પંચમહાલ SOGએ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પશુ સંરક્ષણ ધારા હેઠળ એક વર્ષથી ફરાર હતો
પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીની સંતરોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હતી. SOG ના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પીએસઆઈ બી.કે. ગોહિલ અને તેમની ટીમે સંતરોડ ખાતે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન, એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઈદ્રીશ મજીદ રહીમ ઝડપાઈ ગયો હતો. SOG ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરવા (હ) પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે
Iran to Ensure Safe Passage for Indian Ships in Hormuz : પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માંથી ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે રૉયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાને મંજૂરી આપ્યા બાદ હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં, બાજરી વિકાસ યોજના હેઠળ પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા સ્તરે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. આજ સુધીમાં, પંચમહાલ જિલ્લામાં 200,000 થી વધુ ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવી છે. કુલ ₹81,931.92 લાખની સહાય 21 હપ્તાઓ દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 22મો હપ્તો જારી કરવાની જાહેરાત કરી, જેનો લાભ જિલ્લાના 195,076 લાભાર્થીઓને મળશે, જેના પરિણામે કુલ ₹3,968.00 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન, વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ જિલ્લામાં કરોડો રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. AGR-50 યોજના હેઠળ, નવા ટ્રેક્ટર ખરીદવા માટે 1,371 લાભાર્થીઓને ₹1,371.00 લાખની સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ, 161 વેરહાઉસના નિર્માણ માટે ₹161.00 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જ્યારે વાયર ફેન્સિંગ યોજના હેઠળ, 77 લાભાર્થીઓને ₹112.00 લાખનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સ્માર્ટફોન, સૌર ઉર્જા એકમો અને કૃષિ સાધનો મેળવવા માટે પણ સહાય આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં નવીન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે, NMEO યોજના હેઠળ 1,500 થી વધુ ખેડૂતોને સોયાબીન અને એરંડાના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાજરીના પાકના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું સંચાલન કરવામાં મદદ કરે છે. રાજ્ય સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો અને કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે.
ગીર સોમનાથમાં LPG વિતરણ માટે પોલીસ સતર્ક:કાળાબજારી રોકવા ડિસ્ટ્રીબ્યુટરો સાથે બેઠક યોજાઈ
ગીર સોમનાથ જિલ્લામાં LPG ગેસના સુચારુ વિતરણ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના LPG ગેસ ડિસ્ટ્રીબ્યુટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ સિલિન્ડરની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસે LPG ગેસની કાળાબજારી, ગેરકાયદે સંગ્રહખોરી અને અનિયમિત વિતરણ જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ડિસ્ટ્રીબ્યુટરોને ગેસ વિતરણમાં પારદર્શિતા અને નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ ગેરરીતિ કે કાળાબજારી સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. LPG વિતરણ એજન્સીઓ ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ ડિસ્ટ્રીબ્યુટરોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ સાથે સતત સંકલન રાખવાની સૂચના પણ અપાઈ હતી. બેઠક દરમિયાન, ડિસ્ટ્રીબ્યુટરોએ પુરવઠા વ્યવસ્થાને સરળ બનાવવા અને ગ્રાહકોને સમયસર LPG ગેસ ઉપલબ્ધ કરાવવા પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ તંત્રના આ પગલાંથી જિલ્લામાં LPG ગેસના વિતરણમાં પારદર્શિતા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા હતા, ત્યારે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયેલા સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિત ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર મનપા કમિશનર એમ. નાગરાજ દ્વારા રદ કરવામાં આવવાનો હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ નિર્ણયને પગલે મનપાના વિવિધ વિભાગોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપાઈ હતીમળતી માહિતી મુજબ, સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળવી રાખવા માટે મનપા દ્વારા 8થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ થીમ આધારિત સફાઈ ઝુંબેશ નક્કી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના ભાગળ વિસ્તારમાં આવેલી વેજીટેબલ માર્કેટ અને તેની આસપાસના વિસ્તારોમાં 'માર્કેટ ક્લીનલીનેસ' થીમ હેઠળ સફાઈ કામગીરી સોંપવામાં આવી હતી. આ વિસ્તારની જવાબદારી નાયબ આરોગ્ય અધિકારી ડો. અજિતકુમાર પ્રવિણચંદ્ર ભટ્ટના શિરે હતી. કમિશનરની તપાસમાં ગંદકી જોવા મળી હતીમનપા કમિશનર એમ. નાગરાજ વહેલી સવારે 8 વાગ્યે કોઈ પણ પૂર્વ સૂચના વગર ભાગળ વિસ્તારમાં આકસ્મિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. કમિશનર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને આયોજન મુજબની સફાઈ કામગીરી ક્યાંય નજરે પડતી નહોતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, જે અધિકારીએ આખી કામગીરીનું સુપરવિઝન કરવાનું હતું તે ડો. અજિત ભટ્ટ પોતે જ સ્થળ પર ગેરહાજર હતા. ગેર હાજરીને લઈ કમિશનરે સસ્પેન્ડનો આદેશ આપ્યો હતોઅગાઉથી થીમ અને સ્થળ નક્કી હોવા છતાં જવાબદાર અધિકારીની ગેરહાજરી અને ફરજ પ્રત્યેની આ ઘોર બેદરકારી જોઈને કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સ્થળ પરથી જ આદેશ આપીને ડો. અજિત ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ જાહેર કર્યો હતો. ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદસસ્પેન્શનની આ ઘટનાને હજુ પૂરો એક મહિનો પણ થયો નથી, ત્યાં કમિશનરે અચાનક નરમ વલણ દાખવીને ડો. ભટ્ટનો સસ્પેન્શન ઓર્ડર રદ કરી તેમને પુનઃ ફરજ પર લેવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મામલે જ્યારે મધ્યમ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચા જાગી છે. અધિકારીએ ભૂલ સુધારવાની તક માગ્યાની ચર્ચાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડો. અજિત ભટ્ટ દ્વારા પોતાની ભૂલ સ્વીકારીને લેખિતમાં માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ખાતરી આપી છે કે, ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની શિસ્તભંગની ઘટના કે ફરજમાં બેદરકારી નહિ દાખવે. માનવીય અભિગમ અને અધિકારીને પોતાની ભૂલ સુધારવાની એક તક આપવાના હેતુથી તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
બોટાદમાં ગૌ સેવાના લાભાર્થે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સનાતન હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 15 માર્ચ, 2026, રવિવારના રોજ સવારે 10:00 કલાકે હેલીપેડ ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્રિકોણી ખોડિયાર પાસે યોજાશે. આ પ્રીમિયર લીગમાં કુલ 9 ટીમના 108 સનાતની હિન્દુ ખેલાડીઓ ભાગ લેશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મની રક્ષા અને સર્વ જ્ઞાતિના લોકોમાં એકતા વધારવાનો છે. આ પ્રીમિયર લીગમાં રાજકીય આગેવાનો, પત્રકારો અને સાધુ-સંતો સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓને આ રસાકસીભર્યા મુકાબલા નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં ગાજેલા 21 લાખના લાંચ પ્રકરણમાં એસીબીના છટકા દરમિયાન લાંચની રકમ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયેલા આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 12માં એડિશનલ સેશન્સ જજ કમલેશ પ્રજાપતિએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તે જામીન મેળવવાને લાયક નથી. 'જામીન આપવા જોખમી, સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે'આરોપી પરવાના પઠાણની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત કડક અવલોકનો કર્યા હતા. જજ કમલેશ પ્રજાપતિએ નોંધ્યું હતું કે, આરોપી સામે અગાઉથી જ 6 ગુનાઓ નોંધાયેલા છે. જો આવા સંજોગોમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે કેસના પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી ડરાવી શકે છે. આથી, તપાસના હિતમાં આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં. ઇજનેરનો 'ખાસ' બની 21 લાખનો સોદો કર્યોઆ કેસમાં ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. લીંબાયત ઝોનમાં ફરિયાદીના ઇન્ડસ્ટ્રિયલ યુનિટનું ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે તેણે વચેટિયા તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ફરિયાદીને એવું કહીને ડરાવ્યા હતા કે તે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાનો અત્યંત નજીકનો માણસ છે. આ વગનો ઉપયોગ કરીને તેણે બાંધકામ ન તોડવા માટે 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને ભ્રષ્ટાચારના આ નેટવર્કનું સંચાલન કર્યું હતું. ACB ટ્રેપમાં 4 લાખ લઈને ફરાર, ઇજનેર જેલમાંગત 13 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે એસીબીએ છટકું ગોઠવ્યું, ત્યારે પરવાના પઠાણ લાંચના હપ્તા પેટે 4 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં તે એસીબીના અધિકારીઓને થાપ આપીને રોકડ રકમ સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ હાલ જેલમાં છે, જ્યારે લાંચની રકમ લઈને ભાગનાર પરવાના હજુ પોલીસ પકડથી દૂર છે. સરકારી વકીલની દલીલ- 'આરોપી રીઢો ગુનેગાર છે'સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આગોતરા જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીએ સરકારી અધિકારીના નામે લાંચ માંગી છે અને ટ્રેપ દરમિયાન નાસી છૂટીને કાયદાનો અનાદર કર્યો છે. તેની સામે નોંધાયેલા અન્ય 6 ગુનાઓ તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેનાથી આરોપી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે.
સુરતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ફરજ બજાવતા એક મહિલા આસિસ્ટન્ટ મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરને ડરાવી-ધમકાવી ગેરકાયદે કામો કરાવવા માટે દબાણ કરતા એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મહિલા અધિકારીને ધમકી આપી હતી કે તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ. એટલું જ નહીં, આરોપીએ એસીબીના અધિકારીઓ સાથે પોતાના ઘરોબા હોવાનો દાવો કરી મહિલા ઇન્સ્પેક્ટર પર માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અડાજણ પોલીસે આરોપી એજન્ટ ની ધરપકડ કરી. શું છે સમગ્ર ઘટના?આ મામલે ફરિયાદી કોમલબેન રામજીભાઈ મકવાણા, જેઓ સુરત પાલ RTO કચેરી ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત અઢી મહિના પહેલા થઈ હતી. કોમલબેન પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કચેરીમાં એજન્ટ તરીકે આવતા જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ નામના શખ્સે તેમના કામમાં રૂકાવટ ઉભી કરવાનું શરૂ કર્યું હતું. આરોપી અવારનવાર ડ્રાઈવિંગ સ્કૂલના કામો માટે કચેરીમાં આવતો હતો અને અધિકારીઓ પર અયોગ્ય દબાણ કરતો હતો. તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશુંફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જગદીશ ઉર્ફે જગો અવારનવાર કોમલબેનને કહેતો હતો કે, અમારું કામ કોઈ પણ RTO કચેરીમાં અટકતું નથી, તમારી પાસે જે કામ લઈને આવું ત્યારે તમે ટેબલ પર મૂકી દો, અમે જોઈ લેશું. જ્યારે મહિલા અધિકારીએ નિયમ મુજબ જ કામ કરવાનો આગ્રહ રાખ્યો, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કચેરીમાં જ ગેરવર્તણૂક કરી દબાણ પૂર્વક ગેરકાયદે કામો કરાવવા માટે ધાક-ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ACB ના પી.આઈ. મિત્ર હોવાનો ખોટો પ્રભાવ અને માનસિક ત્રાસઆ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીએ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના નામે અધિકારીને ડરાવવાનો પ્રયાસ કર્યો. જગદીશે અન્ય વ્યક્તિ મારફતે મેસેજ મોકલાવ્યો હતો કે સુરત એસીબીના પી.આઈ. તેના અંગત મિત્ર છે અને તેઓ ફરિયાદી વિશે પૂછપરછ કરી રહ્યા છે. આરોપીએ એવો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો કે જો મહિલા ઇન્સ્પેક્ટર તેનું કામ નહીં કરે, તો તે એસીબીના અધિકારીઓ દ્વારા તેમને ફસાવી દેશે. આ પ્રકારના મેસેજ મોકલી આરોપીએ અધિકારીને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. હું તમને જોઈ લઈશની ખુલ્લી ધમકીઘટનાની વિગત મુજબ, ગત તા. 2 ફેબ્રુઆરી 2026 ના રોજ જ્યારે કોમલબેન ફરજ પર ટ્રેક વેરિફિકેશનની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જગદીશ પટેલે ત્યાં આવીને જાહેરમાં ધમકી આપી હતી કે, તમે મારું કામ કરતા નથી, હું તમને જોઈ લઈશ. આ પ્રકારની વર્તણૂકથી મહિલા અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી થઈ હતી. આરોપીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે સરકારી કામમાં અડચણ ઉભી કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નહોતો. વોટ્સએપ મેસેજ અને વચેટિયાઓનો ઉપયોગ કરી પજવણીઆરોપી જગદીશ સીધો સંપર્ક કરવાને બદલે કલ્પેશભાઈ કેસુર નામના વ્યક્તિના મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલી ફરિયાદીને ધમકાવતો હતો. તેણે મેસેજમાં લખાવ્યું હતું કે, કોમલ મેડમને કહેજો કે સવારના 9 થી 10 માં મારા નંબર પર વોટ્સએપ કોલ કરે. આ મેસેજ દ્વારા તે પોતાની વગ બતાવી મહિલા અધિકારીને દબાવવા માંગતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાન્યુઆરી 2026 થી સતત આ પ્રકારે મેસેજ કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આરોપીનો ગુનાહિત રોલ અને પોલીસ કાર્યવાહીઆરોપી જગદીશ ઉર્ફે જગો બાબુભાઈ પટેલ (રહે. ફિક્કલ એવન્યુ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ) વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, ધાક-ધમકી અને માનસિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે ધરપકડ કરાઈ છે.એફઆઈઆરમાં સ્પષ્ટ છે કે આરોપી આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને પોતાની ઓળખનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતો હતો. આરોપીએ પોલીસ અધિકારીઓના નામનો દુરુપયોગ કરી જે રીતે મહિલા અધિકારીને ટાર્ગેટ કર્યા છે, તે બાબતને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે.
શહેરના જગતપુર વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો નામના ફ્લેટમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવા અંગેની બાતમી PCBની ટીમને મળી હતી. જેના આધારે દરોડો પાડીને જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બોલાવતો હતો અને દરેક જુગારી તેને 500 આપતો હતો. જે આરોપી જુગારમાં પૈસા હારી જાય તો તે પોતાના મોબાઈલ ફોન અને ગાડીઓ પણ ગીરવે મૂકતા હોવાથી લઈને આવતા હતા. પોલીસે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોPCB ટીમને બાતમી મળી હતી કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ સેવીય સ્ટુડીયો બ્લોક A/705માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે PCB ટીમના મહાવીરથી અને ધર્મેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પાંચ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા તેમની પાસેથી અંગજડતી તથા દાવના નાણા મળી કુલ્લે રોકડા રૂ.63,100, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.60,000, ફોર વ્હીલર-2 કિ.રુ.24,00,000 સહિતનો કુલ 25 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગાર રમતા પાંચ લોકોને ઝડપી પાડ્યાપોલીસે મકાન માલિક વિસ્મય તારેશભાઇ પંડયા રહે.બ્લોક A/705, સેવીય સ્ટુડીયો ગોદરેજ ગાર્ડન સિટી રોડ પાસે જગતપુર, પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ રહે.211,સત્વ હોમ્સ 02 આશ્રય 10 ફલેટની બાજુમાં ન્યુ રાણીપ, રમેશભાઇ ઘનશ્યામભાઇ દલવાડી રહે.D/501,આશ્રય 10 ખોડીયાર માતાના મંદિર બાજુમાં, ન્યુ રાણીપ, ભાવીન પ્રવીણભાઇ પટેલ રહે.B -502, ગણેશ સોપાન ફલેટ, ન્યુ રાણીપ, વાલજીભાઇ રામજીભાઇ ટાંક રહે.B/406, વીકટોરી સન રાઇઝ વિશ્વાસ સીટી 7ની સામે ન્યુ ગોતાની ધરપકડ કરી હતી. મોંઘીદાટ કિંમતની વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળનું વેચાણશહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી ક્વીક સ્ટોરમાં મોંઘીદાટ કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હતી. કંપનીના અધિકારીને માહિતી મળતા તેમણે તપાસ કરાવી હતી. જેમાં ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હોવાનું જાણવા મળતા સોલા પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસે કંપનીના વ્યક્તિને સાથે રાખીને આ દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધ્યોવંદે માતરમ રોડ પર ક્વીક સ્ટોર નામની દુકાનમાંથી વેપારી મૌલિક અશ્વિનભાઇ પારેખ (રહે. ઋતુરાજ સોસા., ચાંદલોડિયા) પાસેથી વિવિધ કંપનીની વિવિધ ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી હતી. પોલીસે વેપારી મૌલિક પારેખની દુકાનમાંથી કુલ 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વેપારી મૌલિક આ તમામ ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો મુંબઇથી લાવીને રૂ. 500 થી માંડીને બે-ત્રણ હજારમાં વેચતો હોવાનું સામે આવ્યુ છે.
જોરાવરનગર પોલીસ સ્ટેશનના નવા થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સમાજ સેવકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આઈપીએસ અધિકારી તરીકે તાલીમ બાદ તેમની સીધી નિમણૂક થઈ છે. આ પ્રસંગે આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રાફિક તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જાણીતા સમાજ સેવકો દુષ્યંતભાઈ આચાર્ય, મહેશભાઈ મેટાલિયા, રવિરાજસિંહ ઝાલા, નવીનભાઈ લકુમ, પૂર્વ સદસ્ય પતિ નિખિલભાઈ ચાંપાનેરી અને લઘુમતી મોર્ચાના અલ્તાફભાઈ ચકાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ પાલિકાને PGVCLની નોટિસ:₹1.55 કરોડનું વીજ બિલ બાકી, કડક કાર્યવાહીની તૈયારી
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ₹1.55 કરોડના બાકી વીજ બિલની ચુકવણી ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. PGVCL દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પર પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ ₹155.93 લાખ (₹1.55 કરોડ)ની રકમ બાકી છે. જો આ બિલની સમયસર ચુકવણી નહીં થાય અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે, તો શહેરના લોકોને પાણી પુરવઠા અને સ્ટ્રીટલાઈટ જેવી આવશ્યક સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે.PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.તેમણે ઉમેર્યું હતું કે, આટલી રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, વીજ કંપનીને હવે કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક બહાર યુવકને વાતોમાં ફસાવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખ ચોરી કરાયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ બે શખસો યુવક પાસે આવ્યાપોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માંજલપુરના શિવનગર રઝા મસ્જિદ પાસે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ (ઉ.વ. 30) તા. 13 માર્ચના રોજ બપોરે અંદાજે 12 થી 12:20 વાગ્યા દરમિયાન મકરપુરા GIDC વિસ્તારમાં ભુમિ બેકરી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંકમાંથી રૂપિયા બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યા હતા. બંને શખસો થેલીમાંથી બે લાખની રકમ કાઢી લઈ ફરારબન્ને શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી તેમને વાતોમાં ફસાવી બેંકની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ એક શખસે ફરિયાદીની પૈસા ભરેલી થેલીમાં રૂમાલમાં બાંધેલું બંડલ મૂકી દીધું અને ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા બે લાખની રકમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પછી ફરિયાદી ઘરે પહોંચ્યા બાદ બંડલ તપાસતા પહેલી અને છેલ્લી નોટ સાચી નીકળી હતી. જ્યારે વચ્ચેની બધી નોટોની જગ્યાએ કાગળ મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે ગઠિયાઓએ ચતુરાઈપૂર્વક રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જાણકારી આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચોમાસુ સત્રમાં આ બિલ મૂકવાની વાત થઈ હતી, પરંતુ સત્ર માત્ર બે દિવસ ચાલ્યું હોવાથી બિલ મુકી શકાય નહોતું. વળી અરજદારે જણાવ્યું હતું કે, કલેકટર દ્વારા ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધનું જાહેરનામું 60 દિવસ જ અસ્તિત્વ ધરાવતું હોવાથી તે જાહેરનામું નિષ્ક્રિય થતા જ ગ્લુ ટ્રેપનું વેચાણ બજારમાં થઈ રહ્યું છે. પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો હતોઅગાઉ આ મુદ્દે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાણીઓ પરની ક્રુરતાનો કાયદો કેન્દ્ર સરકારનો છે અ્ને સમવર્તી યાદીમાં હોવાથી તેથી રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છે. જે માટે સંબંધિત વિભાગોની એક બેઠક મળી હતી. જેમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણને BNSની ધારા-325 હેઠળ ગુનો ગણવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા લેજીસ્લેટિવ અને પાર્લામેન્ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિધાનસભામાં નવું સંશોધન અમલી બની શકે. હાઇકોર્ટે કહ્યું કે તેનું કામ સરકારને સલાહ આપવાનું નથીપાર્લામેન્ટ્રી વિભાગ દ્વારા કેટલાક સુધારા કરવા પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો. જેથી તેમને કેટલોક સમય આપવામાં આવે. અરજદારે જણાવ્યું હતું કે વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર પૂર્ણ થયું છે. જેમાં સુધારો મૂકી શકાયો નથી. હવે વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળશે અથવા સરકાર વટહુકમ લાવીને તેમાં સુધારો કરી શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તેનું કામ સરકારને સલાહ આપવાનું નથી. ઓથોરિટી હાઇકોર્ટના નિર્દેશ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે. ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 5 સપ્ટેમ્બર, 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં કુલ 394 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈઆ ચૂંટણી 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમ વખત યોજાનાર હોવાથી રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પાર પડે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. સાથે સાથે મતદાર યાદી સુધારણા, વોર્ડ ગોઠવણી અને તંત્રકીય તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી છે. ઉમેદવારોની પસંગી પ્રક્રિયામાં યુવા નેતાઓને તક આપવા પર ભારઆગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓને મુખ્ય મુદ્દા બનાવી પ્રચાર કરવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે. કોંગ્રેસે પણ ઉમેદવારો પસંદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. જિલ્લા અને શહેર સ્તરે દાવેદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને યુવા નેતાઓને તક આપવા પર પણ ભાર મૂકાઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ તેજઆમ આદમી પાર્ટી પણ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે ગઠબંધન ન બને તો તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે ઉમેદવારો ઊભા કરવાની તૈયારી પણ પાર્ટી દર્શાવી રહી છે. સ્થાનિક ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોની બેઠકો, ઉમેદવાર પસંદગી અને પ્રચાર વ્યૂહરચનાઓને કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 'સાયબર સુરક્ષા જાગૃતિ' વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ લાવવાનો આ સેમિનારનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ અત્યંત જરૂરી છે અને વિદ્યાર્થીઓએ ટેક્નોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સેમિનારમાં નિષ્ણાત તરીકે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ વિભાગના પ્રો. કશ્યપ જોશી, વેરાવળ શહેર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.પી. પ્રજાપતિ અને વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રો. પ્રકાશ ખસોર (ઓનલાઈન માધ્યમ દ્વારા) જોડાયા હતા. નિષ્ણાતોએ તેમના વ્યાખ્યાનોમાં ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઈમ, ઓનલાઈન ઠગાઈ, ફિશિંગ, નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે મજબૂત પાસવર્ડનો ઉપયોગ, OTP શેર ન કરવો, શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવું અને સત્તાવાર વેબસાઇટ્સનો જ ઉપયોગ કરવો જેવી મહત્વપૂર્ણ સુરક્ષા બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પોલીસ વિભાગના પ્રતિનિધિએ સાયબર ગુનાની ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને કાયદાકીય કાર્યવાહી અંગે માહિતી આપી હતી. આ સેમિનારથી વિદ્યાર્થીઓ અને સંશોધક વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃતિ આવી. કાર્યક્રમના અંતે નરેન્દ્ર કુમાર પંડ્યાએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે સાંજે વલસાડ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અગ્રણીઓ, સરપંચો અને પાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશન પર સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજે 6.30 કલાકે તેમણે જિલ્લા સંગઠન, સાંસદ, ધારાસભ્યો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જગદીશ પંચાલના આવતીકાલના કાર્યક્રમોમાં સવારે 9:00 કલાકે ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશનની મુલાકાત અને દર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ ધરમપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ ને સંબોધશે. જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષના આ પ્રવાસથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુથ સ્તર સુધી સંગઠન વધુ મજબૂત બનશે.
શહેરમાં સાયબર ઠગાઈ અને ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને વિદ્યાર્થીઓને નિશાન બનાવતા ગઠિયાઓ હોય કે ઓળખાણના નામે ઇમરજન્સી કહી પૈસા માંગતા ઠગ નવા નવા ઉપાયો દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં બે અલગ-અલગ ઠગાઈની ઘટનાઓ સામે આવી છે. જેમાં દાણીલીમડામાં શેર બજારમાં રોકાણથી નફાની લાલચ આપી વિદ્યાર્થી પાસેથી 1.27 લાખ પડાવ્યા છે. તો કાગડાપીઠમાં પડોશીના નામે ગઠિયાએ વૃદ્ધ વેપારીને ફોન કરીને ઇમરજન્સી હોવાનું કહી 25 હજાર પડાવ્યા હતા. બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 20 ટકા કમિશન સાથે સારા નફા સાથે રોકાણ કરવા કહ્યુંદાણીલીમડા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયાના નફાની લાલચ આપી 1.27 લાખની ઠગાઈ આચરી છે. દાણીલીમડામાં રહેતા અને અભ્યાસ કરતા મયંક પિત્રોડાને 9 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાનું નામ જય પટેલ જણાવ્યું હતું અને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાયબર ગઠિયાએ મયંકને જણાવ્યું હતું કે, તેના જાણીતા બ્રોકર ટ્રેડિંગ કરાવીને વધુ નફો કરાવી આપશે, જેમાંથી માત્ર 20 ટકા કમિશન આપવું પડશે. નફો બતાવી વધુ રોકાણ કરાવ્યુંજે બાદ વિશ્વાસમાં લઈ ગઠિયાએ મયંકને બીજા એક નંબર પર સંપર્ક કરવા કહ્યું હતું. તે બાદ રાજુ નામનો બ્રોકર ગણાવતા વ્યક્તિએ એક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું. શરૂઆતમાં થોડું રોકાણ કરાવતા મયંકને નફો બતાવવામાં આવ્યો હતો, જેથી તેનો વિશ્વાસ વધ્યો હતો. મયંકે કુલ 1.27 લાખનું રોકાણ કર્યું હતું. થોડા સમય પછી ગઠિયાઓએ મયંકને સ્ક્રીનશોટ મોકલી જણાવ્યું હતું કે, તેના ખાતામાં 9.25 લાખનો નફો થયો છે. પરંતુ જ્યારે મયંકે નફો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું ત્યારે ગઠિયાઓ બહાના કરવા લાગ્યા. થોડા સમય બાદ તેમના ફોન પણ બંધ આવવા લાગ્યા, જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઠિયાએ પાડોશીના નામે 25 હજાર પડાવ્યાંમેમનગર વિસ્તારમાં રહેતા 73 વર્ષીય જગજીતરાય બગ્ગા માર્કેટમાં ઓફિસ ધરાવી વેપાર કરે છે. 15 ફેબ્રુઆરીના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને તેમના પાડોશી હેમંતભાઈ હોવાનું જણાવ્યું હતું. ગઠિયાએ ઇમરજન્સી હોવાનું કહી 25 હજારની જરૂર હોવાનું જણાવ્યું અને બીજા દિવસે પરત આપી દેવાની ખાતરી આપી હતી. ઓળખાણના વિશ્વાસે જગજીતરાય બગ્ગાએ આપેલા નંબર પર 25 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. પડોશી જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે પૈસા વિશે પૂછતા પાડોશીએ એવો કોઈ ફોન ન કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીને ફ્રોડ થયું હોવાનું સામે આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં જન આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે પોલીસ તંત્રે સખત વલણ અપનાવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે વેરાવળના વખરીયા બજાર વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ પર અચાનક દરોડા પાડતા વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર SOGની ટીમે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વખરીયા બજારમાં આવેલી સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર દરોડો પાડ્યો હતો. ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકાને આધારે ટીમે દુકાનમાં રાખેલા વિવિધ તેલના જથ્થાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓએ તેલના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેલમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં. જો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી બજારમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અંગે મળતી બાતમીને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે. વેરાવળ શહેરના વેપારી વિસ્તારમાં થયેલી આ અચાનક કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસ અને ફૂડ વિભાગ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ કાર્યવાહીને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કારણ કે બજારમાં વેચાતા ખાદ્ય તેલની ગુણવત્તા અંગે લોકોમાં છેલ્લા કેટલાક સમયથી શંકા વ્યક્ત થતી હતી. હવે લેબ રિપોર્ટ બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ બનશે.
કહેવાય છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ મુશ્કેલીના સમયે નાગરિકોની સાચી સાથી પણ બને છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઈન્ફોસિટી પોલીસની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે એક યુવતીની કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત રીતે પરત મળી છે. ગાંધીનગરના સરગાસણ સ્થિત સ્વાગત હોલીડે મોલમાં એક યુવતી પોતાની બેગ ભૂલી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પીઆઈ. વી.આર. ખેરની ટીમે ત્વરિત તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની PCR ટીમ એક્શનમાં આવી હતી. ત્યારે બેગની તપાસ દરમિયાન ટીમને તેમાંથી માલિકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. બેગમાં સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીનું બ્રેસલેટ અને 2200 રૂપિયા રોકડા હતા. આ કાર્ડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી માલિકનો સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર તપાસમાં પો.કો. ચેહરાજી હેમતુજી હે.કો. વિક્રમસિંહ બલવંતસિંહએ પાયાની ભૂમિકા ભજવી હતી. તેમણે બેગમાં રહેલી તમામ વસ્તુઓની યોગ્ય ખાતરી કરી મૂળ માલિકને બોલાવી તમામ સામાન સુપરત કર્યો હતો. ત્યારે પોતાના કિંમતી ઘરેણાં પરત મેળવી માલિકે ગદગદિત થઈ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.
વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પારદર્શકતા માટે રિયલ ટાઈમ ડેટાની માગઆમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌથી મહત્વની માંગણી ગેસ વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાની છે. ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ગેસ એજન્સીઓને દરરોજ કેટલી બોટલોનો જથ્થો ફાળવવામાં આવે છે, તેમાંથી કેટલા બુકિંગ કન્ફર્મ થયા છે અને વાસ્તવમાં કેટલા ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું છે, તેના આંકડા પળેપળ ઓનલાઈન અપડેટ થવા જોઈએ. પક્ષનું માનવું છે કે, જો આ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હશે, તો એજન્સીઓ દ્વારા કરવામાં આવતી સંભવિત ગેરરીતિઓ પર લગામ લગાવી શકાશે. ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે સ્ટોક હોવા છતાં તેમને ના પાડી શકાય નહીં. ઇમરજન્સી હેલ્પલાઈન અને કડક દંડની જોગવાઈગેસ પુરવઠામાં ક્યાંય પણ વિસંગતતા જણાય અથવા કોઈ એજન્સી કે ડિલર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય, તો તેની તાત્કાલિક ફરિયાદ કરવા માટે એક સમર્પિત ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ધર્મેશ ભંડેરીએ ચેતવણી આપતા કહ્યું કે, માત્ર હેલ્પલાઈન શરૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તેના પર આવતી ફરિયાદોનો નિકાલ 24 કલાકમાં થવો જોઈએ. જે લોકો રાષ્ટ્રીય સંકટના સમયે ગેસની કાળાબજારી કરી સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરે છે, તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને મસમોટો દંડ ફટકારીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. દિવ્યાંગો-વૃદ્ધોને લાઈનમાં ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરવા માગઆ આવેદનપત્રમાં માનવીય અભિગમ દાખવીને કેટલીક વિશેષ શ્રેણીઓ માટે પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલોમાં દર્દીઓના ભોજન અને અન્ય સેવાઓ માટે ગેસની અછત ન સર્જાય, તેમજ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને સદાવ્રતોમાં ગેસનો પુરવઠો અવિરત રહેવો જોઈએ. દિવ્યાંગ વ્યક્તિઓ, એકલા રહેતા વૃદ્ધો અને એકલી રહેતી મહિલાઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે અથવા તેમને વિતરણમાં પ્રથમ પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરાઈ છે. લાગવગ પણ બંધ કરાવવા માગધર્મેશ ભંડેરીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે જોયું છે કે લાગવગ ધરાવતા લોકોને હોસ્પિટલના બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી મળી જતા હતા, જ્યારે સામાન્ય લોકો રસ્તા પર દમ તોડી રહ્યા હતા. નોટબંધી સમયે પણ સામાન્ય માણસ લાઈનમાં ઉભો રહ્યો હતો અને લાગવગવાળા લોકો પાછલા બારણેથી નાણાં બદલાવી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગેસ વિતરણમાં પણ આવી જ ભ્રષ્ટ પ્રથા ન સર્જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જો અત્યારથી જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો વચેટીયાઓ અને મળતિયાઓ સક્રિય થઈ જશે અને ગરીબ માણસના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ થઈ જશે.
મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:LCBએ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાયેલો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો
ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ડાંગ-આહવાએ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીમાં ગયેલા મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો એક શખ્સ ચોરીનો મોબાઈલ લઈને આહવા બસ સ્ટેશન ખાતે હાજર હતો. બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી. બસ સ્ટેશન નજીક બાતમી મુજબના વર્ણનવાળો શખ્સ દેખાતા તેને અટકાવી તપાસ કરાઈ. તેની પાસેથી ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ મળી આવ્યો. પૂછપરછમાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયેશ સોનુભાઈ કુંવર (ઉંમર 36, રહે. ઝરણ ગામ, તા. સુબીર, જી. ડાંગ) જણાવ્યું. તેણે આહવા ટાઉન વિસ્તારમાં આવેલી ગ્રામિણ બેંકમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે આરોપી પાસેથી આશરે રૂપિયા 14,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ કબજે કર્યો. તપાસમાં આ મોબાઈલ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો હોવાની ખાતરી થઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો. આ સમગ્ર કામગીરી PSI જે.જી. અનડકટના માર્ગદર્શન હેઠળ ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગામીત, દિનેશભાઈ ગાંગુડા સહિત LCBની ટીમે કરી હતી.
આજે દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી (આસામ) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.18650 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ પ્રસંગે યોજનાનો 22મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. આ અવસરે પાટણ ખાતે ન્યુ શાકભાજી માર્કેટમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું ગુવાહાટીથી આપવામાં આવેલું સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રાજ્યમાં આ યોજના અંતર્ગત 49.59 લાખથી વધુ ખેડૂતોને રૂ.1028 કરોડથી વધુની સહાય 22મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને રૂ.2000 લેખે કુલ રૂ.37.56 કરોડની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં કુલ 3,96,268 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ હેઠળ કુલ 32,282 ખેડૂતોને રૂ.7857.03 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો, મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળ્યું છે. પ્રમુખે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. એકતરફ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે. તંત્ર અને જનતા વચ્ચેના આ ‘કોન્ટ્રાડિક્શન’ને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે. 5164 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવોસુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી. HPCL, BPCL અને IOCL જેવી મુખ્ય ઓઈલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન (MT) ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. DSOના જણાવ્યા અનુસાર, ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને ‘પેનિક બુકિંગ’ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે. હોટલોના મેન્યુમાં 80% નો ઘટાડો, વેપારીઓ લાકડાના ચૂલે વળગ્યાસરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ગેસ ન હોવાને કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગગેસની કથિત અછત અને કાળાબજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે જો કંપનીઓ પાસે જથ્થો છે, તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો? શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. DSO અને SOG પોલીસ દ્વારા સચિન GIDCમાં લાઈવ વેરિફિકેશનસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને SOGના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી. આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે. મધ્યપૂર્વની સ્થિતિ અને રાજ્ય સરકારનું સતત મોનિટરિંગઆંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઉભી થયેલી અસ્થિરતાને કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે. સુરતમાં પણ તંત્ર દ્વારા સુચારૂ આયોજનના ભાગરૂપે ઓઈલ કંપનીઓ સાથે સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસનો સપ્લાય જળવાઈ રહે. ‘ધંધા બંધ કરવા જેવી નોબત આવી છે’કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાને કારણે સુરતના લારી-ગલ્લા અને નાના ખાણી-પીણીના વેપારીઓની હાલત કફોડી બની છે. એક વેપારીએ જણાવ્યું કે, જો એક-બે દિવસમાં ગેસ નહીં મળે તો અમારે ધંધા બંધ કરવા પડશે. ગેસ એજન્સીઓ કહે છે કે પાછળથી માલ નથી આવતો, અને સરકાર કહે છે કે સ્ટોક ફૂલ છે. આમાં સાચું કોણ? આ અસમંજસને કારણે બજારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાર્યવાહીની ચીમકીDSO દર્શન શાહે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ એજન્સી કે વચેટિયાઓ દ્વારા ગેસના જથ્થાનો સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા હેલ્પલાઇન અને સતત પેટ્રોલિંગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગેસ સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.
પાટણ નગરપાલિકાના શાસક પક્ષની ટર્મ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ ટર્મમાં ચૂંટાયેલા સભ્યોને વહીવટી કામગીરીમાં સહકાર આપવા બદલ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન કાર્યક્રમમાં પાલિકાના એવા કર્મચારીઓનું બહુમાન કરાયું હતું જેમણે છેલ્લા 5, 10 અને 15 વર્ષથી નગરસેવકોને વહીવટી સ્તરે ઉત્કૃષ્ટ સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો. નગરપાલિકાની કામગીરીને સુચારુ રીતે ચલાવવામાં કર્મચારીઓનો ફાળો મહત્વનો રહ્યો છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલે કર્મચારીઓના યોગદાનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, નગરસેવક તરીકેની વિવિધ ટર્મ દરમિયાન કર્મચારીઓએ કરેલી કામગીરી પ્રશંસનીય છે. તેમના સહયોગ વિના પાલિકાનું કાર્ય સુપેરે પાર પડી શક્યું ન હોત. ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકો અને નગરજનોએ સાથે મળીને પાલિકાના નાના-મોટા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરસેવકોએ આગામી સમયમાં પણ આ જ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામગીરી ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી, જેથી પાટણ શહેરના વિકાસમાં તેમનો સહયોગ યથાવત રહે.
ગઢડા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢી:દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ
ગઢડા પોલીસે અપહરણ કરાયેલી સગીરાને તાત્કાલિક શોધી કાઢી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઢડા તાલુકાના એક ગામમાં એક સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS 87, 137 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત સગીરાને શોધી કાઢી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી પ્રત્યે પ્રેરણા જગાવવા માટે બે વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ની “રિસર્ચ, ઇનોવેશન એન્ડ એક્સટેન્શન ગ્રાન્ટ” યોજના અંતર્ગત કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે, 12 માર્ચ 2026ના રોજ, “પ્રાકૃતિક ખેતી – તકો અને પડકારો” વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ સત્રમાં કૃષિ ક્ષેત્રમાં પર્યાવરણમૈત્રી અભિગમ અને તેમાં રહેલી વ્યાવસાયિક સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બીજા દિવસે, 13 માર્ચ 2026ના રોજ, “બાગાયત શાસ્ત્ર – કાર્યક્ષેત્ર અને સંભાવનાઓ” વિષય પર ચર્ચા થઈ. વિદ્યાર્થીઓને હોર્ટિકલ્ચરના આધુનિક ટેકનિકલ પાસાઓ અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીના અવસરો વિશે માહિતગાર કરાયા. આ બંને કાર્યશાળાઓમાં વનસ્પતિશાસ્ત્ર વિષયના 70થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત “પ્રાકૃતિક કૃષિ” પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું. કોલેજના સંશોધન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. વાય.એમ. પટેલ, વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એસ.કે. પટેલ તેમજ વિભાગના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યશાળાઓ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ફળદાયી સાબિત થઈ.
જૂનાગઢ જિલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતું નેટવર્ક ઝડપાયું છે. શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે આદરેલી ઝુંબેશમાં પોલીસને આ મહત્વની કડી મળી છે. જુનાગઢ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે મજેવડી દરવાજા પાસે વોચ ગોઠવી આ ઓપરેશન પાર પાડ્યું હતું. એસ.ઓ.જી.ના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલવાડી વિસ્તારનો સમીર ઉર્ફે છોટું ઈકબાલભાઈ પઠાણ ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે હૈદલશાપીરની દરગાહ સામેના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે જ્યારે આરોપી મેડિકલ કોલેજ તરફથી શંકાસ્પદ થેલી સાથે આવતો જણાયો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી 91,100 રૂપિયાની કિંમતનો 1.822 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી સમીર પઠાણની ધરપકડ કરી તેની પાસેથી ગાંજા ઉપરાંત 50,000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એસ-25 અલ્ટ્રા એન્ડ્રોઈડ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ 1,41,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં 'ભુરા' નામનો શખ્સ અને તેની સાથે સ્વિફ્ટ કારમાં આવેલો એક અજાણ્યો માણસ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ત્રણેય વિરુદ્ધ જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સમીર અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા આ તકે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા જીવલેણ નશીલા પદાર્થોથી દૂર રહે અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સહયોગ આપે. પકડાયેલ આરોપી હવે જેલના સળિયા ગણશે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના વડપણ હેઠળ LCB અને ટેકનિકલ વિભાગની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલી માહિતી અને 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે. મહુડી, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન), કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા (રહે. ખીમાણા, તા. શિહોરી, જિ. બનાસકાંઠા) અને મોતી ગણેશભાઈ રબારી (રહે. ભવાનગઢ, તા. દાંતા, જિ. બનાસકાંઠા)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2.13 લાખ રૂપિયાની 10 મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની એક બોલેરો ફોર વ્હીલ ગાડી મળી કુલ 4.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની ગુના આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તેઓ હેન્ડલ લોક વગરના વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ ડુપ્લીકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાર્ક કરેલા વાહનોના લોક ખોલીને ચોરી કરતા હતા અને પછી ચોરાયેલા વાહનોને તેમના રહેણાંક વિસ્તારોમાં લઈ જતા હતા. આ ગુનામાં સંડોવાયેલ અંપિલાલ લખમાજી (રહે. ભિયાતા, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) હજુ ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જોકે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યું નહોતું. તેમણે શિક્ષણના મોડેલની વાતો કરનારા AAP પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતાં. હર્ષ સંઘવીએ 'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતો આપવામાં કરે છે. ભૂતકાળમાં જે પક્ષ પર શિક્ષણના નામે વિજ્ઞાપનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે, તેમને આડેહાથ લેતા સંઘવીએ કહ્યું કે, અમારો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે. 'શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે'નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે. જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાનો એક-એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પોર્ટ્સવેર અને શૂઝ આપતું દેશનું એકમાત્ર શહેરસુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે, આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે જ્યાં સરકારી શાળાના બાળકોને માત્ર ડ્રેસ જ નહીં, પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેનામાં લઘુતાગ્રંથિ ન આવે. વાલીઓ પર આર્થિક બોજ ઘટાડવા પર ભારશિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, બાળકના માતા-પિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે તેની તકેદારી અમે રાખીએ છીએ. સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય લોકો માત્ર 'ફ્રી' ની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઉભી કરીને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. ડિજિટલ શિક્ષણ અને પૌષ્ટિક આહારની જુગલબંદીઉમરાની આ નવી શાળામાં ડિજિટલ બોર્ડની વ્યવસ્થા અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું કે, ટેકનોલોજી હવે માત્ર ખાનગી શાળાઓની જાગીર નથી રહી. સરકારી શાળાના બાળકો પણ હવે ડિજિટલ માધ્યમથી ભણી રહ્યા છે. આ સાથે જ મધ્યાહ્ન ભોજન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બંનેના સંગમથી જ એક સક્ષમ નાગરિક તૈયાર થઈ શકે છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી ચાર ઝડપ્યા:MD, ચરસ, અફીણ અને 7 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI કે.યુ.ચૌધરી, પી.એમ.ઝાલા અને SOG સ્ટાફ નાર્કોટિક્સ સેલની વોચમાં હતા. તે દરમિયાન સ્ટાફના અતુલસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી રાત્રે એક ઇકો ગાડી (રજી. નં-GJ 09BD 1868) માં ચાર ઇસમો માદક પદાર્થ લઈને શામળાજી તરફ જવાના છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક હિંમતનગર-શામળાજી હાઈવે પર, સ્વામિનારાયણ મંદિરના પૂર્વ દિશાના કોટની સામે સરકારી પંચોની રૂબરૂમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ઇકો ગાડીમાંથી ચાર શખ્સો પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન (MD) જેની કિંમત રૂ. 1,65,000, 113 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 56,500, અને 39 ગ્રામ ચરસ જેની કિંમત રૂ. 48,750 મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 2,70,250 ના માદક પદાર્થો અને ઇકો ગાડી સહિત કુલ રૂ. 7,06,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર એક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. બાનીના, ચિત્તોડગઢ, રાજસ્થાન), નારાયણલાલ બદરીલાલ જાટ (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. પોટલા, ભીલવાડા, રાજસ્થાન), મુરલીધર જલધરભાઇ પટેલ (રહે. રૂષિનગર, હિંમતનગર, મૂળ રહે. સીરીપુર, ભાગલપુર, બિહાર) અને નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, હિંમતનગર, મૂળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ કેસમાં ગોરર્ધન નામનો એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા તાલુકાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. જમ્મુ અને કાશ્મીરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સાતત્ય વિષય પર આયોજિત આ સેમિનારમાં 250થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સેમિનારનું આયોજન ગાંધીનગર સ્થિત ગુજરાત જ્ઞાન સંઘ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સંશોધકોને જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકીય પરિસ્થિતિ વિશે વિસ્તૃત સમજ આપવાનો છે. સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે GPSCના પૂર્વ ચેરમેન અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના જનરલ સેક્રેટરી હસમુખભાઈ જોશી તથા દિલ્હી સ્થિત જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર આશુતોષ ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રથમ દિવસના સત્ર દરમિયાન નિષ્ણાતોએ જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન સમયથી વર્તમાન સુધીના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જમ્મુ અને કાશ્મીરનું યોગદાન, તેની સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્તમાન રાજકીય સ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના વિકાસમાં તેની ભૂમિકા વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર આશુતોષ ભટનાગરે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. ત્યાંની સંસ્કૃતિ, પરંપરા અને પ્રાચીન ઇતિહાસ વિશે યુવાનોમાં યોગ્ય માહિતી પહોંચવી સમયની માંગ છે. આવા સેમિનારો દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રવૃત્તિ વિકસે છે અને દેશના વિવિધ પ્રદેશો વિશે વધુ સમજ વિકસે છે. આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ 50 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. બે દિવસ સુધી ચાલનારા આ રાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ વિષયો પર નિષ્ણાતોના વ્યાખ્યાનો, ચર્ચા સત્રો અને સંશોધન પેપરોની રજૂઆત યોજાશે.
યુદ્ધ ખતમ ક્યારે થશે તે નક્કી નથી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો ક્યારે ખોલશે તે નક્કી નથી. અમેરિકા અને ઈરાન બંને વટે ચડ્યા છે. પેટ્રોલ-ડીઝલ જેમાંથી બને છે તે ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી ભારત આવતું હતું, પણ હમણાં તે બંધ છે. ભારતે ક્રૂડ ઓઈલ માટે બીજા ઓપ્શન ચાલુ કરી દીધા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં જ કહી દીધું કે ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ ઓઈલ હોર્મુઝ સ્ટ્રેટથી આવતું હતું તે બંધ છે. હવે ભારત બીજા દરિયાઈ રસ્તેથી ઓઈલ મગાવવા લાગ્યું છે. તે 70% જેટલું આવે છે. મતલબ 100% ઓઈલ ભારતને મળતું નથી. સરકાર ગમે તેટલી ધરપત આપે, મનના એક ખૂણે ભય તો રહે જ કે આજે નહિ તો કાલે, પેટ્રોલ-ડીઝલની અછત થશે તો? કુદરતની ભેટ ક્રૂડ ઓઈલના સંશોધનથી લઈ દુનિયામાં અત્યારે શું સ્થિતિ છે, આજે ક્રૂડ ઓઈલનું A to Z એનાલિસિસ કરીએ... નમસ્કાર, કમ સે કમ થોડા દિવસ તો ભારતમાં ચિંતા નથી કે પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ જશે. ભારત માટે ક્રૂડ ઓઈલની અત્યારે એટલી ચિંતા નથી. કારણ કે રશિયન ઓઈલના લાખો બેરલ શિપમાં ભારત આસપાસ દરિયામાં હાજર છે. તેમાં દોઢ કરોડ બેરલ છે. બીજા 70 લાખ બેરલ સિંગાપોર નજીક છે જે એક અઠવાડિયામાં ભારત પહોંચશે. ભારત પાસે પોતાનું રિઝર્વ ઓઈલ છે. તકલીફ ત્યારે ઊભી થશે જ્યારે યુદ્ધ લાંબુ ચાલશે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના નામથી ઈરાની મીડિયાએ કહી દીધું કે, હમણાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે. આમ તો ઈરાનનો પ્લાન યુદ્ધ વધારવા કરતાં દુનિયાને આર્થિક નુકસાન પહોંચાડવાનો છે એટલે મિડલ ઈસ્ટના દેશોમાં હુમલા કરે છે. ઓઈલ પ્રોડક્શન અને એક્સપોર્ટ અટકાવી દીધાં છે. ઈરાન ક્રૂડ ઓઈલના ભાવ વધારીને અમેરિકાને દઝાડવા માગે છે. ઈરાન ચેતવણી આપી ચૂક્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવ એક બેરલના 200 ડોલર થઈ જશે. ઈરાન અમેરિકાને પાઠ ભણાવવાના મૂડમાં છે પણ આ બે બળિયા વચ્ચે દુનિયા પિસાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ સંસદમાં શું કહ્યું? ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં માહિતી આપી કે ભારત હાલમાં જે ક્રૂડ ઓઇલ સપ્લાય મેળવી રહ્યું છે તે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતા ક્રૂડ ઓઇલ કરતાં પણ વધારે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. યુદ્ધ પહેલાં ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતું હતું. રિફાઇનરીઓ હાલમાં હાઈકેપેસિટી યુટિલાઈઝેશન પર કામ કરે છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ATF (એવિએશન ટર્બાઈન ફ્યૂલ)ની કોઈ અછત નથી. નોન-હોર્મુઝ રૂટથી ક્રૂડ ઓઈલની આયાત યુદ્ધ પહેલાં 55% હતી. જે હવે 70% થઈ રહી છે. 2007 સુધી ભારત 27 દેશો પાસેથી ઓઈલ ખરીદતું હતું. હવે 40 દેશો પાસેથી ઓઈલ ખરીદે છે. ભારતમાં સ્થિતિ શું છે? ભારત 40 દેશોમાંથી ઓઈલ આયાત કરે છે. જેમાં અમેરિકા પણ સામેલ છે. આ સિવાય ટેન્ક ફોર્મ હોય છે જે રિફાઈનરીઓમાં હોય છે, કોમર્શિયલ હોય છે. આ બધાની ગણતરી કરો તો ભારત પાસે 50 દિવસનું ઓઈલ રિઝર્વ છે. પણ બધી ટેન્કો સંપૂર્ણ ખાલી ન કરી શકીએ તો એ હિસાબે 40 દિવસનું જ ઓઈલ છે. બારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગ્લોર અને પાદુરમાં રિઝર્વ ઓઈલનો જથ્થો છે. અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છતાં દુનિયા ઈરાન પાસેથી ઓઈલ કેમ ખરીદે છે? દુનિયાનો શક્તિશાળી દેશ અમેરિકા વર્ષોથી એ પ્રયાસો કરે છે કે દુનિયાનો કોઈપણ દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદે. આના માટે અમેરિકાએ કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા છે. સવાલ એ છે કે અમેરિકાના પ્રતિબંધો છતાં દુનિયાભરમાં ઈરાનના ઓઈલની ભારે ડિમાન્ડ કેમ છે? ઈરાનના ક્રૂડ ઓઈલમાં એવી તે શું ખાસ બાબત છે કે દુનિયા એ ખરીદવા તલપાપડ હોય છે. ઈરાન રોજના લગભગ 35 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. પશ્ચિમી દેશોના અનેક પ્રતિબંધો છતાં ઈરાનના ઓઈલની ડિમાન્ડ છે. આની પાછળ કોઈ રાજનીતિ નથી પણ ઈરાનના ક્રૂડ ઓઈલની ક્વોલિટી છે. ઈરાન બે પ્રકારના ક્રૂડ ઓઈલ વેચે છે. ઈરાનનું ક્રૂડ ઓઈલ માત્ર ક્વોલિટીમાં જ નહીં. કિંમતમાં પણ આગળ છે. બ્રેન્ટ ક્રૂડ નામનું ઓઈલ પ્રિમિયમ ઓઈલ માર્કેટમાં મળે છે. તેની તુલનામાં 3થી 9 ડોલરના મોટા ડિસ્કાઉન્ટ સાથે ઈરાની ઓઈલ મળે છે. ઈરાનને એક બેરલ જમીનમાંથી ઓઈલ કાઢવામાં માત્ર 10 ડોલરનો ખર્ચ થાય છે. ઓછી કિંમતે વેચવા છતાં ઈરાનને બહુ તગડો ફાયદો થાય છે. જે દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે તેની તો ચાંદી જ ચાંદી છે. અમેરિકાની નજર ચૂકવીને ચીન ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે કોઈ દેશ ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે તે અમેરિકાને પસંદ નથી. પણ અમેરિકાનું માથું ભાંગે એવો દેશ ચીન છે. ચીન વર્ષોથી ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે છે. અલબત્ત, ઈરાનના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદાર દેશ જ ચીન છે. 2024માં ઈરાને ઓઈલમાંથી જે કમાણી કરી તેના 90 ટકા રકમ એકલા ચીનમાંથી આવી. ચીને લગભગ 3200 કરોડ રૂપિયાનું ઈરાની ઓઈલ ખરીદ્યું. ચીનના શીડોંગ પ્રાંતમાં ટીપોટ નામની નાની રિફાઈનરી છે. જે માત્ર ભારે ઓઈલ જ મગાવે છે. આ ઓઈલ અમેરિકાની નજરમાંથી બચીને ચીન પહોંચે છે કેવી રીતે? આના માટે શેડો ફ્લિટ કામ કરે છે. ફ્લિટ એટલે માલવાહક જહાજ. સમુદ્રની વચ્ચોવચ્ચ ઓઈલ લઈ જતા શિપના ઝંડા બદલી નખાય છે. એટલે ઝંડા જોઈને અમેરિકાની એજન્સીઓ માની બેસે છે કે આ કોઈ બીજા દેશની શિપ છે. ત્યારે ચીનનો ઝંડો ઉતારી લેવામાં આવે છે. પેમેન્ટ પણ સિક્રેટ નેટવર્ક મારફત ઈરાન પહોંચે છે. રિફાઈનરી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ભારે ઓઈલને હળવું કરવું સહેલું અને ફાયદાકારક બની ગયું છે. જે ચીન સહેલાઈથી કરી જાણે છે. આગળ રિઝર્વ ઓઈલના ગણિતની વાત કરીશું, પણ દુનિયામાં સૌથી વધારે રિઝર્વ ઓઈલ ચીન પાસે જ છે. દુનિયામાં ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરવામાં ભારત ત્રીજા નંબરે આજે દુનિયાભરમાં રોજનું 15 અબજ લીટર ક્રૂડ ઓઈલ કાઢવામાં આવે છે. જ્યાં સુધી પ્લાન્કટન રહેશે ત્યાં સુધી પેટ્રોલિયમ માટેના જરૂરી તત્વો મળી રહેશે. તેને બનવામાં લાખો વર્ષોનો સમય લાગે છે. શું ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જ બને છે? ના. ક્રૂડ ઓઈલ આપણી આસપાસની દરેક પ્રોડક્ટમાં મોજૂદ છે. મીણ, લુબ્રીકેન્ટ, સિલિકોન, રસ્તા બનાવવા ડામર, પ્લાસ્ટિક, કેટલાક કપડાં બનાવવા ઓઈલનો ઉપયોગ થાય છે. આનાથી જ સ્કૂટરથી લઈ વિમાન સુધીના વાહનો ચાલી શકે છે. જે દેશ કાચા ઓઈલનું ઉત્પાદન કરે છે તે સૌથી અમીર દેશ બની જાય છે. કારણ કે ઈકોનોમીને તાકાત આપનારું મહત્વનું પરિબળ ક્રૂડ ઓઈલ છે. ઓઈલનો ઉપયોગ તાકાતના હથિયાર માટે થતો આવ્યો છે અને તેના માટે યુદ્ધો પણ થયા છે. 1973માં ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે 3 અઠવાડિયાં સુધી યુદ્ધ થયું. તેને યોમ કી પુર યુદ્ધ કહે છે. એ સમયના ઓઈલ પ્રોડક્શન સંગઠન ઓપેકે (POEC) એ દેશોને ઓઈલ વેંચવા પર રોક લગાવી દીધી, જે ઈઝરાયલનું સમર્થન કરતા હતા. એના કારણે ઓઈલમાં 300 ટકાનો ભાવ વધારો થઈ ગયો ને દુનિયામાં મંદીનો માહોલ આવી ગયો. દુનિયામાં જેટલું ઓઈલ ઉત્પાદન થાય છે તેના 20 ટકા સૌથી વધારે અમેરિકા ઉપયોગ કરે છે. એ પછી 13 ટકા સાથે ચીન અને 4.5 ટકા સાથે ત્રીજા નંબરે ભારત ઓઈલનો સૌથી વધુ ઉપયોગ કરનારો દેશ છે. જમીનમાં કેવી રીતે તૈયાર થાય છે ક્રૂડ ઓઈલ... ક્રૂડ ઓઈલ એકદમ બારીક સમુદ્રી જીવો અને છોડમાંથી બને છે. જેને પ્લન્કટન (plankton) કહે છે. આજે જે પેટ્રોલિયમ જમીનમાંથી કાઢીએ છીએ તે આ જ નાનાં જીવોમાંથી લાખો વર્ષની પ્રક્રિયા પછી બને છે. જેમ પ્લન્કટન મરે છે તેમ તે સમુદ્રનાં તળિયે પહોંચી જાય છે. કારણ કે બહુ ઊંડાઈએ ઓક્સિજન હોતો નથી એટલે તે છૂટા પડવાના બદલે તળિયાંની માટી અને રેતી જેવા કાંપમાં ભળી જાય છે. આ પ્લન્કટન સમુદ્રના કણો સાથે ભળે છે એટલે ગાઢ અને ચીકણાં બની જાય છે. અહીંથી જ શરૂ થાય છે પેટ્રોલિયમ તૈયાર થવાની પ્રક્રિયા. 10 હજારથી લઈ 10 લાખ વર્ષ દરમિયાન કાંપનું એક પછી એક લેયર જમા થતું રહે છે. તે લેયર સેંકડો મીટર ઊંચું થઈ જાય છે. આના કારણે સૌથી નીચેના જે લેયર છે તેનું વજન પણ વધે છે અને તાપમાન વધવા લાગે છે. જ્યારે નીચેનું તાપમાન 80 ડિગ્રી થાય છે ત્યારે તળિયાનું મોટું પડ તૂટીને ધીમે ધીમે નાના ટુકડાઓમાં વહેંચાવા લાગે છે. તેને ક્રેકિંગ કહે છે. તે તૂટેલા ભાગો બારીક બનીને લચીલા થઈ જાય છે અને કાળા, જાડા, ચીકણાં પ્રવાહીમાં બદલાઈ જાય છે. આ જ છે ક્રૂડ ઓઈલ. વધારે દબાણના કારણે ઓઈલ આ તૂટેલા પડમાંથી ઉપર તરફ આવવા લાગે છે પણ તે સપાટી પર નથી આવતું. જમીનની અંદર માટીની સપાટીએ ચોંટી જાય છે. આ રીતે થઈ ક્રૂડ ઓઈલની શોધ... વર્ષ હતું 1858નું. અમેરિકાના પેન્સિલવેનિયાની ડાર્ટમાઉથ કોલેજના પ્રોફેસર જ્યોર્જ બિસેલને ખબર પડી કે પેન્સિલવેનિયાના કેટલાક ગામડાંમાં જમીનમાંથી તરલ-ચીકણો પદાર્થ નીકળે છે. તે સંશોધન માટે ગયા. તેમને જમીનમાંથી નીકળતા કાળા પરપોટા દેખાયા. તેમણે આ તરલ પદાર્થના સેમ્પલ લીધા અને કોલેજમાં પાછા આવ્યા. તેમણે દિવસો સુધી આ ચીકણા પદાર્થનું રિસર્ચ કર્યું ને એ સાબિત કરી બતાવ્યું કે આ તરલ પદાર્થમાં બલ્બ ચાલુ કરવાની ક્ષમતા છે. બિસેલને એટલી તો ખબર પડી ગઈ કે પેન્સિલવેનિયાના આસપાસના ગામડાંમાં જમીન નીચે એવો પદાર્થ છે કે તેનાથી એનર્જી મળે તેમ છે. તેને ખાતરી થઈ ગઈ કે અહીં કૂવો ખોદવામાં આવશે તો ઓઈલ જેવો પદાર્થ નીકળશે જેનાથી લાઈટ થઈ શકશે. હવે તેને એક એવા માણસની શોધ હતી જે આ પ્રકારનું ખોદકામ કરી આપે. તેને એક માણસ મળ્યો. નામ હતું એડવિન ડ્રેક. એડવિન ડ્રેક કંડક્ટર હતા, હોટેલમાં ક્લાર્કની નોકરી કરી ચૂક્યા હતા. તે ભણેલા નહોતા પણ ગણેલા હતા. પ્રોફેસર બિસેલે તેને પોતાનો પ્લાન બતાવ્યો તો ખોદકામ કરીને ઓઈલ કાઢવા તૈયાર થઈ ગયા. એડવિન ડ્રેકે પેન્સિલવેનિયામાંથી વિલિયમ સ્મીથ નામના માણસને કામ પર રાખ્યો. રોજના અઢી ડોલર આપવાનું નક્કી થયું. તેને જમીનમાં ડ્રીલિંગનો બહોળો અનુભવ હતો. સૌથી પહેલાં ટાઈટસવિલે વિસ્તારમાં મેટલના પાઈપ મૂકીને ડ્રિલિંગ શરૂ કર્યુ. એ વખતે લોકો ડ્રેકની મશ્કરી કરતા હતા કે મહેનત રહેવા દે. જમીનની નીચે પાણી જ હોય, ઓઈલ ન હોય. વર્ષ આવ્યું 1959નું. તારીખ હતી 27 ઓગસ્ટ, શનિવાર. બપોરના સમયે ડ્રિલિંગ 80 ફૂટ થઈ ચૂક્યું હતું. ફુવારા રૂપે ઓઈલ નીકળ્યું. પહેલાંના સમયમાં તો બીજું કાંઈ હતું નહીં એટલે સાથે રાખેલા બેરલમાં તે ભરી દીધું. બેરલની આ પરંપરા આજે ય ચાલુ છે. જ્યાંથી ઓઈલ નીકળ્યું કે જમીન ટાઈટસવિલે શહેરથી 11 કિમી દૂર હતી. અહીં શહેર વસી ગયું જેને પિટહોલ સિટી કહેવાયું. પિટહોલ સિટીમાં જ્યારે ઓઈલની શોધ થઈ ત્યારે ત્યાં અનેક કિલોમીટરના વિસ્તારોમાં 50 લોકો પણ નહોતા રહેતા. પણ ઓઈલની શોધ થતાં જ પિટહોલ સિટીમાં એક જ વર્ષમાં 10 હજાર લોકો વસી ગયા. 50 હોટેલ ખુલી ગઈ. પોસ્ટ ઓફિસ બની ગઈ, બે ટેલિગ્રામ સેન્ટર ઊભા થઈ ગયા. ઓઈલના કારણે એ લોકો અમીર તો બની ગયા પણ બીજી કોઈ સુવિધા પિટહોલમાં ઊભી થઈ શકી નહીં એટલે વર્ષભરમાં જ તેની ચમક ફીકી પડી ગઈ. ઓઈલના કારણે પિટહોલની અર્થવ્યવસ્થા જોર પકડી ન શકી પણ ઓઈલ માટે માણસોની તરસ વધતી ગઈ. ક્રૂડ ઓઈલ દુનિયા માટે બની ગયું બ્લેક ગોલ્ડ બધાને ખબર પડી ગઈ હતી કે આ માત્ર ઓઈલ નથી કાળું સોનું છે. એટલે ઓઈલમાંથી અલગ અલગ પદાર્થ બનાવાની રિફાઈનરી શરૂ થઈ. પેન્સિલવેનિયા સિવાય અમેરિકામાં અલાસ્કા, ઓહાયો અને ટેક્સાસ જેવા રાજ્યોમાં મોટામોટા ઓઈલના કૂવા મળ્યા. અમેરિકા દુનિયાનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ બની ગયો. પછી તો દરેક દેશને મધલાળ પડવા લાગી કે ક્યાંક આપણી જમીનમાં તો ક્રૂડ ઓઈલ નથી ને? બધા શોધ કરવા લાગ્યા. આ બધા વચ્ચે સવાલ એ થાય કે મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલ કેવી રીતે શોધાયું? હકીકતે બ્રિટીશરોનું ધ્યાન ગયું તે મિડલ ઈસ્ટના પર્શિયાની જમીનમાં ભરપૂર ઓઈલ ભંડાર છે. એ સમયનું પર્શિયા એ જ આજનું ઈરાન. પહેલા વિશ્વ યુદ્ધ પછી ક્રૂડ ઓઈલ એનર્જીનો મોટો સોર્સ બનીને ઊભરી આવ્યું. મિડલ ઈસ્ટમાં મોટાપાયે ઓઈલ છે, તે અંગ્રેજોને ખબર હતી એટલે તેણે મિડલ ઈસ્ટના દેશોમાં કંટ્રોલ જમાવ્યો. સમય જતાં પર્શિયાનું નામ ઈરાન થઈ ગયું અને અહીં ઓઈલના વધારે કૂવા ખોદાયા. 1950માં ઈરાનમાં બનેલી સરકારે ઓઈલના કૂવા પર કંટ્રોલ લઈ લીધો. મિડલ ઈસ્ટમાં જો કોઈ દેશની જમીનની નીચે સૌથી વધારે ક્રૂડ ઓઈલ હોય તો એ સાઉદી અરેબિયા છે. 1973માં પહેલીવાર ક્રૂડ ઓઈલમાં મંદી આવી 1973માં કેટલાક અરબ દેશોએ કેટલાક સમૃદ્ધ દેશોને ઓઈલના વેચાણ પર પ્રતબિંધ લગાવી દીધો હતો. ત્યારે એક બેરલનો ભાવ 3 ડોલરથી વધીને 12 ડોલર થઈ ગયો હતો. એ પછી દુનિયાની ઈકોનોમી ધીમી પડી ગઈ. 1978, 1990 અને 2001માં ઓઈલના ભાવ વધતાં અમેરિકામાં મંદી આવી ગઈ હતી. 2008માં ક્રૂડ ઓઈલના એટલા ભાવ વધ્યા કે વિશ્વભરમાં મંદી આવી ગઈ હતી. જોકે ત્યારે ઓળિયો ઘોળિયો બેન્કો પર નાખી દેવાયો હતો. ઓઈલની દ્રષ્ટિએ ઘણા દેશોએ સારાં પગલાં લીધા. સાઉદી અરબ ધરતી પર સૌથી અમીર દેશોમાંનો એક છે, કારણ કે તેની પાસે સૌથી મોટો ઓઈલ ભંડાર છે. સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકો તો એપલ, ગુગલ કે એમેઝોન કરતાં ય મોટી છે. આ જ અરામકો કંપની પર હમણાં ઈરાને બે ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાકથી લઈને ઈરાન, વેનેઝુએલાથી લઈને નાઈજિરિયા સુધીના ઓઈલ સમૃદ્ધ દેશો આ જ કારણોસર આગળ વધ્યા. ઘણા દેશોએ ઓઈલ પર એકાધિકાર કરવાની કોશિશ કરી છે. ઓઈલ હવે બેટરીની જગ્યાએ ઉપયોગમાં લેવાતું આવે છે. 1 લીટર પેટ્રોલમાં એટલી જ ઊર્જા હોય છે જેટલી 60 કિલો બેટરીમાં. અત્યાર સુધીમાં દુનિયામાં 5 વાર રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો પૃથ્વી પર રોજ લગભગ 10 કરોડ બેરલ ઓઈલનો ઉપયોગ થાય છે. ધરતી પરની કુલ એનર્જીના ખપતનો 30 ટકા હિસ્સો પેટ્રોલિયમથી આવે છે. યુદ્ધ કરવા માટે પણ ઓઈલની જરૂર પડે છે. વિશ્વમાં 1973માં ઓઈલ સંકટ આવ્યું હતું. તેના 1 વર્ષ પછી 1974માં IEAની સ્થાપના થઈ. IEA એટલે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી. તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં છે. આ એજન્સી દુનિયામાં ઓઈલ સપ્લાય સારી રીતે રહે તેની ભૂમિકા નિભાવે છે. ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા પણ IEAનું સદસ્ય છે. દરેક સદસ્ય દેશોએ તેના 90 દિવસની આયાત બરાબર ઓઈલ જમા કરવાનું હોય છે. સંકટ સમયે આ જ રિઝર્વ ઓઈલનો ઉપયોગ થાય છે. રિઝર્વ કોટામાંથી ઓઈલ રિલિઝ કરવા માટે IEA બજારની સ્થિતિનું આકલન કરે છે. આ પહેલાં પાંચવાર એવું થઈ ચૂક્યું છે કે રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો. રિઝર્વ ઓઈલ આ સમયે ઉપયોગ કરવો પડ્યો IEAના સદસ્ય દેશો મળીને 120 કરોડ બેરલ સાર્વજનિક કટોકટી માટે રાખે છે. અત્યારે બ્રિટને કહ્યું છે કે તે 7 કરોડ 60 લાખ રિઝર્વ બેરલમાંથી 1 કરોડ 30 લાખ રિઝર્વ બેરલ આપશે. જર્મની અને ઈટલીએ પણ 12-12 ટકા રિઝર્વ ઓઈલ કાઢવાની વાત કરી છે. સવાલ એ છે કે જે દેશ IEAના સદસ્ય નથી તે શું કરશે? આમાં મુખ્ય ઓઈલ ઉત્પાદક મિડલ ઈસ્ટના દેશો પણ આવી જાય. તે પણ સદસ્ય નથી. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીને તેના ઉદ્યોગોને સૂચના આપી દીધી કે ઓઈલમાંથી ડીઝલ અને ગેસોલિન બનાવવાનું બંધ કરો. તેની નિકાસ બંધ કરો. ચીન પાસે પણ પોતાનો 100 કરોડ બેરલ ઓઈલનો મોટો ભંડાર છે. દરિયામાંથી જહાજોના જહાજો 115 દિવસ સુધી આવે ત્યારે 100 કરોડ બેરલ થાય. ભારતમાં તો સ્થિતિ સારી છે, બીજા દેશોમાં ઓઈલની કટોકટી છે ઓઈલના ભાવ વધી જતાં ઘણા દેશોમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના એક લીટરના 350 રૂપિયા થઈ ગયા છે. ત્યાં કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે. સાઉથ કોરિયા પેટ્રોલ-ડીઝલમાં પ્રાઈઝ કેપ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જાપાન ક્રૂડ ઓઈલનો રિઝર્વ જથ્થો વાપરવાની તૈયારીમાં છે. થાઈલેન્ડમાં ઓઈલના અભાવે વીજ કટોકટી ઊભી થઈ છે. લોકોને લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. મ્યાંમારમાં ઓઈલની એટલી તકલીફ ઊભી થઈ છે કે ત્યાં ડ્રાઈવિંગ કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે. છેલ્લે, 1960માં વેનેઝુએલાના પેટ્રોલિયમ મંત્રી જુઆન પાબ્લો અલ ફોન્ઝોએ કહ્યું હતું કે ક્રૂડ ઓઈલ એ શૌતાનનું મળમૂત્ર છે અને આપણે તેમાં ડૂબી રહ્યા છીએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
વિશાલાથી નારોલ તરફ જતાં રસ્તામાં પિરાણા પાસે અમદાવાદ શહેરના ખડકાયેલાં કચરાના ઢગલાંઓ ધીમે ધીમે પહાડનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કચરાના ઢગલાં પાસેથી પસાર થવું શહેરીજનો માટે દુષ્કર બન્યું હતું. ત્યાં સુધી કે ત્યાંથી પસાર થનારા બહારગામના લોકો માટે પણ આ કચરાના ઢગલાં અમદાવાદની ઓળખ બની ગઇ હતી. આ કચરાના ઢગલાંના કારણે જ અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રદિષત વિસ્તાર પણ તે કહેવાતો હતો. વારંવાર રજૂઆત અને ઉહાપોહના અંતે કચરાના ઢગલાંનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતાં હેરિટેજ રોડ પર જ મ્યુનિ. કોર્પોરેશનની ઓફીસ પાસે જ મુખ્ય માર્ગ પર કચરાંના ઢગલાંઓ કરીને ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું હોવાનું ભાસતું હતું. જેથી જ અસારવાર યુથ સર્કલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિ. કમિશનરને ઉદ્દેશીને પત્ર લખીને અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ કચરાંના ઢગલાંઓ હટાવીને રેલવે સ્ટેશન તરફ જતાં રસ્તાને ખુલ્લો કરવાની માંગણી કરી છે. રોડ પર કચરાના ઢગલા, વાહનચાલકોને મુશ્કેલીઅસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતા હેરિટેજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની ઓફિસ પાસે જ મુખ્ય રોડ પર કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી તથા વાહનચાલકોને રોડ સાંકડો થઈ જવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિકો જો જાહેર રોડ પર ગંદકી કે કચરો નાખે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ રોડ પર કચરો નાખી પ્રજાને અગવડમાં મૂકે છે, જે યોગ્ય નથી. મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયોઆ ઉપરાંત, અગાઉ નવા અસારવા ત્રણ માળીયા બ્લોક પાસેથી અસારવા રેલ્વે સ્ટેશન સુધી સીધો રસ્તો હતો, પરંતુ મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ, ચમનપુરા વિસ્તારમાં આવેલ રામચંદ્ર કોલોની સામે ઘીવાલી ચાલી પાસેથી પણ આશરે 50થી 60 ફૂટ પહોળો રસ્તો અસારવા રેલ્વે સ્ટેશન સુધી જતો હતો. હાલ આ રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે ત્યાંથી માત્ર ચાલીને જ જઈ શકાય તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિના કારણે અસારવા, ચમનપુરા, શાહીબાગ અને મેઘાણીનગરના નાગરિકોને રેલ્વે સ્ટેશન નજીક હોવા છતાં ત્યાં પહોંચવા માટે રીક્ષા દ્વારા 60થી 70 રૂપિયા ખર્ચ કરવા પડે છે. ડમ્પિંગ સ્ટેશન બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માંગઆથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અસારવામાં જાહેર રોડ પર બનાવેલ ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવું જોઈએ. સાથે સાથે અસારવા તરફથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચવા માટે થયેલા દબાણો દૂર કરી રસ્તો ફરીથી પહોળો કરીને નાગરિકોને રાહત આપવી જોઈએ.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કાર ચાલક દ્વારા ત્રણથી ચાર વાહનોને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનોને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈ ને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનોને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક ગાડી ચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની જાણીતી ટેક કન્સલ્ટિંગ કંપનીએ આજે વડોદરામાં અદિતિ એઆઈ લેબનો આરંભ કર્યો છે. કંપનીનો ધ્યેય એપ્રેન્ટીસશિપના અભ્યાસક્રમ દ્વારા આગામી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર્સનું નિર્માણ કરવાનો છે. અદિતિ લેપ્સનું સંસ્થાગત લક્ષ્ય જ ગુજરાતમાં યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને વ્યવહારુ પ્રેકટીકલ એઆઈ કૌશલ્યથી સજજ કરવાનો, તેમને યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવાનો છે. અને જે કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વીકારી રહી છે તેમની સતત બદલાતી જતી જરૂરિયાતોને પૂરી કરતાં જઈને આ પ્રતિભાવને ગ્લોબલ એક્સપોઝર આપવાનો પણ છે. આજે ઔધોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત વ્યવસ્થાને આધુનિક બનાવવા કાર્યો આપમેળે થાય તે માટે અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મના નિર્માણ માટે સ્વીકારવાની ઝડપ વધારી રહી છે. એઆઈ ઈનોવેશનને કંપનીઓને જરૂરી હોય તેવા ઉકેલમાં ફેરવવામાં આવશે. આજે એન્જિનિયર્સની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે.અદિતિ લેબનું નિર્માણ જ વાસ્તવિક જગતના એઆઈ પડકારોને પહોંચી વળવા માટે કરાયું છે. જે અંતર્ગત વૈશ્વિક કલાયન્ટસના ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનમાં ફાળો આપતા જઈ યુવા એન્જિનિયર્સને તૈયાર કરવાનું છે, જેથી શિક્ષણ અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચેનો અવકાશ પૂરી શકાય. અદિતિ લેબનો એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો 12 મહિનાનો કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગો માટે જરૂરી એવા એઆઈ પ્રોફેશનલમાં પરિવર્તિત કરવા માટે ઘડવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર એ આઈ(AI)ને વાસ્તવિક વિશ્વની એઆઈ સિસ્ટમ્સ તૈયાર કરવાની પ્રત્યક્ષ તાલીમ મેળવશે અને તે ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા સેકટરના પ્રોજેકટમાં કામ કરશે. ડેટા એન્જિનિયરિંગ અને મોડેલ ડેવલપમેન્ટથી લઈને ઓપરેશન સાથે સંકળાયેલા મોડેલ્સને કેવી રીતે વિકસાવી શકાય તેમની કુશળતા પણ વિકસાવશે.
અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓેને કાર ચાલકે કચડી નાખી હતી. એક મહિલા પર વ્હિલ ફળી વળતાં સેકન્ડોમાં જ તેનું મોત થયું હતું. જ્યારે અન્ય મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં પણ કેદ થઈ છે. કારની ટક્કરથી બંને મહિલાઓ હવામાં ફંગોળાઈ આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બે મહિલાઓ પગપાળા જઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે બેદરકારીપૂર્વક બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દેતા બન્ને મહિલાઓ કારની અડફેટે ચડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને મહિલાઓ હવામાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં એક મહિલા પર કારનું વ્હિલ ફળી વળ્યું હતું. અન્ય મહિલાનો ચમત્કારિક બચાવ અકસ્માતમાં દયાબેન સુરેશભાઈ વરુ નામની મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે દયાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શરૂ કરાયેલી ₹25 ની બિલ્વપૂજા સેવા દેશભરના ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે. આ સેવા દ્વારા ભક્તોને વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાથે આધ્યાત્મિક રીતે જોડાવાનો અવસર મળે છે. આ પહેલને દેશભરમાંથી મળેલા પ્રતિસાદને કારણે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આ બિલ્વપૂજામાં ભાગ લીધો છે.આ પૂજામાં ભાગ લેનારા ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો પ્રસાદ તેમના ઘરે મોકલવામાં આવે છે. મહાશિવરાત્રી-2026 દરમિયાન પૂજા નોંધાવનાર 2 લાખથી વધુ ભક્ત પરિવારોને આ પ્રસાદ મળશે.શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય પોસ્ટ વિભાગના સહયોગથી આ પવિત્ર પ્રસાદ દેશભરના ભક્તોના ઘર સુધી પહોંચાડવાનો પ્રારંભ થયો છે. ભારતીય પોસ્ટની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક દ્વારા આ પ્રસાદ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.આજે સોમનાથ મંદિર ખાતેથી પ્રસાદના પ્રથમ તબક્કા રૂપે લગભગ 15 હજાર કવરોનું પ્રસ્થાન કરવામાં આવ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે આ કવરોને રવાના કર્યા હતા.પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગના સુપરિટેન્ડન્ટે આ કવરો સ્વીકારી સેવા કાર્યની શુભ શરૂઆત કરાવી હતી. પોસ્ટ વિભાગના અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના વિવિધ ખૂણામાં વસતા ભક્તોને તેમનો પવિત્ર પ્રસાદ સલામત અને સમયસર પહોંચાડવામાં આવશે. આનાથી ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવની કૃપા અને આશીર્વાદનો આધ્યાત્મિક અનુભવ કરી શકશે. આ પહેલ માત્ર ધાર્મિક સેવા નથી, પરંતુ દેશના કરોડો ભક્તોને સોમનાથ મહાદેવ સાથે જોડતી એક આધ્યાત્મિક કડી બની રહી છે.
રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જ્યોતીબેન ગૌસ્વામીએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે દરોડો કરતા ભાડાના રહેણાંક મકાનમાંથી 1.98 લાખ કિંમતનો 3 કિલો 972 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે જ્યોતિબેન વસંતભાઇ પાંડુભાઇ ગૌસ્વામી (ઉ.વ.28) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા (ઉ.વ.27)ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.2,33,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને ગાંજાનો જથ્થો પહોંચડવાનો હોવાનું સામે આવ્યું છે. બીજા દરોડામાં SOG ટીમે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉ.વ.24)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300ની કિંમતનો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછપરછ કરતા તેને ગાંજાનો જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા મહિલાએ ફિનાઇલ પી લીધુ મૂળ ગોંડલના અને હાલ રિસામણે રાજકોટમાં કરણસિંહજી હાઇસ્કુલ પાસે રહેતા શિતલબેન સંજયભાઇ મકવાણા (ઉ.વ.28)એ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર શિતલબેનને તેનો પતિ સંજય દારૂ પી ત્રાસ આપતો હોવાથી હાલ રિસામણે આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમજ તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. શિતલબેને તેમના બહેન રૂપા અને બનેવી રવિ ત્રાસ આપી તેમનો દીકરો આપી દેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું જેનાથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પુત્રને મળવા ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ, સ્ટેશન પર પતિને જોઇ જતાં દવા પી ગઈ મૂળ મધ્ય પ્રદેશનાં આરતીબેન નીરજભાઇ જયસ્વાલ (ઉ.વ. 35) હાલ રાજકોટની પીઠવા કંપનીમાં રહે છે. તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહે છે અને તેમના પતિ નિરજભાઇ કંપનીમાં જ કામ કરે છે. આરતીબેનને સંતાનમાં 4 વર્ષનો પુત્ર છે જે હાલમાં મધ્ય પ્રદેશમાં આવેલ તેમના ગામે રહે છે. પુત્રની યાદ આવતા આરતીબેન ઘરેથી કોઇને કહ્યા વગર પુત્રને મળવા જઇ રહ્યા હતા દરમિયાન નીરજભાઇ પણ તેની પત્નીની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન આરતીબેન રેલવે સ્ટેશનની સામે પતિ નિરજભાઇને આવતાં જોઇ જતાં ઝેરી પાવડર પી લીધો હતો જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભગવતીપરામાં મહિલાને પિતરાઇ ભાઇ-બહેને ગેસની નળી મારી રાજકોટના ભગવતીપરામાં ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા એકતાબેન રમેશભાઇ આકલવ્યા (ઉ.વ.36) ભગવતીપરાના પુલ પાસે શાકમાર્કેટમાં હતા ત્યારે પિતરાઇભાઇ જીલ અને બહેન મિતલે ગેસની નળી મારતા ઇજા પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત એકતાબેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ કે પોતે અપરિણીત છે અને તેના દાદા સાથે રહે છે. તેણે દાદાનું ઘર ગિરવે મૂકયું હતું જેની જાણ કાકા યોગેશને થતા એ વાતનો ખાર રાખીને તેઓ અભદ્ર મેસેજ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો આજે પોતે બેન્કમાં કામ અર્થે ગયા હતા ત્યાં પણ કાકા યોગેશ બાઇકને ઠોકર મારતા પોતે તેમની ઓફીસે વાત કરવા પહોંચી ગયા હતા જયા કાકાના દિકરા જીલ અને દીકરી મિતલે ગેસની નળી મારી ઇજા પહોંચાડી હતી બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીની ઓફિસ પર આવીને એક શખસે બુમાબુમ કરી તથા ફોન પર જાનથી મારી નાખવાની અને દીકરાનું અપહરણ કરવાની ધમકી આપી હતી. જેથી મામલો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 51 વર્ષીય વેપારીની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદવડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં નવદુર્ગા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ લવજીભાઈ માંડણકા (ઉ.વ.51) કોન્ટ્રાક્શન તથા વેપારનો વ્યવસાય કરે છે. તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નિઝામપુરા સ્થિત સીવન એવન્યુ કોમ્પલેક્ષમાં તેમની 4 ઓફિસ છે, જેમાંથી એક ઓફિસ નંબર 206 યોગીનીબેન રાવળને ભાડે આપેલી છે. 18 લાખની છેતરપિંડીનો આક્ષેપ કરી ગંદી ગાળો આપીતા.12 માર્ચના રોજ બપોરે દોઢ વાગ્યે ચંદ્રકાંતભાઈ મધુનગર બ્રિજ નજીક હતા. ત્યારે ભાડુઆત યોગીનીબેન રાવળનો તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી ઓફિસ નંબર 206 પાસે આવી જોરજોરથી બુમાબુમ કરી રહ્યા છે, ત્યારબાદ યોગીનીબેને ફોન સ્પીકર પર મૂકી ચંદ્રકાંતભાઈને સંભળાવતા અલ્તાફભાઈએ ચંદ્રકાંતભાઈ પર રૂપિયા 18 લાખની છેતરપિંડી કરવાનો આક્ષેપ કરી ગંદી ગાળો આપી હતી. દીકરાનું અપહરણ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકીત્યારબાદ અલ્તાફભાઈએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે તેઓ ચંદ્રકાંતભાઈના દીકરાનું અપહરણ કરી લેશે તેમજ તેમના ઘરે જઈ પરિવારને જાનથી મારી નાખશે. ચંદ્રકાંતભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ અલ્તાફભાઈ દ્વારા તેમને અનેક વખત ધમકીઓ આપવામાં આવી ચૂકી છે. આ ઘટનાથી ડરી ગયેલા ચંદ્રકાંતભાઈએ અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરમાં વ્યવસાયિક એકમોમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. આજે જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર (પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા જે.કે. ચોક અને યુનિવર્સિટી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ટી-સ્ટોલ અને નાસ્તા હાઉસમાં ઘરેલું સિલિન્ડરના વપરાશ બાબતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે.કે. ચોક ખાતે આવેલ કૈલાશ ફરસાણ સ્ટોરમાં ઘરેલું સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું, જેના પગલે ઇન્ડેન કંપનીના 3 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નકલંક હોટલ સામે આવેલા શ્રીહરી ફાસ્ટફૂડ સ્ટોરમાંથી પણ 1 ઘરેલું સિલિન્ડર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 4 ઘરગથ્થુ સિલિન્ડર જપ્ત કરી ગેસ એજન્સીમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ હોટલ અને ફાસ્ટફૂડ સ્ટોરના માલિકોને નિયમોનું પાલન કરવા અને કોમર્શિયલ હેતુ માટે માત્ર વ્યવસાયિક સિલિન્ડરનો જ ઉપયોગ કરવા કડક સૂચના આપી સમજૂતી આપવામાં આવી હતી. રાજકોટમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, કાળઝાળ ગરમીને પગલે નિર્ણય રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ તાપમાનનો પારો ઊંચકાતા નાગરિકોને હીટવેવથી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉગ્ર ગરમી પડવાની શક્યતાને જોતા હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત હવેથી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે 1:00 થી 4:00 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવાનો અને લૂ લાગવાની ઘટનાઓ અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા કરવામાં આવશે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કરાઈ છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને જો બહાર જવું અનિવાર્ય હોય તો માથું છત્રી કે રૂમાલથી ઢાંકવું. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની વિશેષ સંભાળ રાખવી અને જો ચક્કર કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે. ગેસની અછત વચ્ચે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ સેવાની પરંપરા જાળવી રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કાર્યરત બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં સર્જાયેલી ગેસની અછત વચ્ચે પણ માનવસેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરની તંગીને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડતા ટ્રસ્ટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાકડાની મદદથી ચુલા ઉપર રસોઈ બનાવવા શરૂઆત કરી છે. સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એક પણ મનુષ્ય ભૂખ્યો ન રહે અને ત્રણ ટાઈમ રસોડું ધમધમતું રહે. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, હાલમાં ગેસની અછતને કારણે દાળ, ભાત અને શાક જેવી વાનગીઓ ચુલા પર બનાવવામાં આવે છે, જ્યારે હળવો નાસ્તો, ચા અને રોટલી ગેસ પર તૈયાર થઈ રહી છે. સંસ્થા પાસે 10 કોમર્શિયલ અને 6 ઘરેલુ ગેસ રિફિલની સુવિધા હોવા છતાં પણ અછતને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. દરરોજ રેન બસેરા, હોસ્પિટલો અને બાંધકામ સાઈટ સહિતના વિસ્તારોમાં વાહનો મારફત 3000 થી વધુ જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. નોંધનીય છે કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અન્નક્ષેત્ર અવિરત ચાલ્યું હતું. હાલમાં ગેસની અછતને કારણે અનેક હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, ત્યારે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ પોતાની સેવાની પરંપરા જાળવી રાખી છે. રાજકોટના રિંગ રોડ-2 પર રિસર્ફેસિંગ કામગીરી, વાહન ચાલકો માટે નવા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ હસ્તકના રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડથી ભાવનગર રોડ) પર રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન અકસ્માતો નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા કલેક્ટર એન. કે. મુછાર દ્વારા કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીના માર્ગ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.નવા જાહેરનામા મુજબ, ભારે વાહનોના ચાલકો 05 જૂન, 2026 સુધી NH-27 (કોરાટ ચોકથી આજી ડેમ ચોક) અને SH-25 રાજકોટ-ભાવનગર રોડ (આજી ડેમ ચોકથી કાળીપાટ ચોક)નો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે. હળવા વાહનો માટે બે તબક્કામાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20 માર્ચ, 2026 સુધી લાપાસરીથી વડાળી ચોકડી અને ત્યારબાદ 20 માર્ચથી 25 એપ્રિલ, 2026 સુધી વડાળીથી કાળીપાટ ચોકડીના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશ 09 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે, જોકે પોલીસ - ઈમરજન્સી સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજકોટમાં કોમર્શીયલ ગેસની અછતથી 3500 થી વધુ ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરો હવે રાજકોટના સ્થાનિક બજારમાં વર્તાવા લાગી છે. દેશભરમાં કોમર્શીયલ અને ઘરેલુ ગેસના પુરવઠાની અછત સર્જાતા ઉદ્યોગો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. રાજકોટમાં અંદાજે 3500 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે, જેમાંથી 80 ટકા દુકાનોમાં ગેસના અભાવે તાવડા બંધ થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ફરસાણ એસો.નાં પ્રમુખ પંકજ જોબનપુત્રાની આગેવાનીમાં વેપારીઓએ કલેકટર કચેરી ખાતે દોડી જઈ જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલ ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓ - કારીગરો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ સત્તાવાર પુરવઠો બંધ છે,બીજી તરફ કોમર્શીયલ અને રાંધણ ગેસના સિલિન્ડરો કાળાબજારમાં મળી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દરવર્ષે જન્માષ્ટમી જેવા તહેવારોમાં વહીવટી તંત્રને સહયોગ આપી રાહત દરે ફરસાણ વેચતા આ વેપારીઓએ અત્યારે મુશ્કેલ સમયમાં તંત્ર પાસે વૈકલ્પિક ગેસ પુરવઠાની વ્યવસ્થા કરવાની તાતી માંગ કરી છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક, ઘઉંની આવકે 1 લાખ મણની સપાટી વટાવી માર્કેટ યાર્ડમાં હાલ શિયાળુ પાકની સિઝન પૂરજોશમાં જામી છે. ખાસ કરીને હોળાષ્ટક પૂર્ણ થયા બાદ યાર્ડમાં ખેત પેદાશોની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે યાર્ડના મેદાનમાં માલના જંગી ઢગલા ખડકાયા છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઘઉંની આવક 1,00,000 મણની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ છે. એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉંની આવક નોંધાતા વેપારીઓ અને તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ક્વિન્ટલના હિસાબે જોઈએ તો આશરે 25,000 ગુણી ઘઉં ઠલવાયા છે. યાર્ડમાં માલ રાખવાની જગ્યા ન રહેતા અને મગફળી જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા ઘઉંની નવી આવક પર હાલ બ્રેક મારવામાં આવી છે. હરરાજી દરમિયાન ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ. 490 થી રૂ. 570 સુધી બોલાયા હતા. ઘઉં ઉપરાંત અન્ય પાકોમાં પણ સારી આવક જોવા મળી હતી. યાર્ડમાં ચણાની 31,800 મણ, મેથીની 9,700 મણ અને વટાણાની 9,800 મણની જંગી આવક નોંધાઈ હતી. આ સિવાય રાયડો 5,000 મણ, કપાસ 5,000 મણ, મગફળી 4,800 મણ અને લસણની 2,800 મણ આવક ઠલવાઈ હતી. ચારેતરફ માલની આવક વધતા યાર્ડમાં શિસ્તબદ્ધ રીતે હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, છતાં જગ્યાના અભાવે ખેડૂતોને નવી આવક માટે રાહ જોવી પડી શકે છે.
વડોદરા શહેરમાં બિઝનેસ લોન અપાવવાના બહાને ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ રૂપિયા 12.08 લાખ પડાવીને છેતરપિંડી આચરી છે. આ મામલે 3 આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક સેવાસી રોડ સ્થિત ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી યશુ ભગવાનદાસ જિંદાલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી પોતાની “સાલાસર મેટલ્સ” નામની કંપની ચલાવે છે. નવેમ્બર 2024 દરમિયાન તેમને એક ફાઇનાન્સ કંપની તરફથી વનિતાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં કંપની દ્વારા બિઝનેસ માટે રૂ.6.25 કરોડ સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી. આ અંગે વધુ ચર્ચા કરવા તેમને વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા ગ્લેસિયર કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્યાં કંપનીના પ્રતિનિધિઓએ લોન પ્રક્રિયા, સ્થળ વેરીફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના નામે વિવિધ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી દ્વારા તા.5 ડિસેમ્બર 2024ના રોજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ.5 લાખ તથા તા.6 ડિસેમ્બર 2024ના રોજ રૂ.1.50 લાખ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા ભાવના ગજાનંદ ભટ્ટના ખાતામાં તા.27 ડિસેમ્બર 2024ના રોજ રૂ.3 લાખ અને તા.28 ડિસેમ્બર 2024ના રોજ રૂ.50 હજાર રૂપિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ વેરીફિકેશનના બહાને શ્રેયશ ઉર્ફે સાહીલ મીઠા નામના કર્મચારીને રૂ.2 લાખ તથા અન્ય ખર્ચના નામે રૂ.8 હજાર આપવામાં આવ્યા હતા. તેમજ કંપનીના મેનેજર જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ રમણભાઈ સોનીને રૂ.2.40 લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે અને અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ રૂ.14.48 લાખ લેવામાં આવ્યા હતા. જેમાંથી બાદમાં જિગ્નેશભાઈ સોનીએ રૂ.2.40 લાખ પરત આપ્યા હતા. બાકી રહેલા રૂ.12.08 લાખ આજદિન સુધી પરત આપ્યા નહોતા અને લોન પણ મંજૂર કરાવી આપી નહોતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સંગઠિત રીતે લોન અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હોય પોલીસે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે સતર્કતા દાખવી છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શહેરના પેટ્રોલ પંપ અને એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસે સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ખોટી અફવાઓ ન ફેલાય તેની તકેદારી રાખવા અને પેટ્રોલ-ડિઝલ તેમજ એલપીજી ગેસનો સંગ્રહ ન થાય તે માટે ધ્યાન રાખવા સૂચના આપી હતી. પીઆઈ પલાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય લોકોને પેટ્રોલ, ડિઝલ અને એલપીજી ગેસ સરળતાથી મળી રહે તે માટે સંચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને શહેરના વિવિધ પેટ્રોલ પંપ તેમજ ગેસ એજન્સીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે
પાટડી તાલુકાના નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડને રૂ. 9.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી મળી છે. આ રોડના મેટલીંગ, ડામરકામ, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિશીંગના કામ માટે રૂ. 950 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે નવરંગપુરા, ઉપરિયાળા, પોરડા અને મોટી મજેઠી ગામોના લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઉપરિયાળા ગામ જૈન સમાજનું એક મહત્વનું તીર્થસ્થાન હોવાથી અહીં શ્રદ્ધાળુઓની અવરજવર પણ વધુ રહે છે. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પી. કે. પરમારને પણ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆતો કરાઈ હતી. ધારાસભ્ય પી. કે. પરમારની રાજ્ય સરકાર સમક્ષની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી આ વિસ્તારની વર્ષો જૂની બિસ્માર રસ્તાની સમસ્યાનો સુખદ અંત આવશે અને આગામી દિવસોમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.
વેરાવળમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદ:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે SOG પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે શહેરના સટ્ટા બજાર વિસ્તારમાં એક તેલના વેપારીને ત્યાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી SOG પોલીસે ફૂડ વિભાગ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભેળસેળયુક્ત દૂધ અને તેલની બનાવટો દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે તાલાલાના વાડી વિસ્તારમાં પણ SOG પોલીસે ફૂડ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તે સમયે આશરે ૧૬,૦૦૦ કિલોગ્રામ શંકાસ્પદ કેરીનો રસ મળી આવ્યો હતો, જે બે વર્ષ જૂનો હોવાનું અને લગ્નની સિઝનમાં વેચવા માટેનો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી પણ ભેળસેળ અટકાવવાના વ્યાપક અભિયાનનો એક હિસ્સો હતી.
સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતા જ વહીવટદાર શાસનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર મિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, હવે ટેબલ વર્ક કે AC કેબિનમાં બેસવાનુ છોડો અને તમામ અધિકારીઓએ ફિલ્ડ પર જઈને લોકોની સમસ્યાઓ ઉકેલવી પડશે. અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશેમિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે ઝોનલ વડાઓ અને વિભાગીય વડાઓ સાથે લાંબી 'મેરેથોન બેઠક' યોજીને શહેરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ તેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટદારે અધિકારીઓને તાકીદ કરી છે કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ પોતે ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશે. ખાલીખમ ઓફિસો અને ગરમીમાં ફિલ્ડવર્કવહીવટદારના આ કડક આદેશની અસર બીજા જ દિવસથી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના મુખ્ય મથક એવા 'શ્રી તાપી ભવન' ખાતે મોટાભાગના અધિકારીઓની ઓફિસો સવારથી જ ખાલીખમ જોવા મળી હતી. 'ફિલ્ડ વિઝિટ વગરની કોઈ કામગીરી સ્વીકારાશે નહીં'જે અધિકારીઓ અત્યાર સુધી એર-કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર રિપોર્ટો જોતા હતા, તેઓ હવે કાળઝાળ ગરમીમાં પણ ફિલ્ડ પર જઈને કામગીરીની સમીક્ષા કરતા નજરે પડ્યા હતાં. વહીવટદારે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્ડ વિઝિટ વગરની કોઈ પણ કામગીરીને સ્વીકારવામાં આવશે નહીં. ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચનાવહીવટદારે આગામી દિવસો માટે મુખ્ય ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરને ચકાચક રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ પ્રત્યે વિશેષ તકેદારી રાખવા અને ત્યાંની સફાઈ વ્યવસ્થામાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ, ખાડાઓનું પુરાણ અને અન્ય સુરક્ષાત્મક પગલાંઓ અત્યારથી જ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયો છે. રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી નાગરિકોની પાયાની જરૂરિયાતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ-ફૂલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સફળતાપૂર્વક કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. આનાથી સ્થાનિક લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે અને ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર પણ પ્રાપ્ત થયું છે. જિલ્લામાં કાજુ ઉત્પાદન અને તેના વેલ્યુ એડિશનમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. વર્ષ 2000માં સ્થપાયેલી આ મંડળી કાજુ ઉત્પાદનથી લઈને તેની સંપૂર્ણ પ્રોસેસિંગ પ્રક્રિયા સુધીનું કાર્ય કરે છે. મંડળી સ્થાનિક ખેડૂતો પાસેથી કાચા કાજુ ખરીદીને તેનું પ્રોસેસિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ કરે છે. ત્યારબાદ આ પ્રોસેસ કરેલા કાજુનું વેચાણ સ્થાનિક સ્તરે તેમજ વઘઈ-સાપુતારા વિસ્તારમાં આવતા પ્રવાસીઓને કરવામાં આવે છે. આ કામગીરીથી કાજુનું વેલ્યુ એડિશન થાય છે અને ખેડૂતોને બજાર સક્ષમ ભાવ મળે છે. મંડળીના સેક્રેટરી ચિંતુભાઈ ગાવિતે જણાવ્યું કે, શરૂઆતમાં બાયફ સંસ્થા દ્વારા 18 ગ્રામ્ય વિસ્તારોમાં 'વાડી પ્રોજેક્ટ' શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ગામમાં એક એકર જમીનમાં આશરે 40 કાજુના છોડ રોપવામાં આવ્યા હતા. ઉપજને બજાર મળે તે હેતુથી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી અને કાજુ વેચાણ સાથે પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરાયું. આ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાસ કરીને સ્થાનિક મહિલાઓને રોજગારી મળે છે. વર્ષમાં લગભગ 8 થી 9 મહિના સુધી કાજુ પ્રોસેસિંગની કામગીરી ચાલતી હોવાથી ગામની મહિલાઓને રોજીરોટી માટે બહારગામ જવું પડતું નથી. તેઓ ઘરકામ સાથે મંડળીમાં કામ કરીને આવક મેળવી રહી છે. મંડળીને બાગાયત વિભાગ તરફથી ગ્રેડિંગ અને સોર્ટિંગ સાધનો માટે 90 ટકા અને પ્રોસેસિંગ સાધનો માટે 75 ટકા સુધીની સબસીડી પણ મળી છે. મંડળીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત ઉર્મિલાબેન સતિષભાઈ રાઠોડે જણાવ્યું કે સ્થાનિક સ્તરે રોજગારી મળવાથી મહિલાઓને મોટી રાહત મળી છે. બેબીબેન ઠાકરે ઉમેર્યું કે ગામમાં જ રોજગારી મળતા પરિવારની આવકમાં વધારો થયો છે. જામલાપાડામાં શરૂ થયેલું આ કાજુ વેલ્યુ એડિશન મોડેલ હવે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે. આગામી સમયમાં સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સથી આવા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પહોંચવાની નવી તકો પણ પ્રાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દેશી તમંચા સાથે એક શખસ ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ માલવણ ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ટોલ પ્લાઝા નજીકથી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 5,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોને શોધી કાઢવા માટે LCB ને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ હાજીખાન મુરીદખાન મલેક છે, જે સેડલા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગરનો રહેવાસી છે. તેની પાસેથી લાયસન્સ કે પરવાના વગરનો એક દેશી બનાવટનો લોખંડનો સિંગલ બેરલ તમંચો (બંદૂક) જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત 5,000 રૂપિયા આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા અને સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ.કોન્સ દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ સંજયભાઈ પાઠક સહિતની ટીમે ભાગ લીધો હતો.
પુરવઠા વિભાગે ઓપેરા ગેસ ગોડાઉનની તપાસ કરી:સ્ટોક, વજન ચકાસી સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઓપેરા ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા ખાતાની ટીમે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો, તેની ફાળવણીની પદ્ધતિ અને સિલિન્ડરના વજનની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર સહિતના અન્ય પત્રકો પણ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં લગ્નગાળો ચાલતો હોવાથી ગેસ સિલિન્ડરની અછત હોવાના અને કેટલાક સ્થળોએ છૂપી રીતે વધુ ભાવ લેવાતા હોવાના અહેવાલો મળ્યા હતા. આ અહેવાલોને પગલે જિલ્લા કલેક્ટરે ગેસ પુરવઠા અંગે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બેંકમાં નોકરી કરતા રિલેશનશીપ મેનેજર પર ચાર શખસે મળીને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બહેનને મેસેજ કરવાના આરોપને લઈને પહેલા બે શખસે ફરિયાદીની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મળવા બોલાવીને લાકડી વડે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બેંકકર્મી ચાર શખસો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરીઠક્કરનગર વિસ્તારમાં રહેતા જીતેન સોલંકી એક બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 માર્ચે જીતેન દિલ્હીથી ઘરે પરત ફર્યો હતો, તે સમયે મચ્છુ ચારણ અને ક્રિષ્ના ચારણ ફરિયાદીના ઘરે આવ્યા હતા. જીતેનના પિતાને કહ્યું હતું કે, તમારો પુત્ર મારી બહેનને મેસેજ કેમ કરે છે? તેને બહાર કાઢો. ત્યારબાદ બંને શખસે જીતેનની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. બીજા દિવસે મળવા બોલાવી હુમલો કર્યોતેમજ બીજા દિવસે જીતેન ઘરે હતો, ત્યારે મચ્છુ ચારણે તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જીતેનને મહાદેવના મંદિર પાસે બોલાવવામાં આવ્યો હતો. જીતેન ત્યાં પહોંચ્યો ત્યારે મચ્છુ ચારણ, ક્રિષ્ના ચારણ અને અન્ય બે શખ્સો હાજર હતા. આરોપીઓએ જીતેનને ફરીથી બહેનને મેસેજ કેમ કરે છે? તેવો સવાલ કર્યો હતો. જો કે, તે બાદ જીતેને કહ્યું હતું કે, હું કોઈ મેસેજ કરતો નથી અને તેમની બહેન જ સામેથી મેસેજ કરે છે. આ વાત સાંભળતા જ ચારેય શખસે મળીને જીતેન પર હુમલો કર્યો હતો અને લાકડીથી માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ ધમકી આપી ફરારજો કે, તે બાદ જીતેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ આરોપીઓએ ફરિયાદીને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે બાદ ફરિયાદીએ ચાર શખસ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. કોટિયા પ્રોજેક્ટનું કહેવું છે કે વળતર ચૂકવવા માટે તે એકમાત્ર જવાબદાર વ્યક્તિ નથી. તેના માટે વીમા કંપની, સબ કોન્ટ્રાક્ટર ટ્રાયસ્ટાર અને ડોલ્ફિન પણ જવાબદાર છે. કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યુંઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું હતું કે, કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યું હતું. વળી કોટિયા પ્રોજેક્ટ દ્વારા સબ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો, જેના માટે તે જવાબદાર નથી. વડોદરા મહાનગરપાલિકાનું કહેવું હતું કે તેને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોટિયા પ્રોજેક્ટ દ્વારા મંજૂરી નહીં હોવા છતાં ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સબ કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સુપ્રીમમાં કોટિયા પ્રોજેક્ટની અરજી સંદર્ભે નોટિસ કાઢવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ?અગાઉ હાઇકોર્ટે MACPની જોગવાઇ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઘાયલોના પરિજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. જેમાં કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. હવે ટ્રાઇસ્ટાર અને ડોલ્ફિનને વળતર માટે જવાબદાર ગણવા કે કેમ તે મુદ્દો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ વચ્ચે અટવાયો છે. જ્યારે ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ તે અંગે અલગથી કેસ થઈ શકે તેમ છે. બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયોજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપીકોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જો કે હાઇકોર્ટે ઓરીજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવીટ માંગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને અલગ અલગ વળતર ચૂકવવા નક્કી કરાયું હતુંઅગાઉ પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મૃતકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો, જ્યારે 2 ઘાયલોને સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે. જેમાં જાહેર હિતની અરજી દાખલ થયેથી ચૂકવાય તેના સમયગાળામાં 9 ટકા વ્યાજ પણ ગણવામાં આવશે.
ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવવાના વિવાદને લઈ દહેગામ તાલુકાના પશુપાલકોએ આજે ગાંધીનગર સચિવાલય સુધી ટ્રેક્ટર રેલી કાઢી આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પશુપાલકોની આ રેલી ગાંધીનગર પહોંચે તે પૂર્વે જ પોલીસે ચારેતરફ નાકાબંધી કરી દીધી હતી. અઢીસો જેટલા પોલીસ જવાનોના કાફલાએ ગાંધીનગર તરફ આવતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી અને આંદોલનકારીઓને અટકાવ્યા હતાં. આ ઘર્ષણ દરમિયાન પોલીસે અલગ અલગ રસ્તાઓ પરથી આશરે 140 જેટલા પશુપાલકોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ પશુપાલકોનો મોરચોદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા ત્રણ દિવસથી ઉત્તમ ડેરી અને અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના ચેરમેન મોહન ભરવાડના અમુક નિર્ણયોને કારણે દરરોજનું 60 હજાર લિટર દૂધ ભરાવવાનું બંધ થઈ ગયું છે, જેનાથી પશુપાલકોની આજીવિકા પર મોટું સંકટ આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયાઆ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજે સવારે દહેગામ નહેરુ ચોકડી ખાતે મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયા હતા. અહીંથી 300 જેટલા ટ્રેક્ટરોમાં રેલી સ્વરૂપે વાયા ચિલોડા થઈને સચિવાલય પહોંચી સરકારને ન્યાય માટે ગુહાર લગાવવાનું આયોજન હતું. ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ પશુપાલકોને અટકાવાયાપશુપાલકોના આંદોલનને જોતા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દહેગામથી ગાંધીનગરને જોડતા માર્ગો પર પોલીસ દ્વારા આડશો મૂકીને ટ્રાફિક રોકી દેવાયો હતો. પશુપાલકો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતાં. પશુપાલકોએ મામલતદાર પાસે સુરક્ષાની માંગણી પણ કરી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે આંદોલનકારીઓને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી. બે હજાર લિટર દૂધ મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યોઅત્યાર સુધીના આંદોલનની વાત કરીએ તો,પશુપાલકોએ મામલતદાર કચેરી સામે દૂધની નદીઓ વહાવી વિરોધ કર્યો હતો. બાદમાં પશુપાલકોએ સંવેદનશીલતા બતાવી દૂધનો વ્યય કરવાના બદલે આશરે બે હજાર લિટર દૂધ જરૂરિયાતમંદો અને ગરીબોને મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાશેબીજી તરફ નવા થાંભલીયા ગામમાં મહિલા દૂધ ઉત્પાદકોએ ભારે આક્રોશ સાથે ડેરી ચેરમેનની નનામી કાઢી હતી અને પૂતળાદહન કરીને છાજિયા કૂટ્યા હતા. ત્યારે ખાનપુર સહિતના આસપાસના 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. જેના કારણે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા જણાઈ રહી છે.
વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹1.60 લાખનો દંડ ફટકારાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલી રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે કડક કાર્યવાહી કરતા દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ રૂા. 1.60 લાખનો દંડ ફટકાર્યો છે. પુરવઠા નિરીક્ષક દ્વારા આ દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભૌતિક ચકાસણી કરતા ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા અને ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ મળી આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોને કુપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલમાપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારીઓ પણ જોવા મળી હતી.
મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીના કાળાબજાર રોકવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગેસ એજન્સીઓ અને વિતરકોને ઘરેલુ ગેસ સિલિન્ડરનો હેતુફેર કે કાળાબજાર ન કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ ગેસ એજન્સી કે વિતરક ઘરેલુ એલપીજીના કાળાબજાર કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એલપીજીના કાળાબજાર કરનારા તત્વો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં પાસા જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આવી એજન્સીઓના લાયસન્સ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેમણે ગેસ વિતરણકર્તાઓને વર્તમાન સંજોગોમાં ગંભીરતા દાખવવા અપીલ કરી હતી. એલપીજી સ્ટોકના પરિવહન અને કાર્યક્ષમ વિતરણ માટે ગેસ એજન્સીઓને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. ગેસનું પરિવહન અને વિતરણ ફક્ત માન્ય વાહનોમાં જ કરવાનું રહેશે. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ છતાં મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને પીએનજી ગેસ પાઇપલાઇન દ્વારા પૂરા પાડવામાં આવતા ગેસનો પણ પૂરતો જથ્થો છે. ઘરેલુ એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારના સૂચન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની જરૂરિયાત મુજબ એલપીજીની ફાળવણી ચાલુ રહેશે. આ સમયે ગેસ વિતરણ કરતી એજન્સીઓ અને વિતરકો સાથે બિનજરૂરી સંઘર્ષ ન કરવા અને તેમને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક-જાવકનું મેન્યુઅલ રજિસ્ટર ફરજિયાત નિભાવવું પડશે. ઉપરાંત, ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો કોઈ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે પરીક્ષિતા રાઠોડે પાલનપુર ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ રેન્જ અંતર્ગત પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે. પાલનપુર આગમન સમયે બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અનુભવ અને પ્રાથમિકતાઓનવનિયુક્ત IGP પરીક્ષિતા રાઠોડ અગાઉ પાટણ અને કચ્છ ઈસ્ટમાં SP તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉના અનુભવને કારણે તેઓ સરહદી જિલ્લાઓની ભૌગોલિક અને સુરક્ષા સંબંધી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. આગામી એક્શન પ્લાનચાર્જ સંભાળતાની સાથે જ તેમણે ત્રણેય જિલ્લાના SP સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં ગુના નિયંત્રણ અને સરહદી સુરક્ષા જેવી બાબતોનો સમાવેશ થાય છે: ગુના નિયંત્રણ: સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન (દારૂબંધી) જેવી પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવો. જનસંપર્ક: પોલીસ સ્ટેશને આવતા ફરિયાદીઓને ન્યાય મળે અને તેઓ પોલીસની કામગીરીથી સંતુષ્ટ થાય તેવા પ્રયાસો કરવા. સરહદી સુરક્ષા: બોર્ડર રેન્જના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવી.
પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં ગેસ સિલિન્ડરની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાસ કરીને મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈકામ ન અટકે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ગેસ સિલિન્ડરની અછતની સ્થિતિને પગલે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લાની હજારો શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીઓમાં જો ગેસનો પુરવઠો ખોરવાય તો બાળકોના ભોજન પર સીધી અસર પડી શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા નિયત કોટા મુજબ પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલી જિલ્લાની1380 શાળાઓ તેમજ 3500થી વધુ કાર્યરત આંગણવાડીઓને તેમના કોટા મુજબ ગેસ પુરવઠો ફાળવવામાં આવશે. ગેસ સિલિન્ડરના વિતરણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે. પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, એજન્સીઓ દ્વારા કરવામાં આવતા વિતરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્થળે વિતરણ વ્યવસ્થામાં ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે, જેથી અછતની સ્થિતિમાં પણ શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી શકે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પાટણમાં ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ:શ્રમિકોને સ્થળ પર મળશે પ્રાથમિક તબીબી સેવા, DDOએ લીલીઝંડી આપી
પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા પૂરી પાડવા માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે આ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. બાંધકામ સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોને ઘણીવાર શારીરિક ઇજાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાંધકામ સાઇટ, કડીયાનાકા અને શ્રમિક વસાહતો ખાતે તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે 'ધન્વન્તરી આરોગ્ય રથ' યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ આરોગ્ય રથ દ્વારા તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો અને પ્રાથમિક ઇજાઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવે છે. ઉપરાંત, પેશાબ, લોહી, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરી તપાસો પણ ઉપલબ્ધ છે. શ્રમિકોના બાળકો અને સગર્ભા મહિલાઓને પણ જરૂરી તબીબી સલાહ અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. હાલમાં પાટણ જિલ્લામાં બે ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. આજે શરૂ થયેલો આ નવો રથ જિલ્લામાં આવા રથોની સંખ્યા ત્રણ કરશે. આ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નજીકમાં જ તબીબી સારવાર મળશે, જેનાથી ગંભીર અને વ્યવસાયિક રોગોને પ્રાથમિક તબક્કે જ અટકાવી શકાશે. આ ઉપરાંત, શ્રમિકોમાં આરોગ્ય જાગૃતિ લાવવા કાઉન્સેલિંગ અને ઇ-નિર્માણ કાર્ડની નોંધણી પણ કરવામાં આવશે. ગુજરાત સરકારની આ યોજના બાંધકામ શ્રમિકોના આરોગ્ય સુરક્ષા અને સુવિધા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
બોટાદ APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો:તાલુકા મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો
બોટાદ જિલ્લામાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બોટાદ APMC ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં APMCના ચેરમેન મનહરભાઈ માતરીયા, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી વાળા, કૃષિ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને મિલેટ પાકોનું મહત્વ, તેના આરોગ્યલક્ષી ફાયદા અને બજારમાં તેની વધતી માંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિવિધ કૃષિ યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. તેમણે કૃષિ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો લાભ લીધો હતો અને નવી કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી. બોટાદ APMC ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ અને મિલેટ પાકો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી તેઓ વધુ સારી અને ટકાઉ ખેતી અપનાવી શકે.
પાટણ જિલ્લાના ખેડૂતોએ બટાકાની ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. પાટણ તાલુકાના ગોલાપુર ગામના ખેડૂતોએ કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રયોગ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જેવા બટાકા ઉત્પાદક વિસ્તારોને પણ ટક્કર આપે તેવો છે. ગોલાપુરના ખેડૂત ઉમેદસિંહ દરબાર અને સરપંચ દિલીપસિંહ મારુએ ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત બટાકાનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે બટાકાની ખેતીમાં યુરિયા, ડીએપી અને સલ્ફેટ જેવા ખાતરોનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ આ ખેડૂતોએ માત્ર 25 થી 30 ટ્રોલા દેશી છાણિયું ખાતર વાપરીને ખેતી કરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા છતાં બટાકાનું કદ અને ગુણવત્તા ઉત્તમ જોવા મળી છે. ખેડૂતોના મતે, ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં બટાકાને વહેલા કાઢવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે અને માત્ર 70 દિવસમાં પાક લેવાય છે. જ્યારે ગોલાપુરમાં 120 દિવસનો સંપૂર્ણ સમય આપી કુદરતી રીતે પાક તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ, ઓર્ગેનિક ખેતીમાં પ્રતિ વીઘા અંદાજે 70 થી 100 કટ્ટા જેટલા બટાકા થવાની ધારણા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના અતિશય વપરાશને કારણે જમીન બગડવાની સાથે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બટાકા, શાકભાજી અને ફળો સજીવ હોવાથી જો તેમાં ઝેર રૂપી કેમિકલ નાખવામાં આવે તો તે માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી જમીનને કેમિકલ મુક્ત કરવા અને સમાજને કેન્સર જેવા રોગોથી બચાવવા માટે ગૌશાળાના છાણ અને ગાય આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીના આ સફળ પ્રયોગ અંગે ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત ખેતીને કારણે વધતા કેન્સરના કેસો ચિંતાનો વિષય છે. દવાઓ પર ઝેર લખેલું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, જે ધરતી માતા અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. પ્રથમ પ્રયાસે જ થયેલું મબલખ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જોઈ અન્ય ખેડૂતો પણ હવે ઝેરમુક્ત ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરમાં પ્રવાસના શોખીન લોકોને સસ્તામાં લક્ઝરી ટૂર કરાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બનારસ અને દાર્જિલિંગ જેવા સ્થળોએ ફ્લાઇટમાં લઈ જવાના બહાને 44 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ યુવરાજ જરીવાલાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. શું હતો સમગ્ર મામલો?2022માં આરોપી યુવરાજ જરીવાલાએ પ્રવાસીઓને આકર્ષવા માટે આકર્ષક ટૂર પેકેજની જાહેરાત કરી હતી. તેણે બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યા જેવા ધાર્મિક તથા પર્યટન સ્થળોએ 13 દિવસનો પ્રવાસ કરાવવાનું વચન આપ્યું હતું. 44 લોકો પાસેથી અંદાજે 9.46 લાખમાં સોદો નક્કી થયો હતો. આરોપીએ 44 પરિવારો પાસેથી ટુકડે-ટુકડે કુલ 5.28 લાખ જેટલી રકમ મેળવી લીધી હતી. લોકોને ફ્લાઇટ દ્વારા મુસાફરી કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પ્રવાસ અધવચ્ચે લટકાવ્યોજ્યારે પ્રવાસની તારીખ આવી ત્યારે આરોપી પોતે સાથે જવાને બદલે પ્રવાસીઓ સાથે માત્ર એક મેનેજરને મોકલી આપી છટકી ગયો હતો. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને નક્કી થયા મુજબની સુવિધાઓ મળી નહોતી અને અધવચ્ચે જ પ્રવાસ ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા પ્રવાસીઓએ સુરત પરત આવી પોલીસનો સંપર્ક કર્યો હતો. કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ?ભોગ બનનાર પ્રવાસીઓની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી યુવરાજ જરીવાલાની ધરપકડ કરી છે. યુવરાજે અગાઉ પણ આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કોઈપણ અજાણી ટૂર એજન્સી કે વ્યક્તિને મોટી રકમ ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતા અને લાયસન્સની તપાસ ચોક્કસપણે કરવી જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતેથી દિવ્યાંગો માટેની નવીન સાધન સહાય યોજનાનો પ્રારંભ કરાયા બાદ, દાહોદ જિલ્લામાં પણ તેનો અમલ શરૂ થયો છે. દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં 158 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને શારીરિક શ્રમમાંથી મુક્તિ અપાવી આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી. ખાટા અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફી કાપડિયાના હસ્તે સાધનોનું વિતરણ કરાયું હતું. કુલ 148 મોટરરાઈઝ્ડ ટ્રાયસીકલ અને 10 અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર લાભાર્થીઓને સોંપવામાં આવી હતી. આ મોટર સંચાલિત સાધનો મળવાથી દિવ્યાંગોને લાંબા અંતરના પ્રવાસ માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું પડશે નહીં, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિતરણ દરમિયાન, લાભાર્થીઓને સાધનોના ટેકનિકલ ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. કચેરીના કર્મચારીઓએ વિવિધ તાલુકાઓમાંથી આવેલા દિવ્યાંગોને સાધનોની જાળવણી અને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જોયસ્ટિક વ્હીલચેર મેળવનારા ગંભીર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે આ સાધન ખાસ કરીને ફાયદાકારક છે, કારણ કે તેઓ હવે આંગળીના ટેરવે પોતાની હલનચલન નિયંત્રિત કરી શકશે. સરકારના આ પગલાથી દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં છેવાડાના દિવ્યાંગો સુધી સુવિધા પહોંચી છે. નવી ટેકનોલોજીથી સજ્જ આ ટ્રાયસીકલ દિવ્યાંગો માટે રોજગારીના નવા અવસર ઊભા કરશે. લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સાધનો તેમના જીવનની મુશ્કેલીઓ સરળ બનાવશે અને તેમને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક આપશે.
વિધાનસભામાં કોંગ્રેસે દેખાવો કર્યો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે સર્જાયેલા ગેસ સંકટ પર કોંગ્રેસે વિધાનસભામાં દેખાવો કર્યો.અમિત ચાવડાએ ખભે સિલિન્ડર લીધો તો તુષાર ચૌધરીએ માથે લાકડા લઈને પહોંચ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને ભરૂચ કોર્ટને મળી બોમ્બની ધમકી.સોમવારે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરિસરોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બસ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વૃદ્ધ પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક સુરતની ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની પર એસિડ ફેંક્યું.વૃદ્ધ દંપતીનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. પત્ની પર એસિડ ફેંક્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી. .બંનેને સારવાર માટે ખસેડાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરમી સાથે સાથે વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે હવે વરસાદની આફત..18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો હજી 24 કલાક હીટવેવની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારીએ ફરી કરી સુરક્ષાની માગ અન્ય સમાજમાં લગ્ન બાદ થયેલા વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શંકર ચૌઘરી પાસે સુરક્ષાની માગ કરી.. લગ્નની જાહેરાત બાદથી જ તેને અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર પર હાઈકોર્ટનો ચૂકાદો અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પુનઃસ્થાપિત કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે એએમસી સર્વે વગર 'નો વેંડિગ ઝોન જાહેર ન કરી શકે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાયના ઘીના નામે નકલી ઘી વેચતું કારખાનું ઝડપાયું સુરતમાં ગાયના ઘીના નામે નકલી ઘી પીરસતા કારખાનું ઝડપાયું.. ડાલડામાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવીને જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી ઘી વેચાતું હતું. પોલીસે 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દાનપેટીમાંથી પૂજારીઓએ ચોરી કરી નોનવેજ અને દારુ પાર્ટી બાદ હવે જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરમાં પૂજારીઓનો ચોરી કરતો વીડિયો સામે આવ્યો.. દાનપેટીમાંથી ચોરી કરતા પૂજારીઓ સીસીટીવીમાં કેદ થયા છે.. કોંગ્રેસે ગંગાજળ- ગૌમૂત્રથી મંદિરનું શુદ્ધિકરણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાંધકામ અરજીમાં સેટલમેન્ટ માટે 3 લાખની લાંચ માગી રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે બાંધકામ અરજીમાં સેટલમેન્ટના નામે 3 લાખ રુ.ની લાંચ માગી.. છેલ્લે સવા લાખમાં પતાવટ કરવાની વાત કરી, કોર્પોરેટરના આ કારસ્તાનનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનથી આવતી બસમાં આગ, 1નું મોત ધાનેરા પાસે રાજસ્થાનની ગુજરાત આવતી બસમાં આગ લાગી.. 1 મુસાફરનું મોત નીપજ્યું, 6 થી વધુ ગંભીર રીતે દાઝી ગયા. મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલા કુદરતી મુખત્રિકોણ પ્રદેશ એટલે કે ઘેડ વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ ભોગવતા આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોની પીડાનો અંત લાવવા માટે ભુપેન્દ્ર પટેલે 1423.4 કરોડ રૂપિયાની યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ યોજનાથી 6 તાલુકાના અનેક ગામો અને હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અત્યંત જટિલ છે. અહીં ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી જેવી નદીઓ વહે છે. આ નદીઓ જ્યારે દરિયા કિનારાની નજીક પહોંચે ત્યારે તેમનો પટ અત્યંત સપાટ અને છીછરો બની જાય છે. નદીઓને કુદરતી કાંઠા ન હોવાને કારણે પૂરના પાણી તરત જ આસપાસના ખેતરોમાં ફરી વળે છે. દર વર્ષે ચોમાસાના 4 થી 5 મહિના સુધી આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. રસ્તાઓ બંધ થઈ જવાથી ગામડાઓ સંપર્કવિહોણા બની જાય છે અને લોકો ટાપુ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બને છે. આ પૂરના કારણે માત્ર ચોમાસું પાક જ નિષ્ફળ નથી જતો, પરંતુ ખેતરોમાં કાંપ અને પાણી ભરાઈ રહેવાને કારણે શિયાળુ પાકનું વાવેતર પણ મોડું થાય છે, જેનાથી ખેડૂતોની આર્થિક કમર તૂટી જાય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સરકારે ત્રણ તબક્કામાં કામગીરી વહેંચી છે. ફેઝ-1 અંતર્ગત એપ્રિલ 2025માં 139.42 કરોડના કામો મંજૂર કરાયા હતા, જેમાં નદીઓ અને કેનાલોનું ડિસિલ્ટિંગ એટલે કે કાંપ કાઢવાની કામગીરી, પાણીના વહેણમાં અવરોધરૂપ ઝાડી-ઝાંખરાનું કટિંગ અને નડતરરૂપ ચેકડેમો દૂર કરવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં કુલ 17 જેટલા કામો પ્રગતિ હેઠળ છે, જેને ચોમાસું 2026 પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રાથમિક કામગીરીથી પાણીના કુદરતી વહેણને માર્ગ મળશે અને પૂરની તીવ્રતામાં ઘટાડો થશે. હવે સરકારે ફેઝ-2 માટે 1423.4 કરોડની માતબર રકમ ફાળવી છે. આ તબક્કામાં આઈઆઈટી ગાંધીનગરના ટેકનિકલ રિવ્યુ બાદ સોરઠી ઘેડ માટે 1118.54 કરોડ અને બરડા ઘેડ માટે 304.86 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફેઝમાં નદીઓના કાંઠા મજબૂત કરવા (બેન્ક પ્રોટેક્શન), બંધ પડેલા વોંકળાઓને પુનર્જીવિત કરવા અને જે પુલ કે સીડી વર્ક્સ સાંકડા છે તેને તોડીને મોટા ગાળાના નવા બાંધકામો બનાવવામાં આવશે. દરિયાના ખારા પાણીને અંદર આવતા રોકવા અને વરસાદી પાણીના નિકાલ માટે વધુ ક્ષમતાવાળા નવા ટાઈડલ રેગ્યુલેટર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત હયાત તળાવોને ઊંડા કરી જળ સંગ્રહ શક્તિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ માત્ર પાણી ભરાવા પૂરતી સીમિત નથી, પરંતુ તે જમીનની ફળદ્રુપતા પણ છીણવી રહી છે. દરિયાના પાણીના બેક મારોને કારણે જમીન ખારી થઈ રહી છે અને વારંવાર આવતા પૂરથી જમીનનો ઉપરનો ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. અગાઉના વર્ષોમાં પણ અહીં નદીઓના રિમોડેલિંગ અને ઇન્ટરલિંકિંગના પ્રયાસો થયા હતા, પરંતુ સમય જતાં કાંપ ભરાઈ જવાથી અને વહેણ અવરોધાવાને કારણે સમસ્યા જટિલ બની હતી. હવે આ નવા પ્રોજેક્ટથી વૈજ્ઞાનિક ઢબે નદીઓની સફાઈ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતો વર્ષમાં બે પાક લઈ શકે અને પૂરના કાયમી ભયમાંથી મુક્તિ મેળવી શકે. અર્જુનભાઈ મોઢવાડિયા અને અન્ય સ્થાનિક પ્રતિનિધિઓના સતત ફોલોઅપ બાદ આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે.
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 13 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મામાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી રણજીત આંધેર (ઉંમર 23) એ વર્ષ 2022માં તેની 13 વર્ષની ભાણેજને સરીગામ બજારમાંથી નવા કપડાં અપાવવાની લાલચ આપી હતી. તે સગીરાને બાઈક પર બેસાડી બજારને બદલે કરમબેલા પાસે GHCL કંપનીની પાછળ આવેલા દરૌઠા ખાડી કિનારે ફોરેસ્ટના જંગલમાં લઈ ગયો હતો. જંગલની ઝાડીઓમાં તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યનો તેણે પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ તેણે સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે અને તેને જાનથી મારી નાખશે. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને POCSO એક્ટ અને IPC કલમ 376(3) હેઠળ દુષ્કર્મ માટે 20 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, IPC કલમ 366 હેઠળ અપહરણ માટે 10 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ તથા IPC કલમ 506(2) હેઠળ જાનથી મારવાની ધમકી આપવા બદલ 2 વર્ષની કેદ અને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતાની માનસિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને 'ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેણે વધુ 1 વર્ષ જેલમાં વિતાવવું પડશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જૈન મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ અને મુનિરાજ અજીતસેનવિજયજી મહારાજ શુક્રવાર, 13 માર્ચના રોજ સાંજે ચાર કલાકે પેપરાળ તીર્થથી વિહાર કરશે. તેઓ મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થમાં ગુરુ રાજેન્દ્રસૂરિ સમાધિ મંદિર તરફ પ્રયાણ કરશે. આ મુનિરાજ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય છે. તાજેતરમાં તેઓ પાટણ નગરે પધાર્યા હતા અને હાલમાં ગુરુ જયંતસેનના જન્મસ્થળ પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા.
ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચેના અંતરને ઘટાડવા માટે નિર્મિત હાઈટેક ટ્રાવેલેટરને આખરે મુસાફરો માટે ખુલ્લું મુકી દેવાયું છે. મલ્ટી મોડેલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે આશરે 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ 400 મીટર લાંબુ ટ્રાવેલેટર મેટ્રો અને રેલવે બંનેના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે થયેલા વિલંબ બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી કડક સૂચનાઓને પગલે પ્રોજેક્ટને તરતો મૂકી દેવાયો છે. ગાંધીનગરમાં મુકાયેલું ટ્રાવેલેટર ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. ટ્રાવેલેટર શરૂ થતાં હવે 1.3 કિમી ચાલવું નહીં પડે અત્યાર સુધી ગાંધીનગર રેલવે સ્ટેશનથી મેટ્રો પકડવા માટે મુસાફરોએ નીચે રસ્તા પર ઉતરીને ખ-રોડ પરથી અંદાજે 1.3 કિલોમીટર જેટલું ચાલીને જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે 15થી 20 મિનિટનો સમય વેડફાતો હતો. 4 મિનિટમાં રેલવે સ્ટેશન સંકુલ પહોંચી શકશોજોકે હવે આ આધુનિક સુવિધા શરૂ થતા મુસાફરોએ નીચે રસ્તા પર આવવાની જરૂર જ પડતી નથી. મેટ્રો સ્ટેશનથી ઉતરીને સીધા જ ટ્રાવેલેટર પર ચઢીને માત્ર 4 મિનિટમાં રેલવે સ્ટેશનના સંકુલમાં પહોંચી શકાય છે. રસ્તો ઓળંગ્યા વિના ત્રણ ભાગમાં 400 મીટર મુસાફરી હાઈટેક ટ્રાવેલેટરની વિશેષતા એ છે કે તેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો મુસાફરોને ઐતિહાસિક દાંડી કુટીર સુધી લઈ જાય છે. ત્યાંથી થોડા ડગલાંના અંતરે બીજો વિભાગ અને ત્યારબાદ ત્રીજો વિભાગ શરૂ થાય છે. જે છેક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની અંદર ઉતારે છે. આ 350થી 400 મીટરની મુસાફરી દરમિયાન મુસાફરોએ ક્યાંય પણ રસ્તો ઓળંગવો પડતો નથી, જે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ મહત્વનો છે. આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકાશેઆ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને દિવ્યાંગ મુસાફરોને મળશે. અગાઉ ભારે સામાન સાથે ટ્રાફિક વચ્ચે રસ્તો ક્રોસ કરવો તેમના માટે જોખમી અને થકવી દેનારો હતો. હવે ટ્રાવેલેટરની મદદથી કોઈપણ શારીરિક શ્રમ વગર તેઓ આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકે છે. મેટ્રો અને રેલવે સ્ટેશન જતાં મુસાફરોનો ફાયદો ગાંધીનગરના આધુનિકીકરણ અને પરિવહન સેવાઓને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ ગેમચેન્જર સાબિત થવાનો છે. આગામી સમયમાં જ્યારે મેટ્રો અને રેલવેમાં મુસાફરોનો ધસારો વધશે ત્યારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની ગતિશીલતા જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવશે.
ભરૂચ નગર સેવાસદનની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો. ગત વર્ષે નગર સેવાસદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જોકે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કર-વેરા લાગુ કર્યા નથી. બજેટમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સમસાદઅલી સૈયદ અને તેમના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ, ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા સુરત મનપાના ખાસ પગલાંઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે, જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકાયાસ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે. દર્દીને લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જાય છેસ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ગરમીમાં જયારે કોઈ દર્દી હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જાય છે, સામાન્ય કરતા હાઈગ્રેડ તાવનો પારો 105- 106 સુધી પહોચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કઈ પણ બબડયા કરે છે, આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જયારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે, ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા આઈસ બેડની વ્યવસ્થા કરાઈસ્મીમેરના RMOએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી-ઉપકા થવા, ગળું સુકાવું. જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગની વ્યવસ્થાજ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઈડ્સ (IV Fluids), ઓઆરએસ (ORS), લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા, આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવાદરેક વ્યક્તિએ 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળવું. નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ (Cap) પહેરીને નીકળવું. અને થોડા થોડા અંતરે નારિયેળ પાણી, પાણી, લીંબુ શરબત, છાશ વગેરે વધારે લિક્વિડ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે. દર્દીને સમસયર તાત્કાલિક સારવાર મળી રહેબાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે, ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે, જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય, આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય, તેમજ સમસયર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટસ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના સોની સમાજના અગ્રણી વૈભવભાઈ ચોકસીની અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની સર્વાનુમતે પસંદગી થતા સમાજમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ વરણી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદભાઈ રાણીંગા, સુરેન્દ્રનગરના કેતનભાઈ રોજાસરા સહિત દેશભરના સુવર્ણકાર આગેવાનો અને વિવિધ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વૈભવભાઈ ચોકસીની આ વરણીથી સુરેન્દ્રનગર સોની સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગેસ માટે લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર ભગતસિંહ ચોકથી ન્યાયમંદિર સુધી રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરાવ્યું?આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર એમ કહે છે કે દેશમાં ગેસની પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. જો ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં હોય તો ગેસના સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરવું પડ્યું? લોકો ધોમધખતા તાપમાં એજન્સીઓની બહાર કતાર લગાવી રહ્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસના બોટલના ભાવ વધાર્યાકાર્યકરોએ ગેસના સિલિન્ડરોના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ગેસના ભાવ શું કામ વધારવામાં આવ્યા, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની અસર હવે લોકોના ખિસ્સા સુધી થવા માંડી છે. લોકોને જ્યાં મુશ્કેલી પડશે આમ આદમી પાર્ટી તેનો વિરોધ નોંધાવશે અને લોકોની પડખે ઊભું રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્રણ દિવસથી લોકોની લાઇનોવડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ એજન્સીઓ બહાર ગેસના બોટલ મેળવવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે. કેટલાય લોકો ધોમધખતા તાપમાં શેકાઈ રહ્યા છે. જો કે હજુ પણ વડોદરા વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરાયું હતું. યોજના અંતર્ગત, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ આપવામાં આવી. જ્યારે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું. આ સાધનો દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા પૂરી પાડશે અને તેમની અન્ય પરની નિર્ભરતા ઘટાડશે. લાભાર્થીઓએ આ સહાય મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સાધનો મળવાથી તેઓ હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે અને અન્ય પરની નિર્ભરતા ઘટશે. લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો આભાર માન્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટાફે લાભાર્થીઓને સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાત સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં ગતિશીલતા લાવશે અને તેમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે, ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જોકે, સુરત પોલીસની સતર્કતાએ આ 'ભિખારી ગેંગ'ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. માતાની નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં બાળકીને લઈ અદ્રશ્યમૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નહોતો આરોપી પાસે ફોન કે નહોતો કોઈ બાળકનો ફોટોઆ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં, ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે, પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 1500 CCTV અને 'હ્યુમન ઇન્ટેલિજન્સ'નો મહાસંગમઅઠવાલાઇન્સ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4 ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું. નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના અંદાજે 1500 જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં. હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી મસ્જિદોની બહાર દાન-દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીમાં જણાયું કે, આરોપીઓ બાળકીને લઈને ઉધના દરવાજા તરફ ગયા છે. પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતો અને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. ટ્રેન પકડીને પોલીસ બારડોલી પહોંચી, રસાકસીભર્યો પીછોતપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે, આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના, પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટ પોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે, એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. કીડીઓ અને જંતુઓ વચ્ચેથી માસૂમનો છુટકારોજ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં દરોડો પાડ્યો, ત્યારે દૃશ્યો હૃદયદ્રાવક હતા. માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. પોલીસે ત્વરિત તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનીલ વસાવાને દબોચી લીધા હતા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ હતી, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. કોણ છે આ અપહરણકર્તા દંપતી?પકડાયેલ આરોપીઓમાં મીનાબેન સુનિલ વસાવા (ઉં.વ. 35) અને તેનો પતિ સુનિલ રતીલાલ વસાવા (ઉં.વ. 32) સામેલ છે. આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામનું વતની છે. તેઓ સુરત અને બારડોલીના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભિક્ષાવૃત્તિ માટે માસૂમનો 'ઢાલ' તરીકે ઉપયોગ કરવાના હતાંઆરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે, તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અને અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા (ભિક્ષા) આપશે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચે તેમણે એક માતા પાસેથી તેના કાળજાના ટુકડાને છીનવી લીધો હતો. આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. બારડોલીથી પોલીસે દંપતિને ઝડપી પાડ્યાંઅઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ. એમ.હુધડએ જણાવ્યું હતું કે, CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. ફૂટેજ પરથી અમે એક શંકાસ્પદ મહિલાની ઓળખ કરી જે તે વિસ્તારમાંથી ગુમ હતી. અમે તે ફૂટેજ ફરિયાદીને બતાવ્યા, જેમણે તેની ઓળખની પુષ્ટિ કરી. ત્યારબાદ અમે અન્ય ઘણા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તેની હિલચાલ પર નજર રાખી. અમને જાણવા મળ્યું કે તેણીએ પોલીસથી બચવા માટે ત્રણ અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી અને અનેક સાંકડી ગલીઓમાંથી પસાર થઈ હતી. તે જ સમયે, બીજી ટીમ રેલવે અને બસ સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. અંતે અમે તેને ઉધના રેલવે સ્ટેશન સુધી ટ્રેસ કરી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ મહિડાને માહિતી મળી હતી કે, વર્ણન મુજબની એક મહિલા ટ્રેનમાં બાળક સાથે જોવા મળી છે. અમે તેનો પીછો કર્યો અને જાણવા મળ્યું કે તે બારડોલી ગઈ હતી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને અન્ય સ્ટાફ મેમ્બરોને બારડોલી મોકલવામાં આવ્યા હતા. અમે રેલવે પોલીસ સાથે સંકલન કર્યું અને અંતે શંકાસ્પદ સુનિલ રતિલાલ વસાવા અને મીના વસાવાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકનું અપહરણ કરવાનો તેમનો ઈરાદો તેને ભીખ માંગવા માટે ઉપયોગમાં લેવાનો હતો.
દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ (ICDS) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આંગણવાડીઓની વર્તમાન સ્થિતિ અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને ભવિષ્યના આયોજનોની સમીક્ષા થઈ. કલેક્ટર નિરગુડેએ આંગણવાડીના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આંગણવાડીનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની મળવી જ જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કામગીરીમાં કોઈ પ્રશ્નો નડતા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ સુવિધામાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બાળકોને સમયસર પૌષ્ટિક દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશો અપાયા હતા. કલેક્ટરે બાળકોની હાજરી વધારવા માટે આંગણવાડીઓમાં વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે વધુમાં વધુ બાળકો ત્યાં આવવા માટે પ્રેરાય.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિત તમામ સીડીપીઓ (CDPO) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ બાળકો સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી. આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વિડીયો પણ વાયરલ થયા છે. ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે 'Final Submit' કરવાનું રહી ગયું હતું. યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને sc/st/obc ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મ માં સામાન્ય ભૂલ ના કારણે 146થી વધારે ઉમેદવારો ના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આજે ગુજરાત NSUI દ્વારા કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માં આવી હતી. જ્યારે NSUI ના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા. NSUIનો આરોપ છે કે તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે. યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કુલપતિ ડરના માર્યા ચેમ્બરના એક ખૂણામાં છુપાઈ ગયેલા જોવા મળે છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં કુલપતિની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આવું ઘર્ષણ થયું હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે. હાલ NSUI એ સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષામાં બાકી રહી ગયેલા 146 ઉમેદવારોને બેસવા દેવામાં નહીં આવે અને રોસ્ટર મુજબ ભરતીની નવી જાહેરાત નહીં અપાય, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.
Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને 'પૅનિક બુકિંગ' ન કરવા માટે અપીલ કરી છે. બુકિંગમાં અચાનક ઉછાળો સુજાતા શર્માએ જણાવ્યું કે, 'દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.
ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત
India Iran Trade: વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી.
પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો. પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે. રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરી (RCM) માં પડકારવામાં આવ્યો હતો. તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારા સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ NSUI દ્વારા આવી છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વિવિધ 36 પદો પર 130 જેટલી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં ત્યારથી જ અનેક વિવાદ ચાલી રહ્યા છે. એક-એક ઉમેદવારોને માન્ય ગણવામાં આવતા NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મળતિયાઓને સેટ કરવા જ ભરતી થઈ રહી છે. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ કુલપતિએ સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ, જે બાદ 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. તે બાદ પણ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત 40 વર્ષની વયમર્યાદા બદલીને 45 વર્ષની કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરીજેથી NSUI દ્વારા ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, NSUI દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવામાં આવી હતી. તેમજ તમામ ગેટ બંધ કરી પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, NSUIએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે. પોલીસે 5 લોકો યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું ભરતી પ્રક્રિયા રદ કરો અને કુલપતિ રાજીનામું આપે એવા નારા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર જ પોલીસે તેમને વિરોધ કરતા અટકાવી દીધા હતા. જ્યાં કેમ્પસમાં જવા માટે NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કુલપતિ ઓફિસમાં હોવા છતાં જવા દેવામાં ન આવતા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે 5 લોકો ગુજરાત યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું હતું. પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરીરજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. NSUIના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, NSUIના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, બાદ પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કેટલાક NSUI ના કાર્યકર્તાઓને બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપાડી લઈને અટકાયત કરીને લઈ ગયા હતા. સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલાયાNSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ફરીથી પ્રક્રિયા જાહેર કરી તેમાં ખાસ લોકોને સેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી રીતે થઈ રહી છે ત્યારે કુલપતિ જૂઠું બોલી રહ્યા હતા પરંતુ, કુલપતિ સવારે જૂઠું બોલે છે અને સાંજે સાચી હકીકત બહાર આવે છે. જેમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી રદ કરવામાં આવે છે. હજુ પણ અમે આક્ષેપ કરીએ છીએ કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાવધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવી જોઈએ અને નવેસરથી પડતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તેમની વાત સાંભળવામાં આવે તેવી પણ માંગણી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કુલપતિનું પેપર ફૂટી ગયું છે. તેમને પસંદગી માટે જે નામ નક્કી કર્યા છે તે યાદી પણ અમારી પાસે આવી ગઈ છે. તેમનો પાપનો ઘડો બહાર ન આવે તે માટે તમામ લોકોને જાહેર રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસને ઉતારી ગુજરાત યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જો કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળી અને અમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપે એવી અમારી માંગ છે.
અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા ત્રણ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકો પરિવાર સાથે બહાર ગયેલા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ત્રણ મકાનમાંથી 2 લાખથી વધુ રોકડ રકમ ચોરી કરી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા પૈસા ગાયબ હતાંઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, અકવાડા ચન્દ્રોદય પાર્કમાં રહેતા મયુર ગનુભાઈ હળવદીયાએ ફરિયાદ નોંધાવી છે કે 9 માર્ચના રોજ કુંભારવાડામાં રહેતા તેમના સગાના દીકરીની સગાઈના પ્રસંગે તેઓ માતા-પિતા સાથે અકવાડા સ્થિત પોતાના મકાનને તાળું મારી કુંભારવાડા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન 11 માર્ચની વહેલી સવારે પડોશીએ ફોન કરીને જાણ કરી હતી, કે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું તૂટેલું છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. ત્યારબાદ મયુરભાઈ પરિવાર સાથે તાત્કાલિક અકવાડા ચન્દ્રોદય પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા આશરે રૂ.30,000 રોકડ રૂપિયા ચોરાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે ઘરમાં પણ ચોરી થયાનું સામે આવ્યુંઆ દરમિયાન સોસાયટીના ગેટ નં.3 પ્લોટ નં.44 માં રહેતા મનસુખમકવાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ તાળું તોડી ચોરી કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે મંદિરના ખાનામાં રાખેલા રૂ.1,25,000 લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ગેટ નં.2 પ્લોટ નં.465 માં રહેતા અંકિત વાઘેલાના ઘરના દરવાજાનો મીજાગરો તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરાયો હતો અને જેમની ડાયાલિસીસની સારવાર માટે સેટીમાં રાખેલા રૂ.70,000 પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આમ સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNS કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઈટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકીંગ કરી કાર્યવાહી કરી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન 2025માં જેટલો દંડ અને કાર્યવાહી કરાઈ હતી તેટલી કાર્યવાહી અને એટલો દંડ માત્ર 3 મહિનામાં વસૂલવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને 10 માર્ચ સુધી 1021 સામે કાર્યવાહી કરી 10 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છેછેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. નિયમ વિરોધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેથી અમદાવાદ RTO દ્વારા ઝુંડાલ સર્કલ, એસજી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સર્કલ સહિતના વિસ્તારમાં રાત્રે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. એક વર્ષની કાર્યવાહીનો દંડ બે મહિનામાં જ વસૂલાયોનિયમ વિરુદ્ધની વ્હાઇટ એલઈડી લાઈટ લગાવનાર સામે વર્ષ 2025માં અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા હતા. જેથી હવે ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વર્ષના જેટલી કાર્યવાહી દંડ વસૂલવામાં આવ્યો હતો એટલો જ દંડ 2 મહિના અને 10 દિવસમાં વસૂલાયો છે. જાન્યુઆરીથી 10 માર્ચ સુધી 1021 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 10 લાખથી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ હવે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી રહ્યા છે તેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવાની તૈયારી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા 1021 વાહનચાલકો સામે કાર્યવાહીઅમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ RTO દ્વારા જુદા-જુદા વિસ્તારમાં નિયમ વિરુદ્ધની LED લાઇટને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંડાલ સર્કલ, એસ.જી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારમાં ડ્રાઈવ પણ ચાલી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 1021 જેટલા નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 લાખથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમજ હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશેવધુમાં નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, તેમજ અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવી રહ્યા છે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે તેમજ હવે થોડા દિવસમાં પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશે. ચેકીંગ દરમિયાન નિયમ વિરુદ્ધ વ્હાઇટ LED લાઇટ લગાવવામાં આવતી હોવાનું સામે આવશે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધની વ્હાઈટ LED લગાવી રહ્યા છે, તેમની સામે એક હજાર રૂપિયાનો ચલણ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ જો લાઈટનું વધારે ફોકસ સામે આવે છે તો તેમની સામે 5000 રૂપિયા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાત માટે કડકાઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાએ વેરા વસૂલાત માટે કચેરીઓનો સંપર્ક કરવાની શરૂઆત કરી છે અને માર્ચ અંત સુધીમાં તમામ વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી છે. 40 કરોડમાંથી 20 કરોડ વસૂલ્યાવડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓના 40 કરોડનો વેરો બાકી હતો. જેમાં પાલિકાએ વસૂલાત શરૂ કરતા અંદાજે 20 કરોડથી વધુનો વેરો વસૂલી દીધો છે અને હવે 16 કચેરીઓનો 18,81,74,389 વેરો બાકી પડે છે. જે વસૂલાત માટે પાલિકા કચેરી ખાતેથી વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સિટી પોલીસ મથકનો સૌથી વધુ વેરો બાકીવિવિધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા વેરો બાકી પડે છે. જેમાં સૌથી વધુ વેરો વડોદરા શહેર પોલીસ મથકનો બાકી છે. વડોદરા સિટી પોલીસ સ્ટેશનનો રૂ. 5,39,70,984 નો વેરો બાકી છે. જો કે આ વેરો સરભર કરવા માટેની અરજી આપવામાં આવી છે. પાલિકાએ પણ સિટી પોલીસ સ્ટેશનને કોઈક નાણાં ચૂકવવાના છે જેની સામે આ વેરો સરભર કરવા અરજી આપવામાં આવી છે. કચેરીઓ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ભરશેરેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરકે કચેરીઓમાં માર્ચ અંત સુધીમાં ગ્રાન્ટ આવે છે, ત્યાર બાદ તેઓ આ વેરો ભરે છે, ત્યારે મોટાભાગની કચેરીઓ ગ્રાન્ટ આવતાની સાથે જ વેરો ભરી દેશે. હાલ અમારી કચેરી ખાતેથી તેઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેરો નહીં ભરવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથીપાલિકા કચેરી દ્વારા વિવિધ કચેરીઓનો સંપર્ક કરી વેરો ભરવામાં કેમ નથી આવતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે ફંડ નથી તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના રૂ. 23,59,656 મિલકત વેરો બાકી છે. કઈ કચેરીનો કેટલો વેરો બાકી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસતા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તેમજ સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢ્યો હતો. આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ સામે વડોદરા શહેરનાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતાં આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી મહારાષ્ટ્રમાં હોવાની પુષ્ટિ થઈ હતીવડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપીના મોઢા પર મસો હતો અને ગુટખા ખાવાનો આદી હતોમુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસેે તપાસ શરૂ કરી હતી. ‘ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી રેકી કરી હતી’વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ (ઉંમર.55 વર્ષ, હાલનું રહેઠાણ: એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહેઠાણ: સલીમપુર ગામ, તાલુકો-ખાગા, થાના-ખાગા, જિલ્લો ફતેહપુર, ઉત્તરપ્રદેશ) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેવી રીતે પાર પાડ્યું ઓપરેશનવડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો કોઈ લેટેસ્ટ ફોટો નહોતો. માત્ર 20 વર્ષ જૂની વિગતો હતી. વર્ણનમાં એટલી ખબર હતી કે એના ગાલ પર મસો છે અને એને ગુટખા ખાવાની આદત છે. પોલીસે 3 દિવસ સુધી ત્યાં વોચ ગોઠવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમને ફૂડ ડિલિવરી બોય બનાવીને મોકલ્યો હતો, જેને એડ્રેસ પૂછવાના બહાને બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એક પોલીસ કર્મીને ને ટેમ્પો ડ્રાઇવર બનાવીને GIDC વિસ્તારમાં મોકલ્યો હતો અને એક પોલીસકર્મી ગ્રાહક બનીને ગયો હતો. તેઓ હિન્દી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા જેથી કોઈને શંકા ન જાય. 3 દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચ્યોવિરાર ઈસ્ટમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસ કર્મીએ ગ્રાહક બનીને એને વાતચીતમાં પરોવ્યો અને પૂછ્યું કે તમે ગુજરાતમાં રહેતા હતા? પછી નામ પૂછતા એણે સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્રણ દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચી લીધો હતો.
અરવલ્લી પોલીસે શામળાજી ખાતે ₹9.15 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ મોડાસા ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો. નિયમો અનુસાર આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. શામળાજી સ્થિત જીએસટી મેદાનમાં દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલો આ દારૂનો જથ્થો મેદાનમાં ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થાય છે. પોલીસે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીને આ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન 7 પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના રસ્તાઓને પહોળા અને સુવિધાસભર બનાવવા માટે રૂ. 1,185 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 383 કિમી રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશેઆ મંજૂરી હેઠળ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં કુલ 383 કિલોમીટર રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ માર્ગ સુધારણા પ્રોજેક્ટોથી ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભું કરવામાં મદદ મળશે. ભારત સરકાર અને નીતિ આયોગનો માસ્ટર પ્લાન તૈયારભારત સરકાર અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના આર્થિક માસ્ટર પ્લાનને લગભગ 17 મહિના પહેલા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ 2047 સુધી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્રોમાં સ્થાન અપાવવાનો છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પગલુંમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સુરત ઇકોનોમિક રિજિયન માટે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ દૃષ્ટિવંત અને સર્વસમાવેશી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજનબદ્ધ શહેરો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડની ફાળવણીજિલ્લાવાર ફાળવણીમાં સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વલસાડને રૂ. 264 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં માર્ગ વિકાસ માટે ખર્ચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રોકાણો ઔદ્યોગિક ક્લસ્ટરો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે. વિવિધ શહેરો અને તેની ખાસિયતનીતિ આયોગના અહેવાલ મુજબ, સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત કેમિકલ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા લોજિસ્ટિક્સ સેવાઓ પણ અહીં મજબૂત છે. જ્યારે ભરૂચમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનું જોર છે, નવસારી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, તાપીમાં એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે અને વલસાડમાં કેમિકલ ઉદ્યોગો સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. દ. ગુજરાતની જીડીપી 2047 સુધીમાં 45,000 ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યહાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી લગભગ 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સુરતનું વ્યૂહાત્મક સ્થાન અને એક્સપ્રેસવે, રેલવે, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી સુવિધાઓ તેને વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં વધુ ગતિ આપશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં ડિવાઇન રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે સોસાયટીના સેક્રેટરી અને સભ્ય વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી. સોસાયટીના સભ્યની ગાડી બ્લોકના પાછળ આવવા જવાના રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. જેથી, ડ્રાઇવરે ગાડી હટાવવાની ના પાડી હતી અને મારા શેઠે અહીંયા જ મૂકવા કહ્યું હતું એમ કહ્યું હતું. આ દરમિયાનમાં ગાડી માલિક આવ્યા હતા અને તેમણે વાતચીત કરી હતી. બંને પક્ષે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છેસાયન્સ સીટી રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગૌરવભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે અને બે વર્ષથી સોસાયટીના સેક્રેટરી છે. 12 તારીખે રાત્રે પોણા દસ વાગ્યાની આજુબાજુ ગૌરવભાઈ અને સોસાયટીના અન્ય સભ્યો ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે સોસાયટીમાં રહેતા નિપુનભાઈ સિંઘવીના ડ્રાઇવર ગાડી લઈને ઈ બ્લોક પાછળ આવવા જવાના રસ્તા પર સોસાયટીના અડચણરૂપ ગાડી પાર્ક કરતા હતા. જેથી, ડ્રાઇવરે કહ્યું હતું કે ગાડી અહીંથી નહીં. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છે. જે બાદ ડ્રાઈવરે ગાળાગાળી કરવાની શરૂઆત કરી હતી, તેમના શેઠને ફોન કરી બોલાવ્યા હતા. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતીનિપુનભાઈ અને તેમના બે જુનિયર વકીલ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારા માણસને ગાડી મૂકતા કોણે રોકી છે? રાજકારણમાં મારી મોટી ઓળખાણ છે? મારું કશું નહીં બગાડી શકો. હું સોસાયટીના નિયમો માનવાનો નથી ગાડી ગમે ત્યાં મુકીશ થાય તેમ કરી લેજો. ગૌરવભાઈએ જણાવ્યું હતું કે, બપોરે સિક્યુરિટી ગાર્ડ પાસેથી સોસાયટીનો માઈગેટ એપ્લિકેશનનો મોબાઇલ ફોન લઈ લીધો છે તે પણ પાછો આપો. જેથી તેમણે કહ્યું હતું કે, ફોન તોડી નાખ્યો છે થાય એમ કરી લેજો સોસાયટીના સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને તમામ સભ્યો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તેઓએ ભેગા થઈ અને ગાળો બોલી માર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી હતી. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતી. ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છેનિપુનભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રે હું મારા બે જુનિયર વકીલો સાથે ઘરે હાજર હતો ત્યારે મારા ભાઈ અજયભાઈનો ફોન આવ્યો હતો કે, ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગાડીના પાર્કિંગ બાબતે ઝઘડો થયો છે. જેથી, જુનિયર વકીલની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા હતા અને જ્યાં અમારા બે ડ્રાઇવર હાજર હતા. તેઓ જણાવ્યું હતું કે, ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છે સેક્રેટરી અને અન્ય સભ્યો ત્યાં હાજર હતા. આ બાબતે અગાઉના ઝઘડાની અદાવત રાખી અને ગાળા ગાળી કરી હતી. તમામ લોકોએ એકસંપ થઈને ગાળો બોલવા લાગ્યા હતા તેમની માતા વચ્ચે પડતા તેઓ પણ નીચે પડી ગયા હતા. સોસાયટીના માણસો ભેગા થઈ ગયા હતા આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોસાયટીના સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું અને ગાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિંગવડ તાલુકાના આગામી પ્રવાસને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની સફળતા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે. તેથી, સુરક્ષા અને સુવિધા બંને પાસાઓને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેમણે સ્ટેજ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, તેમજ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા એવી રીતે ગોઠવવા તાકીદ કરી હતી જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે. કલેક્ટરે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પંખા-કુલર, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સુચારૂ આયોજન કરવા માટે જરૂરી સૂચનો કર્યા. કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરે પૂર્વ આયોજન પર ભાર મૂક્યો હતો. આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને બ્રિજેશ ચૌધરી સહિત અન્ય સંકલન અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આગામી 15 માર્ચના રોજ સાંજે 'નમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવે અને તેમની 150 કલાકારોની ટીમ પરફોર્મ કરશે. આકાશમાં ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે સવારે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ 'નમોત્સવ'માં લોકસાહિત્યકાર સાઈરામ દવે તેમની 150 આર્ટિસ્ટની વિશાળ ટીમ સાથે જીવંત પ્રદર્શન આપશે. વિદ્યાનગરના આકાશમાં પ્રથમ વખત અત્યાધુનિક 'ડ્રોન શો' યોજાશે, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણ બનશે. અમદાવાદમાં સફળતા મેળવ્યા બાદ, આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રથમ વખત વિદ્યાનગરના આંગણે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે 'ઓપન ફોર ઓલ' રાખવામાં આવ્યો છે. સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની તમામ જનતા માટે આ એક અનેરો અવસર છે. ભવ્ય ડ્રોન શો અને સાઈરામ દવે જેવી પ્રતિભાઓના સંગમથી આ ઉત્સવ ઐતિહાસિક બની રહેશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહિત છે. આણંદ જિલ્લા સહિત વિદ્યાનગર અને આસપાસના વિસ્તારના તમામ લોકોને આ 'નમોત્સવ'માં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 14 વર્ષની 27 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCHO ડૉ. અશોક ડાભી અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાયો હતો. આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કિશોરીઓ અને તેમના વાલીઓની હાજરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન ડોકટરોએ વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય ઉંમરે HPV રસી આપવાથી આ કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લીમખેડા CHCના મેડિકલ ઓફિસર, વિવિધ PHCના તબીબો અને નર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ દરેક કિશોરીનું સ્ક્રીનિંગ કરી, રસી આપી અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. આરોગ્ય વિભાગે 9 થી 14 વર્ષની વયની તમામ દીકરીઓને આ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે.
સુરત: ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરતના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા સાપુતારામાં Tacheometry પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ISTE સ્ટુડન્ટ્સ ચેપ્ટર અને BIS સ્ટાન્ડર્ડ ક્લબ એક્ટિવિટીના ભાગરૂપે આ મુલાકાત 12 અને 13 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી. આ મુલાકાતમાં સિવિલ વિભાગના ચોથા સેમેસ્ટરના કુલ 119 વિદ્યાર્થીઓ અને ૫ પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સાપુતારા ખાતે ટેકિયોમેટ્રિક સર્વે પ્રોજેક્ટમાં પ્રાયોગિક તાલીમ મેળવી. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓને ટેકિયોમેટ્રી સર્વેઇંગની પદ્ધતિઓ, સર્વે સાધનોનો ઉપયોગ, ક્ષેત્રીય માપન પ્રક્રિયા અને ડેટા સંગ્રહ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સર્વેઇંગ વિષયના અભ્યાસક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. ટેકિયોમેટ્રિક સર્વેક્ષણનો મુખ્ય હેતુ હોરિઝોન્ટલ અને વર્ટીકલ નિયંત્રણ સાથે રૂપરેખા નકશા તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓએ આ મુલાકાત દરમિયાન સ્ટાફ પર વાંચન, ક્ષૈતિજ અંતર અને ઊંચાઈનું નિર્ધારણ, RL (Reduced Level), WCB (Whole Circle Bearing) ની ગણતરી અને કન્ટૂર રચના જેવા અનેક તકનીકી કૌશલ્યો શીખ્યા. આ પ્રાયોગિક અનુભવથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ચોકસાઈવાળા સર્વેક્ષણની પદ્ધતિઓ શીખવાની તક મળી. તેમણે ટેપ વડે અંતર માપવાની પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી, જે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ. સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા આયોજિત આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી, જે તેમને ભવિષ્યમાં વ્યવહારિક કાર્યો માટે તૈયાર કરશે.

31 C