હાલમાં દેશભરમાં મતદાર યાદીના સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે. આ તકનો લાભ લઈને સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ છે અને લોકોના મોબાઈલ પર છેતરામણી લિંક મોકલી રહ્યાં છે. જો તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી મતદાર યાદીમાં નામ ચેક કરવા અથવા સુધારવા માટે કોઈ લિ
જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,
શ્રી તળ પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિર, ગોળ શેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ અને બહારગામના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સમાજના 40થી વધુ
વડોદરા શહેરમાં રાત્રીના સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત ગ્રાન્ડ વીટારા કારચાલકે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ હેવમોર સર્કલ પાસે ટુ-વ્હીલર પર સવાર એક દંપતિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ મ
વાપી મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના અભિગમને સાર્થક કરવા માટે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને ડેપ્યુટી
રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે. ગુજરાતના ત્રણેય નેતાઓ આજે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અચાનક ત્રણેય નેતાઓ દિલ્હી ખાતે પહોંચતા રાજક
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા નાગરિકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન પાસે આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજને કારણે લાખો લિટર પાણીનો બગાડ થતો અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ હિમાલયા મોલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1273 બોટલ દારૂ, એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે,
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે, જેનું લઘુત્ત
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગે કુલ 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપી છે. આ કામગીરીથી જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકોને સીધો લાભ મળશે. મંજૂર કરાયેલા માર્ગો પૈકી, 8.100 કિલોમીટર લાંબા બમથીયા-નાના ખડબા રોડના
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે 14 ડિસેમ્બરને રવિવારના રોજ વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી સાડી ગૌરવ રન નીકળી હતી. જેમાં વડોદરા શહેરની 4,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. બહેનોએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવતા વડોદરા શહેરના રસ્તાઓ પર રંગબેરંગી દૃશ્યો જોવા મળ્યા હતા.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાડલા
સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડૉ. કુમાર વિશ્વાસના વ્યાસપીઠે તા. 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે આજે રાજક
જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં કોઈપણ દબાણ ન થાય તેના માટે સીસીટીવી કેમેરા લગાવવા અને જો દબાણ હોય તો દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જોકે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇ-વે પર પેલેડિયમ બિઝનેસ હબની બાજુમાં
ગીર સોમનાથ જિલ્લામાં ન્યાય પ્રક્રિયાને સરળ, ઝડપી અને લોકોપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હે
સરસ્વતી તાલુકાના મોરપા ગામે ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એસ.આર.જી. ફાઇનાન્સ કંપનીની પાલનપુર શાખાના ઓથોરાઇઝડ ઓફિસર સાગર પરમારે વાગડોદ પોલીસ મથકે મોરપાના પાંચાભાઈ અને મેનાબેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
વલસાડ જિલ્લામાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં કુલ 13,239 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ₹20.17 કરોડથી વધુનું સમાધાન થયું હતું. વલસાડ જિલ્લા અદાલત અને તેની તાબા હેઠળની તમામ તાલુકા અદાલતોમાં આ લોક અદાલત યોજાઈ હતી. તેમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો
જામનગર LCB પોલીસે મોટરસાઇકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹75,000ની કિંમતના ત્રણ ચોરાઉ મોટરસાઇકલ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી જામનગર શહેર વિસ્તારમાં અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.44ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હ
બાળ વિવાહ એક સામાજિક દૂષણ અને કુપ્રથા જેને સમૂળે નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં શરૂ થયેલાં “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન”ને બોટાદ જિલ્લામાં વિશેષ ગતિ આપવા માં આવી રહી છે. અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર 25થી 8 માર્ચ 26 સુધી 100 દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ
અકસ્માત કેસમાં જાણીતા એડવોકેટ અતુલ પટેલ મારફતે અરજી કરાઈ હતી. ચાર માસમાં જ વળતર અરજીનો નિર્ણય કરાયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામના મૂળ વતની ગુણવંતભાઈ દેસાઈ તથા તેના પત્ની સંગીતાબેન ગુણવંત ભાઈ દેસાઈ ગત 1 ઓગસ્ટ 2025ના તેના સુરત મુકામે આવેલ ઘરેથી બંને દંપતી બાઈક લઈ
શહેરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. આ શહેરમાંથી રાજ્યના મોટા ભાગના નાના-મોટા શહેરો તરફ જતા-આવતા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. સિહોર ટાણા ચોકડીથી દાદાની વાવ સુધીનો માર્ગ આમેય માત્ર કહેવા પૂરતો જ ફોર લાઇન માર્ગ છે. આથી આ માર્ગ પર લારી-ગલ્લા અને કેબિન હટાવ
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા એક જાહેરનામા દ્વારા ફિક્સ પગારમાં કામ કરતા અધ્યાપક સહાયક કે જેઓ બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયક તરીકે કામ કરે છે તેમને માટે એક લાંબા ગાળે રાહતના સમાચાર આપ્યા છે. જેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના પાંચ
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર 13 ડિસેમ્બર શનિવારે શ્રીમદ પ્રભુચરણ ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય ગોસ્વામી 108 નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂજ્ય ગોસ્વામી 108 આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આયોજન
અલગ અલગ રાજ્યોમાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે શહેર પોલીસે કાર્યવાહી કરી હતી અને સાયબર ઠગાઈના નાણાંના વ્યવહાર સાથે સંકળાયેલા બે શખ્સોને ભાવનગર શહેર માંથી ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખ્સો સાયબર ગુનાહિત ગેંગ માટ
ભાવનગર જિલ્લાના વ્યાજખોરના ત્રાસથી એસિડ પી લેવાની વધુ એક ઘટના નોંધાઈ છે. આ ઘટના મુજબ સિહોર તાલુકામાં રહેતા રવિભાઈ કાળુભાઈ નૈયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા તેમના ઘરમાં દવાખાના નો અચાનકથી ખર્ચ આવતા તેમની સાથે જ કડિયા કામ પર જતા જગદીશ જેન્તીભાઈ સોલંક
વર્ષ-2004માં જી.ઈ.બી.ના પુનઃગઠનના બાદ જી.યુ.વી.એન.એલ. દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર સહિત 11 જિલ્લામાં ગુડગાંવ (હરિયાણા) અને દિલ્હીન
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર-બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત, સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષીને માહિતી આપતા જણાવ્યું હતુ કે તા. 16, 17 અને 18 ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે, જેમાં ભાવનગર શહેરના-13 ઝો
સિટી-1 અને 2 ડિવિઝન દ્વારા ભાવનગર શહેરમાં આગામી તા.15મી થી 17મી ડિસેમ્બર-2025 દરમિયાન વીજ લાઈનની મેઈન્ટેનન્સની અગત્યની કામગીરીને લઈ પી.જી.વી.સી.એલ. ના 11 કે.વી.ના એસ.બી.એસ. ફિડર (આંશિક), શિવાજી સર્કલ, રૂવાપરી, લોકમિલાપ અને આનંદનગર ફિડરમાં આવતા વિસ્તારોમાં મરામત કામગીરી દરમિયાન સવારે 7 થ
ઘણા દેશોમાં ટીનએજ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે પ્રતિબંધના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિમાં એકાગ્રતા ખીલવી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ અંગે બિલ પાસ કર્યું છે ત્યારે વિદ્યાર્થી સહિત નોકરિયાત તથા કુટુ
કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે આવેલ રામગરબાપુ ગૌશાળામાં ગૌવંશને ખોરાકમાં ગુરુવારે મગફળીનો ખોળ અને લીલોચારો આપવામાં આવ્યા બાદ શુક્રવારે એક પછી એક 71 ગાયના મૃત્યુ બાદ શનિવારે પણ વધુ 14 ગૌવંશના ટપોટપ મૃત્યુ થતાં રાજ્યના પશુપાલન મંત્રી પણ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ માટ
શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં બે યુવકને પોલીસે અટકાવી પૂછપરછ કરતા બંને યુવક ધન્વંતરિ હોસ્પિટલના તબીબ હોવાનું ખુલ્યું હતું. જેમાંથી કારમાં સાથે બેઠેલો એક યુવક રાજકોટના જાણીતા ડોક્ટર ભગ
શહેરના વાવડીમાં વડોદરાની કંપનીના ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની માહિતી આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડતા ભળતા નામ અને લોગોનો ઉપયોગ કરી વેચાણ થતું હોવાનું સામે આવતા કારખાનેદાર મહિલા સામે કોપીરાઈટનો ગુનો નોંધી રૂ.2.81 લાખનો મુદ્દામા
રાજકોટની ભાગોળે ત્રંબા પાસેના અણિયારા ગામની સીમમાં તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર થયેલું હોય જેની આજી ડેમ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા રૂ.1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો પોલીસે કબજે કર્યો છે. શનિવારની રાત્રે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ જાડેજા સહિતની ટીમે અંદાજિત 14 વીઘામ
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કૈલાસનગર-2માં રહેતી જીલબેન જયંતભાઇ રાજપરા(ઉ.વ.24) નામની યુવતીએ ઘરમાં કૂતરાં બાંધવાની સાંકળ બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારજનો પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોઇ સ્તબ્ધ રહ્યા હત
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં શનિવારે મેગા લોકઅદાલતનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના 30,924 પેન્ડિંગ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી મોટર અકસ્માત વળતરના 373 કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો અને તેમાં અરજદારોને રૂ.2
જળસંચયના ઉમદા હેતુ સાથે રાજકોટમાં આયોજિત ડો.કુમાર વિશ્વાસની બહુપ્રતિક્ષિત ‘જલકથા’ના મુખ્ય કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા.14 ડિસેમ્બરને રવિવારે રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7.30 કલાકે કલાકાર કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્ય અને સેવાકાર્યનો અનોખો સંગમ બનશે. આ
ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે છેલ્લા 10 દિવસથી દેશભરમાં વિવિધ શહેરોમાં વિમાની સેવા ખોરંભાઇ હતી જે હવે ધીમે-ધીમે પૂર્વવત થઇ રહી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના હજારો મુસાફરો ફ્લાઇટ અચાનક કેન્સલ થવાથી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા ત્યારે હવે ઇન્ડિગ
ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયો છે. આરોપી પાદરા નજીક આવેલાં ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેત હતો. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથ
રાજકોટની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો)માં સંત આંબેવપીરધામનો તા.26 નવેમ્બરથી તા.5 ડિસેમ્બર સુધી ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ 200 વર્ષ પૌરાણિક મંદિરની 1 કરોડના ખર્ચે પુન:પ્રાણપ્રતિષ્ઠા, 4 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું. જેમાં ઠાકોરજી 51 તોલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં છેલ્લા થોડા સમયથી દલા તરવાડીની વાડી જેવી સ્થિતિ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. દલા તરવાડીની વાડીની વાર્તાની જેમ સત્તાધીશો ખુદ જ પૂછે અને ખુદ જ જવાબ આપે છે કે, ‘રીંગણા લઉં બે-ચાર, લે ને દસ-બાર’ની જેમ પોતાના લાગતા-વળગતાને ગોઠવી દ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન અંતર્ગત વિવિધ માર્ગો પર મુખ્ય ચોકમાં આવેલા ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ રાઇટ્સ જનભાગીદારીથી આપવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તબક્કે વાર્ષિક પ્રીમિયમથી પાંચ વર્ષ માટે અપાતા ટ્રાફિક સર્કલ માટે હવે અપસેટ પ્રાઇઝની નવી પોલિસી મહ
નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં અને બજાવી ગયેલાં અધિકારીઓ આ વાતથી સારી રીતે વાકેફ હોવાથી તેમણે સરકારના નિયમોનો ફાયદો ઉઠાવી મોકાની જગ્યા પર રાહત દરથી સરકારી પ્લોટ લીધાં હતાં. સરકારે પણ ગરૂડેશ્વર નજીક સરકારી જમીનમાંથી પ્રતિ અધિકારીને 135 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી પણ કરી હતી.
કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનોને મફતમાં સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)અમલમાં મૂકવામાં આવી છે ત્યારે થોડા સમય પહેલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટા પાયે ગોલમાલ કરી કરોડો રૂપિયાની ગોબાચારી આ
નર્મદા જિલ્લામાં ભાજપમાં ઘમાસાણ ચાલી રહયું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે જામી પડી છે. ધારાસભ્યએ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી છે. શનિવારના રોજ મનસુખ વસાવાએ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્યને વળતો જવાબ આપ્યો હ
સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવીની પ્રકારના કેસો, સમાધાન લાયક કેસો હાથ પર લઇ 9557નો
વઢવાણ તાલુકામાં ખેડૂઓની મુશ્કેલીઓછી થતી નથી શિયાળામાં કડકડતી ઠડીમાં ખાતર માટે રઝળપાટ કરવાનો સમય ખેડૂતોને આવ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર અપાતા ખેડૂતો ખફા થયા છે. ઝાલાવાડ પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં
ઔરંગાબાદ સ્થિત મુંબઈ હાઈ કોર્ટની બેન્ચે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો છે. અહિલ્યાનગર પૂર્વે અહમદનગર ખાતે આવેલા પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના સંચાલન માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા પ્રશાસકની નિમણૂકને અદાલતે ગેરકાયદેસર ઠરાવીને રદ કરી છે. આ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો, યુવક અને યુવતીઓના અપહરણ તથા ગુમ થવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને કારણે રાજ્યભરમાં ગંભીર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અનેક કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ સમસ્યા છેલ્લા કેટલાય વર
સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 13 ડિગ્રી સુધી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 13 ડિસેમ્બર છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડતા સૌથી ઠંડો 13 ડિસેમ્બર દિવસ બની જવા પામ્યો છે. ત્યારે હાલ ગરમ કપડાની માંગ 10થી 15
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ
મુંબઈ | અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (ક્યુસીએફઆઈ), મુંબઈ ચેપ્ટર દ્વારા આયોજિત 39મા વાર્ષિક ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ (સીસીક્યુસી- 2025) ખાતે અનન્ય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. લાગલગાટ બીજા વર્ષે અદાણી ઈલેક્ટ્રિસિટીની ટ્રાન્સમિશન એ
મુંબઈના વરલી વિસ્તારમાં ગયા વર્ષે થયેલા હિટ એન્ડ રન કેસને લઈને સુપ્રીમ કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં આરોપી મિહિર શાહ જેવા યુવકોને પાઠ ભણાવવો જ જોઈએ, એવી સ્પષ્ટ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટએ તેની જામીન અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેના સિગ્નેચર સીએસઆર પ્રોગ્રામ, કેરિંગ હેન્ડ્સના 14 વર્ષ પૂર્ણ થવાની જાહેરાત કરી છે, જે વંચિત સમુદાયોમાં બાળકોના આંખના સ્વાસ્થ્યને સુધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. 2011 માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ પહેલ ભારતના સૌથી અર્થપૂર્ણ કર્મચા
મુંબઈ આમ તો દેશની આર્થિક રાજધાની છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા આતંકને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. 24 કલાકમાં 16 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગોરેગાંવ વે
રમતગમતમાં સમાનતા, એકતા અને સહકારને પ્રોત્સાહન આપતા ‘‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ યુનિફાઇડ બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2025''માં ભારતીય ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ અમેરિકાના પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે તેમના સમ
મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાલવિકાસ વિભાગે મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને પહોંચે એ માટે તમામ મહિલાઓ માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. હવે ઈ-કેવાયસીની અંતિમ મુદત 31 ડિ
આદિવાસી બહુલ દાહોદ જિલ્લો માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પણ અહીં વસતા કેટલાક પરિવારોના અસાધારણ જીવનધોરણ માટે પણ જાણીતો બની રહ્યો છે. અહીં ''એ/સી ભારત સરકાર કુટુંબ પરિવાર'' નામની એક વિશિષ્ટ વિચારધારાને વરેલા પરિવારો વસે છે. જેઓ આત્મનિર્ભરતાના સિદ્ધાંતને માત્ર અપનાવે જ છે પ
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખરે હસ્તક્ષેપ કર્યો છે અને થેઉરમાં યશવંત સહકારી ખાંડ ફેક્ટરીના બહુચર્ચિત જમીન ખરીદી અને વેચાણ વ્યવહાર પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. રાજ્ય સરકારે અગાઉ પુણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ફેક્ટરીની લગભગ 99 એકર 97 ચોરસ મીટર જમીન 299 કરોડ રૂપિયા
મહીસાગર નલ સે જલની યોજનામાં આચરવામાં આવેલું રૂા.123 કરોડનું જંગી કૌભાંડ રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતુ. ચકચારી કૌભાંડમાં CID ક્રાઈમે તપાસનો ધમધમાાટ શરૂ કર્યો હતો. અને 5 કર્મચારી અને 10 કોન્ટ્રાક્ટરો જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે યોજનાના કોંભાંડી 17 કોન્ટ્રાક્ટરોએ જેલવ
પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવતા જિલ્લા પંચાયત પ્રસાશન એક્સનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં વહીવટી ધરખમ ફેરફારો કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાના ભાગરૂપે એક જ ઝાટકે જિલ્લાના 29 તલાટી કમ મંત્રીઓની બદલીના આદે
મહિસાગર જિલ્લાના નલ સે જલના કૌભાંડના વધુ એક કોન્ટ્રાક્ટર આરોપીની સીઆઇડી દ્વારા હાલોલથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી દ્વારા એક પછી એક કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવતા અન્ય કૌભાંડીઓમા નાસભાગ મચી છે. મહિસાગર જીલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત સરકારી તિજોરીને રૂા.123 કરોડનું નુકશા
ઘોડદોડ રોડની બિના શર્માએ ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પિતાએ વિલ કરીને ભાઇ અશોક શર્માને સચિનની ફેકટરી આપી હતી.જ્યારે ફ્લેટ તેમની માતા નામે છે. આ ફ્લેટ પચાવી પાડવા અશોકે તેની પ્રે્મિકા નિતુ વસાવાને લઇને 2023માં ફ્લેટમાં ઘુસી ગયો હતો. બાદમાં નિતુ અને તેનો જમાઇ મોહન
જામનગરની 10 પેઢીઓમાં બોગસ બિલિંગથી 30 કરોડથી વધુની આઇટીસી ઉસેટનારા આરોપી કન્સલ્ટન્ટ રોહિતકુમાર સંઘાણીની ડીજીજીઆઇએ ધરપકડ કરી આજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામાં આવ્યો હતો. તપાસમા સામે આવ્યુ હતુ કે સુરતની અનેક પેઢીઓએ પણ બોગસ
શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા અને આરોપીને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત શનિવારે સાયબર ફ્રોડની વધુ 31 ફરિયાદો નોંધાઇ હતી. જેમાં રૂ.68.20 લાખની ઠગાઇની થઇ છે. શુક્રવારે 26 ફરિયાદ નોંધાયા બાદ શનિવારે વઘુ 31 જેટલી ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં એપીકે ફાઇલ, આ
છોટા ઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં વાઘ આવ્યો હોવાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને તેના પગલા પણ જોવામાં આવ્યા હોવાનું જિલ્લા વન અધિકારીએ જણાવ્યું છે. હાલમાં ગુજરાતમાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાં વાઘના વસવાટના વિડીઓ વન વિભાગે જાહેર કર્યા હતા. પરંતુ છેલ્
પહેલી વખત ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ નામે સાયબર ફ્રોડ માટે ઉપયોગ થતા બેંક ખાતા શોધવાનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાતમાં 8000થી વધુ બેંક ખાતા ભાડે વેચાયા હોવાની વિગતો બહાર આવી છે. આ બેંક ખાતા વેચનાર વ્યકિતઓ જરૂરિયાત મુજબ કમિશન લે છે. જેમાં પ્રતિ ખાતા દીઠ 25થી 50 હજાર
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અમલવાંટ ખાતે આવેલ સિંચાઈ તળાવનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને ખેડૂતો હિજરત કરવા મજબૂર બન્યા છે. કવાંટ તાલુકાના અમલવાંટ ગામના ખેડૂતોની માઠી દશા બેઠી છે. ચોમાસામાં ભારે વરસાદ, ત્યારબાદ કમોસમી વરસાદ અને હ
CBSEની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં દરેક પ્રશ્નનો જવાબ તેના નિર્ધારિત વિભાગમાં જ લખવો પડશે. CBSEની પરીક્ષા 17 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 દરમિયાન લેવ
શહેર અને જિલ્લામાં કારના કાચ તોડીને લેપટોપ અને કિંમતી સામાન ચોરતી ત્રિચી ગેંગના 3 સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. ફૂટેજનું એનાલિસીસ કરાતા ટોળકી ઝડપાયા હતા. એપ થકી ગુનાની જગ્યાની નજીકના ફૂટેજનું વર્ગીકરણ કરીને આઈસીજેએસમાં હિસ્ટ્રી સર્ચ કરાતા મુખ્ય સૂત્રધા
ભાટપોરમાં ઘર નજીક રમતા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું થયું હતું. હજીરાના ભાટપોર ખાતે રહેતા દિનેશ રાઠવા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 2 વર્ષીય પુત્ર શુભદર્શન શુક્રવારે સાંજે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતો હતો. દરમ્યાન ક્યાંકથી ત્યાં સાપ આવી ચડ
વિશ્વની અગ્રણી રફ હીરા ટ્રેડિંગ કંપની ડિબિયર્સ (De Beers) દ્વારા 8 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન રફ હીરાની સાઈટ (હરાજી) યોજવામાં આવી હતી. આ ચાર દિવસીય સેલ દરમિયાન ડિબિયર્સે મોટા ભાગના રફ હીરાના ભાવોમાં કોઈ ખાસ ફેરફાર કર્યા વગર તેને સ્થિર રાખ્યા હતા. વૈશ્વિક હીરા ઉદ્યોગ હાલ મંદીમા
શહેરમાં શનિવારે ઠંડીના જોરમાં એક ડિગ્રીનો વધારો થઈ ને ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. ગત શુક્રવારે 14.8ડિગ્રી નોંધાયું હતું. એક ડિગ્રી તાપમાનમાં થયેલા ઘટાડાથી ફૂલગુલાબી ઠંડીનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તરના બર્ફિલા પવનની અસર છેલ્લા ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ હોય ઉત્ત
જીએસટી હેઠળ ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપિલ મિકેનિઝમ અમલમાં મુકવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે, જીએસટીની વ્યવસ્થા પહેલેથી જ મોટા પ્રમાણમાં ડિજિટલ બની ચૂકી છે
ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ બાદ માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ માર્કેટ સદંતર બંધ કરી દેવાઈ છે. હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટરનો રીપોર્ટ અને ફાયર સેફ્ટી રી-ઈન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ મ
દેશમાં ઇ-વે બિલના વધી રહેલા કૌભાંડ અને તેના આધારે ઉસેટી લેવાતી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મામલે નવા ફેરફરા કર્યા છે અને આ વખતે ઇ- વે બિલ મારફત ટેક્સચોરી રોકવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને સસ્પેન્ડ અને કેન્સલ કરાતા જીએસટી નંબર બાબતે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે, હવેથી આવા
સુરતના પાંડેસરાના શિવમનગરમાં રહેતાં 55 વર્ષના સુનિતાદેવી બ્રિજનંદન ટાંટીને પેરાલિસિસ થયું હતું અને લાંબી બિમારી બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનો તબીબી સર્ટિફિકેટ વિના જ અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિમાં ગયા હતા. જ્યાં નિયમ મુજબ મૃતકની 60 વર્ષથી ઓછી ઉંમર હોવાથી અગ્
લોક અદાલતમાં પારિવારિક અને અકસ્તમાત વળતર ધારા સહિતના અનેક કેસોમાં સુખદ અંત આવ્યો હતો. કેટલાક કેસમાં માતા-પિતાએ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાથે રહેવાનું ઉચિત માન્યું હતું. એક દંપતી તો છેક 22 વર્ષ બાદ સાથે રહેવા રાજી થયું હતું. દંપતી અલયદા રહેતા હોય અને પત્ની સાથે રહેત
સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ જાણીતી વ્યક્તિ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી અથવા તો તેને આડકતરી રીતે બદનામ કરીને TRP મેળવવાની હોડમાં થતી પાયાવિહોણી સ્ટોરીઓની વધુ એક ઘટના હવે કોર્ટમાં પહોંચી છે. રિલાયન્સ સાથે સંકળાયેલા અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગુજરાતના પાંચ પત્રકા
સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય. કોઈક જ પાનની દુકાન એવી હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને 'ગોગો પેપર'ના નામે ઓળકાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય. હાઈબ્રીડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ, લેવા માટેના 'ગોગો પેપર' બેરોકટોક વેચાઈ રહ્યા છે. તપાસ કરતા બહાર આ
સાઈબર ફ્રોડના કરોડો રૂપિયા જે એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય છે, તેવા મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે સમગ્ર ગુજરાતમાં ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેના ભાગ રુપે અમદાવાદ પોલીસે છેલ્લા 3 દિવસમાં આવા 35 મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે ગુના નોંધ્યા છે. જેમાં અત્યારસુધીમાં 15 આરોપીની ધર
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSIની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં દોડની પ્રેકટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત પરંતુ મેરિટમાં માર્કની ગણતરી કરાતી ન હોવાથી બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને આ બાબતે ફ
જૂનાગઢ શહેર અને ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ ક્ષેત્ર હાલ શિયાળાની ઋતુમાં એક અનોખા 'કાવા બજાર'માં ફેરવાઈ ગયું છે. રાજ્યમાં બરાબર જામી ગયેલી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ચા-કોફીની જગ્યાએ ગરમાગરમ આયુર્વેદિક ગિરનારી કાવાની ચુસ્કી લેવાનો લાહવો લઈ રહ્યા છે. આ કાવા પ્રેમીઓ માટે માત્ર પી
શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય વિચાર કેવી રીતે કરોડોના બિઝનેસમાં બદલાય છે? કેવી રીતે યુવા આંત્રપ્રેનર્સ પોતાની મહેનત અને જુસ્સાથી માર્કેટમાં એક રિવોલ્યુશન લાવે છે? તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આ સોમવારથી યાને કે આવતીકાલથી શરૂ થઈ રહી છે અમારી નવી પાંચ એપિસોડની સિ
ગુજરાતમાં ટૂંક સમયમાં જ 15 મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ટૂંકમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની સેમિફાઇનલ જ ગણી લો. કારણ કે લગભગ પોણા ભાગનું ગુજરાત મતદાન કરશે. પરંતુ આ ચૂંટણી પહેલાં જ એક મોટી કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દ્વારા 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી, 2026 સુધી ‘ઘર ઘર સંપર્ક અભિયાન’ યોજાશે. 13મીથી ગુજરાતમાં આરંભ થયો છે જ્યારે 14મીથી સૌરાષ્ટ્રમાં કરાશે. તેમાં 90 લાખ ઘરનો સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાત પ્રાંતમાં 1.90 લાખ અને સૌરાષ્ટ્ર પ્રાંત
શહેર ડીઈઓ કચેરી દ્વારા ધો-10ની ગુજરાત શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત રહે, આત્મ વિશ્વાસથી પરીક્ષા આપી શકે અને બોર્ડની પરીક્ષા આપવા માટેનો પૂર્વ મહાવરો મળી રહે તે હેતુસર પ્રી-બોર્ડ પરીક્ષાનુ 16મીથી 24મી જાન્યુઆરી દરમ્યાન આયોજન ક
નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમાં 2026-27 બેચ માટે કુલ 320 જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 2 જાન્યુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. ભરતી સંબંધિત માહિતી સતાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પરથી મેળવી શકાશે. એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ એસ
રાજ્યભરમાં શનિવારે વર્ષની ચોથી અને અંતિમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં 6.26 લાખ પ્રી લિટિગેશનના કેસ હતા. કુલ 11.27 લાખ કેસનો નિકાલ કરાયો હતો. માત્ર અમદાવાદમાં જ 1.94 લાખ પ્રી લિટિગેશન કેસ, 1.37 લાખ પેન્ડિંગ જ્યારે 3.32 લાખ કેસનો નિકાલ કરાયો હતો. લોક અદાલત થકી અનેક બાબતોમાં સુખદ સમાધાનના કિસ્સ

29 C