SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના:મુખ્યમંત્રી સહિત 13 સભ્યો, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કૂલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેઓના નામ નીચે મુજબ છે.

25 Mar 2026 3:26 pm
પેન્શનરોના હકો પર તરાપ સહન નહીં કરાય:વેલિડેશન એક્ટના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'વેલિડેશન એક્ટ 2025' ના વિરોધમાં સમગ્ર દેશમાં પેન્શનરોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ કાયદાને પેન્શનરોના હકો પર તરાપ સમાન ગણાવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ

25 Mar 2026 3:26 pm
દ્વારકામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ:ગેસ સિલિન્ડર અને રિફિલિંગ સાધન સહિત ₹3.48 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ઝડપાયા

દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદ

25 Mar 2026 3:21 pm
ચંડીસર HPCL પ્લાન્ટમાં સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ:આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા તંત્ર, પોલીસ, ફાયર વિભાગ જોડાયા

બનાસકાંઠાના ચંડીસર સ્થિત એચ.પી.સી.એલ. પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવાનો હતો. ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી

25 Mar 2026 3:19 pm
પંચમહાલ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલો હતો; શહેરા પોલીસ સ્ટેશનને સોંપાયો

પંચમહાલ પોલીસે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી રિયાજ રફીક મન્સુરી (રહે. ગોધરા) ને ઝડપી પાડ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આરોપી રિયાજ મન્સુરી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અન

25 Mar 2026 3:16 pm
કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત:27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર 148 વિવિધ ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે

ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વર્ષ 2026-27 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે સરકાર કટિબ

25 Mar 2026 3:09 pm
દારૂની 3 હજાર બોટલ પર રોલર ફરી વળ્યું:વડોદરાના ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16.53 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

વડોદરા શહેરના ઝોન-2ના 5 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 16.53 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કોયલી ચેક પોસ્ટ ખાતે કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, DCP ઝોન-2ના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા રોડ પર નિર્ધારિત સ્થળે પોલીસ તથા વહ

25 Mar 2026 2:58 pm
ઈન્ડિગો એર સુવિધાથી ભાવનગરને ભારત સાથે જોડવાનો પ્રયાસ કરાશે:યુવરાજએ કહ્યું કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે

8 મહિનાના ઈંતજાર બાદ મુંબઈની બે ફ્લાઈટ શરૂ, પર્યટન અને વેપારને મળશે વેગ 29મી માર્ચથી ભાવનગર-મુંબઈ વચ્ચે એર સુવિધા શરૂ થશે ભાવનગરના વિકાસમાં આખરે કનેક્ટિવિટીની પાંખો ઉમેરાઈ છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવિરર

25 Mar 2026 2:54 pm
પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી: ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ:20 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, વિભાગની ચાર ટીમોએ

25 Mar 2026 2:43 pm
પાણી માટે પાલિકાની ઘોર ઉદાસીનતા અને ગૃહિણીઓની વેદના.:​જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: અંબિકા નગરમાં સાડા ત્રણ મહિનાથી પાણીના ટીપા માટે ટળવળતા લોકો, અધિકારીઓનો વાસ્તવિકતાથી વેગળો લૂલો બચાવ.

​જૂનાગઢ શહેરની કથિત 'સ્માર્ટ' ગણાતી મહાનગરપાલિકાની અણઆવડત અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા અંબિકા નગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલિકાની હાલત ગ

25 Mar 2026 2:39 pm
PM-RAHAT યોજનામાં અકસ્માત પીડિતોને ₹1.5 લાખની મફત સારવાર:સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજનાના અમલીકરણની સમીક્ષા

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT)” ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને 'ગોલ્ડન અ

25 Mar 2026 2:19 pm
બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશનની કલેક્ટરને રજૂઆત:વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા માંગણી

બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પેન્શનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા સેવા સદન 2 ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત મુજબ, કેન્દ

25 Mar 2026 2:16 pm
'કિરણ હોસ્પિટલ બાળકોને મારવા માટે ખોલી છે':કતારગામમાં પરિવારે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા; કહ્યું- ડોક્ટરનું લાઇસન્સ રદ કરો અને અમારી સામે લાવો

સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ

25 Mar 2026 2:12 pm
ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ:સુરતમાં અનામી પત્રમાં પુરાવાઓની હારમાળા સાથે તપાસની માંગ, બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ

સુરત મનપાની આગામી ચૂંટણીઓ પહેલા જ ભાજપના સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવો પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપીન તળાવિયા (પટેલ)ની નિમણૂકને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં તેની ઉંમરને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા એક પત્ર અને દસ્તાવેજો મુજબ,

25 Mar 2026 2:10 pm
શનિવારે મુખ્યમંત્રી રાજકોટમાં:પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી ચૂંટણી પૂર્વે રૂ.632 કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે, લોકોને રોડ-રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની ભેંટ મળશે

રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હાલમાં મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સત્તાવાર આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારા રાજકોટનાં જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પ

25 Mar 2026 1:57 pm
અમરેલી ભાજપ કાર્યાલ પર બે કાર્યકરોએ રાજીનામું આપ્યું:પાર્ટીનો દાવો- બંને પહેલાથી જ સસ્પેન્ડ કરાયેલા છે; 'આપ'નો ખેસ ધારણ કરવાની અટકળો

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ડ્રામા સર્જાયો હતો. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકરોએ કાર્યાલય પહોંચી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી તાલુકાના જશવંતગઢ ગામના અશોક માંગરોળીયા અને નિલેશ સાવલિયા નામના આ બંને કાર્ય

25 Mar 2026 1:55 pm
શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડ

25 Mar 2026 1:53 pm
સંતવાણી:હાથમાં કામ, મુખમાં નામ, હૃદયમાં ભગવાન રાખો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં જણાવ્યું કે, જીવનમાં સુખી થવા માટે 'હાથમાં કામ, મુખમાં નામ અને હૃદયમાં ભગવાન' રાખવા જોઈએ. તેમણે સમજાવ્યું કે, વ્યવહાર ચલાવવા અ

25 Mar 2026 1:49 pm
દેવભૂમિ દ્વારકાના પિંડારા તીર્થમાં 29માર્ચથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞકથા:સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે કંકોતરી અર્પણ કરી દેવતાઓને આમંત્રણ અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર પિંડારા તીર્થમાં સમસ્ત અખિલ ભારતીય યદુવંશી-આહીર સમાજ દ્વારા ભવ્ય “શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા”નું આયોજન આગામી તા. 29 માર્ચ 2026થી 6 એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર છે. આ નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવને લઈ સમિતિના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી

25 Mar 2026 1:46 pm
સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા આશાસ્પદ યુવાનનું મોત:રાજકોટમાં અવધના બંગલા પાસે ક્રિકેટ રમતા બંધ સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા જતા કોલેજીયને જીવ ગૂમાવ્યો, 108 એમ્બ્યુલન્સના નર્સને બદલે મિત્રે CPR આપ્યુ

રાજકોટમાં 19 વર્ષિય યુવાનનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મૃત્યુ થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. શહેરના ઓમનગર પાસેની જલારામ સોસાયટીમાં રહેતો અને VVP કોલેજમાં અભ્યાસ કરતો ધર્મિન મોરીધરા આજે 25 માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ અવધના નિર્જન બંગલા પાસે ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્ર

25 Mar 2026 1:45 pm
ખોખરામાં ફરી એકવાર લોહિયાળ ખેલ:પત્ની સાથે વાત કરવાની ના પાડતા બે ભાઈઓ પર છરીથી હુમલો, એક યુવક ICUમાં દાખલ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ હત્યાના પ્રયાસની ઘટના બની હતી, ત્યારે વધુ એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. મહિલાની સાથે વાતચીત કરવા બાબતે ઠપકો આપવા ગયેલા બે યુવકોને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેમાં એક યુવક અને ગંભીર ઇજાઓ તથા હાલ સારવાર માટે હો

25 Mar 2026 1:31 pm
સુરતની સરદાર માર્કેટમાં મજૂરોને ગાંજો વેચવાનું રેકેટ:ઓડિશાથી લાવેલો 2.97 લાખનો ગાંજો જપ્ત, કુખ્યાત ડીલર સહિત ચારની ધરપકડ; બે માર્કેટમાં જ મજૂરી કરતા'તા

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટ અને નજીકમાં આવેલાં ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા બે સહિત ચારની રૂ. 2.97 લાખની કિંમતના 5 કિલો, 952 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકી બે તો માર્કેટમાં જ રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતાં. માર્કેટમાં કામ કરતા લ

25 Mar 2026 1:15 pm
વલસાડમાં રામ નવમીએ શોભાયાત્રા નીકળશે:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિના દર્શન, માર્ગો શણગારાશે

વલસાડ શહેરમાં રામ નવમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. 'રામ જન્મોત્સવ આયોજન સમિતિ' દ્વારા વલસાડ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી અપાઈ હતી. આ વર્ષે શોભાયાત્રામાં અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ મુખ્ય આકર્ષણ રહેશે. આયોજન સ

25 Mar 2026 1:01 pm
ગાંધીનગરના 7 ગામોમાં 'દીવા તળે અંધારું':63 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ગ્રામજનોના ધરણા; આવાસ અને માલિકી હકની ઉગ્ર માગ

ગાંધીનગરના નિર્માણને દાયકાઓ વીતી ગયા હોવા છતાં શહેરની હદમાં ભેળવી દેવાયેલા સાત ગામોના પ્રશ્નો આજે પણ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામના હજારો પરિવારો છેલ્લા 63 વર્ષથી પાયાની સુવિધાઓ અને કાયદેસરના રહેઠાણ માટે સંઘર્

25 Mar 2026 12:56 pm
ગેસ સિલન્ડરની અછત વચ્ચે શ્રમિકોની હિજરત રોકવા કવાયત:માઈગ્રન્ટ શ્રમિકોને રેશનકાર્ડ વગર ગેસ સિલન્ડર આપવા કલેકટર સમક્ષ ચેમ્બરની માગ

સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવવામાં આવ્યો છે. આ રજૂઆતમાં શહેરમાં વસતા લાખો શ્રમિકોને ઘરગથ્થુ એલપીજી ગેસ મેળવવામાં પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ચેમ્બરે માંગ કરી છે ક

25 Mar 2026 12:49 pm
BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં IVF સેન્ટર શરૂ કરાયું:ડોક્ટર સ્વામીએ પૂજાપાઠ કરીને ઉદ્ઘાટન કર્યું, સ્પેશિયાલિસ્ટએ કહ્યું: અમારો ઉદ્દેશ્ય માત્ર ટ્રીટમેન્ટનો જ નહીં, પણ આધ્યાત્મ સાથે જોડીને દર્દીનો તણાવ ઓછો કરવાનો છે

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયરૂપ IVF કેન્દ્રનું BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત ડોક્ટર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી લોકોના આરોગ્યની સુખાકારી માટે કાર્યરત ડોક્ટર સ્વામીએ આજથી 70 વ

25 Mar 2026 12:45 pm
વડોદરા LPGના કાળાબજારનો પર્દાફાશ:વડસર GIDC વિસ્તારમાંથી પોલીસે એક શખશને દબોચ્યો, 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતો હતો

શહેરના માંજલપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે LPG ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતા ઝડપાયોફરિયાદ અનુસાર ગત

25 Mar 2026 12:26 pm
રામનવમી પૂર્વે સાંથલ પોલીસ એક્શન મોડમાં:કાયદો અને વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાના આદેશ

આગામી સમયમાં આવી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલ દ્વારા સ્ટાફના માણસો સ

25 Mar 2026 12:20 pm
મિત્રે ‘વ્યાજની જાળ’ બિછાવી ₹4 કરોડની મિલકત પચાવી:અમદાવાદના જમીન દલાલે જામનગરમાં યુવરાજસિંહ જાડેજા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

જામનગરમાં એક મિત્રએ વ્યાજખોરીના બહાને બીજા મિત્રની 4 કરોડ રૂપિયાની મિલકત પચાવી પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના બોપલ ખાતે રહેતા જમીન લે-વેચના વ્યવસાયી સંજય મકવાણાએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્

25 Mar 2026 12:10 pm
મધ્યાહન ભોજનનું મેનુ બદલાઈ ગયું:38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે; જુઓ નવું સાપ્તાહિક મેનુ

ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે. આ નિર્ણય ‘ફિટ ઇન્ડિ

25 Mar 2026 12:08 pm
મેઉ શાળામાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ:પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને વિદાય અપાઈ

મહેસાણા તાલુકાની મેઉ પગાર કેન્દ્ર શાળા ખાતે 24 માર્ચ, 2026, શનિવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના આઠ વર્ષ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત આમ

25 Mar 2026 12:03 pm
ફ્રોડ કેસમાં UCO બેંકના પૂર્વ મેનેજરો સહિત 6 આરોપીઓને સજા:અમદાવાદ CBI કોર્ટનો ચુકાદો, 5 વર્ષની સખત કેદ અને 1.33 કરોડનો દંડ ફટકાર્યો

CBI કોર્ટ અમદાવાદ દ્વારા ચિલોડા ખાતે આવેલી યુકો બેંકના તત્કાલીન સિનિયર મેનેજર અને તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર સહિત ચાર આરોપીઓ અને બે ખાનગી વ્યક્તિઓને બે અલગ-અલગ બેંક ફ્રોડ કેસમાં 5 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. બે અલગ અલગ કેસમાં CBI કોર્ટનો ચુકાદોપ્રથમ કેસમાં CB

25 Mar 2026 12:01 pm
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'મોદીઝ મિશન' પુસ્તક પર સંવાદ:કાયદાવિદ બરજિસ દેસાઈએ પ્રધાનમંત્રીના નેતૃત્વ પર ચર્ચા કરી

સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા 24 માર્ચ 2026ના રોજ “Modi’s Mission – In Conversation with Berjis Desai” શીર્ષક હેઠળ એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રખ્યાત કાયદા નિષ્ણાત બરજિસ દેસાઈ દ્વારા લિખિત પુસ્તક “Modi’s Mission” પર આધારિત હતો. આ સંવાદમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મો

25 Mar 2026 12:01 pm
અમરેલીમાં આજે સાંજે 4 વાગ્યે AAPની જનસભા:કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન હાજર રહેશે; સ્થાનિક સ્વરાજના ચૂંટણીપ્રચારનો થશે પ્રારંભ

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કરશ

25 Mar 2026 11:59 am
ચૈત્રી નવરાત્રી, હેલ્પ્સ ફાઉન્ડેશને બાલિકાઓને ભોજન-શૃંગારનું વિતરણ કર્યું:દેવગઢ બારીયાની શાળામાં 9 વસ્તુઓનું વિતરણ કરાયું

ચૈત્રી નવરાત્રી દરમિયાન દેવગઢ બારીયાની એક શાળામાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા નાની બાલિકાઓને મિષ્ટાન ભોજન અને શૃંગારની ૯ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. આ વિતરણમાં બાલિકાઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમન

25 Mar 2026 11:58 am
રાહી ફાઉન્ડેશને સરસપુર ખાતે વિશ્વ ટીબી દિવસ ઉજવ્યો:ટીબી દર્દીઓને માર્ગદર્શન, ભેટ, કીટ અને અલ્પાહાર અપાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાહી ફાઉન્ડેશન દ્વારા સરસપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ ટીબી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 45 ટીબી દર્દીઓ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 45 ટીબી દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમ

25 Mar 2026 11:57 am
ઇસ્કોન ભાડજ મંદિરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભગવાન શ્રીરામના અવતરણની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવ સાંજે 6.00 વાગ્યાથી શરૂ થશે. શ્રી રામનવમી એ ભગવાન શ્રીરામના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદ અપાવે છે. ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ

25 Mar 2026 11:56 am
સ્વામિનારાયણ ગુરુકુલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી:સુરત ગુરુકુલમાં 70 સંતોએ કરી વિશ્વ શાંતિની પ્રાર્થના, 27 માર્ચના રોજ હરિજયંતી ઉજવાશે

સુરત વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં અત્યારે ભક્તિમય માહોલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રાજકોટ ગુરુકુલથી પધારેલા મહંત દેવપ્રસાદદાજી સ્વામીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત સ્વાર્થ માટે ખેલાઈ રહેલા યુદ્

25 Mar 2026 11:55 am
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30મીથી 45296 વિદ્યાર્થીઓની પરીક્ષા:એક્ઝામના CCTV નું ચુસ્ત મોનિટરીંગ, 3 માસમાં પરિણામ જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવવાના છે. પરીક્ષાના સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવાનું અગાઉથી જ બંધ કરી દેવાયુ

25 Mar 2026 11:53 am
31 મે સુધી પીપળી સ્ટેશન પર સ્ટોપેજ રદ:ફૂટ ઓવર બ્રિજ અને નવા પ્લેટફોર્મની કામગીરી ચાલતી હોવાથી ઓખા-ભાવનગર એક્સપ્રેસનું સ્ટોપેજ રદ

રાજકોટ ડિવિઝન હેઠળ આવતા પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરી કરનારા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આગામી 31 મે, 2026 સુધી પીપળી સ્ટેશન પર ઊભી રહેશે નહીં. અગાઉ આ સ્ટોપેજ 25 માર્ચ, 2026 સુધી રદ કરવામાં આવ

25 Mar 2026 11:52 am
ગંદકી કરનારા એકમો પર ત્રાટકી AMC:પશ્ચિમ ઝોનમાં 149 એકમોને નોટિસ, 7 સીલ અને 2.40 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન)ના માર્ગદર્શન હેઠળ, જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ધંધાકીય એકમો

25 Mar 2026 11:49 am
પોરબંદરમાં 108 ટીમે વાડીમાં સફળ પ્રસૂતિકરાવી:માતા-બાળક સુરક્ષિત, વિકટ સ્થિતિમાં ધૈર્ય દાખવનારી મોઢવાડા ટીમને બિરદાવાઈ

પોરબંદરના શીશલી ગામના વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતા વાપરીને એક શ્રમિક મહિલાની સફળ પ્રસૂતિ કરાવી છે. આ ઘટનામાં માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત છે, જેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તા. ૨૫ના રોજ શીશલી ગામના વાડી વિસ્તારમ

25 Mar 2026 11:41 am
દિવ્ય ભાસ્કર ડિજિટલમાં બનો રિપોર્ટર:સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સહિતના કાર્યક્રમોના ન્યૂઝ મોકલી મેળવો આકર્ષક વળતર

દિવ્ય ભાસ્કર ડિજિટલમાં બનો તમારા ગામના રિપોર્ટર અને મેળવો પ્રોત્સાહક વળતર. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં તમે તમારા ગામના સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સહિતના કાર્યક્રમોના ન્યૂઝ મોકલી શકો છો. તેમજ દિવ્ય ભાસ્કરની એપ ડાઉનલોડ કરાવી આકર્ષક વળતર પણ મેળવી શકો છો. આ માટે તમારું નામ, શૈક્ષણ

25 Mar 2026 11:40 am
દિવ્યાંગ સંસ્થાના બે કર્મનિષ્ઠોનું રાજકોટમાં ભવ્ય સન્માન કરાયું.:​જૂનાગઢની સાંપ્રત સંસ્થાના બે કર્મચારીઓને અમદાવાદની વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા 'ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ' એનાયત.

​જૂનાગઢમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે છેલ્લા 16 વર્ષથી અવિરત સેવા યજ્ઞ ચલાવતી સંસ્થા 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' ના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. અમદાવાદની જાણીતી સંસ્થા વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2025-26 માટે દિવ્યાંગ ક્ષેત્રે વિશિષ્ટ અને

25 Mar 2026 11:27 am
વડોદરાની યુવતીએ અમદાવાદના પતિ અને સાસરીયા સામે ફરિયાદ:મારા સાસુ મને બાથરૂમમાં બંધ કરી દેતા, રૂમમાં CCTV લગાવ્યા, મારા પતિને બાળક નહીં કરવાનું પ્રેશર કરીને મારી સાથે શરીર સંબંધ બાંધવા દેતા નહોતા

વડોદરાની 28 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાના પતિ તથા સાસરીયા દ્વારા દહેજને લઈને કરવામાં આવેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, તેણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા બ

25 Mar 2026 11:24 am
હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની શોભાયાત્રા:છાપરીયાથી મહેતાપુરા રામજી મંદિર સુધી, VHP દ્વારા તૈયારીઓ

હિંમતનગરમાં આવતીકાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરેથી શરૂ થઈ ટાવર ચોક થઈને મહેતાપુરા રામજી મંદિરે સમાપ્ત થશે. શોભાયાત્રાના સમાપન બાદ હનુમાન ચાલીસા અને સમૂહ આરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારી

25 Mar 2026 11:23 am
અમદાવાદમાં અકસ્માતના બે બનાવ:જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, ચાલક સગીર હોવાની ચર્ચા; નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું

અમદાવાદ શહેરમાં રફ્તારના કહેર વચ્ચે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી, જેમાં ચાલક સગીર હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે. બ

25 Mar 2026 11:19 am
અફવા ફેલાવનાર સામે નડિયાદ પોલીસે ફરિયાદ નોંધી:આરોપીએ યુદ્ધના માહોલમાં અનાજ-પેટ્રોલિયમની અછત સર્જાવાની પોસ્ટ મૂકી ગભરાટ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો

નડિયાદ શહેરમાં સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવા બદલ એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના બહાને અનાજ અને પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાશે તેવી ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. આ ઘટના 23 માર્ચ, 2026 થી 24 માર્ચ, 2026 દરમિયાન બની હતી. નડિય

25 Mar 2026 11:18 am
ભરૂચના શોપિંગ સેન્ટરમાં આગ, મોટી દુર્ઘટના ટળી:શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર સેફટીથી કાબુ મેળવાયો

ભરૂચના ઝાડેશ્વર ચોકડી સ્થિત આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ સાઈ અગરબત્તીની દુકાનમાં ભભૂકી ઉઠી હતી, જેના પગલે શોપિંગ સેન્ટરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરીને સ્થ

25 Mar 2026 11:08 am
હિંમતનગર ભાજપમાં નવા સંગઠનની જાહેરાત:યુવા, કિસાન અને બક્ષીપંચ મોરચાના પ્રમુખો સહિત 11 કાર્યકર્તાઓની નિમણૂક

હિંમતનગર ભાજપ દ્વારા શહેર યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જાહેરાત અંતર્ગત, હિંમતનગર શહેર યુવા મોરચાન

25 Mar 2026 11:04 am
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ ગરમાયો:સાયબર ફ્રોડમાં રૂ. 201 કરોડની ઠગાઈથી ગૃહ ગરમાયું; અધ્યક્ષે મંત્રીઓ અને અધિકારીઓને બરાબરના ખખડાવ્યા

ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડા

25 Mar 2026 10:57 am
સસલાનો શિકાર કરતા 2 ઝડપાયા, ₹25,000 દંડ:અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગની કાર્યવાહી

અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે સસલાનો શિકાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ₹25,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઘટના ચકરાવા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. વનવિભાગની ટીમે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચકરાવા ગામની વાડી વિસ્તારમ

25 Mar 2026 10:50 am
બાળ મજૂરી કરતા 6 બાળકોને મુક્ત કરાવ્યા:નોબલ નગરમાં કાપડની દુકાનમાં 12-12 કલાક બાળકો પાસે સિલાઈ અને કટીંગ કામ કરાવવાતું, પોલીસે દુકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરમાં બાળ મજુરી કરાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નોબલ નગર વિસ્તારમાં 14થી 17 વર્ષના બાળકોને સિલાઈ કામ અને કાપડના મજૂરી કામ માટે મહિને પાંચથી આઠ હજાર રૂપિયામાં નોકરીએ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનજીઓ સાથે રહી બાળ મજૂરી કરાવનારા 6

25 Mar 2026 10:48 am
વલસાડમાં પારો 36 ડિગ્રી પાર:બફારાથી જનજીવન પ્રભાવિત; લોકોએ દરિયાકિનારે શીતળ પવનોની મજા માણી

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉનાળાનો પ્રકોપ વધ્યો છે. આજે મહત્તમ તાપમાન 36ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ગરમી અને બફારાથી પરેશાન થયા હતા. ગઈકાલની સરખામણીમાં ગરમીમાં કોઈ ખાસ રાહત મળી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાન 36C અને લઘુત્તમ 24C નોંધાયું હતું. સવાર

25 Mar 2026 10:47 am
શિક્ષણવિદ ભીખુભાઈ પટેલને ‘શાલીન માનવરત્ન’ એવોર્ડ મળ્યો:શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવવામાં આવ્યું

વિદ્યાનગરીના શિક્ષણવિદ અને ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલને શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ‘શાલીન માનવરત્ન’ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન વેમાર (કરજણ) સ્થિત મંદિરના પ્રાંગણમાં સંત ભગવંત સાહેબજીના દિવ્ય સાનિધ્યમાં ય

25 Mar 2026 10:34 am
અમદાવાદમાં રાહદારીને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગ્યો, VIDEO:ટુ-વ્હીલર ચાલકોએ જીવના જોખમે પીછો કર્યો, બેફામ ચાલક ડમ્પર ભગાવી નાસી છૂટવામાં સફળ

શહેરમાં વધુ એક ડમ્પર ચાલકે એક રાહદારીને ભોગ લીધો છે.વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. આ બનાવ બાદ સ્થાનિકોએ ડમ્પરનો પીછો કર્યો પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધ

25 Mar 2026 10:32 am
મુસ્કાન સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દી દત્તક લીધા:મોરબીમાં સતત ચોથા વર્ષે પૌષ્ટિક આહાર કિટ આપી મદદ

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પાંચ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. આ પહેલ 24 માર્ચ, 2026ના રોજ વિશ્વ ટીબી દિવસના અવસરે કરવામાં આવી હતી. દત્તક લેવાયેલા દર્દીઓ

25 Mar 2026 10:17 am
મોરબીમાં વંદે માતરમ્ @ 150ની ઉજવણી:મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલી યોજાઈ

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ 150’ ફેઝ-2ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 માર્ચે સવારે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી શરૂ થઈ હતી. જેમાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિં

25 Mar 2026 10:16 am
સુરતમાં વધુ એક આગની ઘટના:જહાંગીરપુરાના હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળે ભીષણ આગ, અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી એક બહુમાળી ઈમારતમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સ્વર્ણ લગોમ એપાર્ટમેન્ટના 'B' બિલ્ડિંગના 14મા માળે એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી

25 Mar 2026 10:14 am
‘મારૂતિ માટે ટ્રેન ચાલું થાય તો મુસાફરો માટે કેમ નહીં’:બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા પહેલા ગાડી શરૂ કરવા માગ, કંપનીની માલગાડી રોકવાની કોંગ્રેસના પૂર્વ MLAની ચીમકી

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે આગામી ચૈત્રી પૂનમનો મેળો યોજાનાર છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળા પૂર્વે યાત્રાળુઓની સુવિધા માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માગ સાથે કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પા

25 Mar 2026 9:42 am
વાતાવરણ પલટાતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળ:ડીસા પંથકમાં વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પૂર્વે થયેલા માવઠા અને વાવાઝોડાની અસર હજુ શમી નથી ત્યાં ફરી એકવાર આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ખેતીના પાક પર જોખમ ઊભું થયું છે. વહેલી સવારથી જ સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયે

25 Mar 2026 9:40 am
ગુજરાતમાં ગરમીનો પારો ચઢશે:આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી; તાપમાન 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમીનો પારો ધીમે ધીમે વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ

25 Mar 2026 9:34 am
પાટણ કાલિકા માતાજી મંદિરે બે દિવસીય સંગીત મહોત્સવ:ચૈત્રી નવરાત્રિએ 26 અને 27 માર્ચે શાસ્ત્રીય ગાયન-વાદન, નૃત્યના કાર્યક્રમો; સ્થાનિક કલાકારો જમાવટ કરશે

પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 16 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 26 અને 27 માર્ચ દરમિયાન યોજાનારા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક અને જાણીતા કલાકારો ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્

25 Mar 2026 8:34 am
ચંદ્રિકાબેનની ઉપસ્થિતિમાં રન્ના પાર્કમાં રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિની બહેનો દ્વારા સત્સંગ અને પ્રવચન યોજાયું

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના રન્ના પાર્ક પ્રખંડમાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં માતૃશક્તિની બહેનો દ્વારા સત્સંગ અને પ્રવચનનું આયોજન કરાયું હતું. આ ઉત્સવમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજિકા ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કુટુંબપ્રબોધન અ

25 Mar 2026 8:29 am
માંડવધાર ગામે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો:પાણી ભરવા જતાં જૂની અદાવતમાં હુમલો, 10નું ટોળું તૂટી પડતાં ગંભીર ઈજા થતાં ભાવનગર ખસેડાયા

ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પિ

25 Mar 2026 8:28 am
સોલામાં ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક ચાલીસા અનુષ્ઠાન:ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

ગાયત્રી પરિવાર દ્વારા સોલા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે સામૂહિક ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ત્રિપદા આરોગ્ય અને શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ અનુષ્ઠાન 19 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યું છે. જેમાં સોલા વિસ્ત

25 Mar 2026 8:27 am
વલસાડમાં બોટમાં માછીમારનું શંકાસ્પદ મોત:બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં લાશ મળી, પોલીસ તપાસ શરૂ

વલસાડ તાલુકાના કકવાડી ખાડી પાસે માછીમારી બોટમાં એક માછીમારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતદેહ બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાની વહીય

25 Mar 2026 7:36 am
ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે:પ્રવીણ રામ:'સ્ટેજ પર ભાજપના કાર્યકરોની સક્રિયતા વધુ છે', કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી 'ખેડૂત સંકલ્પ યાત્રા' અત્યારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. તુલસીશ્યામથી પ્રારંભ થયેલી આ યાત્રા વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈને જુનાગઢ જિલ્લાના કેશોદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય

25 Mar 2026 6:00 am
વકીલ ચપટી વગાડીને બોલ્યા, ‘એય…વગાડો’:‘ઓ ડિસ્ટ્રીક્ટ જજ, તમારે અહીં ના અવાય’; પેટ્રોલ પંપમાં ઈરાન-ઈઝરાયેલની જેમ લડ્યા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

25 Mar 2026 6:00 am
'તું મારી પ્રેમિકા પર નજર નાખ્યા કરે છે':વાસંતીનું આમંત્રણ કાળ બની ગયું, જેના ઘરે જમવા ગયા તેને જ મારી નાખ્યા

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક અવાવરૂ સરકારી બિલ્ડિંગના ધાબા પરથી 2 લાશ મળી હતી. આ લાશ હસમુખ અને વાસંતી નામના પ્રેમી-પ્રેમિકાની હતી. કોઇએ માથામાં બોથડ પદાર્થના ઘા મારીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સૌથી પ

25 Mar 2026 6:00 am
સમસ્યા:સાવરકુંડલા જૂના બસ સ્ટેન્ડના રોડના કામથી મુસાફરો પર આફત

સાવરકુંડલામાં આવેલા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડના કામ શરૂ હોવાના કારણે હાલ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બસ સ્ટેન્ડનો રોડ ખોદવામાં આવતા મુસાફરો માટે છાયાની તેમજ અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અસ્થાયી રીતે બસમાં બેસવાની વ્યવસ્થા સાવરકુંડલા પ

25 Mar 2026 4:55 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો‎

અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો આવી રહ્યો હોવા છતાં લોકોએ અફવામાં આવી પેટ્રોલ ડીઝલ પુરાવવા પડાપડી કરી મુકતા આજે જુદા જુદા 20 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થયો હતો. 15 જેટલા પંપમાં પેટ્રોલ પણ ખુટ્યું હતું. જેમ જેમ ગાડીઓ આવતી ગઈ તેમ આ પંપોમાં ફરી વિતરણ શરૂ થયું હતું. આ

25 Mar 2026 4:55 am
ભાસ્કર વિશેષ:ઝાંઝરડા ગામથી સિદ્ધનાથ મંદિર સુધીની અઢી કિમીની શોભાયાત્રામાં 10 સ્વાગત પોઈન્ટ હશે

આગામી તા.26ને રામનવમીના તહેવારની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે. જેને લઇને સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનો ઝાંઝરડા રોડ જાણે અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર ભગવ

25 Mar 2026 4:51 am
ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનુ બંધ:પેટ્રોલપંપમાં ઓનલાઇન પેમેન્ટ બંધ, રૂ. 100,200માં જ પેટ્રોલ પૂરાવી શકાશે

ઇરાન-ઇઝરાયલના યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડિઝલનો જથ્થાની અછત ઉભી થશે એવી અફવા સાંભળીને સોમવારે સમી સાંજ બાદ શહેરના તમામ પેટ્રોલ પંપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી આ ભીડ રહેતા અમુક પંપમાં તો પેટ્રોલનો જથ્થો પણ પૂર્ણ થઇ ગયો હતો. આવા સ્થિતીમાં પેટ્રોલ પંપ ધારકો પોતાના

25 Mar 2026 4:51 am
તંત્રમાં સંકલનનો અભાવ:જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી બાબતે બે લેટર થયા, બંનેમાં અલગ-અલગ વિષય

જૂનાગઢ જિલ્લામાં બે તબક્કામાં વસ્તીગ ણતરીની કામગીરી થનાર છે. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી તારીખ 20 એપ્રિલથી 19 મે સુધી થવાની છે. આ કામગીરી કઇ રીતે કરવી, આ વખતે શું-શું નવુ છે, એપ્લિકેશન વિગત કઇ રીતે લખવી સહિતની બાબતે ફિલ્ડ ટેનર્સ, ચાર્જ ઓફીસર સહિતનાઓને થોડા દિવસ પૂર્વે તાલીમ પણ

25 Mar 2026 4:49 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા

અત્યારે વિશ્વ સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસના બાટલાની ભારે અછત સર્જાતા ગૃહિણીઓ અને ધંધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢવાસીઓએ જૂના જમાનાના બળતણનો સહારો લીધો છે. શહેરમાં અત્યારે લાકડાનો વેપાર ર

25 Mar 2026 4:48 am
સિટી એન્કર:મોરિશિયસમાં મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી

મહારાષ્ટ્ર અને મોરિશિયસ વચ્ચે મૈત્રીના સંબંધ પેઢી દર પેઢી હોઈ સાત સમુદ્રપાર વસવાટ છતાં અહીંના મહારાષ્ટ્રના રહેવાસીઓએ પોતાની સાંસ્કૃતિક નાળ અત્યંત અભિમાનથી જતન કરી છે એમ ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું હતું. મોરિશિયસના મોકા ખાતે મહારાષ્ટ્ર ભવન

25 Mar 2026 4:07 am
સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ:મહારાષ્ટ્રમાં ટેક્નોલોજીથી સજ્જ 3000 એસટી બસો શરૂ કરાશે

મહારાષ્ટ્રના જાહેર પરિવહન ક્ષેત્રમાં મંગળવારે એક નવા અધ્યાયની શરૂઆત થઈ, જ્યારે મુંબઈના વિધાન ભવન ખાતે રાજમાતા જિજાઉ સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવી, જે રાજ્યના પરિવહન તંત્રમાં આધુનિકતા અને પરંપરા

25 Mar 2026 4:04 am
વિરોધ:ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે મનપામાં નકલી નોટો ઉડાડી

ગાંધીનગર મહાનગરપાલિકામાં ક્લાસ-1 અધિકારી ઉપેન્દ્ર સુતરીયા 1 લાખની લાંચ લેતા પકડાયા બાદ સમગ્ર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચી ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવ

25 Mar 2026 4:02 am
રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વર્ષોથી ચાલી રહેલી મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓ અંગે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો

25 Mar 2026 4:01 am
સ્થાનિક અર્થતંત્ર વેરવિખેર:મોરબીમાં સિરામિક ઉદ્યોગના શટડાઉનથી બે હજારથી વધુ ટ્રેડર્સ-સામાન્ય ધંધાર્થીઓની માઠી બેઠી

રવિ બરાસરા બે દેશો વચ્ચેના ભીષણ યુદ્ધે વિશ્વની ટોચે પહોંચેલા મોરબીના સીરામીક ઉદ્યોગને ફરી કોરોના કાળ જેવી ભયાનક પરિસ્થિતિમાં ધકેલી દીધો હોય તેમ યુદ્ધને કારણે ગેસની કટોકટીથી સિરામીકના 90 ટકા એટલે 600 કારખાના બંધ થવાથી માર્કેટનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. આ શટડાઉનથી સિરામીક

25 Mar 2026 4:00 am
મતદારોની સંખ્યામાં ઉછાળો:મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ગ્રામપંચાયત ભળતાં શહેરી વિસ્તારના ક્ષેત્રફળમાં વધારો થતાં મતદારોની સંખ્યામાં પણ ઉછાળો

નગર પાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં 10 ગ્રામ પંચાયત ભળ્યા બાદ તેના વિસ્તારમાં વધારો થવાની સાથે મતદારોની સંખ્યામાં ઉછાળો છે. મનપાના નવા સીમાંકન મુજબ નવી ભળેલી પંચાયતોમાં નવા વોર્ડ બનાવવાના બદલે 13 વોર્ડમાં જ સમાવવામાં આવ્યા છે, બીજી તરફ વોર્ડ રચનામાં પણ ફેરફાર થયો છે. જેમા

25 Mar 2026 4:00 am
રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ

માધાપર ખાતે ધીરેન મનજી દબાસિયા પરિવારના યજમાન પદે આયોજિત માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠથી કથા રસપાન થઈ રહ્યું છે ત્યારે રામકથાના ચોથા દિવસે બાપુ ગુરુની વંદના, ગુરુની પધરામણી, ગુરુ મહિમાના ગુણગાન ગાયા હતા. ગુરુના ચરણની રજ, તેમની ચેતના, તેમનો ભાવ આશિષ આપી

25 Mar 2026 4:00 am
સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ

યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓન

25 Mar 2026 4:00 am
ફરિયાદ:અમરેલી ખાતે હિન્દુ સંમેલનના જમણવારમાં યુવાન પર હુમલો

અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર શુભ લક્ષ્મીનગર વિસ્તારમ

25 Mar 2026 4:00 am
નિર્ણય‎:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે

ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની સભા વાંઢાય ખાતે યોજાઇ હતી જેમાં આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આયોજન સમિતિના પ્રમુખ રમેશભાઈ પોકારે જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષમાં માત્ર અખા

25 Mar 2026 4:00 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે:જિલ્લા પંચાયતની 6, તાલુકાની 11 બેઠકો માટે આપના ઉમેદવાર જાહેર

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 6 બેઠક માટે 11 નામની પ્રથમ યાદી આમ આદમી પાર્ટીએ જાહેર કરી છે. જામનગર જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકોમાંથી 6 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેરાત કરાય છે જેમાં આમરા બેઠક નકુમ ઘનશ્યામભાઈ અમૃતલાલ, બેડ ની બેઠક કિરણભાઈ ફફલ,ચેલાની બેઠક ઉપરથી અમીના

25 Mar 2026 4:00 am
રાહત:અંતે જૂના જામનગરના 28 સહિત 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડ્યો

જામનગર શહેરમાં લાંબા સમયથી જેની માગણી કરવામાં આવતી હતી અંતે તે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે જૂના જામનગરનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પોશ ગણાતા પંચવટી વિસ્તાર અને પંચવટી ગૌશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થવાથી હવે મિલક

25 Mar 2026 4:00 am
પેટ્રોલ અને ડિઝલનુ રેકોર્ડ બ્રેક વેચાણ:ગોધરામાં 2 દિવસે વેચાણ થતું પેટ્રોલ - ડીઝલ સોમવારે 8 કલાકમાં વેચાઇ ગયું

ગોધરા શહેરમાં અફવાના લીધે 15 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. સાથે સંગ્રહખોરી કરવા લોકો કારબામાં પેટ્રોલ ભરાવતા પેટ્રોલપંપ સંચાલકોએ વાહન સિવાયમાં પેટ્રોલ આપવાનુ બંધ કરી દીધું. સોમવારે 8 કલાકમાં બે દિવસમાં વેચાણ થતું હજારો લીટર પેટ્રોલ અને ડિઝલન

25 Mar 2026 4:00 am
કાર્યવાહી:ગોધરામાં યુવતીનું ફેક આઇડી બનાવનાર સામે પોલીસ ફરિયાદ

ગોધરામાં યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી અન્ય લોકો સાથે મેસેજિંગ કરાયાની ઘટના મામલે ભુરાવાવ વિસ્તારની યુવતી દ્વારા શહેર એ ડિવિઝન મથકે સાયબર ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં તેઓ હાલ એક ખાનગી નર્સિંગ હોમમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત છે. યુવતીના મોબાઇલમાં 2020થી પોતાના નામથી ફેસબ

25 Mar 2026 4:00 am