રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડ (ઉ.વ.40) નામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં 108ના EMTએ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દિકરી હોવાનું અને પતિ-પત્ની બન્ને કેટરર્સનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મોટી દિકરીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્યારથી કાજલબેન ગુમસુમ રહેતાં હતાં જેથી આઘાતમાં આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વૃદ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાત કુંદનબેન દેવદાસભાઈ નકુમ (ઉં.વ.63)એ આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતે આજીડેમ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતા ત્યારે ખળમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેમને તત્કાલ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી રાજકોટમાં ઇગલ પેટ્રોલ પંપ સામે ખાકટીવાસમાં રહેતો સદામ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસ આવી સદામની ફરિયાદ પરથી ઇરાફન, રાહુલસિંગ, અરમાનબાબુ અને બીમ્બો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી સદામ બપોરે 2 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે તેના ભાઈ સિકંદરનો ફોન આવ્યો હતો. સિકંદરે જણાવ્યું હતું કે તે ઈરફાન સાથે ઉભો છે અને જૂના ઝગડા બાબતે સમાધાનની વાત કરવાની છે. તું ભીલવાસ મેઇન રોડ પર આવેલી મિસ્ટર ચિકન હોટલ પાસે આવ માટે સદામ ત્યાં પહોંચતા જ આરોપી ઈરફાને તેને હોટલની અંદર બોલાવ્યો હતો. સદામ અંદર ગયો એટલે તરત જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવા ધમકી આપી હોટલની અંદર પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઈરફાન, રાહુલસિંહ, અરમાનબાપુ અને બિમ્બા નામના શખ્સોએ સદામને ઘેરી લીધો હતો. ઈરફાને સદામના વાળ પકડી લીધા હતા અને અન્ય શખ્સોએ તેને નીચે નમાવી દીધો હતો. ત્યારબાદ ચારેય શખ્સોએ ભેગા મળીને સદામને પીઠના ભાગે અને શરીરે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સદામના ભાઈ સિકંદરે વચ્ચે પડીને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોની ચુંગાલમાંથી છૂટીને સદામ જ્યારે હોટલની બહાર ભાગવા જઈ રહ્યો હતો ત્યારે બિમ્બા નામના શખ્સે કોઈ અણીદાર વસ્તુ વડે હુમલો કરતા સદામને ડાબી આંખની બાજુના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ભાગી રહેલા સદામને પાછળથી આરોપી ઈરફાને ધમકી આપી હતી કે આજ તો તું બચી ગયો છે, પણ હવે જો કયારેય સામે ભટકાઈશ તો તને જાનથી મારી નાખીશ. ‘વિરાણી ચોકનું મકાન મને દઇ દે નહિતર તને અને નાના ભાઇને મારી નાંખીશ’રૂડાનગર નજીક સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં હંસાબેન મહેન્દ્રભાઇ ડાભી (ઉ.વ.60) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પુત્ર રાહુલ મહેન્દ્રભાઇ ડાભી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હંસાબેન ડાભીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા નાના દિકરા આશિષ અને તેની પત્નિ નંદીની સાથે રહુ છું. મોટો દિકરો રાહુલ તેના પત્નિ સાથે અલગ રહે છે. 10.15 વાગ્યે હું નાના દિકરા આશિષના ઘરે શ્રી હાઉસીંગ સોસાયટીમાં હતી ત્યારે મોટા દિકરા રાહુલે ફોન કરી કહ્યું કે-તું તારું વિરાણી ચોક વાળુ મકાન મને આપી દે. જેથી મેં મકાન મારા નામનું છે અને તે મકાન તને નહિ મળે. આ સાંભળી તેણે ફરીથી મકાન મને આપી દેજે નહિતર તને અને તારા દિકરા આશિષને છરીના ઘા મારી દઇશ અને પતાવી દઇશ તેમ કહી ધમકી આપી હતી. હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી:હાઇકોર્ટે વડોદરાની હોસ્પિટલને સગીરાની તપાસના આપ્યા આદેશ
વડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. રિપોર્ટ થશે અને તેના આધારે હાઇકોર્ટ નિર્ણય કરશેગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા છે. જે ગાયનેકોલોજિસ્ટના હેડ અંતર્ગત કાર્ય કરશે. આ મેડિકલ તપાસનો રિપોર્ટ 12 માર્ચના રોજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં સગીરાના શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ તેના ગર્ભપાત કરવામાં રહેલા જોખમ અંગે હોસ્પિટલ માહિતી આપશે. જેના આધારે કોર્ટ આગળ નિર્ણય કરશે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સપ્ટેમ્બર, 2025માં થયેલી બિલ્ડર હિંમત રુડાણી હત્યા કેસમાં સગીરા આરોપીને પુખ્ત ગણી ચિલ્ડ્રન કોર્ટમાં કેસ ચાલશે. મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટ દ્વારા નિર્ણય કરાયો છે. પાટીદાર બિલ્ડરની હત્યા મામલે તેના જ પાર્ટનર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિંમાશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીની ધરપકડ કરવામાં ાવી હતી. મનસુખ લાખાણી અને હિંમત રુડાણી વચ્ચે પાર્ટનરશીપમાં પૈસાની લેતીદેતીમાં મનદુઃખ થતા મનસુખે હત્યા માટે સોપારી આપી હતી. શું હતો સમગ્ર મામલો?13 સપ્ટેમ્બર, 2025ની રાત્રે અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતક હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી. ત્યારે પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. આ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ રાજસ્થાનના આરોપીને બિલ્ડર ભાગીદારની હત્યા કરવા માટે 1.20 કરોડની સોપારી આપી હતી. આરોપીઓ પૈકી સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. જેનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલતો હતો. મૃતકના પુત્રની અપીલ બાદ મનોચિકિત્સકનો અભિપ્રાય લેવામાં આવ્યોમૃતકના પુત્રે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ચિલ્ડ્રન્સ કોર્ટમાં અપીલ કરી હતી કે સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. તે ગુન્હો આચરવા અને તેના પરિણામ સમજવા સક્ષમ હતો. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મનોચિકિત્સક પાસેથી તેનો અભિપ્રાય મંગાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા છત્તા કેસને બોર્ડ સમક્ષ જ ચલાવવા આગ્રહ રાખ્યો હતો.સગીરના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે સગીરા ગુનામાં હોવાના કોઈ CCTV નથી. તેની મનોચિકિત્સક દ્વારા એક જ વાર તપાસ કરવામાં આવી છે. સગીર સામે કોઈ સંતોષકારક પુરાવા નથી. કોર્ટે નોંધ્યું- કિશોર ગુનો કરવા શારીરિક-માનસિક સક્ષમજો કે કોર્ટે નોંધ્યું હતું કે મનોચિકિત્સક રિપોર્ટ મુજબ કિશોર ગુનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે. તેની ઉપર ગંભીર આક્ષેપ છે. પોલીસ દ્વારા ફાઈલ થયેલા ડોક્યુમેન્ટસમાં તેની સક્રિય ભૂમિકા દેખાય છે. તેની સામે પ્રથમદર્શી કેસ છે. આથી આરોપીને પુખ્ત વયનો ગણીને તેનો કેસ ચિલ્ડ્રન કોર્ટમાં દાખલ કરવામાં આવે. 25 કરોડની લેતીદેતીમાં હિમત રુડાણીની હત્યા નિપજાવાઈ હતીઅમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો. જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ બાબત શાંત પડી નહોતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ લોહિયાળ આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં ઝડપાયેલા હિમાંશુ અને પપ્પુને લઈ ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના છાંયા વિસ્તારમાં આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે 2 કિલોમીટર લાંબો 'આઇકોનિક રોડ' બનાવવામાં આવશે. આ આધુનિક માર્ગ શહેરના વિકાસને નવી ઓળખ આપશે અને નાગરિકો માટે સુવિધાઓમાં વધારો કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. માર્ગની મધ્યમાં 0.60 મીટર પહોળું ડિવાઈડર હશે, જેમાં 1.2 મીટર (4 થી 6 ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષો રોપવામાં આવશે. રોડ પર દર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે, જે રાત્રિના સમયે માર્ગને રોશનીથી ઝળહળતો રાખશે. શહેરીજનોની સુવિધા માટે 12 અતિ આધુનિક બસ સ્ટેન્ડ, 350 બેંચ અને સ્વચ્છતા જાળવવા માટે 32 ડસ્ટબીન મૂકવામાં આવશે. પાણી, ગેસ, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલ જેવી તમામ યુટિલિટી સેવાઓ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેનાથી લાંબા ગાળે જાળવણી ખર્ચ ઘટશે અને શહેરનું સૌંદર્ય જળવાઈ રહેશે. આ રોડ પર બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. સલામતી માટે મજબૂત રેલિંગ, કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ અને સાઈન બોર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે, નાગરિકોની સુરક્ષા વધશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક પ્રોપર્ટી વેલ્યુમાં વધારો થવાની સાથે પ્રવાસનને પણ મોટું પ્રોત્સાહન મળશે.
ગોધરા યુનિવર્સિટીમાં IPR વર્કશોપ સંપન્ન:રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ પર બે દિવસીય કાર્યશાળા યોજાઈ
ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 'ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એન્ડ રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ' વિષય પર બે દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ છે. આ કાર્યશાળાનું આયોજન યુનિવર્સિટીના અનુસ્નાતક મનોવિજ્ઞાન વિભાગ અને ગુજરાત નોલેજ કોન્સોર્ટીયમ (KCG) ના શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન 9 માર્ચના રોજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે, મુખ્ય વક્તાઓ એડવોકેટ ભાવિક પટેલ અને શ્રાવ્ય પુરોહિતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) અને પેટન્ટ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે પેટન્ટની ફાઇલિંગ પ્રક્રિયા અને કોપીરાઇટ સંબંધિત કાયદાઓ વિશે સમજૂતી આપી હતી. બીજા દિવસે વિવિધ નિષ્ણાતો દ્વારા સત્રો યોજાયા હતા. ડૉ. એમ.આર. યાદવે રિસર્ચ પેપર રાઇટિંગ અને તેની પ્રક્રિયા પર માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડૉ. પ્રકાશ પિલ્લાઈએ રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ અને કોપીરાઇટ વિશે ચર્ચા કરી હતી. ડૉ. પ્રશાંત મુરુમકરે જર્નલ્સની પસંદગી અંગે સલાહ આપી હતી અને પ્રો. ડૉ. અપૂર્વ શાહે પ્લેજિયારિઝમ (સાહિત્યિક ચોરી) તપાસવાના સાધનો અને રેફરન્સિંગ વિશે માહિતી આપી હતી. આ કાર્યશાળામાં 200 થી વધુ સહભાગીઓ જોડાયા હતા. તમામ સત્રોના અંતે, ઉપસ્થિત સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપના આયોજનમાં ડૉ. પલક કંસારાએ કન્વીનર અને ડૉ. નેહા ગરવાએ કો-કન્વીનર તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ચંદુજી ઠાકોરે કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે “Right Justice for All Women and Girls” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાના સ્વાભિમાનને ઉન્નત રાખીને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ સહિત અનેક ક્ષેત્રોમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. જોકે, ગામડાં અને દૂરદરાજના વિસ્તારોમાં ઘણી મહિલાઓ હજુ પણ પોતાના અધિકારો અને સરકારી યોજનાઓથી અજાણ છે, તેમને જાગૃત કરવા આવા કાર્યક્રમો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માછીમારી, પશુપાલન, સખી મંડળ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા બાળ સંરક્ષણ આયોગના સભ્ય અમૃતા અખિયાએ ભારતીય મહિલાઓના બદલાયેલા સ્વરૂપ અને સમાજમાં તેમની આગવી ઓળખ અંગે વાત કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરે મહિલાઓને હિંમત, આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. સાઇબર ક્રાઇમ વિભાગના મહિલા એએસઆઈ ધારાબેન મોરીએ વધતા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર સાવચેતી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારસૂરે કાર્યક્રમની ભૂમિકા આપી સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ ઉદ્યોગ કમિશનર હાર્દિકસિંહ વાઘેલા સહિત અનેક અધિકારીઓ અને જિલ્લાભરની નારીશક્તિ ઉત્સાહભેર જોડાઈ હતી.
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડીનસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. પરિણામે, પરિવારજનોએ મજબૂરીમાં કાપડની ઝોળી બનાવી મહિલાને 1 કિમી દૂર કાચા રસ્તા સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પાકા રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને દુગ્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાના અરસામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. અગાઉની ઘટનામાં હાઈકોર્ટનો હસ્તક્ષેપછોટા ઉદેપુર જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ પૂર્વે 1 ઓક્ટોબર, 2022ના રોજ તુરખેડામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક મહિલાનું રસ્તામાં જ પ્રસૂતિ બાદ મોત નીપજ્યું હતું. સુઓમોટો સંજ્ઞાન: આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓમોટો) લઈ તંત્ર પાસે જવાબ માંગ્યો હતો. કાગળ પર મંજૂરી: હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ત્યાં રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. સ્થાનિકોની માગવારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં વહેલી તકે પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ઈમરજન્સી સમયે દર્દીઓ અને પ્રસૂતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને જીવનું જોખમ ટાળી શકાય.
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05 માર્ચથી તા.11 માર્ચ સુધી ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”નાછઠ્ઠા દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પાવન પ્રસંગે હજારો હરિ ભક્તોને સંબોધન કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા અને ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે. જેતલપુરધામનો 200 વર્ષનો ઈતિહાસ નાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જે કામ થઇ રહ્યું છે, તેના પગલે-પગલે અમે ચાલીએ છીએ અને સનાતન ધર્મનો પ્રચાર થઇ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મંદિર સાથે સંપર્ક રહેશે તો તમે જીવંત રહેશે. આપણે બધાએ મંદિર સાથે જોડાણ રાખવાનું છે.આજના ટેક્નોલોજી અને એઆઇના યુગમાં આપણા દીકરા-દીકરીઓનું મંદિર સાથે કનેક્શન નબળું પડશે તો જીવનનું એક અગત્યનું કાગળ ઉખડીને ક્યાંક પડી ગયું હોય તેવો અહેસાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, જેતલપુર નગરની આ આધ્યાાત્મિકતાની ભૂમિ ઉપર સ્વચ્છતા, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂરની પ્રદર્શની, બાળ નગરી, રક્તદાન શિબિર, જ્ઞાનવર્ધક મંચ, અને વ્યસન મુક્તિ સંબંધિત પ્રદર્શની ઉભી કરાઇ છે. તેનાથી અહીં મુલાકાત લેતાં દરેક વ્યક્તિ ઘણું ગ્રહણ કરીને જાય છે. આ પ્રસંગે મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલનાં ચેરમેન બિપિનભાઈ પટેલ, રીટાયર્ડ ચીફ જસ્ટીસ ગુજરાત રાજ્ય શ્રી એ. એલ. દવે જેવા મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
વેરાવળ શહેરના ભીડીયા બંદર વિસ્તારમાં આજે સાંજે એક ફિશિંગ બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે બંદર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરાવળ ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીના કારણે આગને કાબૂમાં લેવામાં આવી હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ભીડીયા બંદરના ગોદી વિસ્તારમાં દરિયાકાંઠે લંગારેલી એક માછીમારી હોડીમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠતા આસપાસના માછીમારો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. થોડા જ સમયમાં આગ બોટમાંથી નજીકમાં રાખવામાં આવેલી માછીમારીની જાળીઓ તરફ પણ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની સતર્ક કામગીરીના કારણે આગ આસપાસ લંગારેલી અન્ય બોટ સુધી ફેલાતી અટકી હતી, જેનાથી મોટું નુકસાન ટળ્યું હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની વાત છે. જોકે, આગના કારણે એક માછીમારની ફિશિંગ બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના પરિણામે તેને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું મનાય છે. પ્રાથમિક અનુમાન મુજબ, હાલ જિલ્લામાં પ્રવર્તી રહેલી તીવ્ર ગરમી અને હીટવેવના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ બંદર વિસ્તારમાં આગ સલામતી અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ચીન અને રશિયા. આ બે મોટા એવા દેશો છે જેને ઈરાન સાથે સંબંધ સારા છે. સવાલ એ છે કે ઈરાન પર હુમલા થઈ રહ્યા છે. તેહરાન યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત થઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે ઈરાનના સાથી દેશો ક્યાં છે, જે સંકટ સમયે ઈરાનની પડખે ઊભા રહેતા હતા? આખરે આ માહોલ વચ્ચે રશિયા અને ચીને ઈરાનથી કેમ મોઢું ફેરવી લીધું? તમને યાદ હોય તો 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસમાં ત્રણવાર ફોન ઘૂમેડ્યા હતા. પહેલો ફોન રશિયા પુતિનને કર્યો. એક કલાક વાત થઈ. તરત બીજો ફોન ચીનમાં જિનપિંગને લગાવ્યો. દોઢ કલાક વાત થઈ. ફરી ત્રીજો ફોન પુતિનને લગાવ્યો. ત્રણેય મોટા દેશના રાષ્ટ્રપતિઓએ ચાર-પાંચ કલાક ફોનમાં જ કાઢ્યા. આ વાત થઈ ને તેના ચાર જ દિવસમાં ઈઝરાયલ-અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ યુદ્ધ છેડી દીધું. રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે એવી તે કઈ ડીલ થઈ હશે કે ઈરાન પર હુમલા પછી પણ ચીન અને રશિયા ચૂપ બેઠા છે? ત્રણેય મહાસત્તાઓનો પડદા પાછળનો ખેલ શું છે? આજે તેની વાત... નમસ્કાર, ઈરાન હુમલા પછી ચીન ચૂપ છે. તેનું કારણ એ છે કે ચીનને તાઈવાન કબજે કરવું છે. તાઈવાન આસપાસ અમેરિકી વોર શિપ છે. ચીન ઈચ્છે છે કે અમેરિકા પોતાની વોર શિપ તાઈવાન પાસેથી હટાવી લે. 31 માર્ચે ટ્રમ્પ ચીન જવાના છે ત્યારે કોઈ ડીલ થઈ શકે. ચીનને અમેરિકાની ગરજ છે એટલે ચૂપ છે. રશિયા પહેલેથી ઈરાનનું મિત્ર રહ્યું છે. ઈરાન પર હુમલો થયો ત્યારે પુતિને ટીકા કરી હતી. ખામેનીનું મોત થયું ત્યારે પુતિને આ માનવતાની વિરૂદ્ધનું કૃત્ય ગણાવ્યું. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા નિયુક્ત થયા ત્યારે પુતિને અભિનંદન આપ્યા. આ બધું તો ઠીક, પણ રશિયા ઈરાનનું મિત્ર હોવા છતાં સીધી રીતે યુદ્ધમાં ઘૂસ્યું નથી. એ પણ પ્રેક્ષકની જેમ જોયા કરે છે. રશિયાને અત્યારે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં તક દેખાય છે. ઈરાનની કમર ભાંગી જશે તો દુનિયા રશિયા પાસેથી વધારે ઓઈલ ખરીદશે. એટલે પુતિન મનમાં તો ઈચ્છે જ છે કે યુદ્ધ ચાલુ રહે. પહેલા ઈરાન અને ચીનના સંબંધની વાત કરીએ… ખામેનીએ છેલ્લી વિદેશ યાત્રા ચીનની કરી હતી યુદ્ધની અસર ચીન સુધી પહોંચી છે. આમ તો ચીન પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર છે છતાં ચીનને ઓઈલ માટે તેના પાડોશી દેશ રશિયાની મદદની જરૂર પડી શકે છે. ચીન વિચારે છે કે લાંબા ગાળે આ યુદ્ધની શું અસર થશે. મિડલ ઈસ્ટમાં ચીનના રોકાણ પર અસર પડશે, તેથી ચીન ચિંતામાં છે. ચીન લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. તોતિંગ દેવું, પ્રોપર્ટી સંકટના કારણે ચીનની આર્થિક હાલત નબળી છે. જો મિડલ ઈસ્ટમાં યુદ્ધ લાંબુ ચાલશે તો તેની અસર એ ક્ષેત્રોમાં પણ પડશે જે ચીન માટે મહત્વના છે. યુદ્ધ લાંબુ ચાલશે તો આનાથી ચીન લાંબા સમયના હિતોને નુકસાન પહોંચાડી શકે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીની છેલ્લી વિદેશ યાત્રા 1989માં ચીનની હતી. તેમણે ગ્રેટ વોલ પાસે ફોટો પડાવ્યો હતો. 2016માં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઈરાન ગયા ત્યારે બંને દેશોના સંબંધો વધારે ગાઢ બન્યા. એ પછી 2021માં બંને દેશોએ 25 વર્ષના રણનીતિક સહયોગ પર હસ્તાક્ષર કર્યા. ચીને ઈરાનમાં 25 વર્ષમાં 400 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું, તેની સામે ઈરાને ઓઈલ સપ્લાય ચાલુ રાખવાનું વચન આપ્યું. 2021 પછી ચીને રોજ ઈરાન પાસેથી 14 લાખ બેરલ ઓઈલ આયાત કરતું રહ્યું. હવે ઓઈલની આયાતને અસર થઈ છે. યુદ્ધના માહોલ વચ્ચે ચીન સમજી વિચારીને પગલાં ભરી રહ્યું છે. એનું સૌથી મોટું કારણ એ છે કે માર્ચના એન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જવાના છે. યુદ્ધ પછી ચીને ટ્રમ્પનું કે અમેરિકાનું નામ લઈને સીધો હુમલો નથી કર્યો. કારણ કે જિનપિંગને ટ્રમ્પની ગરજ છે. ભરપૂર ઈરાની ઓઈલ સંગ્રહીને બેઠું છે ચીન ઈરાનથી ચીન પહોંચેલા ઘણા ઓઈલની અસલ ઓળખ છુપાવવા તેને 'મલેશિયન ઓઇલ' તરીકે દેખાડવામાં આવ્યું. એશિયામાં લગભગ 4.6 કરોડ બેરલ ઈરાની ઓઇલ સમુદ્રમાં સ્ટોરેજ જહાજોમાં રાખેલું છે. ચીનના ડાલિયાન અને ઝોઉશાન બંદર પર પુષ્કળ ઓઇલનો સંગ્રહ છે જ્યાં ઈરાનની રાષ્ટ્રીય ઓઇલ કંપનીએ ભાડે ઓઈલ ટેન્કરો રાખેલા છે. બંને દેશો વચ્ચે હથિયારોની લેવડ-દેવડના આરોપો પણ લાગ્યા છે. પણ ચીન ના પાડતું રહ્યું છે કે અને ઈરાનને કોઈ હથિયાર આપ્યા નથી. અમેરિકાની જાસૂસી એજન્સીઓનો આરોપ છે કે ચીને ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામમાં એન્જિનિયરોને ટ્રેનિંગ અને સાધનો આપીને મદદ કરી હતી. આ કારણથી કેટલાક પશ્ચિમી મીડિયાએ ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયાને 'અસ્થિરતાની ધરી' ગણાવ્યાં હતાં. ઈરાનની ઈચ્છા રહી છે કે તે ચીનના રોડ એન્ડ બેલ્ટ ઈનિશિયેટિવનો ભાગ બને. તો ચીનને ઈરાનમાં મોટું રોકાણ કરવું હતું. ચીન માટે ઈરાન એટલે જરૂરી છે કે ચીન પોતાની જરૂરિયાતનું 87% ક્રૂડ ઓઈલ ઈરાન પાસેથી ખરીદે છે. ચીનની ઈકોનોમી માટે ઈરાનનું ઓઈલ લાઈફ લાઈન છે. પણ ચીનની કૂટનીતિનો સ્પષ્ટ નિયમ છે કે કોઈપણ બે દેશ વચ્ચેના યુદ્ધ જેવા માહોલમાં ડાયરેક્ટ દખલ નહીં આપવાની. ચીન ઈચ્છે છે કે ઈરાનમાં શાંતિ રહે. એટલે ત્યાંનું ઓઈલ કોઈપણ જાતના વિઘ્ન વગર આવતું રહે અને તેનું રોકાણ સુરક્ષિત રહે. એટલે ચીન ઈરાન યુદ્ધમાં કૂદીને અમેરિકા સાથે દુશ્મની નહીં કરે. આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં કોઈ કોઈનું સગું નથી હોતું. રશિયા અને ચીનને ઈરાનનો સાથ ત્યાં સુધી પસંદ છે જ્યાં સુધી પોતાને નુકસાન ન વહોરવું પડે. ઈરાનને હવે સમજાઈ ગયું છે કે પશ્ચિમી દેશો માત્ર વાતોના વડાં કરે છે. ખરા સમયે કોઈ ઊભું રહેતું નથી. આખરે ચીનના મનમાં ચાલે છે શું? ચીન અમેરિકા સાથે ટ્રેડ વોરમાં ગૂંચવાયેલું છે. હવે મિડલ ઈસ્ટના યુદ્ધથી અસ્થિરતા વધી શકે છે. આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો ચીનને ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને હોર્મુઝની સ્ટ્રેટમાં જહાજોનું આવ-જા બંધ થઈ ગઈ છે એટલે વધારે નુકસાન થશે. ચીન એક મોટી આર્થિક સત્તા હોવા છતાં અમેરિકાના સ્તરનું સુપરપાવર નથી. એ વાત ચીન પણ જાણે છે અને એટલે જ ચૂપ છે. ચીન કદાચ એવી દુનિયા નથી ઇચ્છતું, જેમાં અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ હોય. પરંતુ તે એવી દુનિયા પણ નથી ઈચ્છતું જેમાં અમેરિકા આટલું અસ્થિર ખેલાડી બની જાય. ચીન ઈચ્છે છે કે આખી દુનિયામાં બે જ સુપર પાવર હોય. અમેરિકા અને ચીન. એટલે ચીન શાંત છે. ચીન ઈચ્છે છે કે અમેરિકા સાથે હાથમાં હાથ મિલાવીને આગળ વધીને સુપર પાવર બનવું. પણ અમેરિકા ઈચ્છે છે કે આખી દુનિયામાં અમેરિકા જ સુપર પાવર રહે. ચીન તો દૂર દૂર સુધી દેખાય જ નહીં. હવે માર્ચ એન્ડમાં બંને મોટા દેશના રાષ્ટ્રપતિની મુલાકાત આવનારા સમયનું ભવિષ્ય નક્કી કરશે. ચીનથી ઈરાનના બે જહાજ નીકળ્યા, તેમાં શું છે? ઈરાનની સરકારી શિપિંગ કંપનીના બે જહાજો ચીનના ગાઓલાન બંદરથી ફરી ઈરાન તરફ રવાના થયા છે. યુદ્ધ વચ્ચે ચીનથી બે જહાજોનું નીકળવું એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકન એજન્સીઓ આ શિપ પર વોચ રાખી રહી છે. અમેરિકાના મીડિયાના રિપોર્ટ મુજબ આ શિપમાં મિસાઈલ બનાવવા માટે મિલિટરી કેમિકલ્સ લઈ જતા હોય એવું બની શકે. જો આ બંને શિપ ઈરાન પહોંચે તો ઈરાન વધારે હથિયાર બનાવીને હુમલા ચાલુ રાખી શકે છે અને યુદ્ધ લાંબુ ચાલી શકે છે. ગાઓલાન બંદર ચીનના દક્ષિણપૂર્વ કિનારે ઝુહાઈ શહેરમાં સ્થિત છે. તે એક કેમિકલ લોડિંગ પોર્ટ છે. જ્યાં આધુનિક હથિયારો અને મિસાઇલો માટેના કેમિકલ લોડ કરવામાં આવે છે. અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, શબ્દીસ અને બર્જિન નામના જહાજોની કેપેસિટી એવી છે કે તે 20 ફૂટ લાંબા 21 હજાર કન્ટેનર લઈ જઈ શકે છે. તેઓ ચીનથી સોડિયમ પરક્લોરેટ કેમિકલ લઈ જઈ રહ્યા હોવાની શક્યતા છે. સોડિયમ પરક્લોરેટ એ એક હાઈ-પાવર ધરાવતું ઓક્સિડાઇઝર છે. જેનો ઉપયોગ એમોનિયમ પરક્લોરેટ ઉત્પન્ન કરવા માટે થાય છે. એમોનિયમ પરક્લોરેટ એ મિસાઈલનું ઈંધણ છે. બંને જહાજ પર અમેરિકા હુમલો કરશે કે કેમ? સવાલ એ છે કે ચીનથી ઈરાન જવા બે જહાજ નીકળી તો ગયા છે પણ અમેરિકા આ જહાજને ઈરાન સુધી પહોંચવા દેશે? જો આ બંને શિપ પર અમેરિકા હુમલો કરશે તો શું થશે? હાલમાં બંને જહાજો દક્ષિણ ચીન સમુદ્ર પાર કરી ચૂક્યા છે અને મલક્કા સ્ટ્રેટ સુધી પહોંચી ગયા છે. ઈરાન પહોંચવા માટે બંનેએ હોર્મુઝની સ્ટ્રેટ પાર કરવી પડશે. જ્યાં યુએસ અને ઈરાની કાફલા તૈનાત છે. ત્યાં પણ હુમલાઓ થઈ રહ્યા છે. ચાબહાર બંદર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરમાં બંદર અબ્બાસની આસપાસ કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.આ બધું જોતાં એવું લાગે છે કે આ બંને ઈરાની શિપને પહોંચવું મુશ્કેલ છે. ચીન પાછલા બારણેથી મિત્રતા નિભાવી રહ્યું છે ચીન અને ઈરાન કટ્ટર મિત્રો છે. અત્યારે ચીન ઘણું કરવા માગે છે પણ ટ્રમ્પની ગરજ છે એટલે ચીન સીધું ઈરાનની તરફેણમાં આવતું નથી. હવે ચીન પાછલા બારણેથી ઈરાનને મદદ કરી રહ્યું છે. ચીન ઈરાની જહાજમાં મિસાઈલ બનાવવાનો સામાન રવાના કરી રહ્યું છે. યુદ્ધ દરમિયાન ચીન ઈરાનને સોડિયમ પરક્લોરેટ કેમ મોકલી રહ્યું છે? તેની પાછળ ચાર મુખ્ય કારણો હોઈ શકે છે... ઈરાનની મિસાઈલની અછત ન થાય: ઈરાન તેના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ માટે કાચા માલની અછતનો સામનો કરી રહ્યું છે. ચીન આ જ ખપતને પૂરી કરી રહ્યું છે. જેથી ઈરાનનું મિસાઈલ પ્રોડક્શન અટકે નહીં અને તેની મારક ક્ષમતા યથાવત રહે. 25 વર્ષની ભાગીદારી: 2021માં ચીન અને ઈરાને 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ચીનને સસ્તું ઈરાની ઓઈલ મળે છે. ચીન હથિયારો, ફાઈટર જેટ અને દારૂગોળો સહિતની ટેકનોલોજી અને રો-મટિરિયલ પૂરાં પાડે છે. એનર્જી સિક્યોરિટી: ચીન ઈરાનનું 80% ઓઈલ સસ્તા ભાવે ખરીદે છે. આ ચીનના તેલ વપરાશના આશરે 15%નું પ્રતિનિધિત્વ કરે છે. જો ઈરાન નબળું પડે છે તો યુએસનું વર્ચસ્વ વધશે અને પાવર શિફ્ટ થશે. આ ચીનના ઓઈલ વેપાર અને ઈકોનોમીને અસર કરશે. અમેરિકાને ગૂંચવાયેલું રાખવું: ચીન ઇચ્છે છે કે અમેરિકા લાંબા સમય સુધી મિડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયેલું રહે. જો અમેરિકાનું સંપૂર્ણ ધ્યાન મિડલ ઈસ્ટ પર રહેશે તો ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારશે અને તાઇવાનને કબજે કરવાનો પ્રયાસ કરશે. હવે વાત કરીએ ઈરાન અને રશિયાની… રશિયા-ઈરાન વચ્ચે શું કરાર થયા છે? રશિયા અને ઈરાનનો સંબંધ પણ મૈત્રીપૂર્ણ રહ્યો છે. બંને દેશ ઓઈલના કિંગ છે. ઈરાનને પૈસા જોઈએ છે અને રશિયાને હથિયાર. ઈરાન પાસે જે વેપન સ્કીલ છે તેવી રશિયા પાસે પણ નથી. ઈરાન પાછલા બારણે રશિયાને હથિયાર, બેલેસ્ટિક મિસાઈલ મોકલતું રહ્યું. ધીમે ધીમે રશિયા-ઈરાનના સંબંધો દુનિયા સામે છતા થવા લાગ્યા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાં જાન્યુઆરી 2025માં રશિયા ગયા હતા. એ વખતે રશિયા અને ઈરાન વચ્ચે બહુ મોટી રણનીતિક સહકારના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ડીલમાં બિઝનેસ, ટ્રાન્સપોર્ટ કોરિડોર અને સૈન્ય સહયોગ જેવા કરાર સામેલ હતા. આ જ સમયે હિન્દ મહાસાગરમાં ઈરાન અને રશિયાની નેવીનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો હતો. આ બધું જોતાં એવું લાગતું હતું કે રશિયા ઈરાન માટે કોઈપણ હદે જઈ શકે છે. પણ જ્યારે અસલી યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાની સેના ક્યાંય નજર ન આવી. આનું સૌથી મોટું કારણ એ છે કે ઈરાન રશિયા વચ્ચે જે ડીલ થઈ હતી તેમાં મ્યુચ્યુઅલ ડિફેન્સ ક્લોઝ એટલે કે એકબીજા દેશની રક્ષા કરવાની કોઈ વાત જ નહોતી. આને એક ઉદાહરણથી સમજો. રશિયાએ જાન્યુઆરી 2024માં નોર્થ કોરિયા સાથે પણ એક સમજૂતી કરાર કર્યા હતા. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો નોર્થ કોરિયા પર હુમલો થશે તો તેના બચાવમાં રશિયા યુદ્ધના મેદાનમાં ઉતરશે. પણ ઈરાન સાથેની ડીલમાં લખ્યું છે કે જો કોઈ એક દેશમાં યુદ્ધ થશે તો બીજો દેશ તેના બચાવમાં ઉતરશે નહીં. એટલે રશિયા અત્યારે પ્રેક્ષક બનીને જોયા કરે છે. રશિયા અત્યારે સીધી રીતે યુદ્ધમાં ઉતરીને મોટું જોખમ લેવા માગતું નથી. રશિયાનું ધ્યાન અત્યારે યુક્રેન યુદ્ધ અને તેમાં અમેરિકાની મધ્યસ્થતા પર ટકેલું છે. ઈરાનને આશા હતી કે યુએનમાં ભાષણબાજીના બદલે રશિયા યુદ્ધ મેદાનમાં તેની મદદે આવશે. પણ એવું થયું નહીં. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ બેલારુસ, ઈરાન, ચીન અને ઉત્તર કોરિયા સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા છે. રશિયા હથિયારોના જથ્થા માટે ઈરાન પર નિર્ભર છે, જ્યારે ઈરાનને રશિયા પાસેથી ફંડ મળે છે. ઈરાને પાડોશી દેશો પર હુમલા રોક્યા, તેની પાછળ પુતિનનો હાથ 7 માર્ચના દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાંએ પાડોશી દેશોની માફી માગી. તેમણે કહ્યું કે જો પાડોશીઓની જમીન પરથી ઈરાન પર હુમલો નહીં થાય તો અમે તેમના પર હુમલો કરીશું નહીં. અત્યાર સુધી જે હુમલા કર્યા તેની પણ ઈરાની રાષ્ટ્રપતિએ માફી માગી હતી. કહેવાય છે કે ઈરાનની આ પહેલ પાછળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે. 6 માર્ચની મોડી રાત્રે પુતિને પેજેશ્કિયાં સાથે ફોન પર વાત કરી હતી. આ પહેલા પુતિને UAE, બહેરીન અને કતારના નેતાઓ સાથે વાત કરીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ઈરાન સાથે વાત કરશે. રશિયાએ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર પણ કરી છે. પુતિન જાણે છે કે જો મિડલ-ઈસ્ટમાં કોઈની પણ સાથે તેમના સંબંધો બગડશે તો રશિયાની વેપાર અને જિયોપોલિટકલ સાથે જોડાયેલી લાંબાગાળાની નીતિ નબળી પડી જશે. પુતિન એ પણ જાણે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવી સહેલી નથી. અમેરિકા અત્યારે યુક્રેનને હથિયાર આપી શકતું નથી, પુતિન રાજીના રેડ પુતિન માટે રાહત એ છે કે અમેરિકા ઈરાન યુદ્ધમાં પરોવાઈ ગયું છે એટલે રશિયા વિરૂદ્ધ યુક્રેનને હથિયાર આપી શકતું નથી. અમેરિકી ન્યૂઝપેપર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકા પાસે ઈરાની ડ્રોન્સને રોકવા માટે વપરાતા ઇન્ટરસેપ્ટર્સ ઓછા છે. અમેરિકા જે ઝડપે યુદ્ધના પહેલા દિવસે આધુનિક હથિયારો વાપરી રહ્યું હતું, હવે તેમ નથી કરતું. યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરવાથી અને ગયા વર્ષે 7 દેશો પર હુમલો કરવાથી અમેરિકાના હથિયારો ખૂટી રહ્યા છે. જો યુક્રેનને સમયસર પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો નહીં મળે તો રશિયાને તેના પર ભીષણ હુમલા કરવાની છૂટ મળી જશે. પુતિન ભલે એકબાજુ યુદ્ધ રોકવાની વાત કરતા હોય પણ તે મનમાં તો ઈચ્છે છે કે યુદ્ધ ચાલુ રહે. જો યુદ્ધ ચાલુ રહેશે તો પુતિનને બે ફાયદા થશે. એક, યુક્રેન પર હુમલા વધારશે. બીજું, ઈરાની ઓઈલ સપ્લાય ખોરવાશે તો રશિયાના ઓઈલની ડિમાન્ડ વધી જશે. છેલ્લે, એક નવી વાત સામે આવી છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના મૂડમાં નહોતા. પણ અમેરિકી સેનેટર લિંડસે ગ્રેહામ અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સાથે મળીને ટ્રમ્પને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યા છે. અરાઘચીએ આરોપ તો લગાવ્યો પણ આખું જગત ટ્રમ્પને જાણે છે, એ કોઈના કહેવાથી ઉશ્કેરાય એવા છે નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- યશપાલ બક્ષી)
ધ્રાંગધ્રામાં ફરાર બે આરોપી ઝડપાયા:આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં કબજે કરાયા
ધ્રાંગધ્રા સિટી પોલીસે ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં પણ કબજે કર્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ. મસીની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સરફરાજને બાતમી મળી હતી કે, હાજી સલીમ અને સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ધ્રાંગધ્રાની ફુલગલીમાં તેમના રહેણાંક મકાનમાં છે. આ બાતમીના આધારે, પોલીસે ટીમ બનાવી ફુલગલીમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનની છત પરથી બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે ગુના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને પહેરેલા કપડાં પણ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં (1) હાજી સલીમ સંધી (રહે. ફુલગલી, ધ્રાંગધ્રા) અને (2) સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ફિરોજ બેલીમ (રહે. કશ્બાશેરી, ધ્રાંગધ્રા) નો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઉપરાંત, આરોપી સકલીનમુસ્તાક ઉર્ફે કાલી મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ ફરાર હતો. આ કામગીરીમાં પો.ઈન્સ. એમ.યુ. મસી, પો.સબ.ઈન્સ. એ.એમ. યુડાસમા, પો.હેડ.કોન્સ. ધીરુભા નારસંગભા પરમાર, જગદીશ રમેશ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, સરફરાજ અનવર, પ્રતિપાલસિંહ ક્રિપાલસિંહ, રણજીતસિંહ ઘનશ્યામસિંહ, મૂળરાજસિંહ બાવલભા અને વુ.પો.કોન્સ. હીનાબેન દેવજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પ્રખ્યાત ડો.યાજ્ઞિક રોડ વિસ્તારમાં ખાણી-પીણીની પેઢીઓમાં વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કુલ 47 જેટલી પેઢીઓની તપાસ કરી હતી, જેમાંથી આશ્ચર્યજનક રીતે સમગ્ર વિસ્તારમાંથી માત્ર 7 કિ.ગ્રા. જેટલો વાસી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ખોરાકની ગુણવત્તા કરતા લાયસન્સ - સ્ટોરેજની અનિયમિતતાઓ વધુ જોવા મળી હતી, જેના પગલે 09 ધંધાર્થીને વહીવટી નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે શુદ્ધ ઘી, પંજાબી સબ્જીની ગ્રેવી અને સાંભારનાં નમુના પણ લેવાયા હતા. આમ માત્ર નોટિસ-નમૂનાની કામગીરી કરી તંત્રએ સંતોષ માન્યો હતો. જેમાં સર્વેશ્વર ચોક સ્થિત 'ચારકોલ ફૂડ હોસ્પિટાલિટી' (બોલે તો મુંબઈ) માંથી સૌથી વધુ 05 કિ.ગ્રા. વાસી પ્રિપેડ ફૂડ મળી આવ્યું હતું. આ ઉપરાંત, 'મહાદેવ ઘૂઘરા' માંથી 01 કિ.ગ્રા. વાસી મીઠી ચટણી અને 'એવન ફૂડ ઝોન' માંથી 01 કિ.ગ્રા. ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે લાયસન્સ અને યોગ્ય સ્ટોરેજ બાબતે ક્રિષ્ના મારવાડી પાણીપુરી, રાજલક્ષ્મી કોલ્ડ્રિંક્સ, કૈલાશ પાન, આર.કે. પાન, હરિપ્રેમ એન્ટરપ્રાઇઝ અને વ્હી નરશીભાઈ પાણીપુરી વાળાને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે શહેરના અન્ય 37 એકમોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા 'કિસ્મત એગ્ઝ ઝોન' ને પેક્ડ ફૂડ પર લેબલિંગ ન હોવા બદલ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી છે. માત્ર નોટિસ જ નહીં, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ વિભાગે 03 નમૂનાઓ પણ એકત્ર કર્યા છે. જેમાં કેવડાવાડીના 'ક્રિષ્ના ઘી ભંડાર' માંથી શુદ્ધ ઘી (લૂઝ) અને કસ્તુરબા રોડ પર આવેલ 'જયહિંદ મદ્રાસ કાફે' માંથી પંજાબી સબ્જીની ગ્રેવી તથા સાંભારના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. રાજકોટના ઉદ્યોગોને 50ને બદલે 75% ગેસ વપરાશની છૂટ આપો : MLA ટીલાળાની કેન્દ્ર સરકારને રજૂઆત રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા PNG ગેસના પુરવઠામાં હાલ થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોને સરળતા રહે તે હેતુથી રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેન્દ્ર સરકાર સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે.હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ઉદ્યોગોને એક્ચ્યુઅલ વપરાશના 50 ટકા જેટલો ગેસ વાપરવાની મર્યાદા રાખવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાને કારણે ઉદ્યોગોના એક્ચ્યુઅલ વપરાશમાં સામાન્ય રીતે ઘટાડો રહે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ઉદ્યોગોને એકચ્યુઅલ DCQના ઓછામાં ઓછા 75 ટકા સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા સુગમ રીતે ચાલુ રહી શકે તેવી વિનંતી રજૂઆતમાં કરવામાં આવી છે.આ સાથે એક્સેસ ગેસની ગણતરી રોજિંદા આધારના બદલે આખા મહિનાની સરેરાશ મુજબ કરવામાં આવે તો ઉદ્યોગોને વધુ અનુકૂળતા મળી શકે તેવી પણ સૂચનાત્મક રજૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે DCQ 1500 SCM ધરાવતા ઉદ્યોગ માટે 75 ટકા મુજબ 1125 SCM વપરાશના આધારે 30 દિવસ માટે અંદાજે 33,750 SCM સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોને કાર્યરત રાખવામાં સહાયરૂપ બની શકે છે. રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે હાલ એક્સેસ ગેસના દરમાં વધારાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે હાલના અંદાજિત રૂ. 47 દરના આધારે મહત્તમ 20 ટકા જેટલો યોગ્ય વધારો રાખી દર નક્કી કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. રાજકોટ RTO દ્વારા ટુ-વ્હીલરની નવી સીરિઝ માટે ઓનલાઇન હરાજીની જાહેરાત રાજકોટ RTO કચેરી દ્વારા મોટર સાયકલ વાહનો માટેની નવી સીરિઝ GJ-03-QBનું ઓકશન 13 માર્ચ, 2026થી શરૂ કરવામાં આવશે. ગોલ્ડન કે સિલ્વર પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો parivahan.gov.in/fancy પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવીને આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ સીરિઝ અને અગાઉની સીરિઝના બાકી રહેતા પસંદગીના નંબરો માટે 13 માર્ચના રોજ સાંજે 4:00 કલાકથી 18 માર્ચના રોજ સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. ત્યારબાદ 18 માર્ચના રોજ સાંજે 4:01 કલાકથી 20 માર્ચના રોજ સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા ચાલશે અને 20 માર્ચના રોજ સાંજે 4:15 કલાકે હરાજીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે અરજદારે પરિવહન વેબસાઇટ પર 'ફેન્સી નંબર બુકિંગ'માં જઈ પબ્લિક યુઝર આઈડી બનાવી CNA ફોર્મ ભરવાનું રહેશે. પસંદગીના નંબર માટે નિયત લઘુત્તમ ફી ભર્યા બાદ હરાજીમાં ભાગ લઈ શકાશે. સફળ અરજદારે નંબર ફાળવાયાના 5 દિવસમાં બાકીની રકમ ભરી RTO કચેરીએથી અપ્રુવલ મેળવવાનું રહેશે. મહત્વનું છે કે, વાહન ખરીદીના 7 દિવસની અંદર જ CNA ફોર્મ ઓનલાઇન ભરવું ફરજિયાત છે અને સમયમર્યાદા બાદની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. રાજકોટમાં મહાદેવ સોશ્યલ ગ્રુપનું અનોખું આયોજન, સમસ્ત બ્રહ્મસમાજ માટે ભવ્ય અંતાક્ષરી સ્પર્ધા યોજાશે રાજકોટનાં મહાદેવ સોશ્યલ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સમસ્ત બ્રહ્મસમાજ માટે એક ભવ્ય અંતાક્ષરી સ્પર્ધાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 5.4.2026 ના રવિવારે અરવિંદભાઈ મણીયાર એસી હોલ ખાતે બપોરે 2 થી સાંજે 7 વાગ્યા દરમિયાન યોજાશે. સ્પર્ધામાં કોઈપણ ઉંમરના ભૂદેવ ભગિનીઓ ભાગ લઈ શકશે. સંગીત ક્ષેત્રે કાર્યરત આ ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધામાં 'વહેલા તે પહેલા' ના ધોરણે વ્યક્તિદીઠ રૂ. 300 ફી ભરીને પ્રવેશ મેળવી શકાશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આકર્ષક શ્યોર ગિફ્ટ આપવામાં આવશે, તેમજ વિજેતા ટીમોને વિશિષ્ટ ઈનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ બીપીનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ હિરેનભાઈ રાવલ (9909202904), મંત્રી દીપકભાઈ રાવલ (7575023780) અને ખજાનચી જીતુભાઈ શુક્લ (9825782714) જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત કમિટી મેમ્બર્સ જીતેન્દ્રભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે, કલ્પેશભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ વ્યાસ, ભરતભાઈ શુક્લ, કલાબેન રાવલ, જયશ્રીબેન શુક્લ, ગીતાબેન ભટ્ટ, અંજુબેન ભટ્ટ અને હેમાંગીબેન રાવલ પણ સહયોગ આપી રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ ઉપર મુજબના મોબાઈલ નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કાર્યક્રમમાં સંગીતપ્રેમી જનતા માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં સતત વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓને ડામવા માટે તેમણે પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠકરાજકોટ રેન્જ IG તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા એસપી કચેરીના સભાખંડમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા (SP) મુકેશકુમાર પટેલ, DySP જે.એમ. આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને કે.પી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત LCB PI, SOG PI સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના PI પણ હાજર રહ્યા હતા. ગુનાખોરી પર લગામ લગાવવા આદેશછેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને ગંભીરતાથી લેતા રેન્જ IGએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. તેમણે અસામાજિક તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી તેમની પર તૂટી પડવા પોલીસને આદેશ આપ્યા છે. આગામી સમયમાં આકરા પગલાંના સંકેતસૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક બાદ મોરબી પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને લુખ્ખાઓ સામે મોટા પાયે ડ્રાઈવ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રેન્જ IGની આ સીધી સૂચના બાદ હવે મોરબી પોલીસ ગુનેગારો સામે કેવા અને કેટલા આકરા પગલાં ભરે છે, તેના પર સૌની નજર રહેશે.
જૂનાગઢ રેંજના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની પ્રાથમિકતાઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે દિશામાં આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે. રાજેન્દ્રસિંહ ચુડાસમા આ વિસ્તાર માટે નવા નથી, કારણ કે તેમણે ભૂતકાળમાં વેરાવળમાં ડીવાયએસપી અને ગીર સોમનાથ જિલ્લામાં એસપી તરીકે લાંબો સમય ફરજ બજાવી છે. આ અનુભવને કારણે તેઓ આ પંથકની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક માળખું અને આર્થિક ગતિવિધિઓથી ખૂબ જ સારી રીતે માહિતગાર છે. આ ભૌગોલિક જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ રેન્જમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ખાસ આયોજન કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નો અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે પોલીસનું વલણ હવે વધુ કડક બનશે. સૌથી મહત્વની વાત કરતા તેમણે ગુનેગારોને એક ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. તેમણે રોકડું પરખાવતા કહ્યું હતું કે, જે લોકો અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ કાં તો ગુનાખોરી છોડી દે અથવા તો જૂનાગઢ રેન્જની હદ છોડીને ચાલ્યા જાય. પોલીસ કોઈપણ પ્રકારની ગુંડાગીરી કે દાદાગીરીને સહન કરશે નહીં. ગુનેગારોમાં પોલીસનો ફફડાટ હોય અને સામાન્ય પ્રજામાં પોલીસ મિત્ર હોવાનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે. આ કામગીરીમાં તેમણે નાગરિકોના સહયોગની પણ અપીલ કરી છે. પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકતા ડીઆઈજીએ જણાવ્યું હતું કે પોલીસ સુધી પહોંચવું હવે નાગરિકો માટે વધુ સરળ બનશે. તમામ પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર સોશિયલ મીડિયા અને અન્ય જાહેર માધ્યમો પર ઉપલબ્ધ કરાવાયા છે. કોઈ પણ નાગરિક નિર્ભય થઈને ગુનાહિત પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપી શકે છે અથવા મુશ્કેલીના સમયે સીધો સંપર્ક કરી શકે છે. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવા માટે ટેકનોલોજી અને પર્સનલ કોમ્યુનિકેશનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. સોમનાથ મંદિરની સુરક્ષાને લઈને પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગની સુરક્ષા માટે એસઆરપી, હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવાયેલો છે. આ સુરક્ષા વ્યવસ્થાનું આધુનિક સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને જરૂર જણાયે સુરક્ષા વ્યવસ્થામાં વધુ સુધારા-વધારા પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજેન્દ્રસિંહ ચુડાસમા અશ્વપાલન અને પોલીસ માઉન્ટેડ યુનિટમાં પણ ખાસ રુચિ ધરાવે છે. તેઓ અશ્વ ખરીદી સમિતિના સભ્ય તરીકે કાર્યરત હોવાથી, રાજ્ય સરકારના અભિગમ મુજબ સીધા અશ્વપાલકો પાસેથી જ ઘોડાઓની ખરીદી કરવાની પ્રક્રિયા પર ભાર મૂકી રહ્યા છે. આ પદ્ધતિથી ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી જાતિના અશ્વોના સંવર્ધનને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. પોલીસ બેડામાં ઉત્તમ ઓલાદના અશ્વોનો સમાવેશ થવાથી પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં પણ મદદ મળશે. એકંદર રીતે, નવા ડીઆઈજીનો ઉદ્દેશ્ય જૂનાગઢ રેન્જને સુરક્ષિત અને શાંત બનાવવાનો છે.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતાને શરીર સંબંધ માટે જેઠ દ્વારા દબાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાત્રિના સમયે પરણીતા એકલી હતી ત્યારે જેઠ દ્વારા તેને પકડીને જબરજસ્તી કરવામાં આવી હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી આસપાસના લોકો અને પરિણીતાના પતિ આવી ગયા હતા. આ મામલે પરણીતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એક વાર પરિણીતાએ જતું કર્યું તો બીજીવાર માગણી કરીમળતી માહિતી મુજબ શહેરના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષે પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં સાસુ સસરા અને તેના જેઠ પણ રહે છે. 15 દિવસ પહેલા પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે રાત્રિના સમયે તેમના જેઠ તેની પાસે આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. જેના કારણે તેઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી અને આ બાબતે ઘરમાં કોઈને વાતચીત કરી નહોતી. પરણીતાના જેઠ ઘરમાં જ રહેતા હતા અને કોઈ વાતચીત કરતા નહોતા જેથી મોટું મન રાખીને પરણીતાએ તેને માફ કરી દીધા હતા. મહિલા દિવસે જ લાજ લેવાનો પ્રયાસ કર્યો8 માર્ચના રોજ રાત્રે 10:30 થી 11 ની વચ્ચે પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે ફરીથી તેના જેઠ તેની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ના પાડી દીધી હતી જેથી જેઠ ગુસ્સે થઈ ગયા હતા અને તેને જબરજસ્તી પકડી લીધી હતી જેથી તેના બ્લાઉઝ પણ ફાટી ગયું હતું. પરણીતા ડરી ગઈ હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી તે દરમિયાનમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને મહિલાના પતિ પણ ઘરે આવી ગયા હતા જેથી આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પરણીતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન કરાયું હતું, જે અન્યો માટે પ્રેરણાદાયક બનશે. જીજ્ઞાબેન પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે. આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ'નો સમાવેશ થાય છે. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
ડાંગ જંગલમાંથી ગુમ યુવકનો સડેલો મૃતદેહ મળ્યો:બાર દિવસથી ગુમ અજય પવારની ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી
ડાંગ જિલ્લાના આહવા નજીકના જંગલ વિસ્તારમાંથી એક યુવકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આહવા નજીકના બંધારપાડા ગામના અજયભાઈ (ડેબે) રાજુભાઈ પવાર તરીકે થઈ છે. આહવા તાલુકાના કાસવદહાડ નજીકના જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિનો સડેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક આહવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મૃતદેહ અજયભાઈ પવારનો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અજયભાઈ છેલ્લા આશરે બાર દિવસથી ગુમ હતા. તેમના પરિવારજનો દ્વારા તેમની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જંગલ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આહવા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આહવા પોલીસ હાલ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણ મામલતદાર આર.કે. પંચાલની સરાહનીય કામગીરી જોવા મળી હતી, જ્યાં તેમણે વૃદ્ધ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં મદદ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, નગરા ગામના 70 વર્ષીય કનુભેન ભગવાનભાઈને ઘણા વર્ષોથી વૃદ્ધ પેન્શન મળતું ન હતું. તેમના પતિથી અલગ રહી તેઓ છેલ્લા 35 વર્ષથી પિયરમાં માતા-પિતા સાથે રહે છે. કનુભેન વિધવા ન હોવાથી અને પુત્રો હયાત હોવાથી તેમને સરકારી સહાય મળતી ન હતી, જેના કારણે વૃદ્ધ પેન્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ બાબતે નગરા ગામના સરપંચ રમાબા પ્રવીણદાન ગઢવીએ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર આર.કે. પંચાલનું ધ્યાન દોર્યું હતું. મામલતદારે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કનુભેનને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે તે માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી, જેનાથી તેમને સહાય મળી શકી. આ ઉપરાંત, નગરા ગામના પ્રેમબેન નરસિંહભાઈના પતિનું 30 વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ તેમના મરણની નોંધણી ક્યાંય કરાવવામાં આવી ન હતી. મરણનો દાખલો ન હોવાને કારણે પ્રેમબેનને છેલ્લા 30 વર્ષથી વિધવા સહાય મળી રહી ન હતી. સરપંચ રમાબાએ આ મુદ્દો પણ અધિકારીઓના ધ્યાને લાવતા, સ્થળ પર જ મરણનો દાખલો મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ કાર્યવાહી દ્વારા પ્રેમબેનને વિધવા સહાય મળી રહે તે માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી. આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધ મહિલા કનુભેન અને પ્રેમબેન તેમજ સરપંચ રમાબાએ સરકાર અને મામલતદાર આર.કે. પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2016થી શરૂ થયેલા 'સેવા સેતુ કાર્યક્રમ' અંતર્ગત હાલ નાગરિકોને 55 સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહ્યો છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નેશનલ સેફ્ટી વીક 2026 નિમિત્તે ઓફ-સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, નેશનલ સેફ્ટી વીક 2026 ના અવસર પર અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્લોટ નં. 25 ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં જહાજના ડબલ બોટમ વિસ્તારમાં ગેસ કટિંગ દરમિયાન વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ડ્રિલ દરમિયાન ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂ, આગ બુઝાવવાની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સારવાર જેવી મહત્વપૂર્ણ કામગીરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવી તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારી મજબૂત બનાવવી હતો, આ મોકડ્રિલ દરમિયાન પોર્ટ ઓફિસર, અલંગની હાજરીમાં તળાજા પ્રાંત અધિકારી તથા ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરનો VIP રોડ અકસ્માતોનો ડેથ ઝોન બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ માર્ગ પર નાના મોટા અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થતાં આજે ઈન્દ્રોડા ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજે સવારે બનેલી એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં વિદેશી યુવાનનું કરુણ મોત નીપજતા ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામજનોએ ચક્કાજામની તૈયારી કરતા પોલીસ દોડતી થઈઆજે સવારે VIP ગણાતા જ - રોડ પરથી પસાર થઈ રહેલા સુદાનના આશાસ્પદ યુવાનને અકસ્માત નડ્યો હતો.જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ઈન્દ્રોડા ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિક નિયમોના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ રોડ પર વધતા જતા અકસ્માતોના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પર ચક્કાજામ કરવાની તૈયારી કરી હતી. જોકે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અથવા સતત પોલીસ પેટ્રોલિંગ દ્વારા વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવામાં આવે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગઆ વીઆઇપી રોડ હોવા છતાં સુરક્ષા અને ગતિ મર્યાદાના કડક અમલીકરણના અભાવે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં પોલીસે ગ્રામજનોને સમજાવી શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ અકસ્માતની આ હારમાળાને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે કોંગ્રેસ અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા મણિનગર, ઇસનપુર, ખોખરા, લાંભાવોર્ડમાં પ્રાથમિક બાબતોને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભ્રષ્ટાચારનો રાક્ષસ બનાવીને સરકાર સામે વિરોધ દર્શાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગટર અને પાણી આપવામાં આવે તેવા પોસ્ટર સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ગાદલા અને માટલા લઈ લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયાવિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ગાદલા અને માટલા લઈને જોડાયા હતા અને જ્યાં સુધી સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઝોન ઓફિસમાં જ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગટરના પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા હોવાનો પણ કોંગ્રેસ દાવો કરવામાં આવ્યો છે. પાયાની સુવિધાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા વિરોધ દર્શાવી કોંગ્રેસ અને સ્થાનિકોએ માંગ કરી છે. વાનરવટ તળાવમાં થયેલ ડિમોલેશન મામલે પણ રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો. મકાનો તોડી નવા મકાનો ફાળવવામાં આવ્યા ન હોવાનો કોંગ્રેસે અને સ્થાનિકોએ દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે, રાક્ષસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું પ્રતીક છે, જેમાં ગરીબોના મકાન તોડતું બુલડોઝર અને ગટરના પાણી જેવી સમસ્યાઓ દર્શાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે વટવા વોર્ડમાં 25,000થી વધુ લોકો ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને ખુદ પ્રધાનમંત્રીના પૂર્વ મતક્ષેત્ર મણિનગરમાં પણ પાણી અને ગટરની સુવિધાઓનો અભાવ છે. છ મહિનાથી લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હોવા છતાં તેમને નવા મકાનો ફાળવવામાં આવ્યા નથી. જેના વિરોધમાં ગાદલા લઈને આવ્યા છે અને જ્યાં સુધી મકાનો નહીં મળે ત્યાં સુધી ધરણા સાથે અમે આવ્યા છીએ. પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે વિરોધ દર્શાવવા માટે માટલા લઈને આવ્યા છીએ. જે લાયક લોકો છે તેને ઝડપથી આવાસ મળી જશે- ડીવાયએમસીDyMC ભરત પરમારે જણાવ્યું કે, આજે કેટલાક લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમનું આવેદન સ્વીકારવામાં આવ્યું છે. મહત્વની બાબતે છે કે ઇસનપુર અને વાનરવટ તળાવમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે, તે લોકોને આવાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વોટર બોડીની અંદર વસવાટ કરી ન શકાય તેવી પોલિસીને ધ્યાને રાખીને ત્યાંના રહેવાસીઓને દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની જે પોલિસી છે કે 2010 પહેલા જે લોકો ત્યાં રહેતા હશે અને તેમની પાસે બે પુરાવા હશે, તે તમામ લાયક લોકોને આવાસ આપવાની હાઉસિંગ પ્રોજેક્ટને દરખાસ્ત કરી દેવામાં આવી છે. હાઉસિંગ પ્રોજેક્ટે આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે. જેથી લાયક લોકોને ઝડપથી આવાસ મળી જશે. વધુમાં ભરત પરમારે જણાવ્યું હતું કે, બીજી એવી પણ રજૂઆત હતી કે, લાંભા અને વટવા જેવા નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. બંને વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી અત્યારે ચાલુ છે, છેલ્લા બે વર્ષમાં ઘણો વિસ્તાર કવર થઈ ગયો છે. જેના આધારે ઘણા લોકોને કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. વિસ્તાર ખૂબ મોટો હોવાથી કામગીરી પૂર્ણ થતા હજુ બે વર્ષનો સમય લાગશે, ત્યારબાદ બધાને ડ્રેનેજ કનેક્શન મળી જશે. નવા પમ્પિંગ સ્ટેશન પણ નવું બની રહ્યું છે, જેના કારણે વટવામાં ડ્રેનેજની સમસ્યાનો મોટા ભાગે અંત આવશે. બિલ્ડરો દ્વારા ખાળકુવાના આધારે BU લેવા બાબતે જે રજૂઆત હતી, તેમાં GDCRની જોગવાઈ મુજબ ખાળકુવાના આધારે પરવાનગી મળતી હોય છે. જ્યારે બિલ્ડર વહીવટ રહેવાસીઓને સોંપી દે છે, ત્યારે સમયાંતરે ખાળકુવા ખાલી કરાવવાની જવાબદારી રહેવાસીઓની રહે છે. કોર્પોરેશનમાં આ માટે એક અલગ વિભાગ છે, જે અરજી કરવા પર નજીવો ચાર્જ લઈને ખાળકુવા ખાલી કરી આપે છે.
ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર આરોપી બેચર ધનજીભાઈ જાડા (ઉંમર 40)ની ગઢડા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના ત્રણ મહિના પહેલા બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ૪ માર્ચે સગીરાના વાલીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં બેચર ધનજીભાઈ જાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ગઢડા પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લાંબી તપાસ બાદ પોલીસે આરોપી બેચર ધનજીભાઈ જાડાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાના માતા-પિતા અવસાન પામ્યા છે અને તે તેના ભાઈ સાથે રહે છે. આરોપી બેચર ધનજીભાઈ જાડા અને સગીરાનો ભાઈ મિત્રો હોવાથી તેમની એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. આરોપીએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી બેચર ધનજીભાઈ જાડા 40 વર્ષનો પરણિત પુરુષ છે અને તેને એક દીકરો અને એક દીકરી પણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મેડિકલ રિપોર્ટ બાદ સગીરાના ગર્ભના સમયગાળા અંગે વધુ સ્પષ્ટતા થશે.
ગાંધીનગર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચતા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત આકરી લૂ અને હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે સર્વગ્રાહી એક્શન પ્લાન અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આગામી ઉનાળાની આકરી ગરમી અને હીટવેવના સંભવિત પ્રકોપને પહોંચી વળવા માટે 'એક્શન પ્લાન' તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગરમી વધતા પાણીની તંગી ન પડે તે માટે ચર્ચાઆજના તાપમાનની વિગતો પર નજર કરીએ તો, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી 48 કલાકમાં ગરમીનું જોર હજુ વધી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા જેટલું નીચું રહેતા સૂકી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 12 સ્થળે મંડપ બાંધી પાણીની સુવિધા ઉભી કરવા આદેશઆજે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. આ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પીવાના પાણીના પુરવઠાને પ્રાથમિકતા આપી હતી અને શહેરમાં પાણીની તંગી ન સર્જાય તે માટે વોટર વર્ક્સ વિભાગને સતર્ક રહેવા સૂચના આપી છે. ખાસ કરીને રાહદારીઓ અને મુસાફરો માટે શહેરના સેક્ટર 6, પેથાપુર ચોકડી, રાંધેજા ચોકડી, ક 7 ચોકડી, વૈષણદેવી સર્કલ, ઝુંડાલ સર્કલ, રિલાયન્સ ચોકડી, ભાઈજીપુરા ચોકડી, અક્ષરધામ સરગાસણ ચોકડી સહિત 12 જેટલા મુખ્ય ટ્રાફિક જંક્શનો અને જાહેર સ્થળો પર મોટા મંડપ બાંધવામાં આવશે. અહીં પીવાના શુદ્ધ પાણીની સુવિધા સાથે લોકો વિરામ કરી શકશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે કાર્યવાહી કરવા સૂચનાઆ ઉપરાંત આરોગ્ય વિભાગને તમામ સિવિલ અને અર્બન હેલ્થ સેન્ટરો પર ORS પેકેટનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવા આદેશ અપાયા છે. ઉપરાંત ખાદ્ય સુરક્ષાના મુદ્દે કમિશનરે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ઉનાળામાં શેરડીના રસ, ઠંડા પીણાં અને બરફના ગોળા જેવી ચીજોમાં વપરાતા પાણી અને બરફની ગુણવત્તા બાબતે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સતત ચેકિંગ કરશે. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત, વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધીને જાહેર માર્ગો પર છાસ વિતરણના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલઆ સિવાય સરકારના તાપમાનના સત્તાવાર આંકડાઓ અને હીટવેવની ચેતવણી સોશિયલ મીડિયા તેમજ જાહેર ડિસ્પ્લે બોર્ડ દ્વારા લોકો સુધી ત્વરિત પહોંચાડવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, બપોરના 12થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું.
મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીની નિયમિત જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વરઘોડામાં નાચવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડોઘટનાની વિગતો મુજબ ગત 26 જાન્યુઆરી 2026ના રોજ મહેસાણાના ઇન્દિરાનગરમાં બુદ્ધ વિહાર સામે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં નાચવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતીઆ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે સગીર આરોપીની જામીન અરજી નાંજૂર કરીસરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આરોપી સગીરની જામીન અરજી નાંજૂર કરી છે. આ ચુકાદાને પગલે હત્યાના ગુનામાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાએ આકરા બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં છેલ્લા પાંચ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીથી ઉછળીને સીધું 39.6 ડિગ્રીએ પહોંચી ગયું છે ભેજનું પ્રમાણ ઘટતા અને પવનની ગતિ ધીમી પડતા લોકો હવે આકરી અને સૂકી ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ બે દિવસ પહેલા જ ભાવનગરમાં મહત્તમ તાપમાન 39 ડીગ્રી ને પાર પહોંચી ગયું હતું ત્યારે આજે સપ્તાહની શરૂઆત સાથે સૂર્યનારાયણ ફરી આકરાં બન્યા હોય તેમ આજે શહેરમાં મહત્તમ તાપમાન 39.6 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23.5 વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર 15 સાથે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો, ગત શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ હતું ત્યારે ઉનાળાની શરૂઆત જ આવી છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં પહોંચશે ? એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે, છેલ્લા 5 દિવસનો તાપમાનનો પારો ક્રમશઃ વધ્યો તા.6 માર્ચ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.7 માર્ચ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 30 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 માર્ચ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 માર્ચ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 માર્ચ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 15 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
અવિધા ગામે 'જલ અર્પણ દિન'ની ઉજવણી:પાણી સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના સમારકામ અને જાળવણી અંગે જાગૃતિ લાવવા માટે જલ અર્પણ દિનની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર પી.બી. વલવાઈ, કાર્યપાલક ઈજનેર, યુનિટ મેનેજર સહિતના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ, પાણી સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો દ્વારા પ્રભાતફેરી યોજીને થયો. આ પ્રભાતફેરીમાં પાણી બચત, સ્વચ્છતા અને પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોએ પાણી પુરવઠા યોજનાના ઘટકોના રક્ષણના પ્રતીકરૂપે નાડાછડી બાંધી પૂજન કર્યું. કાર્યક્રમમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના સમારકામ-જાળવણી અંગે માર્ગદર્શન અપાયું અને ગ્રામજનોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે અવિધા ગામને હર ઘર જલ ગામ તરીકે જાહેર કરીને ગ્રામ પંચાયતને જળ કલશ અર્પણ કરાયો. આ ઉપરાંત, પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ કેટલાક ગામોને પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ પણ થયું. પાણી સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલા ઓપરેટરો અને સ્વસહાય જૂથોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ સિંધાએ કર્યું.
સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા લોન અને જોબના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાજ્ય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નિતેશ ખવાણીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોલ સેન્ટરનું નેટવર્કસુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નવેમ્બર મહિનામાં શહેરના બે પોશ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ ‘સ્વસ્તિક યુનિવર્સલ’ બિલ્ડિંગમાં “Smaex Enterprise Pvt Ltd” ના નામે એક ઓફિસ ચાલતી હતી. આ ઉપરાંત, પાલનપુર ગામ પાસે ‘રોયલ ટાઇટેનીયમ’ બિલ્ડિંગમાં પણ અન્ય એક ઓફિસ દ્વારા ઠગાઈનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ કોલ સેન્ટરો દ્વારા દેશભરના લોકોને ઓછા વ્યાજે પર્સનલ કે બિઝનેસ લોન અપાવવાની લાલચ આપવામાં આવતી. પ્રતિષ્ઠિત કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમ કે ફૂલ ટાઈમ જોબની ઓફર કરવામાં આવતી.પ્રોસેસિંગ ફી અને સિક્યોરિટી ડિપોઝિટના નામે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. નિતેશ ખવાણી વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહીપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ નિતેશ વિજયકુમાર ખવાણી હતો. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો જેવી કે 318(4) (છેતરપિંડી), 61(2) (ગુનાહિત કાવતરું) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અને સમાજ પર તેની ગંભીર અસરને ધ્યાને રાખીને, સાયબર ક્રાઈમ સેલ દ્વારા તેને 'પાસા' હેઠળ જેલમાં ધકેલવા માટે પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા, આરોપી નિતેશને તાત્કાલિક અસરથી ઝડપી પાડી ભુજ સ્પેશિયલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. કેવી રીતે થતી હતી ઠગાઈ?આ આંતરરાજ્ય ગેંગ ડેટા ચોરી કરીને લોકોના મોબાઈલ નંબર મેળવતી હતી. ત્યારબાદ ટેલિ-કોલર્સ દ્વારા પ્રોફેશનલ રીતે વાત કરીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા. એકવાર ભોગ બનનાર વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરી દે, એટલે આ ગેંગ પોતાના નંબર બદલી નાખતી હતી. સુરત પોલીસની આ કામગીરીથી આવા અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ધો-12 સામાન્ય પ્રવાહ ગુજરાતી પરીક્ષા:12125 વિદ્યાર્થીઓ હાજર, 184 ગેરહાજર રહ્યા
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની ગુજરાતી વિષયની પરીક્ષા બપોરના સેશનમાં યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 12,125 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. મંગળવારે બપોરે 3 કલાકે ગુજરાતી વિષયનું પેપર શરૂ થયું હતું. કુલ 12,309 વિદ્યાર્થીઓમાંથી 12,125 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 61 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી તમામ 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિષયવાર વિગતો જોઈએ તો, ગુજરાતી 001 (પ્રથમ ભાષા)માં 11,945 વિદ્યાર્થીઓમાંથી 11,765 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 180 ગેરહાજર રહ્યા હતા. મરાઠી (003) અને હિન્દી (002) વિષયમાં એક-એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. અંગ્રેજી (006) વિષયમાં 362 વિદ્યાર્થીઓમાંથી 360 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
મહીસાગર જિલ્લા પોલીસની સ્થાનિક ગુના નિવારણ શાખા (LCB) એ ગૌમાંસના ગેરકાયદેસર પરિવહન સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મોડાસાથી ગોધરા જઈ રહેલી એક હોન્ડા CR-V કારમાંથી 885 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવાઈમહીસાગર LCBને બાતમી મળી હતી કે એક કારમાં ગૌમાંસનો જથ્થો ભરીને મોડાસા તરફથી ગોધરા લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે વોચ ગોઠવી હતી. ફિલ્મી ઢબે પીછો અને ધરપકડબાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે હાઈવે પર ભગાવી મૂકી હતી. LCB સ્ટાફે તાત્કાલિક પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપ પાસે કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા સીટ અને ડિક્કીના ભાગે પ્લાસ્ટિકના કોથળામાં ભરેલું પશુનું માંસ મળી આવ્યું હતું. FSL પરીક્ષણમાં આ માંસ ગૌમાંસ હોવાનું ફલિત થયું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતપોલીસે આ કાર્યવાહી દરમિયાન ₹3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: ગૌમાંસ: અંદાજે 885 કિલો (કિંમત ₹1,77,000) વાહન: હોંડા CR-V કાર કુલ મુદ્દામાલ: ₹3,82,000 ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપીપકડાયેલ આરોપીની ઓળખ શાહીદ સાદીક હયાત (રહે. ઇદગાહ મહોલ્લા, ગોધરા) તરીકે થઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ મોરવા, ગોધરા બી-ડિવિઝન અને કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. આ કેસમાં સામેલ અન્ય એક શખ્સ અશરફ મકલા હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીલુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને આઈ/સી એસ.પી. વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. આર.કે. સ્ટુડિયો ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આઠ મહિલા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ ક્લબના FB Live કાર્યક્રમના 82મા એપિસોડ તરીકે ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારિત કરાયો હતો. આ સંગીત સંધ્યામાં અનિતાબેન ખત્રી, સુનિતાબેન પ્રજાપતિ, પિન્કીબેન પંચાલ, નેહાબેન પટેલ, સુનિતાબેન ઠાકર, જયશ્રીબેન જેઠવા, આરતીબેન ડબગર અને જ્યોતિબેન પટેલે ભાગ લીધો હતો. પરિવાર અને વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ આ મહિલા કલાકારોએ ભારતીય પોષાકમાં સજ્જ થઈને સંગીત પ્રસ્તુત કર્યું હતું, જેને સંગીતપ્રેમીઓએ ખૂબ માણ્યું હતું. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ડાયરેક્ટર સંદીપભાઈ ખત્રીના આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ક્લબના અનિતાબેન ખત્રી દ્વારા મહિલા દિન નિમિત્તે દરેક કલાકાર બહેનોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું હતું, જેમણે મહિલાઓના વિશેષ મહત્વને સરળ શૈલીમાં રજૂ કર્યું હતું. હેમંતભાઈ કાટવાલા, હિતેશભાઈ ઠાકર, રાધેશ્યામભાઈ ઠાકર સહિત અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી કલાકાર બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરતભાઈ પેન્ટરે ફિલ્મ જગતમાં સફળતા મેળવેલી નામાંકિત હિરોઈનોના સુંદર કટઆઉટથી કાર્યક્રમ સ્થળનું સુશોભન કર્યું હતું.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દરમિયાન આજે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના ભાગે મુખ્ય રોડ ઉપર ના બે સ્પાન તોડવાના બાકી છે. છેલ્લા એક મહિનાથી આ કામગીરી બાકી હતી ત્યારે બ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચે રેતી- કોંક્રિટના મોટા કોથળા મૂકવામાં આવ્યા છે જે કોથળા બ્રિજ નીચે રાખી અને ત્યારબાદ બ્રિજને તોડવામાં આવશે જેથી સીધો બ્રિજ નીચે બેસી જાય. આજે 10 માર્ચના રોજ સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની નીચે રેતી- કોંક્રિટના મોટા પ્લાસ્ટિકના કોથળા મૂકવામાં આવેલા હતા તે એકાએક પડ્યા હતા અને સીધા બ્રિજ પાસે લારી લઈને ઉભેલી મહિલા ઉપર પડ્યા હતા. મહિલા કોથળાના નીચે આવી ગઈ હતી જેથી તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. કોથળા મહિલાની લારી ઉપર પણ પડતા તેને નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરના માણસને ધમકાવ્યો પણ હતો. હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે 'સેવા સેતુ 2.0' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 ગામોના 2470 થી વધુ અરજદારોને સરકારની વિવિધ 27 સેવાઓનો લાભ એક જ સ્થળે પૂરો પાડવામાં આવ્યો હતો. રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધારવા, પ્રજાની રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા અને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં નિયમિત સેવા સેતુ કાર્યક્રમો યોજાય છે. આ જ કડીમાં કુંભાસણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે, સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત કુંભાસણ ખાતે 20 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. અહીં કુલ 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાઈ હતી. કુલ 2470 થી વધુ નાગરિકોને સ્થળ પર જ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલો, માતાઓ અને બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ, મામલતદાર કચેરી, પોસ્ટ અને બેંક, વન વિભાગ, આરોગ્ય વિભાગ, એસ.ટી. નિગમ, ICDS અને UGVCL જેવી વિવિધ કચેરીઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આગામી સમયમાં તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કુંભાસણ ગામના લાભાર્થી ધર્માભાઈ સાણોદરીયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેમણે નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી, જે મંજૂર થતા તેમને સ્થળ પર જ નવું કનેક્શન મળી ગયું. તેમણે આ 'સેવા સેતુ' કાર્યક્રમ થકી ઘર આંગણે જ લાભ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “મહિલા સંમેલન–2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના ચેક, દીકરી વધામણા કીટ, હાઈજીન કીટ અને અનાથ દીકરીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા નેતૃત્વ સબળ બને તે હેતુથી અમલી મહિલા આરક્ષણ અંતર્ગત જિલ્લાની સમરસ મહિલા ગ્રામ પંચાયતોના સરપંચોનું વિશેષ સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ સશક્ત બનીને દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ લીડરશીપ સાથે આગળ ધપી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચી રહ્યો છે. તેમણે સખી મંડળો થકી મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. આ મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત સભ્યો, અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખ અને સભ્યો, જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઈ કણઝરીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ તથા દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઊર્જા મંત્રીએ ગેસ સપ્લાય મુદ્દે આપી હૈયાધારણાં મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે રાજ્યમાં રાંધણ ગેસની સંભવિત સમસ્યા પર ઊર્જા મંત્રીએ આશ્વાસન આપ્યું. ગેસની તંગી ન સર્જાય તે માટે ઈન્ડસ્ટ્રિયલ ગેસમાં 50 ટકાનો કાપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી.. QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. 11થી 20 માર્ચ દરમિયાન ઉમેદવારોને સાંભળવામાં આવશે.. 50% બેઠક પર યુવાનોને તક અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાસપોર્ટ ઓફિસ,પોસ્ટ ઓફિસ અને યુનિ.ને ધમકી વડોદરાની પારુલ યુનિ, ભાવનગર પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ, રાજકોટ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતા આરોપીઓ ઝડપાયા ગુજરાત એટીએસે વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સને ખોટા લેબલથી સપ્લાય કરતા સુરતના ત્રણ અને અન્ય 2 યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ એલોવેરા પાઉડરના નામે સ્પેસ ઓઈલ તરીકે ઓળખાતા ડ્રગ્સને અલગ અલગ દેશોમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત ગાંધીનગરમાં સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું. ઈન્દ્રોડા ગામના કટ પાસે યુવકનું એક્ટિવા બેરીકેડ સાથે અથડાયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો રાજકોટના વિરપુરના 17 વર્ષના સગીરને મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી ભગાડી ગઈ.. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ પાંગર્યો હતો.જો કે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર બંનેને પકડીને સગીરને તેના પરિવારને સોંપ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષના સગીરે 3થી 4 વાહનોને અડફેટે લીધા વડોદરામાં 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા..કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ. જે બાદ ટોળાએ સગીરને મેથીપાક ચખાડ્યો. સગીર માતાપિતાની જાણ બહાર કાર લઈને આઈસક્રીમ ખાવા નીકળી પડ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુટલેગરે PI પર નોટોનો વરસાદ કર્યો મહેસાણાના કટોસણ ગામમાં બુટલેગરે પીઆઈ પર રુપિયા વરસાવ્યા.નોટોનો આ વરસાદમાં પોલીસ વિભાગની આબરુ ધોવાઈ જતા મહેસાણા એસપીએ તાત્કાલિક અસરથી પીઆઈને સસ્પેન્ડ કરી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GFના ખભે હાથ મુકી હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ આજે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા. તો અભિષેક શર્મા પણ મુંબઈ જવા રવાના થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ પારો 41ને પાર પહોંચ્યો માર્ચની શરુઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ- અમદાવાદમાં પારો 41ને પાર પહોંચ્યો.. હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ સનાતન ધર્મની જય ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયાસુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશેમેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના 32 વિસ્તારોમાં રૂ. 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP-88) અંતર્ગત આ કામો હાથ ધરવામાં આવશે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ કામગીરીનો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ સીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને જળચોક, ઉંચામાઢ વિસ્તારમાં સીસી રોડ બનશે. કુમારપાળ સોસાયટી પાછળના ભવાની પાર્ક અને વિશ્વકર્મા સોસાયટીના મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરાશે. આ વિકાસ કામોથી સ્થાનિક રહેવાસીઓની રસ્તા અને પાણીના નિકાલની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. કુલ રૂ. 1,89,30,485ના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જયેશ પટેલ, દેવચંદ પટેલ અને દીક્ષિત પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગામી 17 એપ્રિલ, બુધવાર, 2024 ના રોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આયોજિત આ મેળામાં કુલ 506 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળો નગરપાલિકા ટાઉન હોલ, જહાઆરા બાગ, ફાયર સ્ટેશનની બાજુમાં, પાલનપુર ખાતે સવારે 09:30 કલાકે શરૂ થશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે. વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી., મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટીવ, ટાટા ઓટોકોમ્પ, જે.બી.એમ. પ્રા.લી., અરવિંદ મિલ્સ લિમિટેડ, વેલસ્પન લીવિંગ, યુનો મિંડા લાઈટિંગ અને જે.એન.એસ. જેવી વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે મહેશ બજાજ, કિયા મોટર્સ, સારથી ટોયોટા, સારથી હીરો, લીક-પ્રૂફ એન્જિનિયરિંગ (છાપી), વસંત ફેબ્રિકેટર્સ (છાપી) અને એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ ભરતી મેળામાં 18 થી 30 વર્ષની વય મર્યાદા ધરાવતા તેમજ એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટાની નકલ, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની નકલ, તથા ફોટોગ્રાફ સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ બ્રિજ પાસે નેશનલ હાઈવે 48 પરથી એક અર્ટિગા કારમાંથી રૂ. 96,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતના ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અંકિત કનુભાઈ અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સુરત તરફ જતી શંકાસ્પદ સફેદ રંગની અર્ટિગા કારને ગુંદલાવ બ્રિજ ઉતરતા છેડે રોકવામાં આવી હતી. તલાશી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 768 બોટલ (138.24 લિટર) વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 96,000 છે, તે જપ્ત કર્યો હતો. આ મામલે રાહુલ હિંમતભાઈ ભીલ (ઉં.વ. 26, રહે. કાપોદ્રા, વરાછા રોડ, સુરત, મૂળ અમરેલી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ઉપરાંત પોલીસે રૂ. 3,00,000ની અર્ટિગા કાર અને રૂ. 10,000ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, આમ કુલ રૂ. 4,06,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો 'સોનુ' નામના વ્યક્તિએ મંગાવ્યો હતો, જે હાલ વોન્ટેડ છે. વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ASI જયેશ રતિલાલભાઈને સોંપી છે.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલું અંબિકા માતાજીનું મંદિર 16 માર્ચ, સોમવારના રોજ પ્રક્ષાલન વિધિ માટે બંધ રહેશે. આ દિવસે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. ફાગણ વદ બારશના રોજ યોજાનારી આ વિધિને કારણે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, તે પૂર્વે આ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં રાજ્ય કક્ષાએ 9મો અને 10મો ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. 5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે આ તેજસ્વી તારલાઓએ કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી આ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-5 માટે લેવાયેલી CET (Common Entrance Test) 2025-26 ના પરિણામોમાં આ નાનકડા ગામની સરકારી શાળાએ સમગ્ર ગુજરાતમાં ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે 5,90,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. મકવાણા લવ મનીષભાઈએ 120 માંથી 104 ગુણ સાથે રાજ્યમાં 9મો ક્રમ અને શિયાર ધ્રુવી નાથાભાઈએ 120 માંથી 103 ગુણ સાથે રાજ્યમાં 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.આ સફળતા એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ વિદ્યાર્થીઓએ કોઈ ખાનગી ટ્યુશનનો સહારો લીધો નહોતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને અથાગ પ્રયત્નોથી જ આ સિદ્ધિ શક્ય બની છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.શાળા પરિવારે આ તકે દાતાઓને અને શિક્ષણપ્રેમીઓને અપીલ કરી છે કે, ગ્રામીણ પ્રતિભાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે શાળાના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપે. જેથી ભવિષ્યમાં વધુ બાળકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગામનું નામ રોશન કરી શકે.
સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને “સક્ષમ સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ઓફ દિવ્યાંગજન” બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલ દ્વારા મંગળવાર, 10 માર્ચ 2026ના રોજ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારે 11:00 વાગ્યે સંતરામ સભાગૃહ, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રમુખ ડૉ. વિભા વૈષ્ણવ અને બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલના વિભાગપ્રમુખ ડૉ. દિલીપ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન સર ઉપસ્થિત રહ્યા હતા. IISc બેંગલોરના પ્રોફેસર ડૉ. હાર્દિક પંડ્યા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિભાગપ્રમુખના સંબોધનથી થઈ હતી. ડૉ. દિલીપ શર્માએ મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું, જ્યારે ડૉ. વિભા વૈષ્ણવે કુલપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કુલપતિ પ્રો. નિરંજન સરે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં બી.એડ્. કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ શિક્ષકોની માંગને કારણે કોર્સ પૂર્ણ કર્યા બાદ લગભગ 100 ટકા રોજગારની ખાતરી છે. સ્પેશિયલ બી.એડ. વિભાગનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરાયો હતો. મુખ્ય અતિથિ ડૉ. હાર્દિક પંડ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વિશેષ શિક્ષણમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે, ડૉ. દિલીપ શર્મા દ્વારા આભારવિધિ અને વંદેમાતરમ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
CVM યુનિવર્સિટીએ અમેરિકાની WPI સાથે કર્યા MoU:આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ મજબૂત બનશે
CVM યુનિવર્સિટીએ અમેરિકાની વર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી (WPI) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કર્યા છે. 9 માર્ચ, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી ખાતે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઉચ્ચ સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. WPI યુનિવર્સિટી અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી એક અગ્રણી સંશોધન યુનિવર્સિટી છે, જેની સ્થાપના 1865માં થઈ હતી. આ સંસ્થા વિજ્ઞાન, ઇજનેરી, કલા, વ્યવસાય અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે તેની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. WPI તેની પ્રોજેક્ટ આધારિત શૈક્ષણિક પદ્ધતિ (Project-Based Learning) માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે, જેમાં વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલને અભ્યાસક્રમ સાથે જોડવામાં આવે છે. તેને R1 સંસ્થા તરીકે માન્યતા મળી છે, જે તેને ઉચ્ચ સ્તરની સંશોધન પ્રવૃત્તિ ધરાવતી અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન આપે છે. 2025ના પ્રિન્સટન રિવ્યુ મુજબ, WPIએ કરિયર પ્લેસમેન્ટ માટે 15મું અને U.S. News World Report મુજબ ઇન્ટર્નશિપ/કો-ઓપ કાર્યક્રમો માટે 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સિટીમાં 20 NCAA Division III વર્સિટી સ્પોર્ટ્સ ટીમો સાથે સક્રિય કેમ્પસ જીવન અને નવીનતા તથા સંશોધનની મજબૂત સંસ્કૃતિ પણ જોવા મળે છે. આ MoU અંતર્ગત સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને સ્ટાફ એક્સચેન્જ, સંયુક્ત પ્રોજેક્ટ માર્ગદર્શન, સંશોધન ભંડોળ મેળવવા માટે સહયોગ અને એકબીજાની સુવિધાઓનો ઉપયોગ જેવા મુખ્ય હેતુઓ સમાવિષ્ટ છે.આ કરાર હેઠળ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર્સ તૈયાર કરી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ એકબીજાની સંસ્થાઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કરી શકશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંશોધન માટે ગ્રાન્ટ મેળવવા માટે પણ બંને સંસ્થાઓ સંયુક્ત અરજીઓ કરશે. ઉપરાંત, બંને યુનિવર્સિટીઓ એકબીજાની અદ્યતન પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.આ MoU પર WPI યુનિવર્સિટી વતી ડૉ. શ્રીકુમાર પન્યામ અને CVM યુનિવર્સિટી વતી પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલે હસ્તાક્ષર કર્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ આ પહેલને આવકારી હતી. તેમણે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન આપે અને યુનિવર્સિટીને આગવી ઓળખ મળે તે દિશામાં સઘન કાર્ય કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પતિ તરુણ જીનરાજ સામે પત્નીની હત્યા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત સહિતની કલમો મુજબ 2003માં ગુનો નોંધાયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જે 15 વર્ષે પકડાયો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, પોલીસે બેંગ્લોરથી ઝડપ્યોમળતી માહિતી અનુસાર, 2002માં તેના લગ્ન થયા હતા. તેને અને તેના પરિવારે તેની પત્ની ઉપર માનસિક ત્રાસ ગુજારીને દહેજની માંગ કરી હતી. માત્ર ત્રણ મહિનામાં તેને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. 2018માં તેને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો. મિત્રને ત્યાં રોકાયો ને ત્યાં આરોપીએ બીજા લગ્ન કર્યા તે પત્નીની હત્યા બાદ ભાગીને મધ્યપ્રદેશમાં એક મિત્રને ત્યાં રોકાયો હતો. જા તેને પોતાની ઓળખ બદલીને મિત્રના નામના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા. જેના આધારે તેને નોકરી કરવાની પણ શરૂ કરી દીધી હતી. ત્યાં તેને બીજા લગ્ન પણ કર્યા હતાં. તેની સામે સેટેલાઈટ અને ભોપાલ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. બાકીના આરોપીઓ સામે 2005માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 2019માં આરોપી સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જામીનનો દુરુપયોગ કર્યો ને પોલીસ સમક્ષ સરેન્ડર ના થયોઅરજદાર તરફે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી વાર્તા ઊભી કરીને આરોપીને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. 2018થી તે જેલમાં છે. 2023માં તેની સામે ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે અને ટ્રાયલ પણ ચાલી રહી છે. જ્યારે સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. અગાઉ તેને હંગામી જામીન આપવામાં આવતા તેને તેનો દુરુપયોગ કર્યો હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર થયો નહોતો. ‘જો આરોપીને જામીન મળે તો તે ભાગી જાયની શકયતા’કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી લાંબા સમય સુધી ફરાર હતો. તેની બીજી પટ્ટી અને બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી પોતાની ખોટી ઓળખ ઉભી કરીને અમેરિકા પણ જઈ આવ્યો છે. આ કેસમાં આરોપીને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. તેની પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે ભાગી જાય તેવી પૂરી શક્યતા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં એક ખેડૂતના ખેતર પરથી પસાર થતી 11 કેવી વીજલાઈનમાં સ્પાર્ક થયા બાદ આગ લાગતા 10 વીઘામાં ઉભેલા ઘઉઁ અને કલંજીનો પાક બળીને ખાખ થયો છે. પાક લણણી પર હતો ત્યારે જ આગ લાગતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીજતાર ઢીલા હોવા અંગે વીજકંપનીનું ધ્યાન દોર્યા બાદ પણ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો છે. તાર અથડાયા બાદ સ્પાર્ક થયાને ખેતરમાં આગ ફાટી નીકળીઆજે બપોરના સમયે અચાનક પવનનો વંટોળ ફૂંકાયો હતો. જોરદાર પવનને કારણે ખેતર ઉપર લટકી રહેલા બે વીજ તાર એકબીજા સાથે જોરથી અથડાયા હતા. આ લાઈનમાં થ્રી-ફેઝ પાવર સપ્લાય ચાલુ હોવાથી તાર ટકરાતાની સાથે જ ભયાનક સ્પાર્કિંગ થયું હતું. આ સ્પાર્કિંગના કારણે અગનજ્વાળાઓ નીચે ઉભા ઘઉંના પાક પર પડી હતી. ખેતરમાં ઘઉંનો પાક સંપૂર્ણ તૈયાર હોવાથી અને સૂકો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હરેશભાઈના 10 વીઘાના ખેતરમાંથી 6 વીઘામાં વાવેલા ઘઉં અને 4 વીઘામાં વાવેલી કલંજીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો. પાણી-માટીથી આગ બુઝાવવાના પ્રયાસ કરાયા પણ સફળતા ન મળીપોતાની રાત-દિવસની મહેનતને નજર સામે બળતી જોઈ ખેડૂત પરિવાર અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે પાણી અને માટીનો ઉપયોગ કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે તૈયાર પાકને બચાવવો અશક્ય બની ગયો હતો. કાપણીના આરે ઉભેલો પાક મિનિટોમાં જ કાળી રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂત હરેશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ જ્યારે વળતરની આશા હતી ત્યારે તંત્રની આળસને કારણે તેમનો લાખોનો પાક નષ્ટ થઈ ગયો છે. વીજકંપનીએ તપાસ હાથ ધરીઆ ગંભીર મામલે કેશોદ PGVCLના નાયબ ઇજનેર પી. બી. ગરચરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વંટોળ આવતા થાંભલા પરના તાર અથડાયા હતા અને સ્પાર્કિંગ થયું હતું. વીજ કંપની દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. હાલના નીતિ-નિયમો અને ધારાધોરણો મુજબ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી વીમા કંપનીને મોકલી આપવામાં આવશે. ખેડૂતને થયેલા આર્થિક નુકસાનનું વળતર વહેલી તકે મળે તે માટેની જરૂરી કાગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના અલકાપુરી અને સેવાસી વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ રોડ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં અલકાપુરી વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સેવાસી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં કાર દિવાલ સાથે અથડાઈ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય આદિત્ય મુકેશભાઈ મોદીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ સવારે સાડા ચાર વાગ્યે નોકરીમાંથી છૂટ્યા બાદ પોતાની ફોર વ્હીલર ડિઝાયર કાર (નંબર GJ 07 DC 4175) લઈને મિત્ર બીપીન ત્રિવેદીને મયંક એપાર્ટમેન્ટ, ગોત્રી ખાતે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમણે મિત્રને ફોન કરી રેલ્વે સ્ટેશન ખાતે નાસ્તો કરવા જવાનું કહ્યું હતું, તેમની પણ નાઈટ શિફ્ટ હોવાથી તેઓ તેમને લેવા ગયા હતા. બંને કારમાં બેસી ગેંડા સર્કલ થઈ ગુંજ સોસાયટી વાળા રોડ પર પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે કુંજ પ્લાઝા ચાર રસ્તા પાસે કુંજ સોસાયટી ઘર નંબર 3ની દિવાલ સાથે કાર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં આદિત્ય મોદીને ડાબા કાન પાસે, ડાબી આંખ ઉપર, જમણા પગના ઘૂંટણ પાસે તથા ડાબા પગના ઘૂંટણ પાસે મૂઢમાર ઈજા થઈ હતી. પ્રિયંકા દવેને જમણા થાપા અને જમણા હાથના ખભાના ભાગે ઈજા થઈ હતી. કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સેવાસી એફજીઆઈ સામે બાઈક-કાર વચ્ચે અકસ્માત બીજી તરફ, વડોદરા શહેરના સેવાસી એફજીઆઈ સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના કારણે બાઈકનું આગળનું વ્હીલ નિકળી ગયું હતું. આ ઘટનામાં પણ કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. બંને અકસ્માતોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. વધતા જતા તાપમાનની સાથે જ શહેરમાં આગના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મળતી માહિતી પ્રમાણે, મહિધરપુરા ખાતે આવેલી SP આંગડિયા પેઢીમાં આજે સામાન્ય દિવસની જેમ કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એસીના કોમ્પ્રેસરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ઘટના સમયે ઓફિસમાં બે કર્મચારીઓ હાજર હતા, જેઓ સમયસૂચકતા વાપરીને તુરંત બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રૂપિયાનો બચાવ અને નુકસાન આગ એટલી પ્રચંડ હતી કે ઓફિસમાં રહેલું ફર્નિચર, પંખા અને તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે આંગડિયા પેઢીમાં રાખવામાં આવેલી રોકડ રકમ સળગતા બચી ગઈ હતી. ફાયર વિભાગ અને હાજર લોકોની મદદથી 1.10 લાખની રોકડ સહી-સલામત બહાર કાઢી માલિકને પરત સોંપવામાં આવી હતી. એક જ દિવસમાં 7 આગના બનાવો સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો પર લોડ વધતા શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટની ઘટનાઓ વધી છે. આજે વહેલી સવારથી સાંજ પાંચ વાગ્યા સુધીમાં જ સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ આગના કુલ 7 બનાવો નોંધાયા છે, જે વહીવટી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં મહિધરપુરાની ઘટનામાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એસી બ્લાસ્ટ માનવામાં આવે છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની NDPS કેસમાં ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ડુંગળીની આડમાં 406 કિલો ગાંજા સાથે બે ઝડપાયાકેસને વિગતે જોતા બંને આરોપીઓને પિકઅપ વાનમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે ડુંગળીની આડમાં 406 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. આ ગાંજો તેમને મધ્યપ્રદેશના એક ગામમાંથી શાંતારામ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા?આરોપીના રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આ ગાંજાનું કોણે ઉત્પાદન કર્યું છે? અમદાવાદમાં ગાંજો કોણે મંગાવ્યો હતો? અગાઉ તેઓ આવી કોઈ ડીલેવરી આપવા અમદાવાદમાં આવ્યા હતા કે કેમ? રસ્તામાં તેમને બીજા કોઈએ ગાંજો આપ્યો છે કે કેમ? CCTV ફૂટેજ અને આરોપીઓની કોલ ડીટેલ તપાસવાની છે. 7 દિવસના રિમાન્ડની માંગ ને 2 દિવસના મંજૂરઆરોપીઓએ બીજો ગાંજો ક્યાંક સંતાડ્યો છે કે કેમ ? આરોપીઓને અન્ય કયા સહ આરોપીએ મદદ કરી છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ જાણવાનો છે. આ કોમર્શિયલ માત્રાનો ગાંજો છે. ત્યારે આ ગુનામાં કોઈ ક્રાઈમ સિન્ડિકેટ સંકળાયેલી છે કે કેમ ? કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓનો 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પાટણના સુજનીપુર રોડ પર રાવળ વિકાસ મંચ દ્વારા ઉત્તર ગુજરાતના પ્રથમ શૈક્ષણિક સંકુલનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદની સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડે (ભુવાજી) આશરે ₹2.51 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ સંકુલ માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના 500 થી વધુ ગામોમાંથી વિધિવત પૂજન કરેલી ઈંટો લાવવામાં આવી હતી. આ પૂજિત ઈંટોનો ઉપયોગ સંકુલના શિલાન્યાસ માટે કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજની પ્રગતિની ચાવી છે. રાવળ દેવ સમાજના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ કાર્યમાં સહયોગ આપવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે 500 ગામના સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાવળ વિકાસ મંચના પ્રમુખ ડી.કે. રાવળ, પ્રહલાદભાઈ આર. રાવળ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક સંકુલમાં અદ્યતન છાત્રાલય અને લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડશે. આ ઉપરાંત, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ તાલીમ હોલ પણ બનાવવામાં આવશે. સંકુલમાં બહારગામથી આવતા જ્ઞાતિબંધુઓ માટે શિવ વિશ્રામ ગૃહ, તેમજ સામાજિક અને આધ્યાત્મિક પ્રસંગો માટે પ્રાર્થના ખંડ અને ભોજન હોલની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇન્ડિયાની જીત બાદ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ હવે અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફરી રહ્યા છે. દરેક પ્લેયર અલગ અલગ પોતાની રીતે ગાડીમાં એરપોર્ટ સુધી પહોંચ્યા હતા. જેમાં ગઈકાલે સંજુ સેમસન, એમ એસ ધોની જેવા ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. જ્યારે આજે હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયો હતો. આ ઉપરાંત અભિષેક શર્મા પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને માહીકા શર્મા હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. તેમજ હાર્દિકે માહીકાના ખભે હાથ રાખ્યો હતો. બન્નેએ વ્હાઇટ ટી-શર્ટનું મેચિંગ પણ કર્યું હતું. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 96 રને જીતી હતી. ટીમ ઇન્ડિયા જીત પહેલા મોટેરા સ્ટેડિયમ ની પાસે આવેલ હનુમાન ટેકરી દાદા ના દર્શન કરવા માટે પહોંચી હતી. જીત બાદ પણ ટ્રોફી લઈને ટીમ ઇન્ડિયા સાથે જય શાહ પણ હનુમાન ટેકરી દાદાના દર્શન ખાતે પહોંચ્યા હતા. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે મેદાન પરની રમત કરતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના વીડિયો વાઇરલ થતા જ નેટિઝન્સે તેને આડેહાથ લીધો હતો. એક તરફ ફેન્સ તેની રમતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ માહિકા સાથે તેનો સ્ટેડિયમમાં રોમાન્સ અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો ફરી વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને 'અટેન્શન'માં રહેવાની આદત છે. હાર્દિકનો માહિકા સાથે રોમાન્સમેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં બંનેએ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. માહિકાએ હાર્દિકને કિસ કરી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા. પણ આ શું...દેશી-વિદેશી મીડિયાની હાજરીમાં કપલે કંઈક એવું કર્યું, જેના કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક અને માહિકા ટી20 વર્લ્ડ કપના સ્ટેજ પર જ સૂઈ ગયા. એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે બનેલા પોડિયમ પર જ કપલનો રોમાન્સ શરૂ થઈ ગયો. તેમના આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાઇરલ વીડિયોમાં ચારેબાજુ જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે.. બધા પોતાના પરિવાર સાથે ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે. આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છે. પરંતુ હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને એકબીજામાં વ્યસ્ત દેખાયા. તેઓ સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા. હાર્દિક અને માહિકા બંને પોડિયમ પર સૂતેલા છે. એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત છે. ક્રિકેટર પોતાની લેડીલવના પ્રેમમાં ખોવાયેલા છે. આ પછી તેઓ ઊઠે છે અને વાતોમાં મશગૂલ થઈ જાય છે. ટ્રોલ થયો હાર્દિક પંડ્યાઆ કપલની લવિંગ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ આ વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો ભડક્યો છે. યુઝર્સનું કહેવું છે કે કપલે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જાહેરમાં આટલું નજીક રહેવું યોગ્ય નથી. યુઝર્સે હાર્દિક અને માહિકાના રોમાન્સને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. તેમને આમ સ્ટેડિયમમાં હદો પાર કરતા જોઈને એક વ્યક્તિએ લખ્યું- આમને બિલકુલ વિરાટ-અનુષ્કા સાથે સરખાવશો નહીં. બીજાએ લખ્યું- આ બધું ઘરે જઈને કરો, મેચ પરિવાર પણ જોઈ રહ્યો છે. કોઈએ લખ્યું - તેમને કેટલું અટેન્શન જોઈએ છે. તેમને ખબર છે કે ઘણા કેમેરા તેમને કેપ્ચર કરી રહ્યા છે. તેમની ઓવરએક્ટિંગ ચાલુ છે. કોઈએ કહ્યું - ભલે તેઓ વિરાટ-અનુષ્કા બનવાની લાખ કોશિશ કરી લે, પણ ક્યારેય બની શકશે નહીં. ઇન્ટરનેટ યુઝર્સે હાર્દિકના વારંવાર પ્રેમમાં પડવાની મજાક પણ ઉડાવી છે. ટ્રોલિંગ વચ્ચે હાર્દિકનો નતાશા સાથેનો વીડિયો પણ વાઇરલ થયો ઇન્ટરનેટ પર હાર્દિકનો તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સાથેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોમેન્ટિક થઈ રહ્યો છે. તે નતાશાને કેમેરા સામે કિસ કરી રહ્યો છે. તેને ભેટી રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝરે કહ્યું કે હાર્દિક ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેક ગર્લફ્રેન્ડ તો ક્યારેક પત્ની સાથે રોમેન્ટિક થાય છે. તે જાણી જોઈને આવું કરે છે. યુઝરે ક્રિકેટરની આને સસ્તી યુક્તિઓ ગણાવી. હાર્દિકનો વધુ એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે નતાશાના વખાણ કરતા કહે છે કે પત્નીએ તેને સોલ્યુશન શોધતા શીખવ્યું છે. જીવનમાં વધુ હાંસલ કરવાનો જુસ્સો તેને નતાશા પાસેથી મળ્યો છે. તેનાં કારણે જ તે ધૈર્ય રાખતા શીખ્યો છે. આ સમાચાર પણ વાંચો… PHOTOS- VIDEOSમાં જુઓ T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, જીત પછી સુનીલ ગાવસ્કરનો ડાન્સ; PAK ખેલાડી બહાર થવા પર રડ્યો T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…
જૂનાગઢ જિલ્લામાં પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન પશુધનને ગંભીર બીમારીઓથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશુઓમાં પાયમાલી સર્જતા અને દૂધ ઉત્પાદન પર સીધી અસર કરતા અત્યંત ચેપી એવા 'ખરવા-મોવાસા' (Foot and Mouth Disease - FMD) રોગને જડમૂળથી નાથવા માટે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં એકસાથે રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાન માત્ર કાગળ પર મર્યાદિત ન રહે તે માટે આ વખતે તંત્રએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પારદર્શક પદ્ધતિ અપનાવી છે. નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) હેઠળ હાથ ધરવામાં આવેલા આ આઠમા રાઉન્ડની શરૂઆત 1 લી માર્ચથી કરવામાં આવી છે, જે આગામી 15 મી એપ્રિલ સુધી સતત દોઢ મહિના સુધી ચાલશે. જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ. ડી.ડી. પાનેરાના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના અંદાજે 3,20,600 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરીને વેગ આપવા માટે સમગ્ર જિલ્લામાં 168 જેટલી નિષ્ણાત ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમાં 150 થી વધુ પશુપાલન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. આ વખતે વહીવટી તંત્રએ રસીકરણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે વેઠ ઉતારવાની નીતિ ન ચાલે તે માટે 'ડિજિટલ હથિયાર'નો ઉપયોગ કર્યો છે. દરેક પશુને અપાતી રસીની નોંધણી 'ભારત પશુધન પોર્ટલ' પર રિયલ ટાઈમમાં કરવામાં આવી રહી છે. પશુપાલકોએ રસીકરણ સમયે પોતાનો આધાર નંબર અને મોબાઈલ પર આવતો OTP આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.આ પદ્ધતિને કારણે કામગીરીમાં સો ટકા પારદર્શિતા આવશે અને કયા પશુને રસી મળી છે તેની સચોટ વિગત ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી કોઈ પણ પશુ રસી વગર બાકી રહેવાની શક્યતા નહીવત બની જશે. સમગ્ર કામગીરીના સુપરવિઝન માટે 8 જેટલા વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ડેરી સંઘના વેક્સિનેટર્સ હવે સીધા પશુપાલકોના આંગણે જઈને પશુઓને રસી મૂકી રહ્યા છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રનો કડક આદેશ છે કે એકપણ પશુ આ સુરક્ષા ચક્રમાંથી વંચિત રહેવું જોઈએ નહીં. ખરવા-મોવાસા રોગ એ 'એફ્થો વાયરસ' દ્વારા ફેલાતો અત્યંત ગંભીર રોગ છે, જે મુખ્યત્વે બે ફાટવાળી ખરી ધરાવતા પશુઓને અસર કરે છે. આ રોગમાં પશુને તીવ્ર તાવ આવે છે, મોઢામાં અને જીભ પર ચાંદા પડી જાય છે, જેના કારણે પશુ ખોરાક લઈ શકતું નથી. વધુમાં, પશુની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડતા તે લંગડાતું થઈ જાય છે. જોકે આ રોગમાં મૃત્યુદર ઓછો છે, પરંતુ તે પશુની ઉત્પાદકતાનો નાશ કરે છે. દૂધાળા પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા એકાએક ઘટી જાય છે અને પશુઓમાં વંધ્યત્વ જેવી સમસ્યાઓ સર્જાય છે, જે પશુપાલકને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. ભારત સરકારનો લક્ષ્યાંક છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાંથી ખરવા-મોવાસા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ રોગ મુક્ત થવાથી ભારતીય દૂધ અને તેની બનાવટોની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વધશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. આ જ કારણસર રસીકરણને જ શ્રેષ્ઠ ઇલાજ માનવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા દર છ મહિને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. ડૉ. પાનેરાએ જિલ્લાના તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરી છે કે જ્યારે ટીમ ગામમાં આવે ત્યારે પશુઓને રસી અપાવવી અને જો ટીમ ન પહોંચી શકે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પશુધનનું રક્ષણ કરવું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસે થોડા સમય પહેલા જ અલગ-અલગ સમિતિઓની પણ જાહેર કરી હતી. જો કે, હવે કોંગ્રેસ આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક લેવલે ઉમેદવારોની પસંદગી, પ્રદેશ કક્ષાએથી દખલગીરી ન કરવા નિર્ણય15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. મેયરની જાહેરાત પણ ચૂંટણી પહેલાં કરવાની તૈયારીજો કે, યુવા કોંગ્રેસની માગ હતી કે, 20 ટકા બેઠક પર યુવાનોને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે, પરંતુ રાહુલ ગાંધીના આદેશ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠક પર 50 વર્ષ કરતા ઓછી ઉંમરના યુવાઓને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક પર ચૂંટણીઆખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને રૂબરૂ બોલાવી સાંભળવામાં આવશેઃ અમિત ચાવડાઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. ‘બોગસ મતદાર યાદીના આધારે જ 20 વર્ષ ચૂંટણીઓ થઈ’ મતદાર યાદીને પ્રક્રિયાને સવાલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે SIRની પ્રક્રિયા થઈ તે પહેલાં જ અમે કહેતા હતા કે, ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી. એમા મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે SIRની યાદી બહાર પડી અને સ્પષ્ટ થયું કે, મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતા હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી. SIR પછી જે મતદાર યાદી બહાર પાડી છે, તેમાં 70 લાખ જેટલા મતદારો નામ કમી થયા એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં ચૂંટણીઓ થઈ તે બોગસ મતદાર યાદીના આધારે જ થતી હતી. ‘ચારેબાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે ત્યારે હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસાની લૂટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાક્ષકો કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય. રેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય. સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે જિલ્લા સ્તરીય 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. સમાજમાં યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે. તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી છેવાડાની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ સશક્ત બની શકે. સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ સાથે, 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ' સહિતના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરી વિભાગની યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પારો વધુ ઊંચો જવાની અને હીટવેવની પ્રબળ શક્યતાઓને જોતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે. આરોગ્ય અધિકારી દ્વારા એક વિસ્તૃત અખબારી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૂર્યના પ્રકોપથી બચવા લોકોને જરૂરી કામ સિવાય બપોરનાં સમયે બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું અને શું ન કરવું તેની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ ગરમી જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાઇડ્રેશન અને આહાર પર વિશેષ ભારઆરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સતત હાઇડ્રેટેડ રહેવું અનિવાર્ય છે. તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. ઘરે બનાવેલા કુદરતી પીણાં જેવા કે લીંબુ પાણી, છાસ, લસ્સી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) નો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. આહારમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ અને અનાનસ તેમજ કાકડી જેવા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જોકે, ઉચ્ચ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પહેરવેશ અને જીવનશૈલીમાં ફેરફારડો. વાંકાણીનાં જણાવ્યા મુજબ ભારે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે હળવા રંગના, સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવાની જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવા માટે છત્રી, ટોપી કે ટુવાલનો ઉપયોગ કરવો અને પગમાં ચંપલ કે બૂટ પહેરવા જરૂરી છે. બપોરે 12:00 થી 03:00 ના સમયગાળા દરમિયાન, જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરની બારીઓ અને પડદા દિવસ દરમિયાન બંધ રાખીને ઘરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો અને રાત્રિના સમયે હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જોખમી જૂથો અને સાવચેતીવધુમાં તેમણે જણાવ્યું કે, હીટવેવ અમુક વર્ગો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જેમાં શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક કે શારીરિક બીમારી (ખાસ કરીને હૃદય રોગ કે હાઈ બ્લડ પ્રેશર) ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે લોકો બહાર મજૂરી કામ કરે છે અથવા ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં આવે છે તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો એકલા રહેતા વૃદ્ધોના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. પાર્ક કરેલા વાહનોમાં ક્યારેય બાળકો કે પાલતુ પ્રાણીઓને એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ બની શકે છે. રોજગારદાતાઓ અને કામદારો માટે સૂચનાઓજે એકમોમાં કામદારો ખુલ્લામાં કે ગરમીમાં કામ કરે છે, ત્યાં રોજગારદાતાઓએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને દર 20 મિનિટે પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કાર્યસ્થળ પર શેડ કે આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવી અને સખત પરિશ્રમ વાળા કામો વહેલી સવાર કે મોડી સાંજ સુધી મર્યાદિત રાખવા જોઈએ. દર 1 કલાકના સખત કામ પછી 5 મિનિટનો આરામ આપવો આવશ્યક છે. તેમજ કાર્યસ્થળ પર ફર્સ્ટ એઇડ કીટ અને ઇમરજન્સી પ્લાન તૈયાર રાખવા અને કોઈ કામદારોમાં હીટસ્ટ્રોકના લક્ષણો ઓળખવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવા જોઈએ. ઇમરજન્સી સારવારઅંતમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ગરમીના કારણે અસ્વસ્થ જણાય, તો જરાપણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડવી, તેના કપડાં પર ઠંડુ પાણી છાંટવું અને પવન નાખવો. સ્થિતિ ગંભીર જણાય તો વિલંબ કર્યા વગર નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા પણ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આરોપીએ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યોઆ કેસની વિગતો મુજબ, મૂળ ધોળકાના સાથળ ગામના અને હાલમાં ધોળકાની રાજધાની સોસાયટીમાં રહેતા 34 વર્ષીય હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલે ફરિયાદી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત 15 જુલાઈ 2023ના રોજ આરોપી યુવતીને અમદાવાદની રાધાનંદ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તાબે થવાની ના પાડતા અશ્લીલ ફોટા વાઈરલ કર્યાઆ ઘટના બાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અવારનવાર ફોન કરી ગાળો ભાંડી હતી અને યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. બાદમાં આરોપીએ વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન યુવતીના નિર્વસ્ત્ર ફોટા મંગાવ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વીડિયો તથા સ્ક્રીનશોટ બનાવી લીધા હતા. જ્યારે યુવતીએ તાબે થવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ આ અશ્લીલ સામગ્રી તેના સગા-સંબંધીઓમાં વાઇરલ કરી દીધી હતી. આ મામલે કલોલ શહેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારીઆ કેસ કલોલની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ જે.એચ.જોષીની ધારદાર રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીને ઈપીકો કલમ 376 ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો, પરંતુ આઈટી એક્ટ-2000ની કલમ-67(એ) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
સુરત ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇસમને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાન અને બીડીના ગલ્લાની આડમાં આ નશાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પ્રભુનગરમાં પાનના ગલ્લાની આડમાં ચાલતું હતું નશાનું નેટવર્કસુરત શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભુનગર વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાના છૂટક વેચાણ સાથે સંકળાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રભુનગર પ્લોટ નંબર 192 ખાતે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી નશાનો સામાન અને મોટી માત્રામાં રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી પોતાની રોજગારીના નામે પાન-બીડીનો ગલ્લો ચલાવતો હતો. સામાન્ય ગ્રાહકોની ભીડ વચ્ચે તે નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતો હતો. રહેણાંક વિસ્તારમાં પાનના ગલ્લાની આડમાં ચાલતા આ ગોરખધંધાને કારણે સ્થાનિક યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપી પાસેથી 148 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1400 રૂપિયા જેટલી થાય છે. 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6,56,350 રૂપિયાની રોકડ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ ગાંજાના વેચાણ દ્વારા જ એકઠી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રૂ. 7000ની કિંમતનો 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ, પોલીસે કુલ 6,73,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, મૂળ ઉત્તર પ્રદેશનો છે આરોપીઝડપાયેલા આરોપીની ઓળખ 41 વર્ષીય દીપકસિંહ ફોજદારસિંહ રાજપુત તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો વતની છે અને હાલ ઉધનાના પ્રભુનગરમાં રહી વેપાર કરતો હતો. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે.
ગીરસોમનાથમાં માર્ચમાં જ 41 ડિગ્રી તાપમાન:હીટવેવની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
ગીર સોમનાથ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. તાલાલા અને ગીર ગઢડા વિસ્તારમાં મહત્તમ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે કોડીનાર અને ઉના તાલુકામાં 37 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં જ આટલું ઊંચું તાપમાન નોંધાતા હવામાન નિષ્ણાતો આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના વધતા પ્રભાવને કારણે બપોરના સમયે શહેરો અને ગામડાંઓમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં વ્યસ્ત રહેતા બજારો અને જાહેર સ્થળોએ પણ બપોરના સમયે ભીડ ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ, ઠંડા પીણાં, છાશ, ગોળી સોડા અને આઈસક્રીમની દુકાનો પર ગ્રાહકોની અવરજવર વધી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લોકોને બપોરના સમયમાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતો પણ ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ખુલ્લા મેદાનમાં કામ કરતા મજૂરોને બપોરના તીવ્ર તાપમાં બહાર કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે. માર્ચના પ્રારંભમાં જ આટલી ગરમીનો અનુભવ થતાં, ગીર સોમનાથ જિલ્લામાં લોકો આગામી મહિનાઓમાં ઉનાળો કેવો રહેશે તેની ચર્ચા કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પણ તાપમાનમાં આ જ રીતે વધારો ચાલુ રહેશે, તો એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધુ તીવ્ર બની શકે છે.
પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે યોજાશે. તેનું સ્થળ એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન રહેશે. આ મેળામાં BSS Sonata Microcredit Ltd. (Kotak Mahindra Bank), અમદાવાદ અને Lifesurge Healthcare Pvt. Ltd., પાટણ જેવી ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. તેઓ ફિલ્ડ ઓફિસર, બેંક ઓફિસ વર્ક, મશીન ઓપરેટિંગ અને ટેક્નિશિયન સહિતની વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. આ ભરતી મેળામાં 18થી 35 વર્ષની વયમર્યાદાના ઉમેદવારો ભાગ લઈ શકશે. ધોરણ 10/12 પાસ, ITI (તમામ ટ્રેડ) અને ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. તેઓએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને 3 થી 4 બાયોડેટાની નકલો સાથે લાવવી ફરજિયાત છે. નોંધનીય છે કે, રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, તેમ પાટણના રોજગાર અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ સન્માનિત
ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અને IAS નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને મીલેટ્સ કીટ આપી સન્માનિત કરાયા હતા. IAS નેહા બ્યાડવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહી છે. આ પ્રસંગે મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. જેમાં 11 દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ, 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારી, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયત નેતૃત્વ માટે રશીલા સુનીલભાઈ વસાવા તેમજ આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી માટે વૈશાલી મેહુલકુમાર પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાઈફલ શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને સાઈલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત એટોમેડિટ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવીને મોકલનાર બીજા બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યાગુજરાત ATSને બાતમી મળી હતી કે, મુંબઈ એરપોર્ટથી ઓટોમેટીક પાવડરનો જથ્થો થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી ATSએ ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. જે બાદ તપાસમાં ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો મળી આવ્યોATSએ સુરતથી ચેતન અને ભૌતિકની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીઓ પોતપોતાની અલગ અલગ ફાર્મા કંપનીના આધારે ઓટોમેટીક ડ્રગ્સ ખરીદતા હતા અને તેને ખોટું લેબલ લગાવીને અલગ અલગ દેશોમાં સપ્લાય પણ કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 100 કિલોથી વધુ સપ્લાય પણ કર્યું છે. ત્રણેયની હાલ ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમે મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો પણ મળી આવ્યો છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકેએટોમેડિટ ભારતમાં હાલ પ્રતિબંધિત નથી, કારણ કે મેડિકલમાં એનેથેસિયામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ છે. આ ડ્રગ્ નો ઉપયોગ ત્યાં લોકો નશો કરવા માટે કરે છે. એટોમેટીટને વિદેશમાં સ્પેસ ઓઇલના નામથી પણ ઓળખાય છે. કારણકે એકવાર તેનો નશો કર્યા બાદ ઉડવાની ફીલિંગ લોકો લેતા હોય છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
નવસારીના કોથમડીમાં ત્રણ દીપડાના બચ્ચા દેખાયા:મોડી રાત્રે લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામે મોડી રાત્રે એકસાથે ત્રણ દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા કોથમડી ગામમાં શેરડીના ખેતરો અને કોતરો દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બન્યા છે. ગત મોડી રાત્રે ગામના સીમ વિસ્તારમાં ત્રણ દીપડાના બચ્ચા રસ્તા પર અને ખેતરની વાડ પાસે લટાર મારતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય કોઈ રાહદારી અથવા ખેડૂતના કેમેરામાં કેદ થયું હતું. છેલ્લા કેટલાક સમયથી નવસારીના કાંઠા વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વન વિભાગના મતે, આ વિસ્તારમાં છુપાવવાની જગ્યા અને ખોરાક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી દીપડાઓ અહીં વસવાટ કરે છે. કોથમડી, મટવાડ અને આસપાસના ગામોમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બની છે. એકસાથે ત્રણ બચ્ચા દેખાતા તેમની માદી દીપડા પણ આસપાસ હોવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત માટે જતા ખેડૂતો સાવચેતી રાખી રહ્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વડાની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ઓ.જી.ના પીઆઇ આર.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને ગુનેગારો પર વોચ રાખવામાં આવી રહી છે, જેના પરિણામ સ્વરૂપે પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા જુગારધારા કલમ 4 અને 5 મુજબના ગંભીર ગુનામાં છેલ્લા 10 વર્ષથી એક શખ્સ પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા અને વિક્રમભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા પોલીસને હકીકત મળી હતી કે અમદાવાદ અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી. ઉર્ફે મુકેશ મોર્ડન કેવલરામ કપુર હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા માંગરોળના કાજી ફળીયા વિસ્તારમાં આવેલા સીટી સેન્ટર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 304 માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન 48 વર્ષીય મુકેશ ઉર્ફે એમ.ડી. પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છેલ્લા એક દાયકાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી.નો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જુગારધારાના પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત માંગરોળ મરીન પોલીસ સ્ટેશન અને કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આમ, કુલ આઠ જેટલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આ રીઢા ગુનેગારને પકડી પાડીને જૂનાગઢ પોલીસે ગુનાખોરીના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમારની સાથે એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા, વિક્રમભાઈ ચાવડા, ઇરફાનભાઈ રૂમી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અગેડ, રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરીને આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ
Middle East War: ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત નિપજ્યાના અહેવાલ છે. ઈરાનના અખબાર 'તહેરાન ટાઈમ્સ'એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઈમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આજથી મત ગણતરી શરૂ થઈ છે. ઇલેક્શનના દિવસે રાત્રે હોબાળા બાદ મતગણતરી ગઈકાલે શરૂ થઈ શકી નહોતી. જો કે ચૂંટણી અધિકારીની ફરિયાદ ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને શૉ કોઝ નોટિસ કાઢી છે. 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતાઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી આજથી શરૂ થઈ છે. CCTV અંતર્ગત બેલેટ બોક્સ ઓપન કરાઈ રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શાંતિપૂર્વક મતગણતરીની આશા વ્યક્ત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગ કરી હતી.
આગામી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમેદવારોની પસંદગી માટેની શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તમામ 13 વોર્ડના સંભવિત ઉમેદવારો માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, આ પ્રક્રિયા સવારથી રાત્રી સુધી ચાલશે, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવામાં આવી છે જેમાં મેં પોતે પ્રભારીને વિનંતી કરી છે કે તેઓ દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે સાંભળે અને આ પ્રક્રિયા દરમિયાન હું પોતે પણ હાજર રહીશ નહીં, જેથી દરેક દાવેદાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે, શહેર પ્રમુખે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરની જનતા વર્તમાન ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસનો 100 ટકા વિજય થશે તેવો માહોલ અત્યારથી જ જણાઈ રહ્યો છે. સવારથી જ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, વોર્ડ નંબર 1 થી 13 સુધીના તમામ ઉમેદવારો માટે સવારના 10 થી રાત્રિના 8:30 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે વોર્ડ વાઈઝ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ આ વખતે મનપાની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના આયોજનના ભાગરૂપે અમે દરેક વોર્ડમાંથી કોણ ઇલેક્શન લડવા માંગે છે, એવા મિત્રોને પર્સનલી મળવા માટેનો એક પ્રોસેસ અમે ચાલુ કર્યો છે,અમારી મહેનત અને કાર્યકર્તાનો ઉત્સાહ એવો છે કે કોર્પોરેશનની કોઈપણ સંજોગોમાં બહુમતી લાવવા માટેના અમારા પ્રયત્નો છે, મુદ્દા તો દરેક વોર્ડમાં જનરલી જુદા જુદા હશે, પણ જનરલ મુદ્દાઓ જે છે કે રોડ, પાણી, વીજળી, ગટર... આના તરફ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને 30 વર્ષથી શાસન છે એટલે જે અત્યારના શાસનકર્તાઓ જે છે ને, એને તો જાણે એમ છે કે અમે કઈ કરીએ કે ના કરીએ, પણ આવવાના તો અમે જ છીએ. એટલે લોકોની જે અવગણના થઈ છે ને, એ અવગણનાથી લોકો કંટાળ્યા છે અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે, વ્યૂહરચના તો અમે નહીં કહી શકીએ ટીવી ઉપર, પણ અમારા પ્રયાસ એ રહેવાના છે કે આ વખતે અમે 100 ટકા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને સફળતા મળે એવી... 'વ્યૂહરચના' શબ્દ હું નથી કહેતો પણ એવી અમારી કોશિશ અને અમારી મહેનત રહેશે.
પંચમહાલ SOG ટીમે 768 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવી છે. ગોધરા SOGને બાતમીદાર મારફતે મળેલી ચોક્કસ માહિતીના આધારે, ગોધરાના બામરોલી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની હોન્ડા એક્ટિવા બાઇક આવતા તેને રોકવામાં આવી હતી. બાઇકના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેશ રજનસિંહ બારીયા જણાવ્યું હતું. એક્ટિવાની ડેકીમાંથી એક પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરની થેલીમાં મુકેલી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ બારીયાએ જણાવ્યું કે તેણે આ વ્હેલ માછલીની ઉલ્ટી વડોદરાથી લાવી હતી. તે આ ઉંચી કિંમતની વસ્તુ વેચીને કમિશન મેળવવા ગ્રાહકની શોધમાં હતો. શંકાસ્પદ એમ્બરગ્રીસના પરીક્ષણ માટે FSL અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોધરાની ટીમે સ્થળ પર આવી તપાસ કરી હતી. ત્યારબાદ પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી આગામી ચૂંટણીમાં યુવા ચહેરાઓને વધુ તક આપવા તરફ આગળ વધી રહી છે. 60 વર્ષથી વધુ વયના નેતાઓની ટિકિટ પર સંકટભાજપના સૂત્રો મુજબ, ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ આપવાનો મુદ્દો ફરી વિચારવામાં આવશે અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને પણ ટિકિટ મળવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. આ નિર્ણય અમલમાં આવે તો અનેક અનુભવી કોર્પોરેટરોની રાજકીય ઇનિંગ્સ પર વિરામ લાગી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ એવા લગભગ 32 કોર્પોરેટરો છે, જેઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાઈ રહ્યા છે અથવા 60 વર્ષથી વધુ વયના છે, જેથી તેમની ટિકિટ પર સંકટ ઊભું થઈ શકે છે. નવા ચહેરાઓને તક મળવાની શક્યતાઅમદાવાદમાં નારણપુરા, રાણીપ, સરદારનગર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, શાહીબાગ, બાપુનગર અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં એવા ઘણા કાઉન્સિલરો છે જે ત્રણ ટર્મથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. જો ભાજપ આ માપદંડ કડક રીતે લાગુ કરે તો આ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતાબીજી તરફ કોંગ્રેસ પણ યુવાનો પર દાવ લગાવવાની તૈયારીમાં છે. પક્ષ દ્વારા સંગઠન અને કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ઉમેદવારી આપવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ કોઈ આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતા પણ ચર્ચામાં છે. શહેરની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી માટે દોડધામ તેજ થઈ છે. જો ભાજપ યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો નિર્ણય અમલમાં મૂકે તો આ ચૂંટણીમાં અનેક નવા ચહેરા જોવા મળી શકે છે અને શહેરની રાજનીતિમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે.
તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો
તારાપુર તાલુકાના રીંઝા ગામેથી ડિગ્રી વગરના એક નકલી ડોક્ટરને એસઓજી પોલીસ અને ખડા પીએચસીની મેડિકલ ટીમે ઝડપી પાડ્યો છે. આ શખ્સ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે તેની પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, તારાપુર તાલુકાના રીંઝા ગામના મહાદેવ ફળિયામાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હોવાની જાણ થઈ હતી. આ માહિતીના આધારે, પોલીસે ખડા પીએચસીની મેડિકલ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, એક વ્યક્તિ દર્દીઓને એલોપેથી સારવાર આપતો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ જણાવ્યું હતું, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની પાસે ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે સ્થળ પરથી દર્દીઓની તપાસ માટેના મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શનો સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવટી ડોક્ટર મિલટોન ઉર્ફે મિલન સાધુ વિરુદ્ધ ગુજરાત મેડિસિન એક્ટની સંબંધિત કલમો હેઠળ તારાપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. 8 માર્ચના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે ઉપસ્થિત મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. તેમણે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “એક પુરુષને ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ ત્યારે સમગ્ર કુટુંબ ભણે છે.” તેમણે સમાજના વિકાસ માટે મહિલા શિક્ષણની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. “એક સ્ત્રી બે કુળને તારે છે” એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ તથા તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત સંદીપ ગાયકવાડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સુલોચના પટેલ સહિત મહિલા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
નવસારીમાં માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો:પારો 41 ડિગ્રીને પાર, કેરીના પાકને 80% નુકસાનની ભીતિ
નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. પ્રથમ વખત તાપમાનનો પારો 41.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમીના કારણે 'ડબલ સીઝન'નો અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર ખેતી અને ખાસ કરીને કેરીના પાક પર જોવા મળી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ના હવામાન વિભાગના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગરમીની શરૂઆતમાં જ પારો 40 ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના લીધે માર્ગો પર નીરવ શાંતિ જોવા મળી હતી. હજી એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા અન્ય આંકડા મુજબ, સવારે ભેજનું પ્રમાણ 91% અને સાંજે 16% હતું, જ્યારે પવનની ગતિ ઉત્તર-પૂર્વ દિશામાંથી 3.2 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ પડેલા ઝાકળને કારણે આંબાના પાકમાં ફૂગનું નિર્માણ થયું હતું. હવે અચાનક તાપમાન 41 ડિગ્રી પર પહોંચતા કેરીના અપરિપક્વ અને પરિપક્વ બંને પ્રકારના ફળને નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, જો આ પ્રકારનું વિપરીત વાતાવરણ યથાવત રહેશે, તો આ વર્ષે માર્કેટમાં કેરીની આવક પર માઠી અસર પડશે. ગરમી અને રોગચાળાને કારણે અંદાજે 80 ટકા જેટલી કેરી ખરી પડવાની (ઠળવાવાની) સંભાવના છે, જેના કારણે બાગાયતદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
ભાવનગરમાં પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. રાજકોટ રીજનલ ઓફિસ મારફતે મળેલા ઇમેલના આધારે એસઓજી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ભાવનગર ડિવિઝનલ પોસ્ટ ઓફિસને બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યોઆ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરમાં ફરી એકવાર બૉમ્બ ધમકી મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. તા. 27 ફેબ્રુઆરીએ ભાવનગર પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ 11 દિવસ પછી ફરી આવી ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું હતું. આજરોજ સવારે 10 વાગ્યાને 10 મિનિટે રાજકોટ રીજનલ ઓફિસ દ્વારા ભાવનગર ડિવિઝનલ પોસ્ટ ઓફિસને ઇમેલ મળ્યો હતો, જેમાં બપોરે 1 વાગ્યાને 10 મિનિટે ભાવનગર પાસપોર્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસબનાવની જાણ થતાં જ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા એસઓજી, ગંગાજળિયા પોલીસ, ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી પોસ્ટ ઓફિસ આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાહનવ્યવહાર સાથે આજુબાજુની ઓફિસો તથા દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. ઓફિસમાંથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાસુરક્ષા પગલાં રૂપે ડિવિઝનલ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસમાંથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સમગ્ર પરિસરમાં ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ તેમજ અગાસી સહિત તમામ જગ્યાએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ નહિ મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.
ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવત રાખીને ગઈકાલે રાત્રિના સમયે એક જ પરિવારના 11 જેટલા સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીની સાસરીમાં જઈ તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ વર્ષ પહેલા થયેલા પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરાયોગાંધીનગરના મોટી આદરજ ગામમાં રહેતા વિરમજી કાકુજી ઠાકોરે નોંધાવેલી વિગતો મુજબ, તેમના મોટા દીકરા પરબતજીએ ત્રણ વર્ષ પહેલાં તેમના જ કુટુંબી ભાઈ મોબતજી કલાજી ઠાકોરની દીકરી અંજના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી કલોલ ખાતે રહેતું હતું.પરંતુ પાંચ દિવસ પહેલાં દીકરાની બાધા પૂરી કરવા માટે તેઓ વતન મોટી આદરજ આવ્યા હતા. આ વાતની જાણ થતા જ ઉશ્કેરાયેલા સાસરી પક્ષના લોકોએ રાત્રિના સમયે હુમલો કરી દીધો હતો. જ્યારે પરિવાર જમીને બેઠો હતો ત્યારે મોબતજી ઠાકોર અને તેમના સાથીદારો હાથમાં તલવાર, લાકડીઓ અને ધોકા લઈને વિરમજીના ઘરે પહોંચ્યા હતા. બાદમાં હુમલાખોરોએ અમારી દીકરી અંજનાને બહાર કાઢો, આજે તો તમને જાનથી મારી નાખવા છે તેવી ધમકીઓ આપી ગાળાગાળી શરૂ કરી હતી. જેના પગલે પરિવારે અંજનાને બચાવવા માટે રૂમમાં પૂરી દીધી હતી, પરંતુ હુમલાખોરોએ વિરમજી અને તેમના પત્ની, દીકરા અને વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ઓસરીમાં ખેંચી લાવી ઘાતકી હુમલો કર્યો હતો. એક જ પરિવારના પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, એક ગંભીરઆ હુમલામાં મોબતજીએ તલવારના ઘા ઝીંકતા વિરમજીના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમના દીકરા પરબતજીને માથામાં તલવાર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. તો 80 વર્ષીય કાકુજી ઠાકોરને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આટલેથી નહીં અટકેલા હુમલાખોરોએ અલ્ટો ગાડીના કાચ તોડી પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી કલાજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સહિત કુલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પોષણ જાગૃતિ વધારવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ‘પોષણ શક્તિ – ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ’ નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ બુકલેટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોને મળતા ‘ટેક હોમ રાશન’ તથા ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) નો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે સરળતાથી બનાવી શકાય તેવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ્ય કિશોરીઓ, બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવાનો અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આવી પહેલ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ‘શ્રી અન્ન’ અને ‘ટેક હોમ રાશન’નો યોગ્ય ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાથી કિશોરીઓ, બાળકો અને માતાઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો શક્ય બનશે. આ બુકલેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં જિલ્લાના આંગણવાડી કાર્યકરો દ્વારા સ્થાનિક સ્તરે બનાવાતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ ડિજિટલ બુકલેટ આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ માટે એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગી બનશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે તમામ આંગણવાડી કાર્યકરો, કર્મચારીઓ, લાભાર્થીઓ અને નાગરિકોને આ ડિજિટલ બુકલેટનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા વિનંતી કરી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી તેની માહિતી પહોંચી શકે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ જંગનો રોમાંચ માત્ર મેદાન પર જ નહીં, પણ પાટા પર દોડતી ટ્રેનોમાં પણ જોવા મળ્યો હતો. મુંબઈ અને પુણેથી અમદાવાદ પહોંચવા માટે ક્રિકેટ ચાહકોએ રેલવેને પ્રાધાન્ય આપતા પશ્ચિમ અને મધ્ય રેલવેની તિજોરી છલકાઈ ગઈ છે. માત્ર બે દિવસમાં દોડાવવામાં આવેલી 5 વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેનો દ્વારા રેલવેએ અંદાજે રૂપિયા 70 લાખની મબલખ આવક મેળવી છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં કુલ 5318 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં સુરતથી બોર્ડિંગ કરનારા 700 જેટલા ક્રિકેટ રસિકોનો પણ સમાવેશ થાય છે. રેલવે પ્રશાસન દ્વારા ફાઈનલ મેચના પ્રેક્ષકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ બાંદ્રા ટર્મિનસ, સીએસએમટી ટ્રેનોનું કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી બે અને બાંદ્રાથી એક ટ્રેન દોડાવી હતી, જેમાંથી રૂપિયા ૫૨.૭૪ લાખની આવક થઈ હતી. મધ્ય રેલવે દ્વારા CSMT અને પુણેથી વાયા સુરત થઈને દોડાવવામાં આવેલી બે ટ્રેનો દ્વારા રૂપિયા 16.78 લાખની આવક થઈ હતી. આમ, તમામ ટ્રેનો 100 ટકા ક્ષમતા સાથે એટલે કે 'હાઉસફુલ' દોડી હતી. આ સ્પેશિયલ ટ્રેનો ગત 7 અને 8 માર્ચના રોજ દોડાવવામાં આવી હતી. 8 માર્ચે ફાઈનલના દિવસે સવારે મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી ટ્રેનમાં સૌથી વધુ 1454 મુસાફરો નોંધાયા હતા. 7 માર્ચના રોજ વિવિધ સ્ટેશનોથી અમદાવાદ પહોંચવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. સુરત સ્ટેશન પણ આ કમાણીનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હતું, કારણ કે દક્ષિણ ગુજરાતના ક્રિકેટ ચાહકોએ આ ટ્રેનોમાં અગાઉથી જ બુકિંગ કરાવી લીધું હતું. સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી આ પાંચેય ટ્રેનોમાં સુરતીઓનો દબદબો જોવા મળ્યો હતો. સુરતથી અંદાજે 700 જેટલા મુસાફરો આ સ્પેશિયલ ટ્રેનોમાં સવાર થઈ અમદાવાદ મેચ જોવા પહોંચ્યા હતા. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટૂંકા ગાળાની નોટિસ પર ચલાવવામાં આવેલી આ ટ્રેનોને મુસાફરોની અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત માત્ર વેપાર જ નહીં, પણ કલા અને સંસ્કૃતિ માટે પણ જાણીતું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલું અને શહેરની શાન ગણાતું સંજીવકુમાર ઓડિટોરિયમ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ આધુનિક ઓડિટોરિયમના રિનોવેશન માટે 23.41 કરોડની સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઓડિટોરિયમ 2014મા 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, હવે 23.41 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે. શા માટે રિનોવેશનની જરૂર પડી?છેલ્લા કેટલાક સમયથી આ ભવનની હાલત ચિંતાજનક બની હતી. પાલિકાના સત્તાવાર દસ્તાવેજો મુજબ, 17 નવેમ્બર, 2024ના રોજ પ્રેક્ષાગૃહના પાછળના ભાગની ફોલ્સ સીલિંગ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ 10 માર્ચ, 2025ના રોજ સ્ટેજ પાસે છતની ગ્લાસવૂલની સીટો પણ નીચે પડી હતી. આ ઉપરાંત, ટેરેસ પરના પતરામાં કાણાં પડી જવાથી ચોમાસા દરમિયાન પાણીનું લીકેજ થતું હતું, જેના કારણે સીલિંગ અને ફર્નિચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કન્સલ્ટન્ટ શ્રી વી-ક્રિએટ દ્વારા આખું ઓડિટોરિયમ નવેસરથી તૈયાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સિવિલ વર્ક માટે સૌથી વધુ 7.09 કરોડનો ખર્ચ કરાશેનવી દરખાસ્ત મુજબના ખર્ચની વિગતો જોઈએ તો, સૌથી વધુ રકમ સિવિલ વર્ક માટે 7.09 કરોડ ફાળવવામાં આવી છે, જ્યારે ઇન્ટિરિયર વર્ક માટે 5.07 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. પ્રેક્ષકોની સુવિધા માટે નવી ખુરશી નાખવા પાછળ 83.80 લાખ અને સમગ્ર ભવનને ઠંડુ રાખતી એચવીએસી (એસી) સિસ્ટમ પાછળ 1.33 કરોડ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત, સ્ટેજ લાઈટિંગ માટે 86.69 લાખ, સ્ટેજ ડ્રેપરી માટે 46.90 લાખ અને અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ માટે 37.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 22.59 લાખની નવી ફાયર સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ કામો માટે 77.88 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 2014ના મોદી હસ્તે કરાયું હતુંસુરતના વતની અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સ્વ. સંજીવકુમારની યાદમાં બનેલા આ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભવન લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આશરે 20 કરોડના ખર્ચે નિર્મિત આ ઓડિટોરિયમ તે સમયે દક્ષિણ ગુજરાતના સૌથી આધુનિક નાટ્યગૃહોમાંનું એક હતું. સંજીવ કુમાર ઓડિટોરિયમ 20 કરોડના ખર્ચે તૈયાર થયું હતું અને હવે 11 વર્ષ બાદ 23.41 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવશે. રિનોવેશનમાં અનેક સુવિધાનો વધારો કરવામાં આવશે અને અધતન સુવિધાનો લાભ લોકો લઈ શકશે.
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાન હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે યોજાયેલું અંતિમ અને ખાસ જનરલ બોર્ડ ધારણા મુજબ જ અત્યંત તોફાની રહ્યું હતું. 11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓની મુદત પૂરી થઈ રહી હોવાથી ઉતાવળે બોલાવવામાં આવેલા આ ખાસ બોર્ડમાં વિરોધપક્ષે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને નિયમ વિરુદ્ધ કામગીરીના ગંભીર આક્ષેપો સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં ફ્લાવર બેડના નામે થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેના દંડની કરોડો રૂપિયાની રકમમાં હપ્તા કરી આપવાની દરખાસ્ત અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામોના મુદ્દે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ 'મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ' લખેલા બેનરો દર્શાવી આક્રમક દેખાવો કર્યા હતા. ફ્લાવર બેડ દંડમાં હપ્તા પદ્ધતિનો વિવાદ અને બિલ્ડરોને મોટી રાહતરાજકોટમાં બિલ્ડરો માટે આજે બોર્ડમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સત્તા મંડળ અને કેબિનેટના ખાસ કિસ્સામાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા નવી હપ્તા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે બિલ્ડરોએ કરોડો રૂપિયાનો દંડ એકસાથે ભરવો પડતો હતો, જે ભરવામાં અનેક બિલ્ડરો પાછીપાની કરી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં બિલ્ડરોને આર્થિક રાહત આપવા માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હપ્તા પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ બિલ્ડરે 50 લાખ સુધીનો BU (બી.યુ.) ચાર્જ ભરવાનો હોય, તો તેઓ ચેક દ્વારા સીધી ચુકવણી કરી શકશે. પરંતુ, જો દંડ કે ચાર્જની રકમ 50 લાખ થી વધુ થતી હોય તેવા કિસ્સામાં, બિલ્ડરોને 1 વર્ષના સમયગાળામાં ત્રણ-ત્રણ મહિનાના અંતરે કુલ 4 સરખા હપ્તામાં નાણાં ભરવાની છૂટ આપવામાં આવશે. કમિશનરના ઈન્કાર બાદ પદાધિકારીઓ વિશેષાધિકારનો ઉપયોગ કરી દરખાસ્ત લાવ્યાનોંધનીય છે કે મનપા કમિશનર તુષાર સુમેરાએ આ પ્રકારની દરખાસ્ત કરવાનો અગાઉ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હોવા છતાં, પદાધિકારીઓએ તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ મામલે અર્જન્ટ દરખાસ્ત લાવી તેને બહાલી આપી દીધી હતી. આ નિર્ણયથી બિલ્ડરોને 5 કે 10 કરોડ જેવી મસમોટી રકમ ચૂકવવામાં મોટી સુવિધા મળશે. જેને લઈને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ મામલે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. અને શાસકોએ જીપીએમસી એક્ટનાં નિયમોનું ઉલ્લંઘન કરી બિલ્ડરોને લાભ અપાવવા અરજન્ટ દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. વિપક્ષના ગંભીર આક્ષેપો: GPMC એક્ટના ઉલ્લંઘનનો દાવોવિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા આજે પૂરી તૈયારી સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. તેઓ જીપીએમસી (GPMC) એક્ટની બુક સાથે રાખીને સત્તાધારી પક્ષ પર તૂટી પડ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદાના નિયમો મુજબ ખાસ બોલાવવામાં આવેલા બોર્ડમાં આવી કોઈપણ અર્જન્ટ દરખાસ્તો લાવી શકાય નહીં. સાગઠીયાએ મેયરને ઉદ્દેશીને પત્ર પાઠવ્યો હતો અને બોર્ડમાં પણ ચેતવણી આપી હતી કે, જો નિયમ વિરુદ્ધ જઈને દરખાસ્ત પસાર કરવામાં આવશે, તો તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે અને મેયરે કોર્ટમાં જવાબ આપવો પડશે. સાગઠીયાએ માત્ર કાયદાકીય જ નહીં પણ વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા હતા. તેમણે વોર્ડ નંબર 8 માં પંચવટી સોસાયટી શેરી નં-2 માં બગીચાની નજીક સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્જિનની જગ્યા રાખ્યા વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મેં પોતે સ્થળ પર જઈ તપાસ કરી ત્યારે ત્યાંના મજૂરોએ સ્વીકાર્યું હતું કે આ મકાન જયમીન ઠાકરનું છે. જો તેઓ આ મકાન તેમના બહેનનું હોવાનું કહીને બચાવ કરતા હોય, તો શું તેમના બહેનને પણ નિયમો નેવે મૂકી ગેરકાયદે બાંધકામ કરવાની છૂટ છે? આ અંગે સાગઠિયાએ લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. વિપક્ષના આ આક્ષેપોને પગલે બોર્ડમાં ભારે ચકમક ઝરી હતી. સ્ટેન્ડિંગ ચેરમેનનો વળતો પ્રહાર અને સફાઈપોતાના પર લાગેલા ગેરકાયદે બાંધકામના આરોપો અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અત્યંત આત્મવિશ્વાસ સાથે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા પત્નીના નામે પ્લોટ છે જે સંપૂર્ણપણે કાયદેસરનો છે. હું વ્યવસાયે બિલ્ડર છું અને બાંધકામ ક્ષેત્રના તમામ નિયમોથી સંપૂર્ણ વાકેફ છું. મેં 1 ફૂટનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું નથી. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવા ટાઉન પ્લાનિંગ એક્ટના GDCR મુજબ પૂરતું માર્જિન છોડવામાં આવ્યું છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. ઠાકરે પડકાર ફેંકતા કહ્યું કે તેઓ એક જવાબદાર ટેક્સપેયર છે અને જાહેરમાં પોતાના ટેક્સના આંકડા અને તમામ પુરાવાઓ રજૂ કરવા તૈયાર છે. તેમણે વિપક્ષના વિરોધને 'અભ્યાસ વિનાનો' ગણાવ્યો હતો. માત્ર 10 મિનિટમાં 14 દરખાસ્તો મંજૂર કરી બોર્ડની કામગીરી પૂર્ણ જાહેર કરાઈભારે હોબાળો, નારેબાજી અને બેનરો વચ્ચે પણ સત્તાધારી પક્ષે પોતાની વ્યૂહરચના મુજબ કામગીરી ચાલુ રાખી હતી. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં એજન્ડા પરની 12 દરખાસ્તો અને અન્ય 2 અર્જન્ટ દરખાસ્તો મળી કુલ 14 કામોને બહુમતીથી મંજૂરી આપી દેવામાં આવી હતી. આજના બોર્ડમાં લેવાયેલા મહત્વના નિર્ણયો: * નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ: વર્ષ 1998 થી ચાલતા આ મેદાનના વિવાદમાં હવે પૂર્ણવિરામ મુકાયું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને, આ મેદાન પ્લેગ્રાઉન્ડના હેતુ માટે જ રહેશે અને ત્યાં કોઈ બાંધકામ કરી શકાશે નહીં તેવી શરતે સ્કૂલના બાળકોને રમવા માટે સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. * ધાર્મિક અને સામાજિક હેતુ માટે ગ્રાઉન્ડ ફાળવણી: બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયને મહોત્સવ માટે કાલાવડ રોડ પર આવેલું રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથોસાથ રાજકોટ જૈન સમાજને નાત જમણ માટે પણ રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આચારસંહિતા પૂર્વે આ કામો કરવા જરૂરી હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું. * પ્લોટ વેચાણ અને દસ્તાવેજ: અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા રૂ. 106 કરોડમાં વેચવામાં આવેલા પ્લોટના દસ્તાવેજ કરવાની મંજૂરી અપાઈ હતી. બોર્ડની મંજૂરી વિના આટલી મોટી રકમનો દસ્તાવેજ થઈ શકે તેમ નહોતો. * કર્મચારી હિતના નિર્ણયો: ભાજપના જ નગરસેવક નેહલ શુક્લએ કર્મચારીઓના હિતમાં રજૂઆત કરી હતી. આશરે 70 જેટલા કર્મચારીઓને 'નોશનલ પગાર'નો લાભ આપવાની દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી તેમને નિવૃત્તિ સમયે આર્થિક નુકસાન ન થાય. આ રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. * જમીન માલિકી અંગે સ્પષ્ટતા: નેહલ શુક્લએ અન્ય એક પ્લોટ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે જે જમીનની માલિકી કોર્પોરેશનને બદલે રૂડા (RUDA) હસ્તક હોવાનું માલૂમ પડ્યું છે. આ મામલે કમિશનરને કાયદાકીય માર્ગદર્શન મેળવી આગળ વધવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાના આ ખાસ બોર્ડમાં વિપક્ષની રજૂઆતોને સદંતર અવગણીને શાસક પક્ષે તમામ 14 દરખાસ્તોને ગણતરીની મિનિટોમાં મંજૂર કરી દીધી હતી. ટર્મ પૂર્ણ થતી હોવાથી આચારસંહિતાની અસર પડે નહીં તે માટે પદાધિકારીઓએ ઉતાવળ કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ અંતે ફરી એકવાર આક્ષેપ કર્યો હતો કે શાસકો બિલ્ડરોના હિતમાં નિયમો તોડી રહ્યા છે. બીજી તરફ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આ તમામ નિર્ણયોને શહેરના વિકાસ અને લોકહિતના ગણાવ્યા હતા. બોર્ડ પૂર્ણ થતાની સાથે જ મનપામાં હવે ચૂંટણીનો માહોલ અને વહીવટી શાસન તરફની તૈયારીઓ જોવા મળી રહી છે.
હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સંમેલન:વિવિધ ક્ષેત્રની 26 મહિલાનું સન્માન કરાયું
હિંમતનગરમાં ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું. સાબરકાંઠા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ' થીમ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં વિવિધ વિભાગની 26 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચો, વિવિધ સખી મંડળની સભ્યો, આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર બહેનો અને ICDS વિભાગમાં સારી સેવા આપનાર મહિલાઓનો સમાવેશ થાય છે. કુલ છ વિભાગમાંથી 26 બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજનાના કુલ છ લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદું, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને પોલીસ હેડક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, આ મહિલા સંમેલનમાં કેટલીક મહિલાઓનું સન્માન ન કરાયું હોવાના અને વિતરણ કરાયેલા ફૂડ પેકેટની ગુણવત્તા યોગ્ય ન હોવા અંગેના મુદ્દે યોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 અને 11 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય ટેકનિકલ ફેસ્ટિવલ “TECHTONIC 2K26”નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજોના 1300 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં આચાર્ય ડો. પ્રદીપ લોઢા, વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા (HOD-EC), ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાય.બી. ચૌહાણ સહિત ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષના ફેસ્ટિવલની થીમ “Build Together with AI” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારોનું આદાનપ્રદાન કરવા અને ટીમવર્ક દ્વારા નવીન અનુભવ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી, હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બે દિવસીય ફેસ્ટિવલ દરમિયાન AI આધારિત પ્રોજેક્ટ એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા, રોબોટિક્સ અને ઓટોમેશન ઇવેન્ટ્સ, ટેકનિકલ ક્વિઝ, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન તેમજ ઇનોવેશન ચેલેન્જ જેવી વિવિધ ટેકનિકલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કોલેજની બે વિદ્યાર્થીનીઓ કેજલ પટેલ અને કીર્તિ શુક્લાએ પ્રો. વિશાલ દોશી (ઇન્ટરનલ ગાઇડ) અને સ્નેહલ પટેલ (એક્સટર્નલ ગાઇડ)ના માર્ગદર્શન હેઠળ ‘હાઇબ્રિડ VTOL UAV’ નામનું અદ્યતન ડ્રોન તૈયાર કર્યું છે. સંરક્ષણ અને સર્વેલન્સ ક્ષેત્રે ઉપયોગી બની શકે તેવા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ રૂ. 2.50 લાખનું ફંડિંગ પણ મળ્યું છે. આ UAV હાઇબ્રિડ પાવર સિસ્ટમથી કાર્ય કરે છે, જેમાં બેટરી અને ફ્યુઅલ બંનેનો ઉપયોગ થાય છે. લગભગ 25 કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિમી ઊંચાઈ સુધી ઉડી શકે છે અને 30 કિમી વિસ્તાર સુધી મોનિટરિંગ કરી શકે છે. VTOL ટેકનોલોજીને કારણે તેને ઉડાન કે લેન્ડિંગ માટે રનવેની જરૂર પડતી નથી. આ ડ્રોનનો ઉપયોગ સરહદી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા માટે સર્વેલન્સ, વન્યજીવન મોનિટરિંગ તથા ઊંચી પાવર લાઇનોના ઇન્સ્પેક્શન માટે થઈ શકે છે. આ ઉપરાંત કેમિકલ ઇજનેરી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “Aqua Predict” પ્રોજેક્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તરીકે વિકસિત આ પ્રોજેક્ટ દૂષિત પાણીની ઓળખ કરી IoT દ્વારા રીઅલ ટાઇમ માહિતી પ્રદાન કરે છે. પ્રોફેસર એ.એન.વાઘેલા અને ડો.નૈના તાહિલરમાનીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ SSIP પ્રોજેક્ટને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પટના ખાતે યોજાનાર “IIChE- Chemathon-2026” ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી મળી છે. આ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ દ્વારા આયોજિત “TECHTONIC 2K26” ફેસ્ટિવલ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી,ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ સાથે જોડાઈને સમાજમુખી તથા પર્યાવરણલક્ષી સમસ્યાઓના ઉકેલ શોધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
પાટણમાં સર્વાઇકલ કેન્સર સામે HPV રસીકરણ ઝુંબેશ શરૂ:14-15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક રસી અપાશે
ભારત સરકાર અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ, ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ને નાબૂદ કરવાના હેતુથી દેશભરમાં HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન આગામી ત્રણ મહિના, એટલે કે માર્ચ, એપ્રિલ અને મે, સુધી સતત ચાલશે. ત્યારબાદ, દર બુધવારે મમતા દિવસ (રૂટિન રસીકરણ) દરમિયાન આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે. આ રસી WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રમાણિત સિંગલ ડોઝ અને ક્વાડ્રિવેલેન્ટ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે. જે દીકરીઓનો જન્મ 01-01-2011 થી 29-02-2012 ની વચ્ચે થયો હોય (અંદાજે 14 થી 15 વર્ષની વયજૂથ) તેઓ આ રસી મેળવવા પાત્ર છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે અને આ રસી દીકરીઓ માટે સુરક્ષા કવચ સમાન છે. પાટણ શહેરના રહીશો સિવિલ હોસ્પિટલ, બગવાડા દરવાજા ખાતે આ સેવાનો લાભ મેળવી શકે છે. આ લોન્ચિંગ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, CDMO ડૉ. પ્રીતિબેન સોની, સિવિલ હોસ્પિટલના AHA ડૉ. હિમાંશુ દવે સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
ગલ્ફ યુદ્ધના કારણે નિકાસમાં લાગેલા ફટકા વચ્ચે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે 'કોઢમાં ખાજ' જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઓર્ડર અને પેમેન્ટ અટવાયા છે, તો બીજી તરફ રાજ્ય સરકારની વિવિધ સ્કીમો હેઠળની 22,400 જેટલી ફાઈલો અને ક્લેમ્સ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ફાઈલો ક્લિયર ન થતા ઉદ્યોગકારોના રૂ. 4,000 કરોડ સરકાર પાસે જમા પડ્યા છે. SGCCI દ્વારા આ આંકડાકીય માયાજાળ સામે લાલબત્તી ધરીને તાત્કાલિક પેમેન્ટ રીલીઝ કરવાની માગ કરવામાં આવી છે. એક્સપોર્ટ સાયકલ ખોરવાતા લિક્વિડિટી ક્રંચગલ્ફમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે રેડ-સી (લાલ સમુદ્ર) મારફતે થતો વેપાર ઠપ્પ થયો છે. સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ સેક્ટરના સેંકડો કન્ટેનરો અત્યારે મધદરિયે અટવાયેલા છે. SGCCI પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, માલ અટકવાથી પેમેન્ટ સાયકલ પૂરી થતી નથી. ઉદ્યોગકારો પાસે રોકડની ભારે તંગી છે, જેના કારણે ઉત્પાદન અને કામદારોના પગાર પર સીધી અસર પડી રહી છે. 4000 કરોડની સબસિડી રિલિઝ કરવાની પ્રબળ માગજ્યારે આર્થિક મંદીનો માહોલ હોય ત્યારે સરકારની સબસીડી ઉદ્યોગો માટે 'બૂસ્ટર ડોઝ' સાબિત થતી હોય છે. જોકે, દક્ષિણ ગુજરાતના કિસ્સામાં ઉલટું થઈ રહ્યું છે. અલગ-અલગ ત્રણ મુખ્ય પોલિસીઓ હેઠળ ઉદ્યોગકારોના હક્કના કરોડો રૂપિયા સરકારી ફાઈલોમાં કેદ છે. જો 31 માર્ચ પહેલા આ નાણાં છૂટા કરવામાં આવે, તો જ ઉદ્યોગો આ કપરા કાળમાં ટકી શકશે. નવી નીતિમાં શરૂઆતથી જ 5,400 ફાઈલો પેન્ડિંગસરકારે હજુ હમણાં જ જાહેર કરેલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ધીમી ગતિને કારણે અંદાજે 5,400 જેટલી ફાઈલો અત્યારે સેન્ક્શન થવાની રાહ જોઈ રહી છે. આના કારણે દક્ષિણ ગુજરાતના 1,500 જેટલા યુનિટ્સ આર્થિક ભીંસમાં મુકાયા છે. આ સેક્ટરમાં અંદાજે રૂ. 1,000 કરોડની સબસિડી અટવાયેલી છે. MSME આત્મનિર્ભર પોલિસી 2022: 6,000 ફાઈલો પ્રોસેસિંગના ફાંસામાંનાના ઉદ્યોગો જે સુરતની આર્થિક શક્તિ છે, તેમને પ્રોત્સાહન આપવા માટેની આત્મનિર્ભર પોલિસીની સ્થિતિ વધુ દયનીય છે. ડેટા મુજબ, અત્યારે અંદાજે 6,000 જેટલી ફાઈલો પ્રોસેસિંગમાં પેન્ડિંગ છે.આ સેક્ટરના અંદાજે રૂ. 1,400 કરોડ સબસિડી પેટે બાકી છે.જો આ રકમ સમયસર નહીં મળે તો અનેક નાના એકમો કાયમ માટે બંધ થઈ શકે તેવી ભીતિ છે. 2019ના નાણાં પણ હજુ અદ્ધરતાલટેક્સટાઇલ પોલિસી 2019 જેનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેના લેણાં પણ હજુ પતાવવામાં આવ્યા નથી. આ પોલિસીની 3,000 ફાઈલો હજુ સેન્ક્શન થઈ નથી. આ ઉપરાંત 8,000 જેટલા સબસિડી ક્લેમ્સ હજુ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. આ જૂના હિસાબોની કુલ રકમ રૂ. 1,500 કરોડ જેટલી થવા જાય છે. નિયમોમાં થોડી ઉદારતા દાખવો, પ્રક્રિયા ફાસ્ટ-ટ્રેક કરોઃ SGCCIનિખિલ મદ્રાસીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારી પ્રક્રિયા તેની રીતે ચાલી રહી છે, પણ વર્તમાન યુદ્ધની સ્થિતિ અસાધારણ છે. જો સરકાર થોડી ઉદારતા દાખવીને ફાઈલોના નિકાલમાં ગતિ લાવશે, તો લિક્વિડિટીની કટોકટી હળવી થશે. ચેમ્બરે માગ કરી છે કે, ટેકનિકલ કારણોસર ફાઈલો અટકાવવાને બદલે તેને સુધારીને વહેલી તકે પેમેન્ટ કરવામાં આવે. હર્ષ સંઘવી-કનુ દેસાઈને રજૂઆત, ઉદ્યોગકારો ગાંધીનગર દોડશેઆ આંકડાકીય ડેટા સાથે SGCCIએ રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈને વિગતવાર પત્ર લખ્યો છે. ઉદ્યોગકારોની એક જ માગ છે કે, માર્ચ એન્ડિંગ પહેલા આ કરોડો રૂપિયા રિલિઝ કરવામાં આવે. જો જરૂર પડશે તો ચેમ્બરનું પ્રતિનિધિમંડળ રૂબરૂ મળીને પણ આ ગંભીર સ્થિતિ અંગે વાકેફ કરશે.
અમરેલીમાં ગુનેગાર સામે PASA હેઠળ કાર્યવાહી:LCBએ 20 વર્ષીય આરોપીને પાલનપુર જેલમાં મોકલ્યો
અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 20 વર્ષીય આરોપી રામકુ કાળુભાઈ વાઘેલા સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી LCB દ્વારા તેને ઝડપી પાડી પાલનપુર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કડક પગલાં લેવાયા છે. LCB દ્વારા રામકુ વાઘેલા સામે PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે PASA વોરંટ ઇસ્યુ કર્યા બાદ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રામકુ કાળુભાઈ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની સામે વડીયા, સાવરકુંડલા ટાઉન, જામજોધપુર અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. આ સમગ્ર કાર્યવાહી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટીમમાં રમેશભાઈ સીસારા, દયાબેન જસાણી, ધ્રુવિનાબેન સુરાણી અને રીનાબેન ધોળકીયાનો સમાવેશ થાય છે.
ભરૂચ પાસેના ઉમરવા ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર, અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તનભક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સત્સંગમાં દ્રઢતા લાવવા પ્રેરક પ્રવચનો આપ્યા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જો માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, વાક્યમાં પૂર્ણવિરામ ન આવે તો તે વાક્ય અધૂરું લાગે છે. તેવી જ રીતે, રેલવેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ન આવે તો તે મુસાફરી સુખદાયી બનતી નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે, જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું. ધન, આયુષ્ય, સ્ત્રી અને ભોજન આ ચાર બાબતોમાં અત્યાર સુધી કોઈને તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. તેથી, સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ માનવું જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે જ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, જેટલો સત્સંગ કરીએ તેટલું વધુ સુખી થવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં કહે છે કે, ભક્તિ અને સત્સંગ કર્યા વગર ગમે તેવો મોટો હોય તોપણ તેને દુઃખ મટતાં નથી. આથી, નિત્ય નામસ્મરણ, પ્રાર્થના, સદ્ગ્રંથોનું પઠન અને સંતોનો સમાગમ કરવો અત્યંત જરૂરી છે.
સુરત શહેરના વિવિધ સરકારી અને સુરક્ષા વિભાગો વચ્ચે એકતા, પરસ્પર સહયોગ અને ખેલદિલીની ભાવના કેળવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) સુરત એરપોર્ટ દ્વારા “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝન-2”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. CP અનુપમસિંહ ગહલૌતના હસ્તે ઉદ્ઘાટનઆ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી રમતગમતની પ્રવૃત્તિઓથી સુરતની વિવિધ એજન્સીઓ વચ્ચે આંતર-વિભાગીય સંકલન વધે છે. સાથે જ તેમણે વ્યસ્ત કામગીરી વચ્ચે રમતગમત દ્વારા સ્વાસ્થ્ય જાળવવાના CISFના આ પ્રયાસની મુક્ત કંઠે સરાહના કરી હતી. 16 ટીમો વચ્ચે 20 દિવસનો મુકાબલોઆ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સુરતની નામાંકિત 16 ટીમો મેદાનમાં ઉતરી છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી, એરપોર્ટ ઓથોરિટી, કસ્ટમ્સ, GST, ટ્રાફિક પોલીસ, ONGC, કવાસ CISF યુનિટ, ક્રિભકો, બેંકિંગ સેક્ટર અને વિવિધ એરલાઇન્સની ટીમોનો સમાવેશ થાય છે. તારીખ 10 થી 30 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. એકતા અને શારીરિક તંદુરસ્તીનો સંદેશટુર્નામેન્ટના પ્રથમ દિવસે ખેલાડીઓમાં અદભૂત જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ મેચ સવારે 08:30 કલાકે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે ટીમ ભાવના અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો છે. આગામી 20 દિવસ સુધી ચાલનારી આ લીગ મેચો સુરતની સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંબંધો અને એકતાનું પ્રતીક બની રહેશે.
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને આજે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આજે તારીખ 10-03-2026 ના રોજ સવારે 10:37 કલાકે આ ધમકીભર્યો મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એબી ગોહિલના નેતૃત્વમાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધમકી આપનાર શખ્સે મેઈલમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે બપોરે 1:10 કલાકે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સમયની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ,SOG ,લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી. પોસ્ટ ઓફિસમાં હાજર કર્મચારીઓ અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી આખા પરિસરમાં આશરે એક કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસના અંતે કોઈ પણ વાંધાજનક કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક 'હોક્સ કોલ' (ખોટી ધમકી) સાબિત થયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા પોલીસ અને પોસ્ટ વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે બપોરે 2:00 વાગ્યાથી પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ અને પાસપોર્ટ કેન્દ્રોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ કિસ્સામાં પણ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસે નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પોલીસ અને ફાયર ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી
ગુજરાતમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી બાદ મોરબી પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. જોકે, ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ધમકીભર્યો ઇ-મેઇલ આજે સવારે આઠ વાગ્યાની આસપાસ 'એલ એક્સ પોલ મેનન' નામના ઇમેલ આઇડી પરથી પોસ્ટ વિભાગના અધિકારીને મળ્યો હતો. ઇ-મેઇલમાં બપોરના એક વાગ્યે બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફ સહિતના લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક એલસીબી, એસઓજીની ટીમો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમોએ ઇ-મેઇલને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની અંદર બોમ્બ છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
પાટણ જિલ્લા પંચાયતનું ₹1537 કરોડનું બજેટ રજૂ:શિક્ષણ-આરોગ્યમાં જોગવાઈઓ, વિરોધ પક્ષે ભ્રામક ગણાવ્યું
પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27ના નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને સમાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તેમના કાર્યકાળનું આ સતત ત્રીજું અંદાજપત્ર છે. ભૌગોલિક પ્રતિકૂળતા અને મર્યાદિત આવક વચ્ચે પણ આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, વિરોધ પક્ષે આ બજેટને વાસ્તવિકતાથી દૂર અને ભ્રામક ગણાવી તેની ટીકા કરી છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે આ બજેટ સામે વાંધો ઉઠાવતા તેને 'ઝાંઝવાના નીર' સમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ બજેટ માત્ર આંકડાની માયાજાળ છે અને સામાન્ય જનતા માટે ભ્રામક છે. બજેટના મુખ્ય આંકડાકીય પાસાંવર્ષ 2026-27ના અંદાજપત્રમાં સ્વભંડોળ અને સરકારી પ્રવૃત્તિઓ માટે રકમનું આયોજન: સ્વભંડોળ સદર: 14.58 કરોડની આવક સામે 13.35 કરોડના ખર્ચનું આયોજન. કુલ અંદાજ (સરકારી પ્રવૃત્તિઓ સહિત): 1,538 કરોડની આવક સામે 1,537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વની જોગવાઈઓ બજેટમાં શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપવા આયોજન કરવામાં આવ્યા છે: સ્માર્ટ ક્લાસ: પ્રાથમિક શાળાના બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા 233 લાખની જોગવાઈ. ડાયાબિટીસ સહાય: એક નવી માનવીય પહેલ હેઠળ ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા જિલ્લાના 123 બાળકો માટે 12.92 લાખ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત બાળકોને ગ્લુકોમીટર, ઈન્સ્યુલિન પેન, ઈન્સ્યુલિન રીફિલ અને સારવાર કીટ આપવામાં આવશે. સામાજિક ન્યાય અને ટેકનોલોજી પર ભાર સામાજિક વિકાસ: અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે 'સામાજિક ન્યાય નિધિ ફંડ'માં 50.00 લાખની ફાળવણી. પશુપાલન: પશુ પ્રદર્શન, બ્રીડ શો અને શ્રેષ્ઠ પશુપાલક ઇનામ વિતરણ જેવી પ્રવૃત્તિઓ માટે 2.00 લાખની જોગવાઈ. ડિજિટલ પહેલ: નાગરિકોની સુવિધા માટે 9.00 લાખના ખર્ચે 'જન સુવિધા કેન્દ્ર' અને 5.00 લાખના ખર્ચે સરકારી યોજનાઓની માહિતી આપતા 'કીઓસ્ક ડેશબોર્ડ' સ્થાપવામાં આવશે.
મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે. કટોસણમાં 6 માર્ચે લોકડાયરો યોજાયો હતોકટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગામ લોકો દ્વારા સાંથલ PI એમ.એમ.વરચંદને આમંત્રણ અપાતા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા હતા. મહેસાણા SPએ PIને સસ્પેન્ડ કર્યાઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને 9 તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલે ભાસ્કરે મહેસાણા એસપીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, થઈ શક્યો ન હતો.
પંચમહાલમાં મહિલા સંમેલન યોજાયું:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિનું સન્માન
પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મહિલાઓ અને બાળકીઓના અધિકાર, ન્યાય અને સક્રિયતા પર કેન્દ્રિત હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ પર ભાર મૂકવાનો હતો. પંચમહાલ જિલ્લાના મહિલા અને બાળ અધિકારી માધવી ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નિર્ધારિત થીમ સાથે આયોજન કરાયું હતું. સંમેલન દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું હતું અને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય મંજૂરીના પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. માધવી ચૌહાણે પોતાની સ્પીચમાં ઉમેર્યું હતું કે, આ દિવસ માત્ર અભિનંદન આપવાનો નથી, પરંતુ સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો અને તેમને વધાવવાનો છે. તેમણે જિલ્લાની તમામ મહિલાઓને આ પ્રસંગે ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત ATS દ્વારા સુરતના ત્રણ યુવાનોની ધરપકડ સાથે એક આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ યુવકો એનેસ્થેસીયામાં વપરાતા 'એટોમીડેટ' નામના કેમિકલને એલોવેરા પાવડર અને અન્ય નામો હેઠળ વિદેશોમાં તસ્કરી કરતા હતાં. ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સાબિત થયું છે કે આ નેટવર્ક મલેશિયા અને થાઈલેન્ડના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. આરોપીઓ મુંબઈ એરપોર્ટના એર-કાર્ગો મારફતે પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતા હતાં. બે કંપની ને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતોકતારગામ વિસ્તારના રહેવાસી નિકુંજ હરેશભાઈ ગઢીયાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે 'DWN બાયોસાયન્સ' અને 'ન્યુટ્રલ ફાર્મા' જેવી કંપનીઓ બનાવી હતી. ઇન્ડિયા માર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી તે મલેશિયાના ગ્રાહકોના સંપર્કમાં આવ્યો હતો. આરોપી એટોમીડેટ પાવડરને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો હતો. તેણે સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં તેણે આશરે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર આ રીતે વિદેશ મોકલ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં થાય છે. ચેટમાં ખુલાસો, 4 કિલોના પાર્સલનું ટ્રેકિંગ નેટવર્કનિકુંજ ગઢીયાના CMF by Nothing મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ 'TH ETM' નામથી સેવ થયેલા મલેશિયાના નંબર પર 4 કિલોના બોક્સનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ સાથે ટ્રેકિંગ નંબર 37301788425 પણ શેર કરાયો હતો. આ ચેટમાં 'Mr. Chua' નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જે મલેશિયાના નાર્કો કાર્ટેલનો સભ્ય હોવાનું મનાય છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર માલ મોકલતા નહોતા, પરંતુ તેની ડિલિવરી સુધી સતત મોનિટરિંગ કરતા હતા. કસ્ટમની આંખમાં ઘૂળ નાખીને એલોવેરા પાવડરના નામે ડ્રગ ફેરાફેરીનિકુંજ ગઢીયાની બીજી એક ચેટમાં જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ વિદેશી વ્યક્તિએ પૂછ્યું હતું કે, તમે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે કયા નામનો ઉપયોગ કરશો? સામે નિકુંજે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે 'એલોવેરા પાવડર' નામનો ઉપયોગ કરશે. આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે તે રેગ્યુલરલી એલોવેરા અથવા કાર્બોમર પાવડરના નામે જ આ પ્રતિબંધિત ડ્રગ મોકલે છે. આ રીતે તે એરપોર્ટ પર રહેલી સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સના અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હતો. શ્રીલંકા અને મલેશિયામાં એક્સપોર્ટની ચેટમાં ખુલાસોફેબ્રુઆરી 2026ની એક ચેટમાં નિકુંજને પૂછવામાં આવ્યું હતું કે શું તે મલેશિયા અને શ્રીલંકામાં પણ એટોમીડેટ મોકલી શકશે? નિકુંજે આત્મવિશ્વાસ સાથે 'હા' પાડી હતી. જ્યારે સામી વ્યક્તિએ પૂછ્યું કે પાર્સલ પર શું નામ લખશો, ત્યારે નિકુંજે જણાવ્યું કે, અમારી એક્સપોર્ટ ટીમ નક્કી કરશે. આ ચેટ સાબિત કરે છે કે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખી ટીમ બેકએન્ડમાં કામ કરી રહી હતી, જે ડોક્યુમેન્ટ્સ અને લેબલિંગનું સંચાલન કરતી હતી. ગાર્મેન્ટની ઓફિસની આડમાં ફાર્મા ટ્રેડિંગનો કાળો કારોબારબીજો આરોપી ચેતન કનુભાઇ વાવડીયા, જે મોટા વરાછાનો રહેવાસી છે, તેની પાસેથી આઈફોન 16 પ્રો જપ્ત કરવામાં આવ્યો છે. તે 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' નામે ગાર્મેન્ટની ઓફિસ ચલાવતો હતો, જેની આડમાં તે ફાર્મા ટ્રેડિંગનું કામ કરતો હતો. તેની વોટ્સએપ ચેટમાં પણ વસ્તુનું નામ બદલીને કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવવાની વાતો સામે આવી છે. ચેતને પણ સેન્ચુરી ફાર્મામાંથી માલ ખરીદીને મલેશિયા મોકલ્યો હોવાની કબૂલાત કરી છે, જેમાં તે કિલો દીઠ 5000 યુએસ ડોલર વસૂલતો હતો. એટોમીડેટને 'ગીનોપોલ-24' પાવડર તરીકે મોકલતોચેતન વાવડીયાના મોબાઈલમાંથી મળેલી 8 ફેબ્રઆરી, 2025ની ચેટમાં એક અમેરિકન નંબર (+1 628...) સાથેની વાતચીત મળી છે. જેમાં સામેવાળાએ પૂછ્યું હતું કે, તમે પેકેજ કેવી રીતે મોકલશો?, ચેતને જવાબ આપ્યો હતો કે અમે નામ ચેન્જ કરીને જ મોકલી આપીશું. ચેતન એટોમીડેટને 'ગીનોપોલ-24' (Gynopol-24) પાવડર તરીકે ઓળખાવતો હતો. અત્યાર સુધીમાં તેણે પણ 50 કિલો જેટલો પાવડર આ જ રીતે વિદેશી કાર્ટેલ્સને સપ્લાય કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લેઅમરોલીના ભૌતિક દામજીભાઇ પદમાણી પાસેથી સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા જપ્ત કરાયો છે. તે 'જાની ફાર્મા'નો માલિક છે. તેની ચેટમાં 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લે થયેલી છે. આ ચેટમાં ચોંકાવનારી વિગત એ છે કે થાઈલેન્ડ પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટે તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ કેટલાક પાર્સલ સીઝ કર્યા હતાં, જેની જાણકારી ભૌતિકને વોટ્સએપ દ્વારા મળી ગઈ હતી. તાઈવાનમાં સ્મગલિંગની તૈયારીની ચેટમાં ખુલાસોભૌતિક પદમાણીની વધુ એક ચેટમાં તાઈવાનના એક વ્યક્તિએ તેને ચેતવણી આપી હતી કે, આ પ્રોડક્ટ (એટોમીડેટ) તાઈવાનમાં ઈલીગલ છે, એટલે તેને અલગ રીતે મોકલવું પડશે. ભૌતિકે તરત જ સહમતી દર્શાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે અલગ નામથી જ માલ મોકલી આપશે. આ ગુનાહિત માનસિકતા દર્શાવે છે કે આરોપીઓ જાણતા હતા કે તેઓ જે પદાર્થ મોકલી રહ્યા છે તે અન્ય દેશોમાં પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. એટોમીડેટ શું છે? કેમ તેની તસ્કરી થાય છે?એટોમીડેટ એક એનેસ્થેટિક પદાર્થ (API) છે. જેનો ઉપયોગ ડોક્ટરો દર્દીને બેભાન કરવા માટે કરે છે. જોકે, તેનો દુરુપયોગ નશા માટે પણ થાય છે. થાઈલેન્ડમાં તેને 'સાયકોટ્રોપિક સબસ્ટન્સ' કેટેગરી-2માં રાખવામાં આવ્યું છે, જ્યારે મલેશિયામાં તેને 'પોઈઝન એક્ટ' હેઠળ ગ્રુપ-બીમાં મૂકવામાં આવ્યું છે. આ પદાર્થની વધુ માત્રા જીવલેણ બની શકે છે, તેથી જ આ દેશોમાં તેના વેચાણ અને આયાત પર કડક નિયંત્રણો છે, જેનો આ યુવકો ભંગ કરતા હતાં. મુંબઈ એરપોર્ટ પર એરામેક્ષ કુરીયરનું પાર્સલ જપ્તATSની તપાસ દરમિયાન મુંબઈના અંધેરી સ્થિત એરામેક્ષ કુરીયરની ઓફિસમાં નિકુંજ ગઢીયાએ મોકલેલું એક પાર્સલ હોલ્ડ કરવામાં આવ્યું હતું. આ પાર્સલ પર 'એલોવેરા પાવડર' લખેલું હતું. જ્યારે તેનું રમણ સ્પેક્ટોગ્રાફીમશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેમાં એટોમીડેટ હોવાનું સાબિત થયું. આ સાથે જ તેની ઇન્વોઇસ અને સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે, જેમાં માલને એલોવેરા પાવડર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ત્રણ કંપનીઓ અને અનેક બોગસ ડોક્યુમેન્ટ્સતપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ અલગ-અલગ કંપનીઓ – DWN બાયોસાયન્સ, રુદ્ર એન્ટરપ્રાઇઝ અને જાની ફાર્મા – ના નામે આ કાળો કારોબાર ચલાવતા હતા. તેઓ સેન્ચુરી ફાર્મા અને વેલોરેસ ફાર્મા જેવી કંપનીઓમાંથી માલ ખરીદતા હતા. મલેશિયાના 'Mr. Chua Zhi Xuan' નામના વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તેઓ મિસલેબલિંગ અને મિસડિક્લેરેશન કરી કસ્ટમ્સ સાથે છેતરપિંડી કરતા હતા. તેમની સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાના પ્રયોગ બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે બે સક્રિય હોદ્દેદારોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (સોશિયલ મીડિયા) ના મહામંત્રી પાર્થ અનાવાડીયા અને નવસારી શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને હોદ્દેદારોને તેમના વર્તમાન હોદ્દા તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી આ બંને હોદ્દેદારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસ પક્ષની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. વારંવારની સૂચનાઓ છતાં શિસ્તનું ઉલ્લંઘન થતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સંગઠનમાં શિસ્ત જાળવવા માટે આ કડક નિર્ણય લીધો છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ પાસે સક્રિય કાર્યકરોની મર્યાદિત સંખ્યા છે. તેવામાં સોશિયલ મીડિયાની કમાન સંભાળતા બે મુખ્ય ચહેરાઓને પક્ષમાંથી દૂર કરાતા 'ડિજિટલ વોર'માં પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવે સોશિયલ મીડિયાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે શૂન્યાવકાશ સર્જાયો છે. આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મહત્વની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે જ બે જવાબદાર હોદ્દેદારોની હકાલપટ્ટી થતા અન્ય કાર્યકરોમાં પણ ચિંતા વ્યાપી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે હવે ચૂંટણી પૂર્વે નવા સક્ષમ કાર્યકરોને સંગઠનમાં જોડવા અને ખાલી પડેલા પદો પર નિમણૂક કરવી એ મોટો પડકાર બની રહેશે.

33 C