ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં એક સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમમાં લગ્ન નહી થતા હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ એસપી કચેરીની એલઆઇબી કચેરીમાં
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી કરી છે. જલાલપોર તાલુકાના બોદાલી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્
ગુજરાત એટીએસ (ATS) દ્વારા રાજ્યમાં આતંકી ગતિવિધિઓ રોકવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી આતંકી ષડયંત્રના શંકાસ્પદ આરોપી ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે ભાડુઆતની વિગતો છુપાવવા બદલ મકાન માલિક સામે પણ ગુનો
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા તાજેતરના મુક્ત વ્યાપાર કરાર (FTA) એ સુરતના ઔદ્યોગિક જગતમાં એક નવી ઊર્જા ફૂંકી છે. આ કરાર એવા સમયે આવ્યો છે. જ્યારે વૈશ્વિક મંદી અને ભૌગોલિક તણાવને કારણે નિકાસ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું હતું. સુરતના હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે
સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોરે એક ડાઈંગ-પ્રિન્ટિંગના ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આ દુર્ઘટનામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યો હતો. ફાયર વિભાગે સમયસૂચકતા વા
સંસ્કારી નગરી વડોદરામાં આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી 'MG વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જઝોન' માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મેરેથોનના પૂર્વે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ (BAGH) ખાતે આજથી ત્રણ દિવસીય 'VM કિટ એક્સ્પો'નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 28 થી 30 જાન્યુઆ
અમદાવાદ-મહેસાણા હાઈવે બનશે ફોર લેનનો અમદાવાદ- મહેસાણા હાઈવે ફોર લેનનો બનાવવામાં આવશે. તો SIR પ્રક્રિયા ચાલુ હોવાના કારણે રાજ્યમાં સહકારી મંડળીઓની ચૂંટણી 6 મહિના માટે મુલતવી રખાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કર
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે ધ્વજવંદન માટે એક અલગ પરંપરા અપનાવી હતી. કુલપતિએ યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના કર્મચારી રવજીભાઈના હસ્તે મુખ્ય ધ્વજવંદન કરાવ્ય
ખંભાળીયા તાલુકાના મોવાણ ગામના પાટીયા પાસે એક મહિના પૂર્વે રામાપીરના થંભના ધાર્મિક કાર્યક્રમમાં થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા એલસીબીએ રાજકોટની દાતનીયા ગેંગના ચાર મહિલા અને એક પુરુષ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમ
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'વિકસિત ભારત - શ્રી રામજી જનજાગરણ અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં આગામી જનજાગૃતિના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ ઉપસ્થિત કાર્
પોરબંદરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા માછીમારો માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ-૨૦૦૩ અને ૨૦૨૪માં થયેલા સુધારાઓ અંગે દરિયાકાંઠાના માછીમારોને માહિતગાર કરવાનો હતો. સુભાષનગર વિસ્
અમદાવાદના ધમધમતા ઈસ્કોન સર્કલ પર જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક ગરીબ ફેરિયાના આંસુ લંડન બેઠેલા એક NRI પરિવારને ભારત ખેંચી લાવશે. આ વાર્તા છે માનવતાના અતૂટ સંબંધની, જ્યાં લોહીનો સંબંધ ન હોવા છતાં એક પરિવારે બીજા પર
જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી 27 જાન્યુઆરીના રોજ જાહેર
બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ક્રેટા ગાડીમાંથી કુલ 8,93,897 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફ
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની ખાલી પડેલી જગ્યા ભરવા માટે પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પસંદગી થતાં જિલ્લા પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આ પદ માટે નવા પ્રમુખની પસંદગીની પ્રક
રાજકોટ જામનગર રોડ પર આવેલ એઇમ્સ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે હોસ્ટેલમાંથી ભેદી રીતે MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા એઇમ્સ હોયપિટલ ચર્ચામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ CCTV ફૂટેજના આધારે ત
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 27 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યસ્તરીય ટેકનોવેશન 2026 સાયન્સ ટુ સિસ્ટમ હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને 'વિકસિત ભારત'ના દ્રષ્ટિકોણ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ.
હિંમતનગરના દેસાસણ ગામે જી-રામજી યોજના અંતર્ગત ગુજરાત સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જમીની સ્તરે પહોંચાડવાના હેતુસર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમિયાન ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેસાસણ ગામે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે નવીન પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મકાન રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસ અને મજબૂત પંચાયતી રાજ વ્યવસ્થાને વિશ
નવસારી મહાનગરપાલિકા કચેરી દ્વારા વહીવટી પારદર્શિતા અને શિસ્ત લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી કચેરીના ઉચ્ચ અધિકારીઓ (HOD) થી લઈને પટાવાળા સુધીના તમામ 177 કર્મચારીઓ નિર્ધાર
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના નિર્દેશ મુજબ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ટીપી સ્કીમ 1 માં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધીના રસ્તા પર આવેલી 20 જેટલી દુકાનો તોડી પાડીને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. આ કાર્યવ
આણંદ જિલ્લા વહીવટી તંત્રએ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'પરીક્ષા સારથી' હેલ્પલાઇન શરૂ કરી છે. પરીક્ષાના તણાવ અને મૂંઝવણને દૂર કરવા આ પહેલ કરવામાં આવી છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 27 જાન્યુઆરીના રોજ આ વિશેષ સેવાનું લોન્ચિંગ કર્યું હતું. આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓ
મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને જળ જીવન મિશન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાના 'બેસ્ટ યુનિટ મેનેજર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે ગાંધીનગર ખાતે પાણી પુરવઠા વડી કચેરી દ્વારા આયોજિત સમારોહમાં કર
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક રીતે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરાના અટલાદરા ખાતે યોજાશે. આ મહોત્સવમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપિત થવાની શક્યતા છે, જ્
સાઠંબા તાલુકા મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાઠંબા હાઈસ્કૂલ પાછળ દારૂ પીવા બેઠેલા ચાર શખ્સોએ ભેંસો ચરાવી રહેલા એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સાઠંબા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને આજે તેમનું જાહેર સરઘસ કાઢી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે રૂ. ૫ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મંત્રી રમેશ કટારા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે આર
નવસારી: શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય બ્લોકના નિર્માણ કાર્યને નવસારી નગરપાલિકા (NMC) દ્વારા અટકાવવામાં આવ્યું છે. પાલિકાએ દબાણનો આક્ષેપ કર્યો છે, જ્યારે શાળા સંચાલકોએ પાલિકાના સ્ટાફ દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરવાનો આરોપ લગાવ્યો છે. આજે બ
બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ વોર્ડ નંબર ૬માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધી બની રહેલા નવા સી.સી. રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના નવીનીકરણથી સ્થાનિકોને રાહત મળશે. નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત રાજ્યસ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'ROBOFEST–GUJARAT 5.0' ના લેવલ-II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમો વિજેતા બની છે. આ વિજેતા ટીમોને કુલ ₹13 લાખની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની જ
ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સિકલીગર લોહાર સમાજ દ્વારા આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 28મી જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 24 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાં
બરોડા ખાતે આયોજિત ઓપન બરોડા બેડમિન્ટન ચેમ્પિયનશિપ–2026માં ધાંગધ્રાની આઈમન મુલતાનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં આઈમને સિંગલ્સ અને ડબલ્સ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ધાંગધ્રા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતમાંથી ગર
સુરત શહેરના કતારગામ અને અમરોલીને જોડતો રત્નમાલા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોની બેદરકારીને કારણે ચર્ચામાં રહ્યો છે. શોર્ટકટ લેવાની લાયમાં અનેક વાહનચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહનો હંકારી રહ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આખરે તંત્ર સફાળું
રાણાવાવ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ગેરકાયદેસર દબાણ અને મિલકતો અંગે સતત તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના બે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો પોલીસના ધ્યાને આવી હતી. પ્રાથમિક
ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને વ્યાજબી ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવે (MSP) કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026-27 માટે
ડૉ. હેમરાજ રાણાની ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમીરગઢ તાલુકા ભાજપના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા આજે અમીરગઢ APMC ખાતે તેમનું સ્વાગત કરાયું. આ સ્વાગત સમારોહમાં તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ
રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણા ખાતે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી ભરત સોલંકીના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ
બોટાદની શ્રી લાઠીદડ કે.વ. શાળામાં શાળા સલામતી સપ્તાહ–2026 અંતર્ગત ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 541 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ નિવારણ તથા ઈમરજન્સી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શ
મોરબીની માળિયા ફાટક પાસે આવેલી સમર્પણ હોસ્પિટલમાંથી આગ અને બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને મળ્યો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગ પર કાબૂ મેળવી હોસ્પિટલના બીજા માળે ફસાયેલા બે વ્યક્તિને સફળતાપૂર્વક રેસ્ક્ય
ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીકના વલાદ ગામે વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધરાતે ત્રાટકી વાયરના ડ્રમની આમાં છુપાવેલ રૂપિયા 2.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખસોને દબોચી લઈ ડભોડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્ય
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો છ દિવસીય પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. કુલપતિ કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રસાર શિક્ષણ ભવન દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જમીનની ફળદ્રુપતા અને લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રાકૃતિક
સુરતના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર 6-7 મહિનામાં જ તૂટી પડ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 30 વર્ષની ગેરંટીની વાતો સાથે બનાવવામાં આવેલા આ રોડમાં હવે ઠેર-ઠેર તિરાડો, ગાબડાં અને નમી જવાની સ્થિતિમાં પહો
બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની 27મી બેઠક નાયબ કલેક્ટર મેહુલકુમાર પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં નાયબ કલેક્ટરે પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી .બેઠક દરમિયાન, જિ
પાટણમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત પ્રસિદ્ધ થયેલી યાદીમાં મોટાપાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતકર્તાઓએ જણાવ્યું કે, રજીસ્ટ્રેશન ઓફ ઈ
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં આગામી ‘જન આક્રોશ રેલી’ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રેલીની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરીને કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ રેલી કપરાડાથી શરૂ થઈ ઉમરગા
બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારની કન્યાશાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેમને સચેત અને જવાબદાર નાગરિક તરીકે વિકસાવવાનો હતો. કાર
વઢવાણના કંસારા બજારમાં પાઈપલાઈન લીકેજને કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓ બે મહિનાથી ખુલ્લા પડ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદ હતી કે વઢવાણ શહેરમાં પીવાના પાણીમાં ગ
આકાશવાણી ગોધરાના યુવવાણી કાર્યક્રમમાં 31 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 5:30 કલાકે ‘ખિસ્સા ખર્ચી અને યુવાનો’ વિષય પર એક વિશેષ વાર્તાલાપ પ્રસારિત થશે. FM 102.2 પર પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં ગોધરા તાલુકાના યુવા વક્તા આશિષ બારીઆ યુવાનોના ખિસ્સા ખર્ચીના મનોવિજ્ઞાન અને તેના સંભવિત જોખ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સહભાગી ગ્રામીણ મુલ્યાંકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ગ્રામીણ સંસ્થાઓની કાર્યપ્રણાલી સમજાવવા માટે યોજાયો હતો. આ આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભ
મોરબી મહાનગરપાલિકા દ્વારા તખ્તસિંહજી રોડ, ગાંધીચોક અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારોનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો. કાર્યવાહીના વિરોધમ
મોરબીના ગાળા અને બાદરગઢ ગામ પાસે વાહનોમાંથી ડીઝલ ચોરીના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે. અગાઉ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કુલ 970 લિટર ડીઝલની ચોરી થઈ હતી. મોરબી-માળિયા હાઈવે પર ગાળા અને બહાદુરગઢ ગામના પ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એક અસ્થિર મગજની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે સગીરાને ગર્ભવતી બનાવતા તેની વિધવા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, પાટડી પંથકમાં રહેતી એક ગરીબ વિધવા મહિલાની 16 વર્ષ 9 માસની પ
જામનગરના મચ્છનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા જર્જરીત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરીત હાલતમાં હતા. આજે બપોરના સ
નવસારી: બીલીમોરા પોલીસે લીમડાચોક વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડી ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 500 ગ્રામથી વધુ ગાંજા સાથે 51 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરા પીઆઇ જે.વી. ચાવડા અને તેમની ટીમને ગુપ
પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામે એક ખેતરમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની ક
વડોદરામાં નેશનલ હાઇવે 48 પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર રોડ પરથી સીધી ખેતરમાં પલ્ટી ખાઈને પડી છે તો બાઈક ચાલક પણ ટક્કરથી ફંગોળાઈને દૂર પડ્યો છે. સુંદરપુરા ગામ પાસે અકસ્માત થયો છે. કાયાવરોહણના કાર ચાલક ભાવેશ ગાંધી દીકરાની લગ્નની કંકોત્રીના કામે બહાર નીક
બનાસકાંઠા એલસીબીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેર
રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ બહાર પાડી હવે રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને લાઈફ સાયન્સ ભવનના સંયુક્ત ઉપક્રમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર એક વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાન ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાં વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરાયું હતું, જે
જૂનાગઢના જગવિખ્યાત ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો જોવા મળ્યો છે. હવામાનમાં આવેલા પલટા અને ડુંગર ઉપર ફૂંકાતા અતિશય તેજ પવનને કારણે 'ગિરનાર રોપ-વે' મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. અંતે, સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપ
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારની કેનાલમાં ગઈકાલે સાંજના સમયે એક અજાણ્યા યુવકની લાશ તરતી મળી આવી હતી. ધોળા દિવસે કેનાલના પાણીમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકોના ટોળા કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, પોલ
વિજાપુર તાલુકાના ખણુંસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતીદેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. લોખંડની પાઇપ, ધારીયા અને લાકડાના ધોકા વડે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો છે. જ્યારે અન્ય અનેક લોકોને ફેક્ચર
રાજ્યમાં ઠંડીનો પ્રભાવ યથાવત છે, જોકે 26 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનની સરખામણીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વ
ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર આજે (28 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની એક ગાડી વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઈજાઓ પહોંચી છે. જેમાં 3 જવા
સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ નજીક આવેલા એક જનરલ સ્ટોરમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગના અધિકારી દેવાંગ દુધરેજીયા, રાહુલ ડોડીયા, વિશ્વજીત સોલંકી, મુકેશ સાકરિયા, ભગીરથસિં
શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે માર્ગ સલામતી વિષયક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન એ.આર.ટી.ઓ. બોટાદ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને તેમને જવાબદાર ન
ભાવનગરમાં નિલમબાગ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15,100 રોકડા અને ગંજીપતાના પાનાઓ જપ્ત કર્યા છે. આ મામલે નિલમબાગ પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાતા વધુ તપ
સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદ ગામમાં 510 મતદાર સામે વાંધા રજૂ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ગામ જિલ્લાનું એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતું ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સિકંદરભાઈ કુરેશીના નામે પણ વાંધો રજૂ કરાયો હોવાથી તેમણે દસાડા પોલીસ મથકે લેખિ
અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા સુધીના દુકાનદારોના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે 27 જાન્યુઆરીના રોજ ટોઈંગ કરી લેવામાં આવ્યા હતા. પાર્કિંગના બોર્ડ હોવા છતાં પણ વાહનો ઉપાડી લેવાના વિરોધમાં ગઇકાલ સાંજથી દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલી પવિત્ર ઘેલો નદી ગાંડી વેલથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. નદીમાં જ્યાં નજર કરો ત્યાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે નદીનું પાણી દેખાતું નથી અને તે અપવિત્ર બની ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા નદીની તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરવામાં આવી ર
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ એ પાયાનો ગુણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર આવડતથી જ વ્યક્તિ સફળ થઈ શકતો નથી. સાધુ પ્રેમવત્સલદાસજીએ સરળ સ્વભાવના મહત્વ પર ભાર મૂક્યો. ત
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં દુકાનોની બહાર રાખવામાં આવેલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને કારણે ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉભા થયા હતા અને માલ જપ્ત થતાં વેપારીઓએ તખ્તસિંહજી રોડ પ
બોડકદેવ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીને અજાણ્યા યુવક સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમજાળમાં ફસાવી બાદમાં અશ્લીલ વર્તન અને બ્લેકમેઈલ કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉંઝા ઉમિયા માતાના મંદિરમાં મુલાકાત બાદ બંને વચ્ચે પરિચય થયો હતો અને બા
ગોધરા શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી ખરીદવામાં આવેલા કરોડો રૂપિયાના આધુનિક 'રોડ વેક્યુમ સ્વીપર' મશીનો પાલિકાની બેદરકારીને કારણે નિષ્ક્રિય પડ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મશીનો કાટ ખાઈ રહ્યા છે, જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. શહેરના રસ્તાઓ પરથી ધૂ
વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગીરીવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઇને નિવૃત્ત PSIના પુત્રએ ધમાલ મચાવી હતી. 112 જનરક્ષક વાનને બોલાચાલી તથા ઝઘડાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થયો હોવાનું પોલીસમાં નોંધાયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, રણજીતપર ગામના 33 વર
વડોદરા શહેરમાં MGVCLની ગંભીર બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજે સવારે એક વીજકર્મી લાઇનની મરામત માટે વીજ પોલ પર ચડ્યા હતા. મરામત દરમિયાન લાઇન ચાલુ હોવાના કારણે તેમને ભારે કરંટ લાગ્યો હતો, જેથી તે ગંભીર રીતે દાઝી ગયા હતા. MGVCLના સ્ટાફ દ્વારા યુવકને રેસ્ક્યૂ કરીને તેમને તાત્ક
અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકાન માલિક યુવક ભાડે રહેતી પરિણીતા પાસે પહોંચી ગયો હતો અને તેને બાથમાં ભીડીને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાથે લગ્ન કરી લે નહીં તો હું મરી જઈશ. પરિણીતા વશમાં નહીં થતા યુવકે તેની
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આજે ભરચક રસ્તા વચ્ચે બે ખૂંટિયા એ એવું ધીંગાણું મચાવ્યું હતું કે આસપાસના રહીશો અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, લાંબા સમય સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સ
સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા ઓવરબ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ચાલુ બસની ડીઝલ ટાંકી ફાટી જવાને કારણે બ્રિજ પર ડીઝલની રેલમછેલ થઈ હતી, જેના લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. 20 થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો ક
રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર વર્ગ-3 અને મહેસૂલી તલાટી વર્ગ-3ના અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરી છે. આ બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાં 24 નાયબ મામલતદાર અને 18 રેવન્યુ તલાટી બદલી થઈને આવ્યા છે, જ્યારે જિલ્લામાંથી 2 નાયબ મામલતદાર અને 4 રેવન્યુ તલાટીની બદલી થઈ છે. રાજ્ય સરક
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો તેઓ સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાહીબાગ અંડર બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પાંચ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે કપુરાઈ જંક્શન પર આજથી એટલે કે 28 જાન્યુઆરી 2026થી આગામી 20 દિવસ સુધી ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગટર લાઈન નાખવાની કામગીરીને પગલે વાહનચાલકો માટે
મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી ત્રણ વર્ષની બાળકીનું 181અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ અને 112 જનરક્ષક ટીમે પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. આ ઘટનાની શરૂઆત એક જાગૃત નાગરિકના 181 હેલ્પલાઇન પરના ફોનથી થઈ હતી. તેમણે મોરબીના રંગપર ગામમાં ક્રિકેટ ગ્રાઉન્
વલસાડ જિલ્લા પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરતા ₹1.50 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કર્યો છે. ભિલાડ RTO ચેકપોસ્ટ ખાતે 53,480થી વધુ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂ વલસાડ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા 133 કેસોમાં ઝડપાયો હતો. આ કાર્યવાહી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 2 માર્ચ, 2026ના રોજ પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નવા યુનિવર્સિટી કોમન એક્ટ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઈસરો અમદાવાદના ડાયરેક્ટરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. યુનિવર્સિટીના વડ
છોટા ઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારથી જી.આર.ડી. (ગ્રામ્ય રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લામાં ૧૨૦ જવાનોની ભરતી માટે કુલ ૧૪૮૫ યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યા છે. બીઆ ભરતી પ્રક્રિયા આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં ઉમેદવારોની ઊંચાઈ, વજન અને દોડ જેવી વિવિધ શારીરિ
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા ગણેશ બંગ્લોઝમાં એક બંધ મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. પરિવાર વતનમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ પંચાલ, જે
સુરત ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા આજે(28 જાન્યુઆરી, 2026) વહેલી સવારથી જ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આકરાં પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને
ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ

28 C