પશ્ચિમ રેલવે વડોદરા પોલીસે ગોધરાની સિગ્નલ ફળીયા ગેંગના 6 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જે પૈકી બે આરોપીની ધરપકડ કરીને આજે વડોદરા ગુજસીટોક, સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગેંગ ટ્રેનનું સિગ્નલ બદલી નાખતા હતાં. આ ઉપરાંત બે કોચ વચ્ચેનો વાલ્વ ખોલી એર પ્રેશર ઓછું કરી નાખતા અને ટ્રેન ધીમી પડ્યા બાદ ટ્રેન ગુડ્સ ટ્રેનમાંથી માલ-સામાનની અને પેસેન્જર ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી માલ-સામાનની ચોરી કરતા હતા. ટ્રેન ઉથલાવી નાખવાનો પણ પ્રયાસ કરતાઆ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવેલા કુલ 31 ગુનાઓમાંથી, 29 ગુનાઓ ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર છે, જે ગુજસીટોક કાયદા હેઠળ ગુનાહિત ટોળકીની વ્યાખ્યામાં આવે છે. આ ગેંગ રેલ્વે ટ્રેકના બંને પાટાઓને જોડતી ફિશર પ્લેટને નુકસાન પહોંચાડી અથવા કાઢી નાખીને ટ્રેન ડિરેલમેન્ટ થાય તેવા કૃત્યો પણ કરે છે, જેનાથી પેસેન્જર ટ્રેનના મુસાફરોના જાનમાલને ગંભીર નુકસાન થાય છે અને તેમના સામાનની ચોરી કે લૂંટ કરવામાં આવે છે. સિગ્નલ ફળીયા ગેંગના બે આરોપીઓ ફરદીન ઇનાયત અલી મકરાણી અને સુલતાન નિશાર ખાલપાને પકડી પાડવામાં આવ્યા છે. અન્ય બે આરોપીઓ, હસન ઉર્ફે ટકન સલીમ શેખ અને હુસેન સલીમ શેખ, હાલ રેલવેની રાષ્ટ્રીય સંપત્તિની ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ છે. પોલીસ તેમનો કબજો મેળવવા કાર્યવાહી કરી રહી છે, જ્યારે ઈમરાન નિશાર ખાલપા અને યાસીન સલીમ શેખ નામના અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે, જેમને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સક્રિય પ્રયાસો ચાલુ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડીરેલવે લાઇન પર સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલા આઉટર સિગ્નલ કે હોમ સિગ્નલના થાંભલા પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ લાઇટને લાલ કરી દે છે. આના કારણે ટ્રેનના લોકોપાયલોટને સિગ્નલ ન મળવાથી ટ્રેન ધીમી પડે છે અથવા ઊભી રહે છે, જેનો લાભ લઈને ગેંગ પેસેન્જર ટ્રેનમાં ચઢી લૂંટ કરે છે અથવા બારી પાસે બેઠેલા મુસાફરોના કિંમતી સામાનને ખેંચીને ચોરી કરે છે. સિગ્નલ ફળીયા ગેંગના બે આરોપીઓ ફરદીન ઇનાયત અલી મકરાણી અને સુલતાન નિશાર ખાલપાને આજે વડોદરા ગુજસીટોક, સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. કોર્ટે બંને આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સિગ્નલ ફળીયા ગેંગના આ 6 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક
દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. તેમજ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર અને વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાઇલેન્ટ ઝોન ગણવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે ગુનો પણ નોંધવામાં આવશે. અમદાવાદીઓને 10 જેટલા નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેવા ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં.ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી અને વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી બાંધેલા ફટાકડા ફોડી શકાશે નહીં. લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઈ કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણવામાં આવશે જેથી તેની કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા રાખી શકાશે નહીં અને તેનું વેચાણ પણ કરી શકાશે નહીં.બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ નજીક, બોટલિંગ પ્લાન્ટ, એલ.પીજી, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોડાઉન અને હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના ચાઇનીઝ તુક્કલનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈ પણ સ્થળોએ ઉડાવી શકાશે નહીં.
પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરવાના વિરોધમાં આજે ફરી મહિલાઓ મેદાને આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફાટક ખોલવાની માંગ કરી હતી.આ વિસ્તારના લોકોમાં ફાટક બંધ થવાને કારણે નારાજગી જોવા મળી રહી છે. અગાઉ બે વખત ફાટક નજીક દેખાવો કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરવા છતાં ફાટક ન ખોલાતા સ્થાનિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે.કલેક્ટરને આવેદન આપ્યા બાદ મહિલાઓ રેલવે વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી. તેમણે અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જેમ તમે ફાટક બંધ કરી દીધું, તેમ જો અમે ટ્રેનને રોકી દઈએ તો તમને કેવું લાગશે? મહિલાઓએ જણાવ્યું હતું કે રેલવે વિભાગે જે વૈકલ્પિક રસ્તો આપ્યો છે તે પાણીનો વહેણ છે અને યુવતીઓ-મહિલાઓ માટે સલામત નથી.જો ફાટક નહીં ખોલવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાનને પણ પત્ર લખવામાં આવશે તેમ જણાવાયું હતું. મહિલાઓએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા વંચિત સમુદાયોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે 'પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન' ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આદિમજૂથની જાતિઓ જેવી કે કોલઘા, કાથોડી, કોટવાળિયા, પઢાર અને સિદ્દીને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પઢાર સમુદાયની મહિલાઓએ પટોળા કળા દ્વારા આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રાણાગઢ, નાની કઠેચી, આનંદપુર, જસમતપર, રળોલ, ગેડી, પરનાળા અને પરાલી સહિત આઠ ગામોમાં પઢાર સમુદાય વસવાટ કરે છે. આ પૈકી પરાલી ગામની મહિલાઓએ તેમના પરંપરાગત ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરી છે. પરાલી ગામનું 'પ્રથમ સ્વસહાય જૂથ' ગ્રામીણ મહિલાઓના સ્વમાન અને આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યું છે. આ જૂથની બહેનોએ પ્રાચીન ભારતીય હસ્તકલા પટોળાના ઉત્પાદનને પોતાનું માધ્યમ બનાવ્યું છે. આ કળા દ્વારા તેઓ નોંધપાત્ર આર્થિક અને સામાજિક પ્રગતિ કરી રહી છે. સ્વસહાય જૂથના પ્રમુખ મંજુલાબેન સોયાએ જણાવ્યું કે, અમારા સખી મંડળની બહેનો પટોળા વણાટની ઝીણવટભરી કારીગરીમાં નિપુણતા ધરાવે છે. અમે કૉટન અને પ્યૉર સિલ્કની આકર્ષક પટોળા સાડીઓ, સ્ટૉલ, શાલ, હાથ રૂમાલ, તેમજ સિંગલ ઇકત અને ડબલ ઇકતની તકનીકથી દુપટ્ટાઓ અને સાડીઓ બનાવીએ છીએ. તેમણે આ સફળતાનો શ્રેય સરકારના સહયોગને આપ્યો. આ કારીગરી તેમની પેઢીઓ જૂની કળાને જીવંત રાખવાની સાથે તેને આધુનિક બજારની જરૂરિયાત પ્રમાણે ઢાળીને આર્થિક સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ બનાવી રહી છે. સરકારી પ્લેટફોર્મ્સ વેચાણ અને રોજગારનો આધાર બન્યા છે. મંજુલાબેનના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા યોજાતા સ્વદેશી મેળાઓ અને હસ્તકલા પ્રદર્શનો જેવા કાર્યક્રમો થકી તેમના ઉત્પાદનોનું સારું વેચાણ થાય છે. આ પ્લેટફોર્મ્સને કારણે ગ્રામીણ મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે અને તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની છે. તેઓ ખાસી એવી રોજી કમાઈને પોતાના પરિવારના આર્થિક ઉત્થાનમાં મોટો ફાળો આપી રહી છે, સાથે જ દેશની આર્થિક ઉન્નતીમાં પણ યથાયોગ્ય યોગદાન આપી રહી છે. આ સરકારી પ્લેટફોર્મ્સ 'ઘર ઘર સ્વદેશી'ના મંત્રને બળ પૂરું પાડીને સ્થાનિક કલાને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવવામાં મદદરૂપ થયા છે. જેના પરિણામે સખી મંડળની બહેનો સારી કમાણી કરીને પોતાના પરિવારના આર્થિક ઉત્થાનમાં મોટો ફાળો આપી રહી છે. પરાલી ગામનું આ સખી મંડળ 'પીએમ જનમન' અભિયાનની ભાવનાને સાકાર કરતું એક જીવંત ઉદાહરણ છે. આ સખી મંડળ એ સંદેશ આપે છે કે, જો આપણે 'ઘર ઘર સ્વદેશી' અપનાવીએ અને સ્થાનિક કલાને સન્માન આપીએ, તો દેશના આદિમજૂથો અને ગ્રામીણ કારીગરો આર્થિક રીતે સક્ષમ બનીને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
કાજલીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ:જિલ્લાના 2076 ખેડૂતોને ₹7 કરોડથી વધુની સહાય અપાઈ
કાજલી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ-2025ના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના 2076 ખેડૂતોને ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર અને સોલાર યુનિટ સહિત ₹7 કરોડથી વધુની ખેતીલક્ષી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે રવિ પાકોમાં ઉત્પાદન વધારવા માટે આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો, નવી ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું.જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી વિભાગે 24,549 ખેડૂતોને સહાય ચૂકવી છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1,13,000 ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય મળી રહી છે. તાજેતરમાં, 20મા હપ્તામાં ₹25 કરોડની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. કાજલી ખાતે આયોજિત સ્ટોલોમાં ખેડૂતોએ નવીન ટેકનોલોજી, સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયાબહેન ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળીના પર્વમાં સલામત સવારી ગણાતી એસટી બસમાં લોકોની ચિક્કાર ભીડ ઉમટી પડશે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા તેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 550 જેટલી બસ દોડે છે. જોકે દિવાળીમાં લોકો પોતાના સ્નેહીજનોને ત્યાં જવા માટે તેમજ હરવા ફરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન આજથી શરૂ થઈ ગયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઊંચા ભાડા આપી લૂંટાવવુ ન પડે. રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે 25000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે 5000 નો વધારો થશે. ઓનલાઈન બુકીંગ કરાવવા અપીલએસટી બસ સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી કથા ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTC ની વેબસાઈટ અથવા તો એપ્લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ એસટી વિભાગની દૈનિક આવક રૂ. 60 લાખ જેટલી છે. જે દૈનિક આવક રૂ.70 લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે. રાજકોટમાં 100 એકસ્ટ્રા બસો મૂકવામાં આવીરાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં 80 એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે 100 બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી 20, ગોંડલથી 15 અને સુરેન્દ્રનગરથી 10 સહિતની વધારાની બસો મુસાફરોની સગવડતા માટે મૂકવામાં આવી છે. જેમાં દિવાળીની પહેલા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ભુજ તરફ જતી બસોમાં વધુ ભીડ હોવાથી ત્યાં જતી બસોમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ ભાઈબીજના દિવસે લોકલ ટ્રાફિક વધુ રહે છે. જેમાં રાજકોટથી જૂનાગઢ, દ્વારકા, મોરબી, ગોંડલ, વડોદરા સહીતના સ્થળોએ જતી બસમાં ટ્રાફિક જોવા મળશે. ઓનલાઇન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં પણ એક્સ્ટ્રા બસો ઉમેરી દેવામાં આવી છે. મુસાફરો www.gsrtc.in વેબસાઇટ તેમજ GSRTC ની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જેથી એસટી બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે મુસાફરોની ભીડ ઓછી રહે. પદ્માકર ભુજબલે જણાવ્યુ હતુ કે, પુના રહુ છું. પુનાથી રાજકોટ એક કામ માટે આવ્યો હતો અને હવે રાજકોટથી પુના જઈ રહ્યો છુ. દિવાળીનો તહેવાર હોવાથી એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. માર્કેટમાં પણ ભીડ છે પરંતુ આ દિવાળીનો તહેવાર તમામ દેશવાસીઓ ઉજવતા હોવાથી તમામ જગ્યાએ ભીડ જોવા મળે છે. સરકારી એસટી બસ હોવાથી મુસાફરો માટે સેફટી સૌથી વધુ હોય છે અને મુસાફરો સાથે વાતચીત કરવાની સ્ટાફની રીત પણ સારી હોય છે. તેમણે જણાવ્યું કે, હું પ્રાઇવેટ કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરું છું. એસટી બસની ટિકિટ પણ હાલ સરળતાથી મળી ગઈ છે. દિવાળીના દિવસો નજીક આવતા ભીડમાં વધારો થશે. દિવાળીમાં કયા ડેપોથી કેટલી એક્સ્ટ્રા બસ મૂકાઈ? મુસાફરોના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર ગુજરાત રાજ્યમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સહિતની બાબતના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર છે જે 1800-233-666666 છે. આ એક ટોલ ફ્રી નંબર છે. જે નંબર પર મુસાફર ફોન કરતા જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પર ફોન જશે. જ્યાં ફરિયાદ કરતાની સાથે જ મુસાફરોની સમસ્યાનું નિરાકરણ આવી જશે. ગુજરાત બહાર ચાલતી રાજકોટ ડિવિઝનની એસટી બસોરાજકોટથી નાથદ્વારા, રાજકોટથી સૂંઢા માતા અને ગોંડલથી નાસિક જવા માટે બસ ચાલે છે. રાજકોટથી નાથદ્વારા માટે વોલ્વો દરરોજ સાંજે 4.30 વાગ્યે તો સાદી સ્લીપર બસ 5.30 વાગ્યે ઉપડે છે. જ્યારે રાજકોટથી સૂંઢા માતા જવા માટે સાદી સ્લીપર બસ દરરોજ સાંજે 7.30 વાગ્યે ઉપડે છે. જ્યારે ગોંડલથી નાસિકની બસ ગોંડલથી સાંજે 7 વાગ્યે ઉપડે છે અને આ બસ રાજકોટથી રાત્રે 8 વાગ્યે ઉપડે છે. નાથદ્વારા અને સૂંઢા માતા ધાર્મિક સ્થળ છે જેથી ત્યા સૌરાષ્ટ્રમાંથી જતાં લોકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. આ સાથે જ નાસિક હરવા ફરવાનું સ્થળ હોવાથી ત્યાં તહેવારોના દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. જેથી રાજકોટથી નાસિકની બસ ચાલે છે.
અરવલ્લી જિલ્લા પોલીસે દિવાળીના તહેવારો પૂર્વે સઘન કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 50 દિવસમાં જિલ્લાની 20 સરહદી ચેકપોસ્ટ પરથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આમાં વિદેશી દારૂ, ગાંજો અને ચરસ જેવા માદક પદાર્થોનો સમાવેશ થાય છે. બુટલેગરો દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પરપ્રાંતમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ સક્રિય બની છે. જિલ્લાની સરહદો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એક્શનમાં છે. ગુજરાત-રાજસ્થાન સરહદ પર દારૂની હેરાફેરી રોકવા માટે વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. જિલ્લાની કુલ 20 બોર્ડર ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના કારણે ગુજરાતના યુવાધનને બરબાદ થતું અટકાવવામાં મદદ મળી છે. બુટલેગરો સામેની આ સફળ કામગીરી માટે અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં વર્ષ 2019માં થયેલા યુવતી ભગાડી જવાની અદાવતના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બનાવમાં, યુવતી ભાગી જતાં તેના ઘરે આવેલા મહેમાન યુવાનને આરોપીઓએ જન્મદિવસની ઉજવણી દરમિયાન અપહરણ કર્યું હતું અને યુવતી પાછી ન આવે ત્યાં સુધી તેને બંધક બનાવી રાખવાની ધમકી આપી હતી. યુવાનનું અપહરણ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવ્યો હતો. સરકારી વકીલ ભરત જી. પટેલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ (રહે. કસલપુર, જોટાણા), પટેલ સંજયભાઈ રમણભાઈ (રહે. બલોલ), અને પટેલ સમીરભાઈ રમણભાઈ (રહે. બલોલ) ને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે, આ કેસમાં એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. શું હતો મામલો?મહેસાણા ધોબીઘાટ રોડ પર આવેલી ધરતી ટાઉનશીપમાં રહેતા હંસાબેને 16 એપ્રિલ 2019માં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, એમના દીકરા મૌલિકનો જન્મ દિવસ હોવાથી થરાદથી તેનો મિત્ર ચૌધરી વિષ્ણુ ભાઈ તેના ઘરે આવ્યો હતો.એ જ દિવસે ફરિયાદીનો દીકરો બલોલ ગામની યુવતીને લઈ ભાગી ગયો હોવાથી ફરિયાદીને ઘરે યુવતીના મામા સહિતના લોકો આવી ગાળાગાળી કરી હતી, અને જ્યાં સુધી તેઓની દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ ફરિયાદીના દીકરાના મિત્ર ચૌધરી વિષ્ણુભાઈને તેઓના ઘરેથી ગાડી મારફતે અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ભોગ બનનાર ચૌધરી વિષ્ણુ ભાઈને યુવતીના પરિવારજનો ગાડીમાં અપહરણ કરી તેઓના ગામ બલોલ પાસે આવેલ ખેતરની ઓરડીમાં લઈ ગયા હતાં. જ્યાં ભોગ બનનારને પાવડાના હાથ માથામાં માર્યા હતા.ત્યારબાદ ભોગબનનારને બીજી ગાડીમાં બેસાડી તેઓ લોહીલુહાણ હાલતમાં એક સર્કલ પર ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસ આવતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે સિગ્નલ પર ઊભા રહ્યા બાદ કારચાલકને પેટ્રોલની સ્મેલ આવતા તાત્કાલિક મિત્રને નીચે જોવાનું કહ્યું હતું અને નીચે ઉતર્યા બાદ અચાનક કાર નીચે બ્લાસ્ટ થઈ સળગવા લાગી હતી. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સમય સૂચકતા દાખવી ત્રણે મિત્રો કારમાંથી નીચે ઉતરી ગયા હતાં. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં સવારે ત્રણે મિત્રોનો આબાદ બચાવગેંડા સર્કલ પાસે કારમાં આગના બનાવને લઈ લોકટોળા એકઠા થયા હતા. અહીંયા કારમાં સવારે ત્રણે મિત્રોનો આબાદ બચાવ થયો છે. કારમાં લાગેલી આગ અંગે વડીવાડી ફાયર સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ સી એન જી કારમાં લાગી હતી જેથી મોટું નુકસાન થાય તે પહેલા ફાયર વિભાગે કાબુ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કારનો બોનેટ અને અંદરના ભાગ બળીને ખાખઆ અંગે ઈનચાર્જ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું કે, વડીવાડી ફાયર સ્ટેશનને ગેંડા સર્કલ પાસે કારમાં આગ અંગેનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળે આવીને જોયું તો એક સીએનજી કારમાં આગ લાગી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા. અમે આગ પર કાબુ મેળવ્યો છે અને આ કારનો બોનેટ અને અંદરના ભાગ બળીને ખાખ થઈ ગયો છે. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા અમે પહોંચ્યા અને તેઓની જીવ બચ્યો છે. બ્લાસ્ટ થયા બાદ કાર સળગવા લાગીઆ અંગે કારચાલક કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમે ગેંડા સર્કલથી રેસકોર્સ ગેસ ભરવા માટે જતા હતા. અચાનક જ પેટ્રોલની સ્મેલ આવતી હતી, બધા મિત્રોને પૂછ્યું કે આપણી ગાડીમાંથી આવે છે. ત્યારે તે જોવા માટે નીચે ઉતર્યો હતો ત્યારે અચાનક જ નીચે બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ અમે તાત્કાલિક બધા જ નીચે ઉતરી ગયા હતા. બ્લાસ્ટ થયા બાદ ગાડી સળગવા લાગી હતી અને ફાયરને જાણ કરી હતી.
રાજકોટમાં દિવાળીના તહેવારો ગણતરીના દિવસોમાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કુલ 81 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા દોઢ મહિનાથી પગાર ન મળવા અને અન્ય વિભાગના કર્મચારીઓની જેમ બોનસ ન આપવાના આક્ષેપો સાથે ડ્રાઈવરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળના કારણે ફાયર વિભાગની ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાની અને તહેવારોમાં આગના બનાવો વખતે મોટી મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે. રાજકોટ ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા સોમાકિયા ઈશ્વરકુમાર રસીકભાઈએ જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી અમારો પગાર થયો નથી. આ બાબતની જાણ અમે કોન્ટ્રાક્ટ ધારક આરકેને કરી હતી. તો તેમણે અમને કહ્યું કે અમારો કોન્ટ્રાક્ટ તો એક મહિના પહેલા જ પૂરો થઈ ગયો છે. તેમ છતાં અમને 1 મહિનો અને 15 દિવસ નોકરી કરાવી અને જ્યારે અમે પગારની માંગણી કરી, ત્યારે તેમણે હાથ ઊંચા કરી દીધા કે પગાર નહીં આપી શકીએ. ત્યારબાદ આ બાબતની જાણ અમે રાજકોટના ચીફ ઓફિસરને કરી, તો તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટ કેટલાક સમયથી પૂરો થઈ ગયો છે એટલે અમારે કોન્ટ્રાક્ટર સાથે કોઈ લેવાદેવા નથી. આજરોજ અમે બધા એટલા માટે ભેગા થયા છીએ કે અમારો પગાર અને વાર્ષિક બોનસ પણ મળવું જોઈએ. કોર્પોરેશનના અન્ય તમામ ખાતામાં બોનસ આપવામાં આવ્યું છે, પણ અમને બોનસના પૈસા આપવામાં આનાકાની કરે છે. ઈશ્વરકુમારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, અત્યારે 81 જણા છીએ. અમે ફાયર બ્રિગેડના તમામ વ્હીકલો ઓપરેટ કરી છીએ. ગઈકાલનો જ બનાવ છે. ગઈકાલે દીવાનપરામાં આગ લાગી હતી. ત્યારે કોઈ પણ કાયમી ડ્રાઈવરમાંથી કોઈએ લાલ ગાડી કાઢી નહોતી. ત્યારે આ કપરા સમયમાં અમારા કોન્ટ્રાક્ટના 5 ડ્રાઈવરો ત્યાં જઈ અને આગને કાબુ લેવામાં મદદરૂપ થયા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે ઈમરજન્સીની પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોએ જ શહેરની સુરક્ષાની જવાબદારી નિભાવી હતી. ત્યારે જ્યાં સુધી અમારો પગાર અને બોનસ નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે,દિવાળીના દિવસોમાં આગના નાના -મોટા 100 કરતા વધુ બનાવો નોંધાતા હોય છે. કોન્ટ્રાક્ટ બેઝ પરના 81 ડ્રાઈવરોની હડતાળના કારણે ફાયર વિભાગના ઘણા વાહનો ઓપરેટ કરવાની કામગીરી થંભી જશે, જેની સીધી અસર તહેવારો દરમિયાન ઈમરજન્સી સેવાઓ પર પડશે. જો આ હડતાળ લાંબી ચાલે, તો તહેવારોમાં રાજકોટવાસીઓની મુશ્કેલીમાં અને શહેરની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવું રહ્યું.
વર્ષ 2020માં અમદાવાદના DCB પોલીસ મથકે NDPS એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસાર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી તે મુજબ અમદાવાદના કાલુપુરમાં આવેલ મોતી મહાલ રેસ્ટોરન્ટ પાસેથી તેમને ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જેની ઝડતી લેવાતા તેમની પાસેથી 30.50 લાખનું 305 ગ્રામ MD ડ્રગ્સ અને 30.60 લાખનું 51 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. ત્રણ આરોપીઓને 15 વર્ષની કેદ અને 2.50 લાખનો દંડઝડપાયેલા આરોપીઓમાં મુંબઈના રમેશ દીપચંદ રાઠોડ, અમદાવાદના કારંજમાં રહેત અઝરુદ્દીન શેખ અને અમદાવાદના પથ્થરકુવાના રહેવાસી અરબાઝ કુરેશીનો સમાવેશ થતો હતો. જેમની સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં આવેલ NDPS ની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને કુલ 2.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં આરોપીઓને આપતો હતોઆરોપીઓ પૈકી રમેશ રાઠોડ શતાબ્દી એક્સપ્રેસમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો. જે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં આરોપીઓને આપતો હતો. આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ. એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવાને આધારે જજ વી.બી. રાજપૂતે ત્રણ આરોપીઓને ઉપરોક્ત સજા ફટકારી હતી.
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનું ખાસ મહત્વ હોય છે. વડોદરામાં ગત વર્ષ કરતા આ વર્ષે સોનાની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો પુષ્ય નક્ષત્ર હોવાથી સારા મુહૂર્ત માટે સોનાની ખરીદી તો કરી રહ્યા છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં સતત વધારો થતાં ખરીદી ઘટી છે. ગત વર્ષ શહેરમાં 250 કરોડનું સોનું અને ચાંદી વેચાયા હતા અને આ વર્ષે 150 કરોડના વેચાણનો અંદાજ છે. 'ઇન્વેસ્ટરોએ પહેલાંથી જ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી દીધું છે'આ અંગે સારા ગણદેવેકરના ડાયરેક્ટર સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું હતું કે, ખરીદી જોવા જઈએ તો ભાવ તો રોજે લગભગ 2000 કે 2500 જેટલો વધી જાય છે અને ફ્લક્ચુઅશન બહુ વધારે છે. દિવસમાં ચાર-ચાર વખત કે પાંચ-પાંચ વખત રેટ ચેન્જ થઈ રહ્યા છે. ખરીદીના અકોર્ડિંગલી જો આપણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ મહિનાથી અમારો જે કસ્ટમર વર્ગ છે એની અંદર થોડું એ લોકોનું પ્રિડિક્શન હતું કે જે બજાર છે અને જે ભાવ છે એ દોઢ લાખ સુધી પહોંચી શકે છે દિવાળીની આસપાસ. જે ઇન્વેસ્ટમેન્ટ કરનારા ગ્રાહકો છે એમણે ઓલરેડી ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. એટલે એ લોકો બહુ જ બેનિફિટમાં છે, આજે પુષ્ય નક્ષત્ર છે કે પછી દશેરા હોય કે ધનતેરસ જેવા આપણા જે મુહૂર્ત છે જેમાં એક પ્રથા છે કે થોડું ઘણું તો સોનું ખરીદીએ. આપણે ભારતીય જે પરંપરા છે એ પ્રમાણે કરતા જ હોઇએ. તો લગભગ નાના નાની લગડી જે કે 1 ગ્રામ, 2 ગ્રામ કે 5 ગ્રામ કે 10 કે 20 ગ્રામ ત્યાં સુધીની ખરીદી ગ્રાહકો કરી જ રહ્યા છે. વધુમાં કહ્યું કે, અમારા માટે ભાવને લઈને રિસ્ક તો છે. કારણ કે રેટ આટલો બધો વધી રહ્યો છે અને સ્વાભાવિક છે કે જૂના રેટમાં લીધેલું સોનું હોય અથવા તો પછી ગ્રાહકો મેઈન તો ઓછા થઈ જાય. ખરીદી ઓછી થઈ શકે સૌથી મોટી વસ્તુ તો એ જ છે. આજે બિઝનેસ કહીએ તો જે ઇન્વેસ્ટમેન્ટ હોય ગોલ્ડની પાછળનું, જ્વેલરી પાછળનું, જો સેલ્સ ન મળે તો એમાં લોસ જતો હોય છે વેપારી વર્ગને. આ વર્ષે ખાસો ફરક છે, મતલબ 50 ટકા પણ નથી એમ કહી શકાય છતાં પણ મુહૂર્તની જે ખરીદી છે એ આજના દિવસે થઈ રહી છે. 'સોનાનો ભાવ ઉપર છે છતાંય ઘરાકી સારી દેખાઈ રહી છે'આ અંગે ખરીદી કરવા આવેલા ગ્રાહક સુધીર દવેએ જણાવ્યું હતું કે, આજે માહોલ તો સારો છે. આટલો ભાવ સોનાનો ઉપર છે છતાંય ઘરાકી સારી દેખાઈ રહી છે. જે પ્રમાણે શોરૂમમાં જોઇએ છીએ, જોતા એવું લાગે છે કે, બાકી સોનાનો ભાવ વર્ષની અંદર નિયરલી 70 ટકા એક વર્ષમાં વધી ગયો છે. છતાંય પણ ઘરાકીમાં કોઈ ફેર પડ્યો એવું લાગતું નથી. જે પ્રમાણે માહોલ જોઈએ છીએ એ પ્રમાણે. 'અત્યારે સોનું ખરીદવું થોડું રિસ્કી છે'વધુમાં કહ્યું કે, અમે ખરીદી કરવા આવ્યા છીએ. સોનાની લગડી લેવા આવ્યા છીએ. હા, પુષ્ય નક્ષત્ર એક મહત્ત્વનો આપણો ઉત્સવ છે. હિંદુ કેલેન્ડરમાં કે આખા વર્ષમાં પુષ્ય નક્ષત્રના દિવસે થોડી કંઈક ખરીદી તો કરે બધા. સોનાનું હોય કે ચાંદીનું હોય પણ ખરીદી કરે એ આપણે પુષ્ય નક્ષત્રનું વધારે મહત્ત્વ છે. અત્યારે સોનું ખરીદવું થોડું રિસ્કી છે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ લ્યો તો જુદી વાત છે. પણ હવે વર્ષની અંદર 65-70 ટકા વધી ગયું છે એટલે નેક્સ્ટ યર એટલું વધે તો મુશ્કેલી લાગે છે. 'રશિયા-યુક્રેનની વોર પતી જાય તો થોડું ઘટેય ખરું'વધુમાં કહ્યું કે, સોનું ડાઉન જવાના ચાન્સીસ ખરા, પણ આ શું છે કે જિયો-પોલિટિકલ સિચ્યુએશન ઉપર છે. હવે આજે રશિયા-યુક્રેનની વોર પતી જાય તો થોડું ઘટેય ખરું. એમ અને ચાઈના ઉપર જે ટેરિફ લગાડી છે ટ્રમ્પે, એ જો ટ્રમ્પ પાછી ખેંચી લે તો સોનું અને ચાંદી થોડું ઘટી શકે છે.
સાયબર ગાઠીયા દિવસે ને દિવસે અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાના નામે 11.40 લાખ રૂપિયા પડાવ્યા છે.ભરેલી રકમ સામે છ ગણો નફો પણ બતાવ્યો હતો અને નફા સાથેની રકમ ઉપાડી હોય તો 30 ટકા ટેક્સ ભરવાનું કહ્યું હતું જેથી યુવકને શંકા જતા સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતો યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. યુવકને થોડા સમય અગાઉ ટેલિગ્રામમાં એક મેસેજ આવ્યો હતો જેમા ફોરેક્ષમાં ટ્રેડિંગ કરવાનું જણાવ્યું હતું.જેથી યુવકે રસ દાખવતા સામેવાળી વ્યક્તિએ એક લિંક મોકલી હતી. જે લિંક યુવકે ખોલતા વેબસાઈટ ખુલી હતી જે બાદ વેબસાઈટમાં યુવકે રજીસ્ટ્રેશન કરાવીને બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો પણ ભરી હતી. જેથી યુવકનું એક આઈડી બનાવીને આપવામાં આવ્યું હતું. આઈડી બનાવ્યા બાદ સામેવાળી વ્યક્તિએ યુવકને તેની બેંકની વિગત આપી હતી અને ટ્રેડિંગ કરવા માટે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા ભરવા કહ્યું હતું. શરૂઆતમાં યુવકે 20 હજાર રૂપિયા સામેવાળાના ખાતામાં ભર્યા હતા જેમાં ટ્રેડિંગ કર્યા બાદ યુવકને 20 હજાર રૂપિયા પરત પણ મળ્યા હતા.યુવકને વિશ્વાસ આવતા લાલચમાં આવીને ટુકડે ટુકડે બીજા 11.40 લાખ રૂપિયા ભર્યા હતા જેની સામે યુવકને 60.64 લાખ રૂપિયા નફો બતાવ્યો હતો. યુવકે જ્યારે નફા સાથેની રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે 30 ટકા ટેક્સ ભરવો પડશે તેવું જણાવ્યું હતું. યુવકે શંકા જતા ભરેલી રકમ પરત માગી તો આપવામાં આવી ન હતી.આ અંગે યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામની આત્મીય વિદ્યાપીઠ દ્વારા મંગળવારે, 14 ઓક્ટોબર, 2025ના રોજ 'આત્મીય અક્ષયા - યુફોરિયા ઓફ બેનેવેલેન્સ' કાર્યક્રમ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ વિવિધ જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન કર્યું હતું. જેમાં બંગડી, નેકલેસ, દીવા, તોરણ, સ્વસ્તિક, માતાજીના ફોટા, રંગોળી, મીઠાઈ, મુખવાસ, બ્લેન્કેટ, ઘઉં, ચોખા, દાળ અને ખાંડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આદિપુર અને ગાંધીધામના વિવિધ ગરીબ અને જરૂરતમંદ વિસ્તારોમાં આ વસ્તુઓની કીટ બનાવી વિતરણ કર્યું હતું. આદિપુરના મુન્દ્રા સર્કલથી બસ સ્ટેન્ડ સુધી, અંજારમાં શનિદેવ મંદિર સામે અને કાર્ગો ગાંધીધામ જેવા વિસ્તારોમાં આ વિતરણ કાર્ય હાથ ધરાયું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આત્મીય વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ હેમંત કાછડીયા, અંગીરા કાછડીયા, માયા ચાવડા અને ડૉ. પૂર્વી ચાવડા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આત્મીય વિદ્યાપીઠના પ્રિન્સિપાલ શ્રીવિદ્યા બાયજુ, હેડ કોઓર્ડિનેટર શ્રીદેવી વેણુગોપાલ અને નિશા માલસત્તરે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યાં હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મગફળીની નોંધણી કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1,35,000 જમા કરાવવાની અથવા 300 મણ મગફળીની ખરીદી કરવાની માગ કરી છે. કોંગ્રેસે આજે ધોળા દિવસે દીવડાં પ્રગટાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘની માગપ્રદેશ કોંગ્રેસના નેતા અને કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર સમક્ષ એક આવેદન પત્ર રજૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1,35,000 જમા કરાવવા અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવાનો સમાવેશ થાય છે. ICRIER રિપોર્ટના આધારે કોંગ્રેસની રજૂઆતપ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત 'ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી' (ICRIER)ના અહેવાલને ટાંકીને આ માગ કરી છે. આ કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ સીધી સહાય આપવાની ભલામણ કરી હતી. સરકારને પ્રતિ મણ ₹640નું નુકસાનસમિતિના અહેવાલ મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિકિલોગ્રામ ₹32 અથવા પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે. આ નુકસાનની રકમને આધાર બનાવીને કોંગ્રેસે સૂચન કર્યું હતું કે, સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર ₹1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ. 300 મણની ખરીદી ફરજિયાતની માગજો સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવા માંગતી હોય, તો પ્રદેશ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી થવી જોઈએ. જો 300 મણ કરતાં ઓછી ખરીદી થાય, તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ (લગભગ ₹1000) અને ટેકાના ભાવ (₹1452.60) વચ્ચેનો તફાવત એટલે કે પ્રતિ મણ ₹452 લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવો જોઈએ. આ રકમ 300 મણ પર ₹1,35,600 જેટલી થાય છે.
વાપીમાં ACBની સફળ ટ્રેપ:CGST કચેરીના બે અધિકારીઓ રૂ. 2000ની લાંચ લેતા ઝડપાયા
વાપીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) કચેરીના બે અધિકારીઓને રૂ. 2,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી વાપી સ્થિત CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, વાપી CGST કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપિલ નટવરલાલ જૈન (ઉંમર 35) અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા (ઉંમર 47) એ ફૂલછોડના કુંડાના પુરવઠા માટેના બિલની મંજૂરી આપવા માટે રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBની ટીમે 14 ઓક્ટોબર, 2025ના રોજ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ વાપી CGST કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી, જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી કપિલ જૈને ફરિયાદી પાસેથી રૂ. 2,000ની લાંચ સ્વીકારી હતી, જ્યારે રવિશંકર ઝા લાંચની માંગણીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ACBની ટીમે સ્થળ પરથી લાંચની રકમ રૂ. 2,000 રિકવર કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા GST દરોમાં તાજેતરમાં કરાયેલો ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થયો છે અને ખરીદીમાં વધારો થયો છે, પરંતુ આ ફેરફારને કારણે દેશના ખાસ કરીને નાના ઉત્પાદકો અને વેપારીઓ માટે નવી આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે.કાચા માલ અને તૈયાર વસ્તુના GST દરોમાં રહેલા મોટા તફાવતને કારણે તેમની મૂડી સરકારમાં બ્લોક થઈ રહી છે, જેના કારણે GST રિફંડ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાની માંગ ઉગ્ર બની છે. વર્ષ 2017માં GST અમલમાં મુકાયો ત્યારે પાંચ દર હતા. તાજેતરમાં 22 સપ્ટેમ્બરથી જે 'GST 2.0' લાગુ કરવામાં આવ્યું છે, તેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સહિતની ઘણી વસ્તુઓમાં દરો ઘટાડીને ત્રણ સ્લેબ (0%, 5%, 12%, 18%) અમલમાં આવ્યા છે. જોકે, આ ફેરફાર કેટલાક ઉદ્યોગો માટે માથાનો દુખાવો બની ગયો છે. જે ચીજવસ્તુઓ અગાઉ 18% ના દરમાં હતી, તે હવે ઘટાડીને 5% ના દરમાં આવી ગઈ છે. આનાથી ગ્રાહકને સીધો ફાયદો થયો, પરંતુ આ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી કાચા માલ પરનો 18 % GST દર યથાવત રાખવામાં આવ્યો છે.જેમાં ઉત્પાદકો કાચો માલ 18% GST ભરીને ખરીદે છે અને તૈયાર માલ માત્ર 5% GST દરે વેચે છે.આ બંને વચ્ચેનો 13 ટકાનો મોટો તફાવત તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે સરકારમાં જમા થઈ જાય છે. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી સંજય પુરોહિત જણાવ્યું કે સરકાર દ્વારા ટેક્સ ઘટાડવાના નિર્ણયને અમે આવકારીએ છીએ, પરંતુ મુશ્કેલી ત્યાં સર્જાય છે કે જો કોઈ વેપારી કાયમી આ વસ્તુ 5% થી વેંચતો રહેશે, તો તેની ક્રેડિટ સરકારમાં જમા થતી રહેશે. જો કોઈ વેપારી દસ લાખનું ટ્રાન્ઝેક્શન કરે,તો સાત ટ્રાન્ઝેક્શનમાં તેના 10 લાખ પૂરા સરકારમાં જમા થઈ જશે.આના કારણે MSME અને નાના વેપારીઓની પરિસ્થિતિ મુશ્કેલી ભરી બની છે, કારણ કે તેમની લોન પરનું વ્યાજ ચાલુ હોય છે અને મૂડી બ્લોક થઈ જાય છે. રિફંડની જટિલતા,ઇન્કમટેક્સ જેવી સરળતાની માંગ ઉત્પાદકોને આ 13 ટકાની જમા રકમ GST રિફંડ તરીકે પરત મળે છે, પરંતુ સમસ્યા રિફંડની પ્રક્રિયામાં છે.જેમાં વર્તમાન પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ છે,જેના કારણે રિફંડ મળવામાં ઘણો સમય લાગે છે.નાના ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે આ સમયગાળો આર્થિક સંકટ સમાન છે, કારણ કે તેમની પાસે કાર્યકારી મૂડીની અછત સર્જાય છે.જુનાગઢ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગની વાત કરવામાં આવે તો રો મટિરિયલ 18% માં ખરીદી થાય છે અને વેચાણ 5% માં થાય છે. જેમાં 13% નો ડિફરન્સ જોવા મળે છે. આ 13% જે જમા રહે છે તે રિફંડ મળવામાં ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ઉત્પાદકો અને વેપારીઓની મુખ્ય માંગ એ છે કે, જે રીતે ઇન્કમટેક્સનું રિફંડ અન્ય કોઈ પ્રક્રિયા વિના ઝડપથી ખાતામાં જમા થઈ જાય છે, તે જ રીતે GST રિફંડની પ્રક્રિયાને સરળ અને ઓટોમેટિક બનાવવામાં આવે. આનાથી તેમની મૂડી બ્લોક થતી અટકશે અને તેમનું ટર્નઓવર ખોરવાશે નહીં.અમૃત દેસાઈએ અંતમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરાય છે ત્યારે આ GST માળખામાં ઉદ્યોગકારો અટવાઈ ન જાય તે દિશામાં સરકારે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં ધુળ ઉડવા જેવી બાબતે ટ્રાવેલ્સનું કામ કરતા યુવક પર પતિ પત્નિ સહિત આઠ લોકએ જીવલેણ હુમલો કરીને કારની તોડફોડ કરતા મામલો બીચક્યો છે. યુવક પર હુમલો થયો તે તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોડીરાતે યુવકની ઓફિસમાં ઘુસીને હુમલો કરાયો હતો અને બાદમાં કારના કાચ તોડવામાં આવ્યા હતા. યુવકના ડ્રાઈવર સાથે પણ ટોળાએ મારામારી કરી હતી. સરખેજ વિસ્તારમાં આવેલા અઝવદ રેસીડેન્સીમાં રહેતા તનવીર ચારોલીયાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં શાહરૂખ, અમન, શાહરૂખની પત્નિ, મુસ્કાન, સાનીયા, હસીનાબાનુ, રાજુ ઉર્ફે લીટી અને લીકવીડ વિરૂદ્ધ હુમલો અને તોડફોડની ફરિયાદ કરી છે. તનવીર સંયુક્ત પરિવારમાં રહે છે અને ટ્રાવેલ્સનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તનવીર તેનો નાનો ભાઈ તૌફીક, કાકા વાહીદ કાર લઈને મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. બીજા દિવસે તે પરત આવ્યા ત્યારે મુકી પાર્કીગ ખાતે તેમની ટ્રક પડી હતી. તનવીર અને ડ્રાઈવર મસુર ટ્રક લઈને શીફા ટ્રાવેલ્સ ખાતે આવવા માટે નીકળ્યા હતા. ટ્રક લઈને ફતેહવાડી સુધી પહોચ્યા ત્યારે બર્ગમેન પર શાહરૂખ અને તેની પત્નિ ઉભા હતા. શાહરૂખની પત્નિએ તનવીરને કહ્યુ હતુંકે ધીમ ટ્રક ચલાવતા હોય તો ધુળ અમારી ઉપર ઉડે છે. શાહરૂખે ગાળો બોલવાની શરૂ કરતા તનવીરે શાંતીથી વાત કરવાનું કહ્યુ હતું. શાહરૂખે તનવીર સાથે મારઝુડ કરી હતી.તનવીર પોતાની ઓફિસમાં જતો રહ્યો હતો ત્યારે શાહરૂખની પત્નિ આવી પહોચી હતી અને મારઝુડ કરવા લાગી હતી.તનવીર ઓફિસના પહેલા માળે જતો રહ્યો હતો. શાહરૂખની પત્નિ દંડો લઈને આવી હતી અને તેની સાથે મારજુડ કરવા લાગી હતી. દરમિયાનમાં વિજય નામનો ડ્રાઈવર તનવીરની કાર લઈને આવ્યો હતો. શાહરૂખ તેમજ તેના પરિચિત વ્યકિતોએ કારને રોકીને વિજય ઉપર હુમલો કરી દીધો હતો જેથી તે ત્યાથી ભાગી ગયો હતો. ત્યારબાદ શાહરૂખ સહિતના લોકોએ તનવીર સાથે બબાલ કરીને મારમારવા લાગ્યા હતા. શાહરૂખે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને તેના ગળાના ભાગે મારી દીધી હતી.શાહરૂખ સાથે આવેલા ઉશ્કેરાયેલા ટોળાઓએ કારમાં તોડફોડ પણ કરી હતી.તનવીરને શરીર પર ઈજા પહોચતા તે નાસી ગયો હતો અને સીધો હોસ્પિટલમાં એડમીટ થઈ ગયો હતો. શાહરૂખ અને તેના પરિચીત વ્યકિતએ તનવીર પર જીવલેણ હુમલો કર્યો અને કારનો કાચ પણ તોડી નાખ્યો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ સરખેજ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત આણંદના સાંગોડપુરા ખાતે પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન જિલ્લાના કુલ 3977 લાભાર્થીઓને રૂપિયા 1240.04 લાખ (આશરે ₹12.40 કરોડ)ની સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ તબક્કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી. રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ કૃષિ પરિસંવાદ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, રવિ કૃષિ મહોત્સવના માધ્યમથી આણંદ જિલ્લામાં 3977 લાભાર્થીઓને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ ₹1240.04 લાખની સહાય આપવામાં આવી રહી છે. તે પૈકી આણંદ તાલુકામાં 643 લાભાર્થીઓને ₹165.82 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સોલંકીએ અનુરોધ કર્યો કે, જિલ્લાનો કોઈ પણ ખેડૂત કે પશુપાલક સહાયથી વંચિત ન રહે. રમણભાઈ સોલંકીએ જિલ્લાના ખેડૂતોને રવિ પાક વિશે આધુનિક કૃષિ તકનીકો, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેનું માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા પણ અપીલ કરી હતી. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સરકારે ખેડૂતો માટે ₹42 હજાર કરોડથી વધુની યોજનાઓ બનાવી છે. તેમણે ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના પ્રધાનમંત્રીના આયોજનનો ઉલ્લેખ કર્યો અને કઠોળની ખેતી તરફ વળવા માટે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ કલેકટર સન્ની પટેલ, મામલતદાર ચાર્મી રાવલ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યઓ સહિત આણંદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મરચન્ટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરફેર કરતી ટોળકીના એક આરોપીને વડોદરા શહેરની સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીએ ફેસબુક પર શેરમાર્કેટ અંગેની જાહેરાત પર ક્લિક કર્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટર કર્યું હતું અને તેમાં પોતાની વ્યક્તિગત વિગતો ભરી હતી, ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મારફતે ફોરેક્સ ટ્રેડિંગ માટેના મેસેજ આવ્યા હતા. ફરિયાદ આધારે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂ. 23,35,133નું ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કર્યું હતું. વિશ્વાસ જમાવવા માટે આરોપીઓએ રૂ. 3,072 જેટલી રકમ પ્રોફિટ તરીકે પરત કરી હતી. બનાવટી વેબસાઇટમાં અનેકગણું રિટર્ન અને પ્રોફિટ દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નાણાં મળ્યા નહીં. આમ, કુલ રૂ. 23,35,133ની નાણાકીય છેતરપિંડી થયાનું જણાતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓની તપાસ માટે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આરોપીનું લોકેશન દિલ્હીમાં મળતાં એક ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતાં આરોપી સાવન પ્રવીણકુમાર ખરબન્દા (ઉંમર: 37 વર્ષ, રહે : ટાગોર ગાર્ડન, વેસ્ટ દિલ્હી)ની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અન્ય સહ-આરોપીઓ સાથે મળીને નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચંટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરફેર કરતો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન: 69- લેપટોપ: 01- ચેક બુક: 35- ડેબિટ/ક્રેડિટ કાર્ડ: 38- રબર સ્ટેમ્પ: 72- કમ્પ્યુટર સિસ્ટમ: 02- આધાર કાર્ડ: 03- પાન કાર્ડ: 37- રાઉટર: 03 1. આરોપી પાસેથી 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી છે, જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. 2. આરોપી પાસેથી 160થી વધુ જીમેઇલ એકાઉન્ટની વિગતો અને 100થી વધુ સિમ કાર્ડ મળ્યા છે. ગુન્હાની મોડસ ઓપરેન્ડી ભોગ બનનારને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટેલીગ્રામ અથવા યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટ અંગેની લોભામણી જાહેરાતો પર ક્લિક કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓને શેર માર્કેટ ટિપ્સ અંગેના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવે છે. સુરક્ષા માટેની ટિપ્સ
બનાસકાંઠા જિલ્લામાં 15 ઓક્ટોબરના રોજ ડીસા ખાતે જિલ્લા કક્ષાનો વિકાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા હસ્તકના કુલ 230 વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ શરૂ થયેલી વિકાસયાત્રાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'વિકાસ સપ્તાહ' અંતર્ગત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ 230 વિકાસ કાર્યો કુલ 1513 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા હસ્તક પૂર્ણ થયા છે અથવા શરૂ થવાના છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેકટર મિહિર પટેલે કાર્યક્રમ માટેની તમામ આનુવંશિક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવા માટે સૂચનો કર્યા હતા.
સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં એક જૂના ઝઘડાની અદાવતને લઈને થયેલી બોલાચાલી અને ગાળા-ગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાના સીસીટીવીમાં કેદ થતાં આોપીની અટકાયત કરવામાં આવી છે. જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઉન-ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બનાવની ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ મો. રિયાઝ લતીફ અહેમદ અંન્સારી (ઉંમર- 36 વર્ષ, ધંધો- વાયરમેન) છે. તેઓ ભેસ્તાન, સુરત શહેરના રહેવાસી છે. તેમણે પોલીસ સમક્ષ નોંધાવ્યું હતું કે, તેઓ બરકત ચાની હોટલ પાસે ઊભા હતા. તે જ સમયે, સામાવાળા આરોપી જીબ્રામ ઉશિંદ આલમ ખાન (ઉંમર- 27 વર્ષ, ધંધો- છૂટક મજૂરી, રહેવાસી- રોયલ રેસિડેન્સી, ઉન-ભેસ્તાન) ત્યાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, જીબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખીને મો. રિયાઝ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગંદી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે મો. રિયાઝે તેને ગાળાગાળી કરવાની ના પાડી, ત્યારે સામાવાળાએ વધારે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આરોપીને ઝટપી પાડ્યોઆ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે ફરિયાદી મો. રિયાઝે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ચાર્જમાં રહેલા અધિકારીઓએ અરજીના આધારે સામાવાળા જીબ્રામને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી જીબ્રામનો સ્વભાવ ખૂબ જ માથાભારે, ઝનૂની અને તકરારી છે. પોલીસને પાકો શક-વહેમ હતો કે આ વ્યક્તિ જાહેર સ્થળ પર ગમે ત્યારે સુલેહ શાંતિનો ભંગ કરી શકે છે અથવા કરાવડાવી શકે છે. આ ગંભીર આશંકાને પગલે, પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજે હિન્દુ ધર્મના સૌથી શુભ અને પવિત્ર મુહૂર્ત પૈકીના એક એવા પુષ્ય નક્ષત્રનો પાવન દિવસ છે. આ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરવી એ ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવનારી માનવામાં આવે છે. પરંપરાગત રીતે, આજના દિવસે જ્વેલરી શોરૂમ્સ પર મોટી ભીડ જોવા મળે છે. જોકે, આ વર્ષે આ શુભ અવસરે બજારમાં એક અનોખું અને બેવડું ચિત્ર જોવા મળી રહ્યું છે. સુરતમાં 22 કે 24 કેરેટના સોનાની ખરીદીને બદલે 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે, લોકો મુહૂર્ત સાચવવા માટે માત્ર પ્રતિકાત્મક ખરીદી કરી રહ્યાં છે. જે ગત વર્ષે 10 ગ્રામની ખરીદી કરતા હતા તેઓએ 5 ગ્રામની ખરીદી કરતા ઘરાકીમાં 50% ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદના ઝવેરીઓનું અનુમાન છે કે, ભાવ વધારો હોવા છતાં લોકો આગોતરું આયોજન અને લગ્નસરાની ખરીદી કરી રહ્યા છે, જેના પરિણામે શહેરમાં આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર લગભગ 150થી 200 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. રાજકોટ અને વડોદરાની પણ સોની બજારમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે. જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી ઓછી જોવા મળી રહી છે. ગત વર્ષે શહેરમાં 250 કરોડનું સોનું અને ચાંદી વેચાયા હતા અને આ વર્ષે 150 કરોડના વેચાણનો અંદાજ છે. આ વર્ષે ચાંદીની માગની તુલનામાં બજારમાં તેનો પુરવઠો ઓછો હોવાથી રોકાણ માટે એક કિલોથી વધુ ચાંદીની ખરીદી કરનારાઓને નિરાશા મળી છે અને તેમને દિવાળી પછી ડિલિવરી લેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડ્યું છે. સુરતબજેટમાં 50%નો કાપ અને 9 કેરેટ ગોલ્ડનું આકર્ષણઆ વર્ષના પુષ્ય નક્ષત્રમાં સૌથી મોટો અને ચોંકાવનારો ટ્રેન્ડ એ છે કે ગ્રાહકોએ પોતાના ખરીદીના બજેટમાં લગભગ 50%નો સીધો કાપ મૂક્યો છે. સોનાના ભાવ આટલા ઊંચા હોવાને કારણે, પરંપરાગત રીતે સૌથી વધુ વેચાતા 22 કેરેટ અને 24 કેરેટ સોનાની જ્વેલરીની જગ્યાએ લોકો 9 કેરેટ ગોલ્ડની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ગ્રાહકોએ 5 ગ્રામ સોનાની ખરીદી કરી મુહૂર્ત સાચવ્યુંડી. ખુશાલદાસના જ્વેલર્સના માલિક દીપકભાઈ ચોકસીએ આ બદલાવ વિશે વિગતવાર માહિતી આપી હતી. વીઆઇપી રોડ પર આવેલા તેમના શોરૂમમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો, પરંતુ ખરીદીનું કદ નાનું હતું. તેમણે જણાવ્યું, લોકો ખરીદી તો કરી રહ્યા છે, પણ પહેલા જ્યાં 10 ગ્રામ સોનાની ખરીદી થતી હતી, ત્યાં હવે મુહૂર્ત માટે ફક્ત 5 ગ્રામની સોનાની જ્વેલરી ખરીદવામાં આવી રહી છે. ગ્રાહકો હવે 22 કે 24 કેરેટ ગોલ્ડની જગ્યાએ 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ ઉપરાંત, આ વખતે લાઈટ વેટ જ્વેલરીની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. આ વખતે 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ વધુ: જ્વેલર્સ માલિકદીપકભાઈ ચોકસીએ આ પાછળનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું કે, ગયા વર્ષે 18 કેરેટ ગોલ્ડની જે કિંમત હતી, તે જ કિંમતમાં હાલમાં 9 કેરેટ ગોલ્ડ મળી રહ્યું છે. આ કિંમત ગ્રાહકોના બજેટને અનુકૂળ છે અને સરકારે 9 કેરેટ ગોલ્ડને સર્ટિફાઇડ માન્યતા આપી હોવાથી ગુણવત્તા બાબતે પણ કોઈ શંકા રહેતી નથી. ગ્રાહકોનો અભિપ્રાય: 'ફૂલ નહીં, પાંખડી ખરીદી'નો નવો મંત્રપુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી માટે આવેલા ગ્રાહકોએ પણ આ નવા વલણ પર પોતાની મહોર મારી હતી. શીતલબેન નામના એક ગ્રાહકે પોતાનો અનુભવ જણાવતા કહ્યું, અમે દર વખતે પુષ્ય નક્ષત્ર પર સોનાની ખરીદી અચૂક કરીએ છીએ. જોકે, આ વખતે ગોલ્ડની પ્રાઇસ સર્વોચ્ચ સપાટી પર હોવાના કારણે અમે મોટી ખરીદી કરવાનું ટાળ્યું છે. અમે ફૂલ નહીં, પણ ફૂલની પાખડી સમાન સોનાની ખરીદી કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વખતે જ્યારે સરકારે 9 કેરેટ ગોલ્ડને માન્યતા આપી છે અને તે સંપૂર્ણપણે સર્ટિફાઇડ છે, ત્યારે અમે બજેટને ધ્યાનમાં રાખીને 9 કેરેટ ગોલ્ડની જ્વેલરી પર વધારે ફોકસ કર્યું છે. આનાથી પરંપરા પણ જળવાઈ રહે છે અને ખિસ્સા પરનો બોજ પણ ઓછો થાય છે. આ પ્રકારનો પ્રતિકાત્મક અભિગમ એ વાતનો સંકેત છે કે લોકો આર્થિક પડકારો વચ્ચે પણ પોતાની ધાર્મિક આસ્થા જાળવી રાખવા તૈયાર છે. ચાંદીની અછત અને દિવાળી પછીની ડિલિવરીસોનાની જેમ જ, આ વર્ષે ચાંદીની ખરીદીમાં પણ મોટો અવરોધ આવ્યો છે. બજારમાં ચાંદીની માગની તુલનામાં પુરવઠો ઘણો ઓછો છે, જેના કારણે ચાંદીની અછત સર્જાઈ છે. જ્વેલર્સને ગ્રાહકોને માત્ર મર્યાદિત માત્રામાં જ ચાંદીની વસ્તુઓ આપવી પડી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ માટે દિવાળી પછી મળશે ચાંદીવર્તમાન પરિસ્થિતિ મુજબ, ગ્રાહકોને માત્ર 10 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીની નાની ચાંદીની વસ્તુઓ જ આપવામાં આવી રહી છે. આનાથી ઘર વપરાશની કે ભેટ આપવાની વસ્તુઓ તો મળી રહે છે, પરંતુ રોકાણકારો માટે મુશ્કેલી ઊભી થઈ છે. રોકાણ માટે જે ગ્રાહકો એક કિલોથી વધારે ચાંદી ખરીદવા માટે આજે આવ્યા હતા, તેમને મોટાભાગના જ્વેલરી શોરૂમ્સમાંથી નિરાશા હાથ લાગી છે. દુકાનદારો હાલમાં માત્ર એડવાન્સ બુકિંગ જ સ્વીકારી રહ્યા છે અને રોકાણના હેતુસર મોટી માત્રામાં ચાંદી દિવાળીના તહેવાર પછી આપવાની ખાતરી આપી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ વર્ષે પુષ્ય નક્ષત્રએ ગ્રાહકોએ આર્થિક રીતે સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે. 9 કેરેટ ગોલ્ડ તરફનું વલણ એ દર્શાવે છે કે ઊંચા ભાવે પણ પરંપરા નિભાવવા માટે ગ્રાહકો તૈયાર છે, જ્યારે ચાંદીની અછત બજારમાં સપ્લાય ચેઇનની ગંભીર સમસ્યાઓને ઉજાગર કરે છે. અમદાવાદ'હજી પણ આગળ ભાવ વધશે એવા સંજોગો'સોનાના વધેલા ભાવ અંગે મનોજ અરવિંદભાઈ સોની, એબી જ્વેલર્સના ઓનર તેઓએ જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું એક એવું નક્ષત્ર છે, જેમાં સમૃદ્ધિ વધારવા રૂપી માહોલ બનતો હોય છે અને એ રીતે લોકો ખરીદારી કરતા હોય છે. ઘર, મકાનની, વાહનોની, કે સોના-ચાંદીની, સમૃદ્ધિ વસાવવા વાળી વાત હોય છે આ મુહૂર્તમાં. અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામનો 1,30,000 છે અને ચાંદીનો 1 કિલોનો 1,80,000 જેટલો ભાવ છે છતાં લોકો આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છે. હજી પણ આગળ ભાવ વધશે એવા સંજોગો બનેલા જ છે. 'આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે'- જ્વેલર્સના માલિકજ્યારે ઓમ ઝાયરા ડાયમંડના ઓનર ઓમ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગોલ્ડનો ભાવ ગત વર્ષ કરતા ડબલ છે. 2005માં ગોલ્ડનો રેટ 7000 રૂપિયા હતો અને આજના રેટ પ્રમાણે 1,31,000 રૂપિયા છે. બટ આપણા કલ્ચરમાં આજનો દિવસ, એટલે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો દિવસ, બહુ જ કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ ધરાવે છે. એટલે રેટ્સ આટલા હાઈ હોવા છતાં પણ લોકો 10,000થી લઈને 10-10 કરોડ સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અમદાવાદમાં આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે. સોના-ચાંદીનો ભાવ ટોચ પર છતાં લોકોમાં ખરીદી ઉત્સાહખરીદી કરવા આવેલા ગ્રાહક શ્વેતા બેને જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્રનું હિન્દુઓમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે, આ દિવસે ખરીદેલા સોના, ચાંદી, હીરા, ઝવેરાત તમને અનેક ઘણો લાભ અપાવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલો બધો ભાવ હોવા છતાં પણ હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા માટે આવ્યા છીએ. જ્યારે ખરીદી કરવા આવેલા અન્ય ગ્રાહક ભાવનાબેન શાહે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે લગડી ખરીદતા હોઈએ છીએ, સિક્કા પણ ખરીદતા હોઈએ છીએ. અમે એડવાન્સથી નક્કી કરીને રાખ્યું હતું કે, અમે પુષ્ય નક્ષત્રના દિવસે જ ખરીદી કરવા જઈશું. રાજકોટરાજકોટની સોની બજારમાં મંદીનો માહોલદિવાળીનો તહેવાર નજીક આવે એટલે રાજકોટની સોનીબજારમાં ચમક વધી જતી હોય છે. આજના પુષ્ય નક્ષત્રમાં ખાસ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા બજારમાં પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ હોવાથી રાજકોટની સોની બજારમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે. જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી જોવા મળી રહી છે. કોઈ લોકો માત્ર શુકન સાચવવા તો કોઈ લગ્નસરાની સીઝનમાં જરૂરી સોનાની ખરીદી માટે બજારમાં આવી રહ્યા છે. લગ્નસરાની સિઝન બાકી છતાં ઘરાકી પૂરતી નહીંરાજકોટના પ્રખ્યાત રાધિકા જવેલર્સના મુકેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હિન્દૂ સંસ્કૃતિમાં અક્ષય તૃત્યા, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ આ 3 દિવસ સોના ચાંદી ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવતો હોય છે. આ ત્રણ દિવસોમાં લોકો કોઈપણ મુહૂર્ત જોયા વગર સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. દર વર્ષની સરખામણીએ આ વખતે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો માહોલ ખુબ ઓછો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થશે આમ છતાં બજારમાં ઘરાકી પૂરતી જોવા નથી મળી રહી. આ દિવસે સોનું-ચાંદી ખરીદવાથી રિદ્ધિ-સિદ્ધિ આવી તેવી માન્યતારાજકોટમાં રહેતા કૃતિકાબા પરમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે. આજના દિવસે સોનું-ચાંદી ખરીદી કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ આવે તેવી માન્યતા છે. માટે આજના દિવસે લોકો સોના ચાંદીના દાગીના ખરીદી કરતા હોય છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે પણ વિશ્વ આંખમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સોનાનો ભાવ ઓલટાઈમ હાઇ છે. હજુ ભાવ વધે એવી શક્યતા છે પણ શુકન મુજબ સોનાની ખરીદ કરવામાં આવે છે. હું પણ સોનાની ખરીદી કરવા માટે આજે બજારમાં આવી છું. વડોદરાવડોદરામાં પણ પુષ્ય નક્ષત્રની ખરીદી પર ભાવ વધારાની અસરવડોદરા શહેરમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત નિમિત્તે લોકો પરંપરા જાળવવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, પરંતુ સોનાના ભાવમાં સતત અને જંગી વધારો થતાં બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે વડોદરામાં સોના-ચાંદીનું કુલ 250 કરોડનું વેચાણ નોંધાયું હતું, જ્યારે આ વર્ષે તેમાં સીધો ૫૦ ટકાનો ઘટાડો થવાનો અને રૂ. 150 કરોડના વેચાણનો અંદાજ છે. લોકોએ શુકન સાચવવા 1થી 20 ગ્રામની લગડીઓ ખરીદીસારા ગણદેવેકરના ડાયરેક્ટર સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં બજારનું પ્રિડિક્શન દોઢ લાખ સુધી પહોંચવાનું હતું, તેથી ઘણા રોકાણકારોએ અગાઉ જ સોનામાં રોકાણ કરી દીધું છે. જોકે, પુષ્ય નક્ષત્રના મુહૂર્તને કારણે ગ્રાહકો હાલમાં 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ કે 20 ગ્રામ સુધીની નાની લગડીઓ ખરીદીને પરંપરા જાળવી રહ્યા છે. વેપારીઓ માટે આ ભાવ વધારો જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે ઊંચા ભાવને કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને વેચાણ ન મળવાથી નુકસાન જવાની શક્યતા છે. સત્તત વધી રહેલા ભાવના કારણે 50 ટકાનો ઘટાડોબીજી તરફ, ગ્રાહકોનું કહેવું છે કે, સોનાનો ભાવ એક વર્ષમાં લગભગ 70% જેટલો વધી ગયો હોવા છતાં, પુષ્ય નક્ષત્રના મહત્ત્વને કારણે થોડી ખરીદી કરવી જરૂરી છે. ગ્રાહકો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો થવાના ચાન્સ ભવિષ્યની જિયો-પોલિટિકલ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે, જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ અથવા ચાઈના પરના આંતરરાષ્ટ્રીય ટેરિફ પાછા ખેંચાય તો ભાવ ઘટી શકે છે. આમ, ભાવ આસમાને હોવા છતાં, લોકો શુભ મુહૂર્તને મહત્ત્વ આપીને રોકાણના હેતુ કરતાં શુકન પૂરતી ખરીદી કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે પતરાની આડાશ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઈનના રિહેબની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગટરમાં પડી જતાં એક યુવકનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગટર લાઈનની સફાઈ કામગીરી કરતો હતો તે દરમિયાન ગટરમાં પડી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉસ્માનપુરા અંડરપાસ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. ગટરના રિહેબિલિટેશનની કામગીરી રાત્રે ચાલતી હતી. જે કામગીરી દિવસે બંધ હતી. રિહેબના પીટમાં તેઓના કામમાં દિવસે કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સીનો દેખરેખ રાખી રહેલો યુવક અકસ્માતે પડી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. કેપિટલ એન્જિનિયરિંગ નામની કંપનીને ગટર રિહેબિલિટેશનની કામગીરી સોંપવામાં આવી છે. દિવસ દરમિયાન બેથી ત્રણ માણસો જગ્યા પર ધ્યાન રાખવા માટે મૂકવામાં આવતા હોય છે, ત્યારે સવારથી યુવક ગુમ થયો હતો જે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગટરમાં પડી ગયો હોવાની શંકાના આધારે પોલીસને અને ફાયરને જાણ કરવામાં આવતા ગટરમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ અભિષેક હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
સુરતમાં કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ ભાન ભૂલી જતા વિવાદ સર્જાયો છે. કાપોદ્રા વિસ્તારમાં ઓવરબ્રિજ પર જોખમી રીતે બેસી યુવક-યુવતીએ પ્રમોશન માટે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવક મસલ્સ બતાવતો અને મોરમોરો લેવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. ગાર્મેન્ટ શોપના પ્રમોશન માટે યુવક-યુવતી પુલ પર બેસી ગયા!આ સમગ્ર ઘટના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી. યોગીચોક પર આવેલી કલેજા ફેશન નામની દુકાનના પ્રમોશન માટે આ યુવક-યુવતીએ આ ખતરનાક સ્ટંટ કર્યો હતો.રીલ બનાવવા માટે બંને મોપેડ લઈને બ્રિજ પર આવ્યા અને ત્યાં જ વચ્ચે ટ્રાફિકને અવરોધીને અલગ-અલગ પોઝમાં બેસીને જીન્સનું વેચાણ કરવા માટે રીલ શૂટ કરવા લાગ્યા. સુરતના તમામ બ્રિજો પર સવાર-સાંજ સતત વાહનોની અવરજવર રહે છે. સામાન્ય સંજોગોમાં બ્રિજ પર થોભવું પણ જોખમી ગણાય ત્યારે રીલ બનાવવી એ ફક્ત ટ્રાફિક નિયમોનો ભંગ નથી, પણ સામાન્ય લોકોની સલામતી માટે પણ મોટો ખતરો છે. આનાથી કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત. માફીનું નાટક કરી પછી 'મોરે મોરો'નો પડકારપ્રથમ રીલ વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોને આશા હતી કે યુવક પોતાની ભૂલ સ્વીકારશે અને માફી માંગશે. પરંતુ, જે થયું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા. યુવકે વિરોધના જવાબમાં વધુ એક રીલ બનાવી, જેણે કાયદાનું સન્માન કરનારા દરેક નાગરિકના ગુસ્સામાં વધારો કર્યો. નવા વીડિયોમાં યુવક શરૂઆતમાં માથું નીચે નમાવીને ઊભો રહે છે અને કહે છે કે, આપણે જે કાલે રીલ બનાવી, લોકોએ તેનો ખૂબ જ વિરોધ કર્યો છે. આ મારી ભૂલ છે, તેથી હું તમારી સામે માફી માંગવા આવ્યો છું...પરંતુ, વાક્ય પૂરું થતાં જ તે અચાનક હસવા લાગે છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા કહે છે: તમે આની જ રાહ જોતા હશો, કે હમણાં માફી માંગી લેશે. એલા, તમે મોરે મોરો આવી જાવ. જે થતું હોય તે કરવા માંડો! વીડિયોમાં મસલ્સ બતાવી ચેલેન્જ આપીઆટલું જ નહીં, યુવકે ફરીથી પોતાના જીન્સનું પ્રમોશન શરૂ કરી દીધું અને ચેલેન્જ ચાલુ રાખતા કહ્યું કે, 'વીડિયો અહીંયા જ બનશે. જે થતું હોય તે કરવા લાગો'. પડકારને વધુ ઉગ્ર બનાવતા તેણે વીડિયોમાં પોતાના મસલ્સ પણ બતાવ્યા અને અંતે ફરી એકવાર ઉદ્ધતાઈભરી રીતે 'મોરે મોરો' કહીને વીડિયો પૂરો કર્યો.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી છે. ત્યારે આ ભીડનો લાભ લેવા માટે ચોર ટોળકી અને ખિસ્સા કાતરૂઓ પણ સક્રિય થઇ ગયાં છે. ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. દરમિયાન એક વૃદ્ધ મહિલાનું મોબાઈલ અને રૂપિયા ભરેલું પર્સ ચોરી થતા રડવા લાગ્યા હતા. દિવાળીના તહેવારને લઈને સુરતના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, અને આ ભીડનો લાભ લઈને કોઈ તકસાધુ કે ચોર લોકોની મહેનતની કમાણી ન લૂંટી લે તે માટે સુરત પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના મુખ્ય ખરીદી કેન્દ્રો પૈકીના એક ચૌટા બજારમાં આજે ખરીદી માટે લોકોની જબરી ગિરદી જોવા મળી હતી, તે દરમિયાન લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ચેકિંગ કરવા આવી તેના થોડા સમય પહેલા જ ભીડનો ફાયદો ઉઠાવીને એક ચોરે એક મહિલાનું પાકીટ ચોરી લીધું હતું. આ ઘટના બાદ પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીનો ભોગ બનેલી મહિલાએ પોલીસકર્મીઓ સમક્ષ જ ભારે આજીજી કરી હતી. મહિલાના પાકીટમાં મહેનતના ₹૧૦,૦૦૦ રોકડા અને ₹૩૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન હતો, જે ચોરાઈ ગયો હતો. ચોરીની ઘટનાથી દુઃખી અને આઘાતમાં સરી પડેલી આ મહિલા પોલીસ સમક્ષ ચૌધાર આંસુએ રડી પડી હતી. પોલીસે તાત્કાલિક મહિલાને સાંત્વના પાઠવી હતી અને ચોરને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ ઘટનામાંથી બોધપાઠ લઈને બજારમાં હાજર અન્ય તમામ ખરીદદારોને સાવધાન કર્યા હતા. પોલીસે અપીલ કરી હતી કે ભીડમાં ખરીદી કરતી વખતે લોકોએ પોતાના કીમતી સામાન અને બેગનું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. પોલીસે આ દરમિયાન બજારમાં શંકાસ્પદ જણાતા લોકોનું સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધર્યું હતું. દિવાળીના આ માહોલમાં ખરીદીની મજા માણો, પરંતુ સાથે જ સાવધાન રહો જેથી તકસાધુઓનો ભોગ ન બનવું પડે. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચૌટા બજાર વિસ્તાર છે, જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે. અહીંયા અમે ખાસ કરીને અમે મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે. આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે. અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને બૅગ અથવા મોબાઈલ પોતે અવેર ન હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં જો કોઈ આવા ધ્યાને આવે બનાવ બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન તે કે કિસ્સો ધ્યાનમાં આવેલો, એમાં એક બેન હતા, એમની જોડે એક પોકેટ હતો અને પોકેટ એ રીતનો હતો કે લટકાવીને જતાં હતા અને એને કોઈ ચૅન કે એવું કોઈ હતું નહીં. અને એમાંથી કોઈ ઈસમ આ પર્સ ચોરેલું છે. તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવી ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બૅગ રાખવી જોઈએ અને ચૅનવાળા બૅગ રાખવી જોઈએ. આ સિવાય તેમણે જરૂરી ન હોય તો કીમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ન જાય એ રીતે પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે.
1 જુલાઈ 2024ના રોજ ભારતીય ન્યાય સંહિતા-BNS–2023 અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ સુરતની વિશેષ કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ નવા કાયદા હેઠળ શહેરમાં નોંધાયેલા બળાત્કારના પ્રથમ કેસમાં આરોપીને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. BNS અમલના બીજા જ દિવસે, એટલે કે 2 જુલાઈ, 2024ના રોજ શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 5 વર્ષની બાળકી બળાત્કાર અંગેનો આ ગંભીર ગુનો દાખલ થયો હતો. ગુનાની વિગત મુજબ, આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર-37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી)એ પાંચ વર્ષની બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદમાં નોંધાઈ હતી. ભોગ બનનાર પાંચ વર્ષની બાળકીના માતા-પિતા બંને દિવસ દરમિયાન નોકરી-ધંધા પર જતા હતા, જેના કારણે બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. આરોપી સુરેશ ગોસ્વામી બાળકીના પડોશમાં રહેતો હતો અને આ પરિવારથી સારી રીતે પરિચિત હતો. એટલું જ નહીં, આરોપીનું બાળકીના ઘરે અવર-જવર પણ રહેતી હતી. આ જ પરિચયનો લાભ લઈને આરોપી સુરેશે બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો, જેના કારણે દાદા-દાદીને શરૂઆતમાં કોઈ શંકા નહોતી થઈ. જોકે, લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા-દાદી ચિંતામાં મુકાઈને સુરેશના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે બાળકીને લોહીલુહાણ હાલતમાં અને ખૂબ જ ડરેલી જોઈ. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સુરેશની પકડમાંથી છોડાવી હતી, પરંતુ તે દરમિયાન આરોપી સુરેશ ગોસ્વામી ઘરેથી નાસી છૂટ્યો હતો. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા હેઠળ સુરત પોલીસે આ કેસમાં સમયસર અને મજબૂત પુરાવા એકઠા કરવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે વીડિયોગ્રાફી દ્વારા તમામ પંચનામા કર્યા હતા, જે કોર્ટમાં નક્કર પુરાવા તરીકે કામ આવ્યા. આ ઉપરાંત, પોલીસે મહત્ત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો પણ કાળજીપૂર્વક નોંધ્યા હતા. આ પૈકી ચાર સાક્ષીઓના નિવેદનો B.N.S.S. (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) કાયદાની કલમ 183 મુજબ નામદાર કોર્ટ મારફતે મેળવવામાં આવ્યા હતા, જે કેસને મજબૂત બનાવવામાં નિર્ણાયક સાબિત થયા. આ ગુનામાં પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાનું વિસ્તૃત ચાર્જશીટ તૈયાર કર્યું હતું. આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક, સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો. તમામ રજૂ કરાયેલા પુરાવાઓ, જુબાની અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે, નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ભારતીય ન્યાય સંહિતા – 2023 અધિનિયમની કલમ 65(2) હેઠળ આજીવન કેદની સજા ફરમાવી છે. કોર્ટના ચુકાદા મુજબ, આરોપીએ તેના બાકી રહેતા કુદરતી જીવનની છેલ્લી ક્ષણો સુધી સખત કેદમાં રહેવું પડશે. આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમો હેઠળ પણ 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. BNS હેઠળ આટલો ઝડપી અને કડક ચુકાદો એ દર્શાવે છે કે, બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો હવે બિલકુલ ઢીલ નહીં રાખે.
ભરૂચમાં કૃષિ વિકાસ દિવસ ઉજવાયો:પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં ખેડૂતોને ₹28.30 લાખની સહાય વિતરણ
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષસ્થાને બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના 13 લાભાર્થીઓને રૂ.28.30 લાખથી વધુ રકમના સહાય ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગોના 15 જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન પણ રજૂ કરાયું હતું. પ્રભારીમંત્રી કુંવરજી હળપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જનસેવાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતહિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ખેડૂત આકસ્મિક મૃત્યુ સહાય યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, ડ્રોન દીદી સહિતની યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પ્રભારીમંત્રીએ વધુમાં જણાવ્યું કે“વોકલ ફોર લોકલ”ના સંકલ્પને સાકાર કરવા દીવાળીના તહેવાર દરમિયાન સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.આ પ્રસંગે નિષ્ણાતોએ પ્રાકૃતિક અને આધુનિક ખેતી, ટકાઉ ખેતીની પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, ઓર્ગેનિક ખેતી, પાક વૈવિધ્યકરણ અને સિંચાઈના આધુનિક ઉપાયો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને બજાર જોડાણ, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને નવીનતા અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ સસ્ટેનેબલ ફાર્મિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લાના સિદ્ધપુર ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, બાળકો દ્વારા સૂડેક્સ ડીએસ સીરપ જેનું ઉત્પાદન લિયોફોર ફોર્મ્યુલેશન પ્રાઇવેટ દ્વારા કરવામાં આવ્યું છે તેનું સેવન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાનગી ક્લિનિકના ડોક્ટરે બાળકોને કફ સીરપ આપી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, સિદ્ધપુર ગામના બે બાળકો એકની ઉંમર આશરે અઢીથી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચથી છ વર્ષ, પોતાના માતા-પિતા સાથે ખાંસી અને તાવની સારવાર માટે ગામમાં જ આવેલી ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા. ક્લિનિકના ડોક્ટર દ્વારા બંને બાળકોને કફ સીરપ તથા દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં તાત્કાલિક રીતે બંનેને પ્રમુખસ્વામી હોસ્પિટલ, ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ડભોઈ પોલીસે સંબંધીત ખાનગી ડોક્ટરને કસ્ટડી લીધોલગભગ 10થી 12 કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. હાલમાં બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા અપાઈ છે. આ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ દ્વારા સંબંધીત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કફ સીરપના સેમ્પલ ડભોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ ડભોઈ ખાતે પહોંચી ગઈ છે. તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે. બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હાલ કોઈ તકલીફ નથીઆ અંગે ડોક્ટર એમ.એમ. લાખાણી (જિલ્લા આરસીએચ ઓફિસર, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા) એ જણાવ્યું હતું કે, આજે ડભોઈ મુકામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે હું આવ્યો છું. બે બાળકોને તકલીફ થયાનું જણાયું હતું, જેની તપાસ અમે કરી રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ અને બાળરોગ નિષ્ણાંત (પિડિયાટ્રિશિયન) સાથે અમે તપાસ કરી રહ્યા છીએ. બાળકોની રૂબરૂ મુલાકાત લીધી હતી, અને બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમને હાલ કોઈ તકલીફ નથી. કઈ સીરપ હતી અને તેનો ડોઝ શું હતોઆ બાબતે સરકારના નિયમો અનુસાર જે પણ કાર્યવાહી જરૂરી હશે, તે અમે કરી રહ્યા છીએ. અમે માહિતી એકત્ર કરી રહ્યા છીએ, જેમાં કઈ સીરપ આપવામાં આવ્યું હતું, તેનો ડોઝ શું હતો, તેની તમામ વિગતો એકઠી કરી રહ્યા છીએ. જરૂરિયાત મુજબ પોલીસ વિભાગની પણ મદદ લઈ રહ્યા છીએ. સંપૂર્ણ વિગતો મળ્યા બાદ અમે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે સરકારને અહેવાલ સુપરત કરીશું. હાલમાં તપાસ ચાલુ છે, અને અમે આ બાબતે વધુ કશું ચોક્કસ કહી શકીએ તેવી સ્થિતિમાં નથી. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સીરપનું સેમ્પલ લેવાયુંવધુમાં જણાવ્યું કે, કઈ સીરપ આપવામાં આવ્યું હતું, તે પણ તપાસનો વિષય છે. અમે આ માહિતી એકત્ર કરી રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સીરપનું સેમ્પલ પણ લેવામાં આવી રહ્યું છે. આપે જે પ્રશ્નો પૂછ્યા, તેની માહિતી અમને તપાસ દરમિયાન જરૂરી છે, અને આ બધી વિગતો મળ્યા બાદ અમે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીશું. રાજ્ય સરકારની સૂચનાઓ અને નિયમો અનુસાર જે પણ કાર્યવાહી કરવાની હોય, તે નિયમિત રીતે થતી રહે છે. આ ડોક્ટર કોણ છે, તેમની ડિગ્રી શું છે, તે પણ તપાસનો વિષય છે. અમે અમારી ટીમ સાથે મળીને આ બધી તપાસ કરી રહ્યા છીએ.
ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ગત 10 ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યે જમાઈના અફેરની દાઝ રાખીને બે સગા ભાઈઓએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ આધેડ પર પાવડા અને લાકડી વડે હુમલો કર્યો હતો, આધેડએ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ઠોંડા ગામના કરશનભાઈ મનજીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, કરશનભાઈની દીકરી હિરાબેનના જમાઈ પ્રકાશભાઈનું જલાલપર માંડવા ખાતે તેમના કાકાના દીકરાની પત્ની સાથે અફેર ચાલતું હતું. આ કારણે હિરાબેન પિયર, એટલે કે કરશનભાઈના ઘરે આવી ગઈ હતી. કરશનભાઈના કાકા જીવરાજભાઈએ આરોપી ભાવિક અને જીગાને ઉશ્કેર્યા હતા, જેના કારણે બંને ભાઈઓએ આ દાઝ રાખીને હુમલો કર્યો હતો. આરોપીઓ કરશનભાઈના ઘરે આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો દેવાની ના પાડતા આરોપી ભાવિકે ઉશ્કેરાઈને પાવડા વડે કરશનભાઈના સાથળના ભાગે ઘા માર્યો હતો. જ્યારે જીગાએ લાકડી વડે કરશનભાઈના જમણા હાથના કાંડા, બાવડા અને વાસાના ભાગે ફટકા માર્યા હતા. આડેધડ માર મારવાથી ભરતભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કરશનભાઈ અને ભરતભાઈને તાત્કાલિક 108 મારફતે ઢસા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા કરશનભાઈને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન કર્યું હતું. હુમલાખોરો જતા-જતા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયા હતા. સમગ્ર મામલે કરશનભાઈ મકવાણાએ ભાવિક કાળુભાઈ કોતર અને જીગા કાળુભાઈ કોતર વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો શુભ સમય શરૂ થઈ ગયો છે. આજે અને આવતીકાલે પુષ્ય નક્ષત્ર પર સોના-ચાંદીની ખરીદીને ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ-શુભ માનવામાં આવે છે. બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં, લોકોમાં ખરીદીનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. લોકોએ આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છેઃ એબી જ્વેલર્સના ઓનરસોનાના વધેલા ભાવ અને ખરીદીના માહોલ વિશે દિવ્ય ભાસ્કરે જ્વેલર્સ અને ગ્રાહકો સાથે વાત કરી હતી. જ્યાં એબી જ્વેલર્સના ઓનર મનોજ અરવિંદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું એક એવું નક્ષત્ર છે, જેમાં સમૃદ્ધિ વધારવા રૂપી માહોલ બનતો હોય છે અને એ રીતે લોકો ખરીદારી કરતા હોય છે. ઘર, મકાનની, વાહનોની, કે સોના-ચાંદીની, સમૃદ્ધિ વસાવવા વાળી વાત હોય છે આ મુહૂર્તમાં. અત્યારે ગોલ્ડ-સિલ્વરની વાત કરીએ તો સોનાનો ભાવ 10 ગ્રામનો 130000 છે અને ચાંદીનો 1 કિલોનો 180000 જેટલો ભાવ છે. લોકોએ આ ભાવમાં પણ બહુ ઉત્સુકતાથી ખરીદી કરી રહ્યા છે. હજી પણ આગળ ભાવ વધશે, એવા સંજોગો બનેલા જ છે, એને લઈને અત્યારે સારી ખરીદી કરી રહ્યા છે. આવનારા લગ્ન પ્રસંગની અને આગોતરા આયોજન રૂપી ખરીદી કરી રહ્યા છે. આજના દિવસે ઘરે લક્ષ્મી આવે એનું સિગ્નિફિકેન્સ છેઃ ઓમ પંડ્યાજ્યારે ઓમ ઝાયરા ડાયમંડના ઓનર ઓમ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગોલ્ડનો ભાવ લાસ્ટ યર કરતા ડબલ છે. તમે જુઓ તો 2005માં ગોલ્ડનો રેટ 7000 રૂપિયા હતો અને આજના રેટ પ્રમાણે 1,31,000 રૂપિયા છે. બટ આપણા કલ્ચરમાં આજનો દિવસ, એટલે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો દિવસ બહુ જ કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ ધરાવે છે. એટલે રેટ્સ આટલા હાઈ હોવા છતાં પણ લોકો 10000થી લઈને 10-10 કરોડ સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ‘આ વર્ષે લગભગ 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે’આજના રેટ પ્રમાણે સોનાનો ભાવ 10 ગ્રામનો 131000 રૂપિયા છે અને સિલ્વર છે 1 કિલોના 186000 રૂપિયા. ભલે ભાવ ખૂબ ઊંચા છે, પણ આપણે ત્યાં આજના દિવસને સાંસ્કૃતિક રીતે બહુ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગોલ્ડ અને સિલ્વરને માતા લક્ષ્મીનું વાહન ગણીએ છીએ. લોકો નાનું-નાનું લે, પણ ઘરે આજના દિવસે લક્ષ્મી આવે એનું સિગ્નિફિકેન્સ છે. અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અમદાવાદમાં આ વર્ષે લગભગ 150થી 200 કરોડનો બિઝનેસ થઈ શકે છે. હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા આવ્યા છીએઃ શ્વેતાબેનખરીદી કરવા આવેલ ગ્રાહક શ્વેતાબેનએ જણાવ્યું કે, પુષ્ય નક્ષત્રનું હિન્દુઓમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે આ દિવસે ખરીદેલા સોના, ચાંદી, હીરા, ઝવેરાત તમને અનેક ઘણો લાભ અપાવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલો બધો ભાવ હોવા છતાં પણ હું અને મારી ફ્રેન્ડ ડાયમંડ નેકલેસની ખરીદી કરવા માટે આવ્યા છીએ. અમે ખરીદી કરવાનું એડવાન્સથી નક્કી રાખ્યું હતુંઃ ભાવનાબેનઅન્ય ખરીદી કરવા આવેલ ભાવનાબેન શાહ એ જણાવ્યું હતું કે, દર વર્ષે અમે લગડી ખરીદતા હોઈએ છીએ, સિક્કા પણ ખરીદતા હોઈએ છીએ. અમે એડવાન્સથી નક્કી કરીને રાખ્યું હતું કે, અમે પુષ્ય નક્ષત્રના દિવસે જ ખરીદી કરવા જઈશું. ઉનેખનિય છે કે, આસમાને પહોંચેલા ભાવ હોવા છતાં, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા આ શુભ દિવસે લોકો સોનું, ચાંદી અને ઝવેરાતમાં રોકાણ કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી આશા સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા.
જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના 13 લાભાર્થીઓને કુલ રૂ.19 લાખથી વધુની સહાયના ઓર્ડર એનાયત કરાયા હતા. આ મહોત્સવમાં બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. એચ.એમ. ભૂવાએ સસ્ટેનેબલ ફાર્મિંગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ વિભાગોના 16 જેટલા સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશના વિકાસમાં ખેડૂતોનો મહત્વનો ફાળો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના માર્ગદર્શન અને પોતાની સૂઝબૂઝથી ઉત્તમ ખેતી કરીને રાજ્યને દેશમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. તેમણે કૃષિ મહોત્સવના ઇતિહાસ અને ઉદ્દેશ્યો વિશે પણ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2005-06માં ખેડૂતોનું ઉત્પાદન વધારવા, નવી તકનીકો પહોંચાડવા, વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા અને ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવાના હેતુથી કૃષિ મહોત્સવ શરૂ કરાયો હતો. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમોનું આયોજન થાય છે અને વિવિધ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, જેનાથી તેમને આર્થિક લાભ મળે છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણી ડો. વિનોદ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહિલ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
દેરોલ ઓવરબ્રિજ અઢી મહિના બાદ હળવા વાહનો માટે શરૂ:હિંમતનગર-મહેસાણાને જોડતા માર્ગ પર વાહનચાલકોને રાહત
સાબરકાંઠા અને મહેસાણાને જોડતો સાબરમતી નદી પરનો દેરોલ ઓવરબ્રિજ અઢી મહિના બાદ આજથી હળવા વાહનો માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિકો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા આ ઓવરબ્રિજને સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધતા સુરક્ષાના કારણોસર આ પગલું ભરવામાં આવ્યું હતું. બ્રિજ બંધ થવાને કારણે વાહનચાલકોને મહેસાણા જવા માટે ઇડરના સપતેશ્વર ઓવરબ્રિજ અથવા પ્રાંતિજના સાદોલિયા ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ મહેસાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેરોલ ઓવરબ્રિજનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળવારથી, અઢી ટનથી ઓછું વજન ધરાવતા અને અઢી મીટરથી ઓછી ઊંચાઈના વાહનો માટે બ્રિજ પર અવરજવર શરૂ કરવામાં આવી છે. જોકે, ભારે વાહનો અને એસ.ટી. બસોને હજુ પણ આ ઓવરબ્રિજ પરથી પસાર થવાની મંજૂરી નથી. આ વાહનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ ચાલુ રહેશે.
ગોધરાના સિમલામાં ત્રિપલ અકસ્માત:હાઈડ્રો ક્રેન, ટ્રક અને પીકઅપ વાન અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં આજે બપોરે એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક હાઇડ્રો ક્રેન, એક ટ્રક અને એક પિકઅપ વાન સામસામે અથડાઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે એક હાઇડ્રો ક્રેન રસ્તા પરથી બહાર નીકળી રહી હતી. તે જ સમયે, રસ્તેથી પસાર થઈ રહેલી એક ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી તીવ્ર હતી કે રસ્તા કિનારે ઉભેલી એક પિકઅપ વાનને પણ તેની ઝપેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતમાં સામેલ ત્રણેય વાહનો – હાઇડ્રો ક્રેન, ટ્રક અને પિકઅપ વાનને – નાનામોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં સ્થાનિક લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે સાંજે 5 વાગ્યે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખને આવકારવા માટે એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવનો ઉપસ્થિત રહેવાના છે. ભાજપ દ્વારા 20,000થી જનમેદની એકઠી કરવા લક્ષ્યાંક સાથે આજે અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઠેર ઠેર પ્રદેશ પ્રમુખને આવકારતા હોર્ડિંગ્સ અને બેનર પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્તાની સાથે ભાજપમાં ફરી જુના જોગીઓ એક્ટિવ થયા છે અને આગામી સમયમાં પ્રમુખની ગુજરાત ભ્રમણ યાત્રા પૂર્ણ થયા બાદ સંગઠન માળખામાં ફેરફાર થયે પોતાનો વારો આવશે તેવી આશાએ સૌ કોઈ સાઈડમાં બેઠેલા એક્ટિવ જોવા મળી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા ખાસ વિમાન મારફત રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચશે જયાં રાજકોટ મહાનગર-જીલ્લા તથા મોરબી જીલ્લા ભાજપના આગેવાનો સ્વાગત કરશે બાદમાં એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ-મોરબી જીલ્લાના કાર્યકર્તાઓ કાર-રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે અને આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1000 જેટલા બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેઓને બાઈક રેલીના આગેવાનીમાં રેસકોર્ષ સુધી લઈ આવશે જ્યાંથી સીધા સભા સ્થળે પહોંચશે. રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શકયતા સેવાઈ રહી છે. સૌ પ્રથમ જગદીશ વિશ્વકર્મા હિરાસર એરપોર્ટ પહોંચશે આ પછી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ શહેરના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5.30 વાગ્યાથી સભા યોજવામાં આવનાર છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લા જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે. નવ નિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોઈ બુકે કે ફૂલ ભેંટ સ્વીકારવામાં આવતા નથી અને તેના સ્થાને તેઓ ચોપડા અને બૂક સ્વીકાર કરે છે જે પછી આ ભેંટ તેઓ જે તે જિલ્લાના બાળકોને આપવા માટે જ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીમાં કાર્યકર્તાઓનો આંતરિક જુથવાદ અને આપની દિવસે દિવસે વધતી જતી લોક ચાહના એ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે ત્યારે આવતીકાલે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં કોણ કોણ જુના જોગીઓ હાજર રહેશે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા માસ કોપી કૌભાંડ બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 182 વિદ્યાર્થીઓ પર ₹10,000નો આર્થિક દંડ લાદી તેમની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે 'યુવા અધિકાર ન્યાય ચળવળ' દ્વારા સખત વિરોધ નોંધાવી અન્યાયી કાર્યવાહી સામે ન્યાયની માંગ કરવામાં આવી છે. 'પરીક્ષા ચોરીના ગુનામાં સજા હાથમાં મોબાઇલ ધરાવતા વિદ્યાર્થીને શા માટે, જ્યારે મોબાઇલ આપનાર ગુનેગારને કેમ નહીં? આવેદનપત્રમાં જણાવાયું છે કે સંસ્થા,પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ પર કડક પગલાં લેવાને બદલે માત્ર વિદ્યાર્થીઓને સજા કરવી એ ભ્રષ્ટાચારને છાવરવાનો ખુલ્લો પ્રયાસ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી.પોરિયા સમક્ષ યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ દ્વારા 'યુવા અધિકાર ન્યાય ચળવળ'ના નેજા હેઠળ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આ આવેદનપત્રનો મુખ્ય વિષય પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજના 182 વિદ્યાર્થીઓને અન્યાયથી બચાવવા અને સાચા દોષીઓ સામે ન્યાયસંગત કાર્યવાહી કરવાનો છે. ચળવળ દ્વારા આક્ષેપ કરાયો છે કે ચોરી કરાવનાર સંચાલકો,ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે પ્રશ્નપત્ર વોટ્સએપ પર મૂકીને કોલેજને નકલી ડિગ્રી ફેક્ટરી માં ફેરવી દીધી. તેમ છતાં, યુનિવર્સિટીએ આ સંસ્થાને છોડીને માત્ર વિદ્યાર્થીઓને પાપનો ભાગીદાર ઠેરવ્યા છે. 'યુવા અધિકાર ન્યાય ચળવળ' દ્વારા માંગ કરવામાં આવી છે કે દંડ વિદ્યાર્થીઓને નહીં, પરંતુ સંસ્થા પર લાદવો જોઈએ અને પરીક્ષાની ફી પણ કોલેજ દ્વારા જ ભરવામાં આવવી જોઈએ. સંચાલકોએ એડમિશન સમયે પાસિંગ ગેરંટી કાર્ડ આપીને ₹1 લાખથી વધુ વસૂલ્યા હોવા છતાં તેમના પર દંડ કેમ નહીં, તેવો સવાલ ઉઠાવાયો છે.આ ઉપરાંત, ઇન્ટરનલ પરીક્ષા રદ ન કરવામાં આવે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, પ્રોફેસરની દેખરેખમાં લેવાયેલ ઇન્ટરનલ પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી. પ્રેક્ટિકલ પરીક્ષા પણ રદ ન કરવાની માંગ કરાઈ છે. અન્ય માંગણીઓમાં વિદ્યાર્થીઓ પરનો કુલ દંડ સંસ્થા પર લાદવામાં આવે, સંચાલકો તથા સંસ્થાને વિદ્યાર્થીઓ કરતાં પણ કઠિન સજા આપવામાં આવે, પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજની માન્યતા રદ કરવામાં આવે,પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને એક્ઝામ કોઓર્ડિનેટર સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે અને નિરીક્ષકની જવાબદારી નક્કી કરી તેને પણ સજા કરવામાં આવે તે મુખ્ય છે. કોલેજ દ્વારા કબજે કરાયેલા FY, SY અને M.Sc. ના વિદ્યાર્થીઓના તમામ ઓરિજનલ દસ્તાવેજો, પ્રમાણપત્રો અને અગાઉના સેમેસ્ટરની માર્કશીટ તાત્કાલિક પરત કરવામાં આવે. એડમિશન કેન્સલ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ફી બાબતે રાહત આપવામાં આવે અને અન્ય કોલેજમાં ટ્રાન્સફર ઇચ્છુક વિદ્યાર્થીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટની મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું કે, સંસ્થાને બચાવીને વિદ્યાર્થીઓને સજા કરવી એ ભ્રષ્ટાચારને છાવરવાનો ખુલ્લો પ્રયત્ન છે. કુલપતિ કે સી પોરીયા એ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ પ્રમાણે જે સજા કરવાની હોય છે તે કમિટી ધ્વરા ભલામણ કરવામાં આવી હતી કમિટી ની ભલામણ અનુસાર દરેક વિદ્યાર્થી ને 10હાજર નો દંડ પેટે ભારવનું જણાવ્યું છે .20તારીખ સુધી ભરવાની છે માસ કોપી ના સ્ટેસ્ચ્યુ પ્રમાણે દંડ કરવામાં આવ્યો છે પરીક્ષા નું કેન્દ્ર રદ કરવા કમિટી ની ભલામણ હતી એટલે રદ કર્યું છે અને કોલેજ ને જણાવી દીધું છે એમની માંગ વધુ દંડ કરવાની છે એટલે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ રચના થયેલી છે તો તમમાં બાબતો ફરી થી બોર્ડ ઓફ મેનજમેન્ટ માં મુકીશું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે નિર્ણય લેશે એ પ્રમાણે યુનિવર્સિટી કાર્યવાહી કરશે આવતી કાલે મેનેજમેન્ટ અને સમિતિ ના સભ્યો ને બોલાવી બન્ને ની રજૂઆત સાભળી બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં મૂકીશું તેમ જણાવ્યું હતું
ચાલુ વર્ષે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ઉતર પ્રદેશમાં રહેતા એક યુવકે 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મુખ્ય આરોપી અશફાક આંબાવાડી ભાડે રાખીને કેરીઓ વેચવાનું કામ કરતો હતો. ફરિયાદીના પિતા અશફાકની આંબાવાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા. 50 હજારની કેરીઓ ચોરીને વેચી મારીએક સમયે ફરિયાદીએ તેના પિતાને ફોન કરતા તેઓએ ઉપાડ્યો નહીં. ફરિયાદીની માતાને અશફાકે ફોન કર્યો હતો કે તેના પતિએ 50 હજારની કેરીઓ ચોરીને વેચી મારી છે, જેથી તેનો પુત્ર 50 હજાર રૂપિયા ચૂકવી આપે. ફરિયાદીના પિતા વતન ન પહોંચતા પુત્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આંબાવાડી ખાતે પહોંચ્યો હતો. જેમાં કેટલાક મજૂરોએ તેને જણાવ્યું હતું કે, તેના પિતાએ કેરીઓ ચોરતા આરોપીઓએ તેમને આંબા સાથે બાંધીને માર્યા હતા. 4 આરોપી સામે હત્યાનો ગુના નોંધાયોપોલીસે તપાસ કરતા ઇજાથી ફરિયાદીના પિતાનું મૃત્યુ થયા હતું. આથી આ કેસમાં આરોપી અશફાક, વિનોદ અને દશરથ વગેરે 4 આરોપી સામે હત્યાનો ગુના નોંધાયો હતો. અરજદારે હાઇકોર્ટમાં જામીન અરજીમાં જણાવ્યું હતું કે ચાર્જશીટ મુજબ અશફાક સામે પુરાવા છે, અરજદાર સામે કોઈ પુરાવા નથી. આ કેસમાં કોઈ આંખ્યો દેખ્યા સાક્ષી નથી. આરોપી ગુનામાં સક્રિય ભાગીદારી છેઅરજદાર આરોપી નહીં પરંતુ સાક્ષી છે. તે જૂન મહિનાથી જેલમાં છે. સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ગુનામાં આરોપીની સક્રિય ભાગીદારી છે. આરોપીને આંબાના ઝાડ સાથે બાંધીને માર મરાયો હતો. કોર્ટે પણ નોંધ્યું હતું કે આરોપી ઘટના સ્થળે હાજર હતો અને તેની ગુનામાં સક્રિય ભાગીદારી છે ત્યારે તેને જામીન આપી શકાય નહીં.
નવસારી જિલ્લાની ગણદેવી સુગર ફેક્ટરીએ પીલાણ સીઝન 2025-26 માટે શેરડીના ભાવનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. ફેક્ટરી દ્વારા સભાસદોને પ્રતિ ટન કુલ ₹3270 ચૂકવવામાં આવશે. જાહેર કરાયેલા પ્રથમ હપ્તામાં શેરડીના ભાવ પેટે ₹1000 અને શેરડી કટિંગ તથા કાર્ટિંગ માટે ₹770નો સમાવેશ થાય છે. આમ, પ્રથમ હપ્તા તરીકે કુલ ₹1770 ચૂકવાશે. આ ઉપરાંત, સભાસદોને વધારાના ₹1500 પણ આપવામાં આવશે. આ ₹1500ની રકમ પ્રથમ હપ્તા અને બીજા હપ્તા વચ્ચેના સમયગાળામાં 9% વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. આમ, સભાસદોને પ્રતિ ટન કુલ ₹3270 મળશે. પીલાણ સીઝન દરમિયાન, ફેબ્રુઆરી માસમાં ₹100, માર્ચ માસમાં ₹200 અને એપ્રિલ માસમાં ₹300 એમ માસવાર પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવારોના રંગમાં વરસાદનો ભંગની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠાના મારની અસર દિવાળીમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16થી 19 ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 16થી 19 ઓક્ટોબરના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં અત્યારે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં 17થી 19 ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસમાં તાપમાન યથાવત રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન આગામી બે દિવસ યથાવત રહેશે. આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો
વડોદરા શહેરના અકોટા ડીમાર્ટ સામે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે જાહેર મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો. અકોટા પોલીસે વાલીઓને બોલાવીને આ મામલે માફી મંગાવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ તેમના સંતાનો નહીં કરે તેવી બાહેધરી આપી હતી. વિદ્યાર્થીઓ મારામારી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતોવડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ડીમાર્ટ પાસે એક સ્કૂલની નજીક ખુલ્લી જગ્યામાં સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ઝઘડો કરીને મારામારી કરી રહ્યા હતા. આ બાબતે અકોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે વાલીઓ પાસે માફી મંગાવી બાહેધરી લીધીવાઇરલ વીડિયોના આધારે અકોટા પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને વાલીઓને માફી મંગાવી હતી. વાલીઓએ ભવિષ્યમાં તેમના સંતાનો આવી પ્રકારની પ્રવૃત્તિ નહીં કરે તેવી ખાતરી આપી છે, વધુમાં, વાઇરલ વીડિયો બાબતે પોલીસે વાહનો ડિટેન કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:વિદ્યાર્થીઓએ ૧૦૦થી વધુ વર્કિંગ મોડલ્સ રજૂ કર્યા
આજે નરોડા સ્થિત એ-વન ઝેવિયર્સ સ્કૂલ (SNME કેમ્પસ) ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના ૧૦૦થી વધુ વર્કિંગ અને સ્ટેટિક મોડલ્સ રજૂ કર્યા હતા. પ્રદર્શનના મુખ્ય વિષયોમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્માર્ટ સિટી અને રિન્યૂએબલ એનર્જીનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ તેમના નવા વિચારો દ્વારા પ્રાયોગિક જ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું પ્રદર્શન કર્યું. વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આવા શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
દિવાળીનો તહેવાર નજીક આવે એટલે રાજકોટની સોનીબજારમાં ચમક વધી જતી હોય છે. આજના પુષ્ય નક્ષત્રમાં ખાસ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા બજારમાં પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ હોવાથી રાજકોટની સોની બજરમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી જોવા મળી રહી છે કોઈ લોકો માત્ર શુકન સાચવવા તો કોઈ લગ્નસરાની સીઝનમાં જરૂરી સોનાની ખરીદી માટે બજારમાં આવી રહ્યા છે. સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ પર જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરુ પુષ્ય નક્ષત્રનો દિવસ છે એટલે આજના દિવસે લોકો રાજકોટની સોનીબજારમાં નાની મોટી ખરીદી કરી શુકન સાચવવા પહોંચી રહ્યા છે. છેલ્લા પખવાડિયાથી કોઈ ગ્રાહક બજારમાં સોનાની ખરીદી માટે આવી ન હતા રહ્યા જેની સામે આજે ગુરુપુષ્ય નક્ષત્રમાં લોકો સોના ચાંદીની ખરીદી કરવા પહોંચી રહ્યા છે જો કે આજે આ ખરીદી લગભગ 40થી 50% ઓછી થતી હોવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. રાજકોટના પ્રખ્યાત રાધિકા જવેલર્સના મુકેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હિન્દૂ સંસ્કૃતિમાં અક્ષય તૃત્યા, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ આ 3 દિવસ સોના ચાંદી ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવતો હોય છે આ ત્રણ દિવસોમાં લોકો કોઈ પણ મુહૂર્ત જોયા વગર સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે અને આ દિવસોમાં સોનુ ખરીદવું શુકન માની નાની મોટી ખરીદી કરતા હોય છે. દર વર્ષની સરખામણીએ આ વખતે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો માહોલ ખુબ ઓછો જોવા મળી રહ્યો છે કારણ કે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. દિવાળી પછી લગ્નસરાની સીઝન શરૂ થશે આમ છતાં બજારમાં ઘરાકી પૂરતી જોવા નથી મળી રહી. આજે સોનાના ભાવ વિશે વાત કરતા વેપારી મુકેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, 22 કેરેટ સોનાનો ભાવ 1.17 લાખ, 18 કેરેટ સોનાનો ભાવ 94,000 અને 24 કેરેટ સોનાનો ભાવ 1.27 લાખ પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેના પર GST ચાર્જ અલગથી લાગતો હોય છે. રાજકોટમાં રહેતા કૃતિકાબા પરમારે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે. આજના દિવસે સોનુ ચાંદી ખરીદ કરવાથી ઘરમાં રિધ્ધી સિદ્ધિ આવતા હોય તેવી માન્યતા છે માટે આજના દિવસે લોકો સોના ચાંદીના દાગીના ખરીદ કરતા હોય છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે પણ વિશ્વ આંખમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સોનાનો ભાવ ઓલટાઈમ હાઇ છે. હજુ ભાવ વધે એવી શક્યતા છે પણ શુકન મુજબ સોનાની ખરીદ કરવામાં આવે છે. હું પણ સોનાની ખરીદી કરવા માટે આજે બજારમાં આવી છું. ચાંદીનો ભાવ પણ 1.50 લાખ પહોંચી પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી ખરીદવાની પરંપરા નવી અને જૂની પેઢી બન્નેમાં જોવા મળી રહી છે. એવું પણ માનવના આવે છે કે સંકટ સમયે સોનું સંજીવની બને છે જેમાં ધિરાણ અને રોકડ બન્ને મળી રહે છે જેથી લોકો સોનાની ખરીદી ઈન્વેસમેન્ટ રૂપમાં પણ કરતા હોય છે. જયારે ચાંદીનો ભાવ પણ 1.50 લાખ પહોંચી જતા ચાંદીની ખરીદી શુભ માની નાની વસ્તુ ખરીદી કરીને લોકો શુકન સાચવી રહ્યા છે. વૈશ્વિક કક્ષાએ સોનું સ્વીકાર્ય છે. જેને કારણે લોકોનો સોના પર વિશ્વાસ વધ્યો છે.
અમરેલી જિલ્લામાં સતત ગુના આચરવાની ટેવ ધરાવતા એક અસામાજિક તત્વ સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. અમરેલી એલસીબી દ્વારા સાવરકુંડલાના આરોપી સંજય કાળુભાઈ પરમાર (ઉ.18)ની અટકાયત કરીને તેને મહેસાણા જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી સંજય પરમાર મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેના વિરુદ્ધ સાવરકુંડલા વિસ્તારમાં પાંચ જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. અમરેલી એલસીબી પી.આઈ. વિજય કોલાદરાની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાસા દરખાસ્ત અમરેલી એસપી મારફતે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને મોકલવામાં આવી હતી. કલેક્ટરે આ દરખાસ્તને મંજૂરી આપીને પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. વોરંટ ઇસ્યુ થયા બાદ અમરેલી એલસીબીની ટીમે આરોપી સંજય પરમારની ધરપકડ કરી હતી અને તેને મહેસાણા જિલ્લા જેલ ખાતે ખસેડ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. વિજય કોલાદરા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, દશરથસિંહ સરવૈયા, રમેશભાઈ સિસારા, રીનાબેન ધોળકીયા અને ધ્રુવીનાબેન સુરાણી સહિતની ટીમને સફળતા મળી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
એ વન ઝેવિયર્સ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થયા બાદ બગીચાની મુલાકાત લીધી હતી. પરીક્ષાના તણાવમાંથી મુક્ત થઈ બાળકોને આનંદ, તાજગી અને આરામનો અનુભવ થયો. બગીચામાં બાળકોએ ઝૂલા ઝૂલ્યા, મિત્રો સાથે રમ્યા અને ફૂલો-વૃક્ષો વચ્ચે મસ્તી કરી. તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો.આવી બગીચાની મુલાકાતથી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે છે. સ્વચ્છ વાતાવરણમાં સમય વિતાવવાથી તેમની તંદુરસ્તી સુધરે છે અને મન પ્રફુલ્લિત રહે છે. આ પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.સ્કૂલના સ્ટાફ સભ્યોની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક અને આનંદભર્યા માહોલમાં સંપન્ન થયો.
કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે આજે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી. વિરોધકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસની માગ કરી હતી. શું છે સમગ્ર મામલો?થોડા દિવસો પહેલા કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીએ આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થંબનૂરમાં આવેલી એક લોજમાંથી મળી આવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા, આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે RSSના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે RSSના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. આનંદુ પોતે પણ RSSનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. સુરતમાં યુથ કોંગ્રેસ વિરોધ કરતા અટકાયતઆ મામલે યુથ કોંગ્રેસે RSS પર સીધો હુમલો બોલાવ્યો છે. આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું. વિરોધ દરમિયાન, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતિક એવા ખાખી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા, જેણે પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા. રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને 'ટીંગાટોળી' કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએઃ પ્રદીપ સિંધવકોંગ્રેસ નેતા પ્રદીપ સિંધવએ માંગણી કરી છે કે, આ ગંભીર મામલાની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને પીડિત યુવકને ન્યાય મળવો જોઈએ. સમગ્ર વિરોધને પગલે થોડા સમય માટે રેલવે સ્ટેશન બહાર તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
એ વન ઝેવિયર્સ સ્કૂલમાં રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પત્ર મોકલવાનો અનુભવ કર્યો. દરેક વિદ્યાર્થી પોસ્ટકાર્ડ લાવ્યા હતા. તેમણે તેમાં દિવાળી શુભેચ્છા સંદેશા લખ્યા અને પોતાના માતા-પિતાને સંબોધિત કરીને પોસ્ટ દ્વારા મોકલ્યા. આજના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ઇમેઇલ જેવા આધુનિક યુગમાં, વિદ્યાર્થીઓએ પરંપરાગત પત્રલેખનની પદ્ધતિ શીખી. તેમણે તેના મહત્વનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ ટપાલ વ્યવસ્થાનો ઉપયોગ, પત્રલેખન કૌશલ્ય અને સંચારના વિવિધ માધ્યમો વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું.
રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડી સ્થિત લર્નિંગ ક્લિનિક સ્કૂલના મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળી પૂર્વેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને ગુલાબ જાંબુ, મોહનથાળ, ચવાણું, વેફર અને ફટાકડા જેવી ભેટ આપવામાં આવી હતી. આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને જયેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ ક્લિનિક સ્કૂલના નટુભાઈ, કુસુમબેન અને અન્ય સ્ટાફનો કાર્યક્રમની સુંદર વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભેટ મેળવીને મનોદિવ્યાંગ બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના NCC કેડેટ્સે તાજેતરમાં ગૌરવ અપાવ્યું છે. HNU યુનિવર્સિટી ખાતે આયોજિત સાત દિવસીય ATC કેમ્પમાં શાળાના 20 વિદ્યાર્થીઓ (ભાઈઓ અને બહેનો) જોડાયા હતા. આ કેમ્પમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં NCC ટીમે કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા હતા.શાળામાં શિક્ષણની સાથે સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, NCC, NSS, સ્કાઉટ, ગાઈડ અને ઇકોક્લબ જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં દેશભક્તિના મૂલ્યો વિકસાવવામાં આવે છે. આ કેમ્પમાં NCC ટીમના માર્ગદર્શક એસ.બી. પ્રજાપતિ (ANO) અને તમામ NCC કેડેટ્સને શાળાના આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ ઉપરાંત, NCC પ્રવૃત્તિમાં શૈલેષભાઈ પ્રજાપતિએ પણ સિદ્ધિ મેળવી છે. તેમણે 30 જૂનથી 30 ઓક્ટોબર સુધી ઓફિસર ટ્રેનિંગ એકેડમી (OTA), કામઠી, નાગપુર, મહારાષ્ટ્ર ખાતે PRCN કોર્સ 183 સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ તેમની એસોસિયેટ NCC ઓફિસર (ANO) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.શૈલેષભાઈ પ્રજાપતિની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈ અને સમગ્ર શાળા પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આનંદનગર વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયાનો એક ભાગ ધરાશાયી: એકનું કરૂણ મૃત્યુ, ફાયરવિભાગ પાસે પૂરતા સાધનો જ ન હતા શહેરના આનંદ નગર વિસ્તારમાં આવેલું ગુજરાત હાઉસીંગ બોર્ડનું ત્રણ માળનું એક જર્જરિત મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ કલાક સુધી ફસાયેલા યુવક કરણ બારૈયાનું હોસ્પિટલમાં કરૂણ મૃત્યુ થયું છે. પરિવારજનનો આક્ષેપ કર્યો છે કે ફાયરવિભાગની બેદરકારીના કારણે મારા ભાઈ મોત થયું છે, આનંદનગર ખાતે આવેલ આવસ યોજનામાં ત્રણ માલમાં કુલ 12 ફેલટો આવેલા છે જેના બીજા અને ત્રીજા માળે લોકો રહેતા હતા, આ દુર્ઘટનામાં મૃતક કરણ બારૈયાનો પરિવાર માત્ર 5-6 મહિના પહેલાં જ આ જર્જરિત મકાનના બીજા માળે રહેવા આવ્યો હતો. તેઓ આ મકાનનું ભાડું માસિક રૂ.3,000 થી 3,500 ચૂકવતા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. જર્જરિત મકાનોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે. મૂર્તકના સંબંધી નિર્મળ પરમારએ જણાવ્યું હતું કે, આ કાલે રાત્રે 10 વાગ્યે કામેથી આવ્યો હતો. કામેથી આવીને જમીને પૂરું જમ્યા નહોતા, ત્યાં આવો અકસ્માત બન્યો છે પરંતુ તંત્રને જાણ કરતા એક-બે કલાક પછી બધા આવ્યા, જેસીબી બે કલાક પછી આવ્યા, એકેય જાતનો પૂરતો સામાન એની પાસે નહોતો. અમે અમારા પ્રાઇવેટ જેસીબી મંગાવીને અમે અમારા ભાઈ કરણને બહાર કઢાવ્યો છે, ભરણપોષણએ કરણ ઉપર અને એના પપ્પા ઉપર જ ચાલતું. બંને એના પપ્પા તો અત્યારે અકસ્માતમાં ઘાયલ થઈ ગયા છે પૂરા. કમાઈ શકે એવી હાલત જ નથી. અને અમારા ભાઈ કરણનું તો મૃત્યુ થયું. હવે પરિવાર આજીવિકા કમાવવા વાળું કોઈ ન રહ્યું...ઘટના બની પછી કરણ 3:30 કલાકે બહાર કાઢ્યો હતો, શું હવે તંત્ર જર્જરીત મકાનો સામે કડક કાર્યવાહી કરશે? શહેરના આનંદનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય લોકો ઘાયલ થયાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં આવેલા અનેક જર્જરીત મકાનોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવસો છે જેને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ જર્જરિત જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, આ ઘટના બાદ, હવે લોકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું તંત્ર હવે જાગશે અને આગામી સમયમાં શહેરના અન્ય જર્જરીત મકાનોને ઉતારી પાડવા અથવા તેના રિડેવલપમેન્ટ કાર્યવાહી કરશે કે કેમ. તે જોવાનું રહ્યું... જવાબદાર હોય તેની સામે મનુષ્યવધ ના ગુન્હો દાખલ કરવા પણ તેમને માંગ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલ અને પૂર્વ વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયાએ કાર્યકરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા ઘટનાં ને લઈને રજૂઆત કરવામાં આવી હતી, સામાન્ય વર્ગના લોકો રહેતા હોય રહેણાંક નો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય સરકારી નોટિસ છતાં જીવના જોખમે જર્જરીત આવાસોમાં વસવાટ કરી રહ્યા છે, જર્જરિત આવાસ તૂટી પડવા મામલે કોંગ્રેસે તંત્રની ઘોર બેદરકારી ગણાવી શાસકોને આડેહાથ લીધા હતા, તેમણે જણાવ્યું કે હજારો આવાસો જર્જરીત બન્યા છે, તેને રીડેવલપ કરવા જોઈએ પણ સરકારને લોકોના મૃત્યુની કિંમત નથી, અગાઉ પણ અનેકવાર આવા બનાવો બન્યા છે, પરંતુ સરકારી તંત્રની જવાબદારી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવી જોઈએ, જવાબદાર હોય તેની સામે મનુષ્યવધ ના ગુન્હો દાખલ કરવા પણ તેમને માંગ કરી છે, મૃતકના પરિવાર ને સહાય ચૂકવવી જોઈએ, અને તમામ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે અમે એ માટે તમામ પ્રકારની રણનીતિ નક્કી કરી આંદોલન કરીશું.
ઈંગોલી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું દાન:વિદ્યાર્થીઓને ₹10,000ની કીટ આપી પ્રોત્સાહિત કરાયા
ઈંગોલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ડૉ. શ્યામ ચાવડા, આઇટી એન્જિનિયર ભરતભાઈ અને પ્રવિણભાઈ, તેમજ રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય નિશિથભાઈ આચાર્યએ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને પ્રોત્સાહન આપવાનો હતો. મુલાકાતીઓએ શાળા પરિસર અને શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ રમતો રમીને આનંદ વ્યક્ત કર્યો અને શિક્ષકો સાથે શિક્ષણની ગુણવત્તા તથા નવીન પદ્ધતિઓ અંગે ચર્ચા કરી. આ પ્રસંગે, મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને સ્કેચબૂક, કલર સેટ અને પેન્સિલ સેટની કીટ આપવામાં આવી, જ્યારે ધોરણ બે થી આઠના વિદ્યાર્થીઓને રાઇટીંગ પેડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મહેમાનોના આ સરાહનીય યોગદાન અને વિદ્યાર્થીઓને મળેલા પ્રોત્સાહન બદલ ઈંગોલી પ્રાથમિક શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો.
ઉમરગામ મોબાઈલ ચોરી કેસમાં ચાર આરોપી ઝડપાયા:કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, તપાસ ચાલુ
ઉમરગામમાં એક મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉમરગામ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઘટના 7 ઓક્ટોબર, 2025 ના રોજ સોળસુંબા, ભાઠી કરમબેલી રોડ પર આવેલા ચારણીયા કોમ્પ્લેક્સની શબા મોબાઈલ દુકાનમાં બની હતી. અજાણ્યા ચોર ઈસમોએ દુકાનનું શટર તોડી અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમરગામ પોલીસ મથકે BNS કલમ 331(4) અને 305(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ વેસ્ટન હોસ્ટિંગ જોર્જજી મોટેઘર (ઉ.વ. 26), અમિત ઉર્ફે સિકંદર રૂપલાલ નિસાદ (ઉ.વ. 35), રાજુ રામજીત યાદવ (ઉ.વ. 30) અને ગણેશ મોહન શેટ્ટી (ઉ.વ. 23) ને મહારાષ્ટ્રના નાલાસોપારા અને સાણંદ ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા 16 મોબાઈલ ફોન અને રોકડા રૂ. 13,000/- રિકવર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઉમરગામ પોલીસની ટીમ હવે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પંચમહાલ જિલ્લાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુવક મહોત્સવ 'સ્પંદન'નો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયાએ તા. 14 ઓક્ટોબરના રોજ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે આવા મહોત્સવો માત્ર પ્રતિભા પ્રદર્શનના મંચ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં ટીમસ્પિરિટ, સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ અને નવીન વિચારોને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમનું આયોજન વિંઝોલ ખાતે આવેલા યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે. 'સ્પંદન' મહોત્સવ અંતર્ગત સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય, લલિત કલા અને સર્જનાત્મક દસ્તાવેજી ફિલ્મ જેવી વિવિધ સ્પર્ધાઓ અને કૃતિઓનો સમાવેશ થાય છે. અલગ-અલગ જિલ્લાની અનેક કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા હતા. કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે ઇન્ડિયન આઇડોલ ફેમ શિવમ સિંઘ અને જાણીતા લોકગાયક ભાવેશ આહિર ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આદિવાસી જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા આદિવાસી લોકનૃત્યે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના આચાર્યો, પ્રાધ્યાપકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ બે દિવસીય મહોત્સવ દરમિયાન યુવાનોની પ્રતિભા પ્રગટ થશે અને અંતે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે.
સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ચાંદખેડા અને ઝુંડાલ, ગાંધીનગર ખાતે 'સ્વચ્છતા હી સેવા – પર્યાવરણ જાગૃતિ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના ભાગરૂપે, સ્વધા બાલ વાટિકાના વંચિત બાળકોએ આસપાસની સોસાયટીઓમાં ૧૦૦ જેટલા તુલસીના છોડનું વિતરણ કર્યું. આ પહેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ૨૫ જેટલા સ્વયંસેવકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025 નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ વહીવટી તંત્રના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, તેમજ હજારોની સંખ્યામાં જાગૃત ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય હરેશ ઠુંમરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ વિકાસ રથ ફરી રહ્યો છે. આજના કૃષિ મહોત્સવના કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ખેતીલક્ષી અતિ આધુનિક પદ્ધતિ ખેડૂતો વિકસાવે. સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂત સુધી વહેલી તકે પહોંચે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિકાસલક્ષી યાત્રામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે ખેતી કરી રહ્યા છે, ત્યારે જિલ્લાને અતિ આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા આ કાર્યક્રમ આયોજન કરાયું હતું. ખેડૂતોને ₹ 16.26 કરોડની સહાય ચૂકવાઈ:જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લાના કુલ 3,696 લાભાર્થીઓને ₹ 16,26,68,352 ની માતબર રકમ ચૂકવવામાં આવી હતી.સમયની સાથે આધુનિક ખેતીમાં જોડાવું એ આજના સમયની જરૂરિયાત છે. રાજ્ય સરકારે ખેતીના કાર્યોને સરળ અને અસરકારક બનાવવા તથા ખેડૂતો કૃષિમાં વધુ યાંત્રિકીકરણ અપનાવે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.સરકારે ટ્રેક્ટર ખરીદી માટેની સહાય અગાઉ ₹ 45,000 થી ₹ 60,000 હતી, જે વર્ષ 2025-26 થી વધારીને ₹ 1 લાખ કરવામાં આવી છે.ખાતેદાર ખેડૂતો અને તેમના વારસદારોને આર્થિક રક્ષણ આપવા માટે 70 વર્ષ સુધીના તમામ ખેડૂતોને આવરી લેતી અકસ્માત વીમા યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 2025-26 માં કુલ ₹ 34 લાખની વીમા સહાય ચૂકવવામાં આવી છે.ઠુંમરે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અને ખોરાકમાં મીલેટ્સનો સમાવેશ કરવા પણ અપીલ કરી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી થાય અને તેઓ સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ કાર્યરત કરી રહી છે. ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે તે માટે યાંત્રિકીકરણમાં પણ સરકારે સહાય વધારી છે. સરકારના પ્રયાસોથી મગફળી, ફળો, શાકભાજી અને કપાસના ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના જુદા જુદા તાલુકાઓના કુલ 3,696 લાભાર્થીઓને ₹ 16,26,68,352 ની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પ્રતીકરૂપે સહાય અને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઢોલરિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, પ્રાંત અધિકારી હિરવાણીયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી જાદવ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.87 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરનાર એક આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે. આ ગેંગે ખોટી ટ્રેડિંગ કંપની મારફતે રોકાણના બહાને એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ મોટી રકમ પડાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર +18592875228 પર સંપર્ક કર્યો હતો. તેમણે પોતાને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખાવી, પોતાની કંપની દ્વારા અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ, રોકાણના બહાને કુલ રૂ. 1,87,44,407/- DIWAN Enterprise ના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતા નંબર 60505691032 માં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ, આરોપીઓએ https://metaxoption.com નામની વેબસાઈટ પર ખોટો નફો દર્શાવ્યો હતો. જ્યારે ફરિયાદીએ પોતાની રકમ પરત માંગી, ત્યારે આરોપીઓએ તે આપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા IT એક્ટ કલમ 66(c), 66(d) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, DYSP જયવિરસિંહ ઝાલા અને PI આઇ.એ. ઘાસુરાની સૂચના મુજબ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PC કારુભાઈ વસરા, HC પ્રણવભાઈ વસરા અને PC વિકી ઝાલાએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી હતી. આ માહિતીના આધારે, આરોપી અબરારઅઝીઝ અબ્દુલલતીફ દિવાનને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બેગમ પેઠ, કિડવાઈ ચોક, મર્કઝ મસ્જીદની બાજુમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર ગામે 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત ઘર ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવાનો અને વિકાસ કાર્યોમાં તેમને સહભાગી કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લામાં ભ્રમણ કરી રહેલો વિકાસ રથ મુનપુર પહોંચ્યો હતો. મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વિકાસ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકાસ રથ પર લગાવેલી એલઈડી સ્ક્રીન પર સરકારી યોજનાઓ વિશેના લઘુચિત્રો દર્શાવવામાં આવ્યા હતા, જે ગ્રામજનો અને મહાનુભાવોએ નિહાળ્યા હતા. ગ્રામસભામાં ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિકાસલક્ષી નીતિઓ અને ગ્રામ્ય સ્તરે ચાલી રહેલા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને ગામના વિકાસમાં સક્રિયપણે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે, તાલુકા પંચાયત સદસ્ય સોમીબેન, સરપંચ મણિયા ડામોર, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામવાસીઓ દ્વારા સ્વચ્છતા અને સ્વદેશી અંગેના શપથ લેવામાં આવ્યા હતા.
બરોડા વિશ્વામિત્રિ લાયન્સ ક્લબે ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભાયલી સ્થિત શ્રી પ્રગતિ વિદ્યાલયને ઓટોમેટિક સેનિટરી પેડ ડિસ્પોઝલ મશીનનું દાન કર્યું છે. આ પહેલ આંતરરાષ્ટ્રીય માનસિક આરોગ્ય જાગૃતિ અને કલ્યાણ સપ્તાહના ભાગરૂપે કરવામાં આવી હતી. આ વિચારશીલ પહેલથી શાળાની ૨૫૦ છોકરી વિદ્યાર્થીનીઓને લાભ મળશે. આ મશીન સેનિટરી પેડના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપશે, જે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શાળાઓમાં સેનિટરી પેડનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો સ્વચ્છતા, ગૌરવ અને પર્યાવરણની ટકાઉપણાને જાળવવા માટે અત્યંત જરૂરી છે. આવી સુવિધાઓ સાથે જાગૃતિ અને શિક્ષણ મળે તો શાળાઓ કન્યાઓ માટે સ્વચ્છ, સ્વસ્થ અને સહાયક વાતાવરણ પૂરું પાડી શકે છે. શાળા વ્યવસ્થાપને બરોડા વિશ્વામિત્રિ લાયન્સ ક્લબનો યુવતીઓને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવાના તેમના દૃષ્ટિકોણ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
હિંમતનગરની એસ.એસ. મહેતા આર્ટસ એન્ડ એમ.એમ. પટેલ કોમર્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજુ અમીનની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. આગામી સમયમાં કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવશે. મંગળવારે કોલેજ કમિટીના કન્વીનર ડૉ. બી.જી. પરમાર, સભ્ય ડૉ. શાશ્વત દોશી અને ડૉ. સંજય ચૌધરીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ એન. જોશી અને પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. વી.એન. રાવલના અધ્યક્ષ સ્થાને આ નિમણૂકો કરાઈ હતી. જેમાં રાજુ અમીન (ઉત્સવ પાર્ટી પ્લોટ) પ્રમુખ, હિતેશ પટેલ (અત્રિ ગ્રુપ) અને અશોક સથવારા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. જયેશ પટેલ (કવિ) મંત્રી, સાવન દેસાઈ સહમંત્રી અને વિપુલ સાંખલા ખજાનચી તરીકે સેવા આપશે. આ પદાધિકારીઓની નિમણૂક બદલ હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ હેમંત મહેતા અને મંત્રી જીતેન્દ્રકુમાર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આગામી મહિને 16 નવેમ્બર, રવિવારના રોજ સવારે 9.00 થી 12.00 વાગ્યા દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંસ્થામાં અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના નિવૃત્ત અને કાર્યરત પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહેશે. મંડળે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.આગામી સમયમાં કારોબારી ટીમની રચના કરવામાં આવશે. ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલા વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક સમૂહ, મહિલા સમૂહ, વકીલ અને સી.એ. સમૂહ તેમજ મીડિયા કર્મી સમૂહ જેવી વિશેષ ટીમોની પણ રચના કરવાની યોજના છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી શંકર વળવીની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ પૂરા થતાં તેને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પારડી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાની તબિયત બગડતાં તેના પરિવારજનોએ વિવિધ સ્થળોએ સારવાર કરાવી હતી. તબિયતમાં સુધારો ન થતાં તેઓ કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકર વળવીના ઘરે આવેલા દેવળમાં સારવાર માટે પહોંચ્યા હતા. પરિવારના સભ્યો બાળકી સાથે ત્રણ દિવસ સુધી ત્યાં રોકાયા હતા. ત્યારબાદ શંકર વળવીએ તેમને જણાવ્યું કે, બાળકીને સાજી થવામાં સમય લાગશે અને તેઓ ઘરે પરત ફરે, બાળકી સાજી થયા બાદ તે તેને મૂકી જશે. આથી પરિવાર બાળકીને દેવળમાં મૂકી પારડી પરત ફર્યો હતો. આ તકનો લાભ ઉઠાવી શંકર વળવીએ બાળકીને મોટરસાયકલ પર બેસાડી ગામની સીમના ડુંગર પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે બાળકી ઘરે પરત ફર્યા બાદ તેણે તેની માતાને સમગ્ર ઘટના જણાવી હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે કપરાડા પોલીસને જાણ કરતા, પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે BNS-2023ની કલમ 64(જે), 65(1), 68(એ) તથા પોક્સો અધિનિયમ, 2012ની કલમ 3(એ) અને 4 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શંકર વળવી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પોતાના ઘરે નાનું ચર્ચ બનાવી આસપાસના ગામના બીમાર લોકોને પ્રાર્થના દ્વારા સારા કરતો હોવાનો દાવો કરતો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠ વર્ષથી તે આ પ્રવૃત્તિ કરતો હતો. જોકે, તેણે ઘરે બનાવેલું ચર્ચ ખ્રિસ્તી સમાજની કોઈ સંસ્થા કે સંગઠન સાથે સંકળાયેલું ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી શંકર વળવીની ધરપકડ કરી હતી. તેના રિમાન્ડ પૂરા થતાં તેને હાલ જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
દેવમ પાઠશાલા હંસપુરામાં શિક્ષકો માટે સેમિનાર:વિદ્યાર્થી-શિક્ષક સંબંધો અને વિકાસ પર ચર્ચા.
દેવમ પાઠશાલા હંસપુરા ખાતે 12 ઓક્ટોબર, 2025ના રોજ શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આજના યુગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધોના સેતુ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા માટે કયા પગલાં ભરવા જોઈએ તે અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભાવિ આયોજન કર્યું હતું. સંસ્થાના સંચાલકો નિશાંતભાઈ, દિગ્વિજયભાઈ, યામિનીબેન અને તેજલબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જાણીતા મનોચિકિત્સક નિશાંતભાઈએ મગજની કાર્યપ્રણાલી અને સફળતા પ્રાપ્ત કરવા અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. દિગ્વિજય સિંહ શિક્ષક મિત્રોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.સંસ્થાના HOD ડી.એમ. પટેલે સંબોધન કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે, સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા દરેક શિક્ષક મિત્રને સફારી કંપનીની ટ્રોલી બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક મિત્રો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આઇસ્ક્રીમ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
ગોધરા તાલુકાના છાવડ ગામમાં એક 27 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના રાત્રિના 10:30 વાગ્યાના સુમારે મહિલાના ઘરમાં બની હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, છાવડ ગામના વણકર ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ નાનાભાઈ વણકર નામના ઈસમે મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલતા જ આરોપીએ તેનું મોઢું દબાવી દીધું હતું. આરોપી લક્ષ્મણ વણકરે મહિલાને ધમકી આપી હતી કે જો તે બૂમો પાડશે તો તેને અને તેના બાળકને મારી નાખશે. ત્યારબાદ તેણે મહિલાને બળજબરીપૂર્વક ખાટલા પર સુવડાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર બનાવ અંગે લક્ષ્મણભાઈ વણકર વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ: દિવાળી પહેલાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે પાટણવાસીઓએ સોના-ચાંદીની ખરીદી કરી હતી. ભાવ વધારા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભ મુહૂર્ત સાચવવા, રોકાણ કરવા અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે પાટણમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.30લાખ અને 1કિલો ચાંદીનો ભાવ રૂ. 1.70 લાખ હતો. આ ઊંચા ભાવ છતાં લોકોએ પુષ્ય નક્ષત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ખરીદી કરી હતી. ગ્રાહકોએ ખાસ કરીને સોનાની લગડીઓ અને મજબૂત દાગીના પસંદ કર્યા હતા. સોના-ચાંદીના સતત વધતા ભાવને કારણે લોકો તેને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. જ્વેલર્સના મતે, સોનામાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દરેક વર્ગના લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે. પુષ્ય નક્ષત્રની ખરીદી માટે ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું. સોની બજારના વેપારી અગ્રણી ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ખરીદવાનો લોકોમાં ક્રેઝ વધ્યો છે. લોકો સોનાને કાયમી રોકડ માની રહ્યા છે અને વધતા ભાવને કારણે તેમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે ઉમેર્યું કે મોંઘવારી સાથે લોકોની આવક પણ વધી છે, જેના કારણે ખરીદી થઈ રહી છે. ભાર્ગવભાઈએ હાલના ભાવ પણ પુનરાવર્તિત કર્યા હતા. ધનતેરસ માટે પણ લોકો એડવાન્સ બુકિંગ કરાવવાનું શરૂ કરશે.સાંજ સુધી માં કરોડો રૂપિયા નું સોનુ ,ચાંદી,ઘરેણાં અને સિક્કા ની ખરીદી થવાનો અંદાજ છે
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કૃષિ વિકાસ દિન-2025 અને રવિ કૃષિ મહોત્સવ-2025નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે જ્ઞાનવૃદ્ધિના હેતુથી કૃષિ વૈજ્ઞાનિક આર.પી. કાલમાએ પશુપાલન, પશુ સંબંધિત રોગો, તેના ઉપાયો અને રસીકરણ સહિતની બાબતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે મદદનીશ ખેતી નિયામક કે.સી. ઠાકોરે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, વઢવાણ મામલતદાર બિજલભાઈ ત્રમટા અને જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ વિભાગના પેન્શનર્સનું પ્રથમ સ્નેહ મિલન અમદાવાદમાં:મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા
અમદાવાદના વિશ્વકર્મા સંકુલ ખાતે શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોના મંડળના અમદાવાદ જિલ્લા યુનિટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિવૃત્ત નાયબ નિયામક, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના એ.કે. રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સ્નેહ મિલન કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ, પેન્શનર મંડળના અમદાવાદ જિલ્લા યુનિટના સભ્ય નીલમબેન ચૌહાણના અવસાન બદલ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેમાનો અને મંડળના હોદ્દેદારોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોના મંડળ, ગુજરાત, ગાંધીનગરના પ્રમુખ આઈ.કે. પટેલ, મહામંત્રી જી.કે. પરમાર, સહમંત્રી એ.ડી. સુથાર, આઈ.એસ. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, હસમુખભાઈ શર્મા તથા કારોબારી સભ્ય અને આંતરિક ઓડિટર ઉમેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનો તરીકે પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણચંદ્ર ગજ્જર, અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ અમીન, અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના સંગઠન મંત્રી સુરેશભાઈ પટેલ અને આનંદ એજ્યુકેશન, નરોડાના ટ્રસ્ટી શૈલેષભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોના મંડળના અમદાવાદ જિલ્લા યુનિટના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને મંડળના પ્રમુખ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.મહામંત્રી જી.કે. પરમારે મંડળની કામગીરી વિશે વિસ્તૃત અહેવાલ રજૂ કરીને સભ્યોને જાણકારી આપી હતી. આ અવસરે મલય વૈષ્ણવ, શ્રવણકુમાર પરમાર તથા આશુતોષ ગુપ્તાએ ફિલ્મી ગીતો ગાઈને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં ભોજનના દાતા તરીકે મંડળના પ્રમુખ આઈ.કે. પટેલે યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના સહમંત્રી એ.ડી. સુથારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ અમદાવાદ જિલ્લા યુનિટના ઉપ પ્રમુખ નવીન વાણિયાએ કરી હતી.
આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે આતંકવાદી હુમલા જેવી સંકટની પરિસ્થિતિનો સામનો કરવા માટે એક વ્યાપક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલનો સંપૂર્ણ ઘટનાક્રમ મોકડ્રિલ દરમિયાન નદી માર્ગે ક્રૂઝ દ્વારા બે આતંકવાદીઓ SOUના પ્લાઝા પોઈન્ટ મેઈન ગેટ તરફ ઘૂસી ગયા હતા. તેઓએ ત્યાં ફાયરિંગ કર્યું અને ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક SOU ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રને થતાં, નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમના સૂચન બાદ પોલીસ, ફાયર, આરોગ્ય અને અન્ય સંબંધિત તંત્રની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. SOUના ગેટ નંબર-૩ પાસે SOG, LCB અને BDDSની ટીમને ઓપરેશન કમાન્ડન્ટ દ્વારા કાર્યવાહી અંગે બ્રિફિંગ આપવામાં આવ્યું. ગાંધીનગર ચેતક કમાન્ડોની ટીમને આતંકવાદીઓને કાબૂમાં લેવા માટેની કામગીરી સોંપવામાં આવી. આતંકવાદીઓ દ્વારા ફરજ પરના CISFના જવાનોને ઘાયલ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કમાન્ડો ટીમે સરદાર કક્ષાની અંદર પ્રવેશ કરીને આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા અને તેઓ દ્વારા બંધક બનાવેલા બે કર્મચારીઓને છોડાવ્યા હતા. ઘટનાસ્થળે હાજર આરોગ્ય વિભાગની ટીમે એમ્બ્યુલન્સમાં ઘાયલોનું પ્રાથમિક ચેકઅપ અને સારવાર કરી હતી, અને આમ સમગ્ર મોકડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલનCISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મહત્વપૂર્ણ મોકડ્રિલ દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો સંવાદ, કોઓર્ડિનેશન અને સમયસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જે ખૂબ જ આવશ્યક છે. મોકડ્રિલના અંતે તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં CISF, SOG, LCB, ચેતક કમાન્ડો ફોર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ, ફાયર અને SOU વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
સુરત મહાનગર પાલિકાના વરાછા-કરંજ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 15 માં ગંદકી અને બિન-વ્યવસ્થિત કચરાના નિકાલની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિસ્તારમાં આવેલી કવિશ્રી કલાપિ પ્રાથમિક કન્યા શાળા 87 ની સામે જ એક સાઈડનો આખો રોડ કચરાના મોટા ઢગલાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેનાથી સ્થાનિકો, વાહનચાલકો અને શાળાએ આવતી બાળાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાંથી કચરો નિયમિતપણે ઉપાડવામાં આવતો નથી. પરિણામે, આ કચરો શાળા 87 ની દીવાલ પાસે જ ફેંકવામાં આવ્યો હોવાથી ત્યાજ પડ્યો રહે છે, જેનાથી હવે ત્યાં ગંદકીના પહાડ જેવા ઢગલાઓ જામી ગયા છે. કવિશ્રી કલાપિ પ્રાથમિક કન્યા શાળાએ આવતી નાની બાળાઓને આ ગંદકીવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે, જેનાથી તેમને ચેપી રોગો લાગવાનો ભય રહે છે. વળી, કચરાની દુર્ગંધને કારણે શિક્ષણના વાતાવરણ પર પણ નકારાત્મક અસર પડી રહી છે. રોડની એક સાઈડ સંપૂર્ણપણે બંધ થવાથી ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ છે. વાહનચાલકોને અવરજવર માટે માત્ર એક જ સાઈડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. વિસ્તારના રહેવાસીઓમાં પાલિકાની ઢીલી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં, સફાઈ કામગીરી નિયમિત થતી નથી. સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ અને વાલી મંડળોએ સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો અને કમિશ્નરને તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવા માટે અપીલ કરી છે.
બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા
Bihar Election: બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપે મંગળવારે (14 ઓક્ટોબર) બિહાર ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. હાલમાં ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને ખામી દૂર થયા બાદ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ
Gautam Gambhir on Rohit & Kohli Future: વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કેપ્ટનશિપ અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ સહિત ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા હતા. રોહિત-કોહલીનું ભવિષ્ય ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027 ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના સવાલો પર ધ્યાન દોરતા કહ્યું કે, '50 ઓવરનો વર્લ્ડ કપ હજુ લગભગ અઢી વર્ષ દૂર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શાનદાર ખેલાડીઓ છે. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ હાલ માટે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વપૂર્ણ છે.
નડિયાદ શહેરમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહીઆ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોર્પોરેશનને નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. આખરે, કોર્પોરેશન દ્વારા નિયમાનુસાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ધર્માંતરણના મુખ્ય આરોપીની ધરપકડ થઈ હતીઆ ધર્માંતરણની આખી કામગીરી સ્ટીવન મેકવાન નામનો ઇસમ ચલાવતો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાન અને અન્ય એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળએ કાર્યવાહીની વિગતો આપીસમગ્ર દબાણ હટાવવાની કામગીરી અંગે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શહેરની ફૂટપાથ, શાકમાર્કેટ અને જાહેર જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની નિયમિત કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે જગ્યાએ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તેમાં ગેરકાયદેસર દબાણની ફરિયાદ હતી, જેને ધ્યાનમાં લઈને રમતલાવડી વિસ્તારમાં આવેલું આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે.
બોટાદ MLAએ યાર્ડની મુલાકાત લીધી:યાર્ડને બદનામ કરવા કાવતરાના આક્ષેપો, હડદડ ગામની પણ મુલાકાત કરી
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડના ચેરમેન મનહર માતરિયા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ યાર્ડ અને હડદડ ગામને બદનામ કરવાના કાવતરાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કડદાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે ચેરમેને કડક કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે, જેથી આ પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. તેમણે હડદડ ગામે બનેલી ઘટનાને વખોડી કાઢી હતી અને આ ગામ તેમજ યાર્ડને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યએ ઉમેર્યું હતું કે આવા કાવતરાખોરોને છોડવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે સરકારમાં રજૂઆત કરી છે. યાર્ડની મુલાકાત બાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હડદડ ગામની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગામલોકો સાથે વાતચીત કરીને ઘટના અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
મહાપાલિકા દ્વારા બજેટમાં રાજકોટના પેડક રોડને `ગૌરવપથ’ તરીકે વિકસાવવા માટે 24 કરોડના ખર્ચની જોગવાઈ કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ યોજના નવી નહોતી કેમ કે બે વર્ષ પહેલાં એટલે કે 2023માં પણ આ જ રોડને અમદાવાદના સી.જી.રોડ જેવો બનાવવાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું. એકંદરે આ બધા દાવાને બે વર્ષ વીતી જવા છતાં હજુ સુધી અહીં ગૌરવપથ તરીકેનું કોઈ જ કામ શરૂ થયું નથી અને માત્રને માત્ર ટેન્ડરમાં જ પ્રોજેક્ટ અટકી ગયો છે. હાલ કામ માટે મહાપાલિકા દ્વારા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જેની મુદ્દત પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે હજુ પ્રોજેક્ટને સાકાર થતા કેટલો સમય લાગશે. પ્રાપ્ત વિગત મુજબ જ્યારે આ કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું ત્યારે 800 મીટરનો રસ્તો પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યું હતું. આ માટે બાલક હનુમાન ચોકથી ગૌરવપથ બનવાનો હતો. જો કે બાદમાં તેમાં ફેરફાર કરી આખોયે રસ્તો મતલબ કે બે કિલોમીટરનો રસ્તાના સંપૂર્ણ કામનું જ ટેન્ડર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે નવેસરથી ટેન્ડર કરવામાં આવ્યું છે. ટેન્ડર ભરવા માટેની અંતિમ તારીખ 27 ઑક્ટોબર છે ત્યાં સુધીમાં કોઈ એજન્સી કામ કરવામાં રસ દાખવે છે કે ફરી પાછું રિ-ટેન્ડર કરાશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. આ પહેલા પ્રથમ તબક્કાના કામ માટે બે એજન્સીએ ભાગ લીધો હતો જેમાંથી એક ડિસ્ક્વોલિફાઈડ થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે યોજના જાહેર કરાઈ ત્યારે ગૌરવપથ તરીકે પેડક રોડને વિકસાવવા માટે રૂ. 22 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પછી શાસકોએ ચાલું વર્ષના નાણાકીય બજેટમાં યોજના જાહેર કરી ત્યારે આ ખર્ચ વધીને 24 કરોડ થઈ ગયા બાદ હવે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે, તેમાં ખર્ચ વધીને રૂ. 31 કરોડ સુધી પહોંચી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે કાગળ પર જ રહેલી યોજનાના ખર્ચમાં સમય જતાં વધારો પણ થયો છે. પરંતુ યોજના ખરેખર ક્યારે અમલમાં આવશે. અને કાલાવડ રોડ બાદ શહેરને વધુ એક ગૌરવપથ ક્યારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે. જોકે હાલ ગૌરવપથ તરીકે ઓળખાતા કાલાવડ રોડની હાલત પણ દયનીય બની ચુકી છે. ચાલુ વર્ષે ચોમાસા બાદ આ રસ્તા પર ખાડાઓ પડી ગયા હતા જે પછી અહીં મોટા થિગડાઓ મારવામાં આવ્યા હોય ગૌરવપથનું ગૌરવ પણ ઘટી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી બંધ પડેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA - મનરેગા) યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માગ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા બે વર્ષથી કેટલીક ખોટી રજૂઆતોના પગલે જિલ્લામાં મનરેગા હેઠળ એક પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી. મનરેગાના કામો બંધ હોવાના કારણે નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્તરે રોજગારી ન મળવાના કારણે આદિવાસી પરિવારોને મજૂરી માટે અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રોજગારીના અભાવે લોકો આર્થિક સંકટમાં મુકાયા છે. જેથી, જિલ્લાના આદિવાસી સમુદાયને પડતી હાલાકીને ધ્યાનમાં લઈને નીલ રાવે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે નર્મદા જિલ્લામાં મનરેગા યોજના વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે અને સ્થળાંતર અટકે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે. બે દિવસ ગુજરાતની મુલાકાતમાં અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે પણ મુલાકાત કરશે. કોબા ખાતે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને દિવાળી પહેલા સરસંઘચાલક મોહન ભાગવતની ગુજરાત મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આચાર્ય મહા શ્રવણજી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશેએરપોર્ટથી સીધા તેઓ અમદાવાદના સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બપોરે સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે જશે. આચાર્ય મહા શ્રવણજી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશે. બાદમાં બપોરે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે પરત ફરશે. બપોરે સંઘ કાર્યાલય ખાતે તેઓ ફરી સંઘના ઉચ્ચ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે તાજેતરમાં જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. ભાજપમાં આગામી દિવસોમાં ખૂબ મોટા ફેરફાર થઈ શકે છે ત્યારે દિવાળી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક આવી પહોંચ્યા છે અને બે દિવસ સતત બેઠકોનો દોર કરવાના છે ત્યારે ગુજરાતના રાજકારણમાં સંઘનું યોગદાન સૂચક માનવામાં આવી રહ્યું છે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ મોહન ભાગવતની મુલાકાત કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
પાલનપુર નગરપાલિકા મિલકત વેરા પર 10% વળતર આપશે:30 ઓક્ટોબર સુધી લાભ લઈ શકાશે, 1 જાન્યુઆરીથી દંડ લાગશે
પાલનપુર નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરાની ચુકવણી અંગે જાહેર સૂચના બહાર પાડી છે. નગરપાલિકા દ્વારા વર્તમાન અને બાકી મિલકત વેરાની રકમ પર 10% વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જેનો લાભ 30 ઓક્ટોબર, 2025 સુધી લઈ શકાશે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 થી 14 સુધીના તમામ રહેણાંક અને બિન-રહેણાંક મિલકત ધારકોને નાણાકીય વર્ષ 2025-26 માટેના કરવેરાના માંગણા બિલનું વિતરણ કરવામાં આવ્યું છે. જે મિલકત ધારકોને કોઈ કારણસર માંગણા બિલ મળ્યું ન હોય, તેઓ અગાઉના વર્ષનું બિલ અથવા રસીદ સાથે પાલનપુર નગરપાલિકાનો સંપર્ક કરીને વેરો ભરી શકે છે અને 10% વળતરનો લાભ મેળવી શકે છે. મહત્વપૂર્ણ છે કે, 31 ડિસેમ્બર, 2025 પછી 10% વળતરનો લાભ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, 1 જાન્યુઆરી, 2026 થી ન ભરાયેલા વેરા પર દૈનિક 10% દંડકીય વ્યાજ વસૂલ કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ મિલકત ધારકોને સમયસર મિલકત વેરો ભરીને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
ટંકારાના મીતાણામાં પવનચક્કીમાંથી ચોરી:25 હજારના કેબલ-તાંબાની પ્લેટ ચોરાઈ, 5 હજારનું નુકસાન
ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલી એક પવનચક્કીમાંથી રૂ. 25,000ની કિંમતના કેબલ વાયર અને તાંબાની પ્લેટની ચોરી થઈ છે. ચોરોએ પવનચક્કીમાં તોડફોડ કરીને રૂ. 5,000નું નુકસાન પણ પહોંચાડ્યું છે. આ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા પુનિત રામનાથ રાવલ (ઉં.વ. 34)એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, મીતાણા ગામની સીમમાં આવેલી પવનચક્કી નંબર એમટીએન-01ના ગેટનો નકૂચો તોડીને કન્વર્ટર કેબિનમાંથી 10 મીટર અર્થિંગ કેબલ (વજન 15 કિલો) અને 8 કિલો વજનની તાંબાની એક પ્લેટ ચોરી કરવામાં આવી છે. ચોરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 25,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પવનચક્કીના સાધનોમાં તોડફોડ કરીને રૂ. 5,000નું નુકસાન થયું છે. પુનિતની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાંથી નકલી ધી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે. ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે પુણાગામ રંગ અવધુત સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લીકેટ ચીઝ-વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે. પિતા અને બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતાં. આરોપીએ કોસ્મેટીક ચીજ-વસ્તુઓનું રો-મટીરીયલ બહારથી લાવી અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી પ્લાસ્ટીક સામાનને નાની-મોટી બોટલોમાં ભરી વેચાણ કરતા હતાં. પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ (ઉં.વ.54), નિરલ બાબુભાઇ ચૌહાણ (ઉં.વ.27) અને સિધ્ધાર્થ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ.22)ની ધરપકડ કરી છે. આ સાથે જ 25 હજારના કમ્યુટર અને પ્રિન્ટર પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
ગોધરા શહેરના છબનપુર ખાતે રામ દરબાર મંદિર પાસે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ થયો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ઉજવણીનો એક ભાગ છે.મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પાક પરિસંવાદ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, વક્તવ્ય અને ગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજીથી વાકેફ કરવા માટે કૃષિ પ્રદર્શન પણ યોજાશે.પ્રથમ દિવસે તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરાશે. આ પ્રસંગે શ્રેષ્ઠ આત્મા ફાર્મર અને કૃષિ સંશોધન પુરસ્કાર આપીને ખેડૂતો અને પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. ૪,૦૦,૦૦૦થી વધુ ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા રવિ પાકો, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે માર્ગદર્શન અપાયું હતું.મહોત્સવના બીજા દિવસે પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાશે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય સભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, પંચમહાલ ભાજપ પ્રભારી ભરત ડાંગર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા કલેકટર અજય દહીંયા, ઇન્ચાર્જ ડીડીઓ ડી.એમ. દેસાઈ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના નાગરિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી. નિગમ મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસો દોડાવશે. ગુજરાતના નાગરિકો દિવાળીની ઉજવણી તેમના વતનમાં કરી શકે તે માટે GSRTC સજ્જ છે. નિગમ દ્વારા રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી 2600 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી 1600, અન્ય શહેરોમાં 1000 એક્સ્ટ્રા બસો ચાલશેસૌથી વધુ ધ્યાન સુરત શહેર પર આપવામાં આવ્યું છે, જ્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ મોટી સંખ્યામાં વતન જાય છે. માત્ર સુરત શહેરથી જ 1600 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફ જતી બસો સુરતના રામચોક અને મોટા વરાછા ખાતેથી મળશે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે. દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના શહેરી બસ સ્ટેશન અને રામનગર, રાંદેર રોડ, સુરત ખાતેથી બસ મળશે. સુરત ઉપરાંત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર અને અન્ય વિભાગો દ્વારા પણ મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. 16થી 19 ઓક્ટોબર દરમિયાન એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશેનિગમ દ્વારા આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તા. 16 થી તા. 19 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા સંચાલિત આ 2600 એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો બસ સ્ટેશનો ઉપરાંત બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તેમજ નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવી શકે છે. જ્યારે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસ.ટી. આપના દ્વારે યોજના અંતર્ગત જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. GSRTC ના મુખ્ય કામદાર અધિકારી આર. ડી. ગળચરે જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલિત કરવા માટે પ્રથમથી આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ સુરત વિભાગ ખાતે મોટા ભાગનું સંચાલન દિવાળીનું સુરતથી થતું હોય, તો સુરત વિભાગ ખાતેથી સૌરાષ્ટ્ર તરફ જવા માટેના જે બસો છે તે ૧૬૦૦ આયોજિત થઈ છે. ગયા વખતે 1359 જેટલી બસોની ટ્રીપો થઈ હતી. અને તે ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાલનપુર વગેરે જગ્યાએથી પણ 1200 બસોનું સંચાલનનું આયોજન છે અને તે પણ ગયા વર્ષ કરતાં વધારે છે. એમાં ખાસ કરી અમદાવાદ અને રાજકોટથી બસો ઉપરાંત દૈનિક બસો દોડશે, જ્યારે પાલનપુર, મહેસાણા, જૂનાગઢ ત્યાંથી 150 જેટલી બસો દોડશે. દર વર્ષે જે ઘરથી વતન પહોંચાડવા માટે જે ગ્રુપ બુક કરાવતું હોય એ વ્યવસ્થા કંટીન્યુ છે અને એસટી નિગમ દ્વારા એ યોજના અંતર્ગત આખી બસનું જેણે બુકિંગ કરશે તે તેની સોસાયટીથી લઈ અને છેક વતન સુધી એમને બુકિંગ પૂરું પાડશે. અત્યારે તમામ સાઇટ ઉપરથી ઓનલાઇન બુકિંગ થઈ રહ્યું છે. એજન્ટો દ્વારા પણ બુકિંગ થઈ રહ્યું છે. મોબાઈલ એપથી પણ બુકિંગ થઈ રહ્યું છે અને આ બુકિંગ છે એ દર વર્ષનો જે ટ્રેન્ડ હોય તેના કરતાં આ વખતે વધારે છે. દર વર્ષે દિવાળીના દિવસો પહેલાં લગભગ 75,000 સીટો બુક થતી હોય અને 2 કરોડની આસપાસ એની ઇન્કમ નોંધાતી હોય છે. આ વખતે આ સીટો વધતી જાય છે અને ગયા વખતે 1 લાખ અને 41,000 જેટલી સીટો એસટી દ્વારા બુકિંગ થઈ. આ વખતે પણ એનાથી વધી જવાની શક્યતાઓ છે.
જામનગર LCB પોલીસે જોડિયા તાલુકામાં થયેલી બે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ₹76,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના કાનમાંથી સોનાની બુટ્ટીઓ લૂંટી હતી. પ્રથમ ઘટના જોડિયા તાલુકાના ભોડકા ગામમાં બની હતી. 11 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે 80 વર્ષીય જશવંતીબેન જગદીશભાઈ ગડારા તેમના ઘરે સૂતા હતા ત્યારે તેમના કાનમાંથી આશરે 10 ગ્રામ વજનની બે સોનાની બુટ્ટીઓ (કિંમત ₹40,000) અને પાકીટમાંથી ₹3,000 રોકડા મળી કુલ ₹47,000ની લૂંટ થઈ હતી. બીજી ઘટના 8 ઓક્ટોબર, 2025ના રોજ જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં બની હતી. અહીં 80 વર્ષીય ટલાબેન પરબતભાઈ ચોટલીયા તેમના ઘરે સૂતા હતા, ત્યારે તેમના કાનમાંથી આશરે 5 ગ્રામ વજનની બે સોનાની બુટ્ટીઓ (કિંમત ₹24,000) લૂંટી લેવામાં આવી હતી. આ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા LCBની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. LCBને બાતમી મળી હતી કે, લૂંટ કરનાર એક મહિલા અને બે પુરુષો લૂંટના મુદ્દામાલ સાથે ભાદરા પાટિયા પાસે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સિકંદર ઉર્ફે કારો મુરાદભાઈ સોઢા (ઉંમર 19, રહે. જીરાગઢ, જામનગર), અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી (ઉંમર 20, રહે. બનાસકાંઠા) અને હુસેનાબેન ઉર્ફે આશાબેન અશોકભાઈ દાનાભાઈ કટારીયા (ઉંમર 26, રહે. જામનગર)નો સમાવેશ થાય છે. આ ગુનામાં કાયદાથી સંઘર્ષિત એક કિશોર હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 16 ગ્રામ વજનની 4 સોનાની બુટ્ટીઓ (કિંમત ₹64,000), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) અને ₹7,000 રોકડા મળી કુલ ₹76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ દિવસ અને રાત્રિ દરમિયાન આસપાસના ગામોમાં ફરી વૃદ્ધ મહિલાઓના ઘરની રેકી કરતા હતા અને રાત્રિના સમયે મોઢે કપડું બાંધી ઘરમાં સૂતેલી મહિલાઓને નિશાન બનાવી લૂંટને અંજામ આપતા હતા. PSI સી.એમ. કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને વધુ તપાસ માટે જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે કેન્દ્રીય રમતગમત મંત્રાલયના નેજા હેઠળ સરદાર @150 - યુનિટી માર્ચ: એક ભારત, આત્મનિર્ભર ભારત અંતર્ગત પદયાત્રા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમોના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિત જિલ્લાના અનેક અધિકારીઓ જોડાયા હતા.જિલ્લા કક્ષાએ 31 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી 8 થી 10 કિલોમીટરની પદયાત્રા યોજાશે. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપશે. પદયાત્રા ઉપરાંત, આરોગ્ય શિબિરો, નશામુક્ત ભારત શપથ ગ્રહણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે પણ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી 152 કિલોમીટરની લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકો 'માય ભારત' પોર્ટલ (https://mybharat.gov.in/megn_events) પર પોતાની નોંધણી કરાવી ઉત્સાહપૂર્વક જોડાઈ શકે છે.
ભુજ બજારોમાં દિવાળીની ખરીદીમાં ભીડ:પાર્કિંગના અભાવે ટ્રાફિક સમસ્યા, પોલીસનું વિશેષ આયોજન
કચ્છમાં સારા વરસાદ બાદ દિવાળીની ખરીદી માટે ભુજના કોટ વિસ્તારની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વાણીયાવાડ, અનમ રિંગરોડ, તળાવ શેરી, છઠ્ઠીબારી રિંગ રોડ અને શરાફ બજાર જેવા વિસ્તારોમાં શહેરીજનો અને ગ્રામીણ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, વાહન પાર્કિંગના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ફાળવેલા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા અમલી બનાવવાની માંગ ઉઠી છે. ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા ભુજ જિલ્લા, સીટી ટ્રાફિક, અને એ-બી ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પીઆઈ જે.ડી. સરવૈયાએ જણાવ્યું કે, દિવાળીના દિવસોમાં બજારોમાં વાહન વ્યવહાર સરળ બને તે માટે પ્રયાસો કરાશે. પોલીસવડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ તહેવારોના દિવસોમાં દરરોજ પોલીસ વિભાગ દ્વારા ફૂટ માર્ચ યોજાશે. ગઈકાલે પણ એસ.ટી. માર્ગથી હોસ્પિટલ રોડ સુધી અધિકારીઓ અને જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. આગામી સમયમાં ટ્રાફિક નિયંત્રણ માટે મુખ્ય માર્ગોને વન-વેમાં ડાયવર્ટ કરાશે અને જરૂર પડ્યે બેરિકેટ્સ પણ મૂકવામાં આવશે. હાલ પીએસઆઈ ટી.બી. રબારી શહેરના ટ્રાફિક પર સતત નજર રાખી રહ્યા છે. તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને, ભુજમાં ફરી એકવાર પાર્કિંગ પ્લોટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. પોલીસે પ્રજાહિતમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા આયોજન કર્યું છે અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણ પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં એપીસેન્ટર રહેલા અમરેલી જિલ્લામાંથી પણ કોઇ એકને મંત્રી પદ મળી શકે છે. કારણ કે જિલ્લામાં રહેલો આંતરિક વિખવાદ લાદવા અહીંથી કોઇ એકને મંત્રી બનાવાઇ શકે છે. વર્ષ 2017માં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી. જોકે, વર્ષ 2022ની વિધાનસભામાં ભાજપે કોંગ્રેસનો એકદમ સફાયો કરી દીધો હતો. આ ઉપરાંત નગરપાલિકાથી લઇને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો જ ભગવો લહેરાયેલો છે. બીજી તરફ પાટીદાર અને કોળી સમાજનું અહીં હંમેશા પ્રભુત્વ રહ્યું છે. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠકો પર પાટીદાર ધારાસભ્યો છે, જ્યારે એક બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે. કોળી સમાજમાંથી આવતા અને રાજય સરકારમાં વર્તમાન મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી જો તેમને રિપિટ ન કરવામાં આવે તો કોળી સમાજમાંથી આવતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને મંત્રીપદ મળી શકે છે. બીજી તરફ જો પરષોત્તમ સોલંકીને રિપિટ કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી આવતા કૌશિક વેકરીયા અથવા મહેશ કસવાલા બેમાંથી એક પાટીદાર ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે. જિલ્લામાં રહેલો આંતરિક વિખવાદ લાદવા પ્રતિનિધિત્વ જરૂરી!જિલ્લાની વિધાનસભા બેઠકો પર યુવાન ધારાસભ્યઓ અને પાર્ટીના સિનયરો વચ્ચે હુંસાતુંસી ભર્યો માહોલ છાસવારે સામે આવે છે. જાહેરમાં નિવેદનબાજી અને અંદરો અંદરની ખેંચતાણ સ્થિતિ વર્ષોથી અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી આવે છે. પ્રથમ વખત જૂથવાદ ચરમસીમા પર હોવા છતા 2022મા પાંચ વિધાનસભા અને 2024માં લોકસભામાં સૌથી વધુ લીડ સાથે ભાજપનો વિજય થતા પક્ષના સિનયર નેતાઓ કરતા પાંચેય ધારાસભ્યોથી પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંગઠન મંત્રી રત્નાકર સહિતના ટોચના નેતાઓ ખુશ છે. હવે જૂથવાદ નાબૂદ થાય તે માટે જિલ્લાને રાજ્ય સરકારના મંત્રી મંડળમાં મહત્વનું પદ આપીને કાર્યકરો અને નેતાઓ વચ્ચેની ખેંચતાણ ન કરે કંટ્રોલ કરી શકાય એવો ગણગણાટ ચાલી રહ્યો છે. વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીનું પણ ગણિત થશે? જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનયર અને પૂર્વ નેતાઓ નારાજ હોવાથી વ્યક્તિગત કાર્યાલયો ખોલી દીધા છે અને તેમણે આવનાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી ચૂંટણીમાં પક્ષ પલટો કરી વર્તમાન ધારાસભ્યો સામે ચૂંટણી લડવા થનગનાટ કરી રહ્યા હોય એવો પણ સ્થાનિક લેવલે ગણગણાટ શરૂ થઇ ગયો છે. જિલ્લાની ધારી બેઠક જૂનાગઢની વિસાવદર બેઠકને અડીને આવેલી હોવાથી અહીં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ અવર-જવર વધી ગઇ છે. જેને લઇને કેટલાક સિનિયર આપમાં જોડાઇ જાય એવી પણ સ્થિતિ ઉભી થઇ શકે છે. જેની માહિતી હાઇકમાન્ડમાં પહોંચી હોવાથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનું પણ ગણિત શઇ શકે છે. આ ત્રણમાંથી એક ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ત્રણ વિધાનસભા સૌથી વધુ ચર્તિત છે. જેમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સૌથી વધુ ચર્ચામાં છે. જેમાં બે પાટીદાર અને એક કોળી સમાજમાંથી આવે છે. ત્રણેય ધારાસભ્ય હાઇકમાન્ડથી નજીક અને પ્રજામાં લોકપ્રિય હોવાથી આ ત્રણમાંથી એક બેઠકના ધારાસભ્યનો મંત્રી મડળમાં સમાવેશ થઇ શકે છે. સરકારે સંતુલન જાળવવા કંઇક પાસા ફેંકવા પડશેઉપરોક્ત ત્રણ પૈકીમાંથી પણ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાની વધુ શકયતા મનાય છે. બીજી તરફ હાલ મંત્રી મંડળમાં રહેલા પરષોત્તમ સોલંકીને જો રિપિટ ન કરાય તો હિરા સોલંકીનો સમાવેશ થઇ શકે છે. બાકી નહીં, કારણ કે હિરા સોલંકી પરષોત્તમ સોલંકીના ભાઇ છે. જોકે, હિરા સોલંકીને મંત્રી પદ આપમાં સરકારને કંઇ વધુ વિચાર નહીં કરવો પડે પરંતું કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા બંને પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી સરકારે સંતુલન જાળવવા કંઇક પાસા ફેંકવા પડે એવું લાગી રહ્યું છે. ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વનો ચહેરો અમરેલીમાંથી લેવાઇ શકેબીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. યુવાનોમાં લોકપ્રિયતાના કારણે અંબરીષ ડેરને સંગઠનમાં સમાવેશ કરી શકે છે. જેમણે અર્જુન મોઢવાડીયા સાથે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો રાજુલા ધારાસભ્ય તરીકે હીરા સોલંકી હોવાને કારણે અંબરીષ ડેરને પણ સંગઠનમાં મહત્વનું સ્થાન મળી શકે છે. કોણ છે કૌશિક વેકરીયા?અમરેલીના વર્તમાન ધારાસભ્ય કૌશિક વેકરીયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. જે અગાઉ દેવરાજીયા ગામના સરપંચ હતા. ત્યારબાદ માર્કેટીંગ યાર્ડ ડિરેકટર, તાલુકા ભાજપ સંગઠનમાં હોદેદાર, જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે હોદેદાર અને છેલ્લે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ કામગીરી કર્યા બાદ હાઇકમાન્ડ પ્રભાવિત થતા 2022માં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે જંગી લીડથી વિજય થયો હતો. કોંગ્રેસને કારમી હાર આપતાં કોશિક વેકરીયાને વિધાનસભામાં નાયબ દંડકની જવાદારી પણ સોંપવામાં આવી હતી. જે બાદ સિનિયર નેતાઓમાં ખેંચતાણ થતાં 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઇ હતી. જે બાદ લેટર કાંડથી લઇને તમામ વિવાદમાં કૌશિક વેકરિયાનું નામ આવવા છતાં તેમણે લોકપ્રિયતા જાળવી રાખી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. કોણ છે મહેશ કસવાલા?સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પ્રદેશ ભાજપ સંગઠનમા પ્રવક્તા હતા, જે હાલ ઉપપ્રમુખ છે. 2022માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. જેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. જેમનું મુળ વતન રાજુલા તાલુકાનું સમૂહખેતી ગામ છે. વર્ષીથી અમદાવાદ શહેરમાં રાજકીય રીતે અને પાર્ટી સાથે જોડાયેલા હતા. સંગઠનમાં તેમની કામગીરીથી હાઇકમાન્ડ પ્રભાવિત હતું, જેથી 2017માં સાવરકુંડલા વિધાનસભામાંથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેમને હાર મળી હતી. જોકે, તેમણે 2022ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. જે સાવરકુંડલાની એક સંસ્થા ઉપર વિવાદાસ્પદ ટીપ્પણીના કારણે ચર્ચામાં આવ્યા હતા. મહેસ કસવાલાની પ્રવક્તા તરીકે ખૂબ સારી કાર્યકર્તાઓ ઉપર પકડ છે. કોણ છે હિરા સોલંકી?રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય હિરા સોલંકી 5 ટર્મથી ચૂંટાઇ આવે છે. જે કોળી સમાજમાંથી આવે છે અને આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. આ ઉપરાંત તેઓ મંત્રી પરષોત્તમ સોલંકીન સગા નાના ભાઈ છે. અગાઉ સંચદીય સચિવ તરીકે સરકારમાં જવાબદારી બજાવી ચુક્યા છે. કોળી સમાજમાં સારું એવુ પ્રભુત્વ છે. ગાંધીનગરમાં અક્ષરધામમાં આતંકવાદી ઘૂસ્યા ત્યારે ગુજરાતના એક માત્ર ધારાસભ્ય હીરા સોલંકી રીવોલ્વર સાથે અક્ષરધામમા આતંકી હુમલાનો સામનો કરવા ઘૂસ્યા હતા અને લોહીથી લથબથતી લાશો બહાર કાઢી હતી. આ ઉપરાંત દરિયામાં કે નદીઓમાં કોઇ લોકો તણાયા ત્યારે તેમણે જીવની પરવા કર્યા વગર ધુબકા મારેલા છે. જિલ્લામાં સિનિયર નેતાઓમાં હિરા સોલંકીનું નામ આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ બાબરકોટનો બાજરો મોકલતા હોવાથી નરેન્દ્ર મોદી જાહેરમંચ પરથી પણ બોલી ચુક્યા છે, જેથી હિરા સોલંકીને પણ એક મજબૂત ચહેરો માનવામાં આવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક જ વર્ષના સમયગાળામાં સરકારી કાર્યક્રમો, ઉત્સવો અને પ્રચાર-પ્રસાર પાછળ ₹77 લાખથી વધુનો લખલૂટ ખર્ચ કરવામાં આવતા શહેરમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. વિકાસ કાર્યો અને પાયાની સુવિધાઓ માટે ટેક્સ ભરતી જનતાના પૈસાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, તેનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વિપક્ષે આ ખર્ચને 'કોના બાપની દિવાળી' ગણાવીને શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. એક વર્ષમાં સરકારી કાર્યક્રમો પાછળ 68.98 લાખનો ખર્ચમનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા માંગવામાં આવેલી માહિતી મુજબ, મનપાએ વિવિધ સરકારી ઉત્સવો, કાર્યક્રમો, પ્રચાર મંડપ, વીઆઇપી સુવિધાઓ, જમણવાર અને પ્રવાસ ખર્ચ પાછળ કુલ ₹68,98,396નો ખર્ચ દર્શાવ્યો છે. સ્વચ્છતા પ્રચાર પાછળના ₹.6.65 લાખ મળીને કુલ ખર્ચ ₹.77 લાખથી વધુ થયો છે. જમણવાર પાછળ જ 5થી 6 લાખનો ખર્ચઃ વિપક્ષ નેતાજૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ શાસકપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જૂનાગઢની જનતા કરોડો રૂપિયા ટેક્સ ભરે છે, જેથી તેમને પાયાની સેવાઓ મળે. પરંતુ શાસકોએ આ ટેક્સના પૈસાનો દુરુપયોગ કરીને સરકારી ઉત્સવો, વીઆઇપી સુવિધાઓ અને જમણવાર પાછળ પોણા કરોડ રૂપિયા જેવો ખોટો ખર્ચ ઉધારેલો છે. તેમણે આંકડો આપતા કહ્યું કે, માત્ર ખાલી ભોજન પાછળ જ એક વર્ષમાં ₹ 5થી 6 લાખ રૂપિયા જેવા લોકોના ટેક્સના રૂપિયા મહાનગરપાલિકાના શાસકો ખાઈ ગયા છે. મનપાના ખર્ચાઓની વિગતોમાં કેટલીક એવી બાબતો સામે આવી છે, જે વહીવટી પારદર્શિતા પર સીધો સવાલ ઊભો કરે છે ACB અને વિજિલન્સ તપાસની વિપક્ષની માગવિપક્ષ નેતા લલિત પરસાણાએ ભારપૂર્વક માંગણી કરી હતી કે, આવા ખોટા ખર્ચાઓને કમિશનરે મંજૂરી આપવી જ ન જોઈએ. તેમણે રાજ્ય સરકારને આ સમગ્ર મામલે એસીબી (ACB) અને વિજિલન્સની તપાસ મૂકીને ખોટા બિલો ઉધારનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે શાસકો પર ખર્ચાળ વીઆઇપી સુવિધાઓ, નવી ગાડીઓ અને બિનજરૂરી ઓફિસ ડેકોરેશન જેવા લખલૂટ ખર્ચાઓ કરીને નિર્દોષ જનતાના ટેક્સનો દુરુપયોગ કરવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો. વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરે છેઃ શાસક પક્ષવિપક્ષના ગંભીર આક્ષેપોના જવાબમાં, જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા જણાવ્યું કે વિપક્ષ માત્ર શાસકોને બદનામ કરવાના ઇરાદાથી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તેમણે PMના કાર્યક્રમના ખર્ચ અંગે સ્પષ્ટતા કરી કબૂલ્યું કે, જૂનાગઢમાંથી પણ જે નાગરિકો વડાપ્રધાનને આવકારવા માટે પાંચ જેટલી બસો દ્વારા ગયા હતા, તેમના જમણવાર, ચા-પાણી અને નાસ્તાનો ખર્ચ આમાં કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જનતાને આવા મુદ્દાઓથી નહીં, પણ વિકાસના લાભથી લેવા દેવા છે. તેમણે દિવાળી સ્નેહ મિલન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, દિવાળી જેવા તહેવાર નિમિત્તે અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સ્નેહ વધે તે હેતુથી સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મનપા દ્વારા એક વર્ષમાં પ્રચાર અને ઉત્સવો પાછળ ₹77 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે જૂનાગઢની પ્રાથમિક સુવિધાઓની વર્તમાન સ્થિતિ જોતા જનતાના ટેક્સના પૈસાનો આ 'ધુમાડો' મોટો સવાલ ઊભો કરે છે.
વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી બે દિવસથી વિવાદમાં આવી છે. જેમાં ગઈકાલે આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેનો કિસિંગ વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે હવે કોમર્સ ફેકલ્ટીમાં જાહેરમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના કિસિંગનો વીડિયો વાઇરલ થયો છે. આ મામલે કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટીની રચના કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે બનેલી ઘટનામાં આર્ટસ ફેકલ્ટીના ડીન દ્વારા આજે ડિસિપ્લિનરી કમિટીની રચના કરવામાં આવશે. ‘CCTV બંધ હોવાને લઇને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં’દિવ્ય ભાસ્કરની ટીમ આર્ટસ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં પહોંચી હતી. જ્યાં અનેક સ્થળોએ કેમેરા લટકી ગયેલા જોવા મળ્યા હતા. જેને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે. CCTV બંધ હોવાને લઇને વિદ્યાર્થી નેતાઓએ પણ અનેક સવાલો ઉઠાવ્યા છે. ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીન CCTV બાબતે કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ થયા છે. સ્પેશિયલ ડિસિપ્લિનરી કમિટીની રચના કરાશે: ડીનએમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, જે ગઈકાલની ઘટના બની એ બહુ જ દુઃખદ અને આઘાતજનક ઘટના હતી. હવે વિદ્યાધામમાં આવું ન થાય એટલે અમે એક કમિટી બનાવી છે. જેમાં અમારા બધા હેડ્સ છે અને સાથે જ બીજી પણ એક સ્પેશિયલ ડિસિપ્લિનરી કમિટીની આજે રચના કરવામાં આવશે. છોકરાના વીડિયો એકદમ બ્લર છે, જેથી હજી સુધી ઓળખ થઈ શકી નથી. ઓળખ થયા પછી જ અમે એની કાર્યવાહી કરીશું. કોમર્સ ફેકલ્ટીમાં વાઇરલ વીડિયોને લઈ તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટીની રચના કરી: ડીનએમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડૉ. જયેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોમર્સ ફેકલ્ટીમાં વાઇરલ વીડિયોને લઈને અમે તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટીની રચના કરી છે. તપાસ રિપોર્ટ બાદ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. CCTV માટે ડીનને રજૂઆતો કરી પણ નિરાકરણ આવ્યું નથી: વિદ્યાર્થી નેતાવિદ્યાર્થી નેતા તીર્થ સોલંકીએ જણાવ્યું હતું કે, તમે CCTVની વાત કરી રહ્યા છો, અમે અગાઉ પણ CCTV માટે ડીનને રજૂઆતો કરી હતી, પણ અત્યાર સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. અને જે વીડિયો વાઇરલ થયો છે, તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. ફેકલ્ટીને અમારી એક જ માગ છે કે તમામ ક્લાસોની અંદર અને જે CCTV અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે, તેઓને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે, જેથી આ પ્રકારના જે કૃત્ય થતા હોય તેને અટકાવી શકાય અને તેના પર યોગ્ય ધ્યાન રાખવામાં આવે. CCTV હોય તો આવી ઘટનાઓ પર નજર રાખી શકાય. ‘આર્ટસ ફેકલ્ટીમાં ઘણા CCTV પણ માત્ર 50-60 જ ચાલુ’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની બેદરકારી કહી જ શકાય. કારણ કે અમે અગાઉ પણ આ CCTV માટે રજૂઆતો કરી હતી, પણ અત્યાર સુધી CCTV ચાલુ નથી થયા. આર્ટસ ફેકલ્ટીમાં ઘણા CCTV છે, તેમાંથી માત્ર 50-60 CCTV જ ચાલુ છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝઘડીયા પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.1,22,000 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઇ જતાં તેમની શોધખોળ શરૂ કરાઈ છે. ઝઘડીયા પોલીસ મથકના પીઆઈ કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસ ટીમે ગોવાલી ગામે નવીનગરી વિસ્તારમાં જાહેર રોડ પર જુગાર રમી રહેલા જીજ્ઞેશ હિરાભાઇ પટેલ (ઉ.વ. ૩૫, રહે. માંડવા પટેલ ફળીયુ, તા. અંકલેશ્વર),કિશન ઉર્ફે મિસુ કંચનભાઇ વસાવા (ઉ.વ. ૩૦, રહે. મુલદ રાયણી ફળીયુ, તા. ઝઘડીયા),દલસુખ પરસોત્તમભાઇ વસાવા (ઉ.વ. ૩૫, રહે. ગોવાલી ટેકરી ફળીયુ,તા.ઝઘડીયા),સચિન વજેસીંગભાઇ ખેરવાડીયા (ઉ.વ. ૩૫, રહે.ગોવાલી તળાવ ફળીયુ, તા. ઝઘડીયા) અને ગોવિંદ ફતેસીંગભાઇ પરમાર (ઉ.વ. ૩૬, રહે. ગોવાલી નવીનગરી, મુળ રહે.ભાનપુરા,તા.હાલોલ, જી. પંચમહાલ)નો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.6,500 ના અંગ ઝડતીના રૂપિયા, રૂ.10,600 ના દાવ પરના રોકડા, એક મોબાઇલ ફોન રૂ.5000, એક એક્સિસ સ્કુટર(GJ-16-EA-3124) રૂ.50,000 અને એક એક્ટીવા સ્કુટર (GJ-16-EA-74 32) રૂ.50,000 મળી કુલ રૂ.1,22,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મહેન્દ્ર ઉર્ફે મંદો (માંડવા) અને હરેશ ઉર્ફે કાળીયો વસાવા (ગોવાલી નવીનગરી) નામના બે ઇસમો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા, જેઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે.પોલીસે જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સતત ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) દ્વારા આણંદ ખાતે ચાર દિવસીય 'પ્રબંધન-2025' એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટની પ્રેક્ટિકલ તાલીમ આપવાના હેતુથી આ ઇવેન્ટ યોજાઈ હતી.આ ઇવેન્ટનું આયોજન સતત ચોથા વર્ષે કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટના 350 થી વધુ વિદ્યાર્થીઓએ આણંદના 80 ફૂટ રોડ પર આવેલા સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે તેનું સંચાલન કર્યું હતું. આ એક્ઝિબિશન કમ સેલમાં 41 પ્રોડક્ટ અને 18 ફૂડ સ્ટોલનો સમાવેશ થતો હતો, જેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું.ઉદ્ઘાટન સમારોહમાં ઈપ્કોવાલા પરિવારના દેવાંગ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઈપ્કો પરિવારના ડો. હિતેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના પ્રમુખ વિપુલ પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, બિલ્ડીંગ કમિટી કન્વીનર એન.એમ. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલ, સંસ્થાના પ્રિન્સિપાલ ડો. રેશ્મા સાબલે અને ડીન ડો. રાજેશ સાધવાની સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલે ચારૂસેટની વિવિધ ઇવેન્ટ્સની સફળતાઓની પ્રશંસા કરી હતી. CHRFના પ્રમુખ વિપુલ પટેલે ઈપ્કોવાલા પરિવાર અને દેવાંગ પટેલના ચારૂસેટના વિકાસમાં આપેલા યોગદાનને બિરદાવ્યું હતું.મુખ્ય અતિથિ દેવાંગ પટેલે 'પ્રબંધન-2025'ના આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ અને ઉદ્યોગસાહસિકતાની કુશળતાનો વિકાસ થાય છે. ઉલ્લેખનીય છે કે, દેવાંગ પટેલ ચારૂસેટના મુખ્ય દાતા છે. તેમણે અને તેમના પત્ની અનિતાબેને ચારૂસેટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં તેમણે યુનિવર્સિટીને 15 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે. ભેળસેળ યુક્ત અથવા હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે એકસાથે 10 જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી હતી. ભેળસેળીયા સામે કાર્યવાહીઆરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી, લાડુ, પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે, ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. 10 જગ્યાએથી સેમ્પલ લેવાયાઃ અધિકારીઆરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ લેબમાં મોકલાયા, 3 દિવસમાં રિપોર્ટઆરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, આ સેમ્પલનો રિપોર્ટ આગામી 3 દિવસમાં આવી જશે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈ ભેળસેળ કે ફૂડ સેફ્ટીના ધારાધોરણોનું ઉલ્લંઘન જણાશે, તો સંબંધિત મીઠાઈ વિક્રેતાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મુન્દ્રા નગરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાંથી શાકભાજી સહિતના છૂટક વેચાણ કરતા ધંધાર્થીઓના દબાણ હટાવવામાં આવ્યા હતા. જોકે, આ ધંધાર્થીઓ નજીકના સમા ફળિયામાં પોતાની લારીઓ સાથે ગોઠવાઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દબાણ હટાવ્યા બાદ આ હંગામી વેપારીઓ સમા ફળિયાની ગલીઓમાં પોતાનો વેપાર ચલાવી રહ્યા છે. જેના કારણે રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વાહનચાલકો માટે આ વિસ્તારમાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ સમસ્યા નવી નથી. અગાઉ પણ જ્યારે તંત્ર દ્વારા મુખ્ય બજારમાંથી હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. તે સમયે પણ નગરપાલિકા અને પ્રાંત કચેરી સહિતના વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શક્યો નથી. સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે, ધંધાર્થીઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી પ્રજાને કોઈ અડચણ ન થાય. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.
પાટણ જિલ્લામાં 'વય વંદના' અને 'વૃદ્ધ નિરાધાર સહાય' યોજનાના લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સહાયની રકમ મળી નથી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજનાઓ હેઠળ નિરાધાર વૃદ્ધ લાભાર્થીઓ તેમજ BPL યાદીમાં 0 થી 20 સુધીના ક્રમાંક ધરાવતા ૬૦ વર્ષથી વધુ વયના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સહાયની ગ્રાન્ટના અભાવે યોજનાઓ પ્રભાવિત થતા, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે લાભાર્થીઓને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. નરેશભાઈ પરમારે જણાવ્યું કે, લાભાર્થીઓ તરફથી તેમને મૌખિક રજૂઆતો મળી છે કે તેમને બે મહિનાથી સહાય મળી નથી. તેમણે સરકારને આગામી દિવાળીના તહેવાર પહેલાં આ યોજનાઓની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવીને લાભાર્થીઓને સહાય ચૂકવવા વિનંતી કરી છે, જેથી નિરાધાર વૃદ્ધોને રાહત મળી શકે.