વિવિધ જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાવ,થરાદ, પાટણ, લખતરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.જેના કારણે પાક સહિત અન્ય મિલકતને વ્યાપક નુક્શાન પહોંચ્યું. તો અમદાવાદમાં પણ સવારથી જ ભારે પવનને કારણે ચાર જગ્યાએ ઝાડ પડ્યાની ઘટના બની.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંગણવાડી બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં લઘુતમ વેતન સહિતની પડતર માગો સાથે આંગણવાડી બહેનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું..બહેનોએ સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ આપી માગ પૂરી ન થાય તો વિધાસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે.સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની ધરપકડ કરાઈ છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારને 25 માર્ચ સુધીનું પશુપાલકોનું એલ્ટિમેટમ દહેગામના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ.. આજે વહેલી સવાર દહેગામ સજ્જડ બંધ તો ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો .. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સુરતના કાપોદ્રામાં વહેલી સવારે એમ્બ્રોઈડરીના કારખાનામાં 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા.. દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. કારખાનામાં ફસાયેલા અન્ય કામદારોનું પતરાં કાપીને રેસ્ક્યુ કરવામાં આવ્યું.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના હેરિટેજ દરજ્જા પર યુનેસ્કોની નજર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો 'ઇકોમોસ'નું સંયુક્ત પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે આ પ્રતિનિધિઓએ હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાના બેફામ મારથી માસુમ બાળકીનું મોત સુરતના વરાછાના વિસ્તારમાં લિવઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને માર મારી મોતને ઘાટ ઉતારી.. મહિલાના મારથી માસુમને બ્રેઈન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રડતા રડતા ત્રણ વીડિયો બનાવી હીરા દલાલનો આપઘાત હીરા દલાલે રડતા રડતા એક બાદ એક ત્રણ વીડિયો રેકોર્ડ કરી ઝેર પી જીવન ટુંકાવી દીધું.સંદીપભાઈ ચોડવડિયાને અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા હળવદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મજૂરી કામ કરતા 10 જેટલા યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી 2 યુવાનો ડુબ્યા છે એકને બચાવવા જતા બીજો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં કાર ચાલકનો આતંક વડોદરાના એમ જી રોડ પર ધ્રુવ પટેલે પોતાની કાર બેફામ રીતે હંકારી હતી અને 4થી 5 વાહનોને અડફેટે લીધા જેમાં 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.. ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઈક સવારો ઊભેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બાઈક પર સવાર ત્રણેય સગીરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પોલીસ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધો.10ની પરીક્ષા આપીને ત્રણ સગીર બાઈકમાં પૂરપાટ ઝડપે જતા હતાઆ સમગ્ર ઘટના અંગેના CCTV ફૂટેજ આવ્યા છે. જેમાં પહેલા કાર રિવર્સ થોડી જાય છે અને તે સમયે ભયાનક સ્પીડે બાઇક આવે છે અને કારના પછાડાના ભાગે ધડાકાભેર અથડાય છે. ઘટના સ્થળે જ એક સગીરનું મોત થાય છે, જ્યારે અન્ય બે ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃતકનું નામ અનમોલ રવિન્દ્રભાઈ સોની (ઉંમર 15 વર્ષ) હતું. તેના પિતા વડોદરા પોલીસમાં સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. મૃતક સગીર દંતેશ્વર વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરનો રહેવાસી હતો અને હાલમાં ધોરણ-10માં અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને સગીરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે. કારચાલક ખરીદી કરીને કારમાં બેસી રિવર્સ લેતો હતો ને અકસ્માત સર્જાયોઆ ઘટનાને લઈ સ્થાનિક નજરે જોનાર મહિલા કુંતલ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. કારચાલક ખરીદી કરીને અહીંયા આવ્યો અને કારમાં બેઠો અને પાછળથી ત્રણ બાઈક સવાર કારમાં ઘૂસી ગયા હતા. જેમાં ચાલકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં બાઈકચાલનો વાંક હતો, તેણે કાયદાનો ભંગ કર્યો હર અને હેલમેટ પણ પહેર્યું ન હતું. આ બાઈક ફૂલ સ્પીડમાં હતી અને આ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર બેઠેલા ત્રણેય સગીર મસ્તી કરતા ફૂલ સ્પીડમાં બાઈકમાં આવતા હતાઆ ઘટના અંગે કાર ચાલક કેયુરભાઈએ જણાવ્યું હતું કે, હું ખરીદી કરીને બહાર આવ્યો હતો અને કાર રિવર્સમાં લઈ રહ્યો હતોય આ દરમિયાન પાછળથી ટ્રિપલ સવારીમાં પૂરપાટ ઝડપે બાઈક આવે છે અને કારમાં ઘૂસી જાય છે. એક પણ વ્યક્તિને હેલમેટ પહેર્યું ન હતું. તેઓ મસ્તી કરતા કરતા ફુલ સ્પીડમાં આવતા હતા. બહાર નીકળીને જોતા તેઓને વાગ્યું હતી જેથી મેં પોલીસને અને 108 ને જાણ કરી હતી.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની બેઠક પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં રૂ. 25 કરોડથી વધુના 916 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂર કરાયેલા કામોમાં વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના 10 તાલુકાના રૂ. 23.19 કરોડના 896 કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓ માટે રૂ. 2.01 કરોડના 20 કામોને પણ મંજૂરી મળી છે. બેઠક દરમિયાન પાણી પુરવઠો, રોડ-રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત થતા કામો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી. અધ્યક્ષ કમલેશભાઈ પટેલે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બનાસકાંઠા જિલ્લામાં યોજનાકીય કાર્યો અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો, ખાસ કરીને આરોગ્ય જેવા જીવન જરૂરિયાત ધરાવતા વિભાગોના કામો સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે અધિકારીઓને વિકાસ કામોની નિયમિત સ્થળ મુલાકાત લેવા અને કામો ગુણવત્તાસભર તથા ઝડપી ગતિએ પૂર્ણ થાય તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા આયોજન અધિકારી એસ.એન. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતા જૂનાગઢ શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ તેજ પવન સાથે માવઠું શરૂ થયું હતું. ખાસ કરીને ભેસાણ પંથકમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેવાની ભીતિ જન્માવી છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભેસાણમાં કરા સાથે વરસાદ: રસ્તાઓ પર પાણીની રેલમછેલ જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં કરા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારથી ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ 'આફત' બનીને આવ્યો છે. માર્ગો પર વરસાદી પાણીની સાથે કરાના થર જામી ગયેલા જોવા મળ્યા હતા, જે ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો અહેસાસ કરાવી રહ્યા હતા. બાગાયતી પાકને મોટું નુકસાન: આંબા પરની કેરીઓ ખરી પડી જૂનાગઢ જિલ્લો એ કેસર કેરીનું હબ ગણાય છે. હાલના સમયમાં આંબાના બગીચાઓમાં નાની કેરીઓ (ખાખટી) આવી ગઈ છે. કમોસમી વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવન અને કરાના કારણે આંબા પરથી કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, જો આ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો કેરીના પાકને પચાસ ટકાથી વધુ નુકસાન થઈ શકે છે. પવનના કારણે આંબાના મોર પણ ખરી ગયા છે, જેનાથી આ વર્ષે કેસરની મિજબાની મોંઘી અને ઓછી થવાની શક્યતા છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું: ઉભા પાક પર સંકટના વાદળો માવઠાના કારણે માત્ર બાગાયતી પાક જ નહીં, પણ ખેતરોમાં લણણી પર આવેલા રવિ પાકોને પણ ભારે નુકસાનની શક્યતા છે. જે ખેડૂતોએ પાકની લણણી કરી લીધી છે અને માલ ખેતરમાં ખુલ્લામાં પડ્યો છે, તેઓની હાલત કફોડી બની છે. ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા પાકોમાં ભેજ લાગવાથી તેની ગુણવત્તા બગડશે અને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, મોઢે આવેલો કોળિયો હજુ છીનવાયો નથી પણ જો વરસાદી ઝાપટાં ચાલુ રહેશે તો પાયમાલ થવાની પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સિસ્ટમને લીધે હજુ પણ બે થી ત્રણ દિવસ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા પણ ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ હતી, પરંતુ અચાનક આવેલા આ માવઠાએ કોઈને સંભળવાનો મોકો આપ્યો નથી. હાલ તો જૂનાગઢના આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વરસાદી પવન ફૂંકાઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા આગામી દિવસોમાં નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. કુદરતી આફત સામે લાચાર બનેલો જગતનો તાત હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યો છે.
અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ માટે ખતરો બની રહ્યા છે, ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં ભારે વાહનોની બેદરકારી ફરી એકવાર સામે આવ્યો છે. ગત 13 માર્ચ 2026ના રોજ રેપિડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક પોતાની 14 વર્ષીય દીકરી અને 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે સાબરમતી ટોલનાકા પાસે પાછળથી આવતા એક ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. દીકરીને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર ને 30 ટાંકા આવ્યાટક્કર એટલી ભયાનક હતી કે, પિતા અને બંને બાળકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 14 વર્ષની અક્ષિતાને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સાવરા માટે પંચશીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર આવ્યા છે અને લગભગ 30 ટાંકા લેવામાં આવ્યા છે. આ સાથે જ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 6 વર્ષના ધ્વનિલને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. પિતાએ ઉછીના પૈસા લઈ દીકરીની સારવાર કરાવીઆ ઘટનાના પગલે પીડિત યુવકે ડમ્પર માલિક મુકેશ વણઝારાને સારવારના ખર્ચ માટે વિનંતી કરી હતી, પરંતુ માલિકે મદદ કરવા ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવક પોતાના સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઈને દીકરીની સારવાર કરાવી રહ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે, બાળકીના જમણા હાથની નસો ગંભીર રીતે નુકસાન પામી છે. બાળકોને સ્કૂલે મૂકવા જતા ડમ્પરે પાછળથી ટક્કર મારી: મહેન્દ્ર અમીનઅકસ્માતનો ભોગ બનનાર મહેન્દ્ર અમીને જણાવ્યું હતું કે, 13 માર્ચે હું એક્ટિવા પર મારી 14 વર્ષની દીકરી અક્ષિતા અને 6 વર્ષનો દીકરો ધ્વનિલને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે એક ડમ્પર ચાલકે પાછળથી આવીને અમને ટક્કર મારી હતી. જેમાં મારી મોટી દીકરી અક્ષિતાને ખૂબ ઈજા પહોંચી હતી. હું રેપિડો ચલાવું છું. ઘરમાં કમાનાર વ્યક્તિ હું જ છું. હું તપોવન સર્કલ રહું છું. સાબરમતી સ્કૂલમાં મારા બંને બાળકો ભણે છે. 'ડમ્પરે ટક્કર મારતા અમે ફંગોળાઈને રોડ પર પટકાયા'હું બાળકોને ઘરેથી સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી તો અમે લોકો ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. મારી દીકરીને ગંભીર ઈજા થતાં અમે તેને રિક્ષામાં બેસાડીને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. આસપાસના લોકોએ ડમ્પર ચાલકને પકડી રાખ્યો હતો. જ્યારે ડમ્પર ચાલકનો માલિક બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યો હતો. ડમ્પર માલિકને હોસ્પિટલનો ખર્ચ આપવા વિનંતી કરીઅમે તેને વિનંતી કરી કે, અમારા રૂપિયા નથી જોયતા તમે મારી દીકરીનો જે હોસ્પિટલનો ખર્ચ થયો છે તે તમે આપો, પરંતુ ડમ્પરના માલિકે કહ્યું કે હું 50 હજાર રૂપિયા જ આપીશ. જોકે, અમારે હોસ્પિટલનો ખર્ચ 1.5 લાખ જેટલો થયો છે અને તેણે મને ના પાડી દીધી કે તમારાથી થાય એ કરી લો. ત્યારબાદ અમે તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યોપણ કોઈ જવાબ મળ્યો નથી. 'લોકો પાસે ઉછીના રૂપિયા લઈ દીકરીની સારવાર કરાવી'મારી દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે દીકરાને પણ ખૂબ વાગ્યું છે. અકસ્માતમાં એની આંખ પણ બચી ગઈ છે. ડોક્ટરે મારી દીકરીનું ઓપરેશન કર્યું અને તેને 30 જેટલા ટાંકા આવ્યા છે. ખર્ચો દોઢથી બે લાખ કહ્યો છે, અત્યારે મારી પરિસ્થિતિ છે જ નહીં. મેં મારા સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ મારી દીકરીની સારવાર કરાવી છે. ડમ્પર માલિકે 50 હજાર આપવાનું કહ્યું તે પણ ન આપ્યાડમ્પરના માલિકે 50 હજાર આપવાનું કહ્યું હતું પરંતુ તે પણ એણે આપ્યા નથી. અમે ઘણા લોકો પાસેથી તેને કહેવડાવ્યું પણ તે આવ્યો નહીં. મારી દીકરીનું ગઈકાલે ઓપરેશન કર્યું છે. તેને 3 ફ્રેક્ચર થયા છે. અત્યારે હવે એ 6 મહિના સુધી સ્કૂલ પણ જઈ શકશે નહીં અને પોતાનું રોજબરોજનું કામ પણ જાતે કરી શકે તેમ નથી. ડમ્પરના માલિકનો સંપર્ક કરી તેને મળવા ગયા હતા: દુર્ગેશ પરમારમહેન્દ્રભાઈના મિત્ર દુર્ગેશ પરમારે જણાવ્યું હતું કે, મારા મિત્રનો મારી ઉપર ફોન આવ્યો હતો કે, તેની દીકરીને વાગ્યું છે. એટલે હું તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં મને જાણવા મળ્યું કે, દીકરીને વધારે વાગ્યું છે. ત્યાર પછી હું એલ ડિવિઝનમાં ગયો અને ત્યાં તપાસ કરી કે ડમ્પરવાળો કોણ છે? તો પોલીસે એવું કહ્યું કે, ડમ્પર જમા લઈ લીધું છે અને એ ભાઈ ઉપર કાર્યવાહી થતી હશે એ થશે. અમે ડમ્પરના માલિકનો સંપર્ક કર્યો હતો અને અમે તેને મળવા ગયા હતા. 'એમની ફાયનાન્સિયલ કન્ડિશન બહુ ખરાબ છે'અમે સામેના પક્ષને કહ્યું કે, ભાઈ આ જે મહેન્દ્રભાઈ છે એમની ફાયનાન્સિયલ કન્ડિશન બહુ ખરાબ છે. સવારે 4 વાગ્યે ઉઠીને રેપિડો ચલાવે છે. અહીંયા બિલ ભરી શકે એવી તેમની પરિસ્થિતિ નથી અને ભાડાના મકાનમાં રહે છે. અમારે કેસ કરવો નથી તમે જોઇ લો. દીકરી છે. આઠમાં ધોરણમાં ભણે છે. જે હાથથી લખવાનું છે એ જ હાથે દીકરીને વાગ્યું છે. 'આખો દિવસ આમ તેમ ફેરવ્યા ને અમારી કોઈ વાત સાંભળી નહીં'તેણે એક દિવસ આખો અમને આમ તેમ ફેરવ્યા. અમારી કોઈ વાત સાંભળી નહીં અને ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરી છે. અત્યારે પણ તે ભાઈ ખોટી અફવાઓ ફેલાવે છે કે આ લોકો મને મારી નાખવાની ધમકી આપી છે. આ લોકોએ એવી કોઈ વાત કરી જ નથી.
મોરબીમાં કમોસમી વરસાદ, નવલખી બંદર પર અસર:ભારે પવન સાથે વરસાદથી મીઠાના અગરોને મોટું નુકસાન
મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, બપોરના ચાર વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ વરસાદની અસર નવલખી બંદર પર પણ જોવા મળી હતી. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદ પડવાથી અગરિયાઓએ મહામહેનતે પકવેલા મીઠાના પાકને મોટું નુકસાન થયું છે. ઉનાળાની ઋતુ હોવા છતાં, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મોરબી જિલ્લાના ટંકારા, હળવદ અને મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સવારે થોડા સમય માટે તડકો નીકળ્યા બાદ, બપોરના ચાર વાગ્યાની આસપાસ ફરી વાતાવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલા નવલખી બંદર વિસ્તારમાં પણ કમોસમી વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો. વર્ષમેડી સહિતના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મીઠાના અગરોમાં અગરિયાઓએ સખત મહેનતથી મીઠાનો પાક તૈયાર કર્યો હતો. ઉનાળામાં વરસાદની કોઈ કલ્પના ન હોવા છતાં, અચાનક આવેલા આ વરસાદથી મીઠાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવન સાથેના કમોસમી વરસાદને કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હાઈવે રોડ પરના હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હતા. કેટલાક મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલા ઘઉં સહિતના પાકને પણ આ વરસાદથી મોટો ફટકો પડ્યો છે. લણણી માટે તૈયાર પાકને પણ આ વરસાદથી નુકસાન થયું છે.
સુરત શહેરના વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ વિસ્તારમાં આજે અચાનક આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી 'હોટેલ ડાયમંડ પ્લાઝા'ના પાંચમા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગમળતી માહિતી મુજબ દિલ્હી ગેટ પાસે આવેલી હોટેલ ડાયમંડ પ્લાઝાના પાંચમા માળે આવેલા કિચન (રસોડા)માં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોઆ ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોટેલના કર્મચારીઓ અને ગેસ્ટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, હોટેલના કિચનમાં ગેસ લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથીઆગ એટલી વિકરાળ હતી કે, હોટેલના પાંચમા માળે રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગની જાણ થતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. પાંચમા માળે કિચનમાં આગ લાગી હતી. હવે તપાસ એ વિષય પર કરવામાં આવશે કે હોટેલનો આ પાંચમો માળ ગેરકાયદેસર હતો કે કેમ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધાર છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ અને ભારર પવનની આગાહી ત્રણ દિવા માટે કરવામાં આવી હતી જેના પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીબાગ યાર્ડને એલર્ટ કરી ખેડૂતોને ત્રણ દિવસ પાક વેચાણ માટે ન લાવવા તેમજ યાર્ડની અંદર ખુલ્લામાં જણસી ન રાખવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAA) એ તેના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ 'ટેકનિકલ ઇવનિંગ'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 75મા વર્ષના ખાસ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ICAI ની WIRC ના સચિવ તરીકે ચૂંટાવા બદલ આજીવન સભ્ય બિશન શાહનું સન્માન કરાયું હતું. ન્યાયિક ચુકાદાઓ અને ટેકનોલોજી પર મંથનકાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે વરિષ્ઠ વકીલ સૌરભ સોપારકરે કરવેરા માળખાને પ્રભાવિત કરનારા સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બીજી તરફ, મૃગાંક પરીખે વ્યાવસાયિક પ્રેક્ટિસમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીના એકીકરણ પર ભાર મૂક્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ માટે 10 લાખનું દાનએસોસિએશનના વિકાસ માટે બે પરિવારો તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્વ. એમ જી પટેલ અને સ્વ. અશ્વિન શાહના પરિવારોએ 5-5 લાખ રૂપિયા મળી કુલ 10 લાખનું દાન આપ્યું હતું. આ રકમનો ઉપયોગ વ્યાવસાયિકોના ટેકનોલોજી અપસ્કીલિંગ અને યુવા સભ્યોના સ્ટડી સર્કલ માટે કરવામાં આવશે. વધતું જતું સભ્યપદ અને ભવિષ્યનું વિઝનCAAA ના પ્રમુખ રૂષભ શાહે જણાવ્યું હતું કે સંસ્થાની તાકાત તેના સમૃદ્ધ વારસામાં છે. આ વર્ષે 150 નવા સભ્યો ઉમેરાયા છે, જે સમુદાયના વધતા વિશ્વાસનું પ્રતીક છે. આર્ટિકલશિપ મેળો અને વાધવાણી ફાઉન્ડેશન સાથેના સહયોગ જેવી પહેલો દ્વારા વ્યાવસાયિક જોડાણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક ભૂતપૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ સી.એ. હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક અને યોગામાં આવતી મહિલાનો પીછો કરી તેને ફોલો કરનાર આધેડની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી બે મહિનાથી મહિલાની પાછળ પાછળ ફરતો હતો, જ્યારે સવારે ચાલવા આવતા હતા અને યોગામાં જતા હતા ત્યારે તેની પાછળ ફોલો કરતો રહેતો હતો. છેવટે મહિલાએ કંટાળીને તેમના પતિને જાણ કરી હતી અને બાદમાં સમગ્ર મામલે મણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નબી અહેમદ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે અજાણ્યો શખસ પાછળ જતો હતોમળતી માહિતી મુજબ શહેરના મણીનગર વિસ્તારમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે કાંકરિયા તળાવ ખાતે દરરોજ મહિલા મોર્નિંગ માટે જાય છે તેમજ યોગા ક્લાસીસમાં પણ જાય છે. નવી અહેમદ પઠાણ નામનો વ્યક્તિ છેલ્લા બે મહિનાથી તેમની પાછળ પાછળ આવતો જતો હતો. પહેલા જ્યારે સવારે કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે તેની પાછળ પાછળ જતો હતો. જ્યારે યોગા ક્લાસીસમાં જતી હતી ત્યારે પણ તેને ફોલો કરતો જતો હતો. બે મહિનાથી સતત મહિલાની પાછળ પાછળ ફરતો હોવાને લઈને છેવટે મહિલાએ કંટાળીને તેના પતિને આ બાબતે જાણ કરી હતી. મહિલાની પાછળ પાછળ ફરી અને તેની છેડતી કરતો હોવા અને લઈને પતિ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરવામાં આવી હતી જે બાદ મણીનગર પોલીસે સમગ્ર મામલે આરોપી નબી અહેમદ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર શહેરના તિલક ચેમ્બરથી મિતડી રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ કામ અટકાવી દીધું હતું. રોડની સફાઈ કર્યા વગર જ ધૂળ પર ડામર પાથરવામાં આવતો હોવાનું જણાતા વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વેપારીઓનો આક્ષેપ: ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે સ્થાનિક વેપારી મિતલભાઈ ગરાળાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તિલક ચેમ્બરથી નરેન્દ્રના રોડ સુધી જે ડામરનું કામ ચાલતું હતું, ત્યાં કોઈ પણ પ્રકારની સાફ-સૂફી કર્યા વગર જ કામ શરૂ કરી દેવાયું હતું. અમે એન્જિનિયરને રજૂઆત કરી પણ તેઓ સમજતા નહોતા, જેથી અમે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને બોલાવ્યા હતા. જો ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે તો આ રોડ 15 દિવસ પણ ટકતો નથી. ધારાસભ્યની ધારદાર રજૂઆત બાદ હવે તંત્ર સફાઈ કરવા વળગ્યું છે. વેપારીઓના આક્રોશને જોતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, રોડની પ્રોપર સફાઈ કર્યા બાદ જ પેચવર્કની કામગીરી આગળ વધારવી. ધારાસભ્યની સૂચના અને વેપારીઓના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ વેપારીઓએ કામ શરૂ કરવા દીધું હતું. RB અધિકારીએ કહ્યું અમે તો સફાઈ કરતા જ હતા બીજી તરફ, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ સાગર પરમારે તંત્રનો બચાવ કરતા વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માણાવદરથી મિતડી સુધી પેચવર્કનું કામ ચાલુ છે. સફાઈ નથી થતી એવો માત્ર ઇસ્યુ હતો, બાકી અમે સફાઈ તો કરતા જ હતા. અમારે માત્ર કાંકરી રાખવાની હતી અને ધૂળ ઉડાડી દેવાની હતી. વેપારીઓનો આક્ષેપ છે કે સફાઈ કર્યા વગર જ ડામર પાથરી દેવાયો છે,ત્યારે સાગર પરમારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, ના ના, અમે સફાઈ કરેલી જ છે. જોકે, જો સફાઈ થઈ જ હતી તો ધારાસભ્યના આવ્યા બાદ ફરીથી સફાઈ કેમ શરૂ કરવી પડી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલ તો ધારાસભ્યની મધ્યસ્થી બાદ કામગીરી યોગ્ય રીતે શરૂ થઈ છે, પરંતુ તંત્રની આવી લોલંલોલ નીતિ સામે વેપારીઓમાં રોષ યથાવત છે.
નવસારી શહેરમાં ડ્રેનેજ લાઇન અને રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને આંતરિક રસ્તાઓની હાલત બિસ્માર બની છે. આ કામગીરીમાં ઢીલાશને કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધતા રોષ વચ્ચે નવસારી મહાનગરપાલિકાના કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વિરાવળથી ટાટા સ્કૂલ, ગ્રીડથી જુનાથાણા, છાપરા રોડ અને મોટા બજાર જેવા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. ગટર અને પાણીની લાઇન નાખ્યા બાદ તંત્ર દ્વારા રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ ન થતા આખું શહેર ધૂળની ડમરીઓમાં ગરકાવ થઈ રહ્યું છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રિક્ષાચાલક હબીબ ખાને પોતાની સમસ્યા વર્ણવતા જણાવ્યું કે, રસ્તાઓ ખોદ્યા પછી સમયસર પુરાતા નથી. હોળી પહેલાથી કામ બંધ જેવું જ છે. રસ્તાની વચ્ચે ખાડા હોવાથી રિક્ષાના જમ્પર તૂટી જાય છે અને કમરના દુખાવા થાય છે. રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે બે વાહનો સામસામે પસાર થઈ શકતા નથી. તેમણે સ્મશાનથી મચ્છી માર્કેટ સુધીનો રસ્તો વહેલી તકે બનાવવાની વિનંતી કરી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, નવસારી મનપા બન્યા પછી વિકાસના નામે માત્ર ખોદકામ જ જોવા મળે છે. સુરત પ્રવેશદ્વાર (ટાટા સ્કૂલથી વેરાવળ), ઈટાળવાથી લુન્સીકુઈ અને એરુથી સ્ટેશન સુધીના તમામ રસ્તાઓ બિસ્માર છે. તેમણે પાંચ વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામમાં વિલંબ અને ગત વર્ષે ખાડીમાં પડીને એક યુવાનના મોતનો પણ ઉલ્લેખ કર્યો. આ ઘટનાઓ કમિશનરના વહીવટની નિષ્ફળતા દર્શાવે છે તેમ બારોટે ઉમેર્યું હતું. વધતા રોષને પગલે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ ગ્રીડ ફ્લાયઓવર અને વેરાવળથી ટાટા સ્કૂલ સુધીના રોડની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ગ્રીડ ફ્લાયઓવર નીચે પ્લેસ મેકિંગ અને ગ્રીડથી સેવા સદન સુધી રોડ વાઈડનીંગની કામગીરી ચાલી રહી છે. કમિશનરે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી હતી અને આશા વ્યક્ત કરી કે, 15 એપ્રિલ સુધીમાં બંને મુખ્ય રસ્તાઓ અને અંડરબ્રીજનું કામ પૂર્ણ થઈ જશે. આનાથી લોકોને ટ્રાફિક અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળશે.
અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે 12 એપ્રિલ 2026ની સાંજ યાદગાર બની રહેશે. શહેરના શ્રેયસ ફાઉન્ડેશન ખાતે ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3 અંતર્ગત એક ભવ્ય ઓપન-એર કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ સંબંધોને સંગીતના માધ્યમથી ઉજવશે. એક જ ગુરુના 15 રત્નો એક મંચ પરઆ કન્સર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકર પાસે તાલીમ પામેલા 15 જાણીતા વ્યાવસાયિક ગાયકો એકસાથે પર્ફોર્મ કરશે. એક જ ગુરુના આટલા બધા પ્રતિભશાળી શિષ્યો જ્યારે એક મંચ પર ઉતરે છે, ત્યારે સંગીતનો એક દુર્લભ સમન્વય સર્જાશે. આ કલાકારો વર્ષોના સમર્પણ અને શીખવાની ધગશને પ્રેક્ષકો સમક્ષ જીવંત કરશે. ક્લાસિકલથી ફ્યુઝન સુધીની સફરઆ સંગીતમય સાંજે શ્રોતાઓને સોલો, ડ્યુએટ અને ભવ્ય કોરસ સાંભળવા મળશે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને સૂફી, બોલિવૂડ અને ફ્યુઝન જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં એવી જટિલ રચનાઓ પણ રજૂ કરાશે જે લાઈવ પર્ફોર્મન્સમાં અત્યંત પડકારજનક માનવામાં આવે છે. સંગીત અને નૃત્યનો અદભૂત સંગમસંગીતની સાથે આ કાર્યક્રમમાં મનમોહક નૃત્ય પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંપરા અને ગ્લેમરના મિશ્રણ સાથે આ પ્રદર્શનો ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરશે. તમામ વયજૂથના લોકો માટે આ કાર્યક્રમ સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી એક સંગીતમય મિજબાની સાબિત થશે.
તિથલ ગ્રામ પંચાયત ડિજિટલ બની:ગુજરાતમાં પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ
વલસાડના તિથલ ખાતે નાગરિકોની સુવિધા માટે 'વોટ્સએપ ચેટબોટ સેવા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પંચાયત સ્તરે આ પ્રકારની સેવા શરૂ કરનાર તિથલ પ્રથમ ગ્રામ પંચાયત બની છે. કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઈન્ડિયા' અને રાજ્ય સરકારના 'ઈ-ગવર્નન્સ' અભિયાનને છેવાડાના ગામડાં સુધી પહોંચાડવાના આશયથી આ પહેલ કરવામાં આવી છે. તિથલના સરપંચ રાકેશ પટેલે જણાવ્યું કે, આ ચેટબોટ સેવા વેરા વસૂલાત અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવશે. અગાઉ મુંબઈ કે વિદેશમાં રહેતા મિલકતધારકોને વેરો ભરવા માટે રૂબરૂ પંચાયત કચેરીએ આવવું પડતું હતું, જે સમસ્યાનો ઉકેલ હવે ડિજિટલ માધ્યમથી આવશે. ચેટબોટના મુખ્ય ફાયદાઓમાં ઘરબેઠા વેરાની ચુકવણીનો સમાવેશ થાય છે. મિલકતધારકો દુનિયાના કોઈપણ ખૂણેથી મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરી શકશે. ઉપરાંત, કયા દાખલા માટે કયા આધાર-પુરાવા (ડોક્યુમેન્ટ્સ) જોઈએ તેની સંપૂર્ણ યાદી પણ ચેટબોટ પર ઉપલબ્ધ રહેશે. વિવિધ યોજનાઓ કે સેવાઓ માટેના ડિજિટલ ફોર્મ પણ આ ચેટબોટ દ્વારા મેળવી શકાશે, જેથી ગ્રામજનોને પંચાયત કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડશે નહીં. આ નવીનતમ ટેકનોલોજીના અમલીકરણથી વલસાડ જિલ્લાના વહીવટીતંત્રમાં પારદર્શિતા વધશે અને નાગરિકોના સમય તેમજ નાણાંની બચત થશે. આ લોકાર્પણ સમારોહ તિથલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પંચાયતના તલાટી કમ મંત્રી, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ:ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેના અનુરૂપ હવે દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આ અચાનક આવેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હાલ કેટલાક પાક કાપણીના તબક્કામાં છે અને ખેતરોમાં કાપીને રાખેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તેમના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગે અગાઉ જ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને ખુલ્લા મેદાનમાં પડેલા પાકને સુરક્ષિત રાખવા, ખાતર-બિયારણને ભેજથી બચાવવા અને આ દિવસોમાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા સૂચના અપાઈ હતી. કૃષિ ઉપજ બજાર સમિતિઓને પણ વેપારીઓને અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે રાખવા જણાવાયું હતું. વરસાદ શરૂ થતાં વિભાગે ખેડૂતોને ફરી એકવાર સાવચેત રહેવા અને આગોતરા પગલાં લઈ પાકને સંભવિત નુકસાનથી બચાવવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં આગામી દિવસોમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આ ઘટનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનની તીવ્ર ગતિને કારણે રસ્તા પર દ્રશ્યતા ઓછી થઈ ગઈ હતી. ઘણા વાહનચાલકોને પોતાના વાહનો રોકી દેવાની ફરજ પડી હતી. થોડી ક્ષણો માટે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. પવનના સુસવાટાને કારણે રસ્તા પરના પશુઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં પણ નાસભાગ મચી હતી. હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ પણ ભારે પવનથી હલવા લાગી હતી. ભારે પવન ફૂંકાયા બાદ જામનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ધૂળની ડમરીઓ પછી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ અચાનક આવેલા પલટાથી તંત્ર અને નાગરિકો બંનેને સાવચેત રહેવું પડ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ.412.16 કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યની ભેટ આપી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. 2923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી. પરંતુ વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2005થી શરૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂ. 1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું આજે ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી રિવાબા જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી જામનગર સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે.
શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો
Today Stock Market Crash : મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો BSE સેન્સેક્સમાં પણ 3.26 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિફ્ટી 50, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.
Gold Silver Market Crash : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી.
ભાવનગર અશાંતધારા વાળા વિસ્તારની મિલકતની ફાઈલ મંજૂરી કરાવવા માટે પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા 15 લાખની માગણી કરી હોવાના વીડિયો-ઓડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. આ મામલે ફરિયાદ નોંધાવવા કલેકટર દ્વારા આદેશ કરાયો છે. તેની વચ્ચે જ ભાવનગરના વધુ એક અશાંત વિસ્તારની મિલકત મંજૂરી વગર જ વેચી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં જ તંત્રની પૂર્વ મંજૂરી વગર જ 93 લાખ રૂપિયામાં એક મકાનનો સોદો થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. શહેર મામલતદાર દ્વારા આ મામલે મિલકત ખરીદ-વેચાણ કરનારી પાર્ટી સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, ભાવનગરના ઈતિહાસમાં અશાંત ધારા ભંગની આ પ્રથમ અને ગુજરાતની બીજી ફરિયાદ છે. દસ્તાવેજ વગર જ મકાનનો કબજો બદલી ગયોઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર વિદ્યાનગર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર કે.બી. ચાંદલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર શહેરના ક્રેસંટ વિસ્તારમાં આવેલા પ્લોટ નં. 567-A માં હાલ અલ્લારખભાઈ કાદરભાઈ ગીગાણી તેમના પરિવાર સાથે રહે છે. તેમણે આ મકાન દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ પાસેથી તા. 26 ઓગસ્ટ, 2025ના રોજ વેચાણથી ખરીદ્યું હતું અને સાટાખત પણ કરાવેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવાથી મકાનનો દસ્તાવેજ કરવામાં આવ્યો નહોતો, છતાં મકાનની કુલ કિંમત રૂ. 93 લાખ ચુકવ્યા બાદ મકાનનો કબ્જો અલ્લારખભાઈને સોપી દેવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કરતા આ બાબતની વિધિવત મંજૂરી લેવામાં આવી નહોતી તે સામે આવ્યું હતું. અશાંતધારા ભંગ બદલ 3 લોકો સામે ફરિયાદઆમ વોર્ડ નં. 5, શીટ નં. 135, સીટી સર્વે નં. 4463 હેઠળ આવતી કેસંટ વિસ્તારમાં આવેલી મિલ્કતમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલ્કતનું વેચાણની કરવામાં આવ્યું હતું. દર્શરાજસિંહ ગોહીલે મિલકત વેચાણથી અલ્લારખભાઈ કાદરભાઈ ગીગાણી ને વેચાણથી ટ્રાન્સફર કરવા માટે તા. 11 સપ્ટેમ્બર,2025ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં મંજૂરી માટે અરજી કરી હતી.પરંતુ તપાસ અને પક્ષકારોને સાંભળ્યા બાદ તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આ અરજી દફતરે કરી દેવામાં આવી હતી. છતાં પણ મકાન વેચી કબ્જો સોપી દેતા અશાંતધારાની કલમ 4 અને 5 નો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે દર્શરાજસિંહ ગોહીલ, અલ્લારખભાઈ ગીગાણી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુમાં સમગ્ર મામલાની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હાલ પંચરોજ કામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના ઈતિહાસમાં અશાંતધારા ભંગનો પ્રથમ અને ગુજરાતમાં બીજો કેસ- ડીવાયએસપીઆ અંગે સીટી DYSP આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે,ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે કૃષ્ણનગર વિસ્તારમાં અશાંત ધારાના ભંગ બદલની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેની વિગત એવી છે કે જાન્યુઆરી માસમાં એસપી નીતિશ પાંડે ને એક અરજી મળેલી, જેમાં કૃષ્ણનગર, સરપટણી રોડ પર આવેલ સરદાર સ્મૃતિની બાજુમાં પ્લોટ નંબર 567/A ના માલિકે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોય છતાં સરકારની પૂર્વ મંજૂરી સિવાય તે વિધર્મીને વેચી દીધેલ છે અને હાલમાં આ જે વિધર્મી જે છે ત્યાં રહે છે. આ બાબતની અરજી મળતા એસપી દ્વારા LCB પીએસઆઈ વી.સી.જાડેજાને આ બાબતની તપાસ સોંપવામાં આવેલ અને તેની તપાસના અંતે સામે આવ્યું કે પ્લોટ નંબર 567 માં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે. અને જે મૂળ માલિક દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, દ્વારા આ વિસ્તારમાં મકાન છે 93 લાખ રૂપિયા લઈ અને વેચવામાં આવેલા છે. અને બેંકમાં વ્યવહાર કરવામાં આવેલ છે અને હાલમાં અલ્લારખભાઈના પરિવાર ત્યાં રહે છે. જેથી એસડીએમ કચેરીએ આ બાબતની પ્રપોઝલ મોકલવામાં આવેલી હતી અને ગઈકાલે સિટી મામલતદાર કે.બી. ચાંદલિયા દ્વારા, ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અશાંત ધારાના ભંગ બદલ અને તેમાં દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને અલારખ ગીગાણી અને તપાસમાં જે ખુલે તેના વિરુદ્ધ અશાંત ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. અશાંત ધારા ભંગ બદલના ગુજરાતમાં 2 કેસ થયા છે જેમાં અમદાવાદમાં એક કેસ દાખલ થયેલ છે અને ભાવનગરમાં પ્રથમ ગુન્હો દાખલ થયેલ છે એમ ગુજરાતમાં 2 નંબરનો અશાંત ધારા ભંગનો કેસ દાખલ થયેલ છે. આ બંને દશરથસિંહ અને અલ્લારખભાઈ છે પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને તેની પૂછપરછ હાલમાં ચાલુ છે. સ્થાનિક જગ્યા જઈ અને તેનું પંચનામું કરવામાં આવ્યું છે અને આ તપાસમાં જે પૈસા છે 93 લાખ તેની ટ્રેલ, મની ટ્રેલ જે છે તે એસ્ટાબ્લિશ કરવામાં આવશે અને તેના કયા બેંકમાંથી અને કઈ રીતે આ નાણાં જે છે તે મેળવ્યા અને તેની ઊંડી તપાસ કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસ મથકે સોંપી આપી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામ ની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભાવનગર ની તપાસ ટીમ દ્વારા ફરિયાદકા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ વિસ્તારમાંથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને એક ટ્રેક્ટર દ્વારા માટી ખનિજનું ખોદકામ/વહન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો આ માટી ખોદકામ કરવા માટેની કોઇપણ પ્રકારની મંજૂરી લીધેલ ન હોવાથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને ટ્રેક્ટર ને સિઝ કરી કુલ 40 લાખનો મુદ્દામાલ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે અટક રાખવામાં આવી આગળની કાયદેસર઼ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરી અને અલગ-અલગ ટીમો સાથે ખનીજચોરો પર ટીમ ત્રાટકી હતી. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો છે.
જ્યારે વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપ (WRC)ની કાર કેન્યાના ધૂળિયા અને ખડકાળ રસ્તાઓ પર કલાકના સેંકડો કિલોમીટરની ઝડપે દોડે છે ત્યારે આખી દુનિયાની નજર તેના ડ્રાઇવર્સ અને તેમની સ્પીડ પર હોય છે પણ આ અતિ કઠિન રેલીને સફળ બનાવવા માટે પડદા પાછળ જે રિયલ હીરો કામ કરી રહ્યાં છે તે છે કેન્યાના ગુજરાતી સ્વયંસેવકો. આ કોઇ સામાન્ય સેવા નથી પણ ગુજરાતીઓના લોહીમાં વહેતી સેવા અને સાહસની પરંપરાનું જીવંત ઉદાહરણ છે. ખિસ્સાં પોતાના અને સેવા દેશનીસૌથી આશ્ચર્યજનક અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ ગુજરાતી સ્વયંસેવકોને કોઇ સંસ્થા સ્પોન્સર કરતી નથી. તેઓ પોતે જ પ્રવાસ, રહેવા-જમવા અને જરૂરી સાધનોનો ખર્ચ ઉઠાવે છે. વેપાર-ધંધા-નોકરી છોડીને અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી ટાઇમ કાઢીને તેઓ દિવસો સુધી આ રેલીના રૂટ પર તૈનાત રહે છે અને સેવા આપે છે. મેડિકલથી લઇને મેનેજમેન્ટ સુધીરેલીના જોખમી વળાંકો પર જ્યારે પણ કોઇ મુશ્કેલી આવે ત્યારે ગુજરાતીઓની કુશળતા કામ લાગે છે. આ સ્વયંસેવકોમાં ગુજરાતી ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રેલીના રૂટના અંતરિયાળ વિસ્તારોમાં હાજર રહે છે. ટ્રાફિક કન્ટ્રોલ હોય કે ચેકપોઇન્ટનું મેનેજમેન્ટ હોય ગુજરાતીઓની વ્યવસ્થાશક્તિને કારણે જ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં કોઇ ખલેલ નથી પહોંચતી. રેલી પૂરી થયા પછી ગંદકી ન ફેલાય તે માટે ગુજરાતી યુવા ગ્રુપ સફાઇ અભિયાન ચલાવીને કેન્યાની પ્રાકૃતિક સુંદરતાને જાળવી રાખે છે. કેન્યા અને ગુજરાતીઓનો 100 વર્ષ જૂનો અતૂટ નાતોકેન્યાના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો સદીઓ જૂનો છે. વેપાર-ધંધામાં ડંકો વગાડ્યા બાદ હવે આ ગુજરાતીઓ રમતગમત જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર કેન્યાની પ્રતિષ્ઠા વધારવા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે. આયોજકો માટે ગુજરાતીઓ આર્થિક ભાર ઘટાડવાની સાથે સાથે વિશ્વાસનું બીજું નામ બની ગયા છે. WRC સફારી રેલીની સફળતામાં આ અદ્રશ્ય ગુજરાતી શક્તિનો મોટો હાથ છે. આંતરરાષ્ટ્રીય મીડિયા જ્યારે કેન્યાના આતિથ્ય સત્કારના વખાણ કરે છે ત્યારે તેમાં અજાણતા જ એ ગુજરાતી સંસ્કારોની સુવાસ હોય છે જે પેઢીઓથી અહીં જળવાયેલી છે. કેન્યાના ગુજરાતીઓએ સાબિત કરી દીધું છે કે સેવા કરવા માટે બજેટની નહીં પણ બુલેટ જેવી ઝડપ અને શુદ્ધ દાનતની જરૂર હોય છે. દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સાકાર થયેલું સપનું છે, જે હવે સિંગાપોર, દુબઈ અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026” ના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ગૌરવશાળી સિદ્ધિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા અને ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સપનાનું શહેર: ડે ડ્રીમથી વૈશ્વિક ફિનટેક સિટી સુધીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટીના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું કે, લગભગ 2 દાયકા પહેલા જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ એક ઉજ્જડ જમીન પર આ પ્રોજેક્ટનું વિઝન રાખ્યું હતું, ત્યારે ઘણાએ તેને માત્ર એક કલ્પના ગણાવી હતી. આજે આ શહેર માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. IFSCA ના યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર અને આકર્ષક ટેક્સ માળખાને કારણે ગિફ્ટ સિટી વિશ્વના નકશા પર મજબૂત રીતે ઉભરી આવ્યું છે. વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી: નવી સુવિધાઓની જાહેરાત યુવાનોની સામાજિક જરૂરિયાતો અને 'ઈવનિંગ લાઈફ'ને વધુ જીવંત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. વધુમાં, સરકાર 'વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી' મોડેલ હેઠળ કર્મચારીઓ માટે અત્યાધુનિક રહેણાંક સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગ્લોબલ એક્સપોઝર હવે ઘર આંગણે મંત્રીએ યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે હવે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કક્ષાનું વળતર અને એક્સપોઝર બંને ઉપલબ્ધ છે. આ માટે IIM-અમદાવાદ, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી સંસ્થાઓ 'વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ' તૈયાર કરી રહી છે. વિપ્રો જેવી દિગ્ગજ કંપનીઓનું સ્વાગત કરતા તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં રહેલી રાજકીય અને નીતિગત સ્થિરતા રોકાણકારો માટે શ્રેષ્ઠ તક છે. વિકસિત ભારત @ 2047 નો સેતુ વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે જે નાણાકીય પ્રવૃત્તિઓ અગાઉ વિદેશમાં થતી હતી, તે હવે ભારતની ધરતી પર પરત આવી રહી છે. ગિફ્ટ સિટી 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વનો સેતુ બનશે. ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકે પણ આ પ્રસંગે રોડમેપ રજૂ કરતા જણાવ્યું કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને રેગ્યુલેટર 'વન ટીમ, વન ડ્રીમ' ના સૂત્ર સાથે કામ કરી રહ્યા છે. આ સમિટમાં સંજય કૌલ, કે. રાજારામન, રિશદ પ્રેમજી અને લલિત આહુજા જેવા અગ્રણીઓએ પણ ગિફ્ટ સિટીના ભવિષ્ય અને ટેલેન્ટ મેનેજમેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સુરત શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપ સામે ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આજે સુરતમાં કોંગ્રેસ અને સામાજિક સંગઠનોના જાણીતા ચહેરાઓએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણને કારણે સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ખાસ કરીને કોંગ્રેસના સંગઠનમાં ગાબડું પડ્યું હોવાનું મનાય છે. કુંભારીયા ગામના સામાજિક કાર્યકરે આપનો ખેસ ધારણ કર્યો આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાની હાજરીમાં અનેક પ્રતિષ્ઠિત આગેવાનો AAPમાં જોડાયા છે, જેમાં રમેશભાઈ જીંજાળા આહીર સમાજના અગ્રણી અને 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મજબૂતાઈથી લડનાર નેતા છે. તેઓ સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. સાથે મનીષાબેન રાઠોડ બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન અને કુંભારીયા ગામના સામાજિક કાર્યકરે આપનો ખેસ ધારણ કર્યો છે અને સંજયભાઈ વાળા આહીર સમાજના અન્ય એક સક્રિય અને પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે આ તમામ નેતાઓએ પોતાના સમર્થકો અને ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સ્વીકારી છે. સુરતના પ્રતિષ્ઠિત લોકો અને સમાજસેવકો અમારી કામની રાજનીતિથી પ્રેરિત થઈ રહ્યા છેઆમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં જ્યારે AAPએ પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારે સુરતના જાગૃત નાગરિકોએ અમને મુખ્ય વિપક્ષ તરીકે બેસાડીને એક મોટી જવાબદારી સોંપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં અમારા કોર્પોરેટરોએ જનતાના પ્રશ્નોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂરી મજબૂતાઈથી ઉઠાવ્યા છે. હવે જ્યારે ફરીથી ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સુરતના પ્રતિષ્ઠિત લોકો અને સમાજસેવકો અમારી કામની રાજનીતિથી પ્રેરિત થઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રમેશભાઈ જીંજાળા જેવા કદાવર નેતાના આવવાથી પક્ષને હીરા ઉદ્યોગ અને આહીર સમાજમાં મોટું પીઠબળ મળશે તો બીજી તરફ મનીષાબેન રાઠોડના જોડાવાથી આદિવાસી સમાજ અને પછાત વર્ગના પ્રશ્નોને વાચા આપવાનું અમારું અભિયાન વધુ વેગવંતુ બનશે. 2021ની ચૂંટણીમાં રમેશભાઈએ કોંગ્રેસની ટિકિટ પરથી રસાકસી ભરી જંગ લડી હતીરમેશભાઈ જીંજાળાનું કોંગ્રેસ છોડીને AAPમાં જવું એ કોંગ્રેસ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. 2021ની ચૂંટણીમાં રમેશભાઈએ કોંગ્રેસની ટિકિટ પરથી રસાકસી ભરી જંગ લડી હતી. જેમને હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો અને આમ આદમી પાર્ટીને ફાયદો થવાની આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. સુરત શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પરિવાર દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યો છે. 2021માં કોંગ્રેસ વતી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા આર.આર. ઝીંઝાળા ઉર્ફે રમેશભાઈ ઝીંઝાળા પોતાના સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીની લોકહિતની, જનહિતની, શિક્ષણ અને આરોગ્યની રાજનીતિથી પ્રેરિત થઈ વિધિવત રીતે જોડાયા છે. સાથે-સાથે ભીલિસ્તાન ટાઈગર સેના, સુરતના આગેવાન બેન મનીષાબેન રાઠોડ પણ આમ આદમી પાર્ટીની જનહિતની અને લોકહિતની રાજનીતિથી પ્રેરિત થઈ આજે વિધિવત રીતે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ મિત્રોનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 સીટો પર ઉમેદવારો ઊતારશેસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 120 સીટો ઉપર મજબૂત, નિષ્ઠાવાન અને ઈમાનદાર ઉમેદવારો ઉતારશે અને લોકોની અંદર જન્મેલી મજબૂત આશાને વધુ આગળ ધપાવશે અને સુરતના લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરશે.
દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે. ત્યારે આજે 19 માર્ચના રોજ યુનેસ્કોની તેમના પ્રતિનિધિઓ દ્વારા કોટ વિસ્તારમાં હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી હતી. હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થશે તેની માહિતી મેળવીયુનેસ્કોના પ્રતિનિધિ મંડળે શહેરના દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને ભદ્ર કિલ્લા સહિતના હેરિટેજ સ્થળો પર ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ હેરિટેજ સ્થળોની આસપાસ કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે હેરિટેજ વેલ્યુને કોઈ અસર નથી થતી તેનું નિરીક્ષણ કરવા માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થઈ શકે છે અને શું અસર થશે તે અંગે સમગ્ર માહિતી મેળવી હતી. જમાલપુર દાણાપીઠ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે અને આ સમગ્ર બે દિવસ દરમિયાન તેમણે શું નિરીક્ષણ કર્યું તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. પ્રતિનિધિ મંડળ દ્વારા જમાલપુર દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશન અને પાર્કિંગ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી હતી. બપોર બાદ દાણાપીઠ ખાતે સરદાર પટેલ ભવનમાં નવા બની રહેલા હેરિટેજ બિલ્ડીંગ સહિતની મુલાકાત લેશે. ડેવલોપમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનોવર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ત્યારે હેરિટેજ સ્થળોની આસપાસ કેટલાક ડેવલોપમેન્ટના કામ ચાલી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનો છે. ઐતિહાસિક ઝુલતા મિનારા સહિત અલગ અલગ મસ્જિદો કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ આવેલી છે. ત્યારે તેને કોઈ અસર થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. દાણાપીઠ ફાયર સ્ટેશન ઐતિહાસિક જુમ્મા મસ્જિદની નજીક બની રહ્યું છે ત્યારે તેની ઊંચાઈથી લઈ અને કેવું દેખાય છે તે અંગે તેમણે માહિતી મેળવી હતી. શહેરના વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત લીધીગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની આસપાસ પણ આસ્ટોડિયા દરવાજા અને કિલ્લાની દીવાલ તેમજ ઐતિહાસિક ભદ્ર કિલ્લાનું પણ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તે અંગે સમગ્ર માહિતી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લંગાળિયા અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે તેમણે શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. અધિકારીઓને કરેલી રજૂઆત પ્રમાણે કામ થયું છે કે કેમ તે ચકાસ્યુંકાલુપુર રેલવે સ્ટેશન અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ ફાયર સ્ટેશન પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ બાબતે તેમણે અધિકારીઓને અગાઉ રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક ફેરફાર અને તેમાં તે મુજબનું બાંધકામ કરવાની પ્રક્રિયા કરાય છે કે કેમ વગેરે અંગે આ સ્થળો ઉપર તેમણે જાતે નિરીક્ષણ કરી અને તેના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા. AMCના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે બેઠકસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા 18મી માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્ત્વની બેઠક મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને નુકસાનને અટકાવવા શું કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી . છેલ્લા 8 મહિનામાં 112 મકાનોના રિસ્ટોરેશનને મંજૂરી મળ્યા બાદ, આ કામગીરી કેટલી અસરકારક છે તેની પણ તપાસ કરી ચર્ચા કરી છે. બારીકાઈથી નિરીક્ષણ કરવા સ્થળ મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાંઆજે 19મી માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે સ્થળ પર મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાં હતા. ટીમ દ્વારા 'રિયેક્ટિવ મોનિટરિંગ મિશન' દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ અંગે પણ બપોર બાદ મુલાકાત લઇ નિરીક્ષણ કરાશે. 21મી માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્ત્વનું સાબિત થશે.
યુદ્ધની સ્થિતિને કારણે ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકો અને હવે તો નાગરિકો પણ પરેશાન થઈ ગયા છે. ગેસ ડીલરની ઓફિસો પર લાઇનો લગાવવા છતાં લોકોને ગેસ સિલિન્ડરની બોટલ મળતી નથી. સિલિન્ડરની અછત સર્જાતા કેટલાક લોકોએ તેના ભાવ વધારી કાળાબજારી કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રેમ દરવાજા પાસે ગેસ સિલિન્ડરની અછત અને કાળાબજારીઓના કારણે જનતાને પડી રહેલી હાલાકી મુદ્દે દેખાવો કર્યો હતો. સરકાર વિરુદ્ધ પોસ્ટર અને નારા લગાવી વિરોધ કરતા પોલીસે યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભાથી લઈને વોર્ડ સુધી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યુંરાજ્ય સહિત અમદાવાદમાં પણ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. વહેલી સવારથી જ લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ ડીલરની ઓફિસો પર લાઇનો લગાવી રહ્યા છે પરંતુ, સપ્લાય બંધ થઈ ગઈ હોવાથી નાગરિકોને પણ ઘરે રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર મેળવવા મુશ્કેલ બની ગયા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિધાનસભાથી લઈને વોર્ડ સુધી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નાગરિકોને પડતી હાલાકીને લઈને સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગેસ સિલિન્ડર આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના પોસ્ટર સાથે વિરોધયુથ કોંગ્રેસ અને NSUI દ્વારા પણ પ્રેમ દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, અછત અને કાળાબજારીઓના કારણે નાગરિકો પરેશાન થઈ રહી છે. જેને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને NSUIના કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર લઈને વિરોધ દર્શાવ્યો હતો. રોજગારી આપવાના બદલે સરકારે મોંઘવારી આપી હોવાના પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. ગેસ સિલિન્ડર આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના પોસ્ટર સાથે યુથ કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અને NSUIના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરીજે ગેસ મુદ્રા પર લાવવામાં આવ્યો છે તે જથ્થો ક્યાં જતો રહ્યો હોવાનો પણ યુથ કોંગ્રેસ દ્વારા સવાલ ઊભો કરવામાં આવ્યો છે તેમજ રાંધણ ગેસના સિલિન્ડર કોમર્શિયલમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હોટલ બંધ થઈ ગઈ છે, નાગરિકોને ગેસ સિલિન્ડર નથી મળી રહી પરંતુ, અત્યારે સરકારના પેટનું પાણી હલતું ન હોવાથી અમદાવાદના 48 વોર્ડમાં ગેસની અછતને લઈને સરકારનો વિરોધ કરવાની પણ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાય રે મોંઘવારીના નારા લગાવી રસ્તો રોકવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અને NSUIના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
Explainer: મિડલ ઈસ્ટ યુદ્ધે ખતરનાક રૂપ ધારણ કર્યું! દુનિયાની એનર્જી લાઈફલાઈન પર ખતરો
US Israel Iran War: મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 20 દિવસના વાણા વીતી ગયા છે. મિલિટ્રી બેઝ અને નેતાઓ પર હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં હવે ટાર્ગેટ બદલાયા છે અને એનર્જી ફિલ્ડ મુખ્ય નિશાને બન્યા છે. હવે યુદ્ધમાં તેલ અને ગેસના કુવાઓ 'પ્રાઇમ ટાર્ગેટ' બની ગયા છે. પહેલા ઈરાનના ખર્ગ દ્વીપ પર હુમલો અને હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલો મોટો હુમલો દર્શાવે છે કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની દિશામાં પગલાં ભરી ચૂક્યા છે. વળતી કાર્યવાહીમાં હવે ઈરાન પણ એનર્જી સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. ત્યારે જાણો કેવી રીતે આ જંગ હવે દુનિયા માટે એક મોટું સંકટ ઉભું કરી શકે છે.
મૂળ બગોદરાની રહેવાસી અને હાલમાં વટવા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા વટવા GIDCમાં નોકરી કરતી હતી, ત્યારે રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણીતાના પ્રેમીને અન્ય મહિલા સાથે પણ પ્રેમ સંબંધ થયો હતો. જે બાબતે મહિલાએ પરિણીતાને તેના ઘર પાસે બોલાવી અને રિક્ષામાં બેસાડી તેના પ્રેમીને મળવાના બહાને લઇ ગઈ હતી. ચાલુ રિક્ષામાં મહિલાને માર માર્યો હતો. જાતિ વિષયક શબ્દો બોલીને કાતરથી વાળ કાપ્યા હતા. ગભરાયેલી પરિણીતાએ હવે હું વાતચીત નહીં કરું એમ કહેતા તેને પરત તેના ભાઈના ઘરે ઉતારી દીધી હતી. બાદમાં મહિલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સમગ્ર મામલે વટવા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના લગ્ન વર્ષ 2025માં થયા હતાશહેરના વટવા વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના ભાઈ સાથે રહે છે. વર્ષ 2025માં મહિલાના લગ્ન થયા હતા. જોકે, બે મહિના પહેલાં જ સાસરીવાળા તેને તેના મૂળ ગામે પીયરમાં મૂકી ગયા હતા. બાદમાં તેના ભાઈના ઘરે વટવા ખાતે રહેવા આવી ગઈ હતી. અઢી વર્ષ પહેલા વટવા GIDC ખાતે આવેલી જિંદાલ કંપનીમાં નોકરી કરવા જતી હતી. આ દરમિયાન પરિણીતાને એક રિક્ષાચાલક સાથે ઓળખાણ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. રિક્ષાચાલકને ફોન કરતા અન્ય મહિલાએ ફોન ઉપાડ્યોદોઢ મહિના પહેલા ભારતી પટણી નામની મહિલા સાથે રિક્ષાચાલકની ઓળખાણ થઈ હતી. જેથી રિક્ષાચાલકે પરિણીતા સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. 14 માર્ચના રોજ પરિણીતાએ રિક્ષાચાલકને ફોન કરતા ભારતીએ ફોન ઉપાડીને કહ્યું કે, તમે કોણ બોલો... જેના જવાબમાં પરિણીતાએ પોતાની ઓળખ આપી હતી. જેથી ભારતીએ કહ્યું હતું કે, તું ક્યાં રહે છે. હું ત્યાં આવું છું એમ કહી એક મહિલા સાથે રિક્ષા લઈને ત્યાં આવી હતી. પરિણીતા સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો ભારતીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ રોપડા ખાતે હોવાથી ત્યાં જઈએ છીએ. તું પણ ત્યાં ચાલ અને તારી તેની સાથે વાત કરાવી દઈશું. ભારતી અને તેની સાથે તેની માસીની દીકરી પારૂલ પણ આવી હતી. તેઓ ત્રણેય રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન વટવા દુર્ગાનગર પાસે પહોંચતા જ ભારતીએ રિક્ષાચાલકને પ્રેમ કરતા હોવા બાબતે પરિણીતા સાથે બોલાચાલી શરૂ કરી હતી. ભારતીએ પરિણીતાને જાતિ વિષયક શબ્દો બોલી ગળા ઉપર તેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. ભારતીએ કાતર વડે પરિણીતાના માથાના વાળ કાપ્યાપારૂલે પણ પરિણીતાને માર માર્યો હતો. બાદમાં હાથીજણ સર્કલ પાસે પહોંચતા જ ત્યાં રિક્ષા ઉભી રાખી હતી અને ભારતીએ કાતર કાઢી પરિણીતાના માથાના વાળ કાપવાની શરૂઆત કરી હતી. પરિણીતાએ વાળ કાપવાની ના પાડી હતી જેથી તેની સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં મોબાઈલ ફોન નીચે પડી ગયો હતો. બાદમાં ગભરાયેલી પરિણીતાએ હવે હું ફરી વાતચીત નહીં કરું તેમ કહેતા ફરીથી તેને વટવા ખાતે તેના ભાઈના ઘરે ઉતારીને જતા રહ્યા હતા. પરિણીતાની વટવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદગડદાપાટુના મારથી ઇજા થતા સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, પરિણીતાએ બે દિવસ બાદ આ સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે રહેતો એક 24 વર્ષીય યુવાન છાણી નજીક કેનાલમાં ડૂબી ગયો હતો, જે અંગેનો કોલ ફાયર વિભાગને મોડી રાતે મળ્યો હતો. જો કે મોડીરાતે તેની લાશ મળી ન હતી. આજે સવારે ફાયર વિભાગે પુનઃ શોધખોળ આરંભી હતી, દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. રાતે 12.30 વાગે યુવાન ડૂબ્યો હતોમધ્ય રાત્રિએ 12.30 વાગ્યાની આસપાસ આ યુવાન કેનાલમાં પડ્યો હતો, જેના પગલે કેનાલની આસપાસ લોકોની ભીડ પણ જમા થઈ હતી. દરમિયાન નોકરીએથી પરત ફરી રહેલા એક વ્યક્તિએ યુવાન કેનાલમાં પડ્યો હોવાની માહિતી ઇમરજન્સી સેવા 108 અને ત્યાર બાદ ફાયર વિભાગને જાણ કરી હતી. કોલ મળતા જ 108 અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. જો કે, રાતે મૃતદેહ મળ્યો ન હતો, જેથી સવારે પુનઃ શોધખોળ આરંભવામાં આવી હતી. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક નવાયાર્ડ વિસ્તારમાં રહેતો કૃણાલ પાર્થે હોવાનું જાણવા મળ્યું છે. રેલવેમાં નોકરી કરતા વ્યક્તિએ જાણ કરીરેલવે વિભાગમાં નોકરી કરતા સુરેશ રોહિત નામના વ્યક્તિ રાતે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, તેઓએ આ અંગેની જાણ કરી હતી. સુરેશ રોહિતના જણાવ્યા અનુસાર, તેઓ નોકરીથી ઘરે જઈ રહ્યા હતા, તે વેળા કેનાલ પાસે ચાર-પાંચ લોકો ઊભા હતા. તેઓએ કેનાલમાં એક યુવકને ડૂબતો જોયો હતો. તેમાં તેના મોબાઇલની લાઇટ પણ જોવા મળતી હતી, જેથી તેઓએ તાત્કાલિક 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાં ઉપસ્થિત કોઈને તરતા આવડતું ન હતું, ઉપરાંત કેનાલમાં પાણીનો પ્રવાહ પણ ખૂબ હતો, જેથી ત્યાં એકત્રિત થયેલા ટોળામાંથી કોઈએ કેનાલમાં ઝંપલાવવાની હિંમત કરી ન હતી. આજવા ગાર્ડન પાસે પણ કેનાલમાંથી મહિલાની લાશ મળીવડોદરા ફાયર વિભાગની ટીમને માહિતી મળી હતી કે, આજવા ગાર્ડન પાસે કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ જણાઈ રહ્યો છે, જેના આધારે શોધખોળ કરતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે ત્યારબાદ કેનાલમાં એક યુવતીનો પણ મૃતદેહ હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમે પુનઃ શોધખોળ આરંભી છે. જો કે આજે (19 માર્ચ) બપોર સુધીમાં કંઇ મળી આવ્યું ન હતું.
હળવદ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા દસ યુવાન પૈકી બે યુવાન ડૂબવા લાગ્યા હતા. આ ઘટના આજે બપોરના સમયે બની હતી. ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ પાસે આવેલા કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા કુલ દસ યુવાન નર્મદા કેનાલમાં નહાવા ગયા હતા. તેમાંથી એક યુવાન પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતા અન્ય એક યુવાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ડૂબી ગયેલા યુવાનોના નામ પરાશરામ દમારામ જાટ (ઉંમર 20) અને રાજુરામ જાટ (ઉંમર 27) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હળવદ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સુધી ડૂબી ગયેલા બંને યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેમને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ચંદ્રુમાણામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કાર્યક્રમ:શુદ્ધ ઉત્પાદન માટે જૂની દેશી ખેતી અપનાવવા ભાર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગુરુવારે પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન સેન્ટર ફોર ઓર્ગેનિક એગ્રિકલ્ચર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભવદીપ વ્યાસ અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ ઠાકોરે ખેડૂતોને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લિખિત 'પ્રાકૃતિક કૃષિ' પુસ્તકનું વિતરણ કર્યું હતું. ક્લસ્ટર ઇન્ચાર્જ બ્રિજેશ વ્યાસે માહિતી આપી હતી કે ચંદ્રુમાણા, ભલગામ અને માનપુર ગામના ક્લસ્ટરમાં હાલ 125 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અધિકારીઓએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારનું પ્રમાણપત્ર એ પ્રાકૃતિક ખેડૂતનો આધાર છે અને પ્રાકૃતિક ખેતી એ જૂની દેશી ખેતીનું જ બીજું નામ છે, જે તરફ આપણે પાછા ફરવું જોઈએ. અધિકારીઓએ વિવિધ ખેડૂતો સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. સરકાર પ્રાકૃતિક ઉત્પાદનોને પોષણક્ષમ વળતર મળી રહે તે માટે પ્રમાણપત્રના આધારે ઈ-નામ પોર્ટલ ઉપરથી સીધું માર્કેટિંગ કરી શકાય અને અલગથી હરાજી થાય તેવી વિચારણા કરી રહી છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભીખુભાઈ પટેલ, અમરતભાઈ દેસાઈ, નીતિનભાઈ વ્યાસ, વિરેશ ડી. વ્યાસ, ગ્રામસેવક વિપુલભાઈ સોલંકી અને કૃષિ સખી ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલોલ તાલુકાના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મમાં તસ્કરોએ ધોળા દિવસે ખાતર પાડી અંદાજે 2.80 લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ફાર્મ હાઉસની રખવાળી કરતા ચોકીદારના બંધ મકાનમાં જ તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપતા સાંતેજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતુંકલોલના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મ હાઉસમાં સુરેશકુમાર અંબાલાલ સેનમા વર્ષ 2016 થી પરિવાર સાથે રહી ચોકીદારી કરે છે. ગત 11મી માર્ચે સવારે તેઓ પુત્ર અરૂણને પરીક્ષા અપાવવા કલોલ ગયા હતા અને તેમની પત્ની આંબાવાડી ખાતે મકાનકામ માટે ગયા હતા. બપોરે બે વાગ્યે પરીક્ષા પૂર્ણ કરી જ્યારે પિતા-પુત્ર ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. જોકે પુત્રની કારકિર્દીનો સવાલ હોવાથી અને તેની પરીક્ષાઓ ચાલુ હોવાથી સુરેશભાઈએ તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દાગીના-રોકડ મળી 2.80 લાખની મત્તા ચોરી ગયા હતાપુત્રની પરીક્ષા પૂર્ણ થતા તેમણે ફરિયાદ નોંધાવી છે કે,તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજોરીના લોક તોડી નાખ્યા હતા. તિજોરીમાં રહેલા કપડાં વેરવિખેર કરી અંદર રાખેલા સોનાચાંદીના દાગીનાના બોક્સ નીચે ફેંકી દીધા હતા. તસ્કરો સોનાની બુટ્ટી, સોનાની ચુની, સોનાની ગળાની તકતી તેમજ ચાંદીની સેરો, ચાંદીનો ચોટલો, પગના વેઢ, સિક્કા, જુડો અને મંગળસૂત્ર સહિતના અંદાજે 2.78 લાખના દાગીના અને 2 હજાર રોકડા મળી કુલ રૂ.2.80 લાખની મત્તા ચોરી ગયા હતા.
વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી અશાંતિ અને તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ભારત દેશમાં શાંતિ જળવાઈ રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવા ઉમદા હેતુ સાથે વડોદરામાં એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પાટીદાર દ્વારા 22 માર્ચ, રવિવારના રોજ વડોદરાના વેમાલી ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખાવડોદરાના સમા-સાવલી રોડ પર આવેલા વેમાલી ગરબા ગ્રાઉન્ડમાં સાંજે 5:00 થી 9:00 કલાક દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની શરૂઆત બપોરે 3:00 વાગ્યાથી ભજન મંડળ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યા સુધી બહુચર માતાજીનો આનંદનો ગરબો ગવાશે. ભક્તોમાં ઉત્સાહ જગાડવા માટે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ અને ત્યારબાદ સાંજે 6:45 થી 7:15 કલાક દરમિયાન હજારો દીવડાઓ સાથે માં ઉમિયાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે રાત્રે 7:45 સુધી માતાજીના ગરબાની રમઝટ જામશે. સંગઠનની મજબૂત તૈયારીઓઅમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું ઉમિયાધામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. આ કાર્યક્રમની સફળતા માટે ફાઉન્ડેશનના પ્રણેતા આર પી પટેલ, યુવા સંગઠનના ચેરમેન ચિરાગભાઈ પટેલ, સામાજિક સંગઠનના ચેરમેન પિનાકિનભાઈ પટેલ અને જિલ્લા કન્વીનર દિપકભાઈ પટેલ સહિતની ટીમે વડોદરા કાર્યાલય ખાતે બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગે માર્ગદર્શક તરીકે આર પી પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ પટેલ, યુવા સંગઠનના મહામંત્રી સુરેશભાઈ કે પટેલ, કિસાન મોરચાના મહામંત્રી મિહિરભાઈ પટેલ અને યુવા મોરચાના મહામંત્રી રોનકભાઈ પટેલ હાજરી આપી ભક્તોનો ઉત્સાહ વધારશે.
વિશ્વ ટીબી દિન નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 'કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ' કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વ્યસનમુક્તિ અંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે, 'તમાકુમુક્ત ગામ' અભિયાન અંતર્ગત 117 ગ્રામ પંચાયતોને સ્મોક ફ્રી વિલેજ જાહેર કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યશિબિરમાં જિલ્લાના તમામ તાલુકાઓના સરપંચોને આરોગ્યલક્ષી યોજનાઓ અને 'તમાકુમુક્ત ગામ' અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય સમુદાયોને તમાકુમુક્ત બનાવીને સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. ગ્લોબલ એડલ્ટ તમાકુ સર્વેક્ષણ (GATS-2) અનુસાર, ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુનો વપરાશ 48% જેટલો ઊંચો છે. આ આંકડા ગામડાઓને તમાકુમુક્ત બનાવવા અત્યંત જરૂરી બનાવે છે. તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ અને શ્વાસનળીના રોગો જેવા ગંભીર બીમારીઓનું જોખમ વધે છે, જે લોકોના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને નકારાત્મક રીતે અસર કરે છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગ્રામસભામાં તમાકુની નુકસાનકારક અસરો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે તમાકુનો ઉપયોગ ટાળવા અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે લોકોને પ્રેરણા આપી હતી. તેમણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના લોકોને તમાકુ જેવા વ્યસનો ત્યાગીને પોતાનું અને પોતાના પરિવારનું આયુષ્ય સુધારવા અપીલ કરી હતી.
વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ગેટ પાસે આવેલી એક જૂની અને જાણીતી કપડાંની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર વિભાગે ભારે જહેમત આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની સાથે પોલીસની ટીમ પણ સ્થળે દોડી ગઈઆ આગ ભરચક વિસ્તારમાં લાગતા અફરાતફરીનો માહોલ બજારમાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની બે ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પાણીગેટ અને દાંડિયાબજાર ફાયર ટીમે આગ પર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવને લઈ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. એસીના આઉટર યુનિટમાં શોર્ટ સર્કિંટ બાદ આગઆ ઘટના અંગે દુકાન કર્મી સંદીપ શાહે જણાવ્યું હતું કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ એસી (AC)ના આઉટર યુનિટમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી. આ દુકાન લગભગ 95 વર્ષ જૂની છે અને પેઢીઓથી અહીં કાર્યરત છે. અડધી કલાકે આગ કાબૂમાં આવીઆ અંગે માહિતી આપતા સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, માંડવી ગેટ પાસે આગનો કોલ મળતા જ દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં લેવા માટે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. અહીંયા આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી અને નુકસાન અંગે પણ ચોક્કસ માહિતી હજુ સુધી નથી.
વેરાવળ-પાટણ નગરપાલિકાનો આદેશ:4 દિવસમાં હાઉસ ટેક્સ ભરો, નહીંતર નળ-ગટર કનેક્શન કપાશે
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ બાકી હાઉસ ટેક્સ, સફાઈ વેરો અને દિવાબત્તી વેરો ભરવા માટે મિલકત ધારકોને ચાર દિવસની અંતિમ મુદત આપી છે. આ આદેશ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર વિનોદ જોશીના હુકમથી જારી કરવામાં આવ્યો છે. નિયત સમયમર્યાદામાં વેરો નહીં ભરનાર મિલકત ધારકોના નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યવાહી વેરાવળ શહેરના રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં લાગુ પડશે. હાઉસ ટેક્સ વિભાગના કર્મચારી મહેશભાઈ નાનજીભાઈ ચાવડા દ્વારા રિક્ષામાં માઈક લાઉડસ્પીકર દ્વારા શહેરભરમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે અંગ્રેજીમાં પાવર ઓફ એટર્ની બનાવી હતી. તેમણે ફરિયાદીની ખોટી સહીઓ કરી, ₹11,15,000 ચૂકવ્યા હોવાના ખોટા વાઉચરો બનાવ્યા અને આ દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમ (ઉંમર 59, ધંધો: ખેતી, રહે. કુંભારપરા, ધ્રાંગધ્રા) દ્વારા 16 માર્ચ, 2026ના રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2)(3), 338, 340(2), 316(2), 318(4), 61(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એમ.યુ. મસી અને તપાસ અધિકારી એ.એમ. ચુડાસમાની ટીમે આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેક કરીને તેમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) સંજયભાઈ ઉર્ફે બીલ્લો મનાભાઈ સરૈયા (ઉં.વ. 33, ભરવાડ), (2) ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર (ઉં.વ. 34, ભરવાડ), અને (3) સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા (ઉં.વ. 31, ભરવાડ)નો સમાવેશ થાય છે, જે તમામ ધ્રાંગધ્રાના રહેવાસી છે. આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.એમ. ચુડાસમા સાથે પો.હેડ કોન્સ. ધીરુભા એન. પરમાર, પો.હેડ કોન્સ. મૂળરાજસિંહ સોલંકી, પો.કોન્સ. સંજયભાઈ મુંધવા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. સર્ફરાજભાઈ મલેક, પો.કોન્સ. પ્રતિપાલસિંહ ઝાલા, પો.કોન્સ. રણજીતસિંહ ઘનશ્યામસિંહ અને વુ.પો.કોન્સ. હિનાબેન દેવજીભાઈ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.
સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુડી પડવાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ પ્રભુને ગુણોમાં મીઠા પરંતુ સ્વાદમાં કડવા એવા લીમડાના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેતવૈકુઠ સ્વામી અને ભક્તિતનય સ્વામી સહિતના સંતોએ વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરી સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. લીમડો: ધરતી પરનું સાક્ષાત્ કલ્પવૃક્ષઆ પ્રસંગે પ્રભુ સ્વામીએ લીમડાના આયુર્વેદિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જો રોગી આ રસ પીવે તો તે નિરોગી બને છે અને નિરોગી વ્યક્તિ પીવે તો તે ક્યારેય રોગી પડતી નથી. આયુર્વેદમાં લીમડાને ધરતી પરનું કલ્પવૃક્ષ માનવામાં આવે છે. ચૈત્ર માસના પ્રારંભે ઋષિમુનિઓએ લીમડાના રસ અથવા તેના કુણા પાનનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. જો સતત 30 દિવસ સુધી આ રસનું સેવન કરવામાં આવે, તો ઉનાળાની આકરી ગરમીની કોઈ વ્યાધિ સતાવતી નથી અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ઔષધિય ગુણોનો ખજાનોલીમડો માત્ર પીવા માટે જ નહીં, પણ અનેક રીતે ઉપયોગી છે: ત્વચાના રોગો: લીમડાના પાન ઉકાળેલા પાણીથી સ્નાન કરવાથી ચામડીના દર્દો દૂર થાય છે. તેના બીજનું તેલ કૃમિનાશક છે. શુદ્ધિકરણ: ઘરમાં ઓરી-અછબડા જેવા રોગો વખતે બારણે લીમડાની ડાળી બાંધવામાં આવે છે અને મચ્છરો ભગાડવા તેનો ધૂમ્ર પણ કરાય છે. રસ બનાવવાની પદ્ધતિ: પાનને ગરમ પાણીથી ધોઈ, ગ્રાઈન્ડરથી રસ બનાવી તેમાં મરી, સિંધવ મીઠું અને જરૂર મુજબ ગોળ ઉમેરીને પીવાથી તે વધુ ગુણકારી બને છે. નૂતન વર્ષનો હર્ષોલ્લાસગુજરાત બહાર અન્ય રાજ્યોમાં ગુડી પડવાને નવા વર્ષના પ્રારંભ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વડીલો દ્વારા નિરોગી રહેવાના આશીર્વાદ આપવામાં આવે છે. સુરત ગુરુકુલમાં સંતો, હરિભક્તો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું હસતા મુખે પાન કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિથી મહેકી ઉઠ્યું હતું.
છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલીથી કવાંટ જતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. આથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આજે વડા તલાવ ખાતે ચક્કાજામ કરીને રામધુન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લાના અનેક મુખ્ય માર્ગોની હાલત ખરાબ છે, જેમાં બોડેલી-કવાંટ માર્ગનો પણ સમાવેશ થાય છે. શિહોદ ભારજ નદી પરનો પુલ તૂટી જતાં તમામ વાહનવ્યવહાર આ માર્ગ પર વાળવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાની સ્થિતિ અત્યંત નાજુક છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આજે વડા તલાવ ખાતે એકઠા થઈને લોકોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. આના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આશરે ત્રણ કલાક સુધી ચક્કાજામ ચાલ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યો ન હતો, જેના કારણે લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો હતો. પ્રદર્શનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા રસ્તો સુધારવાની બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે. આના કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ટંકારાના લતીપર રોડ પર સરાયા ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ આઇસર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે બસ વીજ થાંભલાને ટેકે અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ભાભર કમાલપુરા ઠાકોર વાસના રહેવાસી નટવરજી ચાંદાજી ઠાકોર (ઉં.વ. 38)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાનું આઇસર લઈને સરાયા ગામથી આગળ પસાર થઈ રહ્યા હતા. તે સમયે MP 41 P 5544 નંબરની ટ્રાવેલ્સ બસના ચાલકે તેમના આઇસરની પાછળના ભાગે જમણી બાજુએ બસ અથડાવી હતી. આ અકસ્માતમાં આઇસરના પાછળના ભાગને નુકસાન થયું હતું. બસ વીજ પોલના ટેકે અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય ક્રાઈમ ન્યુઝ જોઈએ તો ટંકારામાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા એક પડતર જીનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 144 નાની બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 21,600 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે ટંકારાના વસીમ અજીત સાંજી (ઉં.વ. 24)ની ધરપકડ કરી છે. ટંકારા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સહકાર ભારતીના ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે મહેશ મોરીની વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા મસ્તરામ બાપા ટ્રસ્ટ, ચિત્રા દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંતો અને ટ્રસ્ટી પ્રવિણભાઈ આહિર સહિતની કમિટીની ઉપસ્થિતિમાં મહેશ મોરીને શાલ ઓઢાડી અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવી કાર્યકાળની સફળતા માટે શુભકામનાઓ આપી હતી. સહકાર ભારતીનો ઉદ્દેશ્યસહકાર ભારતી એ RSS પ્રેરિત એક અગ્રણી સંગઠન છે, જેની સ્થાપના 1978માં વરિષ્ઠ પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય ભારતના સહકારી ક્ષેત્રને પારદર્શક, સક્ષમ અને શોષણમુક્ત બનાવવાનો છે. દેશભરની સહકારી મંડળીઓ અને બેંકોને માર્ગદર્શન આપી, સહકારી ચળવળને રાષ્ટ્રનિર્માણના કાર્ય સાથે જોડવા માટે આ સંગઠન સતત કાર્યરત છે. નવા પ્રમુખનો સંકલ્પમહેશ મોરી ભાવનગર શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળતા તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સહકાર ભારતી દ્વારા સહકારી મંડળીઓમાં પાયાનું અને શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં રહેલી ગેરરીતિઓ દૂર કરી સભ્યોનું સશક્તિકરણ કરવું અને 'સહકાર' દ્વારા 'રાષ્ટ્ર કાર્ય'નો દ્રષ્ટિકોણ કેળવવો એ તેમની પ્રાથમિકતા રહેશે.
20 માર્ચ, 'વર્લ્ડ ઓરલ હેલ્થ ડે' નિમિત્તે ગુજરાતની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GDCH) એ કેન્સર સામેની લડાઈમાં એક નવી આશા જગાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘પ્રિવેન્ટિવ હેલ્થકેર’ પર ભાર મૂકીને આ સંસ્થાએ હજારો લોકોને ઓરલ કેન્સરના મોઢામાંથી ઉગાર્યા છે. 3,000 થી વધુ પ્રી-કેન્સર કેસોની ઓળખવર્ષ 2025 ના આંકડા મુજબ, GDCH દ્વારા 12,915 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 3,023 પ્રી-કેન્સર (Pre-Malignant) કેસો શોધી કાઢવામાં આવ્યા છે. વર્ષ 2024 માં આ આંકડો 2,617 હતો. રોગની શરૂઆતના તબક્કે જ ઓળખ થવાને કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહી છે અને કેન્સર હોસ્પિટલો પરનું ઓપરેશનનું ભારણ પણ ઘટ્યું છે. રાજ્યવ્યાપી 'મિશન મોડ' અભિયાનનેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ (NOHP) હેઠળ 33 જિલ્લાઓમાં 282 ડેન્ટિસ્ટ્સની ટીમે એક મહિના સુધી સઘન ઝુંબેશ ચલાવી હતી. આ અભિયાનમાં 265 હેલ્થ ટૉક્સ અને 2 વૉકથોન દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત, 94 સ્થળોએ તમાકુ નિષેધની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગ્રામીણ સ્તરે કેન્સરની તપાસ વધુ સચોટ બને તે માટે આશા (ASHA) કાર્યકર્તાઓને પણ ખાસ તાલીમ આપવામાં આવી છે. OPD સેવાઓમાં મોટો ઉછાળોGDCH ની લોકપ્રિયતા અને લોકોમાં વધેલી જાગૃતિનો પુરાવો તેની OPD ના આંકડા છે. જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 2,24,130 દર્દીઓએ સારવાર લીધી હતી. વર્ષ 2026 માં પણ આ પ્રવાહ જળવાઈ રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં 17,788 અને ફેબ્રુઆરીમાં 17,564 દર્દીઓ નોંધાયા છે. છેવાડાના માનવી સુધી પહોંચતી સેવાહોસ્પિટલની મોબાઇલ ડેન્ટલ ટીમે જેલના કેદીઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ બાળકો સુધી પહોંચીને 4,980 થી વધુ લોકોની તપાસ કરી છે. શાળાઓમાં બાળકો માટે ‘પિટ એન્ડ ફિશર સિલન્ટ’ જેવી આધુનિક સારવાર પૂરી પાડીને બાળકોના દાંતને સુરક્ષિત કરવાનું ઉમદા કાર્ય પણ કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકા પર ₹1.5 કરોડની નાણાકીય ગેરરીતિનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ દાવો કર્યો હતો. વંશના જણાવ્યા અનુસાર, આ ગેરરીતિ પાલિકાની લાઈટ અને પાણી પુરવઠા શાખામાં થઈ છે. માહિતી અધિકાર (RTI) હેઠળ મેળવેલા દસ્તાવેજોમાં આ મામલો સામે આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સ્ટાન્ડર્ડ કંપનીઓના બજારભાવ કરતાં બે થી ત્રણ ગણાં વધુ દરે સામગ્રીની ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા હાઈમાસ ટાવર અને સ્ટ્રીટ લાઈટની ગુણવત્તામાં પણ ભેદભાવ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ સ્ટાન્ડર્ડ કંપનીનું મટીરીયલ વપરાયું છે, જ્યારે અન્ય સ્થળોએ સામાન્ય અને ઓછા દરજ્જાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું છે. પુંજા વંશે ભાજપ પર આક્ષેપ કર્યો કે નગરપાલિકામાં ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો અને પદાધિકારીઓની એજન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ કરવામાં આવી હતી. આના કારણે વધારે દરે કામો સોંપવામાં આવ્યા, જે પ્રજાના પૈસાની ઉચાપત સમાન છે. આ આક્ષેપોને પગલે પુંજા વંશે સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે. તેમનો ઉદ્દેશ્ય સત્ય બહાર લાવવાનો અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો છે. બીજી તરફ, વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે પાલિકા દ્વારા તમામ કામો નિયમસર ટેન્ડર પ્રક્રિયા મુજબ જ કરવામાં આવે છે. સૌથી ઓછા દરે કામ આપવા તૈયાર હોય તેવી એજન્સીને જ કારોબારી સમિતિની મંજૂરી બાદ કામ સોંપવામાં આવે છે. જોકે, તેમણે ખાતરી આપી કે જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે હવે રાજકીય ઘર્ષણ વધવાની સંભાવના છે. વિજિલન્સ તપાસ થાય છે કે નહીં, તે આગામી સમયમાં મહત્વનું બનશે.
વડોદરામાં FICCI FLO દ્વારા 'ચેન્જ ઓફ ગાર્ડ' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેતૃત્વ પરિવર્તનની સાથે મહિલા સંચાલિત વિકાસ અને સામાજિક પ્રભાવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 'FLO પાવર એન્ડ પર્પઝ એવોર્ડ્સ' એનાયત કરી એવા મહાનુભાવો અને સંસ્થાઓને સન્માનિત કરાયા જેમણે સમુદાય વિકાસ અને ઉદ્યોગસાહસિકતામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. નવું નેતૃત્વ અને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશઆ સમારોહમાં વર્તમાન અધ્યક્ષ શિવાની પી. પટેલે નેતૃત્વની જવાબદારી સ્મિતા જાટિયાને સોંપી હતી. સ્મિતા જાટિયા હવે નવી કાર્યકારી સમિતિ સાથે FLO વડોદરાના દ્રષ્ટિકોણને આગળ ધપાવશે. આ ઉપરાંત, નેહા પટેલ સિનિયર ચેરપર્સન તરીકે અને બિનિતિ ત્રિવેદી વાઈસ ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળશે. નોંધનીય છે કે, આ સમારોહ સાથે FLO વડોદરાએ તેના ગૌરવશાળી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્ષ દરમિયાન થયેલી કામગીરીના આંકડાકીય લેખાજોખા'ઊર્જાવાન, પ્રકાશમય અને સમાવેશક' થીમ હેઠળ FLO વડોદરાએ વિતેલા વર્ષમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે, જેની વિગતો નીચે મુજબ છે: 8,700 થી વધુ યુવા મહિલાઓને ડિજિટલ સાક્ષરતાનો લાભ મળ્યો. 1,700 થી વધુ મહિલાઓને કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી તાલીમ અપાઈ. 3,600 થી વધુ મહિલાઓ સુધી 'FLO કવચ' હેઠળ આરોગ્ય જાગૃતિ પહોંચાડવામાં આવી. 8,800 થી વધુ વિદ્યાર્થીઓને STEM (વિજ્ઞાન અને ટેકનોલોજી) શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાયા. પર્યાવરણ સુરક્ષા માટે 7,200 વૃક્ષોનું વાવેતર અને 1,900 કિલોગ્રામ ઈ-વેસ્ટનું રિસાયકલિંગ કરવામાં આવ્યું. પાવર એન્ડ પર્પઝ એવોર્ડ્સનું વિતરણસમારોહમાં ડિજિટલ ઇન્ફ્લુએન્સ, સ્ટ્રેટેજિક એલાયન્સ, ગ્રીન લેગસી અને MSME એક્સેલન્સ જેવી વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. શિવાની પી. પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષ ખૂબ સંતોષકારક રહ્યું છે અને વિવિધ પહેલો દ્વારા અમે હજારો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શક્યા છીએ. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે સામૂહિક શક્તિ દ્વારા સમાજમાં મોટો બદલાવ લાવી શકાય છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દેશના ગ્રામીણ યુવાનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે 'MY Bharat' પોર્ટલના સહયોગથી 'વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ડિજિટલ માધ્યમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહભાગી બનાવવાનો છે. 15 થી 29 વર્ષની વયના કોઈપણ યુવાન આમાં ભાગ લઈ શકે છે. લોગો ડિઝાઇન અને વીડિયો સ્પર્ધાઆ અભિયાન અંતર્ગત વિવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. લોગો ડિઝાઇન સ્પર્ધામાં શ્રેષ્ઠ કલા પ્રદર્શન કરનાર વિજેતાને 50,000 રૂપિયાનું માતબર રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત, યુવાનો પોતાના ગામમાં થયેલા વિકાસકાર્યો કે આજીવિકાના સાધનો વિશે 30 થી 60 સેકન્ડનો પ્રભાવશાળી શોર્ટ વીડિયો (રીલ) બનાવીને અપલોડ કરી શકે છે, જેની ફાઈલ સાઈઝ વધુમાં વધુ 25 MB હોવી જોઈએ. ઓનલાઇન ક્વિઝ અને નોંધણીની વિગતયુવાનો માટે 'વિકસિત ભારત - જી રામ જી એક્ટ 2025' અને સરકારી યોજનાઓ પર આધારિત 20 પ્રશ્નોની ઓનલાઇન ક્વિઝ પણ રાખવામાં આવી છે, જેમાં સફળ થનારને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ 20 માર્ચ, 2026 સુધીમાં 'MY Bharat' અથવા 'MyGov' પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાનો સંપર્ક કરી શકાશે.
ટ્રેનમાં છૂટેલી 1 લાખની બેગ પરત:જયપુરના મુસાફરનો કિંમતી સામાનને ઓખા સ્ટેશનેથી શોધીને પરત કરાયો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળ (RPF) એ ઓપરેશન ‘અમાનત’ હેઠળ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રેનમાં ભૂલથી છૂટી ગયેલી 1,00,000 રૂપિયાની કિંમતી બેગ શોધીને મુસાફરને પરત સોંપી RPF એ ફરજનિષ્ઠાનો પરિચય આપ્યો છે. 'રેલ મદદ' પોર્ટલથી મળી માહિતીઆ ઘટના 18 માર્ચ 2026 ના રોજ બની હતી. જયપુર-ઓખા એક્સપ્રેસ (ટ્રેન નંબર 20952) ના કોચ નંબર B/4 ની સીટ નંબર 13 પર એક મુસાફર પોતાની બેગ ભૂલી ગયા હોવાની જાણકારી ‘રેલ મદદ’ પોર્ટલ દ્વારા મળી હતી. માહિતી મળતાની સાથે જ RPF ની ટીમ એક્શનમાં આવી હતી. ઓખા સ્ટેશન પર સઘન તપાસટ્રેન ઓખા સ્ટેશને પહોંચતા જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રહલાદ વધારા અને કોન્સ્ટેબલ દીપક શર્માએ કોચમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ બેગ સુરક્ષિત મળી આવી હતી. બેગની અંદર અંદાજે 1,00,000 રૂપિયાના ઇલેક્ટ્રિક ટૂલ્સ હતા. બેગના માલિકની ઓળખ જયપુરના મહેશ નગરના રહેવાસી બ્રિજેશ શર્મા તરીકે થઈ હતી. મુસાફરે માન્યો આભારRPF ની કસ્ટડીમાં રાખવામાં આવેલો આ સામાન બાદમાં ઓખા પોસ્ટ પર હાજર કોન્સ્ટેબલ નરેશ કુમાર ઢાકા દ્વારા મુસાફરને વિધિવત રીતે સોંપવામાં આવ્યો હતો. કિંમતી સામાન પરત મળતા બ્રિજેશ શર્માએ રેલવે સુરક્ષા દળનો હૃદયપૂર્વક આભાર માની સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહે આ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓની સતર્કતાની પ્રશંસા કરી છે.
ઉમરગામમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ નેટવર્કનો પર્દાફાશ:બે ભાઈઓ ઝડપાયા, રૂ. 18,100નો મુદ્દામાલ જપ્ત
ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 'ક્રિષ્ના સ્ટીલ સેન્ટર' નામની દુકાન પાછળ દરોડો પાડી બે સગા ભાઈઓને રૂ. 18,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલા રીફીલિંગ નેટવર્ક પર કરવામાં આવી હતી. ઉમરગામ પોલીસ મથકના એ.એસ.આઈ હિતેશ પ્રેમજીભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગાંધીવાડી દેવધામ ખાતે આવેલી ક્રિષ્ના સ્ટીલ સેન્ટર નામની દુકાનની પાછળ પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસે બે પંચોને સાથે રાખી ઓચિંતો દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે કૃષ્ણઅવતાર લાલચંદ મોર્યા (ઉંમર 23) અને રામઅવતાર લાલચંદ મોર્યા (ઉંમર 25) ને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો રિલાયન્સ કંપનીના મોટા ગેસ સિલિન્ડરમાંથી પાઈપ વાટે નાના ગેસના બોટલોમાં ગેસ ભરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની પાસે કોઈપણ પ્રકારનું માન્ય લાયસન્સ કે આધાર પુરાવા મળ્યા ન હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગેસ ભરેલા અને ખાલી નાના-મોટા 8 નંગ સિલિન્ડર, ગેસ રીફીલિંગ માટેની પાઈપ અને ઈલેક્ટ્રિક વજનકાંટો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 18,100 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNSS)-2023 ની કલમ 288, 54 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એ-સાક્ષ્ય (e-Sakshya) એપ્લિકેશનનો ઉપયોગ કરી ઘટનાસ્થળની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના માદનઝાપા રોડ વિસ્તારમાં રહેતી એક પરિણીત શિક્ષિકાને સોશિયલ મીડિયા પર પજવણી કરીને પીછો કરનાર શખ્સ વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી અલગ-અલગ ફેસબુક આઈડી બનાવી છેલ્લા ચાર વર્ષથી મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. મૂળ કલકત્તાની અને હાલ વડોદરાના માદનઝાપા રોડ પર પરિવાર સાથે રહેતી 30 વર્ષીય મહિલા એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2022માં હિરેન રાજપૂત નામના ફેસબુક આઈડી પરથી તેમને મેસેજ આવવાનું શરૂ થયું હતું. મહિલાએ તેને બ્લોક કરવા છતાં, આરોપીએ વર્ષ 2023માં 'Smith Rj' અને ત્યારબાદ ફરી અન્ય આઈડી બનાવી સતત મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી માત્ર મેસેજ જ નહીં, પરંતુ મહિલાની ફેસબુક સ્ટોરી પર કોમેન્ટ્સ કરી વાત કરવા માટે દબાણ કરતો હતો. ગત 7 ફેબ્રુઆરીના રોજ આરોપીએ મહિલાની પોસ્ટ પર My Valentines લખીને કોમેન્ટ કરતા મામલો બિચક્યો હતો. મહિલાએ જ્યારે તેને પોલીસ ફરિયાદની ધમકી આપી હતી, ત્યારે આરોપી મહિલાના ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો, મહિલા પર સતત નજર રાખતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ હરકતો કરનાર શખ્સ હીરેનકુમાર રમેશભાઈ રાજપુત (ઉં.વ. 31) છે, જે તરસાલી વિસ્તારમાં આવેલ દર્શનમ સોસાયટીનો રહેવાસી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પર ઉતરી છે. નામદાર હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવી હતી. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર અને આંગણવાડી બહેનો રણચંડી બનીને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં લાલદરવાજા પાસે વિરોધ પ્રદર્શનલાલદરવાજા પાસે આવેલા સરદાર બાગ આગળ મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ દેખાવો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની અલગ અલગ માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ કરી રહી છે. અનેક વખત રેલી અને રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ સંતોષવામાં ન આવતા ઉગ્ર દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહી છે. સરકાર વિરોધી નારા લગાવી આંગણવાડી બહેનોને વિરોધ નોંધાવ્યો હતો. તાનાશાહી બંધ કરો ના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ સરકાર કુપોષણની વાતો કરે છે પરંતુ બાળકોને આપવામાં આવતા ભોજન માટે યોગ્ય ભાવ આપવામાં ન આવતા હોવાનો પણ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે. આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ બાળક દીઠ 4 રૂપિયા 10 પૈસા આપવામાં આવે છે હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ છીએ. તો અત્યારની મોઘવારી પ્રમાણે પોષણ દર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકીવિધાનસભા ચૂંટણી સમયે આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને આંદોલન મોકૂફ રાખવાની સરકારે સૂચના આપી હતી. તે બાદ સરકાર દ્વારા બેઠક કરી જે પણ માંગણીઓ છે તે સ્વીકારવાનું સરકારે વચન આપ્યું હતું. પરંતુ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર આંગણવાડી બહેનોને ભૂલી ગઈ હોવાનું આંગણવાડી બહેનો કહી રહી છે. અનેક વખત મુખ્યમંત્રી કચેરીએ રજૂઆત અને મુલાકાત માટે ગયા બાદ પણ મુખ્યમંત્રી મુલાકાત કરતા ન હોવાનો પણ દાવો કર્યો છે. જેથી હવે આંગણવાડી બહેનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. 3 દિવસનું અલ્ટીમેટમ, માગણી ન સંતોષાય તો વિધાનસભાના ઘેરાવની ચીમકીઆગામી 3 દિવસમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ ઉચ્ચારી છે. 3 દિવસમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યભરની આંગણવાડી બહેનો ભેગી થઈ વિધાનસભાનો ઘેરાવ કરશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. માત્ર આંગણવાડી બહેનો જ નહીં તેમનો પરિવાર અને લાભાર્થીઓ પણ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે. વર્ષોથી પડતર પડેલા પ્રશ્નોના ઉકેલની માગઅમદાવાદ આંગણવાડી પ્રમુખ રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેનું પાલન ન થતા અમારા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજેટમાં પણ વેતનમાં જે ફાળવણી કરવામાં આવી છે તેમાં પણ સરકારે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. અમારો પગાર જણાવવા માટે પણ સરકાર તૈયાર નથી. વય મર્યાદામાં 58થી 60 કરો તેવી અમારી માંગણી છે. સરકારી અધિકારી મહિના પહેલા છૂટો થતો હોય તો તેને પ્રમોશન આપવામાં આવે છે તો પછી અમને કેમ પ્રમોશન આપવામાં ન આવે. અમે પણ 22 વર્ષથી નોકરી કરીએ છીએ તો અમારી પણ વય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. પોષણક્ષમ આહાર આપવામાં પણ વધારો કરવો જોઈએ કારણ કે કોઈપણ બહેનો બાળકોને પોષણક્ષમ આહાર આપી શકતી નથી. સરકારે જો કુપોષણ દૂર કરવું હોય તો બહેનોના પોષણમાં પણ વધારો કરવો જોઈએ. સરકાર ભૂલી ગઈ હોવાનું કહી રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે પણ અમને માંગણી સ્વીકારી છે એવું વચન આપવામાં આવ્યું હતું. તેમજ આંદોલન કરવાનો જાહેરાત કરી ત્યારે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હતા. બે બાદ તેમને આંદોલન મોકોપ રાખી મળવાનું વચન આપ્યું હતું. જે બાદ માત્ર એક જ વખત અમારી સાથે મુલાકાત કરી તે બાદ અમારી સાથે કોઈ પણ મુલાકાત કરવામાં આવતી નથી. અનેક વખત તેમની ઓફિસે જઈને રજૂઆત કરી પરંતુ સાહેબ સારા સારા કામ કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તે હવે આંગણવાડી બહેનોને ભૂલી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમે માત્ર એકલી બહેનો નથી પરંતુ તમારી પાસે હજારો વોટ છે. તેમજ બધી બહેનો પાસે પણ એક એક હજાર વોટ છે. જેથી સરકારે વિચારવી પડશે કે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા વોટ જોઈતા હશે તો તમારું કામ કરવું જ પડશે. અમે કોઈ મફતનું માંગતા નથી પરંતુ અમારા હકની માંગણીઓ કરીએ છીએ. તમામ કામગીરી આંગણવાડી બહેનોને સોંપી દેવામાં આવે છે. જેથી આઈકોર્ટે જે હુકમ કર્યો તે માંગણી સરકાર સ્વીકારે અને તેનું પાલન કરે તે જ અમારી મુખ્ય માગણી છે. જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સ્થાનિક સ્વર્જનની ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. માત્ર અમે નહીં પરંતુ અમારો પરિવાર પણ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને અમારા જે લાભાર્થી છે તેમને પણ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે કહીશું. લાભાર્થીઓ અમારું માન છે અને તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. આંગણવાડી કર્મચારી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, અત્યારે દિવસે અને દિવસે મોઘવારી વધી રહી છે તેમ છતાં સરકાર બાળકદીઠ એક રૂપિયો 30 પૈસા અને બે રૂપિયાને 80 પૈસા આપી રહી છે. તો સરકારે વિચારવું જોઈએ કે ચાર રૂપિયા અને 10 પૈસામાં શું બાળકોને પોષણક્ષમ આહાર આપી શકાય. સરકાર એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે જે બાળકો આવનારો ભવિષ્ય છે તેના વિશે પણ વિચારવાનો તેમના પાસે સમય નથી. આટલી બધી મોંઘવારી વધવા છતાં પોષણ દરમાં વધારો કરવામાં આવતો નથી. સરકાર ઊંઘી ગઈ છે જેથી તેને અમે જગાડવા માંગીએ છીએ. અત્યારે જે ભાવ ચાલે છે તે તો આપવો જ જોઈએ. રાજકોટના જ્યુબિલી ગાર્ડનમાં આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યુંરાજકોટની 360 સહિત રાજ્યની 53000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500 થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનોએ જયુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી વર્કર અને આશા વર્કરની મુખ્ય માંગણી 1. નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ લઘુતમ વેતન આપો તથા કાયમી દરજ્જો આપો 2. ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપો 3. બાળકોના પોષણહારના દરોમાં સો ટકા વધારો કરો 4. લાભાર્થીને નુકશાન કરતા અને ફ્રોડને પ્રોત્સાહિત કરતી OTP અને FRS સિસ્ટમ બંધ કરો. 5. નિવૃત્તિ વયમર્યાદા 60 કરો 6. એક વખત બદલીની તક આપો 7. વધારાની તમામ કામગીરી આપવાનું બંધ કરો 8. તમામ પ્રકારના બીલો ની નિયમિત ચુકવણી કરો આરોગ્ય વિભાગ તળે સેવા બજાવતી આશા વર્કરો અને ફેસિલેટરોની મુખ્ય માગણી 1. આશા વર્કર તથા ફેસીલેટરોને લઘુતમ વેતન આપો અને કાયમી કરો 2. આશા વર્કરોના કામના કલાકો નક્કી કરો 3. ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઇલ આપો 4. કરેલ કામનુ ઈન્સેન્ટિવ દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપો 5. આશા વર્કર તથા ફેસીલેટર બહેનોને ગ્રચ્યુટી આપો. 6. દર વર્ષે બે જોડી ડ્રેસ નિયમિત આપો અને તેની સિલાઈ આપો. 7. ઇનસેટિવમાં રૂપિયા 1500 નો વધારો કરતી સંસદમાં કરેલ જાહેરાતનો અમલ કરો 8. મોંઘવારી પ્રમાણે પોષણદરમાં પણ વધારો કરવામાં આવે
વડોદરા શહેરમાં વધી રહેલા તાપમાન અને ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ટ્રાફિકના જવાનો માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. સયાજીગંજ ટ્રાફિક ACP કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ટ્રાફિક જવાનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કીટ અર્પણ કરી હતી. આ સમયે જોઇન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક સુધીર દેસાઈ હાજર રહ્યા હતા. હાઈટેક સાધનોથી સજ્જ થશે ટ્રાફિક જવાનોભીષણ ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા જવાનોને રાહત આપવા માટે બેટરીથી સંચાલિત AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિ દરમિયાન સુરક્ષા અને વિઝિબિલિટી વધારવા માટે LED બેટન સ્ટીક પણ ફાળવવામાં આવી છે. આ બંને ઉપકરણો બેટરી પર ચાલે છે, જે લાંબા સમય સુધી જવાનોને સુવિધા પૂરી પાડશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવે છે. તેમના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે આ આધુનિક કીટ અને AC હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ધોમધખતા તાપમાં ઉભા ન રહેવું પડે. આ ઉપરાંત નાગરિકોએ ખૂબ જ જરૂરી કામ વગર બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સ્પેશિયલ ઉનાળુ કીટમાં શું છે? પોલીસ જવાનોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા કમિશનર દ્વારા વિતરણ કરાયેલી કીટમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે: સ્વાસ્થ્ય સુરક્ષા: ORS ના પેકેટ અને પીવાના પાણીની બોટલ. ત્વચા અને આંખની સુરક્ષા: સનસ્ક્રીન લોશન અને આધુનિક ગોગલ્સ. સાધન સામગ્રી: રિફ્લેક્ટર જેકેટ, છત્રી અને આરામ માટે ફોલ્ડિંગ ખુરશી.
ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત પંચાયત સર્ટિફિકેટ વિતરણ સમારોહ વેરાવળના કૉમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું. આ પ્રસંગે 176 ગ્રામ પંચાયતોના સરપંચોને ટી.બી. મુક્તિ માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્મોક ફ્રી વિલેજ અભિયાન હેઠળ 117 ગામોને વ્યસનમુક્ત બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વ્યસનમુક્તિ અને આરોગ્યના ગાઢ સંબંધ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ટી.બી. જેવા ચેપી રોગના મુખ્ય કારણોમાં તમાકુ અને અન્ય વ્યસનોનો મોટો ફાળો છે. તેમણે સરપંચોને પોતાના ગામમાં વ્યસનમુક્તિ માટે ઠરાવ પસાર કરી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. તેમણે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને શાળાકક્ષાએથી બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, એક સમયનો રાજરોગ ગણાતો ટી.બી. હવે આધુનિક સારવાર અને સંકલિત પ્રયાસોથી નિયંત્રણમાં આવી રહ્યો છે. તેમણે 'નિક્ષય મિત્ર' પહેલની પ્રશંસા કરતા કહ્યું કે, જિલ્લાના દરેક દર્દીને પોષણ કિટ પૂરી પાડવામાં આવી રહી છે, જે તેમના સ્વાસ્થ્ય સુધારામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તેમણે જિલ્લામાંથી ટી.બી.નું સંપૂર્ણ નિર્મૂલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શીતલ રામે આંકડા રજૂ કરતા જણાવ્યું કે, 2023માં 31, 2024માં 148 અને 2025માં 176 ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત બની છે, જે આ અભિયાનની સતત પ્રગતિ દર્શાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ અને અનેક સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય સંદેશ સ્પષ્ટ હતો કે, જનભાગીદારી અને સંકલિત પ્રયાસોથી જ ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ ટી.બી. મુક્ત અને વ્યસનમુક્ત બનવાની દિશામાં સફળતા હાંસલ કરી રહ્યો છે.
દ્વારકામાં દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરાયા બાદ હવે ખંભાળિયાના વધુ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું. આ ચકચારી પ્રકરણની વિગત મુજબ, દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ગત 3 ફેબ્રુઆરી, 2024 ના રોજ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મુખ્ય આરોપી જાવેદ બાબીની અટકાયત કરી તેને જેલ હવાલે કર્યો હતો. તપાસ દરમિયાન, ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં રહેતા ફારુક યુસુફ બાબી અને ઇન્દ્રિશ સલીમ બાબી નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. આથી પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની ધરપકડ કરી છે. મંગળવારે સાંજે, એલસીબી પોલીસે જાપ્તા સાથે આરોપીઓને ખંભાળિયામાં તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં ગૌવંશનું કતલ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સ્થળે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ ગૌવંશની હત્યા અને માંસ વેચવાના કામમાં સંડોવાયેલા હતા. પંચનામા દરમિયાન, એફ.એસ.એલ. વિભાગની ઉપસ્થિતિમાં કતલ માટે ઉપયોગમાં લેવાયેલા છરા, છરી અને કોઈતા જેવા હથિયારો પણ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યા હતા.
સાપર નજીક LPG ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં:જામનગર-ખંભાળિયા માર્ગે અકસ્માત, તંત્રની ટીમ દોડી
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટિયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં એક એલપીજી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જી.જે.-૬ એ.એક્સ. 9024 નંબરનું આ ટેન્કર મોટી ખાવડીથી 17 ટન એલપીજી ભરીને સાણંદ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, સાપર ગામના પાટિયા પાસે એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા અથવા કાવો લેતા અકસ્માત સર્જાયો હતો. ગેસ ટેન્કરના ચાલક મનજીતસિંઘે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે વજનને કારણે ટેન્કર તેના હોર્સથી છૂટું પડીને માર્ગની બાજુમાં ઉતરી ગયું અને પલટી ખાઈ ગયું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું ન હતું. અકસ્માતની જાણ થતાં જ સિક્કા જીએસએફસી, ડીસીસી કંપની, રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્રેઈનની મદદથી પલટી ગયેલા ટેન્કરને ફરીથી ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં નવો હોર્સ જોડીને તેને રાજકોટ તરફ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ આજે 19મી માર્ચથી રાજ્યમાં ઉત્તરવહીઓની ચકાસણી શરૂ થઈ ગઈ છે. રાજકોટના 25 સહિત રાજ્યના 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી 75,000 શિક્ષકોને પેપર ચકાસણી માટેનો ઓર્ડર આપવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 50 % શિક્ષકો ગેરહાજર રહ્યાપેપર ચેકિંગ માટે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે 50 % શિક્ષકો ગેરહાજર રહ્યા છે અને જે હાજર છે. તેમાં પણ ધોરણ 12 સાયન્સમાં માસ્ટર ડિગ્રી સાથે બી.એડ. ન થયેલા હોય તેવા ખાનગી શિક્ષકોને ઓર્ડર અપાયા હોવાથી તેઓ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચ્યા હતા. જોકે કેન્દ્ર નિયામકો દ્વારા તેઓને પેપર ચેકીંગ કરવા દેવામાં આવ્યા ન હતા અને પરત મોકલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં 80,248 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપીરાજકોટમાં ધોરણ 10માં 40 પરીક્ષા કેન્દ્રોના 183 બિલ્ડીંગ પરથી 46,657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 પરીક્ષા કેન્દ્રોના 101 બિલ્ડીંગ પરથી 25,657 તો 12 વિજ્ઞાન પ્રવાહમાં 39 બિલ્ડીંગ પરથી 7934 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 65 કેન્દ્રોના 323 બિલ્ડીંગના 2816 બ્લોક પરથી 80,248 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આજથી એક અઠવાડિયા સુધી પરીક્ષણ કાર્ય ચાલશેશહેરની ચૌધરી હાઈસ્કૂલના આચાર્ય અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામક ડૉ. જયેશ વસોયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા 18 માર્ચના સાંજે ગુજરાતી માધ્યમની 5100 અને અંગ્રેજી મીડિયમની 4800 ઉત્તરવહી પોલીસ રક્ષણ સાથે સીલ બંધ કવરમાં સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસ જવાનોની હાજરીમાં ઉત્તરવહીઓ સીલ કરી હતી. બાદમાં આજે સવારે સીલ ખોલવામાં આવ્યું છે અને આજથી પરીક્ષણ કાર્ય શરૂ કર્યું છે. એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલશે. B.edની લાયકાત ન ધરાવતા શિક્ષકોને પરત મોકલાયાતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચકાસણી કરતા શિક્ષકોની જે લાયકાત નક્કી કરી છે તેમાં ડિગ્રી સાથે બી.એડ. ફરજિયાત છે. જોકે અહીં ખાનગી શાળાના કેટલાક શિક્ષકો આવ્યા છે કે જેઓની પાસે માસ્ટર ડિગ્રી સાથે વ્યવસાયિક એવી બી.એડ.ની લાયકાત નથી. જોકે બોર્ડના નિયમને અનુસરતા અમે તેમને પેપર ચકાસવા ન દઈ શકીએ જેથી અમે તેમને પરત મોકલ્યા છે. પેપર ચકાસણી માટે 56 શિક્ષકોમાંથી 23 હાજર રહ્યાજ્યારે આ જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા જયદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પેપર ચકાસણીની કામગીરી છે. જેથી શિક્ષકો પણ ખૂબ જ સજ્જ છે. ધોરણ 12 ફિઝિક્સની ઉત્તરવહીની ચકાસણી માટે 85 શિક્ષકોના ઓર્ડર થયા હતા જોકે તેમાંથી 55 શિક્ષકો હાજર રહ્યા છે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પેપર ચકાસણી માટે 56 શિક્ષકોના ઓર્ડર થયા હતા જેમાંથી 23 હાજર રહ્યા છે. ધોરણ 10ના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ? ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ?
પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.કે. નાયીનું પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા બદલ તેમની કામગીરીને બિરદાવી હતી. લેઉવા પાટીદાર સમાજના પ્રતિનિધિ મંડળે SP કચેરી ખાતે ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, સમાજના અગ્રણીઓએ SP વી.કે. નાયીને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીનું સન્માન કર્યું હતું. સમાજ દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે હાજર રહેલા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં પોલીસ વહીવટ પારદર્શક અને અસરકારક રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આદર્શ બની રહેશે. સમાજ દ્વારા તેમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાજુલા પોલીસે છેતરપિંડીના બે વોન્ટેડ આરોપી ઝડપ્યા:છ માસથી ફરાર રાજસ્થાનના આરોપીઓ સામે કાર્યવાહી
અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પકડ વોરંટ ધરાવતા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં આરોપીઓ પર નકલી ઇનામી યોજનાઓ દ્વારા છેતરપિંડી કરવાનો આરોપ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની કલમ 72 હેઠળ તેમના પકડ વોરંટ જારી કરાયા હતા. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 318(4), 61(1) તેમજ ગુજરાત ડીપોઝીટર્સ હિત સંરક્ષણ અધિનિયમ (GPID Act) અને ઇનામી ચીટ તથા મની સર્ક્યુલેશન સ્કીમ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ નોંધાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી રાજુલા તાલુકાના ચૌત્રા ગામમાં બોલેરો ગાડી લઈને ગ્રામજનોને લોભામણી સ્કીમમાં ફસાવ્યા હતા. તેઓએ ત્રણ ટિકિટ ખરીદવા પર ગોદરેજ કંપનીનું ફ્રીજ આપવાનું વચન આપ્યું હતું અને ઇનામી ટિકિટોમાં સારા ઇનામોની ખાતરી આપી લોકો પાસેથી કુલ રૂ. 1,39,965/- વસૂલ્યા હતા. જોકે, વચન મુજબ કોઈ ઇનામ આપ્યા વિના તેઓએ છેતરપિંડી આચરી હતી. પકડાયેલા આરોપીઓમાં કિશોરકુમાર જુઝારામ વાયલ (ચૌધરી), રહે. આદર્શ ઉન્ડખા, તા./જી. બાડમેર, રાજસ્થાન અને નરપતકુમાર બાબુરામ પરીહાર, રહે. દુદાબેરી, પિથાનિયોકી ઢાણી, તા./જી. બાડમેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. અમરેલી SP સંજય ખરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત, ASP જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અને રાજુલા પીઆઇ વી.એમ. કોલાદરાની રાહબરીમાં સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપીઓને શોધી કાઢી સફળતાપૂર્વક પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા, એ.એસ.આઈ. મધુભાઈ પોપટ, કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ વાળા, મનુભાઈ માંગાણી અને સુરેશભાઈ મેરનો સમાવેશ થાય છે.
ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજે રમજાન ઈદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે નાના બાળકોએ વિસ્તારમાં લાગેલા મેળામાં આનંદ માણ્યો હતો. પરિવારોએ દૂધ સેવૈયા આરોગીને ઈદની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોએ એક મહિના સુધી રોજા રાખી ઈબાદત કરી હતી. એક મહિનાના રોજા પૂર્ણ થતાં ઈદનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર મૌઝમ બોમ્બેવાલાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજ રસુલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવે છે. તેમણે આગામી દિવસોમાં આવનારી મુસ્લિમ સમાજની ઈદ માટે પણ તમામ બિરાદરોને શુભકામનાઓ પાઠવી હતી.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેની સાથે ભક્તિમય ચૈત્ર માસનો પણ આરંભ થયો છે ભાવનગર શહેરના નાના અંબાજી અને મોટા અંબાજી મંદિરો સહિત અન્ય દેવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી,શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા, હિન્દુ શાસ્ત્રો અનુસાર ચાર નવરાત્રીઓમાં આસો માસની નવરાત્રી પછી ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, જેમાં સમગ્ર ચૈત્ર માસ ભક્તિ અને ઉપાસનાનો ગણાય છે આ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક કાર્યો, કથા-પારાયણ અને ઈશ્વરીય ઉપાસનાઓમાં લીન રહે છે, ભાવનગર શહેર અને જિલ્લામાં ચૈત્ર માસની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, મંદિરોમાં સાફસફાઈ, રંગરોગાન અને સુશોભન કરવામાં આવ્યું હતું, આ માસમાં ભગવાનની ઉપાસના વિશેષ ફળદાયી મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓને રીઝવવા વિવિધ ઉપાસનાઓ કરશે, અમાસના દિવસે બજારોમાં પૂજા સામગ્રીની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી. જિલ્લામાં આવેલા શક્તિ પીઠ સમાન દૈવી સ્થાનો જેવા કે રાજપરા-ખોડિયાર મંદિર, ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ, મહુવા ભવાની શક્તિ પીઠ અને ભગુડા મોગલધામ ખાતે આગામી ત્રીસ દિવસ સુધી માઈ ભક્તોનો ભારે ધસારો જોવા મળશે, આ ભીડને પહોંચી વળવા માટે મંદિર પ્રશાસનો અને ટ્રસ્ટો દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પૂજન, પ્રસાદ અને ઉતારા સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં ડ્રાઇવર, કંડક્ટર તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓ આજે ફરજ મોકૂફ રહ્યા હતા. તેઓની માગ છે કે, અમારો પગાર સમયસર આપવામાં આવતો નથી. સાથે સેફ્ટીના સાધનો પણ આપવામાં આવ્યા નથી. આજે ફરજ પર ન રહી પોતાની માંગણીને સ્પષ્ટ કરવા નવલખી મેદાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. 'ટાઇમસર પગાર માટે અનેક રજૂઆત કરી છતાં પગાર ટાઈમે મળતો નથી'વાડીવાડી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારી હેમેન્દ્ર શિંદે એ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું અલ્ટ્રા મોર્ડન એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલે છે. અમે પગારની રજૂઆત કેટલાય ટાઈમથી કરી રહ્યા છીએ કે પગાર ટાઈમસર કરો. હજુ સુધી પગાર થતો નથી. અમારો પગાર સાત તારીખે આવવો જોઈએ, પરંતુ કોઈ દિવસ થયો જ નથી. એટલે અમે આ અંગેની રજૂઆત કરેલી છે છતાં પગાર ટાઈમસર થતો નથી. યુનિફોર્મ અને સેફ્ટી શૂઝ પણ નથી મળતાવધુમાં જણાવ્યું કે, અમને PF-ESI અને રજાઓ મળતી નથી. સાથે ટાઈમસર પગાર નથી થતો, યુનિફોર્મ નથી મળતો, સેફ્ટી શૂઝ નથી મળતા. જે કંઈ કોન્ટ્રાક્ટમાં આવે છે એ તો મળવું જોઈએ. અમે હાલમાં 100 જેટલા કર્મચારી છીએ જેમાં ડ્રાઈવર અને કંડક્ટર છે. હવે અમારી વેદના કોણ સાંભળશે. અમારી ડિમાન્ડ એ છે કે અમે તો બધા કર્મચારીઓ નોકરી કરવા તો માગી જ રહ્યા છીએ, કોઈ એવું નથી કે નોકરી કરવા ના પાડે પણ ટાઈમસર તો પગાર થવો જોઈએ. '15,000 પગારમાં બધું થાય નહીં એ અધિકારીને પણ ખબર છે'વધુમાં કહ્યું કે, કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ છીયે સાથે સુપરવાઈઝર જોડે પણ વાત કરી છે છતાં તેઓ કહે છે બે દિવસ પછી, બે દિવસ પછી. હાલ હમણાં અઠવાડિયું-દસ દિવસ થઈ ગયા એવી જ વાત મળે છે કે બે દિવસ પછી થશે પણ હજુ સુધી પગાર નથી થયો. અમારે ઘરબાર કેવી રીતે ચલાવવાનું? અમારે બૈરા-છોકરાઓ છે, અમારે સ્કૂલની ફી ભરવાની હોય છે. બધી રીતે અમારી પર લોડ આવી જાય છે અને 15,000 પગારમાં બધું થાય નહીં એ અધિકારીને પણ ખબર છે. વહેલી તકે અમારી માગણીઓ સ્વીકારાય એવી આશાઅન્ય કર્મી ચેતન પરમારે જણાવ્યું હતું કે, અમે અલ્ટ્રા મોર્ડન એજન્સીમાં નોકરી કરીએ છીએ. વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં ડ્રાઈવર કમ કંડક્ટર તરીકે ફરજ બજાવીએ છીએ. હાલમાં એવું છે કે ગયા મહિનાનો ફેબ્રુઆરીનો અમારો પગાર થયો નથી. હું કોન્ટ્રાક્ટમાં 2022થી આવેલો છું ત્યારથી લઈને એક જ વાર અમને યુનિફોર્મ, બૂટ અને આ બધી સુવિધાઓ આપેલી છે. બાકીની કોઈ સુવિધા મળેલી નથી. સેફ્ટીને લઈ કહ્યું કે, વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ફ્રન્ટ લાઈન પર હોય છે, ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થતું હોય છે. અમે જઈએ છીએ પણ તો સેફ્ટી જો હોય તો સારામાં સારું રહે.
દાડમના બગીચામાં આંતરપાકથી લાખોની કમાણી:સુરેન્દ્રનગરના ખેડૂત પ્રકાશભાઈ પટેલે અપનાવી સ્માર્ટ ફાર્મિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી આધુનિક પદ્ધતિ અપનાવી છે. તેમણે દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેમને વીઘે રૂ. 80,000 સુધીનું ઉત્પાદન મળે છે. પ્રકાશભાઈ વર્ષોથી કપાસ, ધાણા અને ચણા જેવી પરંપરાગત ખેતી કરતા હતા. આ ખેતીમાં મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી સામે માંડ દસ મણનો ઉતારો મળતો હતો, જેનાથી માત્ર ગુજરાન ચાલતું હતું. ખેતીમાં ખર્ચ વધતો અને વળતર ઘટતું હોવાથી તેમણે પદ્ધતિ બદલવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખેડૂતોની આવક બમણી કરવાના મિશનથી પ્રેરિત થઈને પ્રકાશભાઈએ આધુનિક ખેતી અપનાવી. તેમણે પોતાની 45 વીઘા જમીનમાં તરબૂચ અને 30 વીઘા જમીનમાં ટેટીનું સફળ વાવેતર કર્યું છે. આ ઉપરાંત, તેઓ ટમેટા અને કાકડી જેવા શાકભાજીનું પણ વાવેતર કરી ખેતીને વિવિધતાસભર બનાવી રહ્યા છે. પ્રકાશભાઈએ 35 વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે, તે દરમિયાન જમીન ખાલી ન રહે તે માટે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિથી જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે અને મુખ્ય પાક તૈયાર થાય તે પહેલાં જ ટૂંકા ગાળાના પાકો દ્વારા તેમને રોકડી આવક મળવા લાગે છે. ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે પ્રકાશભાઈ મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો પ્રશ્ન ઉકેલાય છે, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી બચાવે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અને સબસિડી તેમને આધુનિક સાધનો અપનાવવામાં મદદરૂપ થઈ છે, જેનાથી તેમનો આર્થિક બોજ હળવો થયો છે. પ્રકાશભાઈની આ સફળતાએ આસપાસના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની ખેતી જોવા માટે વેપારીઓ સામે ચાલીને ખેતરે આવે છે, જે તેમની ઉત્પાદનની ગુણવત્તા અને બજારમાં તેની માંગ દર્શાવે છે. તેમની ખેતપેદાશોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હોય છે કે, વેપારીઓ સામે ચાલીને ખેતરે આવીને માલ ખરીદે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે અને વચેટિયામુક્ત સીધું વેચાણ શક્ય બને છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, પ્રકાશભાઈને ગત વર્ષે વીઘે અંદાજે રૂ. 80,000 સુધીનું મબલખ ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે, જો ખેડૂત જાગૃત બનીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી, પરંતુ સોનાની લગડી સમાન બની શકે છે. આજે પ્રકાશભાઈ માત્ર એક સફળ ખેડૂત નથી, પણ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. નવલગઢનો આ 'પ્રકાશ' આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનો દીવો પ્રગટાવી રહ્યો છે. જો ખેડૂત પરંપરાગત ઢબ છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ખરેખર સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. પ્રકાશભાઈ માત્ર પોતાની પ્રગતિથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. નવલગઢના જ ખેડૂત કમલેશભાઈ જણાવે છે કે, “અમે વર્ષોથી કપાસ અને અન્ય પરંપરાગત પાકો લેતા હતા જેમાં ઘણીવાર ખર્ચ પણ માંડ નીકળતો. પરંતુ પ્રકાશભાઈની સલાહથી આ વર્ષે મેં 10 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે. અમારો આ પ્રથમ અનુભવ હોવા છતાં, કપાસની સરખામણીએ ટેટીમાં ઘણો સારો ફાયદો દેખાઈ રહ્યો છે. આવકમાં મોટો ઉછાળો જોવા મળતા હવે અમે આધુનિક ખેતી તરફ વળ્યા છીએ.” અન્ય એક પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જાદવ કહે છે કે, “પહેલા અમે ધાણા, જીરું અને કપાસની ખેતીમાં મહેનત કરતા હતા, પણ જ્યારે પ્રકાશભાઈના ખેતરે જઈને ટેટીનું સફળ વાવેતર જોયું ત્યારે અમને નવી દિશા મળી. હાલમાં ટેટીના વાવેતરથી અમને વીઘે રૂ. 50,000થી 60,000 જેવી માતબર આવક થઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે, પ્રકાશભાઈ પોતે અમારી વાડીએ આવીને માર્ગદર્શન આપે છે અને નવું નવું શીખવાડે છે.” આમ, નવલગઢના પ્રકાશભાઈ પટેલ આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ સમૃદ્ધિનો 'પ્રકાશ' ફેલાવી રહ્યા છે. તેમની મહેનત, સરકારી યોજનાઓનો લાભ અને આધુનિક વિચારધારાએ સાબિત કરી દીધું છે કે 'સ્માર્ટ ફાર્મિંગ' એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. ખેતીને માત્ર મજૂરી નહીં પણ એક 'વ્યવસાય' તરીકે વિકસાવવાની પ્રકાશભાઈની આ મુહિમ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા છે તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોખમી સ્ટંટ સાથે રેલી યોજીજૂનાગઢમાં ABVPના નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી આ રેલીમાં શિસ્તના પાઠ ભણાવતા સંગઠનના કાર્યકર્તાઓ જ શિસ્ત ભૂલ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ચાલુ ગાડીના બોનેટ પર બેસીને જોખમી રીતે સીન સપાટા કરી રહ્યા છે. ડીજેના તાલે ઝૂમતા આ યુવાનોએ પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને યોજાયેલી આ રેલીમાં અનેક ગાડીઓ પર કાર્યકર્તાઓ લટકતા અને બોનેટ પર બેઠેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પોલીસ આવા કિસ્સામાં 'સ્ટંટબાજો' વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધીને કડક કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સંગઠનનું રાજકીય પીઠબળ હોવાને કારણે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શું પોલીસ રાજકીય દબાણ હેઠળ છે ?સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ જૂનાગઢની જનતામાં ભારે ચર્ચા જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે? જો કોઈ સામાન્ય યુવાન આ રીતે ગાડી પર બેસીને સ્ટંટ કરતો પકડાય તો પોલીસ તેની સાન ઠેકાણે લાવવામાં જરાય વિલંબ કરતી નથી, તો પછી ABVP ના આ હોદ્દેદારો સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી? હવે જોવાનું એ રહે છે કે, જૂનાગઢ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ કે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધી ન્યાયી કાર્યવાહી કરે છે કે, પછી 'રાજકારણનો ફોન' રણકતાની સાથે જ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવશે. સત્તાના નશામાં ચૂર આ હોદ્દેદારોને કાયદાનું ભાન કરાવવું એ હવે પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના PI એફ.બી. ગગનીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ લોકોએ રેલીની મંજૂરી લીધી હતી પરંતુ હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તે મામલે મને કંઈ ખબર નથી, મને તે વીડિયો મોકલો જોયા બાદ આપને જણાવું..
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત ગઈકાલે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે અને તેમાં પણ તે ચાલાકી પૂર્વક ઇલેક્ટ્રિક સ્પીકર ખોલી તેમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ભરી પાર્સલ મારફત રાજકોટ પહોંચાડી અહીંયા રૂપિયા 3થી 4 હજાર કિંમતમાં એક ગ્રામ જથ્થો વેચતો હતો. 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સેય નો ટુ ડ્રગ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અન્વયે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના યુનિવર્સિટી રોડ પર જે કે ચોક નજીક ધ્રુવ જોશી નામના શખ્સને અટકાવી તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા દોઢ બે વર્ષથી રાજકોટ રહેતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખી તેના ઘરે ઝડતી લેતા 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપી પ્રથમ આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો હતો પરંતુ આગવી ઢબે પુછપરછ કરતા આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું અને અહીંયા એક ગ્રામ જથ્થો 3થી 4 હજાર કિંમતમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ મુંબઇનો રહેવાસી હોવાથી પોતે મુંબઈના પેડલર પાસેથી આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ખરીદ કરી બાદમાં તેને ઇલેક્ટ્રિક સાઉન્ડ સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરનાર કન્ઝ્યુમરનું લિસ્ટ પણ મળી આવ્યું છે જે અંગે પણ પોલીસ તપાસ કરી તેમને ડી એડીકઝન સેન્ટરમાં મોકલીશું અને જો નહિ સહમત થાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે.
ચૈત્રી નવરાત્રિનો આરંભ:વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી
હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે. તેમજ મહારાષ્ટ્રિયન પરિવારોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવી. પરંપરાગત ગુડી ઉભી કરાઈવડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરી તેની પૂજા અર્ચના કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. વડોદરામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે. વડોદરા એ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે, તેના કારણે અહીં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વસતો થયો હતો, જેઓ દ્વારા આજના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આજે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીઆજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હોવાની પણ કથા છે. આજના દિવસને હિંદુ ધર્મનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એકમેકને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુડીને વિજય ધ્વજનું પ્રતીક ગણવામાં આવે છેગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી, સાકરનો હાર, પુષ્પહાર કરી તેની પર ચાંદીપિત્તળકે તાંબાનો લોટો મુકવામાં આવે છે. પછી હળદર-કંકુથી પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે. ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે. શ્રદ્ધાળુઓએ ઘટસ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરીઆજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે માઈ ભક્તો દ્વારા આજથી ઘાટ સ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ માઈ મંદિરો ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 9 દિવસ નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીની આરાધનામાં લીન બનશે. વર્ષમાં બે નવરાત્રી આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધુ જોવા મળે છે. વડોદરાના માતાજીના મંદિરોમાં પણ આજથી ભીડ જોવા મળશે.
હિંમતનગરથી ઇન્દોર-જોધપુર રૂટ પર નવી ST બસો શરૂ:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી ડેપોને ચાર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગર-ઇન્દોર અને હિંમતનગર-જોધપુર રૂટ પર આ નવીન એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગીય કચેરીને કુલ 11 નવી બસો ફાળવવામાં આવી હતી. તેના ભાગરૂપે, હિંમતનગર એસટી ડેપોને ચાર નવી બસો મળી છે. આ નવી સુવિધાથી હિંમતનગરમાં જાહેર પરિવહન વધુ સુવિધાજનક, ઝડપી અને સશક્ત બનશે, જે સામાન્ય જનતાને લાભ આપશે. આ પ્રસંગે શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, મહામંત્રી પ્રકાશભાઈ વૈધ, રાજુભાઈ દેસાઈ, ઇન્ચાર્જ ડેપો મેનેજર એન.કે. પટેલ, શશીકાંત સોલંકી, ગોપાલભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સુથાર, રાજુભાઈ શર્મા, મેહુલભાઈ સાંખલા, ભૂમિકાબેન મહેતા, યતીનાબેન મોદી, લાલભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર એસટી ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એન.કે. પટેલે રૂટની વિગતો આપી હતી. હિંમતનગર-જોધપુર બસ દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે ઉપડશે. આ અપ-ડાઉન બસનો રૂટ હિંમતનગરથી ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ રોડ, શિરોહી, પાલી થઈને જોધપુર સુધીનો રહેશે. જ્યારે, હિંમતનગર-ઇન્દોર બસ દરરોજ સવારે 8 કલાકે ઉપડશે. આ અપ-ડાઉન બસનો રૂટ હિંમતનગરથી મોડાસા, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, જાંબવા, ધાર થઈને ઇન્દોર સુધીનો રહેશે.
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
Sonia Gandhi vs Shashi Tharoor on Iran: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા આ વલણને 'નૈતિક પતન' ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે. સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન અને એક રાષ્ટ્રાધ્યક્ષની હત્યા જેવા ગંભીર મામલે નવી દિલ્હીનું મૌન ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે.
રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500 થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનોએ જયુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઓનલાઈન કામગીરી બંધ કર્યા બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું- સંગીતા રાવલગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમા સૌરાષ્ટ્ર મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતુ કે, આજે વિરોધ નો બીજો દિવસ છે. અમે 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરેલી છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. જેથી અમારે આંગણવાડીઓને તાળા મારીને જયુબેલી ગાર્ડનમાં વિરોધ માટે આવવું પડ્યું છે. 2000 આંગણવાડી બહેનો લડત ચલાવી રહી છે અને 1700 આંગણવાડીઓને તાળા મારવામાં આવ્યા છે. આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને 5500 આપવામાં આવે છે. જેથી સરકારે વિચાર કરવો જોઈએ કે આટલી મોંઘવારીમાં આ બહેનો કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. 'અમારી માગણી નહીં સંતોષાય તો ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરીશું'તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં આવે. આમ છતાં પણ સરકાર દ્વારા આ બહેનો સામે અપીલ કરવામાં આવી છે. આ બહેનો સરકારી મેળવવા અને કાર્યક્રમોમાં પોતાનો સહયોગ આપે છે. જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે જો સરકાર દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં નહીં આવે અને નવા મોબાઈલ આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતા સરકાર અમલવારી નથી કરતી- ધ્રુપલબેન પતરીયાજ્યારે આંગણવાડી હેલ્પર ધ્રુપલબેન પતરીયાએ જણાવ્યુ હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આંગણવાડી હેલ્પર તરીકે કામ કરું છું અને મારો પગાર માત્ર રૂ.5500 છે. હાઇકોર્ટ દ્વારા પગાર વધારવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી. પરિવારમાં સાસુ - સસરા, પુત્ર અને પુત્રી તેમજ પતિ છે. જેઓનું ગુજરાન ચલાવવું આ મોંઘવારીમાં પોષાતું નથી.જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન 26 જિલ્લાના 106 જેટલા આગેવાનોની બનેલી કારોબારીની બેઠકમાં તા.18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનુ એલાન કરાયુ છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો, ડિજિટલ કામગીરી માટે 2022 માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવા, બાળકોના પોષણ આહાર માટેના દર 2019 માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, AVT અને FRS જેવી એપ્લિકેશન ચાલતી ન હોય બંધ કરવી, બાળકોના પોષણ આહાર તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ મૂકવામાં આવી છે. વધુમાં જણાવ્યા મુજબ, 10 ની માર્ચ 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રીએ હૈયા ધારણા આપી હોવા છતાં એક પણ માગણીઓનો ઉકેલ ન આવતા છેવટે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો આપીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે.લાંબા સમયથી ગુજરાતની 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ 27 વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને જો કુપોષિત બાળકોની ચિંતા જ હોય તો છેક 2018 માં પોષણના આહાર દરો નક્કી કરાયા હતાં તેમાં કોઈ જ વધારો કરાયો નથી તે કરી જ શક્યા હોત અને તેથી બાળકોના પોષણ આહારને નુકસાન પહોંચતું હોવાની રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પગારમાં 1500નો વધારો કરી અને વર્કરને 4,500અને હેલ્પરને 625નો વધારો કરીને 2250 કર્યા હતા તથા રાજ્ય સરકારે 2022 માં વર્કરને માત્ર રૂપિયા 2250 અને હેલ્પર ને 3000 વધારો કર્યા બાદ કોઈ જ વધારો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કર્યો છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બની જતા છેવટે પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.
ગોધરા શહેરના પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન અનોખો ભાઈચારો જોવા મળી રહ્યો છે. અહીં હિન્દુ વેપારીઓ માટે મુસ્લિમ બિરાદરો રક્ષક બનીને ઊભા છે, જેઓ તેમની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરે છે. આ દૃશ્ય સામાન્ય રીતે ગોધરા વિશે પ્રવર્તતી છબીથી વિપરીત, એક સકારાત્મક વાસ્તવિકતા દર્શાવે છે. આ વિસ્તારમાં 20થી વધુ લારીઓ અન્ય ધર્મના વેપારીઓની છે. આ વેપારીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે પોતાનો વેપાર કરી શકે છે. મુસ્લિમ ગ્રાહકો કોઈપણ ભેદભાવ વિના તેમની પાસેથી ખરીદી કરે છે, જેનાથી વેપારીઓને સારી કમાણી થાય છે. સ્થાનિક લોકો કે દુકાનદારો દ્વારા આ વેપારીઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ કે ભાડું લેવામાં આવતું નથી. રાત્રિના સમયે સ્થાનિક મુસ્લિમ યુવાનો સતત દેખરેખ રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.ગોધરાના આ બજારમાં જોવા મળતો આ દૃશ્ય ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા રમેશભાઈ મણીલાલ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે માંજલપુર પોલીસ સ્ટેશને બે શખસ વિરુદ્ધ કરોડોની જમીન છેતરપિંડીનો ગુનો નોધવામાં આવ્યો છે. આરોપીઓએ મૃત ભાગીદારના નામે ખોટો પાવર ઓફ એટર્ની તૈયાર કરી, નકલી આધારકાર્ડ અને જીવિત ભાગીદારોની નકલી સહીઓનો ઉપયોગ કરીને આખી જમીન વેચી નાખવાનો આક્ષેપ છે. ફરિયાદીએ ભાગીદારીમાં જમીન ખરીદી હતીરમેશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે 1992માં મિત્ર હર્ષદભાઈ બાબુભાઈ ગોરડીયા અને પ્રમોદભાઈ બાબુભાઈ ગોરડીયા સાથે ભાગીદારીમાં વડસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન મૂળ માલિક પાસેથી કાયદેસર રીતે ખરીદી હતી. આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં તમામ ત્રણ ભાગીદારોના નામ નોંધાયા હતા. 2024માં ભાગીદાર હર્ષદભાઈ ગોરડીયાનું અવસાન થયું હતું. વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યોત્યારબાદ વારસાઈની પ્રક્રિયા હાથ ધરતાં જાણવા મળ્યું કે, અમદાવાદના હસમુખભાઈ શંકરભાઈ પટેલ અને ભરૂચના નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમારે મળીને જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આરોપીઓએ વેચનાર તરીકે રમેશભાઈ અને અન્ય ભાગીદારોના નામ દર્શાવીને વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવી લીધી હતી. જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી દેવાઈદસ્તાવેજોમાં અસલી માલિકોના ફોટાની જગ્યાએ અન્ય વ્યક્તિના ફોટા ચોંટાડીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખોટી રીતે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. તેમજ મૃત હર્ષદભાઈના નામે ખોટો પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યો હતો અને જીવિત ભાગીદારોની નકલી સહીઓ પણ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસે તપાસ શરૂ કરીઆ સમગ્ર કૌભાંડમાં આશરે 1.22 કરોડની જમીન વેચાણનું દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યું છે અને ચુકવણી ચેક દ્વારા થઈ હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું છે. રમેશભાઈ પટેલની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે વિનર્સ શો - 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ કોલેજ, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરની NCC, NSS, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ અને યુથ ફેસ્ટિવલ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો હતો. તેમને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઉષા નર્સિંગ હોમના ડાયરેક્ટર ડૉ. ઉષાબેન ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. જતીન પટેલના માર્ગદર્શન હેઠળ માઇક્રોબાયોલોજી વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતન પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર વિનોદ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
CVM યુનિવર્સિટી સંચાલિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા ‘સેમિકન્ડક્ટર ટેકનોલોજીઝ’ વિષય પર દ્વિદિવસીય સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ અને ડીન અમિત ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિમ્પોઝિયમમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના 500થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. ઉદ્યોગ જગતની અગ્રણી કંપની eInfochips ના નિષ્ણાત ઇજનેરોએ વિદ્યાર્થીઓને વાસ્તવિક પડકારો, VLSI ડિઝાઇન, ચિપ ફેબ્રિકેશન અને AI હાર્ડવેર જેવા આધુનિક વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ડૉ. અમિત ગણાત્રાએ ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા માટે સેમિકન્ડક્ટરના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા પ્રેરણા આપી હતી. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલે કાર્યક્રમની સફળતા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે CVM યુનિવર્સિટી આગામી સમયમાં સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન માટે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ’ની સ્થાપના કરશે. આ કેન્દ્ર વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગો માટે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના નિજ મંદિરને અપવિત્ર કરનારા તત્વો સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. ગઈકાલે તંત્ર દ્વારા 11 શખસ સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાયા બાદ, આજે 19 માર્ચે વધુ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પૂજારી પુત્ર અને તેના મિત્રો સહિત કુલ 6 શખસ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાતાર રોડ પરના વેપારીએ ફરિયાદ નોંધાવીગિરનાર અંબાજી મંદિરના ભંડારાના રસોડામાં દારૂ અને નોનવેજની પાર્ટી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સનાતન ધર્મ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા અને વેપાર કરતા જાગૃત નાગરિક આવળભાઈ કરશનભાઈ ખટાણાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં મંદિરના ભંડારાના રસોઈઘરમાં અમુક ઇસમો દારૂનું સેવન કરી, છાકટા બની, બિભત્સ ગાળો બોલી નોનવેજ રાંધીને ખાતા હોવાનું દેખાય છે. આ પણ વાંચો.... 11 લોકો સામે પોલીસ ફરિયાદ, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશેઘટના 22 ઓક્ટોબરની, આરોપીઓની શોધખોળઆ પવિત્ર શક્તિપીઠ ખાતે થયેલા આ અશોભનીય કૃત્યથી કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. પોલીસે ફરિયાદી પાસેથી પેન ડ્રાઈવમાં રહેલા વીડિયો પુરાવા કબજે કર્યા છે. આ ઘટના ગત 22 ઓક્ટોબર, 2025ના રોજ બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 298, 299, 54 અને 302 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે. આજે (19 માર્ચ) આ શખસો સામે ગુનો દાખલ 18 માર્ચે 11 સામે નોંધાઈ હતી FIRનોંધનીય છે કે, ગઈકાલે જ જૂનાગઢ કલેક્ટરના કડક આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા બે અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ગિરનારની પવિત્રતા ખંડિત કરનારા અને દાનપેટીમાં ગેરરીતિ કરનારા કુલ 11 શખસ સામે ભવનાથ પોલીસે સકંજો કસ્યો હતો. પવિત્ર પરિસરમાં મહેફિલનો મામલોતપાસમાં બહાર આવ્યું હતું કે પૂજારી કિશોરસિંહ ચૌહાણનો પુત્ર અભિષેક તેના મિત્રો સાથે ગિરનારની સીડીઓ ચડીને ઉપર પહોંચ્યો હતો. તેઓએ મંદિરના ગોખ પાસે દારૂ પીધો અને ત્યારબાદ ભંડારામાં નોનવેજની પાર્ટી કરી હતી. આ ઘટનામાં છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને માંસ ઉપર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં પ્રવેશ્યા હતા અને 4 દિવસ સુધી ત્યાં રોકાણ કર્યું હતું. દાનપેટીની રકમમાં વિશ્વાસઘાતબીજી ફરિયાદ પૂજારીઓ દ્વારા આચરવામાં આવેલી નાણાકીય અનિયમિતતા અંગે હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું કે, કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે વાસણ રાખી દેતા હતા, જેથી શ્રદ્ધાળુઓનું દાન સીધું દાનપેટીમાં ન જાય અને તેઓ તે રકમ ખિસ્સામાં સેરવી શકે. આ આર્થિક છેતરપિંડીમાં યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખસ સામે ગુનો નોંધાયો હતો. વહીવટી તંત્રની લાલ આંખ અને કલેક્ટરના કડક આદેશોજૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટદારને કડક સૂચના આપી છે. 2024થી મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં થયેલી આ બેદરકારી બદલ 12 કર્મચારીની મંદિર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, વહીવટદારની તપાસ કરવામાં આવશે અને જો તેમની નિષ્કાળજી જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. ભવિષ્ય માટે લેવાયેલા મહત્વના નિર્ણયો ગિરનાર જેવા પવિત્ર સ્થળની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે પ્રશાસન હવે આરપારના મૂડમાં છે. પોલીસ હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ સમાચાર પણ વાંચો… ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે, ૨૦ માર્ચના રોજ છોટા ઉદેપુરની મુલાકાત લેશે. તેમના આગમનને લઈને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જાહેર કરી હતી. કાર્યક્રમ અનુસાર, જગદીશ વિશ્વકર્મા સવારે ૯:૩૦ વાગ્યે વસેડી પહોંચશે. ત્યાંથી યુવા ભાજપના કાર્યકરો બાઈક રેલી કાઢીને તેમને ગોરા રામજી મંદિર અને મહાકાળી મંદિર લઈ જશે, જ્યાં પ્રદેશ પ્રમુખ દર્શન કરશે. ત્યારબાદ તેઓ દરબાર હોલ ખાતે છોટા ઉદેપુર વિધાનસભાના સંગઠનના પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજશે અને સંઘ કાર્યાલયની મુલાકાત લેશે. સવારે ૧૧ વાગ્યે, પ્રદેશ પ્રમુખ ભાજપ કાર્યાલય પહોંચીને છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના કાર્યકરોને મળશે. તેઓ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ત્યારબાદ, તેઓ ઘેલવાંટ ખાતે એક બૂથ પ્રમુખના ઘરે ભોજન લેશે અને ત્યાંથી નસવાડી જવા રવાના થશે. નસવાડી પહોંચ્યા બાદ, સંખેડા વિધાનસભાનું સંમેલન યોજાશે. આખા દિવસના આ કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખ જિલ્લાના કાર્યકરોને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે માર્ગદર્શન પૂરું પાડશે. પ્રદેશ પ્રમુખના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકરોલ વિસ્તારમાં કાર્યવાહી કરીને 13 મકાનો સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹5,37,990નો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની રિકવરી ટીમે બાકરોલની વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મકાન માલિકો સામે કાર્યવાહી કરી હતી. કુલ ₹2,35,988નો વેરો બાકી હોવાથી 13 બંધ મકાનોને સ્થળ પર જ સીલ કરી દેવાયા હતા. સીલ કરવાની કાર્યવાહી ઉપરાંત, અન્ય મિલકત ધારકો પાસેથી ₹3,02,002ની વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કમિશનરની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી. મનપાના ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરવો ફરજિયાત છે. નાગરિકોની સુવિધા માટે, માર્ચ મહિનામાં આવતી તમામ જાહેર રજાઓ અને રવિવારે પણ મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. 19મી માર્ચ, ગુરુવારે જાહેર રજા હોવા છતાં, મનપા વિસ્તારની તમામ કચેરીઓ સવારે 11:00 થી સાંજે 4:00 કલાક સુધી કાર્યરત રહેશે. તંત્રએ નગરજનોને અપીલ કરી છે કે મિલકત સીલ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દે.
પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાધનપુર Dysp પરેશ રેણુકાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. Dysp પરેશ રેણુકાએ માહિતી આપી કે ભાવેશ જીલીયાનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. ગુજરાત પોલીસમાં તેના વિરુદ્ધ કુલ 20 ગુના નોંધાયેલા છે. માત્ર પાટણ જિલ્લામાં જ તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, IPC 323 (મારામારી) અને ગુજસીટોક (GUJCTOC) સહિતના 10 ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને ભાવેશ જીલીયા કે તેની સિન્ડિકેટના સભ્યો અથવા અન્ય ગુંડા તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય, તો તેઓ કોઈપણ ડર કે ધાકધમકી વિના પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) નો સંપર્ક કરી શકે છે. ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અસામાજિક તત્વો અને સિન્ડિકેટના સભ્યો સામે કોઈ પણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વિના કામ કરવામાં આવશે અને આવા કોઈ પણ ઈસમને છોડવામાં આવશે નહીં. આ સાથે જ, Dysp પરેશ રેણુકાએ સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપતા જણાવ્યું કે પોલીસની સાયબર સર્વેલન્સ ટીમને ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાના સંદર્ભમાં બે જૂથો વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા અનુસાર, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવી કે વૈમનસ્ય ફેલાવવું ગુનો બને છે. હાલમાં સાયબર ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે અને જો આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચે ચાલી રહેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. પશુપાલક સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના એલાનને પગલે આજે 19 માર્ચે વહેલી સવારથી વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. જોકે, બંધના એલાન છતાં ઉત્તમ ડેરીની ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી નાખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પશુપાલકોને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થનદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી દૂધની લડાઈ હવે લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અગાઉ પશુપાલકો દ્વારા આપવામાં આવેલા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા કાર્યક્રમોને પોલીસે નિષ્ફળ બનાવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે ગુરુવારે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. પશુપાલકોએ ઉત્તમ ડેરીની ગાડીને રસ્તામાં જ આંતરી લીધીઆજે વહેલી સવારે જ્યારે સમગ્ર દહેગામ બંધ પાળવાની તૈયારીમાં હતું, ત્યારે ઉત્તમ ડેરીની ગાડી ગામડાઓમાંથી દૂધ એકત્ર કરવા માટે આવી પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ પશુપાલકોએ આ ગાડીને રસ્તામાં જ આંતરી લીધી હતી. આંદોલનના સમર્થનમાં અને ડેરીના વલણ સામે વિરોધ નોંધાવવા પશુપાલકોએ ગાડીમાં ભરેલું દૂધ રસ્તા પર ઢોળી દઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકીનોંધનીય છે કે, દહેગામના આ આંદોલનને સ્થાનિક વેપારી એસોસિએશન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પણ જાહેર ટેકો આપ્યો છે. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખીને પશુપાલકોની માગણીઓને સમર્થન આપ્યું છે. સંકલન સમિતિના જણાવ્યા અનુસાર, પશુપાલકો હવે સહેજ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. જો આગામી 25 માર્ચ સુધીમાં મધુર ડેરીમાં દૂધ ભરવાની માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવી હાઈવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસનું સધન પેટ્રોલિંગબીજી તરફ દહેગામ સજ્જડ બંઘ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ ચાલુ રાખી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દેવાતા આ વિવાદ વકર્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, તેમને પરાણે ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓ પર થઈ રહેલા જીવલેણ એસિડ હુમલાઓએ માનવતાને શરમાવી દીધી છે. ટૂંકા ગાળામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે સમગ્ર નગરમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્યો આચરનારા તત્વોને પકડવા અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરજનો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. 3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટનાશહેરમાં ગત તારીખ 7 માર્ચના રોજ 3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી હતી. આ સિલસિલો અહીં અટક્યો નથી, ત્યારબાદ 13, 15 અને 17 માર્ચના રોજ પણ સતત પશુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ માગ કરી છે કે, એસિડ એટેકમાં ગંભીર રીતે દાઝેલા પશુઓને તાત્કાલિક સરકારી પશુ ચિકિત્સક દ્વારા સઘન સારવાર પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓ આવા હુમલાઓનો સરળ શિકાર બની રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી તમામ પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ કરવામાં આવી રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સૌથી ગંભીર બાબત એ છે કે, ગુનેગારોને પકડવા માટે જે CCTV કેમેરા મહત્વના સાબિત થઈ શકે તેમ છે. તે નગરપાલિકા હસ્તકના અનેક કેમેરા હાલ બંધ હાલતમાં છે. નાગરિકોએ પાયાની માંગણી કરી છે કે શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર લાગેલા તમામ CCTV કેમેરા તાત્કાલિક રિપેર કરી કાર્યરત કરવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. જો નગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આજે 19 માર્ચને ગુરૂવારે ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવવર્ષના પાવન અવસર પર ડાયમંડ સિટી સુરતના મંદિરોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં 'જય માતાજી'ના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવવર્ષની શુભ શરૂઆત કરવા માટે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આતુર દેખાઈ રહ્યા છે. અટવાલાઇન્સ અંબિકા નિકેતન અને જૂના અંબાજીમાં વહેલી સવારથી ભીડસુરતના જાણીતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારના 4 વાગ્યાથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. માત્ર અંબિકા નિકેતન જ નહીં, પરંતુ ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જૂના અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાને અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેને પગલે સમગ્ર સુરત શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. માતાજીનો અલૌકિક શૃંગાર જોઈ ભક્તો ભાવવિભોર થયાચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે મંદિરોમાં માતાજીનો અદભુત અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં માતાજીને કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવ્યા છે. માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને દિવ્યતા પ્રસરી ગઈ છે. હજારો કિલો ફૂલો અને લાઈટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યુંનવરાત્રીના પર્વને વધુ ભવ્ય બનાવવા માટે અંબિકા નિકેતન મંદિર ખાતે વિશેષ સજાવટ કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા હજારો કિલો દેશી અને વિદેશી ફૂલોનો ઉપયોગ કરીને મંદિરના ગર્ભગૃહ અને બહારના પરિસરને શણગારવામાં આવ્યું છે. આ સાથે જ રાત્રિના સમયે મંદિર ઝળહળી ઉઠે તે માટે આકર્ષક રોશની (લાઇટિંગ) પણ કરવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગરમી સામે લડવા મંદિર ટ્રસ્ટ દ્વારા 'વોટર મિસ્ટ' સિસ્ટમહાલ સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ભક્તોને હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિરની બહાર પાણીના ફુવારા (વોટર મિસ્ટ) અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે વૃદ્ધો અને બાળકોને ગરમીનો અહેસાસ ઓછો થાય છે અને તેઓ સરળતાથી દર્શન કરી શકે છે. મંદિરોમાં હવન અને અનુષ્ઠાનોનો પ્રારંભચૈત્રી નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. આ નવ દિવસો દરમિયાન સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ હવન, ચંડીપાઠ અને અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ સામૂહિક નવરાત્રી પૂજન અને અર્ચન પણ થઈ રહ્યા છે. નવવર્ષના પ્રથમ દિવસથી જ આ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતની આધ્યાત્મિક ગરિમામાં વધારો થયો છે. પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્તભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરની બહાર અને અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્વયંસેવકો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. અંબિકા નિકેતન અને ભાગળ અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.
નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલા ઐતિહાસિક આશાપુરી મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિર ભક્તોની આશા પૂર્ણ કરનારું માનવામાં આવે છે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન નિર્મિત આશરે 385 વર્ષ જૂનું આ આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતા આશાપુરી સાથે ગણેશજી અને માર્કન્ડેય ઋષિની મૂર્તિઓ પણ બિરાજમાન છે, જે તેને ગુજરાતના અનોખા મંદિરોમાંનું એક બનાવે છે. આસો નવરાત્રિ દરમિયાન પણ આ મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત ઘેરૈયા નૃત્ય અહીંની પરંપરાનો એક ભાગ છે, જેમાં પુરુષો સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે. આશાપુરી મંદિરના મહત્ત્વ પાછળ એક લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે, નવસારીમાં ગાયકવાડી રાજ હતું ત્યારે એક સુબાને સપનામાં માતાજી આવ્યા હતા અને દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાનું જણાવ્યું હતું. સુબાએ જમીન ખોદાવતા માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેની સ્થાપના તેમણે એક નાની દેરી બનાવીને કરી હતી. આ સ્થાપના બાદ સુબાની માનતા પ્રમાણે તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. એકવાર સુબા સુરત પોતાની પત્નીને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સુરત પહોંચવું અશક્ય બનતા સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે પૂરના પાણી ઓસરી ગયા. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી માતાજીનું નામ 'આશાપુરી' પ્રચલિત બન્યું. આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટી ઘનશ્યામ પટેલ જણાવે છે કે આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક. આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરનું 2004 માં નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલું, પણ માતાજીની ચિઠ્ઠી નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં બદલવાની ના પાડેલી, એટલે ગર્ભગૃહ એ જ પ્રમાણે 400 વર્ષ જૂનું છે એ જ પ્રમાણેનું છે. આ મંદિરની અંદર દર વર્ષે ગરીબ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને 20 થી 25 લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે. એક જ મંદિર એવું છે કે જે આ સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે. દર વર્ષે મે મહિનામાં 1 લાખ રૂપિયા જેવી સહાયની નોટબુકો આપવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજુબાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, બીલીમોરા, બારડોલી, વાપી થી બધા માતાજીના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આવવાનું એક જ કારણ છે કે માતાજી દરેકની આશા પૂરી કરે છે, એટલે જ આ મંદિરનું નામ પણ આશાપુરી પાડવામાં આવે છે.ચૈત્ર નવરાત્રીમાં આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો ઉત્સવ ગણાય છે. આખા ભારતભરમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે. બ્લડ કેમ્પનું પણ આયોજન આઠમના દિવસે કરવામાં આવે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે. હેત્વી દવે જણાવે છે કે આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે. હું એમ તો દરરોજ મારા ફેમિલી સાથે અહીં દર્શન કરવા આવું છું, પણ આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે તો એક અલગ જ અનુભવ થાય છે અહીંયા આવીને.માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી આશા છે.
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજે ગુરુવાર, 19 માર્ચથી થયો છે. આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક મનાય છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન જેવા કાર્યો માટે આ નવરાત્રિ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. મંત્ર-તંત્રના પ્રયોગ અને બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે પણ આ સમય શ્રેષ્ઠ મનાય છે. ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ધામ, જ્યાં મા ચામુંડા બિરાજમાન છે, તે 64 જોગણી પૈકીનો એક અવતાર મનાય છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે તેવી માન્યતા છે. રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા અહીં આવે છે, અને ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ભક્તોની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. ચોટીલાનો ઇતિહાસ ઘણાં વર્ષો જૂનો છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો, જેનાથી પ્રજા અને ઋષિ-મુનિઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. આ રાક્ષસોથી બચવા માટે ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી અને યજ્ઞ દ્વારા માતાજીનું આહ્વાન કર્યું. હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું. આ આદ્યશક્તિએ અલગ અલગ બે સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયાં, તેથી અહીં માતાજીનાં બે મુખ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન, ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીનાં દર્શને આવતા હોય છે. નવરાત્રિના આઠ દિવસ પહેલાંથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે અને સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઊભરાઈ જાય છે. લગભગ દર એક કિલોમીટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતાં ગામો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ અને દિવસ દરમિયાન આરામ માટે યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડે છે.
હિંમતનગરના ટાવર ચોકમાં પાણી લીકેજ:વહેલી સવારે રસ્તાઓ પર પાણી ભરાયા, પાલિકાએ તપાસ હાથ ધરી
હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં વહેલી સવારે પાણી લીકેજ થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નગરપાલિકા દ્વારા બનાવેલી પીવાના પાણીની ટાંકીઓમાંથી આ લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું છે. ટાવર ચોકમાં આવેલા બગીચામાં નગરપાલિકા અને જીયુડીસી દ્વારા બે ઓવરહેડ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. આ ટાંકીઓમાંથી કોઈ અજાણ્યા કારણોસર પાણી લીકેજ થયું હતું. લીકેજ થયેલું પાણી શાક માર્કેટ પાસેથી પસાર થઈને ટાવર ચોક અને ત્યારબાદ પરશુરામ પાર્ક સુધી પહોંચ્યું હતું. આ ઘટના એવા સમયે બની જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. સવારે ભારે પવન પણ ફૂંકાયો હતો, અને તે જ સમયે ટાવર ચોકમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાણી કેવી રીતે આવ્યું તેની તપાસ કરાવવામાં આવશે.
કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાથી દરેક અગરિયા પરિવારને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દર વર્ષે નાના રણમાં લગભગ 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાને કારણે રણ સૂકું હતું. આથી, સેંકડો અગરિયા પરિવારો નવરાત્રી પહેલા જ રણમાં મીઠું પકવવા પહોંચી ગયા હતા. તેઓએ સોલાર પેનલો ફીટ કરીને કામ શરૂ કર્યું હતું અને તેમની મીઠું પકવવાની સિઝન પૂર્ણતાના આરે હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વાવાઝોડું, પવન અને વરસાદ ખાબક્યો હતો. આનાથી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાણી ખેંચવા માટેની સોલાર પેનલો ઉડીને તૂટી ગઈ હતી. સોલાર પંપ અને કંટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ મોટું નુકસાન થયું હતું. રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફીટ કરવાનું કામ કરતા લોકોએ જણાવ્યું કે, જોરદાર પવન અને વાવાઝોડા સાથેના વરસાદથી 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે અગરિયાઓને મોટું નુકસાન થયું છે. મીઠું પકવતા સતીષભાઈ સાવડીયાએ જણાવ્યું કે, વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મીઠામાં નુકસાન થવા ઉપરાંત સોલાર પેનલો પણ ફંગોળાઈ ગઈ છે.
આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કોલેજની નેશનલ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા વિદ્યાર્થીની ભવન (ગર્લ્સ હોસ્ટેલ) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃત કરવાનો હતો. નેશનલ ટાસ્ક ફોર્સના મહિલા સભ્યો ડૉ. તનુશ્રી બસાક, ડૉ. અપેક્ષા પાટડીયા અને ડૉ. પૂર્વા દેસાઈએ વિદ્યાર્થીનીઓને આ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અને NTFના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નોડલ ઓફિસર ડૉ. જીતેન ટેલર અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જતીન ડી. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે એક કમનસીબ ઘટના સામે આવી છે, જેમાં શોર્ટ સર્કિટના કારણે એક ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ચોટીયા ગામના ખેડૂત કિરણભાઈ ચૌહાણના ખેતરમાં તૈયાર કરીને રાખેલો ઘઉંનો પાક વીજ વાયરોમાં થયેલા ઘર્ષણને કારણે લાગેલી આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. ભારે પવનને કારણે વીજ વાયરો ભેગા થઈ ગયાંમળતી માહિતી મુજબ, ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો. જોકે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના બે વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હોવાથી તણખા ઝરતા હતા. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા, જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક પર પડ્યા હતા. અંદાજે 65 મણ ઘઉં બળીને ખાખઆગ લાગવાની જાણ થતા જ ખેડૂત પરિવાર ખેતર પર દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. તૈયાર થયેલો તમામ પાક આગથી લપેટાઈને રાખ થઈ ગયો હતો. ખેડૂત કિરણભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 65 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે, જે ચાલુ વર્ષે પણ તૈયાર હતું. આ આગને કારણે ખેડૂતને આશરે 60થી 70 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે વળતરની માગ કરીઆ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા GEBને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. એક તરફ ખેતીમાં મોંઘા બિયારણ અને મહેનત બાદ પાક તૈયાર થયો હતો. ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવે ખેડૂત સરકાર અને તંત્ર પાસે યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આજે વહેલી સવારે HDFC બેંકના ATM કેબિનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસર કાર્યવાહીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને ATMમાં રહેલી રોકડ સુરક્ષિત રહી હતી. મળતી માહિતી મુજબ, વહેલી સવારે ATMમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખું ATM કેબિન તેની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ વીજ કંપની અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વીજ કંપનીની ટીમે તરત જ વીજ પુરવઠો બંધ કર્યો હતો. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પણ સ્થળ પર પહોંચી આગ સંપૂર્ણપણે બુઝાવી હતી. આ ઘટનામાં ATM મશીન સંપૂર્ણપણે બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે મશીનમાં રહેલી રોકડ રકમ સુરક્ષિત છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતા બેંકના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે પણ મામલો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાયા:શામળાજીના સુનોખ-વાશેરા કંપામાં અસર, ખેડૂતો ચિંતિત
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શામળાજી, સુનોખ અને વાશેરા કંપા વિસ્તારમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયા હતા, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. હવામાન વિભાગે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી હતી. આ બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેમનો ઉનાળુ પાક તૈયાર થઈને ખેતરોમાં પડ્યો છે. સામાન્ય રીતે, ભર ઉનાળે થતા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના વાવેતર નિષ્ફળ જતા હોય છે. આ સ્થિતિમાં, તૈયાર પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
શહેરના રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે રહેતી 27 વર્ષીય વકીલ યુવતીની સગાઈ કરવામાં આવતા પૂર્વ પ્રેમીએ ફોન ઉપર યુવતીના માતા-પિતાને બિભત્સ શબ્દો ભાંડ્યા હતા. આ સાથે ફોટા જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી સગાઈ તોડાવી નાખી હતી. અવારનવાર અલગ-અલગ ફોન નંબરથી ધમકી આપી અને ‘જો મારી સાથે લગ્ન નહીં કરાવો તો પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટ્યોઆ અંગેની વિગત એવી છે કે, હાથીજણ સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં 27 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને મેટ્રો કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરે છે. 2021માં વિદેશ જવા માટે આઈએલટીએસના ક્લાસીસમાં જતી હતી, ત્યારે પ્રિયાંશુ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વધુ સંપર્ક આવતા તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, બે વર્ષ જેટલો ચાલ્યો હતો. ત્યારબાદ 2025ના જૂન મહિનામાં લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. પ્રિયાંશુના ફોન ઉપાડવાના અને વાત કરવાનું બંધ કરી દેતા તેની માતાએ યુવતીના માતા-પિતાને ફોન કરી કહ્યું હતું કે, તમારી દીકરી અને મારો દીકરો પ્રેમ સંબંધમાં છે અને મારો દીકરો સારો નથી ને કોઈ કામ ધંધો કરતો નથી. તેમજ દારૂની લતે ચડેલ છે. યુવતીના મંગેતરને ફોન કરી સગાઈ તોડાવી નાખીડિસેમ્બર, 2025માં યુવતીની સગાઈ થઈ હતી, જેથી પ્રિયાંશુએ કહ્યું હતું કે, તમે કેમ આવું કર્યું? તેની સગાઈ મને પૂછ્યા વગર કેમ કરી? તેમ કહી જોર જોરથી બોલવા લાગ્યો હતો. તમારી છોકરી સારી નથી, જ્યાં જશે ત્યાં હું એને છોડીશ નહીં અને તમારા દીકરાને ઉઠાવી લઈશ આ પ્રમાણે માનસિક ત્રાસ આપ્યો હતો. હું તમારા ઘરે આવીશ અને તમારી દીકરીના ફોટા મારી પાસે છે, તેને જાહેર કરી દઈશ તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. જે યુવક સાથે યુવતીની સગાઈ થઈ હતી, તેને યુવતી વિશે ખોટી વાતો કરી અને બદનામી કરી સગાઈ તોડાવી નાખી હતી. ધમકી આપતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવીઆટલેથી ન અટકી પ્રિયાશુએ અલગ-અલગ નંબર પરથી યુવતીના માતા-પિતાને ફોન કરીને ‘જો તમે મારી સાથે તેના લગ્ન નહીં કરાવો તો તમારા પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ બાબતે યુવતીના માતાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ પાસે મુખ્ય રોડ પર ગત(18 માર્ચ) મોડી રાત્રે એક મહિલાએ ભારે હોબાળો મચાવીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેતા મહિલાએ જાહેર રોડ પર તમાશો કર્યો હતો. બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી ત્યારે મહિલા બોલતી હતી કે, મેં કહ્યું ને કે તમે સાઇડમાં થઈ જાઓ. હું મારો જીવ આપી દઈશ, મને રોડ પર ફેંકી દીધી છે. ઘટનાને પગલે રાવપુરા પોલીસ દોડી ગઈ હતી અને મહિલાની અટકાયત કરી વરણામા પોલીસને સોંપી દીધી હતી. વરણામા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ‘મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા’મહિલા કહે છે કે, મારા જીવની કિંમત પોલીસ ચૂકવશે, મારા શરીરથી હાથ દૂર રાખજો. મને મારી નાખો. વરદીનો ઘમંડ ન બતાવશો. મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા. મારાથી દૂર રહો. મહિલા પોલીસકર્મી કહે છે કે, તમે સાઇડમાં આવી જાઓ. મહિલા પોલીસકર્મી તેને ખેંચીને લઈ જાય છે. બોયફ્રેન્ડે મહિલાને રિક્ષામાંથી નીચે ફેંકી દીધી હતીગઇકાલે મહિલા કેવડિયાથી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી હતી, જ્યારે વરણામા પોલીસ સ્ટેશનની હદ આવી ત્યારે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારી ઉતારી દેતા મહિલા નીચે પડી ગઈ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, એટલે 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો એટલે હોસ્પિટલ તરફથી વરણામા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ રોડ પર તમાશો કર્યોસયાજી હોસ્પિટલની બહાર મહિલાએ ધમાલ કરી હતી. મહિલાએ જાહેર રસ્તા પર જોરદાર હંગામો કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે લાંબી સમજાવટ અને પ્રયાસો બાદ મહિલાને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન ઘટનાસ્થળે ભારે ભીડ જામી ગઈ હતી અને થોડા સમય માટે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાએ અંદાજિત એક કલાક અમારી સાથે મગજમારી કરી: પોલીસકર્મીપોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે, 112 નંબર પરથી અમને કોલ આવ્યો હતો કે તમે પંચમુખી હનુમાન મંદિર પાસે જાઓ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશની એક મહિલા ત્યાં હાજર હતી, તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેવડિયામાં રહે છે. નશો કરેલી હાલતમાં હોય એવું દેખાય છે. મહિલાએ લગભગ એક કલાક અમારી સાથે મગજમારી કરી હતી. ‘મહિલાએ અમારી સાથે હાથાપાઈ કરી’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા એવું કહેતા હતા કે હું કેવડિયાથી આવી છું. જોકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તે સારવાર માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણસર આવ્યા હતા. અમે જ્યારે તેમને પોલીસ સ્ટેશન ચાલવાનું કહ્યું ત્યારે તેમણે અમારી સાથે હાથાપાઈ કરી હતી. આખો રસ્તો જામ કરી દીધો હતો અને ટ્રાફિકમાં પણ અડચણ ઊભી કરી હતી. પછી લોકોએ અમને મદદ કરી અને પોલીસની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.
માર્ચ એન્ડિંગ નજીક આવતા જ PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વિજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરાઈ છે. ડીસ કનેક્શન ડ્રાઈવમાં 52802 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવ્યા છે અને તેના થકી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને રૂ.101.17 કરોડની આવક થઈ છે. જેમાં 4 માસથી વધુ સમયથી તેમજ રૂ.5000 થી વધુ વિજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે હજુ 2.23 લાખ ગ્રાહકો એવા છે કે જેઓ વિજ બીલ ભરતા નથી. જેમની પાસેથી રૂ.98.50 કરોડની વસૂલાત બાકી છે. જેથી હવે ચેકીંગ ડ્રાઇવ થકી તેઓ પર સકંજો કસવામાં આવશે. PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંતે ડેબિટ એરિયસ ઓછું કરવા માટે કંપની દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીએ થયેલી પ્રથમ ડ્રાઇવમાં 30857 ગ્રાહકોના વિજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.86.94 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 17 માર્ચના મેગા ડીસ કનેક્શન પાર્ટ 2 માં 21945 વીજ કનેક્શન કટ થયા હતા અને તેમાં રૂ.41.48 કરોડની આવક થઈ છે. જે પહેલા રૂ.140 કરોડ જેટલું લેણું બાકી હતુ. જોકે રૂ.42 કરોડની રિકવરી થતા રૂ.98 કરોડની ડેબિટ એરિયર્સ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી PGVCL ની ઓછી ડેબિટ એરિયર્સ બાકી રહે તે માટે રજાના દિવસોમાં પણ વિજ બિલ ન ભરનારાને ત્યાંથી વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. અગર હકો અને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાનું બાકી વિજ બિલ ઓનલાઇન પણ ભરી શકે છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકોને ત્યાંથી બાકી વિજ બિલની વસૂલાત માટે ચેકિંગ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓના બાકી લેણા બાબતે જણાવ્યું હતું કે, તેઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળતાની સાથે જ તેમના દ્વારા વીજ બિલ ભરપાઈ કરી દેવામાં આવતુ હોય છે. જેમાં નગરપાલિકાઓના વિજ બિલ બાકી છે. જોકે તેમાં સાવરકુંડલા નગર પાલિકા તરફથી ચૂકવણી થઈ ચૂકી છે. ગોંડલ નગરપાલિકાના વીજ બિલની રકમ પણ મળવાની છે. જોકે આ નગરપાલિકાઓનો હેતુ લોકોની સેવાનો હોય છે. તેમણે જણાવ્યું કે, આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં 4 મહિનાથી વધુ સમયથી જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હોય અને રૂ.5000 થી વધુનું વીજ બિલ બાકી હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી ડીસ કનેક્શન ડ્રાઈવ કરવામાં આવી હતી. હજુ 50000 જેટલા ગ્રાહકો એવા છે કે જેમના દ્વારા વિજ બિલ ભરવામાં આવ્યુ નથી. જેથી તેઓની પાસેથી નાણાની વસૂલાત બાકી છે. જોકે PGVCL દ્વારા આ જ રીતે ડ્રાઇવ રાખી માસ SMS દ્વારા ગ્રાહકોને વિજ બિલ ભરવા સૂચના આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર - કચ્છના કયા સર્કલમાં કેટલી વસૂલાત? સર્કલ - વિજ કનેક્શન કપાયા - વસૂલાત (લાખમાં)રાજકોટ શહેર - 2807 - 1900.98રાજકોટ ગ્રામ્ય - 5268 - 1566.32જામનગર - 10271 - 1084.68સુરેન્દ્રનગર - 1341 - 783.16મોરબી - 4453 - 739.13ભાવનગર - 7792 - 733.35ભુજ - 2513 - 689.95અંજાર - 2491 - 626.48પોરબંદર - 4881 - 573.46 અમરેલી - 4226 - 558.96જૂનાગઢ - 4565 - 518.62બોટાદ - 2194 - 342.28કુલ - 52802 - 10117.36 કેટલા ગ્રાહકોની કેટલી વસૂલાત બાકી? રાજકોટ શહેર - 17996 - 411.80રાજકોટ ગ્રામ્ય - 18840 - 158.68જામનગર - 34365 - 1539.13સુરેન્દ્રનગર - 28081 - 1827.27મોરબી - 15883 - 500.95ભાવનગર - 10045 - 493.97કચ્છ - 40639 - 2179.83અંજાર - 22569 - 971.33પોરબંદર - 10665 - 428.87અમરેલી - 10063 - 666.05જૂનાગઢ - 8584 - 299.78બોટાદ - 6071 - 372.70કુલ - 2,23,801 - 9850.34

27 C