SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય પરિવારે પિતાની પુણ્યતિથિએ બ્રહ્મભોજન કરાવ્યું:3500થી વધુ બ્રાહ્મણોએ પ્રસાદ લીધો, સમાજે સન્માન કર્યું

સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમાર દ્વારા તેમના પિતા સ્વ. ઘનશ્યામસિંહ ભુરુભા પરમારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. આ જ્ઞાતિ ભોજન માટે સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને

4 Apr 2026 8:24 am
રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-1 મેલડી માતાજીના મંદિર ખાતે ૧૧મા સમૂહ તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. મહાઆરતી સાંજે 4:30 વાગ્યે અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. આ વાર્ષિક આયોજનમાં રતનપર વિસ્તારના

4 Apr 2026 8:18 am
વડોદરામાં હનુમાન પ્રાગટ્યોત્સવ, મહાપ્રસાદનું આયોજન:વાડી હનુમાન પોળ યુવક મંડળે ભક્તો માટે કર્યો કાર્યક્રમ

વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ

4 Apr 2026 8:14 am
અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના 2200 દાવેદારો:પ્રવીણ પટેલ સહિતના 10 પૂર્વ કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી, જમાલપુર-મકતમપુરામાં સૌથી ઓછા દાવેદારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદાર

4 Apr 2026 7:30 am
અમદાવાદમાં આજે બીજી મેચ GT vs RR:વૈભવ સામે રબાડા-સિરાજનો પડકાર; ગુજરાતે રાજસ્થાન સામે 6 મેચ જીતી

IPLમાં શનિવારની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનનો આ નવમો મુકાબલો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટૉસ 7 વાગ્યે થશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે જીતી હતી, જ્યારે ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હાર

4 Apr 2026 6:24 am
કતારગામમાં ગંદકી, ગુંડાગીરી અને ભયનું સામ્રાજ્ય!:ગટરના ઢાંકણા તૂટેલા, વીજળીના બોર્ડ ખુલ્લા, ગાર્ડનમાં ન્યુસન્સ; સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અ

4 Apr 2026 6:20 am
'15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી':15 દિવસે પાણી આવે છે એ પણ ગંદુ આવે છે, અમારે કેવી રીતે પીવું?; મતદારોએ આક્રોશ વ્યક્ત કર્યો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે નવી બનેલી મહાનગરપાલિકામાં યોજાનાર ચૂંટણીએ મતદારોમાં ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. આ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભ

4 Apr 2026 6:05 am
આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ, 7 એપ્રિલે પણ વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવ

4 Apr 2026 6:05 am
AIMIM પાર્ટીની જાહેર સભાથી પ્રચારની શરૂઆત:અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં ખાનપુરમાં જાહેર સભાને સંબોધશે, રાજ્યમાં 630 ઉમેદવાર ઉભા રાખશે

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુમતી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર AIMIM પાર્ટી દ્વારા જાહેર સભાથી પ્રચાર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લઘુમતી સમાજમ

4 Apr 2026 6:05 am
'છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લટકી રહ્યો છે':​'અમારો વેપાર ઠપ્પ થઈ ગયો, બચત પણ વપરાઈ ગઈ'; વોર્ડ નં. 6-7ની સૌથી મોટી સમસ્યા વાપી ઇસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ

​વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી સામાન્ય ચૂંટણીનો માહોલ હાલ ગરમાયો છે. ત્યારે વાપીના મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 6 અને 7માં પહોંચી હતી. આ વખતે ચૂંટણીનો માહોલ જનતાની હાલાકી અને વેપારીઓના રોષથી ઘેરાયેલો જોવા

4 Apr 2026 6:05 am
'ભાજપના કોર્પોરેટરનો વિકાસ થયો, વોર્ડનો ના થયો':'પાંચ વર્ષમાં 5 વાર પણ નથી આવ્યા', લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમ ના હોવાથી સ્થાનિકોમાં રોષ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોક

4 Apr 2026 6:00 am
'પાણી, ડ્રેનેજ, લાઇટના પ્રશ્નોને પ્રાયોરીટી આપશે તેમને પ્રાયોરીટી આપીશું':ગંદા પાણી-ખરાબ રસ્તાના પ્રશ્ને ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે જંગ, વોર્ડ-16ની ચૂંટણીમાં જંગલેશ્વરનું ડિમોલિશન કેન્દ્રમાં

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જંગલેશ્વર અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોની સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહ

4 Apr 2026 6:00 am
નેતાજીનો ઘા ફેલ ગયો:સુરતમાં BJP-AAPનું નેતા કપલ ચર્ચામાં આવ્યું; ચૂંટણી પહેલા જ નવનીત બાલધિયાએ કોંગ્રેસનો પંજો પકડ્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

4 Apr 2026 6:00 am
સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કચ્છની 5 નગરપાલિકામાં 1.70 લાખ મતદારોનો વિક્રમી ઘટાડો નોંધાયો

કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, જેમાં આ વખતે 5 નગરપાલિકાઓની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં અંજાર (36 બેઠક), ભુજ (44), ગાંધીધામ (52), માંડવી (36) અને મુન્દ્રા (28) એમ કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમ

4 Apr 2026 5:59 am
કોંગ્રેસની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા 80 ટકા પૂર્ણ:ભાજપના શાસનમાં અધિકારીરાજ આવ્યું, અમે લોક શાસન લાવશું : કચ્છ જિલ્લા કોંગ્રેસ

કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કચ્છના મતદારો આ વખતે પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ગ્

4 Apr 2026 5:48 am
વિકાસ કામોને વેગ અપાયો:મમુઆરામાં 8 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

મમુઆરા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ₹ 8 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈએ આ તકે જણાવ્યું હતું કે, રોડ, શિક્ષણ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓમાં વધારો કરીને સરકાર નાગરિકોના જીવનધોર

4 Apr 2026 5:43 am
સુધામૂર્તિએ કરી ધોળાવીરાની પ્રશંસા:ધોળાવીરાની જળવ્યવસ્થા જોઇ સાંસદ અને જાણીતા લેખિકા બન્યા મંત્રમુગ્ધ

કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત

4 Apr 2026 5:38 am
ફરિયાદ:નટવરનગરમાં પતિનો પત્ની ઉપર કાતરથી હુમલો

બગસરા તાલુકાના નટવરનગર વિસ્તારમાં ઘરેલુ ઝગડામાં પતિ દ્વારા પત્ની પર કાતરથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 29 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે નટવરનગર વિસ્તારમાં કાજલબેન જગદીશ ડાભી (

4 Apr 2026 5:30 am
નાગરિકોમાં આક્રોશ:સાવરકુંડલાના એકમાત્ર જનતા બાગમાં જંગલ જેવી સ્થિતિ : જાળવણીના અભાવે બગીચો ખંઢેર બન્યો

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી

4 Apr 2026 5:30 am
આત્મહત્યા:એક આધેડે ઝેર પીધું તો યુવકે ગળાફાંસો ખાધો

વડીયા તાલુકાના તોરી ગામે 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું છે અને સાવરકુંડલામાં 56 વર્ષીય આધેડે દવા પી લેતા મોત થયું છે. તોરી ગામની સીમમાં સવારના સમયે 28 વર્ષીય નિકુંજભાઈ ભીખુભાઈ રાઠોડે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. જે અંગે તેઓના પિતા ભીખુભાઈ નાથાભાઈ

4 Apr 2026 5:30 am
સહાનૂભૂતિ:ભુરખિયા હનુમાનજી મંદિરે માનવતાનું દ્રશ્ય

લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના

4 Apr 2026 5:30 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાવલી નદીના કાંઠે અસ્તિત્વનો જંગ: રિવરફ્રન્ટના નામે ગરીબોના પાલા ઉપર પ્રશાસનનું ગ્રહણ લાગ્યું

રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના ન

4 Apr 2026 5:30 am
પશ્ચિમમાં 10 સ્માર્ટ સિગ્નલ:આંબાવાડીમાં સિગ્નલ પર ઊભા રહેવાનો સમય 30 સેકન્ડ સુધી ઘટી ગયો

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ હવે હાઈટેક બન્યું છે. પશ્ચિમ વિસ્તારનાં સૌથી વ્યસ્ત 10 મુખ્ય જંક્શનો પર હવે ટ્રાફિક પોલીસને બદલે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) કમાન સંભાળી રહ્યું છે. આ સ્માર્ટ સિગ્નલ્સ હવે રસ્તા પર વાહનોની સંખ્યા જોઈને પ

4 Apr 2026 5:30 am
ચપ્પુથી હુમલો:રાજપીપળા બજારમાં લારી મૂકવાના મામલે લારીધારક પર ચપ્પુથી હુમલો

રાજપીપળા શાકમાર્કેટમાં ફ્રૂટની લારી મુકવા બાબતે બે વેપારીઓ વચ્ચે મારમારી થઇ હતી. આ મારામારીમાં બે વેપારીઓએ એક સંપ થઇને અન્ય વેપારી પર ચપ્પુથી હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળાના નવાફળીયા મોતીબાગમાં રહેતા અમિત માછીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુ

4 Apr 2026 5:30 am
નજીવી બાબતે હત્યા:કોયારી ગામે 10 રૂપિયા વાપરવા નહીં અપાતાં ગળું દબાવી હત્યા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુ

4 Apr 2026 5:30 am
કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં પત્નીને સળિયાના ઘા ઝીંકનાર પતિને આજીવન કેદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુ

4 Apr 2026 5:30 am
ગઠિયાઓએ કરી હાથસફાઈ:દેડિયાપાડામાં વેપારીની ચેઇન બે વીંટી લઇને બે ગઠિયા ફરાર

દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવા

4 Apr 2026 5:30 am
TP સ્કીમ રદ કરવા આયોગને રજૂઆત:દાનહમાં TP સ્કીમથી આદિવાસીઓની જમીન- ધાર્મિક સ્થળોને જોખમ વધશે

સેલવાસના આમલી-બાવીસા ફળીયા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને ઓઆઈડીસી વેલુગામ યોજના રદ કરવાની માંગ સાથે પીડિત આદિવાસી પરિવારોએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્

4 Apr 2026 5:30 am
સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના સદનમાં પ્રશ્ન ઉઠાવ્યો:દાનહમાં વિકાસ કાર્યોની સાથે પારદર્શીતા અંગે ટકોર

દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો

4 Apr 2026 5:30 am
નદીમાં ડ્રેજિંગ કરાવવા સાંસદને લેખિત આવેદન:વલસાડના ભદેલીમાં જમીન ધોવાણ અંગે ગ્રામજનોમાં રોષ

વલસાડના ભદેલીજગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી ગામે ચોમાસામાં ભરતીના કારણે જમીનના થતાં ધોવાણ મુદ્દે ગામના અગ્રણીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને આવેદન આપ્યું હતું.આ વિસ્તારમાં ચોમાસામાં નદીની રેલ અને ભરતીના કારણે આ પ્રશ્ન ઉકેલવા માગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમ

4 Apr 2026 5:30 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:અસ્ટોલ ગામમાં પીવાના પાણીનું સંકટ કરોડોની યોજના છતાં ગ્રામજનો તરસ્યા

કપરાડા તાલુકાના અસ્ટોલ ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડો રૂપિયાની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે ગામના નામ પરથી બનાવી તેજ ગામમાં પાણી માટે લોકોના વલખા 586 કરોડની યોજના ગામમાંથી પસાર થતી હોવા છતાં

4 Apr 2026 5:30 am
ભાસ્કર એક્સક્લુસિવ:દ. ગુ.ના 1 હજારથી વધુ માછીમારો ઇરાનથી અરમાનિયા રવાના, બે દિ’માં વતન આવી શકે

અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધના કારણે ભારત અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતાં શિપમેન્સ, ફિશરમેન તથા અન્ય ભારતીય કામદારો મળી 1 હજાર લોકો યુધ્ધના કારણે ફસાઇ ગયા છે.તેઓ ઇરાનથી ભારત આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વર્કરોએ શુક્રવાર

4 Apr 2026 5:30 am
વિતરણ:પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું

સફળતાનું શિખર ગમે તેટલું મોટું હોઈ, પણ મૂળ તો વતન ની માટી મા જ હોઈ ​ ‘વતનનું વહાલ’ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિને પોતાની માટી સાથે જોડી રાખે છે. પારનેરા ના સેવાભાવી અધ્યાપક હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અ

4 Apr 2026 5:30 am
આયોજન:બેરેજના 18 દરવાજા રિપેર કરવા 15મીથી સાબરમતી ખાલી કરાશે; 15 જૂન પહેલાં કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક

સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે. 60 દિવસના સમયમાં મહત્તમ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. મ્યુનિ. દ્

4 Apr 2026 5:30 am
રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો:કોમર્શિયલ ગેસમાં ભાવ વધારાથી હોટેલ, રેસ્ટોરાંમાં જમવાનું 10% સુધી મોંઘું થયું

કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થયેલા રૂ.220ના તોતિંગ વધારાએ ગુજરાતના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની કમર તોડી નાખી છે. ખાસ કરીને અમદાવાદમાં ગેસ બોટલ પર આધારિત નાની અને મધ્યમ રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચને પહોંચી વળ

4 Apr 2026 5:30 am
સિટી એન્કર:મેમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ, 16થી વધુ ટ્રેનોમાં 100થી વધુનું વેઇટિંગ, દિલ્હીનું વિમાન ભાડું પણ રૂ.12 હજાર સુધી પહોંચી ગયું

મેમાં અમદાવાદથી દિલ્હી, વારાણસી, પટના, હરિદ્વાર જતી ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ છે. અનેક ટ્રેનોમાં બુકિંગ સમયે ‘રિગ્રેટ’ બતાવી રહ્યું છે. રેલવેમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ફ્લાઇટ તરફ વળ્યા છે, જેના કારણે દિલ્હી સહિતનાં શહેરોમાં વિમાન ભાડાં સામાન્ય કરતાં બે ગણા સુધી વધી

4 Apr 2026 5:30 am
સરકાર જાગી:અસલી કે એનાલોગ પનીરનું બોર્ડ હોટેલ-રેસ્ટોરાંએ લગાવવું પડશે

રાજ્યમાં પામોલીન ઓઈલમાંથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા વ્યાપ સામે સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટેલ-રેસ્ટોરાંમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ રાણાના જ

4 Apr 2026 5:30 am
કરુણાંતિકા સર્જાઈ:નવસારીમાં પિતાની જ કારની‎ અડફેટમાં આવતા પુત્રનું મોત‎

નવસારીના છાપરા ગામે પિતાએ જ અજાણતામાં પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સ લેતા અથવા હંકારતા પોતાના 2 વર્ષના માસૂમ પુત્રને અડફેટમાં લીધું હતું. કાર અડફેટમાં આવતા પુત્રનું મોત નિપજ્યું છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 1 એપ્રિલના રોજ રાત્રે આશરે 9.30 વાગ્યે છાપરા

4 Apr 2026 5:30 am
કરુણાંતિકા સર્જાઈ:હાંસાપોરના તળાવમાં નાહવા પડેલા‎ વિજલપોરના કિશોરનું ડૂબી જતા મોત‎

જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની સીમમાં આવેલ તળાવમાં નાહવા પડેલા વિજલપોરના 17 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિજલપોરની એપ્પલ રેસિડેન્સીમાં રહેતો આયુષ ઉર્ફે ટપ્પુ જતિનભાઇ કોસાડીયા (ઉ.વ. 17) ગત 2 એપ્રિલના રોજ સાંજના સમયે તેના મિત્ર રાજ સાથે હાંસાપોર ગામની

4 Apr 2026 5:30 am
બદલી:નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફેરબદલ, 14 PI ની સામૂહિક બદલી

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને રાખીને જિલ્લાના 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓમા

4 Apr 2026 5:30 am
મનપાના નક્કર આયોજનના અભાવે‎ ઉદ્ભવી સમસ્યા:ભેંસતખાડા વિસ્તારમાં ચોમાસામાં ગટરના પાણી ઘરોમાં ઘૂસવાની ભીતિ

નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં આવેલા ભેંસત ખાડાથી વિરાવળ જકાતનાકા તરફ જતાં રિંગરોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે. આ વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન વર્ષોથી અપૂરતી અને ક્ષતિગ્રસ્ત હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક

4 Apr 2026 5:30 am
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ખાનપુરમાં વાને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ગંભીર ઇજાથી મોત

વાંસદા તાલુકાના ખાનપુર ગામ પાસે ધરમપુર તરફથી બાઈકનો હપ્તો ભરીને ઘરે પરત ફરતા હતા ત્યારે મારૂતિ વાન ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા છાતી તથા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જતા રાત્રીના સમય ફ

4 Apr 2026 5:30 am
નિકોમાં રોષ ફેલાયો:રાનવેરીખુર્દમાં 40થી વધુ ગ્રાહકો ગેસ જોડાણથી‎ વંચિત, ઓનલાઈન નાણાં ચૂકવ્યા છતાં ઠાગાથૈયા‎

ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામમાં ગુજરાત ગેસમાં પીએનજીના જોડાણ માટે અરજી કર્યાને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં જોડાણ આપવામાં ઠાગાથૈયા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રાનવેરીખુર્દ ગામના ગુજરાત ગેસની બીલીમોરા કચેરીમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાનવેર

4 Apr 2026 5:30 am
અવ્યવસ્થાના લીધે પરેશાન:વાંસદા SBI બેંક પરિસરમાં રેતીના ઢગલા અને પાર્કિંગથી ગ્રાહકો પરેશાન

વાંસદા શંકર ફળિયામાં આવેલા સ્ટેટ બેંકના પરિસરમાં છેલ્લા ઘણા દિવસોથી સર્જાયેલી અવ્યવસ્થા ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. બેંકના આંગણામાં રેતીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ બેંકની આજુબાજુના રહીશો પોતાના વાહનો પાર્ક કરી દેતા હોવાથી સ્થિતિ વ

4 Apr 2026 5:30 am
ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:નવસારી તા.પ્રા. શિ. સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્ના.માં 29 રનથી માહી ઇલેવન ચેમ્પિયન

નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. જેમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી ઈલેવન, જે.બી.ટાઈગર્સ, અનાયા ઈલેવન અને લાલો ઈલેવન એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્

4 Apr 2026 5:30 am
મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી:મનપાની ચૂંટણીની કોંગ્રેસની સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને સ્થાન

નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખની જાહેરાત બાદ ભડકો થયા બાદ હવે જાહેર થયેલ સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને પણ સમાવાતા મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખપદે દીપક બારોટની વરણી કરી હતી. આ બાબતે સ્થાનિક ક

4 Apr 2026 5:30 am
'સર'ની અસર:નવસારી જિ.પંચાયતની ચૂંટણીમાં 5 વર્ષમાં ‎મતદાર વધવાની જગ્યાએ 45 હજાર ઘટ્યા‎

નવસારી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો વધવાની જગ્યાએ 45 હજાર જેટલા મતદારોનો ઘટાડો થયો છે. 4 ગામો શહેરમાં જતા તથા ‘સર’ના કારણે મતદારો કમી થતા આ સ્થિતિ બની છે. નવસારી જિલ્લા પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે, જે માટે 26 એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી માટે મતદારો

4 Apr 2026 5:30 am
ચૂંટણીઓ નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તંત્ર સક્રિય:ભરૂચમાં આચારસંહિતાના અમલમાં ફરિયાદ‎માટે મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક‎

ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂ

4 Apr 2026 5:30 am
વેરા વસૂલાતની કામગીરી:મિલકતો વધતા આવકમાં 46 લાખનો‎ ઉછાળો, વસૂલાતમાં 2.66%નો ઘટાડો‎

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે. પાલિકાની અલગ-અલગ ટીમોએ તમામ વોર્ડમાં કરેલી કામગીરીને અંતે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ આવકમાં ₹46 લાખનો વધારો

4 Apr 2026 5:30 am
ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ‎:ઉમેદવારીપત્રો ભરવા આડે આઠ દિવસ બાકી ઉમેદવારોને ફોન પર સૂચના આપવામાં આવી

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 348 બેઠકો માટે 26મીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11મી નકકી કરવામાં આવી છે. 11મીએ ફોર્મ ભરવા આડે માત્ર 8 દિવસ બાકી રહયાં છે ત્યારે ભાજપે ઉમેદવારોને ફોન પર સૂચના આપી તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આ

4 Apr 2026 5:30 am
જિલ્લાનું તાપમાન ઘટી 33 ડિગ્રી નોંધાયું‎:ભરૂચમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતાં રાહત થઇ

ભરૂચ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ગુરુવારે રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. તો આજે શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ગત રોજ કરતાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થતા સવારે અને સાંજે ઓછી ગરમી

4 Apr 2026 5:30 am
ફરિયાદ:નોજણવાવ ગામે કરિયાવર મુદે પતિએ દુઃખ ત્રાસ આપી માર માર્યો

કેશોદ પાસેના નોંજણ વાવ ગામના રવિનાબેનના લગ્ન વર્ષ 2014માં કરેણી ગામના મહીપતસિંહ જીવાભાઇ મક્કા સાથે થયા હતા. ​લગ્ન બાદ કરિયાવર ઓછો લાવવા અને ઘરકામ મુદ્દે પતિ દ્વારા મેણા-ટોણા મારી હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. પુત્રીના જન્મ બાદ પતિ દ્વારા પુત્રની ઘેલછામાં વધુ ત્રાસ આપવામાં આ

4 Apr 2026 5:30 am
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં પેટ્રોલ 450, ડીઝલ 500 રૂપિયા પાર; AAPએ કહ્યું- મોદીથી ડર્યા રાઘવ ચઢ્ઢા, ચૈત્રમાં અષાઢી માહોલ

નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹450ને પાર કરી ગયા હોવાના રહ્યા. બીજી તરફ, ઈરાને અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળના તિરુવનંતપુરમ અને તિરુવલ્લામાં ચૂંટણી સભા અને રોડ શો કરશે. 2. ટીચર

4 Apr 2026 5:00 am
પકવાન બ્રિજ પર થયેલી હિટ એન્ડ રનની ઘટના:SG હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાં આધેડ 7 દિવસ બાદ જિંદગીની જંગ હાર્યા, કાર ચાલક સામે નોધાયો ગુનો

ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઈકચાલક રોડ પર પટકાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બ

4 Apr 2026 12:27 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેટર વોર શરૂ:કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને લાંભા વોર્ડમાં કેમિકલ માફીયાઓને ટિકિટ ના આપવા લખ્યો પત્ર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાના લાંભા વોર્ડનું રાજકરણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટીયા સામે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતોરાહુ

4 Apr 2026 12:05 am
મનપાની ફોર્મલ્ટીથી દબાણકર્તાઓ બેફામ:ભાઈજીપુરામાં મેગા દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર સરકારી મશીનરીનો વેડફાટ, ગણતરીના કલાકમાં સ્થિતિ જૈસે થે

ગાંધીનગર શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવાના બણગાં ફૂંકતી ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે ફરી એકવાર ભાઈજીપુરા વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશનો દેખાડો કર્યો હતો. ભાઈજીપુરા ચોકડી અને આસપાસના સર્વિસ રોડ પરથી કાચા પાકા દબાણો અને લારી ગલ્લાઓને હટાવી રસ્તો ખુલ

3 Apr 2026 10:41 pm
પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો:22 વર્ષીય આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયો, પોલીસે 45 સીસીટીવી ચેક કરી માસૂમને બચાવી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી-સલામત

3 Apr 2026 10:39 pm
કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી:ગાંધીનગરની 176 બેઠક માટે 548 દાવેદારોએ ઝંપલાવ્યું, સાદરા બેઠકમાં 21 ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ અવાચક

ગુજરાતના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સંસદથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવાથી સત્તાના સથવારે પોતાની રાજકીય નૈયા પાર પાડવા ઈચ્છતા કાર્યકરોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થ

3 Apr 2026 10:37 pm
ભાજપના નેતાઓના સંતાનોના ટિકિટના દાવાથી કાર્યકરોમાં આક્રોશ:ખાડીયા-શાહીબાગમાં ભડકો, નેતાના સંતાનોને ટિકિટ અપાશે નહી તેવા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના દાવાથી સ્થિતિ વિપરીત

ખાડીયા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરા જૈવલ ભટ્ટે તેમજ પૂર્વ ભાજપ પક્ષના નેતા-સતત પાંચ વખતના કાઉન્સિલર મયુર દવેના પુત્ર શાલીન દવેએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.બીજા એક શાહીબાગ વૉર્ડમાં પણ પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ સ્ટ

3 Apr 2026 10:31 pm
ભાજપના સેન્સની પ્રક્રિયા પૂર્ણ, 120 બેઠકો માટે 2078 દાવેદારો:વોર્ડ-10 માં 142 કાર્યકર્તાઓની પડાપડી; મજૂરા-અલથાણમાં દાવેદારોની 'સેન્ચુરી'; પાટીદાર વિસ્તારોમાં નિરસતા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે

3 Apr 2026 10:24 pm
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 427 દાવેદાર:વોર્ડ 9માં સૌથી વધુ 49, વોર્ડ 10માં સૌથી ઓછા 18 દાવેદારો

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપા

3 Apr 2026 10:15 pm
કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારતી હાઇકોર્ટ:આંબલીયાએ આક્ષેપ કર્યો હતો કે DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા

કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે

3 Apr 2026 9:49 pm
સિદ્ધપુરના ધુમ્મડ ગામે આકાશી વીજળી ત્રાટકતા ગાય-ભેંસના મોત:વિધવા મહિલાની આજીવિકા છીનવાઈ, સરકારી સહાયની માંગ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મ

3 Apr 2026 9:35 pm
વાપી મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસમાં 52 બેઠકો માટે ખેંચતાણ, 110 દાવેદારોએ ફોર્મ ભર્યા; આંકડો 225 પહોંચવાની શક્યતા

વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં સેન્સ લેવાની અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલ

3 Apr 2026 9:33 pm
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ:વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથું મળ્યું, હનુમાન જયંતીના દિવસે નવાયાર્ડ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોની હરકત

વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

3 Apr 2026 9:29 pm
ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓન

3 Apr 2026 9:29 pm
આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર:શેર બજારના રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં ફરિયાદી પાસેથી 5.30 કરોડ લીધા, 2.57 કરોડ રૂપિયા પરત આપી નહીં

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સેટેલાઈટ પોલીસ મથકે ચાલુ વર્ષે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે એક પુરુષ આરોપી અને બે મહિલા આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં પુરુષ આરોપી મિહિર પરીખના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યૂડિશિયલ કસ્ટડી

3 Apr 2026 9:25 pm
માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. મ

3 Apr 2026 9:24 pm
પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો

રાજકોટ​ શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેન્દ્ર ઉર્ફે શુભમ માળી (ઉ.વ.32) નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમની દીકરીએ પિતાને આ હાલત

3 Apr 2026 9:24 pm
પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે મારામારી કરી, પાંચ સામે ફરિયાદ

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવ મંદિર સામે પેટ્રોલ પંપ પર એક કર્મચારી સાથે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે મારામારી અને ધમકીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણે પોતાના પાંચ-છ મિત્ર સાથે મળીને કર્

3 Apr 2026 9:07 pm
મનપાની ચૂંટણી માટે AAP ના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે

3 Apr 2026 8:24 pm
અદાણી હઝીરા પોર્ટમાં સુરક્ષા પર્વની ઉજવણી:55મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ અને આરોગ્ય લક્ષી જાગૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ઔદ્યોગિક સલામતી અને કર્મચારીઓના કલ્યાણને પ્રાધાન્ય આપતા અદાણી હઝીરા પોર્ટ લિમિટેડ (AHPL) દ્વારા 55મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ

3 Apr 2026 8:05 pm
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:2500થી વધુ ઉમેદવારોને તક, મનોજ સોરઠીયાએ કહ્યું- સામાન્ય અને યુવાનોને રાજકારણમાં સ્થાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરતાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વ

3 Apr 2026 7:59 pm
Editor's View: ટ્રમ્પની સેના પર સર્જિકલ સ્ટ્રાઇક:આર્મી ચીફની રાતોરાત હકાલપટ્ટી, તુલસી ગબાર્ડ અને કાશ પટેલ પર તલવાર લટકી, યુદ્ધ ટાણે અમેરિકામાં યાદવાસ્થળી

અત્યારે અમેરિકા ઈરાન પર ઓપરેશન એપિક ફ્યૂરી કરીને મિસાઈલ્સના મારા ચલાવી રહ્યું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં ઓપરેશન શુદ્ધિકરણ કરીને પોતાના જ અધિકારીઓને હટાવી રહ્યું છે. યુદ્ધની ભીષણ આગ વચ્ચે ટ્રમ્પે પોતાના જ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને ઘરભેગા કરી દીધા છે. આટલું તો ઠ

3 Apr 2026 7:55 pm
પાટણ LCBએ ગેરકાયદે હથિયાર વેચનારને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો:આરોપી સામે 11 ગુના, સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોનું વેચાણ કરનાર સમી તાલુકાના અદગામના એક આરોપીને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર) વિરુદ્ધ કુલ 11 ગુના નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં ગેરકાયદે હથિયાર

3 Apr 2026 7:49 pm
ગુજરાત ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમ જાહેર:વિવિધ જિલ્લાઓને પ્રતિનિધિત્વ, સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલું, પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ 21 સભ્યોની નિયુક્તિ

ગુજરાતમાં ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિયુક્તિઓ જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. નવી જાહેર કરાયેલી યાદી અનુસાર લ

3 Apr 2026 7:43 pm
'તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે?':પત્નીને મેસેજ કરવા મામલે પતિએ ઉશ્કેરાઈને વેપારી પર બેટ અને છરાથી જીવલેણ હુમલો કર્યો, ઇજાગ્રસ્તને SSGમાં ખસેડાયા

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં પતિએ તેની પત્નીને મેસેજ કરવાના મુદ્દે વેપારી પર બેટ અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી વેપારી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીને માથામાં ચાર ટકા આવ્યા છે. આ મામલે

3 Apr 2026 7:42 pm
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો:પોલીસે સ્ટંટબાજની અટકાયત કરી બાઈક કબ્જે કરી

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને

3 Apr 2026 7:40 pm
AAPના કાર્યકરો પર કેસ મુદ્દે રાજકીય તણાવ:કેજરીવાલે CMને પત્ર લખતા ભાજપનો પ્રતિકાર, ગોપાલ ઈટાલિયાની કટાક્ષભરી પ્રતિક્રિયા

ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના 150થી વધુ કાર્યકરો અને નેતાઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાઈ હોવાનો AAPનો આરોપ છે. આ મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. AAPની વધતી લોકપ્

3 Apr 2026 7:19 pm
વડોદરા બાપા સીતારામ મઢુલી ભંડારામાં 17 હજારથી વધુ ભક્તો ઉમટ્યા:સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનો લાભ લીધો, 22 વર્ષની પરંપરા જળવાઈ

વડોદરાના VIP રોડ પર આવેલા એલ એન્ડ ટી સર્કલ નજીક “બાપા સીતારામ મઢુલી” ખાતે ભંડારાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બાપા સીતારામ યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા બગદાણા (શ્રી બાપા સીતારામ) ના પવિત્ર સાંનિધ્યમાં થયું હતું. આ ધાર્મિક કા

3 Apr 2026 7:16 pm
મહીસાગરમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું:વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત, કમોસમી વરસાદના ભયે ખેડૂતોમાં ચિંતા

મહીસાગર જિલ્લામાં ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, શિયાળુ પાકની કાપણી બાકી હોય તેવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસ

3 Apr 2026 7:10 pm
'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર મ

3 Apr 2026 7:03 pm
રાજકોટના ચકચારી દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:હમીર જોગરાણા અને મૃતક ભાવેશ એક યુવતીના સંપર્કમાં હતા જેના કારણે વારંવાર બોલાચાલી થતી, રૂ.5 લાખની માંગણી કરતા માથાકૂટ થઇ'તી

રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 16 માર્ચના રોજ થયેલ દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છે

3 Apr 2026 6:40 pm
ફરી એકવાર JETની કામગીરી શરૂ થશે:અમદાવાદમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવા મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભા

3 Apr 2026 6:38 pm
પિસ્ટલ-કારતૂસ સાથે પકડાયેલો શખસ મર્ચન્ટ નેવીનો ઓફિસર નીકળ્યો:3 લાખનો પગાર હોવા છતાં મિત્ર માટે 'ડિલિવરી બોય' બન્યો, લક્ઝરી બસમાં કપડાંની વચ્ચે સંતાડી હેરાફેરી કરતો ઝડપાયો

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમા

3 Apr 2026 6:26 pm
પાટણમાં કમોસમી વરસાદ, વીજળીના કડાકા સાથે માવઠું:ખેતીના પાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં જણસી પલળી

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ઉનાળાની સીઝન ચાલી

3 Apr 2026 6:23 pm
કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:રોડ ક્રોસ કરતા 'કિસ્મત'ને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવ્યો, ડોક્ટરે મૃત જાહેર કર્યો

મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય કિસ્મત નામના બાળકને કારચાલકે અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે દેવીપૂજક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર ક

3 Apr 2026 6:23 pm
વેરાવળના કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર જેવી મૂર્તિ:હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો, દર પૂનમે રાત્રે મહાઆરતી

વેરાવળની ભાવના સોસાયટીમાં આવેલા કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દર મહિનાની પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન થાય છે. તાજેતરમાં, ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં બટુક ભોજન

3 Apr 2026 6:21 pm
ઢાકણીયા હત્યા કેસમાં 6 આરોપીને આજીવન કેદ:બોટાદ કોર્ટે સજા ફટકારી; ત્રણ વર્ષ પહેલા માલધારી યુવકનું ગળુ કાપી નખાયું હતું

બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ઘટના 4 ફેબ્રુઆરી 2023ના રોજ બની હતી, જ્યારે ઢાકણીયા ગામે નવઘણભાઈ જોગરાણાનું ગળું કાપીને હત્યા કરવામા

3 Apr 2026 6:21 pm
પાલનપુરમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ શરૂ:વહેલી સવારના ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે માવઠું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો

3 Apr 2026 6:11 pm