ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં મદ્રસા એ ગુલશને મદીના દ્વારા વાર્ષિક ઇનામી જલ્સાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મદ્રસાના વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણ આધારિત નાતશરીફ, કિરાત, બયાનાત અને સવાલ-જવાબ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિતોએ આ રજૂઆતોને સરાહી
અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જણસીઓની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું જેવી મુખ્ય જણસીઓની મબલખ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે. ગત શુક્રવારથી સોમવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો યાર્ડમાં દરરોજ 1000 થી વધુ વાહનોની આવક થઈ રહી છે, જે ખ
ગોધરા ખાતે અમર શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે એક મહા રક્તદાન અને થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 154 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 93 લોકોની થેલેસેમિયા માટે તપાસ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમ ભારતીય સિંધુ સભા,
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,આ બેઠકમાં ભાવનગરના જિલ્લાઓના તાલુકાઓમાંથી યુવાનો જોડાયા હતા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ચંદ્રકલા ના
પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના લેવાયેલા નિર્ણયો સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્
બનાસકાંઠા જિલ્લાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું હતું. આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ખાટલા પરિષદ પૂર્વે, રા
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક માળિયા ફાટક ચોકડી પાસેથી એલસીબી ટીમે એક અર્ટિકા કારને રોકી હતી. કારમાં સવાર બે શખ્સો પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ, અર્ટિકા કાર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 6,55,890 નો મુદ્દામાલ જપ્ત કરી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સોમનાથ મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગીર સોમનાથ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્યપાલની મુલાકાત પૂર્વે જિલ્લાના વેરાવળ, પ્રભાસ પાટણ, તાલા
પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું
સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ફાયર સ્
વેરાવળ ખાતે આજે નગરપાલિકા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ કેમ્પ અંતર્ગત સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે વેરાવળ શહેરના ખારવા વાડ વિસ્તારમાં આવેલ મચ્છીમાર્કેટની સ્થળ મુલાકાત લીધી હતી. મચ્છીમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી વિવિધ
ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા વાંસ આધારિત રોજગારી ઊભી કરવાની પહેલ શરૂ કરાઈ છે. ‘ગ્રીન ગોલ્ડ’ તરીકે ઓળખાતા વાંસના ઉછેર અને તેના પર આધારિત ઉદ્યોગોની ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ પહેલ ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલેશ્વર ખાતે આવેલા શ્રીમદ જેસીંગબાપા વાનપ્રસ્થ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના 23 મહિલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંડળોએ લગ્નના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો અને ફટાણા રજૂ કર્ય
વલસાડ તાલુકામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતી
સાયલા અને ચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ધજાળા સ્થિત લોમેવધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો શરૂ થશે. આજે પહેલી મેચ સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી મેચમાં સચેત અને પરંપરા ટંડનનો ખાસ કા
ભાવનગરને ખાડાઓએ શહેરને બાનમાં લીધું હોય એવું લાગી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખોદી નાખવામાં આવેલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના અપડેટેશન માટેનું કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળેલ છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન પણ નાખવામાં આવેલ છે. તો આવનારા દિવસોમાં ગટર ચ
MKB યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે “Panorama of Life Sciences” શીર્ષક હેઠળ એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ જીવ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થયેલા આધુનિક વિકાસ, ઉદભવતા સંશોધન પ્રવાહો તથા આંતરવિષયક અભિગમોને એક વ્
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા ROBOFEST-GUJARAT 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડમાં યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના બીજા રાઉન્ડનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં સિનિયર લેવલમાં સરકારી ઈજનેરી કોલેજ (GEC) ભ
ભાવનગર : બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પિતાશ્રી બ્રહ્મા બાબાની જીવન ઝરમર રજૂ કરતા જણાવેલ કે પવિત્રતા, વિશ્વ બંધુત્વની, વસુધૈવ કુટુંબ ભ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જીઇઇ મેઇનની પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભાવનગર સહિતના કેન્દ્રોમાં લેવામાં આવશે. ભાવનગરમાં આ પરીક્ષા જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સીદસર અને જે. પી.એમ ઇન્ફોટેક, તરસમીયા ખાતે લેવામાં આવશે. JEE મેઈન-2026 (સેશ
ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં 3 દિવસથી વધી રહ્યું હોય ઠંડીમાં રાહત છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ વધી છે પણ દિશા બદલાઇ જતા ઠંડીમાં રાહત છે. આજે સાંજે
લોકો માં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને શિસ્ત બાબત માં જાગૃતિ ફેલાવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું આયોજન આજે કરવામાં આવ્યું હતુ. ગણેશ ક્રસ્ડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાવનગર બોડી બિલ્ડિંગ 40, મિસ્ટર ભાવનગરનું ટાઇટલ રાકેશ સરવૈયાએ જીત્યું હત
પહેલી નજરે જોતા લાગે આ રોડ ટૂ હેવન છે, પણ ના, આ તો આપણા ભાવનગરના નવા બંદર રોડ છે જે આકાશી નજરથી આવો નયનરમ્ય લાગે છે. હાલ રોડની બંને બાજુ પાણી ભરાયેલું અને આકાશ પણ ભૂરા રંગે રંગાયેલું એટલે લાગે જાણે આકાશ ધરતીને સ્પર્શ કરતુ હોય અને જાણે ભાવનગર નવા બંદર જવાના વિસ્તારમાં સ્વર્ગ જેવ
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અને નાણાકીય વ્યવસ્થામાં આવી રહેલા ધરખમ ફેરફારો અંગે વિચારપ્રેરક વિશ્લેષણ રજૂ કરતાં જિયોપોલિટિકલ એક્સપર્ટ ડૉ. અંકિતભાઈ શાહનું વ્યાખ્યાન ભાવનગરમાં યોજાયું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આજન
શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (SSCCM)એ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના અઘ્યાપકો પાસે 10 જેટલા કોપિરાઈટસ છે, તાજેતરમાં ભારત સરકારનાં કોપીરાઈટસ વિભાગ દ્વારા કોલેજનાં ત્રણ અ
આજથી પાંચ વર્ષ પૂર્વે મેં જ્યારે કુંભારવાડા સ્મશાન પાછળના શાંતિનગર જેવા વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારના શાળાએ ન જતા બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરુ કર્યો ત્યારે હાથની આંગળીએ ગણી શકાય એટલા બાળકો આવતા પણ આજે દરરોજ 65 બાળકો આ શાળામાં નિયમિત ભણવા આવે છે અને સાથે આ તમામ બાળકોને ગર
‘ભીખમાં એક વ્યક્તિએ રૂપિયાને બદલે કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનાવાનો વિચાર આવ્યો હતો.ત્યારથી અત્યાર સુધી મારૂં સમગ્ર જીવન કાર્ટુન બનાવવામાં સમર્પિત કરી દિધું છે.’ આ શબ્દો છે 90 વર્ષના કાર્ટુનિસ્ટ આબિદ સુરતીના. તેઓ કાર્ટુનિસ્ટ, લેખક, સમાજસેવી છે. તેમણે ધર્મયુગ મેગેઝિનમાં 30 વ
સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી જે વિગતો માત્ર ફાઈલોમાં દબાયેલી રહેતી હતી, તેને હવે જનતા અને વાલીઓ સમક્ષ ખુલ્લી મૂકવા માટે બોર્ડે સ્કૂલોને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ સંલગ્ન સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર શિ
ધામેલિયા પરિવાર દ્વારા ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન બાપા સીતારામ પેલેસ ફાર્મ, એન્થમ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 140 ગામોના 6000થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ધામેલિયા પરિવાર યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે ધામ
સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા સુરતમાં 70થી વધુ દર્દીઓના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સીમાચીન્હ પ્રાપ્ત કર્યું છે. તેમાં પણ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરી રહેલા 10 દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ ટાળીને દવાથી સાજા કર્યા છે. આ સાથે તેમણે શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની
કરદાતાઓ માટે મહાપાલિકા દ્વારા મિલકત વેરાના વ્યાજમાં રાહત આપતી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તેનો 1લી જાન્યુઆરીથી અમલ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત બાકી વેરો ભરપાઈ કરનાર મિલકતદારોને વ્યાજ અને પેનલ્ટીમાં મોટું વળતર આપવામાં આવી રહ્યું છે. રજા ના દિવસે પણ સીવીક સેન્ટરો ચાલુ રહે
મહાપાલિકા દ્વારા શહેરના નવા પૂર્વ સરથાણા ઝોનમાં વિકાસના નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. ઉત્રાણ રેલ્વે ઓવરબ્રિજની નીચે મનીષા ગરનાળા પાસે ખાલી પડેલી જગ્યાનો સદુપયોગ કરીને એક આધુનિક સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના સંચાલન અને નિભાવ માટે ગત સ્થા
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાર્મેન્ટ, એપેરલ, મેડઅપ્સ, એમ્બ્રોઈડરી, રેપિયર, એરજેટ યુનિટો શહેરી વિસ્તારમાં સ્થાપાશે તો પણ ટેક્સટાઈલ પોલિસીનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ જાહેર કરી ત્યાર
જૂની સાયકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટે છેલ્લા બે 2 વર્ષમાં ઘણી સાયકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. તેઓ જૂની સાયકલ રિપેર બાળકો આપે છે. ફર્સ્ટ પર્સન તમારા ઘરે પડી રહેલી અને જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચાલાવતા હોય તો સાયકલ મને આપો હું તેને ર
પૂજાબા વનરાજસિંહ જાડેજા દ્વારા વર્ષ-2008માં જેસલરાજ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ સમાજના 9000થી વધારે દીકરીને તલવાર રાસ શીખડાવવામાં આવ્યો છે. જેસલરાજ ટ્રસ્ટ દ્વારા 275 જેટલા ઝૂંપડપટ્ટીના બાળકોને દત્તક લેવામાં આવ્યા છે જેઓને શિક્ષણ અને ભોજનન
આજે દેશમાં મંદિર-મસ્જિદ વિવાદમાં જ્ઞાનવાપી મસ્જિદ (વારાણસી), કુતુબમિનાર (દિલ્હી) અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ (મથુરા) જેવા ઐતિહાસિક સ્થળો પરના દાવાઓ અને પુરાવાઓન આધારે કાનૂની લડાઈઓ ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારામાં રહેતો આ
કુપોષણ આજે પણ અનેક બાળકોના સ્વસ્થ વિકાસમાં મોટો અવરોધ બની રહ્યું છે. ત્યારે સમાજમાં માનવતાની સાચી સેવા કરતી શેર વિથ સ્માઈલ નામની સંસ્થા દ્વારા કુપોષિત બાળકોને દર મહિને પોષણ કિટ આપે છે. આ સતત પ્રયાસના પરિણામે 7 વર્ષમાં 4000 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા મળી છે. સંસ્થા દર મહિ
ગુજરાતના પાયાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં 3691 આંગણવાડી કાર્યકરની બે દિવસીય સઘન તાલીમ આપી છે. આ તાલીમ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની આંગણવાડીઓને ‘હાઈટેક પ્રિ-સ્કૂલ’ માં પરિવર્ત
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી વિસ્તારમાં આવેલી સૂચિત રાજદીપ સોસાયટીના રહેવાસીઓને મહાનરગપાલિકા અન્યાય કરી રહી હોવાના આરોપ સાથે બે દિવસ પૂર્વે લોકોએ હલ્લા બોલ કરી સારા રોડ-રસ્તા આપવાની માંગ સાથે રામધૂન બોલાવી. આ વિસ્તારના નગરસેવકને પણ ઘેર્યા હતા. 50 ફૂટના રોડ પર આવેલ રાજદીપ સ
સમાજમાં ઘણીવાર એવું માનવામાં આવે છે કે, જીવનસાથીની જરૂર માત્ર યુવાની સુધી જ હોય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં જ્યારે સંતાન પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની જાય છે ત્યારે સૌથી વધુ જરૂર પડતી હોય છે – એક સંવેદનશીલ સાથની. આ વિચારને હકીકતમાં ફેરવતું એક અનોખું અને માનવતાભર્યું કાર્ય શહે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મા ખોડિયાર પ્રાથમિક શાળા નં.76ના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા–મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂ.2.68 કરોડના ખર્ચે તૈયાર
રાજકોટમાં ગંદકી, કચરો અને મચ્છરજન્ય રોગચાળાને લઈને સતત નકારાત્મક ચર્ચા થાય છે, પરંતુ આ ચર્ચાની વચ્ચે શહેરના ગલી-મોહલ્લાઓમાં એક સકારાત્મક અને ઓછું ચર્ચાતું પરિવર્તન શાંતિથી થઈ રહ્યું છે. અહીં નાગરિકો હવે ફરિયાદ નોંધાવવાની રાહ જોયા વગર જાતે જ સફાઈ માટે આગળ આવી રહ્યા છે, અને
રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોની લાંબા સમયની માગણીને સ્વીકારીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજકોટથી ગાંધીનગર વચ્ચે નવીન એ.સી. સીટર બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તા.20 જાન્યુઆરીને મંગળવારથી આ સેવાનો પ્રારંભ કરાશે. રાજકોટથી આ બસ દરરોજ સાંજે 16.00 કલા
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક તમામ વિદ્યાર્થીઓ 17થી 18 વર્ષના હતા, પરંતુ આત્મબળ અને લાઈફ સેવિંગ સ્કિલના અભાવે જીવ ગુમાવવો પડ્યો, એ જ રીતે મોરબીના ઝૂલતા પુલ કેસમાં મોટાભાગના લોકો શિક્ષિત અને યુવાન હતા છતાં પણ પોતાનો જીવ બચાવી શકાય તેવી આવડતના અભાવે મૃત્યુને ભેટ્યા હતા. આ
રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગીતાંજલિ ગ્રૂપ દ્વારા છેલ્લા આઠ મહિનાથી એક એવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેણે માનવતાની મહેક પ્રસરાવી છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમના ગુરુદેવ પુનિતઆચાર્યજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલો ‘સેવાનો શનિવાર’ આજે હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂ
દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર પહોંચી જતા શહેર પણ થોડા સમય માટે દિલ્હીની જેમ પ્રદૂષિત બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. ફટાકડા, વાહનવ્યવહાર અને હવામાનની પરિસ્થિતિઓના કારણે સર્જાયેલી આ ચિંતાજનક સ્થિતિ બાદ હવે રાજકોટમાં ફરી એકવાર સુધારા
‘જ્યારથી મારી ગર્લફ્રેન્ડનું મર્ડર કરીને જેલમાં આવ્યો છું, ત્યારથી મારું આખું ફેમિલી દુ:ખી ને દુ:ખી જ છે. એ લોકો તો કહે છે કે તને છોડાવી લઈશું, પણ આર્થિક રીતે સાવ નબળા પડી ગયા છે. મને કહે છે, જો તેં આવું ન કર્યું હોત તો આપણે સાથે રહેતાં હોત. અહીં પણ મને એ જ ચિંતા થયા કરે છે કે, લોકો મ
વિશ્વભરમાં જેની ટાઇલ્સ અને ઘડિયાળનો ડંકો વાગે છે, ગુજરાતનું એ શહેર જેણે પાયાના પથ્થર બનીને સિરામિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપી, લાખો પરિવારોના સપનાના ઘરને ટાઇલ્સથી ચમકાવ્યું તે શહેર આજે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. એકતરફ ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ઓવર પ્ર
સાબરમતી નદીના કિનારે બનેલું રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, આખા ગુજરાતની ઓળખ સમાન છે. હવે રિવરફ્રન્ટને છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાના તબક્કાવાર પ્રોજેક્ટ તરીકે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પણ આ પ્રોજેક્ટમાં એક મોટું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરને હાથ લાગેલા દસ
અમદાવાદ ડિવિઝનના પાલનપુર–સામખિયાળી સેક્શનમાં કીડિયાનગર પાસે રવિવારે વહેલી સવારે 2.25 વાગે માલગાડીના બે વેગન પાટા પરથી ઊતરી જતા અપ-ડાઉન એમ બંને લાઇનના રેલરૂટને અસર પહોંચી હતી. જેમાં ડાઉન લાઇનમાં જતી માલગાડીના બે વેગન ડીરેલ થતાં બંને દિશાનું ટ્રેન સંચાલન અટકાવ્યું હતું.સદન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
‘મારે 7 વાગ્યે મરવું છે, બસ એ કહો કે દવા ગળવાથી વહેલા મરાય કે પંખે લટકવાથી?’ આ અમદાવાદના ટેલી-માનસ સેન્ટરમાં કોલ આવ્યો હતો. 30 મિનિટની વાર હતી, અને બીજી તરફ એક જિંદગી કાયમ માટે બુઝાઈ જવાની તૈયારીમાં હતી. 14416 હેલ્પલાઇનના કાઉન્સિલરોએ આત્મહત્યા કરતા અટકાવ્યા હતા. 2025-26માં હેલ્પલાઈન પર
ગુજરાતમાં બહારનાં રાજ્યો જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયા હોય તો તેવા લોકોને સસ્તા અનાજના દર મહિને 35ને બદલે 8 કિલો જથ્થો મળતાં હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે પરતું છેલ્લાં 30 વર
સાઇબર ક્રાઇમના વધી રહેલા ગુનાને નિયંત્રિત કરવા પોલીસ પાસે સૌથી મોટું ઓજાર લોકોને જાગ્રત કરવાનું છે. આ માટે સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે 30 હજાર વોલિયેન્ટરની ભરતી કરી છે. વોલિયેન્ટર્સ ટીમ સાથે મળીને ગામેગામ જઈને તેમજ સ્કૂલ, કૉલેજ સહિતના સ્થળે સેમિનાર કરે છે પરંતુ હાલમાં પોલીસ મા
ડાયાબિટિસ, ઝામર સહિત આંખના હેમરેજને કારણે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અમદાવાદ રૂરલના લોયર પીયૂષભાઈ મસરની 30 વર્ષથી ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. શહેરની એક હોસ્પિટલમાં ડોકટરે વિટ્રીઓ હેમરેજથી દર્દીની અત્યાધુનિક કેપ્સુ લેસરથી મોતિયાની સર્જરી કરતાં 100 ટકા દૃષ્ટિ
સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા યુપીએસસી પ્રીલિમનરી એક્ઝામ-2026ના માટે જાન્યુઆરીના ત્રીજા વિકથી સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરાયું છે. આશરે 25 જેટલી મોક ટેસ્ટ અને પ્રત્યેક 200 માર્ક્સની હશે. મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે સ્પીપા તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ
ગુજરાત સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મેડિકલ એજ્યુકેશન શાખા હેઠળ ડાયટિશિયન, વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો ઓજસ મારફતે 26 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ
સોમવારથી માઘ નવરાત્રી સાથે મહા મહિનાનો પ્રારંભ થશે. જોકે સવારે 07.29 વાગ્યાથી જ બીજા દિવસ સુધી મૃત્યુયોગ શરૂ થાય છે. અશુભ યોગ વચ્ચે સવારે 11.53 વાગ્યાથી સિદ્ધિયોગ અને કુમાર યોગ પણ શરૂ થાય છે. આથી 11.53 પછીથી ઘટસ્થાપન કરી શકાશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે નવરાત્રીમાં માત
ઉત્તરાયણ પછી લટકતી દોરીઓ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે. આવી દોરીઓ પક્ષીઓને ઈજા ન પહોંચાડે તે માટે નરોડા ગામના યુવાનોએ ‘રાંદલ માતા સમિતિ’ના નેજા હેઠળ ‘દોરી આપો, ખાંડ લઈ જાઓ’ પહેલ કરી હતી. સ્વભંડોળથી યોજેલા કેમ્પમાં 2 દિવસમાં નરોડા વિસ્તારની સાથે કુબેરનગર, સરદારનગર, સરસ
અમદાવાદને રિન્યુએબલ એનર્જીમાં પણ ટોચનું સ્થાન મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનાં ધાર્મિક સ્થળોને પણ સોલર પેનલ લગાવી આપવા માટે બજેટ ફાળવ્યું છે. આ પ્રકારે બજેટ ફાળવનારું અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 114 જેટલાં ધાર્મિક સ્થળે સોલર પ
અત્યાર સુધી ગુજરાતનું નામ કાપડ, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી સાથે જોડાતું, પરંતુ હવે ગુજરાત સ્પેસ ટેકનોલોજીમાં પણ ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. અઝિસ્તા સ્પેસ લિમિટેડ ગુજરાતમાં દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીએ ગુજરા
સામાન્ય રીતે સોમવારની સવાર બાળકો માટે કંટાળાજનક હોય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિઠોડા ગામની પીએમશ્રી અનુપમ પ્રાથમિક શાળામાં દ્રશ્ય કંઈક અલગ જ છે. અહીંના શિક્ષક આદિત્ય દરજીએ એ સાબિત કરી દીધું છે કે જો અક્ષર સુધરે તો બાળકનું સમગ્ર વ્યક્તિત્વ અને પરિણામ પણ સુધરી શકે છે. શિક્
10 વર્ષ પહેલાં શહેરની સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફૂટબોલ શીખવાડવાની પહેલ કહાની ટાઇમ ફાઉન્ડેશને શરૂ કરી હતી, જેમાંથી બે વિદ્યાર્થિની ભારતીય ટીમમાં અને 15 વિદ્યાર્થિની સ્ટેટ લેવલે રમી ચૂકી છે. કોચ લલિતા સેની જણાવે છે કે, શરૂઆતમાં અમે બે સરકારી સ્કૂલમાં ગયાં, જ્યાં શિક્ષકો
ઔડાએ 114 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન અને 234 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું શરૂ કરેલું કામ પૂર્ણતાને આરે છે, જેનાથી શેલા, મનીપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ સહિતના વિસ્તારના 8 લાખ લોકોને ગટર ઊભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. એશિયન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 24.3 કિમી લાંબી સ્ટોર્મ વ
વાયા અમદાવાદ થઈ ગાંધીનગર-રાજકોટ વચ્ચે મુસાફરો માટે નવી એસી બસ શરૂ થશે. ગુજરાત એસટીએ 20 જાન્યુઆરીથી ગાંધીનગર–રાજકોટ રૂટ પર 46 સીટર પ્રીમિયમ એસી બસનું નિયમિત સંચાલન શરૂ કરશે. આ સેવાથી પેસેન્જરોને રાહત મળશે. હાલ એસટી નિગમ અમદાવાદ–રાજકોટ રૂટ પર દર કલાકે વોલ્વો બસનું સંચાલન કરે છ
ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં નરોડા જીઆઈડીસીએ અન્ય જીઆઈડીસી માટે નવી દિશા દર્શાવી છે. પહેલીવાર નરોડા એન્વાયરો પ્રોજેક્ટે સોલાર પ્લાન્ટ અને વિન્ડ મિલ સ્થાપિત કરી ગ્રીન એનર્જીનો સફળ ઉપયોગ શરૂ કર્યો છે. જેના થકી ઉદ્યોગોને મોટો આર્થિક લાભ થયો છે. દર મહિને 60
મેઘાણીનગર વિસ્તારમાં 15 જાન્યુઆરીએ પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારની કારને ત્રણ યુવકોએ ઓવરટેક કરતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પૂર્વ મંત્રીએ અપશબ્દો બોલતાં યુવકો મંત્રીજીએ પહેરેલા ચશ્માં લઈને ભાગી ગયા હતા. ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે મોટો ગુનો થયો નહોતો. જોકે પૂર્વ મ
કોઈના ઘરમાં સ્વજનનું અવસાન થાય ત્યારે સાંત્વનાના શબ્દો પણ મોટી હિંમત આપે છે. શાહીબાગમાં રહેતા અને રાજસ્થાન હોસ્પિટલમાં ફરજ બજાવતાં 75 વર્ષીય કાંતિભાઈ પટેલ 1980થી એવો માનવીય પ્રયાસ કરી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. જ્યારે પણ કોઈ પરિવારના ઘરે દુ:ખદ પ્રસંગ બને ત્યારે કાં
ગોમતીપુરમાં એપેરેલ પાર્ક પાસેની ખાલી જગ્યામાં વર્ષોથી દારૂ-જુગારનો અડ્ડો ચાલતો હતો. 17 યુવાનોના એક ગ્રૂપે 10થી 15 વખત પોલીસ ફરિયાદ કરી અડ્ડો દૂર કરાવ્યો, પણ ફરી અડ્ડો શરૂ થયો તો જનતા રેડ કરી અને જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું. 2013થી જયભીમ જ્યોત
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના રહ્યા. બીજા સમાચાર અમેરિકાની 'ગ્રીનલેન્ડ' ખરીદવાની જીદ સામે યુરોપના લાલઘૂમ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. શંકરાચાર્યની પાલખી પોલીસે ઢસડી, છત્ર તૂ
ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મધ્યરાત્રિએ એક દંપતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, સાસરી પરિવાર દ્વારા તેઓને બાળકો સહિત ઝગડો કરી કાઢી મુકવામાં આવેલ છે. ફરિયાદની ટેલીફોનીક જાણ થતાંની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પો.કોન્સ્ટેબલ જ
કચ્છ જિલ્લો પોતાની ભૌગોલિક વિષમતા અને રણ વિસ્તારના કારણે જાણીતો છે. અહીં અંતરિયાળ ગામડાઓથી હોસ્પિટલ સુધી પહોંચવું એ આજે પણ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગની પ્રસૂતાઓ માટે ‘આશીર્વાદ’ સાબિત થઈ રહી છે. વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરી
ગાય માતા છે અને એમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવું સનાતન સમાજ સદીઓથી કહે છે અને ગાયના મુદ્દે વખતોવખત વાદ-વિવાદ પણ થાય છે. એક સમયે ઘર-ઘર ગાયપાલન થતું પણ હવે શહેરોમાં એટલો ખર્ચ અને સમય આપી ન સકતા ગાયની જવાબદારી ગામડાઓએ ઉઠાવી છે અને એકદમ ગંભીરતાથી ઉઠાવી છે એની વાત આજે આપને શબ્દ
ગઢડા તાલુકાના પાટણા ગામના ખેડૂતપુત્રે શિક્ષકસહાયકથી રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય સુધીના પડકારો ઝીંલ્યા છે. શાળાને ખેલપ્રવૃત્તિમાં નેશનલ કક્ષાએ 7 ગોલ્ડ મેડલ સહિત 48 મેડલ, રાજ્યકક્ષાએ 97 ગોલ્ડ મેડલ સહિત 365 મેડલ અપાવી ત્રણ વર્ષ સુધી રાજ્યમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો છ
કચ્છ ના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ કચ્છ આવેલા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેતા જિલ્લા ભાજપ દવારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રીએ મુલાકાત દરમિયાન આગેવાનો અને કાર્યકરો સાથે મળી શુભેચ્છાઓની આપ લે ક
ભુજની રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 16મી જાન્યુઆરીના ભુજ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી 250 લોકો જોડાયા હતા. કેમ્પમાં 35 બાળકો અને 40 પરિવારના એચએલએ ટેસ્ટ કરી અપાયા હતા અને જે બાળકોના 100 ટકા એચએલએ મેચિ
સેવાલિયા જનપથ હોટલ થી હુસેની સોસાયટી જવાના રસ્તા પર એમજીવીસીએલનો વીજપોલ જોખમી રીતે નમેલી હાલતમાં છે. જેમાં 10 જેટલી સોસાયટીના રહીશો અને વાહન ચાલકો બજારમાંથી ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે આ વીજ પોલની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનની શરુઆત કરાશે. ભારતના પશ્ચિમી છેવાડા કચ્છના લખપત કિલ્લાથી તેની શરૂઆત થશે.CISF સાયકલિસ્ટની બે ટીમો એકસાથે શરૂઆત કરશે. જેમાં પશ્ચિમ કિનારે લખપત કિલ્લાથી જ્યારે પૂર્વ કિનારે બ
કચ્છ જિલ્લાની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ SSIP ગ્રાન્ટી કોલેજ એસ.જી.જે.કોડાય ગુરુકુલ દ્વારા સ્ટાર્ટ અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વન લોકલ પ્રોબ્લમ વન સ્કેલેબલ સોલ્યુશન શીર્ષક હેઠળ યોજાયેલી પ્રતિયોગિતામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં
પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત લાલન કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ લેન્ગવેજ સ્ટડીઝ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ પ્રતિભાગીઓ કર્ણાટક, બંગાળ તેમજ ગુજરાતમાંથી જોડાયા હતા. ઇન્ડિયન ઇન
ભારતીય સેનાના પરંપરાગત મૂલ્યો અને પરંપરાને અનુસરી 18 જાન્યુઆરીના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વેટરન્સ આઉટરીચ રેલીનું આયોજન કરાયું.જેનો ઉદ્દેશ કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી આવેલા વેટરન્સ, વીર નારી, વિધવાઓ અને તેમના પરિવારજનો સુધી પહોંચીને પેન્શન
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના સહયોગથી કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આજે 19 થી 24 જાન્યુઆરી દરમિયાન છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળા એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર યોજાઈ રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે મુ
નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે તા. 21/1 મંગળવારથી પંચ દિવસીય “શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહા મહોત્સવ” ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપર્વને લઈને ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે આ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ પારાયણ
શિક્ષણ વિભાગના અલગ અલગ પત્રોથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ આપવા બાબતે સમયાંતરે સૂચનાઓ અપાઈ હતી. જેમાં ચાર્જ સોંપવા અંગે જે તે શિક્ષકની ખાતામાં દાખલ તારીખ અનુસાર સિનિયોરિટી ધ્યાને લઈ સૌથી સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ આપવાનું માર્ગદર્શન અપાયું હત
બોરસદની ડાલી ચોકડી પાસે એસટી બસની અડફેટે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી એસટી બસના ચાલકો બેફામ બન્યા છે. ક્યારેક તેઓ મોબાઈલ ફોન પર વાત કરતા તો ક્યારેક દારૂ પીને બસ હંકારી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. બોરસદની હરીપુરા પ્રાથમિક શાળા પાછળ
વડોદરામાં પક્ષી વૈવિધ્ય કેટલું અને કેવું છે તેની પ્રાથમિક જાત તપાસ પક્ષીપ્રેમીઓ કરે તે માટે વડોદરામાં બર્ડરેસ યોજાઇ હતી. ટાટા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને પ્રનિધિ સંસ્થાના ઉપક્રમે રેસમાં લોકોએ ચોક્કસ વિસ્તારનાં પક્ષીઓના ફોટો અને અન્ય માહિતી એકત્ર કરવાની હતી.
પેટલાદના બાંધણીમાં લોકો સાથે ઠગાઈ થાય તે પહેલાં જ મહેળાવ પોલીસે સમયસૂચકતા વાપરીને મંજૂરી વિના લક્કી ડ્રો શરૂ કરનારા છ શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીનો રૂા.4 કરોડ ઉસેટવાનો પ્લાન પોલીસના હાથમાં પોસ્ટર આવતા ઉંધો પડયો હતો. શખસો દ્વારા શ્ર્રી મેલડી મસાણી મ
વડોદરા શહેર અને આસપાસનાં ગામોની 15 મહિલાએ સમાજ-પરિવારના વિરોધ વચ્ચે પિંક ઓટો પહેલ દ્વારા જીવનમાં નવી દિશા મેળવી છે. આ પહેલે મહિલાઓને પરિવારની જવાબદારી જાતે સંભાળવાની હિંમત, સમાજમાં પ્રેરણા સ્ત્રોત બનવાનું ગૌરવ અને પોતાના પગ પર ઊભી રહેવાની શક્તિ આપી છે. મહિલાઓએ રિક્ષા ચલાવ

26 C