સુરેન્દ્રનગરમાં નેત્રમ સીસીટીવીની મદદથી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત એક યુવાનને તેની ખોવાયેલી ₹10,000ની કિંમતની થેલી પરત મળી છે. ગણપતિ ફાટસરના નિલેશભાઈ કુંજાભાઈ મકવાણાએ રિક્ષામાં ભૂલી ગયેલી થેલી પોલીસની સરાહનીય કામગીરીથી પાછી મેળવી. આ અભિયાન સુરેન્દ્રનગરના ઇ.ચા. પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. નેત્રમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી જાહેર જનતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ, જેમ કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ કે પર્સ, સીસીટીવીની મદદથી શોધી મૂળ માલિકને પરત કરવામાં આવે છે. તાજેતરમાં, 9 એપ્રિલ, 2026ના રોજ નિલેશભાઈ મકવાણા રતનપર અંડરબ્રિજ પાસેથી રિક્ષામાં બેસી ગણપતિ ફાટસર ઉતર્યા હતા. તેઓ પટોળાના કલર ભરેલી આશરે ₹10,000ની કિંમતની થેલી રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ અંગે નિલેશભાઈએ નેત્રમ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી, અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AV-1827 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રિક્ષાચાલકનો સંપર્ક સાધી નિલેશભાઈ કુંજાભાઈ મકવાણાને તેમનો કિંમતી સામાન પરત કરવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસપ્રદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટડી નગરપાલિકામાં પતિ-પત્ની અને સાસુ-જમાઈ જેવા પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ચોટીલા નગરપાલિકામાં કોંગ્રેસે કિન્નર સમુદાયના ઉમેદવારને ટિકિટ આપી છે. પાટડી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી બે દંપતીઓએ અલગ-અલગ વોર્ડમાં ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 3માંથી પ્રશાંત સીતારામજી પારીક અને વોર્ડ નંબર 5માંથી તેમના પત્ની જયા પ્રશાંતજી પારીક ચૂંટણી લડી રહ્યા છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 4માંથી સતિષભાઈ ચંદારાણા અને વોર્ડ નંબર 3માંથી તેમના પત્ની હેતલબેન ચંદારાણા પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 2માંથી ગૌરીબેન કિશનભાઇ ભીમાણી અને વોર્ડ નંબર 4માંથી તેમના જ જમાઈ ધીરુભાઈ ચતુરભાઈ કનેજાએ પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ચોટીલા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસે કિન્નર સમુદાયના વૈશાલી માસીને ટિકિટ આપી છે. તેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક સીટ પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી. જોકે, પાટડી નગરપાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠકોમાંથી AAPના માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 1માંથી વિજયભાઈ પુજારા અને વોર્ડ નંબર 3માંથી ગીરીશભાઈ કંસારાનો સમાવેશ થાય છે. બાકીની 22 બેઠકો પર આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નથી.
પાટણ જિલ્લા પંચાયતની કમલીવાડા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર ગંગાબેન સેધાભાઈ દેસાઈએ બોરસણ ખાતેથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ એક જ જ્ઞાતિના મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારતા જંગ રસપ્રદ બન્યો છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. કમલીવાડા બેઠક પર ભાજપે બોરસણના ગંગાબેન સેધાભાઈ દેસાઈને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે તખીબેન કાનજીભાઈ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. આથી, આ બેઠક પર રસાકસીભર્યો મુકાબલો થવાની શક્યતા છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે, ભાજપના ઉમેદવાર ગંગાબેન દેસાઈએ બોરસણ ગામમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો અને ગ્રામજનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પોતાની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય અને આસપાસના ગામોમાં પણ ભાજપની તરફેણમાં માહોલ બને તે માટે અપીલ કરી હતી. બોરસણના આગેવાનો અને ગ્રામજનોએ ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપી જીતાડવાની ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતની આ બેઠક પર રાજકીય ગણિતો તેજ બન્યા છે, અને હવે સૌની નજર આગામી મતદાન અને પરિણામો પર ટકેલી છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. રોજગારી મેળવવાના હેતુથી નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો ઈરાન ગયા હતા. પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. સંદેશાવ્યવહાર અને સુરક્ષાના અભાવે આ માછીમારો ત્યાં અટવાઈ પડ્યા હતા, જેને લઈ તેમના સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. માછીમારોના પરિવારોએ આ મુશ્કેલી અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સાંસદે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત, તેમણે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સતત સંપર્ક જાળવ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધી માછીમારોની સુરક્ષિત વાપસી માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. સફળ વતન વાપસી બાદ માછીમારોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ત્યાંની પરિસ્થિતિ જોતા ઘરે પરત આવવાની આશા ઓછી હતી, પરંતુ સરકારના હસ્તક્ષેપને કારણે તેઓ આજે જીવતા પાછા આવ્યા છે. પરિવારોએ માછીમારોને પરત લાવવા બદલ સાંસદ ધવલ પટેલ અને મોદી સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ બે કુખ્યાત પ્રોહીબુટલેગરો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરીને તેમને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપ્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત પી.આઈ. વી.બી. ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાની ટીમે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા મંજૂર થતાં જ વોરંટની બજવણી કરવામાં આવી હતી. પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા આરોપીઓમાં જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેતા મુર્તુજા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ (ઉં.વ. ૩૦) નો સમાવેશ થાય છે. તેની સામે પ્રોહીબિશનના ચાર ગુના નોંધાયેલા છે અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. અન્ય આરોપી ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર મસીયા (ઉં.વ. ૨૬) છે, જે સનસીટી-૨, કાલાવડ નાકા બહાર રહે છે. તેને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા, શરદભાઈ પરમાર, હીરેનભાઈ વરણવા અને સુરેશભાઈ માલકીયા સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી જિલ્લામાં શાંતિ ભંગ કરનારા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.
ગોધરામાં યુવાન પર ચપ્પુથી હુમલો:ઝાકીર હુસૈન સ્કૂલ પાસે ઘટના, આરોપી ફરાર
ગોધરા શહેરમાં એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના ઝાકીર હુસૈન સ્કૂલના મેદાન નજીક બની હતી. હયાતની વાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય આદિલ તાહીર ગીતેલી પર 11 એપ્રિલના રોજ બપોરે હુમલો થયો હતો. પોલીસ સૂત્રો અનુસાર, આદિલ અને તેના પડોશી રીઝવાન ઇમરાન અલ્લી વચ્ચે 10 એપ્રિલની રાત્રે બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને રીઝવાને બીજા દિવસે બપોરે આદિલ પર હુમલો કર્યો હતો. આદિલ પોતાની બાઈક પર પોલન બજાર તરફથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઝાકીર હુસૈન સ્કૂલ નજીક આવેલા મેદાન પાસેથી પસાર થતો હતો. તે સમયે રીઝવાન ત્યાં હાજર હતો અને તેણે અચાનક ચપ્પુ વડે આદિલના ડાબા હાથ પર હુમલો કર્યો. આદિલ નીચે પડી જતાં રીઝવાને તેના પેટના ડાબા ભાગે ફરી ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ રીઝવાન ઇમરાન અલ્લીએ આદિલને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત આદિલની બુમાબુમ સાંભળીને નજીકમાંથી પસાર થતો તેનો મિત્ર તરત જ ત્યાં પહોંચ્યો અને તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપી રીઝવાન ઇમરાન અલ્લીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે પરરહમ જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને આ પછી રાજકોટ શહેરની ચારેય વિધાનસભા વાઈઝ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેઓ ઉમેદવારોને સાથે રાખી, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી, બુથ પ્રમુખ અને દરેક બૂથના કારોબારી સભ્યો તેમજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે સીધો સંવાદ કર્યો હતો. જોકે, આ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઇ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.. આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતોરાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ઉપસ્થિત રહી રાજકોટના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતાં. જેમાં તમામ 72 ઉમેદવારોએ જાહેર જીવનમાં નૈતિકતા, બંધારણ અને કાયદા પ્રત્યે આસ્થા રાખી તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચાર અને ભાજપાની પંચનિષ્ઠા અનુસરી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભાજપનો કાર્યકર્તા હરહમેંશ પ્રજા સાથે રહી સેવા કરશેભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશને વિકાસની રાજનીતીની ભેટ આપી છે, તેને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત અવિરત પ્રયાસ થકી આગળ વધારી રહ્યા છે. રાજ્યમાં તમામ પ્રજાસેવકો પ્રજહિતના કાર્યમાં જોડાઈ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસનો પાયો દરેક ગામડા સુધી પહોંચે તે દિશામાં કાર્યરત છે અને રહેશે. ભાજપનો કાર્યકર્તા હરહમેંશ બુથમાં કામ કરતો કાર્યકર્તા છે, 50 હજાર બુથમાં કાર્યકર્તા સતત સેવાના કાર્યો લઈને પહોંચતો હોય છે. માત્ર ચૂંટણી સમયે જ નહીં, ભાજપનો કાર્યકર્તા હરહમેંશ પ્રજા સાથે રહી તેમની સેવા કરતો હોય છે. વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું અને ચૂંટણી પતી જાય પછી જતા રહેવાનું હોય છે તે રાજ્યની પ્રજા જાણે છે. ગુજરાતની જનતા વિકાસને જનસમર્થન આપી અને આ વખતની ચૂંટણીમાં પણ ભાજપાને જંગી વિજય અપાવશે એવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ હવે ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત થઇભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને વખોડી ભાજપ માત્ર ચૂંટણીલક્ષી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. પ્રજાની વેદના સાથે તેને કોઈ લેવાદેવા નથી. પહેલા ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હતા અને ભાજપ હવે ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત થઇ છે. જ્યારે અગ્નિકાંડ થયું ત્યારે ભાજપના નેતાઓ ક્યાં હતા.? જનતા ભાજપના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી ગઈ છે અને બિસ્તરા-પોટલા બંધાવાનો સમય પાકી ગયો છે. પ્રજાના પ્રશ્નોને કોંગ્રેસ હંમેશા વાચા આપી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રની તટસ્થતા અને પોલીસની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે સાદા ડ્રેસમાં પોલીસ દ્વારા ઉમેદવારોને ધમકાવવાનો આક્ષેપ કરી કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસ વચ્ચેની કથિત સાંઠગાંઠ અને ઉમેદવારોને તોડવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાતી હોવાના સનસનીખેજ આરોપો લગાવ્યા છે. SOGના અધિકારીઓ સાદા કપડામાં ઉમેદવારોના ઘરે જઈ રહ્યા છેસુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ અને વહીવટી તંત્રની તટસ્થતા પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં આરોપ છે કે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના અધિકારીઓ યુનિફોર્મ વગર, સાદા કપડામાં ઉમેદવારોના ઘરે જઈ રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા, ચૂંટણી ન લડવા અથવા પક્ષપલટો કરવા માટે માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો દાવો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના જણાવ્યા મુજબ, હથિયારધારી પોલીસકર્મીઓ ચૂંટણી ઓફિસોમાં ફરીને ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. જો જવાબદાર અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે, તો ઉમેદવારો સાથે કલેક્ટર કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓનો કાફલો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 'આપ'ના ઉમેદવારોથી ડરીને ભાજપ લાખોની લાલચ આપી રહ્યું છે'આપ' નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે 'આપ' ના 6,000 ઉમેદવારોથી ડરીને ભાજપ તેમને લાખોની લાલચ આપી રહ્યું છે અથવા દારૂ-ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યું છે. વહીવટી તંત્રને ઉપરથી આદેશ હોવાનો દાવો કરાયો છે કે 'આપ' ના ઉમેદવારોના ફોર્મમાં નાની ભૂલો શોધી તેને રદ કરવા. ઈટાલિયાનો સનસનીખેજ દાવો છે કે ગુજરાતમાં આશરે 200 બેઠકો પર ભાજપે જ પોતાના મળતિયાઓને કોંગ્રેસની ટિકિટ પર ઉભા રાખ્યા છે, જેથી વિપક્ષી મતોનું વિભાજન થઈ શકે. તેમની પાસે પોલીસ, બુટલેગરો અને ભાજપના નેતાઓ વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગ હોવાનું જણાવી યોગ્ય સમયે જાહેર કરવાની ખાતરી આપી છે.
ભાજપે શરુ કર્યો જનસેવા સંકલ્પ કાર્યક્રમ સ્થાનિક સ્વરાજ માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપે રાજ્યભરમાં શરુ કર્યો જનસેવા સંકલ્પ કાર્યક્રમ..સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જ્યારે વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રદેશ ભાજપ પ્રમુખે ડેમેજ કંટ્રોલનો મોરચો સંભાળ્યો ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં શરુ થયયેલા કકળાટને ડામવા પ્રદેશ પ્રમુખે પોતે મોરચો સંભાળ્યો. જગદીશ વિશ્વકર્માએ રાજકોટના રેસકોર્સમાં દરેક બુથવા આગેવાનો સુધઈ પહોંચી સીધો સંવાદ કર્યો. જેથી કાર્યકર્તાઓના રોષની ઠારી શકાય. લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભરુચના સાંસદ મનસુખ વસાવાનો ધડાકો.. આગામી લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત કરી..અગાઉ તેમણે ટિકિટ વહેંચણીને લઈને ભાજપના નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા કોંગ્રેસ અને આપમાં ભંગાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અમિત પટેલ અને કાર્યકર ટિકિટ મુદ્દે બાખડી પડ્યા... હીરા જોટવા પણ પ્રમુખનો પક્ષ લઈને તુ તુ મે મે પર ઉતરી આવ્યા. AAPના SC સેલના પ્રમુખ આપને ભાજપની બી ટીમ કહી કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ પોલીસ અને ભાજપ પર કર્યા આક્ષેપ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ભાજપ પર ગંભીર આક્ષેપ.. કહ્યું આપના ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચાવવા ભાજપ ષડયંત્ર કરેછે. પોલીસના જોરે ડરાવી ધમકાવીને કાં તો પૈસાની લાલચ આપી ઉમેદવારોને ભરમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાવાગઢ દર્શને ગયેલી મહિલાનું હાર્ટએટેકથી મોત પાવાગઢમાં દર્શને આવેલી મહિલાનું હાર્ટએટેકથી મોત...માતાજીના દર્શન કરી પરત ફરતાં છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા. ડોક્ટર્સે સીપીઆર આપ્યું, પણ મહિલાને બચાવી ન શકાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેટા ચાલકે સર્જેલા અકસ્માત બાદ ટોળું વિફર્યું અમદાવાદના શાહપુરમાં ક્રેટાએ બાઈક ચાલકને ટક્કર મારી. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી. બાઈક સવારને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટે દોઢ વર્ષે ફાંસીની સજા રદ કરવાનો હુકમ કર્યો ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટે આપેલી ફાંસીની સજા દોઢ વર્ષે રદ કરી.. યુવક પર 2017માં પ્રેમિકાના પતિ અને સાસુની કુહાડીના ઘાથી હત્યા કરવાનો આક્ષેપ હતો. સાક્ષીઓ ફરી જતા હાઈકોર્ટે યુવકને તાત્કાલિક છોડી મુકવાનો આદેશ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી યુવતીનો આપઘાત સુરતમાં આર્થિક સંકળામણમાં યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું..ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્નના ખર્ચા માટે ઘર વેચી દેવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. જો કે પરિવારે લોન રિકવરી એજન્ટના ત્રાસથી આત્મહત્યાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 કલાકમાં વધશે ગરમીનું જોર આવનાર 48 કલાકમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પોલીસની સરાહનીય કામગીરી:ખેતરમાંથી મળી આવેલા ભૂલા પડેલા બાળકનું પિતા સાથે મિલન કરાવ્યું
મોઢેરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં રસ્તો ભૂલી ગયેલા એક 8થી 10 વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પી.આઈ. કે. ડી. રાવલ અને તેમની ટીમની આ માનવતાલક્ષી કામગીરીની પંથકમાં પ્રશંસા થઈ રહી છે. બાળક રસ્તો ભૂલી ખેતરમાં મળી આવ્યુંઘટનાની વિગત મુજબ, બેચરાજી તાલુકાના દેલપુરા ગામની સીમમાં ખેતીકામ કરી રહેલા અજમલસંગ ગફુરસંગને એક 8 થી 10 વર્ષનું અજાણ્યું બાળક એકલું ભટકતું મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન બાળકે પોતાનું નામ 'ભૂરો' અને પિતાનું નામ ગોવિંદ હોવાનું જણાવ્યું હતું. પોતે સિયાવા (અંબાજી-આબુરોડ વિસ્તાર)નો હોવાનું અને રસ્તો ભૂલી ગયો હોવાનું કહેતા, અજમલસંગ તેને સુરક્ષિત રીતે મોઢેરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. મોઢેરા પોલીસની ત્વરિત કાર્યવાહીપોલીસ સ્ટેશનના પી.આઈ. કે. ડી. રાવલ, એ.એસ.આઈ. જાલમસિંહ અને કોન્સ્ટેબલ વિક્રમભાઈ સહિતના સ્ટાફે બાળકને તેના પરિવાર સાથે મેળવવા તુરંત ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આજુબાજુના ગામો અને ખેતરોમાં મજૂરી કામ કરતા પરિવારોની સઘન શોધખોળ હાથ ધરી હતી. પિતા-પુત્રનું ભાવુક મિલનતપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠી ધારીયાલ ગામે રતિભાઈ પટેલના બોર પર ખેત મજૂરી કરતા ગોવારામ માલાજી ગરાસિયા (મૂળ રહે. સિયાવા, આબુરોડ, રાજસ્થાન)નો પુત્ર ખેતરમાં રમતા-રમતા ક્યાંક ચાલ્યો ગયો હતો. પોલીસે તુરંત પિતાનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. યોગ્ય ખરાઈ કર્યા બાદ પોલીસે બાળકનો કબજો તેના પિતાને સોંપ્યો હતો. લાંબા સમય પછી પિતા-પુત્રનું મિલન થતા વાતાવરણ ભાવુક બની ગયું હતું અને પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
નવસારીમાં આદિવાસી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ:સાંસદ ધવલ પટેલે હાજરી આપી, ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
નવસારીમાં આયોજિત 'આદિવાસી પ્રીમિયર લીગ' (APL) ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોની ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સામાજિક ઉત્થાનના હેતુથી આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ફાઇનલ મેચમાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન ગાંધી કોલેજ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. આદિવાસી પ્રીમિયર લીગ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ એક વ્યાપક સામાજિક વિઝન રહેલું છે. ટુર્નામેન્ટના વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સંગઠિત કરવાનો છે. ટુર્નામેન્ટ દ્વારા પ્રાપ્ત થનાર આર્થિક લાભનો ઉપયોગ ગ્લોબલ ગ્રાસરૂટ વિકાસ ટ્રસ્ટ (GGVT) દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્લાસીસ શરૂ કરવા માટે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹66,666 રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટીમને ₹44,444 રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન મનહર દોઢિયા (ડોડિયા), વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલ અને સેક્રેટરી (GGVT કન્વીનર) તેજસ પટેલની આગેવાની હેઠળની ટીમ કાર્યરત હતી. ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગરાસીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આદિવાસી પ્રીમિયર લીગની ફાઇનલ નિમિત્તે હું સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમણે ઉમેર્યું હતું કે, આ ટુર્નામેન્ટ થકી સમાજનું સંગઠન મજબૂત બનશે, એકતા વધશે અને ખેલાડીઓ શારીરિક તેમજ માનસિક રીતે વધુ સક્ષમ બનશે. આનાથી તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવશે અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે યોગ્ય માધ્યમ મળશે.
ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની ટીમે પૂર્વ બાતમીના આધારે ઉવારસદ ગામમાં દરોડો પાડીને રહેણાંક વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં લોખંડના પતરાની પેટીઓમાં છુપાવવામાં આવેલો 72 હજારની કિંમતનો દારુ બિયરનો જથ્થો ઝડપી લઇ સ્થાનિક બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ અને બિયરના 14 બોક્સ મળી આવ્યા હતાસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દારૂ જુગારની પ્રવૃતિઓ પર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથે ધરવામાં આવી છે. જે અન્વયે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ ગામના ખાંટવાસમાં રહેતો રાકેશજી જેસંગજી ઠાકોર નામનો બુટલેગર પોતાના ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે કલાટોળી વાસમાં આવેલા વહાણવટી સિકોતર માતાના મંદિર પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં પડેલી બે મોટી લોખંડની પેટીઓ શંકાસ્પદ જણાઈ હતી. આ પેટીઓ લોક કરેલી હતી. જેને તોડીને જોતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરના 14 બોક્સ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે ગણતરી કરતા કુલ 72 હજારની કિંમતનો 276 નંગ બિયર-દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અડાલજ પોલીસે વોન્ટેડ બુટલેગર રાકેશજી જેસંગજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ-નર્મદાના લોકસભા સાંસદ તેમજ ભાજપના પીઢ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર મોટો ધડાકો કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ હવે આગમી લોકસભા ચૂંટણી-2029 નહીં લડે. તેમના આ નિર્ણયથી ભાજપમાં ભૂકંપ આવ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા 8 એપ્રિલે એમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિયમો પર સવાલો ઉઠાવ્યાં હતા. પાર્ટીએ મને ઘણું આપ્યું, હવે કોઈ અન્યને ચાન્સ આપવો જોઈએભરતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. 1995માં વિધાનસભા ચૂંટણીમાં રાજપીપળાનો ધારાસભ્ય બન્યો. પાર્ટીએ મને કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો. 1998થી ભારતીય જનતા પાર્ટીએ ઓપન સીટ હોવા છતાં મને લોકસભા ચૂંટણીમાં જીતાડ્યો છે. સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તાને આ ક્ષેત્રમાં આવવું હોય, તો એના માટે હું જાહેરમાં કહું છું કે બીજા કાર્યકર્તાને ચાન્સ આપવો જોઈએ. પાર્ટી એ દૃષ્ટિકોણથી વિચારે એટલે જ મેં અગાઉથી કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત બદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને ‘હું નહીં તું’ ભાવનાવાળી પાર્ટી છે. આને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે, હવે મારા પછી કોઈ બીજો ઉમેદવાર પાર્ટી નક્કી કરે. ચાર દિવસમાં મનસુખ વસાવાના સૂર બદલાયાચાર દિવસ પહેલા 8 એપ્રિલે મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના ટિકિટ વહેંચણીના નિયમો અંગે નારાજગી વ્યક્ત કરીને જાહેરમાં પાર્ટીના વિરોધમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવાનોને તક આપવી જોઈએ તે આવકાર્ય છે, પરંતુ જીતી શકે તેવા મજબૂત અને અનુભવી નેતાઓને હોમવા તે પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરો, સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા કાર્યકરો તેમજ પરિવાર-સગા-સંબધીઓને ટિકિટ ન આપવી આ નિયમોને કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા જૂના જોગીઓ કપાઈ રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે જે નેતાઓ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેનો અર્થ એ છે કે જનતામાં તેમનો સ્વીકાર છે. આવા સક્ષમ ઉમેદવારોને પડતા મૂકવાથી પાયાના કાર્યકરોમાં નિરાશા ફેલાય છે. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવા કડક નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ? આમ ચાર દિવસમાં જ મનસુખ વસાવાએ સૂર બદલીને આજે નિવેદન આપ્યું છે કે પોતે લોકસભા ચૂંટણી-2029 નહીં લડે અને પાર્ટી કોઈ નવા કાર્યકરને તક આપે. મનસુખ વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને ભરૂચ-નર્મદા લોકસભા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવાનું રાજકીય ભવિષ્ય શું?મનસુખ વસાવા 1994થી 1996 દરમિયાન ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા અને કેન્દ્રમાં અને નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ ટર્મમાં 2014થી 2016 દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રહી ચુક્યા છે. 1998થી અત્યાર સુધી તેઓ લોકસભાના સાંસદ છે અને લોકસભાની વિવિધ સમિતિઓમાં સભ્ય પણ રહી ચુક્યા છે. હવે જો તેઓ 2029ની ચૂંટણી નહીં લડે તો તેઓ સક્રિય રાજકારણમાંથી બહાર નીકળી જશે. જો કે તેમના રાજકીય કદને જોતા ભારતીય જનતા પાર્ટી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવે તેવી સંભાવના નકારી શકાય નહીં.
વડોદરામાં 65 વર્ષીય સિનિયર સિટીઝનને APK ફાઇલ મોકલીને સાયબર ઠગોએ 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 10 મિનિટમાં અજાણ્યા નંબરથી કોલ આવ્યોવડોદરાના તરસાલી રીંગ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બેંકમાંથી સિનિયર મેનેજર તરીકે નિવૃત થયેલા છે. તારીખ 08/11/2025ના રોજ તેઓ પોતાના નિવાસસ્થાને હતા ત્યારે દર વર્ષની જેમ બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર પેન્શન લાઈફ સર્ટિફિકેટ 2025-26 માટે જરૂરી માહિતી અપલોડ કરી હતી. માહિતી અપલોડ કર્યા બાદ અંદાજે 10 મિનિટમાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ લાઇફ સર્ટિફિકેટના વેરિફિકેશન માટે વોટ્સએપ પર વીડિયો કોલ આવશે અને તેમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા કરવી પડશે એવી સૂચના આપી હતી. થોડા સમય બાદ અન્ય વોટ્સએપ નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો, જેને સ્વીકારી લેવામાં આવ્યો હતો. સર્વર ડાઉન હોવાનું કહી 38 મિનિટ સુધી સ્ક્રીન શેર કરી પૈસા ટ્રાન્સફર કર્યાવીડિયો કોલ દરમિયાન ફરિયાદીને સ્ક્રીન શેર કરવા કહેવામાં આવ્યું હતું. સ્ક્રીન શેર કર્યા બાદ એક ફોર્મ ખુલ્યું જેમાં નામ, મોબાઇલ નંબર, ઈ-મેલ આઈડી અને ઈમ્પ્લોય કાર્ડ નંબર જેવી વિગતો દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ “BOB Life Certificate Update.apk” નામની ફાઇલ મોકલી તેને ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ દરમિયાન ઠગોએ સર્વર ડાઉન હોવાનું કહી અંદાજે 38 મિનિટ સુધી સ્ક્રીન શેર ચાલુ રાખવા જણાવ્યું હતું. બાદમાં પત્નીએ ઠગાઈ અંગે ચેતવણી આપતા પતિએ તુરંત જ કોલ ડિસકનેક્ટ કર્યો હતો અને તમામ બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા હતા તેમજ જીમેઇલનો પાસવર્ડ બદલી નાંખ્યો હતો અજાણ્યા ડિવાઇસનો લોગઆઉટ કર્યો હતો અને મોબાઇલ નંબર બ્લોક કર્યા હતા. આ ઉપરાંત ડેબિટ કાર્ડ, જી-પે, મોબાઇલ બેંકિંગ અને નેટબેંકિંગ જેવી તમામ ડિજિટલ સેવાઓ બંધ કરાવી દીધી હતી તેમછતાં ઠગોએ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં જુગાર રમતા 6 શખસો રંગેહાથ ઝડપાયા ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પર આવેલા શીતળામાતા મંદિર સામે, ચાઈનાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેઇડ કરી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીઓના નામપોલીસ તપાસમાં પકડાયેલા શખસોની ઓળખ નીચે મુજબ થઈ છે: મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહીપોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજીપતા અને 24,260ની રોકડ રકમ કબ્જે કરી છે. ઝડપાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે NSUI અને શિક્ષણ જગતમાં આકરી ટીકાઓ થઈ રહી છે. યુનિ.ની ગરિમાને લાંછન લગાડતો ડાન્સ વીડિયો વાયરલ થયોએમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાયરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારું ગણાવ્યું છે. NSUIનો આકરો પ્રહાર અને સત્તાધીશોને અપીલઆ ઘટના અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, MS યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે, મનોરંજન કે અશ્લીલતાનું નહીં. સંસ્કારના નામે યોજાયેલા કાર્યક્રમમાં આવું કૃત્ય અત્યંત શરમજનક છે. આ ઘટના અંગે NSUIની મુખ્ય માંગણીઓ: ABVPનો ખુલાસો, વિદ્યાર્થિનીએ રજિસ્ટ્રેશન વગર પર્ફોર્મ કર્યુંવિવાદ વકરતા ABVPના પ્રમુખ વેદ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે, 'સંસ્કાર સંગમ' ફેસ્ટમાં કુલ 140 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં ટ્રેડિશનલ ડાન્સ, નાટક અને વોક જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જોકે, જે વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થયો છે, તેણે આ કાર્યક્રમ માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. તેણી કાર્યક્રમમાં બ્રેક દરમિયાન પોતાની રીતે પર્ફોર્મ કરવા સ્ટેજ પર આવી હતી, જેમાં સંગઠનની કોઈ ભૂમિકા નથી. આ સમગ્ર વિવાદ અંગે જ્યારે એમ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા અને આર્ટ્સ ફેકલ્ટીના ડીનનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી. યુનિવર્સિટીના જવાબદાર વહીવટકર્તાઓનું આવું મૌન અનેક તર્ક-વિતર્ક જગાવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, વડોદરાની આ ઐતિહાસિક વિરાસત અને શિક્ષણના પવિત્ર ધામમાં 'સંસ્કાર'ના નામે થતી આવી પ્રવૃત્તિઓ પર રોક ક્યારે લાગશે? શું સત્તાધીશો આ પ્રકારના વિવાદાસ્પદ કૃત્યો સામે કડક વલણ અપનાવશે કે પછી મૌન સેવીને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહેશે.
અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં એક અનોખી રાજકીય ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 6માં એક જ પરિવારના સભ્યોના નામ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો – ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) – ની યાદીમાં જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. નેસડી રોડ પર રહેતા પોપટભાઈ જમોડ, જેઓ ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે, તેમને ભાજપ દ્વારા સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી હતી અને તેમનું નામ પાર્ટીની યાદીમાં જાહેર કરાયું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી દ્વારા પણ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે પોપટભાઈના એક નજીકના સાથીદારને ભાજપ તરફથી ટિકિટ ન મળી. આ નારાજગીના પગલે, પોપટભાઈ જમોડે પોતાની પત્ની હંસાબેન જમોડના નામે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરાવ્યું. આમ, એક જ પરિવાર ભાજપ અને કોંગ્રેસ બંને સાથે જોડાયેલો દેખાયો. પોપટભાઈ જમોડે આ અંગે જણાવ્યું કે ભાજપે તેમને ચૂંટણી લડવા માટે પૂછ્યું હતું અને તેમણે સંમતિ આપી હતી. પરંતુ, તેમના એક સાથી મિત્રને ટિકિટ ન મળતા તેમણે પત્નીનું કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાનો નિર્ણય કર્યો. આ ઘટના બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સત્તાવાર યાદીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એક જ પરિવારના સભ્યોના નામ ત્રણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોવા છતાં, અંતે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ રાજકીય ઘટનાએ સાવરકુંડલામાં ભારે ચર્ચા જગાવી છે.
વઢવાણની પ્રાથમિક શાળા શહીદ જયપાલસિંહના નામે:દેશ માટે બલિદાન આપનાર વીરના સન્માનમાં નામકરણ
વઢવાણ શહેરની પ્રાથમિક શાળા નંબર ૧૪, હુડકોનું નામકરણ દેશ માટે શહીદી વહોરનાર વીર જયપાલસિંહ ભુપતસિંહ બારડના સન્માનમાં કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને શાળા સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અગાઉ દાજીપુરા પ્રાથમિક શાળાને શહીદના નામે ઓળખ અપાઈ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તે શાળા બંધ કરાતાં સ્થાનિક દેશપ્રેમી યુવાનોમાં રોષ હતો. આથી, હુડકો વિસ્તારની પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નામકરણ વિધિ પ્રાથમિક શાળા નંબર ૧૪, હુડકો સોસાયટી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના દેશપ્રેમ અને બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની અંજલિ પાઠવવામાં આવી હતી.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજથી ભાજપ દ્વારા મહાનગરપાલિકાઓમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં નેતાઓ દ્વારા તમામ ઉમેદવારોને જન સેવા અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અમદાવાદના ખોખરા વોર્ડથી ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. લોકોએ ઉમેદવારોનું ફૂલોથી સ્વાગત કર્યુંભાજપના ઉમેદવાર કમલેશ પટેલ, નયન બ્રહ્મભટ્ટ સોનલબા સરવૈયા અને જૈમીનીબેન દવે દ્વારા પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખોખરા મદ્રાસી મંદિર પાસે આવેલા શીતળા માતાના મંદિરે દર્શન કરી અને પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. ખોખરા વોર્ડના હરી કોલોની સહિત ખોખરા ગામ અને અલગ-અલગ વિસ્તારોમાં ડીજે, ઢોલ નગારા સહિત ઉમેદવારો મતદારો પાસે મત માંગવા માટે ગયા હતા. ભાજપના ઉમેદવારોને સ્થાનિક રહીશો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયારેલીમાં આશરે 100 જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતાં. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારો પ્રચારમાં નીકળ્યા હતાં. જે રેલી જોતા જીત બાદ જાણે મતદારોનો આભાર માનવા માટે ઉમેદવારો નીકળ્યા હોય એમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક સોસાયટી અને વોર્ડના સ્થાનિક મહિલાઓ અને પુરુષો તેમજ સિનિયર સિટીઝનને મળ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા. શહેર પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્ય અમુલ ભટ્ટ અને સાંસદ દિનેશ મકવાણા તેમજ પૂર્વક કોર્પોરેટરો પણ પ્રચારમાં હાજર રહ્યા હતા.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા ગીરીરાજ જૈન દેરાસરમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનની 36મી સાલગીરાહ નિમિત્તે અઢાર અભિષેક અનુષ્ઠાન યોજાયું હતું. આ પાવન પ્રસંગ ભવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સાહેબની નિશ્રામાં સંપન્ન થયો હતો. ગીરીરાજ સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિધિકાર જીતુભાઈ વિંછીયાવાળા અને સંગીતકાર કમલેશભાઈ ભાવનગરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં સકળ સંઘે ઉત્સાહભેર અઢાર અભિષેકમાં ભાગ લીધો હતો. આ અભિષેકનો મુખ્ય ઉદ્દેશ ભગવાનની સાલગીરાહ પૂર્વે દેરાસરનું શુદ્ધિકરણ કરવાનો હતો. આ ઉપરાંત, જિનાલયમાંથી કોઈપણ આશાધનાઓ દૂર થાય અને સકળ સંઘ દ્વારા દેરાસરના કાર્યોમાં થયેલ કોઈપણ અવિધિ કે અવિવેક દૂર થાય તે માટે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.
દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રી ગોપાલભાઈ સાંબોળ (રબારી)ને નવા નાયબ મામલતદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બાદ અખિલ ભારતીય રબારી-ભરવાડ સમાજના ગોર મહારાજ શ્રી રાજેન્દ્રભાઈ પાઢિયા અને તેમનો પરિવાર શુભેચ્છા મુલાકાતે પહોંચ્યો હતો. મુલાકાત દરમિયાન ગોર મહારાજ શ્રી રાજેન્દ્રભાઈ પાઢિયાએ ગોપાલભાઈ સાંબોળને તેમના નવા પદ માટે મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા અને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ મુલાકાત દ્વારા વહીવટી જવાબદારી અને આધ્યાત્મિક આશીર્વાદનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ આ આશીર્વાદને શુભ સંકેત ગણાવ્યા હતા. ગોપાલભાઈ સાંબોળ પ્રત્યે સમાજના આગેવાનોનો વિશ્વાસ અને સ્નેહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. આ શુભેચ્છા મુલાકાત માત્ર ઔપચારિક અભિનંદન પૂરતી સીમિત ન રહેતા, દ્વારકાની પવિત્ર ભૂમિ પર સેવા, સંસ્કાર અને જવાબદારીના સંદેશને વધુ મજબૂત બનાવનારો પ્રસંગ બની રહી હતી.
જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ફૂલેલા-ફાલેલા ગેરકાયદેસર વ્યાજખોરીના વ્યવસાયને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા વ્યાજખોરીના દૂષણને ડામવા માટે આપવામાં આવેલી સૂચના થી રાજ્યમાં ચાલી રહેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ 'લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા અસંખ્ય નાગરિકો પોતાની વેદના અને આપવીતી લઈને ઉમટી પડ્યા હતા. આ લોક દરબારનું આયોજન એટલું સુવ્યવસ્થિત હતું કે શહેરમાં આવતા અલગ-અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો મુજબ ખાસ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે અરજદારોને પોતાના વિસ્તારના સંબંધિત પોલીસ અધિકારીઓ અને પીઆઈ સમક્ષ રજૂઆત કરવામાં સરળતા રહી હતી. લોક દરબારમાં હાજર રહેલા પીડિતોએ વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા માનસિક અને શારીરિક શોષણની ભયાનક વિગતો રજૂ કરી હતી. મજબૂરીમાં લીધેલા નાણાંના બદલામાં પઠાણી ઉઘરાણી, કોરા ચેક પર બળજબરીથી સહીઓ કરાવી લેવી તેમજ મિલકતો પર ગેરકાયદે લખાણ કરાવી લેવા જેવા ગંભીર આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. લોક દરબારમાં ખાસ ઉપસ્થિત રહેલા એસ.પી. સુબોધ ઓડેદરાએ જાતે દરેક પીડિતની રજૂઆતો ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. પોલીસવડાએ સ્થળ પર જ હાજર ડીવાયએસપી, તમામ પીઆઈ અને પીએસઆઈને કડક સૂચના આપી હતી કે દરેક અરજી પર ત્વરિત તપાસ કરવામાં આવે અને જો પ્રાથમિક પુરાવા મળે તો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરવામાં આવે. પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં પીડિતોને પૂરેપૂરો સહયોગ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. આ લોક દરબારમાં એક ચોંકાવનારો કિસ્સો સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મંજુલાબેન વાળાના પરિવારનો સામે આવ્યો હતો. તેમના પુત્ર મુકેશ વાળાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મંગનાથ રોડ પર પારસ પાન નામની દુકાન ધરાવતા ધીરજભાઈ પટેલ પાસેથી તેમના પરિવારે કટકે-કટકે આશરે 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોર દ્વારા અત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને કુલ 9 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. મુકેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાના અવસાન બાદ વ્યાજખોર દ્વારા તેમને કોર્ટની નોટિસ ફટકારી ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને તેમની માતાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે. જોકે, પોલીસ દ્વારા તેમની અરજી સ્વીકારી લેવામાં આવતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢ પોલીસની આ નવતર પહેલને કારણે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. એસ.પી.એ આ તકે જાહેર જનતાને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિએ વ્યાજખોરોના ડરથી ગભરાવાની જરૂર નથી. જો કોઈ નાગરિક કે તેમના સંબંધી વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયા હોય તો તેઓએ નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ તંત્ર પીડિતોની પડખે છે અને વ્યાજખોરોના ત્રાસનો અંત લાવવા માટે કટિબદ્ધ છે. આ ઝુંબેશ માત્ર લોક દરબાર પૂરતી સીમિત ન રહેતા, આગામી દિવસોમાં વ્યાજખોરો વિરુદ્ધ મોટા પાયે ધરપકડ અને કાયદાકીય શિકંજો કસવાની કાર્યવાહી પણ જોવા મળશે તેવા સ્પષ્ટ સંકેતો પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યા છે.
AAP છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં કરપડાએ પોતાના વિરુદ્ધ અનેક પોલીસ કેસોની નોંધ હોવાનો ખુલાસો કર્યો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. સોગંદનામા મુજબ, રાજુ કરપડા પર 6 કેસ નોંધાયા છે. જેમાં મુળી, થાનગઢ, નીલમબાગ (ભાવનગર) અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં IPCની કલમ 323 (ઈજા પહોંચાડવી), 325 (ગંભીર ઈજા), 326 (હથિયાર વડે ગંભીર ઈજા), 114 (સહયોગી તરીકે હાજરી) તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 135 હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસોમાં કેટલીક સેશન્સ કોર્ટ સુધી ચાલી ચુકી છે અને કેટલાકમાં સજા તથા અપીલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પાર્ટી બદલ્યા બાદ જ ભાજપમાં ટિકિટની ચર્ચારાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી સમયે પક્ષો ‘વિનેબિલિટી’ (જીતવાની ક્ષમતા)ને પ્રાથમિકતા આપતા હોય છે, જેના કારણે ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડને અવગણવામાં આવે છે. ખાસ કરીને પાર્ટી બદલ્યા બાદ જ ઉમેદવારને ટિકિટ મળવી એ મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું પક્ષ બદલતાં જ ઈમેજ બદલાઈ જાય છે?. 'પાર્ટી પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરે છે'વિપક્ષે ભાજપ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે, ગુનાહિત પ્રકૃતિ ધરાવતા લોકોને ટિકિટ આપીને પાર્ટી પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરે છે. બીજી તરફ ભાજપના નેતાઓનો દાવો છે કે, કોર્ટમાં કેસ હોવો અને દોષિત સાબિત થવું એ બે અલગ બાબતો છે અને કાયદાકીય રીતે યોગ્ય ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારની છબી કેટલું મહત્વ ધરાવે?ચૂંટણી પહેલા જ આ મુદ્દો ગરમાતા હવે મતદારોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, વિકાસ અને નેતૃત્વ સામે ઉમેદવારની છબી કેટલું મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આ મુદ્દો મતદાન પર કેટલો અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મેન્ડેટ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 2 માં એક જ પક્ષના બે ઉમેદવારોએ અલગ-અલગ મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મામલો હવે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી કુલ છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ચાર પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક જ વોર્ડમાંથી બે ઉમેદવારોએ પોતાની પાસે કોંગ્રેસનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કર્યો. કુતુબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચના મુજબ અધિકૃત મેન્ડેટ સાથે ફોર્મ ભર્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, ત્રણ ટર્મથી ચૂંટાતા સમશાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે. આ સ્થિતિથી કાર્યકરોમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે. કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા અપાયેલા મેન્ડેટમાં ગેરરીતિ થઈ છે. તેમણે સાચા મેન્ડેટની નિષ્પક્ષ તપાસની અને આ મામલે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહીની માંગ કરી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે, પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. બે અલગ-અલગ મેન્ડેટ કેવી રીતે બહાર આવ્યા તેની તપાસ માટે પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. આ મેન્ડેટ વિવાદ કોંગ્રેસ માટે એક પડકાર બન્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ વિવાદને કેવી રીતે ઉકેલે છે અને કયા ઉમેદવારને અધિકૃત મંજૂરી આપે છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ભરૂચના રાજકીય વાતાવરણમાં વધુ ઉથલપાથલ મચાવી છે.
પાટણ શહેરના ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય યુવાને પોતાના જૂના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, અનાવાડા રોડ પર આવેલ સાંઈ સપ્ત રેસીડેન્સીમાં રહેતા દિલીપજી રમેશજી ઠાકોરે જણાવ્યું કે તેમનો નાનો ભાઈ રાહુલજી રમેશજી ઠાકોર (ઉં.વ. 22) ધાંધલના છાપરા ખાતે આવેલા તેમના જૂના ઘરે હતો. ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓએ તાત્કાલિક રાહુલજીને નીચે ઉતારી સારવાર અર્થે ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતક રાહુલજી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. યુવાને કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પોલીસે દિલીપજી રમેશજી ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર પહેલા ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણ હવા મહેલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપના નારાજ આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા લાવવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી જીતવા નહીં, પરંતુ માત્ર સોશિયલ મીડિયામાં દેકારો કરીને લોકોને ભરમાવવા આવે છે. વાઘાણીએ દાવો કર્યો હતો કે ચૂંટણી પછી આ પક્ષોના ઉમેદવારો શોધ્યા પણ નહીં મળે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ૫૨ ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મંત્રીએ તેમને મતદારોના તમામ પ્રશ્નો હલ કરવા અને ઘર-ઘર સંપર્ક કરીને વિકાસ સહિતના મુદ્દે મત માંગવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપરાંત નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, શહેર પ્રમુખ દેવાંગ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. AAP એ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ભરૂચ પોલીસ તેમના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને ખોટી રીતે ધમકાવી રહી છે અને હેરાન કરી રહી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરીને પ્રચાર શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પણ AAP દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ લોકશાહી પદ્ધતિથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા AAP ના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસ મથકે બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહીથી પક્ષમાં ભય અને દબાણનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પિયુષ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે દરેક પક્ષને સમાન અધિકાર છે અને કોઈપણ ઉમેદવાર કે કાર્યકર્તા સાથે પક્ષપાતપૂર્ણ અથવા દબાણપૂર્ણ વર્તન કરવું યોગ્ય નથી. પોલીસ તંત્રનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી થવી લોકશાહી માટે હાનિકારક છે. આ અંગે આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના ઉમેદવારો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, રવિવાર હોવાથી SP ઉપલબ્ધ ન હોવાથી તેઓ મળી શક્યા ન હતા. ગુરજીએ ઉમેર્યું કે, તેઓ સોમવારે ફરીથી SP ને મળીને ઉગ્ર રજૂઆત કરશે. તેમની માંગ છે કે SP ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપે જેથી AAP ના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે કોઈપણ પ્રકારની ખોટી હેરાનગતિ બંધ થાય. સાથે જ, જો ક્યાંય ખોટા કેસ નોંધાયા હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.
રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શકયતારાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહીહવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલમાં જ સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધાર સાથે ગરમી પડી શકેરાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40.3 ડિગ્રી, કંડલા અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 39.6, વડોદરામાં 39.6 અને વિદ્યાનગરમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 39 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. ભુજમાં 39, મહુવામાં 39.8, દીવમાં 38.5 અને દમણમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 37.3 ડિગ્રી અને ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લેસ માર્ક થતા ગરમી વધશે'હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું. તે અત્યારે લેસ માર્ક થઈ ગયું છે. અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં થોડો વધારો નોંધાઈ રહ્યો છે. 'આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે'શર્માએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ટેમ્પરેચર વધારે નોંધાઈ રહ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય છે. નવી કોઈ સિસ્ટમ ન બનતા આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ નોંધાઈ શકે તેવી શક્યતા નથી. '42 ડિગ્રી સુધી તાપમાનમાં અમદાવાદમાં પહોંચી શકે છે'વધુમાં પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અને અમદાવાદમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે હવે અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. 42 ડિગ્રી સુધી તાપમાનમાં અમદાવાદમાં પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવ રહેવાની શક્યતા છે. 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
કડી: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કડી દ્વારા 'Celebration of Success-2026' અને 'Oorja-The Talent Show' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ મણીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે શૈક્ષણિક પરિણામો, સંશોધન પ્રવૃત્તિઓ અને પ્લેસમેન્ટની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ વર્ષે સંસ્થાએ ૭૧ કંપનીઓમાં વિદ્યાર્થીઓને ₹૯ લાખ સુધીના વાર્ષિક પેકેજ સાથે પ્લેસમેન્ટ અપાવ્યું હતું. MBAમાં ૯૫% અને MBA (Integrated)માં ૧૦૦% પરિણામ નોંધાયું હતું. આ ઉપરાંત, સંસ્થાએ યુનિવર્સિટી યુવા મહોત્સવમાં સતત બીજી વખત ચેમ્પિયન બની ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. Dev IT Ltdના સહસ્થાપક અને CEO જયમીન શાહે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વિશે વાત કરી. Avocab Wires Cablesના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ) હિમાંશુ બાલારે વેચાણ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો. Iskoon Bridgeના ચેતન ચૌહાણે નેટવર્કિંગ અને ફિલ્મ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી. ગુજરાતી ફિલ્મ 'બહુરૂપીયો'ના કલાકારો મૌલિક ચૌહાણ અને કિંજલ રાજપ્રિયાએ પોતાના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. 'Oorja' ટેલેન્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ગીતકાર-ગાયક જાનકી ગઢવીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે ૧૦ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ પ્લેસમેન્ટ આપનાર 12 કંપનીઓને 'Best Recruiter Award' અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને 'International Excellence Award' એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રમુખ મણીભાઈ પટેલે સંસ્થાની સિદ્ધિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સંચાલક મંડળે સક્રિય યોગદાન આપ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. વેરાવળની ગોવિંદપરા બેઠકને લઈને પક્ષમાં ડબલ મેન્ડેટનો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે ગંભીર આક્ષેપ કર્યો છે કે ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ એક નહીં, પરંતુ બે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. તેમણે દાવો કર્યો કે બંને ઉમેદવારો દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટના કોંગ્રેસમાં સંકલનના અભાવને દર્શાવે છે. આ મુદ્દે વેરાવળ તાલુકાના સવની ગામે કાર્યકરો અને ગ્રામ્ય આગેવાનોની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક કાર્યકરોએ ખુલ્લેઆમ પક્ષના સ્થાનિક નેતૃત્વ પર ગેરવ્યવસ્થા અને અસ્પષ્ટતા માટે જવાબદાર ઠેરવ્યા હતા. સ્થાનિક સ્તરે કોંગ્રેસનો આ આંતરિક વિવાદ હવે જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા ઊભી થયેલી આ પરિસ્થિતિ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે વિરોધીઓ માટે આ મુદ્દો એક મોટું રાજકીય હથિયાર બની શકે છે. હાલમાં કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કાર્યકરોમાં ઉઠેલો રોષ સમયસર શાંત નહીં થાય, તો આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળી શકે છે.
દિપેન દવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિજયી:સુરેન્દ્રનગરના બ્રહ્મ સમાજ અને બાર એસોસિએશનો દ્વારા સન્માન
સુરેન્દ્રનગરના એડવોકેટ દિપેન દવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય વિજયી બન્યા છે. આ વિજય બાદ સુરેન્દ્રનગરમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ત્રિવેણી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરના પાંચેય ગામના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો અને જિલ્લાના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સામાજિક આગેવાનો અને ગુજરાતભરમાંથી આવેલા એડવોકેટ્સ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપેન દવેને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે. ઉમેદવાર પસંદગીમાં થયેલા વિવાદ હવે સીધા મતદારો સુધી પહોંચી જતા વોર્ડ નંબર 9 માં ભાજપ વિરુદ્ધ ખુલ્લો બળવો ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 9 માં ભાજપ દ્વારા કાર્યશીલ અને લોકપ્રિય મહિલા કાર્યકર હંસાબેનની ટિકિટ કાપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિણામે દોલત પ્રેસ, ગુણાતીત નગર સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને “ભાજપ હાય હાય” ના ગુંજારા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને મહિલાઓમાં આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી હતી. વર્ષો સુધી સંગઠન માટે કાર્ય કરનાર હંસાબેનને અવગણતા ભાજપના નિર્ણયને “અન્યાય” ગણાવી મહિલાઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને મતદારો—કિશોરભાઈ યાદવ, બીનાબેન જોશી, ગોરીબેન ફોફંડી અને આરતીબેન મકવાણા સહિતના લોકોએ કડક શબ્દોમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીએ કાર્યકરો સાથે દગો કર્યો છે. જે લોકો વર્ષોથી મહેનત કરે છે, તેમને અવગણીને ઉપરથી લાદવામાં આવેલા ઉમેદવારને અમે સ્વીકારવાના નથી.” તેમણે વધુમાં ચેતવણી આપી કે,“આવનારી ચૂંટણીમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને જવાબ આપીશું.” આ સમગ્ર ઘટનાક્રમે ભાજપ માટે ગંભીર રાજકીય સંકટ ઊભું કર્યું છે. ચૂંટણી પહેલા જ આંતરિક અસંતોષ રસ્તા પર ફાટી નીકળતા હવે મતદાન બોક્સમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેગ બની છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, જો આ અસંતોષને તાત્કાલિક શાંત કરવામાં નહીં આવે તો વોર્ડ નંબર 9 ભાજપ માટે ‘સેફ સીટ’માંથી ‘સંકટ ઝોન’માં ફેરવાઈ શકે છે. “ભાજપે અમારા વિશ્વાસ પર પાણી ફેરવ્યું છે. હવે મતદાનમાં અમે જવાબ આપીશું.” સ્પષ્ટ છે કે, વેરાવળ પાલિકા ચૂંટણી પહેલા ભાજપ માટે પરિસ્થિતિ અનુકૂળ નથી અને આ બળવો આગામી દિવસોમાં વધુ વિસ્તરે તેવી શક્યતા નકારી શકાય નહીં.
ભાજપની ટિકિટ ન મળતા પિતા-પુત્રની અપક્ષ ઉમેદવારી:પૂર્વ કોર્પોરેટર જામાભાઈ અને પુત્ર હરેશે ફોર્મ ભર્યા
સુરેન્દ્રનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ કોર્પોરેટર જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશભાઈ જામાભાઈ ગરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જામાભાઈએ વોર્ડ નંબર 3માંથી અને હરેશભાઈએ વોર્ડ નંબર 4માંથી ફોર્મ ભર્યા છે. જામાભાઈ મોતીભાઈ ગરીયા સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 3માંથી પાંચ ટર્મ સુધી સુધરાઈ સભ્ય રહી ચૂક્યા છે. તેમણે એક ટર્મ અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી, જ્યારે ચાર ટર્મ ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા. તેમના પુત્ર હરેશભાઈ જામાભાઈ ગરીયા પણ 2021 થી 2026 સુધી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં ભાજપની ટિકિટ પર કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. વર્તમાન ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા આ પિતા-પુત્રે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. આ ઘટનાને કારણે ખાસ કરીને વોર્ડ નંબર 3માં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સામે પીઢ અપક્ષ ઉમેદવારોની ટક્કર જોવા મળશે, જેનાથી ચૂંટણી રસપ્રદ બનશે.
રાજકોટ મહાનગર પાલિકાના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર થતા શહેર ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુકલા ને મેન્ડેડ આપી દેવામાં આવતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું હતું અને પાર્ટી તેમની રજુઆત આગામી સમયમાં પણ ધ્યાનમાં લેશે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે જ્યાં આજે સવારે રેસકોર્સ બહુમાળી ભવન ખાતે જનસેવા સંકલ્પ સભા સંબોધન બાદ તેઓ શહેર અધ્યક્ષ ડો.માધવ દવેના નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને ટિકિટ ફાળવણી બાદ નારાજ થયેલા કાર્યકર્તાને બોલાવ્યા હતા અને તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને નારાજ થયેલા લગબઝ એક ડઝન જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જેમાં શૈલેષ જાની, હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત, સંજય દવે, જીગ્નેશ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વોર્ડ નંબર 7માંથી ભાજપ દ્વારા શૈલેષ જાનીને ટિકિટ આપવામાં આવી હતી જો કે ફોર્મ ભરવા માટે મેન્ડેડની ફાળવણી સમય આ મેન્ડેડ શૈલેષભાઇના બદલે પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને આપી દેવામાં આવી હતી. શૈલેષ જાની કે જેઓ રાજકોટમાં શિક્ષણ જગતમાં ખુબ સારી નામના ધરાવે છે. તેમને છેલ્લી ઘડીએ મેન્ડેડ ન આપતા આ બાબતની નારાજગી પ્રદેશ પ્રમુખ સમક્ષ વ્યક્ત કરી હતી જો કે પ્રદેશ પ્રમુખ તેમને નારાજગી વ્યાજબી હોવાનું કહી પક્ષ તેમની કાર્યકર્તા તરીકેની મહેનતની નોંધ જરૂર લેવામાં આવશે તેવું વચન આપ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતીન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ તેમને કાપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી જયારે આ જ વોર્ડના શૈલેષ ડાંગર કે જેના માતા પિતા બન્ને અગાઉ કોર્પોરેટર રહી ચુક્યા હોવાથી તેમની બાદબાકી કરવામાં આવતા તેઓ પણ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હોવાનું જણાવી દાવેદારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય નારાજ કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવી હોવાની અને વોર્ડ પ્રમુખ કે પ્રભારીના સંકલનમાં પણ ન હોય તેવા લોકોને ટિકિટ ફાળવણી થઇ હોવાની રજુઆત કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ નારાજ કાર્યકર્તાને સાંભળી તેમને આશ્વાસન આપ્યું હતું અને આપણો ઉમેદવાર કમળ હોવાનું કહી બધા એક સાથે મળી ભાજપના તમામ ઉમેદવારને જીતાડવા મહેનત કરીએ તેવી સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા કેટલાક પૂર્વ પદાધિકારીઓ નિષ્ક્રિય બની ગયા હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે ત્યારે આ નારાજગીની અસર ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે.
કુદરતી સૌંદર્ય અને સિંહોના દર્શન માટે વિશ્વ વિખ્યાત એવા સાસણ ગીરમાં પ્રવાસીઓ શાંતિની પળો વિતાવવા આવતા હોય છે, પરંતુ હવે આ પર્યટન સ્થળનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. સાસણ નજીક આવેલ એક નામી રિસોર્ટમાં કેટલાક શખ્સો દ્વારા જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સાત જેટલા ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સ્થાનિક રિસોર્ટ સંચાલકો અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે લોકો અહીં સિંહ દર્શન માટે આવતા હોય છે, પરંતુ આ હાઈપ્રોફાઈલ જુગારીઓ રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને અંદર ખાને લાખોની હારજીતનો ખેલ ખેલી રહ્યા હતા. ગોંડલ અને રાજકોટના સોની વેપારીઓનો અખાડો પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોંડલનો વતની સંજય વડનગરા સાસણના ‘ગીર પ્રાઈડ રિસોર્ટ’માં પોતાના નામે રૂમ બુક કરાવીને બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે જ્યારે પોલીસે રિસોર્ટના રૂમમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાં ગંજીપતાના પાના વડે ‘તીન-પત્તી’નો જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા. નવાઈની વાત એ છે કે પકડાયેલા મોટાભાગના શખ્સો ગોંડલ અને રાજકોટના પ્રતિષ્ઠિત સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ શખ્સોમાં સંજય વડનગરા, રોહિત રાજપરા, મનોજ રાજપરા, જીગ્નેશ રાજપરા, હિતેશ કાતરોળીયા, તુષાર લાઠીગરા અને નિલેશ કાતરોળીયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હતા. લાખોની રોકડ,લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત પોલીસની આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા 42,340 મળી આવ્યા હતા. આ ઉપરાંત, જુગારની રમતમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના 448 ટોકન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં જુગારીઓ પાસેથી 7 મોંઘાદાટ મોબાઈલ ફોન જેની કિંમત અંદાજે 2.10 લાખ રૂપિયા થાય છે અને બે લક્ઝરી ફોર વ્હીલર કાર જેની કિંમત અંદાજે 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે, તે પણ કબજે લેવામાં આવી છે. આમ, કુલ મળીને 13,52,340 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ હસ્તક લેવામાં આવ્યો છે. આ તમામ શખ્સો સામે મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય આ કેસે સાસણના પર્યટન ઉદ્યોગમાં ચાલતી કાળી બાજુને ઉજાગર કરી છે. જ્યારે સામાન્ય જનતા સાસણમાં સિંહ દર્શન અને પ્રકૃતિનો આનંદ માણવા આવતી હોય છે, ત્યારે આવા લેભાગુ તત્વો રિસોર્ટ્સના એસી રૂમોમાં બેસીને કાયદાની ઐસીતૈસી કરી જુગારના અખાડા ચલાવે છે. આ દરોડા બાદ પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું રિસોર્ટના સંચાલકોની પણ આમાં કોઈ સંડોવણી છે કે કેમ? સાસણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં વન્યપ્રાણીઓનું રક્ષણ મહત્વનું છે, ત્યાં આવી પ્રવૃત્તિઓથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે હવે જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી સમયમાં અન્ય રિસોર્ટ્સ પર પણ તવાઈ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ઉમરગામ GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટમાં આગ:ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ઉમરગામ GIDC વિસ્તારમાં એક કંપનીના કમ્પાઉન્ડમાં ઠાલવવામાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળેલા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગની ટીમે સમયસર અને અસરકારક કામગીરી કરી હતી. તેમની ત્વરિત કાર્યવાહીને કારણે આગ વધુ ફેલાઈ ન હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. કલોલ શહેર પોલીસે ઘરફોડ ચોરીના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી માત્ર 20 વર્ષની નાની ઉંમરે 14થી વધુ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને હથીયારસિંગને દબોચી લીધોગાંધીનગર જિલ્લામાં વણઉકેલાયા ગુનાઓ શોધવા માટે ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતગર્ત કલોલ શહેર પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી માહિતી મળી હતી કે રામનગર વિસ્તારનો એક રીઢો ગુનેગાર શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ફિલ્ડિંગ ગોઠવીને હથીયારસિંગ ઉર્ફે નુરી સતનામસિંગ લુહારી નામના શખ્સને દબોચી લીધો હતો. 32 હજારની રોકડ મળી આવીજેની તલાશી દરમિયાન તેની પાસેથી રૂ. 31,500ની રોકડ રકમ મળી આવી હતી, જે તાજેતરમાં નોંધાયેલી ચોરીના ગુના સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 20 વર્ષની ઉંમરે 14 ગુનાઓ નોંધાયેલા છેમાત્ર 20 વર્ષની ઉંમરે આ શખ્સ વિરુદ્ધ કલોલ શહેર અને તાલુકા સહિત માણસા, પેથાપુર, નંદાસણ અને લાંઘણજ જેવા વિવિધ મથકોમાં લૂંટ અને ઘરફોડ ચોરીના 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં સક્રિય આ રીઢા તસ્કરની ધરપકડથી પાટનગર આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે. હાલમાં જપ્ત કરાયેલ રોકડ સાથે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સરખેજ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો છે. મહમદપુરા પાસેના પ્લોટ પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન ફરિયાદીના કાકાના દીકરાએ દીવાલ તોડી નાખી અને સિક્યુરિટી ગાર્ડને જાનથી મારી જ નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. JCB મશીન મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખતા ફરિયાદીને નુકશાન થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ કાકાના દીકરા ચિંતન પટેલ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્લોટોને લઈને પરિવારમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છેરાજપથ રંગોલી રોડ પર રહેતા અને વ્યવસાય કરતા 47 વર્ષીય આદેશભાઈ પટેલે પોતાના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો સાથે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પિતાના ચાર ભાઈઓ છે અને દરેક પરિવાર અલગ અલગ રહે છે તથા અલગ અલગ ધંધામાં સંકળાયેલા છે. પરિવારજનો વચ્ચે મહમદપુરા વિસ્તારમાં આવેલા પ્લોટોને લઈને લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ ચાર પ્લોટ પૈકી ત્રણ પ્લોટ પર હાલમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં દેખરેખ માટે દિવસે ત્રણ અને રાત્રે બે સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. છતાંય વિવાદે હવે હિંસક વળાંક લીધો હોવાનું સામે આવ્યું છે. 'પ્લોટ ખાલી નહીં કરો તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી'11 એપ્રિલના રોજ સાંજે અંદાજે 6 વાગ્યે પ્રોજેક્ટ મેનેજર વ્યોમ ચૌહાણ સાઈટ પર હતા, ત્યારે આદેશના કાકાના દીકરા ચિંતન પટેલ પોતાના ડ્રાઈવર સાથે ત્યાં આવી પહોંચ્યા હતાં. ચિંતને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડને પ્લોટ ખાલી કરવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો પ્લોટ ખાલી નહીં કરવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી અને મારામારી પણ કરવામાં આવી હતી. ચિંતને આ મકાન પોતાની જમીન પર બનાવાયું હોવાનું કહી તોડી પાડવાની પણ ધમકી આપી હતી. JCBથી પ્લોટની દિવાલ તોડી નાખીજે બાદ અચાનક જ ચિંતન પટેલે JCB મશીન મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી હતી. જ્યારે સિક્યુરિટી ગાર્ડ્સે આ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફરિયાદીને કરવામાં આવી હતી. કાકાના દીકરા સામે ફરિયાદ નોંધાવીજેથી ફરિયાદીએ તેના કાકાના દીકરા ચિંતન પટેલ સામે દિવાલ તોડી નુકસાન કર્યું હોવાની અને સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી હોવાની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી માટે જૂનાગઢમાં મોટો ફટકો પડ્યો છે. પક્ષના જૂના અને વફાદાર ગણાતા SC સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહેલે પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે હીરાભાઈ જોટવાએ તેમને વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા. ધીરુભાઈએ AAP પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના કરીને ટિકિટોનું વેચાણ કરવામાં આવે છે અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. AAP ભાજપની 'B-Team' હોવાનો ગંભીર આક્ષેપ વર્ષ 2018થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ધીરુભાઈ ગોહેલે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મેં સંગઠનને ખૂબ નજીકથી જોયું છે, આ પાર્ટી ખરેખર ભાજપની ‘બી-ટીમ’ તરીકે કામ કરી રહી છે.તેમણે ઉમેર્યું કે જેમણે રાત-દિવસ એક કરીને પક્ષનો પાયો મજબૂત કર્યો, તેમને ટિકિટ આપવાને બદલે અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. વડાલ સીટ પરથી પોતે ઉમેદવારી નોંધાવી હોવા છતાં, મનગમતો માણસ મળતા પક્ષે રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હોવાનો પુરાવા સાથે દાવો કર્યો હતો. કોંગ્રેસમાં ભડકો: જિલ્લા પ્રમુખ અને કાર્યકર આમને-સામને એક તરફ AAPમાં ભંગાણ પડ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ડુંગરપુર સીટ પર ઉમેદવારની પસંદગીને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને પક્ષના જ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકરોનો આક્ષેપ છે કે અમિત પટેલે પહેલા કાર્યકર્તાને ઉમેદવારી કરવાનું કહી બાદમાં પોતાના માનીતા ઉમેદવારનું ફોર્મ ભરાવી દીધું હતું. આ અન્યાય સામે જ્યારે કાર્યકર્તાઓએ રજૂઆત કરી, ત્યારે મામલો બિચક્યો હતો અને પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રેમુખ અમિત પટેલની મીડિયા સામે દાદાગીરી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્યારે હીરાભાઈ જોટવા અને અમિત પટેલ સામે કોંગ્રેસી કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો, આ સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો સાથે જિલ્લા પ્રમુખ અમિત પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવીને તેમણે પોતાની ‘દાદાગીરી’ બતાવી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ થયેલી આ ખેંચતાણે કોંગ્રેસની શિસ્ત પર સવાલો ઊભા કર્યા છે. ધીરુભાઈ ગોહેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ હોદ્દાની લાલચમાં કોંગ્રેસમાં આવ્યા નથી, નહીંતર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જ જોડાયા હોત. તેમણે AAPને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે હવે તેઓ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કોઈ મનસૂબા સફળ થવા દેશે નહીં. આમ, જૂનાગઢમાં એક તરફ AAPમાં આક્ષેપો સાથે ભંગાણ અને બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને મીડિયા સાથેના ગેરવર્તનને કારણે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. આવનારા દિવસોમાં આ ઘટનાક્રમ ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું.
સુરત શહેરમાં રિકવરી એજન્ટોના ત્રાસ અને માનસિક અત્યાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર માનવતાને ઝંઝોળી મૂકી છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પરિવારે આક્ષેપ કરીને કહ્યું કે, લોન રિકવરી એજન્ટોના અસહ્ય ત્રાસ આપતો. ડીંડોલી પીઆઈ કહ્યું, ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્ન માટે ઘર વેચવાની વાત આવતા યુવતીને લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું છે. યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવીસુરત ડીંડોલીના પોશ વિસ્તાર ગણાતા શ્રીકૃષ્ણ હેરિટેજમાં ગઈકાલે સાંજે અચાનક એક જોરદાર અવાજ સાથે સંજના નામની યુવતી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાઈ હતી. સ્થાનિક રહીશો દોડી આવ્યા ત્યારે યુવતીના શ્વાસ થંભી ગયા હતાં. 25 વર્ષની આશાસ્પદ યુવતીએ ડીંડોલીની હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનું આયુષ્ય ટૂંકાવી દીધું હતું. રિકવરી એજન્ટોએ જીવવું હરામ કરી નાખ્યું હતું- પરિવારનો આક્ષેપપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી સંજનાના પરિવારની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે નબળી પડી હતી. પરિવાર પર એક હોમ લોન બે લક્ઝુરિયસ કાર લોન આ લોનના હપ્તા છેલ્લા કેટલાક સમયથી બાકી પડ્યા હતા. ધંધામાં મંદી અથવા અન્ય આર્થિક કારણોસર હપ્તા ચૂકવવામાં વિલંબ થયો હતો. આ વિલંબ યુવતી માટે માટે કાળ બનીને આવ્યો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, બેંક દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રિકવરી એજન્ટોએ છેલ્લા એક મહિનાથી તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મોટી બહેન અને ભાઈ આઘાતમાં, પરિવારની ન્યાયની માગમૃતક સંજનાના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે. સંજના ઘરની જવાબદારીઓમાં પણ મદદરૂપ થતી હતી. ઘરમાં બે કાર અને ઘર હોવા છતાં, આર્થિક ખેંચતાણ એટલી હદે વધી ગઈ કે મધ્યમ વર્ગના આ પરિવારે પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સંજનાની મોટી બહેન અને ભાઈ હાલ આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. 'હું જ નહીં રહું તો મારા લગ્ન ક્યાંથી થશે અને તેથી યુવતીએ આપઘાત કર્યો'યુવતીના આપઘાતને લઈ ડીંડોલી પીઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવતીના ભાઈને કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને યુવતી પોતે ઉંમરલાયક હતી એટલે ઘરમાં વાત ચાલી હતી કે આપણું જે ઘર છે તેને વેચી નાખીએ અને તેમાંથી આ દેવું પણ ભરી દઈએ અને તારા લગ્ન પણ કરી નાખીએ. જેથી યુવતી લાગણીશીલ સ્વભાવની હોવાથી તેને લાગી આવ્યું અને તેણે મનમાં એવું થયું કે મારા કારણે આટલા પૈસાનો વ્યય થશે હું જ નહીં રહું તો મારા લગ્ન ક્યાંથી થશે અને તેથી તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ રાજકીય સમીકરણો સ્પષ્ટ બન્યા છે. ભાજપે જિલ્લાની તમામ 266 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીને પોતાની મજબૂત પકડ દર્શાવી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પાછળ રહી ગઈ છે. ભાજપે જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વાપી નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની કુલ 266 બેઠકો પર એક પણ બેઠક ખાલી છોડી નથી. બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસે વલસાડ તાલુકા પંચાયતમાં 6, ઉમરગામ તાલુકા પંચાયતમાં 5 અને ઉમરગામ નગરપાલિકામાં 2 મળી કુલ 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આમ આદમી પાર્ટી (AAP) પણ વલસાડ જિલ્લામાં મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખી શકી છે. કુલ 266 બેઠકોમાંથી AAP માત્ર 106 બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી શકી છે. ખાસ કરીને વાપી નગરપાલિકાની 52 બેઠકોમાંથી AAPને માત્ર 8 ઉમેદવારો જ મળ્યા છે. ચૂંટણી પૂર્વે જ ભાજપનું ખાતું ખુલી ગયું છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા અને ચકાસણી બાદ આ સ્પષ્ટ થયું છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં કુલ 602 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વલસાડમાં 32 બેઠકો માટે 115 ઉમેદવારો, ઉમરગામમાં 30 બેઠકો માટે 124 ઉમેદવારો, ધરમપુરમાં 24 બેઠકો માટે 108 ઉમેદવારો, કપરાડામાં 22 બેઠકો માટે 85 ઉમેદવારો, પારડીમાં 22 બેઠકો માટે 84 ઉમેદવારો અને નાનાપોંઢામાં 20 બેઠકો માટે 86 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવતા તેમની સંગઠન શક્તિ મજબૂત દેખાઈ રહી છે. કોંગ્રેસ અને AAP દ્વારા કેટલીક બેઠકો પર ઉમેદવારો ન ઉભા રાખવાને કારણે ભાજપને ચૂંટણી પૂર્વે જ ફાયદો થયો છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે જોવું રહ્યું.
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાતના નાણામંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના તમામ 52 ઉમેદવારોએ સામૂહિક રીતે 'જન સેવા સંકલ્પ' લીધા હતા. મંત્રીએ કાર્યકરોને જંગી બહુમતીથી વિજય મેળવવા હાકલ કરી હતી. નવસારીના મ્યુઝિકલ ફાઉન્ટેન પાસે આયોજિત આ કાર્યક્રમમાં 13 વોર્ડની 52 બેઠકોના ઉમેદવારો એકઠા થયા હતા. નાણામંત્રી કનુ દેસાઈએ ઉમેદવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને શહેરની સુવિધાઓમાં વધારો કરી લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉમેદવારોને પક્ષની છબી જળવાઈ રહે તે રીતે વર્તવા પણ તાકીદ કરી હતી. નાણામંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વે જ ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે. તેમણે કહ્યું કે અન્ય પક્ષો પાસે કાં તો ઉમેદવારો નથી અથવા જે છે તે નબળા છે, જેના કારણે કેટલીક બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપના ઉમેદવારો અને કાર્યકરો પક્ષના શિસ્ત મુજબ 'ડોર ટુ ડોર' સંપર્ક કરી મતદારોના આશીર્વાદ મેળવશે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ તમામ 52 ઉમેદવારોને કેસરી ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા અને તેમની સાથે સામુહિક તસવીરો પડાવી હતી. જે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, તેમને મંત્રીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'અબકી બાર 52 પાર'ના નારા લગાવવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસે જૂના ઘૂટું રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 1776 બોટલ વિદેશી દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 11.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાજકોટના તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મંગાવનાર અને આપનાર સહિત અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. તાલુકા પોલીસને હળવદ બાજુથી દારૂનો જથ્થો ભરીને એક કાર મોરબી તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જૂના ઘૂટું રોડ પર જૂના સ્મશાન પાસે આડસ ઊભી કરીને વોચ ગોઠવી હતી. બાતમી મુજબની GJ 3 MB 5847 નંબરની કાર ત્યાંથી પસાર થતાં તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા સીટ અને ડેકીમાંથી કુલ 1776 નંગ દારૂની નાની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 6,13,200 નો દારૂ, રૂ. 65,000 ના બે મોબાઈલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. 11,78,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારચાલક રાજકોટ, ન્યુ સાગર સોસાયટી, શેરી નં-8, કોઠારીયા મેઇન રોડ પર રહેતા તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં દારૂ મંગાવનાર તરીકે રાજકોટ, કોઠારીયા રિંગ રોડ, ગાંધી સોસાયટી, શેરી નં-2 માં રહેતા સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયાનું નામ સામે આવ્યું છે. જ્યારે દારૂ આપનાર અજાણ્યો શખ્સ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસે કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે TAT HSની પરીક્ષા લેવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT HSની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 1.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જેના માટે 862 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદ શહેરમાં 31,170 ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં 18,094 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સમયસર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સરકાર હવે વહેલી ભરતી કરે તેવી પણ ઉમેદવારો અપેક્ષા રાખી રહ્યા છે. 'પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી'ઉમેદવાર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હું કચ્છથી પરીક્ષા આપવા માટે આવ્યો છું. પરીક્ષા માટે તૈયારી પણ ખૂબ સારી રીતે કરી છે. ભરતી આવે છે પરંતુ પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી. તેમજ અમારા કચ્છ વિસ્તારમાં અડધી જગ્યાઓ ખાલી પડી છે. જે લોકો આવે છે તે લોકો પણ રહેતા નથી અને જતા રહે છે. જેથી વિસ્તાર પ્રમાણે જગ્યા ઉપર ભરતી કરવી જોઈએ. તેમજ સમયાંતરે ભરતી ન થવાથી ઘણા ઉમેદવારોની ઉંમર પણ મર્યાદા કરતા વધુ થઈ જતી હોય છે. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન રાજ્યભરમાં 862 પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા TAT-HS ની લેવામાં આવી રહી છે. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 166 કેન્દ્રો પર 31170 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં અમદાવાદ ગ્રામ્યમાં 99 કેન્દ્રો પર 18094 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, જ્યોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, કૃષી વિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, આંકડાશાસ્ત્ર, શારીરિક શિક્ષણ વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્રણ માધ્યમના 41 વિષય માટે પરીક્ષા લેવાઈપ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત રાખવામાં આવી છે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રાખવામાં આવ્યો છે. તો 100 ગુણનો બીજો ભાગ જે-તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે તે વિષય આધારિત રાખવામાં આવ્યો છે. ત્રણ માધ્યમના 41 વિષય માટે પરીક્ષા લેવાઈ રહી છે. ગુજરાતી માધ્યમના 21 વિષય, અંગ્રેજી માધ્યમના 14 વિષય અને હિન્દી માધ્યમના 6 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રાખવાના આવ્યું છે. 200 ગુણના પેપર લખવા માટે 180 મિનિટનો સમય ઉમેદવારોને આપવામાં આવ્યો છે. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. 'સરકાર વહેલી ભરતી કરી દે તો ઉમેદવારો માટે સારું'ઉમેદવાર જનક વાઘેલાએ જણાવ્યું હતું કે, TAT પરીક્ષાની ઘણી બધી તૈયારીઓ કરી છે. ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા. આ પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સરકાર વહેલી ભરતી કરી દે તો ઉમેદવારો માટે સારું છે. જો બે કે ત્રણ વર્ષ પછી ભરતી કરવામાં આવશે તો ઉમેદવારો માટે અઘરું થશે. તેમજ કેટલાક ઉમેદવારોની તો ઉંમર પણ પૂર્ણ થઈ જશે અને તે લોકો ભરતી પરીક્ષામાં ફોર્મ નહીં ભરી શકે. વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો ઉમેદવારોને ફાયદો થઈ શકે છે. ઘણા એવા પણ ઉમેદવારો છે કે જે પરીક્ષા પાસ કરી ચૂક્યા છે પરંતુ સમયસર ભરતી ન થતા તેમની ઉંમર મર્યાદા કરતા વધી ગઈ છે. જેથી તેમના માટે પણ ઉંમરની છૂટછાટ આપવામાં આવે તો તે લોકોને પણ ફાયદો થઈ શકે છે.
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ચાર માળિયા પાસે આવેલા ઇન્સાનિયત નગર પાસે જાહેર રોડ ઉપર અસામાજિક તત્વોએ તલવારો વડે આતંક મચાવ્યો હતો. તલવારના જમીન અને દિવાલ પર ઘા મારવા લાગ્યા હતા અને ‘આજે જીવતો નથી મૂકવાનો’ એમ કહીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આરોપીઓ એક કારમાં આવ્યાં હતાંવટવા વિસ્તારમાં ચાર માળિયા પાસે ઇન્સાનિયત નગરમાં આબિદાબાનુ શેખ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં સાત બાળકો છે. ગઈકાલે 11 એપ્રિલના રોજ રાત્રે 10:00 વાગ્યાની આજુબાજુ આબીદાબાનું તેમના ઘરે પુત્રવધુ સાથે હાજર હતા. રાત્રે પોણા બાર વાગ્યાની આજુબાજુ આદિલ શેખ, ફારૂક ગરદન, મોઈન લંગડો તથા હુસેન ભાઈઓ સહિતના લોકો એકસંપ થઈને આવ્યા હતા. ચાર માળિયા પાસે આવીને ગાળાગાળી તેમજ જાહેરમાં બોલાચાલી કરવા લાગ્યા હતા. તમામ લોકોએ પોતાની પાસે રહેલી તલવાર જમીન અને દિવાલ ઉપર મારવા લાગ્યા હતા અને આદિલ કહેવા લાગ્યો હતો કે, સાકીર ક્યાં છે? આજે તેને જીવતો મુકવાનો નથી. પોલીસે તપાસ શરૂ કરીગાડીમાં આવેલા શખ્સો દ્વારા જાહેરમાં ભય ઊભો કરવામાં આવ્યો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. મોડીરાત્રે જાહેરમાં તલવારો વડે આતંક મચાવવા બદલ ચાર જેટલા શખસ વિરુદ્ધ આબીદાબાનું દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાની હાજરીમાં જનસેવાનો સંકલ્પ લીધો. આ સાથે જ તેમણે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. મોરબીમાં પ્રથમ વખત યોજાઈ રહેલી મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આજે મોરબીના રવાપર ગામ પાસે આવેલા કેપિટલ માર્કેટ ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે, મોરબી મહાપાલિકાની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બને તે માટેની ચર્ચા અને વિચાર ઉમેદવારો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તાર આગામી સમયમાં સુંદર અને રળિયામણો બને, લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસના નવા આયામો સુધી પહોંચે તેવા કાર્યો કરવામાં આવશે. જાડેજાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10,000 જેટલી બેઠકો પર 2 લાખ જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. ભાજપ દ્વારા દરેક જ્ઞાતિ અને સમાજને પ્રાધાન્ય મળે તે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જોકે, કેટલાક આગેવાનો નારાજ થઈને મોરબી સહિત ગુજરાતમાં અપક્ષ ઉમેદવારી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વર્ષો સુધી ભાજપ માટે કામ કરનારા કાર્યકર્તાઓ નારાજ હોઈ શકે છે, પરંતુ તેઓ ભાજપથી વિમુખ ન હોઈ શકે. આવા કાર્યકર્તાઓને પ્રથમ જિલ્લા સ્તરની ટીમ દ્વારા સમજાવવા અને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો જરૂર જણાશે તો પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા પણ પગલાં લેવામાં આવશે.
'જનસેવા એ જ પ્રભુ સેવા'ના ઉમદા મંત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'જનસેવા સંકલ્પ સભા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના સફળ સમાપન બાદ ભાજપ કાર્યાલય પાસે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓના સંચાલન માટે તૈયાર કરાયેલા આ મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પક્ષના તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.જેના કારણે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. 52 ઉમેદવારોએ જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતાઆ અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ હાજરી આપી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના તમામ 52 ઉમેદવારોએ જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતા. કાર્યક્રમને સંબોધતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનસંઘના સમયથી જ જનતાને સમર્પિત રહ્યો છે. 'સંકલ્પ માત્ર ઔપચારિકતા નથી પરંતુ પ્રજા પ્રત્યેનું અમારું સમર્પણ છે'તેમણે ઉમેર્યું કે, મહેસાણામાં પ્રથમવાર મહાનગરપાલિકા બની છે.ત્યારે પક્ષના તમામ 52 ઉમેદવારો જનસેવા સંકલ્પ લઈ રહ્યા છે. આ સંકલ્પ માત્ર ઔપચારિકતા નથી પરંતુ પ્રજા પ્રત્યેનું અમારું સમર્પણ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વિધાનસભા અને તમામ કોર્પોરેશનમાં ભાજપના શાસનને જનતાએ જે આશીર્વાદ આપ્યા છે. તે ભાજપના કામનું જ પરિણામ છે. જનતાના મતનું વળતર ભાજપ હંમેશા વિકાસના કામો દ્વારા આપે છે. 'ભાજપના અનેક સભ્યો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે'કોંગ્રેસ પર પ્રહાર કરતા ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષને અનેક બેઠકો પર ઉમેદવારો પણ મળી રહ્યા નથી જ્યારે ભાજપના અનેક સભ્યો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય વિજય મેળવશે. આ કાર્યક્રમ ગુજરાતના તમામ 15 કોર્પોરેશનોમાં પક્ષના વિવિધ આગેવાનોની હાજરીમાં યોજાયેલા જનસેવા સંકલ્પ અભિયાનનો એક ભાગ હતો.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારી સાથે યુવકે ઝપાઝપી કરી હતી. યુવકે પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભર્યું હતું, જ્યારે યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે યુવકે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપીને જાતે જ માથું ટીવી પર પછાડ્યું હતું. યુવકે પોલીસ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસે યુવક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આંબેડકરની જન્મ જયંતીના લગાવેલા ધ્વજને ફાડ્યો'તોઆનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ફરિયાદ નોંધાવી છે કે, આનંદનગરના ગોકુલ આવાસ ઔડાના મકાન ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લગાવેલા ધ્વજને વિજયસિંહ પરમારે ફાડી નાખતા જયવીરસિંહ ત્યાં બંદોબસ્તમાં હાજર હતાં. ત્યારે આવાસ યોજનાના મકાનની બાજુમાં ફેબ્રિકેશનની દુકાનમાંથી એક વ્યક્તિ સામાન બહાર કાઢતા હતા તેમને વિજયસિંહના ભાઈ કમલસિંહે રોક્યા હતા અને તે વ્યક્તિ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. બાદમાં આ બંને વ્યક્તિઓ પોલીસ પાસે આવ્યા હતા. પોલીસે બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે કમલસિંહ પરમારે પોલીસ કર્મચારીઓને ગંદી ગાળો આપી અને હાથાપાઈ કરવા લાગ્યા હતાં. પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી, અંગૂઠા પર બચકું ભર્યુંકમલસિંહે એક પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભરી લીધું હતું. પોલીસે કમલસિંહને ગાડીમાં બેસાડ્યા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે રસ્તામાં કમલસિંહે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી હતી અને કઈ રીતે નોકરી કરો છો તેવુ કહ્યું હતું. ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડી, આરોપીની ધરપકડજે બાદ કમલસિંહને સર્વેલ્ન્સ સ્કોડની ઓફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે કહ્યું કે હું મારું માથું ભટકાવીને ઇજા કરી તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીશ. કમલસિંહે સીસીટીવી માટે લગાવેલા ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડીને 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. કમલાસિંહે કરેલા હંગામા બાબતે આનંદનગર પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી છે.
ભાજપના પ્રચારના શ્રીગણેશ:ભાજપના 52 ઉમેદવારોએ લીધા વિજયના 'સંકલ્પ', રણમેદાનમાં ઉતરવા કાર્યકરો સજ્જ
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ, આજે પ્રચાર અભિયાનના શ્રીગણેશ એક 'સંકલ્પ કાર્યક્રમ' સાથે કરવામાં આવ્યા હતા, જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મનપા ચૂંટણી ના 52 ઉમેદવારો માટે સંકલ્પ લેવાનો કાર્યકમ યોજાયો હતો, જેમાં આગેવાન પાર્ટીની રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે વિગતો આપી હતી, ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારો આજે એક અતૂટ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે, તેમનો મુખ્ય ઉદ્દેશ્યરાષ્ટ્ર સેવા, દેશહિતને સર્વોપરી રાખી કાર્ય કરવું, શહેરના પાયાના પ્રશ્નો અને આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 'અંત્યોદય'ના વિચારને સાર્થક કરી, સમાજના છેવાડાના અને નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાઓ અને સેવાનો લાભ પહોંચાડવો માટે આહવાન કરવામાં અવાયું હતું, તેમજ તમામ 52 નગરસેવક પદના ઉમેદવારોએ આજે શપથ લીધા હતા કે તેઓ ભાવનગરની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરશે. આગામી દિવસોમાં આ ઉમેદવારો ઘરે-ઘરે જઈને ભાજપના શાસન દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને ભવિષ્યના આયોજનો અંગે જનસંપર્ક કરશે.. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ એ કાર્યકરોને પ્રેરક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, એવો જ વિવેક અને એવી જ આપણી જવાબદારી ખંતપૂર્વક બજાવવાની છે મિત્રો અને નરેન્દ્રભાઈને દિલ્લીમાં છાતી ગજ-ગજ ફૂલાય એ પ્રકારે ભાવનગરના કાર્યકર્તાઓ આ ચૂંટણીના મેદાનમાં સૌ એક થઈ, પેક થઈ અને રણમેદાનમાં આપણા વડીલોના આશીર્વાદ મેળવતા-મેળવતા આપણા ઉમેદવારોને વિજયની વરમાળા આ ભાવનગરની જનતા પહેરાવે એ માટે આપણે બધાએ પ્રચાર કાર્યમાં લાગવાનું છે, આ સંકલ્પ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તુલસીભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી અને ચિમનભાઈ સહિતના વરિષ્ઠ વડીલો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
મોડાસા બામણવાડામાં જલકબેન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું:ભાજપે અગાઉના ઉમેદવાર બદલી નવાને ટિકિટ આપી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની બામણવાડ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જલકબેન મિતુલકુમાર પટેલે શનિવારે, 11મી તારીખે બપોરે 12:45 કલાકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપે અગાઉ મેન્ડેટ આપેલા ઉમેદવારને બદલીને મણીપુરાના રહેવાસી જલકબેન મિતુલકુમાર પટેલને ટિકિટ ફાળવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જલકબેન પટેલે ભારે ઉત્સાહ સાથે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું.
સુરતમાં હચમચાવી દેનારી ઘટના ગત મોડી રાત્રે સુરતના સારોલી વિસ્તારમાં બની હતી. સારોલીમાં આવેલી મોડર્ન ટાઉન રેસીડેન્સીના પાર્કિંગમાં લાગેલી ભીષણ આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં મધ્યમ વર્ગના પરિવારોના 18 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા છે. આગની જ્વાળાએ પાર્કિંગમાં લાઈનબદ્ધ વાહનોને લપેટમાં લીધાશનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ જ્યારે સમગ્ર શહેર અને મોડર્ન ટાઉન રેસીડેન્સીના રહીશો ગાઢ નિદ્રામાં હતાં, ત્યારે અંદાજે 01:23 વાગ્યે રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્કિંગ વિસ્તારમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતાં. જોતજોતામાં આગની જ્વાળાઓએ પાર્કિંગમાં લાઈનબદ્ધ રીતે ઉભેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા. બિલ્ડિંગમા ભારે નાસભાગ મચી ગઈ હતીવાહનોમાં રહેલા પેટ્રોલ અને ટાયરના કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રહીશોને કંઈ પણ સમજાય તે પહેલાં આખું પાર્કિંગ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આગને કારણે વાહનોના ટાયર ફાટવાના અવાજો આવતા રહીશો જાગી ગયા હતા અને બિલ્ડિંગમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. નાના બાળકો અને વૃદ્ધો સાથે લોકો જીવ બચાવવા ટેરેસ પર અથવા બિલ્ડિંગની બહાર ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. ત્રણ ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યોબનાવની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાસ્થળની સ્થિતિ અને રહેણાંક વિસ્તાર હોવાથી ફાયર વિભાગે તરત જ એક્શન મોડમાં આવીને ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનો ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણાથી ફાયર ફાઈટરોનો કાફલો રવાના કર્યો હતો. ફાયરના જવાનો જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. આસપાસ રહેણાંક ફ્લેટ્સ હોવાથી આગ ઉપરના માળ સુધી ન પહોંચે તે જોવું સૌથી મોટો પડકાર હતો. ફાયર ઓફિસરોના માર્ગદર્શન હેઠળ જવાનોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. અંદાજે પોણા કલાકની ભારે જહેમત અને સતત પાણીના મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું. 18 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખઆ ભીષણ આગમાં કુલ 17થી 18 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. જેમાં મોટાભાગના ટુ-વ્હીલર અને કેટલીક મોંઘીદાટ ગાડીઓનો સમાવેશ થાય છે. આ વાહનોમાં ઘણા એવા પણ હતા જે લોકોએ હજુ હમણાં જ હપ્તેથી ખરીદ્યા હતા. સવારે જ્યારે આગ ઓલવાઈ અને રહીશોએ પાર્કિંગની મુલાકાત લીધી ત્યારે માત્ર લોખંડના હાડપિંજર જ બાકી રહ્યા હતા. આગ રહેણાંક હિસ્સા સુધી પહોંચી શકી નહોતીસદનસીબે, ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ બિલ્ડિંગના ઉપરના રહેણાંક હિસ્સા સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કરોડોની મિલકત અને લોકોના વાહનોને લાખોનું નુકસાન થયું છે.
પાટણથી ચંદ્રુમાણા જતી સાંજની એસટી બસનો સમય વિદ્યાર્થીઓને અનુકૂળ ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. પાટણ એસટી ડેપો દ્વારા સમય બદલવાની રજૂઆતને ગંભીરતાથી ન લેવાતાં, ગામના સરપંચે વિભાગીય એસટી નિયામકને લેખિત ફરિયાદ કરી છે. અગાઉ સાંજે 5:30 કલાકે ઉપડતી આ બસનો સમય પાટણ એસટી ડેપો દ્વારા સવા પાંચ વાગ્યાનો કરી દેવાયો છે. આ કારણે શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓ આ બસનો લાભ લઈ શકતા નથી. તેમને અન્ય વાહનો દ્વારા ઘરે પહોંચવું પડે છે અથવા સાંજે 7:00 વાગ્યા પછીની છેલ્લી બસની રાહ જોવી પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને હારીજની બસમાં અડિયા સુધી મુસાફરી કરીને ત્યાંથી બીજા વાહનોમાં ઘરે જવાની ફરજ પડે છે. ગ્રામ પંચાયતના ધ્યાનમાં આ બાબત આવતાં, સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે ગત ડિસેમ્બરમાં પાટણ એસટી ડેપો મેનેજરને બસનો સમય 5:30 વાગ્યાનો કરવા લેખિત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરને ફોન દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી બસનો સમય બદલવામાં આવ્યો નથી. આખરે, સરપંચ કાજલબેન વ્યાસે મહેસાણા સ્થિત વિભાગીય નિયામક કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલ રાવલનો સંપર્ક કરતાં, તેમણે અગાઉ નવીન બસ સ્ટેશન શરૂ કરવાની કામગીરીને સમય ન બદલવાનું કારણ જણાવ્યું હતું. જોકે, નવીન બસ સ્ટેશન કાર્યરત થઈ ગયા પછી પણ બસના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સુરત શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભાજપે આજે પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતેથી વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા જન સંકલ્પ કાર્યક્રમમાં ભાજપના તમામ 120 ઉમેદવારોએ એકસૂરે જનતાની સેવાની શપથ લીધી હતી. આ કાર્યક્રમે સુરતના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો છે અને વિરોધી છાવણીઓમાં હલચલ મચાવી દીધી છે. ભારત માતા કી જય'ના નારા લાગ્યાપીપલોદનો વીઆઈપી રોડ કારગીલ ચોક ખાતે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓથી ઉભરાવા લાગ્યો હતો. હાથમાં પક્ષના ઝંડા, કેસરી ટોપી અને ગળામાં ખેસ ધારણ કરેલા હજારો કાર્યકર્તાઓના કારણે સમગ્ર વાતાવરણ 'ભાજપમય' બની ગયું હતું. 'ભારત માતા કી જય'ના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું સુરત મનપાની તમામ 120 બેઠકોના ઉમેદવારોની એકસાથે મંચ પર ઉપસ્થિતિ હતી. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો વ્યક્તિગત રીતે પ્રચાર કરતા હોય છે, પરંતુ અહીં સામુહિક શક્તિનું દર્શન કરાવવામાં આવ્યું હતું. 'ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતા એ અમારો મંત્ર રહેશે'સી.આર. પાટીલની હાજરીમાં તમામ ઉમેદવારોએ હાથ આગળ ધરીને શપથ લીધા હતા કે, અમે સત્તા માટે નહીં, પણ સુરતના નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતા એ અમારો મંત્ર રહેશે. '10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા'પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કહ્યું કે, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે. એક લોક પ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે, ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર - જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા - એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને મારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. ' 120માંથી 120 ઉમેદવારો જીતીને આવશે'અમારા શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે, 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લેવડાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે. 'સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે'તેને વધુમાં કહ્યું કે, ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે ત્યારે આવનારા પાંચ વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. 'વિકસિત સિટીમાં કઈ રીતે કામ કરે છે તેવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું' પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, આજે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના ગરિમામય ઉપસ્થિતિમાં અમે 120 ઉમેદવારોએ વિકાસની શપથ લીધી છે. સુરત મહાનગરપાલિકા દેશનું નંબર વન મહાનગરપાલિકા તો પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે આવનાર સમયમાં મારી આખી ટીમ, 120ની ટીમ આવનાર સમયમાં વિશ્વના જે વિકસિત સિટી છે તેમાં કઈ રીતે કામ કરે છે તેવા શ્રેષ્ઠ પ્રયાસો અમે અને અમારી ટીમ કરીશું. ‘આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે જ તોડબાજ છે’ગોપાલ ઇટાલિયાના નિવેદન બાબતે જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેમની આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે જ તોડબાજ છે. એન્ટી કરપ્શનના કેસો થયા છે, એમને ફરીથી ટીકીટ આપી રહ્યા છે એટલે એ જ મોટું પ્રમાણપત્ર છે કે કેવા લોકો સાથે આગળ વધે છે. અને પોતે જે પ્રકારની ભાષા 'તુકારા-હુંકારા' ની જે વાતો થઈ રહી છે એ ગુજરાતની રાજનીતિમાં ક્યારેય સ્વીકાર્ય હોઈ ન શકે. શાંતિ, સલામતી અને સંસ્કારિતા સાથેનું ગુજરાતની રાજનીતિનું એક પ્લેટફોર્મ રહ્યું છે, ત્યારે ભાષાકીય મર્યાદા જાળવી વિવેકતાને આધીન વાતો થવી જોઈએ એ ગુજરાતની રાજનીતિમાં સ્વીકાર્ય છે. ‘એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે’આમ આદમી પાર્ટીના મેર બનવાનના દાવા કરી રહ્યું છે ત્યારે અલ્પેશ કથીરિયા એ જણાવ્યું હતું કે, જો સપના જોવું એ દરેકનો અધિકાર છે, સપના ઉપર કોઈ પણ માણસ સપનું જોઈ શકે છે. એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે. અવિરત શાસનની 25-30 વર્ષની વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની રહી છે એટલે મેયર તો દૂર પણ વિપક્ષ નેતાની વાતને પણ સપના તરીકે જુએ તો સારી વાત છે.
જામનગરમાં ફેક્ટરી ચોરીનો ભેદ ઉકેલાયો:4 આરોપી ₹3.07 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
જામનગર શહેરના માનસી હોટલ પાછળ આવેલી 'ખોડીયાર પ્લાસ્ટિક' નામની ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને કુલ ₹૩,૦૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગે બી.એન.એસ. કલમ-૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ પાઘરેટીયા, હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઈ ખીમાણીયાને બાતમી મળી હતી કે ધુંવાવ ગામ પાસે નદીના કાંઠે બાવળની ઝાડીમાં કેટલાક ઈસમો ચોરીનો ભંગાર રિક્ષામાં ભરીને હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ચારેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ધીરુભાઈ બાઘુભાઈ સોલંકી, આઈધનભાઈ બચુભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ રાયધનભાઈ વાઘેલા અને પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ તમામ જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, રેલવે પાટા પાસે રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી 60 કિલો પીતળનો ભંગાર (કિંમત ₹૫૦,૦૦૦), ૨૦ કિલો કોપરનો ભંગાર (કિંમત ₹14000), એક કોમ્પ્યુટર સી.પી.યુ. અને પ્રિન્ટર (કિંમત ₹20,000) જપ્ત કર્યા છે. આ ઉપરાંત, એક સીએનજી રિક્ષા અને ત્રણ મોટરસાયકલ (યમાહા ફેઝર, હીરો સ્પ્લેન્ડર - 2) સહિત કુલ ₹2,10,000 ના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. અન્ય સામાનની કિંમત ₹૩,૩૦૦ આંકવામાં આવી છે. કુલ મળીને ₹3,07,300 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ સફળ કામગીરી પંચકોષી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખ, પીએસઆઈ એ. આર. પરમાર, સર્વેલન્સ સ્ટાફ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સહયોગથી પાર પાડવામાં આવી હતી.
વાંસદા ખેતરમાં ડ્રોન સર્વેલન્સ:ગાંજાના 94 છોડ સાથે યુવક ઝડપાયો, SOGની મોટી કાર્યવાહી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી વિસ્તારોમાં નવસારી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માદક દ્રવ્યોના વેપાર પર પ્રહાર કર્યો છે. ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઘોડમાળ ગામે ખેતરના શેઢે ઉગાડવામાં આવેલા ગાંજાના 94 છોડ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં આર્મ્સ એક્ટ અને NDPS એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વાંસદાના અંતરિયાળ ગામોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા હતા. SOG પી.આઈ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. વિનોદભાઈ લાલજીભાઈને સચોટ બાતમી મળી હતી. આ બાતમીની ખરાઈ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતા ખેતરમાં શંકાસ્પદ વાવેતર જણાઈ આવ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી મનીષ શંકરભાઇ ભગરીયા (ઉ.વ. 26, રહે. ઓઝરપાડા ફળીયા, ઘોડમાળ) ને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ પોતાના પિતાના ખેતરના શેઢે માટીની પાળ બનાવી કોઈને ખબર ન પડે તે રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે કુલ ₹1,81,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3.525 કિલોગ્રામ વજનના 94 ગાંજાના છોડ (કિંમત ₹1,76,250) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધારકાર્ડ, લાઈટબિલ, ખેતીના દસ્તાવેજો (7/12 ના ઉતારા) અને પ્લાસ્ટિકની ડોલ પણ જપ્ત કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય એક આરોપી જયકુમાર રાજુભાઇ પંડિત (રહે. જયકિશન ચોક, વાંસદા) નું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વાંસદા પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં SOG પી.આઈ. આર.એસ. પટેલ, વાંસદા PSI એસ.વી. ચોસલા, એ.એસ.આઈ. નઈમખાન, દિનેશભાઈ, ફેસલભાઈ તથા અન્ય કોન્સ્ટેબલો અને સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે રાજ્યમાં દરેક જગ્યાએ વિધિવત પ્રચારનો પ્રારંભ થયો છે. આજે વડોદરામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’માં હાજરી આપી હતી. આ કાર્યક્રમ કાલાઘોડા સર્કલ પાસે આવેલા કીર્તિમંદિર ખાતે યોજાયો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગર પાલિકામાં ઊભેલા તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અહીંયાથી આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અવસરે સ્થાનિક નેતાઓ તેમજ ભાજપના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા તમામ 76 ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સંકલ્પમાં વિકાસની રાજનીતિ, ભારતીય સંસ્કૃતિની વિચારધારા તેમજ વારસાના ગૌરવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ઉમેદવારોએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને વાસ્તવિક બનાવવા માટે સંપૂર્ણ તત્પરતા સાથે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટેની મહત્વની ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યો છે. આજથી તમામ ઉમેદવારો જોર શોરથી પ્રચાર અર્થે લાગી જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કીર્તિમંદિર જનસેવા સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ કરી સામાજિક અને ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો સાથે ખાનગી હોટલમાં બેઠક યોજી હતી. બાદમાં તેઓ વોર્ડ ૧,૩ અને વોર્ડ ૬ માં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચશે. બાદમાં જિલ્લા ભાજપ શ્રી કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. બાદમાં તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી રાતે એક ક્રેટા કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી હતી. જોકે તોડફોડ મામલે કે અકસ્માત મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પૂરઝડપે ક્રેટા કારચાલકે બાઈક ચાલકને ટક્કર મારીને રેલીંગ તોડીશાહપુર દરવાજા બહાર મોડી રાતે પૂરઝડપે એક ક્રેટા કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તાની વચ્ચેના ડીવાઈડર પર લાગેલી રેલીંગ પર તૂટીને કાર પર પડી હતી. અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતીઅકસ્માતનો બનાવ બનતા આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. અકસ્માત થતા ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સ હાથમાં દંડાથી કારનો કાચ અને દરવાજો તોડી રહ્યાં છે. જોકે આ અકસ્માત મામલે હજુ પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. કારચાલકને સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે- PIમાધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ ઝેડ.એન ઘાસુરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તોડફોડ મામલે વીડિયોના આધારે તપાસ કરી રહ્યાં છીએ. કારચાલકને સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે. આ પણ વાંચો જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું 25 માર્ચે અમદાવાદમાં રફ્તારના કહેર વચ્ચે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી, જેમાં જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી, જેમાં ચાલક સગીર હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ, નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર બેફામ દોડતા બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર)
અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મંદિર 14 એપ્રિલથી સામાન્ય જનતા માટે ફરીથી ખુલી શકે છે. માર્ચ મહિનામાં સુરક્ષા કારણો અને પ્રાદેશિક તણાવને કારણે મંદિરને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે જે લોકો ત્યાં જવાનું આયોજન કરી રહ્યા છે, તેમને વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. મંદિરમાં પ્રવેશ માટે શું કરવું પડશે? મંદિરમાં જતા તમામ લોકો માટે પ્રી-રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન વિના કોઈને પણ અંદર જવાની પરવાનગી મળશે નહીં. શ્રદ્ધાળુઓએ પોતાનો પ્રી-બુક કરેલો QR કોડ અને સરકાર દ્વારા જારી કરાયેલું અસલી ઓળખપત્ર જેમ કે Emirates ID અથવા પાસપોર્ટ સાથે રાખવું પડશે. આ બુકિંગ ફક્ત ત્યારે જ કરી શકાય છે જ્યારે તમે UAE પહોંચી ગયા હોવ. મંદિરના ગેટ પર સુરક્ષાની કડક તપાસ કરવામાં આવશે. ડ્રેસ કોડ અને કઈ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે? મંદિરમાં પ્રવેશ માટે યોગ્ય વસ્ત્રો પહેરવા ફરજિયાત છે. ટૂંકા વસ્ત્રો, ઘૂંટણથી ઉપરના સ્કર્ટ, બાંય વગરના શર્ટ અથવા પારદર્શક વસ્ત્રો પહેરીને આવવાની મનાઈ છે. જો તમારા વસ્ત્રો નિયમો અનુસાર ન હોય, તો ફ્રન્ટ ડેસ્ક પરથી સારોંગ લઈ શકાય છે. મંદિર ખુલવાનો સમય અને અન્ય નિયમો BAPS મંદિર મંગળવારથી રવિવાર સુધી સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જ્યારે સોમવારે તે સંપૂર્ણપણે બંધ રહે છે. ગંગા આરતીનો સમય કાર્યકારી દિવસોમાં સાંજે 7:30 વાગ્યે અને વીકએન્ડ અથવા રજાઓમાં સાંજે 6:45 અને 7:30 વાગ્યે હોય છે. મંદિરની બહાર મોબાઈલથી ફોટો પાડવાની પરવાનગી છે, પરંતુ મુખ્ય મંદિરની અંદર ફોટોગ્રાફી, સેલ્ફી લેવી કે ફોન પર વાત કરવી સખત પ્રતિબંધિત છે. દિવ્યાંગ વ્યક્તિઓને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમના માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ રહેશે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીના સી-55 નંબરના મકાનમાંથી ગત મોડી રાત્રે એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સૂરજ નાયર (ઉંમર.30 વર્ષ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા ત્રણ દિવસથી મકાનનો દરવાજો ન ખૂલતા પાડોશીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘરમાં જઈને જોયું તો યુવક મૃત હાલતમાં પડ્યો હતોગોત્રી પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક એકલવાયું જીવન જીવતો હતો અને નંદેસરી સ્થિત ખાનગી કંપનીમાં કામ કરતો હતો. મૃતકના માસીના દીકરા અતુલ કુરૂપે જણાવ્યું હતું કે, ગોકુલ પાર્ટી પ્લોટની સામે આવેલી ઓમ હાઉસિંગ સોસાયટીમાં મારો માસીનો છોકરો જેનું સુરજ નાયર રહેતો હતો. અહીંના સ્થાનિક દુકાનદારોએ મને જાણ કરી કે સુરજના ઘરમાંથી છેલ્લા ત્રણ દિવસથીઅસહ્ય વાસ આવી રહી છે. સોસાયટીના લોકોએ દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહોતો, એટલે પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને અમને પણ બોલાવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કયા કારણોસર આ ઘટના બની તે હજુ અકબંધ છે. પોલીસ તપાસ કરી રહી છે. સુરજ અહીં એકલો જ રહેતો હતો. તેના માતા-પિતા બંનેનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.
અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકામાં ચૂંટણી ફોર્મ ભરવા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આમ આદમી પાર્ટી (AAP) માંથી ફોર્મ ભરેલી એક મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી સામે જ પોતાનું ફોર્મ ફાડી નાખી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ મામલે ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગઈકાલે વોર્ડ નંબર 9માં બની હતી. અમીનાબેન અલી ચૌહાણ નામના મહિલા ઉમેદવારે AAP માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે દાવો કર્યો કે, ફોર્મમાં કેટલીક વિગતો અધૂરી છે. ત્યારબાદ અમીનાબેને ચૂંટણી અધિકારી શૈલેષ બલદાણીયા (ખેતીવાડી વિભાગના અધિકારી) સમક્ષ જ પોતાનું AAPનું ફોર્મ પરત મેળવી કપટપૂર્વક ફાડી નાખ્યું હતું. આ પછી તેમણે કોંગ્રેસ પક્ષમાંથી ફરીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ ચૂંટણી અધિકારીની હાજરીમાં બનતા તેમણે તાત્કાલિક સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા ઉમેદવાર વિરુદ્ધ મધરાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે FIR દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સાવરકુંડલા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે અને આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદમાં ભાજપના નેતાઓ પ્રજાના ટેક્સના પૈસે લોકોના વિકાસના કામો કરતા હોવાના બણગા ફૂંકતા હોય ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ડસ્ટ ફ્રી રોડ બનાવવા નામે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચ કરી જનતાને મૂર્ખ બનાવવાનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ત્રાગડ- IOC ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધી રોડ બનાવવાના નામે પેવર બ્લોક અને ટ્રી ગાર્ડ લગાવીને ડસ્ટ ફ્રી રોડની કામગીરીના નામે 15 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે. 1 કિમી સુધીના રોડ અને ડસ્ટ ફ્રી બનાવવાના નામે 100 મીટર રોડમાં 430 ચોરસ મીટર જેટલું કામ બતાવી દેવામાં આવ્યું છે. 'જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ બેસી ગયા છે'ચાંદખેડા વોર્ડના પૂર્વ કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાંદખેડા IOCથી ડીકેબીન તરફ જવાના રોડ પર કરણ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરનું કામ ચાલે છે. જેમાં ટ્રી ગાર્ડ નાખવામાં આવ્યા છે અને હજી એક મહિનો થયો અને તૂટી ગયા છે. જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ બેસી ગયા છે. કેવું કામ કર્યું છે ખબર નથી અને અંદાજિત 17 લાખ ચૂકવ્યા છે. આ રોડ પર ચાલો તો ખ્યાલ આવે કે ભ્રષ્ટાચાર થયો છે. ટેન્ડર શરતો મુજબ કામ થયું નથી. જેથી આ કામ બાબતે વિજિલન્સ તપાસની માગ કરું છું. કામ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાનું અધિકારીએ સ્વીકાર્યુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાકરનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો જ્યારે ઇન્ચાર્જ સીટી ઇજનેર અને પશ્ચિમ ઝોનના ઇજનેર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 430ચો. મીટર જેટલી કામગીરી કરવામાં આવી છે. રૂ. 13 લાખ અને જીએસટી સાથે ખર્ચ થયો છે. અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે. ઓકે કામ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાનું કહેતા તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે હાલમાં હોળીના મજૂરો આવ્યા નથી. જેના કારણે થઈ અને કેટલીક જગ્યાએ કામગીરી હવે ચાલુ કરી છે. 100 મીટર પટ્ટામાં બંને તરફ પેવર બ્લોક અને ટ્રીગાર્ડ નાખ્યા ને તૂટી ગયાચાંદખેડા IOC રોડ- ત્રાગડ ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધીના એક કિલોમીટરના રોડને ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી અંગે જ્યારે દિવ્યભાસ્કરએ તપાસ કરી તો ત્રાગડ રોડના ટર્નિંગથી IOC અંડરપાસના 100 મીટરથી પણ ઓછા પટ્ટામાં બંને તરફ પેવર બ્લોક અને ટ્રીગાર્ડ નાખી દેવામાં આવ્યા છે. જે તૂટી ગયેલી હાલતમાં છે ત્યાં કોઈપણ પ્રકારનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું નથી અને રોડની બંને તરફ જ્યાં પેપર બ્લોક નાખવામાં આવ્યા છે ત્યાં ધૂળ જોવા મળી હતી. રોડ ડસ્ટ ફ્રી નહી પરંતુ ડસ્ટ યુક્ત!ડસ્ટ ફ્રી રોડના નામે કરણ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને રૂ.53 લાખનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમાંથી 400 મીટરની કામગીરી બતાવી 17 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. હકીકતમાં માત્ર 100 મીટરની કામગીરી થઈ છે. વલ્લભ પાર્ક સુધીનો રોડ ડસ્ટ ફ્રી નહી પરંતુ ડસ્ટ યુક્ત હોય એવું જોવા મળ્યું હતું. બે મહિનામાં જ પેવર બ્લોક પથ્થરો ઉખડવા લાગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને ધૂળમુક્ત બનાવવા માટે પ્રજાના ટેક્સના લાખો કરોડો રૂપિયા ડસ્ટ ફ્રી રોડના નામે ખર્ચતા હોય છે ત્યારે શહેરના ચાંદખેડા IOC રોડ- ત્રાગડ ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધીના એક કિલોમીટરના રોડને ડસ્ટ ફ્રી બનાવવા માટે રૂ. 53 લાખનો કોન્ટ્રાક્ટર કરણ કન્સ્ટ્રકશન નામની કંપનીને આપવામાં આવ્યો હતો. ત્રાગડ રોડ ટર્નિંગથી શરૂ કરીને રોડના બંને તરફ ખોદકામ કર્યા બાદ તેના ઉપર પેવર બ્લોક નાખવામાં આવ્યા હશે અને પેવર બ્લોકની વચ્ચે ઝાડ ઉગાડવા માટે ટ્રી ગાર્ડ નાખવામાં આવ્યા છે. જોકે આ કામગીરી હજી બે મહિના પહેલા કરવામાં આવી છે અને તેના પેવર બ્લોક પથ્થરો પણ ઉખડવા લાગ્યા છે. રોડની કામગીરી પણ સરખી રીતે કરવામાં આવી નથી. રૂ. 13 લાખ+ જીએસટી સાથેનો ખર્ચ અત્યાર સુધી થઈ ગયો છે.
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 12 એપ્રિલ, 2026, રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે યોજાશે. કાર્યક્રમ અનુસાર, યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે થશે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 6:00 કલાકે કરાશે. રાત્રે 8:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવચંડી યજ્ઞમાં પચ્ચીસ યુગલો પૂજન-અર્ચન કરશે. આયોજકો છેલ્લા છ વર્ષથી આ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના લોકોને સનાતન ધર્મનું પાલન કરવા એકત્ર કરવાનો, બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનો અને સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે. આયોજકો દ્વારા સમગ્ર સમાજને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગોધરા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ બેઠકો પર બિનહરીફ જીત મેળવી પોતાનું ખાતું ખોલ્યું છે. પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3, 4 અને 11 પર ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ ત્રણેય વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવારો સિવાય અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું ન હતું. પરિણામે, ચૂંટણી યોજાયા વિના જ ભાજપના આ ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ બિનહરીફ જીત સ્થાનિક રાજકારણમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે. વોર્ડ નંબર 3માંથી શ્રુતિબેન યાજ્ઞિકકુમાર બારીઆ, વોર્ડ નંબર 4માંથી રુચિ મનુભાઈ ચૌહાણ અને વોર્ડ નંબર 11માંથી શ્વેતાબેન ધર્મરાજસિંહ પુવાર બિનહરીફ વિજેતા બન્યા છે. આ પરિણામ સાથે ગોધરા નગરપાલિકામાં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે અને આગામી ચૂંટણી માટે મજબૂત સ્થિતિ ઊભી કરી છે. વિપક્ષની ગેરહાજરી ભાજપની મજબૂત સંગઠન શક્તિનો પણ પરિચય આપે છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5.328 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 2,66,400 આંકવામાં આવી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ સ્ટેશનના નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બાઈક પર બે શખ્સો પોશીના બજાર તરફથી બે થેલામાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ લઈને આવી રહ્યા હતા. પોલીસે તેમને રોકતા તેમની પાસેથી 5.328 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. બાઈક પરથી પકડાયેલા આરોપીઓમાં ગાંધીનગરના મગોડી (વણકર વાસ)નો હર્ષીત રમેશ જાદવ (ઉ.વ.29) અને પોશીનાના અજાવાસ (રાજેટા ફળો)નો મશરૂ રામા ગમાર (ઉ.વ.40)નો સમાવેશ થાય છે. તેમની પૂછપરછના આધારે, ગાંજો આપનાર પોશીનાના અજાવાસ (રાજેટા ફળો)ના વાલા પાબુ ગમાર (ઉ.વ.50)ને પણ તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 2,000), એક બાઈક (કિંમત રૂ. 30,000) અને રોકડા રૂ. 4,050 જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 3,02,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોશીના PI ડી.એન. સાધુએ આ માહિતી આપી હતી.
વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પહેલા જ પાંચ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. કુલ 32 બેઠકો પૈકી પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈએ દાવેદારી નોંધાવી ન હતી, જેના કારણે આ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉમેદવારી પત્રો સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હતા. જોકે, પાંચ બેઠકો પર કોઈ હરીફ ન હોવાથી ભાજપને આ બેઠકો સરળતાથી મળી ગઈ. બિનહરીફ વિજેતા જાહેર થયેલા પાંચેય ઉમેદવારો મહિલાઓ છે. જેમાં ભાગડાવાડા બેઠક પર શિવાંગી પટેલ, કોસંબા-1 પર મામતાબેન હળપતિ, કોસંબા-2 પર સ્વીટીબેન પટેલ, કકવાડી દાંતી પર જયશ્રીબેન ટંડેલ અને ભદેલી જગાલાલા બેઠક પર હસુમતીબેન ટંડેલનો સમાવેશ થાય છે. ભાજપને ચૂંટણીના પ્રારંભ પહેલા જ પાંચ બેઠકો મળતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાગડાવાડા ખાતે વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોએ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના વિસ્તારના લોકોના પડતર પ્રશ્નો અને વિકાસના કામોને પ્રાધાન્ય આપશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાનમાં છે. પાંચ બેઠકો બિનહરીફ થતા હવે બાકીની બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.
ઈકો અને બલેનો કાર વચ્ચે ટક્કર:દમણના કડૈયામાં અકસ્માત, મુસાફરોનો ચમત્કારિક બચાવ
દમણના કડૈયાથી ભીમપોર જતા મુખ્ય માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કાર અને સામેથી આવી રહેલી બલેનો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ત્રણથી ચાર મુસાફરો સાથે ભીમપોર તરફ જઈ રહેલી ઈકો કારના ચાલકે વળાંક પાસે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સીધી સામેથી આવતી બલેનો કાર સાથે અથડાઈ હતી. આ ગંભીર ટક્કરમાં ઈકો કારમાં સવાર યુવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, બલેનો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દમણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે રસ્તા વચ્ચે ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલા બંને વાહનોને બાજુ પર હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે આંતરિક સમજૂતી થઈ જતાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
2017માં પ્રેમ સંબંધમાં પ્રેમિકાના પતિ અને સાસુની હત્યા કરવાના આરોપસર આરોપી બળદેવ ઠાકોરને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે સપ્ટેમ્બર, 2024માં ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટનો હુકમ રદ કરીને આરોપીને નિર્દોષ છોડ્યો છે. આમ ફાંસીની સજા પડયાના દોઢ વર્ષમાં આરોપી નિર્દોષ છૂટ્યો છે. 'મહત્વના સાક્ષીઓ જુબાનીથી ફરી ગયા હતા'હાઇકોર્ટે આરોપીને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે, આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત પુરાવા પર આધારિત હતો. જે મહત્વના સાક્ષીઓ હતા તેઓ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી ગયા હતા. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી, કારણ કે તેની સાથે કાયદા મુજબનું જરૂરી 65Bનું સર્ટિફિકેટ જોડવામાં આવ્યું નહોતું. હથિયારોની રિકવરી અને ગુનાના સ્થળનું પંચનામું કાયદાકીય રીતે સાબિત કરી શકાયું નથી. તપાસ અધિકારી આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપેલું ચોક્કસ નિવેદન કોર્ટમાં સાબિત કરી શક્યા નથી. આરોપીના મૃતકની પત્ની સાથેના સંબંધો કે હત્યા પાછળનો હેતુ સાબિત કરવા માટે પણ પૂરતા પુરાવા મળ્યા નથી. આરોપીને તુરંત જેલમુક્ત કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યોહાઇકોર્ટે જણાવ્યું છે કે, માત્ર શંકાના આધારે કોઈને સજા આપી શકાય નહીં. પ્રોસિક્યુશન આરોપી વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી સેશન્સ કોર્ટનો ફાંસીની સજાનો હુકમ રદ કરવામાં આવે છે અને આરોપીને તુરંત જેલમુક્ત કરવાનો આદેશ અપાયો છે. સેશન્સ કોર્ટે આરોપીને દેહાદંડની સજા ફટકારી હતીઆ કેસને વિગતે જોતા 2017માં આરોપી બળદેવ ઠાકોર સામે ઓઢવ પોલીસ મથકે IPCની કલમ 302, 201 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી પર અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. સરકારી પક્ષે એડવોકેટ આર.એફ.પટણીએ દલીલો કરી હતી. આ કેસમાં 38 સાક્ષીઓ અને 38 પુરાવા તપાસીને એડિશનલ સેશન્સ જજ ભરત જાદવે આરોપીને દેહાદંડની સજા ફટકારી હતી. પ્રેમિકાના પતિ અને તેની સાસુને કુહાડીના ઘા મારીને હત્યા કરીઆરોપી ઉપર આક્ષેપ મુજબ ફરિયાદીએ પોતાના એક સગાને ઓઢવ ખાતે આવેલું પોતાનું મકાન ભાડે આપ્યું હતું. આ ભાડુઆતે છૂટાછેડા લીધેલ એક 26 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. આ યુવતીને અગાઉના લગ્નથી એક પુત્રી પણ હતી. આ યુવતી પોતાના સાસુની દવા લેવા માટે તેમની સાથે એક હોસ્પિટલમાં જતી હતી. જ્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા આરોપી બળદેવ ઠાકોર સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અનૈતિક સંબંધો અને શરીર સંબંધો બંધાવા માંડ્યા હતા. જેની જાણ તેના પતિ અને સાસુને થતા ઘરમાં ઝઘડા થતા હતા. આથી યુવતીને તેના પતિ અને સાસુએ તેની દીકરી સાથે વતન મહારાષ્ટ્ર મોકલી દીધી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા તેના પ્રેમી બળદેવ ઠાકોરે ઘરમાં પ્રવેશીને પહેલા પોતાની પ્રેમિકાની સાસુ અને ત્યારબાદ તેના પતિના માથામાં કુહાડીના ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. પ્લાસ્ટિકના થેલામાં સ્ત્રી અને પુરુષની વિકૃત લાશ મળી આવી હતીઆ ઘટના બાદ ફરિયાદી એવા મકાન માલિકને ઘટના સ્થળેથી પડોશીનો ફોન આવ્યો હતો કે, તેમના ઘરમાંથી ખરાબ વાસ આવી રહી છે. જેથી મકાન માલિક ત્યાં પહોંચ્યા હતા. તેમાં કોઈએ પોલીસને પણ ફોન કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે મકાનનો દરવાજો ખોલીને જોતા મકાનમાં જુદી જુદી જગ્યાએ લોહીના ડાઘા અને લોહી મળી આવ્યું હતું. જ્યારે એક જગ્યાએ પ્લાસ્ટિકના થેલામાં એક સ્ત્રી અને પુરુષની વિકૃત તેમજ કીડા પડેલી લાશ મળી આવી હતી. મૃતક ભાડુઆતના મોટાભાઈ આવ્યા હતા અને તેને પોતાના ભાઈ અને માતાની લાશ ઓળખી બતાવી હતી. સાહેદ એવા એક પડોશીઓપણ કહ્યું હતું કે મૃતકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હતાં. પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતોઆરોપીએ હત્યા કર્યા બાદ લોહીના ડાઘા હથિયાર ઉપર તેમજ ઘરમાંથી સાફ કરી નાખ્યા હતા. તેમ જ હથિયારને લઈને અંધારામાં પોતે જે હોસ્પિટલમાં કામ કરતો હતો તેની બાજુના કચરામાં નાખીને તેને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે FSL રિપોર્ટમાં હથિયાર ઉપર લોહીના ડાઘા મળી આવ્યા હતાં. શખસે આરોપીને મૃતકના ઘરની બહાર નીકળતા જતા જોયો આરોપી જ્યારે હત્યા કર્યા બાદ ઘરની બહાર નીકળ્યો ત્યારે કુતરા ભસતા હતાં. તે જ સમયે એક સાહેદે આરોપીને મૃતકના ઘરની બહાર નીકળતા જતા જોયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃતકોને માથામાં વાગવાથી હેમરેજના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પ્રેમિકાએ આરોપીને કોર્ટમાં ઓળખવાનો ઈનકાર કરી દીધો આશ્ચર્યજનક રીતે પ્રેમિકાએ પોતાના આરોપી પ્રેમીને કોર્ટમાં ઓળખવાથી ઇન્કાર કરી દીધો હતો. સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે પત્નીને પોતાની સાસુ અને પતિની હત્યા થયાની જાણ થવા છતાં તે મહારાષ્ટ્રથી અમદાવાદ ના આવી તે પોતાની જાતને બચાવવા તરફ નિર્દેશ કરી રહી છે. તે સમયે આરોપીની ઉંમર 33 વર્ષ હતી, સેશન્સ કોર્ટે સજા સંભળાવી ત્યારે તેની ઉમર 40 વર્ષનો હતી. 'અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લઈ લીધા છે'જો કે પોલીસ કોલ ડેટા રેકોર્ડ મેળવી શકી ન હતી. સેશન્સ કોર્ટે આરોપીને IPCની કલમ 302 મુજબ કોર્ટે દેહાંત દંડની સજા ફરમાવતા નોંધ્યું હતું કે, આ એક ઘાતકી કૃત્ય છે. અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લઈ લીધા છે. જો આરોપીને ફાંસી નહીં કરાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે, ગુનેગારોમાં કાયદાનો દર જરૂરી છે. આરોપીએ પશુ તુલ્ય કૃત્ય કર્યું છે. જ્યારે રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં આવે છે. જો કે આરોપીને દેહાંત દંડની માટે હાઇકોર્ટની બહાલી જરૂરી હતી, જેનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે, વળી આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે 179 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે દરેક વોર્ડમાં સ્પર્ધા તીવ્ર બની છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. ચૂંટણીના આંકડા મુજબ, વોર્ડ નંબર 12માં સૌથી વધુ 19 ઉમેદવારો મેદાનમાં છે, જે દર્શાવે છે કે અહીં સૌથી રસપ્રદ અને તીવ્ર સ્પર્ધા જોવા મળશે. જ્યારે વોર્ડ નંબર 10માં સૌથી ઓછા 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેથી ત્યાં ઓછી સ્પર્ધાની અપેક્ષા છે. ચૂંટણી પહેલાં પક્ષપલટાની ઘટના પણ સામે આવી છે. વોર્ડ નંબર 4માં વિનોદ પટેલને ભાજપ તરફથી ટિકિટ મળવાની ચર્ચા હતી. જોકે, જાહેર થયેલી યાદીમાં તેમનું નામ ન હોવાથી તેમણે કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી દીધી. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકોને કારણે કચેરી વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી, જેના પગલે વહીવટી તંત્રને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી. હવે ઉમેદવારી પત્રોની ચકાસણી અને નામ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે. વાપીના મતદારો કોના માથે મહાનગરપાલિકાનું તાજ મુકશે તે મતદાન બાદ જ સ્પષ્ટ થશે. જોકે, હાલ 179 ઉમેદવારો વિકાસના વાયદાઓ સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. વોર્ડવાઈઝ સ્થિતિ:
નડિયાદ નજીક આવેલા પીપલગ ગામની વસંત વિહાર સોસાયટીમાંથી એક દીપડો પાંજરે પુરાયો છે. દીપડો દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો, જે બાદ વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવી દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. આ કામગીરીથી તંત્રએ રાહત અનુભવી છે. બીજી તરફ જે સ્થળેથી દીપડો પાંજરે પુરાયો છે ત્યાથી અડધા કિમીના અંતરે IPL ફેનપાર્ક ચાલી રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરી આશ્ચર્યજનકપીપલગ ગામ નડિયાદ શહેરની નજીક આવેલું હોવાથી રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરી આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે જંગલ કે કોતરોમાં જોવા મળતા દીપડાનું શહેરી વિસ્તારની આટલી નજીક દેખાવું સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સોસાયટીના રહીશોએ દીપડાને જોયા બાદ તુરંત વન વિભાગને જાણ કરી હતી. વિસ્તારમાં અન્ય એક દીપડો હોવાની આશંકાએક દીપડો પકડાયો હોવા છતાં સ્થાનિકોમાં હજુ પણ ભયનો માહોલ છે. ગ્રામજનોના મતે, આ વિસ્તારમાં અન્ય એક દીપડો હોવાની પૂરી આશંકા છે. તેમણે વન વિભાગ સમક્ષ તપાસ ચાલુ રાખવા અને કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરી છે. આ આશંકાને પગલે વન વિભાગે પણ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. વન વિભાગની ટીમે હાલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુંવન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે એકલા બહાર નીકળવાનું ટાળવા જણાવાયું છે. નાના બાળકો અને પાલતુ પ્રાણીઓની સુરક્ષા બાબતે પણ સજાગ રહેવા સૂચના અપાઈ છે. વન વિભાગની ટીમો હાલ સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. ફેનપાર્કની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારાયુંવધુ ચિંતાજનક બાબત એ છે કે, દીપડો પકડાયો તે સ્થળથી માત્ર અડધા કિલોમીટરના અંતરે IPL ફેનપાર્ક ચાલી રહ્યો હતો. આ ફેનપાર્કમાં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. ભીડભાડવાળી જગ્યાની આટલી નજીક દીપડો મળી આવતા પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દીપડાની હાજરીના સમાચાર ફેલાતા થોડા સમય માટે ફેનપાર્કમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગની સમયસરની કાર્યવાહીથી એક દીપડાને પાંજરે પુરી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. તંત્ર દ્વારા ફેનપાર્કની આસપાસના રસ્તાઓ પર પણ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલ દીપડાને વન વિભાગના કેન્દ્ર પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આ દીપડો કયા માર્ગેથી શહેરી વિસ્તારની આટલી નજીક પહોંચ્યો હતો. બીજી તરફ રહીશોની માગણીને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા અન્ય દીપડાની શોધખોળ માટે વધારાના પાંજરા કે ટ્રેપ કેમેરા ગોઠવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, સોમાતળાવ ભંગારની દુકાનવાળી ગલીમાં ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા પાંચ શખસ જુગાર રમતા ઝડપાયા હતા. કપુરાઈ પોલીસે રોકડ રકમ, મોબાઈલ, મોપેડ સહિત કુલ રૂપિયા 90,200નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીઓના નામ 1. રાજેશ શાંતિલાલ પટેલ (ઉં.વ. 42, રહે. ગણેશનગર-2, ડભોઈ રોડ)2. મનહરસિંહ ગણપતસિંહ જાદવ (ઉં.વ. 39, રહે. ખારવા ચાલી, કુંભારવાડા)3. ભાવેશ વિષ્ણુભાઈ પાટણવાડીયા (ઉં.વ. 36, રહે. ગીતાંજલી સોસાયટી, કપુરાઈ ચોકડી)4. ઉમેશકુમાર હસમુખભાઈ વાળંદ (ઉં.વ. 36, રહે. શિવ સ્પંદન સોસાયટી, ગુરુકુળ ચાર રસ્તા)5. શરીફ અકબરભાઈ ગરાસીયા (ઉં.વ. 37, રહે. સોમાતળાવ વુડાના મકાન)
ગતરોજ સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે 800થી વધુ ફોર્મ ભરાતા ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ભારે ટ્રાફિક સર્જાયો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારોની પેનલો ઉતારી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 114 બેઠકો પર દાવેદારી નોંધાવી છે. જે રીતે ફોર્મનો ભરાવો થયો છે તે જોતા સ્પષ્ટ જણાય છે કે, એક-એક બેઠક જીતવા માટે આ વખતે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવું પડશે. આંકડાકીય રીતે જોઈએ તો સરેરાશ એક બેઠક દીઠ 6થી 7 ઉમેદવારો મેદાનમાં હોવાનું દેખાઈ રહ્યું છે. કચેરીઓ બહાર લાંબી કતારો અને ટોકન પદ્ધતિઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વહેલી સવારથી જ સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી 10 અલગ-અલગ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ બહાર ઉત્સાહ અને અફરાતફરીનો માહોલ હતો. સવારે 10 વાગ્યાથી જ ઉમેદવારો પોતાના સમર્થકો અને ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે ચૂંટણી તંત્રને વ્યવસ્થા જાળવવા માટે બપોર બાદ 'ટોકન પદ્ધતિ' દાખલ કરવી પડી હતી. નિર્ધારિત સમય મર્યાદા એટલે કે બપોરે 3 વાગ્યા સુધી જે ઉમેદવારો કચેરી સંકુલમાં પ્રવેશી ચૂક્યા હતા, તેમને ટોકન આપીને મોડી સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. ભાજપ-કોંગ્રેસની ફૂલ પેનલ અને ‘આપ’નો પડકારરાજકીય પક્ષોના સમીકરણોની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી રણનીતિ ઘડીને તમામ 120 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સુરતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીએ પણ 114 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉભા રાખીને મનપાના જંગને ત્રિપાંખિયો બનાવ્યો છે. આ વખતે માત્ર પક્ષો જ નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે. દરેક વોર્ડમાં સ્થાનિક પ્રશ્નોને લઈને નારાજ થયેલા જૂથો અથવા મહત્વાકાંક્ષી કાર્યકરોએ અપક્ષ તરીકે ઝંપલાવતા મુખ્ય પક્ષોના મતોના સમીકરણો બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ડમી ઉમેદવારો અને ફોર્મની ટેકનિકલ પ્રક્રિયાચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મની સંખ્યા 800 વટાવી જવાનું એક મુખ્ય કારણ 'ડમી ઉમેદવારો' પણ છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોએ ટેકનિકલ ક્ષતિને કારણે મેઈન ઉમેદવારનું ફોર્મ રદ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે ડમી ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા છે. આ ઉપરાંત, કેટલાક ઉત્સાહી ઉમેદવારોએ એક કરતા વધુ વોર્ડમાં અથવા એક જ વોર્ડની અલગ-અલગ બેઠકો માટે ફોર્મ ભરતા આંકડો મોટો દેખાઈ રહ્યો છે. ગત રાત્રે 9 વાગ્યા સુધી ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ ચાલતું રહ્યું હતું, જેમાં સોગંદનામા અપલોડ કરવામાં ટેકનિકલ વિલંબ પણ જોવા મળ્યો હતો. વોર્ડ નં. 1થી 30 માં રસાકસીના એંધાણઆગામી દિવસોમાં ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરવામાં આવશે, જેમાં કેટલા ફોર્મ માન્ય રહે છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને વરાછા, કતારગામ અને રાંદેર જેવા વિસ્તારોમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો હતો. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાવા પાછળનું કારણ જનતામાં જાગૃતિ અને સત્તાધારી પક્ષ સામેનો એન્ટિ-ઈન્કમ્બન્સી ફેક્ટર અથવા નવા ઉભરી રહેલા પક્ષોનો પ્રભાવ હોઈ શકે છે. હવે આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની મુદત બાદ જ સુરત મહાનગરપાલિકાના જંગનું અસલી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્યમાં નવનિર્મિત 15 મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે. એપ્રિલ માસના દઝાડતા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8 થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન રાજકીય ચિત્ર જોઈએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા એમ તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન વર્તાય છે. અગાઉની સંયુક્ત પાલિકામાં પણ ભગવો લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે 'આપ' (AAP) પણ મેદાનમાં છે. કપરી સ્થિતિમાં પણ કોંગ્રેસ તેના વફાદાર 37% મતો જાળવી રાખે છે. આ વખતે રાજુભાઈ કરપડાને કારણે 'આપ'નું જોર વધ્યું હતું, જોકે તેઓ હવે ભાજપમાં ભળી ગયા છે. તેમ છતાં, ભાજપે જો વિજય કુચ જાળવી રાખવી હોય તો 'આપ' દ્વારા કપાતા મતોને રોકવા સચોટ વ્યૂહરચના ઘડવી પડશે, અન્યથા બેઠકો ઘટવાની ભીતિ છે. જોકે, વિધાનસભાની જેમ જો 'આપ' કોંગ્રેસના મતોમાં ગાબડું પાડે, તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. નવા યુવા મતદારોને રિઝવવા પર ધ્યાન જિલ્લામાં નોંધાયેલા આંકડાકીય ફેરફારો જોઈએ તો, અગાઉ કુલ 1,366,275 મતદારો હતા. સરકારી કામગીરી બાદ 21,415 મતદારો ઘટ્યા છે, તેની સામે યાદી સુધારણામાં 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપે સત્તા ટકાવી રાખવા માટે આ નવા યુવા મતદારોને રિઝવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વોર્ડ નં. 10 ના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2021 માં અહીં 7,695 પુરુષ અને 7,325 સ્ત્રી મળી કુલ 15,020 મતદારો હતા. મનપા બન્યા બાદ હવે અહીં 8,442 પુરુષ અને 7,914 સ્ત્રી મળી કુલ 16,356 મતદારો છે, એટલે કે 1,336 મતદારોનો વધારો થયો છે. જ્ઞાતિ સમીકરણો મુજબ 21,913 ની વસ્તીમાં SC- 1,490, ST- 15 અને OBC વસ્તી 8,598 છે. બેઠકોની ફાળવણી મુજબ બેઠક-1 અને 2 સ્ત્રી અનામત, બેઠક-3 OBC અને બેઠક-4 સામાન્ય વર્ગ માટે છે. અહીં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરનારા ક્યાં ગયા?' સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, ધારાસભ્ય ધનજીભાઈ સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરતા હતા, પણ હવે દર્શન પણ આપતા નથી. ચૂંટણી ટાણે મીટિંગો કરી જમાડનારા નેતાઓ હવે દેખાતા નથી. પોતાની શેરીઓમાં સુવિધા છે, પણ અહીં 17 નંબરની શેરીમાં કોઈ ડોકાતું નથી. મત લેવા માટે લલચાવનારાઓને આ વખતે જનતા પાઠ ભણાવશે. મહાનગરપાલિકાના દરજ્જા સાથે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. વોર્ડ નં. 10 ના ચતુરભાઈ ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, મનપા બનવાથી ટેક્સમાં વધારો તો નિશ્ચિત છે, તો તેની સામે સગવડતા પણ વધવી જોઈએ. જોકે શહેર થોડું સાફ દેખાવા લાગ્યું છે, પણ નાની સમસ્યાઓ નવી ચૂંટાયેલી પાંખ જલ્દી હલ કરે તેવી આશા છે. તેવી જ રીતે રતનપર શેરીના વિજયભાઈ કોશીયાએ આશા વ્યક્ત કરી કે, મનપા બન્યા બાદ કામોમાં વેગ આવશે. અન્ય શહેરોની જેમ અહીં પણ વીજળીના તાર અન્ડરગ્રાઉન્ડ થાય અને રોડ-રસ્તા માત્ર લેવલિંગ નહીં પણ યોગ્ય આયોજન સાથે બને તે જરૂરી છે. શહેર ડસ્ટ-ફ્રી, ક્લીન અને વધુમાં વધુ વૃક્ષારોપણ સાથે 'ઓક્સિજન પ્રુફ' બને તેવી અમારી અપેક્ષા છે. ટેક્સ વધે તેની સામે સુવિધામાં પણ વૃદ્ધિ થવી જોઈએ. કંચનબેન પ્રજાપતિનો હૈયા વલોપાતસ્થાનિક કંચનબેન પ્રજાપતિએ હૈયા વલોપાત ઠાલવતા કહ્યું કે, ધનજીભાઈએ મત લેવા 10 મીટિંગો કરી જમાડ્યા, પણ હવે સફાઈ કામદારો પણ અહીં આવતા નથી. અમારી શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે, ફોન કરીએ તો જવાબ મળે છે કે માણસો નથી. શું માણસો વિદેશથી લાવવાના છે? આ વખતે મત દેવા જવું કે નહીં તે પણ એક પ્રશ્ન છે. 'નેતાઓ માત્ર વોટ માટે આવે છે' સાફ-સફાઈના મુદ્દે શારદાબેને પણ સુર પુરાવતા કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષથી અહીં કોઈ નિયમિત સફાઈ કરવા કે ગટર સાફ કરવા આવતું નથી. નેતાઓ માત્ર વોટ માટે આવે છે, પણ અમારી શેરીની સમસ્યાઓ જોવા કોઈ તૈયાર નથી. આ પ્રશ્નોનું વહેલું નિરાકરણ આવે તે જરૂરી છે.” માત્ર વાતો નહીં કામ જોઈએ મુસ્લિમ મતદાર ઇસ્માઇલ બાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે સત્ય અને દેશના વિકાસની સાથે છીએ. જે માણસ કામ કરશે તેની સાથે રહીશું. જે નેતાઓ પાંચ વર્ષ સુધી મોઢું નથી બતાવતા, તેમને હવે જનતા શોધી કાઢશે. માત્ર વાતો કરનારાઓનો સાથ હવે નહીં મળે. પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? જ્યારે ભાવનાબેન પંચાસરાએ પાણી અને ગટરની સમસ્યા વર્ણવતા કહ્યું કે, “રતનપર શેરી નં. 16 માં સમયસર પાણી આવતું નથી. ચોમાસામાં આખી શેરીમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધે છે. ગટર અને રસ્તાના ઠેકાણા નથી, આ પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે?”
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આજે 12 એપ્રિલ, રવિવારે સવારે 9:30 કલાકે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારો સંકલ્પ લઈ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અમદાવાદના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ કોણ ક્યાં હાજર રહેશે તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે.
ગુજરાતમાં ચારેબાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ટિકિટ માટે બધા પક્ષોમાં જોરદાર આંતરિક ખેંચતાણ મચી હતી. આ દરમિયાન અમુક જગ્ચાએ ઉમેદવાર તરીકે સેલેબ્સની જાહેરાતે બધાને ચોંકાવ્યા છે. ભાજપે સિંગર રાજલ બારોટ અને એક્ટ્રેસ નેહા સુથારને મેદાનમાં ઉતારી છે. જ્યારે ઈન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને ફરી એક વખત ટિકિટ આપી છે. તેમજ લોક સાહિત્યકાર માયાભાઈની પુત્રીએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે. સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશેડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે પોલિટિકલમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ સ્વ મણિરાજ બારોટની દીકરી છે. સ્વ મણિરાજ બારોટે એક સમયે ગુજરાતની સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો હતો. તેના પોગ્રામ જોવા માટે ગુજરાતના ખૂણે ખૂણે લોકો બસ-ટ્રકમાં સવાર થઈને આવતા હતા. પિતાના અવસાન બાદ ભાઈ-બહેનોની જવાબદારી લીધીદીકરી રાજલ બારોટે પણ પિતાની જેમ સિંગિંગમાં કરિયર આગળ ધપાવી છે. પિતાના અવસાન બાદ ત્રણ બહેનના ઉછેરની જવાબદારી રાજલ પર આવી પડી હતી. સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા હતા. આજે રાજલ બારોટનું પણ સંગીતની દુનિયામાં મોટું નામ છે. પતિ પણ નગરપાલિકાના સભ્ય હતારાજલના પતિ અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનાના રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે. તેઓ ગત ટર્મમાં ઉના નગરપાલિકામાં ભાજપના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હવે ભાજપે અલ્પેશ બાંભણિયાના પત્ની એટલે કે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે. 'બેબીને બોર્નવિટા પીવડાવો' ફેમ નેહાની રાજકારણમાં એન્ટ્રીઅંદાજે સાત વર્ષ પહેલા 'બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી' આલ્મબ સોંગથી ફેમસ થયેલ નેહા સુથાર હવે રાજકારણની પીચ પર નવી ઈનિંગ રમશે. વિજાપુર તાલુકાની ફૂદેડા સીટ પરથી ભાજપમાંથી ચૂંટણી લડશે. એક સમયે ખેત મજૂરી કરતી નેહામહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની નેહા સુથારના પરિવારમાં બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. કાર પેઈન્ટર પિતાની દીકરી નેહા સુથારે બાળપણમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેણે ગુજરાન ચલાવવા લોકોના ઘરના કચરા-પોતા પણ કર્યા છે. સ્કૂલના સમયે રવિવારે ખેતરમાં મજૂરીએ પણ જતી. જેના દિવસના 40 રૂપિયા મળતા હતા. નેહા સુથારને સ્કૂલ સમયથી જ ડાન્સિંગ અને સિગિંગનો શોખ હતો. નેહા જેને ગુરુ માને છે એ રમેશકાકાના પોગ્રામમાં જતી હતી.તેણીએ માણસા કોલેજમાં ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. એક વર્ષ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કર્યુંનેહા સુથાર આગળ કરિયર બનાવવા માટે અમદાવાદ આવી ગઈ હતી. અહીં તેણે 12 મહિના સુધી હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં જોબ કરી હતી. ત્યાર બાદ વિપુલ પંચીવાલાના પંચમ ગ્રુપ માટે 5 વર્ષ સુધી ડાન્સના પોગ્રામ કર્યા હતા. તેણે સાથે સિંગિગ અને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. ધીમે ધીમે નેહા સુથારને આલ્બમ પછી ફિલ્મમાં કામ મળવા લાગ્યું. રાજકોટ મનપામાં કોંગ્રેસે RJ આભાને મેદાનમાં ઉતારીજ્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણીએ કહ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે કોર્પોરેટર બનવા ઘરે ઘરે જઈશ. પ્લેટફોર્મ બદલ્યું છે પરંતુ પરફોર્મન્સ એ જ રહેવાનું છે. હું મારું કામ કરવાની છું બાકી લોકોના પ્રશ્નો વડીલો સોલ્વ કરી દેશે. મને પૂરો ભરોસો છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકશે અને જીતાડશે. માયાભાઈની પુત્રીની લાઠી તા.પં.ની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રીબગદાણા હુમલા કેસમાં પુત્ર જયરાજની સંડોવણીના કારણે હાલમાં ચર્ચામાં આવેલા ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે. સસરા આહિર સમાજના અગ્રણીનોંધનીય છે કે માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે 2020માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. સોનલ ડેરના સાસુ કંચનબેન ડેર અમરેલી જિલ્લા પંચાયતની ચાવંડ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. જ્યારે જીતુભાઈ ડેર અમરેલી ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ સહિત અલગ અલગ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી સો.મીડિયા સ્ટાર અંકિતાની ઉમેદવારીવડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે.અંકિતા પોર ગામની વતની છે અને તેનો જન્મ વડોદરામાં થયો છે . તેને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે. AAPએ સુરતમાં સો.મીડિયા ઇન્ફ્લુએન્સરને ઉતારીઆમ આદમી પાર્ટીએ સુરત મનપાના વોર્ડ નંબર 29માં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને ઉતાર્યા છે. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP એ પરપ્રાંતીય મતો મેળવવા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવાની નવી રણનીતિ અપનાવી છે. કોણ છે સોના સિંહ?સુરતનો વોર્ડ નંબર 29 ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો ગઢ ગણાય છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. સોના સિંહ (ગોલ્ડી રાઘવેન્દ્ર પ્રસાદ સિંહ) મૂળ યુપીના અલ્હાબાદના વતની છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ સુરતમાં જ થયો છે.
સુરત મહાનગરપાલિકા જ્યારે પણ રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાના એવોર્ડ મેળવે છે, ત્યારે તેનો જશ શહેરના હજારો સફાઈ કામદારો અને વર્ગ-4ના કર્મચારીઓને જાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે 'દિવ્ય ભાસ્કર'ની ટીમે વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) ની મુલાકાત લીધી, ત્યારે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ હતી. પરંતુ આ 'સ્વચ્છતાના સૈનિકો' પોતે કેવા વાતાવરણમાં રહે છે, તેની વાસ્તવિકતા અત્યંત ભયાનક છે અડાજણ-ગોરાટ વિસ્તારમાં એસએમસીના વર્ગ-4 ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા આવાસની મુલાકાત લેતા જ ગંદકીના ગંજ નજરે પડે છે. આ એ જ કર્મચારીઓ છે જે સવારે ઉઠીને આખા સુરતને ચમકાવે છે, પરંતુ સાંજે જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફરે છે, ત્યારે તેમને ગંદકી અને દુર્ગંધ વચ્ચે રાત વિતાવવી પડે છે. આવાસના ગ્રાઉન્ડ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા હતાં. સ્થાનિક પટેલ કીર્તિએ કહ્યું, સુરતને સ્વચ્છતામાં ઝીરો નંબર આપવો જોઈએ. ચારેકોર ગટરના પાણીમાં ખદબદતી જિંદગીઆવાસની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની છે. ગટરનું પાણી ચારેકોર ફેલાયેલું છે અને તેમાં મચ્છરો તેમજ જીવાત ખદબદતી જોવા મળી હતી. આ ગંદા પાણીને કારણે આખા વિસ્તારમાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાયેલી છે કે ત્યાં થોડી મિનિટો ઉભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે સફાઈ માટે રજૂઆત કરીએ છીએ, પણ અમારી વાત સાંભળનાર કોઈ નથી. ગટરના પાણીને કારણે નાના બાળકો વારંવાર બીમાર પડે છે. ઉંદરોના ત્રાસથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયોગંદકી અને ગટરના પાણીને કારણે આ વિસ્તારમાં ઉંદરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. અહીં ઉંદરો એટલી મોટી સંખ્યામાં અને કદમાં મોટા જોવા મળે છે કે આસપાસની સોસાયટીના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના આ આવાસમાંથી ઉંદરો આસપાસની ખાનગી સોસાયટીઓમાં ઘૂસી રહ્યા છે અને ત્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં મહામારીનો સામનો કરી ચૂકેલા લોકો માટે આ સ્થિતિ ફરી એકવાર ભયની ઘંટડી વગાડી રહી છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલોમાત્ર ગંદકી જ નહીં, પણ આવાસના પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો હોય તેવું પ્રતીત થાય છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલો જોવા મળ્યો હતો. 'ગંદકીથી અમારે ઘર ખાલી કરવા પડે એવી હાલત'સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા પટેલ કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સની એક્ઝેટ પાછળ મારી બારીમાંથી આ 10 વર્ષથી હું ગંદકી જોઉં છું. નથી એ લોકો SMC વાળા ગટર લાઈન રિપેર કરાવતા, નથી ત્યાં રહેનારા રિપેર કરાવતા અને આ ગંદકી અમે એટલી બધી સહન કરીએ છીએ કે અમને અમારે ઘર ખાલી કરવા પડે ને એવી હાલત થઈ જાય છે. 'પોતાનું બધું સેટિંગ થઈ ગયું હોય એટલે કોઈ આવતું નથી'કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમાં રહેનારા એમ્પ્લોઈ ઓછા છે, ભાડુઆત રહેનારા વધારે છે પણ કોઈ જ એનો ઉકેલ લાવતું નથી. હમણાં તો સુરતમાં મત ને નેતાઓની જરૂર જ ક્યાં છે? એમનેમ જ ઇલેક્શન જીતી લે છે એટલે જરૂર જ નથી ને એમને આમ પબ્લિકની પડી જ નથી. પોતાનું બધું સેટિંગ થઈ ગયેલું હોય છે એટલે અહીંયા કોઈ જોવા નથી આવતું કે નથી કોઈ રિપેર કરાવતું. ઉનાળો આવ્યો, ગંદકી, મચ્છર પડે, ગંધ આવે અને જે એની બદબૂ અને અહીંયા જે ગંદકી ફેલાય છે એનું શું? અને અહીંયા બધા પી પી ને રહે છે. 'ગટરો બધી ઉભરાઈ ગઈ, પાણીની પણ બહુ સમસ્યા છે'સ્થાનિક જ્યોત્સનાબેન અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમને જ્યારથી આ ક્વાર્ટર્સ મળ્યા છે, ક્વાર્ટર્સનું રિપેરિંગ થતું નથી અને અમને નોટિસ પર નોટિસ આપે છે. આ ગંદકી પણ એટલી થઈ ગઈ છે, ગટરો બધી ઉભરાઈ ગઈ છે. અમે કેટલી કમ્પ્લેન કરીએ છીએ છતાં પણ એ લોકો ગટરનો કોઈ નિકાલ લાવતા નથી અને પાણીની પણ બહુ સમસ્યા છે. 'બધા બારી બારણા તૂટ્યા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી'જ્યોત્સનાબેને વધુમાં કહ્યું કે, અમને નોટિસ આપીને મકાન ખાલી કરાવવાનું કહે છે, તો અમે માગ્યું છે કે અમારા 3500 રૂપિયા ભાડા કપાય છે તો અમને એ પ્રમાણે બીજે ટ્રાન્સફરમાં અમને ક્વાર્ટર્સ આપો. અમે ક્યાં જઈએ? અમે હાથના ખાલી, પગના ખાલી અમે ક્યાં જઈએ? કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી, બધા બારી બારણા તૂટી ગયા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી ગઈ ક્યારે કોઈ સરખું કરવા અહીં આવ્યાં નથી. 'ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જતા રહે છે'સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા મિતા શાહે જણાવ્યું હતું કે, પાછળ અહીંયા SMC આવાસ છે, અમને કોણ રહે છે એની સાથે કોઈ તકલીફ નથી. પણ જે મેઈન પ્રોબ્લેમ ગંદકીની છે. નોર્મલી બધાના ઘરમાં ડસ્ટબીન હોય તો એ લોકોના ઘરમાં નહીં હોય. એટલી બધી ગંદકી કચરું, પાણી, ગટર બધી સ્મેલ અમારે ત્યાં ઉપર આવે છે. અને સૌથી વધારે તકલીફ ચોમાસામાં પણ એટલી હાલત ખરાબ હોય છે. જેની કોઈ હદ નથી સાહેબ લોકો આવે છે, ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જાય છે. 'પરમેનેન્ટ સોલ્યુશન આટલા વર્ષથી થયું જ નથી'મિતા શાહે કહ્યું કે, ઓનલાઇન કમ્પ્લેન કરવાની કહીએ તો એક દિવસની સફાઈ થાય છે પછી પાછું જ્યાં સુધી કમ્પ્લેન નહીં જાય ત્યાં સુધી એઝ ઈટ ઈઝ. એટલે અહીંયા સફાઈની, કોઈપણ ડિસિઝન લેવાની બહુ જ સખત જરૂર છે. અને રાતના એટલા ડોગ્સ હેરાન કરે છે, ઉપર કોઈ રહે છે જે ડોગ્સ અને કબૂતર પાળે છે એનો પણ એટલો જ ત્રાસ છે. 'વારે વારે કમ્પ્લેન કરવા છતાં કોઈ આવ્યું નથી'સનલાઈટ કોમ્પ્લેક્સમાં રહેતા ગાયત્રી ધર્મેશકુમાર અધ્વર્યુએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમા બહુ જ ગંદકી છે. વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ જ આવ્યું નથી. SMCના ક્વાટર્સમાં શું છે કે એ લોકો રહેતા નથી જે પોતે માલિક, પણ ભાડે આપેલા એ લોકો રહે છે. અને એટલી બધી ગંદકી અને ચોમાસામાં તો એટલા બધા મચ્છર, અત્યારે આટલી ગરમીમાં પણ આટલા બધા મચ્છર છે. સનલાઈટના લોકો SMC ક્વોટર્સની પાછળ રહે છે, એ લોકાને એટલો બધો ત્રાસ છે ને કે ગંદકીથી એ લોકો સહન જ નહીં કરી શકતા. અને વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકો કોઈ આવ્યું નથી. ગંદકીની સમસ્યાનો કોઈ ઉકેલ થયો જ નથી. અને એ સમસ્યાથી સનલાઈટમાં જે લોકો રહે છે ને એને બહુ તકલીફ થાય છે. મચ્છરનો તો બહુ ત્રાસ ગંદકી પણ ખૂબ જ છે. SMC ના જે ઓફિસર છે તે આવીને જોઈએ તો ખબર પડે જે માણસ સનલાઈટમા રહે છે તે લોકો કઈ રીતે રહી શકે છે. 'મત આપવાનો કોઈ મતલબ જ નથી'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી આવેને એ પ્રમાણે જો આ લોકો કામ કરો તો પછી અમને બધાને મત પણ આપવાની ખબર પડે કે ભાઈ અમારા કામો થાય છે. કામો જ નહી થાય તો પછી અમને એમ થાય કે મત આપવાનો કોઈ મતલબ જ નથી. SMC વાળા આવું કઈ કામ જ નથી કરતા તો પછી વોટિંગ પણ ઓછું થઈ જાય. જો કામ કરીને તમે બતાવોને તો પછી પબ્લિકને પણ એવું થાય કે ના ના કંઈ કામ થાય છે અને અમને પણ સુવિધા મળે છે. 'ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું'ગાયત્રીબેને કહ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ. સુરતમાં તો હાઇએસ્ટ ટેક્સ હોય છે. આખા ઓલ ઇન્ડિયામાં સુરત ટેક્સમાં ફર્સ્ટ નંબર છે. પણ છતાં પણ આ ટેક્સ ભરવા છતાં પણ આવો ગંદકી સહન કરવી પડે છે. તો જો હવે મતદાન કરવાનું હોય ને બધા પબ્લિક મત આપે તો અમારા સનલાઈટના લોકો તો એવું જ કહે છે કે ભાઈ જો આ ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું. કોર્પોરેટર આવે તો પણ એ તો ખાલી મત વખતે જ આવતા હોય છે, બાકી તો અત્યારે તો કોઈ આવતું જ નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે રાજકીય પક્ષોમાં પડાપડી થઇ. જેના કારણે રાજકીય પક્ષો માટે લોઢાંના ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યારસુધી એવું થતું કે બળવાના ડરથી કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે ડાયરેક્ટ મેન્ડેટ આપી દેતી હતી પણ આ વખતે તો શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપાએ પણ બળવાના ડરે સાવ છેલ્લે ઉમેદવારોની જાહેરાત કરી હતી. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ અને આપના સત્તાવાર ઉમેદવારોએ ફોર્મ તો ભરી દીધા છે પણ આ ચૂંટણીએ તમામ પક્ષોને ટિકિટવાંચ્છુઓનો કડવો અનુભવ કરાવી દીધો છે. સ્થિતિ તો એવી છે કે ફોર્મ ભરાઇ ગયા હોવા છતાં કોંગ્રેસ ઘણી જગ્યાએ પોતાના ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નથી કરી શકી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે શેની મૂંઝવણમાં હતી? સ્થાનિક નેતાઓની નારાજગી કેટલી ભારે પડી શકે? ભાજપ અને કોંગ્રેસનો મદાર કેવા ચહેરાઓ પર હતો? એ જાણવા દિવ્ય ભાસ્કરે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર સાથે ખાસ વાતચી કરી હતી. પહેલાં વાત રાજ્યની 6 મુખ્ય મહાનગરપાલિકાઓની કેટલીક ચર્ચિત ઘટનાઓ વિશે. અમદાવાદ મહાનગરપાલિકા માટે અનેક અસમંજસ, સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 18 મહિલા ઉમેદવારો સહિત કુલ 37 જેટલા કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે અમદાવાદના અમુક ઉમેદવારો જાહેર જ ન કર્યાંઆ તરફ કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જોધપુર, દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ એમ કુલ 14 વિવાદિત વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત અંતિમ ઘડી સુધી નહોતી કરાઇ. સુરતમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યાંસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને હાથોહાથ મેન્ડેટ આપ્યો હતો. જેથી ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઇ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી હતી. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વડોદરામાં ભાજપે 53 નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. જો કે અંતિમ સમયે એક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. વોર્ડ નં.1માં રાગ મછારનું નામ મતદાર યાદીમાં ન હોવાથી વોર્ડ નં.16માંથી આવતા ભૂરસિંગ રાઠવાનું નામ જાહેર કરાયું હતું. જેનું નામ હતું તેણે સ્ટેજ પરથી નીચે ઉતરવું પડ્યુંરાજકોટમાં તો ભાજપે વિજય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર શૈલેષ જાનીના બદલે બીજા ઉમેદવાર નેહલ શુકલને મેન્ડેટ આપ્યો હતો. જેથી શૈલેષ જાની સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. જેના પછી સાંસદ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખે તેમની સાથે બંધ બારણે બેઠક યોજીને મનાવ્યા હતા. રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કર્યા હતા. જ્યારે 50 નવા ઉમેદવારો પર દાવ અજમાવ્યો હતો. રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઇ ધવા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાની બાદબાકી કરીને નવા ચહેરાને તક આપી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે 52 કોર્પોરેટરમાંથી 9 ને જ રિપીટ કર્યા હતા. બાકીના તમામ નવા ચહેરા પર દાવ લગાવ્યો હતો. જામનગરમાં ઉમેદવારે આપને ચકમો આપ્યોજામનગરમાં ભાજપે 14 જેટલા આયાતી ઉમેદવારોને મેદાને ઉતારતા કાર્યકરોમાં રોષ હતો. વોર્ડ નં-6ના વોર્ડ પ્રમુખ અને ભાજપના 31 વર્ષ જૂના કાર્યકર જીવા કનારાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી હતી. ભાજપે જેની ટિકિટ કાપી તેમાં દિગ્ગજ અને સક્ષમ નેતાઓ પણ કપાઇ ગયા હોવાનો કચવાટ છે. જો કે વોર્ડ નં-1ના આપના ઉમેદવાર જયદીપસિંહ ઝાલાએ છેલ્લા દિવસે કોંગ્રેસના મેન્ડેટ પરથી ફોર્મ ભરીને આપને ચકમો આપ્યો હતો! કોંગ્રેસે યુવા પાંખ અને NSUIના કાર્યકરોને ટિકિટ આપીઆ ચૂંટણીમાં યુથ કોંગ્રેસમાં ગુજરાતભરમાંથી 300થી વધુ યુવા નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકીટ માંગી હતી. જેમાંથી કોંગ્રેસે 20 થી 30% લોકોને ટિકિટ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એ જ રીતે NSUIમાંથી 35 દાવેદારોએ ટિકિટ માંગી હતી. જેમાંથી 20 ઉમેદવારોને ટિકિટ મળી છે. ભાવનગરમાં યુવા કોંગ્રેસના 35 નેતાઓએ ટિકિટ માંગી હતી. કોંગ્રેસે આ વખતે યુથ કોંગ્રેસ અને NSUIના લડાયક કાર્યકરો અને નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસની આ સ્ટ્રેટેજી કેટલી કારગર સાબિત થશે એ અંગે પૂછતાં રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે કહ્યું, આજના સમયમાં ભાજપ સત્તામાં હોવા છતાં અને તેની વિદ્યાર્થી પાંખ ABVP હોવા છતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI કોલેજ લેવલે મજબૂતાઇથી કામ કરી રહી છે. અહીંથી જે-તે કાર્યકરો મુખ્ય પાર્ટીમાં જોડાતા હોય છે પણ પછી તેમને પાર્ટી સાઇડલાઇન કરી દેતી હોય છે. આવી ફરિયાદો કોંગ્રેસમાં ખૂબ લાંબા સમયથી હતી. જેને અમિત ચાવડાની ટીમે નિવારવાની કોશિષ કરી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે ફ્રેશ બ્લડ આપવાની કોશિષ કરી છે. જેમાં કેટલાક તો એવા સામાન્ય કાર્યકરો પણ છે જેને તક મળી છે. આવું અત્યાર સુધી કોંગ્રેસમાં ક્યારેય નહોતું બન્યું. તેની સાથે સાથે નોન પોલિટિકલ લોકો હોય અને પાર્ટીની વિચારધારા ધરાવતા હોય તેવાને પણ તક આપવામાં આવી છે. જેને કોંગ્રેસ પાર્ટીએ નવસર્જન શબ્દ આપ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં જાતિગત સમીકરણોને સારી રીતે બેસાડ્યા છે. તેમણે કહ્યું, ભાજપે ત્રણ કે ચાર નિયમો બનાવ્યાં હતા. જેમાં 60 વર્ષથી ઉપર અને જેની 3 ટર્મ પૂર્ણ થઇ ગઇ હોય તેને ટિકિટ ન આપવાનો નિયમ હતો. જેની સામે તેમણે આ વખતે Gen-Zને આકર્ષી શકે તેવી કેટલીક ટિકિટો આપીને યુવાનોને ભાજપ તરફ આકર્ષવાની કોશિષ કરી છે. આ સાથે જ ભાજપે સિનિયર અને જુનિયરનું પણ કોમ્બિનેશન કર્યું છે. આ બધાની વચ્ચે તેમણે જાતિગત સમીકરણો પણ સારી રીતે બેસાડ્યાં છે. ટીમ વિશ્વકર્મા માટે પહેલી મોટી ચૂંટણીભાજપ સામે કયા કયા પડકારો હતા તેની વાત કરતાં તેમણે કહ્યું કે, 27% OBC અનામત બાદ આ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. આમાં ચેલેન્જ એ હતી કે 27% ઓબીસી ઉમેદવાર આપવાના જ હતા પણ અન્ય કેટેગરીની સીટ છે ત્યાં OBC કેન્ડિડેટને ટિકિટ આપવાનો વિરોધ દરેકે દરેક પક્ષમાં હતો. સી.આર.પાટીલના ગયા પછી જગદીશ વિશ્વકર્મા માટે આ પહેલી મોટી ચૂંટણી છે એટલે આ પણ ચેલેન્જ હતી. બીજી તરફ આંતરિક અસંતોષ હતો તેને પણ ડેમેજ કંટ્રોલ કરવાનો હતો. અત્યાર સુધીમાં ભાજપમાં આ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે. કોંગ્રેસ સામે સંગઠનને જીવતું રાખવાનો પડકારકોંગ્રેસ સામે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવાની ચેલેન્જ હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની વાત કરીએ તો ગત 2021ની ચૂંટણીમાં 2015ની તુલનામાં 50% ધોવાણ વોટ શેર અને બેઠકો પર થઇ ગયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ 4 મોટી મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે માત્ર 46 કોર્પોરેટર હતા. જ્યારે સુરતમાં તો એક પણ કોર્પોરેટરે ન હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ‘આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવું. અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવારો શોધવા એ ખૂબ મોટી કવાયત હતી. જે જગ્યાએ કોંગ્રેસની જીતવાની શક્યતાઓ છે ત્યાં તેમનો જૂનો જૂથવાદ અને મારા તારાવાળી લડાઇને હતી. જેના કારણે ફોર્મ ભરવાના છેલ્લા સમય સુધી ન તો ઉમેદવાર જાહેર કર્યા કે ન તો કોઇ લિસ્ટ જાહેર કર્યું.’ આપ ટક્કર આપશેતેમના મતે, આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સુરત સિવાય બીજે ક્યાંય સારો દેખાવ નહોતો કર્યો. અમદાવાદમાં પણ તેઓ થોડા વિસ્તાર પૂરતી સિમિત છે. સુરતથી નવસારી સુધી આમ આદમી પાર્ટીની ટક્કર રહી શકે છે. અત્યાર સુધી ભાજપનો આંતરિક ડખો બહાર નહોતો આવતો પણ આ વખતે બહાર આવેલા ભાજપનો ડખો કેવા સમીકરણો રચી શકે છે તે અંગે તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીને યાદ કરો તો ત્યારે પણ આવી જ સ્થિતિ થઇ હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે કમલમના દરવાજા બંધ કરવા પડ્યાં હતા. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું. તેમણે ભાજપ અને કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલ કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો.તેઓ કહે છે કે, ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નિયમો સામે પ્રશ્નો ઉઠાવ્યાં હતા કે આવા નિયમોના કારણે ક્યાંક ભાજપ જ ભાજપને ન હરાવે તેવો મને ડર છે. ભાજપમાં એવું છે કે જ્યારે કોઇ નિર્ણય થાય એ પછી તેનો ડેમેજ કન્ટ્રોલ કરવાની પ્રોસેસ પણ પેરેલલ શરૂ કરી દેવાય છે. ભાવનગરના પૂર્વ મેયરની બાબતમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લીધું હતું. ભાજપ મોટો થઇ રહ્યો છે પણ સ્થિતિ એવી સર્જાય છે કે રસોઇ લિમિટેડ લોકોની બને છે અને સામે ખાવાવાળાની સંખ્યા વધી જાય છે. આ કારણે અસંતોષ જોવા મળે. ‘કોંગ્રેસમાં આ બાબતે ઉંધી પરિસ્થિતિ છે. અહીં મેન્ડેટ આપ્યાં પછી નેતાઓના ફોન બંધ કરી દે છે. પ્રદેશ કાર્યાલય પર છેલ્લા 3 દિવસથી કોઇ નેતાઓ ફરક્યાં નથી. તેઓ ખાનગી જગ્યા પર બેસીને મિટિંગો કરે છે અને તેમાં પણ તેઓ ઝૂમ પર જોડાઇને અને ફોન પર વાત કરી લે છે.’ તેમણે ભાજપની સ્ટ્રેટેજી વિશે વાત કરતાં કહ્યું કે, પશ્વિમ બંગાળમાં મુખ્ય પાર્ટી ડાબેરી, TMC અને કોંગ્રેસ હતી. જ્યારે ભાજપની એન્ટ્રી થઇ ત્યારે તેનો ફાયદો TMCને થયો હતો. કોંગ્રેસ અને ડાબેરીના પક્ષો ભાજપ તરફ ડાયવર્ટ થયા હતા. ધીરે ધીરે તેમાં વધારો થતો ગયો અને અત્યારે ભાજપ ત્યાનો મુખ્ય વિપક્ષ બની ગયો છે. દિલ્હીમાં પણ આવું જ થયું હતું. ગુજરાતમાં પણ આવી જ પ્રોસેસ ચાલી રહી છે. 'આ પ્રોસેસ કેટલી સફળ થાય છે તેના પર આપ અને કોંગ્રેસનું ભવિષ્ય નક્કી છે કેમ કે ભાજપના મતના ભાગલા નથી પડતા. ભાજપના શહેરી મતો અકબંધ છે. જે લોકો ભાજપને મત નથી આપતા અને કોંગ્રેસને પણ મત આપવા નથી માગતા તેના મત આપ તરફ જાય છે. સ્વભાવિક છે કે ફાયદો ભાજપનો દેખાય પણ ધીરે ધીરે સ્થિતિ એવી થાય કે આપ કોંગ્રેસની જગ્યા લઇ લે તો ભાજપ માટે એક નવી ચેલેન્જ ઊભી થાય. આ વાત ભાજપ પણ જાણે છે એટલે તેણે કોંગ્રેસની સાથે સાથે આપને પણ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે.' અત્યારે મુખ્ય વિપક્ષ થવાની પ્રોસેસ ચાલે છે. આ પ્રોસેસ જ્યારે પૂરી થશે ત્યારે ભાજપ સામે એક ચેલેન્જ ઊભી થશે એટલે ભાજપની કોશિષ છે કે આપને પણ નબળી પાડવી. કોંગ્રેસ તો નબળી છે જ એટલે મતના ભાગલા જ્યાં પડતાં હોય ત્યાં પડવા દેવા. બિનહરિફ પેનલ લોકશાહી માટે કમનસીબીકોઇ પેનલ બિનહરિફ થવાની ઘટનાને તેઓ લોકશાહી માટે મોટી કમનસીબી માને છે. તેમણે કહ્યું કે, આખી પેનલ બિનહરિફ થઇ જાય તેનો અર્થ એ કે જેને ટિકિટ મળી હતી તેણે પહેલેથી સામેવાળી પાર્ટી સાથે સેટિંગ કરી જ રાખ્યું હતું. આવું થાય એટલે જનતાનો મત આપવાનો અધિકાર છીનવાઇ જાય છે. જે લોકશાહી માટે મોટી કમનસીબી છે. 'આટલા વર્ષો પછી પણ જો વિપક્ષ સરખી રીતે મેન્ડેટ ન આપી શકે તો એવો સંદેશ જાય કે કોંગ્રેસને ઇલેક્શન મેનેજમેન્ટ જ નથી આવડતું. આના કારણે પ્રજામાનસમાં એક મનોવૈજ્ઞાનિક કારણ ઊભું થાય કે કોંગ્રેસને મત આપ્યા પછી પણ જો તે જીતી જાય તો ભૂતકાળની જેમ ભાજપમાં ભળી નહીં જાય તેની શું ગેરેન્ટી? લોકોને લાગે કે કોંગ્રેસને મત આપીને ભાજપને ઇનડાયરેક્ટ મત આપવો તેના કરતા તો ભાજપને જ ડાયરેક્ટ મત આપી દેવો સારૂં.'
જર્મની ટૂંક સમયમાં એજ્યુકેશન માટે IELTSના બેન્ડ 7 કરશે. આના કારણે મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને અસર થઇ શકે તેમ છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 2029 સુધીમાં ત્યાં 50 લાખ લોકો રિટાયર થશે. જેથી ત્યાં સેટ થવા માગતા લોકો માટે આ મોટી તક છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે જર્મની શા કારણે બેન્ડ વધારી રહ્યું છે? જર્મની હાલમાં કેમ સારું છે? આ સ્થિતિ કેટલા સમય સુધી રહેશે? ત્યાં જવું હોય તો કેટલો ખર્ચ થાય? દિવ્ય ભાસ્કરે કરિયર લાઇન એજ્યુકેશનના ભાવિન ઠાકર સાથે વાતચીત કરીને આ અંગે માહિતી મેળવી હતી. 5 હજારથી વધુ ગુજરાતીઓ વિદ્યાર્થીઓને વિઝા મળ્યાંહાલમાં ઘણા દેશોના જીઓપોલિટિકલ ઇશ્યૂ ચાલી રહ્યા છે. જેથી લોકોનો પ્રેફરન્સ બદલાયો છે અને જર્મની તરફ વળી રહ્યાં છે. ગયા વર્ષે જર્મનીએ આશરે 60 હજાર ભારતીય વિદ્યાર્થીના વિઝા એપ્રુવ કર્યા છે. એમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓ લગભગ 5 હજારથી 8 હજાર જેટલા હશે. જર્મની ભારતીયોની પસંદ બની રહ્યું હોવાની સાબિતી નીચેના આંકડા આપે છે. આ આંકડો માત્ર બેચલર્સ, માસ્ટર્સ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓનો છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ, ટૂંકા ગાળાના સંશોધન, સ્ટુડન્ટ એક્સ્ચેન્જ વગેરે માટે જર્મની જાય છે તે આમાં સામેલ નથી. આમાંથી 41,048 (69%) વિદ્યાર્થીઓ છે અને 18,371 (31%) વિદ્યાર્થિનીઓ છે. જે વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તેમાંથી 60% એન્જિનિયરિંગ, 21% સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, વ્યવસ્થાપન, 18% ગણિત, પ્રાકૃતિક વિજ્ઞાન અને 6% રમતગમત, કલા, જર્મન અભ્યાસ વગેરે માટે ગયા છે. વિદ્યાર્થી જર્મનીમાં પાર્ટ ટાઇમ વિકલી 20 કલાક અથવા ફૂલ ટાઇમ વાર્ષિક 140 દિવસ કામ કરી શકે છે. જર્મન ભાષા આવડે તો ઘણી બધી જોબ મળી શકે છે. ધો. 12માં 70% જરૂરીભાવિન ઠાકર કહે છે કે, જર્મનીનું બિહેવીયર જોઇએ તો છેલ્લા 2-3 વર્ષમાં એપ્લિકેશન બહુ જ વધી ગઇ છે, હરીફાઇ વધી છે. એક મહિના પહેલા જ અંડર ગ્રેજ્યુએટ માટે ધો. 12માં મિનિમમ 70% હોવા જોઇએ એવું નક્કી કરી નાખ્યું. જો તે ન હોય તો જર્મની માટે એપ્લિકેશન ન કરી શકાય. જેમ જેમ અરજીઓ વધશે તેમ તેમ ત્યાંની સરકાર માસ્ટર ડિગ્રી માટે પણ હરિફાઇ વધારશે. એવું બની શકે કે અત્યારે 6.5 બેન્ડ જરૂરી છે એ ભવિષ્યમાં 7 કરી શકે છે. જર્મનીમાં ફ્રી અથવા લો કોસ્ટ એજ્યુકેશન ઓફર થાય છે. જે વિદ્યાર્થીઓ માટે બહુ મોટું ઇન્સેન્ટિવ છે કારણ કે પેરેન્ટ્સને કોઇપણ બર્ડન આપ્યા વગર વિદ્યાર્થી ત્યાં જઇ શકે છે. જાહેર યુનિવર્સિટીમાં ફ્રી એજ્યુકેશનઆ અંગે ભાવિન ઠાકરનું કહેવું છે કે જર્મનીમાં પબ્લિક યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફ્રી હોય છે. છતાં ખર્ચની વાત કરીએ તો 8000ની આસપાસ વિઝા ફી, APS (એકેડેમિક ઇવેલ્યુએશન) નામની પ્રોસેસના 15000ની આસપાસ, એક સેમેસ્ટરની એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ 500થી 3000 યુરો (54 હજાર રૂપિયાથી 3.26 લાખ રૂપિયા) સુધીની હોઇ શકે છે. એક વર્ષનો રહેવા ખાવાનો ખર્ચ વધુમાં વધુ 11 લાખ હોય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ટ્યુશન ફી નથી પણ એડમિનિસ્ટ્રેશન ફી હોય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ટ્યુશન ફી હોય છે. 'માર્ચ ઇન્ટેક (માર્ચ કે એપ્રિલ મહિનામાં શરૂ થતું નવું સેમેસ્ટર)માં મોસ્ટલી પ્રાઇવેટ યુનિવર્સિટી ઓફર કરતી હોય છે. એ રીતે જોઇએ તો 2026ના પહેલા 3 મહિનામાં આશરે 1500 ગુજરાતી વિદ્યાર્થીઓ જર્મની ગયા હશે. જર્મનીમાં સામાન્ય રીતે જાન્યુઆરી અને સપ્ટેમ્બર ઇન્ટેક હોય છે.' જર્મન ભાષા અને સંસ્કૃતિ મહત્વનીજર્મની ગયેલા વિદ્યાર્થીએ જર્મન ભાષા શીખવી પડે છે તો જ તે ત્યાં આગળ વધી શકે છે. તેમના મતે, ભાષા B2 લેવલ ક્રેક ન કરે ત્યાં સુધી ફિલ્ડ રિલેટેડ તક નહીં મળે. આ બે જ નહીં પણ મોટાભાગના બધા સેગમેન્ટમાં લેંગ્વેજ વગર સફળતા નથી મળતી. જર્મની પોતાના મૂળ સાથે ખૂબ કનેકટેડ છે. ત્યાંના લોકો પોતાની લેંગ્વેજ અને કલ્ચર પ્રત્યે પ્રોટેક્ટિવ છે. જો કોઇ તેમના કલ્ચર અને ભાષાનું સન્માન જાળવે, તેને શીખીને આગળ વધે તો જર્મનીમાં ઘણી તકો રહેલી છે. 'ભારતથી જર્મન ભાષા શીખીને જાય તો નર્સ, ડૉક્ટર વગેરે વર્ક વિઝા પર ત્યાં જઇ શકે છે. જર્મની ઓપોર્ચ્યુનિટી કાર્ડ નામના વિઝા છે એમાં STEMમાં હોય એવા યંગ લોકો જઇ શકે છે.' અમુક યુનિવર્સિટીમાં 7 બેન્ડ ફરજિયાતઅત્યારે પણ RWTH યુનિવર્સિટી, આર્ખેન યુનિવર્સિટી, એડનબર્ગ યુનિવર્સિટી, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યૂનિકના ઘણા માસ્ટર્સ કોર્સ માટે 7 બેન્ડ જરૂરી છે. જેથી હવે અન્ય પ્રોગ્રામમાં પણ એની પૂર્વ શરતો શું હોઇ શકે છે તેના પર ધ્યાન રાખીને તૈયારી કરવી જરૂરી છે. આઉટસ્ટેન્ડિંગ એપ્લિકેશન અને ફ્યૂચરમાં કોઇ નિયમ બદલાય તેની અસર ન થાય એ માટે 7 બેન્ડ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. 10થી વધુ એપ્લિકેશન કરવી પડેજર્મનીના વિઝા માટે પણ ખૂબ હરિફાઇ હોય છે. ભાવિન ઠાકર જણાવે છે કે, જર્મની માટે સ્પર્ધા હોય છે. કન્સલ્ટન્ટ કે વિદ્યાર્થી એપ્લિકેશન કરે ત્યારે મિનિમમ 10 થી 12 એપ્લિકેશન કરવી પડે છે. 5 એકદમ કોમ્પિટિટિવ યુનિવર્સિટીમાં, 4 એપ્લિકેશન મીડિયોકર યુનિવર્સિટીમાં, 3 સેફ યુનિવર્સિટી અને 2 પ્રાઇવેટમાં કરવી પડે. એ રીતે પોર્ટફોલિયો બનાવવો પડે. 'કોમ્પિટેટિવ છે એટલે પ્રોફાઇલ બનાવવું પડે. જેથી જે યુનિવર્સિટી અને જે કોર્સમાં એડમિશન લો છો તેમાં તમારૂં કમિટમેન્ટ કેટલું છે? એ કોર્સ માટે તમે મોસ્ટ એલિજિબલ અથવા કોમ્પિટેટિવ કેન્ડિડેટ છો એ કઇ રીતે સાબિત કરશો. આના પર કામ કરવું પડે.' જર્મનીમાં મેન પાવરની જરૂર પડશેએક અંદાજા મુજબ 2029 સુધીમાં 50 લાખ લોકલ જર્મન લોકો રિટાયર થાય છે. જેના કારણે મેન પાવરની વધુને વધુ જરૂર પડશે. તેમણે કહ્યું કે, આ ગેપ ઓછા સમયમાં પૂરો નહીં કરી શકાય. હેલ્થકેર ક્ષેત્રમાં ફક્ત નર્સિંગની જ વાત કરીએ તો અનુમાન છે કે આવતા 15 વર્ષ દરમિયાન 7 લાખ નર્સની જરૂર પડશે. આજની તારીખે જર્મનીમાં પોતાના નાગરિકોને સર્વિસ આપવા માટે 2 લાખ નર્સની જરૂર છે. અમે ધારીએ છીએ કે 2032 સુધી જર્મની યૂથ રિક્રુટમેન્ટ્સના અલગ અલગ પ્રોગ્રામ્સ ચલાવશે. જર્મની સીધા PR નથી આપતું. પહેલાં ત્યાં બોલાવે, ત્યાં એના કલ્ચરમાં લોકો સેટ થાય, જર્મન લોકો સાથે કામ કરે પછી PR મળે છે. જેના પછી તે પોતાના ફેમિલીને પણ ત્યાં બોલાવી શકે છે. પરિવારને સરળતાથી બોલાવી શકાયભાવિન ઠાકરે જણાવ્યું કે, સ્પાઉઝને ફેમિલી રિયુનિયન વિઝામાં બોલાવી શકાય છે. કોઇપણ મુખ્ય એપ્લિકેન્ટ ત્યાં જાય એટલે સ્પાઉઝ ડિપેન્ડન્ટ તરીકે એપ્લિકેશન કરી શકે. મુખ્ય એપ્લિકેન્ટના વિઝા આવે એટલે સ્પાઉઝ એપ્લાય કરી શકે છે. બાળકો હોય તો એ પણ સાથે લઇ જઇ શકે છે. લોકલ સિટીઝનના બાળકો ત્યાં જે ફી ભરે એ ભરીને જ બાળકો સિનિયર કેજીથી લઇને સ્કૂલિંગ ભણી શકે છે. કન્સલ્ટન્ટની ફી 25 હજારથી 2.5 લાખ સુધીએજ્યુકેશન ફ્રી હોવાથી જર્મનીની પબ્લિક ફંડેડ યુનિવર્સિટી ક્યારેય કન્સલ્ટન્ટ સાથે ટાઇઅપ નથી કરતી. જેથી કન્સલ્ટન્ટને યુનિવર્સિટી પાસેથી કંઇ મળતું નથી. જર્મની માટે કન્સલ્ટન્ટ 25 હજાર રૂપિયાથી લઇને અઢી લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. આ અંગે તેમણે કહ્યું કે, કેટલી યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરો છો. સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટની કેટલી સર્વિસ લો છો વગેરે પર આધાર રાખે. એપ્લિકેશન, પ્રોફાઇલ બિલ્ડિંગ અને જર્મન લેંગ્વેજ કોચિંગ તેમાં આવી ગયું. પેકેજમાં જે સર્વિસ લીધી હોય તે પ્રમાણે ચાર્જ કરે. વિઝા કન્સલ્ટન્ટ વિદ્યાર્થીના અભ્યાસ અને આવડતને ધ્યાને રાખીને કોર્સ સજેસ્ટ કરે છે. તેઓ કહે છે કે, ઘણા બધા સેક્ટર બૂમિંગ હોય પણ સાથે સ્ટુડન્ટનું પણ મેચ મેકિંગ કરવું પડે છે. સાયન્સના સ્ટુડન્ટનું મેથ્સ સારું હોય તો ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોમિકેનિકલ, રોબોટિક્સ વગેરે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને અમે સજેસ્ટ કરીએ છીએ.
દુષ્કર્મ:શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી યુવાને દુષ્કર્મ આચર્યું
ભાવનગર શહેરમાં માનવતા અને નૈતિક મૂલ્યોને ઝંઝોડીને મુકે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક શખ્સે સગીર વયની દીકરી સાથે મૈત્રી બાંધી તેને લગ્નની લાલચ આપી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને દીકરીના પિતાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આરોપી અશોક મનુભાઈ સોલંકીએ સગીર દીકરી સાથે નજીકતા વધારી તેને મીઠી વાતોમાં ફસાવી અને લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈ તેણીને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો હતો. ઘટનાની જાણ થતાં દીકરીના પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર ઘટનાએ સમાજમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું હતું, સાથે જ સગીરોની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા હતા.
ચોરી:સિહોર ગોડાઉનમાંથી 70 હજારની કિંમતના 140 કિલો તાંબાની ચોરી
સિહોર તાલુકામાં ગૌતમેશ્વર રોડ પર સાકરધામ સામે આવેલા પતરાના ગોડાઉનમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તાંબાની વાડીઓની ચોરી કરી જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આશરે રૂ.70 હજારના મુદ્દામાલની ચોરી અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના ઘાંચીવાડા વિસ્તારમાં ઘાંચી જમાતખાના સામે રહેતા બસીરભાઈ ઇબ્રાહીમભાઈ ગોરીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૌતમેશ્વર રોડ પર સાકરધામ નજીક આવેલ પ્લોટમાં તેમનું પતરાના શેડવાળું ગોડાઉન આવેલું હતું. જ્યાં તેઓ માટી ધોઈને તેમાંમાંથી નીકળતી તાંબાની વાડીઓને ત્રણ બોરીમાં ભરીને રાખી હતી. ઘટનાની રાત્રે અજાણ્યા ઈસમોએ ગોડાઉનની બારીના બોલ્ટ ઢીલા કરી અંદર પ્રવેશ કર્યો હતો. આગલા દિવસે ગોડાઉન પર પહોંચતા ત્રણેય બોરીઓ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતા બારી લટકતી હાલતમાં જોવા મળતા ચોરી થયાની ખાતરી થઈ હતી. તસ્કરો આશરે 140 કિલોગ્રામ તાંબાની વાડીઓ, જેની કિંમત પ્રતિ કિલો ₹500 મુજબ કુલ ₹70 હજાર જેટલી થતી હતી, ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ધરપકડ:કારખાનામાં નોકરીની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ
જામનગર પંથકની વતની હાલ રાજકોટ રહેતી પરિણિતાને કારખાનમાં નોકરીએ રાખવા લાલચ આપી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ મોટી માટલી પંથકના મુળ વતની રાજકોટ રહેતા શખસ સામે નોંધાવાઇ હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. જાણવા મળતી વિગત અનુસાર જામનગર પંથકની મુળ વતની હાલ રાજકોટ રહેતી એક પરિણિતાએ બ્યુટીપાર્લર માટે ફોન લગાડતા ભુલથી રોંગ નંબર ડાયલ થવાથી આરોપી પંકજ ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા(રે. મુળ મોટી માટલી, હાલ રાજકોટ) સાથે સંપર્ક થયો હતો જે બાદ આરોપીએ કારખાનામાં નોકરીમાં રાખવાની લાલચ આપી રાજકોટમાં એકાદ માસ પુર્વે હોટલમાં બોલાવી કૂકર્મ આચર્યુ હતુ જે બાદ અવાર નવાર ફોન મારફતે સંપર્ક રાખી બાદમાં પરિણિતા જામનગર પંથકમાં સાસરે આવતા આરોપીને જાણ થતા સાત રસ્તા પાસે પરિણિતાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન નજીક એક હોટલમાં કારખાનામાં ફોર્મ ભરવાનુ કહી બોલાવી પરિણિતા પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.આ સમગ્ર બનાવ મામલે ભોગગ્રસ્તની ફરીયાદના આધારે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી પંજક ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જે આરોપીને જેલહવાલે કરાયો છે.
તસ્કરી:જામનગરમાં કારખાનામાં 1.08 લાખની મત્તા ચોરાઈ
જામનગર-રાજકોટ હાઈવે રોડ પર આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટકીને કોમ્પ્યુટર, પિતળનો ભંગાર, પંખા, ટેપ સહિતનો રૂ.1.08 લાખના મુદામાલની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ગોકુલનગર શેરીનં-8, મુરલીધરનગરમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ વેકરીયા (ઉ.વ.27) નામના યુવાનનું શહેરના રાજકોટ રોડ માનસી હોટલની પાછળ વિકલ્પ અન્ડસ્ટ્રીઝની બાજુમાં ખાડીયાર પ્લાસ્ટીકનું કારખાનું આવેલ છે. તે કારખાનામાં ગત તા.3 થી 10 એપ્રિલ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનામાંથી કોમ્પ્યુટર, પ્રીન્ટર રૂ.20 હજારની કિંમતનું તેમજ ઈલેકટ્રીક સગડી, પીતળનો ભંગાર 60 કીલો રૂ.50 હજારની કિ઼મતનો તેમજ કોપરનો ભંગાર 20 કિલો રૂ.14 હજારની કિંમત તેમજ બ્રાસપાર્ટનો છોલ 40 કિલો રૂ.22 હજારનો તેમજ એક પંખો, ટેપ અને એલોજન લાઈટ મળીને કુલ રૂ.1,08,800ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખસોની શોધખોળ આરંભી છે.
જન્મદિવસની ઉજવણી:વનતારામાં રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ની ભક્તિમય ધુનમાં અંબાણી પરિવાર લીન
જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બોલીવુડ સિતારાઓ પણ ઉમટી પડ્યા હતાં. ભોજન, ડાયર તેમજ દાન-પુણ્ય કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સમાં ફિલ્મી સિતારાઓ સાથે રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ગોવિંદની ધુનમાં અંબાણી પરિવાર લીન થયો હતો. ધુનમાં મુકેશ અંબાણી તેમજ નિતાબેન અંબાણી તેમજ અનંત અંબાણીએ ધુન બોલી હતી. જેમાં બોલીવુડ સિતારાઓ રણવીરસિંહ સહિતના કલાકારો પણ નીચે બેસીને ધુન બોલી હતી. આ વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જે લોકો નિહાળીને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે. જેમાં અંબાણી પરિવારની સાદગી પણ જોવા મળી રહી છે. અનંત અંબાણીના જન્મ દિવસ નિમિતે મંદીરોમાં તેમજ પશુ-પંખીઓને દાન કરાયું હતું. તો રિલાયન્સ કંપનીની આસપાસ આવેલા ગામોમાં ભોજન તેમજ ડાયરાઓ સહિતનું આયોજન કરાયું હતું.
વાતાવરણ:શહેરમાં 48 કલાકમાં મહત્તમ પારો 4 ડિગ્રી ઉંચકાયો, 36 ડિગ્રી
જામનગર સહિત હાલારમાં ગત સપ્તાહે વાતાવરણમાં પલટા બાદ બેવડી ઋતુનો માહોલ સર્જાયો હતો.જોકે, છેલ્લા બે દિવસથી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા મહતમ પારો ચાર ડિગ્રી ઉંચકાયો હતો અને તાપમાન 36 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના પગલે બપોરના સુમારે લોકોએ આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાનો પણ અહેસાસ કર્યો હતો. હાલારમાં ગત સપ્તાહે હવામાનમાં પલટો આવ્યો હતો જેમાં અમુક સ્થળોએ હળવા ભારે કમૌસમી વરસાદ છેલ્લા એકાદ સપ્તાહથી મહતમ તાપમાન આંશિક ફેરફાર સાથે મહદઅંશે સ્થિર થયુ હતુ.જેમાં શુક્રવારથી ઉનાળાએ આગવો મિજાજ દર્શાવતા તાપમાાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો.જે બાદ શનિવારે પણ ગરમીનુ જોર વધતા પારો વધુ બે ડિગ્રી ઉંચકાયો હતો.આમ, 48 કલાકમાં જ મહતમ તાપમાન 4 ડિગ્રી વધી જતા શહેરીજનોએ ઉનાળાના આગવા મિજાજનો અહેસાસ કર્યો હતો.ખાસ બપોરના સુમારે આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી પર સ્થિર રહયુહ તુ. બીજી બાજુ દશથી વીશ કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવાથી સાંજે શહેરીજનોએ આંશિક રાહત અનુભવી હતી.જામનગર સહિત હાલારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર સમાપ્ત થતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા હવામાન શાસ્ત્રોઓએ દર્શાવી છે.
સાબરકાંઠા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે શનિવારે છેલ્લા દિવસે ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી હતી અને સમય ઓછો પડતાં ભાજપના 3 અને કોંગ્રેસના 5થી વધુ ઉમેદવારોને ફોર્મ ભરી શક્યા ન હતા. વોર્ડ-3માં અનુસૂચિત જાતિ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ બની ગયા હતા અને ટાવર ચોકમાં પ્રથમ બેઠક જીત્યાની કોંગ્રેસે ફટાકડા ફોડી ઊજવણી કરી હતી. કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી સામે ગંભીર આક્ષેપો કરાતાં મામલો ગરમાયો છે. જેને પગલે સવારથી સાંજે 6 વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજની કોંગ્રેસ દ્વારા વિધિવત માંગ કરાઇ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે કુલ 157 ઉમેદવારોએ 160 ફોર્મ રજૂ કર્યા છે. જેમાં છેલ્લા દિવસે શનિવારે 76 ફોર્મ રજૂ થયા હતા. તે પૈકી પોશીનાની 4 બેઠક માટે સૌથી વધુ 30 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. બાકી તમામ બેઠક પર 4 ઉમેદવારો જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લાની 8 તાલુકા પંચાયતની 170 બેઠક માટે 708 ઉમેદવારોએ 713 ફોર્મ રજૂ કર્યા છે. કોંગ્રેસ કેટલી બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે તેની મોડી સાંજ સુધી સંગઠન દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી. સાબરકાંઠામાં પોશીના તાલુકા પંચાયતમાં 20 બેઠક માટે સૌથી વધુ 131 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપના કાર્યકરો અને કેટલાક સરકારી અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કર્યાનો કોંગ્રેસપાર્ટીએ આક્ષેપ કર્યો હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ બારોટ, કુમારભાટ, રણછોડ પરમાર અને સંજયભાઈ વાઘેલાએ જણાવ્યું કે અમારી હાજરીમાં ભાજપના કાર્યકરો અને કેટલાક સરકારી અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બપોરે 3 વાગ્યા પછી પણ ભાજપના કાર્યકરો દ્વારા ફોર્મ રજૂ કરાયા હતા. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે નક્કી સમયમર્યાદા બાદ ફોર્મ ન સ્વીકારવાના નિયમો હોવા છતાં SDM દ્વારા આ ફોર્મ સ્વીકારાયા હોવાનું શહેર કોંગ્રેસે જણાવતા દિવસ દરમ્યાનના ફૂટેજની માંગણી કરી સીડી માટે બેઠા છીએ. કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે નક્કી સમયમર્યાદા બાદ ફોર્મ ન સ્વીકારવાના નિયમો હોવા છતાં SDM દ્વારા આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાનું કહી ફૂટેજની માંગણી કરી સીડી માટે બેસી હતા. વોર્ડ-3માં ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરી ન શક્યાભાજપ અને કોંગ્રેસ સંગઠન દ્વારા જાણવા મળી રહ્યા મુજબ વોર્ડ-3માં ભાજપના ઉમેદવાર દશરથભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાની જાણ કરાતાં પહોંચી વળ્યા ન હતા અને ફોર્મ ભરી શક્યા ન હતા. જ્યારે વોર્ડ-2માં ભાજપના રાજુભાઈ શર્માની એફિડેવિટમાં કોઈ ખામી જોવા મળતાં તેની દુરસ્તીનો વિવાદ ઉભો થયો હતો. જો કે ચૂંટણી અધિકારીએ પૂર્તતા કરવા માટે દરેકને તક આપવાની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. આની સામે વોર્ડ નંબર 8, 9 અને 10માં કોંગ્રેસના પાંચથી વધુ ઉમેદવારો ફોર્મ ભરી શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી પુંસરી બેઠક પરથી ઉમેદવારી કરનાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ મહેન્દ્રભાઈ પટેલ સૌથી વધુ 12.70 કરોડની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હોવા જ સહિત ઉદ્યોગપતિ પણ છે. તેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી. જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ પાસે હોન્ડા જેજ કાર છે અને દીકરા પાસે ટેસ્લા કંપનીની 72 લાખની કાર છે. તેમનો પરિવાર 110 તોલાનું ઝવેરાત ધરાવે છે તો 7 કરોડના જમીન અને મકાન છે. પરિવાર પાસે 8.50 લાખ જેટલી હાથ ઉપર સિલક છે તો 1.39 કરોડની થાપણો અને 1.86 કરોડના બોન્ડ ડિબેન્ચર્સ શેર ધરાવે છે. જિલ્લા પંચાયતની 34 બેઠકના ઉમેદવારો પૈકી 54 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ સૌથી વધુ શ્રીમંત અને શિક્ષિત છે. જંગમ મિલકતની વિગત વિગત
ધરપકડ:પૈસા આપતો ન હતો, ફોન ઉપાડતો નહીં એટલે મેં તેને છરી ઝીંકી દીધી
અંજારના આશાબા વે-બ્રીજ પાસે ગઈકાલે બપોરે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. જેમાં ગાંધીધામની રીઅલ મોટર ગેરેજમાં સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ એક મિત્રએ બીજાને છરી ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો હતો. પીઆઇ એચ.એ. જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 10/4 ના બપોરે અંજાર-ગાંધીધામ સર્વિસ રોડ પર આવેલા મોર્ડન ગેરેજમાં દિપક મહેશ્વરી નામના શખ્સે ફરિયાદીના ભાણેજ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી પોતાનું મોટરસાયકલ ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપી પોતાનું બાઈક સ્થળ પર મૂકી ગયો હોવાથી પોલીસે ‘પોકેટ કોપ’ એપ્લિકેશનની મદદથી તેના રજિ. નંબર પરથી નામ-સરનામું મેળવ્યું હતું. ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આદિપુર રહેતા આરોપી બાબુ ઉર્ફે દિપક પ્રેમજીભાઈ મહેશ્વરીને દબોચી લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે અને મૃતક બંને ગાંધીધામમાં રીઅલ મોટર ગેરેજમાં સાથે નોકરી કરતા હતા. આરોપીએ મૃતક પાસે પૈસા લેવાના બાકી હતા, જે તે પરત આપતો ન હતો અને આરોપીનો ફોન પણ ઉપાડતો ન હતો. આ મનદુખ રાખીને દિપકે તેને છરી મારી દીધી હતી.
ટિકિટ વહેંચણીને લઈને ભારે ઉથલપાથલ:માંડવીમાં ભાજપનો ટિકિટ વિતરણમાં છબરડો : ‘એક જ નામે બે બેઠક જાહેર’
માંડવીમાં ભાજપની ટિકિટ વહેંચણીને લઈને ભારે ઉથલપાથલ મચી ગઈ છે. તાલુકા પંચાયતની વિરાણી નાની ST અનુસૂચિત જનજાતિ સીટ માટે પ્રભાબેન મેરામણભાઈ હુંણ (ચારણ)ના નામની જાહેરાત થયા બાદ, જિલ્લા પંચાયતની ભીમાસર (ચકાસર) બેઠક માટે પણ તેમને જ ટિકિટ ફાળવાતા ‘એક નામ બે સીટ’નો છબરડો ખુલ્લો પડી ગયો છે. પાર્ટીની તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરની પાર્લામેન્ટરી બેઠકોમાં એક જ ઉમેદવારના નામને બે અલગ સીટ પર મંજૂરી મળતા સંકલનના અભાવની સ્પષ્ટ ઝલક સામે આવી છે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ભાજપની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે, જ્યારે પક્ષના અંદરના સૂત્રો પણ આ ગૂંચવણને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ ST અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારોની અછત તરફ સીધો ઈશારો કરે છે. શું ખરેખર ભાજપ પાસે વિકલ્પોની ખોટ છે, એવો સવાલ હવે સ્થાનિક કાર્યકરોમાં જોર પકડી રહ્યો છે. કેટલાક વર્તુળોમાં આને “સેફ પ્લે” ગણાવીને મજબૂત ઉમેદવારને બે મોરચા પર ઉતારવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આ નિર્ણય પાર્ટીની આંતરિક ગોઠવણ અને જૂથબાજીનું પરિણામ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એક ઉમેદવારને બે તકો અપાતાં અન્ય દાવેદારોમાં નારાજગી ઊભી થઇ છે. નાની વિરાણી બેઠક પર પાયલબેન રાણા બિનહરીફભુજ અને અંજાર ખાતે યોજાયેલી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન માંડવી તાલુકામાં રાજકીય ગૂંચવણનો માહોલ વધુ ગાઢ બનતો દેખાયો હતો. ગઢશીશા નિવાસી અને ગીર સોમનાથ ચારણ જ્ઞાતિના ST અનુસૂચિત જનજાતિ વર્ગના પ્રભાબેન મેરામણભાઈ હુંણ દ્વારા તાલુકા પંચાયતની નાની વિરાણી બેઠક તથા જિલ્લા પંચાયતની ભીમાસર (ચકાસર) બેઠક માટે ફોર્મ ભરાતા ગૂંચવણ ઊભી થઈ હતી. આ મુદ્દે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ જિલ્લા ભાજપના મોવડીઓને જાણ કરી હોવાની માહિતી પણ સામે આવી છે. ગૂંચવણ વચ્ચે નાની વિરાણી બેઠક માટે પાયલબેન સોમાભાઈ રાણાએ ફોર્મ ભર્યુ હતું. જોકે અન્ય કોઇ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા તેમને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

30 C