રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે બાળકોને કેરીનો રસ, પૂરી, સેન્ડવિચ ઢોકળા, શાક અને પાપડ સહિતનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વૈષ્ણવ સદગૃહસ્થ પરિવારે સહયોગી દાતા તરીકે યોગદાન આપ્યું હતું, જેનો રાહી ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સ્કૂલના સંચાલકનો પણ આભાર માનવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, અશોકભાઈ દલાલ અને જ્યોત્સનાબેન દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પરથી તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પૃથ્થકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રોહીદાસપરા મેઇન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મ માંથી લેવામાં આવેલ શુદ્ધ ઘી (લુઝ) નો નમૂનો લેબ તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં B.R. Reading at 40 C તથા આયોડિન વેલ્યૂની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હતી. આ ઉપરાંત, સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે, જે શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સમાન છે. આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પેઢી સામે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 12 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની આ ટીમોએ સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી જાણીતી સુપર માર્કેટો અને પ્રોવિઝન સ્ટોર્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાધુવાસવાણી રોડ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણાના નમૂના લેવાયા હતા. તે જ વિસ્તારમાં આર હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ તથા ઓમ સુપર માર્કેટમાંથી મગની છડી દાળ અને કાબુલી ચણાના નમૂના લેવામાં આવ્યા હતા. રૈયા રોડ પર બાલાજી શોપિંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી. બ્રધર્સમાંથી રાજમા અને જય સિયારામ શોપિંગ સેન્ટરમાંથી લીલા વટાણાના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, સાધુવાસવાણી રોડ પર ચંદન સુપર માર્કેટમાંથી અળદ, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, રાજેશ અનાજ ભંડારમાંથી વાલ તથા કાલાવડ રોડ પર એન.કાકુભાઈ ગાંધીની પેઢીમાંથી મઠના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ તમામ 15 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વાઘોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ શાળામાં 10 માર્ચે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ પ્રોજેક્ટ્સનું સુંદર રીતે નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી. આ ઉપરાંત, કેટલીક ગાણિતિક રમતોનું પણ નિદર્શન કરાયું હતું. દરેક વર્ગના વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને રમતો રમાડવામાં આવી હતી. સાપસીડીની રમત દ્વારા સારી આદતો અને શરીરને સ્વસ્થ રાખવાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. રિસેસ પછી એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ રાઉન્ડમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 'કલ્પના ચાવલા' ટીમે સૌથી વધુ ગુણ મેળવી વિજેતા બની. તેમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આમ, વિજ્ઞાન દિવસનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો.
તાપી જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ગ્રેડ-2 અને એક ખાનગી વ્યક્તિને રૂ. 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં કોઈ ક્ષતિ ન કાઢવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટ માટે લાંચની માંગણીઘટનાની વિગત એવી છે કે, સુરતની નાનપુરા સ્થિત 'સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ કાર્યાલય'માં ઓડિટર ગ્રેડ-2 તરીકે ફરજ બજાવતા ધર્મેશકુમાર રતિલાલ વસાવાએ ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ 2024-25નું ઓડિટ કર્યું હતું. આ ઓડિટ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલો વગરનો 'ક્ષતિરહિત' રિપોર્ટ આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ઉંચામાળ ગામે ગોઠવ્યું છટકુંફરિયાદીની વિગતોના આધારે સુરત એસીબી એકમના ટ્રેપિંગ ઓફિસર પી.આઈ. કે.જે. ધડુક અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. વ્યારાના ઉંચામાળ ગામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમ પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી અને ગુપ્ત રીતે આરોપીઓની હિલચાલ પર નજર રાખી રહી હતી. વચેટિયા દ્વારા લાંચ લેવડાવી ફસાયાટ્રેપ દરમિયાન આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચની રકમ પોતે સીધી ન સ્વીકારીને, તેમણે પોતાની સાથે રહેલા ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને પૈસા લેવા માટે ઈશારો કર્યો હતો. જેતલકુમારે જેવી રૂ. 15,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACBએ 15,000ની રકમ રિકવર કરીએસીબીની ટીમે આરોપી જેતલકુમાર પાસેથી લાંચ પેટે સ્વીકારેલા પૂરેપૂરા રૂ. 15,000 રિકવર કર્યા છે. ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ લાંચની માંગણી કરી હોવાનું અને જેતલકુમારે તે સ્વીકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. આ ઓપરેશનમાં ટેકનિકલ પુરાવાઓ અને પંચોની હાજરીમાં વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું, જેના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી. 'ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં'આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, AMCએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે. '21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરો'AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. 'AMCએ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું'હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMCના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 6 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકેઅગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMCએ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. AMCને સર્વે કરતા કોને રોક્યા છે ?જેથી કોર્ટે કહ્યું હતું કે, AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? AMCએ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતાં. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMCનાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી. 'ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ'AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે, એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMCએ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMCના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ. 'શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી?'AMCએ કહ્યું હતું કે, ભદ્ર પહેલા 'નો વ્હિકલ ઝોન નહોતો, હવે વ્હિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે. 'પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો'AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે, કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMCએ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ પર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ? '586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો'AMCએ જણાવ્યું હતું કે, તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો. 'કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો'AMCએ કહ્યું હતું કે, અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વ્હિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં. કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે2017થી ભદ્ર વિસ્તારને વ્હિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMCએ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ. હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના ને વેન્ડર્સ એક્ટની જોગવાઇનો ભંગહાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. AMC વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો અરજીનો નિકાલ થશેહાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે. અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMCનું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. 'AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે'હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 5 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. 'કોર્ટે આદેશ કર્યા હતા, પછી પણ તમે રિ-સરવે કર્યો નથી'હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. 'કોના આદેશથી 2025માં ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા'હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. '844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ?'હાઇકોર્ટે આજની સુનવણીમાં AMCને સવાલો કર્યા હતા કે, વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? 'તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી'ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી. આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે- હાઈકોર્ટAMC તરફથી દલીલ થઈ હતી કે, જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો- હાઈકોર્ટહાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.
સુરત શહેર દેશભરમાં તેની સ્વચ્છતા અને સુઘડ આયોજન માટે જાણીતું છે. સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકા જ્યારે સુવિધાઓના દાવા કરે છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલું હરીનગર શહેરી આરોગ્ય કેન્દ્ર તંત્રના સ્વચ્છતાઓના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યોપાંડેસરા એ સુરતનો શ્રમિક અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના હરીનગર આરોગ્ય કેન્દ્રમાં રોજ સેંકડો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે આવે છે. પરંતુ આ સેન્ટરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાઓ સુધી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. કચરાના આ ઢગલા પર રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે સારવાર માટે આવતા નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છેમાત્ર બહાર જ નહીં, પણ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર પણ ગંદકીના સામ્રાજ્યએ પગપેસારો કર્યો છે. પરિસરમાં ખૂણે-ખૂણે પ્લાસ્ટિકની કોથળીઓ અને ધૂળના થર જોવા મળ્યા છે. જે સ્થળે સ્વચ્છતાના સૌથી ઊંચા ધોરણો હોવા જોઈએ, ત્યાં જ આ પ્રકારની બેદરકારી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા છતી કરે છે. આરોગ્ય કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે ત્યારે દરવાજાની થોડે બહાર આરોગ્ય ક્ષેત્રે વપરાતો દવાનો વેસ્ટેજના કોથળા ભરેલા પણ પડેલા જોવા મળ્યા હતા. રોગચાળાને ખુલ્લું આમંત્રણઆ ગંદકીની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હેલ્થ સેન્ટરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પાણી ખુલ્લી ટાંકીમાં પક્ષીઓનો ચરક, ધૂળ અને કચરો પડે છે. વધુમાં, હાલના સમયમાં જ્યારે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ખતરો વધી રહ્યો છે ત્યારે આવી ખુલ્લી ટાંકી મચ્છરોના બ્રીડિંગ માટે સ્વર્ગ સમાન છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન હાલમાં આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ, પાંડેસરાનું આ દ્રશ્ય સૂચવે છે કે કમિશનરના આદેશો ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી જાય છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ચમકી રહ્યા છે ત્યારે ગરીબ અને શ્રમિક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની કેમ ખરાબ હાલત?
મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા
કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી 108 ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી 108ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતાગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. EMT કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા. પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સારવાર દરમિયાન 108ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,11,500 રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી, તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજીઆજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં નેત્રંગની ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી હતી. જે બાદ સભા સ્થળે પહોંચીને આદિવાસી જનસભાને સંબોધી હતી. ‘નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે. તેમજ કહ્યું કે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસીના ગામેગામમાં જે કામગીરી ચાલી રહી છે, તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે આદિવાસી ગૌરવ સંમેલન. વિશ્વનો સૌથી મોટો વેપારનું કેન્દ્ર એટલે ભરૂચ જિલ્લો. ‘કોંગ્રેસે માત્ર વોટ લેવા જ આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારાવાળી સરકારે આદિવાસી સમાજની ઉન્નતી માટે જે કામ કરવાનું હતું એ ન કર્યું. કોંગ્રેસની સરકારે વર્ષો-વર્ષ સુધી આદિવાસી સમાજનો માત્ર વોટ લેવા જ ઉપયોગ કર્યો છે. આઝાદી મેળવવા આદિવાસી સમાજના અનેક યુવાનોએ સહાદત આપેલી, એમણે એ માટે સહાદત આપી કે અમારી આવનારી પેઢીઓને આનો હક મળશે પણ કોંગ્રેસની સરકારમાં આદિવાસી સમાજને કોઇ હક ન મળ્યો. ‘આદિવાસી સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે’હર્ષ સંઘવીએ વધુ જણાવ્યું કે, આ સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે. આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી. વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેજોને પોતાના ટેલેન્ટ અને રુપિયા પર ઘમંડ હતો પણ આદિવાસી ભાઇઓએ તીર-કામઠાથી એમનો ઘમંડ તોડી દીધો હતો. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદનભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયેલા આગેવાનોને આવકાર્યાંહર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકારમાં ચાર-ચાર મંત્રી આદિવાસી છે. કોંગ્રેસ, આપ અને બિટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા હર્ષસંઘવીએ તેઓને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાંભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણપત વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા,ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર ખાતે જનસભાને સંબોધી અનેક આદિવાસી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ્યાં હતા. તે વિસ્તાર ચૈતર વસાવાના રાજકીય પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ત્યારે ફરી એકવાર નેત્રંગમાં યોજાયેલી આદિવાસી સભાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા થોડા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જે વિસ્તારોમાં અગાઉ મોટા રાજકીય નેતાઓની હાજરી ઓછી જોવા મળતી હતી, તે જ વિસ્તારોમાં હવે મોટા પાયે રાજકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના સંકેતો વચ્ચે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા અને રાજકીય આધાર વધારવા માટે દિગ્ગજ નેતાઓને સક્રિય બનાવવામાં આવી રહ્યા હોવાનો રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નેત્રંગ મુલાકાતને પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી પુરસ્કાર-2025'ની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની બે સદસ્યની ટીમે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ મંત્રાલયના નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ જિલ્લાના નવતર 'જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ' અંગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બ્રીફિંગ બેઠક યોજી પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. બજેટ અને લાભાર્થીઓમાં વધારોઆ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે ,જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રોજેક્ટને વર્ષ દર વર્ષે વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં 10.95 લાખના ખર્ચે 147 બાળકોથી શરૂ થયેલી આ સફર ચાલુ વર્ષે 50 લાખના માતબર બજેટ સુધી પહોંચી છે. જેનો સીધો લાભ હાલ 248 બાળકોને મળી રહ્યો છે. જિલ્લા દ્વારા આ બાળકોને પેન ઇન્સ્યુલિન પૂરા પાડવામાં આવે છે અને દર ત્રણ મહિને ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરી નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર રાજ્ય માટે મહેસાણા મોડેલ બન્યું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મહેસાણા જિલ્લાની આ માનવીય અભિગમવાળી કામગીરીની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. જેના ફલસ્વરૂપે હવે સમગ્ર ગુજરાતમાં જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોના નિદાન અને સારવાર માટે 'SOP' તૈયાર કરવામાં આવી છે. જેનો લાભ રાજ્યભરના બાળકોને મળશે. આ ઉપરાંત ડાયાબિટીસ ધરાવતા બાળકોના માનસિક અને ઇમોશનલ સપોર્ટ માટે યોજાતા 'મધુમેલા' જેવા કાર્યક્રમોની વિગતો જાણી કેન્દ્રીય અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની મુક્તકંઠે સરાહના કરી હતી.
જૂનાગઢ શહેરના રાજકોટ રોડ પર આવેલા મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે, કારણ કે મૃતદેહ રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં છુપાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે, જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત છેલ્લા ઘણા દિવસો પહેલા થયું હશે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો છે. મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહની હાલત ઘણી ખરાબ હોવાથી તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મોતના ચોક્કસ સમય અને કારણ વિશે જાણી શકાય. બીજી તરફ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલી ગુમશુદાની અરજીઓ સાથે આ વ્યક્તિનું વર્ણન મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.
ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો:₹3.05 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર
શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ ₹3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે 959 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત ₹2,65,312 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી નંબર પ્લેટ વગરની ₹40,000 ની કિંમતની એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ મળી આવી હતી. પાટણ એલ.સી.બી. શાખાના કર્મચારીઓ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ટુવડ ગામની સીમમાં નદીવાળા ઓટામાં આવેલા ખેતરમાં વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર નામનો શખ્સ સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ઉતારી રહ્યો છે. પોલીસે પંચો સાથે દરોડો પાડ્યો તે પહેલા જ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે ખેતરના શેઢા પાસે કાળા કલરની તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર, મેજિક મોમેન્ટ્સ જામુન સ્પાઈસી અને ઓરેન્જ ફ્લેવર, તેમજ 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની બોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહે શંખેશ્વર પોલીસ મથકે વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. શંખેશ્વર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોરે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાની લાખવડ સ્કૂલના શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અને બજારુ પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાગૃતિને કારણે આજે સ્કૂલના 500 જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિકના બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌઆ કે થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવે છે. વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતોલાખવડ સ્કૂલના શિક્ષિકા સંગીતાબેન રાવલે જ્યારે શાળાના મેદાનમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર્સ અને બોટલોનો કચરો જોયો ત્યારે તેમણે સ્કૂલ પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ કર્યો. તેમણે ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરીને સૌપ્રથમ સ્કૂલના સંકુલમાંથી વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતો. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ નાસ્તો આપવા વિનંતી કરીમાત્ર સફાઈ જ કરાવી નહીં પણ બાળકોની જીવનશૈલી બદલવા માટે તેમણે વિદ્યાર્થીઓને રેડીમેડ પડીકાના નાસ્તાથી થતાં નુક્સાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો વિશે રોચક નાટક, અભિનય દ્વારા સમજણ આપી. પડીકા પર અંગ્રેજીમાં લખેલી વિગતોનુંગુજરાતીમાં અનુવાદ કરીને તેમાં વપરાતા હાનિકારક પામ ઓઈલ અને મસાલાઓ વિશે બાળકોને જાગૃત કર્યા. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરી હતી. 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા લાવતા થયાત્રણ મહિનામાં સ્કૂલના 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવતા થયા છે. જે બાળકો પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ લાવતા હતા. તેમને પણ અટકાવીને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. શાળામાં નર્મદાના શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા હોવાથી હવે પ્લાસ્ટિકની બોટલોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે તેમના જન્મદિવસે ચોકલેટ વહેંચીને રેપર્સનો કચરો કરવાને બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ ભેટમાં આપે છે.આ પ્રયાસોના પરિણામે આજે આખી શાળામાં ક્યાંય પ્લાસ્ટિકનું કાગળિયું જોવા મળતું નથી.
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથક દ્વારા પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 1,37,612 બોટલોનો નાશ કરાયોકરજણ પોલીસ મથક દ્વારા છેલ્લા કેટલાક સમયમાં વિવિધ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રેન્જ આઇજી સંદિપ સિંગ વડોદરા તથા ડીએસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો મુદ્દામાલ સમય મર્યાદામા કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી નાશ કરવા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે કરજણ પીઆઈ બી.એમ.પટેલ દ્વારા જરૂરી ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સક્ષમ ન્યાયાધીશ પાસેથી જરૂરી પરમીશન મેળવી સબ ડિવીઝનલ મેજીસ્ટેટની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશનનો ગેર કાયદેસર પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવા માટે નિર્ધારીત કરી હતી. 18 ગુનાનો મુદ્દામાલ નાશ કરાયોકરજણ પો.સ્ટેના કુલ 18 ગુન્હાનો મુદ્દામાલ જેમા નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- 1,37,612 જેની કુલ કિ.રૂ. 4,45,84,142નો મુદ્દામાલ પંચો અને કમીટીના સભ્યો રૂબરૂમાં બામણગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીની ખુલ્લી જગ્યામા નાશ કરવામાં આવ્યો.
ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગાંધીનગર અને પાટણ પંથકમાં તરખાટ મચાવનાર 23 વર્ષીય રીઢા ચોર રાહુલ ઉર્ફે મેહુલ પટણીને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ચોરાયેલી રીક્ષા સાથે યુવકને ઝડપી પાડ્યોગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો દિન પ્રતિદિન વધતા PI બી. બી. ગોયલ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્કોડના PSI જે. એચ. મકવાણા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અત્રેના વિસ્તારમાં બાતમીદારોને એક્ટિવ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-13 બગીચા પાસે ચોરાયેલી રીક્ષા સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો છે. જેના પગલે પોલીસે રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઈ પટણી (રહે. હાઉસીંગ બોર્ડના છાપરા, ગાંધીનગર, મૂળ રહે. પાટણ) નામના 23 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી (જીજે-18એવાય-3545) નંબરની સીએનજી રીક્ષા મળી આવી હતી. 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ રીક્ષા થોડા સમય પહેલા જ ચોરવામાં આવી હતી. જે મામલે 60 હજારની કિંમતની રિક્ષા ચોરીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જ્યારે પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પકડાયેલ આરોપી રાહુલ પટણી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સેક્ટર-7, સેક્ટર-21, ઇન્ફોસિટી અને પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી કુલ 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલા છે. સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર ઝડપાયોઆ ઉપરાંત સેક્ટર 7 પોલીસે બેટરી ચોરીના અન્ય એક ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. જેમાં હિંમતસિંહ વાઘેલાની સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર મંગળ બાવરી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ત્રણેય ઘટનાઓની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશની અને હાલ મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન સામે આવેલી ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (ઉં.વ. 28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (ઉં.વ. 30, હાલ સુરત)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા છેલ્લા પાંચ વર્ષથી એકલી રહેતી હતી અને એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. બીજા બનાવમાં, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ. 35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. યુવાનનું મોત થતાં તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં, મોરબીના માધાપર શેરી નંબર 18 ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (ઉં.વ. 58) નામના મહિલાએ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બન્યા છે, નારોલ વિસ્તારમાં રહેતા વેપારીને ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં અને પૈસા મેળવી લીધા હતાં. વેચેલી ગાડી પોલીસમાં જમા કરાવવા માટે કહ્યું હતું, જોકે તેના પૈસા પરત માંગતા પૈસા આપ્યાં નહોતા. અવારનવાર વાયદાઓ કરી પૈસા પરત ના આપતા પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં દુકાન પડાવી લેવાના બહાને ભાડા કરાર કર્યો હતો. ત્યારબાદ બનાવટી બાનાખત બનાવી ખોટી સહીઓ કરી અને બળજબરીથી દુકાન પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસે છેતરપિંડીના ગુના નોંધી આમ તપાસ શરૂ કરી છે Creta ગાડી 13 લાખમાં લેવાનું નક્કી કર્યું'તુંનારોલ વિસ્તારમાં મોની હોટલ પાસે આવેલી વૃદૂલ પાર્ક સોસાયટીમાં હરેશભાઈ ચાવડા રહે છે જેઓ ગોડાઉન ખરીદ વેચાણનું કામ કરે છે તેમની ઓફિસની નજીક અક્ષય પ્રજાપતિ નામના વ્યક્તિની મોબાઇલની દુકાન આવેલી છે જેથી તેને ઓળખે છે. હરેશભાઈને સેકન્ડમાં ગાડી લેવાની હોવાથી અક્ષય પ્રજાપતિને વાત કરી હતી. 18 ઓગસ્ટ 2024ના દિવસે અક્ષય પ્રજાપતિએ કાળા કલરની Hyundai Creta ગાડીના ફોટા બધા વેચાણમાં આવી છે, જેથી જે ગાડી જોવા માટે બીજા દિવસે બપોરે ગયા હતાં. હરેશભાઈએ તેમના પરિવારના સભ્યોને લઈ ગયા હતા અને ગાડી જોઈ હતી બેથી ત્રણ માસ જૂની છે અને 15 લાખ રૂપિયા ભાવ છે. પરંતુ ઓછા ભાવે વેચવાની છે તેમ કહી 13,00,000માં લેવાનું નક્કી કર્યું હતું. 'મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે, વેચેલી ગાડી જમા કરાવીશું તો છોડી દેશે'ક્રેટા ગાડીમાં બેસીને અક્ષય પ્રજાપતિને રોકડા 6.55 લાખ રૂપિયા આપ્યા હતા, બાદમાં અલગ અલગ રીતે ટુકડે ટુકડે કુલ 10 લાખ રૂપિયા આપ્યા હતા અને ગાડી હરેશભાઈને આપી દીધી હતી, બાદમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું હતું. એક સપ્ટેમ્બર 2024 ના રોજ અક્ષયના પિતાએ હરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે અને તમને વેચેલી ગાડીને જમા કરાવીશું તો અક્ષયને છોડી દેશે. ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરીજેથી હરેશભાઈએ કહ્યું હતું કે, ગાડીના 10 લાખ રૂપિયા આપી દો. જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી અમારી માલિકીની દુકાન અને ફોરવ્હિલરની ગાડીની ચાવીઓ તમને આપીએ છીએ જેનું કાયદેસરનું લખાણ કરી આપીશું. ત્યારબાદ જયંતિ પ્રજાપતિએ ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરતા તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી લીધીમૂળ ધોળકાના રાધનપુરી વાડમાં રહેતા ફારુકભાઈ રાધનપુરી ધોળકામાં જ કાપડનો વેપાર કરે છે. જુહાપુરામાં રોયલ અકબર ટાવરમાં વર્ષ 2001માં તેમની માતાના નામે દુકાન ખરીદી હતી. વર્ષ 2014માં આ દુકાન નાવેદ ખાન મહેંદી નામના વ્યક્તિને ભાડે આપવામાં આવેલી હતી. જેનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે વર્ષ સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો. 2016 સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો જેની મુદત પૂરી થતાં નાવેદ ખાન અને તેમના પુત્રને વાત કરતા નવો કરાર કર્યો નહોતો અને અવારનવાર દુકાન માલિક ફારુકભાઈની માતાને ધક્કા ખવડાવતા હતા દુકાન ખાલી કરવા માટે કહ્યું છતાં પણ તેઓ ભાડા કરાર નહીં કરે દુકાન ખાલી નહીં કરે અને ટેક્સ પણ નહીં ભરે એવી વાત કરી હતી. મહિલાઓ કોઈપણ પ્રકારનો બાનાખત કરી આપ્યો નથીદુકાન ખાલી કરવા અંગે વાત કરી ત્યારબાદ પણ વર્ષ 2021માં ઝોન 7 ડીસીપીને આ મામલે અરજી કરી હતી અને જેની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેથી નાવેદ ખાનને પોલીસ સ્ટેશન બોલાવતા તેમણે કહ્યું હતું કે દુકાન માલિક જૈનબબીબીને રૂપિયાની જરૂરિયાત પડતા વર્ષ 2018માં તેમણે ટુકડે ટુકડે રૂપિયા 15 લાખ રૂપિયા આપ્યા છે અને તેનો બહાનાખત કરી આપ્યો છે તેવું બતાવ્યું હતું. બાનાખતની નકલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. જૈનબ બીબીએ કોઈપણ પ્રકારનો બહાનાખત કરી આપ્યો નથી જેથી નાવેદખાને રજૂ કરેલા બહાના ખતમાં તેમની સહી હતી જે ખોટી સહી હોવાનું ધ્યાને આવ્યું હતું. FSLની ખરાઈમાં સહિઓ ખોટી હોવાનું ખુલ્યુંનાવેદખાને ખોટા બાનાખતના આધાર બતાવીને કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો અને ખોટા બહાનાખત કરાર બનાવવામાં આવ્યા હતાં. જે બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત બાદ FSL કચેરીમાં ખરાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જે FSLની ખરાઈ થઈને આવી હતી જેમાં ખોટી સહી હોવાનું ધ્યાને આવતા આ મામલે વેજલપુર પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોટાદ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:સ્થાનિક ચૂંટણી જીતવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું
બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને આગામી જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોટાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. ટ્રેનર તરીકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ શીલું અને ભાવનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ હાજરી આપી હતી. તેમણે સેક્ટર અને મંડળ પ્રમુખોને જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ કેવી રીતે જીતવી, લોકસંપર્ક કેવી રીતે વધારવો, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉપાયો તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ એમ. ચાવડા, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, માજી પ્રમુખ રમેશભાઈ મેર, કોંગ્રેસના વિરલભાઈ કટારિયા તેમજ મહિલા પ્રમુખ ગીતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા આગામી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે એક એક અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં કિડનીની જરૂરિયાત અને તેની જાળવણી અને મહત્વની કેટલીક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ કિડનીના સ્વાસ્થ્ય અને રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસ ની ઉજવણી 12 માર્ચ કરવામાં આવી છે. કિડનીના રોગો વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને અસર કરે છે. તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ, હાઇ બ્લડપ્રેસર અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ અને હાઇ બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે. કિડનીના રોગોના લક્ષણો જોવામાં આવે તો પગ હાથ અથવા ચહેરામાં સોજા આવવા, હાઇબ્લડ પ્રેશર હોવું, લોહીની ઉણપ અથવા એનીમીયા, હાડકાની સમસ્યાઓ જેવી કે હાડકાની નબળાઈ. કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકોએ નિયમિત તપાસ કરાવવી. સારી આરોગ્યશૈલી અપનાવવી અને રોગોના લક્ષણોને ઓળખવા માટે જાગૃત રહેવું જોઇએ. આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડના ડિરેકટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વિશ્વ કિડની દિવસે અમે લોકોને જાગૃત કરવા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ રોગથી બચી શકાય છે પરંતુ તેના માટે જાગૃતતા હોવી જરૂરી છે. સમયસર ચેકઅપ થવું જોઈએ જેથી તેની સમયસર સારવાર થઇ શકે તો આ રોગથી અવશ્ય મુક્તિ મળી શકે તેમ છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં, નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે. મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો મળતી માહિતી મુજબ, ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશ કુમાર ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકના પિતા કમલ કુશવાહા અને માતા રેખા કુશવાહા આ ઘટનાથી ભારે આઘાતમાં છે. વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ બાળકની માતા રેખા બહેને જણાવ્યું કે, મારો દીકરો ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને તેને પકડી લીધો હતો. આ વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા માત્ર રસીકરણ અને ખસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જૈસે થી છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે.
વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા:પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા MG રોડ પર અફરાતફરી
વલસાડ શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, પાલિકા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિને ટ્રેક્ટર ચલાવવા અપાતા આ ઘટના બની હતી. સવારના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ હતી, ત્યારે પાલિકાનું કચરો ઉઠાવવાનું ટ્રેક્ટર એમ.જી. રોડ પર ટાવર પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક્સ તેમજ અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર લોકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરનો અસલી ડ્રાઈવર હાજર નહોતો અને ટાવર પાસેથી કોઈ અજાણ્યા શખ્સને ટ્રેક્ટર ચલાવવા માટે આપી દેવાયું હતું. બિનઅનુભવી વ્યક્તિના હાથમાં સરકારી વાહન સોંપવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તેમનું કહેવું છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, ભરેલા બજારમાં આવી રીતે બિનઅનુભવી માણસને ટ્રેક્ટર સોંપવું એ પાલિકાની ઘોર બેદરકારી છે. જો કોઈ રસ્તે ચાલતું વ્યક્તિ અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાત. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે વલસાડ નગરપાલિકા આ ઘટનામાં જવાબદાર કર્મચારી કે ડ્રાઈવર સામે કેવા પગલાં ભરે છે. શું અજાણ્યા વ્યક્તિને વાહન સોંપનાર સામે તપાસ થશે કે પછી આ મામલો થાળે પાડી દેવાશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી ધરપકડ કરી લાવતી વખતે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આરોપીને ગુજરાત લવાતો હતોSMCની ટીમ ગુજસીટોકના ગુનાના આરોપી શકાજી ડાંગીની રાજસ્થાનથી અટકાયત કરી ગુજરાત લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક માર્ગ પર આરોપીએ પોલીસને ચકમો આપી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે SMCની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા હાથે વાગી હતી. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઈજાગ્રસ્ત આરોપીને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા SMCના ઉચ્ચ અધિકારીઓ સહિત એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરી અને LCB PI ડી.સી. સાકરીયા કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તબીબો દ્વારા આરોપીની સારવાર ચાલી રહી છે.
ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29(E) નિયમો મુજબ રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) મારફતે જ કરવામાં આવશે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે સરકારે જણાવ્યું છે કે, અનેક વિભાગોમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે, જેઓ નક્કી કરેલી સમયમર્યાદા અને કિલોમીટર મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોને વાહનોના નિકાલ માટે એકસરખી પ્રક્રિયા અપનાવવા સૂચના આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે. જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે. તે સિવાય 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાના રહેશે. વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશેસરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનો નિકાલ માત્ર Registered Vehicle Scrapping Facility (RVSF) મારફતે જ થશે. વાહનને કન્ડેમ (Condemn) જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત RTO/ARTO કચેરીમાં કરવામાં આવશે અને પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરાશે. વાહનના નિકાલ માટે તેની નિલામી કિંમત નક્કી કરતી વખતે મૂળ ખરીદી કિંમતમાંથી અંદાજે 4 ટકા દર વર્ષે ઘટાડીને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશે. સ્ક્રેપિંગ પ્રક્રિયા MSCTC અને GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા હરાજી દ્વારા કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારા બિડર્સમાંથી સર્વોચ્ચ બોલી આપનારને વાહન સ્ક્રેપ માટે આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લાકક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, RTO પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નિલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે. સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશેસરકારે વધુમાં જણાવ્યું છે કે આ નિયમો GSRTCના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોને લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે.
પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત બાદ 24 કલાક વીતી ગયા હોવા છતાં ગતિરોધ યથાવત છે. હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગત દિવસે પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હત્યારાઓની ધરપકડ થઈ નથી. આથી પરિવારે હત્યારાને પકડવાની પોતાની માંગ પર અડગ રહીને મૃતદેહનો કબજો લેવાનો ઇનકાર કર્યો છે. હાલમાં મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર માટે દેહનો કબજો લેવામાં આવશે નહીં. આ માંગ સાથે વહેલી સવારથી જ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારપુર ખાતે DYSP સહિત પોલીસની વિવિધ ટીમો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પરિવાર અને સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવારે પોતાની માંગ પર મક્કમ રહીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર યથાવત રાખ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હોવાનું જણાવ્યું છે.
છેલ્લા કેટલાય દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઘરેલુ ગેસ ઉપયોગ લેતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાતા એક એક બોટલ માટે તરસી રહ્યા છે. આજે સત્તત ત્રીજા દિવસે વડોદરામાં ગેસ એજન્સી આગળ લાંબીલંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ લોકો જાતે બુક જાળવી પાવતી મેળવવા માટે લાઈનમાં ઊભા રહેતા હોવાનું એજન્સીએ જણાવ્યુ હતું. વિવિધ ગેસ એજન્સીઓ પર સવારથી જ ગ્રાહકોની લાઈનઅમેરિકા -ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગેસની અછત ઉભી થશે એવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે એવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. કેટલાક લોકોને એજન્સી પર ભરોસો નથી એટલે જાતે જ એજન્સી પર જઈ પાવતી મેળવી ગોડાઉન પર જઈ બોટલ મેળવી લે છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે બુકિંગનો આંકડો 8 હજારથી 12 હજારે પહોંચ્યોવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં IOCL દ્વારા 6 હજાર, SPCL દ્વારા 5 હજાર અને BPCL દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. 'ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું, લાઇન જોઈને જતો રહું છું'સવારથી લાંબી કતારમાં ઉભેલા ગ્રાહક પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે,અહીંયા બહુ તકલીફ પડે છે, ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું. લાઇન જોઈને જતો રહું છું. આજે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય લાઈનમાં ઊભા જ રહેવું છે. આટલા તાપમાં પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. ગરમી સખત પડી રહી છે. અત્યારે ઓનલાઇન બુકિંગમાં પણ આ લોકોનું સર્વર ડાઉન છે, એટલે બુકિંગ નથી થતું. મેં બુકિંગ કરાવ્યું છે છતાં પાવતી મેળવીશ તો જ બોટલ મળશે તેવું અહીંથી જાણવા મળ્યું છે. ‘એક કલાકથી ઊભો છું હજુ સુધી મારો વારો આવ્યો નથી’અન્ય એક ગ્રાહક ઓમપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા મુશ્કેલી પડી રહી છે. લાઈન તો ખૂબ જ છે. એક કલાકથી વધુ સમય થયો પરંતુ, લાઈન પૂરી થતી નથી. અમુક લોકોનું બુકિંગ થાય છે અને કેટલાકનું થતું નથી. બુકિંગ વગર બોટલ મળતી નથી એટલે બે દિવસ એમને એમ થઈ ગયા છે. બુકિંગ કર્યા પછી આપણને પાવતી આપે છે તે લઈને જવું પડે છે. તેઓ આપવા આવે તો પણ 15-20 દિવસ જેટલો સમય લાગશે. ‘હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય’અન્ય એક ગ્રાહક મહેશભાઈ બોધવાનીએ જણાવ્યું હતું કે, હું વારસિયાનો રહેવાસી છું. અને હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય છે. બીજા કે ત્રીજા દિવસમાં આવી જાય છે. આ લોકો સમજતા નથી. આ લોકોને અત્યારે એવું કહે છે કે, તમે લોકો અહીંયા પાવતી ફડાવો એના પછી તમારે 15 દિવસમાં આવશે તે વાત શક્ય નથી.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારી પહોંચ્યા:પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે આગમન, કલેકટરે આવકાર્યા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સપરિવાર નવસારીની મુલાકાતે આવ્યા છે. તેઓ નવસારીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ 15 માર્ચના રોજ સુરત ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે પૂર્વે તેઓ નવસારી આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે તેઓ નવસારીમાં પોતાના મિત્રને મળવા આવ્યા છે. તેઓ પરિવાર સાથે નવસારીના ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાતને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તથા પ્રોટોકોલ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામનાથ કોવિંદ 13 માર્ચના રોજ નવસારીમાં રોકાણ કર્યા બાદ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, શહેરમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે જગ્યાની શોધ અને જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, તેમને સરકારી ભવનમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, આંગણવાડી કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કુપોષિત બાળકોની ઓળખ કરી તેમને પૌષ્ટિક આહાર અને સારવાર પૂરી પાડવા માટે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનનો સચોટ ઉપયોગ કરવા જણાવાયું છે સાથે જ MMY અને THR (ટેક હોમ રાશન) નું વિતરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે, 'ફેસ રેકગ્નિશન સિસ્ટમ' (FRS) દ્વારા હાજરી પૂરવાની પ્રક્રિયાને વધુ વેગવંત બનાવવા સૂચના આપવામાં આવી હતી, આ બેઠકના અંતે તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને માનદ વેતન સમયસર મળે અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, આ બેઠકમાં કમિશ્નર એન.કે. મિણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાટણ નગરપાલિકા દ્વારા ₹19 કરોડથી વધુના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો છે. પાટણના નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હતી. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રાજ્ય સરકારમાં કરાયેલી રજૂઆતના પગલે ₹19 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત શહેરના ધાનાવાડા છાપરા, પીતાંબર તળાવ, માહી રેસિડેન્સી અને રેલવે નાળા જેવા વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવશે, જ્યાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, પ્રમુખ બન્યાના ત્રીજા દિવસે જ તેમણે પાણી ભરાવાની સમસ્યા જોઈ હતી અને સરકારમાં દરખાસ્ત મોકલી હતી. આ પ્રોજેક્ટની કામગીરી આગામી એક માસમાં શરૂ થશે અને આગામી વરસાદની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આ પ્રોજેક્ટથી મોટી રાહત મળશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે દેવચનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, પરેશન પટેલ, પક્ષના નેતા દશરથ સહિત અન્ય નગરસેવકો અને વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક કોરડો વીંઝાયો છે. મિનરલ વોટર વેચતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ પાણીના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પાછળ મુખ્ય કારણ ઇઝરાયેલ અને ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે, જેના કારણે પ્લાસ્ટિકના રો-મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્લાસ્ટિકના જારના ભાવમાં 40% થી વધુનો ઉછાળોમિનરલ વોટરના વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 20 લિટરના પ્લાસ્ટિક જારના ભાવમાં મોટો ભડકો થયો છે. માત્ર 7 દિવસ પહેલા જે પ્લાસ્ટિકનો જાર 125માં મળતો હતો, તેનો ભાવ હવે વધીને 180 થઈ ગયો છે. એટલે કે માત્ર એક અઠવાડિયામાં 55નો સીધો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારાને કારણે મિનરલ વોટર પ્લાન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 10ની પાણીની બોટલ હવે 15માં મળશેસામાન્ય રીતે મુસાફરી દરમિયાન કે બજારમાં મળતી 10ની મિનરલ વોટરની નાની બોટલ હવે 15માં વેચાઈ રહી છે. પ્લાસ્ટિકના દાણા મોંઘા થતા બોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઈ છે. ગેસની અછત અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે છૂટક વેચાણમાં 5નો વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે. ગલ્ફ કન્ટ્રી અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ જવાબદારવૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ નક્કી કરવામાં ગલ્ફ કન્ટ્રીઝ (ખાડી દેશો) મહત્વનો ભાગ ભજવે છે. ઇઝરાયેલ અને પડોશી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પેટ્રોકેમિકલ્સ આ દેશોમાંથી આવતા હોવાથી તેની અછત સર્જાઈ છે. પરિણામે, સ્થાનિક બજારમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર અસરસુરત એક ઔદ્યોગિક શહેર છે, જ્યાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સ આવેલા છે. આ એકમોમાં દરરોજ લાખોની સંખ્યામાં 20 લિટરના પાણીના જાર મોકલવામાં આવે છે. પાણીના ભાવ અને જારના ભાવ વધતા હવે કારખાનાના માલિકો અને વેપારીઓ માટે આ ખર્ચ મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી હવે મોંઘી પડશે. ઉનાળાની સિઝનમાં જનતાને બેવડો ફટકોમાર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પાણીની માંગમાં પણ વધારો થયો છે. એક તરફ પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે, તો બીજી તરફ ઉપલબ્ધ પાણીના ભાવ પણ વધી રહ્યા છે. ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ મોંઘી થશે તો ઘર ચલાવવું મુશ્કેલ બનશે. વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે મજબૂરીમાં આ ભાવવધારો ગ્રાહકો પર નાખવો પડી રહ્યો છે. વેપારીઓ અને સામાન્ય લોકોની હાલત કફોડીપ્લાસ્ટિકના જાર અને બોટલોના ભાવમાં અચાનક થયેલા વધારાથી વેપારીઓ પણ મૂંઝવણમાં છે. સાત દિવસમાં આવેલો 55નો વધારો અકલ્પનીય છે. હાલમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોથી લઈ રહેણાંક વિસ્તારો સુધી પીવાના પાણીના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ શાંત નહીં થાય, તો પાણીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. વેપારી હિતેશ વણઝારાએ જણાવ્યું હતું કે, અમારે એક ટાઇમ પર આ જે 20 લિટરની બોટલ છે, એ 110થી 115 રૂપિયામાં મળતી હતી અને આજની તારીખમાં અમારે 180 રૂપિયાનો ભાવ સાંભળવામાં આવ્યો છે. કાલે અમે 155માં ખરીદી હતી બોટલ અને આજે ભાવ 180 રૂપિયા છે. ડીલરને તો હવે નુકસાન જ છે કેમ કે જે બોટલ એ લોકો 125 રૂપિયામાં ખરીદતા હતા એ લોકોને સીધો 50 રૂપિયાનો વધારો મળ્યો છે, તો હવે ડીલરોને તો નુકસાન જ છે ને. એક બોટલ પર 50 રૂપિયા વધી જાય એટલે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપી હતી. જોકે, વિપક્ષે આ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. ‘ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી’ : પ્રમુખ આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી છે. ‘વિપક્ષે રોડ પર જઈ તપાસ કરી પછી વાત કરવી જોઈએ’ પ્રમુખ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા એ વિપક્ષનું કામ છે. તેમણે વિપક્ષને સલાહ આપી કે, વિપક્ષે રોડ પર જઈને તપાસ કરીને વાત કરવી જોઈએ, માત્ર જનરલ બોર્ડમાં આવીને બૂમો પાડવી અને મીડિયા સામે આવવું એ તેમનું કામ છે. ‘ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી’ : વિપક્ષ પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝ સિંધીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. તેમણે સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં વાર્ષિક 23 લાખના મેન્ટેનન્સ સામે 1 કરોડ 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. સિંધીએ 12 કરોડના માનસરોવર પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટને પણ ભ્રષ્ટાચાર સાથે જોડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
વડોદરા શહેરના તરસાલી બાયપાસના શ્રીજી આંગણ સોસાયટી ખાતે પારિવારિક ઝઘડામાં છોડાવવા પોલીસ ગઈ હતી. દારૂના નશામાં એક શખ્સે 112 વાનના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યો હતો. આ મામલે કપુરાઇ પોલીસે પોલીસની ફરજમાં અડચણ અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 112 હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીવડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 112 ઇન્ચાર્જ અનાર્મ હેડ કોસ્ટેબલ ચેતનસિંહ વિક્રમસિંહ દ્વારા નોંધાવેલી ફરીયાદ મુજબ 12 માર્ચ 2026ના રોજ 112 હેલ્પલાઈનની ટીમ ફરજ પર હતી. સાંજે કંટ્રોલ રૂમથી ઓફેન્સ અગેન્સ્ટ વુમન ડોમેસ્ટિક વાયોલન્સ અંગેનો ઇવેન્ટ મળતા ટીમ તુરંત જ તરસાલી બાયપાસ વિસ્તારમાં આવેલ શ્રીજી આંગણ સોસાયટી ખાતે પહોંચી હતી. બે શખ્સ દારૂના નશામાં ધમાલ કરતા હતાસ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ દારૂના નશામાં ધમાલ કરતા જોવા મળ્યા હતા. પોલીસ ટીમે બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ બિપીનભાઈ વિનુભાઈ રોહિત અને વિનુભાઈ કાલિદાસ રોહિત તરીકે થઈ હતી. બંને દારૂના નશામાં હોવાનુ જણાતા પોલીસે તેમને કાબૂમાં લઇ 112 બોલેરો ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યોઆ દરમિયાન આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિતે પોલીસ સાથે આવેલા ડ્રાઈવર વિષ્ણુભાઈ કિશોરભાઈ બારીયા સાથે ઝપાઝપી કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. જેના કારણે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી થઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી વધારાની પોલીસ મદદ બોલાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધ્યોઆ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 221 તથા 121(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ પીધેલા હોવાને કારણે તેના વિરુદ્ધ અલગથી પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરાના ભાયલીમાં અસહ્ય દુર્ગંધ:GPCB દ્વારા 24 કલાક એર મોનિટરિંગ શરૂ કરાયું
વડોદરાના ભાયલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ અંગે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 24 કલાક માટે એર મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ દુર્ગંધને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર અને રાત્રિના સમયે દુર્ગંધ વધુ તીવ્ર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. GPCB દ્વારા ગોઠવવામાં આવેલી આ સિસ્ટમ દ્વારા ભાયલી વિસ્તારમાં હવાની ગુણવત્તા (AQI)ની સતત તપાસ કરવામાં આવશે. આ મોનિટરિંગ દરમિયાન હવામાં રહેલા પ્રદૂષક તત્વોનું માપન કરીને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે, જેથી દુર્ગંધના સ્ત્રોત અને કારણો શોધી શકાય.
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં આગની મોટી દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ કટકારી છે. આગની ઘટનાને ધ્યાનમાં રાખીને કંપનીની સમગ્ર પ્રિમાઇસીસ તાત્કાલિક અસરથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ સાથે જ હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જેમાં રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપની સહિત પ્લાયવુડની ફેક્ટરી તેમજ ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે જને લઇને આસપાસમાં આવેલી અન્ય જગ્યાઓ પણ લપેટમાં આવી ગઇ હતી. તેને કાબૂમાં લેવા માટે 30થી વધુ ફાયર ફાઈટરોને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ગુજરાત ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન રૂલ-2025 હેઠળ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. વિભાગે કંપનીને તમામ કામગીરી બંધ રાખવા અને જરૂરી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ ઘટનાને લઈને કંપનીમાં કાર્યરત તમામ કામદારોના નિવેદનો લેવામાં આવશે. સાથે જ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. જેથી આગ લાગવાની સાચી કારણોની માહિતી મેળવી શકાય. વિભાગ દ્વારા કંપનીને ખાસ કરીને આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ ઉપરાંત કંપનીને સેફટી ઓડિટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ તમામ રિપોર્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને સોંપ્યા બાદ જ કંપનીને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ બુધવારે બપોરે 1 વાગ્યે હોજીવાળા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 2 બેન્સો મિલ, એથર ઇન્ડસ્ટ્રીના કેમિકલ સ્ટોરેજ ગોડાઉન અને અન્ય એક એકમમાં આગ લાગી હતી. આગની ઘટના અંગે ઇન્ડસ્ટ્રિયલ સેફટી વિભાગ, લેબર વિભાગ, વિધુત નિરીક્ષક અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા SMC, સચિન નોર્ટિફાઇડ અને સચિન ઉધોગનગર સહકારી મંડળી લિ.ના હોજીવાલા ફાયર સ્ટેશનના અધિકારીઓ પાસે અહેવાલ માંગવામાં આવ્યો હતો. હોજીવાલા એસ્ટેટના હોજીવાલા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલા પ્લોટ નંબર સી-24/9, રોડ નં.2 અને પાછળના ભાગે રોડ નં.1માં અમને ફાયર લાગવાનો કોલ આશરે 1 વાગ્યાના સમયે મળ્યો હતો. આ અંગેનો કોલ મળતાં અમો અમારા ફાયર ટેન્કરના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. દરમિયાન અમને રોડ નં.1ના એથર કંપનીના ગોડાઉનની સામે હાજર રહેલી વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે, રસ્તા ઉપર આવેલા ટ્રાન્સફોર્મર પાસેના રોડ પરથી આગ લાગી છે, અને ત્યાંથી આગ આપના પ્લોટ નંબર સી-24/9 કે જ્યાં ગોડાઉન આવેલુ છે ત્યાં આગ પ્રસરેલી જણાઈ હતી. આથી આ બાબતની નોંધ લઈને અમ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. એથર ઇન્ડસ્ટ્રીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીને ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ અમારા વેરહાઉસના પાછળના ભાગે આવેલા રોડ નં.1 પરના ડીજીવીસીએલના કોમન ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ અમારા વેરહાઉસ અને બાજુની અન્ય કંપની સુધી પ્રસરી હતી. જેના લીધે માલસામાનનું નુકસાન થયું હતું. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તથા કોઈપણ વ્યક્તિને શારીરિક ઈજા પણ થઈ નથી. એથર ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ આ આગ લાગવાના કારણ અંગે અન્ય કોઇ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા કે અન્ય કોઈ કંપની પર દોષારોપણ કરતી નથી. આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. કંપની દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક અહેવાલોમાં બોઈલર બ્લાસ્ટ થયો હોવાની જે વાત વહેતી થઈ છે તે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. જે સ્થળે આગ લાગી હતી તે માત્ર એક વેરહાઉસ છે અને ત્યાં કોઈ બોઈલર રાખવામાં આવતું નથી. બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે પણ એથર ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે, વેરહાઉસમાં પતરાનો કોઈ ડોમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ ફરતી બાજુએથી ખુલ્લો છે અને માત્ર પતરાની છત લગાવવામાં આવી હતી. ઘટના સ્થળનાં CCTV ફૂટેજ ફાયર એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે જે એમાં બધું સ્પષ્ટ જણાઈ આવે છે.
મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં મહિલા સહિત આઠ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક વૃદ્ધાના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે કાર્યવાહી કરી હતી. આ ઘટના મોરબીના બાયપાસ રોડ પર આવેલા ડિવાઇન પાર્કના સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતાં મૃતકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. નોટમાં વૃદ્ધાએ ઉલ્લેખ કર્યો હતો કે એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ તેમને ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતા હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. મૃતકના દીકરા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયાની ફરિયાદના આધારે પોલીસે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન (તમામ રહે. સત્ય બી એપાર્ટમેન્ટ, મોરબી) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુસાઈડ નોટમાં સવિતાબેને લખ્યું હતું કે આરોપીઓ તેમને અને તેમના પરિવારને વારંવાર ધાકધમકીઓ આપતા હતા અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૪ માં આરોપીઓએ પાર્કિંગની સફાઈ બાબતે તેમની માતા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ સમાધાનના બહાને અગાસી પર બોલાવી ફરિયાદી અને તેમની માતાને માર મારવામાં આવ્યો હતો, જે અંગે ત્યારે પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીઓ દ્વારા હેરાનગતિ ચાલુ રહેતા સવિતાબેને આપઘાત કર્યો હતો. મોરબીના DYSP જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી કે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે.
આણંદ જિલ્લામાં એલપીજી ગેસ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા મામલતદારોનો સમાવેશ થાય છે. આ ટીમો દ્વારા ગેસ એજન્સીઓ અને સંગ્રહસ્થાનો પર આકસ્મિક તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે આણંદ જિલ્લામાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાશે નહીં અને સમયસર ગેસ ઉપલબ્ધ થશે. જો કોઈ ગેસ એજન્સી સિલિન્ડર આપવામાં આનાકાની કરે અથવા કાળાબજારી કે સંગ્રહખોરી ધ્યાને આવે, તો ગ્રાહકોને તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી અથવા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં
સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.… 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ચોટીલામાં 'ચોટીલા ઉત્સવ 2026' યોજાયો:ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ સાથે ભક્તિ અને લોક સંસ્કૃતિનો સંગમ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય 'ચોટીલા ઉત્સવ 2026' પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર યોજાયો હતો. જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં લોકસાહિત્ય અને ભક્તિ સંગીતનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા માત્ર શક્તિધામ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તાજેતરમાં જ અહીં તેમની યાદમાં સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 11 મહત્વના યાત્રાધામોમાં બે દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરાયું છે. સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકકલાઓ અને કલાકારોને મંચ પૂરો પાડી આપણી વિરાસતને જીવંત રાખવાનો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણીએ આ માટીની સુગંધ વિશ્વભરમાં ફેલાવી છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે જન્મભૂમિ પર ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવી એ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કલાના સંવર્ધન માટે હંમેશા પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી નવીન પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, આધુનિક શૈલી થકી મેઘાણીજીના જીવન-કવન અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે, જે આપણા ભવ્ય વારસા, દુહા-છંદ અને લોકસાહિત્યના ગૌરવશાળી ઇતિહાસ સાથે તેમને જોડે છે. ઉત્સવના બીજા દિવસે સિદ્દી ધમાલ અને ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે તથા નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કલાકારોએ મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો. આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ, તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ચોટીલા મંદિરના મહંત લાલબાપુ, અવિનાશબાપુ, નિરંજન બાપુ, અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર, તેમજ ચોટીલા અને થાનગઢના મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજબિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજબિલની રકમ બાકી છે તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે (13 માર્ચે )આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 23 સબ ડિવિઝનમાં 480 ટીમો કામે લાગીવડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. સ્થળ ઉપર જ બિલ ભરવાની વ્યવસ્થાકંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે તેમછતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. વીજ ગ્રાહકોને ત્વરિત બિલ ભરવા અપીલમધ્ય ગુજરાત વીજ કંપનીના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન.થાણાવાલાએ જણાવ્યું હતું કે, શહેર વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે તેવામાં વીજ કંપની દ્વારા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું રેન્કિંગ હોય છે એમાં આ એક ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે કે 31 માર્ચના અંતે કેટલા પૈસા બિલના બાકી છે. એ હેતુથી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય તે માટે આ ડ્રાઈવ રખાઈ છે. વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં એવા કોઈ વિસ્તાર નથી જ્યાં વસૂલાતમાં તકલીફ પડતી હોય. અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવી તકલીફ પડતી હોય છે પણ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. તેઓએ ઉમેર્યું હતું કે, આ ડ્રાઈવ એક દિવસ માટે છે.
આણંદ શહેરમાં જેકે લોટસ પાર્ટી પ્લોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ વિભાગની ટીમે બિનપરવાનગીથી કરાયેલું બાંધકામ તોડી પાડ્યું હતું. અગાઉ, આ પાર્ટી પ્લોટ પાસે બિલ્ડિંગ યુઝ (BU) અને ફાયર સેફ્ટીની જરૂરી પરવાનગીઓ ન હોવાથી મનપાએ નોટિસ ફટકારી તેને સીલ કર્યું હતું. આ મામલે સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે સંચાલકોને 1 માર્ચ 2026 સુધીમાં જરૂરી પરવાનગીઓ મેળવી લેવા માટે મુદત આપી હતી. જોકે, કોર્ટ દ્વારા અપાયેલી મુદત પૂર્ણ થવા છતાં અને મનપા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સંચાલકોએ કોઈ પરવાનગીના પુરાવા રજૂ કર્યા નહોતા. હાઈકોર્ટનો સ્ટે હટતા જ મહાનગરપાલિકાએ કાયદાની કલમ 260 હેઠળ આખરી નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા, મનપાની ટીમે સ્થળ પર પહોંચીને અનઅધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું. મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં કાયદાના પાલન અંગે ગંભીરતાનો સંદેશ પહોંચ્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ અને ઠંડા પીણાંનો આશ્રય લઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
હિંમતનગરના 6 વોર્ડમાં સેવાસેતુનો પ્રારંભ:આયુષ્યમાન, આધાર કાર્ડ, આવકના દાખલા માટે વધુ અરજીઓ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વહીવટમાં પારદર્શિતા વધારવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 1, 3, 4, 5, 6 અને 7 માટે આ કાર્યક્રમ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ સેવાસેતુમાં સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા માટે આવ્યા હતા. આ ઉપરાંત, ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અરજીઓનો સ્થળ પર જ ગુણદોષના આધારે નિકાલ કરવાનો છે, જેથી લાભાર્થીઓને એક જ દિવસમાં કાર્ડ સહિતનો લાભ મળી શકે. આ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આવક, આધારકાર્ડ, ક્રિમિલેયર અને મહેસૂલ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે. રેશન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, માઁ અમૃતમ્ યોજના, માઁ વાત્સલ્ય યોજના, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો માટેની અરજીઓ પણ લેવામાં આવી હતી. વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજનાઓ માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. શહેરી ગરીબો માટે DAY-NULM અંતર્ગત કૌશલ્ય વર્ધક તાલીમ, સ્વરોજગાર કાર્યક્રમ અને સખીમંડળ રચના જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. નગરપાલિકા કક્ષાની સેવાઓ જેવી કે, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક પણ ઉપલબ્ધ હતી. બેંકની યોજનાઓ અને મેડિકલ હેલ્થ કેમ્પ (ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરનું મફત ચેકઅપ) પણ આ કાર્યક્રમનો ભાગ હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ માટે રાજ્યસભામાં વિધાનસભાના ગઠનનો મુદ્દો શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ઉઠાવ્યો છે. તેમણે સદનમાં જણાવ્યું કે આ વિશાળ કેન્દ્રશાસિત પ્રદેશની જનતા લાંબા સમયથી લોકતાંત્રિક અધિકારોની માંગ કરી રહી છે. રાઉતે કહ્યું કે, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લાખો લોકો વિધાનસભાની રચના અને 'અધિકારી રાજ'માંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશનો કોઈ સભ્ય રાજ્યસભામાં પણ નથી, જેના કારણે તેમનો અવાજ ઉચ્ચ સદનમાં પહોંચી શકતો નથી. વર્ષ 2014માં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના ગઠનની ભલામણ કરી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ ગૃહ મંત્રાલય અને રાજ્યસભાને પણ સુપરત કર્યો હતો. જોકે, બાર વર્ષ વીતી ગયા હોવા છતાં, આ ભલામણ પર કોઈ કાર્યવાહી થઈ નથી. વિધાનસભાના અભાવે આ વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જેમ કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો, શક્તિહીન બની ગયા છે. તમામ સત્તા વહીવટી અધિકારીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે, જેઓ સ્થાનિક પ્રતિનિધિઓને પૂછ્યા વિના પોતાના નિયમો બનાવે છે. રાઉતે પ્રશ્ન કર્યો કે, જ્યારે સિક્કિમ, ગોવા અને પુડુચેરી જેવા નાના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો, જેમની પાસે એક કે બે લોકસભા બેઠકો અને મર્યાદિત મહેસૂલ છે, તેમને વિધાનસભાનો દરજ્જો મળી શકે છે, તો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને આ અધિકાર કેમ નહીં? આ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો છે, તેનું મહેસૂલ નાના રાજ્યો કરતાં વધુ છે અને વસ્તી પણ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અગાઉ પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલો આ પ્રદેશ આઝાદીના આટલા વર્ષો પછી પણ 'અધિકારી રાજ'ના ચુંગાલમાં ફસાયેલો છે. સંજય રાઉતે માંગ કરી છે કે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લોકોને લોકશાહીનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ અને તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં ન આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પોન્ડીચેરી,સિક્કિમ,ગોવા,જેવા રાજ્યને વિધાનસભાનો દરજ્જો આપવામા આવે તો દાદરા નગર હવેલી અને દમણ દીવને કેમ નહિ?
અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથીક ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેસબુક પર મિત્રતા કેળવી પાલનપુર બોલાવ્યાઆ ઘટનાની વિગતો મુજબ આરોપી આરતી ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જર દ્વારા ફરિયાદી ડોક્ટર સાથે સંપર્ક વધાર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ ગત 12 માર્ચ, 2026ના રોજ આરતીએ ડોક્ટરને મળવા માટે પાલનપુર બોલાવ્યા હતા. પાલનપુરની લિજેન્ડ હોટલમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં આરતીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવી ફોટા પણ પડાવ્યા હતા.ત્યારબાદ તેણે મહેસાણા જવાનું બહાનું કરી ડોક્ટરની ગાડીમાં સાથે નીકળી હતી. હાઇ-વે પર ફિલ્મી ઢબે અપહરણ અને લૂંટપાલનપુરથી મહેસાણા તરફ આવતી વખતે મોટી દાઉના પાટિયા પાસે આરતીએ તબિયત લથડવાનું નાટક કરી ગાડી ઊભી રખાવી હતી. પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડી ઉભી રહેતા જ તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ડોક્ટર પર હુમલો કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેમને પાછળની સીટ પર બેસાડી દીધા હતા. આરોપીઓએ ડોક્ટરને ધમકી આપી હતી કે, જો તેઓ 10 લાખ રૂપિયા નહીં આપે તો તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ દરમિયાન તેમનો 50 હજારની કિંમતનો આઇફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો. પોલીસ પેટ્રોલિંગને કારણે ડૉક્ટર બચ્યાઆ ગુનાહિત પ્રવૃત્તિ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. હાઈ-વે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી ગાડી જોઈને પોલીસે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તાલુકા પી.આઈ. ડી.આર. રાઓના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડોક્ટરને મુક્ત કરાવ્યા હતા અને આરોપીઓને ઝડપી લીધા હતા. 7 આરોપીઓ સામે ગુનો દાખલપોલીસે આ મામલે આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. પાલનપુર), મોહમદ ફૈઝલખાન પરમાર, સરીફ ઇદ્રીશભાઇ બેલીમ, સમીરખાન અસરફખાન મલેક, આફતાબખાન સલીમખાન અબ્બાસી, સોહિલકુમાર સલીમભાઇ કુરેશી અને સમીરખાન રફીકભાઇ સંધી સામે ગુનાહિત કાવતરું, અપહરણ, મારપીટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
DRUCC બેઠકમાં વેરાવળ મુદ્દાઓ પર ચર્ચા:મુસાફરોની સુવિધાઓ સુધારવા અને નવી ટ્રેનો માટે સૂચનો રજૂ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા કરવાનો હતો. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો. તેમણે ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરતા ભાવનગર મંડળમાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા સ્ટેશનો વિશે માહિતી આપી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર મંડળની વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો અને તાજેતરની સિદ્ધિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પૂરી પાડવી એ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ અને મુસાફર સુવિધાઓમાં કરાયેલા સુધારાઓની જાણકારી અપાઈ. સમિતિના સભ્યોએ તેમના વિસ્તારો સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, લંબિત પ્રોજેક્ટોની વહેલી પૂર્ણતા અને સ્ટેશનો પર મુસાફર સુવિધાઓ માટે સૂચનો રજૂ કર્યા. વેરાવળના સભ્ય અનિષ એન. રાચ્છે વેરાવળ સ્ટેશનના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી. જેમાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર લિફ્ટ, એક્સીલેટર સીડીની સુવિધા, યાત્રાધામ સોમનાથથી લાંબા અંતરની નવી ટ્રેનની માંગણી, રાજકોટ-વેરાવળ ફાસ્ટ ટ્રેનની માંગણી, તેમજ ફ્લાયઓવર બ્રિજ અને ફૂટઓવર બ્રિજ સહિતની સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના સભ્યોમાં એડવોકેટ કિરણ એમ. ગાંધી, બૈજુ એસ. મહેતા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની, પ્રદીપભાઈ એચ. દેસાઈ, પારસભાઈ સી. શાહ, ડૉ. આર.સી. ગુપ્તા (તમામ ભાવનગર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), અનિષ એન. રાચ્છ (વેરાવળ), જિગ્નેશ કારિયા (પોરબંદર) તથા એસ. એ. સિંહ (અધીક્ષક ઇજનેર, ગાંધીનગર) હાજર રહ્યા હતા. બેઠકના અંતે અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સૂચનો અને રજૂઆતો પર વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી.
જામનગરમાં રંગમતી નદી સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલી:DLSA, હોમગાર્ડઝ અને JMCનું સંયુક્ત અભિયાન
જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન રંગમતી નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને તેની સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ (DLSA), હોમગાર્ડઝ અને જામનગર મહાનગરપાલિકા (JMC) ના સંયુક્ત ઉપક્રમે આ ‘સ્વચ્છતા સંદેશ’ રેલી યોજાઈ હતી. આ જાગૃતિ રેલી શહેરના આદર્શ સ્મશાન પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરીને સિધ્ધનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નદીમાં કચરો ફેંકતા અટકાવવાનો અને જામનગરના નાગરિકોને નદી પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ નદીના અસ્તિત્વને બચાવવા માટે મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. DLSA ના સચિવ અનિકેત શુક્લાએ જણાવ્યું હતું કે રંગમતી નદી જામનગરની શાન છે અને તેનું ભવિષ્ય અંધકારમય ન બને તે જોવાની જવાબદારી સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે કાનુની સેવા સત્તા મંડળ આ કાર્ય માટે કટિબદ્ધ છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડઝના જવાનોને આ સેવામાં જોડીને લોકોને નદી સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરી હતી. આ રેલીમાં DLSA ના સચિવ, પેરા લીગલ વોલન્ટીયર્સ અને એડવોકેટ મિત્રો, હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ તેમજ JMC ના સફાઈ વોરિયર્સ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રંગમતી નદીને ગંદકીથી બચાવવી એ માત્ર તંત્રનું જ નહીં, પરંતુ દરેક જામનગરવાસીનું કર્તવ્ય છે.
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર: ચાવડાકોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. ‘વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થતાં પેટ્રોલિયમ-ગેસ સપ્લાય મુદ્દે દેશને નુકસાન’અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. ‘આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે’તેમણે ચેતવણી આપી હતી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે તરસમિયા રોડ ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાન સામે નંબર પ્લેટ વગરની પાર્ક કરેલી કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની 284 બોટલ વિદેશી દારૂ તથા કાર મળી કુલ 8.65 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન શખસ હાજર નહીં મળી આવતા સમગ્ર મામલે શખસ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદેશી દારૂની 284 બોટલો અને ફોર વ્હીલ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોઆ અંગે પેરોલ ફર્લો સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાન વાડી, ખોડીયારનગર, ખારશી વિસ્તાર, તરસમીયા રોડ, ભાવનગર તેની હયુન્ડાઇ કંપનીની નંબર પ્લેટ વગરની વેન્યુ ફોરવ્હીલ કારમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે અને તે દારૂ ભરેલ ફોરવ્હીલ કાર તેના રહેણાંક મકાનની સામે જાહેર રોડ પર પાર્ક કરી છે. પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરીબાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં રાજુભાઇ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ શખસ હાજર મળી આવ્યો ન હતો. જેથી, પોલીસે તેની ફોરવ્હીલ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 284 બોટલો 2,65,230 અને ફોરવ્હીલ કાર 6,00,000 મળી કુલ 8,65,320 સહિતનો મુદ્દામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાનવાડી, ખોડીયારનગર, તરસમીયા રોડ, ભાવનગર વિરૂદ્ધ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છોટા ઉદેપુર જિલ્લામાં ઈકો ગાડીઓની છત પર જીવ જોખમે મુસાફરી કરતા લોકોના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ગાડીઓની છત પર સામાન, બાઈક અને મુસાફરો બેઠેલા જોવા મળે છે. છોટા ઉદેપુર આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ગુજરાતના કચ્છ તથા કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય છે. હોળી આસપાસ ખેતીની સિઝન પૂરી થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે. આ મજૂરો ઘણીવાર જીવનું જોખમ ખેડીને વાહનો પર બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ચારોલા અને નર્મદા કેનાલ પાસે આવા બે ઈકો ગાડીના વીડિયો સામે આવ્યા છે. આ ગાડીઓમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરેલા હતા અને છત પર સામાન, બાઈક મૂકીને તેના પર પણ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા વાહનો દરરોજ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. એવું લાગે છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારી પોતાની 13 વર્ષની દીકરીની આંખની સારવાર માટે નવી મુંબઈ ગયા હતા, ત્યારે જ સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વાશીની હોટલમાં રોકાયેલા વસીમ ખાનને પાકિસ્તાની નંબર પરથી વ્હોટ્સએપ કોલ કરી ગેંગના સાગરીતે કોર્ટ કેસમાં સાક્ષી તરીકે ન જવા અને રૂ. 50 લાખની ખંડણીની માંગણી કરતા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગેંગના સાગરીતે તારી સિસ્ટમ બેસાડી દઈશું કહી ધમકી આપતા સુરત અને મુંબઈ પોલીસ હરકતમાં આવી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા આ ધમકીભર્યા કોલ અને ઓડિયો ક્લિપના પુરાવાએ વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયુંફરિયાદી વસીમ યુસુફ ખાન (ઉં.વ. 36), જેઓ સુરત રેલવે સ્ટેશન પર પેડા પાર્કિંગનો વ્યવહાર સંભાળે છે, તેઓ ગત ફેબ્રુઆરી માસમાં પોતાની 13 વર્ષની દીકરી આકિફાની આંખની સારવાર માટે નવી મુંબઈની 'શ્રીધરીયમ આયુર્વેદિક આઈ ક્લિનિક' ખાતે ગયા હતા. તેઓ વાશી વિસ્તારની 'લેમન ટ્રી પ્રીમિયર' હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન 18 ફેબ્રુઆરીના રોજ બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયું હતું. ઓડિયો ક્લિપમાં કેદ થયો ગેંગનો આતંક: '50 લાખ મિનિમમ તૈયાર રાખજે'સદામ ગેંગ સામે ફરિયાદ કરનાર વસીમ ખાને હિંમત બતાવી આ સમગ્ર ધમકીભર્યા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, જે હવે પોલીસ માટે મહત્ત્વનો પુરાવો બન્યો છે. કોલ કરનાર શખ્સે અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, 'તેં સાહીદ ગોડીલ અને સદ્દામને બહુ હેરાન કર્યા છે. હવે તારી આખી સિસ્ટમ અમે બેસાડી દઈશું. તારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા તો આપવા જ પડશે, આ છેલ્લી ચેતવણી છે.' આ વાતચીત સાંભળતા જ સુરત અને મુંબઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. FIR મુજબ ધમકીનો શબ્દશઃ સંવાદ આ મુજબ હતો:અજાણ્યો કોલર: ‘હેલો, હેલો અરે બોલ તો સહી, તું કોણ બોલી રહ્યો છે?’ વસીમ (ફરિયાદી): ‘હેલો, વસીમ વાત કરી રહ્યો છું, તમે કોણ?’ અજાણ્યો કોલર: 'મને છોડ, જે પણ વાત કરી રહ્યો છે, તું સાહીદ અને સદ્દામને બહુ પરેશાન કરી રહ્યો છે. તું તેની કોર્ટની તારીખ પર કેમ જાય છે? મેં કહ્યું ને, તું સાહીદ-સદ્દામને બહુ પરેશાન કરે છે. તું હવે તૈયાર રહેજે અને પૈસા પણ તૈયાર રાખજે, સમજાયું?' વસીમ: ‘શેના પૈસા?’ અજાણ્યો કોલર: ‘એ તને બતાવી દઈશ. મેં આખી સિસ્ટમ લગાવી દીધી છે અને તે જે ફૈઝલભાઈને પરેશાન કર્યા છે ને, તે પણ આવી રહ્યો છે. તારી આખી સિસ્ટમ લગાવી દેશે. થોડા દિવસ સતર્ક રહેજે. તારીખ પર જવાનું છે, હું તને કહીશ.’ વસીમ: ‘પણ શેના પૈસા?’ અજાણ્યો કોલર: 'તેં જે લોકોને હેરાન કર્યા છે ને, એના પૈસા તારે આપવા પડશે.મિનિમમ 50 લાખ રૂપિયા તૈયાર રાખજે, પછી કહેતો નહીં કે જણાવ્યું નહોતું.' સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગનો ગુનાહિત ઇતિહાસ અને ગુજસીટોકસાહીદ શબ્બીર ગોડીલ અને સદ્દામની ગેંગ સુરતમાં વર્ષોથી સક્રિય છે અને તેમના પર અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્ત્વે જમીન પચાવી પાડવી, છેતરપિંડી અને મોટા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું કામ કરે છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત પોલીસ દ્વારા અગાઉ તેમના પર GUJCTOC (ગુજસીટોક) જેવો કડક કાયદો પણ લાદવામાં આવ્યો છે. છતાં પણ જેલની અંદર કે બહારથી તેમનું નેટવર્ક હજુ પણ કાર્યરત હોવાનું જણાય છે. ખંડણી માટે ક્રિપ્ટોકરન્સી અને GST કૌભાંડનો ઉપયોગઆ ગેંગ પરંપરાગત ગુનાઓ છોડીને હવે આધુનિક રીતે આર્થિક ગુનાઓ આચરી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેઓ વેપારીઓને ડરાવીને ખંડણીની રકમ USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં માંગતા હોય છે જેથી પોલીસ નાણાકીય વ્યવહારો શોધી ન શકે. આ ઉપરાંત, આંતરરાજ્ય GST કૌભાંડમાં પણ આ ગેંગના સભ્યોની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. મુંબઈમાં નોંધાયેલી આ નવી ફરિયાદ બાદ હવે તેમના આર્થિક સામ્રાજ્ય પર પણ પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી શકે છે. ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસવસીમ ખાન સુરતની કોર્ટમાં સાહીદ ગોડીલ વિરુદ્ધના કેસમાં નિયમિત હાજરી આપતા હોવાથી ગેંગ તેમને રસ્તામાંથી હટાવવા માંગે છે. ધમકી આપનાર વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'તું રોજ તારીખ પર જઈને કોર્ટમાં કેમ ઉભો રહી જાય છે?' આના પરથી સાબિત થાય છે કે ગેંગ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસે ફરિયાદી અને તેમના પરિવારની સુરક્ષા વધારવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ તેજ કરીઆ આખી ઘટના નવી મુંબઈના વાશી વિસ્તારમાં બની હોવાથી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય નંબરની તપાસ શરૂ કરી છે, જે પાકિસ્તાનનો કોડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સુરત SOG અને ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં સક્રિય થઈ છે અને જેલમાં બંધ સાહીદ ગોડીલની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતના વેપારી આલમમાં પણ આ ઘટનાને લઈ ભારે ફફડાટ છે.
એવું કહેવાય છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને સુરતના એક વૃદ્ધે અક્ષરશઃ સાચી સાબિત કરી દીધી છે. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના બંડારી ઉપ્પલૈયા પુલ્લૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નિવૃત્તિની ઉંમરે પરીક્ષા ખંડમાં બેસીને પેન ચલાવતા ઉપ્પલૈયા દાદા આખી શાળા અને શહેર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોણ છે બંડારી ઉપ્પલૈયા? અધૂરા સપનાની સફરવર્ષો પહેલા પારિવારિક જવાબદારીઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો. જોકે, મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે તેઓ વિધિવત રીતે ભણે અને ખાસ કરીને જે ભૂમિ પર રહે છે, તેની માતૃભાષા ગુજરાતીમાં નિપુણતા મેળવે. આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે 65 વર્ષે ફરીથી કલમ પકડી છે. યોગીચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં અનોખો નજારોપરીક્ષાના દિવસે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના પેપરની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉપ્પલૈયા દાદા પોતાની બેન્ચ પર શાંતિથી બેસીને ગુજરાતીનું પેપર લખી રહ્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંચાલક ભરતભાઈએ દાદાના આ સાહસને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉપ્પલૈયાજીનો આ પ્રયાસ માત્ર પરીક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન પ્રત્યેની તેમની અખૂટ ભૂખ દર્શાવે છે. ગુજરાતી વિષય પ્રત્યેનો પ્રેમ અને લગન65 વર્ષની વયે નવી ભાષા શીખવી અને તેની પરીક્ષા આપવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ બંડારી ઉપ્પલૈયા એ સાબિત કર્યું કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ભાષા કે ઉંમર ક્યારેય આડે આવતી નથી. તેમણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના ઉત્તરો જે રીતે લખ્યા, તે તેમની મહેનતની ચાડી ખાય છે. શાળાના સ્ટાફે પણ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા હતા. ‘દાદા ભણી શકે તો અમે કેમ નહીં?’આ ઘટનાની સૌથી મોટી અસર શાળાના યુવા વિદ્યાર્થીઓ પર પડી છે. પરીક્ષાના ટેન્શનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંડારી ઉપ્પલૈયા એક જીવતું-જાગતું ઉદાહરણ બન્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમને દાદાને જોઈને ઘણું શીખવા મળ્યું છે. ઘણીવાર અમે નાની નિષ્ફળતાથી હારી જઈએ છીએ, પણ દાદાએ 65 વર્ષે જે જુસ્સો બતાવ્યો છે તે અવિશ્વસનીય છે. આ પ્રસંગે શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સમાજ માટે મજબૂત સંદેશબંડારી ઉપ્પલૈયા પુલ્લૈયા એ માત્ર પરીક્ષા નથી આપી, પણ સમાજના એ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો છે જેઓ ઉંમર થઈ ગઈ હોવાનું બહાનું કાઢીને શીખવાનું છોડી દે છે. શિક્ષણ એ કોઈ ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી, પણ વ્યક્તિત્વના વિકાસ માટે અનિવાર્ય છે. સુરતના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે અને લોકો દાદાની હિંમતને સલામ કરી રહ્યા છે.
વાપી GIDCમાં ખાણી-પીણીની દુકાનો પર આકસ્મિક ચેકિંગ:ઘરેલુ ગેસનો કોમર્શિયલ ઉપયોગ કરતા 5 સિલિન્ડર સીઝ
વાપી GIDC વિસ્તારમાં ખાણી-પીણીની દુકાનો પર અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ કરતા પાંચ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. ગેસની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘરેલુ ઉપયોગ માટે ફાળવવામાં આવતા ગેસ સિલિન્ડરનો વ્યાપારીક હેતુ માટે ઉપયોગ કરવો નિયમો વિરુદ્ધ છે. આ નિયમભંગ બદલ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ગેસની વર્તમાન અછતને ધ્યાનમાં રાખીને આવી આકસ્મિક તપાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલુ ગ્રાહકોને પૂરતો ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાનો અને ગેસના ગેરવપરાશ પર નિયંત્રણ મેળવવાનો છે.તપાસ પૂર્ણ થયા બાદ, તમામ વેપારીઓને નિયમોનું કડક પાલન કરવા અને ઘરેલુ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ ન કરવા અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડોને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી તેમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે. વન વિભાગની આ પહેલથી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે મોટી રાહત સર્જાઈ છે. આ અંગે માહિતી આપતા સહાયક વન સંરક્ષક (ACF) પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેરાવળ રેન્જ હેઠળ સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 20થી વધુ સિંહોનો સમૂહ વસવાટ કરે છે, ઉપરાંત દીપડા સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ 8 પોઈન્ટમાંથી 5 પાણીના પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, જ્યારે 2 પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી (વિન્ડ મિલ) મારફતે ભરવામાં આવે છે. ACF પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં આવા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવાથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ન બને તે માટે આ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વન વિભાગ દ્વારા આ પાણીના પોઈન્ટની નિયમિત દેખરેખ, સફાઈ અને પાણી ભરવાની કામગીરી માટે ખાસ બે કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. વન વિભાગના આ પ્રયાસોથી ઉનાળાની કઠિન ઋતુ દરમિયાન ગીર વિસ્તારના વન્યજીવોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં તેણે લગ્ન બાદ મળી રહેલી ગંભીર ધમકીઓ અને વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા છે. કિંજલ રબારીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદ તેમજ સુરક્ષાની માંગ કરી છે. લગ્ન બાદ મળી રહી છે મારી નાખવાની ધમકીઓ ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલ રબારીએ એક વીડિયો દ્વારા પોતાના લગ્નની જાણકારી આપી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિંજલે આક્ષેપ કર્યો છે કે તેને મારી નાખવાની કે અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેણે સ્પષ્ટ કર્યું કે લગ્નનો નિર્ણય તેની અંગત પસંદગી છે અને તે પોતાની મરજીથી સાસરે ગઈ છે, તેથી કોઈને પણ તેની અંગત જિંદગી પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. સમાજના બેવડા ધોરણો સામે રોષ કિંજલ રબારીએ આક્ષેપ કર્યો કે જ્યાં સુધી તે કમાણી કરીને પરિવાર અને સમાજને આર્થિક રીતે મદદ કરતી હતી, ત્યાં સુધી તે સૌ માટે આદર્શ હતી. પરંતુ જ્યારે તેણે પોતાના જીવનનો એક અંગત નિર્ણય લીધો, ત્યારે તેને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે કોઈ દીકરો બીજા સમાજની દીકરીને પરણીને લાવે ત્યારે તેને સ્વીકારી લેવાય છે, પરંતુ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યારે જ વિરોધ કેમ? દીકરીઓ પર પ્રતિબંધ મૂકવાની માનસિકતા પર પ્રહાર વીડિયોમાં કિંજલે જણાવ્યું કે સમાજના કેટલાક લોકો દીકરીઓ માટે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યા છે. તેણે સમાજને વિનંતી કરી છે કે લડવાને બદલે સમજદારી અને એકતા જાળવે. આ સાથે જ તેણે ધમકી આપનારા તત્વો સામે નમવાને બદલે કાયદાકીય લડત આપવાની મક્કમતા દર્શાવી છે. સિંગર કિંજલ રબારીનો શબ્દશ: સંદેશકાલે મેં એક વીડિયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે—'મારી નાખીશું', 'ઉપાડી જઈશું'. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું પણ મૂક્યું છે સમાજવાળાઓએ કે—'ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું.' તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે? મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ (સ્વીકાર્ય) હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરોધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો એ બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ (વિનંતી) હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ (પસંદગી) છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. સિંગર કિંજલ રબારી વિવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદમાં ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે… સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો આ સમાચાર પણ વાંચો કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે વાવ-થરાદના રબારી સમાજના અગ્રણીનું નિવેદન વાવ-થરાદના રબારી સમાજના અગ્રણી ઠાકરશીભાઈ રબારીએ સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં દરેક સમાજની પોતાની મર્યાદાઓ અને બંધારણ હોય છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે…સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લીક કરો
વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ઇન્ડિયન રીયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારીમાં આગ લાગી હતી. સવારે 4:02 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જોકે, લારીની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેમ હતી. આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ સમગ્ર કામગીરીમાં વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફ રોહિતભાઈ વંશ અને વિજય કોડીયાતર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી.
ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. આ ઘટનામાં 27 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેના કારણે ડુંગરો પરના વન્યજીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ઈડર ફાયર વિભાગને મળ્યો હતો. તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ પ્રસરી હોવાથી હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઈડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈડર વન વિભાગના RFO ગોપાલભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.
તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી
ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તન્વી બ્લોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તન્વીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ. આગામી ૧૭ માર્ચ, ૨૦૨૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તન્વી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તન્વીની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું કે તન્વીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફ મિત્રોએ તેને આગામી નેશનલ ટુર્નામેન્ટમાં પણ વિજેતા બનીને પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ભરૂચ જિલ્લામાં આવતીકાલે, ૧૪ માર્ચે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમજ ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતેના આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે લોકોને સંબોધન કરશે. ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. આ કોમ્પ્લેક્સમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. ૧૦.૯૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કુલ રૂ. ૧૮૧ લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ડિજિટલ સુવિધાઓથી સજ્જ આદર્શ જનસેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની પોતાની આવક ઊભી થાય અને તેમાંથી જિલ્લાના વિકાસના વિવિધ કાર્યો થઈ શકે તે હેતુસર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં નર્મદા નદી કિનારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ સાથે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, જિલ્લા પંચાયત સામે આવેલી એસબીઆઈ બેંકની જગ્યા પર આધુનિક શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત, જંબુસર, નેત્રંગ અને રાજપારડી ખાતે પણ જિલ્લા પંચાયતના નવા કોમ્પ્લેક્સના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ, જિલ્લામાં અન્ય અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઊભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે દરિયામાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાતા બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયામાં આગ ભભૂકતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડમાં ગરમીનો પ્રકોપ વધશે, તાપમાન 36°C પાર:હવામાન વિભાગે બપોરે લૂ ફૂંકાવાની આગાહી કરી
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર, 13 માર્ચના રોજ જિલ્લામાં ગરમીનો 'બીજો તબક્કો' અનુભવાશે. દિવસ દરમિયાન તાપમાન 35C થી 36C સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22C થી 24C આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા બપોરના સમયે ભેજનું પ્રમાણ ઘટશે. હવામાન સૂકું બનવાથી બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કાળઝાળ ગરમી અને લૂ ફૂંકાઈ શકે છે. ભેજનું પ્રમાણ અંદાજે 28થી 35 વચ્ચે રહેતા લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, 14 માર્ચ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તબીબો અને હવામાન નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માટે લીંબુ પાણી, છાશ અને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવી છે. બહાર જતી વખતે માથું રૂમાલ અથવા ટોપીથી ઢાંકવું અને હળવા, સુતરાઉ કપડાં પહેરવા પણ સૂચવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે અંદાજિત તાપમાન નીચે મુજબ છે: વલસાડમાં 33C / 25C, ધરમપુરમાં 33C / 25C, કપરાડામાં 39C / 23C, પારડીમાં 37C / 23C, વાપીમાં 34C / 24C અને ઉમરગામમાં 33C / 24C તાપમાન રહેવાની શક્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતી વખતે પૂરતી કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા 'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા દોઢ વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને 'શુદ્ધ ગાયનું ઘી' કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસની કાર્યવાહીઉત્રાણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન (108) નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. કેવી રીતે તૈયાર થતું હતું 'ઝેરી' ઘી?આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ, આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌ પ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ (કેમિકલ સિરપ) ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને 'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતોપોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી (કિંમત ₹3.50 લાખથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા (નાની-મોટી સાઈઝના), મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. દોઢ વર્ષથી ચાલતું હતું વેચાણ: એકની ધરપકડ, એક ફરારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32) જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે. તંત્રની કડક કાર્યવાહીના સંકેતહાલ પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘી કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો જોઈએ. ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
અડાલજની સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિર ખાતે ગુરુવારે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડાન્સ ક્લાસના પ્રજ્ઞાબેન ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, ગણપતિ આરાધના, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ષ દરમિયાન થયેલી માસિક પ્રવૃત્તિઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ પુરાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, અશ્વિનીકુમાર રોડ પર લારી ઊભી રાખવા જેવી કોઈ ક્ષુલ્લક બાબતે પાણીપુરીના વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલીને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડીભીડભાડ વાળા રસ્તા પર જાહેરમાં લાકડાના ફટકા ઉછળતા જોઈને રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડી હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને ચારથી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોના સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વીડિયો વાઇરલ અને પોલીસ કાર્યવાહીઆ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવકો એકબીજા પર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. અશ્વિનીકુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી હતી, જેમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જોકે, ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા આંશિક રાહત તો મળી છે, પરંતુ હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરોમાં હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. હિમચાલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા ડામર પીગળતી ગરમીમાંથી લોકોને થોડી મુક્તિ મળી છે, છતાં બપોરના સમયે હજુ પણ લૂનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહતહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં આજે પણ હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત આ ચાર શહેરોમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહીરાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં સમગ્ર રાજ્યમાં ડામર પીગળી જવાની ઘટનાઓ પણ બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ગરમીને કારણે લોકો બેભાન થયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આંશિક રીતે ગરમીમાંથી રાહત મળી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં પનીર, ઘી અને ખાદ્ય તેલ જેવા પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે, જેમાંથી બે વર્ષમાં કુલ 218 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 14 નમૂના ફેઈલ થયા હતા, જેમાં પનીરના 5, તેલના 5 અને ઘી ના 2 નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી, ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા બે વર્ષમાં દૂધ, ઘી, પનીર, માવા, તેલ સહિત અન્ય ચીજ વસ્તુઓના જુદા જુદા નમુના લેવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2024માં કુલ 74 નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ વર્ષ 2025 માં 142 નમૂના લેવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2026 માં 3 નમૂના લેવામાં આવ્યા હતા, આમ કુલ 219 ખાદ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, છેલ્લા બે વર્ષના આંકડા પર પર નજર કરીએ તો, મનપા દ્વારા લેવામાં આવેલા પનીર, દૂધ, ઘી, માવા અને અન્ય ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં દૂધના 10, ઘીના 20, પનીરના 16, માવાના 11 તેમજ અન્ય ચીજવસ્તુઓના 161 નમૂના મળી કુલ 219 નમૂનાઓમાંથી 14 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં ઘી ના 2 નમૂના, પનીર ના 5 નમૂના, તેલ ના 5 નમૂના તથા અન્ય 2 નમૂના મળી કુલ 14 નમૂના ફેઈલ થયા હતા, જેના પગલે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વર્ષ 2024 ની સરખામણીએ 2025માં નમૂના લેવાની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે, આરોગ્ય વિભાગ દ્વારા માત્ર નમૂના લઈને સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં હતા, જેમાં કુલ 14 ફેલ નમૂનાઓ પૈકી 5 પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી એજ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા રૂ.2,78,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીની 9 પેઢીઓ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ દિવાળીના તહેવારો દરમિયાન તંત્રએ બાતમીના આધારે 1875 કિગ્રા ખાદ્ય તેલનો રિપોર્ટ ફેઈલ આવતા તેની સામે કાર્યવાહી કરી અંદાજિત રૂ.2,62,500 ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો, આ તેલનો રિપોર્ટ પણ ફેલ આવતા હવે તેલના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત (12 માર્ચ) મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જીવ બચાવવા મુસાફરોની બારીમાંથી છલાંગ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, સારવાર માટે ખસેડાયા એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે જેસલમેર લગ્ન પતાવીને અમદાવાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ બધા માણસો બસમાં ફસાઇ ગયા હતા. જેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી અને તંત્રની દોડધામ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. રાજસ્થાનથી પણ ફાયર ફાઈટરોે બોલાવવાની ફરજ પડી આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ શરૂ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શહેરના પાલડી વિસ્તારમાં AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાંAMTS રુટ 35ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. બસમાં આગળની 4 સીટો સળગી ગઈ હતીફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવીનરોડા GIDCમાં પણ મોડી રાત્રે એક ટેલરના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી. GIDCના પ્લોટમાં આવેલા કલ્પેશ ટેલરમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. બે જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
181માંથી માત્ર 25 ધારાસભ્યો જોડાયા:યોગમય વિધાનસભાની વાતો વચ્ચે MLA આવાસે યોગ કાર્યક્રમમાં નબળી હાજરી
12મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026’ને ધ્યાનમાં રાખીને 100 દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ ગાંધીનગરના નવા MLA આવાસ ખાતે આયોજિત ‘કર્ટન રેઝર’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે આગામી 100 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યોવિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના અનેક દેશોએ સહર્ષ સ્વીકારી 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં યોજાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશેગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્યોને યોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “એક કદમ યોગમય વિધાનસભા તરફ” સૂત્ર સાથે આયોજિત આ અભિયાન અંતર્ગત આગામી 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે. આ અભિયાન દ્વારા 21મી જૂન પહેલાં રાજ્યભરમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતીજોકે, રાજ્યની 181 સભ્યોની વિધાનસભામાંથી આ યોગ કાર્યક્રમમાં માત્ર આશરે 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી, જેમાં 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. યોગમય વિધાનસભાની વાતો વચ્ચે ધારાસભ્યોની નબળી હાજરી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય યોગ બોર્ડના આયોજન મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં મોટા પાયે યોગ શિબિરો યોજાશે અને વધુમાં વધુ નાગરિકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રાવપુરા પોલીસે ગંભીરતા દાખવી આરોપી નરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેની બંદૂક અને કારતૂસ જપ્ત કરી પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે પોતાના પરવાનાવાળા યુ.એસ. 107 બી એકનાળી હથિયારમાંથી એક રાઉન્ડ બ્લેન્ક કારતૂસ હવામાં ફાયર કર્યો હતો. જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યુંઆરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ (ઉંમર 53 વર્ષ, અણખી ગામ, મોટા વાંટા ફળીયું, તા. જંબુસર, જિ. ભરૂચ) GIFSS કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને હાલમાં વડોદરાના જી.એસ.ટી. સેવા કેન્દ્ર, કુબેરભ વન બીજા માળે, રાવપુરા ખાતે ફરજ બજાવે છે. તેણે જણાવ્યું કે વર્ષ 2004માં જંબુસરથી આ હથિયારનો પરવાનો મેળવ્યો હતો. આરોપીએ પોતાની નોકરી પૂરી કર્યા બાદ દાંડીયાબજાર તરફ જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યું છે. 'આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યું પણ પોલીસ એક જ કહે છે'આ ઘટનાને નજરે જોનાર સ્થાનિક મનીષાબેન કહારે જણાવ્યું હતું કે, તેઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને અચાનક શું થયું કે તેઓએ બંદૂક કાઢી ફાયરિંગ કર્યું હતું. તેઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, પરંતુ પોલીસ કહે છે એક રાઉન્ડ થયું છે, તે ફૂલ નશાની હાલતમાં હતા. મેં 112ને કોલ કર્યો તો મારી પર પણ હુમલો કર્યો હતો.
તાજેતરમાં જ અમદાવાદના ઘીકાંટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજીસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને કલેકટરને પત્ર લખીને રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની SIT દ્વારા તપાસ કરવાની એમ જ જો તેમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યપાલથી લઇ ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ રાજ્યપાલથી લઇ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, 03/03/2026ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલી સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એમ.એમ.સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન કરાવતોમળતી માહિતી મુજબ મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે કચેરીનો નિયમિત કાર્ય સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ થાય છે તેમછતાં એમ.એમ. સૈયદ સવારે અંદાજે 9:00 વાગ્યે કચેરીમાં હાજર રહી આ કાર્યવાહી હાથ ધરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ થતા ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં હોબાળો પણ મચ્યો હતો. આ ઘટનાના કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અગાઉ પણ ગેરકાયદેસર લગ્ન નોંધણી થઈ હોવાની શંકાસરકારી અધિકારી તરીકે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના પરથી એવી શંકા પણ વ્યક્ત થાય છે કે, અગાઉ પણ આવા પ્રકારની ગેરરીતિથી કેટલાય કેસોમાં પરિવારજનોની લાગણીઓ અવગણીને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોઈ શકે. ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરાયાની શંકા પણ વ્યક્ત કરાઈ આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન વસીમ નામનો એક શખસ એમ.એમ.સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો તેમજ શું તે સૈયદનો કોઈ વહીવટદાર કે સહયોગી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવે માંગણી કરી છે. વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને કાર્યવાહી માટે પત્ર લખાયોવિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ (SPG), અડતાલીસ કડવા પાટીદાર સમાજ (વઢીયાર વિભાગ), તેર ગામ લેઉવા પટેલ સમાજ (દહેગામ), શ્રી બાવીસી સંપ્રદાય મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ તેમજ કેળવણી મંડળ સહિતના સમાજ દ્વારા પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે. હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે કેટલીક માંગણીઓ કરવામાં આવી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ-2024 માં સુધારા માટે એક સેમિનાર યોજાયો હતો. આ વર્કશોપમાં અધ્યાપકો અને આચાર્યો દ્વારા 70 જેટલા મહત્વના સુધારા સૂચવવામાં આવ્યા હતા, જે હવે સરકારને મોકલવામાં આવશે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રજીસ્ટ્રાર ડો. આર.એન. દેસાઈની અધ્યક્ષતામાં આ સેમિનારનું આયોજન થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિફોર્મ સ્ટેચ્યુટના અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનો અને સુઝાવ મેળવવાનો હતો. આ એક દિવસીય વર્કશોપમાં વિવિધ વિભાગોના વડા, ડીન, અધ્યાપકો, મેનેજમેન્ટ, બીઓએમ, વહીવટી સ્ટાફ, સંલગ્ન કોલેજોના આચાર્યો, વિદ્યાર્થી સંગઠનો અને સ્વૈચ્છિક મહાસંઘો સહિતના સ્ટેકહોલ્ડર્સ જોડાયા હતા. વર્કશોપમાં યુનિવર્સિટીના સુચારું સંચાલન માટે 70 જેટલા સુધારા સૂચવાયા હતા. રજૂ થયેલા સુધારાઓમાં સ્ટેચ્યુટ અને એક્ટમાં સત્તામંડળના સભ્યોની નિમણૂક અંગેની વિસંગતતા દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યુનિવર્સિટીમાં ઉપ કુલપતિ (પ્રો-વીસી) ની નવી જગ્યા ઊભી કરવા માટે પણ સુધારા રજૂ કરાયા હતા. અન્ય મહત્વના સુધારાઓમાં પરીક્ષા સંબંધિત નિયમો, સંલગ્ન કોલેજોના સંચાલન અને જીસીએસઆર (GCSAR) માં કર્મચારીઓ માટે રજાના નિયમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, કર્મચારીઓ માટે 300 રજાના નિયમને બદલીને 240 કરવાનો અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો દ્વારા પણ વિવિધ સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવાયેલા આ તમામ સુધારા અને અસરકારક અમલીકરણ માટેના સૂચનો હવે સરકાર કક્ષાએ મોકલવામાં આવશે.
કાલોલના બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયો:ગોધરા સિવિલમાં સફળતાપૂર્વક બહાર કઢાયો, બાળકે રાહત અનુભવી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ ગામમાં દોઢ વર્ષના બાળક બાબુ નાયકના નાકમાં મકાઈનો દાણો ફસાઈ ગયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સફળતાપૂર્વક દાણો બહાર કાઢ્યો. શૈલેષ નાયકનો પુત્ર બાબુ ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેના નાકમાં મકાઈનો દાણો ફસાયો હતો. શરૂઆતમાં પરિવારને આ ઘટનાની જાણ થઈ ન હતી. રાત્રે બાળક સૂવા ગયો ત્યારે દાણો નાકની વધુ અંદર ઉતરી ગયો. નાકમાં તકલીફ થતાં બાળકે રડવાનું શરૂ કર્યું. પરિવારજનોએ તપાસ કરતાં બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું. બાળકની ગંભીર હાલત જોઈને પરિવાર ચિંતિત બન્યો અને રાત્રે જ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયો. ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ દાણો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. દાણો નીકળી જતાં બાળકે રાહત અનુભવી હતી. પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ કોર્ટે કેદી ફરાર કેસમાં ચુકાદો આપ્યો:ઘંટીસિંગ અને 4 પોલીસકર્મી નિર્દોષ, તપાસમાં ગંભીર ખામીઓ
પાટણની જ્યુડિશિયલ કોર્ટે ધારપુર હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ અને પુરાવાના અભાવને ટાંકીને આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના જૂન-2023માં બની હતી. પાટણની સુજનીપુર જેલમાં બંધ આરોપી ઘંટીસિંગ ખિચીને 8 જૂન, 2023ના રોજ બીમારીની સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક્સ-રે રૂમ પાસેથી તે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ઘંટીસિંગ સહિત જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓ – એ.એસ.આઈ. અભેરામ, હેડ કોન્સ્ટેબલ અમૃતજી, લોકરક્ષક હરેશભાઈ અને કોન્સ્ટેબલ અભેસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ તરફે એડવોકેટ શૈલેષ એમ. સોલંકી, આર.એસ. વણકર અને જે.સી. ઠાકોરે કોર્ટમાં રજૂઆતો કરી હતી. કોર્ટે પોતાના 47 પાનાના ચુકાદામાં તપાસ અધિકારીઓની ભારે બેદરકારી નોંધી હતી. તપાસ અધિકારીઓ આરોપી ઘંટીસિંગ અગાઉ કયા ગુના હેઠળ જેલમાં હતો તેની પ્રાથમિક માહિતી પણ કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા. ઉપરાંત, તપાસ દરમિયાન હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નહોતા અને પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નહોતું. કોર્ટના અવલોકન મુજબ, આરોપી નાસી ગયો ત્યારે તેની કસ્ટડી એ.એસ.આઈ. અભેસિંગ પાસે નહોતી, જે ઉલટતપાસમાં સ્પષ્ટ થયું હતું. જેલના નિયમોના ઉલ્લંઘનની બાબત પણ સામે આવી હતી. સુજનીપુર જેલના હવાલદારની જુબાની મુજબ, પાંચ આરોપીઓ માટે પાંચ પીએસઆઈના જાપ્તાની માગણી કરાઈ હતી, પરંતુ પીએસઆઈ વગર જ કેદીઓને મોકલી દેવાયા હતા. નિયમ મુજબ, જો માગ્યા મુજબનો જાપ્તો ન હોય તો કેદીઓને સોંપી શકાય નહીં, તેમ છતાં આ કિસ્સામાં અપૂરતા જાપ્તા સાથે આરોપીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તમામ ટેકનિકલ ખામીઓ અને તપાસમાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મલેકપુર પાસે બે બાઈક અથડાયા, એક યુવક ગંભીર:પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરાયો
મલેકપુર નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિન નાયક નામનો યુવક 'ચાવડીબાઈ ના મુવાડા' થી 'મલેકપુર' તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અશ્વિન નાયકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લુણાવાડા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તબીબોની સલાહ બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો:વાંકાનેર નજીકથી એકની ધરપકડ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લા એલસીબીએ રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 1.93 કરોડથી વધુનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર RJ 14 GP 4506 ને રોકવામાં આવતા તેમાંથી 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1,93,47,360 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, રૂ. 25 લાખની કિંમતનું વાહન, રૂ. 3200 રોકડા અને રૂ. 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,18,55,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના ઝહેરાઝ ગામના લલિતકુમાર પ્રતાપજી ખરાડીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર અને વાહનના માલિક સહિત તપાસમાં જેમના નામ ખુલે તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વલસાડમાં સમાધાન બેઠકમાં જ ધીંગાણું:એવરસન ટાવરમાં બે પરિવાર વચ્ચે મારામારી, બંને પક્ષે ફરિયાદ
વલસાડ શહેરના બંદર રોડ પર આવેલા એવરસન ટાવર એપાર્ટમેન્ટમાં સમાધાન બેઠક દરમિયાન બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જૂના વિવાદના સમાધાન માટે બોલાવવામાં આવેલી આ બેઠક ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી, જેના કારણે છૂટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. ઘટનામાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એપાર્ટમેન્ટમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હતો. આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ગત રોજ બંને પક્ષના સભ્યો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. શરૂઆતમાં ચર્ચા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. જોકે, થોડા સમય બાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન વાત એટલી હદે વણસી ગઈ કે બંને પક્ષના સભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. રહેણાક એપાર્ટમેન્ટમાં અચાનક સર્જાયેલી આ અથડામણને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષના ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડી તેમની સારવાર કરાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને પક્ષોની કેફિયતના આધારે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાનવા પાસે પીકઅપ વાહનમાં ભીષણ આગ:ગાડી બળીને ખાખ, ડ્રાઇવર સહિત બેનો આબાદ બચાવ
દસાડા તાલુકાના પાનવા ગામ નજીક એક પીકઅપ વાહનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, જોકે ડ્રાઇવર સહિત બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના રાત્રે નવથી સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ચાલુ ગાડીમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. વાહન સમીથી દસાડા તરફ જીરાનું ભૂસું ભરીને જઈ રહ્યું હતું. વાહનમાં સવાર વ્યક્તિઓમાં ઠાકોર નરેશભાઈ સેમા અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તેઓ દસાડા તાલુકાના સલી ઝાડીયાણા ગામના વતની છે. આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દસાડા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્લાઈમેટ ચેન્જ : માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ને પાર
- ગ્લોબલ વોર્મિંગને પગલે આ વખતે શિયાળો ખાસ અનુભવાયો જ નહીં અને ઉનાળો પહેલેથી જ આકરો શરૂ થયો છે, આગામી સમય વધારે કપરો રહેવાની ભીતી આ વખતે નવેમ્બર 2025થી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. તેના કારણે ઠંડક લાંબો સમય ટકી નહીં અને ગરમી શરૂ થતાં જ આકરી થવા લાગી. આ વખતે માર્ચ મહિનાથી અહીંયા સાવ ગરમ અને શુષ્ક હવા ચાલી રહી છે. આ હવા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય કેટલાક ભાગમાં ગરમીમાં સતત વધારો કરી રહી છે : ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું.
તાલુકાના નારણપર ગામના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર નાખી મહીને રૂપિયા 30 થી 35 હજાર ભાડું આપવાની લાલચ આપી આરોપીઓએ રૂપિયા 6.47 કરોડ પડાવી દીધા હતા. જે મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોધાયા બાદ એક આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2023માં સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઠગાઈનો ગુનો નોધાયો હતો. જેનો ભેદ ઉકેલી લેવા સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.હુંબલના માર્ગદર્શન હેઠળ આરોપીઓને તાત્કાલિક પકડવા સુચના આપી હતી. પોલીસે તપાસ દરમિયાન બેંક ખાતાના ઝીણવટભર્યા અભ્યાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામેના આરોપી અજય અખિલેશકુમાર પાંડે અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ મેળવી નાણાંકીય વ્યવહારો કરતો હોવાની હકિકત સામે આવી હતી . જેથી પીઆઈ કે.સી.રાઠોડ સહીતની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે પહોચી હતી. અને સ્થાનિક પોલીસની સાથે રહી આરોપીને અંતરિયાળ ગામ સુરહુરપુર, જિ.આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ ખાતેથી ટ્રેક કરી ઘેરાબંધી કરીને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને આંબેડકરનગર કોર્ટ સમક્ષ રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આગળની તપાસ અર્થે ભુજ લઇ આવી રિમાન્ડ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,આરોપીઓએ નારાણપરના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર લગાડવાનું કહી આરોપીઓએ અલગ અલગ બહાને રૂપિયા 6.47 કરોડ પડાવી લીધા હતા . ઠગાઈના રૂપિયામાંથી 2 કરોડથી વધુ રૂપિયા આરોપીના પિતાના ખાતામાં જમા થયેલા હતા જે બેંક ખાતામાં આરોપીનો મોબાઈલ નંબર આપેલો હતો.આરોપીના રિમાન્ડ દરમિયાન મુખ્યસુત્રધાર સુધી પહોચવાની કડીઓ જોડાશે.
દેશમાં ગેસ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જબરદસ્ત અછત વચ્ચે હવે ઘરેલું ગેસ સિલિન્ડરના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે અમદાવાદી ગૃહિણીઓને જઈને પૂછ્યું કે જો ગેસ સપ્લાય કે ગેસના બાટલા નહીં મળે તો શું કરશો. તો આવો જાણીએ ગુજ્જુ ગૃહિણીઓએ શું-શું કહ્યું…
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી 14 માર્ચે ધો.12 આર્ટ્સમાં સામાજિક વિજ્ઞાનનું તથા 16 માર્ચે 12 સાયન્સમાં બાયોલોજી, 12 કોમર્સમાં 17 માર્ચે એકાઉન્ટનું પેપર છે. આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં અંતિમ ઘડીઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યું છે. બાયોલોજીમાં MCQ બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના જવાબ લખોબોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર દર વર્ષે વિદ્યાર્થીઓને લાંબુ લાગે છે. જોકે તે માટે વિદ્યાર્થીઓએ MCQનો પ્રથમ વિભાગ પૂર્ણ કર્યા બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના સવાલોના જવાબો લખવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ પેપરમાં આકૃતિ દોરવામાં વધુ સમય ન બગાડે અન્યથા પેપર અધૂરું રહી જશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ પેપર લખશે તો તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શકશે અને તેનાથી માર્ક પણ વધુ આવશે. જો આ ભૂલ કરી તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જશેઆ અંગે રાજકોટની પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, બાયોલોજીનુ પેપર થિયરીનું હોવાથી લાંબુ લાગે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ 4 માર્કના સવાલો પહેલા લખવાની ભૂલ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. 2 માર્કના સવાલો પહેલા લખે તો 40 મિનિટમાં પૂરું થઈ જાય છે. બીજી 40 મિનિટમાં 3 માર્કના સવાલોના જવાબો લખે અને છેલ્લે 4 માર્કના સવાલોના જવાબો લખે. જેથી પેપર સમયસર પૂર્ણ થઈ જશે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું તો પાસ આ ઉપરાંત બાયોલોજીમાં ફિગર્સ આવે. જેથી વિદ્યાર્થીઓને એમ થાય કે હું આર્ટિસ્ટિક ફિગર્સ ડ્રો કરું. જોકે ફિગરના એક સવાલમાં અડધોથી એક માર્ક હોય છે. જેથી ફિગર ડ્રો કરવામાં વધુ સમય ન લગાડવો. બાયોલોજીના પેપરમાં 5 યુનિટ આવે છે. જેમાં યુનિટ 2 સૌથી અઘરું છે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું હોય તો પાસ થઈ જાય. જેનાથી થોડા હોશિયાર વિદ્યાર્થીઓ યુનિટ 1,3,4 અને 5 કરે. જ્યારે જે વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર છે તેમને જ 13 ચેપ્ટરના પાંચ યુનિટ કરવા જોઈએ. ફિઝિક્સનું સાટું વાળી દેશો તો NEET આપી શકશોતેમણે જણાવ્યું હતું કે, B ગ્રૂપના વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવે છે. જેમનું મેથ્સ નબળું હોય તેઓએ બી ગ્રુપ લીધું હોય છે. NEETમાં બોર્ડના માર્કની 50% એલિજીબિલિટી છે. વિદ્યાર્થીઓ મહેનત કરે તો બાયોલોજીમાં 100માંથી 75થી વધુ માર્ક આરામથી આવી જાય તેમ છે. જેથી ફિઝિક્સનું પેપર કદાચ નબળું ગયું હોય તો બાયોલોજીના માર્કના લીધે મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આપી શકે. પહેલા બાયોલોજીનું પેપર ત્રણ માર્ચે રાખવામાં આવ્યું હતું. પરંતુ હોળી અને ધુળેટીના તહેવારોના કારણે આ પેપર 16 માર્ચે લેવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓને વાંચવાના વધુ દિવસો મળતા તૈયારીમાં તાકાત લગાવી દેવી જોઈએ. એકાઉન્ટમાં આ દાખલાઓ બ્રહ્માસ્ત્ર સાબિત થશેજ્યારે ધો.12 કોમર્સના એકાઉન્ટના પેપર અંગે વડોદરાના એક્સપર્ટ જીગર દરજીએ જણાવ્યું હતું કે, અંતિમ ઘડીમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ નવા અખતરાઓ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણી ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જ જોઈ લો એ જ તમારા માટે બ્રહ્માસ્ત્રનું કામ કરશે. અન્ય બહારના કોઈ પેપર સેટ હોય તેની પાછળ કોઈ પણ પ્રકારની મહેનત અંતિમ સમયમાં ન કરો, કારણ કે કેટલીક વખત એ ગેરમાર્ગે દોરે છે. MCQ અને શોર્ટ પ્રશ્નો પાછળ મહેનત કરી લોવધુમાં કહ્યું કે,વિભાગ-D ની વાત કરીએ તો એમાં તમારે ફક્ત પાઘડીનું ચેપ્ટર જોઈ લો, એમાં તમારા બે દાખલા કવર થઈ જશે અને બીજા ભાગમાંથી છેલ્લા ત્રણમાંથી કોઈ એક જ ચેપ્ટર જોઈ લો તો તમારા 12માંથી 12 તમારે ત્યાં રોકડા મળી જશે. સાથે MCQ આપણી પાસે અવેલેબલ છે, તો 20 માર્ક્સના MCQ છે અને 10 માર્ક્સના શોર્ટ પ્રશ્નો છે, એની પાછળ મહેનત થઈ શકે છે. મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજોઆ વખત માટે ખાસ, ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિના જો દાખલાની વાત કરીએ તો એમાં મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજો, એના સંદર્ભે દાખલા આવવાની શક્યતા 100 ટકા છે. તમારું કામ એક જ છે કે પેપર પર પૂરેપૂરું ધ્યાન આપો. અંતિમ પેપર છે એટલે મહાભારતમાં કહ્યા પ્રમાણે-કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલહેતુ ર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ.તમારું કામ કર્મ કરવાનું છે, ફળ તમને તમારી કાર્યક્ષમતા પર મળી જ જવાનું છે. સામાજિક વિજ્ઞાનમાં MCQ-ખાલી જગ્યા માટે ટેક્સ્ટબુક કરી લોધો.12 આર્ટસના સામાજિક વિજ્ઞાન અંગે એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં 32 વર્ષથી સામાજિક વિજ્ઞાન વિષય ભણાવી રહેલા જયંતી ભરવાડે જણાવ્યું કે, સૌપ્રથમ તેઓ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની રચના સમજાવે છે. બોર્ડ પરીક્ષામાં કુલ ચાર વિભાગ A, B, C અને D હોય છે. વિભાગ A કુલ 24 ગુણનો હોય છે. આ વિભાગ સામાન્ય રીતે MCQ, ખાલી જગ્યા, જોડકાં મિલાવો અથવા ખૂબ ટૂંકા જવાબવાળા પ્રશ્નોનો સમાવેશ કરે છે. વિદ્યાર્થીઓએ આ વિભાગ માટે સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું ધ્યાનપૂર્વક પુનરાવર્તન કરવું જોઈએ, કારણ કે નાનામાં નાની વિગતો પણ અહીંથી પૂછાઈ શકે છે. વિભાગ B 18 ગુણનો હોય છે, જેમાં 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. અહીં વિદ્યાર્થીઓને વિકલ્પ મળે છે, પરંતુ યોગ્ય પસંદગી કરવી અગત્યની છે. જે પ્રશ્નો સારી રીતે આવડે છે અને સ્પષ્ટ રીતે સમજાવી શકાય તે જ લખવા. અનાવશ્યક જોખમ લેવાને બદલે સ્પષ્ટતા અને ચોકસાઈ રાખવી વધુ સારું. લાંબો જવાબ મુદ્દાઓમાં વહેંચવોવિભાગ Cમાં 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવા પડે છે. આ વિભાગમાં સામાન્ય રીતે ટૂંકા પરંતુ મુદ્દાસર જવાબોની માંગ હોય છે. વિદ્યાર્થીઓએ મુદ્દા પાડી, ગોઠવણપૂર્વક અને સ્પષ્ટ ભાષામાં જવાબ લખવા જોઈએ. જો જવાબ લાંબો બને તો પણ તેને મુદ્દાઓમાં વહેંચવાથી પરીક્ષકને સમજવામાં સરળતા રહે છે. નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના ખાસ કરીને પ્રકરણ 8, 9,10 અને 13માંથી નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના વધુ હોય છે. તેથી વિદ્યાર્થીઓએ ભારત અને વિશ્વના નકશામાં મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, કૃષિ પાક ક્ષેત્રો વગેરેનું સચોટ નિદર્શન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવોતેઓએ ખાસ કરીને ચિત્ર આધારિત પ્રશ્નો પર ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે MCQ અને લાંબા પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો પરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉદાહરણ તરીકે, રંગલો-રંગલીના પાત્રો કઈ લોકકલાથી સંબંધિત છે? તેનો જવાબ ‘ભવાઈ’ છે. આવા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના તમામ ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ લખાણ વાંચે છે. પરંતુ ચિત્રો અવગણે છે, જેનાથી સરળ ગુણ ગુમાવવાનો વારો આવે છે. ટૂંક નોંધની તૈયારી અંગે તેઓ ખાસ સૂચન આપે છે. ઘણા પ્રશ્નો સીધા પુસ્તક મુજબ નહીં, પરંતુ થોડા ફેરફાર સાથે પૂછવામાં આવે છે. જેમ કે દુનિયાની સાત અજાયબીઓમાંની એક વિશે જણાવો એવો પ્રશ્ન આવી શકે છે, જેમાં ‘તાજમહેલ’ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ દરેક મહત્વના વિષય પર 4-5 મુદ્દાની ટૂંક નોંધ તૈયાર રાખવી જોઈએ. કૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરીકૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરી છે. ડાંગર, મગફળી, ઘઉં, કપાસ જેવા મુખ્ય પાકોની આબોહવા, જમીનની જાત, જરૂરી વરસાદ અને ઉત્પાદન પ્રદેશો વિશે સ્પષ્ટ સમજ હોવી જોઈએ. આવા પ્રશ્નો ઘણીવાર લાંબા ઉત્તર કે ટૂંક નોંધ રૂપે પૂછાય છે. જો વિદ્યાર્થીઓ મુદ્દાવાર તૈયારી કરે તો તેઓ સરળતાથી સંપૂર્ણ ગુણ મેળવી શકે છે. 10, 5 અને 17 પ્રકરણમાંથી 6 પ્રશ્નો પૂછાઈ શકેવિભાગ D માટે તેઓ ખાસ કરીને પ્રકરણ 10, 5 અને 17ને મહત્વપૂર્ણ ગણાવે છે. આ પ્રકરણોમાંથી આશરે 6 જેટલા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકરણોનું પુનરાવર્તન વારંવાર કરવું, મહત્વના મુદ્દાઓ હાઇલાઇટ કરવું અને શક્ય પ્રશ્નોની યાદી બનાવી પ્રેક્ટિસ કરવી લાભદાયી છે. અંતમાં, તેઓ પેપર પ્રેઝન્ટેશન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે. દરેક પ્રશ્નનો જવાબ મુદ્દા પાડીને લખવો જોઈએ. ગોઠવણ, સ્પષ્ટ લખાણ અને યોગ્ય શીર્ષકોનો ઉપયોગ ગુણ વધારવામાં મદદ કરે છે. નવો પ્રશ્ન હંમેશા નવા પાના પર શરૂ કરવો જોઈએ. આ રીતે પરીક્ષકને જવાબો તપાસવામાં સરળતા રહે છે અને ગુણ આપવામાં અનુકૂળતા થાય છે. જવાબો વચ્ચે યોગ્ય અંતર રાખવું, જરૂરી હોય ત્યાં અંડરલાઇન કરવું અને ગંદું લખાણ ટાળવું,આ બધી બાબતો સારા પ્રેઝન્ટેશનનો ભાગ છે.
ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઇ ગયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે. '10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું?'વેપારી અરવિંદભાઈ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે સાહેબ, અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? સાહેબ, અત્યારે બહુ તકલીફ છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. '30 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે'તેઓએ કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે બહુ તકલીફ છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ તકલીફ પડી રહી છે. 'પહેલા એક કલાકમાં 20 ઓર્ડર નીકળતા હવે 5 ઓર્ડર માંડ નીકળે છે'વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, સાહેબ બહુ જ તકલીફ પડી રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. 'હું બોટલ લેવા ગયો ત્યારે મને 4500 ભાવ કહેવામાં આવ્યો'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત બહુ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બોટલ લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી. 'અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ'વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, હવે શું કરીએ ભાઈ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. બહુ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા જેવો ધંધો થતો હતો, એના કરતા અત્યારે ઘણો ઓછો ધંધો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે. ગેસ કરતા ચૂલામાં સમય ઘણો વધારે લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ નથી જોતા અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી. 'ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે'વેપારી ઉપેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે તો બહુ જ તકલીફ છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. અત્યારે મારી પાસે એક પણ ગેસની બોટલ નથી. હું અત્યારે ગેસની બોટલ જ શોધી રહ્યો છું. જો ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે. અત્યારે તો એ જ વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી આ તકલીફ છે. અમે બોટલ લેવા ગયા હતા પણ એમણે સાફ ના પાડી દીધી છે કે, અત્યારે કોમર્શિયલ ગેસ મળી રહ્યો નથી. કાળા બજારમાં પણ ક્યાંય ગેસ મળતો નથી. અમારી તો એક જ માંગણી છે કે વહેલી તકે ગેસના બોટલની વ્યવસ્થા કરવામાં આવે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો અમારો ધંધો બંધ થઈ જશે. મારા પરિવારમાં ચાર સભ્યો છે અને આખો પરિવાર આ ધંધા પર જ નભે છે. આ ઉપરાંત, મારી સાથે કામ કરતા ચાર માણસોની રોજીરોટી પણ આના પર જ આધારિત છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જો એ બંધ થાય તો જ ગેસની સપ્લાય સરખી થાય એવું લાગે છે, બાકી તો શું થઈ શકે? રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે માત્ર 2 જ શાકના વિકલ્પ ગુજરાતમાં હાલમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે એલપીજી (ગેસ સિલિન્ડર)ની સપ્લાયમાં તંગી જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ઓપરેશન્સ પણ અટકી ગયા છે. તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છેબીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે. જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી કતારો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે તમે મહિનાઓથી સાત સમુદ્ર પાર ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હો અને ત્યાં પહોંચીને તમારો ઉત્સાહ અને ઉમંગ જીવના જોખમ અને આર્થિક તંગીમાં ફેરવાઇ જાય તો…? આવું જ કંઇક અમદાવાદના દંપતી કમલેશભાઇ વાળંદ અને ગીતાબેન સાથે બન્યું છે. તેઓ હોંશે હોંશે દુબઇ ફરવા માટે તો ગયા પણ જ્યારે ભારત પાછું આવવાનું હતું ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુબઇનું એરપોર્ટ બંધ થઇ ગયું. ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા દંપતી પાસે નહોતા રહેવાના પૈસા કે નહોતી ખાવાની સગવડ. બીજી બાજું હોટલના ભાડા વધ્યાં અને ટ્રાવેલ એજન્સીએ હાથ ઊંચા કરી દીધા. ભૂખ, તરસ અને બ્લાસ્ટના અવાજો વચ્ચે ફસાયેલા આ ગુજરાતી પરિવારની વ્હારે અબુધાબીનું BAPS મંદિર અને બ્રહ્મવિહારી સ્વામી આવ્યા. વાંચો પારકા દેશમાં કેવી રીતે માનવતા અને સંસ્થાના સહયોગથી એક દંપતી હેમખેમ અમદાવાદ પરત પહોંચ્યું? 6 મહિના પહેલાં પ્લાનિંગ કર્યુંકમલેશભાઇ અને તેમના પત્નીએ 6 મહિના પહેલાં વિદેશ ફરવા જવાનું નક્કી કર્યું હતું. લાંબી ચર્ચા વિચારણા બાદ તેમણે દુબઇ જવાનું પસંદ કર્યું. જેના પછી દુબઇના પેકેજ વિશે 2-3 જગ્યાએ તપાસ કરી. જે દરમિયાન તેમને જાણવા મળ્યું કે રાજ ટ્રાવેલ્સમાં સારું પેકેજ છે એટલે તેમણે ત્યાં જ પેકેજ બુક કરાવ્યું હતું. દુબઇમાં બીજા 30 લોકોનો સાથ મળ્યોઆ દંપતી એક અઠવાડિયાની ટ્રિપ માટે 23મી ફેબ્રુઆરીએ અમદાવાદથી દુબઇ જવા નીકળ્યું હતું. અહીંથી ગયા ત્યારે પતિ-પત્ની બે એકલા જ હતા. લગભગ સાંજના સમયે તો તેઓ દુબઇ પહોંચી ગયા હતા. દંપતી જ્યારે દુબઇ એરપોર્ટથી મીના બજારમાં આવેલી હોટલમાં પહોંચ્યું ત્યારે તેમની સાથે અન્ય 30 લોકો પણ હતા. અહીં બધાને રાતના સમયે ક્રૂઝથી માંડીને સાઇટ સીન પર લઇ જવાયા હતા. છેલ્લા દિવસે જ્યાં દર્શન કર્યાં ત્યાંથી જ મદદ મળીટ્રિપના છેલ્લા દિવસે બધા અબુધાબીમાં BAPS મંદિરે ગયા અને ત્યાં દર્શન કર્યાં હતા. અહીં સુધી તો બધું સારૂં અને આનંદદાયક રહ્યું પણ ખરી મુશ્કેલી હવે શરૂ થવાની હતી. કાર રોકીને કહ્યું એરપોર્ટ બંધ છેકમલેશભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભારત પાછા આવવા માટે જ્યારે અમે હોટલથી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે અત્યાર સુધી દુબઇમાં વિતાવેલા દિવસોની ખુશી અને ઉત્સાહ ચિંતામાં ફેરવાઇ ગયો. કેમ કે એરપોર્ટ પર અમારી કાર રોકીને કહેવામાં આવ્યું કે અહીં યુદ્ધના એંધાણ છે જેથી એરપોર્ટ બંધ કરાયું છે. દંપતી હોટલ પર પાછું ગયુંએરપોર્ટ બંધ થઇ જતાં આ દંપતી હવે આગળ શું કરવું તેની મૂંઝવણમાં મૂકાયું. તેમણે જણાવ્યું કે, આવા સમયે વિચાર આવવા લાગ્યો કે એક બાજુ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. બીજીતરફ એટલા પૈસા પણ નથી આવામાં જવું ક્યાં? જો અહીં અધવચ્ચે ઉતરી જઇશું તો ક્યાં રહીશું? જે હોટલમાં રોકાયા હતા ત્યાં સુધી પાછા કેવી રીતે પહોંચીશું? એટલે અમે કારવાળા ડ્રાઇવરભાઇને કહ્યું કે અમને પાછા એ જ હોટલ પર ઉતારી દો. પાણીની એક બોટલના 125 રૂપિયાકમલેશભાઇ અને ગીતાબેન જ્યારે હોટલ પર પાછા પહોંચ્યા ત્યારે હોટલે ભાડું પણ વધારી દીધું હતું. તેઓ કહે છે કે, અમે હોટલ પર પહોંચ્યાં અને વાત કરી તો હોટલવાળાએ ભાડામાં વધારો કરી દીધો હતો. હોટલવાળા દિવસ દરમિયાન 2 જ બોટલ પાણી આપતાં હતા. એ પછી વધારે પાણી જોઇએ તો 5 દિરહામ (અંદાજે 125 રૂપિયા) ચૂકવવા પડતાં હતા.બીજીતરફ રાજ ટૂરે પણ એવું કહ્યું કે તમારી ટ્રીપ અહીંયા પૂરી થઇ ગઇ છે અને ફ્લાઇટની ટીકિટના પૈસા જ્યારે તમે પાછા આવશો ત્યારે તમને પરત કરી દઇશું. બાકી તમારી રીતે તમને જ્યાં સસ્તું લાગે ત્યાં રહો અને જમો. આવી સ્થિતિમાં તેમની પાસે પૈસા ખૂટી પડ્યાં હતા. ગ્રુપના બાકીના લોકોએ તેમના માટે 2 દિવસ સુધી હોટલ બૂકિંગથી લઇને ભોજન સુધીની વ્યવસ્થા કરી દીધી. જો કે તેમને એવું પણ કહ્યું કે બાકીના દિવસની વ્યવસ્થા તમે કરી લેજો. ભારત પાછા આવવાની કોઇ આશા નહોતીવાતને આગળ વધારતાં કમલેશભાઇએ કહ્યું, આવા સમયે અમારા એક દૂરના સંબંધીને વાત કરીને તેમની પાસે પણ મદદ માગી. મેં કહ્યું કે જ્યારે હું ભારત પરત ફરીશ એ પછી તમને પૈસા પાછા આપી દઇશ એટલે તેમણે બાકીના 2-3 દિવસની સગવડ કરી આપી. આમ કરતાં-કરતાં અમારા ચારેક દિવસ તો જેમ-તેમ કરીને નીકળી ગયા પણ હજી સુધી ભારત ક્યારે પરત ફરીશું તેની કોઇ આશા દેખાતી નહોતી. બીજીવાર કોઇની પાસે કેવી રીતે હાથ લંબાવવો તેની પણ મનમાં સતત ચિંતા ચાલતી હતી. ગળામાંથી એક કોળિયો પણ નહોતો ઉતરતો કે ન તો પાણી પીવું ગમતું હતું કેમ કે અમારી પાસે દુબઇનું નાણું જ નહોતું બચ્યું. માત્ર ભારતના પાંચેક હજાર રૂપિયા જ બચ્યાં હતા. સવાર-સાંજ ધડાકા સંભળાતાદુબઇ ટૂર દરમિયાનના અનુભવો અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વાત કરતાં કમલેશભાઇએ કહ્યું, અમને રોજ સવાર-સાંજ ધડાકા સંભળાતા હતા. જેવો ઘડાકાનો અવાજ સંભળાય એટલે અમે ટેન્શનમાં આવી જતાં હતા. જો કદાચ અમારા પર મિસાઇલ પડશે તો શું થશે? તેવો વિચાર આવતો હતો. 'રાતના સમયે ફોનમાં મેસેજ આવતાં એટલે હોટલના રૂમમાંથી બહાર નીકળીને હું નીચે પૂછવા જતો કે આ મેસેજ શેના આવી રહ્યાં છે? ત્યારે ત્યાંનો સ્ટાફ કહેતો કે અહીં જે પરિસ્થિતિ છે તે જોતાં સૂચના અપાઇ રહી છે કે તમે જે પણ મકાનમાં હો ત્યાંથી બહાર નીકળી જાવ અને ત્યાંથી દૂર જતા રહો. જેથી કોઇ હુમલો થાય તો સુરક્ષિત રહી શકાય.' મુશ્કેલીના આ સમયમાં અબુધાબીનું BAPS મંદિર તેમની મદદે આવ્યું. કેવી રીતે મંદિરનો સંપર્ક થયો અને ત્યાંથી શું-શું મદદ મળી તેની વાત કમલેશભાઇએ વિગતે કહી. અમદાવાદના ઋષિરાજ સ્વામીએ સાંત્વના આપીતેમણે જણાવ્યું કે, અમને સમાચાર મળ્યાં કે અબુધાબીનું BAPS મંદિર દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યું છે પણ મારી પાસે મંદિરનો નંબર નહોતો એટલે મેં મારા સગા ભાઇને કહ્યું કે તું શાહીબાગ BAPS મંદિરમાં જા. મારા ભાઇએ શાહીબાગ મંદિરે પહોંચીને મારી હોટલનું કાર્ડ અને પરિસ્થિતિ વિશે ઋષિરાજ સ્વામીને વાત કરી. ઋષિરાજ સ્વામીએ કમલેશભાઇના ભાઇને સાંત્વના આપીને કહ્યું કે હું તેમની વિગતો બ્રહ્મવિહારી સ્વામીને પહોંચાડી દઉં છું. તેઓ હાલ અબુધાબીમાં જ છે. 2 કલાકમાં જ બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યોઆ અંગે કમલેશભાઇ કહે છે કે, મારી વિગતો જેવી પહોંચાડી કે તેના 2 જ કલાકમાં મારા પર બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો. સ્વામીએ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું અહીંના હરિ ભક્તોને કહું છું. એ તમને લેવા આવશે અને તમારી બધી જ વ્યવસ્થા થઇ જશે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાતચીતના થોડા જ સમયમાં એક હરિભક્ત કાર લઇને કમલેશભાઇ અને તેમના પત્નીને લેવા હોટલ પર પહોંચ્યા હતા અને એક સારા મકાનમાં રહેવા-જમવાની સુવિધા કરી આપી હતી. જેના કારણે દંપતીને રાહત થઇ. અમદાવાદ આવવાની ટિકિટ કરાવી દીધીતેઓ કહે છે કે, હરિભક્તે 3 દિવસ સુધી સતત અમારા ભોજનથી લઇને રહેવા અને દવાની જરૂરિયાતનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખ્યું હતું. ત્રીજા દિવસના અંતે તો અમને કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ પણ અમે કરાવી દીધી છે આટલું સાંભળતા જ અમે ખૂબ જ રાજી થઇ ગયા હતા. હરિભક્તો એરપોર્ટ સુધી મૂકી ગયાકમલેશભાઇ અને તેમના પત્ની જ્યારે ભારત પાછા આવી રહ્યાં હતા ત્યારે 2 હરિભક્તો તેમને કારમાં લેવા આવ્યા હતા અને એરપોર્ટ સુધી મૂકી ગયા હતા. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, હરિભક્તો અમારા માટે ભોજન પણ લઇને આવ્યાં હતા. જ્યારે અમને એરપોર્ટ ઉપર ઉતાર્યા અને અમે અંદર જતાં હતા ત્યારે પણ ખૂબ જ સહજભાવે હરિભક્તોએ કહ્યું કે અમે અહીં બહાર જ ઊભા છીએ. તમારી બધી પ્રોસેસ પૂરી થઇ જાય એ પછી જ અમે અહીંથી જઇશું. અમે એરપોર્ટમાં ગયા જે બાદ અમારી બધી પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ પછી અમે તે હરિભક્તોને જાણ કરી અને અમારો ફોટો પણ તેમને મોકલી આપ્યો. આટલી વાત કહેતાં જ કમલેશભાઇને ડૂમો ભરાઇ ગયો. થોડીક ક્ષણ માટે તેઓ ચૂપ થઇ ગયા અને કહ્યું આ લોકો અમારી મદદે ન આવ્યાં હોત તો અમારું શું થાત? અમે દુબઇથી સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં. દીકરી અને જમાઇ અમને લેવા આવ્યાં હતા. બહાર આવતાં જ મેં તેમને કહ્યું કે પહેલાં તમે અમારો ફોટો પાડો અને સ્વામીને મોકલો કે અમે શાંતિથી પહોંચી ગયા છીએ. BAPS મંદિરે કરેલી મદદને આ દંપતી ક્યારેય ભૂલી શકે તેમ નથી.તેમણે કહ્યું કે, જ્યાં કોઇ સગા ન હોય ત્યાં અમને BAPS જેવી સંસ્થાએ મદદ કરી હતી એટલું જ નહીં અહીં પાછા આવવા માટે મોંઘામાં મોંઘી ટિકિટ કરી આપી. અમારા માટે તો એ લોકો ભગવાનના રૂપમાં હતા તેવું લાગ્યું. કેટલીક સંસ્થાઓ ત્યાં મદદ માટે કહેતી હતી પણ આવી કોઇ સુવિધા કરતી નહોતી પણ આ લોકોએ ખરેખર અમને સારી રીતે મદદ કરી. કમલેશભાઇ સાથે વાતચીત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે તેમના પત્ની ગીતાબેન પાસેથી તેમનો અનુભવ જાણ્યો.ગીતાબેને કહ્યું કે, જ્યારે એરપોર્ટ બંધ કરી દેવાયું ત્યારે ચિંતામાં ને ચિંતામાં મારું બ્લડ પ્રેશર અને ડાયાબિટિશ હાઇ થઇ ગયું, શરીર વીક થઇ ગયું અને ચક્કર આવવા લાગ્યાં હતા. અમે રડીને રાતો વિતાવી છેઃ ગીતાબેન'અમારે ટૂર સિવાયના વધારાના પાંચેક દિવસ ત્યાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન મને ઠંડી લાગી અને તાવ આવ્યો હતો. અમે હોટલવાળાને રિક્વેસ્ટ કરી હતી કે ઓઢવાનું એકસ્ટ્રા આપો. તેમણે ઓઢવાનું તો આપ્યું પણ હોટલનું ભાડું વધારી દીધું. હું સતત રડ્યાં જ કરતી હતી જેના કારણે મારા શરીર પર પણ તેની અસર પડી રહી હતી. ધડાકાના અવાજ સાંભળીને અમારા ધબકારા એકદમથી વધી જતાં હતા. બપોરે કે રાતે ઊંઘ પણ નહોતી આવતી. આખી આખી રાતો અમે રડીને કાઢી હતી.' પાછા આવ્યા ત્યારે હાશકારો થયોગીતાબેને ઉમેર્યું કે, જ્યારે પાછા આવવા માટે અમારી ટિકિટ બૂક થઇ અને અમે પાછા આવ્યાં ત્યારે અમને હાશકારો થયો હતો.
ઝળહળતી સિદ્ધિ:વાગડમાં માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 છાત્રો CET પરીક્ષામાં સફળ
માંજુવાસ પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર છાત્રોના સન્માન માટે સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે છાત્રોને સ્વ.અરજણભાઈ ડાંગરની સ્મૃતિચિન્હરૂપે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જેના દાતા નાગદાનભાઈ ભચાભાઈ ડાંગર રહ્યા હતા. છાત્રો માટે પ્રીતિભોજનનું આયોજન વાલીગણ દ્વારા કરાયું હતું. આ વર્ષે CET પરીક્ષામાં શાળાના કુલ 19 છાત્રોમાંથી 16એ સફળતા પ્રાપ્ત કરી હતી. ઉપરાંત માસ દરમિયાન સો ટકા હાજરી ધરાવતા છાત્રોને પણ ઇનામ આપી વિશેષ પ્રોત્સાહન અપાયું હતું. આવા કાર્યક્રમો છાત્રોમાં નિયમિત હાજરી પ્રત્યે ઉત્સાહ વધારવામાં અને ડ્રોપઆઉટ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આચાર્ય ભૂમિકાબેન પટેલના માર્ગદર્શનમાં શિક્ષકોએ શાળા સમય બાદ નિયમિત રોજ એક કલાક વધારાનો સમય ફાળવી CET પરીક્ષાની વિશેષ તૈયારી કરાવી હતી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સરપંચ આલાભાઈ ડાંગર દ્વારા દરેક વિદ્યાર્થીને ડિજિટલ આઈ-કાર્ડ બનાવી આપી પ્રોત્સાહિત કરાયા હતા. હરેશભાઈ ડાંગર અને બાબુભાઈ આહિરે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત ગામના દાતાઓએ છાત્રોના ગણવેશ માટે રૂ.1.50 લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી. આ અવસરે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ સુરેશગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા.
અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ દસ દિવસીય ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરાયું હતું. તેના સમાપન અર્થે સમારંભનું આયોજન પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કા. સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠીયાએ કહ્યું કે, સ્થાનિકોની ઉત્સાહપૂર્વકની ભાગીદારીથી મેળો સફળ બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસે ધંધાર્થીઓ, શહેરીજનો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. પાલિકાના પદાધિકારીઓના હસ્તે ભાગ લેનાર તમામ સ્થાનિક વેપારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વાગત પ્રવચન ખીમજી સિંધવ, સંચાલન ભારતીબેન બારોટ અને આભારવિધિ રશ્મિનભાઈ ભીંડેએ કરી હતી. દસ દિવસ ચાલેલા સ્વદેશી મેળામાં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબતી ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી અતર પરફ્યુમ, ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા, અજરખ સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવ્યા, જેને આવકાર મળ્યો હતો. જેમાં 15 હજાર વ્યક્તિઓએ મુલાકાત લીધી અને અંદાજિત રૂ.20 લાખનું વેચાણ થયું હતું. દરેક ધંધાર્થીઓને સ્ટોલ વીજળી, પાણી, સફાઈ સહિતની આનુસાંગિક સુવિધા સાથે વિનામૂલ્યે અપાઈ હતી. સ્થાનિક વેપારીઓએ પાલિકાનો આભાર આવા મેળાનું આયોજન સરકાર તરફથી દર ત્રણ માસે કરવું જોઈએ એવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, નરસિંહભાઈ દાવા, મયુરભાઈ હેરમા, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ, જયભાઈ ખોડિયાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
ભુજની સંસ્કાર કોલેજ બહાર 7 મહિના અગાઉ વિદ્યાર્થીનીનું છરીથી ગળું કાપીને હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર મારફતે સૂચના અપાઈ હતી કે, કોલેજમાં સુરક્ષા ગાર્ડ, સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે પરંતુ યુનિવર્સિટી સંલગ્ન અબડાસાના કનકપરમાં આવેલી કોલેજ દ્વારા હજુ સુધી કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. એક મહિના અગાઉ એબીવીપી દ્વારા આ મુદ્દે કોલેજમાં રૂબરૂ જઈને આચાર્ય સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે મામલે યુનિવર્સિટીએ જવાબ માંગતા કોલેજ દ્વારા કુલસચિવને સંબોધીને 5 માર્ચના એવો જવાબ મોકલાયો કે, મેઇન ગેટ પાસે કેમેરા લગાવવાની કામગીરી ચાલુમાં છે જે 7 માર્ચથી શરૂ થશે. સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજમાં ક્રોસ તપાસ કરતા હજુ સુધી કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેથી કોલેજે યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા અને યુનિ.એ પહેરી પણ લીધા છે. સ્થળ પર જઈને કોઈ તપાસ કરાઈ નથી જેથી યુનિ.ની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ, કનકપરમાં આવેલી એ.જે.પી.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિના અગાઉ એબીવીપીની રજૂઆત બાદ તાજેતરમાં કોલેજ પ્રશાસને કચ્છ યુનિવર્સિટીને લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે, કોલેજમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરી દેવાઇ છે. જોકે, વાસ્તવિકતા તપાસતા આ તમામ દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. વાડી વિસ્તારમાં આવેલી આ કોલેજમાં સુરક્ષાના નામે શૂન્ય વ્યવસ્થા હોવા છતાં યુનિ.એ કોલેજના ખોટા અહેવાલને આંખ મીંચીને સ્વીકારી લીધો, જે યુનિવર્સિટી અને ખાનગી કોલેજ વચ્ચેની શંકાસ્પદ મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ભૂતકાળમાં જિલ્લાની અન્ય કોલેજોમાં બનેલી હિંસક ઘટના બાદ પણ યુનિ. તંત્ર કનકપર કોલેજની બેદરકારી સામે મૌન સેવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા અંગત હિત ખાતર લાયકાત વિહોણી કોલેજોને છાવરવામાં આવે છે. સ્નાતકના છાત્રોને જ સ્નાતક જ ભણાવેચોંકાવનારી બાબત એ છે કે, જે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્નાતક થવા જાય છે, ત્યાં તેમને ભણાવનારા 60 ટકાથી વધુ અધ્યાપકો પાસે પૂરતી લાયકાત નથી. યુજીસીના નિયમો મુજબ કોલેજમાં ભણાવવા માટે નેટ, સ્લેટ કે પીએચડી અનિવાર્ય હોવા છતાં અહીં માત્ર બેચલર ડિગ્રી ધરાવતા કેટલાક વ્યક્તિઓ પ્રાધ્યાપકની ખુરશી પર બેસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કચ્છ યુનિ.ની ભૂમિકા શંકાના દાયરામાંઅબડાસાની કનકપર કોલેજમાં શિક્ષણના નામે ચાલતી લોલમ લોલ પરાકાષ્ઠાએ પહોંચી છે. આ કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન લાયકાત વિહોણી નિમણૂકો સામે આંખ આડા કાન કરે છે. કોલેજમાં જઈને ક્રોસ તપાસના બદલે માત્ર કાગળ પરના જવાબને સાચો માની લેવામાં આવ્યો છે. યુનિ. દ્વારા સમયાંતરે તપાસનો દાવો કરાય છે તો સ્નાતક પ્રોફેસરો કેમ નજરે નથી ચડતા? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં પર અંકુશ લાવવા અને લાયકાત વગરના સ્ટાફને દૂર કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ABVPએ તપાસ સમિતિની માંગ કરીયુનિ.દ્વારા તાત્કાલિક કનકપર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કમિટી બનાવવામાં આવે તેમજ લાયકાત વિનાના સ્ટાફ તથા ગેરમાર્ગે દોરતો ખોટો અહેવાલ આપવા બદલ કોલેજની માન્યતા રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ મામલે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા
શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા છે. પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડતી સ્કવોર્ડ ટીમે તપાસ હાથ ધરી છે.એ દરમિયાન સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. બન્ને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ 13 ફ્રેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડતી તપાસ દરમિયાન બેરેક 505 ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઈપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ,રાઉટર અને ચાર્જર કબ્જે કર્યા હતા.તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ મળી આવ્યા છે.
વેધર રિપોર્ટ:કંડલા અને ભુજ 40 ડિગ્રીની નજીક, કાલથી ગરમીમાં રાહત
કચ્છ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, આકરા તાપમાં શેકાતા કચ્છવાસીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુવારે કચ્છના વિવિધ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. કચ્છમાં સૌથી ગરમ વિસ્તાર કંડલા એરપોર્ટ રહ્યો હતો જ્યાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ 39.6 ડિગ્રી, કંડલા પોર્ટ 36.૩ ડિગ્રી અને નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજના દિવસે હજુ ગરમીનો પારો ઊંચો રહેશે અને લૂ જેવો અનુભવ થશે. પરંતુ શુક્રવારથી પવનની દિશામાં ફેરફાર અથવા સ્થાનિક વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે, આ ઘટાડો માત્ર 2 થી 4 ડિગ્રી સુધીનો જ રહેશે, એટલે કે ઉનાળાની અસરો તો ચાલુ જ રહેશેે.
આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલત:કચ્છમાં કાલે રાષ્ટ્રીય લોક અદાલત અંદાજિત 10 હજાર કેસો રજૂ કરાશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આવતીકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા ખાસ મેજિસ્ટ્રેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસએલએ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લામાંથી 10 હજાર જેટલા કેસો લોક અદાલત તેમજ સ્પેશિયલ સિટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં, ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓ, જમીન સંપાદન વળતર કેસો, ગ્રાહક તકરારો, બેંક રિકવરી, લેબર વિવાદો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન સંબંધિત તથા અન્ય દિવાની કેસો, પબ્લિક યુટિલિટી સર્વિસીસ સંબંધિત મામલાઓ જેમ કે બેંક રીકવરી, પાણીના બાકી લેણાં તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના કેસોનો સમાવેશ કરવામાં થાય છે. વાહન અકસ્માત વળતર સબંધિત તકરારો માટે આયોજિત પૂર્વ બેઠકમાં ટ્રાફિક નિયમભંગ બદલ નોટિસ મળેલા વાહનચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરી કેસોનો સમાધાનથી અંત લાવવા અપીલ કરાઇ છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. ના માર્ગદર્શન હેઠળ આયોજિત લોક અદાલત અંગે વધુ માહિતી માટે ભુજ સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (02832-254930) તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિઓ રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતે સંપર્ક કરી શકાય છે. કચ્છભરમાં આયોજિત લોક અદાલતની સાથે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.એમ.પાટડિયા દ્વારા રાપર ન્યાયાલયના એન.જે. રબારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું, 20970 LPG બુકિંગ સામે 12959 બોટલ જ ઉપલબ્ધ
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે છેક સરહદી જિલ્લા કચ્છના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું છે. કચ્છમાં બુકિંગની સામે હાલ જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના મુખ્ય શહેરો ગાંધીધામ, ભુજ અને માંડવીમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. કચ્છમાં ગેસ વિતરણ કરતી મુખ્ય ત્રણ ઓઈલ કંપનીઓ IOCL, BPCL, અને HPCL પાસે ગુરુવારના કુલ 20,917 ગ્રાહકોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. જેની સામે હાલ 12,959 ગેસની બોટલનો જ જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ 7,496 બોટલ અન્ય શહેરોથી કચ્છ માટે રવાના કરવામાં આવ્યા છે. કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી એજન્સીઓ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જરૂરિયાત સામે પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ જ પરિસ્થિતિ ભુજ અને માંડવીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગ્રાહકોને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ‘પેનિક બુકિંગ’ની છે. ગેસની અછત સર્જાશે તેવી આશંકાએ જેમને તાત્કાલિક જરૂર નથી તેવા ગ્રાહકો પણ રિફિલિંગ માટે દોડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં થતા બુકિંગ કરતા અત્યારે બુકિંગનો આંકડો અચાનક વધી જતા એજન્સીઓ પર દબાણ વધ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ આ યુદ્ધની પરિસ્થિતિમાં ગામ અને શહેરના દરેક ચોકમાં માત્ર ગેસના બોટલની જ ચર્ચા થઇ રહી છે. કોને મળશે અને ક્યારે મળશે તેવી જ વાતો થઇ રહી છે. કેન્દ્રથી લઈને સ્થાનિક સુધી ગેસ એજન્સીના ફોન બંધહાલ સર્જાયેલી ગેસની અછત સમયે લોકો ગભરાહટમાં બુકિંગ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક એજન્સીઓ સુધી તમામે ફોન નંબર બંધ કરી દીધા છે. ભાસ્કરે રીયાલીટી ચેક માટે ભુજની 5 ગેસ એજન્સીઓની સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બે એજન્સીનો ફોન બંધ આવ્યો હતો, જયારે ૩ એજન્સીના સંચાલકોએ ફોન રીસીવ કર્યા જ ન હતા. માત્ર નખત્રાણાની ગેસ એજન્સીનો ફોન ઉપડ્યો હતો, અને જણાવ્યું હતું કે બુકિંગ બાદ ૩ દિવસે તમને ગેસનો બોટલ મળી જશે. ભુજ અને ખાવડામાંથી સંગ્રહખોરી થતા 26 બોટલ જપ્ત એક તરફ મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાયમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં સ્થિતિનો ગેરલાભ ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. જેના ભાગરૂપે ભુજ શહેર અને ખાવડા વિસ્તારમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવી ગેરકાયદે ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા બાતમીના આધારે ખાવડાના પ્રમુખસ્વામી નગર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં બિપિન દાવડા દ્વારા સંચાલિત ‘સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર’ નામની દુકાનમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી 19 કિલ્લોના 11 કોમર્શિયલ સિલિન્ડર અને 4 ખાલી બોટલ તેમજ 14.2 કિલોના 7 ઘરેલુ સિલિન્ડર અને 2 ખાલી બોટલ સહીત કુલ રૂા. 1,01,244 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ભુજના એરપોર્ટ રોડ પર આવેલી રીયલ પેપરિકા નામની રેસ્ટોરેન્ટમાંથી બે કોમર્શીયલ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા. રેસ્ટોરેન્ટમાંથી નિયમ કરતા વધુ ગેસના બોટલ મળી આવ્યા હતા. સરકાર નિયમ મુજબ 100 કિલોથી વધુ સંગ્રહ કરી શકાય નહી. જેથી 3800 રૂપિયાની કિંમતની 2 કોમર્શીયલ બોટલ પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.એક તરફ જ્યારે સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે, ત્યારે આવા સંગ્રહખોરો કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરવાનું પાપ કરી રહ્યા છે. ગેસ ડીલર અને એજન્સીઓ સાથે તંત્રની બેઠક યોજાઇહાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજવસ્તુ અંતર્ગત LPG પૂરવઠો જિલ્લા સુવ્યવસ્થિત રીતે જળવાય રહે અને જરૂરિયાત પ્રમાણે અછત ન વર્તાય માટે જિલ્લાના તમામ ડિસ્ટ્રેબ્યુટર્સે સાથે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં પરિસ્થિતિ અન્વયે ખોટા સંદેશાઓ, અફવાઓ ન ફેલાય તથા બિન જરૂરી ભયનું વાતાવરણ ઊભું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું, અને જિલ્લા ગેસ સંચાલકો બિન જરૂરી સંગ્રહ ખોરી થતા કાળા બજારી ન થાય તેની કાળજી રાખવા સુચના આપવામાં આવી છે. જો કોઈ સંગ્રહખોરી કરશે તો તમની સામે LPG કંટ્રોલ ઓર્ડર 2000 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને ગેસ સિલિન્ડર રુલ 2016 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે ગેસ કંપનીઓમાં થયેલ બુકિંગના આંકડા
ભાસ્કર એક્સક્લુસિવ:કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ પાલિકાએ વર્ષમાં વાપર્યું
કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ ભુજ પાલિકાએ એક વર્ષમાં વાપર્યું છે. પેટ્રોલ અને ડીઝલ પર રૂ.1.80 કરોડનો ખર્ચ કરી પ્રજાના પૈસા અને ઇંધણ બંનેનો ધુમાડો પાલિકાએ કર્યો છે. ભુજ પાલિકાની ખાસ સામાન્ય સભામાં હિસાબી વર્ષ પૂરું થતું હોઈ આવતા વર્ષના અંદાજિત આવક ખર્ચ દર્શાવતું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત રૂ. 149 કરોડની આવક સામે રૂ. 148 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં જીવન જરૂરિયાત સમાન દરેક માટે અનિવાર્ય એવા ઈંધણ પર પાલિકા દ્વારા એક વર્ષમાં રૂ.1.80 કરોડ ખર્ચ કરાયાનો ઉલ્લેખ છે. પાલિકા દ્વારા વર્ષ 2023-24માં રૂ.1.33 કરોડ ખર્ચ કરાયા હતા તો ત્યારબાદના વર્ષ 2024-25માં રૂ.13 લાખ ખર્ચના ઘટાડો નોંધાયો હતો અને રૂ.1.20 કરોડ વપરાયા હતા. તો, ત્યારબાદ 2025-26માં રૂ.60 લાખનો વધારો જોવા મળ્યો અને સમગ્ર વર્ષમાં રૂ.1.80 કરોડનો ખર્ચ ઈંધણ પાછળ દર્શાવાયો છે. 56 ચોરસ કિલોમીટર એટલે કે અંદાજે 7.5 કિમી લંબાઈ અને 7.5 કિમી પહોળાઈ વિસ્તાર ધરાવતા ભુજ શહેરમાં પાલિકા દ્વારા વર્ષ દરમિયાન રૂ.1.80 કરોડ વિવિધ વાહનો દ્વારા ઈંધણ પર વાપરવામાં આવ્યા છે. હાલે પેટ્રોલ રૂ.94.80 છે તો ડીઝલ રૂ.90.48 છે. જેને વાર્ષિક સરેરાશ રૂ.90 ગણીએ તો અંદાજે 2 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ વાપરવામાં આવ્યું છે. ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિત અન્ય સાધનો દ્વારા વપરાયેલું આ ઈંધણ જો સરેરાશ પ્રતિ લિટર 20ની પણ એવરેજ ગણવામાં આવે તો 40 લાખ કિમી અંતર કાપી શકાય એટલું આ ઈંધણ કહી શકાય. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1111 આંટા માર્યા સમાન છે. જો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રસ્તા પરથી સફર કરવામાં આવે તો વધુમાં વધુ 3,600 કિમી થાય છે.

37 C