વિસાવદર તાલુકાના મોણીયા ગામે દોઢેક માસ પૂર્વે ખેતીવાડી વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં ફરજ પરના વીજ કર્મીને શોર્ટ લાગતા તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની વીજ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે હકીકત સા
દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોર પૈકી 4 ડૂબ્યા હતા. જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે એકની લાશ મળી છે. તેમજ અન્ય બેની શોધખોળ હાલ ચાલું છે. હાલ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મુકીવલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્ર
જૂનાગઢ શહેર અને જિલ્લાની જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જાળવવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસે વધુ એક કડક પગલું ભર્યું છે. અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી સમાજમાં ભય અને તણાવ ફેલાવનાર ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢના એક લિસ્ટેડ બૂટલ
ભુજનાં રેલવે સ્ટેશન નજીક આવેલા દાદુપીર માર્ગે આજે સાંજે એક હત્યાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક શખસે પોતાની 30 વર્ષીય પત્નીની ધારદાર હથિયાર વડે હત્યા કરી હતી. આ હત્યા ઘર કંકાસના કારણે ઉશ્કેરાટમાં થઈ હોવાનું અનુમાન છે. ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર, પતિ-પત્ની વચ્ચ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં રેડ ક્રોસ સોસાયટીના ૨૫ જેટલા કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરાયા હતા. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શ
શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યકિતઓના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયાપુરમાં બાઇકચાલકની ટક્કરથી વૃદ્ધનું મોતમાધુપુરામાં રહેતા 55 વર્ષીય અશ
પ્રભાસ પાટણ ખાતે ડાયેટ ગીર સોમનાથ દ્વારા રાજ્યકક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આયોજિત આ સ્પર્ધા નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર, વસતિ શિક્ષણ એકમ GCERTના ડૉ.અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્
દીપાવલીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ સ્થિત શ્રી રામ મંદિરમાં કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, મંદિરમાં આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી અને દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં પોલીસે ભૂ-માફિયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે થાનગઢ નજીક આવેલા વેલાળા ગામની સીમમાં એક ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાં ઉતરીને સઘન તપાસ હાથ ધરી હત
ગુજરાત સાયબર ક્રાઈમ સેલે SP સંજય કેશવાલાની આગેવાનીમાં રાજ્યના સૌથી મોટા 719 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મોટું ઑપરેશન હાથ ધરતા વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પહેલા 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ ઑપરેશનમાં ઈંડસ ઈન બેંકની મહિલા બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહ
બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચલાવવામાં આવતા 'નો ડ્રગ્સ ઇન બોટાદ' અભિયાન હેઠળ બોટાદ SOG ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ રૂ. 72,518/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હડદડથી કાનીયાડ ગામના રસ્તા પર પકડાયાપાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હડ
અમદાવાદના ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિનોદ મિત્તલ અને ત્રિલોક પરીખના પરિવારજનો તેમજ ઓફિસિસ પર શરૂ થયેલા આવકવેરા વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. ઇન્કમટેસના અધિકારીઓને મોટા પ્રમાણમાં મિલકત અને જમીન સંબંધિત દસ્તાવેજો મળ્યા છે, તેના તથા દ
સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા ગુનાઓ અને ગુનેગારોને રોકવા માટે સરકાર દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે બેંક એકાઉન્ટના ધારકો સહિત ફ્રોડની રકમને સગેવગે કરનારાઓ સામે પણ ગુના નોંધાઈ રહ્યા છે. મોરબીમાં છેલ્લા બે દિવસમાં સાયબર ફ્રોડના 2
ગુજરાતમાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશે મહત્વનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબરથી શરૂ કરાયેલ ચકાસણી ઝુંબેશના ગણતરી તબક્કાની સમયમર્યાદા વધારી 14 ડિસેમ્બર સુધી વધારવામાં આવી હોવા છતાં 100 ટકા કાર્ય પૂર
ગોધરામાં ગ્રામીણ મહિલા સહકારી મંડળીઓની રાજ્યસ્તરીય કાર્યશાળા યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2025ને 'આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ' તરીકે જાહેર કરાયું છે, જેના ભાગરૂપે આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ગોધરાના LIC રોડ પર આવેલા પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ખાત
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળમાં મદાર-પાલનપુર રેલવે સેક્શન પર જવાલી અને રાણી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 632 પર આરએસીસી બૉક્સ લોન્ચિંગનું કામ ચાલી રહ્યું છે. આ માટે 12 ડિસેમ્બર 2025ના રોજ રેલવે બ્લૉક લેવામાં આવ્યો છે. આ બ્લૉકને
કચ્છ - ભુજની 14 વર્ષની રેપ પીડિતાની ગર્ભપાતની દાદ માંગતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પીડિતાની શારીરિક અને માનસિક તપાસ કરીને કોર્ટ સમક્ષ અભિપ્રાય રજૂ કરતો અહેવાલ આપ્યો હતો. જેને ધ્યાનમાં લેતાં હાઇકો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ અવારનવાર વિભાગમાં આવી રહી છે, ત્યારે VS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સોના મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન તેમજ એલજી હોસ્પિટલમાં કરવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરની ધરાર અવગણના કરીને હોસ્પિટલને બાનમાં લેનાર નર્સોની વિરૂ
સુરત શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાન-ગલ્લા સંચાલકો પૈસાની લાલચમાં યુવાધનના જીવન સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીમાં બહાર આવ્યું છે. હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા 'ગોગો પેપર'નું છડેચોક વેચાણ કરતા દસથી વધુ પાન ગલ્લા સંચા
શહેરના નવા નરોડા વિસ્તારમાં વાનરોનો આતંક સામે આવ્યો છે. બે દિવસમાં 8થી 10 લોકોને વાનર કરડી જતા તેઓને સારવાર લેવી પડી છે. આઠ વર્ષની બાળકીથી લઈને મોટી ઉંમરના લોકોને વાનર કરડતાં લોકોમાં ભય ફેલાયો છે. ફ્લેટ અને સોસાયટી ઉપરાંત રોડ ઉપર અવર-જવર કરતા લોકો ઉપર આ વાનરની ટોળકી હુમલો કરતી
ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી ભાર્ગવને 108 મારફત તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ટૂંકી સારવાર દરમિયાન તેમનું
ચોમાસા દરમિયાન મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખો વૃક્ષો વવાતા હોય છે તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ અધિકારીઓ ખર્ચના નામે કૌભાંડ કરતા હોય એવા જ એક કૌભાંડ થાય તેના પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કૌભાંડને રોકી દેવામાં આવ્યું છે. મિશન ફોર મિલિય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2010 થી 2015 સુધીમાં બેકલોગ બાકી રહેલા એટલે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવા માટેની છેલ્લી તક સ્વરૂપે પરીક્ષા વિભાગ દ્વારા એક્ઝામનું શિડયુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્નાતક કક્ષાએ સેમ.5 અને 6 તો અનુસ્નાતક કક્ષાએ સેમ. 3 અને 4 માટેની પરીક્ષા આ
જુનાગઢમાં ધોરાજી ચોકડી પાસે આજે સાંજના સમયે એક મોટી આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. એક ખાલી ટેન્કર અને તેની નજીક પડેલા ફેબ્રિકેશનના સામાન વચ્ચે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સ્પાર્ક થવાથી આગે લાગી હતી.આ ઘટનામાં કેબિન અને નજીક આવેલું વીજળીનું ટ્રાન્સફોર્
રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનું કામ પૂર્ણ થયાને મહિનાઓ વીત્યા હોવા છતાં ગંદકીની સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે. કરોડો રૂપેિયાના ખર્ચે બનેલા આલીશાન શો-રૂમની બિલકુલ સામે બાંધકામ વેસ્ટ અને કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગ
વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. નકલી ફર્મો બનાવીને કોર્પોરેટ બેંક ખાતાઓ (મ્યુઅલ એકાઉન્ટ્સ) ખોલાવીને છેતરપિંડીના પૈસાની હેરફેર કરતી ટોળકીના એક સભ્યને ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદ
અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ સ્થાન નથી, અહીં ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પક્ષો છે. મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દ
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયાના સક્રિય ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા વહીવટી તંત્રના વિકાસલક્ષી કાર્યો અને સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રજાજનો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો હતો. કલેક્ટરે અધિ
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ બરવાળા તાલુકાના કુંડળ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત કચેરી અને ગામની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામના વિકાસ, સ્વચ્છતા, પોષણ અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્થળ પર અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપવાન
ઓઢવ વિસ્તારમાં સગીરા સાથે બળજબરીથી લગ્ન અને શારીરિક સંબંધના કેસમાં આરોપીની સજા ફટકારવામાં આવી છે. સ્પે. પોક્સો કોર્ટે આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારી છે. તેમજ સગીરાના બાળ લગ્ન કરાવનાર માતા-પિતા અને અન્ય જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કોર્
અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એ
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જુનાગઢને બાયોટેકનોલોજી ક્ષેત્રનું કેન્દ્ર બનાવતા બે મહત્વપૂર્ણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિશનના ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદમાં માહ
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સર્વે નંબર 104 અને 151 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના ચાર કૂવાઓ પર કોલસાનું ખનન, સંગ્રહ, વહન અને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દ
ભરૂચ જિલ્લામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખનન અને વહન સામે સતત બે દિવસ કાર્યવાહી કરી કુલ રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડે અલગ-અલગ વિસ્તારોમાં અચાનક દરોડા પાડી બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ગત 10
7 ડિસેમ્બર 2025ની રવિવારે પાકિસ્તાનના સંચાર મંત્રી અને IPP પાર્ટીના પ્રમુખ અબ્દુલ અલમ ખાને ફૈસલાબાદમાં એક જાહેરાત કરીને કહ્યું કે, પાકિસ્તાનમાં ચોક્કસપણે નાના-નાના પ્રાંતો બનાવવામાં આવશે. પાકિસ્તાની આર્મીની નજીકના ખાનનો આના પાછળ તર્ક એવો હતો કે પંજાબ અને સિંધ જેવા મોટા વિસ્
આવકની સરખામણી કરતા 203.40 ટકા વધુ સંપત્તિના કેસમાં નિવૃત કલેક્ટર એસ.કે. લાંગાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાના જમીન રદ કરી અરજી ફગાવી દીધી છે. આરોપી એસ.કે. લાંગાએ કાયદેસરની આવકન
દેરાણી-જેઠાણી ઘરેથી રાત્રે વોકિંગ માટે નીકળ્યા હતા યુવતી ને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ગતરાત્રિના સમયે દેરાણી જેઠાણી વોકિંગ માટે પાણીની ટાંકી અક્ષરવાડી વાળા રોડ પર નીકળ્યા હોય એ દરમિયાન પૂર ઝડપે આવેલ એક કાર ચાલકે મહિલા તથા સ્કૂટર પર
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતન
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની બોગસ સહીઓ કરી રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે આરોપી દેવેન્દ્ર ગણ
ગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઊંચા AQIના સ્તરને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ કરાયેલી 31 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોએ દંડની રકમ ભરપાઇ ન કરતાં હવે ટાઉન પ્લાનિંગ શાખા દ્વ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વર રમતગમત સંકુલ ખાતે મધ્યઝોનની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા સહિત રમતગમત વિભાગન
વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ચાલુ ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાયેલી બાળકી મળતા રેલવે પોલીસ સક્રિય બની હતી. પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી હતી. આખરે, રેલવે પોલીસને ગણતરીના સમયમાં જ આ કેસ
અમદાવાદ SOGની ટીમે બાપુનગરમાંથી ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો છે. SOGએ બાપુનગરમાં એક મકાનમાં રેડ કરીને 3.47 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ ગાંજાનો વેચાણ કરતા બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયા વોન્ટેડ છે અને તેની પત્ની પોલીસ સંકજામાં આવી
અરવલ્લી જિલ્લાના ગાબટ ગામમાં વાત્રક જળાશયની ડાબા કાંઠાની માઇનોર-3 કેનાલમાં દરવાજાના અભાવે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ ઘટનાને કારણે ખેડૂત જીતેન્દ્ર સુથારના 10 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હાલમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કર્
વલસાડ જિલ્લાના વાપીમાં ખુલ્લા પ્લોટમાં મુકેલા ભંગારમાં ભીષણ આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઈ છે. આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ....
જામનગરમાં દલિત યુવાન જીતેન્દ્ર ઉર્ફે જયલો ચાવડાની હત્યાના કેસમાં પોલીસે તેના આરોપી દિલીપ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીએ જીતેન્દ્ર પર છરીના ચાર ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી છરી અને સ્કૂટર પણ કબજે કર્યા છે. આ ઘટના ગઈકાલે સવારે જામનગરના શંકર ટેકરી વ
અમદાવાદ શહેરમાં અકસ્માત કર્યો હોવાનું નાટક રચી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેરના એસપી રિંગ રોડ પર આંગડિયામાંથી રૂપિયા લઈ નીકળેલા યુવકને બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા એક વ્યક્તિએ ગાડી ચલાવતા આવડે છે કે નહીં, મને વાગ્યું છે, ગાડી ઊભી રાખો કહીને ગાડી રોકવાનો પ્રયાસ કર્
આણંદ શહેરના ઇસ્માઇલનગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતી યાસ્મીનબાનુ અબદાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના ઇરફાન નગરમાં આવેલા તેના ઘરે બની હતી, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, યાસ્મીનબાનુએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખ
પંચમહાલ જિલ્લાના પઢીયાર ગામમાં સ્વચ્છતાના અભાવ અને ગંદકીનો મામલો હવે દિલ્હી પહોંચ્યો છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે આ અંગે ગંભીર નોંધ લીધી છે. મંત્રાલયે ગુજરાત સરકારના પંચાયત વિભાગને તાત્કાલિક તપાસ કરી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયના પેયજળ
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટિમ એ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ઘોઘા રોડ પર આવેલ રાજારામના અવેડા પાસે 50 વારીયા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં બે શખ્સો ના નામ ખુલવા પામ્યા છે. ભાવનગર એસોજીની ટી
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.અનિલ ધામેલિયાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને SIR સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે મહત
વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણીથી ખેતીમાં ક્રાંતિ આવી છે. આ વર્ષે એકલા રાપર તાલુકામાં 70,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે અભૂતપૂર્વ છે. નર્મદાના નીર હવે વાગડના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામો અને ભચાઉ તાલુકાના 27 ગામોમાંથી પસા
મોરબીના રહેવાસી આર્મી જવાન ગણેશ પરમારનું પુણે ખાતે અકસ્માતમાં માથામાં ઈજા થવાને કારણે અવસાન થયું છે. આજે મોરબીના સોનપુરી સ્મશાન ખાતે આર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મોરબીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ
જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 હેઠળ આવતા દિપાંજલિ અને પ્રમુખનગર વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં વહીવટી તંત્ર અને એજન્સીઓ દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતાને કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી, ગટર અને ગેસ લાઈન જેવા તમામ ભૂગર્ભ કામો પૂર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ બંને કેડરની શારીરિક કસોટી (PET/PST) સંભવિત રીતે જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે. ઉમેદવા
નવસારી જિલ્લાના કુંભાર ફળિયા ગામે વન વિભાગે 20 કલાકના ગાળામાં ત્રણ દીપડા પકડ્યા છે. પકડાયેલા દીપડાઓમાં બે નર અને એક માદા દીપડીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ગ્રામજનોની ફરિયાદ બાદ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક મોટા પાયે લેવાય છે, જે દીપડાઓ માટે આશ્રયસ્થાન બની
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સ્થિત રત્નાકર 9 સ્કવેરના ઓફિસધારક અને પ્રમોટર વચ્ચે એ.સી. ફીટ કરાવવા અંગેની તકરાર થઇ હતી. આ તકરારના કારણે સર્જાયેલા વિખવાદ રેરા સુધી પહોંચ્યો હતો. જેમાં ફરિયાદીએ આ તકરારના કારણે ઓફિસનો કબ્જો વિલંબથી આપ્યો હોવાથી વ્યાજની રકમ ચુકવવા રેરામાં પ્રમો
સુરતમાં આજે વધુ એક આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં સ્મશાનગૃહની સામે આવેલા એક મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ત્રણ કિમી દૂરથી પણ આ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા
બોટાદ શહેરમાં વાત્સલ્ય ફ્રી નિરાધાર ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને અનન્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સંસ્થા દરરોજ 56 જેટલા વૃદ્ધ, નિઃસંતાન અને ગરીબ વરિષ્ઠ નાગરિકોને બપોરનું ભોજન મફતમાં પૂરું પાડે છે. આ સેવા આશરે ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ
ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સરઢવ ગામના આરોપી અક્ષય ભરતભાઇ દંતાણીને ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ અને કુલ 12 હજારનો દંડ ફટકાર્યો છે. આ સિવાય કોર્ટે પીડિત સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર
ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદામાં વધારો ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદામાં વધારો કર્યો છે. હવે 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતની ચૂ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કોલસા ચોરીના એક કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી સગરામ હિરાભાઈ વાઘાભાઈ માલકીયાની ધરપકડ કરી છે. આરોપી ભોયરેશ્વર, માત્રીમાં મઢ પાસે, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આ કૌભાંડ ભરૂચ એલ.સી.બી. દ્વારા અંકલેશ્વર-પાનોલી વચ્ચે હાઇવેને
હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની) અસર ન હોવાને કારણે કડકડતી ઠંડીનો દૌર લંબાયો છે. હાલ લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી આસપાસ રહેતાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાશે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધશે કા
ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની રહી છે. તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ભરૂચ આરટીઓ
રાજકોટ જિલ્લા સહિત રાજયના નિયત કરાયેલા કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. આ માટે 160 થી વધુ કેન્દ્રો ધમધમી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 33 જેટલા સેન્ટરો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. મગફળી ખરીદી માટે જિલ્લાના 1.74 લાખ
સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ST બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેમના બે બાળકોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે, સમયસર લોકોની મદદ અને
ભુજ શહેર ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષિત વાહન ચલાવવા અને અકસ્માત નિવારણ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાહનચાલકો ઉપસ્થિત રહી વાહન અધિનિયમ અંગે માહિતગાર બન્યા હતા. ભુજ શહેર
સુરત શહેરના ભટાર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા એક યુવકે યુવતી અને તેના પરિવારનો જીવ તાળવે ચોંટાડી દીધો હતો. પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે હાથમાં ઘાતક છરો લઈ યુવતીના ઘરમાં ઘૂસી જઈ હોબાળો મચાવ્યો હતો. આખરે ગભરાયેલા પરિવારે ખટોદરા પોલીસનું શરણું લે
ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા સ્ટાફ ક્વાર્ટરોનું કામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વર્ષ 2023માં રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે શરૂ કરાયેલું આ કામ 18 મહિનાની સમયમર્યાદામાં પૂરુ થવાનું હતું, પરંતુ આજે દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં હજુ 30 ટકા
છોટાઉદેપુર કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પોલીસકર્મીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના કદવાલ તાલુકાના ભીખાપુરા ગામે બની હતી, જ્યાં આરોપીએ એસ.ટી. બસમાં ઘૂસીને તેની કંડક્ટર પત્નીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા, જે કંડા, તા. જેતપુર પાવી (હાલ કદ
ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના ઉત્તર ગુજરાત ઝોન દ્વારા હિંમતનગરમાં પ્રથમવાર ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાશે. હિંમતનગર ડિવિઝન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમો, જેમાં કુલ 144 ખેલાડીઓ ભાગ લ
જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ બી.એડ. અભ્યાસક્રમમાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની આદિત્ય બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી છ અંધ દીકરીઓએ ત્રીજા સેમેસ્ટરમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 'માનવ અધિકારો: પરિકલ્પના કે વાસ્તવિકતા?' વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં સર એલ.એ. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ જણ
શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા નંબર 295માં વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને માનવ અધિકારો વિશે સચોટ અને સરળ સમજ આપવાનો હતો. શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને શિક્ષિકા સાવિત્રીબેનના વિશેષ આયોજનથી પ્
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બે દિવસમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટીના વેરાન બની રહેતાં મેદાનોને જીવંત કરવાનું કુલપતિએ નક્કી કર્યું હોય તેમ 3 રમતમાં કોન્ટ્રાક્ટ આધારિત કોચની નિમણૂક કરવા માટે તેમજ
અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત દીવાન-બલ્લુભાઈની આઠ શાળાઓનો ચોથો રમતોત્સવ 'Just Win! 2025' યોજાયો હતો. બે દિવસીય આ કાર્યક્રમમાં કાંકરિયા, રાજનગર અને પાલડી સ્થિત ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્ટા
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માતાપિતાના ઉપકારને ક્યારેય ન ભૂલવા અને તેમની સેવા કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તે શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં શીખવ
રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીના આંકડા જાહેર કરી કોંગ્રેસે રાજ્યની ચૂંટણીઓમાં 14 ટકા જેટલા વોટની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે રાજ્યમાં SIRની કામગીરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં 18,03,050 જેટલા મતદારો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું હતું. તેમજ ઓળખ ન થઈ હ
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં બાલ મંદિર અને ધોરણ ૧ થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સામાજિકતા, સહકારની ભાવના, પ્રકૃતિ પ્રત્યેનો આભારભાવ અને આનંદમય શૈક્ષ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના શહેરના બિલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી વિસ્તારમાં નવા 2,709 મકાનો અને સાત દુકાનોની ફાળવણી અંગેનો ડ્રો શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયો હતો. જેમાં વિધાનસભાના મ
અમદાવાદ: એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા મીડિયા ઇકોનોમી અને આંત્રપ્રેન્યોરશિપ વિષય પર એક ગેસ્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જાણીતા મીડિયા પ્રોફેશનલ અને ઉદ્યોગસાહસિક જય થદેશ્વર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જય થદેશ્વરે
વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર દ્વારા જગન્નાથ પૂરી, કોલકાતા, ગંગાસાગર અને ચંપારણની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર 2018થી દેશના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. જેમાં વૈષ્ણોદેવી, ચારધામ (યમનોત્રી, ગંગોત્રી, કે
પાટણની શાકુંતલ ગ્રીનસીટી/રોયલ સોસાયટી પરિવારે અનાવાડાની હરિ ૐ ગૌ શાળાના સાત દિવસીય મહોત્સવના મુખ્ય યજમાન અને ગૌભક્ત નરેન્દ્રસિંહ ભાવસંગજી જાડેજા પરિવાર (કિલાણા)નું સન્માન સમારોહ યોજ્યો હતો. આ પ્રસંગે શાકુંતલ રાજપૂત પરિવાર મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર
વડોદરા જિલ્લાના હરણી સ્થિત જય અંબે વિદ્યાલયના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે 10 ડિસેમ્બર, 2025ના રોજ જવાહર નવોદય વિદ્યાલય (JNV) પ્રવેશ પરીક્ષા સંબંધિત એક માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી JNV પ્રવેશ પરીક્ષાની તૈયારી, પ્રક્રિયા અ
વાત્સલ્ય સેવા મિત્ર મંડળે 7 ડિસેમ્બર, 2025ના રોજ તેના દ્વિતીય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે 'સેવા પરમો ધર્મ' વિચારધારાને સમર્પિત મંડળ દ્વારા કુલ 11 વૃક્ષારોપણ કરવામાં આવ્યા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ અને 'હરિત ગુજરાત'ના સંકલ્પને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથ
વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ ખેલ મહોત્સવનું બરોડા હાઈસ્કૂલ ONGC ખાતે 8 અને 9 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ અને ક્રિકેટ જેવી રમતોનો
બરોડા હાઇસ્કુલ ONGC ખાતે સાયબર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો હતો. ફેસ્ટ દરમિયાન, બાળકોને સાયબર ફ્રોડના વિવિધ પ્રકારો, તે કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કયા ઉપાયો કર
વડોદરાની બરોડા હાઇસ્કુલમાં 18 ડિસેમ્બરથી ત્રિ-દિવસીય ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ શાળાઓ દ્વારા આ વાર્ષિકોત્સવના ભાગરૂપે આયોજિત મેળાનો મુખ્ય ઉદ્દેશ ગણિત વિષયને રસપ્રદ બનાવીને સર્જનાત્મકતા સાથે રોજિંદા જીવનમાં કેવી રી
વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈ સ્કૂલને તાજેતરમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન સમારોહ 10 ડિસેમ્બર, 2025ના રોજ બુધવારે ડીપીએસ સ્કૂલ, બોપલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકા
છોટાઉદેપુરના વર્ધી ગામમાં 53 વર્ષના લાંબા ગાળા બાદ આદિવાસી સમાજના પરંપરાગત 'ગામ સાઈ ઇન્દ' ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 'ગામ સાઈ ઇન્દ' એ આદિવાસી સમાજની એક એવી પરંપરા છે જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃ

24 C