સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT)” ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ₹1.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં 7 દિવસ સુધી ₹1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' (ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ) પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' (ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે લિંક કરાશે, જેનાથી સારવાર પ્રક્રિયા પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ 112 નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર બી.એ. પટેલે આરોગ્ય વિભાગ, પોલીસ, RTO અને 108 ઇમર્જન્સી સેવા સહિતના તમામ સંબંધિત વિભાગોને યોજનાના અમલીકરણ માટે સંકલનમાં રહીને કામ કરવા અને જરૂરી તાલીમ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પાર્થ સી.પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર ચૈતન્ય પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. બી.જી.ગોહિલ, RCHO, RTO કચેરીના અધિકારીઓ, PMJAY હેઠળ નોંધાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના મુખ્ય તબીબી અધિકારીઓ, 108 જિલ્લા કો-ઓર્ડીનેટર અને આયુષ્યમાન ભારત જિલ્લા પ્રોગ્રામ કો-ઓડીનેટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશનની કલેક્ટરને રજૂઆત:વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા માંગણી
બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પેન્શનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા સેવા સદન 2 ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત મુજબ, કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને તેમની વચ્ચે ભેદ જાળવવાનો અધિકાર છે તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ, 2025 થી અમલમાં આવ્યો છે. આ કાયદો કોઈપણ પૂર્વ સૂચના વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો અને 25 માર્ચ, 2025 ના રોજ લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે, તો પેન્શનરોની નિવૃત્તિની તારીખ પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે. આનાથી કેન્દ્રીય પગારપંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે. હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે. પેન્શનર્સ એસોસિયેશનનું કહેવું છે કે, આ કાયદો સરકારના જાહેર કરાયેલા ઇરાદાઓ વિરુદ્ધ છે, જે તેના તમામ નાગરિકોને ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયિક ચુકાદાઓની પણ વિરુદ્ધ છે. માનનીય સુપ્રીમ કોર્ટે ડી.એસ. નાકરા અને અન્ય વિરુદ્ધ ભારત સંઘના કેસ (નાકરા જજમેન્ટ તરીકે જાણીતો) માં અવલોકન કર્યું હતું કે, પેન્શન એ એક સામાજિક કલ્યાણકારી પગલું છે જે એવા લોકોને સામાજિક-આર્થિક ન્યાય આપે છે જેઓ તેમના જીવનના સૌથી મુશ્કેલ દિવસોમાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પેન્શન યોજનાના ધ્યેયો પેન્શનરોને ગરીબીથી મુક્ત, શિષ્ટાચાર, સ્વતંત્રતા અને નિવૃત્તિ પહેલાના સ્તરે પ્રમાણભૂત સમકક્ષ જીવન જીવવા માટે ટેકો આપવાનો હતો. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું સુધારેલી પેન્શન યોજના ફક્ત નિર્દિષ્ટ તારીખ પછી નિવૃત્ત થનારાઓ માટે જ પૂરતી હતી, જ્યારે પહેલાથી નિવૃત્ત થયેલા લોકોએ વધતી કિંમતો અને રૂપિયાની ઘટતી ખરીદ શક્તિનો ભોગ લીધો ન હતો. આ કાયદો હાલના પેન્શનરોને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડે છે. 7મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા 01-01-2016 પહેલા નિવૃત્ત થયેલા અને 01-01-2016 ના રોજ અને તે પછી નિવૃત્ત થયેલા ભૂતકાળના પેન્શનરોમાં સમાનતા રાખવાની ભલામણ કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. આ સંજોગોમાં, ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા 25 માર્ચ, 2026 ના રોજ 'વિરોધ દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનર્સ એસોસિયેશને કલેક્ટરને વિનંતી કરી છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો અધિનિયમના માન્યતાને પાછી ખેંચવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નવજાતને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપએક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ બાળકની તબિયત નાજુક હોવા છતાં તેને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સારવારના અભાવે નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાની વાત ફેલાતા જ પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. ડોક્ટરોની બેદરકારીએ જીવ લીધો હોવાનો પરિવારનો આક્ષેપપરિવારજનોનું કહેવું છે કે, બાળકની સ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે ડોક્ટરો દ્વારા વિલંબ કરવામાં આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીને કારણે જ તેમનું બાળક મોતને ભેટ્યું છે. પોલીસે હોસ્પિટલમાં પહોંચી મામલો શાંત પાડ્યોહોસ્પિટલમાં હોબાળાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગપીડિત પરિવારે હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય અપાવવાની માગ કરી છે. બીજી તરફ, પોલીસે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું. આ મામલે કિરણ હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મેડિકલમાં બે કલાક વેઇટ કરાવે અને ડોક્ટર ધ્યાન જ નથી આપતા: પિતારાહુલ કાતરિયા (પિતા) એ જણાવ્યું હતું કે, અત્યારે કિરણ હોસ્પિટલમાં છું. અમે અહીં સવારે ડિલિવરી માટે દાખલ થયા હતા. સવારે 10 વાગ્યે દાખલ થયા અને 4 વાગ્યે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી. અંદર કોઈ સરખો જવાબ આપતા નથી. મેડિકલમાં દવા લેવા જઈએ તો પણ બબ્બે કલાક વેઈટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે પણ કોઈ સામે જવાબ આપતું નથી. જેને પૂછીએ એ ઊંધા ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા, અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. ‘10 મિનિટમાં બાળક નથી રહ્યું કહી દીધું’ડોક્ટરને મેં કીધું કે ભાઈ આનું શું કરવું? છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં સુધી બધું સારું રહે છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી શકે એમ નથી. મારી માગ એ જ છે કે ડોક્ટર ૠત શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે નહીં અને ડોક્ટરનું લાઈસન્સ કેન્સલ થાય. મારી એ જ માગ છે. અમને ન્યાય જ જોઈએ છે. એણે અમને 11 વાગ્યાના ગોળ ગોળ ફેરવીને છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, કાંઈ બચી શકે એમ છે નહીં. સવારે અમને 10 વાગ્યે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે. ‘ઈમરજન્સીમાં સીઝર કરી નાખ્યું’કોમલ ઘોઘારી (પરિવારજન) એ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો એટલે અમે અહીં તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકોએ ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એણે કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે સાડા ચાર સુધી કોઈ પ્રોસેસ નથી કરી. સાડા ચારે સોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી સાડા પાંચે એ લોકો પાછા આવ્યા અને ધબકારા માપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં. એટલે એણે ઈમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં સીઝર કરી નાખો એમ. ‘ડોક્ટરનું લાઈસન્સ રદ કરો’તો પણ સીઝર કરવાનું હતું ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. સીઝરમાં લઈ ગયા અને દસ જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટ બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહેશે એમ. ત્યાં દસ મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું. એટલે આ ડોક્ટરની, જે મેઈન ડોક્ટર છે ને ઋત શાહ આ એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજ પણ ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ એની જ છે, અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોઈએ છે. ડોક્ટરનું લાઈસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. ‘ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી’આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે છે, અહીંયા પેશન્ટ દુખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામો રાડો નાખતા હતા, અમે બધું જોયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી થશે: PIકતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પરિવારના આક્ષેપો પ્રમાણે હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને ત્યારબાદ આ રિપોર્ટને મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત મનપાની આગામી ચૂંટણીઓ પહેલા જ ભાજપના સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવો પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપીન તળાવિયા (પટેલ)ની નિમણૂકને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં તેની ઉંમરને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા એક પત્ર અને દસ્તાવેજો મુજબ, બિપીન તળાવિયાએ હોદ્દો મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાવી અને અટક બદલ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે ભાસ્કરે બિપીન તળાવિયાનો સંપર્ક કરતાં ગોળ-ગોળ જવાબ આપ્યા છે. મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે આ વિવાદ કોઈ વિરોધી પક્ષે નહીં, પરંતુ ભાજપના જ કોઈ નારાજ કાર્યકર્તા કે નજીકની વ્યક્તિએ છેડ્યો છે. બિપીન તળાવિયાના જન્મના દાખલા, પાલિકાની વેબસાઈટ પરની વિગતો અને મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા છે. શું આ ડોક્યુમેન્ટ સીધા જ પ્રમુખની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. વાયરલ થયેલા દસ્તાવેજો ઉંમર ખોટી દર્શાવી હોવાનો આક્ષેપભાજપના નિયમ મુજબ યુવા મોરચામાં હોદ્દેદારોની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. જોકે, વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ બિપીન તળાવિયાની સાચી જન્મતારીખ 10 એપ્રિલ 1989 છે. આ હિસાબે નિમણૂક સમયે તેમની ઉંમર 36 વર્ષ અને 10 મહિના એટલે કે લગભગ 37 વર્ષ થવા જાય છે. આક્ષેપ છે કે તેમણે ખોટું આધારકાર્ડ રજૂ કરી પોતાની જન્મ તારીખ 10 એપ્રિલ 1991 દર્શાવી છે. નામ અને અટક બદલવાનો આક્ષેપ કરાયો છેમાત્ર ઉંમર જ નહીં, પરંતુ અટકને લઈને પણ વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, સરકારી રેકોર્ડમાં તેમનું નામ બિપીન વિનુભાઈ પટેલ છે અને અટક 'પટેલ' છે. પરંતુ SMIARની યાદીમાં 'તળાવિયા' અટક જોવા મળે છે. પત્રમાં એવો પણ દાવો કરાયો છે કે પાછળથી પટેલમાંથી પેટા અટક 'તળાવિયા' લખાવીને વિગતોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો હોય શકે છે. અનામી પત્ર વાયરલ, 'ખરેખર યુવાઓ સાથે અન્યાય ન કરો'આ સમગ્ર મામલે સુરત ભાજપ કાર્યાલય સુધી એક અનામી પત્ર પહોંચ્યો છે. ભાજપના જ એક યુવા કાર્યકર્તાઓ દ્વારા લખાયેલા આ પત્રમાં ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'જો ઓવરએજ વ્યક્તિ જ યુવા મોરચાનું નેતૃત્વ કરશે, તો ખરેખર મહેનત કરતા યુવાન કાર્યકર્તાઓ સાથે અન્યાય થશે. અમારી લાગણી છે કે તાત્કાલિક નવા અને લાયક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે.' પત્રમાં પુરાવાઓની હારમાળા, તપાસ કરવા માંગઅનામી પત્રમાં પડકાર ફેંકવામાં આવ્યો છે કે જો પક્ષના મોવડી મંડળને વિશ્વાસ ન હોય તો બિપીન તળાવિયાની ધોરણ 10ની માર્કશીટ, અસલી જન્મ દાખલો અને પાનકાર્ડ મંગાવીને તપાસ કરવી જોઈએ. ગુજરાત સરકારની સત્તાવાર બર્થ રજીસ્ટ્રેશન વેબસાઈટ પર પણ આ વિગતો ચકાસવા વિનંતી કરાઈ છે. બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબજ્યારે આ વિવાદ અંગે ભાસ્કર દ્વારા યુવા મોરચાના પ્રમુખ બિપીન તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, 'બધું બરાબર છે, મેં ચેક કરી લીધું છે. અત્યારે મને વધારે ખબર નથી, હું થોડી વારમાં ફોન કરું છું.' પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈસુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે શાસક પક્ષ ભાજપ માટે આ વિવાદ ગળાનું હાડકું બન્યો છે. એક તરફ ભાજપ શિસ્ત અને નિયમોની વાતો કરે છે, બીજી તરફ સંગઠનના પાયાના ગણાતા યુવા મોરચામાં જ જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જનતામાં નકારાત્મક સંદેશ જવાની ભીતિ છે. જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલઆજના ડિજિટલ યુગમાં સરકારી રેકોર્ડ ઓનલાઈન હોવાથી કંઈપણ છુપાવવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર જે રીતે જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલ થઈ છે, તે જોતા પક્ષ માટે આ મામલે આંખ આડા કાન કરવા મુશ્કેલ બનશે. વિરોધ પક્ષો પણ આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભાજપને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. હવે શું? હાઈકમાન્ડના નિર્ણય પર મીટહવે જોવાનું એ રહેશે કે સુરત શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરી આ મામલે શું પગલાં લે છે. શું બિપીન તળાવિયા પાસે રાજીનામું માંગવામાં આવશે કે પછી તપાસના નામે મામલો થાળે પાડવામાં આવશે? યુવા કાર્યકર્તાઓ અત્યારે 'વેઈટ એન્ડ વોચ' ની સ્થિતિમાં છે, પરંતુ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે તે સ્પષ્ટ છે.
જામનગરમાં સગીરા પર દુષ્કર્મના 2 આરોપીને 20 વર્ષની જેલ:પોક્સો કોર્ટે ₹4 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો
જામનગરની પોક્સો અદાલતે સગીરા પર દુષ્કર્મના કેસમાં બે આરોપીઓ, તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા અને સમીર હુશેન હનીફભાઈ ગજીયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે બંને આરોપીઓને ₹10,000નો દંડ પણ કર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે ₹4,00,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસના મુખ્ય આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખાએ 27 જૂન, 2021 થી 1 એપ્રિલ, 2022 દરમિયાન ફરિયાદીની 13 વર્ષ 6 મહિનાની સગીર દીકરી સાથે તેની સંમતિ વિના અને મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેણે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વીડિયો પોતાની પાસે હોવાનું જણાવી સગીરાને વીડિયો બધાને બતાવી દેવાની ધમકી આપી હતી. તેણે બળજબરીથી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ અંગેની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 જૂન, 2022ના રોજ નોંધાવવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા ગુનાની તપાસ કરીને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલ્યો હતો. ભોગ બનનાર, ફરિયાદી અને મેડિકલ ઓફિસર સહિત 10 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સરકારી પક્ષે 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે સગીર વયની બાળાને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નિ:શંકપણે પુરવાર થયો છે. તેમણે સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાથી અને ભોગ બનનાર બાળાઓ પર વિપરીત અસર પડતી હોવાથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને મહત્તમ સખત કેદની સજા અને દંડ ફરમાવવા રજૂઆત કરી હતી. જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ ઉપરોક્ત હકીકતો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને આરોપીઓને પોક્સો અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તથા રૂ. 10,000 નો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ સાથે જ ભોગબનનાર બાળાને વળતર પેટે રૂ. 4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હાલમાં મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સત્તાવાર આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારા રાજકોટનાં જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું હતું. જે અંતર્ગત આગામી 28 માર્ચને શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવશે. અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રૂ.632 કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. જેમાં લોકોને રોડ- રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની મોટી ભેંટ મળશે. પ્રાપ્ત વિગત અનુસાર આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા હવે 28 માર્ચનાં શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલનાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. આગામી શનિવારનાં રોજ બપોરે 4થી 5 દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે રોડ-રસ્તા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત રૂ. 543 કરોડનાં ખાતમુહૂર્ત અને ઘંટેશ્વર તેમજ રૈયાધાર STP અને પંપિંગ સ્ટેશન સહિત રૂ. 88 કરોડનાં લોકાર્પણ મળી રૂ. 632 કરોડનાં પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ ફાઇનલ થતા જ મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જુદી-જુદી 24 સમિતિ બનાવી 100 કરતા પણ વધુ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે કોઈપણ કચાશ ન રહે તે માટે તમામ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી રીતે ગોઠવણ કરવામાં આવી રહી છે. રૂ. 632 કરોડના વિકાસ કામોની ભેટ રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 632 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં કુલ રૂ. 543 કરોડના ખાતમુહૂર્ત અને રૂ. 88 કરોડનાં લોકાર્પણ પણ સામેલ છે. ખાતમુહૂર્ત થનારા કામો પૈકી મોટાભાગના તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ તેમજ પ્રકાશ વ્યવસ્થા સુધારવા સહિત 44 વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ. 88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે. રૈયાધાર ખાતે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 33.30 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના 56 MLD STP પાસે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે. ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 30.85 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકલ્પથી નવા વિકસતા વિસ્તારોમાં સુએજ નિકાલની સુવિધા સુવ્યવસ્થિત બનશે. ઘંટેશ્વર વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશન અને પાઈપલાઈનનું કામવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 15.81 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-1 અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-2 બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે 2 વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે. રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો જી.એસ.આર.વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 8.27 કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે. આમ રૂ. 88.25 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. બાંધકામ વિભાગબાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. 368.01 કરોડના કુલ 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગવોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. 173.17 કરોડના 7 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે. ડ્રેનેજ વિભાગડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. 1.96 કરોડના 3 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે. રોશની વિભાગરોશની વિભાગ દ્વારા રૂ. 75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આમ રૂ. 543.89 કરોડના 40 વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા ઉલ્લેખનીય છે કે, રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારબાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે.
શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સંતવાણી:હાથમાં કામ, મુખમાં નામ, હૃદયમાં ભગવાન રાખો: સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં જણાવ્યું કે, જીવનમાં સુખી થવા માટે 'હાથમાં કામ, મુખમાં નામ અને હૃદયમાં ભગવાન' રાખવા જોઈએ. તેમણે સમજાવ્યું કે, વ્યવહાર ચલાવવા અને પૈસા કમાવવા માટે હાથમાં કામ રાખવું અત્યંત જરૂરી છે. આનાથી વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ બને છે. કામની સાથે ભક્તિ પણ અનિવાર્ય છે. તેથી, મુખથી ભગવદ્ નામસ્મરણ કરવું જોઈએ. આ ભક્તિ ભાવનાને જીવંત રાખે છે. આ ઉપરાંત, હૃદયમાં ભગવાનને ધારવા એટલે કે તેમની સ્મૃતિ રાખવી જોઈએ. આનાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભક્તરાજ પર્વતભાઈનું ઉદાહરણ આપ્યું. પર્વતભાઈ ખેતીનું કામ કરતા હતા, મુખેથી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા અને હૃદયમાં ભગવાનને ધારતા હતા. તેમનું જીવન આ સંદેશનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમણે ઉમેર્યું કે, સંસારમાં રહીને પણ જો આપણે ભક્તિ અને સત્સંગ કરીશું, તો સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીશું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર પિંડારા તીર્થમાં સમસ્ત અખિલ ભારતીય યદુવંશી-આહીર સમાજ દ્વારા ભવ્ય “શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા”નું આયોજન આગામી તા. 29 માર્ચ 2026થી 6 એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર છે. આ નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવને લઈ સમિતિના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મપરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય પહેલાં દેવી-દેવતાઓને આમંત્રણ પાઠવવાની પ્રાચીન પરંપરા નિભાવી, સમિતિના યુવાનો પ્રભાસતીર્થ ખાતે આવેલા સોમનાથ મંદિર તેમજ ભાલકાતીર્થ ખાતે પધારી ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણને કંકોત્રી અર્પણ કરી ભાવપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું. આ ભવ્ય કથામાં પ્રખર શિવકથાકાર ગીરીબાપુ વ્યાસપીઠ પર બિરાજમાન રહી પોતાની આગવી શૈલીમાં શિવમહાપુરાણની કથા શ્રવણ કરાવશે. કથા રોજ સવારના 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. ધર્મમહોત્સવની શરૂઆત તા. 29 માર્ચના રોજ ધ્વજારોહણથી થશે, જેમાં દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે નૂતન ધ્વજ ચડાવવામાં આવશે. ત્યારબાદ મહાપ્રભુજીની બેઠકથી પિંડારા સુધી ભવ્ય પોથીયાત્રા યોજાશે. આ નવદિવસીય કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરાયું છે, જેમાં સતી પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, રૂદ્રાક્ષ મહાત્મ્ય અને ભસ્મ મહાત્મ્ય જેવા પાવન પ્રસંગો ઉજવાશે. તા. 30 માર્ચે સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય ભોજન યોજાશે. વિશેષ આકર્ષણ તરીકે તા. 4 એપ્રિલે શિવપાર્વતી વિવાહ પ્રસંગે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સાથે પિતૃતર્પણ (પિંડારું) વિધિ પણ પીંડારક ક્ષેત્રે તીર્થગોરો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવશે. આ ઉપરાંત નવકુંડિય મહાવિષ્ણુ યાગ તથા શ્રીમદ્ ભાગવત પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભાગવત કથાકાર ધવલભાઈ અત્રી મુખ્ય આચાર્ય તરીકે ઉપસ્થિત રહેશે. પીંડારા તીર્થનું વિશેષ મહાત્મ્ય છે. હરી અને હરનું સંગમસ્થળ માનાતા આ ક્ષેત્રે મહાભારતકાળથી ઋષિ-મુનિઓની તપોભૂમિ તરીકે ઓળખ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ પાંડવોએ અહીં પિતૃતર્પણ કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. આજે પણ સમુદ્ર મધ્યે સ્થિત અતિદુર્લભ શિવલિંગ અને મહર્ષિ દુર્વાસાનો આશ્રમ આ સ્થાનની આધ્યાત્મિક મહિમાને ઉજાગર કરે છે. આ ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવમાં તમામ ધર્મપ્રેમી ભક્તોને હાજરી આપી આધ્યાત્મિક લાભ લેવા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
રાજકોટમાં 19 વર્ષિય યુવાનનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મૃત્યુ થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. શહેરના ઓમનગર પાસેની જલારામ સોસાયટીમાં રહેતો અને VVP કોલેજમાં અભ્યાસ કરતો ધર્મિન મોરીધરા આજે 25 માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ અવધના નિર્જન બંગલા પાસે ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો જે દરમિયાન બોલ પાછળ આવેલા બંધ સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બોલ લેવા જતા યુવાન શેવાળ જામેલા સ્વિમિંગ પૂલમાં લપસી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રો અને સ્થાનિક યુવાનની મદદથી ધર્મિનને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યો. મિત્રે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યું પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે તે પહેલા જ યુવાને દમ તોડી દીધો. પિતા હિતેશભાઈએ જણાવ્યુ હતું કે, મારો 19 વર્ષીય પુત્ર ધર્મિન VVP એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેક.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે તેઓની પરીક્ષા હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓ સવારે 10:00 વાગ્યે અવધના બંગલા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. બીજી વખત તેઓ આ મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. જે દરમિયાન બોલ બંગલા પાછળ આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બોલ લેવા જતા મારો પુત્ર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારના આધાર સ્તંભરૂપ એક માત્ર પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડયું હતુ. ધર્મિન હિતેષભાઇ મોરીધરા બી.ટેક.માં અભ્યાસ કરતો હતો. અવધ બંગલા પાછળ 5 જેટલા મિત્રો ક્રિકેટ રમવા ગયા હતા. જે દરમિયાન દળો પાછળ આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે દળો લેવા માટે ધર્મિન ગયો હતો. જોકે ધડામ દઈને અવાજ આવતા તમામ મિત્રો ત્યાં પહોચી ગયા હતા. જે દરમિયાન જોયું તો ધર્મિન ડૂબી રહ્યો હતો. જેથી મિત્રોએ તુરંત લાકડાનો ઘા કર્યો. જોકે તે લાકડું ન પકડી શક્યો. જ્યાં સ્થાનિક રહેવાસી યુવાને ધર્મિનને બહાર કાઢ્યો. 108 એમ્બ્યુલમમાં ફોન કર્યો હતો. જેઓને માંડ એડ્રેસ મળતા તે પહોંચી. જોકે 108 એમ્બ્યુલન્સના નર્સ હતી. નર્સે હાથમાં બે ઇન્જેક્શન આપ્યા. જેને CPR નહોતું આવડતું. જેથી મિત્રએ CPR આપ્યું. જે બાદ ધર્મિનને 108 એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા હતા ત્યારે પ્રથમ ખાનગી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું પરંતુ 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે ત્યાં સમય લાગશે. જેથી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતો હતો. જોકે કે. કે. વી. હોલ પાસે એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં જ ધર્મિનના શ્વાસ બંધ થઈ ગયા. જે બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ધર્મિનનું મૃત્યુ થયુ હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતુ. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલો અવધનો બંગલો વેરાન છે. જ્યાં ખુલ્લું ગ્રાઉન્ડ આવેલું હોવાથી અનેક યુવાનો ત્યાં ક્રિકેટ રમતા હોય છે. ક્યા બંગલો અને તેની પાછળ આવેલો બંધ સ્વિમિંગ પૂલ નિર્જન સ્થળ છે. આમ છતાં પણ અહીં કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ મૂકવામાં આવ્યા નથી. જેને કારણે આ પ્રકારની ગંભીર ઘટના બની છે.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ હત્યાના પ્રયાસની ઘટના બની હતી, ત્યારે વધુ એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. મહિલાની સાથે વાતચીત કરવા બાબતે ઠપકો આપવા ગયેલા બે યુવકોને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેમાં એક યુવક અને ગંભીર ઇજાઓ તથા હાલ સારવાર માટે હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખોખરા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 'તુ મારી પત્ની સાથે વાત કેમ કરે છે' કહેવા જતાં બોલાચાલી થઈમળતી માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં મોતીભાઈની ચાલીમાં અજયભાઈ ઠાકોર તેમના પરિવાર સાથે રહે છે. એક અઠવાડિયા પહેલા અજયભાઈને જાણ થઈ હતી કે, તેમની સામેની સોસાયટીમાં રહેતો અવિનાશ સોનવણે સાથે તેમની પત્ની વાતચીત કરે છે. જેથી આ બાબતે અજય અવિનાશના ઘરે ગયો હતો અને કહ્યું હતું કે તને મારી પત્ની સાથે વાત કરવાની ના પાડી છે છતાં તું કેમ વાત કરે છે. જે અંગેની બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેઓ પોતાના ઘરે આવ્યો હતો. રાત્રે 7:30 વાગ્યાની આજુબાજુ અવિનાશ, તેનો ભાઈ વિશાલ અને સન્ની તેમજ તેના માસીનો દીકરો કાર્તિક અજયના ઘર પાસે આવ્યા હતા. હિતેશને જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે મારી દીધીઅવિનાશ એકદમ મુશ્કેલાઈને અજયને કહ્યું હતું કે, તું વારંવાર મારા ઘરે કહેવા આવે છે તો તારી પત્નીને સમજાવો. જેથી તેઓ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. અજય ગાળો બોલવાની ના પાડતા ચારેય જણા ભેગા મળી માર મારવા લાગ્યા હતા અને વિશાલે એની પાસે રહેલી છરી કાઢીને જાનથી મારી નાખવાના ઇરાદે અજયના માથામાં મારી દીધી હતી. આ દરમિયાન અજયના કાકાનો દીકરો હિતેશ આવી ગયો હતો. વિશાલના હાથમાં રહેલી છરી સની એ લઈ અને હિતેશને જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે મારી દીધી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. મારામારી થતા હિતેશ બચવા માટે રિક્ષામાં બેસી અને ભાગી છુટ્યો હતો. હિતેશને ગંભીર ઈજા થતા હાલ સારવાર માટે ICUમાં દાખલ કરાયોચારેય આરોપીઓએ ઘરની બાજુમાં પડેલા એક્ટિવામાં પણ લાકડી વડે તોડફોડ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. હિતેશને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અજયને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો. હિતેશને ગંભીર ઈજા થતા હાલ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, ચારેય આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. આ મામલે ખોખરા પોલીસને જાણ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ખોખરા વિસ્તારમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ જાહેરમાં છરી અને લાકડીઓ વડે માર મારી હત્યાના પ્રયાસના બનાવો વધી રહ્યા છે. ખોખરા પોલીસ વિસ્તારમાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટ અને નજીકમાં આવેલાં ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા બે સહિત ચારની રૂ. 2.97 લાખની કિંમતના 5 કિલો, 952 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકી બે તો માર્કેટમાં જ રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતાં. માર્કેટમાં કામ કરતા લોકોને જ આ ગાંજો વેચવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મજૂરોને છૂટકમાં ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયુંપૂણા પોલીસ ઈન્સ્પેક્ટર વી. એમ.દેસાઈ અને ટીમે ગતરાત્રે નવ વાગ્યાના અરસામાં બાતમીને આધારે સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફૂટ માર્કેટમાં વોચ ગોઠવી હતી. અહીં સફા ફ્રુટ કંપનીમાં નોકરી કરતો નિટુ બાબુલાલ પ્રધાન મજૂરોને છૂટકમાં ગાંજો વેચતો હોવાનું અને તેને ગાંજો આપવા કુખ્યાત ડીલર પિન્ટુ સુખદેવ બિસોઈ (રહે. હરિઓમનગર, પાંડેસરા, મૂળ રહે. હાડીચેરીગામ, ગંજામ, ઓરિસ્સા) બાઈક પર આવવાનો છે. બંને પાસેથી 5 કિલો ગાંજો જપ્ત કરાયોપોલીસના આશ્ચર્ય વચ્ચે પિન્ટુ સાથે બાઈક પર બીજા બે શખ્સો કેશવ ડાકા ગૌડા (રહે. સફા ફૂટ કંપની, મહાત્મા ગાંધી ફૂટ માર્કેટ, મૂળ ઓરિસ્સા) અને સંતોષ પ્રફુલ્લ જૈના (રહે. પ્રમુખપાર્ક, પાંડેસરા, મૂળ ઓરિસ્સા) આવ્યા હતા. ત્રણેય પાસેથી પોલીસને 5 કિલો 952 ગ્રામ ગાંજો મળ્યો હતો. પિન્ટુએ જ આ બંનેને ગાંજો સપ્લાય કર્યો હતો અને વધેલો ગાંજો નીટુને આપવા આવ્યા હતા. બે માર્કેટમાં જ મજૂરી કરતા હતાનીટુ અને કેશવ ગૌડા માર્કેટમાં જ મજૂરી કામ કરતા હતા. માર્કેટમાં મજૂરી ઉપરાંત છૂટકમાં ગાંજો વેચતા હતા. માર્કેટનાં મજૂરો જ તેમનાં ગ્રાહક હતા. પોલીસે આ ચારેયની ધરપકડ કરવાની સાથે આ જથ્થો જ્યાંથી ખરીદવામાં આવ્યો હતો તે ઓરિસ્સાના ગંજામના આલોક ગૌડનો વોન્ટેડ જાહેર કર્યો હતો. પિન્ટુ સારોલીમાં 17 કિલો ગાંજામાં છ મહિનાથી વોન્ટેડપિન્ટુ સુરતમાં ગાંજા સપ્લાયનું મોટા પાયે કામ કરતો હતો. ગાંજો લેવા માટે તે જાતે ઓરિસ્સાના ગંજામ જતો હતો અને સુરતના ઓર્ડર પ્રમાણેનો માલ લઇ આવતો હતો. છ મહિના પહેલાં સારોલી પોલીસે 17 કિલો ગાંજો પકડ્યો હતો. તેમાં તે મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ હતો.
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી મારામારીની દાઝ રાખી ગતરાત્રે યુવક તેના મિત્રો સાથે બેઠો હતો તે વેળાએ મોટરસાઇકલ પર ધારિયું અને છરી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા ચાર શખ્સોએ ગાળો બોલી તમને જીવતા નહીં રહેવા દઈએ એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા ગંગાજળિયા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં હથિયારો લઈ જાનથી મારી નાખવાની ધમકી આપીઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ આરબવાડમાં રહેતા અબદલ્લા અમરભાઈ બાજુબેર/આરબે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તેઓ રાણીકા લીમડીવાળી સડક પર વખારના ચોક ખાતે પોતાના મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા, ત્યારે આશરે એક વાગ્યાના સુમારે જર્મન તથા વિજય ઉર્ફે વિજયો કાળીયો પોતાના મિત્ર કુમાર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અગાઉ લગભગ એક વર્ષ પહેલા થયેલી મારામારીની દાઝ રાખી મોટરસાઇકલ પર આવી હાથમાં ધારિયું અને છરી જેવા હથિયારો સાથે ગાળો આપી ધમકી આપી હતી કે “તમને બહુ હવા આવી ગઈ છે, અમે તમારી હવા કાઢી નાખીશું અને જો તમે તમારા લતા બહાર ક્યાંય ભેગા થશો તો તમને જીવતા નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે જર્મન, વિજય ઉર્ફે વિજયો કાળીયો, અમન ઉર્ફે બગ્ગો તથા એક અજાણ્યા ઇસમ સામે BNS કલમ 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડમાં રામ નવમીએ શોભાયાત્રા નીકળશે:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિના દર્શન, માર્ગો શણગારાશે
વલસાડ શહેરમાં રામ નવમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. 'રામ જન્મોત્સવ આયોજન સમિતિ' દ્વારા વલસાડ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી અપાઈ હતી. આ વર્ષે શોભાયાત્રામાં અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ મુખ્ય આકર્ષણ રહેશે. આયોજન સમિતિના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું કે, ભગવાન રામની નવી મૂર્તિ લાવવામાં આવી છે. તેનું અનાવરણ રામ નવમીના દિવસે બપોરે 12 કલાકે કરવામાં આવશે. સ્નેહલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, શોભાયાત્રાનો પ્રારંભ રેલવે ગોદીથી થશે. તે નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકી અને કૃષ્ણ ભગવાનની વિવિધ જીવંત ઝાંખીઓ જોવા મળશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન સતત સુંદરકાંડના પાઠ ચાલશે. રૂટના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમિતિના જણાવ્યા અનુસાર, વલસાડના મુખ્ય માર્ગોને શણગારવામાં આવી રહ્યા છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા છે.
સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવવામાં આવ્યો છે. આ રજૂઆતમાં શહેરમાં વસતા લાખો શ્રમિકોને ઘરગથ્થુ એલપીજી ગેસ મેળવવામાં પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ચેમ્બરે માંગ કરી છે કે મજૂરો માટે રેશનકાર્ડની અનિવાર્યતા દૂર કરી આધાર કાર્ડ આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવે. 60 થી 80 ટકા મજૂરો પાસે સ્થાનિક રેશનકાર્ડ નથીચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા કુલ મજૂરોમાંથી અંદાજે 60 થી 80 ટકા શ્રમિકો અન્ય રાજ્યો કે જિલ્લાઓમાંથી આવેલા છે. આ માઇગ્રન્ટ મજૂરો પાસે સુરતનું સ્થાનિક રેશનકાર્ડ ન હોવાથી તેઓને કાયદેસરનું ગેસ કનેક્શન મેળવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. રિવર્સ માઇગ્રેશનનો વધતો ભયવર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અને મેળવવામાં પડતી અડચણોને કારણે શ્રમિક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો મજૂરોને પાયાની સુવિધાઓ નહીં મળે, તો તેઓ પોતાના વતન તરફ પાછા ફરી શકે છે. આ 'રિવર્સ માઇગ્રેશન' સુરતના મુખ્ય ઉદ્યોગો માટે ગંભીર આર્થિક કટોકટી સર્જી શકે છે તેવી ભીતિ પણ ચેમ્બરે વ્યક્ત કરી છે. આધાર કાર્ડને ઓળખનો મુખ્ય આધાર બનાવવા માંગચેમ્બરે સૂચન કર્યું છે કે આધાર કાર્ડ એ આજે દેશભરમાં સર્વત્ર સ્વીકાર્ય ઓળખ પુરાવો છે. જો રેશનકાર્ડના સ્થાને માત્ર આધારકાર્ડના આધારે એલપીજી સિલિન્ડર ફાળવવાની છૂટ આપવામાં આવે, તો લાખો શ્રમિકોને મોટી રાહત મળી શકે છે. આ પ્રક્રિયાથી મજૂરોને સરળતાથી ગેસ સુવિધા ઉપલબ્ધ થશે અને કાળાબજાર પર પણ લગામ લાગશે. ઉદ્યોગોના અસ્તિત્વ માટે શ્રમિકોની સુવિધા જરૂરીસુરતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શ્રમિકો છે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે કલેકટરને જણાવ્યું છે કે જો શ્રમિકોને રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ જશે, તો તેની સીધી અસર ઉત્પાદન અને ઉદ્યોગોના વિકાસ પર પડશે. આથી, શ્રમિકોના હિતમાં નિયમોમાં લવચીકતા લાવવી અનિવાર્ય છે. વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પગલાની અપેક્ષાજિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને પાઠવેલા પત્રમાં ચેમ્બરે માંગ કરી છે કે આ મુદ્દે ગેસ એજન્સીઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મજૂર વર્ગને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્ર દ્વારા લેવાયેલા હકારાત્મક પગલાં શહેરના ઔદ્યોગિક સ્વાસ્થ્ય માટે મહત્વના સાબિત થશે. શ્રમિકોને પાયાની સુવિધા મળે તે પ્રથમ પ્રાથમિકતાઅંતમાં, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે કે સુરત આવતા દરેક શ્રમિકને સન્માનજનક જીવન અને જરૂરી સુવિધાઓ મળે તે જોવાની જવાબદારી તંત્રની છે. આધાર કાર્ડ આધારિત ગેસ વિતરણ વ્યવસ્થા એ આ દિશામાં એક મોટું અને પ્રગતિશીલ કદમ સાબિત થઈ શકે છે, જેનાથી શહેરમાં કામ કરતા માઇગ્રન્ટ વર્ગનો વિશ્વાસ વધશે.
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયરૂપ IVF કેન્દ્રનું BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત ડોક્ટર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી લોકોના આરોગ્યની સુખાકારી માટે કાર્યરત ડોક્ટર સ્વામીએ આજથી 70 વર્ષ પહેલા તત્કાલિન બૉમ્બે યુનિવર્સિટીમાંથી MBBSની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ ત્યાગશ્રમ સ્વીકાર્યો હતો, તેઓના હસ્તે વંધત્વ્યના અભિશાપથી પીડિત યુગલો માટે આશીર્વાદરૂપ એવા IVF સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આધુનિકતા સાથે આધ્યાત્મિકતાના સમન્વયરૂપ સુવિધા પ્રદાન કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ ડોક્ટર સ્વામીએ સારવાર કરાવનાર તમામ યુગલોને ત્યાં સંસ્કારી સંતાન જન્મ ધારણ કરે તેવી પણ અભિલાષા વ્યક્ત કરી હતી. સિનિયર ગાયનેકોલજિસ્ટ અને IVF સ્પેશિયલિસ્ટ ડૉ. નવીન પંચાલે જણાવ્યું હતું કે, આજે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે નવા IVF સેન્ટરની વિધિવત રીતે પૂજા-વિધિ કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા અમે વડોદરાના દર્દીઓને વર્લ્ડ ક્લાસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ પૂરી પાડીશું. અહીં તમામ આધુનિક સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે. અહીં ટેસ્ટ ટ્યુબ બેબી (IVF)ની સુવિધા મળશે અને IVFમાં થતી તમામ એડવાન્સ પ્રોસિજર અને ટેકનિક્સની ઉપયોગ કરવામાં આવશે. નિઃસંતાન દંપતીઓ માટે પ્રેગ્નન્સી રહે તે માટેની તમામ આધુનિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ IVF સેન્ટર અન્ય સેન્ટરો કરતા સાવ અલગ છે. સામાન્ય ભાષામાં કહીએ તો, અન્ય સેન્ટરોનો અભિગમ અલગ છે અને અમારો અભિગમ અલગ છે. અમે અહીં આધ્યાત્મિકતા સાથે IVF ટ્રીટમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે જોયું છે કે જે દંપતી ઇનફર્ટિલિટીની સારવાર હેઠળ હોય છે, તેઓ ખૂબ જ માનસિક અને આર્થિક તણાવમાંથી પસાર થતા હોય છે. અમારો ઉદ્દેશ્ય માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનો જ નથી, પરંતુ તેને આધ્યાત્મ સાથે જોડીને દર્દીનો તણાવ ઓછો કરવાનો છે. જો તણાવ ઓછો હશે, તો ગર્ભાવસ્થા દરમિયાનની તેમની આખી સફર સરળ બનશે. અમારું લક્ષ્ય માત્ર ગર્ભધારણ કરાવવા પૂરતું મર્યાદિત નથી, પણ બાળક હાથમાં આવે ત્યાં સુધીની આખી પ્રેગ્નન્સીની જર્ની તણાવમુક્ત અને સુખદ બનાવવાનો છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના CEO ડો. સમીર બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, આજે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતી પર્વે સંસ્થાના વડીલ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે આ IVF સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. અમારો અભિગમ હંમેશા આધ્યાત્મિકતા સાથે આધુનિક સારવાર આપવાનો રહ્યો છે. અહીં તમામ સુવિધાઓ અત્યંત આધુનિક છે, જેમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, ફેસિલિટી અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. અમને વિશ્વાસ છે કે ભગવાનના આશીર્વાદ અને આ આધુનિક ટેકનોલોજીના સંગમથી અમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પૂજ્ય ડોક્ટર સ્વામી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને ખૂબ જ રાજી થયા છે. તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું કે, દંપતીઓ અહીં આવીને ભગવાનને પ્રાર્થના કરે અને તેમના સંતાનને સંસ્કારી બનાવે તે જ સાચું સુખ છે. IVFની જરૂરિયાત વધવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી, પરંતુ મુખ્યત્વે ત્રણ-ચાર પરિબળો જોવા મળે છે. બદલાતી જતી ખાણીપીણીની શૈલી, આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માનસિક તણાવ, હવે લગ્નની ઉંમર ધીરે ધીરે વધી રહી છે. આ ઉપરાંત ઘણા દંપતીઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માટે ફેમિલી પ્લાનિંગમાં મોડું કરે છે. આ કારણોસર અત્યારે નિઃસંતાન દંપતીઓમાં IVF સેન્ટરની જરૂરિયાત વધી રહી છે.
શહેરના માંજલપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે LPG ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતા ઝડપાયોફરિયાદ અનુસાર ગત રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન વડસર રોડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રોડ ઉપર બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા. પોલીસે નજીક જઈ તપાસ કરતાં એક ઇસમ પાસે KABSONS કંપનીનો સીલબંધીત ઘરેલું LPG ગેસ સિલિન્ડર મળ્યો હતો. તે સિલિન્ડર બીજા ઇસમને રૂ.4000 માં વેચાણ કરી રહ્યો હતો. જ્યારે સિલિન્ડર પર છપાયેલ MRP રૂ.3500 હોવાનું જણાયું હતું. સ્થિતિનો ફાયદો ઉઠાવી વધુ કિંમતે વેચાણ કરતોપુછપરછ દરમ્યાન સિલિન્ડર ખરીદનારનું નામ ભાનુભાઈ ધામુભાઈ ચુનારા (ઉ.વ. 34, રહે. મકરપુરા જી.આઈ.ડી.સી) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વેચાણ કરનાર ચેતનકુમાર સુંદરલાલ ઈનાની (ઉ.વ. 48, રહે. માંજલપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી પોતાના આર્થિક લાભ માટે સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે LPG સિલિન્ડર વેચાણ કરતો હતો. જેના કારણે પોલીસ દ્વારા તેને ઝડપી પાડી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 7 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આગામી સમયમાં આવી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલ દ્વારા સ્ટાફના માણસો સાથે સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર પરિભ્રમણ કર્યુંપોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના નેતૃત્વમાં પોલીસ કાફલાએ સાંથલના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર પરિભ્રમણ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ આગામી તહેવારો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરક્ષાનો માહોલ ઉભો કરવાનો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાના આદેશપેટ્રોલિંગ દરમિયાન પી.આઈ. શ્રીપાલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કડક સૂચના આપી હતી કે, જો કોઈ પણ પ્રકારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવશે તો પોલીસ તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે. આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે.
જામનગરમાં એક મિત્રએ વ્યાજખોરીના બહાને બીજા મિત્રની 4 કરોડ રૂપિયાની મિલકત પચાવી પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના બોપલ ખાતે રહેતા જમીન લે-વેચના વ્યવસાયી સંજય મકવાણાએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2011થી આરોપી યુવરાજસિંહ જાડેજા (રાજદીપ ફાયનાન્સ, લાલબંગલા સામે) એ સંજયભાઈ સાથે મિત્રતા કેળવી હતી. સંજયભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતાં, યુવરાજસિંહએ સરકારી ધારાધોરણ કરતાં અનેકગણું ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું. સુરક્ષા પેટે, યુવરાજસિંહએ જામનગરનું એક મકાન, બે ઓફિસ અને અમદાવાદની બે ઓફિસ મળી કુલ અંદાજે 4 કરોડ રૂપિયાની મિલકતોના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ, ફરિયાદી સંજયને અંધારામાં રાખીને, યુવરાજસિંહએ આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી દીધી હતી. આ કૃત્ય દ્વારા તેણે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 316(2) અને 317(2) તેમજ ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ 2011 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ પીએસઆઈ એચ.એમ. મહેતા ચલાવી રહ્યા છે.
ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે. આ નિર્ણય ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડશે. નવું સાપ્તાહિક મેનુ સોમવાર: મગ ચાટ (મગ, ટામેટા, ડુંગળી) મંગળવાર: વેજીટેબલ પૌવા (પૌવા, સીંગદાણા, બટેટા, બીટ) બુધવાર: મિક્સ કઠોળ ચાટ (ચણા, મગ, મઠ, ચોળા) ગુરુવાર: શ્રી અન્ન (મિલેટ) સુખડી (મિલેટ લોટ, ગોળ, સીંગદાણા) શુક્રવાર: વેજીટેબલ ઉપમા (રવો, સીંગદાણા, મિક્સ શાકભાજી) શનિવાર: વેજીટેબલ પૌવા (પૌવા, સીંગદાણા, શાકભાજી) વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશેઆ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે અને દેશી અનાજોને પ્રોત્સાહન મળશે. પોષણયુક્ત-સ્વસ્થ ખોરાક મળશેસરકારના આ નિર્ણયને આરોગ્ય અને પોષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના બાળકોને માત્ર પેટ ભરવાનું નહીં, પરંતુ પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક પણ મળશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના માંસ, મચ્છી અને ચિકનનો વ્યવસાય કરતા વેપારીઓ માટે એક મહત્ત્વની જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના અનુસાર, ગુજરાત સરકારના આદેશ અને ધાર્મિક આસ્થાઓને માન આપીને આગામી રામનવમી અને મહાવીર જયંતિએ કતલખાના બંધ રાખવા આદેશ કરાયો છે. માંસ મચ્છીનું વેચાણ કરતી દુકાનો ફરજીયાત બંધ રાખવી મહાનગરપાલિકાના આદેશ અનુસાસ તા. 26 માર્ચ, ગુરુવારના રોજ રામનવમી તથા તા. 31 માર્ચ, મંગળવારના રોજ મહાવીર જયંતિના પવિત્ર પર્વો નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસોએ પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે શહેરના તમામ વિસ્તારોમાં માંસ-મચ્છીનું વેચાણ કરતા વેપારીઓએ પણ પોતાનો વ્યવસાય અને દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.vmc.gov.in પર પણ આ અંગેની સત્તાવાર વિગતો મૂકવામાં આવી છે. રામનવમી અને મહાવીર જયંતિ જેવા મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન જીવદયા અને અહિંસાના પાલન અર્થે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી આ નિયમનું ઉલ્લંઘન કરશે અથવા નિર્ધારિત દિવસે વ્યવસાય ચાલુ રાખશે, તો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના તમામ માંસ અને મચ્છીના વેપારીઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્રને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ આકસ્મિક ચેકિંગ કરશે પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રહેવાની સાથે સાથે છૂટક વેચાણ પર પણ પ્રતિબંધ હોવાથી નાગરિકોને પણ આ બાબતની નોંધ લેવા જણાવાયું છે. આરોગ્ય વિભાગની ટીમો આ બંને દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ પણ હાથ ધરી શકે છે અને જો કોઈ નિયમોનો ભંગ કરતુ માલુમ પડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મેઉ શાળામાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ:પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને વિદાય અપાઈ
મહેસાણા તાલુકાની મેઉ પગાર કેન્દ્ર શાળા ખાતે 24 માર્ચ, 2026, શનિવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના આઠ વર્ષ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેઉ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ દશરથજી શિવાજી ચાવડા, કેળવણી મંડળના પ્રમુખ દિલીપસિંહ ચાવડા, મંત્રી રજુજી ચાવડા અને એસ.એમ.સી. અધ્યક્ષ ભુપતસિંહ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શૈલેષભાઈ ચૌધરી, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, SMC સભ્યો અને વાલીઓએ હાજર રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. શાળાના આચાર્ય સુનિલભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને તિથિ ભોજનના દાતા દશરથજી શિવાજી ચાવડાનું શાળા પરિવાર વતી બૂકે, શાલ અને પુસ્તક અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંચ પર બિરાજમાન અન્ય તમામ મહાનુભાવોનું પણ ફૂલછડી આપી સ્વાગત કરાયું હતું. ધોરણ 8 ના વર્ગ શિક્ષક કૌશરબેન મનસુરી, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સહિયારા પ્રયાસથી શાળાને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ₹11,000/- ની રકમના વિવિધ પોષાક ભેટ આપવામાં આવ્યા હતા. વિદાય લઈ રહેલા ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા આઠ વર્ષના અનુભવો અને શિક્ષકોના પ્રેમની યાદો વાગોળી હતી. શાળાના શિક્ષકો અને ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ પણ વિદાય લઈ રહેલા મિત્રો સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેમને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નાયી બિપીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કિંજલ સ્ટુડિયો (મેઉ) ના પ્રજાપતિ ભોળાભાઈ તરફથી સંપૂર્ણ કાર્યક્રમની નિઃશુલ્ક ફોટોગ્રાફીની સેવા પૂરી પાડવામાં આવી હતી, જે બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સમૂહ ભોજન લીધું હતું.
સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા 24 માર્ચ 2026ના રોજ “Modi’s Mission – In Conversation with Berjis Desai” શીર્ષક હેઠળ એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રખ્યાત કાયદા નિષ્ણાત બરજિસ દેસાઈ દ્વારા લિખિત પુસ્તક “Modi’s Mission” પર આધારિત હતો. આ સંવાદમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, શાસનનાં દૃષ્ટિકોણ અને વિકાસના વિઝન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભારતના વિકાસ માર્ગ અને 'વિકસિત ભારત ૨૦૪૭' અંગે અર્થપૂર્ણ ચર્ચામાં જોડાયા હતા. સંવાદ દરમિયાન બરજિસ દેસાઈએ પોતાના પુસ્તકમાંથી મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. તેમણે નેતૃત્વ, નીતિ પરિવર્તન અને આધુનિક ભારતને આકાર આપતી દીર્ઘદૃષ્ટિ વિશે સમજ આપી હતી. દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “યુગપુરુષ” તરીકે રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમનામાં કોઈ દિવ્ય શક્તિનો સંચાર છે. તેમણે માત્ર 8 વર્ષની નાની ઉંમરથી જ રાષ્ટ્રસેવામાં પ્રખર પ્રચારક તરીકે જોડાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કચ્છના વિનાશકારી ભૂકંપ વખતે નરેન્દ્ર મોદીના ઉત્તમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કૌશલ્ય અને કાર્યક્ષમતાની પણ ચર્ચા કરવામાં આવી હતી. દેસાઈએ વડાપ્રધાન વિશે ઘણી અનકહી વાતો કરી હતી અને નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત અનુભવો પણ વર્ણવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તક રાજકારણથી પરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજકારણી તરીકે નહીં, પરંતુ વ્યક્તિ તરીકે તેમની નિષ્ઠા, સેવાભાવ, વિચક્ષણ ક્ષમતા અને નેતૃત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ઊંડા સંશોધનો બાદ હકીકતોને વાર્તાકીય ઢબે પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. તેમના સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને શાસન, નિર્ણયક્ષમતા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સમજ મળી હતી. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પરથી મળતી તાત્કાલિક પ્રેરણા અને પુસ્તકોમાંથી મળતી ગહન તથા દીર્ઘકાલીન પ્રેરણા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે વિચારવિમર્શ અને શીખવાની એક સશક્ત તક બની રહ્યો, જેના દ્વારા તેમને દેશના વિકાસમાં પોતાના યોગદાન વિશે વિચારવા માટે પ્રબળ પ્રેરણા મળી. યુનિવર્સિટી મેનેજમેન્ટે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક પ્રયાસો ચાલુ રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કરશે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરમાં સાંજે 4 વાગ્યે આ સભા યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી AAPના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે. આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો હાજર રહેશે. ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. AAPએ ગઈકાલે પોતાના 445 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત આપી રહી છે અને આ ચૂંટણીમાં પ્રથમવાર એકલા હાથે તમામ 12,000 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ પ્રવાસનો પ્રથમ કાર્યક્રમ અમરેલીની આ જનસભા છે. આ સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ ઉપરાંત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ પણ હાજર રહેશે. AAP નેતા મનોજ સોરઠિયાના જણાવ્યા અનુસાર, આ સભા ગુજરાતમાં પરિવર્તનનો વિશ્વાસ અને સંદેશ લઈને આવશે. તેમણે દાવો કર્યો કે આ આંદોલન ગુજરાતને ભાજપની ગુલામી અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની શરૂઆત છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ સાથે સ્થાનિક પદાધિકારીઓ, અમરેલી જિલ્લાના અને આસપાસના જિલ્લાઓના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. પાર્ટીને આશા છે કે આ સભાનો સંદેશ ગુજરાતના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે.
ચૈત્રી નવરાત્રી દરમિયાન દેવગઢ બારીયાની એક શાળામાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા નાની બાલિકાઓને મિષ્ટાન ભોજન અને શૃંગારની ૯ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. આ વિતરણમાં બાલિકાઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમને શૃંગારની 9 જુદી જુદી વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં સૌંદર્ય પ્રસાધનોનો સમાવેશ થાય છે. હિંદુ સંસ્કૃતિમાં નવરાત્રી દરમિયાન કુમારીકાઓને દેવીનું સ્વરૂપ માની સન્માનિત કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત બાલિકાઓને ભોજન અને ભેટ આપી તેમનું સન્માન કરાયું હતું. હેલ્પ્સ ફાઉન્ડેશનની આ પહેલનો હેતુ જરૂરિયાતમંદ બાળકો સુધી મદદ પહોંચાડવાનો અને સમાજમાં સકારાત્મકતાનો સંદેશ ફેલાવવાનો હતો. આવી પ્રવૃત્તિઓ સામાજિક એકતા અને સહકારને પ્રોત્સાહન આપે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાહી ફાઉન્ડેશન દ્વારા સરસપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ ટીબી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 45 ટીબી દર્દીઓ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 45 ટીબી દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને ભેટ સ્વરૂપે 6 સ્ટીલના મગ સેટ અને ન્યુટ્રિશન કીટ અર્પણ કરવામાં આવી હતી. ટીબી મુક્ત ભારતના અભિયાનમાં યોગદાન આપનાર બે ટીબી ચેમ્પિયન અને ટીબી કાર્યકર્તાઓને તેમની ઉમદા માનવીય સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને માર્કંડભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંચાલન કર્યું હતું. સરસપુર અર્બન હેલ્થ સેન્ટર તરફથી ડૉ. નિકિતાબેન અને ડૉ. મિતેષભાઈ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રીતેશ શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ટીબી મુક્ત ભારત અભિયાન સિદ્ધ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંકલન દિલીપભાઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિત સૌને ભેટ ઉપરાંત અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવ સાંજે 6.00 વાગ્યાથી શરૂ થશે. શ્રી રામનવમી એ ભગવાન શ્રીરામના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદ અપાવે છે. ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. ભક્તો આ પવિત્ર દિવસે રામનવમી વ્રત રાખી ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. તેમના દિવ્ય ગુણો અને લીલાઓનું વર્ણન મહાન કવિ વાલ્મીકિ દ્વારા રામાયણમાં કરવામાં આવ્યું છે. રાજા દશરથને ત્રણ રાણીઓ – કૌશલ્યા, કૈકઈ અને સુમિત્રા હોવા છતાં સંતાન નહોતું. મહર્ષિ વશિષ્ઠના પરામર્શને અનુસરીને તેમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો, જેના ફળસ્વરૂપ તેમની ત્રણેય રાણીઓને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. રાણી કૌશલ્યાએ ભગવાન શ્રીરામને, રાણી કૈકઈએ ભરતને અને રાણી સુમિત્રાએ લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો હતો. મહર્ષિ વાલ્મીકિએ તેમના રામાયણ નામક પુસ્તકમાં ભગવાન શ્રીરામના જીવન અને લીલાઓ વિશે વિસ્તારથી જણાવ્યું છે. આ રામાયણને સંક્ષિપ્તરૂપે શુકદેવ ગોસ્વામી દ્વારા પરીક્ષિત મહારાજને શ્રીમદ્ ભાગવતમ્ના નવમાં સ્કંધમાં કહેવામાં આવી છે. આ ઉત્સવ દરમિયાન ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અલંકારોથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરાશે. ભક્તો આખો દિવસ ઉપવાસ રાખી ભગવાન શ્રીરામનું સ્મરણ કરશે અને સંધ્યાકાળે ઉપવાસ પૂર્ણ કરશે. સર્વોપરી શ્રી શ્રી સીતા રામને ભવ્ય પાલખીમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવશે, જ્યારે ભક્તો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તનમાં જોડાશે. ત્યારબાદ ભક્તો “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ”નો મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કરશે. યજ્ઞ પછી, મહામંગલા આરતી ઉતારવામાં આવશે અને “શ્રી નામ રામાયણ”નું ગાન કરાશે, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે.
સુરત વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં અત્યારે ભક્તિમય માહોલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રાજકોટ ગુરુકુલથી પધારેલા મહંત દેવપ્રસાદદાજી સ્વામીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત સ્વાર્થ માટે ખેલાઈ રહેલા યુદ્ધો નિર્દોષ લોકોને મૃત્યુના મુખમાં ધકેલી રહ્યા છે અને અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, મંત્ર શક્તિ દ્વારા ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ મળે અને આધુનિક તંત્ર તથા યંત્ર દ્વારા થઈ રહેલો વિશ્વનો વિનાશ સત્વરે અટકે. સંતો દ્વારા વિશ્વ શાંતિ અર્થે પ્રાર્થનાઆ પવિત્ર અવસરે સુરત ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી સહિત 70 થી વધુ સંતો અને યુવાનોએ એકત્રિત થઈને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરી હતી. ઉત્સવ દરમિયાન સંતો દ્વારા કાવડ યાત્રા કાઢીને ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ધર્મનંદન ઘનશ્યામ મહારાજનો 29મો પ્રતિષ્ઠોત્સવપ્રભુ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુરુવારે ધર્મનંદન ઘનશ્યામ મહારાજનો 29મો પ્રતિષ્ઠા દિવસ છે. આ નિમિત્તે સવારે ભગવાનને પંચામૃત, ચંદન, વિવિધ ફળોના રસ તેમજ તાપી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દરરોજ હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ દર્શન-પ્રાર્થનાનો લાભ લેતા હોય છે. શુક્રવારે હરિજયંતીની ભવ્ય ઉજવણીસ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ઉત્સવ પૈકીના એક એવા 'હરિજયંતી'ની ઉજવણી 27 માર્ચ, શુક્રવારના રોજ કરવામાં આવશે. સવારે 5:00 થી 8:30 દરમિયાન ભગવાનનો વિશેષ અભિષેક યોજાશે. ત્યારબાદ રાત્રે 8:00 થી 11:00 વાગ્યા દરમિયાન ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટયોત્સવ અત્યંત દિવ્ય અને ભક્તિસભર રીતે ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સત્સંગીઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ‘ડાયરેક્ટર ફોર ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ’ શ્રી રવિ ટાંક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું હતું. શ્રી રવિ ટાંક દ્વારા નેક્સ્ટ જનરેશન પેડાગોજી ફોર ઇફેક્ટિવ લર્નિંગ (અસરકારક શિક્ષણ માટે આગામી પેઢીની શિક્ષણ પદ્ધતિ) વિષય પર વ્યાખ્યાન અપાયું હતું. તેમણે આધુનિક શૈક્ષણિક પ્રવાહો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રી રવિ ટાંકની આ મુલાકાત કોલેજના IQAC (Internal Quality Assurance Cell) અંતર્ગત 'ગ્રીન અને એનર્જી ઓડિટ'ના વિશેષ હેતુ માટે પણ હતી. આ દરમિયાન તેમણે કોલેજ કેમ્પસમાં પર્યાવરણ જાળવણી અને ઉર્જા બચતના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સમી કોલેજના શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને કોલેજના શૈક્ષણિક સ્ટાફે આ શૈક્ષણિક વિચાર-ગોષ્ઠીને આવકારી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવવાના છે. પરીક્ષાના સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવાનું અગાઉથી જ બંધ કરી દેવાયું છે અને CCTV ના મોનીટરીંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વખતની પરીક્ષામાં યુનિવર્સિટી ગેરરીતિના કિસ્સાઓ છૂપાવે છે કે જાહેર કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત પરીક્ષાના પરિણામો સમયસર ત્રણ માસમાં જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માગણી ઉઠી છે. યુનિવર્સિટીમાં 30 માર્ચના સોમવારથી બેચલર ડિગ્રીના સેમેસ્ટર -6 અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર -4 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેમાં સેમેસ્ટર -6 માં બી.એ.માં 13686, બી.કોમ.માં 11493, બી.સી.એ. માં 5903, બી.બી.એ. માં 2992 અને એલ. એલ. બી. માં 2311 છાત્રો પરીક્ષા આપવાના છે. જ્યારે માસ્ટર ડિગ્રીમાં સેમેસ્ટર - 4 માં એમ. કોમ. રેગ્યુલરમાં 1544 અને એક્સટર્નલમાં 1310 તો એમ.એ. રેગ્યુલરમાં 738 અને એક્સટર્નલમાં 1466 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની જગ્યા પર લાંબા સમયથી ભરતી થઈ નથી. જેથી પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા તો ઝડપથી લેવાય છે પરંતુ પરિણામો મોડા જાહેર થાય છે. રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ત્રણ મહિના બાદ પણ જાહેર થતા નથી જ્યારે અમૂક રીપીટર વિદ્યાર્થીઓને તો રીઝલ્ટ માટે 6 માસથી વધુ સમય રાહ જોવી પડે છે. પેપર ચેકિંગની કામગીરી સંભાળતો સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ આધારિત છે ત્યારે યુનિવર્સિટીના કાયમી કુલપતિ અને કુલસચિવ દ્વારા પરીક્ષાના પરિણામોની ચોક્કસ તારીખ જાહેર કરી તે તારીખે જ પરિણામો જાહેર થાય તે જરૂરી છે.
ગંદકી કરનારા એકમો પર ત્રાટકી AMC:પશ્ચિમ ઝોનમાં 149 એકમોને નોટિસ, 7 સીલ અને 2.40 લાખનો દંડ વસૂલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન)ના માર્ગદર્શન હેઠળ, જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ધંધાકીય એકમો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. દિવસ-રાત ચેકિંગ અને નોટિસનો દોરછેલ્લા 2 દિવસ દરમિયાન પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને દિવસ તેમજ રાત્રિના સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાનના ગલ્લા, ચાની કિટલીઓ અને અન્ય વ્યાપારિક એકમોમાં જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 241 યુનિટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ગંદકી અને ડસ્ટબિન ન રાખવા બદલ 149 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 એકમો સીલ: લાખોનો વહીવટી ચાર્જ વસૂલાયોતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ કુલ 7 એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ 2,39,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જેમાં ગંદકી અને ન્યુસન્સ બદલ 2,05,000 રૂપિયાના દંડનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશસ્વચ્છતાની સાથે પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ સામે પણ તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 3.6 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જે પેટે એકમો પાસેથી 34,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કામગીરીથી નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોરબંદરના શીશલી ગામના વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતા વાપરીને એક શ્રમિક મહિલાની સફળ પ્રસૂતિ કરાવી છે. આ ઘટનામાં માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત છે, જેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તા. ૨૫ના રોજ શીશલી ગામના વાડી વિસ્તારમાં રહેતી એક મજૂર પરિવારની મહિલાને બીજી પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. આ અંગે 108ને જાણ કરવામાં આવતા મોઢવાડા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, 108ના ઈ.એમ.ટી. નીતાબેન અને પાયલોટ કિશોરભાઈ મોકરિયાએ હેડ ઓફિસના ફિઝિશિયન ડો. કરણના માર્ગદર્શન હેઠળ વાડીમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો. તેમણે પોતાની તાલીમ અને સૂઝબૂઝનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. 108 ટીમની કુશળતાને કારણે મહિલાએ એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. બાળકનો રુદન સાંભળીને પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. એમ્બ્યુલન્સમાં જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સફળ કામગીરી બદલ 108ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા મોઢવાડા 108ની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા. વિકટ પરિસ્થિતિમાં પણ ધૈર્ય રાખીને સફળ ડિલિવરી કરાવવા બદલ સ્થાનિકોએ પણ નીતાબેન અને કિશોરભાઈની કામગીરીને બિરદાવી હતી.
દિવ્ય ભાસ્કર ડિજિટલમાં બનો તમારા ગામના રિપોર્ટર અને મેળવો પ્રોત્સાહક વળતર. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં તમે તમારા ગામના સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સહિતના કાર્યક્રમોના ન્યૂઝ મોકલી શકો છો. તેમજ દિવ્ય ભાસ્કરની એપ ડાઉનલોડ કરાવી આકર્ષક વળતર પણ મેળવી શકો છો. આ માટે તમારું નામ, શૈક્ષણિક લાયકાત, તમારું સરનામું અને મોબાઇલ નંબર (બાયોડેટા સાથે) અમને 8780069668 પર વોટ્સએપ કરી આપો. અમે આપનો સંપર્ક કરીશું.
જૂનાગઢમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે છેલ્લા 16 વર્ષથી અવિરત સેવા યજ્ઞ ચલાવતી સંસ્થા 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' ના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. અમદાવાદની જાણીતી સંસ્થા વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2025-26 માટે દિવ્યાંગ ક્ષેત્રે વિશિષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જૂનાગઢની આ સંસ્થાના બે સમર્પિત કર્મચારીઓ અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારની 'ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી હતી. વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન અંદાજે 300 થી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા. ફાઉન્ડેશનની ટીમ દ્વારા રાજ્યભરની સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ, ત્યાં થતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢની સાંપ્રત સંસ્થાના આ બે કર્મચારીઓએ અતિ ગંભીર બાળકોની જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, તેને સર્વોપરી ગણીને આ સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ બાબત સમગ્ર જૂનાગઢ જિલ્લા અને દિવ્યાંગ સેવા ક્ષેત્ર માટે ગૌરવ સમાન ગણાય છે. આ પ્રસંગે એવોર્ડ વિજેતા અનિલભાઈ વાણવીએ ભાવુક થતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે. 16 વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન પ્રથમ વખત તેમની મહેનતને રાજ્ય સ્તરે આ રીતે બિરદાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ એવોર્ડ માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી પરંતુ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને તમામ સહકર્મચારીઓના સહકારનું પરિણામ છે. આવી જ રીતે અન્ય વિજેતા પ્રફુલભાઈ પરમારે પણ છેલ્લા 8 વર્ષના પોતાના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે આ સન્માન તેમને ભવિષ્યમાં વધુ જોમ અને ઉત્સાહ સાથે સેવા કરવાની પ્રેરણા પૂરી પાડશે. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ સિદ્ધિ બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાંપ્રત સંસ્થાને ગત વર્ષે પણ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મળ્યો હતો અને આ વર્ષે સંસ્થાના પાયાના પથ્થર સમાન બે કર્મચારીઓની પસંદગી થવી એ ખૂબ જ આનંદની વાત છે. તેમણે બંને કર્મચારીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના હિતેચ્છુઓ અને જૂનાગઢના સેવાભાવી નાગરિકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે કાર્યરત આ સંસ્થા સમાજ માટે એક દિવાદાંડી સમાન સાબિત થઈ રહી છે.
વડોદરાની 28 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાના પતિ તથા સાસરીયા દ્વારા દહેજને લઈને કરવામાં આવેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, તેણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા બે વર્ષથી પોતાના માતા-પિતા તથા ભાઈ સાથે રહે છે. યુવતીના લગ્ન તા. 23 માર્ચ 2022ના રોજ સામાજિક રિવાજ મુજબ અમદાવાદના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે સોના-ચાંદીના દાગીના, કપડા તથા ઘરવખરી સહિતની ભેટસોગાદો આપવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત પરિવારમાં અમદાવાદ ખાતે રહેવા ગઈ હતી અને શરૂઆતમાં ઘરેલું જીવન સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ લગ્નના ત્રીજા જ દિવસથી સાસુ દ્વારા દહેજ મુદ્દે હેરાનગતિ શરૂ કરી દીધી હતી. યુવતીના જણાવ્યા મુજબ, લગ્ન પહેલાં તેના પતિએ શોપિંગના બહાને તેને અમદાવાદ બોલાવી દહેજ અંગે વાત કરી હતી અને ગાંધીનગરના રિસોર્ટમાં લગ્ન માટે ખર્ચ અંગે દબાણ કર્યું હતું. યુવતીના માતા-પિતાએ આશરે રૂપિયા 20 લાખનું લોન લઈને લગ્ન કરાવ્યા હોવા છતાં, સાસરીયાઓએ દહેજ ઓછું આપ્યાના આક્ષેપો કરી સતત માનસિક ત્રાસ આપ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સાસુ-સસરા તથા પતિ દ્વારા વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી, જમવાના સમયે પણ દહેજ મુદ્દે અપમાન કરવામાં આવતું હતું અને યુવતીને યોગ્ય રીતે જમવા પણ દેવામાં આવતું નહોતું. સાસુ દ્વારા યુવતીના પિતાને ગાળો આપવામાં આવતી હતી તેમજ અન્ય પરિવારોના ઉદાહરણ આપી યુવતીને હીનભાવના અનુભવે તેવો ત્રાસ આપવામાં આવતો હતો. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને ઘરની બહાર જવા દેવામાં આવતું નહોતું, ઘણા વખત ખાવાનું આપ્યા વગર રાખવામાં આવતી હતી અને શારીરિક તથા માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. એક પ્રસંગે તેને ભૂખ્યા રાખવાથી તબિયત બગડતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવી પડી હતી. ઉપરાંત, રૂ. 50,000ની માંગણી પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં આક્ષેપ છે કે સાસુ યુવતીને બાથરૂમમાં બંધ કરી દેતા હતા અને રૂમમાં CCTV કેમેરા લગાવ્યા હતા. યુવતીને સંતાન ન થાય તે માટે પણ દબાણ કરવામાં આવતું હતું અને યુવતીના પતિને હમણાં બાળક નહીં કરવાનું તેવું પ્રેશર કરતા હતા અને શરીર સંબંધ બાંધવા દેતા ન હતા. તા. 26 જૂન 2024ના રોજ સાસરીયાઓએ યુવતીના માતા-પિતાને અમદાવાદ બોલાવી, ઘરમાં ઝઘડો કરી તેને ધક્કા મારી કાઢી મૂક્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારથી યુવતી પોતાના પિયરમાં રહે છે. યુવતીએ વધુમાં જણાવ્યું છે કે લગ્ન સમયે મળેલ સોના-ચાંદીના દાગીના સાસરીયાઓએ બેન્ક લોકરમાં રાખી લીધા છે અને પરત આપતા નથી. આ ઉપરાંત, પતિએ તેનો મોબાઇલ ફોન પણ લઈ લીધો છે. આ મામલે યુવતીએ પતિ સાસુ અને સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની શોભાયાત્રા:છાપરીયાથી મહેતાપુરા રામજી મંદિર સુધી, VHP દ્વારા તૈયારીઓ
હિંમતનગરમાં આવતીકાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરેથી શરૂ થઈ ટાવર ચોક થઈને મહેતાપુરા રામજી મંદિરે સમાપ્ત થશે. શોભાયાત્રાના સમાપન બાદ હનુમાન ચાલીસા અને સમૂહ આરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, માતૃ શક્તિ અને દુર્ગાવાહિની, હિંમતનગર દ્વારા આયોજિત તથા હિંદુ સમાજ પ્રેરિત આ શોભાયાત્રા આવતીકાલે, ગુરુવારે બપોરે 3:30 કલાકે છાપરીયા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રા છાપરીયા ચાર રસ્તા, જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક થઈને ટાવર ચોક પહોંચશે. ત્યાંથી તે નવા બજાર, ગાંધી રોડ થઈને ઇડર સ્ટેટ હાઈવે પર એસપી કચેરી, ન્યાય મંદિર અને મહેતાપુરા ઢાળ પસાર કરીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચશે. મહેતાપુરા રામજી મંદિરે સાંજે 7 કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમીની શોભાયાત્રાને અનુલક્ષીને શોભાયાત્રાના રૂટ પર ધજાઓ લગાવવામાં આવી છે. મહેતાપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન યુવકો દ્વારા સર્કલ સહિતના સ્થળો પર ધજાઓ લગાવીને તૈયારીઓ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાંથી સ્થાનિક ગૌરક્ષકો દ્વારા રિક્ષામાં લઈ જવાતા પશુ માંસને ઝડપી પાડવામાં આવ્યું છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે સીટમાં ઢાંકીને પશુ માંસની તસ્કરી કરવામાં આવતી હતી. ગૌરક્ષકો દ્વારા રિક્ષાને ઝડપી પાડવામાં આવી અને ડ્રાઇવરને ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશુ માંસને પરીક્ષણ માટે એફએસએલ ખાતે તપાસમાં મોકલવાની અને ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે પશુ માંસના ટુકડામળતી માહિતી મુજબ ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે જેમાં મોટા પ્રમાણમાં પશુ માંસ ભરેલું છે. જે બાતમીના આધારે એક રિક્ષા આવી હતી જેથી ગૌરક્ષકો દ્વારા તેને રોકવામાં આવી હતી. રિક્ષા રોકી ડ્રાઇવર સીટની નીચે જોતા કાપેલી હાલતમાં પશુ માંસના ટુકડાઓ મળી આવ્યા હતા. રિક્ષામાં પશુ માસની તસ્કરીઆ ઉપરાંત સીટની પાછળના ભાગે પણ ઢાંકેલી હાલતમાં પશુ માંસ મળી આવ્યું હતું. રિક્ષામાં કાપેલી હાલતમાં પશુ માસની તસ્કરી કરવામાં આવતી હોવાને લઈને લોકોએ ડ્રાઇવરને માર માર્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. માર મારતા રિક્ષાચાલક ઈજાગ્રસ્તગૌરક્ષકો અને સ્થાનિકોએ માર મારતા રિક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસે જે પશુ માંસ ઝડપાયું છે તેને કબજે કર્યું હતું અને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે તેમજ તસ્કરી કરનાર રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશુ માંસ FSLમાં મોકલ્યુ: PIઆ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના PI એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે પોલીસે પશુ માંસ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. જાણવાજોગ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં લક્ઝુરિયસ કારમાં વાછરડાની ચોરી 24 ફેબ્રુઆરી, 2026એ ગાંધીનગરમાં અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે લક્ઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરાર થઈ જતા સીસીટીવીમાં કેદ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
અમદાવાદ શહેરમાં રફ્તારના કહેર વચ્ચે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી, જેમાં ચાલક સગીર હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ, નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર બેફામ દોડતા બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. ટ્રાફિક પોલીસે બંને મામલે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી ફૂટપાથ પર ચડાવી દીધીજમાલપુરમાં વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે નાના રસ્તામાં ફૂટપાથ ચઢી ગઈ હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં કોઈ ઇજા પહોંચી નથી, પરંતુ અકસ્માત કરનાર સગીર વયનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બનાવ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ પાર્થ ચૌધરીએ જણાવ્યું કે, અકસ્માત કરનારને લાયસન્સ સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે જે આવ્યા બાદ સગીર છે કે નહીં તે જાણ થશે. બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયાઅન્ય અકસ્માતમાં નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે એક એક્ટિવા પર હોટલમાં કામ કરનાર વિજયસિંહ પરમાર અને શૈલેષ નામનો યુવક જઈ રહ્યા હતા. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં શૈલેષને સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે વિજયસિંહને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઈ ગયો હતો. બુલેટ બાઈકના ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના શોપિંગ સેન્ટરમાં આગ, મોટી દુર્ઘટના ટળી:શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર સેફટીથી કાબુ મેળવાયો
ભરૂચના ઝાડેશ્વર ચોકડી સ્થિત આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ સાઈ અગરબત્તીની દુકાનમાં ભભૂકી ઉઠી હતી, જેના પગલે શોપિંગ સેન્ટરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા અને જી.એન.એફ.સી.ના ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. સદભાગ્યે, સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોત, તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જી શકી હોત. આ ઘટનાએ ફાયર સેફટી વ્યવસ્થાના મહત્વ અને તાત્કાલિક પ્રતિસાદની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
હિંમતનગર ભાજપ દ્વારા શહેર યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જાહેરાત અંતર્ગત, હિંમતનગર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના શ્રેયાંશ બિપિનભાઈ બારોટની નિમણૂક કરાઈ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 10ના દિલીપભાઈ ગોપાલભાઈ સોનગરા અને કિસાન મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 10ના કરણસિંહ દેવુંસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. કુલ મળીને, હિંમતનગર શહેર યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચામાં પ્રમુખ, ત્રણ ઉપપ્રમુખ, બે મહામંત્રી, ત્રણ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત કુલ 11 કાર્યકર્તાઓની વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો બદલ સંગઠન અને મિત્રવર્તુળ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને UNને મોકલ્યો 'મેસેજ', ભારતને રાહત કે નહીં?
(image - ians) Strait of Hormuz: વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરું બન્યું છે, ખાસ કરીને દુનિયાના સૌથી મહત્વના ગણાતો 'હોર્મુઝ સ્ટ્રેટ' દરિયાઈ માર્ગ બંધ થવાથી ક્રૂડ ઓઇલ અને LPGની સપ્લાય ખોરવાઈ છે. વિશ્વના 20% ક્રૂડની અવરજવર આ રૂટ પરથી થાય છે, જે હાલ તણાવ હેઠળ છે.
ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસકર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જોકે, પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગૃહમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને ભૂલથી કેશુબાપા સંબોધતા હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ–સુરતમાં 201 કરોડથી વધુની ઠગાઈઅમિત ચાવડા દ્વારા ગૃહમાં ઉઠાવાયેલા પ્રશ્નમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 1,34,45,44,975 અને સુરત શહેરમાં 66,93,10,941 જેટલો સાયબર ફ્રોડ થયો હોવાનું ગૃહમાં જણાવાયું, જે કુલ મળીને 2,01,38,55,916 થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અમદાવાદ શહેરના ગુન્હાઓમાં 664 આરોપીઓ પકડાયા છે, જ્યારે અમદાવાદમાં 664 અને સુરત શહેરના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 680 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 49 કરોડથી વધુ અને સુરતમાં 6 કરોડથી વધુની રકમ રિકવર કરવામાં આવી છે. સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં PSI સહિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહીતુષાર ચૌધરીએ ગૃહમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, સાબરકાંઠામાં નશીલા પદાર્થોના કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે. દારૂ પરમિટ પ્રક્રિયા માટે આવક અને IT રિટર્ન ફરજિયાતધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે, અરજદારની ઉંમર, રહેઠાણ અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ થાય છે. મુંબઈ લિકર એક્ટ હેઠળ પરમિટ માટે 25,000 માસિક આવક અને છેલ્લા 8 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત છે. મંત્રીઓના અધૂરા જવાબને પગલે અધ્યક્ષનું કડક વલણપ્રશ્નકાળ દરમિયાન કેટલાક મંત્રીઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોવાથી અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક ટિપ્પણી કરી. મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપે. અધિકારીઓને ટકો કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’અધ્યક્ષે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું કે, મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવી તેમની જવાબદારી છે. વિધાનસભામાં અધિકારીઓ માત્ર દર્શક બનીને બેસવા માટે આમંત્રિત નથી કરવામાં આવતા. અધ્યક્ષ ભૂલથી ‘કેશુબાપા’ બોલતા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યુંધારાસભ્ય કેશુભાઈ પટેલનો પ્રશ્ન આવતા અધ્યક્ષ ભૂલથી ‘કેશુબાપા’ બોલી ગયા, જેના કારણે ગૃહમાં હાસ્યજનક માહોલ સર્જાયો હતો. ઇમરાન ખેડાવાલાના પ્રશ્ને મંત્રી વિષયાંતરે જતાં અધ્યક્ષે રોક્યાઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો જવાબ આપતા મંત્રી જયરામ ગામીત વિષયાંતર જઈ રહ્યા હતા. અધ્યક્ષે તરત જ તેમને ટોકી યોગ્ય જવાબ આપવા સૂચના આપી.
સસલાનો શિકાર કરતા 2 ઝડપાયા, ₹25,000 દંડ:અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગની કાર્યવાહી
અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે સસલાનો શિકાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ₹25,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઘટના ચકરાવા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. વનવિભાગની ટીમે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચકરાવા ગામની વાડી વિસ્તારમાંથી આ શખ્સોને સસલાનો શિકાર કરતા રંગે હાથે પકડ્યા હતા. તેમની પાસેથી સસલાનો શિકાર કરવા માટે વપરાતી જાળી, ટોર્ચ અને એક મૃત સસલો કબજે કરવામાં આવ્યો હતો. વનવિભાગે ભરતભાઈ રામભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભગવાનભાઈ ડોડીયા નામના બે શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિઓને રોકવા માટે વનવિભાગ સક્રિય બન્યું છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં બાળ મજુરી કરાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નોબલ નગર વિસ્તારમાં 14થી 17 વર્ષના બાળકોને સિલાઈ કામ અને કાપડના મજૂરી કામ માટે મહિને પાંચથી આઠ હજાર રૂપિયામાં નોકરીએ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનજીઓ સાથે રહી બાળ મજૂરી કરાવનારા 6 બાળકોને મુક્ત કરાવ્યા છે. સરદારનગર પોલીસે NGOની ફરિયાદના આધારે બાળકોને મજૂરી કામ માટે રાખનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. છ જેટલા બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યાવેજલપુર વિસ્તારમાં રહેતા અને એસોસિએશન ફોર વોલ્યુન્ટરી એક્શન સંસ્થામાં સ્ટેટ કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા દામિનીબેન પટેલને બાતમી મળી હતી કે, નોબલનગર વિસ્તારમાં સંજયનગરમાં મહાકાલી દૂધ ઘરની બાજુમાં આવેલી દુકાનમાં કેટલાક બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓને સાથે રાખી સંસ્થા દ્વારા દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સરદાર નગરના નોબલ નગર વિસ્તારમાં જ રહેનારા છ જેટલા બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યા હતા. બાળકોને રોજ 12 કલાક કામ કરાવાતું અને મહિને 5થી 8 હજાર મહેનતાણુ મળતું નોબલ નગરના સંજય નગરમાં રહેતા અને દુકાન માલિક રાજુભાઈ બાવરી દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. બાળકોની પૂછપરછ કરતા છેલ્લા બે મહિનાથી લઈ બે વર્ષ સુધીમાં સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી તેઓ નોકરી કરે છે અને બપોરે એક કલાક રિસેસ મળે છે. સિલાઈ કામ અને કાપડ કટીંગનું મજૂરી કામ કરે છે જેના પેટે તેમને મહિને 5,000થી લઈ 8,000નું મહેનતાણું આપવામાં આવતું હતું. આ સમગ્ર મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે દુકાન માલિક રાજુભાઈ બાવરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વલસાડમાં પારો 36 ડિગ્રી પાર:બફારાથી જનજીવન પ્રભાવિત; લોકોએ દરિયાકિનારે શીતળ પવનોની મજા માણી
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉનાળાનો પ્રકોપ વધ્યો છે. આજે મહત્તમ તાપમાન 36ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ગરમી અને બફારાથી પરેશાન થયા હતા. ગઈકાલની સરખામણીમાં ગરમીમાં કોઈ ખાસ રાહત મળી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાન 36C અને લઘુત્તમ 24C નોંધાયું હતું. સવારથી જ 32C જેટલું તાપમાન અનુભવાતું હોવાથી બપોર સુધીમાં ગરમી તીવ્ર બની હતી. ઉત્તર-પશ્ચિમ દિશાના ૮ mph પવન અને ૩૭ ટકા ભેજના કારણે બફારાનો અનુભવ વધુ તીવ્ર બન્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગરમીનો મારો યથાવત રહ્યો છે. વલસાડમાં 36C, પારડીમાં 35.5C, વાપીમાં 36.2C, ઉમરગામમાં 34.8C, ધરમપુરમાં 35.7C અને કપરાડામાં 35.2C તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળ્યો હતો. હાલમાં યુવી ઇન્ડેક્સ 9 સુધી પહોંચતા નિષ્ણાતોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ત્વચા અને આંખોને નુકસાન થવાની શક્યતા વધી છે. લોકોને બપોરે 12 થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી અને પ્રવાહી લેવા તેમજ સનસ્ક્રીન, ટોપી અને ચશ્માનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. હાલમાં માત્ર 5 ટકા વરસાદની સંભાવના છે, જેથી આગામી દિવસોમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળો પૂરેપૂરો જામ્યો છે અને આગામી દિવસો લોકો માટે પડકારરૂપ બની શકે છે. ગઈકાલે સાંજે ગરમીથી બચવા લોકોએ તિથલ બીચ સહિત વલસાડ જિલ્લાના દરિયાકિનારે જઈને શીતળ પવનોની મજા માણી હતી અને ગરમીથી રાહત અનુભવી હતી.
અમીરગઢ બોર્ડર પર લાખોનો દારૂ ઝડપાયો:પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં 421 બોટલ જપ્ત, એકની ધરપકડ
અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં છુપાવેલી 421 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 13.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને વધુ કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે GJ-25-W-7750 નંબરના એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ભરેલા કટ્ટાઓની આડમાં રૂ. 2,54,166/- ની કિંમતની 421 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 13,44,211/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલક નારણ પરબતભાઈ કરશનભાઈ ભરડા (રહે. માધવપુર, તા.જી. પોરબંદર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 2016 ની કલમ 65એઇ, 116(બી), 98(2), 81, 83 મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલ, ASI કલ્યાણસિંહ દેવિસિંહ, AHC યાસીનખાન દોલતખાન, AHC ઇશ્વરભાઇ દલાભાઇ, UPC મુકેશભાઇ રામજીભાઇ, APC અશોકભાઇ બાબુભાઇ અને APC પરવેજ આલમ સૈજુલ્લા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
શહેરમાં વધુ એક ડમ્પર ચાલકે એક રાહદારીને ભોગ લીધો છે.વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. આ બનાવ બાદ સ્થાનિકોએ ડમ્પરનો પીછો કર્યો પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ વાડજમાં હનુમાનપુર ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ચા પીવા ગયા હતા.ચા પીને ધીરજભાઈ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે એક ડમ્પર આવતું હતું, આ ડમ્પરે ધીરજભાઈને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ ડમ્પર ચાલકનો ટુ-વ્હીલર લીને પીછો કર્યો પણ ન પકડાયોઆ અકસ્માતમાં ધીરજભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.અકસ્માત કરીને ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી રહ્યો હતો. કેટલાક સ્થાનિકોએ ટુ વ્હીલર ઉપર ડમ્પરનો પીછો પણ કર્યો પરંતુ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. ડમ્પરનો નંબર લઈ લીધો છે, હવે ધરપકડ કરીશું: PI ચૌધરીબનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ ચૌધરીએ જણાવ્યું કે ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. પરંતુ ડમ્પરનો નંબર મેળવી લેવામાં આવ્યો છે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ફરિયાદ નોંધ્યા બાદ ડમ્પરના નંબરના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવશે.
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પાંચ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. આ પહેલ 24 માર્ચ, 2026ના રોજ વિશ્વ ટીબી દિવસના અવસરે કરવામાં આવી હતી. દત્તક લેવાયેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કિટ પૂરી પાડવામાં આવશે. આ કિટનો મુખ્ય હેતુ દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરવાનો અને તેમના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવાનો છે. આ પહેલ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને પોષણ અને સહકાર આપીને તેમની સારવારમાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે, 24 માર્ચ, 1882ના રોજ વૈજ્ઞાનિક રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી, જેની આ 144મી વર્ષગાંઠ છે. મોરબી જિલ્લામાં અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું મનાય છે. આવા સંજોગોમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની આ માનવતાવાદી પહેલને સૌ કોઈ આવકારી રહ્યું છે.
મોરબીમાં વંદે માતરમ્ @ 150ની ઉજવણી:મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલી યોજાઈ
રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ 150’ ફેઝ-2ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 માર્ચે સવારે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી શરૂ થઈ હતી. જેમાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા. ‘વંદે માતરમ્ @ 150’ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્રિકોણબાગ પહોંચી હતી. ત્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન તેમજ સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી એક બહુમાળી ઈમારતમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સ્વર્ણ લગોમ એપાર્ટમેન્ટના 'B' બિલ્ડિંગના 14મા માળે એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી. રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યામળતી માહિતી પ્રમાણે, જહાંગીરપુરા કેનાલ રોડ પર સ્થિત સ્વર્ણ લગોમ (Swarn Lagom) એપાર્ટમેન્ટના 14મા માળે આવેલા એક ફ્લેટના રૂમમાં અચાનક આગ લાગી હતી. ઊંચાઈ પર આગ લાગી હોવાથી ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા, જેના કારણે બિલ્ડિંગના અન્ય રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. ફાયર સ્ટેશનથી તાત્કાલિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ મંગાવાયાડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીએ જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલ રૂમ અને વ્યક્તિગત મોબાઈલ પર કોલ મળતા જ ટીમો રવાના કરવામાં આવી હતી. આગ 14મા માળે હોવાથી પરિસ્થિતિની ગંભીરતા જોઈને અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનથી તાત્કાલિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યા હતા. આ સાથે જ મોરાભાગળ ફાયર સ્ટેશનથી પણ ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાનફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિક રહીશો પણ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફાયર ફાઈટરોએ ગણતરીની મિનિટોમાં જ રૂમમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં વાયરો બળી ગયેલી હાલતમાં મળી આવતા, આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.
મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે આગામી ચૈત્રી પૂનમનો મેળો યોજાનાર છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળા પૂર્વે યાત્રાળુઓની સુવિધા માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માગ સાથે કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો મેળા પહેલા મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો મારુતિ સુઝુકી કંપનીની માલગાડી રોકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ‘ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થયા બાદ મારુતિની ગુડ્સ ટ્રેન ચાલે છે’અમદાવાદ-રણુજ ટ્રેન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે.ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે ટ્રેક પરથી મારુતિ કંપનીની ગુડ્સ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, પરંતુ પ્રજા માટે એક પણ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી નથી. રેલવે તંત્ર ઉદ્યોગોને પ્રાધાન્ય આપી રહ્યું છે, પરંતુ સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓની હાલાકી પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. કટોસણ રોડ સુધી આવતી ડેમુ ટ્રેનને રણુજ સુધી લંબાવવા માગઆ મામલે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના આગેવાનોની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે કે અમદાવાદથી કટોસણ રોડ સુધી આવતી ડેમુ ટ્રેનને તાત્કાલિક ધોરણે રણુજ સુધી લંબાવવામાં આવે.આ આંદોલનમાં તાલુકાના 52 ગામના આગેવાનો અને સ્થાનિક વેપારી એસોસિયેશન પણ જોડાયા છે. સમયસર નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકીબહુચરાજીમાં આગામી 2જી તારીખથી શરૂ થતા મેળામાં 10 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે.શ્રદ્ધાળુઓની લાગણી અને સુવિધાને ધ્યાને રાખી મામલતદારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી મેળા પહેલા ટ્રેન શરૂ કરાવવા અંગે હકારાત્મક બાંહેધરી આપી છે.જોકે આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સમયસર નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પૂર્વે થયેલા માવઠા અને વાવાઝોડાની અસર હજુ શમી નથી ત્યાં ફરી એકવાર આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ખેતીના પાક પર જોખમ ઊભું થયું છે. વહેલી સવારથી જ સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયેલા રહ્યા હતા અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 2થી 3 દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ડીસા તાલુકાના ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાકને નુકસાનની ભીતિખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ (માવઠું) પડે તો તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે. અગાઉના કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલાથી જ આર્થિક ફટકો સહન કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કુદરતી આફતની શક્યતાએ તેમની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં ખેડૂતો પળેપળ બદલાતા હવામાન પર સતત નજર રાખી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમીનો પારો ધીમે ધીમે વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સુકું રહેશે. હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાથી વરસાદની કોઈ સંભાવના નથી. સાત દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવતઆગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કેશોદમાં 37.9 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન દીવમાં 20.1 ડિગ્રી નોંધાયું છે. માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યમાં ગરમીનો અનુભવ થશેહાલ પવનની ગતિ સામાન્ય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તેથી માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યમાં ગરમીનો અનુભવ થશે, પરંતુ માવઠાની કોઈ શક્યતા નથી.
ગઇકાલે(24 માર્ચ) ઉત્તરાખંડ બાદ UCC લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ બિલને પસાર કર્યા બાદ શાસક પક્ષના નેતાઓ ભારે હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા. ગૃહની ગંભીર અને લાંબી ચર્ચાઓ પૂર્ણ થતાં જ વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને અનેક ધારાસભ્યોનો કાફલો સીધો જ ગાંધીનગરના ઘ 4 સેન્ટ્રલ વિસ્ટા રોડ પર આવેલા ડિસગોલા સેન્ટર ખાતે ઉમટી પડ્યો હતો. નેતાઓએ ગોળાનો સ્વાદ માણ્યોબિલ પસાર થયાની ખુશીમાં યોજાયેલી આ અનૌપચારિક મહેફિલમાં તમામ નેતાઓએ રાજકીય ગરમાવો બાજુ પર મૂકીને ઠંડા ગોળાનો સ્વાદ માણ્યો હતો. ઘ-4 સર્કલ પાસે ગોળા સેન્ટર પર એકાએક મંત્રીઓ અને ધારાસભ્યો પહોંચ્યાઘ-4 સર્કલ પાસે આવેલા આ સેન્ટર પર એકાએક મંત્રીઓ અને ધારાસભ્યોની હાજરીથી સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે પ્રોટોકોલ અને સુરક્ષાના ઘેરામાં રહેતા નેતાઓ આ રીતે જાહેરમાં લોકપ્રિય ખાણીપીણીની લિજ્જત માણતા જોઈને કાર્યકરોમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો. મહત્વના કાયદાકીય કામકાજ બાદની આ પળોએ મંત્રીમંડળની આત્મીયતા અને ટીમ વર્કની ઝલક પૂરી પાડી હતી. UCC બિલ પર વિધાનસભામાં 7 કલાક મેરેથોન ચર્ચા ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને લઈને તીવ્ર અને લાંબી ચર્ચા ચાલી હતી, જેમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા 7 કલાક સુધી ચાલુ રહી હતી. સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે ગૃહનું કાર્ય સમય મર્યાદાથી વધુ ચાલ્યું હતું. વિધાનસભાના ઇતિહાસમાં વર્ષ 2019માં સૌથી લાંબી બેઠકનો રેકોર્ડ નોંધાયો હતો, જેમાં 17 કલાક 40 મિનિટ સુધી કામગીરી ચાલી હતી અને વહેલી સવારે 3.40 વાગ્યા સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. તે દિવસે એક જ દિવસમાં 9 બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો: UCC બિલ બહુમતીથી પાસ, ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય
કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના રન્ના પાર્ક પ્રખંડમાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં માતૃશક્તિની બહેનો દ્વારા સત્સંગ અને પ્રવચનનું આયોજન કરાયું હતું. આ ઉત્સવમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજિકા ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કુટુંબપ્રબોધન અને સામાજિક સમરસતા વિષય પર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંકલન રન્ના પાર્ક પ્રખંડના સહસંયોજિકા નીતાબેને કર્યું હતું. આ પ્રસંગે રન્ના પાર્ક પ્રખંડના સહસંયોજિકા નેહાબેન અને નારણપુરા જિલ્લાના સંયોજિકા હેતલબેન પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો સમાપન જયઘોષ આરતી સાથે કરવામાં આવ્યો હતો.
ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પિતા-પુત્ર પર હુમલોપ્રાપ્ત વિગતો અનુસાર, માંડવધાર ગામના રહેવાસી હિમત ગઢાદરા અને તેમનો પુત્ર પ્રકાશ ગઢાદરા ગામમાં પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન અગાઉની કોઈ અદાવતનું વેર રાખી 8 થી 10 અજાણ્યા શખ્સોએ અચાનક ધસી આવી તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા. હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહીલોહીલુહાણ હાલતમાં પિતા-પુત્રને તાત્કાલિક ગઢડાની સ્થાનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હાલત નાજુક જણાતા તબીબોએ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કર્યા હતા. ગઢડા પોલીસ હોસ્પિટલ દોડી ગઈઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત હિમત ગઢાદરાના નિવેદન મુજબ, આ હુમલો જૂની અદાવત રાખીને કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ગાયત્રી પરિવાર દ્વારા સોલા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે સામૂહિક ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ત્રિપદા આરોગ્ય અને શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ અનુષ્ઠાન 19 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યું છે. જેમાં સોલા વિસ્તાર અને આસપાસના ભક્તો મોટી સંખ્યામાં જોડાઈને આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, 27 માર્ચના રોજ 24 કુંડીય મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં ગર્ભસંસ્કારનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
વલસાડ તાલુકાના કકવાડી ખાડી પાસે માછીમારી બોટમાં એક માછીમારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતદેહ બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાની વહીયાળના વાંકા ફળીયામાં રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ. 54) ‘હરીપ્રસાદ’ (IND.GJ.15.MM.4084) નામની બોટમાં માછીમારી કરવા કકવાડી મેથીયા ફળિયા ખાડીના કિનારે ગયા હતા. આ બનાવ અંગે નાની વહીયાળના બરફટા ફળીયામાં રહેતા અશોકકુમાર રમેશભાઈ પટેલે (ઉ.વ. 33) ડુંગરી પોલીસને જાણ કરી હતી. મુકેશભાઈનું મોત 23 માર્ચ 2026ના રાત્રે 10:30થી 24 માર્ચ 2026ના સવારે 6:30 દરમિયાન કોઈપણ સમયે થયું હોવાનું મનાય છે. તેઓ સવારે બોટના કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના શરીર પર બહારથી કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નહોતા. જોકે, તેમના મોઢાના ભાગેથી લોહી નીકળી સુકાઈ ગયેલું હતું, જેના કારણે તેમના મોતનું કારણ અસ્પષ્ટ બન્યું છે. ડુંગરી પોલીસે આ બનાવ અંગે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
78 ટકા ભારતીયોના લોહીમાં કેન્સરજન્ય જંતુનાશકોની હાજરી
- અભ્યાસનું તારણ : 93 ટકા શહેરી વસતીના લોહીમાં જંતુનાશકોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે, 36 ટકા લોકોમાં 3થી વધારે કેમિકલ્સના તત્ત્વો મળ્યા - 54 ટકા લોકોમાં એન્ટિબાયોટિક્સનું પ્રમાણ વધારે નોંધાયું હતું. બીજી તરફ 39 ટકા લોકોના લોહીમાં સ્ટીરોઈડ્સની હાજરી જોવા મળી હતી. તેના પગલે જ લોકોમાં હોર્મનના અસંતુલ અને કેન્સર જેવી જોખમી બિમારીઓમાં વધારો થયો છે : નોનસ્ટિક વાસણો આવે છે તેમાં પણ કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાસણોમાં લાંબો સમય રાંધેલું ભોજન કરવાથી પણ લોકોને ગંભીર બિમારીઓ થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે લોકોને કેન્સર, નપુંસકતા, થાઈરોઈડ અને લિવરની બિમારીઓ થઈ શકે છે : ઘરમાં છંટાતા કે મશીનો દ્વારા ચાલુ રખાતા જંતુનાશકો દ્વારા મચ્છરો અને માખીઓ તેનાથી દૂર રહે છે પણ તેની આડઅસરો ભયાનક છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી 'ખેડૂત સંકલ્પ યાત્રા' અત્યારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. તુલસીશ્યામથી પ્રારંભ થયેલી આ યાત્રા વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈને જુનાગઢ જિલ્લાના કેશોદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય આશય ખેડૂતોને એક મંચ પર લાવી, દેવા માફી, સિંચાઈનું પાણી અને પાકના પોષણક્ષમ ભાવ જેવા પાયાના મુદ્દાઓ પર બિન-રાજકીય સંગઠન ઊભું કરવાનો છે. યાત્રાના આયોજકો ખેડૂતોને મળીને નકલી બિયારણ, ખાતરની અછત અને વીજ કંપનીઓની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં ટ્રેક્ટર રેલી દ્વારા મજબૂત શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ યાત્રાની ગતિવિધિઓ પર હવે વિપક્ષી નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. પ્રવીણ રામે કહ્યું કે, ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે. જ્યારે તેના આક્ષેપ પર જવાબ આપતાં રાજુ કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. 'કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા'AAPના નેતા પ્રવીણ રામ દ્વારા આ યાત્રા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દાવો કર્યો છે કે, આ યાત્રામાં સ્થાનિક ખેડૂતોની હાજરી નહિવત છે અને સભાઓમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ જોવા મળે છે. પ્રવીણ રામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા. 'ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે'આ ખેડૂત સંકલ્પ યાત્રાને પ્રવીણ રામ દ્વારા એક 'રાજકીય ષડયંત્ર' તરીકે જોવામાં આવી રહી છે. રામ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સત્તાધારી પક્ષના ઈશારે ખેડૂતોના મતોનું વિભાજન કરવા અને ખેડૂત નેતા તરીકેની નવી છાપ ઊભી કરવા માટે આ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. ખેડૂતોને ગુમરાહ કરી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. 'ડરી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે'પ્રવીણ રામે ખેડૂત નેતા રાજુ કરપડા સામે પ્રહાર કરતા કહ્યું કે, તે ગમે તેટલી વાર રોયા હોય પણ તેઓ ડગ્યા નથી અને ખેડૂતોની સાથે જ છે. જે લોકો ડરી ગયા હોય અથવા ડગી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે, પરંતુ સત્ય જનતા સમક્ષ મૂકવું એ એક જાગૃત વિપક્ષ તરીકે તેમની નૈતિક ફરજ છે. 'ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા'રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ખેડૂત સંકલ્પ યાત્રા 19 માર્ચ 2026ના રોજ તુલસીશ્યામથી પ્રસ્થાન થઈ હતી અને તે કેશોદ પહોંચતા સુધીમાં અનેક ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે તેઓ રાજકીય હોદ્દાઓ ત્યજીને ખેડૂતોની વચ્ચે આવ્યા છે અને જે તે સમયે પક્ષમાં હતા ત્યારે પણ ખેડૂતોના સમર્થનથી જ મજબૂત હતા. 'ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે'કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પ્રદેશ સ્તરના નેતા હતા પરંતુ પદ છોડીને ફરી ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતર્યા છે. '2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી'રાજુ કરપડાએ ખેડૂતોની સમસ્યાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, હાલમાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે અને તેમને સિંચાઈનું પાણી મળતું નથી. બજારમાં નકલી ખાતર અને બિયારણનો રાફડો ફાટ્યો છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. વીજ કંપનીઓની દાદાગીરી પણ ચરમસીમાએ છે. આ યાત્રાના માધ્યમથી તેઓ દેવા માફી, પૂરતું સિંચાઈનું પાણી અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ખેડૂતોને સંગઠિત કરી રહ્યા છે. તેમણે ઘેડ પંથકના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકારે 2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી છે, હજુ સુધી જમીની સ્તર પર કોઈ કામ શરૂ થયું નથી. તેઓ આ મુદ્દે બિન-રાજકીય લડાઈ લડવા કટિબદ્ધ છે. સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે યાત્રાનું સમાપન થશેઆ યાત્રાના સમાપન વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું કે આગામી 24 માર્ચ 2026ના રોજ સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે આ યાત્રાનું સમાપન થશે. અત્યાર સુધીમાં જે જે ગામોમાંથી યાત્રા પસાર થઈ છે ત્યાં ખેડૂત સમિતિઓની રચના કરવામાં આવી છે. 'ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તે પાર્ટીને સપોર્ટ કરીશ'-કરપડારાજુ કરપડાએ ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી પ્રમાણિકતાથી ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તો તેઓ તેવી પાર્ટીને સપોર્ટ કરવામાં અચકાશે નહીં. આમ, એક તરફ ખેડૂતોના પ્રશ્નો માટે બિન-રાજકીય લડાઈ લડવાનો દાવો છે, તો બીજી તરફ આ હિલચાલ પાછળ ચોક્કસ રાજકીય પક્ષનો હાથ હોવાના આક્ષેપોથી ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 'એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે'વધુમાં રાજુ કરપડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ખેડૂતોનો પ્રેમ તેમની સાથે હંમેશા રહ્યો છે અને રહેશે. તેઓ જ્યારે કોઈ પક્ષમાં નહોતા ત્યારે પણ ખેડૂતો તેમની સાથે હતા અને આજે પણ છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે જે સરકાર સામે મજબૂતાઈથી પોતાની વાત રજૂ કરશે. 'ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે'પ્રવીણ રામના આક્ષેપો સામે લડત આપતા તેમણે કહ્યું કે, જ્યારે ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે. ખેડૂત સંકલ્પ યાત્રાના પડઘા હવે છેક પાટનગર સુધી સંભળાઈ રહ્યા છે ત્યારે આગામી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોની તાકાત કેટલી હશે તે તો સમય જ બતાવશે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ સંગઠન ખેડૂતોના પ્રશ્નોનું ખરેખર નિરાકરણ લાવે છે કે પછી રાજકીય આક્ષેપબાજીમાં જ આખું આંદોલન અટવાઈ જાય છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક અવાવરૂ સરકારી બિલ્ડિંગના ધાબા પરથી 2 લાશ મળી હતી. આ લાશ હસમુખ અને વાસંતી નામના પ્રેમી-પ્રેમિકાની હતી. કોઇએ માથામાં બોથડ પદાર્થના ઘા મારીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સૌથી પહેલાં 3 મિત્રોએ સાંજના સમયે આ લાશ જોઇ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી પણ કોઇ સાક્ષી કે CCTV નહોતા એટલે પોલીસે ઘટનાસ્થળથી એકાદ કિલોમીટર દૂર આવેલી વસતિમાં જઇને પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. પહેલા દિવસે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે જેટલા લોકો હાજર હતા તેમાંથી બીજા દિવસે એક યુવતી ગુમ થઇ ગઇ હતી. પોલીસ આ યુવતીને પકડી લાવી અને તેની પૂછપરછ કરી. હવે આગળ વાંચો.... યુવતીએ પોલીસને કહ્યું કે ધર્મેશ હસમુખ અને વાસંતીને મારી નાખવાનું કહેતો હતો. પોલીસને પહેલેથી આશંકા હતી કે હસમુખ અને વાસંતીની હત્યા પાછળ આ વસતિમાંથી જ કોઇનો હાથ હોઇ શકે છે. જેથી પહેલેથી જ નજર રાખી હતી. યુવતીએ ધર્મેશનું નામ આપતા પોલીસ તરત જ તેને ઉપાડી લાવી. હવે ધર્મેશની પૂછપરછ થવાની હતી અને ટોક ઓફ ધ ટાઉન બનેલા આ ડબલ મર્ડર વિશે ખુલાસા થવાના હતા. ધર્મેશને પોલીસ સ્ટેશનના એક રૂમમાં બેસાડવામાં આવ્યો. તેની ચારેતરફ પોલીસ ગોઠવાઇ ગઇ. પોલીસઃ હસમુખ અને વાસંતીની હત્યા તે કરી છે?ધર્મેશઃ સાહેબ, આ શું કહો છો? મને તો આના વિશે કંઇ ખબર જ નથી. સામાન્ય રીતે પોલીસને આરોપીઓના આવા જવાબનો દરરોજ સામનો થતો હોય છે. તેમને તરત ખ્યાલ આવી જતો હોય છે કે આરોપી સાચું બોલે છે કે ખોટું. ધર્મેશના કિસ્સામાં પણ આવું જ થયું. ધર્મેશ ભલે એવું કહી રહ્યો હોય કે તેને કંઇ ખબર જ નથી પરંતુ તેના હાવભાવે પોલીસ સામે બધું સ્પષ્ટ કરી દીધું. પોલીસને ખ્યાલ આવી ગયો કે ધર્મેશ પાસેથી હકીકત જાણવા માટે હવે બીજો જ કોઇ રસ્તો અપનાવવો પડશે એટલે પોલીસે હવે ધર્મેશની 'આકરી' પૂછપરછ શરૂ કરી. ચોમાસાની સિઝન ચાલી રહી હતી પણ પોલીસનો આકરો તાપ ધર્મેશથી સહન ન થયો અને તે પોપટની જેમ બધું બોલવા લાગ્યો. છેલ્લા કેટલાક સમયથી એક સ્ત્રી ધર્મેશને મળવા આવતી હતી. ધર્મેશની સાથે રહેતી પ્રેમિકાએ જ્યારે તેને પૂછ્યું કે આ કોણ છે? તો તેણે કહ્યું હતું કે આ વાસંતી છે, હસમુખ સાથે જૂના અખાડાની બાજુમાં રહે છે. ધીરે ધીરે બન્ને વચ્ચેની નિકટતા વધી રહી હતી. બન્ને વારંવાર મળવા લાગ્યા અને વાતો કરતા હતા. જેથી ધર્મેશની પ્રેમિકાએ તેને વાસંતી સાથે વાત કરવાની ના પાડી હતી. ધર્મેશનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. પ્રેમિકાએ તેને ના પાડતા તે તેના પર ગુસ્સે થઇ જતો અને તેને માર મારવા લાગતો હતો. જેથી યુવતી ડરી ગઇ હતી અને ધર્મેશને કંઇ કહી શકતી નહોતી. ધર્મેશ ઘંટી વેચવાનું કામ કરતો હતો. એ ઘંટી વેચવા જાય ત્યારે વાસંતીનો પતિ હસમુખ તેના ઘર પાસે આવી જતો અને ધર્મેશની પ્રેમિકાને જોતો રહેતો. ધર્મેશ આવે તે પહેલાં પાછો જતો રહેતો. આમ હસમુખની પ્રેમિકા ધર્મેશ સાથે વાતો કરતી. જ્યારે હસમુખ ધર્મેશની પ્રેમિકા પાછળ પડ્યો હતો. ક્યારેક વાસંતી હસમુખને શોધતી શોધતી ધર્મેશના ઘર પાસે આવી ચડતી અને હસમુખ સાથે ઝઘડો કરતી કે તુ અહીંયા કેમ આવે છે? ધીમે ધીમે એ યુવતીને જાણ થઇ કે વાસંતી અને ધર્મેશ વચ્ચે આડા સંબંધ છે તો બીજીતરફ હસમુખ પુલ નીચે બેસવા આવતો હોવાથી પોતાની પ્રેમિકા સાથે તેને આડા સંબંધ હોવાનો વહેમ ધર્મેશને હતો. જેથી ધર્મેશ મનમાં ધૂંધવાયેલો જ રહેતો હતો. હસમુખ અને વાસંતીની હત્યાના એકાદ મહિના પહેલાં ધર્મેશ ઘંટી વેચવા ગયો હતો. આ સમયે હસમુખ ફરી તેના ઘર પાસે આવ્યો હતો. જો કે થોડા જ સમયમાં ધર્મેશ પાછો આવી ગયો હતો અને તેણે પોતાની પ્રેમિકાને પૂછ્યું હતું કે આ હસમુખ અહીંયા કેમ આવે છે? જેથી તેની પ્રેમિકાએ કહ્યું હતું કે આ તો રોજ આવે છે અને મને હેરાન કરે છે. પ્રેમિકાની આ વાતથી ધર્મેશ ગુસ્સે ભરાયો. તે સીધો જ હસમુખ પાસે પહોંચી ગયો અને બોલ્યો કે તુ રોજ કેમ અહીંયા આવે છે? હસમુખે જરાપણ ખચકાટ વિના ફક્ત એટલું જ કહ્યું કે હું તો ખાલી અહીંયા આવું છું. આ જવાબ બાદ ધર્મેશ અને હસમુખ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે એ પછી હસમુખે આવવાનું બંધ કરી દીધું હતું પણ તેની પ્રેમિકા વાસંતી ધર્મેશને મળવા આવતી રહેતી હતી. આ ઘટનાના અઠવાડિયા પછી વાસંતીએ ધર્મેશ અને તેની પ્રેમિકાને જમવાનું આમંત્રણ આપ્યું હતું. 21 જુલાઇ, 2021રાતનો સમય હતો. ધર્મેશની પ્રેમિકા રસોઇ બનાવીને બેઠી હતી. એટલામાં જ ધર્મેશ ઘરે આવ્યો અને તેણે પ્રેમિકાને કહ્યું, વાસંતીએ આપણને જમવા બોલાવ્યા છે. પ્રેમિકાઃ પણ મેં તો જમવાનું બનાવી લીધું છે.ધર્મેશઃ કંઇ વાંધો નહીં, તે જે બનાવ્યું છે એ સવારે ખાઇ લઇશું. અત્યારે વાસંતીને ત્યાં જતાં આવીએ. આ સંવાદ પછી ધર્મેશ અને તેની પ્રેમિકા તૈયાર થઇને વાસંતીના ઘરે જમવા ગયા હતા. વાસંતીએ બન્ને માટે નોનવેજ બનાવી રાખ્યું હતું. ધર્મેશ, તેની પ્રેમિકા અને હસમુખ-વાસંતી આમ ચારેય લોકો ધાબા પર સાથે જમ્યા હતા. રાત્રે નવેક વાગ્યાના અરસામાં ધર્મેશ અને તેની પ્રેમિકા જમીને પાછા જતા રહ્યાં હતા. આ તરફ વાસંતી અને હસમુખ એકલા પડ્યા હતા. જમી લીધા બાદ તેમણે પોતાના રોલ કરેલા ગોદડાં છોડ્યા અને પથારી તૈયાર કરી દીધી. બન્ને સૂવાની તૈયારીમાં હતા પણ ધર્મેશના મનમાં કંઇ અલગ જ ખેલ ચાલી રહ્યો હતો. આ સમયે ધર્મેશે રેલવે પુલ સુધી આવ્યા બાદ બાઇક ઊભી રાખીને ગુસ્સામાં કંઇક બબડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાને ઘર સુધી લાવ્યા બાદ તે પાછો વાસંતી અને હસમુખ જ્યાં રહેતા હતા ત્યાં ગયો હતો. ધર્મેશનું આ વર્તન જોઇને તેની પ્રેમિકાને નવાઇ લાગી. તેણે ધર્મેશનો પીછો કરવાનું નક્કી કર્યું. તે છુપાતી છુપાતી ધર્મેશની પાછળ ગઇ. તેણે થોડે દૂરથી જોયું તો ધર્મેશ ધાબા પર જઇને હસમુખ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ધીરે ધીરે ધર્મેશ અને હસમુખ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બની ગયો. ધર્મેશનો અવાજ ઊંચો થવા લાગ્યો. તેની પ્રેમિકા જ્યાંથી ઊભી-ઊભી આ બધું જોતી હતી ત્યાં સુધી અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. ધર્મેશ હસમુખને કહી રહ્યો હતો કે તુ મારા ઘર બાજુ કેમ આવે છે? મારી પ્રેમિકા પર નજર નાખ્યા કરે છે, તેની સાથે સૂવે છે, આજે તો હું તને પતાવી દઇશ. હવે વાત વણસી રહી હતી. બન્ને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. અચાનક હસમુખના હાથમાં ક્યાંકથી એક લાકડું આવી ગયું. તેણે જોરથી ધર્મેશના પગમાં મારી દીધું. બીજીતરફ ધર્મેશના હાથમાં પણ એક લાકડું આવી ગયું હતું. હસમુખે પગમાં માર્યું હોવાથી ધર્મેશને ગુસ્સો આવ્યો અને તેણે જેટલું બળ હતું તેટલું વાપરીને હસમુખના માથામાં લાકડું ફટકારી દીધું. ધડામ.... અવાજ સાથે હસમુખ નીચે પડી ગયો. તેના રામ રમી ગયા. આ દૃશ્ય જોઇને વાસંતીએ બૂમાબૂમ કરી મૂકી. જેનાથી ધર્મેશ ગભરાઇ ગયો. તેને ડર લાગ્યો કે વાસંતીની બૂમો સાંભળીને ક્યાંક લોકો ભેગા થઇ ન જાય અને બધી ખબર પડી ન જાય. આ ડરમાંને ડરમાં ધર્મેશ લાકડું સાઇડમાં ફેંકીને બાજુમાં પડેલી ઇંટ ઉપાડીને ઉપરાઉપરી વાસંતીના માથામાં મારવા લાગ્યો. હવે વાસંતી પણ ઢળી પડી. વાસંતી અને હસમુખની હત્યા કર્યા બાદ ધર્મેશ જ્યારે પાછો આવતો હતો ત્યારે તેની પ્રેમિકાએ જાણે કે તેને કંઇ ખબર જ ન હોય તેવો ડોળ કર્યો. હસમુખે પગમાં લાકડું ફટકાર્યું હોવાથી ધર્મેશ લંગડાતો ચાલતો હતો. તેની પ્રેમિકાએ અજાણી બનીને તેને પૂછ્યું કે આ પગમાં શું વાગ્યું છે? ધર્મેશ ગુસ્સામાં બોલ્યો કે તું આ બાબતે કંઇ પૂછીશ નહીં. નહીંતર તારે પણ જાનથી હાથ ધોવા પડશે. આના પછી બન્ને યુવતીના મામાના ઘરે જતાં રહ્યાં હતા અને મોડી રાત્રે પોતાના ઘરે પાછા ફર્યા હતા. આમ ધર્મેશે હસમુખ અને વાસંતીની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે જ્યારે તપાસ કરી તો ધર્મેશે હત્યા કર્યા બાદ રેલવે બ્રિજ જવાના કાચા રસ્તાની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી દીધેલા કપડાં મળી આવ્યા હતા. જ્યારે હત્યામાં વપરાયેલી ઇંટ અવાવરું બિલ્ડિંગની બાજુમાં આવેલી અન્ય એક બિલ્ડિંગ પાસેથી મળી આવી હતી. ધર્મેશે લાકડું ઝાડીઓમાં ફેંકી દીધું હતું. ધર્મેશ જેની સાથે રહેતો હતો તે પ્રેમિકા સગીર વયની હોવાનું ખૂલતાં ધર્મેશ પર પોક્સોની કલમ પણ લગાવવામાં આવી હતી. કોર્ટે ધર્મેશને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. હાલ ધર્મેશ જેલના સળિયા ગણી રહ્યો છે. વાસંતીનું આમંત્રણ કાળ બની ગયું, વાંચો પાર્ટ-1
સમસ્યા:સાવરકુંડલા જૂના બસ સ્ટેન્ડના રોડના કામથી મુસાફરો પર આફત
સાવરકુંડલામાં આવેલા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડના કામ શરૂ હોવાના કારણે હાલ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બસ સ્ટેન્ડનો રોડ ખોદવામાં આવતા મુસાફરો માટે છાયાની તેમજ અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અસ્થાયી રીતે બસમાં બેસવાની વ્યવસ્થા સાવરકુંડલા પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવી છે. સાવરકુંડલા શહેરના નાના બસસ્ટેશન વિસ્તારમાં રોડની કામગીરી શરૂ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેસર, મહુવા અને રાજુલા રોડ તરફ જતાં મુસાફરો અહીં ઊભા રહીને બસની રાહ જુએ છે. પરંતુ આ સ્થળે મુસાફરો માટે બેસવાની, પીવાના પાણી કે છાંયાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને તીવ્ર ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર મનજીભાઈ તળાવીયાએ આ મુદ્દે રજૂઆત કરી છે કે મુસાફરોની મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક અસ્થાયી બેસવાની, પીવાના પાણી અને છાંયાની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે. સાથે સાથે જૂના બસ સ્ટેન્ડના રોડકામને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અથવા ત્યાં સુધી મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમની હાલાકી દૂર કરવામાં આવે. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સાથે નાગરિકોની મૂળભૂત સુવિધાઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો
અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો આવી રહ્યો હોવા છતાં લોકોએ અફવામાં આવી પેટ્રોલ ડીઝલ પુરાવવા પડાપડી કરી મુકતા આજે જુદા જુદા 20 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થયો હતો. 15 જેટલા પંપમાં પેટ્રોલ પણ ખુટ્યું હતું. જેમ જેમ ગાડીઓ આવતી ગઈ તેમ આ પંપોમાં ફરી વિતરણ શરૂ થયું હતું. આજે સાંજે જિલ્લામાં અનેક પંપો પર લાઈન લાગી હતી. અમરેલી પંથકમાં ડીઝલનું વેચાણ ચાર ગણુ વધ્યું હતું. અમરેલી શહેર તથા આસપાસના 12 કિ.મીના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર દૈનિક 25 હજાર ડીઝલનું વેચાણ થતું હતું. પરંતુ અફવામાં આવી લોકોએ ડીઝલ માટે પડાપડી કરતા આ વેચાણ ચાર ગણું વધી એક લાખ લીટર કરતા પણ વધુ થયું હતું. અમરેલી શહેરમાં પણ પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લોકોમાં પેનીકની સ્થિતિ જોવા મળી હતી. ગઈરાત્રે થોડી લાઈનો થયા બાદ આજે ક્યારેક વાહનોની કતારો થતી હતી. જો કે સાંજના સમયે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર મોટી લાઈનો લાગી હતી. જેના કારણે કેટલાક પંપો પર ડીઝલનો જથ્થો ખુટી પડ્યો હતો. દિવસ દરમિયાન સમયયાંતરે જુદા જુદા પંપ પર પેટ્રોલ ડીઝલના ટેન્કરો આવ્યા હતા. જેના કારણે વિતરણ ફરી શરૂ કરાતું હતું. જે પંપ પર વિતરણ ચાલુ થાય ત્યા ફરી લાઈનો લાગવા માંડતી હતી. આવી જ સ્થિતિ અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જો કે રાજુલા પંથકમાં પ્રમાણમાં ઓછી લાઈનો જોવા મળી હતી. પણ બાબરા, બગસરા, વિગેરે શહેરોમાં દિવસભર પેટ્રોલ પંપ પર કતાર લાગતી હતી. પંપ માલિકોએ સ્વેચ્છાએ પણ પેનીકની સ્થિતિ નિવારવા કેટલાક નિયંત્રણો લાગ્યા હતા. ક્યાંક વાહન ચાલકોને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ અપાતું હતું. તો ક્યાંક વાહન ચાલકોને માત્ર 5000 રૂપિયાનું ડીઝલ અપાતું હતું. અમરેલી જિલ્લામાં એલપીજી સીલીન્ડરનું પેનીક બુકીંગ હળવું થયું છે. ચાલુ મહિનામાં 25 દિવસમાં 1.10 લાખ સીલીન્ડરનું વિતરણ કરાયું હતું. જિલ્લાની 26 ગેસ એજન્સીમાં હજુ 7000 સીલીન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે. બાબરામાં ખાનગી કંપનીના પંપ પર બપોર સુધી પેટ્રોલ અને સાંજ સુધી ડિઝલનું વેચાણબાબરામાં રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ પર સવારથી બપોર સુધી માત્ર પેટ્રોલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બપોરથી સાંજ સુધી માત્ર ડીઝલનું વેચાણ થાય છે. અન્ય પંપો પર પણ કતાર છે. પુરવઠા અધિકારીએ કહ્યું, સંગ્રહ કરશો તો પગલાં લેવાશેજિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપરથી પણ પુરતો જથ્થો આવે છે. જેથી અફવામાં ભરમાવું નહી. જો કોઈ ઈંધણની સંગ્રહ ખોરી કરશે તો કાનુની પગલાં લેવાશે. > પ્રતિક કુંભાણી, અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી 25 દિ'માં 1.10 લાખ સિલિન્ડરનું વિતરણબગસરામાં બાઈક ચાલકોને રૂા.200નું જ પેટ્રોલ અપાય છે, જો કે, સાંજે ખૂટી પડ્યું બગસરા શહેરમાં પાંચ પેટ્રોલ પંપ છે. અહીં આખો દિવસ કોઈ પણ બાઈક ચાલકને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ જ આપવામાં આવતું હતું. જો કે સાંજ પડતા સુધીમાં તમામ પંપ પર પેટ્રોલ ખુટ્યું હતું.
ભાસ્કર વિશેષ:ઝાંઝરડા ગામથી સિદ્ધનાથ મંદિર સુધીની અઢી કિમીની શોભાયાત્રામાં 10 સ્વાગત પોઈન્ટ હશે
આગામી તા.26ને રામનવમીના તહેવારની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે. જેને લઇને સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનો ઝાંઝરડા રોડ જાણે અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર ભગવા રંગની ધજા-પતાકાઓ લગાડવામાં આવ્યા છે તેમજ સુશોભિત ગેઈટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામનવમીને ગુરૂવારે સાંજના ઝાંઝરડા રોડ પર આવેલા રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જે સિદ્ધનાથ મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સ, ગજરાજ અને શણગારેલા રથો જોડાશે. શોભાયાત્રાના રૂટમાં પ્રજાની સુરક્ષા અને વ્યવસ્થાને લઇને આયોજકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે. સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તા.25ને બુધવારે રાત્રે 9:30 કલાકે ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પલેક્ષ ખાતે સંતવાણી અને ભજનાવલી કાર્યક્રમ યોજાશે.જેમાં લોકપ્રિય કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે પરંપરાગત મણિયારો રાસ અને રામસેના પાત્ર ગૃપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામાં આવશે.
ઇરાન-ઇઝરાયલના યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડિઝલનો જથ્થાની અછત ઉભી થશે એવી અફવા સાંભળીને સોમવારે સમી સાંજ બાદ શહેરના તમામ પેટ્રોલ પંપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી આ ભીડ રહેતા અમુક પંપમાં તો પેટ્રોલનો જથ્થો પણ પૂર્ણ થઇ ગયો હતો. આવા સ્થિતીમાં પેટ્રોલ પંપ ધારકો પોતાના નવા નિયમો બનાવ્યા હોય તેવુ સામે આવ્યુ છે. મજેવડી ગેટ નજીકના પંપમાં પેટ્રોલ પુરાવવુ હોય તો રોકડા જ પૈસા આપવાનો નિયમ કર્યો છે. ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનુ બંધ કર્યુ હતુ. ઉપરાંત કોઇને પણ 150, 180, 220, 260 એવી રીતે પેટ્રોલ પુરવુ હોય તો તે બંધ કરીને ફરજીયાત 100,200, 300, 500 એવી રીતે જ પેટ્રોલ પુરવાનો નિયમ કર્યો છે. જેને લઇને સવારથી જ ઘણા લોકોને ભારે હેરાનગતિ થઇ હતી. ઓનલાઇન પેમેન્ટ નહીં સ્વીકારવામાં આવે તેવા બોર્ડ પણ ન મારતા સવારથી લાઇનમાં ઉભેલા ઘણા લોકોને હાલાકી પડી હતી. જૂનાગઢ ભાસ્કર : હાલ પેટ્રોલનો જથ્થો પૂરો થઇ જશે એવી અફવા વચ્ચે લોકોની પેટ્રોલ પંપોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઇને જૂનાગઢ શહેરના અમુક પેટ્રોલપંપોના માલિકોએ આ તંગી ન સર્જાય અને તમામ લોકોને સરળતાથી પેટ્રોલ મળી રહે તે માટે એક લીમીટ નક્કી કરી છે. જેમાં કોઇક પેટ્રોલ પંપમાં વધુમાં વધુ એક માણસ રૂપિયા 500 નો તો કોઇકમાં વધુમાં વધુ એક માણસ બાઇકમાં રૂપિયા 200નો જ પેટ્રોલ લઇ શકશે એવા નિયમો કર્યા છે. પેટ્રોલનો જથ્થો પૂર્ણ થઇ જવાની અફવા વચ્ચે સોમવારે સમીસાંજથી પંપે વાહનોની ભીડ જામી હતી. જો ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવે તો તેમા સર્વર ડાઉન હોય કે કોઇ અન્ય પ્રોબ્લમ વચ્ચે થોડો સમય વધારે લાગે જેને કારણે ભીડમાં હોબાળો થઇ જાય અને ફીલરને પણ અગવડતા પડે ઉપરાંત જે 100,200, 500 નો નિયમ એટલે કર્યો કે એક જ ચાપથી વધુમાં વધુ લોકોને ઓછા સમયમાં પેટ્રોલ આપી શકાય અને ફીલરને સરળતા રહે. ઉપરાંત સતત કલાકો સુધી ફિલરોએ પણ એકધારૂ પેટ્રોલ આપવાનુ શરૂ રાખ્યુ હતુ. ખાસ તો પરિસ્થિતીને પહોંચી વળવા આ નિયમ કર્યો હતો.> ગોવિંદ ચાવડા, પેટ્રોલપંપ માલિક
તંત્રમાં સંકલનનો અભાવ:જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી બાબતે બે લેટર થયા, બંનેમાં અલગ-અલગ વિષય
જૂનાગઢ જિલ્લામાં બે તબક્કામાં વસ્તીગ ણતરીની કામગીરી થનાર છે. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી તારીખ 20 એપ્રિલથી 19 મે સુધી થવાની છે. આ કામગીરી કઇ રીતે કરવી, આ વખતે શું-શું નવુ છે, એપ્લિકેશન વિગત કઇ રીતે લખવી સહિતની બાબતે ફિલ્ડ ટેનર્સ, ચાર્જ ઓફીસર સહિતનાઓને થોડા દિવસ પૂર્વે તાલીમ પણ આપવામાં આવી છે. પરંતુ વસ્તીગ ણતરીના કામગીરીમાં ફાળવણી બાબતે મહાનગર પાલિકા અને ચુંટણી શાખામાંથી તાજેતરમાં જ લેટરો થયા છે. જે બંને લેટરમાં વિસંગતતા ઉભી થઇ છે. જેમાં મનપા સીટી સેન્સસ ઓ ફીસરે લેટરમાં વસતી ગણતરી બાબતે સુપરવાઇઝર અને ગણતરી કારોની નિમણૂક કરી છે. આમાં બીએલઓની પણ નિમણુક કરવામાં આવી છે. આ લેટરના ચાર દિવસ પછી મતદાર નોંધણી અધિકારીએ લેટરમાં જણાવ્યુ કે, બીએલઓ મતદારયાદી અંગેની કામગીરીમાં રોકાયેલા હોવાથી વસ્તીગ ણતરીની કામમાંથી બીએલઓને મુક્તિ આપવાની રહેશે. આ લેટર થયા પછી પણ સીટી સેન્સસ ઓફીસરે કોઇપણ બીએલઓને વસ્તીગ ણતરીની કામગીરીમાં મુક્તિ ન આપતા બીએલઓમાં રોષ ભભૂક્યો છે. આમ, વસ્તીગ ણતરીની જિલ્લામાં એક જ કામગીરી બાબતે બે અલગ-અલગ વિષય પર લેટર થતા તંત્રમાં પણ સંકલનનો અભાવ છે કે શું ? સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા
અત્યારે વિશ્વ સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસના બાટલાની ભારે અછત સર્જાતા ગૃહિણીઓ અને ધંધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢવાસીઓએ જૂના જમાનાના બળતણનો સહારો લીધો છે. શહેરમાં અત્યારે લાકડાનો વેપાર રોકેટ ગતિએ વધી રહ્યો છે. દરરોજ અંદાજે 10 ટન (10,000 કિલો) લાકડાનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં લાકડાની માંગ નહિવત હોય છે, પરંતુ આ વર્ષે ઉલટી ગંગા વહી રહી છે. જીઆઈડીસીના કારખાનાઓ અને મોટી રેસ્ટોરન્ટના માલિકો લાકડાનો મોટો સ્ટોક કરી રહ્યા છે. જેવો માલ સો-મિલ પર આવે છે કે તરત જ ગ્રાહકો તેને ઉપાડી જાય છે. લોકોમાં ફાળ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ મળવો મુશ્કેલ બનશે, તેથી અત્યારથી જ લાકડાનો સંગ્રહ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગેસની અછતનો ફાયદો હવે પશુપાલકો અને છાણા વેચતા પરિવારોને પણ મળી રહ્યો છે. ગાંધીગ્રામ અને ગિરનાર દરવાજા વિસ્તારમાં છાણાનો વેપાર કરતા પરિવારો જણાવે છે કે અત્યારે એક છાણું 3 રૂપિયા લેખે વેચાઈ રહ્યું છે. ગેસના બાટલા ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હવે ફરી છૂલા સળગાવવા મજબૂર બન્યા છે, પરિણામે છાણાની માંગમાં પણ તોતિંગ વધારો થયો છે. મજેવડી ગેટ પાસે આવેલી આશાપુરા અને શિવ શક્તિ તેમજ સુખનાથ ચોકની ચામુંડા અને ઉષા સો-મિલ અત્યારે વ્યસ્તતાના શિખરે છે. એક સમયે જૂનાગઢમાં 16 સો-મિલ ધમધમતી હતી, જે ગેસના વપરાશને કારણે ઘટીને માત્ર 4 રહી ગઈ હતી. બાટલાની અછતથી વર્ષો પછી ગ્રાહકો લાકડા લેવા માટે લાઈનો લગાવી રહ્યા છેએમ સો મિલના માલિક કિર્તીભાઈ પટેલે જણાવ્યુ હતું.
સિટી એન્કર:મોરિશિયસમાં મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી
મહારાષ્ટ્ર અને મોરિશિયસ વચ્ચે મૈત્રીના સંબંધ પેઢી દર પેઢી હોઈ સાત સમુદ્રપાર વસવાટ છતાં અહીંના મહારાષ્ટ્રના રહેવાસીઓએ પોતાની સાંસ્કૃતિક નાળ અત્યંત અભિમાનથી જતન કરી છે એમ ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું હતું. મોરિશિયસના મોકા ખાતે મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી થઈ. મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસની આગેવાનીમાં આ વાસ્તુના વિસ્તાર માટે રૂ. 8 કરોડનું ભંડોળ અપાયું છે.ચવ્હાણની આગેવાનીમાં બે દિવસીય મુલાકાતમાં ઉચ્ચ સ્તરીય મોવડીઓ સાથે મુલાકાત લઈને ભારત -મોરિશિયસ વચ્ચે સંબંધ વધુ દ્રઢ બનાવાયો છે. આ મુલાકાતમાં મોરિશિયસના રાષ્ટ્રાધ્યક્ષ ધરમબીર ગોખુલના સરકારી નિવાસસ્થાનની પણ ચવ્હાણે સદિચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે બે દેશ વચ્ચે મૈત્રી, બ્લુ ઈકોનોમી, પર્યટન અને એઆઈ તથા સાઈબર સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાવિચારણા થઈ હતી. મોરિશિયલ ભારતનો નાનો ભાઈ છે, એમ કહીને રાષ્ટ્રાધ્યક્ષે વડા પ્રધાન નરેંદ્ર મોદી અને ફડણવીસનાં કામોની સરાહના કરી હતી. ઉપરાંત ભારતના સહકાર માટે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.આ સાથે મોરિશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલ, આઈટી અને ઈનોવેશન મંત્રી ડો. અવિનાશ રામતોહુલ અને સાંસ્કૃતિક મંત્રી મહેંદ્ર ગોંદિયા સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો પાર પડી હતી. ડો. રામતોહુલે ફર્ગ્યુસન કોલેજમાં તેમના શિક્ષણની યાદ અપાવીને એઆઈ પર તેમણે લખેલું પુસ્તક ભેટમાં આપ્યું. મહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થાની સ્તુતિમહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થામાં જીપીએસ ટેકનોલોજી દ્વારા પારદર્શકતા લાવવાના નિર્ણયની તેમણે ખાસ સ્તુતિ કરી હતી. આ જ રીતે મોરિશિયસને આફ્રિકા માટે એઆઈ ક્ષેત્રનું પ્રવેશદ્વાર બનાવવા ભારતનો સહયોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. આ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન, લાઈબ્રેરી, જાગરી નૃત્યનું યુનેસ્કો નામાંકન જેવા મુદ્દાઓ પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.
સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ:મહારાષ્ટ્રમાં ટેક્નોલોજીથી સજ્જ 3000 એસટી બસો શરૂ કરાશે
મહારાષ્ટ્રના જાહેર પરિવહન ક્ષેત્રમાં મંગળવારે એક નવા અધ્યાયની શરૂઆત થઈ, જ્યારે મુંબઈના વિધાન ભવન ખાતે રાજમાતા જિજાઉ સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવી, જે રાજ્યના પરિવહન તંત્રમાં આધુનિકતા અને પરંપરાનો અનોખો સમન્વય દર્શાવે છે. ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહી અને સાંસ્કૃતિક માહોલમાં યોજાયો હતો, જેમાં ઢોલ-તાશાના નાદ અને પરંપરાગત કાર્યક્રમો દ્વારા મહારાષ્ટ્રની સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરાયું. આ પ્રસંગે ઉપમુખ્યદમંત્રીઓ એકનાથ શિંદે અને સુનેત્રા પવાર સહિત પરિવહન, પર્યાવરણ અને શિક્ષણ મંત્રીઓ, વિધાનસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બસ સેવાને રાજમાતા જીજાબાઈના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે તેમના નેતૃત્વ, સંસ્કાર અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પહેલનો હેતુ માત્ર આધુનિક પરિવહન સુવિધા પૂરી પાડવાનો જ નહીં, પરંતુ મુસાફરોમાં ઈતિહાસ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પણ જગાવવાનો છે. સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતા: રાજ્ય સરકારે તબક્કાવાર રીતે આશરે 3,000 આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ બસો શરૂ કરવાની યોજના બનાવી છે. આ બસો સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરવામાં આવી છે. રાજમાતા જિજાઉ સેવા રાજ્યની લોકપ્રિય બસ સેવાઓ જેમ કે શિવનેરી, શિવશાહી, શિવાઈ, હિરકણી અને યશવંતી સાથે જોડાશે. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ફડણવીસ અને અન્ય મહાનુભાવોએ નવી બસમાં પ્રતિકાત્મક સફર કરી હતી.
વિરોધ:ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે મનપામાં નકલી નોટો ઉડાડી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ક્લાસ-1 અધિકારી ઉપેન્દ્ર સુતરીયા 1 લાખની લાંચ લેતા પકડાયા બાદ સમગ્ર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચી ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં નકલી ચલણી નોટો પણ ઉડાડી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મહાનગરપાલિકાની સેક્ટર-17 ખાતેની મુખ્ય કચેરીમાં સૂત્રો પોકાર્યા હતા. મેયર અને કમિશનરની ચેમ્બરમાં પ્રવેશતા અટકાવાતા તેઓ ત્યાં જ બહાર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. કોંગ્રેસે આવેદનપત્ર રજૂ કરી જણાવ્યું છે કે મહાનગરપાલિકાની કચેરીમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. રાજકીય છત્રછાયા હોવાથી અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. લોકોના કામ થતા નથી. રૂશ્વતખોરીમાં સંકળાયેલા ઉપરથી નીચે સુધીના અધિકારીઓની તપાસ કરવા અને ભ્રષ્ટાચાર રોકવાની માંગણી કરાઇ છે. કોંગ્રેસે મુખ્ય ગેટ પર બેનર લગાવી ભ્રષ્ટાચાર ભવન નામાભિધાન કરી દેવાયું હતું. પદાધિકારીઓની ગાડી પર પણ પોસ્ટરો ચોંટાડી દેવાયા હતા.
રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વર્ષોથી ચાલી રહેલી મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓ અંગે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામજનો મુજબ, ગામમાં મુખ્ય ગટરલાઈન ન હોવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર વહે છે, જેનાથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનું પ્રમાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત જોખમ ઊભું થયું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાની ભીતિ વધી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ ગામમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી આવન-જાવન મુશ્કેલ બને છે અને ઘણી વખત ઘરોમાં પાણી ઘૂસી જાય છે. આથી ગ્રામજનોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત, ગિયોડ (ઇન્દિરાનગર) થી વાસણા ચૌધરી ગામ અને ગિયોડથી હાલીશા ગામ સુધીના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. આ રસ્તાઓ પર રોજિંદા અવરજવર કરનારા લોકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગ્રાજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.
રવિ બરાસરા બે દેશો વચ્ચેના ભીષણ યુદ્ધે વિશ્વની ટોચે પહોંચેલા મોરબીના સીરામીક ઉદ્યોગને ફરી કોરોના કાળ જેવી ભયાનક પરિસ્થિતિમાં ધકેલી દીધો હોય તેમ યુદ્ધને કારણે ગેસની કટોકટીથી સિરામીકના 90 ટકા એટલે 600 કારખાના બંધ થવાથી માર્કેટનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. આ શટડાઉનથી સિરામીક ટ્રેડિંગનો વ્યવસાય કરતા 2 હજાર વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે. જેમાં રંગપર-બેલા, પીપળીથી માટેલ અને મોરબીથી ઉંચી માંડલ, જુના ઘૂંટુ રોડ, લખધીર પુર રોડ એમ આશરે 40 કિમીમાં છૂટા છવાયેલા ફેલાયેલા સિરામીક ઝોનમાં મજૂરો માટે ચા-પાણી, નાના-માવા, નાસ્તાની અસંખ્ય કેન્ટીન આવેલી છે. યુદ્ધને કારણે મોટાભાગની કેન્ટીન બંધ થઈ જતા આ કેન્ટીન ચલાવતા સામાન્ય ધંધાર્થીઓનું ઘરનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા ટ્રેડર્સ નિશાંતભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે, મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે 2 હજાર ટ્રેડર્સ સંકળાયેલા છે. વેપારીઓનું સીરામીક કારખાના સાથે સંકલન હોય એટલે ત્યાંથી ગાડી ભરીને આવેલા ઓર્ડર મુજબ ડોમેસ્ટિક, એક્સપોર્ટ કરીને કમિશનથી ઘરનું ગુજરાન ચલાવે છે. પણ હવે સિરામીકનું પ્રોડકશન જ બંધ થઈ ગયું હોય તો ટાઇલ્સ ક્યાંથી મળે ? જેટલી ટ્રેડિંગની દુકાનો, સિરામીક ઝોન છે. તે અત્યારે એકદમ સુમસામ છે. અમુકને જ જૂનો થોડોક સ્ટોક પડ્યો હોય તો એ કામચલાઉ રૂપે ધંધો ચલાવે છે. હાલ તો બધાને કારખાના ચાલુ થાય પછી જ ઓર્ડર પુરા કરવાનું કહી દેવાયું છે. માલ દેવા જાય તો ડીઝલનો ખર્ચ માથે પડે મોરબીમાં જંકફૂડ અને નમકીનના સામાન્ય ધંધાર્થી લાલજીભાઈ અજાણાએ કહ્યું હતું કે, તેમના ધંધાનો મુખ્ય આધાર સિરામીક ઝોન જ છે. 40 કિમીમાં ફેલાયેલા ઝોનમાં રોજ સવારથી સાંજ ગાડી લઈને ફરીને વેફર્સ, નમકીન, નાસ્તાની ચીજવસ્તુઓ, શુદ્ધ પાણીની બોટલો, ફરસાણ, ઠંડાપીણાં, સહિતની વસ્તુઓ કેન્ટીનોમાં પહોંચાડે છે, એકમો બંધ થતાં આખો દિવસ ગાડી લઈને હડિયાપટ્ટી કરવા છતાં 20 ટકા ધંધો થતો નથી. મીઠાઈ અને ફરસાણનો 70 ટકા ધંધો ઘટ્યોમોરબીમાં મીઠાઈ ફરસાણનો ધંધો કરતા ધંધાર્થી વિજય વડાવીયા કહે છે કે, તેઓ જાતે ગુંદીના લડવા, ગાંઠિયા, ફાફડા સહિત મીઠાઈ ફરસાણ બનાવીને એકલા હાથે માલ ગાડીમાં ભરીને સીરામીક ઝોન ગણાતા રંગપરથી માટેલ સુધી કારખાનામાં આવેલી ચા, પાણી, નાસ્તાની કેન્ટીનો, હાઇવેની કેન્ટીનોમાં રોજ સરેરાશ 300થી 400 કિલો મીઠાઈ ફરસાણ પહોંચાડે છે. આ રીતે જે 100 ટકાનો રોજનો ધંધો હતો એમાં કારખાના બંધ થવાથી કેન્ટીનો બંધ થઈ ગઈ હોવાથી 70 ટકાનો કાપ મુકાયો છે, હાલ 30 ટકા જ ધંધો થાય છે.
નગર પાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં 10 ગ્રામ પંચાયત ભળ્યા બાદ તેના વિસ્તારમાં વધારો થવાની સાથે મતદારોની સંખ્યામાં ઉછાળો છે. મનપાના નવા સીમાંકન મુજબ નવી ભળેલી પંચાયતોમાં નવા વોર્ડ બનાવવાના બદલે 13 વોર્ડમાં જ સમાવવામાં આવ્યા છે, બીજી તરફ વોર્ડ રચનામાં પણ ફેરફાર થયો છે. જેમાં અગાઉ મોરબીના પશ્વિમ ભાગમાં 11 વોર્ડ અને પૂર્વ ભાગમાં 2 વોર્ડ હતા હવે મોરબી પશ્ચિમ ભાગનો એક વોર્ડ ઘટાડો કરી પૂર્વમાં એક વોર્ડ વધારો કરાયો છે. હાલ મોરબીના પૂર્વ ઝોનમાં સામાંકાઠા વિસ્તારની સાથે નવી ભળેલી મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) ત્રાજપર, માળિયા વનાળીયા, ભડિયાદ (જવાહરનગર)નો સમાવેશ કરી એક વોર્ડ વધારો કરાયો છે અને પશ્ચિમ ભાગમાં એક વોર્ડ ઘટાડો કરી 10 વોર્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમાં લીલાપર રવાપર શનાળા, નાની વાવડી, અમરેલી સહિતની પંચાયત નો સમાવેશ કરવામાં આવતા મતદારોની સંખ્યામાં મોટા પાયે ફેરફાર થયો છે. રાજ્યની વિવિધ નગરપાલિકા મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન લાગુ થયું છે અને હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ નજીકના સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. એસઆઈઆરની કામગીરી આટોપી લેવાયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઝડપથી નવી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તે મતદાર યાદી જાહેર થઈ ચુકી છે. નવી યાદી મુજબ, કુલ 13 વોર્ડમાં 2,08,470 મતદારો થાય છે. આ 2,08,470 મતદારોમાં 1,08,579 પુરુષ મતદારો અને 99088 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ગત 2021માં યોજાયેલી પાલિકાની ચૂંટણી મુજબ જોઈએ તો 57,819 મતદારોનો વધારો થયો છે. જો કે મોરબી મહાપાલિકા બન્યા બાદ તેમાં ભેળવેલી 10 ગ્રામ પંચાયતમાં ગામના નાગરિકો જ સૌથી મોટું પરીબળ હોવાનું સામે આવ્યું છે. મોરબી નગરપાલિકાની 2021 થયેલી ચૂંટણી દરમિયાન 1,50,651 મતદારો નોંધાયેલા હતા જેમાં 78,331 પુરુષ મતદારો જયારે 72,330 સ્ત્રી મતદારો હતા. 13 વોર્ડમાં સરેરાશ મતદારની સંખ્યા જોઈએ તો તે 16 હજાર જેટલી થઇ રહી છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનેલી ટંકારાપાલિકામાં આ વર્ષ પ્રથમ વખત ચૂંટણી થવાની છે અને તેમાં પણ 6 વોર્ડ અને 24 સભ્યો રહેશે. ટંકારા નગરપાલિકા માં 5092 પુરુષ મતદાર અને 4839 સ્ત્રી મતદારો મળી 9931 મતદારો નોંધાયા છે. મોરબી નગરપાલિકા વખતે 13 વોર્ડ માટે 150651 મતદારો હતા એટલે કે વોર્ડના સરેરાશ મતદારોની સંખ્યા 11,500 આસપાસ હતી. જો કે 5 વર્ષ બાદ મનપામાં નવા વિસ્તાર ભળવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થયેલું સ્થળાંતર સરેરાશ મતદારોની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ છે. જોકે હજુ સુધી મનપા દ્વારા વોર્ડ દીઠ મતદાર સંખ્યા અંગેની યાદી જાહેર ન કરવામાં આવતાં ક્યા વોર્ડમાં કેટલો વધારો અને ક્યાં કેટલો ઘટાડો થયો અને એક વોર્ડને બીજા વોર્ડમાં ભેળવી દેવાતા તેમાં શું ફેરફાર થયો તે અંગે હજુ તથ્યપૂર્ણ માહિતી મળ્યા બાદ જ સામે આવી શકશે. મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં 13 વોર્ડ અને 52 સભ્યો માટે હાલ 205 મતદાન મથક રહેશે. જે મતદારો વધ્યા છે તે હજુ વોર્ડ વાઇઝ વધારો જાહેર ન કરાયો હોવાથી હાલના સંજોગોમાં તો 13 વોર્ડ અને 52 સભ્ય માટે નિશ્ચિત 205 મતદાન મથક યથાવત રાખવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રે જાહેર કર્યું છે.
રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ
માધાપર ખાતે ધીરેન મનજી દબાસિયા પરિવારના યજમાન પદે આયોજિત માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠથી કથા રસપાન થઈ રહ્યું છે ત્યારે રામકથાના ચોથા દિવસે બાપુ ગુરુની વંદના, ગુરુની પધરામણી, ગુરુ મહિમાના ગુણગાન ગાયા હતા. ગુરુના ચરણની રજ, તેમની ચેતના, તેમનો ભાવ આશિષ આપીને જ જાય છે તેમજ એવા ગુરુ જે સદગુરુને સાધ્યો હોય એની ચરણ રજ આપણા સૌના હૃદયના અરીસાને શુદ્ધ બનાવે છે. સાથે બાપુ 8 પ્રકારના દર્પણનું ઉલ્લેખ કર્યું હતું. યમુનાજીની સ્તુતિ સાથે સરિતા પવિત્ર હોય છે અને કબીર સાહેબને યાદ કરતા કબીર સતને છોડ્યું જ નથી. કચ્છના વખાણ કરતા કહ્યું કે મારો કચ્છડો તો રામાયણને પીવે છે. કચ્છ રામમય છે. રામકથામાં મહામંડલેશ્વર શિવરામ મોરબી, પિનાકીન મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા ચુડાસમા, કવિ આલ, અનિલભાઈ ગજ્જર, પારૂલબેન કારા, જીણાભાઇ દાબાસિયા વગેરે સહિત સમગ્ર કચ્છ, ગુજરાત અને ઠેર ઠેરથી ભક્તો કથા શ્રાવણ કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 150 કારીગરો રસોઈમાં વ્યવસ્થામાં : 250 સેવાભાવી કાર્યકરો લોકોને જમાડી રહ્યામાધાપરમાં કથા શ્રવણ કરવા આવતા ભક્તો, શ્રોતાઓ માટે 24 કલાક ધમધમતુ મહા રસોડું બનાવવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ ભોજન પીરસવામાં આવે છે. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે-સાંજે ભોજન, બહાર ગામો આવતા શ્રોતાઓ માટે રાતવાસાની પણ વ્યવસ્થા કરાઈ છે. રસોડામાં 150 કારીગરો વિવિધ રસોઈ બનાવવામાં વ્યસ્ત રહે છે. હાલે રોજ 20થી 30 હજાર લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે. માધાપર અને આસપાસના ગામોના લોકો રસોડા વ્યવસ્થામાં 250 કાર્યકરો સેવા આપી રહ્યા છે. હજી વધુ શ્રોતાઓ આવશે તે માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ
યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ મૂકવામાં આવી હોવાનો આક્ષેપ થતા હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો બહાર આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે મંગળવગારે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલી માં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ સંગઠનના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ અથવા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે, તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં પ્રોફેસર વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સખત માર્ગદર્શિકા અને શૈક્ષણિક સંસ્થામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા મામલાની નોંધ લઈ જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તે પર ટકી છે. પ્રવૃત્તિ ચિંતાજનક, ઉંડી તપાસ થવી જોઈએ... હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ ની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં લેવામાં આવે. મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદન સુપ્રત કરાશે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે.આ કોલેજ ટ્રસ્ટની હોય આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. - સંદીપ વાઢેર, પ્રિન્સિપાલ, શારદાપીઠ કોલેજ, દ્વારકા.
ફરિયાદ:અમરેલી ખાતે હિન્દુ સંમેલનના જમણવારમાં યુવાન પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર શુભ લક્ષ્મીનગર વિસ્તારમાં કિરણબેન પટેલના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજુલાના ચિરાગ દીપકભાઈ બાબરીયા (ઉં.વ.23) હિન્દુ સંમેલનમાં જમવા ગયા હતા. જ્યાં પોતાનું બાઇક પાર્ક કરવા જતા હતા ત્યારે એક શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી પસાર થતો હતો તે સમયે અહીંથી ગાડી આમ લે કહી અપશબ્દો બોલી અપમાનીત કર્યાની તેઓએ ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબ ચક્કરગઢ રોડ પર રહેતા ચિરાગભાઈ હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં જમવા ગયા હતા, જ્યાં તેઓ પિતાનું બાઇક પાર્ક કરવા જતા હતા તે દરમિયાન ત્યાં શિવકુ નામનો શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી નીકળ્યો હતો, અને આ તારી ગાડી લઈલે કહી અપશબ્દો બોલી જતો રહ્યો હતો, બાદમાં જમવામાટે લાઇનમાં ઊભા હતા ત્યારે તે શખ્સ ફરી આવ્યો અને આ લોકોને અહીં કોણે જમવા બોલાવ્યા છે કહી ચિરાગભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ દરમિયાન ટોળું ભેગું થતા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવી ગયા હતા, અને શિવકુ સહિત બે અજાણ્યા મળી ત્રણેયએ મળી માર મારી, છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે અમરેલી પોલીસે શિવકુ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
નિર્ણય:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે
ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની સભા વાંઢાય ખાતે યોજાઇ હતી જેમાં આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આયોજન સમિતિના પ્રમુખ રમેશભાઈ પોકારે જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષમાં માત્ર અખાત્રીજના જ 1170 દીકરા-દીકરીઓ લગ્નના પવિત્ર બંધને બંધાયા છે. આ વર્ષે નવા વર્ષથી લગ્ન નોંધણીનો પ્રારંભ કરાયો છે, તેમાં અત્યાર સુધી વ્યસન મુક્ત સંકલ્પબધ્ધ 15 યુગલો જોડાઈ ચૂક્યા છે. આ વર્ષે પણ વરરાજાએ ફેશનેબલ દાઢી રાખીને જોડાવાનું રહેશે નહીં. સમૂહલગ્નમાં જોડાનાર દરેક કન્યાને ચાંદીનો જુડો તેમજ વરને તલવાર દામજીભાઈ ધનજી હળપાણી પરિવાર દ્વારા ભેટ અપાશે. 5000/-થી ઉપરની નોંધ પત્રિકામાં તેમજ 25000/-થી ઉપરની રકમ આપનાર દાતા પરિવારનું સન્માન કરાશે. દીકરીઓને સરકારની યોજના સાત ફેરા તેમજ કુંવરબાઈનું મામેરું માટે લાભ અપાવવા સમિતિનો પ્રયાસ રહેશે તેવી જાણકારી નોંધણી સમિતિના કન્વીનર મનીષ ભાવાણીએ આપી હતી. સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પુંજાભાઈ શિરવી તેમજ સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ સમૂહલગ્નમાં જોડાનારાએ પણ ઘરે વધારાનો ખર્ચ ન કરી અત્રે ઉપયોગી થવું જોઈએ તેમ જણાવ્યું હતું. દિનેશ સાંખલા, કિશોર રંગાણી તેમજ લક્ષ્મણભાઈ માવાણીએ સમિતિ દ્વારા વ્યસન તેમજ ફેશનેબલ દાઢી ઉપર પ્રતિબંધ મૂકી અન્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. જયંતી પોકારે સમૂહ લગ્નમાં જોડાવાથી મા-બાપની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે તેમ જણાવ્યું હતું. સભાના પ્રારંભે સ્વાગત સહમંત્રી રતિલાલ પોકારે કર્યું હતું. કામગીરીનો અહેવાલ મહામંત્રી પ્રાણલાલ રામજીયાણીએ આપ્યો હતો. સમૂહ લગ્નોત્સવના આયોજન અંગેની માહિતી મંત્રી જયંતી ચોપડાએ આપી હતી. આભારદર્શન શાંતિલાલ ભાવાણીએ કર્યું હતું. ખજાનચી ગંગારામ ચૌહાણ, આયોજન સમિતિના ટ્રસ્ટી સલાહકાર વાલજી ચોપડા અને વાલજી વેલાણી, મંત્રી કરમશી પોકાર, સહમંત્રી અશોક પ્રેમજીયાણી તેમજ 20 ગામના સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાહત:અંતે જૂના જામનગરના 28 સહિત 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડ્યો
જામનગર શહેરમાં લાંબા સમયથી જેની માગણી કરવામાં આવતી હતી અંતે તે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે જૂના જામનગરનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પોશ ગણાતા પંચવટી વિસ્તાર અને પંચવટી ગૌશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થવાથી હવે મિલકતની ખરીદ-વેચાણ ઉચ્ચ અધિકારીઓની સંમતી બાદ જ જરૂરી બનશે. જામનગરમાં લાંબા સમયથી અશાંત ધારાની માગણી અમૂક વિસ્તારોમાં કરવામાં આવતી હતી. જેમાં મુસ્લિમ વિસ્તારને અડીને આવેલા વિસ્તારોમાં મકાનોની ખરીદ-વેચ ન થાય તે માટે અશાંત ધારો લાગુ કરવાની માગણી કરાઈ હતી. એક સમયે જામનગર શહેર ભાજપ પ્રમુખે પણ અશાંત ધારાની માગણી કરી હતી. દરમિયાન રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી સોમવારે જ એક નોટિફિકેશન બહાર પાડી અશાંત ધારાને લાગુ કરવામાં આવ્યો છે. હવે અશાંત ધારો લાગુ થતાં કોઈપણ વ્યક્તિ ચોક્કસ વિસ્તારમાંથી પોતાની મિલકત વેચે અને લેનાર-વેચનાર જુદી જુદી કોમના નથી તે ખાસ જોવામાં આવશે અને તેની ખરાઈ કરવામાં આવશે. આ ધારો લાગુ થતાં આ વિસ્તારોમાં મિલકતો વેચી શકાશે નહી અને મિલકતો વેચતા અને ખરીદતા પહેલા ઉચ્ચ અધિકારીઓ પાસેથી સહમતી લેવી જરૂરી બનશે. આના કારણે લોકોનું પલાયન અટકશે. જામનગરમાં ક્યા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયોરાજગોર ફળી, ગણેશ ફળી દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ સુતરીયા ફળી, વજીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઈની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોનુ ફળી, મોટુ ફળી, ધેરા ફળી, વંફા ફળી, ખારવા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો,વારીયાનો ડેલો, ભોઈવાડો, કુંભારવાડો કોળીવાડ, આણદાબાવાનો ચકલો, નાગર ચકલો, પંચવટી સોસાયટી, પંચવટી ગૌશાળા વિસ્તાર લોકોનું પલાયન અટકશે, વિસ્તારોના મિલકતોના ભાવ વધશે જામનગર શહેરમાં અશાંત ધારાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હવે જ્યારે નોટીફિકેશન બહાર પડ્યું છે ત્યારે તેમાં મુખ્યત્વે જૂના જામનગરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિસ્તાર મુસ્લિમ વિસ્તારના નજીકમાં છે તેમજ લાંબા સમયથી અહીં મિલકતોની લે-વેચ માટે વિવાદો ચાલી રહ્યા છે. અહીં અશાંત ધારો લાગુ થવાથી હવે મિલકતોના ભાવમાં ઉછાળો આવશે. તેમજ લોકોનું પલાયન પણ રોકાશે તેવું તંત્રનું માનવું છે. પંચવટી સોસાયટી અને ગૌશાળા જેવા પોશ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ થતાં તેમાં પણ લોકોનું પલાયન અટકશે. આ વિસ્તારમાં પણ ઘણા વિવાદો હાલ ચાલી રહ્યા છે. અશાંત ધારાની માગણી અહીં જે તે સમયે મેયર રહેલા બીનાબેન કોઠારીએ ઉઠાવી હતી. તેમજ તે બાદ આ માગણીનો અવાજ તેજ બન્યો હતો. જેમાં જામનગર સહિત આ વિસ્તારને પણ સમાવવામાં આવ્યો છે.
ગોધરા શહેરમાં અફવાના લીધે 15 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. સાથે સંગ્રહખોરી કરવા લોકો કારબામાં પેટ્રોલ ભરાવતા પેટ્રોલપંપ સંચાલકોએ વાહન સિવાયમાં પેટ્રોલ આપવાનુ બંધ કરી દીધું. સોમવારે 8 કલાકમાં બે દિવસમાં વેચાણ થતું હજારો લીટર પેટ્રોલ અને ડિઝલનુ રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. ત્યારે બીજા દિવસ પેટ્રોલપંપ પર સામાન્ય દિવસ જેવી ધરાકી રહી હતી. ગોધરામાં સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વાયુવેગે અફવા ફેલાતાં અફરાતફરી સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની બીકે અનેક લોકો વાહનો સિવાય પ્લાસ્ટિકના કારબા અને કેન લઈને પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા. જેના કારણે પંપ માલિકોએ તાત્કાલિક અસરથી ખુલ્લા પાત્રોમાં ઇંધણ આપવાનું બંધ કરી દીધું હતું.સામાન્ય દિવસમં શહેરના 15 પેટ્રોલ પંપ પર એક દિવસમાં 90 હજાર લીટર પેટ્રોલ-ડીઝલનુ વેચાણ થાય છે. પણ અફવાથી શહેરના 8 કલાકમાં બે દિવસનુ ઇંધણનુ રેકોર્ડ બ્રેક વેચાણ થઇ ગયું હતું. ગોધરા ખાતે શહેરના તમામ 15 પંપો પર મોડી રાત્રી સુધી વાહનોની કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. સોમવારે માત્ર ગણતરીના કલાકોમાં 75,000 લિટર પેટ્રોલ અને 1,05,000 લિટર ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ થયુ હતું. પેટ્રોલ ડીઝલનો પુરતો સ્ટોક છે આ સદંતર ખોટી અફવા છે. હાલમાં દરેક પંપ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શહેરના 15 પેટ્રોલપંપ પર કલાકોમાં 75 હજાર લીટર પેટ્રોલ અને 1.05 લાખ લીટર ડિઝલનુ વેચાણ થયું હતું. આવી અફવાઓને કારણે સામાન્ય જનતા અને અન્ય વાહનચાલકો હેરાન થાય છે, માટે કોઈએ ગભરાવાની જરૂર નથી.હવે સ્થિતિ સામાન્ય છે લોકોને આરામ થી પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. - પરાગભાઇ શાહ, પંચ. ડીઝલ પેટ્રોલ એસો.ના પ્રમુખ
કાર્યવાહી:ગોધરામાં યુવતીનું ફેક આઇડી બનાવનાર સામે પોલીસ ફરિયાદ
ગોધરામાં યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી અન્ય લોકો સાથે મેસેજિંગ કરાયાની ઘટના મામલે ભુરાવાવ વિસ્તારની યુવતી દ્વારા શહેર એ ડિવિઝન મથકે સાયબર ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં તેઓ હાલ એક ખાનગી નર્સિંગ હોમમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત છે. યુવતીના મોબાઇલમાં 2020થી પોતાના નામથી ફેસબુક એકાઉન્ટ વાપરે છે. 3 નવેમ્બરે બપોરે તેમને તેમના ઓળખીતાએ ઇન્સ્ટાગ્રામ મારફતે જાણ કરી કે તેમના નામથી કોઈ વ્યક્તિ ચેટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવતીના નામથી એક ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી છે. જેમાં તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેક આઈડી દ્વારા અલગ-અલગ યુવતીઓ સાથે મેસેજિંગ કરી વાતચીત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી યુવતીએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બાદ શહેર એ ડિવિઝન મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવા પામી છે.
નાગરિકોમાં રોષ:માંડવીમાં જાહેર માર્ગો પર નદી જેમ વહેતું ગંદુ પાણી
માંડવી શહેરમાં ફરી એકવાર ગંદકી અને ગટર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં રુક્માવતી નદીમાં નોનવેજ વેસ્ટ ફેંકાતા નાગરિકોએ પાલિકા કચેરીએ જઈ રોષ વ્યક્ત કર્યો હતો, તે મામલો શાંત પણ ન થયો કે હવે તારામતી બાગ વિસ્તાર પાસે ગટરનું ગંદુ પાણી છેલ્લા પાંચ દિવસથી નદીની જેમ વહેતા નવી સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુજ ઓક્ટ્રોય નજીક અને તારામતી બાગ આસપાસ આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નીકળતો રસોડાનો કચરો ગટરમાં ઠાલવાતા ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે સેન્ટર પોઇન્ટ વિસ્તાર પાસે રસ્તાઓ પર ગંદુ પાણી વહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. નાગરિકોએ આ બાબતે પાલિકા તંત્રને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષે 2024માં માંડવી શહેરમાં ઝાડા-ઉલટીના કેસો વધતા તા. 26 જૂનથી 25 જુલાઈ સુધી શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતા ફરી આવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદાર અને ચીફ ઓફિસર પર જ જવાબદારી હોવા કારણે લોકો તાત્કાલિક સફાઈ અને ગટર વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નહીંતર રોગચાળો ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્ર પર રહેશે એવી ચેતવણી પણ શેરીજનોએ ઉચ્ચારી છે. 2024માં કોલેરાનો કેસ નોંધાયો હતો, એજ વિસ્તારમાં ગટરના પાણીમાંડવીના ભુજ ઓક્ટ્રોય નજીકના વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન કોલેરાનો પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ એ જ વિસ્તારમાં ફરી ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે.તાજેતરમાં સલાયા વિસ્તારના રહેવાસીઓએ પાલિકા કચેરીમાં ગટરનું ગંદુ પાણી ઠલવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.હવે સેન્ટર પોઇન્ટ વિસ્તારમાં ગટર સમસ્યા દૂર નહીં થાય તો વેપારીઓ દ્વારા પાલિકા સામે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ આરામ કરતો હોય તેવું લાગી રહ્યું છે
ફરિયાદ:ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી
વિસાવદર તાલુકાના મહુડી ગામે ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. મહુડી ગામે રહેતા 47 વર્ષીય બીછુભાઈ ગટુભાઈ ખાદા ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે મહુડા થી મહુડી ગામ તરફ જવા માટે ડાયવર્ઝનનું કામ ચાલતું હોય ત્યાં ગયા હતા. જ્યાં હાજર કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું. તે દરમિયાન કુટુંબી બદરૂભાઈ નાનાભાઈએ આવી ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી કરતા બીછુભાઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યાં પાછળથી બદરૂભાઈએ આવી સીધા જ કુહાડી વડે મારવાનું શરૂ કરતાં ભત્રીજાએ આડા પડી છોડાવ્યા હતા. બાદમાં શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બિછુભાઈને સારવાર માટે વિસાવદર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બદરૂભાઈ કુટુંબી ભાઈ થતા હોય જેથી સમાજના આગેવાનોએ ફરી વખત બનાવ નહિ બને એવી ખાતરી આપતા પોલીસ ફરિયાદ કરી ન હતી. આ પછી 4 માર્ચના રોજ હાથમાં દુખાવો થતાં બિછુભાઈ વિસાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે શખ્સની બીક લાગતા પોલીસને અરજી આપી હતી. શખ્સ વારંવાર કનડગત કરતો હોય અને સમાજના આગેવાનોનું માન રાખતો ન હોય આખરે મંગળવારે બીછુભાઈએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીનો ચકચારી કિસ્સો:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો
હિંમતનગરમાં વ્યાજખોરીનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. વેપારીએ પોતાના મિત્રને મદદ કરવા અપાવેલ 50 લાખ સામે વ્યાજખોરે અત્યાર સુધીમાં 1.35 કરોડ પડાવી લીધા બાદ પણ વ્યાજખોર દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા, માનસિક રીતે ભાંગી પડેલા વેપારીએ આખરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરથી રક્ષણ અને ન્યાય નહીં મળે તો આત્મહત્યાના વિચાર આવતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવતા વ્યાજખોર ફિરોજખાન ફરાર થઇ ગયો હતો. સવગઢમાં રહેતા તૌફિકભાઈ રજ્જાકભાઈ મેમણે વર્ષ 2015-16 માં તેમના મિત્ર ભીખુસિંહ રાઠોડને ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદી આવતાં નાણાંની જરૂર પડી હોવાથી તૌફિકભાઈએ મધ્યસ્થી બનીને પોતાની જવાબદારી પર હિંમતનગરના ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ પાસેથી 50 લાખ 5 ટકાના માસિક વ્યાજે અપાવ્યા હતા. આ વ્યવહાર પેટે વેપારીના બેંકના કોરા ચેકો પણ લખાવી લીધા હતા. ત્યારબાદ શરૂઆતમાં ભીખુસિંહે ચાર મહિના સુધી 2.50 લાખ લેખે 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ બાદમાં ભીખુસિંહનો ધંધો ઠપ થતાં વ્યાજ ચૂકવવાની જવાબદારી તૌફિકભાઈ પર આવી પડી હતી. તેમણે વ્યાજ પેટે જ અત્યાર સુધીમાં કુલ 90 લાખ ચૂકવી દીધા છે. ત્યારબાદ પોતાની જમીન અને દુકાનો વેચીને પણ લાખો રૂપિયા આપ્યા હતા. કુલ મળીને 50 લાખની મુદ્દલ સામે 1.35 કરોડ ચૂકવી દીધા છતાં વ્યાજખોર હજુ પણ 50 લાખની ઉઘરાણી કરી અવારનવાર ઘરે જઈને ગાળો બોલતો હતો. એટલું જ નહીં, વેપારીની પત્ની અને બાળકોની હાજરીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતો હતો. મોબાઈલ ફોન પર પણ સતત ધમકીઓ આપતો હતો. જેના કારણે વેપારી 15 દિવસથી તૌફિકભાઈ આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા. પરંતુ વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીતી વર્ણવી આરોપી વિરુદ્ધના પુરાવા તરીકે ફોન રેકોર્ડિંગ અને સીસીટીવી પણ પેનડ્રાઈવમાં પોલીસને સોંપીને ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વ્યાજખોરને જાણ થઈ જતાં ભાગી ગયો હતો. વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો આરોપીએ એવી શરત મૂકી હતી કે તે પૈસા ભલે ભીખુસિંહના ધંધા માટે હોય. પરંતુ તે પૈસા પોતે તૌફિકભાઇના હાથમાં જ આપશે.,આરોપીએ સ્પષ્ટ કર્યું હતું કે આ રકમનું મુદ્દલ અને વ્યાજ તે માત્ર તૌફિકભાઇ પાસેથી જ વસૂલશે. {પૈસા આપતાં પહેલા સુરક્ષાના નામે તૌફિકભાઇના ઓરીએન્ટલ બેંકના ખાતાના કોરા ચેકો લીધા હતા.,રકમ આપતી વખતે માસિક 5% લેખે ઊંચું વ્યાજ નક્કી કરાયું હતું. ફોર્ચ્યુનર અને દુકાનો વેચી તૌફિકભાઇએ 34 લાખ રોકડા આપ્યા ધિરાણ કરેલી મુદ્દલ રકમ : 50 લાખ, માસિક વ્યાજ : શરૂઆતમાં 5 ટકા, માસિક વ્યાજના હપ્તા : 5% લેખે દર મહિને રૂ. 2.50 લાખ વ્યાજ તરીકે ચૂકવતા., શરૂઆતના 4 મહિના : દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું., ત્યારબાદના 4 વર્ષ : તૌફિકભાઈએ દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 90 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા.,ગાડીનું વેચાણ : ભીખુસિંહે પોતાની ફોર્ચ્યુનર નં. GJ-09-8300 તૌફિકભાઇને આપી હતી. જે વેચીને રૂ. 14 લાખ આપ્યા હતા.,દુકાનોનું વેચાણ : તૌફિકભાઇએ રેહાન કોમ્પ્લેક્ષની દુકાનો વેચીને આરોપીને 20 લાખ રોકડા આપ્યા હતા.,ટુકડે-ટુકડે આપેલી રકમ : વ્યાજખોરના ત્રાસ અને ધમકીના કારણે સમયાંતરે બીજા 15 લાખ ચૂકવ્યા હતા.,વધારાની માંગણી : તેની મૂળ મુદ્દલ રૂ. 50 લાખ પરત માંગીને ત્રાસ આપી રહ્યો છે. વર્ષ 2018 થી આરોપીએ 2% વ્યાજ લેવાનું નક્કી કરી માસિક રૂ. 1 લાખની માંગણી કરી રહ્યો હતો. કેસમાં મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈકલમ 308(2) - ભય બતાવી જબરદસ્તીથી કઢાવવું 7 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ. . કલમ 351(2) - જાનથી મારી નાખવાની કે ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી આપવી, 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. જો ધમકી મૃત્યુ નિપજાવવાની હોય, તો સજા 7 વર્ષ સુધી વધી શકે . કલમ 352 - જાહેર કે ખાનગીમાં ગાળો બોલી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. .ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની વિવિધ કલમોમાં 1 વર્ષથી માંડી 2 વર્ષની સજા અને 5 હજાર દંડ
તપાસ:ખાવડાના પેટ્રોલ પંપ પર ડીઝલમાં પાણી હોવાથી કાર ખરાબીનો આક્ષેપ
ખાવડામાં આવેલા એક પેટ્રોલ પંપ પરથી પુરાવવામાં આવેલ ઈંધણમાં પાણી હોવાને કારણે ગ્રાહકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે સોઢા ભગવાનસિંહ વિજરાજજી નામના વાહન ચાલકે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ગત માર્ચના રાત્રે 9:26 કલાકે ફરિયાદીએ પોતાના વાહન (નંબર GJ 12 FF 6992) માં ખાવડા સ્થિત HP પેટ્રોલ પંપ પરથી 2૦૦૦/- નું ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યાના થોડા જ સમય બાદ રસ્તામાં અચાનક ગાડી બંધ પડી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ગાડીની ટાંકીમાં રહેલા ડીઝલમાં મોટા પ્રમાણમાં પાણી મિશ્રિત હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે આ બાબતે પેટ્રોલ પંપના માલિકને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે અસહકારપૂર્ણ અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. માલિક દ્વારા “તમારાથી થાય તે કરી લો” જેવા શબ્દો વાપરીને ગ્રાહકને હાંકી કાઢવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. વાહન ચાલક પાસે ડીઝલની રસીદ, UPI પેમેન્ટનો પુરાવો તેમજ ટાંકીમાંથી નીકળતા પાણીના ફોટોગ્રાફ્સ અને વીડિયો પુરાવા તરીકે ઉપલબ્ધ છે. ગાડી બંધ પડી જવાથી તેને ક્રેન દ્વારા ખેંચી જવી પડી હતી, જેના કારણે વધારાનો ખર્ચ અને માનસિક પરેશાની ભોગવવી પડી છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશમીએ જણાવ્યું હતું કે અમને આ બાબતે ફરિયાદ મળી છે, ગઈકાલે ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી. પરંતુ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો પૂર્ણ થઇ ગયો હોવાથી સેમ્પલ કેવી રીતે લેવું તેવી મુજવણ સર્જાઈ હતી. જો કે આ ફરિયાદ બાબતે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે.
બેઠક:સુરક્ષા વ્યવસ્થા, નિયંત્રણના આયોજન,વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અંગે ચર્ચા કરાઈ
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી માધવપુર ઘેડ મેળો-2026ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલા કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મેળા દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે સુરક્ષા વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભીડ નિયંત્રણના આયોજન પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ વ્યવસ્થાપન અંતર્ગત સ્ટોલ ફાળવણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.મેળાના સુવ્યવસ્થિત સંચાલન માટે વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અને સમગ્ર મેળા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતોને પણ બેઠકમાં આવરી લેવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સમિતિના સભ્યોને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા, સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળે તે પ્રાથમિકતામાધવપુરનો મેળો એ આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક હોવાથી યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે અને મેળો નિર્વિઘ્ને સંપન્ન થાય તે તંત્રની પ્રાથમિકતા રહેશે. > રેખાબા સરવૈયા,નિવાસી અધિક કલેક્ટર
છેતરપિંડી:અડવાણા ગામના યુવાન સાથે ધ્રોલના શખ્સે રૂ.10.73 લાખની ઠગાઈ કરી
જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક નંગ 53, જેની ટ્રાન્સપોટેશન સહીતની ફ્લાઈસની કિ.રૂ. 33.68 લાખની મંગાવી હતી અને પ્રથમ ટ્રકના પુરા રૂપીયાની ચુકવણી કરી, યુવાન સાથે વિશ્વાસ કેળવી અને વિશ્વાસ ટકાવવા માટે કટકે કટકે રૂ. 22.95 લાખની ચુકવણી કરી હતી અને બાકીના નિકળતા રૂ.10.73 લાખ જેટલી રકમની આરોપીએ ચુકવણી કરી ન હતી અને યુવાન સાથે ઠગાઈ કરી હતી. આરોપીએ યુવાનને ફોન પર ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને યુવાનને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની કે પોતાના પરીવાર સાથે આત્મહત્યા કરવાની કૌશિષ કરીને યુવાનને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીવન દેવજી ચાવડા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.
કુતિયાણા પંથકના 50 થી વધુ ખેડૂતોના બેંક ખાતા માંથી સાયબર ગુન્હેગારો દ્વારા સાયબર ક્રાઇમ આચરી રૂપિયા ઉપાડવાના બનાવો સામે આવી રહ્યા છે. DBT સુવિધા ધરાવતા ખાતેદારોના ખાતા માંથી રૂપિયા ઉપાડવા માટે આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ જરૂરી બને છે તેમ છતાં મહારાષ્ટ્રના CSP સેન્ટર માંથી વગર અંગુઠે સાયબર ગુન્હેગારોએ ખેડૂતોના ખાતા માંથી રૂપિયા ઉપાડી ફ્રોડ કર્યો છે ત્યારે આ ફ્રોડ કેવીરીતે થયો તે શોધવા સાયબર પોલીસ અને બેંકના મેનેજરો માથા ખંજવાળી રહ્યા છે. કુતિયાણા પંથકના 50થી વધુ ખેડૂતોના ખાતા માંથી નાણાં ઉપડી જવાનો સાયબર ફ્રોડ સામે આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓ બેન્કમાં જઈને તપાસ કરાવી ફરિયાદ કરી રહ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, DBT એટલેકે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે પાક ધિરાણ સહિતના પેમેન્ટ ઉપાડવા આધારકાર્ડ લિંક માટે બેંકમાં જવું પડે છે. આવા ખેડૂતોને આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ મારફત એક દિવસના રૂ.10 હજાર સુધી ઉપાડી શકાય તેવો નિયમ છે અને આધારકાર્ડ માંથી રૂપિયા ઉપાડવા માટે CSP એટલેકે કસ્ટમર સર્વિસ પોઇન્ટ આવેલા હોય છે. ખેડૂતોએ આધારકાર્ડ કે ફિંગરપ્રિન્ટ આપ્યા વગર જ રૂપિયા ઉપાડી જવાના બનાવ સામે આવ્યા છે. DBT સુવિધા ધરાવતા ખાતેદારોના ખાતા માંથી રૂપિયા ઉપાડવા હોય તો આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ ફિઝીકલી આપવા પડે છે, આમછતાં મહારાષ્ટ્રના કોઈ કસ્ટમર સર્વિસ સેન્ટર માંથી વગર અંગુઠે સાયબર ગુન્હેગારો આવો સાયબર ફ્રોડ આચરી રહ્યા છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલ નાગરિકો બેન્કમાં જઈને આ બાબતે ફરિયાદ કરે છે ત્યારે આ સાયબર ફ્રોડ ઉજાગર થયો છે, અને આ બાબતે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ બેંક ખાતે પહોંચી હતી અને ઊંડાણપૂર્વક તપાસ આદરી છે ત્યારે આ ગુન્હો કેમ આચરાયો છે તે શોધવા બેંકોના મેનેજરો અને સાયબર પોલીસ પણ જાણી શકી નથી. મારા ખાતા માંથી પ્રથમ વખત રૂ.10 હજાર ઉપડી ગયા ત્યારે એસબીઆઈ બેંકમાં ગયો હતો અને મેનેજરને વાત કરી હતી. મેનેજર દ્વારા સિસ્ટમ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે ફરી રૂ.10 હજાર ઉપડી ગયા હતા. મેનેજરે કહ્યું હતુંકે, ફરિયાદ કરી જેથી ફરિયાદ કરી છે. મારા સબંધીના પણ રૂપિયા આ પ્રકારે ઉપડી ગયા છે. તે સબંધી તો અભણ છે અને સાદો મોબાઈલ વાપરે છે. > દિનેશભાઈ તરખાલા, ભોગબનનાર વેપારી રૂપિયા પરત પણ આવે છે - SBI મેનેજરબેન્કમાં આધારકાર્ડમાં લિંક હોય અને DBT સુવિધા હોય તેવા ખેડૂતોને CSP સેન્ટર ખાતે ફિઝીકલી ફિંગર પ્રિન્ટ લાઇવ આપે તો જ રૂપિયા ઉપાડી શકે. પરંતુ ફિંગરપ્રિન્ટ વિના રૂપિયા ઊપડી જાય છે તેવા 10 જેટલા ગ્રાહક ફરિયાદ માટે આવ્યા હતા. મહારાષ્ટ્રથી રૂપિયા ઉપાડી જાય છે. આવા સાયબર ફ્રોડ કેસમાં ખાતેદારના ખાતામાં રૂપિયા પરત પણ આવ્યા છે. > અજય રાવલ, મેનેજર, SBI કુતિયાણા
તપાસ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં કરેલા કાર્યક્રમોમાં રૂ.1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં જોબફેર,નિવાસી તાલીમ અને કેરીયર કાઉન્સેલરમાં રૂ.1,06,68,410નો ખર્ચે કર્યો છે તો 3 વર્ષમાં 74 જેટલા જોબફેરમાં 4204 ઉમેદવારોને રોજગારી આપી હોવાનું સામે આવ્યું છે ત્યારે રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ખર્ચેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોરબંદરના જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે જોબફેર,નિવાસી તાલીમ સહિતના વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરા, દ્વારા પોરબંદર જિલ્લા રોજગાર કચેરીમાં આર.ટી.આઇ.હેઠળ માહિતી માંગવામાં આવી હતી.આ આર.ટી.આઈ.ની માહિતી કચેરી દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.01/01/2023 થી તા.15/02/2026 સુધી માં કુલ 74 ભરતીમેળાનું આયોજન કરેલ છે. જેમાં કુલ 4204 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં (જાન્યુઆરી-2023 થી જાન્યુઆરી-2025) મહેકમ ,કચેરી ખર્ચ- રૂ 81,39,793, જોબફેરમાં રૂ. 7,12,803,કેરીયર કોર્નરમાં રૂ.48,650,નીવાસી તાલીમ વર્ગમાં રૂ.5,38,138, કેરીયર કાઉન્સેલરમાં રૂ.12,15,468,એસ.ટી કુપનમાં રૂ.13,562 ૧૩,૫૬૨ મળી કુલ 1,06,68,410 રૂપિયાનો ખર્ચે કરવામાં આવ્યો છે.ત્યારે આ કચેરી દ્વારા વિવિધ કામગીરીના ખર્ચમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો પોરબંદરની રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં 74 જોબફેર યોજવામાં આવ્યા છે ત્યારે આ જોબફેરનો રૂ.7,12,803નો ખર્ચે કરાયો છે ત્યારે એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો છે પરંતુ મોટાભાગના જોબફેર સ્કૂલ અને કોલેજના બિલ્ડીંગ થતા હોવાથી આ ખર્ચે કેવા માટે કરાયો છે તેવા પણ સવાલો ઉઠ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત ઉજવવામાં આવશે. આ વર્ષના આયોજન અંગે વિગતો જાહેર કરવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મેળો તા. 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં દરરોજ રાત્રે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટ સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિ પણ રાખવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે તા. 31.03.2026 ના રોજ દ્વારકા ખાતે રાજેશ આહિર એન્ડ ગ્રુપના કાર્યક્રમ સાથે મલ્ટી મીડિયા શો અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ક્યાં કલાકારો ભાગ લેશે સમગ્ર મેળા દરમિયાન વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે તા. 27 મીએ જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી, 28 મીએ રાજ ગઢવી અને મયુર દવે, 29મીએ ઋષભ આહિર તેમજ 30મીએ શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા કૃષ્ણમય સંગીતની સભાઓ યોજાશે.

34 C