SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ગાંધીનગરના 89 કેન્દ્રો પર 12 એપ્રિલે TAT-HSની પરીક્ષા:854 બ્લોકમાં 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂક

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-HS) આવતીકાલે, 12 એપ્રિલ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લાના 89 કેન્દ્રો પર આયોજિત આ પરીક્ષામાં કુલ 16,618 ઉમેદવારો નોંધાયા છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 854 બ્લોકમાં 16,618 ઉમેદવારો પરીક્ષા આપશેગાંધીનગર જિલ્લામાં પરીક્ષાના સુચારૂ સંચાલન માટે કુલ 854 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધાયેલા કુલ ઉમેદવારોમાં ગુજરાતી માધ્યમના 16,167, અંગ્રેજી માધ્યમના 385 અને હિન્દી માધ્યમના 66 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડાકીય વિગતો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાતી માધ્યમ પ્રત્યેના વિશેષ ઝુકાવને સ્પષ્ટ કરે છે. 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂકપરીક્ષામાં પારદર્શિતા જળવાય અને ગેરરીતિ અટકાવી શકાય તે માટે તમામ 89 કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સુરક્ષા અને સુપરવિઝન માટે 89 સરકારી પ્રતિનિધિઓ અને 89 ઓબ્ઝર્વર્સની સાથે 2 મુખ્ય ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર ડિજિટલ નજર રાખવા માટેની અભેદ્ય કિલ્લેબંધી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, જે હજારો ભાવિ શિક્ષકોની યોગ્યતા નક્કી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:32 pm

રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય:SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક

ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું સંચાલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના નાયબ મહાનિદેશક અને IAS અધિકારી ચંદ્રેશ કોટકની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રચંદ્રેશ કોટકને અમદાવાદ જિલ્લાના મહત્વના વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ચૂંટણી નિરીક્ષક તરીકે તેઓ આ બેઠકો પર આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન પર સીધી દેખરેખ રાખશે. પારદર્શક ચૂંટણી માટે જનતા અને ઉમેદવારોનો સંપર્કચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ માટે રાજકીય પક્ષો, ઉમેદવારો અને સામાન્ય મતદાતાઓ ચૂંટણી નિરીક્ષકનો સંપર્ક કરી શકે છે. સંપર્ક વિગત:ટેલિફોનિક સંપર્ક: 7383016699રૂબરૂ મુલાકાતનું સ્થળ: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઇસરો (ISRO) ની સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ. ચૂંટણી નિરીક્ષકની આ નિમણૂકથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વહીવટી પારદર્શિતા વધશે અને મતદારોનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે એવું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:27 pm

સરદાર એસ્ટેટમાં જૂની ઝઘડાની અદાવતમાં ખંજરથી હુમલો:યુવકને પેટ અને છાતીના ભાગે ખંજર ઝિંકનાર આરોપી સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા બાબાદેવના મંદિર પાસે જૂની અદાવતમાં યુવક પર ખંજરથી જીવલેણ હુમલો કરાયો છે. જેના કારણે યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમાધાન થઈ ગયું હોવા છતાં ફરી આરોપીઓએ રાતે ઝઘડો કર્યોપ્રાપ્ત માહિતી મૂળ વતન બાંસવાડા અને હાલમાં લેપ્રેસી ગ્રાઉન્ડ, આજવા રોડ ખાતે રહેતા મેશ દેવા માઈડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સરદાર એસ્ટેટ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મકન પ્રભુ મઈડા સહિત ત્રણ અન્ય શખસો (તમામ હાલ રહેવાસી વડોદરા, મૂળ બાંસવાડા, રાજસ્થાન) તા. 10 એપ્રિલના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે અગાઉ મોબાઇલ બાબતે થયેલા ઝઘડાની અદાવતે ફરી ઝઘડો કર્યો હતો. થયેલા ઝઘડાનું સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપીઓએ રાત્રે ફરી તેમની સાથે ઝઘડો કર્યો હતો. યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતોત્યારબાદ તેઓએ ભેગા મળીને તેમના ભાઈ કાળુ દેવા મઈડાને પકડી રાખ્યા હતા અને મકન મઈડાએ ખંજર વડે છાતી, પેટ, કમર તથા શરીરના અન્ય ભાગોમાં ઘા માર્યા હતા અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી, કાળુ દેવા મઈડા લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. આ બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:18 pm

સુરતની મોડલને 13 વર્ષ સુધી પોતાનો શિકાર બનાવી:વરાછાના યુવકે લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ધંધાના નામે 79 લાખ પડાવ્યા

સુરતના પોશ અઠવા વિસ્તારમાં રહેતી એક મોડલને લગ્નની ખોટી લાલચ આપી 13 વર્ષ સુધી યૌન શોષણ અને ₹79.40 લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના સંજય ભીંગરાડિયાએ પોતાની અસલી ઓળખ અને લગ્ન જીવન છુપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા, જે બાબતે ભોગ બનનારે અઠવા પોલીસ મથકમાં આરોપી અને તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતીને ફેક્ટરી માલિકની ઓળખ આપીઘટનાની વિગતો મુજબ, વ્યવસાયે મોડલ એવી યુવતી વર્ષ 2013માં મિત્રો મારફતે સંજય કુમાર ધરમશીભાઈ ભીંગરાડિયાના સંપર્કમાં આવી હતી. સંજયે પોતાની ઓળખ કોપર વાયરની ફેક્ટરીના માલિક તરીકે આપી હતી અને પોતે કુંવારો હોવાનું કહી યુવતીને લગ્નના વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન સંજય યુવતીને સુરતની વિવિધ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો. પીડિતા પાસેથી 79.40 લાખની મત્તા પડાવીછેતરપિંડીના આ જાળમાં સંજયના માતા-પિતા પણ સામેલ હતા, જેમણે પોતાના પુત્રના અગાઉ લગ્ન થઈ ગયા હોવાની હકીકત છુપાવી રાખીને યુવતી સાથે મુલાકાત કરી હતી. શારીરિક શોષણની સાથે સંજયે ધંધામાં મદદના બહાને યુવતી પાસેથી રોકડ અને બેંક ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત સોનાના દાગીના, આઈફોન, એપલ વોચ, લેપટોપ, કેમેરા અને વિદેશી કરન્સી (યુરો) મળી કુલ ₹79.40 લાખની મત્તા પડાવી લીધી હતી. યુવતીએ આરોપી યુવક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવીજ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી ત્યારે સંજય બહાના કાઢીને વાત ટાળતો હતો. અંતે યુવતીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંજય પહેલેથી જ પરિણીત છે. આ સત્ય બહાર આવતા યુવતીએ અઠવા પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે સંજય ભીંગરાડિયા, તેની પત્ની અને માતા-પિતા સહિત કુલ પાંચ લોકો સામે બળાત્કાર અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:14 pm

વડાલીના બડોલની સીમમાં ડ્રોનની મદદથી ગાંજાનું ખેતી ઝડપી:SOGએ 20 કિલોથી વધુ ₹10 લાખના ગાંજાના 44 છોડ જપ્ત કર્યા, એકની ધરપકડ

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરમાં છુપાવેલા નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 20.190 કિલોગ્રામ ગાંજો અને 44 છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 10.09 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ડ્રોન સર્વે બાદ કાર્યવાહીજિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે બડોલ ગામની સીમમાં સોમાજી પૂંજાજી મકવાણા નામના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું છે. બાતમીની ચોકસાઈ કરવા માટે પોલીસે પ્રથમ ડ્રોન દ્વારા ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. સર્વેમાં પુષ્ટિ મળ્યા બાદ શુક્રવારે SOG ની ટીમે ખેતરમાં દરોડો પાડ્યો હતો. એકની ધરપકડ, અન્યની શોધખોળ ચાલુપોલીસે સ્થળ પરથી ગાંજાના 44 છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન 20.190 કિલોગ્રામ નોંધાયું છે. આ મામલે પોલીસે બડોલ ગામના જતીન સોમાજી મકવાણાની અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ખેતર માલિક સોમાજી પૂંજાજી મકવાણાને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:12 pm

વોર્ડ-21માં ભાજપમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા:કોંગ્રેસે યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યા, ભાજપ યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ફોર્મ ભરી બળવો પોકાર્યો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને સીધા હાથોહાથ મેન્ડેટ આપી ભાજપને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી છે. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી બળવો કર્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર 'મૂળ સુરતી'ઓને અન્યાય થયાના આક્ષેપો સાથે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યાસુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસે મોટું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. માત્ર 30% ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કર્યા બાદ, બાકીના 70% ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. આ રણનીતિને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, અમે ભાજપની સત્તા અને નાણાંની તાકાત સામે બુદ્ધિથી લડી રહ્યા છીએ. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ ગુપ્ત રાખીને અમે વિરોધીઓને હંફાવ્યા છે. વોર્ડ-21માં ભાજપનો મોટો યુ-ટર્નભાજપે જાહેર કરેલી યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરતા રાજકારણ ગરમાયું છે. વોર્ડ-21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ) માં અગાઉ દીપિકા અંકેશભાઈ ધૂતનું નામ જાહેર કરાયું હતું પરંતુ, જ્ઞાતિગત સમીકરણો નડતા તેમનું પત્તું કપાયું છે. વોર્ડ-21 અને 22 બંનેમાં મહેશ્વરી સમાજના ઉમેદવાર થઈ જતા હોવાથી વિવાદ ટાળવા ભાજપે વરિષ્ઠ કાર્યકર્તા વિમલ ગર્ગના પત્ની સુમન ગર્ગને ટિકિટ આપી છે. હવે આ બેઠક પર અગ્રવાલ સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત કરવામાં આવ્યું છે. યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ ફોર્મ ભરી બળવો પોકાર્યોપાર્ટી દ્વારા અવગણના કરવામાં આવતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ આખરે અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. રાજસ્થાનના જાટ સમાજમાંથી આવતા ચૌધરીએ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટીને હવે સારા માણસની નહીં પણ 'મારા માણસ'ની જરૂર છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં વિપક્ષ પણ તેમની સામે લડવા તૈયાર નહોતો, તેમ છતાં ભાજપે તેમને નજરઅંદાજ કર્યા. આ બળવાને કારણે ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. કોંગ્રેસનો ભણેલા-ગણેલા ઉમેદવારો પર દાવકોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ વખતે દાવો કર્યો છે કે તેમની ટીમમાં વકીલો, એન્જિનિયરો અને ડોક્ટરો જેવા શિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સુરત મેટ્રો સિટી છે અને તેને કટ્ટરવાદના બદલે વિકાસ જોઈએ છે. કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓ, સુરતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ઉધનાવાલાએ પોતે ચૂંટણી ન લડીને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. 'મૂળ સુરતી'ઓને નજરઅંદાજ કરાયાનો આક્ષેપટિકિટ ફાળવણી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપના જૂના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે આ યાદીમાં માત્ર 6 જેટલા મૂળ સુરતીઓને જ સ્થાન મળ્યું છે, જ્યારે અન્યોને પ્રાધાન્ય અપાયું છે. જિલ્લાવાદ અને જ્ઞાતિવાદના નામે ટિકિટ વેચાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ મોટા નેતાએ વિધિવત રાજીનામું આપ્યું નથી, પરંતુ અસંતોષની જ્વાળા સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્ઞાતિગત સમીકરણો અને સુરતનું રાજકારણસુરતની ચૂંટણીમાં હંમેશા જ્ઞાતિવાદ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે ભાજપે જે રીતે છેલ્લી ઘડીએ મહેશ્વરી સમાજની જગ્યાએ અગ્રવાલ સમાજને સ્થાન આપ્યું, તે દર્શાવે છે કે, પાર્ટી એક પણ મતના નુકસાન માટે તૈયાર નથી. બીજી તરફ કોંગ્રેસે તમામ સમાજને સાથે રાખવાની વાત કરી છે, પરંતુ છેલ્લી ઘડીના મેન્ડેટથી કાર્યકરોમાં હજુ પણ કોણ પોતાનું અને કોણ પારકું તે બાબતે મૂંઝવણ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 pm

ગિરનાર પર અતિક્રમણ સામે સનાતનીઓનું મોટું આંદોલન:લેન્ડ કૌભાંડના વિરોધમાં 23મીએ સંતોની આગેવાનીમાં વિશાળ બાઈક રેલી, કલેક્ટરને આવેદનપત્ર આપશે

​જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા કથિત જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા અતિક્રમણ તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે આરપારની લડાઈના મંડાણ થયા છે. આ સમગ્ર વિવાદને ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આગામી 23મી તારીખે એક વિશાળ જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરનારની આધ્યાત્મિક વિરાસતને નુકસાન પહોંચાડવાનું કાવતરુંઆ વિવાદની વિગતવાર વાત કરીએ તો ગિરનારના અત્યંત પવિત્ર ગણાતા શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા વિસ્તારોની આસપાસ કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સનાતની સંસ્થાઓનો દાવો છે કે, વર્ષ 1949ના મંકોડી કમિશનના અહેવાલને નેવે મૂકીને લેન્ડ રેકોર્ડમાં મોટાપાયે છેડછાડ કરવામાં આવી છે. જે-તે સમયે ગિરનારમાં અન્ય સંપ્રદાય પાસે માત્ર 46થી 47 જેટલી જગ્યાઓ નોંધાયેલી હતી, જે આજે રહસ્યમય રીતે વધીને 150થી વધુ દર્શાવવામાં આવી રહી છે. આ કૌભાંડમાં હાથી કુંડ અને ભીમ કુંડ જેવા વર્ષો જૂના સાર્વજનિક ધાર્મિક સ્થળોને પણ ખાનગી માલિકીના દર્શાવી દેવામાં આવ્યા છે, જે ગિરનારની ભૌગોલિક અને આધ્યાત્મિક વિરાસતને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું હોવાનું માનવામાં આવે છે. લેન્ડ રેકોર્ડમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ કરી જવાબદાર સામે FIR નોંધવાની માગ​આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢના ભૂતનાથ મંદિર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ અખાડાના સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને ડોળી મંડળ સહિતના અનેક સામાજિક સંગઠનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 23મી તારીખે હજારોની સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો પોતાની બાઈક સાથે રેલી સ્વરૂપે નીકળશે અને જિલ્લા કલેક્ટરને મળીને ગેરકાયદે બાંધકામો તાત્કાલિક અટકાવવાની તેમજ લેન્ડ રેકોર્ડમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવાની કડક માંગણી કરશે. સેવા-પૂજા કરતા પૂજારીઓને સતત હેરાન કરવામાં આવે છે​ગિરનાર પર્વત પર સ્થિત પવિત્ર શેષાવન જગ્યાના મહંતે આ મામલે અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિગતો રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા પ્રાચીન સ્થાનોની આસપાસ જૈન દેરાસરો દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી લીધા વિના જમીન પર બાંધકામ પ્રવૃત્તિઓ ધમધમાવવામાં આવી રહી છે. બાપુએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, આ પવિત્ર જગ્યાઓ પર સેવા-પૂજા કરતા પૂજારીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે અને ગિરનારની ઉપરની તમામ જગ્યાઓ પર અવારનવાર મુશ્કેલીઓ ઊભી કરીને સનાતની પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે શાંત રહ્યા અને સહન કર્યું, પરંતુ હવે આ અસહ્ય અતિક્રમણ સામે મૌન રહેવું શક્ય નથી. ​જૂનાગઢના જાગૃત નાગરિક અને આ આંદોલનના અગ્રણી ભાવેશ વેકરિયાએ લેન્ડ રેકોર્ડમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, ગિરનારની સનાતન અને પુરાતન જગ્યાઓ ઉપર તબક્કાવાર રીતે વ્યવસ્થિત અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, લેન્ડ રેકોર્ડ વિભાગના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગોની મિલીભગતથી ખોટા પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા છે. અન્ય વિચારધારાના લોકોના નામો સરકારી રેકોર્ડમાં દાખલ કરવાનું આ એક બહુ મોટું જમીન કૌભાંડ છે. ગિરનારની સુરક્ષા મુદ્દે મૌન બેઠેલા સંતો સામે પણ રોષ વ્યક્ત કર્યો​વેકરિયાએ આંકડાકીય પુરાવા આપતા કહ્યું હતું કે, મૂળ સેટલમેન્ટ મુજબ માત્ર 40થી 42 જગ્યાઓ જ માન્ય હતી. તેની સામે આજે 150થી વધુ જગ્યાઓ અન્ય સંપ્રદાયોના નામે ચડાવી દેવી એ મોટો ગુનો છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી થવી જ જોઈએ. વધુમાં, તેમણે રાજકીય નેતાઓ અને 15 વોર્ડના કોર્પોરેટરોને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, ગિરનાર એ જૂનાગઢની જીવાદોરી છે. જો 23 તારીખના આવેદનપત્રમાં કોઈ રાજકીય પ્રતિનિધિ હાજર રહીને સહકાર નહીં આપે તો તેમને ગિરનાર વિરોધી ગણવામાં આવશે અને આગામી સમયમાં જનતા તેમને પાઠ ભણાવશે. તેમણે એવા સંતો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. જેઓ સરકારી કાર્યક્રમોમાં હાજર રહે છે પરંતુ, ગિરનારની રક્ષાના મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે. તમામ સંતોના નેજા હેઠળ 23 તારીખે સનાતન ધર્મની ભવ્ય રેલી યોજાશે​જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહિતે સમગ્ર આયોજન અને જનજાગૃતિ અભિયાનની માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા લેવાયેલા નિર્ણયમાં અનેક પૂજ્ય સંતોનો આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. તેમણે શ્રી ભગવતીદાસ બાપુ, રમેશભાઈ, પૂજ્ય મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, કિશનદાસ બાપુ, ચકાચક બાપુ, સુખરામદાસજી બાપુ, અવંતિકાજી મહારાજ અને પ્રયાગદાસજી જેવા મૂર્ધન્ય સંતોના નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ તમામ સંતોના નેજા હેઠળ 23 તારીખે સનાતન ધર્મની ભવ્ય રેલી યોજાશે. ​માત્ર સંતોની લડાઈ નથી, હિન્દુ સમાજની અસ્મિતાની લડાઈનિર્ભય પુરોહિતે આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોના સનાતન ધર્મના અનુયાયીઓ અને 'ગિરનારી' ભક્તોને આહવાન કર્યું છે કે, આ માત્ર સંતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની લડાઈ છે. સંતો અત્યારે પણ ગામે-ગામ અને વોર્ડમાં સભાઓ કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમણે તમામ ભક્તોને અપીલ કરી હતી કે, તેઓ પોતાની વ્યક્તિગત બાઈકો સાથે આ રેલીમાં જોડાઈને ગિરનારની સુરક્ષા માટેનો અવાજ બુલંદ બનાવે. જેથી, ભાવિ પેઢી માટે આપણે આ પવિત્ર પર્વતની ધાર્મિકતા અકબંધ રાખી શકીએ. મંકોડી કમિશન સમક્ષ પણ આવી જ રજૂઆત કરવામાં આવી હતી​ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલા આ વિવાદનું મૂળ વર્ષ 1949ના સમયગાળામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ 1949માં એક ચોક્કસ સંસ્થાના ડેલીગેશને તત્કાલીન ગુજરાત સરકાર પાસે ઉપરકોટ રાખેંગારના મહેલ સહિતની અનેક જગ્યાઓની માંગણી કરી હતી, જેને સરકારે તે સમયે ફગાવી દીધી હતી. ત્યારબાદ મંકોડી કમિશન સમક્ષ પણ આવી જ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મંકોડી સાહેબે આ જમીનો સરકારી હોવાનું કહીને તેને ખાનગી સંસ્થાને આપવાનો ઇનકાર કર્યો હતો. મંકોડી કમિશન મુજબ આંકડો નવા નકશામાં 102 સુધી પહોંચી ગયો ​પરંતુ, ગંભીર બાબત એ છે કે જ્યારે ગિરનાર ક્ષેત્રને અભયારણ્ય જાહેર કરવા માટે ગેઝેટ તૈયાર થયું ત્યારે મંકોડી કમિશનના મૂળ નકશામાં કથિત રીતે ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. શેઠ આનંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા જે નકશો તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં અનેક સનાતની જગ્યાઓ અને સાર્વજનિક કુંડોને પોતાના વિસ્તારમાં દર્શાવી દેવામાં આવ્યા છે. મૂળ મંકોડી કમિશન મુજબ જે આંકડો 46થી 47 જગ્યાઓનો હતો, તે આ નવા નકશામાં 102 સુધી પહોંચી ગયો છે. આ ફેરફારો ગિરનારની પ્રાચીન ભૌગોલિક સ્થિતિને બદલી નાખનારા હોવાથી સનાતની સંગઠનોમાં ભારે ચિંતા અને રોષની લાગણી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:52 pm

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે ચૂંટણી જંગમાં:સુરતના વોર્ડ-29માંથી સોના સિંહે AAPમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું, ઘૂંઘટ વાળી ઉમેદવાર બની આકર્ષણનું કેન્દ્ર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 29 ના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP એ પરપ્રાંતીય મતો મેળવવા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવાની નવી રણનીતિ અપનાવી છે. કોણ છે સોના સિંહ?સુરતનો વોર્ડ નંબર 29 ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો ગઢ ગણાય છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. સોના સિંહ (ગોલ્ડી રાઘવેન્દ્ર પ્રસાદ સિંહ) મૂળ યુપીના અલ્હાબાદના વતની છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ સુરતમાં જ થયો છે. કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન ધરાવતા હોવા છતાં પક્ષે તેમની જનસંપર્કની આધુનિક આવડત અને યુવાનોમાં રહેલી લોકપ્રિયતા પર ભરોસો મૂક્યો છે. વીડિયોના માધ્યમથી સમસ્યાઓ અને પક્ષની વાતો પહોંચાડી શકાયપોતાની ઉમેદવારી અંગે સોના સિંહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા એવું માધ્યમ છે જે રાતોરાત સામાન્ય વ્યક્તિને લોકો સુધી પહોંચાડી શકે છે. તેઓ માને છે કે જ્યાં શારીરિક રીતે પહોંચવું શક્ય નથી, ત્યાં વીડિયોના માધ્યમથી સમસ્યાઓ અને પક્ષની વાતો પહોંચાડી શકાય છે. એક સામાન્ય ઘરની વહુ અને દીકરી તરીકે ઓળખાતા સોના સિંહ પોતાની આ વર્ચ્યુઅલ તાકાતનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં 'આર્મી' તરીકે કરશે. પાયાની સુવિધાઓમાં ગુણવત્તાનો અભાવવિસ્તારની સમસ્યાઓ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, રોડ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓમાં ગુણવત્તાનો અભાવ છે. વારંવાર રસ્તાઓ તૂટવાથી બાળકો અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે તેઓ 'એક વાર પણ યોગ્ય કામ' કરવાના મતના છે. આમ આદમી પાર્ટીનો આ પ્રયોગ પરંપરાગત રાજકારણ વચ્ચે પરપ્રાંતીય પ્રભુત્વ ધરાવતા લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોમાં નવા સમીકરણો સર્જી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:52 pm

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમદિવસ:છેલ્લી ઘડીએ ટિકિટ કપાઇ તો શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા પહોચ્યા, AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ક્યાક ઉમેદવારો અંતિમ ક્ષણે બદલાયા તો ક્યાક ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું સુરતના વોર્ડ નંબર 14ના ‘આપ’ના ઉમેદવાર ગૌશાલીબેને કચેરીમાં જ ફિનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ.ટેકનિકલ સમસ્યાને કારણે ફોર્મ ન ભરાતા હતાશ થયેલા મહિલા ઉમેદવારે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યાં યાદી જાહેર થયા બાદ ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોચ્યા ... ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારને ભાજપે ટિકિટ આપતા નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરી છે. અને હું ભાજપ નહિ, અંકિતા પરમારથી નારાજ છૂં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા જેમાં રાજકોટમાં શૈલેષ જાની, વડોદરામાં રાગ મછાર, અમદાવાદમાં આશિષભાઈ શાહ અને કલ્પના કહાર તો સુરતમાં દીપિકા ધૂતની ટિકિટ કપાઇ છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદર ભાજપમાં ટિકિટ મામલે ભડકો પોરબંદર મનપામાં ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો થયો ટિકિટ કપાતા જ્ઞાતિ સમીકરણો બગડ્યા છે અને નારાજગીનો સૂર મંત્રી અર્જુન મોઢવાડિયાના ઘર સુધી પહોંચ્યો ખારવા, પ્રજાપતિ અને લોહાણા સમાજના આગેવાનોએ મંત્રી સમક્ષ રજૂઆત કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી સુરતમાં આપના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઇ ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપી હતી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે.. પિતાની 9 કલાકની પુછપરછમાં ખીરુ ખરાબ હોવાના રટણ બાદ નિર્ણય આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત! પોલીસ કોન્સ્ટેબલે PSIની ફિઝિકલ ટેસ્ટમાં ફેલ થતા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના ચુકાદામાં સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ બાદ પણ ફેલ થતા ફરી અરજી કરી તે કોર્ટે ચેતવ્યા કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવસારીના ધોળાપીપળા બ્રિજ પર ઉભેલી ટ્રક બની યમદૂત નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર ધોળાપીપળા બ્રિજ નજીક પૂરપાટ આવતા બાઈકની સાઈડમાં ઉભા રહેલા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. દુર્ઘટનામાં બાઈકસવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે ..આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ વિધાર્થીને ફરજિયાત 75% હાજરી પૂરી ન કરવા બદલ પરીક્ષામાં ન બેસવા દેવા પર વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીમારી પાછળનું કારણ મહિનાઓ સુધી પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે એસીડિટી હોવાનું જાણવા મળ્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:50 pm

65 બાઇકર્સ સુરેન્દ્રનગરથી નડાબેટ યાત્રામાં જોડાયા:પાંચ વર્ષથી એકતાનો સંદેશ આપતી ધાર્મિક બાઇક રેલી

સુરેન્દ્રનગરના રતનપરથી ભગવાન વિશ્વકર્મા યાત્રા દ્વારા ધાર્મિક બાઇક રેલીનું આયોજન કરાયું છે. હાલમાં સુરેન્દ્રનગરથી નડાબેટ સુધીની બાઇક યાત્રા 12, 13 અને 14 તારીખે યોજાશે. આ યાત્રામાં ગુજરાતભરમાંથી 65થી વધુ બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એકતાનો સંદેશ આપવાનો છે. દર વર્ષે લગભગ 50 જેટલા બાઇકર્સ નિયમિતપણે આ યાત્રાનો હિસ્સો બને છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની ધાર્મિક યાત્રાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ સુરેન્દ્રનગરથી રાજસ્થાનમાં સુંઢા માતા, સોમનાથ, દ્વારકા અને મહારાષ્ટ્રમાં ઇલોરા સુધીની યાત્રાઓ પૂર્ણ કરાઈ છે. આ સમગ્ર આયોજન સેવાભાવી દિનેશભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવે છે. યાત્રામાં જોડાતા દરેક બાઇકર્સ પોતાના સ્વખર્ચે ભાગ લે છે, જે એકતા અને સેવાનો સંદેશ વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:47 pm

વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:ભાજપ સામે વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ વલસાડ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રતિષ્ઠાભરી બેઠકો પર કબજો જમાવવા તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપનો ગઢ બચાવવાનો પડકારવલસાડ તાલુકો પરંપરાગત રીતે ભાજપનો ગઢ મનાય છે. ભાજપના નેતાઓ 'વિકાસ'ના મુદ્દે મતદારો સમક્ષ જઈ રહ્યા છે. ભાજપના એક અગ્રણીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી છે. વલસાડ તાલુકાની તમામ 32 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. કોંગ્રેસના મોંઘવારી અને બેરોજગારીના પ્રહારબીજી તરફ, કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દા બનાવ્યા છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે, જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. ખેડૂતો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસ બહુમતી સાથે પંચાયતોમાં સત્તા મેળવશે. કાંઠા વિસ્તાર અને જ્ઞાતિ સમીકરણોવલસાડની ચૂંટણીમાં કાંઠા વિસ્તારના મતદારો હંમેશા નિર્ણાયક સાબિત થાય છે. આ વિસ્તારમાં કોળી પટેલ સમાજનું વર્ચસ્વ હોવાથી ત્રણેય પક્ષોએ આ સમાજના મતો મેળવવા વિશેષ રણનીતિ ઘડી છે. ટિકિટ ફાળવણીથી લઈને પ્રચાર અભિયાન સુધી જ્ઞાતિ પરિબળને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. બેઠકોનું ગણિતજિલ્લા પંચાયત 09તાલુકા પંચાયત 32 વલસાડમાં ભાજપ સામે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરી રહ્યા છે. હવે મતદારો 'વિકાસ' પર મહોર મારે છે કે 'પરિવર્તન'ને પસંદ કરે છે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:43 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AAPના મહિલા ઉમેદવારે કલેક્ટર કચેરીએ ફિનાઈલ ગટગટાવ્યું, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ-આપ કાર્યકરો આમને સામને

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:35 pm

મહીસાગરમાં ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર:ટિકિટ વહેંચણીથી નારાજ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનું રાજીનામું, સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ મહીસાગર જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ ચંદુભાઈ બારીયાએ ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષના પાયાના કાર્યકર ગણાતા નેતાના આ પગલાથી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સિદ્ધાંતોના ઉલ્લંઘનનો આક્ષેપરણજીતસિંહ બારીયાએ પક્ષ છોડવાના કારણમાં જણાવ્યું હતું કે, નવીન ગોધર તાલુકાની ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં ભાજપના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી. પક્ષમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં સતત અવગણના કરવામાં આવતી હોવાનો સુર તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવી પરિસ્થિતિમાં તેઓ હવે પક્ષ સાથે જોડાયેલા રહેવા માંગતા નથી. સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગીતેમણે રાજીનામાનો નિર્ણય સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો હતો. પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરી તેમણે પક્ષના વલણ સામે રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રણજીતસિંહ બારીયા અગાઉ જિલ્લા મોરચામાં મંત્રી તરીકે અને સંતરામપુરની વાંકડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. વર્ષોની વફાદારી છતાં ચૂંટણી ટાણે થયેલી ઉપેક્ષાને તેમણે રાજીનામાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:33 pm

રાહી ફાઉન્ડેશને નવા વાડજમાં ખીચડી-છાશનું વિતરણ કર્યું:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 222મા 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમ નવા વાડજમાં જય ગોપાલ ચોક, પાણીની ટાંકી પાસે આયોજિત કરવામાં આવ્યો હતો. આ વિતરણ સ્વર્ગસ્થ ભરતભાઈ ઓઝા અને શ્રુતિ ઓઝાની સ્મૃતિમાં ગીતાબેન ઓઝા પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સમિત શાહ, મહેન્દ્ર પટેલ, વસંત રાવ, જ્યોત્સ્ના રાવ, સ્વપ્નિલ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:28 pm

પાટણની બોમ્બે મેટલ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ:શિક્ષકોને એવોર્ડ, વિદ્યાર્થીઓને ઇનામ, બાળકોને આઈસ્ક્રીમ અપાયા

પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ' એનાયત કરાયા હતા, કલા મહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા અને શાળાના તમામ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ તેમજ માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ આર. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું સુખડ અને બુકેથી સ્વાગત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. માનવસેવા ટ્રસ્ટ ગુજરાત સમાજમાં જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યો કરે છે. ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ આર. મકવાણા શાળાના શિક્ષકોના ઉત્તમ શૈક્ષણિક કાર્ય, બાળકો અને વાલીઓ સાથેના સુમેળભર્યા સંબંધો, બાળકોની વિશેષ કાળજી અને સતત વાલી સંપર્ક જેવી બાબતોથી પ્રભાવિત થયા હતા. આથી, ટ્રસ્ટ દ્વારા શાળાના શિક્ષકોને દીપકભાઈ આર. મકવાણા, મયંક મકવાણા, મહેન્દ્રભાઈ કે. પટેલ અને અશોકભાઈ પટેલના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ' અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દીપકભાઈ મકવાણા તરફથી સ્વાગત ગીત રજૂ કરનાર તમામ બાળાઓને ₹1000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલા મહાકુંભમાં દ્વિતીય સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ₹750ના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે, શાળાના કુલ 480 બાળકોને દીપકભાઈ પરીખ અને શાળાના વાલી સતીષભાઈના સૌજન્યથી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે માનવસેવા ટ્રસ્ટ ગુજરાત, દીપકભાઈ પરીખ અને વાલી સતીષભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:26 pm

કેમ્પમાં 166 રેલવે કર્મચારીઓએ લાભ લીધો:અમદાવાદ DRM ઓફિસમાં મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

અમદાવાદના અસારવા સ્થિત ડીઆરએમ ઓફિસ ખાતે 10 એપ્રિલ 2026ના રોજ એક મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્વાસ્થ્ય વિભાગ (રેલવે)ના નેતૃત્વ હેઠળ અને સાલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં લગભગ 166 રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો. આ કેમ્પનું સફળ સંચાલન મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. ભાનુમતી શેખર, અપર મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજકુમાર દેવ અને એએનઓ ઝેબા શેખના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્વાસ્થ્ય કેન્દ્રના સ્ટાફ સભ્યો નિમિષા સિસ્ટર (સીએનએસ), હર્ષદ સોની (ચીફ ફાર્માસિસ્ટ), સીએચઆઈ આલોકભાઈ અને કવિતાબેને પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ આ કેમ્પમાં તેમની સેવાઓ આપી હતી. જેમાં ચેસ્ટ ફિઝિશિયન, આઈ સ્પેશિયાલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ન્યુરો ફિઝિશિયન, ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ અને ઈએનટી સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થાય છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય તપાસ અને પરામર્શ પૂરો પાડવાનો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:25 pm

આત્મીય યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય ચકાસણી શિબિર યોજાઈ:વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વિવિધ રોગોની તપાસ કરાઈ

તાજેતરમાં 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આત્મીય યુનિવર્સિટી ખાતે સ્વાસ્થ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન - રાજકોટ ચેપ્ટરના સહયોગથી આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અગ્રવાલ હોસ્પિટલ, સ્માઈલ પ્લસ હોસ્પિટલ અને મોરપેન લેબોરેટરીના સહયોગથી ચાર કેટેગરીમાં સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા આંખ, દાંત, ચામડી તેમજ બ્લડ ગ્લુકોઝ, બ્લડ પ્રેશર અને વજન જેવા સામાન્ય પરિમાણોની તપાસ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાળવણી માટે યોગ્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાર્મિક મહેતા, કેવિન ગરાળા, પ્રતીક ખુમાણ, અન્ય કર્મચારીગણ અને વિદ્યાર્થી સંયોજકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:24 pm

અરવલ્લીમાં ટ્રાફિક મેગા ડ્રાઇવ શરૂ:બ્લેક ફિલ્મ, ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી, ચૂંટણી સુધી ચાલુ રહેશે

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઇન્ટરસેપ્ટર કાર અને હાઈવે પેટ્રોલની ટીમો સક્રિય છે. મોડાસા શહેરના પેલેટ ચારરસ્તા ખાતે ટ્રાફિક PSI વી.એસ. ધોકડીયા અને તેમની ટીમે મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કારો, ઓવરલોડિંગ વાહનો, ફોગ લાઈટનો ગેરઉપયોગ કરનારા અને ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે દંડ ફટકારવા ઉપરાંત, બ્લેક ફિલ્મ લગાવેલી કારો પરથી સ્થળ પર જ ફિલ્મ ઉતરાવી કાયદાનું પાલન કરાવ્યું હતું. આ કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં પણ નિયમો પ્રત્યે જાગૃતિ અને સાવચેતી જોવા મળી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રાફિક ડ્રાઇવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની નરમાઈ દાખવવામાં આવશે નહીં. અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં પણ નિયમ તોડનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:09 pm

નવસારી નેશનલ હાઈવે પર SMCનો સપાટો:4 લક્ઝરી કારમાંથી 65.75 લાખનો દારૂ ઝડપાયો, 8 સામે ગુનો

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. નવસારીના ભારતમાલા નેશનલ હાઈવે પર SMCની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી 4 લક્ઝરી કારમાંથી 65.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો ઉપયોગ આગામી ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે થવાનો હોવાની આશંકા સેવાઈ રહી છે. શાહુ ગામ પાસે વોચ ગોઠવી કાર્યવાહીચોક્કસ બાતમીના આધારે SMCના PI સી. એચ. પાનારા અને તેમની ટીમે નવસારીના શાહુ ગામ પાસે નેશનલ હાઈવે પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી 4 લક્ઝરી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 11,810 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વલસાડ અને દમણથી સપ્લાય કરવામાં આવ્યો હતો. 65.75 લાખનો મુદ્દામાલ જપ્તSMCની આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 30 લાખની કિંમતનો દારૂ અને લક્ઝરી વાહનો મળી કુલ 65.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે વલસાડ અને દમણના મુખ્ય સપ્લાયરો સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પહેલા SMC દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી દક્ષિણ ગુજરાતના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:06 pm

ભાજપના પૂર્વ સદસ્યોએ બળવો કર્યો:પિતા-પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ સદસ્ય જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશ જામાભાઈ ગરીયાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પિતા-પુત્ર બંનેને ટિકિટ ન મળતા તેમણે આ નિર્ણય લીધો હતો. જામાભાઈ ગરીયાએ વોર્ડ નંબર 3માંથી અને હરેશ ગરીયાએ વોર્ડ નંબર 4માંથી અપક્ષ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઘટનાથી સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જામાભાઈ ગરીયા અગાઉ ભાજપમાંથી અને અપક્ષ તરીકે પણ ચૂંટાઈ ચૂક્યા છે. જ્યારે તેમના પુત્ર હરેશ ગરીયા ગત ટર્મના ભાજપના સદસ્ય હતા. 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી. પિતા-પુત્ર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાથી વોર્ડ નંબર 3 અને 4માં ભાજપને મોટો ફટકો પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:04 pm

બનાસકાંઠામાં સ્થાનિક ચૂંટણીના ફોર્મ ભરાયા:ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે સસ્પેન્સ, દિગ્ગજોના પત્તા કપાતા આંતરિક વિખવાદ, છેલ્લી ઘડી સુધી ઉમેદવારોમાં અવઢવ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન કરાતા રાજકીય આલમમાં ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. બંને પક્ષોએ વ્યૂહાત્મક રીતે યાદી ગુપ્ત રાખી ફોર્મ ભરાવ્યા હોવાથી ઉમેદવારોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. ભાજપની ટેલિફોનિક રણનીતિ અને આંતરિક રોષભાજપે હાઈકમાન્ડના આદેશ મુજબ જાહેર યાદીના બદલે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા દિગ્ગજ નેતાઓએ પક્ષ સામે જ મોરચો માંડતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા ચહેરા vs જૂના જોગીઓપાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટો ઉલટફેર કરતા અનેક જૂના અને જાણીતા ચહેરાઓને પડતા મૂકી નવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. ભાજપની આ 'નો-રિપીટ' થીયરીને કારણે ફોર્મ ભરવાના સ્થળે ભારે ધસારો જોવા મળ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે પણ સત્તાવાર યાદી જાહેર કરી ન હોવા છતાં ઉમેદવારો પાસે ફોર્મ ભરાવી દીધા હતા, પરંતુ મેન્ડેટ કોને મળશે તે અંગે ઉમેદવારોમાં મૂંઝવણ રહી હતી. સીધો જંગ અને જીતના દાવાપાલનપુર નગરપાલિકામાં હવે રસપ્રદ સમીકરણો સર્જાયા છે. ભાજપના નવા ચહેરાઓનો સામનો કોંગ્રેસના એવા ઉમેદવારો સાથે થશે જેઓ અગાઉ ભાજપમાં હતા અને બળવો કરીને પક્ષપલટો કરી ચૂક્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:01 pm

હાર્દિક-કૃણાલ વચ્ચે સંબંધો બગડ્યા?:ગિલનું નામ સાંભળતા જ સારા શરમાઈ ગઈ, તારક મેહતાએ કઈ IPL ટીમને સખત ટ્રોલ કરી?

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:55 pm

ભરૂચ કોંગ્રેસના બે નેતાઓની અપક્ષ દાવેદારી:ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત બે મેદાનમાં

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે, દિવસના અંતે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસે આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરન પટેલને સત્તાવાર ટિકિટ આપી છે. આના કારણે ટિકિટથી વંચિત રહેલા દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું મનાય છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ સમસાદ સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો દાવો કર્યો હતો. આ નિવેદનથી રાજકીય ગૂંચવણ વધુ વધી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સમસાદ સૈયદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સવાલોથી બચતા નજરે પડ્યા હતા. ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ કોંગ્રેસના કાર્યકર અને સભ્ય હોવાનું રટણ કરી રહ્યા હતા, જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:37 pm

ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે ઘસારો:ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીના ઉમેદવારોએ ભર્યા, કોંગ્રેસે પણ 34 થી વધુ બેઠકો પર પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દીને ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તે પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, પ્રભારી, શહેર પ્રમુખ સહિતના લોકોની ઉપસ્થિતિમાં એક સભા યોજાઈ હતી. ત્યારબાદ તમામ વાજતે ગાજતે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પોતાના ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસના 27 તેમજ આપ પાર્ટી,બહુજન પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ગઈકાલે ભાજપે પોતાના જાહેર કરેલા ઉમેદવારો જેમાં 52 પૈકી માત્ર 9 નગરસવકો ને રિપીટ કરી બાકી 45 નવા ચહેરા સાથે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દીને સૌ પ્રથમ ભાજપ શહેર કાર્યાલય ખાતે એક જંગી સભા યોજી હતી. જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, ભાવનગરના પ્રભારી, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, 52 ઉમેદવારો સહિતના મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત નેતાઓ 7 મી વાર જંગી જીતની આશા વ્યક્ત કરી હતી, તેમજ આ વખતે તમામ 52 ઉમેદવારો વિજેતા બને તેવા ભગીરથ પ્રયાસો સાથે ચૂંટણી પ્રચારમાં કાર્યકરોને જોડાઈ જવા અપીલ કરી હતી. ત્યારબાદ ભવ્ય રેલી યોજી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને તમામ 52 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તકે ભાજપે નવા ચહેરાને સ્થાન આપવા બાબતે કહ્યું કે લોકો ભાજપે કરેલા વિકાસના કામોને ધ્યાને રાખી ભાજપને મત આપે છે જ્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે ત્યારે ફરી આ ચૂંટણીમાં 7 મી વાર ભાજપ સત્તા પ્રાપ્તિ કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ અને આપ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે અહીં 52 બેઠક માટે 560 લોકો ની દાવેદારી હતી જ્યારે અન્ય પાર્ટી ને હજુ યોગ્ય ઉમેદવારો મળતા નથી જ્યારે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિન છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:26 pm

નવસારીમાં ભાજપના ગઢમાં ગાબડું:ટિકિટ ન મળતા મીરલ પટેલ, પ્રીતિ અમીન કોંગ્રેસમાં જોડાયા

નવસારી વિજલપોર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર પ્રીતિ અમીન અને પ્રદેશ સ્તરના યુવા નેતા મીરલ પટેલ સહિતના કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ પક્ષાંતરથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 13ના પૂર્વ ભાજપી કોર્પોરેટર પ્રીતિ અમીને ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. તેમણે હવે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બીજી તરફ, ભાજપના પ્રદેશ સ્તરના યુવા નેતા અને IT સેલના મજબૂત સ્તંભ ગણાતા મીરલ પટેલે પણ બળવો કર્યો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભાજપમાં સક્રિય હતા અને IT સેલ તેમજ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ જવાબદારી નિભાવી ચૂક્યા છે. મીરલ પટેલે હવે વોર્ડ નંબર 5 માંથી કોંગ્રેસ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાં જોડાયેલા આ નેતાઓએ ભાજપની કાર્યપદ્ધતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે વર્ષોથી પક્ષ માટે કાર્યરત હોવા છતાં છેલ્લી ઘડીએ ટિકિટ કાપવામાં આવતા તેઓ નારાજ હતા. એક ઉમેદવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં વિકાસના કામો યોગ્ય રીતે થયા નથી, જેના કારણે જનતામાં રોષ છે. નવસારી ભાજપના આ આંતરિક વિખવાદનો સીધો ફાયદો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:19 pm

નવસારી જિલ્લા પંચાયત: ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતી:ગણદેવી અને ચીખલીમાં વિપક્ષ મેદાનમાં નહોતો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયનો પ્રારંભ કર્યો છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ ત્રણ બેઠકો ગણદેવી અને ચીખલી તાલુકાની છે. ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિપક્ષી ઉમેદવારો મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોમાં દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 10 ટકા બેઠકો ચૂંટણી પહેલા જ જીતી લેતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ 'બિનહરીફ' જીતની હેટ્રિક બાદ ભાજપના આગેવાનોએ ફૂલહાર અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:15 pm

બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રજૂ કર્યા

બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બોટાદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ રજૂ કર્યા હતા. બોટાદ તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારી પત્રો જમા કરાવવા માટે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર દિનેશ દલસાણીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાજપના શાસનકાળમાં શહેરના દરેક વોર્ડમાં વિકાસ થયો છે, જેના કારણે લોકો ભાજપને જ મત આપશે. બીજી તરફ, કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ ડેરવાળીયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે વિકાસના નામે ભ્રષ્ટાચાર કર્યો છે, જેનાથી લોકો કંટાળી ગયા છે. આથી આ વખતે લોકો કોંગ્રેસને મત આપશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:13 pm

બોટાદ ભાજપમાં બળવો: પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી.:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ કપાતા છત્રપાલ ધાંધલ મેદાનમાં

બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર છત્રપાલ ધાંધલે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઘટનાથી બોટાદ ભાજપમાં બળવો થયો હોવાનું મનાય છે. છત્રપાલ ધાંધલ ગત ટર્મમાં બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ભાજપના કોર્પોરેટર હતા. તેમણે આ વખતે પણ વોર્ડ નંબર 9 માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ તેમને ટિકિટ ન મળતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે છત્રપાલ ધાંધલે પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની અપક્ષ ઉમેદવારીથી બોટાદ ભાજપમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવાર છત્રપાલ ધાંધલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘મેં વોર્ડ નંબર ૯ માં લોકોની વચ્ચે રહીને વિકાસના કામો કર્યા છે, તેથી વિસ્તારના લોકો મારી સાથે છે અને ચોક્કસ મારો વિજય થશે.’

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:05 pm

RJ આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી:15 વર્ષ રેડિયો જોકી તરીકે લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે વોર્ડ-10માં ઘરે-ઘરે જઈ લોકોને સાંભળીશ

રાજકોટમાં કોંગ્રેસે RJ આભાને કોર્પોરેટરની ટિકિટ આપી મોટો રાજકીય દાવ ખેલ્યો છે ત્યારે આજે 11 એપ્રિલે ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમણે જણાવ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ સુધી લોકોના પ્રશ્નો દૂર કર્યા હવે ઘરે-ઘરે જઈને લોકોને સાંભળીશ. જ્યારે તેમના પ્રશ્નો વડીલો દૂર કરશે. કોંગ્રેસ પક્ષ ઉપર પસંદગી ઉતારવાનું કારણ આપતા કહ્યું કે, કોંગ્રેસે મારા પર ભરોસો કર્યો અને તેથી હું આ પક્ષમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છું. ઘરે-ઘરે જઈને લોકોના દિલની વાત જાણીશરાજકોટના વોર્ડ-10માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા આભા દેસાઈએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ બદલ્યું છે પરંતુ પરફોર્મન્સ એ જ રહેવાનું છે લોકોના દરવાજે દરવાજે પહોંચવાનું છે. લોકોના પ્રશ્નો જાણી તેમને દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના છે. હું મારું કામ કરવાની છું બાકી લોકોના પ્રશ્નો વડીલો સોલ્વ કરી દેશે. રેડિયો જોકી તરીકે 15 વર્ષ સુધી લોકો સાથે કનેક્ટર રહીને તેમના પ્રશ્નો જાણી દૂર કર્યા છે. અહીં હું નવી છું ત્યારે ઘરે-ઘરે જઈને લોકોના દિલની વાત જાણીશ અને મને પૂરો ભરોસો છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકશે અને જીતાડશે. મારો સ્વભાવ અહીં હું એક્સપ્રેસ કરી શકીશતેમણે જણાવ્યું કે, મેં રેડિયો છોડ્યો પરંતુ મારી અંદર લોકો રહી ગયા. રેડિયો એક પ્રાઇવેટ કંપની હોય છે આમ છતાં પણ મેં લોકોની વચ્ચે અને લોકોની સાથે રહેવાનો રસ્તો કાઢી લીધો હતો. હવે કોઈ પણ જાતની બાઉન્ડ્રી વિના સરસ રીતે કામ કરી શકીશ. મારી પહેલી ઈચ્છા એ છે કે, લોકો મારા સુધી પહોંચે અને હું લોકો સુધી પહોંચું. કોંગ્રેસને પસંદ કરવાનું કારણ આપતા કહ્યું કે કોંગ્રેસે મારા ઉપર ભરોસો કર્યો. મને અહીં કામ કરવાનો બહોળો અનુભવ મળશે. મારો સ્વભાવ અહીં હું એક્સપ્રેસ કરી શકીશ. એટલું જ કહેવા માગીશ કે તમે મતદાન કરો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:04 pm

પતિના પરસ્ત્રી સંબંધ ને દાંપત્ય જીવનમાં ખટરાગ:પીડિતાને મુશ્કેલી પડતા અભયમની મદદ માંગી, પતિનું કાઉન્સિલિંગ કર્યું અને પીડિતા અને બાળકને પિયરમાં મોકલ્યા

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિના પરસ્ત્રી સંબંધને કારણે જીવન જરૂરિયાતના સામાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, તેમના પતિ અને સાસુ દ્વારા તેમને તથા તેમના ચાર વર્ષના બાળકને જરૂરી કપડાં અને દસ્તાવેજો આપવામાં આવતા નહોતા. જેને પગલે પીડિતાને અભયમે મદદ કરી હતી. પતિના પરસ્ત્રી સંબંધથી દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો'તોવડોદરાની પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માગી હતી. માહિતી મળતા જ 181 ટીમ પીડિતાના સરનામે પહોંચી ગઈ હતી અને મામલે દખલ કરીને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, પતિનો બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો હતો, જેના કારણે પીડિતા પતિ સાથે રહેવા તૈયાર નહોતી અને પોતાના બાળક સાથે પિયરમાં રહેતી હતી. 181 ટીમે કાઉન્સિલિંગ કરીને પીડિતા અને બાળકને પિયરમાં મોકલ્યા181 ટીમના હસ્તક્ષેપ બાદ પીડિતાને તેમના કપડાં, બાળકના કપડાં તેમજ જરૂરી દસ્તાવેજો પતિ પાસેથી અપાવવામાં આવ્યા હતા. સાથે જ પીડિતાને ભરણપોષણ માટે કાનૂની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મફત કાનૂની સહાય કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી હતી. આગળની કાર્યવાહી અંતર્ગત પીડિતાને તેમના ચાર વર્ષના બાળક સાથે સુરક્ષિત રીતે પિયરમાં મોકલવામાં આવ્યા હતા અને તેમના પિતાને સોંપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 4:01 pm

ગાંધીનગર ડીમાર્ટમાંથી ઘીના પાઉચની ચોરી:20 દિવસમાં ₹44 હજારના ઘીના પાઉચ ચર્યો, પોલીસે આરોપીની અટકાયત કરી

ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા ડીમાર્ટ મોલમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી ઘીના પાઉચની ચોરીનો પર્દાફાશ થયો છે. મોલ મેનેજમેન્ટે વાવોલના વતની સુરપાલસિંહ ઠાકોરને લોટની થેલીમાં 13 પાઉચ છુપાવીને લઈ જતા રંગેહાથ ઝડપી પાડી સેક્ટર-21 પોલીસને હવાલે કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને સ્ટોકની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે ₹44,000ની કિંમતના કુલ 143 ઘીના પાઉચની ચોરી કરી હતી. મધુર અને અમુલ ઘીના 500 ગ્રામના પાઉચમાં સતત ઘટઘટનાની વિગતો મુજબ, સેક્ટર-26 ડીમાર્ટના સ્ટોર મેનેજર તુષારભાઈ ગાયકવાડને છેલ્લા 20 દિવસથી સ્ટોકની ગણતરી દરમિયાન મધુર અને અમુલ ઘીના 500 ગ્રામના પાઉચમાં સતત ઘટ જણાતી હતી. આ મામલે શંકા જતાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક શખ્સ ઘઉંના લોટની થેલીની અંદર કંઈક છુપાવીને લઈ જતો શંકાસ્પદ જણાતા સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો હતો. અમુલ ઘીના 500 ગ્રામના 13 પાઉચ બિનવારસી મળ્યાગત 10 એપ્રિલના રોજ સાંજે જ્યારે આ શંકાસ્પદ શખ્સ ફરીથી મોલમાં ખરીદી કરવા આવ્યો અને એક્ઝિટ ગેટ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મેનેજરે તેને અટકાવી બિલની માંગણી કરી હતી. બિલમાં માત્ર ઘઉંના લોટની બે થેલીઓ જ નોંધાયેલી હતી, પરંતુ તપાસ કરતા થેલીની અંદરથી અમુલ ઘીના 500 ગ્રામના 13 પાઉચ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. સેક્ટર-21 પોલીસે આરોપીની અટકાયત કરીપકડાયેલા શખ્સની ઓળખ સુરપાલસિંહ સોમાભાઈ ઠાકોર (રહે. વાવોલ, મૂળ મહીસાગર) તરીકે થઈ છે. કડકાઈથી પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ અનેકવાર આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી ચૂક્યો છે. મોલના રેકોર્ડ અનુસાર તેણે અત્યાર સુધીમાં કુલ 143 નંગ પાઉચની ચોરી કરી છે. હાલ સેક્ટર-21 પોલીસે સ્ટોર મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:59 pm

ટિકિટની ખેંચતાણને છતાં ભાજપ એકજૂટ હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો:જગદીશ વિશ્વકર્માએ કહ્યું, 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ પર અડગ વિશ્વાસ મૂક્યો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ટિકિટ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલતી હોવા છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીની સ્થિતિ મજબૂત હોવાનું જણાવ્યું હતું. ‘પાર્ટી તમામ બેઠકો પર તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે’મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટી તમામ બેઠકો પર તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે. જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ પર અડગ વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે રાજ્ય અને દેશમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસના મુદ્દા પર લોકો ફરી ભાજપને સમર્થન આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો ટિકિટ માટે ચાલી રહેલી આંતરિક સ્પર્ધા છતાં પાર્ટી એકજૂટ છે અને ચૂંટણીમાં સારો પ્રદર્શન કરશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો વધવાની શક્યતા વચ્ચે રાજકીય ચહલપહલ વધુ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:55 pm

પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ:વિધાર્થી કાયદાના કોર્સમાં હાજરી આપી શક્યો નહીં, યુનિવર્સિટીએ પરીક્ષામાં બેસવા ન દેતા અરજદાર હાઇકોર્ટ પહોંચ્યો

મારવાડી યુનિવર્સિટીના LLBના ચોથા વર્ષના એક વિદ્યાર્થી માટે જે બાબત અપૂરતી હાજરીના કિસ્સા તરીકે શરૂ થઈ હતી, તેણે ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર વળાંક લીધો હતો, જેમાં વિદ્યાર્થીએ તેના વર્ગોમાં ગેરહાજરીને તેની ખાવા-પીવાની ટેવો સાથે જોડી હતી. વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધવિધાર્થીને ફરજિયાત 75% હાજરી પૂરી ન કરવા બદલ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા, વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી તેની શૈક્ષણિક પ્રગતિને અસર ન થાય. રૂબરૂમાં પોતાની દલીલ કરતા તેણે પોતાની લાંબી ગેરહાજરી પાછળ સ્વાસ્થ્યના કારણો આપ્યા હતા અને મેડિકલ કાગળો રજૂ કર્યા હતા જેમાં એસિડિટીનો ઉલ્લેખ હતો. પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે તબિયત બગડી વધુ તપાસ કરતા બીમારી પાછળનું કારણ ધ્યાન ખેંચનારું હતું. વિદ્યાર્થીએ ડોક્ટરના સર્ટિફિકેટનો આધાર લીધો હતો જેમાં જણાવાયું હતું કે તેની હાલત મહિનાઓ સુધી પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે બગડી હતી. દસ્તાવેજોમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા ત્રણ મહિનામાં ચાર-પાંચ વાર ડોક્ટરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ જોખમાય નહીં તે માટે ઉકેલ શોધેબીજી તરફ યુનિવર્સિટીએ વિદ્યાર્થીની પરીક્ષા આપવાની અપાત્રતાને યોગ્ય ઠેરવવા માટે હાજરીના નિયમો પર ભાર મૂક્યો હતો. હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ જોખમાય નહીં તે માટે કોઈ ઉકેલ શોધે. આ પછી યુનિવર્સિટીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિદ્યાર્થી જે તેની ગેરહાજરીને કારણે 15% વેઇટેજ ધરાવતી મિડ ટર્મ-1 પરીક્ષા ગુમાવી ચૂક્યો હતો, તે હજુ પણ મિડ ટર્મ-2 અને અંતિમ પરીક્ષાઓમાં બેસી શકે છે. 16 એપ્રિલના વધુ સુનાવણીજો કે ગુમાવેલા 15% ગુણ વિધાર્થી છોડવા તૈયાર ન હોવાથી, વિદ્યાર્થીએ તરત જ આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. ત્યારબાદ કોર્ટે તેને 16 એપ્રિલ સુધીમાં પુનઃવિચાર કરવા માટે સમય આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે સમય સુધીમાં અરજદારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપવામાં આવે છે કે શું તેઓ 20 એપ્રિલ, 2026 થી શરૂ થનારી મિડ-ટર્મ-II પરીક્ષામાં બેસવા માંગે છે કે કેમ? જો આગામી સુનાવણી સુધીમાં અરજદાર દ્વારા કોઈ એફિડેવિટ ફાઈલ કરવામાં નહીં આવે, તો એમ માનવામાં આવશે કે અરજદાર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ સાથે સંમત નથી. આ બાબતની વધુ સુનાવણી હવે 16 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં યુનિવર્સિટી પણ મેરિટ પર તેનો જવાબ દાખલ કરે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:53 pm

બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલો:ટિકિટ ન મળતા ભાજપના જ આગેવાને પથ્થરમારો કર્યો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે રાજકીય ગરમાવો તે સમયે હિંસક બન્યો જ્યારે ભાજપના જ એક આગેવાને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કર્યો હતો. ટિકિટ વિતરણના મામલે ચાલી રહેલી નારાજગીને પગલે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલીપ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા અને ભાજપના આગેવાન ભૂપત ચૌહાણ વચ્ચે ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભૂપત ચૌહાણના પુત્રને ટિકિટ ન મળતા તેઓ લાંબા સમયથી નારાજ હતા અને શહેર પ્રમુખ પર ટિકિટ આપવા માટે દબાણ કરી રહ્યા હતા. આ દબાણ વશ ન થતા મામલો બિચક્યો હતો અને ભૂપત ચૌહાણે આવેશમાં આવી કિરીટ પાટીવાળા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. બચાવ અને ઈજાઆ હુમલામાં શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેમની સાથે હાજર અન્ય 1 કાર્યકરને પગના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. ઘટના બાદ તરત જ કાર્યકરો ઉમટી પડ્યા હતા અને મામલો બોટાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સલામતી સામે સવાલપોલીસ મથકે નિવેદન આપતા કિરીટ પાટીવાળાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું પક્ષનો જવાબદાર પદધારી છું. જો મારા પર જ આ રીતે હુમલો થતો હોય, તો સામાન્ય કાર્યકરો અને સામાન્ય નાગરિકોની સલામતીનું શું? આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થાય છે. તેમણે પોલીસ પાસે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ બોટાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પક્ષના આંતરિક વિખવાદ અને હિંસક ટકરાવને પગલે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:48 pm

ભાજપે ગોધરા નગરપાલિકા માટે અંતિમ બે ઉમેદવાર જાહેર કર્યા:વોર્ડ 1માં રાકેશ વ્યાસ, વોર્ડ 2માં જીતુ સાવલાણીને મેન્ડેડ

ગોધરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે તેમને સત્તાવાર મેન્ડેડ પણ ફાળવવામાં આવ્યા છે. પક્ષ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માટે ઉમેદવારો નક્કી કરાયા છે. વોર્ડ નંબર 1 માં રાકેશભાઈ વ્યાસ (રેલ્વે) ને નવા ચહેરા તરીકે તક અપાઈ છે, જ્યારે વોર્ડ નંબર 2 માં જીતુભાઈ સાવલાણીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવારોના મેન્ડેડ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર અને APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ, 26 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી, જેથી હવે ભાજપ કુલ 28 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ બંને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરી વિધિવત રીતે ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:37 pm

સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી જે.ડી. પરમારનો 85મો જન્મદિવસ:મહાપૂજા અને આયુષ્ય જાપ સાથે ભક્તિમય ઉજવણી

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારનો 85મો જન્મદિવસ ઉજવાયો હતો. આ અવસરે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે મહાદેવને અર્પણ કરવા માટે વિશેષ મહાપૂજાનું આયોજન કરાયું હતું. ટ્રસ્ટીના પ્રતિનિધિ તરીકે જનરલ મેનેજરે સંકલ્પ લીધો હતો અને મહાપૂજાની સામગ્રી અર્પણ કરી હતી. મંદિરના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા સંપન્ન કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા ટ્રસ્ટીના દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સુખાકારી માટે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સાંજના સમયે મહાદેવના શૃંગાર સમયે વિશેષ દીપમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દીપમાળા દ્વારા મંદિર પરિસરમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રકારે, ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમારના જન્મદિવસની ઉજવણી કરી તેમના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:32 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોડેલી ભાજપમાં ભડકો:ટિકિટ ન મળતા પૂર્વ APMC ચેરમેન હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ APMC ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ હેમરાજસિંહ મહારાઉલે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 20 વર્ષથી ભાજપમાં સક્રિય એવા નેતાએ પક્ષના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણ તેજ બન્યું છે. 20 વર્ષની વફાદારી સામે અવગણનાનો આક્ષેપહેમરાજસિંહ મહારાઉલ બોડેલી અને સંખેડા APMCના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપમાં પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે, છતાં કેટલાક કહેવાતા નેતાઓ દ્વારા તેમને લાંબા સમયથી સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણેજ બેઠક પરથી તેમને ટિકિટની મજબૂત અપેક્ષા હતી, પરંતુ પાર્ટીએ તેમની અવગણના કરીને એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે પક્ષમાં સક્રિય પણ નથી. 'કોંગ્રેસ મુક્ત ભારત'ના સૂત્ર પર કટાક્ષમહારાઉલે ભાજપના વર્તમાન સ્થાનિક સંગઠન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, છોટા ઉદેપુર જિલ્લામાં હવે 'કોંગ્રેસ મુક્ત ભારત'ને બદલે 'કોંગ્રેસ યુક્ત ભાજપ' જોવા મળી રહ્યું છે. બહારથી આવેલા કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં ટિકિટની વહેંચણી કરી રહ્યા છે. જેમને ટિકિટ મળી છે તેમણે ક્યારેય ભાજપનો ખેસ પણ પહેર્યો નથી કે કોઈ મીટિંગમાં હાજરી આપી નથી. ગદ્દારોની ફોજ પક્ષ ચલાવી રહી હોવાનો દાવોતેમણે ઉમેર્યું હતું કે પક્ષમાં હાલ ગદ્દારોની ફોજ ભેગી થઈ છે અને તેઓ જ તમામ સંચાલન કરી રહ્યા છે. માત્ર પાણેજ બેઠક જ નહીં, પરંતુ બોડેલી નગરપાલિકામાં પણ બિન-સક્રિય લોકોને ટિકિટ આપવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મહારાઉલે જણાવ્યું હતું કે તેમને વિસ્તારની જનતા પર પૂર્ણ ભરોસો છે અને આગામી 28 તારીખે પરિણામો આવ્યા બાદ તેઓ તમામ પ્રશ્નોના જડબાતોડ જવાબ આપશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:28 pm

ગુમ સગીર અમદાવાદમાંથી સલામત મળ્યો:અભ્યાસ મુદ્દે પિતા સાથે મનદુઃખ થતાં ઘર છોડ્યું હતું, મોબાઇલ લોકેશન ટ્રેક કરી શોધ્યો

ગીર સોમનાથ જિલ્લામાંથી ગુમ થયેલા એક સગીરને પોલીસે અમદાવાદમાંથી શોધી કાઢી તેના પરિવારને સુપરત કર્યો છે. વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય કરણ ચુડાસમા 6 એપ્રિલે સાંજે ઘરેથી ભાલકા મંદિરે જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ તે પરત ફર્યો ન હતો. સગીર પરત ન ફરતા પરિવારજનોએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવા અંગેની અરજી નોંધાવી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, પોલીસે સગીરના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેક કર્યું હતું. તેનું છેલ્લું લોકેશન અમદાવાદના સાણંદ ચોકડી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી કરી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે સગીર BBA નો અભ્યાસ કરવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ હાલમાં ઇનકાર કરતા બંને વચ્ચે મનદુઃખ થયું હતું. આ માનસિક તણાવના કારણે સગીરે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક પોલીસની મદદથી પ્રભાસ પાટણ પોલીસની ટીમ અમદાવાદ પહોંચી હતી અને સગીરને સલામત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસે તેને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા, પી.એસ.આઈ. બી.કે. રાઠોડ અને સ્ટાફના અન્ય સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જિલ્લા પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે સકારાત્મક પરિણામ આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:22 pm

જામનગર મનપા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાજપ ઉમેદવારોએ રિવાબા જાડેજાની આગેવાનીમાં પત્રો ભર્યા

જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એકસાથે તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વહીવટી કચેરીઓ બહાર કાર્યકરો અને સમર્થકોનો અભૂતપૂર્વ જમાવડો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારો કાર્યાલયે એકઠા થયા બાદ ઉમેદવારી પત્રો ભરવા રવાના થયા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને 78-વિધાનસભા વિસ્તારમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં આવતા તમામ વોર્ડના ભાજપના ઉમેદવારો જ્યારે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવા પહોંચ્યા, ત્યારે તેમની સાથે રાજ્યમંત્રી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ ઉમેદવારો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવ્યો હતો. બીજી તરફ, વોર્ડ નંબર ચારમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે બહુજન સમાજવાદી પાર્ટી (BSP) માં જોડાઈને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે વોર્ડ નંબર એકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પણ આજે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. સાંજે 6:00 વાગ્યા પછી કુલ કેટલા ઉમેદવારી પત્રો ભરાયા તેનો સ્પષ્ટ આંકડો ઉપલબ્ધ થશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી કચેરીઓમાં વહેલી સવારથી જ ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. ભાજપના શક્તિપ્રદર્શનને કારણે કચેરી પરિસર 'ભારત માતા કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તકે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જામનગરની જનતા વિકાસના કામોને જોઈને ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે. હવે ફોર્મ ભરાઈ ગયા બાદ આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ ચૂંટણી જંગનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. હાલ તો જામનગરમાં ચૂંટણીનો માહોલ પૂરેપૂરો જામ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:19 pm

રીક્ષામાં બેઠેલા 3-શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા:આરોપીએ કહ્યું, તારા પાસે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું; બહેનના ઘરેથી ઉધાર લઈને અમદાવાદ આવ્યા'તા

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા. વૃદ્ધ 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા અને વહેલી સવારે પાલડીથી રીક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રીક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જે મામલે વૃદ્ધે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટથી 1 લાખ લઈને તેઓ એસટી બસમાં અમદાવાદ આવ્યા હતાજુના વાડજમાં રહેતા જશવંતભાઈ સોલંકી મોટેરા ડીમાર્ટ સામે ફેબ્રિકેશનનો વેપાર કરે છે. જશવંતભાઈને પૈસાની જરૂર હોવાથી તેઓ રાજકોટ ખાતે તેમના બહેનના ઘરે ઉધાર પૈસા લેવા માટે ગયા હતાં. રાજકોટથી 1 લાખ લઈને તેઓ એસટી બસમાં અમદાવાદ આવ્યા હતા. વહેલી સવારે 5 વાગ્યે તેઓ પાલડી ખાતે બસમાંથી ઉતર્યા હતાં. જે બાદ તેમને વાડજ જવાનું હોવાથી એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં પહેલાથી જ પાછળની સીટ ઉપર ત્રણ પેસેન્જર બેઠા હતાં. જશવંતભાઈ રિક્ષામાં બેસીને પાલડી ચાર રસ્તાથી એલિસબ્રિજ થઈ વાડજ જવા નીકળ્યા હતાં. છરી બતાવીને 1 લાખ લૂંટી લીધાએલીસબ્રીજ દેવનંદન મોલ નજીક પહોંચતા જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે કમરના ભાગેથી છરી કાઢી જ્યારે બે શખ્સોએ જશવંતભાઈને પકડી રાખ્યા હતાં. જશવંતભાઈને છરી બતાવીને 'તારા પાસે જે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું' એવું કહેતા જશવંતભાઈએ તેમના ખિસ્સામાં રહેલા 1 લાખ રૂપિયા ડરના કારણે આપી દીધા હતા. વૃદ્ધે ફરિયાદ નોંધાવીત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને રીક્ષા નહેરુનગર તરફ જતી રહી હતી. સમગ્ર મામલે જશવંતભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:12 pm

કલેકટર પી.બી. પંડ્યાએ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી:સ્ટ્રોંગરૂમ પર CCTV, મતદાન જાગૃતિ વધારવા સૂચના આપી

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ માટે જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા સ્ટ્રોંગરૂમ પર સીસીટીવી મોનિટરિંગ અને મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેકટરે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ, ઝોનલ રૂટની કામગીરી, તેમજ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરોની વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સર્વિસ વોટર્સ માટેની કામગીરી, પોલિંગ અને કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક તથા તેમની તાલીમ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ચૂંટણીલક્ષી સામગ્રીની ઉપલબ્ધતા અને પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફના પોસ્ટલ બેલેટ અંગે પણ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી. વધુમાં, કલેકટરે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ.વી.એમ. નિદર્શન યોજવા અને મતદાન મથકોનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે નોડલ અધિકારીઓને માર્ગદર્શન અપાયું. ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એસ.એમ. કાથડ સહિત મતદાર યાદી, પોલિંગ સ્ટાફ, ઈ.વી.એમ., ચૂંટણીલક્ષી તાલીમ, આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ દેખરેખ, મતદાર જાગૃતિ, વાહન સંપાદન, પ્રચાર પ્રસાર, કોમ્પ્યુટરાઈઝેશન અને મતગણતરી કેન્દ્ર જેવી વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ તથા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:09 pm

અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટ્યા:કલેક્ટર કચેરીએ ભીડ, 26 એપ્રિલે ચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભરૂચ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ કારણે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને કચેરીઓ પર ઉમેદવારોની ભીડ ઉમટી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીના આધારે, આજે મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જોકે, કેટલાક દાવેદારોને મૌખિક સૂચના આપી ઉમેદવારી નોંધાવવા માટે કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારો પણ ઉત્સાહભેર પોતાની દાવેદારી નોંધાવવા માટે આગળ આવ્યા હતા. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે સંભવિત ભીડ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખી હતી. આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષો અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવાન બનવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 3:08 pm

ભાજપના 'ચાણક્ય' ચૂંટણી મેદાને:નવસારી વોર્ડ-2માંથી અશોક ધોરાજીયાને ટિકિટ, ચાર દાયકાથી વધુ સમયથી સંગઠનમાં સક્રિય છતાં પ્રથમવાર ચૂંટણી લડશે

નવસારી ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વોર્ડ નંબર-2 માંથી અશોક ધોરાજીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી પક્ષના સંગઠનમાં સક્રિય છે અને દક્ષિણ ગુજરાત ભાજપના 'ચાણક્ય' તરીકે ઓળખાય છે. ચાર દાયકાથી વધુ સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય હોવા છતાં, અશોક ધોરાજીયા પોતાના જીવનમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અનેક ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર સમાજમાં અશોક ધોરાજીયાનું મોટું વર્ચસ્વ છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમની મજબૂત પકડને કારણે પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેમની ઉમેદવારીથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા છે કે, જો ભાજપ નવસારીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે, તો મેયર પદ માટે અશોક ધોરાજીયા પ્રબળ દાવેદાર બની શકે છે. તેમની વહીવટી કુશળતા અને સંગઠન શક્તિને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:55 pm

PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત!:PSIની ફિઝિકલ ટેસ્ટ અને સોલા સિવિલના ઊંચાઈના ટેસ્ટમાં ફેઈલ, હાઈકોર્ટે કહ્યું, ફરીવાર નિષ્ફળ જશો તો નોકરી પણ જશે

પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ PSIની ફિઝિકલ ટેસ્ટ આપી હતી. જેમાં તે ઊંચાઈના માપદંડથી ફેઈલ થયા હતાં. જેની તેને અમદાવાદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને ફરીથી હાઈકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ આપ્યા હતાં. જેમાં પણ તેઓ ફેઈલ થયા હતા. ત્યારબાદ ફરી કોન્સ્ટેબલે કોર્ટમાં ઊંચાઈની ફેર-માપણીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એવી ચેતવણી આપી કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે, પરિણામે કોન્સ્ટેબલે પીછેહઠ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. PSI શારિરીક કસોટીમાં ઊંચાઈમાં અયોગ્ય જાહેર ગુજરાત પોલીસમાં બોનીકુમાર કાપડિયા કોન્સ્ટેબલ તરીકે 2019માં જોડાયા હતાં. તે સમયે તેમની ઊંચાઈ 165 સેમી અને 5 કિમીની દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી હોવાનું સ્વીકારાયું હતું. 6 વર્ષ પછી જ્યારે તેમણે PSI બનવા માટે અરજી કરી, ત્યારે શારીરિક કસોટીમાં તેમની ઊંચાઈ 165 સેમી કરતાં ઓછી માલૂમ પડી, જેના કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતાં. હાઈકોર્ટમાં અરજી, સોલા સિવિલમાં ઊંચાઈ મપાઈઆ મામલે બોનિકુમારે અમદાવાદથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિડિયોગ્રાફી હેઠળ ફરીથી માપણી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટમાં 10 હજાર ડિપોઝિટ ભરીને 24 ફેબ્રુઆરીએ સોલા સિવિલમાં ઊંચાઈ માપવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેઓ નિર્ધારિત ઊંચાઈમાં નિષ્ફળ રહ્યાં હતાં. 'કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી તેવો અર્થ થશે'જ્યારે કાપડિયાએ ફરીથી માપણીની માંગ કરી, ત્યારે હાઇકોર્ટે સવાલ કર્યો કે, શું વ્યક્તિની ઊંચાઈ ઘટવા લાગે છે? કોર્ટે ચેતવણી આપી હતી કે જો ત્રીજી વખતની માપણીમાં પણ તેઓ નિષ્ફળ જશે, તો તેનો અર્થ એ થશે કે તેમણે 2019માં કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી હતી. કાપડિયાએ અરજી પાછી ખેંચી લીધી જો અરજદાર ત્રીજી વાર નિષ્ફળ જાય તો PSI બનવાનું તો દૂર, પણ હાલની કોન્સ્ટેબલની નોકરી પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ જોખમ જોતા કાપડિયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:47 pm

મોરબી મહાનગરપાલિકાની ઉમેદવારીનો અંતિમ દિવસ:ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે ગુજરાતના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિ ગૌણ છે, કમળ જીતવું જોઈએ. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી સહિત કુલ ત્રણ સ્થળોએ ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ તેમજ નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી કરનારા આગેવાનોએ પણ પોતાના ટેકેદારો સાથે ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભાજપે તેના 52 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કર્યા હતા. મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, નાના-મોટા મનદુઃખ ભૂલીને દૂધમાં સાકર ભળે તે રીતે કમળ જીતે તે માટે કામે લાગી જવું જોઈએ. તેમણે ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે કેટલાક આગેવાનો દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી રહી હોવા અંગે પૂછવામાં આવતા મંત્રી અમૃતિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, મોરબી મહાપાલિકામાંથી ચૂંટણી લડવા માટે 400થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ માત્ર 52 વ્યક્તિઓને જ ટિકિટ આપી શકાય. મંત્રીએ ઉમેર્યું કે, તેમનાથી સિનિયર હોય તેવા આગેવાનોને પણ ટિકિટ ન મળી હોય તેવું બન્યું છે, જેના માટે તેઓ ક્ષમા માંગે છે. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિ ગૌણ છે અને કમળ વિજેતા બનવું જોઈએ, આ લક્ષ્ય સાથે સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:44 pm

નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો વિરોધ:મચ્છરદાની પહેરી દૂષિત પાણીની બોટલ સાથે ફોર્મ ભર્યું

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેઓ માથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શન નવસારી શહેરમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી મચ્છરની સમસ્યા અને દૂષિત પાણીના પ્રશ્નોના ઉકેલ ન આવવાને કારણે કરવામાં આવ્યું હતું. શહેરીજનો આ સમસ્યાઓથી પરેશાન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, તેવો તેમનો આક્ષેપ હતો. પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષ 'જાડી ચામડી'ના બની ગયા છે અને જનતાની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે. આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેમણે સરકારી અધિકારીઓનું ધ્યાન દોરવાનો અને જનતાનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચની સૂચના મુજબ, બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:42 pm

LCB એ ભોપલકા ગામેથી 220 બોટલ દારૂ ઝડપ્યો:ચૂંટણી પહેલાં ₹44,590ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, LCB ટીમે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, PSI બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે ભોપલકા ગામે વિજયસિંહ હરીસિંહ જાડેજા (ઉંમર 36)ના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, તેના કબજામાંથી 180 MLની 220 બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹34,590ની કિંમતનો દારૂ અને ₹10,000નો મોબાઇલ ફોન મળી કુલ ₹44,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:34 pm

જૂનાગઢમાં પક્ષપલટા અને નારાજગીનો દૌર શરૂ:ભેસાણથી ભૂપત ભાયાણી મેદાનમાં, કેશોદમાં મહિલા નેતાનો કેસરીયો ત્યાગી 'આપ'માં પ્રવેશ, પત્નીને ટિકિટ મળતા પતિ નારાજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યાંક પક્ષપલટા તો ક્યાંક આંતરિક નારાજગી ભાજપ માટે પડકાર ઉભો કરી રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો. ​જૂનાગઢ જિલ્લા પંચાયતની સૌથી ચર્ચિત બેઠક ભેસાણ બની છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ આજે પોતાના સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું હતું. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે તે 'આપ'ના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાનો મતવિસ્તાર ગણાય છે. ભાજપે ભાયાણીને મેદાનમાં ઉતારી 'આપ'ના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની સીટ નં. 2 પરથી શોભાનાબેન સતાસીયાએ પણ ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે. ​કેશોદમાં ભાજપના મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શારદાબેન રાખલીયાએ પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. 2009થી ભાજપમાં સક્રિય રહેલા શારદાબેને આક્ષેપ કર્યો કે 15 વર્ષની મહેનત છતાં પાર્ટીએ તેમની કદર કરી નથી.શારદાબેને જણાવ્યું હતું કે મેં અસંખ્ય બહેનોને રોજગારી અને તાલીમ આપી છે, છતાં પક્ષે મને ન્યાય આપ્યો નથી. બહેનોની લાગણીને માન આપી હું હવે વોર્ડ નં. 1 માંથી 'આપ'ની પેનલ સાથે ચૂંટણી લડીશ. તેમની સાથે રમેશભાઈ વણપરિયા અને લક્ષ્મીબેન પણ મેદાનમાં ઉતરશે. ​કેશોદ નગરપાલિકાના વોર્ડ નં. 5 માં એક અનોખી ઘટના બની છે.પૂર્વ સભ્ય વિવેક કોટડીયાએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે તેમના બદલે તેમની પત્નીને ઉમેદવાર બનાવ્યા. આ નિર્ણયથી નારાજ થઈને વિવેકભાઈએ પત્ની વતી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે જ છે, પરંતુ પારિવારિક સંજોગોને કારણે ચૂંટણી નહીં લડે. આ સ્થિતિને પગલે ભાજપે હવે નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે. ​માળિયા હાટીનામાં ભાજપ દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગટીયાની આગેવાનીમાં મહારેલી યોજવામાં આવી હતી. શક્તિ પ્રદર્શન સાથે ભાજપે જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી. ​જૂનાગઢમાં સર્જાયેલી આ સ્થિતિ સૂચવે છે કે પાયાના કાર્યકરોની અવગણના સત્તાધારી પક્ષ માટે મોંઘી પડી શકે છે. એક તરફ ભાજપ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ 'આપ' ભાજપના નારાજ ચહેરાઓને અપનાવીને પોતાની પકડ મજબૂત કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ આંતરિક વિખવાદ અને પક્ષપલટાને કઈ રીતે મૂલવે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:32 pm

ડુગરવાડા કબીર કુટીરમાં ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ:પંથાચાર્ય ઉદિત મુનિના હસ્તે ધ્વજા પૂજા, ભવિષ્યમાં 'ધ્વજા બેઠક' તરીકે પૂજાશે

ડુગરવાડા સ્થિત કબીર કુટીર ખાતે કબીર પંથના સોળમા પંથાચાર્ય પરમ પૂજ્ય હજુર શ્રી ઉદિત મુનિ નામ સાહેબના હસ્તે એક વર્ષ પૂર્વે કરવામાં આવેલ ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ધ્વજા નિશાન પૂજા અને ધ્વજારોહણ વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. આ પવિત્ર વિધિ પૂજ્ય મહંત વિષ્ણુપ્રસાદ મહારાજ અને મહંતપ્રેમદાસ સાહેબના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે નિલેશભાઈ જોષી, અમિતભાઈ કવિ, દિગ્વિજય સિંહ, નરસિંહભાઈ રાજવી સહિત ડુગરવાડા ગામના મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ ધ્વજાને ધ્વજા બેઠક તરીકે પૂજવામાં આવશે. મહંતશ્રી વિષ્ણુપ્રસાદ મહારાજે ઉમેર્યું હતું કે કબીર પંથની આ ધ્વજા પંથકમાં ધર્મપ્રેરણા ફેલાવતી રહેશે. આ પ્રસંગે મહંતઓ અને આગેવાનો દ્વારા ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગુરુગાદી વતી ઉપસ્થિત મહંતો અને આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:57 pm

ચંદ્રુમાણામાં રાવળ પરિવારના કુળદેવી ચેહરમાતાની રમેલ યોજાઈ:ઉપાસકોએ ભક્તોને સાચા માર્ગે જીવન જીવવા આશીર્વાદ આપ્યા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના જૂની ડેરીવાસમાં આવેલા રાવળ પરિવારના કુળદેવી શ્રી ચેહર માતાના મંદિરે શુક્રવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને બહારગામથી મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપાસકોએ વિવિધ દેવીઓનું આહવાન કરીને ગાદી પરથી ભક્તોને જીવનમાં શ્રદ્ધા જાળવી રાખવા અને સાચા માર્ગે જીવન જીવવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ રમેલ મહોત્સવ રાવળ સમાજના અમથીબેન ગાંડાભાઈની દીકરી ટીનીબેન કડવાભાઈ અંબાલાલના યજમાન પદે યોજાયો હતો. જેમાં ભગાભાઈ, રમેશભાઈ, છનાભાઈ, પીન્ટુભાઇ, રાહુલભાઈ સહિતના માતાજીના ઉપાસકો અને અન્ય ભુવાજીઓ માતાજીનું આહવાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપાસકોનું શાલ ઓઢાડીને અને પુષ્પવર્ષા કરીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ચાણસ્માના કલાકાર અજયભાઈએ રમેલની ગાથાનું ગાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:56 pm

પાલનપુરમાં પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ:ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ

પાલનપુર પોલીસે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારોમાં નિર્ભય વાતાવરણ ઊભું કરવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ અંતર્ગત, વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સઘન ચકાસણી અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક લોકોને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ કામગીરીથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સકારાત્મક માહોલ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:51 pm

ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું:સુરત કલેક્ટર કચેરી ‘રણમેદાન’ બની; ઇટાલિયા સામે ભાજપ કાર્યકરોના મોદી-મોદી નારા; પોલીસે મામલે થાળે પાડ્યો

સુરત શહેરના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ) ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઈલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ અંગે તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ટેકનિકલ સમસ્યા અને નિયમોના ગૂંચવાડાને ગણાવ્યું કારણઆત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જણાવતા ગૌશાલીબેને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટીએ મને મેન્ડેડ આપ્યું છે અને કોઈ કચાસ રાખી નથી, પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ ડેટામાં સુધારા કરી શકાય છે, જેના કારણે મારી ઉમેદવારી અટવાઈ પડી છે. ફોર્મમાં થયેલી ભૂલ અને ટેકનિકલ અવરોધથી હતાશ થઈને તેમણે આ અંતિમ ડગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપની નારેબાજી, માહોલ ગરમાયોફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા કલેક્ટર કચેરી જાણે રાજકીય જંગનું મેદાન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયા પોતાનું નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે આપના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા. જોકે, આ જ સમયે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારો સાથે ત્યાં ઉપસ્થિત હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને જોરશોરથી 'મોદી-મોદી' ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ 'કેજરીવાલ ચોર છે' અને 'દેશ કે ગદ્દારો કો ગોલી મારો' જેવા વિવાદિત સૂત્રોચ્ચાર કરતા વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ દોડતી થઈ, ઘર્ષણ ટળ્યુંભાજપના નારા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મોરચો સંભાળ્યો હતો. 'આપ' ના કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈ 'ઝાડુ-ઝાડુ' અને 'પરિવર્તન' ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. બંને પક્ષના કાર્યકરો એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે ગમે ત્યારે શારીરિક સંઘર્ષ થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. સ્થળ પર હાજર પોલીસ કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો અને બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને તરફથી ચાલતા શાબ્દિક પ્રહારોને કારણે અફરાતફરીનો માહોલ લાંબો સમય ચાલ્યો હતો. નેતાઓએ કાર્યકરોને સંભાળ્યા, શાંતિપૂર્ણ ફોર્મ વિધિ સંપન્નજ્યારે મામોલ વધુ બિચકાયો ત્યારે બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દરમિયાનગીરી કરી હતી. મોટી દુર્ઘટના ન ઘટે તે માટે નેતાઓએ પોતપોતાના કાર્યકરોને શાંત પાડ્યા હતા અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં શિસ્ત જાળવવા અપીલ કરી હતી. પોલીસની કડક સુરક્ષા વચ્ચે અંતે મનોજ સોરઠીયા સહિતના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. સુરતની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ અને 'આપ' વચ્ચે સીધો જંગ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેની ઝલક આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેક્ટર કચેરીમાં જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:49 pm

દ્વારકા જિલ્લા પંચાયત ભાજપ મેન્ડેટ જાહેર:ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા નામો રજૂ કરાયા

દ્વારકા જિલ્લા પંચાયત માટે ભાજપના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા આ નામોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, મીઠાપુર જિલ્લા પંચાયત બેઠક પર ઉદયસિંહ વનરાજભાને ટિકિટ આપવામાં આવી છે. વડવાળા બેઠક પર નયાણી રૂપાબેન લખનભાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બરડીયા બેઠક પર હાથિયા ગોરીબેન જેઠાભાઇને મેન્ડેટ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:46 pm

અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી પૂરી પેનલ સાથે ‘આપ’માં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે. આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:39 pm

પટ્ટાવાળાએ વોર્ડ-13ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ફોર્મ ભર્યું:છેલ્લા 28 વર્ષથી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા, પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણથી લોટરી લાગી

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે 11 એપ્રિલે મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 13ના ઉમેદવાર રમેશભાઈ ભીલની થઈ રહી છે. જેઓ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા તમેને ભાજપે ટિકિટ આપી સૌને ચોકાવ્યા છે. 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાંમહેસાણા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી મહાનગરપાલિકાના 52 ઉમેદવારો ઢોલ-નગારાના ગડગડાટ અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે નામાંકન પત્ર દાખલ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા જૂજ સમર્થકો સાથે ફોર્મ ભરતા જોવા મળ્યા હતા. જિલ્લા કાર્યાલયના પટ્ટાવાળાને ભાજપની ટિકિટમહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં એક એવા નામની પસંદગી કરવામાં આવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.પક્ષે કોઈ મોટા ગજાના નેતાને બદલે છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલ પર વિશ્વાસ મૂકીને તેમને વોર્ડ નંબર 13માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતારમેશભાઈની આ સફર અત્યંત સંઘર્ષમય રહી છે. માત્ર 25 વર્ષની ઉંમરે જ્યારે તેઓ ભાજપ કાર્યાલયમાં જોડાયા ત્યારે તેમનો માસિક પગાર માત્ર 500 રૂપિયા હતો. આજે 50 વર્ષની વયે પહોંચેલા રમેશભાઈ માત્ર 10 પાસ છે. પરંતુ તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણ કોઈપણ ડિગ્રી કરતા ઊંચું સાબિત થયું છે. તેઓ હાલમાં સોમનાથ રોડ પર આવેલા વાલ્મિકી નગરમાં પોતાના પિતા અને પત્ની સાથે સાદગીપૂર્ણ જીવન જીવે છે. શિક્ષિત પરિવાર અને સાદું જીવનરમેશભાઈના પત્ની આશાબેન ભીલ મહેસાણાની કર્વે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ દંપતીને સંતાન નથી, પરંતુ સેવાભાવ તેમના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે. નાની ઉંમરે આર્થિક તંગી અને અનેક કપરા દિવસો જોયા હોવા છતાં, રમેશભાઈએ ક્યારેય પોતાની ફરજમાં કચાસ રાખી નહોતી. નાના કાર્યકરોને પ્રાત્સાહન મળશેપોતાના નામની જાહેરાત થતા જ રમેશભાઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે આ તકે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભાજપે મારા જેવા સામાન્ય કાર્યકર અને પટાવાળાની કદર કરી છે તે બદલ હું ખૂબ જ ઋણી છું. ભાજપના આ નિર્ણયની સ્થાનિક સ્તરે ખૂબ પ્રશંસા થઈ રહી છે. કારણ કે તે સાબિત કરે છે કે રાજકારણમાં માત્ર હોદ્દો નહીં પણ વર્ષોની સેવા અને વફાદારી પણ મહત્વ રાખે છે. રમેશ ભીલની આ ટિકિટ અન્ય નાના કાર્યકરો માટે પ્રોત્સાહનનું પ્રતીક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:22 pm

કન્ટેનર ચાલકે બ્રેક મારતા આઈસર ધડાકાભેર અથડાયું:સારવાર લીધા બાદ પરત ઘટનાસ્થળે પહોંચતા ડ્રાઈવરનું મોત, ચંદ્રાલા હાઈવે પરની ઘટના

ગાંધીનગરના ચિલોડા હિંમતનગર હાઈવે પર આગમન હોટલ સામેના રોડ ઉપર કન્ટેનરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી આઈસર ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે ચંદ્રાલા ગામ પાસે અકસ્માતપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના રહેવાસી 48 વર્ષીય સંદીપકુમાર હરનામસિંહ 10 એપ્રિલે ગઈકાલે આઈસર ગાડી લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ચંદ્રાલા ગામ પાસે આગળ જતા કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા સંદીપકુમારની આઈસર પાછળના ભાગે અથડાઈ હતી. આઈસરના આગળના ભાગનો બુકડો બોલી ગયોઆ અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ દિલ્હીથી આવી રહેલા અન્ય ટ્રક ચાલક અને ક્લીનર રાહુલ મદદ માટે દોડી આવ્યા હતા. શરૂઆતમાં સંદીપકુમારને સારવાર માટે છાલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘટનાસ્થળે પરત ફર્યા હતા. પરંતુ થોડીવારમાં જ તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બાદમાં અચાનક ઉલટીઓ થવા લાગી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ફરી બોલાવવામાં આવી પરંતુ તપાસ કરતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ક્લીનર રાહુલકુમાર બગેલ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:10 pm

ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલો:માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે, 9 કલાકની પૂછપરછમાં પિતાનું ખીરુ ખરાબ હોવાનું એક જ રટણ

અમદાવાદના ચાંદખેડામાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે. બાળકીના માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. ગઈકાલે પોલીસે બાળકીના પિતાની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પરંતુ પિતાનું ખીરુ ખરાબ હોવાનું જ રટણ રહ્યું હતું. બાળકીના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સપોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:40 pm

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા દ્વારકામાં માંગ:ઓખામંડળના ટ્રસ્ટીઓ 7 મેના રોજ સરકારને રજૂઆત કરશે

દ્વારકામાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. આ મુદ્દે ઓખામંડળની ગૌશાળાઓના ટ્રસ્ટીઓ અને ગૌભક્તોએ દ્વારકા સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ વર્ષો જૂની માંગને લોકચળવળનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવાયો. આ ચળવળને વેગ આપવા માટે આગામી 7 મેના રોજ ઓખામંડળના ગૌસેવકો અને ટ્રસ્ટીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પ્રાંત અધિકારીની કચેરીએ જશે. ત્યાં તેઓ સરકાર સમક્ષ ગૌભક્તોની લાગણીઓ પહોંચાડવા માટે સત્તાવાર આવેદનપત્ર સુપરત કરશે. બેઠકમાં ઉપસ્થિત ગૌભક્તોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાય માતાનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે. ગૌસેવકોને આશા છે કે દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી ઉઠેલો આ અવાજ સમગ્ર દેશમાં ગૌ-રક્ષા અને ગૌ-સન્માન માટે નવો માર્ગ પ્રશસ્ત કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:38 pm

ગોધરામાં ભાજપના 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:મેહંદી બંગલોઝથી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું

ગોધરા નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એકસાથે 28 ઉમેદવારોના ફોર્મ ભરવા માટે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ શહેરના મેહંદી બંગલોઝ ખાતેથી કરવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સમર્થકો કેસરીયા માહોલમાં ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જય અને પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 28 ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફૂલહાર પહેરી રેલીમાં જોડાયા હતા. આ રેલી મેહંદી બંગલોઝથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જ્યાં ઠેર-ઠેર વેપારીઓ અને રહીશો દ્વારા પુષ્પવર્ષા કરીને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં રેલી શિસ્તબદ્ધ રીતે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી. રેલીના અંતે, નિર્ધારિત મુહૂર્તમાં તમામ 28 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓએ આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકાસના મુદ્દે ગોધરાની જનતા ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:13 pm

પોરબંદરમાં અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી આખી પેનલ સાથે ‘આપ’માં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે. આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:10 pm

સરદારકૃષિનગરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો:ડૉ. આદિત્ય અગ્રવાલે તણાવ મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું

કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના 'સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ' દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. UGC ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'સ્વસ્થ મન – ઉજ્જવળ ભવિષ્ય' ના મંત્રને સાર્થક કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એમ.ડી. સાયકિયાટ્રિસ્ટ ડૉ. આદિત્ય આર. અગ્રવાલે આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને વહેલી તકે ઓળખી યોગ્ય તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ડૉ. અગ્રવાલે શૈક્ષણિક ભારણ વચ્ચે માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન (મેડિટેશન), સકારાત્મક અભિગમ અને અસરકારક સમય વ્યવસ્થાપન જેવા પ્રાયોગિક નુસખાઓ પણ સમજાવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં, પરંતુ મજબૂત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડૉ. ચિરાગ એમ. મોદી, ડૉ. અજય એસ. પટેલ, ડૉ. રિંકેશ મકવાણા અને ડૉ. જે. આર. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:58 am

પાટણ નગરપાલિકા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભારે ધસારો:ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાટણ પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે કચેરી પરિસર છલકાઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઢોલ-નગારા અને વાજતે-ગાજતે વિજય વિશ્વાસ સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોના નામની કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નથી. તેમ છતાં, પક્ષના આદેશ મુજબ કોંગ્રેસના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારી ભરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે હાજરી આપી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષના કાર્યકરો અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી, જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા જાળવી હતી. 44 બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે,.હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:55 am

મોરબી મહાપાલિકા: સુપરસિડ બોડીના 7 સભ્યો રિપીટ:પૂર્વ પ્રમુખો, ઉદ્યોગકારો સહિત અનેકના પત્તા કપાયા

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ગઈકાલે મોડી રાત્રે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં નગરપાલિકાની સુપરસિડ થયેલી છેલ્લી બોડીના સાત સભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાંચ પૂર્વ પ્રમુખો, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખો, અનેક ચેરમેનો તથા માજી સભ્યો સહિત અનેકના પત્તા કપાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોડી સાંજે આ યાદી જાહેર કરાઈ હતી. ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી'ની વાતો કરવામાં આવતી હતી, પરંતુ જાહેર કરાયેલા નામોમાં સાત ઉમેદવારો રિપીટ થયા છે. આ રિપીટ થયેલા ઉમેદવારોમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, મેઘાબેન દીપકભાઈ પોપટ, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા અને ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંચ ઉમેદવારો એવા છે જેમના પરિવારના સભ્યો ગત નગરપાલિકાની બોડીમાં હતા. આ વખતે ચહેરો બદલીને પૂર્વ સદસ્યના પરિવારજનને ટિકિટ અપાઈ છે. તેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયા, ભારતીબેન ચુનીલાલ પરમાર, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે. સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને પણ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવી છે. મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી 52 આગેવાનોને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે. જોકે, અનેક મોટા નામોના પત્તા કપાયા છે. પત્તા કપાયેલા નેતાઓમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દેવાભાઈ પરબતભાઈ અવાડીયા, કેતનભાઇ અમૃતલાલ વિલપરા, લલિતભાઇ જેરાજભાઈ કામરીયા, અનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી ચેરમેનો પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ, ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતા, મોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈ, શનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલાનો પણ સમાવેશ થાય છે. મોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયા, અનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા પણ કપાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:48 am

સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારો જાહેર, 30 નવા ચહેરા:હિંમતનગર નગરપાલિકામાં 13 રિપીટ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ફેરફાર

સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે જાહેર કરાયેલી યાદીમાં હિંમતનગર નગરપાલિકામાં 44માંથી 43 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં 13 વર્તમાન સભ્યોને રિપીટ કરાયા છે અને 30 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ જાહેરાતમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતની કુલ 170 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય અને પ્રાંતિજ નગરપાલિકાની પેટાચૂંટણીની 96 બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે. મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલના પતિ મહેન્દ્રભાઈ પટેલને ટિકિટ અપાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. આસપાસના વિસ્તારો ઉમેરાતા વોર્ડની સંખ્યા નવથી વધીને 11 થઈ છે, જેના કારણે આઠ સભ્યોનો ઉમેરો થયો છે. ભાજપે 44માંથી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં 13 રિપીટ ઉમેદવારો અને 30 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. વોર્ડ મુજબ વિગતવાર જોઈએ તો, વોર્ડ 1માં ચાર નવા ચહેરા, વોર્ડ 2માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 3માં ત્રણ નવા ચહેરા, વોર્ડ 4માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 5માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 6માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 7માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 8માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 9માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 10માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા અને વોર્ડ 11માં ચાર નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે: વોર્ડ નં.1: ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ, તેજલ આકાશ રાવલ, સાવન અમૃતલાલ ડોકીયાર, ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ. વોર્ડ નં.2: શુચિ અર્જુનકુમાર શાહ, નીતા હસમુખભાઈ પટેલ, રાજુભાઈ કરસનભાઈ દેસાઈ, રાજેષકુમાર કિશોરીલાલ શર્મા. વોર્ડ નં.3: હફીજુનીશા ઝાકીરહુસેન હરસોલીયા, દશરથભાઈ ચીમનભાઈ વાઘેલા, સોયેબભાઈ સાબીરભાઈ શેખ. વોર્ડ નં.4: દેવિકાબેન ધવલભાઈ સોની, જાનકીબેન અમિતભાઈ રાવલ, ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ, નિકેશભાઈ હસમુખભાઈ ગાંધી. વોર્ડ નં.5: અલકાબેન રાકેશકુમાર બારોટ, ઉષાબેન પ્રદીપભાઈ વાઘેલા, રશિકાંતભાઈ મથુરભાઈ સોલંકી, જયેશ વસંતભાઈ ભાટી. વોર્ડ નં.6: પ્રિયંકાબેન છગનભાઈ સડાત, હંસાબેન મહેન્દ્રકુમાર પિત્રોડા, જતીન શંકરભાઈ કહાર, હિતેશકુમાર જયંતિલાલ પટેલ. વોર્ડ નં.7: અરુણાબેન ધર્મેન્દ્રભાઈ કડિયા, કુમારભાર્ગવભાઈ મનહરભાઈ રાજ, અમૃતલાલ બાબુલાલ પુરોહિત. વોર્ડ નં.8: દક્ષાબેન જયંતિલાલ રાઠોડ, ભૂમિ જીગ્નેશભાઈ મહેતા, ગોપાલભાઈ કેશુભાઈ પ્રજાપતિ, ધર્મરાજ બલવંતસિંહ દેવડા. વોર્ડ નં.9: વાચા જનકભાઈ જોશી, શિલ્પાબેન બ્રિજેશભાઈ પટેલ, નીતિન દિનેશભાઈ પરમાર, રાહુલ બિપિનભાઈ પટેલ. વોર્ડ નં.10: વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી, હિરવાબેન હિમાંશુભાઈ સાધુ, નટવરલાલ ડાહ્યાભાઈ ઓઝા, કલ્પિત હર્ષદભાઈ દવે. વોર્ડ નં.11: દર્શનબેન જીગ્નેશભાઈ પંચાલ, વૈદેહી અંકુરભાઈ સોની, ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ, અવિનાશ પ્રવિણચંદ્ર જોશી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:41 am

અનંત અંબાણીના જન્મદિવસ પર વિશ્વની પ્રથમ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ:ભારતને વન્યજીવ-પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. અનંત અંબાણીએ જણાવ્યું કે, વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃધ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતિક સ્વરૂપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃધ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઊચ્ચ પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાની જમીન પરના કાર્યની નિપૂણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે. કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને, આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. તેમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા એ જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા, કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:36 am

વેરાવળ ભાજપમાં ઉમેદવાર પસંદગી મુદ્દે ઘમાસાણ:અંતિમ દિવસે પણ યાદી જાહેર ન થઈ, સીધા મેન્ડેડની ચર્ચા

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવાર પસંદગીને લઈને આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે, ખાસ કરીને વેરાવળ નગરપાલિકામાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. વેરાવળ નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી સવાર સુધી પણ અંતિમ સ્વરૂપ લઈ શકી નથી. આ કારણે પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ગૂંચવણ અને નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં મોડી રાત્રે ભાજપે કેટલાક ઉમેદવારો જાહેર કર્યા હોવા છતાં, વેરાવળની યાદી હજુ પણ વિવાદમાં અટવાયેલી છે. જિલ્લા પંચાયતની લોઢવા બેઠક પર પણ મતભેદોને કારણે નિર્ણય અટકાવી દેવાયો છે. જોકે, ભાજપે જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ ઉપરાંત, સુત્રાપાડા, તાલાલા અને ઉના નગરપાલિકાઓ તેમજ 6 તાલુકા પંચાયતોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં પાછળ રહી છે. કોંગ્રેસ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે બંને પક્ષોમાં અંતિમ ઘડીએ મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ પરિસ્થિતિએ ચૂંટણી પૂર્વે જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી કલાકોમાં બંને પક્ષો દ્વારા લેવાયેલા નિર્ણયો ચૂંટણીની દિશા નક્કી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:17 am

રાજકોટ ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન:જાહેર સભા સંબોધન બાદ 72 ઉમેદવારો એક સાથે પોતાની ઉમેદવારી નોંધાવશે, નારાજ આગેવાનો અને કાર્યકર્તાની ગેરહાજરી

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચશે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા 72 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત થતાની સાથે આખી રાત કાર્યાલય ખાતે ભાજપ લીગલ સેલની મદદથી ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રક્રિયા કરવામાં આવી છે. આજે અમારું વિજય વિશ્વાસ સંમેલન છે જે પૂર્ણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે સાંજથી જ બધા કાર્યકર્તાઓ દરેક બુથ સુધી પહોંચી પ્રચારમાં જોડાઈ જશે. 72 બેઠક ઉપર કમળ ખીલશે:ડો. માધવ દવેડો. માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં પણ આ વખતે અમે ખાસ રણનીતિ બનાવી છે. તમામ 72 બેઠક ઉપર કમળ ખીલાવી તમામ 72 બેઠક પર જીત મેળવીશું. દેશમાં મોદી સાહેબ અને રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર જે રીતે વિકાસના કામ કરે છે. એટલે રાજકોટમાં પણ આ વખતે લોકો વિકાસને ધ્યાનમાં રાખી તમામ બેઠક પર ભાજપને જીત અપાવશે તેવો મને વિશ્વાસ છે. કાર્યકર્તા કોઈ નારાજ થાય તો તેને સાંભળવાની મારી જવાબદારી છે. મેં દરેકને સાંભળી તેમને યોગ્ય આશ્વાસન આપ્યું છે હવે કોઈ નારાજગી નથી બધા એક થઇ આજથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે. પોલીસ બોલાવવી પડી એવી સ્થિતિ હતીગઈકાલે સાંજે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓમાં નારાજગી જરૂર જોવા મળી હતી. શહેરના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 14, અને વોર્ડ નંબર 18માં ટિકિટ ઇચ્છતા નેતાઓ અને તેના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ પૈકી વોર્ડ નંબર 3, 13, અને 14ના કાર્યકર્તા ટોળા સાથે કમલમ કાર્યાલય આવી પહોંચતા મોડી રાત સુધી અહીં પોલીસ બંદોબસ્ત મુકવાની પણ ફરજ પડી હતી. જો કે આવું કદાચ પ્રથમ વખત બન્યું હશે કે ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બોલાવી પડી હોય. ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે અને આ શિસ્ત બધ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ કદાચ ગઈકાલે પોતાની પાર્ટીની શિસ્તતા ભૂલી ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું હતું. પૂર્વ મેયર, પૂર્વ દંડક સહિતના પત્તા કપાયા મહાનગર પાલિકાના 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે જયારે 50 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેમાં મુખ્યત્વે ગત 5 વર્ષની ટર્મના મુખ્ય 10 પદાધિકારીઓ પૈકી માત્ર 2 જ પદાધિકારીને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ મનપાના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઈ ઘવા, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાની બાદબાકી કરી પક્ષ દ્વારા તેમને કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં છેલ્લે સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગાંધીનગર કમલમમાં પણ મોટા નેતાઓ વચ્ચે પોતાના માણસો સાચવવામાં તુ-તું મેં-મેં થઇ હોવાની પણ ચર્ચા મોડી રાત સુધી રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકરોમાં ચર્ચાતી જોવા મળી હતી. શહેરના ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો વચ્ચે ઉમેદવારોની પસંદગી માટે ખેંચતાણ ચાલી હતી અને ઉમેદવારોની જાહેરાતના અંતે 72 ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીમાં મહિલા ધારાસભ્યનું પલડું ભારે રહ્યું હોવાનો પણ ગણગણાટ થતો સંભળાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:16 am

મનપાની ટિકિટ ફાળવણીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ!:અનેકના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ, પરિવારવાદ અને ધારાસભ્યના લોબિંગથી જાણો કેટલાને લોટરી લાગી!

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભારે ખેંચતાણ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 10 એપ્રિલે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વોર્ડમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અનેક સિનિયર અને અનુભવી કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોના હઠાગ્રહના કારણે અનેક લોકોના પત્તા કપાયા હતા. ત્યારે હવે ભાજપમાં ખૂબ જ આંતરિક ભડકો ઉભો થયો છે. ભાજપ દ્વારા પરિવાર વાદ પણ ચલાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના દીકરા, દીકરી અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. કહી ખુશી કહી ગમ!નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર અને નરોડા વોર્ડ માટે પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી. નરોડા વોર્ડમાંથી ભાજપમાંથી કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જગ્યાએ ગાડીઓ લઈને ફરવા વાળા લોકોને ટિકિટ આપવામાં આવતા સોશિયલ મીડિયામાં બળાપો કાઢવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોતાનું લોબીંગ કરીને માણસોને ટિકિટ અપાવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ રાજીનામાં પણ આપી દીધા છે. પાલડીમાં પ્રતિશ મહેતાની ટિકિટ કપાઈAMCમાં ખૂબ જ અનુભવી અને સિનિયર ગણાતા એવા પાલડી વોર્ડમાંથી પ્રતિશ મહેતાને ટિકિટ મળી નથી. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રીતિશ મહેતાએ લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં રહેલા દબાણને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને છેલ્લે સુધી લડત આપી ભદ્ર પરિસરને દબાણ મુક્ત કર્યુ હતું. જો કે તેમની મહેનત હોવા છતાં પણ છેવટે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પાલડીમાંથી જૈનને ટિકિટ આપવાની હોવાને લઈને પ્રીતિશ મહેતાને કાપી પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ભત્રીજી ક્રિમિ ગાંધીને ટિકિટ આપવામાં આવી છે. પ્રકાશ ગુર્જરના સ્થાને નવા ચહેરાને તકબાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની ટિકિટ પણ કાપી નાખવામાં આવતા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ગત ટર્મમાં લીગલ કમિટી ખૂબ જ નબળી રહી હતી જેને ફરીથી જાગૃત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી બાકી રહેલા પેન્ડિંગ કેસો અને લીગલ વિષયોને ફરીથી ઉપાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લીગલ કેસોમાં સફળતા અપાવી હતી પરંતુ લીગલ કમિટીના ચેરમેન તરીકે તેમની કામગીરી અને બાપુનગરમાં સેવાકીય સંસ્થા દ્વારા પોતાની કામગીરી સારી હોવા છતાં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વિરોધ વચ્ચે યુવા આગેવાન વિરલ વ્યાસને ટિકિટ ન મળીરાણીપ વોર્ડમાં સૌથી સક્રિય, યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરલ વ્યાસની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. સાબરમતીના ધારાસભ્ય દ્વારા વિરલ વ્યાસનું નામ મુકવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને કેટલાક હોદ્દેદારોના વિરલ વ્યાસને ટિકિટ આપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તેને ટિકિટના આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પણ રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે અને બે ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી બંનેની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અને તેમના સ્થાને માત્ર એક જ મહિલા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. સિનિયર બંને કોર્પોરેટર હોવા છતાં પણ નવા કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ મહિલા કોર્પોરેટરે કામ કર્યું છતાં અવગણનાઅમરાઈવાડી વોર્ડમાં સૌથી યુવા કોર્પોરેટર રહી ચૂકેલા પ્રતિભા દુબેને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમરાઈવાડીમાં સૌથી સક્રિય કોર્પોરેટર તરીકે સ્લમ વિસ્તારમાં સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી. મહિલા કોર્પોરેટર તરીકે સક્રિય બની કામગીરી કરતા હતા. જો કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા તેમની કામગીરીને લઈને હેરાનગતિ કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ પણ મહિલા કોર્પોરેટરને કરવી પડી હતી. સક્રિય મહિલા કોર્પોરેટર હોવા છતાં પણ તેમની ટિકિટ ધારાસભ્યના કારણે કાપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. વસ્ત્રાલમાં પાટીદાર ફેક્ટરના આધારે ટિકિટરેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અનિરુદ્ધસિંહ ઝાલાની પણ વસ્ત્રાલમાંથી ટિકિટ કાપી નાખવામાં આવી છે. અનુભવી અને જૈનિક વકીલ દ્વારા રેવન્યુ કમિટીને ફરીથી જાગૃત કરવામાં આવી હતી અને તેને વધારે સારી રીતે ચલાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક ટેક્સની આવક લાવવા માટે અનેક નિર્ણયો લીધા હતા. જો કે અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કાપી અને હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર ફેક્ટર હોવાથી તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ધારાસભ્યોનું લોબિંગ સૌથી વધારે ફળી ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્યોએ પોતાના માણસોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ જ રજૂઆતો કરી હતી અને પ્રદેશના નેતાઓએ તેમની રજૂઆતો સાંભળી હતી. ક્યાંકને ક્યાંક ટિકિટ ન આપવા માટે અને પોતાના માણસોને સેટ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રદેશના નેતાઓએ છેવટે ધારાસભ્યોના માણસોને ટિકિટ આપી છે. જો કે કેટલાક લોકોએ ધારાસભ્યોના માણસોને ટિકિટ ન આપવા રજૂઆત કરી હતી. જેમાં પણ કેટલીક જગ્યાએ ધારાસભ્યોના માણસોને કાપવાની જગ્યાએ શહેરના હોદ્દેદારોને ગોઠવી દીધા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે. વિરોધ વચ્ચે પણ સન્ની ખાનચંદાણી રિપીટનરોડા વિધાનસભામાં સન્ની ખાનચંદાણીનો ખૂબ મોટો વિરોધ હતો. તેમ છતા વિરોધની વચ્ચે તેમને ફરીથી રિપીટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની સાથે ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં આવતા ડિમ્પલ વરીનદાનીની ટિકિટ કાપવામાં આવી છે. અસારવા વોર્ડમાં પણ ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં શાહીબાગ વોર્ડના પ્રમુખ ગિરીશ વણઝારા, કોર્પોરેટર સુમન રાજપુત અને ઉપ-પ્રમુખ અનસુયાબેન પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. મણીનગર વિધાનસભામાં પણ એનલ પટેલના પત્ની પલક પટેલને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરોના દીકરા-દીકરીઓ ફાવી ગયા!અમદાવાદ મહાનગરપાલિકામાં સિનિયર પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને બાજુમાં મૂકી અને ગત ટર્મના પૂર્વ કોર્પોરેટરોને ફરીથી રિપિટ કરવાની જગ્યાએ તેમના દીકરા-દીકરીઓ અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાડિયા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર ઉમંગ નાયકના પત્ની હેતલબેન નાયક ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે થલતેજ વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર સમીર પટેલના પત્ની દેવળબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:05 am

વેરાવળ: સિંધી સમાજની ટિકિટ ફાળવણી સામે નારાજગી:વોર્ડ 1 નહીં તો મતદાન નહીં કરવાની ચીમકી, ભાજપની ચિંતા વધી

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે, જે હવે ખુલ્લેઆમ વિરોધમાં પરિણમી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત રીતે મજબૂત ગણાતા વોર્ડ નંબર 1ને બદલે વોર્ડ નંબર 8માંથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો આને અન્યાય અને અવગણના ગણાવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1માં સિંધી સમાજનો નોંધપાત્ર પ્રભાવ છે. આ નિર્ણયના વિરોધમાં સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે પક્ષના નેતૃત્વ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કાર્યાલય બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વોર્ડ નંબર 1માંથી ટીકીટ ફાળવવાની તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો સિંધી સમાજ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી શકે છે. આ ચીમકી ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે સ્થાનિક સ્તરે સિંધી સમાજનો મતબેંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રુપ્સ અને ફેસબુક પર સમાજના સભ્યો દ્વારા વિરોધ દર્શાવતા સંદેશાઓ અને અપીલો વાયરલ થઈ રહી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ માટે આ આંતરિક વિખવાદ એક મોટો પડકાર બની શકે છે. વિરોધ પક્ષો આ મુદ્દાને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ નેતૃત્વ માટે આ અસંતોષને શાંત કરવો અને સમાજને મનાવવો અનિવાર્ય બન્યું છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારે જણાવ્યું હતું કે, સિંધી સમાજ સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે સમજાવટ દ્વારા આ મામલો થાળે પડી જશે. હવે જોવું રહ્યું કે પક્ષનું હાઈકમાન્ડ સમયસર હસ્તક્ષેપ કરીને આ વિવાદને શાંત પાડે છે કે કેમ, અથવા સિંધી સમાજની નારાજગી ચૂંટણીના પરિણામો પર અસર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:03 am

ભાજપે નવસારી માટે 52 ઉમેદવારો જાહેર કર્યા:44 નવા ચહેરા, માત્ર 8 જૂના જોગીઓને રિપીટ કરાયા

નવસારી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ' થિયરી અપનાવીને 44 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે માત્ર 8 પૂર્વ કોર્પોરેટરોને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે કુલ 52 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ફેરફાર કર્યો છે. આ નિર્ણય આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો, કુલ 26 મહિલા ઉમેદવારોમાંથી 23 નવી મહિલાઓને તક મળી છે, જ્યારે 3 મહિલાઓને રિપીટ કરવામાં આવી છે. તેવી જ રીતે, કુલ 26 પુરુષ ઉમેદવારોમાંથી 21 નવા ચહેરાઓ છે, જ્યારે 5 પુરુષોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા મુખ્ય ઉમેદવારોના નામમાં વોર્ડ નં. 1માંથી કેયુરી જયદીપભાઈ દેસાઈ, વોર્ડ નં. 2માંથી કૃતિકાબેન અક્ષયભાઈ પાટીલ, વોર્ડ નં. 5માંથી મુકેશ સુરેશચંદ્ર અગ્રવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 8માંથી નીતુબેન રવિકુમાર શાહ અને નરેશકુમાર ખેંગારજી પુરોહિત, વોર્ડ નં. 10માંથી સુનિલ રઘુનાથ પાટીલ, વોર્ડ નં. 11માંથી પરેશભાઈ દિનેશભાઈ ભારતીય અને વોર્ડ નં. 13માંથી વિજયભાઈ મંગુભાઈ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ શહેરના વિકાસ માટે નવા વિઝન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:58 am

બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી:સુરત AAPના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે ચૂંટણી ટાળે જ રેપની FIR; પરિણીતાને લગ્નની લાલચ આપી હોટેલોમાં શરીર સંબંધ બાંધ્યા

સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર જાળ બિછાવી મિત્રતા કરીલસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય હાય-હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ કાળુએ મહિલા સાથે નિકટતા કેળવી હતી. રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી. 'પત્ની સાથે બનતું નથી' કહી લગ્નની લાલચ આપીકાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ રડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. ઘરે અને હોટેલોમાં અવારનવાર દુષ્કર્મ આચર્યુંલગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી. આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ-અલગ હોટેલોમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા. ગાળો આપી ધમકી, ‘તને અને તારા દીકરાને જીવવા નહીં દઉં’મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આરોપીએ મહિલાને ડરાવવા માટે ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું પાડી દઈશ. લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પૂરાવાઓ એકત્રિત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:50 am

વાપી મહાનગરપાલિકા ચૂંટણી: ઉમેદવારીનો અંતિમ દિવસ, ભારે ધસારો:13 વોર્ડની 52 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ

વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. શનિવારે વાપી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે. ભાજપે ઉમેદવારીના પાંચમા દિવસે જ તમામ 13 વોર્ડની 52 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. બીજી તરફ, શુક્રવારે બપોરના 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 39 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હાલ સુધી મળતી માહિતી મુજબ, 13 વોર્ડમાં કુલ 39 ઉમેદવારો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જેમાં વોર્ડ નંબર 8માં સૌથી વધુ 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 11માં 5 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે તૈયારી દર્શાવી છે. ઉમેદવારીનો અંતિમ દિવસ હોવાથી ભાજપના તમામ 52 ઉમેદવારો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી રહેલા ઉમેદવારો આજે પોતાના ફોર્મ ભરશે. આ કારણે મામલતદાર કચેરી ખાતે રાજકીય કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ ઉમટી પડવાની સંભાવના છે. ટિકિટ વિતરણમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો પણ જોવા મળ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને વોર્ડ નંબર 4માંથી ટિકિટ માટે દાવેદારી કરનાર વિનોદ પટેલને ભાજપે ટિકિટ આપી નથી. ટિકિટ મળશે તેવી ખાતરીથી તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. હવે તેઓ અપક્ષ તરીકે કે ફરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન શાહ, જેમણે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ ચર્ચામાં છે. ઉપરાંત, મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા 11 ગામોમાંથી 5 સરપંચો અને તેમના પરિવારજનોને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. વાપી VIA પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સતીશ પટેલને પણ ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વોર્ડ નંબર 4માંથી સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ડિરેક્ટર દર્પણ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપ કેટલીક બેઠકો બિનહરીફ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છેલ્લી ઘડીએ જોર લગાવતી જોવા મળી રહી છે. આમ, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે સીધી ટક્કર જોવા મળશે, અને અંતિમ દિવસે ઉમેદવારીનો જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:49 am

જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ પક્ષમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે બહુજન સમાજ પાર્ટી (BSP)નો ખેસ ધારણ કરી લીધો છે. કેશુભાઈ માડમ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના સૌથી સક્ષમ અને મજબૂત ચહેરા તરીકે જાણીતા હતા. તેઓ સતત છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા, જે તેમની વિસ્તાર પરની મજબૂત પકડ અને લોકપ્રિયતા દર્શાવે છે. ભાજપના આ ગઢ ગણાતા વિસ્તારમાં કેશુભાઈનું પક્ષ છોડવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ વિતરણ પૂર્વે આંતરિક અસંતોષ અથવા નવા રાજકીય સમીકરણોને પગલે કેશુભાઈએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. તેમના BSPમાં જોડાવાથી હવે વોર્ડ નંબર 4ની બેઠક પર રસાકસી જામશે. કેશુભાઈ માડમના BSPમાં પ્રવેશ સાથે જ જામનગરના વોર્ડ નંબર 4માં ચૂંટણી જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. કોંગ્રેસ ભાજપના આંતરિક વિખવાદનો લાભ લેવા પ્રયત્ન કરશે. આમ આદમી પાર્ટી (AAP) ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં છે, જ્યારે BSP કેશુભાઈ જેવા અનુભવી ચહેરા સાથે મજબૂત પદાર્પણ કરવા સજ્જ છે. જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે કેશુભાઈનું ભાજપ છોડવું એ માત્ર એક વ્યક્તિનો પક્ષ પલટો નથી, પરંતુ વોર્ડ નંબર 4ના મતોના ગણિતમાં મોટો ઉલટફેર લાવી શકે છે. આગામી દિવસોમાં આ પક્ષ પલટાની અસર અન્ય વોર્ડ પર કેવી પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:43 am

વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

વાપી શહેરમાં સાયબર ગુનાઓ સામે વાપી ટાઉન પોલીસે એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વડોદરાના મુખ્ય આરોપી કરણ રામકનૈયાલાલ ભાષાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે તેની બે અલગ-અલગ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. કોર્ટે નોંધ્યું કે જો આરોપી બહાર રહેશે તો તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખીને, એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ મહત્વનો હુકમ સંભળાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરણ ભાષાણી, સહ-આરોપી ફરહાન સલીમ ઘાંચી અને ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખ સાથે મળીને સાયબર ઠગાઈનું એક ગોઠવણબદ્ધ રેકેટ ચલાવતા હતા. આરોપીઓ ફ્રોડથી મળેલા નાણાંને સગેવગે કરવા માટે 'મ્યુલ બેંક એકાઉન્ટ'નો ઉપયોગ કરતા હતા. આ માટે, તેઓ અન્ય લોકોને તેમના બેંક ખાતા ભાડે આપવા માટે 1 થી 3 ટકા સુધીના કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલા પૈસા જમા કરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરણ ભાષાણીએ સહ-આરોપીના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં કુલ રૂ. 5.15 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ રોકડમાં ઉપાડીને વાપીની એક આંગડિયા પેઢી મારફતે વડોદરા મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન કોલ ડિટેલ રેકોર્ડ (CDR)માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અને સહ-આરોપી વચ્ચે 500થી વધુ વાર ફોન પર વાતચીત થયેલી હોવાનું બહાર આવ્યું છે, જે તેમની સંડોવણીને વધુ મજબૂત બનાવે છે. સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તથા આઈટી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જો જામીન આપવામાં આવશે તો આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે અથવા ફરાર થઈ શકે તેવી શક્યતા છે. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને જણાવ્યું કે સાયબર ક્રાઈમ સમાજ અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો છે. તેથી, તપાસના હિતમાં આરોપીને આગોતરા જામીન આપવું યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:40 am

અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. આ યુનિવર્સિટી ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,વન્યજીવ સંરક્ષણનું ભવિષ્ય એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ.તેમણે ઉમેર્યું કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની તેમની વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળમાં વધુ ક્ષમતાની જરૂરિયાતની સમજથી વનતારા યુનિવર્સિટીને આકાર મળ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: (બધી દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ) શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા સંકલ્પબદ્ધ છે. આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં બે બિજોલિયા રેતશીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં બિહારમાં આવેલી પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ, જેમાં ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલૅન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઉચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધિ ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનનું પ્રતીક હતું. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાના જમીન પરના કાર્યની નિપુણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે, કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને. આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા વિશે:વનતારા એ ભારતના ગુજરાતમાં જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા (veterinary medicine), કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન (applied science) અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન (conservation breeding), પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:38 am

આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ:ભાજપ-કોંગ્રેસના મોટાભાગના ઉમેદવાર જાહેર, ફોર્મ ભરવામાં કતારો લાગશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસ સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી ભરવા કેટલાક શક્તિ પ્રદર્શન કરીને જશેમહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અને 53 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાજપના કેટલાક ઉમેદવારો આજે પોતપોતાના વોર્ડમાંથી રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચશે. કેટલાક ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. ભાજપમાં ટિકિટની ફાળવણી બાદ અનેક વોર્ડમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે ભાજપે અનેક વોર્ડમાં ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે. કોંગ્રેસે મધ્ય રાતે યાદી જાહેર કરીકેટલાક વોર્ડમાં બળવો થવાની શક્યતાઓ જોઈ બેઠેલા કોંગ્રેસે કાલે સાંજથી કેટલાકને ફોન કરીને માહિતી આપી હતી. જો કે મોડી રાત સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરી હતી. વડોદરા મહાનગરમાં ગત ટર્મમાં વોર્ડ 1માં જીતેલા ઉમેદવાર હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. તો જહાં ભરવાડના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ 1માં બંને મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 293 ફોર્મ ભરાયાવડોદરા જિલ્લામાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગતરોજ સુધીમાં 293 ઉમેદવારીપત્રો ભરાયા છે, જેમાં મહાનગરપાલિકામાં 64, નગરપાલિકાઓમાં 55, જિલ્લા પંચાયતમાં 37 અને તાલુકા પંચાયતમાં 137 ઉમેદવારી પત્રો ભરાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:34 am

SOG એ ઓખામાં ગેરકાયદેસર માછીમારી પર કાર્યવાહી કરી:ઓનલાઈન ટોકન વિના બોટ જપ્ત, માછીમારની ધરપકડ

દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયાઈ પટ્ટામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર માછીમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOG ટીમે ઓનલાઈન ટોકન અને રજીસ્ટ્રેશન કાગળો વિના દરિયો ખેડતી એક બોટ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન, માછીમાર લતીફ બંદરીની બોટને દામજીભાઈ જેટી પાસે રોકવામાં આવી હતી. તપાસમાં બોટ પાસે કોઈ જરૂરી કાગળો કે સરકાર માન્ય ઓનલાઈન ટોકન મળી આવ્યું ન હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ લતીફ બંદરીની ધરપકડ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી અને ગેરકાયદેસર માછીમારીને સમુદ્રી સુરક્ષા માટે જોખમી ગણવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય ગેરકાયદેસર માછીમારી કરતા તત્વો માટે એક મોટી ચેતવણીરૂપ સંદેશ છે. તંત્ર દરિયાઈ સીમા પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને આવી પ્રવૃત્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:24 am

મોડાસા પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા:નગરપાલિકા સામે સુવિધાઓના અભાવે મતદારોનો રોષ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી પાવન સિટી કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીમાં ચૂંટણી બહિષ્કાર અને કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આ બેનરો નગરપાલિકા પ્રત્યેના તેમના ઊંડા અસંતોષને દર્શાવે છે. સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં, સ્ટ્રીટ લાઇટનો અભાવ, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ અને રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે. આ સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરે છે, પરંતુ તેમને માત્ર ખાતરીઓ જ મળે છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી. વધુમાં, રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના સભ્યો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળીને પાવન સિટી સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના રહીશોએ સુવિધા નહીં તો વોટ પણ નહીં ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ રોષ મતપેટી દ્વારા વ્યક્ત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:22 am

જોરાવરનગર શાળાના બાળકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા:શહેરી વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે, જોરાવરનગર પ્રાથમિક શાળા નંબર 7 દ્વારા ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા, 'ચૂનાવ પાઠશાળા' અને એક રેલીનો સમાવેશ થાય છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન, શહેરીજનોને મતદાનના મહત્વ વિશે જાગૃત કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે ધોરણ 6 અને 7 ના આશરે 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના નારાયણભાઈ અને અન્ય સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમ માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:32 am

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર 'એક્સપર્ટ' તરીકેની

Air India Plane Crash: એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ વીતી જવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય અને સાચા કારણોની શોધમાં ભટકી રહ્યા છે. ગત વર્ષે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તુરંત જ દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાન મામલે હવે બ્રિટિશ તપાસ એજન્સીએ પણ પોતાની મર્યાદાઓ સ્પષ્ટ કરી દીધી છે. બ્રિટિશ નાગરિકોના પરિવારોએ યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) પાસે ટેકનિકલ રિવ્યુની માગ કરી હતી, પરંતુ એજન્સીએ પત્ર લખીને જણાવ્યું છે કે આ મામલે તેમની પાસે કોઈ ટેકનિકલ તપાસ કરવાની સત્તા નથી. બ્રિટિશ એજન્સીએ અસમર્થતા દર્શાવી બ્રિટિશ એજન્સીના પ્રિન્સિપાલ ઈન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે પરિવારોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ તપાસનું નેતૃત્વ ભારતની તપાસ એજન્સી કરી રહી છે અને યુકે તેમાં માત્ર એક એક્સપર્ટ તરીકે સામેલ છે.

ગુજરાત સમાચાર 11 Apr 2026 9:31 am

દીયોદરથી ભાગેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પોલીસે કબજો સંભાળ્યો

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક સગીર પ્રેમીપંખીડાને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને આવ્યા હતા. સુરેન્દ્રનગર રેલવે પોલીસે દિયોદર પોલીસને જાણ કરતા, દિયોદર પોલીસે આવી બંનેનો કબજો સંભાળ્યો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે. શ્રીમાળીની સૂચનાથી પીએસઆઈ સી.પી. બાવળીયા, દીગપાલસિંહ, રસિકભાઈ અને શક્તિસિંહ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પરથી એક સગીર અને એક સગીરા મળી આવ્યા હતા. પોલીસ મથકે લાવી બંનેની પૂછપરછ કરતા, તેઓએ જણાવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને નીકળી ગયા હતા. રેલવે પોલીસે દિયોદર પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે સગીરાના પરિવારજનોએ આ અંગે પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આથી, દિયોદર પોલીસ સુરેન્દ્રનગર આવી હતી અને ભોગ બનનાર સગીરા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:25 am

વડોદરા વોર્ડ 5માં AAP ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેર ઉપ-પ્રમુખ ભાવેશ આર્ય સહિત 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

વડોદરા શહેરના વોર્ડ નંબર ૫માં આમ આદમી પાર્ટીની ચૂંટણી સક્રિયતા તેજ બની છે. શહેર ઉપ-પ્રમુખ અને વાડી શહેર વિધાનસભા પ્રભારી ભાવેશ આર્ય સહિત ચાર ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવેશ આર્ય ઉપરાંત, જીગ્નેશ મોચી, પદમાબેન રાઠોડ અને કૈલાશબેન બારોટે પણ વોર્ડ નંબર ૫માંથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર પાંચના વોર્ડ પ્રભારી પ્રકાશ બારોટ, વોર્ડ નંબર ચારના ઉમેદવાર રજનીકાંત પરમાર, એડવોકેટ સંજય શર્મા, વોર્ડ નંબર છના ઉમેદવાર અનુપ ચતુર્વેદી અને હુસેન મુલતાની સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશ આર્યએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મળેલા મેન્ડેટ પર ખરા ઉતરવા તેઓ પ્રતિબદ્ધ છે. તેમણે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન દરમિયાન ગટર વ્યવસ્થા, કચરાની સમસ્યા અને ખરાબ રસ્તાઓ જેવી અનેક મૂળભૂત સમસ્યાઓ સામે આવી હોવાનું જણાવ્યું. પાણીની સમસ્યા અંગે તેમણે કહ્યું કે વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જરૂરિયાત મુજબ પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત, વરસાદી સમયમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આર્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જીત મળ્યા બાદ વોર્ડ નંબર ૫માં મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરી પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:14 am

નવસારીમાં GSTના દરોડા, કાસા ડે વિદા પ્રોજેક્ટ પર તપાસ:મોટાપાયે કરચોરીની આશંકા, બિલ્ડર લોબીમાં ખળભળાટ

નવસારીમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જાણીતા કાસા ડે વિદા (Casa De Vida) પ્રોજેક્ટ પર જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ શરૂ થતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના કાસા ડે વિદા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યવહારોમાં મોટાપાયે જીએસટીની ચોરી થઈ હોવાની ગુપ્ત બાતમીના આધારે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રોજેક્ટના સ્થળ અને તેની સાથે સંકળાયેલી કચેરીઓ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ હિસાબી દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં ટેક્સ ચોરી સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની ચકાસણી બાદ ટેક્સ ચોરીના મોટા આંકડાઓ સામે આવવાની પ્રબળ શક્યતા છે. દરોડા દરમિયાન કેટલાંક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આગામી દિવસોમાં તપાસના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. નવસારી જેવા શહેરમાં બિલ્ડર પ્રોજેક્ટ પર જીએસટીના દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ આ તપાસને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ડેટા એનાલિસિસના આધારે આવી કડક કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:30 am

વલસાડ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પટકાયા મુસાફર:ચા લેવા ઉતર્યા બાદ ચઢતી વખતે અકસ્માત, સુરત રિફર કરાયા

વલસાડ રેલવે સ્ટેશન પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી બિકાનેર જઈ રહેલા 52 વર્ષીય મુસાફર રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન પોતાના પરિવાર સાથે મુંબઈથી બિકાનેર દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. રાજેન્દ્રભાઈ પ્લેટફોર્મ પર ચા લેવા માટે નીચે ઉતર્યા હતા. રાજેન્દ્રભાઈ ચા લઈને પાછા ફરે તે પહેલા જ ટ્રેન ઉપડી ગઈ હતી. પોતાની ટ્રેન છૂટી જવાની ઉતાવળમાં તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા અને ટ્રેન નીચે પટકાયા. આ ઘટનાની જાણ થતા જ વલસાડ સ્ટેશન માસ્તર, GRP (રેલવે પોલીસ) અને RPFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની હાલત ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂરિયાત હોવાથી પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે. રેલવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:28 am

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ:ભાજપે ભરૂચ ન.પા. અને સુરત મ.ન.પા.ની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે છેલ્લા દિવસે પણ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચાર ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાડી જાહેર કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:58 am

ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી

- 1982માં શિયા મુસ્લિમોના જૂથને ઈઝરાયેલે હરાવ્યા બાદ ઈરાનની મદદથી ત્યાં હિઝબુલ્લાહનું નેટવર્ક તૈયાર કરાયું જે આજેપણ ઈઝરાયેલની સેનાને હંફાવે છે - હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે : વર્ષ 2000માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી.

ગુજરાત સમાચાર 11 Apr 2026 7:00 am

ટિકિટના નામે ઠગાઈ:ભાદ્રોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપીને મહિલા સાથે ઠગાઇ આચરાઇ

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવામાં આપના બે નેતાએ એક દલીત સમાજની મહિલાને ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ ન મળતા આપના બે નેતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવાના ભાદ્રોડ ગામે રહેતા આશાબેન નિખીલભાઇ વાઘએ પોલીસ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિરૂદ્ધ બળાપો કાઢ્યો છે આશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ બારૈયાએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને રાજેન્દ્ર બારૈયા અને દિલ્લી ખાતેના બ્રિજરાજસિંહ બંન્નેએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ આપવાનું વચન આપેલ હતું. જે દરમિયાન બંન્ને નેતાઓએ ચુંટણીનો વીસ હજાર રૂપિયાનો આશાબેન પાસે ખર્ચ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામમાં ચુંટણી પ્રચાર પણ કરાવ્યો હતો. જે બાદ ગત તા. 3-4-2026 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવી હતી. પરંતુ એ નામાવલીમાં આશાબેનના નામને બદલે ભાદ્રોડ ગામના અને તેના જ સમાજના મહિલા હંસાબેન અશોકભાઇ કાતરીયાને ટીકીટ માટે પસંદગી કરવામાં આવી હતી. જે મામલે આશાબેને નામાવલીમાં નામ નહીં આવવાથી રાજેન્દ્ર બારૈયાને વાત કરતા રાજેન્દ્ર બારૈયાએ આશાબેન તેમજ તેમના પતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને જ્ઞાતીથી અપમાનીત કરાયા હતા. તેમજ રાજેન્દ્ર બારૈયા અને બ્રિજરાજસિંહે પાંચ લાખ રૂપિયા લઇ હંસાબેનને ટીકીટ આપ્યાનો આક્ષેપ કરાયો હતો જે મામલે આશાબેન વાઘએ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર બારૈયા (રહે. ડુંડાશ, મહુવા), બ્રિજરાજસિંહ, ટીકીટ મેળવનાર હંસાબેન કાતરીયા તેમના પતિ અશોક કાતરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીની સભામાં આશાબેનને લઇ જવાયા હતાઆપના બન્ને નેતાએ દલીત સમાજના આશાબેનને ટીકીટની લોભામણી લાલચ આપી હતી. જેને લઇને વીસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામે ચુંટણી પ્રચાર કરાવ્યો હતો. તેમજ અમરેલી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભા ખાતે વીસેક માણસો પણ બોલેરો પીકઅપ બંધાવીને લઇ ગયા હતા પણ ટીકટ ન આપી, છેતરપિંડી આચરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:05 am

નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ

ગુજરાતના રાજ્યપાલના હુકમથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીમાં પસંદગી થયેલા 72 તબીબોની કરી નિમણુંક કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે મેડિસિન વિભાગમાં 43 અને સર્જરી વિભાગમાં 29 તબીબોના ઓર્ડર જારી કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ વડોદરા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે પે-મેટ્રિક્સ લેવલ-11 એન્ટ્રી પે રૂ.68,900ના પગાર ધોરણ સાથે બે વર્ષના અજમાયશી સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે મેડિસિનના 43 અને સર્જરીના 29 તબીબોના થયેલા ઓર્ડરમાં સ્થાનિક ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ડો.અભિજીત યાદવ, ડો.તેજસકુમાર પટેલ અને ડો.શૈવા પટેલના ઓર્ડર નીકળ્યા છે. તેમજ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં ડો.ભિષ્મ માંડલિયા અને ડો.હર્ષરાજસિંહ બારડના ઓર્ડર નીકળ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:03 am

આંકડા લખાવી વેપાર કરનારાઓનો પર્દાફાશ:મહુવામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર ઝબ્બે

ભાવનગરના મહુવામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહુવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રેડ કરતા પોલીસને જુગાર રમતા આરોપીઓને પકડી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ચારેય શખ્સો મુખ્ય સુત્રધારને ફોન કરી આંકડા લખાવી રૂપિયાનો વેપાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહુવાના વાસીતળાવ વિસ્તારમાં કેટલાક ઉમરલાયક વ્યક્તિઓ જાહેરમાં વરલી મટાકનો જુગાર રમતા હોવાની મહુવા પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે દરોડા પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે દરમિયાન દિપક મોહનભાઇ કળસરીયા (ઉ.વ.65, રહે. જનતા પ્લોટ નં. 1, મહુવા), આતુ લાખાભાઇ ધુંધળવા (ઉ.વ.75, જનતા પ્લોટ નં. 2), અરવિંદ બાબુભાઇ નિમાવત (ઉ.વ.64, રહે. પટેલ શેરી, ગામ વાઘનગર) શામજી અરવિંદભાઇ યાદવ (ઉ.વ.43, રહે. દેવળીયા, મહુવા)ની ધરપકડ કરી હતી . પોલીસે પકડેલા ચારેય આરોપીઓ મુખ્ય સુત્રધાર રવી અરવિંદભાઇ ગોહિલને ફોન કરી મોબાઇલમાં આંકડા લખાવી, રૂપિયાનો વેપાર કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:02 am

મારમાર્યો:યુવકે પ્રેમ લગ્ન કરી મિલકતનો ભાગ માંગતા પિતા અને ભાઈએ મારમાર્યો

સિહોર તાલુકાના નવાગામ (મોટા) ગામમાં પરિવારિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યાં એક યુવકે પોતાના પિતા અને ભાઈ સામે જ હુમલાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવનું મૂળ કારણ યુવકે પોતાની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા જે બાદ મિલકતમાં ભાગ માગ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પરિવારજનો વચ્ચે તણાવ ઊભો થયો હતો. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ (મોટા)ના રહેવાસી પંકજભાઈ લાખાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની સાથે પરિવારથી અલગ રહેતા હતા. એક દિવસ તેઓ કામેથી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે તેમના માતા ઘરે આવી ઘરવખરીની વસ્તુઓ પૂછ્યા વગર લઈ ગયા હતા. આ મુદ્દે પંકજભાઈએ પોતાની માતાને જે જોતું હોય તે લઈ જજો કહી દેતા મનદુઃખ પેદા થયું હતું. ત્યારબાદ તેમના પિતા લાખાભાઈ પરમાર અને ભાઈ જયપાલભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરની બહાર આવી મોટે મોટેથી પંકજભાઈ અને તેની પત્નીને ગાળો આપતા થયા, જેથી પંકજભાઈ તેઓને ગાળો આપવાની ના પાડી અને મિલકતમાં ભાગની માંગણી કરી હતી. તે વાતને લાખા પરમાર અને જયપાલ પરમારએ લોખંડના પાઈપ તથા ઢીકાપાટાથી પંકજભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓએ પોતાના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am