબાન-પાકિસ્તાનમાં યુદ્ધના આસાર; શું મુત્તકીની ભારત મુલાકાતથી ચિડાયું પાક, અફઘાનિસ્તાનને કેવી રીતે મદદ કરશે ભારત​​​​​​​ 5. Editor’s View : નવા મીડલ ઈસ્ટનો સૂર્યાદય:હમાસના કબજામાં રહેલા 20 બંધકોની દિવાળી, ઈઝરાયલની સંસદમાં 65 મિનિટની સ્પીચ આપી ટ્રમ્પ છવાયા; જાણો બે દિગ્ગજ નેતાની ડિપ્લોમસી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક રાશિના લોકો માટે ગ્રહોનું સંક્રમણ ફળદાયી રહેશે, ધન જાતકોને નોકરીમાં પ્રમોશનનો યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 5:00 am

વ્યવસ્થાને આખરી ઓપ:કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીમાં‎વડાપ્રધાન સહિત 11 હજાર વિશેષ આમંત્રિતો‎

એકતાનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠન તરફથી 500 જેટલા સ્વયંસેવકો વ્યવસ્થા માટે ફાળવવામાં આવશે. તેમની કામગીરી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી સંકલન અનેબસના રૂટ ઉપર મૂકવામાં આવનારા નોડલ ઓફિસર અને તેમના સહયોગીઓ, કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ લોકો નિર્ધારિત કરેલા સ્થળે આવી જવાના હોવાથીતેમના વિશ્રામ સાથે ભોજન-પાણીની વ્યવસ્થા, વાહનો માટે ઊભા કરાયેલા પાર્કિંગ પ્લોટ અને તેના કલર કોડ અંગે પણ જાણકારી આપી હતી. ત્યાં એક કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે તેમજ પબ્લિક એડ્રેસની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કલેક્ટર એસ.કે.મોદીએ બેઠક દરમિયાન તા. 30 અને 31મીના રોજ આયોજીત એકતા પરેડમાં સામેલ થનારા વીવીઆઈપી, લબાસણાના તાલીમી આઈએએસ, રાજકીય અગ્રણીઓ, આમંત્રિતો અને પ્રવાસીઓની બેઠક વ્યવસ્થા તેમજ એકતા પરેડમાં સામેલ વિવિધ કન્ટીજન્ટની પરેડની વ્યવસ્થા અંગે વિગતવાર જાણકારી આપી હતી. વીવીઆઈપી સહિતના સહભાગીઓને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાના વાહન તેમજ બસની સુવિધા, કાર્યક્રમ સ્થળેઆગમનથી પૂર્ણ થયે પરત જવાની તમામ નાગરિકો અને સહભાગીઓની નામાવલી અને પાસ વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. કેવડિયામાં ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન સહિત 11 હજાર વિશેષ આમંત્રિતો હાજર રહેશે.તંત્ર અત્યારથી જ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.અને વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન સહિત 11 હજાર વિશેષ આમંત્રિતો હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:56 am

છલોછલ થયો કરજણ ડેમ:કરજણ ડેમની સપાટી 115.25 મીટર, એક દરવાજો હજી ખુલ્લો

રાજપીપળા નજીક આવેેલો કરજણ ડેમ પણ 115.25 મીટરની પૂર્ણ સપાટીથી ભરાઇ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી હોવાથી ડેમનો એક દરવાજો ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. કરજણ ડેમના પાણીનર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના અને ભરૂચના નેત્રંગ, ઝગડીયા, વાલિયા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવે છે.ચાલુ વર્ષે ડેમ 115.25 મીટરની પૂર્ણ સપાટીથી ભરાઇ જતાં આખું વર્ષ ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:55 am

ડેમની સપાટીમાં 1 સેમીનો ઘટાડો:નર્મદા ડેમની સપાટી 138.67 મીટર

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ફરી એક સેમીનો ઘટાડો થયો છે. સોમવારે સાંજે ડેમની સપાટી 138.67 મીટરની નોંધાઈ હતી.ઉપરવાસમાંથી સરેરાશ 61495 કયુસેક પાણી આવી રહયું છે. હાલ ડેમનો એક દરવાજો ખુલ્લો રાખી પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે. એક દરવાજો 0.62 મીટરની સપાટીથી ખુલ્લો રખાયો છે. સોમવારે સાંજે ડેમની સપાટી ફરીથી 138.67 મીટર નોંધાઇ હતી. ઉપરવાસમાંથી પાણીની આવક 61495 કયુસેક રહી હતી. દરવાજા અને આરબીપીએચમાંથી નદીમાં 40473 કયુસેક જયારે કેનાલમાં 20 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા ડેમ હાલ 99.97ટકા ભરાયેલો છે. સરદાર સરોવરમાં 9456 એમસીએમ પાણીના જથ્થાનો સંગ્રહ થઇ ચૂકયો છે. ડેમ પૂર્ણ સપાટીથી ભરાયાં બાદ હવે આખા ગુજરાતમાં એક વર્ષ સુધી પીવા તથા સિંચાઇના પાણીની તંગી પડશે નહિ.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:54 am

સેમિનાર:વયસ્કોને છેતરપિંડી અંગે માહિતગાર કરવામાં આવ્યા

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને વયસ્કો માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં વયસ્ક નાગરિકોને સાયબર ફ્રોડ અને તેમની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પી.આઈ. આર.એચ. વાળા અને ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના બિન-સરકારી સભ્ય તથા જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સેમિનાર જીઆઇડીસીમાં આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયો હતો. સેમિનારમાં વયસ્ક નાગરિકો સાથે સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે એકલા રહેતા વૃદ્ધો અને દંપતીઓને ખાતરી આપી હતી કે પોલીસ હંમેશા તેમની પડખે ઊભી રહેશે અને તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:53 am

જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:જિલ્લામાં ફાનસ ઉપર પ્રતિબંધ મૂકાયો

ભરૂચ જિલ્લામાં દિવાળીને લઈને વહીવટી તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ દિવાળી તહેવાર દરમિયાન સ્કાય લેન્ટર્ન ઉપર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. સ્કાય લેન્ટર્ન ઊડ્યાં પછી ગમે તે સ્થળે પડી જાય છે. ને આગ લાગવાની ઘટના બને છે. તેને રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:52 am

શિયાળાના પગરવ:અંકલેશ્વરમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું

અંકલેશ્વરમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી પરોઢે જ ધુમ્મસને લઇ વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી અનુભવી હતી. શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો અનુભવ થયો હતો. નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય બાદ અંકલેશ્વર પંથકમાં ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. સવારે અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સવારના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:51 am

માગણી:મોરબી નેશનલ હાઇવે પર બે ઓવરબ્રિજ બનાવવાની માગણી

મોરબી નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજ બનાવવા માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ ભારત સરકારના પરિવહન વિભાગના મંત્રી નીતીનભાઇ ગડકરીને પત્ર લખીને રજૂઆત કરી છે. મોરબી હાલમાં સિરામિક ઉદ્યોગમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. 8-એ નેશનલ હાઈવે મોરબીની વચ્ચેથી પસાર થાય છે, જે નેશનલ હાઈવે કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરને જોડે છે, જેના કારણે આ નેશનલ હાઈવે પર સતત ટ્રાફિક રહે છે અને લાંબી કતારો જોવા મળે છે. આ ધોરીમાર્ગનો સૌથી નજીકનો રસ્તો પીપળી રોડ છે, જેના પર ઘણી સિરામિક ફેક્ટરીઓ છે. બધા વાહનો મોરબીના ટીમડી પાટિયાથી પીપળી ગામ તરફ અને ફન હોટલથી મહેન્દ્રનગર ચોકડી તરફ જાય છે, જેના કારણે હાઇવે પર ઘણો ટ્રાફિક રહે છે. આ માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી દ્વારા ટીમડી પાટિયા અને ફન હોટલ પાસે એમ બે ઓવરબ્રિજ બનાવવા માટે ભારત સરકાર ના પરીવહન વિભાગના મંત્રીને પત્ર લખ્યો છે અને બંને ઓવરબ્રિજ ઝડપથી બનાવી અને નેશનલ હાઈવે પર થતાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:44 am

ફરાર આરોપી 23 વર્ષે પોલીસના સકંજામાં:મોરબીમાં વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી 23 વર્ષે ઝડપાયો

મોરબીના ત્રાજપર ગામે રહેતા વૃધ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરનાર બે આરોપી 23 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યા હતા તેવામાં એલસીબીને બાતમી મળી હતી કે એક આરોપી યુપીમાં સાધુ વેશે જીવન વ્યતિત કરી રહ્યો છે. આથી મોરબી પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને આરોપીની ધરપકડ કરી હતી જ્યારે હજુ પણ એક આરોપી હાથ લાગ્યો ન હોઇ, તેની શોધખોળ જારી રાખી છે. મોરબીના ત્રાજપર ગામમાં રહેતા ચંપાબેન પોપટભાઈ નામની 60 વર્ષીય વૃદ્ધ મહિલાની વર્ષ 2002માં સોનલબેન ઉર્ફે સોનુ પરમાર નામની મહિલા, પ્રેમસિંગ ઉર્ફે ગુડ્ડુ સરમન બઘેલ નામના વ્યક્તિઓએ સાથે મળી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી અને સોનાના પાટલા ,ચાંદીના કડલા સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે વૃદ્ધાના પુત્ર દ્વારા જે તે સમયે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આરોપીઓ જે તે સમયે આ બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જે તે સમયે પોલીસે આરોપી પૈકી સોનલ ઉર્ફે સોનુ મૂળ વડોદરા જિલ્લાની વતની હોય જયારે પ્રેમસિંગ રાજસ્થાન ભરતપુર જિલ્લાનો હોવાની માહિતી હોવાથી જે તે જગ્યાએ પોલીસે તપાસ કરી છતાં બન્ને ત્યાં મળી આવ્યા ન હતા, જેથી પોલીસે કેસમાં સી સમરી ભરી હતી, કોર્ટે આ કેસમાં બન્ને આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા હતા. લાંબા સમયથી આરોપી ફરાર હોય આ દરમિયાન એલસીબી ટીમને મળી હતી કે પ્રેમસિંગ ઉત્તર પ્રદેશના મથુરામાં સાધુ વેશ ધારણ કરી મંદિરમાં પૂજા કરી રહેતો હોય તો બાતમી આધારે એલસીબીના પીએસઆઈ, પેરોલ ફર્લોની ટીમ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના તારોલી જાનુબી ગામની સીમમાં પહોંચી હતી અને ત્યાં આવેલા હનુમાન મંદિરમાં સેવા પૂજા કરતા પ્રેમસિંગને યુપી પોલીસની મદદથી ઝડપી લીધો હતો, આરોપીને મોરબી લાવી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:39 am

વીજ ટાવર સામે વિરોધ:ખાખરેચીમાં મંજૂરી વિના ખેતરમાં ખડકાયેલા વીજ ટાવર સામે વિરોધ, તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી વીજળીની હેવી લાઈન સહિતના મસમોટા કામો સરકારે ખાનગી કંપનીઓને આપી દીધા બાદ ખાનગી કંપનીઓ સરકાર સાથે સાંઠગાંઠ હોવાથી ખેડૂતોની પૂર્વ મંજૂરી કે વળતર ચૂકવ્યા વગર ખેડૂતોને ડરાવી ધમકાવી વટથી વિજળીના હેવી વીજ વહન કરતા મોતના માંચડા જેવા ટાવરો અને થાંભલાઓ ખેતરમા ખોડી દેવાની ફરિયાદો રોજીંદી બની ગઈ છે. એ મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામના ખેડૂતના માલિકીના ખેતરમાં ખેડૂતની પૂર્વ મંજૂરી કે વળતર ચુકવ્યા વગર ધમકાવી ૭૬૫ કેવીની હેવી લાઈનના ટાવર ખડકી દીધા હોવાથી ખેડૂતે વળતર ચુકવવાની માગણી કોંગ્રેસના આગેવાન મહેશ રાજકોટીયા સમક્ષ વ્યક્ત કરતા રાજકોટીયાએ કલેકટર ઉપરાંત, ઉર્જા સચિવ સહિતનાઓને આવેદન પાઠવ્યું હતું. આ ઉપરાંત આ મુદ્દે દસ દિવસમા ઉકેલ નહીં આવે તો જિલ્લાભરના ખેડૂતો અને પ્રજાજનોને સાથે રાખી પોતે વિજળી ના થાંભલા ઉખેડી ફેંકી દેવાની ચિમકી ઉચ્ચારી છે. ખાખરેચી ગામના ખેડુત રમેશ દલા કૈલાના ખેતરમા વિજ પાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી સ્ટરલાઈટ નામની કંપનીએ નિયમોનુસાર ખેડુતની પૂર્વ મંજૂરી વગર ખેડુતની માલિકીના ખેતરમા મોતના માંચડા જેવા તોતિંગ ટાવર (થાંભલા) ખેડુતને ડરાવી ધમકાવી ખડકી દીધા હતા અને વળતર ચુકવવાની લોલીપોપ આપી હતી. પરંતુ ફદીયુ તો ન મળ્યુ ઉપરથી ખેતીકામ વખતે માથે સતત મોત નો ભય રહેતો હોય અને ઉપજમા નુકશાની આવવા લાગતા ખેડૂત છેલ્લા એક વર્ષથી ઉર્જા વિભાગ, કલેકટર સહિતનાઓને રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે તમામ ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી, પી. એમ. સહિતનાઓએ આ મુદ્દે હકારાત્મક અભિગમ થી ખાનગી કંપનીને વળતર ચુકવવા પત્ર વ્યવહાર કર્યા બાદ પણ કંપની કાન દેતી ન હોવાથી જિલ્લા કોંગ્રેસે ખેડૂતને સાથે રાખી ઉર્જા સચિવ, કલેકટર સહિતનાઓને આવેદન આપ્યું હતું. આ મુદે દસ દિવસમા નિવેડો લાવવા અલ્ટીમેટમ આપ્યું હતું અને જો તેમ છતાં આ મુદો નહીં ઉકેલાય તો જિલ્લા ભરના ખેડૂતોને સાથે રાખી આ વીજ ટાવર ઉખાડી ફેંકવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:37 am

કૃષિ વિષયક તાલીમનું આયોજન:કોટડાસાંગાણીના જૂની ખોખરીમાં પાકમાં સંકલિત ‎જીવાતમાં નવ સંસાધન અંગે તાલીમ અપાઇ‎

કોટડા સાંગાણીના જૂની ખોખરીમાં તીડ-સહ-સંકલિત જીવાત વ્યવસ્થાપન કેન્દ્ર, વડોદરા દ્વારા બે દિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલીમ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 95 સહભાગીએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વર્તમાન કૃષિ પદ્ધતિઓ, ખાસ કરીને રાસાયણિક જંતુનાશકોના અયોગ્ય અને આડેધડ ઉપયોગના માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ખેતરમાં પાકના જીવાતો, રોગો અને નીંદણનું સંચાલનનુ કરવા માટે ફક્ત રાસાયણિક જંતુનાશકો પર આધાર રાખવાને બદલે, સાંસ્કૃતિક, યાંત્રિક અને જૈવિક નિયંત્રણ સહિતની સર્વાંગી પદ્ધતિઓનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સહાયક વનસ્પતિ સંરક્ષણ અધિકારી ડૉ. હુલગપ્પાએ વનસ્પતિ સંરક્ષણ, સગરોધ અને સંગ્રહ નિદેશાલયની વિવિધ કામગીરી વિશે માહિતી પૂરી પાડી. તેમણે જણાવ્યું હતું કે આઇપીએમ તકનીકોનો ઉપયોગ કરીને ખેડૂતો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરતી વખતે અસરકારક રીતે જીવાતોને નિયંત્રિત કરી શકે છે. ડૉ. હુલગપ્પાએ ખેડૂતો અને અધિકારીઓને રાષ્ટ્રીય જીવાત દેખરેખ પ્રણાલીની કામગીરી વિશે વિગતવાર માહિતી આપીને વધુ શિક્ષિત કર્યા. કૃષિ વિસ્તરણ અધિકારી અશોક ભાઈએ ખેડૂતોને જણાવ્યું હતું કે કૃષિ પેદાશોમાં ખાદ્ય સલામતી માત્ર જથ્થા વિશે નથી, તે મૂળભૂત રીતે સલામતી અને ગુણવત્તા વિશે છે. આ તાલીમ આપણા ખેડૂત સમુદાયમાં એક મહત્વપૂર્ણ રોકાણ છે, જે તેમને સલામત ખોરાક ઉત્પન્ન કરવા માટે સશક્ત બનાવે છે. સહાયક વનસ્પતિ સંરક્ષણ અધિકારી ડૉ. થોમ્બરે માટી પરીક્ષણ, બીજ ઉપચાર, મુખ્ય પાક રોગોની ઓળખ અને નિયંત્રણ, યોગ્ય ફુગનાશકો અને નિવારક પગલાં વિશે માહિતી પૂરી પાડી. સરપંચ અશ્વિનભાઈએ ખેડૂતોને તેમની કૃષિ પદ્ધતિઓમાં આઇપીએમ અપનાવવા વિનંતી કરી. ખેડૂતોએ તાલીમ શિબિરમાં ઉત્સાહપૂર્વક જોડાઇ સંબંધિત સવાલોના જવાબો મેળવ્યા હતા. તસવીર: સલીમ પતાણી

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:35 am

હવામાન:લઘુતમ તાપમાન 25 ડિગ્રી થયું

મોરબી સહિત સમગ્ર જિલ્લામાં ધીરે-ધીરે શિયાળાની છાંટ વર્તાઇ રહી છે, વ્હેલી સવારે ઠંડક અને બપોરના ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુ શરૂ થઇ છે અને શિયાળાનું ધીરે-ધીરે આગમન શરૂ થઇ ચૂકયું છે ત્યારે ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ ચોમાસુ રાજયભરમાંથી વિદાય લેશે તેવી જાહેરાત કરી છે ત્યારે મોરબી શહેરમાં પણ શિયાળો ધીમે ધીમે દસ્તક રહ્યો છે તો બીજી તરફ શહેરમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. સાંજે ૬ વાગ્યા પછી ખાસ કરીને નગરસિમ વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ જાય છે. જે વહેલી સવાર સુધી યથાવત્ રહે છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો 25 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:33 am

લ્યો બોલો!:મોરબીમાં મનપાએ સાઇક્લોથોન, મેરેથોન યોજી, લોકો જ ન આવ્યા!

મોરબીમાં લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં સભાનતા અને જાગૃતિ લાવવા મનપા અવારનવાર લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરે છે ,પરંતુ ખાટલે મોટી ખોડ કે સમયસર લોકોને જાણ નહીં થતી હોય કે જાગૃતિનો અભાવ, લોકોની હાજરી અત્યંત પાંખી રહેતાં મનપાના મનસૂબા પર પાણી ફરી વળે છે તેમાં બે મત નથી. મોરબી મહાનગર પાલિકાના ઉપક્રમે સોમવારે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી સાયક્લોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સાયક્લોથોન માટે માત્ર ગણ્યા ગાંઠયા શહેરીજનોએ જ ઉત્સુકતા દાખવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:33 am

શંકાસ્પદ લાશ મળતા પોલીસ દોડતી થઈ:આંદરણા પાસેથી મહિલાની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી, હત્યાની આશંકા

મોરબીના આંદરણા ગામ નજીક મોરબી હળવદ રોડ પર રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલના ખાડામાં એક મહિલાનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મૃતદેહ મોટા ભાગનો હિસ્સો બળી ગયો હોઇ, ઓળખ થઇ શકે તેવી સ્થિતિ જ ન બચી હોઇ, પોલીસે ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપી છે. હાલ તો મહિલા વિશે કોઇ જ માહિતી સામે આવી નથી, પરંતુ મૃતદેહની હાલત જોતાં પહેલાં હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હોવામાં આવી હોવાની થિયરી પર તપાસ ચલાવવામાં આવી છે. મોરબી હળવદ રોડ પર આવેલા આંદરણા ગામ નજીક આવેલા કડક ભગત હોટેલથી થોડે દૂર રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં સોમવારે વહેલી સવારે એક અજાણી મહિલાનો અડધો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ઘટના સ્થળે સાંયોગિક પુરાવા માટે ફોરેન્સીક વિભાગની ટીમ પણ પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવા પ્રયાસ કર્યો હતો. હાલ તો આ બનાવમાં પોલીસે એમએલસી નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ જે હાલતમાં મૃતદેહ મળ્યો છે તે જોતાં મહિલાની હત્યા નીપજાવવામાં આવ્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને સળગાવી દેવાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે અને મહિલાની ઓળખ થઇ શકી ન હોવાથી હાલ પોલીસ ફોરેન્સિક પીએમનો રીપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. ફોરેન્સિક રીપોર્ટ મળ્યા બાદ સમગ્ર હકીકત પરથી પરદો ઉંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:32 am

રખડતા શ્વાન તંત્રને હંફાવે છે:મોરબી જિલ્લામાં દોઢ મહિનામાં 761 લોકોને શિકાર બનાવી બચકાં ભર્યાં

મોરબી જિલ્લામાં શિયાળા પહેલાં જ રખડતા શ્વાન કરડવાની ઘટનામાં વધારો થયો છે. રાજધાનીમાં શ્વાન પકડવા સુપ્રિમ કોર્ટ દ્વારા જરૂરી ગાઈડલાઈન ફોલો કરીને રખડતા શ્વાન પકડવાં આદેશ કરવામાં આવ્યા હતા. જો કે રાજયની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ખાસ કરીને નગરપાલિકા કે મહાનગર પાલિકા સક્રિયતા દાખવી રહી નથી, મોરબી જિલ્લાની વાત કરીએ તો એક કોર્પોરેશન,અને 4 નગરપાલિકા વિસ્તાર છે. તાલુકા પંચાયત દ્વારા પણ મોટી ગ્રામ પંચાયતોમાં રખડતા શ્વાન પકડવા બાબતે કોઈ પણ પ્રકારની સક્રિયતા દાખવવામાં ન આવતી હોવાથી રખડતા શ્વાન કરડવાની ઘટના સતત વધી છે. મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો સપ્ટેમ્બર અને ઓકટોબરના 13 દિવસ દરમયાન કુલ 761 લોકોને રખડતા શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ 455 જેટલા કેસ તો મોરબી શહેર અને તાલુકામાં નોંધાયા હતા. આ ઉપરાંત 169 કેસ વાંકાનેર તાલુકામાં નોધાયા હતા. જયારે હળવદમાં 71 કેસ, ટંકારામાં 35, માળિયામાં 31 કેસ નોંધાયા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા અગાઉ રખડતા શ્વાન પકડવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી હતી,પરંતુ એક પણ એજન્સી સામે ન આવતા કામગીરી આગળ વધી શકી નથી, બીજી તરફ એક પણ નગરપાલિકા દ્વારા આજદિન સુધી રખડતા શ્વાનને પકડવા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. ભાસ્કર એક્સપર્ટશ્વાનને કારણ વગર છંછેડવાથી બચવું‎શ્વાન સામાન્ય રીતે માણસ સાથે રહેતું હોવાથી તેના કરડવાના કારણ ઘણા હોય છે જેમ કે તેનો બ્રીડીંગ સમય નજીક હોય ત્યારે તેને પથ્થર મારી છંછેડવામાં આવ્યા હોય અથવા તો એક કરતા વધારે શ્વાન વચ્ચેની લડાઈ બાદ ઈજાગ્રસ્ત થયેલા શ્વાન પોતાની પીડા સહન ન થવાના કારણે બચકા ભરી શકે છે. આ ઉપરાંત ઘણીવાર રસ્તા પર સૂતેલા હોય ત્યારે વાહન ચાલકો તેની બિનજરૂરી પજવણી કરતા હોય છે ત્યારે તે વાહન ચાલક તો પસાર થઇ જાય, પરંતુ ભયના લીધે શ્વાન બીજા લોકો પર હુમલો કરી શકે. માદા શ્વાન તેના બચ્ચાંની સુરક્ષા માટે લડાયક બની શકે. હડકવા થવા અને તેના કારણે કરડવાનું પ્રમાણ ખુબ ઓછું હોય છે, છતાં શ્વાનની કનડગત કરવાથી બચવું જ જોઇએ. ઘણીવાર એવું બને કે શ્વાનને છંછેડે કોઇ અને ભોગ કોઇ બીજા બને. શ્વાન કરડયા બાદ કોઈ પણ પ્રકારની ગફલતમાં રહ્યા વિના વેક્સિન લેવી જરૂરી છે, એકવાર હડકવા થયા બાદ તેની સારવાર શક્ય નથી. > ડૉ.એન.જે.ફળદુ, પશુચિકિત્સક ​​​​​​​શેલ્ટર હોમ તૈયાર કર્યા બાદ રિ-ટેન્ડરિંગ કરીશું‎મહાનગર પાલિકા દ્વારા અગાઉ રખડતા શ્વાન પકડવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે કોઈ કારણસર કોઇ જ એજન્સી સામે ન આવતા કામ શરૂ થઇ શક્યું ન હતું. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાન પકડ્યા બાદ તેનું ઓપરેશન કરવાનું અને તે બાદ તેને શેલ્ટર હોમમાં સાત દિવસ રાખવાના રહે છે જેથી હાલ અમે શેલ્ટર હોમ બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. શહેરના નંદી ઘર નજીક શેલ્ટર હોમ તૈયાર થયા બાદ ફરી ટેન્ડર કરી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું દોઢ માસમાં 690 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો‎સામાન્ય રીતે શ્વાન કરડે ત્યારે 5 વેક્સિનના ડોઝ હોય છે જે અલગ અલગ સમયે લેવાના હોય છે. મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં 1333 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 435 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. ઓક્ટોબરમાં 13 દિવસમાં 740 ડોઝ લેવાયા છે જે પૈકી 255 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:28 am

માનવતા મહેકાઈ:નાની મજેઠી હાઈવે પર લોકોએ ગામની બહેનોને બોલાવી મહિલાને રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી

પાટડીના નાની મજેઠી હાઈવે પર લોકોએ ગામની બહેનોને બોલાવી મહિલાને રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી માનવતાની મહેંક પ્રસરાવી હતી. જેમાં હાઈવે પર ખાનગી લક્ઝરીવાળા એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા રસ્તા પર ઉતારી જતા રહ્યા હતા. પાટડી તાલુકાના માલવણ હાઈવે પર નાની મજેઠી હાઈવે ઉપર ઉમિયા પેટ્રોલ પંપની સામે ખાનગી લક્ઝરીવાળા મોડી રાત્રે બસમાં એક આદિવાસી બેનને પ્રસુતાની ભારે પીડા ઉપડતા હાઇવે ઉપર જ ટ્રાવેલ્સ ઊભી રાખી આ ગર્ભવતી મહિલાને રસ્તામાં જ ઉતારીને ચાલી નીકળ્યો હતો. ત્યારે હાઈવે પર જ સામે પેટ્રોલ પંપવાળાને ખબર પડતા ત્યાંથી સુરેશભાઈ પટેલ તથા બળદેવભાઈ પોપટભાઈ ભરવાડ સહિતના ત્યાં હાજર બધા લોકો એકઠા થયા હતા. અને તાકીદે માનવતાની રૂએ ગામમાંથી તેમના બહેનોને બોલાવ્યા હતા. એ બેનને હાઈવે પર જ સલામત રીતે ડિલિવરી કરાવડાવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ ઈએમટી અને પાયલોટ સાથે તાકીદે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. બાળક અને માતાને હેમખેમ મોડી રાત્રે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઉમિયા પેટ્રોલ પંપના સુરેશભાઈ પટેલ તથા બળદેવભાઈ ભરવાડ તથા ગામની બહેનોનો હાજર સૌ કોઈએ આભાર વ્યક્ત કરી માનવતાના કાર્યને બિરદાવી હતી. જ્યારે નિર્દયી લક્ઝરીવાળા સામે લોકો ફીટકાર વરસાવવાની સાથે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એમ પણ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:22 am

ચોરો પોલીસના સકંજામાં:અંકેવાળિયા નજીકથી ચોરી કરેલા એલ્યુમિનિયમ વાયર સાથે 3 શખસ ઝબ્બે, 2 ફરાર

લીંબડી ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમને બાતમી મળી કે અંકેવાળિયા ગામ પાસે ગેરૂ ઉર્ફે ધીરૂ ગોપીલાલ ગુર્જર એલ્યુમિનિયમના વાયરો લાવી ભંગારના ડેલામાં કટિંગ કરાવે છે. પીઆઈ એ.આર. પટેલ, મહાવીરસિંહ ઝાલા સહિત ટીમે દરોડો પાડી વાયરનું કટિંગ કરતાં નારાયણ મોતીસિંહ રાવત, દીપક મુખરામ યાદવ અને જગદીશ ધરમ ભીલને ઝડપી 400 કિલો એલ્યુમિનિયમના વાયર, કટિંગ કરવાનાં 2 મશીન, વાહન, મોબાઈલ મળીને રૂ. 3,84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભંગારનો ડેલાનો સંચાલક ગેરૂ ગોપીલાલ ગુર્જર અને વાહનનો માલિક રતન ઉર્ફે ભાણો હાજર મળ્યા નહોતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:20 am

છરી સાથે ઇસમ ઝડપાયો:વઢવાણ રોડ પરથી છરી સાથે સુરેન્દ્રનગરનો શખસ ઝડપાયો

સુરેન્દ્રનગર – વઢવાણ શહેરી વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે શખસો ફરતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે બાબતે પોલીસતંત્ર દ્વારા પેટ્રોલિંગ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ ટીમે વઢવાણ શ્રધ્ધા હોટલ પાસે પહોંચતા રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમાં ચાલીનો આવતો હોવાથી તેને ઊભો રાખ્યો હતો. ત્યારબાદ તેની તલાસી લેતા તેના પેન્ટના નેફામાંથી એક છરી મળી આવી હતી. છરી રાખવા અંગે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા છરી સાથે તેની દબોચી લીધો હતો. આ શખસની પૂછપરછ કરતા સુરેન્દ્રનગર દેશળભગતની વાવ પાછળ ગોકુળનગરના સુનીલભાઈ દિનેશભાઈ બાથમ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:19 am

પાણીની સમસ્યા ઊભી થઈ:20 દિ’થી 8 હજારની વસ્તી ધરાવતા પાણશીણામાં પાણી વિતરણ બંધ

લીંબડી તાલુકાના વધુ લોકોની વસ્તી ધરાવતા ગામો પૈકીના એક એવાં પાણશીણા ગામમાં 20 દિવસથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. ચોમાસું પૂર્ણ થતાંની સાથે લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગામમાં ટેન્કરરાજ શરૂ થઈ ગયું છે. લોકો પૈસા ચૂકવી પાણી લેવા મજબૂર બની ગયા છે. આ અંગે પાણશીણાના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ જણાવ્યું હતું કે બળોલ શાખા નર્મદા-12 કેનાલથી અમારા ગામમાં પાણી વિતરણ થાય છે. છેલ્લા 20 દિવસથી કેનાલમાં પાણી નહિવત આવી રહ્યું છે. જેના કારણે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. ચોમાસું પૂર્ણ થતાંની સાથે ગ્રામજનોને જળ માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગામમાં ટેન્કરરાજ શરૂ થઈ ગયું છે. લોકો પૈસા ચૂકવી પાણી લેવા મજબૂર બની ગયા છે. અનેકવાર નર્મદાના અધિકારી, કર્મચારીઓની પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી છતાંય કોઈ સમાધાન થયું નથી. તાત્કાલિક ધોરણે પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:19 am

ફરિયાદ નોંધાઈ:થાનગઢમાં જૂના ઝઘડા મુદ્દે 4 શખસ સામે મારામારી અંગે ફરિયાદ

થાન પોલીસ મથકે જૂના ભરવાડ વાસના રહીશ જયપાલભાઇ ઉર્ફે ભાણો રઘુભાઇ સીંધવે 4 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના મામા ગોવિંદભાઇ સભાડની જમીન મોરથરા રોડ પર આવેલી છે. જે જમીનની બાજુમાં દીપેનભાઇ ભરાડની જમીન આવેલી છે. જમીનના શેઢા બાબતે દિપેનભાઇએ ગોવિંદભાઇ સાથે અગાઉ ઝઘડો કર્યો હતો. જે વાતનું મનદુ:ખ રાખી દિપેનભાઇએ તલવારના ઘા જયપાલભાઇને મારી તે વખતે પ્રતિકભાઇના પિતા હાથમાં લોખંડનો પાઇપ લઇ પકડી રાખ્યા હતા. રાહુલભાઇ દિનેશભાઇએ માથામાં માર્યો હતો. પ્રતિકભાઇએ રાહુલભાઇને તલવાર મારી હતી. દિપેનભાઇના પિતા કુહાડીથી હુમલો કર્યો હતો. આથી દિપેન અને પ્રતિકના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:18 am

ખેડૂતોમાં આનંદની લાગણી:નવાણીયા, નળીયાની 2 હજાર વીઘા જમીનને પાણી મળશે

મૂળી તાલુકાના નવાણીયા નળીયા ગામે મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. ત્યારે પાણીનાં સ્ત્રોત નહિવત હોવાથી એક જ સિઝન લઇ શકતા હતા. ત્યારે હાલ બન્ને ગામોને નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાના કામનું ખાતમુર્હૂત કરાતા 2 હજારથી વધુ વીઘા જમીનને ફાયદો થશે. જેથી સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પોતાની આગવી સૂઝબૂઝથી ગામને ફાયદો થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે મૂળીના નવાણીયા અને નળીયા ગામે ખેડૂતોને પિયત માટે મોટાભાગે વરસાદ આધારિત ખેતી હોવાથી ખેડૂતોને અનેક સમસ્યા ભોગવવી પડે છે. એક જ સિઝન લઇ શકતા હતા. જેથી સ્થાનિક ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, અગ્રણી હરદેવસિંહ પરમારના માર્ગદર્શન થકી નવાણીયા અને નળીયા નર્મદાનું પાણી સિંચાઇ માટે મળે તે માટે અગાઉ અનેક વખત જિલ્લા અને રાજ્ય સુધી રજૂઆત કરેલ ત્યારે તાજેતરમાં સરકારની યોજનાનો લાભ લઇ આગામી સમયમાં નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવા હાલ નવાણીયા ગામે ખાત મુહૂર્ત કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ખેડૂતોને લાંબા સમય સુધી ખેતી માટે પાણી મળતું થશે. જેથી 2 હજાર વીઘાથી વધુ જમીન પાણીથી તૃપ્ત થશે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ અંગે સ્થાનિક સરપંચ જયસિંહ પરમાર, બોધાભાઇ સહિતનાએ જણાવ્યું હતું કે ખેડૂતોને લાંબા સમય સુધી પિયત માટે પાણી મળે અને પાણી સંગ્રહ રહે તે માટે કામગીરી કરાઇ છે. આ તળાવો ભરાતા 400થી વધુ ખેડૂતોને પિયત માટે ફાયદો થશે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:17 am

નવીન રોડનું લોકાર્પણ:લખતર - સદાદ - નાના અંકેવાળીયા 16 કિલોમીટરનો રોડ નવો બન્યો

લખતર લખતરમાં સ્ટેશન રોડ છેલ્લાં ઘણા સમયથી બની રહ્યો હતો. જે ચોમાસા પહેલા બનાવવાની વાત હતી. પરંતુ ચોમાસાની વિદાય ટાણે હવે રોડ નવો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારે આ રોડનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશલ ચૌહાણે જણાવ્યું કે, લખતર - સદાદ - નાના અંકેવાળીયા 16 કિમીનો રોડ રૂ. 7.75 કરોડના ખર્ચે નવો બન્યો છે. લખતર - સદાદ - મોઢવાણા - નાના અંકેવાળીયા રોડનું કામ શરૂ હતું. જેમાં લખતર સ્ટેટ હાઈવેથી તળાવની પાળેથી પસાર થઈને મામલતદાર કચેરી સુધી પહોંચતો રોડ સીસી રોડ બન્યો હતો. જે ઠીક ચોમાસા પહેલા પૂરું કરવાની વાત હતી. પરંતુ બે તંત્રના સંકલનના અભાવે રોડનું કામ ઠીક ચોમાસા પહેલા જ શરૂ થયું હતું. જેના લીધે લખતરના રહીશોને એકાદ મહિના સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે અંતે આ રોડનું કામ સંપૂર્ણ થયું છે. લખતર બસ સ્ટેન્ડ સુધીનો સીસી રોડ નવો બની ગયો છે. રોડનું લોકાર્પણ ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજ વાઢેર, લખતર સરપંચ હીરાબેન વડોદરિયા હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:16 am

મારામારી:સમાધાન બાદ ફરી મારામારીમાં 5 લોકોને ઇજા, 11 સામે ફરિયાદ

સુરેન્દ્રનગર નવો 80 ફૂટ રોડ, ગાયત્રી પાર્ક સોસાયટી, મારૂતિપાર્ક સોસાયટી પાછળ રહેતા સાગરભાઈ મૂળજીભાઈ વાઘેલાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, વઢવાણ જીઆઈડીસી વિસ્તાર અલ્ટ્રા પાણીના કારખાના પાછળ સંતોષ પાર્ક સોસાયટી ખાતે પ્લોટ આવેલો છે. જે પ્લોટની બાજુમાં અરવિંદભાઇ રધુભાઇ જીડનું મકાન હોય અને તેના ફળીયામાં તથા દુકાનમાં સાગરભાઈની 50 વાર જમીનનું દબાણ હતું. તે બાબતે અગાઉ બોલાચાલી થયેલી અને સમાધાન થઇ ગયું હતું. ત્યારપછી આ અરવિંદભાઇ તથા તેના સગા સબંધીઓ સાથે મનદુ:ખ ચાલતું હોય અને રવિવારે સાગરભાઈના પ્લોટ (જમીન)માં ધાબુ ભરવાનું કામ ચાલુ હતું. તે વખતે આરોપી અરવિંદભાઇ કેમ રસ્તો બંધ છે તેમ કહી સાગરભાઈના પિતાને લાકડીનો ઘા માર્યો હતો. હેમુભાઇ તથા બાબુભાઇએ સાગરભાઈને ઇજાઓ કરી હતી. તેમજ અરવિંદભાઇના માતા તથા પત્નિએ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત કારમાં આવેલા ભવાનભાઇ તથા ખોડાભાઇએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં અરવિંદભાઈ જીડ, તેમના માતા, તેમના પત્ની, હેમુભાઈ, ભુવા, ભવાનભાઈ, ખોડાભાઈ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે અરવિંદભાઇ જીડે પણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, આજથી 3-4 મહિના પહેલા સાગરભાઈ વાઘેલાએ પ્લોટ બાબતે આશરે સમાધાન થઈ હતું છતાં મૂળજીભાઈ તથા સાગરભાઇ અરવિંદભાઇને એટ્રોસિટીના ગુનામાં ફીટ કરવાની ધમકી આપતા હતા. 12-10એ તેઓએ રસ્તો બંધ કરી કર્યો તો અરવિંદભાઇએ થોડી વાર માટે રસ્તો ખોલવાનું કહ્યું હતું. આથી મૂળજીભાઈએ અરવિંદભાઈ માથાના પાછળના ભાગે સળીયો મારી ઈજા કરી તેમજ સાગર તથા દિનેશભાઈ તથા મૂળજીભાઈના પત્નીએ અરવિંદભાઈને માર મારી, મારી નાંખવાની ધમકી આપી હતી. આથી પોલીસે સુરેન્દ્રનગરમાં રહેતા અને જસદણ પોલીસ મથકના પીએસઆઈ મૂળજીભાઈ વાઘેલા, સાગરભાઈ, મૂળજીભાઈના પત્ની અને દિનેશભાઈ સામે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:14 am

ઠંડીનો ચમકારો વધ્યો:10 વર્ષમાં ઓક્ટોબરની શરૂઆત સૌથી ઠંડી ગત વર્ષ કરતાં 4 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો ધીમેધીમે અસર બતાવી રહ્યો છે. ઓકટોબર બીજા સપ્તાહમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઠંડો દિવસ બની જવા પામ્યો છે. ઉત્તર-પૂર્વમાં જમ્મુકાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાથી શિતલહેર વધતાં સુરેન્દ્રનગર જિલ્લાને અસર વર્તાઇ રહી છે. ઓક્ટોબર મહિનાના ગત એક સપ્તાહની વાત કરીએ તો 7.2 ડિગ્રી તાપમાન વધઘટ થઇ ગયુ છે.જ્યારે ઓકટોબર 10 સુધીમાં છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા તાપમાનની સરખામણી કરાય તો વર્ષ 2025નો ઓકટોબર માસ સૌથી ઠંડો રહ્યો છે. સામાન્યત: આ દિવસોમાં જિલ્લાનું તાપમાન ઘટતુ નથી હોતુ અને મીશ્ર ઋતુનો અનુભવ થતો હોય છે. છે.સોમવારે લુઘતમ તાપમાન 22.3 અને મહત્તમ 35.5 ડિગ્રી નોંધાયુ હતુ. ભાસ્કર એક્સપર્ટહાલ ખેડ કરી રાખવું , ઠંડી વધે તો રવિ પાક માટે લાભ શિયાળુ સિઝન જળવાઇ રહે તો રવિ પાકોને જીરૂ, ચણાને ફાયદો થાય. ઠંડીના કારણે શાકભાજી, ફળો જેવા બાગાયતી પાકોને પણ લાભ થાય. આ વર્ષ સિઝન વહેલી ઠંડી પડી રહી છે પરંતુ ખેડૂતોએ વહેલુ વાવેતર ટાળવુ જોઇએ. હાલ ખેડ કરી રાખવુ જોઇએ અને રવિસીઝનની દર વર્ષ જે સમય વાવેતર થતુ હોય છે તે જ સમયે વાવેતર કરવુ જોઇએ. > જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી લઘુતમ પારો હજુ 4થી 5 ડિગ્રી ગગડી શકેજિલ્લામાં આમી એક સપ્તાહની વાત કરીએ તો લઘુતમ તાપમાન 17થી 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 થી 32 ડિગ્રી રહેવાની જ્યારે હવાની ગતિ 11 થી 18 કિમી અને ભેજનું પ્રમાણ 32 થી 54 ટકા રહેવાની આગાહી કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:13 am

પશુ પ્રેમીની અનોખી પહેલ:7 વાછરડા બાદ બાધાના અંતે ગાયને વાછરડી જન્મી એછવાડાના પરિવારે 40 કિલો પેંડા ભારે જોખી

દસાડા તાલુકાના એછવાડા ગામે જાદવ નિલેશભાઈ વશરામભાઈના ઘેર લગભગ 7 વાછરડા પછી બાધાને અંતે વાછરડી અવતરતા સમગ્ર પરિવારમા હરખનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આપણા પરિવારની ભાવના વસુધેવ કુટુંબ એટલે સમગ્ર પૃથ્વી એ મારું પરિવાર આ ભાવનાને નાડોદા પરિવારે સાચા અર્થમા ચરિતાર્થ કરી રહ્યું છે. જેમાં આ નાડોદા સમાજના પરિવારે દીકરાના જન્મની માફક વાછરડીના જન્મે ઉત્સાહપૂર્વક જન્મની વધામણી એના ભારોભાર પેંડાથી (40 કિલો) કરી સમાજમાં અનોખી પહેલ કરી છે એમ હર્ષદભાઈ ડોડીયા ગૌ પ્રેમી તેમજ વિરમગામ જિલ્લા ગૌ સંયોજક જણાવે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:07 am

સાંસદને કરાઈ રજૂઆત:વિજયનગરના પરોસડા ગ્રા. પંચાયતનું કામ અધૂરું મૂકતાં સાંસદને રજૂઆત

વર્ષો અગાઉ મનરેગા યોજનામાં કૌભાંડ આચરી બબ્બે તાલુકા વિકાસ અધિકારીઓને જેને કારણે જેલવાસ ભોગવવો પડ્યો હતો તે એજન્સીને જિલ્લા અને તાલુકાના અધિકારી ઓની મીલીભગતથી વિજયનગરની પરોસડા પંચાયતનું કામ અધૂરું મૂકતા સરપંચ અને સ્થાનિકો દ્વારા રાજ્યસભા સાંસદને રજૂઆત કરાઇ હતી. જેમાં આ એજન્સી દ્વારા ત્રણ વર્ષ અગાઉ પાયા ખોદી નાણાં ઉપાડી લીધા છતાં પણ કામ પૂરું ના કરતાં સ્થાનિક આગેવાનોમાં રોષ વ્યાઆપ્યો હતો. જે મામલે રાજ્યસભા સાંસદે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પંચાયત ભવનનું કામ તાકીદે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. વર્ષો અગાઉ વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીનામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરી બબ્બે તાલુકા વિકાસ અધિકારીઓ જેને લીધે જેલવાસ ભોગવ્યો હતો. તેવા અમૃતલાલ દેસાઈની એજન્સીને વિજયનગર તાલુકાની જર્જરિત ગ્રામ પંચાયતના ભવનો બનાવવાની કામગીરી સોંપાઇ હતી. જે એજન્સી દ્વારા તાલુકાની પરોસડા પંચાયતનું કામ અધૂરું મૂકતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગ્રમભાઈ મકવાણા, સરપંચ ધૂળીબેન મનજીભાઈ ભગોરા, પૂર્વ મનજીભાઈ ભગોરા, ભારતીય કિસાન સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સ્થાનિકો દ્વારા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને સોમવારે રજૂઆત કરાઇ હતી. આ મામલે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા એ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પંચાયત ભવનનું કામ તાકીદે પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:04 am

ભેંસની ચોરી:પ્રાંતિજના વડવાસાના ફાર્મમાંથી ભેંસની ચોરી થતાં ચકચાર

પ્રાંતિજના વડવાસાના ફાર્મમાં ભેંસની ચોરી કરી જતાં ચકચાર મચી હતી. તાજપુરકુઇ વિસ્તારમાં પશુ ચોરતી ટોળકી સક્રિય થતાં પોલીસ દ્વારા પંથકમાં પેટ્રોલિંગ વધારવા લોકો દ્વારા માંગ કરાઇ છે. ડેપ્યુટી સરપંચ કિરણસિંહ અને તેમની પત્ની સવારે ભેંસ દોહવા ગયા તો ખૂટે બાંધેલી ભેંસ નહીં દેખાતાં આસપાસ તપાસ કરતાં ખેતરમાં ડાલુ આવ્યાની જાણ થઇ હતી. આ અંગે પ્રાંતિજ પોલીસને કિરણસિંહ જાણવા જોગ ફરિયાદ કરી છે. તાજપુરકુઇ વિસ્તારમાં આસપાસના ગામડાઓમાં પશુઓની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:03 am

ખનીજ માફિયાઓ બન્યા નિરંકુશ:કાનડામાં ખનીજચોરી કરતાં વાહનો ઉપર કોઈ અંકુશ નહીં

હિંમતનગર તાલુકાની સરહદે થી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી ખનીજ ચોરી કરી નીકળતાં વાહનો ઉપર નિયંત્રણ લાદવા કાનડા ગ્રામ પંચાયતના સરપંચે દસેક દિવસ અગાઉ ખનીજ ચોરી કરીને ગામમાંથી પસાર થતાં વાહનો પર અંકુશ લાદવા ભૂસ્તરશાસ્ત્રીને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. કાનડા ગામના સરપંચ મનહરસિંહ ઝાલાએ જણાવ્યું કે ઇલોલ દેશોતર હાઇવે પર આવેલ કાનડા ગામ કડોલી સાથે જોડાયેલું છે. સાબરમતી નદી વિસ્તારમાંથી અસંખ્ય ખનીજ ચોરીના ટ્રકો ડમ્પર મોટા વાહનો ટ્રેક્ટર દિવસ અને રાત્રિ દરમિયાન કાયદા અને તંત્રનો ડર રાખ્યા વગર બેફામ બનીને કડોલીથી કાનડા જવાના સિંગલ પટ્ટી રોડ પર દોડતાં રહે છે. જ્યાં ભારે વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં ડમ્પરો દોડતાં હોવાથી ગામમાં શાળામાં જતાં બાળકો વૃદ્ધ પશુઓ રાહદારીઓ માટે જોખમરૂપ બની રહે છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અંકુશ લાદવા તા. 3-10-25ના રોજ ભૂસ્તરશાસ્ત્રીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:03 am

ચોરી:પલ્લાચરની સીમમાં વીજ ડીપીમાંથી કોપર ઓઈલની ચોરી

પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામની સીમમાં ખેડૂતના કૂવા બોર ઉપર લગાવેલ વીજ કંપનીના ડીપી બોક્સમાંથી કોપર વાયર અને ઓઈલની ચોરી થતાં ખેડૂતે પ્રાંતિજ યુજીવીસીએલ અને પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પલ્લાચર ગામની સીમમાં આવેલ ખેડૂતના કૂવા બોર ઉપર લગાવેલ વીજ કંપનીની ડીપી બોક્સનો ચોરોએ રવિવાર રાત્રિ દરમ્યાન કોઈપણ સમયે વીજ પુરવઠો બંધ કરી વીજ ડીપીનું બોક્સ નીચે ઉતારી કોપર વાયર અને ઓઈલની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:01 am

વાહનચાલકો થયા હેરાન:UGVCLના ગેટમાં 60 ફૂટની ટ્રક વળી ન શકતાં રસ્તો 8 કલાક બંધ

મહેસાણામાં યુજીવીસીએલ ગેટમાં 60 ફૂટની ટ્રક ટર્ન લઇને અંદર નહીં જઇ શકતાં આખો દિવસ રસ્તામાં પડી રહી હતી. જેથી ગાયત્રી ચોકડીથી માનવ આશ્રમ તરફ રસ્તો બંધ થઇ ગયો હતો. જ્યારે સામેની સાઇડ વન વે થતાં સવારે 9 થી સાંજના 5 સુધી 8 કલાક ટ્રાફિક રહ્યો હતો. આખરે આ ટ્રકને ગેટમાં અંદર જવા ટર્ન લઇ શકે તે માટે સામે ડિવાયડરના કટ સાંજે ખોલવામાં આવ્યા હતા. શહેરના ઝુલેલાલ સર્કલથી માનવ આશ્રમ સુધીના રસ્તાને મહાનગરપાલિકા આઇકોનિક બનાવી રહી છે. હાલ યુજીવીસીએલ- જેટકો સાઇડ પાર્કિગ, કેબલ ડકલાઇન અને ફુટપાથ ડેવલપ કરવા 4.5 મીટર જગ્યા લેવાઇ હોઇ વાહનોને પસાર થવા સાત મીટરનો રસ્તો રહ્યો છે. તો યુજીવીસીએલના ગેટનું કામ ચાલી રહ્યું છે અને તે માંડ 5 મીટરનો છે. સોમવારે આ સંકુલમાં 60 ફૂટની માલવાહક ટ્રક અંદર જવા ટર્ન નહીં લઇ શકતાં આખો દિવસ રોડ પર પડી રહી હતી. કારણ કે, યુજીવીસીએલ સામે ડિવાયડરનો કટ કર્બિગથી બંધ કરાયો છે. કટ બંધ થતાં ટર્ન લેવા હવે જગ્યા રહી નથી. જેટકો અધિકારીએ મનપામાં વાત કરી પછી આખરે આ ટ્રક યુજીવીસીએલ સંકુલમાં ટર્ન લઇ શકે તે માટે સાંજે ડિવાયડરના કર્બિન કાઢીને કટ ખુલ્લો કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

એર શોનું આયોજન:મહેસાણામાં 8 વર્ષ પછી 24મી એર-શો વિમાનોના વિવિધ કરતબો જોવા મળશે

મહેસાણા શહેરમાં 8 વર્ષ પછી દિવાળી બાદ, 24મી ઓ ક્ટોબરના રોજ એર-શો યોજાનાર છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા આકાશમાં વિમાનોના અદભૂત કરતબોનું પ્રદર્શન કરવામાં આવનાર છે. જે નિહાળવા સામાન્ય પ્રજા માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. મહેસાણામાં એર-શો કરવા સાંસદ હરિભાઈ પટેલે ગત 2 એપ્રિલે રક્ષામંત્રીને પત્ર લખ્યો હતો. સાંસદે જણાવ્યું કે, એર-શો માટે વાયુસેના દ્વારા મહેસાણાના 2 સ્થળોનું નિરીક્ષણ કરાયું છે. જે પૈકી એરોડ્રામ ખાતે એર-શો યોજાય તેવી શક્યતા છે. એર-શોના સમયને લઇ હાલ આયોજન ચાલી રહ્યું છે. વાયુસેના દ્વારા ટૂંક સમયમાં એર-શોનું સ્થળ અને સમય જાહેર કરાશે. જેમાં 9 હોક MK 132 વિમાનોને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડશે. 8 વર્ષ પહેલાં એક શો યોજાયો હતો. જેમાં નાના પ્લેન, ડ્રોન તથા મોટું 18 સિટર પ્લેન લેન્ડ કરાયું હતું. તથા પેરાગ્લાઈડિંગ, સ્કાયડાઈવિંગ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ટ્રેનનું સ્પીડ ટ્રાયલ યોજાશે:આજે આંબલિયાસ -વિજાપુર વચ્ચે 130ની ઝડપે ટ્રેન દોડાવાશે, લોકોને ટ્રેક પર નહીં જવા સૂચના

2 વર્ષ પહેલાં રૂ.415.38 કરોડના ખર્ચે વિજાપુર-આંબલિયાસણ વચ્ચેના 41.53 કિલોમીટર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરનું શરૂ કરાયેલું કામ અંતિમ તબક્કામાં છે. જે અંતર્ગત મંગળવારે સાંજે 6 કલાકે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા નવીન રૂટમાં સ્પીડ ટ્રાયલ હાથ ધરાશે. સાંજે 6 કલાકે આંબલિયાસણ-વિજાપુર વચ્ચે ટ્રેન દોડવાશે. આ ટ્રેનને ક્રમબખ્ધ રીતે પ્રતિ કલાકે 130 કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ લેવાશે. સ્પીડ ટ્રાયલને લઇ રેલવે વિભાગ દ્વારા રેલવેનું કામ કરી રહેલા કામદારો અને સ્થાનિક લોકોને રેલવે ટ્રેકની નજીક ન જવા, ટ્રેકને કોઇ પણ સંજોગોમાં ન ઓળંગવા તેમજ બાળકો અને પશુઓને રેલવે લાઈનથી દૂર રાખવા અપીલ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

યુરિયા ખાતર માટે રઝળપાટ:ગુજકોમાસોલ ડેપોમાંથી પૂરતો જથ્થો ન આવતાં યુરિયાનું મર્યાદિત વિતરણ, ખેડૂતોની લાંબી લાઇનો

શિયાળુ સિઝન શરૂ થતાં જ ખેડૂતો તમાકુ સહિતના વિવિધ પાકો માટે યુરિયા ખાતરની માંગ સામે મર્યાદિત થેલીઓ મળતા પાટણમાં ખેડૂતો વહેલી સવારથી જ ડેપો ખૂલે પહેલા લાઈનમાં ગોઠવાઈ રહ્યા છે. ડેપોમાંથી ખેડૂતોને 10 થેલીની જરૂરિયાત સામે માત્ર ત્રણ થેલી જ આપી રહ્યા હોઇ થેલીઓ માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી હોવાની રાવ કરી હતી. પાટણ નવા ગંજ બજારમાં ગુજકોમાસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે દુકાનો ખુલે તે પહેલાં કેટલાક ખેડૂતો સવારે 6:00 વાગ્યાથી જ આવી જતા 10:30 વાગે ડેપો ખુલે પહેલા 300થી વધુ ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ હોય છે. સોમવારે પણ ડેપો બહાર આવી લાંબી લાઈનો લાગી હતી. મર્યાદિત વિતરણથી ખેડૂતોને ભય છે કે જો પાકને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નહીં મળે, તો તેમના વાવેતરમાં નુક્સાન થશે. ગુજકોમાસોલમાંથી પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવતો ન હોવાના કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું ન હોવાનું ખાતર વિતરણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. 80 વર્ષેની ઉંમરે ખાતર લેવા લાઈનમાં કોટાવડના ખેડૂત નારણભાઇ પટેલે જણાવ્યું હતું કે તમાકુનું વાવેતર કર્યું છે.પાકના વિકાસ માટે ખાતરની જરૂર હોય છે.પણ મળતું નથી. સવારે 6:00થી લાઈનમાં ઊભા છીએ. 50 થેલી ખાતરની જરૂર છે. પરંતુ ત્રણ થેલી મળે છે. 9,950 મેટ્રિક ટનની જરૂરિયાત સામે 5000 મેટ્રિક ટન જથ્થો આવ્યો : નાયબ ખેતી નિયામકનાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આર ગામીએ જણાવ્યું હતું કે હાલમાં માત્ર દિવેલાના પાકમાં જ ખાતરની જરૂરિયાત હોય છે. પરંતુ દિવાળી પછી ખાતર નહીં મળે તેવું વિચારી ખેડૂતો તમાકુના પાક માટે અત્યારથી જ ખાતરની એક સાથે ખરીદી કરી રહ્યા છે. બીજો કોઈ ઇસ્યૂ નથી અને તે પણ માત્ર પાટણમાં જ છે બીજે ક્યાંય નથી. જિલ્લામાં 3200 મેટ્રિક ટન ખાતરનો જથ્થો છે. દરરોજ બેથી ત્રણ ગાડી આવે છે. સપ્લાય પ્લાન 9,950 મેટ્રિક ટનનો છે તેની સામે 5000 મેટ્રિક ટન જથ્થો આવ્યો છે. સપ્લાય પ્લાન પ્રમાણે ખાતર આવશે જ એટલે ખેડૂતોએ સ્ટોક કરવાની કોઈ જરૂર નથી. બે દિવસે એક ગાડી આવતા ત્રણ થેલી આપીએ છીએ : ડેપો‎ગુકોમાસોલ ડેપોના ઇન્ચાર્જ મેનેજર ભાવિન પટેલે જણાવ્યું હતું.કે ડેપો‎ખાતે જેમ ખાતર આવે છે.તે રીતે વિતરણ કરીએ છીએ.દરેક ખેડૂતને‎3-3 થેલી આપીએ છીએ.આ ચોથી ગાડી છે.દર બે દિવસે ગાડી આવે‎છે. તમાકુનું વાવેતર વધારે થયું હોય ખેડૂતોને ખાતરની વધારે જરૂર પડે‎છે.હાલમાં 400 થેલીનો સ્ટોક પડ્યો છે.‎

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

અરજદારોને મુશ્કેલી:પાટણ આરટીઓ કચેરીમાં સૉફ્ટવેર ખોરવાતાં ટેસ્ટ માટે અરજદારોને બે કલાક ઊભા રહેવું પડ્યું

પાટણ આરટીઓ કચેરીમાં સોમવારે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના વિભાગમાં નોંધણી માટેનું ઓનલાઈન સોફ્ટવેરમાં કોઈ ટેકનીકલ ક્ષતિને લઈ કામગીરી ખોરવાતા નવા અને રિન્યૂ લાઈસન્સ માટે આવેલા 200થી વધુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે ઓનલાઈન સોફ્ટવેરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ લગભગ બે કલાક સુધી રહેતા કામગીરી અટકી ગઈ હતી. બપોરે 1:00 વાગ્યા બાદ ફરી સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ થતાં એન્ટ્રી પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારબાદ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ હેવી વાહનના ટેસ્ટ આપનાર અરજદારોની કાર્યવાહી ધીમે ધીમે શરૂ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

કોંગ્રેસની માંગ:હારિજ શહેરમાં રોડ, પાણી અને રસ્તાની સમસ્યા હલ કરો

હારિજ શહેરમાં બિસ્માર રોડ, ગંદા પાણી અને ઉભરાતી ગટર જેવી સામાન્ય સુવિધાઓના અભાવે ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજી પાલિકા ખાતે આવેદન અપાયું હતું. મસ્જિદથી નીકળેલી રેલીમાં રજૂઆત કરાઈ કે તમામ વોર્ડના રસ્તાઓ ખરાબ છે અને ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાય છે, જેનાથી ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્ષ થતા લોકોના આરોગ્ય સામે ખતરો છે અને રોગચાળો ફેલાવવાનો ભય છે. કોંગ્રેસે ચેતવણી આપી કે જો રોગચાળો ફાટી નીકળશે તો તમામ જવાબદારી પાલિકાની રહેશે. રેલીમાં પ્રદેશ ડેલીગેટ ડો. ભગવાનભાઈ પટેલ, નીતિનભાઈ ઠક્કર, ધીરાજી ચૌહાણ, ભરતભાઇ પરમાર સહિતના નગરસેવકો અને કાર્યકરો જોડાયા હતા

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

NSUI દ્વારા કરાઈ રજૂઆત:યુનિવર્સિટીમાં કુલપતિ, રજિસ્ટાર સપ્તાહથી ગેજરહાજર, NSUIની કલેક્ટરને રજૂઆત

ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર સહિતની ટીમ મૈસુર યુનિવર્સિટીમાં પ્રવાસે ગયેલ હોઈ એક અઠવાડિયાથી યુનિવર્સિટીમાં હાજર ના હોઈ મુલાકાતે આવતા સંલગ્ન કોલેજોના સંચાલકો અને વિદ્યાર્થીઓના કામ અટકી પડ્યા હોવાની રાવ સાથે પાટણ NSUIએ શુક્રવારે યુનિવર્સિટી અને કલેક્ટરમાં આવેદન પત્ર આપી બંને જવાબદાર અધિકારીઓ એક સાથે ગેરહાજર હોઈ બાબતે સરકારમાં ધ્યાન દોરવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ગૌ ભક્તો દ્વારા 3 ગૌ રથનું પ્રસ્થાન:પાટણમાં ગૌહોસ્પિ ટલના લાભાર્થે ભાગવત કથાનું આમંત્રણ આપવા ગૌરથનું પ્રસ્થાન

પાટણના અનાવાડામાં કથાકાર રમેશભાઈ ઓઝા ગૌકથાનું રસપાન કરવાના છે. આ ધાર્મિક પ્રસંગ ભવ્ય બને તે માટે વાળીનાથ ચોકથી ત્રણ રથોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બાલિકાઓએ માથે કળશ ધારણ કરી ત્રણેય રથોનું સામૈયું કર્યું હતું. ગૌ ભક્તોએ ગૌમાતાની આરતી ઉતારી હતી. બાળ બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજ દ્વારા શ્રીફળ વધેરી સુરભી રથ, કપિલા રથ તથા દેવકી રથ એમ ત્રણ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. એક રથ ઊંઝા તાલુકામાં બીજો રથ સરસ્વતી અને ત્રીજો રથ પાટણ તાલુકામાં પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે મુકુંદ પ્રકાશ મહારાજે જણાવ્યું હતું કે, પાટણના આંગણે પૂજ્યકાંશી પીઠના શંકરાચાર્ય સહિત અનેક સંતોના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે. આ રથયાત્રા દરમિયાન દરેક ગામોમાં દરેક ને આમંત્રણ આપવામાં આવશે તથા ગામડાઓમાં બેનરો, સ્ટિકરો તથા આમંત્રણ પત્રિકાઓ નુંવિતરણ કરવામાં આવશે. કથાનું રસપાન કરવા માટે દરેકને અનાવાડા ગૌશાળા ખાતે લાવવા માટે ગ્રામ સમિતિ બનાવી ગામના યુવાનો તેનું આયોજન કરશે. રથયાત્રા દરમિયાન રાત્રે ભજન કીર્તન તથા ડાયરો યોજાશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

વિકાસના કામોનું ખાતમુહૂર્ત:દિવાળી પૂર્વે ચાણસ્મા નગરપાલિકા દ્વારા 5.34 કરોડના 44 કામોનું ખાત મુહૂર્ત કરાયું

ચાણસ્મા શહેરમાં દિવાળી પૂર્વે સુવિધામાં વધારો સાથે વિવિધ વિસ્તારોમાં રોડ અને ગટરની સમસ્યાઓ હલ કરવા માટે પાલિકા પ્રમુખ પ્રીતિ પટેલના હસ્તે રૂ. 5.34 કરોડના 44 કામોનું એક સાથે ખાત મુહૂર્ત કરાયું હતું. ચાણસ્મામાં નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આગામી સમયમાં થનાર સીસી રોડ, પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઇટ, શહેર બ્યુટી ફિકેશનના વિવિધ કુલ 5.34.કરોડ 44 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. શહેરની સુંદરતામાં વધારો કરવા માટે વોલ પેઇન્ટિંગ કરતા અને શહેરની સફાઈ કરતા સફાઈ કર્મચારીઓને સુરક્ષા કીટનું વિતરણ કરાયું હતું. વિકાસ ગાથાઓનું વર્ણન તથા સ્વચ્છતા અંગે નાગરિકોમાં જાગૃતિ આવે માટે સરદાર ચોક ખાતે શેરી નાટકનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉ.પ્ર આંસુકુમાર પટેલ, કારોબારી ચેરમેન શિલ્પા ડી ઠાકોર, ચીફ ઑફિસર પ્રેરક પટેલ, એસ.આઈ. તુષારભાઇ સિટી એન્જિનિયર વીરેન પટેલ, નિકુલ ઓઝા ઇજનેર દર્શનભાઈ, સુનિલભાઈ સનીભાઈ પટેલ હાજર હતા. 6 સ્થળે હાઇમાસ ટાવર, નવ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નખાશેશહેરમાં રસ્તાઓ ઉપર ઉજાશ માટે 18 મીટરના 6 સ્થળે લાઈટના હાયમસ ટાવર , નવ જેટલા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, આઠ જેટલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન, છ જેટલા સ્થળે વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ, શહેરના ખરવાડ તળાવ પાસે સંરક્ષણ દીવાલ તેમજ વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઇન, સીસી રોડ તેમજ પેવર બ્લોકના કામ થશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ખેડૂતો‎ની માંગ:સાંતલપુરમાં ભારે વરસાદથી ધોવાણ થયેલી ડિસ્ટ્રિક્ટ અને માઇનોર કેનાલનું સમારકામ કરો

સાંતલપુરમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદને લઈ તાલુકાના વિવિધ ગામો બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રોડ રસ્તા જમીનનું ભારે ધોવાણ થયું હતું. તેમાં નર્મદા વિભાગની ખેડૂતોને સિંચાઈના પાણી આપવાની ડિસ્ટ્રિક્ટ અને માઇનોર કેનાલોમાં પણ ભારે ધોવાણ થયું છે. કેનાલોમાં ધોવાણને લઈને પાળા તૂટી ગયેલા હોય વરસાદને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં આ કેનાલો હજુ સુધી રિપેર કરવામાં આવેલ નથી. જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી. ખેડૂતોને રવિ સિઝનમાં આ કેનાલ મારફતે પાણી છોડાયા પૂર્વે તાત્કાલિક ધોરણે રિપેરીંગ કામગીરી હાથ ધરીને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. વરણોસરીના ખેડૂત કરસનજી જાડેજાએ જણાવ્યું હતું કે નર્મદા ખાતાના અધિકારીને કેનાલ રિપેર કરવાનું કહેતા તેમણે કહ્યું કે પહેલા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશેઅને પછી કેનાલ રિપેર કરવામાં આવશે. ડિસેમ્બર મહિના પહેલા કેનાલમાં પાણી નહીં મળે તેમણે વધુમાં જણાવ્યું કે જો કેનાલો વહેલા ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને રવિ સિઝનમાં મોટું નુક્સાન થશે. કેનાલ દ્વારા માત્ર ચાર મહિના જ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ હેક્ટરે 1000 રૂપિયા લેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

રોડનું કરાયું રિસર્ફેસિંગ:પાટણમાં સુદામા ચોકડીથી રાજપુર રોડનું 3 કરોડના ખર્ચે રિસરફેસિંગ કામ શરૂ કરાયું, દિવાળી પૂર્વે પૂર્ણ કરવા પ્રયાસ

પાટણ શહેરમાં પ્રવેશ પોઇન્ટ સુદામા ચોકડીથી ચાણસ્મા તરફ રાજપુર સુધીનો 3 કિલોમીટરનો આ રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર બનતા ત્રણ કરોડના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય માટે આ વખતે દોઢ ફૂટ હાઈટનો આરસીસી નો રોડ તૈયાર કરવામાં આવશે. અંદાજે દિવાળી પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવા માટે સતત 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર સુદામા ચોકડીથી રાજપુર રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર બનતા સ્ટેટ હાઈવે ઓથોરિટી અને નેશનલ હાઇવે ઓથોરિટીની હદ વિસ્તારના વિવાદમાં રિપેરીંગ કામગીરી અટવાઈ પડતા વાહન ચાલકો બિસ્માર રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતા અને જેને લઇ વાહન અકસ્માતોની સંખ્યા પણ વધવા લાગી હતી. અંતે હવે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા 3 કરોડના ખર્ચે રિસરફેસિંગ અને ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

રખડતા શ્વાન દ્વારા હિંસક હુમલો:મોડાસાની પાવનસિટીમાં રખડતાં કૂતરાંએ બાળકી પર હુમલો કરી પગે ઊંડા ઘા કર્યા

મોડાસામાં રખડતાં કૂતરાંઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ચાર મહિના ઉપરાંત સમયથી રાજસ્થાનની ખાનગી એજન્સી રખડતાં કૂતરાંને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ પાવનસિટી રેસિડેન્સીમાં એક બાળકી ઉપર રખડતાં કૂતરાંએ હુમલો કરતાં તેને પગના ભાગે ઊંડા ઘા પડી ગયા હતા. નજીકમાંથી સ્થાનિકો દોડી આવતાં કૂતરો વધુ ઈજા પહોંચાડે તે પહેલા બાળકીનો બચાવ થયો હતો. ઘાયલ બાળકીને સારવાર અર્થે ખસેડાઇ હતી. મોડાસા શહેરના કસ્બા વિસ્તાર અને શહેરના અન્ય વિસ્તારોમાં અગાઉ રખડતાં કૂતરાંના ટોળાએ અનેક નિર્દોષ બાળકો ઉપર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. શહેરમાં રખડતાં કૂતરાંઓને પકડવાની માંગ ઉઠતાં પાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અને મુખ્ય અધિકારી ભદ્રેશ પટેલને વારંવાર રજૂઆત કરતાં પાલિકા દ્વારા રાજસ્થાનના ડુંગરપુરની ખાનગી એજન્સીને રખડતાં કૂતરાંઓને ઝડપવા કામગીરી સોંપતાં છેલ્લા 4 મહિના જેટલા સમયમાં શહેરના કસ્બા વિસ્તાર અને મુસ્લિમ સમાજની સોસાયટી વિસ્તારમાંથી તેમજ મેઘરજ રોડ ઉપરથી અત્યાર સુધીમાં 400 જેટલા રખડતાં કૂતરાંને ઝડપી તેમને ડુંગરપુર લઇ જવાયા હતા. આટલા કૂતરાંઓને ઝડપ્યા છતાં શહેરમાં હજુ પણ રખડતાં કૂતરાં બાળકો પર હુમલો કરવાની ઘટનાઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના મેઘરજ રોડ પર આવેલ પાવનસિટી રેસિડેન્સીમાં રહેતી બાળકી પર રખડતાં કૂતરાંએ અચાનક હુમલો કરી બચકાં ભરતાં બાળકીના શરીરે ઊંડા ઘા પડી ગયા હતા. બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો દોડી આવતાં બાળકીનો માંડ માંડ બચાવ થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

બદલી:અરવલ્લીમાં પ્રા.આ.કેન્દ્રના 18 મેડિકલ ઓફિસરોની બદલી કરાઇ

અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હસ્તકના જુદા જુદા પ્રા.આ.કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબી અધિકારી વર્ગ-2 ના 18 મેડિકલ ઓફિસરોની જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની મંજૂરીથી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ પરમાર દ્વારા આંતરિક બદલીના હુકમ કરાયા છે. જોકે 18 પૈકી 7 મેડિકલ ઓફિસરોની સ્વ વિનંતીથી તેમની માગણી મુજબ બદલીના આદેશ કરાયા છે. વડાગામ, ખેરાડી, વાંકાનેર, વાઘપુર, કસાણા, રામગઢી અને લસુડીયા સહિતના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરોની સ્વ વિનંતીથી તેમની માગણી મુજબ જિલ્લા આરોગ્ય અધિકારીએ બદલીના આદેશ કર્યા છે. મેઘરજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે અગાઉ ફરજ બજાવતા સીએચઓ છેલ્લા કેટલાય સમયથી સતત અનિયમિત રહેતા આરોગ્ય વિભાગ દ્વારા તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી સીએચઓની સેવા સમાપ્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

દુર્ઘટના:ખેડાના વડાલા પાટીયા પાસે ખાનગી કંપનીએ ઠાલવેલા કચરામાં આગ લાગતાં અફડાતફડી

ખેડા - અમદાવાદ હાઈવે ઉપર વડાલા પાટીયા પાસે ખુલ્લા ખેતરમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવેલ કચરાના ઢગલામાં રવિવાર મોડી રાત્રે આકસ્મિત આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. આગની ઘટના ની જાણ 112 નંબરમાં કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેડા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. વડાલા પાટીયા થી વડાલા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ અંબિકા પોલીમર્સ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં આ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને જે કચરો ટ્રેક્ટર મારફતે લાવીને ભેગો કરવામાં આવી રહ્યો છે. જે કચરામાં રવિવાર મોડી રાત્રે એકાએક આગ લાગી હતી આગ લાગેલ ઘટનાથી માત્ર 50 મીટરના અંતરે બી પી સી એલ ગેસ પ્લાન્ટ આવેલો છે. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો મોટી જાનહાની થઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. ખેડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખાનગી કંપનીઓ દ્વારા કેમિકલ વેસ્ટ કચરો હોય કે પછી કોઈ કેમિકલ પ્રવાહી હોય જેનો નિકાલ છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ તેમજ કેનાલો ની અંદર કરવામાં આવી રહ્યો છે તેમ છતાં જી પી સી બી દ્વારા કોઈપણ જાતના કંપનીઓ સામે પગલાં ભરવામાં આવતા નથી. કચરો લાવીને જાહેર રોડ ઉપર સળગાવવામાં આવતો હોવાથી હવામાં દુર્ગંધ પ્રદુષણ ફેલાય છે. અંબિકા પોલીમર્સના પ્રોડક્શન મેનેજર પ્રકાશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમારી અંબિકા પોલીમર્સ કંપનીનો કચરો નથી,

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

સુવિધા:દિવાળી પર્વને લઈ 1000 વધુ વધારાની બસોની ટ્રીપ દોડાવાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1000થી વધુ વધારાની એસટી બસોની ટ્રીપ દોડાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રતિ વર્ષની માફક ચાલુ શાલે દિવાળી તહેવાર દરમિયાન દાહોદ ગોધરા ઝાલોદ બારીયા અમરેલી સૌરાષ્ટ્ર કચ્છ તરફના મુસાફરોના ઘસારાની પહોંચી વળવા અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરથી તહેવારના સમય દરમિયાન અલગ અલગ સ્થળો એ જવા માટે 1000થી વધુ વધારાની ટ્રિપો નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેસતા વર્ષથી લાભ પાચમ સુધી અંબાજી પાવાગઢ સોમનાથ દ્વારકા સાળંગપુર બગદાણા જેવા ધાર્મિક સ્થળો એ જવા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા એસટી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેવું વિભાગીય નિયામક એસ.ટી અમદાવાદ જે. એન. પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

કામગીરી:દેત્રોજ ગ્રામ્યમાં વીજ તંત્રનું 35 જોડાણમાં ચેકિંગ : રૂ. 8 લાખની વીજ ચોરી પકડાઈ

યુજીવીસીએલ દેત્રોજ પેટા વિભાગની ટીમ દ્વારા દેત્રોજ અને માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી પકડવા ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ એસઆરપીના બંદોબસ્ત સાથે યુજીવીસીએલ કચેરીના 45થી વધુ વીજ કર્મચારીઓના કાફલા સાથે 15થી વધુ વાહનો લઈને 14 ટીમોએ વીજ ચોરી પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં કુકવાવ, હઠીપુરા, અશોકનગર, ભંકોડા, વાસણા, સિહોર, ડઢાણા, ઝાંઝરવા અને વિઠલાપુર સહિતના ગામોમાંથી ગેરકાયદે જોડાણો લઇને વીજ ચોરી કરતા લોકોના ઘર, મકાન સહિતના સ્થળેથી કુલ રૂપિયા 8 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ હતી.જેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ફરિયાદ:બોટાદમાં છુટાછેડાનો કેસ કર્યાની દાઝ રાખીને યુવકને માર માર્યો

બોટાદમાં કોર્ટમાં યુવકના પત્નિએ છુટાછેડાનો કેસ કરેલ હોય જેની દાઝ રાખીને ચાર ઈસમોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ મુળ બોટાદ સહકારનગરમા રહેતા અને હાલ બોટાદ રાધાકૃષ્ણ સોસાયટીમા રહેતા મહેન્દ્રસિંહ મનુભાઈ પરમાર ઉ.વર્ષ 25ના પત્નિએ બોટાદ નામદાર કોર્ટમા છુટાછેડાનો કેસ કર્યો હોય જેની દાઝ રાખી મહીપાલસિંહ પ્રતાપભાઈ ડોડીયા, પ્રહલાદસિંહ ડોડીયા બન્ને રહે. ચોકડી તા. બરવાળા, કાનો બળવંતભાઈ લિંબોલા રહે. ખસ અને એક અજાણ્યા ઈસમે મહેન્દ્રસિંહને માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે મહેન્દ્રસિંહે ચારેય ઈસમો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

તંત્રનો નવો પરિપત્ર:ફટાકડા વેચાવાનું શરૂ થઈ ગયા બાદ ફાયર અને પોલીસ વેપારીઓને લાઇસન્સ આપશે

દિવાળીને અઠવાડિયું બાકી છે અને શહેરભરમાં ફટાકડાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે તંત્રે નવો પરિપત્ર કર્યો છે કે, વેપારીઓએ ફટાકડાના વેચાણ માટે પોલીસનું લાઇસન્સ લેવું પડશે. અગાઉ એક પરિપત્ર બહાર પાડી ફટાકડા સંબંધિત લાઇસન્સ, રિન્યુઅલ અને ઈન્સ્પેક્શનનું કામ શહેર પોલીસને સોંપવામાં આવ્યું હતું. જોકે શહેરના પોલીસ અધિકારીએ પોલીસ વડાને પત્ર લખી કહ્યું હતું કે, આ ટેકનિકલ બાબત છે, જેનું કામ ફાયરવિભાગ કરી શકે છે. ફાયરવિભાગને આ બાબતની જવાબદારી આપવામાં આવે. જોકે હવે નવો પરિપત્ર બહાર પાડી જણાવાયું છે કે, ફાયર વિભાગ સ્થળ તપાસ કરી એનઓસી આપશે. આ અભિપ્રાય બાદ પોલીસ તરફથી વેપારીને ફટાકડાનું વેચાણ કરવાનું લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવશે. અગાઉની વિસંગતતાના કારણે ફાયરના અભિપ્રાય માટે માત્ર 7 અરજી આવી છે, જેના પર ફાયર વિભાગ આજથી કામ શરૂ કરશે અને તે સ્થળ તપાસ કરી અભિપ્રાય તૈયાર કરશે, જે પોલીસને અપાશે અને પોલીસ તેના આધારે લાઇસન્સ આપશે. દુકાનનું ક્ષેત્રફળ 500 ચોરસ મીટરથી ઓછું હોય તો આ ધ્યાન રાખવું પોલીસમાં અત્યાર સુધીમાં 179 અરજી આવીશહેરમાં ફટાકડાનો વેપાર કરતા નાના-મોટા 2600 વેપારીઓ સ્ટોલ લગાવે છે. છેલ્લા સમય સુધી થયેલી વિસંગતતાના પગલે શહેર પોલીસ પાસે કુલ 179 અરજી આવી છે, જેમાં હંગામી 39 અને કાયમી 140 અરજીનો સમાવેશ થાય છે. આ તમામ અરજીઓ પર પોલીસે તપાસ શરૂ કરી છે અને અભિપ્રાય મેળવીને લાઇસન્સ આપવાનું શરૂ કરશે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ફરિયાદ:સાત વર્ષની બાળકીને કૌટુંબિક કાકાએ પીંખી નાખી, ગુપ્ત-છાતીના ભાગે ઇજા

શહેરની ભાગોળે કુવાડવામાં રહેતી 7 વર્ષની બાળકી પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાંબો સમય સુધી નજરે નહી ચડતાં માતા તેને શોધવા નીકળી હતી, મહિલાને જોતા જ તેનો કૌટુંબિક શખ્સ બાળકીને મૂકીને ભાગી ગયો હતો, માતા પાસે જઇ બાળકી રડવા લાગી હતી અને તેના ગુપ્તાંગ સહિતના ભાગે ઇજાના નિશાન જોઇ બાળકીની માતાના પગતળેથી જમીન ખસકી ગઇ હતી. કુવાડવામાં રહેતી 30 વર્ષની મહિલાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવામાં જ તેના ઘર નજીક રહેતા તેના કૌટુંબિક દિયર 25 વર્ષના શખ્સનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે ચારેક વાગ્યે તેની 7 વર્ષની પુત્રી ભાગ લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, લાંબો સમય વીતવા છતાં પુત્રી પરત નહીં આવતાં મહિલા તેને શોધવા નીકળી હતી, મહિલાને આવતાં જોઇ મહિલાનો કૌટુંબિક દિયર બાળકીને મૂકીને નાસી ગયો હતો. કૌટુંબિક દિયર પાસે બાળકીનું હોવું અને અચાનક જ ભાગી જવું મહિલાને સહેજ પણ શંકાસ્પદ લાગ્યું નહોતું, પરંતુ માતાને જોતા જ બાળકી દોડીને તેને ભેટી પડી હતી, પુત્રીની સ્થિતિ જોઇ માતા સ્તબ્ધ થઇ ગઇ હતી, બાળકીના ગુપ્ત, ગળા અને છાતીના ભાગે ઇજાના નિશાન હતા, બાળકીને બચકાં ભર્યા હોય તેવું નિશાન પરથી લાગતું હતું, બાળકીએ રડતાં રડતાં માતાને કહ્યું હતું કે, કૌટુંબિક કાકાએ બાળકીને ભાગના બહાને પોતાના ઘરમાં બોલાવી શારીરિક અત્યાચાર કર્યો હતો, ઘટના અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતાં કુવાડવા પોલીસે નાસી છૂટેલા નરાધમને ઝડપી લીધો હતો, આરોપી અપરિણીત છે, અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરે છે. પોલીસે આરોપીની આગવીઢબે સરભરા કરી હતી. બાળકીની માતાને જોઇ જતાં નાસી ગયેલો આરોપી પકડાયો ભાગ લેવા નીકળેલી માસૂમને ઘરમાં લઇ જઇ કૃત્ય આચર્યું

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

રાશન વિતરણમાં મુશ્કેલી:પુરવઠા વિભાગમાં ફરી સર્વર ધીમું પડ્યું, અરજદારો કલાકો લાઇનમાં ઊભા રહ્યા

દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. બજારમાં તેની રોનક દેખાઈ રહી છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પોતાને મળવાપાત્ર રાશન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. મંગળવારે રાજકોટ શહેર-જિલ્લામાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન રહ્યું હતું. જેને કારણે લાભાર્થીઓ કલાકો સુધી હેરાન થયા હતા. સમયસર રાશનનો જથ્થો નહિ મળતા અનેક દુકાનોમાં રાશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગત સપ્તાહે પણ સર્વર ધીમું રહેતા અરજદારોને સમયસર પુરવઠો મળી નહોતો શક્યો. રાશનકાર્ડ ધારકોના જણાવ્યાનુસાર દર મહિને પુરવઠા વિભાગનું સર્વર ડાઉન રહે છે. ત્યારે તહેવારમાં સમયસર પુરવઠો મળી રહે તે જરૂરી છે. આ માટે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. જ્યારે દુકાનદારોએ જણાવ્યું હતું કે, સર્વર ડાઉન રહેવાથી અમારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમને પણ સમયસર કમિશન ચૂકવાતું નથી. આ સિવાય રાશન વિતરણ સિવાય અન્ય કામગીરી અમારા પર થોપી દેવામાં આવે છે.જે કામગીરી અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. સર્વર યોગ્ય નહિ ચાલતા અમારા પર પણ બોજો આવે છે. સર્વર વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે અનેકવાર અમે રજૂઆત કરી છે, પરંતુ કોઈ પરિણામ મળતું નથી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ફરિયાદ:રાજકોટના પત્રકારે RTIથી માહિતી માગતાં જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે રાજકોટના યુવકને ફોન કરી ગાળો ભાંડી ખૂનની ધમકી આપી હતી. રાજકોટમાં કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળની સાંઇ બાબા પાર્ક સોસાયટીમાં રહેતા પત્રકાર પુનિતભાઇ સુરેશચંદ્ર રાવલે (ઉ.વ.57) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધ્રોલના આશીફ અલ્લારખા જામીનું નામ આપ્યું હતું. પુનિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે 3 એપ્રિલના બીઆરસી કોર્ડીનેટર જોડીયાને સંબોધીને આરટીઆઇ કરી હતી અને તેમાં શિક્ષણ પ્રવૃતિમાં બાળકોને મળતી ગ્રાન્ટ અંગેની માહિતી માગી હતી, જેની સામે બીઆરસી કોર્ડીનેટરે અપુરતી માહિતી આપી હોવાથી પુનિતભાઇએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે અરજી કરી હતી. ગત તા.29 સપ્ટેમ્બરના સાંજે પાંચેક વાગ્યે પુનિતભાઇએ બીઆરસી કોર્ડીનેટર આશીફ અલ્લારખાને ફોન કરીને અપુરતી માહિતી મળ્યાની વાત કરી હતી, ત્યારબાદ તે રાત્રીના આશીફ અલ્લારખાએ ફોન કરીને પુનિતભાઇને કહ્યું હતું કે, ‘હું તારાથી બીતો નથી, અને જોડીયા તાલુકામાં તને જામી નામનો એક જ વ્યક્તિ મળ્યો’ તેમ કહી ગાળો ભાંડી હતી અને તું મને ભેગો થા એટલે તને મારી જ નાખવોછે તેમ કહી ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

મિશન આત્મનિર્ભર પ્રોજેક્ટ:મનોદિવ્યાંગ બાળકોએ 2500થી વધુ કોડિયા બનાવ્યા

શહેરના યુનિવર્સિટી, રવિરત્ન પાર્ક વિસ્તારમાં આવેલા મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2016થી કરવામાં આવી હતી. જે મનોદિવ્યાંગ દીકરા-દીકરીઓને અભ્યાસ પૂરો પાડે છે. જોકે સંસ્થા દ્વારા આ કામગીરી વર્ષ 2011થી જ હાથ ધરાઇ હતી. આ સંસ્થામાં હાલ 5 વર્ષથી લઇ 25 વર્ષ સુધીના કુલ 40 દીકરા-દીકરી છે. સંસ્થાના ઓનર કે જેમને ત્યાં મનોદિવ્યાંગ દીકરા મંત્રનો જન્મ થયો. તેના પરથી જ ફાઉન્ડેશનનું નામ મંત્ર રાખવામાં આવ્યું છે. અહીં બાળકોને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ, યોગા, મ્યુઝિક, ડાન્સ, કમ્પ્યૂટર, હેન્ડિક્રાફ્ટ સહિતની તાલીમ પણ આપવામાં આવે છે. દિવાળી પર્વને થોડાં જ દિવસો બાકી છે ત્યારે સંસ્થાના મિશન આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત સુપર મોમ સુપર કિડ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં બાળકોની સાથે તેના માતા-પિતાને કે દાદા-દાદીને સામેલ કરી રંગબેરંગી દીવડાં બનાવવામાં આવ્યા છે. જેથી બાળકોને દીવડાં બનાવવાથી લઇ તેને સેલિંગ કરવા કે હિસાબ-કિતાબ સુધીની દરેક વસ્તુઓ શીખી આત્મનિર્ભર બની શકે. સંસ્થાના સ્થળ પર સાંજે 2 કલાકનું સેલિંગ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે. નવરાત્રી પર 500થી વધુ ગરબા બનાવવામાં આવ્યા હતા જ્યારે હાલ દિવાળી પર્વ નિમિત્તે 20 દિવસમાં 2500થી વધુ કોડિયા તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય હેન્ડિક્રાફટની વસ્તુઓ જેવી કે, પગલા, લાભ-શુભ, નાના દીવડાં સહિતની વસ્તુઓ તૈયાર કરાય છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

અપીલ:દિવાળી પર સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી વેપારીની દીપાવલી ઝગમગશે: ઇન્દ્રભારતીબાપુ

દિવાળી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દીવડાં, લાઇટ, ડિજિટલ મીણબત્તી, ઘર સુશોભનની વસ્તુઓ, પૂજાઘર માટેની સામગ્રી સહિતની અનેક વસ્તુઓ ખરીદવા બજારોમાં ભીડ ઊમટી રહી છે ત્યારે જેમ બને તેમ આપણા દેશની સ્વદેશી વસ્તુઓ ખરીદવી જોઇએ. આ વિશે પંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ પણ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મનો મહાપર્વ એટલે દિવાળી જે નજીક આવી રહી છે ત્યારે દરેક હિંદુ પ્રજાને અપીલ કરવામાં આવી હતી કે, દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવીએ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇ પણ વસ્તુઓ ખરીદવાની હોય તે નાના કે ગરીબ માણસો પાસેથી ખરીદવી જોઇએ. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દ્વારા એવા પ્રયત્નો કરવા જોઇએ કે, આપણા લીધે કોઇ ગરીબ માણસોની દિવાળી સારી જાય. તેથી દરેક હિંદુ ધર્મના વ્યક્તિઓને અપીલ કરવામાં આવી હતી કે, ભારતમાં જ બનાવેલી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અહીંના વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઇએ. આ ઉપરાંત જેમ બને તેમ એવો પ્રયત્ન કરવો કે, આપણા યોગદાનથી નાના અને ગરીબ લોકોના ઘરે દીવા બળે, પ્રકાશ ફેલાય તથા દિવાળીના પર્વની સારી રીતે ઉજવણી કરી શકે તેવી લોકો પાસે અપેક્ષા રાખવામાં આવી છે. દિવાળી જ નહીં પરંતુ કોઇ પણ વસ્તુઓની ખરીદી કરવામાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્થાનિક ઉદ્યોગોને ટેકો મળે છે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. ઘણા સ્વદેશી ઉત્પાદનો કુદરતી સામગ્રીથી બનેલા હોવાથી પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે. દિવાળી તહેવારમાં સ્વદેશી વસ્તુઓ જેવી કે, માટીના દીવા, સ્થાનિક બનાવટની મીઠાઇ, ભારતીય હસ્તકલાથી બનેલી સુશોભનની વસ્તુઓ સહિતનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

ફરિયાદ:હરિપર પાળ ગામમાં ગરબી આયોજન બાબતના મનદુઃખમાં સામ-સામે ધોકા વડે હુમલો: 2 ઘવાયા

લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે ધોકા વડે સામસામે મારામારીના બનાવમાં બે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અગાઉ ગરબીના આયોજન બાબતે મનદુઃખ થયું હોઇ તેનો ખાર રાખી માથાકૂટ થઈ હતી. હરિપર પાળમાં રહેતા અને ખાનગી સ્કૂલની બસમાં ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વાળા(ઉં.વ.24) પર સાંજે ગામના જ નાજા ખીમજીભાઇ રાતડિયાએ ધોકા વડે હુમલો કરી માર મારતાં નાક પર કડું વાગી જતા નાકે શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષે હરિપર પાળના નાજા ખીમજીભાઇ રાતડિયા(ઉં.વ.25) ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે પોતાના પર ભાવેશ વાળા અને દિનેશ સહિતનાઓએ હુમલો કરી માર માર્યાનું રટણ કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. ભાવેશે જણાવ્યું હતું કે, મારો પિતરાઈ સતિષ દિનેશભાઈ વાળા વર્ષોથી ગરબીનું આયોજન કરે છે. આ વાત નાજાભાઇને ખટકતી હોઈ જે તે વખતે બોલાચાલી થઈ હતી અને મનદુઃખ થયું હતું. તે વાતનો ખાસ રાખી બે દિવસ પહેલાં યુવકનો ભાઈ સતિષ અવધ ખાતે સિક્યુરિટીની નોકરી ઉપર હતો ત્યાં જઈને નાજા સહિતના ઝઘડો કરી આવ્યા હતા. ગત સાંજે ફરીથી સતિષ સાથે આ લોકોએ બોલાચાલી કરતા ઝઘડામાં પોતે વચ્ચે પડતા ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસને બંને પક્ષોની વાતો ગળે ન ઉતરતા ખરેખર ક્યા કારણે માથાકૂટ થઈ હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

કરૂણાંતિકા:ભીમરાવનગરમાં 11 માસના બાળકને તાવ ભરખી ગયો

માંડાડુંગર ભીમરાવનગરમાં રહેતા મગનભાઈ બારૈયાના 11 માસના પુત્ર દેવાંશને ત્રણ દિવસથી તાવ આવતો હોઈ જેથી ઘર પાસે ખાનગી હોસ્પિટલમાંથી દવા લીધી હતી. દરમિયાન રવિવારે બાળકની તબિયત લથડતાં સારવાર અર્થે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં જ તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યા મુજબ દેવાંશને ત્રણ દિવસથી સખત તાવ રહેતો હોઈ તાવમાં સપડાયા બાદ માસૂમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં કુંભારવાડા શેરી નં.11માં રહેતાં રફિસાબેન બેગમશા અનવર સેફુદ્દીન શેખના 12 દિવસના બાળકને રાત્રે અચાનક મોઢામાંથી લોહી વહી જતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. એ-ડિવિઝન પોલીસ મથકના નરેશભાઈએ જણાવ્યા મુજબ, વહેલી સવારે બાળકની માતાએ સ્તનપાન કરાવવા ઉઠાડ્યો પણ બાળક હલન-ચલન કરતો નહોતો અને તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 4:00 am

કોમ્પ્લેક્ષ ભડકે બળ્યું:મોનાર્ક  સોની બજાર કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટનાથી મચી અફરાતફરી, એક વ્યક્તિનું નીપજ્યું મોત

રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તાર શેરી નંબર 10માં આવેલ મોનાર્ક સોની બજાર કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોનાર્ક કોમ્પ્લેક્ષમાં સૌથી ઉપરના મળે કારીગરી સોના ચાંદીના ઘરેણાં બફીંગ અને પોલીશ કરવાનું કામ કરતા હતા આ સમયે અચાનક આગ લગાવથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા 5 જેટલાં ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ, આ આગ લાગવાની ઘટના બની તે સમયે 7થી 8 જેટલા કારીગરો અંદર કામ કરતાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ પૈકી મોટા ભાગના કારીગરો સાથે સંપર્ક થઇ ચુક્યો હતો અને બધા સલામત રીતે બહાર આવી ગયા હતા. એક વ્યક્તિનો સંપર્ક ન થઇ શક્યો હોવાનું પેઢી માલિકે જણાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચ્યાઆગ લાગવાની ઘટના લગભગ રાત્રે 11.30થી 12 વાગ્યા વચ્ચે બની હોવાનું અને આગ લાગવાથી ગેસ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયા હોવાની માહિતી ચર્ચાઈ રહી છે. આગની દુર્ઘટનાની જાણ થતા સાથે જ ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા. બે કલાક જેટલો થવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાથી અરેરાટી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે, સોની બજારની શેરીઓ તમામ સાંકળી છે, તેથી ફાયર ફાઇટરને અહીંયા પહોંચવું મુશ્કેલ સાબિત થાય છે પરંતુ આમ છતાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Oct 2025 3:05 am

મુંબઈથી સોફ્ટવેર ડેવલોપર ઠગ ઝડપાયો:પરવત પાટિયાના જમીન દલાલને Club 21 મોલની ફ્રેન્ચાઇઝીના નામે 88.50 લાખનો ચૂનો

સુરત શહેરના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા એક જમીન-મકાન દલાલને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત જોઈને Club 21 ફ્રેન્ચાઇઝી લેવાના ચક્કરમાં 88.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. છેતરપિંડી આચરનાર ઠગ ટોળકીએ દલાલને 1 કરોડના રોકાણ સામે દર મહિને 9.80 લાખના તગડા પ્રોફિટની લાલચ આપી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપી સોફ્ટવેર ડેવલોપરને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. ફેસબુક પર જોઈ હતી જાહેરાતપરવત પાટિયાની શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના 55 વર્ષીય સંજય શંભુપ્રસાદ શ્રીવાસ્તવ જમીન-મકાનની દલાલીનું કામ કરે છે. સંજય શ્રીવાસ્તવ વર્ષ 2023 માં મોબાઇલમાં ફેસબુક જોઈ રહ્યા હતા, ત્યારે તેમણે CLUB 21 નામના મોલની ફ્રેન્ચાઇઝી આપવાની એક આકર્ષક જાહેરાત જોઈ હતી.જાહેરાતમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે CLUB 21 મોલ ખોલવાથી દર મહિને 9.80 લાખનો જંગી નફો થશે અને તેના માટે 1 કરોડનું રોકાણ કરવું પડશે. સમીર મલિક બનીને વિશ્વાસ કેળવ્યોઆ જાહેરાત જોઈ સંજય શ્રીવાસ્તવે તેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાને 2One Technologies કંપનીના માલિક સમીર મલિક તરીકે ઓળખાવ્યો હતો. સમીર મલિકે સંજય શ્રીવાસ્તવને જણાવ્યું કે, એક શહેરમાં એક જ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે, અને તેમને સુરત માટેની ફ્રેન્ચાઇઝી મેળવવાની તક આપી હતી. ત્યારબાદ તેણે કંપનીનું 50 પાનાંનું બ્રોશર મોકલ્યું હતું, જેમાં ફાઉંડર CEO તરીકે સમીર મલિકનો ફોટો અને Club 21 ફ્રેન્ચાઇઝીની વિગતવાર માહિતી હતી. આ બ્રોશર અને વાતોથી વિશ્વાસ આવતાં સંજય શ્રીવાસ્તવે ફ્રેન્ચાઇઝી લેવાનો નિર્ણય કર્યો હતો. 88.50 લાખની રકમ ટ્રાન્સફર કરી​​​​​​​સપ્ટેમ્બર 2023માં સંજય શ્રીવાસ્તવે જુદા-જુદા બેંક ખાતાઓમાં કુલ 88.50 લાખની રકમ ચૂકવી આપી હતી. પેમેન્ટ થઈ ગયા બાદ સમીર મલિકે પેપરવર્ક શરૂ થઈ ગયું હોવાનું અને ત્રણથી છ મહિનામાં દસ્તાવેજો તૈયાર થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું. જોકે, સમયગાળો પૂરો થવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સંજય શ્રીવાસ્તવે વારંવાર ફોન કર્યા, પરંતુ સમીર મલિકે ટાળમટોળ કરવાનું શરૂ કર્યું અને અંતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. છેવટે સંજય શ્રીવાસ્તવને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. મુંબઈથી સોફ્ટવેર ડેવલોપરની ધરપકડસાયબર ક્રાઇમ પોલીસે સંજય શ્રીવાસ્તવની ફરિયાદના આધારે 88.50 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની એક ટીમે બાતમીના આધારે ઠગ આરોપી સમીર હુસૈન મલિક (ઉં.વ. 30, રહે. મુંબઈ, વર્સોવા, મૂળ: રાજકોટ, જેતપુર) ને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપી સમીર મલિકે કબૂલાત કરી હતી કે, તે સોફ્ટવેર ડેવલોપર છે અને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ લોકો સાથે ઠગાઈ કરતો હતો. પોલીસે આવતીકાલે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ મેળવી આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરશે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:50 pm

જાણીતી શેર બ્રોકિંગ ફર્મ પર ITના દરોડા:પિપલોદના 4 ઠેકાણે તપાસ, ઓપ્શન ટ્રેડિંગના આંકડા લેવાયા

દેશભરમાં જાણીતી એક શેર બ્રોકિંગ ફર્મ સામે આવકવેરા વિભાગની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે ફર્મના અનેક ઠેકાણાઓ પર એકસાથે તપાસ હાથ ધરી છે, જેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. બપોર બાદથી સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય તેમજ જૂની ઓફિસ સહિત ચાર ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. અધિકારીઓ ખાસ કરીને શેર ટ્રાન્ઝેક્શન અને ઓપ્શન ટ્રેડિંગ સંબંધિત દસ્તાવેજો અને વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ તપાસનો વ્યાપ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ લંબાઈ શકે છે, જેનાથી શેર બજારના વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો વિભાગનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે. પિપલોદમાં મુખ્ય અને જૂની ઓફિસ પર તપાસઅમૃતસરથી આવેલી આવકવેરા વિભાગની ટીમ બપોર બાદ શહેરની આ જાણીતી શેર બ્રોકિંગ કંપનીની પિપલોદ સ્થિત આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ માટે પહોંચી હતી. આ ઉપરાંત, આ જ વિસ્તારમાં આવેલી કંપનીની જૂની ઓફિસ પર પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ સિવાય અન્ય બે ઠેકાણાઓને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.આવકવેરા વિભાગની ટીમ ખાસ કરીને કંપનીના શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત વ્યવહારોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી રહી છે. તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાશેઅધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર છે. ઓપ્શન ટ્રેડિંગમાં કરવામાં આવેલા વ્યવહારો અને તેમાં રહેલી કેટલીક બાબતો જાણવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે. તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ તપાસનો રેલો પંજાબ - અમૃતસર અને ગુજરાત- સુરતમાં પહોંચ્યો છે, પરંતુ આવનારા સમયમાં આ તપાસ અન્ય શહેરોમાં પણ પહોંચી શકે છે. નોંધનીય છે કે, અગાઉ અમૃતસરની આવકવેરા વિભાગની ટીમે જ અમદાવાદ ખાતે એક પોલિટિકલ પાર્ટીની સાથે સાથે ખોટી રીતે કપાત મેળવનારા લોકોના મામલે પણ તપાસ શરૂ કરી હતી. હવે શેર બ્રોકિંગ ફર્મ પરના આ દરોડા બાદ શેર બજારના વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે આવકવેરા વિભાગ સક્રિય બન્યું હોવાનું સ્પષ્ટ થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:19 pm

મોરબીના વાડી વિસ્તારમાં 313 લોકોને વીજ કનેક્શન મળ્યા:ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને PGVCL MDની દરમિયાનગીરીથી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા 313 લોકોને વીજ કનેક્શન આપવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ સાથે એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા, જે એક નવો ઇતિહાસ બન્યો છે. આ વાડી વિસ્તારમાં, જ્યાં મુખ્યત્વે સતવારા સમાજના લોકો વસવાટ કરે છે, તેઓને રહેણાંક મકાન માટે વીજ કનેક્શન મેળવવામાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. તેમણે સરકારમાંથી વિશેષ મંજૂરી મેળવી હતી, જેના પરિણામે આ સમસ્યાનો ઉકેલ શક્ય બન્યો. વિકાસ સપ્તાહ અંતર્ગત અને 'વન ઓવર વન કનેક્શન' અભિયાન હેઠળ, PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતનભાઈ જોષી આજે મોરબીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારોમાં રહેતા કુલ 313 લોકોને વીજ કનેક્શન આપવાની કાર્યવાહી કરવામાં આવી. વીજ કંપનીના અધિકારીઓએ બાકીના લોકોને પણ વહેલી તકે કનેક્શન મળી જશે તેવી ખાતરી આપી છે. આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:18 pm

બોટાદમાં ખેડૂતો પર અત્યાચાર વિરુદ્ધ રોષ:વેરાવળમાં AAPનું પ્રદર્શન, પોલીસે કાર્યકરોને ડિટેઇન કર્યા

બોટાદ ખાતે યોજાયેલી કિસાન મહા પંચાયત દરમિયાન ખેડૂતો પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં વેરાવળમાં આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને ડિટેઇન કર્યા હતા. વેરાવળના ટાવર ચોક ખાતે AAP ના કાર્યકરો કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા એકઠા થયા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતો સાથે થયેલા અન્યાય અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને અવાજ ઉઠાવતા રોકવામાં આવે છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે. આ પ્રદર્શન માટે અગાઉથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાથી, પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને અટકાવ્યા હતા અને તેમને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોનો મોટો જમાવડો થયો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:17 pm

લુણાવાડા નગરપાલિકામાં LED કૌભાંડ:5 હજારની વસ્તુના 55 હજાર ચૂકવાયાના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરોએ પ્રમુખ પર આક્ષેપ કર્યા; ટાઈમર સ્વીચમાં પણ ગેરરીતિનો આરોપ

લુણાવાડા નગરપાલિકામાં LED લાઇટ કૌભાંડ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ કૌભાંડનો અહેવાલ પ્રકાશિત કરાયા બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ તપાસની માંગ કરી હતી. હવે ભાજપના જ કોર્પોરેટરોએ ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને તેમના મળતિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના 10 કોર્પોરેટરોએ પાલિકામાં થયેલા કૌભાંડ અંગે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે નગરપાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓ પર ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો છે.LED કૌભાંડ ઉપરાંત, ટાઈમર સ્વીચમાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના ચોંકાવનારા આક્ષેપો કરાયા છે. કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર, જે ટાઈમર સ્વીચ બજારમાં 5,000 રૂપિયામાં મળે છે, તેના માટે 55,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 300 LED ખરીદી કૌભાંડ બાદ હવે આ ટાઈમર સ્વીચ કૌભાંડ સામે આવ્યું છે.ભાજપના કોર્પોરેટરોએ લેખિત અરજીમાં રજૂઆત કરી છે કે, તેઓ આ સમગ્ર બાબતથી અજાણ હતા અને તેમણે કોઈ પણ પ્રકારની સહીઓ કરી નથી. પાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓ દ્વારા કોર્પોરેટરોને અંધારામાં રાખીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પણ રજૂઆતમાં જણાવાઈ છે.આ સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટરોએ સઘન તપાસની માંગ કરી છે. અગાઉ કોંગ્રેસના સભ્યો દ્વારા પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. હવે ભાજપના જ કોર્પોરેટરો દ્વારા પોતાના પક્ષના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવતા પાલિકા શાસન અંગે સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા જેમની લુણાવાડાની અંદર બેનામી અને ગેરકાયદેસર સંપત્તિઓ આવેલી છે. આ સંપત્તિઓને બચાવવા માટે તેઓ પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમનો અસ્વીકાર કર્યો ત્યારે નાસી પાસ થઈ તેઓ પાયા વિહોણા આક્ષેપ કરે છે. LEDમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ થયું નથી. ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે. એમની કી ચીફ ઓફિસર દ્વારા હોય છે. એમાં પ્રમુખનો કોઈ રોલ આવતો નથી અને જે ટાઇમર સ્વીચોની વાત કરે છે તે હજુ સુધી કોઈ મારી પાસે આવ્યું નથી. અને મેં કોઈ એમાં સહી કરેલ નથી વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ વારંવાર આક્ષેપ કરે છે કોંગ્રેસનું કામ જ આક્ષેપ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીનું કામ ફક્ત વિકાસ કરવાનું છે. આ પાયા વિહોણા આક્ષેપો કરવાથી કોઈ મતલબ નથી. જો આમાંથી એક પણ આક્ષેપ મારા પર સાબિત થશે તો હું એ જ દિવસ જાહેર જીવન છોડી દઈશ એ હું ખાતરીપૂર્વક જણાવું છું. ભાજપના કોર્પોરેટરો એવું કીધું છે કે અમારી જાણ નથી પરંતુ ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરને નિગરાનીમાં થતી હોય છે. બીજું આવું કોઈ ખોટું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને હું જાતે થોડા દિવસની અંદર મારા સાત મહિનાના શાસનની વિજિલન્સ તપાસ માગવાનો છું. અને અગાઉના અઢી વર્ષના શાસનની પણ વિજિલન્સ તપાસ માગવાનો છું.આજ LED ભૂતકાળમાં 4900માં ખરીદાયેલી છે તેના આધાર પુરાવા અને બિલો, આગલા ત્રણ વખતની ખરીદીના બિલો હું તમને ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રજૂ કરીશ. ચીફ ઓફિસર અથવા જે પણ એજન્સી એ ખોટું કર્યું છે આમાં આક્ષેપ કરવામાં આવ્યો એના પેલા અમે નોટિસ કાઢવામાં આવી છે.રાકેશભાઈ 10 તારીખ આક્ષેપ કર્યો અમે 8 તારીખે નોટિસ કાઢી છે. જેતે એજન્સી એ ટેન્ડરની જરૂરિયાત મુજબની સામગ્રી નથી આપી તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને ફોજદારી કેસ કરવા સુધીના પગલા લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:12 pm

સુરતને મળશે 136મો બ્રિજ:ગોડાદરાના મહારાણા પ્રતાપ જંકશન પર 34.91 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજને મંજૂરી, 3 લાખ લોકોને થશે લાભ

સુરત શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ બ્રિજ નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. ગીચ વસ્તી ધરાવતા ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિકની ગૂંચ હળવી કરવા માટે શાસકોએ સોમવારે મહારાણા પ્રતાપ જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને લીલી ઝંડી આપી છે. આ બ્રિજનું નિર્માણ 34.91 કરોડના ખર્ચે થશે, જે પૂર્ણ થતાં પુણા પાટિયા અને ગોડાદરા-ડિંડોલી તરફ જતાં લાખો વાહનચાલકોને સીધો ફાયદો થશે અને મુસાફરી ઝડપી બનશે. 3 લાખ લોકોને થશે સીધો લાભસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ગોડાદરાના મહારાણા પ્રતાપ જંકશન પર પીક અવર્સ દરમિયાન ભયંકર ટ્રાફિક જામ સર્જાતો હતો, જેના કારણે સ્થાનિક લોકો ટ્રાફિકથી મુક્તિ માટે સતત માંગ કરી રહ્યા હતા. ગીચ વિસ્તારમાં વાહનોના ભારે ધસારાને કારણે ટ્રાફિક નિયમનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.આ બ્રિજથી લિંબાયત, પરવત અને ગોડાદરા વિસ્તારના આશરે 3 લાખ લોકોને દૈનિક ટ્રાફિકની સમસ્યામાંથી સીધો લાભ થશે. કાંગારૂ સર્કલથી ડિંડોલી સુધીના માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ બનશે. આ સૂચિત ફ્લાય ઓવરબ્રિજ 45 મીટર પહોળા મીડલ રિંગરોડને જોડે છે. તેની કુલ લંબાઈ 697 મીટર હશે અને તેમાં 2 લેનના 2 એપ્રોચ હશે, 2 લેન પુણા પાટિયા તરફ ઉતરશે. 2 લેનનો વધુ એક એપ્રોચ ગોડાદરા-ડિંડોલી તરફ ઉતરશે.આ બ્રિજ ઇન્ટરનેશનલ ટેક્સ્ટાઇલ માર્કેટથી શરૂ થઈને જોગાણી માતા ચોક BRTS બસ સ્ટેન્ડથી 70 મીટર આગળ પૂરો થશે. ટેન્ડર અને મંજૂરીની પ્રક્રિયાઆ બ્રિજ નિર્માણ માટે પાલિકાએ અગાઉ 41.35 કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર જાહેર કર્યા હતા. જોકે, બીજા પ્રયત્ને 3 એજન્સીઓ દ્વારા બિડ રજૂ કરવામાં આવી હતી. આ પૈકી 15.57% બિલો રજૂ કરાયેલ 34.91 કરોડની બિડને ટેન્ડર ફાળવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં વધારાના કામ તરીકે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સોમવારે મળેલી બેઠકમાં આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. સુરતમાં બ્રિજનું નેટવર્ક વિસ્તરશેઆ ફ્લાય ઓવરબ્રિજ સુરત શહેરનો 136મો બ્રિજ બનશે. બ્રિજિ સિટી તરીકે જાણીતા સુરતમાં હાલમાં 122 બ્રિજ ઉપયોગમાં છે અને અન્ય 14 બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 10:08 pm

હડદડ ઘટનામાં કોંગ્રેસ નેતાઓએ SPને રજૂઆત કરી:ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ AAP પર 'નાટક કંપની' હોવાનો આરોપ લગાવ્યો

બોટાદના હડદડ ગામની ઘટનાને લઈને કોંગ્રેસ મેદાનમાં આવી છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ આ મામલે પોલીસ અધિક્ષક (SP) ને રજૂઆત કરી હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી (AAP) પર 'નાટક કંપની' હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.આ રજૂઆતમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા , અને અન્ય કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે હડદડ ગામની ઘટના અંગે પોલીસ તંત્ર સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી તેની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે અને હડદડ ગામના સરપંચની મંજૂરી વગર પોતાની પ્રસિદ્ધિ માટે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યગુરૂએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, આ ઘટનામાં સામેલ 7 લોકો હડદડ ગામના હતા, જ્યારે બાકીના સુરેન્દ્રનગર અને રાજકોટ બાજુના હતા. પકડાયેલા વાહનો પણ અન્ય જિલ્લાના હતા, જે દર્શાવે છે કે AAP દ્વારા બહારથી માણસો લાવીને આ 'સ્ટંટ' કરવામાં આવ્યો હતો.તેમણે દાવો કર્યો હતો કે, 'કડદા' સંબંધિત પ્રશ્ન કોંગ્રેસના મિત્રો દ્વારા પહેલેથી જ ઉકેલી દેવામાં આવ્યો હતો. તેમણે AAP પર માત્ર 'નાટક' કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમને નથી લાગતું કે પોલીસ આમાં સામેલ હશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને AAP ના અન્ય નેતાઓને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આ 'નાટક' કેવી રીતે ભજવવામાં આવ્યું તે જાણે છે અને આ બાબતે ચર્ચા કરવા માટે તેઓ તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:53 pm

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો મામલો:મોરબી કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી માંગી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસ.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટનાને વખોડી કાઢી, આરોપી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ ઘટના સુપ્રીમ કોર્ટના પરિસરમાં બની હતી, જ્યાં એક વકીલ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ (જેઓ બીજા દલિત અને પ્રથમ બૌદ્ધ મુખ્ય ન્યાયાધીશ છે) પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ શરમજનક કૃત્યને જાતિ આધારિત દ્વેષપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન એડવોકેટ દીપક પરમારની આગેવાની હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અશ્વિનભાઈ પરમાર, ભાવિકભાઈ મુછડીયા, દિનેશભાઈ પરમાર, મહેશભાઈ લાધવા અને બળવંતભાઈ વોરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ રજૂઆત કરી હતી કે આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહીં, પરંતુ સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયની ગરિમા અને ભારતીય બંધારણના મૂળભૂત મૂલ્યો પરનો હુમલો છે. તેઓએ સવાલ ઉઠાવ્યો કે જો આઝાદીના 78 વર્ષ પછી પણ દેશના દલિત મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષિત ન હોય, તો દેશના દૂરના વિસ્તારોમાં રહેતા સામાન્ય દલિત પુરુષ કે સ્ત્રીની સુરક્ષાની સ્થિતિ શું હશે? આ ઘટના સમાજમાં રહેલા ઊંડા જાતિવાદી મૂળિયાને ઉજાગર કરે છે. કોંગ્રેસે આરોપીને તાત્કાલિક પકડી પાડી તેની સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ફરી દોહરાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:49 pm

સુરત સમાચાર:દિવાળી પહેલા કર્મચારીઓને બોનસ, નકલી માખણની આશંકાએ 78 કિલો જથ્થો સીઝ, 6 સ્થળો પર ઓડર કંટ્રોલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે

સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કર્મચારીઓને દિવાળીની ખરીદી માટે એડવાન્સ પગાર ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે. 18મી ઓક્ટોબરથી દિવાળી શરૂ થતી હોવાથી, ચાલુ મહિનાનો પગાર અને પેન્શન 16મી ઓક્ટોબર સુધીમાં ચૂકવી દેવામાં આવશે.સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જાહેરાત કરી કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. આ વર્ષે કુલ 12,495 વર્ગ-4ના કર્મચારીઓને બોનસરૂપે કુલ 8.63 કરોડની ચુકવણી કરવામાં આવશે. આ બોનસ હેઠળ દરેક કર્મચારીને 6,908 જેટલી રકમ મળશે. પેટા-પેન્શનરોને પણ 16મી ઓક્ટોબર સુધીમાં પેન્શન ચૂકવાશે. નકલી માખણની આશંકાએ 78 કિલો જથ્થો સીઝદિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની આશંકા વચ્ચે મહાપાલિકાના ફૂડ વિભાગે SOG પોલીસની ટીમ સાથે પુણાગામ અને યોગી ચોક વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડ્યા હતા. માખણમાં મિલાવટની બાતમી મળતાં પોલીસે ગજાનંદ પાર્ક સોસાયટીમાં આવેલી ખોડીયાર ડેરી એન્ડ બેકરી તથા યોગી ચોક વિસ્તારની સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ નામની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. ફૂડ ખાતાએ શંકાસ્પદ જણાતા 14,040ની કિંમતનો 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી દીધો છે. બંને ડેરીઓમાંથી માખણના જુદા જુદા બે નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ માખણનો જથ્થો વેચાણ માટે બંધ કરવામાં આવ્યો છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પખવાડિયામાં માવા, ઘારી, ઘી અને બિસ્કીટના નમૂના લેવાયા હોવા છતાં અત્યાર સુધી માત્ર માવાનો જ રિપોર્ટ આવ્યો છે, જેમાં એક નમૂનો દુલ્લભ માવાવાલાનો ફેલ ગયો હતો. ઘી, ઘારી અને બિસ્કીટના સેમ્પલોના રિપોર્ટ હજી બાકી છે. ગટરની દુર્ગંધ રોકવા 23 કરોડનો ખર્ચ અને ડ્રેનેજ નેટવર્કનું વિસ્તરણશહેરમાં ગટરના પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધની સમસ્યાથી લોકોને મુક્તિ અપાવવા મહાપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. અઠવાલાઇન્સ, પાલ-પીપલોદ, રૂંઢ અને નવાગામના ગટરના પાણીને ટ્રીટ કરતાં પમ્પિંગ સ્ટેશનોમાં એકત્રિત થતાં સ્લગથી ફેલાતી દુર્ગંધ રોકવા માટે 6 સ્થળો પર ઓડર કંટ્રોલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.પ્લાન્ટમાં કામ કરતી ટીમને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની અસરથી બચાવવા માટે પણ આ સિસ્ટમ જરૂરી છે. આ 6 પ્લાન્ટ પર સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજિત 23.17 કરોડનો ખર્ચ નક્કી કરાયો છે. મંગળવારે મળનારી ડ્રેનેજ સમિતિની બેઠકમાં આ ખર્ચના અંદાજની મંજૂરી પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, સરથાણા ઝોનમાં નવા સમાવિષ્ટ અબ્રામા, ઉમરા અને વેલંજામાં ગટર નેટવર્કના અભાવે ખાડીમાં છોડવામાં આવતા ગંદા પાણીથી થતું નુકસાન અટકાવવા પણ તૈયારી થઈ છે. અબ્રામા ખાતે 19.10 MLD ક્ષમતાનું સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ, રાઇઝીંગ લાઇન અને આગામી 5 વર્ષના ઓપરેશન પાછળ 22.63 કરોડના ખર્ચનો અંદાજ છે, જેના ટેન્ડરને મંજૂરી આપવા પર ડ્રેનેજ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે.કોટ વિસ્તારના બદ્તર રસ્તાઓના તાત્કાલિક રિપેરિંગની માંગએક તરફ મહાપાલિકા કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ કોટ વિસ્તારના રસ્તાઓની દયનીય હાલત સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. છેલ્લા ચાર મહિનાથી સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારના મુખ્ય રસ્તાઓ જેમ કે બેગમપુરા, સલાબતપુરા, મહિધરપુરા, ગોપીપુરા, નાનપુરા, હરિપુરા, ચોકબજારથી ભાગળ, રેલવે સ્ટેશન રાજમાર્ગ અને મજુરાગેટથી કોટ્સફિલ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. પૂર્વ કોર્પોરેટર અસદ કલ્યાણીએ સ્થાનિકો સાથે મહાપાલિકા ખાતે આવીને કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે રસ્તાઓની કામગીરીમાં તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. તેમણે તાત્કાલિક ધોરણે આ વિસ્તારના રસ્તાઓનું રિપેરિંગ કાર્ય શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:47 pm

હળવદમાં વિજ્ઞાન જાથાની કાર્યવાહી સામે લોકોમાં રોષ:ચેરમેન જયંત પંડ્યા સામે કાર્યવાહીની માંગ, SPને આવેદન

હળવદ શહેરમાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા મોગલ માતાજીના મંદિર ખાતે પોલીસ સાથે કરવામાં આવેલી કાર્યવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મોગલ માતાજીમાં આસ્થા ધરાવતા લોકો દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના ધાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલફળીમાં ભુવા ફિરોજભાઈ સંધિના ઘરની અંદર મોગલ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા અને વિશ્વાસ સાથે દર્શનાર્થે આવે છે. થોડા સમય પહેલા, ગત 7 ઓક્ટોબરના રોજ મંગળવારે, ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ પોલીસ સાથે આ સ્થળે પહોંચી હતી. તેમણે ભુવા ફિરોજભાઈને જણાવ્યું હતું કે તેઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને દર્શને આવતા લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે. જોકે, ભક્તજનોનો દાવો છે કે ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. લોકો સ્વયંભૂ રીતે મંદિરે દર્શન કરવા, આરતીમાં ભાગ લેવા અને પ્રસાદનો લાભ લેવા માટે આવે છે. જાથા દ્વારા ભુવા વિશે ખોટી વાતો કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. જાથાની આ પ્રવૃત્તિથી ભક્તજનોની લાગણી દુભાઈ છે. આથી, જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ વેળાએ રમેશભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, રામભાઈ રબારી સહિતના આગેવાનો અને ભુવા ફિરોઝભાઈ સંધિ સહિતના લોકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:40 pm

પૂર્વ મહિલા કોર્પોરેટરની ભાણી 50,000ના દારૂના જથ્થા સાથે ઝડપાઈ:ઉધના રેલવે સ્ટેશન પાસેથી દારુ ખરીદી રસોડાના પ્લેટફોર્મ નીચે છુપાવ્યો હતો, ઘરેથી દારૂનું વેચાણ કરતી

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસ સ્ટેશનના સ્ટાફે બુટલેગર વિરુદ્ધ ખાસ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન નવાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂના જથ્થા સાથે પકડાયેલ મહિલા લિંબાયતના પૂર્વ મહિલા કોર્પોરેટર સુમન પાટીલની બહેનની દીકરી એટલે ભાણી હોવાનું સામે આવ્યું છે. લિંબાયત પોલીસ મુજબ આ મહિલા પૂર્વ કોર્પોરેટરના ઘરની બિલકુલ બાજુમાં જ દારૂનું વેચાણ કરી રહી હતી. મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતીલિંબાયત પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી કે નવાનગરના પ્લોટ નં. 95માં રહેતી છાયાબેન નામની મહિલા પોતાના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને બોલાવીને કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પહોંચતા પોલીસને એક મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલી મળી આવી હતી. પોલીસે તેને કોર્ડન કરીને પકડી પાડી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ છાયાબેન દગડુભાઈ પાટીલ (ઉ.વ. 43, રહે. નવાનગર, લિંબાયત, મુળવતન ધુલીયા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. રસોડામાંથી મળી આવ્યો દારૂનો જથ્થોમહિલાની તલાશી લેતા તેના પાસેથી કંઈ મળ્યું ન હતું, પરંતુ વધુ પૂછપરછમાં તેણીએ સ્વીકાર્યું કે તેના મકાનમાં દારૂનો જથ્થો રાખેલો છે. પોલીસે મકાનના રસોડાના પ્લેટફોર્મ નીચે તપાસ કરતા બે થેલીઓમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની કાચની બોટલો તથા બીયર ટીન મળી આવ્યા હતા.પોલીસે કુલ 181 નંગ દારૂ-બીયરના પેકેટ્સ મળીને રૂ. 49,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યું કે આ દારૂ ઉધના રેલવે સ્ટેશન પાસે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. મહિલા સામે ગુનો નોંધી આવતીકાલે હાજર થવા નોટિસ આપીપૂર્વ કોર્પોરેટરના ઘરની બાજુમાં વેચાણસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આરોપી મહિલા છાયાબેન એ પૂર્વ કોર્પોરેટર સુમન પાટીલની બહેનની દીકરી એટલે ભાણી છે અને તે કોર્પોરેટરના ઘરની બાજુમાં જ રહીને દારૂનું વેચાણ કરતી હતી.લિંબાયત પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ કલમ 120 હેઠળ આરોપી મહિલા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહિલાને આવતીકાલે હાજર થવા માટે નોટિસ આપી છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:40 pm

હડદડ ઘર્ષણમાં અટકાયત કરાયેલા નિર્દોષોને મુક્ત કરવા SP ને રજૂઆત:બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખે પોલીસ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી

બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.મયુરભાઈ પટેલે જણાવ્યું કે, ગામના સરપંચ અને આગેવાનોએ તેમને રજૂઆત કરી હતી કે હડદડ ગામની ઘટનામાં કેટલાક નિર્દોષ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે, જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પોલીસ વડા (SP) ને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. તેમણે નિર્દોષ લોકોને મુક્ત કરવા અને આ ઘટનામાં જે લોકો ખરેખર દોષિત છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:38 pm

વડોદરા ક્રાઈમ ન્યૂઝ:ગોરવા કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, ટાસ્ક પૂરા કરવાના બહાને ઠગોએ IOCLના એન્જિનિયર પાસેથી 28 લાખ પડાવ્યા

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં કેનાલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને કેનાલના કિનારે તરતો મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક મહિલાએ લાલ રંગની સાડી પહેરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ગોરવા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેમણે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસે અજાણી મહિલાના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે અને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ઠગોએ IOCLના એન્જિનિયર પાસેથી 28 લાખ પડાવ્યાવડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને આઇઓસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા કર્મચારીને રૂપિયા ભરીને ટાસ્ક પૂરા કરશો તો સારું એવું વળતર મળશે તેમ કહી રૂપિયા 28.53 લાખ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા. જે તેમની લીંકમાં કમિશન સાથે રૂપિયા 74.07 લાખ બતાવતા હોય એન્જિનિયર ને વિશ્વાસ આવ્યો હતો. શરૂઆતમાં માત્ર રૂ. 22 હજાર પરત કર્યા હતા જ્યારે બાકીના 28.30 લાખ રૂપિયા ઉપાડવા માટે કહેતા વધુ રૂપિયા ભરવા માટેનું કહેતા તેઓને પોતાની સાથે ઠગાઈ થઈહોવાનો અહેસાસ થયો હતો જેથી તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવી છે. બાઈક ચોર પકડાયા​​​​​​​વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 માસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 14 બાઈકની ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં ધર્મેશભાઇ ઉર્ફે ધમો કિરણભાઇ બારીયા અને વિજયભાઇ ઉર્ફે જીગો ઉર્ફે કાળીયો નગીનભાઇ બારીયાનો સમાવેશ થાય છે. તેઓ ડુપ્લિકેટ ચાવીથી પાર્કિંગમાંથી ચોરી કરીને 5થી 10 હજારમાં વેચતા હતા. પોલીસે 14 બાઇક, 2 મોબાઇલ, કુલ કિંમત રૂ. 4.16 લાખ રૂપિયનો મુદ્દામાલ જપ્ત કર્યો છ. રાવપુરા, માંજલપુર સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં 14 ગુના ડિટેક્ટ થયા છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:34 pm

અમદાવાદમાં અકસ્માતની બે ઘટના:જમવાનું લેવા નીકળેલા બે યુવકોનો અકસ્માત, એકનું મોત; હાથીજણમાં અજાણ્યા વાહનની ટક્કરથી વૃદ્ધનું મોત

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે યુવકો જમવાનું લેવા નીકળ્યા હતા. બંને યુવકો બાઇક પર જમવાનું લેવા નીકળ્યા હતા. જ્યારે તેઓ ઉજાલા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક ફુટપાથ પર ચઢી જતા સ્લીપ થઈ ગયું હતું. બાઇક સ્લીપ થઈ જતા બંને યુવકોને ઇજા પહોંચી હતી. બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બાદ એક યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય ઘટનામાં હાથીજણ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી એક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. ફુટપાથ પર બાઇક ચઢાવી દેતા સ્લીપ થઈ પહેલી ઘટનામાં મોરૈયા ખાતે રહેતા કિર્તીકુમાર રાઠોડ વેરહાઉસમાં નોકરી કરે છે. ગત રવિવારે કિર્તીકુમાર તેના મિત્ર ચિરાગ પરમાર સાથે બાઇક પર મોરૈયાથી સરખેજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યા હતા. બંને યુવકો ઉજાલા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફુટપાથ પર બાઇક ચઢાવી દેતા બાઇક સ્લીપ થઇ જતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે ખસેડાયા બાદ ફરજ પરના ડોક્ટરે ચિરાગ પરમારને મૃત જાહેર કર્યો હતો. એસજી-2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મોતજ્યારે અન્ય ઘટનામાં અમરાઇવાડીમાં રહેતા 74 વર્ષીય અમૃતભાઇ પટેલ ગત રવિવારે પોતાનું વાહન લઇને વિવેકાનંદનગર જવા નીકળ્યા હતા. હાથીજણ ગામ પાસે પહોંચતા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તે રોડ પર પટકાતા તેઓનું મોત નિપજ્યુ હતું. ત્યારે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:32 pm

ધારાસભ્યોની ભલામણ ને દુકાનો ખુલી:શહેરમાં હલકી કક્ષાનો માવો પનીર વેચતી દુકાનો સીલ બાદ પણ બહાર વેચાણ, 75 હજાર વહીવટી ચાર્જ લઈ દુકાન શરૂ

દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ, નમકીન અને માવા વગેરેના વેપારીઓના ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી માવાની દુકાનમાંથી લેવામાં આવેલા નમુના ખાવા લાયક ન હોવાના (સબ સ્ટાન્ડર્ડ) હોવાનું સામે આવતા ચાર દુકાનોને સીલ કરવામાં આવી હતી. જોકે એક દુકાનદાર દ્વારા દુકાન સીલ કરાયો હોવા છતાં બહાર રોડ ઉપર માવાનું વેચાણ ચાલુ રાખ્યું હતું. ખાવા લાયક ન હોવા છતાં આ દુકાન માલિકે આ પ્રકારે બહાર વેચાણ શરૂ કર્યું હતું, ત્યારે આવા વેપારીઓની દુકાન બોલાવવા માટે બે ધારાસભ્યોએ પણ કોર્પોરેશનના અધિકારીને ભલામણ કરી હતી. જેથી છેવટે 75 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ લઈને દુકાનના સીલ ખોલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. માવાના અને પનીરના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયાશહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ચાર જેટલી માવાની દુકાનોના માવાના અને મલાઈ પનીરના નમુના AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. જે ખાવા લાયક ન હોવાનું એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી મ્યુનિ. દ્વારા આ 4 દુકાનો સીલ કરવામા આવી હતી. જોકે દુકાનદાર દ્વારા દુકાનની બહાર ટોલ લગાવીને તેમજ એક્ટીવા ઉભુ રાખી તેમાં માવો લઇ વેચાણ ચાલુ કર્યું હતું. આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને પણ આવી હતી જે અંગે ફૂડ વિભાગના અધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ. શહેરના બે ધારાસભ્યોની ભલામણ બાદ દુકાનો ખોલાઈજોકે આ દુકાનો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવું ખાવા લાયક ન હોવાનું વેચાણ કરતા હોવા છતાં પણ સીલ મારી અને બાદમાં બહાર વેચાણ કરતા હતા. જે દુકાનોના સીલ ખોલાવવા માટે અમદાવાદના બે ધારાસભ્ય દ્વારા અધિકારીને ફોન કરવામાં આવ્યા હતા. આ દુકાનદારોને હાલ તહેવારોના સમયે હેરાન નહી કરવા અને તેમની દુકાનો ખોલી આપવા તેમજ માવાનો ધંધો કરવા દેવા માટે સુચનો કર્યા હતો. બીજી તરફ જરૂર જણાય તો આ દુકાનદારો ઉતરતી ગુણવત્તાનો માલ નહી વેચે તેવી લેખીત બાંહેધરી લઇ લેવા માટે પણ સુચના આપી હતી. ફૂડ વિભાગ દ્વારા લેખિત બાહેધરી અને રૂપિયા 75,000 નો વહીવટી ચાર્જ લીધા બાદ દુકાન ખોલી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:26 pm

સાળંગપુર હનુમાન મંદિર બહાર ફેરિયાઓને બેસવાની જિલ્લા મેજીસ્ટ્રેટની મનાઈ:લોકોને અગવડ અને ઉપદ્રવને લઈને નિર્ણય, કોર્ટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ આપ્યા

ગુજરાત હાઇકોર્ટમાં બોટાદથી 29 લોકોએ અરજી દાખલ કરી હતી. જેમનું કહેવું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને તેમને મંદીર બહારના રોડ ઉપર વસ્તુઓ વહેંચવા 2 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,જેને દૂર કરવામાં આવે. તેઓ પૂજાપો અને પ્રસાદ સહિતની વસ્તુઓ વેચીને પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે. હવે દિવાળી આવી રહી છે, ત્યારે તેમને રોકવામાં આવે તો તેમના ઘરનું ગુજરાત ખૂબ જ મુશ્કેલ બનશે. જિલ્લા મેજીસ્ટ્રેટને પબ્લિક ન્યુસેન્સ અટકાવવા માટે પગલા લેવાની સત્તા છેસરકારી વકીલે જણાવ્યું હતું કે, મંદિરના પ્રવેશ દ્વાર પાસે અરજદારો પ્રસાદ ભંડાર ચલાવતા હતા. આ રોડને બે મહિના માટે કોર્ડન કરાયો છે. ત્યાં કેટલુંક ન્યુસંસ થતું હતું. જિલ્લા મેજીસ્ટ્રેટને પબ્લિક ન્યુસેન્સ અટકાવવા માટે પગલા લેવાની સત્તા છે. મંદિરે આવતા ભક્તોના બહોળા હિતને જોતા આ નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓને તકલીફ પડતા અને ન્યુસંસ સર્જાતા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મુખ્ય રોડ છે અને પબ્લિક લો એન્ડ ઓર્ડરની વાત છે. અરજદારોને ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ અરજદારે જણાવ્યું હતું કે, અહીં તેઓ 30થી 40 વર્ષથી જુદી-જુદી વસ્તુઓનું વેચાણ કરીને રોજગારી મેળવતા હતા. ઓથોરિટી આ જાહેરનામું નહીં લંબાવાની બાહેધરી આપે. હા કેટલાક ન્યુસન્સને લઈને FIR પણ થઇ છે. આ દિવાળીનો સમયગાળો છે, જેમાં અરજદારો કંઈક કમાણી કરી શકે. હાઇકોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને રદ કરે, તેઓ આ માગે કોઈ પણ શરતો માનવા તૈયાર છે. કોર્ટે કહ્યું હતું કે, તમારો તે જગ્યા ઉપર શું હક્ક છે ? વળી જાહેરનામું ફક્ત બે મહિના માટે બહાર પાડ્યું છે. તમે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરો, ઓથોરિટી તમારી રજૂઆત ઉપર દસ દિવસમાં નિર્ણય આપશે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:26 pm

રાજકોટ સમાચાર:દિવાળી પૂર્વે રાજકોટ યાર્ડમાં મબલખ આવક: યાર્ડમાં કપાસ અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ

દિવાળીનાં તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસીઓ લઈને ઉમટી રહ્યા છે. આજરોજ પણ જણસીઓની મોટી આવક નોંધાઈ હતી. જેમાં આજે એક જ દિવસમાં 700થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં મુખ્યત્વે સોયાબીન, કપાસ, જીરું અને સફેદ તલનો સમાવેશ થાય છે. આજના દિવસની જણસીઓની અંદાજિત આવકનાં આંકડા જોઈએ તો સોયાબીનની આવક 35000 મણ, કપાસની આવક 32000 મણ, જીરુંની આવક 10200 મણ અને સફેદ તલની આવક 12000 મણ થઇ હતી. ઉપરની તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં વ્યવસ્થિત ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન, ડિરેક્ટર સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર વિસ્તારમાં બલેનો કારમાં અચાનક આગ લાગતા ફાયરની ટીમેં મિનિટોમાં કાબુ મેળવ્યો રાજકોટનાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.1 ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે બલેનો ગાડીમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગમાં થતાની સાથે કાલાવડ રોડ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ દોડી ગયો હતો. મળતી માહિતી અનુસાર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે ગાડી બલેનો ગાડીમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં સ્થાનિકો દ્વારા બે એક્સ્ટિંગ યુઝર થીનથી આગ બુઝાવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ત્યારબાદ ફાયરનાં સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મનપાને 3.46 કરોડની આવક: શિવ ટાઉનશિપની તમામ 12 દુકાનોની હરરાજી પૂર્ણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી શિવ ટાઉનશિપની કુલ 12 દુકાનોની આજે હરરાજી યોજવામાં આવી હતી, જેમાં તમામ દુકાનોનું વેચાણ થયું હતું. હરરાજીમાં મનપાને રૂ. 3,46,00,000 ની આવક થઈ છે. હરરાજી સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોરે 2:00 વાગ્યા સુધી ચાલી હતી. આ હરરાજીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ માટે મનપાએ પ્રાઇઝ રૂ. 3,28,25,000 રાખ્યું હતું. સૌથી વધુ બોલી 19.82 ચોરસમીટરની દુકાન નં. 02 માટે રૂ. 57,00,000ની બોલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા બે અલગ-અલગ ટાઉનશિપની દુકાનોની હરરાજી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ શિવ ટાઉનશિપની આજે હરરાજી કરવામાં આવી હતી. શરૂઆતમાં અપસેટ પ્રાઈઝ કરતાં ઓછી બોલી બોલાઈ હતી, પરંતુ પછી તમામ 12 દુકાનોનું વેચાણ થઈ ગયું હતું. મનપાને આ વેચાણથી નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરાયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રેસકોર્સ ખાતે વિકાસ સપ્તાહ-2025' અંતર્ગત સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે મનપાના બાંધકામ, ડ્રેનેજ અને વોટર વર્કસ વિભાગના કુલ 13 વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 7.41 કરોડ છે. સાથે જ, શહેરી વિકાસ વર્ષ 2025ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ રાજકોટ વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના વિકાસ મંત્ર થકી રાજકોટ ભારતનું ઓટોમોબાઇલ હબ બનવામાં મોટો ફાળો આપી રહ્યું છે અને સ્પેર-પાર્ટસ મેન્યુફેક્ચરિંગમાં રાજકોટનું યોગદાન ગૌરવની વાત છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં આગામી સમયમાં રાજકોટને મની, મેનપાવર, મશીનરી અને મોબોલિટી' ની મદદથી વધુ પ્રગતિવાન અને લિવેબલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં 286 કિલોમીટરના રસ્તાઓના રિસર્ફેસિંગ અને એશિયાટીક લાયન સફારી પાર્ક, આઇકોનીક મલ્ટીલેયર બ્રિજ સહિતના નવા પ્રોજેકટો સામેલ છે. સાથે લિવેબલ રાજકોટની થીમ સાથે વર્ષ 2025-26 માટે રૂ. 3000 કરોડનું બજેટ અમલમાં મૂકવામાં આવ્યું છે. આજી-1 ડેમ ઓવરફલો થતા બંધ થયો, 4 ગામોને ચેતવણી, વરસાદી પાણીની આવક સદંતર બંધ થઈ તાજેતરમાં જ ઓવરફલો થયેલો રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ હવે ઓવરફલો થતા બંધ થયો છે. અને ડેમ પૂર્ણ, સપાટીએ ભરાયો છે. સિંચાઈ વિભાગે ડેમ હેઠવાસનાં ચાર ગામોને ચેતવણી સંદેશ આપ્યો છે. રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-1 ડેમ હાલ પૂર્ણ સપાટી 147.52 મીટર સુધી ભરાયેલો છે. હાલ વરસાદી પાણીની આવક ઘટતા ડેમ ઓવરફ્લો બંધ થયો છે. આ સાથે રાજકોટના બેડી ઉપરાંત મનહરપુર, રાજકોટ, રોણકી થોરાળા ગામને સાવચેત રહેવા ચેતવણી સંદેશ જાહેર કરાયો છે. ડેમમાં હાલ પાણીની આવક-જાવક શૂન્ય હોવાનું જિલ્લા પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:22 pm

દિવાળી પર્વ અન્વયે ગોહિલવાડમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે કમર કસી:ચાર ગંભીર પ્રકારના ગુનાઓ માટે SPએ નંબર જાહેર કર્યો, 7874627874 આ નંબર પર ડાયરેક્ટ એસપીના અન્ડરમાં રહેશે

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા એસપી આવ્યા મેદાને ભાવનગર શહેર જિલ્લામાં આવનાર દિપોત્સવ પર્વ અન્વયે કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. દિવાળી પર્વ આજે હવે ફક્ત સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા સાથોસાથ પર્વની ઉજવણી કરવા માટે નીકળતા હોય છે ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે આગોતરા પગલાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા લેવામાં આવ્યા છે ચોરી મારામારી છેડતી સહિતના ગંભીર અપરાધિક બનાવો ન બને તે માટે પોલીસ જવાનોને ખાસ પ્રશિક્ષણ સાથે ફરજપર તૈનાત કરવામાં આવનાર છે આ ઉપરાંત નાના વેપારીઓ આવારા તત્વો અને લુખ્ખાગીરીનો ભોગ ન બને તે માટે પણ વિશેષ પગલાં સાથે જિલ્લા પોલીસવાળા નો સીધો જ સંપર્ક કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે ડ્રગ્સ મહિલા સુરક્ષા અને વ્યાજખોરો સામે સિદ્ધિ જ રજૂઆત જિલ્લા પોલીસવાળાને કરી શકાય તે માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ભીડભડવાળા સ્થળે મહિલા તથા પોલીસ જવાન સિવિલ ડ્રેસમાં ચાંપતો બંદોબસ્ત જાળવશે દિવાળીના દિવસો અને વેકેશનના સમયમાં ઘરફોડ ચોરી સહિતના બનાવો નિવારવા માટે નગરજનોને સતર્ક રહેવા સાથે પોતાના ઘરમાં રહેલ કીંમતી ઝણસો દર દાગીના અને રોકડ બેંક લોકરમાં મુકવા ભલામણ કરવામાં આવી છે ઉપરાંત ફરવા જતી વેળાએ સીસીટીવી ની વ્યવસ્થા કરવા અને નજીકના પોલીસ મથકે જાણ કરવા પણ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે દિવાળી પર્વને લઈને જિલ્લા પોલીસ વડાએ વેપારીઓ સાથે પણ મિટિંગ બેઠકનું આયોજન કર્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અનુરોધ પણ કર્યો હતો. આ અંગે SP નિલેશ પાંડેયએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ​ખાસ ચોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જેનો કંટ્રોલ મારા પાસે જ હશે. આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. જેમાં કોઈપણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય, બાતમી હોય, ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ થાય છે. તેમજ છેડતી બાબતે અગર ઈશ્યુ હોય બહેનને તો એ આ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. તેમજ વ્યાજવટાઉની કોઈ પણ ફરિયાદ હોય તો પણ મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકાય, WhatsAppમાં એક મેસેજ મૂકી શકાય, અમે એના રિપ્લાય આપીશું, તથા નાનામાં નાના વેપારી, લારીવાળા પણ, અગર કોઈ લુખ્ખા એને હેરાન કરે છે, તોડ કરવાના ઈરાદેથી તો આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકે છે. જેનો નંબર 78 74 62 78 74 જાહેર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:16 pm

વલસાડમાં 1,508 બોટલ દારૂ સાથે 4 ઝડપાયા:પારડી પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા, વધુ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના સેગવી કોસ્ટલ હાઇવે પરથી 11 ઓક્ટોબરની રાત્રીએ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 4 મોપેડમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 6.23 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 1,508 નાની-મોટી ઇંગ્લીશ દારૂ અને બીયરની બોટલો, 4 મોપેડ, 4 મોબાઇલ ફોન તથા રોકડા રૂ. 6,720નો સમાવેશ થાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં રોહીતભાઈ સુનીલભાઈ પટેલ (ઉં.વ. 28, માનેક ટેકરી, પારડી), વસલભાઈ જનકભાઈ રબારી (ઉં.વ. 25, વૈશાલી પાર્ક, વલસાડ), હાદીકકુમાર રમેશભાઈ પટેલ (ઉં.વ. 26, માલવણ ગામ) અને ભાવીનભાઈ હરેશભાઈ નાયકા (ઉં.વ. 18, રોખીડયા તળાવ, વલસાડ)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દમણથી વિદેશી દારૂનો જથ્થો વલસાડ તરફ લાવી રહ્યા હતા. રેડ દરમિયાન બે વ્યક્તિઓ સફેદ રંગની મોપેડ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સાગર, અરૂણ , સમર બહાદુર યાદવ અને સપુ (બિલીમોરા) નામના દારૂ સપ્લાયરોના નામ ખુલ્યા છે. SMCની ટીમે આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી હતી. પારડી પોલીસે SMCની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય 7 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 9:09 pm

ગિરનાર પર ગુરુ ગૌરક્ષનાથ મંદિરનો પૂજારી જ પાપી નીકળ્યો:'કમાણી વધારવા એક કાંડ કરવાનો છે' કહી મૂર્તિને પર્વત પરથી ધક્કો માર્યો, ષડ્યંત્રને આ રીતે આપ્યો અંજામ

સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાનો જૂનાગઢ પોલીસે ભેદ ઉદેલી નાખ્યો છે. આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર (પુજારી) નીકળ્યો. જેણે પોતાની કમાણી વધારવા અને લાઈમલાઈટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે. CCTV, CDR અને FSLની મદદથી તપાસજૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના બાદ રેન્જ આઈજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ, ગિરનાર રૂટ, રોપ-વે અને અન્ય જગ્યાઓના કુલ 156 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ માટે 10 ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડવામાં આવી. ગિરનાર તળેટી અને પર્વત પરના ટાવર ડ્રમ અને લોકેશનના આધારે 500થી વધુ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બની તે સમયે રોપ-વેમાં ગયેલા 170 જેટલા લોકોની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તળેટીની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરાઈ હતી. આ પણ વાંચો:- ગિરનાર પર્વત પર ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તોડફોડ મંદિરનો કાચ તોડવાથી લઇને મૂર્તિ નીકાળવા સુધીનો ડેમો કરાયોતપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ 50 કિલો વજનની મૂર્તિ તૂટેલા કાચમાંથી નીકળવી શક્ય નહોતી. પોલીસે આ શંકા દૂર કરવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી. જેવો કાચ તોડાયો હતો, તેવો જ નવો કાચ લગાવી અને તેટલા જ વજનની બીજી મૂર્તિ મંગાવીને સમગ્ર ઘટનાનો ડેમો કરવામાં આવ્યો હતો. ડેમોમાં સાબિત થયું કે, મૂર્તિને કાચ તોડીને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ હતી. આ બાબતે પોલીસની શંકા દૃઢ બની કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિનું જ છે. કિશોર કુકરેજાએ રમેશને કહ્યું કે 'આપણે એક કાંડ કરવાનો છે'પોલીસને શંકાસ્પદ જણાતા રમેશ ભટ્ટ જે ત્રણ મહિના પહેલાં સેવાદાર હતો અને ફોટોગ્રાફી કરતો હતો તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. રમેશ ભટ્ટની કબૂલાત કરી કે તા. 4 ઓક્ટોબરની સાંજે આરતી પૂર્ણ થયા બાદ પગારદાર સેવાદાર કિશોર કુકરેજાએ રમેશ ભટ્ટને કહ્યું કે 'આપણે એક કાંડ કરવાનો છે'. સાંજે 7:30 વાગ્યા બાદ કિશોર કુકરેજાએ મુખ્ય મંદિરમાંથી એક લોખંડનો પાઇપ લીધો અને ગૌરક્ષનાથ મંદિરના સાઇડના કાચને તોડી નાખ્યો. ત્યારબાદ પાઇપ પાછો મૂકીને મંદિરને તાળું મારી દીધું અને રમેશ ભટ્ટને 9:00 વાગ્યા બાદ જાણ કરવાનું કહ્યું હતું. રાત્રે 9:30 વાગ્યા બાદ કિશોર કુકરેજાએ પોતાની પાસેની ચાવીથી મંદિરનું તાળું ખોલ્યું અને બંને જણા મળીને ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને બહાર કાઢી હતી. ત્યારબાદ બંને શખસોએ મૂર્તિને ઊંચકીને પર્વત પરથી ધક્કો મારી દીધો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. મૂર્તિ તોડી જગ્યાની બદનામી અને કમાણી વધારવાનો હેતુપોલીસ તપાસમાં બહાર આવ્યું કે, પગારદાર સેવાદાર કિશોર કુકરેજા મંદિરના દાનના રૂપિયામાંથી પણ કટકી કરતો હતો. તેણે રમેશ ભટ્ટને કહ્યું હતું કે, જો કંઈક મોટો કાંડ કરીએ તો મોટો ધમાકો થશે. આ ઘટના બનવાથી ભાવિકોની સંખ્યામાં વધારો થાય, કિશોર કુકરેજા લાઇમલાઇટમાં આવે અને તે જે રૂપિયાની કટકી કરતો હતો તેમાં પણ વધારો થાય, તેવા આશયથી તેણે આ ધર્મદ્રોહનું કૃત્ય કર્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીપોલીસે બંને આરોપીઓ રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજાની ધરપકડ કરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ બીજા જ દિવસે સાધુ-સંતો અને વહીવટી તંત્રની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:58 pm

રાતના 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે:રાજ્ય સરકારે દિવાળીએ ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજ્ય સરકારે દિવાળીએ ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે.રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. તેમજ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:58 pm

પ્રિ. એમ. સી. શાહ કોલેજને બંધારણ ક્વિઝમાં દ્વિતીય સ્થાન:GLS ફેકલ્ટી ઓફ લૉ દ્વારા આયોજિત સ્પર્ધામાં કોલેજનું ગૌરવ વધાર્યું

પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની ક્વિઝ ટીમે GLS Faculty of Law દ્વારા 11 સપ્ટેમ્બર, 2025ના રોજ આયોજિત ભારતીય બંધારણ ક્વિઝ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ટીમને રૂ. 5000/- નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ લૉ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ એકમાત્ર કોમર્સ કોલેજ તરીકે હાજર રહી, જે ખાસ નોંધપાત્ર બાબત છે. ક્વિઝ ટીમમાં હર્ષ રાજ સોલંકી, હર્ષરાજ રાઠોડ અને ધીરજ દિવાકરનો સમાવેશ થાય છે.ટીમના સફળ માર્ગદર્શન માટે ઇવેન્ટ કો-ઓર્ડીનેટર્સ ડો. હેતલ દોશી અને ડો. બીના પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. આ સમગ્ર પ્રવૃત્તિ પ્રિન્સિપાલ ડો. એન. ડી. શાહના દિશાદર્શન હેઠળ યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:58 pm

YFLO અમદાવાદે સ્મૃતિ ઈરાની સાથે 'લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ' યોજી:મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ પર પ્રેરણાદાયી સંવાદ કર્યો

YFLO અમદાવાદ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે 'લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. YFLO અમદાવાદ 2025-26ના ચેરપર્સન નેહા ગોયલના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ તેમની કારકિર્દી અને સામાજિક યોગદાન અંગે સંવાદ કર્યો. સ્મૃતિ ઈરાનીએ તેમની શરૂઆતની કારકિર્દીથી લઈને સામાજિક વિકાસમાં તેમના પ્રભાવશાળી કાર્ય સુધીની યાત્રા શેર કરી. તેમણે ન્યુટ્રિશન ટ્રેકર જેવી પહેલો અને કોવિડ રોગચાળા દરમિયાન PPE કીટના ઉત્પાદનમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે દ્રઢતા, હેતુ અને પસંદગીની શક્તિ પર ભાર મૂક્યો. આ સંવાદનું સંચાલન YFLO અમદાવાદ 2025-26ના ચેરપર્સન નેહા ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે એક સહજ વાતાવરણ બનાવ્યું, જેનાથી ચર્ચા માત્ર એક ઇન્ટરવ્યુ પૂરતી સીમિત ન રહેતા, ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ વિચારોની આપ-લે બની. સ્મૃતિ ઈરાનીએ ઉપસ્થિત સૌને યાદ અપાવ્યું કે સાચી શક્તિ એક માનસિકતા છે. તેમણે મહિલાઓને બીજાની મંજૂરીની રાહ જોયા વિના પહેલા પોતાને પસંદ કરવા અને પોતાના નિર્ણયોમાં અડગ રહેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે પ્રશ્ન કર્યો, આપણે ફક્ત એટલા માટે અલગ રીતે કેમ વિચારીએ છીએ કારણ કે આપણે મહિલાઓ છીએ? શા માટે ફક્ત પોતાને પસંદ ન કરીએ અને આપણા પોતાના જેવા જ બનીને રહીએ? તેમના શબ્દોએ ઘણી મહિલાઓને પ્રભાવિત કરી. આ સેશને દરેક પ્રતિભાગીને પોતાનો અવાજ સ્વીકારવાની, પોતાના નિર્ણયોમાં દ્રઢ રહેવાની અને સાચા નેતૃત્વ સાથે આગળ વધવાની પ્રેરણા અને હિંમત આપી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:56 pm

સિંહ દર્શન માટે કેવી રીતે થતો બ્લેક બુકિંગનો ખેલ?:12,800 પરમિટનું ગેરકાયદે વેચાણ કર્યું, ટિકિટ દીઠ ત્રણ ગણા ભાવ વસૂલતા, અમદાવાદ-જુનાગઢના 3 શખ્સ ઝડપાયા

ગુજરાતના સિંહદર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટો કૌભાંડ બહાર આવ્યો છે. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ girlion.gujarat.gov.inનો દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં ત્રણ ગણા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ, ગાંધીનગરની ટીમે સાસણગીર અને અમદાવાદમાંથી ત્રણ શખ્સોને ઝડપ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12,800થી વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હતી. પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરીને આ ટોળકીએ નકલી વેબસાઇટો મારફતે ટિકિટોનું વેચાણ કરી બ્લેક બુકિંગનો મોટો ખેલ ખેલ્યો હતો. ખોટી ઓળખ આપીને એડવાન્સમાં સફારી સ્લોટ બુકિંગ કરી લેતાસાયબર સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હતા. જેમાં આરોપીઓ ખોટી ઓળખ આપીને સરકારી વેબસાઇટ પર કોઈપણ નામ લખી અને આધાર કાર્ડની જગ્યાએ ખોટા ફોટાનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટાપાયે બલ્કમાં સફારી સ્લોટ બુકિંગ કરી લેતા હતા. ખાનગી વેબસાઈટો પર બેથી ત્રણ ગણા ભાવે કન્ફર્મ ટિકિટ વેચતાઆ બલ્ક બુકિંગના કારણે સામાન્ય પ્રવાસીઓ માટે પરમિટની કૃત્રિમ અછત ઊભી થતી હતી. આરોપીઓ પોતાની ભળતા નામવાળી 9 અનઅધિકૃત ખાનગી વેબસાઇટો મારફતે પ્રવાસીઓ પાસેથી સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણો કરતાં બેથી ત્રણ ગણા વધારે ભાવે આ કન્ફર્મ ટિકિટોનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા. મહત્વનુ છે કે, જાહેર રજાઓ અને તહેવારોના દિવસોમાં ભાવ આનાથી પણ વધુ વસૂલાતા હતા. બે વર્ષના ડેટા એનાલિસિસમાં 12,800 પરમિટનું ગેરકાયદે વેચાણ સામે આવ્યુંઆ અંગે સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ વિભાગના એસ.પી. વિવેક ભેડાએ કહ્યું કે, પોલીસ તપાસમાં તા. 01/01/2024થી તા. 30/12/2025 સુધીના એડવાન્સ બુકિંગ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં 83,000થી વધુ પરમિટ બુકિંગ થયાનું જણાઈ આવ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓએ 12,800થી વધારે પરમિટનું બલ્ક બુકિંગ કરીને બ્લેકમાં વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન અનેક ઈ-મેઇલ આઇડી અને તેના મોબાઈલ નંબરનો વારંવાર ઉપયોગ થયાનું સામે આવ્યું છે. અમદાવાદ-જુનાગઢના 3 આરોપીઓની ધરપકડ કરીગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, CCoEના અધિકારીઓએ ટેકનિકલ એનાલિસિસ કરીને આ ગેંગના અલ્પેશ મનસુખલાલ ભલાણી (રહે, હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ), સુલતાનભાઈ ઉસ્માનભાઇ બલોચ (રહે, સાસણગીર, તા-મેંદરડા, જી-જુનાગઢ) અને એજાજ નુરમહમંદભાઇ શેખ (રહે, સાસણગીર, તા-મેંદરડા, જી-જુનાગઢ)ની ધરપકડ કરી છે. બુકિંગ દરમિયાન અમુક સાવચેતીઓ રાખવા અપીલસાયબર સેન્ટર ઑફ એક્સલન્સે પ્રવાસીઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે ફક્ત ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ http://girlion.gujarat.gov.in નો જ ઉપયોગ કરવા અપીલ કરી છે.ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી બુકિંગની જાહેરાતવાળી લિંક પર ક્લિક કરવાનું ટાળી સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન- 1930 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:43 pm

મુંબઈ-કચ્છ વચ્ચે નવી ટ્રેનની માંગ:વલસાડમાં કચ્છી સમાજે રેલવે મંત્રીને રજૂઆત કરી, માંગણી ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું

વલસાડ, દમણ અને સેલવાસ જિલ્લા કચ્છ પરિવાર સમિતિ દ્વારા વલસાડ RPF ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ મુંબઈ અને કચ્છ વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. રેલવે મંત્રીએ આ માંગણી ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વલસાડ જિલ્લા, દમણ, સેલવાસ અને મુંબઈ સહિતના વિસ્તારોમાં પાંચ લાખથી વધુ કચ્છી સમાજના લોકો વસવાટ કરે છે. આ પરિવારો દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા છે અને વ્યવસાય તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન કચ્છ જવા માટે આ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં મુંબઈથી કચ્છ માટે માત્ર ત્રણ ટ્રેનો ઉપલબ્ધ છે: આશાપુરા એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી એક્સપ્રેસ. જેના કારણે બુકિંગ ઝડપથી ભરાઈ જાય છે. વર્ષ 2001ના ભૂકંપ બાદ ગુજરાત સરકારે કચ્છનો વ્યાપક વિકાસ કર્યો છે, જેના કારણે તે એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બન્યું છે. કચ્છનું સફેદ રણ, ધોળાવીરા (હડપ્પન સંસ્કૃતિ), માંડવી બીચ, આંતરરાષ્ટ્રીય કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ અને પૌરાણિક તીર્થસ્થાનો જેવા સ્થળો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ કચ્છ આવે છે. પ્રવાસીઓ અને સ્થાનિક કચ્છી સમાજના લોકોની વધતી અવરજવરને કારણે હાલની ટ્રેનો અપૂરતી સાબિત થઈ રહી છે. આથી, એક નવી નિયમિત ટ્રેન શરૂ કરવી અનિવાર્ય છે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:13 pm

ધ્રાંગધ્રાના ધુમઠ ગામે જુગારધામ ઝડપાયું:પાંચ જુગારીઓ રોકડ, મોબાઈલ સહિત ₹47,450ના મુદ્દામાલ સાથે પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધુમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 17,450, તેમજ છ મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત કુલ રૂ. 47,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. ટીમને ધુમઠ ગામના નવા પ્લોટમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ નાગરભાઈ ઘુઘલીયા, જીલાભાઈ સુખાભાઈ ગમારા, અનિલભાઈ કાળુભાઈ ઝીઝુવાડીયા, રમેશભાઈ મેરૂભાઈ ઝીઝુવાડીયા અને વિશાલભાઈ કાળુભાઈ ઝીઝુવાડિયા (તમામ રહે. ધુમઠ, તા. ધ્રાંગધ્રા) નો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ. 17,450 રોકડા, રૂ. 30,000ના છ મોબાઈલ ફોન અને 52 ગંજીપાના મળી કુલ રૂ. 47,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 8:10 pm

વાપી નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં આગ લાગી:લોખંડની કોઈલ ભરેલા વાહનમાં આગ લાગતા ટ્રાફિક જામ

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર લોખંડની કોઈલ ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો ટ્રક ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ વાપી પોલીસને જાણ કરી હતી. આગની ગંભીરતાને જોતા સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવ્યો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ સહિત અન્ય ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 7:57 pm

Editor’s View : નવા મીડલ ઈસ્ટનો સૂર્યાદય:હમાસના કબજામાં રહેલા 20 બંધકોની દિવાળી, ઈઝરાયલની સંસદમાં 65 મિનિટની સ્પીચ આપી ટ્રમ્પ છવાયા; જાણો બે દિગ્ગજ નેતાની ડિપ્લોમસી

ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ ન મળ્યાનો વસવસો રહી ગયો પણ ગાઝા પીસ પ્લાન શરૂ કરાવવાની અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ખતમ કરવાની ક્રેડિટ તે લઈ ગયા. નેતન્યાહૂને અમેરિકા બોલાવીને શાંતિ સમજૂતી માટે મનાવી લીધા. હમાસે પણ ટ્રમ્પના પીસ પ્લાનને સ્વીકારી લીધો. સોમવાર, 13 ઓક્ટોબરે બે મોટી ઘટના બની. પહેલી એ કે હમાસે બંધક બનાવેલા ઈઝરાયલના 20 બંધકોને મુક્ત કરી દીધા. આ બંધકો બે વર્ષે તેના પરિવારજનોને મળ્યા છે. આના કારણે ઈઝરાયલમાં દિવાળી જેવો માહોલ છે. બીજી ઘટના એ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાવ લશ્કર સાથે ઈઝરાયલ પહોંચ્યા છે ને ત્યાંથી ઈજિપ્ત જવાના છે. નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પ MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન) કેમ્પેનના કારણે દુનિયાને તકલીફ થઈ રહી છે. 150 દેશો પર મન ફાવે તેવા ટેરિફ લાદી દીધા છે. આડેધડ નિર્ણયો લે છે અને પોતે દુનિયાના સાત યુદ્ધ રોકાવ્યા તેવું ગાણું ગાયા કરે છે. આના કારણે પશ્ચિમના દેશો અને હવે તો યુરોપના દેશો પણ ટ્રમ્પની નીતિથી ખફા છે. એટલે ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ નજર દોડાવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળનો પહેલો પ્રવાસ સાઉદી અરેબિયા કર્યો હતો. પછી કતાર ગયા હતા અને ગિફ્ટમાં પ્લેન લાવ્યા હતા. હવે ઈઝરાયલ-ગાઝા યુદ્ધ રોકવાનો શ્રેય લઈને ટ્રમ્પ ઈઝરાયલ પહોંચી ગયા છે. સવાલ એ પણ થાય છે કે ટ્રમ્પ ઈઝરાયલ ગયા છે કેમ? પહેલા જાણો ટ્રમ્પનો ગાઝા પીસ પ્લાન શું છે? ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકામાં છે. તેઓ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. પહેલા નેતન્યાહુ અને ટ્રમ્પે મિટિંગ કરી. પછી બંને નેતાએ જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરી. આ પ્રેસ-કોન્ફરન્સમાં ટ્રમ્પે 20 મુદ્દાનો ગાઝા પીસ પ્લાન રજૂ કર્યો. આ પ્લાનને નેતન્યાહુએ સ્વીકારી લીધો. હવે એ 20 પોઈન્ટ જાણી લો, જે ટ્રમ્પે પીસ પ્લાનમાં રજૂ કર્યા છે. હમાસે ઈઝરાયલના તમામ 20 બંધકોને મુક્ત કરી દીધા જેના માટે ઈઝરાયલ મહિનાઓથી લડાઈ લડતું હતું તે 20 બંધકોને હમાસે છોડી દીધા છે અને તમામ બંધકો ઈઝરાયલ પહોંચી ગયા છે. અત્યારે તમામ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. બંધકો મુક્ત થતાં ઇઝરાયલમાં જાણે દિવાળી આવી હોય તેવો માહોલ છે. આમ તો પહેલાં એક એક ગ્રુપમાં બંધકોને થોડા થોડા દિવસોના અંતરે છોડવાના હતા પણ હમાસે એક જ દિવસમાં તમામ 20 બંધકોને મુક્ત કરી દીધા છે. બીજી તરફ ઈઝરાયલ 250 જેટલા પેલેસ્ટીનીયન કેદીઓને એક દિવસમાં છોડશે. કુલ 1700 કેદીઓને મુક્ત કરવાના છે. 20 બંધકોની મુક્તિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચ્યા છે. હવે જાણીએ આ બંધકો વિશે, જે સોમવારે મુક્ત થયા… 1. માટન એન્ગ્રેસ્ટ જૂનમાં 22 વર્ષીય ઇઝરાયલી સૈનિક એન્ગ્રેસ્ટના પરિવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. આ વીડિયોમાં 7 ઓક્ટોબર, 2023ના રોજ નાહલ ઓઝ લશ્કરી થાણા પર ઘણા લોકો IDF સૈનિકને ટાંકીમાંથી બહાર કાઢતા દેખાતા હતા. માટનની માતા અનટ્ટે CNN ને કહ્યું, એક માતા તરીકે, આ મારા માટે જોવાનો સૌથી મુશ્કેલ અનુભવ છે. મારા દીકરાનો વીડિયો જાહેર કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મને ડર હતો કે ક્યાંક ઈઝરાયલની સેના મારા દીકરાને ભૂલી ન જાય. 2. ગેલી બર્મન અને જિવ બર્મન 28 વર્ષીય બર્મન જોડિયા ભાઈઓને ગાઝા સરહદથી બે માઈલથી ઓછા અંતરે આવેલા કફર અઝા કિબુટ્ઝમાં બંધક બનાવવામાં આવ્યા હતા. તેમના અપહરણના એક મહિના પછી ગાર્ડિયન સાથે વાત કરતાં તેમના મોટા ભાઈ લિરન બર્મને કહ્યું કે મારા બંને ભાઈઓ ગાઝાના કબજામાંથી જ્યારે પણ છૂટશે પણ તેમનું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. મારે બંનેને સંભાળવા મુશ્કેલ બની જશે. 3. એલ્કાના બોહબોટ 7 ઓક્ટોબર, 2023 ના રોજ નોવા મ્યુઝિક ફેસ્ટિવલ પર થયેલા હુમલા દરમિયાન 36 વર્ષીય બોહબોટને હમાસે બંધક બનાવ્યો હતો. અમેરિકન યહૂદી સમિતિના જણાવ્યા અનુસાર, તેમણે હુમલા દરમિયાન ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે પાછળ રહેવાનું નક્કી કર્યું. મે મહિનામાં, હમાસે એક વીડિયોમાં રિલિઝ કર્યો હતો જેમાં તે બંધક તરીકે દેખાતો હતો. બોહબોટ વીડિયોમાં બોલતો હતો કે બોમ્બ ધડાકાથી મારા જીવને જોખમ છે. જો હું જીવતો રહીશ તો મારી પત્ની અને પુત્રને મળવું છે. બે વર્ષ પછી બોહબોટ હવે તેના પરિવારને મળી શકશે. 4. રોમ બ્રાસ્લાવસ્કી 21 વર્ષીય બ્રાસ્લાવસ્કીનું નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પાછળથી તેના પરિવારને કહેવામાં આવ્યું કે તેણે તેના અપહરણ પહેલા ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. ગાઝાએ પહેલીવાર જ્યારે બંધકોનો વીડિયો જાહેર કર્યો ત્યારે રોમ તેમાં દેખાતો હતો. 5. નિમરોડ કોહેન 20 વર્ષીય કોહેન ઇઝરાયલી સેનામાં સૈનિક છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ તે નિરીમ કિબુટ્ઝ નજીક ગાઝા સરહદની રક્ષા કરી રહ્યો હતો ત્યારે તેના યુનિટ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેના પિતા જુડાહ કોહેને તાજેતરમાં યુએન ન્યૂઝને જણાવ્યું હતું કે યુદ્ધવિરામના સમાચાર મળ્યા ત્યારથી મારા દીકરાની પાછા ફરવાની રાહ જોવા લાગ્યો હતો. હવે મારા જીવનની ધન્ય ઘડી આવી ગઈ છે. 6. એરિયલ કુનિયો અને ડેવિડ કુનિયો 28 અને 25 વર્ષના કુનિયો ભાઈઓનું નીર ઓઝ કિબુટ્ઝમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. એરિયલને તેની ગર્લફ્રેન્ડ આર્બેલ યહુદ સાથે લઈ જવામાં આવ્યો હતો. જોકે હમાસે એરિયલની ગર્લફ્રેન્ડને છોડી દીધી હતી. એવી રીતે ડેવિડ કુનિયોનું તેની પત્ની શેરોન એલોની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. એક મહિના પછી તેની પત્નીને છોડી દેવામાં આવી હતી પણ ડેવિડ હમાસના કબજામાં હતો. હવે આ કુનિયો ભાઈઓ એકસાથે ઈઝરાયલ પહોંચશે. 7. એવિયાટર ડેવિડ નોવા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન 24 વર્ષીય ડેવિડનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં તેના પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી કે હમાસ તેને ભૂખે મરાવી રહ્યો છે. એક વીડિયોમાં તેને કહેતો જોવા મળ્યો હતો કે તેણે ઘણા દિવસોથી ખાધું નથી અને પાણી પણ નથી પીધું. પરિવારે હમાસ પર પોતાના પ્રચાર માટે ડેવિડને ભૂખ્યો રાખે છે. 8. ગિલ્બોઆ-દલાલ 24 વર્ષનો ગિલ્બોઆ-દલાલ નોવા ફેસ્ટિવલમાં તેના ભાઈ સાથે નાચતો હતો જ્યારે તેનું હમાસે અપહરણ કર્યું હતું. તેના ભાઈએ મીડિયા ઈન્ટરવ્યૂમાં વારેવારે કહ્યું હતું કે, તેની યાદમાં દરરોજ મરવાના વાંકે જીવું છું. દરેક ક્ષણે જીવવું ખૂબ મુશ્કેલ છે. જેમ જેમ સમય પસાર થાય છે આ બધું સહન કરવું વધુ મુશ્કેલ બને છે. હવે મારા ભાઈને મળી શકીશ કે નહિ તે પણ નક્કી નથી. 9. મેક્સિમ હેર્કિન 37 વર્ષનો હેર્કિન પણ નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હતો જ્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. હર્કિન ઇઝરાયલી અને રશિયન બે નાગરિકતા ધરાવે છે. એ દિવસે મિત્રોએ આમંત્રણ આપ્યું હતું એટલે તે નોવા ફેસ્ટિવલમાં ગયો હતો અને ત્યાંથી હમાસે અપહરણ કરી લીધું. હર્કિનનું અપહરણ થયું ત્યારે તેની દીકરી ત્રણ વર્ષની હતી. હવે તે પાંચ વર્ષની થઈ ગઈ છે. 10. ઇટાન હોર્ન 38 વર્ષીય ઇટાન હોર્નનું તેના ભાઈ ઇયાર પાસેથી નીર ઓઝ કિબુટ્ઝ ખાતે અપહરણ કરવામાં આવ્યું હતું. ઇયારને ફેબ્રુઆરીમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે જુલાઈમાં ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલને જણાવ્યું હતું કે તેણે પોતાની રિકવરીને બાજુ પર મૂકી દીધી છે અને ગાઝામાં તેના ભાઈ અને બંધકોની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેણે કહ્યું કે જીવન હવે થીજી ગયું છે, અને દરેક દિવસ એક ખરાબ સપનાં જેવો છે. 11. સેગેવ કાલ્ફોન નોવા ફેસ્ટિવલમાંથી બહાર નીકળતી વખતે 37 વર્ષના કાલ્ફોનનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે તેના પરિવાર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેની કાર ધીમે ધીમે ચાલી રહી હતી. હુમલાના સમાચાર મળતાં જ તે કારમાં ઈઝરાયલ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ હમાસે તેને રસ્તામાં રોકીને બંધક બનાવી લીધો હતો. 12. બાર કૂપરસ્ટેઇન નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં બાઉન્સર તરીકે કામ કામ કરતા 23 વર્ષીય કૂપરસ્ટેઇનનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલા દરમિયાન તેણે ઇઝરાયેલી પોલીસ અને સુરક્ષા ટીમોને મદદ કરી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. પણ તે હમાસની નજરમાં આવી ગયો ને અપહરણ થઈ ગયું. 13. ઓમરી મીરાન 48 વર્ષના મીરાન, તેની પત્ની લિશાય લાવી અને પુત્રીઓ રોની અને અલ્મા સાથે કિબુત્ઝ નાહલ ઓઝમાં તેના ઘરે હતો, ત્યારે તેઓ સાયરનના અવાજથી જાગી ગયા. તેમને જાણ થઈ હમાસના આતંકીઓ વિસ્તારના કેટલાક ઘરોમાં ઘૂસી ગયા છે. આતંકવાદીઓએ એક સગીરને પકડ્યો ને મીરાનના બેડરૂમનો દરવાજો ખખડાવવા મજબૂર કર્યો. પરિવારે દરવાજો ખોલ્યો અને આતંકવાદીઓ મીરાનને બંધક બનાવીને લઈ ગયા. 14. યોસેફ-હૈમ ઓહાના આ વર્ષના ફેબ્રુઆરીમાં 25 વર્ષીય ઓહાનાના પરિવારે કહ્યું હતું કે તેમને સ્પષ્ટ સંકેત મળ્યા હતા કે અમારો દીકરો જીવિત છે. પણ વધુ વિગતો આપી નહોતી. નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં બંધક બનાવાયા બાદ ઓહાનાને છેલ્લે જોવામાં આવ્યો હતો. ઓહાના અમેરિકામાં પાયલટનો કોર્સ કરતો હતો અને નોવા ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યો હતો ને પકડાઈ ગયો. 15. એલોન ઓહેલ 24 વર્ષીય ઓહેલનું નોવા ફેસ્ટિવલમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં તેની માતાએ ધ ઓબ્ઝર્વરમાં એક લેખ લખ્યો હતો. જેમાં વિશ્વ નેતાઓને યુદ્ધનો અંત લાવવા અને બંધકોને ઘરે લાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. 16. અવિતન ઓર નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં અપહરણ સમયે 32 વર્ષનો ઓર તેની ગર્લફ્રેન્ડ નોઆ અર્ઘમાની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. અર્ઘમાની 245 દિવસ પછી મુક્ત કરવામાં આવી હતી પણ ઓરને છોડાયો નહોતો. તેને હવે છોડવામાં આવ્યો છે. 17. માટન જાંગાઉકર 25 વર્ષીય જાંગાઉકરનું નીર ઓઝ કિબુટ્ઝ પરના તેના ઘરેથી તેની ગર્લફ્રેન્ડ ઇલાના ગ્રિત્ઝેવસ્કી સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. ગ્રિત્ઝેવસ્કીને નવેમ્બર 2023 માં મુક્ત કરવામાં આવી હતી. આ બધું કામ રેડક્રોસની દેખરેખમાં થઈ રહ્યું છે એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ બંધકોની મુક્તિની દેખરેખ રાખી રહી છે. એટલે કે આ આપ-લે તેની દેખરેખ હેઠળ થશે. ઈઝરાયલમાં ઉત્સાહ છે. ટીવી સ્ટેશનો સતત ખાસ કવરેજ બતાવી રહ્યા છે. લોકો સવાર પડતાં પહેલાં તેલ અવીવના હોસ્ટેજિસ સ્કેવરમાં એક મોટી સ્ક્રીનની આસપાસ ભેગા થયા છે. મેયર કલ્લરને આખી રાત ઊંઘી નથી આવી. તેમણે કહ્યું કે આ ક્ષણ બહુ રોમાંચક છે. યુદ્ધ પૂરું થઈ ગયું છે- ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે ગાઝામાં યુદ્ધ પૂરું થઈ ગયું છે. આ જાહેરાત કરીને ટ્રમ્પ ઇઝરાયલ જવા રવાના થયા. ઇઝરાયલ પછી ટ્રમ્પ હાઈલેવલ શાંતિ સમિટમાં હાજરી આપવા ઇજિપ્ત પણ જશે. પ્રવાસની શરૂઆતમાં એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના કરાર અંગેની કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મીડિયાને હતું કે ટ્રમ્પ મુક્ત કરાયેલા બંધકો સાથે મુલાકાત કરશે. પછી ઇજિપ્તની યાત્રા કરશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીની ઓફિસે પણ પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પ ઈઝરાયલ થઈને ઈજિપ્ત આવવાના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પેલેસ્ટિનિયન ઓથોરિટીના નેતા મહમૂદ અબ્બાસના સલાહકાર ન્યાયાધીશ મહમૂદ અલ-હબ્બાશે પણ ન્યૂઝ ડેઇલી (એપી) ને જણાવ્યું હતું કે પોતે ઈજિપ્તની શાંતિ સમિટમાં હાજરી આપશે. ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્ઝે સોશિયલ મીડિયા પર લખ્યું કે બંધકોને મુક્ત કર્યા પછી ગાઝામાં હમાસે જેટલી ટનલ, સુરંગ બનાવી છે તેના નેટવર્કને નષ્ટ કરવાની તૈયારી શરૂ કરવા આર્મીને સૂચના આપી છે. ટ્રમ્પ માત્ર વાહવાહી મેળવવા જ ઈઝરાયલ ગયા હમાસને આપેલી ડેડલાઈન મુજબ 13 ઓક્ટોબરે ઈઝરાયલના 20 બંધકોને છોડવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ એ જ દિવસે ઈઝરાયલ જવાનો પ્લાન બનાવ્યો. નેતન્યાહૂએ ઈઝરાયલમાં ટ્રમ્પનું રેડકાર્પેટ સ્વાગત કર્યું. સંસદમાં ખાસ સેશન ગોઠવ્યું. લડકામાં નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો. ટ્રમ્પે પણ નોબેલ નહિ તો આ, કાંઈક તો મળ્યું... એમ માનીને રાજીખુશીથી ઈઝરાયલનું સર્વોચ્ચ સન્માન લઈ લીધું. ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂએ ટ્રમ્પના ભરપૂર વખાણ કર્યા. ટ્રમ્પે પણ ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂની પીઠ થાબડી લીધી. ઈઝરાયલ-ગાઝા વોર પોતાના કારણે ખતમ થઈ છે તેવું બતાવવા માટે ટ્રમ્પે છેક ઈઝરાયલ ધક્કો ખાધો. એક રીતે તે આવતા વર્ષ માટેનો નોબેલ પુરસ્કાર પણ પાક્કો કરાવતા આવ્યા. ટ્રમ્પને મળશે ઇઝરાયલનું સર્વોચ્ચ નાગરિક સન્માન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર એનાયત કરવામાં આવશે. ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે સોમવારે આની જાહેરાત કરી. ટ્રમ્પ પહેલાં ત્રણ અન્ય યુએસ રાષ્ટ્રપતિઓને આ સન્માન મળ્યું છે: 2013માં બિલ ક્લિન્ટન, એ જ વર્ષમાં બરાક ઓબામા અને 2022માં જો બાઈડેનને આ સન્માન મળ્યું છે. ઈઝરાયલની સંસદમાં નેતન્યાહૂ બોલ્યા- ટ્રમ્પનું નામ ઈતિહાસમાં લખાશે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ​​ઇઝરાયલી સંસદમાં આપેલા ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આપણા દેશના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ટ્રમ્પનું નામ ઇઝરાયલના ઈતિહાસમાં લખાશે. નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના શ્રેષ્ઠ મિત્ર છે. ટ્રમ્પે ઇઝરાયલ માટે જેટલું કર્યું છે તેટલું કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યું નથી. ટ્રમ્પનું નામ આપણા દેશ અને વિશ્વના ઇતિહાસમાં લખાશે. ઈઝરાયલે આ ક્ષણ માટે લાંબા સમયથી રાહ જોઈ છે. હું સમગ્ર રાષ્ટ્ર વતી તમારો આભાર માનું છું. નેતન્યાહૂના ભાષણ વચ્ચે સંસદમાં ટ્રમ્પ, ટ્રમ્પ ના નારા લાગ્યા હતા. નેતન્યાહૂ બોલ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષ ભલે શાંતિનો નોબેલ ન મળ્યો પણ આવતા વર્ષે 2026નો નોબેલ તો તેમને જ મળશે. ઈઝરાયલ અત્યારથી જ ટ્રમ્પ માટે આવતા વર્ષના નોબેલનું સમર્થન કરે છે. ટ્રમ્પે સ્પીચમાં નેતન્યાહૂને ચીટીયા ભરી લીધા; ટ્રમ્પ લાવ લશ્કર સાથે પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલની સંસદ (નેસેટ)માં 65 મિનિટ ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આજે 20 બહાદુર બંધકો પાછા ફરી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. ભગવાનની ઇચ્છા હશે તો આ ધરતી અને પ્રદેશમાં હંમેશા શાંતિ રહેશે. ટ્રમ્પે પોતાના ભાષણમાં ગાઝા બંધક કરાર માટે આરબ અને મુસ્લિમ નેતાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ નેતાઓએ બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરવામાં મદદ કરી. આ ઇઝરાયલ અને વિશ્વ માટે એક મોટી જીત છે કે ઘણા દેશો શાંતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ એક નવા મીડલ ઈસ્ટનો ઐતિહાસિક ઉદય છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન સંસદની અંદર વિરોધ પ્રદર્શનો થયા અને સુરક્ષા અધિકારીઓએ એ લોકોને બહાર કાઢ્યા અને બેનરો જપ્ત કરી લીધા. મેં 8 મહિનામાં 8 યુદ્ધ રોક્યા, જેમાં ગાઝા યુદ્ધ પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી પોતાના લાવ લશ્કર સાથે આવ્યા છે. દીકરી ઈવાન્કા ટ્રમ્પ, જમાઈ, સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, ડિફેન્સ સેક્રેટરી હેગશેથ, અમેરિકી આર્મીના બે જનરલ બધા ટ્રમ્પની સાથે અમેરિકાથી ઈઝરાયલ પહોંચ્યા હતા. ઈઝરાયલી સંસદમાં ટ્રમ્પે ભાષણ દરમિયાન આ તમામના વખાણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, એકવાર હિલેરી ક્લિન્ટને મારા વિશે કહેલું કે આ માણસ યુદ્ધો કરવા જઈ રહ્યો છે. મારી પર્સનાલિટી ભલે બહારથી એવી લાગે પણ મારા મનમાં તો યુદ્ધ ખતમ કરવાના જ વિચારો ચાલતા હોય છે. ટ્રમ્પે નેતન્યાહૂના વખાણ પણ કર્યાને વચ્ચે વચ્ચે ચીટીયા પણ ભરી લીધા. ટ્રમ્પ પ્રેમથી નેતન્યાહૂને બીબી કહે છે. ટ્રમ્પ બોલ્યા- હવે તમે થોડા સારા બની શકો છો, બીબી. નેતન્યાહૂ સાથે વ્યવહાર કરવો સરળ નથી. પરંતુ તેમનો સ્વભાવ જ તેમને મહાન બનાવે છે. દુનિયા આ શાંતિ ઈચ્છતી હતી. અત્યારનો સમય શાનદાર છે. છેલ્લે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ છે. હવે ટ્રમ્પે તેમાં પણ સમાધાન કરવાની વાત કરી છે. ટ્રમ્પે ઈઝરાયલ જતાં પહેલાં કહ્યું કે મને અમેરિકા પાછો આવવા દ્યો, પછી આ બે વચ્ચે ય યુદ્ધ ખતમ કરાવી દઈશ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 7:55 pm

હુડામાં સમાવિષ્ટ બેરણા ગામના ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી:11 ગામોમાંથી 8 ગામોની અત્યાર સુધીમાં કુલ 2841 વાંધા અરજીઓ મળી

હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (હુડા) લાગુ કરવાના વિરોધ વચ્ચે આજે બેરણા ગામના ખેડૂતો અને મિલકતધારકોએ હુડા કચેરીમાં વાંધા અરજીઓ રજૂ કરી. હુડામાં સમાવિષ્ટ કુલ 11 ગામો પૈકી બેરણા ગામના લોકોએ આ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે હુડા કચેરીના ટીપીઓ દેવાંગ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હુડામાં સમાવેશ કરાયેલા 11 ગામો પૈકી આશરે 8 જેટલા ગામોમાંથી વાંધા અરજીઓ મળી છે. અત્યાર સુધીમાં કુલ 2841 વાંધા અરજીઓ પ્રાપ્ત થઈ છે. આજે બેરણા ગામના ગ્રામજનો વાંધા અરજીઓ આપવા આવ્યા હતા, જેમાં અંદાજે 700થી વધુ અરજીઓ આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, અરજીઓની ગણતરીની કામગીરી હજુ ચાલુ હોવાથી ચોક્કસ આંકડો આવતીકાલે મળી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Oct 2025 7:51 pm