SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

મામસા GIDCના ફેકટરીમાં તસ્કરો ત્રાટક્યા:મોડીરાત્રીના ફેકટરી માંથી ચાર ટન પ્રોફાઈલ કટિંગની ચોરી. કારખાનામાં લાગેલા સીસીટીવીમાં ચાર તસ્કરો કેદ

ભાવનગર શહેર નજીક આવેલી મામસા જીઆઈડીસીમાં તસ્કરોએ એક ફેક્ટરીને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતીના ઓજાર બનાવતી 'ચંદ્રા સ્ટીલ' નામની ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશેલા ચાર શખ્સો પ્રોફાઈલ કટિંગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોર 4 ટન પ્રોફાઈલ કટિંગ ચોરી ગયાકાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને મામસા જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવતા નિલેષભાઈ ધનજીભાઈ મોરડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીની આ ઘટના ગત તા. 10 માર્ચના રોજ મોડી રાત્રે અંદાજે 12:30 કલાકે બની હતી. તસ્કરો ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ત્યાં રાખેલું આશરે 4 ટન પ્રોફાઈલ કટિંગ (લોખંડનો જથ્થો) ચોરી ગયા હતા. જેની બજાર કિંમત અંદાજે ₹3.60 લાખ આંકવામાં આવી છે. ફેક્ટરીના સીસીટીવી ચેક કરતા મોઢે રૂમાલ બાંધેલા ચાર અજાણ્યા શખ્સો ચોરી કરતા નજરે પડ્યા હતા. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલનિલેષભાઈની ફરિયાદને આધારે ઘોઘા પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS એક્ટની કલમ 305(a), 331(4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:51 pm

JEE રિઝલ્ટમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો:ઓલ ઇન્ડિયા ટોપ 500 માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ, 130 માંથી 124 વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય

રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE સેશન-2 ના પરિણામોમાં ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં પરિણામોના તમામ જુના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે, ​સંસ્થાની સચોટ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાક મહેનતનું જ પરિણામેં પરીક્ષા આપનાર 130 પૈકી 124 જેટલા વિદ્યાર્થીઓએ JEE Advanced માટે ક્વોલિફાય થઈને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમજ ઓલ ઇન્ડિયા ટોપ 500 વિદ્યાર્થીઓ માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ બાજી મારી હતી. મોરી જયવીરસિંહએ જણાવ્યું હતું કે, JEE Mains માં 99.73 પર્સન્ટાઇલ આવ્યા છે, જેમાં રોજની 11 થી 12 કલાક મહેનત કરતો હતો અને આનું શ્રેય હું ભગવાનને, મારા વાલીઓને અને GNM ના શિક્ષકોને આપીશ, અને આગળ બેસ્ટ IIT માં જવા માંગુ છું, મારો બીજા વિદ્યાર્થીઓને બસ એ જ સંદેશ છે કે બસ મહેનત કરતા રહો. આ બે વર્ષ છે, પછી જિંદગીમાં ઘણી મોજ છે. બસ અત્યારે આ બે વર્ષ સરખી રીતે કાઢી લો.મેં યુઝ્યુઅલી મેથ્સમાં તો વધારે પ્રેક્ટિસ જ કરતો હતો અને કેમેસ્ટ્રીમાં સ્પેસિફિકલી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં થીયરી પોર્શન ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. ભક્તિ પરમારએ જણાવ્યું હતું કે, JEE મેઈન્સમાં 99.61 પર્સન્ટાઈલ આવ્યા છે અને હું રિવિઝન ઓર્ગેનિકમાં બધી રીએક્શન જોઈ લેતી હતી, ફિઝિકલમાં બધા ફોર્મ્યુલા જોઈ લેતી હતી અને ઈનઓર્ગેનિકમાં NCERT અને જે મેં સરની નોટ્સ બનાવી હતી એ મેં પ્રિફર કરી હતી, મેથ્સમાં ફોર્મ્યુલા અને ફિઝિક્સમાં અમુક ક્વેશન્સ જે સારા લેવલના હોય એનું રિવિઝન, અમુકમાં શોર્ટકટ હોય એનું રિવિઝન અને અમુક બધી જે કાંઈ પણ ફોર્મ્યુલા હોય એનું રિવિઝન કર્યું હતું, કેમેસ્ટ્રીમાં વધારે, અને ક્વેશ્ચન પ્રેક્ટિસ તો મેથ્સ અને ફિઝિક્સ બેયમાં, આનો શ્રેય હું મારા માતા-પિતાને, ઈશ્વરને અને આ GNM ના સ્ટાફને આપીશ, આગળ એક સારા એન્જિનિયર... વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, JEE માં 99.49 PR આવેલા છે અને હું ડેઇલીનું 12 થી 13 કલાકનું સ્ટડી કરતો હતો અને સ્કૂલમાં મોટાભાગનું સ્ટડી થઈ જતું હતું અને થોડું-ઘણું હોસ્ટેલે જઈને કરતો હતો, 2-3 કલાક અને મોસ્ટ ઓફ PYQs એ બધું સોલ્વ કરતો હતો અને સ્કૂલનો સહકાર સારો હતો અને મમ્મી-પપ્પા અને ટીચરોનો સપોર્ટ સારો હતો, યુગ સાચાણીએ જણાવ્યું હતું કે,JEE માં મારે 201 માર્ક છે એટલે કે 99.46 પર્સેન્ટાઇલ એનો સૌથી મોટો શ્રેય તો હું ભગવાનને જ આપીશ, આગળ તો મારે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર છે, વિષયોમાં કેમેસ્ટ્રીમાં ફિઝિકલ કેમેસ્ટ્રી પર વધારે મહેનત કરવાની જરૂર હોય છે કારણ કે એનું વેઇટેજ વધારે હોય છે, જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે તમને એવું લાગશે કે આ અહીંથી કરું કે પેલું ત્યાંથી કરું. આમ આડાવળી મહેનત કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. કોઈ પણ એક વસ્તુ પકડો અને એને પરફેક્ટ કરો, એ જ તમને છેલ્લે સુધી લઈ જશે. જેનીલ કાનાણીએ જણાવ્યું હતું કે,JEE માં 99.33 પર્સન્ટાઈલ આવ્યા છે અને ઓલ ઈન્ડિયા રેન્ક 10,708 છે, આ મારા માર્ક આ સંસ્થા દ્વારા અને મારા માતા-પિતા દ્વારા આવ્યા છે, આગળ એનઆઈટી માં કે આઈઆઈટી માં સીએસ માં એડમિશન લેવા માંગુ છું, કેમેસ્ટ્રી સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે એટલે એમાં મહેનત કરવાની વધારે જરૂર, રાજવીરસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, JEE Mainsમાં 99.31 પર્સન્ટાઇલ આવ્યા છે અને મેં મેથ્સમાં થોડી વધારે મહેનત કરી હતી કારણ કે, એમાં રેન્ક લાવવા માટે વધારે ઈમ્પોર્ટન્ટ મેથ્સ છે અને સિલેક્શન માટે કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઈમ્પોર્ટન્ટ છે એમાં NCERT વધારે ઈમ્પોર્ટન્ટ થાય અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિસ જેટલી કરો એટલું ઈમ્પોર્ટન્ટ બને અને ફિઝિક્સમાંય તે પ્રેક્ટિસ જ તે અને મેથ્સમાંય પ્રેક્ટિસ અને ઇનઓર્ગેનિક-ઓર્ગેનિકમાં NCERT જેટલી રીડ કરશો એટલો તમને ફાયદો થશે, આ અંગે ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ જ્ઞાનમંજરી ના એમ.એમ.નાકરાણી એ જણાવ્યું હતું કે, JEE સેશન-૨ નું રિઝલ્ટ 2026 માટેનું જાહેર થયું છે, જેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે જે ઉત્તરોત્તર વધુ ને વધુ સારું પરિણામ મેળવતા જાય છે એ મુજબ, ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ સાથે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ છે એના બાળકોએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું છે, ​કુલ લગભગ 130 આજુબાજુ વિદ્યાર્થીઓ છે એ JEEની તૈયારી કરતા હતા, એમાંથી 124 વિદ્યાર્થીઓ છે એ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને વધારે ડિટેલમાં જોવા જઈએ તો 16 વિદ્યાર્થીઓ 99+ પર્સેન્ટાઇલ સાથે સમગ્ર ભાવનગર અને ગુજરાતની અંદર શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે,​ઓવરઓલ 98 પર્સેન્ટાઇલ કે એના કરતા વધારે મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 છે. 97 કે એની કરતા વધારે પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 109 છે, તો આ રીતે શ્રેષ્ઠ મેરિટ પણ ખરું. તમને મેરિટ વાઈઝ કહેવા જાવ તો, પહેલા 500 ઓલ ઈન્ડિયાની અંદર એમાં 7 વિદ્યાર્થીઓ છે, ટોપ 1000 ની અંદર 14 વિદ્યાર્થીઓ છે અને ટોપ 5000 ની અંદર 64 સ્ટુડન્ટ્સ છે, ​તો આ રીતે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના મહેનત કરીને પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમગ્ર ટીમ જેમણે આ મહેનત કરી છે, અને આ બધા બાળકો ઉપરાંત બીજા બધા ભવિષ્યમાં આવનારા બાળકો છે એમને પણ આમાંથી પ્રેરણા મળે અને તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને ભારતના ઘડતરની અંદર પોતપોતાનું યોગદાન આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો સંવાદ:મોદીજીના હાથ મજબૂત કરવા 100% મતદાન જરૂરી: વિશ્વકર્મા

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દેશ અને રાજ્યના વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સંવાદ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત મહાનુભાવોને ભાજપ અને NDA સરકારના સમયમાં થયેલા બદલાવો અને સકારાત્મક અનુભવો વિશે પ્રશ્ન કર્યો હતો. જેના પ્રતિસાદમાં મહાનુભાવોએ જણાવ્યું કે આજે ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસના નવા આયામો જોવા મળી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે આઝાદી બાદ લાંબા સમય સુધી દેશ માત્ર બે પ્રકારની અર્થવ્યવસ્થા પર આધારિત હતો, જ્યારે આજે ભારત 8 વિવિધ ઇકોનોમી મોડલ સાથે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “આજે પીનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન દેશમાં થઈ રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસને સતત આગળ ધપાવવા માટે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ વિઝન અનિવાર્ય છે, જે હાલ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. તેમણે 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં 100 ટકા મતદાન કરીને વિકાસયાત્રાને વધુ ગતિ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વિશ્વકર્માએ કહ્યું કે પાર્ટી પાસે આજે નેતૃત્વ, નીતિ અને વિઝનની ખોટ છે, જ્યારે ભાજપે વિકાસ અને ઉદ્યોગના ક્ષેત્રમાં ભરૂચ જિલ્લામાંથી વૈશ્વિક નિકાસ સુધીની સફળ ગાથા રચી છે. અંતે તેમણે ભારપૂર્વક કહ્યું કે “આજે ભાજપ છે એટલે દેશ અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા છે. આ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે મતદાન કરી પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.” આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

ગુજરાતીઓ શેકાવા તૈયાર રહેજો, તાપમાન 41 ડિગ્રી પાર જવાની સંભાવના:પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ, ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા

વિકાસ કામોમાં વિલંબ બદલ જાહેરમાં માફી માંગી ગોંડલની ચરખડી ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી કહ્યુ ‘ભૂલ થઈ હોય તો માફી માંગુ છું’ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સી.આર. પાટીલની 'આપ'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ સુરતમાં આમ આદમી પાર્ટીને સી આર પાટીલે ચેલેન્જ આપી કહ્યુ જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ ચુંટણીમાં ઉમેદવારો હવે પ્રચાર માટે AI રીલનો ઉપયોગ કરી રહ્યા છે .. જેમાં BJPએ રીલ થી વિકાસના કામો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો 'આપ'એ રીલથી રોડ રસ્તની હાલત બતાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ અંગે ખુલાસો કાજલ મહેરિયાએ પોતાના લગ્ન અને પારિવારિક વિવાદ મુદ્દે વીડિયો શેર કર્યો અને તેના અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વિદ્યાર્થીઓના ઝઘડામાં આંખમાં પરિકર માર્યું અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દીધું. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો જ્યા તેનું આપરેશન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારતા હતા.. બન્ને મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ મળી આવી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા કાલાવડ-જામનગર હાઈવે પર હિટ-એન્ડ-રનની ઘટનામાં એક મહિલા અને સગીરનું મોત થયું જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે ઉતાર્યુ જ્યા શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી પાછળ નોટમાં લખીને નીકળી કે 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના સ્ટેશન પર લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની અફરાતફરી બાદ મંગળવારે 4 વિશેષ ટ્રેનો દોડાવાઇ જેમાં 8 હજારથી વધુ મુસાફરો વતન પરત ફર્યા... સાથે મુસાફરોને ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખી પસાર કરાયા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડવાની સંભાવના, રાજકોટ 41.1 ડિગ્રી સૌથી ગરમ શહેર તો મંગળવારે 42 પહોચવાની સંભાવના તો અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

નશાખોર પતિએ પત્નીને છરીના ઉપરાછાપરી 8 ઘા માર્યા:માતા-પિતા દીકરીને બચાવા જતાં લોહીલુહાણ, જૂનાગઢમાં મધરાતે દીવાલ કૂદી ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો

જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે અડધી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. છેલ્લા 4 મહિનાથી પોતાના પિયરમાં રિસામણે રહેલી 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેના જ પતિ નીતિન ધનજી પરમારે જીવલેણ હુમલો કર્યો હતો. છૂટાછેડાની ખેંચતાણ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખમાં અંધારી રાત્રે દિવાલ કૂદીને આવેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ આરોપીએ છરીના ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. ​જયશ્રીબેનના આક્ષેપ મુજબ આરોપી નીતિન હુમલો કર્યા બાદ કબાટમાંથી 30,000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયો હતો. પત્નીને પેટ અને અન્ય ભાગે 7થી 8 જેટલા છરીના ઘા વાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાઈ છે. હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વંડી ટપીને ઘરમાં ઘૂસ્યો અને પત્ની પર છરીથી હુમલો કર્યો​પત્ની જયશ્રીબેન છેલ્લા કેટલાક સમયથી તેમના બાળકો સાથે પિતાના ઘરે રહેતા હતાં. 19મી એપ્રિલની મધ્યરાત્રીએ જ્યારે આખો પરિવાર નિદ્રામાં હતો, ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ આરોપી નીતિન પરમાર વંડી ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. કબાટ પાસે અવાજ થતા જયશ્રીબેન જાગી ગયા હતા અને તે સમયે નીતિને કહ્યું 'આજે તો તને પતાવી જ દેવી છે' અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ પત્નીના સાથળના ભાગે અને હાથની આંગળીઓમાં અનેક ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બચાવવા માતા-પિતા વચ્ચે પડતા આરોપીએ તેને પણ છરી મારી​પુત્રીની ચીસાચીસ સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા અને પિતા તરત જ રૂમમાં દોડી આવ્યા હતાં. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેને બચાવવા પિતા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા નીતિને સસરા જીવણભાઈની ડાબી સાથળમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતાં. આટલેથી ન અટકતા તેણે સાસુ શારદાબેન પર પણ છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરીથી દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. આ હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પતિને દારૂ-ડ્રગ્સની આદતો અને સતત મારકૂટ કરતોજયશ્રીબેને જણાવ્યું હતું કે, તેમના લગ્નજીવનમાં છેલ્લા 1 વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. અગાઉ સમાધાન બાદ તેઓ સાસરે ગયા હતા, પરંતુ પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેમને સિવિલ હોસ્પિટલની નોકરી પણ છોડવી પડી હતી. આર્થિક તંગી અને દેવાના કારણે પતિ સતત ઝઘડા કરતો હતો. છરીથી હુમલો કરીને પતિ ભાગવા જતા પગમાં ઈજા થઈ ઘટનાના દિવસે પતિ નશાની હાલતમાં બાળકોને લઈ જવાની જીદ કરતો હતો અને જયશ્રીબેને ના પાડતા તેને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે નીતિનને ધમકાવ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને તેણે રાત્રે આ ખૂની ખેલ ખેલ્યો હતો. જ્યારે હુમલો કરનાર પતિ ભાગવા જતા તેના પગમાં ઈજા થઈ હતી અને જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 'ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થયો'ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરતા આક્ષેપ કર્યો છે કે, આરોપી અત્યારે ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. નીતિન પરમાર વિરુદ્ધ ગુનો દાખલ​વંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં BNS કલમ 109(1) મુજબ હત્યાનો પ્રયાસ, કલમ 118(1) હેઠળ ખતરનાક હથિયારથી ઇજા પહોંચાડવી, કલમ 331(6) મુજબ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરવો, કલમ 351(3) હેઠળ ગુનાહિત ધમકી આપવી તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પંથકમાં આ અરેરાટીભરી ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:47 pm

રાજપીપળા વોર્ડ 6: ભાજપ સિવાય અન્ય પક્ષોને પ્રચારબંધીના બેનર:સ્થાનિકોનો દાવો: ભાજપે જ વિકાસ કર્યો, અન્ય પક્ષો એકતા તોડવાનો પ્રયાસ ન કરે

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. રાજપીપળાના વોર્ડ નંબર 6માં ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે પ્રચાર કરવા ન આવવું તેવા બેનરો લાગ્યા છે. રાજપૂત ફળિયા વિસ્તારમાં લાગેલા આ બેનરોને કારણે અન્ય પક્ષોના કાર્યકરોને પ્રવેશ મળ્યો ન હતો. વોર્ડ નંબર 6ના મતદાર આગેવાન શૈલેન્દ્રસિંહ કાટોદરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં તેમના વિસ્તારમાં ભાજપ દ્વારા જ વિકાસ કાર્યો થયા છે. તેથી તેઓ ભાજપને જ મત આપે છે અને તેમની એક પરિવાર જેવી એકતા છે. તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં બધાને હક હોય, પરંતુ વિપક્ષ ખોટી વાતો અને ભ્રામક વાયદાઓ ફેલાવીને તેમની એકતા તોડે તે યોગ્ય નથી. આથી, વિસ્તારના લોકોએ સર્વસંમતિથી આવા બેનરો લગાવવાનો નિર્ણય કર્યો છે. કાટોદરિયાએ સ્પષ્ટ કર્યું કે તેમના વોર્ડમાં એક સભ્ય બિનહરીફ વિજેતા બન્યા છે, અને બાકીના ત્રણ ભાજપના સભ્યો પણ જંગી લીડથી જીતશે. તેમણે વિપક્ષને સંદેશ આપ્યો કે અહીં ખોટી મહેનત કરવાને બદલે અન્ય જગ્યાએ પ્રચાર કરે, જેથી તેમને વધુ મત મળી શકે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી. સ્વર્ગસ્થ અલ્કેશસિંહજી ગોહિલ પરિવારનો દબદબો ત્રીજી પેઢીમાં કુલદીપસિંહ અને રાજદીપસિંહ દ્વારા પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ વખતે પણ બાકીની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેવો સ્થાનિકો અંદાજ લગાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:45 pm

સોમનાથ મહાદેવ સ્થાપના દિવસ: ભવ્ય પાલખી યાત્રા યોજાઈ:સોમપુરા સમાજ આયોજિત યાત્રામાં મહામંડલેશ્વરોની વિશેષ ઉપસ્થિતિ

પ્રભાસ પાટણમાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ યાત્રા વૈશાખ સુદ પાંચમ, તા. 21 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી, જેમાં સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં લીન બન્યું હતું. ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિવસની આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે યોજાય છે. આ વર્ષે પણ પ્રાચીન જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધિવત પાલખી પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તેમજ વેરાવળ-પાટણ સનાતન હિન્દૂ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના મહામંડલેશ્વર મહાસતી નંદગીરી અને મહાકાલી નંદગીરી ઉજ્જૈનથી આ યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તોને આશીર્વચન આપ્યા હતા. પાલખી યાત્રા પ્રાચીન જુના સોમનાથ મંદિરેથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો જેવા કે મેઈન બજાર, દુધપીઠ, રામરાખ ચોક, પાટચકલા, લાંબી શેરી અને કુંભારવાડા થઈ ફરી મંદિર પરત ફરી હતી. યાત્રા દરમિયાન ઢોલ-શરણાઈના નાદ સાથે ભજનોનું ગાન અને વૈદિક મંત્રોચ્ચાર થતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. યાત્રાના માર્ગો પર ભક્તોએ પાલખીનું સ્વાગત કર્યું હતું. ઠેર ઠેર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઠંડા પીણા, શરબત અને ચા-પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સમગ્ર પ્રભાસ પાટણ શહેરના લોકો આ યાત્રામાં સહભાગી બન્યા હતા, જ્યાં સર્વ સમાજના લોકોએ ભગવાન સોમનાથની ભક્તિમાં લીન બની એકતાનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:39 pm

ગોધરા નગરપાલિકા ચૂંટણી: કલેક્ટરે EVM વ્યવસ્થાની સમીક્ષા કરી:છબનપુર ખાતે સ્ટ્રોંગ રૂમ અને ડિસ્પેચિંગ સુવિધાઓ નિહાળી

ગોધરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર અજય દહિયાએ છબનપુર સ્થિત સરકારી ઇજનેરી કોલેજની મુલાકાત લીધી હતી. કલેક્ટરે મુલાકાત દરમિયાન EVM મશીનો માટે તૈયાર કરાયેલા સ્ટ્રોંગ રૂમ, EVM રીસીવિંગ અને ડિસ્પેચિંગ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે EVM સીલિંગ પ્રક્રિયા પણ નિહાળી હતી. આ કામગીરી યોગ્ય રીતે પાર પાડવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થાઓ મજબૂત રાખવા પર ભાર મૂક્યો હતો. તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:35 pm

CVM યુનિવર્સિટીમાં પાંચ દિવસીય FDP શરૂ:સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર 30થી વધુ ફેકલ્ટી ભાગ લેશે

ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત એ ડી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા 'મલ્ટી ડિસિપ્લિનરી એપ્લિકેશન્સ ઓફ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ યુઝિંગ ઇડીએ ટુલ્સ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નો 20 એપ્રિલના રોજ પ્રારંભ થયો છે. આ FDP માં ગુજરાતની વિવિધ કોલેજોમાંથી અંદાજે 30 થી વધુ ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલ અને ADIT ના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈઈઆઈના ચેરપર્સન ડૉ. આરતી પમનાની પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે આ FDP રિસર્ચ કોલાબ્રેશન, ઇનોવેટિવ ટીચિંગ પ્રેક્ટિસિસ અને નવા આઈડિયાઝ માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. હેતલ પટેલના જણાવ્યા અનુસાર, આ FDP માં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ, ભારતનું સેમિકન્ડક્ટર મિશન, સેમી કંડક્ટર ઉપકરણો અને સેન્સર ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ વ્યાખ્યાનો આપશે. વધુમાં, સહભાગીઓ માટે ઈસરો ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ઈ.આઈ. વલ્લભ વિદ્યાનગર લોકલ ચેપ્ટર, ગુજકોસ્ટ, આઈએસટીઈ ફેકલ્ટી ચેપ્ટર, કોરેલ ટેકનોલોજી, આઈ.આઈ.સી., ઈ-ઈન્ફોચિપ અને ચિપ ઈન સેન્ટર બેંગ્લોરનો સહયોગ મળ્યો હતો. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ ADIT કોલેજને આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:32 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાટીલનો AAPને પડકાર, દમ હોય તો ગત ટર્મમાં જીતેલી 27 બેઠક જીતી બતાવો; ચૂંટણી પ્રચાર સમયે જ પાણીની પારાયણ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:30 pm

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ:PGVCL કર્મચારીઓએ જીવ જોખમે મૂકી મોટી દુર્ઘટના ટાળી

જામનગર શહેરમાં સજુબા સ્કૂલ નજીક આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં આજે સવારે આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પીજીવીસીએલના ત્રણ કર્મચારીઓની સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને વીજ પુરવઠો પણ ઝડપથી પૂર્વવત કરાયો હતો. આગની જાણ થતાં જ પીજીવીસીએલના દરબારગઢ સબ ડિવિઝનના કર્મચારીઓ ડી.આઈ. ત્રિવેદી, એસ.આર. પરમાર અને આર.કે. કણજારીયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આગ વધુ ફેલાય તે પહેલાં જ વીજ પુરવઠો બંધ કરીને સુરક્ષાના પગલાં લીધા હતા. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ, પીજીવીસીએલના આ ત્રણેય કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેમણે ઉપલબ્ધ સાધનો અને સ્થાનિક સ્તરેથી મળેલા સાધનોનો ઉપયોગ કરીને સળગતા ટ્રાન્સફોર્મર પર ચડી આગ બુઝાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કર્મચારીઓની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સ્પષ્ટપણે જોવા મળે છે. સ્થાનિક નાગરિકોએ પીજીવીસીએલના કર્મચારીઓની બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમની તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું મનાય છે. આ ઉપરાંત, આ વિસ્તારનો વીજ પુરવઠો પણ ગણતરીની મિનિટોમાં જ પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિકોએ તંત્રની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:24 pm

જામનગરમાં મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા:આગામી ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં આગામી ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વૃદ્ધાશ્રમની મહિલાઓને મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમને મતદાન કઈ રીતે કરવું તે વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મતદાનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:21 pm

વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો:કોંગ્રેસનો ગઢ બચાવવા અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ મેદાનમાં

દક્ષિણ ગુજરાતની વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આ ચૂંટણી વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ (ભાજપ) અને ધારાસભ્ય અનંત પટેલ (કોંગ્રેસ) વચ્ચે મુખ્ય સ્પર્ધા બની છે. ભાજપના સાંસદ ધવલ પટેલે સઘન પ્રચાર કરતા દાવો કર્યો છે કે વાંસદામાં પરિવર્તનની લહેર છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 5-6 દિવસમાં 18થી વધુ જનસભાઓ યોજીને તેમણે સમગ્ર વાંસદા વિસ્તારને આવરી લીધો છે. ધવલ પટેલે ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની વિગતો આપી હતી. જેમાં NH-56 માટે ₹647 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ₹500 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે. તેમણે 77 વર્ષથી અટકેલા કાલાઆંબા-વાટી બ્રીજનો પ્રશ્ન હલ કરીને તેનું કામ શરૂ કરાવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ 7 માંથી 7 જિલ્લા પંચાયત અને 28 માંથી 28 તાલુકા પંચાયત બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે, ભરબપોરે કડક તાપમાં પણ ઉમટી પડતી ભીડ સાબિત કરે છે કે લોકોનો ભાજપ પર ભરોસો વધ્યો છે. આ વખતે કોંગ્રેસ અને AAP બંનેના ડિપોઝીટ ડૂલ થશે. બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના પ્રચારને ખાળવા માટે 'માઈક્રો પ્લાનિંગ' શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અનંત પટેલે પીવાનું પાણી, જર્જરિત શાળાઓ, આંગણવાડી અને GEBના વીજળીના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું. તેમણે જૂના અનુભવી અને નવા યુવાન ચહેરાઓના સંયોજન સાથે મેદાનમાં હોવાનું અને 75%થી વધુ ડોર-ટુ-ડોર સંપર્ક પૂર્ણ કર્યો હોવાનું ઉમેર્યું. રાત્રે 11 વાગ્યા સુધી જનસભાઓ દ્વારા લોકોનો સીધો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ તાલુકા પંચાયતમાં વકરેલા ભ્રષ્ટાચાર અને 'નલ સે જલ' યોજનાની અનિયમિતતાઓને લોકો સમક્ષ ઉજાગર કરી રહી છે. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, “અમે ગઢ બચાવવા નહીં પણ ગઢ યથાવત રાખવા લડીએ છીએ. ભાજપ ગમે તેટલા ડુંગરા ખૂંદે, પણ જનતા ન્યાય માટે લડનારાની સાથે જ રહેશે.”

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:17 pm

હર્ષ સંઘવી વડગામમાં સ્થાનિક ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા:કોંગ્રેસ અને AAP પર પ્રહારો કર્યા, વિકાસ કાર્યો ગણાવ્યા

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો જોર લગાવી રહ્યા છે. આ અંતર્ગત, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા. તેમણે વડગામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના પ્રચાર માટે વડગામ APMC નજીક એક જંગી જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો પણ મતદારોને ગણાવ્યા હતા. સંઘવીએ મતદારોને ભાજપના નિશાન પર મતદાન કરીને પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:10 pm

વેરાવળ ગેરેજમાં ભીષણ આગ, રિપેરિંગ વાહનો ભસ્મ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, જાનહાનિ નહીં

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક ડારી ગામ તરફ જતા રસ્તા પર આવેલા એક ગેરેજમાં બપોરે અંદાજે 2 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે મુકાયેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉંમરભાઈ જીકાણીના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલા વાહનોમાં અચાનક આગ લાગતા જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના હરપાલસિંહ ખેર અને જતીન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી ટૂંકા ગાળામાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે આસપાસની મિલકતોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. જોકે, આ ઘટનામાં રિપેરિંગ માટે આવેલી એક આઈ-20 કાર તેમજ ફિશ કંપનીની મચ્છીની બોગી સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી જતા ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે છે, જે અંગે પોલીસ તથા સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:04 pm

મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસનો દરોડો,:આંબાવાડીમાં બંગલામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસ ત્રાટકી: 11 મહિલાઓ સહિત કુલ 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા જુગારના અખાડા પર બી ડિવિઝન પોલીસે સફળ દરોડો પાડ્યો છે. પીઆઇ એ.બી. ચૌધરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે અસ્મીતાબેન પ્રવીણભાઈ પટેલ નામની મહિલા પોતાના મકાનમાં અન્ય મહિલાઓને બોલાવીને અંગત ફાયદા માટે જુગાર રમાડી રહી છે. ​બાતમીના આધારે પોલીસે નાયબ પોલીસ અધીક્ષક પાસેથી ખાસ સર્ચ વોરંટ મેળવી સહજાનંદ સોસાયટીના ગરબી ચોક પાસે આવેલા મકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ સમયે મકાનની અંદર લાઈટ પંખા ચાલુ રાખીને અનેક મહિલાઓ પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલી કુલ 11 મહિલાઓની અટકાયત કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસને રોકડા રૂપિયા 41,500, આઠ નંગ મોબાઈલ ફોન જેની કિંમત 40,000 તેમજ ત્રણ મોટરસાયકલ જેની કિંમત 1,10,000 મળીને કુલ 1,91,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી છે. ​પકડાયેલ આરોપીઓમાં મુખ્ય સંચાલક અસ્મીતાબેન પટેલ ઉપરાંત મધુરમ વિસ્તારની રાણીબેન વાઢેર, રીનાબેન અટારા અને કીંજલબેન મકવાણાનો સમાવેશ થાય છે. આ સિવાય ઝાંઝરડા રોડ પરથી શારદાબેન આસોદરીયા અને પુષ્પાબેન અદોદરીયા તેમજ તળાવ દરવાજા પાસે રહેતા નયનાબેન ટાંક પણ જુગાર રમતા ઝડપાયા હતા. અન્ય મહિલાઓમાં હર્ષદનગરના ઇમરાનાબેન પુછડા, સહજાનંદ સોસાયટીના શીતાબેન ધીરવાણી, જોષીપરાના આશાબેન શાહ અને ખામધ્રોળ રોડના નીશાબેન જુમાણીની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ મહિલાઓ ઘરકામ વ્યવસાય સાથે સંકળાયેલી છે અને મધ્યમ તેમજ ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે. ​પોલીસે આ સમગ્ર મામલે જુગાર ધારા એક્ટની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હુણ અને કોન્સ્ટેબલ મુકેશભાઈ મકવાણાની બાતમી મુખ્ય રહી હતી. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા આ પ્રકારના જુગારધામ પર પોલીસની આ મોટી કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલ તમામ મહિલાઓ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બનીને આગળની તપાસ તજવીજ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:56 pm

હાર્દિકે ચાલુ મેચમાં તિલકને તતડાવ્યો, સદી પછી કીસ આપી:કોણે ગિલની દાઢીની મજાક ઉડાવી?; સિનસપાટામાં વિંટી ખોવાઈ, ધંધે લાગ્યા, જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:55 pm

કુકરમુંડા પોલીસે મુંબઈના સાયબર ઠગને ઝડપ્યો:ઓનલાઈન ગિફ્ટ હેમ્પરના નામે રૂ. 2.50 લાખની છેતરપિંડી આચરી

કુકરમુંડા પોલીસે ઓનલાઈન ગિફ્ટ હેમ્પરના નામે રૂ. 2.50 લાખની છેતરપિંડી આચરનાર મુંબઈના એક સાયબર ઠગને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ નિર્દોષ લોકોને કમિશનની લાલચ આપીને નિશાન બનાવ્યા હતા. પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર ઘટના 23 ઓગસ્ટ, 2025ના રોજ શરૂ થઈ હતી, જ્યારે આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સિદ્દિકી (રહે. મલાડ પૂર્વ, મુંબઈ) એ ફરિયાદીને ગિફ્ટ હેમ્પર બનાવીને તેમાં સારું કમિશન મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના બેંક ઓફ બરોડા (કુકરમુંડા શાખા) ના ખાતામાંથી તેમજ તેમના પિતરાઈ ભાઈ અને મિત્રના UPI અને ગૂગલ-પે એકાઉન્ટ દ્વારા અલગ-અલગ સમયે કુલ રૂ. 2,50,000/-નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પૈસા મેળવી લીધા બાદ આરોપીએ ન તો ગિફ્ટ હેમ્પર આપ્યા કે ન તો રૂપિયા પરત કર્યા. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, 20 એપ્રિલ, 2026ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાંથી આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સિદ્દિકી (ઉંમર 26) ને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 316(2), 318(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ શશાંક સિંઘ અને ગૌતમ મુલચંદ ગુપ્તાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. આઈ.ડી. દેસાઈ સાથે હેડ કોન્સ્ટેબલ રવિ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ, કમલેશ અને જનક જોડાયા હતા. સાયબર ક્રાઈમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે કુકરમુંડા પોલીસની આ ત્વરિત કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:48 pm

ભ્રામક દાવા બંધ કરો, સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો: મંત્રણા પહેલા જ ઈરાનની ધમકી

Iran US Conflict : ઈરાન-અમેરિકાના યુદ્ધવિરામનો આવતીકાલે (22 એપ્રિલ) છેલ્લો દિવસ છે. બંને દેશોના વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદમાં બંને વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા યોજાવાની છે. જોકે તે પહેલા બંને દેશોના આક્રમક વલણે ફરી ચિંતા વધારી દીધી છે. ઈરાનની અમેરિકાને ધમકી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીધી જ વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ઈરાની સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.

ગુજરાત સમાચાર 21 Apr 2026 4:41 pm

સરદાર પટેલ યુનિવર્સિટી અને Virtuoskill વચ્ચે MOU:વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્ય અને રોજગારી માટે તાલીમ મળશે

આણંદ-વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને મુંબઈના Virtuoskill વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ અને Virtuoskillના CEO કલ્યાણ રામને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MOU ઉચ્ચ શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુ બનાવવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે.આ સમજૂતી અંતર્ગત, સરદાર પટેલ યુનિવર્સિટીના વ્યવસાય વ્યવસ્થાપન, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સહિતના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ Virtuoskill પ્લેટફોર્મ પર ઉદ્યોગ-સુસંગત સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ માટે સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવી શકશે. આ ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્રમાં પ્લેસમેન્ટ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક પૂરી પાડશે. બંને પક્ષો સંયુક્ત રીતે એવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિકસાવશે જે વિદ્યાર્થીઓને વાસ્તવિક ઉદ્યોગ-કૌશલ્ય સાથે તૈયાર કરશે.આ પ્રસંગે Virtuoskillના CEO કલ્યાણ રામને જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓએ ઉદ્યોગ-ક્ષેત્ર માટે સુસજ્જ બનવું અત્યંત આવશ્યક છે. Virtuoskill નું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવા અને રોજગારીની નવી ક્ષિતિજો ખોલવા માટે સક્ષમ બનાવે છે.આ MOU હસ્તાક્ષરની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના વડા ડૉ. દર્શના દવેના પ્રયત્નો અને સક્રિય પહેલને કારણે આ MOU સાકાર થઈ શક્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી અને Virtuoskillનો આ સંયુક્ત પ્રયાસ ગુજરાતના યુવાનોને ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર અને સફળ બનાવવાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ છે. આ કરારથી વિદ્યાર્થીઓ માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:25 pm

નવસારીના શાકભાજી વિક્રેતા સાથે રૂ. 3.12 લાખની ઠગાઈ:ફેસબુક મિત્રના નામે સાયબર ઠગોએ મુસીબતમાં હોવાનું કહી રૂપિયા ખંખેરી લીધા

નવસારીના સુપા ગામમાં શાકભાજીનો વ્યવસાય કરતા એક યુવક સાથે ફેસબુક મિત્રના નામે રૂ. 3.12 લાખની સાયબર ઠગાઈ થઈ છે. સાઉદી અરેબિયાથી મિત્ર ભારત આવવાનો છે અને જેલમાં ફસાયો હોવાનું નાટક રચી ઠગોએ આ છેતરપિંડી આચરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ નવસારીના સુપા ગામે રહેતા ચંદ્રશેખર બિરબલી બીંદ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. ગત 30 ડિસેમ્બરે તેમને ફેસબુક પર 'શાહનવાબ અહમદ' નામના આઈડી પરથી મેસેજ મળ્યો હતો. શાહનવાબ તેમના ગામનો મિત્ર હોવાથી અને હાલ સાઉદીમાં હોવાથી ચંદ્રશેખરને વિશ્વાસ બેસી ગયો હતો. ઠગે જણાવ્યું કે, તે ભારત આવવાનો છે અને રૂ. 3 લાખ ચંદ્રશેખરના ખાતામાં મોકલવા માંગે છે, જે તે ભારત આવીને પરત લઈ લેશે. ઠગે સાઉદી સેન્ટ્રલ બેંકમાંથી રૂ. 4.35 લાખ ટ્રાન્સફર થયા હોવાનો ખોટો સ્ક્રીનશોટ મોકલી વિશ્વાસ જીત્યો. ત્યારબાદ અલગ-અલગ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ કરી ચંદ્રશેખરને જણાવાયું કે, પૈસા 24 કલાકમાં જમા થઈ જશે. થોડીવારમાં ઠગે મેસેજ કર્યો કે 'હું પોલીસ કેસમાં ફસાઈ ગયો છું, મને છોડાવવા પૈસા આપો.' તેણે હાજી બિલાલ નામના કથિત એજન્ટનો નંબર પણ આપ્યો હતો. મિત્રને મુસીબતમાંથી છોડાવવા માટે ચંદ્રશેખરે પોતાના સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી ટુકડે-ટુકડે પૈસા મોકલવાનું શરૂ કર્યું. ઠગોએ એટલું માનસિક દબાણ બનાવ્યું કે ચંદ્રશેખરે પોતાના મિત્રો અને સાળા પાસેથી પણ પૈસા ઉધાર લઈને ટ્રાન્સફર કર્યા. 30 અને 31 ડિસેમ્બર દરમિયાન કુલ રૂ. 3,12,389 ટ્રાન્સફર કરાવાયા હતા. આ રકમ કેનેરા બેંક એકાઉન્ટ અને એક્સિસ, RBL, યસ બેંકના ક્રેડિટ કાર્ડમાં પણ ચૂકવવામાં આવી હતી. વધુ રૂ. 13,000ની માંગણી થતા ચંદ્રશેખરને શંકા ગઈ. તેમણે વતનમાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે, અસલી શાહનવાબ અહમદ તો સાઉદીમાં સુરક્ષિત છે અને તેણે કોઈ પૈસા માંગ્યા નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી. નવસારી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:13 pm

રાજકોટ વોર્ડ 15માં ચૂંટણી જંગ તેજ:સરકારી અધિકારીઓ દ્વારા પ્રચાર મુદ્દે કોંગ્રેસના આરોપ, ભાજપે કહ્યું- કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આવું કરે છે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 15માં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાએ ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાના ભાઈ અને મોરબી એસીબી (ACB) ના પીઆઈ સામે આચારસંહિતા ભંગનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ફરિયાદને પગલે તંત્રએ ત્વરિત કાર્યવાહી કરતા સંબંધિત અધિકારીને ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. કોંગ્રેસના આક્ષેપો બાદ પીઆઈને હાજર થવા આદેશકોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને પૂર્વ મંત્રી દિનેશ પરમારે રજૂઆત કરી છે કે, મોરબી એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હરેશ હેરભા રજા લઈને છેલ્લા 10 દિવસથી રાજકોટમાં પોતાના ભાઈ નિલેશ હેરભા (ભાજપ ઉમેદવાર) માટે પ્રચાર કરી રહ્યા છે. સરકારી હોદ્દા પર હોવા છતાં પ્રોટોકોલ તોડીને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય થવાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો. સાગઠિયાએ મોરબી કલેક્ટર અને રાજકોટ એસીબી ડેપ્યુટી ડાયરેક્ટરને પુરાવા સાથે રજૂઆત કર્યા બાદ, તંત્રએ પીઆઈને તાત્કાલિક અસરથી મોરબી ખાતે હેડક્વાર્ટર પર હાજર થવાનો આદેશ આપ્યો છે. ભાજપે 'આક્ષેપો પાયાવિહોણા' ગણાવ્યાભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ આ તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, હરેશ હેરભા સગા ભાઈ હોવાને નાતે માત્ર એક વાર મળવા આવ્યા હતા, જેને પ્રચારમાં ખપાવી દેવો તે ખોટું છે. કોંગ્રેસ વોર્ડ 15માં પોતાની હાર ભાળી ગઈ હોવાથી હતાશામાં આવીને સરકારી અધિકારીઓ અને પરિવારને નિશાન બનાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના ભાઈઓ વર્ષોથી જનસંપર્ક કાર્યાલય દ્વારા લોકોની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. વોર્ડ 15 કોંગ્રેસનો ગઢ કે ભાજપની એન્ટ્રી?વોર્ડ 15 હંમેશા રાજકોટમાં કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે. વશરામ સાગઠિયાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાજપ ભલે ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ જનતા કોંગ્રેસની સાથે જ છે. તેમણે પક્ષ પલટો કરનારા નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રવીણ સોરાણી જેવા નેતાઓ પક્ષ છોડીને જાય તેનાથી કોંગ્રેસને કોઈ ફેર પડવાનો નથી. ભૂતકાળમાં પણ ઘણા લોકો ગયા છે, પરંતુ મતદારોએ હંમેશા પંજા પર જ ભરોસો મૂક્યો છે. અગાઉની કોર્પોરેશન ચૂંટણીમાં પણ આ વોર્ડે 72 કોર્પોરેટરોમાંથી સૌથી વધુ લીડ આપીને કોંગ્રેસની પેનલને વિજયી બનાવી હતી. ભાજપે પ્રચાર કરવા બહારના હોદ્દેદારોને મેદાનમાં ઉતાર્યાબીજી તરફ, કોંગ્રેસના અન્ય ઉમેદવાર મકબુલ દાઉદાણીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપ આ વોર્ડમાં એટલી નબળી પડી ગઈ છે કે તેમને પ્રચાર કરવા માટે બહારના જિલ્લાઓ અને અન્ય જ્ઞાતિના હોદ્દેદારોને મેદાનમાં ઉતારવા પડ્યા છે. જો ભાજપ ખરેખર મજબૂત હોત તો તેમણે રાજકોટ શહેરના હોદ્દેદારોની મદદ લેવાની જરૂર ન પડત. સાથે જ તેમણે દાવો કર્યો કે જનતાનો બહોળો પ્રતિસાદ કોંગ્રેસને મળી રહ્યો છે અને આ વખતે પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં જ આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ વોર્ડ 15માં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ છે. એક તરફ કોંગ્રેસ સરકારી મશીનરીના દુરુપયોગનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને કોંગ્રેસની હારનો ડર ગણાવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ તપાસ અને રાજકીય ઘર્ષણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:08 pm

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં સુવિધાઓના અભાવે રહીશોનો વિરોધ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ચિંતા

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા મતદારોનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. નંદેલાવ પંચાયત વિસ્તારમાં આવેલી ગણેશ ટાઉનશીપના રહીશોએ જાહેરમાં વિરોધ પ્રદર્શન કરી બેનરો લગાવ્યા છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી ૨૬ એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પૂર્વે જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે મતદારો વિકાસના મુદ્દે વધુ સજાગ બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. ગણેશ ટાઉનશીપના રહીશોએ તેમના વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ સામે સોસાયટીમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ સંદેશ છે કે, “પ્રજાની એક જ માંગ… પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો.” આ વિરોધ ભોલાવ જિલ્લા પંચાયત બેઠક અને નંદેલાવ પંચાયત વિસ્તારમાં રાજકીય ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. રહીશોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ વિસ્તારમાં દેખાય છે, જ્યારે વર્ષો સુધી મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. આ વખતે મતદારો પોતાના હક્ક માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારી નિભાવવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આવા વિરોધ પ્રદર્શનો રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. મતદારોના આ બદલાતા મિજાજને કારણે ઉમેદવારો માટે આ ચૂંટણી સરળ નહીં રહે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:07 pm

જલાલપોરના કોથમડીમાં દીવાલ પર દીપડો દેખાયો:પશ્ચિમ પટ્ટીના ગામોમાં ફફડાટ, વન વિભાગે સર્ચ શરૂ કર્યું

જલાલપોર તાલુકાના કોથમડી ગામે ગત રાત્રે એક દીપડો દીવાલ પર બેઠેલો જોવા મળ્યો હતો. આ ઘટનાથી પશ્ચિમ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. વન વિભાગે દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 8:30 કલાકના અરસામાં દીપડો ગામમાં એક ઘરની દીવાલ પર શાંતિથી બેઠેલો નજરે પડ્યો હતો. સ્થાનિક રહીશે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જલાલપોરના પશ્ચિમ વિસ્તારના ગામોમાં દીપડા દેખાવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. અગાઉ પણ પશુઓના મારણની ઘટનાઓ બની હોવાથી ખેડૂતો અને શ્રમજીવીઓ રાત્રિના સમયે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. કોથમડીના આ તાજેતરના વીડિયોએ ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. ઘટનાની જાણ થતાં જ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જની ટીમ સક્રિય થઈ ગઈ છે. વન વિભાગ દ્વારા દીપડાના લોકેશનના આધારે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જરૂર જણાય ત્યાં પાંજરું ગોઠવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:06 pm

જામનગર પાસે ફ્યુલ ભરેલું ટેન્કર પલટ્યું:લાલપુર બાયપાસ પર ફ્યુલ ઢોળાતા વિસ્તાર સીલ, વાહનવ્યવહાર બંધ

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ફ્યુલ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. આ ઘટનાને કારણે ટેન્કરમાંથી ફ્યુલ લીકેજ થવા લાગ્યું હતું, જેને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. જી.જે ૨૭ ટી જી ૬૯૦૫ નંબરનું આ ટેન્કર આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને લઈ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે, ઉપરોક્ત વિસ્તારનો એક તરફનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. આઈઓસી કંપનીની ટીમ પણ લીકેજ બંધ કરવા માટે યુદ્ધના ધોરણે કાર્યરત થઈ હતી. કોઈ અન્ય આગ કે અકસ્માતનો બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:04 pm

સરકારી આવાસ અપાવવાની લાલચ આપી 9.70 લાખની ઠગાઈ:સોલાર પેનલના નામે પણ 2 લાખ ગુમાવ્યા, ડિંડોલી-લિંબાયતમાં છેતરપિંડીનો બનાવ

સુરતના ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં છેતરપિંડીના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 9.70 લાખની ઠગાઈ થઈ છે. તો બીજી તરફ ઘરના ધાબે સોલાર પેનલ લગાવવાના નામે એક મહિલા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ બંને કિસ્સાઓમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. PM આવાસના નામે 9.70 લાખની લૂંટસુરતના લિંબાયત પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ડિંડોલીમાં રહેતા મયુર પાટીલ નામના શખ્સે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ આચર્યું છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા હિરાદેવી પૌનીકર અને તેમના સંબંધીઓને વિશ્વાસમાં લઈને આરોપીએ પોતાની ઝેરોક્સની દુકાન પરથી ઠગાઈની જાળ બિછાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તે સરકારી પ્રક્રિયા દ્વારા સસ્તા આવાસ અપાવી શકે છે. આ લાલચમાં આવીને ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની મહેનતની કમાણી આરોપીના હાથમાં સોંપી દીધી હતી. ખોટી રસીદો આપી અનેક પરિવારોને વિશ્વાસમાં લીધાઆરોપી મયુર પાટીલની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેણે ફરિયાદી હિરાદેવી પાસેથી 1.60 લાખ, તેમના ભાઈ જયરામ પાસેથી 4.80 લાખ અને અન્ય સંબંધીઓ પાસેથી મળી કુલ 9.70 લાખ રૂપિયા વસૂલ્યા હતાં. આ રકમ લીધા બાદ લોકોને શંકા ન જાય તે માટે તેણે ખોટી રસીદો પણ પધરાવી દીધી હતી. જ્યારે પણ લોકો મકાન વિશે પૂછતા ત્યારે તે 'પ્રક્રિયા ચાલુ છે' તેમ કહીને સમય પસાર કરતો હતો. અંતે, કોઈ પરિણામ ન મળતા ભોગ બનનાર પરિવારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. સોલાર પેનલ લગાવવાના નામે મહિલા સાથે 2 લાખની છેતરપિંડીબીજી ઘટના ડિંડોલીની સાઈ દર્શન સોસાયટીમાં બની છે. અહીં રહેતા રેખાબેન નાગર નામના મહિલાએ ગણેશ મલ્લેયા ગુડલા નામના શખ્સ સામે રૂ. 2 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સપ્ટેમ્બર 2025થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં આરોપીએ મહિલાના ઘરે સોલાર પેનલ ફીટ કરી આપવાનો વાયદો કર્યો હતો. આજકાલ સોલાર પેનલની માગ વધતા ઠગબાજોએ હવે આ ક્ષેત્રને પણ પોતાનું નિશાન બનાવ્યું હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે. પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપીરેખાબેને જ્યારે વારંવાર કામ પૂરું કરવા માટે દબાણ કર્યું, ત્યારે આરોપી ગણેશ ગુડલાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. કામ પૂરું ન થતા જ્યારે પરિવારે પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીએ ગાળાગાળી કરી અને 'તારું કામ નહીં થાય, જે કરવું હોય તે કરી લે' કહી ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ 20 એપ્રિલ 2026ના રોજ પોલીસનો આશરો લીધો હતો. આ કિસ્સો દર્શાવે છે કે ઠગબાજો હવે માત્ર પૈસા પડાવતા નથી, પરંતુ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને શાંત રાખવાનો પણ પ્રયાસ કરે છે. આરોપીઓની ધરપકડ કરવા પોલીસ તપાસ શરૂઆ બંને કિસ્સાઓમાં સુરત પોલીસે ગુના નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. PM આવાસ યોજનાના નામે છેતરપિંડી કરનાર મયુર પાટીલ અને સોલાર પેનલના નામે છેતરપિંડી કરનાર ગણેશ ગુડલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે મયુર પાટીલે આ સિવાય પણ અન્ય અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરી હોઈ શકે છે. પોલીસ હાલ આરોપીઓની ધરપકડ કરવા અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા મથામણ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 4:00 pm

'પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા હવે સુંદરકાંડ કરે છે':કાનાણીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- 'વિધવા બહેનો પાસેથી પણ 25 હજારના ઉઘરાણા કરતા ખચકાતા નથી'

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો સંભાળ્યો છે. પાટીદાર વિસ્તારમાં પ્રચાર દરમિયાન તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહારો કરતા કહ્યું કે, રેશનકાર્ડની દુકાને જઈ ધમકાવી 2,000નો રૂપિયો નક્કી કરનારા અને લાચાર વિધવા બહેન ઘર ચલાવવા બે માળ બાંધતી હોય તો તેની પાસેથી 25,000 રૂપિયાની ઉઘરાણી કરનારા હલકા લોકોને તમારે મત દેવા છે? કાનાણીએ આક્ષેપ કર્યો કે પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કરનારા લોકો હવે મત મેળવવા માટે સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. રેશનકાર્ડ ધારકો અને દુકાનદારોની પજવણીનો આરોપકુમાર કાનાણીએ વોર્ડ નંબર 5 ફૂલપાડા અને અશ્વિની કુમાર વિસ્તારમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓ રેશનકાર્ડની દુકાનો પર જઈને દુકાનદારોને ખોટી રીતે હેરાન કરે છે. તું આમ ખોટું કરે છે, તું તેમ ખોટું કરે છે કહીને ધમકાવવામાં આવે છે અને જેવો 2,000 રૂપિયાનો હપ્તો નક્કી થઈ જાય એટલે તરત જ એ દુકાન વહીવટી દૃષ્ટિએ સારામાં સારી ચાલવા માંડે છે. આ કેવી નીતિ છે? વિધવા બહેનોની લાચારીનો ફાયદો ઉઠાવતી ઉઘરાણીધારાસભ્યએ એક ચોંકાવનારો કિસ્સો વર્ણવતા કહ્યું કે, જો કોઈ બહેન વિધવા થઈ હોય અને તેના સગા-સંબંધીઓ તેને આર્થિક ટેકો આપવા માટે બે માળનું મકાન બનાવી ભાડાની આવક ઊભી કરી આપવા માંગતા હોય, તો ત્યાં પણ આ નેતાઓ ઉઘરાણી કરવા પહોંચી જાય છે. આવી બહેન પાસેથી 25,000 રૂપિયા પડાવનારા હલકા લોકોને તમારે ફરીથી ચૂંટીને મોકલવા છે? આ પ્રશ્ન અત્યારે વરાછાના ગલી-મહોલ્લામાં ચર્ચાઈ રહ્યો છે. પાંચ વર્ષ ભ્રષ્ટાચારનો કાંડ કરનારાઓ હવે સુંદરકાંડ કરે છે- કાનાણીકાનાણીએ કટાક્ષના સૂરમાં કહ્યું કે, જે લોકોએ પાંચ વર્ષ સુધી સત્તામાં રહીને માત્ર ભ્રષ્ટાચારના કાંડ જ કર્યા છે, તેઓ હવે ચૂંટણી આવતા જ સુંદરકાંડના આયોજનો કરી રહ્યા છે. જનતા બધું જાણે છે કે આ ભક્તિ નથી પણ મતના લોભમાં કરાતો દેખાડો છે. રંગ બદલતા આવા કાચીંડાઓને હવે જનતાએ પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. રામ મંદિર અને કલમ 370ના વિરોધનો ઈતિહાસપ્રચાર દરમિયાન ભૂતકાળને વાગોળતા કાનાણીએ પૂછ્યું કે, આ દેશમાં રામ મંદિરની જરૂર નથી એવું કહેનારા કોણ હતા? કલમ 370 હટાવવાનો વિરોધ કોણે કર્યો હતો? તેમણે આરોપ લગાવ્યો કે જે લોકોએ સનાતન ધર્મ અને રામ મંદિર નિર્માણના પાયામાં વિરોધ કર્યો હતો, તેઓ આજે રાજકીય સ્વાર્થ માટે ભગવો ધારણ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:59 pm

નાયબ કલેક્ટરે બે ગામોમાં તલાટી દફતર તપાસ્યા:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી પ્રાકૃતિક ખેતી સમજાવી

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) અને મૂળી તાલુકાના દિગસર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી-કમ-મંત્રીના દફતરની તપાસણી કરી હતી. દફતર તપાસણીમાં સામાન્ય દફતર અને એપેન્ડિક્સ 'એ' ફોર્મ ભરવામાં આવ્યા હતા. કલેક્ટર મકવાણાએ ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા, જેમાં પીવાના પાણી, દબાણ, પાણી ચોરી અને દિગસર તળાવની પાળ તોડી ભૂંગળા નાખવાથી ખેડૂતોને થતા નુકસાન જેવા મુદ્દાઓ મુખ્ય હતા. આ પ્રશ્નો અંગે તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન, નાયબ કલેક્ટરે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, પદ્ધતિઓ અને તેનાથી થતા રોગોથી બચવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સમજાવ્યા હતા. આ ઉપરાંત, શિક્ષણનું મહત્વ સમજાવી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વાલીઓને પણ સમજાવ્યા હતા. દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી 1. ગામ નમૂના નંબર 1: ખેતીવાડી પત્રક 2. ગામ નમૂના નંબર 8 (ક): શિક્ષણ ઉપકર 3. ગામ નમૂના નંબર 9: રોજમેળ તથા પહોંચનું પત્રક 4. ગામ નમૂના નંબર 10: ચલણ 5. ગામ નમૂના નંબર 14: જન્મ-મરણ રજીસ્ટર 6. ગામ નમૂના નંબર 14 (ડ): ઢોરોનું રજીસ્ટર 7. ગામ નમૂના નંબર 17: આવક-જાવક રજીસ્ટર 8. ગામ નમૂના નંબર 18: સરક્યુલર ફાઇલ આ તપાસણીમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો, રોગચાળા, પહોંચબુક, ગામના નકશા અંગેની માહિતી યોગ્ય રીતે રાખવામાં આવે છે કે કેમ તેની ચકાસણી થઈ હતી. તલાટી-કમ-મંત્રી નિયમિત ગામે જાય છે, ડાયરી લખે છે અને પંચાયતની મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:59 pm

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 700+ બેઠકો બિનહરીફ:અમરેલીમાં પરેશ ધાનાણીએ 'લોકશાહીનું બેસણું' યોજી ભાજપ પર પ્રહાર કર્યા; ખોટાને નહીં, પરંતુ 'નોટા' ને પસંદ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતભરમાં 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આ પ્રક્રિયાના વિરોધમાં અમરેલીના જેસિંગપરા સ્થિત શિવાજી ચોકમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા 'લોકશાહીનું બેસણું' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ચૂંટણી ટાણે પક્ષો સભાઓ યોજી મત માંગતા હોય છે, પરંતુ કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરીને મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું. પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહારકાર્યક્રમ દરમિયાન પરેશ ધાનાણીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા ભાજપને 'સત્તા ભૂખ્યા વરુ' તરીકે સંબોધ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મતાધિકાર જબરદસ્તીથી છીનવી લેવાનો આ એક હીન પ્રયાસ છે. જનમેદનીને સંબોધતા તેમણે અપીલ કરી હતી કે, ખોટાને નહીં, પરંતુ 'નોટા' (NOTA) ને પસંદ કરો. અમરેલી ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે કોંગ્રેસે આક્રમક પ્રચાર દ્વારા સત્તા પરિવર્તન માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપનો વિકાસલક્ષી પ્રચારબીજી તરફ, ભાજપ દ્વારા વિપક્ષના આક્ષેપો સામે મૌન સેવીને સીધો જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. અમરેલી શહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા 'ડોર-ટુ-ડોર' પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણીમાં પડ્યા વગર માત્ર 'વિકાસની રાજનીતિ'ના મુદ્દાને આગળ ધરીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:58 pm

સુરત મનપા ચૂંટણી ટાણે 'વિકાસ'ની પોલ ખુલી:પીવાના પાણી માટે ટળવળતા રહીશોએ AAP નેતા સમક્ષ ઠાલવ્યો આક્રોશ, કહ્યું-4 દિવસથી ટીપું પાણી નથી આવ્યું

આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 18 ના વિક્રમનગર-3 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સર્જાયેલી પાણીની તીવ્ર અછતને પગલે સ્થાનિક રહીશોએ આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. ધોમધખતા ઉનાળામાં છેલ્લા ચાર દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાણી માટે વલખાં મારતી જનતાવિક્રમનગર-3 ની છેલ્લી શેરીમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભીષણ ગરમીમાં છેલ્લા ચાર દિવસથી નળમાં ટીપું પાણી પણ આવ્યું નથી. પીવા માટે તેમજ રસોઈ અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી અનેક પરિવારો પોતાના સગા-સંબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે. 8 થી 10 દિવસથી ચાલી રહેલી આ અનિયમિતતાએ રહીશોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. વિકાસના દાવાઓ પર રાજકીય પ્રહારોઘટના સ્થળે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના 30 વર્ષના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ 'સ્માર્ટ સિટી'ના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા સમાન પાણી માટે તરસી રહ્યા છે. રહીશોની ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગઆ મામલે 'આપ' દ્વારા વરાછા ઝોનના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા (SMC)ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવા માંગ કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં જનતાની ધીરજ ખૂટી રહી છે ત્યારે તંત્રની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:56 pm

ઝનોર NTPCમાં ફાયર સર્વિસ સપ્તાહ સમાપ્ત:લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન દ્વારા જાગૃતિ પર ભાર

ભરૂચના ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ ખાતે CISF યુનિટ દ્વારા ૧૪ એપ્રિલથી શરૂ થયેલા ફાયર સર્વિસ સપ્તાહનું ૨૦ એપ્રિલે સફળતાપૂર્વક સમાપન થયું. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો, જેના સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન યોજાયું. સપ્તાહ દરમિયાન, CISF ફાયર વિંગ દ્વારા આગ નિવારણની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસના ગામોની શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૂત્ર લેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સમાપન સમારોહનું મુખ્ય આકર્ષણ લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન હતું. આ પ્રદર્શનમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અને સલામતીના પગલાં લેવા અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉપસ્થિત લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. કાર્યક્રમના અંતે સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ સૌને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:54 pm

હારીજમાં વૃદ્ધ વેપારી પાસેથી 2.80 લાખની લૂંટ:દુકાનથી ઘરે જતી વખતે છરી બતાવી બે શખસ ફરાર

પાટણ જિલ્લાના હારીજમાં એક વૃદ્ધ અનાજના વેપારી પાસેથી છરી બતાવીને રૂ. 2.80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હારીજ મેઈન બજારમાં ભાવેશ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા 73 વર્ષીય જયંતિલાલ ભુરાલાલ ઠક્કર ગત 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના નવેક વાગ્યે પોતાના પુત્ર કિશોર સાથે દુકાન બંધ કરી રહ્યા હતા. દિવસ દરમિયાનના વેપારના રૂ. 2,80,000 રોકડા એક થેલામાં ભરીને તેઓ પોતાના જ્યુપિટર વાહન (નંબર GJ24AL2704) પર ઘરે જવા નીકળ્યા હતા. જયંતિલાલ જ્યારે બહુચર માતાજીના મંદિર થઈને પોતાની સિધ્ધયોગી રેસીડેન્સીના ગેટ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી કાળા કલરના એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ બંને શખ્સોએ વેપારીના વાહનને ઓવરટેક કરીને રસ્તા વચ્ચે પોતાનું એક્ટિવા ઉભું રાખી દીધું. વેપારીએ પોતાનું વાહન ધીમું પાડતા જ એક્ટિવા પાછળ બેસેલ શખ્સ નીચે ઉતર્યો અને છરી જેવું હથિયાર કાઢી વેપારીને ડરાવ્યા. લૂંટારુએ વેપારીના ગળા અને છાતીના ભાગે લટકાવેલા રૂપિયાના થેલાને ખેંચવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે વેપારી પોતાના વાહન સાથે નીચે પડી ગયા. વેપારીએ બૂમાબૂમ કરતા લૂંટારુએ છરી વડે થેલાના પટ્ટા કાપી નાખ્યા અને રૂ. 2,80,000ની રોકડ ભરેલો થેલો લઈને બંને શખ્સો એક્ટિવા પર બહુચર માતાજીના મંદિર તરફ ભાગી છૂટ્યા. આ ઘટના દરમિયાન લૂંટારુઓ એક્ટિવા સાથે નીચે પડી ગયા હોવા છતાં તુરંત ઉભા થઈને નાસી છૂટ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો અને વેપારીના પુત્રો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લૂંટ કરનાર બંને શખ્સો આશરે 20 થી 25 વર્ષની ઉંમરના હતા, જેમાં એકે લાલ અને બીજાએ કાળા રંગનું શર્ટ પહેર્યું હતું. વેપારીની ફરિયાદના આધારે હારીજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ દેસાઇને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

સાબરકાંઠા LCBએ ફરાર હત્યાના આરોપીને ઝડપ્યો:વચગાળાની પેરોલ રજા પરથી ભાગી છૂટેલા કેદીને ગાંધીનગરથી પકડાયો

સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને વચગાળાની પેરોલ રજા પરથી ફરાર થયેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આરોપીને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી પકડીને અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો હતો. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં વિવિધ ગુનાઓમાં પેરોલ અને વચગાળાની રજા પરથી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB ટીમના ઘનશ્યામસિંહ અને અનિરુદ્ધસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસનો આરોપી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોર (રહે. 007 ટાટા હાઉસિંગ, વડસર, તા. કલોલ, જિ. ગાંધીનગર) પોતાના ઘરે હાજર છે. વર્ષ 2024માં અજય ઉર્ફે ચકો ઠાકોર અને રાહુલ ઉર્ફે ખિસકોલી સહિત ચાર આરોપીઓએ જૂની અદાવતના કારણે અમરજીત હોંસલાપ્રસાદ ચૌહાણ (ઉં.વ. 23)ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે તીક્ષ્ણ હથિયાર વડે અમરજીતના શરીર પર આશરે ત્રીસ જેટલા ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ગુનામાં આરોપીઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. વર્ષ 2025માં કેદી અજય ઠાકોરને 7 દિવસની વચગાળાની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે રજા પૂરી થયા બાદ જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે ફરાર કેદી નંબર 1583, અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને વડસર ખાતેથી પકડી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

'એક ઇંચ પણ નહીં આપીએ':જમીન સંપાદન અને TP સ્કીમના વિરોધમાં આદિવાસી સમાજનો હુંકાર; ચૂંટણી બહિષ્કારની ચીમકી

નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા હક અને અધિકાર માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં જમીન ગુમાવવાના મુદ્દે સમાજે એકસૂરે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. નિર્ણાયક મતબેંક અને વધતો રોષનવસારીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજ દાયકાઓથી નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં આદિવાસી બેઠકો ફાળવવામાં આવી છે. શહેરમાં અંદાજે 45,000 જેટલા આદિવાસી મતદારો નોંધાયેલા છે. હાલમાં સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકાસ જોઈએ, વિનાશ નહીંઆદિવાસી જનજાગૃતિ સમિતિના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નવસારીમાં સમાજની વસ્તી 70,000 થી 80,000 ની આસપાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમાજ વિકાસનો વિરોધી નથી, પરંતુ વિકાસના નામે આદિવાસીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો તે ચલાવી લેવાશે નહીં. તમામ રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ હોવા છતાં પ્રશ્નો વણઉકેલ્યા રહેતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સ્થાનિક રહેવાસી ડિમ્પલ નાયકાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવસારીમાં 70% વસ્તી આદિવાસીઓની છે, છતાં હંમેશા તેમને જ વિસ્થાપિત થવું પડે છે. અમે આ જમીનના મૂળ માલિક છીએ અને હવે જાગૃત થયા છીએ. જો ઘર કે જમીન છીનવવાનો પ્રયાસ થશે તો અમે એક ઈંચ જમીન પણ આપીશું નહીં. જરૂર પડ્યે અમે મતદાનના બહિષ્કારનો નિર્ણય પણ લીધો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણઆ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના વોર્ડ નંબર 13 ના ઉમેદવારે સ્વીકાર્યું હતું કે આદિવાસી સમાજના આંદોલનથી સરકાર ચિંતિત છે. તેમણે ખાતરી આપી હતી કે TP સ્કીમ (TPDP) અંગેના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધિ મંડળ સાથે મળીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને મધ્યસ્થી કરી યોગ્ય માર્ગ કાઢવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ પણ આ સળગતા મુદ્દે આદિવાસી મતો મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. નવસારીમાં હાર-જીતનો દારોમદાર આદિવાસી મતો પર રહેલો હોવાથી બંને મુખ્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે 28 એપ્રિલના રોજ આવનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે આદિવાસી સમાજનો અસંતોષ કઈ પાર્ટીને ભારે પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

ખાડીપુરની સમસ્યાના નિવારણ માટે ફલોટીંગ પોકલેન મશીનોથી સફાઈ થશે:ખાડીના અંતરિયાળ ભાગોમાં પણ ઊંડી સફાઈ શક્ય બનશે, કેન્દ્ર સરકારની ટીમનો ટેકનિકલ અભ્યાસ

સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપુરની જે વિકટ સમસ્યા સર્જાય છે, તેના કાયમી અને નક્કર નિવારણ માટે સુરત મ્યુનિસિપલ કમિશનરે આ વર્ષે વહેલી તકે સાવચેતીના ભાગરૂપે આયોજન હાથ ધરાયું છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને ધ્યાને રાખીને કમિશનર દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. ખાડીઓમાં કચરો અને કાંપ જમા થવાને કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે. ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં સાધારણ મશીનરી પહોંચી શકતી નથી અથવા સફાઈ માટે યોગ્ય 'એપ્રોચ' નથી, ત્યાં સફાઈ કરવી અત્યંત મુશ્કેલ હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી કુલ ચાર ખાસ પ્રકારના ફલોટીંગ પોકલેન મશીનો કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. ખાડીના અંતરિયાળ ભાગોમાં પણ ઊંડી સફાઈ શક્ય બનશેઆ મશીનો પૈકી 1 મશીન આજ રોજ લીંબાયત વિસ્તારની મીઠીખાડીમાં કાર્યરત કરી દેવામાં આવ્યું છે. બાકીના 3 મશીનો પણ આ જ અઠવાડિયામાં સુરતની અન્ય ખાડીઓની સાફ-સફાઈ માટે મેદાનમાં ઉતારવામાં આવશે. આ ફલોટીંગ પોકલેન મશીનો પાણીમાં તરીને સફાઈ કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી ખાડીના અંતરિયાળ ભાગોમાં પણ ઊંડી સફાઈ શક્ય બનશે, જેનાથી ચોમાસામાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં. કેન્દ્ર સરકારની તજજ્ઞ ટીમે ટેકનિકલ અભ્યાસ કર્યોમાત્ર સફાઈ જ નહીં, પરંતુ ખાડીપુરની સમસ્યાનું ટેકનિકલ નિવારણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. કમિશનરના સૂચનથી કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈડ્રોલોજી (NIH) ની તજજ્ઞ ટીમ 20 એપ્રિલના રોજ સુરત ખાતે આવી પહોંચી છે. આ તજજ્ઞ ટીમ હાલમાં સુરત ખાતે રોકાઈને ખાડી પુરના તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસમાં મુખ્યત્વે આગામી ચોમાસામાં તાત્કાલિક રાહત આપવા માટે કયા પગલાં લઈ શકાય. ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે કેવા સ્ટ્રક્ચરલ ફેરફારોની જરૂર છે. મ્યુનિસિપલ કમિશનર આ મામલે અત્યંત ગંભીર જણાઈ રહ્યા છે. તજજ્ઞોની ટીમ દ્વારા જે કંઈ પણ સૂચનો આપવામાં આવશે, તે અંગે ટીમ સાથે પરામર્શ કરીને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:50 pm

26 એપ્રિલે અમદાવાદ મનપાની ચૂંટણીનું મતદાન:38 લાખ મતદારો માટે 4257 બુથ ઊભા કરાયા, 15 હજાર પોલીસકર્મી તૈનાત

અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે. મતદાર અને ઉમેદવારોના આંકડાઅમદાવાદમાં અંદાજે 38 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાં 19.67 લાખ પુરુષો અને 18.33 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. 48 વોર્ડની કુલ બેઠકો માટે 652 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે બે બેઠકો પર બિનહરીફ વરણી થઈ ચૂકી છે. કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 877 રદ થયા હતા અને 22 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી વ્યવસ્થા અને EVM ની વિગતચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે મોટા પાયે સંસાધનો ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં 30,000 વહીવટી કર્મચારીઓ, શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. ગરમીને ધ્યાને રાખી વિશેષ સુવિધાઓચૂંટણીના દિવસે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. દરેક મતદાન અને મતગણતરી કેન્દ્રો પર પાણી અને ORS ની સુવિધા ઉપલબ્ધ રહેશે. મોબાઈલ મેડિકલ ટીમ અને ફર્સ્ટ એઈડ કીટની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારોને ગરમીથી બચાવવા માટે કેન્દ્રો પર શેડ (માંડવા) બનાવી ઠંડકની વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:49 pm

ત્રણ ગલૂડિયાને કોથળામાં નાખી મહિલા કારમાં લઈ ગઈ, CCTV:સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાયો

વડોદરામાં પ્રાણી પ્રત્યે ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટી પાસે રહેતા ત્રણ ગલૂડિયાને ચાર મહિલાઓ દ્વારા કોથળામાં ભરી કારમાં લઈ જવાતા હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ચાર મહિલાઓએ મળી ત્રણ ગલૂડિયાને બોરીમાં પૂરી દીધા!બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, મૂળ અમદાવાદના અને ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા તથા પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે જોડાયેલા સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત તારીખ 15 એપ્રિલના સાંજના સમયે પંચમ ડુપ્લેક્સ, રઘુકુળ સ્કૂલ પાસે ચાર અજાણી મહિલાઓએ શ્વાનના ત્રણ નાના ગલુડિયાઓને પકડીને એક બોરીમાં પૂર્યા હતા. પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવીત્યારબાદ, એક ફોર-વ્હીલર કારના ચાલકે ત્યાં આવી આ ગલુડિયા ભરેલો બોરો કારમાં મૂકી દીધો હતો અને ગલુડિયાઓને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાણી પ્રેમી સંસ્થા પીપલ ફોર એનિમલ-2 અને કેરએસ્ટે ફાઉન્ડેશનના સ્વયંસેવક ચંચલબેન વશીક દ્વારા આ વીડિયો સમીરભાઈને મોકલવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પ્રાણી પ્રેમી કાર્યકરો દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ગલુડિયાઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે, અબોલ જીવો પ્રત્યેની આ ક્રૂરતા બદલ સમીરભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે ગલુડિયાઓને ક્યાં લઈ જવામાં આવ્યા છે અને આ મહિલાઓ કોણ હતી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:45 pm

તાપીમાં ચૂંટણી ફરજ પરના કર્મીઓએ કર્યું મતદાન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, વ્યારા ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી ચૂંટણીના દિવસે કાયદો-વ્યવસ્થા અને મતદાનની કામગીરીમાં વ્યસ્ત રહેલા કર્મચારીઓ તેમના મતાધિકારથી વંચિત ન રહે. વ્યારામાં આયોજિત આ પ્રક્રિયામાં વિવિધ વિભાગના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે લોકશાહીમાં દરેક મત કિંમતી છે, અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ અગાઉથી મતદાન કરીને પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. વહીવટી તંત્ર તમામ બેઠકો પર તટસ્થ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા સજ્જ છે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ હવે સામાન્ય જનતા માટેના મતદાનના દિવસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:44 pm

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદો-વ્યવસ્થા જાળવવા માર્ગદર્શિકા જાહેર કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ ૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાન મથકો પર કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ જાળવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર, મતદાનના દિવસે દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશ દ્વાર પાસે નિયત લાઇનમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે પ્રવેશ મેળવવાનો રહેશે. મહિલાઓ માટે અલગ લાઇન હશે અને દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સિનિયર સિટિઝન્સને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે. મતદારે પોતાની લાઇન મુજબ ક્રમાનુસાર જ મતદાન મથકમાં પ્રવેશ કરી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મત આપ્યા બાદ મતદારોએ મતદાન મથક કે તેના પ્રતિબંધિત વિસ્તારમાં બિનજરૂરી રોકાયા વગર તુરંત ત્યાંથી રવાના થવું પડશે. આ જાહેરનામું આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના મતદાનના દિવસે સમગ્ર જિલ્લામાં જ્યાં ચૂંટણી યોજાનાર છે, તે તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ આદેશોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:40 pm

હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડ તસિયા રોડ પરથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (GJ-31-X-2387)માં વિદેશી દારૂ હિંમતનગર શહેર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સુંદરગઢ ગામની સીમમાં સ્ટેટ હાઈવે રોડ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમીવાળી રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે અને પાછળની સીટમાં રાખેલા થેલાઓમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 111 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹47,320ની કિંમતનો દારૂ, ₹5,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને ₹70,000ની કિંમતની સીએનજી રિક્ષા સહિત કુલ ₹1,22,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાત (ઉંમર 19, રહે. અણસોલ, તા. ભિલોડા, જિ. અરવલ્લી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:40 pm

પોદ્દાર સ્કૂલમાં ઇંગ્લેન્ડના કિરણ લેઈએ ડાન્સ શીખવ્યો:વિદ્યાર્થીઓને ફ્રીસ્ટાઇલ ડાન્સના સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવાડ્યા

હિંમતનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કિરણ લેઈ આવ્યા હતા. મંગળવારે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને ડાન્સના વિવિધ સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવ્યા હતા. કિરણ લેઈનું વિદ્યાર્થિનીઓએ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરીને તેમનું અભિવાદન કર્યું. સ્કૂલના આચાર્યએ સન્માનરૂપે કિરણ લેઈને એક કાર્ડ, ફૂલછડી અને તેમનું ચિત્ર ભેટ આપ્યું હતું. કિરણ લેઈ ઇંગ્લેન્ડના જાણીતા સ્ટ્રીટ ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે, જે તેમની અનોખી ડાન્સ સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમણે ઉપસ્થિત સૌ સામે સ્ટેજ પર એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પછી, કિરણ લેઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને તેમને વિવિધ ડાન્સ સ્ટેપ્સ અને ટેકનિક્સનું માર્ગદર્શન આપ્યું. આ ઇન્ટરએક્ટિવ સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવી કળા શીખવાનો અવસર મેળવ્યો. બે કલાકના આ રોકાણ દરમિયાન કિરણ લેઈ વિદ્યાર્થીઓ માટે મનોરંજક અને પ્રેરણાદાયક સાબિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:38 pm

સેન્ટ ઝેવિયર્સ કોલેજ વિવાદોના ઘેરામાં!:મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત રખાયાનો આક્ષેપ, ABVPએ ફીના નામે ઉઘાડી લૂંટ અને અન્યાયી નીતિઓનો વિરોધ કર્યો

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત ABVPના કર્ણાવતી મહાનગર સહ-મંત્રી પ્રિયમ ભાટિયાએ જણાવ્યું કે, અનેક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ હોવા છતાં કોલેજ સત્તાધીશો તેમને પરીક્ષામાં બેસવા દેતા નથી. આ નીતિને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. '₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે'વિદ્યાર્થી નેતાના જણાવ્યા અનુસાર, કોલેજ દ્વારા આયોજિત ઇવેન્ટ્સ કે કાર્યક્રમોમાં જે વિદ્યાર્થીઓ હાજર નથી રહેતા, તેમની પાસેથી ₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. જો પેનલ્ટી ન ભરે, તો તેમની એટેન્ડન્સ કાપી નાખવામાં આવે છે અને માર્કશીટ કે સર્ટિફિકેટ અટકાવવાની ધમકી આપવામાં આવે છે. પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યોજ્યારે આ મુદ્દે પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે ઇવેન્ટના નામે પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે, ABVPએ જ્યારે આ બાબત લેખિતમાં આપવાની માંગ કરી, ત્યારે પ્રશાસને મૌન સેવી લીધું હતું. ABVPએ આંદોલનની ચીમકી ઉચ્ચારીABVP દ્વારા આજે કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પ્રિયમ ભાટિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:38 pm

કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ચયનીકા ઉનિયાલના ભાજપ પ્રહાર:'મહિલા અનામત બિલ માત્ર કાગળ પર રાખી તેના અમલીકરણમાં નવા અવરોધો ઉભા કરાયા'

ભાજપ સરકારે મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ના મુદ્દે દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડૉ. ચયનીકા ઉનિયાલે ભાજપની નીતિ અને દાનત પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જે બિલ 2023માં પાસ થઈ ગયું હતું તેને 2026 સુધી માત્ર કાગળ પર રાખી હવે તેના અમલીકરણમાં નવા અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડૉ ચયનીકા ઉનિયાલનાએ જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં જ પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં 29 મિનિટમાં 58 વાર કોંગ્રેસનું નામ લઈને કોંગ્રેસ પર એવો આરોપ લગાવવાની ભાજપે કોશિશ કરી છે, પ્રધાનમંત્રીજીએ કોશિશ કરી છે કે મહિલા અનામત બિલ કોંગ્રેસના કારણે નથી આવી શક્યું. 'તેમાં વસ્તી ગણતરી અને ડીલિમિટેશનની કલમ ભાજપે ઉમેરી'તેને વધુમાં કહ્યું કે તો મારો સવાલ પ્રધાનમંત્રીને એ છે કે 2023માં જે બિલ પાસ થયું હતું તે શું હતું? જેને તમે 16 એપ્રિલ 2026 ના રોજ નોટિફાય કર્યું, એટલે કે મહિલા અનામત બિલ તો કાયદો બની ચૂક્યું છે, હવે તેના અમલીકરણની વાત છે. જો અમલીકરણની વાત છે, તો તે અમલીકરણ કેમ નથી થઈ રહ્યું? તેમાં સેન્સસ (વસ્તી ગણતરી) અને ડીલિમિટેશન (સીમાંકન) ની કલમ ભાજપે ઉમેરી. 'પહેલીવાર પંચાયતમાં 33 ટકા અનામત લાવનાર કોંગ્રેસ'ઉનિયાલનાએ જણાવ્યું હતું કે, અને જ્યારે તમે વારંવાર કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છો કે કોંગ્રેસ મહિલા વિરોધી છે, તો હું તમને એ પૂછવા માંગીશ કે 2010માં આ બિલને પહેલીવાર રાજ્યસભામાં પાસ કરાવનારી પાર્ટી કઈ હતી? કોંગ્રેસ. 33 ટકા અનામત પર આ દેશમાં પહેલીવાર સવાલ ઉઠાવનારી પાર્ટી કઈ હતી? ખુદ રાજીવ ગાંધીજીના સમયમાં NPPની ભલામણમાં આવ્યું હતું કે 33 ટકા અનામત બિલ હોવું જોઈએ. પહેલીવાર પંચાયતમાં 33 ટકા અનામત લાવનારી કોણ? કોંગ્રેસ પાર્ટી. '2017માં સોનિયાજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો'તેને વધુમાં કહ્યું કે, 2010માં જ્યારે આ બિલ પાસ થઈ ગયું હતું, ત્યારે ભાજપને પૂછવું જોઈએ કે 2014 સુધી તમે કોઈ એક વાર પણ કોંગ્રેસને કહ્યું કે અમે તમને સમર્થન આપીશું, આને લોકસભામાં લાવો? કોઈ પત્ર લખ્યો? કોઈ સંવાદ કર્યો કોંગ્રેસ સાથે? તો તે જણાવો. પણ 2014 પછી 2017માં સોનિયાજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો. 2018માં રાહુલ ગાંધીજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો. કેમ તમે આને લોકસભામાં લાવીને 2010ના બિલને લેપ્સ (રદ) થઈ જવા દીધું? અને પાસ ન કર્યું. 'સેન્સસ વગર ડીલિમિટેશન બિલ લઈને આવો છો'ઉનિયાલનાએ વધુમાં જણાવ્યું હતું કે, 2023માં લાવ્યા તો કેમ તેમાં કલમ ઉમેરી કે આમાં સેન્સસ થશે અને ડીલિમિટેશન થશે? વિપક્ષ આના વિરોધમાં હોવા છતાં વિપક્ષે સાથ આપ્યો અને આ બિલને પાસ કર્યું. તમે કહ્યું હતું કે આ સેન્સસ થઈ જશે 2024 સુધી, કેમ 2024 સુધી સેન્સસ ન થયું? તમે જવાબ આપો. કેમ તમે સેન્સસ વગર ડીલિમિટેશન બિલ લઈને આવો છો અને તેના પર વોટિંગ કરાવો છો 17 એપ્રિલે?

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:33 pm

હિંમતનગર: ચૂંટણી માટે PR, APR, FPO ને તાલીમ અપાઈ:પોલીટેકનીક કોલેજમાં મતદાન મથકની કામગીરી શીખવાડાઈ

હિંમતનગર: આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, હિંમતનગરની પોલીટેકનિક કોલેજના એકેડેમી બિલ્ડીંગ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવનાર પ્રિસાઈડીંગ ઓફિસર (PR), આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલી આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકાના 88 મતદાન મથકો પર ફરજ બજાવનારા 128 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 137 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 211 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયત અને સાત જિલ્લા પંચાયત બેઠકોના 269 મતદાન મથકો માટે 306 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 330 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 580 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન મથક પર પહોંચ્યા પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી કેવી રીતે સુચારુ રીતે પાર પાડવી તે અંગેની જાણકારી આપવાનો હતો. તાલીમ સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી એમ બે સેશનમાં યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:31 pm

જ્વેલર્સ સર્કલ પાસે ધોળા દિવસે ચોરી:તસ્કરોએ માત્ર પોણા બે કલાકમાં ઘરનો નકુચો તોડી કબાટ સાફ કર્યો; સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની વિગતો: ક્યારે અને કેવી રીતે બની ચોરી?સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ઉષાબેન જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 7 એપ્રિલના રોજ તેમના પતિ નોકરી પર હતા. બપોરે 12.15 કલાકે ઉષાબેન તેમના પુત્ર અને દિયરની દીકરી સાથે રેલવે ટર્મિનસ પાસે વાડીમાં જમવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરી દાગીના ચોરી નાસી છૂટ્યા હતા. શું-શું ચોરાયું?તસ્કરો કબાટમાંથી સોનાની બે ચેઈન, બે ચુડી, પોંચી, પાંચ ચુક, કાનની સર, ઓમકાર, પેંડલ અને વીંટી. તો ચાંદીના 4 જોડ છડા, 3 પોંચી, મંગળસૂત્ર, ગાય, 2 કંદોરા અને જાંજરી મળી કુલ ₹1,97,709ના દાગીનાની ઉઠાવી ગયા હતાં. પોલીસ કાર્યવાહીતસ્કરોએ પરિવારની અવરજવર પર અગાઉથી વોચ રાખી હોવાની શક્યતા છે, કારણ કે માત્ર 1 કલાક અને 45 મિનિટના ટૂંકા ગાળામાં જ મકાન શોધીને ચોરીને અંજામ અપાયો છે. બપોરે 2 વાગ્યે પરિવાર પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 305(A), 331(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:27 pm

વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ

વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેમનો હેતુ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક સંદીપ ફાક્વિર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાક્વિર નામના બે ભાઈઓએ વિદેશ જવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળવો મુશ્કેલ હતો. આથી, તેઓએ યુકે (UK) ના વિઝા મેળવવા માટે આ ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોય, તો તેમને યુકેના વિઝા સરળતાથી મળી શકે છે. આ બંને ભાઈઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હતા, પરંતુ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળી શકતો નહોતો. આથી, તેઓએ વલસાડ નગરપાલિકાના નકલી જન્મના દાખલા બનાવ્યા અને તેના આધારે આધાર કાર્ડ તથા પાનકાર્ડમાં સુધારા કરાવી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે પાસપોર્ટ અરજી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે આવી, ત્યારે પોલીસને શંકા ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે, નગરપાલિકામાં જે નંબરના જન્મ પ્રમાણપત્રો રજૂ કરાયા હતા, તેવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નહોતા. એસઓજી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340(2), 61(2) અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:25 pm

ઇન્ડિયા કોલોનીમાં ભાજપના પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તાને માર પડ્યો:સ્થાનિકે કહ્યું, અહીંયા આવવું નહીં, ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું; ફરિયાદ નોંધાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાજપના ઉમેદવારો લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ને સ્થાનિકોમા રોષ જોવા મળ્યોમળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં. ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. કોલર પકડીને ભાજપના કાર્યકરને લાફો મારી દીધોઅશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. ભાજપના કાર્યકરે ફરિયાદ નોંધાવીહસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પ્રકાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. ત્યારે અશોક મિલની નવી ચાલી પાસે પણ જ્યારે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક રાઉન્ડમાં ગયા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈપોલીસ ફરિયાદ મુજબ માત્ર એક જ ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:23 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:ઉનાળુ વેકેશન પૂર્વે એક્ઝામ, ચૂંટણીના કારણે 3 દિવસ રજા મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઉનાળુ વેકેશન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી પડી હતી જોકે આ વખતે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ત્રણ દિવસની રજા મળશે અને તેથી 30 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યા છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં આજે 21 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સેમેસ્ટર -2 માં બી.એ.માં 17948 તો બી.કોમ.માં 16595 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બી.સી.એ.માં 5990, બી.બી.એ.માં 5295, બીએસ.સી.માં 1861 અને એમ.એ.માં 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 25 કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે કારણકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તા.25,26 અને 27 એપ્રિલના રજા રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:20 pm

પાવીજેતપુરમાં કારનો ભૂક્કો અને ટ્રેક્ટરના બે ફાડિયા:સુસ્કાલ ગામ પાસે એક્સિડન્ટમાં કારચાલક શખસનું મોત, એરબેગ ખુલી પણ જીવ ન બચી શક્યો

પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન સોલંકી (55) તારીખ 20ની રાત્રિએ પોતાની કાર લઈને પાવીજેતપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સુસ્કાલ ગામ પાસે સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ અને કરુણ મોતઅકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં રાકેશ સોલંકીને ડાબા પગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ કાર્યવાહીઘટના અંગે જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. દાંડિયા બજારના રહીશના આકસ્મિક અવસાનને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:14 pm

પારડીમાં 1.27 લાખના હેરોઈન સાથે ગેરેજ સંચાલક ઝડપાયો:વડોદરા કનેક્શન ખુલ્યું, ગેરેજની આડમાં છૂટક વેચાણ કરતો હતો

વલસાડ જિલ્લાના પારડીમાં પોલીસે ડ્રગ્સ વેચાણના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે દરોડો પાડીને 1.27 લાખથી વધુની કિંમતના બ્રાઉન હેરોઈન સાથે એક ગેરેજ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પારડી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, દોલતનગર વિસ્તારમાં આવેલી વિશ્રામ હોટલની પાછળ, અલીફ રો-હાઉસના મકાન નંબર 9માં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 45 વર્ષીય અસફાક સફીઉલ્લા શેખ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી અને મકાનની તપાસ કરતા 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 1,27,600 રૂપિયા છે. આ ઉપરાંત, 25,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન, હેરોઈન ભરવા માટેની 1 ઝીપલોક થેલી અને પ્લાસ્ટિકના 7 ટુકડા સહિત કુલ 1,53,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો વડોદરાના ‘બાજ (સરદાર)’ નામના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આરોપી અસફાક આ જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વોન્ટેડ આરોપી બાજ (સરદાર) ને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસ નશાના આ કારોબારમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:14 pm

‘ક્રોંગ્રેસની દાદાગીરી બહું છે’:‘જેને મત આપવો હોય તેને આપો પણ, અમારી વાત તો સાંભળો’; જામનગર મનપા વોર્ડ 10માં ઉમેદવારો વચ્ચે શાબ્દિક યુદ્ધ, વીડિયો વાઈરલ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના એક મહિલા ઉમેદવાર વચ્ચે શાબ્દિક ચકમક થઈ હતી. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારો તેમના મતવિસ્તારમાં પ્રચાર અને મત માંગણી માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ભાજપના એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મત માંગણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મહિલા ઉમેદવારે કોંગ્રેસના કાર્યકરોને ત્યાંથી જવા માટે કહ્યું હતું, જેના પગલે શાબ્દિક બોલાચાલી થઈ હતી. થોડી ક્ષણો માટે મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ આ ઘટના અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે, ચૂંટણીના માહોલમાં આવી ઘટનાઓ તણાવ વધારી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. --- આ પણ વાંચો.. ‘તાકાત હોય તો બંદૂક લઈને આવો’:મોરબીમાં કાંતિ અમૃતિયાનો જવાબ ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સંપૂર્ણ અહેવાલ વાંચો… ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’ ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભાએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાષણમાં કહ્યું કે ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’. આક્ષેપથી સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક બન્યા હતા અને સામો સવાલ ઉઠાવ્યો હતો કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરો, ખબર પડે કે કોણ ચુપ બેસે છે. બંને સામસામે આવી જતાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. વિકાસના મુદ્દે શરૂ થયેલી આ લડાઈ હવે વ્યક્તિગત આક્ષેપો અને પક્ષની કામગીરી સુધી પહોંચી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:09 pm

સુરેન્દ્રનગરમાં EVM-VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા:પાટડી, ચોટીલા, થાનગઢના રૂટ નંબર- 5 પર મતદારોને જાગૃત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાનો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. પાટડી અને ચોટીલા ખાતેના નિદર્શનમાં નાગરિકોને EVM દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી. આ જનજાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો કરવો અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર 5 પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો. અનેક મતદારોએ ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:09 pm

રાજકોટમાં મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યું પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું છે, ગેનીબેન ઠાકોર જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા

મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેશનલ સેક્રેટરી સુભસીની યાદવે આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો માટે વિરોધ કરવામાં આવ્યો છે. આજે જ કોઈ શરતો વગર બિલ પાસ કરવામાં આવે તો અમારું સમર્થન છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ આ બિલ પસાર થવું જોઇએ પરંતુ આ વાતથી સરકાર સહમત નહિ થાય. મહિલા આરક્ષણ બિલને લઇ ગઈકાલે ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવમાં આવી હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી સુભાસીની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ બિલના સમર્થનમાં છીએ. વિપક્ષ ઇચ્છે છે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરીને આ બિલ પસાર થવું જોઇએ. મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ લાવી અને તેના કારણે આજે અનેક મહિલાઓ સ્થાનિક ચૂંટણીઓ લડીને સંસદ સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના એક માત્ર મહિલા સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે જેઓ પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાસીની યાદવએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ જમીની હકિકતથી બહું દૂર રહે છે. આ સ્થાનિક ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થાય છે. લોકો રોડ રસ્તા, વરસાદી પાણી ભરાવા જેવા અનેક મુદ્દાઓથી ત્રસ્ત છે. લોકોમાં એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકા કે દિલ્લીની ચર્ચાઓ ન થાય પરંતુ સ્થાનિક ચર્ચાઓ થાય જેથી લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખુબ સારું આવતી ચૂંટણીમાં જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:06 pm

સુરતમાં આજે ફરી ટ્રેનમાં 8 હજારથી વધુ મુસાફરો વતનની વાટે:ઉધના સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાથી લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા, ચાર ટ્રેન હાઉસફૂલ

સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. આજે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. હોલ્ડિંગ એરિયામાં રાતથી જ જમાવડો, લાઈનબદ્ધ રીતે પ્રવેશગત રવિવારે(19 એપ્રિલ) થયેલી અફરાતફરી બાદ રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. મુસાફરો મંગલવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે મુસાફરોને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે આજે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી. ચાર ટ્રેનો હાઉસફૂલ, વેકેશન અને અછતનું બેવડું ભારણસુરતમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજાઓ પડી ગઈ છે, સાથે જ હીરા અને કાપડના કેટલાક એકમોમાં પણ રજાનો માહોલ છે. બીજી તરફ, યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે રાંધણગેસની અછત ઉભી થતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિબળોને કારણે આજે યુપી અને બિહાર તરફ જતી ચારેય સ્પેશિયલ ટ્રેનો પેક(હાઉસફૂલ) થઈને રવાના થઈ હતી. RPF અને GRPનો ચુસ્ત બંદોબસ્તમુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે. આ પણ વાંચો 19 એપ્રિલે પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ હતી. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન.. આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન. (જુઓ વીડિયો) ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી હતી જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે 20 એપ્રિલે ઉધના સ્ટેશને આવ્યા હતા. જનરલ મેનેજરે સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળોની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જો કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના ભાસ્કર પાસે વીડિયો હોવાછતાં તેમણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચા)

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:02 pm

ચાવંડ બેઠક પર ભાજપ ઉમેદવાર સોનલ ડેરનો પ્રચાર:લોકસાહિત્યકાર માયા આહીરની દીકરીએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેર દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. સોનલ ડેર ભાજપના મહિલા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે 'જય ભાજપ વિકાસ'ની પત્રિકાઓનું ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ડેર લોકસાહિત્યકાર માયા આહીરની દીકરી છે. તેમના સસરા જીતુ ડેર પણ જિલ્લા ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ બેઠક રાજકીય રીતે અમરેલી અને તળાજા-મહુવા વિસ્તારમાં ચર્ચાસ્પદ માનવામાં આવે છે. હાલ અહીં કોઈ મોટા નેતાઓની સભાઓ યોજાઈ નથી, પરંતુ ડોર-ટુ-ડોર પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:54 pm

અમરેલીમાં પાનની દુકાન પર છરી હુમલો:CCTV ફૂટેજ વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યા

અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પર જાહેરમાં છરી વડે હુમલો કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી છરી પણ કબજે લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિરાજભાઈ મહેબૂબભાઈ કુરેશી ડીલક્ષ પાનની દુકાન પર બેઠા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા અને દુકાન સાથે ભટકાવ્યું હતું. સિરાજભાઈએ તેમને ધ્યાનથી વાહન ચલાવવાનું કહેતા આરોપીઓને આ વાત પસંદ ન આવતા તેમણે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સિરાજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક્ટિવામાંથી છરી કાઢી પાછળથી ત્રણ ઘા માર્યા હતા. આ હુમલામાં સિરાજભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના પાનની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એસપીની સૂચના બાદ સિટી પીઆઈ એમ.એમ. ઝાલાની ટીમે દાદલીમિયા રફીકમિયા સૈયદ, ઇરફાનભાઈ રફીકભાઈ સૈયદ અને અજુમિયા રફીકમિયા સૈયદ (રહે. અમરેલી) નામના ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. સિરાજભાઈ કુરેશીની ફરિયાદના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:54 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી: EVMમાં પીળું બટન ફરજિયાત:ચાર મત બાદ દબાવવું ફરજિયાત, એક જ યુનિટ વપરાશે

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ EVM માં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજિસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે તો તેનું મતદાન નિષ્ફળ જઈ શકે છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને કર્મચારીઓને EVM પર મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,08,999 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર 101 ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થશે. આ વખતે EVM મશીનની કામગીરીમાં મહત્વનો ફેરફાર કરાયો છે. દરેક મતદારે કુલ 4 મત આપવાના રહેશે. મશીનમાં 13 ઉમેદવારોના નામ અને પ્રતીક સામે વાદળી બટન, એક નોટા માટેનું બટન અને વધારાનું એક પીળા રંગનું બટન રાખવામાં આવ્યું છે. મતદારે પોતાની પસંદગીના 4 કે તેથી ઓછા ઉમેદવારોને મત આપી દીધા બાદ બીપનો અવાજ આવે એટલે અંતે પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત છે. નોટાનો ઉપયોગ કરનાર મતદારે પણ નોટાનું બટન દબાવ્યા બાદ પીળું બટન દબાવી મતદાન પૂર્ણ કરવાનું રહેશે. મતદાન પ્રક્રિયામાં સુધારાની પણ તક આપવામાં આવી છે. જો કોઈ મતદારને 4 કે તેથી ઓછા બટન દબાવ્યા બાદ લાગે કે ભૂલથી ખોટા ઉમેદવારને મત અપાઈ ગયો છે, તો તે જ ઉમેદવારના નામ સામેનું બટન ફરીથી દબાવીને તે મત રદ કરી શકશે અને ત્યારબાદ અન્ય પસંદગીના ઉમેદવારનું બટન દબાવી શકશે. પાટણના તમામ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા 13 કે તેથી ઓછી હોવાથી દરેક બૂથ પર માત્ર એક જ મતદાન યુનિટ (EVM) વપરાશે. આનાથી મતદાન અને મતગણતરી બાદ સીલિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને પરિણામો પણ વહેલા જાહેર થશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:51 pm

ફાટસર ગણપતિ મંદિરે ભક્તો ઉમટ્યા:હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો, ધ્વજારોહણ કરાયું

સુરેન્દ્રનગરના સ્વયંભુ ફાટસર ગણપતિ મંદિરે વૈશાખ સુદ ચોથ, ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આસપાસના ગામો અને બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દિવસે સવારે ભગવાનને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજ પૂજન, શૃંગાર દર્શન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પૂજા બાદ સાધુ-સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બપોરે 12:30 વાગ્યે આશરે 5000 શહેરીજનો અને મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો. આ રીતે, શહેરના જગવિખ્યાત ફાટસર ગણપતિ મંદિરે ગણેશ ચોથની ઉજવણી ધામધૂમ અને ઉત્સાહભેર સંપન્ન થઈ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:47 pm

મોટી ખાવડીમાં લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના:47 થી વધુ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર નજીક મોટી ખાવડી ગામની લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. રાત્રિના સમયે ભોજન લીધા બાદ 47થી વધુ શ્રમિકોને અસર થઈ હતી. આ ઘટનાને પગલે કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો હતો. હાલ તમામ શ્રમિકોને જરૂરી સારવાર મળી રહી છે અને તેમની તબિયત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. કેટલાક શ્રમિકોને રજા પણ આપી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખોરાકમાં બગાડ અથવા કોઈ ઝેરી પદાર્થ ભળી જવાને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બનાવ રાત્રિના સમયે વીજળી ન હોવા દરમિયાન બન્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:44 pm

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શિબિર:બાળકોમાં ધાર્મિક સંસ્કાર સિંચન હેતુ પક્ષાલ પૂજાનું આયોજન

સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું છે. તાજેતરમાં જ તેમણે પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 200 પક્ષીઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ત્રણ સ્થળોએ પીવાના પાણીની પરબ અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લખતર પ્રાથમિક શાળામાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ સમય ન બગાડે અને જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરાયું છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે. સિલ્વર ગ્રુપ વર્ષોથી દેરાસરમાં પક્ષાલ પૂજાના આયોજન માટે સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે 6 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે, આજે અમિઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલ પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવનાર બાળકોને સિલ્વર ગ્રુપ અને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આ સુંદર કાર્યનો લાભ લેવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સેક્રેટરી પંકીલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલથી 31 મે સુધી દર રવિવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:40 pm

બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો

ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન PSI એન.પી. સેલોત અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવી કંકુથાંભલા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:33 pm

લખનઉથી 1008 યાત્રિકો સોમનાથ પહોંચ્યા:'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોરઠી સંસ્કૃતિથી ભવ્ય સ્વાગત

સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવને દેશભરમાં ઉજાગર કરવાના હેતુથી ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પર્વ અંતર્ગત આજે સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી 1,008 યાત્રિકોનો વિશેષ સમૂહ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સોરઠી લોકસંસ્કૃતિથી સ્વાગત રેલવે સ્ટેશન પર યાત્રિકોનું સોરઠી પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાંના નાદ અને પરંપરાગત લોકનૃત્યો સાથે ‘જય સોમનાથ’ના ઉદ્ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રથમ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને અસ્મિતાથી માહિતગાર કરવાનો છે. 3 દિવસીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસ આ યાત્રિકો આગામી 3 દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ આસપાસના પવિત્ર સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન તેમને મંદિરના સ્થાપત્ય, પ્રાચીન પરંપરાઓ અને આક્રમણો સામે અડીખમ રહેલા ભારતના પ્રતીક સમાન સોમનાથના ઇતિહાસ અંગેની માહિતી આપવામાં આવશે. યાત્રિકો મુલાકાત પૂર્ણ કરી 4 થા દિવસે પરત ફરશે. વહીવટી તંત્રની સજ્જતા યાત્રિકોની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડિયાની દેખરેખ હેઠળ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા-જમવાની વ્યવસ્થા: વિવિધ સરકારી વિભાગોના સંકલનથી સુનિશ્ચિત કરાઈ. પરિવહન: યાત્રિકો માટે સ્થાનિક સ્તરે બસ અને વાહનોની સુવિધા. સહયોગી વિભાગો: શિક્ષણ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને નગરપાલિકા તંત્ર કાર્યરત. આગામી આયોજન ‘સ્વાભિમાન પર્વ’ના આગામી તબક્કામાં દેશના અન્ય શહેરોમાંથી પણ વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓને સોમનાથ લાવવાનું આયોજન છે. આ અભિયાન દ્વારા વિવિધ પ્રાંતના લોકો સોમનાથની સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત થશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:30 pm

વહીવટી તંત્ર સામે ભીમ આર્મી અને દલિત સમાજનું રણશિંગું.:'કરો કૌભાંડ, લૂંટો દેશ' માણાવદરના 39 કરોડના કૌભાંડ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અનુ.જાતિ સમાજનું કલેક્ટરને આવેદન; ચૂંટણી બૂથ બહાર પ્રદર્શનની જાહેરાત

​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે. માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા, આગામી 25 અને 26 એપ્રિલ દરમિયાન ચૂંટણી બૂથની મર્યાદા બહાર જનજાગૃતિ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, માણાવદર તાલુકામાં થયેલા અંદાજે 39 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5 થી વધુ અરજીઓ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવેદનકર્તાએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય પક્ષોને સભાઓ માટે તુરંત મંજૂરી મળી જાય છે, પરંતુ પ્રજાના હક અને સરકારની નાકામીયાબીના પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી. આવેદનમાં વહીવટી તંત્ર પર સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવાયું છે કે, કુકસવાડા અને માખીયાળા જેવા વિસ્તારોમાં જ્યાં વિરોધ પક્ષના ધારાસભ્યો હતા ત્યાં તંત્રએ તાત્કાલિક ગુના દાખલ કર્યા હતા. જ્યારે માણાવદરમાં છેલ્લા 10 વર્ષથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો હોવાથી કૌભાંડ હોવા છતાં કોઈ તપાસ થતી નથી. આવેદનકર્તાના જણાવ્યા મુજબ, અધિકારીઓ પણ બદલી કે જેલના ભયથી સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો વર્ષ 2016 થી પેન્ડિંગ છે. અમે 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હોવા છતાં તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા પગાર અને સુવિધાઓ મેળવે છે, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. ​ • ​પ્લોટ ફાળવણીમાં રાજકારણ: ગ્રામ્ય વિસ્તારોમાં 100 ચોરસ વારના પ્લોટના ફોર્મ ભરવા માટે ભાજપને મત આપવાના સોગંદ લેવડાવવામાં આવતા હોવાનો આક્ષેપ. • ​શિક્ષણ પર પ્રહાર: ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિની છાત્રાલયો છેલ્લા 6 વર્ષથી બંધ હોવા છતાં કોઈ નવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. • ​વિરોધ પ્રદર્શન: આગામી 25/04/2026 થી 26/04/2026 દરમિયાન ચૂંટણી બૂથની નિર્ધારિત રેન્જની બહાર પોસ્ટરો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવશે. ​આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે મારી માટી મારો દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ; જો કોઈ કરે વિરોધ તો કરો એની ઉપર ખોટા કેસ. દલિત સમાજે સ્પષ્ટ કર્યું છે કે જો તેમના 21 મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાળવા ચોકથી લઈને નામદાર કોર્ટ સુધી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે...

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:21 pm

વડોદરામાં મુખ્યમંત્રીના VVIP બંદોબસ્ત સમયે પોલીસકર્મી પર હુમલો:મહિલા સહિત 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી, સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી, 3 સામે ગુનો નોંધાયો

વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણની ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકી કોન્વોય પસાર થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત સમાપ્ત થવાનો મેસેજ મળ્યા બાદ પોલીસે દુમાડ ચોકડી પાસે વાહનોને નિયમ મુજબ રોકી માર્ગ વ્યવસ્થા જાળવી હતી. તે દરમ્યાન એક હોન્ડા પેશન બાઈક પર સવાર વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય એક યુવાન તથા ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને એક આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, સાથે આવેલી એક મહિલાએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિકભાઈ બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ, ( ત્રણેય રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:17 pm

ગઝવા એ હિન્દની સ્થાપનાના સપના જોતા બે આતંકવાદીઓ ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ; ગુજરાત ATSનું ઓપરેશન

ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ ફંડ ભેગા કરવાની અને બોમ્બ બનાવવાની પણ તૈયારી કરી હતીગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સમાન વિચારધારા ધરાવતા લોકો એક ગ્રુપથી સંપર્કમાં હતાજે બાદ ઈરફાનની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગ્રુપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલા લોકોને મારવા માટે અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:16 pm

ખેડુતવાસમા ગાય ભડકતા બે પડોશી વચ્ચે મારામારી-પથ્થરમારો:ચાર ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 5 સામે ફરિયાદ

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં નાના બાળકના કારણે એક ગાય ભડકતા આ ગાયએ બાળકને અડફેટે લેતા બે પાડોશી વચ્ચે પથ્થરમારો અને મારામારી સર્જાઇ હતી. આ મારામારીમાં એક બાળા સહીત ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવને લઈને ઘોઘારોડ પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગાય પસાર થઈને દીકરીને પછાડી દીધીમળતી વિગતો અનુસાર, ખેડૂતવાસ વિસ્તારમાં રૂવાપરી રોડ નજીક રહેતા સીતાબેન કાંતિભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે ફરિયાદીના ભાઈ દિનેશ મકવાણાનો પાંચ વર્ષીય પુત્ર અલ્પેશ ઘર બહાર શેરીમાં રમતો હોય એ દરમિયાન ગાય પસાર થતાં અલ્પેશે બંને હાથ ઊંચા કરતા ગાય ભડકી હતી અને દોડતી આગળ જતા પડોશમાં રહેતા સુરેશના ભાઈની દીકરીને અડફેટે લઈ પછાડી દીધી હતી. બિભત્સ ગાળો ભાંડીને પથ્થર મારો કર્યોપડોશી કિસ્મત ગોહેલ, લખન ગોહેલ, અશ્વિન ગોહેલ, સુરેશ ગોહેલ અને પવન ગોહેલ સીતાબેનના ઘરે ઝઘડો કરવા આવ્યા હતાં અને તમામ શખ્સોએ ફરિયાદી તથા તેના પરિવારને બિભત્સ ગાળો ભાંડી પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં દિનેશ, શાંતુબેન, દિનેશની પત્ની અંજુ, તથા દિનેશની પુત્રી પ્રિયાને ઈજા પહોંચી હતી. શખ્સોએ ઘર પર પથ્થર મારો કરી બારી બારણાના કાચ તેમજ અન્ય નુકસાન કરી ફરિયાદી તથા તેના પરિવારને તમને છોડવાના નથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 5 સામે ગુનો નોંધાયોઆ ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને સીતા કાંતિભાઈ મકવાણાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચેય શખ્સો વિરુદ્ધ BNS એક્ટ 115(2), 351(3), 352, 125(a), 324(4), 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:10 pm

સગાઇ થાય તે પહેલા યુવતીની છેડતી કરી:વડોદરામાં સગાઈની અંગૂઠી બાબતે યુવકે યુવતીના ઘરે જઈ ઝગડો કરી યુવતીને બે લાફા ઝીંકી છેડતી કરતા ફરિયાદ, બબાલ કરતા યુવતીએ સગાઈ તોડી

શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં સગાઈની અંગૂઠી બાબતે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ઘરે જઈ તેના પરિવાર સાથે ઝઘડો કરી, યુવતી પર હુમલો કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી આનંદ નવીનકુમાર ગોહિલ (રહે આનંદનગર આજવા રોડ)ની સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. જોકે, સગાઈની વીંટી બાબતે વિવાદ થતા આરોપી આનંદે યુવતીના ઘરે જઈ પરિવાર સાથે ગાળાગાળી કરી ધાક-ધમકી આપી હતી. યુવકના આવા વર્તનથી કંટાળીને યુવતીએ બીજા દિવસે આનંદની માતાને ફોન કરી સગાઈ તોડી નાખવાની જાણ કરી હતી. સગાઈ તોડવાની વાતથી ઉશ્કેરાયેલા આનંદે યુવતીને ફોન કરી ગંદી ગાળો આપી હતી. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા, તે સાંજના સમયે ફરીથી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ઝઘડો કરી માર મારવાની કોશિશ કરી હતી. સાથે યુવતી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી રહી હતી. તે સમયે આરોપી આનંદ ત્યાં આવ્યો અને બળજબરીથી યુવતીનો ફોન ઝૂંટવી લીધો હતો. બાદમાં પંદર મિનિટ બાદ તે તેની મિત્ર સાથે એક્ટિવા પર પરત આવ્યો હતો. કંઈ પણ બોલ્યા વગર તેણે યુવતીનો કોલર પકડી, યુવતીની છેડતી કરી હતી. સાથે આ યુવકે યુવતીને બે લાફા ઝીંકી દીધા હતા અને જાહેરમાં અભદ્ર ગાળો આપી હતી. હાલમાં આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:07 pm

પાળીયાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની 119મી વર્ષગાંઠ:મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ધજા આરોહણ કરાયું

બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા જૈન દેરાસરમાં ભગવાન શ્રી શાંતિનાથની ૧૧૯મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના પાવન દિવસે, ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારના રોજ યોજાયો હતો. આ નિમિત્તે ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાળિયાદના અનેક શ્રાવકોએ આ પ્રસંગને ધાર્મિક મહત્વનો ગણાવ્યો હતો. ભગવાન શ્રી શાંતિનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:06 pm

થલતેજના ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખવાના બહાને લૂંટ:'અવાજ મત કરના વરના ચપ્પુ માર દેંગે' કહીને 4 શખ્સો લૂંટ કરીને ભાગ્યાના CCTV

અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પહેલાં બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યામૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા 57 વર્ષીય મુલસિંગ શિવજી પુરોહીતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ થલતેજમાં સહજાનંદ કોમ્પલેક્ષમાં ભાડે રાજવંશી ગેસ્ટ હાઉસ ચલાવે છે. 20 એપ્રિલે વહેલી સવારે હોટેલના મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ હાજર હતા. ગીરીરાજ જ્યારે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા હતાં. ગીરીરાજ તેમને રૂમ બતાવવા ગયો ત્યારે અચાનક તેઓએ તેને પકડી લીધો હતો અને પૈસા ક્યાં છે? તેવું પૂછીને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મેનેજરને કાઉન્ટર પાસે લાવ્યા ત્યારે ત્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. 'આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે' કહીને લૂંટ કરી આ શખ્સોએ ચપ્પુ બતાવીને ધમકી આપતા કહ્યું હતું કે, આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે. એટલું જ નહીં એક વ્યક્તિ કોમ્પલેક્ષની સીડીમાં ઉભો રહીને રેકી કરી રહ્યો હતો. લોકર તોડીને રોકડ સહિત 92 હજારની લૂંટ કરીને ભાગ્યાચારેય શખ્સોએ લોકર તોડીને કાઉન્ટર અને લોકરમાંથી 72000 હજાર રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ સહુતની કુલ રૂ. 92,000ની લૂંટ કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:54 pm

સંસ્કારી નગરી વડોદરા ભક્તિના રંગે રંગાશે:શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના 150 વર્ષ પૂર્ણ થતાં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન, 30 હજાર જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા, શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે

સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23 એપ્રિલથી સાત દિવસ ભવ્ય ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલથી 29 એપ્રિલ 2026 દરમિયાન વડોદરાની ધરા પર આધ્યાત્મિકતાનો અપૂર્વ સંગમ જોવા મળશે. પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને સ.ગુ. કે. કે. શાસ્ત્રીજીના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સરધારના પ્રસિદ્ધ વક્તા પ.પૂ. સ.ગુ. નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 200 વર્ષ પૂર્વેની ચલે ગજ બૈઠ કે મહારાજા સવારીને યાદ અપાવતી ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા (શોભાયાત્રા) પણ નીકળશે. મહોત્સવ દરમિયાન માનવસેવાના વિવિધ પ્રકલ્પો જેમ કે મહાવિષ્ણુયાગ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી નયન પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી 150 વર્ષ પૂર્વે આ વડોદરા ખાતે સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાન આપી અને સરસ ભવ્ય દિવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કરાવેલું હતું. વાડી વિસ્તારની અંદર આવેલું સ્વામિનારાયણ મંદિરએ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એ 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ વડોદરા ખાતે લેપ્રેસી ગ્રાઉન્ડમાં ઉજવવા જઈ રહ્યા છીએ. 23 થી લઈને 29 એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવ ઉજવાશે. જેની અંદર 23 થી 27 તારીખ સુધી શ્રીમદ સત્સંગી જીવનની કથા પરમ પૂજ્ય વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના મુખેથી સાંભળવાનો લાભ આપણને પ્રાપ્ત થશે. ભવ્ય દિવ્ય મહોત્સવનું આયોજન, અનેક આયોજનો આ સાથે કરવામાં આવેલા છે. જેની અંદર સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, ભવ્ય દિવ્ય બાલમંચ, મહિલા મંચનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આ મહોત્સવની અંદર જે અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો પધારશે એમના માટે પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરરોજ 30000 જેટલા લોકો ભોજન લઈ શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. ઉનાળો છે એટલા માટે અહીંયા મંડપની અંદર કથા બધા ભક્તો શ્રવણ કરી શકે એટલા માટે ઘણા બધા પંખાઓ, મોટા ફેન, સાથે સાથે સ્પ્રિંકલર, કુલર, એસીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દરરોજ અનેક પ્રકારના શરબતોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એટલે કે તારીખ 28ના રોજ ભવ્ય દિવ્ય મંદિરથી લઈ ગેંડીગેટ અને સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેની અંદર ભવ્ય આતિશબાજી થશે અને ઘણા બધા સંતો-મહંતોના પણ આપણને દર્શન થશે. સમગ્ર વડોદરાવાસી ધાર્મિક જનતા, સમગ્ર હિન્દુ સનાતન ધર્મના બધા જ ધર્મપ્રેમી ભક્તોને અમે સાદર આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવના દર્શન, લાભ લેવા માટે અવશ્ય પધારશો. મુખ્ય અતિથિ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર રાકેશપ્રસાદજી મહારાજશ્રી, સાથે સાથે હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ વડોદરા ખાતે રહેલા આચાર્યશ્રીઓ છે એમને પણ અમે ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે. રાજકીય વિભાગની અંદર પણ અમે આમંત્રણ પાઠવેલું છે. પોતપોતાના સમય અનુસાર બધા જ પધારશે. વિશેષ કરીને ગાયકવાડ સરકારના જે અત્યારે વંશજો છે એમને પણ અમે બહુ પ્રેમથી આમંત્રણ પાઠવેલું છે, એ પણ આ મહોત્સવની અંદર પધારશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:51 pm

ધક્કા મારીને ક્રેટા કાર ચોરી જતા ચોર CCTVમાં કેદ:નારણપુરામાં તસ્કરો ક્રેટા લઈને આવ્યા ને ક્રેટા કાર ઉપાડી ગયા

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક ક્રેટા કારની ચોરીનો બનાવ બન્યો છે. ચોકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતાં. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારને ધક્કો મારીને લઈ જતા ચોર પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. નારણપુરા પોલીસે ચોરી અંગે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ચોર ક્રેટા લઈને આવ્યા ને ક્રેટા કાર ઉપાડી ગયાનારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે 2024 માં જૂનામાં ક્રેટા કારની ખરીદી કરી હતી. 17 એપ્રિલ 2026 ના તેમણે તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી. ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા 20 એપ્રિલના વહેલી સવારે પ્રશાંતભાઈને તેમના ભાઈને શિવરંજની ખાતે લેવા જવાનું હતું જેથી તેઓ 5 વાગ્યે ઉઠ્યા ત્યારે તેમની ગાડી ઘરની બહાર નહોતી. પ્રશાંતભાઈએ આજુબાજુ તપાસ કરી પરંતુ તેમની કાર મળી આવી નહોતી. કારમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિત અલગ અલગ ડોક્યુમેન્ટ હતા. જે ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા હતા. સીસીટીવીમાં ચોર ક્રેટા કારને ધક્કા મારતા દેખાયાક્રેટા કારની ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અન્ય ક્રેટા કારમાં ચોર આવ્યા હતા જેમણે ક્રેટા કારની ચોરી કરી હતી. ચોર ક્રેટા કારને ધક્કા મારતા પણ દેખાઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:39 pm

બજરંગ દળે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:લવ જિહાદ અને ગેરકાયદે દબાણો સામે કાર્યવાહીની માંગ

બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સંગઠને પાંચ મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા 'લવ જિહાદ'ના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠને હિન્દુ કન્યાઓના શારીરિક શોષણ અને ધર્માંતરણના બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે. બજરંગ દળે આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમણે વહીવટી તંત્રને શાંતિ અને સદ્ભાવ જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:39 pm

ઘર વાપસી કરનાર ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાનું નિવેદન:'તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે'

તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા પૂર જોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ- દશ ઘર જ મુસ્લિમ લોકોના છે. આપણા લોકો સાત આઠ મુસ્લિમ લોકોથી ઘરથી ડરતા હોય છે. જ્યારે આપણા 500 ઘર હોય તો પણ ડરતા નથી. આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે. એ લોકો 5થી 7 લોકો આપણી વચ્ચે રહેવા આવે તો પણ કેવું કરીશું, શું કરીશું. આવું કરતા હોય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે. એ આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. TP 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે.આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપ એ રામ સંત લોકોની પાર્ટી છે. અહીંના ઉમેદવારોએ વિસ્તાર માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે. તેમની ખાતરી હું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 19માંથી જીત્યા હતા. મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:26 pm

‘હર્ષ સંઘવી હીરા વેપારીઓને ધમકી આપે છે’:ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સને લઈને ભાજપ પર સાધ્યું આકરું નિશાન; કહ્યું-વિચાર્યા વગરના આયોજનથી ડાયમંડ બુર્સ ખાલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 3માં આયોજિત એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરત ડાયમંડ બુર્સના મુદ્દે સરકારની નીતિ અને આયોજન પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરામર્શ વગર લીધેલા નિર્ણયોને કારણે આજે કરોડોનું આંધણ થયા છતાં વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. 4000 કરોડનો ખર્ચો પણ આયોજન શૂન્ય: ઇટાલીયાગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઈ આયોજન જ નથી. 4000 કરોડના તોતિંગ ખર્ચે સુરત ડાયમંડ બુર્સ બનાવી તો દીધું, પણ બનાવતા પહેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનુભવી માણસો સાથે મીટિંગ કરવાની તસ્દી ન લીધી. જો 50 જેટલી મીટિંગો કરીને વેપારીઓના સૂચનો લીધા હોત, તો આજે આ ડાયમંડ બુર્સ ખાલી ન હોત. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર 'હું સૌથી મહાન' દેખાડવાની લ્હાયમાં બિલ્ડિંગ ઊભું કરી દેવાયું છે. હર્ષ સંઘવી પર ધમકી આપવાનો આક્ષેપગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ લીધા વગર કે પ્રત્યક્ષ ઉલ્લેખ સાથે ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, હવે વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે કે ઓફિસો ત્યાં લઈ જાવ, નહીંતર જોઈ લેવામાં આવશે. મહિધરપુરા અને મિની બજારમાં જઈને વેપારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે, જો આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જ નથી, તો વેપારીઓ ત્યાં જઈને શું કરે? ‘ફ્લાઇટ નથી, હોટેલ નથી, હીરા વેચવા ક્યાં?’ઇટાલિયાએ પાયાની સુવિધાઓ અંગે સરકારને ઘેરતા કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ તો બનાવી દીધું, પણ હોંગકોંગ, દુબઈ, અમેરિકા કે કેનેડાની સીધી ફ્લાઇટ ક્યાં છે? ત્યાં ફાઈવ સ્ટાર હોટલો કે જ્વેલરીની મોટી કંપનીઓનું કનેક્શન ક્યાં છે? ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વગર હીરા કેવી રીતે વેચાશે? જો કોઈ ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તે આ ધંધો ન કરવાની સલાહ આપત. ‘ડાહ્યો માણસ પૂછીને નિર્ણય લે, ગાંડો નિર્ણય લીધા પછી પૂછે’પોતાની આગવી શૈલીમાં કટાક્ષ કરતા ઇટાલીયાએ કહ્યું કે, ડાહ્યો માણસ હંમેશા સૌની સલાહ લઈને નિર્ણય લે છે, જ્યારે ગાંડો માણસ પહેલા નિર્ણય લઈ લે છે અને પછી ગામમાં પૂછવા જાય છે કે મેં બરાબર કર્યું ને? ભાજપની હાલત પણ કંઈક આવી જ છે. અમે લોકોને પૂછીને કામ કરીએ છીએ: AAPઅંતમાં તેમણે આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિના વખાણ કરતા જણાવ્યું હતું કે, અમે ભલે નવી અને નાની પાર્ટી છીએ, પણ અમે લોકો સાથે હળી-મળીને અને તેમને પૂછીને નિર્ણયો લઈએ છીએ. એટલે જ આજ દિન સુધી અમારો કોઈ નિર્ણય ખોટો પડ્યો નથી કે અમારે પાછા પડવાની નોબત આવી નથી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:18 pm

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક:ગીરની પ્રખ્યાત કેસરની જૂનાગઢ યાર્ડમાં ધૂમ આવક: દરરોજ 10,000 બોક્સની આવક સામે ભાવ 700 થી 1,100 સુધી પહોંચ્યા; કમોસમી વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું

​ગીરની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદ એવી પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂરેપૂરી જામી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. એક તરફ માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સામાન્ય જનતા માટે સારા સમાચાર છે, પરંતુ બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈજારદારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવક શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 50 થી 100 બોક્સની જ આવક નોંધાતી હતી. જોકે, છેલ્લા પાંચ દિવસથી આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં દરરોજ અંદાજે 8,000 થી 10,000 બોક્સની આવક થઈ રહી છે. તાલાળા અને ગીર આસપાસના વિસ્તારોમાંથી ઈજારદારો અને ખેડૂતો પોતાનો માલ લઈને જૂનાગઢ પહોંચી રહ્યા છે. ​ભાવની વાત કરીએ તો, સીઝનની શરૂઆતમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા સુધી બોલાતો હતો. જેની સામે આજે આવક વધતા ભાવ ઘટીને 700 થી 1,200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. વેપારીઓના મતે જેમ જેમ આવક વધતી જશે તેમ ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. ​અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. દરરોજ 8,000 થી 10,000 બોક્સની હરાજી થઈ રહી છે અને આગામી દિવસોમાં આ જથ્થો હજુ વધશે. જોકે, આ વર્ષે માવઠું (કમોસમી વરસાદ) અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ આફતોને લીધે બગીચાના ઈજારદારો અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળથી પોતાની કેરી લઈને આવેલા ખેડૂત વેજાભાઈ બાબુભાઈ વાઘેલાએ પોતાની મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું કે, અમે અમારા પરિવાર, કાકા અને ભાઈઓ સાથે મળીને કુલ 3 બોલેરો ભરીને કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં લાવ્યા છીએ. આ કેરીઓ અમે અલગ-અલગ બગીચાઓમાંથી ઉતારી છે. પરંતુ અત્યારે બજારમાં જોઈએ તેવો ભાવ મળતો નથી. એક બોક્સના માત્ર 700 થી 1,100 રૂપિયા મળે છે, જેમાં અમને નફો મળતો નથી.આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ અને અગાશી કમોસમી વરસાદના કારણે આંબાના મોર બળી ગયા હતા. ગત વર્ષે જે બગીચામાં 200 બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર 100 બોક્સ જ ઉતર્યા છે. વાતાવરણની આ અસરોને કારણે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે જે કંઈ પાક બચ્યો છે તેને ન છૂટકે ઓછા ભાવે વેચવા માટે અમે મજબૂર બન્યા છીએ. ​માર્કેટિંગ યાર્ડના વિશ્લેષણ મુજબ, આ વર્ષે કેરીની સીઝન લાંબી ચાલે તેવી શક્યતા છે કારણ કે પાક મોડો તૈયાર થયો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા સતત ફેરફારો ખેડૂતો માટે પડકારજનક બન્યા છે. શરૂઆતમાં વધુ પડતી ગરમી અને ત્યારબાદ અચાનક આવતા કમોસમી વરસાદે કેરીની ગુણવત્તા અને જથ્થા બંને પર અસર કરી છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી શરૂ થઈ હોવા છતાં, જૂનાગઢ યાર્ડમાં પ્રમાણમાં સારા ભાવ મળતા હોવાથી ઈજારદારો અહીં વધુ આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું છે. કેરી રસિકો માટે આ વર્ષે કેરી ભરપૂર માત્રામાં અને સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેની પાછળ ખેડૂતો અને ઈજારદારોનો આર્થિક સંઘર્ષ છુપાયેલો છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સાથ આપે તો આવક હજુ વધશે અને ગ્રાહકોને વધુ સસ્તી કેરી મળી શકશે, પણ ખેડૂતો માટે આ સીઝન નુકસાનની સાબિત થઈ રહી છે.ગીરની કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં ઉભરાઈ રહી છે અને આગામી દિવસોમાં માર્કેટ હજુ વધુ ધમધમશે તેવા સંકેતો મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:07 pm

ચૂંટણી પ્રચારમાં નવો ટ્રેન્ડ, ઉમેદવારો રેલીથી રીલ સુધી પહોંચ્યા:AIથી ભાજપે મતદારોના મિજાજનો વીડિયો બનાવ્યો, તો AAPએ અપૂરતી સુવિધાની બતાવી; રાજકોટમાં ગરમી વધતાં પ્રચારનો સમય ઘટ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માત્ર રેલી સભા સુધી સીમિત ન રહી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી દરેક ઉમેદવારો રેલીથી શરૂ કરી રીલ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ સામાન્ય રીલની સાથે સાથે મતદારોને રીઝવવા માટે AIનો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમાં શાસક પક્ષે આર્ટિફિશિયલ મતદારોના મિજાજ થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા અપૂરતી સુવિધા, અને 30 વર્ષના શાસનમાં અપૂરતા વિકાસ સામે બદલાવ જરૂરી છે અને એક મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છેરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પદયાત્રા અને પત્રિકા વિતરણ થકી ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આ પદયાત્રા રેલી સભામાં પણ કાર્યકર્તાઓની પંખી હાજરી ચિંતાનો વિષય બની રહેતા આ વખતે હવે ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો દરરોજ પોતાના વિસ્તારની રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને તેમાં પણ સ્ટેપ આગળ AI મદદથી પણ રીલ બનાવી સોશિયલ મીડિયા થકી મતદારોના વિશાળ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BJPએ એઆઈ રીલ બનાવીને આર્ટિફિશિયલ મતદારોને સવાલો કર્યાભાજપના ઉમેદવાર દ્વારા AI મારફત રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટની જનતાને ખરેખર BJPએ શું આપ્યું ત્યાંથી રીલની શરૂઆત કરી આગામી ચૂંટણીમાં જીત કોની થશે તેનો સીધો સવાલ પ્રજાને પૂછીશું કહી આર્ટિફિશિયલ મતદારોને સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેમાં રોડ, રસ્તા, સફાઈ, ટીપરવાન, ઓનલાઇન વેરા વસુલાત જેવી બાબતોને આવરી લઇ સબ સલામતના દાવા સાથે રીલ તૈયાર કરવામાં આવી છે. જો કે અંતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ સ્થાનિક મુદ્દાના બદલે અયોધ્યા રામ મંદિર અને ઓપરેશન સિંદૂરના ફોટા મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો AAPએ સવાલ પૂછી રીલની શરૂઆત કરીબીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોશી દ્વારા પણ AI મદદથી ખાસ રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ રાજકોટના મતદારોને રાજકોટના રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો સવાલ પૂછી રીલની શરૂઆત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં સુવિધાઓ મેળવવા મનપા કચેરીએ લાગતી લાઈનો, અપૂરતી સુવિધા અને 30 વર્ષનું ભાજપ સરકારનું શાસન છતાં યોગ્ય સુવિધા ન આપ શક્યાના આક્ષેપ સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે મતદારોના વિશાળ સમૂહને અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટમહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે નેતાઓ પૂરતો સમય પ્રચારમાં ફાળવી શકતા નથી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા આ વખતે ભાજપના ઉમેદવારોને વિસ્તારના તમામ લોકો સુધી પહોંચવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ગરમીના કારણે ઓછું મતદાન થશે તો રાજકીય પક્ષોની ચિંતામાં વધારો રિપીટ થયેલા ઉમેદવારો તો માની રહ્યા છે ગત ચૂંટણીમાં 21 દિવસ જેટલો સમય મળતા 3 વખત વિસ્તારમાં પ્રચાર થઇ ચુક્યો હતો આ વખતે એક વખત પણ માંડ માંડ પૂર્ણ થઇ શકશે. તેવામાં ગરમીના કારણે ઓછું મતદાન થશે તો તે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જરૂરથી કરાવશે. તેમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટ ફાળવણી બાદની નારાજગી પક્ષને નુકશાન પહોંચાડે તો નવાઈ નહિ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:07 pm

15 હજારથી વધુ EVM મશીનોનું સીલિંગ કાર્ય સંપન્ન:સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, ટેકનિકલ ખામી નિવારવા 15% મશીનો રિઝર્વ રખાયા

રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં અત્યંત પારદર્શક રીતે કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની આશંકા ન રહે. 9000 બેલેટ યુનિટ અને 6000 કંટ્રોલ યુનિટ તૈયારચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં કુલ મળીને 9000થી વધુ બેલેટ યુનિટ અને 6000થી વધુ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવનાર છે. સીલિંગ પ્રક્રિયા દરમિયાન દરેક બેલેટ યુનિટમાં વોર્ડ દીઠ ઉમેદવારોના નામ, તેમના ફોટા અને પક્ષના ચિહ્ન સાથેના બેલેટ પેપર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. આ મશીનોને ખાસ પિંક પેપર સીલથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લા સ્તરે આ કામગીરી પૂરજોશમાં પૂર્ણ થયા બાદ હવે તમામ મશીનોને નિર્ધારિત ડિસ્પેચ સેન્ટરો પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. CCTV અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમસીલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને અત્યંત સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. મશીનોની સુરક્ષા માટે 24 કલાક હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે, જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા સતત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, મતદાનના એક દિવસ અગાઉ એટલે કે 25મી એપ્રિલ સુધી આ મશીનો કડક સુરક્ષા હેઠળ જ રહેશે. 25મી એપ્રિલે પ્રિસાઈડિંગ ઓફિસરોને થશે સોંપણીઆગામી 25મી એપ્રિલના રોજ વહેલી સવારથી ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ વિતરણની કામગીરી શરૂ થશે. પ્રિસાઈડિંગ ઓફિસર અને તેમની પોલિંગ ટીમ જે તે મતદાન મથક માટે ફાળવવામાં આવેલા ઈવીએમ અને અન્ય સામગ્રી સ્વીકારીને પોલીસ પ્રોટેક્શન હેઠળ રવાના થશે. મતદાન મથક પર પહોંચ્યા બાદ મશીનોની ફરી એકવાર ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દરેક ઝોન વાઈઝ રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેથી પરિવહન દરમિયાન કોઈ વિલંબ કે સમસ્યા ન સર્જાય. 15 ટકા ઈવીએમ રિઝર્વ: ટેકનિકલ ખામી સામે તંત્ર સજ્જઘણીવાર મતદાનના દિવસે ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ મશીનો બંધ પડી જવાની ફરિયાદો આવતી હોય છે. આ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 15 ટકા ઈવીએમ વધારાના ફાળવવામાં આવ્યા છે. જો કોઈ બૂથ પર મશીનમાં ખામી સર્જાય તો સેક્ટર ઓફિસર પાસે રહેલા રિઝર્વ મશીન દ્વારા તેને મિનિટોમાં બદલી શકાશે. આ ઉપરાંત, સ્ટાફને ઈવીએમના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેથી માનવીય ભૂલની શક્યતા નહિવત રહે. ચૂંટણીના દિવસે વહેલી સવારે 'મોક પોલ' યોજાશેમતદાન શરૂ થવાના એક કલાક અગાઉ, એટલે કે 26મી એપ્રિલની વહેલી સવારે વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં 'મોક પોલ' (નકલી મતદાન) રાઉન્ડ યોજવામાં આવશે. આ રાઉન્ડમાં મશીન બરાબર કામ કરી રહ્યું છે અને તેમાં કોઈ અગાઉથી મતો સંગ્રહિત નથી તેની ખાતરી કરવામાં આવશે. મોક પોલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ડેટા ક્લિયર કરીને પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા મશીનને ફરીથી સીલ કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતદારોની જાગૃતિ અને સુરક્ષા પર ભારસુરત વહીવટી તંત્ર દ્વારા મતદારોને ઈવીએમથી મતદાન કેવી રીતે કરવું તે અંગે સમજાવવા માટે ખાસ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરો પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. તંત્રનો ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદાન કરાવવાનો અને પ્રક્રિયાને પારદર્શક રાખવાનો છે. પોલીસ કમિશનર દ્વારા પણ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની ફોર્સ તહેનાત કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતનું વહીવટી તંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:04 pm

ગોધરામાં સર્કલ હટાવતા અકસ્માતો વધ્યા:મેડ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે સ્થાનિકોએ ફરી સર્કલ બનાવવાની માગ કરી

ગોધરાના મેડ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી સર્કલ હટાવી લેવાતા અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો દ્વારા આ સર્કલ ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર સુરક્ષિત બની શકે. વહીવટી તંત્ર દ્વારા મેડ કાલાભાઈ પેટ્રોલ પંપથી સિંગલ ભરીયા રોડ તરફ જતાં રસ્તા પરથી અગાઉનું સર્કલ કોઈ અગમ્ય કારણોસર દૂર કરવામાં આવ્યું હતું. આ સર્કલ હટાવ્યા બાદથી આ ટ્રાફિક પોઈન્ટ અત્યંત જોખમી બન્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સર્કલ ન હોવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ રહેતું નથી, જેના પરિણામે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશ અયુબભાઈ કલંદરના મતે, સર્કલ હટાવ્યા બાદ અહીં દરરોજ ત્રણથી ચાર અકસ્માતો થાય છે, જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે. અયુબભાઈએ વધુમાં જણાવ્યું કે, આજે પણ એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે ફરીથી સર્કલ બનાવવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાય.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:03 pm

ગીર સોમનાથમાં સાંસદની 'બ્રાન્ડ સામે માલ' ટિપ્પણી:નવદ્રા બેઠકની સભામાં રાજકીય માહોલ ગરમાયો

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આવું જ એક આક્રમક નિવેદન નવદ્રા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યું છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઘણા લોકો રાજકારણમાં આવી પોતાનો માલ વેચવા નીકળે છે. પરંતુ જેનો માલ નબળો હોય એને જ વેચવા નીકળવું પડે... બ્રાન્ડને ક્યારેય વેચવું પડતું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની 'બ્રાન્ડ' ગણાવી હતી. આ ટિપ્પણી બાદ રાજકીય વર્તુળોમાં ગહન ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષો આ નિવેદનને અહંકારપૂર્ણ અને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના સમર્થકો તેને પક્ષના આત્મવિશ્વાસ અને વિકાસના એજન્ડા સાથે જોડીને જોઈ રહ્યા છે. આ વખતે ગીર સોમનાથમાં ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ પૂરતી મર્યાદિત રહી નથી. આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણીનું સમીકરણ ત્રિકોણીય બની ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોના પ્રભાવને કારણે મુખ્ય પક્ષોના ગણિતમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે, અપક્ષ અને નાના પક્ષો વોટ કટર સાબિત થઈ શકે છે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસ બંનેના પરિણામો પર પડી શકે છે. આ જ કારણ છે કે મુખ્ય પક્ષોના નેતાઓ હવે પ્રચાર દરમિયાન વધુ આક્રમક ભાષા અને વ્યૂહરચના અપનાવી રહ્યા છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધાઈ હતી, જે પક્ષ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, આવા આક્રમક નિવેદનો મતદારોમાં ધ્રુવીકરણ લાવે છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં હવે દરેક શબ્દ, દરેક નિવેદન અને દરેક સભાનું મહત્વ વધી ગયું છે. ગીર સોમનાથમાં હાલ રાજકીય જંગ માત્ર મત મેળવવાનો નથી, પરંતુ છબી, પ્રભાવ અને સંદેશાના યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:49 pm

કોંગ્રેસ વોર્ડ 9 ના ઉમેદવારોનો ખેરાળીમાં જનસંપર્ક:મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર કોર્પોરેશન ચૂંટણી યોજાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસ વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉમેદવારો ખેરાળી ગામ પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસપાસના ગામોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે, જે એક મહત્વપૂર્ણ ઘટના છે. કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારના મતદારો સમક્ષ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાઈ આવશે, તો લોકોના પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક અને ઝડપથી નિકાલ કરશે. તેઓ પોતાના એજન્ડા સાથે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:49 pm

હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર ફૂલો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને વિવિધ ફૂલો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા. ભક્તો દ્વારા ભગવાનને વિશેષ સેવા તરીકે 108 પ્રકારના રાજભોગ અર્પણ કરાયા હતા. આ પછી, 'ચૂર્ણ અભિષેક' વિધિ યોજાઈ, જેમાં સાત પવિત્ર નદીઓના જળ સમાવવામાં આવેલા 108 પવિત્ર કળશોથી અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન, ભક્તોએ ઋગ્વેદના પુરુષ સૂક્તનું પઠન કરીને મહાપ્રભુનો મહિમા કર્યો. ઉત્સવનું સમાપન મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવ સાથે થયું. આ પ્રસંગે ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:31 pm

AAPના 'હવાલા કાંડ'માં ITની એન્ટ્રી:દિલ્હીથી આંગડિયામાં આવેલા ₹1.25 કરોડથી ગરીબોને ખરીદી 'બબાલ' કરાવવાનો હતો પ્લાન, પોલીસ તપાસમાં ખુલાસો

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1.25 કરોડનું હવાલા ટ્રાન્ઝેક્શનક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી મુજબ, દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ સુરતની આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિધરપુરાની 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીમાં છેલ્લા 5-6 મહિનામાં અંદાજે 1.25 કરોડ આવ્યા હતા. આ રકમ લેવા માટે સુરતનો આકાશ મિશ્રા અને અજય તિવારી વારંવાર જતા હતા. આકાશ મિશ્રાની અટકાયત બાદ હવે પોલીસ અને આઈટી વિભાગ આ નાણાં કયા કયા ઉમેદવારોના ખિસ્સા સુધી પહોંચ્યા તેની તપાસ કરી રહી છે. હિમાંશુ પાહુજાનું દિલ્હીના 'મંત્રી' સાથે સીધું કનેક્શનતપાસમાં સૌથી મહત્વનું પાત્ર હિમાંશુ પાહુજા છે, જે આમ આદમી પાર્ટીના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું માનવામાં આવે છે. આંગડિયા મારફતે નાણાં મોકલવા પાછળ હિમાંશુનો મુખ્ય હાથ હતો. આ કેસમાં 8 થી 10 લોકોની એક આખી સિન્ડિકેટ સક્રિય છે, જે ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેરનું સંચાલન કરે છે. પોલીસ હવે દિલ્હી જઈને હિમાંશુની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેથી ફંડના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકાય. આંગડિયા પેઢીના CCTV ફૂટેજે પોલ ખોલીપોલીસે જે આંગડિયા પેઢીમાં નાણાં આવ્યા હતા તેના માલિકની પૂછપરછ કરી છે અને ત્યાંથી મહત્વના CCTV ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં લેવા માટે આવતા સ્પષ્ટ દેખાય છે. આ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ રોકડ રકમ કયા વાહન દ્વારા અને કઈ રીતે સુરતના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવી, તેની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 'કેશ ફોર વોટ' અને હિંસાનો માસ્ટર પ્લાનપોલીસ અને આઈટીની તપાસમાં એક ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી આવેલી આ તોતિંગ રકમનો ઉપયોગ સુરતના રૂરલ વિસ્તારોના જરૂરિયાતમંદ મતદારોને રીઝવવા માટે થવાનો હતો. લાલચ આપીને મત મેળવવાની સાથે સાથે, આ મતદારોને ઉશ્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને હિંસક બબાલ કરાવવાનો પણ બદઇરાદો હતો. લોકશાહીને નાણાં અને હિંસાના જોરે પ્રભાવિત કરવાની આ રમતનો પોલીસે સમયસર પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સની એન્ટ્રીકરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. આઈટી અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસની તમામ ડિટેલ્સ મેળવી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આઈટી વિભાગ મોટા પાયે દરોડા પાડી શકે છે અને આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને 'મોટા ધડાકા' કરે તેવી શક્યતા છે. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે એજન્સીઓ કામે લાગી છે. આગામી દિવસોમાં 'મોટા માથાઓ' પર લટકતી તલવારહાલમાં પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈને તેને મુક્ત કર્યો છે, પરંતુ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ કેસમાં સુરતના કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ ઉછળે તેવી શક્યતા છે. હવાલા કાંડમાં જે રીતે હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે, તે જોતા સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. સુરત પોલીસ અને એજન્સીઓનું કડક વલણસુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. આઈટી વિભાગ સાથે મળીને પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ હવાલાના રૂપિયા અન્ય કયા કયા શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. પોલિટિકલ હવાલા કાંડમાં જેમ-જેમ કડીઓ જોડાતી જાય છે, તેમ તેમ 'આપ'ની મુશ્કેલીઓ વધી રહી છે. સત્ય બહાર લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયાના ચોપડાઓની પણ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:31 pm

અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાયું, મુસાફરો અટવાયા:ગોધરા નજીક બે કલાક બાદ ટ્રેન બાંદ્રા રવાના

ગોધરા નજીક મોડી રાત્રે અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકના વિલંબ બાદ અન્ય એન્જિન જોડીને ટ્રેનને બાંદ્રા ટર્મિનલ તરફ રવાના કરવામાં આવી હતી. બરૌનીથી બાંદ્રા ટર્મિનલ જઈ રહેલી અવધ એક્સપ્રેસના એન્જિનમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગોધરાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા કાસુડી રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે ટ્રેનનું એન્જિન ખોટકાઈ જતાં ટ્રેન થંભી ગઈ હતી. મોડી રાત્રિના સમયે અને આકરી ગરમીમાં ટ્રેન અટકી પડવાથી મુસાફરોની હાલત કફોડી બની હતી. આ ટ્રેન અગાઉથી જ બે કલાક મોડી ચાલી રહી હતી, જેમાં એન્જિન ખોટકાવાની ઘટના ઉમેરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. નવું એન્જિન જોડ્યા બાદ ટ્રેન મોડી રાત્રે 12:13 કલાકે ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી બાંદ્રા ટર્મિનલ તરફ આગળ વધી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:29 pm

વેરાવળ નજીક દરગાહમાં સિંહ-સિંહણ જોવા મળ્યા:મંડોર ગામનો વીડિયો વાયરલ થતાં કુતૂહલ અને ભય

ગીર પ્રદેશમાં સિંહોની વધતી સંખ્યાને કારણે હવે તેઓ માનવ વસાહતોની નજીક જોવા મળે છે. વેરાવળ નજીકના મંડોર ગામમાં બાલમશા પીરની દરગાહમાં સિંહ અને સિંહણની જોડી આરામ કરતી જોવા મળતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સિંહ-સિંહણની જોડી દરગાહના પરિસરમાં શાંતિપૂર્વક આરામ કરતી સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ સ્થાનિકોના મતે આ વીડિયો મંડોર ગામની ભાગોળે આવેલી બાલમશા પીર બાપુની દરગાહનો છે. આ ઘટનાએ ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ પણ સર્જ્યો છે. એક તરફ આ દુર્લભ દૃશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ સિંહોની આવી નજીક ઉપસ્થિતિને કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો માટે જોખમ વધ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વનવિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ નવી ટેરિટરી શોધવા ગામડાઓ તરફ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વનવિભાગે લોકોને સાવચેતી રાખવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવા અપીલ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વ અંગે ચર્ચા જગાવી છે. ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા અને માનવ વસ્તીના સંરક્ષણ બંને માટે યોગ્ય આયોજન જરૂરી બન્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:18 pm

'મનપા બની છે તો દબાણો હટાવો, રોડ-રસ્તાની સુવિધા આપો':'50 વર્ષથી ટ્રેન ચાલતી હતી તે 5 વર્ષથી બંધ છે તેનું કારણ શું'?; રત્નકલાકારોના ગઢમાં બ્રિજનું કામ, ખરાબ રસ્તાથી હાલાકી

નવસારી મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ એટલે કે રત્નકલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી શહેરના વિકાસમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. રત્નકલાકારોના ગઢમાં દિવ્ય ભાસ્કરની ટીમ મતદારોનો મિજાજ જાણાવા પહોંચી હતી. વોર્ડ નંબર 2માં વિકાસના કામો થયા હોવાના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ જેવી કે ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને આંતરિક રોડ રસ્તાની હાલત હજુ પણ કથળેલી છે. આ વોર્ડમાં બ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને બાયપાસ રોડ છે તે રોડ બિસમાર હાલતમાં છે. જેથી વાહનચાલકોને ખુંબ મુશ્કેલી પડી રહી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ચાલતી ટ્રેન પણ બંધ કરી દેવાઈ છે જેથી મુસાફરોને ખુબ હાલાકી પડી રહી છે. સ્થાનિકોની માગ છે કે, નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બની છે તો સારા રોડ રસ્તાની સુવિધા આપો. વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન બંધ કરાતા હાલાકીસ્થાનિક મનસુખ જાદવે જણાવ્યું કે, 50 વર્ષથી વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન ચાલતી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ ટ્રેન ચાલતી હતી. જે આજે 5 વર્ષ થઈ ગયા સાવ બંધ છે જે બંધ કરવાનું કારણ શું? ‘બે કલાક ડેપોમાં બેસીએ ત્યારે માંડ એક બસ મળે છે’વધુમાં જણાવ્યું કે, નાના માણસોને મુસાફરી માટે ખુબ તકલીફ પડે છે. બસો મળતી નથી અને લોકલ બસ મૂકે તો બે કલાક ડેપોમાં બેસવું પડે. 10 બસ પ્રાઈવેટ જાય પછી એક બસ મૂકે છે. પ્રાઈવેટ બસનું 50 રૂપિયા ભાડું છે. એ લોકો એવું ડેરીંગ વાપરે કે આપણે પ્રાઈવેટ બસ જ 50 રૂપિયાવાળી મૂકવાની. નાનો માણસ બે કલાક ડેપોમાં બેસે ત્યારે એને એક લોકલ બસ મળે, એ પણ ભીડવાળી મળે. માણસ બસમાં ચડે કેવી રીતે? ‘રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે’નાગજીભાઈએ જણાવ્યું કે, અહીં કામ તો કાંઈ થયું જ નથી. રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ સુવિધા નથી, પાણી વ્યવસ્થિત આપતા નથી. ટાંકામાં ગાબડાં પડી ગયા છે. એક ટાઈમ પાણી આપતા હતા હવે બે ટાઈમ કર્યું તો પાણી અડધો કલાક જ આપે અને અડધો વાલ જ ખોલે. મહિલાઓને પાણી ભરવા જવું પડે. વધુમાં જણાવ્યું કે, જેણે દબાણ કરેલા છે એને હટાવો અને સુવિધા આપો. મહાનગરપાલિકા બની હોય તો કંઈક રસ્તાની સુવિધા કરો, સારા રોડ બનાવો. જે જે સોસાયટીમાં નેતા ચૂંટાયા છે ત્યાં રોડ બનાવી નાખ્યા છે. બીજે ક્યાંય બનાવ્યા નથી. હંસગંગા અને રાધે સોસાયટી જેવા વિસ્તારોમાં રસ્તા એટલા ખરાબ છે કે રિક્ષાઓ પણ ઉંધી વળી જાય છે. ‘બ્રિજનું કામ ચાલુ હોવાથી અડધો કલાક વહેલું નીકળવું પડે છે’વોર્ડ નંબર- બેમાંથી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પટેલ જણાવે છે કે, મારા વિસ્તારમાં આ વિજલપોર ફાટક પર બ્રિજ બનાવવાનું કામ આ લોકોએ નિરંતર ચાર વર્ષથી ચાલુ રાખ્યું છે. આજે એ રસ્તો બંધ કરી દીધો છે, કોઈપણ બાયપાસ રોડ આપ્યા વગર. અમારે જો એરુ ચાર રસ્તા સુધી જવું હોય, તો અડધો કલાક પહેલા નીકળવું પડે, કારણ કે ઘેલખડીના રસ્તા બધા ખાડાવાળા છે. ‘પીવાના પાણીની સમસ્યા અવારનવાર ચાલ્યા કરે છે’પાણીની લાઈન નાખે ત્યારે રાધે પાર્કમાંથી લઈને ઘેલખડી થઈને ગોપાલનગર નીકળવું પડે. એટલો લાંબો બાયપાસ રોડ આપ્યો છે, પણ ત્યાં રોડના કોઈ ઠેકાણા નથી. પીવાના પાણીની સમસ્યા ઘેલખડીમાં અવારનવાર ચાલ્યા કરે છે. ગટર તો કાયમ ઉભરાતી રહે છે. ત્યાંના કેટલાય રહીશોનું એવું મંતવ્ય હતું કે ગટરનું કામ કરી આપો. અમે નગરપાલિકામાં ફરિયાદો કરી કરીને થાકી ગયા છીએ. નગરપાલિકાના બધા નેતાઓ જીતીને જતા રહે છે, પણ આજ સુધી કોઈ જોવા પણ નથી આવતું. ફોન કરી કરીને થાકી ગયા, પણ કોઈ સાંભળતું નથી. ‘કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે’સ્ટેશન વિસ્તારના ફાટકનો સવાલ છે, જે લોકોએ વિચાર્યા વગર બંધ કરી દીધું છે. એના કારણે જનતાને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. જલારામપુરમાં પીવાનું પાણી નથી. બંદરોડ પર જોઈએ તો કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે. ડાંભર રોડના કોઈ ઠેકાણા નથી. એટલે આ વખતે જનતા આ લોકોને પાઠ ભણાવશે. બીજી તરફ કેટલાક સ્થાનિકો મનપાની કામગીરીથી ખુશ પણ નજર આવ્યાં હતા. તેઓનું માનવું છે કે, તંત્રએ અનેક સમસ્યાનો હલ કર્યો છે. ‘ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થઈ’વોર્ડ નંબર-2ના સ્થાનિક મહેન્દ્ર સાવલિયાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બંદર રોડ, કોટન કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અને ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા હતી. તે સમસ્યા દૂર કરવા તેને વ્યવસ્થિત નિકાલ કરવા બ્લોક પેવરિંગ કરાયું જેના કારણે તેનો નિકાલ થઈ ગયો. રાયચંદ રોડની સ્કૂલ પર જર્જરિત બિલ્ડિંગ હતી જેના કારણે નાના છોકરા કે કોઈને હાની થવાની શક્યતા હતી, તે બિલ્ડિંગને ડિમોલેશન કરી અને ત્યાં બ્લોક નાખી, ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ થાય તે પ્રમાણેનું કામ કરાયું. ‘ભૂવા પડવાની મોટામાં મોટી સમસ્યા હવે હલ થઈ’શાળા નંબર-6માં કમ્પાઉન્ડ વોલ નહોતી, જેના કારણે પ્રાણીઓ અને પશુઓ ત્યાં પટાંગણમાં બેસી રહેતા હતા. જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. જલારામ સ્ટેશન પર અનેક ભૂવા પડતા હતા જે મોટામાં મોટી સમસ્યા હતી, જ્યાં ડ્રેનેજ લાઈન નખાઈ છે જેથી છેલ્લા પાંચ વર્ષથી ભૂવો તો શું પણ અત્યારે એક પણ ખાડો ત્યાં પડ્યો નથી. થાણે તળાવ ડેવલપ થાય છે, પાણીના સંગ્રહ માટે તો જલાલપોર વિસ્તારને ટૂંક જ સમયમાં એ પાણીની સમસ્યા દૂર થશે. વિરોધ પક્ષ અને જનતાનો આક્રોશ: 'બ્રિજના કામ અને ટ્રેનો બંધ થવાથી જનતા પરેશાન'પરિવહનનો પ્રશ્ન: વિજલપોર ફાટક પર છેલ્લા ચાર વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ છે. કોઈ વ્યવસ્થિત બાયપાસ ન હોવાથી લોકોને ઘેલખડીના ખાડાવાળા રસ્તેથી અડધો કલાકનો ચકરાવો લેવો પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:10 pm

રાજકોટમાં ચૂંટણીને લઈ EVM ની ચકાસણી કરાઈ:EVM માં બેટરી, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ તપાસી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ પશ્ચિમના મામલતદાર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદ નગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVM નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે 210 EVM નું ચેકિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. 30 જેટલા કર્મચારીઓ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18 ના EVM ની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્પીકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:55 am

કાળમુખી કારનો કહેર, શેરડીનો રસ પીતા બેને ફંગોળ્યા:ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા, ચાલક ફરાર; કાલાવડ હાઈવે પર અકસ્માતના CCTV સામે આવ્યા

કાલાવડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે (20 એપ્રિલે) બપોરે એક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ આજે આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા અને કારચાલકની બેદરકારીનો જીવંત પુરાવો બની રહ્યા છે. મૃતકોના નામ CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું? અકસ્માતની આ સમગ્ર ઘટનાા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલક જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. આગળ જઈ રહેલી એક બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર બાદ ચાર વ્યક્તિ હવામાં ફંગોળાયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે (રોડની સાઈડમાં) ઉતારી દીધું હતું, જ્યાં શેરડીના રસની કેબિન આવેલી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે, તે સીધી જ ચિચોડા પાસે ઉભેલા લોકો પર ફરી વળી હતી. ફૂટેજમાં ટક્કરની તીવ્રતા જોઈ શકાય છે, જેમાં ચારેય વ્યક્તિ હવામાં ફંગોળાયા હતા. ટક્કર માર્યા બાદ કાર રોડની નીચે આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. આ આખી ઘટના માત્ર ગણતરીની સેકન્ડોમાં બની ગઈ હતી. મૃતક કીર્તિબેન ચાનપાના પુત્ર મયુરે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે માતાનું મૃત્યુ, પિતાને ગંભીર ઈજા અને અયાન નામના 13 વર્ષના નિર્દોષ કિશોરના મોતનો જવાબદાર કારચાલક જ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દવા લીધા બાદ દંપતી કાલાવડ પરત પહોંચી યાર્ડ સામે ઉભા હતા. જ્યાં તેઓએ પુત્રને ફોન કરી લઈ જવા કહ્યું હતું. આ દરમિયાન જ જામનગર તરફથી આવતી કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં મહિલાનું મોત થયું હતું. કારચાલકની પત્ની અને પુત્રીને પણ ઈજાપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કારચાલક કાલાવડ ટાઉનમાં રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સમયે તેની કારમાં તેની પત્ની અને પુત્રી પણ બેઠા હતા. અકસ્માતમાં તેમને પણ ઈજાઓ પહોંચી છે, જેમને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા તેજ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર દબાણને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે માર્કેટયાર્ડની આસપાસ રોડ સાઈડમાં આવેલી ગેરકાયદેસર કેબિનો અને દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે અને બેદરકાર ડ્રાઈવિંગ સામે લોકોમાં ભારે રોષ છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજને મહત્વના પુરાવા તરીકે ગણી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:44 am

'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી':'હર દિન સુસાઇડ કરને કા થોટ આતા હે', ગાંધીનગર DPSની ધો.9ની વિદ્યાર્થિની અમદાવાદમાં ચીઠ્ઠી લખીને ગૂમ

'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવા પાછળ અભ્યાસનું દબાણ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે'ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. દીકરીના પિતા બિઝનેસ કરે છે અને તેમનો એક દિકરો ધો. 11માં જ્યારે દીકરી ધો. 9માં DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે(20 એપ્રિલ) બપોરે ઘરના સભ્યો જમીને પોતપોતાના રૂમમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ આધેડ તેના દિકરાને લઈને ટ્યુશન ક્લાસિસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાનમાં આધેડને તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે. 'મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી...આઈએમ સોરી'પત્નીનો ફોન આવતાની સાથે જ પિતા દિકરાને લઈને ઘરે પહોચી ગયા હતાં. પિતાએ ચીઠ્ઠી વાંચી તેમા દીકરીએ લખ્યું હતું કે, કોઈ ભાળ નહી મળતા પરિવારે ફરિયાદ નોંધાવીદીકરીની ચીઠ્ઠી વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ બાળકીને શોધવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો અને તેના સંબંધીઓને પણ પુછ્યુ હતું પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 'બાળકીને શોધવા માટે તપાસ ચાલુ છે'ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી હજુ મળી નથી જેથી બાળકીને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:44 am

રાજકોટ 41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, પારો 42°એ પહોંચશે:આજે અમદાવાદ-વડોદરા અને અમરેલીનું તાપમાન 41°ને વટાવશે; ગુજરાત 'અગનભઠ્ઠી' બનવાના એંધાણ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2C, ગાંધીનગરમાં 39.6C, વડોદરામાં 39.6C, સુરતમાં 37.5C અને અમરેલીમાં 40.9C મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આજે રાજકોટ 'અગનભઠ્ઠી' બનશે, પારો 42C સુધી જશેહવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41C; ગાંધીનગર અને ડીસામાં 40C; ભુજ અને સુરતમાં 39C; ભાવનગરમાં 37C; કંડલામાં 36C; નલિયા અને દમણમાં 35C; પોરબંદરમાં 34.4C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31C તાપમાન નોંધાઈ શકે છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:37 am

રાજકોટનાં વોર્ડ નં-6માં રસકાસીભર્યો જંગ:ભાજપમાંથી સસ્પેન્ડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ હવે કોંગ્રેસ તરફથી મેદાને, કહ્યું- લોકસેવાની કદર કરવાને બદલે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાયું

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબેન જાદવે કાલે આંબાવાડી વિસ્તારમાં આયોજિત કોળી સમાજની વિશાળ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં મારા દ્વારા થતું લોકસેવાની કદર કરવાને બદલે ષડયંત્ર રાચાયું હતું. મંચ પરથી પ્રજાને સંબોધતા દેવુબેન જાદવે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, મેં સતત 10 વર્ષ સુધી વોર્ડ નંબર 6 માં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી છે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, નળમાં ગંદુ પાણી આવતું હોય કે લાઈટની સમસ્યા—લોકો અડધી રાત્રે પણ મને યાદ કરતા અને અમે સ્થળ પર જઈને કામગીરી કરાવી છે. પ્રજા વચ્ચેની મારી આ લોકપ્રિયતા ભાજપના શાસકોથી સહન ન થઈ અને અમને નીચા પાડવા માટે એક ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નાના સમાજમાંથી આવતા લોકો જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેમને રોકવા માટે ખોટા આક્ષેપો અને પાયાવિહોણી વાતો ફેલાવીને બદનામ કરવામાં આવે છે. પરંતુ મને રાજકોટની જનતા પર અને મારા વોર્ડના રહીશો પર પૂરો ભરોસો છે કે તેઓ સત્યને ઓળખશે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુબેન જાદવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવા છતાં તેમનું લક્ષ્ય તો હંમેશા લોકોની સેવા જ રહ્યું છે. નગરસેવકનું કામ જ એ છે કે પ્રજાની બધી પાયાની જરૂરિયાતો પૂરી કરવી. ભાજપે જે રીતે અમને અન્યાય કર્યો છે, તેનો બદલો હવે જનતા મતના રૂપમાં આપશે. અમે માત્ર વાતો નથી કરી, કામ કરીને બતાવ્યું છે અને એટલે જ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો અને કાર્યકરો અમને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે શહેરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરે પણ મહિલા શક્તિ અને જનસેવાની વાત કરી દેવુબેનને ટેકો જાહેર કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 3, 6 અને 7 ના કોંગ્રેસના કોળી સમાજના અન્ય ઉમેદવારોએ મંચ પરથી એકજુટતા પ્રદર્શિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જાહેર સભા દેવુબેન જાદવના મતવિસ્તાર એવા આંબાવાડીમાં જ યોજાઈ હતી, જ્યાં તેમનું વ્યક્તિગત પ્રભુત્વ ઘણું વધારે છે. સભામાં ઉમટેલી મેદની અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 6 માં ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસે અહીં કોળી સમાજના કાર્ડની સાથે સાથે દેવુબેનના 10 વર્ષના કામના અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જનસમર્થન મતમાં કેટલું પરિવર્તિત થાય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:23 am