SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

એલ.જે. યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 4,386 વિદ્યાર્થીઓને પદવી એનાયત:48ને ગોલ્ડ મેડલ; બિહારના રાજ્યપાલે કહ્યું, પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ

અમદાવાદની એલ.જે યુનિવર્સિટીમાં ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન અંદાજે 4 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા અલગ અલગ કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી અને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ પીએચડી કરેલા વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે. 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત દીક્ષાંત સમારોહ દરમિયાન અલગ અલગ અભ્યાસક્રમો જેમ કે ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયતઆ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાનના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 48 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક, 1157 વિદ્યાર્થીઓ પોસ્ટગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટના 2100 અને ડિપ્લોમાના 1129 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. 'પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ'દીક્ષાંત સમારોહના સંબોધન દરમિયાન બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાને જણાવ્યું હતું કે, એલ.જે યુનિવર્સિટીની માનવીય, સંવેદનશીલ અને સામાજિક રીતે જવાબદાર નાગરિક ઘડવાની વિચારધારાને બિરદાવી હતી. સાથે જ યુનિવર્સિટીના સંશોધન, નવીનતા, રમતગમત, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ પર પ્રશંસા કરી હતી. આજે આનંદ થાય છે કે આટલા બધા પ્રતિભાશાળી વ્યક્તિઓને મળવાની તક મળી હતી. વિદ્યાર્થીઓ જે પણ ઉપાધિ પ્રાપ્ત કરી છે તેની શુભકામનાઓ પાઠવીએ છીએ. શિક્ષણ ગુણવત્તા ધરાવતું હોવું જોઈએ અને કોઈની પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ. જેના માટે તમામ લોકોએ કામ કરવું ખૂબ જ જરૂરી છે. 'સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી અપાઈ'એલ.જે યુનિવર્સિટીના વાઇસ ચાલ્સલર દિનેશ અવસ્થિએ જણાવ્યું હતું કે, આ વર્ષે 4000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. ફાર્મસી એન્જિનિયરિંગ પોલિટેકનિક સહિતના અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવી છે. સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:55 pm

વન કર્મચારીઓ માટે મડાસણામાં મેડિકલ કેમ્પ:સામાજિક વનીકરણ વિભાગે આરોગ્ય તપાસ શિબિર યોજી

મોડાસા તાલુકાના મડાસણા બળીયાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અરવલ્લી જિલ્લા ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મોડાસા વિસ્તરણ રેન્જના RFO પી.વી. આંજણા, મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મોડાસા રેન્જમાં ફરજ બજાવતા વનપાલ, વનરક્ષક, રોજમદાર કર્મચારીઓ, વન વિભાગના શ્રમિકો તેમજ ગ્રામજનોના આરોગ્યનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. PHC સરડોઈના મેડિકલ સ્ટાફ દ્વારા બ્લડ પ્રેશર, સુગર અને એચ.આઈ.વી. સહિતના પરીક્ષણો કરાયા હતા. આ ઉપરાંત, તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બીમારીઓ માટે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 100 જેટલા વન કર્મચારીઓ અને ગ્રામજનોએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:36 pm

ઉધના રેલવે યાર્ડ પાસે 66-કરોડના ખર્ચે નવો ફોર-લેન ઓવરબ્રિજ બનશે:સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે રોડ બનશે, સ્વચ્છ સર્વેક્ષણ માટે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં શહેરના પાયાના માળખાકીય સુધારા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રાફિક, સ્વચ્છતા અને રસ્તાના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂરસુરતના ગીચ રહેણાક ધરાવતા લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ કમર કસી છે. ઉધના રેલવે યાર્ડ નજીક નિલગીરી અને સંજયનગર સર્કલ પર 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. આ વિસ્તારમાં રેલવે યાર્ડને કારણે સિમેન્ટના ભારદારી વાહનોની સતત અવરજવર રહે છે, જેને લીધે ભૂતકાળમાં શાળાઓમાં જતા માસૂમ વિદ્યાર્થીઓના અકસ્માતે જીવ ગયા છે. આ નવા બ્રિજના નિર્માણથી હાઈવે કનેક્ટિવિટી સીધી મળશે, જેનાથી લિંબાયત, ગોડાદરા અને પરવત પાટિયાનો આંતરિક ટ્રાફિક હળવો થશે અને સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓની માર્ગ સલામતીમાં મોટો વધારો જોવા મળશે. 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશેદેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે સુરતનો દબદબો જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પ્રોફેશનલ એપ્રોચ અપનાવી રહ્યું છે. આગામી 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26' માં પણ નંબર-1 નું સ્થાન ટકાવી રાખવા અને શહેરને સંપૂર્ણ 'ગાર્બેજ ફ્રી' બનાવવા માટે 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. આ માટે એક ખાસ ‘પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ’ બનાવવામાં આવશે, જે ગાર્બેજ ફ્રી સિટીના રેટિંગ સુધારવા અને કચરાના નિકાલની પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે કાર્ય કરશે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા હેઠળ શહેરના દરેક ખૂણાને સ્વચ્છ રાખીને સુરતના ગૌરવવંતા તાજને જાળવી રાખવા પાલિકા તજજ્ઞોની મદદથી ટેકનિકલ વ્યૂહરચના તૈયાર કરી રહી છે. સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે મજબૂત સીસી ઓવરલે રોડ બનશેવરાછા અને મોટા વરાછા વિસ્તારના નાગરિકોને દર ચોમાસે રસ્તા પર પડતા ખાડાઓ અને કાદવના ટેન્શનમાંથી મુક્તિ આપવા પાલિકાએ એક ટકાઉ માર્ગ બનાવવાનું આયોજન કર્યું છે. સીમાડા નાકાથી સવજી કોરાટ બ્રિજ થઈ મોટા વરાછા સ્વામીનારાયણ મંદિર સુધીના વ્યસ્ત માર્ગને 14.98 કરોડના ખર્ચે સીસી ઓવરલે ટેકનોલોજીથી નવો બનાવવામાં આવશે. ડામરના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જવાની સમસ્યાનો આ એક મજબૂત વિકલ્પ છે, જે હાઈવે જેવી ટકાઉક્ષમતા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અદ્યતન રસ્તાથી હજારો વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ સુખદ બનશે, જે માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:01 pm

માણેકચોકમાં બંગાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો:આર્થિક તંગીમાં સુસાઈડ કર્યું હોવાની શક્યતા, ખાડિયા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. માણેકચોક સ્થિત રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટના એક મકાનમાં રહેતા બંગાળી યુવકે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી. આર્થિક તંગીમાં સુસાઈડ કર્યું હોવાની શક્યતાપ્રાપ્ત માહિતી મુજબ મૃતક છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાં હતો અને દેવું વધી જતાં માનસિક દબાણમાં રહેતો હતો. દેવાના ભારને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોજો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનમાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ખાડિયા પોલીસે તપાસ શરૂ કરીપોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે, તેમજ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે ખાડિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:43 pm

જમિયતપુરા કટ બંધ કરવાના મુદ્દે ગ્રામજનો લડી લેવાના મૂડમાં:અકસ્માત રોકવા સ્પીડબ્રેકર મૂકવાની માગ, તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ

ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા જમિયતપુરા ગામ પાસેનો મુખ્ય કટ બંધ કરવાની વહીવટી તંત્રની હિલચાલને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં 8લેન હાઈવેની કામગીરી અને ત્રિમંદિર પાસે નવો ઓવરબ્રિજ બન્યા બાદ જૂના કટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આજે જ્યારે તંત્ર દ્વારા આ કટને કાયમી ધોરણે બ્લોક કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. જમિયતપુરા કટ બંધ કરવાના મુદ્દે ગ્રામજનોમાં રોષગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઈવે પર જમિયતપુરા ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય કટને બ્લોક કરવાની વહીવટી તંત્રની હિલચાલનો ગ્રામજનોએ સખત વિરોધ કર્યો છે. આજે જ્યારે તંત્રના માણસો કામગીરી માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો . ગ્રામજનો નું કહેવું છેકે જો ગામ પાસેનો આ મુખ્ય કટ બંધ કરી દેવામાં આવશે તો જમિયતપુરા ગામના લોકોનો અડાલજ અને ગાંધીનગર સાથેનો સીધો સંપર્ક કપાઈ જશે. લાંબો ફેરો કરીને ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડશેઆ સ્થિતિમાં ગ્રામજનોએ ફરજિયાતપણે લાંબો ફેરો કરીને ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડશે. વારંવાર ટોલ ચૂકવવો પડતા સ્થાનિકો પર આર્થિક બોજ વધશે અને રોજિંદા કામકાજ માટે સમયનો પણ ભારે બગાડ થશે. ગ્રામજનોના આક્ષેપ મુજબ આ આયોજનમાં સ્થાનિક લોકોની સુવિધાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવી છે. 'મોટા સ્પીડ બ્રેકર અથવા સાઈનબોર્ડ જેવી વ્યવસ્થા કરો'જોકે તંત્ર દ્વારા અકસ્માત નિવારવા માટે આ કટ બંધ કરવામાં આવી રહ્યો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામજનો આ નિર્ણય સાથે સહમત નથી. ગ્રામ પંચાયતે પાટનગર યોજના વિભાગને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે સુરક્ષાના હેતુ માટે ત્યાં મોટા સ્પીડ બ્રેકર અથવા સાઈનબોર્ડ જેવી વ્યવસ્થા કરી શકાય છે, પરંતુ માર્ગ બંધ કરવો એ કોઈ કાયમી કે વ્યવહારુ ઉકેલ નથી. હાઈવે ચક્કાજામ કરવાની ચીમકીખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ વર્ગ માટે આ માર્ગ જીવનરેખા સમાન હોવાથી તેને ખુલ્લો રાખવાની માંગ છે. પંચાયતે ચીમકી આપી છે કે જો તંત્ર પોતાની જીદ પર અડગ રહેશે અને ગામનો મુખ્ય માર્ગ બંધ કરશે તો આગામી દિવસોમાં હાઈવે પર ચક્કાજામ કરીને વ્યવહાર ખોરવી નાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:38 pm

યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ:સામાપક્ષની મહિલા આરોપીને બે વર્ષની કેદ, સાડા ત્રણ વર્ષ પહેલાના બુધેલ ગામ હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો

ભાવનગર નજીકના વરતેજ તાબેના બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પુર્વે માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સામાપક્ષે થયેલી મારામારીમાં સંડોવાયેલી એક મહિલા આરોપીને પણ કોર્ટ બે વર્ષની સજા ફટકારી હતી. ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદઆ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદી નીતાબેન બુધાભાઈ મેરે પોતાના મરણજનારના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણાને આ બનાવના આરોપી કાના પોપટભાઈ રાઠોડના માતાને વર્ષ પહેલા એક દિવસ માટે ભગાડીને લઈ ગયેલ હોય જેની દાઝ રાખી આરોપીએ તેના ઘરે આવી તેને તથા મરણજનારને ગાળો દઈ ફરીયાદીના ભાઈ કાળુ રવજીભાઈ મકવાણાને છાતીમાં છરીના બે ઘા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયોલા કાળુભાઈનું મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આજીવન કેદની સજા અને 25 હજારનો દંડઆ બનાવની વરતેજ પોલીસ મથકમાં ગત 20 જુલાઈ 2022ના રોજ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી કાના પોપટભાઈ રાઠોડ સામે આઈ.પી.સી. કલમ 302, 504, 447, તથા જી.પી.એક્ટ 136 મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ ભાવનગરના જીલ્લા સરકારી વકિલ મનોજભાઈ જોષીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી કાના પોપટભાઈ રાઠોડની સામે ઈ.પી.કો. કલમ 302 સહિતનો ગુનો સાબિત માની આરોપીને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડ રૂપીયા 25 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. સામા પક્ષની આરોપી મહિલાને પણ બે વર્ષની કેદની સજાજ્યારે સામાપક્ષે મારા મારી થતા મરણજનાર કાળુભાઈ તથા તેમના બહેન આરોપી નીતાબેન તથા નીતાબેનના સાસુ આરોપી કમુબેન પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ પણ આજે ચાલી જતા ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબએ સરકારી વકિલ મિતેષ મહેતાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતાબેનને બે વર્ષની કેદની સજા અને રોકડ દંડ કોર્ટે ફટકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:33 pm

BMW બાઇકચાલકે મજૂરને જોરદાર ટક્કર મારી:કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ શ્રમિકને અડફેટે લેતા મોત, ગુનો નોંધાયો

સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનું અકસ્માત થતા મોત નિપજ્યું છે. પુરઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર bmw બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોપલ પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. BMW બાઇકચાલકે મજૂરને જોરદાર ટક્કર મારીમૂળ બિહારના અને હાલ સાઉથ બોપલમાં રહેતા 40 વર્ષીય સુરેન્દ્ર શહાની મજૂરી કામ કરતા હતાં. સોમવારે સવારે તેઓ સેવન ક્લબ રોડ પર આવેલી ધ ગેલેક્સી સાઈટ પર કામ કરવા ગયા હતા. બપોરે આશરે ચાર વાગ્યાની આસપાસ કામ પૂર્ણ કર્યા બાદ તેઓ રેઈન ફોરેસ્ટની સામે આવેલા વીઆઈપી રોડ પર કોલોની તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલી બીએમડબલ્યુ બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ફંગોળાઈને રોડ પર પટકાયા બાદ મોતટક્કરના કારણે સુરેન્દ્ર શહાની ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી યુવક કર્ણાવતી યુનિવર્સિટીનો વિદ્યાર્થીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાઇકચાલકનું નામ વેદ નીરવકુમાર ભાવસાર છે, તેની ઉંમર 18 વર્ષ છે અને તે સનાથળ તાલુકાના સાણંદમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહે છે. આરોપી કર્ણાવતી યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરે છે અને તેના પિતા સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. બોપલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:24 pm

ગોધરામાં કાર-કન્ટેનર અકસ્માતમાં એક મહિલાનું નિધન:બામરોલી ચોકડી પાસે અકસ્માત, ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

ગોધરા તાલુકાની બામરોલી ચોકડી પાસે કાર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં અર્ચના સ્કૂલ પાસે રહેતા અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની ઉદયલાલ કિશનલાલ પ્રજાપતે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગત 19 જાન્યુઆરીના રોજ તેમના પરિવારના સભ્યો સુરતથી ઉદયપુર ગયા હતા અને ત્યાંથી કાર લઈને પરત સુરત આવી રહ્યા હતા. પરિવાર ઈકો કારમાં સુરત પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગોધરા તાલુકાની બામરોલી ચોકડી પાસે તેમની કાર અચાનક આગળ જઈ રહેલા કન્ટેનરની પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અમરતભાઈ અને ખમાણીબેનને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે નવલીબેન અમરતભાઈ પ્રજાપતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા. જોકે, હાલોલ નજીક નવલીબેનનું મૃત્યુ નિપજ્યું હતું. ગોધરા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:19 pm

ત્રાસ અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં પતિને નિર્દોષ છોડ્યો:હાઈકોર્ટે કહ્યું- પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોય તો માતા-પિતા દીકરીને સાસરે મોકલવા દબાણ કરે નહીં

વર્ષ 2003માં વલસાડ સેશન્સ કોર્ટે નિરંજન કુમાર મહેતાને ઘરેલુ હિંસા અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં સાત વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની રજૂઆતો ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે અરજદારને નિર્દોષ છોડ્યો છે. પતિના ત્રાસથી પત્નીએ રેલવે ટ્રેક પર બાળક સાથે આપઘાત કર્યોકેસને વિગતે જોતા અરજદારના લગ્ન 1994માં થયા હતા. પતિ દારૂ પીને પત્નીને મારતો હતો. જેથી એક દિવસ કંટાળી જઈને પત્નીએ રેલવે ટ્રેક ઉપર એક વર્ષના બાળક સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના માત્ર લગ્નના બે વર્ષમાં ઘટી હતી. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતોઅરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીને જ્યારે જામીન અરજી દાખલ કરી હતી, ત્યારે પત્નીના ઘરના લોકોએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતો અને બંનેના પરિવારો એકબીજાના ઘરે લૌકિક ક્રિયાઓમાં પણ ગયા હતા. નશાની હાલતમાં પતિ જો પત્નીને માર પણ મારતો હોય તો તેનો ઈરાદો તેને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગણી શકાય નહીં. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરી નથીઆ કેસમાં કોઈ સ્વતંત્ર સાહેદો તપાસવામાં આવ્યા નથી. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની કોઈ ફરિયાદ કરી નથી. તેની પાસેથી દહેજ કે કોઈ પૈસા માગ્યા હોવાની ફરિયાદ તેને કરી નહોતી. તેને બે વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિએ માર માર્યો હોય અને મેડિકલ સારવાર લેવી પડી હોય તેવા પણ કોઈ પુરાવા નથી. તેને છૂટાછેડા પણ માગ્યા ન હતા. રેલવે ટ્રેક ઉપર પડી જતા આસક્મિક મૃત્યુ થયું હતુંપત્ની જ્યારે ઘટનાના એક મહિના પહેલા પિયરમાં ગઈ હતી. ત્યારે પતિ તેને સામે ચાલીને તેડી આવ્યો હતો. આ લગ્ન પરિવારની ઓળખાણમાં થયા હતા. પત્ની જ્યારે ગાયબ થઈ ત્યારે પતિ તેને શોધવા નીકળ્યો હતો અને તેના પિયરમાં પણ તેના અંગે પૂછપરછ કરી હતી. પત્ની ખરેખરમાં છત્રી લઈને બાળકને લઈને પિયર જવા નીકળી હતી. પરંતુ તે રેલવે ટ્રેક ઉપર પડી જતા આ આસક્મિક મૃત્યુ થયું હતું. વળી રેલવેમાંથી કોઈ સાહેદ તપાસાયા નથી. પત્ની જ્યારે પોતાના પિયર જતી ત્યારે તેના ઘરના લોકોને પતિ શરાબ પીને માર મારતો હોવાની વાત કરી હતી. વળી તેની નાની બહેન જ્યારે તેના ઘરે રહેવા ગઈ ત્યારે તેને પણ ઘરે પરત ફરીને માતા પિતાને આ અંગે જાણ કરી હતી. દીકરીને પિયરીયાઓએ સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીંહાઇકોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન પછી જ્યારે મહિલાને તેની સાસરીમાં ત્રાસ મળતો હોય ત્યારે દીકરીએ ક્યાં રહેવું કે નહીં તે સાસરીવાળા કે પિયર વાળા નક્કી કરે નહીં. તે દીકરીએ સ્વતંત્ર નક્કી કરવું જોઈએ. વળી દીકરી પિયર આવે તો પિયરીયાઓએ તેને સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીં. હાઇકોર્ટે આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યોઆરોપીના વકીલે કહ્યું હતું કે મહિલાએ બાળકનો જીવ લેવાનો અધિકાર નથી. આવા કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાયાના કેસો જોવા મળ્યા છે. જ્યાં મહિલાએ બાળકને લઈને આપઘાત કર્યો હોય. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકતા આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:17 pm

'હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભારતમાં ન પ્રસરે તે જરૂરી':રાજકોટમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું - ઝેન જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવી પડશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભારતમાં ન પ્રસરે તે જરૂરી છે. આ ઉપરાંત ઝેન જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવાની વાત કરી હતી. ‘અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો’હિન્દુ સમાજને જ સૌથી મોટો ગણાવતા ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો છે અને સ્વીકૃતિ વધી છે, તે હિન્દુ સમાજના આશીર્વાદથી જ થયું છે. જે લોકો દેશહિતમાં કામ કરે છે. તે સંઘ સાથે જોડાયેલા હોય કે ના હોય તેઓ સંઘના સ્વયંસેવકો જ છે. તેવું સંઘ માને છે. ‘સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી’તેમણે વધુમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, સંઘના સ્વયંસેવકો સંઘમાં તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી. શુદ્ધ સાત્વિક પ્રેમ, આત્મીયતાના આધારે સંઘનું કાર્ય ચાલે છે. સંઘ શાખાના માધ્યમથી સંસ્કાર આપીને સ્વયંસેવકને તૈયાર કરે છે. પછી સ્વયંસેવક પોતાના વિવેક અનુસાર કાર્ય કરે છે. આ લોકો દેશ માટે જીવે અને જરૂર પડ્યે દેશ માટે સમર્પણ આપવા તૈયાર રહે છે. સંઘની આ મેથડોલોજી છે. સંઘ શું નથી તેની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સંઘ પ્રતિક્રિયા, વિરોધ કે સ્પર્ધા માટે નથી શરૂ થયો પરંતુ સ્વતંત્રતા સંગ્રામના કાળમાં એક સમયે દેશહિત માટે ચાલતી તમામ વિચારધારાઓ અને કાર્યોનો સમન્વય સંઘમાં છે. દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત….સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીના જીવન પ્રસંગોના ઉલ્લેખ સાથે ભાગવતે કહ્યું હતું કે, ડૉક્ટરજીએ આ જન્મમાં માત્ર દેશહિત માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશની આઝાદી માટે અનેક મહાનુભાવો કાર્યરત હતા, પરંતુ ડૉક્ટરજીએ ઈતિહાસનું મંથન કર્યું અને દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત, આત્મગૌરવયુક્ત અને શક્તિશાળી સમાજના નિર્માણ માટે સંઘની શરૂઆત કરી હતી. આ માટે તેમણે પહેલા 10 વર્ષ સમાજ જીવનમાં પ્રયોગો કર્યા. બાદમાં 1925માં સંઘની સ્થાપના કરી. એ પછી સતત 14 વર્ષ સુધી વિરોધ, ઉપેક્ષા વચ્ચે ધરાતલ પર કામ કરતાં-કરતાં સંઘની કાર્યપદ્ધતિ તૈયાર થઈ છે. ‘ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો’હિન્દુત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે. જે વિચારમાંથી સંવિધાન તૈયાર થયું છે, સંઘ એ જ પદ્ધતિથી કામ કરે છે. હિન્દુ એ ગુણ અને સ્વભાવ દર્શાવે છે, તે ભારતનો જવાબદાર સમાજ છે. તેમણે કહ્યું કે, દુનિયાના દેશો શક્તિશાળી બન્યા પછી ક્યા માર્ગે ચાલે છે, તે બધા જુએ છે. પરંતુ ભારત જ એવો દેશ છે, જે શક્તિશાળી બન્યા પછી પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરે છે. ભારત વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન કરશે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોએ પોતાને ચોક્કસ મત-પંથના દેશો ગણાવ્યા અને દુનિયાના અન્ય દેશો પણ પોતાને ચોક્કસ મત-પંથના દેશ કહે છે. ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો, કારણકે હિન્દુ સૌ મત-સંપ્રદાય-પંથનું સ્વાગત કરે છે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોના લોકો સાથે પણ સંવાદિતાથી કામ થાય તેવો વિચાર રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા લોકોના મનમાં ચાલી રહ્યો છે. ‘મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે’સંઘની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં સર સંઘચાલકે કહ્યું કે, સંઘે પ્રારંભથી જ નક્કી કર્યું હતુ કે, સંઘ વોટબેન્કની રાજનીતિમાં નહીં પડે. સંઘ રાજનીતિ સાથે સંબંધ નથી રાખતો. મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે. આજે અનુકૂળતાના માહોલમાં પણ સંઘ વિરક્તિ-ભાવ, સાદગીના ગુણને વળગીને આગળ વધી રહ્યો છે અને સમાજના જ કામને આગળ વધારી રહ્યો છે. હજુ પણ દરેક ગ્રામ અને નગર સુધી શાખા પહોંચાડવાની છે. હજુ પણ કાર્યનો વિસ્તાર અને દ્રઢિકરણ કરવાનું છે. ‘ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે’આ તકે પ્રમુખજનો સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, ઝેન-જી કોરી સ્લેટ છે. તે ખૂબ પ્રામાણિક છે. તેમને સાંભળો અને પછી માર્ગદર્શન કરો. ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે. વૈશ્વિકિકરણમાં સંઘ અને ભારતની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, ભારતના વસુધૈવ કુટુંબકમનો ભાવ જ સાચું ગ્લોબલાઈઝેશન છે. અન્ય દેશોના ગ્લોબલાઈઝેશનનો વિચાર દુનિયાને માર્કેટ બનાવે છે અને જો ઉપયોગમાં ના રહે તો ફેંકી દે છે. આપણે ગ્લોબલ પરિવારમાં માનીએ છીએ. આ બાબતે ભારત વિશ્વગુરૂ છે. પડોશી દેશના તોફાનો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, મુસ્લિમો અને હિન્દુઓ સાથે ન રહી શકે તેવા વિચારને ત્યાં ફરી બળ અપાઈ રહ્યું છે. ભારતમાં આ વિચાર ન પ્રસરે તે જરૂરી છે, તે માટે સમાજની જાગૃતિ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:09 pm

વાહન ચાલકો સાવધાન... જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો

FASTag New Rule : કેન્દ્ર સરકારે હાઈવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઈવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ'માં મહત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે. કયા કામો પર લાગશે રોક? નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 9:04 pm

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશનથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ? પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 9:04 pm

‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો

BMC Mayor : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના મેયર પદને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ હવે જાસૂસીના આરોપો સુધી પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરતા જણાવ્યું હતું કે, ભાજપ અત્યારે તેના પોતાના અને શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ કરી રહી છે. દિલ્હીથી મેયર નક્કી થવો એ મહારાષ્ટ્રનું અપમાન : સંજય રાઉત મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મુંબઈનો મેયર કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન છે. લક્ઝરી હોટલમાં લઈ જવાયેલા શિવસેનાના કોર્પોરેટરો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યકર્તાઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 8:47 pm

કલેકટરના હસ્તે બે અનાથ બાળકોને મળ્યો મુંબઈના બેંકર્સનો સાથ:બેંકની નોકરી અને હવે માતા-પિતાની જવાબદારી, મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યું

સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ના હસ્તે જ્યારે પ્રી-એડોપ્શન ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારે બેંક કર્મચારીઓના ચહેરા પર લાખોના વ્યવહાર કરતા પણ વધુ મોટી ખુશી જોવા મળી હતી. 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિએ વિધિવત રીતે દત્તક લીધાસંતાન સુખની ઝંખના રાખતા સચિન સુરેશ શાહ (બેંક કર્મચારી) અને તેમના પત્ની અશ્વિની શાહે સુરત આવીને એક બાળકને વિધિવત રીતે દત્તક લીધું હતું. તેવી જ રીતે, અભિષેક મોહન પાટીલ અને લીના પાટીલ, જેઓ બંને બેંકમાં કર્મચારી તરીકે કાર્યરત છે, તેઓ પણ સુરતના એક માસૂમ બાળકને દત્તક લઈને હવે મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના આ હાઈ-પ્રોફાઈલ બેંકિંગ પરિવારોમાં હવે બાળકની કિલકારીઓ ગુંજશે, જે સુરત માટે ગર્વની વાત છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે. 'નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન'જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન થયું છે. એડોપ્શન રેગ્યુલેશન-2022 ના નિયમો મુજબ તમામ કાયદેસરની તપાસ પૂર્ણ કર્યા બાદ, રવિવારના પવિત્ર દિવસે આ બાળકોને નવા માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યા હતા. કલેકટરે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે બેંક કર્મચારી દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યુંજોકે, તંત્રએ આ પ્રસંગે એક મહત્વની ચેતવણી પણ આપી છે. બાળક દત્તક લેવાની ઈચ્છા રાખતા દંપતીઓએ માત્ર કેન્દ્ર સરકારની ‘મિશન વાત્સલ્ય’ (CARA) વેબસાઇટ પર જ નોંધણી કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિ પાસેથી સીધું કે બિનકાયદેસર રીતે બાળક દત્તક લેવું એ ગંભીર અપરાધ છે. સુરતની વિશિષ્ટ દત્તક સંસ્થા 0થી 6 વર્ષના બાળકો માટે આ કાયદેસરના સેતુ તરીકે કામ કરી રહી છે, જેથી કોઈ માસૂમ બાળક ફરી ક્યારેય અનાથ ન રહે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:36 pm

રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ:10 શખ્સોએ 10 વર્ષમાં કુલ 34 ગુનાને અંજામ આપ્યો, હત્યા સહીતના 15 ગંભીર ગુના આચર્યા'તા

રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી બાદ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ, આર્મ્સ એક્ટ મારામારી જેવા ગંભીર 15 સહીત કુલ 34 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે મહિનામાં ચોથી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. ખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોરાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર આતંક મચાવનાર કુખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 9 આરોપી ઝડપાયારાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી અરબાઝ રાઉમાં, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા, ઈમ્તિયાઝ ઓડિયા, નયન દાફડા, આબીદ ઓડિયા, અનીશ ઓડિયા, અબ્દુલ દલ, શાહિદ ઓડિયા, અને મિત પરમારની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ જયારે મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ હોય જેથી તેનો કબ્જો મેળવી ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઆરોપી અરબાઝ રાઉમાં વિરુધ્ધ 4 ગુના, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા વિરુધ્ધ 5 ગુના, ઈમ્તિયાઝ ઓડિયા વિરુધ્ધ 4 ગુના, નયન દાફડા વિરુધ્ધ 4 ગુના, આબીદ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અનીશ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અબ્દુલ દલ વિરુધ્ધ 2 ગુના, શાહિદ ઓડિયા વિરુધ્ધ 2 ગુના, મિત પરમાર વિરુધ્ધ 3 ગુના અને મુખ્ય આરોપી અવેશ ઓડિયા વિરુધ્ધ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:25 pm

પાલનપુર નગરપાલિકાએ ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરી:છેલ્લા 20 દિવસમાં ₹66,100નો દંડ વસૂલ્યો, છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જાહેર સ્થળોએ ગંદકી કરનાર, કચરો ફેંકનાર અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન કુલ ₹66,100નો દંડ વસૂલ કર્યો છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે સેનિટેશન ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સતત તપાસ હાથ ધરી હતી. જાહેર રસ્તાઓ, બજારો, દુકાનોની આસપાસ તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં ગંદકી કરનાર લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ વસૂલ કર્યા બાદ સંબંધિત વ્યક્તિ પાસેથી નાખેલા કચરાની સફાઈ પણ કરાવવામાં આવી હતી, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ સંદેશ પહોંચે. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરના વેપારીઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. ઘણા વેપારીઓએ પોતાની દુકાનની આજુબાજુ સફાઈ રાખવાનું શરૂ કર્યું છે, જ્યારે કેટલાકે કચરાપેટી મૂકીને નિયમોનું પાલન કરવાનું સ્વીકાર્યું છે. નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે સ્વચ્છ પાલનપુરના નિર્માણ માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનાર સામે કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં. આ અંગે ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 'વિઝિબલ ક્લીનલીનેસ' જળવાય તે માટે સ્વચ્છતા અભિયાન, લોકજાગૃતિ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, જાન્યુઆરી માસમાં ₹66,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને ગંદકી કરતા ઇસમો પાસે નાખેલા કચરાની સફાઈ કરાવી દંડ વસૂલવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:19 pm

હળવદ મંદિરમાં તોડફોડનો કેસ: સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી:મોરબીમાં દારૂની 3 રેડ, 19 બોટલ સાથે 3 ઝડપાયા

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાન મંદિરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં નુકસાની કરનાર શખ્સને સમજાવવા ગયેલા એક આધેડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વેગડવાવ ગામના લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (ઉંમર 55) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગામમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલાએ ખીજડીયા હનુમાનજીના મંદિરમાં વસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ફરિયાદી અને અન્ય સાહેદો રામજીભાઈને આ બાબતે સમજાવવા ગયા, ત્યારે આરોપીએ તેમને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ લાલજીભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં રામજીભાઈ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, મોરબી જિલ્લામાં પોલીસે દારૂબંધી ભંગના ત્રણ જુદા જુદા દરોડા પાડી કુલ 19 નાની-મોટી દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 6536 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રથમ દરોડામાં, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ પર આવેલ આઈટીઆઈ સામેની ઓમ શિવમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી પોલીસે દારૂની 16 નાની બોટલો જપ્ત કરી હતી. પોલીસે રૂ. 2240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ગોટી (ઉંમર 40, રહે. પ્રભુ કૃપા બાલાજી હોમ્સ-2, બ્લોક નં-704, મહેન્દ્રનગર, મોરબી) ની ધરપકડ કરી હતી. બીજા દરોડામાં, મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા વિક્રમભાઈ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા (ઉંમર 19, રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે, શીતળામાતા વિસ્તાર, મોરબી) ને રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 3600 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. ત્રીજા દરોડામાં, મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા રવિભાઈ શામજીભાઈ ડંડેયા (ઉંમર 30, રહે. હાલ હોલો સેનેટરી સિરામિક કારખાનામાં, ઘુટુ રોડ, મોરબી) ને પોલીસે રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 696 ની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:17 pm

જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગઢડામાં યોજાશે:તૈયારીઓ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

બોટાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગઢડા ખાતેના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગઢડા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં એક આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોને સમયસર અને શિસ્તબદ્ધ આયોજન સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી થીમ આધારિત ટેબ્લો, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ વિભાગની માર્ચપાસ્ટ પરેડ મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે. જિલ્લા પ્રશાસન દ્વારા બોટાદ જિલ્લાના નાગરિકોને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:13 pm

પાટણની માહી મોદીએ બોસીમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ જીત્યો:હિંમતનગરમાં યોજાયેલ સ્પર્ધામાં શાળા-જિલ્લાનું ગૌરવ વધાર્યું

સ્પેશિયલ મનો દિવ્યાંગ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણની સરકારી શ્રીમતી કે.કે. કન્યા વિદ્યાલયની મનોદિવ્યાંગ વિદ્યાર્થીની માહી નીતિનકુમાર મોદીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. માહી મોદીએ બોસી (Bocce) રમતમાં 16 થી 21 વર્ષની વયજૂથ (બહેનો) શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ દ્વારા તેણે પાટણ જિલ્લા અને તેની શાળાનું નામ રાજ્યમાં રોશન કર્યું છે. આગામી સમયમાં માહી મોદી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સફળતા અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડૉ. દિનેશકુમાર પ્રજાપતિ સહિત સમગ્ર શિક્ષકમિત્રો અને શાળા પરિવારે માહી મોદીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:13 pm

મોરબી સિરામિક કારખાનામાં યુવાનનું મોત:એલિવેટર મશીનમાં ગળું આવી જવાથી ગંભીર ઇજા

મોરબીના ઘુટુ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. એલિવેટર મશીનમાં આવી જવાથી એક યુવાન શ્રમિકનું ગળામાં ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉંમર 29) તરીકે થઈ છે. તે સિલ્ક સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ ઘટના ગઈકાલે સાંજના સમયે બની હતી. કારખાનામાં મશીન પર કામ કરતી વખતે રાકેશકુમાર અચાનક એલિવેટર મશીનમાં આવી ગયો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:12 pm

22 જાન્યુઆરીએ રાંદેર અને પાલ સહિતના વિસ્તારોમાં પાણી કાપ:વીજ કંપનીની મરામત કામગીરીને પગલે પાણી નહીં આવે, લાખો લોકોને અસર થશે

સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ (રાંદેર) ઝોનમાં રહેતા નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી તારીખ 22 જાન્યુઆરી 2026, ગુરૂવારના રોજ રાંદેર વોટર વર્કસ, જોગાણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકથી પૂરો પાડવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતને પગલે રાંદેર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા લાખો લોકોએ પાણીની અછતનો સામનો કરવો પડી શકે તેમ છે. 22 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપમહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, રાંદેર ઈન્ટેકવેલ અને રાંદેર વોટર વર્કસ ખાતે DGVCL દ્વારા R.M.U. લગાવવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી ગુરૂવારે સવારે 9:00થી સાંજના 5:30 કલાક સુધી ચાલશે. વીજળી કંપનીની આ કામગીરીને કારણે વોટર વર્કસમાંથી પાણી પમ્પિંગ કરવાનું શક્ય નહીં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ લાદવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં પાણી કાપ, લાખો લોકોને અસરઆ પાણી કાપની અસરમાં મુખ્યત્વે જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પાલ અને પાલનપુર યોજના હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં રામા રેસીડેન્સી, વીર સાવરકર હાઇટ્સ, ઇસ્કોન સર્કલથી સરોલી બ્રીજ સુધીનો વિસ્તાર, તેમજ પાલ ગામ અને ગૌરવપથ રોડ આસપાસની સોસાયટીઓમાં અલગ-અલગ સમયે પાણી પુરવઠો બંધ રહેશે. અગવડતાને ધ્યાને રાખી અગાઉથી જ પાણીનો સંગ્રહ કરજોખાસ કરીને જોગાણીનગર જળ વિતરણ મથક હેઠળ આવતી મેરૂલક્ષમી, રંગઅવધુત અને કોઝ-વે આસપાસની સોસાયટીઓમાં સાંજના 5:00થી 8:50 ના ગાળામાં પાણી નહીં મળે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ અગવડતાને ધ્યાને રાખી અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લે, જેથી દૈનિક કાર્યોમાં કોઈ મુશ્કેલી ન પડે. પાલિકા તંત્ર દ્વારા શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાનું જણાવાયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:06 pm

રાણપુરમાં વૃદ્ધા સાથે લૂંટ, સોનાની બુટ્ટી ખેંચી ફરાર:અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી, પછી કાનમાંથી બુટ્ટી લૂંટી

રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી. ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી અમુબેન મકવાણા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમણે બુમો પાડતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા રાણપુર પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:05 pm

હિંમતનગરમાં શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા:પોલોગ્રાઉન્ડ ખાતે માઘ સુદ બીજે પ્રજાપતિ સમાજ જોડાયો

હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આરતી અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમો બાદ મંગળવારે શોભાયાત્રા નીકળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન તેમજ યુવાનોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:57 pm

Editor's View: ધર્મયુદ્ધ Vs. સત્તાયુદ્ધ:અસલી શંકરાચાર્ય કોણ? નોટિસે બળતામાં ઘી હોમ્યું, જાણો અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વિવાદની કહાની

જ્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને સંગઠિત કરવાનો હતો. ઈતિહાસ સાક્ષી છે કે મુઘલ કાળ હોય કે બ્રિટિશ શાસન, શંકરાચાર્યના પદને હંમેશા રાજગુરુ જેવું સન્માન મળતું આવ્યું છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યોતિષપીઠ શંકરાચાર્યને મૌની અમાવસ્યા પર સંગમ સ્નાન કરતા પાલખીથી જવા પર રોકવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ અને શંકરાચાર્યના શિષ્યો વચ્ચે ઘર્ષણ પણ થયું અને હવે ધર્મ વિરુદ્ધ સત્તાનું આ યુદ્ધ બની ગયું છે. એકબાજુ શંકરાચાર્ય અપમાનના કારણે ભૂખ હડતાળ પર બેઠા છે બીજી બાજુ પ્રસાશને તે કયા આધારે પોતાના નામ આગળ શંકરાચાર્યનું બિરુદ લગાવે છે તેનો પુરાવો માગ્યો છે. શું છે આખો મામલો આજે તેની વાત કરીએ. નમસ્કાર.... ઉત્તરપ્રદેશમાં જાન્યુઆરીની કડકડતી ઠંડી હતી, સંગમનો પવિત્ર કિનારો અને લાખો લોકોનો શંખનાદ સાથે મૌની અમાવસ્યાનો પવિત્ર દિવસ હતો. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પોતાની ભવ્ય પાલખી અને 200 શિષ્યોના કાફલા સાથે ગંગા સ્નાન માટે નીકળે છે. હવામાં હર હર મહાદેવના નારા છે. અચાનક, બ્રિજ નંબર 2 પાસે પોલીસની એક મોટી ટુકડી ઉભી રહી જાય છે. લોખંડના બેરિકેડ્સ મુકાય છે. પોલીસ કહે છે, તમારી પાસે પાલખી લઈ જવાની મંજૂરી નથી. વાતાવરણમાં તણાવ વ્યાપી જાય છે. એક બાજુ વહીવટીતંત્રની લાઠીઓ છે અને બીજી બાજુ શંકરાચાર્યનો પવિત્ર દંડ. શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી શરૂ થાય છે. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પણ રાજદંડ અને ધર્મદંડ વચ્ચેનો સંગ્રામ હતો. શંકરાચાર્યની પાલખીને જે રીતે રોકવામાં આવી, તે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. અંતે, સ્નાન કર્યા વગર પરત ફરેલા શંકરાચાર્ય જ્યારે ભૂખ હડતાળ પર બેઠા, ત્યારે દિલ્હી સુધી તેના પડઘા પડ્યા. દરમિયાન, માઘ મેળા વહીવટીતંત્રે તેમને શંકરાચાર્યના પદના ઉપયોગ પર સવાલ ઉઠાવતી નોટિસ ફટકારી છે. જેણે બળતામાં ઘી હોમ્યું. માઘ મેળા સત્તામંડળના ઉપાધ્યક્ષ દ્વારા જારી કરાયેલી આ નોટિસમાં જ્યોતિર્પીઠ શંકરાચાર્યના પદ અંગે ચાલી રહેલા કેસનો ઉલ્લેખ છે. મેળા અધિકારીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્યનો પ્રોટોકોલ ન મળવા અંગે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જો કે તેમની શંકરાચાર્યની પદવી પર પણ વિવાદ છે. એ સમજવા માટે પહેલા આપણે સમજીએ કે શંકરાચાર્ય કોણ બની શકે? હવે આપણે એ વિવાદની વાત કરીએ જે આપણે સમજવો ખૂબ જ જરૂરી છે. ઉત્તરાખંડ જ્યોતિર્મઠના શંકરાચાર્ય પદ માટે દાયકાઓથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના પટ્ટાભિષેક પર પણ સુપ્રીમ કોર્ટે 2022માં સ્ટે આપ્યો હતો. જેનો જ ટેક્નિકલ ફાયદો ઉઠાવીને ઉત્તરપ્રદેશ વહીવટી તંત્રએ એવી દલીલ કરી છે કે તેઓ શંકરાચાર્ય જ નથી. તેમણે નોટિસ પાઠવી છે કે 24 કલાકમાં સાબિત કરો કે તમે શંકરાચાર્ય છો. જેનો જવાબ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ત્રણમાંથી બે પીઠ અમને શંકરાચાર્ય કહે છે, પણ શંકરાચાર્યનો નિર્ણય શંકરાચાર્ય જ કરશે. ભારતના રાષ્ટ્રપતિને પણ એ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં સિવિલ અપીલ નંબર 3010/2020 અને 3011/2020 હેઠળ ઉત્તરાખંડ જ્યોતિર્મઠના આદ્યાત્મિક વડાના હકદાર કબજેદાર મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે. એક બાજુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી જૂથ હતું અને બીજી બાજુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જૂથ હતું. અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ બંનેના દાવાઓને 1941ના વસિયતનામા મુજબ ખામીયુક્ત ગણાવ્યા હતા. સપ્ટેમ્બર 2022માં જ્યારે સ્વામી સ્વરૂપાનંદનું નિધન થયું ત્યારબાદ તેમના અનુયાયીઓએ અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠના નવા શંકરાચાર્ય તરીકે જાહેર કર્યા. જોકે, આ નિર્ણય સામે વાસુદેવાનંદ સરસ્વતી જૂથ તરત જ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે અને કેન્દ્ર સરકારની નજીક માનવામાં આવે છે. ટૂંકમાં કોર્ટનો આદેશ છે કે જ્યાં સુધી મુખ્ય કેસનો (3010/2020 અને 3011/2020) ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ નવો રાજ્યાભિષેક ન થઈ શકે. આ જ મામલે ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રએ સ્ટેનો ઉપયોગ કરીને દલીલ કરી છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા અપીલો પેન્ડિંગ છે ત્યાં સુધી શંકરાચાર્યની પદવીનો ઉપયોગ કરવો સુપ્રીમ કોર્ટનું અપમાન છે. વહીવટી તંત્રના પક્ષ મુજબ તેમને સાડા ચાર કરોડની ભીડને સંભાળવાની હોય છે. તેમાં પાલખીના કારણે ભાગદોડ મચી શકે તો જાનમાલને અકલ્પનીય નુકસાન થઈ શકે. વહીવટી તંત્રનો પક્ષ છે કે તે જાણ કર્યા વગર આવ્યા હતા, તેમના તરફથી શિસ્તનું પાલન કરવું અનિવાર્ય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભારતમાં શંકરાચાર્ય ધર્મના સર્વોચ્ચ સત્તાધીશ છે. બીજી બાજુ બંધારણમાં શંકરાચાર્યનો હોદ્દો નથી. પણ ધાર્મિક પરિપેક્ષથી શંકરાચાર્ય સૌથી ઉપર છે, રાષ્ટ્રપતિથી પણ. જો કે ભારત એ બિનસાંપ્રદાયીક દેશ હોવાથી ધાર્મિક હોદ્દાઓને કોઈ બંધારણીય દરજ્જો મળ્યો નથી. બંધારણના વોરન્ટ ઓફ પ્રીસેડેન્સમાં રાષ્ટ્રપતિથી લઈને અધિકારીઓ છે, શંકરાચાર્ય કે કોઈ ધર્મગુરુનો ઉલ્લેખ નથી. આથી આવા પવિત્ર કાર્યક્રમોમાં રાજ્ય સાધુ સંતો અને શંકરાચાર્યને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપે છે. જેથી ધાર્મિક માન્યતાઓ જળવાઈ રહી. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવના મુખ્યમંત્રી સમયગાળામાં 2013ના કુંભ મેળામાં શંકરાચાર્યને સ્ટેટ ગેસ્ટ તરીકે સુવિધાઓ આપી હતી. હવે 2026માં શું બદલાવ આવી ગયો તે પણ જાણવા જેવું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાલની કેન્દ્ર સરકારના અમુક ધાર્મિક નિર્ણયોના કડક ટીકાકાર રહ્યા છે. સીધી વાત છે આ મામલે રાજનીતિ તો થવાની જ હતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ મામલે લખ્યું. આ પરિસ્થિતિ માટે ભાજપનું કુશાસન અને નિષ્ફળ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે જવાબદાર છે. તો કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, આ શરમજનક ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તક્ષેપ કરવો જોઈએ. હિંદુ ધર્મમાં માઘ મેળા અને સ્નાનનું મહત્ત્વ હિન્દુ પંચાગમાં માઘ એટલે કે મહા મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને ગંગા, યમુના અને સરસ્વતીના સંગમના કારણે તીર્થરાજ કહેવાય છે. કુંભનું લઘુ સ્વરૂપ કહેવાતો માઘ મેળો 45 દિવસનો હોય છે. માઘ મેળાનું સૌથી મોટું આકર્ષણ કલ્પવાસ છે, જ્યાં લાખો-કરોડો ભક્તો એક મહિના સુધી ગંગા કિનારે તંબુઓમાં રહીને સંયમિત જીવન જીવે છે, દિવસમાં એકવાર ભોજન લે છે અને સતત ભજન-કીર્તનમાં લીન રહે છે. અહીં શાહી સ્નાન પણ કરવામાં આવે છે. પદ્મ પુરાણ અને મહાભારતમાં પણ માઘ સ્નાનનું પવિત્ર મહત્વ સમજાવાયું છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ઋષિ મુનીનો જન્મ થયો હતો. આ દિવસે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમા હોવાા કારણે આદ્યાત્મિક ઊર્જા માટે પણ આ સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એક જ દિવસે કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવે છે. ભાજપ-સંઘ અને સનાતન ભાજપ અને સંઘ પરિવાર માટે, સનાતન રાષ્ટ્રીય ઓળખ છે જે રામ મંદિર જેવા પ્રતીકોથી વ્યક્ત થાય છે. અવિમુક્તેશ્વરાનંદ જેવા પરંપરાવાદીઓ માટે, સનાતન શાસ્ત્રોનું કડક પાલન છે. બંનેનો ધ્યેય એક જ છે પણ વિચારધારાઓ અલગ નજરે પડી રહી છે. પણ આ સંઘર્ષમાં માઘ મેળામાં, રાજકીય સનાતન એ શાસ્ત્રીય સનાતન પર વિજય મેળવ્યો છે એવું લાગી રહ્યું છે. અને છેલ્લે... ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પણ હાલ રાષ્ટ્રમાં એક હિંદુત્વની લહેર ચાલી રહી છે. આ કેસની જ વાત કરીએ તો આયરની તો જુઓ, જે રાજ્યના મુખ્યમંત્રી ખુદ હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અને અનુકરણ કરનાર ભગવાધારી જ છે. તેમના જ સમયમાં અને તેમના જ રાજ્યમાં હાલ હિંદુ ધર્મના સર્વૌચ્ચ સત્તાધીશ એવા શંકરાચાર્ય સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:55 pm

દાવોસ WEF 2026માં ગુજરાતનું વૈશ્વિક પ્રદર્શન, ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન:હર્ષ સંઘવીએ કહ્યું, AI, ડિફેન્સથી લઈને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સુધી નવી તકોની શોધ

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર છે. WEF 2026 અંતર્ગત ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ભારતના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળો વૈશ્વિક રોકાણકારો સાથે ભારતના રોકાણ અવસર રજૂ કરી રહ્યા છે. રાજ્યોના પ્રતિનિધિમંડળોની રોકાણકારો સાથે સક્રિય બેઠકોઆ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મેળવનાર રાજ્ય રહ્યું છે. 2014 બાદ સમગ્ર દેશ વિકાસના માર્ગે આગળ વધ્યો છે અને WEF 2026માં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારે સમગ્ર વિશ્વ આરામમાં હોય ત્યારે પણ ભારતના રાજ્યોના પ્રતિનિધિમંડળો રોકાણકારો સાથે સક્રિય બેઠકો કરી રહ્યા હતા, જે ભારતની કાર્ય સંસ્કૃતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. 'વાઈબ્રન્ટમાં 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ'ગુજરાતની રોકાણ ક્ષમતાને ઉજાગર કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન રાજ્યમાં ₹45 લાખ કરોડના એમઓયુ થયા હતા. તે ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મારફતે રાજ્યમાં ₹11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થયા છે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં માત્ર રોકાણ આકર્ષવા નહીં પરંતુ નવી વૈશ્વિક પ્રવૃત્તિઓ શીખવા અને નવી તકો શોધવા માટે આવ્યું છે. 'એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ'નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દાવોસમાં આપણે અલગ-અલગ રાજ્યો તરીકે નહીં પરંતુ એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ. આપણા કૌશલ્ય, ક્ષમતાઓ અને મજબૂત ગવર્નન્સ મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો આ અવસર છે. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ જેવા ક્ષેત્રોમાં નવી તકોનું સક્રિય રીતે અન્વેષણ કરી રહ્યું છે, જે આગામી સમયમાં રાજ્યના વિકાસને નવી ઊંચાઈ આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:45 pm

વાંકાનેર રોડ પર બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા:વાહનોને નુકસાન, લોકોએ ભારે જહેમત બાદ છૂટા પાડ્યા

વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ મહામુસીબતે તેમને છૂટા પાડ્યા હતા, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લે છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે હાઈકોર્ટ પણ આ બાબતે ગંભીર ટિપ્પણી કરી ચૂકી છે. લોકોની માંગણી છે કે, આવા જીવલેણ અકસ્માતો સર્જાય તે પહેલા સ્થાનિક તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે નક્કર કામગીરી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:40 pm

ચાર વર્ષથી ફરાર લુટેરી દુલ્હનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી:લગ્નના 4 જ દિવસમાં દાગીના-રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી, ઉંમરલાયક છોકરાને કરતી ટાર્ગેટ કરતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. લગ્નના માત્ર ચાર દિવસમાં જ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થતીમાનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. પહેલાં ટોળકીના 3ને પોલીસે દબોચ્યા હતાજેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઈપી મિશન ચર્ચ પાસેમાંથી લૂંટેરી દૂલ્હનને ઝડપી લેવાઈલાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેમાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે. નિર્દોષને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નવા ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો સામે આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:29 pm

વક્તાપુરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો:જી-રામ-જી યોજનાના અમલીકરણ અને લાભો પર ચર્ચા કરી

હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગામી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જી-રામ-જી યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, ગામડાના વિકાસ કાર્યોને ગતિ, પરિવારોની આવકમાં વધારો અને સ્થિરતા, સ્થાનિક કુશળતા અને કામદારીનો ઉપયોગ, સ્થળાંતરમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાનો આધાર સ્તંભ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, રાજુભાઈ પંચાલ, જયેશભાઇ બારોટ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:24 pm

નાગરિકો પોતાની ફરિયાદ CMને કરી શકશે:ગાંધીનગરમાં 22 જાન્યુઆરીએ રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ કરાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી છે. જાન્યુઆરી, 2026ના રાજ્ય સ્વાગત માટે નાગરિકો ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8.00થી 11.00 કલાક દરમિયાન ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:16 pm

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત કીટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:15 મહિનાથી ફરાર અઝહર કીટલીને જુહાપુરાથી દબોચ્યો, એક ગાડી, રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્કોડ અને વેજલપુર પોલીસની સંયુક્ત રીતે ધરપકડ કરી છે. જુહાપુરા -વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ગાડી, રોકડ, વિદેશી ચલણી નોટો સહિત 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અઝહરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની ધરપકડજુહાપુરા વિસ્તારમાં ટપોરીથી માંડીને અનેક કુખ્યાત ગેંગનું વર્ચસ્વ હોવાથી પોલીસે આ ગેંગની કમર તોડી નાખવા અનેક ગુના નોંધી સકંજો કસ્યો હતો. જે દરમિયાન જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની વધુ એક વખત પોલીસે ધરપકડ કરી છે. અઝહર કિટલી પર 21 ગુના નોંધાયાઅઝહર કિટલીએ હત્યાની કોશિષ, હથિયાર, ખંડણી, મારામારી, ચોરી લૂંટ જેવા 21 ગુના નોંધાયા હતા. આરોપી અઝહર કિટલી સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં શરતી જામીન રદ્દ થતાં તે દોઢેક વર્ષથી ભરૂચ અને ખેડામાં રહેતો હતો. અઝહર કીટલી તેના અમદાવાદ ખાતેના ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી દોઢેક વર્ષથી ફરાર હતોઅનેક ગેંગ પૈકીની કિટલી ગેંગ પર પોલીસે ગુના નોંધી સકંજો કસ્યો હતો. કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલી સામે વર્ષ 2021માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ તેણે શરતી જામીનના હુકમનો ભંગ કરતા તેના જામીન રદ્દ થયા હતા. જેથી તે દોઢેક વર્ષથી ફરાર રહેતો હતો. તેવામાં અઝહર કીટલી તેના ઘરે આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા જ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુખ્યાત આરોપી અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે. 6.50 લાખ રોકડા અને વિદેશી કરન્સી મળી આવીઆરોપી છેલ્લા ઘણા સમયથી ખંડણી, લૂંટ, ખુનની કોશિષ, ધમકી, જમીન પચાવી પાડવી, હથિયાર રાખવા જેવા કુલ 21 ગુનાને અંજામ આપી ચૂક્યો હતો. આરોપી દોઢ વર્ષથી ભરૂચ અને ખેડામાં ફાર્મ હાઉસમાં રહેતો હતો. પોલીસે આરોપી પાસેથી 16.50 લાખ રોકડા અને 51 જેટલી સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, નેપાળની વિદેશી ચલણી નોટો કબ્જે કરી તે બાબતે પૂછપરછ હાથ ધરી છે. આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતોઆરોપી દોઢ વર્ષથી ફરાર હોવાથી પોલીસ સતત તેને ટ્રેસ કરવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે સાદા ફોનનો ઉપયોગ કરતો હતો. ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરતો ન હોવાથી પોલીસ તેને પકડી શકતી નહોતી. પરંતુ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસપોલીસે આરોપી પાસેથી રૂ.16.50 લાખ રોકડા અને વિદેશી ચલણી નોટો કબ્જે કરી છે. રોકડા 16.50 લાખ માતાના દાગીના વેચ્યા હોવાની રકમ હોવાની આરોપી કબૂલાત કરી રહ્યો છે. જ્યારે માતા હજ પઢવા ગઇ હતી ત્યારની વિદેશી ચલણી નોટો તેની પાસે રાખી હોવાની કહાની સંભળાવી રહ્યો છે. પરંતુ તેની પાસેથી નેપાળ સહિતની ચલણી નોટો મળતા તે વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તેના મુળ સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:16 pm

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ:ભરૂચમાં બે મહિના ચાલશે, અધિકારીઓએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું

ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન અને છાતી માપ સહિતની કસોટીઓ લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ અને ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા,વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ઉમેદવારોને કોઈ અડચણ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં આગામી બે મહિના સુધી ચાલનારી આ શારીરિક કસોટીમાં અંદાજિત 60 હજાર ઉમેદવારો ભાગ લેશે. દરરોજ આશરે 1,600 ઉમેદવારો કસોટી આપી શકશે. ઉમેદવારોની સલામતી અને આરોગ્ય માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બહારથી આવનાર ઉમેદવારોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે, જેમની પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તેવા ઉમેદવારો માટે પોલીસ દ્વારા રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:13 pm

60 લાખની 'કિયા કાર્નિવલ'કાર બળીને ખાખ, VIDEO:સુરતના ખટોદરામાં ચાલુ ગાડીમાં ભીષણ આગ, ચાલકનો ચમત્કારિક બચાવ

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે આગમાં કાર ચાલકનું આબાદ બચાવ થયો હતો. લોકોએ એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, કાર જ્યારે રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના આગળના બોનેટના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી સમય સૂચકતા વાપરીને ડાઈવર બહાર નીકળી ગયો હતો. આગ લાગતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોતાના સ્તરે ફાયર એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ હોનારત ટળી હતી. મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈઆ ભીષણ આગમાં 60 લાખની કિયા કાર્નિવલ જેવી મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:11 pm

મહેસાણામાં હોમિયોપેથી મહિલા ડોક્ટર પર સસરાની છેડતી:પતિ દારૂ પીને મારપીટ કરતો, સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, સસરાએ તેની છેડતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 'પતિ પિયરમાંથી પૈસા લાવવા કહેતો અને દારૂ પીને મારપીટ કરતો'સમગ્ર બાબતે ભોગ બનનાર મહિલા હોમિયોપેથિક ડોક્ટર છે અને તેણે ડિસેમ્બર 2022માં ભાડે દુકાન રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિક માટેનો તમામ ખર્ચ મહિલાએ પોતે ભોગવ્યો હોવા છતાં, ક્લિનિકની માસિક આશરે રૂ. 35,000ની આવક સાસરિયાં લઈ લેતા હતાં. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તેના પતિએ ધંધા પર રૂ. 70 લાખની લોન લીધેલી છે. જેના હપ્તા ભરવા માટે પતિ અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો અને દારૂ પીને મારપીટ કરતો હતો. સસરાએ છેડતી કરી હોવાનો મહિલા ડોક્ટરનો આક્ષેપમહિલા ડોક્ટરે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, માર્ચ 2025માં જ્યારે તે તેના સસરાને જમવાનું પીરસવા ગઈ હતી. ત્યારે સસરાએ તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આ બાબતે પતિને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ આવવાને બદલે ઘરકંકાસ વધ્યો હતો. મહિલાના ક્લિનિક પર તાળાં મારી દીધા હતાસામાજિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી દારૂ પીને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પીડિતાના મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વધતા જતા ત્રાસથી કંટાળી મહિલા 12 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તેના ક્લિનિક પર સાસરિયાઓએ બીજા તાળાં મારી દીધા હતા. પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા ને ગાળાગાળી કરી15 ડિસેમ્બરના રોજ જ્યારે મહિલા તેના ભાઈ અને માતા સાથે ક્લિનિકે પહોંચી ત્યારે તેના પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અંતે મહિલાએ પોલીસને બોલાવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:05 pm

સંતોના અપમાન સામે ગૌરક્ષકોનો વિરોધ:ઝાલાવાડમાં રક્તથી પત્ર લખી PMને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા દરમિયાન મૌની અમાસના પવિત્ર દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય હિન્દુ સનાતની સાધુ-સંતો સાથે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અપમાનના પ્રત્યાઘાત રૂપે હતો. આક્રોશ વ્યક્ત કરવા માટે, ગૌરક્ષકોએ રક્તથી લખેલા પત્ર દ્વારા સંતોના સન્માનની રક્ષા કરવાની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન' ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું અપમાન એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે. યુપી પ્રશાસન અને સરકાર દ્વારા સંતો પ્રત્યે દાખવવામાં આવેલી આ ઉપેક્ષા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમની મુખ્ય માંગણીઓમાં પ્રયાગરાજમાં સંતો સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા, ધાર્મિક કાર્યક્રમોમાં સંતોની ગરિમા જળવાય તે માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને સનાતની પરંપરાઓ તથા સાધુ-સંતોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. ગૌરક્ષકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સંતોના સન્માનમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે કલેક્ટરને આ મામલે તાત્કાલિક વડાપ્રધાન કચેરી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:04 pm

દંપતી પર ધારિયા-ધોકાથી હુમલો કરનારા લંગડાતા ચાલ્યાં:3 દિવસ પહેલા પતિ-પત્નીને માર મારનાર આઠમાંથી ચારની ધરપકડ, પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ભાવનાગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી પર 17 જાન્યુઆરીએ હુમલાની ઘટના સામે આવી હતી. હેબતપુર ગામે લગ્ન પ્રસંગમાં પૈસા બાબતે બોલાચાલી કર્યા બાદ અક્ષર પાર્ક વિસ્તારમાં પોલીસ સ્ટેશને અરજી આપી આવી રહેલા પતિ-પત્નીને ઉભા રાખી 8 શખસે ધોકા, ધારીયા, પાઇપ જેવા હથિયારોથી માર માર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા આજે (20 જાન્યુઆરી) બોરતળાવ પોલીસે ચાર શખસને ઝડપી પાડી પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે આરોપીઓ લગડાતા ચાતલા જોવા મળ્યાં હતાં. જૂની અદાવતમાં લગ્નપ્રસંગે ફરી ઝઘડો થયોઆ અંગેની મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષયપાર્ક સોસાયટીમાં રહેતા અજીત લખમણભાઈ રાહાણી બોરતળાવ પોલીસ મથકમાં નીતિન ગંગાભાઈ રાહાણી, મનીષ ગંગાભાઈ રાહાણી, ભરત ગંગાભાઈ રાહાણી, કુબેર ગંગાભાઈ રાહાણી, વિક્રમ ગંગાભાઈનો દીકરો અને અજાણ્યા 3 શખસ મળી કુલ 8 શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસમાં અરજી આપતા હુમલોતેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે નવીન રાહાણી સાથે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી ગત 17 જાન્યુઆરીના રોજ હેબતપુર ગામે સંબંધીને ત્યાં તેના પત્ની મુક્તાબેન બન્ને લગ્નમાં ગયા હતા. ત્યા નવીન રાહાણી સાથે પૈસા બાબતે અગાવ બોલાચાલી થઈ હતી, જે મારી સામે કાતર મારતો હોવાથી, મેં તેને કહ્યું કે, કેમ મારી સામે કતરાશ?. તેમ કહેતા અમારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈ મેં ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે નવીન વિરુદ્ધ અરજી આપી હતી. દંપતીને હાથ-પગ, મોઢા-માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી બાદમાં હું અને મારા પત્ની બંને ભાવનગરના દસનાળા ખાતે પહોંચતા મારા મોબાઈલ ફોનમાં અવાર-નવાર ફોન આવતા ફોન પર નવીન રાહાણી સાથે બોલાચાલી કરી હતી. જેથી હું અને મારી પત્ની સાંજે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપીને આવી રહ્યા હતા, તે સમયે શહેરના અક્ષર પાર્ક પાસે પહોંચતા આરોપીઓએ ધોકા, પાઈપ, ધારીયા લઈ આવી મારી અને પત્ની ઉપર હુમલો કર્યો હતો. હથીયાર અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ચારેય આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈઆ ફરિયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે બીએનએસ એકટ 118(1), 117(2), 115(2), 352, 351(3), 125(b), 189(2), 191(2), 190 અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આજે ભરત ગંગારામ રાહાણી, મનીષ ગંગારામ રાહાણી, કુબેર ગંગારામ રાહાણી, પિયુષ રમેશભાઈ રાહાણીને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા તમામને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ઘટના સમયના સમાચાર માટે ક્લિક કરો…કુંભારવાડામાં દંપતી પર ધોકા-ધારિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર સાથે માથા-આંખના ભાગે ઈજા, હોસ્પિટલમાં દાખલ

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:02 pm

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:વોટ ચોરી મુદ્દે રજૂઆત કરવા જતા પોલીસે અટકાવ્યા, ગેટ બહાર ધરણા કરી ભાજપ હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, કલેક્ટર કચેરીમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગેટ બહાર બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગેટ બહાર ધરણા કરી કલેકટર પ્રશાસન મુર્દાબાદ અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા અને કાર્યક્રતાઓની કલેક્ટરને રજૂઆતકોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચને પત્ર લખી રજૂઆત કરી હતી. SIRની કામગીરી દરમિયાન વોટ ચોરી થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસર પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયોSIRની કામગીરી દરમિયાન મતદારોની જાણ બહાર ફોર્મ 7 BLO દ્વારા બરોબર જમા કરી દેવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં 17 લાખ જેટલા ફોર્મ 7 રાતોરાત જમા થઈ ગયા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી તેને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ કલેકટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણકોંગ્રેસના નેતાઓને કલેકટર કચેરીની અંદર જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના નેતાઓ સહિત તમામ કાર્યકર્તાઓ ગેટની બહાર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. ધરણા પ્રદર્શન પર બેસી કલેકટર પ્રશાસન મુર્દાબાદ તેમજ ભાજપ હાય હાયના નારા પણ કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા હતા. જોકે અનેક રજૂઆત બાદ પણ કલેકટર કચેરીમાં રજૂઆત કરવા માટે જવા ન દેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ બાદ માત્ર પાંચ લોકોને જ કલેકટરને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા રજૂઆતઅમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વોટ ચોરી થતી હોવાનો અમે આક્ષેપ કરી રહ્યા છીએ, પરંતુ બે-ત્રણ દિવસમાં તે સાબિત પણ થઈ ગયું છે. છેલ્લી ઘડીએ લાખો ફોર્મ 7 ભરીને તેમના મતદાન રદ કરવા માટે માગ કરી હતી. દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. કોઈપણ વ્યક્તિનો મત કપાઈ ન જાય તે માટે અમે પૂરેપૂરી લડત લડવાના છીએ. જેથી આજે કલેકટરને રજૂઆત કરી છે. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા માટે રજૂઆત કરી છે. કોઈપણ ખોટું ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી અમારી માગ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:51 pm

સપ્તાહ સુધી રેગ્યુલર રૂ.7500 ભાડું આપી વિશ્વાસ કેળવતા:રાજકોટમાં લક્‍ઝરી કાર સેલ્‍ફ ડ્રાઈવિંગમા ભાડે મેળવી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ, આણંદનો શખ્સ GPS કાઢી રાજ્ય બહાર વહેંચી દેતો

રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપ્યા બાદ આરોપીઓ દ્વારા કાર પરત ન આપી છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખ્સો પૈકી એક શખ્સ રાજકોટમાંથી લકઝરી કાર ભાડે મેળવી એક સપ્તાહ સુધી રેગ્યુલર ભાડું આપી બાદમાં તે કાર આણંદના ગેરેજ સંચાલક શખ્સને વહેંચી દેતો હતો આ પછી તેમાંથી GPS હટાવી ગુજરાત બહારના રાજ્યમાં વહેંચી દેવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી પોલીસે બે થાર ગાડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના અલગ-અલગ વિસ્‍તારોમાં સેલ્‍ફ ડ્રાઈવિંગ કારના માલિકો પાસેથી ગાડી ભાડે લઈ ગયા બાદ આરોપીઓ ભાડું ચુકવતા ન હતા અને ગાડી પરત આપતા પણ ન હતા જે અંગે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન અને તાલુકા પોલીસ સ્‍ટેશનમાં બીએનએસની કલમ 316(2) હેઠળ અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં બે આરોપીઓની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે જેમાં દર્પણ મનસુખલાલ મણવર (ઉ.વ.40) તથા આમીર અસલમભાઈ વોરા (ઉ.વ.32)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં આરોપી દર્પણ મણવર રાજકોટમાંથી અલગ અલગ કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે મેળવતો હતો જેમાં એક દિવસનું રૂ.7500 ભાડું એક સપ્તાહ સુધી નિયમિત ચૂકવતો પણ હતો પછી અચાનક ભાડું ન આપી કાર આણંદના ગેરેજ સંચાલક આમીર વોરાને સસ્‍તા ભાવે વહેંચી દેતો હતો અને તે કારમાંથી GPS હટાવી બાદમાં આ કાર રાજ્ય બહાર વહેંચી દેતો હતો. ઉલ્લેખનીય છે કે દર્પણ મોજશોખ પુરા કરવા માટે પૈસાની જરૂર હોઇ જેથી આ રીતે ભાડેથી કાર લઇ જતો હતો અને ઓછા ભાવે વેંચી જે રોકડ મળે તે વાપરી નાંખતો હતો. હાલ પોલીસે એઓપીઓ પાસેથી મહિન્‍દ્રા થાર જીજે.03.પીજે.9423 કિંમત રૂ.16,20,000ની અને મહિન્‍દ્રા થાર જીજે.09.બીએ.0002 કિંમત રૂ.4,00,000ની કબ્‍જે કરી વધુ કાર રિકવર કરવા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:49 pm

પોસ્ટ માસ્ટરને પાંચ વર્ષની કેદ:બોરસદ કોર્ટે 7940 રૂપિયાની ઉચાપત બદલ સજા ફટકારી, 5 હજારનો દંડ

બોરસદ કોર્ટે બનેજડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરને 5 વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. પૂર્વ પોસ્ટ માસ્ટરને 7,940 રૂપિયાની ઉચાપત બદલ કોર્ટે સજા ફટકારી છે. ઘટનાની વાત કરીએ તો બનેજડા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમાસ્ટર શાંતિલાલ રોહિતે 5 ડિસેમ્બર 2004 થી 28 જાન્યુઆરી 2005 દરમિયાન ખાતેદારો પાસેથી નાણાં લીધા હતા અને પાસબુકમાં નોંધ પણ કરી હતી. પરંતુ નાણાં ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હતા. ઘટના સામે આવતા પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને પોલીસે પુરાવા એકઠા કરીને બોરસદ કોર્ટમાં રજૂ કર્યા. જેના આધારે કોર્ટે પોસ્ટમાસ્ટરને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી છે

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:49 pm

ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી

રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી AC સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે AC સીટર બસનો પ્રારંભરાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની પ્રિમિયમ બસ સેવા અંતર્ગત વોલ્વો બસ ચાલી રહી છે. હવે તેમાં એસી સીટર બસનો ઉમેરો થયો છે. આજથી એસી સીટર બસનો પ્રારંભ કરાયો છે. જેનું ભાડુ વોલ્વો બસ કરતા ઓછું રહેશે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસના સ્ટીયરીંગ પર હાથ અજમાવ્યોએસી સીટર બસના પ્રારંભ સમયે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર હાલ 4 વોલ્વો બસ છે અને હવે એસી સીટર બસ શરૂ થઈ છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે. ગાંધીનગરથી સવારે 7-30 કલાકે અને રાજકોટથી બપોરે 4 કલાકે બસ ઉપડશેરાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ - ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ - ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે. વોલ્વોની સરખામણીએ એસી સીટર બસમાં રૂ. 163નો ફાયદોજ્યારે આ બસમાં મુસાફરી કરતી યુવતી જીલે જણાવ્યું હતું કે હું અમદાવાદમાં જોબ કરું છું અને રાજકોટ છે ઘણીવાર અમદાવાદ એસટી બસમાં જાઉં છું મને ખ્યાલ ન હતો કે આ પ્રથમ એસી સીટર બસ છે. જોકે બુકિંગ કરાવતા માલૂમ પડ્યું કે વોલ્વો કરતા આ બસનું ભાડું ઓછું છે. રાજકોટથી અમદાવાદ વોલ્વો ભાડું રૂ.562 છે. જ્યારે આ એસી સિટર બસનું અમદાવાદ સુધીનું ભાડું રૂ.399 છે. જેથી રૂ.163 નો ફાયદો થાય તેમ છે. સૌરાષ્ટ્ર માટે અલગ ઈન્કવાયરી બારીનો પ્રારંભ કરાયોરાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના લોકો અને પદાધિકારીઓની માંગણી હતી કે રાજકોટ થી ગાંધીનગરની સાંજની એસી સીટર બસ શરૂ કરવામાં આવે. જેથી આ બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને શનિ - રવિવારે કે અન્ય કોઈ દિવસે ગાંધીનગર સાંજના સમયે જવું હોય તો તેઓ જઈ શકશે. આ સાથે જ રાજકોટનું હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે અલગ ઇન્ક્વાયરી બારી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજકોટ સેન્ટ્રલ બસપોર્ટ ખાતે 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. જેની ઇન્કવાયરી ઓફિસ પ્લેટફોર્મ નં.1/2 ની સામે સંયુક્ત રીતે કાર્યરત હોવાથી પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી મુસાફરી કરતા મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નં.1/2 સુધી આવવું પડતું હતુ. જેના કારણે મુસાફરોને અસુવિધા અનુભવાતી હતી. આ મુસાફરોની અગવડતા દૂર કરવા હેતુસર હવે પ્લેટફોર્મ નં. 17ની સામે અલાયદી પૂછપરછ બારી ઉભી કરવામાં આવી છે. આ નવી પૂછપરછ બારી ઉપર પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી ચાલતી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાઓ જેમ કે અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા, ઝાલોદ, મંડોર, પીટોલ વગેરે સ્થળોની કુલ આશરે 650 ટ્રિપની ઇન્કવાયરી થવા પામશે. આ વ્યવસ્થાના અમલથી મુસાફરોને પડતી અસુવિધા દૂર થવા પામશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:38 pm

જૂનાગઢના મેંદરડામાં કુદરતનો બેવડો માર:મેંદરડા પંથકમાં રવિ પાક પર 'પીળિયા' રોગનો કહેર, ખેડૂતો ચિંતાતુર,અતિવૃષ્ટિ બાદ હવે રવિ પાકમાં ભેદી રોગચાળો, ઘઉં-ચણાનો પાક સુકાતા ધરતીપુત્રો દેવાના ડુંગર નીચે દબાયા.

​જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મોંઘાદાટ બિયારણ,ખાતર અને દવાઓનો ખર્ચ કરીને વાવેલા ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર હવે ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં જોવા મળતા 'પીળિયા' રોગને કારણે ઉભો મોલ સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ​મેંદરડાના ખેડૂત પરસોત્તમ ઢેબરિયાના જણાવાયું હતું કે કમોસમી વરસાદથી ખરીફ સીઝન પલળી ગયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે ઘઉંના પાકમાં પહેલીવાર એવો રોગ જોવા મળ્યો છે કે જેમાં શરૂઆતમાં પાક સારો દેખાય છે, પણ થોડા દિવસો બાદ તેનો વિકાસ અટકી જાય છે. ઘઉંનો કુદરતી લીલો પોપટી કલર બદલાઈને પીળો પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ એગ્રોમાંથી મોંઘી દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી,જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ડબલ ફટકો પડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો આ રોગની તપાસ કરે અને સચોટ દવાની ભલામણ કરે. ​હેસિયત નરેન્દ્રભાઈ ખૂંટે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે વર્ષોથી ખેતી કરવા છતાં આવો અનુભવ ક્યારેય થયો નથી. બે પાણી પાયા બાદ અચાનક જ પાક પીળો પડવા માંડ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશકો વાપર્યા છે, છતાં મહેનત પાણીમાં જતી દેખાય છે. ખેડૂતોનો અનુરોધ છે કે સરકાર કૃષિ નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી લેબોરેટરી તપાસ કરાવે અને રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવે, જેથી દેવાના ડુંગર નીચે દબાઈ રહેલા જગતના તાતને થોડી રાહત મળી શકે. જો સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે. ​હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું છે કે, હાલ ઠંડીનું પ્રમાણ વધતા પાક ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળશે. ઘઉં અને ચણાના પાકમાં હાલ દાણા ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નીચું તાપમાન આ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી જળવાઈ રહેશે તો પાક મોડો આવશે, જેની અસર ઉનાળુ પાકના વાવેતર પર પણ પડશે. ઠંડીના કારણે પાકના મૂળની કાર્યપદ્ધતિ ધીમી પડતી હોવાથી ખેડૂતોને આ સમયે વધુ પડતું ખાતર ન આપવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં ખેડૂતોને ઠંડીથી પાક બચાવવા માટે સવાર-સાંજ હળવું પિયત આપવાની પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું છે. ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી પાકની આસપાસનું તાપમાન જળવાઈ રહે છે અને નુકસાન અટકાવી શકાય છે. તેમજ પાકની આસપાસ કચરો સળગાવીને ધુમાડો કરવાથી પણ તાપમાન જાળવવામાં મદદ મળે છે. મેંદરડા પંથકના ખેડૂતો અત્યારે વહીવટી તંત્ર અને સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ વિશેષ પેકેજ કે માર્ગદર્શન આપવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:33 pm

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના હોદ્દેદારોની વરણી:શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલ બેઠકમાં 25 જેટલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને મહત્ત્વની જવાબદારી સોંપાઈ

મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠક યોજાઈ હતી, જેમાં બજરંગ દળ સહિત વિવિધ પ્રખંડના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠક શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આગામી કાર્યક્રમો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના મોરબી પ્રખંડ માટે નીચે મુજબના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી: જીતુભાઈ રાજેશભાઈ સેતા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, નિલેશભાઈ સામતભાઈ ડાંગર - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઇ સીતાપરા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ સહમંત્રી, કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ - બજરંગ દળ મોરબી પ્રખંડ સંયોજક, પંકજભાઈ દિનેશભાઈ નકુમ - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, વિશાલભાઈ સુરેશભાઈ ડોડીયા - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, મેહુલભાઈ રમેશભાઈ ડોડીયા - મોરબી પ્રખંડ સામાજીક સમરસતા સંયોજક, યશભાઈ પ્રફુલભાઈ પરમાર - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક, ગૌરાંગભાઈ વિક્રમભાઇ દવે - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સહસંયોજક, જયદીપભાઈ રાયધનભાઇ સોઢિયા - મોરબી પ્રખંડ ધર્મ પ્રસાર સંયોજક, હિતરાજસિંહ હરૂભા પરમાર- મોરબી પ્રખંડ ગૌ રક્ષા પ્રમુખ, યશભાઈ ગિરીશભાઈભાઈ વાઘેલા - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, સંદીપભાઈ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, નિકુંજભાઈ પટેલ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, રાજેશભાઈ રમેશચંદ્ર શાહ - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સંયોજક, અનિલભાઈ મેઘજીભાઈ દુદકિયા - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક, જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ - મોરબી પ્રખંડ સેવા પ્રમુખ, ગુંજનભાઈ જયંતભાઈ ઠાકર - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ, ભરતભાઈ ભગવાનજીભાઈ જિંજુવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, સનિભાઈ રતિલાલભાઈ કલોલા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, ભાવેશભાઈ કુંભારવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, કિશનભાઇ રાકેશભાઈ વરસડા - મોરબી પ્રખંડ બજરંગ દળ સાપ્તાહિક મિલન કેન્દ્ર સહ પ્રમુખ, હરિભાઈ લવજીભાઈ ઉભડિયા - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં પ્રમુખ, અભયભાઈ ભરતભાઈ રામાનુજ - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં સહપ્રમુખ, દેવાંશભાઈ દિપકભાઈ હિરાણી - મોરબી પ્રખંડ બજરંગ દળ કોલેજીયન પ્રમુખ. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

આણંદમાં રૂ. 1.63 કરોડની છેતરપિંડી:તાંત્રિક વિધિના બહાને ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોજીત્રાના એક વેપારી પાસેથી રૂ. 1.63 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડને આણંદના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત સોજીત્રાના હામી સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવતા કામિલભાઈ ઇકબાલભાઈ વ્હોરા સાથે થઈ હતી. ગત 5 જાન્યુઆરી, 2024ના રોજ કામિલભાઈના શોરૂમ પર તેમના ફળિયામાં રહેતા જાવેદભાઈ ઐયુબભાઈ વ્હોરા આવ્યા હતા. તેમણે પોતાના બનેવી સફીમહંમદભાઈ સબુરભાઈ વ્હોરા માટે ભાડાનું મકાન શોધવા કહ્યું હતું. કામિલભાઈએ સમીરપાર્ક સોસાયટીમાં મિત્ર મોહસીનભાઈ અબ્દુલજબ્બાર વ્હોરાનું મકાન સફીમહંમદભાઈને ભાડે અપાવ્યું હતું. બે દિવસ પછી, સફીમહંમદભાઈ તેમના પુત્ર સાહિલ, પત્ની ઇમરાબાનેબ, સિરાજભાઈ મહોમદસઈદભાઈ વ્હોરા (રાજુ ઉર્ફે કચી) અને અયાન સિરાજભાઈ વ્હોરા સાથે કામિલભાઈની દુકાને આવ્યા. તેમણે જણાવ્યું કે મુંબઈમાં ONGCનો તેમનો ટેન્ડર બે મજૂરોના મૃત્યુને કારણે અટકી ગયો છે અને તેને ફરી શરૂ કરવા માટે ONGC અધિકારીને 8 લાખ રૂપિયા આપવાના છે. બેંક એકાઉન્ટ બ્લોક હોવાનું કહી, તેમણે 7 દિવસમાં પરત કરવાની બાંહેધરી સાથે 8 લાખ રૂપિયા ઉછીના લીધા. આ પછી, ટોળકીએ કામિલભાઈને બે મોઢાવાળા સાપ, શેરવો અને બાર નખવાળો કાચબો બતાવીને તાંત્રિક વિધિ દ્વારા આખા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી. આ ધમકીઓ આપીને તેમણે કામિલભાઈ પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવી લીધા. પરિવારને તાંત્રિક વિધિથી બચાવવાના બહાને, ટોળકીએ એક દિવસના 21 હજાર રૂપિયા લેખે 60 દિવસના કુલ 12.60 લાખ રૂપિયા પણ કામિલભાઈ પાસેથી લીધા. આ ઉપરાંત, હીરા છોડાવવા, સોનાના બિસ્કિટ લેવા, મકાન વેચાણ રાખવા, મિત્રના બીમાર દીકરાની સારવાર, તાંત્રિક વિધિનો સામાન ખરીદવા અને મુંબઈના સ્ક્રેપ માટે રૂપિયા છોડાવવા જેવા અનેક બહાના હેઠળ કામિલભાઈ પાસેથી કુલ 1,63,33,511 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ કરી રહેલી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલા રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડ (રહે. દહેમી, તા. બોરસદ) ને ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે સોજીત્રા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

મવડી વિસ્તારમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોની હરરાજી કરાશે, રૂ. 15.80 લાખથી અપસેટ કિંમત શરૂ થશે

રાજકોટ મહાપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરરાજી આવતીકાલ 21 જાન્યુ.નાં રોજ સવારે 9:00 કલાકે યોજાશે. મવડી ટી.પી. સ્કીમ 27ના પ્લોટ નં. 51 B ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલી આ મોકાની દુકાનો માટેની અપસેટ કિંમત રૂ. 15,80 લાખથી રૂ. 25,70 લાખ સુધી રાખવામાં આવી છે. ટાઈટલ ક્લિયર અને 100% દસ્તાવેજ સાથેની આ દુકાનો માટે કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકાશે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય મિની સુપર માર્કેટ, ડેરી, ક્લિનિક તેમજ સલૂન જેવા વ્યવસાયો માટે ઉત્તમ છે. આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ રૂ. 2,00,000 ની ડીપોઝીટનો ચેક કે ડીડી 'રાજકોટ મહાનગરપાલિકા' ના નામે જમા કરાવવાનો રહેશે. બોલીની શરૂઆત રૂ. 10,000 ના ગુણાંકમાં કરવાની રહેશે. જેની બોલી મંજૂર થાય તેણે કુલ કિંમતના 25% રકમનો ચેક સ્થળ પર જ આપવાનો રહેશે, જ્યારે બાકીના 75% રકમ મંજૂરી મળ્યાના 60 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. હરરાજી અંગેની વધુ વિગતો અને ડીપોઝીટ માટે એસ્ટેટ શાખા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આ બાબતે આખરી ગણાશે. મનપાનાં ફૂડ વિભાગે, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 7 ધંધાર્થીઓને નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નાના મવા રોડ પર ભીમનગર ચોક પાસે આવેલી કિંગ ઓફ ફૂડ નામની પેઢીમાંથી 8 કિ.ગ્રા. વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી અને મંચુરિયન જેવો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ઉપરાંત, મવડી રોડ પર આવેલી બાલાજી ઢોસા અને શ્રી રેસ્ટોરેન્ટ ને હાઈજેનિક કન્ડિશન તેમજ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા જય ભીમ ચોક અને રેસકોર્ષ વિસ્તારમાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વેપાર કરતા 07 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં મારુતિ જનરલ સ્ટોર, મેલડી કૃપા પ્રોવિઝન, જેનીલ કાવો અને શ્રી રાજલ ઘૂઘરા સહિતના એકમોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રેલનગર હેડ વર્કસમાં મેઇન્ટેનન્સ અને પાઇપલાઇન જોડાણની કામગીરી પૂર્ણ થતા પાણી વિતરણ ફરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડ વર્કસ ખાતે તા. 17/01/2026ના રોજ પાણી વિતરણ બંધ રાખીને વિવિધ વિભાગો દ્વારા જાળવણી અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મિકેનીકલ વિભાગ દ્વારા સંપની અંદર ખરાબ થયેલી સક્શન પાઇપલાઇન બદલાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા ટુ પોલ સ્ટ્રકચરની સર્વિસ અને એલ.ટી. પેનલનું ક્લીનિંગ તથા પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિવિલ વિભાગ દ્વારા નવા GSRનું જુના GSR અને પાઇપલાઇન સાથે જોડાણ કરવાની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને OM વિભાગ દ્વારા જુના સંપની સફાઈ કરવામાં આવી હતી. આ તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતા તા. 18/01/2026થી રેલનગર હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:31 pm

વડોદરામાં ભાઈ બહેનની દાદાગીરી:રાજરાણી તળાવ પાસે MGVCLની કચેરી પર ભાઈ બહેને આવી હંગામો મચાવ્યો, વીજ કનેક્શન કાપી મીટર લઈ જનાર કર્મચારીઓને ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી 11 હજાર રૂપિયા વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચારીઓને ગાળો બોલવા સાથે તમને હું ઓળખું છું બહાર નીકળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી લાઈન મેને ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતાં દશ્વતભાઇ અબ્બાસભાઈ શેખ પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા જી.ઈ.બી. સબ ડીવિઝન ઓફીસમા છેલ્લા 22 વર્ષથી લાઈનમેન તરીકે નોકરે કરે છે.19 જાન્યુઆરીના રોજ અધિકારી તરફથી વીજ બીલ બાકી હોય તેમને વીજ બીલ ભરવા જાણ કરવી અને વીજ બીલ ના ભરે તો બીજા દિવસે વીજ કનેક્શન કાપવાની સાથે મીટર કાઢી લાવવાની સુચના મળી હતી. જેથી સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ પાણીગેટ જીઈબી સબ ડીવીઝનમાથી ઈંચાર્જ નાયબ ઇજનેર પંકજ એમ. પાટીલે ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ સંદિપભાઈ જયંતીભાઈ રાણા તથા રામસીંગભાઈ રાઠોડને રાજારાણી તળાવ જીઈબીની બાજુનો વિભાગ ફાળવ્યો હતો અને જેમના વીજ બીલ ભરેલ ન હોય તેઓના કનેક્શન કાપી નાખવા તેવી સૂચના આપી હતી.જેના આધારે આ વીજ કર્મચારીઓ ગ્રાહક સૈયદખાન નિઝામખાન પઠાણના ઘરે જઈને તપાસ કરી હતી. ગ્રાહકે છેલ્લા ચાર માસથી અનિયમીત બિલ ભરતા હોય તથા તેઓનુ રૂપિયા 11,312 બીલ બાકી હોય તેમને જાણ કરાઈ હોવા છતાં તેઓ બિલ ભર્યું ન હતું. લાઈનમેન સહિતના કર્મચારી સવારના દસેક વાગ્યાની આસપાસ તેઓનુ મીટર કાપીને પાણીગેટ જીઈબી ઓફીસ લઈને આવ્યા હતા.દરમિયાન બપોરના ત્રણેક વાગ્યા આસપાસબધા કર્મચારી હાજર હતા. ગ્રાહક સૈયદખાન ઉર્ફે રાજુ પઠાણ જીઈબી ઓફીસ પર આવ્યો હતો અને મીટર કાપવા બાબતે ત્યા હાજર જીઈબી ના કર્મચારીઓને બિભત્સ ગંદી ગાળો આપવા સાથે તેણે બધાને ઓળખુ છુ તમે બહાર આવો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. થોડી જ વારમાં ગ્રાહક ચાકુ હાથમા ચપ્પુ લઈને આવ્યો હતો અને ત્યા બહાર ઉભો રહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમિયાન તેની બહેન જુબેદા મલેક ત્યા આવી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગી હતી. જેથી સરકારી કર્મચારીને ધમકી આપવા બદલ પોલીસે ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મારામારી મામલે 8 સગીર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, મહા મહિનામાં માવઠાની દહેશત

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:29 pm

ગોધરામાં પતંગ ચગાવતો બાળક ધાબા પરથી પટકાયો:આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, વડોદરા રિફર કરાયો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે પતંગ ચગાવતી વખતે 8 વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિંઝોલ ગામનો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ક્રિષ્નાને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક કાકણપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ વધુ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સઘન સારવાર માટે વડોદરા રિફર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:28 pm

શાળામાં માતૃ-પિતૃ પૂજન:મોરબીની શાળામાં 400થી વધુ વિદ્યાર્થિનીઓએ કર્યું પૂજન, મૂલ્ય શિક્ષણ અને સંસ્કાર સિંચનનો પ્રયાસ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાને હાર પહેરાવી, આરતી ઉતારી અને પ્રદક્ષિણા ફરીને વિશેષ પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર અને પ્રેમની ભાવના દ્રઢ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મૂલ્યશિક્ષણ આપવાનો, માતા-પિતાના પ્રેમને સમજાવવાનો અને જીવનમાં તેમના મહત્વને સમજાવવાનો હતો. આનાથી બાળકોમાં સંસ્કાર સિંચન થાય અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બને. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અને વિભક્ત થતા પરિવારોને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમોનું મહત્વ ઘણું વધી જાય છે. આવા આયોજનો દ્વારા બાળકોમાં પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ, જયેશભાઈ, રસીલાબેન, નયનાબેન તથા શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:22 pm

દાહોદમાં આંગણવાડી વિઝિટ ટ્રેકર એપનો પ્રારંભ:બાળકોના ગ્રુપ ફોટામાં દેખાતી સંખ્યા મુજબ જ જથ્થો નક્કી કરતી પારદર્શક AVT એપ્લિકેશન

દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ (AVT) એપ્લિકેશનનો દેવગઢ બારિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની સૂચના અનુસાર, દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ એપ્લિકેશન અમલમાં મૂકાઈ છે. અગાઉ દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકરો ‘સુપોષિત દાહોદ’ પોર્ટલ પર લાભાર્થીઓની એન્ટ્રી કરતી હતી. હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓનું વધુ સઘન અને પારદર્શક મોનીટરીંગ સુનિશ્ચિત કરવા AVT એપ્લિકેશનમાં “Automatic Beneficiary Count” નામની નવી સુવિધા શરૂ કરાઈ છે. આનાથી આંગણવાડી કેન્દ્રોમાં સેવાઓ લેતા લાભાર્થીઓની હાજરી અને લાભની ચોકસાઈ વધશે. આ એપ્લિકેશન અંતર્ગત, આંગણવાડી કાર્યકરોએ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન કેન્દ્રમાં હાજર બાળકોના ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. અપલોડ કરાયેલા ફોટોગ્રાફમાં દર્શાવાયેલી સંખ્યાના આધારે સરકાર તરફથી ફાળવાતો અનાજનો જથ્થો નક્કી થશે. આ વ્યવસ્થાથી ખોટી ગણતરી અટકશે અને સાચા લાભાર્થી સુધી યોગ્ય પ્રમાણમાં પોષણ સામગ્રી પહોંચશે. સરકારે AVT એપ્લિકેશનનું Advanced Version પણ અમલમાં મૂક્યું છે. આ સંસ્કરણમાં, આંગણવાડી કેન્દ્ર પર લાભ લેતા તમામ લાભાર્થીઓના ફોટોગ્રાફ કાર્યકર દ્વારા અપલોડ કરવાના રહેશે. તેના આધારે લાભાર્થીઓ ખરેખર 100% સેવાઓનો લાભ લઈ રહ્યા છે કે નહીં તેનું મોનીટરીંગ સીધું ગાંધીનગરથી કરવામાં આવશે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોમાં વપરાતા મસાલાના બીલોની ચુકવણી પણ આ એપ્લિકેશનમાં થયેલી એન્ટ્રીના આધારે કરવામાં આવશે. આનાથી નાણાકીય પારદર્શિતા વધશે અને સેવાઓ વધુ અસરકારક બનશે. આ સમગ્ર વ્યવસ્થાનો હેતુ વધુમાં વધુ લાભાર્થીઓ આંગણવાડી સેવાઓનો લાભ લે તે સુનિશ્ચિત કરવાનો છે, જેના માટે મુખ્ય કચેરી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:14 pm

AMCએ ફાયર સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા રદ કરી:આજે પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયાનો ઉમેદવારોનો આક્ષેપ, આગામી 11 ફેબ્રુઆરીના ફરી પરીક્ષા લેવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા લેવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. ‘પ્રશ્નો સિલેબસ બહારના પૂછાતા પરીક્ષાને રદ કરી’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લિમિટ પરીક્ષા લેવા માટે કામગીરી આપવામાં આવી હતી. પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પૂછવામાં આવ્યા હોવાના પગલે હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. 8 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારોઅમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની ભરતી કરવામાં આવનાર હતી, જેને લઈને જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 8 જેટલા ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. આજે સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યોઆ ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે 20 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી. સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં સિલેબસ બહારના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને પરીક્ષા લેવા માટે એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશેસમગ્ર બાબત સામે આવતાની સાથે જ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. એ બાદ પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:07 pm

પૂર્વ ધારાસભ્યના પુત્રએ જન્મદિવસની ઉજવણી કરી:1200થી વધુ વિદ્યાર્થીઓને 600 કિલો ચિક્કીનું વિતરણ કર્યું

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્યું હતું. આ ઉજવણી અંતર્ગત, વઢવાણની શાળા નં. 13, શાળા નં. 17, ડાંગશિયા વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચિક્કી આપવામાં આવી હતી. કુલ અંદાજે 600 કિલોગ્રામ ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નરેશભાઈએ દરેક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે સંવાદ સાધ્યો અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમને સ્વહસ્તે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ પણ અર્પણ કર્યા હતા. નરેશભાઈ વર્ષોથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવે છે. પૌષ્ટિક આહારના મહત્વને સમજાવતા આ કાર્યક્રમથી શાળાઓમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ પણ આ પહેલની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:05 pm

આણંદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં બે ઝડપાયા:નડિયાદના ઉત્તરસંડામાં મિત્રએ ઘર બંધ કરી આપ્યું અને તુષારે રાધમ કૃત્ય આચર્યું , બન્ને જેલહવાલે

આણંદ શહેરના સાંગોળપુરા વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા તુષાર બારૈયાએ 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગુનામાં મદદગારી કરનાર તેના મિત્ર સહિત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગત મુજબ, આરોપી તુષાર બારૈયાએ સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. ગત 1 જાન્યુઆરીના રોજ 'તને મારી માતા સાથે મુલાકાત કરાવું' તેમ કહી સગીરાને એક્ટિવા પર બેસાડી નડિયાદના ઉત્તરસંડા ખાતે તેના મિત્ર કિશન તડવીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કિશન ઘરને બહારથી તાળું મારી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તુષારે સગીરાને બદનામ કરવાની અને મેસેજો ઘરે બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે એટલેથી ન અટકીને સગીરાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હોવાની અને તેને વાયરલ કરવાની ધમકી આપી ગ્રીડ ચોકડી પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો. ગભરાયેલી સગીરાએ ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS ની વિવિધ કલમો અને પોકસો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ગત રાત્રે મુખ્ય આરોપી તુષાર અને તેના મિત્ર કિશનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:04 pm

મહારાષ્ટ્રની આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:નવસારી LCBએ 9 ચોરીનો ભેદ ઉકેલ્યો, ₹3.69 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધ ફ્લેટોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સોનાની લગડી, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹3.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીઓને રોકવા માટે રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલની સૂચનાથી LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે PSI એમ.બી. ગામીત અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે, ચોરી કરનાર ગેંગ મહારાષ્ટ્રથી બાઈક પર દાગીના વેચવા સુરત તરફ જઈ રહી હતી. પોલીસે સીસોદ્રા બ્રિજ પાસે વોચ ગોઠવી સર્વિસ રોડ પરથી બે રીઢા તસ્કરોને પકડી પાડ્યા હતા. આ ગેંગની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે પોલીસે માહિતી આપી હતી. આરોપીઓ મહારાષ્ટ્રના નાલાસોપારા અને વિરારથી બાઈક પર નીકળતા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ બાઈક પર ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાવતા હતા. દિવસ દરમિયાન તેઓ એપાર્ટમેન્ટ્સમાં રેકી કરતા હતા અને બંધ ફ્લેટોના તાળા-નકુચા તોડી ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તે જ દિવસે તેઓ પરત મહારાષ્ટ્ર ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં શાવેઝ દુલારે અનવર ખાન (ઉંમર 39, રહે. નાલાસોપારા, પાલઘર) અને મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ ચૌધરી (ઉંમર 36, રહે. વિરાર, પાલઘર) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સાજીદ અકબરઅલી શેખ (રહે. વિરાર વેસ્ટ) અને જતીન ઉર્ફે જીતુચુરી રમેશ પાટીલ (રહે. નાલાસોપારા) વોન્ટેડ છે. LCB પી.આઈ. વી.જે. જાડેજા, એસ.વી. આહીર, PSI એમ.બી. ગામીત, વાય.જી. ગઢવી તથા એલ.સી.બી. નવસારીનો અન્ય સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલી હતો. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કુલ 9 ચોરીઓની કબૂલાત કરી છે. આ ચોરીઓ નવસારી (રુરલ, જલાલપોર, બિલીમોરા, ટાઉન), સુરત (રાંદેર, ભેસ્તાન), આણંદ (ભગતસિંહ ચોક પાસે) અને ભરૂચ (અંકલેશ્વર) જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:57 pm

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી આવતીકાલથી શરૂ:જામનગર હેડક્વાર્ટરમાં તૈયારીઓ પૂર્ણ, પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે

જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને આશરે દોઢ મહિના સુધી ચાલશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ 42,000થી વધુ ઉમેદવારો ભાગ લેશે. પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે. ત્યારબાદ 1200 ઉમેદવારો અને રજાના દિવસો બાદ દરરોજ 1600 ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સાથે 200 ઉમેદવારો રનિંગ ટ્રેક પર દોડશે. આશરે 385 મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 5000 મીટરની દોડ માટે ઉમેદવારોએ 13 રાઉન્ડ 25 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. ઉમેદવારોની સુવિધા માટે તંત્ર દ્વારા કેન્ટીન અને ટોયલેટ બોક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ પર 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ પણ સતત હાજર રહેશે. મેડિકલ સુવિધા માટે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, તેમજ જી.જી. હોસ્પિટલના ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ રહેશે. ગ્રાઉન્ડમાં ફક્ત શારીરિક કસોટી આપનાર ઉમેદવારોને જ પ્રવેશ મળશે. કોઈપણ પ્રકારની ડિજિટલ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શી રીતે હાથ ધરવામાં આવશે. અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. ઉમેદવારોની સુરક્ષા અને સુવિધા માટે એસ.ટી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:52 pm

212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપીની ધરપકડ:ધો.8થી 10 પાસ ભેજાબાજોએ ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવ્યા, બેંકર્સને છેતરવા નકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કર્યું

સુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે આ ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટમાં ઉદ્યમ સર્ટિફિકેટથી લઈને GSTના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેઓએ કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ પર બનાવી દીધા અને બેંકના કર્મચારીઓને કાનોકાન ખબર પણ પડી નહીં. હાલમાં બેંક કર્મચારીઓની આ નેટવર્કમાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?આ સમગ્ર પ્રકરણની શરૂઆત ગત 9 ઓક્ટોબર 2025 ના રોજ થઈ હતી. જ્યારે સાયબર સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી પ્રવીણ ધાંધલ પકડાયો હતો, જેની પાસેથી મોટી માત્રામાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીના કબ્જામાંથી 132 જેટલી કોરી ચેકબુક, 19 પાસબુક, 12 ડેબિટ કાર્ડ અને 35 ક્યુઆર કોડ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 54 સિમકાર્ડ કવર અને 7 રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ બોગસ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન સુરત સાયબર સેલને કુલ 154 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. જ્યારે આ ખાતાઓની બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ખાતાઓમાં અત્યાર સુધીમાં કુલ 212,87,97,974 (212.87 કરોડ) રૂપિયાના ટ્રાન્જેક્શન થઈ ચૂક્યા હતા. સાયબર ફ્રોડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડઆ રેકેટમાં પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓ આ મસમોટા રેકેટમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. આ આરોપીઓ પૈકી મોટાભાગના માત્ર ધોરણ 8 અને 10 સુધી જ ભણેલા છે, છતાં તેઓએ બેંકિંગ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવીને હજારો કરોડોના વ્યવહાર ધરાવતા એકાઉન્ટ્સ ઊભા કર્યા હતા. આરોપી અંકિતપરી ગૌસ્વામીધરપકડ કરાયેલો પ્રથમ આરોપી અંકિતપરી ગોરધનપરી ગૌસ્વામી છે. જેની ઉંમર 28 વર્ષ છે. તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનો વતની છે અને હાલ સુરતના પુણા ગામ વિસ્તારમાં રહે છે. અંકિતપરી નોકરી કરીને પોતાનું જીવન ગુજારતો હતો, પરંતુ વધુ પૈસાની લાલચમાં તે આ સાયબર ગેંગમાં જોડાઈ ગયો હતો. તેની મુખ્ય ભૂમિકા ગેંગને પોતાના નામના બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવાની હતી. અંકિતપરી માત્ર ધોરણ 8 સુધી જ ભણેલો છે. આટલું ઓછું શિક્ષણ હોવા છતાં તેણે HDFC, RBL અને DCB જેવી બેંકોમાં 3 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેણે આ એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યા હતા. દરેક એકાઉન્ટ દીઠ તેણે 30,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું. તેના ખાતાઓમાં અંદાજે 88,32,054 રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે, જેના આધારે તેની સામે 5 જેટલી ફરિયાદો દેશભરમાં નોંધાયેલી છે. આરોપી ચેતન લિંબાણીબીજો મહત્વનો આરોપી ચેતન પ્રફુલભાઇ લિંબાણી છે. જેની ઉંમર 32 વર્ષ છે. તે સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને મૂળ ગીર સોમનાથના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામનો વતની છે. ચેતન પોતે વેપાર સાથે સંકળાયેલો હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. તેની ધરપકડ બાદ સાયબર ક્રાઈમની મોટી કડીઓ પોલીસના હાથે લાગી છે. તે પ્રવીણ ધાંધલના સીધા સંપર્કમાં રહીને કરંટ એકાઉન્ટ્સ મેનેજ કરતો હતો. ચેતન લિંબાણી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવે છે. તેણે Indian Bank, Bank of Maharasthra અને IDFC First Bank માં 3 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે વ્યવસાયના પુરાવા જરૂરી હોય છે, જે તેણે બોગસ બનાવ્યા હતા. તેણે એકાઉન્ટ દીઠ 1,00,000 રૂપિયા લેખે કુલ 3,00,000 નું કમિશન લીધું હતું. તેના ખાતાઓમાંથી 7,52,28,940 થી વધુના ટ્રાન્જેક્શન થયા છે. આરોપી બીપીન સાવલીયાત્રીજો આરોપી બીપીન અશોકભાઇ સાવલીયા છે, જેની ઉંમર 32 વર્ષ છે. બીપીન મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામનો વતની છે અને સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. તે વ્યવસાયે મજૂરી કામ કરતો હતો. એક સામાન્ય મજૂર તરીકે કામ કરતો વ્યક્તિ આટલા મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયબર ફ્રોડમાં સામેલ હોય તે પોલીસ માટે પણ આશ્ચર્યની વાત હતી. તેની આર્થિક નબળાઈનો લાભ ગેંગે ઉઠાવ્યો હતો. બીપીન સાવલીયાએ પણ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેણે HDFC, RBL, YES Bank અને Kotak Bank માં કુલ 4 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. મજૂરી કામ કરનાર બીપીને આ એકાઉન્ટ્સ કમિશનના બદલામાં ગેંગને સોંપી દીધા હતા. તેણે કુલ 1,20,000 રૂપિયા કમિશન તરીકે મેળવ્યા હતા. તેના એકાઉન્ટ્સમાં 40,34,359 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેમાં 2 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી અજય ગૌસ્વામીચોથો આરોપી અજય ગોરધનપરી ગૌસ્વામી છે, જે 31 વર્ષનો છે. તે અંકિતપરીનો ભાઈ છે અને ભાવનગરના મોટા ખુંટવડા ગામનો વતની છે. અજય સુરતના સીતાનગર સોસાયટી વિસ્તારમાં રહે છે અને નોકરી કરતો હતો. આ ટોળકીમાં અજયની ભૂમિકા કરંટ એકાઉન્ટ્સ ખોલાવીને મોટા ટ્રાન્જેક્શનને સરળ બનાવવાની હતી. તે પોતાના ભાઈ સાથે મળીને આ નેટવર્કને સુરતમાં મજબૂત કરવામાં મદદ કરતો હોવાનું જણાયું છે. આ આખી ટોળકીમાં અજય ગૌસ્વામી સૌથી વધુ ભણેલો છે, તેણે B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. કોમર્સના સ્નાતક હોવાથી તેને બેંકિંગ પ્રક્રિયાઓની સારી જાણકારી હતી. તેણે IDBI અને Bank of Baroda માં 2 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ માટે તેણે બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2,00,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું અને તેના ખાતામાંથી 2,64,73,866 ના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આરોપીઓએ બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ પણ ઉભી કરી હતીડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ માત્ર નકલી આધાર કાર્ડ કે પાન કાર્ડ જ નહોતા બનાવતા, પરંતુ કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબર પણ બોગસ ઉભા કરતા હતા. જ્યારે બેંક કર્મચારીઓ સ્થળ તપાસ માટે આવે, ત્યારે આ આરોપીઓ કામચલાઉ ધોરણે બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ જેવું વાતાવરણ ઉભું કરી દેતા હતા, જેથી બેંક કર્મચારીઓને શંકા ન જાય.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:51 pm

બાવકા PHC ખાતે ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ:અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી; ગ્રામજનોએ સેવાઓનો લાભ લીધો

બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાના હેતુથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા તેમજ મેડિકલ ઓફિસર ડૉ. પન્ના ડામોર અને ડૉ. વિકાસ રાવલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર, ચાંદાવાડા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનમાં ગ્રામ્ય જનતાને આરોગ્યના તમામ ક્ષેત્રોમાં લાભ મળે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાન્ય આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ, પીએમજેએવાય (PMJAY) કાર્ડ બનાવટ, ABHA ID નોંધણી, નવી ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન નોંધણી, તેમજ નવી સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી લોકો નિયમિત તપાસ અને સારવાર તરફ પ્રોત્સાહિત થાય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ આરોગ્ય સ્ટાફના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા, સમયબદ્ધતા અને સંવેદનશીલતા જાળવવાની ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ ગ્રામ્ય આરોગ્ય મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:47 pm

સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ.:​કેશોદની મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો: પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી.

​ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલી એક મગફળીની મિલમાં કામ કરતા સાગર મનસુખભાઈ મોરબીયા નામના શખ્સે તેની સાથે જ કામ કરતી એક સગીરાને લલચાવી-ફોસલાવી ગત 7 જાન્યુઆરીના રોજ અપહરણ કર્યું હતું. આ મામલે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી અને સગીરા મળી આવ્યા હતા. સગીરાની પૂછપરછ દરમિયાન તેણે પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો કરતા પોલીસે ગુનામાં પોક્સો એક્ટ અને બળાત્કારની કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી છે. ​કેશોદ પીઆઈ જાદવે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. માળિયાના ભાખરવડનો વતની આરોપી સાગર મોરબીયા મિલમાં જ કામ કરતી સગીર બાળાને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભોગ બનનાર સગીર હોવાથી આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:33 pm

રેલવેની મંજૂરીના અભાવે સાંઢિયા પુલની કામગીરી ખોરંભે ચડી:જામનગર રોડ પર ચાલી રહેલા બ્રિજનું કામ હવે એપ્રિલના અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા

રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવાથી માર્ચ-2026ની ડેડલાઇનનાં બદલે હવે આ કામ એપ્રિલ-2026નાં અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા મેયર નયનાબેન પેઢડીયાએ વ્યક્ત કરી છે. હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ છે. આ સમસ્યા એક મહિનો વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. ત્યારબાદ માર્ચ અંતમાં કામ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે હવે કામ એપ્રિલનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે. માર્ચ 2026 સુધીમાં સાંઢિયા પુલની કામગીરી પૂર્ણ કરવાની હતીપ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને ગત તા. 14-3-2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી હતી. અને બાદમાં માર્ચ-2026નાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ પોર્શનમાં સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી બાકીમેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે પુલની કામગીરી અંદાજે 80%થી વધુ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ પુલના સેન્ટ્રલ પોર્શનમાં, એટલે કે રેલવે ટ્રેક ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાનું મહત્ત્વનું કામ બાકી છે. આ કામ માટે રેલવે દ્વારા બ્લોક આપવો ફરજિયાત છે, કારણ કે અહીં તોતિંગ ગર્ડરનું લોન્ચિંગ રેલવેની મંજૂરી અને સહકાર વગર શક્ય નથી. મનપા દ્વારા ગર્ડર લોન્ચિંગની મંજૂરી માટે છ મહિના પૂર્વે રેલવે વિભાગને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને ભલામણ પણ કરાઈ હતી. આ મંજૂરી મલવામાં સામાન્ય રીતે 6-7 મહિના લાગતા હોય છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનની હદમાં આવતું પુલનું અન્ય તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રેલવેના ટ્રેક પરના ભાગની મંજૂરીમાં જ વિલંબ થઈ રહ્યો છે, જે રેલવેનાં નિયમોને કારણે ધીમું છે. આ પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોની અસુવિધા દૂર થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે. રેલવે દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે અને બાકીના બે બ્લોકનું કામ ઝડપથી થાય, તે માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. અને કામમાં કોઈ કચાશ ન રહે તેના માટે પુલના કામકાજની સ્થિતિની સમયાંતરે વિઝીટ પણ કરવામાં આવે છે. 2026માં ડેડલાઈન મુજબ કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલઉલ્લેખનીય છે કે, અગાઉ સ્ટે. ચેરમેને જાન્યુઆરીનાં અંત સુધી એટલે કે મનપાની ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરવા માટેની ખાતરી આપી હતી. જોકે ત્યારે રેલવેની મંજૂરી મળી જશે તેમ માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મંજૂરી ન મળતા હાલ કામગીરી ધીમી થઈ છે. જેના કારણે હવે બ્રિજનું કામ માર્ચ 2026ની ડેડલાઇન સુધીમાં પણ પૂરું કરવું મુશ્કેલ છે. અગાઉ બ્રીજનું લોકાર્પણ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તેવી સંભાવના હતી. જે હવે શક્ય લાગતું નથી. મેયરે પણ કામગીરી પૂર્ણ કરવાની નિયત સમયમર્યાદા એટલે કે આગામી માર્ચ-2026ને બદલે એકાદ મહિનો વધુ કામ ચાલે તેવી શક્યતા દર્શાવી છે. ત્યારે હજારો વાહન ચાલકોએ 1 મહિનો વધુ હેરાન થવું પડશે તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:30 pm

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગાંજો મળ્યો:NSUIએ રેડ કરતા કેટલાક શખસો ભાગ્યાં, ગાંજો, દારૂની ખાલી બોટલો અને ગોગોપેપર મળ્યાં; કુલપતિનો લૂલો બચાવ

એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરી હતી. આહીં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અવાવરું સ્થળ પર તપાસ કરતા દારૂ-ગાંજાનો નશો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન સ્થળ પર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું વેશન કરતા હતાં. જ્યારે NSUI સ્થળે પહોંચ્યું તો નશો કરનારા નાસી છૂટ્યા હતાં. તપાસ દરમિયાન એક બાઈકમાંથી અંદાજિત 150/200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. તે સ્થળેથી 20થી વધુ દારૂની ખાલી બોટલો, તેમજ નશીલા પદાર્થનું સેવન કરવા વપરાતા ગોગોપેપર સહિતની વસ્તુઓ મળી આવી હતી, સમગ્ર બનાવ અંગે NSUI દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં નશીલા પદાર્થનો પ્રવેશ કેમ થયો? એ સોથી મોટો સવાલ ઉભો થયો છે. જ્યારે આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બનાવને સ્વીકારી સાથે બચાવ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ માહિતી આપી હતી કે નશો થાય છેઃ નરેન્દ્ર સોલંકીઅંગે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્તના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં છે, તેના માધ્યમથી આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટ્રકશનનો પ્રોગ્રામ હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લેઆમ દારૂ-ગાંજાનું સેવન થઈ રહ્યું છે. ‘રેડમાં અમને 150થી 200 ગ્રામ જેટલો ગાંજો મળ્યો’આજે NSUI દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક રેડ પાડવામાં આવી હતી. કેમ્પસની આજુબાજુમાં હોસ્ટેલો છે, કેમ્પસમાં સ્પોટ ગ્રાઉન્ડ છે, જ્યાં વિદ્યાર્થીઓને નશાનું સેવન કરી રહ્યા હતા ત્યારે NSUIએ જનતા રેડ કરી હતી. આ રેડમાં 150થી 200 ગ્રામ જેટલો ગાંજો, કફ સીરપ જેનાથી નસો થાય, ગોગો પેપર, દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે અહીંયા આવીને એવું થાય કે, આ શું બાર છે કે નશાનું સેવન કરનારું કેમ્પસ છે કે શિક્ષા નું કેમ્પસ છે. ‘આ દુષણને રોકવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે’આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે, મોટી-મોટી વાતો કરનારા આ શિક્ષાના ધામમાં આવડી માત્રામાં નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો? આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ તો આવું ને આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે. આપણે આપણા યુવા પેઢીને બરબાદ ન થવા દેવા હોય તો આ ડ્રગ્સ માફિયાઓ આવા દારૂ માફિયાઓ ઉપર કડક પગલાં લેવા જોઈએ. અન્યથા આવનાર દિવસોમાં આવી જ રીતે ક્યાંક કેમ્પસો અથવા તો યુનિવર્સિટીમાં આવા પ્રકારના કાર્યો થતા હશે તો NSUI જનતા રેડ કરીને ખુલ્લા કરશે. સિક્યુરિટી 24 કલાક એક જગ્યાએ ઉભી હોય એવું શક્ય ન બનેઃ કુલપતિઆ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ભરત રામાનુજએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે, એ આપણા સૌ માટે ગંભીર બાબત છે. આવું ન થવું જોઈએ. એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય જ્યાં નિયમિત અવરજવરની વ્યવસ્થા ન રહેતી હોય. 24 કલાકની અંદર સિક્યુરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં અમે એની કાળજી રાખીશું. ‘હવે આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું’મને માહિતી મળી છે કે, કોઈ જગ્યા એ કોઈ વિદ્યાર્થી સ્કૂટર ઉપર બેઠો હશે અને એક યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા. એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ બનવા જોગ છે અને બન્યું પણ હોય અને સાચી વાત પણ હોય. પણ કોઈ આવીને આ કેમ્પસની અંદર સ્કૂટર લઈને બેઠું હોય તો નજર પણ ન હોય, સિક્યુરિટીનું ધ્યાન પણ ન હોય. આમ છતાં જેવી જ આ ખબર પડી, એટલે અમે તાત્કાલિક તે આખો વિસ્તારમાં સાફ-સફાઈ થાય અને સિક્યુરિટીને કડક ધ્યાન રાખવાની સૂચના તાત્કાલિક આપી દીધી છે. ફરીવાર યુનિવર્સિટીનો જે કંઈ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સિક્યુરિટી વધારી અને આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:28 pm

ભાદરોલી ગ્રામજનોએ મનરેગા કામોના આરોપો નકાર્યા:કોંગ્રેસના નેતાઓ પર પંચાયતને બદનામ કરવાનો આક્ષેપ

કાલોલ તાલુકાના ભાદરોલી ગામના ગ્રામજનોએ મનરેગા યોજના હેઠળ થયેલા કામો અંગેના આરોપોને નકારી કાઢ્યા છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગામમાં થયેલા તમામ કામો સ્થળ પર ૧૦૦ ટકા પૂર્ણ થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી અને શૈલેષભાઈ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને કામો સ્થળ પર ન થયા હોવા અને ખોટા બિલ ઉપાડી લેવાયા હોવાના કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઉપલી કક્ષાએથી આવેલી ટીમે આ કામોની તપાસ કરી લીધી છે અને પંચાયતને ક્લીનચીટ પણ મળી ચૂકી છે. તમામ કામો યોગ્ય રીતે પૂર્ણ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ગામમાં અત્યાર સુધી સારો વિકાસ થયો છે અને સરપંચ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પંચાયતની જૂની અદાવત રાખીને પંચાયત અને ભાજપના આગેવાનોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ભાદરોલી ગામના મેઘરાજસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:25 pm

બોટાદના તુરખામાં ઘર્ષણનો મામલો:વધુ બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું; ધરપકડનો આંક છએ પહોંચ્યો

બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓની આ ઘટનામાં શું ભૂમિકા હતી તે અંગે પોલીસે વિગતવાર માહિતી મેળવી હતી. આ હુમલો 15 જાન્યુઆરીના રોજ થયો હતો, જેનો મૂળ કારણ 12 જાન્યુઆરીએ એક સગીરાને ભગાડી જવા અંગે પરિવારે કરેલી ફરિયાદની દાઝ હતી. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં 13 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સહિત કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં દાખલ હતો. આજે વધુ બે આરોપીઓની ધરપકડ થતા, 15 આરોપીઓ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:16 pm

બાલાસર પોલીસે 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટ આપ્યા:મહિલા સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. બાલાસરના પીએસઆઈ વી.એ. ઝા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોઢમે ઉપસ્થિત મહિલાઓને સશક્તિકરણ અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કર્યા હતા. તેમને વિવિધ સાયબર ફ્રોડ અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ટુ-વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે 300 જેટલા બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએસઆઈ વી.એ. ઝા, વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડો. અનંત હોંગલ અને સંયોજક ડો. સંજય પટેલ સહિત બાલાસર પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:06 pm

ચાર અને એક વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદ-ધ્રાંગધ્રાથી પકડ્યા

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજુભાઈ ગાંડાજી પરમાર (રહે. દેવનંદન એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ)ને નરોડા આઈકોન રીંગરોડ, અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની કાયદેસરની કાર્યવાહી બાદ સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ફીરોજશા સલીમશા ફકીર (રહે. જૂની મોચીવાડા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રાના દિલ્હી દરવાજા પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:04 pm

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી:મંદિરના વિકાસ માટે ટિકિટો વેચી, 606 વિનરને 5 દિવસે થયાં છતાં કંઈ ન મળ્યું, એક કરોડથી વધુની છેતરપિંડી બાદ આયોજક ફરાર

હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા પર આવેલા મામાદેવ મંદિરના વિકાસ માટે આ ઇનામી ડ્રોનું આયોજન કરાયું હતું. ગત તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ મામાદેવ મંદિર ખાતે આ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોની ટિકિટો વિશુભાઈ રાજપુત (મામાદેવના ભુવા), મેહુલભાઈ આચાર્ય, ક્રિપાલસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, અર્જુનસિંહ ટાંક, યશપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ ડોડીયા અને જશુભા ડોડીયા સહિતનાઓએ બહાર પાડી હતી. ડુંગરપર ગામના રમેશભાઈ સોમાભાઇને 11 લાખનું ઇનામ લાગ્યું હોવા છતાં તેમને કંઈ મળ્યું નથી. આ જ રીતે અન્ય 605 વિજેતાઓને પણ તેમના ઇનામો કે રોકડ રકમ આપવામાં આવી નથી. સાપકડા ગામના રતભાઈ ભરવાડના ભત્રીજાને 2.51 લાખનું ઇનામ લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે ડ્રોમાં 40,000 સુધીની સિરીઝના નંબર જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આયોજકોએ અંદાજે 40,000 ટિકિટો વેચી હતી. એક ટિકિટનો દર 299 રૂપિયા હતો, જેથી આયોજકોએ લોકો પાસેથી અંદાજે 1.20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણમાંથી વધેલી રકમનો ઉપયોગ મંદિરના વિકાસ અને સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે. જોકે, ડ્રો થયાના બીજા દિવસથી જ આયોજકોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવે છે અને તેઓ ગુમ થઈ ગયા છે. આ ઘટનાને કારણે લોકોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની લાગણી પ્રવર્તી રહી છે, અને આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં છેતરપિંડીનો ભોગ બનેલ હળવદના રહેવાસી મહેશભાઇ કુપેણીયા સહિતના લોકોના કહેવા મુજબ ધર્મ અને સેવાકીય કામ કરવાના બહાને ઇનામી ડ્રો ની ટિકિટો બહાર પાડવામાં આવી હતી. જેથી ધર્મનું કામ કરે છે તેવું સમજીને લોકોએ એક નહીં પરંતુ 20 થી 25 જેટલી ટિકિટો આયોજકો પાસેથી ખરીદી કરી હતી અને ઇનામી ડ્રો થયા બાદ પીડીએફમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પછી જુદી જુદી વસ્તુઓના વિજેતાઓને આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ ઇનામી ડ્રો પૂરો થયા બાદ આયોજક વિશુભાઈ રાજપુતનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે. અને હાલમાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગતો નથી જેથી ટિકિટ ખરીદનારાઓ તેમજ જે લોકોને ઈનામી ડ્રોમાં ઇનામ લાગેલ છે તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ છે. જેથી આ મામલો ભવિષ્યમાં પોલીસ મથક સુધી પહોંચે તો નવાઈ નથી. મોરબી જિલ્લામાં મામાધણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ ઇનામી ડ્રો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર પણ આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. અને જે રીતે ડ્રો સમયે 40,000 જેટલા નંબર સુધીની ટિકિટ બોક્સમાં નાખવામાં આવી હતી તે જોતાં આયોજકો દ્વારા 1.20 કરોડ રૂપિયા ભેગા કરીને વિજેતા બનેલા લોકો કશું જ આપવામાં આવ્યું નથી અને મંદિરનો પણ વિકાસ કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલ લોકો દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ થયેલ નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:44 pm

સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના ક્લાર્ક અને પ્યૂનની ધરપકડ:ઇડીએ સંજય અને નીતિનને ઉઠાવી લીધા, નવા ખુલાસાઓ થવાની શક્યતા

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ ઈડી દ્વારા વધુ બે લોકો ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન ઉઠાવી લેવામાં આવ્યા છે. 1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધી 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી પાસેથી જે મોબાઈલ ફોન, વ્હોટ્સએપ ચેટ, પીડીએફ ફાઇલ્સ અને ફોટોઝ મળ્યાં હતાં. જે તેણે ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલ સાથે શેર કર્યા હતા. એેનાથી લાંચનું આખું રેકેટ સ્થાપિત થયું હતું. આ લાંચ કેસ 10 કરોડનો હોવાનો ઘટસ્ફોટઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડચંદ્રસિંહ મોરીના ઘરેથી અમુક શીટ્સ પણ મળી હતી, જેમાં 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડ હતો. એમાં અરજદારનું નામ, લાંચની માગેલી અને મળેલી રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓ વચ્ચે લાંચની ભાગ બટાઈની વિગતો લખેલી હતી. આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા. જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. 1- આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.2- લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા.3- જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. જ્યારે 24 ડિસેમ્બરે ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું હતું કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે‎ EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ‎ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:33 pm

મોરબીમાં 3 લાખમાં લગ્ન, ત્રીજા દિવસે દુલ્હન ફરાર:છેતરપિંડી કેસમાં લુંટેરી દુલ્હન સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીમાં એક યુવાન સાથે 3 લાખ રૂપિયામાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીના કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે લુંટેરી દુલ્હન અને તેના એક સાથીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરાના લગ્ન કરાવવા માટે રાજુભાઈ તન્નાનો સંપર્ક થયો હતો. રાજુભાઈએ ચાંદની નામની યુવતી સાથે દીકરાના અમદાવાદ ખાતે લગ્ન કરાવ્યા હતા અને તે બદલ તેમની પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ ચાંદનીએ તેના પિતાનું અવસાન થયું હોવાનું કહીને મોરબીથી જતી રહી હતી. ત્યારબાદ તે પરત ફરી ન હતી, જેના કારણે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ બી.એ. ગઢવી અને તેમની ટીમે આરોપીઓ રજેશ જીવણભાઈ ઠકકર (48), રહે. સ્વામિનારાયણ પાર્ક, નવા નરોડા, અમદાવાદ અને ચાંદની રમેશભાઈ ઠાકોર (24), રહે. અસારવા, ઠાકોર વાસ, અમદાવાદની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપીઓ વિરુદ્ધ બહુચરાજી, ઈડર, રાજકોટ, દેહગામ અને મોરબી સહિતના વિસ્તારોમાં પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:30 pm

સુરત રેલવે સ્ટેશન પર માનવતાના દર્શન:મહિલા તબીબ અને યુવકોની સમયસૂચકતાથી બેભાન થઈ ઢળી પડેલા મુસાફરનો જીવ બચ્યો

કહેવાય છે કે 'સેવા પરમો ધર્મ', આ ઉક્તિ સુરત રેલવે સ્ટેશન પર સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક મુસાફર માટે ત્યાં હાજર મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકો 'દેવદૂત' બનીને આવ્યા હતા, જેના કારણે એક કિંમતી જીવ બચાવી શકાયો છે. યુવકને અચાનક ચક્કર આવતા બેભાન થઈ જમીન પર પટકાયોમળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈને જમીન પર પટકાયો હતો. સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ સમયે સ્ટેશન પર હાજર એક મહિલા ડોક્ટરની નજર આ યુવક પર પડી હતી. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના યુવકની તપાસ શરૂ કરી હતી. ત્વરિત મેડિકલ સહાય અને યુવકોનો સાથમહિલા ડોક્ટરે યુવકની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરી હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર અન્ય જાગૃત યુવકો પણ મદદે દોડી આવ્યા હતા. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ યુવકોએ પ્રાથમિક સારવારમાં મદદ કરી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડોક્ટરે સમયસર યુવકની નાડ તપાસી તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી, જેથી તેની સ્થિતિ વધુ બગડે નહીં. હાજર યુવકોએ ચાદરની વ્યવસ્થા કરવામાં અને દર્દીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ108 મારફતે યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર પ્રાથમિક સારવાર મળી જવાથી યુવકની સ્થિતિ અત્યારે સ્થિર છે અને તે ભયમુક્ત છે. જો ડોક્ટર અને પેલા યુવકોએ સમયસર મદદ ન કરી હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. ખરેખર આજે સુરત સ્ટેશન પર માનવતા જીવતી હોવાનો પુરાવો મળ્યો છે. કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકેરેલવે સ્ટેશન પર હાજર અન્ય લોકોએ મહિલા ડોક્ટર અને મદદે આવેલા યુવકોની આ કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:29 pm

ધરોઈ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં પાંચ ગામના ખેડૂતો આકરા પાણીએ:મહેસાણા કલેક્ટર કચેરીએ ધરણાં કરી આવેદનપત્ર આપ્યું, આંદોલનની ચીમકી ઉચ્ચારી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેવલોપમેન્ટના કારણે પાંચ ગામના ખેડૂતો પોતાની હક્કની જમીન ગુમાવી દેશે તેવી ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં રોષસરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પાંચેય ગામના ખેડૂતોની જમીન ધરોઈ ડેવલોપમેન્ટ સત્તા મંડળમાં જવાની હોવાથી સ્થાનિક ખેડૂતો સાવ જમીન વિહોણા થઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સરપંચો સાથે લોકોના કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાંઆ મામલે પોતાનો વિરોધ નોંધાવવા માટે પાંચેય ગામના સરપંચો અને અગ્રણીઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાં પર બેઠા હતા અને સુત્રોચ્ચાર કરી પોતાની જમીન બચાવવા માંગ કરી હતી. 'ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે'આ અંગે ધરોઈ ગામના સરપંચ ધનાજી ભાટીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ જ્યારે ધરોઈ ડેમનું નિર્માણ થયું હતું ત્યારે પણ આ જ ગામોના ખેડૂતોએ ડેમ માટે પોતાની મહામૂલી જમીન આપી દીધી હતી. હવે જ્યારે ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે, ત્યારે ધરોઈ સત્તા મંડળ દ્વારા ફરીથી આ જમીન છીનવી લેવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ જમીન સંપાદિત કરી લેવામાં આવશે તો ખેડૂતો પાસે રોજગારી કે ગુજરાન ચલાવવા માટે કોઈ સાધન બચશે નહીં. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનીખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં ડેમ માટે જમીન આપ્યા બાદ હવે બાકી બચેલી જમીન પર જ ખેડૂતોનો આજીવિકાનો આધાર છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:28 pm

સાળંગપુરમાં હનુમાનજીને 251 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ:દાદાનો દિવ્ય શણગાર કરાયો, ભક્તો ઉમટી પડ્યા

સાળંગપુરધામ ખાતે મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને 251 કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. આ અન્નકૂટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મંગળવારના વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી હતી. દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજન’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:27 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો:રાજ્યપાલ દેવવ્રતે કહ્યું, ગાંધીજી સંસ્કૃત ન ભણી શક્યા તે દુર્ભાગ્ય

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ મંગળવારે ભવ્ય રીતે યોજાયો હતો. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાનું ગૌરવસભર દર્શન થયું હતું. સમારોહ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 902 ડિગ્રી પ્રમાણપત્રો તથા ગોલ્ડ-સિલ્વરના કુલ 31 પદકો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. સંસ્કૃત શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ રહી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, દુનિયાના નિર્માણને અંદાજે 1 અબજ 96 કરોડ 08 લાખ 53 હજાર 126 વર્ષ થઈ ચૂક્યા છે અને આટલા લાંબા સમયથી માનવ સંસ્કૃતિ સાથે જ્ઞાન, શોધ અને સંશોધનની પરંપરા અવિરત ચાલી આવી છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં શોધ અને સંશોધન કોઈ નવી બાબત નથી. અનાદિ કાળથી આપણા ઋષિમુનિઓએ જ્ઞાનસાધના દ્વારા વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. તેમના શબ્દોમાં, અંગ્રેજીનો ‘Research Crawler’ શબ્દ એ ‘ઋષિ’ શબ્દનો અપભ્રંશ છે, અને ભારતવર્ષનો દરેક ઋષિ એક સંશોધક હતો. તેમણે પ્રશ્નાર્થ રીતે જણાવ્યું કે, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, મીમાંસા જેવી ઊંડાણસભર વિદ્યાઓ શું સંશોધન વિના રચાઈ શકી હોત? આ તમામ શાસ્ત્રો આપણા ઋષિઓની તપસ્યા અને બૌદ્ધિક સંશોધનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, સંપૂર્ણ તત્વજ્ઞાન અને વર્તમાન જ્ઞાન આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને દર્શનગ્રંથોમાં સમાયેલું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગાંધીજીએ પોતે કહ્યું હતું—“મારું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે હું સંસ્કૃત ભણી શક્યો નથી.” તેમણે જણાવ્યું કે, જે લોકો સંસ્કૃતથી વંચિત રહે છે તેમનું જીવન ઘણી વખત અધૂરું રહી જાય છે. તેથી વેદભાષા સંસ્કૃતનો વ્યાપક પ્રચાર-પ્રસાર આજના સમયમાં અત્યંત જરૂરી છે. રાજ્યપાલે પ્રશંસા કરતાં જણાવ્યું કે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને તેની સંલગ્ન વિદ્યાલયો સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. જુનાગઢ ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ અને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU અંતર્ગત, આ વર્ષે પણ ગુજરાતના સંસ્કૃત વિદ્વાન હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2026 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ દીક્ષાંત સમારોહમાં દિલ્હી સ્થિત સ્વામીનારાયણ શોધ સંસ્થાનના નિયામક ભદ્રેશદાસ સ્વામી, તેમજ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ના કુલપતિ પ્રો. મુરલી મનોહર પાઠક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 18મા દીક્ષાંત સમારોહે સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનસંસ્કૃતિના વૈભવને ફરી એકવાર ઉજાગર કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવ અને જવાબદારીની ભાવના વધુ દ્રઢ બની.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:21 pm

લંડનમાં રહેતું કપલ સમુહલગ્ન કરશે:આહીરા સમાજના સમુહલગ્નમાં 50 ડોક્ટર-એન્જિનિયર સહિત 194 યુગલ પ્રભુતામાં પગલાં પાડશે, CM-DYCM હાજર રહેશે

સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગલોને આશિર્વાદ પાઠવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. આ સમૂહ લગ્નમાં એક વિશેષ એક નંબરનો મંડપ છે જેમાં લંડન રહેતા યુવક-યુવતી લગ્ન કરશે. આ સાથે 50 ડોક્ટર એન્જિનિયર પણ સમૂહલગ્નમાં કરી રહ્યા છે. લંડનમાં રહેતા દીકરા-દીકરીએ સમાજની વ્યવસ્થા સ્વીકારી: જીતુભાઈ કાછડઆહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે અને 23 જાન્યુઆરીએ 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્ન પ્રસંગમાં અમારી પાસે એક આનંદનો વિષય એ છે કે આમાં એક નંબરનો જે મંડપ છે, એ દીકરો અને દીકરી બંને લંડનની અંદર જોબ કરે છે પણ એને સમાજની વ્યવસ્થાને સ્વીકારી અને આજે આ સમૂહલગ્નમાં જોડાયા છે. 'સમુહલગ્નમાં 50 ડોક્ટર અને એન્જિનિયર યુગલ'આવા 194માંથી લગભગ 50 દીકરા-દીકરીઓ એવા છે કે જે ડોક્ટર અને એન્જિનિયર છે. એ એમના લગ્ન સમૂહલગ્નમાં કરે છે, એ સમાજની યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે છે કે સામાન્ય પરિવારને મજબૂત કરવો હશે તો સમાજ વ્યવસ્થાની અંદર જોડાશો તો 100% સમાજની પ્રગતિ થશે. 'કરિયાવરો કે અન્ય કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં'આની સાથે સાથે સામાજિક બંધારણ કે ખોટા ખર્ચ કઈ રીતે બચાવી શકાય? તો વરઘોડા કાઢવાની, ફટાકડા ફોડવાની, કરિયાવરો પાથરવાની કે કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં. પરિવાર-પરિવાર વચ્ચેની. આ સામાજિક બંધારણને કારણે આજે પરિવારો મુક્ત થયા છે અને જે અમુક આપણા રિવાજોને કારણે સ્થિતિ સારી હોય કે ન હોય, પણ સમાજમાં રહેવા માટે અમુક વસ્તુ જે ફરજિયાત કમ્પલસરી હતી, એને અમે ક્યાંક ને ક્યાંક એમાંથી પરિવારોને મુક્ત કર્યા છે. 'એક લાખ લોકો દીકરા-દીકરીઓને આશીર્વાદ આપશે'આ સમાજની વ્યવસ્થામાં જોડાઈને આજે એક લાખ લોકો આ દીકરા-દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. 300 આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓને જોડીને, પછી શહેરની ટ્રાફિકની વાત હોય તો વરઘોડા નહીં કાઢવા એ પણ એક સમસ્યા છે, તો તેની સાથે આરોગ્યની વાત હોય તો આજે આહીર સમાજના 200 ડોક્ટરો અહિંયા ટીમ સાથે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પ અને આરોગ્ય માટેની જાગૃતિની વાત કરશે. 'સમાજને નવી દિશા આપવા અમારો પ્રયાસ'સુરતમાં આહીર સમાજનું વકીલ એસોસિએશન છે તો એ આજે સાયબર ગુનાઓ બને છે એના માટે કઈ રીતે બચી શકાય એના માટેની પણ અહીંયા વાતો થવાની છે. એટલે આ મંચના માધ્યમથી સમાજની વ્યવસ્થાને અનેક ભાગમાં સ્પર્શ કરીને એક સમાજને નવી દિશા આપી શકાય એના માટેનો પૂરો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. 'અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી'અંદાજે દીકરીઓને જે અમે કરિયાવર આપીએ છીએ એમાં 51 વસ્તુ આપીએ છીએ. આપણે ત્યાં એમ કહેવાય છે કે દીકરી એનું ઘર ચાલુ કરવું હોય તો સમાજે આપેલો કરિયાવર છે એ એના ઘરમાં જાય એટલે એનું ઘર ચાલુ થઈ જાય. એ રીતની ટોટલ 51 વસ્તુઓમાંથી લઈ અને માનો કે ચમચીથી લઈ અને કબાટ સુધી, બેડ સુધીની વસ્તુ આજે એના ઘરે પહોંચી ગઈ છે. એક મહિના અગાઉ એમના ઘરે અમે અહીંથી વ્યવસ્થા કરી અને કોઈ એને મુશ્કેલીઓ ન પડે એના માટે થઈને અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી છે. CM, DYCM સહિતના આગેવાનો હાજરી આપશેનવયુગલોને આશિર્વાદ પાઠવવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને મંત્રીઓ અને ધારાસભ્યો અને સુરત શહેરભરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે. ભાવી પેઢીનાં ઘડતર માટે પૈસાનો સદઉપયોગ કરવા આહવાનઆ સમારોહમાં નવયુગલોને આશિર્વાદ પાઠવવા 1,00,000 કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આહીર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજીક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાજીક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવી પેઢીનાં ઘડતર માટે બચત કરેલા પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજનાં આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે. વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશેઆ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતી અભિયાન, તેમજ જળ એજ જીવનના સુત્રને સાર્થક કરવાં અનેક વિધ કાર્યક્રમો કરવમાં આવી રહ્યા છે. સમૂહલગ્ન મહોત્સવ દ્વારા જન જાગૃતી લાવી, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગલ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયં સેવક તરીકે વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:07 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા EWS અનામતનો મુદ્દો ગરમાયો:ગાંધીનગરમાં બિન અનામત આગેવાનોની ચિંતન બેઠક મળી, સરકારને અલ્ટિમેટમ

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS (આર્થિક રીતે પછાત વર્ગ) માટે 10 ટકા રાજકીય અનામત લાગુ કરવાની જોરદાર માંગ ઉઠી હતી. બેઠકમાં બે મુખ્ય ઠરાવો રજૂ કરાયા હતા—રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 10 ટકા અનામત જોગવાઈ બદલ આભાર ઠરાવ, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS માટે અનામતની વ્યવસ્થા તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ. તમામ ધારાસભ્ય-સાંસદોનું સમર્થન માગવાનો નિર્ણયપાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, ઝવેરી કમિશનના આધારે જાહેર કરાયેલા રોસ્ટરમાં ગંભીર ખામીઓ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું છે. આડેધડ સીટ ફાળવણીથી સામાજિક ન્યાયને આંચ આવે છે. સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તમામ 182 ધારાસભ્યો તથા સાંસદો પાસેથી સમર્થન માગવામાં આવશે. જો સરકાર નિર્ણય નહીં લે તો જનજાગૃતિ કાર્યક્રમો નક્કી કરાશે અને 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓ મળીને આગળની રણનીતિ બનાવશે. સમર્થન ન આપનાર ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કરવાની પણ ચેતવણી અપાઈ છે. સરકાર સામેની ઝુંબેશમાં તમામ EWS વર્ગને જોડાશેરાજપૂત સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું કે સરકાર સામેની ઝુંબેશમાં તમામ EWS વર્ગ જોડાશે. જ્યારે બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ કહ્યું કે વસ્તી આધારે EWS ઉમેદવારોને ચૂંટણીઓમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ અને ઝવેરી પંચની મર્યાદામાં કાયદાકીય કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના સૂચનોનું પાલન જરૂરી છે. બેઠકમાં અલ્પેશ કથીરિયા, વરુણ પટેલ, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, ગીતા પટેલ, હેમાંગ રાવલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. EWS અનામત લાગુ કર્યા બાદ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવાની માંગ સાથે બેઠક પૂર્ણ થઈ હતી. આ સમચાર પણ વાંચોઃ'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે'ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગંભીર પોસ્ટ કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે, જો પાટીદારોને 'આર્થિક રીતે નબળા વર્ગ (EWS)'નું અનામત વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે, તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે. વરુણ પટેલના આ નિવેદનને સુરતના પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ ખુલ્લું સમર્થન આપીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:03 pm

OLX પર કાર વેચવી રાણીપના યુવકને મોંઘી પડી:સાબરકાંઠાના આરોપીએ 65 હજારનો ચેક આપ્યો; બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું ખુલ્યું

રાણીપ વિસ્તારમાંથી ઓનલાઈન ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ચિરાગ પટેલને ઓનલાઇન ગાડી વેચવાનો સોદો કરવો ભારે પડ્યો છે. ચિરાગ પટેલે પોતાની ગાડી વેચવા માટે OLX પર જાહેરાત આપી હતી. જે બાદ સાબરકાંઠાના કમલપુર ગામમાં રહેતા ભૌતિકગીરી ગૌસ્વામીએ સંપર્ક કરીને 65,000માં ગાડી ખરીદી હતી. ગાડી ખરીદી કરતા સમયે ફરિયાદીને 65,000નો ચેક આપી થોડા દિવસમાં રોકડા પૈસા આપવાનો વાયદો કર્યો હતો. રોકડા પૈસા ન મળતા ફરિયાદીએ જ્યારે બેંકમાં ચેક જમા કરાવ્યો ત્યારે બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું સામે આવ્યું હતું. જો કે તે બાદ અનેક વખત પૈસા આપવા અથવા ગાડી પરત આપી જવા કહ્યું હતું, પરંતુ ગાડી લીધા બાદ પણ પૈસા ન આપતા ફરિયાદીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીઓ OLX પર કારની જાહેરાત મુકી હતીરાણીપ વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલે 2013માં ખરીદેલી મારુતિ કંપનીની કાર વેચવાનું નક્કી કર્યું હતું. જેથી કાર વેચવા માટે ડિસેમ્બર, 2025માં OLX નામની વેબસાઇટ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈ સાબરકાંઠાના કમલપુરમાં રહેતા ભૌતિકગીરી રમેશગીરી ગૌસ્વામીએ ગાડી લેવા માટે ચિરાગનો સંપર્ક કર્યો હતો. જેથી રૂબરૂ જોવા માટે બોલાવતા ભૌતિકગીરી રમેશગીરી ગૌસ્વામીને ગાડી પંસદ આવી ગઈ હતી, જેથી બંને વચ્ચે ગાડીનો ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો. કાર અન્યને વેચી રોકડા પૈસા આપવાની વાત કરીજે બાદ 65 હજારમાં ગાડી વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગાડી લેવાનું નક્કી કરી ભૌતિકગીરીએ પોતે ગાડીઓ લે-વેચનું કામ કરતા હોવાની ઓળખ આપી હતી. જેથી ગાડી પોતાના ટ્રાન્સફર કરવાની ના પાડી થોડા દિવસ પછી તે અન્ય ગ્રાહકને ગાડી વેચશે પછી તેના નામે ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. લોભામણી વાતો કરીને ભૌતિકગીરીએ ફરિયાદીને 65000 રૂપિયાનો IDFC બેંકનો ચેક આપ્યો હતો. ચેકમાં 21 ડિસેમ્બરની તારીખ લખવામાં આવી હતી, જેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈને 21 ડિસેમ્બર પહેલા અન્ય ગ્રાહકને ગાડી વહેંચી રોકડા પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. બેંકમાં ચેક જમા કરાવતા ખાતુ બંધ હોવાનું સામે આવ્યુંજો 21 ડિસેમ્બર પહેલા ગાડી અન્ય કોઈને વહેંચી ન શકું તો ચેક વટાવી પૈસા ઉપાડી લેવા કહ્યું હતું. જ્યારે ફરિયાદીએ 21 ડિસેમ્બરના રોકડા પૈસા આપવાની વાત ભૌતિકગીરીને કરી ત્યારે તેણે બે દિવસમાં પૈસા આપવાની ખાતરી આપી ફરિયાદીને બેંકમાં ચેક જમા કરાવવા ન દીધો. જો કે તે બાદ પણ ફરિયાદીએ ફોન કરીને ગાડીના પૈસા માંગતા ભૌતિકગીરી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અનેક વખત કહેવા છતાં પણ તેને ખરીદેલી ગાડીના 65000 રૂપિયા પરત ન આપ્યા. જો કે તે બાદ ફરિયાદીએ ગાડી પરત આપી જવાનું કહેતા ગાડી પરત પણ ન આપી. જો કે તે બાદ ફરિયાદીએ જ્યારે બેંકમાં ચેક જમા કરાવ્યા ત્યારે બેંક એકાઉન્ટ જ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ ભૈતિકગિરી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:57 pm

HNGUમાં 36મો યુવા મહોત્સવ શરૂ:5 જિલ્લાની 132 કોલેજોના 1500થી વધુ કલાકારો ઉમટ્યા, યુવતીઓની સંખ્યા બમણી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે, જે યુવકોની સંખ્યા કરતાં બમણી છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત આ મહોત્સવનું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર શેડ્યુઅલ કાસ્ટ (NCSC)ના ચેરપર્સન કિશોર મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા, રજિસ્ટ્રાર આર.એન.દેસાઈ, લોકગાયક સાગર પટેલ અને યોગીરાજ રૂખડનાથજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહેમાનોના સન્માન સાથે થયો હતો. NCSCના ચેરપર્સન કિશોર મકવાણાએ ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે. તેમણે કલ્પવૃક્ષને પરિશ્રમ અને સાધનાથી ઈચ્છાપૂર્તિ કરનારું ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવી શિક્ષણ નીતિ અને આવા સાંસ્કૃતિક મહોત્સવો ‘વિકસિત ભારત@2047’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કલા અને સંસ્કૃતિ યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના અને સામાજિક સમરસતાના બીજ રોપે છે. યોગીરાજ રૂખડનાથજી મહારાજે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આજના સમયમાં વ્યક્તિનું મન જ કલ્પવૃક્ષ છે, જે તેનો શત્રુ અને મિત્ર બની શકે છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે HNGU વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવાનોને વિવેકાનંદ અને બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો આત્મસાત કરી વિજ્ઞાન સાથે જોડાવા આહવાન કર્યું હતું. રજિસ્ટ્રાર આર.એન.દેસાઈએ આ મહોત્સવને યુવાઓની ઉર્જા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો હતો. મહોત્સવમાં લોકગાયક સાગર પટેલની શિવભક્તિની પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સોમનાથ મહાદેવના ઇતિહાસને રજૂ કરતા ગીતોથી હોલ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ વર્ષના આંકડા મુજબ, કુલ 1533 સ્પર્ધકોમાંથી 992 યુવતીઓ અને 536 યુવકો છે, જે કલાક્ષેત્રે દીકરીઓની બમણી ભાગીદારી દર્શાવે છે. સંગીત, નાટ્ય અને નૃત્ય જેવી 23 વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનીઓએ મોટા પાયે ભાગ લીધો છે, જે બદલાતી સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:49 pm

સાયબર ક્રાઈમે સોલાર પેનલ ઠગાઈ ગેંગના 5 સભ્યો પકડ્યા:જામનગરમાં સોશિયલ મીડિયાથી 100થી વધુ લોકોને છેતર્યા હતા

જામનગર સાયબર ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ લગાવવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, બે સીપીયુ અને 8 બેંક પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ છેતરપિંડીનો પર્દાફાશ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકની ફરિયાદ બાદ થયો હતો. આ નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરાવવા બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો વિરુદ્ધ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી 'ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીની જાહેરાતો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપતી હતી. તેઓ લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવવાનું પ્રલોભન આપી, બેંકમાંથી લોન કરાવી, લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. ત્યારબાદ સોલાર પેનલ ફીટ ન કરીને છેતરપિંડી આચરતા હતા.વધુ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ આ રીતે 100થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ કર્યું હતું. સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. છેતરપિંડીથી મેળવેલા આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના અંગત લાભ માટે કરતા હતા. આ નાણાં ઠગાઈના હોવા છતાં, આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 61(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (ઉ.વ.37), ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા (ઉ.વ.36), રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (ઉ.વ.52), અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.28) અને રામજી કમોદસિંઘ લોધી (ઉ.વ.25)ની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:44 pm

અરવલ્લી કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત:41 હોદ્દેદારોની નિમણૂક, પ્રદેશ પ્રમુખે મંજૂરી આપી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે કુલ 41 હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નવા સંગઠન માળખામાં 4 ઉપપ્રમુખ, 15 મહામંત્રી અને 22 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત અને સક્રિય બનશે તેવી અપેક્ષા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાને સાથે રાખીને મોંઘવારી, બેરોજગારી, ખેડૂત સંકટ, રસ્તા, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી જનસમસ્યાઓને દૃઢતાપૂર્વક ઉજાગર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ પ્રજાના હક્ક માટે અવાજ ઉઠાવતો રહેશે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમને સંગઠનના હિતમાં નિષ્ઠાપૂર્વક અને સક્રિય ભૂમિકા નિભાવી, સંગઠનને તળિયે સુધી મજબૂત બનાવવા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:42 pm

બુલેટ ટ્રેન, ફ્રેઇટ કોરિડોરથી ભરૂચના ખેડૂતો મુશ્કેલીમાં:ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા, યોગ્ય નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આનાથી ચોમાસા દરમિયાન હજારો વિઘા જમીનમાં પાકને ભારે નુકસાન થાય છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ છે અને તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગામોમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ પ્રોજેક્ટ તેમજ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની જમીન સરકારને સોંપી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે. આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે. મહુધલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરીયા, થામ, કંથારીયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વિઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણીના નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતાં વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે. આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, હાઇસ્પીડ રેલવે લાઇન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે સીધા પાઇપો નાખી દેવાયા છે. ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:41 pm

GPSCની પરીક્ષાઓના લોકલેટરની તારીખો જાહેર:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર સાત ભરતીની હોલ ટિકિટ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ પરથી કોલલેટર મેળવી શકશેઆયોગે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય માધ્યમથી કોલલેટર મોકલવામાં નહીં આવે. પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂરી સૂચનાઓ કોલલેટરમાં જ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરીને તેની તમામ વિગતો ચકાસી લેવા અને પરીક્ષા દિવસે અનિવાર્ય રીતે સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ GPSC દ્વારા ઉમેદવારોને આયોગની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા તથા તમામ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:40 pm

કુખ્યાત આરોપીને દોરડા બાંધી પોલીસ રસ્તા પર લાવી, VIDEO:હત્યા, ફ્રોડ અને ખંડણીના આરોપી યુસુફ પઠાણે બે હાથ જોડી માફી માગી, લોકો ટોળે વળ્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2019માં લખનઉમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો. આજે લિંબાયત પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો સામે યુસુફએ હાથ જોડીને કહ્યું- ‘હવે ક્યારેય ગુનો નહીં કરું’, બીજી બાજુ લિંબાયત પીઆઈએ કહ્યું-'ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે'. આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડામાં 5.50 કરોડના સાયબર ફ્રોડનો પણ ગુનો નોંધાયેલ છે. લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લખનઉના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લિંબાયત પોલીસે પકડી પાડી તેની સાન ઠેકાણે લાવી છે. જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચઢેલા યુસુફને આજે જે-તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભરબજારમાં હાથ જોડીને માંગી માફીજે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે એ જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ હતી. પોલીસની કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો હતો. તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે તે હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો કરશે નહીં. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પુરાવા એકત્રિત કર્યાલિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદી મોહમ્મદ સિદકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને તેમની કિંમતી ક્રેટા કાર અને તેની આરસી બુક પડાવી લીધી હતી. પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીએ કઈ રીતે ગુનો આચર્યો, ક્યાં ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો હતો તેની વિગતો મેળવી હતી. કમલેશ તિવારી મર્ડર કેસ અને કરોડોનું ફ્રોડઆરોપી યુસુફ પઠાણનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં યુસુફની સંડોવણી હોવાનું બહાર આવી હતી. આ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. એટલું જ નહીં, તેની સામે અરવલ્લી જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં 5.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પણ ગુનો દાખલ થયેલો છે. આટલા મોટા ફ્રોડ અને મર્ડર કેસમાં સંડોવાયેલો હોવા છતાં તેની ગુનાહિત માનસિકતા ઓછી થઈ નહોતી અને સુરતમાં ફરી ખંડણીના ગુનામાં તે સપડાયો છે. જે આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે- PIPI એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે, જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. આ જે આરોપી છે યુસુફ પઠાણ, જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે. આ આરોપી ખૂબ જ રીઢો અને ખુંખાર આરોપી છે; તે અગાઉ પણ યુપીમાં કમલેશ તિવારી નામના એક યુવકની હત્યામાં સામેલ છે અને અરવલ્લી જિલ્લાના લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ ખોલાવવાના ગુનામાં પણ વોન્ટેડ છે. જે બાબતે આગળની તજવીજ ચાલુ છે.સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ, જે પણ માણસ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:36 pm

દગાબાજ પત્નીની બેવફાઈનો બદલો લેવા એક્ટિવા ચોરી કરતો:પેટ્રોલ પૂરું થાય ત્યાં ગાડી મૂકી દેતો, 150થી વધુ એક્ટિવા ચોરનાર શાહિબાગના શખ્સને LCBએ દબોચ્યો

અમદાવાદના ઝોન 1 એલસીબી સ્કોડે એક એક્ટિવા ચોરની ધરપકડ કરી પાંચ એક્ટિવા કબજે કર્યા છે. ચોરની તપાસમાં સામે આવ્યું હતું કે, ચોરે અમદાવાદનો એક પણ વિસ્તાર છોડ્યો નથી કે જ્યાં તેને ચોરી કરી હોય. ચોર દગાબાજ પત્નીના દગા બાદ ચોરી કરતો થયો હતો. જ્યારે ચોરને લાગે કે પેટ્રોલ પૂરું થાય તો ગાડી છોડી મૂકતો હતો. હાલ પોલીસે ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાહિબાગના શખ્સે 150થી વધુ એક્ટિવા ચોરી, 5 ગાડી જપ્તઝોન 1 ડીસીપી હર્ષદ પટેલના એલસીબી સ્કોડે બાતમીના આધારે એક્ટિવા ચોરી કરતા શાહીબાગના હિતેશ જૈન(કિરણ એપાર્ટમેન્ટ,શાહીબાગ)ની ધરપકડ કરી છે. આ ચોર જેવો તેવો ચોર નથી પરંતુ રીઢો ગુનેગાર છે જેને અત્યાર સુધી 150થી વધુ એક્ટિવા ચોરી કર્યા છે. ચોર પાસેથી હાલ તો પાંચ જેટલા ચોરીના એક્ટિવા મળી આવ્યા છે. ચોરની તપાસમાં ચોરી કરવા પાછળનું અજીબ કારણ જાણવા મળ્યું હતું. દગાબાજ પત્નીના બેવફાઈનો બદલો લેવા ચોરી કરતોઆરોપી હિતેશ જૈને પત્નીને એક્ટિવા લઈ આપ્યું હતું, જે લઈને પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી. જેથી આરોપીને બેવફાઈના બદલો લેવા એક્ટિવા ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. પત્નીની બેવફાઈને બદલો લેવા ચોર રીઢો એક્ટિવા ચોર બન્યો હતો. આરોપી પર 71 ગૂના નોંધાયાઆ ચોરે કુલ 150થી વધુ એક્ટિવા ચોરી કર્યા છે. શહેરનો એક વિસ્તાર એવો નથી કે જ્યાંથી ચોરે એક્ટિવા ચોરી ન કર્યું હોય. આરોપી વિરુદ્ધ 71 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:30 pm

કચ્છની 'સરહદ ડેરી'ની વૈશ્વિક ઉડાન:ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્લાન્ટ અને પશુપાલકોના આર્થિક ઉત્થાનની પ્રેરણાદાયી ગાથા

26 January 2001 ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થશે કે કેમ તેવા સવાલો વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં કચ્છની કાયાપલટ થઈ છે. આજે કચ્છ પ્રવાસન, ખેતી અને સહકારી ક્ષેત્રે દેશનું મોડેલ બન્યું છે. આ વિકાસયાત્રામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, એટલે કે સરહદ ડેરીએ પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સિંહફાળો આપ્યો છે. રૂપિયા 1,200 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર વર્ષ 2009 માં શ્રી વલમજી હુંબલ દ્વારા સ્થાપિત સરહદ ડેરી આજે 900 થી વધુ સહકારી મંડળીઓ અને 80,000 દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી છે. ડેરી દરરોજ અંદાજે 5.5 Lakh લિટર દૂધ એકત્ર કરે છે, જેમાંથી 4 Lakh લિટર દૂધનું પ્રોસેસિંગ થાય છે. વર્ષ 2024-25 દરમિયાન ડેરીએ 9.09 ટકાના વધારા સાથે ₹1,200 Crore થી વધુનું રેકોર્ડબ્રેક ટર્નઓવર હાંસલ કર્યું છે. ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 Crore ની ચુકવણી કરવામાં આવે છે, જે કચ્છના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહી છે. ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના 'સફેદ સોના' સમાન ઊંટડીના દૂધના મૂલ્યવર્ધન માટે સરહદ ડેરીએ 16 January 2019 થી દેશનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આરોગ્યપ્રદ ગુણો ધરાવતા આ દૂધનું દૈનિક સંપાદન 4,754 લિટર સુધી પહોંચ્યું છે. વર્ષ 2024-25 માં ઊંટપાલકોને ₹8,72,83,440 નું ચૂકવણું કરવામાં આવ્યું છે, જેનાથી 350 થી વધુ પરિવારો આત્મનિર્ભર બન્યા છે. વિશ્વનો એકમાત્ર 'રાજભોગ' કેમલ મિલ્ક આઈસક્રીમ સમગ્ર ભારતમાં ઊંટડીના દૂધમાંથી 'રાજભોગ' ફ્લેવરનો આઈસક્રીમ બનાવતી સરહદ ડેરી એકમાત્ર સંસ્થા છે. 22 February 2024 ના રોજ વડાપ્રધાન મોદીએ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. માત્ર 1 વર્ષમાં ડેરીએ 80 થી વધુ વરાયટી લોન્ચ કરી છે. વર્ષ 2024-25 માં 24.52 Lakh લિટર આઈસક્રીમનું ઉત્પાદન કરીને ડેરીએ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. વૈશ્વિક સ્તરે ડંકો અને એવોર્ડની વણઝાર સરહદ ડેરીની કામગીરીની નોંધ માત્ર ભારત જ નહીં પણ વિશ્વ સ્તરે લેવાઈ છે. દુબઈમાં યોજાયેલા 'ગલ્ફ ફૂડ એક્સ્પો-2025' અને કોચીની ઇન્ટરનેશનલ ડેરી કોન્ફરન્સમાં ઊંટડીના દૂધના ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સંસ્થાને FOKIA Award 2024 અને ગ્રીન વર્કપ્લેસ અવૉર્ડ 2025 જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. સહકારથી સમૃદ્ધિ: બેંકિંગ અને ટેકનોલોજી વડાપ્રધાનના 'સહકારથી સમૃદ્ધિ' મંત્રને સાકાર કરતા સરહદ ડેરીએ 31,067 પશુપાલકોના બેંક ખાતા ખોલાવ્યા છે. પશુપાલકોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે અને 438 મંડળીઓને માઈક્રો ATM ની સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેથી છેવાડાનો પશુપાલક આધુનિક બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાઈ શક્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:28 pm

બોમ્બ હોવાના મેસેજ વચ્ચે સુરત રેલ્વે સ્ટેશન નધણિયાતું:બેગ સ્કેનિંગ મશીન ‘શોભાના ગાઠિયા' સમાન, બેગ સ્કેનિંગ બંધ હોવાથી લોકો બેસવા માટે કરી રહ્યાં છે ઉપયોગ

દેશના એરપોર્ટ પર જે રીતે બેગ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવાસીઓને એરપોર્ટની ટર્મિનલ તરફ એન્ટ્રી આપવામાં આવે છે. તેવી જ રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોની બેગ આ અદ્યતન મશીનમાં સ્કેનિંગ થતી હતી, પરંતુ હવે બેગ સ્કેનિંગ મશીન શોભાના ગાઠિયા સમાન બની ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલું આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. મશીન બંધ હોવાથી હવે મુસાફરો આ મશીનનો બેસવા માટે ઉપયોગ કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહીવીતેલા કેટલાક મહિનાઓથી ખાનગી સ્કૂલો અને કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈ-મેલ આવી રહ્યા છે. સપ્તાહ અગાઉ સુરત સહિતની કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાં પોલીસે કામે લાગી હતી. એટલું જ નહીં સવારના સમયે કોર્ટની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી અને બપોર બાદ અતિ મહત્ત્વની હોય તેવી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આવા સમયે સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહી સામે આવી છે. બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથીસુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની બેગની ચકાસણી કરવા માટે બેગ સ્કેનર મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમયથી આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. હાલમાં બેગ સ્કેનર મશીન બંધ હાલતમાં છે. રોજિંદા હજારો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ બેગ સ્કેનિંગ મશીન બંધ હોવાથી હાલ રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોવાનું કહી શકાય. ઘણી વખત બેગ સ્કેનિંગ મશીન કાર્યરત હોય તો બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

રેડ નેપ્ડ આઇબિસ પક્ષીનું ઊંચા વૃક્ષ પરથી રેસ્ક્યૂ:પંચમહાલ કલેક્ટર નિવાસસ્થાને વન વિભાગ, વોઈસ ઓફ નેચરે બચાવ્યો જીવ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કલેક્ટરના નિવાસસ્થાનમાંથી એક દુર્લભ પક્ષીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી આ પક્ષીનો જીવ બચાવી શકાયો. ગોધરામાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાન સંકુલમાં આવેલા એક ઊંચા વૃક્ષ પર 'ઇન્ડિયન રેડ નેપ્ડ આઇબિસ' (રાતા ગળાની આઇબિસ) નામનું પક્ષી ફસાઈ ગયું હતું. પક્ષી ઊંચાઈ પર હોવાથી જાતે નીકળવામાં અસમર્થ હતું. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગ, ગોધરા અને વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વૃક્ષની વધુ પડતી ઊંચાઈને કારણે રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક બન્યું હતું. જોકે, બંને ટીમોના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પક્ષીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું. પક્ષીને નીચે લાવ્યા બાદ તુરંત જ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

108 સેવાની 'ગોલ્ડન અવર'માં સરાહનીય કામગીરી:છેલ્લા એક વર્ષમાં 35 હજારથી વધુ કિસ્સામાં દર્દીઓને સેવા આપી, સૌથી વધુ કેસ માર્ગ અકસ્માત અને સગર્ભા મહિલાઓની સહાયતાના

જ્યારે જીવન અને મરણ વચ્ચે સેકન્ડોની લડાઈ ચાલતી હોય ત્યારે સફેદ અને વાદળી રંગની એમ્બ્યુલન્સનો સાયરન કોઈ દેવદૂતના અવાજ જેવો સંભળાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસેઆ વાતને સાર્થક કરી બતાવી છે. સત્તાવાર જાહેર થયેલા આંકડાઓ મુજબ જિલ્લામાં 108 સેવા દ્વારા વર્ષ દરમિયાન કુલ 35,804 કટોકટીના કેસોમાં ત્વરિત પ્રતિસાદ આપીને હજારો નાગરિકોને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યા છે. વાહન અકસ્માતના 6,423 કેસમાં સમયસર સારવારગાંધીનગર જિલ્લો હાઈવે અને સ્ટેટ હાઈવેથી ઘેરાયેલો હોવાથી માર્ગ અકસ્માતની ઘટનાઓ પડકારરૂપ હોય છે. ત્યારે સત્તાવાર ડેટા દર્શાવે છે કે વર્ષ દરમિયાન વાહન અકસ્માતના 6,423 કેસોમાં 108 દ્વારા સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, બિન-વાહન અકસ્માતના 4,177 કેસોમાં પણ ટીમ મદદે પહોંચી હતી. નિષ્ણાતોના મતે, અકસ્માત પછીના પ્રથમ એક કલાક એટલે કે 'ગોલ્ડન અવર'માં જો યોગ્ય સારવાર મળે તો બચવાની શક્યતા 80% વધી જાય છે. અને 108ની ટીમે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. 5,686 મહિલાઓને પ્રસૂતિ સમયે કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડીગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ માટે 108 આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ દરમિયાન 5,686 જેટલી મહિલાઓને પ્રસૂતિ સંબંધિત કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં તો હોસ્પિટલ પહોંચતા પહેલા એમ્બ્યુલન્સની અંદર જ 108ના તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવવામાં આવ્યા છે. હૃદયરોગ અને શ્વાસ સંબંધી દર્દીઓની પણ સેવાબીજી તરફ બદલાતી જીવનશૈલી વચ્ચે કાર્ડિયાક એરેસ્ટ અને શ્વાસની તકલીફોના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં હૃદયરોગ સંબંધી 2,765 અને શ્વાસની તકલીફ ધરાવતા 3,336 દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. આ સિવાય પેટમાં દુખાવાના 4,503 કેસ અને તીવ્ર તાવના 1,471 કેસમાં પણ 108ની મદદ લેવામાં આવી હતી. ઇનએક્સેસિબલ સ્થળોએથી 32 જેટલા દર્દીનું રેસ્ક્યૂજ્યારે કેસ વાઈઝ વિગતો પર નજર કરીએ તો ખેંચ 1236 કેસો ઝેરી અસર 664 કેસો, ડાયાબિટીસની સમસ્યાના 654 કેસો,પેરાલિસીસના 423 કેસો,ગંભીર માથાનો દુખાવો 268 કેસ માં પણ 108 દ્ધારા દર્દીઓને સેવા પુરી પાડવામાં આવી છે. જિલ્લામાં ઇનએક્સેસિબલ સ્થળોએથી પણ 32 જેટલા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 108 સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બનીઆમ ગાંધીનગર જિલ્લામાં 108 સેવા માત્ર દર્દીઓને લઈ જવાનું સાધન નથી, પરંતુ તે અદ્યતન તબીબી સાધનોથી સજ્જ એક ચાલતી-ફરતી હોસ્પિટલ છે. એમ્બ્યુલન્સમાં હાજર ઈમરજન્સી EMT અને પાઈલટ ડ્રાઈવરની ટીમ કોઈપણ પરિસ્થિતિ કે સમયને જોયા વગર ખડેપગે રહે છે. સેવાના મંત્ર સાથે કામ કરતી આ સંસ્થા આજે સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:17 pm

કરોડોના બિટકોઈન હેરાફેરી કેસમાં EDની કાર્યવાહી:શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત બહુચર્ચિત બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કરોડો રૂપિયાના બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સંબંધી સંજય કોટડીયાની ધરપકડ કરવામાં આવી છે. બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરાફેરી મામલાની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડ માંગ કરી હતી. EDની વિશેષ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

અજરામર એક્ટિવ અસોર્ટનો 'પ્રોજેક્ટ અર્પણ':ખારાઘોડાના રણમાં અગરિયા પરિવારોને 8મા વર્ષે સહાય

સુરેન્દ્રનગર સ્થિત અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા પાટડી-ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા પરિવારો માટે સતત આઠમા વર્ષે 'પ્રોજેક્ટ અર્પણ' અંતર્ગત સેવા સેતુ બાંધવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ડો. ગુરુદેવ નિરંજન મુનિજી અને ગુરુદેવ ચેતન મુનિજીની પ્રેરણાથી હાથ ધરવામાં આવ્યો છે. રણના કાળઝાળ ગરમી અને અતિશય ઠંડી જેવી કપરી પરિસ્થિતિઓમાં જીવન ગુજારતા અગરિયા પરિવારો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું સુઆયોજિત રીતે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રણના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવામાં આવી. વિતરણ કરવામાં આવેલી મુખ્ય વસ્તુઓમાં નવા કપડાં, સાડી, સ્વેટર, ટોપી અને ઠંડીથી બચવા માટે બ્લેન્કેટનો સમાવેશ થાય છે. ખાદ્ય સામગ્રીમાં અનાજની કીટ, બિસ્કિટના પેકેટ અને નમકીન જેવી પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવી હતી. બાળકો માટે રમકડાં, શિક્ષણ માટે જરૂરી સ્ટેશનરી કીટ, લંચબોક્સ અને પાણીની બોટલ પણ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પગરખાં (બુટ-ચપ્પલ) જેવી અન્ય જરૂરી ચીજોનું પણ વિતરણ કરાયું હતું.આ અભિયાનમાં લોકોએ પોતાના વપરાયેલા પરંતુ સારી સ્થિતિમાં હોય તેવા કપડાંનું દાન આપીને અગરિયા પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું. રણના દુર્ગમ માર્ગો પર વાહનોના કાફલા સાથે પહોંચેલી ટીમે જાતે જઈને દરેક પરિવારને વસ્તુઓ પહોંચાડી હતી. રણની વચ્ચે બાળકોનો કિલકિલાટ અને યુવાનોનો ઉત્સાહ જોઈને સમગ્ર વિસ્તાર એક પરિવાર બની ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંસ્થાના સેવાભાવી સભ્યો અને દાતાઓએ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. Give a little help a lot ના મંત્ર સાથે શરૂ થયેલું આ કાર્ય આજે એક વટવૃક્ષ બની ગયું છે, જે રણના જરૂરિયાતમંદોને સતત મદદ પૂરી પાડી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

AMC ટેક્સ વોર્ડ ઇન્સ્પેક્ટરને નોટિસ અપાશે:શહેરમાં 158 જેટલી બિલ્ડિંગની બી.યુ. પરમિશન બાદ ટેક્સની આકારણી ન કરી, લાખો રૂપિયાનું નુકસાન

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંચી-ઊંચી રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગને બીયુ મળી ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સની આકારણી કરવામાં આવતી નથી, જેથી કોર્પોરેશનને લાખો રૂપિયાના ટેક્સની આવકને નુકસાન થાય છે. શહેરમાં 158 જેટલી બિલ્ડિંગો અને બીજું પરમિશન મળી ગઈ છતાં પણ તેના ટેક્સની આકારણી કરવામાં આવી નથી. જે તે વોર્ડમાં આવી બિલ્ડિંગની આકારણી ન કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરને શો- કોઝ નોટિસ આપવા માટેની સૂચના રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા આપવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેઓ પોતાની મિલકતની ખરીદી કરે ત્યારે તેની મિલકતની ટેક્સ માટેની આકારણી થઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરી લેવી જોઈએ. 158 રહેણાંક-કોમર્શિયલનો ટેક્સ બાકીઃ અનિરુદ્ધસિંહરેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે પણ મિલકતને બીયુ પરમિશન મળી ગઈ હોય તેના ટેક્સની આકારણી કરવાની હોય છે. મારા ધ્યાન ઉપર આવ્યું હતું કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 158 રહેણાંક-કોમર્શિયલ સ્કીમને બીયુ પરમિશન મળી ગઈ છતાં ટેક્સ અંગેની આકારણી કરવામાં આવી નથી. આ અંગે રેવન્યુ કમિટીમાં ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ અંગે આકારણી ન કરનાર AMCના વોર્ડ ઈન્પેક્ટરોને શો- કોઝ નોટિસ આપવા અધિકારીઓને સૂચના આપી છે. ‘નાગરિકો મિલકત ખરીદતા પહેલાં ટેક્સની તપાસ કરે’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ નાગરિક પોતાની મિલકત ખરીદતા પૂર્વે ડેવલપરે પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે કે નહીં તેની ગ્રાહકે ખાતરી કરવી જોઈએ. નાગરિકોએ પોતે ન વાપરેલી મિલકતોનો ટેક્સ ન ભરવાનો થાય, જેથી આવી તપાસ કરી લેવી જોઈએ. કારણ કે, બીયુ પરમિશન મળ્યા બાદ આકારણી થાય ત્યાં સુધીનો પ્રોપર્ટી ટેક્સ ડેવલપરે ભરવાનો હોય છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:11 pm

HNGU: 23 કોલેજોના તપાસ રિપોર્ટને BOMની મંજૂરી:હવે શિક્ષણ વિભાગને પણ સોંપાશે, જવાબદાર સામે કાર્યવાહી થશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન 23 કોલેજો સામેની તપાસ સમિતિનો સર્વગ્રાહી રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) દ્વારા આ અહેવાલને મંજૂરી આપવામાં આવી છે. હવે રિપોર્ટના આધારે જવાબદાર કોલેજો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાશે. HNGU હેઠળ કુલ 764 કોલેજો કાર્યરત છે. યુનિવર્સિટીને વારંવાર શૈક્ષણિક કાર્યમાં અનિયમિતતા, લેક્ચર ન લેવાતા હોવા અને બોગસ કોલેજો ચાલતી હોવા અંગેની ફરિયાદો મળતી રહે છે. તાજેતરમાં મળેલી રજૂઆતોના આધારે 7 ટ્રસ્ટો હેઠળની 23 કોલેજો સામે તપાસના આદેશ અપાયા હતા. આ તપાસ માટે વાઇસ ચાન્સેલર, કોલેજ આચાર્ય, વકીલ અને નિષ્ણાતોનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ તમામ કોલેજોની રૂબરૂ મુલાકાત લઈ સત્યતા ચકાસી હતી. કેટલીક કોલેજોએ તપાસમાં પૂરતો સહયોગ આપ્યો ન હતો અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, ઉપલબ્ધ માહિતીના આધારે સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટ યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કરાયો હતો, જ્યાં તેને મંજૂરી મળી ગઈ છે. નિયમ મુજબ કોલેજો સામે પગલાં લેવા માટે ચોક્કસ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડે છે, જેના માટે BOM દ્વારા લીલી ઝંડી મળી છે. કેટલીક કોલેજો અંગે શિક્ષણ વિભાગમાંથી પણ તપાસ માટે રજૂઆતો મળી હતી. આથી, યુનિવર્સિટી આ સર્વગ્રાહી રિપોર્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પણ મોકલી આપશે. યુનિવર્સિટી કક્ષાએથી થતી કાર્યવાહી ઉપરાંત, શિક્ષણ વિભાગ પણ આ કોલેજો સામે સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી ભલામણ રિપોર્ટના આધારે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:08 pm

ગોધરાના ગોવિંદી બાયપાસ પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત:પરીક્ષા આપવા જઈ રહેતા ITI વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ

ગોધરા તાલુકાના ગોવિંદી બાયપાસ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતા ટ્રકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ગોધરા તાલુકાના એરંડી ગામના વતની 27 વર્ષીય સંજયકુમાર રમણભાઈ સાંપા તરીકે થઈ છે. સંજયકુમાર ITI ખાતે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતા હતા. આજે તેઓ પોતાની ટ્રેડની પરીક્ષા આપવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. ગોવિંદી બાયપાસ પાસેથી પસાર થતી વખતે ટ્રક અને તેમની બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ પોલીસે સંજયકુમારના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:03 pm

ચાર દિવસ બાદ શુભમન ગિલ ફરી રાજકોટમાં:આજે સવારે આગમન થતા એરપોર્ટ પર સ્ટાફે કરાવ્યું ફોટોસેશન, ગુરુવારથી શરૂ થતી રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે મેચમાં પંજાબ ટિમ વતી મેચ રમવા ઉતરશે મેદાનમાં

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ વનડે મેચની શ્રેણી પૂર્ણ થતા 5 દિવસ બાદ ભારતીય ટીમના કેપટન શુભમન ગિલ ફરી રાજકોટ આવી પહોંચ્યા છે આજ રોજ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર ગીલનું આગમન થતા એરપોર્ટ ખાતે એરપોર્ટના કર્મચારીઓએ કેપટન શુભમન ગિલ સાથે ફોટા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ ભારતીય ટિમ રાજકોટ આવી 3 દિવસ રોકાણ કર્યા બાદ 15 જાન્યુઆરીના રોજ પરત ઇન્દોર ત્રીજી વનડે મેચ રમવા પહોંચી હતી અને હવે ગુરુવારથી રણજી ટ્રોફીની મેચ શરૂ થવા જઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર સામે પંજાબ ટિમ તરફથી રમવા માટે શુભમન ગીલ રાજકોટ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયાના વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગુરૂવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં આમને-સામને રમશે. ગુરૂવારથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમ વચ્ચે રણજી ટ્રોફીની મેચ શરૂ થઈ રહી છે. જેમાં પંજાબ તરફથી રમવા માટે શુભમન ગીલ રાજકોટ આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કર્યા બાદ ગુરુવારે મેચ રમવા મેદાન પર ઉતરશે. અત્યાર સુધી આ વખતની સીઝનની એક પણ રણજી ટ્રોફી મેચ ગીલ રમ્યો નથી. તેનો પાછલો મુકાબલો ગત સીઝનમાં કર્ણાટક વિરુદ્ધ થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ આ સીઝનમાં માત્ર એક મેચ રમી છે જેમાં તે સૌરાષ્ટ્ર વતી મધ્યપ્રદેશ સામે રમ્યો હતો. બન્ને ટીમને પોતાના અનુભવી ખેલાડીઓની જરૂર છે. સૌરાષ્ટ્ર અને પંજાબ બન્નેએ પાછલી પાંચ મેચમાંથી માત્ર એક-એક જીત મેળવી છે અને ગ્રુપ-બીના પોઈન્ટ ટેબલમાં ચોથા અને છઠ્ઠા ક્રમે છે. હાલ કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી નથી સાથે જ રવિન્દ્ર-ગિલ ટી-20 વર્લ્ડકપ ટીમનો હિસ્સો પણ નથી માટે શુભમન ગીલ અને રવિન્દ્ર જાડેજા રાજકોટમાં રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:00 pm

વધુ ફી ઉઘરાવતી થલતેજની ઉદગમ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ:ફી મંજૂર કરાવ્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી વસૂલતા અમદાવાદ ઝોન FRCએ ખુલાસો માંગ્યો

અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી છે. બન્ને સ્કૂલે અમદાવાદ ઝોન FRC પાસે ફીની મંજૂરી વગર પ્રિ-પ્રાઈમરીની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હતી, જેથી વિદ્યાર્થીઓએ અમદાવાદ ઝોન FRC સમક્ષ ફરિયાદ કરી હતી. આ મામલે FRCએ બન્ને સ્કૂલને નોટિસ ફટકારી ફી મંજૂર કરાવ્યા વગર કેમ વસૂલાઈ તે અંગે બંને સ્કૂલે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. સ્કૂલ FRC પાસે ફી મંજૂરી લીધા બાદ જ વાલી પાસેથી લઈ શકેનિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ સ્કૂલ કેમ્પસમાં ધોરણ 1થી 8 સાથે જ પ્રિ-પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી ઉઘરાવતા પહેલા સ્કૂલ સંચાલકોએ FRCમાં દરખાસ્ત કરવી પડતી હોય છે. જેથી દરખાસના આધારે જેટલી ફી મંજૂર કરવામાં આવે તેટલી જ ફી વાલીઓ પાસેથી લેવામાં આવતી હોય છે, પરંતુ અનેક સ્કૂલો આ નિયમોનો પણ કરી રહી છે. અમદાવાદ ઝોનની FRCએ અનેક વખત રજૂઆત કરવા છતાં ધોરણ 1થી 8 સાથે એક કેમ્પસમાં ચાલતી પ્રિ-પ્રાયમરી સ્કૂલને ફી મંજૂર કરવામાં આવતી નથી. જોકે, અગાઉ પણ કેટલીક સ્કૂલોની આ પ્રકારની ફરિયાદ સામે આવતા પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે શહેરની વધુ બે સ્કૂલોની આ પ્રકારની બેદરકારી સામે આવતા નોટિસ પડકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશેઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા ખાસ કરીને કેમ્પસમાં ચાલતી ફ્રી સ્કૂલો હોય, ભલે તેનું રજીસ્ટ્રેશન ન થયું હોય પરંતુ એક જ કેમ્પસમાં ચાલતી હોય તો તેવી સ્કૂલોને પ્રિ-સ્કૂલની ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. પરંતુ ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. એક જ કેમ્પસમાં ચાલતી હોવાથી કેમ FRC કમિટીમાં ફી મંજૂર કરાવી નથી, તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદ FRCને મળી હતી, જેથી તેના દ્વારા સ્કૂલો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. અગાઉ આ મુદ્દે અન્ય સ્કૂલોને 5-5 લાખનો દંડ થયો હતોવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જોકે અગાઉ પણ ફ્રી સ્કૂલની ફી મંજૂર કર્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતા ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલોને પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ફી મંજૂર કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. FRC એક્ટ 2017 પ્રમાણે એક જ કેમ્પસમાં સ્કૂલ ચાલતી હોય તો તેને ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. જો સ્કૂલ એવું કારણ બતાવતી હોય કે અમારું રજીસ્ટ્રેશન થયું નથી, પરંતુ રજીસ્ટ્રેશન ન થયું હોય તો પણ એ મંજૂર કરાવવી ફરજીયાત છે. પ્રિ સ્કૂલની ફી મંજૂર કરાવવા માટેની ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:56 pm