SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગણતંત્ર દિવસની ઉજવણી:ઉત્સાહ અને ગૌરવ સાથે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આશિષ ખારાડીએ હોસ્પિટલ પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડૉ. ખારાડીએ હોસ્પિટલના તમામ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં સંવિધાનના મૂલ્યો, દેશપ્રેમ, ફરજભાવના અને આરોગ્ય સેવાઓમાં સમર્પણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ સભ્યો અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં હોસ્પિટલના તમામ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:50 pm

77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:જીનિયસ એજ્યુકેશનમાં ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ પટેલે ધ્વજવંદન કર્યું

મોડાસા: મોડાસાની જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ આર. પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. આ દિવસે બંધારણના ઘડવૈયાઓને યાદ કરવામાં આવ્યા હતા અને દેશના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:49 pm

પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું:સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈ પત્નીને લોહીલુહાણ કરતો, કંટાળી મોતનો ખેલ ખેલ્યો પણ દફનવિધિએ હત્યાનું રહસ્ય ખોલ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી છે. આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સ વર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ હતો. મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદ વાર સુરત આવતો હતો. પત્નીના જણાવ્યા અનુસાર, હૈદરઅલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સ વર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો.જેનાથી કંટાળીને પત્નીએ આ ખોફનાક મોતનો ખેલ ખેલ્યો હતો. પણ જ્યારે દફનવિધિ માટે મહિલા અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો ને હત્યાનું રહસ્ય ખુંલ્યું. પત્નીએ શારીરિક યાતનાઓથી કંટાળીને હત્યાનું કાવતરું ઘડયુંપત્ની ઈશરત જહાને પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, તેનો પતિ સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે. આ હેવાનીયત દર મહિને ચાલુ રહેતી હતી. સતત મળતા શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું. હળદરવાળા દૂધમાં ઝેર આપી મોતનો ખેલ ખેલ્યોહત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત 1લી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું હતું, પરંતુ આ દૂધમાં તેણે ચોરીછુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી હતી અને 5મી જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક લથડી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય બીમારીથી થયેલું મૃત્યુ હોવાનું નાટક પત્નીએ રચ્યું હતું. દફનવિધિના સ્થળને લઈને વિવાદ થતાં આરોપી મહિલાનો ભાંડો ફૂટ્યોહૈદરઅલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી હતી. મૃતકનો ભાઈ હૈદરઅલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો. જોકે, પત્ની ઈશરત જહાન જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. ભાઈ અને ભાભી વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીની આ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ કે ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે, જેના પગલે તેણે પોલીસને જાણ કરી હતી. ગળું દબાવાથી હત્યાનો PM રિપોર્ટમાં ખુલાસોપોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પી.એમ. રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું કે, મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ 'Asphyxia due to compression over neck and chest' ને કારણે હૈદરઅલીનું મોત થયું હતું. પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરીલિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પતિ દ્વારા સેક્સ વર્ધક દવાઓ ખાઈને કરવામાં આવતી હેવાનીયત આ હત્યાનું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરતમાં ભારે ચકચાર જગાવી છે. 'શારીરિક અને માનસિક યાતના આપતો હોય જે અનુસંધાને તેણે આ કૃત્ય કરેલું'લિંબાયત પીઆઈ એન. કે. કામડિયાએ જણાવ્યું હતું કે, મરણજનારની પત્ની એવું કહેતી હતી કે મરણજનાર હૈદરઅલી જે મહારાષ્ટ્ર મુંબઈ ખાતે છૂટક મજૂરી કરતા હોય અને મહિના પછી પરત એમના વતનમાં અહિયાં લિંબાયતમાં આવી અને તેની પત્નીને અસહ્ય પીડાઓ આપતો હોય જે અનુસંધાને તેને માઠું લાગતા શારીરિક અને માનસિક યાતના આપતો હોય જેના અનુસંધાને તેમણે આ કૃત્ય કરેલું છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:48 pm

પાટણમાં ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:મંદિરે અન્નકૂટ, હવન અને ફૂલોની આંગી કરાઈ, ભક્તો ઉમટ્યા

પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે મહા સુદ આઠમના રોજ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં હોમ-હવન, અન્નકૂટ અને માતાજીને ફૂલોની સુંદર આંગી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. દિવસભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો. અનેક ભક્તોએ પોતાની બાધા-આખડી પૂર્ણ કરવા માટે માતાજીને સોનીનો પ્રસાદ ધર્યો. સાંજે યોજાયેલી આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ ધાર્મિક કાર્યક્રમોમાં અન્નકૂટના યજમાન તરીકે હીરાભાઈ ભીખાભાઈ પટેલ પરિવારે સેવા આપી હતી. જ્યારે હવનના યજમાન પદે મિતેશ દેવચંદભાઈ પટેલ પરિવારે ભાગ લીધો હતો. પટેલ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ આ પવિત્ર દિવસે દર્શન કરી ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થઈ ઉત્સવની ઉજવણી કરી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:43 pm

નવસારીમાં 77મો ગણતંત્ર દિવસ ઉજવાયો:મહાનગરપાલિકા કચેરી બહાર કમિશનરે ધ્વજને સલામી આપી

નવસારી મહાનગરપાલિકા દ્વારા તેની મુખ્ય કચેરી ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ઉજવણીની શરૂઆત મહાનુભાવોની પ્રતિમાઓને સૂત્રમાળા અર્પણ કરીને કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફુવારા ખાતેથી ટાવર રોડ માર્ગે પસાર થઈ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સમાપ્ત થતી પ્રભાત રેલીનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત કૃતિઓ રજૂ કરી હતી. રેલી બાદ કમિશનરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમની ભાવના પ્રગટ કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગરપાલિકાની છેલ્લા એક વર્ષની વિકાસ ગાથા વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આવનારા સમયમાં હાથ ધરાનાર વિકાસકામોના રોડમેપ અંગે પણ પોતાનું દૃષ્ટિકોણ રજૂ કર્યું હતું. કમિશનરે સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર જનતાની સુખાકારી માટે કરવામાં આવતા વિવિધ વિકાસકાર્યો અંગે પણ ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે નવસારી શહેર વિસ્તારમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેલ, કલા, શિક્ષણ તથા વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર તેમજ નવસારી શહેરને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ અને અન્ય જાહેર જનતાને સન્માનપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અધિકારીઓ, કર્મચારીઓ તથા ઉપસ્થિત હાજરીમાં રાષ્ટ્રીય એકતા, સંવિધાનિક મૂલ્યો અને સ્વચ્છ તથા સમૃદ્ધ નવસારીના સંકલ્પ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:41 pm

સરડોઇ પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો:‘દીકરીની સલામ દેશને નામ’ સંદેશ સાથે પલક રબારીએ ધ્વજવંદન કર્યું

મોડાસા તાલુકાની સરડોઇ પ્રાથમિક શાળામાં ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં વહેલી સવારથી જ રાષ્ટ્રગૌરવ અને દેશપ્રેમનો માહોલ છવાયો હતો. ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમ હેઠળ રબારી સમાજની દીકરી પલકબેન કરણભાઈ રબારીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજારોહણ બાદ સમગ્ર પરિસરમાં રાષ્ટ્રગાન અને દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગરબા, રાજસ્થાની લોકનૃત્ય અને દેશભક્તિ ગીતો પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિત ગ્રામજનોએ આ કાર્યક્રમોને ઉત્સાહભેર વધાવ્યા હતા. શૈક્ષણિક પ્રોત્સાહન રૂપે ધોરણ 1 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ભાવસાર ઈશ્વરભાઈ તરફથી ચોપડા ઇનામ તરીકે અપાયા હતા. સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમની વિશેષતા રૂપે, ગામમાં તાજેતરમાં જન્મેલી દીકરીઓની માતાઓને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પહેલથી દીકરી પ્રત્યે સમાજની સકારાત્મક માનસિકતાનો સંદેશ મળ્યો હતો. આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા, જેમાં પ્રજાસત્તાક પર્વનું મહત્વ, સંવિધાનના મૂલ્યો અને દીકરીના સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું. ગ્રામજનો, વડીલો, માતાઓ અને બાળકોની વિશાળ હાજરીમાં સરડોઇ પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ આનંદ, ગૌરવ અને એકતાના ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:38 pm

આહાનદીપસિંહ રાઉલજીનું રાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન:RW 2026 ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાઈ, ગોધરાનું ગૌરવ વધાર્યું

વડોદરામાં યોજાયેલી RW 2026 રાષ્ટ્રીય સ્તરની રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ગોધરાના આહાનદીપસિંહ રાઉલજીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી તેમણે સમગ્ર રાજપૂત સમાજ અને ગોધરાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા 25 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાની બિલાબોંગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ હતી. IBA ધ રોબોટાઈઝ્ડ વર્લ્ડ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં ભારતભરના બાળકો અને યુવા રોબોટિક્સ પડકારોમાં ભાગ લેવા એકઠા થયા હતા. આ ચેમ્પિયનશિપ શહેરની રાષ્ટ્રીય સ્પર્ધાઓની પરંપરાને આગળ ધપાવે છે. આહાનદીપસિંહ રાઉલજી ગોધરા એ.પી.એમ.સી.ના ડિરેક્ટર અને ગોધરા તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન માલવદીપસિંહજી રાઉલજીના પુત્ર છે. તેઓ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પૌત્ર પણ છે. તેમણે RW 2026ની ચોથી આવૃત્તિ – રાષ્ટ્રીય રોબોટિક્સ, કોડિંગ અને પ્રો-ઇનોવેટર ચેમ્પિયનશિપમાં આ પ્રથમ ઇનામ મેળવ્યું છે. નાની વયે રાષ્ટ્રીય સ્તરે મેળવેલી આ સિદ્ધિ તેમની સર્જનાત્મકતા, સમર્પણ અને ટેકનોલોજી પ્રત્યેના મજબૂત જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ રોબોટિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મજબૂત પગલું છે. આહાનદીપસિંહની આ સિદ્ધિ બદલ રાઉલજી પરિવારને સર્વત્રથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:31 pm

77મા પ્રજાસત્તાક દિવસની થરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી:કલેક્ટરે ધ્વજવંદન કર્યું, સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ, વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

બનાસકાંઠા જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવનિર્મિત ઓગડ તાલુકાના થરા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, નવનિર્મિત ઓગડ તાલુકાની પાવન ધરા પર ઓગડનાથજીના આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળવી એ ગૌરવની વાત છે. તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા કલેક્ટરે કહ્યું કે, વર્ષ 1950માં ભારતીય બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું. વિશ્વના વિવિધ દેશોના બંધારણોના અભ્યાસ પરથી રચાયેલું આપણું બંધારણ નાગરિકોને સમાનતા, સ્વાતંત્ર્ય, ન્યાય, ધર્મનિરપેક્ષતા અને વિવિધતામાં એકતા જેવા મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે. સાથે જ, તે અધિકારો સાથે ફરજોનું પાલન કરવાની જવાબદારી પણ યાદ અપાવે છે. બનાસકાંઠા જિલ્લાના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરતા કલેક્ટરે જણાવ્યું કે, આ ભૂમિએ મિથુભાઈ પટેલ, જવાહરલાલ પટેલ, અનસુયાબેન સરૈયા, દશરથભાઈ ઠાકર, ભીલ સમુદાયના શૂરવીરો તથા નર્મદાશંકર મહેતા જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા છે, જેમણે બ્રિટિશ શાસન સામે અડીખમ લડત આપી હતી. આ વિસ્તાર ખેતી અને સંસ્કૃતિની સાથે દેશભક્તિ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લો આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, નર્મદાના નીરથી તળાવો ભરવાના પ્રોજેક્ટ, અંબાજી વિકાસ યોજના, પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસ, આધુનિક સ્પોર્ટ્સ સંકુલ, જળ સંચય અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી યોજનાઓથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. કલેક્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, પાણી સંચય, વૃક્ષારોપણ તથા સહકાર ભાવનાથી કાર્ય કરીને ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવા માટે પ્રેરણા આપી. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:31 pm

શરણાઈકુઇ શાળામાં સૌથી વધુ ભણેલી દીકરીએ ધ્વજવંદન કર્યું:77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, 'બેટી બચાવો' સંદેશ અપાયો

બોરસદ તાલુકાની શરણાઈકુઇ (રુદેલ) પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી સોનલબેન હર્ષદભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો હતો. સોનલબેન ઠાકોરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉપસ્થિત સૌને પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત, હિતેશભાઈ ઠાકોરની તાજેતરમાં જન્મેલી દીકરીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:27 pm

ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:શાળાઓ, કચેરીઓ અને સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરી, 1950નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં 'પ્રજાસત્તાક પર્વ' તરીકે ઉજવવામાં આવે છે. આજે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, જિલ્લાની અનેક શાળાઓ, કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આમોદના રેવા સુગરના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા ભવ્ય પરેડ રજૂ કરવામાં આવી હતી, જેનું ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ અભિવાદન ઝીલ્યું હતું. આ પાવન અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા સહિતના અગ્રણી નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:23 pm

મોરબીમાં 970 લીટર ડીઝલની ચોરી:ગાળા અને બહાદુરગઢ પાસે વાહનોમાંથી ડીઝલ ચોરાયું, CCTV ફૂટેજમાં શંકાસ્પદ સ્વિફ્ટ દેખાઈ

મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોર ગેંગ સક્રિય બની છે. જુદા જુદા વાહનોમાંથી કુલ 970 લીટર ડીઝલની ચોરી થઈ હોવાની બે અલગ અલગ ફરિયાદો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ બરવાળા ગામના ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરસીયા (ઉં.વ. 35) એ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગાળા ગામના પાટીયા પાસે કેલિબર પેપરમીલ નજીક તેમની ગાડીઓના ડીઝલ ટેન્કના લોક તોડી આશરે 220 લીટર ડીઝલ ચોરી કરવામાં આવ્યું હતું. ચોરાયેલા ડીઝલની કિંમત રૂ. 19,962 આંકવામાં આવી છે. બીજી ફરિયાદ મોરબીના લીલાપર કેનાલ ચોકડી પાસે રહેતા ટ્રાન્સપોર્ટર હિતેશભાઈ સવજીભાઈ અઘારા (ઉં.વ. 36) એ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, બહાદુરગઢ ગામના પાટીયા પાસે અવધ કાંટા નજીક પાર્કિંગમાં તેમના ડમ્પરો તેમજ અશ્વિનભાઈ, હિતેશભાઈ અને અમીનભાઈના વાહનોમાંથી કુલ 750 લીટર ડીઝલ ચોરી થયું હતું. આ ચોરી નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હતી. ચોરાયેલા ડીઝલની કિંમત રૂ. 68,055 અંદાજવામાં આવી છે. આ બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:17 pm

બિયરના ટીન સાથે એક શખસ ઝડપાયો:ટોપથ્રી સર્કલ વિસ્તારમાં આવેલા મકાન પર ભાવનગર એલસીબીનો દરોડો

ભાવનગર એલસીબીએ પેટ્રોલીંગ દરમિયાન શહેરના ટોપથ્રી સર્કલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 6 પેટી બિયરનો જથ્થ્થા સાથે એક શખસને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઘનશ્યામનગરમાં આવેલા મકાનમાં દરોડોભરતનગર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર બાબતે બાતમી મેળવવા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગત સાંજના સમયે શહેરના ટોપથ્રી સર્કલ નજીક બાતમી મળી હતી, કે મેહુલ ઉર્ફે બુલબુલ આણંદભાઈ, મૂળ લાખણકા ગામનો રહેવાસી અને હાલ ઘનશ્યામનગર, પ્લોટ નં. 1/B ખાતે ગંભીરભાઈ ચૌહાણના મકાનમાં ભાડેથી રહે છે અને ત્યાં વિદેશી દારૂ તથા બિયરની વેચાણ પ્રવૃત્તિ કરે છે. બિયરના 144 ટીન મળી આવ્યાઆ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા મેહુલ ઉર્ફે બુલબુલના કબ્જા-ભોગવટાના મકાનમાંથી કીંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરની 6 પેટી મળી આવી હતી, જેમાં 500 એમએલના કુલ 144 ટીન હતા. દરેક ટીનની કિંમત રૂ.220 પ્રમાણે કુલ રૂ.31,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે એલસીબી પોલીસે આરોપીને બિયરના જથ્થા સાથે ઝડપી લઈ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 2:13 pm

ચીનમાં સત્તાપલટાનો પ્રયાસ? હત્યાના ડરથી અડધી રાતે જિનપિંગ ભાગ્યા, અથડામણમાં 9 ઠાર!

China Coup Attempt : ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સનસનીખેજ અહેવાલો સામે આવ્યા છે. કેનેડામાં રહેતા ચીની લેખિકા શેંગ શુએના દાવા મુજબ, આ લોહિયાળ સંઘર્ષમાં 9 સુરક્ષા જવાનોના મોત થયા છે. જિંગશી હોટલમાં લોહિયાળ અથડામણ ચીની લેખિકા શેંગ શુએના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા.

ગુજરાત સમાચાર 26 Jan 2026 1:51 pm

નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનને જોરદાર ઝટકો

UAE and Pakistan News : સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ભારત મુલાકાત બાદ દક્ષિણ એશિયાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુલાકાત બાદ યુએઈ એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. મોટી ડીલ કેન્સલ! UAE ના પ્રમુખ નાહ્યાનની અચાનક થયેલી ભારત મુલાકાત બાદ પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે.

ગુજરાત સમાચાર 26 Jan 2026 1:44 pm

વાવોલ અને ગોકુળપુરામાંથી 17 વાહનોની બેટરીઓ ચોરી ફરાર:ગાંધીનગરમાં બેટરી ચોર ગેંગનો આતંક, કંટાળેલા ટ્રક માલિકે ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સક્રિય થયેલી બેટરી ચોર ગેંગે ટ્રાન્સપોર્ટરોની ઊંઘ હરામ કરી દીધી છે. રાત્રિના સમયે પાર્ક કરવામાં આવતી ટ્રકો અને ટ્રેક્ટરોમાંથી એમરોન કંપનીની બેટરીઓની ચોરીનો સિલસિલો યથાવત રહેતા આખરે કંટાળેલા ટ્રક માલિકે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. છેલ્લા 60 દિવસમાં 17 જેટલા વાહનોમાંથી અંદાજે 85 હજારની કિંમતની બેટરીઓ ચોરાઈ હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. 17 ટ્રકો અને ટ્રેક્ટરોને નિશાન બનાવી તસ્કરો બેટરીઓ ચોરી કરી ગયા ગાંધીનગરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં વાહનચોર ગેંગે રીતસરનો આતંક મચાવ્યો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક જ પરિવારની 17 જેટલી ટ્રકો અને ટ્રેક્ટરોને નિશાન બનાવી તસ્કરો એમરોન કંપનીની બેટરીઓ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-14 ગોકુળપુરા ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વિષ્ણુભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની અને તેમના પરિવારની માલિકીની અંદાજે 30 જેટલી ટ્રકો ગોકુળપુરા અને વાવોલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવે છે. પાર્ક કરેલા ભારે વાહનોને ટાર્ગેટ કરતાગત 11 નવેમ્બર 2025થી શરૂ થયેલો ચોરીનો આ સિલસિલો 14 જાન્યુઆરી 2026 સુધી સતત ચાલ્યો હતો. જેમાં ક્યારેક એકસાથે ત્રણ ટ્રકો તો ક્યારેક ટ્રેક્ટરોમાંથી બેટરીઓની ચોરી કરવામાં આવી હતી. ચોર ગેંગ ખાસ કરીને રાત્રિના સમયનો લાભ ઉઠાવી નિર્જન જગ્યાએ પાર્ક કરેલા ભારે વાહનોને ટાર્ગેટ કરી રહ્યા છે. અત્યાર સુધી 85 હજારની 17 બેટરીઓ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. ટ્રાન્સપોર્ટરોએ પોતાની રીતે વોચ રાખી ચોરોને પકડવા પ્રયાસ કર્યોજોકે બેટરી ચોર ગેંગને પકડવા માટે ટ્રાન્સપોર્ટરોએ પોતાની રીતે વોચ રાખી ચોરોને પકડવા પ્રયાસ કર્યો હતો.પરંતુ આજદિન સુધી કોઈ સફળતા ન મળતા અને ચોરીની ઘટનાઓ અટકવાનું નામ ન લેતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ અંગે ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે સેકટર 7 પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ વધારવાની માગ પણ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:27 pm

વડોદરા શહેર-જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:શહેર ભાજપ પ્રમુખે કહ્યું: ઘણા દેશો પોતાની ભાષામાં વ્યવહાર કરે છે, આપણે પણ ગુજરાતી ભાષાનું ગૌરવ લઈને ગુડ મોર્નિગની જગ્યાએ જય શ્રીકૃષ્ણ બોલવું જોઈએ

વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે 77માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ, વડોદરા સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યાલય પરિસર રાષ્ટ્રપ્રેમના ભાવથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રજાસત્તાકના મૂલ્યો, સંવિધાનની મહત્તા અને દેશની એકતા તથા અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત શહેરમાં આજે વિવિધ સ્થળોએ રેલીઓનો પણ આયોજન કરાયું હતું. વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની જણાવ્યું હતું કે, ચીન, જાપાન, જર્મની કે ફ્રાન્સ જેવા દેશો ગર્વથી પોતાની જ ભાષામાં વ્યવહાર કરે છે. ત્યાં જવું હોય તો આપણે દુભાષિયા સાથે રાખવા પડે છે. જ્યારે તેઓ પોતાની ભાષા માટે આટલા જાગૃત હોય, તો આપણને આપણી ભાષા અને સંસ્કૃતિ માટે ગૌરવ કેમ નથી? આપણે સવારે મળીને 'ગુડ મોર્નિંગ' કહીએ ત્યારે આપણને બહુ ગર્વ થાય છે. પણ એ પશ્ચિમી દેન છે. આપણી સંસ્કૃતિમાં તો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કે ઓમ શાંતિ કહેવાની પરંપરા છે. આ શબ્દોમાં જે આત્મીયતા છે, તે પશ્ચિમી શબ્દોમાં નથી. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ તે ચિંતાનો વિષય છે. મારી દ્રષ્ટિએ, કેક કાપવી એ આપણી સંસ્કૃતિનો હિસ્સો નથી. 'કાપવું' એ કંઈ શુભ સંકેત નથી. તેના બદલે, જો આપણે યજ્ઞમાં આહુતિ આપીને જન્મદિવસ ઉજવીએ, તો ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. આપણે આ પશ્ચિમી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. આપણે પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. વેલેન્ટાઇન ડે મનાવવો જ જોઈએ એવું કોણે કહ્યું? આપણી પાસે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાના અસંખ્ય ભારતીય રીત-રિવાજો છે. આપણે આ બધી જ બાબતોમાં ફરી વિચાર કરવાની અને આપણી ભવ્ય સંસ્કૃતિ તરફ પાછા ફરવાની જરૂર છે. બીજી તરફ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ટીમ્બી તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે. આ જ દિવસે ઇ.સ.1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યું હતું. આજના દિવસે આપણા દેશને સંવિધાન દ્વારા લોકશાહી, ન્યાય, સમતા અને બંધુત્વની મજબૂત પાયાની રચના મળી હતી. રાજ્ય મંત્રીએ દેશની એકતા, અખંડતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે નાગરિકોની જવાબદારી અંગે સૌને જાગૃત થવા અનુરોધ કરી દેશને 'સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' મંત્રને આત્મસાત કરવા અને ગુજરાતને વિકસિત ભારત 2047માં દેશનુ ગ્રોથ એન્જીન તરીકે વિકાસની રહે આગળ વધારવા આહવાને કર્યું હતું. રાજ્ય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબારી હેઠળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની સહાય, વિધવા સહાય, કિશન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના થકી ઘરે ઘરે ગેસ કનેક્શન આપી મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત આપવાની સાથે સ્વચ્છ ભારત મિશન થકી મહિલાઓને સંમ્માન સમાન ઘરે ઘરે શૌચાલય થકી દેશને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની શીખ આપી છે. એટલું જ નહીં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, સરદાર પટેલ, ભવન બિરસા મુંડા અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની 150મી જન્મજયંતિની ઉજવણીએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એમ જણાવી આ વારસો જાળવી રાખી આપણી ભાવી પેઢી તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરવા આહવા્ન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતે કમોસમી વરસાદની કુદરતી આપદાનો સામનો કર્યો. જેમાં ખેડૂતોને આ આફતની પરિસ્થિતિમાંથી બહાર લાવવા 26 હજાર કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે. તેમણે અંતે પ્રાકૃતિક ખેતી અને પરંપરાગત ધાન્યોને જીવનશૈલીનો ભાગ બનાવી સ્થાનિક ઉત્પાદનોનની ખરીદીનો આગ્રહ રાખી દેશને આર્થિક રીતે પણ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા કુલ-25 જેટલા અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લાના 13 વિભાગો દ્વારા યોજનાકિય માહિતી દર્શાવતા ટેબ્લો પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત વિવિધ પદાધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના ભાવ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં વડોદરા ગ્રામ્ય વિસ્તારના PSI, WPSI તથા ASI કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. પુરુષ તથા મહિલા પ્લાટૂન, માઉન્ટેડ પ્લાટૂન તેમજ બેન્ડ શાખાની ઉપસ્થિતિથી કાર્યક્રમ જોશ અને જુસ્સામાં વધારો થયો હતો. વડોદરા ગ્રામ્ય, વડોદરા, પુરૂષ પ્લાટુન-1ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- જે.જી.વાઘેલા દ્વારા, પુરૂષ પ્લાટુન-2ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI - એસ.સી.સરવૈયા દ્વારા, વડોદરા ગ્રામ્ય, મહીલા, પુરૂષ પ્લાટુન-3ની આગેવાની પ્લાટુન કમાન્ડર WPSI- એન.આર.કદાવલા દ્વારા, વડોદરા ગ્રામ્ય, મહીલા પ્લાટુન-4ની આગેવાની પ્લાટુન કમાન્ડર PM WPSI- પી.એમ.મંડલી દ્વારા, વડોદરા ગ્રામ્ય-5ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- આર.આર.મિશ્રા દ્વારા, માઉન્ટેડ પ્લાટુન એટલે કે ઘોડેસવાર પોલીસ ટુકડી વડોદરા ગ્રામ્ય-6ની આગેવાની પ્લાટુન કમાન્ડર ASI-દિલીપસિંહ અનોપસિંહ દ્વારા, બેન્ડ શાખા પ્લાટુન-7ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- એ.આર.ચૌધરી દ્વારા અને વોલી ફાયર પ્લાટુન-8ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- જે.એ.ભાવસાર દ્વારા કરવામાં આવી હતી. આ તમામ પરેડનું સંચાલન RPI ઓ.એસ. ભાભોરના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:26 pm

પ્રભાસ પાટણમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ ઝડપાયા:ગીર સોમનાથ પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી, ઓડિશાથી લાવી વેચાણ કરતા હતા

ગીર સોમનાથ પોલીસે નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા પ્રભાસ પાટણ વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી NDPS એક્ટ હેઠળ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભણસાલી વાવ વિસ્તારમાં રજાક હાજીભાઈ ચૌહાણના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો (હશીશ)નો ૧૫૦૦ ગ્રામ જથ્થો, જેની કિંમત રૂ. ૭૫,૦૦૦/- છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનામાં અબ્બાસ સુલેમાન માંગરોલીયા (ઉ.વ. ૩૨, રહે. વેરાવળ), ફૈઝાન અબ્દુલરજાક બાસઠીયા (ઉ.વ. ૨૮, રહે. વેરાવળ) અને તૈયબ એમનભાઇ ગાજી (ઉ.વ. ૨૬, રહે. પ્રભાસ પાટણ) નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગાંજો મંગાવનાર રજાક હાજીભાઈ ચૌહાણ (પ્રભાસ પાટણ) અને ગાંજો આપનાર ચંદન મહેર (જારસુગુડા, ઓડિશા)ને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ ૮(C), ૨૦(૨)(B) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આર્થિક ફાયદા માટે ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજાનો મોટો જથ્થો મંગાવી ગીર સોમનાથ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા. પોલીસ આ સમગ્ર નશાના નેટવર્કની કડીઓ જોડીને વધુ આરોપીઓ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કામગીરીમાં એલ.સી.બી., એસ.ઓ.જી.ના અધિકારી-કર્મચારીઓ અને એફ.એસ.એલ. વેરાવળના સાયન્ટિફિક ઓફિસર એન.કે. જોષીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગીર સોમનાથ પોલીસ નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે, જેથી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા મજબૂત બને અને યુવાપેઢી નશાના દૂષણથી દૂર રહે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:25 pm

રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું રાજકોટ:77માં ગણતંત્ર દિવસની ઉજવણી, સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન શિંદુર થીમ પર ડાન્સ સાથે ડ્રામાં રજૂ કર્યું

દેશભરમાં આજે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આજના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે પોલીસ પરેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ વળતા જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલ ઓપરેશન શિંદુર થીમ પર ડાન્સ સાથે ડ્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ સાથે પોલીસ કમિશનર દ્વારા રાજકોટ વાસીઓંને પણ પોલીસ કાયદાનું પાલન કરાવનાર સંસ્થા નહિ પણ પોલીસને સમાજનો જ અંગ સમજી સાથે મળી રાજકોટના વિકાસમાં ફાળો આપીએ એવી અપીલ કરી હતી. રાજકોટનાં પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્લાટૂનમાં પોલીસ જવાનો તેમજ સ્ટુડન્ટ કેડેટ દ્વારા પરેડ કરવામા આવી હતી. આ તકે પરેડમાં જોડાયેલા અલગ અલગ ટેબ્લોમાં વાહનો ચલાવતા સમયે મોબાઈલ પર વાત ન કરવા, સાયબર ક્રાઇમથી એલર્ટ રહેવા ઉપરાંત મદ્યપાન કરી વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા સહિતનાં સ્લોગન દર્શાવવામાં આવ્યા હતા. પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ભારત દેશના77માં ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા પાઠવું છું. ભારત વર્ષને વધુ મજબૂત અને વિકસિત બનાવવા બધા સાથે મળીને કામ કરીએ તેમજ ખાસ ભારતની સુરક્ષામાં જોડાયેલા લશ્કરી અને અર્ધલશ્કરી દળો તેમજ પોલીસના જવાનોને પણ ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. રાજકોટના પોલીસ કમિશનર તરીકે રાજકોટના લોકોને અપીલ કરવા માંગુ છું કે, પોલીસ કાયદાનું પાલન કરાવનાર સંસ્થા નહિ પણ પોલીસને સમાજનો જ અંગ સમજી સાથે મળી રાજકોટના વિકાસમાં ફાળો આપીએ એવી અપીલ કરું છું. સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં દેશભક્તિના અલગ અલગ ગીતો ઉપર ડાન્સ તેમજ જિમ્નાસ્ટિક અને ખાસ ઓપરેશન શિંદુર થીમ પર ડાન્સ અને ડ્રામાં રજૂ કરવામાં આવ્યો હતો જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સાથે વર્ષ દરમિયાન રાજકોટ શહેર પોલીસમાં સ કમગીરી કરનાર પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને પોલીસકમિશનર દ્વારા સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:23 pm

નવસારીમાં ઘરફોડ ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપાયો:LCB એ ભાવનગરથી ઝડપ્યો, આરોપી સામે વિવિધ જિલ્લાઓમાં 23 થી વધુ ચોરીના ગુના નોંધાયેલા

નવસારી જિલ્લામાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. આ આરોપી સામે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 23 થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. LCBના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, વિજયભાઈ અને મનોજકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવનગર પાસે છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપી વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઇગુ ઉર્ફે મુંગો ધીરૂભાઇ સરવૈયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. CCTV ફૂટેજ અને નેત્રમ પ્રોજેક્ટની મદદથી આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિનોદ તેની પત્ની રેશ્મા ઉર્ફે પૂજા સાથે મળીને નવસારીમાં ચોરીઓને અંજામ આપતો હતો. કેટલીક જગ્યાએ વિનોદ તેની પત્નીને ઓળખીતાના ઘરે મૂકી આવતો હતો, જ્યારે કેટલીક જગ્યાએ બંને પતિ-પત્ની સાથે મળીને ચોરી કરતા હતા. આ કેસમાં પત્ની રેશ્મા હાલ વોન્ટેડ છે. ઝડપાયેલ આરોપીનું નામ વિનોદભાઇ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઇગુ ઉર્ફે મુંગો ધીરૂભાઇ સરવૈયા છે, જે હાલ મોટા વરાછા, સુરત ખાતે રહે છે અને મૂળ શિહોર, ભાવનગરનો વતની છે. તેની વોન્ટેડ પત્નીનું નામ રેશ્મા ઉર્ફે પૂજા છે. આરોપી વિનોદનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ભાવનગરના બોરતળાવ અને સોનગઢ પોલીસ સ્ટેશન, નવસારીના ટાઉન અને જલાલપોર પોલીસ સ્ટેશન, તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, પાલનપુર, ગીર સોમનાથ, બોટાદ, ગાંધીધામ, ભચાઉ, સુરત શહેર અને અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 23 ગુનામાં તેની સંડોવણી ખુલી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2,470/- તથા ચોરીમાં વપરાયેલ અન્ય સાધનો કબ્જે કર્યા છે. કાયદેસરની કાર્યવાહી બાદ તેને નવસારી ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને LCB સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:20 pm

લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:વી.એચ. ગાંધી શાળામાં ધ્વજવંદન, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા વી.એચ. ગાંધી બહેરા-મૂંગા શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીતુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ટી.બી. પટેલ, આમંત્રિત મહેમાનો, દાતાઓ, ટ્રસ્ટીઓ અને ભગિની સંસ્થાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:14 pm

ભરૂચમાં જુગાર રમતા 7 ઝડપાયા:સી ડિવિઝન પોલીસે રૂ. 25,600નો મુદ્દામાલ જપ્ત કર્યો, મુખ્ય આરોપી ફરાર

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં સી ડિવિઝન પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે પત્તા-પાનાં વડે જુગાર રમતા સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લક્ષ્મણ ઉર્ફે લખો અરવિંદ વસાવા બહારના લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મહેન્દ્ર ઠાકોરભાઈ ઓડ, મયુર રાજકુમાર અરોડા, ઉમેશ ધીરજભાઈ પરમાર, કિરણ સંજયભાઈ પાટણવાડીયા, હંસ દલબહાદુર બીસ્ટ, કમલ નંદાસિંગ ભાટ અને કિરણ ડાહ્યાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 7,200, દાવ પરના રૂ. 3,400 અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 25,600નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જોકે, આ કેસનો મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે લખો વસાવા હાલ ફરાર છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:13 pm

પીએમ શ્રી સાકરીયા પ્રા.શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી, દીકરીના હસ્તે ધ્વજારોહણ:'દીકરીને પ્રણામ, દેશને નામ' અભિયાન હેઠળ ગામ દેશભક્તિના રંગે રંગાયું

મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીકરીને પ્રણામ – દેશને નામ અભિયાન હેઠળ સાકરિયા ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી અનામિકા ચાવડાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ધ્વજારોહણ થતાં જ રાષ્ટ્રગાન ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર શાળા પ્રાંગણ વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નાદથી ગૂંજી ઉઠ્યું હતું, જેણે વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, સમૂહગાન અને સંસ્કૃતિસભર કાર્યક્રમોની મનોહર રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમો જોઈને ઉપસ્થિત સૌ કોઈ દેશપ્રેમથી ભાવવિભોર બની ગયા હતા. ઉજવણીમાં ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, યુવાનો, મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રપ્રેમ, એકતા અને સંસ્કારોનો સંદેશ આપ્યો હતો. પ્રજાસત્તાક દિનની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહોતી, પરંતુ દીકરીઓના સન્માન, શિક્ષણ અને દેશપ્રેમના સંકલ્પનું એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:13 pm

'કમિશનરને નહીં મારે જેને વાત કરવાની હતી તેને કરી દીધી':ખારીકટ કેનાલમાં પાણી છોડવા મુદ્દે બાબુ જમના પટેલે કહ્યું- '2 વર્ષમાં કામ થવાનું હતું એ 4 વર્ષે પણ ન થતા ખેડૂતોએ સહન કરવું પડ્યું'

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની રૂ. 1200 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. ચાલુ કામગીરી વચ્ચે બે દિવસ પહેલા દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા પાણી છોડાવી દેતા કામગીરી અટકાવવી પડી છે. આ મામલે આજે બાબુ જમના પટેલ દ્વારા નિવેદન કરી ખારીકટ કેનાલની ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીની પોલ ખોલી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની વાત હતી. પરંતુ, આજે ચોથા વર્ષે પણ ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું છે. ખરીફ સિઝનમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર પણ નથી મળ્યું. જેના કારણે રવી સીઝનમાં તેઓને પાણી મળે તે જરુરી હતું. જેથી પાણી છોડાવ્યું છે. પાણી છોડાવતા પહેલા AMC કમિશનર સાથે વાતચીત કરી હતી કે નહીં તેને લઈ સવાલ કરાતા ધારાસભ્યએ કહ્યું હતું કે, મારે જ્યાં વાત કરવાની હતી ત્યાં કરી દીધી હતી. બે વર્ષમાં પૂર્ણ થવાની કામગીરી ચાર વર્ષે પણ અધૂરી- ધારાસભ્યખારીકટ કેનાલ મામલે ધારાસભ્ય બાબુ જમનાએ જણાવ્યું હતું કે ખેડૂતોના મોંમાં આવેલો કોડીયો છીનવાયો હતો.બે વર્ષમાં કામગીરી પૂરી કરવાની હતી પરંતુ ચાર વર્ષ થયા,ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે.સમયસર કામ પૂરું ના થયું તેના કારણે જ કેનાલમાં પાણી છોડાવવામાં આવ્યું છે.મેં જેને વાત કરવાની હતી તેને વાત કરીને જ કેનાલમાં પાણી છોડાવ્યું હતું. ખરેખર કેનાલ મામલે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાએ જણાવ્યું હતું કે ચોમાસામાં છેલ્લે વરસાદ સારો પડ્યો હતો પરંતુ ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો જતો રહ્યો હતો.રવિ પાકમાં ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે ખેડૂતોને નુકસાન ના થાય તે માટે પાણી છોડવામાં આવ્યું હતું..ખેડૂતોને છેલ્લે જે નુકસાન થયું તે માટે એક પૈસાનું વળતર મળ્યું નથી માટે મારો આગ્રહ હતો કે રવિ પાકના ખેતી માટે તેમને પાણી મળે. કોન્ટ્રાક્ટરે સમયસર કામગીરી પૂર્ણ ન કરતા ખેડૂતોએ સહન કરવું પડ્યું- ધારાસભ્યકેનાલનો પ્રોજેક્ટ જે હોય તે.વર્ષોથી પાણી આપવાનું જ હોય છે.કેનાલના પ્રોજેક્ટ માટે બે વર્ષ કહ્યા હતા.આપણે બે વર્ષ રાહ જોઈ પરંતુ ચોથા વર્ષે પાણી ના મળ્યું.સમય મર્યાદામાં કામગીરી પૂરી થઈ ગઈ હોત તો આ સ્થિતિ ઉભી ના થાત.કોર્પોરેશનને પણ આપણે કહ્યું છે જેથી કોર્પોરેશને મદદ કરી હતી.જલ્દી કામગીરી થાય તે માટે હું રજૂઆત કરીશ. આપણને જ્યારે કહ્યું હતું કે બે વર્ષ પાણી નહીં મળે તો આપણે બે વર્ષ રાહ જોઈ.પરંતુ ચાર વર્ષ સુધી પાણી ન મળ્યું. જે તે કોન્ટ્રાક્ટરે પૂરું ના કર્યું તેના કારણે ખેડૂતોએ સહન કરવું પડ્યું છે.કમિશનરને નહીં પણ મારે જેને અને જ્યાં વાત કરવાની કરી દીધી હતી. કેનાલની કામગીરી ચાલુ હોવા છતા ધારાસભ્યએ પાણી છોડાવ્યું હતુંમ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલની 50 મીટરની જ કામગીરી બાકી છે. એક અઠવાડિયાથી 15 દિવસ સુધીના સમયમાં કામગીરી પૂર્ણ થઈ જાય એટલું કામ બાકી હતું છતાં પણ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડી દેવામાં આવ્યું છે. ખારી કટમાં પાણી છોડ્યું હોવાના કારણે થઈને જે બાંધકામ કરવા માટે નીચે બોક્સમાં ટેકા મુકવામાં આવ્યા છે તેના સહિતનો કેટલોક સામાન અને માટી વગેરે અંદર કેનાલમાં હજી પણ છે જેની વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે. ખેડૂતોની માંગ હોવા ની વાત કરીને સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. ‘નીચે બોક્સની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવી પડી’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે ખારી કટ કેનાલની કામગીરી ચાલી રહી છે તેમાં નીચે બોક્સની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવી પડી છે. રબારી કોલોની પાસે ભાવના હાયર સેકન્ડરી સ્કુલથી આગળના તરફ 50 મીટરનો રોડ છે ત્યાં કામગીરી બાકી છે હવે કેનાલની ઉપર અને આજુબાજુના ભાગમાં જે કામગીરી બાકી છે તે હાલ પૂરતી ચાલુ રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:08 pm

મોડાસા પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું ગાયત્રી ચેતના કેન્દ્ર:રાષ્ટ્ર ઉત્થાન માટે વિશેષ જપ અને પ્રાર્થના કરાઈ

ભારતના 77 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે મોડાસા સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પણ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વના અવસરે ગાયત્રી માતાજીનો તિરંગા રંગોમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ સમગ્ર ગાયત્રી ચેતના કેન્દ્ર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું, જ્યાં દેશપ્રેમની અનોખી ઝલક જોવા મળી હતી. ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલી માહિતી મુજબ, મોડાસા અને આસપાસના ગામોના ગાયત્રી ઉપાસકોએ સાધના અને ઉપાસના સાથે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રની અખંડિતતા, સીમા સુરક્ષા અને સર્વાંગી સમૃદ્ધિ માટે વિશેષ જાપ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં રાષ્ટ્ર ઉત્થાનના હેતુથી ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:06 pm

બોટાદના મેઘાણી ગાર્ડનમાં 15 દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ:યુવતીઓની સુરક્ષા જોખમમાં, તાત્કાલિક લાઈટો શરૂ કરવા માંગ

બોટાદ શહેરના ઝવેરચંદ મેઘાણી ગાર્ડનમાં છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક-યુવતીઓને અંધારામાં પ્રેક્ટિસ કરવી પડે છે, જે તેમની સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની સ્ટ્રીટ લાઈટ બંધની સમસ્યાને લઈ નગરપાલિકા પ્રમુખ, ચિફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન રિસીવ કર્યો હતો અને નો રિસ્પોન્સ રહ્યો હતો. ખાસ કરીને, વહેલી સવારે અને સાંજે પ્રેક્ટિસ કરતી યુવતીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંધારામાં દોડવા અને કસરત કરવાથી અકસ્માત થવાનો અથવા અસામાજિક તત્વોનો ભોગ બનવાનો ભય રહેલો છે. આ મામલે બોટાદ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, પંદર દિવસ વીતી ગયા પછી પણ એક પણ સ્ટ્રીટ લાઈટ રિપેર કરવામાં આવી નથી. નગરપાલિકાની આ નિષ્ક્રિયતા તેની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક-યુવતીઓએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ કરી છે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં પ્રેક્ટિસ કરી શકે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 1:03 pm

વાપી AAPમાં સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર:બિપિન તોમરને હટાવાયા, રમીઝ હિરાણી કાર્યકારી પ્રમુખ નિયુક્ત

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વાપી શહેર સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીએ રમીઝ હિરાણીને વાપી શહેરના કાર્યકારી શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે વર્તમાન શહેર પ્રમુખ બિપિન તોમરને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ નિર્ણય આમ આદમી પાર્ટીના વલસાડ-ડાંગ લોકસભા પ્રમુખ ડૉ. રાજીવ પાંડે અને વલસાડ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર દેસાઈના સંયુક્ત નિર્ણયથી લેવામાં આવ્યો હોવાનું પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પાર્ટીના અધિકૃત નિવેદન મુજબ, બિપિન તોમર પર પાર્ટી પ્રોટોકોલ અને પાર્ટી લાઇન વિરુદ્ધ કામગીરી કરવાના આક્ષેપોને આધારે તેમને વાપી શહેર પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સંગઠનમાં શિસ્ત અને નીતિઓનું કડક પાલન થાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું હોવાનું પાર્ટી નેતાઓએ જણાવ્યું છે. નવ નિયુક્ત કાર્યકારી શહેર પ્રમુખ રમીઝ હિરાણીના નેતૃત્વમાં વાપી શહેરમાં પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સંગઠનાત્મક ફેરફારને કારણે વાપી શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:57 pm

ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન:77માં પ્રજાસત્તાક પર્વની ભાવનગરમાં ઉજવણી કરાઈ

ભાવનગરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લતાબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. શહેરભરમાં સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, કોર્ટ સંકુલ, રાજકીય પક્ષોની કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, રેલવે તંત્ર, તેમજ શાળા-કોલેજો ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને સૌ નાગરિકોએ આ રાષ્ટ્રીય પર્વને ગર્વભેર મનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:50 pm

રાયગઢ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ ધ્વજવંદન કરાવ્યું:પ્રજાસત્તાક પર્વની ઉજવણી, દેશભક્તિનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરીના રોજ રાયગઢ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગામજનો, સરપંચ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. મહામંડલેશ્વર સંત દ્વારા મંત્રોચ્ચાર સાથે સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે સનાતન હિન્દુ ધર્મ અને દેશભક્તિની એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ ધ્વજવંદનમાં ભાગ લીધો હતો. 'જય હિન્દ'ના નારા સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું અને દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:48 pm

બોટાદ પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન કાર્યક્રમ:77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટેશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડીના સભ્યો તેમજ પી.આઈ. અને પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાન કરીને ધ્વજવંદનને સલામી આપી હતી, અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:47 pm

કારઠ ગામે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસ ઉજવણી:મંત્રી મોઢવાડિયાએ ધ્વજવંદન કર્યું: પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કારઠ ગામે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી મોઢવાડિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું. પોલીસ દળે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગો દ્વારા વિકાસલક્ષી અને જનહિતકારી યોજનાઓને દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અને સરકારની મહત્વની યોજનાઓનો સંદેશ રજૂ થયો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટિકાઓ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન તથા ભારતીય સંવિધાનના મૂલ્યોને યાદ કરાવ્યા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતના ગાન સાથે થયું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:43 pm

મોડાસા ઘાંચી હાઇસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી:મુખ્ય મહેમાન દ્વારા ધ્વજવંદન, સંસ્થાને ₹25,000નું દાન

મોડાસાની ઘાંચી હાઇસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મહમંદ યુનુસ અબ્દુલ ગફૂર સાવના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ વાય. સુથાર (રાજાબાબુ), સેક્રેટરી હનીફભાઈ સિધવા, ઉપપ્રમુખ અબ્દુલ રજજાકભાઇ ખાનજી, જોઈન્ટ સેક્રેટરી રહીમભાઈ બાંડી, શિક્ષણ સમિતિના ચેરમેન સઈદભાઈ ભૂરા સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સભ્યોમાં ઈશાકભાઈ ઉપાદ, સલીમભાઈ મનવા, સલીમભાઈ સુથાર, ગુલામનબીભાઈ બુલા, અબ્દુલ રહીમભાઈ સુથાર, ઇલિયાસ ભાઈ મનવા, સલીમભાઈ બાંડી, ઉસ્માનગની ભાઈ સુથાર અને રહીમ ભાઈ સાબલિયાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીતો, દેશભક્તિના નારાઓ અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. મુખ્ય મહેમાન મહમંદ યુનુસ અબ્દુલ ગફૂર સાવ દ્વારા સંસ્થાને રૂપિયા 25,000નું દાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઈર્શાદ હુસેન કાજી, સોહીલ એમ મલેક, કન્વીનર મહંમદ રિયાઝ બાયડીયા અને અબ્દુલ કાદિર ચૌહાણની દોરવણી હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા નાહેદાબેન ઇપ્રોલિયાએ એનાઉન્સર તરીકેની જવાબદારી નિભાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:38 pm

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ:સુરતમાં નાઈઝેરિયન મહિલા બાદ બોરીવલીથી મિઝોરમનો યુવક 2 કરોડના કોકેઇન અને સૌથી ઘાતક મેથામ્ફેટાઈમાન સાથે ઝડપાયો

રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગ્રુપ આરપીએફ બોરીવલીની ટીમે 25 જાન્યુઆપીની રાત્રે અમૃતસર-મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકોટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 2.19 કરોડથી વધુ કિંમતના કોકેઈન અને મેથામ્ફેટાઈમાન ડ્રગ્સ સાથે મિઝોરમના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકને સુરતમાંથી પકડાયેલી નાઇઝેરિયન મહિલાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. યુવકની બેગમાંથી કોકેઈન, મેથામ્ફેટામાઈન અને કોડીન કફ સિરપ મળીમળતી માહિતી પ્રમાણે, બોરીવલી રેલ્વે સ્ટેશન પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં એનબીસી અને આરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન કોચ નંબર બી-4માંથી 32 વર્ષીય આરોપી લાલફકમાવિયા નામના મિઝોરમના યુવક (રહે. રેમના હોટેલ નજીક, ઈલેક્ટ્રિક વેંગ, હનાથિયાલ, લુંગલેઈ, મિઝોરમ)ને બેકપેક અને ટ્રોલી બેગ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના બેકપેક અને ટ્રોલી બેગની તપાસ કરતાં 436 ગ્રામ કોકેઈન (અંદાજિત કિંમત 2.18 કરોડ), 19 ગ્રામ યાબા ગોળીઓ (મેથામ્ફેટામાઈન, કિંમત 1.50 લાખ), 649 ગ્રામ (5 બોટલ) કોડીન કફ સિરપ (કિંમત 7500) અને 8 ગ્રામ અલ્પાઝોલમ ગોળીઓ (કિંમત 3200) મળી આવતા કુલ કિંમત 2.19 કરોડની મતા જપ્ત કરવામાં આવી હતી. પેકેટ મુંબઈ પહોંચાડવા નાઇજીરીયન મહિલાએ પૈસા આપ્યાં રેલવે પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તે દિલ્હીમાં તેની બહેન અને બનેવી સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેની બહેનની એક નાઇજીરીયન મહિલા મિત્ર (નામ-ઠામની ખબર નથી)એ તેને કૂતરાના ખોરાકના પેકેજિંગમાં લપેટેલું પેકેટ આપ્યું હતું. બહારથી પેકેટ સંપૂર્ણપર્ણ સામાન્ય લાગતું હતું પણ તે પેકેટ મહિલાએ તેને મુંબઈ પહોંચાડવા માટે 3000 રૂપિયા અને મુસાફરી ખર્ચ આપવાનું જણાવ્યું હતું. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગલુરુ લઈ જવાયોમુંબઈમાં એક અજાણ્યો વ્યક્તિ તેનો સંપર્ક કરવાનો હતો. એનસીબીએ પકડાયેલા આરોપી સામે નાર્કોટિક હુસ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. આરોપીને બોરીવલીમાં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ એનસીબી ટીમ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગલુરુ લઈ ગઈ છે. આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, રેલ દ્વારા ડ્રગ્સ હેરફેર અટકાવવા માટે દેખરેખ સતત વધારી દેવામાં આવી રહી છે. આવા કિસ્સાઓમાં, સામાન્ય મુસાફરોની સતર્કતા પણ જરૂરી છે. 24 જાન્યુઆરીએ નાઇઝેરિયન મહિલા પાસેથી 2.30 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ફરીદાબાદથી મુંબઈ જઈ રહેલી નાઇઝેરિયન મહિલા અંગે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરત યુનિટને મળેલી પૂર્વ બાતમીના આધારે 24મીના રોજ સ્થાનિક રેલવે પોલીસને સાથે રાખી ઝડતી લેવામાં આવી હતી. તેની પાસેથી 50 લાખની કિંમતનું 50 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ મેથામ્ફેટામાઇન મળી કુલ 2.30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલો માત્ર એક મહિલા પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોય તેવી પ્રબળ શક્યતા છે. આ સાથે જ સૌથી શક્તિશાળી નશાકારક મેથામ્ફેટામાઇન ખૂબ જ ઘાતક છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:38 pm

GSTની રેડ પડશે કહી નોકરે શેઠાણીને ડરાવ્યા:સુરતથી કાપડ વેપારીનું 70 લાખનું સોનું લઈ ભાગી ગયો, પરત કરવા 54 લાખની ખંડણી ને બાળકોને મારી નાખવાની ધમકી આપી

સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બેલાકાસા બિલ્ડિંગમાં રહેતા અને તૈયાર કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ મહેશ્વરીના ઘરે 9 વર્ષથી કામ કરતા વિશ્વાસુ નોકરે જ માલિકના ઘર પર હાથ સાફ કર્યો છે. નોકર લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ માત્ર 70 લાખની ચોરી જ નથી કરી, પરંતુ પરિવારના બાળકોને મારી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગી સમગ્ર પરિવારને ભયના ઓથાર હેઠળ લાવી દીધો હતો. નોકરે માલિકની ધરપકડ થતાં તેમની પત્નીને ડરાવીઘટનાની વિગત મુજબ, ગત 25 ડિસેમ્બર, 2025એ ડીઆરઆઈ (DRI) દ્વારા વેપારી સંજયભાઈ પર દરોડા પાડી તેમની અટકાયત કરવામાં આવી હતી. આ મુશ્કેલ સમયનો લાભ ઉઠાવી નોકર લવકુશે માલિકની પત્ની દીપ્તિબેનને ડરાવ્યા હતા કે, હજુ ઘરે જીએસટીના દરોડા પડશે, માટે તમારા સોનાના દાગીના અને દસ્તાવેજો સુરક્ષિત જગ્યાએ ખસેડી લો. ગભરાયેલા દીપ્તિબેન નોકરની વાતોમાં આવી ગયા અને સિટિલાઈટ સ્થિત લોકરમાંથી આશરે 1 કિલો સોનું (કિંમત 70 લાખ) અને મિલકતના દસ્તાવેજો કાઢી લીધા હતા. લોકરનું લોક બદલીને ખેલ પાડ્યોશાતિર નોકરે આ દાગીના મુકવા માટે સિટિલાઈટના જ એક અન્ય સેફ ડિપોઝિટ વોલ્ટમાં પોતાના નામે લોકર ખોલાવ્યું હતું. વિશ્વાસ જીતવા માટે તેણે શરૂઆતમાં ચાવી દીપ્તિબેનને સોંપી હતી. જોકે, ગણતરીના કલાકોમાં તેણે નાટક રચ્યું કે ચાવી ખોવાઈ ગઈ છે. આ બહાને તેણે 6,000 ભરીને લોકરના લોક બદલાવી નવી ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. થોડા દિવસો બાદ જ્યારે દીપ્તિબેનને શંકા ગઈ અને તેઓ લોકર તપાસવા ગયા ત્યારે ત્યાંથી દાગીના અને દસ્તાવેજો ગાયબ જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 54 લાખની ખંડણી માંગી અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપીજ્યારે આ બાબતે લવકુશને ફોન કરવામાં આવ્યો ત્યારે તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે દાગીના અને દસ્તાવેજો પરત કરવાના બદલામાં 54 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. એટલું જ નહીં, જો પોલીસ ફરિયાદ કરી તો બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે માલિક જેલમાંથી મુક્ત થયા બાદ પરિવારે હિંમત ભેગી કરી અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નોકર લવકુશને વાપીથી દબોચી 25 લાખના દાગીના રિકવર કર્યાઅલથાણ પોલીસ મથકના પીઆઈ ડી.ડી.ચૌહાણ અને તેમની ટીમે આધુનિક સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે પોલીસે નોકર લવકુશનું પગેરું દબાવી તેને વાપી ખાતેથી દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી 25 લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં બાકીના દાગીના અને દસ્તાવેજો મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:31 pm

સુપદહાડ ગામે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો:દેશભક્તિ અને શિસ્ત સાથે સામૂહિક ઉત્સાહ જોવા મળ્યો

ડાંગ જિલ્લાના સુપદહાડ ગામે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ, શિસ્ત અને સામૂહિક ઉત્સાહ સાથે કરવામાં આવી. વહેલી સવારથી જ ગામમાં રાષ્ટ્રીય પર્વનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ, જેમાં શાળાના બાળકોએ તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ્ જેવા દેશભક્તિના નારા લગાવ્યા હતા. પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમમાં ધ્વજવંદન વિધિ બાદ રાષ્ટ્રગાન ગવાયું. શાળા પરિવાર તરફથી મુખ્ય શિક્ષક નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. તેમણે શાળાના બાળકો અને શિક્ષિત યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવા અને નિયમિત મહેનત કરવા પ્રોત્સાહન આપ્યું. ગામના આગેવાન હીરામણભાઈ ગાવિતે પોતાના વક્તવ્યમાં સુપદહાડ ગામના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપી. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ લેવા, સામૂહિક પ્રયાસોથી વિકાસને વેગ આપવા અને ગામને સ્વચ્છ તથા સુંદર રાખવા માટે તમામ ગ્રામજનોને અપીલ કરી. તેમણે સ્વચ્છતા, એકતા અને સહકાર દ્વારા ગામની પ્રગતિ પર ભાર મૂક્યો. આ ઉજવણીમાં ગામના માજી સરપંચ, આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો, શાળા સંચાલક, ગામના સખી મંડળની બહેનો, વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને યાદગાર બનાવી અને દેશપ્રેમ, એકતા તથા વિકાસના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:30 pm

સમઢિયાળામાં પ્રથમવાર અનુસૂચિત દીકરીના હસ્તે ધ્વજવંદન:77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, સરપંચે સમરસતાનો સંદેશ આપ્યો

26મી જાન્યુઆરી, 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સમઢિયાળા નંબર 1 ગામમાં એક ઐતિહાસિક ઘટના બની. આઝાદી પછી પહેલીવાર ગામની શિક્ષિત અનુસૂચિત દીકરી હીનાબેન રામજીભાઈ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના પૂર્વ શિક્ષક અને સરપંચ દિલીપ સાબવાએ 'ભેદભાવ નહીં, સમરસતાનો ભાવ' સૂત્ર સાથે દીકરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પહેલથી ગામમાં સામાજિક સમાનતા અને સૌહાર્દનો સંદેશ ફેલાયો હતો. ધ્વજવંદન બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સરપંચ દિલીપ સાબવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, મારું ગામ, મારી ફરજ અને હૃદયના ભાવથી અનંત ભાવ સુધી કામ કરીએ તો આપણો દેશ વૈશ્વિક સ્તરે આગળ આવી શકે છે. શાળાના આચાર્ય પ્રીતુલ્લભાઈ ગઢિયા અને સ્ટાફ પરિવારે 26મી જાન્યુઆરીના રંગારંગ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પંચાયતના સભ્યશ્રીઓ, ગામના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. PoK બોર્ડર પર સૈનિક તરીકે ફરજ બજાવતા ગામના અલ્પેશભાઈ ચેખલિયાનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેને ગામના લોકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળી હતી. કાર્યક્રમના અંતે શાળા સ્ટાફ વતી સૌનો આભાર માનવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:21 pm

મોરબી સર્વોદય સોસાયટીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી:NCC ઓફિસર ડૉ. ચૌધરીએ ધ્વજવંદન કર્યું, યુવાઓને પ્રેરણા આપી

સર્વોદય એજ્યુકેશન સોસાયટી, મોરબી દ્વારા તેની તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ૨૬મી જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં એમ. એમ. સાયન્સ કોલેજના બાયોલોજી વિષયના અધ્યાપક અને એનસીસી ઓફિસર ડૉ. બી. પી. ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ડૉ. ચૌધરી, જેઓ વિશેષ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને છેલ્લા પાંચ વર્ષથી એનસીસીનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે ધ્વજવંદન બાદ સંબોધન કર્યું. તેમણે પોતાના પ્રેરક વક્તવ્યમાં ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવ્યું અને યુવાઓને જીવન ઘડતરની દિશામાં અસરકારક સૂચનો આપ્યા. આ ઉજવણી કાર્યક્રમમાં ટ્રસ્ટના મંત્રી રજનીભાઈ મહેતા, શાળા-કોલેજના પ્રિન્સિપાલ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ડૉ. ડી. આર. ભાડજાએ સ્વાગત પ્રવચન અને વ્યક્તિ વિશેષનો પરિચય આપીને કર્યો હતો. એનસીસી એકમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું પ્રોટોકોલ મુજબ સંચાલન કરવામાં આવ્યું. આભારવિધિ ડૉ. રામ વારોતરિયાએ કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:20 pm

દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપે ગોમતી નદીમાં ધ્વજવંદન કર્યું:77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિનો અનોખો સંગમ

દેવભૂમિ દ્વારકામાં 77માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીંના ભડકેશ્વર યોગ ગ્રુપે પવિત્ર ગોમતી નદીના જળમાં એકત્રિત થઈ ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કર્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ દેશને મજબૂત અને સ્વસ્થ બનાવવાનો હતો. યોગ ગ્રુપે નવી પેઢીને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા માટે યુવાનો અને બાળકોને પણ આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા હતા. નદીના જળમાં ઉભા રહીને શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને 'ભારત માતા કી જય' ના નાદ ગુંજી ઉઠ્યા હતા. યોગ અને રાષ્ટ્રભક્તિના આ સંગમ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને દેશ માટે સમર્પણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:19 pm

ગોધરા યુનિવર્સિટીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ધ્વજવંદન કર્યું, બંધારણનું મહત્વ સમજાવ્યું

સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ધ્વજવંદન કર્યું હતું. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ શૈક્ષણિક સ્ટાફ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. ધ્વજવંદન પછી કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે ભારતના બંધારણના મહત્વ અને લોકશાહીના મૂલ્યો વિશે વાત કરી હતી. ડો. કાતરીયાએ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:13 pm

વેરાવળમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓની દેશભક્તિ રેલીએ માહોલ સર્જ્યો

વેરાવળ શહેરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ અવસરે સનરાઈઝ સ્કૂલ દ્વારા આયોજિત દેશભક્તિ રેલીએ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સનરાઈઝ સ્કૂલ દ્વારા આયોજિત આ રેલીમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો ગાતા અને હાથમાં ત્રિરંગા ફરકાવતા નજરે પડ્યા હતા. નાના વિદ્યાર્થીઓ ભારત માતા, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના વીર જવાનોની વેશભૂષામાં સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા. જ્યારે આ રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ, ત્યારે રસ્તાની બંને બાજુ ઉભેલા નાગરિકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારા લગાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. સનરાઈઝ સ્કૂલના સંચાલક શૈલેષ લાખાણી, હરેશ કાનાબાર અને પરેશ પબારીના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન થયું હતું. આ આયોજનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પ્રજાપતિ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે વેરાવળમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ, જે શહેરના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:05 pm

ગઢડામાં 77મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી:શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું, પરેડ નિહાળી

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી રીવાબા જાડેજાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શિસ્તબદ્ધ રીતે કદમતાલ મિલાવી રહેલા પોલીસ જવાનોએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા. આ ઉપરાંત, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી સુરેશભાઈ ગોધાણી દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:02 pm

ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધ્વજવંદન:77માં પ્રજાસત્તાક પર્વની શહેરમાં ઉજવણી કરાઈ

આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચાયત કચેરીના સભ્યો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સમગ્ર ભાવનગર શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી. સરકારી કચેરીઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:01 pm

મોરબીમાં નેક્સિયન સરફેસિસ દ્વારા 77મા ગણતંત્ર દિવસની ઉજવણી:ધ્વજવંદન, રાષ્ટ્રગાન સાથે કર્મચારીઓનું સન્માન કરાયું

મોરબી-હળવદ રોડ પર ઊંચી મંડળ સ્થિત નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉજવણીનો પ્રારંભ ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે થયો. આ કાર્યક્રમમાં કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, લોકશાહી મૂલ્યો અને દેશની એકતા-અખંડિતતા પર ભાર મૂક્યો હતો. કર્મચારીઓને ઇમાનદારી, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા. આ અવસરે, કંપનીમાં પાંચ વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. તેમને સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા, જેનાથી કર્મચારીઓમાં ઉત્સાહ અને કંપની પ્રત્યેની નિષ્ઠામાં વધારો થયો. કાર્યક્રમનું સમાપન દેશભક્તિ ગીતો અને મીઠાઈ વિતરણ સાથે થયું. ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ લીધો. નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ ઉજવણી રાષ્ટ્રીય ભાવના અને કર્મચારી સન્માનનું પ્રતીક બની રહી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 12:00 pm

સાળંગપુર મંદિરે હનુમાનજી દાદાને તિરંગા શણગાર કરાયો:પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો

૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાનજી દાદાને તિરંગા થી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં હનુમાનજી દાદાના સિંહાસન પર તિરંગો સ્થાપિત કરીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર દેશપ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે ઉમટી પડી હનુમાનજી દાદાના દિવ્ય તિરંગા શણગારના દર્શનનો લાભ લીધો હતો. ભક્તોમાં આ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આમ, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશભક્તિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:57 am

ભરૂચમાં મુન્શી વિદ્યાધામ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી:ઇલ્યાસ દશાનવાલાએ ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી

ભરૂચ સ્થિત મુન્શી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધોરણ–8ના વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ પરેડથી થઈ હતી. ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં છેલ્લા ત્રણ દાયકાથી કેમ્પસમાં કેન્ટીન સેવા આપતા ઇલ્યાસ દશાનવાલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સીઈઓ, કેમ્પસ એડમિન, વિવિધ સંસ્થાઓના વડાઓ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ઇલ્યાસ દશાનવાલાએ પોતાના સંબોધનમાં દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર, સંસ્કારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સભ્યોને કેક વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:55 am

ગોધરા શરદ શાહ સંકુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખે ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ આપી

પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત આ સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શાળાઓમાં બ્રાઇટમેટ ઇન્સ્ટિટયૂટ, એમ. એન્ડ એમ. મહેતા હાઇસ્કુલ, રોટરી ઇંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલ, અનાજ મહાજન હાઇસ્કુલ અને ન્યૂ ઈરા હાઇસ્કુલનો સમાવેશ થાય છે. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાત વલી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશકુમાર શાહ, વિવિધ શાળાઓના આચાર્યો અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મહાનુભાવોએ બંધારણના મહત્વ પર ઉદબોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર પરિસરમાં 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત, ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:54 am

ભાજપે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી:પ્રદેશ અધ્યક્ષ પંચાલે કર્યું ધ્વજારોહણ, કહ્યું- આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય ઐતિહાસિક

ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જગદીશ પંચાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિના નારા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ભારત આજે વિકાસના નવા શિખરો સ્પર્શી રહ્યું છે અને વિશ્વ આજે ભારતને સન્માનની નજરે જોઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશના 140 કરોડ નાગરિકો એકજૂટ બની આગળ વધી રહ્યા છે. જગદીશ પંચાલે સ્ટાર્ટઅપ, લઘુઉદ્યોગ, શિક્ષણ અને ‘લખપતિ દીદી’ જેવી યોજનાઓ દ્વારા દેશના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે તેમણે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય ઐતિહાસિક હોવાનું કહીને તેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. અંતે પ્રદેશ અધ્યક્ષે તમામ કાર્યકરો અને નાગરિકોને 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:53 am

સજનપર શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો:પ્રજાસત્તાક પર્વ પૂર્વે વિવિધ કૃતિઓથી વાલીઓ પ્રભાવિત થયા

ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને જોઈને વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પ્રભાવિત થયા હતા. સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પીએમસી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ પર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ આપ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા, રાજસ્થાની નૃત્ય, ગરબા સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે છેલ્લા વર્ષ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિત સૌ લોકોએ પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:50 am

મોરબીમાં મણિમંદિર, નહેરુગેટ પર તિરંગા રોશની:ભવ્ય રોશની દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર

મોરબીમાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક મણિમંદિર અને નહેરુગેટ સહિતના સ્થળોને તિરંગા રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ શણગાર શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મચ્છુ નદીના કાંઠે આવેલા મણિમંદિરને કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય ધ્વજના રંગોનું પ્રતિક હતું. આ ઉપરાંત, નહેરુગેટ અને અન્ય સરકારી તેમજ ઐતિહાસિક ઇમારતોને પણ રોશનીથી સજાવવામાં આવી હતી. આ ભવ્ય રોશની દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:42 am

વલસાડમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:ઉમરગામ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, દેશભક્તિનો માહોલ સર્જાયો

વલસાડ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યે ઉમરગામ તાલુકાના સર્કિટ હાઉસ નજીક આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર તથા ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગાન ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી નરેશ પટેલે પ્રજાને સંબોધન કર્યું હતું. તેમણે પ્રજાસત્તાક દિવસની ઐતિહાસિક મહત્તા અને બંધારણના મૂલ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓને ઈનામ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની મનોહર રજૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જિલ્લાના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ ઉમરગામના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:39 am

વલસાડમાં 77મા ગણતંત્ર પર્વની ઉજવણી:પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ ધ્વજવંદન કર્યું, દેશવાસીઓને પર્વની શુભેચ્છાઓ પાઠવી

વલસાડમાં 77મા ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડના કમલમ ખાતે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સોનલબેન સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દેશવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પર્વના મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં સનાતન ધર્મના પવિત્ર તહેવારો મનાવવામાં આવે છે, તેટલું જ પવિત્ર મહત્વ ગણતંત્ર પર્વનું પણ છે. સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, નવી પેઢી પણ ગણતંત્ર પર્વના આ પર્વને હૃદયથી અનુભવે અને દેશભક્તિની લાગણી સાથે વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરવા તૈયાર થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આપણે સૌએ સંગઠિત થઈને આ વિકાસના પ્રવાહમાં જોડાવવું જોઈએ. તેમણે તમામ નાગરિકોને દેશ માટે નાનામાં નાનું કર્તવ્ય નિભાવવામાં પણ ચૂકવું ન જોઈએ તેવી અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:35 am

ભાવનગર બી.એમ.કોમર્સ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:પૂર્વ ઓ.એસ. દિલીપભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા

ભાવનગરની બી.એમ.કોમર્સ હાઈસ્કૂલમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પૂર્વ ઓ.એસ. દિલીપભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના એન.સી.સી. અને એસ.પી.સી. કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજી તિરંગાને સલામી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ફ્યુઝન, દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, પૂર્વ આચાર્ય, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:25 am

ભાવનગર કોર્ટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

આજરોજ ભાવનગર કોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભાવનગર શહેરમાં પણ 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સરકારી કચેરીઓથી લઈને રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ રાષ્ટ્રીય પર્વ મનાવાયું હતું. શહેરમાં નગરપાલિકાઓ, કોર્ટ સંકુલ, રાજકીય પક્ષોના કાર્યાલયો, સામાજિક સંસ્થાઓ, રેલવે તંત્ર, શાળા-કોલેજો તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:24 am

બોટાદ GAB દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી:PGVCL વર્તુળ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

બોટાદમાં PGVCLની વર્તુળ કચેરી GAB દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં GABના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો ભાવ પ્રગટ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:17 am

મુળીમાં જિ.પંના સદસ્યના પુત્ર પર નિવૃત્ત પોલીસકર્મીનું ફાયરિંગ:નજીવી બાબતે બોલાચાલી થતાં પગમાં ગોળી ધરબી, હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારના ભાઈ નિવૃત્ત પોલીસ કર્મચારી હરિશચંદ્રસિંહ પરમાર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ફાયરિંગ કરી નાશી છૂટેલા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 11:15 am

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી:બંધારણે આપેલા અધિકારો જોખમમાં હોવાનો આક્ષેપ કર્યો, કાર્યકર્તાઓએ લોકશાહી બચાવવાની લડાઈ લડવા સંકલ્પ લીધો

ગુજરાત કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સેવાદળના કાર્યકર્તાઓ અને મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાજપ નાગરિકોની અધિકાર છીનવી રહ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકશાહીની રક્ષા કરવા માટે સંકલ્પ લીધો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે દેશ આઝાદ થયા બાદ બંધારણે નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારો આજે જોખમમાં મુકાઈ રહ્યા છે. ભાજપ સરકાર નાગરિકોના અધિકારો છીનવી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકશાહી બચાવવા માટે સંકલ્પ લીધો છે. બંધારણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના અધિકાર આપ્યાપ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરી 1950ના દિવસે ખરા અર્થમાં દેશના બંધારણનો સ્વીકાર કરી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયના સિદ્ધાંતોને સાથે આગળ વધવાના માર્ગ પર ભારત દેશે શરૂઆત કરી હતી. મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નહેરુ, સરદાર સાહેબ, મૌલાના આઝાદ, બાબાસાહેબ આંબેડકર બધાએ સાથે મળીને સ્વપ્ન જોયું હતું. બંધારણે આપણને જે ત્રણ મહત્વપૂર્ણ અધિકાર આપ્યા છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. વિવિધતામાં એકતાનો આ ભારત દેશના અનેક લોકોએ આ મૂલ્યોને સાચવવા માટે સંઘર્ષ અને બલિદાન આપી તેને જાળવી રાખ્યું. પરંતુ અત્યારે જે રીતે દેશમાં લોકશાહી મૂલ્યોનું હનન થઈ રહ્યું છે. દેશના લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે. તમામ સત્તા અને સંપત્તિનો કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. સામાન્ય લોકો આજે પોતાનો બંધારણીય અધિકાર જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ‘ખેડૂતો આર્થિક રીતે પરેશાન છે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પરેશાન છે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે, શિક્ષણ, આરોગ્યની સેવાઓ મોંઘી થવાને કારણે સામાન્ય લોકો માટે તે સ્વપ્ન બની રહે છે. જે સમાનતાનો અધિકાર હતો તે છીનવાઈ રહ્યો છે. વિવિધતામાં એકતાની જે ભાવના હતી તે અત્યારે બદલાઈ રહી છે. ત્યારે એવા સમયમાં બંધારણે આપેલો મતનો અધિકાર પણ ભાજપના શાસનમાં લોકોનો છીનવાઈ રહ્યો છે. લોકોના મતના અધિકાર પર પણ તરાપ મારવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીની સાથે સાથે અમે સૌએ સંકલ્પ લીધો છે કે, લોકશાહી બચાવવાની જવાબદારી પણ અમારી છે, લોકોના સંવિધાનિક અધિકારો બચાવવાની પણ જવાબદારી અમારી છે. જેથી સૌને સાથે રાખીને લોકશાહી બચાવવાની લડાઈ લડીશું. ગુજરાત અને દેશના લોકોના બંધારણીય અધિકાર માટે લડાઈ લડીશું. સામાજિક ન્યાય માટે લડાઈ લડીશું. તેમજ બંધુતા ની ભાવના સાથે દેશની લોકશાહીની રક્ષા થાય તે માટે અમે સૌએ સંકલ્પ લીધો છે. અમે ઊભા રહીને સખત લડાઈ લડીશું: મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી કર્યા બાદ અમે સૌ લોકોએ સંકલ્પ કર્યો છે કે 1950માં ભારતનો સંવિધાન લાગુ થયું હતું. તેમાં જે પરિકલ્પના કરવામાં આવી છે જે મૂળ ઉદ્દેશ્યોને લઈને દેશને આગળ વધારવાનો છે એ તમામ મૂલ્યો સામે આજે પડકાર ઊભો થયો છે. તેમાં સામે અમે ઊભા રહીને સખત લડાઈ લડીશું. જે પ્રકારનું ભારત ભારતીય સંવિધાનમાં છે તેવા ભારતને બનાવવા માટે અમે અમારો પૂરતો પ્રયાસ કરીશું. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાને લઈને વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. જલ્દી તેને લઈને નિર્ણય કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 10:58 am

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી:મહિલા પોલીસ અને શ્વાન દળની આકર્ષક પરેડ, 2026નું લક્ષ્ય 'નો ડ્રગ્સ' અભિયાન અને સાયબર ક્રાઈમ પર લગામ

આજે 26મી જાન્યુઆરીના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ અને શ્વાન દળની આકર્ષક પરેડઆ વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ મહિલા સશક્તિકરણનું રહ્યું હતું. પોલીસ વિભાગની મહિલા ટુકડીઓએ અદભૂત કદમતાલ મિલાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષામાં મહત્ત્વનો ફાળો આપતા ડોગ સ્ક્વોડના તમામ શ્વાનોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. શિસ્તબદ્ધ રીતે કરવામાં આવેલી આ પરેડ જોઈ ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા. સુરતની 90 લાખની જનતા માટે પોલીસની કટિબદ્ધતાપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં સુરતને 'મિનિ ભારત' ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે 90 લાખની વસ્તી ધરાવતું આ શહેર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. સુરત પોલીસની વિશેષતા એ છે કે અહીંના જવાનો તમામ ભાષાઓમાં વાતચીત કરી શકે છે, જે બહારથી આવીને વસેલા લોકો માટે આશીર્વાદરૂપ છે. તેમણે સુરત પોલીસની કામગીરીને બિરદાવી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. 2026નું લક્ષ્ય: 'નો ડ્રગ્સ' અભિયાન અને સાયબર ક્રાઈમ પર લગામસુરતને ગુનામુક્ત બનાવવા માટે કમિશનરે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષ 2026માં 'નો ડ્રગ્સ' અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે. યુવાધનને બચાવવા માટે નશાના કારોબારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ સાથે જ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક નિયમન જેવી જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે પણ આધુનિક ટેકનોલોજી અને જનભાગીદારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર મિલકતો પર હથોડો અને જનતાનો સહયોગપોલીસ કમિશનરે ગુનેગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ જાળવવા માટે ગેરકાયદેસર પ્રોપર્ટી ડિમોલિશ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે. લોકોની સુવિધા માટે ખાસ 'હેલ્પડેસ્ક' બનાવવામાં આવ્યું છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, સુરત પોલીસની તમામ કામગીરીમાં જનતાનો સહયોગ અનિવાર્ય છે અને લોકોના સહકારથી જ સુરતને વધુ સુરક્ષિત અને વિકસિત બનાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 10:30 am

શાહીબાગમાં ગણતંત્ર દિવસની ઉજવણી:પોલીસ કમિશનર જી. એસ. મલિકે ધ્વજવંદન કર્યું, ઉત્તમ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું સન્માન

પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, શાહીબાગ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન ફરજ પ્રત્યે ઉત્તમ કામગીરી કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 12 ટીમો દ્વારા પરેડ કમાન્ડરના નેતૃત્વ હેઠળ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. યુરોપિયન સંસ્થા ‘નંબિયો’એ અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યુંઃ CPઆ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રજાસત્તાક દિવસ નિમિતે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આજે ભારતનો પ્રજાસત્તાક દિવસ છે. આ નિમિતે હું સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સ્વતંત્રતા સેનાનીઓએ અનેક બલિદાન આપી સંવિધાનનું નિર્માણ કર્યું છે, જેના કારણે આજે આપણું લોકશાહી તંત્ર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ તમામ ઘડવૈયાઓને આપણે યાદ કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં યુરોપિયન સંસ્થા ‘નંબિયો’ (Numbeo) દ્વારા અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જે અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરીનો પુરાવો છે. અમદાવાદ પોલીસની કામગીરી મામલે સંતોષ વ્યક્ત કર્યોપોલીસ કમિશનરે જણાવ્યું કે, આ સિદ્ધિમાં માત્ર પોલીસ નહીં, પરંતુ જનસહભાગિતાનો પણ મહત્વનો ફાળો છે. શહેરમાં લોકભાગીદારી દ્વારા 24 હજારથી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 3 હજારથી વધુ સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે તેમજ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 4 હજાર સીસીટીવી કાર્યરત છે, જે શહેરની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિત તમામ પોલીસ શાખાઓ સુવ્યવસ્થિત રીતે પોતાની ફરજ નિભાવી રહી છે. અમદાવાદ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 10:10 am

બસ ટ્રકમાં ઘૂસી, ડ્રાઇવર નશામાં હોવાની આશંકા:સેલવાસથી વડોદરા જતી જાનૈયા ભરેલી બસનો કિમ પાસે અકસ્માત, 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત, 10થી વધુને સુરત સિવિલમાં દાખલ

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસથી લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે પરત ફરી રહેલી એક ખાનગી બસને સુરત જિલ્લાના કિમ નજીક અકસ્માત નડ્યો હતો. જાનૈયાઓ ભરેલી બસ ટ્રકમાં ઘુસાડી દીધી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે 30થી 35 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે. બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈમળતી માહિતી મુજબ, વડોદરાથી એક પરિવાર અને સંબંધીઓ ખાનગી બસ ભાડે કરીને સેલવાસ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પતાવીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા, ત્યારે કિમ ગામની આસપાસ બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે બાળકોથી લઈને વૃદ્ધોમાં બુમાબૂમ થઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફર જયેશભાઈ સનાભાઈના જણાવ્યા અનુસાર, અકસ્માત રાત્રે આશરે 12:30થી 1:00 વાગ્યાની વચ્ચે થયો હતો. તેમણે જણાવ્યું કે, અમે સેલવાસથી લગ્ન પતાવીને બરોડા જઈ રહ્યા હતા. ડ્રાઈવરે કોઈ નશો કર્યો હતો કે નહીં તે ખબર નથી. પરંતુ તેણે ટ્રકની પાછળ બસ ઘુસાડી દીધી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરોને ઈજાઓ થઈ અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મોટાભાગના મુસાફરોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુસાફરોની માંગ છે કે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે વડોદરા શિફ્ટ કરવામાં આવે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરીઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ડ્રાઈવરની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 9:47 am

ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ જૂથમાં આવેલી ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ અને વરૂણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર ગઢા ગામ ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 9:34 am

રાજકોટમાં આગની વધુ એક ઘટના:થોરાળા પોલીસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા 16-17ઝૂંપડાઓ બળીને ખાખ, સ્થાનિકો દ્વારા હોબાળો છતાં ફાયર વિભાગે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની લપેટમાં આવતા આશરે 16-17 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી હતી. અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી દેવાયો હતો. જોકે ફાયર વિભાગે ગણતરીનાં સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો છે. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત વિગત મુજબ, થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના ઝૂંપડાઓને પોતાની લપેટમાં લેવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી ગઈ હતી અને 5 ફાયર ફાઈટર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દ્વારા અચાનક હોબાળો શરૂ કરી દેવામાં આવતા ફાયર ફાઈટરો માટે કામગીરી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. પરિસ્થિતિ તંગ હોવા છતાં, ફાયર વિભાગના કર્મચારીઓએ અદભૂત સમયસૂચકતા અને ધીરજ દાખવી હતી. ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી આગ પર મહદઅંશે કાબુ મેળવી લીધો હતો. જો ફાયર વિભાગે ત્વરિત કામગીરી ન કરી હોત તો આ આગ હજુ પણ વધુ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ શકે તેમ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ દુર્ઘટનામાં અનેક ગરીબ પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો હોવાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ફાયર વિભાગના અધિકારી પરેશ ચુડાસમાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે 26 જાન્યુઆરી હોવાથી સવારે અમારી ટીમ પરેડમાં હતી. ત્યારે 8:11 વાગ્યે થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ઝૂપડપટ્ટીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને એક બાદ એક 5 ફાયર ફાઈટરો સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ઝૂપડા બળતા હોવાથી સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. આમ છતાં તેમના આ વિરોધ વચ્ચે અમારી ટીમોએ પાણીનો મારો ચલાવી કામગીરી કરી હતી. હાલ ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને પતરા હટાવવા માટેની કામગીરી ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 9:26 am

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં 'અસલી વિલન' કોણ? ટ્રમ્પના જ સાંસદે ઘરના ભેદુઓના નામ ખોલ્યા

US Senator Ted Cruz Audio Leaked: ભારત અને અમેરિકા વચ્ચે એક સમયે અત્યંત નજીક મનાતી વ્યાપારિક સમજૂતી (Trade Deal) છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી છે. હાલમાં જ લીક થયેલા એક ઓડિયો ટેપમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે આ ડીલમાં વિલંબ માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના જ બે મહત્વના હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટસ્ફોટથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વળાંક આવવાની શક્યતા છે. નવારો અને જેડી વેન્સ 'અસલી વિલન'? એક્સિયોસના અહેવાલ મુજબ, સેનેટર ટેડ ક્રૂઝે કેટલાક પાર્ટી ડોનર્સ સાથેની વાતચીત દરમિયાન સ્વીકાર્યું હતું કે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ ભારત સાથેના આ સમજૂતીને પટાંગણે ચડાવવામાં મુખ્ય અવરોધરૂપ છે.

ગુજરાત સમાચાર 26 Jan 2026 9:14 am

પાર્થ ઓઝાના દેશભક્તિના ગીતોથી સોમનાથ ગુંજી ઉઠ્યું:પ્રજાસત્તાક પર્વ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો

ગીર-સોમનાથ જિલ્લાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક પાર્થ ઓઝાએ દેશભક્તિના ગીતો અને લોકસંસ્કૃતિ આધારિત સંગીત રજૂ કર્યું હતું. ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ અને ‘એ વતન’ જેવા દેશપ્રેમભર્યા ગીતોના સુરોએ ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકો દેશભક્તિના ભાવમાં ઝૂમતા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં ધ્વજના રંગો અને દીપશિખાઓની ઝગમગાહટ સાથે આધ્યાત્મિક શાંતિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. શિવભક્તિની સાથે દેશભક્તિનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત જિલ્લા વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ ઓઝાના સૂરિલા અવાજે દેશભક્તિના સુર રેલાવી સમગ્ર પરિસરને મંત્રમુગ્ધ કરી દીધું હતું. શિવની ભૂમિ પર દેશપ્રેમની અલખ જગાવતી આ સાંસ્કૃતિક સંધ્યા સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ તરીકે નોંધાઈ હતી. આ સુમેળ પ્રજાસત્તાક પર્વના એકતા, અખંડતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવતો જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 8:04 am

'સરકાર બજેટમાં ટેકો આપે, સુરત ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે':ઉદ્યોગપતિઓએ બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ લાવવા કરી માગ, લેબગ્રોનની રાહત ચાલુ રાખશે તો જ ગ્રોથ થશે

1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે દેશવાસીઓ સાથે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ આ વર્ષે બજેટથી વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે હીરા બજાર વૈશ્વિક મંદીના ઓથાર હેઠળ દબાયેલું છે, જેને ફરી પાછુ ઊભુ કરવા અને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે સુરતી ઉદ્યોગપતિઓએ સરકારને અમુક નીતિગત ફેરફારો સૂચવ્યા છે. જો આ ફેરફાર અમલમાં લાવવામાં આવે તો સુરતનું ડાયમંડ માર્કેટ પણ બેલ્જિયમની માફક હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે નેચરલ ડાયમંડ એસોસિએશનના સભ્ય રાજુ ડાયાણીએ જણાવ્યું હતું કે, અમારો હીરા ઉદ્યોગ અત્યારે અત્યંત સખત મંદીનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમારી મુખ્ય અપેક્ષા છે કે, સરકાર તરફથી થોડી રાહત અને મદદ મળે, જેથી ઉદ્યોગને થોડી શ્વાસ લેવાની તક મળે. આગામી 2026ના કેન્દ્રીય બજેટમાં અમને આશા છે કે નેચરલ ડાયમંડ સેક્ટર માટે કેટલીક રાહતો જાહેર કરવામાં આવે, જેથી રોજગારી અને ધંધો થોડો-થોડો આગળ વધી શકે. અત્યારે નેચરલ ડાયમંડમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને ઉદ્યોગ ખરેખર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે અને તેનો વિકાસ ફરી શરૂ થઈ શકે. ટ્રેડિંગ હબ બનવા માટે ટેક્સ પ્રણાલીમાં સરળીકરણની માંગસુરતના હીરા ઉદ્યોગના એક્સપર્ટ્સનું એવું માનવું છે કે, ભારત હીરાના કટિંગ એન્ડ પોલિશિંગમાં વિશ્વમાં અગ્રેસર છે પરંતુ, ટ્રેડિંગમાં હજુ પાછળ છે. હાલમાં ભારતમાં 4 ટકા'સેફ હાર્બર ટેક્સ' હોવાને કારણે વિદેશી ખોદકામ કંપનીઓ સીધા ભારતમાં રફ હીરા વેચવા આવતી નથી. ઉદ્યોગપતિઓની માંગ છે કે, જો બેલ્જિયમ જેવી સરળ ટેક્સ સિસ્ટમ અપનાવવામાં આવે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં રફ હીરાના વેચાણ માટે સરળીકરણ કરવામાં આવે તો ભારત વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. આ પગલાથી મધ્યસ્થીઓ દૂર થશે અને સીધો ફાયદો સ્થાનિક ઉદ્યોગને મળશે. બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ અપનાવે તો વિશ્વનું સૌથી મોટુ ટ્રેડિંગ હબ બની શકીએઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ આ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, 2026ના કેન્દ્રીય બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે ઉદ્યોગમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. તેમણે ઉમેર્યું કે, વિદેશી ખાણકામ કંપનીઓને ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સરળતાથી રફ હીરા વેચવાની સુવિધા મળે તે માટે પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં 4 ટકા સેફ હાર્બર ટેક્સને કારણે વિદેશી ખાણિયાઓ અહીં રફ વેચવા માટે આવતા નથી અને ઉદ્યોગને તેનો લાભ મળતો નથી. જો આ ટેક્સ હટાવીને બેલ્જિયમ જેવી સિસ્ટમ અપનાવવામાં આવે – જ્યાં રફ હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે – તો ભારત માત્ર કટ એન્ડ પોલિશિંગનું જ નહીં, પરંતુ રફ હીરાના ટ્રેડિંગનું પણ વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. ઉદ્યોગના લોકોની મુખ્ય અપેક્ષા છે કે સરકાર આ દિશામાં ઝડપી સહયોગ આપે, જેથી વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં થોડી રાહત મળી શકે અને નિકાસ વધારી શકાય. SEZ એકમોને ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવેશની છૂટ અને ડ્યુટી ડ્રોબેકની આશાવૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકામાં વધતા ટેરિફ અને વેપાર અવરોધોને કારણે SEZમાં કાર્યરત અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા છે. જે એકમો અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત હતા, તેઓ હવે ડોમેસ્ટિક માર્કેટમાં પોતાનો માલ વેચવાની છૂટ મેળવવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. આ સાથે ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની માંગ પણ તેજ થઈ છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે ઘણા એક્સપોર્ટ ઓર્ડર્સ રદ થઈ રહ્યા છે અને સ્પર્ધાત્મક ભાવે વેચાણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, જો સરકાર ડોમેસ્ટિક ટેરિફરી વેચાણની મંજૂરી અને જ્વેલરી સેક્ટરને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપે તો રદ થતા ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારો (જેમ કે મધ્ય પૂર્વ, યુરોપ અને આફ્રિકા)માં એક્સપોર્ટ વધારી શકાય. SEZ એકમોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને આ બંને મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાની અપીલ કરી છે. આ સુવિધા મળે તો નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાયGJEPC ગુજરાત રીજનલના ચેરમેન જયંતી સાવલિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અપેક્ષાઓમાં સૌથી મોટી માંગ ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી પર ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની છે, જે હાલમાં ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે, આ સુવિધા મળે તો સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે કેન્સલ થતા એક્સપોર્ટ ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાય. આ ઉપરાંત, SEZમાં કાર્યરત એકમો – જે અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત છે, તેમને ડોમેસ્ટિક માર્કેટમાં માલ વેચવાની પરવાનગી મળવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઉચ્ચ ટેરિફને કારણે અમેરિકા પર નિર્ભર કંપનીઓને ભારે તકલીફ પડી છે. તેમના સ્ટોકને બીજા દેશોમાં વેચવું સરળ નથી, જેથી ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણની મંજૂરી મળે તો આ એકમોને મોટી રાહત મળી શકે છે. તેમણે સરકારને અપીલ કરી કે આ બંને મુદ્દાઓ પર ઝડપી અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે, જેથી ઉદ્યોગની વર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય અને નિકાસ વધારી શકાય. રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના કારણે વિદેશી હૂંડિયામણમાં બચત સુરતમાં ઝડપથી ઉભરી રહેલા લેબગ્રોન ડાયમંડ (LGD) સેક્ટરે હવે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ પ્રોત્સાહનની માંગ મજબૂત કરી છે. જે રીતે ટેક્સટાઇલ સેક્ટરને વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એવી જ રાહત અને પ્રોત્સાહન LGD ઉદ્યોગને પણ મળવી જોઈએ. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડના સીડ્સ પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂર્ણ થઈ રહી છે, જેને લંબાવવાની માંગ ઉદ્યોગ દ્વારા ભારપૂર્વક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભારત હવે પોતે રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરી રહ્યું છે, જેનાથી વિદેશી હૂંડિયામણમાં બચત થઈ રહી છે. આ બચતના બદલામાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના નિકાસ પર વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ તથા અન્ય પ્રોત્સાહનો આપવાની અપેક્ષા ઉદ્યોગ રાખી રહ્યો છે. આ મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાથી સુરતના LGD સેક્ટરને વધુ મજબૂતી મળી શકે છે અને નિકાસ વધારવામાં મદદ મળી શકે છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છેલેબગ્રોન ડાયમંડ એસોસિએશનના સભ્ય અજય ડોબરિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, આજે લેબગ્રોન ડાયમંડ સુરતના હીરા ઉદ્યોગમાં એક નવો ઉભરતો અને મહત્વનો સેક્ટર બની ગયો છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છે. ખાસ કરીને રફ (રો મટિરિયલ)નું ઉત્પાદન હવે મોટા ભાગે સુરતમાં જ થઈ રહ્યું છે, જે અગાઉ નેચરલ ડાયમંડના કિસ્સામાં વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું અને તે માટે વિદેશી હૂંડિયામણ બહાર મોકલવી પડતી હતી. હવે આપણે પોતે રફ ગ્રો કરીએ છીએ, જેનાથી વિદેશી ચલણની બચત થાય છે. આ સામે જ્યારે આપણે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે તેની સામે વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ મળવા જોઈએ. ઉદ્યોગની આ મુખ્ય અપેક્ષા છે કે, સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લેશે. 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ તેનો વિકાસ થઈ રહ્યો છેલેબગ્રોન ડાયમંડ વેપારી દિલીશ પીકડિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, મારી મુખ્ય આશા છે કે લેબગ્રોન ડાયમંડના સીડ્સ (રફ) પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂરી થઈ રહી છે, તેને રિન્યુ કરવામાં આવે. આ રાહત ચાલુ રહે તો ઉદ્યોગને મોટી રાહત મળશે. બીજું, જે રીતે કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને સરકાર તરફથી વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એ જ પ્રકારના પ્રોત્સાહન અને પેકેજ ડાયમંડ ઉદ્યોગને પણ આપવામાં આવે. છેલ્લા 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ આ ઉદ્યોગ ટકી રહ્યો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે. જો સરકાર આવા પગલાં લેશે તો ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપથી થઈ શકશે અને સ્પર્ધાત્મકતા પણ વધશે. બજેટમાં ટેકો મળશે તો લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહેશેનેચરલ ડાયમંડ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને વધતા ખર્ચને કારણે રત્નકલાકારો અને નાના ઉદ્યોગ સાહસિકોની રોજગારી પર જોખમ ઉભું થયું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ સરકાર પાસે આર્થિક મદદ અને રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી હીરા બજારની ગાડી ફરી પાટા પર ચડી શકે. જો બજેટમાં યોગ્ય ટેકો મળશે, તો જ લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહી શકશે અને બજારમાં ફરી રોનક આવશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 7:00 am

ભાવનગર અને પ્રજાસત્તાક પર્વ:સમર્પણ, સંસ્કાર અને લોકશાહીની જનની એટલે ભાવનગર

ભારતના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. પરંતુ, ભારતને એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાની જે પ્રક્રિયા હતી, તેનું સૌથી પહેલું અને પવિત્ર બીજ ગુજરાતના ભાવનગરની ધરતી પર રોપાયું હતું. ભાવનગર માત્ર એક શહેર નથી, પણ લોકશાહીના ઇતિહાસનું એક જીવંત પ્રતીક છે. • ત્યાગની પરાકાષ્ઠા:મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું પ્રદાનભારતના પ્રજાસત્તાક માળખાના પાયામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, પરંતુ અખંડ ભારતનું સ્વપ્ન હજુ અધૂરું હતું. •​ પ્રથમ આહુતિ:મહારાજાએ ભાવનગરનું રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં ધરી દીધું. તેઓ ભારતભરના ૫૬૨ રજવાડાઓમાંથી પ્રથમ એવા રાજા હતા જેમણે લોકશાહીના માનમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું. •​નિઃસ્વાર્થ નિર્ણય:જ્યારે સરદાર પટેલે તેમને પૂછ્યું કે તમે શું શરતો રાખશો? ત્યારે મહારાજાએ નમ્રતાથી કહ્યું હતું કે, પ્રજાનું હિત એ જ મારો સંકલ્પ છે. આ ઘટનાએ આખા દેશના રજવાડાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું, જેના વગર ભારતના બંધારણનો અમલ અને અમલીકરણ અશક્ય હતું. • ભાવનગરનું બંધારણીય કનેક્શન:પ્રજાસત્તાક દિવસે આપણે જે બંધારણને માન આપીએ છીએ, તે બંધારણના નિર્માણમાં પણ ભાવનગરનો ફાળો છે. ​શામળદાસ કોલેજ: મહાત્મા ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અહીંથી મળેલી લોકશાહી અને ન્યાયની પ્રેરણાએ ભારતના આઝાદીના આંદોલનને દિશા આપી. ​શહેરના વિચારો હંમેશા પ્રગતિશીલ અને રાષ્ટ્રવાદી રહ્યા છે. •​ મોતીબાગ અને નિલમબાગ:ભાવનગરના ઐતિહાસિક મહેલો અને બગીચાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. લોકો ગર્વથી 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી અમર રહો' અને ભારત માતા કી જય' ના નારા લગાવે છે. •​ ગંગાજળિયા તળાવ અને આધુનિક ભાવનગર:પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જે ભાવનગરની કલા અને દેશભક્તિનું સંગમ દર્શાવે છે. • ​વીર શહીદોને અંજલિ:ભાવનગરના અનેક યુવાનો આજે પણ ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસે આ શહીદોના પરિવારોનું સન્માન કરી શહેર પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. • ભાવનગરની લોકશાહી પરંપરા:ભાવનગર હંમેશા 'સંસ્કાર નગરી' તરીકે ઓળખાય છે. પ્રજાસત્તાક દિવસ અહીં માત્ર સરકારી રજા નથી, પણ એક ઉત્સવ છે. શાળાઓમાં થતા પ્રભાતફેરીના કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાવનગરની 'ગોહિલવાડ' સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ​જો ભાવનગરના મહારાજાએ પાયાનો પથ્થર બનીને પોતાનું રાજ્ય સમર્પિત ન કર્યું હોત, તો કદાચ ભારતના પ્રજાસત્તાક બનવાની પ્રક્રિયા વધુ જટિલ હોત. તેથી જ, દરેક 26 જાન્યુઆરીએ જ્યારે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાય છે, ત્યારે તેની એક લહેરખી ભાવનગરના એ મહાન રાજા અને અહીંની રાષ્ટ્રપ્રેમી જનતાના સન્માનમાં પણ લહેરાતી હોય છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:18 am

રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું:સંશોધન પદ્ધતિ એ ભારતીય પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાનો ભાગ : કુલપતિ

નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજ નગર અને જે.કે. સરવૈયા કોલેજના સંયુક્ત ઉપક્રમે રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંતરપ્રાન્યોરશિપ ફોર નેશનલ ડેવલોપમેન્ટ વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઇ જેમાં એમ.કે.બી. યુનિ.ના કુલપતિ પ્રો.ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ કે પ્રાચીન ભારતથી શિક્ષણ વ્યવસ્થામાં સંશોધનને મહત્વ આપવામાં આવતું હતું. આથી સંશોધન પદ્ધતિ એ મૂળભૂત આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ છે.નવી શિક્ષણ નીતિમાં પુન: આ સંશોધન પદ્ધતિ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આથી ભારતનું યુવાધન એ સમગ્ર વિશ્વ નું નેતૃત્વ કરશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન,નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંભાવનાઓને ઉજાગર કરવાનો તેમજ વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકોને નવી દિશા પ્રદાન કરવાનો હતો. એમ.કે.બી. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ વેસ્ટર્ન રિજીયોનલ કમિટિ એન.સી.ટી.ઈ.ના ચેરમેન પ્રો. (ડૉ.) શૈલેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે રિસર્ચ પદ્ધતિ એ વિકસિત ભારતને નવી દિશા આપશે અને યુવાનો બૌદ્ધિક રીતે સક્ષમ બનાવશે. આજના યુગમાં સંશોધન માત્ર શૈક્ષણિક પુરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ તે સમાજ અને ઉદ્યોગ સાથે જોડાય તે ખુબ જ આવશ્યક છે.આ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીન વિચારધારા અને આત્મનિર્ભરતા વિકસે તે હેતુ રાખવામાં આવ્યો છે. આ કોન્ફરન્સના સમાપન સત્ર દરમિયાન શ્રેષ્ઠ સંશોધન પેપર રજૂ કરનાર સંશોધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં યુવા ઉદ્યોગ અને સાહસિકતા, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ ઇન સ્ટાર્ટઅપ, વોકેશનલ એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ ઇન ઇન્ડિયા, ઈમ્પેક્ટ ઓફ ફાઈનાન્સિયલ ઇન્કલુઝન ઓન ઇકોનોમિક ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, બ્લોકચેઇન ટેકનોલોજી ફોર ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ જેવા વિવિધ વિષયના રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યા હતા. સંશોધનથી લઇ સ્ટાર્ટ અપની ચર્ચા કરાઇઆ કોન્ફરન્સ દરમિયાન વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંશોધન પદ્ધતિઓ, નવીન વિચારોના અમલીકરણ, સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ, અને આત્મનિર્ભરતાના પડકારો અને તકો જેવા વિષયો પર ચર્ચા થઇ. દેશભરના વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાંથી આવેલા વિદ્વાનો, સંશોધકો અને નિષ્ણાતો પોતાના સંશોધન પેપરો રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:16 am

વિસરાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરાઈ:રંડોળા ગામે જાડેરી જાન, ગ્રામ્ય સંસ્કૃતિને પુનઃજીવિત કરાઈ

પાલિતાણા તાલુકાના રંડોળા ગામના પાદરે ભારતીય સંસ્કૃતિ અને લોક-પરંપરાનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો જેની સાક્ષી બનવા માટે દેશના મહારથીઓ ઉતરી આવ્યા હતા. ગણધોળ ગામના ગૌરવ અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલાના પુત્ર આશિષના લગ્ન પ્રસંગે આધુનિકતાને બાજુ પર મૂકી, વિસરાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિને પુનઃજીવિત કરવામાં આવી હતી. ​આ ઐતિહાસિક લગ્ન પ્રસંગમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, મહેન્દ્રસિંહ સરવૈયા તથા ધારાસભ્યો અનેક મહાનુભાવોએ સહપરિવાર આ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ​ગૌમાતાના દૂધે ઉછરેલા આશિષે પોતાની જાનમાં ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય વારસાને પ્રાધાન્ય આપીને એક નવો રાહ ચીંધ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત નેતાગણે પણ આ પ્રેરણાદાયી પહેલના મુક્તકંઠે વખાણ કર્યા હતા. આમ ડીજેના ઘોંઘાટ વગર, લોકગીતો અને પરંપરાગત વાજિંત્રો સાથે નીકળેલી આ જાન આપણી આવનારી પેઢી માટે જીવંત પાઠશાળા સાબિત થઈ છે. આમ રંડોળાના આંગણે માત્ર લગ્ન નહીં, પણ ભારતીય સંસ્કૃતિનો મહોત્સવ ઉજવાયો હતો. ગ્રામ્ય સંસ્કૃતિને તાજી થયેલી. 30 શણગારેલા ગાડા અને અશ્વોનો દબદબોલક્ઝરી ગાડીઓના યુગમાં 30 જેટલા શણગારેલા ગાડાઓ અને હણહણતા ઘોડેસવારોની ફોજ જ્યારે રંડોળાની ધરા પર ઉતરી ત્યારે વાતાવરણમાં એક અનોખું ખમીર જોવા મળ્યું હતું. બળદોના ગળાના ઘૂઘરાનો રણકાર અને શરણાઈના સૂર વચ્ચે નીકળેલી આ જાન જોઈને ઉપસ્થિત મહાનુભાવો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:15 am

ચોરીનો મામલો આવ્યો સામે:તળાજાના વેળાવદર ગામે મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખની ચોરી

તળાજાના વેળાવદર ગામે રહેતા એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ મકાનમાં ઘુસી, કબાટમાં રહેલી રોકડ, સોના ચાંદીના ઘરેણાં સહિતની રૂા. 1.62 લાખની માલ મત્તાની તસ્કરી કરી ફરાર થઇ જતાં નાના એવા ગામમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા ખેડૂત ભોળાભાઇ ભાયાભાઇ જીજાળા તેમના પરિવારના સભ્યો મકાન બંધ કરીને સુરત ખાતે ગયા હતા. જેની ગેરહાજરીમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનમાં તસ્કરોએ ઘુસી કબાટના તાળા તોડી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. જે બાદ તસ્કરોએ કબાટમાં રહેલી રોકડ રૂા. 15,000, દિકરીઓ માટે રાખેલ પૈસાનો ગલ્લો જેમાં રૂા. 25,000ની રોકડ તેમજ સોના ચાંદીના જુદા જુદા ઘરેણાં મળી કુલ રૂા. 1.62 ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જવા પામ્યા હતા. ત્યારબાદ ઘરે પરત ફરેલા ખેડૂતને ચોરીની જાણ થતાં તળાજા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરી હતી. અને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ખેડુતે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:14 am

ઠગાઇ:ભાવનગરના શિપ બ્રેકર સાથે મેનેજર સહિત 4 શખ્સોની 25 લાખની ઠગાઇ

ભાવનગર શહેરના શિપ બ્રેકર સાથે તેની જ કંપનીના મેનેજર સહિત ચાર શખ્સોએ કોપરનો તોડ ઓછો બતાવી ઊંચી કિંમતે વેચાણ કરી, શિપ બ્રેકર સાથે અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાની ઠગાઇ આચરવાના મામલે મેનેજર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. શહેરના રૂપાણી સર્કલ, સરદારનગર રોડ ઉપર આવેલ આશિર્વાદ બંગ્લોમાં રહેતા અને અલંગ ખાતે પ્લોટ નં. 1 અને 2માં પ્રિયા બ્લુ શિપ બ્રેકીંગ કંપની ધરાવતા સંજયભાઇ પ્રતાપરાય મેહતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હકાભાઇ બચુભાઇ વાજા કોપરનો તોડ ઓછો બતાવી વેચાણ કરતા હોવાનું જણાઇ આવતા શિપ બ્રેકર દ્વારા રેકર્ડની ખાતરી કરવામાં આવી હતી. જે દરમિયાન તેમને મેનેજર હકા વાજા અને રૂવાબઅલી સુવાલે શેખ દ્વારા તેમની કંપનીમાં ક્રેઇન વજન 12.756 અને 9.56 ટન જે એક કિલોની કિ.રૂા. 52.5ના ભાવથી રૂા. 11,71,296માં મુન્નાભાઇ ભગવાનભાઇ દિહોરા ભાવનગર ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્ના દિહોરાએ તેની અલંગ આર્યન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂા. 105 ખરીદી રાકેશ રંજન વાળા હસ્તક રૂા. 165ના ભાવથી મુંબઇ ખાતેની કંપનીને વેચાણ કરી, શિપ બ્રેકર સંજય મેહતા સાથે અંદાજે 25 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. જે એકાદ માસમાં ચારેય શખ્સોએ કેબલમાં ખરેખર વજન પાંચ કિલોએ એક કિલો કોપર નિકળે તેના બદલે આઠ કિલો કેબલમાં એક કિલો કોપર દર્શાવી ઠગાઇ આચરતા મેનેજર હકા બચુભાઇ વાજા, રૂવાબઅલી સુવાલે શેખ, મુન્ના ભગવાનભાઇ દિહોરા, મુંબઇના રાકેશ રંજન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. જે મામલે PSI પી. ડી. ઝાલાએ હકા વાજા, રૂવાબઅલી શેખ અને મુન્ના દિહોરાની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:13 am

ખોડિયાર માતાના ભવ્ય પ્રાગટ્યોત્સવની થશે ઉજવણી:ખોડિયાર મંદિરે વર્ષમાં બપોરે એક વખત થતી આરતી 12 કલાકે કરાશે, 1 લાખ ભાવિકો ઉમટશે

ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર આવેલુ છે. એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે. તેને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાનો જન્મ મૂળ રોહીશાળામાં થયો હતો. એવું કહેવાય છે કે રાજપરામાં ખોડીયાર મંદિરમાં માતાજી હાજરાહજૂર બિરાજમાન છે. મહા સુદ આઠમના રોજ ખોડિયાર માતાનો પ્રાગટય દિવસ ઉજવાશે આ પ્રસંગે એક લાખ ભાવિકો ભાવીકો ઉમટી પડશે. તા.26 જાન્યુઆરીને સોમવારે મહા સુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્યોત્સવ હોય માતાજીના મંદિરે જન્મ જયંતિની ઉજવણી કરાશે. બપોરે 12 કલાકે ખોડિયાર રાજપરા માતાજીના મંદિરે વર્ષમાં એક જ વખત બપોર 12 કલાકે થતી વિશેષ આરતી કરવામાં આવશે. આ ઉપરાંત સવારે 5 કલાકે અને સાંજે 6.45 કલાકે માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે આરતી કરવામાં આવશે. માતાજીના મંદીરના શિખરે બાવનગજની ધજા ચડાવાશે. મહાપ્રસાદ સવારના મંગળા આરતી બાદ સાંજની સંધ્યા આરતી સુધી કરવામાં આવશે. માતાજીના સેવકો, યાત્રાળુઓ કેક લાવી માતાજીનો જન્મોત્સવ ઉજવશે. ભકતોને કેકનુ વિતરણ કરાશે. માતા ખોડિયારના પ્રાગટય અંગે અનેકવિધ લોકગાથાઓ પ્રચલિત છે તે પૈકીની એક રોચક ગાથા મુજબ હવે નવા થયેલા બોટાદ જિલ્લાના પાળિયાદ નજીકના રોહિ‌શાળા ગામમાં મામડીયા નામનો એક ચારણ રહેતો હતો. તેમના ઘરે ભગવાન ભોળાનાથના વરદાન બાદ મહા સુદ-આઠમના દિવસે સાત પુત્રી અને એક પુત્રનો જન્મ થયો. કન્યાના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઇ, હોલબાઇ, સાંસાઇ, જાનબાઇ (ખોડિયાર) અને ભાઇનું નામ મેરખિયો રાખવામાં આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:12 am

પ્રગતિશીલ ખેડૂત:અલ્ટ્રા હાઈડેન્સિટી પધ્ધતિથી બે હજાર આંબા કલમ વાવી, માત્ર 3 વર્ષમાં ઉતારો શરુ

વલસાડ જિલ્લાના ભીલાડ નજીક આવેલા બોરલાઇ ગામના ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ રણછોડભાઈ પટેલે તેમની બે એકર જમીન ઉપર કેસર આંબાની 2000 ડ્રાફ્ટેડ કલમનું વાવેતર કરી ત્રીજા વર્ષથી સંતોષજનક પાક લેવામાં સફળ રહ્યા છે. અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની ખેતીમાં તેમણે મેળવેલી સફળતા અંગે અને આંબાકલમની સાથે શાકભાજીની પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર કિરણભાઇ પટેલ પાસેથી જ જાણીએ. મારા પિતા જૂની પધ્ધતિથી ખેતી કરતા હતા. બાળપણથી જ મેં પણ મારા પિતાને ખેતી કરતા જોયા હતા જેમાં મહેનત વધુ અને ઉત્પાદન અને આવક ઘણી ઓછી રહેતી હતી. હવે હું આધુનિક પધ્ધતિની સાથે પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરીને સારી એવી આવક મેળવી રહ્યો છું. મારી બે એકરની જમીનમાં અંદાજે બે હજાર કેસર કેરીના ઝાડનું અલ્ટ્રા હાઈડેન્સિટી પધ્ધતિથી પ્લાન્ટેશન કરેલું છે. જે અગાઉ ખેડૂતો કેરીના ઝાડ રોપતા હતા એમાં બે ઝાડ વચ્ચે અંતર વધારે રહેતું હતું. એ ઝાડ મોટું થતા અને કેરીનો પાક લેતા વર્ષો નીકળી જતા હતા. અગાઉની કહેવત મુજબ આજે આંબાનું ઝાડ વાવ્યું છે તો તેના ફળ પૌત્ર ખાશે. હવે એ જમાનો રહ્યો નથી. અગાઉ 20થી 25 વર્ષ પછી પછી કેરીના ઝાડ પરિપક્વ થઇને તેના ઉપર પાક આવતો હતો. આજે નવી અલ્ટ્રા હાઈડેન્સિટી ટેકનોલોજી મુજબ માત્ર ત્રણ વર્ષની અંદર આંબા કલમના ઝાડ ઉપર કેરી આવતી શરૂ થઇ જાય છે અને કેરીની ગુણવત્તા પણ એક્સપોર્ટ કર્વાલિટીની ઉતરે છે. માત્ર ત્રણ ફૂટના આંતરે આંબાની કલમનું પ્લાન્ટેશન કરાતું હોય છે જેને લઇને ઓછી જમીનમાં વધુ ઝાડ રોપી શકાય છે. કેસરના કલમની સાથે આંતરપાક તરીકે વિવિધ શાકભાજી પણ ઉઘાડવામાં આવે છે જેથી કરીને નિયમિત આવક મળતી રહે છે. અગાઉ મોટા ઝાડો હતા અને તેની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. હવે એટલી જ જમીનમાં આંબા કલમની સંખ્યા વધુ છે અને કેરીનું ઉત્પાદન પણ બમણું થયું છે. આંબા કલમનું વાવેતર ત્રણ ફૂટ અંતરે કરવામાં આવે છેકિરણભાઈએ ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી ખેતી કરી આંબાની કલમ સાથે વિવિધ પ્રકારના શાકભાજીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી મરચા, ટામેટા, કોબી, રીંગણ જેવા શાકભાજીનો પાક લેવામાં સફળતા મેળવી છે. કિરણભાઈની શાકભાજીની વેપારીઓમાં માંગ છે અને વાપી શાકભાજી બજારમાં તેમની શાકભાજીની સારી માંગ છે. અલ્ટ્રા હાઈડેન્સિટી મેંગો પ્લાન્ટેશન સિસ્ટમ એ એક નવી ટેક્નોલોજી છે જેમાં આંબા કલમનું વાવેતર ત્રણ ફૂટ અંતરે કરવામાં આવે છે. આ ટેક્નોલોજીથી ઓછી જમીનમાં વધુ આંબાની ખેતી શક્ય બને છે અને માત્ર ત્રણ વર્ષની અંદર આવક આપતા થઈ જાય છે. કિરણભાઈ પટેલની સફળતાના મુખ્ય મુદ્દા:- અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની પ્રયોગાત્મક ખેતી- ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી ખેતી- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી- મરચા, ટામેટા, કોબી, રીંગણ જેવા શાકભાજીનો પાક- વાપી શાકભાજી બજારમાં સારી માંગ- સ્થાનિક ખેડૂતોને નવી દિશા આ પ્રગતિશીલ ખેડૂત કિરણભાઇ પટેલ પાસેથી વિગત જાણો : સંપર્ક 9925258300(યતિન ભંડારી સાથે થયેલી વાતચીતના આધારે)

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:12 am

ટ્રેનો અસરગ્રસ્ત થઈ:ભાવનગરથી પાલિતાણા, બોટાદ અને સુરેન્દ્રનગર ટ્રેન આજે રદ

ભાવનગર ટર્મિનસ યાર્ડમાં પિટ લાઇનના કાર્ય માટે લેવાયેલ બ્લોકની અવધિ વધારવામાં આવી છે, જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે અગાઉ 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેની અવધિ હવે વધારવામાં આવી છે. આ કારણે 26 અને 27 જાન્યુઆરી, સોમવાર અને મંગળવારે પણ કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે તેમ પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતુ. રદ કરવામાં આવનાર ટ્રેનો ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે.ભાવનગર–પાલિતાણા–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. ભાવનગર–પાલિતાણા–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએએ રદ રહેશે.ભાવનગર–બોટાદ પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે.બોટાદ–ભાવનગર પેસેન્જર 27 જાન્યુઆરીએ રદ રહેશે.ભાવનગર–બોટાદ–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. ધોળા–મહુવા પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. મહુવા–ધોળા પેસેન્જર 27 જાન્યુઆરીએ રદ રહેશે.ધોળા–ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ 26 જાન્યુઆરીએ રદ રહેશે.અસુવિધાથી બચવા માટે મુસાફરી પહેલા સંબંધિત સ્ટેશન અથવા રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી તાજી માહિતી મેળવી લે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:09 am

વીજકાપ:કાલે એરપોર્ટ રોડ, રૂવા ગામ સહિતના વિસ્તારોમાં વીજકાપ

શહેરમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા એરપોર્ટ રોડ અને શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી 27મી અને 28મી જાન્યુઆરી-2026ના બે દિવસે 11 કે.વી.ના અનિલ (આંશિક) અને જમનાકુંડ ફિડરોમાં બે દિવસ મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 સુધી સાત કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.27મી જાન્યુઆરી-2026 મંગળવારે 11 કે.વી. અનિલ (આંશિક) ફિડર નીચે આવતા એરપોર્ટ રોડ પરના રૂવાગામ, બાલાહનુમાન પાર્ક, માનસ શાંતિ-1 અને 2, માનસકીર્તિ બંગલો, માનસપ્રાઈમ-1 અને 2, આરાધના સોસાયટી, રામવાટીકા, લક્ષ્મીપાર્ક, નેચરલપાર્ક, ડી.બી.પાર્ક, ઓમપાર્ક તેમજ આજુબાજુનો વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં કામગીરી દરમિયાન વીજકાપ રહેશે. તેમજ તા.28મી જાન્યુઆરી-2026 બુધવારે 11 કે.વી. જમનાકુંડ ફિડર નીચે આવતા ટેકરી ચોક થી રૂવાપરી ચોક, જાફરીફ્લેટ, એહમદ નુર વસાઈવાલા હોસ્પિટલ, ઈબ્રાહીમ મસ્જીદ, એસ.બી.આઈ. ટ્રેઈનીંગ સેન્ટર, આંગણવાડી, શિશુવિહાર સર્કલ તથા આજુબાજુનો વિસ્તાર, વાલ્કેટગેટ સબસ્ટેશન તથા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં વીજકાપ રહેશે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:08 am

RTO દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઈ:શહેરમાં નિયમ વિરૂદ્ધ LED લાઇટ લગાવનાર 67 વાહનોને મેમા અપાયા

ભાવનગર જિલ્લા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના રસ્તાઓમાં ચાલતા વાહન ચાલકોની સેફ્ટીને લઇ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી, દંડ ફટકારી વાહન ચાલકોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. બે દિવસથી નિયમ વિરૂદ્ધ ફિટ કરાયેલી એલ.ઇ.ટી. લાઇટ લગાવી વાહનો ચલાવનારા ચાલકો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરી, 67 જેટલા વાહનો ચાલકોને મેમા ફટકારી, 67000 થી વધુનો દંડ ફટકારાયો હતો. ભાવનગર આર.ટી.ઓ. દ્વારા શહેરમાં સિદસર બાયપાસ રોડ તેમજ નારી ગામ નજીક રોડ સેફ્ટી માસ અંતર્ગત એક ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કેટલાક વાહન ચાલકો નિયમ વિરૂદ્ધ પોતાના વાહનોમાં એલ.ઇ.ટી. લાઇટ ફીટ કરી, રાત્રી દરમિયાન વાહનો પુરપાટ ઝડપે ચલાવે છે અને સામેના વાહન ચાલકોને એલ.ઇ.ડી. લાઇટથી અકસ્માત થવાની શક્યતા રહેલી છે. ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા બે દિવસ દરમિયાન ટ્રક, બસો તેમજ કાર, બાઇક ચાલકોને રોકવામાં આવ્યા હતા. અને નિયમ વિરૂદ્ધ એલ.ઇ.ડી. લાઇટ લગાવનારા વાહન ચાલકોને મેમા ફટકારાયા હતા. આ ચેકીંગ ડ્રાઇવમાં ભાવનગર આર.ટી.ઓ. દ્વારા 67 જેટલા વાહનોને મેમાફટકારી, અંદાજે 67,000થી વધુનો દંડ ફટકારી, રોડ સેફ્ટી અંગે વાહન ચાલકોને જાગ્રુત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:07 am

સિટી એન્કર:ઋતુચક્રનું શીર્ષાસન : આ વર્ષે તાપમાન 1.2 ડિગ્રી ઘટ્યું

મકર સંક્રાંતિના પર્વ પછી ઠંડીનું જોર વધ્યું છે. ભાવનગર શહેરમાં આજે પણ સવારથી સાંજ સુધી ટાઢાબોળ પવનના સૂસવાટા ફુંકાતા રહ્યાં હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે સવારે 14 ડિગ્રી તાપમાન સાથે બરફ વર્ષાની અસરના પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. દિવસભર પણ ઠંડા પવનના સૂસવાટાથી નગરજનોએ બહાર નીકળતા પહેલા ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લેવા પડ્યો હતો. ગત વર્ષે સંક્રાંતિ બાદ 10 દિવસમાં એવરેજ લઘુત્તમ ઉષ્ણતામાન 16.8 ડિગ્રી હતુ તે આ વર્ષે ઘટીને 15.6 ડિગ્રી થઇ ગયુ હતુ. આમ ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 14 જાન્યુઆરી બાદ શહેરમાં તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન સતત ઘટતું જાય છે ગઇ કાલે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 24.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જે સામાન્ય તાપમાન બપોરે હોવું જોઇએ તેના કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 13.1 ડિગ્રી હતુ તે આજે 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જો કે સવારે પવનની ઝડપ 12 કિલોમીટર હોય ઠંડીની તીવ્રતા યથાવત રહી હતી. આજે સવારથી સાંજ સુધી પવનની ઝડપ 12 કિ.મી. યથાવત રહી હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ 68% હતુ તે આજે સાંજે 60% નોંધાયુ હતુ. બપોરે તાપમાન શું કામ ઘટ્યું ?ભાવનગર શહેરમાં બે દિવસથી મોડી સાંજથી વહેલી સવાર સુધી ઉત્તર ભારતના બરફ વર્ષાના 12 કિલોમીટરથી 14 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફુંકાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ભેજવાળા પવનો ઘટ્યા છે. આથી ઠંડી વધી છે. હજી બે દિવસ ઠંડી રહેશે. ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી સિઝનની સર્વાધિક ઠંડી મકર સંક્રાંતિ બાદ નોંધાઇઆ વર્ષે શિયાળાની સૌથી વધુ ઠંડી મકર સંક્રાંતિ બાદ નોંધાઇ છે. આમ તો ડિસેમ્બરના અંતિમ તબક્કામાં કડકડકતી ઠંડી પડતી હોય છે. પણ આ વર્ષે ભાવનગર શહેરમાં શિયાળો મોડો હોય તેમ આ સિઝનની સર્વાધિક ઠંડી 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને 15 જાન્યુઆરીએ નોંધાઇ હતી. ચાર દિવસમાં બપોરે તાપમાન 6.6 ડિગ્રી ઘટ્યું

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:07 am

ભાભીએ ભત્રીજીને પકડી ત્રણ દિવસ સુધી 'બચાવો, બચાવો'ની રાડો નાખી:ભાઈના એક પગમાં મોજુ ને છૂંદાઈ ગયેલુ માથુ, ભૂકંપના 25 વર્ષે પણ રાજકોટિયન પરિવારની આંખોમાં દૃશ્યો જીવંત

26મી જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં ફક્ત પ્રજાસત્તાક દિવસ તરીકે જ નહીં પરંતુ, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની તારીખ તરીકે પણ નોંધાયેલી છે. 26 જાન્યુઆરી, 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ ન હતી પરંતુ, એક મોટી ઘાત હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડા જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂળમાં મળી ગયા હતા. ઘરો નહીં, આખા પરિવારો તૂટી પડયા હતા. રસ્તાઓ પર રડતા બાળકો, લોકોની ચીચયારીઓ, અવશેષોમાં પોતાના સ્વજનોને શોધતા હાથ અને આંસુઓમાં ડૂબેલી શાંતિ એ દૃશ્યો આજે પણ અનેક પરિવારોની આંખોમાં જીવંત છે. મારા મોટા ભાઇને ભૂજ કોર્ટમાં નોકરી મળી ને પરિવાર સાથે શિફ્ટ થયાઆજે કચ્છના ગોઝારા ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થયાં છે પરંતુ, જેમણે આ ભૂકંપમાં સ્વજનો ગુમાવ્યાં છે, તેમની આંખો આજે પણ એ દિવસ યાદ કરી આંસુઓથી છલકાઈ જાય છે. આવા જ એક રાજકોટના પરિવારની વાત કરીએ તો એક નહીં પણ ત્રણ-ત્રણ જિંદગી ઘરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. રૂંવાડાં ઊભાં કરી દે એવી હૃદયદ્રાવક ઘટના મૃતકના ભાઇ દિનેશભાઇ ધંધૂકિયાએ દિવ્ય ભાસ્કરને વર્ણવતાં જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ કિરીટભાઈને ભૂજ કોર્ટમાં નોકરી મળી અને આખો પરિવાર ત્યાં શિફ્ટ થયો. ભાઈ ધ્વજવંદન માટે તૈયાર થવા જતા તા ને ભૂકંપે વિનાશ સર્જ્યોનોકરી મળ્યાના બરોબર 365 દિવસ પૂરા થયા અને પછીના દિવસે એટલે કે 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા અને કુદરતે એવી થપાટ મારી કે ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયાં. ભુજ સુધી પહોંચવા માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠી અને ભૂકંપના 11 દિવસ પછી 12માં દિવસે JCBથી કાટમાળ ખસેડ્યા તો કોહવાયેલ હાલતમાં ત્રણેયના મૃતદેહ એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા. નોકરીનું એક વર્ષ પૂરુ થયું ને મોતને ભેંટ્યારાજકોટમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ બાબુભાઈ ધંધૂકિયાએ જણાવ્યું હતું કે, મારા 27 વર્ષીય ભાઇનું નામ કિરીટભાઇ, ભાભી સરોજબેન અને ત્રણ વર્ષની ભત્રીજી જિજ્ઞાશા ગુજરાતના એ ગોઝારા ભૂકંપમાં જમીનદોસ્ત થઇ ગયા. તેમની જિંદગી છીનવાઈ જતા અમારા પરિવારનો માળો વિખેરાય ગયો. મારા મોટાભાઇ મહેનત કર્યા બાદ ભુજ કોર્ટમાં 25 જાન્યુઆરી, 2000ના નોકરી મેળવી હતી જ્યાં. તેની સાથે ભાભી અને ભત્રીજી પણ ત્યાં શિફ્ટ થયાં હતાં. તેમની બીજી દીકરી રાજકોટ મારી સાથે રહેતી હતી. નોકરી મળ્યાના એક જ વર્ષમાં ત્રણ-ત્રણ મૃતદેહ જોવા મળ્યા તો મનમાં એક જ વિચાર આવ્યો કે, આ તે કેવી કુદરતની થપાટ.. ચારેય બાજુ કાટમાળનાં દૃશ્યો અને લાશોના ઢગલા જોઇ શરીર પાણી-પાણી થયું26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, જેની સૌથી વધુ અસર કચ્છ-ભુજ વિસ્તારમાં થયાની અમને જાણ થતાં જ પરિવારના અમુક સભ્યો સાથે સાંજના સમયે ભૂજ જવા નીકળ્યા હતા. રાત્રે 12 વાગ્યે AME ભૂજ પહોંચ્યા હતા, જ્યાં પહોંચવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પહોંચીને જોયું તો ચારેય બાજુ કાટમાળનાં દૃશ્યો અને લાશોના ઢગલા જોઇ શરીર પાણી-પાણી થઇ ગયું હતું. મને રીતસર ચક્કર આવવા લાગ્યાં હતાં. ભુજમાં કોર્ટે આપેલા ક્વાર્ટરમાં ચારેય બાજુ ઇમારતની જગ્યાએ મેદાન થઇ ગયું હતું. ઘણા પ્રયત્નો પછી મિલિટરીની મદદથી ભાઇ-ભાભી અને ભત્રીજીને કાટમાળ નીચે દબાયેલા જોવા મળ્યાં હતાં. એટલો કાટમાળ હતો કે મૃતદેહો પણ નીકળે એમ નહોતા. જેસીબીની મદદથી 11 દિવસ પછી મૃતદેહો બહાર કાઢ્યા હતા. ભાઈના પગમાં એક મોજું ને ભાભી-ભત્રીજી સાથે કાટમાળમાં દટાયા12 દિવસ થતા મૃતદેહ પણ કોહવાયેલી હાલતમાં અને ફુલાયેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેની ઓળખ અમે મારી ભત્રીજીના રમકડાના વાંદરાથી કરી હતી અને ભાભીની સાડીથી પાકું થયું કે, આ જ ત્રણ મૃતદેહ સ્વજનોના છે. ભાઈના પગમાં એક મોજું પહેરેલું હતું બીજું ન હતું, કદાચ તે ધ્વજવંદન કાર્યક્રમમાં જવા તૈયારી કરતા હશે અને અચાનક ભૂકંપ આવી ગયો ને પરિવારનો હસતો-રમતો માળો વિખેરાય ગયો. ભાભી અને ભત્રીજી એક બીજાને ચોટેલી હાલતમાં હતા એટલે એવું હશે કે કદાચ બચી જશું. બંને સાથે નીકળવાનો પ્રયાસ કરતા હશે પરંતુ, તેઓ પણ બચી શક્યા ન હતા. આસપાસના લોકો એવું કહેતા હતા કે, 'બચાવો બચાવો'ની બૂમો સંભળાતી હતી કદાચ તેઓ ગૂંગળાયને મર્યા હશે, જયારે મારા ભાઈનું તો માથું જ છૂંદાઇ ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું. નાનપણથી જ અભ્યાસનો ખર્ચ ઉપાડવા ભાઈ નોકરીએ લાગ્યા હતાવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કિરીટભાઇ કોલેજ સુધી અભ્યાસ કર્યો હતો. અમારા પરિવાર માટે આશાનું કિરણ હતું કે, સારી નોકરી મેળવી પરિવારનો આધારસ્તંભ બનશે. 25 જાન્યુઆરી, 2000ના દિવસે નોકરી શરૂ થતા જિંદગીમાં હવે સોનાનો સૂરજ ઊગશે એવું તેમનું સપનું હતું. ઘરની સાધારણ પરિસ્થિતિ હોવાથી નાનપણથી જ અભ્યાસનો ખર્ચ ઉપાડવા કિરીટભાઇ 12 વર્ષની ઉંમરે ખાનગી નોકરી કરવા લાગ્યા હતા. સાત વર્ષ સુધી ખાનગી નોકરી કરી આગળ આવવાના લક્ષ્ય સાથે આફ્રિકાના નૈરોબીમાં રહ્યા હતા, પરંતુ કુદરતને મંજૂર ન હોય તેમ વિઝા ન મળવાથી તેમને પાછા ફરવું પડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:05 am

મંડે પોઝિટીવ:અહિંસા અને મૈત્રી માટે 10 વર્ષમાં વિશ્વમાં 100 રામવાડી સ્થપાશે

દિલ્હીમાં પૂ. મોરારિબાપુ દ્વારા ગવાયેલી રામકથા “માનસ સનાતન ધર્મ”ના પાંચમા દિવસે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના સૂત્રધાર અરુણભાઇ દવેએ લોકભારતી સંસ્થામાં નવીનતમ તાલીમી કાર્યક્રમ RAAM – Rising Apostles for Ahimsa and Maitri (અહિંસા અને મૈત્રી માટેના આધ્યાત્મિક કર્મદૂતો તૈયાર કરવાનો પ્રકલ્પ)ના આરંભની ઘોષણા કરી. આ શિક્ષણ પદ્ધતિમાં આ તાલીમની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં કોઈ પરીક્ષા નથી. એટલે ન તો કોઈ ડિગ્રી આપવામાં આવશે, ન તો કોઈ પ્રમાણપત્ર. “સેવા દ્વારા સ્વરૂપાંતરણ” એ જ અહીંની સૌથી મોટી ડિગ્રી ગણાશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ દરેક રામ-ફ્લાવર પોતાના વતન અથવા દેશમાં એક ‘રામવાડી’ સ્થાપિત કરશે, જે અહિંસા અને મૈત્રીની રચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. આગામી 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં 100 રામવાડી સ્થાપવાનો સંકલ્પ આ યોજનાને વિશ્વશાંતિની દિશામાં એક મોટી આશા તરીકે રજૂ કરે છે. મહાત્મા ગાંધી અને કેન્દ્ર સત્ય, પ્રેમ અને કરુણાના પાયા પર આધારિત અહિંસા અને મૈત્રી માટેના ‘પ્રેરણા દૂત’ તૈયાર કરશે. અરુણભાઇ દવેએ સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો.વિશેષ માહિતી માટે લોકભારતી યુનિ.ની વેબસાઈટ www.lokbharatiuniversity.edu.in પર આપવામાં આવી છે. બાપુને ‘થૅન્ક યુ’ કહેવા પોલેન્ડમાં આ વિચારના બીજ રોપાયાઆ અભ્યાસક્રમનો વિચાર અરુણભાઇ દવેને પોલેન્ડમાં થયેલી રામકથાનું શ્રવણ કર્યા બાદ ઉપજ્યો. “બાપુને ‘થૅન્ક યુ’ કહેવું હોય તો શું કરવું?” — આ વિચારમાંથી વિશ્વના વર્તમાન સંકટમય પરિસ્થિતિ પર મંથન શરૂ થયું. આમ જ્યારે આખું વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે ત્યારે વ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ સાથે સાથે વિશ્વશાંતિના ક્ષેત્રે યોગદાન આપી શકે એવા ‘રામ-ફ્લાવર્સ’ તૈયાર કરવાની દૃષ્ટિએ આ અભ્યાસક્રમનું બીજ રોપાયા હતા. ડો.વિશાલ ભાદાણી, લોકભારતી સંસ્થા, સણોસરા ગ્રામોત્થાન માટે કાર્યરત સંસ્થાઓમાં પ્રત્યક્ષ કાર્યાનુભવઆ કોર્સમાં પ્રથમ તબક્કા બાદ 7થી 8 મહિના પોતાના રસ-રૂચિ અનુસારના સેવાકાર્યો જેવા કે પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ, મહિલા વિકાસ,ગ્રામોત્થાન માટે કાર્ય કરતી સંસ્થાઓમાં પ્રત્યક્ષ કાર્યાનુભવ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત કૈલાસ ગુરુકુળ (મહુવા), ચિત્રકૂટધામ (તલગાજરડા), સાબરમતી ગાંધી આશ્રમ અને પવનારના વિનોબા આશ્રમ જેવા પવિત્ર સ્થાનો પર જઈ સાધકો RAAMના અભ્યાસક્રમને આત્મસાત કરવામાં આવશે. સત્ય, પ્રેમ, કરુણા જેવા જીવન મૂલ્યના પાસાઓ શીખશેRAAM અભ્યાસક્રમ અંતર્ગત નિવાસી તાલીમાર્થી - ‘રામ-ફ્લાવર્સ’ તરીકે લોકભારતી યુનિવર્સિટી, સણોસરામાં એક વર્ષ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે અરજીપત્રક, પ્રવેશ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને જૂથચર્ચાના આધારે પાત્રતા નક્કી કરવામાં આવશે. વિશ્વના કોઈ પણ દેશના, કોઈ પણ ધર્મ, વિચારધારા, જ્ઞાતિ કે જાતિના સાધક માટે આ અભ્યાસક્રમ ખુલ્લો રહેશે. પ્રશિક્ષણનું પ્રથમ અને મુખ્ય સ્થાન પૂ.. બાપુની રામકથા રહેશે. આ ‘રામ-ફ્લાવર્સ’ 3થી 4 મહિના લોકભારતીમાં રહીને વિવિધ કાર્યશાળાઓમાં સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, મૈત્રી વગેરે જીવન મૂલ્યોના વિવિધ પાસાઓ શીખશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:04 am

કચ્છ ભૂકંપ:ગાંધીનગરને બપોરે 1.30 કલાકે અને દિલ્હીને છેક સાંજે 6 વાગ્યે જાણ થઇ હતી

આજના આધુનિક સમયમાં મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી પળવારમાં જ કોઈપણ જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચવી શક્ય છે, પરંતુ 25 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2001ની ગોઝારી સવારે કચ્છમાં આવેલ ભૂકંપ સમયે ચારેતરફ તબાહીના દૃશ્યો વચ્ચે સેંકડો લાચાર લોકો સુધી મદદ કેમ પહોંચાડવી? ઠપ થઇ ગયેલા સંચાર માધ્યમ વગર ગાંધીનગર કે દિલ્હી સુધી ગંભીર સ્થિતિનો ચિતાર કેમ પહોંચાડવો તે સહિતની બાબતોની ચિંતા વચ્ચે પણ તત્કાલીન જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મુકાયેલ ત્રણ અધિકારીએ ટાંચા સાધનો વડે લોકોને મહત્તમ મદદ પહોંચાડી ખુલ્લા મેદાનમાં હોસ્પિટલ શરૂ કરાવી હતી. ભૂકંપના 25 વર્ષ સુધી દેશ-દુનિયા માટે અજાણ રહેલી કેટલીક મહત્ત્વની વાતો તત્કાલીન ખાસ ફરજ પરના અછત અધિકારી અને નિવૃત્ત આઈએએસ ડો.ધીમંત કુમારે દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવી હતી. કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલ ભૂકંપની ગોઝારી ઘટનાને યાદ કરતા નિવૃત્ત IAS ડો.ધીમંત વ્યાસ જણાવે છે કે, વર્ષ 2001માં તેઓને કચ્છમાં અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મૂકવામાં આવ્યા હતા. શિયાળાની વહેલી સવારે ભુજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 9 કલાકે મેદાનમાં પહોંચવાનું હોવાથી તેઓ અને તેમના પાડોશમાં રહેતા નાયબ કલેક્ટર ગઢવીનો પરિવાર એમ્બેસેડર કારમાં લાલન કોલેજ રોડ પર આવેલા સરકારી આવાસથી નીકળ્યા હતા. ઘરથી 300 મીટર દૂર પહોંચતા જ રોડ પર ગાયો ઝડપભેર દોડતી દેખાઈ અને આકાશમાં પક્ષીઓના ટોળેટોળાં ઊડી રહ્યા હતા અને અચાનક જ તેમની કાર દરિયામાં જેમ હોડી હાલક-ડોલક કરે તેવી સ્થિતિમાં થવા લાગી હતી.વિચિત્ર ધણધણાટી જેવા અવાજ સાથે જ તેમની નજર સામે મંદિરનો શિખરનો ભાગ તૂટી પડ્યો. આજુબાજુમાં આવેલ ફ્લેટ હવામાં હીચકાઈને તૂટી પડ્યા અને ચારે તરફ ધૂળની ડમરીઓ ઊડવા લાગતા ધરતીકંપ આવ્યાની અનુભૂતિ થતા પરિવારજનોને પરત આવાસ બહાર કમ્પાઉન્ડમાં છોડી ભુજ કલેક્ટર કચેરી તરફ દોટ મૂકી હતી. ડો.ધીમંત કુમાર વધુમાં ઉમેરે છે કે, કલેક્ટર કચેરીએ પહોંચતા જ તત્કાલીન કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હાજર હોય ત્રણેય અધિકારીઓએ સ્થળ પર ચર્ચા કરી પરિસ્થિતિનો અંદાજ મેળવવા આસપાસના વિસ્તારનો રાઉન્ડ લેતા ધ્યાન પર આવ્યું હતું કે, ભૂકંપના તીવ્ર આંચકાએ કલેક્ટર કચેરીમાં પણ વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું. કચેરી સામે આવેલ ટાઉનહોલ હવે માત્ર પથ્થરનો ઢગલો થઇ ગયો હતો. ચારેય બાજુ ઇમારતો આડી, ઊભી, ત્રાસી ફસડાઈ પડી હતી. મદદ માટે આર્મી હેડક્વાર્ટર્સ ગયા તો ત્યાં પણ ઇમારતોમાં નુકસાન હતું અને આર્મી જવાનો તેમના મકાનમાં ફસાયેલા સ્ટાફને બચાવવા પ્રયત્નશીલ હતા. એ જ રીતે એરફોર્સ પ્રિમાઇસિસમાં પણ વ્યાપક નુકસાન વચ્ચે 85થી વધુ જવાન કાટમાળમાં ફસાયેલા હતા. આમ છતાં સ્ટેશન કમાન્ડર ત્રિપાઠીએ વિકટ સ્થિતિમાં પણ બે કલાકમાં રન-વે સાફ કરી મદદ માટે તેમની ટીમ હાજર થશે તેમ જણાવતા ત્રણેય અધિકારીની ટીમમાં હિંમત આવી હતી. જોકે, ટાંચા સાધનો વચ્ચે પણ કલેક્ટર કમલ દયાની, ડીડીઓ રાજીવ ટોપનો અને ખાસ ફરજ પરના ડો.ધીમંતકુમાર વ્યાસે લોકોને શક્ય તમામ મદદ પહોંચાડી સતત 24 કલાક દોડતા રહી બીજા દિવસે ગાંધીનગર-દિલ્હીથી મદદ મળશેની આશા સાથે ઉજાગરો આંખમાં આંજી સવાર પાડી હતી. ભુજની ત્રણ માળની જી.કે. હોસ્પિટલ ધ્વસ્ત થતા 500 લોકો ફસાયાડો.ધીમંતકુમાર જણાવે છે કે, કલેક્ટર, ડીડીઓ સાથે ઘાયલ લોકોને સારવારની વ્યવસ્થા માટે તેઓ ભુજની જી.કે. હોસ્પિટલ પહોંચતા અહીં આંચકાજનક દૃશ્યો જોવા મળ્યા હતા. ત્રણ માળની હોસ્પિટલ સંપૂર્ણપણે ધ્વસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓ, તેમના સગાંવહાલાં અને આરોગ્ય સ્ટાફ સહિતના 500 લોકો કાટમાળ હેઠળ દબાયેલા હતા ત્રણ મેડિકલ સ્ટોરના તાળાં તોડી ખુલ્લા મેદાનમાં ઘાયલોની સારવાર કરાઈ7.7ની તીવ્રતાના ભૂકંપમાં કચ્છ-ભુજમાં બધું હતું ન હતું થઇ ગયું હતું ત્યારે કાટમાળમાં દટાયેલા લોકોની ચિંતા સાથે ઈજાગ્રસ્ત હાલતમાં જીવિત બહાર નીકળેલા લોકોની સારવારની ચિંતા તંત્રને સતાવતી હતી. એક તરફ ભુજની જી.કે.હોસ્પિટલ ધ્વસ્ત બનીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હોય ઘાયલ લોકોની સારવાર ક્યાં કરવી તે પ્રશ્ન મૂંઝવતો હતો ત્યારે જ જ્યુબિલી મેદાનમાં દર્દીઓને સારવાર આપવાનું નક્કી કરી ભુજના ત્રણ મેડિકલ સ્ટોરના તાળાં તોડી તમામ દવાઓ છકડા રિક્ષામાં ભરી મેદાનમાં જ હંગામી હોસ્પિટલ શરૂ કરી લોકોને મદદ પહોંચાડવામાં આવી હતી. કાર બેટરીની મદદથી પીએમઓને ભૂકંપની જાણ કરી શક્યા હતાવર્ષ 2001માં કોમ્યુનિકેશનના ટાંચા સાધનો વચ્ચે ધરતીકંપ બાદ ટેલિફોન લાઈનો ઠપ થઇ ગઈ હતી. જોકે તંત્ર પાસે રહેલો સેટેલાઇટ ફોન પણ લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય ખરા સમયે જ સેટેલાઇટ ફોન કામ આવ્યો ન હતો. બાદમાં સાંજના છ વાગ્યે કારની બેટરીથી ફોન થોડો ચાર્જ થતા દિલ્હી પીએમઓને કચ્છના ભયાવહ ભૂંકપની ગંભીર સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસના વાયરલેસથી ગાંધીનગર સંદેશો મોકલાયોભૂકંપને કારણે કચ્છની સંચાર વ્યવસ્થા પડી ભાંગી હતી. વીજળી ગુલ હોવાથી વાયરલેસ મારફતે પણ સંપર્ક શક્ય ન હોય સવારે 8.45 કલાકે ભૂકંપે મચાવેલી તબાહીની જાણકારીથી ગાંધીનગર અજાણ હતું. ડો.ધીમંતકુમાર જણાવે છે કે, આવી સ્થિતિમાં બપોરે દોઢેક વાગ્યાના સુમારે સામખિયારી બ્રિજ પાસે પેટ્રોલિંગમાં રહેલી રાજકોટ પોલીસની જીપના વાયરલેસની મદદથી ગાંધીનગર ખાતે જાણ કરી મદદ પહોંચાડવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. તત્કાલીન મંત્રી સુરેશ મહેતાને બારીમાંથી બહાર કાઢ્યાનિવૃત્ત આઈએએસ ડો.ધીમંતકુમાર વ્યાસ ઉમેરે છે કે, 26મી જાન્યુઆરીએ ભુજ ખાતે રાજ્યના તત્કાલીન મંત્રી સુરેશભાઈના હસ્તે ધ્વજવંદન થવાનું હોય તેઓ ભુજ સર્કિટહાઉસના ઉમેદભવનમાં રોકાયા હોય તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.જોકે, ભૂકંપને કારણે રૂમનું બારણું ખૂલતું ન હોવાથી રાજ્યમંત્રીને બારીમાંથી બહાર કાઢી ખુલ્લી જગ્યામાં સલામત લઇ જવાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:01 am

ફેમિલિ, ફ્લેટ ને બદલાયેલી જિંદગી, ફિલ્મને આંટે એવી કહાની:2001ના ભૂકંપના 20'દિ પહેલાં મહારાષ્ટ્રમાં જન્મ ને અમદાવાદનું કનેક્શન, સીડી ઉતરતો હતો ને દીકરો, બે દીકરી, પત્ની-માતા ગુમાવ્યા

26 જાન્યુઆરી અને રવિવારની સવાર પડી. ઘડિયાળનો કાંટો બરાબર 8.50એ આવીને ઉભો હતો. આ એક કાળ ચક્ર હતું પણ ગુજરાતીઓ માટે તો કાળ લઈને જ આવ્યું હતું. રવિવાર અને પ્રજાસત્તાક પર્વ એમ બે રજા ભેગી હતી. સૌ કોઈ પોતાના ઘરમાં પરિવાર સાથે હાજર હતા. અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. કોઈને સપનેય ક્યાં ખ્યાલ હતો કે આ કાળમુખી પળ આખી જિંદગીનો જખમ આપીને જવાની છે. હું છઠ્ઠા માળે પરિવાર સાથે હતો. અમે કંઈ સમજીએ એ પહેલા જ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ છે. એટલે અમે બધા એકસાથે નીચે ઉતરવા માંડ્યા. તેમાં મારા ફાધર સાથે મારી મોટી દીકરી, મારા મધર સાથે મારી નાની દીકરી અને હું તથા મારા પત્ની અમારા દીકરા સાથે, અમે સીડી પરથી ઉતરી રહ્યા હતા. એ જ સમયે અમારી બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ. સીડીમાં ઉતરતી વખતે જ અડધો ભાગ તૂટી ગયો હતો, જેમાં હું અને મારા ફાધર બચી ગયા. બાકીનો ભાગ નીચે જતાં મારા મધર, વાઈફ અને ત્રણેય બાળકો મૃત્યુ પામ્યા.આ શબ્દો છે પરિવારના પાંચ-પાંચ સભ્યોને નજર સામે મૃત્યુ પામતા જોનારા અમદાવાદના માનસી ફ્લેટમાં રહેતા મિનેશભાઈ ભટ્ટના. આ મિનેશભાઈની જિંદગી ફિલ્મી સ્ટોરીને આંટી મારી જાય એવી છે. તેમણે 2001ના ભૂકંપમાં માતા ચંદ્રિકાબેન, પત્ની મીતા, અઢી વર્ષનો પુત્ર શૈલ, 5 વર્ષની પુત્રી હેલી અને 8 વર્ષની પુત્રી ઝીલ ગુમાવ્યા હતા. હવે તેની જિંદગી 360 ડિગ્રી ફરી ચૂકી છે. હવે બીજા પત્ની અમી, બીજા પત્નીને પહેલા પતિ દ્વારા થયેલો પુત્ર વંશ તથા મિનેશભાઈ અને અમીબેનનો પુત્ર શ્રેય છે. અમીબેનનો મોટો પુત્ર 6 જાન્યુઆરી, 2001ના રોજ મહારાષ્ટ્રમાં જન્મ્યો હતો. ભૂકંપના સમયે તે માત્ર 20 દિવસનો હતો. આજે ભૂકંપના 25 વર્ષ એટલે કે 9,131 દિવસ થયા છે. જો કે એક પેઢી જેટલો સમય વીતી ગયો છે પણ એ દિવસે લાગેલા ઘા અને નીકળેલી ચીસો હજુ એમની એમ જ છે... માનસી ટાવરના 2 બ્લોક પૈકી A બ્લોકના અલગ અલગ ત્રણ ભાગ થઈ ગયા હતા, જેમાં કેટલાક લોકો દટાયા હતા તો કેટલાકનાં તો સ્થળ પર જ મૃત્યુ થઈ ગયાં હતાં. જ્યારે બી બ્લોક અડીખમ હતો. આ ટાવર ધરાશાયી થતાં 33 લોકોનાં દર્દનાક મોત થયાં હતાં. A બ્લોકના ત્રણ ભાગ થયા હતા, જેમાં એક ભાગ ઊભો હતો, બીજો ભાગ પાછળના બંગલા પર પડ્યો હતો. જ્યારે ત્રીજો ભાગ આગળની તરફ આવેલી દુકાનો પર પડ્યો હતો. 33 લોકોના| જીવ ગયા એમાંથી ભટ્ટ પરિવારના 2 મહિલા અને 3 બાળક એમ કુલ 5 લોકોના જીવ ગયા હતા. ભટ્ટ પરિવાર આજે પણ આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. પરિવારના 7 સભ્યો હતા, તેમાંથી 5નાં મોત થતા બાપ અને દીકરો 2 જ જીવતા રહ્યા હતા. પહેલાં B બ્લોકમાં રહેતા પણ નિયતિના લેખ જુદા હતામાનસી ટાવર 1990માં બન્યો હતો. શરૂઆતમાં ત્યાં માત્ર B બ્લોક અને આગળની તરફની દુકાનો તૈયાર થઈ હતી. 1993માં સુરેન્દ્રભાઈ ભટ્ટ (મિનેશ ભટ્ટના પિતા)તેમના પરિવાર સાથે અનેક સપનાઓ લઈને માનસી ટાવરમાં રહેવા આવ્યા હતા. શરૂઆતમાં B બ્લોકમાં રહેતા હતા, ત્યાર બાદ A બ્લોક તૈયાર થતાં A બ્લોકમાં છઠ્ઠા માળે રહેવા ગયા હતા. જે કોલેપ્સ થયો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી, પુત્રવધૂ અને 3 પૌત્ર હતાં, જ્યારે નાનો દીકરો અને દીકરી વિદેશમાં હતાં. મિનેશભાઈના પિતા સુરેન્દ્રભાઈ, મમ્મી ચંદ્રિકાબેન, પત્ની મિતાબેન અને 3 સંતાન. જેમાં અઢી વર્ષનો દીકરો શૈલ, 5 વર્ષની દીકરી હેલી અને 8 વર્ષની દીકરી ઝીલ રહેતા હતા. જેમાંથી ચંદ્રિકાબેન, મિતાબેન, અને 3 સંતાનો એમ કુલ પરિવારના 5 સભ્યો તેઓએ ગુમાવ્યા હતા. 'એ દિવસ ખૂબ જ ભયાનક હતો'આ કારમા આઘાત અંગે મિનેશ ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ એક કુદરતી હોનારત હતી. જ્યારે પણ આ દિવસ યાદ આવે ત્યારે સ્વાભાવિક છે કે બધું જ નજર સામે આવી જાય છે. અમે જે પરિસ્થિતિનો સામનો કરીને બહાર આવ્યા છીએ, તે જોતા એમ લાગે છે કે એ દિવસ ખૂબ જ ભયાનક હતો. શરૂઆતમાં તો ખબર જ નહોતી કે શું થયું છે, પણ અડધા કલાક પછી ધીમે-ધીમે બધું સમજાવા લાગ્યું. ખાસ કરીને RSSના લોકો જે આજુબાજુ હતા, તેઓ તરત જ આવી ગયા હતા. તેમણે દોરડાની મદદથી બધાને નીચે ઉતાર્યા અને કાટમાળમાંથી ઇજાગ્રસ્તોને અને મૃતદેહોને બહાર કાઢવામાં બહુ જ મહેનત કરી હતી. 'નકારાત્મક છે એનો તો કોઈ અંત નથી'મિનેશભાઈ ભાવુક થતા જણાવે છે કે, કુદરત સામે તો આપણે કોઈ ફરિયાદ કરી શકતા નથી, પણ જેમને ગુમાવ્યા છે તેમની યાદ હંમેશા સાથે રહે છે. કુદરત સામે તો આપણે કોઈ ફરિયાદ કરી શકતા નથી. આમ જોવા જઈએ તો જેણે આ બદલાવને સકારાત્મક લીધો એના માટે ઘણું બધું છે, જે નકારાત્મક છે એનો તો કોઈ અંત નથી. અમારી 10 માળની બિલ્ડીંગ (માનસી અને શિખર)આખા ગુજરાતમાં બે જ જગ્યાએ પડી હતી. ખાસ કરીને માનસીના સભ્યોએ જે સપોર્ટિંગ રોલ ભજવ્યો અને આ બિલ્ડીંગ ફરીથી ઊભી કરી એ અમારા માટે ઘણી ચેલેન્જિંગ વાત હતી. આજે એનો અમને સંતોષ છે કે અમે અમારા ઘરમાં પાછા ફર્યા છીએ. અત્યારે મારા ફાધર અમારી સાથે છે એમની ઉંમર 82 વર્ષ છે. મેં રિ-મેરેજ કર્યા અને મારે બે બાળક છે. હું ઈન્સ્યોરન્સ સર્વેયર છું અને મારા ફાધર રિટાયર્ડ છે. એ સમયે અમારા ખિસ્સામાંથી 6.5 થી 7.5 લાખ કાઢીને ફરીથી બિલ્ડીંગ બનાવ્યું. ધીમે-ધીમે ઘર અને ફેમિલી વસાવ્યું અને હવે અમે સ્ટેબલ છીએ. 'બધાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી'માનસી કોમ્પ્લેક્સમાં બે બ્લોક હતા, A અને B. તેમાંથી B બ્લોક બરાબર હતો અને A જ કોલેપ્સ થયો હતો. તે સમયે બધા મેમ્બર્સ અને ખાસ કરીને યંગસ્ટર્સ ભેગા થયા અને નક્કી કર્યું કે ફરીથી આપણું ઘર બનાવવું જોઈએ. 2002થી અમે આ પ્રોસેસ સ્ટાર્ટ કરી હતી. તે સમયે બધાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી, એટલે થોડા-થોડા પૈસા ભેગા કરીને ફરીથી આ બિલ્ડીંગ બનાવ્યું. એક બાજુ ભાડું ચૂકવવાનું અને બીજી બાજુ રિકન્સ્ટ્રક્શન માટે પૈસા આપવા એ બહુ જ અઘરું હતું, પણ અમારી યુનિટીના કારણે આજે અમે 2010માં ફરીથી અમારા ઘરે આવી શક્યા. 'દિવસ-રાત કાટમાળ હટાવવાનું કામ કરતા'એ ટાઈમ એવો હતો કે બધા માટે આ એક ન વિચારેલી ઘટના હતી. એટલે ઘણા બધા દૂર-દૂરથી કંટીન્યુઅસ બધા આવતા હતા અને એ સમય દરમિયાન અમારે જે કાટમાળ હતો તે હટાવવાનું કામ પણ ચાલુ હતું. લોકોએ પૈસા ભેગા કરીને જેસીબી જેવા વાહનોમાં ડીઝલ પુરાવવા માટે મદદ કરી હતી. તેઓ દિવસ-રાત કાટમાળ હટાવવાનું કામ કરતા હતા. તે સમયે સેના પણ આવી ગઈ હતી, જેના લીધે ઘણું બધું કામ સરળ થયું હતું. મને લાગે છે કે લગભગ એક મહિના સુધી ઘણા બધા લોકો આવતા-જતા રહ્યા અને ધીમે-ધીમે કાટમાળ સાફ થયો. આજે પણ જ્યારે યાદ આવે ત્યારે થાય કે આખું મકાન પડી ગયું હતું અને માણસોએ ફરીથી તેને ઉભું કર્યું છે. 'કાટમાળમાંથી જે કિંમતી વસ્તુઓ મળી તે પાછી આપી'એ સમયે એટલો બધો વિકાસ નહોતો થયો. પરંતુ અત્યારે તો ઘણો વિકાસ થઈ ગયો છે. 'માનસી ટાવર' વિશે અત્યારે તો તમે કોઈ પણ રિક્ષાવાળાને પૂછો એટલે તે તમને ત્યાં મૂકી જાય, એટલું તે પ્રખ્યાત છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણી બધી પબ્લિકે મદદ કરી હતી, લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં અને ચેક કરાવવામાં. મારે તો પાંચ વ્યક્તિઓ હતી, એટલે એકલા હાથે પહોંચી વળવું શક્ય નહોતું. પણ મારા મિત્રો અને લોકોએ ઘણો સપોર્ટ કર્યો હતો. એ સમયે વિચારવાનો પણ સમય નહોતો કે કોણ ક્યાં છે. અમારા બી બ્લોકમાં જે સભ્યો હતા એ બધાએ ઘણો સપોર્ટ કર્યો હતો. કાટમાળ હટાવતી વખતે જે કંઈ પણ કિંમતી વસ્તુઓ મળી હતી, તે તેમણે લોકરમાં સુરક્ષિત મૂકી હતી અને ઓળખ કરી કરીને લોકોને પાછી આપી હતી. છેલ્લે તેઓ જણાવે છે કે, મારું એવું માનવું છે કે કુદરત જ્યારે કોઈ આફત આપે છે, ત્યારે તેને સહન કરવાની શક્તિ પણ આપે છે અને નવું સર્જન કરવાની શક્તિ પણ આપે છે. તમે જેટલું ઝડપથી તેને સ્વીકારીને આગળ વધશો એટલું સારું છે. 'અમારા બંનેના વિચારોમાં એક સમાનતા હતી'મિનેશભાઈએ ફરી 2006માં અમી મોદી સાથે લગ્ન કર્યા. તેમના પત્ની અમી ભટ્ટ જણાવ્યું હતું કે, અમારા બંને માટે શરૂઆતના દિવસ થોડા ટફ હતા, કારણ કે અમારું આખું એક ફેમિલી હોય અને તે વિખેરાઈ ગયું હોય અને પછી બીજી વાર આખું ફેમિલી બનાવવાનું અને લાઈફ સ્ટાર્ટ કરવાની એટલે ઘણું ડિફિકલ્ટ થાય. પરંતુ અમારા બંનેના વિચારોમાં એક સમાનતા હતી. 'મારા બાળકને અપનાવશે તેની સાથે જ હું મેરેજ કરીશ'મિનેશને હંમેશા એવો વિચાર આવતો કે જો આ ભૂકંપમાં હું જતો રહ્યો હોત અને મારી વાઈફ મારા બાળકો સાથે હોત તો એમને લાઈફમાં કેટલું અઘરું પડ્યું હોત? કારણ કે એક લેડીને 3 બાળકો સાથે લાઈફમાં સર્વાઈવ કરવું બહુ જ હાર્ડ પડત અને પછી એને મેરેજ કર્યા હોત તો સામેવાળી વ્યક્તિએ મારા 3 બાળકોને અપનાવ્યા હોત? તો આજે હું પણ એવી જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જે લેડીના હસબન્ડનું ડેથ કુદરતી રીતે થયું હોય પણ એને એક બાળક હોય, તેને હું નવજીવન આપીશ. એ એમના વિચાર હતા અને મારા પણ એવા જ વિચાર હતા કે જે મારા બાળકને અપનાવશે તેની સાથે જ હું મેરેજ કરીશ. એટલે અમે બંને જ્યારે મળ્યા ત્યારે એકબીજા સાથે આ વિચાર શેર કર્યા અને પછી ધીમે-ધીમે મળતા થયા. અમે અમારા ભૂતકાળની વાતો કરતા હતા, એ રીતે પછી અમારી લાઈફ ધીમે-ધીમે સેટલ થતી ગઈ. મેરેજ કર્યા પછી શરૂઆતમાં ઘણી તકલીફો પડતી હોય છે કારણ કે આપણે નવી લાઈફ સ્ટાર્ટ કરવાની હોય છે. 'બધાએ સાથે મળીને એક ગાયત્રી યજ્ઞ રાખ્યો છે'આ 26 મીએ 25 વર્ષ પૂરા થાય છે, એના માટે માનસી પરિવારના દરેક સભ્યો બહુ સારા છે અને બધાએ સાથ આપીને એક ગાયત્રી યજ્ઞ રાખ્યો છે. અમે એ રીતે શ્રદ્ધાંજલિ આપવાના છીએ જે લોકોએ માનસી પરિવારમાં જીવ ગુમાવ્યો છે. દંપતી પરિવારના ગુમાવેલા 6 સભ્યોના બર્થ ડે સેલિબ્રેટ કરે છેઅમીબેન તેના પરિવારના 6 સભ્યોના જન્મદિવસ વિશે જણાવે છે, તેણીના પૂર્વ પતિ, સાસુ, મિનેશભાઈના પૂર્વ પત્ની અને ત્રણ બાળકો. તેઓ દર વર્ષે ભલે નાની હોય પણ કેક કાપીને સાથે મળીને આ દિવસોની ઉજવણી કરે છે. તેમનો મોટો પુત્ર 6 જાન્યુઆરી, 2001ના રોજ જન્મ્યો હતો. ભૂકંપના સમયે તે માત્ર 20 દિવસનો હતો. 'દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું ને મિનેશ મળ્યા'અમીબેન એ દિવ્ય ભાસ્કરનો આભાર માનતા જણાવ્યું હતું કે, જ્યારે તેમના મમ્મીએ દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં જોયું ત્યારે તેમણે ખબર પડી કે મિનેશભાઈ એક એવા વ્યક્તિ છે જેઓએ હજી સુધી બીજા લગ્ન નથી કર્યા. અને હું પણ એક વિધવા હતી તો મારા મમ્મી અને માસીએ મિનેશને લગ્ન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ તેઓએ લગ્ન કર્યા. મને થયું કે હવે મારું શું થશે? માનસી ટાવર પાસે જ દુકાન ધરાવતા હિંમત કાકાએ જણાવ્યું હતું કે,મારી દુકાન પણ એ જ વિસ્તારમાં હતી. મારી ઉપરની દુકાન આખી તૂટી પડી હતી. મને થયું કે હવે મારું શું થશે? પણ કુદરતી રીતે મને કંઈ નુકસાન થયું નહોતું. જોકે, આસપાસની પરિસ્થિતિ જોતા જ હૃદય કંપી જતું હતું. લોકો બહુ જ રડતા હતા. કોઈને કંઈ સમજાય એવું નહોતું કે હવે શું કરવું. ઘર તો ફરી બંધાઈ જાય, પણ જેમના સ્વજનો ચાલ્યા ગયા એમની વેદના અસહ્ય હતી. એક ઘટના તો મને આજે પણ યાદ છે, એક ફૂલ જેવી નાની કુમળી છોકરી બીમ નીચે દબાઈ ગઈ હતી. એને બહાર કેવી રીતે કાઢવી એ એક મોટો પ્રશ્ન હતો. એ મંજર જોઈને આજે પણ કંપારી છૂટી જાય છે. 'માનસી ટાવરને આંગળી ચીંધી બતાવે છે કે અહીં આવો વિનાશ થયો'માનસી ટાવર હવે તો બધું ફરી બેઠું થઈ ગયું છે. નવા ફ્લેટ અને ડેવલપમેન્ટ પણ ઘણું થયું છે. પણ જ્યારે 26 જાન્યુઆરી આવે અને એક તરફ દેશનો તિરંગો લહેરાતો હોય અને બીજી બાજુ લોકોનો એ રૂદન યાદ આવે, ત્યારે મન ભારે થઈ જાય છે. આજે પણ બહારગામથી આવતા લોકો આ માનસી ટાવરને આંગળી ચીંધીને બતાવે છે કે અહીં આવો વિનાશ થયો હતો. ભૂકંપને કારણે શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો હવે વાત શ્યામલમાં આવેલા શિખર ટાવરની. ભૂકંપને કારણે શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો હતો. A, B અને C ત્રણેય બ્લોકમાં તિરાડો પડી જવાને કારણે હાઇકોર્ટ દ્વારા તેને ડિમોલિશ કરીને ફરીથી નવી બિલ્ડીંગ બનાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2004માં બ્લોક એ બનવાનું શરૂ થયું. ત્યારબાદ ધીમે ધીમે 2025 સુધીમાં ટોટલ A, B અને C બ્લોક બનીને તૈયાર થઈ ગયા છે. 'ચારે બાજુ અંધાધૂંધી થઈ ગઈ હતી'શિખર ટાવરના રહીશ દેવાંગ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભૂકંપ આવ્યો એ દિવસે અમે અમારા બીજા ઘરે હતા. આસપાસના લોકો દ્વારા તરત જ ખબર પડી ગઈ હતી કે ભૂકંપ થવાથી શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો છે. અમે અહીં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ બધી બાજુથી બેરીકેડ કરી દેવામાં આવ્યું હતું. અમને એવી જાણ થઈ ડી બ્લોક પડી ગયો છે અને ઘણા બધા લોકો એમાં દટાઈ ગયા હતા. ચારે બાજુ અંધાધૂંધી થઈ ગઈ હતી. શું કરવું શું ન કરવું કશું જ ખબર પડી રહી નહોતી. 'સભ્યોને શોધતા શોધતા જ અઠવાડિયા જેટલો સમય લાગી ગયો'અમને બે દિવસ બાદ સોસાયટીની અંદર આવવા મળ્યું હતું. અમે અંદરનો નજારો જોયો ત્યારે અનુભવ થયો કે જેનું ઘર જતું રહ્યું હોય એ જ આ પરિસ્થિતિને સમજી શકે. આસપાસની પરિસ્થિતિ જોતા એવું લાગતું કે લગભગ દરેક પરિવારના જેટલા પણ સભ્યોના મોત થયા હતા એ સભ્યોને શોધતા શોધતા જ અઠવાડિયા જેટલો સમય લાગી ગયો હતો. કાટમાળ હટાવવામાં જ જેટલા લોકોના મોત થયા હતા તેઓને બે દિવસે ચાર દિવસે એમ કરતા કરતા અઠવાડિયા સુધી બધાની લાશ મળી આવી હતી. '26મી જાન્યુઆરી આવે છે ત્યારે કમકમાટી છૂટી જાય છે'2001માં જ્યારે આ ઘર નવા નવા બન્યા હતા ત્યારે તે વખતના લોકોમાં એટલી પણ સમજણ ન હતી કે ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ. ઇન્સ્યોરન્સ ન લીધો હોવાને કારણે ઘણા લોકોને મોટું નુકસાન વેઠવાનું વારો આવ્યો હતો. જ્યારે 26મી જાન્યુઆરી આવે છે ત્યારે કમકમાટી છૂટી જાય છે. આજે 25 વર્ષ બાદ મને મારો ફ્લેટ મળ્યો છે એ વાતનો મને આનંદ છે. પરંતુ એ ગોજારો દિવસ અત્યારે પણ કલ્પના બહારની ધ્રુજારી છોડવી નાખે એવો હતો. આ ભૂકંપનો લગભગ લોકોએ પહેલી વખત અનુભવ કર્યો હશે. મેં પોતે પણ પહેલી વખત ભૂકંપનો અનુભવ કર્યો હતો. હુકમ થયા બાદ પણ ઘણા સમય સુધી આફ્ટર શોક આવતા હતા. તો ત્યારે પણ લોકોમાં એ જ ભયનો માહોલ ઘણા લાંબા સમય સુધી રહ્યો હતો. 'રજાની મજામાંથી લોકોમાં ભયનો માહોલ થઈ ગયો' 26 જાન્યુઆરી રજાનો દિવસ હોવાથી બધા જ લોકો રજાના મૂડમાં હતા. રજાની મજામાંથી લોકોમાં ભયનો માહોલ થઈ ગયો હતો. હું મારા મમ્મી પપ્પાના ઘરે વહેલી સવારે ચા નાસ્તો કરતો હતો એ દરમિયાન ડાઇનિંગ ટેબલ આખું હલવા લાગ્યું હતું. મને તો એ વખત કંઈ ખબર પડી ન હતી. પરંતુ મારા પપ્પાએ કહ્યું કે ભૂકંપ આવ્યો છે બધા ભાગો. એટલે પછી અમે બધા લોકો બહારની તરફ દોડીને આવી ગયા હતા. 'ઘણા દિવસો સુધી એક ગ્રાઉન્ડમાં રહેતા-જમતા'ઘણા દિવસો સુધી શિખરની સામે એક ગ્રાઉન્ડ હતું ત્યાં જ લોકો રહેતા હતા અને ત્યાં જ જમતા હતા. એ વખતે ખૂબ જ ઠંડી પડતી હતી છતાં લોકો ઘરવિહોણા ગાર્ડનમાં જ રહેતા હતા. ટેન્ટ બાંધીને લોકો ફૂટપાથ પર જ રહેતા હતા. જોકે દરેક ધાર્મિક જગ્યાઓ 24 કલાક માટે ખુલ્લી મુકી દેવામાં આવી હતી. જેથી લોકોએ મંદિરનો પણ સહારો લીધો હતો. ડી બ્લોક પડી ગયો હતો પરંતુ એની સાથે સાથે બીજા ત્રણ બ્લોક પણ જર્જરિત થઈ ગયા હોવાથી હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ ત્રણેય બ્લોકને ડિમોલિશ્ડ કરીને નવેસરથી બનાવવામાં આવે. જેથી હાઇકોર્ટના ઓર્ડર બાદ લગભગ 2004થી નવા બ્લોક બનવાના શરૂ થયા હતા. 'સંગેમરમર એપાર્ટમેન્ટનો એક બ્લોક ધરાશાયી થયો'હવે વાત આંબાવાડીમાં આવેલી સંગેમરમર એપાર્ટમેન્ટની. અહીં પણ 2 બ્લોકમાંથી એક બ્લોક ધરાશાયી થયો હતો અને તેમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. અત્યારે પણ ત્યાંના લોકો એ દિવસ યાદ કરીને ધ્રુજારી અનુભવે છે. 'જેવા ઉઠ્યા ત્યારે બધું હલતું હતું'સ્થાનિક ચિરાગ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરી હોવાથી અમે બધા રજાના મૂડમાં હતા. રજાના દિવસ હોવાને કારણે અમે મોડા ઉઠ્યા હતા. જેવા ઉઠ્યા ત્યારે બધું હલતું હતું. અમને ખ્યાલ આવ્યો કે ભૂકંપ આવ્યો છે. એ વખતે હું અને મારા વાઈફ એક રૂમમાં હતા અને મારા મમ્મી, બેન બીજા રૂમમાં હતા. હું અને મારા વાઈફ રૂમના એક ખૂણામાં જતા રહ્યા હતા. પરંતુ એ 30 સેકન્ડની અંદર બહુ ભયાનક અવાજ આવવા લાગ્યો અને બિલ્ડીંગ પણ ખૂબ જોરથી હલવા લાગી હતી. ધીમે ધીમે ભૂકંપના આંચકા બંધ થયા. ત્યારબાદ અમે ધીમે ધીમે કાટમાળની અંદર ફસાયેલા હતા ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. 'મને બધા લોકોની ચીસો અને બુમો સંભળાતી હતી'જ્યારે બિલ્ડીંગ ધરાશાયી થયું હતું ત્યારે અહીંના ઘણા બધા સ્થાનિકો દટાયા હતા. એ વખતનો સમય એવો હતો કે મને બધા લોકોની ચીસો અને બુમો સંભળાતી હતી. ચારે તરફ લોકોની ચીસો સંભળાતી હતી. ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હતી એ વખતની. ભૂકંપના લગભગ ચારથી પાંચ વર્ષ બાદ ફરીથી અમારી સોસાયટી બનાવવાનું શરૂ થયું. જે લોકો આ ભૂકંપમાં બચી ગયા તેણે અહીં જ રહેવાનું નક્કી કર્યું હતું. સ્થાનિકોએ એવું વિચાર્યું હતું કે જે જગ્યાએ અમે બચી ગયા છીએ તો ત્યાં જ રહીશું. 'મને હાઈરાઈઝ બિલ્ડિંગમાં જવાનો ખૂબ જ ડર લાગતો હતો'જ્યારે આ ભૂકંપ આવ્યો હતો એના ઘણા મહિનાઓ સુધી મને હાઈરાઈઝ બિલ્ડિંગમાં જવાનો ખૂબ જ ડર લાગતો હતો. એવું થતું હતું કે હમણાં આ બિલ્ડીંગ પણ પડી જશે. ઘણા લાંબા સમય સુધી મને હાઇરાઇઝ બિલ્ડીંગમાં જવાનો ફોબિયા પણ થઈ ગયો હતો. હું કદાચ કોઈ કારણોસર હાઇરાઇઝ બિલ્ડીંગમાં જાવ તો પણ બને એટલું ફટાફટ કામ પતાવીને નીકળી જતો હતો. એ વાતને આજે 25 વર્ષ થઈ ગયા. પરંતુ અત્યારે એ દિવસ મને સપના જેવો લાગી રહ્યો છે. મને એ વાતનો આનંદ થયો કે બધું જ પતી ગયું હોવા છતાં પણ હું અને મારો પરિવાર બચી ગયા હતા. આવા સમયમાં પોઝિટિવ માઈન્ડ સેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સમય એ જ સમય એ સૌથી મોટી દવા છે. અને પેશન્સ રાખવું પણ એટલું જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:00 am

ભાજપના સાંસદને હવે કાર્યકરોનું દર્દ સમજાયું:CMએ વાવ-થરાદમાં મોદીના પોસ્ટર સાથે ફોટો પડાવ્યો; કથાકારે વ્યાસપીઠ પરથી ગોપાલ ઈટાલિયાના વખાણ કર્યાં

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:00 am

કચ્છના વિનાશની એ દોઢ મિનિટ:ધ્રૂજારી આવી, કડાકો થયો અને ધરતી ફાટી, આખેઆખી બિલ્ડિંગો પેટાળમાં સમાઇ ગઇ, કાટમાળથી કાયાપલટ સુધીની દાસ્તાન

કચ્છના એ વિનાશકારી ભૂકંપના આજે 25 વર્ષ પૂરાં થઇ ગયાં. કુદરતે કચ્છી માડુઓને કારમી થપાટ મારી, પણ એનાં ખમીરને તોડી શકી નહીં. ભાસ્કરની ખાસ સિરીઝ ‘ભૂકંપ@25’માં આજે કચ્છ પાસેથી જ સાંભળીએ એમની દાસ્તાન. હું કચ્છ બોલું છું.અનોખું, અલબેલું અને અડિખમ, તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાંની કુદરતની એ કારમી થપાટ અને મારા બેઠાં થવાની કહાણી કહું છું. 8 વાગ્યાને 46 મિનિટે ઘડિયાળના કાટા સ્થિર થયાઅચાનક મારી ધરતી ફાટી.........અને દોઢથી બે મિનિટમાં તો.......મારી છાતીએ ઊભેલી બિલ્ડિંગો મારાં પેટાળમાં સમાઇ ગઈ. મારી રેતાળ ધરામાં હજારો કચ્છી માડુઓ જીવતેજીવ દફન થઈ ગયા. એ દિવસે મેં જીવ બચાવવાની દોડાદોડી જોઈ અને મરણચીસો સાંભળી. મારા મુકુટ સમા રણમાં આંસુની ધારાઓ વહેતી જોઈ. હજારો જીવ, લાખો ઘર અને અબજોની મિલકત. સેકન્ડોમાં જ બધુય સ્વાહા થઈ ગયું.નજર નાખો ત્યાં તારાજી. જાણે મારું અસ્તિત્વ જ કાટમાળમાં ધરબાઇ ગયું.7.7ની તીવ્રતાના ભૂકંપનો આ ભયાવહ મંજર હતો.અને હું એ બધુ નિ:શબ્દ બનીને જોતો રહ્યો. સૂરજબારીનો પુલ તૂટતાં મારું નાકું જ બંધ થઈ ગયું, લાઇટ નહીં, ટેલિફોન નહીં અને કોઇનો સંપર્ક પણ નહીં.પણ આવનારા આવવા લાગ્યા. દેશમાંથી, પરદેશમાંથી.ધીરેધીરે રાહત, સહાય, મદદ, માનવતા અને કરૂણાનો ધોધ વહ્યો રાત-દિવસ જોયા વિના સૌ કોઈ મારી ભાંગી ગયેલી કમરને સાંધા મારી મને બેઠું કરવા મથવા લાગ્યા. સમયની સાથે મારા ઘા રૂઝાતા ગયા. મુંજી છાતી તેં ભલે ને રિણ વિછાયલ આય પ કચ્છી માડુ જો પાણી આય...મારી છાતીએ ભલે રણ પથરાયેલું છે પણ કચ્છી માડુઓમાં પાણી છે. કુદરતે બે હાથે છીનવ્યું અને હજાર હાથે આપવાનું શરૂ કર્યું. દરિયામાં નવાં પોર્ટ અને સૂકાભાઠ પટમાં ઇન્ડસ્ટ્રીઝ આવી. અરે સેટેલાઇટથી દેખાય એવા મસમોટા પ્રોજેક્ટે મારાં અફાટ રણમાં આકાર લીધા. મિંજો વિકાસ ડીંજો નિતરે, રાતજો થીએ પ્યો...હા, મારો વિકાસ દિવસે નહિ એટલો રાત્રે થઈ રહ્યો છે. મા નર્મદાએ તો મારું સૂકાભાઠ પ્રદેશનું કલંક જ મિટાવી દીધું. આજે હું ખારા નમકની ચાદર ઓઢીને સૂતું છુંએ જ કાળો ડુંગર, એ જ સફેદ રણ અને એ જ બ્લૂ દરિયો આજે મારી શોભા છે. કાળની આ થપાટે મને ઘણું શીખવ્યું છે. મને એવી બિલ્ડિંગો મળી છે જેને ભલભલા ભૂકંપ પણ હવે હલાવી નહીં શકે.આજે મારા ગામડાં અને શહેરોની દશા ને દિશા બદલાઇ ગઇ છે.હાઇવે, બ્રિજ અને રેલવેની કનેક્ટિવિટીથી હું ફરી દુનિયા સાથે દોડવા લાગ્યું છું. આફત પછી પણ અડીખમ રહેવું એજ તો મારું કચ્છીપણું છે.છેવટે હુંય તો દાદા સોમનાથનું જ વારસ છું ને.આઉં કચ્છ, જડેં જડેં તુટધો તડે તડે ઊભો થીંધોસ..હા, એમ જ, જ્યારે જ્યારે ભાંગીશ ત્યારે ત્યારે ફરી બેઠું થઈશ.કેમ કે, હું કચ્છ છું.......ખમીરવંતું કચ્છ.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:00 am

ભૂકંપમાં મોદી માટે ભોમિયા બનેલા 2 લોકોના અનુભવ:બાઇક પર બેસીને લોકોની વ્યથા જાણી, એક ફોન કર્યો ને બ્રિટાનિયાના માલિકે બિસ્કિટના 10 લાખ કાર્ટૂન મોકલ્યા

દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં આજે વાત એવા 2 લોકોની જે ધરતીકંપ બાદ નરેન્દ્ર મોદી માટે ભોમિયા બન્યા હતા. એક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને બાઇક પર બેસાડીને ભૂકંપની તબાહી બતાવી હતી તો બીજી વ્યક્તિ એવી હતી જેની બાઇક પાછળ મોદીનો કાફલો ચાલ્યો અને વિનાશને નજરે જોયો. પહેલાં વાત કરીએ ચોબારી ગામના રામજી મેરિયાની. ફોટો ક્લિક કર્યો ને બીજી મિનિટે ભૂકંપ આવ્યોકચ્છના ભચાઉના ચોબારી ગામે એક પંચાયત ઘર હતું. જ્યાં મોટા પ્રસંગે ગામના લોકો ભેગા થતાં હતા. 2001ની 26 મી જાન્યુઆરીના દિવસે પણ અહીંયા આગેવાનો અને વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે એકઠા થયા હતા. ગામના જ રામજી મેરિયા તેમાં એન્કરિંગ કરી રહ્યા હતા. ભૂકંપની 2 મિનિટ પહેલાં તેમણે બાળકીઓ પ્રાર્થના કરતી હોય તેવો એક ફોટો ક્લિક કર્યો હતો અને બીજી જ મિનિટે ભૂકંપ આવ્યો હતો. ધરતી હલવા લાગી હતી, મકાનો પડવાથી જોરદાર અવાજ આવવા લાગ્યો હતો. હાજર સૌ કોઇને પહેલાં તો એવું થયું કે કોઇ બ્લાસ્ટ થયો છે પણ પછી ખબર પડી કે આ તો ભૂકંપ છે. રામજી મેરિયાએ ઝંડાને પકડી રાખ્યો હતો. ભૂકંપના કારણે તેમના પર જેટલા લોકો આવીને પડ્યા તે બધા બચી ગયા હતા. બાકીના લોકો મૃત્યુ પામ્યા હતા. ગામમાં 550 લોકોનાં મોતચારેતરફ મૃતદેહો પડેલા હતા. કાટમાળની નીચે કોઇનો હાથ દેખાય, કોઇનું ડોકું દેખાય તો કોઇના પગ દેખાય. બધા મકાનો પડી ગયા હતા. ભૂકંપની બીજી જ મિનિટે આખું ગામ હતું નહોતું થઇ ગયું હતું. ગામમાં 550થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે 2 ફૂટની દીવાલ પણ નહોતી બચી. પંચાયત ઘરથી 200 મીટર દૂર જ રામજી મેરિયાનું ઘર હતું. કાટમાળ પર થઇને તેઓ જ્યારે પોતાના ઘરે જતાં હતા ત્યારે વીજળીના તાર તેમના હાથમાં આવી ગયા હતા. રામજીભાઇને થયું કે હું ભૂકંપમાં તો બચી ગયો છું પણ તાર પકડ્યા એટલે નહીં બચી શકું. જોકે એ સમયે સદભાગ્યે વીજળી નહોતી એટલે કોઇ તકલીફ ન થઇ. આગળ રામજીભાઇની બાઇક, પાછળ મોદીની કારરામજીભાઇનો મૂળ વ્યવસાય ખેતી છે. તેઓ મીડિયા સાથે પણ જોડાયેલા છે. નેચર કલ્ચર અને વાઇલ્ડ લાઇફ તેમના શોખના વિષય છે. ચોબારી ગામ ભૂકંપનું એપીસેન્ટર હતું અને ભૂકંપ પછી પહેલી દિવાળી આવી રહી હોવાથી દિવાળીના દિવસે નરેન્દ્ર મોદી આ ગામમાં આવ્યા હતા. એ સમયે રામજીભાઇએ તેમની સાથે રહીને કઇ જગ્યાએ કેટલું નુકસાન થયું છે તે બતાવ્યું હતું. રામજીભાઇ બાઇક લઇને આગળ જતા અને નરેન્દ્ર મોદીનો કાફલો તેમની પાછળ જતો. રામજી મેરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એ દિવસને યાદ કર્યો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ચોબારીમાં પગ મૂક્યો ત્યારે તેમની સાથે પોલીસની ગાડીઓ નહીંવત હશે, કોઇ સિક્યોરિટીની જરૂર નહોતી. હું મારી બાઇકથી આગળ જતો હતો, પાછળ તેમની કાર હતી અને એક પોલીસની કાર હતી. ચોબારીમાં જ્યાં-જ્યાં નુકસાની થઇ હતી. એ બધે અમે ફર્યા હતા. વાડી વિસ્તાર વચ્ચે આવતો હતો એ પણ જોયો હતો. નરેન્દ્ર મોદીએ સવારથી માંડીને બપોર સુધીનો સમય અહીં ચોબારી ગામમાં વીતાવ્યો હતો. બાજુમાં આવેલા ત્રમ્બો ગામે જઇને ભોજન લીધું હતું. શિવાલય પાસે સભા અને લોકોને સાંત્વનાગામની મુલાકાત દરમિયાન જ્યાં લોકો બેઠાં હતા ત્યાં જઇને નરેન્દ્ર મોદીએ તેમની સાથે હાથ મિલાવ્યા હતા, રામ રામ કર્યા પણ ત્યારે લોકો આઘાતમાં હતા. બધાના ઘરમાંથી કોઇને કોઇનું મૃત્યુ થયું હતું. ગામમાં આવેલા ચાઉમુખી ધામ એટલે કે શિવાલય પાસે કાટમાળ પડ્યો હતો ત્યાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. લોકોને સાંત્વના આપી હતી અને પોતે પણ ભાવુક થઇ ગયા હતા. બોલતા બોલતા મોદીની આંખમાં આંસુ આવી ગયાતેઓ કહે છે કે, નરેન્દ્ર મોદી આખું ગામ ફરીને મંદિર પર આવ્યા હતા અને લોકોને સંબોધ્યા હતા. કેટલાક મીડિયાકર્મીઓ પણ હતા ત્યારે સવાલ કરવામાં આવ્યો કે આજે આખો દેશ દિવાળી મનાવી રહ્યો છે પંરતુ તમે આ ગામમાં આવ્યા છો. તેનું કારણ શું છે? એ સમયે નરેન્દ્ર મોદી પણ ભાવુક બની ગયા હતા અને મીડિયાને કહ્યું હતું કે આજે આખો દેશ દિવાળીના દીવા પ્રગટાવી રહ્યો છે..... આટલું કહેતાં જ તેમના ગળે ડૂમો બાજી ગયો હતો. મોદી આગળ બોલી ન શક્યા. ત્રીજી વખત જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એટલું જ બોલી શક્યા કે આજે આખો દેશ દિવાળીના દીવા પ્રગટાવી રહ્યો છે પરંતુ આ ગામના દરેક ઘરમાં જીવનદીપ બુઝાઇ ગયો છે. આટલું કહીને એ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. તેમની આંખમાં પાણી આવી ગયું હતું. ‘ગામમાં સૌથી પહેલાં મેં મૃતકો, ઇજાગ્રસ્તો અને લાપતા લોકોનો સર્વે કરી રાખ્યો હતો. જેથી નરેન્દ્ર મોદીને ગામમાં ક્યાં લઇ જવા, કેવી રીતે બધું નુકસાન બતાવવું તેનો મને ખ્યાલ હતો. એ હિસાબે મારે આખા ગામમાં એમની સાથે રહેવાનું થયું હતું.’ ચોબારીના લોકો સાથે મોદીનો સતત સંપર્કરામજીભાઇએ કહ્યું, એપીસેન્ટર હોવાના કારણે સ્વભાવિક છે કે ચોબારી ગામમાં તીવ્રતા વધુ હોય. એ પરિસ્થિત નિહાળીને નરેન્દ્ર મોદીને લાગ્યું કે કચ્છમાં આટલી બધી ખાનાખરાબી થઇ છે. માત્ર દિવાળી મનાવી એટલું જ નહીં એ પછી પણ એ સતત ચોબારીના લોકો સાથે સંપર્કમાં હતા. ‘ઘણીવાર મારે મળવાનું થતું હતું ત્યારે પણ મોદી હાલચાલ પૂછતાં હતા. આ વિસ્તારના ત્યારના ધારાસભ્ય ધીરુભાઇ શાહ એ સમયે વિધાનસભાના અધ્યક્ષ હતા. એના કારણે મારે મોદીને મળવાનું થતું ત્યારે તેઓ મને પૂછતાં કે ચોબારીની હાલત કેવી છે? શું ચાલે છે ત્યાં? વડાપ્રધાન બન્યા પછી આજે પણ મોદી કચ્છમાં આવે તો ચોબારીનો ઉલ્લેખ કરે છે. એ પહેલા અમારે એમની સાથે કોઇ સબંધ નહોતા પણ ભૂકંપ વખતે વિઝિટ થઇ એ પછી ઘણીવાર સંપર્કમાં રહેવાનું થયું હતું.’ જ્યારે રામજીભાઇને મુખ્યમંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યોભૂકંપ સમયે રામજી મેરિયાએ જે ફોટો ક્લિક કર્યા હતા તે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તેમની પાસે માગવામાં આવ્યા હતા. આ કિસ્સાને યાદ કરતા તેમણે કહ્યું કે, ભૂકંપ સમયે મેં ફોટોગ્રાફી કરી હતી જેથી એ ફોટો ફક્ત મારી પાસે હતા. CMOમાંથી ત્રણેક વાર મારા પર ફોન આવ્યા હતા કે આ ફોટો મારે પહોંચાડવાનો છે. ‘એક વખત સામખિયાળીમાં પ્રોગ્રામ હતો. મેં એમને રૂબરૂ ફોટો આપ્યો ત્યારે ધીરુભાઇએ (વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ) કહ્યું કે નરેન્દ્રભાઇ રામજી તમારા માટે ફોટો લાવ્યો છે. એ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો કે તમારી પાસે આ ફોટો છે. 2011 માં સદભાવના મિશન વખતે મને કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી વાગડ આવી રહ્યાં છે ત્યારે મે એક સૂત્ર આપ્યું હતું કે ભાતીગળ વાગડ, સૌથી આગળ. આજે વાગડમાં આ સૂત્ર બહુ ચાલે છે.’ આ તો હતી ચોબારી ગામના રામજી મેરિયાની વાત. રામજીભાઇ જેવી જ અન્ય એક વ્યક્તિ છે દિલીપ દેશમુખ. બસ, બન્નેમાં ફેર માત્ર એટલો કે રામજીભાઇ પોતાની બાઇક પર હતા અને મોદીનો કાફલો તેમની પાછળ. જ્યારે દિલીપ દેશમુખે નરેન્દ્ર મોદીને પોતાની બાઇક પાછળ બેસાડીને ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરાવી હતી. દિલીપ દેશમુખ બાઇક ચલાવતા હોય અને મોદી તેમની પાછળ બેઠાં હોય તેવો 25 વર્ષ જૂનો ફોટો આજની તારીખે પણ તમને ઇન્ટરનેટ પર જોવા મળે. દિવ્ય ભાસ્કરે દિલીપ દેશમુખ સાથે વાત કરીને એ દિવસનો ઘટનાક્રમ અને મોદી સાથેના કિસ્સાઓ અંગે માહિતી મેળવી હતી. દિલીપ દેશમુખ આજે 'દાદા' તરીકે ઓળખાય છે. તેઓ 1982થી RSSના પ્રચારક હતા. મહારાષ્ટ્રમાં થોડો સમય કામ કર્યા પછી પ્રચારક તરીકે ગુજરાત આવ્યા. શરૂઆતમાં 10 વર્ષ દક્ષિણ ગુજરાતમાં પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી હતી બાદમાં 3.5 વર્ષ ઉત્તર ગુજરાતમાં પ્રચારક તરીકે કામ કર્યું હતું. 2004 સુધી સંઘના પ્રચારક હતા, હવે પ્રચારક નથી. 2005થી માંડવી તાલુકાના બીદડા ગામમાં એક શાળાના સંચાલક છે. અત્યારે ફૂલ ટાઇમ ફ્રી લાન્સર છે. 2020માં તેમણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું ત્યારબાદ તેમણે અંગદાન માટે ઝુંબેશ શરૂ કરી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ભૂકંપના દિવસની ગોઝારી યાદોને વાગોળી. 26મી જાન્યુઆરી, 2001ના દિવસે તેઓ સામખિયાળી હતા. ભૂકંપ બાદ તેમણે ભૂજ જવાનું નક્કી કર્યું હતું. અંજારમાં સેંકડો લાશો જોઇતેમણે કહ્યું, ભૂકંપ આવ્યો એટલે સંચાર તંત્ર ઠપ થઇ ગયું હતું. મેં નક્કી કર્યું કે મારે ભૂજ જવું જોઇએ. પહેલા હું ભચાઉ ગયો ત્યાંથી ગાંધીધામ, આદિપુર, અંજાર અને વચ્ચે આવતા ગામોમાં થઇને સાંજે હું ભૂજ પહોંચ્યો. અંજારમાં તો મેં મારી નજરે સેંકડો લાશો જોઇ હતી. લોકોમાં અતિશય ભયનો માહોલ હતો. શું કરવું એ ખબર નહોતી પડતી. હું રતનાલ ગયો ત્યાં તે સમયે સંઘના જિલ્લા સહકાર્યવાહ અને અત્યારના ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદને હાથલારીમાં 2 લાશો લઇને જતાં જોયા હતા. 26 તારીખે ધરતીકંપ આવ્યો અને 27મી તારીખે નરેન્દ્ર મોદી કચ્છ આવી ગયા હતા. વહેલી સવારે દિલીપ દેશમુખે ભૂજના જ્યૂબિલી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. મોદીએ કહ્યું- લખીને આપો કે શું કરવું જોઇએ?આ વાતને યાદ કરતા દિલીપ દેશમુખ આગળ કહે છે કે, બંડારૂ લક્ષ્મણ પણ નરેન્દ્ર મોદી સાથે હતા. મારી નરેન્દ્ર મોદી સાથે 10 મિનિટની મુલાકાત થઇ હતી. હું નરેન્દ્ર મોદીને કંઇક કહેવા ગયો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમે મને લખીને આપો કે શું કરવું જોઇએ? 'ચારેક દિવસ બાદ નરેન્દ્ર મોદી ફરી આવ્યા હતા. હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે આપણે બધે ફરીને જોવું છે. ચાલો, આપણે કોઇ કાર્યકર કે અન્ય લોકોને મળીએ.' આ વાતચીત પછી દિલીપ દેશમુખ નરેન્દ્ર મોદીને પોતાની બાઇક પર બેસાડીને ભૂજમાં નીકળી પડ્યા હતા. નરેન્દ્ર મોદી 3-4 કલાક બાઇક પર ફર્યાતેઓ કહે છે કે, લગભગ 3-4 કલાક સુધી અમે લોકો સમગ્ર ભૂજ ફર્યા હતા એ મને બરાબર યાદ છે. એમની પાસે કાર હતી પણ તેમાં બધે જવાય તેમ નહોતું, જેમ કે વાણિયાવાડમાં આજે પણ કાર લઇ જવી મુશ્કેલ છે એટલે અમે મારી મોટરસાયકલ પર ગયા હતા. જે જગ્યાએ મોટરસાયકલ જાય તેમ નહોતી ત્યાં અમે ચાલીને ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. મોદી સંઘ કાર્યાલય પાસે આવ્યા હતા ત્યાંથી હું તેમને મોટર સાયકલ પર બેસાડીને ફરી પાછા ત્યાં જ લઇ આવ્યો હતો.' મોદીએ કાર્યકરના ઘરે રાત વિતાવીઆફ્ટર શોકની ભીતિ વચ્ચે મોદી બે માળના મકાનમાં અંદર જઇને બીજા માળે રહ્યા હતા. આ કિસ્સાને યાદ કરતા દિલીપ દેશમુખે કહ્યું, અમે જ્યારે મોટર સાયકલ પર ફર્યા હતા ત્યારે મોદી ભાજપના મહામંત્રી હતા. એ સમયે રાત પડી ગઇ હતી. ભાજપના કાર્યાલયમાં રહેવાની કોઇ વ્યવસ્થા નહોતી કારણ કે બધા લોકો શેતરંજી પર સૂતા હતા. સાંજે સાડા સાત વાગ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તમે રોકાવાના છો? તેમણે મને કહ્યું કે હા, રોકાવાની ઇચ્છા છે પછી અહીંના કાર્યકર ઉષાબેન માંડલકરના ઘરે રહ્યાં હતા. ઉષાબેનનો આખો પરિવાર અને તેમની શેરીના લોકો ઘરની બહાર સૂતા હતા પણ નરેન્દ્ર મોદી એકલા ઉષાબેનના ઘરના બીજે માળે રહ્યાં હતા. નરેન્દ્ર મોદીએ પુનઃવસન અને કચ્છને બેઠું કરવા માટે જે કર્યું તેનો ઉલ્લેખ પણ દિલીપ દેશમુખે કર્યો. તેમણે ઉમેર્યું કે, રિહેબિલિટેશન અંગે નરેન્દ્ર મોદીએ પોતાનો મત રજૂ કર્યો હતો. જે ગામ પડી ગયા છે તેને એમ જ રાખીને ત્યાંથી દૂર નવી રચના સાથે રિહેબિલિટેશન કરવું જોઇએ તેવું કહ્યું હતું. ત્યારે મારી એટલી સમજ નહોતી. મેં તેમને કહ્યું હતું કે આવવા-જવા માટે દૂર પડશે તો મોદીએ મને કહ્યું હતું કે ભલે તમને દૂર લાગે છે પણ ભવિષ્યમાં બધા પાસે સાધનો આવી જશે, કોઇને કશું દૂર નહીં લાગે. નરેન્દ્ર મોદીએ નસલી વાડિયાને ફોન કરીને ભૂકંપગ્રસ્ત કચ્છીઓ માટે બ્રિટાનિયા બિસ્કિટના 10 લાખ કાર્ટૂન મગાવ્યા હતા. દિલીપ દેશમુખે કહ્યું, ભૂકંપ બાદ ઘણા વીઆઇપી લોકો અહીંયા આવ્યા હતા. નાનાજી દેશમુખ સાથે નસલી વાડિયા પણ આવ્યા હતા. મને ખબર નહોતી કે નસલી વાડિયા કોણ છે.અમે આખો દિવસ સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં આવતા તેમણે નરેન્દ્ર મોદીની વાત કરી હતી. નસલી વાડિયાએ મને કહ્યું હતું કે, એક રાતે નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે નસલી મારે બિસ્કિટ જોઇએ છે. મેં તેમને પૂછ્યું કે કેટલા જોઇએ છે? તેમણે કહ્યું કે 10 લાખ. મેં પૂછ્યું કે 10 લાખ શું? તો મોદીએ કહ્યું કે 10 લાખ કાર્ટૂન જોઇએ છે. આના પછી નસલી વાડિયાએ બ્રિટાનિયા બિસ્કિટ મોકલ્યા હતા. જે 6 મહિના સુધી કચ્છના લોકોએ ખાધા હતા. તેઓ કહે છે કે, હું 1987 થી નરેન્દ્ર મોદીને ઓળખું છું. એ સમયના અમે જેટલા કાર્યકરો છીએ એ સાર્વજનિક રીતે સાહેબ બોલીએ છીએ પણ વ્યક્તિગત રીતે તેમને નરેન્દ્રભાઇ તરીકે જ એમને સંબોધન કરીએ છીએ. એ તેમની ખાસિયત છે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા પછી પણ અમારા માટે તો એ નરેન્દ્રભાઇ જ છે. પાકિસ્તાને મોકલેલી સહાય અને કેશુબાપાનો જવાબભૂકંપ બાદ અન્ય દેશોની જેમ પાકિસ્તાને પણ સહાય સામગ્રી મોકલી હતી પણ પાકિસ્તાનની સહાય સ્વીકારવી કે નહીં તે મુદ્દો ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો કેમ કે કારગિલ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા હતા. આ અંગે દિલીપ દેશમુખે કહ્યું કે, મને યાદ છે ત્યાં સુધી કેશુભાઇ પટેલ 4-5 ફેબ્રુઆરીએ અહીંયા આવેલા અને ટેન્ટમાં રાત રહ્યાં હતા. એમની સાથે મુલાકાત કર્યા બાદ હું એરપોર્ટ સુધી મૂકવા પણ ગયો હતો. તેમની સાથે રાજેન્દ્રસિંહ રાણા પણ સાથે હતા. પાકિસ્તાન સહિત અલગ અલગ દેશોમાંથી પણ ખૂબ સહાય આવી હતી. પાકિસ્તાને મોકલેલી સહાય સ્વીકારવી કે નહીં એ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. હું એ સમયે ઉંમરમાં નાનો હતો. જનમાનસ એવું હતું કે આપણે એ સહાય ન લેવી. મેં સહજભાવે કેશુભાઇને પૂછ્યું હતું કે પાકિસ્તાનથી સહાય આવી એનું શું છે? ત્યારે તેમણે મને કહ્યું કે આટલું મોટું આભ ફાટી નીકળ્યું છે ત્યારે કોઇને કઇ રીતે કહી શકાય કે આ સહાય નથી જોઇતી. દુનિયામાંથી કચ્છને મદદ મળી'કેટલા લોકોના મૃત્યુ થયા છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે, કેટલા ઘર પડ્યા છે તેનો અંદાજો આવતા આવતા તો ઘણા દિવસો થયા. ભૂકંપના બીજે દિવસે દેશના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ એર સર્વેલન્સ કરીને ગયા હતા. તેમણે દિલ્હી પહોંચીને એવું કહ્યું કે એક લાખ લોકોના મોત થયા છે. જેના કારણે પણ કચ્છમાં ખૂબ મદદ આવી હતી.' તેઓ આગળ કહે છે કે, એટલી મદદ આવી કે વિતરણ કેવી રીતે કરવું એ સમસ્યા હતી. વિતરણ કરવા માટે પણ માણસો જોઇએ એટલે સરકારે બીજા દિવસે નિર્ણય કર્યો કે સમગ્ર કચ્છમાંથી કોઇને અહીંયા આવવું હોય તો એક મહિના સુધી બસમાં મફત મુસાફરી કરી શકશે. એ સમયે આસપાસના ગામના ઘણા લોકો ફક્ત જમવા માટે અહીંયા આવતા હતા. ઘણી સંસ્થાઓએ પોતાના રસોડાં ચાલુ કર્યા હતા, જોકે આ 10 દિવસ પછીની વાત છે. શરૂઆતના દિવસોમાં તો લોકો બહુ ભયમાં હતા કે રોગચાળો ફાટી નીકળશે. ------------ ભૂકંપ સિરિઝના આ અહેવાલ પણ વાંચો…. 'મેં કમસેકમ 140 લાશ કાઢી હતી':રામજી મંદિર ઊભું રહ્યું પણ ભગવાનનું સિંહાસન ફરી ગયું, ભરચક બજાર મેદાન થઈ ગઈ, ભૂકંપના કેન્દ્રબિંદુ ચોબારીમાં કુદરતે વિનાશ વેર્યો ભુજથી ચોબારી ગામ બરાબર 100 કિલોમીટર દૂર થાય. ચોબારી આમ તો ભચાઉ તાલુકાનું ગામ છે. ભચાઉથી માત્ર 31 કિલોમીટરનું અંતર છે. ચોબારી ગામ કચ્છનું છેવાડાનું ગામ કહી શકાય. ચોબારીથી કચ્છના સુકા પવન પૂરા થાય ને ચોબારી પછી ભીના પવન શરૂ થાય. કચ્છના ઈતિહાસમાં ચોબારીનું મહત્વ ઘણું. 400 વર્ષ પહેલાંના ધિંગાણા પછી 752 પાળિયા આજેય ઊભા છે. પણ 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપે ચોબારીને કચ્છના ઈતિહાસમાં જ નહિ, વિશ્વના ઈતિહાસમાં અંકિત કરી દીધું. જી હા, આ એ જ ચોબારી છે જ્યાં 2001ના પ્રજાસત્તાક દિવસની સવારે 8:46 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી. ચોબારી એટલે મોટા ભૂકંપનું કેન્દ્રબિંદુ. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- એકસાથે 185 બાળકો હોમાઇ ગયા:અંજારના ખત્રી ચોકમાં મોતનું તાંડવ, પેશાબ પીને કાટમાળમાં ચાર દિવસ કાઢ્યા, જીવિત રહેનારે ખૌફનાક વાત કહી કચ્છના ભૂકંપના સમાચારથી દુનિયા સ્તબ્ધ હતી પણ અંજારની એક ઘટનાએ વિશ્વને મોટો આંચકો આપ્યો હતો. અંજારના એ સમાચાર સાંભળીને ભલભલા રડી પડ્યા હતા. ઘટના 26 જાન્યુઆરી 2001ની જ હતી. અંજારની સ્કૂલોના વિદ્યાર્થીઓની ભવ્ય રેલી નીકળી હતી. થોડી મિનિટો પછી આ રેલી ભરચક્ક વિસ્તાર ખત્રી ચોકમાં પહોંચી. અહિયા રેલી પહોંચી ને પ્રચંડ વિસ્ફોટ સાથે ધરતી ધણધણી ઉઠી. આસપાસ સિંગલ માળ અને વધીને બે-ત્રણ માળના મકાનો હતા તે ધડાધડ પડવા લાગ્યા. નગરપાલિકાની 18 સ્કૂલ અને 2 કન્યાશાળા મળીને કુલ 20 સ્કૂલના વિદ્યાર્થીઓ તે દિવસે રેલી માટે ભેગા થયા હતા. દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોને ત્યાં પહોંચવાનું હતું. રેલી ટાઉનહોલ સુધી જવાની હતી. રેલી નીકળી તો ખરી પરંતુ ટાઉનહોલ સુધી પહોંચી ન શકી. ધરતીકંપ રૂપી કાળ 185 વિદ્યાર્થીઓ અને 20 શિક્ષકોને ભરખી ગયો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------ કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનું માસૂમ બાળક 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યું, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ની સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રૂજી ગયા હતા. તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય બાજુ દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- મોદીએ કહ્યું, આપણે ભુજ જવાનું છે:તારાજી જોઈને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોનાં મોત થયાં એનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે, પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે, જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. વાંચો સંપૂર્ણ અહેવાલ

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:00 am

‘પેટીએમના અધિકારી બનીને આવ્યા, ને 6 લાખનો ચૂનો લગાવી ગયા’:મોબાઇલ વૉલેટ ફ્રોડનો આતંક; સાયબર ફ્રોડમાં ગયેલા પૈસા પાછા શી રીતે મળે?

13 ડિસેમ્બર 2024 થી 21 ડિસેમ્બર 2024 સ્થળ: વાસણા, અમદાવાદ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જયેશભાઈ દેસાઈની. ઘર પાસે જ વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો અને એક દીકરી છે. પહેલાં તો દુકાનમાં તમામ વ્યવહાર રોકડમાં થતા હતા. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિયાનો જમાનો આવ્યો. ઓનલાઈન ફોન-પે, ગૂગલ-પે, પેટીએમ દ્વારા પેમેન્ટની સુવિધા વધવા માંડી. દુકાને નાનકડા બિસ્કિટના પેકેટથી લઇને આખા મહિનાની ખરીદી કરવા આવતા લોકો પૈસા ચૂકવવાનું આવે એટલે ખિસ્સામાંથી સીધો મોબાઇલ જ કાઢે. હવે જયેશભાઈ રહ્યા પ્રૌઢ માણસ. બદલાતા જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે, પણ ઓનલાઇન પેમેન્ટની આંટીઘૂટીઓમાં થોડી ઓછી ટપ્પી પડે. પરંતુ દુકાન ચલાવવા માટે ગ્રાહકો પરત ન જાય એટલે તેમણે પણ તેમની દુકાનમાં 2020માં PAYTM દ્વારા ઓનલાઈન રુપિયા લેવાનું શરૂ કર્યું. આ બધું કરવા માટે તેમના દીકરાએ તેમને ઘણી મદદ કરી કારણ કે, જયેશભાઈને તો આ બધું ખાસ ફાવતું નહીં. સામાન્ય રીતે જૂની પેઢી નવી ટેક્નોલોજીને થોડી શંકા અને થોડા ભયથી જોતી હોય છે. તેમને સતત કોઈ છેતરપિંડી થઈ જવાનો ભય રહેતો હોય છે. પરંતુ જયેશભાઈને ક્યાં ખબર હતી કે એમની સાથે જ લાખો રૂપિયાનો ફ્રોડ થવાનો છે અને આ ‘પેટીએમ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ જ તેમાં નિમિત્ત બનવાનું છે. ‘PAYTM’ સાઉન્ડ બોક્સના નામે લાખોનો ફ્રોડ ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં રોજબરોજનાં લગભગ તમામ નાનાં-મોટાં ટ્રાન્ઝેક્શન ડિજિટલ થઇ ગયાં છે. કોથમીરથી કાર સુધીની તમામ ખરીદીઓમાં લોકો પોતાનો સ્માર્ટફોન અથવા તો ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થઇ ગયા છે. હજારો રૂપિયાની ખરીદી હવે ખિસ્સામાં પાકિટ ન હોય તો પણ થઇ જાય છે. પરંતુ આ સગવડની સાથોસાથ સાયબર ફ્રોડમાં પણ જંગી ઉછાળો આવ્યો છે. આપણા ગુજરાતમાં જ ગયા વર્ષે 1.75 લાખથી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં લોકોએ ₹1,334 કરોડથી પણ વધુ રકમ ગુમાવી હતી. સાયબર ગઠિયાઓ લોકો કરતાં ચાર ડગલાં આગળ રહે છે અને તેમને છેતરવાની નવી નવી પદ્ધતિઓ શોધતા રહે છે. આથી આપણે જ પાણી પહેલાં પાળ બાંધવાના ભાગરૂપે સાવચેત રહેવું જરૂરી બને છે. આ માટે દિવ્ય ભાસ્કર આજથી ખાસ સિરીઝ શરૂ કરી રહ્યું છે ‘ઠગ લાઇફ’, જેમાં દરરોજ અજાણ્યા ઇ-ચોરટાઓએ નવી નવી પદ્ધતિઓથી કરેલા ફ્રોડ વિશે વાત કરીશું, જેમાં તેનો ભોગ બનેલા લોકો પોતે જ પોતાની વાત કહેશે. આજના કિસ્સામાં અમદાવાદના જયેશભાઇ દેસાઇ સાથે કેવી રીતે ‘પેટીએમ’ સાઉન્ડ બોક્સના નામે લાખોનો ફ્રોડ થયો તેની વાત આગળ ધપાવીએ. 13 ડિસેમ્બર 2024ની સવારે જયેશભાઇએ રોજની જેમ પોતાની દુકાન ખોલી. થોડી સાફ સફાઈ કરીને બધો સામાન બહાર ગોઠવ્યો. ગ્રાહકોની અવર જવર ચાલુ હતી, એટલામાં 11 વાગ્યાની આસપાસ બે અજાણ્યા માણસો કોઈ મોટા સાહેબની જેમ ટિપટોપ તૈયાર થઈને તેમની દુકાને આવ્યા. પોતાની ઓળખ આપી કે અમે PAYTM કંપનીમાંથી આવીએ છીએ. તમારા PAYTM મશીન સાઉન્ડ બોક્ષનો ચાર્જ મહીને જે 99 રુપિયા લાગે છે, તેનો ચાર્જ હાલમાં ચાલતી એક સ્કીમમાં ઘટીને મહીને 1 રુપિયો થઈ ગયો છે. આવું સાંભળીને જયેશભાઈ પણ જાણવા ઉત્સાહિત થયા અને તરત બોલ્યા કે, મારે પણ આ સ્કીમનો લાભ લેવો છે. જયેશભાઇનો જવાબ સાંભળીને સામેવાળા બે માણસોએ કહ્યું કે, આના માટે તમારા ફોનમાંથી થોડી પ્રોસેસ કરવી પડશે. ‘1 રુપિયાનો ચાર્જ ભરવા માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.’ જયેશભાઈને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો એટલે તેમણે પોતાનો ફોન તે બંને અધિકારીઓના હાથમાં આપી દીધો. જયેશભાઈ સાઇડમાં શેર માર્કેટિંગનું કામ પણ કરતા હતા અને IPO પણ ભરતા હતા. એટલે ફોનમાં નેટ બેન્કિંગની બધી વ્યવસ્થા પણ રાખતા હતા. બાદમાં તે માણસોએ જયેશભાઈને કહ્યું કે, ‘1 રુપિયાનો ચાર્જ ભરવા માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.’ જોકે જયેશભાઈ ડેબિટ કાર્ડનો ઉપયોગ પહેલાથી નહોતા કરતા કારણ કે, તેમને આ બધું ફાવતું નહીં. એટલે તેમણે ના પાડી દીધી કે, મારી પાસે ડેબિટ કાર્ડ નથી. એ બેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, આના માટે ડેબિટ કાર્ડ લેવા માટેની અરજી કરવી પડશે. એક બાજુ દુકાનમાં ગ્રાહકોની અવર જવર ચાલુ હતી અને બીજી બાજુ જયેશભાઈ આ PAYTMના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. જયેશભાઈને વાતચીત કરતાં તેમની પર વિશ્વાસ આવી ગયો એટલે તેઓ ગ્રાહકો પર વધુ ધ્યાન આપી રહ્યા હતા. બીજી બાજુ પેલા PAYTMના અધિકારી તેમના ફોનમાંથી ડેબિટ કાર્ડ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરી રહ્યા હતા. ડેબિટ કાર્ડની અરજી કર્યા બાદ જયેશભાઈને તેમનો ફોન પરત આપી દેવાયો અને કહ્યું કે, તમારા ડેબિટ કાર્ડ માટેની અરજી કરી દીધી છે. જેવું ડેબિટ કાર્ડ આવે એટલે અમને ફોન કરજો કારણ કે, આ બધી પ્રોસેસ અમે કરી છે, જેથી અમને કંપની તરફથી આનું કમિશન મળશે. આવું કહીને આ PAYTMના બંને અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા. જયેશભાઇ પણ બે પૈસા બચે તેવું સમજદારીનું કામ કર્યાના સંતોષ સાથે ગ્રાહકોમાં પરોવાઈ ગયા. જયેશભાઈએ સામેથી જાણ કરી કે, ડેબિટ કાર્ડ ઘરે આવી ગયું છે 7 દિવસ પછી 20 ડિસેમ્બર 2024ના રોજ આ બંને માણસો ફરી જયેશભાઈની દુકાને આવ્યા અને પૂછ્યું કે, ડેબિટ કાર્ડ આવ્યું કે નહીં? ત્યારે જયેશભાઈએ ના પાડીને કહ્યું કે, હજી ડેબિટ કાર્ડ આવ્યું નથી. PAYTMના એ બંને લોકોએ જયેશભાઈનો ફોન ચેક કરવા માગ્યો અને કહ્યું કે, તમારો ફોન આપો અમે જોઈ લઈએ. જયેશભાઈ એ બંને માણસોને અગાઉ મળી ચૂક્યા હતા, એટલે તેમણે નિશ્ચિંતપણે પોતાનો ફોન આપી દીધો. થોડી વાર તે બંને જણાએ જયેશભાઈનો ફોન ચેક કર્યો અને કહ્યું, ‘અમે ચેક કરી લીધું છે, ડેબિટ કાર્ડ હજી આવ્યું નથી. ડેબિટ કાર્ડ આવી જાય એટલે અમને જાણ કરજો. અમે આવી જઈશું.’ આવું કહીને બંને જણા ત્યાંથી રવાના થઇ ગયા. પછી બીજા જ દિવસે એટલે કે 21 ડિસેમ્બરની સવારે જયેશભાઈના વાસણા સ્થિત ઘરે કુરિયર દ્વારા ડેબિટ કાર્ડ આવ્યું. ડેબિટ કાર્ડ ઘરે આવ્યાની જાણ થતાં જયેશભાઈએ PAYTMના તે અધિકારીને ફોન કરીને જાણ કરીને કહ્યું કે, મારું ડેબિટ કાર્ડ આવી ગયું છે. અધિકારીઓને જાણ થતાં તે બંને જણા માત્ર અડધાથી પોણા કલાકમાં બપોરે 12 વાગ્યની આસપાસ જયેશભાઈની દુકાને પહોંચી ગયા. દુકાને પહોંચીને તેમણે જયેશભાઈ પાસેથી ફોન માગ્યો અને કહ્યું કે, ‘તમારું ડેબિટ કાર્ડ આપો PAYTMનો મહિનાનો ચાર્જ 1 રુપિયો કરી દઈએ.’ જયેશભાઈએ ફોન આપ્યો અને થોડીવારમાં તો તે અધિકારીઓએ જયેશભાઈને તેમનો ફોન પરત પણ આપી દીધો અને કહ્યું કે, ‘તમારું કામ થઈ ગયું છે, હવેથી PAYTM મશીન સાઉન્ડ બોક્ષનો ચાર્જ મહીને જે 99 રુપિયા લાગતા હતા તે હવે માત્ર 1 રુપિયો જ લાગશે.’ આવું કહીને તેઓ બંને PAYTMના કહેવાતા અધિકારી જયેશભાઈની દુકાનેથી રવાના થઈ ગયા. જમવાની તૈયારી કરતા હતા અને ખબર પડી કે સાયબર ફ્રોડ થયો છે જયેશભાઈ તે વખતે દુકાનમાં ગ્રાહકોમાં વ્યસ્ત હતા એટલે તેમણે તેમનો ફોન ચેક ન કર્યો અને મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો. થોડી વાર પછી જયેશભાઈને એક ફોન કરવાનો હતો એટલે તેમણે પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને જોયું તો તેમનો મોબાઈલ એરોપ્લેન મોડ પર હતો. આવું કઈ રીતે થયું તે તેમને સમજાયું નહીં, પણ ભૂલથી બટન દબાઈ ગયું હશે એવું માનીને એરોપ્લેન મોડ બંધ કરીને પોતાનો કૉલ કરી લીધો. ફરી પાછા તેઓ પોતાના કામે વળગ્યા અને આખો દિવસ એમ જ નીકળી ગયો. હજુયે જયેશભાઈને ખ્યાલ નહોતો કે, તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ચૂકી છે. એ જ તારીખની રાત્રે જયેશભાઈ દુકાન વસ્તી કરીને ઘરે ગયા ઘરે તેમનો છોકરો નોકરી પરથી આવી ગયો હતો. જમવાની તૈયારી કરતા હતા અને જયેશભાઈએ તેમના દીકરાને જાણ કરી કે, મારું નવું ડેબિટ કાર્ડ આવી ગયું છે. જયેશભાઈના દીકરાએ ડેબિટ કાર્ડ લઈને તેના પપ્પાનો ફોન ચેક કર્યો અને ફોનમાં બેન્કની એપ્લિકેશન ઓપન કરીને જોયું તો તેમાંથી 4 લાખ 99 હજાર અને 1 લાખના બે ટ્રાન્ઝેક્શન થયાં હતાં. એટલે કે તેમના ખાતામાંથી 6 લાખ રુપિયા ઊપડી ગયા હતા! મોબાઈલ પરત આપ્યો ત્યારથી ફોન એરોપ્લેન મોડમાં હતો આના વિશે જયેશભાઈને તેમના દીકરાએ પૂછ્યું તો તેમણે ના પાડી અને કહ્યું કે, મેં કોઈને પણ આટલી રકમ આજની તારીખમાં આપી જ નથી. દીકરો સમજી ગયો કે પપ્પા સાથે કંઈક મોટી ગેમ રમાઈ ગઈ છે. થોડીવારમાં જયેશભાઇને પણ ખ્યાલ આવ્યો કે, દુકાને બે PAYTMના અધિકારી હોવાનું કહેતા બે માણસો આવ્યા હતા અને ડેબિટ કાર્ડ લઈને ફોનમાં બધી પ્રોસેસ કરી હતી. પછી તેમણે ફોન પરત આપ્યો ત્યારથી ફોન એરોપ્લેન મોડમાં પણ હતો. એટલે તરત જયેશભાઈને તેમની ઉપર શંકા ગઈ. મોબાઈલમાંથી PAYTMના તે અધિકારીઓને ફોન કરવા ગયા તો મોબાઈલમાં તેમનો નંબર હતો જ નહીં! બંને જણા જયેશભાઈના ફોનમાંથી તેમનો નંબર, રુપિયા ડેબિટ થવાના મેસેજ બધું ડિલીટ કરીને ગયા હતા. જયેશભાઈ એ જ રાત્રે તાત્કાલિક તેમના દીકરા સાથે પોતાની કરિયાણાની દુકાને પહોંચી ગયા. ત્યાં તેમણે પોતાની ડાયરીમાં તે PAYTMના કથિત અધિકારીઓનો નંબર લખીને રાખ્યો હતો, તે કાઢ્યો અને તેના પર ફોન કર્યો. અપેક્ષા પ્રમાણે જ તે નંબર સ્વિચ ઓફ આવતો હતો. મહિનાનો ચાર્જ 1 રુપિયો કરવાની લાલચ આપી 6 લાખની છેતરપિંડી આચરી ફાઇનલી, જયેશભાઈ અને તેમના દીકરાને પાકે પાયે ખાતરી થઇ ગઇ કે તેમને PAYTM સાઉન્ડ બોક્ષનો મહિનાનો ચાર્જ 1 રુપિયો કરવાની લાલચ આપી તેમની સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. જયેશભાઈને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરીયાદ નોંધાવી. બાદમાં સ્થાનિક વાસણા પોલીસ સ્ટેશન ગયા, પરંતુ ફ્રોડ 6 લાખનો હોવાથી સ્થાનિક પોલીસે તેમને શાહીબાગ સાયબર ક્રાઈમની ઓફિસમાં મોકલ્યા કારણ કે, 3 લાખથી વધુના ફ્રોડની રકમનો કેસ હોય તો તે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાય છે અને તેનાથી ઓછો હોય તો સ્થાનિક પોલીસ જ હેન્ડલ કરે છે. જયેશભાઈ હવે ઘરેથી કરિયાણાનો ધંધો કરે છે એ પછી શું થયું એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે જયેશભાઈ દેસાઈનો સંપર્ક કર્યો. તેમણે અમને તેમના ઘરે મળવા બોલાવ્યા. તેઓ વાસણામાં પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં હાલમાં રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી તેમણે ઘર બદલી નાખ્યું હતું. હવે તેઓ વાસણામાં જ બીજા કોઈ ઠેકાણે રહે છે. તેમની કરિયાણાની દુકાન પણ એ જ એપાર્ટમેન્ટમાં હોવાથી તે પણ રિ-ડેવલપમેન્ટમાં ગઈ. આથી હાલમાં જયેશભાઈ ઘરેથી જ નાનો મોટો કરિયાણાનો સામાન વેચે છે. આમાં તેમનાં પત્ની પણ તેમને મદદ કરે છે. જ્યારે તેમનો એક દીકરો અને એક દીકરી બંને અભ્યાસ કરે છે. ‘તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું પણ નહોતું, બધાં આખી રાત જાગ્યાં હતાં’ અમે જયેશભાઈને તે બનાવ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે આવી રીતે ₹6 લાખની છેતરપિંડી થઈ છે ત્યારે અમને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. જયેશભાઈએ કહ્યું, ‘હું 21 ડિસેમ્બર 2024ની રાત્રે દુકાન બંધ કરીને વહેલો ઘરે આવ્યો હતો કારણ કે, ત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા હતા. તેમનું જમવાનું અમારા ઘરે હતું. અમે હજી જમવાની તૈયારી જ કરી રહ્યાં હતાં અને મેં મારા દીકરાને ડેબિટ કાર્ડ ઘરે આવ્યું હોવાની વાત કરી. તેણે ફોનમાં બધું ચેક કર્યું તો ખબર પડી કે ખાતામાંથી ₹6 લાખ ઊપડી ગયા છે. ત્યારે તો અમે બધા ખાધા વગર રહ્યા ઘરમાં બધા રડવા લાગ્યાં હતાં, કારણ કે અમે મહેનત કરીને આ રુપિયા ભેગા કર્યા હતા અને કોઈ આવીને આવી રીતે આપણને છેતરીને રુપિયા લઈ જાય તેનો આઘાત લાગ્યો હતો. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યુ પણ નહોતું. આવું સાંભળીને હવે કોને જમવાનું ગળે ઊતરે? બધા આખી રાત જાગ્યાં હતાં. ઘરે આવેલા મહેમાન પણ ચિંતા કરવા લાગ્યા હતા.’ PAYTMના અધિકારીની ઓળખ આપીને કુલ 5 લાખ 99 હજાર લઈ લીધા જયેશભાઈ પોતાની વાત આગળ વધારતાં કહે છે, ‘આમ તો અમારા ખાતામાં 6 લાખની ઉપર રૂપિયા હતા, પરંતુ આ PAYTMના અધિકારી હોવાનું કહેતા ગઠિયાઓએ મારા ફોનમાં લિમિટ સેટ કરીને પહેલાં 4 લાખ 99 હજાર અને પછી 1 લાખ એમ કરીને કુલ 5 લાખ 99 હજાર લઈ લીધા હતા. મને તો ખબર પણ નહીં આ લોકોએ ક્યારે લિમિટ સેટ કરી હશે. સારું થયું વધારે લિમિટ સેટ ના કરી નહીંતર હજી વધારે નુકસાન થયું હોત.’ ‘જે ₹1 લાખ UPI દ્વારા જે ખાતામાં ગયા હતા તે ખાતું સાયબર ક્રાઈમે સીઝ કરાવી દીધું હતું અને તે ₹1 લાખ મને પરત અપાવ્યા હતા. જોકે તે પાછા મળતાં 3 મહિના નીકળી ગયા હતા કારણ કે, રુપિયા લેવા માટે કોર્ટમાંથી ઑર્ડર લાવવાનો હોય, જેની પ્રોસેસ થોડી લાંબી હતી એટલે વાર લાગી. જોકે હજી સુધી બાકીના 4 લાખ 99 હજાર રુપિયા મને પરત મળ્યા નથી.’ ડેબિટ થયેલા રુપિયા વડોદરાના મોહસીન પટેલના એકાઉન્ટમાં ગયા હતા સાયબર ક્રાઈમના આ પ્રકારના નવા ફ્રોડની ફરીયાદ મળતાં સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો, જેમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચતા 3 મહિના નીકળી ગયા! તપાસ કરતાં સામે આવ્યું કે, ફરીયાદી જયેશભાઈના એકાઉન્ટમાંથી ઊપડી ગયેલા રૂપિયા વડોદરાના મોહસીન પટેલના એકાઉન્ટમાં ગયા હતા અને UPIથી ગયેલા 1 લાખ રુપિયા ઝારખંડના કોઈ એકાઉન્ટમાં ગયા હતા. પોલીસ આ માહિતીના આધારે પહેલાં વડોદરા મોહસીન પટેલ સુધી પહોંચી. મોહસીનની પૂછપરછમાં સામે આવ્યું કે, તેણે સદ્દામ પઠાણ અને સલમાન શેખના નામના શખ્સોના કહેવાથી તેમનું બેન્ક એકાઉન્ટ ભાડેથી વાપરવા આપ્યું હતું, એટલે પોલીસે સદ્દામ અને સલમાનને પણ ઉઠાવી લીધા. આ ત્રણેયની પૂછપરછ કરતાં PAYTMના અધિકારી બનીને આવેલા બ્રિજેશ પટેલ અને રાજસ્થાનના ગોવિંદ ખટીક સુધી પહોંચી. 500 લોકોને ટાર્ગેટ કરીને 3 કરોડ કરતાં પણ વધુની છેતરપિંડી આચરી આ તમામની ધરપકડ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી. તેમાં જાણવા મળ્યું કે, આ લોકો પકડાયા ત્યાં સુધીમાં 2 વર્ષમાં ગુજરાતમાં 500 લોકોને ટાર્ગેટ કરીને 3 કરોડ કરતાં પણ વધુની છેતરપિંડી આચરી ચૂક્યા છે, જેમાં બ્રિજેશ પટેલ તો અગાઉ 2021માં PAYTMનો કર્મચારી રહી ચૂક્યો છે! પેટીએમમાં તે સેલ્સ માર્કેટીંગનુ કામ-કાજ કરતો હતો. બ્રિજેશ PAYTMમાં નોકરી કરતો હતો તે દરમિયાન કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી એટલે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારપછી બ્રિજેશે આ જ કામ કરવાનું શરૂ કર્યું. PAYTM સ્કેનરમાં 1 રુપિયો સ્કેન કરવાનું કહીને વિશ્વાસમાં લેતા હતા 2022માં PAYTM કંપનીના અન્ય કર્મચારીઓને પણ બ્રિજેશે આ રેકેટમાં જોડ્યા અને સાથે મળી એક ગેંગ બનાવી. આ લોકો ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં PAYTM સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારને ટાર્ગેટ કરતા અને તેમાં પણ એવા દુકાનદારો કે જે વૃદ્ધ હોય ઓછું ભણેલા ગણેલા હોય. આ લોકો તેમને ટાર્ગેટ કરીને PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપતા અને દુકાનદારને પોતાના PAYTM સ્કેનરમાં 1 રુપિયો સ્કેન કરવાનું કહીને વિશ્વાસમાં લઈને દુકાનદારનો ફોન લઈને ફોન બેન્કિંગ એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લેતા અને છેતરપિંડી આચરતા... આ લોકોની ગેંગમાં અલગ અલગ માણસો કામ કરતા હતા. જયેશભાઈ દેસાઈના કેસમાં સાયબર ક્રાઈમે આ ગેંગના કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બધાનું કામ અલગ અલગ હતું. જેમાં ગોવિંદ ખટીકનું કામ દુકાનદારો પાસે જઇ PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપીને દુકાનદારના મોબાઇલ ફોનથી રિક્વેસ્ટ અંગેનો મેઇલ કરવાનું કહી દુકાનદારનો મોબાઇલ ફોન મેળવી અન્ય બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. પરાગ નામનો આરોપી આર.બી.આઇ. બેન્કમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો અને અલગ અલગ વ્યક્તિઓનાં બેન્ક એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો. રાજ પટેલ દુકાનદાર પર વૉચ રાખવાનું કામ કરતો હતો. આરોપી ‘ડિલક્ષ’ ઉર્ફે ‘ડબુ’ પોતે PAYTMનો કર્મચારી રહી ચૂક્યો છે જે ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ સાઇટમાં રજિસ્ટ્રેશન કરી ગેમિંગના એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા મેળવવાનું કામ કરતો હતો. આરોપી પ્રીતમ પણ PAYTM નો કર્મચારી રહી ચૂક્યો છે, જે રાજસ્થાનથી અલગ અલગ વ્યક્તિઓનાં નામનાં બેન્ક એકાઉન્ટ તથા નકલી સિમકાર્ડ મંગાવી આપવાનું કામ કરતો હતો. બધાને પોત પોતાનાં કામ માટે નક્કી કરાયેલી ચોક્કસ રકમ આપવામાં આવતી હતી. બ્રિજેશ પટેલ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ જે પણ રૂપિયા પડાવતા તે રૂપિયા ઓનલાઈન ગેમિંગ એપમાં જમા કરાવતા હતા. ત્યારબાદ તે રૂપિયા ઉપાડવા માટે રાજસ્થાનના માણસોનો ઉપયોગ કરતા હતા. ગુનાની મોડ્સ ઓપરેન્ડીઃ સાઉન્ડ બોક્સના નામે મોબાઇલમાં ઘૂસી જતા સાયબર ક્રાઈમની તપાસમાં નવા પ્રકારની મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં આ આરોપીઓ દ્વારા અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં અલગ અગલ શહેરમાં જઇ PAYTM સાઉન્ડ બોક્સના મશીન ધરાવતા દુકાનદારોને ટાર્ગેટ બનાવતા. બાદમાં દુકાનદારને PAYTM કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, PAYTM સાઉન્ડ બોક્સ મશીનના જે અલગ-અલગ માસિક ચાર્જ આવે છે, તે ચાર્જ હાલમાં રૂ.1/- અથવા ફ્રી થઇ જશે તેવું કહી, દુકાનદારને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ દુકાનદારને તેમની બેન્ક એપ્લિકેશનથી પોતાના જ PAYTM સ્કેનરમાં રૂ.1/- ટ્રાન્સફર કરવાનું કહી બેન્કિંગ એપ્લિકેશનનો પિન જાણી લેતા. એ પછી દુકાનદારના મોબાઇલ ફોનમાંથી PAYTMને રિક્વેસ્ટ અંગેનો મેઇલ કરવાનું કહી મોબાઇલ ફોન લઇ દુકાનદારના મોબાઇલ ફોનથી બેન્કની એપ્લિકેશન દ્વારા નાણાં ટ્રાન્સફર કરી દેતા અને બાદમાં ટ્રાન્ઝેક્શનના મેસેજ ડિલીટ કરી દેતા જેથી કરીને ભોગ બનનાર વ્યક્તિને પોતે છેતરાયા હોવાની જાણ ઘણી મોડી થતી હતી. તેનો લાભ આ આરોપીઓને મળતો હતો અને પકડમાં આવતા નહોતા. આ ગેંગ મોટા ભાગે ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ સાઇટમાં રજિસ્ટ્રેશન કરી ગેમિંગના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી, ત્યારબાદ આવી સાઇટ પરથી પોતાનાં એકાઉન્ટ્સમાં નાણાં જમા કરતા હતા. ઓછું ભણેલા વેપારીઓ વધુ ભોગ બન્યા આ કેસ ડિટેક્ટ કરનાર મહિલા પોલીસ અધિકારી સાયબર ક્રાઈમનાં પોલીસ ઈન્સ્પેક્ટર ભૂમિકા પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી. તેમાં તેમણે જણાવ્યું, ‘આ મારી લાઇફનો અત્યાર સુધીનો એક મહત્ત્વનો કેસ હતો, કારણ કે આ ટોળકીએ ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હતી, જેમાં આ લોકો નાના લારી, ગલ્લા, કરિયાણાની દુકાનવાળાઓને ટાર્ગેટ કરતા હતા. મોટા ભાગે કોઈ ફરિયાદ કરતું નથી, કારણ કે ભોગ બનનાર લોકો મોટા ભાગે ઓછું ભણેલા હતા અને આ લોકો નાની રકમની છેતરપિંડી કરતા હતા. એટલે ભોગ બનનાર એવું વિચારી લેતા કે આટલી રકમ માટે કોણ પોલીસના ધક્કા ખાય? આવું વિચારીને લોકો પોલીસ કેસ કરે નહીં એટલે આ લોકોની હિંમત વધતી ગઈ હતી. પરંતુ આ કેસમાં ₹6 લાખનો ફ્રોડ થયો હતો અને ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં અમે આ આખી ગેંગ સુધી પહોંચ્યા હતા.’ 9 માંથી 4 આરોપી તો PayTMના જ પૂર્વ કર્મચારી નીકળ્યા! પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતાં તેમના મોબાઈલ ફોનમાંથી 150થી 250 જેટલા કિરાણા સ્ટોર્સનાં નામ પિન નંબર સાથે સેવ કરેલા મળ્યા હતા! આ લોકો મોટેભાગે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હતા. આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જે તમામ ભણેલા ગણેલા છે. આ નવ આરોપીઓમાંથી 4 આરોપીઓ તો અગાઉ PAYTMમાં નોકરી હતા! આવા જ પ્રકારના ફ્રોડ કરતા કંપનીની સામે આવતા તેમને નોકરીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ લોકો નોકરીમાંથી નીકળી ગયા, પરંતુ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ ફ્રોડસ્ટરોની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, દરેક આરોપીનો અલગ અલગ રોલ હતો. જેમાં આ લોકો પહેલાં તે દુકાનની રેકી કરતા હતા અને જોતા હતા ક્યાં કેવો માહોલ છે અને કેવી ગ્રાહકી છે, દુકાનદાન સપોર્ટ કરશે કે નહીં વગેરે. વાતચીતમાં તેઓ જાણી લેતા હતા કે દુકાનદારને કેટલું નોલેજ છે. અમુક લોકો તો ડાયરેક્ટ ના પાડી દે કે અમારે આવું કંઈ કરાવવું નથી એટલે આ લોકો એ દુકાનના નામની સામે ચોકડી મૂકી દેતા અને અન્ય કોઈ દુકાનને ટાર્ગેટ કરતા. કોઈ દુકાનદાર હા પાડે એટલે આ લોકો પહેલી વિઝિટમાં દુકાનદાર પાસે સ્કીમનો લાભ લેવા માટે ફોર્મ ભરાવતા. બાદમાં બીજી મુલાકાત લઈને દુકાનદારના મોબાઈલમાં નેટ બેંકિંગમાં બેનિફીશિયરી એકાઉન્ટ એડ કરતા. પછી ત્રીજી મુલાકાત કરીને દુકાનદારના ફોનમાં જે બેનિફિશિયરી એડ કરેલા છે, તે એકાઉન્ટમાં આ લોકો રૂપિયા દુકાનદારના ફોનમાંથી ઓનલાઇન ડિપોઝીટ કરી નાખતા હતા. પછી ‘તિરંગા’ અને ‘ડોરાબેટ’ જેવી ગેમિંગ એપ્લિકેશન દ્વારા તે રૂપિયા વિથડ્રો કરી લેતા હતા. PI ભૂમિકા પટેલ કહે છે, ‘આ ગુનો દાખલ થયા બાદ સમાચારમાં આવતાં આવી જ રીતે ભોગ બનેલા કેટલાક લોકો અમારી પાસે સામેથી ફરિયાદ કરવા આવ્યા હતા, જેમાં અમે આ લોકોની વિરુદ્ધ અન્ય 5 ગુના દાખલ કર્યા હતા. જોકે, સમય જતાં આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે.’

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 6:00 am

તત્કાલીન મામલતદારે કરી જમીનની ખેરાત:પીપળિયા ગામે તત્કાલીન મામલતદારે લહાણી કરેલી જમીન પરત લેવા હુકમ કરતા કલેક્ટર

રાજકોટની ભાગોળે આવેલા બિનખેતી પોટેન્શિયલ વાળા વિસ્તારમાં તેમજ રૂડા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2016થી 2018ના સમયગાળામાં તત્કાલીન સિટી પ્રાંત-2 દ્વારા અનેક સરકારી હેડે ચાલતી જમીનો ખાનગી ઠેરવી દેવા હુકમ કર્યા છે. ત્યારે આવા હુકમને હાલમાં રિવિઝનમાં લેવાની કાર્યવાહી ચાલુ છે તેવા સમયે જ રાજકોટ તાલુકાના પીપળિયા ગામના એક કિસ્સામાં તત્કાલીન તાલુકા મામલતદારે વહેતી ગંગામાં હાથ ધોઈ કરોડોની કિંમતી એક એકર જમીનની લહાણી કરતો હુકમ કરતા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે હુકમને રિવિઝનમાં લઈ નોંધ રદ કરવા હુકમ કર્યો છે. રાજકોટ તાલુકાના પીપળિયા ગામે પ્રમોલગેશન નોંધ નંબર 183થી રેવન્યુ સરવે નંબર -60ની એકર 7.13 ગુંઠા જમીન જેરામ પાંચાના ખાતે આવેલી હતી. બાદમાં નોંધ નંબર 278 તા.25-06-1987થી બેચર જેરામના ખાતે એ.2.04 ગુંઠા, જીણા જેરામના ખાતે એ.2.05 ગુંઠા અને હંસરાજ જેરામના ખાતે એ.2.04 ગુંઠા જમીન મળી કુલ એ.6.13ની વહેંચણી કરવામાં આવી હતી. જેથી આ કિસ્સામાં જેરામભાઈના પુત્ર મધુભાઈ જેરામભાઈએ વર્ષ 2017માં રાજકોટ તાલુકામાં મામલતદારને અરજી કરી બાકી રહેતી 1 એકર જમીન ખાતે ચડાવવા અરજી કરતા તત્કાલીન મામલતદારે કમ્પ્યૂટર રેકર્ડમાં ભૂલ હોવાનું જણાવી એક એકર જમીનનું 7/12નું પાનિયું તૈયાર કરી નાખી મધુભાઈ જેરામભાઈના નામે જમીન ચડાવી દેવા હુકમ કરતા 30 વર્ષ બાદ થયેલી અરજીના આધારે મામલતદારે કરેલો હુકમ અનિયમિતતા વાળો, સત્તામર્યાદા બહારનો અને ક્ષતિયુક્ત હોવાનું નોંધી કલેક્ટરે આ કેસમાં કાર્યવાહી માટે અરજદારે નાયબ કલેક્ટર સમક્ષ સમક્ષ દાદ મેળવવા અરજી કરવી જોઈએ તેવું નોંધી તત્કાલીન મામલતદારે કરેલો હુકમ રદ કરી 7/12ના પાનિયા બંધ કરવા હુકમ કર્યો હતો. જમીન ખરીદનાર ફસાયાતત્કાલીન રાજકોટ તાલુકા મામલતદારે વર્ષ 2018માં 30 વર્ષ બાદ ખાતેદારને ઘટતી એક એકર જમીન મૂળ ખાતેદારના વારસદારના ખાતે ચડાવવા હુકમ કર્યા બાદ મૂળ ખાતેદારના વારસદારોએ વર્ષ 2023માં કૈલાશકુમાર વ્રજલાલ સોમૈયાને રૂ.5.40 લાખમાં વેચાણ કરી નાખી હતી. જોકે, મામલતદારની હુકમી નોંધ રદ કરવામાં આવતા હાલમાં આ વેચાણ વ્યવહાર પણ અટકી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:56 am

ગાંજો ઝડપાયો:કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે. રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન પોતે કોલકાતાથી ગાંજો મગાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. કોલકાતાથી રાજકોટ ગાંજો પહોંચાડનાર શખ્સનું નામ ખૂલતા એસઓજીની ટીમે તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કેનાલ રોડ નવા કુંભારવાડા શેરી નં.12/9ના ખૂણેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઊભો હોવાની એસઓજી અને સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે દરોડો માદક પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો. પૂછતાછ દરમિયાન શખ્સે તેનું નામ સૂરજ રાજુભાઇ રાય(ઉ.વ.27 ધંધો-મજૂરીકામ રહે- હાલ નવા કુંભારવાડા શેરી નં.12 મુરલીધર એપાર્ટમેન્ટ ત્રીજા માળે ભાડેથી) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ હુગલી પશ્ચિમ બંગાળનો છે. અહીં દોઢેક વર્ષથી રહી મજૂરીકામ કરતો હતો. પૂછપરછ દરમિયાન પોતે કોલકાતાથી ગાંજો મગાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો હોવાનું રટણ કર્યું હતું. પોલીસે આરોપીની ફોન-કોલ્સની ડિટેલ મગાવી ગાંજાના ખરીદ વેચાણની ચેનલ જાણી રાજકોટમાં નાર્કોટિક્સ પદાર્થો લાવનારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરી એસઓજી પીઆઈ એસ.એ. જાડેજા અને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ આર.જી.પઢિયાર સહિતની ટીમે પાર પાડી છે. છેલ્લા એક વર્ષમાં એસઓજીએ 27 દરોડા પાડ્યા, રૂ.97.70 લાખના માદક પદાર્થ સાથે 38ને ઝડપી લીધાએસઓજીની ટીમે શહેરમાં માદક પદાર્થની આપ-લેને જડમૂળથી ડામી દેવા છેલ્લા એક વર્ષમાં 27 દરોડા પાડી રૂ.97.70 લાખના મેફેડ્રોન, હેરોઈન અને ગાંજા સાથે કુલ 38 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મેફેડ્રોનના 12 કેસ, હેરોઈનના 02 કેસ અને ગાંજાના કુલ 13 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર રાખી તે સંબંધી ગુનો આચરનાર કુલ 13 આરોપીને દેશી બનવાટની રિવોલ્વર તેમજ તમંચા સાથે પકડી લેવામાં આવ્યા છે. આવા કુલ 13 કેસ નોંધાયા છે જેમાં હથિયારની સંખ્યા 13 તેમજ જીવતા કાર્ટિસની સંખ્યા 25 નંગ છે. જેને પોલીસે હસ્તગત કરેલ છે. માદક પદાર્થ સાથે પકડાનાર સામે કડક કાર્યવાહી કરાશે: PIએસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા જણાવે છે કે, શહેરમાં વધતા દૂષણોને ડામી દેવા તથા માદક પદાર્થના વ્યસની તેમજ અસામાજિક તત્ત્વોને અંકુશમાં લેવા(રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)એ નવી રણનીતિઓ ઘડી છે. જે છેલ્લા એક વર્ષમાં ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી પરથી જણાઈ આવે છે, જેમાં ગુનાના સ્વરૂપને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું. ગુનાનું સ્વરૂપ નાનું હોય કે મોટું, પરંતુ પોલીસની કામગીરી તો સમાન જ રહેવાની છે. આરોપીને 100 કિલો નાર્કોટિક્સ સાથે પકડવામાં આવશે કે પછી 100 ગ્રામ માદક પદાર્થ સાથે, આરોપી વિરુદ્ધની પોલીસની કામગીરી એટલી જ કડક રહેવાની છે. જેથી શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે નશાખોરોને ચેતી જવાની સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:55 am

અપહરણ કરનાર પોલીસના સકંજામાં:45 વર્ષનો શખ્સ બદઇરાદે 8 વર્ષની બાળકીને ઉઠાવી ગયો, પોલીસે ગણતરીની મિનિટમાં જ ઝડપી લીધો

શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી લઇ બાળકીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવારે સવારે તેની પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે રૈયાધાર વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર કડિયાકામની મજૂરીએ ગયા હતા. બપોરે દંપતી અને તેની પુત્રીએ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ દંપતી કડિયાકામ કરવા લાગ્યું હતું અને તેની પુત્રી ઓરડી નજીક રમતી હતી, થોડીવાર બાદ બાળકી નજરે નહી ચડતાં દંપતી અને સાઇટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી હતી. તે વખતે જ કોન્ટ્રાક્ટરનો ભત્રીજો ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, આપણી સાઇટ પર અગાઉ કામ કરતો નાગેશ્વર પાછળના પચ્ચીસ વારિયામાં રહેતો ભરત મગન મકવાણા એક બાળકીને લઇને જતો દેખાયો હતો. આ અંગેની જાણ થતાં જ દંપતીએ પોલીસને ફોન કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, પીઆઇ એચ.એન.પટેલે સંપૂર્ણ વિગતો મેળવી આરોપીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન મેળવતા આરોપી કોઠારિયા નજીકના રસૂલપરા વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ભરતને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી. બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે રમતી હતી ત્યારે ભરત ત્યાં આવ્યો હતો અને વેફર અપાવવાનું કહી લઇ ગયો હતો, ભરતે તેવી કેફિયત આપી હતી કે, તેને બે સંતાન છે અને તેની પત્ની સંતાનો સાથે લાંબા સમયથી રિસામણે પિયર બેઠી છે. આ બાળકી તેની પુત્રી જેવી લાગતાં તેના પર પ્રેમ ઊભરાયો હતો અને વેફર આપી શાપર ફરવા લઇ જતો હતો, જોકે આરોપીની કથની પોલીસને ગળે ઉતરી નહોતી, પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી બાળકી સાથે કંઇક અજુગતું થતા અટક્યું હતું. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:53 am

ઉચાપતનો મામલો આવ્યો સામે:મેગા માર્ટમાં સ્ટોર મેનેજર, યુવકે મળી રૂપિયા 8.29 લાખના કપડાંના સ્ટોકની ઉચાપત કરી

રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોરમાંથી સ્ટોકમાં રાખેલો માલ જેની કિંમત રૂ.8.29 લાખ હોય તે માલને સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવકે નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં અમદાવાદના દાણીલીમડાની છીપા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન મોહમ્મદ સરિફ રંગવાલા(ઉં.વ.32) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પંકજ ચોરવાડ અને પ્રથમ બખ્તરિયાનું નામ આપ્યું હતું. મોહમ્મદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છેકે, પોતે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં એમ.એન.ટી. રિટેલ ક્લસ્ટર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.17/09/2025ના રોજ રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોર મેનેજર પંકજનો તેના ફોનમાં કોલ આવેલો કે, તમારી અન્ડરમાં આવતા રાજકોટ ખાતેના મેગા માર્ટ કંપની દ્વારા ત્રિમાસિક ઓડિટ કરાવેલ હોય અને આ ઓડિટ એપ્રિલ માસથી હાલ સુધી એટલે કે 17/09/2025 સુધી હોય જેમાં ઓડિટ બાદ કંપનીના માણસોએ એપ્રિલ માસથી આજદિન સુધીમાં આવેલ યુ.એસ.પોલો, એરો તથા ફ્લાઇન્ગ મશીનના પીસની ગણતરી કરતા તેમાં કુલ 829 પીસ સ્ટોકમાં ઓછા બતાવે છે. જેનું ફરી વાર ઓડિટ કરવામાં આવતા 829 પીસ ઓછા જણાઈ આવતા સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવક વિરુદ્ધ નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી માલ ઉચાપત કરવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:50 am

ધમકી આપી:જૂની અદાવતનો ખાર રાખી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોના નવા થોરાળા ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમારએ પાડોશી વિશાલ જયેશભાઈ વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતો વિશાલ તેમના ઘરે આવ્યો હતો. વિશાલે વર્ષ 2013માં ફરિયાદીના સંબંધી દ્વારા કરવામાં આવેલી જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી નયનાબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વિશાલે ઉશ્કેરાઈ મહિલાને બેફામ ગાળો ભાંડી હતી. જ્યારે મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો ત્યારે આરોપીએ દરવાજા પર પાટા મારી ‘સાંજે પાછો આવીશ અને તારા પરિવારના સભ્યોને પતાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:50 am

જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમાં આવ્યું:ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા દરેક લેબમાં બે સુપરવાઈઝર હશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર મુખ્ય પરીક્ષા પહેલાં હવે પ્રાયોગિક પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જાહેરાત થતા જ રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીક્ષિત પટેલ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે માટે દરેક શાળાની લેબ દીઠ બે-બે સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને પરિપત્ર મોકલીને શૈક્ષણિક સ્ટાફ અને પ્રયોગશાળા (લેબ)ની ઉપલબ્ધતા અંગેની માહિતી મગાવી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયો માટેની આ પરીક્ષા રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સેન્ટરો પરથી લેવામાં આવશે. આ વખતે પરીક્ષા પદ્ધતિમાં ચુસ્ત અમલીકરણ જોવા મળશે. વિદ્યાર્થીઓએ પ્રાયોગિક પરીક્ષામાં મેળવેલા ગુણ તે જ દિવસે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર રોજેરોજ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉથી જ માર્ગદર્શિકા શિબિર યોજીને તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આશરે 7500થી વધુ વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષામાં પોતાની ક્ષમતા સાબિત કરશે. બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર લેબના સાધનો અને કેમિકલ્સની ચકાસણી પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:49 am

અનુદાન:પાંજરાપોળને મકરસંક્રાંતિએ રૂ.8.07 લાખનું અનુદાન

રાજકોટમાં સેવા અને જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા પીયૂષ હસમુખભાઈ દોશી અને તેમના મિત્રમંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અબોલ જીવો માટે એકત્ર થયેલ રૂ.8,07,000ની માતબર રકમ રાજકોટ મહાજન પાંજરાપોળની ઓફિસે વિધિવત રીતે અર્પણ કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં પીયૂષ દોશી દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિના દિવસે ગૌસેવા માટે દાન એકઠું કરવા એક નાના સ્ટોલથી શરૂઆત કરવામાં આવી હતી. વર્ષોવર્ષ અબોલ અંધ નિરાધાર અને નિ:સહાય જીવ માત્ર માટે નિ:સ્વાર્થ ભાવે વાવેલું આ સેવાનું બીજ આજે મિત્રોના સહકારથી એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. આ ભગીરથ કાર્યમાં અનેક નામી અનામી દાતાઓ, સંસ્થાઓ, ઉત્સાહી મિત્રોના પરિશ્રમને લીધે આ વર્ષે રૂ.8 લાખથી વધુનું ઐતિહાસિક દાન એકત્ર થયું છે.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:43 am

રામકૃષ્ણ આશ્રમમાં ‘યુવાશક્તિ’નો મહાકુંભ:9,454 વિદ્યાર્થીએ કલાના રંગે ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ને દીપાવ્યું

સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતીના પાવન અવસરે, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનો ભવ્ય ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો. ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર આધારિત આ મહોત્સવે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનો નવો સંચાર કર્યો છે. છેલ્લા 59 વર્ષથી ચાલતી આ પરંપરામાં આ વર્ષે રેકોર્ડબ્રેક 165 શાળાના 9,454 વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગત 14થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ફેન્સી ડ્રેસ, સમૂહ ગાન, વક્તૃત્વ, શીઘ્રચિત્ર તેમજ વિવિધ ભાષાઓમાં પઠન જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા-શક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાઓમાંથી ઉત્તીર્ણ થયેલા 196 વિજેતાને સમારોહમાં પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય રમેશ ટીલાળાએ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સંસ્કારોનું સિંચન કરે છે. તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 165 શાળા તેમજ 9454 વિદ્યાર્થીને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે વિજેતાઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. આશ્રમના સ્વામી ગુણેશાનંદજી, સ્વામી દર્પહાનંદજી અને સ્વામી મેઘજાનંદજીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. સ્વામીજીઓએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે અને તેમના વિચારોને જીવનમાં ઉતારે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી શંકરેશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. સહભાગી થનાર તમામ શાળાઓના આચાર્ય, ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો આશ્રમ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Jan 2026 5:42 am