રાજકોટના સામાકાંઠા વિસ્તારના જાણીતા ઇમિટેશન વેપારી અને અગ્રણી દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા (ઉ.વ.60) એ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા વેપારી આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. રણછોડનગર વિસ્તારમાં રહેતા અને સંતકબીર રોડ પર શિંગાર સેલ્સ નામે શો-રૂમ ધરાવતા દેવરાજભાઈ અવારનવાર સાયપર સ્થિત ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરતા હતા. સવારે પુત્ર અંકિતે ફોન કરતા પિતાએ પ્રતિસાદ ન આપતા તે રૂબરૂ ફાર્મ હાઉસ પહોંચ્યો હતો, જ્યાં પિતાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઇમિટેશન એસોસિએશનના સક્રિય સભ્ય હતા અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના રાજકીય અને વેપારી અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. દેવરાજભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આપઘાતનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો બેફામ, કુવાડવા પાસે સ્વીફ્ટ કારમાંથી 720 બોટલ દારૂ ઝડપાયો રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતા શહેરમાં દારૂ ઘુસાડવા સક્રિય થયેલા બુટલેગરોના મનસૂબા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું છે. પોલીની ટીમે બાતમીના આધારે કુવાડવા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ સામેથી એક શંકાસ્પદ સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 720 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 57,600 નો દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ચાલક રજાક ગુલાબભાઈ નોતીયારની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજસ્થાનના સાતુરથી દારૂનો જથ્થો લાવ્યો હતો અને નવાગામના હુસેન નામના શખ્સને પહોંચાડવાનો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી રજાક હજુ 3 દિવસ પહેલા જ દારૂના ગુનામાં જેલમાંથી છૂટ્યો હતો, અને જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી. હાલ પોલીસે ફરાર હુસેનની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. અયોધ્યા ચોક પાસે વેપારની અદાવતમાં યુવાન પર હુમલો કરનાર 6 શખ્સોની ધરપકડ રાજકોટના અયોધ્યા ચોક પાસે સિનર્જી હોસ્પિટલ નજીક એક મહિના પહેલા બનેલી મારામારીની ગંભીર ઘટનામાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રૈયા રોડ પર રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતા 21 વર્ષીય પાર્થ ઉર્ફે સોનુ ફિચડીયા પર તેના જ મિત્ર પ્રણવ અને તેના પિતા મયુર દેવાયતકા સહિતની ટોળકીએ ધંધાકીય અદાવતમાં હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો મુજબ, 16/11ના રોજ મયુર દેવાયતકાએ પાર્થને બોલાવી 'તું અમારી પાસેથી ધંધો શીખી અમારા ગ્રાહકોને માલ કેમ આપે છે?' તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ પ્રણવ, શની બારોટ, હિતેષ મોઢવાડીયા, કાના ઓડેદરા અને સાગર ક્રિષ્નાતરે એકસંપ કરી પાર્થ પર ધોકા અને બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનને પછાડી દઈ છાતી પર બેસી બેફામ માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધીકા ભારાઈની સૂચનાથી પીઆઈ ટી. ડી. જાડેજા અને ટીમે તમામ 6 આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ પણ હાથ ધરી છે. વાંકાનેર રેલ્વે સ્ટેશને ભીડનો લાભ લઈ શ્રમિકના ખિસ્સામાંથી રૂ. 80,000ની ચોરી વાંકાનેરથી વિરમગામ જવા માટે ટ્રેનમાં ચડી રહેલા એક શ્રમિકના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ. 80,000ની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે હરિયાણાના વતની રામચંદ્ર ફુલચંદ્ર વાસી (ઉ.વ. 44) એ રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રામચંદ્ર પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ગુજરાતમાં ખેત મજૂરી અર્થે આવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં તેઓ કચ્છના રાધનપુર ગામે કપાસ વીણવાની મજૂરી કરવા ગયા હતા, જ્યાં તેમને મજૂરી પેટે કુલ રૂ. 80,000 મળ્યા હતા. ગત તારીખ 6 નવેમ્બરના રોજ તેઓ મજૂરી કામ ન મળતા વાંકાનેરથી વિરમગામ જવા માટે બપોરની ટ્રેનમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે તેમના ઝભ્ભાના ખિસ્સામાંથી મજૂરીના રૂ. 80,000 સેરવી લીધા હતા. ટ્રેન ચાલતી થયા બાદ તપાસ કરતા નાણાં ગાયબ હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે રેલ્વે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામમાં રહેતા એક વૃદ્ધ ખેડૂત પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો હતો, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ.42,000ની કિંમતનો સોના-ચાંદીનો દાગીના અને રોકડ રકમ ચોરી ગયા ફરિયાદ ઉમરાળા પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ના બોચડવા ગામમાં ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા રવજીભાઇ ઝવેરભાઇ ગોરશીયા ઉ.વ.68 એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્ની ગત તારીખ 27/11/2025 ના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે રામપરા તા. બરવાળા ખાતે લગ્નમાં ગયા હતા. જતા પહેલા તેમણે ઘરના બંને રૂમને આગળીયા મારી અને મેઈન દરવાજે તાળું મારી દીધું હતું.તારીખ 29/11/2025 ના રોજ સવારે અગિયાર વાગ્યે રવજીભાઈએ તેમના ગામના મુનાભાઈ દીનેશભાઈ ભટ્ટને ફોન કરીને બંધ મકાન પર એક આંટો મારવાનું કહેલું. મુનાભાઈએ ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. આ સાંભળી રવજીભાઈ અને તેમના પત્ની તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા. ઘરે આવીને જોતા મેઈન દરવાજાનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને તપાસ કરતા એક રૂમમાં રાખેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો અને તેનું લોક પણ તોડી નાખવામાં આવ્યું હતું. કબાટમાં તપાસ કરતા સોનાનો હાર આશરે 6 તોલા, 30 વર્ષ જૂનો કિં.રૂ.30,000, ચાંદીના બે જોડ છડા કિં.રૂ.2,000, સોનાની ચીપ લગાવેલ પ્લાસ્ટિકની ચૂડી કિંમત રૂપિયા 3,000 તથા રોકડા રૂપિયા 7,000 મળી કુલ રૂપિયા 42,000 નો મુદામાલાની ચોરી થવા પામી હતી, પરિવાર દ્વારા આ અંગે પોતાની રીતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ ભાળ ન મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો ફરાર આરોપી સુરતથી ઝડપાયો:નવસારી LCBએ 6 ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો
નવસારી LCBએ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝીને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ 6 જેટલા ગુના નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને આ સફળતા મળી છે. LCBની ટીમે બાતમીના આધારે સુરતમાં તેના રહેઠાણ પરથી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ મુકીમુદીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝી (ઉંમર: 38 વર્ષ) તરીકે થઈ છે. તે સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ રહેઠાણ મહારાષ્ટ્રના ભુસાવલ જિલ્લાનું મારુડ ગામ છે. આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા કાઝી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 331(3) અને 305(એ) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. LCB દ્વારા તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા કાઝીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ અગાઉ વિજલપોર, કિમ, જલાલપોર અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કુલ 6 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત જલકથામાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત, અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન અને દેહદાનના સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવશે. સંકલ્પ પત્રો ભરવાનો સમય સાંજે 6:00 વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધીનો રહેશે. ભરાયેલા કાર્ડને તુરંત લેમિનેશન કરીને આપવામાં આવશે. જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશ મહેતાએ વિવિધ સમાજના આગેવાનો અને સેવાભાવીઓને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 783 ચક્ષુદાન, 61 દેહદાન અને 44 સ્કીન ડોનેશન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા છે. તબીબી વિજ્ઞાનમાં અંગદાનને 'Deceased Organ Transplant' એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું પ્રત્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા માનવજાત માટે આ એક અદ્ભુત સુવિધા છે, જે મૃત્યુ સામે લડવાની એક રીત પૂરી પાડે છે. આ માટે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન અત્યંત આવશ્યક છે. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ અને ફેફસાં જેવા અંગો કુદરત દ્વારા માનવીને મળેલી અમૂલ્ય ભેટ છે. સેંકડો વ્યક્તિઓના અંગો અંતિમ ક્રિયા દરમિયાન નાશ પામે છે, જ્યારે તે ઘણા લોકોને નવું જીવન આપી શકે છે. સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ જેટલી વધશે, તેટલા વધુ અંગદાન થશે અને વધુ લોકોનું જીવન બચી શકશે અથવા નવપલ્લવિત થઈ શકશે. ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગે વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો. 94285 06011) નો સંપર્ક કરી શકાય છે.
વાપીમાં સાયબર ફ્રોડ મામલે મોટી કાર્યવાહી:મ્યુલ બેંક એકાઉન્ટ આપનાર સામે ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગંભીર મામલે વાપી ટાઉન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ફરહાન સલીમ ઘાંચી નામના આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપ મુજબ, ફરહાને વોન્ટેડ આરોપી ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખના કહેવાથી પોતાનું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં આપ્યું હતું. તેણે આ એકાઉન્ટમાં આવેલા નાણાં ઉપાડી ઝેદને પહોંચાડ્યા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રવિન્દ્ર દનુભાઈ પાટીલની ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ હતી. સાયબર ક્રાઇમ સેલના સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ, વાપી ખાતે ખુલેલું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ શંકાસ્પદ જણાયું હતું. તપાસમાં સામે આવ્યું કે, આ એકાઉન્ટમાં 8 એપ્રિલ 2025 થી 9 એપ્રિલ 2025 દરમિયાન કુલ 5,15,000 રૂપિયા જમા થયા હતા. આ રકમમાં 3,15,000 રૂપિયા અને 2,00,000 રૂપિયાનો સમાવેશ થાય છે, જે તમામ રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ફરહાન સલીમ ઘાંચીએ કબૂલ્યું કે, 1 ટકા કમિશનની લાલચમાં તેણે પોતાનું બેંક એકાઉન્ટ ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખને આપ્યું હતું. તેણે સાયબર ફ્રોડથી આવેલા રૂપિયા ઉપાડીને ઝેદને પહોંચાડ્યા હતા. આ મામલે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 313(4), 318(4), 61(2), 3(5) તથા આઈ.ટી. એક્ટ 2008ની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો સ્નેહ મિલન કાર્યક્રમ કે.કે. પટેલ હાઈસ્કુલ, કોલવડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ એમ.કે. રાવલ, નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ જિલ્લાના શિક્ષણ ખાતાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સમાચારના સંપાદક કેતનભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકા વોર્ડ નં. 7ના કોર્પોરેટર સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ મનુભા વાઘેલા, કે.કે. પટેલ વિદ્યાલય, કોલવડાના આચાર્ય ભાવનાબા વાઘેલા તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મહેસાણાના નિવૃત્ત અધિક્ષક રમણભાઈ પટણી ઉપસ્થિત રહ્યા હતા. હોલના પ્રવેશ દ્વારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મંડળના સભ્યોનું ચંદન તિલક અને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ કે.કે. પટેલ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહિપતસિંહ વાઘેલાએ કર્યું હતું. આ પ્રસંગે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના મંડળના સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ-2025માં મંડળના સભ્યો પૈકી જે સભ્યના સંતાનોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેનું પણ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત નાટ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર મંડળના મહામંત્રી જી.કે. પરમારની દીકરી દીપલ પરમાર, ગાંધીનગરથી લેહ-લદાખ સુધીની બાઇક રાઇડ કરનાર મંડળના ખજાનચી ભૂપેન્દ્ર ગજ્જરની દીકરી નિયતિ ગજ્જર તથા ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે સંગીત આપનાર મંડળના સભ્ય રતિલાલ વાઘેલાના દીકરા ગિટારિસ્ટ વિરાજ વાઘેલાનું શીલ્ડ અને શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ, કેન્સર તથા સ્વદેશી અપનાવો અંગે જન જાગૃતિની કામગીરી કરવા બદલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયાના દીકરા અર્પિત ધોળકિયાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. મંડળના સભ્ય રમણભાઈ પટણીએ આર્થિક સહયોગ રૂપે મંડળને ₹51,000નો ચેક મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ તથા મહામંત્રી જી.કે. પરમારને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમના ભોજનદાતા તરીકે સોનલબા વાઘેલાએ યોગદાન આપ્યું હતું. મંડળના સભ્યો મલય વૈષ્ણવ, શ્રવણ પરમાર તથા આમંત્રિત કલાકાર ભરત વાણીયાએ ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજન કર્યું હતું. ગિટારિસ્ટ વિરાજ વાઘેલાએ પણ ગિટાર સાથે ગીત ગાઈને વિશેષ પ્રસ્તુતિ કરી હતી. ઉપસ્થિત સભ્યોએ નોકરી દરમિયાનના સંસ્મરણો તાજા કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા સભ્યોને તાંબાના જગની આકર્ષક ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપલ પરમાર તથા સહમંત્રી અમૃતલાલ સુથારે કર્યું હતું. આભાર વિધિ મલય વૈષ્ણવે કરી હતી.
PGVCL દ્વારા સુખનાથ ચોક શાળામાં સ્પર્ધા યોજાઈ:ઊર્જા બચત જાગૃતિ માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા
જૂનાગઢના સુખનાથ ચોક સ્થિત મારી પ્રાથમિક શાળામાં આજે PGVCL દ્વારા ઊર્જા જાગૃતિ અંગે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. PGVCL શહેર વિભાગીય કચેરી, જૂનાગઢના કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ સોનીની ઉપસ્થિતિમાં આ સ્પર્ધા યોજાઈ હતી. શાળાના પ્રિન્સિપાલ જયભાઈ વસવેલીયા દ્વારા 100 વિદ્યાર્થીઓની આ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં ઊર્જા બચત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની સુષુપ્ત કલા શક્તિઓને બહાર લાવવાનો હતો. ચિત્ર સ્પર્ધામાં ધોરણ 7ના પરમાર ચિરાગ વિનોદભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ધોરણ 7ની ચૌધરી ક્રિષ્ના રાજેશભાઈ દ્વિતીય અને ધોરણ 6ના મકવાણા રાણા રાજાભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા. નિબંધ સ્પર્ધામાં ધોરણ 8ના રાજ સુમરા મમદઅલી અસતારભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ચાવડા વિનોદ વજુભાઈ દ્વિતીય અને ધોરણ 6ના ઘરસેંડા યુવરાજ વિનોદભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને શીલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. PGVCL દ્વારા સ્પર્ધા માટે જરૂરી તમામ સામગ્રી શાળાને પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે PGVCLના વાસવેલીયા સાહેબે જણાવ્યું હતું કે, બાળકોમાં ઊર્જા બચાવની ભાવના કેળવાય તે અત્યંત જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને ઘર વપરાશના વીજ ઉપકરણોમાં વીજળીનો બચાવ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ જયભાઈ વસવેલીયા, ભાવિનભાઈ વાઘેલા અને મુકેશગીરી એસ મેઘનાથી સહિત સમગ્ર શાળા પરિવારે ઉપસ્થિત PGVCL કર્મચારીઓનું સન્માન કર્યું હતું.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેત્રંગ તાલુકાના બીલાઠા ગામની સીમમાં થયેલી મોબાઈલ ટાવરના કિંમતી કોમ્પોનન્ટ બોક્સની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી વેગનઆર કાર સહિત કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી હજુ ફરાર છે. LCB દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 14 ડિસેમ્બર 2025 ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન LCB ને ખાનગી રાહે માહિતી મળી હતી કે, સફેદ રંગની વેગનઆર કારમાં બે ઇસમો મોબાઈલ ટાવરના ચારથી પાંચ કોમ્પોનન્ટ બોક્સ લઈને નર્મદા બંગ્લોઝ પાસે ઊભા છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરી દિલીપ રમાયણ તીવારી અને નરેશ કાંસીરામ વસાવા નામના બે શંકાસ્પદોને વેગનઆર કારમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોબાઈલ ટાવરના પાંચ કોમ્પોનન્ટ બોક્સ મળી આવ્યા હતા. આધાર પુરાવા રજૂ ન કરી શકતા બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપી દિલીપ તીવારી વોડાફોન કંપનીમાં ટાવર મેઈન્ટેનન્સ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તેણે તેની સાથે નોકરી કરતા નીતિન પટેલ સાથે મળીને ટાવરમાંથી કોમ્પોનન્ટ બોક્સની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.50 લાખની કિંમતના કોમ્પોનન્ટ બોક્સ, રૂ. 3 લાખની કિંમતની વેગનઆર કાર અને રૂ. 15 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની લાગુ કલમો હેઠળ ગુનો નોંધી ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. ફરાર આરોપી નીતિન રામપ્રસાદ પટેલની શોધખોળ ચાલુ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાળા નંબર 24, ગદાપુરા ખાતે સાંસદ ખેલ મહોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણ સમિતિ વડોદરાના સભ્ય કિરણભાઈ સાલુંકે, સીઆરસી કોઓર્ડિનેટર ચંપાબેન, એસએમસીના સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ તુલસીના છોડ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ કુછ કરીએ.. કૂછ કરીએ...... ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા ફ્લેગ આપી વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ધોરણ 1 થી 8 ના કુલ 200 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડ સ્પર્ધામાં 200 વિદ્યાર્થીઓમાંથી 80 વિદ્યાર્થીઓને (દરેક ધોરણમાંથી 5 કુમાર અને 5 કન્યા) ભાગ લેવા દેવામાં આવ્યો હતો, જેમાં ધોરણ દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 1 થી 8 ના 27 વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા. ધોરણ 6 થી 8 ના 14 વિદ્યાર્થીઓની બે ટીમો વચ્ચે કબડ્ડી રમાડવામાં આવી હતી, જ્યારે 18 વિદ્યાર્થીનીઓની બે ટીમો વચ્ચે ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. વ્યક્તિગત રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમને પ્રથમ ક્રમાંક આપી, તમામ બાળકોને રમતમાં ભાગ લીધા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવ (સ્કિલ કોમ્પિટિશન) 2025-26માં વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ કૌશલ્યોત્સવમાં કુલ 44 શાળાઓના 140 વિદ્યાર્થીઓ અને 80 વોકેશનલ ટ્રેનર્સ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલ (તા. દસ્ક્રોઈ) માંથી એગ્રીકલ્ચર અને બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડના બે ટ્રેનર્સ અને ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાએ એગ્રીકલ્ચર ટ્રેડમાં 'બાયો ચારકોલ' પ્રોજેક્ટ માટે સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે વોકેશનલ ટ્રેનર્સ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
વિજય ડાભીએ કબૂતરનો જીવ બચાવ્યો:મોઢેથી CPR આપી ગળામાં ફસાયેલી દોરી કાઢી
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં એક કબૂતરના ગળામાં દોરી ફસાઈ જતાં તેની હાલત ગંભીર બની હતી. સોમવારે, 15 ડિસેમ્બર, 2025ના રોજ હાથીખાના નવા વાસ ખાતે આ ઘટના બની હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભી અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કબૂતરનું રેસ્ક્યુ કર્યું હતું. કબૂતરના ગળામાં દોરી ફસાઈ જવાને કારણે તેને ઓક્સિજન મળતો ન હતો. વિજય ડાભીએ તાત્કાલિક મોઢેથી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપીને કબૂતરને ઓક્સિજન પૂરો પાડ્યો હતો. ડાભીએ જણાવ્યું કે જો સમયસર ઓક્સિજન ન મળ્યો હોત તો કબૂતરનું મૃત્યુ થઈ શક્યું હોત. વિજય ડાભીના આ પ્રયાસથી અબોલ પક્ષીનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ વિજય ડાભીએ લોકોને અપીલ કરી છે કે ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે ચાઈનીઝ દોરી અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. આવી દોરીઓ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે.
પાટડી તાલુકાના દસાડા-શંખેશ્વર રોડ પર ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું છે. વડોદરાના સંજય સોલંકી બે સિનિયર સિટીઝનો સાથે સુરેન્દ્રનગરથી શંખેશ્વર જઈ રહ્યા હતા. દસાડા-શંખેશ્વર રોડ પર આવેલા 1008 જૈન મંદિર પાસે સામેથી શંખેશ્વર તરફથી પુરઝડપે આવતી અશરફખાન હબીબખાન સિપાઈની કાર સાથે તેમની કાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલી વિરમગામના દેવાંગ વર્ધમાનભાઈ શાહની ગાડી અને તેની પાછળ આવતી હિતેન્દ્રસિંહ જીલુભા વાઘેલાની સ્કોર્પિયો ગાડી પણ અથડાઈ હતી. આમ કુલ ચાર ગાડીઓ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે દસાડા-શંખેશ્વર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. આ અકસ્માતમાં ચારેય ગાડીઓને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ નહોતી. આ બનાવ અંગે વડોદરાના સંજયભાઈ સોલંકીએ પાટણ-સમીના ગોચનાદ ગામના અશરફખાન હબીબખાન સિપાઈ વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરાવ્યો છે. દસાડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના ડી.કે. ઉમરાણીયા ચલાવી રહ્યા છે.
BDSV કલાઉત્સવ સંગીતમાં પ્રથમ ક્રમે વિજેતા:મોદી વિધિશા દિલીપભાઈએ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી
પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલયના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના કલાઉત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જી.સી.ઈ.આર.ટી. દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા યોજાયેલા આ કલાઉત્સવમાં સંગીત અને વાદન સ્પર્ધા યોજાઈ હતી. સંગીત સ્પર્ધામાં વિધાલયની મોદી વિધિશા દિલીપભાઈએ પ્રથમ ક્રમે વિજય પ્રાપ્ત કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, વાદન સ્પર્ધામાં સોલંકી યોગેશ દ્વિતીય સ્થાને રહ્યો હતો. કલાઉત્સવમાં વિદ્યાર્થીઓએ તેમની મધુર સંગીત પ્રસ્તુતિ અને સુમેળભર્યા વાદન દ્વારા નિષ્ણાત ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા, તાલમેલ અને આત્મવિશ્વાસ પ્રશંસનીય રહ્યો હતો. આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપનાર ડૉ. ઓ. બી. દેસાઈ, કે. આઈ. દેસાઈ અને પૂજાબેન રાજગોર જેવા શિક્ષકોના માર્ગદર્શન તથા સંસ્થાના સહયોગનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ વિજયથી સંસ્થાનું નામ જિલ્લા સ્તરે ઉજળું બન્યું છે. સંસ્થાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ તથા શાળાના તમામ સ્ટાફે વિજયી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિદ્યાલયની SAG, DLSS U-17 ભાઈઓ-બહેનોની ટીમે ખેલ મહાકુંભની મધ્ય ઝોન કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા 12 ડિસેમ્બર 2025 થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાઈ હતી. વિધાલયની ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ શિસ્તબદ્ધ રમત, મજબૂત ટીમવર્ક અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે રમતા તમામ મેચોમાં પ્રભાવશાળી જીત નોંધાવી હતી. ફાઇનલ મુકાબલામાં ટીમે વિરોધી ટીમને સખત ટક્કર આપી સ્પષ્ટ વિજય મેળવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ ટીમના તમામ ખેલાડીઓ, કોચ અને માર્ગદર્શક શિક્ષકોના સતત પ્રયત્નો અને સખત મહેનતનું પરિણામ છે. તેમના સમર્પણ અને તાલીમને કારણે જ આ સફળતા શક્ય બની છે. આ વિજયથી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલયનું નામ મધ્ય ઝોન સ્તરે ઉજ્જવળ બન્યું છે. શ્રી પાટણ જૈન મંડળના હોદ્દેદારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળા પરિવારના સભ્યો અને રમતપ્રેમીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ તમામ ખેલાડીઓ, કોચ અને વ્યાયામ શિક્ષકોને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી.
મારવાડી યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (FMS) દ્વારા Experiential Pedagogy through the Case Method વિષય પર એક વિશેષ ફેકલ્ટી વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષણ પદ્ધતિઓને વધુ અસરકારક, પ્રયોગાત્મક અને વ્યવહારુ બનાવવાનો હતો. આ વર્કશોપમાં યુનિવર્સિટી ઓફ ડેનવરના પ્રોફેસર અને બેરોન હિલ્ટન ચેર ઇન લોજિંગ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ડૉ. એચ. જી. પારસાએ સંબોધન કર્યું હતું. તેમણે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, વ્યૂહરચના અને જવાબદાર નેતૃત્વ સંબંધિત તેમના અનુભવ અને સંશોધન આધારિત જ્ઞાન ફેકલ્ટી સભ્યો સાથે વહેંચ્યું. ડૉ. પારસાએ તેમના પ્રખ્યાત સંશોધન Why Restaurants Failના ઉદાહરણો દ્વારા કેસ મેથડ આધારિત શિક્ષણની વ્યવહારુ પદ્ધતિઓ પર પ્રકાશ પાડ્યો. આ પદ્ધતિઓ ફેકલ્ટી સભ્યો માટે વર્ગખંડમાં અમલ કરવા અત્યંત ઉપયોગી સાબિત થઈ. કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડૉ. કીર્તિ દત્તાના સંબોધન સાથે થઈ હતી. સમગ્ર સત્ર દરમિયાન, ફેકલ્ટી સભ્યોને અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, વિશ્લેષણ અને નિર્ણયક્ષમતા કેવી રીતે વિકસાવવી તે અંગે માર્ગદર્શન મળ્યું. FMS દ્વારા આ વ્યાવસાયિક વિકાસ પહેલ માટે યુનિવર્સિટીના નેતૃત્વના સમર્થન બદલ આભાર વ્યક્ત કરાયો હતો. સહ-સ્થાપક અને વાઇસ ચેરમેન શ્રી જીતુભાઈ ચંદારાણા, પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહ, પ્રોવોસ્ટ ડૉ. આર. બી. જાડેજા અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી નરેશ જાડેજાનો આ ઉચ્ચ સ્તરીય સત્રને શક્ય બનાવવા બદલ આભાર માનવામાં આવ્યો. મારવાડી યુનિવર્સિટી તેના શિક્ષકોને વિશ્વ-સ્તરીય સંસાધનો, વૈશ્વિક નિષ્ણાતો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવા માટે સતત પ્રતિબદ્ધ છે.
વસ્ત્રાલની શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'ફૂડ ફેસ્ટિવલ-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓને જાગૃત કરવાનો, નવી કલા શીખવવાનો અને સૌહાર્દપૂર્ણ સ્પર્ધાનો અનુભવ કરાવવાનો હતો. આ કાર્યક્રમ માત્ર એક રસોઈ સ્પર્ધા નહોતી, પરંતુ વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા, સૌંદર્ય દૃષ્ટિ અને ટીમ ભાવનાને વ્યક્ત કરવા માટેનું એક સુંદર મંચ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તેમાં રહેલા પ્રેમ, કલ્પના અને પરિશ્રમની ગાથા પણ રજૂ કરતી હતી. આ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને રસોઈ કલામાં તેમની કલાને પ્રોત્સાહન મળ્યું. તેઓએ નવા આયામો અને નવીન વિચારોને ઉત્સાહપૂર્વક અપનાવ્યા. એકબીજાની રચનાઓની કદર કરતા શીખ્યા અને 'તમે કરી શકો છો' તેવા વિશ્વાસ સાથે પોતાની શક્તિઓને ઓળખી. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે મળીને રસભર્યા વાતાવરણમાં પોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું.
અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટ:ચાર આરોપીઓ ઝડપાયા, 40થી વધુ એકાઉન્ટ ભાડે લઈ 9.5 લાખનું સાયબર સ્કેમ
અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ૪૦થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ રૂ.9.50 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં અરવલ્લીના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેવા માટે રૂ.2000 થી રૂ.40,000 સુધીની લાલચ આપતા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને નિશાન બનાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા. આ રીતે મેળવેલા એકાઉન્ટ્સ દ્વારા સાયબર ઠગાઈથી મળેલા પૈસા એકથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ ગેંગ અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને કામ કરતી હતી. આરોપીઓએ APK ફાઇલ્સ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતર્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે રૂ.9.50 લાખની ઠગાઈ થઈ છે. હાલ ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાનું બેંક એકાઉન્ટ કોઈને પણ ભાડે ન આપે અને અજાણી લિંક્સ, એપ્સ અથવા ઓનલાઈન ઓફરો પ્રત્યે સાવચેત રહે. સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યે એકાઉન્ટ ધારકો સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ઝડપાયેલા આરોપીઓમાં સચિનભાઈ ધીરજભાઈ બામણા (રહે. રાંજેડી, તા. મેઘરજ, જિ. અરવલ્લી), જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા (રહે. અરવલ્લી સોસાયટી, મોડાસા), ખીલવ મહેશભાઈ રાઠોડ (રહે. ગુરુકુળ સોસાયટી, મોડાસા) અને વિશાલ રણજીતભાઈ રાવળ (રહે. સાયરા, તા. મોડાસા, જિ. અરવલ્લી) નો સમાવેશ થાય છે. સચિનભાઈ બામણા સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં કુલ ૬ ગુના નોંધાયેલા છે, જ્યારે વિશાલ રાવળ સામે મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો દાખલ થયેલો છે.
વેરાવળમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ:ગીર સોમનાથના વિકાસ માટે ₹271 કરોડના MOU થયા
વેરાવળની આસોપાલવ લૉન્સ ખાતે જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ ₹271 કરોડના સમજૂતી કરારો (MOU) કરવામાં આવ્યા હતા. આ સમિટ કચ્છ-સૌરાષ્ટ્ર રિજિયોનની મુખ્ય ઇવેન્ટ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવાનું એક મહત્વનું મંચ બની છે. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' હેઠળ માછલી અને કેસર કેરીના મુખ્ય ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો. મંજૂલાબહેન મૂછારે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં નાળિયેર અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં પણ વિકાસની વિશાળ તકો રહેલી છે. ધોલેરા SIRના સી.ઈ.ઓ. કુલદીપ આર્યાએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ સમિટની શ્રુંખલાને કારણે ગુજરાત ઉદ્યોગો માટે પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે. તેમણે માહિતી આપી કે આ વર્ષથી સમિટ રાજ્યના ચાર ઝોનમાં યોજાઈ રહી છે. કુલદીપ આર્યાએ ઉમેર્યું કે, આગામી 10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આશા વ્યક્ત કરી કે, જિલ્લાકક્ષાની આ સમિટ ગીર સોમનાથ જિલ્લામાં કેરી, મત્સ્યોદ્યોગ અને કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના કૃષિ અને દરિયાઈ સંસાધનોની વિશેષતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે આનાથી સ્થાનિક લોકોને વધુ રોજગારીની તકો મળશે. કોન્ફરન્સ દરમિયાન થયેલા મુખ્ય MOUમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ₹250 કરોડ, રાઈચુરા એનર્જી દ્વારા ₹10 કરોડ અને અલ ફૈઝલ ડ્રાય ફિશ દ્વારા ₹11 કરોડના કરારોનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે વિવિધ વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હાર્દિકસિંહ વાઘેલાએ કરી હતી.
રાજકોટમાં આગામી 10 અને 11 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. જેને લઈને હાલ સ્થાનિક તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન રેસકોર્સ રોડ પર રોડ-શો કરે તેવી સંભાવનાને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસ અને તેની આસપાસ માર્ગોને નવેસરથી ડામરથી મઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રવિવારે શારદા બાગથી ફૂલછાબ ચોક સુધીના રસ્તે નવા ડામર કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે પણ કાર્યરત છે. ખાસ કરીને ફૂલછાબ ચોક જે વરસાદી પાણીના ભરાવા માટે જાણીતો છે, ત્યાં પણ રસ્તાઓ રિપેર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન સર્કિટ હાઉસમાં રોકાણ કરશે કે નહીં તે અંગે હજુ નક્કી નથી. છતાં સુરક્ષા અને પ્રોટોકોલના ભાગરૂપે આ વિસ્તારના રસ્તાઓ પર ડામરના લેયર ચડાવીને તેને ચકાચક કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ હાઈવેથી મારવાડી યુનિવર્સિટી સુધીના મુખ્ય રસ્તાઓની જવાબદારી મનપા તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સંભાળશે. ‘રાઇઝીંગ રાજકોટ’ પ્રદર્શનની 75000 થી વધુ લોકોએ મુલાકાત લીધી, મંત્રી દર્શનાબેને આયોજનને બિરદાવ્યું રાજકોટના રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરી ખાતે આયોજિત ‘રાઇઝિંગ રાજકોટ’ પ્રદર્શન લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. રાજકોટની છેલ્લા 20 વર્ષની શહેરી વિકાસ યાત્રા અને યશોગાથા વર્ણવતા આ પ્રદર્શનની અત્યાર સુધીમાં 75000 થી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. રવિવારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા આયોજનબદ્ધ વિકાસકાર્યોને બિરદાવ્યા હતા અને એ.આઇ. ટેકનોલોજીની મદદથી વડાપ્રધાન સાથે તસ્વીર પણ ખેંચાવી હતી. આ પ્રસંગે ડે. કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી અને સમીર ધડુકે મંત્રીને વિકાસના માઈલસ્ટોન અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રદર્શનમાં ડિજિટલ ડિસ્પ્લે, ઇન્ટરએક્ટિવ મોડલ, વી.આર. (વર્ચ્યુઅલ રિયાલિટી) અને હેરીટેજ ગેલેરી જેવા આકર્ષણો મૂકવામાં આવ્યા છે, જે શહેરની બદલાતી છબીને જીવંત કરે છે. આ પ્રદર્શન હવે તેના છેલ્લા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને આગામી તા. 21-12 સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. રાજકોટમાં સરદાર પટેલની 75 મી પુણ્યતિથિ નિમિત્તે 19 ડિસેમ્બરે શબ્દાંજલિ સભાનું આયોજન રાજકોટમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 75 મી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન દ્વારા આગામી તા. 19-12-2025 ને શુક્રવારના રોજ સાંજે 5:00 વાગ્યે સ્મારક ભવન ખાતે એક ભવ્ય શબ્દાંજલિ સભા યોજાશે. આ પ્રસંગે જાણીતા વક્તા અને લેખક જય વસાવડા ખાસ ઉપસ્થિત રહેશે અને આપણા જીવનમાં 'સરદાર' બનવાની કળા વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં સરદાર સાહેબના જીવન મૂલ્યો અને આદર્શો વિશે ઊંડાણપૂર્વક છણાવટ કરવામાં આવશે. આ ઉપરાંત, પૂણ્યતિથિના ઉપલક્ષમાં શહેરના વિદ્યાર્થીઓ માટે અગાઉ યોજાયેલી વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરી પ્રોત્સાહિત કરાશે. જય વસાવડા અને અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. સભામાં બહોળી સંખ્યામાં નગરજનોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર એકાદશી અને 224મા સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને સંગીતનાં વિવિધ વાદ્યો અર્પણ કરાયા હતા. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ દિવ્ય શણગાર તૈયાર કરાયો હતો. કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનિયમ, વીણા, બેંજો, મંજીરા, સિતાર, ગિટાર અને ઢોલ જેવાં સંગીતનાં વાદ્યોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ શણગાર આરતી સોમવાર, 15-12-2025ના રોજ સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી આ અનેરા દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને ઓનલાઈન પાર્ટ-ટાઇમ જોબ વર્ક ફ્રોમ હોમની લાલચ ભારે પડી છે. સાયબર ઠગોએ ટાસ્ક પૂરો કરવા બદલ પ્રથમ નાની રકમ પરત કરીને વિશ્વાસ કેળવી પ્રિ પેઇડ ટાસ્કના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 16 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અજાણ્યા નંબરથી 'વર્ક ફ્રોમ હોમ' માટેનો મેસેજ મળ્યોગાંધીનગર જિલ્લાના સાંતેજ ટાટા હાઉસિંગ વિસ્તારમાં ન્યૂ હેવન ફ્લેટમાં રહેતો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા 29 વર્ષીય રવિકાંત બ્રિજનંદન વર્માને ગત તા. 14 ઓગસ્ટ 2025ના રોજ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી 'વર્ક ફ્રોમ હોમ' માટેનો મેસેજ મળ્યો હતો. આરોપીઓએ શરૂઆતમાં પ્રોફિટ બેંક ખાતામાં જમા કરાવ્યોઆથી રવિકાંતે વર્ક ફ્રોમ હોમ કામ કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સામેવાળી વ્યક્તિએ તેને www.kartraonlineplatform.com નામની વેબસાઇટ આપીને નાના ટાસ્ક કરાવ્યા હતા. શરૂઆતમાં તેને રૂ. 800 અને રૂ. 4000 જેટલો પ્રોફિટ એસબીઆઈ ખાતામાં જમા થયો હતો. જેથી રવિકાંતને વધુ પડ્યો વિશ્વાસ બેસી ગયો હતો. 10 અલગ-અલગ બેંકમાં 16 લાખ ટ્રાન્સફર કરાવ્યાબાદમાં તેને 'પેઇડ ટાસ્ક' અને વધુ પ્રોફિટ મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે તેને ટેલિગ્રામ પર એક ગ્રુપમાં જોડીને જુદા-જુદા દિવસોમાં અલગ અલગ બેંકોના ખાતાઓમાં રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેથી રવિકાંતે વધુ નફાની આશાએ તા. 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2025 દરમિયાન કુલ રૂ. 16,52,807 યુકો બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, યુનિયન બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. ઠગબાજોએ કહ્યું પ્રોફિટના 50 ટકા વધુ ભરવા પડશેજોકે તેના એકાઉન્ટમાં રૂ. 22 લાખથી વધુનો પ્રોફિટ બતાવ્યા છતાં જ્યારે તેણે રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શકય બન્યું ન હતું. જેના પગલે તેણે ટેલિગ્રામ આઈડી પર વાત કરતા ઠગ બાજોએ રકમ વિડ્રો કરવા માટે 'પ્રોફિટના 50% વધુ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે જઈને રવિકાંતને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. સાયબર ક્રાઈમમાં 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયોઠગબાજોએ કુલ ટ્રાન્સફર કરેલી રકમમાંથી માત્ર રૂ. 48,734 જ પરત કરતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 16,04,073 ની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તારીખ હતી 1 ઓક્ટોબર, 2017. અમેરિકાનું લાસ વેગાસ શહેર રોશનીથી ઝળહળતું હતું. પણ કોઈને ખબર નહોતી કે હોટલના 32મા માળે સ્ટીફન પેડક નામનો 64 વર્ષનો કરોડપતિ મોતનો સામાન લઈને બેઠો છે. નીચે 22 હજાર લોકો સંગીતની મજા માણી રહ્યા હતા અને અચાનક... આકાશમાંથી ગોળીઓનો વરસાદ શરૂ થયો. સ્ટીફન પેડકે 1 સેકન્ડમાં 9 ગોળી છૂટે એવી ઓટોમેટિક રાઈફલથી 1 હજારથી વધુ રાઉન્ડ ફાયર કર્યા. પરિણામ? 60 લોકોના જીવ ગયા, 400 લોકોને ગોળી વાગી અને 800થી વધુ લોકો લોહીલુહાણ થયા. જ્યારે FBI તેના રૂમમાં પહોંચી ત્યારે તેમને કોઈ 'સ્યુસાઈડ નોટ' ન મળી, પણ મળ્યો એક કાગળ જેમાં હતું ગણિત. સ્ટીફને ગોળીનું ટ્રેજેક્ટરી ડિસ્ટન્સ અને હવાના દબાણની વિગતો લખી હતી! એક મિલિયોનર રાતોરાત મોન્સ્ટર કેમ બની ગયો તેનો જવાબ FBIને આજેય મળ્યો નથી, પણ એ રાતની ભયાનકતા આજે ફરી યાદ કરવી પડે. કારણ કે છેલ્લા બે દિવસમાં દુનિયાના બે છેડા એટલે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ગોળીબારના કારણે જ રક્તરંજિત થયા છે. નમસ્કાર, આ ઘટનાઓ કોઈ સામાન્ય ક્રાઈમ ન્યૂઝ નથી, પણ એક 'ગ્લોબલ વોર્નિંગ' છે. દુનિયા જાણે છે કે કોઈપણ આતંકી ઘટનાના મૂળ પાકિસ્તાનમાં નીકળે છે, ઓસ્ટ્રેલિયાની ઘટનામાં એવું જ થયું. પાકિસ્તાન ફરી દુનિયા સામે ઉઘાડું પડી ગયું. અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર 13 ડિસેમ્બર 2025, શનિવારની બપોર હતી. અમેરિકાની પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ પેપરમાં ભવિષ્ય લખી રહ્યા હતા ત્યાં જ ગોળીબાર થયો. આ દુર્ઘટનામાં 2 વિદ્યાર્થીઓના જીવ ગયા અને 9થી વધુ ઘાયલ થયા છે. 16 હજાર કિલોમીટર દૂર બીજો બનાવ હજુ તો દુનિયા આ આઘાતમાંથી બહાર આવે ત્યાં જ બીજા દિવસે 14 ડિસેમ્બરે સાંજે 6 વાગીને 47 મિનિટે ઓસ્ટ્રેલિયાના સિડનીના ફેમસ બોન્ડી બીચ પર ગોળીઓ વરસી. અહીં 45થી વધુ લોકો ઘાયલ થયા અને 16 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો કરનાર સાજિદ અને નવીદ નામના બે શખસો હતા, બંને બાપ-દીકરો છે અને તેમણે જાણી જોઈને યહૂદી તહેવારની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, બંનેનો ઈતિહાસ બંદૂકની લોહીથી ખરડાયેલો છે, પણ બંનેએ રસ્તા અલગ પસંદ કર્યા. અમેરિકાએ બંદૂક પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાએ શાંતિ. 30 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં આવો જ બનાવ બન્યો હતો આજથી બરાબર 30 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયામાં પોર્ટ આર્થરમાં ભયાનક ગોળીબાર થયો હતો. 28 વર્ષના માર્ટિન બ્રાયન્ટે 35 લોકોની ઠંડા કલેજે હત્યા કરી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાના તત્કાલિન વડાપ્રધાન જોન હોવર્ડ પાસે બે રસ્તા હતા: અમેરિકાની જેમ 'પ્રાર્થના' કરવી અથવા કડક નિર્ણય લેવો. ઓસ્ટ્રેલિયા સરકારે લોકો પાસેથી બંદૂકો ખરીદી જોન હોવર્ડે સત્તા પર આવ્યાના માત્ર 6 અઠવાડિયામાં જ નેશનલ ફાયરઆર્મ્સ એગ્રીમેન્ટ લાગૂ કર્યો. સરકાર લોકોના ઘરે ગઈ, તેમની પાસેથી બાયબેક પ્રોગ્રામ ચાલુ કરીને બંદૂકો પાછી ખરીદી અને સાડા છ લાખ હથિયારોનો નાશ કર્યો. ત્યારપછી ઓસ્ટ્રેલિયામાં માસ શૂટિંગની ઘટનાઓ લગભગ નહિવત થઈ ગઈ હતી. અમેરિકાનો ઈતિહાસ રક્તરંજીત એક રિપોર્ટ મુજબ 2002થી 2011 વચ્ચે અમેરિકામાં ગન કલ્ચરના કારણે દર વર્ષે લગભગ 11 હજાર લોકોના જીવ જાય છે. અમેરિકામાં ખાલી સ્કૂલ્સમાં જ થયેલા ગોળીબારની વાત કરીએ તો અમેરિકાની શાળાઓમાં ગોળીબાર 21 વર્ષે બિયર અને 18 વર્ષે ગન અમેરિકાનો તો GCA નામનો કાયદો જ કહે છે કે તમે 18 વર્ષે રાઈફલ ખરીદી શકો છો. હેન્ડ ગ્રેનેડ જેને આપણે બોમ્બ કહીએ છીએ તે 21 વર્ષની ઉંમર થઈ જાય તો અમેરિકામાં ખરીદી શકીએ છીએ. વક્રોક્તિ તો જુઓ, બીયર પીવા માટે 21 વર્ષ અને ગન ખરીદવી હોય તો 18 વર્ષની છૂટ. સરકારની આ નીતિઓ જ ગન કલ્ચરને પ્રોત્સાહન આપે છે. સામેની બાજુએ શાળાઓમાં મેટલ ડિટેક્ટર અમેરિકામાં સામાન્ય વાત છે. ઓસ્ટ્રેલિયામાં હુમલો કરનાર પિતા-પુત્ર નીકળ્યા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એક્સપર્ટ્સ આ દુર્ઘટનાને ઈનસાઈડર થ્રેટ ગણાવે છે. 24 વર્ષનો નવીદ અકરમ અને તેનો 50 વર્ષનો પિતા સાજિદ અકરમ બંને ઓસ્ટ્રેલિયામાં જ રહેતા હતા. સાજીદ અકરમ પાસે એબી કેટેગરીના લાયસન્સવાળા 6 હથિયાર હતા. આ ઓસ્ટ્રેલિયાના કડક ગન કાયદાની પોલ ખોલે છે. દુનિયામાં બંદૂકની બોલબાલા અમેરિકામાં બંદૂક iPhoneથી સસ્તી અમેરિકામાં બંદૂકો આટલી સહેલાઈથી કેમ મળે છે? કારણ છે બંદૂકના ભાવ. ભારતીય આર્મી લશ્કરમાં વાપરે છે એવી એસોલ્ટ રાયફલ અમેરિકામાં આઈફોન કરતા પણ સસ્તી મળી રહે છે. આપણે ત્યાં જેમ શાકભાજી વેચાય છે તેમ ત્યાં દુકાનમાં બંદૂકો વેચાય છે. અમેરિકાની ગન ઈન્ડસ્ટ્રી વર્ષે અંદાજે 2.3 લાખ કરોડ રૂપિયાનો ધંધો કરે છે. ટૂંકમાં જ્યાં સુધી વેચાણમાં નફો છે ત્યાં સુધી બંદૂક લોબી હોય કે નેતા બંને ચૂપ રહેશે. ટ્રંપના અને ગન કલ્ચરના સમર્થકને જ ઠાર મરાયા હમણાના જ બનાવની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિના અત્યંત નજીકના મનાતા અને ગન કલ્ચરના પ્રખર સમર્થક ચાર્લી કર્કની સપ્ટેમ્બરમાં હત્યા થઈ હતી. વિચારો, જે માણસ એમ કહેતો હતો કે બંદૂક જ સુરક્ષા છે, તે જ બંદૂક તેનો જીવ લઈ ગઈ. આંકડાઓ જોઈએ તો ખબર પડે છે કે દુનિયામાં ગનથી થતી હત્યાઓમાં અમેરિકા સૌથી આગળ છે. એક દેશમાં મર્ડર થાય એમાં બંદૂક કેટલા ટકા જવાબદાર છે તેનો આંકડો જુઓ. મર્ડરમાં બંદૂક કેટલા ટકા જવાબદાર? યુનાઈટેડ નેશન્સનો 2019નો રિપોર્ટ જુઓ. એમાં કહેવામાં આવ્યું છે દુનિયામાં બંદૂકથી સૌથી વધુ આત્મહત્યા કયા દેશમાં કરાઈ છે. બંદૂકથી આત્મહત્યાના બનાવો અહીં એક એવો એંગલ છે જેના પર લોકોનું ધ્યાન ઓછું જાય છે અથવા ઓછો ચર્ચાય છે. આપણે વાત ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની કરીએ છીએ, પણ તેના તાર તો પાકિસ્તાન અને વૈશ્વિક આતંકવાદ સાથે જોડાયેલા છે. કટ્ટરપંથી વિચારધારા જે હજારો કિલોમીટર દૂર બેસીને પણ સ્લીપર સેલ એક્ટિવેટ કરી શકે છે. બોન્ડી બીચની ઘટના સાબિત કરે છે કે તમે ભલે ગન કલ્ચર પર કંટ્રોલ લાવો, પણ જો હેટ કલ્ચર પર કંટ્રોલ નહીં હોય, તો હથિયારો ગમે ત્યાંથી મળી આવશે. આવી દુર્ઘટના બને ત્યારે ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી જાય આપણને એક સવાલ થાય કે સાત સમુંદર પાર ગોળીબાર થાય તો આપણે અત્યારે અહીં તેની ચર્ચા કેમ કરીએ છીએ. તો આ જરૂરી એટલા માટે છે કારણ કે આપણા જ ગુજરાત અને ભારતના દીકરા દીકરીઓ ડોલર કમાવા કે ભણવા માટે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જાય છે. ત્યારે એક સવાલ થાય કે વિદેશમાં ડોલર તો છે જ પણ સામેની બાજુ માથે લટકતી તલવાર પણ છે. જેને નજર અંદાજ કરવી અતિ મુશ્કેલ છે. આવી ઘટના બને ત્યારે વડોદરાના માંજલપુર કે અમદાવાદના બોપલમાં બેઠેલા મા-બાપના જીવ તાળવે ચોંટી જાય છે. અને છેલ્લે.... પ્રધાનમંત્રી મોદી જ્યારે જ્યારે વર્લ્ડ પ્લેટફોર્મ પર વાત કરે છે ત્યારે એક વાત ભાર સાથે ચોક્કસ કહે છે કે, આતંકવાદને કોઈ સીમાડા નથી હોતા અને તેની ફેક્ટરી ક્યાં છે તે આખી દુનિયા જાણે છે. ઓસ્ટ્રેલિયામાં જે બાપ દીકરાએ ખુલ્લેઆમ યહુદીઓ પર ગોળીબાર કર્યો તે કટ્ટર માનસિકતાવાળા આતંકવાદીઓ પાકિસ્તાનના જ નીકળ્યા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા પોલો ગ્રાઉન્ડની સામે જુગાર રમતા 11 વ્યક્તિઓને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 33 હજાર રૂપિયાની રોકડ રકમ અને 8 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 72 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, નવાપુરા પોલો ગ્રાઉન્ડની સામે મટન પેલેસની બાજુમાં આશરે 12 વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે નવાપુરા પોલીસની ટીમે તુરંત રેડ કરી હતી. પોલીસે આરોપીઓની અંગઝડતી કરી 26 હજાર રૂપિયાની રોકડ, 7 હજારની જમીન દાવની રકમ તેમજ 8 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામાં બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધાનું મોતવડોદરા શહેરમાં લગ્ન પ્રસંગનું આયોજન કરતી વાડીમાં વાસણ ધોવા માટે આવી રહેલી ત્રણ મહિલાઓને સામેથી ઘસી આવેલા મોટર સાયકલ અડફેટમાં લેતા ઘાયલ વૃધ્ધાનું મોત થતાં જરોદ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના છેલ્લા કરમસીયા ગામે રહેતા લક્ષ્મીબેન બુધાભાઈ રાઠોડીયા (ઉં.વ.65) ગામની અન્ય મહિલાઓ સાથે વડોદરા શહેરની વાડીમાં યોજતા લગ્ન પ્રસંગમાં વાસણ ધોવાની મજુરી કરવા માટે નીકળ્યા હતા. ગામની મહિલાઓ ગામના બસસ્ટેન્ડ તરફ જતી હતી, ત્યારે સામેથી ધસી આવેલા બાઈકે 3 મહિલાને અડકેટમાં લેતા તેમને 108ની મદદથી સારવાર માટે જરોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લક્ષ્મીબેન રાઠોડીયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર આપી રજા આપી દેવાતા તેઓ ઘર પરત કર્યા હતા પરંતુ વહેલી સવારે તેમનું મોત થતાં તેમના પુત્ર લાલજીભાઇ રાઠોડિયાની કરિયાદના આધારે જરોદ પોલીસે બાઇક ચાલક વિક્રમભાઈ પરમાર(રહે.છેલ્લા કરમસીયા, તા.વાઘોડીયા) વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયોવડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 2007માં નોંધાયેલી મિલ્કત સંબંધિત ચોરીના ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી. પ્રગટસિંગ દર્શનસિંગ જાટ(રહે.અમૃતસર)ને એસ.ઓ.જી. અને છાણી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. એક ટીમ પંજાબમાં તપાસ કરી આવી હતી, પરંતુ ત્યાં આરોપી ન મળતાં વધુ તપાસમાં તે વડોદરા પાસેના પદમલા ગામ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું. નેશનલ હાઈવે-48 પાસે ટાટા શોરૂમની સામે ઊભેલા ટ્રક ટેન્કર (નં. GJ-06-BT-3370)માંથી આરોપીને ઓળખાણપત્રના આધારે પકડવામાં આવ્યો હતો.
મોરબીના રાજપર રોડ પર પોલીસે દારૂની રેડ કરી 106 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ રેડમાં રૂ. 1,17,342 નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક રાજસ્થાની સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હિતેશભાઈ ચાવડા અને રવિભાઈ ચૌધરીને બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજપર રોડ પર પટેલ સમાજ વાડી સામે આવેલા પિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલાના વાડામાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે આ વાડામાં રેડ કરતા આરોપી પિન્ટુભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા (ઉં.વ. 29, રહે. રાજપર રોડ, પટેલ સમાજ વાડી સામે, શનાળા, મોરબી) સ્થળ પરથી મળી આવ્યો હતો. ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી હતી. આરોપી પિન્ટુ ઉર્ફે કાનોની પૂછપરછ કરતા દારૂનો માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ (રહે. બિયાવર, રાજસ્થાન)નું નામ સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, રાજસ્થાની સપ્લાયર દેવેન્દ્રસિંહને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ખાતે આગામી તા. 10થી 12 જાન્યુઆરીના રોજ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના અનુસંધાને ભાવનગર ખાતે તા. 19 ડિસેમ્બરના રોજ ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલનો કાર્યક્રમ યોજાશે. જેને લઈ આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર ડો. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરના અધ્યસ્થાને જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટ અંગે બેઠકઆ બેઠકમાં કલેકટર મનીષકુમાર બંસલએ કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ અને સ્ટોલ બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો જાળવવા, આરોગ્ય, સ્ટોલ ફાળવણી, સેમિનાર એક્ઝિબિશન સુપરવિઝનની કામગીરી, ક્રેડીટ સેમિનાર, ટ્રાન્સપોર્ટેશની કામગીરી સહિત 14 જેટલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ ઉપરાંત B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ, સ્ટોલ પ્રદર્શન ચર્ચા કરી હતી, તેમજ ભાવનગર જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થાય તે દિશામાં કામ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરીઆ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતીષ ભાટીયાએ જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના આયોજન અંગે બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિના નિયામક જયશ્રીબેન જરુ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં કુલ 11,966 નવી મિલકતોની આકારણી કરવામાં આવતા મિલકતવેરાની આવકમાં રૂ. 7.05 કરોડ જેટલો વધારો થયો છે. આમ પ્રોપર્ટી ટેક્સનું વાર્ષિક માંગણું રૂ. 85 કરોડને પાર થયું છે. જેમાં રહેણાંક ક્ષેત્રે 6% વૃદ્ધિ નોંધાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં કુલ 11,966 નવી મિલકતોની આકારણી કરવામાં આવતા મિલકતવેરાની આવકમાં રૂ. 7.05 કરોડ જેટલો વધારો થયો છે. મનપાના સત્તાવાર આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ 2024-25ની સરખામણીએ ચાલુ વર્ષે મિલકતોની કુલ સંખ્યા 2,00,377 થી વધીને 2,12,343 પર પહોંચી છે. 10,151 નવી મિલકતો ઉમેરાઈજે અન્વયે રહેણાંકની કેટેગરીમાં 10,151 નવી મિલકતો ઉમેરાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 6.08 % ની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે કોમર્શિયલ અને અન્ય બિન-રહેણાંક મિલકતોમાં પણ 1815નો વધારો નોંધાયો છે, જે 5.42%નો વધારો સૂચવે છે.મિલકતોની આ નવી અને વિસ્તૃત આકારણી પ્રક્રિયાના કારણે મનપામાં મિલકતવેરાનું કુલ વાર્ષિક માંગણું પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકતવેરાનું કુલ માંગણું વધીને રૂ. 85,09,34,583 પર પહોંચ્યું છે.નવી આકારણી થકી કોર્પોરેશનની આવકમાં અંદાજિત રૂ. 7,05,12,024 નો વધારો થવા જઈ રહ્યો છે, જે ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓને વધુ વેગ આપવા માટે ઉપયોગી બનશે. તંત્રએ આ માંગણા સામે અત્યાર સુધીમાં રૂ. 64,05,91,747 ની વસૂલાત પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે મકરપુરા GIDC વિસ્તારમાં અત્યાધુનિક પ્રેસ ઓફિસ બિલ્ડિંગનું બાંધકામ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી મે 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. આ નવી પ્રેસ ઓફિસ બિલ્ડિંગ કુલ 1365.61 ચોરસ મીટર પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવશે અને તે બે માળની હશે. બિલ્ડિંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે અને તેના નિર્માણમાં GDCR નિયમોનું સખત પણે પાલન કરવામાં આવ્યું છે. પ્રેસ ઓફિસ બિલ્ડિંગમાં શું શું હશે?ગ્રાઉન્ડ ફ્લોર પર રેકોર્ડ રૂમ, ક્લાર્ક રૂમ, સ્ટાફ રૂમ, ડિલિવરી વિભાગ, કમ્પ્યુટર સ્ટોરેજ રૂમ, વહીવટી વિભાગ, પ્રેસ મશીનો અને ઓફસેટ વિભાગ માટે પૂરતો શેડ વિસ્તાર, મુખ્ય અધિકારી માટે અલગ કેબિન તથા નાના-મોટા કુલ 5 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને માળે પુરુષ અને મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલય તેમજ કેન્ટીનની સુવિધા રાખવામાં આવી છે.આ ઉપરાંત, સામાનના લોડિંગ- અનલોડિંગ માટે અલગ વિસ્તાર, પહોળા પેસેજ, સાધનોના હેરફેર માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પ્રથમ માળે કોન્ફરન્સ રૂમ, વધારાના સ્ટોરેજ રૂમ, કમ્પ્યુટર રૂમ અને ડિજિટલ પ્રિન્ટિંગ રૂમની વ્યવસ્થા કરાઈ છે. પ્રેસ મશીનોના કાર્યક્ષમ સંચાલન માટે દરેક ભાગમાં પૂરતા ઇલેક્ટ્રિકલ પોઇન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રોજેક્ટથી મહાનગરપાલિકાની પ્રિન્ટિંગ અને પ્રકાશન કાર્યોમાં વધુ કાર્યક્ષમતા આવશે અને સ્ટાફ માટે આધુનિક કાર્ય વાતાવરણ મળશે.
સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75 વર્ષ પૂર્ણ:સોમનાથ ખાતે પુષ્પાંજલિ અને મધ્યાહન મહાપૂજન કરાયું
સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણદિન નિમિત્તે 15 ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પુષ્પાંજલિ અને મધ્યાહન મહાપૂજનનું આયોજન કરાયું હતું. સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આ અવસરે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું. સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાહન મહાપૂજનનું આયોજન થયું. આ પૂજન સરદાર વલ્લભભાઈ પટેલના આત્માની શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના પ્રણેતા કનૈયાલાલ મુનશીના ઐતિહાસિક શબ્દો યાદ કરાયા: જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત. સરદાર પટેલની સોમનાથ પુનઃનિર્માણની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય મંદિર ઊભું છે. સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ સાયં શૃંગાર કરવામાં આવશે અને દીપમાલા કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
શિયાળાની ઋતુમાં દિલ્હી ખાતે આજે વહેલી પરોઢથી ગાઢ ઘુમ્મસ સાથે એરપોર્ટની વિઝીબીલીટી ખોરવાતા હવાઈ સેવામાં મોટો અવરોધ ઉભો થતાં અસંખ્ય ડોમેસ્ટીક/ઈન્ટરનેશનલ ફલાઈટ 1 થી 4 કલાક સુધી ડીલે થતા તેની અસર રાજકોટનાં ઈન્ટરનેશનલની હવાઈ સેવામાં જોવા મળી હતી. સવારની બે ફલાઈટ 3 થી 4 કલાક ડીલે થઈ હતી. સાથે આજે સાંજની ઈન્ડિગોની રાજકોટ-દિલ્હી ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે. આજે સવારે એર ઈન્ડિયાની AIC 885/886 રાજકોટ-દિલ્હી-રાજકોટ સવારના 9.25 કલાકનાં બદલે 12-15 કલાકે આવી પરત દિલ્હી જવા ટેક ઓફ થઈ હતી. જયારે ઈન્ડિગોની AGO 6557/6558 સવારના 8 કલાકનાં બદલે બપોરે 12.30 કલાકે લેન્ડીંગ થયા બાદ પરત દિલ્હી જવા ટેક ઓફ થઈ હતી. દિલ્હી એરપોર્ટમાં વહેલી સવારે નિર્ધારીત સમયે ફલાઈટમાં રાજકોટ આવવા બેસેલા મુસાફરોને 3 થી 4 કલાક ફલાઈટમાં બેસી રહેવુ પડયુ હતું. જોકે આ મુસાફરો માટે ત્યાં નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની આ બન્ને ફલાઈટોમાં આગમન-પ્રસ્થાનનાં મુસાફરોની સંખ્યા ફુલ રહી હતી. દરમ્યાન આજે ઈન્ડીગોની રાતની IGO 6881/6862 રાજકોટ-દિલ્હી રાજકોટ ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે તેની અગાઉથી મુસાફરોને જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરો તેમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે અથવા પોતાની મુસાફરી મુલતવી રાખી શકે. જોકે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માંગતા મુસાફરોને આ ફ્લાઇટ કેન્સલ થતા હલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હિંમતનગરમાં 66 KV બળવંતપુરા વીજ સબસ્ટેશનના સમારકામને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મંગળવાર, 16 ડિસેમ્બર, 2025 ના રોજ બળવંતપુરા સબસ્ટેશનમાંથી નીકળતા ઝરણેશ્વર, શ્રીનગર, જનકપુરી, અને હાથમતી સહિતના તમામ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. આના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા ગામ, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ, ધાણધા GIDC અને આસપાસના વિસ્તારોમાં વીજળી નહીં મળે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે. UGVCL વર્તુળ કચેરી, હિંમતનગર દ્વારા મળેલી માહિતી મુજબ, 16 ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 4 વાગ્યા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના પાનોલ, બળવંતપુરા અને અરવલ્લી જિલ્લાના વડાગામ, મેઘરજ ખાતેના 66 KV સબસ્ટેશનોમાં પણ સમારકામ હાથ ધરાશે.
ગીર સોમનાથ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ-સોમનાથ ખાતે આસોપાલવ લોન્સમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની પેદાશોના વેચાણ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ 'અમૃત આહાર કેન્દ્ર'નો ઔપચારિક પ્રારંભ કરાયો. આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમની ખેત પેદાશોના પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. હવેથી દર રવિવારે સવારે 9 વાગ્યાથી જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આ અમૃત આહાર કેન્દ્રો કાર્યરત રહેશે. અહીં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી ખેત પેદાશો અને ગૌ આધારિત ઉત્પાદનોનું વેચાણ થશે. આનાથી ખેડૂતોને યોગ્ય બજાર મળશે અને ગ્રાહકોને શુદ્ધ તથા સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રભારી સચિવ જેનુ દેવાન, CEO (સ્પેશિયલ પ્રોજેક્ટ) ડૉ. કુલદીપ આર્યા, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, પ્રાંત અધિકારી વેરાવળ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોડીનાર-સુત્રાપાડા SPNF ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPO)ના પ્રતિનિધિઓ અને જિલ્લાના વિવિધ તાલુકાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી અને સ્થાનિક ખેડૂતોને સીધા બજાર સાથે જોડતી આ મહત્વપૂર્ણ પહેલને ઉપસ્થિત સૌએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ માર્કેટના સાતમા માળે અગાઉ આગ લાગી હોવાથી નુકસાન પામેલા અને બાકી રહેલા માલ-સામાનને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે રાખવામાં આવેલા કામદારો જ્યારે માલની હેરાફેરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કામદારે સિગરેટ પીધા બાદ તે સળગતી હાલતમાં જ કાપડના પોટલા પર ફેંકીઆ ઘટના પાછળ એક કામદારની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. માલ સામાન ખસેડતી વખતે એક કામદારે સિગરેટ પીધા બાદ તે સળગતી હાલતમાં જ કાપડના પોટલા પર ફેંકી દીધી હતી. કાપડ અત્યંત જ્વલનશીલ હોવાથી સિગરેટના તણખલાએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગાઉ લાગેલી આગના આઘાતમાંથી હજુ વેપારીઓ બહાર આવ્યા નહોતા ત્યાં આ માનવસર્જિત ભૂલને કારણે ફરીથી મિલકતને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સાતમા માળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી, જેથી મોટી જાનહાનિ કે હોનારત ટળી હતી. એક કામદારની બેદરકારીએ ફાયર ફાઈટરોને ફરીથી દોડતા કરી દીધા હતા, જેને પગલે માર્કેટમાં સુરક્ષાના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પ સાથે પશ્ચિમ ઝોનમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશનની 10 વર્ષની કામગીરીનો આજે વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 8, 9, 10, 11 અને 12માં દૈનિક કચરા સંગ્રહની જવાબદારી સંભાળશેપશ્ચિમ ઝોન કચેરી અકોટા ખાતે ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાળુ શુક્લ) અને મેયર પિન્કી સોનીની ઉપસ્થિતિમાં નવા વાહનોનું ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ઓમ સ્વચ્છતા કોર્પોરેશન પ્રા. લિ.ને સોંપવામાં આવી છે, જે પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 8, 9, 10, 11 અને 12માં દૈનિક કચરા સંગ્રહની જવાબદારી સંભાળશે. આ પ્રોજેક્ટ હેઠળ કચરાનું સેગ્રિગેશન, ટ્રાન્સફર, પ્રોસેસિંગ અને નિકાલની તમામ પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે. આજના કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ, વી.એમ.રાજપૂત તેમજ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 22 સપ્ટેમ્બરે POI આધારિત સર્વેની કામગીરી એજન્સી દ્વારા 29 મે 2025થી શરૂ થયેલા POI આધારિત સર્વેની કામગીરી 22 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ હતી. ત્રણ તબક્કામાં હાથ ધરાયેલા આ સર્વેમાં રહેણાંક અને વ્યાપારી મિલકતોના પ્રવેશદ્વારના ફોટા સાથે GPS ટેગિંગ કરવામાં આવ્યું હતું. આ પાંચ વોર્ડમાં કુલ 3,01,351 મિલકતો છે, જેમાં 2,69,722 રેસિડેન્શિયલ અને 31,632 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. ઝોનમાં કુલ 4,799 POI નિયત કરવામાં આવ્યા છે.કચરા સંગ્રહ માટે 266 રેસિડેન્શિયલ-કોમર્શિયલ વાહનો,5 કિચન વેસ્ટ વાહનો, 5 જેસીબી અને 5 હાઈવા (ગાર્ડન વેસ્ટ માટે), 1 ધાર્મિક વેસ્ટ વાહન તેમજ સાંકડી ગલીઓ માટે 45 ઈ-રિક્ષા કાર્યરત કરવામાં આવશે. 35 સ્પેર વાહનો સહિત કુલ 367 વાહનોનો કાફલો તૈયાર છે. વાહનોમાંથી 20 ટકા ઇલેક્ટ્રિક વાહનો હશે. કચરાનું પાંચ પ્રકારમાં સેગ્રિગેશન કરવામાં આવશે – ભીનો, સૂકો, સેનેટરી, ઘરેલું જોખમી અને ઈ-વેસ્ટ. GPS/VTS/RFID આધારિત ટ્રેકિંગ અને કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગથી વેસ્ટ મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે. આનાથી રિસાયકલ કરી શકાય તેવા કચરાની પુનઃપ્રાપ્તિ વધશે, સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને લેન્ડફિલ પરનો ભાર ઘટશે. આ પહેલ વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ અશ્વિનીકુમારને મહીસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની અધ્યક્ષતામાં હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કાર્યક્રમની સઘન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગૂગલ મીટ દ્વારા ઓનલાઈન યોજાઈ હતી, જેમાં શ્રી અશ્વિનીકુમાર જોડાયા હતા. તેમના સેક્રેટરી આઇ.આર.વાલા કલેક્ટર કચેરી, લુણાવાડાના સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અર્પિત સાગર, જિલ્લાના તમામ મતદાન નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ, વધારાના મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, SIR સંબંધિત પ્રશ્નોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિતોને SIRના આગામી તબક્કા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મતદારોને જાણ કરવામાં આવી હતી કે Absent, Shifted અને Death (ASD)ની યાદી મહીસાગર જિલ્લાની સત્તાવાર વેબસાઇટ mahisagar.nic.in પર ઉપલબ્ધ રહેશે. રોલ ઓબ્ઝર્વર અશ્વિનીકુમારે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પણ લાયક મતદાર મતદારયાદીમાંથી બાકાત ન રહી જાય. આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે, તેમણે રાજકીય પક્ષોને બાકી રહેલા બૂથ લેવલ એજન્ટ (BLA)ની તાત્કાલિક નિમણૂક કરી ચૂંટણી તંત્રને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
મતદારયાદી સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત રોલ ઓબ્ઝર્વર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, ઈણાજ ખાતે વિવિધ રાજકીય પક્ષોના સભ્યો સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ મતદારયાદી સુધારણા પ્રક્રિયાની સમીક્ષા કરવાનો હતો. રોલ ઓબ્ઝર્વર જેનું દેવન સમક્ષ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની વર્તમાન સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. ઓબ્ઝર્વરે રાજકીય પક્ષોને તમામ વિગતોથી વાકેફ રહેવા, ફોર્મ-6 અને ફોર્મ-8ની વિગતો ચકાસવા, અન્ય સ્થળે સ્થળાંતરિત થયેલા મતદારોનું પંચરોજકામ કરાવવા, 2002ની યાદીમાં નામ મિસમેચ હોય તેવા કિસ્સાઓ અને પેરેન્ટલ એજ ડિફરન્સ જેવા મુદ્દાઓ પર સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે બૂથ લેવલ ઓફિસર્સની તાલીમ, વિશેષ કેમ્પ, નગરપાલિકા અને તલાટી કક્ષાએ યોજાતા વિવિધ કેમ્પ, અલગ-અલગ તબક્કાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથેની બેઠકો અને વિવિધ બૂથની મુલાકાતો વિશે રોલ ઓબ્ઝર્વરને માહિતી આપી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયાએ મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવતી સ્વીપ એક્ટિવિટી, વિધાનસભાવાર મતદારયાદીની સ્થિતિ, તાલીમ કાર્યક્રમો, હેલ્પડેસ્ક, મેપિંગ, નવા બૂથ લેવલ ઓફિસર્સની નિમણૂક અને બી.એલ.ઓ-બી.એલ.એ. મીટિંગ્સ અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં 90 સોમનાથ, 91 તાલાલા, 92 કોડીનાર અને 93 ઉના વિધાનસભા મતવિસ્તારો સંબંધિત વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીઓ વિનોદ જોશી અને કે.આર. પરમાર, પુરવઠા અધિકારી પારસ વાંદા, નાયબ કલેક્ટર-1 એફ.જે. માકડા સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે અપહરણ:યુવાનને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપી ઝડપાયા, કુલ 5ની ધરપકડ
મોરબીમાં 5 કરોડ રૂપિયાની ઉઘરાણી માટે એક યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે. 5 કરોડ ઉઘરાણી માટે યુવાનનું અપહરણઆ ઘટના મોરબીના પીપળી રોડ પર બની હતી, જ્યાં પાંચ જેટલા શખ્સોએ યુવાનને માર મારી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને એક વાડીએ લઈ જઈ ફરી માર મારવામાં આવ્યો હતો. ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાડીએ લઈ જઈને માર માર્યોરવિનગરમાં રહેતા 25 વર્ષીય અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢાએ પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પિયુષભાઈ પટેલને ફરિયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપિયા લેવાના હતા. આરોપીઓ મોરબીના પીપળી રોડ પર કોયો સિરામિક પાસે આવેલી ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાને આવ્યા હતા. ત્યાં ફરિયાદીને માર માર્યા બાદ એક કાળી કારમાં તેનું અપહરણ કરીને ભરતનગર પાસે આવેલી વાડીએ લઈ ગયા હતા. વાડીએ લઈ જઈને ફરિયાદીને લાકડી, ઢીકાપાટુ અને પટ્ટા વડે માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવી હતી, અને ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કુલ 5 આરોપીઓની ધરપકડપોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અગાઉ પોલીસે જેતપરના નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા, બગથળાના ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા અને લુટાવદરના પિયુષભાઈ હસમુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન એક ફોર્ચ્યુનર ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એસ.તિવારી અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી બગથળાના 33 વર્ષીય હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા અને મોરબીના મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટીના 30 વર્ષીય હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક બેઝ કાર પણ જપ્ત કરવામાં આવી છે. અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારુ જુગારના અડ્ડા તેમજ ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસ દ્રારા સરકાર પર પ્રહારો કરાઈ રહ્યા છે. જેમાં કેટલાક નાગરીકો પણ આવા તત્વોને ખુલ્લા પાડી રહ્યા છે. પણ હવે તે પૈકમાંથી કેટલાકને પોલીસને તેમજ અસામાજીક તત્વોનો ડર લાગી રહ્યા છે. જેમાં સુરતના અડાજણના પાલ રોડ પર આવેલી લેકવ્યુ રો-હાઉસમાં રહેતા 49 વર્ષના જાગૃત નાગરીક સંજય ઈઝાવાએ મુખ્યમંત્રીને તેમજ રાજ્યના પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયુ છે કે, તેઓએ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ચાલતા દારુના કેટલાક અડ્ડાઓને તેમજ નશીલા પદાર્થો વેચનારા લોકો ખુલ્લા પાડ્યા છે. તેમજ આ સંદર્ભના તમામ જાણકારી પોલીસ અધિકારીઓને આપી દેવાઈ છે. જેને લઈને હવે તેમને ડર છે કે, હવે ગમે ત્યારે પોલીસ તંત્ર જ તેમને કોઈ ખોટા કેસમાં ફસાવી શકે તેમ છે. માટે આવુ ન થાય તે માટેની કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે. મુખ્યમંત્રી-ડીજીપીને લખેલા પત્રમાં જણાવાયુ છે કે, હું સુરતનો એક જાગૃત નાગરીક છું, અને સમાજ સેવા લક્ષી કામો વર્ષોથી કરતો આવું છું. મારા દ્વારા જાહેર હિતના સંખ્યાબંધ PIL તથા અન્ય ફરિયાદો ઉચ્ચ ન્યાયાલય અને અન્ય યોગ્ય સ્થળે કરવામાં આવેલ છે. કાયદાના દાયરામાં રહીને સમાજમાં થઇ રહેલ ગેર કાયદેસર અને દુષણ એવા ઘણા કામો સામે અવાજ ઉઠાવવાનું અને યોગ્ય સ્થળે ફરિયાદ કરવાનું એક જાગૃત નાગરિકની ફરજ સમજીને જાતે અને ટીમ વર્કથી પણ કરતો આવ્યો છું. ગુજરાતમાં કાયદાથી પ્રતિબંધિત દેશી અને વિદેશી દારુનું સંગ્રહણ અને વેચાણ કરી સમાજમાં દુષણ ફેલાવનાર અસામાજિક તત્વોના અડ્ડાઓ પર લાઇવ કેમેરાની મદદથી વિડીઓ શૂટ કરીને સમાંતર રીતે આ ઘટના અંગેની જાણકારી સંબંધિત પોલીસ અધિકારીઓને પણ આપીને આવી જગ્યા પર તાત્કાલિક રેડ પાડવા માંગ કરતા હોય છે. આવા કેટલાક લાઇવ કેમેરા રેડ દરમિયાન અમોને ખબર પડેલ છે કે આવા અડ્ડા ચલાવનાર અસામાજિક તત્વો અને ઘણા પોલીસના અધિકારીઓ વચ્ચે સાથ ગાંઠ થયેલ હોવાથી રેડ પાડવા આવે તે પહેલા જ આવી માહીતી લીક થતી હોય છે. આ પ્રકારની ઘણા ઘટનાઓ પછી અમોને એવી શંકા છે કે, આ પ્રકારે સમાજમાં દુષણ ફેલાવનાર અસામાજિક તત્વોના અડ્ડાઓ પર લાઇવ રેડ પાડું તે પોલીસ ખાતાના ઘણા અધિકારીઓ માટે અપ્રિય કામ છે. અમોને મળતી માહિતી મુજબ આવા અડ્ડાઓ ચલાવનાર અસામાજિક તત્વો દ્વારા જે-તે વિસ્તારના પોલીસ અધિકારીઓને સેક્શન (માસિક હપ્તા) આપતા હોય છે. જેથી આ ગેર કાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ તંત્રને કોઈ રસ નથી. પોલીસ મજબુરીમાં આવીને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ફરજ પડે તો પણ થોડાક દિવસ માં એ જ જગ્યા પર અથવા નજીકના ૫૦ મીટરમાં દેશી અને વિદેશી દારૂનો અડ્ડા ફરીથી શરુ થઇ જાય છે. આ તમામ કિસ્સાઓ જોતા અમોને નીચે મુજબના શંકાઓ છે કે, ભવિષ્યમાં અમારી ઉપર પોલીસ દ્વારા દારુ કબજામા રાખવા અને ઉપયોગ કરવા બદલ ખોટી ફરિયાદો દાખલ કરી ટ્રાયલ એ જ સજાના ભાગરૂપે બદનામ કરી હેરાન પરેશાન કરવાની કોશિશ કરી શકે છે. 1.પોલીસ અથવા અસામાજિક તત્વોના મદદથી નશીલા પદાર્થ જેમ કે દારુ /ડ્રગ્સ /અમારી ઓફીસ / ઘર / વાહનમાં ગેર કાયદેસર રીતે મુકાવી તે અંગે ખોટી ફરિયાદો દાખલ કરી બદનામ કરી હેરાન પરેશાન કરવાની કોશિશ કરી શકે છે.2.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખંડણી માંગવાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.3.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિને ધમકી આપ્યાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.4.ભવિષ્યમાં પોલીસ અથવા અસામાજીક તત્વો દ્વારા અમારી ઉપર જાનલેવા હુમલો કરવા/કરાવવાની સંભાવના છે.5.જાણી જોઇને ખોટા વાહન અકસ્માત કરાવી અમોને નુકશાન પોહચાડવાની સંભાવના છે.6.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખોટી ઉશ્કેરણી કરાવી મારી સામે કાયદાકીય કાર્યવાહી કરાવાની સંભાવના છે.7.શાંતિ ભંગ, સરકારી આદેશનો ભંગ, સરકારી કર્મચારીને ફરજમાં અવરોધ, જાહેર આરોગ્યને જોખમ, ખોટું હથિયાર બતાવવું, Atrocities Act (SC/ST Act), IT Act / Cyber Crime જેવા ખોટી 8.ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.9.બળાત્કાર / જાતીય શોષણ, સ્ત્રીની લાજ ભંગ, સ્ત્રી પર અશ્લીલ ટિપ્પણી / હેરાનગતિ, સ્ટોકિંગ (પીછો કરવો), POCSO Act, અશ્લીલ મેસેજ / ફોટા જેવા ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે. ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને લઈને આ વિષયમાં તાત્કાલીક વિચાર વિમર્શ કરવા અને સંભવિત ખોટા કેસો અને હુમલાઓ અટકાવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે ખાતરની કોઈ તંગી નથી. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવ્યા અનુસાર, જિલ્લામાં યુરિયા, ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા અપીલ કરવામાં આવી છે. વર્તમાન સ્થિતિએ જિલ્લામાં 3300 મેટ્રિક ટન યુરિયા, 1900 મેટ્રિક ટન ડી.એ.પી. ખાતર અને 3300 મેટ્રિક ટન એન.પી.કે. ખાતરનો જથ્થો વિવિધ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 2400 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો સ્ટોરેજ તરીકે પણ રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોડ અને રેક મારફત યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની સપ્લાય સતત ચાલુ છે. વિવિધ રાસાયણિક ખાતર કંપનીઓ પણ જિલ્લામાં યુરિયા ખાતર પૂરી પાડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી અને ઘાસચારો જેવા પાકોનું વાવેતર થયું છે. નાયબ ખેતી નિયામકે ખેડૂતોને જરૂર પૂરતા જ રાસાયણિક ખાતરની ખરીદી કરવા અને આગામી સિઝન માટે બિનજરૂરી સ્ટોક ન કરવા અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક સિઝનમાં વાવેતરને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે છે. આ સંદર્ભે, હાલમાં પાટડી દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને ખાતરનું વેચાણ ચાલુ છે. સંઘના ચેરમેન રામ રથવી અને ઇન્ચાર્જ મેનેજર પ્રફુલ દવેએ આ માહિતી આપી હતી.
VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ
Nitish Kumar Allegedly Pulls Hijab of Muslim Woman | બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વધુ એક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક મુસ્લિમ મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા દેખાઈ રહ્યા છે. બિહારના વિપક્ષ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. RJDએ વીડિયો શેર કર્યો લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે વીડિયો એક્સ પર પોસ્ટ કરી કહ્યું, કે નીતિશજીને આ શું થઈ ગયું છે? માનસિક સ્થિતિ હવે દયનીય સ્થિતિ પર પહોંચી ચૂકી છે કે પછી નીતિશ બાબુ 100 ટકા સંઘી થઈ ગયા છે?
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસે રાતા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 3 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને મંગળવાર સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 1.50 લાખ અંદાજવામાં આવી છે. વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને DySP બી.એન. દવેની સૂચનાઓ હેઠળ વાપી ઔદ્યોગિક નગરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે રાતાના રહેવાસી પપ્પુ શિવશંકર મંડલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 3 કિલો ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં બિહારના મૂળ વતની અભિષેક ઉપેન્દ્ર મંડલની પણ સંડોવણી સામે આવી છે, જે વોન્ટેડ આરોપી છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ, 1985ની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં આજે(15 ડિસેમ્બર) એક માનવતાને લજવતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે, ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે જે અમાનવીય વર્તન કર્યું છે, તેના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મહિલા કર્મચારીએ પહેલા વૃદ્ધ ભિક્ષુક મહિલાના કપડાં ખેંચ્યા બાદમાં હાથ પકડીને રસ્તા પર ઢસડી. સાથે જ તેને અન્ય એક વૃદ્ધ ભિક્ષુક મહિલાને પણ ધક્કો મારી માર મારી પોલીસ વેનમાં બેસાડી હતી. મહિલા કર્મચારીના અમાનવીય વર્તનનો વીડિયો વાઇરલ થતાં તેને માફી માંગી કહ્યું કે મારે તેમના ભલા માટે કડક થવું પડ્યું. મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા ટીમ પહોંચીઘટના સોમવારની છે, જ્યારે અડાજણ વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સાઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ભિક્ષુક ગૃહના કર્મચારીઓની એક ટીમ, જેમાં અડાજણ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, તે મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા માટે પહોંચી હતી. સામાન્ય રીતે આ કામગીરી સમજાવટ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ થવી જોઈએ, પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ જ હતું. મહિલા કર્મચારીએ વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચીસામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભિક્ષુક ગૃહની ટીમમાં સામેલ એક મહિલા કર્મચારીનો પિત્તો આસમાને હતો. તેણે સૌ પ્રથમ એક વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી હતી. આટલેથી ન અટકતા, આ કર્મચારીએ વૃદ્ધાને જોરથી હાથ મારીને તેને ધક્કો માર્યો હતો અને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધી હતી. એક વૃદ્ધ અને અશક્ત મહિલા પર હાથ ઉપાડતી વખતે આ કર્મચારીએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. વૃદ્ધાના કપડાં ખેંચ્યા, હાથ પકડીને રસ્તા પર ઢસડીત્યારબાદ, આ મહિલા કર્મચારીનો રોષ મંદિર નજીક બેસેલી બીજી વૃદ્ધ મહિલા પર ઉતર્યો હતો. ફૂટેજમાં સંભળાય છે કે તે કર્મચારી વૃદ્ધાને ઉઠ યહાં સે કહીને બૂમો પાડી રહી હતી. બીજી વૃદ્ધ મહિલા ડરના માર્યે પ્રતિકાર કરી રહી હતી, ત્યારે કર્મચારીએ તેને પણ માર માર્યો હતો. તેણે વૃદ્ધાના કપડાં ખેંચ્યા હતા અને હાથ પકડીને તેને રસ્તા પર ઢસડીને પોલીસ વાન સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, બીજી મહિલા એટલી ડરી ગઈ હતી કે માર ખાવા છતાં તે પોલીસ વાનમાં બેસવા તૈયાર થઈ ન હતી. વીડિયો વાઇરલ થતાં તંત્રમાં દોડધામઆ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત રામનગર ખાતે આવેલા ભિક્ષુક ગૃહના ઓફિસર ઇન્ચાર્જ જીગ્નેશ ચૌધરીએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. તપાસના આદેશ, સંબંધિત કર્મચારી પાસે લેખિત ખુલાસો મંગાયોજીગ્નેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે વાઇરલ થયેલો વીડિયો જોયો છે. વીડિયોમાં જે રીતે કર્મચારી વર્તન કરી રહ્યા છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને નિયમોની વિરુદ્ધ છે. ભિક્ષુકો સાથે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં. મેં તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે અને સંબંધિત કર્મચારી પાસે આ કૃત્ય શા માટે કરવામાં આવ્યું તે અંગે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. મહિલા કર્મચારીએ માફી માંગીતપાસ દરમિયાન સામે આવ્યું કે વીડિયોમાં દેખાતી મહિલા કર્મચારીનું નામ દિવ્યાબેન સોનવણે છે, જે ભિક્ષુક ગૃહમાં કોન્ટ્રેક્ટ બેઝ પર નોકરી કરે છે. વીડિયો વાઇરલ થયા બાદ અને અધિકારીઓના ઠપકા બાદ દિવ્યાબેને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ સાથે સાથે તેમણે પોતાના બચાવમાં કેટલાક તર્ક પણ રજૂ કર્યા હતા. ‘અમારો ઉદ્દેશ્ય માત્ર તેમનો જીવ બચાવવાનો’દિવ્યાબેને જણાવ્યું હતું કે, વીડિયોમાં જે દેખાય છે તે સિક્કાની એક જ બાજુ છે. વાસ્તવિકતા એ છે કે ભિક્ષુકો સરળતાથી ભિક્ષુક ગૃહમાં આવવા તૈયાર થતા નથી. હાલ શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વૃદ્ધ મહિલાઓ ખુલ્લા રસ્તા પર રહે છે, જેના કારણે ઠંડીમાં તેમનું મોત થવાનો ભય રહે છે. વળી, રસ્તા વચ્ચે બેસવાથી અકસ્માત થવાની પણ શક્યતા હોય છે. ભિક્ષુક ગૃહમાં દિવ્યાબેન વૃદ્ધાની સંભાળ લેતા જોવા મળ્યાઆ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત ભિક્ષુક ગૃહની અંદર જોવા મળી હતી. જે વૃદ્ધ મહિલાને રસ્તા પર માર મારવામાં આવ્યો હતો, તે જ મહિલા ભિક્ષુક ગૃહમાં પહોંચ્યા બાદ દિવ્યાબેન સાથે હળવાશથી વાત કરતી નજરે પડી હતી. આશ્ચર્યજનક રીતે, દિવ્યાબેન પણ ત્યાં તે વૃદ્ધાને વહાલ કરતા અને તેમની સંભાળ લેતા જોવા મળ્યા હતા. બહાર ખૂબ ઠંડી છે અને જો અમે રસ્તા પર હોત તો ઠંડીમાં ઠુંઠવાઈ જાતજ્યારે તે વૃદ્ધ મહિલાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે, બહેન પોતાની જગ્યાએ સાચા છે. બહાર ખૂબ ઠંડી છે અને જો અમે રસ્તા પર હોત તો ઠંડીમાં ઠુંઠવાઈ જાત અથવા બીમાર પડત. અહીં અમે સુરક્ષિત છીએ. આ નિવેદન દર્શાવે છે કે ભલે પદ્ધતિ ખોટી હતી, પરંતુ વૃદ્ધાને હવે સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે.
Shri Banke Bihari Temple Darshan Timings Case: ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં યમુના નદીના કિનારે આવેલા વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંદિરોમાં પૈસા આપીને કરાતી વિશેષ પૂજાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર (15 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે. દર્શન કરવાનો હાલનો સમય ભગવાનનું શોષણ કરવા જેવો છે. 'સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને નોટિસ પાઠવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી ગ્રામજનોએ સખત વિરોધ દર્શાવ્યો છે. ગ્રામજનોએ આ નવા રોડના પ્રોજેક્ટને રદ કરી, હાલમાં અસ્તિત્વ ધરાવતા રોડ અંકલેશ્વર-રાજપીપલા સ્ટેટ હાઇવે પર જ વિકાસ કરવાની માંગણી સાથે કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. 100 કિમીનો 6 લેન કોરિડોર: 55 ગામો અને 2300 સર્વે નંબરો પર અસરસરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને અંકલેશ્વરથી જોડતા આશરે 100 કિલોમીટરના 6 લેન હાઇ-સ્પીડ કોરિડોર બનાવવા માટે લીલીઝંડી આપી દીધી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના તંત્રએ આ રોડ માટે જમીન સંપાદન કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. પ્રાંત અધિકારી દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સર્વે નંબરની જરૂરી જમીન સંપાદિત કરવા માટે નોટિસો પણ જારી કરવામાં આવી છે. આ હાઇ-સ્પીડ કોરિડોર કુલ અંદાજિત 55 જેટલા ગામો અને 2300 જેટલા સર્વે નંબરો ને અસર કરશે. એકલા નર્મદા જિલ્લાની વાત કરીએ તો, 35 જેટલા ગામોમાં સંપાદન માટે 1300 થી વધુ સર્વે નંબરોનો સમાવેશ થાય છે. આ રોડ અંકલેશ્વરથી રાજપીપળા (60 કિમી) અને રાજપીપળાથી કેવડીયા-એકતાનગર (25 કિમી) મળીને કુલ આશરે 85 કિમી જેટલો બનાવવામાં આવનાર છે. આમલેથા, કુમસગામ સહિતના ગ્રામજનોનો વિરોધઆમલેથા અને કુમસગામ ખાતેથી આ નવો રસ્તો પસાર થવાનો હોવાથી ગ્રામજનોએ એકઠા થઈને તેનો વિરોધ કર્યો છે. આમલેથાના મુકેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેમના ગામો બંધારણની અનુસૂચિ-5 અને પેસા કાયદો 1996 વિસ્તારમાં આવેલા છે. જમીન સંપાદન સામેનો વિરોધ દર્શાવતા તેમણે કહ્યું, આદિવાસી ગરીબ ખેડૂતોની જે જમીનો સંપાદિત થવાની છે, તે તેમના જીવન નિર્વાહ કરવા માટેનું એકમાત્ર સાધન છે. જો આ જમીનો સંપાદન કરવામાં આવશે, તો આદિવાસી ગરીબ લોકોના જીવન નિર્વાહ પર ખૂબ જ મોટી અસર પડશે. આ પ્રોજેક્ટ બંધ કરવો જોઈએ અને જે હાલનો રસ્તો છે, એ જ રસ્તામાં વિકાસ કરવો જોઈએ. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકીગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ પ્રોજેક્ટ ચાલુ રહેશે, તો તેઓ તેમની જમીનો બચાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે નવો બાયપાસ રોડ બનાવવાની યોજના રદ કરીને, હાલના અંકલેશ્વર-રાજપીપલા સ્ટેટ હાઇવે પર જ 6 લેનનું બાંધકામ કે સુધારા કરવામાં આવે.
અમદાવાદમાં એસઓજીએ નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર રેડ કરી ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આરોપીઓ 'ગોગો પેપર'ના નામે ગ્રાહકોને ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે 92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણઅમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણની બાતમીના આધારે નરોડામાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી વિજયસિંહ ઉદયસિંહ બલાત અને પિયુષ પ્રફુલભાઈ નામના બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાનની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસને સ્થળ પરથી 1 કિલો 650 ગ્રામ ગાંજો મળ્યોપોલીસે જ્યારે પાનની દુકાનના ગલ્લાની તપાસ કરી ત્યારે 1 કિલો અને 650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 92,000 ગણવામાં આવી છે, જે પોલીસે કબજે કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંજો વેચતા ગ્રેજ્યુએટ શખસને પોલીસે ઝડપી પાડ્યોઆ કેસનો મુખ્ય આરોપી વિજયસિંહ ઉદયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી તે તેના મામાના ઘરે રહીને આ પાનનો ગલ્લો ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વિજયસિંહ પોતે ગ્રેજ્યુએટ છે અને તેણે રાજસ્થાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આ ગાંજો રાજસ્થાનના ઝાલોરના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવતો હતો. બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગાંજાનું વેચાણ કરતા હોવાનું કબુલ્યુંપિયુષ મુખ્યત્વે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જોકે, ફાજલ સમયમાં તે તેના મિત્ર વિજયસિંહના પાનના ગલ્લા પર બેસીને ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ ઝડપી આર્થિક લાભ મેળવવાના ઈરાદે 'ગોગો પેપર'ની આડમાં ગાંજો વેચવાની કબૂલાત કરી છે.
અમરેલી તાલુકા પોલીસે કતલખાને લઈ જવાઈ રહેલા 268 ઘેટા-બકરા ભરેલા એક ટ્રકને ઝડપી પાડ્યો છે. સાવરકુંડલા શહેરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે ઝડપ્યો હતો. તેમજ 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ફાળકા વચ્ચે પાર્ટીશન કરીને ઉપર-નીચે ઘેટા-બકરાને એવી રીતે ભરવામાં આવ્યા હતા કે તેઓ ગૂંગળાઈને મરી જાય. પશુઓ માટે પૂરતા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર કે પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે આ પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે કુલ 268 ઘેટા-બકરા, જેની કિંમત રૂ. 13,40,000 છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત, રૂ. 23,00,000ની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. 36,40,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી તાલુકા પોલીસે આ મામલે શાહિદ સુલેમાન કાલવા, સોહિલ ઈસુબ બાવનકા, જુબેર હાસમ બાવનકા, શાહનવાજ રજાક બાવનકા, જુનેદ ફારૂક બાવનકા અને રફીક જમાલ તરકવાડીયા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસ અગાઉ સરસપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાની બેદરકારી સામે આવી હતી જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મહત્વનું છે અગાઉ પણ એક વખત દારૂ ભરેલી ટ્રક સરસપુરમાં ઉતરી હતી. PCBએ સરસપુરમાંથી 11 ડિસેમ્બરે સંતરાની આડમાં ટ્રકમાં આવેલો 77 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.આ દારૂનો જથ્થો સરસપુરમાં ઉતરવાનો હતો તે અગાઉ જ PCBએ દારૂ સાથે બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી.તપાસ દરમિયાન સ્થાનિક પીઆઇને બેદરકારી સામે આવી હતી.પોલીસ કમિશનર દ્વારા બેદરકારી મામલે પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને સસ્પેન્ડ કર્યા છે. શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો: પોલીસ કમિ.પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું કે શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું છે મામલોશહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સ ગોડાઉનમાં સંતરાની આડમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. ગોડાઉનથી રૂ.77.54 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,996 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક વાહન, 2 મોબાઇલ ફોન, રોકડા સહિત કુલ રૂ.1 કરોડ 2 લાખ 75 હજાર 314નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અથવા ફાર્મસી કોર્સમાં એડમિશન માટે ગુજકેટ (GUJCET)-2026ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 16થી 30 ડિસેમ્બર સુધીમાં આ ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની તારીખ 16 ડિસેમ્બર 2025થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન આ ફોર્મ ભરી શકાશે. www.gseb.org અને gujcet.gseb.org. વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. પરીક્ષાની તમામ માહિતી અને ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે. ગુજકેટ પરીક્ષાની ફી રૂ. 305 છે. ફી તમે ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા ભરી શકો છો અથવા, SBI બેન્કની કોઈપણ બ્રાન્ચમાં પણ જમા કરાવી શકો છો. વિદ્યાર્થીઓએ ફી ભર્યા પછી આખું ફોર્મ ફરજિયાતપણે ભરી દેવાનું રહેશે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 6550 બોટલ વિદેશી દારૂ, એક ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 87,83,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા દારૂમાં 6550 બોટલ બેગપાઇપર ફાઇન વ્હિસ્કીનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 72,05,000 આંકવામાં આવી છે. આ દારૂ બત્રા બ્રુઅરીઝ એન્ડ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, પુરખાલી, રોપર, પંજાબ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યો હતો અને બોટલ પર 'ફક્ત પંજાબમાં વેચાણ માટે' એમ લખેલું હતું. આ દરોડામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અજય દેવરાખીભાઈ જીવાભાઈ ભારાઈ (રહે. ભગવતીપરા સોસાયટી, જામજોધપુર, જામનગર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂના મુખ્ય પ્રાપ્તકર્તા ભાયાભાઈ માયાભાઈ મોરી (રહે. ફુલાજર નેશ, ખંભાલા, પોરબંદર), મુખ્ય આરોપીના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરી (રહે. બખરાલા, પોરબંદર) અને દારૂ સપ્લાય કરનાર સહિત ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 15,00,000ની કિંમતનો એક ટ્રક, રૂ. 5000નો એક મોબાઈલ ફોન, દારૂ ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલી રૂ. 72,500ની 250 ઢોરની ફીડ બેગ, રૂ. 60 રોકડા અને અન્ય રૂ.1000નો મુદ્દામાલ પણ સામેલ છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમો 65(A)(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો 111(2)(b), 111(3)(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડો SMCના PSI આર.બી. વનારા દ્વારા પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદમાં ફરી એકવાર વૃદ્ધ સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે. શેરબજારમાં રોકાણ કરાવીને ઊંચા વળતરની લાલચ આપીને એક નિવૃત્ત બેંક અધિકારી પાસેથી રૂપિયા 75 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. સાયબર ઠગે ફેસબુક અને વોટ્સએપ દ્વારા વિશ્વાસ કેળવીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી છે. જ્યારે નિવૃત્ત અધિકારીએ પોતાના નફાના રૂપિયા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ તેમને 21 લાખથી વધુની સર્વિસ ફીની માંગણી કરી હતી. જે બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધને અપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરવા લાલચ આપીઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય શ્રેણીક શાહ બેંક ઓફ બરોડાની ભદ્ર બ્રાન્ચમાંથી એ.જી.એમ. તરીકે નિવૃત્ત થયા છે. વૃદ્ધના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમને શેરબજારમાં સલાહ મુજબ રોકાણ કરવાથી મોટો ફાયદો થવાની લાલચ આપવામાં આવી હતી. વાતચીતમાં વિશ્વાસમાં રાખી વૃદ્ધને NHNI(plus) નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેની એડમિન આરોહી નાબુંદરી નામની વ્યક્તિ હતી. ત્યાર બાદ તેમને RARCII નામના બીજા ગ્રુપમાં એડ કરીને અદવીકા શર્મા દ્વારા NHNI(plus) અને RARCII એપ્લિકેશનો ડાઉનલોડ કરાવીને શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વૃદ્ધ પાસે કુલ 75 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતાસાયબર ઠગોએ શરૂઆતમાં વૃદ્ધને નાનો નફો કરાવીને વિશ્વાસ જીત્યો હતો. જેમાં પહેલાં રોકાણ પર તેમને રૂપિયા 2,227.50નો નફો થયો હતો. આ પછી 29 ઓક્ટોબર 2025 સુધીમાં 24 જેટલા શેર ખરીદ-વેચાણ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે નફો બતાવવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા તેમના ખાતામાં જમા પણ કરવામાં આવ્યા હતા. જેથી વૃદ્ધને સાયબર ઠગ પર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હતો. આમ વિશ્વાસ વધ્યા બાદ વૃદ્ધે સાયબર ઠગ દ્વારા અપાયેલા જુદા જુદા બેંક ખાતાઓમાં પોતાના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી રૂપિયા 75,18,000 ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ઠગોએ સર્વિસ ફી પેટે 21 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું હતુંઆ પછી 17 ઓક્ટોબર 2025ના રોજ વૃદ્ધે એપ્લિકેશનમાં બતાવેલા નફા સહિતના 15,00,000 પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાયબર ઠગે રૂપિયા પાછા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ દરમિયાન સાયબર ઠગે કહ્યું હતું કે, આ રકમ IPO સામે એડજસ્ટ કરવામાં આવી છે અને જો રોકાયેલા રૂપિયા પાછા લેવા હોય તો સર્વિસ ફી પેટે રૂપિયા 21,01,740.44 ની રકમ ચૂકવવી પડશે. જે બાદ વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને રીલાયન્સ નિપ્પોન લાઇફ ઈન્સ્યુરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.16/12/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટીસ હાઈટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ, વડોદરા ખાતે 21થી 45 વર્ષની મહિલા ઉમેદવારો માટે વીમા ક્ષેત્ર માટે એપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 21થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટીસ તરીકે જોડાવા તેમજ 30થી 45 વર્ષની મહીલા સ્નાતકને વીમા ક્ષેત્રમાં રોજગારી માટે તક આપવામા આવશે. આ ભરતી મેળામાં લાઈફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગની કુલ 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ માટે ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારો કે જેમની ઉંમર 21થી 45 વર્ષની વચ્ચે હોય તેઓને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે.
ગાંધીનગર એલસીબી ટીમે દહેગામ તાલુકાના ઝાંક GIDC વિસ્તારમાં આવેલા વાઈબ્રન્ટ પ્રાઈમ એન્ડ પાર્કના એક પ્લોટ પરના ગોડાઉનમાં ત્રાટકી 2300થી વધુ નંગ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ રૂ. 18.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા દહેગામ પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. સ્થાનિક પોલીસે નાના બૂટલેગરોને પકડી સંતોષ માન્યોગાંધીનગર જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ દારૂ જુગારની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા તાબાના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે નવ નિયુક્ત દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈએ ચાર્જ લેતાની સાથે જ દારૂની બદીને ડામી દેવા સર્વેલન્સ સ્ક્વોર્ડને પણ તાકીદ હતી. જેના પગલે પોલીસ સ્ટાફે છેલ્લા એક અઠવાડિયાથી નાના નાના બૂટલેગરોને પકડીને સંતોષ માની લીધો હતો. બાતમીના આધારે LCB પોલીસના ગોડાઉનમાં દરોડાગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, દહેગામ ઝાંક GIDC વિસ્તારમાં આવેલા વાઈબ્રન્ટ પ્રાઈમ એન્ડ પાર્કમાં એક પ્લોટ નંબર 159ના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી. પરમારની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી દહેગામ પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. એલસીબીએ કટરથી લોક તોડી ગોડાઉનમાં પ્રવેશ કર્યોજોકે, ગોડાઉનના મુખ્ય દરવાજા પર લોક મારેલું હતું અને સ્થળ પર કોઈ હાજર મળી આવ્યું નહોતું. પરંતુ બાતમી ચોક્ક્સ હોવાથી એલસીબીએ કટર વડે લોક તોડીને ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ગોડાઉનની અંદર તપાસ કરતા ચાવી સાથે એક બંધ બોડીનું પિકઅપ ડાલુ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા અંદર ખાખી પૂંઠાના બોક્સમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો સંતાડેલો જોવા મળી આવ્યો હતો. LCBએ દારૂની બોટલ સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોજેના પગલે ડાલુ એલસીબી કચેરીએ લાવીને ગણતરી કરવામાં આવતા વિદેશી દારૂ અને બિયરનો કુલ 2340 નંગ જથ્થો માલી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ. 11 લાખ 32 હજાર 800 થાય છે. જેના પગલે એલસીબીએ દારૂનો જથ્થો તેમજ ડાલુ મળીને કુલ રૂ.18,32,800 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એલસીબીએ ગોડાઉનમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડ્યો હોવાનું જાણીને એક બિલ્ડર પણ સ્થળ ઉપર દોડી જવું પડ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પંડિત ઓમકારનાથ કલા ભવન છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બંધ છે. શહેરનો એકમાત્ર ટાઉનહોલ બંધ હોવાને કારણે સાંસ્કૃતિક સંસ્થાઓ અને કલા પ્રેમીઓને કાર્યક્રમો યોજવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સંગીત ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુરના નામ પરથી આ ટાઉનહોલ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2014માં આરએનબી વિભાગ દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે 672 બેઠકો અને આધુનિક સ્ટેજ સાથે તેનું નવીનીકરણ કરાયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. શરૂઆતના વર્ષોમાં અનેક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજાતા હતા. જોકે, થોડા જ વર્ષોમાં હોલની અંદર અને બહારની છત પર તિરાડો પડી ગઈ હતી અને સીલિંગ તૂટી પડતા વરસાદી પાણી સ્ટેજ અને ખુરશીઓ પર પડવા લાગ્યું હતું. સલામતીના કારણોસર નગરપાલિકાએ હોલ બંધ કરવાનો અને સમારકામ કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષ 2025ના માર્ચ મહિનામાં મળેલી બજેટ સભામાં નવીનીકરણનો નિર્ણય લેવાયો હોવા છતાં આજદિન સુધી કામગીરી શરૂ ન થતાં કલા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. તેઓ વહેલી તકે નવીનીકરણની માંગ કરી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે દોઢથી બે મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે
ભાવનગર શહેરમાં પાનવાડી નજીક મનપા દ્વારા 9થી 10 કરોડના ખર્ચે સરદાર બાગ (પિલગાર્ડન) બનાવવામાં આવ્યો છે, ત્યારે ગાર્ડનની અંદર બે શૌચાલયોની નિયમિત સફાઈ ન થતા બગીચામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોની માગ છે કે, આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગાર્ડનની નિયમિત સફાઈ કરવામાં આવે. જોકે, ગાર્ડનના શૌચાલયમાં સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત કરી આપવામાં આવશે તેમ ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. શૌચાલયોની નિયમિત સફાઈ ન થતાં ગંદકીના જોવા મળીભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા સરદાર બાગને અંદાજિત 9થી 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પણ ગાર્ડનમાં અનેક રમતગમતના સાધનો ખંડેર હાલતમાં પડ્યા છે. સાથે ગાર્ડનમાં બે શૌચાલયો આવેલા છે જેની નિયમિત સફાઈ થતી નથી અને ગંદકી જોવા મળી રહી છે, ત્યારે આ ગાર્ડનમાં આવતા લોકો શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ગાર્ડનમાં નિયમિત સફાઈ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે. આ ગાર્ડનનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવે: આશિષ બલદાણીયાસ્થાનિક આશિષ બલદાણીયાએ જણાવ્યું હતું કે, અમે અહીં ગાર્ડનમાં અવારનવાર ચાલવા અને બેસવા આવીએ છીએ. પિલ ગાર્ડનમાં નિયમિત શૌચાલયની સફાઈ થતી નથી. મહાનગરપાલિકાને વિનંતી છે કે, આ ગાર્ડનમાં નિયમિત શૌચાલયની સાફ-સફાઈ કરવામાં આવે અને ગાર્ડનમાં ઘણો ગંદકીવાળો થાય છે. એની પણ કોઈ સફાઈ કરવામાં આવતી નથી. આશિષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સફાઈવાળા આવે છે પણ બહારતી સાફ કરી ફોટા પાડીને જતા રહે છે. અંદરનું જે મેન્ટેનન્સ થવું જોઇએ એ થતું નથી. અમારી મહાનગરપાલિકાને વિનંતી છે કે, આ ગાર્ડનમાં રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવે. સિવિલ વર્કનું કામ પૂર્ણ થતાં વ્યવસ્થિત કરી આપીશું: બી.એમ. અડવાણીગાર્ડનના શૌચાયલોમાં અનિયમિત સફાઈ બાબતે ગાર્ડન વિભાગના અધિકારી બી.એમ. અડવાણીએ જણાવ્યું હતું કે, પિલ ગાર્ડનમાં શૌચાલય આવેલા છે તેની નિયમિતપણે સાફ સફાઈ કરતા રહીએ છીએ અને સૂચનાઓ પણ આપવામાં આવી છે. અમે પણ મુલાકાત કરીએ છીએ અને જે એક શૌચાયલમાં રિપેરિંગની સિવિલ વર્કની જરૂરિયાત હતી જેનું બિલ્ડિંગ વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, શૌચાલયમાં સિવિલ વર્ક પૂર્ણ કરી તેને વ્યવસ્થિત કરી લોકો તેનો સારી રીતે ઉપયોગ કરી શકશે. ગાર્ડનમાં કોઈપણ જગ્યાએ કચરો જોવા મળે તો ત્યાંથી તરત જ સફાઈ કરવાની સૂચનાઓ સફાઈ કામદારોને આપવામાં આવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM KUSUM) યોજનાના અમલને લઈને ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોને મફત સોલાર પંપ આપવાની જાહેરાત બાદ હવે 40 ટકા રકમ ભરવાની નોટિસ મળતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. યોજના હેઠળ શરૂઆતમાં ખેડૂતોને મફત સોલાર પંપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના આધારે હનમતમાળ, હતનબારી, બોપી, ખામદહાડ, મનાઈચોંઢી, ગડી બિલધા, વણખાસ, ખાંડા, શિશુમાળ અને ભવાડા સહિતના ગામોના ખેડૂતોએ અરજીઓ કરી હતી. ત્યારબાદ ધરમપુર GEB વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. હાલમાં ધરમપુર GEB વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસ પાઠવી સોલાર પંપની કિંમતના 40 ટકા રકમ ભરવાની શરત મૂકવામાં આવી છે, આના કારણે ખેડૂતોમાં ભારે ગેરસમજ અને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, અરજી સમયે તેમને મફત સોલાર આપવાની સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી, જ્યારે હવે રકમ ભરવાની શરત મૂકવી અન્યાયપૂર્ણ છે. આ બાબતે હનમતમાળ ગામના સરપંચ વિજયભાઈ, બોપી ગામના સરપંચ બાલુભાઈ, સામાજિક આગેવાન ચેતનભાઈ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળે નાયબ કાર્યપાલક ઈજનેર (ધરમપુર ડિવિઝન-2), કલેક્ટર વલસાડ અને પ્રાંત અધિકારી ધરમપુરને રજૂઆત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વિસ્તારનો કોઈપણ ખેડૂત 40 ટકા રકમ ભરવા સક્ષમ નથી અને તેમને યોજનામાં છેતરપિંડી થઈ હોવાની ભીતિ છે. તેમણે માંગણી કરી છે કે, PM KUSUM યોજનામાં જે રીતે મફત સોલાર આપવાની વાત કરવામાં આવી હતી, તે મુજબ તમામ અરજી કરનાર ખેડૂતોને મફત સોલાર પંપ આપવામાં આવે.
પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ રાજ્યમાં વધુ એક બાળકી દુષ્કર્મનો ભોગ બની.ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ.. પોલીસે બાળકીના મામા સહિત ચાર શકમંદોની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ભૂલ્યુ સરદાર પટેલની પુણ્યતિથિ વડોદરામાં કોંગ્રેસે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પુણ્યતિથિ ઉજવી. જીવના જોખમે પુષ્પાંજલિ અર્પણ કરી.જો કે ભાજપ પુણ્યતિથિ ભૂલી જતા કોંગ્રેસે તેના પર પ્રહાર પણ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 40 વર્ષ પહેલા બનાવાયેલા મકાનો તોડી પાડવામાં આવશે અમદાવાદના થલતેજમાં સ્નેહાંજલિ સોસાયટીના મકાનોને 40 વર્ષે ગેરકાયદેસર ઠેરવી તોડી પાડવામાં આવશે. રહીશોએ પોતાના ઘર બચાવવા આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 40 વર્ષ પહેલા બનેલી સોસાયટીમાં હવે જમીન માલિક કોઈ બીજો નીકળતા આ સ્થિતિ થઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્રોસરી એપ્સ ઘરે પહોંચાડી રહી છે ગોગો પેપર્સ સુરતમાં ઓનલાઈન ગ્રોસરી એપ ડિલિવર કરી રહી છે ગાંજો પીવા માટે વપરાતા ગોગો પેપર્સ.ગાંજા પર પ્રતિબંધ છે પણ ગોગો પેપર્સ બેરોકટોક મળી રહ્યા છે.ભાસ્કરના રિયાલીટી ચેકમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટિરોઈડથી મળેલી રાહતને ઈસુનો ચમત્કાર કહેતો સુરતમાંથી સામે આવ્યું ધર્માંતરણ કૌભાંડ. આયુર્વેદિક ડોક્ટર આદિવાસી દર્દીઓને સ્ટિરોઈડથી ટેમ્પરરી રાહત અપાવતો. અને આને ઈસુનો ચમત્કાર ગણાવી ધર્મપરિવર્તન કરાવતો. કૌભાંડમાં સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને 2-3 શિક્ષકો મુખ્ય સુત્રધાર હોવાનો પોલીસે ખુલાસો કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોત રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા રોડ એક્સિડેન્ટમાં વાવ-થરાદના ત્રણ યુવકોના મોત નીપજ્યા. નેશનલ હાઈવે પર પિંડવાડા નજીક ટ્રકમાંથી માર્બલ બ્લોક ફોર્ચ્યુનર પર પડતા દૂર્ઘટના સર્જાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિવારને નાત બહાર મુકતા કિંજલે બળાપો ઠાલવ્યો બ્રહ્મ સમાજે પરિવારને નાત બહાર મુકતા કિંજલ દવેએ દીકરીઓના અધિકારો પર પોતાનો પક્ષ મુક્યો. સાથે જ જો પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરાશે તો કાયદેસર કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દબાણ હટાવવાની કામગીરી પહેલા જ વિરોધ ભાવનગરમાં 17 ડિસેમ્બરથી ખરાબાની સરકારી જમીન અને ગૌચર પર કરાયેલા દબાણો દૂર કરાશે. જો કે ડિમોલિશન પહેલા જ 20થી વધુ આઇસરમાં 4 હજારથી વધુ લોકો તળાજા મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપી ગરીબોના ઘર ન તોડવા આજીજી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લવ જેહાદના આક્ષેપ સાથે યુવક સાથે મારામારી સુરતમાં એબીવીપીના કાર્યકરોએ જાહેરમાં એક યુવકને મેથીપાક ચખાડ્યો. યુવક છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીનો પીછો કરી તેને હેરાન કરતો હોવાનો કાર્યકરોનો આક્ષેપ છે. અનેક વાર સમજાવવા છતાં ન માનતા યુવકને આ રીતે સમજાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો2-3 ડિગ્રી વધ્યા બાદ પણ ઠંડી યથાવત રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીના વધારા બાદ પણ ઠંડીનો અનુભવ યથાવત.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા આ સ્થિતિ ઉભી થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીજા દિવસે સવારે સોજીત્રાના પલોલ ગામમાં પ્રાકૃતિક કૃષિ કરતા અમિતભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ જાતે હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના ફાયદા અને પદ્ધતિઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિ દ્વારા વધુ ઉપજ કેવી રીતે મેળવી શકાય તે અંગેના વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. ખેડૂતોના પ્રશ્નોના જવાબો આપીને તેમને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધા બાદ રાજ્યપાલ રૂણજ ગામમાં સરદાર સ્મૃતિ વન પહોંચ્યા હતા. ત્યાં તેમણે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલે વડના છોડનું વાવેતર કરીને અધિકારીઓને ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવાની સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરમુક્ત કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, આ કામગીરીના ભાગરૂપે પકડાયેલા ઢોરને રાખવા માટે કરાયેલી કામચલાઉ વ્યવસ્થા સામે ગૌરક્ષકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે તંત્રની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ગૌરક્ષક સાજન ભરવાડના જણાવ્યા અનુસાર, હાલમાં દૂધિયા તળાવ પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આશરે 150 થી 200 ગાયોને રાખવામાં આવી છે. ગૌરક્ષકોનો મુખ્ય વાંધો આ વ્યવસ્થાની અપૂરતીતા પર છે. ગૌરક્ષકોના મતે, 150 થી 200 ગાયો માટે આ જગ્યા અત્યંત નાની છે. ઢોરોને પૂરતો ઘાસચારો અને પાણી આપવામાં આવતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે, ચાર દિવસમાં માત્ર 200 ગુણી ચિમણીના મળે છે. વધુમાં, સ્થળ પર કાયમી ધોરણે કોઈ વેટરનરી ડૉક્ટર હાજર નથી. ગૌરક્ષકોએ સવારે ફોન કર્યા બાદ ડૉક્ટરોએ આવીને ઓછામાં ઓછી છ ગાયોની સારવાર કરી હતી. મૃત થયેલી ત્રણ ગાયોને ડમ્પિંગ સાઇટ પર ખુલ્લી નાખી દેવાઈ હતી. ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો કે, કોર્પોરેશન પાસે કરોડોના સાધનો હોવા છતાં ખાડો ખોદીને ઢોરને દાટવામાં આવતા નથી. ગૌરક્ષકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું છે કે, આ ગાયો પકડવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ ગાયો જ્યાં દુઃખી થાશે ત્યાં ગૌરક્ષકો કદાપિ ચલાવી લેશે નહીં. તેમણે તંત્રની નીતિ સામે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, મંત્રીઓના પ્રવાસ દરમિયાન રૂ. 2000ની ડીશનું બિલ બનાવાય છે, જ્યારે ઢોર પાછળ માત્ર રૂ. 200નો ખર્ચ કરાય છે. આ અંગે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ છે. હાલમાં આશરે 100 કરતાં વધુ ઢોરોને દુધિયા તળાવ પાસેના ખાલી પ્લોટમાં કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ આક્ષેપો અંગે ખુલાસો આપવામાં આવ્યો છે કે, કોર્પોરેશન દ્વારા કલેક્ટર પાસેથી કાયમી પાંજરાપોળ માટે જમીનની માંગણી કરવામાં આવી હતી. કલેક્ટરે ખાંભલાઓમાં જગ્યા ફાળવી છે અને ત્યાં પાંજરાપોળ બનાવવાની કામગીરી શરૂ છે. આ પાંજરાપોળ આશરે ત્રણથી ચાર મહિનામાં બની જશે, ત્યારબાદ પકડેલા ઢોરને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. હાલમાં જિલ્લાના વેટરનરી ઓફિસર સાથે વાતચીત ચાલુ છે. ઉપરાંત, જરૂર પડ્યે છ મહિના માટે આઉટસોર્સથી નવા વેટરનરી અધિકારીની કોન્ટ્રાકચ્યુઅલ નિમણૂક કરવામાં આવશે, જેથી બીમાર ઢોરોની સમસ્યાનું સમાધાન થઈ શકે. હાલમાં જિલ્લા પંચાયતના વેટરનરી ઓફિસર દ્વારા ઢોરોને ત્રણથી ચાર અલગ-અલગ જગ્યાએ સારવાર માટે લઈ જવામાં આવે છે. તેમજ મૃત ઢોરને નજીકના પાંજરાપોળની વ્યવસ્થા મુજબ વ્યવસ્થિત વિધિ પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે. કોર્પોરેશનનું કહેવું છે કે, ગૌરક્ષકો સાથે તેઓ સહયોગમાં છે અને કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હાલની કામચલાઉ વ્યવસ્થામાં પૂરતી કાળજી લેવામાં આવશે.
અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે(14 ડિસેમ્બર) બે મહિલાઓએ ત્રણ પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ પર હુમલો કરીને તોફાન મચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ એક મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને પોલીસ સ્ટેશન સળગાવી દેવાનું પણ કહ્યુ હતું. બે મહિલાઓ પોલીસ સ્ટેશન ઓફિસર (PSO)ને પૂછ્યા વગર લોકઅપમાં બંધ આરોપીને મળવા માટે પહોચી ગઈ હતી. જેને લઈને મામલો બીચક્યો હતો. મહિલા પોલીસ કર્મચારી સહિતના કર્મીઓએ મહિલાઓને ટોકતા બબાલ થઈ હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીમહિલા પોલીસ કોન્સ્ટેબલ દેવલબેને નિકોલ પોલીસ સ્ટેશનમાં હિનલ હિતેન્દ્ર સીંગોલીયા તેમજ વિશાખા વિનોદ મકવાણા (બન્ને રહે, કે.જે.કડીયાની ચાલી, અસારવા) વિરૂદ્ધ હુમલાની તેમજ સરકારી કામમાં અડચળ ઉભી કરવાની ફરિયાદ કરી છે. દેવલ નિકોલ પોલીસ સ્ટેશનમાં PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે ફરજ નીભાવે છે. PSOમાં દેવલની સાથે ASI ચંદ્રવદન તેમજ પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ ભરત પણ કામ કરે છે. આરોપીની પત્નીએ ગઈકાલે પણ માહોલ તંગ કરી દીધો હતોનિકોલ પોલીસે ચોરીના કેસમાં હિતેન્દ્ર ઉર્ફે ટશન સીંગોલીયાની ધરપકડ કરી છે. હાલ હિતેન્દ્ર નિકોલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે અને તેની પત્ની હિનલે ગઈકાલે માહોલ તંગ કરી દીધો હતો. પીએસઓની પરમીશન વગર ગઈકાલે હિતેન્દ્નને મળવા માટે બે મહિલા લોકઅપ પાસે પહોચી ગઈ હતી. મહિલાઓને જોતાની સાથે જ એએસઆઈ ચંદ્રવદને કહેવા લાગ્યા હતા કે તમે કેમ એકદમ પૂછ્યા વગર લોકઅપ પાસે આવીને આરોપી સાથે વાત કરી રહ્યા છો. ચંદ્રવદને વધુમાં જણાવ્યુ હતું કે તમે ગઈકાલે પણ આરોપી સાથે લોકઅપ પાસે આવીને વાત કરી હતી, તમે કોઈનું ગણકારતા નથી. બન્ને મહિલાઓ PSO ટેબલ પાસે આવીને બબાલ કરવા લાગી હતીચંદ્રવદનની વાત સાંભળીને મહિલાઓ એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અનેં જોરજોરથી બુમો પાડીને બબાલ કરવા લાગી હતી. દેવલબેને મહિલાઓને રોકી હતી અને બહાર નીકળી જવાનું કહ્યુ હતું જેથી મામલો વધુ બીચક્યો હતો. મહિલાઓએ દેવલબેનને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. બંને મહિલાઓ તરત જ PSO ટેબલ પાસે આવીને બબાલ કરવા લાગી હતી. બંને મહિલાઓએ દેવલબેનને જાહેરમાં લાફા મારી દીધામહિલાઓએ તરજ ત દેવલબેન પર હુમલો કરી દીધો હતો. જેના કારણે માહોલ તંગ થઈ ગયો હતો. દેવલબેન સહિતના પોલીસ કર્મચારીઓ બળ વાપરીને બંને મહિલાઓને PSO ટેબલની બહાર લાવી દીધી હતી. બહાર આવતાની સાથે જ બંને મહિલાઓએ દેવલબેનને જાહેરમાં લાફા મારી દીધા હતા. બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને લાફા મારી દીધામહિલાઓએ દેવલબેન સહિતના પોલીસ કર્મચારીઓને જણાવ્યુ હતું કે આજે તો તમારૂ પોલીસ સ્ટેશન સળગાવી દઈશુ અને તમને બધાને જાનથી મારી નાખીશું. મહિલાઓએ બુમાબુમ કરતા બીજા પોલીસ કર્મચારી તેમજ હોમગાર્ડ પણ દોડી આવ્યા હતા. બીજા પોલીસ કર્મચારીઓએ પણ મહિલાઓને શાંતિથી વાત કરવાનું કહેતા મામલો વધુ બીચક્યો હતો. બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલ ભરત અને હોમગાર્ડ સોહનને લાફા મારી દીધા હતા. મહિલાઓએ ધમકી આપી હતી કે તમે બધા પોલીસ સ્ટેશનની બહાર આવો તો તમને જાનથી મારી નાખીશ. મહિલાઓ માથાકુટ કરીને ત્યાથી જતી રહી હતી. દેવલે આ મામલે બંને મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બોટાદમાં દરજી સમાજ અખિલ યુવા 112 ગોળ ટ્રસ્ટ દ્વારા રાહત દરે મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરજી સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. સંજય કણજરીયા, ડો. જયેશ જાંબુકિયા અને ડો. સંસ્કૃતિ સોલંકીએ તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી. તેમણે દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી સલાહ-સૂચનો પૂરા પાડ્યા હતા. ટ્રસ્ટ દ્વારા દર મહિને નિયમિતપણે દરજી સમાજની વાડી ખાતે રાહત દરે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પહેલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.ડો. સંજય કણજરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આરોગ્ય સેવાને વધુ વ્યાપક બનાવવા માટે બોટાદ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં પણ રાહત દરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતથી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ રાહતદરે તબીબી સેવાઓ મળવાની આશા જાગી છે.ટ્રસ્ટના આ પ્રયાસથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને જરૂરિયાતમંદ લોકોને સસ્તી અને સારી તબીબી સારવાર મળી રહેશે.
ધાર્મિક સ્થળ તરીકેની પવિત્ર ઓળખ ધરાવતા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં, ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલી રહેલા એક મોટા સાઈબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા કેરાળા ગામમમાં અવધૂત આશ્રમની ગૌશાળા આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ ગૌશાળામાં રહેતા અને ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરીને આ સમગ્ર સાયબર ફ્રોડનું મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે. SOG દ્વારા કલ્યાણગીરી સામે પૂરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે(14 ડિસેમ્બર, 2025) SOGએ પૂછપરછ કરતા અડધી રાત્રે સાગરિતો કલ્યાણગીરીને મળવા માટે પહોંચ્યા હતા. મહંત કલ્યાણગીરી અને સાગરિતો વચ્ચે રાત્રે થયેલી આ વાતચીતનો વીડિયો ભાસ્કરને પણ મળ્યો છે. જેમાં તેમણે સ્વીકાર્યું છે કે, સાયબર ફ્રોડ માટે બેંક કીટ આપી હોવાનું સ્વીકાર્યું છે. અવધૂત આશ્રમના ભાગરૂપે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કના સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગત 12 ડિસેમ્બરના રોજ SOGના હાથે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને છેતરપિંડી આચરનાર અભય પરસાણિયાની ધરપકડ થતાં, સમગ્ર કોભાંડમાં બાપુનો ખેલ ઉઘાડો પડ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો, કલ્યાણગીરીના ખાતામાં લાખો રૂપિયા જમા થયાકલ્યાણગીરી બાપુની સંડોવણી સામે આવતા જુનાગઢ SOGએ તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે. આ ફંડ સાયબર ફ્રોડનું છે કે અન્ય કોઈ રીતે આવ્યું છે, તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આટલું થવા છતાં પણ કલ્યાણગીરી જેના શિષ્ય છે તેવા ભવનાથ ક્ષેત્રમાં અવધૂત આશ્રમનો વહીવટ કરતા મહાદેવ ગીરીએ કહ્યું કે મને આ મામલે કંઈ ખબર જ નથી. પરંતુ ગૌશાળામાં કે આશ્રમમાં જે દાન આવે છે તેનો હિસાબ રાખવો સરકારી નિયમો મુજબ જરૂરી હોય છે. કલ્યાણગીરી મહંત તરીકેની ઓળખ ધરાવે છે અને તેમને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનું મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી બાપુ યુવાનોને સરળતાથી રૂપિયા કમાવવાની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લેતા હતા. યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથેસાથે રૂપિયા કમાવવાની લાલચ આપતાગૌશાળાના હિંચકા ઉપર બેસીને યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથેસાથે રૂપિયા કમાવવાની લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળતા હતા. આ વિશ્વાસનો લાભ લઈને તે યુવાનો પાસેથી તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી માટે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે થતો હતો. બાપુ હંમેશા યુવાનોને ડર્યા વગર આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. બાપુ યુવાનો સાથે મળી બેંક કીટ તૈયાર કરતાબેંકમાંથી ફ્રોડના પૈસા કાઢી આવ્યા બાદ આ યુવાનોને ટકાવારી (કમિશન) મળતી હતી. આ રકમ જમા થયા બાદ એક કહેવાતા બાપુનો માણસ જેનું પણ બેંક એકાઉન્ટ હોય તેની સાથે હાજર રહેતો હતો. આ પ્રકારે બાપુ યુવાનોના બેંક એકાઉન્ટ અને તેની અન્ય વિગતો મળીને કીટ તૈયાર કરતા હતા, અને જેનો ઉપયોગ રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડમાં થતો હતો. આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર પાસે કલ્યાણગીરી બાપુનો એક વીડિયો આવ્યો છે. આ વીડિયોમાં અડધી રાતે આ છેતરપિંડી આચરતા અને કલ્યાણગીરી સાથે સંકળાયેલા યુવકો બાપુની ગૌશાળાએ પહોંચે છે અને બાપુને કહી રહ્યા છે કે બાપુ હવે કંઈક કરો. આ વીડિયોમાં SOGના હાથે ઝડપાયેલા અભય અને ભાર્ગવ વિશે ચર્ચા થઈ રહી છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું ઊંડું છે. કલ્યાણગીરીની સાગરિતો સાથે અડધી રાત્રે શું શું વાત થઈ? યુવક: બાપુ, ગુજરાતમાં લાખો રૂપિયાની ફરિયાદ નોંધાઈ છે, અને અભય ચુડાસમા અને અન્ય એક યુવક SOGના હાથે ઝડપાઈ ગયા છે. તેના નામની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. બાપુ, આપણે કોઈ સેટિંગ કરેલું છે કે પછી...?બાપુ: સેટિંગમાં એવું છે કે ભાર્ગવને તો મોકલી દઈશું, પણ આ અભયનું કઈ રીતે થયું તે ખબર નથી પડતી. યુવક: આ અભિને કેવી રીતે બેસાડયો ?બાપુ: એ જ ખબર નથી પડતી કે અભિને શા માટે બેસાડ્યો છે. અભિ અલગથી હાજર થયો છે. મેં ભાર્ગવને ના પાડી હતી. યુવક: બાપુ, તમે કેવી રીતે હાથમાં આવ્યા?બાપુ: હું અહીંથી જવાની તૈયારી કરતો હતો અને પોલીસની ગાડી સામે આવી ગઈ. મને એવું લાગ્યું કે હું મારો ફોન વડાલની દુકાને મૂકી દઉં. મને ફોન આવ્યો અને હું અહીં કહેવાનો હતો કે હું સાબલપુર સુધી જઈને આવું, કારણ કે આવું તો અહીં કહેવાય નહીં કે આમ થયું છે. પરંતુ મેં જોયું તો ગાડી સામે આવી ગઈ હતી અને મને ખબર પડી કે કંઈક લોચે ચડ્યું છે. યુવક: ફરિયાદ નોંધાઈ ગઈ છે. હવે તેના જામીનનું શું થશે?બાપુ: તેને કોર્ટમાં હાજર કરવો પડશે. યુવક: બાપુ, 14 લાખની એન્ટ્રી થઈ છે તેનું શું છે?બાપુ: અમે કંઈ છૂટ્યા નથી. મારે સવારે 10 વાગે જવાનું છે. યુવક: બાપુ, તમને કેમ પોલીસે ઉપાડ્યા?બાપુ: મૂળ તો 3 લાખની જ મેટર હતી. પરંતુ પ્રિયાંકે ભાર્ગવનું નામ દીધું. પણ ભાર્ગવે મારું નામ દીધું ન હતું. મારું નામ તો પ્રિયાંકે દીધું, ભાર્ગવ થોડું મારું નામ આપે. યુવક: હાલ સાગરો ફરાર છે. મેં એને કહ્યું છે કે તું બહાર જ રહેજે.બાપુ: તું બે દિવસ ખમી જા, કારણ કે આ બે દિવસની હાર (લાઈન) હતી, હર્ષ સંઘવીની. આમાં જે ઝપટે ચડી ગયા તે છૂટે તેમ ન હતા. કાલે હજુ અમારા પર ગુનો દાખલ થશે કે નહીં થાય તે કેમ ખબર. યુવક: બાપુ, આમાં બીજા કોઈના નામ આવ્યા કે નથી આવ્યા? સાગરનું તો આવી ગયું ચાલો. બાપુ: (ગુસ્સામાં) તારો મારામાં કોલ આવ્યો તે ખોટું થયું, તારે મને ફોન કરવાની જરૂર નથ. મને પોલીસે પૂછ્યું કે સમીપનો ફોન અમારામાં કેમ આવ્યો? મેં પોલીસને કહ્યું કે આશ્રમે વસ્તુ લેવા-દેવા જવાનું હોય તો સમીર આવતો. એમ તો અમે તમને બધાને બહાર જ રાખ્યા છે. હવે અભયના જામીન સિવાય કંઈ ન થાય. અમારા પર ગુનો થશે તો પણ એ જ થશે. અમને આશ્રમ પાછા આવવા દીધા તો તે બાપુના હિસાબે આવવા દીધા છે. હમણાં પરિક્રમા સાથે કરી એટલે બાપુ અને પોલીસ અધિકારીઓ સાથે હતા, એટલા માટે અમને અહીં આવવા દીધા છે. અભીને કહ્યું હતું કે તું નીકળી જા, કારણ કે મારા ફોન તો પોલીસે રાખી દીધા હતા અને મારી પાસે તેના નંબર પણ ન હતા. યુવક: ભાર્ગવનો કોલ આવ્યો એટલે મેં કહ્યું કે બાપુને સીધો કોલ કર અને મેં તમને કીધું કે બાપુ તમે તમારો કોલ બંધ કરો અને આડાઅવળા થઈ જાવ, અમારા કોન્ટેક્ટમાં ન રહેજો.બાપુ: આડાઅવળા ક્યાં થાય, તો તો પોલીસ સામે આવી ગઈ હતી. બાપુ: (ચેતવણી આપતાં) હમણાં છ મહિના કોઈ એકબીજાને મળતા નહીં, કારણકે ખાસ વાત એ છે કે મુન્ના બધા નંબર ટ્રેકિંગ પર નાખ્યા છે. આ ધંધો હવે કરતા જ નહીં. ઉપાધિ હવે કરોમાં, અભયના જામીનનું કરો. એટલે તો મેં ભાર્ગવને કહ્યું હતું કે સમીરને કહેજે કે આવે જ નહીં બે-ત્રણ દિવસ. આપણું પતી જાય પછી કંઈ ન થાય. યુવક: એક એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા નાખ્યા છે, અને અજિતને એટલા માટે ઉપાડ્યો છે કે તેના એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન ત્રણ વાર થયા છે.બાપુ: મેં તેને કીટ જ આખી આપી હતી. એક કીટનું બહાર આવ્યું છે મહારાષ્ટ્રમાંથી, 15 લાખની તો માત્ર ફરિયાદ છે, તેને આખી કીટ આપેલી છે. ચાર જણાના નામ તો કાલે જ આવ્યા હતા. મને, આનંદને અને પ્રિયાંકને ત્રણ જણાને જ SOGએ બોલાવ્યા હતા. એક બીજો છોકરો હતો તેને જવા દીધો હતો. તું હમણાં દીદી આખો પાછો રહેજે. યુવક: બાપુ, મોબાઇલ તો ચાલુ રાખો.બાપુ: મોબાઇલ ચાલુ ન રાખતો. સીધું લોકેશન કાઢશે. નંબર ફેરવી નાંખ, બીજો લઈ લે. એવું લાગે તો બે-ત્રણ દી બહાર જ ચાલ્યો જા, કચ્છ ચાલ્યો જા. બીજું કંઈ નહીં થાય. આખું નવેસરથી ખુલશે. આ પતી ગયું છે, પરંતુ ઓલું નવેસરથી ખુલશે. હવે કોઈને ઓટવાડવાના નથી. મેં ભાર્ગવને કાલે તે જ કહ્યું હતું કે પીને હાજર ન કરાવતા. યુવક: તમારું નામ ભાર્ગવે દીધું છે, અને બે ફડાકામાં જ તમારું નામ આપ્યું છે.બાપુ: વાંધો નહીં, હવે જે થયું છે તે પતાવવાની વાત છે. FIR થઈ જાય, ગુન્હો નોંધાઈ જાય એટલે વાત પતી જાય. બીજું ન થાય તારા પર. અભયની ધરપકડ થઈ અને કલ્યાણગીરીનો ખેલ ખૂલ્યો મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં કલ્યાણગીરી બાપુના બેંક એકાઉન્ટની વિગતો સામે આવી હતી. આ તપાસમાં અન્ય યુવકોની સંડોવણી પણ ખુલી હતી.પોલીસે અભય પરસાણિયા અને અજીત ગરેજા નામના બે યુવકો વિરુદ્ધ 24 લાખથી વધુની છેતરપિંડી આચરવા બદલ વંથલી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાપુએ યુવાનોને ઉપદેશ આપીને બેંક એકાઉન્ટ આપી દેવા માટે પ્રેર્યા હતાઅભયની ધરપકડ બાદ, આ સમગ્ર મામલાના તાર કેરાળા નજીક આવેલ ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સુધી પહોંચ્યા હતા, અને છેલ્લા ત્રણ દિવસથી SOG દ્વારા તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પૂછપરછમાં બાપુએ યુવાનોને ઉપદેશ આપીને બેંક એકાઉન્ટ આપી દેવા માટે પ્રેર્યા હતા, તે હકીકત સામે આવી છે. ત્રણ દિવસ પહેલા અભય પરસાણિયાની ધરપકડ થઈ છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુનાગઢના બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને વંથલી પોલીસ સ્ટેશનમાં પણ કલ્યાણગીરી બાપુ વિરુદ્ધ નવી ફરિયાદો નોંધાય તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ, ધરપકડ કરાયેલા યુવક અભય ચુડાસમાના માતાનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારે આક્રંદ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારો દીકરો અભય ચુડાસમા કલ્યાણગીરી બાપુને ત્યાં અવધૂત આશ્રમમાં નોકરીએ જતો હતો. બાપુએ તેને કામ માટે બોલાવ્યો હતો. મારો દીકરો હાલ જેલમાં છે અને અમને મા-દીકરાને કંઈ થશે તો તેની જવાબદારી કલ્યાણગીરી બાપુની રહેશે. અમને ન્યાય અપાવો. કલ્યાણગીરીનું મૂળ વતન સાવરકુંડલા, 5 વર્ષથી ગૌશાળા સંભાળે છે: મહાદેવગીરીઆ વિવાદમાં ભવનાથ અવધૂત આશ્રમનો વહીવટ સંભાળતા મહાદેવગીરી બાપુએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મને બીજી કોઈ ખબર નથી. કલ્યાણગીરી મૂળ સાવરકુંડલાના છે અને સંન્યાસ ધારણ કર્યા પહેલા તેનું નામ કેતન હતું. તે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા હતા અને છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા.તેમણે વાઇરલ વીડિયો મામલે પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસ હાલમાં માત્ર સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટની જ નહીં, પરંતુ બાપુના બેંક ખાતામાં જમા થયેલા લાખો રૂપિયા સાયબર ફ્રોડના છે કે ટ્રસ્ટ અને સેવાકીય સંસ્થાઓમાં આવતા કરોડો રૂપિયાના ફંડમાંથી આવ્યા છે, તે મામલે પણ વધુ તપાસ કરી રહી છે. ભગવાની આડમાં ચાલતા આ મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
સુરતના સિંગણપોર વિસ્તારમાં એક હચમતાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ટેમ્પાચાલકે પોતાની ગભલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ટેમ્પોચાલક ફ્રૂટની લારી લઈની જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલાચાલક સહિત ત્રણ વાહનોને અડફેટે લેતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ટેમ્પોચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછડીને 5 ફૂટ દૂર સુધી પટકાય છે. ત્યાર બાદ ટેમ્પાચાલકે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલા ચાલક સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડે છે. આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મુકતા પણ જોવા મળે છે. ટેમ્પાચાલકે ફ્રૂટની લારી લઈ જતા વૃદ્ધાને ટક્કર મારીપ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલાં એક 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પુરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે સામેથી આવતા ટેમ્પો (GJ 05 BZ 9280) ચાલકે તેમને અને ફ્રૂટની લારીને જોદરાર ટક્કર મારી હતી. વૃદ્ધ મહિલા 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈ હતી. બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા ફર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો. જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. મહિલા ચાલક સહિત ત્રણ વાહનોને 8 ફૂટ સુધી ઢસડ્યાવૃદ્ધાને અડફેટે લીધા બાદ બેફામ ટેમ્પાચાલકે આગળ આવતા ત્રણ વાહનચાલકોને પણ ટક્કર મારી હતી. જેમાં એક મહિલા મોપેડચાલક સહિત ત્રણ વાહનોને 8 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જોકે, આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઇજા થઈ હતીઅકસ્માત થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બે વ્યક્તિઓને માથાના બાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃદ્ધા અને બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામના 84 વર્ષીય વૃદ્ધની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. તેમને છેલ્લા 20 વર્ષથી પ્રોસ્ટેટ ગ્રંથિની ગંભીર સમસ્યા હતી, જેનો હવે અંત આવ્યો છે. વૃદ્ધને છેલ્લા બે દાયકાથી પ્રોસ્ટેટની તકલીફ હતી. લાંબા સમય સુધી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધા છતાં કોઈ નિશ્ચિત પરિણામ મળ્યું ન હતું. તાજેતરમાં અચાનક પેશાબ સંપૂર્ણપણે બંધ થઈ જતાં તેમને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જરૂરી રિપોર્ટ્સ બાદ જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટ ગ્રંથિ 183 ગ્રામ જેટલી વધી ગઈ હતી, જેને કારણે તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. ખાનગી હોસ્પિટલના તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની સલાહ આપી હતી. જોકે, તેમના પરિચિત અને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીનો સંપર્ક કરતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા સૂચવવામાં આવ્યું. ગત 20 નવેમ્બરના રોજ દર્દીને દાખલ કરવામાં આવ્યા બાદ તમામ રિપોર્ટ્સનું પુનઃપરીક્ષણ કરીને નિષ્ણાત ટીમ દ્વારા ઓપરેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. યુરોલોજિસ્ટ ડો. સુનિલ જોશી, ડો. ફોરમ મોઢ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. દીપક મંગલ, ડો. રિદ્ધિ અને ડો. વંદના સહિતની તબીબી ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ બે સ્ટેજમાં 'ટૂર પ્રોસ્ટેટ' પદ્ધતિથી 183 ગ્રામની ગાંઠ દુરબીનની મદદથી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી. શસ્ત્રક્રિયા બાદ દર્દીની પેશાબની નળી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ દુખાવો કે તકલીફ વગર દર્દીને સહજ રીતે પેશાબ થઈ શક્યો. 20 વર્ષથી ચાલતી તકલીફ દૂર થવાથી વૃદ્ધે સિવિલ હોસ્પિટલની તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી)ના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. વીરપુર બ્લોકના ડિરેક્ટર સાંભેસિંહ પરમારને ચેરમેન પદ સોંપાયું છે, જ્યારે ડાકોરના વિજયભાઈ પટેલ વાઇસ ચેરમેન બન્યા છે. તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. બે મહિના અગાઉ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. કુલ 13 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો.અમૂલ ડેરીના સભાખંડ ખાતે તમામ ડિરેક્ટરો બપોરે 12 કલાકે પહોંચ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી ડૉ. મયૂર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12:30 કલાકે ભાજપ પ્રદેશ કક્ષાએથી મેન્ડેટના નામો લઈને નિરીક્ષક સભાખંડમાં આવ્યા હતા. આ બેઠકમાં વીરપુર બ્લોકમાંથી ડિરેક્ટર સાંભેસિંહ પરમારની ચેરમેન પદે અને વ્યક્તિગત બેઠક પર વિજેતા થયેલા ડાકોરના વિજયભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચડાસણા ગામની સીમમાં આવેલા ખેતરમાં બોરડીમાં તસ્કરોએ બાકોરું પાડીને ઓરડીમાં પ્રવેશ કરી 40 ફૂટનો 35 MMનો કેબલ વાયર થતા બોરનું સ્ટાર્ટર અને કેપીસીટરનો વાયર મળી કુલ 9000 ના મત્તાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બેચરાજી તાલુકામાં આવેલા ચડાસણા ગામે રહેતા પટેલ પ્રહલાદભાઈએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ચડાસણા ગામની સીમમાં બોરીયું નામથી ઓળખાતા ખેતરમાં આવેલ ઓરડીમાં અજાણ્યા તસ્કરોએ ઓરડીના ઉપરના ભાગે બાકોરું પાડી ઓરડીમાં ઘુસ્યા હતા. આ તસ્કરોએ બોરડીમાં રહેલ સર સમાન વેરવિખેર કરી દીધો હતો. ઓરડીમાં ફરિયાદીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, તસ્કરો બોરની ઓરડીથી બોર સુધીનો 40 ફૂટનો 35 MMનો કેબલ કિંમત 6500 થતા કેપીસીટર થતા સ્ટાર્ટરનો કેબલ વાયર કિંમત 2500 મળી કુલ 9000 ના મતાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સમગ્ર ચોરીની ફરિયાદ બેચરાજી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લાના સિક્કા અને સિંગચ ગામોમાં આયોજિત કેમ્પમાં કુલ 210 ઊંટને ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, જામનગર પશુપાલન વિભાગની ટીમે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સિક્કા ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે સારવાર કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં 130 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી, જ્યારે 4 બીમાર પશુઓની પણ સારવાર કરાઈ હતી. પશુ રોગ અન્વેષણ એકમ, જામનગર દ્વારા આ કેમ્પ દરમિયાન પશુઓમાંથી બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના વિવિધ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રોગના નિદાન અને વધુ તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ ઝુંબેશને આગળ વધારતા, પશુપાલન વિભાગ, જામનગર હસ્તકની લાલપુર પશુપાલન શાખાની ટીમે 15 ડિસેમ્બર, 2025ના રોજ લાલપુર તાલુકાના સિંગચ ખાતે પણ સમાન કેમ્પનું આયોજન કર્યું હતું. સિંગચ કેમ્પમાં લાલપુર પશુપાલન ટીમે 80 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપી હતી, તેમજ 5 બીમાર ઊંટની સારવાર કરી હતી. અહીં પણ પશુઓની આંતરિક બીમારીઓ, ચામડીના રોગ અને સરાની તપાસ માટે પશુ રોગ અન્વેષણ એકમ દ્વારા બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના નમૂના લેવામાં આવ્યા હતા. આમ, બે દિવસમાં કુલ 210 ઊંટ વર્ગના પ્રાણીઓને નિદાન અને સારવારનો લાભ મળ્યો હતો, જે પશુપાલન વિભાગની ઊંટોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBSના બીજા વર્ષનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 760 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 89.12 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જોકે, પાંચ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 0 ટકા જાહેર કરાયું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ જણાવ્યું કે, યુનિવર્સિટી સંલગ્ન જીએમઆરએસ કોલેજનું MBBSનું બીજા વર્ષનું પરિણામ 89.12 ટકા રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, પરિણામ જાહેર કરવામાં થયેલા વિલંબ અંગે યુનિવર્સિટી દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં આવશે. MBBSના બીજા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ હતી, પરંતુ બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હતી. આગામી મંગળવારથી શરૂ થનારી ત્રીજા વર્ષની પરીક્ષા આપવી કે કેમ તે અંગે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. આ તણાવને કારણે એક MBBS વિદ્યાર્થીએ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર ન કરાય તો 'ખોટું પગલું ભરવા' માટે પરીક્ષા વિભાગ જવાબદાર રહેશે તેવી ગર્ભિત ધમકી સાથેનો પત્ર HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (HMSA)ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. HMSAએ આ બાબતને ગંભીરતાથી લઈ ઉત્તર ગુજરાતની તમામ મેડિકલ કોલેજના ડીનને તાત્કાલિક જાણ કરી હતી. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ અગાઉ ટેક્નિકલ ખામીને કારણે પરિણામ સોમવારે જાહેર કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આજે સવારે MBBSના બીજા વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.
ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. સરકારી વકીલે જણાવ્યું કે સમગ્ર કેસમાં 3 પ્રકારે કેસની કાર્યવાહી થઈ છે. SP અને DySP ત્રણેય કેસની દિશામાં તપાસ કરી રહ્યા છે. 15 મુદ્દાઓને આધારે તપાસ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ આગળ વધી રહી હોવાની રજૂઆત કરાઈ હતી. CCTV અને FSL કાર્યવાહી આગળ વધી રહી છે. ગુજરાત હાઇકોર્ટે સરકારને નાર્કો ટેસ્ટમા શું થયું તે અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 1 સપ્તાહમાં નાર્કો રિપોર્ટ આવશે. સરકારે વધુ સમયની માગ કરતા 7 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવા કોર્ટએ આદેશ કર્યો છે. 11 ડિસેમ્બરે રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાયો હતો11 ડિસેમ્બરે રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં કરાયો હતો. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવાઈ હતી. તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. આ કેસની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે. પ્રેમસખુ ડેલુએ કહ્યું હતું કે, હાઇકોર્ટની સુચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નહોતી. આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે. 'FSL ઓફિસરો ટેસ્ટ બાદ કન્ક્લુઝન આપે છે, જે અમે હાઇકોર્ટમાં રિપોર્ટ કરીએ છીએ'તપાસ અધિકારી SP પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે, આ નાર્કો ટેસ્ટ દરમિયાન અમે (IO અને પોલીસ ઓફિસર) આરોપીની પાસે હાજર રહેતા નથી. અમારું કામ માત્ર આરોપીને લાવવાનું અને IOનું કામ FSL ઓફિસર સાથે ચર્ચા કરીને જરૂરી વસ્તુઓ પૂરી પાડવાનું હોય છે. પ્રોટોકોલ મુજબ, FSL ઓફિસરો ટેસ્ટ બાદ કન્ક્લુઝન આપે છે, જે અમે હાઇકોર્ટમાં રિપોર્ટ કરીએ છીએ. ટેસ્ટ વખતે આરોપી સાથે તેમના એડવોકેટ હાજર હોય છે, અને આ પ્રક્રિયા એક અલગ રૂમમાં થાય છે. અમે પોલીસ ઓફિસર તરીકે ક્યારેય પણ તેમની પાસે ઊભા રહેતાં નથી. રિપોર્ટ મળ્યા પછી જ અમે આગળની કાર્યવાહી જોઈશું. 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપીગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. શું છે નાર્કો ટેસ્ટ?નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન અપાય છે. જેની અસરથી તેની વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલત હોય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાય છે. કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે. એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી. જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 14 માર્ચે ટ્રાવેલ્સની અડફેટે આવવાથી મોત થયું હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે એટલે કે 14 માર્ચ, 2025ના રોજ રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું. આ પણ વાંચો... મૃતકની બોડી પર ઈજાનો દાવો, વીડિયો ભાસ્કર પાસે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈઆપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે. આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ હતી. ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપીશંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. ડ્રાઇવરે માલિકને રોઝડું આવી ગયું હોવાનું કહી ખોટું કીધુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવનાના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી. જોકે તેના ક્લીનરને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું. જે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે, રોઝડું આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે, ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી. આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો 12થી વધુ પસાર થયા હતા અને ટોટલ 46 વાહનો 15થી 20 મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈરાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડીયા આવ્યો ન હતો, થોડું બમ્પ જેવું આવ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઇવર દ્વારા જાણ કરવામાં આવી. યુવાનની ગુમ નોંધ તા. 6 માર્ચની સવારે કરવામા આવી હતી. જાણવાજોગની પ્રોસિઝર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સામે પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તા. 9 માર્ચના આઇડેન્ટીફીકેશન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 43 ઈજાની વાત સામે આવી હતી, તે તમામ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ હતી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે. નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઈજા થવાની સંભાવના છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે. જેથી આગામી દિવસોમાં ક્લેરીફિકેશન આવશે. બનાવ બન્યો તે સ્થળે કોઈ CCTV જ નથીજે જગ્યાએ બનાવ બન્યો છે તેના સીસીટીવી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી. તેનાથી આગળ અને પાછળ સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મુવમેન્ટ જ દેખાય છે. બસમાં ડેમેજના આધારે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સના ધ્યાને બોડી આવતા સિવિલ ખસેડી હતી આ દરમિયાન પોલીસે શંકાસ્પદ 78 વાહનોનું ઝીરોઇન કરી તેમાં આ બસ વધુ શંકાસ્પદ જણાતા અને આગળ તપાસ કરતા ડ્રાઇવર દ્વારા કબૂલાત આપવામાં આવી હતી. ફેટલ એક્સિડન્ટ હોવાથી તેના ડિટેકશન ઉપર ફોકસ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના અને આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યાઅગાઉ મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. 'દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં'મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ હતીશાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. વાંચવા માટે ક્લિક કરો.... પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ
અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. જોકે, આ અકસ્માતમાં હાઈવે પર માસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહનની ટક્કરે બંને મિત્રો ફંગોળાઈને રોડ પર પટકાયામળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતા દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એકનું ઘટનાસ્થળે તો એકનું સારવાર દરમિયાન મોતઅકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થળ પર લોકોની ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ગંભીરભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કપુરાઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતાના મોતથી પાંચ સંતાનો નોંધારા બન્યાગંભીરભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. તેઓ આઇસર ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. જ્યારે દિલીપભાઈના છૂટાછેડા થયા હતા. તેઓ સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પિતા પણ તેમની સાથે નોકરી કરતા હતા. દિલીપભાઈને એક દીકરી પણ છે: વિનોદભાઈદિલીપભાઈના સંબંધી વિનોદભાઈએ જણાવ્યું હતું કે, દિલીપને અકસ્માત થયો હોવાનો મારા પર કોલ આવ્યો હતો જેથી હું દોડી ગયો હતો. જ્યાં જઇને જોતા તેનું મોત થયું હતું. જ્યારે અન્ય ગંભીરભાઈને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દિલીપભાઈના લગ્ન થયા હતા પરંતુ થોડા સમય પહેલા જ છૂટાછેડા થયા હતા. તેમને એક દીકરી પણ છે. બંને મિત્રો ઘરેથી શાકભાજી લેવા નીકળ્યા હતા: કમલેશભાઈમૃતક ગંભીરભાઈના પાડોશી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, બંને મિત્રો ઘરેથી શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બ્રિજ પર અકસ્માતમાં બંનેના મોત થયા છે. ગંભીરભાઈને તો પાંચ સંતાનો છે અને તેઓ નોધારા બની ગયા છે. મૃતકોના નામ
લડતના 30 દિવસ પૂર્ણ થતા કંપની બહાર વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ સુમીટોમો કંપનીના 350 કર્મચારીઓ પગાર વધારા મુદ્દે છેલ્લા એક માસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજરોજ કર્મચારીઓએ કંપની બહાર એકઠા થઈને કાળી રીબીન ધારણ કરી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર કરી કંપનીના હોદ્દેદારોની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છે. શહેરના રૂવાપરી રોડ પર છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી સુમિટોમો (એક્સેલ ) કંપની કાર્યરત છે આ ફેક્ટરીમાં જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે હાલમાં આ કંપનીનું સંચાલન જાપાનની મલ્ટીનેશનલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ફેક્ટરીમાં લેબર અને સુપરવિઝન એમ બે વિભાગમાં 350 કર્મચારીઓ કામ કરી રહ્યા છે દર વર્ષે કંપનીના કર્મચારીઓને નિયમ મુજબ પગાર વધારો આપવામાં આવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી કંપની દ્વારા પગાર વધારો ન કરવામાં આવતા કર્મચારીઓએ ત્રણ મહિના પહેલા કંપની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું, પગાર વધારાની માંગ સાથે છેલ્લા એક માસથી કર્મચારીઓ ફરજ સમયે પોતાની ફરજ સ્થળે બ્લેક રીબીન ધારણ કરી ઉપવાસ આંદોલન સાથે ફરજ બજાવી રહ્યા છે, આજરોજ લડતના 30 દિવસ પૂર્ણ થતા કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની બહાર એકઠા થયા હતા અને સુમિટોમો કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આ અંગે લેબર યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએએ જણાવ્યું હતું કે, કંપની પાસે પગાર વધારા મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કંપનીએ અલગ અલગ બહાના બતાવીને પગાર વધારો ટાળ્યો છે આથી ના છૂટકે આંદોલનની ફરજ પડી છે જ્યાં સુધી પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ અહિંસક લડત ગાંધીજીઆ માર્ગે આંદોલન શરૂ રહેશે અને આગામી દિવસોમાં લડતને મજબૂત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું લેબર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું. કર્મચારીઓ હકની માંગણી કરે છે ભિક્ષાની નહીં : લેબર યુનિયન લેબર યુનિયન ના પ્રેસિડન્ટ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુમિટોમો કંપનીમાં જોખમી રસાયણો સાથે ત્રણ અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓ ફરજ બજાવે છે અહીં ફરજ બજાવતા સમયે જીવનું સતત જોખમ હોય છે ઉપરાંત ગંભીર અને અસાધ્ય બીમારી પણ થાય છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પગાર વધારો એ કર્મચારીઓનો હક છે અને અમે હક માટે લડાઈ લડી રહ્યા છીએ અમે કંપની પાસે કોઈ ભિક્ષા નથી માંગતા આથી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કાયદાની જોગવાઈ મુજબ જિલ્લા કલેકટરથી લઈને જવાબદાર તંત્રના અધિકારીઓ સુધી રજૂઆત કરીશું. કંપની પાસે હાલ પગાર વધારવા માટે ક્ષમતા નથી : કંપની અધિકારી ભાવનગર સુમીટોમો કંપની માં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય શર્માએ આંદોલન સંદર્ભે જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ દ્વારા જે પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે તે માંગને લઈને હાલમાં પણ કંપનીના સત્તાધિશો વીચારાધીન છે અને વહેલી તકે કર્મચારીઓની માંગણી સંતોષાઈ જાય અને લડતનો અંત આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કર્મચારીઓ જે પગાર વધારાની માંગ કરી રહ્યા છે તે હાલમાં શક્ય નથી. કારણ કે કંપની આર્થિક દ્રષ્ટિએ સક્ષમ ન હોવાના કારણે પગાર વધારો શક્ય નથી, આ ઉપરાંત સેફટી ને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો ન હોવાનું શર્માએ જણાવ્યું હતું, ફેક્ટરી ધારા ધોરણ મુજબ જ તમામ કર્મચારીઓને સુરક્ષા કવચ અને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે.
પાટણમાં 'નશામુક્ત ગુજરાત અભિયાન' અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પાટણની ટીમે પ્રતિબંધીત સ્મોકિંગ કોન અને રોલ પેપર વેચતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 2,214/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકાર દ્વારા નાગરિકોને નશીલા પદાર્થના સેવનથી દૂર રાખવા માટે કડક અમલવારી કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે, SOG પાટણના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમોએ પાટણ ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન, પાટણ ટાઉન વિસ્તારના ત્રણ સ્થળોએથી પ્રતિબંધીત સામગ્રી મળી આવી હતી. જેમાં નાણાવટી સ્કૂલ સામે આવેલ સિંધવાઈ પાર્લર, તિરુપતિ માર્કેટમાં ઉમિયા પાર્લર અને લીલીવાડી ચાર રસ્તા પાસે આવેલ વિવેક પાનપાર્લરનો સમાવેશ થાય છે. SOG ટીમે રૂ. 1,900/-ની કિંમતના 'ગોગો સ્મોકિંગ કોન' અને રૂ. 314/-ની કિંમતની રોલ પેપરની પટ્ટીઓ મળી કુલ રૂ. 2,214/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 223 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં નરેશકુમાર ઈશ્વરલાલ ચિમનલાલ પ્રજાપતિ (રહે. મઠવાસ, ગુણવંતા હનુમાન, પાટણ), જીતુભા શાંતુજી ખેતાજી ઠાકોર (રહે. અઘાર રુપાણીપાટી, તા. સરસ્વતી, જિ. પાટણ) અને ભદ્રેશભાઇ બાબુભાઇ પટેલ (રહે. વ્રજધામ-01, ટી.બી. ત્રણ રસ્તા, પાટણ)નો સમાવેશ થાય છે.
SBI મેરેથોનમાં 6200 લોકો જોડાયા:રન ફોર ગ્રીનર ઈન્ડિયાની થીમ સાથે લોકો પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો
લખનઉથી લઈને ચંડીગઢ, ભોપાલ, વિશાખાપટ્ટણમ, બેંગલુરુ, ગુવાહાટી અને કોલકાતા સુધી દેશભરના શહેરોને પ્રેરણા આપ્યા બાદ, SBI ગ્રીન મેરાથોન સિઝન 6 ગુજરાતના હૃદયસ્થાન સમાન અમદાવાદ શહેરમાં પહોંચી. સાબરમતી રિવરફ્રન્ટ પર દોડવીરો, પરિવારો અને ફિટનેસ કમ્યુનિટીની હાજરીએ આ દોડને એક રંગબેરંગી ઉત્સવમાં પરિવર્તિત કરી દીધી. અહીં એકત્ર થયેલા સૌનો એક જ હેતુ હતો: ધરતી માટે દોડ. અમદાવાદની વારસાગત ઓળખ અને આધુનિક શહેરી હરિયાળી જગ્યાઓના સુમેળભર્યા સંયોજનની પૃષ્ઠભૂમિ એવા રિવરફ્રન્ટ પર યોજાયેલી આ મેરાથોને કાર્યક્રમના મૂળ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કર્યો: “હરિયાળા ભારત માટે દોડ — રન ફોર ગ્રીનર ઈન્ડિયા”. વેલનેસ, લોકભાગીદારી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે શહેરની પ્રતિબદ્ધતાએ આ સવારને ખરેખર વિશેષ બનાવી. 6,200થી વધુ દોડવીરોએ આ મેરાથોનમાં ભાગ લીધો, જેમાં અનુભવી મેરાથોન દોડવીરો, વિદ્યાર્થીઓ, પરિવારો, રનિંગ ક્લબ્સ તેમજ ભારતીય સેના અને ડિફેન્સ ફોર્સિસના ઉત્સાહી ગ્રુપ જોડાયા હતા. તેઓ માત્ર પોતાના વ્યક્તિગત લક્ષ્યો હાંસલ કરવા માટે નહીં, પરંતુ વધુ સ્વચ્છ અને આરોગ્યદાયક કાલ માટે એકસાથે જોડાયા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે 'અમૃત સરોવર' યોજના તંત્રની બેદરકારીનો ભોગ બની છે. 2023માં ધામધૂમથી ખાતમુહૂર્ત કરાયેલું આ સરોવર આજે બાવળના ઝૂડથી ભરાઈ ગયું છે, જેના કારણે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. ગ્રામજનો તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા 2023માં નિંગાળા ગામના આ તળાવને 'અમૃત સરોવર' તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને 10 ઓગસ્ટ, 2023ના રોજ તેનું ભવ્ય ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે, ખાતમુહૂર્ત બાદ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આજે પણ ત્યાં માત્ર ખાતમુહૂર્તની તખ્તી જ જોવા મળે છે, પરંતુ વિકાસનું કોઈ ચિહ્ન નથી. નિંગાળાના ગામલોકોનો આક્ષેપ છે કે તંત્ર માટે 'અમૃત સરોવર' યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ યોજનાને કાગળ પરથી જમીન પર ઉતારવામાં આવે અને તાત્કાલિક સરોવરને ઊંડું ઉતારી બાવળ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવે. નિંગાળાના સ્થાનિક રાજેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરાય, તો ગામલોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અંગે નિંગાળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વી. ડી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ ગામનું તળાવ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હસ્તક બનેલું છે. તેમને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થઈ છે અને તેઓ સિંચાઈ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, જો શક્ય હશે તો નિંગાળાગ્રામ પંચાયત પણ તળાવની સાફસફાઈ કરાવવા પૂરતા પ્રયત્નો કરશે.
વેરાવળ-કોડીનાર રોડ પર પ્રાંસલી ગામ નજીક રાત્રિના લગભગ 11 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વણાકબારાથી માછલી ભરીને વેરાવળ GIDC ખાતે આવેલી વનિતા કોલ્ડ સ્ટોરેજ નામની ફિશ કંપનીમાં જઈ રહેલી આઇસર ગાડી (નં. GJ-32-T-4405)માં પ્રાંસલી નજીક પંચર પડ્યું હતું. ગાડીના ચાલક હુસેન મહમદ મલેક (રહે. ગરીબ નવાજ કોલોની, વેરાવળ) વાહનને સાઈડમાં રાખી પંચર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન, તે જ કંપનીની બીજી આઇસર ગાડી (નં. GJ-14-BT-9972) ત્યાંથી પસાર થઈ રહી હતી. તેના ચાલક રફિક ચાંદભાઈ ભાદરકાએ પંચર થયેલી ગાડી જોઈને મદદ કરવા માટે વાહન ઊભું રાખ્યું હતું. બંને ચાલકો સાથે ગોપાલભાઈ નામના એક વ્યક્તિ પણ પંચર બનાવવામાં મદદ કરી રહ્યા હતા. તે જ સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માછલી ભરેલી બોલેરો ગાડી (નં. GJ-32-T-8057)ના ચાલકે બેદરકારીપૂર્વક આઇસર ગાડી સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અથડામણમાં બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (ઉંમર 27, રહે. નાથડ ગામ), આઇસરના ચાલક હુસેન મહમદ મલેક (ઉંમર 51), અને મદદ માટે ઊભેલા રફિક ચાંદભાઈ ભાદરકા – આ ત્રણેયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ગોપાલભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સુત્રાપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ, પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે શહેરના ડેરી ડેન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ દરમ્યાન કોંગ્રેસ પક્ષ દ્વારા જીવન જોખમે ફાયર વિભાગની મદદથી પુષ્પાંજલિ અર્પણ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ પુણ્યતિથિ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તંત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામે મોટી રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ તેમની પૂણ્યતિથિ જેવા મહત્વના દિવસે યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય છે. આજે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોને સીડી પક્ડી રાખવી પડી હતી અને જીવના જોખમે પુષ્પાંજલિ અર્પણ કરવી પડી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે ડેરી ડેન સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને કાયમી ધોરણે પુષ્પાંજલિ અર્પણ કરવા યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, દેશસેવા અને અખંડ ભારત માટેના યોગદાનના સંસ્મરણો વાગોળી તંત્રની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તા પર બેસેલ લોકો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈ આખા દેશમાં રાષ્ટ્રીય એકતા યાત્રા કાઢી હતી. ત્યારે કોંગ્રેસે સવાલો કર્યા છે કે આ સમયે આખા દેશમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પુણ્યતિથિ હોવા છતાં શા માટે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી તે સૌથી મોટા સવાલ છે.
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વડોદરાના ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડભોઇ પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગે તિલકવાડા ડભોઇ રોડ ચોતરીયાપીર કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાઓ પામતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતમાં વડોદરાના ડભોઇના ટાઉન ચોતરીયાપીર કેનાલ પાસે આવેલ શિવાભાઈ રબારીના કુવા ઉપર રહેતા અને મૂળ રહે કેલહરી, અલીરાજપુર (એમ.પી) ની મહિલા નુરલીબેન હબુરીયાઇ છગનભાઇ (ઉમર વર્ષે 55)ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા મૃતક મહિલાના મૃતદેહને ડભોઇ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ડભોઇ પોલીસે મૃતક મહિલાને ટક્કર મારનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે 15 નવી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું છે. આ પહેલથી શહેરીજનોને કચરાના નિકાલમાં નોંધપાત્ર રાહત મળશે. આ 15 કચરા સંગ્રહ ગાડીઓ શહેરના 11 વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાથી નાગરિકોને કચરા નિવારણ બાબતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ ગાડીઓમાં ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો, ઈ-વેસ્ટ કચરો અને સેનેટરી નેપકીન સહિત કુલ પાંચ પ્રકારના કચરાનું અલગ-અલગ સંગ્રહ કરવામાં આવશે. સ્વચ્છતા સંબંધિત કોઈપણ ફરિયાદ કે સૂચન માટે નગરપાલિકા દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર અમરેલી શહેરના નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ પહેલ શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું કે, ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી માટે ટેન્ડર ધારકને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમણે તમામ નાગરિકોને આ સેવાનો લાભ લેવા અને કોઈપણ ફરિયાદ માટે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
પાટણ શહેરમાં એક મહિલા સાથે સર્પદોષ દૂર કરવાના બહાને રૂ. 50,000ની છેતરપિંડી થઈ છે. બે અજાણી મહિલાઓએ આ ગુનો આચર્યો હતો. પાટણ સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ કાજલબેન અંકુરભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ પાટણની બ્રહ્માણીનગર સોસાયટીમાં રહે છે. તેઓ ઘરકામની સાથે ઘરે બ્યુટીપાર્લર પણ ચલાવે છે. બે અજાણી મહિલાઓ કાજલબેનના ઘરે આવી હતી. તેમણે પાટણની નાણાવટી સ્કૂલ પાસેથી આવતી હોવાનું જણાવ્યું અને એક ગ્રાહક માટે શ્રીમંત પ્રસંગનો ઓર્ડર આપવા આવ્યા હોવાનું કહી વાતચીત શરૂ કરી હતી. વાતચીત દરમિયાન, આ મહિલાઓએ કાજલબેનને જણાવ્યું કે, તેમને 'સર્પકાળ દોષ' છે, જેના કારણે તેમના ઘરમાં પૈસાની બચત થતી નથી. કાજલબેને શરૂઆતમાં આ વાત માનવાનો ઇનકાર કર્યો હતો. આરોપી મહિલાઓએ સર્પદોષ દૂર કરવા માટે એક વિધિ કરવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, દોષ દૂર કરવા માટે ઘરમાં જેટલા પૈસા હોય તે તેમને આપી દેવા, જેથી તેઓ બે કલાકમાં જોગણી માતાના મંદિરે વિધિ કરીને પૈસા પાછા આપી જશે. કાજલબેન તેમની વાતોમાં આવી ગયા અને ઘરમાં પડેલા રૂ. 50,000 રોકડા તેમને આપી દીધા હતા. પૈસા લીધા બાદ આ મહિલાઓ ધાર્મિક વિધિ કરવાના બહાને ત્યાંથી રવાના થઈ ગઈ હતી, પરંતુ આજદિન સુધી તેઓ પરત ફરી નથી. આખરે, કાજલબેને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધાર્મિક વિધિના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 316(2) અને 54 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે આજે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા ફરિયાદી પાસે લાંચ માગીACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. લાંચિયા પોલીસકર્મીઓને ઝડપી પાડવા ACBએ ટ્રેપ ગોઠવીજોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ACB અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી ધી ઓફિસિસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટની સામે ગોઠવવામાં આવી હતી. ACBએ કોન્સ્ટેબલને 30 લાખ લાંચ લેતા ઝડપી પાડ્યોઆ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો હતો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ ACBએ લાંચિયા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો હતો. આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક ડી.એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. PI અને કોન્સ્ટેબલે લાંચ લઈ ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યાઉલ્લેખનીય છે કે, CID ક્રાઈમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઇ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભિત ધમકીઓ આપી તગડી રકમ લાંચ પેટે માગી હતી. હાલમાં તો CID ક્રાઈમના પીઆઇ અને કોન્સ્ટેબલના લીધે ખાખીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે.આ તમામ મકાન ગેરકાયદેસર હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવનાર છે. પરંતુ સોસાયટીના રહીશોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી બે લાખ રૂપિયામાં મકાન ખરીદ્યા હતા.જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ઓએનજીસીના અધિકારીઓને કર્મચારીઓએ ખરીદ્યા હતા.હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને બેઠા છે. રહીશોએ આત્મ વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. 40 વર્ષ પહેલાં ઘર ખરીદ્યા હવે જમીન માલિક નવો જ નીકળ્યોથલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી.કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા.25 પૈકી 20 મકાન ONGCના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા. બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી રહીશો રહેતા હતા. ત્યારે થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા. 40 વર્ષ પહેલાં ઘર ખરીદ્યા હવે જમીન માલિક નવો જ નીકળ્યોધર્મેશ પટેલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને કેસ જીતી ગયા હતા.જેથી આ તમામ મકાનો તોડવા માટે કોર્પોરેશનની મદદ પણ મેળવી હતી.કોર્પોરેશન દ્વારા આ મકાન તોડવા માટે સોસાયટીના 25 રહીશોને નોટિસ પણ આપવામાં આવી છે.જોકે રહીશોએ અગાઉ લોનથી મકાન ખરીદ્યા હતા.સોસાયટીના રહીશો વર્ષોથી ટેક્ષ ભરે છે અને પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે બિલ્ડર કાંતિ પટેલ સામેની ફરિયાદ ન નોંધીગઈકાલે સોસાયટીના રહીશો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર કાંતિલાલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી.આજે સવારથી જ સોસાયટીના રહીશો ગેટ પર બેઠા છે અને જો તમને મકાન તોડવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. 'કોઈપણ સંજોગોમાં મકાન ખાલી કરવાનો નથી'સોસાયટીના રહીશ ડિમ્પલબેને જણાવ્યું હતું કે અમે કોઈપણ સંજોગોમાં મકાન ખાલી કરવાનો નથી. અમે વર્ષોથી રહીએ છીએ.અમને કોર્પોરેશને પ્રોપર્ટી કાર્ડ પણ આપ્યું છે જો મકાન ગેરકાયદેસરત હતા તો કોર્પોરેશન કેવી રીતે પ્રોપર્ટી કાર્ડ આપ્યું હોત..અમે નિયમિત ટેક્સ પણ ભરીએ છીએ.જ્યારે મકાન ખરીદ્યા ત્યારે લોન માટે બેંકના અધિકારીઓ તપાસ માટે આવ્યા તો દસ્તાવેજો કેવી રીતે ખોટા હોઈ શકે. 'અમે શા માટે આવાસ યોજનાના મકાનમાં રહેવા જઈએ'આગળ જણાવ્યું કે, જો અમારા મકાન તોડશો અમે અહીંયા જ આત્મવિલોપન કરી લઈશું.અમને ચાંદખેડામાં આવાસ યોજનામાં પૈસાથી મકાન આપવાનું કહ્યું છે.પણ અમે શા માટે આવાસ યોજનાના મકાનમાં રહેવા જઈએ. 'વિકલ્પ આપીને મજાક કરવામાં આવી છે'સંગીતા ચૌહાણે જણાવ્યું હતું કે અમે 32 વર્ષથી રહીએ છે. મારા સાસુ બીમાર છે તેઓ કાલ રાતે 3 વાગ્યાથી જાગે છે.સોસાયટીમાં રહેતા વડીલોને લઈને અમે ક્યાં જઈએ.અમને વિકલ્પ આપીને મજાક કરવામાં આવી છે.AMC દ્વારા અમને ચાંદખેડામાં આવાસ યોજનામાં 1 બીએચકે ફ્લેટ આપવાનું કહ્યું છે. જેનું ભાડું પણ અમારે જ ભણવાનું છે.અમારા સામાન પણ ત્યાં મુકવાનું કહ્યું છે.મારા મકાનની કિંમત અત્યારે બે કરોડ રૂપિયા છે. આટલા વર્ષોથી અમે રહેતા હતા હવે અમે ક્યાં જઈએ.
ભુજના સુખપર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ટ્રેલર શંકર મંદિર પરિસરમાં ઘૂસી ગયું હતું. આ ઘટના ભુજ-નખત્રાણા હાઈવે પર આવેલા ધનાણી મહાદેવ મંદિર પરિસરમાં બની હતી. ટ્રેલર મંદિર પરિસરમાં ઘૂસવાના કારણે મંદિરના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, આ અકસ્માત વહેલી સવારના સમયે થયો હતો, જેના કારણે મંદિરમાં ભક્તોની હાજરી ઓછી હતી. આથી, કોઈ જાનહાનિ ટળી હતી. જોકે, મંદિર પરિસરમાં રહેલા સામાન અને માળખાને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યું ઓચિંતા મોતનું પ્રમાણ? AIIMS અને ICMRની સ્ટડીમાં ઘટસ્ફોટ
AIIMS-ICMR Study: કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારૂનું સેવન કારણભૂત છે. વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નહીં AIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે.
રાજકોટમાં શિયાળાની ઋતુમાં પ્રદુષણ વધતા રોગચાળો વકર્યો છે. જેમાં પણ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં પણ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહે શરદી- ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861, ડેંગ્યુનાં 2 અને કમળાનાં 2 તેમજ ટાઇફોઇડનો 1 સહિત વિવિધ રોગનાં 2328 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2336 સામે ચાલુ સપ્તાહે 2,328 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં 1271 કેસ, ઝાડા-ઉલટીનાં 191 જેટલા કેસ, સામાન્ય તાવનાં 861 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 2 કેસ સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં આવા 76 આસમીઓને નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પાણીજન્ય રોગચાળો અટકાવવા જ્યાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય તેમજ હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા કેસો સામે આવતા હોય તે વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વોલેન્ટીયર્સ દ્વારા તા. 08 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી 22465 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 885 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. ગતવર્ષની તુલનાએ હાલ ડેંગ્યુનાં કેસોમાં ઘટાડો થયો છે. ગતવર્ષે આ સમયગાળામાં ડેંગ્યુનાં કેસો વધુ હતા. જેની સામે હાલ સાપ્તાહિક છૂટાછવાયા માત્ર 2-4 કેસો સામે આવી રહ્યા છે. જે ખરેખર સારી બાબત છે. આમ છતાં જે કોઈ સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવે તે વિસ્તારમાં અમારી ટીમો દ્વારા ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા તમામ 18 વોર્ડમાં તાજેતરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને મેલેરિયા અને ચિકનગુનિયા મહદઅંશે નાબૂદ થયા હોય તેમ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યાં છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 479 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 216 તો કોર્મશીયલમાં કુલ 76 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આ સાથે લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે.
વલસાડમાં ₹4.91 લાખની છેતરપિંડી:કોર્ટે આરોપી હેમંત સાવરીયાને મંગળવાર સુધી રિમાન્ડ પર મોકલ્યો
વલસાડ શહેરમાં ₹4.91 લાખની સાયબર છેતરપિંડીનો એક મોટો ખુલાસો થયો છે. આરોપીએ સસ્તા યુ.એસ. ડોલર, ઊંચા વ્યાજની લાલચ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનો વેચવાના બહાને અનેક લોકોને ફસાવી આ છેતરપિંડી આચરી હતી. વલસાડ સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. CID ક્રાઈમ, ગુજરાત રાજ્યના સાયબર ક્રાઈમ સેલ દ્વારા SAMANVAYA પોર્ટલ પરથી મળેલા ઇનપુટના આધારે મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હેમંત વાલજીભાઈ સાવરીયા (રહે. વલસાડ)ના નામે ખાતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હેમંત સાવરીયાએ પોતાના, પત્ની અને ભાઈના નામે અલગ-અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. તેણે વિવિધ રાજ્યોમાંથી થયેલી સાયબર ફરિયાદોની રકમ આ ખાતાઓમાં મેળવી હતી. પોલીસે આરોપી સામે BNS-2023 અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વલસાડ સિટી પોલીસના PI દિનેશ પરમારના નેતૃત્વ હેઠળની ટીમ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. પોલીસે જાહેર જનતાને ચેતવણી આપી છે કે જે કોઈ વ્યક્તિ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ માટે ભાડે આપશે, તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનના ઉદેપુર નજીક નેશનલ હાઇવે રોડ પિંડવાડા પાસે ગઈકાલે (14 ડિસેમ્બર) મોડી સાંજે એક ગમખ્વાર અને ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉજ્જૈન દર્શન માટે જઈ રહેલા વાવ-થરાદ વિસ્તારના ભાભર તાલુકાના ઠાકોર સમાજના ત્રણ યુવાન સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે. માર્બલ બ્લોક ભરેલું ટ્રેલર પલટી જતાં 6 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં એક ફોર્ચ્યુનર ગાડી પર માર્બલનો બ્લોક પડતાં આ દર્દનાક દુર્ઘટના બની હતી. આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકોના વતન અને સમગ્ર ઠાકોર સમાજ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ મૃતદેહોને તેમના વતન લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પથ્થર ભરેલા ટ્રકે તબાહી સર્જીમળતી વિગતો અનુસાર, રાજસ્થાનના ઉદેપુર-ઉજ્જૈન હાઈવે પર પિંડવાડા નજીક એકસાથે ચારથી વધુ વાહન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. એક પથ્થરો ભરીને જઈ રહેલા ટ્રકે અચાનક કાબૂ ગુમાવતાં અન્ય ટ્રક સહિત કુલ 6 વાહન એકબીજા સાથે અથડાયા હતા. 6 વાહન વચ્ચે ભીષણ અકસ્માત, 4નાં મોતઆ ભીષણ અકસ્માતને કારણે ટ્રકમાં રહેલા મોટા પથ્થરો અનેક ગાડીઓ પર પડ્યા હતા. મળતી માહિતી મુજબ, પથ્થરોના ભારણ નીચે એક મહિલા અને એક બાળક સહિત અનેક લોકો દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા છે અને 6 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકમાં ભરેલા મોટા પથ્થરો અન્ય ગાડીઓ પર પડ્યા હતા. જેથી ગાડીનો બુકડો બોલાઇ ગયો હતો. ઉજ્જૈન મહાકાલના દર્શને જઇ રહેલા ભાભરના ત્રણ યુવક કરૂણ મોતઅકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર પૈકી ત્રણ યુવાન વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભાભર તાલુકાના ત્રણ ગામમાં શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, ઠાકોર સમાજના આ યુવાનો ગુજરાતથી ઉજ્જૈન તરફ ફરવા માટે ગયા હતા, ત્યારે જ તેમને આ અકસ્માત નડ્યો હતો. ચાર યુવાનો સાથે હતા, જેમાંથી ત્રણના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા શ્રદ્ધાંજલિબનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આ દુઃખદ ઘટનાની જાણ થતાં તેમણે સોશિયલ મીડિયા મારફતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા ત્રણ યુવાન ગુમાવવાનો આઘાત સમગ્ર સમાજ માટે અતિ દુઃખદ છે. ત્રણેય યુવાનના પરિવારજનો પર અચાનક આવી પડેલી આફત સહન કરવાની શક્તિ પ્રભુ આપે અને દિવંગત આત્માઓને શાંતિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. મૃતદેહ વતન લાવવાની તજવીજ હાથ ધરાઇઅકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તાત્કાલિક ઉદયપુર પહોંચ્યા હતા. પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને પંચનામાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ મૃતદેહોને તેમના વતન, ભાભર તાલુકામાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
અમૂલના નવા ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી:શાભેસિંહ પરમાર ચેરમેન, વિજય પટેલની વાઈસ ચેરમેન તરીકે નિમણૂંક
આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિરપુરના શાભેસિંહ પરમારની ચેરમેન તરીકે અને વિજય ફુલાભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ વરણી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામના 94 દિવસ બાદ થઈ છે. અગાઉ, 10 સપ્ટેમ્બરના રોજ નિયામક મંડળના 8 બ્લોક અને એક વ્યક્તિ સભાસદની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. આણંદ સ્થિત અમૂલ ડેરીના કુલ 12 બ્લોક પૈકી ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મતગણતરીમાં, કુલ 9 બ્લોકમાંથી 7 બ્લોકમાં ભાજપનો વિજય થયો હતો. આમ, નિયામક મંડળના કુલ 13 પૈકી 11 બ્લોકમાં ભાજપે કબજો જમાવ્યો હતો. આ પરિણામો બાદ ત્રણ મહિનાથી વધુ સમય પછી, આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયાં હતાંમહેમદાવાદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર ગૌતમ રાવજી ચૌહાણ, બાલાસિનોર બ્લોકમાં ભાજપના રાજેશ ગજાનંદ પાઠક, વિરપુર બ્લોકમાં શાભેસિંહ મોંઘા પરમાર તેમજ ઠાસરા બ્લોકમાં પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયાં હતાં. ભાજપના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલ મત આણંદ - કાંતિ સોઢા પરમાર -79 મત મળ્યાં (51 મતથી વિજય)ખંભાત - રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર- 84 મત મળ્યાં (65 મતથી વિજય)પેટલાદ - બીનાબેન તજસકુમાર પટેલ- 83 મત મળ્યાં (78 મતથી વિજય)નડિયાદ - વિપુલ કાંતિ પટેલ- 83 મત મળ્યાં (60 મતથી વિજય)કઠલાલ - ઘેલા માનસિંહ ઝાલા- 79 મત મળ્યાં (54 મતથી વિજય)માતર - ભગવતસિંહ કાળીદાસ પરમાર- 53 મત મળ્યાં (35 મતથી વિજય)વ્યક્ત સભાસદ - વિજય ફુલા પટેલ- 4 મત મળ્યાં (1 મતથી વિજય)ઠાસરા - પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર- બિનહરીફબાલાસિનોર- રાજેશ પાઠક - બિનહરીફમહેમદાવાદ - ગૌતમ ચૌહાણ- બિનહરીફવિરપુર - શાભેસિંહ પરમાર - બિનહરીફ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલા મતબોરસદ - રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમાર - 52 મત મળ્યાં (12 મતથી વિજય)કપડવંજ - ભુરા લક્ષ્મણ સોલંકી - 61 મત મળ્યાં (11 મતથી વિજય) વ્યક્તિગત સભાસદમાં ભાજપના વિજયભાઈનો એક મતથી વિજય થયો હતોઆણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં વ્યક્તિ સભાસદની એક બેઠક માટે બે ઉમેદવારો મેદાનમાં હતાં. આ વિભાગમાં કુલ સાત મત પડ્યાં હતાં. જે પૈકી ચાર મત ભાજપના વિજય ફુલાભાઈ પટેલને મળતાં, તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
પાટડીમાં મહિલા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો:11 દીકરીઓએ વેશભૂષા પ્રસ્તુતિથી સૌનું ધ્યાન ખેંચ્યું
પાટડી ખાતે મહિલા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 11 દીકરીઓ દ્વારા વિવિધ વેશભૂષા પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમની અધ્યક્ષતા મંજૂલાબેન ત્યાગીજીએ કરી હતી, જ્યારે મૌલિકાબેન દવે અને માનસીબેન પરમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધરતીબેન બાથાણી અને પ્રિયંકાબેન પટેલ સંયોજિકા તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યગણ નિમિષાબેન, મિત્તલબા, નેહાબેન, ભૂમિકાબેન અને અન્ય સહયોગી શિક્ષિકાઓના સહકારથી થયું હતું. કાર્યક્રમની શરૂઆત એકત્રીકરણ ધૂન, દીપજ્યોતિ અને વંદનાના શ્લોકથી કરવામાં આવી હતી, જેની રજૂઆત વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જાનવી રબારી અને કાવ્યા જલિસાણિયાએ કરી હતી. ત્યારબાદ બાલવાટિકા વિભાગની બાળિકાઓએ અભિનય ગીત રજૂ કર્યું હતું, જ્યારે પ્રાથમિક વિભાગની બાળિકાઓ દ્વારા સમૂહ ગીતની મનોહર રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય વક્તા મૌલિકાબેન દવેએ કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આ પછી, ભૂમિકાબેન દ્વારા પ્રશ્નોત્તરી સત્ર યોજી ઉપસ્થિત મહિલાઓનું જ્ઞાન ચકાસવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 11 દીકરીઓ દ્વારા કરવામાં આવેલી વેશભૂષા પ્રસ્તુતિ હતી. આ પ્રસ્તુતિમાં સીતા માતાના પાત્રથી લઈને નીતા અંબાણીના પાત્ર સુધીનો સુંદર પરિચય આપવામાં આવ્યો હતો. વક્તા માનસીબેન પરમારે પ્રવૃત્તિ આધારિત રજૂઆત દ્વારા ભારતના વિકાસમાં મહિલાઓના યોગદાનને સરળ અને અસરકારક રીતે સમજાવ્યું હતું. અંતે, અધ્યક્ષ મંજૂલાબેન ત્યાગીજીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહિલાઓએ પણ પોતાના વિચાર અને અભિપ્રાયો રજૂ કર્યા હતા અને સર્વે દ્વારા સકારાત્મક સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
નવસારીમાં પ્રથમવાર ફ્લાવર શોનું આયોજન:મહાનગરપાલિકા ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીમાં ફ્લાવર શો યોજશે
નવસારી શહેરમાં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ શોનું આયોજન કરવામાં આવશે, જે શહેરને એક નવી ઓળખ આપશે. મહાનગરપાલિકાએ આ શોના આયોજનનો નિર્ણય લીધો છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. આયોજન માટેની પાર્ટી નક્કી થતાં જ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફ્લાવર શો ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં યોજાઈ શકે છે. અમદાવાદના મેગા ફ્લાવર શોની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, નવસારીમાં પણ સમાન પ્રકારનો શો યોજાશે. જોકે, નવસારીનો ફ્લાવર શો કદમાં નાનો હશે, પરંતુ તેમાં કલાત્મકતા, આકર્ષકતા અને થીમેટિક રજૂઆત પર ભાર મૂકવામાં આવશે. આ ફ્લાવર શોની મુખ્ય વિશેષતા લાખો ફૂલોનો ઉપયોગ કરીને વિવિધ શિલ્પો અને પ્રતિમાઓ બનાવવાની રહેશે. ફૂલોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ક્લોક ટાવર, વાઘ, સિંહ, પતંગિયું જેવા મોડેલો તૈયાર કરાશે. આ ઉપરાંત, નવસારીના સપૂત જમશેદજી ટાટા અને મહાત્મા ગાંધીજીની કૃતિઓ પણ ફૂલો દ્વારા દર્શાવવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લાવર શોમાં પ્રવેશ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. આથી, શહેરના તમામ વર્ગના લોકો આ મહોત્સવનો લાભ લઈ શકશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં અનેક નવી યોજનાઓ અને પ્રોજેક્ટોનું આયોજન થઈ રહ્યું છે. ફ્લાવર શો પણ આ શ્રેણીમાં એક નવો ઉમેરો છે. ફ્લાવર શો લોસિકુંઈ મેદાન ખાતે યોજાવાની શક્યતા છે. જોકે, ચોક્કસ તારીખ અને સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને શહેરમાં વધતી ચર્ચાઓને જોતા એક વાત સ્પષ્ટ છે .નવસારી શહેર, પરિવાર, બાળકો, યુવાનો, ફોટોગ્રાફર્સ, પ્રકૃતિપ્રેમીઓ અને કલા રસિકો માટે આ એક દૃશ્ય મોઝાઇક, કૃતિમહોત્સવ અને યાદગાર ક્ષણો સર્જી આપનાર ઉજવણી બની રહેશે.લાખો ફૂલ, હજારો મુલાકાતીઓ અને એક નવસારીપ્રકૃતિના રંગોમાં ઝળહળતું.આવતા દિવસો નવસારી માટે મહેકથી નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જણાવે છે કે, આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે ગુજરાતમાં અમદાવાદમાં જેવી રીતે એક ભવ્ય ફ્લાવર શોનું આયોજન થઈ થતો હોય છે. આ જ રૂપરેખા ઉપર, આ જ આના જ જે છે એક મિની સ્કેલ ઉપર નવસારી મહાનગરપાલિકા પણ આ વખતે ફ્લાવર શોનું આયોજન કરશે. અત્યારે આની બધી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. લગભગ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા કે જે છે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં ઘણા બધા વિવિધ પ્રકારના સ્કલ્પ્ચર રહેશે, ઘણા બધા જે છે આના ફ્લાવર્સની પ્રજાતિઓ રહેશે, ઘણું બધું જે છે ત્યાંથી ફ્લાવરથી ફ્લાવર્સ અલગ-અલગ કટ ફ્લાવર છે, લાઇવ ફ્લાવર છે આના જે ત્યાં અલગ-અલગ પ્રકૃતિઓ કૃતિઓ રહેશે જે જે છે શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને લગભગ એકાદ અઠવાડિયાની આ સમયાવધિ રહેશે જેમાં શહેરીજનો લોકો જે છે આનો આનંદ લઈ શકે છે.
વિજલપોરના રામનગર વિસ્તારમાં મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે. છૂટક મજૂરી કરતા એક યુવકના ઘરે ચાર જેટલા ઈસમોએ ધસી આવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના બે સાળા, નાનો ભાઈ અને ભાણેજને ઈજાઓ થઈ હતી, જ્યારે ઘરના સામાનની પણ તોડફોડ કરવામાં આવી હતી. જલાલપોરના રામનગર-૩, બંસી સોસાયટી પાછળ રહેતા રાજેન્દ્ર અવધરામ યાદવ (ઉ.વ. ૩૬) એ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રાત્રે આશરે સાડા દસ વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરમાં સૂઈ ગયા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે તેમને ઘર આગળ પાર્ક કરેલા યુનિકોર્ન ટુ-વ્હીલર નીચે પડવાનો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને રાજેન્દ્રભાઈએ જાગીને બારીમાંથી જોયું તો તેમની ગાડી નીચે પડેલી હતી. તેમણે તરત જ બહારની લાઇટ ચાલુ કરીને દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા. તેમની પાછળ તેમના પત્ની નિર્મલાદેવી પણ બહાર આવ્યા હતા. બહાર નીકળતા જ રાજેન્દ્રભાઈએ ઘરના ધાબા ઉપર જોયું તો તેમના સાળાઓ રવિ જીનકન યાદવ, ધ્રુવ જીનકન યાદવ, નાનો ભાઈ પુનિત અવધરામ યાદવ અને ભાણેજ સુરજ રામસુભાષ યાદવ સાથે ત્રણ-ચાર ઈસમો ઝઘડો અને મારામારી કરી રહ્યા હતા. હુમલાખોરોમાં અર્જુન ઈશ્વરભાઈ પાટીલ (રહે. શિવાની રેસીડેન્સી, ઘેલખડી, નવસારી), સતીષ રામુ ચોરસિયા (રહે. રામનગર-૩, વંદનાપાર્ક, વિજલપોર), પ્રદીપ સાહેબ યાદવ (રહે. રામનગર-૩, રાધે રેસીડેન્સી, વિજલપોર) અને પ્રેમકુમાર અભિષેક ઝા (રહે. રામનગર-૧, વિજલપોર) નો સમાવેશ થાય છે. ઝઘડા દરમિયાન, અર્જુન ઈશ્વરભાઈ પાટીલે તેના હાથમાં રહેલા લાકડા વડે રવિ યાદવને ડાબા તેમજ જમણા હાથના કાંડાના ભાગે માર માર્યો હતો. હુમલાખોરોએ ઘરનો પંખો, લોખંડનો કબાટ અને ખુરશી સહિતના સામાનની પણ લાકડા વડે તોડફોડ કરી હતી. ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા, એક હુમલાખોરને પોલીસે ઘટના સ્થળેથી પકડી પાડ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.રાજેન્દ્રભાઈએ તોડફોડ કરવાની ના પાડતા, હુમલાખોરોએ ધ્રુવ યાદવને પણ કોઈએ માથાના ભાગે લાકડાનો ફટકો મારી દીધો હતો. એટલું જ નહીં, રાજેન્દ્રભાઈને પણ કોઈકે માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો મારી દીધો અને તમે અહીંથી જતા રહો નહિતો તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ધમકી મળતા રાજેન્દ્રભાઈ ત્યાંથી થોડે દૂર જઈને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. થોડીવારમાં જ પોલીસની ગાડી ઘટના સ્થળે આવી પહોંચતા, હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જોકે, પોલીસે ભાગતા અર્જુન ઈશ્વરભાઈ પાટીલને પકડી લીધો હતો અને તેને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. નીચે આવીને રાજેન્દ્રભાઈએ જોયું તો તેમની મોટર સાયકલને પેટ્રોલની ટાંકીના ભાગે પણ નુકસાન થયેલું હતું. કયા કારણોસર આ ઈસમોએ મારામારી કરી તે અંગે ફરિયાદીને કોઈ જાણ નહોતી. રાજેન્દ્રભાઈ અને તેમના સાળા પછી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પણ પકડી લાવેલ હતા. પોલીસે તમામ ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધી છે.
તાજેતરમાં વડોદરા શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહને સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ 2025 માં પોતાની અસાધારણ ક્ષમતા, સંયમ અને ચુસ્ત રણનીતિથી બધા જ પ્રતિસ્પર્ધીઓને હરાવીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આવી પ્રતિભા અને મહેનત થકી રાજ્યના અન્ય ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બનતા મુખ્યમંત્રીએ પાર્થ શાહને પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ પાર્થને ઉલ્લેખીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, રમતગમતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010થી પ્રતિ વર્ષ “ખેલ મહાકુંભના આયોજન કરાવ્યાં હતાં. જેને કારણે અનેક રમતવીરોને પોતાનું કૌશલ્ય દાખવવાના અવસરો પ્રાપ્ત થયા હતા. વર્તમાન સરકાર પણ એમની આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહે છે. સુરત ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપનો ખિતાબ પ્રાપ્ત કર્યો તે સરાહનીય છે. વધુમાં મુખ્યમંત્રીએ આ જ પ્રકારે પ્રતિભા અને પરિશ્રમ થકી પ્રગતિના પંથે સફળતાના શિખરો સર કરતા રહો એવી શુભકામનાઓ પાર્થને પાઠવી હતી. નોંધનિય છે કે, સુરત જીમખાના ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ 16 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરા શહેરના 19 વર્ષીય પાર્થે શરૂઆતથી જ દમદાર પ્રદર્શન કરી દરેક રાઉન્ડમાં દમદાર જીત મેળવીને ફાઇનલ સુધી પહોંચ્યો અને ફાઇનલમાં પણ તેણે શાંતિપૂર્વક, નિખાલસ આત્મવિશ્વાસ અને ટેકનિકલ નિપુણતાથી વિજય મેળવ્યો હતો. પાર્થ હાલ સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર 3 ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ સ્નૂકર ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ વાત એ છે કે તેણે 2025માં ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ પણ જીતેલી છે. તેના જેવી પ્રતિભા અને મહેનત રાજ્યના અન્ય ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બની છે.
શું તમે કલ્પના કરી શકો છો કે ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના ઉંબરે ડિલિવરી થઈ રહ્યા છે? સુરત શહેરમાં હાલ એક ચોંકાવનારું રિયાલિટી ચેક સામે આવ્યું છે જેણે પોલીસ પ્રશાસન અને વાલીઓની ઊંઘ હરામ કરી દીધી છે. જ્યારે પોલીસ રસ્તા પરના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી રહી છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન ડિલિવરી એપ્સ 'છૂપો ડ્રગ ડીલર' બનીને બેરોકટોક 'ગોગો પેપર' સપ્લાય કરી રહી છે. સુરતના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં 'દિવ્ય ભાસ્કર' દ્વારા એક ચોંકાવનારું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ઓનલાઇન ગ્રોસરી અને સામાન પહોંચાડતી એક જાણીતી ક્વિક કોમર્સ એપ્લિકેશન પર માત્ર 'Rolling Paper' અથવા 'Gogo' સર્ચ કરવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, જે વસ્તુ માટે યુવાનો પાનના ગલ્લે છુપાઈને જતા હતા, તે એપ પર ખુલ્લેઆમ ઉપલબ્ધ હતી. ઓર્ડર આપ્યાની ગણતરીની મિનિટોમાં એટલે કે માત્ર 10 જ મિનિટમાં ડિલિવરી બોય ગોગો પેપરનું પેકેટ લઈને અઠવાલાઇન્સના સરનામે હાજર થઈ ગયો હતો. આ ઘટના સાબિત કરે છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી નશાનું નેટવર્ક કેટલું સરળ બની ગયું છે. ઓર્ડર આપનારની ઉંમર કોણ ચેક કરશે?આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચિંતાજનક બાબત 'Age Verification' એટલે ઉંમરની ખરાઈ) નો અભાવ છે. પાનના ગલ્લે કદાચ દુકાનદાર નાના બાળકને સિગારેટ કે ગોગો પેપર આપતા અચકાય, પરંતુ આ ઓનલાઇન એપ્લિકેશન્સને કોઈ સંવેદના નથી. તેમને માત્ર ઓર્ડર અને પેમેન્ટથી મતલબ છે. રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ડિલિવરી આપતી વખતે કોઈ પૂછતું નથી કે ઓર્ડર કરનાર 15 વર્ષનો કિશોર છે કે 50 વર્ષનો પ્રોઢ. આનો સીધો અર્થ એ છે કે, જો તમારા ઘરમાં નાનું બાળક પણ એપ પરથી આ ઓર્ડર કરે, તો તેને કોઈ રોકટોક વગર ગાંજા પીવાનું આ સાધન મળી જાય છે. વાલીઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. પોલીસની મહેનત પર ડિજિટલ પાણી ફરી વળ્યુંછેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ કમિશનર અને SOGની ટીમો શહેરમાં 'ડ્રગ્સ ફ્રી સુરત' અભિયાન ચલાવી રહી છે. પાનના પાર્લરો પર ચેકિંગ કરવામાં આવે છે અને ગોગો પેપર વેચનારાઓ સામે કડક કાર્યવાહી પણ થાય છે. પરંતુ, પોલીસનું ધ્યાન ગ્રાઉન્ડ પર છે જ્યારે અસલી ખેલ 'ક્લાઉડ' એટલે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર રમાઈ રહ્યો છે. જ્યાં સુધી આ ઈ-કોમર્સ સાઈટ્સ પર આવા નશાકારક પદાર્થો સાથે સંકળાયેલી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ કે કડક નિયંત્રણો નહીં લાદવામાં આવે, ત્યાં સુધી પોલીસની ડ્રાઈવ માત્ર એક આંખ લૂછવા સમાન બની રહેશે. ગાંજા પર પ્રતિબંધ પણ પીવા માટે વપરાતા સાધનો છૂટથી ઉપલબ્ધકાયદાકીય નિષ્ણાતો અને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રાજ્યમાં ગાંજા જેવો પદાર્થ પ્રતિબંધિત છે, તો તેને પીવા માટે વપરાતા વિશિષ્ટ સાધનો (જેમ કે રોલિંગ પેપર/ગોગો) ના વેચાણ પર છૂટછાટ શા માટે? ગોગો પેપરનો ઉપયોગ સામાન્ય રીતે તમાકુ કે ગાંજાને રોલ કરીને સિગારેટ બનાવવા માટે જ થાય છે. જો સરકાર ગાંજાના દૂષણને ડામવા માંગતી હોય, તો તેના સાધનોની ઉપલબ્ધતા પણ અટકાવવી અનિવાર્ય છે. 'ઉડતા સુરત' બનતા વાર નહીં લાગેમાત્ર 10 મિનિટમાં મળતી આ 'સગવડ' યુવાધનને બરબાદી તરફ લઈ જઈ રહી છે. ઓનલાઇન કંપનીઓ નફાખોરીમાં એટલી આંધળી બની ગઈ છે કે તેઓ સામાજિક જવાબદારી ભૂલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ રિયાલિટી ચેક બાદ સાયબર ક્રાઈમ અને પોલીસ તંત્ર આ ઓનલાઇન વેચાણ કરતા પ્લેટફોર્મ્સ સામે કોઈ લાલ આંખ કરે છે કે કેમ? કારણ કે જો આમ જ ચાલતું રહ્યું, તો 'ઉડતા પંજાબ' જેવી સ્થિતિ 'ઉડતા સુરત' માં થતા વાર નહીં લાગે. માત્ર ગોગો પેપર એક જ કંપનીના નહીં પરંતુ લગભગ 10થી 15 અલગ અલગ કંપનીઓના ઓપ્શન તરીકે ગોગો પેપર વેચાણ કરવામાં આવી રહ્યા છે જેની કિંમત 15 રૂપિયાથી લઈ 200 સુધી છે અને જે સહેલાઈથી મળી જાય છે. જે કંપનીઓ આવું વેચાણ કરે છે, ત્યાં તપાસ હાથ ધરાશે: DCPસમગ્ર મામલે સુરત સ્પેશિયલ ઓપરેશન સેલના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ઓનલાઇન ગોગો પેપરનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે તે અમારા ધ્યાનમાં છે. જે કંપનીઓ આવું વેચાણ કરે છે તેમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવશે. આ કંપનીઓ પાસેથી છેલ્લા એક વર્ષ સુધીનાં બિલ મેળવવામાં આવશે અને તેમણે કયા પાન ગલ્લાવાળાઓને ડિલિવરી કરી છે, તે તમામ વિગતો એકત્ર કરવામાં આવશે.

27 C