સુરત શહેર માત્ર વ્યાપારમાં જ નહીં, પણ નાગરિક ધર્મ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27ના પ્રારંભે અમલમાં મૂકાયેલી 10 ટકા એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાને સુરતીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. 1લી એપ્રિલના રોજ એટલે કે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ 5,883 કરદાતાઓએ કુલ 5.80 કરોડનો ટેક્સ ભરીને પાલિકાના ઇતિહાસમાં એક નવો આંક પ્રસ્થાપિત કર્યો છે. 24 કલાકમાં જ પાલિકાને 5.80 કરોડની આવક થઈ1લી એપ્રિલની સવારથી જ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન ઓફિસના કેશ કાઉન્ટરો અને ઓનલાઇન પોર્ટલ પર કરદાતાઓની ભીડ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર, 31મી માર્ચની મધરાતથી ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થતાની સાથે જ લોકોએ ટેક્સ ભરવાનું શરૂ કરી દીધું હતું. પ્રથમ 24 કલાકમાં જ પાલિકાને 5.80 કરોડની આવક થઈ છે. 5,883 જાગૃત નાગરિકોએ રીબેટનો લાભ લીધો છે.10 ટકા રીબેટ યોજના હેઠળ સુરતીઓને પહેલા જ દિવસે કુલ 25.76 લાખની સીધી રાહત મળી છે. 4.74 કરોડની વસૂલાત ઓફલાઇન માધ્યમો દ્વારા થઈ હતી, જ્યારે બાકીની રકમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જમા થઈ હતી. 10 ટકા રીબેટની જાહેરાત કરવામાં આવી હતીસુરત પાલિકા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજના લાવે છે. આ વર્ષે પણ 10 ટકા રીબેટની જાહેરાત કરવામાં આવી હતી. મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ અને ઉદ્યોગપતિઓ માટે 10 ટકાની રકમ મોટી બચત સમાન છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કરદાતાનો વાર્ષિક ટેક્સ 10,000 હોય, તો તેને એડવાન્સ પેમેન્ટ પર 1,000ની સીધી બચત થાય છે. આ આર્થિક ફાયદાને કારણે લોકો છેલ્લી ઘડીની રાહ જોવાને બદલે પહેલા જ દિવસે નાણાં ભરવાનું પસંદ કરી રહ્યા છે. વેબસાઈટ પર સરળ પેમેન્ટ ગેટવેની સુવિધાને કારણે ઘરેબેઠા જ ચૂકવણીપાલિકાના આંકડા મુજબ, ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. SMCની મોબાઈલ એપ અને વેબસાઈટ પર સરળ પેમેન્ટ ગેટવેની સુવિધાને કારણે યુવા પેઢી અને નોકરિયાત વર્ગે ઘરે બેઠા જ ટેક્સની ચુકવણી કરી હતી. તેનાથી બે ફાયદા થયા છે એક નાગરિકોને કચેરીના ધક્કા ખાવા પડ્યા નહીં અને બીજુ પાલિકાના કાઉન્ટરો પર કામનું ભારણ ઘટ્યું છે.
ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કોમી સદ્દભાવ જાળવવા માટે અમલી અશાંત ધારો હાલમાં રાજ્યભરમાં ચર્ચાનો અને કાયદાકીય વિવાદનો વિષય બન્યો છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 25 માર્ચ, 2026ના રોજ વિધાનસભામાં પસાર કરાયેલા ગુજરાત બિલ અને અગાઉના 2022ના નોટિફિકેશનને લઈને કાનૂની જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પક્ષકારો અને વકીલોનું માનવું છે કે, આ નવા સુધારા સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ શકે તેમ છે. વર્ષ 2022માં સુરત કલેક્ટર દ્વારા અશાંત ધારાના સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેને ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દ્વારા પડકારવામાં આવ્યું છે. આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે આગામી સુનાવણી 13 એપ્રિલ, 2013ના રોજ નિયત કરી છે. રેન્ટ અને લીઝ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોને પણ અશાંત ધારાની મંજૂરી હેઠળ આવરી લેવાયાઆ બાબતે એડવોકેટ ઝફીરઅલી બદરી જણાવ્યું હતું કે, 2022ના નોટિફિકેશનમાં 'ટ્રાન્સફર' શબ્દની વ્યાખ્યા એટલી હદે વિસ્તૃત કરી દેવામાં આવી છે કે જે કાયદાના મૂળ હેતુથી વિપરીત છે. તેમાં 11 મહિનાના લીવ એન્ડ લાયસન્સ, રેન્ટ એગ્રીમેન્ટ અને લીઝ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોને પણ અશાંત ધારાની મંજૂરી હેઠળ આવરી લેવાયા છે. વાસ્તવમાં આ દસ્તાવેજોથી મિલકતની માલિકી બદલાતી નથી, છતાં પ્રજાએ બિનજરૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અરજદારો એવી અપેક્ષા રાખતા હતા કે, 25 માર્ચ, 2026ના નવા ઓર્ડિનન્સમાં સેક્શન 2(E) માં સુધારો કરીને આ જટિલતા દૂર કરવામાં આવશે, પરંતુ કમનસીબે નવા સુધારામાં પણ આ વિવાદાસ્પદ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સામાન્ય સોદાઓ પૂર્ણ થવામાં મહિનાઓ લાગી જશેસરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સુધારા વિધેયકમાં કેટલીક એવી જોગવાઈઓ છે જેનો વકીલો વિરોધ કરી રહ્યા છે, જેમાં નવા સુધારા મુજબ, હવે મિલકતના વેચાણ કે ખરીદીના સોદામાં કોઈપણ ત્રાહિત પક્ષકાર વાંધો ઉઠાવી શકશે. એડવોકેટ નીરવ દૂધવાલા આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહે છે કે, આ જોગવાઈ ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપશે. કોઈપણ વ્યક્તિ ઈર્ષ્યા કે અંગત અદાવત રાખીને જેન્યુઈન સોદામાં અડચણ ઉભી કરી શકશે. જેના કારણે સામાન્ય સોદાઓ પૂર્ણ થવામાં મહિનાઓ લાગી જશે. સરકારનું આટલું કડક નિયંત્રણ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાનકાયદાકીય નિષ્ણાતોના મતે આ જટિલ પ્રક્રિયાને કારણે સાચા રોકાણકારો અશાંત ધારા હેઠળ આવતી મિલકતો ખરીદવાનું ટાળશે. એટલું જ નહીં, જે મિલકતો પર ક્લિયરન્સ મેળવવું મુશ્કેલ હોય ત્યાં બેંકો પણ લોન આપવામાં ખચકાશે, જેની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડશે. ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને પોતાની મિલકતની ખરીદ-વેચાણની સ્વતંત્રતા છે. વકીલોની દલીલ છે કે, અશાંત ધારાના નામે વ્યક્તિ કોને મિલકત વેચે છે, તેના પર સરકારનું આટલું કડક નિયંત્રણ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં અરજદાર ભરતભાઈ વાલજીભાઈ ખૂંટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટર રાજકોટ દ્વારા જે હુકમો કરાયા છે તે અશાંત ધારાની કલમ 5(3)(b) ની વિરુદ્ધમાં છે. કોર્ટે નોંધ્યું છે કે મિલકત ટ્રાન્સફર વખતે બે બાબતો મુખ્ય છે જો આ બંને શરતો સંતોષાતી હોય તો મંજૂરી આપવી જોઈએ, પરંતુ તંત્ર દ્વારા ઘણીવાર આ બાબતોને અવગણીને ખોટા આધારો પર અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. નામદાર હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં કલેક્ટર કચેરીને ફરીથી સુનાવણી કરવા અને 15 જાન્યુઆરી 2025 સુધીમાં યોગ્ય નિર્ણય લેવા અગાઉ આદેશો પણ કર્યા છે.
વેરાવળમાં હનુમાન જયંતિએ શોભાયાત્રા નીકળી:હિન્દુ યુવા સંગઠન સહિત અનેક સંસ્થાઓ જોડાઈ
વેરાવળ શહેરમાં સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર, તા. ૨-૦૪-૨૦૨૬ ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા હિન્દુ યુવા સંગઠન, જાગૃત હનુમાન મંદિર, શિક્ષબંધુ સત્સંગ મંડળ, ત્રિકમરાયજી મંદિર, અખંડ હરિનામ સંકીર્તન મંદિર પ્રેમ પરિવાર ભાલકા અને બાપા સીતારામ ધુન મંડળના ઉપક્રમે યોજાઈ હતી. આ વિશાળ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ, ધૂન મંડળના સ્વયંસેવકો, ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભગવા રંગના દેશભક્તિ અને ધાર્મિક ગીતોની ધૂન પર વેરાવળવાસીઓ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. વાતાવરણને ભક્તિમય બનાવવા માટે શ્રીનાથજી, આદિનાથ અને વીર હનુમાનની પ્રતિમાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠનના જતીન બાપુ સહિતની ટીમ, સાગર પુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ દામજીભાઈ ભેસલા, તુલસીભાઈ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, કનૈયાભાઈ, વેરાવળ સિટી પીઆઈ ગઢવી સાહેબ, પ્રજાપતિ સાહેબ, એસઓજી ડી સ્ટાફ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી સંગઠનના મુકેશભાઈ ચોલેરા, દિનેશભાઈ રાયઠઠા, કેવિન કાનાબાર અને વેરાવળ શહેર ભાજપના તમામ મુખ્ય હોદ્દેદારો પણ જોડાયા હતા. દુઃખભંજન હનુમાન મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રા એસ.ટી. રોડ, ટાવર ચોક, કાશી વિશ્વનાથ મંદિર અને બજરંગ સોસાયટી સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ અને ઠંડા પીણાંના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2026ની ડે-નાઈટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 4, 17, 20, 26 અને 30 એપ્રિલ તેમજ 3 અને 12 માર્ચના રોજ યોજાનારી મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 વાગ્યા સુધી ચાલે છે. મેચના દિવસોમાં સ્પેશિયલ ટ્રેનનું શિડ્યૂલ મોટેરા સ્ટેડિયમથી APMCરાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામરાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિરરાત્રિના 11:40 થી 12:10 વાગ્યા સુધી મેચના દિવસોમાં સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદી શકશોમોટેરા સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોથી બચવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ દિવસ દરમિયાન જ અગાઉથી ખરીદી શકશે. આ ટિકિટો મોટેરા, સાબરમતી, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ અને મહાત્મા મંદિર સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મેળવી શકશે.
અમદાવાદના મેઘાણીનગર પોલીસ મથકે વર્ષ 2024 માં હાટકેશ્વરમાં રહેતા 34 વર્ષીય આરોપી ધવલ મકવાણા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલત ચાલી જતા જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો, પુરાવા અને સાહેદો તપાસીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સગીરાનો મોબાઈલ સ્કૂલના પ્રિન્સિપાલે જમા લઈ લીધો હતોકેસને વિગતે જોતા સગીરાની ઉંમર 17 વર્ષની અને 7 મહિનાની હતી. તેનો મોબાઈલ શાળાના પ્રિન્સિપાલે જમા લીધો હતો. તે ટ્યુશન ક્લાસમાં પણ જતી હતી. જ્યારે તે ટ્યુશનેથી પરત ફરતી હતી, ત્યારે તેને અજાણ્યા એવા આરોપી ધવલ મકવાણા પાસે પોતાની મિત્ર સાથે વાત કરવાની ફોનની માંગણી કરી હતી. જેમાં આરોપી બંનેની વાતો સાંભળી ગયો હતો. આરોપી ફોસલાવીને તેને રિક્ષામાં લઈ ગયોઆરોપીએ સગીરાને કહ્યું હતું કે, તે શાળાના પ્રિન્સિપાલ પાસેથી તેને મોબાઇલ ફોન પરત અપાવી આપશે. એક વખત સગીરા ટ્યુશને ગઈ ત્યાંથી પરત ફરી નહોતી અને થોડા દિવસો બાદ અસારવામાંથી મળી આવી હતી. જેને જણાવ્યું હતું કે, આરોપી ધવલ તેને રીક્ષામાં બેસાડીને હાટકેશ્વર લઈ ગયો હતો. બહેનના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યુંજ્યાં તેના કાકાના મકાન ધાબા ઉપર અને ત્યારબાદ આરોપીની બહેનના ઘરે લઈ ગયો હતો, જ્યાં પણ મકાનના ધાબા પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને સજા આપવાની સાથે સરકારને 4 લાખ રૂપિયા સગીરાને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાનો એક વિચાર આજે વિશ્વવ્યાપી ચલણી નોટનો સંગ્રહમાં પરિવર્તિત કર્યો છે. તેમણે વિશ્વના 82 દેશોની '1'ની નોટોનો વિશિષ્ટ સંગ્રહ તૈયાર કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ ઓસેનિયા ખંડના દેશોનો સમાવેશ થાય છે. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધીઆ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ સામેલ છે જે હવે અસ્તિત્વમાં નથી અથવા વિલીન થઈ ગયા છે. નાની ઉંમરથી જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમને તેમના પિતા પાસેથી મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન વડોદરામાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને અપનાવ્યો અને તેને નોટને સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી તેમણે આ અનોખી '1'ની નોટોની કલેક્શન શરૂ કરી હતી. ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈફૈઝલ માટે '1'નો આંકડો ખૂબ જ પ્રતીકાત્મક છે, કારણ કે તે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૂઆતને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક ફુગાવા અને ડિજિટલ પેમેન્ટ્સના વધતા વપરાશને કારણે '1'ની નોટો ધીરે-ધીરે વિશ્વભરમાં અસ્તિત્વમાંથી લુપ્ત થઈ રહી છે. નેપાળ, જાપાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈ છે. આ કારણે તેમના સંગ્રહનું મૂલ્ય વધુ વધી ગયું છે. તેમના સંગ્રહની વિશેષતા એ છે કે, તેમાં કતારની ફિફા વર્લ્ડ કપ સ્મારક નોટ, સાઉદી અરેબિયાની G-20 સમિટ નોટ અને ફિજીની અનોખી 7 ડોલરની નોટ જેવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ નોટો સામેલ છે. ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છેફૈઝલે ઉમેર્યું હતું કે, સૌથી નાની ચલણી નોટ પણ એક દેશના આર્થિક પાયા અને તેના લોકોના જીવનને પ્રતિબિંબિત કરે છે. હવે તેઓ આ સંગ્રહને પ્રદર્શિત કરીને નાગરિકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગે છે કે, નાનામાં નાની વસ્તુ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે. સંગ્રહ ઉપરાંત, ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે અને સરકારી વિભાગોમાં ખાનગી કન્સલ્ટન્ટ તરીકે પણ સેવાઓ આપે છે.
બનાસકાંઠા ખાણ-ખનિજ વિભાગે 201 કરોડની આવક મેળવી:ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે નવો વિક્રમ સ્થાપ્યો
બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગે વર્ષ 2025-26 દરમિયાન મહેસૂલી આવક અને બિનઅધિકૃત ખનન સામેની કાર્યવાહીમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. વિભાગે સરકાર દ્વારા નિર્ધારિત ₹164 કરોડના સુધારેલા લક્ષ્યાંક સામે ₹201 કરોડથી વધુની આવક મેળવી છે. આમ, લક્ષ્યાંક સામે 122% જેટલી નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 164 કરોડના લક્ષ્યાંક સામે 201 કરોડથી વધુની આવકનોંધનીય છે કે, ગત વર્ષે પ્રથમવાર ₹100 કરોડનો આંકડો પાર કર્યા બાદ, આ વર્ષે ₹200 કરોડથી વધુની આવક કરીને વિભાગે પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ સર કરી છે. આ સિદ્ધિ પાછળ સુવ્યવસ્થિત આયોજન જવાબદાર છે. શરૂઆતમાં ₹132 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2026માં જ પૂર્ણ કરી લેવાયો હતો. ત્યારબાદ, જિલ્લા કલેક્ટર મિહીર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ નવો લક્ષ્યાંક ₹164 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાની પ્રસંશનીય કામગીરીમહેસૂલી વસૂલાતની સાથે-સાથે બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોમાં પણ વિભાગે કડક હાથે કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત ₹22.5 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાનું ઓગસ્ટ માસમાં કલેક્ટર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે વિક્રમજનક આવકભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે ₹201 કરોડ જેવી વિક્રમજનક આવક ઊભી કરવામાં સફળતા મળી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ખનિજ ચોરી કરતા તત્વોમાં કડક સંદેશ પહોંચાડવાનો અને કાયદેસર વ્યવસાય કરતા લોકોમાં હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. આગામી સમયમાં પણ બિનઅધિકૃત ખનન રોકવા માટેની આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવાની નેમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના ભાટ ગામમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રામભક્ત હનુમાનજીની ભક્તિમાં લીન થઈ એક અવિસ્મરણીય સાંજ વિતાવી હતી. ધવલકુમારના કંઠે ગુંજ્યો સુંદરકાંડનો નાદશહેરના રાધે ફાર્મ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ રામ કથાવાચક અને સુંદરકાંડ સાધક ધવલકુમારના મુખારવિંદથી સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. સંગીતમય સૂરો સાથે જ્યારે સુંદરકાંડના પાઠ શરૂ થયા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી અંદાજે 15,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગૌપૂજન અને સકારાત્મક ઊર્જાનો સંદેશકાર્યક્રમની શરૂઆત ખૂબ જ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી. સૌથી પહેલા ગૌમાતાની પૂજા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે ધવલકુમારે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં સુંદરકાંડનો પાઠ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા મેળવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે દરેક હિન્દુ પરિવારને વિનંતી કરી હતી કે તેઓ પોતાના સંતાનો સાથે ધર્મ અને શાસ્ત્રો વિશે નિયમિત ચર્ચા કરે અને તેનું અધ્યયન કરે. નિઃશુલ્ક પ્રવેશ અને મહાપ્રસાદનું આયોજનમાનસ સત્સંગ ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. વ્યવસ્થાપકો દ્વારા ભક્તોની સગવડનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ 15,000 ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજને ભક્તોમાં એક નવી ચેતના અને આસ્થાનો સંચાર કર્યો હતો.
રાજ્યના પાટનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં શ્રમિકની હત્યાના મામલે આખરે સાત મહિના બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં લેબર કોલોનીમાં થયેલા હિંસક હુમલા બાદ ઉત્તર પ્રદેશમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયુ. જેને લઈ સ્થાનિક પોલીસે ઝીરો FIRના આધારે ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. જે મામલે ટેક્નિકલ તપાસના અંતે ડભોડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 4 શખ્સે ક્રુરતાપૂર્વક માર માર્યો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 10 ઓગસ્ટ, 2025ની રાત્રે ગિફ્ટ સિટી નજીકની શિવાલિક લેન્ડમાર્ક પાસેની લેબર કોલોનીમાં ગયાદીન ઉર્ફે ડાલા રાજકુમાર નામના શ્રમિક પર કોઈ કારણસર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. રાજેશ રામબાબુ, રમેશ વિશ્વનાથ, રાહુલ રમેશ અને મહેન્દ્ર તેજવલી નામના શખ્સોએ તેને બેરહેમીથી માર માર્યો હતો.જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ગયાદીને પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાદમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં વતન જતો રહ્યો હતી. આ હુમલાના ત્રણ દિવસ ગયાદીનનું બાંદ્રા મેડિકલ કોલેજ - હોસ્પિટલમાં 16 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પત્ની ગુડીયાએ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઘટનાના સાત મહિના બાદ ગુનો દાખલબાદમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર પ્રદેશ પોલીસે આ ફરિયાદને ઝીરો એફઆઈઆર તરીકે નોંધી અમદાવાદ અને ગાંધીનગર પોલીસને મોકલી આપી હતી. જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા તપાસ સોંપાતા અંતે ડભોડા પોલીસે ઘટનાસ્થળનું વેરિફિકેશન કરી સમગ્ર મામલે સાત મહિને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગોધરાના ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયામાં પંચાયત અને પાલિકા માટે દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં ગોધરા નગરપાલિકા, મોરવા હડફ અને ગોધરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ત્રણ મંડળો માટે દાવેદારોની પસંદગી કરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. આ પ્રક્રિયામાં મહિલા દાવેદારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવવા ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે રાજકીય ક્ષેત્રે મહિલાઓની સક્રિયતા દર્શાવે છે. સેન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની બે અલગ-અલગ ટીમો કાર્યરત કરાઈ હતી. આ ટીમોએ સ્થાનિક સમીકરણો અને જીતવાની ક્ષમતા અંગે વિગતો મેળવી, તેમજ શિસ્તબદ્ધ રીતે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. જિલ્લા ભાજપના સંગઠન માળખા દ્વારા કરાયેલા વ્યવસ્થિત આયોજનને કારણે મોટી સંખ્યામાં દાવેદારો અને સમર્થકોની હાજરી હોવા છતાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ ન હતી. સમગ્ર દિવસ દરમિયાન પ્રક્રિયા સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ.
રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલ આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોના-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને દેખાવ કરી 5.50 લાખ રૂપિયા ઉછીના લઇ ગયા બાદ આ રકમ પરત ન આપતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કૃણાલ અતુલભાઇ પિત્રોડાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે રાજકોટ રહેતાં જામનગરના મિનેષ અતુલભાઇ પિત્રોડા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૃણાલ પિત્રોડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભવાની એન્જીનિયરિંગ નામે ચાંદી કામની મશીનરી બનાવવાનુ઼ કારખાનુ અને શો રૂમ ચલાવુ છું. ગઇ તા.02.11.2023ના બપોરનાં 3.15 વાગયે હું કારખાને હતો ત્યારે મારા પિતાનો ફોન આવ્યો અને કહ્યું કે આપણા સમાજના એક ભાઇ જામનગરથી આવે છે અને તે લાલપુરવાળા શાંતિભાઇના રેફરન્સથી આવે છે તું તેને જોઇ લેજે. થોડીવારમાં તે ભાઇ આવ્યા હતા જેણે પોતાનું નામ મિનેષ અતુલભાઈ પીત્રોડા જણાવ્યું હતું. તેણે પોતે જામનગરમાં ભગવતી એન્જીનીયરીંગ નામનું ટ્રેક્ટર/ટેલરનું મેન્યુફેક્ચરીંગ કરતા હોઇ અને પોતે અમારા જેવું જ કામ કરતા હોઇ જેથી અમારા ધંધાનો વેપાર વધારે વિક્સાવવા અને ગ્રાહકો વધારવા માટે મદદ કરશે તેવી વાત કરી હતી. ત્યારબાદ મિનેષે કહ્યું કે-મારી માલ ભરેલી ગાડી રાજકોટ શહેર અટીકા ફાટક આસપાસ કોઈ કારખાનામાંથી કાઢવાની છે અને તે વેપારીને મારે રૂપિયા 5.50 લાખ આપવાનાં છે અને મારો ભાઈ જામનગરથી RTGS કરાવે છે એ પહેલા તમે મને 5.50 લાખ આપો તો મારે એ વેપારીને દેવાના છે. આ પછી મિનેષે મારા જુના મિત્ર કે જેની સાથે હું આણંદમાં ભણ્યો હતો તે કિર્તનભાઇ ગજ્જરનું પણ નામ આપતાં હું વિશ્વાસમાં આવી ગયો હતો. દરમિયાન મિનેષ ઉતાવળ કરવા લાગતાં મેં તેને રોકડા 5.50 લાખ આપી દીધા હતાં. પછી મારા પિતા આવતાં મેં તેને મિનેષને આપેલા રૂપિયાની વાત કરી હતી. તેણે તરત મિનેષને ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ થયો ન હતો. થોડાક દિવસ બાદ અમે અમારા જ્ઞાતિ-સમાજમાં મિનેષ વિશે પુછતાછ કરતાં ખબર પડી હતી કે તેણે આ રીતે સમાજના નામે બીજા લોકોને પણ વિશ્વાસમાં લઇ પૈસા લઇ જઇ પરત આપ્યા નથી. ત્યારબાદ મિનેષનો ફોન પર સંપર્ક થતાં તેણે પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આજ સુધી તેણે માત્ર વાતો જ કરી હોઇ અને પૈસા આપ્યા ન હોઇ તેમજ હવે સરખા જવાબ પણ દેતો ન હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવાનું નક્કી કર્યુ હતું.
અપહરણના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી આરોપીને દબોચી લીધા
પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી હતી. ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી. પ્રથમ કેસ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાનો છે. આ ગુનાનો આરોપી અરવિંદ આરત ડાભી, જે મૂળ બોરીયાવીનો રહેવાસી છે, તે નાસતો ફરતો હતો. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મળી હતી કે, તે સુરતના સાયણ પાસે મજૂરી કામ કરી રહ્યો છે. પોલીસે તેને સુરતના કોસમાડા ખાતેથી ઝડપી પાડ્યો હતો. બીજો કેસ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનાનો છે. આ ગુનાનો આરોપી સહદેવસિંહ ઉર્ફે ભૂરો નરવતસિંહ સોલંકી, જે પિંગળીનો રહેવાસી છે, તેની પણ ચોક્કસ બાતમી મળી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડે તેને સુરતના અમરોલી, કોસાડ ખાતેથી દબોચી લીધો હતો. પોલીસે બંને આરોપીઓ અને ભોગ બનનારને સંબંધિત પોલીસ સ્ટેશન (શહેરા અને કાલોલ) ને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ગત રવિવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આજે પણ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ખોડીયારપરા વિસ્તારમાં રમી રહેલા 8 વર્ષના માસૂમ ધવલને એક બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાને કચડી નાખ્યો હતો. આજે જ્યારે આ પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી, ત્યારે ત્યાંનું દ્રશ્ય કાળજું કંપાવી દે તેવું હતું. ઘરના આંગણે હજુ પણ ધવલના રમકડાં પડ્યા છે, પણ જેની કિલકારીઓથી ઘર ગુંજતું હતું તે માસૂમ હવે આ દુનિયામાં નથી. માતા-પિતાના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું છે. આ અકસ્માત કેટલો ભયાનક હતો તેના પુરાવા રૂપે બોલેરો પીકઅપ વાનની સ્પીડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, રહેણાંક વિસ્તાર હોવા છતાં ચાલક રમેશ ઉર્ફે સંજય પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી ચૂક્યો હતો અથવા તો અત્યંત બેદરકારીથી વાહન હંકારી રહ્યો હતો. પૂરઝડપે આવતી આ કાળમુખી બોલેરોએ માસૂમ ધવલને એવી જોરદાર ટક્કર મારી કે બાળકની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતા પ્રફુલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, મારો ધવલ તેના મિત્રો સાથે ઘર પાસે દડાથી રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક દડો રોડ પર ગયો અને તે લેવા માટે જેવો રોડની બાજુમાં પહોંચ્યો ત્યાં જ પેલી સ્પીડમાં આવતી ગાડીએ તેને ઉલાળ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે હું મારા દીકરાનું લોહીલુહાણ શરીર જોઈ પણ નહોતો શકતો. મારો લાડકો દીકરો અમને છોડીને જતો રહ્યો. પિતાના આ શબ્દો સાંભળી ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટના અંગે વિસાવદર ASP રોહિત ડાગરે માહિતી જણાવ્યું કે પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે કાલસારી ગામના સંજય નામના ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જાયા બાદ માનવતા નેવે મૂકીને ભાગી જનારા ચાલક પ્રત્યે લોકોમાં ભારે રોષ છે. આજે બાળકના પિતા અને પરિવારજનોએ પ્રશાસન પાસે ન્યાયની ગુહાર લગાવી છે. વિપુલભાઈએ માંગ કરી છે કે, મારા નિર્દોષ દીકરાનો જીવ લેનારને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ વાહનચાલક રહેણાંક વિસ્તારમાં આ રીતે બેફામ ગાડી ચલાવવાની હિંમત ન કરે. સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે વિસાવદરના રહેણાંક વિસ્તારોમાં વાહનોની સ્પીડ પર નિયંત્રણ હોવું જરૂરી છે. માસૂમ ધવલના મોતે ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી લીધો છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હનુમાન જયંતિની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. આ શોભાયાત્રા વડલા પોલીસ ચોકી પાસે આવેલા હનુમાન મંદિરેથી શરૂ થઈ હતી. તે બજાર, તાલુકા શાળા, દરજીવાડા અને મોટા કોળીવાળા વિસ્તારમાંથી પસાર થઈને ફરી હનુમાન મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રાના માર્ગને ધજા-પતાકાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ કેસરી ધ્વજ લહેરાવી 'જય હનુમાન'ના ગગનભેદી નારા લગાવ્યા હતા. સેવાભાવી ભક્તો દ્વારા માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા, શરબત, બુંદી, ગાંઠિયા તેમજ ચા-પાણીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઢોલ-શરણાઈ અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. યાત્રામાં વિવિધ આકર્ષક વેશભૂષાઓ પણ જોવા મળી હતી. કેટલાક ભાવિકોએ હનુમાનજી, સસલું અને રીંછના મહોરા પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે શોભાયાત્રામાં અનોખી રંગત ઉમેરાઈ હતી. શોભાયાત્રાના સમાપન બાદ હનુમાનજી મંદિરે વિશેષ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી.
વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી પ્રગતિ યુવક મંડળ દ્વારા ભવ્ય હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં હતી. જય હનુમાન, જય શ્રી રામના નારા અને આતશબાજી સાથે હનુમાનજીની શોભાયાત્રા નીકળી છે. આ શોભાયાત્રાને લઈને મુખ્ય માર્ગો પરભક્તોમાં ઉત્સાહ મળ્યો હતો. શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તાથી નિકળીને યાત્રા રોકડનાથ હનુમાન મંદિર ખાતે પહોંચી હતી. જેને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. યાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ જવાનો ટીમ તૈનાત હતી. આ સિવાય ક્રાઇમની ટીમ, SHE ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહી હતી. વડોદરા શહેરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા માટે વડોદરામાં હરણી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંડન હનુમાનજી મંદિર સહિત નાના-મોટા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી હતી. હિંદુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાન જયંતિની ઉજવણીનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના હરણી ખાતે આવેલા ઐતિહાસિક-સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજીની પ્રાગટ્ય આરતી, છાતી ચીરીને રામ-સીતાના દર્શન કરાવતા હનુમાનજીના શ્રૃંગાર, રાત્રે મંદિરના પટાંગણમાં સંગીતમય સુંદરકાંડ, ભજન-કિર્તન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ હનુમાન જયંતી નિમિત્તે બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આ ઉત્સવ રાજેન્દ્રભાઈ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં માતૃશક્તિ પણ જોડાઈ હતી.પાઠ ઉપરાંત, બાળકો દ્વારા રામના ભજન પણ ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોને આચાર પદ્ધતિ શીખવવામાં આવી હતી અને તિલકના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બાળકો દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને રામના ભજન ગાઈને પ્રસાદ ગ્રહણ કરે છે. આ પરંપરાના ભાગરૂપે હનુમાન જયંતીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.નાના ભૂલકાઓએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આનંદપૂર્વક ઉજવણી કરી હતી.
ખાંભા પોલીસે હનુમાન જયંતિએ છાશ વિતરણ કર્યું:અમરેલીના હનુમાન ગાળા ખાતે દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા
અમરેલી જિલ્લાના ખાંભા પોલીસે હનુમાન જયંતિના અવસરે હનુમાન ગાળા ખાતે દર્શનાર્થીઓ માટે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કર્યું હતું. ગરમીના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો અને રાહદારીઓને રાહત આપવાના હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા સ્વયં ઉપસ્થિત રહીને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા પોલીસના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. ખાંભા પોલીસનો આ પ્રયાસ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે જોવા મળે છે. પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર છે' સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતા જ જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી બી.એસ. બારડના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ મક્કમ ડગલાં માંડ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને ક્ષતિરહિત અને પારદર્શક બનાવવા માટે અધિકારીઓને પાયાની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. અધિકારીઓને અપાયું વિશેષ પ્રશિક્ષણ ચૂંટણીના સુચારુ સંચાલન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી અધિકારી (RO), મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) અને નોડલ અધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં માસ્ટર ટ્રેનર ચરણસિંહ ગોહિલ અને કિશન ગરચર દ્વારા ચૂંટણીની જટિલ પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં ઉમેદવારી પત્રોની ચકાસણી, નામાંકન વિધિ, EVM મશીનનું સંચાલન, અને મતદાન મથકના પ્રમુખ અધિકારીની સત્તાઓ જેવા મહત્વના પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકોનું ગણિત અને મતદાનની તારીખ જૂનાગઢ જિલ્લામાં આ વખતે મોટા પાયે મતદાન થવાનું છે, જેની વિગતો નીચે મુજબ છે: જિલ્લા પંચાયત: 30 બેઠકો 9 તાલુકા પંચાયત: કુલ 158 બેઠકો કેશોદ નગરપાલિકા: 36 બેઠકો (સામાન્ય ચૂંટણી) બાંટવા નગરપાલિકા: 1 બેઠક (પેટા ચૂંટણી) આ તમામ બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ, 28 એપ્રિલના રોજ મતગણતરી થશે, જેમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. તંત્ર દ્વારા અત્યારથી જ મતગણતરી અને સુરક્ષા વ્યવસ્થા અંગેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી ક્રિષ્ના હર્ષદભાઈ રાઠોડ (ઉ.વ.29) નામની યુવતીએ ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ક્રિષ્ના પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી અને સાથે જ ઘરે બાળકોને ટ્યુશન પણ કરાવે છે. ક્રિષ્ના પરિવારના સભ્યોને વારંવાર મને ગમતું નથી તેમ કહી માનસિક અસ્વસ્થતા અનુભવતી હતી. આ આંતરિક મૂંઝવણ અને ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે અંતે તેણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્રિષ્ના બે ભાઈ અને એક બહેનમાં મોટી છે. તેના પિતા હર્ષદભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આધેડે માનસિક આઘાત લાગતા આપઘાતનો પ્રયાસ કર્યો ગોંડલ રોડ ઉપર ખોડિયારનગર મેઈન રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે રહેતા વિજયભાઈ ગગજીભાઈ પરમાર (ઉ.વ.44)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિજયભાઈના બહેનનું અકાળે અવસાન થયું ત્યારબાદ ભાણેજ પરેશને પોતાની છત્રછાયામાં લીધો હતો. મામાની અથાગ મહેનત અને પ્રોત્સાહનના પરિણામે પરેશ ભારતીય સેના (આર્મી)માં પસંદગી પામ્યો હતો. હાલ પરેશ જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યો છે. સૈનિક માટે શપથવિધિએ ગૌરવશાળી ક્ષણ હોય છે, પરંતુ પરેશે આ ખાસ અવસરે પોતાના મામા કે મામીને સાથે ન લઈ જતા તેમની અવગણના કરતા વિજયભાઈને માનસિક આઘાત લાગ્યો હતો. આ લાગણીશીલ આઘાત સહન ન થતા અંતે તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા વિજયભાઈની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે. બીજા માળેથી પડી જતા વૃઘ્ધનું સારવાર દરમિયાન મોત ચંદુભાઇ ગાંડુભાઇ ભુત (ઉં.વ.67) તા.31 માર્ચની સવારે 8 વાગ્યાં આસપાસ 150 ફૂટ રોડ પર મેડીકેર હોસ્પિટલ પાસે આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ પર હતા ત્યારે કોઇ કારણોસર બીજા માળેથી પડી જતા માથાના ભાગે હેમરેજ થતા મેડીકેર હોસ્પિટલમાં સારવારમાં લાવતા આઇ.સી.યુ.માં દાખલ હતા જેમનું સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે 2 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચંદુભાઈ બાંધકામ સાઈટ પર દેખરેખ કરતા હતા તેઓ લિફ્ટના ભાગમાં અકસ્માતે પડી ગયા હતા. ચંદુભાઈને સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે. ગોંડલ ચોકડી પાસે હિટ એન્ડ રન રાજકોટના રૈયાધારમાં રહેતા બાબુભાઈ જીવાભાઈ પરમાર ગઈકાલે બપોરે આશરે 1.30 વાગ્યાની આસપાસ તેમના પત્ની અને પુત્રો સાથે શાપર રહેતા પોતાના સંબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ગોંડલ રોડ ચોકડી પાસે પુલ નીચે સર્વિસ રોડ પરથી ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે બાબુભાઈને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જીને બાઈક ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ લોકો એકઠા થઈ જતા ઈજાગ્રસ્ત બાબુભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમને મોત નીપજ્યું હતું. મૃતક બાબુભાઈ વ્યવસાયે કડિયા કામ કરતા હતા. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પાટડીના હળમતીયા હનુમાન મંદિરે યજ્ઞનું આયોજન:હનુમાન જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે ભક્તો ઉમટ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ૩ કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક શ્રી હળમતીયા હનુમાન મંદિરે હનુમાન જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટડી સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. યજ્ઞનો પ્રારંભ સવારે 9 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો હતો. બપોરે 3 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે 4 વાગ્યે શ્રીફળ આહુતિ અપાઈ હતી. સાંજે 6 વાગ્યે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. આ હળમતીયા હનુમાન મંદિર વિશે એક લોકવાયકા પ્રચલિત છે. વર્ષો પહેલા ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેના કારણે આ સ્થળ 'હળમતીયા હનુમાન મંદિર' તરીકે ઓળખાય છે. આ મૂર્તિ 800થી 900 વર્ષ જૂની હોવાનું મનાય છે.. પાટડી-વિરમગામ રોડ પર આવેલા આ મંદિરે દર શનિવારે અને દર માસની પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અરજણભાઈ ઠાકોર જેવા નિયમિત ભક્તો પાટડીથી પગપાળા દર્શન કરવા આવે છે. મંદિરના અરજણભાઈ ઠાકોર અને કનુભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દર માસની પૂનમે અહીં હવનનું આયોજન થાય છે. હાલમાં આ હનુમાનજી મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારોનો ખોફ એટલો વધી ગયો છે કે હવે તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. તાજેતરમાં શહેરના સગરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે સગરામપુરા પોલીસ ચોકી નજીક જ એક હાર્ડવેરના વેપારી પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. માત્ર દારૂ પીવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખ્સે વેપારી પર છરીથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. દુકાન બહાર દારૂ પીવાની ના પાડતા વેપારી પર છરીથી હુમલોમળતી માહિતી મુજબ નવસારી બજાર સગરામપુરા પોલીસ ચોકી પાસે બસંત બાઈદાન રબારી નામના વેપારીની હાર્ડવેરની દુકાન આવેલી છે. સોમવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસીને દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોટલો પડી હતી. વેપારીએ ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા ટકોર કરી હતી. આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં રાહુલે ખિસ્સામાંથી છરી કાઢી વેપારીના પગના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં વેપારીને સિવિલ હોસ્પિટલ ખસેડાયાઆ સમગ્ર હુમલાની ઘટના દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરોપી રાહુલ સોલંકી દાદાગીરી કરી રહ્યો હતો અને અચાનક હુમલો કરી વેપારીને લોહીલુહાણ કર્યો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વેપારીને 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ વેપારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ આ હુમલાથી તેમના પરિવારમાં ભારે ગભરાટ ફેલાયો છે. 'આરોપીએ મને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો'ભોગ બનનાર વેપારી બસંત રબારીએ જણાવ્યું હતું કે, આ આરોપીનો રોજનો ત્રાસ છે. તે દારૂ પીવે છે, ગ્રાહકોને ગાળો આપે છે. મેં માત્ર દારૂ પીવાની ના પાડી તો તેણે મને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો અને જતી વખતે પણ ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરી તો તને જાનથી મારી નાખીશ. આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અમે શાંતિથી વેપાર કરી શકીએ. અઠવા પોલીસે આરોપી રાહુલ સોલંકીની ધરપકડ કરીઘટનાની ગંભીરતાને જોતા અઠવા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ. એમ. હુદડના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લગાડવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આરોપીના ગુનાહિત ભૂતકાળની તપાસ કરી રહી છે અને તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન એ એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, સુરતના નવા પૂર્વ (સરથાણા) ઝોન વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 84 (કોસાડ-ભરથાણા, કોસાડ-મોટાવરાછા-અબ્રામા) માં વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને આઉટર રિંગ રોડની બંને બાજુએ સ્ટોર્મ બોક્સ ડ્રેઇન બનાવવાનું કાર્ય શરૂ કરવાનું હોવાથી ગોપીન સર્કલ જંકશન પર રિંગ રોડને જોડતા રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે. આ કામગીરીના કારણે તા. 5 એપ્રિલ, 2026થી તા. 15 મે, 2026 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે આ માર્ગો પર અવર-જવર પ્રતિબંધિત રહેશે. નંદ ચોકથી રિંગ રોડ તરફ જવા માંગતા વાહનો માટે વૈકલ્પિક રૂટવહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગોની વિગતવાર વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનો નંદ ચોક (મોટા વરાછા)થી રિંગ રોડ તરફ જવા માંગતા હોય, તેઓએ મોટા વરાછા અબ્રામા ચેક પોસ્ટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળાંક લેવો પડશે અને આશરે 350 મીટર ચાલ્યા બાદ જમણી તરફ વળીને કષ્ટભંજન ચોક થઈ રિંગ રોડ તરફ જઈ શકશે. તેવી જ રીતે, રિંગ રોડથી નંદ ચોક તરફ આવતા વાહનચાલકો કષ્ટભંજન ચોકથી ડાબે કે જમણે વળાંક લઈને અન્ય આંતરિક માર્ગોનો ઉપયોગ કરી શકશે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી બાંધકામની કામગીરી કોઈપણ અડચણ વગર ચાલી શકે અને નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે. અબ્રામા ગામથી રિંગ રોડ તરફ જવા માંગતા વાહનો માટે વૈકલ્પિક રૂટઅબ્રામા ગામ તરફથી આવતા ટ્રાફિક માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અબ્રામા ગામથી રિંગ રોડ તરફ જનારા વાહનોએ ગોપીન રિવર વિલે ત્રણ રસ્તાથી જમણી બાજુ વળાંક લઈ 280 મીટર બાદ પ્રમુખ એક્ઝોટીકા ચાર રસ્તાથી ડાબી તરફ વળી રિંગ રોડ તરફ જવાનું રહેશે. સામા પક્ષે, રિંગ રોડથી અબ્રામા ગામ તરફ જવા માંગતા લોકોએ કષ્ટભંજન ચોકથી વળાંક લઈ પ્રમુખ એક્ઝોટીકા ચાર રસ્તા થઈ ગોપીન રિવર વિલે ત્રણ રસ્તાથી અબ્રામા ગામમાં પ્રવેશ કરી શકાશે. આ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સહકાર આપવા સુરત મહાનગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભાવનગર શહેરના ટી.વી કેન્દ્ર પાસે શ્રમજીવી અખાડામાં રહેતા મહિલા પગારના રૂ. 90,500 હજાર થેલીમાં મુકી એક્સેસમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં એક ટ્રક સામે આવતા તેઓએ એક્સેસ ઉભું રાખતા મોઢે રૂમાલ બાંધી બે શખસો આવી મહિલાની નજર ચુકવી ઍક્સેસમાં ટીંગાડેલ રોકડ ભરેલો થેલો લઈ નાસી છુટ્યા હતા. બનાવને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે મામલે ગંગાજળિયા પોલીસે બે અજણાયા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા પગારના 90,500 રૂપિયા લઈ એક્સેસમાં ઘરે જવા નીકળ્યા હતાઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરની શ્રમજીવી અખાડા પાસે ટીવી રીલે કેન્દ્ર નજીક રહેતા શિલ્યાબેન વિજયભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસા દરમિયાન તેણી જુના બંદર રોડ, વૈશાલી સિનેમા પાસે લાલ સાંઈ એસ્ટેટમાં ચા-ખાંડ પેકિંગ કરવાની મજુરી કામ કરતા હતા. ત્યાથી તેના પતિના પગારના પૈસા રૂ. 40 હજાર, કારીગરોના પગારના રૂ. 49 હજાર, પોતાનો પગાર રૂ. 6 હજાર અને અન્ય 5500 મળી કુલ રૂ. 90,500 થેલામાં મુકી તેઓનું એક્સેસ લઈ પોતાના ઘરે જવા નિકળ્યા હતા. બે શખસો એક્સેસના હુકમાંથી થેલી કાઢી નાસી છુટ્યા હતાકરચલીયા પરા વિસ્તારના આગરીયા વાડના નાકા પાસે રોડ ખરાબ હોવાથી અને સામેથી ટ્રક આવતા તેઓએ તેનું એક્સેસ ઉભું રાખ્યું હતું. જે દરમિયાન મોઢે રૂમાલ બાંધી આવેલા 2 શખસે તેઓની નજર ચુકવી રોકડ ભરેલી થેલી એક્સેસના હુંકમાંથી કાઢી લઈ નાસી છુટ્યા હતા. બનાવને લઈ લોકો ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. જે ફરીયાદ અનુસંધાને ગંગાજળીયા પોલીસે 2 અજાણ્યા શખસ સામે BNS એક્ટ 303(2), 54 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ કેર એટેન્ડન્ટ કોર્સના વિદ્યાર્થીઓને મેડિકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 2 એપ્રિલ, 2026ના રોજ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ગુજરાત CSR ઓથોરિટી અને GSFCના CSR સહયોગથી આ કોર્સ શરૂ કરાયો છે. કૌશલ્ય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોડાસા ખાતે છ માસનો વિનામૂલ્યે હેલ્થ કેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. આ વિતરણ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, મોડાસા ખાતે યોજાયો હતો. જેમાં રેડક્રોસ અરવલ્લીના ચેરમેન શ્રી વનિતાબેન પટેલ, વાઇસ ચેરમેન શ્રી અમરતભાઈ એસ. પટેલ અને કારોબારી સભ્ય શ્રી કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 30 વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જરૂરી મેડિકલ સાધનોનું વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ બાલ હનુમંત ધામ ખાતે આજે હનુમાન જયંતીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર 'જય શ્રીરામ' તથા 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હનુમાનજયંતીના વિશેષ અવસરે પાલી ધામ ખાતે બિરાજમાન ભગવાન હનુમાનજીના બાલ સ્વરૂપને અત્યંત મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને વિવિધ પ્રકારની વાનગીઓ અને મિષ્ટાન્ન ધરાવી 56 ભોગનો ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના આ દિવ્ય સ્વરૂપ અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. શ્રી સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ બાલ હનુમંત ધામની આસ્થા માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ પાડોશી રાજ્યો સુધી પ્રસરેલી છે. હનુમાન જયંતીના દિવસે સમગ્ર દાહોદ જિલ્લા ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણહજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ લાઈનમાં ઉભારહી દાદાના આશીર્વાદ લીધા હતા. ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને દર્શનનીસુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવના ભાગરૂપે મંદિરમાં વિશેષ હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હવનમાં આહુતિઓ આપવામાં આવી હતી અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ વિશાળપાયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે પ્રસાદ ગ્રહણ કરીસેવા અને ભક્તિનો અનન્ય સંગમ રચ્યો હતો. પાલી ગામના આ મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ અત્યંત દુર્લભ એવા બાલ સ્વરૂપમાં વિરાજમાન છે. આ મૂર્તિ અહીં સ્વયંભૂ રીતેપ્રગટ થઈ હોવાની પૌરાણિક માન્યતા છે. આ ધામ પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે કે અહીં સાચા હૃદયથી કોઈ પણ માનતા કે બાધા રાખવામાં આવે તો હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાને કારણે જ આ મંદિરને 'ઈચ્છાપૂર્ણ હનુમાન' તરીકેઓળખવામાં આવે છે. આમ, આજના પવિત્રદિવસે ભક્તોએ મનોકામના પૂર્ણ થવાની આશા સાથે દાદાના દ્વારે શીશ નમાવ્યું હતું.
સુરત મહાનગર પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં સુરક્ષા એજન્સીઓના વર્ક ઓર્ડર આપવાના મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે. મનપાની કરોડો રૂપિયાની મિલકતો અને કચેરીઓની સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સક્ષમ અને લાયકાત ધરાવતી એજન્સીઓને સાઈડલાઈન કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ આખી પ્રક્રિયામાં જે એજન્સીઓ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે અથવા જેમના ડોક્યુમેન્ટ્સ શંકાસ્પદ છે, તેમને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી દેવા માટે અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચોક્કસ એજન્સીઓને ફાયદો કરાવવા માટે કાવતરુ રચ્યાનો આક્ષેપસુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી (તાપીભવન) સહિત શહેરના તમામ ઝોન અને પાલિકાની વિવિધ મિલકતોની સુરક્ષા માટે આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 2128 જગ્યાઓ ભરવાની હતી. આ જગ્યાઓમાં સિક્યુરિટી સુપરવાઈઝર, 19 ગનમેન અને 2057 સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓના પૂરા પાડવાના કોન્ટ્રાક્ટનું મૂલ્ય કરોડો રૂપિયામાં થાય છે, જેના કારણે ચોક્કસ એજન્સીઓને ફાયદો કરાવવા માટે આખું વ્યવસ્થિત કાવતરું રચવામાં આવ્યું હોવાનું જણાય છે. આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ 23 એજન્સીઓએ ભાગ લીધો હતો. આશ્ચર્યજનક રીતે, ડોક્યુમેન્ટ સ્ક્રુટિની દરમિયાન માત્ર 9 એજન્સીઓને જ ક્વોલિફાય કરવામાં આવી હતી, જ્યારે બાકીની 14 એજન્સીઓને પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવી હતી. માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે કાયદાનો દુરુપયોગપાલિકાના શિડ્યુલ-એમાં જણાવવામાં આવેલા નિયમ મુજબ કોર્પોરેશન કોઈ પણ સંસ્થાને કોઈ પણ કારણ જણાવ્યા વિના ડિસક્વોલિફાય કરી શકે છે. આ નિયમનો સહારો લઈને અનેક સક્ષમ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર બેસાડી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, પાલિકાનો આ નિયમ ભારતીય બંધારણના આર્ટિકલ 14 (સમાનતાનો અધિકાર) ની વિરુદ્ધ છે. સરકારી સંસ્થા હોવાના નાતે મનપાએ પારદર્શક રીતે કારણો આપવા જોઈએ, પરંતુ પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે આ પ્રકારના કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો તર્ક આપવામાં આવી રહ્યો છે. આ કૌભાંડમાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, જે એજન્સીઓને લાયક ઠેરવવામાં આવી છે અથવા જેમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમણે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હોવાના આક્ષેપો થયા છે. વિગતો મુજબ કેટલીક એજન્સીઓએ ચીફ સિક્યુરિટી ઓફિસરના નકલી સહી અને સિક્કા વાળા અનુભવના પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. અમુક એજન્સીઓને કારણ આપ્યા વિના જ રિજેક્ટ કરી દેવાઈઆ બાબતે સૈનિક સિક્યુરિટી દ્વારા પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે કે, અમુક એજન્સીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ્સ બનાવીને પાલિકા સાથે છેતરપિંડી કરી છે તેમછતાં વોચ એન્ડ વોર્ડ વિભાગના અધિકારીઓએ આ બાબતે તપાસ કરવાને બદલે તે એજન્સીઓને ક્વોલિફાય કરી દીધી હતી. જ્યારે બીજી બાજુ, જે એજન્સીઓ પાસે સાચા ડોક્યુમેન્ટ્સ અને બહોળો અનુભવ હતો, તેમને નજીવા કારણોસર અથવા કારણ આપ્યા વિના જ રિજેક્ટ કરી દેવાઈ છે. તંત્ર અને શાસકો ગેરરીતિ સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપઆ સમગ્ર પ્રકરણમાં વોચ એન્ડ વોર્ડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. કરોડોના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જે એજન્સીઓને કરોડોના કામ આપવામાં આવ્યા છે, તેમની સાથે અધિકારીઓની અગાઉથી ગોઠવણ હતી. અન્યાયનો ભોગ બનેલી એજન્સીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે વહીવટી તંત્ર અને શાસકો બધું જાણતા હોવા છતાં આ ગેરરીતિ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. શાસકોની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છેપાલિકાના આ ભેદભાવભર્યા વલણને કારણે સિક્યુરિટી એજન્સીઓના વર્તુળમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે તેમને શિરપાવ રૂપે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા શાસકોની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. બધું પાણી જેવું ચોખ્ખું જ છે, કોઈ ગેરરીતિ કરવામાં આવી નથીચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે જણાવ્યું હતું કે, આઠ સિક્યુરિટી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને તમામે કાલથી કામ પણ ચાલુ કરી દીધું છે. જે સિક્યુરિટી ઓર્ડર મળ્યો નથી તે લોકો આક્ષેપો કરે છે. ભલે આક્ષેપો કરતા તે તેમનો અધિકાર છે પરંતુ, આમાં કોઈ ખોટું થયું નથી બધું બરાબર જ છે. જે લોકો પર પહેલા લાયસન્સને લઈને આક્ષેપો હતા તેમને લાયસન્સ મળી ગયેલા છે એટલે આમાં બધું પાણી જેવું ચોખ્ખું જ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી.
ડાયમંડ સિટી સુરતના રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત ડાયમંડ બુર્સ (SDB) ને રફ ડાયમંડ ટ્રેડિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે વેપારીઓએ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. ગુરુવારે બુર્સ ખાતે મળેલી હાઈ-લેવલ મીટિંગમાં સર્વસંમતિથી નક્કી કરાયું છે કે હવે રફ હીરાનું તમામ ટ્રેડિંગ અને ઈમ્પોર્ટ પ્રક્રિયા SDB ખાતેથી જ સંચાલિત કરવામાં આવશે. રફ હીરાની આયાતથી લઈને તેના ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડાયમંડ બુર્સમાંથી જ થશેસુરત ડાયમંડ બુર્સ ખાતે આયોજિત આ બેઠકમાં રફ ડાયમંડના અગ્રણી વેપારીઓએ હાજરી આપી હતી. ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, જો સુરતને વિશ્વનું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવું હોય તો તમામ પ્રવૃત્તિઓનું એકત્રીકરણ જરૂરી છે. વેપારીઓએ નિર્ણય લીધો છે કે, રફ હીરાની આયાતથી લઈને તેના ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડાયમંડ બુર્સમાંથી જ થશે, જેથી વેપારને વધુ ગતિ મળશે. વેપારીઓના સકારાત્મક અનુભવોએ વધાર્યો ઉત્સાહઆ બેઠક દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ ઉપેશભાઈ શાહએ પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 18મી તારીખથી બુર્સમાં ઓફિસ શરૂ કર્યા બાદ તેમને અદભૂત બિઝનેસ રિસ્પોન્સ મળ્યો છે. ત્યાંની અત્યાધુનિક સુવિધાઓ અને એક જ સ્થળે મળતા વેપારીઓને કારણે કામગીરીમાં સરળતા રહે છે. તેમના આ સકારાત્મક પ્રતિસાદથી પ્રેરાઈને અન્ય ઘણા વેપારીઓએ પણ તાત્કાલિક અસરથી બુર્સમાં સ્થળાંતર કરવાની તૈયારી દર્શાવી છે. 4 એપ્રિલે હર્ષ સંઘવીનું સન્માનઆગામી 4 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે સુરત ડાયમંડ બુર્સમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (નાયબ મુખ્યમંત્રી) હર્ષભાઈ સંઘવીનો સન્માન સમારોહ યોજાનાર છે. આ પ્રસંગે સુરતની ઘણી મોટી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસો SDBમાં શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. ઓનલાઈન રફ ટ્રેડિંગ કરતી મોટી કંપનીઓ પણ હવે ફિઝિકલ હાજરી સાથે બુર્સમાં જોડાવા માટે ઉત્સુક છે. લાલજીભાઈ પટેલ(વાઇસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ) એ જણાવ્યું હતું કે, રફ ડાયમંડ ટ્રેડિંગને SDBમાં સંપૂર્ણ રીતે કેન્દ્રિત કરવાનો નિર્ણય ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ઇમ્પોર્ટ, ટ્રેડિંગ અને ટેન્ડરિંગ એક જ જગ્યાએ થવાથી સુરક્ષા વધશે અને સમયનો બચાવ થશે. તમામ વેપારીઓ નિર્ધારિત સમયમાં અહીં વેપાર શરૂ કરવા પ્રતિબદ્ધ છે. SDBમાં વેપાર વધારવા માટેના મુખ્ય મુદ્દાઓ: સુરતના આ નિર્ણયથી મુંબઈ અને બેલ્જિયમ જેવા ડાયમંડ સેન્ટરોને સુરત સીધી ટક્કર આપશે એવું બજારના નિષ્ણાતો માની રહ્યા છે. વેપારીઓના આ એકજુથ નિર્ણયથી સુરત ડાયમંડ બુર્સમાં હવે નવા પ્રાણ ફૂંકાયા છે.
PI આર.બી. સોલંકીને દ્વારકાથી વિદાય અપાઈ:દિવ્યાંગ બાળકો સાથે અતૂટ સંબંધ બાંધી 'પોલીસ દીદી' બન્યા
દ્વારકામાં ફરજ બજાવતા PI આર.બી. સોલંકીને વિદાય આપવામાં આવી છે. 'પોલીસ દીદી' તરીકે જાણીતા સોલંકીએ છેલ્લા ચાર વર્ષમાં દિવ્યાંગ બાળકો સાથે અતૂટ સંબંધ બાંધ્યો હતો. તેમણે રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના બાળકો સાથે તહેવારો અને અન્ય પ્રસંગોએ સક્રિયપણે ભાગ લીધો હતો. તેમનો સહયોગ બાળકો માટે પ્રેરણાદાયી રહ્યો હતો. વિદાય સમારોહ દરમિયાન, બાળકો અને સંસ્થાના સભ્યો ભાવુક બન્યા હતા. PI સોલંકીએ દરેક બાળકને પ્રેમથી ગળે લગાવી ફરી મળવાની ખાતરી આપી હતી. આ વિદાય સમારોહ પોલીસ અધિકારી અને દિવ્યાંગ બાળકો વચ્ચેના વિશેષ સંબંધોને ઉજાગર કરનારો બન્યો હતો. તેમની સેવા અને બાળકો પ્રત્યેની લાગણી યાદગાર રહેશે.
LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર:14 જૂને લેખિત પરીક્ષા, આ રીતે ચેક કરો રિઝલ્ટ
ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. પુરુષ ઉમેદવારોની યાદી મહિલા ઉમેદવારોની યાદી માજી સૈનિક ઉમેદવારોની યાદી ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાઈભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોને પોતાની કેટેગરી મુજબની લિંક પર ક્લિક કરી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. RFID Lap Data અને CCTV કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી થઈઆ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે RFID Lap Data અને CCTV કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શારીરિક માપ કસોટી દરમિયાન ઊંચાઈ અને અન્ય માપદંડોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હોવાનું બોર્ડે જણાવ્યું છે. ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે 14 જૂને લેખિત પરીક્ષાભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર તરફથી ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ઉપરાંત, સરકાર કે ન્યાયાલયના કોઈ પણ નવા આદેશો લાગુ પડશે તો તે તમામ ઉમેદવારો માટે બાધ્ય રહેશે. લોકરક્ષક ભરતીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા તા. 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ યોજાશે. ઉમેદવારોને સમયસર તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચનજો કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં લેખિતમાં રજૂઆત કરવાની રહેશે. સમયમર્યાદા બાદ મળતી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગામના શિવનગર વિસ્તારમાં એક રખડતી ગાયે એક્ટિવા સવાર યુવક પર હિંસક હુમલો કરી તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઇને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રખડતી ગાયનો યુવક પર અચાનક હુમલોમળતી માહિતી મુજબ વેરાવળના શિવનગર શેરી નંબર-4માંથી એક યુવક પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતી એક ગાયે અચાનક યુવક પર હુમલો કર્યો હતો. ગાયે યુવકને એક્ટિવા પરથી નીચે પાડી દીધો હતો અને ત્યાર બાદ પોતાના પગથી કચડવાનું શરૂ કર્યું હતું. ગાય શિંગડા ભેરવી યુવકને ફંગોળ્યો હતોયુવકની ચીસાચીસ સાંભળીને આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ગાય યુવકને શિંગડા ભેરવીને ફંગોળી રહી હતી, પરંતુ સ્થાનિક લોકોએ હિંમત દાખવી લાકડીઓ વડે ગાયને માર મારી ત્યાંથી દૂર ભગાડી હતી. જોકે, લોકો સમયસર ન પહોંચ્યા હોત તો જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. ગંભીર ઈજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયોઆ હુમલામાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દશામાતા મંદિરે ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્ત પરિવારો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામની કુંવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું. ગામમાં નહેર રોડ પર આવેલું આ દશામાતા મંદિર ઠાકોર પરિવારો સહિત અન્ય સમાજના લોકો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. છેલ્લા ૧૧ વર્ષથી દર ચૈત્રી પૂનમે માતાજીના ઉપાસક દિનેશભાઈ સદાજી ઠાકોર અને અન્ય ભક્તો દ્વારા અહીં યજ્ઞ કરવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે એક ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં બહાદુરસિંહ ભીખુજી રાઠોડ યજમાન પદે બિરાજમાન થયા હતા, જ્યારે પંડિત અજીતભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંપન્ન કરાવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને યજ્ઞનો લાભ લીધો હતો. યજ્ઞ બાદ ગામની તમામ કુંવાસીઓ અને શાળાના બાળકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, માતાજીના મંદિર પાસે આવેલા રામદેવપીર મંદિરમાં પણ દર પૂનમે ભજન કીર્તનનું આયોજન થાય છે. ગુરુવારે સેવાળા ગામની ભજન મંડળી દ્વારા ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાના મંદિરનો પાટોત્સવ આગામી વૈશાખ સુદ અગિયારસ, તારીખ 27 એપ્રિલ 2026 ના રોજ યોજાશે. આયોજન અને વિચારણા માટે ટ્રસ્ટી મંડળ અને કારોબારીની એક ઔપચારિક બેઠક ગુરૂવારે યોજાઈ હતી. પાટોત્સવમાં 2500 થી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. બેઠકમાં પાટોત્સવની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ બનાવવાનો અને યોગ્ય વ્યક્તિઓને તેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. પાટોત્સવના દિવસે માતાજીના મંદિરના નવનિર્મિત પ્રવેશદ્વારનું તક્તી અનાવરણ કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. આ દિવસે 2000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને 500 જેટલા શ્રદ્ધાળુઓ માટે ફરાળી ભોજન તૈયાર કરવામાં આવશે. અન્ય મુદ્દાઓમાં પ્રવેશદ્વાર સાથે જોડાયેલી દીવાલનું એલીવેશન, ભારતીય પરંપરાગત બેઠકમાં સાધારણ સભા યોજવી, નવીન ભોજન દાતાનું નામ નક્કી કરવું, દિલીપભાઈ રાજકોટ તરફથી દર વર્ષની જેમ શરબતની સેવા આપવી, જરૂરિયાત મુજબના પાણી પુરવઠાની ઉપલબ્ધિ અને જરૂરી વાસણ સામગ્રીની ખરીદી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉપપ્રમુખ એલ.ડી.પટેલ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, મંત્રી સુરેશભાઈ વ્યાસ, ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઈ વ્યાસ, મૂળશંકર વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, રામજીભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, નીતિનભાઈ વ્યાસ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચૈત્રી પૂનમ નિમિત્તે નિખિલભાઇ ગીરીશભાઈ ભગત (સરડોઇ, હાલ મુંબઈ) ના યજમાન પદે અને જીગ્નેશભાઈ દવે, ભરતભાઈ દવે, મેહુલભાઈના આચાર્ય પદે માતાજીનો યજ્ઞ યોજાયો હતો. જ્યારે વાઘેલ નિવાસી સ્વ. ઘેલાભાઈ રામચંદભાઈ મદાત અને સ્વ. ડાયાભાઈ રામચંદભાઈ મદાત પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલશે. જોકે, હનુમાન જયંતિના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ડભોઇના ધારાસભ્યના એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેરમાં આપેલું નિવેદન હાલ ચર્ચાની એરણે ચઢ્યું છે. શૈલેષ મહેતા હનુમાન મંદિરે દર્શનાર્થે ગયા હતાબાલવીર યુવક મંડળ દ્વારા હનુમાનજીના મંદિરે દર્શન તેમજ આરતી માટેનું શૈલેષ મહેતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે અહિયાં આશીર્વાદ લેવા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આમંત્રણ મને મળતું હતું. આજે મને કહેવામાં આવ્યું કે આ ત્રીજી વાર છે, ખરાબ લાગે એટલે આવવું પડે. મેં 25 મિનિટ પહેલા ગાડી સ્ટાર્ટ કરી અને પોણા 12 વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી, ત્યારે અહીં આવી ગયો છું. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અહિયાં મૂકી ગયા છે. ધારાસભ્યએ આડકતરી રીતે કહ્યું- ચૂંટણીમાં બતાવી દેજોશૈલેષ મહેતાએ ધાર્મિક કાર્યક્રમમાં પણ જાણે ચૂંટણી પ્રચાર કરી દીધો હતો. તેઓએ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, જયશ્રી રામ સાથે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવા આશીર્વાદ. જેને જયશ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું પણ જયશ્રી રામ કરી નાખજો. અગાઉ પણ અનેક નિવેદનોથી શૈલેષ મહેતા ચર્ચામાં રહ્યાધારાસભ્ય શૈલેષ મહેતા અગાઉ પણ પોતાના અનેક નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. પોતાના વિસ્તારમાં કટ્ટર હિન્દુ નેતા તરીકેની છબી ધરાવતા શૈલેષ મહેતા અવારનવાર પોતાના ધાર્મિક કટ્ટર નિવેદનોથી લોકો સુધી સંદેશ પહોંચાડતા રહ્યા છે, ત્યારે સામી ચૂંટણીએ આવેલા આ નિવેદનના કારણે તેઓ પુનઃ ચર્ચામાં આવ્યા છે.
પાલનપુર નગરપાલિકાએ વર્ષ 2026-27 માટે શહેરની તમામ મિલકતોના મિલકતવેરા આકારણી રજિસ્ટર (એસેસમેન્ટ બુક) તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યા છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આ અંગે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાની હદમાં મિલકત ધરાવતા તમામ આસામીઓ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજ દરમિયાન નગરપાલિકા કચેરીએ જઈને આ આકારણી પત્રકોની રૂબરૂ ચકાસણી કરી શકશે. જો કોઈ મિલકત ધારકને તેમની વાર્ષિક આકારણી સામે વાંધો કે તકરાર હોય, તો તેઓ આગામી 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધીમાં કચેરી સમય દરમિયાન લેખિતમાં વાંધા અરજી રજૂ કરી શકશે. નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, 30 એપ્રિલ, 2026 બાદ મળેલી કોઈ પણ વાંધા અરજી કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. નિર્ધારિત સમયમર્યાદા પછી આકારણીને આખરી ગણવામાં આવશે. વાંધા અરજી સબમિટ કરતા પહેલા, સંબંધિત મિલકત ધારકે વર્ષ 2025-26 સુધીના તમામ બાકી વેરા અને ભાડા નગરપાલિકામાં ફરજિયાતપણે ભરપાઈ કરેલા હોવા જોઈએ. આકારણી પત્રકની તપાસ માટે આવતી વખતે મિલકત ધારકોએ અગાઉ ભરેલા ટેક્સની પાવતી સાથે રાખવી આવશ્યક છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અને સમયમર્યાદાનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના આસિસ્ટન્ટ એન્જિનિયર વિજયકુમાર મીનાને ₹4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઇલેક્ટ્રિક કામના બિલો મંજૂર કરવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો ફરિયાદીના મિત્રને મળેલા બે સરકારી પ્રોજેક્ટ્સના ઇલેક્ટ્રિક કામ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને WHO દ્વારા નિર્મિત રિસર્ચ સેન્ટર તેમજ દેવભૂમિ દ્વારકાના મોજપ ગામ સ્થિત BSF મરીન તાલીમ કેન્દ્રના હતા. કામગીરી પૂર્ણ થયા બાદ તેના બિલો મંજૂર કરવા માટે મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાએ લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે રાજકોટ ACB ફિલ્ડ પી.આઈ. આર.એન. વિરાણી અને જામનગર ACB સ્ટાફ દ્વારા જામનગર આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી CPWD ની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, આક્ષેપિત વિજયકુમાર મીનાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ₹4,52,000 ની લાંચ માંગી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકાર્યા બાદ આરોપીએ ફરિયાદીના મિત્ર (કોન્ટ્રાક્ટર) સાથે ફોન પર રકમ મળી ગઈ હોવાની કબૂલાત પણ કરી હતી. આ પુરાવાના આધારે ACB એ વિજયકુમાર મીનાને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ACB દ્વારા લાંચની સંપૂર્ણ રકમ ₹4,52,000 રિકવર કરવામાં આવી છે અને ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને માર્ગદર્શન નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીએ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો. આ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ વિભાગોને સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો અપાયા હતા. ચૂંટણી પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, સાયબર સિક્યુરિટી, વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાના આયોજન પર ભાર મુકાયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ICGS શૌર્ય પોરબંદર ખાતે કાયમી તૈનાત:ગુજરાતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે
ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' હવે 1 એપ્રિલ, 2026થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ચેન્નાઈ ખાતે કાર્યરત હતું અને તેના આગમનથી અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. 'ICGS શૌર્ય' ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ભારતમાં જ નિર્મિત 'સમર્થ ક્લાસ'નું ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) છે. તે સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ છે, જે ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા દર્શાવે છે. આ જહાજ આશરે 105 મીટર લાંબુ અને 2300 ટન વજન ધરાવે છે. તે ૨૩ નોટિકલ માઈલની મહત્તમ ઝડપે ગતિ કરી શકે છે. તેની ક્ષમતા એવી છે કે તે સતત 20 દિવસ સુધી દરિયામાં રહીને 6000 નોટિકલ માઈલ સુધીનો પ્રવાસ કરી શકે છે. 'શૌર્ય' CRN-91 ગન, આધુનિક નેવિગેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત, તેના પર 'HAL ધ્રુવ' જેવા હેલિકોપ્ટર ઉતારી શકાય છે, જે દરિયાઈ સર્ચ અને રેસ્ક્યુ કામગીરીમાં અત્યંત મદદરૂપ સાબિત થશે. પોરબંદર ખાતે આ જહાજની તૈનાતીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદ પર સઘન દેખરેખ રાખવાનો છે. તે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરશે અને ગુજરાતના માછીમારોની સલામતી સુનિશ્ચિત કરશે. આ જહાજ દરિયાઈ માર્ગે થતી દાણચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવામાં અને કાયદાનું પાલન કરાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉપરાંત, દરિયામાં આફત સમયે બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે પણ તે સક્ષમ છે.
ભરૂચ શહેરમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનો પ્રારંભ કોઠી ચાર રસ્તા સ્થિત સ્વયંભૂ બાલ સ્વરૂપ હનુમાન મંદિર ખાતેથી થયો હતો. યાત્રા જૂના ભરૂચમાં ફરતા જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શ્રદ્ધાળુઓએ ભજન-કીર્તન સાથે ધાર્મિક ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિંદુ સમાજમાં એકતા, અનુશાસન, જ્ઞાન અને ધાર્મિક ભાવનાનું સંવર્ધન કરવાનો હતો. ઉપરાંત, જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરોની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવાનું મહત્વ પણ આ યાત્રા દ્વારા વ્યક્ત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન શંકરાચાર્ય મઠ હનુમાનજી મંદિર ખાતે થયું હતું, જ્યાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે, હિંમતનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને સુદ્રઢ અને આયોજનબદ્ધ બનાવવા માટે વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આગામી 6 એપ્રિલ, 2026થી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ, 2026 નક્કી કરાઈ છે. જ્યારે 15 એપ્રિલ, 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે. ત્યારબાદ, 28 એપ્રિલ, 2026 ના રોજ મતોની ગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીઓમાં જિલ્લામાં કુલ 8 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ પ્રાંતિજ નગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. નિમણૂક કરાયેલા નોડલ અધિકારીઓ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે આચારસંહિતાનો અમલ, મેનપાવર વ્યવસ્થાપન, તાલીમ અને મતદાન મથકો પરની સુવિધાઓ પર સીધી દેખરેખ રાખશે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ અધિકારીઓને ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ન રાખવા અને પરસ્પર સંકલન સાધીને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરવા સૂચન કર્યા હતા.
બનાસકાંઠાના પાલનપુર વીરપુર પાટિયા નજીક એક ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો અને તેના હાથ-પગ પણ બાંધેલા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મૃતકના હાથ-પગ બાંધેલા હોવાથી પાલનપુર તાલુકા પોલીસે હત્યાના એંગલથી તપાસ કરી રહી છે. આ અંગે પાલનપુર તાલુકા PI એચ.બી. ધાંધલીયાએ જણાવ્યું હતું કે, આ મામલે FIR નોંધવામાં આવી છે. જે લોકો પર શંકા છે તેઓને વેરીફાય કરવામાં આવી રહ્યા છે. હાલ આગળ તપાસ ચાલુ છે.
ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે રામભક્ત હનુમાનજીનો જન્મોત્સવ દેશભરના મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. મોડાસાના સાકરીયા ગામે આવેલા સ્વયંભૂ સુતેલા હનુમાનજી મંદિરે પણ દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો. આ મંદિર દેશના ફક્ત બે સ્થાનો પૈકીનું એક છે જ્યાં હનુમાનજી સુતેલા સ્વરૂપે બિરાજમાન છે. આ અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા વૈદિક ભૂદેવોની ઉપસ્થિતિમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 50થી વધુ દંપતીઓએ પૂજા અને હવનમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. પાંડવકાળના આ સ્વયંભૂ ભીડભંજન હનુમાનજીના અનેક પરચા જોવા મળ્યા છે. સાકરીયા ઉપરાંત, સુતેલા સ્વરૂપે હનુમાનજીનું બીજું મંદિર અલ્હાબાદમાં આવેલું છે, જે આ મંદિરની વિશિષ્ટતા દર્શાવે છે. જન્મોત્સવના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવ્યા હતા. સવારથી સાંજ સુધીમાં લગભગ 50 હજારથી વધુ ભક્તોએ દાદાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાકરીયા હનુમાનજી મંદિરે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડના પાઠ પણ યોજાય છે, જ્યાં ભક્તો ચમત્કારિક હનુમાનજીના દર્શન કરી ધન્ય બને છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજકોટમાં આવી સૌરાષ્ટ્રના પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી રહી છે. આજે રાજકોટના ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં અમિત ચાવડાની ઉપસ્થિતીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજકોટ શહેર જિલ્લા, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના આગેવાનો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે પ્રદેશ પ્રમુખ દ્વારા જીતના દાવા સાથે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત જનતા પરિવર્તનની શરૂઆત ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી 5 એપ્રિલના રોજ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે જેમાં મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના 3 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક 4.30 વાગ્યા સુધી ચાલી હતી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ આગેવાનોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાર્ટીની રણનીતિ સ્પષ્ટ કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા સૂચના આપી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં જયારે 10,000 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે અગાઉથી જ આ વખતે કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચી લોકોની વ્યથા અને પ્રશ્નો જાણવા પ્રયાસ કર્યો હતો. આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્રના પ્રમુખો, હોદેદારો, આગેવાનો અને નિરીક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ઉમેદવારો અંગે અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની ચૂંટણી સમિતિ પણ આગામી બે દિવસમાં પોતાની કાર્યવાહી શરૂ કરશે અને આ વખતે યુવાનોને પ્રાધાન્ય આપી 50% યુવા ઉમેદવારોને મેદનામાં ઉતારવા નિર્ણય કરાયો છે. અમે લોકોના મત જાણ્યા છે લોકોમાં નારાજગી છે રોષ છે. ગુજરાત આંખની જનતા ભાજપના ભ્રસ્ટાચારી શાસન અને મોંઘવારીથી ત્રસ્ત છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે યુવાનો દારૂ અને ડ્રગ્સના દુષણમાં ફસાયા છે માટે તમામ મુદાઓને ધ્યાનમાં રાખી અમે આ વખતે પ્રજાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોકો વચ્ચે મત માંગવા જવાના છીએ. અમારી સરકાર બનતા તમામ સમસ્યાઓ હલ કરવા પ્રયત્ન કરશે અને ખાસ આ વખતે પરિવર્તનની શરૂઆત ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી થવાની છે. પ્રદેશ પ્રમુખ દ્વારા આજે તમામ પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલ પ્રવાસ અંગે ચર્ચા કરી ઉમેદવારોની સ્થિતિ શું છે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બેઠકમાં ઉમેદવારો પસંદગી અંગે કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ જગ્યાએ પ્રભારીઓ સમક્ષ કોઈ રજુઆત કરવામાં આવી છે કે કેમ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહે તે માટે અગાઉ થી લીગલ ટીમને બોલાવી ફોર્મ ભરવા તાલીમ આપી દેવામાં આવી છે અને ચૂંટણીમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે ઝીણવક ભરી કાળજી રાખવા તમામને સૂચના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. આજની સૌરાષ્ટ્રની બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, વિક્રમભાઈ માડમ, મહમદ પીરઝાદા, પ્રવિણભાઇ મૂછડીયા, હીરાભાઈ જોટવા, લલિત વસોયા, ઋત્વિજ મકવાણા, ભીખાભાઇ જોશી, જીજ્ઞેશ મેવાણી, પ્રતાપ દુધાત હાજર રહ્યા હતા.
જૂનાગઢ શહેરના જીઆઈડીસી (GIDC) ફેઝ-2 વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. અહીં આવેલી માધવ પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માધવ પ્લાસ્ટિકના કારખાનામાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના અન્ય કારખાનાના શ્રમિકો અને માલિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આગનું કારણ હજુ અકબંધ છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તેમજ આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
AI Image Major allegations over Andhra polls: આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં NDA (ટીડીપી સહિત)એ 175 માંથી 164 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. એ ચૂંટણીને બે વર્ષ વીતી ગયા છે, પરંતુ એના પરિણામો પર હવે સવાલ ઊઠી રહ્યા છે.
ભરૂચ શહેરમાં રોયલ કોમ્પલેક્ષના તોડકામનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વોર્ડ નંબર 8 માં આવેલા આ કોમ્પલેક્ષની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો તોડી પાડવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોક ‘એ’ તરીકે ઓળખાતા રોયલ કોમ્પલેક્ષનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હતો. આથી, નગરપાલિકા દ્વારા કોમ્પલેક્ષને હટાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. દુકાનદારોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી દરમિયાન માત્ર જર્જરિત ભાગ દૂર કરવાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મજબૂત દુકાનો પણ કોઈ પૂર્વ સૂચના વગર તોડી પાડવામાં આવી છે. દુકાનદારોના મતે, કોન્ટ્રાક્ટરે રજાના દિવસે તકનો લાભ લઈ આ કામગીરી કરી, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. વેપારીઓનો દાવો છે કે, તેમની દુકાનો સંપૂર્ણપણે સુરક્ષિત હતી અને તેને તોડી પાડવી એ અન્યાયપૂર્ણ તથા ગેરકાયદેસર છે. અસરગ્રસ્તોએ તેમની મુખ્ય માંગોમાં કાર્યવાહીને જર્જરિત ભાગ પૂરતી મર્યાદિત રાખવા, દુકાનોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયર જયેશ સોનાગરાએ જણાવ્યું હતું કે, સમગ્ર કોમ્પલેક્ષનો જર્જરિત ભાગ ઉતારી લેવા માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. નીચેની દુકાનોની હાલત સારી હોવા અંગેનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવા જે તે દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું.
ગઢડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 29 બેઠકો માટે ભાજપમાં 200થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઢડા ખાતે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધ્રુવ, ભીવીશા પટેલ અને નરેન્દ્ર પુરોહિતે ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને સાંભળ્યા હતા.ભાજપમાંથી ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો થયો હતો.જો પક્ષ દ્વારા ત્રણ વર્ષથી ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષની ઉંમરની મર્યાદા મૂકવામાં આવે, તો અનેક નેતાઓના પત્તા કપાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઢડામાં ભાજપ દ્વારા યોજાયેલી આ સેન્સ પ્રક્રિયા અંગે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભી તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાત યાદવે માહિતી આપી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે ખાસ મુલાકાત કરી હતી. 02/04/2026 ના રોજ યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ ભાવનગર સંસદીય ક્ષેત્રમાં માર્ગોનું માળખું વધુ સુદ્રઢ બનાવી પ્રાદેશિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે: આર્થિક ક્રાંતિની આશાબેઠકની શરૂઆતમાં નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પિત થયેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ભાવનગરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે 'બેકબોન' એટલે કે કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. આ માર્ગથી પરિવહન ઝડપી બનતા સ્થાનિક ઉદ્યોગો અને રોજગારીને મોટો ફાયદો થશે. નવી પરિયોજનાઓ અને શહેરી માર્ગોનું આધુનિકીકરણસાંસદે ભાવનગર જિલ્લામાં આગામી સમયમાં આવનારી નવી રોડ પરિયોજનાઓ અંગે નીતિન ગડકરી સાથે વિગતવાર પરામર્શ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગોના આધુનિકીકરણ અને તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે સાંકળવા બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ રજૂઆતોને નીતિન ગડકરીએ અત્યંત હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને ભાવનગરની કનેક્ટિવિટી વધારવા માટે જરૂરી વહીવટી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ.8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન થયા. તો 151 કિલોની કેક ધરાવાઈ અને 1 લાખ બલૂનની વર્ષા કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ લાલીયાવાડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરી કરી. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં પહેલા દિવસે જ લાલીયાવાડી જોવા મળી. અહીં સૌથી વધુ દાવેદારો આવવાના હતા પણ નિરીક્ષકો જ સમયસર પહોંચ્યા નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો.તેમનો આક્ષેપ છે કે રાજ્યમાં આપના 10 હજાર કાર્યકરોની ધરપકડનો કારસો રચાઈ રહ્યો છે. સાથે જ તેમણે સીએમ સાથે મુલાકાતનો સમય પણ માગ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો.વેરાવળ-પાટણના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો.આનાથી અહીના રાજકીય સમીકરણોમાં પલટો આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 કલાકથી વધુ સમયથી મૃતદેહો રસ્તા પર કડી- કલ્યાણપુરા રોડ પર જેસીબીની ટક્કરે શ્રમિક પરિવારના બે બાળકોના મોત થયા..રોડના કન્સ્ટ્રક્શન માટે આવેલા પરિવારના 2 અને 4 વર્ષના બે બાળકોના મોત થયા. 10 કલાકથી વધુ સમય સુધી બાળકોના મૃતદેહો રસ્તા પર પડી રહ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોજગારી ન મળતા ટ્રક નીચે ઝંપલાવી આપઘાત રોજગારી ન મળતા નેપાળના યુવકે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો. વડોદરામાં રહેતો જગદીશ જોષી નામનો યુવક પાંચ દિવસથી રાજકોટમાં કામધંધાની શોધમાં આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિકોલ પોલીસ સ્ટેશનમાં લાગ્યા જય શ્રી રામના નારા અમદાવાદના નિકોલમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લઘુમતિ સમાજના યુવકે દુષ્કર્મ આચરતા બજરંગદળ એક્શનમાં. નિકોલ પોલીસ સ્ટેશનમાં 'જય શ્રી રામ'ના નારા લાગ્યા..આરોપી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1400 કિલો પનીરના લેબ રિપોર્ટ ફેલ સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરનો ચોંકાવનારો લેબ રિપોર્ટ.. પામોલીન તેલ-ઇન્ડસ્ટ્રીયલ એસિડથી પનીર બનાવાતું હતું.. બે વર્ષથી નકલી પનીરનું નેટવર્ક સક્રિય હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોએ રોષ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરી.પાનસેરિયાએ ખાતરી આપતા કહ્યું કે ચૂંટણીની આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવામાં આવશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગર અને કચ્છમાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં ભરઉનાળે કરા સાથે વરસાદ પડ્યો..આ સિવાય કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા..કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગોધરામાં સરકારી યોજનાના બોર્ડ-બેનરો હટાવાયા:ચૂંટણી આચારસંહિતાના અમલને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ ગોધરા શહેરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન રૂપે, ગોધરા નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારના બોર્ડ, બેનરો અને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ, વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી સંકુલની આસપાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના હોર્ડિંગ્સ, પોસ્ટર્સ તેમજ રાજકીય નેતાઓના ફોટા ધરાવતા બેનરોને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર દીવાલો પર કરવામાં આવેલા રાજકીય પક્ષોના લખાણ-ચિત્રો અને સરકારી યોજનાઓના લખાણોને પણ પાલિકાની ટીમ દ્વારા કલર લગાવીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે એક તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આગામી બે ત્રણ દિવસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના વડું બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય દ્વારા લોકો સમક્ષ સોશિયલ મીડિયા થકી હિસાબ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મારફતે તેઓએ આ બેઠક પરથી પોતાના પત્નીને ઉમેદવાર જાહેર કરવાની તૈયારી કરી દીધી છે.કોંગ્રેસ જાહેર કરે કે ન કરે તેઓએ જાતે જ પોતાના પત્નીના નામની જાહેરાત કરી દીધી હોય તેમ તૈયારીઓ કરી દીધી છે. વડું બેઠક પરથી આ વખતે મહિલા ઉમેદવારજિલ્લા પંચાયતની વડું બેઠક ઉપર આ વખતે મહિલા બેઠક છે જેથી આ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. જો કે મહિલા બેઠક હોવાથી તેઓએ પોતાના પત્નીને લડાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પોતાના મતદારોને રીઝવવા માટેની પણ તેઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પક્ષ ટિકિટ આપે કે ન આપે તેઓ તો નક્કી જ છે તે રીતે તેઓએ પ્રચાર પણ શરુ કરી દીધો છે. કેલેન્ડર પણ છપાવવા આપી દેવાયાઆ અંગે અર્જુનસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, રોજેરોજ દરેક ગામવાર હિસાબ આપીશ. આ વખતે મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. હાલમાં આ કેલેન્ડર છપાવવા પણ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે ગણીગાંઠી બેઠકો હતી જે પૈકીની આ એક બેઠક હતી ત્યારે તેઓએ મોવડીમંડળની પણ જાહેરાતની પરવા કર્યા વગર જાતે જ ઉમેદવાર તરીકે સ્વઘોષિત થઇ ગયા હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે.
મોરબીના રાજવી પરિવારે મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનના નિર્માણ માટે બે એકર જમીનનું દાન કર્યું છે. આ જમીન દાન બદલ સમાજ ભવનના ટ્રસ્ટીઓએ રાજવી પરિવારની મહારાજા કુમારીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માન સમારોહ મોરબીના ન્યુ પેલેસ ખાતે યોજાયો હતો. મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ ભવનના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા દાન કરાયેલી આ બે એકર જમીનની વર્તમાન બજાર કિંમત આશરે ૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ટ્રસ્ટીઓએ આ કિંમતી જમીન સમાજ માટે અર્પણ કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સન્માન સમારોહમાં મોરબીના મહારાજા કુમારીઓ મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દશરથસિંહ યુ. ઝાલા, મહાવીરસિંહ એન. ઝાલા, આર.એન. ઝાલા, મહેન્દ્રસિંહ ડી. ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, કિશોરસિંહ વી. ઝાલા અને છત્રસિંહ જે. જાડેજા સહિતના ટ્રસ્ટીઓ તેમના ધર્મપત્નીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ ઉપરાંત જયુભા જાડેજા, મનહરસિંહ જાડેજા, વિજયભાઈ શાહ અને લક્ષ્મણભાઈ બારોટ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લામાં આગામી ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ત્રણ દિવસીય સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા વિવિધ બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે કુલ 124 બેઠકો માટે 237 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો આવરી લેવામાં આવી રહી છે. પ્રદેશમાંથી રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે. આજે બીજા દિવસે મોરબી જિલ્લાના બે તાલુકાની જુદી જુદી બેઠકો માટે સેન્સ લેવાઈ રહી છે. સવારે 9:30 વાગ્યાથી હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવાઈ હતી. ત્યારબાદ 11:30 વાગ્યાથી મોરબી તાલુકા પંચાયત તથા મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે અને બપોરે 2:30 વાગ્યાથી માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે. ગઈકાલે, સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે માળિયા, વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયતની બેઠકો તેમજ આ ત્રણેય તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. આ ઉપરાંત, વાંકાનેર અને ટંકારા નગરપાલિકાની બેઠકો પણ આવરી લેવાઈ હતી. પ્રથમ દિવસે નોંધાયેલી દાવેદારી મુજબ, માળિયા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 15 આગેવાનોએ, વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 27 આગેવાનોએ અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 આગેવાનોએ દાવેદારી કરી હતી. તાલુકા પંચાયતની બેઠકો માટે, માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 45 અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 19 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. તેવી જ રીતે, વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 35 અને ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 25 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓની ચર્ચા કરવામાં આવી. એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જે.જે.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન અપાયું. પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ અને સ્થળાંતરિત મતદારો માટેની સુવિધાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરમાં પાણીની ગંભીર સમસ્યા:નગરપાલિકાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, મહિલા સભ્યોની ચીમકી
છોટાઉદેપુર નગરમાં પાણીની સમસ્યા વકરી રહી છે. ઓરસંગ નદીમાં રેતી ખનનને કારણે પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોએ આજે કલેક્ટર કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સભ્યો જોડાયા હતા. છોટાઉદેપુર નગર માટે ઓરસંગ નદી પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જોકે, નદીમાંથી મોટા પાયે થઈ રહેલા રેતી ખનનને કારણે જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે. આના પરિણામે પીવાના પાણીની સમસ્યા વધી રહી છે. નદી કિનારે આવેલા બે વોટર વર્ક્સ પણ હવે પૂરતું પાણી ખેંચી શકતા નથી. આ સ્થિતિમાં નગરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડે છે. આ ખર્ચ નગરપાલિકા માટે મોંઘો સાબિત થઈ રહ્યો છે, છતાં હાલ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. નગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, નદી કિનારે કરોડોના ખર્ચે પાણી રોકવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જોકે, નગરજનોનો આક્ષેપ છે કે ખાણ માફિયાઓ દ્વારા આ ચેકડેમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી રોકતા ચેકડેમના કાચના દરવાજા પણ ચોરાઈ ગયા છે, જેના કારણે સંગ્રહ થયેલું પાણી વહી જાય છે. વોટરવર્ક્સ અને ચેકડેમ નજીક જ રેતી ખનન થવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા નગરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના મહિલા કારોબારી અધ્યક્ષે આ સ્થિતિને ગંભીર ગણાવી છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થતા નગરપાલિકાના સત્તાધીશોએ રેલી યોજી હતી. હાલની પરિસ્થિતિ જોતા આગામી ઉનાળામાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા ધ્યાન નહીં અપાય તો મહિલાઓ ગેરકાયદેસર રેતી ખનન સામે મેદાનમાં ઉતરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, આ બાબતે લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેતી ખનન પર દેખરેખ વધારવામાં આવી છે. રેતી ચોરી બદલ ₹18 કરોડની વસૂલાત પણ કરવામાં આવી છે. તેમ છતાં, નદી કિનારાના કૂવાના જળસ્તર પણ નીચે ગયા છે.
પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે લાંબી લાઈનો જોવા મળી હતી. અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ગુરુવારે ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી 7 એપ્રિલ, 2026થી ભરેલા ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. સ્વિમિંગ પુલ 16 એપ્રિલ, 2026થી કાર્યરત થશે અને સ્વિમિંગ સેશનનો પ્રારંભ થશે. ફીના માળખા અંગેની વિગતો મુજબ, સામાન્ય નાગરિકો માટે ફોર્મ ફી 50 રૂપિયા અને માસિક 600 રૂપિયા લેખે 4 મહિનાના 2400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 2550 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદ્યાર્થીઓ માટે એક માસની ફી 600 રૂપિયા અને 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 700 રૂપિયા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેની બેચ 20 એપ્રિલ, 2026થી 19 મે, 2026 દરમિયાન ચાલશે. આ બેચનો સમય સવારે 8 થી 9 અને 9 થી 10 કલાકનો રહેશે. બહેનો માટે બપોરે 3:45 થી 4:45 વાગ્યા સુધીનો અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે. સ્વિમિંગ શીખવા માટે નાગરિકોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી
Women's Reservation: બજેટ સત્રના સમાપન વચ્ચે સરકારે એક મોટું પગલું ભરતાં સંસદની બેઠકોને અનિશ્ચિતકાળ માટે સ્થગિત ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, 16, 17 અને 18 એપ્રિલના રોજ એક વિશેષ સત્ર બોલાવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય મહિલા અનામત લાગુ કરવામાં આવી રહેલા અવરોધોને દૂર કરવાનો અને સુધારા વિધેયકો પસાર કરવાનો છે. 'મહિલા અનામત લાગુ કરવાની પેરવીમાં સરકાર' સંસદનું બજેટ સત્ર આજ ગુરુવારેથી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવે તેવી શક્યતા નથી. સરકાર મહિલા અનામતને લાગુ કરવાની સાથે લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 816 કરવા માટે એક બિલ લાવવાની પેરવીમાં છે જે માટે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 16, 17 અને 18 એપ્રિલ માટે ફરીથી સત્ર બોલાવવાની યોજના બનાવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગીર સોમનાથ જિલ્લામાં બોગસ ડોકટરો સામે પોલીસ દ્વારા કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના કદવાર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આ ઈસમને પોલીસે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે આ કાર્યવાહી કરી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એસ. સુવાનીની ટીમ મેડિકલ અધિકારી પ્રવીતાબેન દાહીમાને સાથે રાખી કદવાર ગામે પહોંચી હતી અને શંકાસ્પદ દવાખાના પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શબ્બીર એમનભાઈ મહિડા (ઉંમર 36, રહે. પ્રભાસ પાટણ) નામનો ઈસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓને સારવાર આપતો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો અને સ્થાનિક લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર લેતા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 11 નંગ સામગ્રી, જેની કિંમત આશરે રૂ. 7,860 છે, તે કબ્જે કરી હતી. આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની મર્યાદિત સુવિધાઓને કારણે લોકો ઘણીવાર બોગસ ડોકટરોના ભરોસે રહે છે. આવી સ્થિતિમાં અજાણતા લોકો પોતાના આરોગ્ય સાથે ગંભીર જોખમ લેતા હોય છે. નિષ્ણાતોના મતે, ગેરકાયદેસર રીતે આપવામાં આવતી દવાઓથી ગંભીર આડઅસરો અથવા જાનહાની પણ થઈ શકે છે. ગીર સોમનાથ પોલીસ અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની અને પરિવારની સુરક્ષા માટે હંમેશા માન્ય અને નોંધાયેલ ડોકટરોનો જ સંપર્ક કરે.
આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર જૂનાગઢ શહેર અને ગિરનારની તળેટી 'જય સિયારામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠી છે. ગિરનાર તળેટીના ભવનાથ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લંબે હનુમાન મંદિર અને જંગલ વિસ્તારમાં આવેલા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર સહિત શહેરના ખૂણે-ખૂણે આવેલા શિખરબદ્ધ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક દાદાનો પ્રગટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યોભવનાથ સ્થિત લંબે હનુમાન મંદિરના મહંત શ્રી અર્જુનદાસ ખાખી બાપુએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 5:00 વાગ્યે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાદાનો વિશેષ અભિષેક અને 1100 ગુલાબના ફૂલો દ્વારા 'સહસ્ત્રાર્ચન' વિધિ કરવામાં આવી હતી. રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું આયોજન આ વર્ષે દાદાને સુરતના ભક્ત પ્રવીણભાઈ જમનાદાસ સાવલિયા (ફાઈવ સ્ટાર હોન્ડા) દ્વારા અર્પણ કરવામાં આવેલા 11 કિલો અને 162 ગ્રામ ચાંદીના નવતર આભૂષણો અને નવા ચોલા ધારણ કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અહીં સવારથી શરૂ થયેલું પ્રસાદ વિતરણ રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલશે, જ્યારે રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ઊંધિયું, મોહનથાળ અને ભજીયા સહિતના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી ગિરનારના જંગલ વિસ્તારમાં બિરાજતા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર ખાતે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહંત હરિદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે, અહીં વર્ષોથી ચાલતા અખંડ હનુમાન ચાલીસાના પાઠની સાથે આજે વિશેષ 24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી છે. ભગવાનને 56 ભોગ અને 7,000 ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ 1008 લક્ષ્મી કમળ દ્વારા દાદાનું વિશેષ પૂજન અને દ્રવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં મહાપ્રસાદનો લાભ લીધો હતો. હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતીમાત્ર ભવનાથ તળેટી જ નહીં પણ જૂનાગઢ શહેરના પંચાટડી હનુમાન મંદિર અને અક્ષર મંદિર પાસે આવેલા હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિવિધ સ્થળોએ હનુમાન જયંતિ નિમિત્તે હવન-યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. સમગ્ર જૂનાગઢમાં ભક્તો માટે ફરાળી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ-સંતો અને મહંતોના સાંનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે 'એનાલોગ', તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. શું છે આ 'એનાલોગ પનીર'? કેમ તે સ્વાસ્થ્ય માટે ખતરો છે?સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ 'એનાલોગ પનીર' એ દૂધનું પનીર નથી. તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ પનીર દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નફો વધારવા માટે આ પ્રકારના સબ-સ્ટાન્ડર્ડ પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી શકે છે. કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશેરાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ પણ વાંચો: કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો નકલી પનીર દરરોજ સુરતીઓ સુધી પહોંચતું હતું; બે વર્ષથી નેટવર્ક સક્રિય હતું 1400 કિલો સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપાતા સરકાર એક્શન મોડમાંઆ સમગ્ર વિવાદની શરૂઆત સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડાથી થઈ હતી. સુરતમાં તાજેતરમાં જ 1400 કિલો જેટલું સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ જ્યારે આ પનીરની તપાસ કરી ત્યારે તેમાં તેલ અને પાવડરનું મિશ્રણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને સમગ્ર રાજ્યમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને ડેરીઓ અને હોલસેલ સપ્લાયર્સ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રાહકોને એનાલોગ પનીર પિરસાતું હોય તો તેની જાણકારી આપવી ફરજિયાતઆરોગ્ય વિભાગ દ્વારા આ અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ હોટલ સંચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નહોતું. હવે નવી ગાઈડલાઈન મુજબ, દરેક ખાદ્ય એકમે પનીરની ગુણવત્તા જાહેર કરવી પડશે. જો કોઈ હોટલમાં પનીર ટીક્કા કે પનીર બટર મસાલા ઓર્ડર કરવામાં આવે અને તેમાં એનાલોગ પનીર હોય, તો તેની જાણકારી ગ્રાહકને અગાઉથી મળવી જોઈએ. આ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવશે. કેવી રીતે ઓળખશો અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત?નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસલી પનીર નરમ હોય છે અને તેને મસળતા તે દાણાદાર બની જાય છે. જ્યારે એનાલોગ પનીર થોડું રબર જેવું ખેંચાય તેવું હોઈ શકે છે અને તેને ગરમ કરવા પર તે તેલ છોડવા લાગે છે. વનસ્પતિ તેલમાંથી બનતું હોવાથી તેનો સ્વાદ પણ અસલી પનીર જેવો મીઠો હોતો નથી. પાલિકાના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો તમને કોઈ હોટલમાં પનીરની ગુણવત્તા પર શંકા જાય, તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરો. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશેસરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ કે કેટરિંગ સર્વિસ બોર્ડ લગાવ્યા વગર એનાલોગ પનીર પીરસતા પકડાશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર નિયમો તોડનાર એકમોને સીલ કરવાની પણ તૈયારીઓ બતાવી છે. સરકારનું લક્ષ્ય છે કે ઉત્સવો અને લગ્નગાળામાં જ્યારે પનીરનો વપરાશ ટોચ પર હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે. 'તમે પૈસા ચૂકવો છો તો શુદ્ધ ચીજવસ્તુઓ મેળવવાનો તમારો હક'અંતમાં, આરોગ્ય મંત્રીએ જનતાને પણ જાગૃત રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, 'તમે પૈસા ચૂકવો છો તો શુદ્ધ ચીજવસ્તુઓ મેળવવાનો તમારો હક છે.' હોટલમાં જતી વખતે અચૂક પૂછો કે પનીર કયું વાપરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર મોટી બ્રેક લાગશે તેવી આશા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે હોટલ સંચાલકો આ નવા નિયમનો કેટલા અંશે અમલ કરે છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
વેરાવળ શહેરમાં હનુમાન જ્યંતિની ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હિંદુ યુવા સંગઠનના નેજા હેઠળ વેરાવળ બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાનજી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ભારત માતા, શ્રીનાથજી, ભગવાન શિવ અને આદિયોગી સહિતના કલાત્મક ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભક્તો કેસરી ધ્વજ સાથે જોડાયા હતા. જય શ્રી રામ અને બજરંગબલી કી જયના જયઘોષથી સમગ્ર શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. આમ, વેરાવળમાં હનુમાન જ્યંતિની ઉજવણી ઉલ્લાસ અને શ્રદ્ધાભેર લોકહર્ષ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ભટ્ટે આચાર સંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણીને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી છે. બેઠકમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. મતદારયાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર કરવાની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર વિશેષ ધ્યાન આપવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અને ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અને ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી તથા તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાપી મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ટિકિટવાંછુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકસભાના દંડક અને ભાજપના પ્રવક્તા ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા છે, જે પક્ષ પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. લોકસભા સાંસદ ધવલ પટેલે વિપક્ષો પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, એક તરફ ભાજપમાં લોકશાહીનો ઉત્સવ છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યાલયો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યાં કોઈ દાવેદારો કે કાર્યકરોની ચહલપહલ દેખાતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 5 એપ્રિલથી ભાજપ બૂથ સ્તરે અભિયાન શરૂ કરશે. આ ચૂંટણીમાં ભાજપ પોતાના પાંચ વર્ષના કામોનો રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જશે અને ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શંખેશ્વરમાં એક વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડનો બનાવ બન્યો છે. મહેશકુમાર જલાજી ઠાકોર નામના શખ્સે ઓફિસમાંથી ₹10,000 રોકડની ચોરી કરી હતી અને ₹21,700નું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, તેણે એક કારના કાચ પણ તોડ્યા હતા. વકીલ દિલીપકુમાર છોટાલાલ રાવલ તેમના પુત્રની સારવાર માટે પાટણ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈ શખ્સ તેમની ઓફિસનું શટર તોડી રહ્યો છે. પાડોશીએ મોકલેલા વીડિયોમાં આરોપી મહેશકુમાર ઠાકોર હોવાની ઓળખ થઈ હતી. આરોપી મહેશકુમાર ઠાકોરે લોખંડની ટામી વડે ઓફિસના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેણે એલ્યુમિનિયમ સેક્શનની બારી અને દરવાજાના કાચ તોડી આશરે ₹21,700નું નુકસાન કર્યું હતું. ઓફિસમાં રાખેલી બેગમાંથી ભરણપોષણ પેટેના ₹10,000ની ચોરી પણ કરી હતી. આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ સર્કલ પાસે પડેલી શૈલેષકુમાર જાદવની સ્વિફ્ટ ગાડી (નંબર GJ-24-AU-0579) નો કાચ ક્રિકેટ બેટથી તોડી ₹2,500નું નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના અંગે દિલીપકુમાર રાવલની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે આરોપી મહેશકુમાર ઠાકોર વિરુદ્ધ B.N.S.S.ની વિવિધ કલમો તેમજ જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીવાજી બબાજી ઠાકોર આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન માટે સરકારી વિશ્રામગૃહોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હિંમતનગરમાં શહેરના મધ્યમાં આવેલા વિશ્રામગૃહ તેમજ હિંમતનગર-વિજાપુર-ઇડર બાયપાસ રોડ પરના નવા સર્કિટ હાઉસ ખાતે આદર્શ આચારસંહિતાના અમલ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો અને આઠ તાલુકા પંચાયતની 170 બેઠકો માટે કુલ 1210 મતદાન મથકો પર 9,17,047 મતદારો EVM દ્વારા મતદાન કરશે. નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 88 મતદાન મથકો પર 72,741 મતદારો, ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 26 મતદાન મથકો પર 25,532 મતદારો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં 19 મતદાન મથકો પર 16,087 મતદારો મતદાન કરશે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 મતદાન મથકો પર 3,616 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે જમીન વિવાદના કારણે 60 વર્ષીય વૃદ્ધ ગણેશભાઈ તેજાભાઈ ખેરની હત્યા કરવામાં આવી છે. વશાભાઈ લાધુભાઈ ખેર નામના શખ્સે હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયેલા ગણેશભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોકા વડે વૃદ્ધના માથા અને પગના ભાગે ગંભીર ઘા માર્યાઆ ઘટના 1 એપ્રિલ 2026 ના રોજ સવારે આશરે 05:30 વાગ્યે બની હતી. ગણેશભાઈ ખેર ગામમાં આવેલા હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. સવા છ વાગ્યાના અરસામાં વશાભાઈ લાધુભાઈ ખેરે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે ગણેશભાઈના માથા અને પગના ભાગે ગંભીર ઘા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં મંદિર પાસે ઢળી પડ્યા હતા. ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું અવસાનઘટનાની જાણ થતા જ ગણેશભાઈના પુત્ર જયેશકુમાર અને અન્ય મિત્રો સ્થળ પર દોડી ગયા હતા. તેઓ ગંભીર હાલતમાં ગણેશભાઈને પ્રથમ પાટણની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જનતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. 35 વર્ષ જૂનો જમીન વિવાદ હત્યા પાછળનું મુખ્ય કારણહત્યા પાછળનું મુખ્ય કારણ આશરે 35 વર્ષ જૂનો જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના દાદાની સંયુક્ત માલિકીની જમીનમાંથી દસેક વીઘા જમીન વેચાણ આપતી વખતે કોઈ ક્ષતિને કારણે સાડા સત્તર વીઘા જમીન વેચાણ થઈ ગઈ હતી. આના કારણે આરોપી વશાભાઈના ભાઈઓના ભાગની સાડા સાત વીઘા જમીન વેચાણ લેનારના નામે થઈ ગઈ હતી. જોકે, આ જમીનનો કબજો આરોપી પાસે જ હતો. જમીન પોતાના નામે થતી ન હોવાથી આરોપી અવારનવાર ફરિયાદીના પિતા ગણેશભાઈ પર દબાણ કરતો હતો. ગણેશભાઈના નામે પણ આ જમીન ન હોવાથી તેઓ આ બાબતે કંઈ કરી શકે તેમ ન હતા, જેની અદાવત રાખીને આરોપીએ આ કૃત્ય કર્યું હતું. શંખેશ્વર પોલીસે આ મામલે બી.એન.એસ કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હથિયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ પણ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં વિજય હનુમાન આશ્રમે હનુમાન જયંતિ ઉજવાઈ:મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક કરાયો
પાલનપુરમાં રામલીલા મેદાન પાસે આવેલા વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે વિજય હનુમાનજીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આશ્રમ ખાતે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી હતી. ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે પાલનપુરના અન્ય હનુમાન મંદિરોમાં પણ ધામધૂમથી જયંતિ ઉજવાઈ હતી. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના ચરણોમાં શીશ નમાવી, યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
બનાસકાંઠામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ:જિલ્લા પોલીસ વડાએ મોમેન્ટો આપી સન્માનિત કર્યાં
બનાસકાંઠા જિલ્લામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓ માટે પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ સમારંભમાં બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 14 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે, 16 PIની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. વિદાય સમારંભ દરમિયાન બદલી થયેલા અધિકારીઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથા વલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે, તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો, બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને એસએમએસ મોનીટરીંગ, પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ, સ્થળાંતરિત મતદારો માટેની વ્યવસ્થા, કસ્ટમાઈઝ્ડ કિટ, તાલીમ આયોજન, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ/વિડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું., બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલઅધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સુરતમાં AI ટેક્નોલોજી પર કાર્યક્રમ:મીત દેસાઈએ તેના ઉપયોગો અને ભવિષ્ય સમજાવ્યા
સુરત ફોટોગ્રાફિક વેલફેર એસોસિએશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર એક માહિતીપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત AI વક્તા મીત દેસાઈએ ઉપસ્થિત સભ્યોને આધુનિક ટેક્નોલોજી અને AIના વિવિધ ઉપયોગો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેક્સ મીડિયા સ્ટુડિયોના નયન ચોકસીએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, મીત દેસાઈએ AIના વર્તમાન અને ભવિષ્યના ઉપયોગો વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. તેમણે ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું, વિડિયો અને ફોટો એડિટિંગમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવો અને કાર્યક્ષમતા કેવી રીતે વધારવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી વર્ષોમાં આવી શકે તેવી નવી ટેકનોલોજીની ઝલક પણ તેમણે રજૂ કરી હતી. આ પ્રસંગે એસોસિએશનના સ્થાપક પ્રમુખ ભવનભાઈ, પ્રમુખ રિતેશભાઈ અને ઉપપ્રમુખ પરેશભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વિવિધ વિસ્તારોના એસોસિએશનો તેમજ બારડોલી, નવસારી અને વ્યારા જેવા આસપાસના વિસ્તારોના સભ્યોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. સુરત વેલફેર એસોસિએશનની સમગ્ર ટીમ અને કમિટી સભ્યોના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એસોસિએશન દ્વારા સભ્યો અને કમિટી સભ્યોનો તેમના સહયોગ અને સમર્પણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી:શામળિયાને કેસરિયા વાઘા અને સોનાના આભૂષણોથી શણગાર કરાયો
શામળાજી: યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. તેમને કેસરિયા વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા અને સોનાના આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભક્તોએ દૂર દૂરથી આવીને શામળિયાના આ મનોહર સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર પૂર્ણિમાએ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, ત્યારે ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવાના આરોપમાં અન્ય ધર્મના યુવક વકીલ ખાન પઠાણ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ આરોપીને પકડીને નિકોલ પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જે બાદ આરોપીએ પોતાનું અપહરણ કરી મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને બજરંગ દળના 100થી વધુ કાર્યકર્તાઓએ નિકોલ પોલીસ સ્ટેશન બહાર જય શ્રીરામના નારા લગાવ્યા હતા અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પોલીસે આરોપી વકીલ ખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે અપહરણ અને મારપીટના મામલે બજરંગ દળના 4-5 કાર્યકર્તાઓ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ સગીરાના ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી I ડિવિઝન ACP કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં સગીરા અને વકીલ ખાન પઠાણ નામનો યુવક બાજુમાં રહેતા હતા. યુવક બાજુમાં-નાના બાળકને લઈને રમાડવા જતો હતો. જેથી, સગીરના સાથે સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ મોબાઈલ ફોન નંબરની આપ-લે કરી હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારબાદ આરોપી વકીલખાન પઠાણે તેના ફોટા મંગાવી અને પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. વાયરલ કરવાની ધમકી આપી અને બળ બનાવવા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીની પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી સગીરાની માતાએ વકીલ ખાન પઠાણને ઠપકો આપ્યો તો જેને લઈને તેણે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ અન્ય એક વ્યક્તિને જાણ કરી હતી અને ત્યારબાદ કેટલાક લોકોને જાણ થતા વકીલ ખાનના મિત્ર ફરહાનને તેના ઘરેથી લઈ ગયા હતા અને ઉસ્માનપુરા ઓફિસ ખાતે લઈ ગયા ત્યાં તેને માર મારવામાં અને અપહરણ વગેરે બાબતે પણ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આરોપીની પોક્સો અને બળાત્કાર કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મારી દીકરીનો ખરાબ ફોટો વોટ્સએપમાં મોકલ્યો મળતી માહિતી મુજબ શહેરના નિકોલ વિસ્તારમાં 15 વર્ષથી સગીરા તેના પરિવાર સાથે રહે છે તેના પાડોશમાં એક અન્ય ધર્મનો યુવક રહેતો હતો. થોડા દિવસ પહેલાં યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ સગીરાની માતા દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી કે, મારી દીકરીનો ખરાબ ફોટો વોટ્સએપમાં મોકલ્યો હતો અને સામેવાળો માથાભારે હોવાથી ગમે ત્યારે તેમની દીકરીની બદનામી કરી શકે તેમ છે. જેથી, આ મામલે કાર્યવાહી કરવા અરજી કરી હતી પરંતુ, નિકોલ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આરોપીએ સગીરાની માતા અને બજરંગદળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીબજરંગ દળના કાર્યકર્તાઓને આ બાબતે જાણ થતા જ કાર્યકર્તાઓ દ્વારા આરોપી યુવકને પકડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, નિકોલ પોલીસ દ્વારા આરોપી યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, પાડોશમાં રહેતા મહિલા અમારા ઘરે આવ્યા હતા અને તું મારી દીકરી સાથે કેમ સંબંધ ધરાવે છે એવો વહેમ રાખી ગાળો બોલી મારામારી કરી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો આવી ગયા હતા જેથી, તેઓ જતા રહ્યા હતા આ યુવકને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે, તારા એક મિત્રને ઉસ્માનપુરા ખાતે ઓફિસે લઈ જઈએ છીએ તો ત્યાં આવી જા. જેથી, યુવક ઉસ્માનપુરા ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં ગયો હતો જ્યાં સગીરાની માતા અને અન્ય ત્રણથી ચાર શખસો હાજર હતા. તેના નામ તે જાણતો નથી અને ઓફિસમાં પડેલી લાકડી લઈને તેને માર મારવામાં આવ્યો હતો. હાથમાં કડા વડે માથા અને પાછળના ભાગે માર માર્યો હતો. મારામારી કર્યા બાદ ગાડીમાં બેસાડી ફરીથી નિકોલ ખાતે લઈને આવ્યા હતા. બજરંગ દળનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું અને 'જય શ્રી રામ'ના નારા લાગ્યાબજરંગ દળના કાર્યકર્તાઓ તેને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પકડીને લાવ્યા હતા અને નિકોલ પોલીસને સોપ્યો હતો. નિકોલ પોલીસ દ્વારા બજરંગ દળના કાર્યકરો સામે ફરિયાદ નોંધી તેમને કાર્યવાહી કરવાનું કહેતા મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા આરોપી યુવક સામે પોકસો એક્ટ હેઠળ અને આરોપી યુવક દ્વારા બજરંગદળના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા 4-5 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન લાવવાના હેતુથી NCIT ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, તે વાતને સમજીને NCIT એ 'સ્કિલ-બેઝ્ડ લર્નિંગ વિથ ડિગ્રી'નો અનોખો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ પહેલ હેઠળ ખાસ કરીને ધોરણ 12 પાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક જનરેટિવ AI (Gen AI) કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ડિગ્રી અને સ્કિલનો અદભૂત સમન્વય NCIT ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક મુકુંદ લુણાગરિયાના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં AI અને ડિજિટલ સ્કિલ્સ હવે વિકલ્પ નથી પણ અનિવાર્યતા બની ગઈ છે. વિદ્યાર્થીઓ 3 વર્ષના ગ્રેજ્યુએશન ગાળા દરમિયાન માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવાને બદલે સંપૂર્ણ રીતે 'જોબ-રેડી' બને તેવો સંસ્થાનો મુખ્ય લક્ષ્યાંક છે. આ ડ્યુઅલ લર્નિંગ સિસ્ટમમાં ઓનલાઇન ડિગ્રીની સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે. 52થી વધુ પ્રેક્ટિકલ કોર્સની સુવિધા NCIT ખાતે વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબના વિવિધ ક્ષેત્રોમાં નિપુણ બનાવવામાં આવે છે. અહીં ઉપલબ્ધ સુવિધાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: વિવિધ વિષયો: AI, ડિઝાઇનિંગ, કોડિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જ્વેલરી ડિઝાઇન. પ્રેક્ટિકલ એપ્રોચ: કુલ 52થી વધુ પ્રેક્ટિકલ સ્કિલ કોર્સેસ ઉપલબ્ધ છે. એક્સપર્ટ ગાઇડન્સ: ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા સીધું માર્ગદર્શન અને રિયલ-ટાઇમ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક. ભવિષ્યની તૈયારી આજથી જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના વિદ્યાર્થીઓને ગ્લોબલ માર્કેટ માટે તૈયાર કરવાનો છે. ધોરણ 12 પછીના વેકેશન અને અભ્યાસના સમયગાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ભવિષ્યની ટેકનોલોજી શીખી શકે તે માટે આ ફ્રી AI કોર્સ એક સોનેરી તક સમાન છે. NCITનો આ પ્રયાસ સુરતના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ લઈ જશે અને યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે. હવે અહીંના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ 'લર્નિંગ બાય ડુઈંગ' એટલે કે 'કરો અને શીખો'ના સિદ્ધાંત પર પ્રાયોગિક જ્ઞાન મેળવશે. સાવલી તાલુકામાં ‘ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ટેકનોલોજી’ (IBT) પ્રોજેક્ટનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો છે. CSR પહેલ હેઠળ આર્થિક અને ટેકનિકલ સહયોગ આ પ્રોજેક્ટ શેફલર ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત આર્થિક સહયોગથી શરૂ કરાયો છે. ભારતકેર્સ સંસ્થા આ પ્રોજેક્ટનું અમલીકરણ કરી રહી છે, જ્યારે વિજ્ઞાન આશ્રમ નોલેજ પાર્ટનર તરીકે કાર્યરત છે. વર્ષ 2025થી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં અપાશે તાલીમ વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા માટે તેમને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચીને તાલીમ આપવામાં આવશે: હ્યુમન સર્વિસીસ: સામાજિક અને માનવીય સેવાઓનું જ્ઞાન. લાઈફ ફોર્મ્સ: જૈવિક અને પર્યાવરણીય સમજ. મશીન એન્ડ મટિરિયલ્સ: તકનીકી અને યંત્ર સામગ્રીનો પ્રાયોગિક અનુભવ. પાંચ શાળાઓની થઈ પસંદગી સાવલી તાલુકાની નીચે મુજબની 5 શાળાઓમાં આ પ્રોજેક્ટનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે: ગુરુ જગાજી મહારાજ વિદ્યામંદિર, સોખડા બુદ્ધદેવ વિદ્યાલય લોક વિદ્યાલય, લામડાપુરા જી.આર. ભગત સ્કૂલ, ભાદરવા સાવલી હાઇસ્કૂલ, સાવલી નિષ્ણાતોના મતે: 'જોબ સીકર' નહીં 'જોબ ક્રિએટર' બનશે યુવાનો આ પ્રસંગે જી.જે.એમ. વિદ્યામંદિરના આચાર્ય સંજય આર. પટેલે જણાવ્યું કે ગ્રામીણ શાળાઓ માટે આ ગૌરવની ક્ષણ છે. શેફલર ઇન્ડિયાના પ્લાન્ટ હેડ રાજેશ મંડને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટથી યુવાનો નોકરી શોધનારા નહીં પણ 'જોબ ક્રિએટર્સ' બનશે. ભારતકેર્સના સીમા જે. અને રાજવી પરમારે ઉમેર્યું કે આ તાલીમ વિદ્યાર્થીઓને ખરા અર્થમાં 'લાઇફ-રેડી' બનાવશે. કિચન ગાર્ડનથી લઈને ટેકનિકલ પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારશે તેમ વિજ્ઞાન આશ્રમના રણજીત શાનબાગે જણાવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી છે.આ પ્રક્રિયાના બીજા દિવસે એટલે કે આજે (2 એપ્રિલ) પણ દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહ્યી છે. પ્રથમ દિવસે 750થી વધુ દાવેદારો બાદ આજે વધુ 8 વોર્ડની સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પણ અનેક વોર્ડમાં દાવેદારોની સંખ્યા ત્રણ ડિજીટમાં જોવા મળી હતી. વર્તમાન કોર્પોરેટરોએ જમાવટ કરીસેન્સ પ્રક્રિયામાં અનેક વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરોનો પણ જમાવડો જોવા મળ્યો હતો.ગત ટર્મના અંતિમ અઢી વર્ષના પદાધિકારીઓ દ્વારા પણ પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ સહિતના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.ત્યારે વર્તમાન કોર્પોરેટરો સાથે યુવા આગેવાનો દ્વારા પણ એટલા જ જુસ્સા સાથે પક્ષ જો તેઓ ઉપર વિશ્વાસ મુકશે તો વિકાસની ગતિને આગળ ધપાવવાની તૈયારીઓ બતાવી હતી. વર્તમાન મેયરે ઉમેદવારી ન નોંધાવીગત ટર્મના અંતિમ અઢી વર્ષમાં મેયર તરીકે વોર્ડ 4 ના પિંકી સોની હતા.વર્તુળો તરફથી મળતી માહિતી અનુસાર રહેલા પિંકી સોનીએ પોતાની ઉમેદવારી નોંધાવી નથી. તેઓ હાલમાં સેન્સ પ્રક્રિયામાં અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા છે. પરંતુ તેઓએ પોતાની ઉમેદવારી નહિ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચેરમેન દ્વારા અગાઉથી જ પોતાનું ફોર્મ કાર્યાલય ખાતે રજૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાય વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરો સામે રોષસેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના જ કાર્યકરો અને આગેવાનો સેન્સ આપવા પહોંચ્યા હતા. જો કે તે પૈકી કેટલાક વર્તમાન કોર્પોરેટરો સામે વિરોધ જોવા મળ્યો હતો. કેટલાકમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે આ વખતે તમામે તમામ કોર્પોરેટરો નવા આવે તો સારું.કારણ કે ગત ટર્મમાં આક્ષેપબાજી સિવાય કઈ જ થયું નથી.ત્યારે આ વખતે ભાજપ નો રિપીટ થિયરી કડક રીતે અપનાવી તમામને ઘેર બેસાડી દે તો સારું તેવી પણ ટિપ્પણીઓ જોવા મળી હતી. જિલ્લા કાર્યાલય ખાતે પણ સેન્સ માટે ટોળુંમહાનગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જિલ્લાની અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવાની છે. ત્યારે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકરોનું ટોળું જોવા મળ્યું હતું. નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. એક તબક્કે તો અવ્યવસ્થા સર્જાય તેવો માહોલ હતો જો કે ત્યાર બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને કાર્યકરોને ધીરજપૂર્વક પ્રક્રિયામાં ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું.
ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ડભોડા ગામે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડિયા હનુમાનજીના સાનિધ્યમાં આજ રોજ ચૈત્રી પૂનમના પવિત્ર પર્વે ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય મહોત્ત્સવની ઉજવણી કરવામાં રહી છે જે મોડી રાત સુધી ચાલશે. આજે વહેલી સવારથી જ 'જય શ્રી રામ અને બજરંગબલી કી જય'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતીઆજે હનુમાન જન્મોત્સવ ઉજવણીના પ્રારંભે સવારે હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દાદાને કરવામાં આવેલો 2500 જેટલા તેલના ડબ્બાનો મહાઅભિષેક છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જ્યાં ભક્તો પોતાની બાધા-આખડી પૂર્ણ કરવા તેલ અર્પણ કરે છે. બપોરે 12 કલાકે હનુમાનજીના પ્રાગટ્ય સમયે 101 દીવાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેનો લાહવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા. બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશેઆ પ્રસંગે 151 કિલોની વિશાળ કેક કાપીને જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થાબીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી છે. આજે અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું રાત્રે 12 વાગ્યા સુધી વિતરણ સતત ચાલુ રાખવામાં આવ્યું છે. મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરાશેઆ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકે છે. આજે મંદિર પરિસરને ફૂલો અને રંગબેરંગી રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડભોડિયા હનુમાનજી મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રાચીન છે. લોકવાયકા મુજબ, વર્ષો પહેલા અહીં ગૌચરની જમીન હતી જ્યાં ગાયો ચરવા આવતી હતી. એક ગાય દરરોજ એક ચોક્કસ સ્થાને જઈને પોતાના દૂધની ધાર કરતી હતી. જ્યારે તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે હનુમાનજીની અત્યંત પ્રભાવશાળી સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ મળ્યા બાદ અહીં નાનું મંદિર બન્યું જે આજે ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં પરિવર્તિત થયું છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેક્ટર હિતેશ રાવતને અચાનક હાર્ટ એટેક આવતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, તેઓ ચાલુ ફરજ દરમિયાન અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા, જેના પગલે તાત્કાલિક તબીબી સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. આ ઘટનાને લઈને વિભાગમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને અધિકારીઓ તથા કર્મચારીઓ તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં બુધવારે સાંજે રહેણાંક વિસ્તારમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે ત્રણ વર્ષના બાળક સહિત 3 ઈજાગ્રસ્ત થયા હતા. રૂમની અંદર ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક 'ફ્લેશ ફાયર' થતા બે માસૂમ બાળકો અને તેમની માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડીનવાગામ ડિંડોલીની નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે પોણા આઠ વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય આશાદેવી વિક્રમ કાપર, તેમની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલેન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ માતા અને બંને બાળકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રહેણાંક રૂમમાં ચોરી-છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો ચાલતો હતોઆ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો પરંતુ બેદરકારીનું પરિણામ હતું. પવન ગિરધર ખટીક નામનો શખ્સ રહેણાંક વિસ્તારની રૂમમાં ચોરી-છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો. પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસનો ચૂલો રીપેરીંગ કરવા ગયો હતો, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનારના પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લાઈટની સ્વીચ ચાલુ કરતા જ પરિવાર આગની લપેટમાં આવી ગયોપીડિત પરિવારના મોભી વિક્રમ કાપર, જેઓ જરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પવન ખટીક અગાઉ દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈને કારણે તેણે બાજુની રૂમમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવને રૂમમાં જઈ લાઈટની સ્વીચ પાડી કે તુરંત જ ભભૂકેલી આગે બહાર બેઠેલા પરિવારને લપેટમાં લઈ લીધો હતો. 'અમારા નાના બાળકો છે, ગેસની વાસ આવે છે, આ બંધ કરી દેજો' પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી આ જોખમી ખેલ ચાલી રહ્યો હતો. આશાદેવીએ બેથી ત્રણ વખત પવનને સમજાવ્યો હતો કે, 'અમારા નાના બાળકો છે, ગેસની વાસ આવે છે, આ બંધ કરી દેજો.' પરંતુ લાલચમાં અંધ બનેલા પવને આ ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી. જો પવને સમયસર વાત માની હોત, તો આજે આ નિર્દોષ બાળકો હોસ્પિટલના બિછાને ન હોત. સદનસીબે પરિવારના અન્ય બે બાળકો ટ્યુશન ગયા હોવાથી આ હોનારતમાંથી બચી ગયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની દિશમાં ચક્રો ગતિમાન કર્યાહાલમાં આશાદેવી અને તેમના બંને બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે. બીજી તરફ, ડિંડોલી પોલીસ સ્ટેશનના PSI બી.એ. ગોહિલે આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસે પવન ખટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુના હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે, જેમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો, 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા માટે બે દિવસ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય તથા પાલીતાણા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 તથા 10 તાલુકા પંચાયતોની 210 અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે બે દિવસ દરમિયાન ઈચ્છુક કાર્યકર્તાઓએ નિરીક્ષકો પાસે પોતાના પરિચય સાથે દાવેદારી રજૂ કરી હતી.
ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આજે સવારના સમયે બેંક ખુલતાની સાથે જ એક સાપ નજરે પડ્યો હતો. બેન્કનું કામકાજ શરૂ થવાના સમયે જ સાપ દેખાતા ગ્રાહકો અને બેંક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ફફડાટના માર્યા બેન્કની બહાર દોડી આવ્યા હતા. જોકે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. બેંકમાં સાપ દેખાતા સ્ટાફના હોંશ ઉડી ગયાસામાન્ય દિવસની જેમ આજે સવારે અચાનક એક લાંબો સાપ દેખાતા જ સ્ટાફના હોંશ ઉડી ગયા હતા. બેંક જેવી ભીડભાડ વાળી જગ્યાએ સાપ હોવાની વાત વાયુવેગે ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેંકના સ્ટાફ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલિક જાણીતા સર્પ મિત્ર અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાપને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં છોડી મુક્યોવિજયભાઈ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત પછી કુશળતાપૂર્વક સાપને પકડી પાડી તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. આ અંગે વિજયભાઈ શર્માએ જણાવ્યું કે, બેંકમાંથી પકડાયેલો આ ધામણ પ્રજાતિનો સાપ છે જે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. સાપ જોઈને ડરવાને બદલે શાંતિ જાળવવી અને નિષ્ણાતોને જાણ કરવી હિતાવહ છે. નિયમો અનુસાર સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે શ્રદ્ધાના નામે ચાલતા એક મોટા તૂતનો પર્દાફાશ થયો છે. એક વૃદ્ધ દ્વારા જીવિત સમાધિ લેવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે ફેલાયેલી અંધશ્રદ્ધાને ભારત જન વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસની ટીમે સમયસર દખલગીરી કરીને અટકાવી દીધી છે. શું હતી સમગ્ર ઘટના?ઢોલરવા ગામના રહેવાસી અરજણભાઈ રુડાભાઈ ખુમાણે એક મહિના અગાઉ એવી જાહેરાત કરી હતી કે, તેઓ 1 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 9 થી 11 દરમિયાન સ્વેચ્છાએ પોતાના પ્રાણ ત્યાગ કરશે. તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાંથી આપોઆપ જીવ વયો જશે અને ત્યારબાદ તેમને ધાર્મિક વિધિ મુજબ જીવિત સમાધિ આપવામાં આવે. આ જાહેરાતને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા હતા. વિજ્ઞાન જાથા અને પોલીસની કડક કાર્યવાહીઆ ઘટનાની જાણ થતા જ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમ સક્રિય થઈ હતી. જાથાએ આ મામલે પોલીસ અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી કે, આવી ઘટનાઓ પાછળ ઘણીવાર મોટું ષડયંત્ર હોય છે. જ્યારે જાહેરાત મુજબ કુદરતી મૃત્યુ થતું નથી, ત્યારે ઘણીવાર ઝેરી પદાર્થ આપી વ્યક્તિને મોતને ઘાટ ઉતારી તેને 'સમાધિ'નું રૂપ આપવામાં આવે છે અને પછી ત્યાં ડેરી બનાવી રૂપિયા કમાવવાનું ષડયંત્ર રચાય છે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમના સભ્યો પોલીસ સાથે ઢોલરવા ગામ પહોંચ્યા હતા. કાયદાકીય ગુંચવણ અને સમજાવટને અંતે વૃદ્ધે સ્વીકાર્યું હતું કે આવું કશું થવાનું નથી. તેમણે પોતાની ભૂલ સ્વીકારી સૌની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરે તેવું લેખિતમાં લખાણ આપ્યું હતું. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસઆ ઘટના બાદ વિજ્ઞાન જાથાની ટીમે ઢોલરવા ગામની મુલાકાત લીધી હતી. ટીમમાં રાજુભાઈ યાદવ, રોમિતભાઈ રાજદેવ, ભાનુબેન શેઠીયા સહિતના સભ્યો જોડાયા હતા. તેમણે ગ્રામજનોને સમજાવ્યું હતું કે જીવિત સમાધિ લેવી એ કાયદાકીય રીતે ગુનો છે. સ્વૈચ્છિક મૃત્યુના નામે થતા આવા દાવાઓ તદ્દન પોકળ અને વૈજ્ઞાનિક રીતે અશક્ય છે. આવી અંધશ્રદ્ધા ભાવિ પેઢીને હતાશા તરફ દોરી જાય છે. તંત્ર અને વિજ્ઞાન જાથાની સતર્કતાને કારણે એક અઘટિત ઘટના બનતા અટકી ગઈ છે અને અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વોને લપડાક મળી છે.
રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે મંત્રીની વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરના ગૌરવપથ પર દેસાઈનગરથી વરતેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, દેસાઈનગરથી વરતેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઈટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે, ભાવનગરમાં દેસાઈનગરથી વરતેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને GIDCના અંદાજે 31 જેટલા જંક્શનો આવે છે, જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહેતો હતો. હવે આ બ્રિજ બનતા ઉપરોક્ત તમામ જંક્શનો પરથી વાહનો કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે. આ માર્ગ પર GIDC ઉપરાંત મહુવા, તળાજા, ઘોઘા અને હજીરા ફેરી સર્વિસ માટે ભારે વાહનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટની સતત અવરજવર રહે છે આ બ્રિજ બનવાથી આ ઉદ્યોગોને પણ વેગ મળશે, તદુપરાંત નારી ચોકડીથી એન્ટર થઈને RTO સુધી સીધા ટ્રાવેલ કરતા વાહનો હવે વરતેજથી જ બ્રિજ પર ચડી શકશે, જેથી સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ભાવનગરના વિકાસ દ્વાર સમાન છે, જ્યાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ભારણ વધી રહ્યું હતું, ભાવનગરવાસીઓની લાગણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને આ બાબતે હકારાત્મક વિચારણા કરવા રજૂઆત કરી હતી, જેને હકારાત્મક વાચા આપીને બ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર શહેરને પણ રાજ્યના અને દેશના અન્ય મહાનગરોની સમકક્ષ વિકસાવવા માટે અગાઉ મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ કર્યો હતો, જ્યાં, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પહોળા અને ગુણવત્તાયુક્ત રોડ, ઓવરહેડ ટેન્ક તેમજ સ્વચ્છતા જેવી તમામ બાબતોએ અન્ય મહાનગરોની બરાબર જ વિકાસ પામે. આજે મંત્રી જીતુભાઈના પ્રયત્નોથી તેમનો આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ ભાવનગરમાં નિર્માણ પામી રહ્યો છે, આ ફ્લાઈઓવર બ્રિજના નિર્માણથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે અને લાખો વાહનચાલકોને દરરોજની હાડમારીમાંથી મુક્તિ મળશે.
અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલની તારીખ 24/03/2026ના રોજ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વનિતાબેન પટેલ અગાઉ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના બહોળા વહીવટી અનુભવ અને લોકસેવાની ભાવનાથી રેડક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી મોડાસામાં લેબોરેટરી અને ડેન્ટિસ્ટ જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે. વરણી બાદ સંસ્થાના કારોબારી સભ્યો અને શુભેચ્છકોએ વનિતાબેન પટેલને અભિનંદન પાઠવી તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, અગાઉ ચેરમેન તરીકે સેવાઓ આપનાર ભરતભાઈ પરમારની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બાયપાસ નેશનલ હાઇવે નીચે ભાલપરાથી મીઠાપુર ગામ સુધીનો આશરે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ વેરાવળ શહેરને આસપાસના ગામડાઓ સાથે જોડે છે. અહીં કનકાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું હોવાથી ભક્તો અને સ્થાનિકોની અવરજવર સતત રહે છે. ઉપરાંત, આસપાસના મોટા વાડી વિસ્તારને કારણે કૃષિ સંબંધિત વાહનોનો ટ્રાફિક પણ નોંધપાત્ર રહે છે. માર્ગની ખરાબ હાલત વાહનચાલકો માટે રોજિંદી મુશ્કેલીઓ ઊભી કરે છે. રસ્તા પરના ખાડા અને અસમાન સપાટીને કારણે સમયનો વ્યય થાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે. વરસાદની મોસમમાં આ સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને, વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વાલજી બામણીયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ અથવા પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે, તંત્ર આ માર્ગના સુધારણા માટે તાત્કાલિક પગલાં ભરે. આનાથી લોકોની રોજિંદી અવરજવર સરળ બનશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે.
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ચમકી છે. ફેકલ્ટી ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલ અને તેમની ટીમે બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘ન્યુ જનરેશન આઈડિએશન કોન્ટેસ્ટ-2025’માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. કઠિન સ્પર્ધા અને ટીમની સિદ્ધિહિંદુસ્તાન પેટ્રોલિયમ ગ્રીન RD સેન્ટર (HPCL) દ્વારા 2009થી આયોજિત આ સ્પર્ધામાં ભારતભરમાંથી 400થી વધુ પ્રપોઝલ્સ આવ્યા હતા. અનેક તબક્કાની ચકાસણી બાદ માત્ર 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. માર્ગી જોષી અને કવન ચૌહાણની ટીમે પીએચ.ડી. અને પોસ્ટ-ડૉક્ટરલ કેટેગરીમાં આ સફળતા મેળવી છે. સંશોધનનો વિષય: ભારતનો નેટ ઝીરો ગોલટીમ દ્વારા “મોડીફાઈડ ઝીઓલાઇટ એસ હેટરોજીનીયસ કેટલીસ્ટ્સ ફોર બાયોમાસ વેલોરાયજેસન: અ રોડમેપ ટાવર્ડ્સ ઇન્ડિયાસ નેટ ઝીરો ગોલ્સ” વિષય પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સંશોધનનો મુખ્ય હેતુ ઉપલબ્ધ બાયોમાસને મૂલ્યવર્ધિત રસાયણોમાં રૂપાંતરિત કરવાનો છે, જે ભારતને 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદરૂપ થશે. સતત સંશોધન અને સહકારઓક્ટોબર 2025માં મંગાવવામાં આવેલી અરજીઓ બાદ વિવિધ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમે આ સ્થાન હાંસલ કર્યું છે. આ સંશોધન કાર્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)નો સહયોગ અત્યંત મહત્વનો રહ્યો છે. ગ્રીન કેમિસ્ટ્રી અને સસ્ટેનેબલ ટેકનોલોજી ક્ષેત્રે આ સંશોધન ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે માર્ગદર્શક સાબિત થશે.
બેટ દ્વારકામાં હનુમાન જયંતિની ઉજવણી:હનુમાન અને મકરધ્વજ મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરાઈ, ભક્તો ઉમટ્યા
બેટ દ્વારકામાં હનુમાન જયંતિ નિમિત્તે પિતા-પુત્ર હનુમાનજી અને મકરધ્વજજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ મંદિરનું ધાર્મિક મહત્વ અનોખું છે, કારણ કે અહીં હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજજીની પણ પૂજા થાય છે, જે દેશભરમાં દુર્લભ ગણાય છે. રામાયણ કાળની કથાઓ સાથે જોડાયેલું હોવાથી ભક્તોમાં આ મંદિર પ્રત્યે વિશેષ આસ્થા છે. હનુમાન જયંતિના અવસરે મંદિરમાં વિશેષ આરતી, ધ્વજારોહણ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરાઈ હતી. ભક્તોની એવી માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી શક્તિ, ભક્તિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું
Gujarat Weather: ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું. ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આજરોજ સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠેરઠેર હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર તથા અધેવાડા પાસે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી, તેમજ બજરંગ દળ દ્વારા સાંજે રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે, તેમજ 150થી વધુ વાનર સેના નગરચર્યાએ નીકળશે, ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ મદનમોહનદાસ બાપાના આશીર્વાદથી હનુમાન જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ગોળીબાર મંદિરના ખાતે ભક્તો પૂજા અર્ચના કરી સવારથી જ દર્શન કરવા મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી, શહેરના અધેવાડા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સવારે અને બપોરના સમયે મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો, અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાનું તથા દેવી દેવતાઓના વેશ ભૂષા સાથેના ફલોટનું નગરચર્યાએ સાંજે 5 વાગે નિકળવાનું આયોજન કરેલ છે તેમાં વિશેષ ઉપસ્થિતિ સહ આર્શિવચન મહંત ઘનશ્યામ મહારાજ, મહારાજ લોકુરામશર્મા, દુઃખભંજની દેવુમાં, ઉપસ્થિત રહેશે, જેમાં દેવી દેવતાઓ તથા 151 વાનર નગરચર્યાએ હનુમાન જન્મોત્સવ નીમીતે સિંધુનગર વિસ્તારમાં ફરી નગરજનોને દર્શન આપશે.. વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આગામી 'બલોપાસના દિવસ' અને હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રખંડ કુંભારવાડા તલાવડી પ્રેરિત આ શોભાયાત્રા સતત પાંચમા વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળશે. જેમાં બાલા હનુમાન દાદા મંદિર, માઢીયા રોડ, ધનાભાઈની હોટલ પાસે આ શોભાયાત્રામાં શહેરના આદરણીય સાધુ-સંતો, મહંતો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ શોભાયાત્રા ડીજેના તાલે શ્રી બાલા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી માઢીયા રોડ, રામદેવજી મહારાજ મંદિર, બાથાભાઈનો ચોક, મેલડી માતા મંદિર, શીતળા માતા ડેરી અને નારી રોડ થઈને પરત ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે નિજ મંદિર પહોંચશે.
વલસાડના હિંગરાજમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો
વલસાડ તાલુકાના હિંગરાજ ગામમાં આવેલા વૈકરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ 350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો હતો, જેમાં 40 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વલસાડ જિલ્લા ઉપરાંત દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટી મગન ટંડલે જણાવ્યું હતું કે, આ મંદિર આશરે 350 વર્ષ જૂનું અને પૌરાણિક છે. તેમણે ઉમેર્યું કે વર્ષો પહેલા તેમના વડવાઓએ માત્ર 1 કિલો ચોખાથી હનુમાન જયંતિની ઉજવણી અને ભંડારાની શરૂઆત કરી હતી. આ પરંપરા આજે 1500 કિલો ચોખા સુધી પહોંચી છે. ભંડારામાં દાળ-ભાત, શાક, લાપસી અને ખમણ જેવી વાનગીઓનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં પૂજા, અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પ્રીતમ નગર યુવક મંડળ દ્વારા હનુમાન દાદાને 11 કિલોની કેક અર્પણ કરવામાં આવી હતી. સાંજે આરતી બાદ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કેક કાપવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દરિયાઈ પટ્ટી પર વસતા માછીમાર સમાજ સહિત તમામ જ્ઞાતિના આશરે 35 થી 40 હજાર ભક્તોએ ભંડારાનો લાભ લીધો હતો. સ્થાનિક લોકવાયકા મુજબ, વૈકરિયા હનુમાનજી દાદા અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં મનોકામના વ્યક્ત કરનારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે.

28 C