દેવલબેન રામભાઈ ગઢવી. જેઓ કેન્દ્રીય વિધાલય આર્મી સ્કૂલના ધોરણ 10 ના વિધાર્થીની છે. તેઓ શાળા તરફથી ધોરણ પાંચ થી જ યોગના વિવિધ આસનો કરે છે. તેમજ ગોલ્ડ મેડલ જીતનાર દિકરી છે. એમનો સૂર્ય નમસ્કાર ઓપન એજ ગુજરાત રાજ્યનો સંળગ 587 આસનનો રેકોર્ડ છે ત્યારે તે બાળકી ધોરણ 6માં હતી. ત્યારબાદ શાળ
દર વર્ષે ૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજીને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવાઇ હતી. અદાણી નર્સિંગ કોલેજ, સમગ્ર પ્રોજેક્ટ, ICTC, SSK, એ.આર.ટી ભુજ સંયુક્ત ઉપક્રમે ડી.ટી.એચ.ઓ ડો. મનોજ દવેના માર્ગદર્શન અનુસાર યોજાયેલી રે
તાજેતરમાં મુન્દ્રા તાલુકાના બેરાજા અને રામાણીયા મુકામે અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા પાયે વનીકરણ પ્રોજેક્ટ નો શુભારંભ કરાયો છે.આ પહેલ નો ઉદેશ્ય 5500 સ્વદેશી વૃક્ષો વાવીને ચાર એકર જમીન માં ગાઢ જંગલ ઉભું કરવાનો છે.પર્યાવરણ માં નવા પ્રાણ ફૂંકતી વૃક્ષારોપણ ની આ ડ્રાઈવ અનેક રીતે
કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધોરડો રણોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધો
શહેરમાં ઝાંસી કી રાની સર્કલથી નળ સર્કલને જોડતા માર્ગ પર આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં સોમવારે સવારે યુવાનનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી.પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા દેહને પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ડુંગરની સામે સથવ
શહેરની ભાગોળે આવેલા અને ભુજના પ્રવેશદ્વાર કહી શકાય તેવા માધાપર પોલીસ ચોકી પાસે ઇન–આઉટ એમ બે પુલ છે. એક પુલ રાજાશાહીના સમયનો છે તો બીજો 2009માં બનાવવામાં આવ્યો છે. આ બંને પુલમાંથી રાજાશાહી વખતનો હજુ પણ મજબૂત છે પરંતુ 16 વર્ષ પહેલાં બનેલા પુલ પર ચાર દિવસ પહેલા થીંગડા મારવામાં આવ્
સોમા તળાવ ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે એક બાઈક ચાલકની આગળ 2 ગાય દોડતી આવી હતી જેના કારણે બાઈક ચાલક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુવકના સસરા મૃત્યુ પામ્યા હોવાને કારણે તેની પત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની સોમવારે પારુલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેવા વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મહેન્દ્રસિંઘ ધોની આવવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. બીજી તરફ એરપોર્ટ બહાર ધોનીના ચાહકો મોટી સંખ્
પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી વડોદરા રેલવે એસઓજીની ટીમે 19.860 કિલો રૂ.9.93 લાખનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. ગાંજાની ટ્રેનમાંથી ડિલિવરી કરાય તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડ્યો હતો. જે અંગે વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે રેલવે એ
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમ ફાઇનલનું સોમવારે છેલ્લું પેપર હતું. જેમાં ઇન્સ્યોરન્સ પ્રોડક્ટનું પેપર લેવાયું હતું. ફાઇનલની પરીક્ષામાં તૈયારી નહિ કરેલા પ્રશ્ન પૂછાતાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. જે અંગે વિદ્યાર્થીઓએ સત્તાધીશોને રજૂઆતો કરી હતી. સત્તાધીશોએ કહ
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે. એસવાય બીકોમની પરીક્ષાનો સોમવારે છેલ્લે દિવસ હતો. ટીવાય અને એસવાયની પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે. એફવાય બીકોમની પરીક્ષા મંગળવારથી શરૂ થઇ રહી છે. વિજિલન્સ સ્ક્વોડની ગેરહાજરીને પગલે વિદ્યાર્થીઓ કોપી કરી રહ્યા હોવાની વ્ય
મ.સ.યુનિવર્સિટીમાં કોમન એકટ લાગુ થયા બાદ જે પ્રકારે ખાનગી યુનિવર્સિટીનો વહીવટ ચાલતો હોય તે પ્રકારે વહીવટ ચલાવામાં આવી રહ્યો છે. સિન્ડિકેટના સ્થાને બનાવામાં આવેલી એક્ઝિક્યૂટિવ કાઉન્સિલનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવે છે. ફેકલ્ટી ડીનને પણ એજન્ડા મોકલવામાં આવતા નથી. મ.સ.યુનિવર
શહેરમાં ગીતા જંયતી નિમિત્તે ચોખંડી સ્થિત ગીતા મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ યોજાયો હતો. આ સાથે યજ્ઞમાં બ્રાહ્મણો સાથે પાંચ કુંડ પર યજ્ઞમાં 25 જેટલા ભક્તોએ ગીતાના 18 અધ્યાયનું દરેક શ્લોકના અંતે આહૂતિ આપી એક જ દિવસમાં 700 શ્લોકથી યજ્ઞ સંપ્પન કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક ક
નારેશ્વર ખાતે પૂ.રંગ અવધૂત મહારાજના પ્રથમ આગમનના શતાબ્ધી વર્ષની પૂર્ણાહૂતિ અંતર્ગત વડોદરાના કથાકાર હર્ષાંગ પંડ્યાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામરક્ષા સ્તોત્ર પર યોજાયેલી ત્રી-દિવસીય કથાના પ્રથમ દિવસે તેમણે રામ રક્ષા સ્તોત્રનું મહાત્મ્ય સમજાવ્યું હતું. સાથે ભગ
સમતા રોડ પર રહેતાં વૃદ્ધાને ઝાંસીની રાણી સર્કલ પાસે ખાનગી લક્ઝરીએ ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમતા રોડ પરની રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં રહેતા જતીનભાઈ કાકલોતરનાં માતા-પિતા તેમ
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત રાજકોટના 10 વર્ષ જૂના કેસની. જેમાં પોલીસે એકવાર તો માની લીધું કે આરોપી ચાલું બોલી રહ્યો છે. પણ પછી કેટલાક એવા પુરાવા હાથ લાગ્યા જેના કારણે આરોપીએ ગુનો કબૂલી લીધો. પણ આગળ જતા કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ અને હત્યાના કેસના બે-બે આરોપી સાવ નિર
ગોધરાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જજ દલીલો સાંભળી રહ્યા છે. એ વખતે વકીલ તરીકે દલીલ કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એ વખતે એવું બન્યું કે સરદાર એક કેસ લડી રહ્યા હતા. એવામાં સરદારને ચાલુ કોર્ટે તાર મળે છે. તાર વાંચીને તે ખિસ્સામાં મૂકી દે છે અને કેસની દલીલ ચાલુ રાખે છે. સુનાવણી પૂ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
‘12 વાગ્યે PSIએ થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું અને થોડી વાર ત્યાં બેસી બીજા એક પેટ્રોલિંગ માટે એ નીકળી ગયા. 4 વાગ્યે PSI જેવા પરત ફર્યા ને અંદર પગ મૂક્યો ત્યાં આંખો ચાર! જુએ છે તો સામે પડી હતી એક પોલીસ કોન્સ્ટેબલની લાશ. ક્રૂર રીતે છૂંદાયેલુ લોહીલુહાણ મોઢું અને માથા પર લોખંડની પાઇપના ફટ
ઉત્તર દિશા તરફથી આવતા પવનોથી ડિસેમ્બર દરમિયાન રાતે કડકડતી ઠંડી અનુભવાશે. જોકે પ્રથમ પખવાડિયા દરમિયાન દિવસનો ભાગ ગરમ જોવા મળશે. આમ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થઈ શકે છે. જોકે બીજા પખવાડિયાથી આકરી ઠંડી શરૂ થવાની સંભાવના રહેશે. 1 ડિસેમ્બરે
આમલિયારાથી આવતી ગેસની 8 ઈંચની લાઇનમાં ભંગાણનું 26 કલાક બાદ સમારકામ પૂર્ણ થયું હતું. મળસ્કે 3 વાગે કામ પૂર્ણ થતાં 1 કલાક ચેકિંગ બાદ 4 વાગે ગેસનો જથ્થો પૂર્વરત કરાયો હતો. લોકોના ઘરે સવારે 7 વાગે ગેસ મળ્યો હતો. બીજી તરફ 26 કલાકથી બંધ સીએનજી સ્ટેશનને કારણે સવારથી જ ગેસ ભરાવવા વાહનોની ક
3 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર ગોરવાની પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં અઠવાડિયા પહેલાં સાસરી માંજલપુરથી નીકળી પિયર આવી ગઈ હતી. દરમિયાન પતિ સાથે મોબાઈલ પર વાતચીતમાં સમાધાન થતાં તે પરત સાસરીમાં જવા તૈયાર થઈ હતી. જોકે પરિવારની મંજૂરી વિના લગ્ન કર્યા હોઇ પિયરિયાએ તેને સાસરીમાં જવા
ચૂંટણી પંચ દ્વારા સરની સમય મર્યાદા વધારીને 11 ડિસેમ્બર કરાઈ છે. હવે મતદારો 11મી સુધી ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જોકે શહેર-જિલ્લામાં 10 વિધાનસભાના કુલ 26.89 લાખ મતદારોમાં કુલ 26.62 લાખ ફોર્મનું વિતરણ થયું છે. જેની સામે 1 ડિસેમ્બર સુધી 20.75 લાખ ફોર્
શહેરના જામ્બુવા પાસે આવેલા ખલીપુર ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી મગર સ્થાનિક રહીશના ખેતરમાં આવી ગયો હતો. જેને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાના યશ તડવીએ જણાવ્યા મુજબ સ્થાનિક ખેડૂત ખુમાનસિંહ મકવાણાએ કોલ કરીને તેમના ખેતરમાં અંદાજ
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માંડવી રોડ પર આવેલા પ્રાચીન રાધાવલ્લભ મંદિરનું નવનિર્માણનું કામ પૂરું કરાયું છે. જોકે હજુ તેમાં ગટર લાઇન સહિત નાનાં-મોટાં કામો બાકી છે, તેવામાં 2 વર્ષથી પારકા ગર્ભગૃહમાં બેઠેલા ઠાકોરજીને નિજ મંદિરમાં પધરાવવા માટે પૂજારીએ તંત્રને અરજ કરી છે. ઉ
સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહે (IPS) નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં વાર્ષિક ઇન્સ્પેકશન પરેડ યોજી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે જિલ્લા પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું. ઇન્સ્પેક્શનના ભાગરૂપે જિલ્લા પોલીસે તેમની કામ
વ્યારાના લખાલીમાં પૂરના કારણે ધરાશાયી થયેલો કમ્પાઉન્ડ વોલ અને તૂટી ગયેલું ગેટ છેલ્લા ઘણા મહિનાઓથી જર્જર હાલતમાં છે. જેથી અંતરિયાળ આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીનીઓ સુરક્ષા જોખમ વચ્ચે અભ્યાસ કરે છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત છે. જેને લઇ તાલુકા પંચાયત સભ્ય નિલેશ ગામી
વ્યારા નગરપાલિકાની હદ વિસ્તારમાં નજીકના ગામોને સમાવવાના સંભવિત નિર્ણય પહેલાં જ 9 ગામોના આગેવાનોએ આગમચેતીના ભાગરૂપે કડક વિરોધ નોંધાવ્યો છે. ગામોના સરપંચો અને આગેવાનોએ આજે તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ નગરપાલિકાના વિસ્તારમાં જોડાવા મા
ચીખલી ખાંભડા ગામનો સિલાઇનું કામ કરતા યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓાએ તેમનો દીકરો આવુ ન કરી શકે તેમ જણાવી કલ્પાંત કર્યો હતો. ચીખલી તાલુકાના ખાંભડા દેસાઇ ફળિયા રહેતા મનીષ બાબુભાઇ પટેલ (ઉ.વ. 34) જે સચિન સુરતમાં સિલાઈ મશીનનું કામ કરતો હત
વસુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ આગેવાનોના વિજય બાદ નવનિર્વાચિત ડિરેક્ટરોની મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલે હજારો પશુપાલકો અને સંસ્થાના હિતમાં કામ કરવા અનુરોધ કરી તમામને શુભેચ્છા પાઠવી હતી. તાજેતરમાં વસુધારા ડેરીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની યોજાયેલ ચૂંટ
નવસારી જિલ્લામાં CCTV અને ભાડૂઆતની માહિતી ન રાખતા 17 સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા વધતા ગુનાખોરીના બનાવોને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જેનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. આ
સેલવાસ આમલીમાં રહેતા એક પરિવારની 2 વર્ષની બાળકીની તબિયત બગડતા બે દિવસ પહેલા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીયત વધુ લથડતા ડોકટરે વધુ ઈલાજ માટે નમો હોસ્પિટલમાં રિફર કરવા જણાવતા 108માં બાળકીને નમો હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં ફરજ પરના ડોકટરે બાળકી
ધરમપુર માલનપાડા સ્થિત WHO ગાઈડ લાઈન મુજબનાં દેશના પ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની મુલાકાતે આવેલા મંત્રી અર્જુન મોઢવાડિયા તથા મંત્રી નરેશ પટેલને SRIના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. ડી.સી.પટેલે ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવેલા ઝેરી સર્પો અને તેમના ઝેરમાંથી સાયન્ટિફિક રીતે પ્રોસેસ કરી બના
નવસારી શહેરના કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસોમાં ટાઉન પોલીસની રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ધાતુના તીક્ષ્ણ હથિયાર (ચપ્પુ) સાથે ચાર યુવકોને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં ગુના અટકાવવા માટે ટાઉન પોલીસ દ્વારા રાત્રે શહેરના સંવેદનશીલ વિસ્ત
નવસારીના ટાટા હોલથી ગોલવાડ તરફ જવાના માર્ગ પર હાલ એક દુકાન બની રહી છે. જ્યાં વાંસ ની આડાશ મૂકવામાં આવી છે ત્યાં સવારે બે અક્સ્માત સર્જાતા રહી ગયા હતા. જેને લઇ વાંસની આડાશ યોગ્ય બનાવે જેથી કોઈ આકસ્મિક ઘટના ન સર્જાઇ શકે એવી લોકમાગ છે. નવસારીના ટાટા હોલ નજીક આવેલ બી.એન.ટાવર એપાર્
નવસારી શહેરના રમતવીરો માટે મહત્વના ગણાતા લુન્સીકૂઇ મેદાનની હાલત નવસારી મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે દયનીય બની છે. શહેરના ખેલપ્રેમીઓ માટે આ મેદાન અનેરી લાગણી ધરાવે છે પરંતુ મનપાના સત્તાધીશોને આ મેદાનની જાળવણીમાં કોઈ રસ ન હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. તાજેતરમાં
ઉમરગામ તાલુકાના એકલારા ગામે રહેતા 18 વર્ષીય આયુષ રાજેશ ધોડી શિક્ષણ સાથે પાર્ટ ટાઇમ જોબ કરે છે.30 નવેમ્બરે રાત્રે 8.05 કલાકે બાઇક નં GJ.15.AE.2018 પર ઘર તરફ પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન મોહન ગામ દમણ સ્ટેટ હાઇવેનાં જંબુરી ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે સામેથી ટક્કર મારતા શરીરે તથા માથાના ભાગ
દાનહ જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી સંપન થયા બાદ સોમવારે બંને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની નિર્વિરોધ વરણી કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જિલ્લા પંચાયતમાં 26માંથી 24 સીટ પર વિજેતા થઇ હતી અને બે સીટ કોંગ્રેસના
નવસારી જિલ્લામાં ઓક્ટોબરમાં પડેલ કમોસમી વરસાદના કારણે થયેલ ખેતીને નુકસાની માટે સહાય મેળવવા 19 હજાર ખેડૂતોએ અરજી કરી છે. નવસારી જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં દિવાળી વીતતા કમોસમી વરસાદ ત્રણથી ચાર દિવસ પડ્યો હતો,જેના કારણે ખેતીના ઊભા પાકને નુકસાની થઈ હતી. મહત્તમ નુકસાની ખરીફ ડ
નવસારી મહાનગરપાલિકા દ્વારા સરબતિયા તળાવ વિસ્તારમાં ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. તળાવના સૌંદર્યકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે મશીનરીના ઉપયોગમાં અપનાવાયેલી
જલાલપોર પંથકમાં વેસ્મા પંથકની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતા બિમાર છાત્રના બન્ને હાથ ઉપર માર મારવાથી ઇજાના નિશાનના વીડિયો વહેતો થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. 15 દિવસમાં શિક્ષણ જગતમાં છાત્ર હિંસાની ત્રીજી ઘટના બની છે ત્યારે શિક્ષણ જગત માટે આવી ઘટના ન બને તે માટે ચિંતન કર
ગણદેવી સુગરની 68મી વાર્ષિક સાધારણ સભા સોમવાર બપોરે ફેક્ટરી પરિસરમાં મળી હતી. જેમાં વર્ષ 2024-25ના વાર્ષિક લેખાજોખા સાથે એજન્ડા ઉપરના 7 કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. શેરડીના ઘટતાં વાવેતર, મજૂર સહિતની સમસ્યા ઉપર ચિંતા વ્યક્ત કરાઇ હતી. ગણદેવી સુગર ફેકટરીના ડિરેક્ટર રણજીત પટેલ
વલસાડ તાલુકાના વશીયર અને નનકવાડાને જોડાતાં વાંકી નદીના પુલનો વિવાદ હજી ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ બંધ પુલનું કામ શરૂ કરવા સામે વિરોધ ઉઠાવી કલેકટરને આવેદન આવ્યું છે. જેમાં કોઇ ઉલ્લેખ કર્યા વિના ખાનગી ફાર્મ હાઉસ માટે ભાજપ નેતાને ફાયદો કરાવવાનો
ધરમપુરની 148 જૂની રાજવી સમયની ગણાતી કન્યાશાળાના મકાનની ભવ્યતાની જાળવણી સાથે રીનોવેશનની જરૂર ઉભી થઇ છે. શહેરની મધ્યમાં સ્થિત ધરમપુરની ધરોહર આ કન્યાશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનારી અનેક કન્યાઓ ડોક્ટર, વકીલ, પ્રોફેસર, શિક્ષિકાઓ બની છે. રાજવી સમયે કન્યા કેળવણીની શરૂઆત 1877માં સ
ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારનાં હનમતમાળમાં કાંજણપાડા તરફ જતા રસ્તા વચ્ચે પસાર થતા માન નદી પર અનેક ગામોને ઉપયોગી મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થઇ છે. રૂપિયા ચાર કરોડનાં ખર્ચે નિર્મિત આ મહત્વનાં મેજર બ્રિજ બની જતા 7થી વધુ ગામના લોકોને ફાયદો થશે. હવે ચોમાસામાં આ ગામ વિખૂટા નહી પડ
નેશનલ ગઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાનાર નેશનલ ગેઇમ્સ માટે વલસાડના સેગવીની ધો.7માં અભ્યાસ કરતી દુર્વા મુકુન્દભાઇ પટેલની ગુજરાતની ટીમમાં પસંદગી કરવામાં આવતાં આ તરુણીએ માતા પિતા,સેગવી તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે યોજાનાર 69મી નેશનલ
પાલનપુર એલસીબીની ટીમ રવિવારે મોડીરાત્રે પાલનપુર–અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોકુલધામ એલિગન્સ સોસાયટીના ગેટ આગળ એક શખ્સ ખુલ્લામાં મોબાઈલ દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. પોલીસે તેને ઝડપી લઇ પૂછપરછ કરતાં તેનું નામ અશોકભ
હિંમતનગરમાં ખેલ મહાકુંભમાં સાબરકાંઠા જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિજેતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ રમશે. જિલ્લાની અલગ અલગ શાળાના 400થી વધુ ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી દ્વાર
એસઆઈઆરની કામગીરીમાં એક સપ્તાહનો સમય વધારી અપાયો છે. સાબરકાંઠા જિલ્લામાં કામગીરી પૂર્ણતાને આરે છે. જિલ્લાના 11.61 લાખ કુલ મતદારો પૈકી 94.34 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને 65000 મતદારોના ફોર્મ ભરીને પરત મેળવી એન્ટ્રી કરવાની બાકી છે. ત્યારે ડ્રાફ્ટ એસઆઈઆરમાં 8 થી 10 ટકા મતદારોના નામ કમ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ભગવાન વિષ્ણુજીના મંદિરમાં પ્રતિ માસની પૂનમે ભક્તોના ધસારાને લઈને વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા આયોજનો કરાઇ રહ્યા છે જેના ભાગરૂપે માગશર સુદ પૂનમ તા.4 ડિસેમ્બરને ગુરુવારે હોવાથી શ્રીજીના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. શામળાજી
હાલમાં ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં સરની કામગીરી ચાલી રહી છે. જેમાં પહેલા 4 ડિસેમ્બર સુધી એમ્યુનરેશન ફોર્મ જમા કરાવવાના હતા. હાલમાં ચૂંટણી પંચ દ્વારા તેમાં સાત દિવસનો વધારો કરીને ફોર્મ જમા કરાવવાની તથા અપલોડ કરવાની કામગીરીને 11 ડિસેમ્બર 2025 કરાઇ છે. ચૂંટણી પંચ દ્વારા તારીખ લ
સાબરકાંઠા -અરવલ્લીમાંમાં સ્માર્ટ મીટર થકી યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ કામગીરી શરૂ થઈ ગઈ છે. લાંબા સમય સુધી વીજબિલ ના ભરનારા રીઢા ગ્રાહકોના વીજ કનેક્શન કચેરીમાં બેઠાં બેઠાં કાપી રહ્યા છે. અત્યાર સુધીમાં 2401 ગ્રાહકોના વીજ કનેક્શન કાપી દંડ વસૂલ કરી રૂ. 2,90,500 રિકવર કરાયા છે. સાબરકા
હિંમતનગર તાલુકાના 11 ગામના ખેડૂતોએ હુડા હટાવવાની માંગ સાથે એકતા પદયાત્રાનું આયોજન કરી છેલ્લા દિવસે હિંમતનગરમાં કરેલા શક્તિ પ્રદર્શનના ગાંધીનગરમાં પડઘા પડ્યા હતા. બાદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રીને મુખ્યમંત્રીએ બોલાવી આ મામલે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં ખેડ
યુનિવર્સિટીની ચાલી રહેલ પરીક્ષામાં વિસ્તારની કોલેજો જ કોલેજોની ગેરરીતીઓ બહાર લાવવા માટે મેદાનમાં આવી છે. જેમાં ગેરરીતિ અટકાવવા માટે સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન કરી રહેલા ચેરમેન અને જિલ્લાની મોનિટર ટીમોને જે તે જિલ્લાની જ પ્રતિસ્પર્ધી કોલેજો દ્વારા આસપાસની કોલેજમાં ગેરરી
બાવન આંટા રાજપૂત યુવા સંગઠન દ્વારા વડગામ તાલુકાના મજાદર પાટિયા નજીક 20 વીઘા જમીનમાં બંધાયેલા સમિયાણા નીચે ઐતિહાસિક સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં સમાજના 52 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્નના આયોજનના એક જ માસમાં રૂપિયા 2 કરોડના દાનની સરવાણી હતી. યુવાનો દ્વારા સ્વ-આયો
જુનાડીસા ગામમાં પ્રતિષ્ઠિત ભામાશા તરીકે ઓળખાતા દાનવીરની તસવીર પર કોઇ શખ્સે પાનની પિચકારી મારી હોવાની ઘટના સામે આવતા ગામમાં રોષ ફેલાયો છે. અપમાન કરવામાં આવતાં સમગ્ર ગામની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ માત્ર વ્યક્તિ નહીં પરંતુ સમાજના સન્માન પર સીધી
પાલનપુર મીરા દરવાજા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાણીના લીકેજની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર મીરા દરવાજાથી આગળ મસ્જીદની સામે બિસ્માર થયેલો માર્ગ નવો બનાવવામાં આવ્યો હતો. જોકે, માર્ગ નીચે પસાર થતી પાઇપલાઇન તૂટી ગઇ હોવાથી થોડાક જ દિવસોમાં ખાડો પડી ગયો હતો. પ
બનાસકાંઠા જિલ્લામાં દારુ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ બદીને અટકાવવા પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 3,164 પ્રોહિબીશન કેસ,રૂ..19.59 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત એનડીપીએસ કેસમાં 136.665 કિલો માદક પદા
વાવ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ખત્રીએ ટીમ સાથે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન, જુગાર, NDPS અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામાલાની તાલુકાના કાતરલા ગામનો સો
વાવ તાલુકાના અસારા અને ચતરપુરા વચ્ચે કસ્ટમ રોડ પર કાર પલટી જતાં ખીમાણાવાસના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતુ. લગ્નની જાનમાં કાર લઇને જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યકિતઓને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુઇગામ તાલુકાના ભરડવાથી જાન બાલુત્રી ગામ તરફ જવ
થાણે જિલ્લામાં વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન પર સગીરાના રડવાના અવાજથી સતર્ક બનેલી પોલીસ અને પ્રવાસીઓએ ત્રણ બાળકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આરોપીની આ પ્રકરણે ધરપકડ કરાઈ હતી, એમ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. આરોપીને સૂરજકુમાર ગુપ્તા (33) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.
દક્ષિણ મુંબઈને પ્રસ્તાવિત વાઢવણ બંદર સાથે જોડવા 300 મીટર લાંબો પુલ બાંધવામાં આવી રહ્યો છે. એના અંતર્ગત એમએમઆરડીએના ઉત્તન-વિરાર સીલિન્કને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવામાં આવશે. એના લીધે મુંબઈથી વાઢવણ પ્રવાસ ફક્ત 60 મિનિટમાં પૂરો કરી શકાશે. જવાહરલાલ નહેરુ બંદર પ્રાધિક
રાજ્યમાં 246 નગરપાલિકા અને 42 નગર પંચાયતોની ચૂંટણી માટેનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ભાજપે પોતાના આંતરિક સર્વેના આંકડા જાહેર કરીને વિપક્ષને ચોંકાવી દીધા છે. ભાજપના આંતરિક સર્વે અનુસાર, રાજ્યમાં પાર્ટીના 175 જેટલા મેયર જીતશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેથ
સમુદ્ર કિનારે આવેલું દિગમ્બર જૈન સમાજનું એકમાત્ર સહસ્ત્રકૂટ ચૈત્યાલય હવે નવા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થશે. ભરૂચ પાસે આવેલા ઘોઘા સ્થિત શ્રી ઋષભોદધિ દિગમ્બર જૈન તીર્થનો જીર્ણોદ્ધાર પૂર્ણ થઈ ગયો છે. આ લગભગ 3000 વર્ષ પ્રાચીન જિનાલય હવે તેના નવ્ય-ભવ્ય સ્વરૂપમાં ભાવિકો માટે તૈયાર છ
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરોમાં ઘટાડા છતાં ગુજરાતે પોતાના આવક સ્ત્રોતોમાં અસરકારક સંચાલન અને મજબૂત પાલનના કારણે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. નવેમ્બર-2025 સુધી રાજ્યને જીએસટી અંતર્ગત થયેલી કુલ આવક રૂ. 52,390 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ગત વર્ષ કરતાં 9 ટકા વધુ છે. નવેમ્બર-2025 દરમિયા
ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ કામોમાં થતાં તોતિંગ ખર્ચ પર હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કાતર ફેરવવામાં આવી રહી છે. વિવિધ પ્રોજેક્ટના રીવ્યુ બાદ તેમાં જણાતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. ધોળાકૂવાથી પંચેશ્વર સર્કલ સુધીના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ સ્ટે
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પર ‘દિલ્હી જેવું કલંક’ ન લાગે, તે માટે ગુજરાત સરકારે મલ્ટી લેયર સિક્યુરિટી સિસ્ટમ બનાવવા પર કામ શરૂ કરી દીધું છે. આ સિસ્ટમ સમગ્ર આયોજન દરમિયાન કોઈપણ પ્રકારના ગેરવહીવટ, બેદરકારી, ખોટા ટેન્ડર અથવા ભ્રષ્ટાચારને નિયંત્રિત કરશે. આ જ ઉદ્દેશ્ય સાથે ‘ઝીરો
ત્રણ વર્ષ પહેલા પશુઓ માં ખાસ કરીને ગાય માં લમ્પી રોગ ફરી દેખાતા પશુ પાલકોમાં ચિંતા વ્યાપી છે. 2020 માં કોરોના એ અનેક મનુષ્યો નો ભોગ લીધો હતો.તેજ રીતે 2022 માં લમ્પી નામનો રોગ ઢોર માં ખાસ કરીને ગાયો માં આ રોગ વ્યાપક હતો જેનો ભોગ અનેક પશુઓ બન્યા હતા. લમ્પી ના લક્ષણો માં ગળું સોજી જાય અન
છેલ્લા 6 દિવસથી સતત વધી રહેલા તાપમાન પર સોમવારે ઓચિંતા બ્રેક લાગી હતી સોરઠમાં તાપમાન સતત વધી રહ્યું હતું અને ઠંડી ગાયબ થઈ ગઈ હતી જેના પરિણામે લોકોને ઉનાળાની આખરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 6 દિવસ બાદ એટલે કે સોમવારની સવારે જૂનાગઢ ખાતે લઘુતમ તાપમાનનો પારો 2.2 ડિગ્રી નીચ
ગીર નેશનલ પાર્ક સાસણ ગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવી દેશ-વિદેશના મુલાકાતીઓ સાથે સાયબર ફ્રોડ કરનાર રાશિદખાન મેવાતીની પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે.રાજસ્થાનથી આરોપી રાશિદખાનની ધરપકડ કર્યા પછી તપાસનીશ મેંદરડાના પીઆઇ પી. સી. સરવૈયાએ 5 દિવસના રિમાન્ડ પર મેળવ્
ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હોઇ તસ્કરોને તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.ઘરમાંથી દાગીના અને રોકડ સહીત રૂ.1 લાખની ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો સક્રિય બન્ય
પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોની સંખ્યા સેકડોમાં છે. આવા મકાનોમાંથી અવારનવાર છતના પોપડા પડવા સહિતની ઘટનાઓ ઘટતી રહે છે. તેવામાં ખોડા લીમડા પાસેના એક જર્જરીત ઇમારત પરથી લોખંડની એંગલ પરથી લાકડા લટકી રહ્યા છે. મહંમદ ભાઈ નામના સ્થાનિકે જણાવ્યું કે દરરોજ સવારે અહ
માગશર સુદ અગિયારસે ઉજવાતી પવિત્ર ગીતા જયંતિ નિમિતે દાંતીવાડા ગામે સંસ્કાર અને પરંપરાનું સુંદર સંમિશ્રણ જોવા મળ્યું હતું. ગામના પૂર્વ સરપંચ સુરેશભાઇ મોદીએ પોતાના દીકરાના લગ્ન પ્રસંગે આવનાર દરેક મહેમાનનું સ્વાગત એક વિશેષ રીતે કર્યું હતું. સામાન્ય રીતે લગ્નમાં શાલ, સાફા ક
પાલનપુર એરોમા સર્કલે એક વર્ષ અગાઉ બોર્ડની પરીક્ષાઓ વખતે 22 દિવસ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. જોકે, તે પછી પુન: વાહન વ્યવ્હાર શરૂ થઇ જતાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત બની ગયા હતા. દરમિયાન બનાસકાંઠા વહિવટીતંત્ર દ્વારા રવિવારથી પુન: જુના જાહેર
મંદિરમાં ભીડનો લાભ લઈને એક મહિલાના ગળામાંથી ત્રણ તોલાના મંગળસૂત્રની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મૂળ હિંમતનગરના અને મુંબઇમાં નાલાસોપારા વિસ્તારમાં રહેતા સાગરભાઈ રાકેશભાઈ શાહ તા.23 ઓકટોબર 2025ના રોજ તેમની માતા જયોતિબેન સાથે અંબાજીના દર્શન કરવા ગયા હતા. ત્યારે સવારના લગભગ 8 વાગ
વિધાનસભાની વિશેષ સંક્ષિપ્ત સુધારણા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી ડિજિટલાઇઝેશન અને મેપિંગ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જિલ્લાએ 88.26 ટકાના ઉચ્ચ દર સાથે રાજ્યના ટોપ ઝોનમાં સ્થાન મેળવ્યું છે. કુલ 23,16,689 મતદારોના ફોર્મ ડિજિટલાઇઝ થઈ ચૂક્યા છે, જે રાજ્ય સ્તરે
પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતે દારૂની બદી સામે કડક અને અનોખો નિર્ણય લીધો છે. પંચાયતે જાહેર કર્યું છે કે ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂ ગાળશે, વેચશે કે પીશે તો તેને ગ્રામ પંચાયત તરફથી મળતી તમામ સેવાઓ તાત્કાલિક બંધ કરાશે. સાથે જ ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવનાર હોય તો તેને પણ પંચ
અમદાવાદ શહેરના તળાવો અને ગાર્ડનને શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવને રૂ. 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને નિહાળી શકાય તેના માટ
ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં ગાંધીનગર CID પોલીસ મથકે એક ફરિયાદીએ અમદાવાદમાં રહેતા 2 આરોપી રોહિતગીરી અને તેના ભાઈ મોહિતગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓ ઉપર આક્ષેપ છે કે, બંને આરોપીઓ અને તેમના મળતિયા એજન્ટોએ ગુજરાતીઓને વિદેશમાં મોકલીને સારા પગારની નોકરીની લા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ 7 ઝોન અને 48 વોર્ડમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ-2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો હેતુ અમદાવાદ શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની કેટેગરીમાં મળેલ સ
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણી સેક્ટર-3 ખાતે આવેલ એક બંગ્લામાં જુગાર રમાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે પોલીસે દરોડો પાડી આઠ લોકોને રંગેહાથ ઝડપ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની પાસેથી કુલ રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે દક્ષિણ રેલ્વેના ચેન્નાઈ એગ્મોર (MS) સ્ટેશને રીડેવલપમેન્ટ ના કામના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી હોવાને કારણે પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 પર લાઇન બ્લોક અને પાવર બ્લોક અમલમાં લેવામાં આવ્યા છે. આ રિડેવલપમેન્ટ ના કારણે 4 ડિસેમ્બર
ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.
ગાંધીનગર શહેરમાં આજે 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ એક મહિલાની રિક્ષામાં સફળ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવીને માતા અને નવજાત બાળક બંનેનો જીવ બચાવી લ
1 ડિસેમ્બર, 2025ના રોજ, રોટરી ક્લબ ઑફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા ધ્રુપકા ગામ (સિહોર બ્લોક, ભાવનગર)ની ધ્રુપકા પ્રાથમિક શાળાના 210 વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા સ્વેટરોનું વિતરણ કરીને હૃદયસ્પર્શી સમુદાય સેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુ નજીક આવતી હોવાને કારણે આ પ્રકલ્પન
ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સાતમાળની સરકારી બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. બિલ્ડીંગને છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી બની છે કે આ બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે જેને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં
રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ એક પછી એક વૃધ્ધ લૂંટાઈ રહ્યા છે. વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતિ રાજકોટ પોતાના દીકરાના ઘરે આવ્યા હતા અને બાદમાં પોતાના વતન જવા માટે રિક્ષામાં બેસી ગ્રીનલેન્ડ ચોકડી જતા હતા ત્યારે પેસેન્જરના સ્વાંગમાં બેસેલા ચો
ગાંધીનગરમાં ગયા વર્ષે ફ્લાવર શોના આયોજનની તૈયારી કરાયા બાદ અંતિમ ઘડીએ આયોજન પડતું મૂકાયું હતું. આ વર્ષે ફરી એકવાર અમદાવાદની માફક ફ્લાવર શો યોજવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી. પરંતુ, બજેટને લઈ સર્વસંમતિ ન સધાતી હોય આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન પડતું મૂકાય તેવી શક્યતા છે. સ્ટેન્ડ
ભાવનગર જિલ્લાના બાવળિયાળી ગામના 28 વર્ષીય હરપાલસિંહ ગોહિલે ‘કૌન બનેગા કરોડપતિ’ની હોટ સીટ પર બેસીને દેશભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. ગામમાં ‘રંગીલા બાપુ’ના નામથી ઓળખાતા આ ફની મિજાજના યુવકે અમિતાભ બચ્ચન સામે ખુલ્લેઆમ કહી દીધું કે, “હું શ્રદ્ધા કપૂરનો ક્રેઝી ફેન છું અને
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા ગીર સોમનાથ જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિરના પ્રાંગણમાં ઢોલ અને શરણાઈના સૂરો વચ્ચે ઉપરાજ્યપાલનું સ્વાગત કર

23 C