SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

રાજકોટ જિલ્લામાં 19.42 લાખ મતદારો:ફાઈનલ મતદાર યાદીમાં મનપાના 1થી 18 વોર્ડમાં 9.85 લાખ, 11 તાલુકાઓમાં 9.56 લાખ વોટર્સ

રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,952 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. આ ઉપરાંત જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે જેમાં 11 તાલુકાના 202 વોર્ડમાં 9,56,522 મતદારો હોવાનું જાહેર થયું છે. જ્યાં 36 સીટ અને 1189 પોલિંગ સ્ટેશન છે. રાજકોટ મહાપાલિકાના ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, ગત 23 માર્ચના શહેર વિસ્તારની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 1 થી 18 વોર્ડ મા ગત વર્ષના 10,93,991 મતદારો હતા. જોકે તાજેતરમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી. જેમાં ગેરહાજર મતદારો, એક જ મતદારનુ બે જગ્યાએ નામ, શિફ્ટ થયેલા તેમજ મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા. જેમાં 25 બુથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 90 બૂથ વોર્ડ નંબર 11 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 202 વોર્ડની 36 સીટ પર 1189 પોલિંગ સ્ટેશન છે. જ્યાં 9,56,522 મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 1,34,482 અને જસદણમાં 1,24,646 મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા 46,602 મતદારો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:51 pm

અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી:બંને ભાઈ-બહેને રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો, રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યા

અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:39 pm

દુષ્કર્મના મુખ્ય આરોપી સામે કાનૂની કાર્યવાહી રદ્દ કરવા હાઇકોર્ટનો ઈનકાર:ધો. 12થી લઈને 8 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યું, લગ્ન બાદ પણ પીછો છોડ્યો નહીં

ગુજરાત હાઇકોર્ટમાં આરોપી સુભાષ મોદી દ્વારા વર્ષ 2014માં નારણપુરા પોલીસમાં નોંધાયેલ દુષ્કર્મ, ધમકી સહિતની ફરિયાદ સંદર્ભે ફરિયાદ અને ચાર્જશીટ રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં દાખલ થયેલ છે. જેમાં 11 આરોપી સામે યુવતીએ આક્ષેપો કરેલા છે. તેમાં પણ અરજદાર પહેલા નંબરનો આરોપી છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી નાખી છે. CG રોડની ઓફિસે ઠંડુ પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું'તુંકેસની વિગતે જોતા યુવતી જ્યારે માત્ર ચાર વર્ષની હતી. ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. આરોપી યુવતીનો પાડોશી હતો. યુવતીને તેના સંબંધમાં લગ્ન કરાવી આપવાનું કહી તે યુવતીને તેના પરીવાર સામે ઉશ્કેરતો હતો. તેને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. યુવતીને આરોપી પોતાની સી.જી.રોડની ઓફિસે બોલાવતો અને ઠંડુ પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 8 વર્ષ સુધી આરોપીએ યુવતીનું શારીરિક શોષણ કર્યુંવારંવાર આરોપી જુદી જુદી જગ્યાએ યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. યુવતી 24 વર્ષની થઈ ત્યાં સુધી આ સિલસિલો ચાલ્યો હતો. આમ 8 વર્ષ સુધી આરોપીએ યુવતીનું શારીરિક શોષણ કર્યાને આક્ષેપ કરવામાં આવેલ છે. એટલું જ નહીં આરોપીએ યુવતીના બીભત્સ ફોટા અને વિડીયો પણ સાચવી રાખ્યા હતાં. યુવતીના પિતાએ યુવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. જેમાં એક જ વર્ષમાં આરોપીની દખલગીરીને લઈને તેના છૂટાછેડા થઈ ગયા હતા. યુવતીના લગ્ન બાદ પણ આરોપીએ પીછો છોડ્યો નહીંયુવતી નોકરી કરવા જતી ત્યારે પણ આરોપી તેનો પીછો કરતો અને શરીર સંબંધો બાંધતો. યુવતીના બીજે લગ્ન થયા હતા, ત્યાં તેને યુવતીને મિસ કોલ આપવા માટે દબાણ કર્યું હતું. જો તે નહીં કરે તો તેના સાસરીયાઓને બીભત્સ ફોટા મોકલી દેવા ધમકી આપી હતી. જેથી કરીને યુવતી તેની વાત માનવી પડી હતી. તે 17 લાખના ઘરેણા અને રોકડ રૂપિયા લઈને પોતાની સાસરીમાંથી ભાગી નીકળી હતી. હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતીઆરોપીએ ભોગ બનનાર યુવતીને અન્ય એક યુવતીને મળવા કહ્યું હતું. જ્યાં એક સહ આરોપીએ યુવતી પાસેથી પૈસા અને મોબાઈલ લઈ લીધો હતો. તેને પણ યુવતી નું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીના ઘરના લોકોને યુવતીનું કિડનેપ થયું હોવાનું લાગતા પોલીસને જાણ કરીને, હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. યુવતી મળી આવતા તેને સોલા અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશને હાજર કરાવી હતી. જ્યારે આખરે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. આરોપીના વકીલનું કહેવું હતું કે, યુવતીએ કરેલ શારીરિક શોષણની બાબત ઉપજાવી કાઢેલી છે. એટલું જ નહીં તેને બીજા લોકો પર પણ શોષણનો આક્ષેપ મૂક્યો છે. તો 8 વર્ષ સુધી તે ચૂપ શા માટે રહી ? હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી નાખીજો કે કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેટલાક પુરાવાઓ આરોપી સામે મળી આવ્યા છે. ત્યારે ફરિયાદ રદ કરવાની અરજીમાં નાની ટ્રાયલ ચલાવી શકાય નહીં. દેખીતા રીતે યુવતીએ કરેલા આક્ષેપો ખોટા લાગતા નથી, ત્યારે આ અરજી કોર્ટે ફગાવી નાખી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:39 pm

પાલિકા-પંચાયતમાં મતદારોનું ચિત્ર આજે સ્પષ્ટ થશે:આજે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ, સાંજે 5 વાગ્યે તારીખની જાહેરાતની શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ફાઈનલ મતદાર યાદી જાહેર કરાયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરાય તેવી પૂરી શક્યતા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 15 મહાનગરપાલિકા અને જ્યારે બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગર પાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ફાઈનલ મતદાર યાદી બાદ ચૂંટણીની તારીખો જાહેર થશેમતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ હવે કોઈ પણ પ્રકારના મોટા ફેરફારો શક્ય નથી રહેતા, જેથી ચૂંટણી માટેનો માર્ગ લગભગ સ્પષ્ટ બની ગયો છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણી આયોગ તારીખો જાહેર કરી શકે છે. તાજેતરમાં કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણી અંગેનો નિર્ણય હવે અંતિમ તબક્કે પહોંચી ગયો છે. ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગ્યાચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2021માં 23 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખે 23 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે SIRની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:37 pm

પાટણમાં ટર્બો ટ્રક-કાર અકસ્માત, ₹25 હજારનું નુકસાન:પોલીસે ચાલકને ઝડપી ફરિયાદ નોંધી, તપાસ શરૂ

પાટણ શહેરમાં સંખારી ત્રણ રસ્તા પાસે એક ટર્બો ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના કારણે કારને આશરે ₹20,000 થી ₹25,000 નું નુકસાન થયું હતું. આ ઘટના અંગે કાર ચાલકે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ટર્બો ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના માતાપિતા સાથે કારમાં સારવાર અર્થે પાટણ આવી રહ્યા હતા. સંખારી ત્રણ રસ્તા પાસે પાછળથી આવતા ટર્બો ટ્રકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે કારને ₹20,000 થી ₹25,000 નું નુકસાન થયું હતું. કાર ચાલકે તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટર્બો ટ્રકના ચાલક, ચાણસ્માના રણાસણ ગામના મનુજી ગોપાળજી ઠાકોરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:13 pm

ગંગાજળિયા તળાવ પાસે સિટી બસચાલકે સગીરને અડફેટે લીધો:ઈજાગ્રસ્તને સર્ટી હોસ્પિટલમાં ખસેડાયો, પિતાએ બસચાલક સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો સગીર સીટી બસની રાહે ગંગાજળિયા તળાવ પાસે ઉભો હોય એ દરમ્યાન સીટી બસના ચાલકે સગીરને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સગીરના પિતાએ પીએમઇ બસના ચાલક વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બસ સ્ટોપ પર ઉભો હતો ને અડફેટે લીધોમળતી માહિતી અનુસાર, શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ એરપોર્ટ રોડ પર સુવિધા ટાઉનશિપમાં રહેતા પ્રકાશ કલ્યાણભાઈ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તેનો 15 વર્ષિય પુત્ર અચ્યુત ગંગાજળિયા તળાવમાંથી પોતાના ઘરે આવવા માટે સીટી બસની રાહે ગંગાજળિયા તળાવ પાસેના બસ સ્ટોપ નંબર 4 પર ઉભો હોય એ દરમિયાન સીટી બસ નંબર GJ-04-AX-2896ના ચાલકે બસ સગીર અચ્યુતને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીએમઈ બસ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયોઆ અકસ્માતમાં સગીરને નાની મોટી ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગંગાજળિયા પોલીસે બેદરકારી પૂર્વક ડ્રાઈવીંગ કરનાર પીએમઈ બસ ડ્રાઇવર વિરુદ્ધ BNS એક્ટ 281, 125(b) તેમજ મોટર વાહન અધિનિયમ 177, 184 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:11 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:​જૂનાગઢમા ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ, નિરિક્ષકો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ રજૂ કરશે ને ઉમેદવાર જાહેર થશે

જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્વની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય અને વંથલી માર્કેટિંગ યાર્ડ એમ બે અલગ-અલગ સ્થળોએ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને દાવેદારોના મંતવ્યો જાણવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતપોતાના મંડલના સમય મુજબ ઉમટી પડ્યા છે. દાવેદારો માટે સેન્સ લેવામાં આવી રહી છેઆજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકો, મેંદરડા તાલુકો, વિસાવદર તાલુકો અને જૂનાગઢ તાલુકાના દાવેદારો માટે સેન્સ લેવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર તાલુકો, કેશોદ તાલુકો, માળીયા તાલુકો અને માંગરોળ તાલુકાના ઉમેદવારો અંગે મંતવ્યો મેળવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. નિરીક્ષકો દ્વારા દરેક મંડલના હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો સાથે વ્યક્તિગત તેમજ સામૂહિક ચર્ચાઓ કરીને સંભવિત ઉમેદવારોના નામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સંભવિત પેનલો અંગે પ્રાથમિક ચર્ચાઓ કરાઈ​ગઈકાલની વાત કરીએ તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં સંગઠનલક્ષી બેઠકો અને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ આજે મુખ્ય મંડલોની સેન્સ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગઈકાલે કાર્યકર્તાઓ સાથે અનૌપચારિક મુલાકાતો યોજીને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં આવી હતી અને સંભવિત પેનલો અંગે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. જેથી આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન કોઈ વિલંબ ન થાય અને યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી શકે. આ નિરિક્ષકો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ રજૂ કરશે​જૂનાગઢ ખાતે નિરીક્ષકો તરીકે પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, ગાંધીનગરના પૂર્વ શહેર મહામંત્રી ગૌરાંગ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય અનિતાબેન પરમાર ઉપસ્થિત રહીને કાર્યકરોને સાંભળી રહ્યા છે. જ્યારે વંથલી ખાતે પ્રદેશ કારોબારી સભ્ય હિતેશકુમાર પટેલ, શશીકાંત પંડ્યા અને પુષ્પાબેન ઠાકોર દ્વારા ઉમેદવારી ફોર્મ અને દાવેદારોની ક્ષમતા અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ નિરીક્ષકો કાર્યકર્તાઓના મંતવ્યો અને સંગઠનની મજબૂતીને ધ્યાને રાખીને પોતાનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ રજૂ કરશે જેના આધારે અંતિમ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ટિકિટ મળે તે માટે ભારે ખેંચતાણ​ભાજપ દ્વારા લોકશાહી ઢબે કાર્યકર્તાઓના અવાજને સાંભળીને જ ટિકિટ ફાળવણી કરવાની પરંપરા જાળવી રાખવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવતા આગેવાનોમાં પોતાની પસંદગીના ઉમેદવારને ટિકિટ મળે તે માટે ભારે ખેંચતાણ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં બાકી રહેલા ભેસાણ તાલુકા અને કેશોદ શહેરની સેન્સ પ્રક્રિયા પણ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ કરવામાં આવશે તેવું સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 1:01 pm

ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને:શહેરમાં મુખ્ય જંક્શનના ડિવાઈડર કટ બંધ કરવાથી ટ્રાફિક સમસ્યા ઘટી, જી.એસ મલિકે કહ્યું 'ટ્રાફિકજામની ફરિયાદ ઓછી થઈ'

શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે.આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા પર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને ઉત્પરજ કરી હતી અને સ્થાનિકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને લઈને ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું કહ્યું હતું.હીરાવાડી જંકશન પર કર્યું નિરીક્ષણશહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેટિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંકશન ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા હતા.કટ બંધ કરવાથી કેટલો ફાયદો થાય છે તેને લઈને કમિશનરે ટ્રાફિક ડીસીપી અને પીઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ ચાર રસ્તા ઉપર આવેલા દુકાનદારને પૂછ્યું હતું કે ટ્રાફિક બંધ કરવાના કારણે કેટલી રાહત રહે છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો એ પહેલા ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા. ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિકમાં ખૂબ જ રાહત રહે છે 100 મીટર દૂર કરીને જવામાં અમને કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ ડિવાઈડર બંધ કરવાના કારણે ખૂબ જ ફાયદો થઈ ગયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા છે તેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે. ત્યાંથી વાહન ચાલકો જઈ શકે છે.ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે.ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ કરી રહી છેજ્યારે પણ રોડ બનાવવામાં આવે છે અને પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તાઓ ઉપર આમને સામને અવરજવર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે.પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. અને ટ્રાફિક ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા હતા અને સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકજામની ફરિયાદો ઓછી થઈ:પોલીસ કમિશનરપોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે છેલ્લા છ મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ટ્રાફિક જંકશન ઉપર શું ફેરફાર કરી શકાય તેના માટે અમે બંને ડીસીપીને સાથે રાખી અને સર્વે કરાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હીરાવાડી ટ્રાફિક જંકશન ડીવાઈડર કટ બંધ કરવાના કારણે લોકો ખૂબ જ ખુશ છે. ટ્રાફિકની અવરજવર ખુબ જ સરળ થઈ ગઈ છે. ફીડબેક પણ મળી રહ્યા છે. લોકો ટ્વિટર(X) ઉપર ટ્રાફિક જામ અંગેની ફરિયાદ કરતા હતા હવે એ ફરિયાદો પણ ઓછી થઈ ગઈ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક ઘટાડવા માટે થઈ અને અમે ઘણા બધા બદલાવ કરી રહ્યા છીએ. જેમાં ડિવાઈડર કટ બંધ કરવામાં આવી રહ્યો છે.કેટલાક ડિવાઈડર કટ અમે ચાલુ પણ કરી રહ્યા છીએ. જેનાથી ટ્રાફિક વધુ સરળતાથી અવરજવર થઈ શકે તેની કામગીરી કરી રહ્યા છીએ.આ મુખ્ય જંકશન પર ડિવાઈડર કટ બંધપીરાણા જંકશનનારોલ કોઝી હોટલનારોલ સર્કલહાથીજણ સર્કલકમોડ સર્કલ સીટીએમ ચાર રસ્તાહાટકેશ્વર સ્વસ્તિક ચાર રસ્તા હીરાવાડી ચાર રસ્તા નાનાચિલોડા ચાર રસ્તા ભાટ જંકશનગરીબનગર ચાર રસ્તાઇન્દિરા બ્રિજ સર્કલશેલા સર્કલ કર્ણાવતી ક્લબથલતેજ પેલેડિયમ મોલ

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:32 pm

જિલ્લા પંચાયત પૂર્વ ભાજપ સદસ્ય જેલ હવાલે:અજય લોરીયાએ ₹25 લાખની ઉઘરાણીમાં સિરામિક ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલો હતો

પૈસાની લેતીદેતીના વિવાદમાં સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ભાજપ સદસ્ય અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને મોરબી સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર બનાવ શું હતો?મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજાએ અજય મનસુખ લોરીયાને 25,000,000 (25 લાખ) રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમય બાદ આ રકમ પરત માંગતા રવિવારે રાત્રે 11:30 વાગ્યે અજયે શેખરને શનાળા રોડ પર આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં મુલાકાત માટે બોલાવ્યા હતા. શેખર આદ્રોજા તેમના મિત્ર જયેશ પાડલીયા સાથે ઇનોવા ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા. ગિન્નાયેલા અજય લોરીયાએ ગાડીમાંથી લોખંડની ખીલીઓ જડેલો ધોકો કાઢી બંને પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં જયેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 12થી વધુ ટાંકા આવ્યા હતા, જ્યારે શેખરને બંને હાથમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ જપ્તઘટના અંગે શેખર આદ્રોજાએ મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી અજય લોરીયાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન મુદ્દામાલ કબજે કર્યો છે: ગુનામાં વપરાયેલી મર્સિડીઝ ગાડી હુમલા માટે વપરાયેલો ખીલીવાળો ધોકો આરોપીના લોહીવાળા કપડાં મોબાઈલ ફોન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. હાલમાં આરોપી મોરબી સબ જેલમાં બંધ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:32 pm

જામનગરભાજપ દ્વારા મહાનગર પાલિકા ચૂટણી પ્રક્રિયા શરૂ:ઉમેદવારી ફોર્મ લેવા ભીડ જામી; આવતીકાલે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે

જામનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્રોના વિતરણ સાથે આશાસ્પદ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ભીડ ભાજપમાં ઉમેદવારી માટેના પ્રબળ ઉત્સાહને દર્શાવે છે. પક્ષ દ્વારા આવતીકાલે, 2 એપ્રિલ 2026 ના રોજ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે બે અલગ-અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 થી 8 માટે સેન્સ પ્રક્રિયા જામનગરના ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાશે, જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષ દ્વારા નિર્ધારિત આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની રણનીતિ અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ વધુ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:14 pm

પિતાએ મારી સામે માતાના પેટમાં છરી મારી:એમ્બ્યુલન્સને ફોન પણ ના કરવા દીધો, થલતેજમાં પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ વાળ પકડીને મારામારી કરી, બાળકો રડ્યા

પિતાએ મારી સામે જ માતાના પેટમાં છરી મારી દીધી છે, મે એમ્બ્યુલન્સ બોલાવવા માટે પિતાને કહ્યુ તેમણે મને મારવાની ધમકી આપી હતી જેથી મે ચોરી છુપેથી ફોન કરી દીધો હતો. આ શબ્દો એક દસ વર્ષના બાળકના છે જે સાક્ષી છે તેની માતા સાથે બનેલી ઘટનાનો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પતિએ પત્નીને બાળકોની સામે પેટમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ વાળ પકડીને મારામારી કરીથલતેજ વિસ્તારમાં રહેતી મીના વઢવાણાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પતિ ધીરજ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. મીના વઢવાણા પતિ ધીરજ તેમજ દસ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે(31 માર્ચ) મીના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે ધીરજ આવ્યો હતો અને 200 રૂપિયા વાપરવા માટે માંગ્યા હતા. મીનાએ રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા ધીરજ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.ધીરજે મીનાના વાળ પકડીને મારામારી કરવાની શરૂ કરી દીધી હતી જેના કારણે બન્ને બાળકો રડવા લાગ્યા હતા. લોહીલુહાણ માતા જમીન પર પડતાં જ દીકરાએ બુમાબુમ કરીધીરજે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને મીનાના પેટમાં મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં મીના જમીન પર ઢળી પડી હતી જ્યારે દસ વર્ષના દીકરાએ બુમાબુમ કરી દીધી હતી. દીકરાની બુમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોહીથી લથબથ મીના દોઢ કલાક સુધી તરફડીયા માર્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધીરજ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:11 pm

વાપીના બે લોકપ્રિય PIની બદલી:પોલીસ જવાનો અને સ્થાનિકોએ ભાવભીની વિદાય આપી

વાપીના બે પોલીસ અધિકારીઓ, PI અમીરાજસિંહ રાણા અને PI મયુર પટેલની બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 7 PIની બદલીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. વાપી GIDC પોલીસ મથકના PI રાણા અને વાપી ટ્રાફિક પોલીસ મથકના PI પટેલને પોલીસ જવાનો અને સ્થાનિકો દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયાન પોલીસ જવાનોએ અધિકારીઓ પર પુષ્પવર્ષા કરી હતી. વાપી GIDC મથકે PI અમીરાજ રાણા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમને સાફો પહેરાવી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ તેમને ફૂલોથી શણગારેલી જીપમાં બેસાડી, ઢોલ-નગારાના તાલે વિદાય અપાઈ હતી. PI અમીરાજસિંહ રાણાની બદલી વાપી GIDC થી સુરત રૂરલ ખાતે કરવામાં આવી છે. જ્યારે PI મયુર પટેલની બદલી વાપી ટ્રાફિક પોલીસ મથકથી ગાંધીનગર ખાતે થઈ છે. બદલીના સમાચાર બાદ પોલીસ મથકને ફુગ્ગા અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથી કર્મચારીઓએ જણાવ્યું કે આ અધિકારીઓએ તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સ્ટાફ સાથે પણ સારો વ્યવહાર રાખ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:05 pm

વલસાડમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ટિકિટ વાંચ્છુકોનો મેળાવડો

વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેર, વાપી અને નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દાવેદારો સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા વલસાડના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોને સાંભળ્યા હતા. સવારથી જ ટિકિટના દાવેદારો તેમના સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદાર સાથે એકાંતમાં ચર્ચા કરીને પક્ષ પ્રત્યેની તેમની સક્રિયતા અને જીતવાની ક્ષમતા અંગેની વિગતો મેળવી હતી. નવરચિત નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા આદિવાસી પટ્ટામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાનાપોંઢા ખાતે પ્રદેશ નિરીક્ષકોએ કપરાડા તાલુકા અને નવા રચાયેલા નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા હતા. આ વિસ્તારોમાંથી સ્થાનિક આગેવાનો અને યુવા ચહેરાઓએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવતા, નિરીક્ષકો માટે ઉમેદવારોની પસંદગી પડકારજનક બની શકે છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 થી 7 માટેના ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધમાં છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ તાલુકા-જિલ્લા પંચાયત અને પાલિકા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો છે. દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નિરીક્ષકો સમક્ષ મોટી સંખ્યામાં બાયોડેટા રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:00 pm

સચિન GIDCમાં આગ:હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગથી અફરાતફરી, ફાયરની ટીમ ઘટનાસ્થળે

સુરત સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. એક કંપનીમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગનું કારણ અકબંધ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:57 am

નવસારીમાં સ્થાનિક ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:સિંધુ ભવન ખાતે દાવેદારોનો ધસારો; નિરીક્ષકો દરેક પાસાં ચકાસી દાવેદારોની યાદી તૈયાર કરશે

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, જેને 'સેન્સ' પ્રક્રિયા કહેવાય છે, તેનો આજે વિધિવત પ્રારંભ થયો છે. દાવેદારો દાવેદારી રજૂ કરવા ઉમટી પડ્યાનવસારી શહેરના સિંધુ ભવન ખાતે મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સમક્ષ વહેલી સવારથી જ કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરવા ઉમટી પડ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલી નિરીક્ષકોની ટીમ દરેક પાસાઓને ચકાસીને દાવેદારોની યાદી તૈયાર કરશે. દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા સમગ્ર જિલ્લામાં બેઠકોના વિભાજન પ્રમાણે અલગ-અલગ ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જલાલપોર અને વાંસદા બેઠકો માટે છોટાઉદેપુરના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધર્મેશ પંડ્યા અને કામિની સોની દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા માટે રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાની હેઠળ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને સીમાબેન મોહિલે નિરીક્ષણ કરી રહ્યા છે. ગણદેવી તાલુકા, ચીખલી અને ગણદેવી નગરપાલિકા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની ટીમમાં અરવલ્લીના પૂર્વ જિલ્લા પ્રમુખ જે.પી. પટેલ અને પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્મિલાબેન વસાવા સામેલ છે. અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારો પોતાના સમર્થકો સાથે સિંધુ ભવન પહોંચ્યા હતા, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દાવેદારોની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા (Winability) જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે, જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:45 am

બોટાદ APMC સાત દિવસની રજા બાદ શરૂ:ખેડૂતો જણસી વેચવા ઉમટ્યા, વાહનોની લાંબી કતારો લાગી

બોટાદ APMC માર્કેટિંગ યાર્ડ સાત દિવસની રજા બાદ આજે ફરીથી કાર્યરત થયું છે. યાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતો પોતાની કૃષિ જણસી વેચવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર, પીકઅપ ગાડીઓ અને છકડા રિક્ષાઓ જેવા વાહનો સાથે યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. યાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે કૃષિ ઉપજની નોંધપાત્ર આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ માર્ચથી ૩૧ માર્ચ સુધી માર્ચ એન્ડિંગના કારણે યાર્ડમાં રજા રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ કામકાજ થયું ન હતું. આજે યાર્ડ શરૂ થતાં ઘઉં, ચણા અને કપાસ જેવી મુખ્ય જણસીઓની પુષ્કળ આવક નોંધાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર સોનેસ પટેલે આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:45 am

ભરૂચમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:નિરીક્ષકોએ કાર્યકર્તાઓના અભિપ્રાય લીધા, નિષ્ઠા-અનુભવને મહત્વ

ભારતીય જનતા પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લામાં તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી જિલ્લા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચની એક ખાનગી હોટલમાં આ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યાં પ્રદેશ નિરીક્ષકોની ટીમે કાર્યકર્તાઓ અને ટિકિટના દાવેદારો સાથે સીધી મુલાકાત કરી તેમના અભિપ્રાય સાંભળ્યા હતા. આ ટીમમાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કરવા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આશરે ૧૬ બેઠકો માટે દાવેદારો પાસેથી અરજીઓ અને બાયોડેટા સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેક દાવેદારને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી છે. પ્રદેશ નિરીક્ષક ડૉ. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સાથેનો લગાવ અને સંગઠન પ્રત્યેની સતત કામગીરીને મહત્વ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે નવા ચહેરાઓને પણ યોગ્ય તક અપાશે. અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ આપવા અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ માહિતી આપી હતી કે આ સેન્સ પ્રક્રિયા ભરૂચ અને અંકલેશ્વર ખાતે બે દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ગરમીના માહોલ વચ્ચે પણ જિલ્લા હોદ્દેદારો, ટિકિટના દાવેદારો અને કાર્યકર્તાઓનો ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:38 am

યુદ્ધના કારણે ઊર્જા કટોકટી? ઓઇલના ભાવ 150-200 ડૉલર જવાની ભીતિ, વ્હાઈટ હાઉસે શરૂ કરી તૈયારીઓ

(IMAGE - IANS) Global Oil Crisis: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ હવે બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. આ સંઘર્ષને કારણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને બંધ કરી દેતા વિશ્વના 20થી 25 ટકા ઓઇલ અને ગેસ સપ્લાય પર સીધી અસર પડી છે.

ગુજરાત સમાચાર 1 Apr 2026 11:35 am

રાજુલાના દેવકામાં CMએ 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ:દેવકા વિદ્યાપીઠમાં 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેનું અત્યાધુનિક ભોજનાલય સામેલ

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆતમાં રાજુલા તાલુકાના દેવકા ખાતે નવીન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમરાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યા. ગર્લ્સ હોસ્ટેલ: 1100 બેડની સુવિધા ધરાવતી આધુનિક નૂતન કન્યા છાત્રાલય. ભોજનાલય: 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ભોજનાલય. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉત્તમ રહેઠાણ અને ભોજન સાથે શિક્ષણની વધુ સારી તકો પ્રાપ્ત થશે. જળસંચય અને અન્ય વિકાસ કાર્યોની રૂપરેખામુખ્યમંત્રીના આજના પ્રવાસમાં અન્ય મહત્વના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે: સણોસરા (જળસંચય): અમરેલી તાલુકાના એકસાથે 71 ગામોમાં 'ગીરગંગા ફાઉન્ડેશન' અને 'GETCO'ના સહયોગથી તળાવ ઊંડા કરવાની કામગીરીનો શુભારંભ. આ કાર્યનો લાભ જિલ્લાની અન્ય વિધાનસભાના બીજા 5-5 ગામોને પણ મળશે. અમરેલી શહેર: જેસિંગપરાના શિવાજી ચોક ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ. મતીરાળા (નદી ડીપનિંગ): લાઠી તાલુકાની પીપરિયા નદીને આશરે 9.6 કિમી (મતીરાળાથી કૃષ્ણગઢ 7740 મીટર અને કેરાળાથી કૃષ્ણગઢ 1860 મીટર) સુધી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત. ધોળકિયા ફાઉન્ડેશન સાથે 80:20ની લોકભાગીદારી હેઠળ આ પ્રોજેક્ટ માટે અંદાજે 15.66 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજકીય માહોલ અને ચૂંટણીના એંધાણરાજ્યમાં આગામી ટૂંકા સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં દિવસભર કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમોમાં સાંસદ ભરત સુતરિયા, જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો દ્વારા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:28 am

જે ઘરના દીકરાની હત્યા કરી તેના ઘરની બહાર ગાડીમાં તોડફોડ:માધવપુરામાં હત્યા કેસમાં આરોપી પેરોલ પર બહાર હતો, ગુંડાગીરીના CCTV

અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપીએ આતંક મચાવ્યો છે. આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું છે. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ ગાડીના કાચ તોડ્યામાધવપુરાના વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે 31 માર્ચના રાતના સમયે તેમનો પરિવાર ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને ગાડી લઈને પરત આવ્યો હતો. ગાડી તેમના ઘરની બહાર પાર્ક કરી હતી.પાર્ક કરીને જૈમિન ઘરમાં સૂતો હતો,સવારે ઊઠીને જોયું તો ઘરની બહાર પડેલી ગાડીનો આગળનો અને પાછળનો કાચ તૂટેલો હતો અને દરવાજા પર પણ નુકસાન થયેલું હતું. ઘરની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા રાતના સમયે એક એક્ટિવા પર ત્રણ શખ્સ આવ્યા હતા. જેમાં એક કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દિપક ઠાકોર હતા. આ ત્રણેયે ભેગા મળી પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી હતી. હત્યાના આરોપમાં પેરોલ પર બહાર છે આરોપીગાડીમાં કરેલી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પૈકી કરણ રાજપૂત બે વર્ષ પહેલા ફરિયાદીના પરિવારના એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો. હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો. આરોપીએ જૂની અદાવતમાં જ તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:27 am

આપ ઉમેદવાર જયદીપસિંહ ઝાલાની ધરપકડ:મહાનગરપાલિકાને અપશબ્દો કહેતો વીડિયો વાયરલ કરવા બદલ ગુનો

આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયદીપસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) પર ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હોવાનું તંત્રનું કહેવું છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઝાલાએ વીડિયોમાં કોર્પોરેશનના સત્તાધીશો અને તંત્ર માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના પર ખોટા આક્ષેપો દ્વારા પ્રજામાં તંત્ર પ્રત્યે રોષ જગાડવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ કૃત્ય સરકારી સંસ્થાની છબી ખરડાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદના આધારે, જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે જયદીપસિંહ ઝાલા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોર્ડ નંબર-2ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ચૂંટણી પહેલા જ ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર પાયાવિહોણા આક્ષેપો કરીને સંસ્થાઓને બદનામ કરનારા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:09 am

ભાજપમાંથી ચૂંટણી લડવા ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા:સુરત-રાજકોટમાં દાવેદારો આવી પહોંચ્યા, નિરિક્ષકોએ સાંભળવાનું શરૂ કર્યું

આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે. 12 નિરીક્ષકોની પેનલ દાવેદારોને સાંભળશેશહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક નાનામાં નાના કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે. સવારથી જ સેંકડો કાર્યકર્તાઓ બાયોડેટા અને સમર્થકો સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે. ભાજપ-AAP વચ્ચે જંગઆજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દાવેદારોને સાંભળવાનું શરૂરાજકોટ મનપા માટે બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીગ્નેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે આજરોજ દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 11:01 am

હિંમતનગરના ધારાસભ્યે આગીયોલમાં ખાતમુહૂર્ત કર્યું:ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગીયોલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવીન ચેકડેમ અને રૂ. ૨૫ લાખના ખર્ચે બનનારા નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, સંગઠન મંત્રી અરુણાબેન પટેલ, દેસાસણના સરપંચ, યુવા મોરચા પ્રમુખ ભાવિક દેસાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ બારોટ, સુજાન ગૌસ્વામી, હિતુલ ન્યાયી, ચંદનસિંહ રહેવર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:49 am

હનુમાન જન્મોત્સવની આજથી બે દિવસ ભવ્ય ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, દાદાની જાયન્ટ ગદા અને ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (1 એપ્રિલ) સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર ટેબ્લો આકર્ષણઆ વખતની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી.ઓપરેશન સિંદૂર ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો જોવા મળી રહ્યા છે. 30 ટ્રક કે જેમાં ભજન મંડળી અને સુશોભિત ટ્રકોનો પણ સમાવેશ કરાયો છે. દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક પણ સામેલ છે. 200થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ શોભાયાત્રામાં જોડાઈ છે. યાત્રાના રૂટ પર 50થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો રાખવામાં આવ્યા છે.શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ શાહીબાગ અંડરબ્રિજ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, ગાંધી બ્રિજ, આશ્રમ રોડ, પાલડી થઈને વાયુદેવતાના મંદિરે પહોંચશે. ત્યાં વિશ્રામ બાદ અંજલી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.શોભાયાત્રાના સ્વાગત માટે 50 કેન્દ્રઆ અંગે હનુમાન કેમ્પ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી એ જણાવ્યું હતું કે, હનુમાનજીની શોભાયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું અને આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જઈ રહ્યા છે. આ શોભાયાત્રા રસ્તામાં 45થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં સ્વાગત કરશે. એમને પણ પ્રસાદ આપવામાં આવશે. આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જન્મોત્સવ છે એની ઉજવણી કરવા માટેની પરવાનગી માંગશે અને સાંજે 5 વાગ્યે આ જ રીતે શોભાયાત્રા મંદિરે પરત ફરશે. આ વર્ષે આ શોભાયાત્રામાં અમે 'ઓપરેશન સિંદૂર'નો પણ એક ટેબલો બનાવ્યો છે, જે દરેક લોકોને ગમશે. આપણા જવાનોએ જે 'ઓપરેશન સિંદૂર'માં સફળતા મેળવી એની એક યાદ પણ તાજી થશે.આવતીકાલે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદહનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિરે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો જોવા મળશે. મંગળા આરતી અને ફૂલોના શણગાર સાથે દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવવામાં આવશે. સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે.તો સવારે 11 કલાકે ધ્વજારોહણ બાદ ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 4 થી 6 દરમિયાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:43 am

અધવચ્ચે કાળ ભેટી ગયો:ગિફ્ટ સિટીમાં નોકરીએ જતો આશાસ્પદ યુવક બાઇક સ્લીપ ખાઈ જવાથી મોતને ભેટ્યો, પત્નીને ફોન પર મોતના સમાચાર મળ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા એમડી આવવાના હોવાથી રવિવારે ઓફિસે ગયો હતોમૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીની INS કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.29 માર્ચે રવિવાર હોવા છતાં ઓફિસમાં નવા એમડી આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે સાડા ચાર વાગે પોતાની કેટીએમ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યારે પરિવારને અંદાજ પણ નહોતો કે પિનાકી સાથેની આ છેલ્લી મુલાકાત હશે. પતિના ફોન પરથી પત્નીને અકસ્માતનો ફોન આવ્યોપિનાકી ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ તેની પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે. અકસ્માત થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતોઆ સમાચાર મળતા જ પિતા જહરલાલ અને નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે પિનાકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબોએ તપાસ બાદ પિનાકીને મૃત જાહેર કર્યો હતો. બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુપોલીસની પ્રાથમિક તપાસમાં પિનાકીએ પોતાની બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ હતું.હતું. આ મામલે અકસ્માતનો ગુનો નોંધી પિનાકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રની લૌકિક ક્રિયા પૂર્ણ થતા પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:26 am

ગાયે બે સિંહણને બરાબરીનો સામનો કર્યો, CCTV:ઉનાના પાતાપુરમાં ગાયનો શિકાર કરવા પહોંચેલી વનરાણીઓને ભાગવું પડ્યું, દીવ એરપોર્ટ નજીક અન્ય સિંહણની લટાર

ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણોએ એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણોને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જ્યારે દીવના નાગવા રોડ પર આવેલા એરપોર્ટ નજીક પણ ગત મોડી રાત્રે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી. સમગ્ર ઘટના શું હતી?વહેલી સવારે જ્યારે એક ગાય ફાર્મ હાઉસ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સિંહણ તેની સામે આવી ચડી હતી. સિંહણને જોઈ ગાય ડરવાને બદલે મક્કમતાથી ઊભી રહી હતી અને જીવ બચાવવા પ્રતિકાર શરૂ કર્યો હતો. આ દરમિયાન બીજી સિંહણ પણ ત્યાં આવી પહોંચી હતી. 2 શિકારી પ્રાણીઓ સામે એકલી ગાયનો શિકાર નિશ્ચિત જણાતો હતો, પરંતુ ગાયે હિંમત હાર્યા વગર પોતાના શિંગડા બતાવી સિંહણો સામે મોરચો માંડ્યો હતો. ગાયના આક્રમક મિજાજ સામે બંને સિંહણો લાચાર બની હતી અને અંતે શિકાર જતો કરીને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ હતી. પાતાપુર 'સિંહોનું ગામ' અને હાઈટેક સુરક્ષાપાતાપુર ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને મહિલા સરપંચ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં 50થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વન્યજીવોની અવરજવર અંગે ત્વરિત જાણકારી આપવા માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે, જેથી પશુપાલકો અને સ્થાનિકો સતર્ક રહી શકે. દીવ એરપોર્ટ નજીક પણ સિંહણની લટારબીજી તરફ, પ્રવાસન સ્થળ દીવના નાગવા રોડ પર આવેલા એરપોર્ટ નજીક પણ ગત મોડી રાત્રે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. રહેણાંક વિસ્તારો અને પ્રવાસન સ્થળો નજીક સિંહોની વધતી જતી હાજરી સૂચવે છે કે સિંહો હવે જંગલની હદ છોડીને રેવન્યુ વિસ્તારોમાં પોતાનો પ્રભુત્વ વધારી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:24 am

ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક; TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 એપ્રિલ, 2026થી ફોર્મ ભરી શકાશેજાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. TET-1 પાસ ઉમેદવારો માટે તકઆ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખોરાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાતગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-Higher Secondary) માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. ઉમેદવારો પોતાના કોલ લેટર 1 એપ્રિલ, 2026 બપોરે 2 વાગ્યાથી 12 એપ્રિલ, 2026 બપોરે 12 વાગ્યા સુધી OJAS અને SEBની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે ઉમેદવારોએ નિયમિત વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:59 am

પાટણમાં દુકાનની માલિકી મામલે વેપારીઓ વચ્ચે ઘર્ષણ:બે ઇજાગ્રસ્ત ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ, સામસામી ફરિયાદો નોંધાઈ

પાટણ શહેરના પીપળા શેર વિસ્તારમાં દુકાનની માલિકી હકને લઈને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ૩૦ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ અનિલભાઈ શાંતિલાલ (ઉં.વ. ૬૨, રહે. મલહાર ગ્રીન બંગલો, પાટણ) દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની પીપળા શેરી નાકા પાસે આવેલી જ્વેલર્સ દુકાને પહોંચ્યા હતા. ત્યાં પરીખ હેમંતભાઈ અશોકભાઈ અને રવિભાઈ ખમાર હાજર હતા. દુકાન અંગે બોલાચાલી થતાં બંને વ્યક્તિઓએ તેમને ગાળો ભાંડી ગડદા-પાટુનો માર માર્યો હતો. અનિલભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમના પુત્ર અમિતભાઈએ તેમને બચાવ્યા હતા. આરોપીઓએ જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હેમંતભાઈ પરીખ અને રવિભાઈ ખમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામે પક્ષે, હેમંતભાઈ અશોકકુમાર નંદલાલ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની દુકાન ખાતે હાજર હતા. તે દરમિયાન સોની અનિલભાઈ શાંતિલાલ, સોની અમિતભાઈ અનિલભાઈ, સોની મયુરભાઈ અને સોની નિકુંજકુમાર (જય શ્રી કૃષ્ણ જ્વેલર્સ) દુકાન પર આવ્યા હતા. આ લોકોએ દુકાન પોતાની હોવાનો દાવો કરી હેમંતભાઈ સાથે બોલાચાલી કરી હતી. વિવાદ ઉગ્ર બનતા આરોપીઓએ હેમંતભાઈને ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી દુકાનમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં હેમંતભાઈને ડાબા ખભા તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને પાટણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ બનાવ અંગે પાટણ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:53 am

રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે મોટાપાયે બદલી:46 અધિકારીની ટ્રાન્સફર, 18ને મળ્યું પ્રમોશન; તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના

રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. 8 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશનઆ બઢતી હેઠળ 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશો જારી કરાતા વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશેસરકારના આ નિર્ણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:04 am

6 સિંહોએ 7 સેકન્ડમાં રસ્તો ક્રોસ કર્યો:જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર, લાઈટો-ઘોંઘાટથી ગભરાયેલા સાવજ દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં ભાગ્યા

​જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(1 એપ્રિલ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હતી, જેમાં વાહનોની લાઈટો અને ઘોંઘાટથી ગભરાયેલા સિંહો દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં નાસી છૂટ્યા હતા. આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે વન વિભાગ ભલે કાગળ પર ઈકો-ઝોન અને સુરક્ષાના મોટા દાવા કરતું હોય, પણ વાસ્તવિકતામાં વન્યજીવો રસ્તા પર ભગવાન ભરોસે છે. ​7 સેકન્ડમાં વાહનચાલકોએ માંડ બ્રેક લગાવી​વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સિંહોનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું હતું, ત્યારે વાહનોની અવરજવર ચાલુ હતી. અચાનક સિંહોને સામે જોઈ વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારી દેવી પડી હતી. જો સેકન્ડના સોમા ભાગની પણ ચૂક થઈ હોત, તો સિંહો વાહનોની અડફેટે આવી શક્યા હોત અથવા કોઈ બાઈક ચાલક પર હુમલો થવાની પૂરેપૂરી શક્યતા હતી. માત્ર ત્રણ સિંહો દિવાલ કૂદી ગયા અને બાકીના ત્રણ લોખંડની જાળીમાંથી પસાર થઈ ગયા, જે દર્શાવે છે કે સિંહો પણ આ અચાનક આવી પડેલા વાહનોથી ગભરાયા હતા. માત્ર એક જ સાવચેતીના લાઈટિંગ બોર્ડના ભરોસે વન વિભાગ​આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર ગિરનાર અભયારણ્યની એકદમ નજીક હોવા છતાં અને વન વિભાગની મુખ્ય ઓફિસ ત્યાં જ હોવા છતાં, તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના મુખ્ય માર્ગ પર વન્ય પ્રાણીઓની અવરજવર બાબતે સાવચેતી રાખવા માટે માત્ર એક જ લાઈટિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ રેડિયમ બોર્ડ, ચેતવણીના નિશાન કે જેવી કોઈ વ્યવસ્થા નથી. શું વન વિભાગ કોઈ મોટી જાનહાનિ અથવા સિંહના મૃત્યુની રાહ જોઈ રહ્યું છે? ​સિંહોની વસ્તીમાં વધારો, વન વિભાગની વ્યવસ્થામાં ઘટાડો​વર્ષ 2025ની સિંહ વસતી ગણતરી મુજબ ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરે છે. આ ઉપરાંત હરણ, સાબર, રોઝ અને વાંદરા જેવા પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. જ્યારે વન્યજીવોની સંખ્યા વધી રહી હોય, ત્યારે તેમની સુરક્ષા માટેના પગલાં પણ એ જ ગતિએ વધવા જોઈએ. વારંવાર મીડિયા અહેવાલો અને સ્થાનિકોની રજૂઆતો છતાં વન વિભાગ નક્કર કામગીરી કરવામાં ઉણું ઉતર્યું છે. ઈકો-ઝોનના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્પષ્ટ જણાય છે. ​અહીં સવાલ જવાબદારીનો છે, કે અકસ્માત થાય તો દોષ કોનો?​જો આ વાઇરલ વીડિયોવાળી ઘટનામાં કોઈ અણબનાવ બન્યો હોત, તો તેની જવાબદારી કોની હોત? વન વિભાગ હંમેશા વન્યજીવ સંરક્ષણની મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે જંગલની હદ પૂરી થાય અને રસ્તો શરૂ થાય ત્યાં તેમની કોઈ તકેદારી જોવા મળતી નથી. વાહનચાલકોની સુરક્ષા અને ગિરનારના ગૌરવ સમાન એશિયાટિક લાયન્સની સલામતી બંને હાલ જોખમમાં છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:26 am

PI એચ.આર. ગોસ્વામીની સોમનાથથી સુરત બદલી:વેરાવળ-સોમનાથમાં વેપારીઓ, સંસ્થાઓ અને પોલીસે ભાવભીની વિદાય આપી

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 518 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અંતર્ગત સોમનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સોમનાથના સાગર દર્શન હોલ ખાતે આયોજિત આ સમારોહમાં વેરાવળ પી.આઈ. ગઢવી, એસ.ઓ.જી.ના સિંધવ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેરાવળ વેપારી એસોસિએશન વતી મુકેશભાઈ ચોલેરા, સાગર પુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દામજીભાઈ ફોફંડી, લખમભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ, જનરલ સિંધી પંચાયતના પ્રમુખ લાલાભાઈ ત્રિલોકણી, કેશુભાઈ ભાભણી, સોમપુરા સમાજના હેમલભાઈ ભટ્ટ, હોટલ એસોસિએશનના સભ્યો શૈલેષભાઈ ગૌસ્વામી, વેરાવળ ગોલ્ડન સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ્ટ, દેવાયતભાઈ ઝાલા, સોમનાથ કેટરર્સ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ જોશી, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ જયદેવભાઈ જાની, રાજુભાઈ ગઢીયા, ફારૂકભાઈ બુઢિયા સહિત પ્રેસ-પ્રતિનિધિઓ અરુણભાઈ જેબર, નિલેશભાઈ ચાવડા, ચેતનભાઈ અપારનથી હાજર રહ્યા હતા. વેરાવળ-સોમનાથના વેપારીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત સમગ્ર પોલીસ વિભાગના સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પી.આઈ. ગોસ્વામીને ભાવભીની વિદાય આપી હતી. ઉપસ્થિત સર્વેએ પી.આઈ. ગોસ્વામીની ફરજ અને સેવાઓને યાદ કરી હતી. પ્રત્યુત્તર આપતા પી.આઈ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમને ઉપરી અધિકારીઓ આઈ.જી. નિલેશ જાજુડિયા, હાલના આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી. ગીર સોમનાથ જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર અને જિલ્લાના પૂર્વ એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઘણું શીખવા મળ્યું તેનો તેમને સંતોષ છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન મળેલ માર્ગદર્શન બદલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ તરફથી મળેલ સહકાર બદલ પણ તેમણે આભાર માન્યો હતો. પી.આઈ. ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સોમનાથની ભૂમિને ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે આ ભૂમિએ તેમને ખૂબ સંતોષ આપ્યો છે અને તેઓ તેના ઋણી રહેશે. ઉપસ્થિત સૌએ તેમને સુરત ખાતેની નવી જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:20 am

વડોદરાના સંકટ હરણ હનુમાનજી મંદિરે:સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો

વડોદરાના કિશનવાડી પોલીસ ચોકી પાસે, આજવા રોડ પર આવેલા સંકટ હરણ હનુમાનજી મંદિરે મંગળવાર, 31 માર્ચ 2026ના રોજ સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું. સુંદરકાંડ પાઠ સાથે હનુમાનજીના સ્મરણ, સ્તુતિ અને ભજનોનું ગાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સંકટ હરણ હનુમાનજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકટ હરણ હનુમાનજી મંદિર 40 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર આજવા વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એવી માન્યતા છે કે અહીં મનોકામનાઓ પૂર્ણ થાય છે, જેના કારણે વર્ષભર ભક્તોની અવરજવર રહે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:18 am

નારણપુરામાં સત્સંગ સંધ્યા યોજાઈ:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર ચર્ચા

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન પટેલના નિવાસસ્થાને સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સત્સંગ સંધ્યામાં નારણપુરા જિલ્લાના સંયોજિકા હેતલબેને વક્તા તરીકે ઉપસ્થિત રહી 'કુટુંબ પ્રબોધન' અને 'સામાજિક સમરસતા' વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ વિષયોનું મહત્વ સમજાવ્યું હતું. સત્સંગની શરૂઆત આચાર પદ્ધતિ અનુસાર કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રખંડના માતૃશક્તિના સંયોજક નીતાબેન અને નેહાબેન સહિત અનેક માતૃશક્તિ સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:16 am

વલસાડમાં 55 પાડાઓને ‘મોતના કન્ટેનર’માંથી મુક્ત કરાવાયા:બગવાડા ટોલ નાકા પાસે પોલીસે ટ્રક આંતરી બચાવ્યા, 5ની ધરપકડ; પંજાબથી કેરળ કતલખાને લઈ જવાતા હતા

વલસાડ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમે પશુ ક્રૂરતાનો એક મોટો કેસ પકડ્યો છે. પંજાબથી કેરળ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા સાથે એક બંધ બોડીના ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસે આ કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે વોચ ગોઠવીપારડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક (નંબર KA-01-AN-5028)માં ગેરકાયદેસર પશુઓ લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ગૌરક્ષકોની ટીમને સાથે રાખી બગવાડા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. ટ્રક આવતા જ તેને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરમાં પશુઓની દયનીય હાલતટ્રકનું કન્ટેનર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અને ગૌરક્ષકો ચોંકી ઉઠ્યા હતા. બંધ કન્ટેનરમાં ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર 55 જેટલા નાના પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. પૂરતી હવા ન મળવાને કારણે પશુઓની હાલત ગંભીર હતી. પશુઓને તાત્કાલિક સારવાર અને નિભાવ માટે વાપીની રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. 5 આરોપીની ધરપકડ પોલીસે સ્થળ પરથી હરિયાણા અને ઉત્તર પ્રદેશના 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં અંસાર અઝીઝ ખાન, સાબીર આસુ, તાહીર રસીદ, સરફરાજ યાકુબ અને આબિદ અય્યુબનો સમાવેશ થાય છે. જ્યારે ઇરસાદ નુરમોહમ્મદ અને કેરળના વિનોદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. કબજે કરેલ મુદ્દામાલની વિગત 55 પાડા: અંદાજે 15,50,000 ટ્રક: 10,00,000 મોબાઈલ અને અન્ય: 20,000થી વધુ કુલ મુદ્દામાલ: 25,70,000થી વધુ તસ્કરીનું આંતરરાજ્ય નેટવર્ક?ગૌરક્ષકોના મતે, કેરળમાં બીફની વધતી માંગને કારણે પંજાબથી આ પ્રકારે પશુઓને ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાનું મોટું નેટવર્ક સક્રિય થયું હોવાની શક્યતા છે. પારડી પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ ક્રૂરતા નિવારણ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 7:58 am

વલસાડ જિલ્લા પંચાયતમાં મોટા ફેરફાર:TDOની બદલીના ઓર્ડર રદ, નવા અધિકારીઓની નિમણૂક

ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. 12 પાનાના લાંબા જાહેરનામા દ્વારા વલસાડ જિલ્લાને સ્પર્શતા વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. જેમાં અગાઉના કેટલાક આદેશો 'મૂળ અસરથી' રદ કરી નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અગાઉની બદલીઓ રદ અને ફેરફારસરકારે વહીવટી કારણોસર અગાઉના આદેશોમાં સુધારો કરતા નિર્ણયો લીધા છે: રાજેન્દ્રકુમાર જે. પરમાર: વાંસદા (નવસારી) થી ધરમપુર (વલસાડ) ખાતે થયેલી બદલી રદ કરવામાં આવી છે. તેમને હવે માંડવી (સુરત) ખાતે નિમણૂક અપાઈ છે. કૃષ્ણપાલ મકવાણા: ધરમપુર (વલસાડ) થી માંડવી (સુરત) ખાતેની બદલી રદ કરવામાં આવી છે. તેઓ ધરમપુર ખાતે જ પોતાની ફરજ ચાલુ રાખશે. બઢતી સાથે નવી નિમણૂકરાજ્ય સેવાના વર્ગ-3 ના કર્મચારીઓને વર્ગ-2 માં બઢતી આપી વલસાડ જિલ્લામાં મહત્વની જવાબદારી સોંપાઈ છે: સંદીપકુમાર ભગોરા: નાયબ ચિટનીસ (નવસારી) માંથી બઢતી મેળવી પારડી (વલસાડ) ના નવા તાલુકા વિકાસ અધિકારી (TDO) બન્યા છે. કૈલાસ પટેલ: નાયબ ચિટનીસ (પાટણ) માંથી બઢતી મેળવી વાપી (વલસાડ) ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે નિમણૂક પામ્યા છે. જિલ્લાના અન્ય આંતરિક ફેરફારોવલસાડ જિલ્લાના કાર્યરત અધિકારીઓની પણ અન્યત્ર બદલી કરવામાં આવી છે: રાજેશ ધનગર: વલસાડના TDO ને ચિટનીસ-કમ-તાલુકા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. કરણકુમાર ગોહિલ: ઉમરગામના TDO ની બદલી જિલ્લા પંચાયત કચેરી, વલસાડ ખાતે જ ચિટનીસ તરીકે કરવામાં આવી છે. સરકારે બઢતી મેળવનાર તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ કર્યો છે. આ ફેરફારોથી વલસાડ જિલ્લાના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 7:39 am

કોણ જીતશે ગુજરાતની 'સેમીફાઈનલ'?:દિવ્ય ભાસ્કરના ઓપિનિયન પોલમાં સામે આવ્યા ચોંકાવનારા તારણ, આવતીકાલે જુઓ કઈ લોકલ બોડીમાં કઈ પાર્ટી આગળ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.આ ચૂંટણીઓમાં ગુજરાતના 90 ટકા મતદારો સામેલ થવાના હોય 2027 વિધાનસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાસ્કરે 24 માર્ચથી 29 માર્ચ દરમિયાન એક મેગા સર્વે હાથ ધર્યો હતો. જેમાં મતદારોને ત્રણ સવાલ કરાયા હતા. ભાસ્કરે હાથ ધરેલા મેગા સર્વેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કૂલ 17,944 મતદારોએ ભાગ લીધો હતો. ગુજરાતની સેમીફાઈનલ સમાન ચૂંટણી પહેલા વિવિધ સંસ્થાઓના મતદારો શું માની રહ્યા છે. કઈ સંસ્થામાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, કઈ સંસ્થાઓમાં આપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ તમામ સવાલોના જવાબ આવતીકાલે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર પોલના રિઝલ્ટમાં જાણી શકશો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 6:00 am

'30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા, કોર્પોરેટરો મત લેવા આવે છે':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોએ કહ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ

સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાદરસાની નાળથી મકાઈ પુલ સુધીના વિસ્તારમાં રહેતા 5000થી વધુ પરિવારો છેલ્લા 30 વર્ષથી જળબંબાકારની સમસ્યા ભોગવી રહ્યા છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષથી મેટ્રોની ગોકળગતિએ ચાલતી કામગીરીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. સ્થાનિક રહીશ ફૈઝલ રંગરેઝ કહ્યું, 30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા છીએ, કોર્પોરેટરો માત્ર મત લેવા આવે છે. જ્યારે અન્ય સ્થાનિકે કિશોરભાઈએ જણાવ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ. સામાન્ય વરસાદમાં પણ 4 ફૂટ સુધી પાણી ભરાઈ છેકાદરસાની નાળ વિસ્તારમાં વર્ષોથી એક જ કહાની પુનરાવર્તિત થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સામાન્ય વરસાદમાં પણ અહીં 1થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. જ્યારે ફ્લડ ગેટ બંધ કરવામાં આવે ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે અને લોકો પોતાના જ ઘરમાં એક-બે દિવસ સુધી કેદ થઈ જાય છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજ દિન સુધી આનું કોઈ કાયમી નિદાન કર્યું નથી. દર વર્ષે માત્ર આશ્વાસનો જ મળે છે. પીવાનું ગંદુ પાણી, રસ્તાઓ તૂટેલાને ધૂળ-કચરાના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાનછેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. વિકાસના નામે શરૂ થયેલી આ કામગીરી હવે વિનાશક ભાસી રહી છે. ઠેર-ઠેર ખોદકામને કારણે નળ અને ગટરની પાઇપલાઇનો વારંવાર ડેમેજ થાય છે, જેના કારણે પીવાનું ગંદુ પાણી આવે છે. રસ્તાઓ તૂટી ગયા છે અને ધૂળ-કચરાના સામ્રાજ્ય વચ્ચે લોકો મચ્છરોના ત્રાસથી બીમાર પડી રહ્યા છે. અનેક જગ્યાએ 50% કામ પણ પૂર્ણ થયું નથી, જેના કારણે ટ્રાફિક અને અવરજવરની મોટી સમસ્યા ઊભી થઈ છે. 'પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા'નાનપુરાના રહેવાસી સંગીતાબેન ડુમ્મસવાળાએ જણાવ્યું કે, ચોમાસામાં તો અહીંથી નીકળવું પણ મુશ્કેલ છે. કાદવ-કીચડમાં ગાડીઓ સ્લીપ થઈ જાય છે. મેટ્રોવાળા ગમે ત્યારે ડ્રેનેજ લાઈન તોડી નાખે છે, જેના કારણે 3-4 દિવસ સુધી પાણીની તકલીફ વેઠવી પડે છે. SMCમાં અનેક ફરિયાદો કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી. પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા, હવે ચૂંટણી આવશે એટલે વોટ માંગવા લાઈન લગાવશે. 'અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા, તેઓ ક્યારેય આવ્યા જ નથી'બીજી તરફ મધુબેન નામના રહીશે જણાવ્યું કે, પાણી ભરાઈ જવાથી અમારે લારી બંધ રાખવી પડે છે, સામાન પલળી જાય છે અને આર્થિક નુકસાન વેઠવું પડે છે. અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા કારણ કે તેઓ ક્યારેય આવ્યા જ નથી. 'અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ'કિશોરભાઈએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું કે, કોર્પોરેટર અશોકભાઈ રાંદેરીને ઓળખીએ છીએ, પણ તેઓ ક્યારેક જ દેખાય છે. બાકીના ત્રણ કોર્પોરેટરોએ તો ક્યારેય આ મહોલ્લામાં પગ પણ મૂક્યો નથી. ચૂંટણી પતી એટલે નેતાઓ માટે જનતા પતી ગઈ!. 'ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે'જલ્લુંબેન જેવી અનેક મહિલાઓએ પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, નળમાં ગંદુ પાણી આવે છે. ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે કારણ કે જમીન પર પાણી અને મચ્છરોનું જોર હોય છે. અમારી પાસે કોઈ નેતા આવતા નથી. ચૂંટણી કાર્ડ ન હોવાને કારણે અમારો અવાજ પણ કોઈ સાંભળતું નથી. વિસ્તારમાં ગંદકી અને કાદવને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો મિજાજ: 'કામ નહીં તો વોટ નહીં'વોર્ડ નંબર 21 ના લોકો હવે આરપારના મૂડમાં છે. વિકાસના પોકળ દાવાઓ અને મેટ્રોની ગોકળગતિની કામગીરી વચ્ચે સામાન્ય માણસ કચડાઈ રહ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જો વર્ષો જૂની પાણીની સમસ્યા અને રસ્તાના કામો નહીં થાય, તો આગામી ચૂંટણીમાં નેતાઓને આકરા સવાલોનો સામનો કરવો પડશે. 'દિવ્ય ભાસ્કર'ના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થયું છે કે સુરતનો આ હિસ્સો સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ સુવિધાઓથી વંચિત છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 6:00 am

'કાળા પાણીની બોટલ બતાવી કહ્યું- અમે આ પાણી પીએ છીએ':ભાજપનો કોઈ નેતા આવવાનો હોય તો આખો વિસ્તાર ચકાચક થઈ જાય, સમસ્યાની વાત આવતા જ મહિલાઓનો ગુસ્સો ફાટ્યો

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-10માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-10માં નવા સમાવિષ્ઠ થયેલા ભાયલી ગામનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા વિકાસ પામી રહેલા ગોત્રી સેવાસી રોડનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. ગંદા પાણી, ડ્રેનેજ અને ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાનવડોદરા શહેરના જાણીતા ઇસ્કોન મંદિરથી શરૂ થતાં વોર્ડ નંબર-10ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક રહીશોને હજી પણ ગંદુ પાણી, ડ્રેનેજ, ઉબડખાબડ રસ્તાની સમસ્યાઓ સતાવી રહી છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત મૌખિક, લેખિત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નો ઉકેલાતા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા અમે તાંદલજા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં રોજ અડધો કલાક પાણી આવે છે, એમાં પણ ગટર મિશ્રીત પાણી આવે છે. જેના કારણે આખા વિસ્તારમાં બીમારીના વાવર છે. નાના બાળકોથી માંડી વૃદ્ધ સુધી તમામ લોકો બીમાર છે. આ ઉપરાંત તાંદલજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી પણ લોકો પરેશાન છે. રસ્તાઓ પર ગટરોના પાણી ફરી વળ્યા છે. જેની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જાય છે. આ ઉપરાંત નજીકમાં જ આવેલી તલાવડીમાં ગટરના પાણી છોડાતા મચ્છરોને કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. આટઆટલી સમસ્યાઓ છતાં ભાજપના એકપણ કોર્પોરેટર આ વિસ્તારમાં ફરકતા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો ગોત્રી વિસ્તારમાં ગટરના પાણી છોડવામાં આવતા આસપાસના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 'ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવી જતા રહે છે પછી કોઈ નેતા આવતા નથી'તાંદલજા વિસ્તારના સ્થાનિક રહીશ આમેદાબેન કુરેશીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી માત્ર અડધો કલાક જ આવે છે, એ પણ ચોખ્ખુ પાણી આવતુ નથી. 20 મિનિટ પણી ગંદુ આવે છે. 10 મિનિટમાં શું ભરવાનું અને વાપરવુ. અહીં ગરીબ માણસો રહે છે. કોઇ રિક્ષા ચલાવે છે, કોઇ નાનુ મોટું કામ કરીને ઘર ચલાવે છે. અમારા ગરાસીયા વાડમાં પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી અમારી માંગણી છે. અહીં કોઇ નેતા દેખાતા નથી. અહીં કોઇ જોવા આવતા નથી. ચૂંટણીમાં વોટની જરૂર હોય ત્યારે આવે છે, ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવીને જતા રહે છે. પછી પૈસા કમાવવા ખુરશી પર બેસી જાય છે. આ લોકો પૈસા કમાવવા જ બેઠા છે. ગંદું પાણી પીવાના કારણે ઘરે ઘરે લોકો બીમાર છે- રેશ્માબેનસ્થાનિક મહિલા રેશ્માબેને જણાવ્યું હતું કે, આખા તાંદલજા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. આ બોટલમાં જોઇ શકો છો કે, આ કેવુ ગંદુ પાણી છે. અમે અનેકવાર કોર્પોરેશનમાં અરજી આપી છે, તેમ છતાં કોઇ જોવા આવતુ નથી, કોઇ ધ્યાન આપતુ નથી અને પછી વોટ લેવા માટે આવે છે. અમે હવે નેતાઓને અમારા વિસ્તારમાં એન્ટ્રી આપીશુ નહીં અને વોટ પણ આપીશું નહીં. એક બાળકી ગંદુ પાણી પીને બીમાર થઈ ગઈ છે. અહીં દરેક ઘરમાં લોકો બીમાર છે. સામાજિક કાર્યકર અશ્ફાક મલેકે જણાવ્યું હતું કે, આ લીમડી ફળિયામાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે અને અનેક વખત રજૂઆતો કરી છે. પણ કંઇ પરિણામ મળ્યું નથી. અહીં પાણી અને ગટરની લાઇનમાં કોન્ટામિનેશન થાય છે. પાણી અને ગટરની લાઇનને નવી નાખીને સમસ્યાને દૂર કરવી જોઇએ,એવી અમારી માંગણી છે. આખા તાંદલજા વિસ્તારમાં પાણી, ગટર, રોડ રસ્તા, સાફ સફાઇની સમસ્યા છે. અહીં આખા મહોલ્લામાં તમામ લોકો બીમાર છે. લોકો કમળાની બીમારીથી પીડાઇ રહ્યા છે. કમળો ગંદા પાણીથી થાય છે. અહીંના લોકો ચોખ્ખુ પાણી માંગી રહ્યા છે. સ્થાનિક રશિદાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી તો હાલત એવી છે કે, ઘરવેરો ભરવાનો, નળવેરો ભરવાનો અને પાણી તો મોટરથી ભરવાનું. કોઇ દિવસ નળમાં પાણી આવતુ નથી. અમે અનેક વખત રજૂઆતો કરી પણ કોઇ આવતુ નથી, નેતાઓ માત્ર મત લેવા માટે આવે છે. બાકી કોઇ દેખાતુ નથી. હવે અમે કોઇ મત આપવાના નથી. અહીં મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે. ઘરે ઘરે લોકો બીમાર છે. સ્થાનિક રિઝવાના કુરેશીએ જણાવ્યું હતુ કે, અમારા ઘરમાં એક બહેન બીમાર છે. આ અમે આવું ગંદુ પાણી પીએ છીએ. જેથી અમે બીમાર થઈ રહ્યા છે. અમને માત્ર ચોખ્ખુ પાણી જોઇએ છે. બીજુ અમારે કંઇ જોઇતુ નથી. અમે વેચાતુ લાવીને પાણી પીએ છીએ. સ્થાનિક મયંક સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં તળાવ પાસે કાંસમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. અહીં ગામના ચોતરે કોઇ બેસી શકતા નથી અને લોકો બીમાર થઈ રહ્યા છે. આ કાંસને પુરવામાં આવે તેવી અમારી માંગણી છે. નેતાઓ કોઇ અહીં ફરકતા નથી અને અમારું કોઇ સાંભળતુ નથી. વાસણા તળાવમાં મગરનો વસવાટ હોવા છતા ફેન્સિંગનો અભાવતાંદલજા બાદ દિવ્યભાસ્કરની ટીમ વાસણા ગામ ખાતે પહોંચી, જ્યાં વાસણા તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. અહીં તળાવમાં મગરોનો વસવાટ છે. તેમ છતાં ફેન્સિગ કરવામાં આવી નથી. જેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારબાદ ગોત્રી તળાવ ખાતે ગયા તો ત્યાં ગંદકી કરવી નહીં તેવા બોર્ડ લાગ્યા છે, પણ ખુદ કોર્પોરેશન જ ગંદુ પાણી તળાવમાં છોડી રહ્યુ છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પણ જરુરિયાતો પૂરી ન થઈ- કોંગ્રેસ વોર્ડ પ્રમુખવડોદરાના વોર્ડ નં-10ના કોગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. લોકોએ વિશ્વાસ કરીને ખોબે ખોબે મત તો આપ્યા પણ લોકોની પ્રાથમિક જરૂરીયાતો પુરી થઈ શકી નથી. વાસણા તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા, પણ બ્યુટિફિકેશન તો માત્ર કાગળ પર જોવા મળી રહ્યું છે. વાસણા તળાવમાં મગરો છે, જેથી લોકો તેનો ભોગ ન બને તે માટે તળાવની ફરતે ફેન્સીંગ કરવી જોઇએ. અમે કોંગ્રેસે રજૂઆત કરતા જળકુંભી તો હટાવી છે, પણ ગંદકી તો યથાવત છે. અહીં બાજુમાં સ્કૂલ આવેલી છે, બાળકો રમતા રમતા તળાવમાં પડી જાય, તો તેના માટે જવાબદાર કોણ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ મોટા મોટા વાયદાઓ કરે છે. સ્વચ્છતાના નામે અભિયાનો કરે છે. એ માત્ર ફોટો શેસન જ છે. શહેરમાં કોઇ એ એવો રસ્તો નહીં હોય જ્યાં રસ્તો ખોદેલો નહીં હોય. આ ભ્રષ્ટાચાર કરવાની નીતી છે. શહેરમાં માત્ર 2થી 4 ઇંચ વરસાદમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને પૂર આવી જાય છે. આ લોકોએ પોકળ વાયદાઓ જ કર્યાં છે અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. આ ભ્રષ્ટાટાચારી પાર્ટીને ઝાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન તળાવની ફરતે વોકિંગ કરતા લોકો માટે 5થી 10 રૂપિયા વસુલવાની વાત કર છે, પણ કોઇ સુવિધા આપતુ નથી. ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠલવાઇ રહ્યું છે. લોકો તળાવ પાસે આરોગ્ય સુધારવા માટે આવે છે, પણ લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પેવર બ્લોકની કામગીરીમાં અમારી સાથે ઓરમાયું વર્તન થાય છે- તરુબેનગોત્રી વિસ્તારમાં રહેતા સ્થાનિક તરુબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે ગોત્રી વિસ્તારમાં રહીએ છીએ. અમારા અયોધ્યાનગરમાં પેવર બ્લોક નાખ્યા નથી. અમારી સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે. અમારે ત્યાં પાણી ડહોળુ આવે છે. ગટરો ઉભરાય છે. રસ્તાઓ તૂટી ગયા છે. અહીં ગોત્રી પાણીની ટાંકી સુધી જતા કમર તૂટી જાય છે અને અકસ્માતો થાય છે. ભાજપવાળા અમારું કંઇ સાંભળતુ નથી. સ્થાનિક રાજેશ્વરીબેને જણાવ્યું હતું કે, અમારે ત્યાં પાણી દુર્ગંધ મારતુ આવે છે. અમે અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોઇ સાંભળતુ નથી. કોર્પોરેટરો આવે છે અને જતા રહે છે. માત્ર વોટ લેવા આવે છે. કોઇ કાર્યક્રમ હોય તો સ્વચ્છતા થાય છે, પણ ગંદકી જ હોય છે. સ્વચ્છતાના નામે માત્ર નાટક થાય છે. સ્થાનિક મનિષાબેને જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં સામાન પણ ખરાબ થાય છે. અમે ઘણી વખત રજૂઆતો કરી છે, પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા વિસ્તારના કોર્પોરેટરો તો અહીં અમારી સમસ્યા જોવા માટે પણ આવતા નથી. ખરાબ રસ્તાના કારણે વેપાર અડધો થઈ ગયો-દુકાનદારગોત્રી વિસ્તારના વેપારી જગદીશ ભાટીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન વાળાએ રોડ પર ખાડા કરી દીધા છે, જેના કારણે એમાં બાઇકવાળા પડી ગયા હતા. આ ઉપરાંત અમારા ધંધા પડી ભાંગ્યા છે. હું આ દુકાનનું ભાડુ 12 હજાર રૂપિયા ચુકવુ છું, પણ 6 હજારનો પણ ધંધો થતો નથી. અમે કઇ રીતે જીવીએ છીએ, એ તો ભગવાન જ જાણે છે. અમને બે ટાઇમ ખાવાના પણ ફાંફા થઈ ગયા છે. લાઇટ બિલ અને વેરા બિલ ભરવાના પૈસા પણ નથી. 2 મહિના કરતા વધુ સમયથી કામ ચાલે છે. જલદી કામ પુરુ થાય તો અમારો ધંધો ચાલી શકે તેમ છે. મારા વિસ્તારમાં અઢળક વિકાસ કામો થયા- નીતિન દોંગાભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં મારા વિસ્તારમાં પ્રજાલક્ષી અનેક અઢળક કામગીરી કરવામાં આવી છે. જેમાં ભાયલી વિસ્તારમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી છે. ડ્રેનેજની સુવિધા સુધારવા માટે 1600 ડાયામીટર સુધીની નવી ડ્રેનેજ પાઈપલાઈનો નાખવાનું કામ હાલ કાર્યરત છે. લાલગુરુ સર્કલથી પ્રિયા ટોકીઝ, ગોત્રી મેઈન રોડ અને વાસણા મેઈન રોડ સહિત કુલ 5 મુખ્ય રસ્તાઓ માટે અંદાજે ₹20 કરોડ ના ખર્ચે નવા રોડ બનાવવામાં આવ્યા છે. ભાયલી જેવા નવા વિકસિત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિવારવા માટે માત્ર છેલ્લા એક જ વર્ષમાં 27 કરોડથી વધુના ખર્ચે વરસાદી ચેનલો બનાવવામાં આવી છે. તાંદલજા જેવા વિસ્તારોમાં હજુ પણ ગંદા પાણી અને ગટરની સમસ્યાઓ જોવા મળે છે, તે બાબતે તમારું શું કહેવું છે? તે બાબતે તેઓએ કહ્યું હતું કે, તાંદલજા વિસ્તાર અંગે મારી પાસે અત્યાર સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ આવી નથી, એટલે એ બાબત અત્યારે મારા ધ્યાનમાં નથી. આ ઉપરાંત ગોત્રી અને વાસણા બંને તળાવની શુદ્ધતા જળવાઈ રહે તે માટે અમે ત્યાં બાયપાસ ડાયવર્ટ લાઈનો નાખી છે, જેથી ગંદુ પાણી તળાવમાં જતું અટકે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 6:00 am

પત્ની સરપંચ અને પતિ લૂંટારૂ:રાજસ્થાનના ગામડાંમાં ઘૂસીને ગુજરાત પોલીસે ફિલ્મી સ્ટાઇલથી મૂર્તિ ચોરને ઉઠાવ્યો, એક SMSથી કડી મળી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વીસનગરના ઉમતા ગામે આવેલા જૈન દેરાસરમાં રાતના સમયે 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા હતા અને 2 ચોકીદારને માર મારીને ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિ 1500 વર્ષ જૂની હતી. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાતું હતું. એ સમયે CCTV કે બીજા કોઇ સગડ ન મળતા પોલીસ પાસે કોઇ કડી નહોતી. બીજીતરફ લૂંટારૂં ન પકડાતા જૈન મુનિએ ઉપવાસ ચાલુ કર્યા હતા. જેના કારણે ગુજરાત સરકાર પર દબાણ વધ્યું હતું અને SITની રચના કરવી પડી હતી. SITએ ટેકનિકલ ડેટાના આધારે તપાસ આગળ વધારી હતી. શરૂઆતના એક-દોઢ મહિના સુધી તો પોલીસના હાથ ખાલી રહ્યા હતા. હવે આગળ વાંચો.... ટેકનિકલ એનાલિસિસ પોલીસ માટે મહત્વનું સાબિત થવાનું હતું. પોલીસે લાખો મોબાઇલ નંબરની ચકાસણી કરી.જેમાંથી ફક્ત એક જ શંકાસ્પદ નંબર મળ્યો. આ મોબાઇલ નંબર દેરાસરમાં લૂંટ થઇ તેના આગલા દિવસે સવારે 9 વાગ્યાના અરસામાં જયપુરથી બંધ થયો અને અંબાજીમાં ચાલુ થયો હતો. તેમાં રોમિંગનો એક SMS આવ્યો હતો અને તરત વળી પાછો મોબાઇલ બંધ થઇ ગયો હતો. મોબાઇલમાં SMS આવ્યો અને તે બંધ થયો એ દરમિયાન મોબાઇલ અંબાજીમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું. જે રાત્રે મૂર્તિની લૂંટ થઇ તેના પહેલા રોમિંગનો મેસેજ આવ્યો હતો. આ નંબર બીજા દિવસે સવારે જયપુર પાસે ચાલુ થયો હતો. પોલીસે આ શંકાસ્પદ નંબરની કોલ ડિટેઇલ કઢાવી અને નામ-સરનામું મેળવ્યું હતું. આ નંબર રાજસ્થાનના દોસા જિલ્લામાં રહેતાં શિવચરણ મીણા નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસે ચોકીદારોની પૂછપરછ અને મોબાઇલના માલિકના એડ્રેસની કડી મેળવી. ચોકીદારોએ જણાવ્યું હતું કે લૂંટારૂંઓ હિન્દી બોલતા હતા અને મોબાઇલ રાજસ્થાનમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું એટલે પોલીસને આ કેસમાં રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાની વધુ એક કડી મળી ગઇ હતી. જેથી તપાસ આગળ વધવાની આશા જન્મી હતી.જે.ડી.પુરોહિતે શિવચરણનો મોબાઇલ નંબર ક્રાઇમ બ્રાન્ચમાં સુપરવિઝનમાં રાખ્યો હતો. જેના પર દિલીપ ઠાકોર નજર રાખી રહ્યાં હતા. શંકાસ્પદ નંબર વિશે ખબર પડ્યા બાદ મહેસાણા LCBની ટીમ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI જે.ડી.પુરોહિત દોસા જવા રવાના થયા. પોલીસે જયપુરથી અંદાજે 65 કિલોમીટર દૂર આવેલા દોસા જિલ્લાના છેવાડે આવેલા સાદપર ગામે પહોંચવાનું હતું. ગુજરાત પોલીસની ટીમ પહેલા દોસા પહોંચીને સ્થાનિક SPને મળી હતી. તેમણે ગુજરાત પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપ્યો. ગામમાં તપાસ કરાવી તો ખબર પડી કે શિવચરણ મીણા ઉર્ફે છપ્પન મૂલ્યારામ સામે લૂંટ, ખૂન, ધાડ અને આર્મ્સ એક્ટ સહિતના 35 જેટલા ગુના નોંધાયેલા છે. તેની પત્ની આ જ ગામની સરપંચ છે. 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી શિવચરણ અઠંગ ગુનેગાર હોવાનું નક્કી હતું. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળના ગુના પણ નોંધાયેલા હોવાથી એવી પૂરેપૂરી શક્યતા હતી કે તે પોતાની પાસે હથિયાર રાખતો હોય. તેની પત્ની ગામની સરપંચ હતી એટલે તે રાજકીય વગ ધરાવતો હોવાનું પણ નક્કી હતું. આવા આરોપીને આસાનીથી પકડી ન શકાય એટલે પોલીસે શિવચરણને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. પોલીસે સૌથી પહેલાં ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને શિવચરણ વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું. સાદપર ગામની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણવા પોલીસ તેનાથી વીસેક કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં રોકાઇ હતી. રોજ સવાર પડે એટલે ખાનગી વાહન અને ખાનગી ડ્રેસમાં પોલીસ ગામની આસપાસ તપાસ કરવા જાય. પોલીસને ગામમાંથી ખબર પડી હતી કે આરોપી પોતાની પાસે 1-2 હથિયાર રાખે છે. તેની સાથે 3 કે 4 જણાં સતત રહેતાં હતા. શિવચરણ ખુલ્લી જીપ લઇને ફરતો હતો અને જીપની આગળ સરપંચ લખેલું હતું. શિવચરણ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા હતા તે પોલીસ સ્ટેશન ગામથી 8 કિલોમીટર જ દૂર હતું. તેણે આચરેલા 35 ગુનામાંથી આ જ પોલીસ સ્ટેશનના 25 ગુનામાં તે વોન્ટેડ હતો. જ્યારે સ્થાનિક પોલીસ બીજા કોઇ આરોપીને પકડતી ત્યારે તેને છોડાવવા ખુદ શિવચરણ જ પોલીસ સ્ટેશન જતો તેમ છતાં સ્થાનિક પોલીસ તેને પકડવાની હિંમત નહોતી કરતી. આટલી તેની ધાક હતી. આ હકીકત જાણ્યા બાદ ગુજરાત પોલીસને ખ્યાલ આવી ગયો કે જો શિવચરણને પકડવો હોય તો તેના માટે 10થી 15 પોલીસકર્મીઓની ટીમ હોવી જરૂરી હતી. પોલીસને વધુ એક ગુપ્ત માહિતી મળી કે શિવચરણને એક શિક્ષિકા સાથે સારો સંબંધ હતો. આ શિક્ષિકા નજીકના ગામમાં રહેતી હતી અને ગામના વિદ્યાર્થીઓને ભણાવતી હતી. શિવચરણ ઘણીવાર આ શિક્ષિકાને એકલો મળવા જતો હતો. આ એક જ પોઇન્ટ એવો હતો જેમાં પોલીસ સાથે શિવચરણની અથડામણ થવાની શક્યતાઓ ઘટી જતી હતી. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે શિક્ષિકાની સ્કૂલનો સમય સવારનો હતો. બપોરે 12:30 વાગ્યા આસપાસ તે સ્કૂલેથી છૂટે એટલે શિવચરણ તેને રસ્તામાં મળીને પાછો ગામમાં આવતો રહેતો હતો એટલે આ જ સમય એવો હતો કે જેમાં તે એકલો હોય ત્યારે પોલીસ તેને પકડી શકે. જો કે શિવચરણ એકલો હોય તો પણ પોતાની પાસે 1-2 હથિયાર તો રાખતો જ હતો. તત્કાલીન PI જે.ડી.પુરોહિતે આ બધી વાત જાણીને પોતાની ટીમના સભ્યો અને SITના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વાકેફ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા-વિચારણાં કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તે વખતના PI અને હાલ રાજ્યના પ્રિઝન ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ (DySP) તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર યાદવને તેમની ટીમ સાથે દોસા મોકલ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI અને હાલના DySP પરેશ સોલંકીની બીજી ટીમ તપાસ માટે રાજસ્થાનમાં જ હતી. તેમને પણ મદદ માટે પહોંચી જવા સૂચના આપી હતી. સૂચના મુજબ ત્રણેય ટીમ દોસાના SPને ત્યાં ભેગી થઇ હતી અને ચર્ચા કરી રહી હતી. તે જ વખતે જે.ડી. પુરોહિતને બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે શિક્ષિકાએ આરોપી શિવચરણને પોતાને ફાયરિંગ કરવાનું શીખવાડવાની વાત કરી હતી. જેથી શિવચરણ તે શિક્ષિકાને સૂમસામ જગ્યાએ ફાયરિંગ કરાવવા લઇ જવાનો હતો. હવે પોલીસે શિવચરણને પકડી લેવા વ્યૂહરચના ગોઠવી. જે.ડી.પુરોહિત ગામની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થઇ ગયા હોવાથી તેમણે કાગળ પર આખો મેપ બનાવીને બીજી બન્ને ટીમને સમજાવી દીધું હતું. આના પછી પોલીસની 3 ગાડીઓ તૈયાર કરાઇ હતી. એક ગાડીમાં જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવ તથા બીજા બે કોન્સ્ટેબલ વિજય અને સ્થાનિક કોન્સ્ટેબલ હતો. બીજી ગાડી મહેસાણા પોલીસની હતી અને ત્રીજી ગાડી તત્કાલીન PI પરેશ સોલંકીની હતી. ત્રણેય ગાડીઓ અલગ અલગ દિશામાં રવાના થઇ હતી. આ સમયે પોલીસ પાસે આરોપીનો ફક્ત એક જ ફોટો હતો. જેનાથી તેની ઓળખ થઇ શકે તેમ હતી. આ દરમિયાન શિવચરણે શિક્ષિકાને ફાયરિંગ કરાવીને તેને સ્કૂટી પર રવાના કરી દીધી હતી પછી તે નજીકના ગામના સરપંચને મળવા ગયો હતો. સરપંચને મળ્યા બાદ તે ત્યાંથી તેના મિત્ર સાથે બાઇક પર પોતાના ગામ આવવા નીકળ્યો હતો. આ સમયે જે.ડી.પુરોહિતની ટીમે તેને સામેથી આવતો જોઇ લીધો હતો. જીતેન્દ્ર યાદવ કાર ચલાવતા હતા. બન્નેએ અંદરોઅંદર ચર્ચા કરી કે જો શિવચરણને રોકવા જઇશું તો કદાચ સામસામે ફાયરિંગ ચાલુ થઇ જશે. ટીમમાં જે બીજા બે કોન્સ્ટેબલ્સ છે તેમની પાસે કોઇ હથિયાર નથી. સામે શિવચરણ અને તેનો મિત્ર એમ બે જણાં છે. જો બન્ને પાસે હથિયાર હોય તો તે છટકી જાય તેવા ચાન્સ વધુ રહે. આના પછી જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવે ગાડીમાં જ નવો પ્લાન બનાવી લીધો અને શિવચરણને ટક્કર મારવાનું નક્કી કરી લીધું. કાર હંકારવામાં માસ્ટર જીતેન્દ્ર યાદવે શિવચરણની બાઇકને સામાન્ય ટક્કર મારી. કારની ટક્કર વાગે એટલે સ્વભાવિક છે કે કોઇપણ બાઇકચાલક 8-10 ફૂટ ઉછળીને દૂર પડે. શિવચરણ સાથે પણ એવું જ થયું. તે અને તેનો મિત્ર 8-10 ફૂટ ઉછળીને પડ્યાં. આના પછી જે.ડી.પુરોહિત અને બીજા 2 કોન્સ્ટેબલ્સ ચિત્તાની ઝડપે ગાડીમાંથી કૂદ્યા અને આરોપી પાસે દોડી ગયા. અહીં તેમની અને આરોપી વચ્ચે ઝપાઝપી થઇ. જેમાં જે.ડી.પુરોહિતનો શર્ટ ફાટી ગયો હતો પણ શિવચરણ પાસેનું હથિયાર ઝૂંટવી લેવામાં તેમને સફળતા મળી હતી. આ તરફ જીતેન્દ્ર યાદવની ગાડી નજીકના સાતેક ફૂટ ઊંડા ખાડામાં પડી ગઇ. ગાડીના આગળના બે વ્હીલ ખાડામાં જતાં રહ્યાં અને પાછળના બે વ્હીલ ખાડાની બહાર હતા. છતાં હિંમત કરીને જીતેન્દ્ર યાદવ ગાડીમાંથી કૂદીને આરોપી પાસે દોડી આવ્યા. બધાએ ભેગા મળીને બન્ને આરોપીને પકડીને બુરખો પહેરાવી, હાથકડી બાંધીને ગાડીમાં બેસાડી દીધા. આ દૃશ્ય ત્યાંથી પસાર થઇ રહેલા એક સ્થાનિક વ્યક્તિએ જોઇ લીધું. તે સ્થાનિક વ્યક્તિ શિવચરણને ઓળખતો હતો. જ્યાં આ ઘટના ઘટી ત્યાંથી સાદપર ગામ 700 થી 800 મીટર જ દૂર હતું. તેણે ગામમાં જઇને વાત કરી કે શિવચરણને કોઇ સાથે ઝઘડો થયો છે એટલે ગામમાંથી 8થી 10 લોકો ધારિયા, લાકડાંના ધોકા લઇને જ્યાં આ ઘટના ઘટી હતી ત્યાં આવવા નીકળ્યા હતા. આ તરફ આરોપીને ગાડીમાં બેસાડ્યા બાદ જીતેન્દ્ર યાદવ સ્ટિયરિંગ પર ગોઠવાઇ ગયા. દોસાનો સ્થાનિક કોન્સ્ટેબલ ગાડી પાસે બહાર ઊભો રહી ગયો હતો પણ ગાડીના આગળના બે વ્હીલ તો ખાડામાં હતા અને ખાડામાં કાંટા હતા. છતાં જીતેલી બાજી હારી ન જવાય અને ગુનેગારો છટકી ન જાય તે માટે જે.ડી. પુરોહિત અને કોન્સ્ટેબલ વિજય બોનેટ ઊંચું કરવા ખાડામાં ઉતર્યાં હતા. જીતેન્દ્ર યાદવે ગાડીને રિવર્સ લીધી અને એક્સીલેટર પર પગ દબાવ્યો. તરત જ ગાડી ખાડામાંથી બહાર નીકળી ગઇ. જો કે આ ટીમની સામે એક વધુ આફત આવીને ઊભી હતી. ગામમાંથી ધારિયા, લાકડાંના ધોકા લઇને નીકળેલું ટોળું એકદમ નજીક આવી પહોંચ્યું હતું. જેવું ટોળું ગાડી પાસે આવ્યું કે બહાર ઊભા રહેલા કોન્સ્ટેબલે 4-5 વ્યક્તિને મારીને નીચે પછાડી દીધા. હવે પોલીસને તરત જ ત્યાંથી નીકળી જવાની તક મળી. બહાર ઊભેલો કોન્સ્ટેબલ ગાડીમાં ગોઠવાયો અને જીતેન્દ્ર યાદવે ગાડી હંકારી મૂકી. ગાડીને ભાગતા જોઇ ટોળાંએ તેના પર પથ્થરમારો પણ કર્યો પરંતુ કોઇને ઇજા ન પહોંચી. થોડી જ ક્ષણોમાં પોલીસની ગાડી દોસા તરફ દોડી રહી હતી. રસ્તામાંથી અન્ય ટીમને પણ ઓપરેશન પૂરૂં થયા અંગેની જાણ કરી દીધી. પોલીસે જ્યારે બીજી ટીમને જાણ કરી ત્યારે વાતચીત પરથી શિવચરણને ખબર પડી ગઇ કે આ તો ગુજરાત પોલીસ છે. બાદમાં જ્યારે તેને દોસા SP ઓફિસે લવાયો અને SPએ સામે બેસાડ્યો ત્યારે તેણે સામેથી જ કહી દીધું કે મૂર્તિ વરધીચંદે ચોરી છે અને મથુરામાં છે. કોઇએ પૂછ્યું નહોતું છતાં તેણે સ્વીકારી લીધું એટલે ગુજરાત પોલીસ પણ ચોંકી ઉઠી. આ દરમિયાન SITના અધિકારીઓને ખબર પડી કે શિવચરણ પકડાઇ ગયો છે એટલે વરધીચંદ મૂર્તિ સગેવગે ન કરી દે તે માટે તેમના તરફથી સૂચના આવી કે રાજસ્થાન ગયેલી ગુજરાત પોલીસની ટીમ તરત જ મથુરા પહોંચે અને મૂર્તિનો કબજો લઇ લે. જેથી પોલીસ રાત્રે જ દોસાથી મથુરા જવા નીકળી હતી. દોસાથી મથુરાનું અંતર અંદાજે 164 કિલોમીટર જેટલું હતું. વહેલી સવારે 4-5 વાગ્યે તો પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ. શિવચરણે જે એડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચીને જોયું તો ખેતરમાં ફક્ત છાપરાં જેવું મકાન હતું. ત્યાં ન વરધીચંદ મળ્યો ન મૂર્તિ મળી. પોલીસની ટીમ ખાલી હાથે દોસા પાછી ફરી. ફરી શિવચરણની પૂછપરછ કરી. તેણે પોલીસને કહ્યું કે અમે તો મૂર્તિ ચોરીને સીધા મથુરા આવ્યા હતા અને વરધીચંદને મૂર્તિ આપીને સાદપર ગામે પાછા આવતા રહ્યા હતા. જો કે પોલીસને તેની આ વાત ગળે ન ઉતરી. જે.ડી.પુરોહિતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દિલીપ ઠાકોરને ફોન કરીને શિવચરણની કોલ ડિટેઇલ મગાવી હતી. જેમાં ખુલાસો થયો કે શિવચરણ જયપુરથી સીધો જ સાદપર ગામ ગયો હતો, તે મથુરા ગયો જ નહોતો. જો તે મથુરા ગયો હોત તો રસ્તામાં કેટલાય મોબાઇલ ટાવર્સ બદલાઇ જાય. જેથી શિવચરણ ખોટું બોલી રહ્યો હતો તે સ્પષ્ટ થઇ ગયું હતું. હવે પોલીસે શિવચરણની કડકાઇથી પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે મૂર્તિ તેણે સાદપર ગામના ખેતરમાં છુપાવી છે. શિવચરણની આ કબૂલાત બાદ પોલીસ સામે વધુ એક પડકાર આવ્યો કેમ કે મૂર્તિ મેળવવા પોલીસે શિવચરણના ગામમાં જવાનું હતું. ભૂતકાળમાં પોલીસ જ્યારે-જ્યારે તેના ગામમાં ગઇ હતી ત્યારે પોલીસ પર હુમલો થયો હતો. હવે જો શિવચરણને સાથે રાખીને પોલીસ તેના ગામમાં જાય તો ત્યારે પણ પોલીસ પર હુમલો થવાનો ભય હતો. આવી સ્થિતિમાં ફરીવાર ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરાઇ. જેથી IG ઝેબલિયાએ રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેના પછી રાજસ્થાનની ખાસ ટીમના DySPના નેજા હેઠળ 20-25 હથિયારધારી પોલીસ જવાનોની ટીમ તૈયાર કરાઇ હતી અને તેને ગુજરાત પોલીસ સાથે સાદપર ગામે મોકલાઇ હતી. રસ્તામાં ગુજરાત પોલીસને વિચાર આવ્યો કે જો શિવચરણને ગામમાં લઇ જઇએ અને ગામવાળા હુમલો કરીને તેને છોડાવી જાય તો બધી મહેનત પર પાણી ફરી વળે એટલે પોલીસે રસ્તામાં જ નક્કી કર્યું કે શિવચરણને ગામમાં જ નથી લઇ જવો. જીતેન્દ્ર યાદવની એક ટીમે સાદપર ગામથી 10 કિલોમીટર દૂર અવાવરૂં સ્થળે ગન પોઇન્ટ પર શિવચરણને બેસાડી દીધો. બીજીતરફ જે.ડી.પુરોહિત, પરેશ સોલંકી સહિતની રાજસ્થાન પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી. અહીં શિવચરણની પત્નીને લઇને ખેતરમાં ગઇ. શિવચરણે જે જગ્યા કહી હતી તે જગ્યા પર ખોદ્યું પણ કંઇ મળ્યું નહીં. પોલીસને અંદાજો આવી ગયો કે શિવચરણ ફરીથી તેને ગોથે ચડાવી રહ્યો છે એટલે જે.ડી.પુરોહિતે શિવચરણ સાથે રહેલા પોલીસ અધિકારી જીતેન્દ્ર યાદવને ફોન કર્યો અને બધી વાત કરી. જીતેન્દ્ર યાદવે કડકાઇ વાપરી એટલે શિવચરણ ઢીલો પડ્યો. તેણે કહ્યું કે મારી પત્નીને ફોન આપો એટલે હું તેને સાચું લોકેશન બતાવું. જો કે હવે પોલીસ થાપ ખાય તેમ નહોતી. પોલીસે ફોન સ્પીકર પર રાખ્યો કેમ કે ત્યાં રાજસ્થાનના DySP ત્યાં હાજર હતા અને જો શિવચરણ પોતાની ભાષામાં પત્નીને કોઇ આડી અવળી વાત કરે તો તે સમજી શકે. પોલીસે વિચાર્યા પ્રમાણે જ શિવચરણે તેની પત્ની સાથે વાત કરી ત્યારે ગુજરાત પોલીસને તો કંઇ ખબર ન પડી પણ રાજસ્થાનના DySPને ખબર પડી ગઇ કે શિવચરણ તેની પત્નીને કંઇક જુદું જ કહી રહ્યો છે એટલે તેમણે ફોન કટ કરાવી દીધો અને તેની જ ભાષામાં શિવચરણની પત્ની સાથે વાત કરી. શિવચરણની પત્નીએ તેને કહી દીધું કે મૂર્તિ અહીં નથી પણ બીજી જગ્યાએ છે પણ ફક્ત તમે જ મારી સાથે આવો. જેના પછી તેઓ પાંચેક કિલોમીટર દૂર જઇને એકાદ કલાકમાં મૂર્તિ લઇને પાછા આવ્યા હતા. મૂર્તિ મળી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો અને લાવવા લઇ જવામાં મૂર્તિ ખંડિત તો નથી થઇ ગઇને તે ચેક કરી લીધું. મૂર્તિ સલામત હોવાથી ગુજરાત પોલીસ રાજસ્થાન પોલીસનો આભાર માનીને શિવચરણને પકડીને મૂર્તિ સાથે મહેસાણા પહોંચી ગઇ. ચકચારભર્યો કેસ હોવાથી ડી.જી.ઓફિસમાં જ પોલીસવડા ચિત્તરંજનસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કેસ ઉકેલાયાની જાહેરાત કરી હતી. મૂર્તિ ચોરીનો ગુનો દાખલ થયો હોવાથી ચોરીનો મુદ્દામાલ પોલીસે પોતાની પાસે રાખવો પડે પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં એટલે મૂર્તિને દેરાસરમાં મૂકીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એકાદ સપ્તાહ બાદ કોર્ટનો હુકમ આવી જતાં પોલીસ બંદોબસ્ત હટાવી લીધો હતો. શિવચરણની પૂછપરછમાં વરધીચંદ ઠાકુર અને દરજી ભગવાનસિંહ એમ વધુ 2 આરોપીઓના નામ ખૂલ્યા હતા. વરધીચંદ મૂર્તિ ચોર છે. મોટાભાગની મૂર્તિ ચોરીમાં તેનો જ હાથ હોય છે. તે મૂર્તિ જોઇને ફોટો પાડી લેતો અને પછી તેનો સોદો કરતો હતો. ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરવા માટે તેણે શિવચરણને 10 લાખ રૂપિયા અને ગેંગના બીજા સભ્યોને 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ નક્કી થયા બાદ શિવચરણ અને બીજા આરોપીઓ લૂંટના 15 દિવસ પહેલાં ઉમતા ગામે આવીને રેકી કરી ગયા હતા. શિવચરણ અને બીજા આરોપી જ્યારે જયપુરથી ઉમતા આવવા નીકળ્યાં ત્યારે મોબાઇલ બંધ કરી દીધો હતો. સીધા અંબાજી આવ્યા હતા ત્યાં ઊભા રહ્યાં હતા. આ દરમિયાન શિવચરણે જીન્સનું પેન્ટ પહેરેલું હતું. જીન્સનું પેન્ટ હોવાથી તે ફિટ હોય તે સ્વાભાવિક છે. તેના કારણે પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ચાલુ થઇ ગયો. જેથી તેમાં રોમિંગનો મેસેજ આવ્યો હતો. મેસેજના અવાજથી શિવચરણને ખબર પડી જતાં તેણે તરત જ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો પણ ત્યાં સુધીમાં તો મોબાઇલ કંપનીના નેટવર્કમાં શિવચરણનું લોકેશન નોંધાઇ ચૂક્યું હતું. આમ મૂર્તિ ચોરવા જઇ રહેલા શિવચરણનો મોબાઇલ અંબાજીમાં ફક્ત 2 સેકન્ડ માટે ચાલુ થઇ ગયો. તેમાં આવેલા મેસેજના કારણે પોલીસને આખો કેસ ઉકેલવામાં સફળતા મળી હતી જેથી જે.ડી.પુરોહિતે મા અંબાનો મનોમન આભાર માન્યો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પણ વાંચોરાજસ્થાનના ગામડાંમાં ઘૂસીને ગુજરાત પોલીસે ફિલ્મી સ્ટાઇલથી મૂર્તિ ચોરને ઉઠાવ્યો, પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 6:00 am

19 વર્ષ પહેલાં લાંચમાં પકડાયેલા આઈટી અધિકારીને 6 માસની કેદ

19 વર્ષ પહેલાંના કેસનો હવે ચુકાદો આવ્યો અસેસમેન્ટ ફાઈનલાઈઝ કરવાના બદલામાં ૨૦ હજાર રુપિયાની લાંચ માગી હતી મુંબઈ - ટેક્સ સિક્યોરિટી એસસમેન્ટ નક્કી કરવા માટે રૃ. ૨૦ હજારની લાંચ લેવાના ૧૯ વર્ષ જૂના કેસમાં થાણેની વિશેષ સીબીઆઈ કોર્ટે આવકવેરા ખાતાના માજી અધિકારીને છ મહિનાની સખત કેદની સજા સંભળાવી છે. સ્પેશ્યલ જજ (સીબીઆઈ) દેશમુખે આરોપી દીનાનાથ પુથરન (૭૭) પર ચાર હજારનો દંડ પણ લાદ્યો હતો.

ગુજરાત સમાચાર 1 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધના કારણે દુનિયાભરમાં નેટ ઠપ થઈ શકે છે; નાલંદાના મંદિરમાં નાસભાગથી 9નાં મોત; ટોલ પ્લાઝામાં આજથી રોકડા નહીં ચાલે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. યુદ્ધના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. બીજા મોટા સમાચાર નાલંદાના મંદિરમાં મચેલી નાસભાગને લઈને રહ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થશે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે કહ્યું- અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે:અમારી પાસેથી ઓઈલ ખરીદો, નહીં તો હિંમત બતાવો અને હોર્મુઝ જઈને લઈ લો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે હવે અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે. દેશોએ પોતે જ પોતાની પરિસ્થિતિ સંભાળવી પડશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્રિટન જેવા દેશો જે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ મેળવી શકતા નથી, તેમણે અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું જોઈએ કારણ કે અમેરિકા પાસે તેની કોઈ અછત નથી. ટ્રમ્પે કહ્યું કે જો દેશો ઈચ્છે તો હિંમત બતાવે અને પોતે હોર્મુઝ સ્ટ્રેટ જઈને ઓઈલ લઈ લે. અમેરિકા તેમની મદદ માટે નહીં આવે, જેમ તેઓ અમેરિકાની મદદ માટે આવ્યા ન હતા. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે ઈરાન ઘણી હદ સુધી નબળું પડી ગયું છે અને સૌથી મુશ્કેલ કામ પહેલેથી જ પૂરું થઈ ગયું છે. હવે બાકીના દેશો પોતે જઈને પોતાનું ઓઈલ મેળવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:રાષ્ટ્રપતિની સુરક્ષામાં 2500 જવાન, પરંતુ 25 હજાર શ્રદ્ધાળુઓ માટે કોઈ નહીં; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. અફરા-તફરીમાં ભીડમાં ઘણા લોકો કચડાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ, મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં થશે મોટો ફેરફાર:ટોલ પ્લાઝા કેશલેસ થશે, આજે જ પતાવો આ 4 કામ, કાલથી બદલાશે આ 10 નિયમ; તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. વાહનચાલકો માત્ર ફાસ્ટેગ અથવા UPI પેમેન્ટ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવી શકશે. આ ઉપરાંત, આજે રાત્રે 12 વાગ્યા પછી દેશમાં ટેક્સ અને બેંકિંગ સંબંધિત 3 મોટા કામોની ડેડલાઇન પૂરી થઈ રહી છે. આવતીકાલથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત 10 નિયમો પણ બદલાઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. યુદ્ધની ચિંગારી ઘર-ઘર સુધી પહોંચશે, દૂધ-કરિયાણું-સારવાર મોંઘા થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી; કોમર્શિયલ LPGની અછતથી હજારો પ્લાસ્ટિક યુનિટ બંધ પશ્ચિમ એશિયામાં વધતા તણાવે કંપનીઓની ચિંતાઓ વધારી દીધી છે. ક્રૂડ ઓઇલ અને અન્ય કાચા માલની કિંમતો વધવાથી ખર્ચ વધી રહ્યો છે અને કંપનીઓ ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. આનાથી બોટલનું પાણી, મીઠું, તેલ જેવી રોજિંદી વસ્તુઓ, AC, ફ્રિજ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને નોન-સર્જિકલ મેડિકલ આઈટમના ભાવ વધી શકે છે. કારણ એ છે કે આ યુદ્ધે પ્લાસ્ટિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવ 50-70% સુધી વધી ગયા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક દાણા LDPEના ભાવ 110 રૂ/કિલોથી 180 રૂપિયા સુધી પહોંચી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારત સહિત દુનિયાભરમાં ઈન્ટરનેટ બંધ થઈ જશે?:યુદ્ધના કારણે હોર્મુઝમાં કેબલ્સને નુકસાનની આશંકા, સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થવાથી વિશ્વભરમાં ઊર્જા સંકટ પછી હવે ઇન્ટરનેટ ઠપ્પ થવાનો ખતરો છે. તેનું કારણ એ છે કે હોર્મુઝ રૂટ પરથી માત્ર વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ અને 25% LNG પસાર થતું નથી, પરંતુ આ રૂટની નીચે ઇન્ટરનેટ કેબલ્સ પણ બિછાવેલા છે. જો આ ક્ષેત્રમાં તણાવ વધે અથવા કેબલ્સને નુકસાન થાય, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિસ્તાર માત્ર ઊર્જા ચોકપોઇન્ટ નથી, પરંતુ એક ડિજિટલ ચોકપોઇન્ટ પણ છે. સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા ઘણીવાર લોકોને લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. વિશ્વનો લગભગ 95 થી 97% ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ કેબલ્સ સમુદ્રની નીચે બિછાવેલા હોય છે. ભારતને યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા મુખ્ય કેબલ્સ આ જ રૂટ પાસેથી પસાર થાય છે. તેમાં SEA-ME-WE, AAE-1 અને EIG જેવી મોટી કેબલ સિસ્ટમ્સ સામેલ છે. ભારતને યુરોપ-આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા કેબલ્સ હોર્મુઝ રૂટ પરથી પસાર થાય છે. ભારત માટે શા માટે મોટો ખતરો છે? ભારતની ડિજિટલ ઇકોનોમી મોટાભાગે આ દરિયાઈ રૂટ્સ પર નિર્ભર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘બ્લાસ્ટ થયો ને દરવાજો તૂટીને સામેના મકાનમાં અથડાયો’:'દાઝેલા 5 લોકો રોડ તરફ ભાગ્યાં, ખૌફનાક અવાજથી અમે ધ્રુજવા લાગ્યા'; અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળે પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામે અન્ય મકાન પર અથડાયો હતો. સાથે જ આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. જે લોકો દાઝી ગયા છે તેમનો એબ્યુલન્સમાં બેઠેલો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને ભલભલાને કંપારી છૂટી જાય. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીની ભૂમિ પર દારૂની દુકાનથી વિવાદ:કોંગ્રેસે કહ્યું-ગોડસેના વિચારધારા વાળાનું કામ, ગુજરાત સરકારની પોરબંદરમાં લિકર શોપ ખોલવાની તૈયારી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. આ સાથે જ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ પરથી છે તો જાહેરાત કરે કે લિકર શોપને મંજૂરી નહીં અપાય. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેરળમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર, AIIMSનું વચન આપ્યું:વૃદ્ધો-મહિલાઓને ₹3,000 પેન્શન; આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા કબજે કરાયેલી જમીન પાછી લેવાની જાહેરાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના નામ પર હશે ફ્લોરિડા એરપોર્ટનું નામ:તેમના ઘરની નજીક જ એરપોર્ટ, પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેના કાર્યકાળમાં નામ બદલાશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : 4 વર્ષના માસૂમ સાથે હૃદય કંપાવતી ઘટના:રીક્ષામાં માર માર્યો, હવામાં ઉછાળીને માથાભેર જમીન પર પછાડ્યો, આરોપીએ અંગત વિવાદનો આ રીતે બદલો લીધો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન ગુનેગારોને સુનાવણી વિના મોતની સજા:બિલ પાસ, 90 દિવસમાં ફાંસી થશે; મંત્રીઓએ સંસદમાં શેમ્પેન ખોલીને સેલિબ્રેશન કર્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : નફાના ચક્કરમાં ગ્રાહકોને ભૂલી ગયેલી કંપની:ક્રાફ્ટ હાઇન્ઝને તોડવાને બદલે નવા સીઈઓ કૈહિલેન તેને સુધારશે; ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ભાર (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : વૈભવની રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી:ઓવરટને ધોનીનો રેકોર્ડ તોડ્યો, રોયલ્સની સૌથી મોટી જીત; રેકોર્ડ્સ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભગવાન મહાવીર જયંતિ:સફળતા, ક્ષમા અને અહંકાર મુક્તિનો માર્ગ દર્શાવતા 3 પ્રેરક કિસ્સાઓ જાણો (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગુજરાતમાં ઘોરાડના બચ્ચાને મળી Z+ સિક્યોરિટી અમદાવાદના કચ્છમાં જન્મેલા 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' એટલે કે ઘોરાડના નાનકડા બચ્ચાને Z+ જેવી સિક્યોરિટી મળી છે. આ અત્યંત દુર્લભ પ્રજાતિ છે અને ગુજરાતમાં આશરે 10 વર્ષ પછી તેનો જન્મ થયો છે. આ જ કારણે 50થી વધુ જવાનો તેની સુરક્ષા કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો નવો બોમ્બ તૈયાર:યુદ્ધનો તોતિંગ ખર્ચ વસૂલવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત 2. ભાસ્કર સિરીઝ ‘રેપ તો હુઆ હૈ સર’: આસારામના કુકર્મનો ભોગ બનેલી સગીર પીડિતાની આપવીતી સાંભળીને પોલીસ પણ થથરી ગઈ, જુઓ હચમચાવતો એપિસોડ-22 3. આજનું એક્સપ્લેનર:શું UN ઈરાન પર પરમાણુ હુમલાની તૈયારી કરે છે; UN રાજનાયિકના દાવામાં કેટલો દમ, અમેરિકા-ઈઝરાયલનો અસલી પ્લાન શું? 4. MATCH મસાલા જાડેજા RRની ટીમમાં રમ્યો ને CSKના લોગોને કિસ કરી:ચાલુ મેચમાં રડવા જેવો કેમ થઈ ગયો?; બોલ સાથે છેડછાડ કરી પાકિસ્તાનીઓની આબરૂ ગઈ 5. અંધારામાં લૂંટારૂં ત્રાટક્યાં અને ચોકીદારોને લોહીલુહાણ કરી નાખ્યા:સોનું-રૂપિયા છોડીને પ્રાચીન મૂર્તિ જ કેમ ઉઠાવી ગયા? તત્કાલીન CM નરેન્દ્ર મોદીના આદેશ બાદ SIT રચાઇ 6. ફર્ઝી વેબ સિરીઝ જોઇને ગોરખધંધા શીખ્યો:કોન્સ્ટેબલને મળેલી બાતમીએ 7 આરોપીના ઇરાદા પર પાણી ફેરવ્યું, કેવી રીતે પકડાઇ 2.20 કરોડની નકલી નોટ? 7. હમ લોગ બોન્ડા મહિલાઓ શરીરના ઉપરના ભાગે કપડાં પહેરતી નથી:લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવા પર છોકરીવાળાનું ઘર તોડી નાખે છે, મૃત્યુભોજમાં ગાયનું માંસ ખાય છે 8. 1000થી શરૂઆત, દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી:કેરળમાં આવી 46 લાખ કુડુંબશ્રી દીદીઓ, લેફ્ટના વોટમાં કેવી રીતે ગાબડું પાડશે BJP 9. સસ્પેન્સ ખુલ્યું, ધુરંધર-3 આવશે કે નહીં?:રણવીરને હમઝા બનાવનાર IB અધિકારી સાથે ભાસ્કરની વાતચીત; 'ધુરંધર'ના ગુજરાતી કલાકાર માનવનું નસીબ એક ફોનથી પલટાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિના ઘરે પારણું બંધાશે, વૃશ્ચિક જાતકોને મનગમતી નોકરી મળવાના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 5:00 am

આયોજન:આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરીને CCTV હેઠળ આવરી લેવાશે

ગાંધીનગરમાં હવે જાહેર સ્થળો વધુ સુરક્ષિત બનશે. મનપા દ્વારા શહેરના અલગ- અલગ 9 મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકા મુખ્ય કચેરી, પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ, કોબા જેવા અર્બન હેલ્થ સેન્ટર્સ તેમજ જાહેર લાઈબ્રેરીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 55 જેટલા આધુનિક કેમેરા (બુલેટ, ટરેટ અને PTZ) લગાવવામાં આવશે, જેનાથી સતત મોનિટરિંગ શક્ય બનશે. સાથે જ 8-ચેનલ NVR, સ્ટોરેજ સિસ્ટમ, LED મોનિટર, UPS અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તમામ જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ સંપૂર્ણ સિસ્ટમ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રહેશે જેથી દેખરેખ સરળ અને અસરકારક બને. કેમેરાના ઇન્સ્ટોલેશન ઉપરાંત ટેસ્ટિંગ, ટ્રેનિંગ અને 5 વર્ષ સુધી ઓપરેશન તથા મેન્ટેનન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે કે, એક વખત સિસ્ટમ શરૂ થયા પછી તે સતત કાર્યરત રહે તે માટે લાંબા ગાળાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી ખાસ કરીને આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સુરક્ષા વધશે, ચોરી- ચપાટી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મળશે, તેમજ કોઈ ઘટનાની તપાસમાં સચોટ માહિતી મળશે. મહાનગરપાલિકા દ્વારા 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. અહીં કેમેરા લાગશે GMC હેડ ઓફિસ (સર્વર અને સ્ટોરેજ રૂમ) પેથાપુર Urban Public Health Center (UPHC) વાવોલ UPHC સુઘડ UPHC કુડાસણ UPHC કોબા UPHC કુડાસણ લાઈબ્રેરી વાવોલ લાઈબ્રેરી રાંધેજા લાઈબ્રેરી

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:16 am

સિટી એન્કર:શહેરમાં ઉદ્યોગો માટે એસટીપી મારફતે શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે, મહાપાલિકાએ SOP તૈયાર કરી

ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની અને હયાત એસટીપીની ક્ષમતા વધારવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે એસટીપી મારફતે શુદ્ધ કરવામાં આવેલા ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે એસઓપી બનાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉદ્યોગોમાં અને બાગ- બગીચાઓમાં આ પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ માટેની ગુજરાત સરકારની નીતિને મહાનગરપાલિકા દ્વારા પણ અપનાવવામાં આવી છે. આ પોલીસી મુજબ 1 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ કરતા ગાંધીનગર ખાતેના ઉદ્યોગોને પણ ટ્રીટેડ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં જીઆઈડીસી ખાતેના ઉદ્યોગોનો સર્વે પણ કરવામાં આવશે. હાલના તબક્કે મહાનગરપાલિકા દ્વારા ટ્રીટમેન્ટથી શુદ્ધ કરાયેલા પાણીનો જીઈબી થર્મલ પાવર અને બાગ-બગીચામાં આ પુનઃઉપયોગ કરવામાં આવે છે. આ માટે પેથાપુર અને સરગાસણ એસટીપી ખાતેથી ટ્રીટેડ પાણીને જીઈબી સુધી પહોંચાડવા પાઈપલાઈન નાંખવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા અને એસઓપીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. બાગ- બગીચા અને ઉદ્યોગો બાદ મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા પાણીના વપરાશમાં પણ ટ્રીટેડ વોટરના ઉપયોગ તરફ વાળવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી શુદ્ધ પાણીનો ઉપયોગ ઓછો થઇ શકે. 1 હજાર લિટરે રૂ.15.92નો ભાવ નિયત કરાયોસરકારે નક્કી કરેલા ટ્રીટેડ વોટરના ભાવ મુજબ 1લી એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધી ઔદ્યોગિક હેતુ માટે શુધ્ધપાણીનો દર પ્રતિ એક હજાર લિટરે રૂ. 63.68 નક્કી કરાયો છે. એસટીપીના આઉટલેટ પર ટ્રીટેડ વોટરનો ભાવ પ્રતિ એક હજાર લિટરે રૂ. 15.92 રહેશે. 1લી એપ્રિલ 2027થી 31 માર્ચ 2028 દરમિયાન શુધ્ધ પાણીનો ભાવ વધીને રૂ. 65.69 થશે જ્યારે ટ્રીટેડ વેસ્ટવોટરનો દર વધીને રૂ. 16.40 થશે. ગાંધીનગર મહાપાલિકા પણ આ જ દરે પાણી પુરુ પાડશે. ટ્રીટેડ વોટરનો ઉપયોગ વધતાં મનપાને આવક પણ થશેટ્રીટેડ વોટરનો ઉપયોગ પીવા સિવાય બાંધકામ પ્રવૃત્તિઓ, બગીચા- વૃક્ષો માટે, ખેતીમાં અને ઉદ્યોગોમાં કરવા પર ભાર મુકવામાં આવશે. જેથી શુધ્ધ પાણીના વપરાશના ભારણમાં ઘટાડો થઈ શકશે. ટ્રીટેડ પાણી વિવિધ પ્રવૃત્તિઓ માટે પહોંચાડવા બદલ મહાનગરપાલિકાને નવી આવક પણ ઉભી થઇ શકશે. મહાનગરપાલિકાનો મુખ્ય હેતું શુદ્ધ પાણીને બચાવી શકાય અને એસટીપી મારફતે શુદ્ધ થયેલા પાણીનો યોગ્ય ઉપયોગ પણ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:15 am

મોળો પ્રતિસાદ:રજાના દિવસે કચેરી ખુલ્લી પણ બે દિવસમાં માત્ર 201 દસ્તાવેજ

ગાંધીનગરમાં દસ્તાવેજ નોંધણી માટે લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે શનિવાર અને મંગળવારની જાહેર રજામાં પણ દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી રાખવાના આદેશ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરની તમામ 6 સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી પણ રહી હતી પરંતુ સરકારે છેલ્લી ઘડીએ આદેશ કર્યો હોવાથી અરજદારો આયોજન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. જેના કારણે બંને દિવસ કચેરીઓ ચાલું રહી હોવા છતાં માત્ર કુલ 201 દસ્તાવેજ નોંધાયા છે. સરકારે અગાઉથી જાહેરાત કરી હોત તો તમામ ટોકન બૂક થઇ શક્યા હોત પણ શુક્રવારે મોડી સાંજે આદેશ કરાતા જોઇએ તેવો પ્રતિસાદ મળી શક્યો ન હતો. શુક્રવારે સાંજે સરકારે પરિપત્ર કર્યા બાદ 28મી માર્ચના રોજ ચોથા શનિવારની રજાના દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલું રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં શનિવારે 600 ટોકન ફાળવાયા હતા તેની સામે માત્ર 29 દસ્તાવેજો નોંધાયા હતા. એ દિવસે સર્વર ડાઉન થઇ જવાની સમસ્યા પણ સર્જાઇ હતી. 31મી માર્ચે મંગળવારે મહાવીર જયંતિની રજામાં પણ કચેરીઓ ચાલું રહી હતી પરંતુ નોંધપાત્ર દસ્તાવેજોની નોંધણી થઇ શકી ન હતી. રજાઓમાં ગાંધીનગર ઝોન-2માં ઓપન કરાયેલા 300 ટોકન સામે 94 દસ્તાવેજ નોંધાયા હતા. ઝો-1માં 180 ટોકન ખુલ્લા હતા જેની સામે 44 ટોકન અપાયા હતા અને એટલા જ દસ્તાવેજો નોંધાયા હતા. ઝોન-3માં 116 ટોકન હતા પણ 34 દસ્તાવેજની નોંધણી થઇ હતી. આ પ્રકારે 1182 ટોકન બે દિવસ માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા પરંતુ અરજદારો તરફથી પ્રતિસાદ નહીં મળતાં બે દિવસમાં માત્ર 201 દસ્તાવેજોની નોંધણી માટે જ ટોકન લેવામાં આવ્યા હતા. સરકારે છેલ્લી ઘડીએ જાહેરાત કરતાંં અરજદારો આયોજન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:15 am

સિસ્ટમ ભંગાર:હાઈ-ટેક પુશ બટન સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી; વર્લ્ડ બેંકની સહાયથી બનેલો 14 કરોડનો પ્રોજેક્ટ ઠપ

ગાંધીનગરમાં લગાવવામાં આવેલી પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. આ સિસ્ટમ શરૂ થયાના ટૂંક સમયગાળામાં જ રાહદારીઓએ તેનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું. અત્યારે આ સિસ્ટમ કાર્યરત નથી અને બટન દબાવવા છતાં ટ્રાફિક સિગ્નલ કે લાઈટોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી કે પછી પુશ બટનની પાસે જે લાઈટ થવી જોઇએ તે પણ થતી નથી. પરિણામે વર્લ્ડ બેંકની સહાયથી 14 કરોડના ખર્ચે ઉભી કરાયેલી આ સમગ્ર સિસ્ટમ હવે ભંગારમાં ફેરવાઇ ગઇ છે. ત્રણ વર્ષ પહેલા ચ-0થી લઈને ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગ પર આવા કુલ 29 જંક્શન પર આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ રસ્તો ઓળંગવા માટે લોખંડના થાંભલા પર બોક્સ લગાવવામાં આવ્યા હતા. આ બોક્સ પર એક બટન રાખવામાં આવ્યું હતું, જે દબાવવાથી પાસેનુ સિગ્નલ લાલ થાય જેથી રસ્તા પરના વાહનો થોભે અને રાહદારી રસ્તો પસાર કરી શકે તેવી વ્યવસ્થા હતી. વર્તમાન સમયમાં આ પુશ બટન મશીનો ભંગાર હાલતમાં જોવા મળે છે. મશીન પરના બટન દબાવવા છતાં પણ સિસ્ટમમાં કોઈ હિલચાલ થતી નથી. બટન દબાવ્યા બાદ તે બટનની આસપાસ લાઈટ થવી જોઇએ જે થતી નથી. ઉપયોગ માટે લોકોને જાગૃત પણ ન કરાયાઆ સિસ્ટમ જ્યારે પ્રથમ વખત મૂકવામાં આવી, ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી તેની કામગીરી જોવા મળી હતી. જોકે, અમલીકરણના થોડા જ સમય બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ આ બટનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. લોકો બટન દબાવવાને બદલે સીધા જ રસ્તો ઓળંગતા જોવા મળ્યા હતા. આ સિસ્ટમના ઉપયોગ માટે લોકોને જાગૃત જ કરાયા ન હતા પરિણામે તેનો ઉપયોગ થયો નહીં અને સિસ્ટમ બિનકાર્યક્ષમ બની ગઇ. જોકે, આ અંગે નાગરિકોને જાગૃત કરાયા હોત તો સિસ્ટમ કાર્યરત રહેત. હાલ સિસ્ટમનો ઉપયોગ માત્ર દેખાડા પૂરતો14 કરોડ રૂપિયાના જંગી ખર્ચે કાર્યરત કરવામાં આવેલી આ સિસ્ટમ હાલ માત્ર દેખાડા પુરતી જ રહી છે. રસ્તા પર થાંભલા અને પુશબટન બોર્ડ છે પરંતુ વિદેશ જેવો દેખાવ આપવા પૂરતી જ આ સિસ્ટમ મર્યાદિત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:13 am

સિટી એન્કર:ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં અહિંસા દિવસની ભવ્ય ઉજવણી

ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી રાજતિલક વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજપુણ્ય વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજસુંદર વિજયજીની નિશ્રામાં શાશ્વતી ઓળીની આરાધના સુંદર ચાલી રહી છે. ગઈકાલે જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકના પાવન દિવસ નિમિત્તે પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી સંઘમાં આ દિવસને 'અહિંસા દિવસ' તરીકે મનાવવાની સૌએ ભાવના ભાવી હતી. આમ તો ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના અંતર્ગત જ્ઞાનપદની ઉપાસના હતી, તે વાત જણાવતા પ્રવચન અંતર્ગત જ પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે સાંપ્રત સમયે ચારેય બાજુ હિંસાનું વાતાવરણ છે. સૌ એકબીજાને મારવાની ભાવના રાખી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામી ભગવાનની વિશેષ સ્મૃતિ થાય છે, કારણ કે વિશ્વ એવું માને છે કે કંઈક મેળવવું હોય તો હિંસા એ જ આલંબન છે, પણ વાસ્તવિકતા આ નથી. ખરેખર તો અહિંસા જેવું બીજું કોઈ સર્વશ્રેષ્ઠ આલંબન હોઈ જ ના શકે. હિંસાથી કદાચ તત્કાલીન કોઈક વ્યક્તિ ઉપર પ્રભુત્વ મેળવી શકાય, પણ તેના હૃદયને જીતી શકાતું નથી, જ્યારે અહિંસાપૂર્વકની પ્રેમની ભાવનાથી સામેની વ્યક્તિના હૃદયને પણ જીતી શકાય છે. મહાવીર સ્વામી ભગવાને હિંસાની વ્યાખ્યામાં માત્ર શારીરિક હિંસાને જ સ્થાન આપ્યું નથી. તેઓ જણાવે છે કે 3 પ્રકારની હિંસા છે. (1) વર્તનથી હિંસા (2) વચનથી હિંસા અને (3) વિચારથી હિંસા. આપણે માત્ર વર્તન એટલે કે શારીરિક હિંસાથી અટકવાનો પ્રયાસ કરીએ છીએ, પણ પ્રભુએ તો કોઈને કટુ શબ્દો બોલીએ, તેને પણ હિંસા કહી છે, અને કોઈક માટે નકારાત્મક કે ગલત વિચારીએ, તેને પણ હિંસા કહી છે. આવી હિંસા આપણાં જીવનમાં ના થાય, તેનું આપણે સતત ધ્યાન રાખવાનું છે. ઓળી શરૂ થઈ ત્યારથી પ્રવચન પત્યા પછી ગુરુ ભગવંત સ્વયં જીવ માત્રની શાંતિ થાય, સમસ્ત વિશ્વમાં અહિંસાનું આચરણ થાય, સર્વ જીવોને સુખ, સાતા અને સમાધિની અનુભૂતિ થાય, તે માટે પ્રતિદિન બંધ આંખે સભાજનોને પ્રાર્થના પણ કરાવે છે. મંગલ પ્રભાતે મહાઅભિષેકનું આયોજનમહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે મંગલ પ્રભાતે મહાઅભિષેકનું આયોજન ભક્તિપૂર્વક સંપન્ન થયું હતું. તે પછી પ્રવચનમાં પણ સૌએ પ્રભુને અંતરમાં પ્રતિષ્ઠિત કરવા માટે અહિંસા ધર્મની પ્રતિષ્ઠા કરવાની ભાવના ભાવી હતી. પ્રવચન પછી શ્રી સંઘના જ પાઠશાળાના નાના-નાના ભૂલકાઓ દ્વારા ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન પણ થયું હતું. સમસ્ત વિશ્વમાં શાંતિ થાય, તે નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી આજે આંબિલની આરાધનામાં વિશેષથી આરાધકો જોડાયા હતા. બપોરે સાધ્વીજીશ્રી તત્ત્વરસાશ્રીજી મહારાજનાં સાનિધ્યમાં પણ રાસનાં પ્રવચનમાં પરમતારક પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. સાંજે પણ ગુરુ ભગવંતોએ જિનાલયમાં પ્રભુભક્તિ કરી હતી. આમ પ્રભુનાં જન્મ કલ્યાણકની ઉજવણી ગીતાંજલી સંઘમાં ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:13 am

તપાસ:ઢોંગી બાબા ખરાત ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો

નાશિકમાં ચર્ચાસ્પદ બનેલા ઢોંગી બાબા અશોક ખરાતના કેસમાં તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ખરાત એક નહીં પરંતુ ચાર અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરતો હતો. પોલીસ મુજબ, દરેક નંબરનો ઉપયોગ અલગ પ્રકારના લોકો સાથે સંપર્ક રાખવા માટે થતો હતો, જે તેની ગૂંચવણભરી પ્રવૃત્તિઓને વધુ સ્પષ્ટ કરે છે. તપાસ અનુસાર, એક નંબરનો ઉપયોગ તે ખાસ વીઆઈપી અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વાતચીત માટે કરતો હતો. શંકા છે કે આ માધ્યમથી તેણે કેટલાક રાજકીય નેતાઓ અને અસરકારક લોકો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. બીજો નંબર તેણે પોતાના નજીકના ભક્તો અને મહિલાઓ સાથે સંપર્ક માટે ઉપયોગમાં લીધો હતો, જેમાંથી અનેક મહિલાઓ હાલ તેના શોષણના આરોપ લગાવી રહી છે. ત્રીજો મોબાઇલ નંબર નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતો હતો, જેમાં દાન, પૈસાની લેવડદેવડ અને અન્ય આર્થિક વિગતો જોડાયેલી હોવાની સંભાવના છે, જ્યારે ચોથો નંબર સામાન્ય લોકો સાથે સંપર્ક માટે વપરાતો હતો. ઉપરાંત, તપાસમાં એક મહત્ત્વપૂર્ણ દિશામાં પણ આગળ વધવામાં આવી રહી છે. માહિતી મળી રહી છે કે ખરાતે નાસિકના એક જાણીતા ડૉક્ટરને પણ પોતાના જાળમાં ફસાવ્યો હતો. શંકા છે કે આ ડૉક્ટરની મદદથી તે કેટલીક મહિલાઓને ગર્ભપાત અથવા ગર્ભનિરોધક ગોળીઓ આપતો હતો. આ કારણે હવે સંબંધિત ડૉક્ટર પણ તપાસના રડારમાં આવી શકે છે. એસઆઈટી આ મુદ્દે વિગતવાર તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરી રહી છે. હાલમાં ખરાત પોલીસ કસ્ટડીમાં છે, અને તેની કસ્ટડી 1 એપ્રિલે પૂર્ણ થવાની છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ ફરીથી કસ્ટડી માંગે તેવી શક્યતા છે. તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મની અનેક ફરિયાદો છતાં…જાતીય શોષણના અનેક આરોપો વચ્ચે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો છે કે, અનેક મહિલાઓ શિકાર બનવા છતાં ગર્ભવતી કેમ થઈ નથી. આ પ્રશ્નના જવાબ માટે પોલીસ મેડિકલ એંગલથી પણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમની મદદથી મોબાઇલ ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:10 am

લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી

અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનારા અને છેતરપિંડી કરનારા ઢોંગી બાબા અશોક ખરાત વિશે રોજ વિસ્ફોટ માહિતી સામે આવી રહી છે. હવે ખરાતની પુત્રીની લગ્નપત્રિકા વાઈરલ થઈ છે, જેમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ખરાતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા.ખરાતની પુત્રી તૃપ્તબાલાની લગ્નપત્રિકાનો ફોટો સામે આવ્યો છે. તે કાર્ડ પર રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, મંત્રી ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, રૂપાલી ચાકણર, મિલિંદ નાર્વેકર અને દીપક કેસરકરનાં નામ મુખ્ય મહેમાનો તરીકે લખાયેલાં છે. ખરાતની પુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના ઘણા રાજકારણીઓ હાજર રહ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ખરાત રાજકારણીઓ સાથે કેટલો નિકટ હતો.આ રાજકીય નેતાઓ ખરાતના નિયમિત સંપર્કમાં હતા. ખરાત વગર તેઓ એક પત્તું પણ ખસેડતા નહોતા. ખરાત આ નેતાઓને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની ચોક્કસ તારીખ અને સમય પણ આપતો હતો. નવી માહિતી સામે આવી છે કે સંપર્કમાં રહેલા નેતાઓ ખરાતની સલાહ વિના કોઈ રાજકીય નિર્ણય લેતા નહોતા. રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ કસ્ટડીમાં ઢોંગી ખરાતને આત્મહત્યા બતાવીને કે બીજું કંઈક કરીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો વિશે ઘણું બધું જાણતા ઢોંગી ખરાતની માહિતી મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ છે. તેથી, આત્મહત્યા કે બીજું કંઈક કરીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દાવાને કારણે, ઢોંગી ખરાતની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરાત પર ઘણી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. તેની સામે નાશિક પોલીસમાં 10 જેટલા કેસ નોંધાયેલા છે. આમાંથી 8 કેસ જાતીય શોષણના છે, જ્યારે બાકીના 2 કેસ નાણાકીય છેતરપિંડીના છે. ખરાત સાથેના તેમના જોડાણને કારણે, શાસક રાષ્ટ્રવાદીનાં નેતા રૂપાલી ચાકણકરને રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષ અને પછી રાષ્ટ્રવાદી મહિલા પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપવું પડ્યું છે. હવે તેમની પણ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત, રાષ્ટ્રવાદીના સુનીલ તટકરે અને શિંદે જૂથના દીપક કેસરકર સહિત ઘણા નેતાઓનાં નામ આ કેસમાં સામે આવ્યાં હોવાથી, તેમની પણ તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જોતાં રોહિત પવારે ઉપરોક્ત આરોપ લગાવ્યો છે.રોહિતે જણાવ્યું કે દોષિતોને સજા થવી જ જોઈએ, પરંતુ જો સત્યને દબાવવા માટે કોઈનો જીવ લેવામાં આવી રહ્યો હોય અથવા સત્યને દબાવવા માટે કોઈને અપરાધભાવથી બચાવવામાં આવી રહ્યો હોય, તો આ બંને બાબતો યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:09 am

દુર્ઘટના:વિરારના કચ્છી વાગડ સમાજના યુવાનનું વડોદરા નજીક ટ્રેન અકસ્માતમાં મોત થયું

મુંબઈ નજીકના વિરાર-વેસ્ટમાં રહેતા યુવક નીર છાડવા (26)નો ગુજરાતમાં થયેલા રહસ્યમય મોતનો બનાવ ચકચાર મચાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીરનું સોમવારે રાત્રે વડોદરાથી અંદાજે 7 કિમી દૂર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી મોત થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં, નિર્જન વિસ્તારમાં ઝાડીઓમાંથી ગંભીર ઈજાઓ સાથે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચારથી કચ્છી વાગડ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહ પાસેથી મળેલા આઈડી કાર્ડ, બે મોબાઈલ ફોન અને ટિફિનના આધારે પરિવારને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મંગળવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જોકે, કઈ ટ્રેનની ટક્કર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. સાથે જ, યુવક ત્યાં કેવી રીતે અને શા માટે પહોંચ્યો તે પણ પોલીસ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે. કચ્છના સામખીયારી ગામનો ચંદ્રિકા મુકેશ છાડવાનો એકમાત્ર પુત્ર નિર વિરાર-વેસ્ટના વિઠ્ઠલ હરિ ટાવરમાં રહેતો હતો અને એક કિચન બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે સવારે તે રોજની જેમ ટિફિન લઈને કામે નીકળ્યો હતો, પરંતુ કામ પર જવાના બદલે તે વડોદરા સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઘટના સ્થળ વિશ્વામિત્રી અને મક્કરપુરા રેલવે સ્ટશેનની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ડાઉન લાઇન પર આશરે રાત્રે 9:05 વાગ્યે કોઈ ફાસ્ટ ટ્રેન સાથે તેની ટક્કર થઈ હોવાનું અનુમાન છે. ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાંપરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, નિર છાડવાને માત્ર ત્રણ મહિના પહેલા જ પ્રેમલગ્ન જ્ઞાતિની ની દીકરી ધર્મી સાથે કર્યા હતા. જો કે દંપતી ખુશ હોવાનું કહેવામાં આવે છે, પરંતુ પરિવારના કેટલાક સભ્યોને આ લગ્ન અંગે વાંધો હતો તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે. મંગળવારે રાત્રે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ વિરારમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના આત્મહત્યા, અકસ્માત કે અન્ય કોઈ કારણસર બની છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:09 am

ચૂંટણી:નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરની એફેક્સ બોડીની ચૂંટણીમાં 18 વેપારી બિનહરીફ

નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબર સંલગ્ન 17 સંસ્થાની એપેક્સ બોડીના 2026-30ના ચૂંટણી કાર્યક્રમને અનુસરી 21 ફોર્મ નોમિનેશન ભરાયાં હતાં. ત્રણ વેપારી સભ્ય દ્વારા ફોર્મ પાછા ખેંચી લેવાતાં મસાલા માર્કેટની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને ભાગીદાર એવા 18 વેપારી સભ્યો આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આશરે 1300 સભ્યનું આ ચેંબર વૈશ્વિક વેપારના સંપર્કમાં છે તેમ જ વૈશ્વિક નામાંકિત કંપનીઓ દેશવિદેશના વાણિજ્ય વિભાગો- રાજદૂતોના સંપર્કમાં છે. વાણિજ્ય મંત્રી, ભારત સરકાર, રાજ્ય સરકારના સાથસહકારથી હાઈજીનિક વૈશ્વિક બજારો તેમ જ બહુહેતુક કેન્દ્રના વિશાળ પ્રોજેક્ટોમાં ભારત અને વિદેશનાં કોર્પોરેટ ગૃહોના સહયોગ સહકારથી જનહિતમાં યોગ્ય નવી દિશા તેમ જ વડા પ્રધાન નરેંદ્ર મોદીની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સૂત્રને સાકાર કરવા તેમ જ રાષ્ટ્રીય સંગઠનો અને મહારાષ્ટ્રની અગ્રણી સંસ્થાઓ- ચેંબરો, ફેડરેશનોના સેતુરૂપી વેપારી એકતાને પ્રોત્સાહન આપવા સમગ્ર ટીમ કામ કરવા માટે કટિબદ્ધ છે. મસાલા માર્કેટના તમામ પરિવારોને ન્યાયહક અપાવવા માટે કેન્દ્રમાં મોદી અને રાજ્યમાં મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસના સાથસહકારથી ચૂંટાયેલા વેપારીઓ કામ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવાયું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ૨૦૨૬ /૨૦૨૯ સહભાગીઓ સાથે મળીને સમગ્ર ટીમ સાથે સહુ મેમ્બરોને સાથે રાખી સહકાર સહયોગ સાથ આપી વ્યાપાર વિકાસને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન આપી સહુના હકો મેળવીને રક્ષણની જવાબદારી નીતિપૂર્વક નિભાવી ફરજ બજાવી સંસ્થાનું ગૌરવ વધારવા માટે સતત કાર્યરત પ્રયત્નશીલ રહે તેવી શુભેચ્છા સાથે સહુનો આભાર વ્યક્ત કરીએ છીએ, એમ નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું. આ સભ્યો બિનહરીફ ચૂંટાયાબિનહરીફ ચૂંટાયેલા આગેવાન વેપારીઓમાં રમણિકલાલ છેડા, કીર્તિ રાણા, અમૃતલાલ સાવલા, અમરશી કારલા, જયેશ શેઠ, અનિલ દામાણી, વિનેશ શાહ, તેજસ પારેખ, કાંતિલાલ જે. શાહ, યોગેશ ત્રિવેદી, વિશાલ શાહ, ભાવેશ શેઠિયા, ગોપાલ આહુજા, આલોક શિંગલા, મુકેશ શાહ, દિવ્યેશ શાહ, મહેશ ખીમજી ભાનુશાલી, ઉદય ડી શાહનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:08 am

બિલોની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાઈ:ગત વર્ષના 86 અબજની સામે આ વર્ષે 43 હજાર બીલો પેટે તીજોરી કચેરીએ ચૂકવ્યા 89.51 અબજ

હિસાબી વર્ષના અંતિમ મહિના માર્ચ દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 (89.51 અબજ) રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ 2026 દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે કુલ 3,818 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છની 9 પેટા તિજોરીઓમાં મળીને કુલ 2,118 બિલોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ રીતે માત્ર માર્ચ મહિનામાં જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ મળીને કુલ 5,936 બિલોના રૂપિયા આશરે 830 કરોડ જેટલા ચૂકવવામાં આવ્યા હતા, 31 તારીખે મહાવીર જયંતી નિમિત્તે જાહેર રજા હોવા છતાં સતત કામકાજ ચાલુ રાખીને બિલોની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાઈ હતી. જિલ્લા તિજોરી અધિકારી એ.એચ. ચૌધરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ દરમિયાનના કુલ આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનો હિસાબી દૃષ્ટિએ અત્યંત મહત્વનો ગણાતો હોવાથી વિવિધ સરકારી વિભાગો દ્વારા બાકી રહેલા વિકાસ કામો, પુરવઠા અને અન્ય ખર્ચના બિલો સમયસર રજૂ કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ કચ્છ જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓએ સંકલિત પ્રયાસોથી મોટી સંખ્યામાં બિલોનું સમયસર નિરાકરણ કરીને સરકારી કામગીરીને ગતિ આપી છે. તિજોરી કચેરી ખાતે પગાર બિલ સહિતની કામગીરીઅધિકારી અને સ્ટાફના પગાર બિલ બનાવવા, લાઇટબીલ, ટેલીફોન બિલ, કન્ટીજન્સી બિલ, રીફંડ અંગેના બિલ, પ્રવાસ ભથ્થા અંગેના બિલ, જી.પી.એફ. ઉપાડ, પેશગી અંગેના બિલ, જૂથવીમા અંગેના બિલ, ઉચ્ચક બિલો, તહેવાર પેશગી, અનાજ પેશગી, ચાર્જ એલાઉન્સના બિલો, મોંઘવારી તફાવતના બિલો, ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી, પેન્શન કેસ, જુદા- જુદા સદરો અંગેના ખર્ચપત્રકો એકત્ર કરી સંકલિત કરવા અને માસિક ખર્ચપત્રકો બનાવવા, ઈન્કમટેક્ષના પત્રકો તૈયાર કરવા, ફોર્મ-16 તૈયાર કરવા, ત્રિ-માસિક પત્રકો તૈયાર કરવા, ઓડિટ પારા સહિતની કામગીરી કરવાની હોય છે. ભુજ નગરપાલિકાએ વર્ષમાં વેરા પેટે 18.58 કરોડ વસૂલ્યાભુજ નગરપાલિકાની આવકમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ ઉપરાંત નગરપાલિકાની પોતાની આવક મુખ્યત્વે વિવિધ કર વસૂલાત પરથી મજબૂત બની રહી છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન કુલ 18.58 કરોડ રૂપિયાનું વેરા વસૂલાત કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે 31 માર્ચના મહાવીર જયંતિની જાહેર રજા હોવા છતાં પણ 81.50 લાખ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સુધરાઈ વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કર વસૂલાત ઝુંબેશના કારણે મિલકત કર, પાણી, ડ્રેનેજ, સફાઈ અને દીવાબત્તી જેવા કરોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આ તમામ કર તેમજ શિક્ષણ ઉપકર રૂપે આવક મળી છે, જ્યારે વ્યવસાય વેરા તરીકે પણ આશરે 2 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. નગરપાલિકાએ 31 માર્ચ સુધી 20 કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. બાકીદારોને નિયમિત રીતે રસીદ પહોંચાડવાની સુવિધાને કારણે લોકોમાં સમયસર કર ચૂકવવાની જાગૃતિ વધતી જોવા મળી છે. 2022-23થી અમલમાં આવેલા નિયમ મુજબ 31 માર્ચ બાદ કર ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે, જેના કારણે સમયસર ચુકવણીનો દર વધ્યો છે. ભુજમાં કુલ 44 હજારથી વધુ મિલકતો છે, જેમાં 30 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં ભુજવાસીઓએ નગરપાલિકાને અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવ્યો છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:07 am

વાતાવરણ:આજે અને ૩-4 એપ્રિલના મીની વાવાઝોડા સાથે માવઠાની શક્યતા

માર્ચ માસની શરૂઆતમાં ભારે ગરમી બાદ 19 માર્ચથી કચ્છના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે એપ્રિલ માસની શરૂઆત પણ માવઠા સાથે થાવની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. આજે કચ્છ સહીત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. જો કે ફરી ૩ અને 4 એપ્રિલના રોજ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકના તાપમાન પર નજર કરીએ તો,ભુજમાં 33.0 ડિગ્રી, નલિયા 30.2, કંડલા પોર્ટ 33.5 ડીગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 34.8 ડીગ્રી રહ્યું હતું. જો કે કાલથી માવઠાના કારણે તાપમાનમાં પણ 2થી ૩ ડીગ્રીના ઘટાડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:05 am

આયોજન:કચ્છમાં ધોરણ 6 થી 8 ના 184 શિક્ષકોને સ્થળ પસંદગી બાદ નિમણૂક પત્ર એનાયત

કચ્છમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયકોની વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્થળ પસંદગી અને હુકમ વિતરણનો કાર્યક્રમ માધાપરમાં યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે,, સમાજમાં જો કોઈ સૌથી વધુ આદરપાત્ર વ્યક્તિ હોય તો તે માત્ર શિક્ષક છે. શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે નિવૃત્તિ પછી પણ સમાજમાં એટલું જ માન-સન્માન મેળવે છે. તેમણે નવનિયુક્ત શિક્ષકોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નવનિયુક્ત શિક્ષકોને કચ્છમાં આવકારતા જણાવ્યું કે, તમે કચ્છને પોતાનું વતન બનાવીને સેવા કરજો. ગ્રામ્ય સ્તરે તમને લોકોનો પૂરો સહકાર મળશે અને કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી તેમણે આપી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ કચ્છ માટે વિશેષ ભરતી કરવા બદલ સરકારનો આભાર માની નવા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, કુલ 194 ઉમેદવારોમાંથી 187 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 184 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી પોતાના નિમણૂક પત્રો મેળવ્યા હતા. વિષય કુલ હાજર ગેરહાજર અસંમત સ્થળ પસંદગી ભાષા 60 59 1 2 57 ગણિત-વિજ્ઞાન 62 58 4 0 58 સા. વિજ્ઞાન 72 70 2 1 69 કુલ 194 187 7 3 184

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:05 am

આદેશ:જિલ્લાના 32 કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા મહેસૂલ વિભાગના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત એવી બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરીને જિલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે કારકુન સંવર્ગના 32 કર્મચારીઓને દિવાળી જેવી ખુશી આપતા નાયબ મામલતદાર તરીકે બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે વિવિધ જિલ્લાઓમાંથી મહેસૂલી અધિકારીઓ પાસે બદલી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. અગાઉ ‘એસઆઈઆર’ની મહત્વપૂર્ણ કામગીરીને કારણે આ નિમણૂકો અટકાવી દેવામાં આવી હતી. હવે કલેક્ટર દ્વારા કચ્છના 15 નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરોને તેમની ઈચ્છા મુજબ વાવ-થરાદ જિલ્લામાં નિમણૂક આપી દેવામાં આવી છે. સાતમા પગાર પંચના લાભ સાથે 32 કારકુનોને હંગામી ધોરણે નાયબ મામલતદાર તરીકે બઢતી આપી વિવિધ કચેરીઓમાં નિયુક્ત કરાયા છે. જયારે વહીવટી કારણોસર 25 નાયબ મામલતદારોની જિલ્લામાં જ આંતરિક અદલાબદલી કરવામાં આવી છે. વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા 7 જેટલા કારકુનોની પણ આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:05 am

સમસ્યા:ભુજમાં 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા જ બીમાર

રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 શરૂ કરવામાં આવી છે. 108 ની જેમ કાર્યરત આ સેવાનો હેતુ અકસ્માત કે બીમારીના સમયે પશુઓને જીવતદાન આપવાનો છે. પરંતુ, કચ્છના મુખ્ય મથક ભુજમાં આ સેવા હાલ માત્ર કાગળ પર દોડતી હોય તેમ લાગી રહ્યું છે. અપૂરતો સ્ટાફ અને ભૌગોલિક મર્યાદાઓને કારણે અનેક પશુઓને સમયસર સારવાર મળતી નથી. ભુજમાં કાર્યરત 1962 સેવાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેનો લાભ માત્ર શહેર પૂરતો જ સીમિત છે. શહેરની સાવ નજીક આવેલા માધાપર કે મિરજાપર જેવા વિસ્તારોમાંથી ફોન કરવામાં આવે તો પણ અધિકાર ક્ષેત્ર બહાર હોવાનું કહીને સેવા નકારવામાં આવે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શહેરમાંથી દરરોજ સરેરાશ 25 થી 27 જેટલા ઈમરજન્સી કોલ આવે છે. તેની સામે એમ્બ્યુલન્સની કેપેસિટી માત્ર 12 કોલ એટેન્ડ કરવાની છે. જોકે સ્ટાફ 15 - 17 જેટલા કેસ પૂરા કરવાનો દાવો કરે છે, જ્યારે વારંવાર પૂછપરછ કરવામાં આવે ત્યારે ડોક્ટર ઈમરજન્સીમાં વ્યસ્ત છે તેવી કેસેટ વગાડીને લોકોને સરકારી દવાખાને પશુને લઈ આવવા કહી દેવાય છે. ગલુડિયા કે બિલાડીને લઈ જવા શક્ય છે, પણ ગાય-ભેંસ જેવા મોટા પશુઓને દવાખાને કેવી રીતે લઈ જવા તે મોટો પ્રશ્ન છે. જાગૃત લોકોમાં એવો રોષ પણ જોવા મળી રહ્યો છે કે કેટલીક જીવદયા સંસ્થાઓ સેવાના નામે મોટું ફંડ ઉઘરાવે છે, પરંતુ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે ગાડી બંધ છે કે બીજે રોકાયેલી છે તેવા બહાના કાઢીને હાથ ઊંચા કરી દે છે. આખરે લોકોને ભાનુશાલી નગર સામે, છઠ્ઠીબારી કે એરપોર્ટ રોડ સ્થિત પશુ કોલેજના દવાખાના પર નિર્ભર રહેવું પડે છે, જો સમયસર યોગ્ય સ્ટાફ અને સાધનો નહીં ફાળવાય, તો સરકારનો આ ઉમદા હેતુ માત્ર જાહેરાતો પૂરતો જ મર્યાદિત રહી જશે. ભુજમાં કરૂણા એમ્બ્યુલન્સ વધારવાની વર્ષોની દરખાસ્ત હજુ પણ સરકારમાં પેન્ડિંગજીવદયા પ્રેમીઓના મતે, હાલમાં જે મોટી એમ્બ્યુલન્સ છે તે ભુજની સાંકડી ગલીઓ અને આંતરિક વિસ્તારોમાં પહોંચી શકતી નથી.જો સરકાર ઈકો જેવી નાની ગાડી ફાળવે તો તે ઝડપથી શેરીઓમાં પહોંચી શકે. ભુજમાં હાલ એક જ એમ્બ્યુલન્સ છે બીજી નવી એમ્બ્યુલન્સ માટેની દરખાસ્ત વર્ષોથી પેન્ડિંગ છે, પણ હજુ સુધી સરકારે કોઈ નક્કર પગલાં ભર્યા નથી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:04 am

શ્યામજી કૃષ્ણ વર્માના જર્જરીત મકાન પર તંત્ર મૌન:માંડવીમાં ‘ક્રાંતિગુરૂ’ના જન્મસ્થળની અવગણના; સરકારી માલિકી હોવા છતાં જાળવણી માટે ગ્રાન્ટ નહીં

માંડવી શહેરમાં આવેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના આશરે 200 વર્ષ જૂના જન્મસ્થળની હાલત ચિંતાજનક બની છે. સરકાર માલિકીનું આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની યોગ્ય મરામત અને જાળવણી માટે પૂરતી સરકારી સહાય મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે. તા. 30 માર્ચે તેમની 96મી પુણ્યતિથિ નિમિત્તે અહીં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ બાદ સ્થળની હાલત યથાવત રહી છે. સ્થાનિક સ્તરે જણાવ્યા મુજબ આ મકાનની જાળવણી માટે વાર્ષિક અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ જરૂરી છે, છતાં સરકાર તરફથી કોઈ નાણાં ફાળવવામાં આવતા નથી.અહીં લાઇબ્રેરી અને પુસ્તકાલય પણ કાર્યરત છે, પરંતુ કર્મચારીઓના પગાર તેમજ વીજળીના બિલ માટે પણ સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. પરિણામે “શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન” ના સભ્યો પોતાના સ્તરે ફંડ એકત્ર કરી સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. અગાઉ જીએમડીસી દ્વારા મકાનની મરામત કરાઇ હતી, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. વર્ષ પહેલા ગાંધીનગરથી ટીમ સ્થળ મુલાકાતે આવી હતીલગભગ એક વર્ષ પહેલાં ગાંધીનગરથી એન્જિનિયરની ટીમ સ્થળની મુલાકાતે આવી હતી અને જન્મસ્થળને નવી રીતે વિકસાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. આજકાલ આ સ્થળ “શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક” તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં તેમના જીવનપ્રસંગો અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દર વર્ષે અહીં અનેક પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાતે આવે છે. દેશના મહાન ક્રાંતિકારીના આ ઐતિહાસિક જન્મસ્થળને યોગ્ય સંરક્ષણ અને વિકાસ મળે તે માટે સ્થાનિક સ્તરે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:03 am

શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ:પશ્ચિમ કચ્છના 19 ગામોએ 100% વીજ બિલ ભરી ‘ઝીરો બાકી’નું ગૌરવ મેળવ્યું

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક મેગા ડ્રાઈવ અને ડિસકનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી વચ્ચે કચ્છ જિલ્લાના 19 ગામોએ આર્થિક શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31 માર્ચના રોજ નાણાકીય વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100% વીજ બિલ ભરીને ગ્રામ્ય સ્તરે ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. જાન્યુઆરી માસથી જ PGVCL દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે તાલુકા મથકોએ ટીમો બનાવી આયોજનબદ્ધ કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રના આ આદેશો વચ્ચે ગ્રામીણ જનતાએ સામે ચાલીને સહકાર આપ્યો છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોએ સાબિત કર્યું છે કે જો ગ્રામ પંચાયત અને સ્થાનિકો નિર્ધાર કરે, તો સરકારી લેણાંની સમયસર ચુકવણીમાં કોઈ અવરોધ આવતો નથી.આ નોંધનીય કામગીરી બદલ PGVCL તંત્ર દ્વારા પણ આ તમામ 19 ગામોના ગ્રાહકોનો આભાર માનીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, આ ગામોની પહેલ અન્ય વિસ્તારો માટે પ્રેરણારૂપ બનશે. વીજ બિલની સમયસર ચુકવણીથી નેટવર્ક અપગ્રેડેશન અને વીજ સુવિધામાં વધુ સુધારો કરવામાં વિભાગને સીધી મદદ મળે છે. ગૌરવ મેળવનાર ગામોની યાદી

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:02 am

આત્મહત્યા:મોરગરના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પશ્ચિમ કચ્છમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે જેમાં નખત્રાણા તાલુકાના મોરગર ગામના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટના સામે આવી છે.જ્યારે મુન્દ્રા તાલુકાના ભોપાવાંઢ ગામની સીમમાં પરપ્રાંતીય વ્યક્તિએ કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરગરમાં રહેતા 22 વર્ષીય નીતિનસિંહ આમરજી રાઠોડે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 29 માર્ચના સાત વાગ્યાથી 30 માર્ચના સવા દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.હતભાગી યુવાને કોઈ કારણોસર મોરગર ગામે આવેલા તળાવ પાસે નાયલોનના રસ્સાથી જારના ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ છતીસગઢના 30 વર્ષીય કમલેશ સુધીર બિશ્વાસે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 29 માર્ચના સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં હતભાગીએ ભોપાવાંઢ થી ટાટા કંપની તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીમાં પીળા કલરના પટ્ટાથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:01 am

કાર્યવાહી:માંડવીના દરશડીમાંથી 12.75 લાખના દારૂ સાથે કિશોર પકડાયો

માંડવી તાલુકાના દરશડી ગામથી મોમાયમોરા તરફ જતા રસ્તા પર મફતનગરમાં બોલેરો અને ક્રેટા કારમાં ભરેલો રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો હતો.રેઇડ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો જોકે બે મુખ્ય આરોપી પોલીસને હાથ લાગ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,દરશડી ગામનો આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા અને ચુનડી ગામનો આરોપી રામસંગજી દોલુભા જાડેજા તેના મળતિયાઓ સાથે મફતનગરમાં ખુલ્લી જગ્યામાં ગાડીઓમાં દારૂનો જથ્થો રાખી સગેવગે કરવાની પેરવીમાં છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે રેઇડ કરતા બન્ને આરોપી અંધારાનો લાભ લઇને ભાગી ગુઆ હતા.જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોલીસને હાથ લાગ્યો હતો.પોલીસે તપાસ કરતા બોલેરો અને ક્રેટા કાર લોક કરેલી હતી જેની કાચ તોડી તપાસ કરતા તેમાંથી રૂપિયા 12.75 લાખની કિંમતનો 1026 બોટલ દારૂ મળી આવ્યો હતો.જે બાબતે આરોપી કિશોરને પૂછપરછ કરતા દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવેલો હતો જે છુપાવવા માટેની પેરવીમાં હતા.પોલીસે દારૂ અને બન્ને કાર સહીતનો મુદ્દમાલ કબ્જે કરી ગઢશીશા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:01 am

નાગરીકોમાં વ્યાપી રહેલ નારાજગી:ભચાઉમાં દબાણ હટાવ ઝુંબેશનો ફિયાસ્કો; નગરપાલિકા અને સરકારી તંત્ર વામણું પુરવાર થયું હોવાની લોકચર્ચા

શહેરમાં રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ માત્ર એક જ દિવસમાં સમેટાઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શહેરમાં વર્ષોથી ચાલતી એ લોકચર્ચા ફરી સાચી સાબિત થઈ રહી છે કે, જ્યારે પણ દબાણ હટાવવાની વાત આવે ત્યારે તંત્ર માત્ર ગરીબ અને નાના લારી-ગલ્લાવાળાઓ પર જ કાર્યવાહી કરે છે, પરંતુ વગદાર અને મોટા માથાઓના પાકા દબાણો સામે જેસીબી મશીનો પહોંચતા જ નથી. શહેરમાં વધતા દબાણો અને સાંકડા થતા રસ્તાઓની સમસ્યા મામલે ગત 27-2ના ભચાઉ પ્રાંત કચેરી ખાતે ના. કલેક્ટર, મામલતદાર, પાલિકા પ્રમુખ, નગર સેવકો અને આગેવાનો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પાલિકાએ 18 માર્ચના રોજ દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. પરંતુ આ કાર્યવાહી માત્ર રેકડીઓ અને પાથરણાં પૂરતી જ સીમિત રહી હતી. નાના ધંધાર્થીઓએ રોષભેર પાલિકાને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, “પહેલા મોટા લોકોના દબાણ હટાવો, બાદમાં જ અમારી રેકડીઓ હટાવજો.” આ વિરોધ બાદ કામગીરી અટકી પડી હતી અને હવે કેટલીક જગ્યાએ ફરીથી રેકડીઓ ઉભી રહેવા લાગી છે. સરકારી તંત્ર, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમુદ્દે વામણા પુરવાર થયા હોવાનો ઘાટ સર્જાયો છે. ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પર દબાણોની ભરમારહાલમાં ભચાઉ શહેરમાં બટીયા તળાવથી જૂના બસ સ્ટેશન, ત્યાંથી નવા એસટી બસ સ્ટેશન, મુખ્ય બજાર અને દુધઈ રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં દબાણોની ભારે ભરમાર છે. દુકાનદારોના ગેરકાયદેસર ઓટલા અને અન્ય દબાણોને કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા છે, જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનો ઈચ્છી રહ્યા છે કે આગેવાનો અને મોટા માથાઓ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરે તો જ ભચાઉ સ્વચ્છ અને સુંદર બની શકે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા દૂર કરાયેલા દબાણો ફરી પાછા ગોઠવાઇ પણ જતા હોય છે. પાલિકા પ્રમુખે કહ્યુ : તહેવારોના લીધે કામ અટક્યુંઆ અધૂરી કામગીરી બાબતે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, “વચમાં તહેવારો આવતા હોવાથી અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ન મળી રહેતા દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં જ તે ફરી શરૂ કરવામાં આવશે અને શહેરના રસ્તાઓ પહોળા કરી લોકોની સુખાકારી વધારવામાં આવશે.” VIP દબાણો તાત્કાલિક હટાવવા જોઈએ : કોંગ્રેસબીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડે તંત્રની નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “શહેરમાં માત્ર નાના માણસોના દબાણ જ ન હટવા જોઈએ. પરંતુ જે પાકા દબાણો છે, હેતુફેર કરીને બનાવાયા છે તેવા તમામ VIP દબાણો તાત્કાલિક હટાવવા જોઈએ. વેપારીઓએ દુકાનની બહાર બનાવેલા અને રસ્તાઓ રોકતા ઓટલાઓ પણ દૂર કરવા જોઈએ. તો જ રસ્તો ટ્રાફિક મુક્ત બનશે”

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

પીવાના પાણીની ગંભીર કટોકટીથી લોકો ત્રસ્ત:અબડાસાના કેરવાંઢ, કોસા સહિત 7 ગામોમાં જળસંકટ

અબડાસા તાલુકાની કેરવાંઢ જુથ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સરપંચ કેર જમીલાબાઈ હનીફના જણાવ્યા અનુસાર, કેરવાંઢ અને કોસા ગામમાં ગત તા. 18 અને 19 પાણી મળ્યા બાદ 30 માર્ચ સુધી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી. છેલ્લા બે મહિનાથી આ ગામોમાં 8-8 દિવસના અંતરે જ પાણી આપવામાં આવે છે.કેરવાંઢ-કોસાની પાણીની લાઈન પર કેરવાંઢ, કોસા, ભારાવાંઢ, મોહાડી, નાની ચારોપડી સહિત કુલ 7 ગામો અને 2 BSF કેમ્પ આધારિત છે, જેના કારણે પૂરતું પાણી વિતરણ થઈ શકતું નથી.વાલ્વ ક્યારે ખોલવામાં આવે છે તેની કોન્ટ્રાક્ટરને પણ ખબર ન હોવાથી તેમની લાપરવાહીનો ભોગ ગામલોકો બની રહ્યા છે. ચરોપડી મોટીની નદીમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈન તૂટી ગઈ છે, જેનું આજદિન સુધી કોઈ જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. પંચાયતની રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને આજુબાજુના તળાવોમાં પણ મીઠું પાણી બચ્યું નથી. માણસો તો ગમે ત્યાંથી પાણી ભરીને ગુજરાન ચલાવી લે છે, પરંતુ 8-8 દિવસ સુધી પાણી ન મળતા અબોલ પશુધન તળાવનું ખારું પાણી પીને બીમાર પડી રહ્યું છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરવાની ચીમકી પંચાયત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

રાતોરાત ખાડા પુરાતા તંત્ર પર ઉઠતા સવાલો‎:CMના આગમન પહેલાં જ દેવકા માર્ગ ચકાચક !, લાંબા સમયથી જનતા હેરાન, પરંતુ VIP‎મુલાકાત પહેલાં જ તંત્ર હરકતમાં આવ્યું‎

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવતીકાલે યોજાનારા કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને કૃષિમંત્રી 1 એપ્રિલના રોજ દેવકા ગામે આવવાના હોય અને ત્યાં લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાના હોય જેના પગલે વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા તે રોડ રાતોરાત ચકાચક થતા તંત્ર પર સવાલો ઉઠ્યા છે. રાજુલાના દેવકા ગામે મુખ્યમંત્રીના આગમન પૂર્વેજ તંત્ર જાગ્યું અને રાજુલા તાલુકાના ડુંગર ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓનું તાબડતોબ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પર રાતોરાત ખાડા પુરાઈ જતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર લાંબા સમયથી ખાડાઓ પડેલા હોવાથી વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમની જાહેરાત થતા જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ માર્ગનું મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, તે મુખ્યમંત્રીના આગમન પહેલાં જ તાત્કાલિક સુધારી દેવાયો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

લોકોમાં રોષ:બાબરામાં 40 મિનિટ સુધી ગાયોને માર માર્યો

બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયો સામે આવ્યા બાદ શહેરમાં આ બનાવની ભારે ચર્ચા શરૂ થઈ છે. બાબરાની હરીઓમ ગૌશાળા છેલ્લા આશરે 16 વર્ષથી સ્થાનિક યુવા ગ્રુપ દ્વારા સંચાલિત છે, જ્યાં બીમાર અને વૃદ્ધ ગાયોની સેવા કરવામાં આવે છે. સાથે આ યુવા ગ્રુપ દ્વારા બીમાર અને અપંગ ગાયોની જરૂરી સારવાર પણ કરવામાં આવે છે. અહીં દરેક ગાય બીમાર, વૃદ્ધ અથવાતો વિકલાંગ છે. ગૌશાળાના સંચાલનમાં ગજેન્દ્રભાઈ શીખવા અને મૌલિક તેરૈયા સહિત યુવાનો સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. રામનવમીની મધ્ય રાત્રિએ બનેલી આ ઘટના યુવા ગ્રુપની સતર્કતાને કારણે બહાર આવી છે. બીજા દિવસે સીસીટીવી ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ શખ્સની હરકતો કેમેરામાં કેદ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કાલે ફરિયાદ કરાશે અંગે ગૌશાળાના સંચાલક ગજેન્દ્રભાઈ શેખવાએ જણાવ્યું હતું કે રામ નવમીની રાત્રે આ ઘટના બની હતી. જે સીસીટીવી માં કેદ થઈ છે. આવતીકાલે આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કાંટા ઉદ્યોગમાં દરોડાની કાર્યવાહી 36 કલાક સુધી ચાલી : પાંચ પેઢીમાંથી સ્ટોક રજીસ્ટર, બિલ બુક અને ફાઈલો કબજે લેવાઈ

સાવરકુંડલામાં વજન કાંટા બનાવતી જુદી જુદી પાંચ પેઢીમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કર્યા બાદ આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી શરૂ રહી હતી. 18% જીએસટી બચાવવા માટે જુદી જુદી પેઢીઓ દ્વારા મૂળ વેચાણના માત્ર 20 થી 30 ટકા રકમના જ બીલો બનાવી બાકીની રકમ આંગડિયા મારફત મંગાવી ટેક્સ ચોરી કરાતી હોવાનું ખૂલે તેવી શક્યતા જોવાઈ રહી છે. સાવરકુંડલામાં મોટા પ્રમાણમાં કાંટા ઉદ્યોગ વિકસ્યો છે. અહીંથી દેશભરમાં વજન કાંટા મોકલવામાં આવે છે. બદલાતા જતા સમય સાથે અહીં ઇલેક્ટ્રીક વજન કાંટાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. જો કે વજન કાંટાના વેપારમાં ટેક્સની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. સુરતની એક પેઢી પર પાડેલા દરોડા દરમિયાન તેનું સાવરકુંડલામાં કનેક્શન ખુલતા સેન્ટ્રલ જીએસટીની જુદાજુદા ત્રણ શહેરની 11 ટીમોએ ગઈકાલ સવારથી જ સાવરકુંડલામાં અલગ અલગ પાંચ પેઢીમાં દરોડો પાડી નાણાકીય વ્યવહારો ચકાસવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી આખો દિવસ ચાલ્યા બાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી અને બપોર સુધીમાં સેન્ટ્રલ જીએસટીની ટીમોએ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા સાવરકુંડલાની આજ જુદી જુદી પાંચ પેઢીમાંથી અલગ અલગ ફાઈલો, રજીસ્ટર, બિલબુક, સ્ટોક રજીસ્ટર વિગેરે કબજે લીધું છે. આ પેઢીઓ દ્વારા વેચાણના નાની રકમના બિલ બનાવી જીએસટીની ચોરી કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી એમ પણ જાણવા મળે છે કે આ ટીમોએ બિલ બનાવવાના ઓનલાઈન સોફ્ટવેરના આઈડી પાસવર્ડ પણ પેઢીઓ પાસેથી લીધા છે. હવે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવશે. સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ જીએસટીની ચોરી જણાશે તો દંડ વસૂલવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ સેન્ટ્રલ જીએસટીના દરોડાને પગલે આજે બીજા દિવસે પણ અહીંના મોટાભાગના વજન કાંટાના કારખાના બંધ રહ્યા હતા. એટલું જ નહીં અહીં ખેત ઓજારો બનાવતા કેટલાક કારખાનાઓ પણ આજે બંધ રહ્યા હતા. ગઈકાલે શહેરની મોટાભાગની આંગડિયા પેઢીઓ પણ બંધ રહી હતી. જો કે આજે જીએસટીની ટીમો રવાના થયા બાદ આંગડિયા પેઢીના વ્યવહારો રાબેતા મુજબ થયા હતા. નવી સૂચના ન મળે, સોફ્ટવેર ખોલવા મનાઇસેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ વજન કાંટાની પેઢીઓના ઓનલાઈન બીલના આઈડી અને પાસવર્ડ લીધા બાદ આ પેઢીઓને નવી સૂચના ન મળે ત્યાં સુધી તેનો સોફ્ટવેર ખોલવાની મનાઈ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 60 તેમજ 6 તાલુકા પંચાયતની 90 બેઠકો માટે 200 મુરતિયા

નર્મદામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ તથા છ તાલુકાઓની 90 બેઠકો માટે પણ 200 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષકોની હાજરીમાં ઉમેદવારો નકકી કરવા માટે સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે આગામી 3 દિવસ સુધી ચાલશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપની ટિકિટો મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. એક બેઠક માટે 8 થી 10 કાર્યકરો અને હોદેદારો એ ફોર્મ ભર્યા છે. જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ ફોર્મ આવ્યા છે. તથા છ તાલુકાઓ ની 90 બેઠકો માટે પણ 200થી વધુ ફોર્મ ભરાયા છે. પાલિકા અને તાલુકા પંચાયતમાં નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલસે. પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવી અને પ્રદેશ કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી હેમલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવ અને જિલ્લાના ઉપ પ્રમુખ અનેમહામંત્રીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

પરિક્રમા અને પ્રવાસન વચ્ચે તંત્રનો નિર્ણય:નર્મદાના 45 ભયજનક સ્થળોએ નહાવા પર પ્રતિબંધ‎

નર્મદા જિલ્લો હાલ દેશનું લોકપ્રિય પ્રવાસન ધામ બન્યું છે, સાથે જ ચૈત્ર માસમાં નર્મદા સ્નાન અને પરિક્રમાનો મહિમા હોવાથી લાખો ભક્તો અહીં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના અત્યંત ભયજનક ગણાતા જળાશયો અને નદીના કિનારે નહાવા તથા પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા મુજબ, નાંદોદ તાલુકાના જીતગઢ કરજણ ડેમનો નીચલા ભાગ, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ અને કાળીયાભૂત ધોધ જેવા સ્થળોને પ્રતિબંધિત જાહેર કરાયા છે. આ ઉપરાંત ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ, પોઈચા બ્રીજ નીચે નર્મદા નદી, તેમજ ઓરી, સિસોદ્રા, પાટણા અને વરાછાના નર્મદા કિનારાનો સમાવેશ થાય છે. ચોમાસામાં લોકપ્રિય એવા જુનાઘાંટા ધોધ, વિસાલખાડી, બાર ફળિયા વણઝર પાસેની કરજણ નદી અને જુનારાજ ખાતે પણ પ્રવાસીઓને ન જવા તાકીદ કરવામાં આવી છે. આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત સ્થળોની યાદી વિસ્તૃત કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, હવે ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડીયાપાડા તાલુકાના મહત્વના પ્રવાસન સ્થળોએ નહાવા કે પ્રવેશ કરવા પર 30 મે 2026 સુધી કડક મનાઈ ફરમાવવામાં આવી છે. ગરૂડેશ્વર - એસઓયુ વિસ્તારના પ્રતિબંધિત સ્થળો ધાર્મિક સ્થળો: ગોરા હરિધામ આશ્રમ ઓવારો, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારો, ગોરા ત્યાગી ઘાટ, સૂર્ય કુંડ ડેમ અને વ્યૂ પોઈન્ટ: ગરૂડેશ્વર વિયર ડેમ, સરદાર સરોવર ડેમ, વ્યૂ પોઈન્ટ નં. 1 અને 2, ડાઇક નં. 1, 2 અને 3 ટૂરિસ્ટ પોઈન્ટ: ઝરવાણી ધોધ, ખલવાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વોટર એરોડ્રોમ, એકતા ક્રુઝ જેટી, અને ઝીરો પોઈન્ટ ભૂમલિયા કેનાલ.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

ગૌરવ:વલસાડની આચાર્યાને રાજભવનમાં રાજ્યકક્ષાએ શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી એનાયત

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલના આચાર્યા જયશ્રીબેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી એનાયત કરી ગૌરવપૂર્ણ સમારંભમાં સન્માનિત કરાયા છે. જેને લઈ શિક્ષણ આલમમાં ખૂશીની લાગણી પ્રસરી ગઈ છે. આ સફળતા બદલ જયશ્રીબેનને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. વલસાડ જિલ્લાના આચાર્ય સંઘ અધિવેશનમાં આ શા‌‌ળાને બહુ વિધક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ જિલ્લા કક્ષાનો HHVRનો એવોર્ડ સાથે 11000 પુરસ્કારથી પણ સન્માનિત કરાઇ હતી. આ પ્રસંગે વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રશેષ દેસાઈ તથા શાહ ખીમચંદ મૂળજીભાઈ હાઇસ્કુલ સ્ટાફ, સંસ્કૃત ટીમ કન્વીનર વિમલ પટેલ, સહ કન્વીનર મિતેશ પટેલ તથા તેમની ટીમ, સીઆરસી કો.જગદીશ ટંડેલ તથા શિક્ષણ અને સંસ્કૃતિપ્રેમી વલસાડ વાસીઓંએ શુભેચ્છા પાઠ‌વી અભિવાદન કર્યું છે. ઉપાધિ મેળવવા કંઠસ્થ ખુબ કઠિન કસોટી પ્રાચીન પરંપરા મુજબ સંસ્કૃત 100 સુભાષિતો કંઠસ્થ કરવું પડે છે.જે ખુબજ કઠિન કસોટી હોય છે. તેમને ''પંડિત''ની ઉપાધિ આપે છે. આ યોજના હેઠળ યુનિવર્સિટી કક્ષાએ લેવાયેલી અત્યંત કઠિન કસોટીમાં જયશ્રીબેન ઉત્તીર્ણ થયા હતા. રાજ્ય સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા જયશ્રીબેનને શત સુભાષિત પંડિતની પદવી સાથે 21 હજારનું રોકડ અર્પણ કરી સન્માનિત કરાયા છે. સંસ્કૃત ભાષા માટે રાજ્ય સરકારની યોજના સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે રાજ્ય સંસ્કૃત બોર્ડના પ્રયાસો છે. જે માટે ''શત સુભાષિત કંઠપાઠ યોજના'' અમલમાં મૂકવામાં આવી છે જેમાં સંસ્કૃત જેવી દેવભાષાનું જતન એક મહત્વનું પાસું છે. જેની સાથે સંસ્કૃત સંવર્ધનમાં પંડિતની ઉપાધિ માટે એક આચાર્ય તરીકે શિક્ષણકાર્ય સાથે જયશ્રીબેન ભગતે અમૂલ્ય યોગદાન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

ગ્રામજનોમાં આનંદની લાગણી:78 વર્ષે નંદાવલાને પંચાયતનું મકાન મળ્યું

વલસાડ તાલુકાના નંદાવલા તેમજ સરોણ ગામ માટે એક જ ગ્રામ પંચાયતનું મકાન સરોણ ખાતે હતું.આઝાદીના 78 વર્ષ બાદ મંગળવારે નંદાવલા ગામને અલાયદુ ગ્રામ પંચાયત મકાન મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે રીબીન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પહેલા નંદાવલા તેમ જ સરોણ માટે એક જ ગ્રામ પંચાયત મકાન હતું, જેથી ગ્રામજનોએ કોઈ સરકારી કામ કે, દાખલો કઢાવવો હોય તો સરોણ જવું પડતું, પણ હવે વર્ષો બાદ નંદાવલા ગામમાં ગ્રામ પંચાયત કાર્યાલય ખુલવાથી, ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. તેમણે કહ્યું,આ મકાન માટે ઘણા વર્ષથી ગ્રામજનોને અન્યાય થતો હતો, પણ અમો અને સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી બધાની મહેનત થકી આ મકાન અર્પણ કરાયું છે.કર્યું. ગ્રામ પંચાયતના આ મકાનમાં તમામ પ્રકારની સુવિધા મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ આશિષ ગોહિલ. સરોધી સરપંચ ગિરીશભાઈ, કેવાડા સરપંચ જાગૃતિબેન, ગુંદ લાવ સરપંચ નીતિન પટેલ,માજી જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ હાજર રહ્યા હતા. સંચાલન રીતેશભાઈ પટેલ, દ્વારા કરવામાં આવ્યું હતું. આખરે નંદાવલા ગામને નવું પંચાયતનું મકાન મળતા ઘર આંગણે સુવિધા મળશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

બેઠકનું આયોજન:વાપી- ઉમરગામમાં ચૂંટણી માટે ભાજપની કવાયત શરૂ; સેન્સ લેવા વાપીમાં 1 અને ધોડીપાડામાં 2 એપ્રિલે બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પડે તે પહેલા વાપી તથા ઉમરગામ તાલુકા ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમેદવારોના સેન્સ લેવાશે.જેમાં વાપીમાં 1 એપ્રિલ તથા 2 એપ્રિલે ઉમગામ ધોડીપાડા સાંસ્કૃતિક ભવનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત નવ રચિત 13 વોર્ડના ઉમેદવારઓની પસંદગી અર્થે સેન્સ લેવાની પ્રક્રિયા તા. 1લી એપ્રિલ અને 2જી એપ્રિલના રોજ ભાજપ દ્વારા હાથ ધરાશે. જેમાં વોર્ડના સભ્યો,કાઉન્સિલર તરીકે ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક ઉમેદવારઓએ વાપી શહેર ભાજપ કાર્યાલય ઉપર પોતાનું નામ લખાવી દેવા જણાવાયું છે.વોર્ડ 1 થી 6 સુધીના સાંજે 5 થી 7 કલાક સુધી, વોર્ડ 7 થી 13 માટે સાંજે 7 થી 9 સુધી હાજર રહેવા વાપી તાલુકા ભાજપ પ્રમુખ સ્મિત પટેલે જણાવ્યું છે. બીજી તરફ ઉમરગામ તાલુકામાં 30 તા.પંચાયત અને 8 જિલ્લા પંચાયતની બેઠક માટે યોગ્ય ઉમેદવાર શોધવા માટે ભાજપ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે.જેઓ 2 એપ્રિલને ગુરુવારે સવારે 9 કલાકે તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોના સેન્સ લેવા ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં બેઠક યોજશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

અકસ્માતની ભીતિ‎:નવસારી દશેરા ટેકરી પાસે સરસ્વતી‎મંદિર સામે ગટર લાઇનમાં ભંગાણ‎

નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ મુખ્ય ગટર લાઇનના આંતરિક પાઇપ તૂટી જતા સરસ્વતી મંદિર પાસે સોમવારના રોજ રાત્રિના સમયે ભૂવો પડ્યો હતો. જેની જાણ થતા કોઈ અકસ્માત ન થાય તે માટે બેરિકેટ પણ મૂકવામાં આવ્યું હતું તે પણ ભૂવામાં પડ્યું હતું. નવસારી નગરપાલિકા સમયમાં અંદાજે 30 વર્ષ પહેલા ચારપુલ,દરગાહ રોડ વિસ્તારમાંથી ગંદા પાણીનો નિકાલ કરવા ગટર લાઇન નાંખવામાં આવી હતી. જ્યાં બે માસ પહેલા લાઇન બંધ થતા ગટરનું પાણી નજીકમાં આવેલ વરસાદી પાણીની ગટરમાં નિકાલ કરવામાં આવ્યું હતું પણ ગટરના પાણીનો નિકાલ કરવાનું આયોજન ન કરવાને કારણે સોમવારે રાત્રે ભૂવો પડતા સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી અને ત્યાં બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. આ બેરિકેટ પણ ભૂવામાં પડી ગયું હતું. ભૂવો કેમ પડ્યો?નવસારી નગરપાલિકા બની ત્યારબાદ અંદાજે 30 વર્ષ પહેલા શહેરમાં ગટરના પાણીના નિકાલ માટે આશરે 22 ફૂટથી ઊંડી ગટર લાઇન બનાવવામાં આવી હતી. જેમાં ભંગાણ ઘણા મહિનાથી પડેલુ હતું પણ પાલિકા દ્વારા યોગ્ય આયોજન ન કરાતા ભૂવો પડ્યાની સ્થિતિ ઉભી થઇ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

તર્ક વિતર્ક:વઘઇમાં બે દિગ્ગજની પ્રવાસી ઘરની‎આકસ્મિક મુલાકાતે રાજકારણ ગરમાયું‎

ડાંગ જિલ્લાના વઘઇમાં સોમવારે બનેલી એક ઘટના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જિલ્લા પંચાયતના પ્રવાસી ઘરના વીઆઈપી રૂમમાં ભાજપના સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ અને કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાંવિત એક સમયે હાજર હોવાની માહિતી સામે આવતા વિવિધ ચર્ચા ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી વચ્ચે બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્કોને વેગ આપ્યો છે. જોકે, બન્ને પક્ષોના નેતાઓએ આ ઘટનાને સંજોગવશાત ગણાવી કોઈપણ પ્રકારની રાજકીય બેઠક કે ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો છે. મંગળ ગાંવિત પ્રવાસી ઘરના વીઆઈપી રૂમમાં હાજર હતા. તે દરમિયાન ચૂંટણી પ્રચાર અંતર્ગત વઘઇ વિસ્તારમાં આવેલા રાજેશ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. રૂમનો દરવાજો ખુલ્લો હોવાને કારણે તેઓ અંદર પ્રવેશ્યા હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા અને મેસેજ વહેતા થતાં ચર્ચાનો માહોલ વધુ ગરમાયો છે. આ અંગે રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી મુલાકાત દરમિયાન ત્યાં પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારની બંધ બારણે ચર્ચા થઈ નથી. મંગળ ગાંવિતે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ માત્ર સંજોગવશાત બનેલી ઘટના છે અને તેમાં કોઈ રાજકીય હેતુ જોડાયેલો નથી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરે જણાવ્યું હતું કે પક્ષના તમામ નેતાઓ પક્ષ પ્રત્યે વફાદાર છે અને આ ઘટનાને રાજકીય રીતે જોવાની જરૂર નથી. બીજી તરફ ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાંવિતે પણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફરતા ફોટા જૂના હોવાનું જણાય છે અને કોઈ રાજકીય ચર્ચા થઈ હોવાનો પ્રશ્ન નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે બનેલી આ ઘટના રાજકીય ચર્ચાનો વિષય બની છે, જોકે તેની હકીકત અંગે બંને પક્ષોની સ્પષ્ટતા સામે આવી છે. પરંપરાગત પક્ષને બદલી આપને તક આપોઆ બાબતે આમ આદમી પાર્ટીના નેતા સુનિલભાઈ ગામિતે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટના આધારે એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે મંગળ ગાંવિતે અગાઉ પક્ષ પરિવર્તન કર્યા બાદ ફરીથી રાજકીય ગોઠવણી અંગે ચર્ચાઓ થઈ હોઈ શકે. તેમણે આક્ષેપ કર્યો કે આવા પગલાં વ્યક્તિગત હિત સાથે જોડાયેલા હોઈ શકે છે. સાથે જ તેમણે મતદાતાઓને અપીલ કરી હતી કે પરંપરાગત પક્ષોને બદલે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને તક આપવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

પુણ્યતિથિ:જ્યારે દાદા હરિલાલજી વિશેની ગેરસમજ દૂર કરવા દોહિત્રી નીલમબેને પુસ્તક લખ્યું

ગત 1 એપ્રિલ 2025 ના રોજ મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નિધન થયું હતું.જેને બુધવારે 1 વર્ષ થાય છે. તેઓ છેલ્લા અનેક વર્ષો પોતાના દીકરા અને નવસારીના જાણીતા આંખના તબીબ ડો.સમીર પરીખ સાથે રહેતા હતા. બાપુના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધીની દીકરી રામીબેનની દીકરી નીલમબેન હતા. એક પુસ્તકમાં હરિલાલ ગાંધી વિશે છપાયું અને તેના આધારે નાટક પણ બન્યું ત્યારે નીલમબેન નારાજ થયા કારણકે તેમાં પોતાના દાદા (નાના) હરિલાલજી વિશે હકીકતો બરાબર ન હતી. આ પુસ્તકનો જવાબ આપવા અને હરિલાલજી વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરવા તેમણે પુસ્તક લખવાનો વિચાર કર્યો અને લખ્યું,જે હતું ‘ગાંધીજીનું ખોવાયેલ ધન હરિલાલ ગાંધી' પુસ્તકમાં હરિલાલ ગાંધીના બાપુ સાથેના સંબંધ, સાચી હકીકતો પણ રજૂ કરી હતી. આ પુસ્તક સાહિત્યની દૃષ્ટિએ પણ ઉત્કૃષ્ટ હોય તેને સાહિત્ય એકેડમીનો એવોર્ડ પણ મળ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે જે નીલમબેન બાપુના ખોળામાં પણ રમ્યા હતા. નીલમબેન પરીખે અન્ય પુસ્તક પણ લખ્યાગાંધીજીના પ્રપૌત્રી સ્વ.નીલમબેન પરીખે માત્ર એક જ પુસ્તક લખ્યું ન હતું,અન્ય પણ લખ્યા હતા. જેમાં બાપુ સાથે પુત્ર, પુત્રવધુ અંગે જ્યાં રહે ત્યાં મહેકતા રહો પુસ્તક, રાષ્ટ્રીય ચેતનાના ભેખધારી, ગાંધીજીના સહસાધકો ઉપરાંત અન્ય પણ લખ્યા હતા. સ્વ.નીલમબેન ગાંધીવિચારને સમર્પિત હતા સાથે ખાદીધારી પણ રહ્યાં હતા. તેમણે લેખિકા તરીકે પણ ખ્યાતિ મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

આયોજન:ખેડૂતો-વેપારીઓને સીધી એક્સપ્રેસ-વે લીંક, ખારેલ-ગણદેવી રોડ રૂ. 95 કરોડે પહોળો થશે

નવસારી જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેના એકમાત્ર ઇન્ટરચેંજ ખારેલથી જિલ્લાના આંતરિક વિસ્તારને જોડતા મહત્વના ખારેલ ગણદેવી માર્ગને પહોળો કરવા અંદાજે 95 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવસારી જિલ્લાના ગણદેવા ખારેલ વિસ્તારમાં એક નહીં પણ બે-બે નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં એક નેશનલ હાઈવે-48 અને બીજો એક્સપ્રેસ હાઈવે છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવેમાં તો ખારેલમાં ઇન્ટરચેંજ પણ આપવામાં આવ્યું છે. જ્યારથી વડોદરાથી લઈ એના થઈ ખારેલ સુધીનો એક્સપ્રેસ હાઈવે તૈયાર થઈ ગયો ત્યારથી આ માર્ગ પર ટ્રાફિક વધ્યો છે. આ ખારેલ એક્સપ્રેસ વે ઇન્ટરચેંજથી ગણદેવી, બીલીમોરા અને અમલસાડને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ ગણદેવી- પીપલધરા, ખારેલનો છે. આ અંદાજિત 8.8 કિલોમીટરનો માર્ગ 7 મીટર જેટલો જ પહોળો છે. જોકે હવે ખારેલ સુધીનો એક્સપ્રેસ વે ધમધમતો થઈ જતા અને ખારેલ ઇન્ટરચેંજથી પ્રવેશવા મહત્વનો માર્ગ હોય ટ્રાફિક વધવાની શક્યતા જોતા સરકારે પહોળો કરવાનો નિર્ણય કર્યો છે.આ માટે 95 કરોડ રૂપિયાની માતબર રકમ પણ મંજૂર કરી દીધી છે. આગામી દિવસોમાં ક્રમશઃ આ પ્રોજેક્ટની કામગીરી આગળ ધપશે. આગામી સમયમાં આ વિસ્તારમાં ઉદ્યોગ-ધંધાને પણ આ રોડને વિકાસને જોતા વધવાની સંભાવના છે. જે આ વિસ્તારના લોકો માટે બહુમૂલ્ય સાબિત થશે. થોડો ફોરલેન, વધુ 10 મીટર પહોળો કરાશે ખારેલથી પીપલધરા, ધનોરી, ચાંગા, રહેજ વગેરે ગામો થઈ ગણદેવી તરફ જતો મહત્તમ માર્ગ હાલ 7 મીટર પહોળાઈનો હોવાનું જાણવા મળે છે. આ કુલ 8.8 કિલોમીટર લંબાઈના માર્ગમાં વધુ માર્ગ હયાત 7 મીટરથી વધારી 10 મીટર કરાશે એવી જાણકારી મળી છે. જોકે કેટલોક ભાગ વધુ પહોળો ફોરલેન પણ થશે. રોડ પહોળો કરવા માટે કેટલીય જગ્યાએ જમીન પણ સંપાદન કરવી પડશે એવું જાણવા મળે છે. ભવિષ્યમાં ફીડર રૂટ વિકસાવવાની યોજનાખારેલ ગણદેવી રોડ માત્ર લોકલ ટ્રાફિક માટે નહીં, પરંતુ નજીકના એક્સપ્રેસ વે સાથે સીધી રીતે જોડવાનું આયોજન છે. જેથી સમગ્ર વિસ્તાર ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં વધુ મજબૂત રીતે જોડાશે. ચીકુ અને અન્ય પાકો માટે બજારો સુધી પહોંચવામાં વધુ ઝડપી બનશે. ભવિષ્યમાં આ માર્ગને ફીડર રૂટ' તરીકે વિકસાવવાની યોજના છે. એટલે કે એક્સપ્રેસ વે પર જતા ભારે વાહનો માટે આ રોડ મુખ્ય એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ બનશે. આ પ્રોજેક્ટ બાદ આસપાસના વિસ્તારોમાં લોજીસ્ટિક હબ, ગોડાઉન અને નાના ઉદ્યોગો વિકસવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

ચોકકસ આયોજનનો અભાવ:મોવીથી નસારપોર સુધી 29 કિમીના રસ્તા માટે 3 હજાર‎વૃક્ષોનું નિકંદન કઢાશે, નવા વાવેતરનું આયોજન નથી‎

ભરૂચ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણના વિનાશની મોટી ઘટના સામે આવી છે. મોવીથી નસારપોર સુધી 29 કીમીના ચાર માર્ગીય રસ્તાના નિર્માણ માટે રોડની બંને તરફ હયાત 3 હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાહનચાલકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે નવા રસ્તાઓ જરૂરી છે પણ 3 હજાર વૃક્ષો કાપવાની સામે નવા વૃક્ષોનું કયાં અને કેવી રીતે વાવેતર કરાશે તેનું તંત્ર પાસે કોઇ ચોકકસ આયોજનનો અભાવ જોવા મળી રહયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોવીથી નસારપોર સુધીનો ચાર માર્ગીય અંદાજે રૂપિયા 720 કરોડના ખર્ચે બનવા જઇ રહયો છે. નેત્રંગ પાસે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માર્ગ 29.12 કિમી લાંબો બનશે. આ માર્ગની બંને તરફ નાના- મોટા 3 હજાર જેટલા વૃક્ષો હયાત છે. રસ્તો ચાર માર્ગીય કરવાનો હોવાથી બંને તરફના વૃક્ષો કાપવા જરૂરી બની ગયાં છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશ જયેશ વસાવાએ જણાવ્યુ હતું કે, આ વૃક્ષો વર્ષો જૂના છે અને અમારો સમાજ વૃક્ષની પૂજા કરતા આવ્યા છે. ત્યારે તંત્રએ આ વિકાસ માટે વૃક્ષો કાપી રહ્યા છે પરંતુ તેની સામે નવા વૃક્ષો રોપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે તંત્રએ આ માર્ગ પર વૃક્ષ નવા રોપી તેનો ઉછેર કરવાનું આયોજન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. ઉલેખનીય છે કે, હાલ કામગીરીને લઈને વૃક્ષો કાપવાની કામગીરી ફૂલ ઝડપે ચાલી રહી છે. અને બીજી તરફ સ્વામીનારાયણ મંદિર નેત્રંગ પાસે ચાર માર્ગીય રસ્તાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. 3 હજાર વૃક્ષો કપાય તો 354 ટન ઓકિસજન ઓછો થઇ જશેજો 3 હજાર પુખ્ત વૃક્ષો કાપવામાં આવે, તો તેનાથી વર્ષે અંદાજે 3.54 લાખ કિલોગ્રામ એટલે કે 354 ટન ઓકિસજન ઓછો થઇ શકે છે. આ ગણતરી સામાન્ય રીતે સ્વીકૃત એવા એક તારણ પર આધારિત છે કે એક પુખ્ત વૃક્ષ વર્ષે સરેરાશ 118 કિલોગ્રામ ઓક્સિજન આપે છે. એક વ્યક્તિને આખા વર્ષ દરમિયાન જીવવા માટે અંદાજે 740 કિલોગ્રામ ઓક્સિજનની જરૂર હોય છે, જે પૂરો પાડવા માટે 7 થી 8 પુખ્ત વૃક્ષો જોઈએ. આ રીતે જોઈએ તો 3 હજાર વૃક્ષો કાપવાથી અંદાજે 400 થી 430 લોકોનો વાર્ષિક ઓક્સિજન પુરવઠો છીનવાઈ શકે છે. ઓક્સિજન ઓછો થવાની સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. એક પુખ્ત વૃક્ષ વર્ષે લગભગ 21 કિલોગ્રામ શોષી લે છે. 3 હજાર વૃક્ષોના અભાવે દર વર્ષે અંદાજે 63 હજાર કિલોગ્રામ જેટલો વધારાનો વાતાવરણમાં રહી જશે, જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે.પીપળો, વડ અને લીમડો જેવા ઘટાદાર વૃક્ષો અન્ય સામાન્ય વૃક્ષો કરતા વધુ ઓક્સિજન આપે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના મોવીથી નસારપોર સુધી નવીનીકરણ રસ્તાની લંબાઈ 29.12 કિ.મી છે. જેમાં મોવી, કરાઠા, વાંદરવેલી, કોચબાર, કાંટીપાડા, નેત્રંગ, કેલ્વીકુવા, કંબોડિયા, ચાસવડ, ઝરણાવાડી, મૌઝા, કવચીયા અને નસારપોર થઈ પસાર થશે. જે માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો કાપવામાં આવશે. રસ્તાની કામગીરી અંદાજે 2 વર્ષના સમયગાળામાં પૂરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

તપાસ:નર્મદા કેનાલમાંથી વધુ એક‎યુવાનનો મૃતદેહ મળી આવ્યો‎

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. અગાઉ બે યુવાનની લાશ મળી હતી જ્યારે આજે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ એક યુવાનની શોધખોળ ચાલું છે. પ્રથમ બનાવમાં બે પિતરાઈ ભાઈઓ કેનાલ પાસે હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન એક ભાઈ લપસી જતા પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે બીજો ભાઈ પણ કેનાલમાં ઉતર્યો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે બંન્ને ભાઈઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં ભરત આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે રોશન આંબલીયા હજી સુધી લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. બીજી ઘટનામાં નિરજ વાઘેલા અને નિખિલ વાઘેલા નામના સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા. આ દરમિયાન એક ભાઈએ કેનાલમાં પડતું મુક્યું હતું, જ્યારે બીજો ભાઈ તેને બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો. પરંતુ બંને પાણીના ભારે પ્રવાહમાં સપડાઈ ગયા હતા. આ બનાવમાં નિરજ વાઘેલાનો મૃતદેહ સાતેજની હદમાં આવેલા કરણ સાગર કેનાલમાંથી મળી આવ્યો હતો, જ્યારે નિખિલનો મૃતદેહ અગાઉ અન્ય સ્થળેથી મળી આવ્યો હતો. આ બંને બનાવોને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો દ્વારા કેનાલ પાસે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી રહી છે, જેથી આવી દુર્ઘટનાઓને રોકી શકાય. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી જવાના બે બનાવ બન્યા હતા. જેમાં 2 ભાઇના ડુબી જવાથી મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બનાવમાં ઝઘડો થતાં બે ભાઇ ઘરેથી નીકળી ગયા હતા અને કેનાલમાં કૂદી ગયા હતા. ચાર યુવકોના કેનાલમાં ડૂબી જવાની ઘટનામાં 3 યુવકના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે હજુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

રાજકીય માહોલ ગરમાયો:કોઇ ઉમેદવાર બાયોડેટા રીચેક કરવામાં મશગૂલ, તો કોઇકની દાવેદારી અંગે ગહન ચર્ચાથી ઉત્તેજના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો નજીકના દિવસોમાં એલાન પૂર્વે ભાજપે દાહોદ જિલ્લામાં પોતાની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. દાહોદ જિલ્લા પંચાયતની 50, તાલુકા પંચાયતોની 254 અને નગરપાલિકાની 36 બેઠકો મળી કુલ 340 બેઠકો માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોની પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. મંગળવારે પ્રથમ દિવસે પાંચ તાલુકાના ઉત્સુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાહોદના છાપરી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે અનોખો નજારો જોવા મળ્યો હતો. ટિકિટ વાંછુ ઉમેદવારો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી પોતાની વારાની રાહ જોતા નજરે પડ્યા હતા. વાતાવરણમાં ઉત્સાહની સાથે ઉત્તેજના પણ વર્તાતી હતી. કોઇ ઉમેદવાર આખરી ઘડીએ પોતાના બાયોડેટાને રીચેક કરતા જોવા મળ્યા, તો ક્યાંક સમર્થકોના ટોળામાં ઉમેદવારી અંગે ગહન ચર્ચાઓ થતી જોવા મળી હતી. 31 માર્ચ મંગળવારે ફતેપુરા, સુખસર, સંજેલી, લીમડી અને દાહોદ તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે 1 એપ્રિલે સિંગવડ, લીમખેડા, ઝાલોદ અને ગરબાડા તાલુકાના દાવેદારોનો વારો રહેશે અને 2 એપ્રિલે અંતિમ દિવસે દેવગઢ બારિયા, ધાનપુર અને દાહોદ નગરપાલિકાના ઈચ્છુક ઉમેદવારો પોતાની વાત રજૂ કરશે. દરેક બેઠક દીઠ અનેક દાવેદારો મેદાનમાં હોવાથી શક્તિ પ્રદર્શનના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ અને રજૂઆતોનો દોર તેજ થયો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

અનુરોધ‎:ગેસના બાટલા મળવામાં કેટલા દિવસ લાગે છે તેનું નિયમિત મોનિટરિંગ કરો

દાહોદ જિલ્લામાં ઘરેલુ ગેસ અને ઈંધણના વિતરણમાં પારદર્શિતા લાવવા અને ગ્રાહકોની હાલાકી દૂર કરવા માટે કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે. ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, ગ્રાહકે ગેસ રિફિલ બુક કરાવ્યા બાદ તેને કેટલા દિવસમાં બાટલો મળે છે તેનું ચોકસાઈપૂર્વક અને નિયમિત મોનિટરિંગ કરવામાં આવે. કોઈપણ ગ્રાહકને બિનજરૂરી વિલંબ ન થાય અને વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓએ ઈ-કેવાયસી પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ સત્વરે પૂર્ણ કરવી જોઈએ. જેથી ગ્રાહકોને કનેક્શન મેળવવામાં કે રિફિલિંગમાં મુશ્કેલી ન પડે. આ સાથે જ પેટ્રોલ પંપ સંચાલકોને દરરોજનો રિપોર્ટ મોકલવા સૂચના અપાઈ છે. જેથી જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા પર વહીવટી તંત્ર સતત નજર રાખી શકે. કેરોસીનના વિતરણ માટે માત્ર IOCL પેટ્રોલ પંપોને જ અધિકૃત કરી, તાલુકાના મામલતદારોની માંગ મુજબ જ જથ્થો ફાળવવાનું નક્કી કરાયું છે. જો કોઈ ખોટી અફવાને કારણે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાંબી લાઈનો જોવા મળે તો સંચાલકોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરવાની સૂચના અપાઇ હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

સેવા પહેલ:મોરબીમાં RTE પ્રવેશ માટે યંગ ઇન્ડિયા ગ્રૂપની મફત માર્ગદર્શન સેવા, શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ

વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રકિયામાં નીરીક્ષર કે ટેકનોલોજીથી જાણકાર ન હોય તેવા ગરીબ પરિવારના બાળકોના ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આર.ટી.ઈ. યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળે છે. આ સાથે જ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલબેગ જેવા ખર્ચનો ભાર હળવો કરવા માટે સરકાર દ્વારા સહાયરૂપ રકમ સીધી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ લાભ મેળવવા ઈચ્છતા વાલીઓએ ફોર્મ ભરવા માટે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લઈને આવવું ફરજિયાત છે. જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મનો દાખલો, વિદ્યાર્થી અને વાલીનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, લાઈટબીલ અથવા રેશન કાર્ડ), વાલીનું જાતિ પ્રમાણપત્ર, મામલતદાર દ્વારા કઢાવેલો આવકનો દાખલો (રૂ.6 લાખ સુધીની મર્યાદામાં), પાન કાર્ડ, આવક અંગેનું એકરારનામું, ચૂંટણી કાર્ડ અને બેંક ખાતાની પાસબુક (બાળક અથવા વાલીની) નો સમાવેશ થાય છે. વિશેષ કેટેગરીમાં આવતા લોકોએ સરકારની અગ્રીમતા મુજબ વધારાના દસ્તાવેજો લાવવાના રહેશે. વાલીઓ માટે ફોર્મ ભરવાની કામગીરી 04 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. ફોર્મ ભરાવવા માટે વાલીઓએ ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમ્પલેક્ષ, બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ આવતા પહેલા દિલીપ દલસાણીયાનો તેમના મોબાઈલ નંબર 8000827577 પર કોલ કરીને સમય મેળવી લેવો ફરજિયાત છે. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને કોઈપણ પરિસ્થિતિ તેને અટકાવી શકતી નથી. યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશાં સમાજના છેલ્લા માણસ સુધી તક પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યરત છે. આર.ટી.ઈ. માત્ર સરકારની યોજના નથી, પરંતુ સમાજને આગળ વધારવાનો એક મજબૂત આધાર છે. આવો, દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષણનો અધિકાર અપાવીએ. યંગ ઇન્ડિયા ગ્રૂપની આ સેવાકીય પહેલ શિક્ષણ ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 4:00 am

મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી, દાવેદારો માટે કડક નિયમો; અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કવા

આગામી મહાપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ આખરી નામો પર મહોર મારવામાં આવશે. ચાર ગ્રુપમાં વહેંચણી, ઉધના કાર્યાલય ખાતે બેઠક વ્યવસ્થાભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વોર્ડ માળખાને ચાર મુખ્ય જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે. ઉધના કાર્યાલયના અલગ-અલગ ફ્લોર પર આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જહાંગીરપુરા, અમરોલી અને વરાછા જેવા વિસ્તારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ફાળવાયો છે, જ્યારે કાપોદ્રા અને કતારગામના દાવેદારોને અપર ગ્રાઉન્ડ વોર રૂમમાં સાંભળવામાં આવશે. આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજ સુધી સતત ચાલશે, જેથી દરેક ઈચ્છુક કાર્યકર પોતાની વાત નિરીક્ષકો સમક્ષ મૂકી શકે. દાવેદારો માટે કડક નિયમો, વેરા પાવતી અને દસ્તાવેજો અનિવાર્યઆ વખતે ભાજપે ઉમેદવારી માટેના નિયમોમાં પણ કડકાઈ દાખવી છે. દાવેદારી કરવા ઈચ્છતા કાર્યકરોએ સાબિત કરવું પડશે કે તેઓએ તમામ પ્રકારના સરકારી વેરાની ચુકવણી કરી દીધી છે. જે-તે વોર્ડના નિયત સમયના એક કલાક પૂર્વે જ કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત, વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ રજૂ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના વગર દાવેદારી સ્વીકારવામાં આવશે નહીં. અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રોની શરતચૂંટણીમાં અનામત બેઠકો પર દાવેદારી નોંધાવતા OBC, SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે પક્ષે સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉમેદવારોએ તેમની દાવેદારી સાથે લેટેસ્ટ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પક્ષનો ઉદ્દેશ્ય છે કે ઉમેદવારી પ્રક્રિયા પારદર્શક રહે અને કાયદાકીય રીતે સક્ષમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવે. આ દસ્તાવેજી ચકાસણી બાદ જ નિરીક્ષકો આગળની કાર્યવાહી હાથ ધરશે. જૂથવાદ ડામવા નિરીક્ષકોની ભૂમિકા મહત્વનીસુરત મહાપાલિકામાં ટિકિટ વાંચ્છુઓની સંખ્યા મોટી હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી પડકારજનક બની રહેશે. 1 થી 12 વોર્ડ બાદ બાકીના વોર્ડ માટે પણ ટૂંક સમયમાં શિડ્યુલ જાહેર કરવામાં આવશે. ભાજપ આ પ્રક્રિયા દ્વારા પાયાના કાર્યકરોનો મૂડ પારખવાનો પ્રયાસ કરી રહી છે. નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવનારો આ રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ચહેરાઓ આવનારા પાંચ વર્ષ માટે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:05 am

AMC તિજોરી છલકાઇ, એક વર્ષમાં 2373 કરોડની ટેક્સની ઐતિહાસિક આવક:ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ રૂપિયાનો ઢગલો કર્યો, ગત વર્ષની સરખામણીએ આવકમાં 119 કરોડનો વધારો

ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં AMCને ટેક્સ પેટે કુલ રૂ. 2373.17 કરોડની ટેક્સ આવક મેળવી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક વર્ષમાં થયેલી અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. સૌથી વધારે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, વાસણા, પાલડી, આશ્રમરોડ, આંબાવાડી, નેહરુનગર વિસ્તારમાં રહેતા નાગરિકોએ રૂ. 411 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. 31 માર્ચની સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે 40 કરોડની આવકનાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચ 2026ના રોજ સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 40.07 કરોડની આવક થઈ હતી. અધિકારીઓના અંદાજ મુજબ રાત્રે 12 વાગ્યા સુધીમાં વધુ 5 કરોડ ઉમેરાયા હોવાની શક્યતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ટેક્સ આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે 119 કરોડનો વધારોગત વર્ષ 2024-25 માં કુલ ટેક્સ આવક રૂ. 2254.15 કરોડ હતી, જેની સરખામણીએ આ વર્ષે રૂ. 119.03 કરોડનો માતબર વધારો નોંધાયો છે. આ કુલ આવકમાં મુખ્યત્વે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ અને વ્હીકલ ટેક્સનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ આવકમાં પ્રોપર્ટી ટેક્સ 1833.24 કરોડ, પ્રોફેશન ટેક્સ 274.79 કરોડ, વ્હીકલ ટેક્સ 238.87 કરોડ અને TSF ચાર્જીસ 26.27 કરોડ નોંધાયો છે. 1 જાન્યુઆરી 2026 થી અમલી બનેલી વ્યાજ માફીની ઇન્સેન્ટિવ/રિબેટ યોજનાનો અંદાજે 3,01,980 કરદાતાઓએ લાભ લીધો હતો. આ યોજના દરમિયાન કુલ રૂ. 512.37 કરોડની ગ્રોસ આવક થઈ હતી, જેમાં રૂ. 48.39 કરોડની વ્યાજ માફી આપવામાં આવી હતી. આમ, આ સ્કીમ દ્વારા કોર્પોરેશનને રૂ. 463.98 કરોડની નેટ આવક પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ ઝોન 411 કરોડની આવકપ્રોપર્ટી ટેક્સની આવકમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાંથી આવક થઈ છે, જેમાં પશ્ચિમ ઝોન રૂ. 411.08 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 259.42 કરોડ જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોન રૂ. 399.78 કરોડની આવક થઈ છે. ટેક્સ વસૂલાત માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં 2,49,965 જેટલી મિલકતોને સીલ અથવા નોટિસ આપવામાં આવી હતી. 807 મિલકતો પર બોજો નોંધવામાં આવ્યો હતો અને 218 મિલકતોની હરાજી કરવામાં આવી હતી. સૌથી વધુ સીલિંગની કાર્યવાહી પશ્ચિમ ઝોન (75,834) અને પૂર્વ ઝોનમાં (62,422) કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:05 am

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ:31મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, કુલ 78,612 બેઠક પર એડમિશન પ્રોસેસ થશે

ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા પ્રોફેશનલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે 1 એપ્રિલથી 31 મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અંદાજે 78,611 બેઠક પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે 41,442 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. ડિગ્રી એન્જિનિયર માટે આજે 1 એપ્રિલથી ફોર્મ ભરી શકાશેધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોના શૈક્ષણિક વર્ષ 2026- 27માં પ્રથમ વર્ષ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રાન્ટ ઈન એડ સંસ્થાની તમામ બેઠકો અને સ્વનિર્ભળ સંસ્થાની માન્ય બેઠકોની 50 ટકા બેઠક અને મેનેજમેન્ટ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 78,612 બેઠક પર એડમિશન પ્રોસેસ થશેરાજ્યની 16 સરકારી સંસ્થાઓ, ત્રણ અનુદાનિત સંસ્થાઓ, એક ઓટોનોમસ સંસ્થા અને 120 સ્વનિર્ભર સંસ્થાઓ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં 16 સરકારી સંસ્થાઓ અને ત્રણ અનુદાનિત સંસ્થાઓની 10,957 બેઠક, એક ઑટોનોમસ સંસ્થાની 156 બેઠક તેમજ સ્વનિર્ભર સંસ્થાની 67,654 બેઠકો એમ કુલ 78,611 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશેઅત્યારે ઉમેદવારો HSC માર્કશીટ ની જગ્યાએ પરીક્ષા હોલ ટિકિટ અને ગુજકેટ અથવા JEE ની માર્કશીટની જગ્યાએ પ્રવેશ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. તો ગત વર્ષે જે ઉમેદવારોએ પૂરક પરીક્ષામાં HSC પરીક્ષા પાસ કરી છે, તેવા ઉમેદવારોએ તમામ માર્કશીટ અપલોડ કરવી પડશે. જે ઉમેદવારોએ ગુજકેટ 2026 અથવા JEE 2026 અથવા બંને પરીક્ષામાં હાજર થયા હોય માત્ર તેવા જ ઉમેદવારો પ્રવેશ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ડોક્યુમેન્ટ અપલોડ કરીને રૂ. 350 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશેસરકારી તથા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 95 ટકા બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને ગુજકેટની 2026ની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો આ બેઠક માટે લાયક ગણાશે. સરકારી થતા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 5 ટકા બેઠક માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને JEE 2026ની પરીક્ષામાં હાજર રહ્યા હોય તેવા ઉમેદવારો બેઠક માટે લાયક ગણાશે. તો સેન્ટર ઓફ એક્સેલેન્સની 25 ટકા સરકારી બેઠકો માટે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને ઉલ્લેખિત પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો બેઠકો માટે લાયક ગણાશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરી 350 રૂપિયા રજીસ્ટ્રેશન ફી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભરવી પડશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:05 am

PM મોદીએ લોકાર્પિત કરેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો અંદરનો નજારો:7 ગેલેરીમાં 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓ, 5મીથી 15મી સદીનો અમૂલ્ય ખજાનો જોવા મળશે

ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું નામ એટલે સમ્રાટ સંપ્રતિ. સમ્રાટ અશોકના પૌત્ર અને અહિંસાના અનન્ય ઉપાસક એવા સંપ્રતિ મહારાજના આદર્શોને જીવંત રાખવા માટે હવે ગાંધીનગરના કોબા જૈન દેરાસર ખાતે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલું આ મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જ્ઞાન પરંપરાનો એક શક્તિશાળી સેતુ બની રહેશે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં 5મીથી 15મી સદી સુધીનો ઈતિહાસનો અમૂલ્ય ખજાનો 7 અલગ-અલગ ગેલેરી અને 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓ 23 એપ્રિલથી લોકો જોઈ શકશે. ઈમરજન્સી માટે ખાસ એક્ઝિટ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓનું પ્રદર્શનનવનિર્મિત આ મ્યુઝિયમ 95,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉદભવથી લઈને આધુનિક સમય સુધીના ઇતિહાસને 7 અલગ-અલગ ગેલેરીમાં રજૂ કરવામાં આવ્યો છે. ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજી અને આધ્યાત્મિક સંગીત દ્વારા દર્શકોને દિવ્ય અને જીવંત અનુભવ કરાવવામાં આવશે. ઇતિહાસને 7 અલગ-અલગ ગેલેરીમાં જોઈ શકશોમ્યુઝિયમની ગેલેરીઓમાં જૈન ઇતિહાસનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. પ્રથમ ગેલેરીમાં નવપદ અને પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવથી લઈને 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ સુધીનો ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે. દ્વિતીય ગેલેરીમાં 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું જીવન અને તેમની આધ્યાત્મિક પરંપરા રજૂ કરવામાં આવી છે. તૃતીય ગેલેરીમાં ભગવાન મહાવીર સ્વામીની 72 વર્ષની દિવ્ય જીવનયાત્રા અને પ્રાચીન આગમ ગ્રંથોનો સમાવેશ થાય છે. રાજા કુમારપાળનું વિશેષ પ્રદાન રજૂ થયુંચતુર્થ ગેલેરીમાં 13મીથી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવવામાં આવ્યો છે જેમાં આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળનું વિશેષ પ્રદાન રજૂ થયું છે. પંચમ ગેલેરીમાં 18મીથી 20મી સદીના જૈન સાહિત્ય અને યશોવિજયજી જેવા મહાન વિદ્વાનોની કૃતિઓ પ્રદર્શિત છે. સપ્તમ ગેલેરીમાં આધુનિક ઓડિટોરિયમષષ્ઠમ ગેલેરીમાં ભારતીય સંસ્કૃતિ, વેદ, પુરાણ, આયુર્વેદ અને સનાતન પરંપરાનો અદ્ભુત સંગ્રહ રજૂ થયો છે. જ્યારે સપ્તમ ગેલેરીમાં આધુનિક ઓડિટોરિયમ દ્વારા શત્રુંજય અને ગિરનાર જેવા પવિત્ર તીર્થોના જીવંત અનુભવની વ્યવસ્થા કરવામાં આવી છે. 5મીથી 15મી સદી સુધીનો અમૂલ્ય ખજાનો જોઈ શકશોસમ્રાટ સંપ્રતિએ પોતાના સમયમાં હજારો જૈન મંદિરો અને ધર્મશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું અને તેમના અહિંસા તથા લોકકલ્યાણના આદર્શોને આ મ્યુઝિયમ દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં 5મીથી 15મી સદી સુધીની પ્રાચીન પ્રતિમાઓ, હસ્તલિખિત ગ્રંથો અને કલાત્મક ચિત્રોનો અમૂલ્ય ખજાનો સંગ્રહિત કરવામાં આવ્યો છે. 'ફરી-ફરીને જ્યાંથી જે વસ્તુ મળી તે લાવીને મને આપી'આચાર્ય પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, મારા ઘણા એવા પરિચિત લોકો હતા જેમને મેં આ વિશે વાત કરી હતી. એ લોકોએ મારા માટે ફરી-ફરીને જ્યાંથી જે વસ્તુ મળી તે લાવીને મને આપી છે. હું દરેક ઠેકાણે તો ન પહોંચી શકું, કારણ કે સાધનો ન હોય અને પદયાત્રા કરવાની હોય. ‘ગુરુદેવના આશીર્વાદથી આ કાર્ય સરળ બન્યું છે’આચાર્ય પદ્મ સાગર સુરિશ્વરજીએ કહ્યું, આ સાધુ જીવનમાં કોઈ કષ્ટ આવતું નથી, કેમ કે અમારો અંતરાત્મા અને મન બધું તે કામમાં હોય છે. એમાં મને કોઈ અફસોસ નથી, આનંદ જરૂર છે કે મારો પ્રયત્ન સફળ થાય. ગુરુદેવના આશીર્વાદ અને તે ભાવનાથી મને કોઈ તકલીફ પડી નથી. PM મોદીના હસ્તે લોકાર્પણ અંગે જણાવ્યું કે, ભારતની પરંપરા મુજબ યોગ્ય વ્યક્તિના હાથે ઉદ્ઘાટન થવાથી લોકોમાં વિશ્વાસ વધે છે અને મીડિયા દ્વારા લોકો સુધી માહિતી પહોંચે છે. જેથી વધુ લોકો આનો લાભ લઈ શકે. વિવિધ તીર્થોના પટ, તેમજ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમ્યુઝિયમના ટ્રસ્ટી શ્રીપાલ શાહે જણાવ્યું કે, આ અમારા માટે જીવનનો સુવર્ણ અવસર છે. આ મ્યુઝિયમ 7 ગેલેરી સાથે ભારતનો અમૂલ્ય વારસો રજૂ કરે છે. રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસુરિમહારાજના આશીર્વાદ અને પ્રેરણા સાથે તેમજ ટ્રસ્ટના પ્રેસિડન્ટ સુધિર મહેતા અને યુએનએમ ફાઉન્ડેશનના ચીફ પેટ્રનની સાથે મળીને આ ભવ્ય પ્રોજેક્ટ સાકાર થયો છે. 23 એપ્રિલથી જનતા માટે ખુલ્લું મુકાશેઆ મ્યુઝિયમ 23 એપ્રિલથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે તેવી સંભાવના છે. આ સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અદ્યતન ટેક્નોલોજી આધારિત ઇમરજન્સી એક્ઝિટ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એ એવું સ્થાન છે જ્યાં ઇતિહાસ બોલે છે, સંસ્કૃતિ મહેકે છે અને અધ્યાત્મ હૃદયને સ્પર્શે છે. આ પણ વાંચો 31 માર્ચે PM નરેન્દ્ર મોદીના હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે સવારે ગાંધીનગરના કોબા ખાતે 31 માર્ચ,2026મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 12:05 am

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીએ ફટકાર્યા વિસ્ફોટક 72 રન

IPL 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન તો પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ચટકાવી હતી.

ગુજરાત સમાચાર 31 Mar 2026 11:24 pm

ગિરનાર રોપ-વે સેવા 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે:વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરીને લઈને નિર્ણય, 19મીથી સેવા પુનઃ શરૂ થશે

જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે. 12થી 18 એપ્રિલ ગિરનાર રોપ-વે બંધ રહેશે​ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 12 એપ્રિલ 2026થી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. મેઈન્ટેનન્સની કામગીરીને પગલે નિર્ણયઆ સમયગાળા દરમિયાન રોપ-વેના મશીનરી ચેકઅપ, વાયર રોપનું નિરીક્ષણ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારે મેઈન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરોની સલામતી માટે અત્યંત અનિવાર્ય હોય છે. સાત દિવસ સુધી પગથિયાં ચઢીને ઉપર જવું પડશે​ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને વડીલો, બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન સાબિત થયો છે. રોપ-વે શરૂ થયા બાદ અંબાજી સુધી પહોંચવાનો સમય અને શ્રમ બંનેમાં મોટો ઘટાડો થયો છે. જોકે, સાત દિવસ સુધી આ સેવા બંધ રહેવાના કારણે જે પ્રવાસીઓએ આ દિવસો દરમિયાન જૂનાગઢ આવવાનું આયોજન કર્યું હોય, તેઓએ પોતાની મુસાફરીમાં ફેરફાર કરવો પડશે અથવા પગથિયાં ચઢીને ઉપર જવું પડશે. 19 એપ્રિલથી સેવા પુનઃ શરૂ થશે​રોપ-વે મેનેજમેન્ટે વધુમાં સ્પષ્ટતા કરી છે કે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સવારથી જ રોપ-વે સેવા ફરી પૂર્વવત કરી દેવામાં આવશે. તમામ ટ્રોલી અને સેન્સરનું બારીકાઈથી પરીક્ષણ કરાશે​ગિરનાર રોપ-વે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢની શાન માનવામાં આવે છે. પર્વતની ઉંચાઈ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવી પડતી હોય છે. ટેકનિકલ ટીમ દ્વારા આ સાત દિવસમાં તમામ ટ્રોલી અને સેન્સરનું પણ બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે. વેકેશન અને જાહેર રજાઓના દિવસો પહેલા આ મેઈન્ટેનન્સ પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આવતા પ્રવાસીઓના ધસારાને કોઈ પણ અવરોધ વિના પહોંચી વળાય.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:53 pm

ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર્કસ પરથી ફિલ્ટર થયેલું નેધરલેન્ડ યોજનાનું પાણી નાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવતું હતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નાખવામાં આવેલી નવી મોટી પાઇપલાઇનને હવે પાણીના સમ્પ સાથે જોડવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કામગીરી પૂર્ણ થતાં બંને સમ્પ પૂરતા પ્રમાણમાં મીઠા પાણીથી ભરાઈ રહેશે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પોતાના ખર્ચે તૂટેલા ઢાંકણા બદલીને સમ્પ પર નવા ઢાંકણા લગાવ્યા છે, જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ગામને નેધરલેન્ડ યોજના હેઠળ જરૂરિયાત મુજબ મીઠા પાણીનો પુરવઠો મળી શકશે. આ ઉપરાંત, પાણી પુરવઠાના બોર અને સમ્પ આસપાસ ભરાઈ રહેતા પાણીની સમસ્યા દૂર કરવા માટે માટી નાખવામાં આવી છે. તળાવડીનું વધારાનું પાણી જૂના બોરની પાઇપલાઇનમાં ઉતારી દેવાતા મોટાભાગનું પાણી ભૂગર્ભમાં રિચાર્જ થયું છે. સરપંચે ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:30 pm

સુરેન્દ્રનગરની ફીરદોશ સોસાયટીમાં 6 જુગારી ઝડપાયા:A ડિવિઝન પોલીસે ₹75,230ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ફીરદોશ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹75,230નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા ₹15,230, ગંજીપાનાના 52 નંગ પાના, બે મોબાઈલ ફોન જેની કિંમત ₹1,000, અને બે મોટરસાયકલ જેની કિંમત ₹50,000 સહિત કુલ ₹75,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના I/C પોલીસ અધિક્ષક વેદીકા બીહાની (IPS)ના નિર્દેશ મુજબ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.સંગાડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. એ.એસ.આઈ. ડી.જે. વાઘેલા, વિજયસિંહ પ્રવીણસિંહ પરમાર, પો.હેડ.કોન્સ રાજદીપસિંહ નારણભા ડોડીયા, મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ, પો.કોન્સ મનસુખભાઈ માનસંગભાઈ જમોડ, ધવલસિંહ ચંદુભા સિસોદીયા, અને રાજુભાઇ જીવણભાઇ પઢેરીયા સહિતની ટીમે એ.એસ.આઈ. ધનરાજસિંહ જશુભા વાઘેલાની બાતમીના આધારે ફીરદોશ સોસાયટીની આડી લાઈન પાસે દરોડો પાડ્યો હતો. જેમાં પરવેઝભાઈ ઉર્ફે સદામ ઈબ્રાહીમભાઈ ખોજાણી (ઉ.વ.29, રીક્ષા ડ્રાઈવર), વિજયભાઈ અવસરભાઈ વિરમગામી (ઉ.વ.32, ચોકીદાર), અજયભાઈ ધીરૂભાઈ ભંકોડીયા (ઉ.વ.22, કડીયાકામ), દેવશીભાઈ જકશીભાઈ જખાણીયા (ઉ.વ.42, મજુરી), દલસુખભાઈ ચોથાભાઈ ગોઢકીયા (ઉ.વ.44, મજુરી), અને શેરખાન મુરાદભાઈ મમાણી (ઉ.વ.28, મજુરી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સુરેન્દ્રનગરના રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:29 pm

દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મણીજીના વિવાહ સત્કાર સમારોહ યોજાયો:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત, માધવપુર મેળાનો અંતિમ દિવસ

માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલે સત્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, ભારતની પવિત્ર ભૂમિ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે કૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય મળ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. કૃષ્ણએ ચરિત્ર, કર્મ, ધર્મ, નીતિ અને દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. આ પ્રસંગે કૃષ્ણ અને રુક્મણીજીના જીવન પર આધારિત અદભુત મનહર માધવપુર મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ સહભાગી બન્યા હતા.ગુજરાતની ધરતી પર જન્મેલા મહાન વિચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ કૃષ્ણના જીવનને અત્યંત પવિત્ર ગણાવ્યું હતું. તેમજ કૃષ્ણએ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો, જે આજે સમગ્ર વિશ્વમાં માનવજીવન માટે માર્ગદર્શક બન્યો છે.આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂપે કૃષ્ણ અને રુકમણીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે.આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:26 pm

જિલ્લાથી લઈને મતદાન મથક સુધીના અધિકારીઓનો તાલીમનો કાર્યક્રમ જાહેર:આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની તૈયારીઓ તેજ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. મતદાર યાદી, મતદાન મથક, સુરક્ષા વ્યવસ્થા સહિતની તાલીમ અપાશેઆ તાલીમ કાર્યક્રમ અંતર્ગત નોડલ અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ, સહાયક અધિકારીઓ, પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા, મતદાન વ્યવસ્થા, ઈવીએમ/બેલેટ ઉપયોગ, મતગણતરી પ્રક્રિયા, આચાર સંહિતા અને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ દરમિયાન મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, મતદાન મથકની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી સ્થિતિમાં કરવાના પગલાં અંગે પણ વિશેષ સમજ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને રિપોર્ટ સોંપાશેજિલ્લા સ્તરે માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓએ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. તાલીમ માટે નિર્ધારિત સમયપત્રક મુજબ જુદા જુદા તબક્કામાં કાર્યક્રમ યોજાશે, જેમાં એક દિવસીય સત્રો દ્વારા પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માર્ગદર્શન આપવામાં આવશે. વ્યવસ્થા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચનારાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ આયોજનથી આવનારી ચૂંટણીઓ પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:11 pm

સરકારી કર્મચારીઓના મોટા પાયે બદલીના હુકમ:વર્ગ-3ના હિસાબ અને તિજોરી વિભાગે અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી

ગુજરાત રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા આજે રાજ્યભરમાં મોટા પાયે બદલીના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત “વિમા અને લેખા ભવન”માંથી જારી કરાયેલા આ આદેશ મુજબ વિવિધ વર્ગ-3ના હિસાબનિશ/નાયબ હિસાબનિશ તથા સંબંધિત અધિકારીઓને તેમની હાલની જગ્યાથી બદલી કરીને નવી નિમણૂક આપવામાં આવી છે. આ બદલીમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, જુનાગઢ સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓને પ્રમોશન સાથે નવી પોસ્ટિંગજારી કરાયેલા હુકમ મુજબ અનેક કર્મચારીઓને જિલ્લા તિજોરી કચેરી, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વિવિધ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેટલાક અધિકારીઓને પ્રમોશન સાથે નવી પોસ્ટિંગ આપવામાં આવી છે તો કેટલાકને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરાયા છે. આ બદલીનો મુખ્ય ઉદ્દેશ કાર્યક્ષમતામાં વધારો કરવો અને વહીવટ વધુ સુગમ બનાવવાનો હોવાનું જણાવાયું છે. હાજર ન થનાર સામે નિયમ મુજબ કાર્યવાહીઆદેશમાં જણાવ્યા મુજબ સંબંધિત તમામ કર્મચારીઓએ તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવું રહેશે. હાજર ન થનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, બદલી પામેલા કર્મચારીઓએ ચાર્જ હસ્તાંતરણ અને કામગીરી સંબંધિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલીને કારણે વિવિધ કચેરીઓમાં કામકાજની ગતિ તેજ બનશે અને નાણાકીય વ્યવસ્થાપનમાં પારદર્શિતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:09 pm

20 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે:રાંચરડામાં સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થશે

સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે સમગ્ર દિવસ ભંડારો યોજાશે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ મંદિરનું વિશેષ વર્ણન કરતાં જણાવ્યું કે, આ મંદિરનું 23 ઓગસ્ટ, 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે. આ હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે. જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળ લોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાયેલો, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે. ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ વધુમાં જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે. જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં 3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડે છે.આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું. હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:06 pm