રાજકોટ મનપા દ્વારા લોકો વિવિધ મુશ્કેલીઓ અંગેની ફરિયાદ કરી શકે તે માટે કોલ સેન્ટર કાર્યરત છે. મનપાનાં આ કોલ સેન્ટરમાં વર્ષ 2025 દરમિયાન ફરિયાદોનો ધોધ વહ્યો હોય તેમ એક વર્ષમાં 4.67 લાખ એટલે કે દૈનિક 1280 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં પણ સૌથી વધુ 2.65 લાખ એટલે કે રોજની 725 જેટલી ફરિયાદો માત્ર ડ્રેનેજને લગતી મળી હતી. એટલે કે રાજકોટ શહેરમાં ડ્રેનેજની સુવિધાને લઈને લોકો સૌથી વધુ પરેશાન હોય તેવું લાગી રહ્યું છે. જોકે મનપા દ્વારા 2025નાં વર્ષમાં કુલ 4.62 લાખ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો ફાયર વિભાગની તમામ 139 સહિત બાકીની 5 હજાર જેટલી ફરિયાદોનો ઝડપથી ઉકેલ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2025 દરમિયાન 01-01-2025 થી 31-12-2025 સુધીના સમયગાળામાં કુલ 467,582 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી 462,465 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને 5,117 ફરિયાદો હાલ ઓપન સ્ટેટસમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અથવા ઓવરફ્લો વિભાગની કુલ 265,114 નોંધાઈ છે. જે કુલ ફરિયાદોના 56.70 ટકા જેટલી થવા જાય છે. ઉપરાંત રોશની વિભાગમાં 49,234 ફરિયાદો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 39,450 અને વોટર વર્ક્સ વિભાગમાં 34,484 ફરિયાદો નોંધાઈ છે. બાંધકામ વિભાગમાં વર્ષ દરમિયાન 18,442 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 16,723 ફરિયાદો ઉકેલવામાં આવી છે. અન્ય મુખ્ય વિભાગોની વાત કરીએ તો, ડ્રેનેજ મેન્ટેનન્સમાં 21,910, કન્ઝર્વન્સી (મૃત પ્રાણી) માટે 10,044 અને દબાણ હટાવ શાખામાં 7,170 ફરિયાદો નોંધાઈ હતી. શહેરી પરિવહન સેવા જેવી કે સિટી બસ માટે 4,915 અને બગીચા વિભાગ માટે 4,923 ફરિયાદો મળી હતી. આરોગ્ય અને મલેરિયા વિભાગમાં અનુક્રમે 75 અને 2,958 ફરિયાદોનો સમાવેશ થાય છે. ફાયર વિભાગમાં 139 ફરિયાદો નોંધાઈ હતી જે તમામ હાલ ઓપન સ્ટેટસમાં દર્શાવવામાં આવી છે. મુખ્ય ફરિયાદોની વિગતો ક્રમ વિભાગ ફરિયાદ સોલ્વ પેન્ડિંગ1 ડ્રેનેજ ચોકઅપ 2,65,114 2,64,609 5052 રોશની વિભાગ 49,234 49,105 1293 સોલીડ વેસ્ટ 39,450 39,276 1744 વોટરવર્ક્સ 34,484 33,306 1,1785 ડ્રેનેજ મેન્ટેનન્સ 21,910 21,607 303 6 મૃત પ્રાણી ફરિયાદ 10,044 10,010 347 બાંધકામ વિભાગ 18,442 16,723 1,7198 સિટિબસ 4,915 4,906 099 દબાણ હટાવ 7,170 7,082 8810 ટાઉન પ્લાનિંગ 2,156 1,871 28511 ફાયર વિભાગ 139 00 139 ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ થવાની 2.65 લાખ છે. જ્યારે બીજા ક્રમે રોશની વિભાગની 49 હજાર જેટલી અને ત્રીજા ક્રમે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચરાના નિકાલને લગતી કુલ 39 હજાર અને વોટર વર્ક્સ વિભાગની પાણી વિતરણને લગતી 34 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે. ત્યારે મનપાનાં અધિકારીઓ દ્વારા ડ્રેનેજ ચોકઅપ થાય નહીં તેના માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો 50% કરતા વધુ ફરિયાદો ઓછી થાય તેમ છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આ દિશામાં ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું આદરિયાણા ગામમાં જ્યા જુઓ ત્યા ગંદકી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પણ બિસમાર હાલતમાં છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત કચેરીમાં પણ કચરાનો ઢગ જોવા મળે છે, જેમાં દારૂની બોટલો અને પોટલીઓ પણ મળી આવી છે, જે ગામમાં ફેલાયેલી બદીઓનો સંકેત આપે છે. ગામના મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે અને ગંદુ પાણી ભરાયેલું રહે છે. શંખેશ્વર બ્રિજ બંધ હોવાને કારણે મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેનાથી રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે. આ ગંદા પાણીના ભરાવાને કારણે ગ્રામજનોમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. આદરિયાણા એક મોટું ગામ છે અને આસપાસના ગામડાઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે. જોકે, ગામની મુખ્ય બજારમાં પણ ગંદુ પાણી છોડવામાં આવે છે, જેનાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ પંચાયત પાસે કચરા ગાડી હોવા છતાં, તે છેલ્લા બે મહિનાથી બસ સ્ટેશન પાસે શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે. ગ્રામજનો હાલમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે તંત્ર દ્વારા આ ગંદકીનો વહેલી તકે નિકાલ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.આ અંગે આદરિયાણા ગામના સરપંચ રસિક ડાભીએ જણાવ્યું હતું કે, ગામમાં ગંદકી માટેની ગાડી ચાલુ જ છે. તેમણે ઉમેર્યું કે, તેઓ હાલ પાટણ આવ્યા છે, પરંતુ ગ્રામજનોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત લેસર પદ્ધતિથી હરસ-મસાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ સુવિધા PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોટા ખર્ચમાંથી મુક્તિ મળી છે. પરંપરાગત પદ્ધતિથી થતા હરસ-મસાના ઓપરેશનમાં ટાંકા લેવામાં આવે છે અને તે પીડાદાયક હોય છે, જેમાં દર્દીને સાતથી આઠ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. જ્યારે નવી લેસર પદ્ધતિમાં પીડા નહિવત રહે છે અને દર્દીને ૨૪ કલાકમાં જ રજા આપી દેવામાં આવે છે, જેનાથી રિકવરી પણ ઝડપી થાય છે. ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જને આ નવી સુવિધા અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગોધરા સિવિલમાં પ્રથમ વખત લેસર પદ્ધતિથી હેમોરોઇડ પાઈલ્સનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં આવા ઓપરેશનનો ખર્ચ અંદાજે 10 હજાર થી 40 હજાર રૂપિયા થાય છે, પરંતુ અહીં આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીને તે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું છે. PMJAY યોજના ઘણી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ન હોવાથી અથવા અમુક સારવાર ત્યાં ન મળતી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે ગોધરા સિવિલ હોસ્પિટલમાં હવે ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સારવાર વિનામૂલ્યે મળવાથી જિલ્લાના નાગરિકોને મોટી રાહત મળી છે.
વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા. જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી. જી. રોડ તેમજ સિંઘુ ભવન રોડ પર રાતના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમ ગઈકાલે તૈનાત રહી હતી. મોડીરાતે એક પછી એક લોકોને ચેક કર્યા હતા, જેમાં સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચેકિંગ દરમિયાન 186 જેટલા દારૂ પીધેલા ઝડપી લીધા હતા. આ શખસોમાંથી નવ હોટેલના રૂમમાં પાર્ટી કરી રહ્યાં હતાં. સાબરમતી એ. બી. ફોર્ચ્યુન હોટેલમાં ચાલતી દારૂ પાર્ટી પર રેડસાબરમતી પોલીસે રાતના સમયે દારૂની મહેફિલ ઝડપી હતી. સાબરમતી એ. બી. ફોર્ચ્યુન હોટેલમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, ત્યારે છઠ્ઠા માળેથી રૂમમાંથી દારૂની મહેફિલ કરતા 9 નબીરાઓ ઝડપાયા હતા. પોલીસે હોટેલમાંથી ખાલી દારૂની બોટલ સહિત 1.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ નવા વર્ષની ઉજવણી માટે જ હોટેલમાં પાર્ટી રાખી હતી. પોલીસ તપાસમાં દારૂની પાર્ટી હિમાંશુ રાઠોડ નામના યુવકે રાખી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હિમાંશુ સહિત 9 આરોપીની ધરપકડ કરી છે. હોટેલમાંથી ઝડપાયેલા આરોપીઓ વટવા પોલીસે સૌથી વધુ પીધેલાને પકડી પાડ્યાંગત વર્ષે 242થી વધુ દારૂડિયાઓ પોલીસ સંકજામાં આવી ગયા હતાં, જ્યારે તેની સામે મોડીરાતે 186થી વધુ દારૂડિયા જ પકડાયા છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ દારૂડિયાઓ પોલીસે ઝડપી લીધા છે. જ્યારે આ બાદ મણીનગર અને વેજલપુરમાં સૌથી વધુ દારૂડિયા પોલીસના હાથે ચઢી ગયા છે. શહેરામાં ઘણા પોલીસ સ્ટેશન એવા છે કે, જેમાં એક પણ દારૂડિયા આવ્યા નથી. ડ્રગ્સનો એકપણ કેસ નહિશહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિનિયર આઇપીએસ અધિકારીઓ પણ રાતના બાર વાગ્યા સુધી સતત રાઉન્ડમાં હતા. તેમજ પોલીસ અને હોમ ગાર્ડના જવાનોનો પણ વાહનચેકિંગ, ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી સોંપવામાં આવી હતી. શહેર પોલીસે તપાસ દરમિયાન 186થી વઘુ લોકોને દારૂના નશામાં ઝડપી લીધા હતા. જ્યારે ડ્રગ્સનું સેવન કરતા તત્વોને ઝડપી લેવા માટે પણ પોલીસે ખાસ કવાયત્ હાથ ધરી હતી, પરંતુ એક પણ ડ્રગ્સ માફિયા ઝડપાયો નહીં. મોડીરાતે સિવિલ હોસ્પિટલ દારૂડિયાઓથી ઉભરાયુદારૂ પીને ઝડપાયેલા લોકોને બલ્ડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મોડીરાતે સિવિલ હોસ્પિટલ દારૂડિયાઓથી ઉભરાયુ હતુ. અમદાવાદ જિલ્લામાં પણ પોલીસ સંખ્યાબંધ દારૂડિયાઓને ઝડપી પાડીને લોકઅપમાં ધકેલી દીધા હતા. અત્યાર સુધીમાં બ્રેથએનેલાઇઝર કીટથી દારૂડિયાઓને પોલીસ પકડતી હતી, ત્યારે હવે ડ્રગ્સના ટેસ્ટિંગની કીટ ક્રાઇમબ્રાંચ તેમજ પાસે આવી ગઈ છે. ગઈકાલે ન્યુ યર હોવાથી SOGએ સિંધુભવન રોડ સહિતની જગ્યાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું, જેમાં એક પણ વ્યકિત ડ્રગ્સનું સેવન કરતો ઝડપાયો નથી. ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી 5 જ મિનિટમાં ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં? અને બાદમાં આ કિટ વડે લીધેલા સેમ્પલને FSLમાં મોકલી આપવામાં પણ આવે છે. ગ્રામ્યમાંથી પણ 100થી વધુ પીધેલા ઝડપાયાઅમદાવાદ શહેર પોલીસ સાથે અમદાવાદ જિલ્લા પોલીસે પણ મોડીરાત સુધી દારૂપાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે સતત પેટ્રોલિંગ કર્યુ હતું. અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો સાણંદ, શેલા, બોપલ, ભાડજ, રાંચરડા, ચાંગોદર, હાથીજણ, બગોદરા તેમજ નળ સરોવરના ફાર્મ હાઉસ તેમજ વાહનોના ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યમાં પણ 100થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યુ છે. 6 પોલીસ સ્ટેશન એક પણ કેસ નહિપોલીસ બ્રેથ એનેલાઈઝર સાથે મેદાનમા ઉતરી હતી અને સંખ્યાબંધ દારૂડિયાઓને ઝડપી પાડ્યા હતા. પરંતુ શહેરના 6 એવા પોલીસ સ્ટેશન છે, જેમાં એક પણ દારૂડિયા લોકઅપમાં નથી. સેક્ટર 1માં આવતા સોલા, નવરંગપુરા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક પણ દારૂડિયા ઝડપાયા નથી. જ્યારે સેક્ટર 2માં આવેલા મેઘાણીનગર, ખોખરા અને કાગડાપીઠમાં પણ કોઈ રાજપાટમાં મળી આવ્યુ નથી. આ 6 પોલીસ સ્ટેશનના લોકઅપ એવા છે કે, જેમાં એક પણ દારૂડિયો નથી. અમદાવાદના સેક્ટર પ્રમાણે પોલીસ સ્ટેશન અને કેસની સંખ્યા
ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મેથોડિસ્ટ, સી.એન.આઈ. અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજ અને વિશ્વમાં ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ, રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓએ ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું, જ્યારે સોશિયલ મીડિયા માધ્યમોથી પણ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનારી રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદી હાજરી આપશે. 11મી જાન્યુઆરીએ પીએમના હસ્તે સમિટનું અને ટ્રેડ શોનું ઉદઘાટન કરાશે. રાજકોટમાં પીએમના રોડ શોનું પણ આયોજન કરાયું છે. જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી વડાપ્રધાન રોડ શો યોજશે. વહીવટીતંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ યોજાનાર છે. જેને લઈને ટિકિટ બુક કરાવવા માટે આજે બુક માય શો પર સ્લોટ શરૂ થયો હતો. પરંતુ આ સ્લોટ બુકિંગ શરૂ થઈ 10થી 15 મિનિટોમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે. આ અંગે અમે કેટલાક ક્રિકેટ ચાહકો સાથે વાતચીત કરતા તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાથે તેઓએ આ ટિકિટોમાં કારાબજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી નિરાશા અનુભવી રહ્યા છે. ક્રિકેટ પ્રેમી કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, અમે સૌથી પહેલા તો ઘણા ટાઈમથી અમે ક્રિકેટ પણ થોડું-થોડું રમીએ છીએ અને અમને ક્રિકેટમાં ઘણો રસ છે. તો અમે વિચાર્યું હતું કે બધા સાથે મળીને મેચ જોવા જઈશું, પણ અમે બુક-માય-શો (BookMyShow)માં તરત જ ચેક કરતા હતા. આજે 11 વાગ્યે કે ટિકિટ ઉપલબ્ધ થશે, પણ 10-15 મિનિટમાં તરત જ સોલ્ડ આઉટ (sold out) થઈ ગઈ હતી. આવું સામાન્ય રીતે તો ના બને અને અમને થોડો ડાઉટ જાય છે કે આટલી જલ્દી ટિકિટ કેવી રીતે સોલ્ડ આઉટ થઈ જાય. વધુમાં કહ્યું કે, ઘણું ખરાબ લાગે છે કારણ કે અમે ઘણા સમયથી એમના ફેન છીએ અને ઘણા સમયથી અમને જોવાની ઈચ્છા થાય છે કે અમારે સ્ટેડિયમમાં જઈને એમને મળવાનો મોકો મળે, પણ આ વખતે પણ અમને ટિકિટ ના મળી અને આવું થયું છે. આ અંગે અન્ય ક્રિકેટ પ્રેમી ભોયા મિલને જણાવ્યું કે, ભોઈ હું વડોદરા કોલેજમાં અહિયાં ભણું છું. હું ઘણા સમયથી ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા મત રાહ જોઉં છું. પરંતુ આજે જોયું તો 15 મિનિટમાં સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. અમે તો ઇન્ડિયન ટીમને જોવાના હતા યાર, મારો તો વિરાટ કોહલી ફેન છે. હવે ટિકિટ ના મળી એનું દુઃખ તો ઘણું છે. શું થયું હશે ખબર નહી, 15 મિનિટમાં બધું પતી ગયું તે યોગ્ય નથી. હવે મેચ તો ફોન પર જ જોવી પડશે, બીજો તો શું ઓપ્શન મળે નહી. આ સાથે અન્ય ક્રિકેટ પ્રેમી યશ નિસર્તાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે તો બહુ સમયથી ઉત્સાહિત હતા અને ઈચ્છા હતી કે જોઈએ સ્ટેડિયમમાં જઈને. પહેલીવાર વડોદરામાં ઇન્ટરનેશનલ મેચ થવાની છે. અમે અગાઉ પણ જ્યારે WPL હતી ત્યારે પણ જોવા ગયા હતા, અમે વિચાર્યું હતું કે ઇન્ટરનેશનલ હશે તો વધારે મજા આવશે. પણ ટિકિટો જ નથી મળી, 10-15 મિનિટમાં બધી જ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. વધુમાં કહ્યું કે, અમે પ્રયત્ન કર્યો હતો, અમે ખોલીને જ બેઠા હતા કે આજે થશે એવો વિચાર હતો, પણ જોયું તો થોડીવારમાં તો સોલ્ડ થઈ ગઈ, ટિકિટ જ ના મળી કોઈ તો શું કરીએ. હવે શું કહી શકીએ હવે, એ લોકોએ સ્ટેડિયમમાં જ અંદર અંદર કંઈ કરી દીધું હશે. અમે તો રાહ જોતા હતા, અમને વિચાર હતો કે જોવા જઈશું, બરોડામાં મેચ છે તો મજા આવશે. હોઈ શકે કે ટિકિટમાં કાળબજારી થઈ હોય શકે.
દાહોદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ તથા નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ તંત્ર દ્વારા વ્યાપક અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સરહદી જિલ્લો હોવાના કારણે દારૂ તેમજ અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત દારૂ પીધેલી હાલતમાં કુલ 92 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 31 દેશી દારૂ અને 11 વિદેશી દારૂના કેસો નોંધાયા હતા. 23 જેટલી ચેકપોસ્ટો શરૂ કરી હતીઆ અંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વો કોઈ ગેરલાભ ન લઈ જાય તે માટે દાહોદ જિલ્લાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસે આગોતરી તૈયારી સાથે કુલ 23 જેટલી ચેકપોસ્ટો શરૂ કરી હતી, જ્યાં દિવસ અને રાત દરમિયાન સતત વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. 1000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતાઆ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકોની દેખરેખ હેઠળ આશરે 1000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ સરહદી માર્ગો પર વધારાનું પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ, જે નેશનલ હાઈવે પર સ્થિત છે, ત્યાં વિશેષ કાળજી લેવામાં આવી હતી, કારણ કે અગાઉ આ માર્ગ પરથી દારૂની હેરાફેરીના બનાવો સામે આવ્યા હતા. પીધેલી હાલતમાં કુલ 92 લોકો ઝડપાયાચેકિંગને વધુ અસરકારક બનાવવા માટે પોલીસે બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ બ્રેથ એનાલાઇઝર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સઘન કાર્યવાહી દરમિયાન દાહોદ જિલ્લામાંથી દારૂ પીધેલી હાલતમાં કુલ 92 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત 31 જેટલા દેશી દારૂના કેસો તથા 11 જેટલા વિદેશી દારૂના કેસો નોંધાયા હતા. ખંગેલા ચેકપોસ્ટ પર વિશેષ નજરદાહોદ જિલ્લાના મધ્યપ્રદેશને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ, જે નેશનલ હાઈવે પર સ્થિત છે, ત્યાં વિશેષ સતર્કતા રાખવામાં આવી હતી. અગાઉ મોટા વાહનો મારફતે દારૂની હેરાફેરીના બનાવો સામે આવ્યા હોવાથી આ ચેકપોસ્ટ પર કડક તપાસ કરવામાં આવી હતી. મોટા ટ્રક, ટેમ્પો અને અન્ય માલવાહક વાહનોની બારીકીથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગમા આધુનિક સાધનોનો ઉપયોગપોલીસ દ્વારા ચેકિંગને વધુ અસરકારક બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. સાથે જ બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોની દારૂ પીધેલી હાલતમાં તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે. દારુ અને પીધેલાના 134 કેસો નોંધાયાગઈકાલે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સમગ્ર દાહોદ જિલ્લામાંથી દારૂ પીધેલી હાલતમાં 92 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 31 જેટલા દેશી દારૂના કેસો અને 11 જેટલા વિદેશી દારૂના કેસો નોંધાયા હતા. તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. શાંતિપૂર્ણ ઉજવણીમાં પોલીસની ભૂમિકાપોલીસ તંત્રની આ કડક અને આયોજનબદ્ધ કામગીરીના પરિણામે દાહોદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા પામી નહોતી. નાગરિકોએ પણ પોલીસની કામગીરીમાં સહકાર આપ્યો હતો. આવનારા દિવસોમાં પણ પોલીસ સતર્કતા રહેશેજિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, સરહદી જિલ્લો હોવાના કારણે આવનારા દિવસોમાં પણ ચેકપોસ્ટો અને પેટ્રોલિંગ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. નશાકારક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.
ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રીના દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી ભઠ્ઠી પર રેડ કરી હતી. બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડથી વિસ્તારમાં દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ31 ડિસેમ્બરને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગ દરમિયાન, ભાવનગર શહેરના અધેવાડાના ખળાવાળા વિસ્તારની પાછળ ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. તેમાં અંદાજે 600 લીટર દેશી દારૂનો આથો તેમજ 120 લીટર તૈયાર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં ઝડપાયેલા રૂપિયા 24 હજારનો દેશી દારૂ અને રૂપિયા 15 હજારના આથો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 40,160નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભઠ્ઠી ચલાવનાર આરોપી જગદીશ પરમાર સ્થળ પરથી ફરારલોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી જગદીશ પરમાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના અંગે ભરતનગર પોલિસે જગદીશ પરમાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષ નિમિત્તે અપાતી રજા આ વર્ષે રદ્દ કરવામાં આવી છે. સમિતિનો ઉદ્દેશ્ય વર્ષના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને ભણતર પ્રત્યેની રુચિ જળવાઈ રહે તેવો છે, જેના કારણે 1 જાન્યુઆરીએ સ્કૂલો ધમધમતી જોવા મળી. હવે રથયાત્રાના પર્વે રજા મળશે. રથયાત્રાના લોકપર્વને મળ્યું વિશેષ મહત્વશિક્ષણ સમિતિના ચેરમેન જીતુ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સુરતમાં ધામધૂમથી નીકળતી જગન્નાથ રથયાત્રા છે. શિક્ષણ સમિતિએ 'સ્થાનિક રજા'નું સંતુલન જાળવવા માટે 1 જાન્યુઆરીની રજાના બદલે રથયાત્રાના દિવસે રજા આપવાનો નિર્ણય કર્યો છે. સુરતની ભક્તિમય સંસ્કૃતિ અને રથયાત્રાના દિવસે સર્જાતી ભીડ તેમજ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઉત્સાહ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ઇન્ચાર્જ શાસનાધિકારી દ્વારા નવું કેલેન્ડર જાહેરશિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે વર્ષ 2026 માટેનું સત્તાવાર રજા કેલેન્ડર જાહેર કરી દીધું છે. આ કેલેન્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વર્ષ દરમિયાન કઈ-કઈ જાહેર રજાઓ અને કઈ મરજીયાત રજાઓ રહેશે. આ વખતે કેલેન્ડરમાં 1 જાન્યુઆરીનો ઉલ્લેખ રજા તરીકે ન હોવાથી હવેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ષની શરૂઆત સ્કૂલમાં પ્રાર્થના અને અભ્યાસ સાથે કરશે. રજાઓના ગણિતમાં સ્થાનિક પરંપરાનો સંગમસમિતિના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક રજાઓ મર્યાદિત હોય છે અને તેનો ઉપયોગ લોકલાણી કે સામાજિક મહત્વના દિવસોએ કરવો વધુ હિતાવહ છે. 1 જાન્યુઆરીએ રજા રાખવા કરતા રથયાત્રા જેવા મોટા પર્વ પર રજા આપવાથી વધુ બાળકો રથયાત્રાના સાંસ્કૃતિક વારસાનો લાભ લઈ શકશે. આ નિર્ણયને વહીવટી દ્રષ્ટિએ વધુ વ્યવહારુ ગણાવવામાં આવી રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે નવી વ્યવસ્થાશરૂઆતમાં રજા હોવાની માન્યતાને કારણે થોડી મૂંઝવણ ચોક્કસ જોવા મળી હતી, પરંતુ હવે સ્કૂલો દ્વારા વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા છે કે, નવા વર્ષે સ્કૂલ ચાલુ રહેશે. આ નિર્ણયથી હવે સુરતની શિક્ષણ સમિતિ હેઠળની તમામ સ્કૂલોમાં 1 જાન્યુઆરીએ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલશે અને રથયાત્રાના પર્વે બાળકો રજાનો આનંદ માણી શકશે. વ્હોટ્સએપ ગ્રુપોમાં અસમંજસ, વાલીઓમાં રોષ રસપ્રદ વાત એ છે કે, 30મી ડિસેમ્બર સુધી અનેક સ્કૂલોના અધિકૃત અને બિન-અધિકૃત વ્હોટ્સએપ ગ્રુપોમાં 'પહેલી તારીખે રજા છે' તેવા મેસેજ વાઇરલ થઈ ગયા હતા. વાલીઓ અને બાળકો માનસિક રીતે રજાની તૈયારી કરી ચૂક્યા હતા, ત્યાં જ અચાનક સ્કૂલ ચાલુ હોવાના આદેશ આવતા દોડધામ મચી ગઈ હતી. વાલીઓમાં એવી ચર્ચા છે કે, જો રજા રદ્દ જ કરવી હતી તો તેની જાણ વહેલી કેમ કરવામાં ન આવી? વિપક્ષી નેતાઓ અને શિક્ષકોનો વિરોધનો સૂરઆ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાઇકલવાલાએ સમિતિના આ વલણને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું છે કે, પરંપરાગત રજાઓ આ રીતે અચાનક રદ્દ કરવી એ યોગ્ય નથી. બીજી તરફ, શિક્ષક આલમમાં પણ આંતરિક નારાજગી છે, કારણ કે આ વર્ષે કેલેન્ડરમાં મરજીયાત રજાઓની સંખ્યા પણ ઘટાડીને માત્ર બે કરી દેવામાં આવી છે, જે કર્મચારીઓના હકો પર ત્રાપ સમાન ગણાઈ રહી છે.
નખત્રાણામાં ટ્રકની અડફેટે રાહદારીનું મોત:આંબેડકર કોલોની નજીક ઘટના, ટ્રાફિક સમસ્યા કારણભૂત
કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હિરા બુધા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ-લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. માર્ગની બંને તરફ છૂટક ધંધાર્થીઓ અને વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જે આવા અકસ્માતો માટે કારણભૂત હોવાનું મનાય છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસને ટ્રાફિક નિયંત્રણની કડક અમલવારી કરવા માટે માંગ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પંચોની હાજરીમાં મૃતદેહ બહાર કઢાયોઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધારી પોલીસને માહિતી મળી હતી કે, ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે અને એનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે ધારી એએસપી જયવીર ગઢવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજે વહેલી સવારે ભાડેર ગામમાં પહોંચ્યા હતા. જ્યાં એક વાડીમાં શંકા જતા પંચોની હાજરીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે શંકાસ્પદોની પુછપરછ શરૂ કરીધારી પોલીસે યુવકના મોતનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. બીજી તરફ પોલીસને પરિવાર પર શંકા હોવાથી પોલીસે મૃતકના પરિવારજનો સહિત કેટલાક શંકાસ્પદોની પુછપરછ શરૂ કરી છે. આજે સાંજ સુધીમાં પોલીસ યુવકના મોતનું રહસ્ય ઉકેલી દેવી શક્યતા છે.
ચોમાસા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા વિસ્તાર અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના કુલ 32 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓને અંદાજે 24 કરોડ રૂપિયાના ખર્ચે રિસરફેસ કરવાની કામગીરી હાલ વેગવંતી બની છે. અનેક સમયથી બિસ્માર રસ્તાઓની ફરિયાદો થતી હતીસામાન્ય રીતે ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે નાના-મોટા ખાડા અને પોટહોલ્સ પડવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને મનપા તંત્ર દ્વારા રિસરફેસિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહેસાણા મહાનગરપાલિકામાં જે નવા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થયો છે, ત્યાં ઘણા વર્ષોથી રસ્તાઓનું નવીનીકરણ કે રિસરફેસિંગ થયું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રએ ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તારોને આવરી લીધા છે. સર્વે બાદ કામગીરી શરૂ કરાઈસત્તાધીશોના જણાવ્યા અનુસાર, જે રસ્તાઓ હાલ સારી સ્થિતિમાં છે તેને રિસરફેસ કરવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે રસ્તાઓનું ઉપરનું પડ વિયર એન્ડ ટીયર ઘસાઈ ગયું હોય અને ભવિષ્યમાં સામાન્ય વરસાદમાં પણ મોટા ખાડા પડવાની શક્યતા હોય તેવા રસ્તાઓનું આગોતરું આયોજન કરી કામગીરી હાથ ધરાઈ છે. આ માટે સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યાં આખો રોડ સારો હોય, પરંતુ અમુક જગ્યાએ નાના પેચીસ ખરાબ હોય ત્યાં પેચવર્ક દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેથી રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મૌસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે, ત્યારે ભરશિયાળે આ અણધાર્યા વરસાદને પગલે કેરી, ચીકુ અને શિયાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આજે પણ માવઠાની શક્યતાગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈકાલે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ પણ થયો છે. 31મી તારીખની રાત્રે કેટલાક સ્થળોએ વરસાદ પડતા નવા વર્ષની ઉજવણીમાં પણ ખલેલ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક દરમિયાન ગુજરાતમાં શિયાળાનો કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે પણ માવઠાની શક્યતા છે. 2 જાન્યુઆરીથી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશેહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ વાતાવરણ બદલાવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે, જ્યારે આવતીકાલે એટલે કે 2 જાન્યુઆરીથી લઈને આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. સુરતના હજીરા ગામની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાસુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં સમગ્ર શહેર અને ખાસ કરીને હજીરા ગામ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે. સવારથી જ આખું શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું અને આ ધુમ્મસમય વાતાવરણની સાથે જ ઝરમર કમોસમી વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. આ અચાનક આવેલા વરસાદને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે પરંતુ શિયાળાની ઋતુમાં વરસાદી માહોલને લીધે આશ્ચર્ય પણ સર્જાયું છે. નવસારીના મરોલી પંથકમાં નવા વર્ષના પ્રારંભે જ માવઠુંનવસારી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ જિલ્લાના મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડતા લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા ફેલાઈ છે. શિયાળાની જામતી ઠંડી વચ્ચે પડેલા આ માવઠાને કારણે ખેતી અને જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં મોટા પાયે થતા કેરી અને ચીકુના પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત રવિ પાકને પણ માવઠાની અસર થઈ શકે છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગોહિલવાડમાં નવા વર્ષના પ્રારંભે જ મૌસમે મિજાજ બદલ્યોવેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સહિત ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમૌસમી હળવા છાંટા પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ બદલાયેલા માહોલને પગલે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, માવઠું થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના પ્રબળ બને છે, પરંતુ જો આ જ માહોલ વધુ સમય સુધી અકબંધ રહેશે તો કેરી સહિત બાગાયત ખેતને પણ નુકસાન કરી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સહિત ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમૌસમી હળવા છાંટા પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને પશ્ચિમ દિશામાંથી સતત ફૂંકાયેલ રહેલા ભેજવાળા પવનોના કારણે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે અને 31 ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીના રોજ કમોસમી માવઠું થવાની સંભાવના દર્શાવી હતી, જે અન્વયે ગઈકાલથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે, ભાવનગર શહેર જિલ્લામાં ગત 31 ડિસેમ્બર બપોર બાદ વાતાવરણ ડોહળાયું હતું અને આકાશમાં વાદળો જોવા મળ્યા હતા આજે વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીના ઉડતા સુરજ સાથે જ આકાશમાં વરસાદી વાદળો નો જમાવડો જોવા મળ્યો છે, ધુમ્મસનું પ્રમાણ વધુ રહેવા સાથે ભેજના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ બદલાયેલા માહોલને પગલે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે કારણ કે, માવઠું થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના પ્રબળ બને છે, પરંતુ જો આ જ માહોલ વધુ સમય સુધી અકબંધ રહેશે તો કેરી સહિત બાગાયત ખેતને પણ નુકસાન કરી શકે છે.
ભાવનગરના શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ચિત્રા GIDC વિસ્તારમાં આવેલ જેટકો સબ સ્ટેશન પાછળ રેલવે પાટા પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળી કુલ રૂ. 14 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જેટકો સબ સ્ટેશનની પાછળ રેલવે પાટા પાસે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 7 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.14,130 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં દશરથ ભરતભાઈ સોલંકી ઉ.વ.30, સુરેશ સવજીભાઈ પરમાર ઉં.વ.40, આશિષ રાજુભાઈ મકવાણા ઉ.વ.23, લવજી મોહનભાઈ વાઘેલા ઉ.વ.45, અશ્વિન ધીરુભાઈ ખોખાણી ઉ.વ.32, પીન્ટુ કાળુભાઈ પરમાર ઉં.વ.22 તથા સંજય અરવિંદભાઈ જતાપરા ઉ.વ.23 રહે.કુંભારવાડા વાળાને જુગારના પટમાં પડેલ જુગારના સાહિત્ય મળી કુલ 14,130 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી 7 શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લા પોલીસવડાએ 31 ડિસેમ્બરના ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શહેરના અનેક વિસ્તારોમાંથી કેફી પીણાનું સેવન કરી વાહન ચલાવતા 12 શખસોને ઝડપી પાડ્યા હતા અને તમામ શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. કોમ્બિંગ નાઇટમાં 12 પીધેલા ઝડપાયા31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા કોમ્બિંગ નાઈટ આપવામાં આવી હતી, જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘારોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા તળાવ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન, ભરતનગર પોલીસ સ્ટેશન અને વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેફી પીણાનું સેવન કરી વાહનો ચલાવતા 12 શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનેક વાહન ચાલકો ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા ઝડપાયાભાવનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરીજનો શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં આ પર્વની ઉજવણી કરી શકે તે માટે શહેરના 9 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ આપવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોને બ્રેથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન અનેક વાહન ચાલકો ડ્રિન્ક એન ડ્રાઇવ કરતા ઝડપાયા હતા. 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયોજેમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 શખસો જીતેન્દ્રસિંહ વાળા, ગોપલ ચૌહાણ, ભરતનગર પોલીસ સ્ટેશનમાં 2 શખસો દિવ્યરાજસિંહ જાડેજા, સાગર વાઘેલા, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 3 શખસો વિપુલ રાઠોડ, ચેતન ઉર્ફે ચડી સરવૈયા, સંજય ઉર્ફે હરજી મકવાણા,અને વરતેજ પોલીસ સ્ટેશનમાં જયેશ ઉર્ફે બાબુ લકુમ, મનીષ ડોડીયા, ભાવેશ માંડલીયા, જય લકુમ, યશ પરમાર મળી 4 પોલીસ સ્ટેશનમાં કુલ 12 શખસોને કેફી પીણું પીને વાહન ચલાવતા ઝડપી પાડ્યા હતા. તમામ આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલ-2025નું ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલા આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું, જેમાં રવિવારે રેકોર્ડબ્રેક 2 લાખ લોકો ઉમટી પડ્યા હતા. સમાપન સમારોહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જ્યારે અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. કાર્નિવલ પૂર્ણ થયા બાદ સફાઈ અને અન્ય કામગીરીને પગલે આજે 1 જાન્યુઆરીના રોજ કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. શનિવારે 1 લાખ લોકો આવતા ગેટ બંધ કરવા પડ્યા હતાકાંકરિયા કાર્નિવલમાં શનિવારે એક લાખથી વધારે લોકો ઉમટી પડતા ભીડને કાબૂ કરવા માટે તમામ ગેટ બંધ કરવા પડ્યા હતા. જ્યારે રવિવારે અને ગઈકાલે (31st ડિસેમ્બર)એ પણ કાંકરિયા પુષ્પકુંજ ખાતેના ગેટ નંબર એકમાં રાત્રે પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. આમ કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી પડે ત્યારે કોઈ એક દુર્ઘટના ન સર્જાય તેના માટે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ પણ કરવામાં આવી હતી. મહાનુભાવો ભગવાન રામની ભવ્ય આરતીમાં સહભાગી થયાશિક્ષણમંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહમાં મંત્રી અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો ભગવાન શ્રી રામની ભવ્ય આરતીમાં સહભાગી થયા હતા અને કાર્નિવલની અંતિમ સંધ્યાએ રજૂ થયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીકકાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં 8 લાખથી વધુ નાગરિકો આવ્યા છે. આ ઉત્સવ અમદાવાદીઓના દિલમાં વસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલો આ કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બન્યો છે. આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને અભિનંદન. 'લવેબલ અને લિવેબલ' અમદાવાદના સર્વાંગી વિકાસ માટે આ કાર્નિવલ એક મજબૂત માધ્યમ બન્યો છે, જે આગામી વર્ષોમાં વધુ ભવ્ય અને યાદગાર બનતો રહેશે. ઈશાની દવેએ સૂર રેલાવી ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યુંકાંકરિયા કાર્નિવલ 2025ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ સુમધુર અવાજમાં ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. આ ઉપરાંત, કલ્પેશ ખારવા દ્વારા લાઈવ સિંગિંગ પર્ફોમન્સ તેમજ ડી.જે અમિત કોચર દ્વારા ડી.જે નાઈટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ–2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું. કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ, સ્થાનિક ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા હોદ્દેદારો, વિવિધ કમિટીઓના ચેરમેનો અને સભ્યો સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીના ઉદ્યોગ જગતમાં આજે ગેસના ભાવને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વધારાએ ઉદ્યોગકારોના ગણિત બગાડી નાખ્યા છે. નેચરલ ગેસમાં ભાવ ઘટાડો: ઉદ્યોગકારોને મોટી રાહતગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર ₹4.50નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. પ્રોપેન ગેસનો ભાવ વધારો: ફાયદા પર ફેરવ્યું પાણીએક તરફ નેચરલ ગેસ સસ્તો થયો છે, ત્યારે બીજી તરફ સિરામિક ઉદ્યોગમાં સૌથી વધુ વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વાર થઈને કુલ ₹2.50નો વધારો ઝીંકાયો છે. મોરબીના મોટાભાગના કારખાનાઓ પ્રોપેન ગેસ પર નિર્ભર હોવાથી તેની અસર વ્યાપક છે. આંકડાકીય તુલના અને આર્થિક ભારણ: આમ, સમગ્ર ઉદ્યોગ પર નજર કરીએ તો ₹65 લાખના ફાયદા સામે ₹1.40 કરોડનું વધારાનું ભારણ આવી ગયું છે. ઉદ્યોગકારોની મૂંઝવણ અને બજારની સ્થિતિમોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસના ભાવ ઘટતા અન્ય રાજ્યોના વેપારીઓએ તૈયાર માલ (Tiles/Sanitaryware)ના ભાવ ઘટાડવાની માગ શરૂ કરી દીધી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ઉદ્યોગકારો પ્રોપેન ગેસ વાપરે છે, જેના ભાવ વધ્યા છે. મુખ્ય પડકારો: ગુજરાત સરકારનો નેચરલ ગેસમાં ભાવ ઘટાડવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ પ્રોપેન ગેસના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે સ્થિતિ કહીં ખુશી કહીં ગમ જેવી બની છે. જો આગામી દિવસોમાં પ્રોપેનના ભાવ સ્થિર નહીં થાય, તો ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી શકે છે.
ઉમરગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, VIDEO:રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા, રુમમાં રહેલાં દંપતીનો આબાદ બચાવ
વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં એક ચાલીના રૂમમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. નવા વર્ષની પ્રથમ સવારે બનેલી આ ઘટનામાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો. ગોકુલધામ સોસાયટીની ચાલીમાં રહેલું દંપતી વહેલી સવારે રસોઈ બનાવી રહ્યું હતું. તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા હતા. દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચીબ્લાસ્ટ બાદ દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેઓ થોડી જ ક્ષણોમાં સુરક્ષિત રીતે રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ તાત્કાલિક શ્રમિક પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેમતનગર ચાર રસ્તા પાસે ગત ઓક્ટોબર માસમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે વ્યક્તિએ ઘાયલ યુવાનને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, તે પોતે જ તેનો હત્યારો હતો. પોલીસે આરોપી મિત્ર ગણેશ પોલયની ઓડિશાથી ધરપકડ કરી છે. મોબાઈલ ઝૂંટવવાની લાયમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય યુવકની લાશ મળી હતી14 ઓક્ટોબર 2025ના રોજ રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય સાહિલ રફીક શાહની લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, તેને લાકડાના બોથડ હથિયારથી માર મારવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે ચોકબજાર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગણેશ નામના યુવાન વચ્ચે અગાઉ ઉગ્ર ઝઘડો થયો હતોપોલીસની સર્વેલન્સ ટીમે તપાસ દરમિયાન વિસ્તારના અનેક એમ્બ્રોડરીના ખાતાઓમાં પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી કે, મૃતક સાહિલ અને ત્યાં જ કામ કરતા ગણેશ નામના યુવાન વચ્ચે અગાઉ ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાતમીના આધારે પોલીસે વેડ રોડ પર રહેતા 20 વર્ષીય ગણેશ ચંદ્રશેખર પોલયની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. લાકડાનો ફટકો સાહિલના માથા-શરીરના ભાગે ઝીંકી દીધોઆરોપી ગણેશે કબૂલાત કરી હતી કે, તે રાત્રે જ્યારે પટેલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઊભો હતો, ત્યારે તેનો મિત્ર સાહિલ અચાનક ત્યાં આવ્યો હતો. સાહિલે ગણેશના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ તકરાર એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને ઉશ્કેરાયેલા ગણેશે નજીકમાં પડેલો લાકડાનો ફટકો સાહિલના માથા અને શરીરના ભાગે ઝીંકી દીધો હતો. કોઈને શંકા ન જાય તે માટે જાતે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ગંભીર રીતે ઘાયલ થયા બાદ સાહિલ ત્યાંથી ભાગીને ખુલ્લા મેદાનમાં જઈને પડી ગયો હતો. આરોપી ગણેશ તે સમયે ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ વહેલી સવારે જ્યારે તેણે જોયું કે સાહિલ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે, ત્યારે તે ગભરાઈ ગયો હતો. પોતે પકડાઈ ન જાય અને કોઈને શંકા ન જાય તે માટે તેણે એક શાતિર ચાલ ચાલી અને મદદગાર હોવાનો ઢોંગ કરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરીપોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલું સાધન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ગણેશ મૂળ ઓડિશાનો વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. મિત્રતા અને પરિચય હોવા છતાં ક્ષણિક આવેશમાં આવીને કરવામાં આવેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
થેલેસેમિયા નાબૂદી માટે રોટરીની અનોખી પહેલ:રોટરીની 'મુંબઈથી મુંબઈ' કાર રેલી સોમનાથ પહોંચી
રોટરી ક્લબ ઓફ નવી મુંબઈ દ્વારા થેલેસેમિયા જેવી ગંભીર બીમારી અંગે જનજાગૃતિ લાવવા માટે મુંબઈથી મુંબઈ આરોગ્ય સેતુ જાગૃતિ કાર રેલીનું આયોજન કરાયું છે. આ રેલી સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. રોટરીયન જય કારિયાએ માહિતી આપતા જણાવ્યું કે, કુલ 9 કાર સાથે આ રેલી મુંબઈથી શરૂ થઈ હતી. રેલી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં થેલેસેમિયા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં ભરૂચ, અંકલેશ્વર અને અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. રેલીનો આગળનો પડાવ ભૂજ ખાતે હતો, જ્યાં થેલેસેમિયા સેન્ટરની મુલાકાત લેવાઈ હતી. ભૂજ રોટરી ક્લબ સાથે ફ્લેગ ચેન્જિંગ ફેલોશીપ લંચનું આયોજન કરાયું. ત્યારબાદ રાજકોટ રોટરી ક્લબ સાથે ફ્લેગ ચેન્જિંગ ડિનર યોજાયું, જેમાં રોટરીયનો વચ્ચે સહકાર અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પર ચર્ચા થઈ. દ્વારકા રોટરી ક્લબ સાથે થેલેસેમિયા જાગૃતિ અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ યાત્રીઓએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ ખાતે રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ ડૉ. ગોડસે, ગવર્નર ગિરીશ ઠક્કર અને રોટરી ક્લબના સભ્યો અનિશ રાછ્છ તથા જેઠવાભાઈની ઉપસ્થિતિમાં ફ્લેગ ચેન્જિંગ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે થેલેસેમિયા નાબૂદી માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે સંકલન કરીને ભવિષ્યમાં વધુ વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા અંગે ચર્ચા થઈ. ત્યારબાદ કાર રેલી મહુવા તરફ રવાના થઈ. ભાવનગર રોટરી ક્લબ સાથે સંકલન કરીને આગળનો પ્રવાસ ઘોઘા–રોરો ફેરી મારફતે થાણે પહોંચીને પૂર્ણ થશે. રોટરીયન અનિશ રાછ્છે જણાવ્યું કે, રોટરી ક્લબ ઓફ નવી મુંબઈની આ પહેલને વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ રહી છે. સમગ્ર વિશ્વના રોટરીયનો થેલેસેમિયા નાબૂદીના અભિયાનમાં જોડાય અને સમાજમાં આરોગ્ય પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ કાર રેલીને 'જાગૃતિ રેલી' તરીકે ઓળખ આપવામાં આવી છે. આ સમગ્ર યાત્રા રોટરીની સેવા પરમો ધર્મની ભાવનાને સાકાર કરતી સમાજસેવાની જીવંત ઝલક બની છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોમાં જોવા મળી રહ્યા છે. ડોક્ટરોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ સાથે આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. અને આરોપીની ધરપકડ કરી તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જેના કારણે હોસ્પિટલની નોન-ઇમરજન્સી સેવાઓ પર માઠી અસર પડી છે. એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર નિકુંજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરની રાત્રે 2 વાગ્યે અમારા ન્યુરોસર્જરી રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો થયો હતો. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ, સરકાર કે કોલેજ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપી અંડરગ્રાઉન્ડ છે અને પોલીસ પકડથી બહાર છે. અમે દિવસ-રાત જોયા વગર 36-36 કલાક સતત ફરજ બજાવીએ છીએ, અને દર્દીઓની સેવા એ જ અમારો ધર્મ છે, પરંતુ જો અમારી પોતાની જ સુરક્ષા જોખમમાં હોય તો તેઓ કામ કેવી રીતે કરએ? તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ડોક્ટરો કોઈ 'પબ્લિક પ્રોપર્ટી' નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે હિંસા કરી શકે. આ હિંસક ઘટનાના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કઈ રીતે ફરજ પરના તબીબ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. અમારી મુખ્ય 4 માંગણીઓ છે. જેમાં હુમલો કરનાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે જેથી અન્ય લોકો માટે દાખલો બેસે. આરોપીનું PMJAY (આયુષ્માન) કાર્ડ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. અને ઘટના સમયે હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે અને નવી સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે તે સહિતની માંગ સામેલ છે. સિવિલ હોસ્પિટલના ENT ડિપાર્ટમેન્ટના ડોક્ટર યાક્ષી પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના એક ન્યુરોસર્જન ડોક્ટર પર દર્દીના સગા દ્વારા શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સિક્યુરિટી ગાર્ડ્સની હાજરીમાં બની છે. છતાં 48 કલાક બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. અમે 24-48 કલાક સતત ફરજ બજાવતા હોવા છતાં અમારી સુરક્ષા રામભરોસે છે. અમે સરકારને આ મુદ્દે નિરાકરણ લાવવા 2 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કોઈ ઉકેલ ન આવતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. જોકે, દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, માત્ર રૂટિન ચેકઅપ અને સેવાઓ જ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની હડતાલને કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે હાલ માત્ર નોન-ઇમરજન્સી સેવાઓ જ બંધ રાખવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત છે. ડોક્ટરોનું કહેવું છે કે, અમે દર્દીઓની સેવા કરવા માંગીએ છીએ, પરંતુ અમારી સુરક્ષાની ગેરંટી કોણ આપશે? જો સરકાર અને હોસ્પિટલ પ્રશાસન વહેલી તકે આ મામલે ઉકેલ નહીં લાવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ત્યારે હવે આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.
પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવમાં વર્ષ 2025 દરમિયાન 2.15 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં કુલ 2,15,755 પ્રવાસીઓ આવતા પુરાતત્વ વિભાગને 99,40,600 રૂપિયાની આવક થઈ છે. આવકના આંકડા મુજબ, 2,13,058 ભારતીય પ્રવાસીઓ પાસેથી 40 રૂપિયા પ્રતિ ટિકિટના દરે કુલ 85,22,320 રૂપિયા મળ્યા હતા. જ્યારે 2,340 વિદેશી પ્રવાસીઓએ 600 રૂપિયા પ્રતિ ટિકિટના દરે 14,04,000 રૂપિયાની આવક નોંધાવી. આ ઉપરાંત, 357 BIMSTEC પ્રવાસીઓ દ્વારા 11,280 રૂપિયાની આવક થઈ હતી. આ આંકડાઓમાં ઓનલાઈન ટિકિટ લેનાર પ્રવાસીઓનો સમાવેશ થતો નથી. વર્ષ 2025માં ઓક્ટોબર મહિનામાં દિવાળીના વેકેશનને કારણે સૌથી વધુ 40,639 ભારતીય પ્રવાસીઓ રાણકીવાવની મુલાકાતે આવ્યા હતા. વિદેશી પ્રવાસીઓની સંખ્યા ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ 608 નોંધાઈ હતી. જોકે, વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં કુલ 3,65,482 પ્રવાસીઓએ રાણકીવાવની મુલાકાત લીધી હતી, જેનાથી 1,65,50,720 રૂપિયાની આવક થઈ હતી. પાટણની સાત માળની રાણકીવાવ તેની અદભૂત કલાકૃતિઓ અને શિલ્પકામ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પાટણના પટોળા, દેવડા અને સહસ્ત્રલિંગ તળાવ જેવી ઐતિહાસિક વિરાસતોની સાથે રાણકીવાવ પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રવાસીઓ અહીંની કોતરણી અને ભવ્ય ભૂતકાળને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
નવસારી જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. શિયાળાની ઠંડી વચ્ચે પડેલા આ માવઠાથી ખેતી અને જનજીવન પર અસર થઈ છે, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. નવસારી જિલ્લામાં મોટા પાયે થતા કેરી અને ચીકુના પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, રવિ પાકને પણ માવઠાની અસર થઈ શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળાની ઋતુમાં અચાનક આવેલા વરસાદને કારણે નવસારીથી સુરત દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને લીધે રસ્તાઓ પર ભીનાશ અને વાતાવરણમાં આવેલા પલટાએ મુસાફરોની હાલાકીમાં વધારો કર્યો હતો. નિષ્ણાતોના મતે, ઋતુચક્રમાં આવતા આવા અણધાર્યા બદલાવને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહે છે. મિશ્ર ઋતુના અનુભવને લીધે શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દરેક ઋતુમાં કમોસમી વરસાદ સામાન્ય બની ગયો છે. જોકે, શિયાળાની સિઝનનું આ પ્રથમ માવઠું હોવાથી જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સુરત શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ધુમ્મસની વચ્ચે જ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અચાનક ભારે ઠંડક પ્રસરી ગઈ છે. નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત સુરતીઓ માટે આ કમોસમી માવઠું આશ્ચર્યજનક સાબિત થયું છે. વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીહવામાન વિભાગના આંકડા મુજબ, આજે સુરતનું લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે પાછલા દિવસોની સરખામણીએ ત્રણ ડિગ્રી જેટલું ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા જેટલું ઊંચું નોંધાતા વાતાવરણમાં સવારથી જ ભેજ અને ધુમ્મસનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યું છે, પરંતુ વાદળછાયા આકાશ અને પવનની ગતિને કારણે બપોરના સમયે પણ ઠંડક અનુભવાઈ રહી છે. હવાનું દબાણ 1013.5 hpa નોંધાયું છે, જે સ્થિર વાતાવરણની નિશાની છે. અચાનક વાતાવરણમાં ફેરફારને કારણે આરોગ્ય પર અસર પડવાની ભીતિહવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જેને પગલે શહેરમાં 'કોલ્ડ વેવ' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એક તરફ લોકો આ ગુલાબી ઠંડી અને વરસાદી માહોલની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ અચાનક આવેલા આ ફેરફારને કારણે આરોગ્ય પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે કામ પર જતા લોકો માટે આ ઠંડક પડકારરૂપ બની છે.
નવા વર્ષના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી સમગ્ર સોમનાથ નગરી ભક્તિમય બની હતી. કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો ન હતો. નવા વર્ષના પ્રથમ દિવસે વિશેષ પૂજા-અર્ચના અને અભિષેકના દર્શનનો લાભ લેવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ હતો. સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. અનેક પરિવારોએ દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા, કતાર વ્યવસ્થાપન અને માર્ગદર્શન માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો, જેનાથી ભાવિકોને શાંતિપૂર્ણ દર્શનનો લાભ મળ્યો. નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડેલી આ ભીડે ફરી એકવાર સાબિત કર્યું કે સોમનાથ માત્ર ધાર્મિક સ્થાન નહીં, પરંતુ અડગ આસ્થાનું પ્રતીક છે. વર્ષના પ્રથમ દિવસે મહાદેવના આશીર્વાદ લઈને ભાવિકોએ નવા સંકલ્પો સાથે વર્ષનો પ્રારંભ કર્યો.
સામાન્ય રીતે 31st ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતની વાત આવે એટલે મગજમાં લાઉડ મ્યુઝિક, ડિસ્કોબાર, પશ્ચિમી ડાન્સ અને મોડી રાતની પાર્ટીઓના દ્રશ્યો તરવરવા લાગે છે, પરંતુ આ વર્ષે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. કેશોદના આંગણે પશ્ચિમી સંસ્કૃતિને બાજુમાં મૂકીને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું. ઢોલના ધબકારે અને રાસ-ગરબાના તાલે નવા વર્ષની શરૂઆતકેશોદમાં 'રમઝટ ગ્રુપ' દ્વારા આયોજિત આ અનોખી ઇવેન્ટમાં આધુનિક સંગીતને બદલે ઢોલના ધબકારે અને રાસ-ગરબાના તાલે નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને નાની વયના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. લોકસંસ્કૃતિની સુગંધ વચ્ચે તાળીઓના ગુંજારવ સાથે જ્યારે ગરબાની રમઝટ જામી, ત્યારે વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક બની ગયું હતું. યુવા પેઢીને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવથી મુક્ત કરી સંસ્કૃતિ તરફ વાળવા પ્રયાસઆ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાંથી મુક્ત કરી ફરી એકવાર પોતાની જડ (સંસ્કૃતિ) તરફ વાળવાનો હતો. કાર્યક્રમના આયોજક પરમાર વિશાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેશોદના આંગણે અમે આ એક નાનકડો સાહસ કર્યો છે. અત્યારની યુવા પેઢી જે રીતે વેસ્ટર્ન ડાન્સ અને ડિસ્કો તરફ ઢળી રહી છે, તેને ફરી આપણી સનાતન સંસ્કૃતિ અને વર્ષો જૂની રાસ-ગરબાની પરંપરાનું મહત્ત્વ સમજાય તે માટે આ 'રમઝટ ગ્રુપ' દ્વારા ઇવેન્ટ ગોઠવવામાં આવી હતી.વિશાલે વધુમાં ઉમેર્યું હતું કે, આ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નહોતો પણ ભારતીયતાને ઉજાગર કરવાનો પ્રયાસ હતો. આ ઇવેન્ટમાં માત્ર કેશોદ જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો હોંશે હોંશે જોડાયા હતા. યુવાનોમાં ગરબા પ્રત્યેનો આ ક્રેઝ જોઈને એ સાબિત થયું કે જો યોગ્ય તક આપવામાં આવે તો નવી પેઢી આજે પણ પોતાની પરંપરાને ગર્વથી અપનાવવા તૈયાર છે. રાસ-ઉત્સવમાં સામૂહિક એકતા અને પરિવારભાવના દ્રશ્યો જોવા મળ્યાજ્યાં ડિસ્કો પાર્ટીઓમાં અજાણ્યા લોકો સાથેની ભીડ હોય છે, ત્યાં કેશોદના આ રાસ-ઉત્સવમાં સામૂહિક એકતા અને પરિવારભાવના દ્રશ્યો જોવા મળ્યા હતા. વયોવૃદ્ધોએ પણ યુવાનો સાથે ડાંડિયા રાસ લઈને આનંદ માણ્યો હતો. આ ઉજવણીએ સમાજમાં એક મોટો સંદેશ આપ્યો છે કે આનંદ માણવા માટે માત્ર પશ્ચિમી નુસખાઓની જરૂર નથી, પણ આપણું કલ્ચર પણ એટલું જ આનંદદાયક અને અર્થપૂર્ણ છે. આગામી વર્ષોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો મોટાપાયે યોજાય તેવી આશાકેશોદમાં થયેલી આ અનોખી ઉજવણીની હવે ચારેકોર પ્રશંસા થઈ રહી છે. લોકોનું માનવું છે કે દરેક શહેરમાં જો આવા સાહસિક આયોજનો થાય, તો યુવા પેઢીને વ્યસન અને પશ્ચિમી વિકૃતિઓથી બચાવીને સંસ્કૃતિના સાચા વારસા સાથે જોડી શકાય છે. 'રમઝટ ગ્રુપ'નો આ આઈડિયા સફળ રહેતા આગામી વર્ષોમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો મોટા પાયે યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા નાઈટ કોમ્બિંગ આવી હતી. તેને લઈ શહેરના નિલમબાગ સર્કલ ખાતે પોલીસ દ્વારા અનેક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલ વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી હતી. શહેરના 9 અને જિલ્લાના 8 એન્ટ્રી પોઇન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ભાવનગર શહેરમાં ઠેર-ઠેર 31 ડિસેમ્બરની ઉજવણી લોકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં કરી શકે તે માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે, એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલિસ સહિત મસમોટા પોલીસ કાફલા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 9 એન્ટ્રી પોઇન્ટ અને જિલ્લાના 8 એન્ટ્રી પોઇન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સ્થાનિક પીઆઈના બંદોબસ્ત સાથે કડકાઈથી વાહન ચેકિંગઅંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને લઈને રેન્જ આઈ જી ગૌતમ પરમાર દ્વારા રાત્રીના સમયે ત્રણેય જિલ્લામાં કોમ્બિંગ આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજરોજ ભાવનગર શહેરના 9 એન્ટ્રી પોઇન્ટ અને એક્સઝીટ પોઇન્ટ ઉપર, અને ભાવનગર જિલ્લાના 8 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી પોઇન્ટ ગોઠવામાં આવી હતી. જ્યાં સ્થાનિક ડિવાયએસપી અને તમામ સ્થાનિક પીઆઈના બંદોબસ્ત સાથે કડકાઈથી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથેસાથે અન્ય અધિકારિઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઇ સતત પેટ્રોલિંગ કર્યું હતું.
અમરેલી જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી બાદ દીવથી પરત ફરતા નશાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. DYSP કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ, રાજુલા-જાફરાબાદ પંથક સહિત દીવથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર રાતભર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અન્ય રાજ્યના લોકો પણ પકડાયાથર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે દીવમાં મોટી સંખ્યામાં લોકો નશો કરવા આવતા હોય છે. આ લોકો દીવમાંથી નશો કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રવેશતા હોવાથી, અમરેલી જિલ્લા પોલીસે આવા નશાખોરો સામે સઘન ઝુંબેશ ચલાવી હતી. આ કાર્યવાહીમાં અન્ય રાજ્યના લોકો પણ પકડાયા હતા. નેશનલ હાઈવે ઉપર પણ ચેકિંગઅમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના નિર્દેશ હેઠળ, દીવથી આવતા નશાખોરો અને સ્થાનિક વિસ્તારમાં નશો કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લામાં કુલ 17 મુખ્ય ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. આ ચેકપોસ્ટ ધારીના દુધાળા, કોઠા પીપરીયા, બગસરાના માણેકવાડા, ખાંભાના ખડાધાર, વડીયા નજીક ચોકી ચાર રસ્તા, ચારણ સમઢીયાળા પાટીયા, લાઠીના ચાવંડ ત્રણ રસ્તા, બાબરાના કોટડાપીઠા, દેવળીયા, દામનગર નજીક નારાયણનગર ચોકડી, ધુફણીયા ચોકડી, લીલીયા ભોરિંગડા ચોકડી, વંડા નજીક છેલણા ચોકડી, સાવરકુંડલા રુલર વીજપજડી, ડુંગર નજીક દાતરડી, માંડળ અને નાગેશ્રી નજીક ટીંબી ખાતે હતી. આ ઉપરાંત, રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોલીસે નેશનલ હાઈવે ઉપર પણ વાહન ચેકિંગ કર્યું હતું. નશેડીઓ સામે કડક કાર્યવાહીઆ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ અંતર્ગત અલગ અલગ ચેકપોસ્ટ ઉભી કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટીંબી ચેકપોસ્ટ સહિતના સ્થળોએ પોલીસ બ્રેથએનેલાઇઝર અને અન્ય ડિવાઇસ દ્વારા વાહનચાલકોનું ચેકિંગ કરી રહી છે. નશા કરેલી હાલતમાં જોવા મળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, જે લોકો પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા છે અને જેમણે નશો કર્યો નથી, તેમની સાથે પોલીસ સારો વ્યવહાર કરી રહી છે.
રાધનપુરના ધરવડીમાં 1.60 લાખની ચોરી:તસ્કરો ઘરની બારી તોડી રોકડ-દાગીના લઈ ગયા
રાધનપુર તાલુકાના ધરવડી ગામના વાડી વિસ્તારમાં સવજીભાઈ સવાભાઈ ઠાકોરના મકાનમાં ઘરફોડ ચોરી થઈ છે. તસ્કરો રૂ. 50,000 રોકડા અને રૂ. 1,10,000ના દાગીના મળી કુલ રૂ. 1,60,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવજીભાઈ અને તેમનો પરિવાર રાત્રે ઘરને તાળું મારી ઓસરીમાં સૂતો હતો. બુધવારે સવારે છ વાગ્યે સવજીભાઈ કેનાલે મશીન ચાલુ કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ઘરની પાછળની દીવાલ પાસે એક લાકડું ઊભું જોયું અને ઘરની બારી તૂટેલી હતી. દીવાલ પાસે કાગળો વેરવિખેર પડેલા જોઈ તેમણે પરિવારજનોને જગાડ્યા હતા. ઘરનો દરવાજો બહારથી બંધ હોવાથી, સવજીભાઈએ તેમના પુત્ર સુનિલને તૂટેલી બારીમાંથી ઘરમાં ઉતારી દરવાજો ખોલાવ્યો હતો. ઘરમાં તપાસ કરતા પતરાની બે પેટીઓ તૂટેલી હતી અને સામાન વેરવિખેર પડ્યો હતો, જેના પરથી ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. ચોરોએ પેટીઓમાંથી રૂ. 25,000નું ચાંદીનું કડું, રૂ. 50,000ની વીંટી, સોનાની ચૂંક, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીની ઝેર, ચાંદીની વેઢ અને રૂ. 50,000 રોકડાની ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે 'થર્ટી ફર્સ્ટ'ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક તત્વો શાંતિ ભંગ ન કરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ,જેમાં ખુદ એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મધ્યરાત્રિ સુધી રસ્તા પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ કરતા નજરે પડ્યા હતા. સાસણમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખીજૂનાગઢ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ,પીએસઆઈ અને વિશાળ પોલીસ કાફલો રાત્રિના સમયે મેદાનમાં ઉતરી આવ્યો હતો. ખાસ કરીને સાસણ-ગીર જેવા પ્રવાસન ક્ષેત્રોમાં સહેલાણીઓનો ભારે ધસારો હોવાથી ત્યાં એએસપી, મેંદરડા પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાસણ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજરઆ વર્ષે જૂનાગઢ પોલીસ વધુ આધુનિક જોવા મળી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત, દારૂ પીધેલા શખ્સોને ત્વરિત પકડવા માટે 'બેટન લાઈટ વિથ બ્રેથ એનેલાઇઝર'નો ઉપયોગ કરાયો હતો. આ મશીનની મદદથી શ્વાસની તપાસ કરીને આલ્કોહોલનું પ્રમાણ માપી શકાય છે, જેથી નશો કરનારા શખસો સ્થળ પર જ પકડાઈ ગયા હતા. નાકાબંધી કરી વાહનોની તપાસ કરાઈજૂનાગઢ શહેરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો તેમજ સોમનાથ હાઈવે, જૂનાગઢ બાયપાસ અને સાસણ રોડ પર પોલીસે નાકાબંધી કરી હતી. દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી રહી હતી. વાહનોની ડિક્કીઓ ખોલાવીને માલસામાન ચેક કરવામાં આવ્યો હતો જેથી દારૂ કે અન્ય નશીલા પદાર્થોની હેરફેર અટકાવી શકાય. જે વાહનોમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવાયેલી હતી તેને સ્થળ પર જ દૂર કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. વગર નંબર પ્લેટ અને લાયસન્સ વગરના વાહન ચાલકો વિરુદ્ધ પણ કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમોએ રાતભર પેટ્રોલિંગ કર્યું નશો કરીને વાહન ચલાવતા નબીરાઓને પકડવા માટે પોલીસ અધિકારીઓએ સ્ટાફ અને અલગ અલગ ટીમોએ રાતભર પેટ્રોલિંગ કર્યું હતું. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોનું બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરાયું હતું. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે રસ્તા પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ફાર્મ હાઉસ અને હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગનવા વર્ષની પાર્ટીઓના નામે દારૂની મહેફિલો ન જામે તે માટે પોલીસે હાઈવે પર આવેલી હોટલો, રિસોર્ટ અને શહેરની આસપાસના એકાંત ફાર્મ હાઉસમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમોએ હોટલના ગેસ્ટ રજિસ્ટર અને પથિક પોર્ટલની એન્ટ્રીઓ પણ ચકાસી હતી. રાતભર જૂનાગઢ પોલીસ ખડેપગે રહેતા સામાન્ય જનતાએ સુરક્ષાનો અનુભવ કર્યો હતો. પોલીસની આ સક્રિયતાને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના વગર નવા વર્ષની શાંતિપૂર્ણ શરૂઆત થઈ શકી છે.
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને કડી, બાવલુ અને નંદાસણ પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રિએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નશેડીઓને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્તસમગ્ર વિશ્વ અને ગુજરાતભરમાં નવા વર્ષને આવકારવા માટે લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 31મી ડિસેમ્બરની રાત્રિએ ઠેર ઠેર પોલીસ ચેકિંગ જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગમહેસાણા જિલ્લામાં પણ 31મી ડિસેમ્બરની રાત્રે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કડી, નંદાસણ અને બાવલુ પોલીસે ઢોરીયા, અણખોલ, નંદાસણ, બાવલુ, મેઢા ચોકડી, થોળ ચોકડી જેવા અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફાર્મહાઉસોમાં પણ નિરીક્ષણપોલીસે માર્ગ પરથી પસાર થતા વાહનોનું અને વાહનચાલકોનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત, બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નશાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે બ્રેથ એનાલાઈઝર મશીન દ્વારા ચુસ્તપણે તપાસ કરી હતી.
પાટડીમાં ત્રીજો રામોત્સવ યોજાયો:મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ધાર્મિક કૃતિઓ રજૂ થઈ
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં પાટડી નગર પાલિકા દ્વારા તૃતીય રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ રામોત્સવમાં ઉત્તરપ્રદેશના રાધે ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામ, સીતા, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી અને ભૈરવનાથની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધાર્મિક ભજન-કીર્તનો દ્વારા હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેવાઈ હતી. પાટડી નગર અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ, રશ્મિભાઈ રાવલ, સુરેખાબેન પટેલ, ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને નગરપાલિકાના સદસ્યો સહિત અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.
મહેસાણા મહાનગરપાલિકાનું એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 4 વાગ્યે મહેસાણા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.140 કરોડના વિકાસ પ્રકલ્પો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના રૂ.696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી ઉપસ્થિતિ રહેશે. સાંસદ-ધારાસભ્યો સહિતના હાજર રહેશેઆ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, વિજાપુર ધારાસભ્ય ડૉ. સી.જે ચાવડા, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા ઉપસ્થિત રહેશે.
યુવકને માર્યો માર:બુટલેગર સહિત 8 શખ્સોએ અદાવતે યુવકને મારમાર્યો, છની ધરપકડ કરાઈ
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવકને નજીવી બાબતે આઠ જેટલા શખ્સોએ બે કારમાં આવી યુવકને લાકડી, ધોકાના ફટકા મારી, ગંભીર હાલત કરી ફરાર થયા હતા. જે મામલે પોલીસે છની ધરપકડ કરી છે. ભાવનગરના બગદાણા ગામે રહેતા નવનીતભાઇ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક નવનીતભાઇના બાઇકને ઉભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થયા હતા. જે મામલે આજે પોલીસે મુખ્ય સુત્રધાર નાજુ ધિંગુભાઇ કામળીયાની ધરપકડ કરી હતી. અને રાજુ દેવાયતભાઇ ભમ્મર, આતુ ઓઘડભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીષ વિજયભાઇ વનાડીયા, ભાવેશ ભગવાનભાઇ શેલાણા, પંકજ માવજીભાઇ મેર અને વિરૂ મધુભાઇ સયડાના પણ નામ ખુલવા પામ્યા છે. જે મામલે પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. જો કે, આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે આજે રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પિડીત નવનીતભાઇની વ્હારે આવનાર છે. બગદાણા આશ્રમના સેવક પર હુમલાના દોષિતો સામે કાર્યવાહીની માંગબગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર અસામાજિક તત્વો દ્વારા થયેલ હુમલાના પગલે અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી) તેમજ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહકન્વીનર માવજીભાઈ સરવૈયા ઇજાગ્રસ્ત નવનીતભાઈ બાલધિયાની હોસ્પિટલમાં મુલાકાત લઈ સબંધિત પોલીસ વિભાગના અધિકારીને રૂબરૂ મળી ઘટના સંદર્ભે ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરશે અને સાંજના મહુવા કોળી સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી પીડિતને ન્યાય નહી મળે તો આગામી સમયમાં આક્રમક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવશે. ઓળખ પરેડ પછી રિ-કન્સ્ટ્રક્શન કરાશેઆ બનાવમાં બગદાણા પોલીસ મથકના પી.આઇ. ડી.વી. ડાંગરે જણાવ્યું હતું કે, આઠ શખ્સો પૈકી છ શખ્સોને હાલ હસ્તગત કરાયા છે. આ તમામ આરોપીઓની ઓળખ પરેડ થયા બાદ તમામ આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાશે.
ઝાલોદના નાનસલાઈ ગામે બંધ મકાનમાં તસ્કરી:અશ્વિન પટેલના ઘરમાંથી 6300ની ચોરી, પોલીસ તપાસ શરૂ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે એક બંધ મકાનમાં તસ્કરીની ઘટના સામે આવી છે. મંદિર ફળિયામાં રહેતા અશ્વિનભાઈ રામાભાઈ પટેલના મકાનમાંથી અજાણ્યા તસ્કરો ₹6300 રોકડા ચોરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે અને ઝાલોદ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ગત ૧૫ ડિસેમ્બરના રોજ અશ્વિનભાઈ પટેલનું મકાન બંધ હતું. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો અને લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, અંદરના ડ્રોવરમાંથી રાખેલા ₹6300 રોકડાની ચોરી કરી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે મકાન ખોલવા જતાં અશ્વિનભાઈને ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક ઝાલોદ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ઝાલોદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના બાદ નાનસલાઈ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં બંધ મકાનોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામજનોએ પોલીસ તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય. ઝાલોદ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસને વેગ આપવામાં આવ્યો છે.
બનાસકાંઠા પ્રભારી સચિવ મોના ખંધારના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે 'વિકસિત બનાસકાંઠા @2047 - વિકસિત ગુજરાત @2047' થીમ હેઠળ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને સામાજિક કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ મોના ખંધારે જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વિભાગવાર સંકલન સાથે સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. તેમણે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ફ્રોડ કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા:અલગ-અલગ રાજ્યોના પીડિતો પાસેથી લાખો પડાવ્યા
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડ કરતી એક ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરીને તેમના બેંક ખાતામાંથી નાણાં પડાવતા હતા. પોલીસે તેમની પાસેથી ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આણંદના મોગરીમાં રહેતા એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના પહેલા યુવકનો પરિચય દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, મહેસાણા) અને શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) સાથે થયો હતો. મિત્રતા કેળવાયા બાદ તેઓ અવારનવાર આણંદમાં મળતા હતા. દક્ષેશ અને શિવાનીએ યુવકને જણાવ્યું કે તેમને બેંક ખાતાની જરૂર છે અને તેઓ તેમના ધંધાના પૈસા યુવકના ખાતામાં જમા કરાવશે, કારણ કે તેમને વધુ ઇન્કમ ટેક્સ આવતો હતો. મિત્રતાના ભાવે યુવકે તેમને પોતાના બેંક ખાતા નંબર આપ્યા હતા. ત્યારબાદ, 3 નવેમ્બર, 2025ના રોજ દક્ષેશ અને શિવાનીએ યુવકના બેંક ખાતામાં ₹5,00,000 જમા કરાવ્યા અને તરત જ ચેક દ્વારા ₹4,80,000 ઉપાડી લીધા હતા. બીજા દિવસે, ₹15,50,000 જમા કરાવી તે જ દિવસે ₹12,00,000 ઉપાડવામાં આવ્યા. 6 નવેમ્બર, 2025ના રોજ ફરી ₹5,00,000 જમા કરાવી તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોટા ટ્રાન્ઝેક્શનોને કારણે યુવકનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. તે સમયે દક્ષેશ અને શિવાનીએ ખાતું અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપી હતી. તાજેતરમાં, દક્ષેશ અને શિવાની ફરી આણંદ આવ્યા અને યુવક પાસેથી IDFC બેંકનો ખાતા નંબર લઈ તેમાં ₹4,00,000 જમા કરાવ્યા. તેમાંથી યુવક પાસેથી ₹3,50,000 ચેકથી ઉપડાવી પરત મેળવી લીધા હતા. આ ટ્રાન્ઝેક્શન અંગે શંકા જતાં યુવકે બેંકમાં પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવકના ખાતામાં જે એકાઉન્ટથી પૈસા આવ્યા હતા, તેની વિરુદ્ધ આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના સાયબર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી હતી. આથી, યુવકે દક્ષેશ નથુભાઈ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગર અને તેમના સાથી પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી સાયબર ફ્રોડના ₹3,50,000 રોકડા, જુદી જુદી બેંકોના 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 ચેક બુક/પાસબુક, 6 મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ કાર સહિત કુલ ₹11,80,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પુર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી બેન્ક એકાઉન્ટ ખોલાવી લોકોને વિશ્વાસમા લઈ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપે છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર 1 જાન્યુઆરી, 2026થી નવું સમય પત્રક અમલમાં મૂકવામાં આવી રહ્યુ છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર રેલવે ડિવિઝનની 4 ટ્રેનો વહેલી દોડાવવામાં આવશે જ્યારે 8 ટ્રેનો નિર્ધારીત સમયથી મોડી ચલાવવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠી અનુસાર, આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી 4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે. ભાવનગર મંડળમાંથી પસાર થતી કુલ 17 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, તેમજ મુસાફરીના સમયમાં 5 મિનિટથી લઈને 50 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે, જેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને તેમના ગંતવ્ય પર પહોંચવામાં સમયની બચત થશે. ટ્રેન નંબર 59228 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 05.10 વાગ્યાના બદલે 05.05 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59234 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 13.40 વાગ્યાના બદલે 13.30 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા દૈનિક એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 22.10 વાગ્યાના બદલે 22.00 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59554 બોટાદ–ગાંધીગ્રામ પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 17.10 વાગ્યાના બદલે 17.00 વાગ્યે રવાના થશે. પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી રવાના થશે જેમાં ટ્રેન નંબર 16333 વેરાવળ–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 06.50 વાગ્યાના બદલે 06.55 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 11465 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 26902 વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 14.40 વાગ્યાના બદલે 14.45 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 19204 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.40 વાગ્યાના બદલે 19.00 વાગ્યે એટલે કે 20 મિનિટ મોડેથી રવાના થશે. ટ્રેન નંબર 59215 ભાણવડ–પોરબંદર પેસેન્જર, ભાણવડ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 21.50 વાગ્યાના બદલે 22.40 વાગ્યે એટલે કે 50 મિનિટ મોડેથી રવાના થશે. ટ્રેન નંબર 59555 ગાંધીગ્રામ–બોટાદ પેસેન્જર, ગાંધીગ્રામ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.50 વાગ્યાના બદલે 19.00 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 15.45 વાગ્યાના બદલે 15.50 વાગ્યે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કાર્યને કારણે જે ટ્રેનો 25 જાન્યુઆરી, 2026 સુધી રદ કરવામાં આવી છે, તે ટ્રેનો રદ જ રહેશે અને તે ટ્રેનો માટે બદલાયેલ સમય કાર્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવશે.
પત્નીની હત્યાનો પ્રયાસ:તળાજામાં પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટીને સળગાવવાનો કરેલો પ્રયાસ
તળાજા શહેરના ગાંધી ચોક પાસે ત્રણ સંતાનો સાથે પિયરમાં રહેતા શિતલબેન ઘરે હતા. જે દરમિયાન તેમના બહેનના જન્મ દિવસ અર્થે ગાડીમાં રાખેલ કેક લેવા ગયા હતા. જ્યાં પહેલેથી હાજર તેમનો પતિ જીતુ નરશીભાઇ પાંગળએ અચાનક પ્લાસ્ટીકની થેલીમાં રહેલ પેટ્રોલ શિતલબેન ઉપર છાંટી દિધું હતું અને શિતલબેનને સળગાવવાનો પ્રયાસ કરતા શિતલબેન ભાગી છુટતા આબાદ બચાવ થયો હતો. જે બાદ તેમની હાલત ગંભીર થતાં શિતલબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે જીતુ પાંગળ વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
8 હજારથી વધુ કર્મચારીઓની ફેરબદલીની હિલચાલ:PGVCLમાં પાડાના વાંકે પખાલીને ડામ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી વિતરણની કમાન સંભાળતી PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) દ્વારા કામગીરીમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં PGVCLમાં બનેલા ભ્રષ્ટાચારના બે કિસ્સામાં તંત્રવાહકો ઉંઘતા ઝડપાયા હતા. જેને લઈ એક જ ટેબલ અને વિભાગમાં 3 વર્ષથી વધુ સમય કામ કરતા દરેક વર્ગના કર્મચારીઓને બદલવા હલચલ શરૂ થઇ છે ત્યારે PGVCLના ઉપરી અધિકારીઓની પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના 8000 જેટલા કર્મચારીઓની ફેરબદલીની હીલચાલથી દેકારો બોલી ગયો છે. PGVCL રાજકોટની કોર્પોરેટ ઓફિસમાંથી ગત તા.23મી ડિસેમ્બરના જારી કરાયેલા ખાનગી પત્રમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલી PGVCLની 11 વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો, PGVCL ઝોનલ ઓફિસ ભાવનગરના મુખ્ય ઇજનેર તથા PGVCL સર્કલ ઓફિસ અંજારના અધિક મુખ્ય ઇજનેર પાસેથી એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં 3 વર્ષથી વધુ સમય કામ કરતા દરેક વર્ગના કર્મચારીની માહિતી મંગાવવામાં આવી હતી. એકીસાથે વર્ગ-1થી લઈ વર્ગ-4ના હજારો કર્મચારીઓના ફેરબદલીના ગંજીપાથી ખુદ PGVCLના કર્મચારીમાં અંદરખાને રોષ ભભૂકી ઉઠયો છે. ભ્રષ્ટાચાર નાથવા લીધેલું પગલું અવળું પડયુંPGVCLના અમરેલી સર્કલમાં વર્ગ-3ના તથા મોરબી સર્કલમાં વર્ગ-2ના કર્મચારીઓએ આચરેલા ભ્રષ્ટાચારનો મામલો તાજેતરમાં બહાર આવતા PGVCL રાજકોટ કોર્પોરેટ કચેરીના તંત્રવાહકો ઉંઘતા ઝડપાયા હતા. અમરેલી અને મોરબી સર્કલમાં બહાર આવેલા કિસ્સાને લઈ PGVCL દ્વારા ભ્રષ્ટાચાર નાથવા 3 વર્ષથી વધુ સમય કામ કરતા દરેક વર્ગના કર્મચારીની ફેરબદલી કરવા કવાયત હાથ ધરી છે ત્યારે ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવાને બદલે પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ અપનાવતા વિવાદ ઉભો થયો છે. PGVCLની મનસ્વી જોહુકમી સામે કર્મચારીઓ અડગPGVCL રાજકોટની કોર્પોરેટ ઓફિસમાંથી તા.23મી ડિસેમ્બરના જારી કરાયેલા પત્રમાં સંબંધીત કર્મચારીઓની ફેરબદલી કરવા આદેશ અપાયો હતો. જેમાં સંબંધિત કર્મચારીઓએ સ્થળ પસંદગી માટેનું પત્રક તા.31મી ડિસેમ્બર સુધીમાં ભરી મોકલી દેવાનું હતું. સ્થળ પસંદગી માટેના પત્રકમાં સંબંધિત કર્મચારીએ પસંદગીના 3 કચેરીના નામ સહિત 7 પ્રકારની માહિતી ભરીને મોકલવાની હતી. જોકે ગણ્યાં-ગાંઠ્યાના વાંકે તમામને સજા તથા રાજકોટ કોર્પોરેટ ઓફિસમાં લાંબા સમયથી ચીટકી રહેલા કર્મચારીઓ સિવાયની બદલી જેવી PGVCLની મનસ્વી જોહુકમી સામે કર્મચારીઓ અડગ રહી પત્રક ભર્યા નથી. આ મામલે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઈબી એન્જિનિયર એસોસિએશન, ગુજરાત વિદ્યુત કર્મચારી ટેક્નિકલ મંડળે પણ કર્મચારીઓના હિતમાં રજુઆત કરી હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. અનુભવી કર્મીઓની બદલી કરવી અયોગ્યએક જ ટેબલ અને વિભાગમાં 3 વર્ષથી વધુ સમય કામ કરતા કર્મચારીઓને બદલવાનું આયોજન વાજબી નથી. જેમાં વર્ગ-3 અને વર્ગ-4ના અનુભવી કર્મચારીઓની બદલી કરવી અયોગ્ય છે. જેનાથી વીજળીને લગતા અકસ્માતો વધવાની પણ સંભાવના છે. - બળદેવભાઈ પટેલ, સિનિયર સેક્રેટરી જનરલ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રમતગમતના મેદાનો પર બહારના તત્વોના કબજાને લઈને ઉદ્ભવેલો વિવાદ સોમવારે મોડી સાંજે તીવ્ર બન્યો, જ્યારે ABVP અને NSUI સામાન્ય રીતે વિપરીત ધ્રુવ પર રહેતા બે વિદ્યાર્થી સંગઠનો એકસાથે ઉતરી આવ્યા અને યુનિવર્સિટીના ટેબલ ટેનિસ ગ્રાઉન્ડ ખાતે જનતા રેડ કરી. છેલ્લા કેટલાય દિવસોથી બહારના લોકોને ગ્રાઉન્ડમાં રમવા અને ચલાવવા દેવામાં આવતું હોવાના મુદ્દે બંને સંગઠનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે અંતે વિદ્યાર્થી સંગઠનોઓ એ જાતે જ કાર્યવાહી હાથ ધરી. જનતા રેડ દરમિયાન બંને સંગઠનોના કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડમાં રમતા બહારના લોકોને અટકાવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાં રમવા દેવામાં આવી રહ્યા હતા, જ્યારે યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓને પોતાનું જ ગ્રાઉન્ડ મળતુ ન હોય, આ દૃશ્યોએ સ્થળ પર જ ભારે તણાવ સર્જ્યો અને યુનિવર્સિટીના મેદાનો કોના માટે? એવો સવાલ ગુંજતો થયો. આ દરમિયાન વાયરલ થયેલા વીડિયોમાં એમ.જે. કોમર્સ કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર રીના જોશી તથા ઇન્કમટેક્સ વિભાગમાં ક્લાસ-ટુ અધિકારી હાર્દિક જોશી, બંને પતિ પત્નીએ ABVP અને NSUI સંગઠનોના આગેવાનોને ધમકાવી પોતાના હોદ્દાથી ગ્રાઉન્ડના માલિક હોય તેવું વર્તન કરી અને શારીરિક શિક્ષણ વિભાગના નિયામક દિલીપસિંહ ગોહિલને પૂછવાની કોઈ જરૂર નથી જેવી ઉદ્ધત ભાષા વાપરતા હોય તેવું સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું જેનાથી વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બંને વિદ્યાર્થી સંગઠનો એકસૂર બની યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર બહારના લોકોના કબજાને હટાવવાની લડત લડતા રહ્યા. અખબારી અહેવાલોમાં ટેબલ ટેનિસનો ગ્રાઉન્ડ ખાનગી વ્યક્તિને ચલાવવા આપ્યું હોવાના ખુલાસા થતાં જ સંબંધિત વ્યક્તિએ તાત્કાલિક પોતાનું બોર્ડ હટાવી લેવું પડ્યું, જે તંત્રની ગોઠવણો અને અસ્પષ્ટ વ્યવસ્થાપન પર મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે. વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે યુનિવર્સિટીના મેદાનો વિદ્યાર્થીઓના હકના છે અને જો તંત્ર તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનશે તેવું બંને સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું.
દમણમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી:પ્રવાસીઓના ઘોડાપૂર સાથે 2026નું ઉમંગભેર સ્વાગત
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવા વર્ષની પૂર્વસંધ્યાએ દેશભરના પ્રવાસીઓનું ઘોડાપુર દમણમાં ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ 2025ને વિદાય આપી 2026નું ઉમંગભેર સ્વાગત કર્યું હતું. હોટલો, રિસોર્ટ અને દમણના નમો પથ પર પ્રવાસીઓ એકઠા થયા હતા. ડીજેના તાલે યુવા વર્ગ સહિત સહેલાણીઓ ઝૂમી ઊઠ્યા હતા. વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીઓ અને લાઇવ મ્યુઝિકના કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લોકોએ નવા વર્ષને હર્ષોલ્લાસ અને તાજગી સાથે આવકાર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. મુંબઈ, અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના નાસિક સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દમણ પહોંચ્યા હતા. નવા વર્ષની ઉજવણી માટે આવેલા પ્રવાસીઓએ દમણને સ્વચ્છ, સુરક્ષિત અને વિકાસશીલ ગણાવી પ્રશંસા કરી હતી. ઘણા પ્રવાસીઓએ તો દમણમાં આવ્યા બાદ વિદેશી પ્રવાસનો અનુભવ થતો હોવાનું જણાવ્યું હતું. રાત્રે 12ના ટકોરે સમગ્ર દમણ 'હેપ્પી ન્યુ યર'ના નાદ અને ફટાકડાઓની ગુંજથી ગુંજી ઉઠ્યું હતું. દમણના વિકાસ, સ્વચ્છતા અને સુંદરતાને કારણે આ વર્ષે માનવ મહેરામણ જોવા મળ્યું, જેનાથી હોટલ ઉદ્યોગને પણ સારો લાભ થયો. દમણ પ્રશાસન દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પગલાંઓને કારણે પ્રથમ વખત 31 ડિસેમ્બરની રાત્રે દમણની તમામ હોટલો ખીચોખીચ ભરાયેલી જોવા મળી હતી. હોટલ માલિકોએ પણ આ વર્ષની ઉજવણીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું. દમણ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને કડક વાહન ચેકીંગની કામગીરીને લઈને સહેલાણીઓએ તેમની કામગીરી અને સેવાને બિરદાવી હતી.
જામનગરમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મધ્યરાત્રિએ યુવાધન સેલિબ્રિટી સિંગર અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું, જ્યારે બીજી તરફ સનાતન ધર્મની પરંપરા મુજબ ભક્તિમય કાર્યક્રમો પણ યોજાયા હતા. મધરાતે યુવાધન હિલોળે ચડ્યુંશહેરમાં નવા વર્ષની ઉજવણીનો અનેરો થનગનાટ હતો. મધ્યરાત્રિ સુધી યુવાનો ઉત્સાહ અને ઉમંગ સાથે હિલોળે ચડ્યા હતા. ડીજે સાથે ડાન્સ પાર્ટીઓ, આકર્ષક લાઇટિંગ અને વિવિધ એન્કર તથા કલાકારોના પર્ફોર્મન્સથી યુવાનોએ નવા વર્ષને આવકાર્યું હતું. યુવક-યુવતીઓ ડીજેના તાલે ઝૂમ્યાસેવન સીઝન રિસોર્ટ સહિત અનેક પાર્ટી પ્લોટમાં યુવાનો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. વર્ષ 2025 ને વધાવવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ હતો. રિસોર્ટમાં યોજાયેલી ઉજવણીમાં યુવાનોએ મોજ-મસ્તી સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. કલાકારોએ રંગત જમાવીઆ ઉજવણીમાં અનેક કલાકારો અને એન્કરોએ રંગત જમાવી હતી. સેલિબ્રિટી સિંગર ધવાની પરીખે પણ પોતાના પર્ફોર્મન્સથી યુવાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગીત-સંગીત અને ડાન્સના કાર્યક્રમો બાદ રાત્રિના 12:00 વાગ્યે કેક કટિંગ કરીને વર્ષ 2025 ને આવકારવામાં આવ્યું હતું, અને ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરા જાળવીઆ ઉજવણીમાં સનાતન ધર્મની પરંપરા જાળવી રાખીને ભક્તિમય કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં જય શ્રી રામ, હરે મહા આરતી અને ન્યૂ યર નાઈટ કીર્તનનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં લોકોએ રામધૂન, હનુમાન ચાલીસા, કૃષ્ણ ભજન અને મહા આરતીમાં ભાગ લીધો હતો, અને 'જય શ્રી રામ'ના નારા સાથે નવા વર્ષને સનાતન ધર્મ મુજબ આવકાર્યો હતો. પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યોનવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે જામનગર પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરના બાયપાસ, રિસોર્ટ, હોટલ અને વિવિધ સર્કલો તથા વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેથ એનાલાઇઝર દ્વારા લોકોને ચેક કરવામાં આવ્યા હતા અને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. 700થી વધુ જવાનો તૈનાત રહ્યાજિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. આ બંદોબસ્તમાં 4 ડીવાયએસપી, 24 પીઆઈ, 35 પીએસઆઈ સહિત કુલ 65 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને ગ્રામ્ય રક્ષક દળના જવાનો સહિત 700થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં આગામી વર્ષ-2026માં લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જેમાં ખાસ કરીને ભાવનગર શહેર અને જિલ્લાના વાહન ચાલકોને નવા વર્ષમાં AI ટેક્નોલોજીથી સજ્જ ટેસ્ટિંગ ટ્રેક સહિતની અદ્યતન સવલતોથી સજ્જ રૂ.8.32 કરોડના ખર્ચે નવ નિર્મિત RTO કચેરીની ભેટ મળશે. ભાવનગર શહેરના ભાગોળે નારી ચોકડી નજીક લાખો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયેલી ભાવનગર જિલ્લાની RTO કચેરીનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે. ભાવનગર શહેરના નારી ખાતે નવ નિર્મિત ભાવનગર RTO કચેરીનું બે વર્ષ પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ રૂ. 832.70 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલ તાજેતરમાં બનીને તૈયાર થયું છે. આગામી વર્ષ-2026માં સંભવતઃ જાન્યુઆરી માસમાં નવ નિર્મિત ભાવનગર RTO કચેરીનું લોકાર્પણ થવાની સાથે લોકોને નવી સવલતનો લાભ મળશે. ભાવનગર જિલ્લાની નવી RTO કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયાની સવલત હશે. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ સ્ટોર રૂમનું નિર્માણ કરાયું છે. તેમજ કચેરીના ગ્રાઉન્ડમાં વ્યૂ ટાવર, ટુ એન્ડ વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર એન્ડ વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
નવીન ક્લબનું થશે નિર્માણ:રૂા.4.5 કરોડના ખર્ચે ક્લબમાં શૂટીંગ - જીમની સુવિધા મળશે
કોર્પોરેશન દ્વારા 4.5 કરોડના ખર્ચે સીદસરમાં ભાવનગર ક્લબનું નિર્માણ કરવામાં આવશે. ભાવનગર ક્લબના નિર્માણથી શહેરીજનોને એક નવી મનોરંજન સાથેની સુવિધા મળશે અને સાથોસાથ કોર્પોરેશનને આવકનું એક નવું માધ્યમ પણ ઊભું થશે. સીદસર ખાતે નિર્માણ પામનાર ભાવનગર ક્લબમાં ઈન્ડોર ગેમ, જીમ, શૂટિંગ રેંજ સાથે આઉટડોરમાં પણ ટેનિસકોટ સહિતની રમતો માટે અને બેઠક વ્યવસ્થા ગોઠવાશે. સામાજિક પ્રસંગો માટે કોર્પો. દ્વારા સામાન્ય નગરજનોને પોસાય તેવી કિંમતે વ્યવસ્થા ઉભી કરાશે.
ધોલેરા વચ્ચે નવો ટ્રેન માર્ગ શરૂ કરવા માટેનો સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાના સમાચાર ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પ્રાથમિક સ્તરે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સંભવિત રૂટ, જમીન ઉપલબ્ધતા, ખર્ચ અને ભવિષ્યની મુસાફરી તથા માલવહન ક્ષમતાનો અંદાજ લેવામાં આવી રહ્યો છે. આ નવી રેલ લાઇન અમલમાં આવશે તો ભાવનગરના વિકાસને નવી ગતિ મળશે. નવા ટ્રેન માર્ગથી ભાવનગરને અનેક ક્ષેત્રોમાં ફાયદો થવાની સંભાવના છે. ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) સાથે સીધી રેલ કનેક્ટિવિટી મળવાથી ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ધોલેરા સરમાં સ્થપાતા મોટા ઉદ્યોગોનો તૈયાર માલ ભાવનગર બંદર મારફતે દેશ-વિદેશમાં નિકાસ કરવો વધુ સરળ અને ખર્ચ અસરકારક બનશે. હાલમાં માર્ગ પરિવહન પર આધાર રાખવો પડે છે, પરંતુ રેલ માર્ગ શરૂ થતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. ભાવનગર બંદર પહેલેથી જ નિકાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. નવી રેલ લાઇન દ્વારા બંદરને ધોલેરાના ઉદ્યોગો સાથે જોડવાથી બંદરની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પરિણામે સ્થાનિક વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને રોજગારી પર પણ સકારાત્મક અસર પડશે. આ સાથે ભાવનગર શહેરની આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ધોલેરા-સાબરમતિ વચ્ચે નવી ટ્રેન લાઇન માટે જમીન સંપાદનનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ લાઇન પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ભાવનગર-ધોલેરા-અમદાવાદને જોડતી એક મહત્વપૂર્ણ રેલવે કોરિડોર વિકસી શકે છે. આથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મુસાફરી વધુ સુલભ બનશે. ભાસ્કર એક્સપર્ટધોલેરા રેલવે લાઇન ગેમ ચેન્જર બનશેધોલેરા સરમાં આકાર લઇ રહેલા ઉદ્યોગો માટે કાચા માલની આયાત, તૈયાર માલની નિકાસ માટે દરિયાઇ માર્ગની જરૂર પડશે, અને ધોલેરાથી સૌથી નજીક ભાવનગર બંદર આવેલુ છે તેથી ધોલેરા-ભાવનગર વચ્ચે રેલવે લાઇન ઉપલબ્ધ કરાવવાથી ઉદ્યોગોના તૈયાર માલની નિકાસ ભાવનગર બંદરેથી આસાનીથી થઇ શકશે. - કિરીટભાઇ સોની, પૂર્વ પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ
કલાનગરીને મળશે ઓડિટોરિયમની ભેટ:કલાનગરીના કલાકારોને વધુ એક ઓડિટોરિયમનું મળશે પ્લેટફોર્મ
ભાવનગરને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. યશવંતરાય નાટ્યગૃહ સિવાય કોઈ અન્ય વિકલ્પ કલાકારો માટે હતો નહીં. પરંતુ કોર્પોરેશન દ્વારા સરદારનગર ખાતે બનાવવામાં આવેલા ઓડિટોરિયમની સફળતા બાદ વધુ એક 60 કરોડના ખર્ચે 850 ની બેઠક ક્ષમતાનો ઓડિટોરિયમ બનાવવા કાર્યવાહી હાથ ધરી છે. નીલમબાગ સર્કલ પાસે એલ.આઇ.સી ઓફિસ ની બાજુમાં કોર્પો. હસ્તકની ખાલી કરેલી જગ્યામાં ઓડિટોરિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી તમામ સર્વિસીસ ફાયર સેફટી સિસ્ટમ, કંટ્રોલ એન્ડ મેન્ટેનન્સ રૂમ, યુ પી એસ રૂમ, સર્વર રૂમ, સાઉન્ડ કંટ્રોલરૂમ, લાઈટ કંટ્રોલરૂમ સહિતની સુવિધા ઉભી કરાશે. ગ્રાઉન્ડ, અપર અને ફર્સ્ટ ફ્લોર મુજબ ઓડિટોરિયમની ડિઝાઇન આર્કિટેક દ્વારા બનાવવાની કાર્યવાહી શરૂ છે.
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ થશે નિર્માણ:શહેરમાં 61 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ થશે નિર્માણ
ભાવનગરના યુવા વર્ગમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની માંગ રહી છે. ક્યારે ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં 61 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે. ભાવનગર શહેરમાં પૂર્વ વિધાનસભા વિસ્તારમાં એરપોર્ટ રોડ નજીક રુવા ટીપી સ્કીમ નંબર 8માં 13,600 ચોરસ મીટર એરિયામાં અંદાજે 28.57 કરોડના ખર્ચે તેમજ પશ્ચિમ વિસ્તારમાં ફુલસર ટીપી નંબર 2/એ માં 19,000 ચોરસ મીટર એરિયામાં અંદાજે 32.45 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જેમાં વિવિધ ઈન્ડોર તેમજ આઉટડોર રમતો રમી શકાશે. સાથોસાથ જીમ, એરોબિક્સ હોલ, યોગા, ડાન્સ માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમજ ઝુડો કરાટે જેવી રમતો માટે પર્પસ હોલ પણ બનાવવામાં આવશે. તેમજ કોમ્પ્લેક્સના ટેરેસ પર બોક્સ ક્રિકેટ, પીકલ બોલ સહિતની રમતો માટે પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરાશે. જે ખરેખર આવકારદાયક રહેશે.
ભાવનગર બનશે ફાટકમુક્ત શહેર:શહેરના કુંભારવાડા રેલવે ક્રોસિંગમાં 90 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
ભાવનગરમાં રેલવેના વારંવાર બંધ થતા ફાટકને કારણે લોકો લાંબો સમય ક્રોસિંગ પર અટવાઈ જાય છે. તેમાં પણ કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર તો 15000 થી 20,000 વાહનોની અવરજવર રહે છે. અને સામાન્યતઃ દર એક કલાકે ટ્રેન પસાર થતી હોવાથી ક્રોસિંગ વારંવાર બંધ થાય છે. જેથી આ સમસ્યાના ઉકેલ માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા 90.54 કરોડના ખર્ચે કુંભારવાડા ક્રોસિંગ પર ટુ લેન્ડ રેલ્વે ઓવરબ્રિજ બનાવાશે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર 700 મીટર લંબાઈના ટુ લેન ઓવરબ્રિજ માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓવરબ્રિજ માટે જમીન સંપાદન પણ કરવી પડશે. ઓવરબ્રિજને કારણે વાહન વ્યવહાર કોઈ વિકટ કે અવરોધ વગર અવરજવર થઈ શકશે. ભાવનગર શહેરની પશ્ચિમ વિસ્તારના 50% થી વધુ વસ્તીને કુંભારવાડા રેલ્વે ક્રોસિંગના ઓવરબ્રિજનો લાભ મળશે. અને તેની માટે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. જ્યારે ગઢેચી વડલા થી કુંભારવાડા સર્કલ તરફ જતા જવાહર કોલોની પાસે 22.74 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવાનું પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જવાહરનગર કોલોની પાસેના ક્રોસિંગમાં પણ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજના 10,000 થી થી 12,000 જેટલા વાહનોની અવરજવર રહે છે. જેથી અંડર બ્રિજ બનવાને કારણે વાહન વ્યવહારની સમસ્યા ઉકેલાઈ જશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનિક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાનો છે. આ બ્રિજનું નિર્માણ થતા સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના બે લાખથી વધુ લોકોને ભાવનગર આવવા-જવાનું સરળ બનશે અને ભાવનગરને પણ એક નવો પ્રવેશદ્વાર મળશે. ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનિક ઓવરબ્રિજ બનાવવા માટે શાસક પક્ષ દ્વારા આર્કિટેકટ પાસે આ આઇકોનિક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવ્યો છે. બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી મથામણ થઇ રહી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે.
ભરૂચમાં નવા વર્ષ 2026નું ઉમંગભેર સ્વાગત:મધરાતે આતિશબાજી, ડીજે પાર્ટીઓમાં યુવાનો ઝૂમ્યા
ભરૂચ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મધરાતે વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષ 2026નું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના આગમનને લઈને જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 12 વાગ્યાના ટકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. ફટાકડાના ધડાકાઓથી ભરૂચ શહેરનું આકાશ રોશન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર નીકળી નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જેમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ હતો. ભરૂચ શહેરના સીટી સેન્ટર વિસ્તાર તેમજ ઝાડેશ્વર નર્મદા કોલેજ પાસેની ખુલ્લી જગ્યામાં ડીજે પાર્ટીઓનું આયોજન કરાયું હતું. આ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. મધરાતે 12 વાગતા જ સમગ્ર વિસ્તાર હેપ્પી ન્યૂ યરના નાદોથી ગુંજી ઉઠ્યો હતો. ઉજવણી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર વધી હતી. નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ પણ રાત્રિ દરમિયાન એલર્ટ મોડમાં રહી પેટ્રોલિંગ કરી રહ્યું હતું અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું.
ચોંકાવનારી વિગત સામે આવી:રાજકોટની મહાદેવ અને મા એન્ટરપ્રાઇઝનો બોગસ બિલિંગનો આંક 1000 કરોડને આંબશે
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ અને મોરબી રોડ પર આવેલી મા એન્ટરપ્રાઇઝમાં સેન્ટ્રલ જીએસટી કચેરીની પ્રિવેન્ટિવ વિંગે ગત સપ્તાહમાં દરોડા પાડી રૂ.300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને 3 કૌભાંડીની ધરપકડ કરી હતી. આ કૌભાંડની ઊંડી તપાસ દરમિયાન બોગસ બિલિંગનો આંક રૂ.1000 કરોડને આંબે તેવા સંકેતો મળ્યા છે અને તેના પરિણામે સરકારને રૂ.180 કરોડની જીએસટીની આવકની નુકસાની થયાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં 20 બોગસ કંપનીની સંડોવણી પણ બહાર આવી છે. સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટિવ વિંગના સૂત્રોએ જણાવ્યા અનુસાર સિમેન્ટ અને લોખંડના બોગસ બિલો બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાના કૌભાંડમાં અજય લીખિયા, વિશાલ મુલિયા ઉર્ફે સાગર અને જીલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં રૂ.300 કરોડના બોગસ બિલો બનાવી આરોપીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી સરકારને રૂ.54 કરોડનો ચૂનો ચોપડ્યાનું ખુલ્યું હતું. ત્યારબાદ જીલ ઠક્કર, અજય લીખિયા અને વિશાલ મુલિયા પાસેથી કબજે કરાયેલા દસ્તાવેજો અને ડેટાઓની સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગે ઊંડી તપાસ હાથ ધરતા કૌભાંડનો આંક રૂ.1000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. હાલમાં બોગસ બિલિંગનો આંકડો રૂ.600 કરોડને આંબી જતા સરકારને રૂ.108 કરોડનો આરોપીઓએ ચૂનો ચોપડ્યાનું બહાર આવ્યું છે. આ બોગસ આઇટીસીનો લાભ લેવાનો આંક પણ રૂ.180 કરોડને આંબી જાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. મોરબીમાં વિમલ પાનમસાલા સહિત 3 ટ્રેડર્સને ત્યાં દરોડાસેન્ટ્રલ જીએસટીની ટીમે મંગળવારે મોરબીમાં વિમલ પાનમસાલાના ટ્રેડર્સ સહિત કુલ 3 ટ્રેડર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મોટા પાયે જીએસટી ચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સીજીએસટીની ટીમે મોરબીમાં 10 જેટલા સ્થળ પર દરોડા પાડી દસ્તાવેજી પુરાવા અને ડેટા કબજે કર્યો છે અને તેની તપાસ હાથ ધરી છે. ઇમિટેશનના ધંધાર્થીઓની રૂ.60 લાખની GST ચોરી પકડાઇસીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા એક પખવાડિયા પૂર્વે સંત કબીર રોડ પર ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મનીષ વસોયાની વી.એમ.ઝૂમખી, ચિરાગ ગોસરાનીની સાધના સેલ્સ અને રવિભાઇ ઠક્કરની શ્રીજી સેલ્સમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રૂ.60 લાખની જીએસટી ચોરી બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.
હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું:રાજકોટમાં 10 વર્ષની બાળકી અને યુવાન સહિત 5ના હાર્ટએટેકથી મોત
શહેરમાં હૃદય બંધ પડી જવાથી 10 વર્ષની બાળકી સહિત પાંચના મૃત્યુ થયા છે. હાર્ટએટેકથી વૃદ્ધ અને પ્રૌઢના મૃત્યુ બાદ હવે યુવાન વયના અને બાળકોના મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મવડીની માટેલ સોસાયટી-6માં રહેતાં મનોજભાઈ દાનાભાઈ સબાડ અને રંજનબેન મનોજભાઈ સબાડની દીકરી માહી (ઉ.વ.10) ગઇકાલે ઘરે રમતી હતી ત્યારે એક ઊલટી થયા પછી તરત તે બેભાન જેવી થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તબીબે મૃત્યુ પાછળનું હાર્ટએટેક આવી ગયાનું તારણ આપ્યું હતું. માહી મવડીમાં આવેલી એસ.કે.પી. સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી હતી. બીજા બનાવમાં જૂના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં નૈમિષભાઇ પંકજભાઈ શાહ (ઉ.વ.34)નું વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. નૈમિષભાઇને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. નૈમિષભાઈ ગવરીદળ પાસે આઇઓસીમાં ઓફિસર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્રીજા બનાવમાં મોરબી રોડ સીતારામ પાર્કમાં રહેતાં રસિકભાઈ નરશીભાઇ ઢેઢી-પટેલ (ઉ.વ.47) રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. હૃદયરોગનો હુમલો આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. ચોથા બનાવમાં રૈયાધાર ભરવાડવાસ શેરી નં.4માં રહેતાં બાવજીભાઈ ગોવિંદભાઇ કાતિયા (ઉ.વ.49)ને ઘરે છાતીમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. પાંચમાં બનાવમાં, મવડી પ્લોટ વિનાયકનગર-15માં રહેતા મીનાબેન કિશોરભાઈ રાઠોડ(ઉં.વ.43) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. પરિવારે હાર્ટએટેક આવી ગયાનું જાહેર કર્યું હતું. મૃત્યુ પામનાર મીનાબેન આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. છઠ્ઠા બનાવમાં મવડી પ્રજાપતિ સોસાયટી પાસે ઓમનગરમાં રહેતાં અશોકભાઇ લાલજીભાઇ પાડલિયા (ઉ.વ.55)નું 29મીએ ઘરે બાથરૂમમાં પડી જતાં મૂઢ ઇજા થતાં બેભાન જેવા થઈ જવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.
અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 'IMA NATCON 2025' નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 અને 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા તબીબોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. મનીષ એન. મહેતાને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. તેમને રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત 'ડૉ. જેઠાલાલ એમ. પટેલ બેસ્ટ સિનિયર ફિઝિશિયન' એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ ડૉ. મહેતા દ્વારા ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલી નિઃસ્વાર્થ તબીબી સેવા બદલ એનાયત કરાયો છે. જી.જી. હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં મેડિસિન વિભાગના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે સમુદાયના સ્વાસ્થ્ય ઉત્થાન માટે વ્યક્તિગત ધોરણે પ્રયાસો કર્યા છે. ડૉ. મનીષ મહેતાનું આ સન્માન જામનગરના તબીબી આલમ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે ગર્વનો વિષય બન્યો છે. શિક્ષણ અને સારવાર બંને ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જે યુવા ડોકટરો માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગોઝારો અકસ્માત:રાજકોટ પરીક્ષા દેવા કારમાં આવતા જામનગરના ઇજનેર યુવાનનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર પડધરીના મોટા રામપર ગામ પાસે જીવલેણ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ વડોદરાના અને હાલ જામનગર રિલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરતાં 28 વર્ષના યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત વિગત મુજબ, મૂળ વડોદરાના અને હાલ જામનગરમાં રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ભાવિકભાઈ હસમુખભાઈ પ્રજાપતિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઇકાલ સવારે સાત વાગ્યે તેમની અલ્ટ્રોઝ કાર લઈને મિત્ર ધવલ કટારિયા, પાર્થ ઠક્કર, રાહુલ ઠાકોર અને પ્રફુલ જાની સાથે પરીક્ષા આપવા રાજકોટ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ પડધરીના મોટા રામપર ગામ પાસે પહોંચ્યા ત્યારે આગળ જતી એક અલ્ટો કારે ધીમી પાડતા પૂરઝડપે આવેલા આઈશર ટેન્કરના ચાલકે તેમની કારને પાછળથી ટક્કર મારી હતી. આ કારણે ભાવિકભાઈની કાર આગળ જતી અલ્ટો કારમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રફુલભાઈ જાનીને માથામાં ગંભીર ઈજાઓ અને લોહી વહેવા લાગ્યું હતું. જ્યારે ધવલભાઈને નાકના ભાગે ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા પ્રફુલભાઈને હેમરેજ જેવી ગંભીર ઇજા થતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એસ. ઝાલાએ ભાવિકભાઈની ફરિયાદ પરથી આઇશર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારના પગલે દિવાળીના તહેવાર બાદ સોના-ચાંદીમાં અસાધારણ તેજીના મંડાણ થયા છે જેના પરિણામે દેશ-વિદેશમાં પ્રખ્યાત રાજકોટનો પરંપરાગત ચાંદી ઉદ્યોગ ગંભીર સંકટમાં ફરાયો છે. દેશ-વિદેશમાં ચાંદીના દાગીના સપ્લાય કરતા રાજકોટના 700માંથી 350થી વધુ ઉત્પાદકોએ ચાંદીના દાગીનાનું મેન્યુફેકચરિંગ બંધ કરી દીધું છે. રાજકોટમાં અગાઉ દૈનિક 3000 કિલોના ચાંદીના દાગીના બનતા હતા જેના સ્થાને દિવાળી બાદ હાલમાં રોજના 100થી 200 કિલો ચાંદીના દાગીનાનુંઉત્પાદન થઇ રહ્યું છે અને તે પણ મોટા ઉત્પાદકો જ કરી રહ્યા છે. જ્યારે 350 જેટલા કારખાનાઓ ચાલુ સ્થિતિમાં છે તેમાં પણ મોટાભાગના તો સવારે માત્ર દીવાબત્તી કરવા માટે જ કારખાનું ખોલે છે અને બપોર બાદ કારીગરોને કારખાને ધક્કો ન ખાવા સૂચના આપે છે. રાજકોટ સિલ્વર એસોસિએશનના અનિલભાઇ તળાવિયાએ જણાવ્યું હતું કે, ચાંદીમાં દિવાળી પૂર્વે જે તેજી જોવા મળી હતી ત્યારે ચાંદીના ભાવ રૂ.1 લાખથી રૂ.1.25 લાખ વચ્ચે અટકી જશે તેવો અંદાજ વેપારીઓ મૂકતા હતા અને દેશ-વિદેશમાં ચાંદીના દાગીના સપ્લાય કરતા મોટાભાગના ઉત્પાદકો દ્વારા ચાંદીના કડા, ચાંદીની પાયલ, ચાંદીના બાજુબંધ, ચાંદીના કંદોરા, ચાંદીના ચેઇન, ચાંદીની લકી સહિત ચાંદીના વિવિધ દાગીનાઓ અને વાસણોનું ઉત્પાદન ધમધોકાર ચાલી રહ્યું હતું, પરંતુ ચાંદીના ભાવમાં દિવાળી બાદ અસાધારણ તેજીના મંડાણ થતા મોટાભાગના કારખાનાઓ બંધ થઇ ગયા છે. ચાંદીના દાગીના વેચતા કારખાનાઓને માલ સામે કાચો માલ ખરીદનારે આપવાનો હોય છે તે બંધ થતા અનેક કારખાનેદારો આર્થિક ભીંસમાં મુકાઇ ગયા છે. જૂના ઓર્ડરના પેમેન્ટ સમયસર આવતા નથી અને આવક-જાવક ઠપ થઇ ગઇ છે. બજારમાં મેટલ આવતી નથી. તેના પરિણામે ધંધો ઠપ થઇ ગયો છે. તેના પરિણામે હજારો કારીગરો પણ બેકારીના ખપ્પરમાં હોમાયા છે. ચાંદીના દાગીનાની રીટેલ ખરીદી પણ ખૂબ જ ઘટી છે. બેન્ક ફાઇનાન્સ, કાચા માલની અછત અને પેમેન્ટ સાઇકલને કારણે ચાંદી ઉદ્યોગ પર ભારે દબાણ સર્જાયું છે. બુલિયન બજારમાં અફરાતફરીથી એમસીએક્સના અનેક ખેલાડીઓ કરોડો રૂપિયામાં ઊઠી ગયા, અનેક મોટામાથા ઘરને તાળાં મારી ભૂગર્ભમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં એક વર્ષમાં 170 ટકાનો તોતિંગ વધારો થતા બુલિયન બજારમાં ભારે અફરાતફરી મચી ગઇ છે. તેમાં પણ ખાસ કરીને દિવાળી બાદ ચાંદીના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થતા અને મોટી ઊથલપાથલ થતા એમસીએક્સ પર ચાંદીની લે-વેચ કરતા અનેક ધંધાર્થીઓ રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ થઇ ગયા છે. ઉપલા કાંઠાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચાંદીના ભાવ વધીને રૂ.1 લાખથી રૂ.1.25 લાખ વચ્ચે રહેશે તેવો અંદાજ વેપારીઓ મૂકી રહ્યા હતા અને તેમાં ભાવ રૂ.1.50 લાખ સુધી પહોંચતા હવે મોટો કડાકો બોલવાની અપેક્ષાએ અનેક વેપારીઓએ મંદીનો વેપાર કર્યો હતો અને ચાંદીમાં મોટા પાયે વેચાણના સોદા ઊભા કર્યા હતા. જેના પરિણામે દર સપ્તાહે માર્જિન મની ભરતા વેપારીઓની હાલત દિન-પ્રતિદિન કથળવા લાગી હતી અને એક તબક્કે વેપારી બજારમાંથી ગાયબ થઇ જતા હતા. જેના પરિણામે ગત શુક્રવારે અને શનિવારે બુલિયન બજારના અમુક મોટામાથાઓએ મોટો ખેલો કરનાર વેપારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં એમસીએક્સમાં 2000 કરોડથી વધુની રકમ ભરવાની જવાબદારી ઊભી થતા અનેક વેપારીઓએ નાદારી નોંધાવી દીધી છે અને નાણાં ભરવાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા છે. જેના પરિણામે નવા વર્ષની શરૂઆત જ વેપારીઓ માટે ઘર્ષણ અને લોહિયાળ વિવાદનું ઘર બને તો ના નહીં. વેપારીઓએ ડબ્બા ટ્રેડિંગ કર્યું હોવાથી પોલીસમાં પણ મામલો ન પહોંચે તે પ્રકારના સેટલમેન્ટ માટે બાહુબલીઓની મદદ લેવાશે તેવા સંકેતો મળી રહ્યા છે. 50થી વધુ ખેલૈયાઓએ લોસ બુકિંગ કર્યા બાદ ચૂકવવાની થતી કરોડો રૂપિયાની રકમમાંથી ખંખેરી નાખ્યા છે અને તેમાંથી મોટાભાગના ઘરને તાળાં મારી પરિવાર સાથે રાજકોટ છોડી ગયા છે. આગામી સપ્તાહમાં સાચી સ્થિતિ સપાટી પર આવશે. પરંતુ ચાંદીએ અનેક ઘરોની ચમક ગુમાવી દીધી છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બુધવારે સાંજે રાજકોટના સર્કિટહાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં અમુક પોલીસ અધિકારીઓ સરકારના ટોમી બનીને કામ કરી રહ્યા છે અને બુધવારે રાજકોટની જેલમાં આપના પ્રવીણ રામને તેમના પરિવાર સાથે મળવા ગયા ત્યારે કોઇપણ જાતના નિયમ કે કારણ વગર મળવા ન દેવાયાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આપના ધારાસભ્ય ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારા જૂનાગઢ જિલ્લાના આપના પ્રમુખ હરિશભાઇ સાવલિયા દ્વારા ખોટી રીતે આરોપ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો અને ખોટી એફઆઇઆર કરી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માગણી કરતા કોર્ટે રિમાન્ડ આપવાની ના પાડી દીધી હતી. ખોટી એફઆઇઆર હતી, ખોટા આરોપો હતો તેથી કોર્ટે જોયું આમાં રિમાન્ડ આપવાની જરૂર નથી. ત્યારબાદ ગઇકાલે રાત્રે ફરીથી જેલમાં હરિશભાઇ સાવલિયા સામે ષડ્યંત્ર ઊભું કરી હરિશભાઇને અન્ય કેદીઓ પાસે માર મરાવી ફરીથી તેમની પર એટ્રોસિટીની ફરિયાદ ઊભી કરવામાં આવી છે. હરિશભાઇ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઇ લડી રહ્યા છે. ગુજરાતમાં જે જે લોકો ખેડૂતો માટે લડાઇ લડે છે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન કરવામાં આવ્યું છે. અમારા નેતા રાજુભાઇ કરપડા, પ્રવીણભાઇ રામ, રમેશભાઇ મેર આજની તારીખે રાજકોટની જેલમાં છે. ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઇઆર ન ફાડે પણ જો આપના હરિશભાઇ સાવલિયા વિસાવદર અને ભેંસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસ તેના વિરુદ્ધ એટ્રોસિટી, છેડતી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઇઆર કરી જેલમાં મોકલ્યા છે અને જેલની અંદર પણ નવી એફઆઇઆર કરી છે. આ એફઆઇઆરનો ખેલ કરવાની અંદર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમળનો પટ્ટો ગળામાં પહેરીને હર્ષ સંઘવીના ટોમી બનીને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું છે. કેટલાક અધિકારીઓ સારા છે, કેટલાક ટોમી બની ગયા છે.
આપઘાતનો મામલો આવ્યો સામે:મિત્રની ઓફિસમાં યુવકે અને સેટેલાઈટ ચોક પાસે પ્રૌઢે આપઘાત કરી લીધો
શહેરના નાનામવા મેઈન રોડ પર આવેલા દેવનગર શેરી નં.01માં રહેતા રાહુલ દીપકભાઈ રાઠોડ (ઉ.વ.25)નામનો યુવક માયાણીનગર આવાસના ક્વાર્ટર પાસે આવેલ તેના મિત્રની ઓફિસે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હોવાની 108ને જાણ કરતા ઈએમટીએ યુવકને તપાસી મૃત જાહેર કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ સાળંગ ઓગાણિયા સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરતા મૃતક બેભાઈમાં મોટો અને અપરિણીત હતો. ઘરમાં ઝઘડા કરતો હોય જેથી પરિવારે કાઢી મુક્યો હોવાથી મિત્રની ઓફિસમાં ચાર-પાંચ દિવસથી રહેતો હતો અને ત્યાં જ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળતા પોલીસે વિશેષ તપાસ યથાવત્ રાખી છે. જ્યારે મોરબી રોડ પર આવેલ સેટેલાઈટ ચોકની જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા અને ઘરેથી ઈમિટેશનનું કામ કરતા કિશોરભાઈ બચુભાઈ પાનસુરિયા(ઉ.વ.53)નામના પ્રૌઢે પોતાના ઘરે બપોરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાની પરિવારને જાણ થતા બી-ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ મૂર્છિત અવસ્થામાં સરી પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ખનીજચોરી રોકવાની સઘળી જવાબદારી રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા એક મહિનામાં જ રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખનીજ ખનન અને વહનના 61 જેટલા કિસ્સા ઝડપી લઈ 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં ભૂતળમાં મુખ્યત્વે રેતી, સેન્ડસ્ટોન, બ્લેકટ્રેપ, લાઇમ સ્ટોન, હાર્ડ મોરમ સહિતના ખનીજનો ખજાનો સંગ્રહાયેલ પડ્યો હોય રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની પેરેલલ વોટ્સએપ નેટવર્ક ચલાવી ખાણ ખનીજ વિભાગ દરોડા પાડે તે પૂર્વે જ પેપર ફોડી નાખી ખનીજ ખનન અને પરિવહનના કિસ્સામાં બચી જવામાં સફળ થઇ રહ્યા છે. સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કામ જ કરતો ન હોય તેવી સ્થિતિમાં હાઇવે પર ખનીજચોરી બિંદાસ્ત બની ખનીજનું પરિવહન કરી રહ્યા છે. જોકે પોલીસ વિભાગની એસએમસીની ટીમની જેમ જ ખાણ ખનીજ વિભાગમાં પણ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હોય ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોડ સતત કાર્યવાહી કરી રહી છે. ડિસેમ્બર માસમાં ફ્લાઈંગ સ્ક્વોડે સૌરાષ્ટ્રમાં 61 કિસ્સા ઝડપી લીધા હતા. રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક અંકિત ભટ્ટના જણાવ્યા મુજબ ડિસેમ્બર માસમાં એફએસની ટીમે ખનન અને વહનના કુલ 61 જેટલા કિસ્સા ઝડપી લીધા હતા જેમાં સૌથી વધુ રાજકોટમાં 24, મોરબીમાં 20, સુરેન્દ્રનગરમાં 8, જામનગરમાં 5, ભાવનગરમાં અને પોરબંદરમાં એક કિસ્સામાં ખનીજચોરી ઝડપી લઈ ખનીજ વહન સબબ રૂ.108 લાખ, ખનીજ ખનન બદલ રૂ.10.84 લાખ તેમજ ખનીજનો સંગ્રહ કરવાના એક કિસ્સામાં 2.50 લાખનો દંડ ફટકાર્યો હતો. ક્યાં જિલ્લામાં કેટલી ખનીજચોરી
પાર્ટી નહીં, પુણ્યથી મનાવી થર્ટી ફર્સ્ટ:ગરીબોને 24 હજાર વસ્ત્રો, દિવ્યાંગોને રાશન કિટ આપી
જ્યારે આખું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને 31 ડિસેમ્બરની રાત્રે ડાન્સ અને પાર્ટીઓમાં મશગૂલ હોય છે, ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવતાની મહેક ફેલાવી નવા વર્ષને આવકાર્યું છે. ‘વસ્ત્રદાન એ જ મહાદાન’ના સંકલ્પ સાથે શાળાના 900 વિદ્યાર્થીએ અંદાજે 24,000 જેટલા વસ્ત્રો એકત્ર કરી જરૂરિયાતમંદોને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી અને આસપાસના વિસ્તારોમાંથી સ્વેટર, જેકેટ, ધાબળા, સાડી અને ડ્રેસ જેવા કુલ 23,997 વસ્ત્ર એકઠા કર્યા હતા. આ સેવામાં માત્ર વસ્ત્રો જ નહીં, પરંતુ કોમર્સના 200 વિદ્યાર્થીએ પોતાની ‘પોકેટ મની’ બચાવીને દિવ્યાંગો માટે એક મહિનાનું રાશન પણ ખરીદ્યું હતું. આ એકત્રિત થયેલા વસ્ત્રો વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજકોટના રૈયાધાર, લોહાનગર, આજી ડેમ અને કુવાડવા રોડ જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ કચ્છના મીઠાના અગરિયાઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે સૌથી વધુ વસ્ત્રો એકત્ર કરનાર વિદ્યાર્થીઓનું સી.જે. ગ્રૂપ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માત્ર ભૌતિક દાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ‘ચક્ષુદાન’ કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આજે જ્યારે સમાજ સ્વકેન્દ્રી બની રહ્યો છે, ત્યારે 13થી 17 વર્ષના આ કિશોરોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છોડીને ભારતીય સંસ્કારોનું જતન કર્યું છે. વિરાણી હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે, જો યુવા શક્તિ સાચી દિશામાં વળે, તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે.
અગ્નિકાંડ બાદ લાંબા સમયથી ખાલી જગ્યા ભરાઇ:2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 3 સ્ટેશન ઓફિસરની ભરતી
રાજકોટ મહાનગરપાલિકામાં દોઢ વર્ષ કરતા પણ લાંબા સમયથી ખાલી પડેલી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 2 અને સ્ટેશન ઓફિસરની 3 ખાલી જગ્યા પર કમિશનર તુષાર સુમેરાએ નિમણૂકના ઓર્ડર કર્યા છે. જ્યારે વધુ એક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ટૂંક સમયમાં અરજીઓ મગાવીને ભરતી કરાશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયમી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવી ન હતી. હાલમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત દવે ફરજ બજાવી રહ્યા છે, મનપાએ ગત સપ્ટેમ્બરમાં ખાતાકીય ભરતી માટે કાર્યવાહી કરી હતી હતી અને ગત 12 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂકના ઓર્ડર અપાયા હતા. કમિશનરે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે અશોકસિંહ બનેસિંહ ઝાલા, મુબારક કાસમભાઇ જુણેજાને અને સ્ટેશન ઓફિસર તરીકે પરેશ પુનાભાઇ ચુડાસમા, રાહુલ પ્રવીણભાઇ જોશી અને ધીરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાને નિમણૂકના ઓર્ડર આપ્યા છે.
બદલીનો માહોલ:17 RTOની બદલી, રાજકોટમાં ટાંક મુકાયા
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે આરટીઓની બઢતી સાથે બદલી કરી છે. રાજ્યના મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા 17 જેટલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-1) તરીકે બઢતી આપી તેમની બદલીના આદેશ કરાયા છે. રાજકોટ ખાતે કાર્યરત કેતનકુમાર મથુરભાઈ ખપેડની વડોદરા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યા પર ભાવનગરના આર.ટી.ઓ. ઇન્દ્રજિત સુરેશભાઈ ટાંકને રાજકોટના નવા આર.ટી.ઓ. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના હાર્દિકકુમાર પટેલની પાટણ ખાતે બદલી કરાઈ છે. જૈમિનકુમાર ચૌધરીની બદલી પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. સુરતના આકાશ પટેલની નવસારી બદલી થઈ છે.ભાવનગરના ઇન્દ્રજિત ટાંકની રાજકોટ બદલી કરવામાં આવી છે. આ તમામ બઢતી અને બદલીના હુકમોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવું ઓર્ડરમાં જણાવાયું છે.
મેઘરાજાની થર્ટી ફર્સ્ટ:2025ના છેલ્લા દિવસ સુધી માવઠાએ પીછો ન છોડ્યો, હજુ આજે પણ આગાહી
વર્ષ 2025ના અંતિમ દિવસે જ્યારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે મેઘરાજાએ અચાનક ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથક સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા બુધવારે સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે 5 વાગતાની સાથે જ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં ચણા, જીરું અને ઘઉં જેવા રવીપાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે માવઠાને કારણે પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છ જિલ્લામાં ગુરુવારે પણ હળવો વરસાદ પડી શકે છે. લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરતા હતા, મેઘરાજાએ ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો બુધવારે કથા મોકૂફ હનુમાન કથાની સાથોસાથ રાત્રે આતશબાજીનો કાર્યક્રમ પણ વરસાદને કારણે રદ કરી ગુરુવારે રખાયો છે. સિવિલમાં પાણી ભરાયા હોસ્પિટલના નવા ગેટની નીચે પાણી નિકાલની વ્યવસ્થાને અભાવે પાણી ભરાતા દર્દીઓ હેરાન થયા હતા. ટ્રાફિકજામશહેરમાં સાંજે અચાનક વરસાદ પડ્યો હતો. વરસાદ થંભી ગયા બાદ એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો.
રાજકોટના ખજુરડી ગામની ખુમારી:ગામ ડૂબમાં ગયું... જુસ્સો તરી ગયો...
રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં વર્ષ 1979માં એટલે કે 46 વર્ષ પહેલાં મહાકાય આજી-3 ડેમના નિર્માણને કારણે ખજુરડી ગામનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું હતું. જોકે ડૂબમાં ગયેલા ખજુરડી ગામના ગ્રામજનોનો જુસ્સો બુલંદ હતો. એટલે જ આજે જૂના ગામથી અઢી કિલોમીટર દૂર નવું ખજુરડી-2 ગામ વસ્યું છે. નવા જુસ્સા સાથે વસેલ ગામ આજે શહેરને પણ ટક્કર મારે તેવી તમામ સુવિધા ધરાવે છે. અહીં લોકોને નિઃશુલ્ક પીવાનું પાણી, બાળકો માટે આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર, આખા ગામમાં આરસીસી રોડ, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, કોમ્યુનિટી હોલ, સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે. 100 ટકા સાક્ષર ગામમાં ઝઘડાનું પ્રમાણ નહિવતપૂર્વ સરપંચ મહાવીરસિંહ જાડેજા ગ્રામજનોની એકતાનો દાખલો આપતા ઉમેરે છે કે, 100 ટકા સાક્ષરતા ધરાવતા ગામમાં ઝઘડા થતાં જ નથી, ક્યારેક મનદુ:ખ થાય તો પંચાયત જ ન્યાય કરે છે. 125 ઘરનો વેરો એક જ વ્યક્તિ ભરપાઈ કરે છે : સરપંચગામમાં 100 ટકા વેરા ભરાય છે. છેલ્લા પાંચ વર્ષથી 125 ઘર વતી પૂર્વ સરપંચ મહાવીરસિંહ જ ગામ સમસ્તનો રૂ.15000 વેરો ભરપાઈ કરી આપે છે તેમ સરપંચ નયનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું. 30 વર્ષથી ગ્રામપંચાયતની ચૂંટણી નથી યોજાઈખજુરડી-2 ગામમાં છેલ્લા ત્રણ દાયકાથી ચૂંટણી નથી યોજાઈ. 125 ઘર અને 584ની વસ્તીવાળા ગામમાં 480 મતદાર છે. પંચાયતનું સ્વભંડોળ જ એટલું છે કે, માત્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર નથી.
ભાસ્કર વિશેષ:નીમ કરોલી બાબાએ કચ્છમાં કરી હતી તપસ્યા
ઉત્તરાખંડમાં આવેલું કેચી ધામ મંદિરમાં બાબા નીમ કરોલી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. બાબા કલયુગમાં ભગવાન હનુમાનજીનો અવતાર મનાય છે. આ સ્થળ હનુમાનજીને સમર્પિત એક મંદિર પણ આવેલું છે. જ્યાં બાબા નીમ કરોલીનું મંદિરમાં બનાવવામાં આવ્યું છે. તેઓને 20મી સદીના મહાન સંતોમાંના એક માનવમાં આવે છે. મહારાજજીના ભક્ત રામ દાસ દ્વારા લિખિત પુસ્તક ‘’મિરેકલ ઓફ લવ’’ (Miracle of Love) માં નીમ કરોલી બાબાના પ્રારંભિક જીવન અને તેમના ભ્રમણ વિશે અનેક રોચક વિગતો સામે આવી છે. જેમાં કચ્છ અને રાપર-ભચાઉ વિસ્તારના તેમના રોકાણ અંગેની મહત્વની વિગતો મળી છે. પુસ્તકમાં સાધના કાળનો ઉલ્લેખ છે કે મહારાજજીએ તેમના જીવનના પ્રારંભિક ગાળામાં 1910 થી 1930ની આસપાસ ખૂબ લાંબો સમય સાધુ તરીકે ભ્રમણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તેમણે કચ્છના રણ જેવા અત્યંત વિકટ અને નિર્જન વિસ્તારોમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી. ‘’મિરેકલ ઓફ લવ’’ માં આ સમયગાળાને બાબાના “અજ્ઞાતવાસ” તરીકે વર્ણવવામાં આવ્યો છે. બાબા રાપર અને ભચાઉના આંતરિયાળ ગામડાઓમાં ‘’લક્ષ્મણ દાસ’’ નામે ઓળખાતા હતા. રણમાં માર્ગ ભૂલી જવો એ સામાન્ય વાત હતી. એવી અનેક લોકવાયકાઓ છે કે જ્યારે કોઈ વટેમાર્ગુ કે ભક્ત રણના સૂકા વિસ્તારમાં રસ્તો ભટકી જતો અથવા તરસથી વ્યાકુળ થતો, ત્યારે લક્ષ્મણ દાસ (બાબા) અચાનક ક્યાંકથી પ્રગટ થતા. તેઓ ભક્તોને સાચો રસ્તો બતાવતા અને ક્યારેક તો ચમત્કારિક રીતે પાણીની વ્યવસ્થા પણ કરી આપતા હતા. જેવો કોઈ ભક્ત સુરક્ષિત જગ્યાએ પહોંચે, બાબા ત્યાંથી અદ્રશ્ય થઈ જતા હતા. નીમ કરોલી બાબાના ભક્તોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. વર્ષ 1910 થી 1930ના સમયે રાપર આ વિસ્તારમાં બાવળના ઝાડ વધુ હોવાથી અને તેઓ અવારનવાર બાવળના ઝાડી-ઝાંખરામાં બેસીને ધ્યાન કરતા હોવાથી સ્થાનિક લોકો તેમને ‘’બાવળિયા બાબા’’ તરીકે પણ સંબોધતા હતા. બાબાના આ સમયગાળાના અનેક ચમત્કારો પણ રાપર અને ભચાઉ પંથકના વૃદ્ધોમાં જીવંત છે, જેનો ઉલ્લેખ રામ દાસે પોતાના પુસ્તકમાં બાબાના ‘’રહસ્યમય વ્યક્તિત્વ’’ માં કર્યો છે. જમીનમાં ખાડો ખોદીને ‘ભૂગર્ભ’ સાધના કરતાકચ્છમાં રોકાણ દરમિયાન બાબા ઘણીવાર જમીનમાં ઊંડો ખાડો ખોદીને તેની અંદર બેસી જતા અને ઉપરથી ખાડો ઢાંકી દેવાનું કહેતા. તેઓ દિવસો સુધી ખોરાક કે પાણી વગર જમીનની અંદર સમાધિમાં રહેતા. તે સમયે રાપર પંથકના લોકોને બાબાની આ સાધના જોઈને ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય સાધુ નથી પણ સાક્ષાત્ ઈશ્વરનો અંશ છે. કચ્છના માલધારીઓ ગાય-ભેંસ ચરાવવા નીકળતા, ત્યારે બાબા ઘણીવાર તેમની સાથે બેસતા. કહેવાય છે કે બાબા પશુઓની ભાષા પણ સમજતા હતા. ક્યારેક કોઈ પશુ બીમાર હોય તો બાબાના સ્પર્શ માત્રથી તે સાજું થઈ જતું. માલધારીઓ તેમને પ્રેમથી રોટલો અને દૂધ ખવડાવતા, અને બદલામાં બાબા તેમને જીવનનું જ્ઞાન સરળ ભાષામાં આપતા હતા કેવું હતું નીમ કરોલી બાબાનું જીવન?નીમ કરોલી બાબાનું મૂળ નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ અંદાજે 1900ની આસપાસ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હોવાનું માનવામાં આવે છે. બાળપણથી જ તેઓ આધ્યાત્મિક સ્વભાવ ધરાવતા હતા અને સંસારિક મોહથી દૂર રહેતા હતા. યુવાવસ્થામાં જ તેમણે ઘર છોડીને ત્યાગમય જીવન અપનાવ્યું હતું. તેઓ વિવિધ સ્થળોએ ભટકતા રહ્યા અને અંતે “નીમ કરોલી બાબા” તરીકે પ્રસિદ્ધ થયા. ઉત્તરાખંડના કૈંચી ધામ, સહિત અનેક સ્થળોએ તેમના આશ્રમો સ્થાપિત થયા હતા. બાબાનું જીવન સાદગી, કરુણા અને નિઃસ્વાર્થ સેવાથી ભરેલું હતું. તેઓ જાતિ, ધર્મ કે દેશના ભેદભાવ વગર સૌને સમાન રીતે આશીર્વાદ આપતા હતા. 11 સપ્ટેમ્બર 1973ના તેમણે દેહત્યાગ કર્યો, પરંતુ આજે પણ લાખો ભક્તો માટે નીમ કરોલી બાબા પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક રૂપે જીવંત છે.
ભાસ્કર નોલેજ:વોટ્સએપમાં નવા વર્ષની શુભકામનાની APK ફાઈલ ભૂલથી પણ ન કરતા ઇન્સ્ટોલ
આજે નવું વર્ષ 2026 શરૂ થઇ રહ્યું છે, ત્યારે તમને વોટ્સએપ પર આવતી કોઈ અજાણી લીંક અથવા નવા વર્ષની શુભેચ્છાઓ માટેની કોઈ પણ લીંક આવે તો તેને ભૂલથી પણ ઇન્સ્ટોલ ન કરતા, નહી તો તમારું મોબાઈલ હેક થઇ શકે છે. સાથે જ તમારું બેંક ખાતું પણ સાયબર ફ્રોડ દ્વારા ખાલી કરી શકે. હાલ સાયબર ઠગો શુભેચ્છાના બહાને ફરી સક્રિય બન્યા છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને વોટ્સએપ પર “નવું વર્ષ મુબારક શુભેચ્છા કાર્ડ” અને “તમારા નામે શુભેચ્છા મોકલો” જેવી લિંક્સ મોટા પ્રમાણમાં ફોરવર્ડ થતી જોવા મળી રહી છે. વોટ્સએપ પર લોકોને આવો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે “નવું વર્ષ મુબારક! તમારો ખાસ શુભેચ્છા કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.” આ મેસેજ પર ક્લિક કરતા જ મોબાઈલમાં રહેલી માહિતી, ઓટીપી, બેંક એપ્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની સંભાવના વધી જાય છે. કેસમાં આ મેસેજ ઓળખીતા નંબર પરથી પણ આવે છે, કારણ કે સાઈબર ઠગો પહેલેથી હેક કરેલા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરીને આવા મેસેજ ફેલાવે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે અજાણ્યા અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું, ભલે તે મિત્ર કે સગા તરફથી આવી હોય. કોઈપણ લિંક ખોલતાં પહેલાં તેની સત્યતા તપાસવી, ફોનમાં એન્ટી વાયરસ સુરક્ષા રાખવી અને ઓટીપી કે બેંક સંબંધિત માહિતી કોઈ સાથે શેર ન કરવી જરૂરી છે. આજે નવા વર્ષ ઉજવતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. કેવી રીતે સુરક્ષિત રહેવુંઆજે નવા વર્ષના દિવસે તમને વોટ્સએપમાં અનેક મિત્રો અથવા અજાણ્યા નંબરથી આવતા મેસેજમાં ફક્ત ટેક્સ્ટ મેસેજ, ઇમેજ અથવા વિડીયો જ ઓપન કરો. જો શુભેચ્છા જોવા માટે એપ્લિકેશનને “ઇન્સ્ટોલ” અથવા “અપડેટ” કરવાનું કહેતી કોઈપણ લિંકને ઇન્સ્ટોલ ન કરવી જોઈએ. આ માલવેર ખતરનાક .apk ફાઇલ ડાઉનલોડ કરવાના પરિણામો ગંભીર હોઈ શકે છે, જેમાં નાણાકીય છેતરપિંડીથી લઈને સરકારી જાસૂસીનો સમાવેશ થાય છે.
કાર્યવાહી:મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબીથી ઝડપી લેવાયો
મુન્દ્રા શહેર પોલીસમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પોલીસે આરોપી અને ભોગ બનનારને મોરબીથી શોધી લીધા છે. આ અંગેની વિગતો મુજબ, ગત 20 ડિસેમ્બરના ફરીયાદીની સગીરવયની દીકરીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો.જે અંગે મુંદરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદને આરોપી તથા ભોગ બનનારને સત્વરે પકડી પાડવા સુચના આપી હતી જે સુચના અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુંમરે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું જે આધારે કર્મચારીઓ કાર્યરત હતા તે દરમ્યાન એએસઆઇ દેવરાજભાઇ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગઢવીને જાણવા મળેલ કે, આરોપી દિપક બાદરભાઇ સોલંકી રહે.કપડવંજ વાળો હાલે લાલપુર (મોરબી) મધ્યે છે જેથી તુરંત એક ટીમને મોરબી મોકલાવી ટીમને ટેક્નીકલ એનાલીસીસ અને હ્યુમન રિસોર્સના આધારે આરોપીનુ સરનામુ મળતા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા હતા જેઓને હસ્તગત કરી મુંદરા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. આરોપી સામે અગાઉ પણ પોક્સો, બળાત્કારનો ગુનોઆરોપી સામે અગાઉ વર્ષ 2023માં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ અને બળાત્કાર તથા પોક્સોનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી બિલોદરા જેલ (નડીયાદ) માં બે વર્ષ રહ્યો હતો. અને તે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી આશરે દોઢ વર્ષ પહેલા પુરાવાના અભાવે નિર્દોષ છુટયો હતો.
સિટી કેલેન્ડર:10મીએ પતંગોત્સવ અને વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ
2026ના જાન્યુઆરી માસમાં શહેરમાં અનેક કાર્યક્રમ થવાના છે. જેની સૂચિ નીચે પ્રમાણે છે. મારા કામના નંબર પાવર ફોલ્ટ માટે: પોલીસ મદદ માટે: કોર્પોરેશનની સેવા-ફરિયાદ: તબીબી કટોકટી માટે: ઘાયલ પ્રાણીઓ માટે: ફાયર ઇમર્જન્સી: ગુજરાત ગેસ કંપની:
2026માં રાજકોટવાસીઓને મળશે આ ભેટ:2026માં આ ચાર પ્રોજેક્ટ રાજકોટની સુવિધામાં ચાર ચાંદ લગાવશે
2026માં રાજકોટમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાના છે. જેના કારણે શહેરવાસીઓની સુવિધામાં વધારો થશે. આધુનિક લાઈબ્રેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી રૂ.7.39 કરોડના ખર્ચે અત્યાધુનિક નવી લાઇબ્રેરી એક મહિનામાં શરૂ કરાશે. આ છે વિશેષતા | હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વાઈ-ફાઈ ઝોન અને ઓનલાઈન જર્નલ્સ એક્સેસની સુવિધા. રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ દિવાળી સુધીમાં અને જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે, લાખો વાહનચાલકોના સમય-ઈંધણ બચશે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાજકોટ -જેતપુર હાઈવેને સિક્સલેન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને સંભવત: દિવાળી પહેલા તમામ ઓવરબ્રિજ સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાશે ત્યારબાદ લોકોની હાડમારી ઓછી થાશે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી આ હાઈવે પર રોજ 50 હજારથી વધુ વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ હાઈવેની કામગીરી પૂરી થતાં હજારો વાહનચાલકોનો સમય અને ઈંધણની બચત થશે. તેવી જ રીતે રાજકોટના સાંઢિયાપુલની કામગીરી પણ હવે અંતિમ તબક્કામાં છે અને સંભવત: માર્ચ અથવા એપ્રિલમાં તેનું લોકાર્પણ કરાશે ત્યારે જામનગર, દ્વારકા, ઓખા તરફ જતાં-આવતા અને માધાપર, નાગેશ્વર, ઘંટેશ્વર, ઈશ્વરિયા સહિતના વિસ્તારમાં રહેતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને અવર-જવરમાં સમય અને ઈંધણની બચત થશે અને રૈયારોડ પર ફરીને આવવા-જાવવામાંથી મુક્તિ મળશે. અદ્યતન RTO ફેબ્રુઆરી સુધીમાં 9 કરોડની આરટીઓ ઓફિસ, 40 લાખના ખર્ચે બનેલો AI આધારિત ટ્રેક શરૂ થશે નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટના વાહનચાલકો અને વિદ્યાર્થીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવશે. શહેરના વાહનચાલકો માટે અંદાજે રૂ.9 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક RTO કચેરી ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. આ સાથે જ, ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે અંદાજિત રૂ.40 લાખના ખર્ચે એઆઈ આધારિત નવો ડ્રાઈવિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈ-ટેક ટ્રેક દ્વારા લાઇસન્સ ટેસ્ટની કામગીરી વધુ સુદૃઢ બનશે.
સ્માર્ટ મીટર બાદ પણ વીજ ગ્રાહકોનો અસંતોષ યથાવત:ભુજ અને માધાપરમાં અનેક ફરિયાદોનો હજુ ઉકેલ નહીં
વીજ કંપની દ્વારા ગ્રાહકોને વધુ સુવિધા અને ચોકસાઈ મળે તે હેતુથી પહેલા ડિજિટલ મીટર અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જોકે, આ નવી વ્યવસ્થા બાદ પણ અનેક વિસ્તારોમાં ગ્રાહકોનો સંતોષ પૂર્ણ ન થયો હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભુજ અને માધાપર વિસ્તારમાં વીજ બિલ અંગે ફરિયાદો નોંધાઈ છે. ભુજના લાલ ટેકરી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના અનેક ગ્રાહકોને નિયમિત બે મહિનાના બદલે ત્રણ મહિને બિલ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. સામાન્ય રીતે રૂ. 600 થી 800 જેટલું આવતું બિલ આ વખતે ઘણું વધુ આવતા રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. તેવી જ રીતે માધાપરમાં એક ગ્રાહકને છ મહિને બિલ મળ્યું હતું અને તે પણ અંદાજે રૂ. 9,000 જેટલું ભારે બિલ આવતા વીજ વપરાશ અંગે પ્રશ્નો ઊભા થયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ તકલીફોની માહિતી મળી રહી છે. આ મુદ્દે પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર તપન વોરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ મીટર અગાઉથી અમલમાં છે અને હવે તેને એપ્લિકેશન સાથે જોડીને સ્માર્ટ મીટર બનાવવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાથી ગ્રાહક પોતાનું વીજ વપરાશ એપ્લિકેશનમાં જોઈ અને સમજી શકે છે. બિલ જનરેટ થવામાં મોડું પડ્યું હોય તો રકમમાં તફાવત દેખાઈ શકે, પરંતુ મીટર ફાસ્ટ ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. અસંતોષ ધરાવતા ગ્રાહકોને વીજ વપરાશ અંગે સંપૂર્ણ સમજ આપવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં બિલને બે કે વધુ મહિનાના હપ્તામાં ચૂકવવાની સુવિધા પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર બાબતે અગાઉ પણ અનેક સ્થળોએ વિરોધ નોંધાયો છે. કેટલીક ફરિયાદોમાં વીજ કંપની દ્વારા મીટર લગાવતી વખતે પૂર્વ જાણ અથવા મંજૂરી ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. જોકે, મોટા ભાગે ગ્રાહક આધારિત હોવાથી ખુલ્લા વિવાદો ભાગ્યે જ જોવા મળે છે.
ભુજ વાસીઓને મળશે નવી સુવિધાઓ:1100 કરોડનો હાઇવે, 200 કરોડનું રેલવે સ્ટેશન મળશે
2026 શહેરના માળખાગત વિકાસ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. એક બાજુ સામખિયાળી-ગાંધીધામ હાઇવેથી સીધા જ ભુજ આવવા માટે ભીમાસર-ભુજ એરપોર્ટ વચ્ચે બનેલા 1100 કરોડના હાઇવેનું કામ પૂર્ણ થઇ જશે. તો બીજી તરફ રાજ્યમાં કાલુપુર અને ગાંધીનગર જેવું જ અત્યાધુનિક રેલવે સ્ટેશન ભુજમાં બની રહ્યું છે. નવા વર્ષે આ સ્ટેશનની સાથે નવી ટ્રેનો પણ આવશે. આ સાથે વર્ષોથી ખખડધજ રિંગરોડનો મુદ્દો પણ ઉકેલાતા લોકોને સારા માર્ગો મળશે. એરપોર્ટ, યુનિવર્સિટીમાં પણ નવી સુવિધા ઉમેરાશે. ચાર વર્ષે જર્જરિત કૃષ્ણાજી પુલના પ્રશ્નનો હલ આવશે. 1 કલાકમાં જ ભીમાસરથી ભુજ 60 કિમી નવો હાઇવે બનતા એરપોર્ટ સુધી કનેક્ટિવિટીભુજ | સરહદી જિલ્લાનો મહત્વપૂર્ણ ભીમાસર–ભુજ રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવિષ્ટ થયા બાદ 2021માં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લીલી ઝંડી આપી અને 2023માં શરૂ થયેલા ચાર માર્ગીય રૂપાંતરણનું કાર્ય હવે પૂર્ણ થયું છે. કચ્છના આર્થિક કોરીડોર તરીકે ઓળખાતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં 1100 કરોડથી વધુના ખર્ચે પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મજબૂત માર્ગ બનાવ્યો છે. જો કે, મીઠાના પરિવહનને કારણે અનેક જગ્યાએ તૂટ્યો પણ ખરો. કુલ 60 કિલોમીટર લાંબા આ ચાર માર્ગીય ધોરીમાર્ગ પર ચાર મેજર રેલવે બ્રિજ તથા અંદાજે 20 કિલોમીટર લાંબા સર્વિસ રોડનું નિર્માણ પૂર્ણ થયું છે. હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર આધારિત આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની 15 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. જમીન સંપાદન અને બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાનું બતાવીને કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભીમાસર–ભુજ ધોરીમાર્ગ પૂર્ણ થઈ ગયો હોવાનો દાવો કરે છે, પણ રતનાલ પાસેના રેલવે ઓવરબ્રિજનું કોકડું ઉકેલાયું નથી. આ માર્ગ બનતા દૈનિક 15000 થી વધુ વાહનોને સરળતા અને સમય બચત થશે. એક સાથે 1200 પ્રવાસીઓની ક્ષમતા થશે ભુજ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર ક્ષમતા 4 ગણી થશે, નવા 2 ગેટ સાથે વીઆઇપી લોન્જ પણભુજ | હવાઈમથકે પ્રવાસન સુવિધાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભુજ હવાઇમથકે 300 પ્રવાસીની અવરજવરની ક્ષમતા છે જેમાં વધારો કરીને એકસાથે 1200 મુસાફરો અવરજવર કરી શકે તેટલી ક્ષમતાનું વિસ્તરણ થશે આ ઉપરાંત આગમન અને નિકાસમાં બે નવા ગેટ તેમજ વધુ એક વીઆઇપી લોન્જ, કોમર્શીયલ આઉટલેટમાં વિવિધ ફુડ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉભી થશે.એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું કે, આ સુવિધાઓ ઉભી થવાથી પ્રવાસીઓની સુખાકારી અને સગવડમાં વધારો થશે. આગની સાથે અન્ય હોનારતમાં મદદગાર|સાત કરોડના ખર્ચે બની રહ્યું છે અત્યાધુનિક જિલ્લા ફાયર સ્ટેશનસુરતમાં ક્લાસિસમાં અને રાજકોટમાં ગેમ ઝોનમાંઆગની ઘટનાથી અસંખ્ય લોકોએ જાન ગુમાવી હતી. જે બાદ રાજ્ય સરકારે ફાયર સ્ટેશનને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી ભુજમાં 7 કરોડના ખર્ચે જિલ્લા ફાયર સ્ટેશન બની રહ્યું છે. જે 2026 દરમિયાન બનીને કાર્યરત થઈ જશે.ફાયર સ્ટેશનના કર્મચારીઓને માત્રઆગની ઘટના વખતે જ નહીં પણ જળાશયોમાં ડૂબતી વ્યક્તિ બચાવવા અને મૃતકની લાશ બહાર કાઢવાની કામગીરી પણ સોંપાઈ હોય છે, જેથીઆગ અને પાણીમાં ઉપયોગી અત્યાધુનિક સાધનોની જરૂર પડે છે. કર્મચારીઓનેએની તાલીમ પણઆપવાની હોય છે, જેથી જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનની જરૂર પડતી હોય છે. જેના પગલે ભુજમાંઆર.ટી.ઓ. પાસે જિલ્લા ફાયર સ્ટેશન બની રહ્યું છે. જોકે, કચ્છમાં ગાંધીધામ સિવાય બાકીના તાલુકા મથકોએ ફાયર સ્ટેશન નામ પૂરતા જ કાર્યરત છે, જેથી ભુજ ફાયર સ્ટેશનને જ દોડવું પડતું હોય છે. નવા વર્ષે છાત્રોને પણ મળશે નવી સુવિધા યુનિ.માં 1 હજાર વિદ્યાર્થી બેસી શકે તેવું ઓડિટોરિયમ, જીમ, મ્યુઝિયમ, સ્ટડી સેન્ટર અને રેકોર્ડિંગ સ્ટુડિયો બનશેયુનિવર્સિટીમાં 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આધુનિક ઓડિટોરિયમ બનીને તૈયાર છે હવે ફર્નીચર કામ બાકી છે આ સિવાય લાયબ્રેરીની પાછળ રેકોર્ડિંગ સ્ટુડિયો તેમજ મેઈન એન્ટ્રી ગેટ પાસે વિદ્યાર્થીઓ માટે જિમ, મ્યુઝીયમ, મોલ બની રહ્યા છે જે કામ 2026મા પુર્ણ થઈ જશે.આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્રથી પીજીના બે કોર્ષ અને સોલાર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા સેન્ટર ઉભું કરવાની દિશામાં આયોજન થઈ રહ્યું હોવાનું કુલપતિ ડો.મોહનભાઇ પટેલે જણાવ્યું હતું. 4.21 કરોડના ખર્ચે કૃષ્ણાજી પુલ બનશે ભુજમાં હમીરસર તળાવ પાસે 4.21 કરોડના ખર્ચ કૃષ્ણાજી પુલ બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને 2026માં પુલ બની જાયએવી શક્યતા છે.રાજાશાહીમાં દિવાન કૃષ્ણાજીએ હમીરસર તળાવના પ્રારંભે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું લાકડાનું પુલ બનાવ્યું હતું. જે બાદ 1972માં નગરપાલિકાએ પુન:નિર્માણ કર્યું હતું. પરંતુ, છેલ્લાએકાદ દાયકાથી જર્જરિત અવસ્થામાં હતું. 2022માં મોરબીની મચ્છુ નદી ઉપર ઝુલતો પુલ તૂટી ગયો અને અસંખ્ય લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારે જર્જરિત પુલને નવા બનાવવા નિર્ણય લીધો હતો. સરકારી તંત્રની અનેકઆંટીઘૂંટી બાદ છેક 2025માં ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ શકી છે અનેએમાંય બીજા પ્રયત્નેએક જ ટેન્ડરઆવ્યું છે, જેથી મુખ્ય અધિકારી ડો. અનિલ જાદવ તમામ શક્યતાઓ ચકાસ્યા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરાવી દેએવી શક્યતા છે. એપ્રિલ મહિના સુધી ભુજના 41 કિમી રિંગ રોડની હાલત સુધરશેભૂકપં બાદ શહેર અને કોટ બહારના વિસ્તારમાં રીંગરોડ બનાવ્યા. 24 વર્ષ બાદ તેમનું નવીનીકરણ થઈ રહ્યું છે. પંદર દિવસથી શરૂ થયેલું માર્ગ સુધારણાનું કામ આગામી ચાર મહિનામાં એટલે કે નવા વર્ષના એપ્રિલ કે મે મહિના સુધી 18 રીંગરોડ નવા બની જશે એટલે કે મોટા ભાગનું ભુજ ફરીથી સુંદર રસ્તાઓથી મઢાઈ જશે તેવું ભાડાના સીઇઓ અને પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું. સરકારે ભુજના રસ્તાઓને ખાસ કેસ તરીકે માન્યતા આપીને, 40.750 કિલોમીટર રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ રસ્તાઓ રૂ. 150 કરોડના ખર્ચે નવા બની રહ્યા છે ખાવડા રોડ પર પશુ કોલેજનો આરંભ, હોસ્પિટલ શરૂનવી વેટરનરી કોલેજનો પ્રારંભ થયો છે. કોલેજને ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી મળી છે. સાથે પશુ સારવાર સંકુલમાં દરરોજ 25 થી 30 પ્રાણીઓની સારવાર વિનામુલ્યે કરાય છે. પશુધન ફાર્મ સંકુલમાં ગાયોનું સંવર્ધન અને વિવિધ સંશોધનો થાય છે.ભવિષ્યમાં કાંકરેજ ગાય, બન્ની ભેંસ, કચ્છી તેમજ ખારાઈ ઊંટ અને સિંધી ઘોડા ઉપર સંશોધન કરાશે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ એક દિવસ પહેલા જ એક્શન મોડમાં આવી ગઈ હતી. 31મી ડિસેમ્બરના એક દિવસ પહેલા એટલે કે 30મી તારીખે રાત્રે શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોની ચેકિંગ હાથ ધરી હતી. પોલીસની આ સ્પેશીયલ ડ્રાઇવ દરમિયાન દારૂ પીને છાકટા બનેલા અને નશો કરી ગાડી ચલાવતા શખ્સોની બ્રેથ એનાલાઈઝરથી ચેકિંગ કરી હતી. જેમાં પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના 130 કેસો અને નશો કરેલા 137 કેસો કરી 267 યુવકોની ધરપકડ કરી છે. જેમાં સૌથી વધારે ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો ઉત્રાણ, સચીન જીઆઇડીસી, ભેસ્તાન અને ડિંડોલી પોલીસે કર્યા હતા. જ્યારે નશો કરેલાની વાત કરીએ તો સૌથી વધારે કેસો પાંડેસરા, વરાછા અને સચીન જીઆઇડીસી પોલીસે કર્યા હતા. પોલીસે કર્યા હતા. જ્યારે નશો કરેલાની વાત કરીએ તો સૌથી વધારે કેસો પાંડેસરા, વરાછા અને સચીન જીઆઇડીસી પોલીસે કર્યા હતા.
પાણીની લાઈન તોડવા મુદ્દે તાકીદ કરાઈ:હવે સીટકોની બેદરકારી ખુલશે તો FIR સુધીના પગલા લેવાશે
સહારા દરવાજા પાસે સીટકોએ લાઇન તોડી નાંખતાં લાખો લોકો પાણીથી વંચિત રહ્યા હતા. આ મુદ્દે બુધવારે શાસકો-અધિકારીઓ જાગ્યા હતા અને મેયર અને મનપા કમિશનરની અધ્યક્ષતામાં સીટકો સાથે મીટીંગ યોજાઈ હતી, જેમાં હવે જો એમએમટીએચની કામગીરીને કારણે પાલિકાની લાઈનમાં ભંગાણ થશે તો પોલીસ ફરિયાદ કરાશે તેવી સ્પષ્ટ ચીમકી અપાઈ હતી. સીટકો અને પાલિકાની કો-ઓર્ડિેનેટ કમિટી બનાવાઈ છે. હવેથી જ્યારે પણ સીટકો ખોદકામ કરશે ત્યારે સીટકોની પીએમસી ટીમ પણ હાજર રહેશે. અત્યાર સુધી સીટકોના કોન્ટ્રાક્ટરો હાજર રહેતા હતા પરંતુ હવેથી પીએમસી ટીમ તેમજ પાલિકાના પ્રતિનિધિ હાજર રહેશે તેમજ સંકલન માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું છે. અને પીએમસી ટીમના પ્રતિનિધિને નોડલ ઓફિસર તરીકે નીમાયા છે. જેઓ કામગીરી અંગે જાણ કરશે.
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી.
2025 : ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ માટે કપરું વર્ષ રહ્યું
- ભાજપ સરકારની મલ્ટિ એલાયન્સ નીતિ સદંતર નિષ્ફળ ગઈ, બધાને ખુશ રાખવાના પ્રયાસમાં ભારતને ઘણું ગુમાવવું પડયું - પાકિસ્તાને તો આતંકી હુમલો કરાવવાની ફિતરત ચાલુ રાખી હતી. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશે પણ ભારતની અગ્નિપરિક્ષા કરી હતી. માત્ર ઘર આંગણે જ નહીં અમેરિકા, રશિયા, ઈરાન, કેનેડા અને બ્રિટન તથા ન્યૂઝિલેન્ડ જેવા દેશો સાથે પણ ભારતને ઘણા મોરચે જોડતોડ કરવાની ફરજ પડી હતી : ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને એકાએક ભારતથી વાંકુ પડયું છે. તેના કારણે પોતાના પહેલા કાર્યકાળમાં ભારતના ગુણગાન ગાતા અમેરિકી પ્રમુખ હવે બીજા કાર્યકાળમાં આકારપાણીએ થયા છે. તેમણે ભારત ઉપર રેસિપ્રોકલ ટેરિફ નાખી દીધા.
તરુણે આપઘાત કર્યો:નેપાળ રહેતી માતાએ મોબાઇલ લેવા ના પાડતા તરુણે પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
અમરોલી વિસ્તારમાં 16 વર્ષના નેપાળી તરૂણનો પાંચમાં માળની અગાસી પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. વતનમાં રહેતી માતાએ હાલ મોબાઈલ લેવાની ના પાડતા જે વાતનું માઠું લગાડી તરૂણે મોતને વ્હાલું કરી લીધુ હોવાનું હાલ સામે આવ્યું છે. નેપાળનો વતની 16 વર્ષીય જગતકવર નૂરબહાદુર કવર હાલમાં અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઉગમ ટેક્ષટાઇલ પાસેની રૂમમાં મિત્રો અને સંબંધી સાથે રહેતો હતો. તેનો પરિવાર વતન નેપાળમાં રહે છે. તે પોતે લુમ્સના ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જગતકવર મંગળવારે રાત્રે જમીને ઉગમ ટેક્ષટાઇલના પાંચમાં માળની અગાસી પર ગયો હતો અને મોબાઈલ પર પોતાની માતા સાથે વાત કરતો હતો. તેણે માતા સમક્ષ મોબાઈલ લેવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ માતાએ હાલ મોબાઈલ લેવાનો ઇન્કાર કર્યો હતો. જે વાતનું માઠું લગાડી આ તરુણે અગાસી પરથી નીચે ઝપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવમાં તરૂણનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે અમરોલી પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
ગરવી ગુજરાત દ્વારા અડાજણના આનંદમહલ રોડ ખાતે હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં આર્ટિસ્ટે પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કર્યું હતું. જેમાં એક્સેસરી, કપડાં, હોમ ડેકોરની વસ્તુઓ સામેલ હતી. પ્રદર્શનમાં 50થી પણ વધુ સ્ટોલધારકોએ હેન્ડમેડ પ્રોડક્ટ્સ વેચીને રોજગારી મેળવી રહ્યા છે. 50થી પણ વધુ સ્ટોલધારકોએ હેન્ડમેડ પ્રોડક્ટ્સ વેચીને રોજગારી મેળવી જૂટ પ્રોડક્ટસ : જ્યોતિ રાઠોડ દ્વારા ઈકો ફ્રેંડલી પ્રોડક્ટસ ડિસ્પ્લે કરાયા હતા. જે જૂટ અને ડબ ગ્રાસમાંથી બનાવામાં આવ્યા હતા. તેઓ 5 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય 35 બહેનો પણ આ કામમાં જોડાયેલી છે. એક પ્રોડક્ટ બનતા 2 દિવસ લાગે છે. જેની કિંમત રૂ.150 થી 550 સુધી હોય છે. પેઈન્ટિંગ : ફાલ્ગુની દેસાઈએ હેન્ડ પેઇન્ટેડ કપડા ડિસ્પ્લે કર્યા હતા. જેને એક્રેલિક કલર દ્વારા પેઇન્ટ કરવામાં આવ્યા હતા. જેની કિંમત રૂ.200થી 500 વચ્ચે હોય છે. તેઓ 2 વર્ષથી આ કામ કરી રહ્યા છે. એમના હુનરને જ એમણે બિઝનેસ બનાવ્યો છે. સાડીની પીન : હિનલ સરફ દ્વારા એક્સેસરી ડિસ્પ્લે કરાઇ હતી. જેમાં તેમણે જયપુરના ટ્રેડિશન આર્ટ સાડીની પિન રજુ કરી છે. આ સાથે તેમણે બ્રાસ જ્વેલરી પણ ડિસ્પ્લે કરી હતી. જેની કિંમત રૂ.200થી 2000 સુધી હોય છે. આ પ્રોડક્ટ્સ હેન્ડક્રાફ્ટેડ છે.
વાસણા જંકશન પર મોડી રાતે વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે રોડ પર પાઇપ ઉતરતા લોકોએ વિરોધ કર્યો હતો. સામાજિક અગ્રણીઓએ કોઈપણ બેરિકેડ કે બોર્ડ વિના 200 મીટર સુધી રોડ પર પાઇપ ઉતરતા વાહનચાલકો અટવાયા હોવાની ફરિયાદ સાથે કામગીરીનો વિરોધ કર્યો હતો. શહેરના વાસણા જંકશન પર મંગળવારે મોડી રાતે સ્થાનિક લોકોએ વીજ કંપનીની કામગીરીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક અગ્રણી વસીમ શેખે જણાવ્યું હતું કે, વાસણા જંકશન પર વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે 200 મીટર સુધી રોડ પર પાઇપ મૂકી હતી. જેના કારણે ત્યાંથી અવરજવર કરતાં વાહનચાલકો અટવાયા હતા. કોન્ટ્રાક્ટરે સ્થળ પર કોઈ બોર્ડ કે બેરિકેડ મૂક્યા વિના કામગીરી શરૂ કરી હતી. આ અંગે કોન્ટ્રાકરે પરવાનગી લીધી છે કે કે તે પૂછતાં તેને કોઈ ઉત્તર આપ્યો ન હતો. જો રાતે કોઈ ઇમરજન્સી સર્જાઇ હોત તો તેઓ પાઈપના કારણે રોડ પરથી અવરજવર કરી શક્યા ન હોત. જેથી આ અંગે બેદરકારી બદલ વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાઇપ મૂકવાના કારણે રાતે બે અકસ્માત સર્જાયા હતા. પાલિકાની પરવાનગી લઈ નિયમ મુજબ કામ કર્યું છેજેટકોના અધિકારી જણાવ્યું હતું કે ગોત્રીથી વાસણા તરફની 66 કે.વીની વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. દિવસે ટ્રાફિક થતો હોવાથી રાતે કામગીરી કરવામાં આવતી હતી. અમે પાલિકાની તમામ પરવાનગી લઈને નિયમ મુજબ કામગીરી કરતાં હતા.
ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત અને ‘શી ટીમ’ કતારગામ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બાળકોની સુરક્ષા અને કાયદાકીય જાગૃતિના હેતુથી સુમન હાઈસ્કૂલ -3, કતારગામ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ્ય સમાજમાં ‘પોક્સો એક્ટ’ અને વર્તમાન સમયમાં વધતા ‘સાયબર ક્રાઇમ’ સામે બાળકોનું રક્ષણ અને તેમનામાં જાગૃતિ લાવવાનો હતો. લિંકમાં કંઇ શંકાસ્પદ જણાય તો 1930 પર રિપોર્ટ કરવોસેમિનારમાં એડવોકેટ હેતા દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ સગીર બાળકો પણ ઓનલાઇન ગેમિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ ક્યારેય પણ માતા-પિતાના ફોનનો ઉપયોગ કરતી વખતે અજાણી લિંક કે અજાણી વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાતચીત ન કરવી જોઇએ. વોટ્સએપમાં આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવું જોઇએ અને અજાણી ફાઇલોને ઇન્સ્ટોલ ન કરવી જોઇએ. જો કંઇ શંકાસ્પદ જણાય તો 1930 પર રિપોર્ટ કરવો. પોક્સો એક્ટ અંગે કહ્યું કે બાળકો સામે થતા કોઈપણ પ્રકારના શારીરિક કે માનસિક શોષણ વિરુદ્ધ કાયદાકીય સહાય માટે વિશેષ કોર્ટની રચના કરાઇ છે. જેમાં બાળકોની ઓળખને સંપૂર્ણ પણે સુરક્ષિત રખાય છે.
મકરપુરાના યુવકને 3 યુવકે જાતિવિષયક શબ્દો બોલીને મારી નાંખવાની ધમકી આપતા યુવક ફિનાઇલ પીવાની ધમકી આપતો હતો. તેને મકરપુરા પોલીસ મથકે બોલાવી પોલીસે કહ્યું કે, ધમકી શું આપે છે? ફિનાઈલ પીને બતાવ. જેથી ફીનાઈલ પી લીધું હતું. જેને સયાજી હોસ્પિટલ લવાયો હતો. પોલીસે દારૂની મહેફિલ માણતા રાકેશ ચૌધરી, જયંત વાકોડે અને મિત્રોને પકડી પાડ્યા હતા. તેઓને શંકા હતી કે, તેમની બાતમી સંજય પરમારે આપી છે. તેઓએ સંજયને ધમકી આપતા સંજયે મંગળવારે રાત્રે મકરપુરા પોલીસ મથકે પહોચી ફિનાઇલ પી લીધું હતું. સારવાર બાદ તેને રજા અપાઇ છે. સંજયે ઉચ્ચ અધિકારીને મધ્ય રાત્રીએ મેસેજ કર્યા હતાસંજયે મધ્યરાત્રીએ 2 વાગ્યાના અરસામાં એડિશનલ પોલીસ કમિશર લીના પાટીલ, ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તા, સહિતના આઈપીએસ અધિકારીઓ સાથે મકરપુરા પોલીસ મથકના સેકેન્ડ પીઆઈ ગાયત્રી રાજપુત સાથે બીજા પીઆઈને પણ વોઈઝ મેસેજ, ટાઈપ કરેલી તેની અરજી અને વીડિયો મોકલ્યા હતા, જેમાં તે જણાવી રહ્યો હતો કે, તે ફિનાઈલ પી લેશે. જેથી પોલીસે તેને મધ્ય રાત્રીએ જ પોલીસ મથકમાં બોલાવ્યો હતો. પોલીસે કહ્યું કે તું ખાલી બોલે છે, ફિનાઈલ પીને બતાવશુક્રવારે યુવકો દારૂ પીધેલા પકડ્યા હતા. રવિવારે મને જાતિવિષયક બોલીને સુશેન પાસે માર માર્યો હતો. રાકેશ ચૌધરી અને તેના માણસો મને શોધી રહ્યા હતા. મંગળવારે પોલીસે મને બોલાવ્યો હતો. મને સાહેબે કહ્યું કે, તારી જાતિ છે તેના વિશે બોલે તો શું છે? એ તારી જાતિ છે. ફિનાઈલ લાવ્યો છે તો પીને બતાવ, તું ખાલી બોલે છે. એટલે મે પીધું. > સંજય પરમાર સંજય સામે અનેકવાર ચોરીની ફરિયાદ થઈ છેઆ વ્યક્તિએ બધા પોલીસ અધિકારીને મેસેજ કર્યા કે, ફિનાઈલ પી લઉં છું. રાત્રી ફરજમાં હાજર પોલીસ અધિકારીએ તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. તેણે પોલીસ મથકે ફિનાઈલ પીધું છે કહેતાં સયાજી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ વ્યક્તિની સામે ચોરીની અનેક ફરિયાદ નોંધાઈ છે. તે અવાર-નવાર એટ્રોસિટીની ફરિયાદ કરતો આવે છે. > પ્રણવ કટારીયા, એસીપી
3જીએ NMMS પરીક્ષા:ફોન કે સ્માર્ટ વોચ લાવનાર ધો. 8ના વિદ્યાર્થી સામે FIR કરાશે
3 જાન્યુઆરીએ ધો.8ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા લેવાશે. સુરતના 51 કેન્દ્રોના 432 બ્લોકમાં 12,722 વિદ્યાર્થીનોંધાયા છે. CCTVથી વોચ રખાશે. પરીક્ષા ખંડમાં ફોન, સ્માર્ટ વોચ સાથે પકડાય, તો સ્થળ સંચાલકે FIR નોંધાવવાની રહેશે. ગેરરીતિ અને શિક્ષાત્મક કાર્યવાહીનું કોષ્ટક
નોકરી ન્યૂઝ:જાપાનમાં NIMS ઇન્ટર્નશિપ કરવા 30મી જાન્યુ. સુધી અરજી કરી શકાશે
જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મટિરિયલ્સ સાયન્સ દ્વારા વર્ષ 2026 માટે પેઇડ ઇન્ટર્નશિપની જાહેરાત કરાઇ છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શોધન કાર્ય બદલ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવાશે. scholarshipscorner.website/nims-internship-japan પર 30 જાન્યુ.સુધી અરજી કરી શકાશે. વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ
માણેજા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાત્રિના સમયે ફેંકી દેવાયેલા ત્રણ થેલામાં મળ્યા હતા.જેમાં દારૂની 70 ખાલી બોટલો સાથે વડાપ્રધાન સિકયુરિટીના પોલીસ ડ્યુટી પાસ, પોલીસ ગણવેશની ત્રણ ટોપી અને બુટ મળી આવ્યા હતા. આ અંગે જાગૃત નાગરિકે 112 નંબર ઉપર જાણ કર્યાં બાદ યોગ્ય તપાસ નહીં કરાતાં મામલો ગૃહ મંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનરને વીડિયોના પુરાવા સહિત મોકલાયો છે. જાગૃત નાગરિક દ્વારા રાજ્યની ઇમરજન્સી સેવા 112 ઉપર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગુપ્ત માહિતી લીક થઈ હોવાથી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. જેમાં મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનના આઈ કાર્ડ અને ટોપી હોવાનું માનવામાં આવે છે. જાગૃત નાગરિક જિતેન્દ્ર પરમારને ગત 21મીએ મિત્ર દ્વારા જાણ થઈ હતી કે, જામ્બુઆ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જાહેર જગ્યામાં કોઈ ત્રણ થેલા ફેંકી ગયું છે.જેમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું લાગી રહ્યું છે. તપાસ કરતા થેલામાંથી દારૂની 70 ખાલી બોટલો અને વડાપ્રધાન સુરક્ષાના નવસારી પોલીસે આપેલા ફોટા અને નામ સહિતના ડ્યુટી પાસ,પોલીસ ગણવેશની બે ટોપી અને બુટ મળી આવ્યા હતા. તેમણે ઇમરજન્સી સેવા 112 ને ફોન કરતા નજીકની મકરપુર પોલીસની વાન આવી હતી.અને પોલીસ વિભાગને લાગતી સામગ્રી લઈને જતી રહી હતી. ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરી ન હતી. મહત્વની વાત એ છે કે 112 ને આપેલી માહિતી મકરપુરા પોલીસને કેવી રીતે જાણ થઈ અને મકરપુરા પોલીસ મથકેથી આવેલી પીસીઆરમાં એ જ જવાન આવ્યો હતો.જેના ઓળખપત્ર મળ્યા હતા. રહસ્યમય રીતે બીજા દિવસે આ સ્થળ ઉપરથી બોટલો પણ હટી ગઈ હતી. પરિણામે જાગૃત નાગરિકે આ મામલાની તપાસ માટે ગૃહ મંત્રી,ડીજીપી અને પોલીસ કમિશનરને ઇમેઇલ કરી માંગ કરી છે. પોલીસ પાસ ઉપર હિરેનકુમાર રાઠવા લખેલું હતું, મોબાઈલ નંબર પણ હતોગ્રાઉન્ડ પાસે થેલામાંથી દારૂની બોટલો સાથે વડાપ્રધાન પ્રોગ્રામના પોલીસ ડ્યુટી પાસ મળ્યા હતા. જેમાં હિરેનકુમાર રાઠવા લખેલું હતુ. મોબાઇલ નંબર 9328470885 હતો અને એલ.આર.ડીના ફોટા સાથેનું 22.2.24 સુધીની વેલિડિટી હતી. થેલામાંથી પોલીસની ટોપી અને બુટ પણ મળી આવ્યા હતા. મેં કચરામાં ડ્યુટી પાસ ફેંક્યા હતામેં નકામા ડ્યુટી પાસ કચરામાં ફેંક્યા હતા. તે જામ્બુઆ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે દારૂની ખાલી બોટલો સાથે થેલામાં કેવી રીતે પહોંચ્યા એની મને જાણ નથી. થેલામાંથી મળેલી પોલીસ ગણવેશની ટોપી અને બુટ મારા નથી. દારૂની ખાલી બોટલો કોઈ અન્ય ફેંકી ગયું હોઈ શકે. > હિરેન રાઠવા, એલ.આર.ડી જવાન
કુંડી યજ્ઞનું આયોજન કરાયું:મહારાજા ભગવતસિંહજી શાળામાં 21 કુંડી યજ્ઞ યોજાયો
મોટા વરાછા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા ભગવતસિંહજી શાળા ક્રમાંક 353 માં 31 ડિસેમ્બર નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય ઘનશ્યામ વાનાણીએ જણાવ્યું હતું કે નવી પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે ત્યારે જન્મદિવસની ઉજવણી સહિતની બાબતોમાં બાળકોમાં ઘણી બધી ગેર સમજો ઉભી થતી જાય છે ત્યારે આપણી મૂળભૂત સંસ્કૃતિ અને પરંપરાનો ખ્યાલ આવે તે હેતુથી દર મહિનાના છેલ્લા દિવસે યજ્ઞ કરવામાં આવે છે. મહિનામાં જે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવતો હોય તે વિદ્યાર્થી અને તેના માતા પિતાને યજ્ઞમાં બેસવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ડિસેમ્બરના અંતે 21 કુંડી યજ્ઞમાં 21 પરિવારોએ ભાગ લીધો હતો. સાથે સાથે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઘનશ્યામ વસાણી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ રક્તદાન કેમ્પમાં વાલીઓ અને શિક્ષકોના સહયોગથી 32 બોટલ રક્ત એકત્ર થયું હતું.
લબ્ધિભૂમિનો પ્રારંભ કરાયો:વેસુની 4 હજાર વારમાં બનેલી લબ્ધિભૂમિમાં 6000 કિલો ચંદનની પ્રવચન પીઠ બનાવાઇ
શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે ભૂમિનું નામ મોખરે રહ્યું છે એ લબ્ધિભૂમિનો 31 ડિસેમ્બરે પ્રારંભ કરાયો હતો. લબ્ધિભૂમિના જૈનાચાર્ય અજીતયશ સુરીશ્વરજી મહારાજે ઉદ્ઘાટન પર સંબોધન કરતા કહ્યું હતું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતીનો સંગ કરે છે ત્યારે એ લબ્ધિભૂમિ જેવી સુકૃત કરાવે છે. વેસુમાં નિર્માણ થયેલ લબ્ધિભૂમિ 4000 વાર જગ્યામાં સાત માળનું હજારથી વધારે ફૂટનું બાંધકામ કરાયું છે જેમાં સાધુ સંતો માટેનું ઉપાશ્રય, પ્રવચન હોલ, પ્રસંગોપાત ઉપયોગમાં લઈ શકાય તેવો બેંકવેટ હોલ અને જ્ઞાન ભંડાર, જૈન ધર્મને ઉજાગર કરતું પ્રદર્શન, આર્ટ ગેલેરી, લાઇબ્રેરી વગેરે મુખ્ય છે. શ્રાવક તુષાર મહેતા અને પરેશ દાઢીએ જણાવ્યું હતું કે સૌથી મહત્વની બાબત આચાર્યો માટે 6 ફૂટ લાંબી 10 ફૂટ પહોળી અને 5 ફૂટ ઊંડી સુધર્મા સ્વામી પ્રવચન પાટ 6000 કિલો ચંદનના લાકડામાંથી ઓરિસ્સાના કારીગરોએ તૈયાર કરી છે. આ પ્રસંગે જાપાન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, લંડન અને દુબઈથી ગુરૂ ભક્તો આવ્યા હતા. જૈનાચાર્ય અજીતયશસુરીશ્વરજી મહારાજની પ્રભાવક સાંજિધ્યતાનો તથા સંસ્કારયશસુરિશ્વરની માર્ગદર્શિતાથી તન, મન, જીવન, ધન સર્વસ્વ સમર્પિત કરી દેનારા ગુરુ ભક્તોના પરિશ્રમથી નિર્મિત થયેલી ચંદનની બેનમૂન પાટ , અતિ ભવ્યતમ મ્યુઝિયમ આર્ટ ગેલેરી જેવા ભવ્ય સ્થાપત્યોએ રોનકમાં અભિવૃધ્ધિ કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:દેશમાં 99 ટકા લોકો જીએસટી ભરે છે વડોદરા નંબર 1 પર છેઃ કર્મવીર સિંઘ
2017માં જ્યારે જીએસટી લાગૂ પડાયો ત્યારે તેમાં ઘણા પ્રશ્નો હતા, હવે એ જટિલતાઓ દૂર કરવામાં આવી છે. હાલમાં 99 ટકા લોકો જીએસટી ભરે છે, હવે જે સમસ્યાઓ છે તે એક ટકા કરદાતાઓની છે. જેમાંથી પણ અડધા જ ડિસપ્યૂટમાં જાય છે. અડધા ટકા લોકો જ ટેક્સ ચોરી કરે છે. સીજીએસટી-1ના પ્રિન્સિપાલ કમિશનર કર્મવીર સિંઘે જણાવ્યું હતું કે, કર ચૂકવવામાં વડોદરા નં-1 પર છે. સેન્ટ્રલ જીએસટીના પ્રિન્સિપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે જણાવ્યું હતું. જીએસટી વિભાગ દ્વારા વડોદરા ઝોનના ટ્રેડ એસોસિયેશનો સાથે આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 99 ટકા લોકો પોતાની જાતે ઇલેક્ટ્રોનિક સુવિધાઓનો ઉપયોગ કરીને જીએસટી ભરે છે. હાલમાં જીએસટી-2 દાખલ કરવામાં આવતાં હવે સ્ટ્રકચરને ખૂબ જ સરળ બનાવ્યું છે. જેના પગલે માત્ર વિવાદ ઓછા થયા છે. સંબંધિત લોકોનો ખર્ચ પણ ઘટ્યો છે, લોકોનો સમય પણ બચ્યો છે. અગાઉ 12 ટકા અને 18 ટકામાં કરદાતાઓમાં ઘણા વિવાદો થતા હતા. ટેક્નોલોજીને લીધે ડેટાથી જ જીએસટી અંગે થતી ચોરી વિશે જાણી શકાય છેમીડિયા સાથેની વાતચીતમાં સીજીએસટી-1ના પ્રિન્સિપાલ કમિશનર કર્મવીર સિંઘે જણાવ્યું કે , ટેક્સચોરી કરતા લોકોને શોધવા માટે ટેક્નોલોજી મોટા પ્રમાણમાં મદદરૂપ થઇ રહી છે. જે ડેટા વિભાગ પાસે આવે છે તેનું એનાલિસિસ કરતાં જ હવે તરત જાણ થઇ જાય છે કે, અહીં ટેક્સ ચોરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વડોદરા ઝોન નંબર.1 બન્યું છે, 2025માં માત્ર 2 મહિના સિવાય વડોદરા ઝોને સૌથી વધુ સીજીએસટી એકત્ર કર્યો છે.
ભીમનાથ બ્રિજ નજીક આવેલા મેદાનમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટી રાખવામાં આવી છે. જ્યાં માત્ર 500 મીટરથી પણ ઓછા અંતરે સયાજી હોસ્પિટલ, ડૉક્ટર આવાસ સાથે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આખો જેલ રોડ સાયલેન્સ ઝોનમાં છે. જેથી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રંજન ઐયરે સવાલ ઉઠાવ્યા છે. ભીમનાથ બ્રિજ પાસેના મેદાનમાં રાખેલી નવા વર્ષની પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો આવશે. મેદાનની પાસે સયાજી હોસ્પિટલનું વિશ્રાંતિ ગૃહ છે. જેને હાલમાં ગર્લ્સ હોસ્ટેલમાં પરિવર્તિત કરાયું છે. ડૉક્ટર આવાસના મકાનના 500 મીટરથી પણ ઓછા અંતરે સયાજી હોસ્પિટલ છે. ધ્વની પ્રદૂષણ બાબતે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે સવાલ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આખો જેલ રોડ સાયલેન્સ ઝોનમાં છે, જેલ રોડ તરફ સર્જીકલ સાથે અનેક વોર્ડ છે. વિદ્યાર્થિનીઓની પરીક્ષા પણ ચાલતી રહેતી હોય છે. હોસ્પિટલની પાસે પાર્ટી કેવી રીતે થઈ શકે? રાવપુરા પોલીસ મથકના કુલદીપ જાધવે જણાવ્યું હતું કે, અમારી પાસે મંજૂરી લેવા આવ્યા હતા, અમે સીપી ઓફિસમાં મોકલી આપી હતી. પાર્ટીના આયોજક અમીત પરીખે જણાવ્યું હતું કે, અમે હોસ્ટેલના રૂમ તપાસ્યા છે. હાલમાં કોઈ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં નથી. માત્ર થોડી જ વિદ્યાર્થિનીઓ હાજર છે.
સિટી કેલેન્ડર:વેપારનો ડિજિટલ ગ્રોથ, મહિલા હાફ મેરેથોન, AI કોન્કલેવ, પ્રોપર્ટી એક્સ્પો
જાન્યુઆરી-2026માં સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમો થશે. જે અંગેનું સિટી કેલેન્ડર નીચે પ્રમાણે છે. મારા કામના નંબરપાવર ફોલ્ટ માટે: પોલીસની મદદ મેળવવા: તબીબી કટોકટી માટે: અન્ય સેવાઓ:

29 C