SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

ઇસ્કોન ગાંધીનગરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના

ઇસ્કોન હરે કૃષ્ણ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગુરુવાર, ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદમાં શ્રી રામનવમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રી રામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને તેમનું સ્મરણ કર્યું હતું. ઉત્સવના વિશેષ ભાગરૂપે, કેન્દ્રમાં અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાન શ્રી રામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, સૌ ભક્તોએ શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ (૧૦૮ નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ સાથે શ્રી રામ તારક યજ્ઞ કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ શ્રી નામ રામાયણ નું ગાન કર્યું હતું, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે. રામનવમી ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવનાર બધા દર્શનાર્થીઓ માટે અન્નદાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંદિર દ્વારા નિયમિત ઉત્સવો દરમિયાન આ અન્નદાન કાર્યક્રમ કરવામાં આવે છે. આ ભવ્ય મહોત્સવે આધ્યાત્મિક એકતા અને વૈશ્વિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ પ્રસારિત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:27 pm

ગબ્બર માતાજીના ઝૂલા પર અન્નકૂટ ધરાવાયો:ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મુંબઈના જસાણી પરિવારે અર્પણ કર્યો

ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ઉદય જસાણી પરિવાર દ્વારા ગબ્બર માતાજીના ઝૂલા ઉપર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, વ્યંજનો અને ફળો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી. હાલમાં ચૈત્રી નવરાત્રિ પર્વ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ગબ્બર આવી રહ્યા છે. ઘણા ભક્તો મા અંબાના મૂળ સ્થાનક ગબ્બર ખાતે અન્નકૂટ ધરાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ચૈત્રી પર્વ ચૈત્ર મહિનાની પૂનમ સુધી ઉજવવામાં આવે છે, જે દરમિયાન ભક્તોની ભીડ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:26 pm

કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના જીવન પર પોડકાસ્ટ યોજાયો:સદાચાર, સાદગી, સંતોષથી જીવન સુખમય બને છે: સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૨૬ માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકવન પર લાઇવ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૭ વર્ષ સુધી ઉઘાડા પગે ૧૨,૦૦૦ કિલોમીટરનું વિચરણ કર્યું હતું. તેમણે બદરીનાથમાં ૬ મહિના સુધી ખુલ્લા શરીરે તપ કર્યું હતું. આ તપશ્ચર્યા દર્શાવે છે કે તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. માત્ર ૨૫ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ૩,૦૦૦થી વધુ સંતો, અનેક હરિભક્તો અને મંદિરોની સ્થાપના કરી હતી. તેમણે અનેક શાસ્ત્રોની રચના પણ કરાવી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શિક્ષાપત્રી આદિ ધર્મગ્રંથોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરીને જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. યુવાનોએ ખાસ કરીને દરેક પ્રકારના વ્યસનો અને કુસંગથી દૂર રહેવું જોઈએ, કારણ કે કુટેવો પહેલા માણસને આકર્ષે છે અને પછી તેને પતન તરફ ધકેલે છે. જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. તેમણે આર્થિક વ્યવસ્થા અંગે પણ સલાહ આપી હતી કે, આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. વટ પાડવા માટે દેવું કરનારાઓને પાછળથી દેવાળું કાઢવાનો વારો આવે છે, જે આત્મહત્યા જેવા ગંભીર આર્થિક પ્રશ્નોનું કારણ બની શકે છે. જીવનમાં સુખી થવા માટે સદાચાર, સાદગી અને સંતોષ જેવા ગુણો કેળવવા અત્યંત આવશ્યક છે. આ પોડકાસ્ટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે એલ.જી. હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશભાઈ માડોલે, ડો. અનિલભાઈ રાજપૂત અને શ્રી કૃતિનભાઈ યુદ્ધ પણ ઉપસ્થિત રહી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:25 pm

કારમાં ફસાયેલું બાઈક લઈ 50 મીટર સુધી ઢસડ્યું:અમદાવાદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક પડ્યો ને બાઈક બોનેટમાં ફસાયું, લોકોએ ઉભો રાખી બરાબરનો ખખડાવ્યો

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર પકવાન બ્રિજ ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફોક્સવેગન કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક ઉછળીને નીચે પડ્યોમળતી માહિતી મુજબ, શહેરના નરોડા દહેગામ રોડ ઉપર સનરાઈઝ ડુપ્લેક્સમાં રહેતા કમલેશભ ખાનીયાખાણીયા શ્યામલ ચાર રસ્તા ઉપર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ SG હાઇવે ઉપર પકવાન બ્રિજ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક લાલ કલરની ફોક્સવેગન કારચાલક દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે થઈને કમલેશભાઈ બાઈક પરથી નીચે પડી ગયા હતા, પરંતુ તેમનું બાઈક કારની આગળના બોનેટના ભાગે ફસાઈ ગયું હતું અને કારચાલકે બેફામપણે કાર બાઈકની સાથે જવા દીધી હતી. કારચાલક ફસાયેલું બાઈક સાથે લઈને આગળ નીકળી ગયો કમલેશભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથાના, કપાળના અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. કારચાલક ફસાયેલું બાઈક સાથે કાર લઈને આગળ નીકળી ગયો હતો ત્યારે અન્ય એક વાહનચાલક દ્વારા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને તેને રોકવામાં આવ્યો હતો. અન્ય વાહનચાલકોએ કારચાલકને ઉભો રાખી ખખડાવ્યોકારચાલકે રોડની વચ્ચે ગાડી ઉભી રાખી અને ત્યારબાદ તેણે બાઈક કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તે બાઈકને સાઈડમાં મુકીને ત્યાંથી ફરાર થઈ શકે. અકસ્માત સર્જતા તેને એ પણ ધ્યાન રહ્યું નહતું કે બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ તેને ઉભો રાખી ખખડાવ્યો પણ હતો. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. SG 1 ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:23 pm

ચંદ્રુમાણામાં જોગણી માતાની ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ:ચૈત્રી નવરાત્રીની આઠમે વર્ષોની પરંપરા જળવાઈ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે ચૈત્ર સુદ આઠમની રાત્રે શ્રી જોગણી માતાની પરંપરાગત ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રાનો પ્રારંભ ગામના આથમણા ઠાકોરવાસમાં આવેલા શ્રી હિંગળાજ માતાના મંદિરેથી થયો હતો. અહીં માતાજીના ઉપાસક હિંગળાજભાઈ ઠાકોર દ્વારા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ દિવાનજી ઠાકોર, જયંતીજી ઠાકોર અને અન્ય સેવકોએ સગડીઓ પ્રજ્વલિત કરી હતી. ઢોલ-નગારાના નાદ વચ્ચે હિંગળાજભાઈ જોગણી માતાના વસ્ત્રોમાં સજ્જ થઈને ગામ વચ્ચેથી પસાર થયા હતા. યાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક માર્ગો અને દેવસ્થાનો તરફ જ્યોત ફેરવવામાં આવી હતી. અંતે, આ જ્યોત યાત્રા જોગણી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં જ્યોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ચંદ્રુમાણા ગામમાં વર્ષોથી આ ખપ્પર જ્યોત યાત્રાની પરંપરા જાળવવામાં આવી રહી છે. અગાઉ માઈભક્ત કરસનભાઈ ભગત આ સગડી ઉપાડતા હતા. તેમના અવસાન બાદ તેમના પુત્ર હિંગળાજ ઠાકોર આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ જ્યોત યાત્રાના દર્શન કરવા માટે પાટણ સહિત બહારગામથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. ગ્રામજનોમાં ઉગમણા ગામ ઝાંપાની શ્રી જોગણી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:21 pm

સરકારી જમીન પચાવી 'સીટી લાઈટ' પાર્ટી પ્લોટના સંચાલકનું દબાણ:વારંવાર મળેલી નોટિસને અવગણી દબાણ ન હટાવતા કલેકટરના આદેશથી મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ, આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી કિમતી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી બેઠેલા “સિટી લાઈટ” પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023થી આજ દિવસ સુધી વારંવાર આપવામાં આવેલ નોટિસોને અવગણી દબાણ ન હટાવતા આખરે જિલ્લા કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના મવડીના સર્વે નંબર 194 પૈકીની સરકારી જમીન પર 'સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ બનાવી વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનાર સંચાલક ગોરધન ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 (લેન્ડ ગ્રેબિગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિહ સરવૈયાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મવડી વિસ્તારની સરકારી જમીન પર ગોરધન મેઘાણીએ મકાન, ઓફિસ, પાણીનો મોટો ટાંકો, ઈલેક્ટ્રિક રૂમ અને ફેન્સિંગ બનાવીને ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ શરૂ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. દબાણ અંગે અગાઉ મામલતદાર દ્વારા દબાણ હટાવવા નોટિસ પાઠવવામાં આવી હતી જો કે વર્ષ 2023થી આજ દિવસ સુધી નોટિસ અંગે કોઈ ખુલાસો કે પુરાવા રજૂ ન કર્યા ન હતા. એટલું જ નહિ સપ્ટેમ્બર 2024માં સંચાલકના પુત્રએ દબાણ જાતે હટાવી લેવાની ખાતરી આપી હતી ત્યારબાદ તલાટીના રિપોર્ટમાં સામે આવ્યું કે માત્ર થોડી ફેન્સિંગ હટાવી બાકીનું દબાણ યથાવત રાખી વ્યાપારી ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તંત્ર દ્વારા 16.10.2024 થી 19.01.2026 સુધીમાં કુલ 5 વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો ન હતો. સરકારી જમીનનો ધંધાદારી ઉપયોગ ચાલુ રાખતા આ મામલો જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તમામ પુરાવાઓ તપાસ્યા બાદ મામલતદારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 93 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી જમીન ઉપર આરોપી ગોરધન મેઘાણી દ્વારા પાર્ટી પ્લોટ, ઓફિસ, પાણીનો મોટો ટાંકો તેમજ ઈલેક્ટ્રીક રૂમ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી હતી. ત્યારે હાલ તંત્ર દ્વારા 5500 ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરાવી અંદાજિત 3.85 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણકર્તા પાસેથી આંચકી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:13 pm

ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર:ધવલ પટેલ સહિત સાતને પ્રદેશ સહ પ્રવક્તાની તો બે નેતાને મીડિયા સહ ઈન્ચાર્જની જવાબદારી સોંપાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાઓ અને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જોની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સંગઠનના વ્યાપને વિસ્તૃત કરવા તેમજ રાજ્યભરમાં પાર્ટીની કામગીરીને વધુ ગતિ આપવા માટે લેવાયો હોવાનું માનવામાં આવે છે. સાત નેતાને પ્રદેશ સહ પ્રવક્તાની જવાબદારી મળી જાહેર કરાયેલા નામોમાં વલસાડમાં ધવલ પટેલ (સાંસદ), અમદાવાદમાં અશ્વિન બેન્કર, મહેસાણામાં જયરાજસિંહ પરમાર, અમદાવાદ જિલ્લાના ધનશ્યામ ગઢવી, કચ્છમાં મનજી આહીર, સુરત શહેરમાં હેમાલીબેન બોઘાવાલા તેમજ અમદાવાદમાં શ્વેતાબેન બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને પ્રદેશ સહ પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત મીડિયા ક્ષેત્રને મજબૂત કરવા માટે અમદાવાદના ઝૂબીન આશરા અને ગાંધીનગર શહેરના કલ્પ પટેલને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી ચૂંટણી માટે મહત્ત્વનીભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકને આગામી ચૂંટણી અને સંગઠન વિસ્તરણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો પાર્ટીના વિચારો અને નીતિઓને જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:08 pm

સાધના સોસાયટીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા યુવાન ઈજાગ્રસ્ત:મકાનમાલિકે કહ્યું- પાણી ગરમ કરતા હતા ને બ્લાસ્ટ થયો, ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

રાજકોટમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ દાઝી ગયો છે. શહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો. જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા. જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 20 વર્ષનો યુવાન દાઝી ગયો હતો. આ દરમિયાન બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતા જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું ફાયર બ્રિગેડ વિભાગનું અનુમાન છે. જોકે, મકાન માલિકના કહેવા પ્રમાણે પાણી ગરમ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો છે. જોકે, હાલ ફાયર બ્રિગેડ દ્વારા અહીં રહેણાંક મકાનમાંથી ગેસના બાટલા અને ડીઝલના કેરબા સહિતનો સ્ટોરેજ ખાલી કરી BU પરમિશન સહિતના માન્યતા ડોક્યુમેન્ટ આપવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાર્કિંગમા 40 સિલિન્ડર અને ડીઝલના 5 કેરબા પણ પડ્યા હતારાજકોટ ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, 27 માર્ચના બપોરે 12.55 વાગ્યે સહકાર મેઈન રોડ ઉપર સાધના સોસાયટી શેરી નંબર 2/5 ના ખૂણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડી સાથે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બૂઝાવી નાખી હતી. આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટમાં (G+2) બિલ્ડીંગમાં નીચે પાર્કિંગમા અંદાજે 40 જેટલા ભરેલા LPG સીલીન્ડર તેમજ અંદાજે ડીઝલના 5 કેરબા તેમજ કેટરર્સ સામગ્રીનો જથ્થો હતો. આ ઉપરાંત કાર, એકટીવા, વાસપા પડેલું હતુ. પાણી ગરમ કરતા આગ લાગી હતીજેમાં 2 LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતા. જોકે ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા રહેવાશીઓ તેમજ આજુબાજુ વિસ્તારનાં લોકોની જાનહાનિ થતા અટકી હતી. આગમાં 20 વર્ષીય મોહિતભાઈ ગોહિલ દાઝી ગયા હતા. મકાન માલિક અશોકભાઈ રૈયાણીનાં જણાવેલ મુજબ પાણી ગરમ કરતા આગ લાગી હતી પરંતુ ઘટના સ્થળે LPG સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરવાની ઈલેક્ટ્રીક મોટર જોવા મળી હતી. આગને કારણે ચોક્કસ નુકસાનીનો આકડો જાણવા મળ્યો નથી. જોકે આગની ઘટના બનતા મકાન માલિકને રહેણાંક મકાનમાંથી તમામ સામગ્રીનો સ્ટોરેજ ખાલી કરવા અને તમામનાં માન્યતા ડોક્યુમેન્ટ, BU પરમિશન સર્ટીફીકેટ અને મંજુર પ્લાન ફાયર સ્ટેશને રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આગની ઘટના બનતા ભક્તિનગર પી.આઈ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 4:05 pm

બે મિત્રો સાયબર ઠગના 'એજન્ટ' બન્યા:શેરબજારમાં કમાણીની લાલચે સુરતી વેપારીએ 14.55 લાખ ગુમાવ્યા, 'Prospera X' એપથી છેતરપિંડી કરનારા બે સાગરીતોની ધરપકડ

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે 14.55 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સુરતના વરાછા અને સરથાણા વિસ્તારના વેપારીઓ છે, જેમણે માત્ર 1થી 2 ટકા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને વેચ્યા હતા. 'Prospera X' એપ્લિકેશન દ્વારા જાળ બિછાવીફરિયાદીને સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી 'Prospera X' નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરવા લલચાવવામાં આવ્યા હતા. ઠગોએ એવી ખાતરી આપી હતી કે આ એપ્લિકેશન દ્વારા સ્ટોક ટ્રેડિંગ અને IPOમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો નફો થશે. ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 14,55,000નું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં નફો તો દેખાતો હતો પરંતુ, જ્યારે રૂપિયા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ પૈસાની માંગણી કરવામાં આવતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. મિત્રની દુકાને બેસીને જ ઘડાયો આખો ખેલપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ, રાજેશ રૂડાણી અને પ્રફુલ માંડણકા, ગાઢ મિત્રો છે. પ્રફુલભાઈની સુરતમાં પોતાની દુકાન છે અને રાજેશ પણ ત્યાં જ બેસતો હતો. બંને વેપાર સાથે જોડાયેલા હોવા છતાં રાતોરાત રૂપિયા કમાવવાની લાલચે આ ગુનાહિત માર્ગ અપનાવ્યો હતો. આ બંને મિત્રોએ સાયબર માફિયાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પોતાના અને અન્યના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. એકાઉન્ટમાંથી 1.12 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યાઝડપાયેલા આરોપી રાજેશ રૂડાણીના નામે ખોલાવવામાં આવેલા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એકાઉન્ટની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં કુલ 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ફરિયાદીના 1.05 લાખ પણ સીધા આ જ એકાઉન્ટમાં જમા થયા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર સેલે આ બંને કમિશન એજન્ટો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. દેશભરમાં 14 ફરિયાદો સાથે છેડા જોડાયાનેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું કે રાજેશ રૂડાણીના આ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 14 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ આખા નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.79 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ માત્ર એક એકાઉન્ટનો આંકડો છે, જે સાયબર ક્રાઇમની ભયાનકતા દર્શાવે છે. બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતાઆરોપીઓની પૂછપરછમાં કમિશનના ખેલનો પર્દાફાશ થયો છે. રાજેશ રૂડાણી 1 ટકા કમિશન મેળવીને પોતાના એકાઉન્ટની વિગતો પ્રફુલને આપતો હતો. પ્રફુલ આ વિગતો આગળ હિરેન સુચિત્રા નામના શખ્સને 1.5 ટકા કમિશન પર આપતો હતો. ત્યારબાદ હિરેન આ એકાઉન્ટ્સ દિલ્હીમાં બેઠેલા સાયબર ઠગોને મોકલી આપતો હતો. આમ, સુરતના આ બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતા હતા. સાયબર પોલીસની નાગરિકોને અપીલસુરત સાયબર ક્રાઇમ સેલે આ મામલે ગુનો નોંધી હિરેન સુચિત્રા નામના ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે, કોઈપણ અજાણી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં કે લાલચમાં આવીને અજાણ્યા બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા નહીં. તેમજ નજીવા કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ કે દસ્તાવેજો ભાડે આપવા એ કાયદેસરનો ગુનો છે અને તેમાં જેલની સજા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:59 pm

સાબરકાંઠામાં રક્તદાન અભિયાન: 31 યુનિટ રક્ત એકત્રિત:કાલવણ અને કેસરગંજમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના કાલવણ અને વડાલી તાલુકાના કેસરગંજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ કુલ 31 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આવા રક્તદાન અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યા છે. આ કેમ્પો દ્વારા એકત્રિત ગુણવત્તાસભર રક્ત તાત્કાલિક તબીબી પરિસ્થિતિઓ, પ્રસૂતિ દરમિયાનની જટિલતાઓ અને ગંભીર સર્જરી સમયે દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થાય છે. આ અભિયાનમાં હિંમતનગર સ્થિત GMERS મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ અને બ્લડ બેન્ક તેમજ જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગરનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ સફળ આયોજનથી જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સલામત રક્ત ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા વધુ મજબૂત બની છે. જિલ્લા આરોગ્ય વિભાગે દાતાઓના સેવાભાવને બિરદાવતા જણાવ્યું કે, રક્તદાન માનવજાત પ્રત્યેનું સર્વોત્તમ દાન છે, જે કોઈને જીવનદાન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:57 pm

શહેરા પાસે રિક્ષા-ટ્રેક્ટર અકસ્માત:એક વૃદ્ધ સહિત ચાર મુસાફર ઈજાગ્રસ્ત; સારવાર માટે ખસેડાયા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આંગરીયા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટરે છકડા રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વૃદ્ધ સહિત ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આંગરીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી છકડા રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેક્ટરે ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઈજાગ્રસ્તોની મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેક્ટરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:52 pm

ભાવનગર રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય 'AI વર્કશોપ'નો પ્રારંભ:ગુજરાતના 10 જિલ્લાના 100 શિક્ષકો તાલીમમાં જોડાયા, AI થી ગભરાવાની જરૂર નથી, તેનો સદુપયોગ શીખવો જરૂરી: કલેક્ટર ડો.મનીષ બંસલ

વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5 દિવસની તાલીમ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમમાં ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ શિક્ષકો આવ્યા હતા જેમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર ના કલેકટર જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું શિક્ષણમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ શિક્ષકો નો ઉત્સાહ વધાર્યો હતો, તથા અતિથિ વિશેષ તરીકે ડો. કન્નન શ્રીનિવાસન, પૂર્વ ડાયરેક્ટર, CSMCRI ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, DAIICT ગાંધીનગર, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારશે અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે આ કાર્યોમાં શિક્ષણ, તર્ક, સમસ્યાનું નિરાકરણ, ધારણા, ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની, શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું, આ અંગે કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, તો આપણે પણ અપડેટ રહેવું ખુબ જ જરૂરી છે અને ખાસ કરીને જે શિક્ષક જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેના માટે તો ખાસ જરૂરી છે ​તો એના માટે રીજીનયલ સાયન્સ સેન્ટર ભાવનગર ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી પાંચ દિવસનું આ કોન્ફરન્સ AI ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર શિક્ષકો માટે રાખ્યું છે અને જેમાં આખા ગુજરાતમાંથી શિક્ષકો અહીં આવ્યા છે, ​પોતાના જીવનમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ આ પણ અને સાથે સાથે એની સાથે જેટલા પણ બાળકો જોડાયેલા છે, જેટલા એના સાથી શિક્ષકો છે, જે પરિવારના લોકો છે, જે બીજા ભાઈ બંધો છે તેને પણ શીખવાડશે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI થી ગભરાવાની કોઈ જરૂર નથી. એને આપણે સારી રીતે કેવી રીતે વાપરી શકીએ આ આપણે શીખવાનું છે અને કંટીન્યુઅસ અપડેટ રહીને જે ટેકનોલોજી છે, જે વિજ્ઞાન છે તેનો ઉપયોગ જીવનમાં આપણે કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:49 pm

મંજૂરી વિના વૃક્ષ કાપી નાખતાં 3.24 લાખની નોટિસ:સાયન્સ સીટી રોડ પર કોમ્પ્યુટર એજ્યુકેશનની જાહેરાત દેખાય તેના માટે 12 વૃક્ષનું નિકંદન કરી નાખ્યું

શહેરના સાયન્સ સીટી રોડ પર જાહેરાતના બોર્ડ દેખાય તેના માટે ડિવાઈડરની વચ્ચે લગાવેલા વૃક્ષો કાપી નાખવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા મંજૂરી વિના ઝાડ કાપવા બદલ KICT કોમ્પ્યુટર એજ્યુકેશન નામના ક્લાસીસના સંચાલકને નોટિસ ફટકારી છે. 2000 વહીવટી ચાર્જ અને 120 જેટલા વૃક્ષ ઉગાડી તેની માવજત કરવાની 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી અથવા વૃક્ષો ઉગાડી અને તેના માવજત પેટે 3.24 લાખ રૂપિયા ભરવા માટે જાણ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી વિના ઝાડ કાપી નાખવામાં આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી લીધા વિના વૃક્ષ કાપી નાખ્યા હોવાનું સામે આવ્યુંશહેરના સાયન્સ સિટી રોડ ઉપર અનેક વૃક્ષો આવેલા છે. રોડ પર ડિવાઇડરની વચ્ચે ઘટાદાર વૃક્ષો આવેલા હોવાના કારણે કારણે આ વિસ્તારમાં ઠંડક પણ રહે છે. જોકે, કેટલાક લોકો પોતાના ફાયદા માટે લીલાછમ વૃક્ષો કાપી નાખતા હોય છે. મ્યુ. કોર્પોરેશનના ગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુધી જાણકારી આવી હતી કે, સાયન્સ સીટી રોડ પર અઝોન સોલિસિટર ખાતે આવેલા KICT કોમ્પ્યુટર એજ્યુકેશનના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી લીધા વિના ઉપરના ભાગેથી રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે. જે બાબતે તપાસ કરતા તેમના દ્વારા આ ઝાડ કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર-સંભાળ રાખવાની બાંહેધરી આપવાની રહેશે પર્યાવરણને કરવામાં આવેલા નુકશાનીનાં વળતર પેટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ પ્રતિ વૃક્ષ દીઠ 1000 દંડ+ 1000 વહીવટી ચાર્જ તથા એક વૃક્ષનાં બદલામાં બીજા 10 ગણા (8થી 10 ફુટનાં) એટલે 12 વૃક્ષ સામે બીજા 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર સંભાળ રાખવાની રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી આપવાની રહેશે અથવા 1 નંગ વૃક્ષની સામે નવા 10 વૃક્ષો ઉછેરવા માટે પ્રતિ વર્ષ રૂ. 2500 થવા પાત્ર ખર્ચ પેટે પ્રતિ વૃક્ષ રૂ. 2500 X 120 વૃક્ષના રૂ. 3 લાખ + 12 વૃક્ષનાં રૂ. 24000 (વહીવટી ચાર્જ અને દંડ) મળીને કુલ રૂ.3.24 લાખ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:37 pm

આડાસંબંધમાં મિત્રની માતાની હત્યા કરનારની ધરપકડ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન:વિધવાએ પૈસાની માંગણી કરી બ્લેકમેલિંગ કરતા ગળુ દબાવી દીધું, લાશ કોથળામાં ભરી મકાનમાં રાખી દીધી

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં પરપ્રાંતિય મહિલાની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા ગુનાની કડીઓ જોડવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાની ઓળખ મૂળ મથુરાની વતની 40 વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા તરીકે થઈ છે. તેણીનો મૃતદેહ ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિતના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચની ધરપકડ કરી છે. વિજયે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે, વર્ષ 2021માં રીન્કી દેવી વિધવા બન્યા પછી, તેના પુત્ર રોહિતની મિત્રતાના કારણે તે રીન્કીદેવીના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. રીન્કી દેવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી અને પૈસા ન આપવા બદલ પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપતી હતી. આનાથી કંટાળીને વિજયે 23મી તારીખે રાત્રિના સમયે રીન્કી દેવીને પોતાના કાકાના ઘેર લઈ જઈ લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. જે બાદ રીન્કી દેવીના મૃતદેહને કોથળામાં નાખીને સંતાડી રાખ્યો હતો, તેમજ પોતે પોલીસની સાથે મહિલાને શોધવાનું નાટક પણ કરતો હતો. પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં આખરે તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેને હાલ ઝડપી પાડ્યો છે. તેમજ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:33 pm

ખજોદ ડમ્પિંગ સાઈટમાં ચોથા દિવસે પણ આગ યથાવત:કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે ફરી આગની શક્યતાઓ, ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયાસ

સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઈટમાં આજે સતત ચોથા દિવસે પણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. ગત મંગળવારે સવારે ડિસ્પોઝલ સાઈટમાં લાગેલી આગે ગણતરીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એકંદરે એક કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતાં આસપાસનાં વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો ફાયર વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાંપડી નથી અને તંત્ર દ્વારા પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે જરુરી પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરત મહાનગર પાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ કચરા કૌભાંડમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાને બદલે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઈજારદાર સીડી કોન્ટ્રાક્ટર કચરાનાં ડમ્પિંગનો ઘટસ્ફોટ થયા બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ પ્રતિકુળ અસરઈજારદાર વિરૂદ્ધ એક તરફ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓની પણ સજાનાં ભાગરૂપે બદલી કરવામાં આવી હતી. જો કે, છેલ્લા 52 દિવસમાં બીજી વખત ડમ્પિંગ સાઈટ ખાતે વિકરાળ આગની ઘટનાને પગલે આક્ષેપોનો દૌર શરૂ થયો છે. મંગળવારે સવારે લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગ દ્વારા આજે સતત ચોથા દિવસે પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને ત્યાર સુધી સેંકડો ટન કચરો આગમાં સ્વાહા થઈ ચુક્યો છે અને ખજોદ સહિત આસપાસનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ પ્રતિકુળ અસર જોવા મળી રહી છે. કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે હજી પણ આગની શક્યતાબીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સહિત GPSB દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અલબત્ત, છેલ્લા ચાર દિવસથી કચરામાં લાગેલી આગ હાલમાં અંકુશમાં છે, પરંતુ કચરાની અંદર ઉત્પન્ન મીથેન ગેસનાં કારણે આગની શક્યતા હજી પણ રહેલી હોવાને કારણે તેને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:23 pm

ભરૂચમાં પોલીસ તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો:બ્રહ્માકુમારીઝ દ્વારા માનસિક શક્તિ અને કાયદો-વ્યવસ્થા જાળવણી પર ભાર

ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ‘સિક્યુરિટી વીક’ અભિયાન અંતર્ગત આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં માનસિક તથા આધ્યાત્મિક શક્તિ વિકસાવવાનો હતો. મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમિનાથભાઈએ તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે નિયમિતતા, પ્રામાણિકતા અને સદગુણો દ્વારા પોલીસ કર્મચારીઓ પોતાની માનસિક શક્તિ મજબૂત બનાવી શકે છે તેમ જણાવ્યું. માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા ડાયરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિએ જણાવ્યું કે, આજના સમયમાં માનવીય મૂલ્યોનો અભાવ જોવા મળે છે. સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. તેમણે ઉમેર્યું કે પોલીસ કર્મચારીઓ આધ્યાત્મિક રીતે મજબૂત બનશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ અસરકારક બની શકશે. કાર્યક્રમમાં રાજયોગ મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને સાત દિવસના રાજયોગ અભ્યાસક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ અવસરે ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ અને હેડ ક્વોટર્સ ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમલભાઈ, જયશ્રીબેન સહિત બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનેક ભાઈ-બહેનો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી શરૂ થયેલું આ આધ્યાત્મિક સશક્તિકરણ અભિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:06 pm

'રામમય' ભક્તિમાં લીન બન્યું:રામ મહેલમાં દિવ્ય આરતીમાં SPએ પૂજા અને આરતીમાં લાભ લીધો, લોકોએ શ્રીખંડ તથા મઠો ખાઈ ઉજવણી કરી

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે આજે ગોહિલવાડની સાંસ્કૃતિક નગરી ભાવનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના સુપ્રસિદ્ધ શ્રી રામ મહેલ ખાતે બપોરે ભગવાન રામલલ્લાની દિવ્ય અને ભવ્ય આરતી યોજાઈ હતી, આરતીમાં ભાવનગરના એસ.પી પરિવાર સાથે આરતી અને પૂજાનો લાભ લીધો હતો. સાંજે 4થી 5 વાગ્યા આસપાસ રામ મહેલથી ભગવાનની દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે​આ વર્ષે રામનવમી નિમિત્તે રામલલ્લાનો વિશેષ શણગાર અલ્પેશભાઈ પ્રવીણભાઈ કુકડિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પવિત્ર પ્રસંગે ભાવનગરના નવા ડી.એસ.પી. ડો.નિતેષ પાંડયેએ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાનની આરતીનો લાભ લીધો હતો. મંદિર તરફથી કુકડિયા પરિવાર અને ડી.એસ.પી.ને આશીર્વાદ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, બપોર બાદ ​સાંજે 4થી 5 વાગ્યાના સુમારે રામ મહેલથી ભગવાનની દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ વર્ષે રામનવમીની ઉજવણી બે દિવસ જેવી રહી છેદવે મીઠાઈવાળા કિશનભાઈ એ જણાવ્યું હતું કે, અમારી 100 વર્ષ જૂની પેઢીનો અનોખો અનુભવ છે, જેમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ લોકોમાં રામનવમીનો ઉત્સાહ અનેરો વધ્યો છે, ભાવનગરની પ્રજા નવ નોરતાના ઉપવાસ બાદ રામનવમીના દિવસે શ્રીખંડ, મઠો, ફરાળી ચેવડો અને વેફર જેવી વાનગીઓ સાથે ઉત્સવની ઉજવણી કરી રહી છે, તિથિના ફેરફારને કારણે આ વર્ષે રામનવમીની ઉજવણી બે દિવસ જેવી રહી છે, સરકારી રજા અને તિથિ મુજબના તફાવત છતાં, લોકોમાં ભક્તિ અને ખાણી-પીણીનો ઉત્સાહ અકબંધ રહ્યો છે સમગ્ર ભાવનગર હાલ રામમય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:03 pm

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો:શિખરના સ્થાને હવે ત્રિશૂળ,1 એપ્રિલથી અમલ

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે 77 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. ટ્રસ્ટ દ્વારા શિખરવાળા જૂના લોગોના સ્થાને હવે ત્રિશૂળનો નવો લોગો પસંદ કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી વિધિવત રીતે અમલમાં આવશે. નવા લોગોનો પ્રથમ ઉપયોગ ટ્રસ્ટ સંચાલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અને નૂતન રામ મંદિરે યોજાનાર રામનવમી ઉત્સવના જાહેરાત બોર્ડમાં કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે 1 એપ્રિલથી તમામ જગ્યાએ નવા લોગોનો ઉપયોગ શરૂ કરાશે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણ બાદ તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 18 ઓક્ટોબર, 1949ના રોજ સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટીઓની નિમણૂક કરી હતી. ત્યારથી ટ્રસ્ટના તમામ વિભાગોમાં શિખરવાળા લોગોનો ઉપયોગ થતો હતો. આ લોગો પત્રવ્યવહારો, સાઈન બોર્ડ અને ટ્રસ્ટના તમામ લેખિત વ્યવહારોમાં વપરાતો હતો. 77 વર્ષથી ઉપયોગમાં લેવાતા જૂના લોગોમાં સોમનાથ મંદિરનું શિખર દર્શાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરની ઊંચાઈ ભૂમિતળથી શિખર સુધી 155 ફૂટ છે, જ્યારે તેના ડમરુ ઉપરનો ધ્વજ દંડ 31 ફૂટ અને તેની પરિધિ 1ફૂટ છે. ધ્વજ 104ફૂટનો હોય છે. નવા લોગોમાં દર્શાવેલ ત્રિશૂળ ભગવાન શિવનું આયુધ છે અને તેનો ધાર્મિક મહિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:03 pm

નવસારીમાં 24 કલાકમાં 3ના મોત, 1 ગંભીર:પ્રેમ પ્રકરણ, બીમારીથી કંટાળી બે યુવાનોએ ફાંસો ખાધો, વૃદ્ધ સારવાર હેઠળ

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આપઘાત અને ઝેરી દવા પીવાના ચાર અલગ-અલગ કિસ્સાઓ નોંધાયા છે. આ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે એક વૃદ્ધ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રેમ પ્રકરણ, લાંબી બીમારી અને અગમ્ય કારણોસર આ ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ભીખુભાઈ શાનાભાઈ નાયકા લાંબા સમયથી ફેફસામાં પાણી ભરાઈ જવાની બીમારીથી પીડાતા હતા. સારવાર છતાં સુધારો ન જણાતા તેઓ માનસિક રીતે હતાશ હતા. 26 માર્ચના રોજ સવારે તેમણે પોતાના ઘરે છતના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પુત્ર રોહિતભાઈ નાયકાની જાણ બાદ જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બિલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય મોહમદ સમીર કાદરીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા આપઘાત કર્યો હતો. યુવાન જે છોકરીને પ્રેમ કરતો હતો, તે અન્ય યુવક સાથે પણ સંબંધમાં હોવાની જાણ થતા તે આઘાતમાં હતો. 25 માર્ચની રાત્રે તેણે રૂમના હુક સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મકાન માલિક રાશીદ શાહ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. મરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા આસણાગામના 32 વર્ષીય સંજયભાઈ સુમનભાઈ હળપતિએ ગત 22 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાંચ દિવસની સારવાર બાદ 26 માર્ચના રોજ તેમનું મોત નીપજ્યું હતું. એ.એસ.આઈ. ગોપાળભાઈ આ મામલે ઇન્કવેસ્ટ ભરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે. નવસારીના હરીઓમ નગર, ઘેલખડી ખાતે રહેતા 70 વર્ષીય વાલજીભાઈ પંડ્યાએ ગુરુવારે સવારે કોઈ કારણોસર માદક અથવા ઝેરી પ્રવાહી પી લીધું હતું. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તેઓ અર્ધ બેભાન અવસ્થામાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. ટાઉન પોલીસે આ અંગે જાણવા જોગ નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. નિશાંતકુમારને સોંપી છે. આજના યુવાનોમાં આવેગ પર કાબૂ રાખવાની અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા ઘટી રહી છે. ઘેલખડીમાં વૃદ્ધ દ્વારા લેવાયેલું પગલું સાબિત કરે છે કે એકાંત અથવા માનસિક તણાવ કોઈ પણ ઉંમરની વ્યક્તિને ઘેરી શકે છે. જીવન કિંમતી છે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ મૃત્યુ નથી. જો આપ અથવા આપની આસપાસ કોઈ વ્યક્તિ માનસિક તણાવ કે હતાશા અનુભવી રહી હોય, તો તુરંત જ પરિવારજનો, મિત્રો અથવા નિષ્ણાત કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. પોલીસ તંત્ર આ તમામ મામલે તપાસ કરી રહ્યું છે, પરંતુ સામાજિક સ્તરે જાગૃતિ જ આવા બનાવો અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:01 pm

ખેડબ્રહ્મામાં નવી સ્ટ્રીટ લાઈટનું ખાતમુહૂર્ત:વોર્ડ 2માં રૂ. 6.50 લાખના ખર્ચે કામગીરી શરૂ

ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં નવી સ્ટ્રીટ લાઈટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખના હસ્તે હનુમાનજી મંદિરથી જૂના પુલ સુધીના આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો. આ કામગીરી અંદાજિત 6.50 લાખ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ નવી સ્ટ્રીટ લાઈટોથી વિસ્તારમાં રાત્રિના સમયે રોશની વધશે અને નાગરિકોને સુવિધા મળશે. આ પ્રસંગે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન ભદ્રેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન લતાબેન ભાવસાર, ભાજપ શહેર ઉપપ્રમુખ મિલનભાઈ પટેલ, ભાજપ કિસાન મોરચા પ્રમુખ અમૃતભાઈ પટેલ અને યુવા મોરચા મહામંત્રી હર્ષભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 3:00 pm

અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરાને 7 માસનો ગર્ભ:મહેસાણામાં કોલેજ લઈ જતી વખતે ઈક્કોચાલકે પરિચય કેળવી ગાડીમાં જ જબરદસ્તી કરી

મહેસાણા જિલ્લાના સતલાસણા પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી તેને સાત માસનો ગર્ભ રાખી દેનાર શખસ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ લગ્નની લાલચ આપી જાળવામાં ફસાવીસતલાસણા તાલુકાના ભાલુસણા ગામનો વતની ચૌહાણ વિરેન્દ્રસિંહ ઉર્ફે જીગ્નેશસિંહ વનરાજસિંહ 2024માં 16 વર્ષીય સગીરાને પોતાની ઇક્કો ગાડીમાં બેસાડી સતલાસણા કોલેજ ખાતે લાવ્યો હતો. આ દરમિયાન તેણે સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. પીડિતા સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ તેને લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી. ઇક્કો ગાડીમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ સપ્ટેમ્બર, 2025માં બપોરના સમયે પાલનપુર સધી માતાજીના મંદિર પાસે પોતાની ઇક્કો ગાડીમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર, 2025માં પાલનપુર ખાતે આવેલ એક કેફે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફરીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. લગ્નની ખોટી લાલચ આપી આરોપીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરા સાત માસની ગર્ભવતી બની હતી. પરિવારે હિંમત દાખવીને ફરિયાદ નોંધાવીઆ સમગ્ર મામલો સામે આવતા સગીરાના પરિવારે હિંમત દાખવી સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 87, 64(2)(એન) તેમજ પોક્સો એક્ટ-2012ની કલમ 4, 5(જે)(એલ), 6, 8 અને 12 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:58 pm

લુણાવાડામાં રૂ. 20 કરોડના પોલીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત:મંત્રી કમલેશ પટેલે મહીસાગર પોલીસના આધુનિકીકરણ માટે શિલાન્યાસ કર્યો

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર પોલીસ દળની સુખાકારી અને માળખાગત સુવિધાઓ વધારવા પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પર રૂ. 20 કરોડના વિવિધ પોલીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ અને સરહદી સુરક્ષા મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં અત્યાધુનિક એમ.ટી. સેક્શન, હોર્સ સ્ટેબલ, બેન્ડ સ્ટોર, હોર્સ રાઈડીંગ સ્કૂલ, અવેડો, માઉન્ટેડ રેમ્પ અને અન્ય બિન-રહેણાંકી મકાનો તેમજ એરિયા ડેવલોપમેન્ટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પોલીસ વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક અને સુદ્રઢ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. સરકારનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં 100% પોલીસ જવાનો અને અધિકારીઓને તેમના પરિવાર સાથે રહેવા માટે આવાસ સુવિધા પૂરી પાડવાનો છે. આ માટે, આગામી પાંચ વર્ષમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા 20,000 થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. ચાલુ વર્ષના બજેટમાં આ હેતુ માટે રૂ. 1751 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરતા ઉમેર્યું કે, ડ્રગ્સ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ સાથે ગુજરાત એટીએસ અને મરીન પોલીસ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયથી ગુજરાત કરફ્યુ અને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર આવીને શાંતિ, સલામતી અને સમૃદ્ધિના નવા યુગમાં પ્રવેશ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી તંગદિલીનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત સંપૂર્ણ સુરક્ષિત છે. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ, ઉજ્જવલા યોજના હેઠળ 11 કરોડ ગેસ કનેક્શન અને જનધન ખાતાઓ છેવાડાના માનવી સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહી, 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે સરકાર પર વિશ્વાસ જાળવી રાખવા અપીલ કરી. કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત સમારોહમાં સંતરામપુરના ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોર, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, નગરપાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:44 pm

BRTS કોરીડોરમાં વાહનોની લાંબી લાઈન:વરાછા ઝોનમાં મ્યુ. કમિશનરે લોકોને અટકાવી સ્થળ પર જ શિસ્તનો પાઠ ભણાવ્યો

આધુનિક સુરતની જીવાદોરી સમાન ગણાતી BRTS સેવામાં શિસ્ત જાળવવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. શહેરના ટ્રાફિક અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી, કમિશનરે વરાછા ઝોન-એ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં BRTS કોરીડોરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા ખાનગી વાહનચાલકોને અટકાવી સ્થળ પર જ શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. મ્યુ. કમિશનર સફાઈની સ્થિતિ જોવા નીકળ્યા હતાંઆજરોજ સવારે 8:00 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સુરતના વરાછા ઝોન-એ વિસ્તારમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સ્વચ્છ સુરત અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના માર્ગ પર સફાઈની સ્થિતિ જોતી વખતે કમિશનરનું ધ્યાન બાજુમાં આવેલા BRTS કોરીડોર પર ગયું હતું. વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘનમુલાકાત દરમિયાન જોવા મળ્યું કે, પર્વત પાટિયા અને પુણા કેનાલ રોડ વચ્ચેના સમર્પિત BRTS કોરીડોરમાં, જે માત્ર સિટી બસો અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો માટે અનામત રાખવામાં આવ્યો છે, ત્યાં અનેક ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ બેરોકટોક પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોઈને કમિશનરે તુરંત જ પોતાનો કાફલો અટકાવ્યો હતો અને જાતે જ મેદાનમાં ઉતરીને આ ઘૂસણખોરીને અટકાવી હતી. BRTS કોરીડોરમાં વાહન ન ચલાવવા સમજાવ્યાંકમિશનરે કોરીડોરમાં ઘૂસી આવેલા વાહનચાલકોને અટકાવ્યા હતા. તેમણે માત્ર દંડકીય કાર્યવાહી પર ભાર મૂકવાને બદલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વાહનચાલકોને સમજાવ્યું હતું કે, BRTS કોરીડોર એ માત્ર બસોની ઝડપી અવરજવર માટે છે. જ્યારે કોઈ ખાનગી વાહન તેમાં પ્રવેશે છે, ત્યારે બસની ગતિ ધીમી પડે છે અને હજારો મુસાફરોનો સમય બગડે છે. સુરક્ષાકર્મીઓને પણ સૂચના આપીઘટનાસ્થળે જ કમિશનરે સુરક્ષાકર્મીઓ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે, ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ના ચલાવે તેને લઈને તાકીદ કરવામાં આવ્યા છે. BRTS કોરીડોરમાં ખાનગી વાહનોનો પ્રવેશ એ માત્ર ટ્રાફિકની સમસ્યા નથી, પરંતુ તે જાનલેવા અકસ્માતોનું મુખ્ય કારણ પણ છે. સુરતમાં ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓમાં જોવામાં આવ્યું છે કે કોરીડોરમાં અચાનક આવી જતા વાહનોને કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:40 pm

ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટ:ગેસના ભાવ બમણા થતા 90% કારખાના બંધ

ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. યુદ્ધ શરૂ થયા બાદ નેચરલ અને પ્રોપેન ગેસના ભાવ બમણા થઈ ગયા છે, જેના કારણે ઉદ્યોગકારો માટે કારખાના ચાલુ રાખવા મુશ્કેલ બન્યા છે. મોરબી અને તેની આસપાસ 650 જેટલા નાના-મોટા સિરામિક કારખાના આવેલા છે, જ્યાં 24 કલાક સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. જોકે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયાના લગભગ એક પખવાડિયા પછી, એટલે કે 10 થી 15 માર્ચની આસપાસ, ગેસના અભાવે 90 ટકા જેટલા કારખાના બંધ થઈ ગયા હતા. હાલમાં, ઊંચા ભાવનો નેચરલ ગેસ લઈને ગણતરીના કારખાના જ કાર્યરત છે. મોરબી સિરામિક એસોસિએશનના માજી પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું કે, સિરામિક કારખાનામાં ઉત્પાદન માટે ઇંધણ તરીકે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે. ગેસના અભાવે બંધ થયેલા કારખાના વહેલી તકે ચાલુ થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ ગેસના ભાવ બમણા થવાથી સિરામિક ઉદ્યોગના અસ્તિત્વ સામે ભવિષ્યમાં સવાલ ઊભા થવાની શક્યતા છે. યુદ્ધ પહેલા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ 47 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે મળતો હતો, જેમાં ટેક્સ અલગ હતો. હાલમાં, નેચરલ ગેસ સપ્લાય કરતી કંપનીઓના અધિકારીઓ દ્વારા નવા ભાવ અંગે વાતચીત ચાલી રહી છે. અંદાજે નવો ભાવ 88 થી 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર હોઈ શકે છે, જેના પર ટેક્સ લાગતા કુલ ભાવ 102 રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી જ રીતે, પ્રોપેન ગેસનો ભાવ યુદ્ધ પહેલા 57 રૂપિયા હતો, જે હાલમાં વધીને 125 થી 130 રૂપિયા થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રીમિયમ ભાવે પ્રોપેન ગેસ વેચાઈ રહ્યો છે, જેનો ભાવ અંદાજે 140 થી 160 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો ઊંચા ભાવનો ગેસ લઈને સિરામિક ઉત્પાદનો બનાવવામાં આવે અને તૈયાર માલ પર ભાવ વધારો ન મળે, તો સિરામિક ઉદ્યોગકારોની સ્થિતિ અત્યંત કફોડી બની શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:35 pm

વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓએ સંસદ ભવનની મુલાકાત લીધી:રાષ્ટ્રહિત અને હિન્દુ સમાજના મુદ્દાઓ પર રજૂઆત કરી

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વિશેષ સંપર્ક અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિઓએ રાષ્ટ્ર અને હિન્દુ સમાજને સ્પર્શતા ત્રણ મુખ્ય વિષયો — તીર્થક્ષેત્રોનો વિકાસ, જનસંખ્યા અસંતુલન અને બંધારણીય સમાનતા — પર વિસ્તૃત ચર્ચા કરી અને રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખભરતભાઈ ડાંગરિયા, સહ સંપર્ક પ્રમુખ ભુપેન્દ્રભાઈ વિઠલાણી, મનોજભાઈ ડોડીયા, દીપકભાઈ ગામધા (સૌરાષ્ટ્ર ટોડી સદસ્ય) અને દિનેશભાઈ ડાંગર (બજરંગ દળ વિભાગ સંયોજક) નો સમાવેશ થતો હતો. મુલાકાત દરમિયાન, તીર્થક્ષેત્રોના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ મુદ્દે ભારપૂર્વક જણાવાયું હતું કે ભારતની આત્મા તીર્થોમાં વસે છે અને તીર્થોનો વિકાસ એ જ ભારતનો વિકાસ છે. મંદિરો અને તીર્થોના નાણાંનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિતમાં અને સંસ્કૃતિના સંવર્ધન માટે જ થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તીર્થક્ષેત્રોની પવિત્રતા જાળવવા માટે ત્યાં નશાબંધી અને માંસાહાર પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા તેમજ નદીઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જનસંખ્યા અસંતુલન પર ચિંતા દર્શાવતા, દેશમાં વધી રહેલા જનસંખ્યા અસંતુલન સામે રાષ્ટ્રીય ચિંતનની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે ઘટી રહેલો હિન્દુ પ્રજનન દર (TFR) ભવિષ્યમાં રાજકીય શક્તિમાં ઘટાડો કરી શકે છે. આથી, દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને એક વ્યાપક અને અસરકારક જનસંખ્યા નીતિ લાવવાની માંગણી કરવામાં આવી હતી. બંધારણીય સુધારો (કલમ ૨૯ અને ૩૦) સંદર્ભે, શિક્ષણના ક્ષેત્રમાં હિન્દુ સમાજને પણ લઘુમતી સમુદાયો સમાન અધિકારો મળે તે માટે ભારતીય બંધારણની કલમ ૨૯ અને ૩૦માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે બહુમતી સમાજને પણ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાની સમાન સ્વાયત્તતા મળવી જોઈએ, જેથી શૈક્ષણિક ક્ષેત્રે પ્રવર્તતું અસંતુલન દૂર કરી શકાય. આ મુલાકાતનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશના હિન્દુ સમાજની આકાંક્ષાઓને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં વેગ લાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:26 pm

PTCની વિદ્યાર્થિનીની અધ્યાપકે છેડતી કરી:શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયની ઘટના, વાલીએ DEOને ફરિયાદ કરી

અમદાવાદ શહેરમાં ફરી એકવખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિર્નીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિધાલયમાં PTCની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયએ શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટેલિફોનીક ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:22 pm

કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો ટ્રસ્ટીઓમાં ન ચાલો:કાંતિ ફળદુ હાય હાય.....પટેલ કેળવણી મંડળમાં ભ્રષ્ટાચાર અને ટ્રસ્ટી કાંતિ ફળદુના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચો; 'સમાજ બચાવો- સંસ્થા બચાવો'ના બેનર સાથે ઉપવાસ આંદોલન શરૂ.

જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'પેટલ કેળવણી મંડળ' હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ સામે ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીનીઓના વાલીઓએ ફરી એકવાર ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. વાલીઓનો સીધો આક્ષેપ છે કે કાંતિ ફળદુ ટ્રસ્ટી તરીકે શોભતા નથી, કારણ કે તેઓ ગુંડાઓની ગેંગ બનાવીને સંસ્થાનો વહીવટ કરી રહ્યા છે. કાંતિ ફળદુ હાય હાય અને કાંતિ ફળદુને હટાવો, સંસ્થા બચાવો જેવા ગગનભેદી નારાઓ સાથે વાલીઓએ સંસ્થામાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ કરી છે. આ વિવાદની શરૂઆત થોડા સમય પહેલા થઈ હતી.જ્યારે સંસ્થાના કેમ્પસમાં દીકરીઓને મળવા ગયેલા વાલીઓએ એક અજાણ્યા યુવકને અનધિકૃત રીતે પ્રવેશ કરતા પકડ્યો હતો. વાલીઓએ તકેદારી રાખી તે યુવકને પોલીસને સોંપ્યો હતો. જોકેઆ ઘટના બાદ ટ્રસ્ટી કાંતિ ફળદુએ વાલીઓને પોતાની ઓફિસમાં બોલાવી તેમની સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે. વાલીઓનું કહેવું છે કે, કાંતિભાઈએ તેમને ધમકાવતા કહ્યું હતું કે દીકરીઓને અહીં મૂકી ગયા પછી તમારી જવાબદારી પૂરી થઈ જાય છે, તમારે પોલીસ પાસે જવાની જરૂર નહોતી. તેમણે એવું પણ રટણ કર્યું હતું કે આ સંસ્થા સમાજની નથી પણ ટ્રસ્ટીઓની છે,જે વાતથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનકારી વાલી ચંદ્રેશભાઇ ઝારખાણિયાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, કાંતિભાઈ ફળદુ પોતાના રૂપિયાના જોરે સંસ્થામાં બેઠા છે. કાંતિભાઈ ફળદુ સંસ્થામાં શોભે નહીં કારણકે તે ગુંડાઓની ગેંગ બનાવી રહ્યા છે. અને આવા લોકો સંસ્થામાં ન શોભે તે ગુંડા તત્વોમાં જ શોભે.સંસ્થામાં હાલ જે અણધડ વહીવટ ચાલી રહ્યો છે તે ભણતી દીકરીઓ માટે જોખમી અને નુકસાનકારક છે. ટ્રસ્ટીઓની અભદ્ર ભાષા સંસ્થાની ગરિમા માટે કલંક સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સંસ્થામાં કરોડો રૂપિયાના કોભાંડો થયા છે અને અનેક નિષ્ઠાવાન લોકોને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો આ ભ્રષ્ટ તત્વોને દૂર કરી નવી પેનલ બનાવવામાં આવે તો જ આ સંસ્થા બચી શકે તેમ છે. નાવડા ગામના વાલી પ્રવિણ લાડાણીએ પણ સંસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ દીકરીઓની પરીક્ષા હોવાથી અમે આંદોલન સમેટી લીધું હતું, પરંતુ હવે અન્યાય સહન થાય તેમ નથી. જો આ સંસ્થામાં થયેલા ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અબજો રૂપિયાના કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. તેમણે 'મોલા પટેલ'ના સમયને યાદ કરતા કહ્યું કે, ત્યારે ૧૮૦૦ થી ૨૦૦૦ દીકરીઓ અહીં નિર્ભય થઈને ભણતી હતી, જ્યારે આજે ટ્રસ્ટીઓની બેદરકારી અને ગેરવહીવટને કારણે આ સંખ્યા ઘટીને માત્ર ૬૦૦ થઈ ગઈ છે. મોલા પટેલના શાસનમાં એક ચકલું પણ ફરકી શકતું નહોતું, જ્યારે આજે સુરક્ષાના નામે મીંડું છે. સમીર ભાલોડીયાએ આર્થિક ગેરરીતિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પહેલા કે.સી. વૈષ્નાણી જેવા કેમ્પસ ડાયરેક્ટર એકલા હાથે જે કામ કરતા હતા, તેની સામે અત્યારે ચાર લોકોને બમણા પગાર ચૂકવીને સંસ્થાની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે. ગરીબ અને ગામડાના વાલીઓ જે પોતાની દીકરીઓને ખાનગી શાળામાં મોકલી શકતા નથી, તેમના ભવિષ્ય સાથે આ ટ્રસ્ટીઓ રમત રમી રહ્યા છે. હાલમાં જ આ વિવાદ વકરતા સંસ્થાના પ્રમુખ સવજીભાઈ મેનપરા અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી રતિભાઈ મારડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અત્યારે સંસ્થામાં માત્ર ત્રણ-ચાર ટ્રસ્ટીઓ જ બાકી રહ્યા છે અને કોઈ મુખ્ય હોદ્દેદાર નથી. વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય સંગઠન બનાવવામાં આવે અને કાંતિ ફળદુ જેવા તત્વોને બહાર કરી સંસ્થાના પારદર્શક વહીવટની જવાબદારી સમાજના સારા આગેવાનોને સોંપવામાં આવે, જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સંસ્થાનું અસ્તિત્વ ટકી રહે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:21 pm

કપરાડા તાલુકાની ગ્રામ્ય પ્રાથમિક સ્કૂલોની દયનીય સ્થિતિ:વિરક્ષેત અને માલઘર ગામમાં ઓટલા કે પાડોશના ખાનગી મકાનોમાં ભણવા મજબૂર, મકાનો જર્જરિત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. 'ભણશે ગુજરાત' યોજનાના દાવાઓ છતાં, વિરક્ષેત અને માલઘર ગામોમાં બાળકો જર્જરિત ઓરડાઓમાં અથવા ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. અહીંના બાળકો પાયાની સુવિધાઓથી વંચિત છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણની સ્થિતિ મધ્યયુગીન હોય તેવું લાગી રહ્યું છે. કપરાડાના વિરક્ષેત અને માલઘર ગામમાં બાળકોના માથે છત તો છે, પણ એ ગમે ત્યારે કાળ બનીને તૂટી પડે તેવી જર્જરિત હાલતમાં છે. અહીંના બાળકો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. કપરાડાના વિરક્ષેત ગામના રાસપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાની ઇમારત અત્યંત જર્જરિત છે. અહીં 71 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 શિક્ષકો ઉપલબ્ધ છે. શાળાની દીવાલો અને છતમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે. તેવી જ રીતે, માલઘર ગામના મોહપાડા ફળિયામાં પણ શિક્ષણની સ્થિતિ સારી નથી. અહીં 84 બાળકોના શિક્ષણની જવાબદારી માત્ર 3 શિક્ષકો પર છે. ઓરડાઓની અછતને કારણે બાળકો શાળાના ઓટલા પર અથવા પાડોશના ખાનગી ઘરના છાપરા નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. આ મામલે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, જર્જરિત ઓરડાઓની વિગતો માટે તમામ આચાર્યોને ત્રણ વખત પત્ર લખવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતોના આધારે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવે છે. તેમણે વિરક્ષેત અને માલઘરની સ્થિતિની તપાસ કરી તાત્કાલિક નવા ઓરડા બનાવવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી. આ સ્થિતિ શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. એક તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષકોની વધ જોવા મળે છે, જ્યારે કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષણ પાછળ કરોડોના ખર્ચના દાવાઓ છતાં બાળકોને પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે ત્વરિત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:18 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 30 માર્ચથી પરીક્ષા શરૂ:ત્રણ તબક્કામાં 2.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ગેરરીતિ રોકવા ટેકનોલોજી; મહિલા સ્ક્વોડ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે, જેમાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ડિજિટલ પ્રશ્નપત્ર વિતરણ અને મહિલા સ્ક્વોડ સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે. પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ વિગતવાર કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં 30 માર્ચથી સ્નાતક કક્ષાની સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 4ની પરીક્ષાઓ 9 એપ્રિલ સુધી ચાલશે. બીજો તબક્કો 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી અને અંતિમ તબક્કો 23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે. આ ત્રણેય તબક્કામાં કુલ 120 જેટલી અલગ-અલગ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિઓ અટકાવવા અને સુરક્ષા વધારવા માટે યુનિવર્સિટીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો QPDS (Question Paper Delivery System) અને ERP માધ્યમથી સોફ્ટ કોપીમાં મોકલવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા નિર્ધારિત સમય પહેલા જ પ્રશ્નપત્રો ડિજિટલી પહોંચાડી પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાશે. પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ રાખવા માટે યુનિવર્સિટી દ્વારા મજબૂત સ્ક્વોડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંપરાગત જનરલ અને ફ્લાઈંગ સ્ક્વોડ ઉપરાંત, આ વખતે પ્રથમ વખત વિશેષ 'મહિલા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે. કુલપતિના આદેશ મુજબ, મહિલા સ્ક્વોડની 2 ટીમો યુનિવર્સિટી સંલગ્ન તમામ 6 જિલ્લાઓમાં અલગ-અલગ કેન્દ્રોની મુલાકાત લેશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:17 pm

સિવિલના દર્દીઓના સગાને મળશે આશરો:60 કરોડના ખર્ચે તૈયાર 858 બેડના આધુનિક રેનબસેરામાં કેન્ટીન અને પાર્કિંગ સુવિધા

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે તેમના સગા-સંબંધીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અસારવા સિવિલ કેમ્પસમાં 60 કરોડના ખર્ચે 858 બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફૂટપાથ પર રાત વિતાવવી નહીં પડે. 8 માળનું ભવન અને આધુનિક સુવિધાઓઆ રેનબસેરા 24,436 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળનો સમાવેશ થાય છે. અહીં 280 લોકો એકસાથે જમી શકે તેવી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું છે. આ ઉપરાંત, મનોરંજન માટે ટીવી રૂમ, બેંક ATM અને જીવન જરૂરિયાતની ચીજો માટે 8 દુકાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્વચ્છતા અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થાદર્દીઓના સગા માટે અહીં સ્વચ્છ ડોરમેટરી, સુરક્ષિત લોકર અને પૂરતા શૌચાલયોની સુવિધા છે. ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે સિવિલમાં દર વર્ષે 1 લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે, આ સુવિધાથી હોસ્પિટલના કોરિડોરમાં થતી ભીડ ઘટશે અને સ્વચ્છતા જાળવવામાં સરળતા રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 2:14 pm

પાલનપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત:ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બાલારામ બ્રિજ નજીક સર્જાઈ દુર્ઘટના

પાલનપુરના ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર આજે વહેલી સવારે એક ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ NHIT ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ ચાલુ કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:52 pm

EPS-95 યોજના હેઠળના નિવૃત્ત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન:પેન્શનમાં વધારો, મોંઘવારી ભથ્થું સહિતની માંગ સાથે સાંસદ અને કલેક્ટરને આવેદન સુપરત

વલસાડમાં EPS-95 યોજના હેઠળના નિવૃત્ત કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોંઘવારીના આ સમયમાં માત્ર 1000 થી 2500 રૂપિયાના નજીવા પેન્શનમાં જીવન ગુજારવા મજબૂર બનેલા આ કર્મચારીઓએ તેમની માંગણીઓ સાથે સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ (NAC)ના નેજા હેઠળ આયોજિત પત્રકાર પરિષદમાં નિવૃત્ત કર્મચારીઓએ તેમની ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. આ માંગણીઓમાં નિવૃત્ત કર્મચારીઓને પૂરતું અને સન્માનજનક પેન્શન મળે તે સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે. તેમની પ્રથમ માંગણી છે કે, હાલમાં મળતા નજીવા પેન્શનને વધારીને ઓછામાં ઓછું 7,500 રૂપિયા કરવામાં આવે અને તેની સાથે મોંઘવારી ભથ્થું (DA) પણ આપવામાં આવે. આનાથી નિવૃત્ત કર્મચારીઓ મોંઘવારીનો સામનો કરી શકશે. બીજી માંગણીમાં નિવૃત્ત કર્મચારી અને તેમના જીવનસાથીને સંપૂર્ણ નિઃશુલ્ક તબીબી સારવારની સુવિધા પૂરી પાડવાની વાત છે. ત્રીજી માંગણી 04-11-2022ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચ પેન્શનનો લાભ કોઈપણ ભેદભાવ વગર તમામ નિવૃત્ત કર્મચારીઓને આપવાની છે. ચોથી માંગણી મુજબ, જે નિવૃત્ત કર્મચારીઓ EPS-95 યોજનામાં સામેલ નથી, તેમને પણ દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. આ માંગણીઓનો ઉદ્દેશ્ય તમામ નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. સમિતિના જિલ્લા પ્રમુખ દયારામ ભંડારીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી આ લડત ચલાવી રહ્યા છે અને બુલઢાણામાં 2600 થી વધુ દિવસોથી ક્રમિક ઉપવાસ ચાલુ છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો ચાલુ સંસદ સત્રમાં એટલે કે 2 એપ્રિલ સુધીમાં સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે, તો 3જી એપ્રિલથી દેશવ્યાપી 'રસ્તો રોકો, રેલ રોકો અને આમરણાંત ઉપવાસ' જેવા આક્રમક પગલાં લેવામાં આવશે. આ આવેદન પત્ર આપવા માટે ST નિગમ, GEB, અતુલ કંપની, GIDC, ડિસ્ટ્રિક્ટ બેંક અને ટોરેન્ટ પાવર જેવી વિવિધ સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે સાંસદ ધવલ પટેલ અને શ્રમ મંત્રી મનસુખ માંડવીયાના નામે આવેદન સુપરત કરી વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે. નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પેન્શન વધારાની આશામાં દરરોજ 200 થી 250 વૃદ્ધ પેન્શનરોનું અવસાન થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:48 pm

ધારાસભ્યની ગ્રાન્ટથી જળક્રાંતિનો પ્રારંભ:રાજકોટના વોર્ડ 2 માં 20 રિચાર્જ બોર સાથે ગીરગંગા ટ્રસ્ટનો વિશેષ સહયોગ

રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જળસંચયના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ પહેલ કરવામાં આવી છે. વિધાનસભા 69 મતવિસ્તારના વોર્ડ નં. 2 માં, શીતલ પાર્ક ચોક પાસે આવેલા RMC પ્લોટ ખાતેથી 20 રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ ધારાસભ્યની ખાસ ગ્રાન્ટમાંથી આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સેવાયજ્ઞઆ ભગીરથ કાર્યમાં 1,11,111 જળ સંચય સ્ટ્રક્ચરો બનાવવાનો સંકલ્પ લેનાર સંસ્થા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ સહયોગી બની છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને બોર રિચાર્જ કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે અને પાણીની ગુણવત્તા જળવાઈ રહે. દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ અને જમનભાઈ ડેકોરા સહિતની ટીમ આ કાર્ય માટે જહેમત ઉઠાવી રહી છે. જનતાની સુખાકારી માટે પ્રાથમિકતાઆ પ્રસંગે ડો. દર્શિતાબેન શાહે ભાવુક સ્વરે જણાવ્યું કે, જળસંચય એ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પણ સમાજને જીવનદાન આપવાનું કાર્ય છે. દરેક પરિવારને પૂરતું અને શુદ્ધ પાણી મળે તે તેમની પ્રાથમિકતા છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મયુરભાઈ પાંભર અને અન્ય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોમાં ખુશીની લહેરવર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા વોર્ડ નં. 2 ના રહીશો, ખાસ કરીને મહિલાઓમાં આ નિર્ણયથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ધારાસભ્યનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી તેમના રોજિંદા જીવનની તકલીફોનો કાયમી અંત આવશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:45 pm

સુરત રેલવે સ્ટેશન પર 'થ્રુ રૂફ'નું કામ શરૂ:30 દિવસનો મેગા બ્લોક; અમરાવતી અને બાંદ્રા સહિતની ટ્રેનો હવે સુરતને બદલે ઉધનાથી ઉપડશે

સુરત સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત પ્લેટફોર્મ નંબર 02/03 અને 04 વચ્ચે 'થ્રુ રૂફ' (છત) લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ હેતુસર રેલવે તંત્ર દ્વારા 30 દિવસ માટે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર (TWO) જાહેર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સુરતથી અવરજવર કરતી લાંબા અંતરની ટ્રેનો પર પડશે. કેટલીક ટ્રેનોને સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઓપરેટ કરવાનો નિર્ણયરેલવેના સત્તાવાર અહેવાલ મુજબ, આ કામગીરી 30 માર્ચ 2016થી શરૂ થઈને સતત 30 દિવસ સુધી ચાલશે. આ ગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોને સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, ટ્રેન નંબર 12936 (સુરત-બાંદ્રા ટર્મિનસ) તેના નિયમિત સમય મુજબ દોડશે, પરંતુ તેમાં ટ્રેન નંબર 12935ના રેકનો ઉપયોગ કરવામાં આવશે. ખાલી રેકને લાવવા માટે રેલવે દ્વારા વધારાના ક્રૂ મેમ્બર્સની ફાળવણીબ્લોકનો સમય પૂર્ણ થયા બાદ ખાલી રેકને ઉધનાથી સુરત લાવવા માટે રેલવે દ્વારા વધારાના ક્રૂ મેમ્બર્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 69109 (સુરત-ભરૂચ)ના ક્રૂ મેમ્બર્સ પણ નિર્ધારિત સમય કરતા બે કલાક વહેલા સાઈન-ઓન કરીને ઉધનાથી ખાલી ટ્રેન સુરત લાવવાની કામગીરી સંભાળશે. આ ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર?

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:38 pm

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે EVM-VVPATની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ:આણંદમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ આયોજન

ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ, 111-ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીને લઈને EVM અને VVPAT મશીનોની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) મારફતે હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન રાષ્ટ્રીય તેમજ રાજ્ય માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેના કારણે સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પ્રથમ રેન્ડમાઇઝેશન અંતર્ગત વિવિધ મતવિસ્તારો માટે EVM અને VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતવિસ્તારવાર ફાળવાયેલા મશીનોની યાદી તમામ રાજકીય પક્ષોને જિલ્લા કક્ષાએ શેર કરવામાં આવશે. ત્યારબાદ આ મશીનો રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને સોંપવામાં આવશે અને તેમને એસેમ્બલીના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે. ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ પ્રથમ રેન્ડમાઇઝેશનમાં ફાળવાયેલા EVM અને VVPAT અંગેની વિગતો તમામ ઉમેદવારો સાથે પણ વહેંચવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:37 pm

સ્વિફ્ટ કારની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે બાતમી આધારે યુવકને રોકતા સાગવાડીનો શખસ 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, પોલીસે ગુનો નોંધી જેલભેગો કર્યો

સિહોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવી મારૂતિ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારની તપાસ કરતા ડિકીમાં જબલામાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂપિયા 3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે કારચાલક શખ્સ સામે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની હેરાફેરીની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીઆ બનાવ અંગે સિહોર પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ દરમિયાન શિહોર ટાણા ચોકડી નજીક બાતમી મળી હતી કે, સિહોરના સાગવાડી ગામનો રહેવાસી હાર્દીકભાઈ મકવાણા પોતાની મારૂતિ સ્વિફ્ટ કાર નં.(GJ-04-EA-3683)માં વિદેશી દારૂ ભરી સાગવાડી ગામથી શિહોર તરફ આવી રહ્યો છે. પોલીસે 3.65 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યોમાહિતીના આધારે પોલીસે લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મોડી રાત્રે બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની ડિક્કીમાં ભરેલા જથ્થામાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 114 નંગનો જથ્થો, જેની કિંમત રૂપિયા 65,100 તથા, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂપિયા 3,65,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હાર્દીકભાઈ મકવાણા ઉ.વ 22 સિહોરના સાગવાડી ગામના રહેવાસી સામે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 1:11 pm

મદ્રેસામાં સાફ-સફાઈ કરનારે જ બુરખો પહેરી ચોરી કરી:અબ્દુલ સમદે પહેલાં 7.50 લાખની ચોરી કરી, પછી ઓફિસ ફૂંકી મારી; CCTVના આધારે ધરપકડ

સુરત શહેરના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી મદ્રેસામાં ચોરી અને આગજનીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીના પુરાવા મટાવવા માટે ઓફિસમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પણ મદ્રેસામાં જ સાફ-સફાઈની સેવા આપતો અબ્દુલ સમદ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેવા કરવાના બહાને કરી ઓફિસની રેકીપકડાયેલ આરોપી અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં નોકરી કરતો હતો અને હાલમાં અત્તર તેમજ ટોપી વેચી ગુજરાન ચલાવતો હતો. તે ઉનની આ મદ્રેસામાં અવારનવાર સેવા ભાવે સાફ-સફાઈ કરવા માટે જતો હતો. આ સેવાના ઓઠા હેઠળ તેણે મદ્રેસાની ઓફિસની સંપૂર્ણ રેકી કરી લીધી હતી. તેને ખબર હતી કે ઓફિસના કબાટમાં દાનના લાખો રૂપિયા રાખવામાં આવે છે. આ જ લાલચમાં તેણે ચોરીનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. બુરખો પહેરી 7.50 લાખની મત્તા પર કર્યો હાથફેરો24 માર્ચના રોજ વહેલી સવારે આશરે 03:45 વાગ્યે આરોપી અબ્દુલ સમદ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મદ્રેસામાં પ્રવેશ્યો હતો. તેણે ઓફિસનું તાળું તોડી અંદર રાખેલા ડોનેશનના રોકડા 7,50,000 અને કિંમતી મોબાઈલ ફોન મળી કુલ 8,45,000 ની મત્તાની ચોરી કરી હતી. બુરખો પહેરેલો હોવાથી તેને લાગ્યું હતું કે તે પોલીસની નજરમાંથી બચી જશે, પરંતુ તેની ચાલવાની ઢબ તેને ભારે પડી ગઈ. પુરાવા નાશ કરવા દસ્તાવેજો અને CCTV સળગાવ્યાચોરી કર્યા બાદ આરોપીને ડર હતો કે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેની કરતૂત કેદ થઈ ગઈ હશે. આથી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે ઓફિસમાં પડેલા કાગળો અને દસ્તાવેજો ભેગા કરી આગ ચાંપી દીધી હતી. આ આગમાં મદ્રેસાના વર્ષો જૂના અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. તેણે સીસીટીવી ડિવાઈસને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી કોઈ પુરાવા ન બચે. CCTV ફૂટેજમાં કેદ થઈ 'ભેદી' હિલચાલઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મદ્રેસાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને એક શખ્સ બુરખો પહેરીને શંકાસ્પદ હાલતમાં પ્રવેશતો દેખાયો હતો. બુરખો પહેરેલો હોવા છતાં, તે શખ્સની ઊંચાઈ અને શારીરિક બાંધો મદ્રેસામાં આવતા-જતા લોકો સાથે મેચ કરવામાં આવ્યો, જેમાં અબ્દુલ સમદ પર પોલીસની શંકા દ્રઢ થઈ હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યોભેસ્તાન પોલીસે શંકાના આધારે અબ્દુલ સમદની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ જ્યારે પોલીસે તેને પુરાવા બતાવ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલાત કરી હતી કે દેવું વધી ગયું હોવાથી અને ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને પકડાઈ જવાના ડરે આગ લગાવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:58 pm

આણંદ BAPS મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો જન્મોત્સવ ઉજવાયો:રાત્રે મહાઆરતીમાં હજારો ભક્તો ઉમટ્યા, ધારાસભ્ય પણ હાજર રહ્યા

આણંદ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો જન્મોત્સવ 'શ્રી હરિ પર્વ' અંતર્ગત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે ગુરુ પૂજનથી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન મંદિરમાં સત્સંગ દીક્ષા મહાયાગ અને અખંડ ધૂન જેવા આયોજનો પણ થયા હતા. જન્મોત્સવના મુખ્ય પ્રસંગે રાત્રે 10:10 વાગ્યે ભગવાનના પ્રાગટ્ય સમયે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ આરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલ (બાપજી) અને એનીકોન કંપનીના ચેરમેન તથા એમડી પ્રયાશ્વિનભાઈ પટેલ પણ આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ભગવદ્ચરણ સ્વામી, કોઠારી યજ્ઞસેતુ સ્વામી સહિતના સંતો અને મહાનુભાવોએ આરતી ઉતારી ભગવાનના ચરણોમાં ભક્તિ અર્પણ કરી હતી. આરતી બાદ ભગવાનને સુશોભિત પારણે ઝુલાવવામાં આવ્યા હતા. સંતો અને ભક્તો દ્વારા જન્મોત્સવના પદો તથા કીર્તનો ગવાતા સમગ્ર પરિસર 'જય સ્વામિનારાયણ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ દિવ્ય દર્શન અને પ્રસાદનો લાભ લઈ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય ઉત્સવને સફળ બનાવવા માટે મંદિરના સ્વયંસેવકો અને યુવક મંડળ દ્વારા રાત-દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે હજારોની મેદની હોવા છતાં વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:40 pm

ગણદેવી સુગર ફેક્ટરીમાં ગેસ લીકેજની મોકડ્રીલ:6 કામદાર ગૂંગળાયા, તંત્રની સજ્જતા ચકાસાઈ

ગણદેવી સ્થિત સુગર ફેક્ટરીમાં આજે ગેસ લીકેજની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આલ્કોહોલ ટેન્કરમાંથી ગેસ ગળતર થવાનો દ્રશ્ય ઊભું કરાયું હતું, જેના કારણે શરૂઆતમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોકડ્રીલના ભાગરૂપે, ફેક્ટરી પરિસરમાં ઉભા રાખવામાં આવેલા આલ્કોહોલ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાનો સંકેત આપવામાં આવ્યો હતો. આ દ્રશ્યને કારણે સ્થળ પર હાજર 6 જેટલા કામદારોની તબિયત લથડતી દર્શાવવામાં આવી હતી, અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ અને ગણદેવી પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ત્વરિત કાર્યવાહી કરીને લીકેજ થઈ રહેલા કન્ટેનર પર પાણીનો મારો ચલાવી ગેસને હવામાં ફેલાતો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ગેસ લીકેજ બંધ કરવામાં સફળતા મળી હતી. જ્યારે તમામ વિભાગોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો, ત્યારે જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ એક મોકડ્રીલ હતી. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ગેસ લીકેજ જેવી કટોકટી સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ, પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રતિભાવ ક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. ઓપરેશન સફળ રહેતા અને તંત્રની કામગીરી સંતોષકારક જણાતા ઉચ્ચ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:14 pm

સુરતમાં વેસુની ભગવાન મહાવીર કોલેજમાં શોર્ટ સર્કિટથી આગ:નર્સિંગ વિભાગની ઓફિસમાં અફરાતફરીનો માહોલ, એસીનું વાયરિંગ અને પડદા બળીને ખાખ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજમાં આજે આગ લાગવાની ઘટના બનતા શૈક્ષણિક આલમમાં ચિંતા પ્રસરી ગઈ હતી. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આ આગને કારણે કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ઓફિસમાં ધુમાડાના ગોટા નીકળ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, ભગવાન મહાવીર કોલેજમાં આ ઘટના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં બની હતી. ઓફિસમાં લાગેલા એસીના વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. વાયરિંગમાં લાગેલી આગે જોતજોતામાં ઓફિસની બારીના પડદાને ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઓફિસમાં ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યોઆગની જાણ થતા જ કોલેજ તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વેસુ ફાયર સ્ટેશન અને ભીમરાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. સબ ફાયર ઓફિસર કિશોર પટેલની આગેવાનીમાં ફાયરના જવાનોએ બંને ગેટની ટીમ સાથે મળીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જાનહાનિ ટળી પણ માલસામાનને નુકસાનરાહતની વાત એ છે કે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જે સમયે આગ લાગી ત્યારે ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. જોકે, આગમાં એસીનું વાયરિંગ અને ઓફિસના પડદા સળગીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ બીજા રૂમો કે ઉપરના માળે પ્રસરતા અટકી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:07 pm

આણંદ લોહાણા સમાજે રામનવમીની ભવ્ય ઉજવણી કરી:વલ્લભ વિદ્યાનગર, આણંદમાં કાર્યક્રમો; અતુલભાઈ પાવાગઢીનું સન્માન

આણંદ જિલ્લામાં રામનવમીના પવિત્ર પર્વની લોહાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ આ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરમાં નૂતન વસ્ત્રો ભેટ ધરવામાં આવ્યા હતા. મંડળના પ્રમુખ રાજેશભાઈ કારિયા અને ઉપસ્થિત સભ્યોએ સમૂહ આરતી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ઉપપ્રમુખ જયેશભાઈ ઠકરારે કર્યું હતું. તે જ દિવસે સાંજે, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન આણંદ દ્વારા અમૃત વાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રામનવમીના પાવન દિવસે યજમાન પરિવાર મહેન્દ્રભાઈ સૂચક દ્વારા આરતી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રીનાબેન કારિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સૂચક પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને ફરાળ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સંસ્થાના ઉપપ્રમુખ અતુલભાઈ પાવાગઢી ગુજરાત લોહાણા સમાજ ફોરમના મધ્ય ઝોનના પ્રમુખ બન્યા હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના તમામ લોહાણા સંગઠનોએ તેમને બિરદાવ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન આણંદના પ્રમુખ રીનાબેન કારિયા અને તેમની ટીમે શાલ ઓઢાડીને અતુલભાઈનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળ દ્વારા પણ તેમને સન્માનિત કરાયા હતા. વલ્લભ વિદ્યાનગરના શ્રી લોહાણા મિત્ર મંડળના પ્રમુખ રાજેશભાઈ કારિયા અને તેમની કારોબારી ટીમે પણ સન્માન કર્યું. કન્યા છાત્રાલય અને વિદ્યાર્થી ભવનના હોદ્દેદારો પ્રવીણભાઈ ઠક્કર અને પ્રો. ચંદ્રકાંત તન્નાએ પણ અતુલભાઈ પાવાગઢીનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ, આણંદના પ્રખ્યાત કલાકાર ગીરીબાપુ અને તેમની ટીમે સુંદરકાંડના પાઠનું રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રામનવમીની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. રાજેશભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:07 pm

ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની સ્કોલરશીપનું વિતરણ

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 13.96 લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણકાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા મુજબ વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં કુલ 27.61 લાખ વિદ્યાર્થીઓને ₹1871.71 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. નમો લક્ષ્મી અને સરસ્વતી યોજનાનમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ 2024-25થી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1438.06 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. સાથે જ 80 ટકા હાજરી ધરાવતી વિદ્યાર્થીનીઓને માર્ચ 2026 સુધીમાં ₹200 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. બીજી તરફ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.5 લાખથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ₹220 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જેમાંથી 80 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને આગામી તબક્કે ₹60 કરોડથી વધુની રકમ આપવામાં આવનાર છે. મેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓમુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ અત્યાર સુધીમાં 75,000 વિદ્યાર્થીઓને ₹119.1 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે અને બીજા સત્ર માટે ₹57 કરોડથી વધુની ચુકવણી થવાની છે. ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 90,000 વિદ્યાર્થીઓને ₹94.55 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે આગામી તબક્કે ₹36 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવશે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહનરાજ્યમાં Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કલ્ચર વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ અથવા ઇનોવેશન આઈડિયા માટે ₹20,000 સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 કાર્યક્રમ દરમિયાન 110 વિદ્યાર્થીઓને ₹3.22 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા કક્ષાએ 735 વિદ્યાર્થીઓને ₹69.68 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ યોજનાઓ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા અને આત્મનિર્ભરતા વધારવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણ સાથે નવીનતા તરફ આગળ વધતા વિદ્યાર્થીઓ માટે આ પહેલ એક મજબૂત આધાર બની રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:07 pm

હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બંધ:100 મીટર દૂર કટ આપતા લોકો રોંગ સાઈડમાં ઘુસ્યા, AMCનું કામ ટ્રાફિક પોલીસે કર્યું

શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે મુખ્ય ચાર રસ્તા છે તેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે ત્યાંથી વાહનચાલકો જઈ શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરી કેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા હોવાથી ટ્રાફિક ઓછો થયો છે. પરંતુ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. 100 મીટર ફરીને જવાની જગ્યાએ લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છેય ડિવાઈડર કટ બંધ કર્યા છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં જે લોકો જઈ રહ્યા છે તેમને રોકવામાં આવ્યા નથી. મુખ્ય ચાર રસ્તા પર ડિવાઇડર બનાવાતા નથીજ્યારે પણ રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તા પર આમને સામને અવરજવર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે અને ઇજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે, ત્યાર બાદ સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે: ટ્રાફિક ડીસીપીટ્રાફિક ડીસીપી (પૂર્વ) નરેશ કણજારીયાએ જણાવ્યું કે, પૂર્વમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા મુખ્ય ટ્રાફિક જંકશનનો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસ કર્યા બાદ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર બેરીકેડીંગ લગાવી તેને બંધ કરી અને 100 મીટર દૂર તેના કટ આપવામાં આવે અને સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે. હીરાવાડી ચાર રસ્તા ખાતેના મુખ્ય જંકશનને બંધ કરી બંને તરફ 100 મીટર કટ આપવામાં આવ્યો છે. જેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી નથી. જે લોકો રોંગ સાઈડ જઈ રહ્યા છે તેઓને વિનંતી છે કે ટ્રાફિક વ્યવસ્થિત ચાલે તેના માટે રોંગ સાઈડ જાય નહીં. જે કટ બંધ કરવામાં આવ્યા છે ત્યાંથી 100 મીટર દૂર કટ આપેલા છે. જ્યાંથી વાહન ચાલકો જઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને કામગીરી કરવામાં આવી રહી છે જે પ્લાનિંગ આપવામાં આવે છે. માં સહયોગ આપી આ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:03 pm

આવતીકાલે મુખ્યમંત્રી હસ્તે થશે ખાતમુહૂર્ત:જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે પાણી ભરાયેલુ ન રહે તે માટે એક કરોડથી વધુના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવાશે

• મુખ્યમંત્રીના હસ્તે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. જેમાં વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો-દુકાનો સહિતના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે 1.25 કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ હવે રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામનું ખાતુમહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં વોંકળો પણ પસાર થઈ રહ્યો હોવાથી હવે ત્યાં સ્લેબ કલ્વર્ટ બનાવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાપુનગર સ્મશાનથી શરૂ કરી નાડોદાનગર વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે આ રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ.632.13 કરોડના 44 વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે કુલ રૂ.543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં બાંધકામ વિભાગના રૂ.368.01 કરોડના કુલ 29 કામો, વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ.173.17 કરોડના 7 કામો, ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ.1.96 કરોડના 3 કામો અને રોશની વિભાગ દ્વારા રૂ.75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:03 pm

SMCના પાપે ફિલ્ટર પાણી ગટરમાં વહ્યું:મજુરા ગેટ પાસે લાઈનમાં ભંગાણ; સ્થાનિકોની ફરિયાદ બાદ પણ સમારકામ નહિ

શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા મજુરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવે છે, ત્યારે પાણી રસ્તા પર રેલાય છે. લાખો રૂપિયા ખર્ચીને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરવામાં આવેલું પીવાનું પાણી ગટરમાં વહી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અમે વારંવાર પાલિકાના ઝોન ઓફિસમાં અને હાઈડ્રોલિક વિભાગના ઈજનેરોને જાણ કરી છે, પરંતુ તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પાછળ કરોડોનો ખર્ચસુરત શહેર દેશભરમાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને લીકેજ ડિટેક્શન મશીનરી પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ મજુરા ગેટ જેવી મુખ્ય જગ્યાએ જ્યારે ઘણા દિવસો સુધી લીકેજ સમારકામ વગર પડ્યું રહે, ત્યારે આ ટેકનોલોજી અને સિસ્ટમ સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થાય છે. શું પાલિકાના ઈજનેરો પાસે આ લીકેજ રિપેર કરવા માટે પૂરતો સમય નથી? કે પછી તેમને પ્રજાના ટેક્સના પૈસે શુદ્ધ થયેલા પાણીની કિંમત સમજાતી નથી? આ પ્રશ્નો આજે દરેક સુરતીના મનમાં ઉઠી રહ્યા છે. ‘જળ એ જ જીવન’ના સૂત્રો માત્ર કાગળ પરએક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા અખબારો અને સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો અને નળ ખુલ્લા ન રાખો. બીજી તરફ, પાલિકાના જ મેઈન્ટેનન્સ વિભાગની બેદરકારીને કારણે પાણી ગટરમાં વહી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 12:00 pm

ઝડપની મજામાં જીવ ગુમાવ્યો:માણસા પાંજરાપોળ વળાંક પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા આનંદ રાવળ નામના બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કલસી પુરા પાટા ગામના રહેવાસી કાનાભાઈ અમરાભાઇ ખાંટ વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની માલિકીનો દસ ટાયર વાળો ટર્બો ટ્રક લઈને રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોતઆ દરમ્યાન માણસા બજાર ક્રોસ કરી તેઓ પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યા હતા .ત્યારે સામેથી આવતી એક બાઇક (નંબર GJ-02-EE-9523) પૂરપાટ ઝડપે ટ્રકને અથડાઈ હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામનો રહેવાસી આનંદ રાવળ પોતાની બાઈક અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન વળાક પાસે નિયંત્રણ ગુમાવતા બાઇક ટ્રકને અથડાઈ હતી. જેના કારણે ચાલક આનંદ રાવળ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવીઆ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇસમોને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક કાનાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 11:57 am

મોરબી જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ પદ રોટેશન જાહેર:મોરબી જિલ્લા પંચાયત ST અનામત; મોરબી, હળવદ તાલુકા પંચાયતમાં સામાન્ય સ્ત્રી અનામત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મુરતિયાને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી બાજી ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરીને તેજ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે રાજ્ય સરકારે મોરબી જિલ્લા અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ જાહેરાત મહત્વપૂર્ણ છે. ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું નવું રોટેશન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત છે. જો કે, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી-હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તથા ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 11:51 am

સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ:ચાર્જ અધિકારીઓ અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027 માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ચાર્જ અધિકારીઓ માટે 16 અને 17 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ફિલ્ડ ટ્રેનર્સ માટે 25 થી 27 માર્ચ 2026 દરમિયાન ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (સેન્સસ) દ્વારા તાલીમમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના 10 તાલુકા મામલતદાર, 5 નગરપાલિકાના ચીફ ઓફિસરો અને મહાનગરપાલિકાના ચાર્જ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ તમામ અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાર્જ અધિકારી તરીકે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ કરશે. તેમને વસ્તી ગણતરી સંબંધિત માર્ગદર્શિકા, પ્રક્રિયા, ડિજિટલ સિસ્ટમ અને કામગીરીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ચાર્જ અધિકારીઓની મુખ્ય જવાબદારીઓમાં વહીવટી એકમોની યોગ્ય રચના કરવી, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવી તેમજ એન્યુમરેટર અને સુપરવાઈઝરોને તાલીમ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ 2 માસ્ટર ટ્રેનર અને તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ કુલ 54 ફિલ્ડ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેમણે પોતાની તાલીમ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા સંપૂર્ણ અને ચોક્કસ વસ્તી ગણતરી થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે અને નિવાસી અધિક કલેક્ટર જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીની તમામ કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વસ્તી ગણતરીની કામગીરી બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ સેલ્ફ એન્યુમરેશન (SE) પ્રક્રિયા 5 એપ્રિલ 2026 થી 16 એપ્રિલ 2026 દરમિયાન હાથ ધરાશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) 20 એપ્રિલ 2026 થી 15 મે 2026 દરમિયાન યોજાશે. બીજો તબક્કો, એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE), 8 ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા હોવાથી જિલ્લાના તમામ અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલન, જવાબદારી અને પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 11:44 am

વલસાડ: માજી સરપંચના પતિએ ₹10.52 લાખની લોન હડપી:નકલી સિક્કા-સહીથી છેતરપિંડી, ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ

વલસાડ જિલ્લામાં સરકારી દસ્તાવેજોની ખોટી બનાવટ કરી બેન્કને છેતરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મગોદ ગામના માજી સરપંચના પતિ અને હાલના ગ્રામ પંચાયત સભ્ય દીપેશ પટેલે પંચાયતના નકલી સિક્કા અને ખોટી સહીના આધારે ₹10.52 લાખની લોન મેળવી હતી. વલસાડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં માજી સરપંચ સંધ્યાબેન પટેલ (ટર્મ 2017–2023) અને તેમના પતિ દીપેશ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. દીપેશ પટેલ હાલમાં મગોદ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે. તપાસ મુજબ, આરોપી દીપેશ પટેલે પોતાના સસરાના નામે રહેલું મકાન (ઘર નં. 587) ખોટી રીતે પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરી તેના દસ્તાવેજો બનાવ્યા હતા. લોન મેળવવા માટે, આરોપીએ સુયોજિત રીતે નકલી પુરાવા તૈયાર કર્યા હતા. તેણે પંચાયતના તલાટી-કમ-મંત્રીના નામે ખોટા રબર સ્ટેમ્પ બનાવ્યા, તલાટી અને વર્તમાન સરપંચની ખોટી સહીઓ કરી, તેમજ વેરા રસીદ અને રહેઠાણના બોગસ દાખલા બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે, દીપેશ પટેલે વાપી સ્થિત 'યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક'માંથી ₹10,52,000ની લોન મેળવી હતી. મગોદના તલાટી-કમ-મંત્રી ચિરાગ પંડ્યાને આ દસ્તાવેજો અંગે શંકા જતાં તેમણે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પંચાયત દ્વારા આવા કોઈ દસ્તાવેજ જારી કરવામાં આવ્યા નહોતા. આ ખુલાસા બાદ, તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 471 અને 114 હેઠળ ગુનો નોંધી દીપેશ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ કૌભાંડમાં બેન્કના કોઈ કર્મચારી અથવા પંચાયતના અન્ય સભ્યોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 11:44 am

વલસાડમાં ગરમી યથાવત, કપરાડામાં પારો 40°C પાર:વલસાડમાં 37°C તાપમાન, બપોરે લૂ લાગવાની શક્યતા

વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 37C નોંધાયું હતું. ગઈકાલે 38C સુધી પહોંચેલા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં ગરમીથી ખાસ રાહત મળી નથી. બપોરના સમયે ગરમ લૂ ફૂંકાવાની શક્યતા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર બની છે. ખાસ કરીને કપરાડામાં તાપમાન 40C ને પાર જતાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ધરમપુરમાં પણ પારો 38C થી 39C વચ્ચે રહેવાની શક્યતા છે. વાપી વિસ્તારમાં તાપમાન 35C થી 37C વચ્ચે નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના ઉમરગામમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તાપમાન 34C આસપાસ રહેવાની શક્યતા છે. સવારથી જ તીખો તડકો શરૂ થતાં લોકો વહેલી સવારે જ પોતાના કામકાજ પતાવવા નીકળી પડ્યા હતા. સવારે 10 વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. બપોરના સમયે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી લગભગ 11 mphની ઝડપે ફૂંકાતા ગરમ પવનને કારણે લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગરમીના કારણે બપોરે શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં લોકોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, તેમજ વધુમાં વધુ પાણી, છાસ અને લીંબુ પાણી જેવા પ્રવાહી પદાર્થો લેવાની અપીલ કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો સાંજના સમયે દરિયા કિનારે જઈ શીતળ પવનોની મજા માણતા જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 11:37 am

ભરૂચના શક્તિનાથ મંદિરમાં લાખોની ચોરી:તસ્કરો ચાંદીના છત્ર, નાગ સહિત આભૂષણ લઈ ફરાર

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે. ગત મધરાત્રિ બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, ચાંદીનો નાગ અને ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય આભૂષણો ચોરી ગયા હતા. ચોરી બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સવારે નિયમિત પૂજા માટે આવેલા પૂજારી નૈનેષ જોષીએ મંદિરના દરવાજા ખોલતા ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પૂજારીના જણાવ્યા અનુસાર, મંદિરમાંથી અંદાજે રૂપિયા ૩ થી ૪ લાખની કિંમતની સામગ્રી ચોરાઈ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે, તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે. ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:54 am

અમરેલીમાં કુંકાવાવ ચોકી રોડ પર રેલવે ફાટક નજીક અકસ્માત:અજાણ્યા વાહનની ટક્કરે 2 રાહદારી ઘાયલ, એકની હાલત ગંભીર

અમરેલી જિલ્લામાં કુંકાવાવ ચોકી રોડ પર રેલવે ફાટક નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને બે રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્યને સામાન્ય ઈજા પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે રાહદારીઓને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કુંકાવાવ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં આણંદભાઈ ભાલીયાને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે પરેશભાઈને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:50 am

જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ મોટી કાર્યવાહી:બચુનગરમાં 12,000 ચો.મી. ગેરકાયદેસર બાંધકામ તોડી 2 કરોડની જમીન ખુલ્લી કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા એક ધાર્મિક સ્થળ (જમાતખાના)નું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં બે માળ સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમની મુલાકાત બાદ જામનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના આદેશ બાદ આ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમ સહિત 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સવારે બચુ નગર પહોંચ્યો હતો. ડિમોલેશન દરમિયાન સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી પણ મદદમાં જોડાઈ હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ આ સમગ્ર કાર્યવાહી વહેલી સવારથી જ સ્થળ પર શરૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:46 am

અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે 15 લાખની છેતરપિંડી કરી:26 ટન લોખંડના સળિયા માટે એડવાન્સ પેમેન્ટ લઈને સપ્લાય ન કરતા પોલીસ ફરિયાદ

અમરેલી શહેરના એક કોન્ટ્રાક્ટર સાથે ₹15 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદના એક શખ્સે લોખંડના સળિયા ન આપીને આ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મયંકભાઈ જયંતિભાઈ માંગરોળિયા, જેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે અમદાવાદના હિરેનભાઈ સખરેલિયા પાસેથી આશરે 26 ટન લોખંડના સળિયા મંગાવ્યા હતા. હિરેનભાઈ 'બાલાજી એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ચલાવે છે. આ લોખંડ માટે મયંકભાઈએ હિરેનભાઈની પેઢીમાં એડવાન્સ પેટે કુલ ₹15,13,092 RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આરોપી હિરેનભાઈએ ન તો લોખંડના સળિયા મોકલ્યા કે ન તો રકમ પરત કરી. આ ઘટના બાદ મયંકભાઈ માંગરોળિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ સખરેલિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:30 am

લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':થોડી જ વારમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મંચ ગજવશે, જનમેદની ઉમટી

દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે રાજકીય માહોલ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગમે તે ક્ષણે સભાસ્થળે પહોંચશે. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલિપેડ તૈયાર, નેતાઓના આગમનની ક્ષણો ગણાઈ રહી છે સભાસ્થળની બિલકુલ બાજુમાં તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. અત્યારે હેલિપેડ પર ગતિવિધિઓ તેજ બની છે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન થોડી જ મિનિટોમાં લીમખેડામાં પહોંચશે. સભાસ્થળે વિશાળ ડોમમાં જનમેદની ઉમટી પડી છે મંચ પર દિગ્ગજ નેતાઓનો જમાવડો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મંચ પર ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહેલેથી જ પહોંચી ગયા છે. આ ઉપરાંત લોકપ્રિય ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી પણ જનસભામાં ઉપસ્થિત છે.સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી માહોલ ગરમાવી રહ્યા છે. ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારમાં જે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર કેજરીવાલના સંબોધન પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:28 am

પાટડીના વર્ણીન્દ્રધામમાં 245 કિલો ચોકલેટનો અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન પર્વે આયોજન

પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને બ્રહ્મ મહોત્સવ પર્વે 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાસ ચોકલેટનો અન્નકૂટ મંદિરમાં દર્શનાર્થે આવતા બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આવતીકાલે, 245 કિલો મીઠાઈ, ફરસાણ અને ફાગવાનો ભવ્ય અન્નકૂટ યોજાશે. આ અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. વર્ણીન્દ્રધામ મંદિર તેની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણીનો પ્રવાહ અને નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં રથ, ઘોડા અને હાથી જેવા સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા નીકળે છે. નીલકંઠધામની જેમ વર્ણીન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક પણ કરવામાં આવે છે. મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન ચાલે છે. આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:26 am

ઘોડદોડ રોડના બંગલામાં ત્રાટકનાર 'મોડેલ ગેંગ' ઝડપાઈ:પોશ વિસ્તારમાં મોપેડ પર ફરી તસ્કરી માટે બંધ ઘર શોધતા; આરોપી સામે 25 ગુના

સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા એક બંધ બંગલાને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર કુખ્યાત 'મોડેલ ગેંગ'ના સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ સામે અગાઉ 25થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સુભાષનગર સોસાયટીના બંગલામાં થઈ હતી ચોરીગત 22 માર્ચ, 2026ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડદોડ રોડ પરની સુભાષનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણ અજાણ્યા ઇસમો બંગલામાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ 1.74 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજાથી આરોપીઓને દબોચ્યાચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગતપોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં (1) રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપૂજક (ઉં.વ. 25), (2) કરણ ઉર્ફે કાળીયો વિનુભાઈ દેવીપૂજક (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. 1.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયોપોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચાંદીની ટ્રે (349 ગ્રામ), પાયલ, કડા, હાર, લોકેટ અને ચાંદીના 87 સિક્કાઓ કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી એપ્રિલિયા કંપનીની મોપેડ (GJ-05-SR-5179) પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,19,226ની ચાંદી અને 50,000ની મોપેડ મળી 1,69,226નો મુદ્દામાલ રિકવર થયો છે. મોપેડ પર ફરતા અને બંધ બંગલા શોધતાઆરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ તેમના ત્રીજા સાગરીત સંજુ ઉર્ફે કાલીયા સાથે મળીને શહેરના પોશ વિસ્તારોમાં મોપેડ પર રેકી કરતા હતા. જે બંગલામાં લાઈટો બંધ હોય કે તાળું મારેલું હોય તેને નિશાન બનાવતા હતા. સુભાષ નગરના બંગલામાં પણ તેઓએ મધરાતે સળિયા વડે દરવાજો તોડી પલંગના ખાનામાંથી દાગીના ચોર્યા હતા. મુખ્ય આરોપી રોહિતનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો રોહિત ઉર્ફે મોડેલ રીઢો ગુનેગાર છે. તેની સામે સુરતના ઉમરા, અડાજણ, પાલ, રાંદેર, વેસુ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પોલીસે અગાઉ બે વખત (વર્ષ 2020 અને 2021માં) તેની સામે 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરી જેલભેગો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:20 am

ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ:હિંમતનગર DLSS ની ટ્વિંકલ હડુલાએ યોગદાન આપ્યું

છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રાજ્યને ગૌરવ પ્રાપ્ત થયું છે. મેડલ વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), મહિમા ચૌહાણ (દાહોદ), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. ખાસ કરીને હિંમતનગરની જિલ્લા કક્ષાની રમતગમત શાળા-DLSSની ખેલાડી હડુલા ટ્વિંકલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમના કોચ હેમલ વર્ધાનીના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 26 માર્ચ, ગુરુવારથી રાયપુર, છત્તીસગઢ ખાતે શરૂ થઈ હતી અને 30 માર્ચ સુધી ચાલશે. દેશભરમાંથી વિવિધ રમતોમાં કુલ 1400 ખેલાડીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે યોજાયેલી 4 X 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમ વિજયી બની અને ચારેય ખેલાડીઓને સિલ્વર મેડલ મળ્યા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:17 am

‘આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ’:સુરતમાં પડોશી કચરો વાળીને ઘર પાસે નાખી દેતા મહિલાનો ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ, VIDEO

સુરતના પાસોદરા વિસ્તારમાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો. આ સાથે મહિલાએ પોતાની વેદના અને પડોશીઓના ત્રાસ અંગે રડતા રડતા પણ જણાવ્યું હતું. 32 વર્ષીય મહિલાએ તેમના પડોશી મહિલા, તેમના પતિ અને ભાઈના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વીડિયોમાં મહિલાની આપવીતી આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળી અલ્પા ટાંકનો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. હવે હું જે પણ કંઈ પગલું ભરી રહી છું, એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું, તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. પડોશી મહિલા ઘરનો કચરો વાળીને ફરિયાદી મહિલાના ઘર પાસે નાખી દેતીફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત આશરે છ મહિના પહેલા થઈ હતી. બિલ્ડિંગની લોબીમાં કચરા-પોતા કરવા જેવી સામાન્ય બાબતે પડોશી અલ્પાબેન સાથે તકરાર થઈ હતી. આ ઉપરાંત, બાલ્કનીમાં વરસાદનું પાણી ન આવે તે માટે લગાવેલી તાડપત્રીના પૈસા બાબતે પણ અલ્પાબેને ઝઘડો કર્યો હતો. અલ્પાબેન અવારનવાર ઘરનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતા હતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓને ફરિયાદી વિરુદ્ધ ચઢાવતા હતા. કચરો નાખવાનો વીડિયો બનાવી ગ્રુપમાં મૂક્યોને મામલો ઉગ્ર બન્યોજ્યારે આ કચરો નાખવાની હરકતનો વીડિયો બનાવી મહિલાના પતિએ બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અલ્પાબેનના ભાઈ નીલેશ પરમાર, પતિ શૈલેષ ટાંક અને એક અજાણ્યા શખ્સે ફરિયાદીના ઘરે આવીને ગંભીર ધમકીઓ આપી હતી. નીલેશ પરમારે વીડિયો કેમ બનાવે છે, તારા ટાંગા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ તેવી ગર્ભિત ધમકી આપી ફરિયાદીને ધક્કો પણ માર્યો હતો. આ શખ્સોએ મહિલાને તારા જેવા કેટલાય ભાડુઆત અહીંથી જતા રહ્યા છે કહી માનસિક દબાણ બનાવ્યું હતું. ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસપડોશીઓના સતત ત્રાસ અને દરરોજની ગાળાગાળીથી કંટાળી ગયેલા મહિલાએ ગતરોજ બપોરના 4 વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ અને પોતાની આપવીતી તેણે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને કરી હતી. ઘટનાની જાણ થતા તેમના પતિ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પડોશી મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવીલસકાણા પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે ત્રણ મુખ્ય આરોપીઓ અલ્પાબેન શૈલેષભાઇ ટાંક, શૈલેષભાઇ ટાંક અને નીલેશ પરમાર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 10:00 am

બહુચરાજીમાં ચૈત્રી આઠમે માતાજીની શાહી સવારી નીકળી:પોલીસ જવાનોએ 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યું, રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરાઈ

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી હતી. 'બોલ મારી બહુચર'ના નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યાબહુચરાજી મંદિરમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળતી હોય છે, પરંતુ ચૈત્રી આઠમની શાહી સવારીનું વિશેષ મહત્વ છે. નિજ મંદિરથી સવારી નીકળે તે પૂર્વે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. બેન્ડવાજાના સૂર અને 'બોલ મારી બહુચર'ના ગગનભેદી નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા હતા. માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથાચૈત્ર માસને દૈવી શક્તિની ઉપાસનાનો માસ માનવામાં આવે છે અને તેમાં પણ આઠમના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે. આ પરંપરા સાથે વડોદરાના ગાયકવાડ રાજવીઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં જીવંત છે.જેમાં માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા મુખ્ય છે. ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવ્યોમધ્યરાત્રિએ 12 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના નાયબ વહીવટદાર સુરેશભાઈ ઠાકોર અને પૂજારી જનકભાઈ જોષીના જણાવ્યા અનુસાર આ દિવસે શક્તિની આરાધના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સમગ્ર બહુચરાજી પંથક આજે ભક્તિમય માહોલમાં રંગાયું હતું.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:28 am

રણોલી GIDCની બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં આગ:સર્વિસ સેન્ટરનું પણ તમામ મટિરિયલ બળીને ખાખ, લાખોનું નુકસાન થયાનું અનુમાન

વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવને લઈ અફરાતફરી મચી ગઈ હતી, ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ફાયરે કાબૂ કરીઆ આગની ઘટના અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા જ ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. તમામ મટિરિયલ બળીને ખાખસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મોટા પ્રમાણમાં મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને વીજ કનેક્શન કાપી ફાયરે કામગીરી શરૂ કરી હતી. હજુ સુધી નુકસાનનો અંદાજ નથીઃ માલિકઆ અંગે કંપનીના માલિક નીલ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારી મેન કંપની પૂનામાં આવેલી છે, અમારે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે. અહીંયા રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ સુધી નુકસાનનો અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 9:11 am

ગીર સોમનાથના અધિકારીએ શ્રીરામચરિત માનસના અખંડ પાઠ કર્યા:પરેશભાઈ રવેસિયા પરિવાર દ્વારા બે દિવસીય સંગીતમય પાઠનું આયોજન

ગીર સોમનાથ જિલ્લા સેવા સદનમાં ક્લાસ ટુ અધિકારી પરેશભાઈ હિંમતલાલ રવેસિયા અને તેમના પરિવારે ચૈત્ર માસ નિમિત્તે શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના વતની પરેશભાઈ રવેસિયા પરમ હનુમાન ભક્ત છે. આ અનુષ્ઠાન છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે. આ પાઠનું અનુષ્ઠાન બે દિવસ સુધી ચાલે છે, જેમાં સવારે 7:30 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે સાંજ સુધી શ્રીરામચરિત માનસના પાઠ કરવામાં આવે છે. આ સાથે હવન અને પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં આ પાઠ કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ યશસ્વી જીવન મેળવવા માટે આવા પાઠના અનુષ્ઠાનનો ઉલ્લેખ છે. આ ધાર્મિક કાર્યક્રમ કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગ્રાસિમ રેયોન ઇન્ડસ્ટ્રી ગેટ સામે, વેરાવલ, ગીર સોમનાથ ખાતે યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો, સ્નેહીજનો અને મંદિરે પધારતા હનુમાન ભક્તો સહભાગી થઈ ધન્યતા અનુભવે છે. પાઠ બાદ ફરાળ અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પરેશભાઈ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય સેવાના કાર્યોમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:55 am

કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય મળશે:હાઈકોર્ટના ચુકાદાને 45 દિવસની અંદર અમલી કરવો ફરજીયાત, તમામ વિભાગોને કડક સૂચના

રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ ટાળવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. નાણાં વિભાગને 8 દિવસમાં દરખાસ્ત રજૂ કરવી પડશેપરિપત્ર મુજબ, હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ 45 દિવસની અંદર કરવું ફરજીયાત રહેશે. ચુકાદા મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે, જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ખાતાના વડાએ 10 દિવસની અંદર દરખાસ્તની ચકાસણી પૂર્ણ કરવી પડશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવો અનિવાર્ય રહેશે. નિકાન ન થાય તો સંબંધિત વિભાગે કોર્ટમાં અરજી કરવી પડશેજો નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમયવધારા માટે ફરજીયાત અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાયપ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનરોને ઝડપી ન્યાય મળશેનાણાં વિભાગના આ પરિપત્રથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબા સમયથી બાકી રહેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે, તેમજ સરકારી વિભાગોની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત બનશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:33 am

તિથલ દરિયાકિનારે હાઇબ્રિડ સિસ્ટમથી વીજળી ઉત્પન્ન થશે:પવન, સૂર્યપ્રકાશથી લાઈટો ઝળહળશે; CCTV કેમેરાથી સુરક્ષા સજ્જ

તિથલ દરિયાકિનારે પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે અત્યાધુનિક હાઇબ્રિડ સોલર સિસ્ટમ પોલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. રામનવમીના શુભ દિવસે સરપંચ રાજેશભાઈ દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ સૂર્યપ્રકાશ અને પવનચક્કી (વિન્ડ ટર્બાઇન) દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. આ પોલ પર સોલર પેનલ સાથે નાની પવનચક્કી પણ લગાવવામાં આવી છે. દરિયાકિનારે પવનની ગતિ વધુ હોવાથી, રાત્રિ દરમિયાન પણ વીજળીનું ઉત્પાદન સતત ચાલુ રહેશે, જે લાઇટોને કાર્યરત રાખશે. સુરક્ષાના હેતુથી, આ પોલ પર હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 24 કલાક વિસ્તારનું મોનિટરિંગ કરશે. આ લાઇટો અંધારું થતાં જ આપોઆપ ચાલુ થઈ જશે, જેનાથી માનવબળની જરૂરિયાત રહેશે નહીં અને કાર્યક્ષમતા વધશે. કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થતો હોવાથી ગ્રામ પંચાયત પર વીજળીના બિલનો કોઈ આર્થિક બોજ પડશે નહીં. આ નવી પહેલથી દરિયાકિનારે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક માછીમારોને સીધો ફાયદો થશે. સીસીટીવી કેમેરા દ્વારા અંધારામાં થતી ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખી શકાશે. ગ્રામજનોએ કલેક્ટર, DDO અને તંત્રના આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમથી તિથલ દરિયાકિનારા પર પ્રવાસનને પણ વેગ મળશે અને સુરક્ષામાં વધારો થશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:23 am

ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ખાતા સાબરનો વધુ એક વીડિયો:ગિરનાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર કાગળ પર, અનેક ઘટના છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં

​પ્રકૃતિ અને પરમેશ્વરની સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરના કેમેરામાં કેદ થયેલા દૃશ્યોએ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર જંગલની બિલકુલ નજીક એક સાબર કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડ્યું હતું. આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે, ગિરનારના સુરક્ષિત ગણાતા જંગલ વિસ્તારમાં વન્યજીવો પ્લાસ્ટિક જેવા જીવલેણ પદાર્થો ખાવા મજબૂર બન્યા છે. વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવા ક્રૂર મજાક સમાનભાસ્કર રિપોર્ટર જ્યારે ભવનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની એક બાજુએ કચરાના ઢગલામાં એક સાબર મોઢું મારી રહ્યું હતું. નજીક જઈને જોતા માલૂમ પડ્યું કે, સાબર ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો આરોગી રહ્યું હતું. આટલું જ નહીં, ઝેરી પ્લાસ્ટિક આરોગ્યા બાદ આ વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરીને ભવનાથ તરફ જતા માર્ગ પર આંટાફેરા કરતું પણ નજરે પડ્યું હતું. લોકોની સતત અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાઓની ક્રૂર મજાક સમાન છે. પ્લાસ્ટિક વન્યજીવો માટે મોતનું કારણ બની શકે​ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારને 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકના વપરાશ, ગંદકી ફેલાવવા અને વન્યજીવોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે. વન વિભાગ દ્વારા અવારનવાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાતો કરવામાં આવે છે અને પ્રવાસીઓને 'સુફિયાણી સલાહ' આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે, જે વન્યજીવો માટે મોતનું કારણ બની શકે છે. ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ​અગાઉ પણ સાબર પ્લાસ્ટિક ખાતા હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે, તેમ છતાં, વન વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પ્લાસ્ટિક જપ્ત કરવાના દાવાઓ વચ્ચે જંગલના દ્વાર પર જ આ પ્રકારની ગંદકી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સમયસર આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે અને પ્રવાસીઓ પર કડક નજર રાખવામાં નહીં આવે, તો ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા સામે કાર્યવાહી જરૂરી​આ વીડિયો બાદ હવે પર્યાવરણ પ્રેમીઓ માગ કરી રહ્યા છે કે, વન વિભાગ માત્ર કાગળ પરની વાતો છોડીને વાસ્તવિક ધરાતલ પર કામગીરી કરે. ઇકો-ઝોન વિસ્તારમાં જે લોકો કચરો ફેંકે છે તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી અબોલ વન્યજીવોને ઝેરી પ્લાસ્ટિકના મોતના મુખમાં જતા બચાવી શકાય. હાલ તો આ ઘટનાએ વન વિભાગની 'સબ સલામત'ની પોલ છતી કરી દીધી છે. આ પણ વાંચો… ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ, ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની અવરજવર છતાં એકપણ સાઇન બોર્ડ નહિ ​જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, વન આ પણ વાંચો… કચરામાં ખોરાક શોધતા હરણનો બે દિવસમાં બીજો વીડિયો વાઈરલ:પ્રકૃતિ પ્રેમીએ વનમંત્રીને ટ્વિટ કર્યું, ભવનાથમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદ

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 8:09 am

ભાસ્કર એક્સક્લુસિવ:કૌભાંડની સ્કીમ : 2 કરોડ ભરો, 63 કરોડ લઈ જાઓ

સરકારી બાબુઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે રાજ્યની તિજોરીને કેવી રીતે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, તેનો વધુ એક સનસનીખેજ ખુલાસો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ) ના માર્ચ 2024ના ઓડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓ - ખાસ કરીને જીએસટી (SGST), માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગના કારભારની પોલ ખોલવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ચાલતી લોલમલોલ બાબતે કેગમાં રહસ્યો ખુલ્યા છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં જવાબદાર વિભાગે હજુ પણ ગંભીરતા દાખવી નથી. બેદરકારી : ગાંધીધામ સ્ટેટ જીએસટી કચેરીમાં ટેક્સ ક્રેડિટ લેવાઈ ગઈ છતાં તંત્ર ઊંઘતું રહ્યું63.28 કરોડની તોતિંગ ટેક્સ ક્રેડિટનો અનિયમિત લાભ કોન્ટ્રાક્ટર પર મહેરબાની: 78.30 લાખની વધુ પડતી ચુકવણી કરાઈ સેવાઓની આયાત પર કરની 22.71 કરોડની ટૂંકી ચુકવણી 3100 ચો.મીટર જમીનમાં 14.90 લાખની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઈ

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 6:26 am

માનસ મુકુરાષ્ટક:ગુરૂના ચરણોમાં 68 તીર્થ - મોરારિ બાપુ

માધાપરમાં ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. ધીરજ મનજીભાઈ ડબાસીયા પરિવારના યજમાનપદે ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રોતા કથા શ્રવણ કરવા ઉમટ્યા હતા. બાપુએ કથામાં ગુરુનો મહિમા તેમજ સનાતન ધર્મ વિશે વાત કરી હતી. કોઈના ઉપકાર ના ભૂલવા જોઈએ તેમજ 68 તીરથ ગુરુના ચરણોમાં છે એવા ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ. રામ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી અનેક સાધુ, સંતો, અગ્રણીઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહંત મનોહર મહારાજ રામ જાનકી મઠ, સંત કલ્યાણદાસજી બાપુ ભજનીક તેમજ મોરારદાન પાયક અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, નાનજીભાઈ, વી. કે. પટેલ, ડો. રોનીત પી. શાહ, તુલસી સુજાન, પ્રહલાદસિંહ ગોહિલ, વિનોદભાઈ સોલંકી જજ વગેરે અગ્રણીઓ કથા શ્રવણમાં જોડાયા હતા. સમગ્ર કથા મંડપ ધાર્મિક નારાથી ગુંજી ઉઠ્યું હતું. માધાપર સહિત વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવા આપી રહ્યા છેમાધાપર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને દરરોજ અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. મોરારી બાપુએ ખાસ ભોજન કક્ષની મુલાકાત લીધી હતી અને ભોજન લીધું હતું. જેમાં મોટી સંખ્યામાં માધાપર ગામ તેમજ વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવાઓ આપી રહ્યા છે. જેમાં સેવા ભાવના સાથે માધાપરની બહેનો પણ જોડાઈ છે. બાપુએ તેમની સેવાઓ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 6:12 am

પોલીસ બેડમાં ફેરફાર:કચ્છ પોલીસ બેડામાં 20 PIની જિલ્લા બહાર બદલી

એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેની વચ્ચે લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 મળી કુલ 20 પોલીસ ઇન્સ્પેક્ટર્સની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. સામા પક્ષે, રાજ્યના અન્ય ભાગોમાંથી કુલ 12 નવા PI કચ્છને ફાળવવામાં આવ્યા છે.સરહદી વિભાગના ટી.આર. ચૌધરીની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 બદલામાં 12 નવા અધિકારી આવશે પૂર્વ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ (ભુજ) માંથી આ પીઆઇ બદલ્યા પૂર્વ કચ્છના બદલાયેલા અધિકારીઓ પીએસઆઇમાંથી બઢતી સાથે પીઆઇ થયેલા 10 અધિકારીની પણ બદલીપૂર્વ કચ્છમાં પીઆઇની બઢતી મળ્યા બાદ ફરજ બજાવતા વી.આર.પટેલ, કે.ડી.રાવલ,એમ.એમ.ઝાલા, પી.સી.મોલિયા, આર.સી.રામાનૂજ, વી..પી.આહીર અને એ.વી.પટેલની જિલ્લા બહાર બદલી થઇ છે તેમની સામે પૂર્વ કચ્છમાં એમ.જે.રાઠોડ, વી.આર.પ્રજાપતિ, એમ.જી.પરમાર, આર.એલ.ખટાણા, જી.એન.વાઘેલા, બી.વી.બોરીસાગર, જી.એ.સોલંકી અને એમ.જે. હુણ એમ આઠ નવા પીઆઇ મુકાયા છે. તો પશ્ચિમ કચ્છમાં જે.ડી.સરવૈયા, જે.કે.બારીયા અને કે.એ.જાડેજાની બદલી થઇ છે તેની સામે વાય.બી.રાણા, પી.કે.ઝાલા, આઇ.બી.ચૌધરી, ટી.ડી.ચુડાસમા, એમ.આર.શકોરીયા અને એચ.આર.બારોટ એમ ત્રણ સામે 6 પીઆઇ નવા મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 6:07 am

વડોદરા મનપાની ચૂંટણીમાં કોના પત્તા કપાશે-કોણ ફાવશે?:નવા રોટેશનના કારણે 25 સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ મળવી મુશ્કેલ, વોર્ડવાઈઝ એનાલિસિસ

27 ટકા ઓબીસી અનામતની અમલવારી બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નવા રોટેશનના કારણે અનેક વડોદરા મહાનગરપાલિકાના 76 સીટીંગ કોર્પોરેટરોમાંથી 25ના આપોઆપ પતા કપાઈ જાય તેવી પૂરી શક્યતા છે.જેમાં મેયર, પૂર્વ મેયર, દંડક, પૂર્વ ડેપ્યુટી મેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ સમાવેશ થાય છે. એકલ-દોકલ ઉમેદવાર માટે પાર્ટી વોર્ડ ચેન્જ કરી શકે અથવા તો જનરલ સીટ પર અનામત કેટેગરીના ઉમેદવારને ચૂંટણી લડાવી શકે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં કયા કયા કોર્પોરેટર પર નવા રોટેશનની અસર થશે તેની આ આર્ટિકલમાં વાત કરીશું. નવા રોટેશનના કારણે કયા વોર્ડમાં શું પરિવર્તન આવશે વોર્ડ નંબર 1અહીં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. બેઠકમાં થયેલા ફેરફારને કારણે એક મહિલા બેઠક OBC થતાં પુષ્પાબેન વાઘેલા અથવા અમીબેન રાવત એકની ટિકિટ કપાશે. જ્યારે એક પુરુષ બેઠક ST થતા કોંગ્રેસના જહા ભરવાડ અથવા હરીશ પટેલમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે. વોર્ડ નંબર 2 અહીં એક મહિલા બેઠક OBC થતાં અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટણી લડેલા મહિલા કોર્પોરેટર રશ્મિબેન વાઘેલાનું રિપિટ થવું મુશ્કેલ છે. જ્યારે પુરૂષની એક બેઠક OBC થતાં મહાવીર રાજપુરોહિત અથવા ભાણજી પટેલમાંથી એકની ટિકિટ કપાશે. આ વિસ્તારમાં મહેસાણાના પટેલોના મતો વધારે છે. વોર્ડ નંબર 3અહીં એક મહિલા બેઠક OBC અને એક પુરૂષ બેઠક STની થતાં પરાક્રમસિંહ અથવા રાજેશ શાહમાંથી એકની ટિકિટ કપાશે.જો કે આ બેઠક ઉપરથી પરાક્રમસિંહ જાડેજા પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી ચુક્યા છે. વોર્ડ નંબર 4અહીં એક મહિલા બેઠક OBC અને ગત ટર્મના એક પુરૂષ બેઠક OBC હતી. તેમાં ફેરફાર થતાં વિનોદ ભરવાડનું પત્તુ કપાવાની શક્યતા છે. જ્યારે બે મહિલા કૉર્પોરેટર પીન્કીબેન સોની અથવા રાખીબેન શાહમાંથી કોઈ એકની ટિકિટ કપાશે. પિંકી સોની ગત બોડીમાં મેયર રહી ચુક્યા છે. વોર્ડ નંબર 5 અગાઉની મહિલા OBCની બેઠકના સ્થાને બે મહિલા બેઠક સામાન્ય થતાં OBCની બેઠક પરથી ચૂંટણી લડેલા પ્રફુલ્લાબેન જેઠવા કપાઈ શકે છે. જ્યારે એક OBC પુરૂષ બેઠક થતાં હિતેન્દ્ર પટેલ અથવા નૈતિક શાહ બેમાંથી એકની ટિકિટ કપાશે. હિતેન્દ્ર પટેલ આ બોર્ડમાં ગત અઢી વર્ષ સ્થાયી સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. વોર્ડ નંબર 6 ગત ટર્મમાં SC મહિલા બેઠક હતી. જ્યારે આ વખતે બે સામાન્ય મહિલા બેઠક થતાં જયશ્રીબેન સોલંકી રિપિટ થાય તેવી શક્યતા ઓછી છે. વોર્ડ નંબર 7 અહીં એક OBC મહિલા બેઠક અને 3 સામાન્ય બેઠક થતાં જૈસે થે પરિસ્થિતિ રહેશે. વોર્ડ નંબર 8એક OBC મહિલા બેઠક થતાં રીટાબેન આચાર્ય અથવા મીનાબા ચૌહાણની ટિકિટ કપાશે. જ્યારે કેયુર રોકડીયા હવે ધારાસભ્ય હોય કોર્પોરેશનમાં તેમના સ્થાને નવા ઉમેદવારને તક મળી શકે છે. વોર્ડ નંબર 9 અહીં મહિલા STની બેઠક રદ થતા મહિલા કોર્પોરેટર ઉમિષાબેન વસાવાની ટિકિટ કપાવાની શક્યતા છે. જ્યારે પુરૂષ OBCની બેઠક થતાં નરસિંહ ચૌહાણ અથવા શ્રીરંગ આયરેની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 10ગત ટર્મમાં એક SC મહિલા બેઠકના સ્થાને આ વખતે બે મહિલા સામાન્ય બેઠક થઇ છે. જેના કારણે લીલાબેન મકવાણાની ટિકિટ કપાવાની શક્યતા છે.જ્યારે પુરૂષ OBC અને સામાન્ય બેઠક રહેતા બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહેવાની શક્યતા છે. વોર્ડ નંબર 11બે મહિલા સામાન્ય, એક પુરૂષ OBC અને સામાન્ય બેઠક થતાં આ વોર્ડમાંથી જૈસે થેની પરિસ્થતિ રહેશે. વોર્ડ નંબર 12એક મહિલા ST અને SCની બેઠક થતાં ટ્વિકંલ ત્રિવેદી, રીટા સિંહ, સ્મિત આરદેશના (પટેલ ) અથવા મનિષ પગારમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 13 બે સામાન્ય બેઠકમાંથી એક SCની મહિલા બેઠક થતાં જાગૃતિબેન કાકા અથવા જ્યોતિબેન પટેલની ટિકિટ કપાશે. જ્યારે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે છે. વોર્ડ નંબર 14 અહીં એક બેઠક મહિલા OBC થતાં જેલમબેન ચોક્સી અથવા નંદાબેન જોશી બેમાંથી એકની ટિકિટ કપાશે. જ્યારે બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે. વોર્ડ નંબર 15 અહીં બે સામાન્ય મહિલા યથાવત રહી શકે છે. જ્યારે ST બેઠક હતી તેની જગ્યાએ OBC થતા તેના પરથી ચૂંટણી લડેલા રણછોડ રાઠવાની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 16 અહીં બે મહિલા સામાન્ય બેઠક છે. જેથી મહિલાઓ માટે સ્થિતિ યથાવત રહી શકે. પરંતુ એક પુરુષ OBC બેઠક થતા અનુસૂચિત જાતિની બેઠક ઉપરથી લડેલા ઘનશ્યામ સોલંકીનું પત્તુ કપાઈ શકે છે. વોર્ડ નંબર 17અહીંની વાત કરીએ તો આ વોર્ડમાં અનુસૂચિત જાતિ મહિલા બેઠક થતા પ્રીતિ ભટ્ટ અથવા સંગીતાબહેન બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. જયારે એક પુરુષ OBC થતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ અથવા વર્તમાન દંડક શૈલેષ પાટીલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 18એક મહિલા OBC અને એક સામાન્ય મહિલા બેઠક થતા ભારતી ભદ્રેશા અને સુરુતા પ્રધાન તેમજ એક પુરુષ અનુસૂચિત જાતિ બેઠક થતા કલ્પેશ પટેલ અથવા કેતન પટેલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 19 અહીં મહિલા OBC અને સામાન્ય બેઠક થતા ST બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હેમલતાબેન તાડવીની ટિકિટ કપાઈ શકે છે જ્યારે જયારે બે પુરુષ યથાવત રહી શકે છે. આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નહીંવડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની ચૂંટણીમાં બેઠક દીઠ વ્યવસ્થાનું જાહેરનામું ઓક્ટોબર મહિનામાં જ બહાર પડી ગયું હતું. ત્યારે જ માલુમ પડી ગયું હતું કે, કેટલાય કોર્પોરેટરોનો ગરબો ઘેર પહોંચી જશે. જો કે આ વખતે ચારેય બેઠકો સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નથી. વર્ષ 2020માં 19 માંથી 6 વોર્ડ એવા હતા જેમાં ચારેય બેઠકો સામાન્ય હતી. ભાજપના બે કોર્પોરેટરો કોંગ્રેસમાં આવ્યા, એક સસ્પેન્ડગત ટર્મમાં ભાજપના મેન્ડેડ હેઠળ જીત્યા હતા તેવા 3 કોર્પોરેટરો હવે ભાજપમાં નથી. વોર્ડ 15ના આશિષ જોશી અને પારુલ પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં આવી ગયા છે. તો અલ્પેશ લિમ્બાચિયાને પક્ષે જ સસ્પેન્ડ કર્યા હતા. આશિષ જોષીને પણ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે તેઓએ પોતાના સાથી કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જો કે પારુલ પટેલને આમ પણ અંદાજ આવી ગયો હતો કે આ વખતે તેઓનું પત્તુ કપાઈ જવાનું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 6:00 am

ભારે કરી, AAPના કાર્યક્રમમાં લાઈટ ગઈ:નેતા થયા સગેવગે ને પબ્લિક રહી ખડેપગે; લો બોલો, કરોડોનું ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 6:00 am

નવી મુંબઈ એરપોર્ટના સમર શેડ્યુલમાં ભુજનું નામ ગાયબ:ભુજ- નવી મુંબઈની નવી વિમાની સેવા સુરક્ષાના કારણોસર અટવાઈ

મહિના અગાઉ મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજથી એપ્રિલ માસના સમર શેડ્યુલમાં ચાર નવી ફ્લાઈટો શરૂ કરવાની મોટી જાહેરાત કરાઈ હતી. જોકે, એપ્રિલ માસ નજીક હોવા છતાં આ જાહેરાત માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે. નવી મુંબઈ એરપોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સમર શેડ્યુલમાં ભુજની ફ્લાઈટનો ક્યાંય ઉલ્લેખ નથી, જેનાથી કચ્છના પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, ઈન્ડિગો દ્વારા ભુજમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ ભુજ એરપોર્ટ પર ચેનલ ગેટ મોટો કરવા અને પાર્કિંગ સહિતની બાબતોમાં ખામી હોવાથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શક્યું નથી. એરપોર્ટ ડાયરેક્ટરે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષા સહિતના કારણો સામે આવ્યા હતા જેના પર હાલ કામગીરી ચાલી રહી છે. આ તરફ સ્ટાર એર દ્વારા ભુજ-વડોદરા અને ભુજ-નવી મુંબઈ સેવા અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટર્મિનલનું નવીનીકરણનું કામ અધ્ધરતાલભુજ એરપોર્ટ પર ટર્મિનલની પેસેન્જર ક્ષમતા 540 થી વધારીને 1200 કરવાની કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી બંધ થયાનું જાણવા મળ્યું છે. મુન્દ્રા એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ કરવાની તૈયારીબીજી તરફ મુન્દ્રા ખાનગી એરપોર્ટ પરથી નવી ચાર ફ્લાઈટો શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. સંભવતઃ એપ્રિલના પ્રથમ પખવાડિયા બાદ અહીં ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. હાલ પેસેન્જર સેવા શરૂ કરવા જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:57 am

આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીએ દસ દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં નાગીયારી ગામના આરોપી છકડા ચાલકે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ આપતા અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ નોધાઇ છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા ફરિયાદીએ નાગીયારી ગામના આરોપી અલ્તાફ આદમ બાફણ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 16 માર્ચના રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મૃતક યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી યુવતી નોકરી પર જવા માટે આરોપીના છકડામાં અવર જવર કરતી હતી. જેથી આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપીએ યુવતીને પોતાની સાથે સબંધ રાખવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ અવાર નવાર ફોન કરતો તેમજ મારકૂટ પણ કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આરોપીએ આપેલા ત્રાસના કંટાળે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. જે મામલે માનકુવા પોલીસ મથકે આરોપી સામે મરવા માટે મજબુર કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે. ભાસ્કર ઇનસાઇડઆરોપીથી કંટાળી બસનો પાસ પણ કઢાવ્યોનોકરી માટે આરોપીના છકડામાં અવર જવર કરતી યુવતીએ આરોપીથી પીછો છોડાવવા માટે બસનો પાસ કઢાવી લીધો હતો. અને આરોપીના છકડાને બદલે બસમાં અવર જવર કરવાનું શરૂ કર્યું હતું.પરંતુ હાથ ધોઈને પાછળ પડી ગયેલા પરિણીત ઇસમેં તેનો પીછો છોડયો ન હતો અને અવાર નવાર યુવતીને ત્રાસ આપી મરવા માટે મજબુર કરી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:56 am

પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર

સમગ્ર રાજ્યમાં એલપીજી ગેસની તડામારીની અફવાઓ વચ્ચે ભુજ શહેરમાં પણ પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે શહેર અને આજુબાજુના વિસ્તારના પાંચ જેટલા એલપીજી ડીલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણ ડીલરો સાથે વાતચીત થઈ હતી. ડીલરોના જણાવ્યા મુજબ ગેસની અછત અંગેની અફવા ફેલાતાં ગ્રાહકોમાં ભયનો માહોલ ઉભો થયો અને નિયમિત બૂકિંગની સરખામણીએ અચાનક વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિના દરમિયાન જ્યાં દૈનિક સરેરાશ 650 જેટલા ડોમેસ્ટિક બૂકિંગ થતા હતા, ત્યાં અછતની ચર્ચાઓ વચ્ચે પેનિક બૂકિંગ 1000ની પાર પહોંચી ગયું હતું. જોકે બાદમાં સરકારના જાહેરનામા પછી પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર થતાં બૂકિંગની ગતિ સામાન્ય સ્તરે આવી હતી. શહેરના ડીલરોના જણાવ્યા મુજબ, ગ્રાહકો માટે બૂકિંગની ચાર સુવિધાઓ, વોટ્સએપ, આઈવીઆરસી, મિસ્ડ કોલ અને ટેક્સ્ટ ઉપલબ્ધ હતી. પરંતુ બૂકિંગમાં અચાનક વધારો થતાં ક્યારેક સર્વર ડાઉન જેવી સમસ્યાઓ સર્જાતાં ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ બૂકિંગ નોંધાયા બાદ ગ્રાહકોને સમયસર ગેસ પહોંચે તે માટે ડીલરો દ્વારા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે વધેલા બૂકિંગ છતાં ગ્રાહકોને સરેરાશ 3 થી 4 દિવસમાં સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:54 am

ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. RTEના કારણે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા-પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો સહિત તમામ લાભ લઇ શકશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલ શનિવારથી 16 એપ્રિલ શુક્રવાર દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની યાદી વાલીઓ સવાર કે બપોરની સ્કૂલ શિફ્ટ પસંદ કરી શકશેશૈક્ષણિક વર્ષ 2025-26 થી વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીની પાળી (શિફ્ટ) પસંદ કરી શકશે. અત્યાર સુધીના કિસ્સામાં જોવા મળતું હતું કે, જે શાળામાં સવાર અને બપોર એમ બે પાળી ચાલતી હોય ત્યાં સવારની પાળીમાં મોટાભાગે સંપન્ન પરિવારના બાળકોને પ્રાધાન્ય મળતું હતું. જોકે, હવે શિક્ષણ નિયામકની કચેરીએ RTE પોર્ટલમાં ફેરફાર કર્યો છે. હવે પોર્ટલ પર માત્ર શાળાની ખાલી બેઠકો જ નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દર્શાવવામાં આવશે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું નથીવાલીઓએ ઓનલાઈન પોર્ટલ પર આરટીઇ પ્રવેશ માટે ફોર્મ ભરવાના છે તેમજ તમામ પુરાવા પણ ઓનલાઇન અપલોડ કરવાના છે.ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે.ઓનલાઇન ભરેલું ફોર્મ હાલ તબક્કે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આવક મર્યાદામાં વધારો : અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખની મર્યાદા હતી. જોકે હવે વર્ષ 2025-26 માટે આ મર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે હવે વધુ સંખ્યામાં પરિવારો RTE હેઠળ મફત શિક્ષણનો લાભ લઈ શકશે. મહત્વની સમયરેખા

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:54 am

બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા પ્રવાસીઓની માંગણી તેમજ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભુજથી પાલીતાણા વાયા રાજકોટને જોડતી નવીન સ્લીપર બસ સેવાનો 26 માર્ચ ગુરૂવારથી આરંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં આ બસને પ્રસ્થાન કરાવાયું હતું. ભુજ થી પાલીતાણા બસ દરરોજ ભુજથી સાંજે 16:45 કલાકે ઉપડી પાલીતાણા સવારે 2:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણાથી સાંજે 8 કલાકે ઉપડી ભુજ સવારે 5:50 કલાકે પહોંચશે. આ સ્લીપર બસ સેવામાં પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી પાલીતાણા રૂ. 455/- રહેશે.આ બસ ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. વધુમાં ભુજથી અમદાવાદ વાયા શંખેશ્વર બસ દરરોજ ભુજથી સાંજે 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 5:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદથી સાંજે 18:00 કલાકે ઉપડી સવારે 4:30 કલાકે વાયા શંખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી અમદાવાદ રૂ. 463/- રહેશે.જેનો પ્રારંભ તા. 1 એપ્રિલ બુધવારથી થશે આ બસ અંજાર, ગાંધીધામ, રાધનપુર, શંખેશ્વરથી અમદાવાદ રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:50 am

ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર:રઘુનાથજી મંદિર શહેરની સ્થાપના સમય જેટલું જ જૂનું

ભુજના હૃદય સમા હમીરસર તળાવના કાંઠે આવેલું પૌરાણિક રઘુનાથજી મંદિર આશરે 450 વર્ષ જૂનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1548-49 (વિક્રમ સવંત 1605) દરમિયાન, ભુજ શહેરની સ્થાપના સાથે આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શ્રીરામને સમર્પિત છે અને કચ્છના પ્રાચીન મંદિરોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભુજના પૌરાણિક રઘુનાથજી મંદિરમાં દાયકાઓથી અમારા વ્યાસ પરિવારની 12મી પેઢી સેવા બજાવી રહી છે. વર્ષ 1962માં પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજારી તરીકે અમે હરેશભાઈ અને સુનિલ વ્યાસને મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે. પૌરાણિક ધાર્મિક સ્થળ વિશે પુસ્તકમાંથી મળેલી જાણકારી અને ઇતિહાસ મુજબ, આ મંદિરનો સંબંધ કચ્છના રાજાશાહી સમય સાથે જોડાયેલો છે. ખાસ કરીને રાવ રાયધણજીના સમયમાં આ મંદિરને મહત્વ મળ્યું હતું. રાજાશાહી સમયમાં તહેવારો દરમિયાન રાજ પરિવાર દ્વારા મંદિર માટે સહાય આપવામાં આવતી હતી, જે પરંપરા આજે પણ કેટલીક રીતે યથાવત્ છે. ખાસ કરીને રામનવમીના પાવન અવસરે અહીં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રામનવમીના દિવસે ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઉજવણીનો માહોલ રહે છે, ત્યારે રઘુનાથજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિર ખાતે શોભાયાત્રા, ભજન-કીર્તન અને પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવે છે. રાજાશાહી સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ, કેટલાક ધાર્મિક વિધિઓમાં આજે પણ રાજપરિવારની પ્રતીકાત્મક ભાગીદારી જોવા મળે છે. સાંસ્કૃતિક રીતે પણ આ મંદિરનું મહત્વ અતિ વિશાળ છે. હમીરસર તળાવની બાજુમાં આવેલું આ મંદિર ભુજના ઐતિહાસિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. દરરોજ અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને શહેરના ધાર્મિક જીવનમાં આ મંદિર કેન્દ્રસ્થાને છે. આ રીતે, રઘુનાથજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત સાક્ષી છે. 74 વર્ષ અગાઉ રામ ભગવાનનો સુવર્ણ ફોટો આજે પણ મંદિરમાં શોભે છેવર્ષ 1952માં એલ.એમ. પોમલ જાણીતા તેમજ અનેક સીમા ચિન્હરૂપી ફોટોગ્રાફી કરનાર ચિત્રકાર અને ફોટોગ્રાફરે સોનાના વરખ લગાવીને પેન્ટિંગ કરેલા ભગવાન શ્રીરામનો સુવર્ણ ફોટો આજે પણ મંદિર પરિસરમાં સ્થાપિત છે અને દર વર્ષે રામનવમીની શોભાયાત્રામાં સામેલ થાય છે. રામનવમીના દિવસે સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થાય છે, ત્યારબાદ પૂજન, રવાડી અને બપોરે મહાઆરતી સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજના ગુરુ રામાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ રઘુનાથજી મંદિર પાસે આવેલી રામવાડીમાં આવેલ ધર્મશાળામાં જ્યારે ભુજમાં પ્રથમ વખત આવ્યા ત્યારે રોકાયા હતા. અહીં એક કૂવો આવેલો છે તેના પાણીથી તેઓ સ્નાન કરતા હતા અને અહીં રઘુનાથજીની પૂજા કરતા હતા. સ્વામિ. સંપ્રદાયમાં રઘુનાથજીના મંદિરનો ઉલ્લેખ પ્રસાદી મંદિર તરીકે કરાયો છે, જેના પગલાં પણ મંદિર પરિસરમાં જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:49 am

કેદીઓ વચ્ચે લોહિયાળ મારામારી થઈ:મધ્યસ્થ જેલમાં હત્યાના કેદીએ લૂંટના કેદીના પેટમાં પતરાની પટ્ટી મારી દીધી

સેન્ટ્રલ જેલમાં બુધવારે 3 વાગ્યે હત્યાના ગુનાના કેદીએ લૂંટના ગુનાના કેદીને પતરાની પટ્ટી પેટમાં હૂલાવી દેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. હૂમલાખોર કેદીએ પતરાની પટ્ટી એટલી જોરથી પેટમાં હૂલાવી હતી કે તે પેટમાં જ રહી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ કેદીને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ બન્ને કેદીઓ એક જ બેરેકમાં રહેતા હતા અને 2 મહિના પહેલા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સજા કાપતો પાકા કામનો કેદી 54 વર્ષીય શિવબદન કેવટ બુધવારે બપોરે 3 વાગે જેલબંધી ખુલતા જેલના આઉટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાનો કેદી ભયલુ દરબાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શિવબદનને જોઈને ભયલુ ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાં પડેલી પતરાની પટ્ટી શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઘટના બનતા અન્ય કેદીઓ અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. શિવબદનને જેલની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવીને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પેટમાં રહેલી પતરાની પટ્ટી કાઢી હતી અને સામાન્ય સર્જરી કરી હતી. હાલમાં શિવબદન સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેલમાં ચાલી રહેલા બાંધકામ પાસેથી પતરાની પટ્ટી લીધીહાલમાં જેલની અંદર બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે પતરા, પથ્થર, ઈંટો ત્યાં પડેલા હતાં. જેથી ભયલુએ ત્યાંથી પતરાની પટ્ટી લઈ લીધી હતી અને શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભયલુને દાઢ દુખતી હોવાને કારણે તે ડૉક્ટરને બતાવવા માટે જેલમાં આવેલા દવાખાનામાં જઈ રહ્યો હતો, ત્યારે શિવબદન વચ્ચે મળી જતા તેણે હુમલો કર્યો હતો. ભયલુને હત્યાના ગુનામા 10 વર્ષની સજા થઈ હતી અને શિવબદનને એક વાર 7 અને બીજી વાર 7 એમ કુલ 14 વર્ષની સજા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:40 am

કોમર્સ ફેકલ્ટી દ્વારા ટાઇમ ટેબલની જાહેરાત:ટીવાય બીકોમ રેગ્યુલર સહિત ઓનર્સની પરીક્ષા 7 એપ્રિલથી

મ.સ.યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ મહિનાથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ જશે. ટી.વાય. બી.કોમ.ની ઓનર્સ અને રેગ્યુલરની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, જેનું ટાઈમ-ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થયા બાદ બી.કોમ. ઓનર્સમાં ત્રીજા વર્ષની પરીક્ષા લેવાશે, જેમાં 6,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટીકેટી ધરાવતા 500થી 600 જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ બી.કોમ. રેગ્યુલર બેચના હતા અને જેઓ બી.કોમ. ક્લિયર કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને પણ તક મળશે. 7 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ 13 એપ્રિલ સુધી ચાલશે. ટી.વાય. બી.કોમમાં એકાઉન્ટ ઉપરાંત કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટમાં માર્કેટિંગ તથા એચ.આર.એમ. વિષયની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ઇકોનોમિક્સમાં એપ્લાઇડ ઇકોનોમિક્સ તથા ફાઇનાન્સ ઇકોનોમિક્સની પરીક્ષા લેવામાં આવશે. કોમર્સ સહિત અન્ય ફેકલ્ટીઓમાં પણ એપ્રિલમાં પરીક્ષાની શરૂઆત કરવામાં આવનાર હોવાનું જણાયું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:33 am

મોટી પહેલ:પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઈલેક્શન મેનેજમેન્ટ સંસ્થામાં રિસર્ચ કરી શકશે

ભારતના ચૂંટણી પંચ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ દ્વારા લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા માટે ત્રણ મોટી પહેલની જાહેરાત કરવામાં આવી છે. 2026માં ભારત આંતરરાષ્ટ્રીય આઇડીઇએના સભ્ય દેશોની કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળવાનું છે. તે અંતર્ગત સમાવેશક અને ટકાઉ વિશ્વ માટે લોકશાહી થીમ પર આ કાર્યક્રમો યોજાશે. યુજીસીએ વડોદરાની મ.સ.યુનિ. સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ તકોનો લાભ લેવા સૂચના આપી છે. આ પ્રોજેકટમાં ‘સ્ટુડન્ટ કનેક્ટ રિસર્ચ ચેલેન્જ’ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાશે. જેમાં વિવિધ દેશોની ચૂંટણી પ્રણાલી અને કાનૂની માળખા પર તુલનાત્મક સંશોધન કરવાનું રહેશે. શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસમાં એક દિવસીય મુલાકાતનું આયોજન કરાશે. જેમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી સંચાલનના ઓપરેશનલ પાસાઓ પ્રત્યક્ષ શીખવા મળશે. ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સનું 18-19 જૂન 2026ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસ, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં પ્રોફેસરો અને સંશોધન વિદ્વાનો ચૂંટણી શાસનના સમકાલીન મુદ્દાઓ પર પોતાના રિસર્ચ પેપર રજૂ કરી શકશે. રિસર્ચ માટેના મુખ્ય વિષયો

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:33 am

ભાસ્કર એક્સક્લુસિવ:શિક્ષણ સમિતિમાં પીએમના જન્મદિને સ્થાપિત ‘નરેન્દ્ર પુસ્તકાલય’ને તાળું, પુસ્તકો ધૂળ ખાતાં

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે વર્ષ પહેલાં બનાવેલું પુસ્તકાલય તાળાબંધીમાં ધૂળ ખાઈ રહ્યું છે. લાઇબ્રેરીમાં 100 વર્ષ જૂના પુસ્તકો છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં તેને ‘નરેન્દ્ર પુસ્તકાલય’ના નામે શરૂ કરાયું હતું. જેને બંધ કરી દેવામાં આવતા હાલના વહીવટકર્તાઓ સામે સવાલો ઊભા થયા છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં 17 સપ્ટેમ્બરે સમિતિની મુખ્ય કચેરી ખાતે પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું. સમિતિમાં જ ધૂળ ખાતા 100 વર્ષ જૂના પુસ્તકોને ફરીથી બાઈન્ડિંગ કરાવી મુકાયા હતા. લાઇબ્રેરી શરૂ થયાના દોઢ વર્ષમાં જ બંધ કરી દેવાઇ છે. લાઇબ્રેરીમાં અન્ય સામાન પણ મૂકી દેવામાં આવ્યો છે. સમિતિમાં ડિજિટલ વિશ્વમાં જીવી રહેલા સત્તાધીશો આ લાઇબ્રેરીની ખસ્તા હાલત માટે જવાબદાર છે. જે તે સમયે લાઇબ્રેરીનો વિકાસ કરવા માટે નેમ લેવામાં આવી હતી. જોકે અત્યારે એવી પરિસ્થિતિ છે કે લાઇબ્રેરી બંધ કરીને તેને તાળું મારી દેવાયું છે. બે આના, ચાર આનામાં ખરીદેલાં પુસ્તકો પણ છેશાળા અને શિક્ષણ પદ્ધતિ જેવા અનેક એક આના, બે આના, ચાર આના, દસ પૈસાના ઐતિહાસિક પુસ્તકો છે. વિશેષતા એ છે કે વડોદરા શિક્ષણ નગરી તરીકે જેનાથી પ્રસિદ્ધ છે એવા સયાજીરાવ ગાયકવાડના સમયના પુસ્તકો પણ છે. સિંધી, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના મહાન લેખકોનાં પુસ્તકોનો પણ પુસ્તકાલયમાં સમાવેશ કરાયો હતોદેશના મહાન લેખકોના પુસ્તકોનો પણ આ પુસ્તકાલયમાં સમાવેશ થયો છે. જેમાં પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, કવિ કલાપી, વીર નર્મદ, ઈશ્વર પેટલીકર, કાકાસાહેબ કાલેલકર જેવા મહત્વના લેખકોના પુસ્તકોનો સમાવેશ થયેલ છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:31 am

ડોમ્બિવલીમાં ટ્રસ્ટીના પુત્ર પર શિક્ષિકાની છેડતીનો આરોપ

સતત અયોગ્ય મેસેજ અને શારીરિક સંબંધનું દબાણ શિક્ષિકાએ મનસેને ફરિયાદ, કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આરોપીને પોલીસને સોંપાયો, તપાસ શરુ મુંબઈ - ડોંબિવલી પૂર્વના સાગાંવ વિસ્તારમાં એક ગંભીર છેડછાડની ઘટના સામે આવી છે. જ્યાં એક શાળાના ટ્રસ્ટીના દીકરાએ શિક્ષિકાને અશ્લિલ મેસેજ તેમજ વિડીયો મોકલીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યાનો આરોપ થયો છે. જેથી સ્થાનિક સ્તરે રોષ ફેલાયો છે અને મનસેના કાર્યકરોએ આ બાબતે પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.

ગુજરાત સમાચાર 27 Mar 2026 5:30 am

29 માર્ચે ‘સૂત્રિત’ નાટક ભજવાશે:નોકરી-ક્લાસમાંથી સમય કાઢી સૂત્રિત નાટક માટે 7થી 45 વર્ષના કલાકારોનો રિહર્સલ મોડ

નર્મદ સાહિત્ય સભા દ્વારા પુરસ્કૃત લઘુ નવલકથા ‘સૂત્રિત’નું નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન રાજેશ દાણી દ્વારા કરવામાં આવ્યું છે. જે મેધા ત્રિવેદી દ્વારા લિખિત છે. મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને ચરખો ચલાવી સુતર કાંતવાની પ્રવૃત્તિમાં જોડાવાની હાકલ કરી. એ પ્રવૃતિનો એક સ્ત્રી અને તેના પરિવાર પર કેવો પ્રભાવ પડ્યો તેની આ નાટકમાં વાત કરી છે. ચરખાની પ્રવૃત્તિ દ્વારા ગાંધીજીએ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા અપાવી, એમને ઘરની બહાર લાવી સ્વદેશી અને આઝાદીની ચળવળમાં જોતરી. ‘સૂત્રિત’ નાટકમાં એક અનોખી વાત છે, એક અનોખી રજૂઆત છે. 7 વર્ષના બાળકલાકારોથી લઈને 45 વર્ષથી વધુ સમયથી રંગમંચ પર કાર્યરત અનુભવી એવા 30થી વધારે કલાકારો રંગમંચ પર આવશે. જેનું અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી દરેક વયના અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની મનગમતી પ્રવૃત્તિ નાટકમાં કિરદાર નિભાવવા માટે સમય ફાળવે છે. વડોદરાના રંગમંચને વરેલ નિષ્ઠવાન કલાકારો સાથે વિશિષ્ટ પ્રકાશ આયોજન, સંગીત અને વેશભૂષા દ્વારા ‘સૂત્રિત’ નાટક પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમમાં 29મી માર્ચના રોજ સાંજે 7.30 વાગ્યે સંસ્કૃતિ થિયેટર્સ દ્વારા ભજવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:29 am

યુવાલય દ્વારા ટોક યોજાઈ:પ્રતિક્રિયા અને પ્રતિભાવ વચ્ચે એક મિનિટનો પોઝ ઇગો મેનેજમેન્ટની ચાવી: ભારતી નાઇક

આજના ઝડપભર્યા જીવનમાં ઈગોને હરાવવાની વાત નથી. તેને સમજવાની જરૂર છે. ઈગો આપણી ઓળખને બચાવવાનો પ્રાકૃતિક મિકેનિઝમ છે, પરંતુ જ્યારે તે અણજાણ્યા રિએક્શનમાં ફેરવાઈ જાય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. વારંવાર થતા ટ્રિગર્સ કોઈ અકસ્માત નથી, પરંતુ અંદર છુપાયેલા પેટર્ન્સ છે, જે અવેરનેસ માંગે છે. ભાવનાઓને દબાવી દેવી એ ઉકેલ નથી. ગુસ્સો, દુઃખ કે નિરાશા જો સમયસર પ્રોસેસ ન થાય તો મન તેને ‘મહત્વપૂર્ણ’ માનીને સંગ્રહિત રાખે છે. આથી જ પોઝ લીધા પછી રીએક્ટ કરોનો સિદ્ધાંત મહત્વનો બને છે પ્રતિસાદ આપતા પહેલાં થોડી ક્ષણ માટે થંભવું જ સાચી શક્તિ છે. સાચી શક્તિ એમાં નથી કે તમે તરત જવાબ આપો, પણ એમાં છે કે તમે સમજ સાથે જવાબ પસંદ કરો. યુવાનો માટે ‘ઇગો મેનેજમેન્ટ અને ઈમોશનલ મેચ્યોરિટી’ પર યુવાલય દ્વારા યોજાયેલા સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભારતી નાઇકે જણાવ્યું હતું. યુવાલય દ્વારા યોજાતી આ વિવિધ શ્રેણીની ટોકમાં યુવાનોને માનસિક વિકાસ તરફ દોરી જવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇમોશનલ મેનેજમનેટ ઇગો નહીં પણ રીએક્શન શત્રુ છેઈગો ક્યારેય શત્રુ નથી, પરંતુ અણજાણતા રિએક્શન ખરેખર નુકસાન કરે છે. ટ્રિગર્સને ઓળખો, થોભો અને વિચારપૂર્વક પ્રતિસાદ આપો. નાની નાની બદલાવથી મોટો ફેરફાર શક્ય છે. બીજાને નહીં, પોતાને સંભાળવાની કળા જ સાચી સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. એ જ સાચી પ્રોઍક્ટિવ લીડરશિપ છે. સાચી વૃદ્ધિ બીજાને બદલવામાં નથી, પરંતુ પોતાની પ્રતિક્રિયાઓને સંભાળવામાં છે. જાતને પ્રશ્ન કરવાથી વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકેજ્યારે આપણે કોઈ ચોક્કસ ઓળખ, પદ કે માનને બચાવવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે રક્ષણાત્મક બની જઈએ છીએ. આથી ગુસ્સો, ઉંચી અવાજમાં વાત કરવી અને આક્રમક વલણ દેખાય છે. માનસિક આરોગ્ય ક્ષેત્રના જાણકારો માને છે કે ‌‌‌‌‘હું કઈ ઓળખને બચાવી રહ્યો છું?’ આ પ્રશ્ન વ્યક્તિને પોતાની અંદર ઝાંખી કરવા પ્રેરિત કરે છે. આ પ્રશ્ન દ્વારા વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકે છે અને પ્રતિભાવ આપવાનું શીખી શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:27 am

‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું:રામ નવમી નિમિત્તે મંદિરોમાં મધ્યાહ્ને વિશેષ આરતી કરાઈ,ઠેર ઠેર શોભાયાત્રા કઢાતાં શહેર રામમય બન્યું

શહેરમાં રામ નવમી નિમિત્તે 22 શોભાયાત્રા નીકળતાં વાતાવરણ રામમય બન્યું હતું. 19 વોર્ડમાં નીકળેલી વિવિધ યાત્રાથી સવારથી મોડી રાત સુધી ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં હજારોની મેદની ઊમટી પડી હતી. પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો જોડાયાં હતાં. વિવિધ ફ્લોટ્સ દ્વારા હિન્દુત્વની ભાવના ઉજાગર કરાઈ હતી. જ્યારે અનેક મંદિરોમાં મધ્યાહ્ને ભગવાન રામનો જન્મોત્સવ ઊજવાયો હતો. ઘરે-ઘરે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ અને ભંડારા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ઋણમુક્તેશ્વર મહાદેવથી સાંજે 5 વાગે નીકળેલી શોભાયાત્રા માંડવી, ન્યાયમંદિર થઇ તાડ ફળિયા રામજી મંદિરે સમાપ્ત થઇ હતી. શોભાયાત્રામાં ‘રામ મંદિર તો બની ગયું, હવે કાશી-મથુરાનો વારો’ તેવા લખાણ સાથે ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં બાળક જોડાયો હતો. જ્યારે ભગવાન રામચંદ્રજીની પ્રતિમાની પાછળ આરએસએસનાં 100 વર્ષ દર્શાવતું સિંહાસન તૈયાર કરાયું હતું. આજે પણ રામ નવમીના કાર્યક્રમોનું આયોજનશહેરમાં રામાનંદી સમાજ દ્વારા ઉદિત તિથિ મુજબ શુક્રવારે રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. અયોધ્યામાં પણ શુક્રવારે જ રામ નવમી હોવાથી અનેક મંદિરો અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શહેરમાં સતત બે દિવસ રામ જન્મોત્સવની ઉજવણી થશે. બાલાજી મંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે રામ રક્ષા પાઠ-આરતી થશેબાલાજી મંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે 27મીએ સવારે 10થી 12 કલાકે સામૂહિક રામ રક્ષા પાઠ અને ભજનનું આયોજન થશે. ત્યારબાદ 12 વાગ્યે મહાઆરતી બાલાજી મંદિર, રાવપુરા ખાતે યોજાશે. જંબુબેટ દાંડિયાબજારમાં રામ રક્ષાના સામૂહિક પાઠ યોજાયા‘સેવાલી’ સંસ્થાએ જંબુબેટ દાંડિયા બજારમાં પૌરાણિક લક્ષ્મણ મહારાજ મઢ રામ મંદિરમાં રામરક્ષા પાઠ યોજ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:24 am

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો:ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વે 3245 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

આજે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો હતો. આ વર્ષે મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળના વિશેષ અભિગમ સાથે ભક્તોએ ઘરેથી તૈયાર કરેલી વાનગી અર્પણ કરી હતી. ​ ભક્તો દ્વારા અર્પણ કરાયેલી 825 પ્રકારની મીઠાઈ, 2050 પ્રકારના ફરસાણ, સૂકો મેવો, ફળ, મુખવાસ અને કેક મળીને કુલ 3245 પ્રકારનાં વ્યંજનોનો અન્નકૂટ તૈયાર કરાયો હતો. જ્યારે રામ નવમીના અવસરે બપોરે 12 કલાકે ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હતી. અટલાદરા બીએપીએસ મંદિરમાં ભક્તો ઘરેથી વિવિધ વાનગી બનાવી લાવ્યા

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:22 am

આગ લાગી:સંગર ચાર રસ્તા પાસે ACના ઇન્ડોર યુનિટમાં આગ, ફર્નિચર બળી ગયું

સંગમ ચાર રસ્તા પાસેની નાગેશ્વર સોસાયટીના એક મકાનમાં રાત્રે 11 વાગ્યાના સુમારે આગ લાગી હતી. ઘરના બેડરૂમમાં મૂકેલા એસીમાં અચાનક આગ લાગ્યા બાદ ઘરના અન્ય ભાગમાં ફેલાઇ હતી. આ આગમાં ફર્નિચર સહિતની ઘરવખરી ભસ્મીભૂત થઇ હતી. આગને પગલે સમગ્ર ઘરમાં ભારે ધુમાડો થતાં ફાયરબ્રિગેડના લાશ્કરોએ આવીને ધુમાડો ઘરની બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે સોસાયટીના સંખ્યાબંધ લોકો એકત્ર થયા હતા. આગ પ્રસરે એવું જણાતાં ઘરના લોકોએ જ સમયસૂચકતા વાપરીને એસી યુનિટ નજીકથી ગાદલાં સહિતનો સામાન સલામત જગ્યાએ ખસેડી લીધો હતો. મકાન માલિકે જણાવ્યું કે, એસી દસેક વર્ષ જૂનું હતું અને તેનું સર્વિસિંગ ગત ઉનાળામાં કરાવ્યું હતું અને વપરાશ ખૂબ ઓછો હતો. ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ગરમી વધતાં અને વોલ્ટેજમાં અચાનક ફેરફાર થતાં પણ વીજ ઉપકરણોમાં આગ લાગવાના બનાવો વધે છે. વોલ્ટેજ હાઇ થતાં નબળું વાયરિંગ સળગી ઊઠે છેઇનર એસી યુનિટમાં આગ લાગવાનાં અનેક કારણો છે. મોટાભાગે વોલ્ટેજ હાઇ થાય ત્યારે નબળું, ઘસાયેલા વાયરો પર લોડ આવતાં તે સળગી ઊઠે છે. આ ઉપરાંત એસીની લાંબા સમયથી સફાઇ ન થઇ હોય અને એસી કલાકો સુધી ચાલુ રહે તો પણ આગ લાગી શકે છે. > હેમિલ ભટ્ટ, વીજ તજ્જ્ઞ

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:19 am

રૂટ વિવાદમાં હરણીની શોભાયાત્રા રદ:હરણીની યાત્રા માટે ફતેપુરાનો જૂનો રૂટ પોલીસે મંજૂર ન કરતાં યાત્રા જ રદ કરાઈ, વિહિપના કાર્યકરોની અમિતનગર પાસે પ્રતિમા મૂકી રામધૂન

રામ નવમીએ શહેરમાં 22 શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ વીએચપીના કારેલીબાગ પ્રખંડ દ્વારા હરણીથી યોજાતી શોભાયાત્રા જૂના રૂટ પર કાઢવાની મંજૂરી પોલીસે ન આપતાં કાર્યકરો રોષે ભરાયા હતા. જેને પગલે શોભાયાત્રા જ રદ કરી દેવાઈ હતી, જ્યારે વીએચપીનાં 150થી વધુ કાર્યકર રાજીનામાં આપશે. 2023માં આ યાત્રા કુંભારવાડા પાસે પહોંચતાં પથ્થરમારો થયો હતો. તે પછી ગત વર્ષે પણ પોલીસે યાત્રાનો રૂટ બદલી દીધો હતો. જ્યારે શહેરની કુંભારવાડામાંથી નીકળતી સૌથી જૂની શોભાયાત્રા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. વીએચપીના કાર્યકરોએ શોભાયાત્રા માટે ફતેપુરાના જૂના રૂટની માગ કરી હતી, જ્યારે પોલીસે એલએન્ડટી સર્કલ, અમિતનગર થઈ પાણીની ટાંકી, બહુચરાજી રામ મંદિર સુધીની મંજૂરી આપી હતી. જેથી કાર્યકરોએ રોષે ભરાઈ શોભાયાત્રા રદ કરી હતી અને અમિતનગર સર્કલ પાસે મહાઆરતી, રામધૂનનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, ગોરવા, ફતેગંજ, અકોટા, કુંભારવાડા, છાણી, વાડી, સમા, માંજલપુર સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી. 600થી વધુ શકમંદોની યાદી તૈયાર, લોકેશન ટ્રેકિંગ પર મુકાયાં, 250ની અટકશાંતિ ડહોળવા પ્રયાસ કરી શકે તેવા 600થી વધુ શકમંદોની વિશેષ યાદી તૈયાર કરાઈ હતી. પોલીસે તમામના ફોન લોકેશન ટ્રેકિંગ પર મૂકી દીધા હતા અને શકમંદો સાથે તેમના સંબંધી પર પણ વોચ રખાઈ હતી. જ્યારે 250થી વધુની અટકાયત કરાઈ હતી. નેત્રમ સીસીટીવી રૂમ ખાતે પોલીસની ખાસ ટીમે આરોપીના ફોટો-વીડિયો એનાલિટિક્સમાં અપડેટ કર્યા હતા અને વોચ રાખી હતી. પોલીસે કંટ્રોલ રૂમથી ગ્રાઉન્ડ સ્ટાફને નિર્દેશ આપ્યા હતા. ડ્રોન-CCTVથી પોલીસની શોભાયાત્રા પર નજર વર્ષ 2023માં પથ્થરમારો થયો હતો તે સ્થળે પતરાં લગાવી દેવાયાં કુંભારવાડા પાસે 2023માં રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો થયો હતો. જેથી આ વર્ષે મસ્જિદ સામે અને આગળના ચાર રસ્તે સુરક્ષાના હેતુથી પતરાં માર્યાં હતાં. સાથે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મુસ્લિમ આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. જૂના રૂટની મંજૂરી ન મળતાં કાર્યકરોમાં નારાજગી ફેલાઈ જૂના રૂટથી શોભાયાત્રા કાઢવા ન દેતાં કાર્યકરો નારાજ છે. પ્રશાસન સામે રોષ છે. હિન્દુત્વ માટે શોભાયાત્રા કાઢીએ છીએ. કારેલીબાગ પ્રખંડનાં 150 કાર્યકર રાજીનામાં આપશે. અમિતનગર સર્કલ પાસે રામધૂન, મહાઆરતીનું આયોજન કર્યું છે. — કલ્પેશ જોષી, કારેલીબાગ પ્રખંડ મંત્રી VHP રામ નવમીની શોભાયાત્રા શાંતિમય રીતે પૂર્ણ થઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરાયું હતું. રામ નવમીની શોભાયાત્રાઓ શાંતિમય રીતે પૂર્ણ થઈ હતી. શહેરીજનોનો પણ પોલીસને સારો સહકાર મળ્યો હતો. — નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર આવતા વર્ષે આ રૂટથી યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું પોલીસે મંજૂરી આપી હતી, પણ આયોજકોની 2023માં જે રૂટ હતો ત્યાંથી શોભાયાત્રા કાઢવા માગ હતી. બુધવાર સાંજ સુધી આયોજકો સંપર્કમાં હતા. પોલીસે લો-ઓર્ડરને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે. આવતા વર્ષે આ રૂટે યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું. — ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ પોલીસે અગાઉ પણ આશ્વાસન આપ્યું હતું2023ની ઘટના બાદ બીજા વર્ષે જે તે સમયના ડીસીપીએ આ વખતે રૂટ બદલો, ચૂંટણી પર અસર થશે તેમ કહ્યું હતું. તે પછી જૂના રૂટની મંજૂરીનું આશ્વાસન આપ્યું હતું. પોલીસ તે વાત પર કાયમ ન રહી. — વિપુલ પઢિયાર, સહમંત્રી, વડોદરા, VHP

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:18 am

PNG નેટવર્ક વધારવા માટે તંત્રની કવાયત તેજ:PNG માટે 9 હજાર અરજી પેન્ડિંગ,1 માસમાં 2 હજાર લોકોએ જોડાણ માગ્યાં, રૂા.300 રજિસ્ટ્રેશન ફી નાબૂદ

દેશમાં સર્જાયેલા ગેસ બોટલના સંકટ વચ્ચે સરકાર દ્વારા પીએનજી ગેસ લાઇન જોડાણને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે ગેસ કંપનીમાં નવા કનેક્શન માટે 9 હજાર અરજી પેન્ડિંગ હોવાનું સપાટી પર આવ્યું છે. છેલ્લા એક મહિનામાં 2 હજાર અરજી મળી છે. જોકે રાહતની વાત એ છે કે, ગેસ વિભાગે રૂા.300 રજિસ્ટ્રેશન ફી નાબૂદ કરી છે. સરકારે રહેણાક વિસ્તારમાં પીએનજી ગેસનું જોડાણ ફરજિયાત બનાવ્યું છે. જેમાં કોઈ વિસ્તારમાં જતી ગેસ લાઈનમાંથી 3 મહિનામાં કનેક્શન લેવા કહેવાયું છે. ત્યારે મહાનગર પાલિકા અને ગેલના સંયુક્ત સાહસ ગેસ કંપની લિમિટેડમાં નવા કનેક્શનની 9 હજાર અરજી પેન્ડિંગ છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ છેલ્લા એક મહિનામાં 2 હજાર જેટલી અરજી આવી છે. જ્યારે રોજનાં 150થી વધુ ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. આગામી બે મહિનામાં તમામ અરજીનો નિકાલ કરવામાં આવશે. સરકારે ડિપોઝિટ નહીં લેવા અને રૂા.500 સુધીનો ગેસ મફત આપવાની જાહેરાત કરી છે. જોકે વડોદરા ગેસ કંપની પાસે એવો કોઈ સર્ક્યુલર આવ્યો નથી તેવું જાણવા મળ્યું છે. નવા કનેક્શન માટે ગેસ કંપનીએ રૂા.300 રજિસ્ટ્રેશન ફી નહીં લેવાનું નક્કી કર્યું છે. નવા કનેકશનમાં ગેસ કંપનીની જાહેરાત : 300 રજિસ્ટ્રેશન ફી નાબૂદપુરવઠા વિભાગ મુજબ શહેર-જિલ્લામાં 12 હજાર કોમર્શિયલ સહિત 5.44 લાખ ગેસ બોટલના ગ્રાહક છે. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર જેટલાં બોટલનું રિફીલિંગ થતું હતું, જે હાલ બમણું થયું છે. આઉટ ગ્રોથ વિસ્તારમાં ગેસનું નેટવર્ક, 40 હજાર જૂના કનેક્શન પણ બદલ્યાંગેસ કંપની હાલમાં 2.90 લાખ ગ્રાહકોને ગેસનો પુરવઠો પાઇપ મારફતે પૂરો પાડે છે. જ્યારે 3030 કોમર્શિયલ કનેક્શન છે. શહેરમાં વેમાલી, ઉંડેરા, સેવાસી, કલાલી, જાંબુઆ સુધી નેટવર્ક નખાયેલું છે. 40 હજાર કનેક્શનનું જૂનું નેટવર્ક હટાવી નવું નેટવર્ક નાખ્યું છે, જેને કારણે પ્રેશર સુધારો થયો હોવાનો દાવો છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:11 am

પ્રજાએ વ્યક્ત કર્યો આક્રોશ:ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી ન મળતાં લોકોના દેખાવો, માટલાં ફોડી વિરોધ

શહેરમાં ભરઉનાળે લોકોને પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ભાયલી સ્ટેશન નજીક છેલ્લા 10 દિવસથી પાણી ન મળતાં રહીશોએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 5-5 દિવસથી કપડાં ધોયાં નથી અને આસપાસ તળાવ પણ નથી કે ત્યાં જઈને ધોઈ શકાય. ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ સાથે લોકો એકત્ર થયા હતા. મહિલાઓનું કહેવું હતું કે, પાણી નહીં આવવાથી પરેશાની થઈ રહી છે. આ વિસ્તારમાં સામાન્ય આવક ધરાવતા લોકો રહે છે, જેથી પાણીનું ટેન્કર મગાવવું પરવડે તેમ નથી. આ અંગે પાલિકાના તંત્ર અને સ્થાનિક નેતાઓને જાણ કરી છે, પરંતુ કોઈ જોવા આવતું નથી. ગત ચૂંટણીમાં કહેતા હતા કે, અમારી તરફ જોજો. હવે જ્યારે અમારે જરૂર પડી છે તો કોઈ જોવા આવતું નથી. રહીશ મીનાબેને જણાવ્યું હતું કે, પાણી ન આવતું હોવાથી 5 દિવસથી કપડાં ધોયાં નથી. આસપાસ તળાવ કે સરોવર પણ નથી કે ત્યાં જઈને કપડાં ધોઈ શકાય. તંત્ર તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Mar 2026 5:08 am