હાલ જ ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છે અને સમગ્ર ગુજરાતમાં પર્યાપ્ત વરસાદ થયો છે. ત્યારે શહેરાના પાનમ જળાશયમાં પણ પાણીની પૂરતા પ્રમાણમાં આવક થઈ છે. લગભગ 2 વર્ષ પાણી ચાલે એટલો જળસંગ્રહ છે. શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાનમ જળાશયમાંથી જ પાણી આપવામાં આવે છે પાલિકા દ્વારા રોજીંદુ પાણી આ
ગોધરામાં 1.80 કરોડના ખર્ચે 10 લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી તેમજ 12 લાખ લિટર ક્ષમતાવાળો સંપ તૈયાર કરાયો છે. આ બંને સુવિધાઓનું લોકાર્પણ ધારાસભ્ય રાઉલજીના હસ્તે કરાયું હતું. નવી ટાંકી અને સંપના લોકાર્પણ સાથે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યા
ઢઢેલા ગામમાં રહેતા બાળકોને શિક્ષણની અધ્યતન સુવિધાથી સજ્જ નવીન શિક્ષણ ભવનનું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 66 લાખના ખર્ચે નવ નિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે માત્ર 125 દિવસ પૂર્વે આ ભવનના નિર્મા
દાહોદના ગોદી રોડ પર આવેલા પશુપતિનાથ નગરની રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરિણીતા જ્યોતિબેન ઉર્ફે રીન્કુબેન ધનપાલસિંહ ચૌહાણે પતિ ધનપાલસિંહ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનાર જ્યોતિબેનને લગ્નના માત્ર બે
એ.આર. ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડિટેઇન કરાયેલા કુલ 17 મોટર વાહનો જેમાં મેક્સી, ગુડ્સ કેરિયર અને બસ/ટાટા મેજિકની હરાજી હાથ ધરવામાં આવનાર છે. વાહનો જોવાનો સમયગાળો 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર અને બંધ કવરમાં બીડ રજૂ કરવાની છેલ્લી તા.8 ડિસેમ્બર રાખી છે. તા.9 ડિસેમ્બર અને સમય બપોરે 2 વાગ્યાથી સા
દેવગઢ બારિયામાં પૂર્વ પ્રમુખે ''બે બાળકો'' સંબંધિત કાયદાના ઉલ્લંઘન બદલ છ સુધરાઇ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વિકાસ કમિશ્નર, કલેક્ટર અને પ્રાંત અધિકારીને કરતાં ખળભળાટ મચી ગયો છે. દેવગઢ બારિયાના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઇ કલાલે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે, છ સુધરાઇ સભ્યોના બાળક
ગોધરાની બામરોલી રોડ પરની સોસાયટીઓમાં સોલાર પેનલ ફીટ કરેલા હોવા છતાં મસમોટા લાઇટ બિલ આવતા વિજગ્રાહકોએ વિજ કંપની સામે આક્રોશ વ્યકત કરી રજૂઆત કરી છે. હાઇ વોલ્ટેજના કારણે સોલારના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. જોકે વિજલોડ સેટ કરવાની કાર્ય
જીલ્લા પંચાયત નર્મદાના આમલેથા બેઠકના સભ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન રસ્મિકા વસાવા એ સિકલસેલ એનિમિયાના દર્દીઓની ચિંતા કરી ને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી જણાવ્યું નર્મદા જીલ્લામાં સિકલસેલનુ અને ક્ષય રોગોનું પ્રમાણ વિશેષ છે. આ વિસ્તારમાં અનુસુચિત જન
ભરૂચમાં નબીપુરથી દયાદરા ચાર માર્ગીય રોડ પર રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. અગાઉ માર્ગની વચ્ચે આવેલાં ડિવાઇડર પર વૃક્ષો ઉગાડવામાં આવતાં હતાં જેના કારણે સામેથી આવતાં વાહનોની હેડલાઇટના પ્રકાશથી અન્ય વાહનચાલકોની આંખ ન અંજાઇ જાય પરંતુ હવે વૃક્ષોનું સ્થાન રીફ
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં સૌ પ્રથમ વખત રબર મેટ પર કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ તથાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમતઅધિકારીની કચેરી તરફથી ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ
તરસાડા થી વ્યારા જતા માર્ગની અત્યંત અવદશા થઈ જતા વાહનોને નુકસાન થવા સાથે માનવ વસ્તીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે તેના લીધે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. તરસાડા કાકરાપાર વ્યારા રોડની ચોમાસા દરમિયાન અત્યંત અવદશા થઈ ગયા બાદ આજ પર્યંત કોઈ પણ પ્રકારની મરામત ન થત
ચલથાણ ગામની સીમમાં ફરી એકવાર રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનની અડફેટે એક અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું છે. રેલવે પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચલથાણ રેલવે સ્ટેશનની નજીક આવેલા નેશનલ હાઈવે 48 ના રેલવે બ્રિજની નીચે એક અજાણ્યો ઇસમ ટ્રેન અડફતે આવી
દાહોદ જિલ્લામાં બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટેની મહત્વાકાંક્ષી સરકારી યોજનાઓમાં કેટલી ગંભીર બેદરકારી ચાલી રહી છે, તેનો ચોંકાવનારો કિસ્સો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યો છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની આક
અંકલેશ્વર તાલુકા સેવા સદન નજીક મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામ
ભરૂચ જિલ્લામાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે જેથી ગરમી અનુભવાઇ રહી છે. જોકે ભેજનું પ્રમાણ બે દિવસથી વધુ નોંધાય રહ્યું છે. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભ
નર્મદા જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જિલ્લાની કચેરીઓ હોય કે તમામ મામલતદાર કચેરીઓ માં ગાદલા પાથરી બીએલઓએ મોડી રાત સુધી કચેરીઓ માં બેસી કામ કર્યું હતું. રવિવારે સ્કૂલો માં બેસી કામ કર્યું અને બાકીના સમ
બાયડ તાલુકાના મોટા લાલપુર ગામના વ્યક્તિ શિંગોડા વેચવા માટે મોટર સાયકલ ઉપર જતા હતા. ત્યારે બાયડ ડેમાઈ મુખ્ય હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને લઇ સરસોલી મોટા લાલપુર વસાદરા વગેરે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો બાયડ દોડી પહોંચ્
હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તથા રોડ ઉપરનો ડામર નીકળી જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે, સદનસીબે હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. તંત્ર દ્વારા વરસાદ બાદ શહેરના વિ
મોડાસામાં મેઘરજ રોડ પર હાલ નવનિર્માણ ગેટ બની રહ્યો છે તો આ ગેટ બનાવવા રોડ એન્ડ બિલ્ડિંગની મંજૂરી લેવી પડે છે રસ્તો બંધ કરવા માટે પણ મંજૂરી લીધી કે ના લીધી એના માટે ઇન્ચાર્જ ડી.ઇ. સુથારને પૂછતા એને કહ્યું મને ખબર નથી. ગેટથી 100 મીટર દૂર આવેલ ઉમિયા ટાઉનશીપમાં જ અધિકારી રહે છે તો પણ
મેઘરજમાં વીજ તંત્રની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા મેઘરજના કેટલાક ગ્રાહકોએ વીજબીલ ઓનલાઇન અથવા કેસમાં ચૂકવી દીધી હોવા છતાં પણ મેઘરજ ugvcl કચેરીના અંધેર વહીવટથી વીજબીલ ભરેલ ગ્રાહકોને પણ નોટિસો આપતાં રોષ ફેલાયો છે. મેઘરજના સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહક રહીમભાઈનું સ્મ
મોડાસામાં જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાંથી ચોરી કરેલા કેબલ વાયર લઈને ચાંદ ટેકરીથી નીલગીરીઓની અંદર થઈ રેલવે ફાટક તરફ જઈ રહેલી રિક્ષા રોકીને એસઓજીએ 20હજારના કેબલના પાંચ બંડલ સાથે ચાંદ ટેકરીના બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. મોડાસા શહેરી વિસ્તારમાં એસઓજીનો સ્ટાફ પીઆઇ વાઘેલાની સૂચ
મોડાસાના ગોકુલનાથજી મંદિરે શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણનો 475મો પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા ઊજવણી કરાઇ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગસર સુદ - 6 ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુને ( દાદાજી) ને ઢોલ - નગારા વગાડીને ઉત્સવની વધામણી કરાઇ હતી. મહાઔછવ ઉત
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 1340 પ્રાથમિક શિક્ષકોને ઓ.પી.એસ. (જૂની પેન્શન યોજના)માં સમાવેશ કરવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે હુકમ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તા. 01-04-2005 પહેલા માન્ય ભરત
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં એટલે કે બેન્કોમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ સહિતની જમા પૂંજી માટે ખાતાધારકના વાલી વારસોને તક મળી રહે તે હેતુસર શરૂ થયેલ ઝૂંબેશમાં જાણવા મળી રહ્યા મુજબ સાબરકાં
અરવલ્લીમાં SIR મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ તા.4 નવેમ્બરથી શરૂ કરાયું છે. જિલ્લામાં મોડાસા ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારના 1048 બુથ વિસ્તારમાં બીએલઓ દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં 24 દિવસમાં સરેરાશ 70% કામગીરી પૂર્ણ કરાઇ છે અને આગામી 4 થી 5 દિવસમાં જિલ્લામાં SIRની સો ટકા ગણતરી
હિંમતનગર યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગત સપ્તાહમાં બે દિવસનો ભરાવો થઈ ગયા બાદ ગુરૂવારે ફરીથી 700 થી 800 વાહનોમાં મગફળી લઈને ખેડૂતો આવી પહોંચતા માર્કેટયાર્ડ સંચાલકો દ્વારા સોમવાર સુધી ખેડૂતોને ન આપવા અપીલ કરવામાં આવી છે. અચાનક હિંમતનગર માર્કેટ યાર્
ખેડબ્રહ્મા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામોમાં ગુરૂવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. 10 મિનિટ પડેલ ઝાપટાંમાં રસ્તા પાણી પાણી થઈ ગયો હતા. ગુરુવારના રોજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરના સમયે ખેડબ્રહ્માથી અંબાજી હાઇવે તરફના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્
હિંમતનગરમાં પાંચબત્તી સર્કલ નજીક દુર્ગા રેલવે ફ્લાયઓવર બનાવવામાં નીચે હાર્ડ રોક આવ્યા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરવો પડતાં રાજપૂત ભવનનું 4.30 મીટર બાંધકામ અને ફાટકની પૂર્વમાં દરગાહનું 3.0 મીટર બાંધકામ દૂર કરવું પડે તેમ હતું. ત્યારે ક્ષત્રિય હિતકારીણી સભા રાજપૂત ભવનનું આખું બાં
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિકૃપા સોસાયટીમાં 8 લાખ લિટર ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અવારનવાર છલકાતી હોવાના કારણે રહીશો ભારે પરેશાન છે. આ ટાંકી દર બે દિવસે ઊભરાય છે અને સોસાયટીમાં પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની રહી છે. રહીશોએ જણાવ્યું કે ટાંકો સોસાયટીના પ
પાલનપુર તાલુકાના ખેમાણા ગામના કમલેશ ઉર્ફે કિર્તીભાઈ સેધાભાઈ ડગલા તા. 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યે રિક્ષા નં. જીજે-08-એટી-9661 લઈને ખેમાણાથી પાલનપુર તરફ નીકળ્યા હતા.આ દરમિયાન આદિત્ય ગ્રેનાઇટ નજીક હાઇવે પર કાર નં. જીજે-38-ડીઇ-2869ના ચાલકે રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા કમલેશ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેલાડીઓ દર વર્ષે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભાગ લેવા માટે જાય છે. દર વર્ષે 5થી 7 જેટલા ખેલાડીઓની પસંદગી થાય છે પરંતુ પ્રથમવાર આ વર્ષે જુડો, આર્ચરી, એથ્લેટિક જેવી વિવિધ સ્પર્ધાઓ માટે નેશનલ વિજેતા 13 જેટલા વિદ્યાર્થીઓની ઇન્ડિયામાં ભાગ લ
સરસ્વતી–વાગડોદ પંથકમાં ગુરુવારે અચાનક બદલાયેલા વાતાવરણને કારણે રવિ સિઝનના મુખ્ય પાકો પર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સામે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે. સરસ્વતી તાલુકામાં રવિ સિઝનમાં દિવેલા, ઘઉં, રાયડો, એરંડા, જીરૂં અને શાકભાજીનું વ્યાપક વાવેતર થયું છે. હાલમાં સુજલામ–સુ
સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં દારૂનું વેચાણ બંધ કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય કરી ગામમાં દારૂનું વેચાણ ના થાય માટે કાર્યવાહી કરવા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગરસઈ ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગામમાં યુવા ધન નશાના રવાડે ના ચડી દારૂ પીને અપ શબ
પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોના ખેડૂતોને અંદાજે રૂ.300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે 4 તાલુકાના 64272 ખેડૂતોએ પ
પાટણ શહેરમાં વ્યાવસાયિક વેરા ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અને 15મા નાણાં પંચ જેવી યોજનાઓમાંથી મળેલી ગ્રાન્ટમાંથી કુલ 3 તબક્કામાં શહેરના 49 જેટલા વિસ્તારોમાં નવા ડામર રોડ, પેવર રોડ અને રિસરફેસીંગની કામગીરી રૂ.7.99 કરોડના ખર્ચે પાલિકા દ્વારા કરાશે.શહેરમાં ક
પાટણ જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા, ડમી, સ્થળાંતરિત અને ગુમનામ હોય તેવાં અત્યાર સુધીમાં કુલ 56358 મતદારો મળ્યા છે.આ તમામ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થશે. એટલે કે આ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં. પાટણ જિલ્લામાં નવેમ્બરથી શરૂ થયેલી SIRન
પાલનપુર-અમદાવાદ હાઇવે પરના શેરપુરા પાટિયા નજીક છાપી પોલીસે ગુરુવારે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ક્રૂરતાપૂર્વક 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી.પોલીસે ટ્રક ચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિં
સમીના વઢિયાર પેટ્રોલ પંપ પાસે બાઈકને અર્ટીગા ગાડીએ ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલક ને ઇજાઓ થઇ હતી બહુચ રાજી તાલુકાના ખાંભેલ ગામના સાગર ભાઈ બાબ ભાઈ ચૌહાણ તેમના ગામ ખાતેથી બાઈક પર રાધનપુર BOB બેંકમાં મિટિંગમાં જતા હતા તે વખતે સમીના વઢીયાર પેટ્રોલ પંપ પાસે પહોંચતા રાધનપુર બાજુથી આ
સિદ્ધપુર હાઈવે પર ફુલપુરા પાટિયા નજીક મહેસાણા તરફથી સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિયો કાર રસ્તા કિનારે એક ચાના સ્ટોલ નજીક સાઈડમાં ઉભેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અથડામણથી સ્કોર્પિયોના આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો. સદ્નસીબે ગાડીની એરબેગ ખુલી જતા ગાડી
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સ, વઢવાણના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આયોજિત ખેલ મહાકુંભ 2025ની જિલ્લા કક્ષાની અંડર-14 કબડ્ડી સ્પર્ધામાં શાળાની ટીમના ખેલાડીઓએ સ્પર્ધા દરમિયાન
ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી અને ધુમ્મસનું આક્રમણ થતાં બપોર સુધી ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે અને તાપમાન સતત ઉંચાઈ રહ્યું હોવાના કારણે ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે જૂનાગઢ ખ
રાજકોટની સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે. મંગળવારે એક વીડિયો ફરતો થયો હતો જેમાં ઝનાના હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ પાસેથી વર્ગ-4ના કર્મચારીઓ દર્દીઓના સંબંધીઓ પાસેથી રૂ.100થી 500 સુધીના ઉઘરાણા થતાં હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે સત્તાધીશોએ તપાસના આદેશ આપતા કોન્ટ્રાક્ટબે
પાલનપુર ગઠામણ પાટિયા પાસે રામદેવ હોટલની સામે આવેલી અને નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સોસાયટીઓ તરફના માર્ગમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારુ છવાયેલુ રહે છે. જેના કારણે સ્થાનિક રહીશોને રાત્રે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. સીસી રોડ પર ખાડાઓ પડી ગયા છે તો ગટરલાઇન માટે રોડ
પાલનપુરના તિરુપતિ સોસાયટીમાં બનનાર પમ્પિંગની દીવાલથી વરસાદી કેનાલ અવરોધાવાની ભીતિ છે જેના પગલે તિરુપતિ ટાઉનશીપ સહિત વિસ્તાર ડુબમાં જવાની શક્યતા છે. સ્ટેશનને માત્ર 20 ફૂટ દૂર બનાવવાની માંગ સાથે કલેકટર અને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર નિવાસી અધિક કલેક્ટ
પાલનપુર તાલુકાના જગાણા ગામે ઉગમણી શેરીમાં રહેતા ઠાકોર પરિવારે તેમની દીકરીના લગ્ન પ્રસંગે મંડપના પ્રવેશ દ્વારે દીકરી જન્મને તેમજ તેઓ જીવનમાં આગળ વધે તે માટે સમાજને પ્રોત્સાહિત કરતા સ્લોગન લખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગ્ન પ્રસંગ હોય ત્યારે સામાન્ય પણે મંડપના પ
વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીતાબેન મુકેશભાઈ ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત ધારાની કલમ-57(1) હેઠળ હોદ્દાથી દૂર કરવાનો આદેશ કર્યો છે. સરપંચના પતિ અને પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલે હાઇકોર્ટમાં અરજી પરત ખેંચવા બદલ રૂા. 35 લાખની માંગ કરી હતી જે બાદ એસ
બનાસકાંઠા એસઓજીએ બુધવારે ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં એક એજન્સી લાયસન્સ વિના ચાલતી હોવાનું બહાર આવતાં તેના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા એસઓજી પોલીસનો સ્ટાફ બુધવારે પેટ્રોલિંગ
વાવ થરાદ જિલ્લાના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસરોડ ઉપર એક મહિલા બાઇક ઉપરથી પટકાઇ હતી. જ્યાં પાછળ આવી રહેલા પોલીસ અધિકારીએ તેણીને સારવાર માટે ખસેડી હતી. થરાદના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસ રોડ એક બાઈકનુ ટાયર ફાટતાં પાછળ બેઠેલા થરાદ તાલુકાના રાજકોટના સીતાબેન ગૌસ્વામી નીચે
મહેસાણા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલાના નૂતન સંકુલ ખાતે શ્રી કુંજનાથ જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવનો દ્વિતીય દિવસ અલૌકિક ભક્તિભાવ સાથે ઊજવાયો. આજે પરમાત્મા તથા ધ્વજદંડ વગેરેના દિવ્ય પ્રભાવ ધરાવતી ઔષધીઓ અને તીર્થજળ દ્વારા કુલ 18 અભિષેકનો ભવ્ય કાર્યક્રમ ભક
યાત્રાધામ બહુચરાજીમાં હાઇવે શક્તિ સર્કલથી લઈ માર્કેટયાર્ડ સુધી, પાલખીપથની બંને બાજુ ટુવહીલર, રિક્ષાઓ, ગાડીઓ તેમજ ટ્રેક્ટરો આડેધડ પાર્ક કરી દેવાય છે. પરિણામે, આ રોડ પરથી પસાર થતી એસટી, ડમ્પર, લક્ઝરી બસો સહિતના ભારે વાહનો પસાર થાય ત્યારે ટ્રાફિકજામ થઈ જાય છે. વારંવાર થતા આ ટ્
મહોલ્લા આગળથી નીકળવા મામલે મહેસાણાના કસ્બા વિસ્તારમાં યુવક અને તેના બનેવીને મારનાર એક મહિલા સહિત પાંચ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહેસાણાના આંબેડકર ચોકમાં વણકરવાસમાં રહેતા વનરાજ રજનીકાંત મકવાણાનો નાનો ભાઈ કિરણભાઈ મકવાણા રાત્રે 8:30 વાગે તેમનું બાઈક લઈને તેમ
ખારી નદી પર બનેલા ફ્લાયઓવર પર 30 ગડરો મૂકવાનું કામ ગત સપ્તાહે શરૂ થયું હતું. પાંચ દિવસમાં 30 પૈકી 24 ગડરો મૂકી દેવામાં આવ્યા હતા. જોકે, બાકી રહેલા છ ગડરો મૂકતી વખતે મહાકાય ક્રેનોને ઊભી રાખવા પૂરતી જગ્યા ન હોવાથી કામગીરી ચાર દિવસ માટે સ્થગિત કરવી પડી હતી. ગુરુવારે માર્ગ-મકાન વિભાગ
આગામી તા.30 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની તમામ ટ્રીપ રદ રાખવામાં આવી છે. રેલવેના સુત્રોએ કરેલી જાહેરાત અનુસાર રવિવાર એટલે કે તા.30 ના રોજ મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ટ્રેન નંબર 79452, 79442 , 79454, 79444, 79446 અને 79448 તેમજ વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ટ્રેન નંબર 79441, ટ્રેન
નાગરિકોને સ્વચ્છ અને પોષક આહાર મળે એ માટે તેમ જ રેસ્ટોરંટ્સ અને હોટેલ્સના ઠેકાણે વાતાવરણ વધુ સરસ રહે એ માટે ટૂંક સમયમાં રાજ્યમાં વિશેષ અભિયાન અમલમાં મૂકવાનો નિર્ણય અન્ન અને ઔષધ પ્રશાસને લીધો છે. આ અભિયાનમાં ઉત્તમ કામ કરનાર રેસ્ટોરંટ્સ અને હોટેલ્સનું સન્માન કરવામાં આવશે.
ED અમદાવાદ ઓફિસે સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ મનસુખ સાગઠિયા અને અન્ય બે સામે મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. EDએ ACB રાજકોટ દ્વારા નોંધાયેલા FIR પર આધારિત તપાસ હતી. આ FIRમાં મનસુખ સાગઠિયા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બ
જૂનાગઢ જિલ્લા જેલમાં છેલ્લા કેટલાક સમયથી કેદીઓ અને જેલ તંત્ર વચ્ચે અસુવિધાઓ તેમજ અન્યાયના આક્ષેપોને લઈને તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચ દિવસ અગાઉ 40થી વધુ કેદીઓ અને સિપાઇઓ વચ્ચે બોલાચાલી થયા બાદ 40થી વધુ કેદીઓ ભૂડ હડતાળ પર ઉતર્યા હતા. તે સમયે જેલ અધિક્ષકે સમજાવટથી મામલ
ડ્રગ્સ તસ્કરીના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મિઝોરમ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી NDPS ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસની કાર્યવાહી હવે મની લોન્ડરિંગનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, મિઝોરમ પોલીસે છ વ્યક્તિ
અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નિકોલમાં ભક્તિનગર સર્કલ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં ચાલવા માટે નીકળેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માતની ઘટના બાદ કાર
સુરતની કોર્ટે બે એવા મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, જે સમાજમાં ગુનાની ગંભીરતા અને ગ્રાહકની સલામતીની આવશ્યકતા પર પ્રકાશ પાડે છે. એક કિસ્સામાં, એક જ પ્લોટ બે અલગ-અલગ વ્યક્તિઓને વેચીને છેતરપિંડી કરનાર પીડબલ્યુડીના કર્મચારીને કોર્ટે પ્રોબેશનનો લાભ આપવાનો ઇનકાર કરીને બે વર્ષની
ગુજરાતના ઉત્સાહમાં પહેલી વખત કોઈ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે. ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ટેનિસ પ્રીમિયર લીગ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ટેનિસ કોર્ટમાં યોજાવાની છે. આગામી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટેનિસ પ્ર
સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરીટી ઓફિસર જાગૃત નાયક ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે આવેલી તેમની ઓફિસમાં તેઓ ખુલ્લેઆમ પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ગેરવર્તણૂક બદલ એડી. સિટી ઈજનેર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં માવાની મૂવાડી (મવાપુર) ખાતે ખારી નદી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચલાવાતી હોવાની બાતમી આધારે SMCની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. જેના અંતર્ગત કુલ ₹1,95,135નો મુદ્દામાલ કબજે કરાયો અને ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપી ફરાર છે. મ
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ ધણગણ નામના યુવકને અમરેલી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સંજય કલસરીયા (આહીર) નામના પોલીસ કર્મચારીએ ફેસબુક પર અચાનક ગાળો અને અભદ્ર મેસેજ મોકલીને હેરાન કરતાં શિક
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નીપજ્યું છે. રાજકોટના માધાપર ચોક નજીક લગ્નમાં જઇ રહેલા ભટ્ટી પરિવારને અકસ્માત નળતા મહિલાનું મોત નીપજ્યું છે. આજ રોજ રાત્રીના સમયે કેતનભાઇ બાબુભાઈ ભટ્ટી (ઉ.વ.41) પોતાના પત્ની રૂપલબેન કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.38) અને દીકરી મિસ
શહેરમાં દિન-પ્રતિદિન કોમર્શિયલ અને રેસીડેન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ખાસ કરીને હવે શહેરમાં 30 માળની બિલ્ડીંગો બની રહી છે. શહેરના સિંધુભવન, એસ.જી. હાઇ-વે, ઇસ્કોન, થલતેજ, છારોડી, બોડકદેવ, આંબલી, સહિતના વિસ્તારોમાં હાઇરાઇઝ ઈમારતો બનશે. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ મળી 1
રાજકોટમાં શહેર એલ.સી.બી. ઝોન 1ના તત્કાલિન પીએસઆઈ અને હાલ એ ડિવિઝન પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા ભરત વી. બોરીસાગર વિરુધ્ધ ફરિયાદ રજીસ્ટ્રર કરવા કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા દોઢ કરોડના હવાલા કૌભાંડ કેસમાં વેપારીને માર મારી અને ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આ
ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ અંતર્ગત 4 ડિસેમ્બર સુધીમાં 23.91 લાખ મતદારોના ફોર્મ જમા કરાવવાના છે ત્યારે રાજકોટમાં વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ સ્થળો ઉપર લોકો પોતાના ફોર્મ જમા કરાવી શકે તે માટે વહ
મોરબીની રૂષભનગર સોસાયટીની મહિલાઓએ પાણીના પ્રશ્ને મહાપાલિકા કચેરી ખાતે 9 કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. મહાપાલિકાના અધિકારીઓએ નિયમિત પાણી પૂરું પાડવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. સનાળા રોડ પર આવેલી રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ગામે કે.કે. કોઠારી હાઈસ્કૂલ ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું, જેમાં જિલ્લાભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિ
સાબરકાંઠા જિલ્લામાં મતદારોના આધાર-પુરાવા એકત્રિત કરવા માટે 29 અને 30 નવેમ્બર, 2025 ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત આ બે દિવસીય કેમ્પ જિલ્લાના તમામ સ્થળોએ યોજાશે, જેમાં બાકી રહી ગયેલા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે
આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સીટી બનાવવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં કોમનવેલ્થ અને ઓલમ્પિકને લઈને 9 જેટલા નાના-મ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારના હસ્તે આ મેળાનો પ્રારંભ થયો હતો. આ મેળો 27 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ મેળાનું આયોજન ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ
મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. ટ્રેન નં. 19019/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર-બાંદ્
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં શાહિબાગ અંડરબ્રિજ પર આવેલા રેલ્વેના પાટામાં સ્ટ્રેન્થનીંગ અને પ્લેટો લગાવવાનું કામ કરવાનું અંડરબ્ર
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ૨૮ વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આપવામાં આવ્યો છે. આ ઘટના ગત 12 ઓક્ટોબરે બની હતી, જ્યારે કપાસના વેપારીઓ દ્વ
વલસાડના સાંસદ ધવલ પટેલે ગુજરાત સરકારની ચિંતન શિબિર પર કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ચૂંટણીઓ હારી ગઈ છે અને નિરાધાર આક્ષેપો કરીને રાજકીય જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની ચિંતન શિબિર
રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચાર-ચાર અપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા, એક યુવાન અને બે વૃદ્ધે આત્મહત્યા કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને જીજાજીએ ઠપકો આપતા માઠું લાગી જતાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે યુવકે માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો હતો. જ્યાર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ખેરોજ પંથકમાં ગુરુવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારે વાતાવરણમાં પલટા બાદ શરૂ થયેલો વરસાદ સાંજે ફરી વરસ્યો હતો. આના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેરોજ, આગીયા, ચાંગોદ, બાવળકાંઠીયા, ઉંચી ધનાલ અને મટોડા સહિતન
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના પ્રચાર-પ્રસાર અને ગુણવત્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માળીયા હાટીના તાલુકાના ગડુ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસના ધામમાં જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવ
રાજકોટમાં રૂ. 120 કરોડના ખર્ચે કોર્પોરેટ સ્ટાઈલમાં તૈયાર થયેલી 11 માળની ઝનાના હોસ્પિટલનું ખુદ PM મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. જોકે આ હોસ્પિટલમાં બાંધકામ સંબંધિત સમસ્યાઓ અવારનવાર સામે આવી રહી છે. હોસ્પિટલના લોકાર્પણને હજી બે વર્ષ પણ પૂરા થયા નથી ત્યાં જ તેના જુદા જુદા ફ્લો
ભાવનગર જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેમાં આજરોજ ત્રણ જુદા-જુદા હુકમોમાં 8 પીઆઈ અને 17 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 25
મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થીનીને સારા માર્ક્સ અપાવવાની લાલચ આપી બિભત્સ માગણી કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી છે. કોલેજના ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન વિભાગ
ભારત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ અને પ્રથમ સ્થાન મળ્યું છે, ત્યારે શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી, પાન-મસાલા ખાઈને થુકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય
વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિકના યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે, તેમ કહીને વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક
સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાટવાડ રોડ પરથી ચોરીના ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો અમદાવાદ શહેરના બાપુનગર, માધુપુરા અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા. SOGના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બુધવ
મધ્યપ્રદેશના IAS અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રહ્મસમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકરે આ ઘટનાને સખત શબ્દોમાં વખ
21 ઓગસ્ટ, 2025ના દિવસે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભાની અંદર RSSની પ્રાર્થના 'નમસ્તે સદા વત્સલે..' ગાઈ હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેને કાન સરવા થઈ ગયા. બે મહિના પહેલાંથી જ ડીકે શિવકુમારે કોંગ્રેસને મેસેજ આપી દીધો હતો કે નવેમ્બરમાં મને મુખ્યમંત્રી નહિ બન
શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુ બનાવવા માટે દરરોજ 50 લીટરથી વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરતી હોટલ- રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોને નિયત કરવામાં આવેલી એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા હોય તેઓને જ આપવાનું હોય છે તેમજ આદ્ય તેલના આપવાથી લઈને વપરાશ વગેરે અંગેનો રેકોર્ડ રા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર માથાસુલિયા ગામ નજીક મોડી સાંજે એક કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. મૃતકો-ઇજાગ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર - 3 માં વર્ષ 1820 થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતું જો કે તેમાં વિદ્યાર્થીઓએ જે વાંચ્યું હતું તેનાથી સદંતર અલગ જ પેપર પરીક્ષા કેન્દ્રો ઉપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ મ

26 C