રાજકોટ શહેરમાં વધુ એક વખત પોલીસ ભરતીના નામે છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં આરોપીઓ દ્વારા ગૃહ વિભાગમાં ઓળખાણ હોવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના નવાગામ નજીક રહેતા પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સો દ્રારા પુ
વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર વીર પટેલ દ્વારા આયોજિત વિશ્વની સૌપ્રથમ આગવી ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ લીગ, ધ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ(ISRL)એ તેની બીજી સીઝન માટે રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હૈદરાબાદ
હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 2.99 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મોરબીના સનાડા રોડ પર રહેતા સુમિત રાજેન્દ્રકુમાર પંડ્યા (ઉં.વ. 35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝર ગામમાં આવેલી સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટના ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી ધરમપુર કોર્ટે નામંજૂર કરી છે. આ સંસ્થા પર માન્યતા વિના ધોરણ-9 અને ધોરણ-10ના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ છે. સિયોન સુવાર્તીક ચેરિટેબલ
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાટ ખાતે 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ પોશીનાના લાંબડીયા સ્થિત બિરસા મુંડા ચોકમાં એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ઉ
આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જામનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના વિવિધ પ્રશ્ને આ મહાપંચાયત યોજાશે. આ મહા પંચાયતનો ઉદ્દેશ્ય બોટાદ જિલ્લાના હડદળ ગામના જેલબંધ ખેડૂતોને ન્યાય અપાવવાનો પણ છે. આ કાર્યક્રમ 9 નવેમ્બર, 2025ના રોજ ત્રણ પાટિયા પાસે યોજાશે. આ મહા
મદદનીશ નિયામક રોજગાર કચેરી, વડોદરા અને જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન,ન્યુ સમા રોડ ક્રોસીંગ, છાણી રોડ, વડોદરા ખાતે માત્ર એકસ સર્વીસમેન માટે રોજગાર ભરતી મેળો અને સ્વ
નખત્રાણા તાલુકાના ઉગેડી ગામમાં ગૌચર જમીન પર બ્લેક ટ્રેપ ખનનની મંજૂરી મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મંજૂરીના વિરોધમાં સ્થાનિકોએ સ્થળ પર જ ધરણા શરૂ કર્યા છે. થોડા મહિના પહેલા યોજાયેલી લોક સુનાવણીમાં પણ ગ્રામજનોએ આ ખનન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. ઉગેડીના સ
રાજકોટમાં વર્ષ 2016માં બનેલી હત્યાની કોશિષની ગંભીર ઘટના સાથે જોડાયેલા કેસમાં 10 વર્ષની સજા પામેલા આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય આ કેસમાં એક વર્ષ પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં
નડાબેટ સીમા દર્શન ખાતે 7 નવેમ્બર, 2025ના રોજ નૅશનલ કેન્સર અવેરનેસ કેમ્પ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. આ કેમ્પ દરમિયાન, તબીબી નિષ્
કાલાવડ ગ્રામ્ય પોલીસે વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં 4 નવેમ્બર, 2025ના રોજ રાત્રિના 3:18 થી 5 નવેમ્બર, 2025ના રોજ સવારના 4:06 વ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્ર
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જગાડવાનો છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષોના બાકી રહેલા વેરાની વસૂલાત વધારવા માટે વિશેષ વ્યાજ વળતર (ઇન્સેન્ટિવ રિબેટ) યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કરદાતાઓને બાકી વ્યાજની રકમમાં 60 થી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. યોજના આજથી એટલે કે 7 નવેમ્બરથ
જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં પારિવારિક અત્યાચાર અને દહેજની માંગણીના બે ગંભીર કિસ્સાઓ નોંધાતા સાસરીયાના ત્રાસનો ભોગ બનેલી મહિલાઓની પીડા સામે આવી છે. દીકરીના જન્મ બાદ મેણાં-ટોણાં અને દહેજના પૈસા માટે દબાણ કરવા બદલ બે પરિણીતાઓએ તેમના પતિ, સાસુ અને દિયર સામે
નવસારી શહેરની ઇમારતોને નિયમિત કરવા માટે ભારત સરકાર દ્વારા નકશા પાયલોટ પ્રોજેક્ટનો આજથી પ્રારંભ થયો છે. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત ટેકનિકલ એજન્સીની ત્રણ ડ્રોન ટીમો દ્વારા નવસારીને 4 બ્લોકમાં વહેંચી, 5 દિવસ દરમિયાન 93 ડ્રોન ફ્લાઇટ ઉડાવીને શહેરનો નકશો તૈયાર કરવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આગામી 25 તારીખે યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની વર્ગ 3ની પરીક્ષા 15 ડિસેમ્બરના દિવસે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. છ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોકમાં ભેળસેળ કરવાના કૌભાંડમાં દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્
અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે એવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામર
રાજકોટના વોર્ડ નંબર 3ના રેલનગર વિસ્તારમાં આવેલી રુદ્ર રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા આજે રોડ-રસ્તા અને ગંદકીના ગંભીર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી વગાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગ
રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના પ્રતીક ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક ગાન અને સ્વદેશી શપથ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આહવા ખાતે યોજાયેલા મુખ્
પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત હોથીભાઈ હાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે માત્ર મબલક કમાણી જ નથી કરી, પરંતુ પોતાના પરિવારના સ્વાસ્થ્યને પણ સુદૃઢ બનાવી અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ગીર ગાય વસ
ગુજરાત હાઇકોર્ટમાં 'બચપન બચાઓ' આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હા
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કર્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્
મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વેચાણ માટે જિલ્લા કક્ષાએ એક પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ જિલ્લા કોર્ટની બાજુમાં ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાની ઉપજ વેચી શકશે. રાજ્યપાલના સીધ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ કામગીરીના કારણે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ શહેરના લાલકોર્ટથી ગાંધીનગર ગૃહ તરફ જતો રસ્તો અને ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો મ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે યુવા ગ્રુપ દ્વારા ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 25 ટીમોના અંદાજે 500 રમતવીરોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં વડોદરા, ઝાલોદ, બાયડ, બ
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે રિવાબા જાડેજાને રજૂઆત કરી હતી. આ બેઠક જામનગર સર્કિટ હાઉસ ખાતે ખાનગીમાં યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામ
પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા તાજેતરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું, જેના કારણ
ચોમાસા સિઝન દરમિયાન અને ઓક્ટોબર 2025માં જે કમોસમી માવઠું આવ્યું તેને લઈ ભાવનગર શહેરના અનેક રોડ રસ્તાઓ ભારે વરસાદના કારણે ખખડધજ થયા છે. જેમાં શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વાહન ચાલકો અમે સામજિક આગેવાનો ત્વરિત રોડ મરામ
ગઢડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ - ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ (ઉત્તર-દક્ષિણ ઝોન) ઉત્સાહભેર
ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમ
પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહેતા તેઓને કલાકો સુધી રઝળવું પડ્યું હતું. આ શ્રમિકો દિવાળી પૂરી થયા બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામકાજ માટે જઈ રહ્યા હતા અને તેઓએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. દિવાળીના
એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સંસ્થાના સમયપત્રકમાં અચાનક કરેલા ફેરફાર સામે સખત વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવા બદલાયેલા સમયને કારણે તેમની દૈનિક દિનચર્યા, પરીક્ષાની તૈયારી અને ખાસ કરીને જાહ
રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમ
ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સમિતિના નિરીક્ષકો રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી) અને વંદનાબેન મકવાણા (કેશોદ
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાયમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સિદ્ધપુર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપ
આણંદ તાલુકાના સારસા-ખંભોળજ રોડ પર ગત રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રૂઝર ગાડીએ બાઈકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બની વીજ DP સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે ગાડી ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો છે. જેને પગલે ખંભોળજ પોલીસે ક્રુઝ
ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની રચનાને 7 નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક
નવસારીના જાણીતા મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ તેમના વિશ્વાસુ સેલ્સમેન જેકી લક્ષ્મણભાઈ ધનવાણી સામે રૂ. 7.26 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને 'હેપ્પી મોબાઈલ' નામની દુકાનના નામે નકલી બિલ બનાવી કુલ 56 મોબાઈલ ફોનની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટના પાણીની ગુણવત્તા પર લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા, અને તાજેતરમાં સરોવરમાં મૃત કૂતરા અને માછલીઓ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવ
અમરેલી જિલ્લામાં 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયતન
સુરેન્દ્રનગરમાં નેત્રમ પ્રોજેક્ટની મદદથી એક મહિલાનું ₹83,000ની કિંમતનું પાકીટ પરત કરવામાં આવ્યું છે. વઢવાણ તાલુકાના ખારવા ગામના અરુણાબેન જોષી ખરીદી કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે તેમનું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ પાકીટમાં આશરે દોઢ તોલાની ₹80,000ની કિંમતની સોનાની બુટ
સાસણ ગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરવા અને કુદરતી સૌંદર્યની મોજ માણવા આવતા હોય છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે ઉત્તમ રહેવા, જમવાની સુવિધા મળી રહે તે માટે ઓનલાઇન બુકિંગ જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજે સાસણ ગીરના સરકારી સિંહ સદન ગે
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બોરતળાવ પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હાર્દિક નાગજીભાઈ બાવળીયા નામના એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો
પોરબંદરમાં વિમાર્ટ શોરૂમ પાસેથી ચોરાયેલી મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. કમલાબાગ પોલીસે આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી નામના આરોપીને ઝડપી પાડી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ ઘટના વિમાર્ટ શોરૂમ પાસેથી બની હતી, જ્યાં એક અજાણ્યા ચોરે મોટરસાઇકલની ચોરી કરી હતી. આ અ
સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડિતાબેને 181 અભયમમા ફોન કરી જણાવ્યું કે, તેમના પતિ વ્યસન કરીને આવી હેરાન કરે છે ઝઘડો કરે છે. મદદની જરૂર છે. જેથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ પર હાજર પીડિતાબેન પાસેથી જાણવા મળ્યું કે, તેમના પત
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાનો શપથ લીધો હતો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના
કલોલ તાલુકા પોલીસની ગાઢ નિંદ્રામાં સઈજ ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી બે ઈસમોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર ઇસમો નાસી જવામાં સફળ રહ્યા છે. કલોલના સઈજ ગામની
ગાંધીધામના કિડાણા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લીયાજત કાસમ ચાવડા નામના શખ્સે જાહેર માર્ગ પર કરેલું ગેરકાયદેસર અતિક્રમણ સ્વેચ્છાએ દૂર કર્યું છે. આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસની સૂચના હેઠળ ગાંધીધામ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી. ચાવડાએ કિડાણા મુસ્લિમ સમાજના સ્મશાન સામ
છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે ધંધોડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિના એક લાભાર્થીના ઘરે ભોજન લીધું અને પરિવાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મેળવેલા લાભો વિશે માહિતી મેળવી.દરમિયાન ત્યાં પ્રભારી મંત્રીએ જાતે રોટલા ઘડીને મહેમાનગત
રાજકોટ શહેરમાં ફોર વ્હીલરના પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. RTOમાં તાજેતરમાં ફોર વ્હીલરમાં નવી PM સિરીઝ આવતા પસંદગીના નંબરો લેવા માટે બોલી લગાવવામાં આવી રહી છે. જેના થકી રાજકોટ RTOને રૂપિયા 54 લાખથી વધુની આવક થઈ છે. ફોર-વ્હીલરમાં નંબર 1 લેવા માટે ગ્રાહકે સૌથી
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતાં વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. તપ
પાટડીની ખારાઘોડા માઇનોર 6 નંબર કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ગાબડાં અને બાવળનો અડીંગો જોવા મળ્યો છે. જીરાના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં, કેનાલની આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તંત્ર ઝાલાવાડ પંથક અને ખાસ કરીને રણકાંઠાના 89 માંથી 87 ગામોને નર્મદાના પા
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના આહવાનથી ભુજ નજીકના રણકાંઠે આવેલા સરહદી ગામો હાજીપીર, ભીટારા અને આસાસની મુલાકાત લીધી હતી. તેમણે આ ગામોના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો અને સ
અડાલજના ત્રિમંદિર પાસે પેસેન્જર બેસાડવા જેવી બાબતમાં અદાવત રાખી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતમાં કિરણ પરમાર નામના રીક્ષા ચાલકને રેઈનબો હોટલની પાસે લઈ જઈ અવાવરું જગ્યામાં લાકડ
મહીસાગર જિલ્લાના સેવા સદન ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે રાષ્ટ્રગીત વંદે માતરમનું
અમદાવાદના DCB પોલીસ મથકે વર્ષ 2023 માં બે આરોપીઓ ઇલિયાસ શેખ અને રઉફ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કેસની ટ્રાયલ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સાહેદ, પુરાવા ચકાસીને અને સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને આધારે આરોપી ઇલિયાસ શે
શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા એક દર્દીના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલમાં દર્દીના ગળામાંથી 1.12 લાખના સોનાની ચેઈનની ચોરીજહાંગીરપ
છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષા વકીલની ઉપસ્થિતિમાં સમૂહગાન યોજાયું હતું. આ પ્રસંગે દેશને આત્મનિર્ભર બનાવવા મ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સર્વે રિપોર્ટ સોંપાયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશના કારણે ધરતીપુત્રો પોતાના પાકને સળગાવી રહ્યા છે. જાફરાબાદ તેમજ સાવરકુંડલામાં ખ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. 12 દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પીપા ઇન્સ્ટિટયૂટથી માનસી સર્કલ તરફ જવાના 18 મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી હતી. જે વસાહત ના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને વૈકલ્પિક વ્યવસ્થ
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઊભરાતી ગટરો, રસ્તા પરના ખાડા, વરસાદી પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા અને બંધ સ્ટ્રીટ લાઇટ જેવી લાંબા સમયથી પ્રવર્તતી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. શુક્રવારે સવારે કોંગ્રેસનુ
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં શહેરના સ્થિત સ્પાઇન સેન્ટરમાં વિશેષ વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે હાથ અને પગ જેવા આર્ટિફિશિયલ અંગો તૈયાર કરી આપવામાં આવ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે આજે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીએ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અન
હિંમતનગરમાં વંદે માતરમ ગીતના સર્જનને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ કાર્યાલય અને કલેક્ટર કચેરી ખાતે સમૂહગાન અને સ્વદેશી શપથનું આયોજન કરાયું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલા ગામે હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે રાહદારી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવતી કારે તેને ટક્કર મ
સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટના 10મા માળે ભીષણ આગ ફાટી નીકળતાં વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મા
જૂનાગઢ માટે આજે ગૌરવ અને ગમગીનીનો દિવસ રહ્યો, જ્યારે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા વીર હવલદાર અમિત ધોળકિયાની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. દેશની સેવા કરતાં કારગિલ યુદ્ધ દરમિયાન થયેલી બીમારીના કારણે લાંબા સંઘર્ષ બાદ અમિત ધોળકિયા શહીદ થયા છે, જેના કારણે જૂનાગઢમાં
રાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હ
પંચમહાલ-ગોધરા SOG પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી અનસ હસન સુઠીયાને ઝડપી પાડ્યો છે. આરોપીને ગોધરાના નવી રોજી સાતપુલ રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા નાસતા-ફરતા આરોપીઓ
પંચમહાલ-ગોધરા SOG પોલીસે ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન અબ્દુલ રઉફ સબુરિયાને ગોધરામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પંચમહાલ જિલ્લાના વેજલપુર અને રાજગઢ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર હતો. પંચમહાલ ગોધરા રેન્જન
તાપી જિલ્લાના એસ.ટી., એસ.સી., ઓબીસી અધિકાર મંચ અને તાપી આદિવાસી ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન જિલ્લા કલેક્ટર મારફતે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, તાપી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ડાં
અમદાવાદ સ્માર્ટ સિટીમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નરોડા સૈજપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલય સ્કૂલ શિક્ષક વગર જ ચાલી રહી છે. એક પણ શિક્ષક ના હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન વીડિયો જોઈને
વોટ ચોરી મુદ્દે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વોટ ચોરી ગાડી છોડના નારા સાથે ગુજરાત યુનિવર્સિટી આગળ NSUIના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઇલેક્શન કમિશન વોટર લિસ્ટમાં ગોટાળા કરીને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવતી હોવાનો NSUI દ
વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ
રાષ્ટ્રગીત વંદે માતરમ્ આ વર્ષે તેના 150મા વર્ષમાં પ્રવેશ્યું છે, જે ભારતની અખંડ એકતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરે છે. આ અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘અખંડ વંદે માતરમ્’નું સમૂહગાન કરવામા
આજે 7 નવેમ્બર નેશનલ કેન્સર એવેરનેસ ડે પર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે 44 કરોડના PET CT અને SPECT CT મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ બનશે અને જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સા
મોડાસા: રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરના અધ્યક્ષસ્થાને સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરાયું હતું. આ પ્રસંગે સ્વદેશી અપનાવવાના શપથ પણ લેવામાં આવ્યા હતા. સર
મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આજે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી રસ્તા અને ગટરના પાણીના નિકાલની કામગીરી અધૂરી હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ રોડ પર રસ્તાના નિર્મા
દિલ્હીના ઇનિ્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છ
અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનામનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામુ કર્યુ છે. મહિલા પોલીસે આરોપીને દોરડાથી બા
પંચમહાલ જિલ્લામાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના હેઠળ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં એક ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક હોસ્પિટલને કારણદર્શક નોટ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે,જેણે આખા વિસ્તારના વાલીઓને ચેતવણી આપી છે. કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી રોજીરોટી કમાવવા આવેલા એક શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરી રમતા રમતા પાણીના કુંડામાં ડૂબ
રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર ટાઉનશીપમાંથી ત્રણ મિત્રોને 1.108 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સુરતથી ગાંજાનો જથ્થો લાવ
'વંદે માતરમ્' ગીતને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગરની કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વંદે માતરમ્'નું સમૂહગાન યોજાયું હતું. આ ગીતે
આજકાલ લોકોને વિદેશ જવાની ખૂબ લાલચ જાગી છે, ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા ખાતે મોકલવાની બાહેધરી આપીને પી. આર. કરાવવાના નામે ₹.35 લાખ પડાવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ રાણીપ વિસ્તારમાં નોંધાઈ છે. પિતા-પુત્રીએ ભેગા મળીને યુવક પાસેથી ચેક

29 C