પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી એક અલગ દ્રશ્ય જોવા મળ્યું હ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને દિવ્યભાસ્કરની ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નંબર-5નાં છેવાડાનાં વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા છપનિયા ક્વાર્ટર અન
ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માગતા વિવાદ સર્જાયો છે. રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગર
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 15માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી
અમે પાકિસ્તાનમાં રહેતા હોય તેવું છે ભાઈ આ શબ્દો છે રાજકોટના વોર્ડ નંબર 13ના ખોડીયારનગરના સ્થાનિક મહિલાના. જ્યાં 25 વર્ષથી ભાજપના શાસનમાં રસ્તો જ બન્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પીવાનું પાણી બે દિવસે એક જ વખત આવે છે. આરોગ્ય કેન્દ્ર ક્યાંય નથી અને સ્કૂલ તેમજ આંગણવાડી ખૂબ
સમસ્ત પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 'વડીલ વંદના-2' અંતર્ગત આયોજિત 'ગંગા તીર્થ યાત્રા' અને હરિદ્વાર ખાતે સંપન્ન થયેલ 'શ્રીમદ્દ ભાગવત કથા'ની સફળતાના ઉપલક્ષમાં પાટણ ખાતે 'દાતા સન્માન અને આભાર દર્શન સમારોહ' યોજાયો હતો. આ કાર્યક્રમ મોતીશા દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાના સાનિધ્
નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. શહેરના 10 જેટલા મુખ્ય હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) માં પ્રવેશ કર્યો છે. આ ઘટનાથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા AAP ના રાજકીય સમીકરણો પર અસર પડી શકે છે. AAP ના પૂર્વ શહેર પ્રમુખ સહિત સંગઠ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમ (AIMIM) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજ
સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેરના લિંબાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
ગોંડલ પંથકમાં ચકચારી બનેલા રાજકુમાર જાટ હત્યા કેસના પિતા રતનલાલ જાટે રાજસ્થાનથી એક વીડિયો સંદેશ જાહેર કરીને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે, તેમણે શિવરાજગઢ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવા
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.જેના પ
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે બાતમીના આધારે બોરતળાવ વિસ્તારના મફતનગર ખાતે રામાપીરના ચોકમાં દરોડો પાડતાં છ શખ્સો ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો હાથકાંપનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપતા તેમજ રૂપિયા 26,020 નો મુદામાલ કબ્જે કરી.તમામ શખ્સો સામે બોરતળ
ગિરનારની શાંત તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર સામાન્ય રીતે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓના આનંદ-પ્રમોદથી ગાજતું હોય છે, પરંતુ આજના રવિવારે અહીં ભક્તિના બદલે ભારે અરાજકતા, સૂત્રોચ્ચાર અને તંત્ર સામેના આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્ન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બોટાદ જિલ્લામાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદ જિલ્લાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મંત્રી રીવાબા જાડેજાએ ઢસા, વાવડી અને ગુંદ
બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી માંડવધાર બેઠક રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક સામાન્ય પુરુષ-મહિલા માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસે રામપરા ગામના કોળી સમાજના અગ્રણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતી નિમિત્તે ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ સંધ્યા શણગાર રવિવારે અર્પણ કરાયો હતો. આ સંધ્યા શણગારમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની કલર વડ
મોરબીમાં રવિવારે પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હ
ગોધરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસે ફ્લેગમાર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવો હતો. આ ફ્લેગ
વેરાવળ શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. અખાત્રીજના પાવન દિવસે બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, ભવ્ય શોભાયાત્રા અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આનાથી સમગ્ર શહેરમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. ભગવા
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ તાલુકાના સેગવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના 'જનસમર્થન' સંમેલનને સંબોધિત કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા અને મતદારોને ભાજપના ઉમેદવારોને વિ
પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે કે.બી. ટેનામેન્ટમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂ. 1.90 લાખની મત્તાની ચોરી કરી છે. આ અંગે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિધ્ધપુરના નાયી વાસ વિસ્તારમાં રહેતા યશ હેમંતકુમાર દવેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનું બીજુ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના બની છે. તસ્કરોએ મકાનનો નકુચો તોડી તિજોરીમાંથી ₹25,000 રોકડ અને ચાંદીના દાગીના સહિત કુલ ₹29,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સરસ્વતી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્ય
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વઢવાણ વોર્ડ નંબર 11ના ભાજપના પેનલ ઉમેદવારો રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ, જશુબેન ભરતભાઈ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી અને મહેન્દ્રસિંહ ગોહિલે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આજે ઉમેદવારોએ ગણપતિ ફાટસર વિસ્
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સોમવારે વડોદરા જિલ્લામાં બે સભા સંબોધિત કરશે. જિલ્લામાં તેઓ શેરખી ગામ નજીક તેમજ મંજુસર તેઓ વિકાસ સંકલ્પ સભામાં જોડાઈ સભા સંબોધિત કરશે. ચૂંટણી જાહેર થયા બાદ મુખ્યમંત્રીની પ્રથ
સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા એક શખ્સની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા (ઉ.વ. 29) ને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સાબર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની કુલ 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ, 2026ના રોજ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કુલ 371 કેન્દ્રોમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં 86 હજાર ઉમેદવ
હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાજપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹1,10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે પકડાયેલા અને એક ફરાર આરોપી સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પ
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નો ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે તેમછતાં સરકારી વિભાગો દ્વારા જ તેના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.ટી. નિગમની બસો પર સત્તાપક્ષની જા
હીરા નગરી સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ હાલમાં ‘ક્લીન સિટી’ અભિયાન હેઠળ સઘન કાર્યવાહી કરી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને લાલગેટ વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ
સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રાળુઓની વ્યવસ્થા માટે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવાના આદેશને લઈને વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેષ ભટ્ટે આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપતા જણ
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના એક રૂમમાં એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીમાં લાગેલી આગ બેડ સુધી ફેલાઈઆ આગ લાગ્યાની પ્રા
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત સઘન મતદાર જાગૃતિ અભિયાન અને EVM નિદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે
આજે ભગવાન પરશુરામની જન્મ જયંતિના પવિત્ર અવસરે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ અને આસ્થા સાથે ભગવાન પરશુરામની યાત્રાને પ્રસ્થા
આજે અખાત્રીજ અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢમાં ભક્તિ અને સંગઠનનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર 'જય પરશુરામ'ના ન
ભાવનગરના સેઢાવદર ગામના મફતનગર વિસ્તારમાં પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂની તકરારનું પરિણામ એક વૃદ્ધા અને તેમના પૌત્ર પર હુમલાના સ્વરૂપમાં સામે આવ્યું છે. શેરીમાં મોટરસાયકલ રાખવા બાબતે ચાલી આવતા વિવાદમાં એક શખ્સે વૃદ્ધા અને તેમના પૌત્રને માર મારી પથ્થરમારો કર
ગોધરા સરકારી પોલિટેકનિકના મિકેનિકલ વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ 'ઓટોમેટેડ સ્ટેરકેસ ક્લાઈમ્બિંગ ટ્રોલી' તૈયાર કરી છે. આ ટ્રોલીનો મુખ્ય ઉદ્દેશ્ય એવી જગ્યાઓ પર સામાનની હેરફેર સરળ બનાવવાનો છે જ્યાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો દ્વારા વિવિધ સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. અમદાવાદ શહેરમાં આવાજ એક પેઈડ પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રસ્તા પર જામ કરી કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ સંદર્ભે, ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને EVM મશીનની ટેકનિકલ જાણકારી અને તેના ઉપયોગ વિશે સમજાવવા માટે ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડેમોસ્ટ્રેશન શહેરી વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. જેમાં રતનપરન
સોમનાથ મંદિર પરિસરમાં અખાત્રીજના પવિત્ર દિવસે શ્રદ્ધા અને દેશભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. મહુવા સ્થિત “સોમનાથ શહીદ વીર વેગડાજી તથા ભીલ કાળાજી ભીલ સ્મૃતિ સંસ્થાન” દ્વારા વીર શહીદોની યાદમાં 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર માછીમારી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દરિયાઈ વિસ્તારમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર બોટ ચલાવી માછીમારી કરતા ત્રણ બોટ માલિકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જુનાગઢ રેન્જના નાયબ પોલી
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અપ્રતિમ તેજના પ્રતીક એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ‘બ્રાહ્મણ સમાજ (ગુજરાતી) ન્યુઝીલેન્ડ’ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન Aucklandના બાલમોરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ જોવા
ગાંધીનગરના સેક્ટર-3A વિસ્તારમાં માત્ર સિગારેટના ભાવ જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં અજાણ્યા શખ્સે પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં સેકટર 7 પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને ઝડપી લ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલનેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્રનેહરુ-ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત એક મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સં
ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસ અને INDI ગઠબંધન પર તીખા પ્રહારો
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાથી તૈયારીનો શુભારંભ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે શહેરના સુભાષનગર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન અને
મહીસાગર જિલ્લાના ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અખાત્રીજના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરના આદ્ય દેવ સ્વયંભૂ લુણેશ્વર મહાદેવના મંદિરમાં મહાપૂજા, પાલખી પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બુરહાની
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બપોરના સમયે આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટરીનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટું નુકસાન થયું છે. લાતી પ્લોટ શેરી નંબર 6 મેઈન રોડ પર આવેલી 'વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ' નામની ફેક્ટરીના બીજા માળે બપોરે એક વાગ્યા
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. વોર્ડ નંબર 18 (લિંબાયત-પર્વત-કુંભારિયા) માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર જૂથ) ના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલી એક કથિત વિવાદાસ્પદ પત્રિકાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે પૂ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને
બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બસમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹3,20,280/- આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત બસ સહિત કુલ ₹18,40,280/-
વડોદરા શહેરમાં ચાલતી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વડોદરા શહેર પીસીબીએ અલકાપુરી વિસ્તારમાં દરોડો પાડી આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન સટ્ટો રમતા પાંચ સટ્ટોડિયા દબોચાયાપીસીબીના પોલીસ ઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી દારૂના બે ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને બુટલેગરની અટકાયત કરીને તેમને જેલમાં મોકલી દેવાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય અને જામ
ગુજરાત કોંગ્રેસ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિઝન ડોક્યુમેન્ટની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડ
આજે અખાત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરીને નવા પાકની શરૂઆત કરે છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ બળદ ની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કર્યું હતું. અખાત્રીજને વણજોય
નવસારીના જુનાથાણા વિસ્તારમાં એક એડ એજન્સીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક તસ્કરે ચોરી કર્યા બાદ ભાગવાને બદલે ઓફિસમાં જ એર કંડિશનર (AC) ચાલુ કરીને લગભગ 6 કલાક આરામ કર્યો હતો. આ ઘટનામાં કુલ 64,000 રૂપિયાની ચોરી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:26 કલાકે એક નકાબપોશ શખ
નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારોને પરત લાવવા માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો અને તેમના પરિવારો વતન સૌરાષ્ટ્ર પરત ફર્યા છે. આ મતદારોને મતદાન મ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે, અને આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ વેગવાન બની છે. આ માહોલ વચ્ચે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ
વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે, જોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવેદ ગામના અભિ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આજે 19 એપ્રિલના રોજ રવિવારે વટવા વોર્ડમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રણછોડ રાયજી મંદિર થઈને વટવા વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. વટવા વોર્ડના ભાજપના ચારેય ઉમે
લેન્સકાર્ડની ડ્રેસકોડની ગાઈડલાઈનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે સુરતના એક યુવકે આક્ષેપ કરતા કહ્યું છે કે, તેને શિખા અને તિલકના કારણે લેન્સકાર્ટમાંથી નોકરી ગુમાવવી પડી હતી. મહત્વનું છે કે, લેન્સકાર્ડની ડ્રેસકોડ ગાઈડલાઈનના વકરી રહેલા વિવાદ વચ્ચ
પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશમાં પોલીસ ટીમ પર હુમલો કરી ફરાર થયેલા વોન્ટેડ આરોપી શૈલેષ જીતુજીને ઝડપી પાડ્યો છે. ગોધરા તાલુકા પોલીસે મેરપ ગામના જંગલ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. ગોધરા રેન્જ IG વી.વી. ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના હેઠળ, નાસતા ફરતા આરોપીઓને ઝડપ
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલા દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આજે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા 'પોલિટિકલ હવાલા કાંડ'નો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા ચાર મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલવ
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પર્વને ખેડૂતો દ્વારા અત્યંત શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને કૃષિ ક્ષેત્રે નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે કરવામાં આવેલી કોઈપણ શરૂઆત અક્ષય ફળ આપે છે. આ પરંપરાને જાળવી રાખીને મહીસાગર જિલ્લાના ચનસર ગામ સહિત સમગ
સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં સ્થિત અડાજણ વિસ્તાર, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ ગણાય છે, ત્યાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ગોરાટ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરની આસપાસ અન્ય ધર્મના લોકો દ્વારા કરવામાં આવેલા નવા બાંધકામો અને ફ્લેટ
મહેસાણા જિલ્લાના ગાંભુ ગામની સીમમાં તસ્કરોએ ખેતીના બોરવેલને નિશાન બનાવી કેબલ વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો આશરે ₹15,000ની કિંમતનો 10 મીટર લાંબો કેબલ વાયર ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની
બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બાઈક પર પીપરડીનો પરિવાર હતોપ્રાપ્ત માહિતી અ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે વડોદરા મનપાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એક વાર માસ્કમેને ભાજપના ઉમેદવાર ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આ
આજના ડિજિટલ યુગમાં યુવા ધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે. લાઈક્સ, વ્યૂઝ અને ફોલોવર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતાની અને અન્યની જિંદગીની કિંમત ભૂલી રહ્યા છે. ફેમસ થવાની ઘેલછામાં ક્યારેક જીવના જોખમે સેલ્ફી લેવી, તો ક્યારેક ચાલુ બાઈકે સ્ટંટ કરવા જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છ
આજે 19 એપ્રિલે ભાવનગરના 304મા સ્થાપના દિન અન્વયે અલગ અલગ રાજકીય હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના અગ્રણીઓ તથા નેતાઓ સાથે સામાજિક ક્ષેત્રના તેમજ ઔદ્યોગિક એકમકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ભાવનગરની સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવતા આજ રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન પ્રગતિ આહીર અને ગાયત્રીબા વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્મ
બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે સઘન તૈયારીઓ કરી રહ્યા છે. આ સંદર્ભે, દૈનિક ભાસ્કરે બોટાદની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર મતદારોનો મિજાજ અને તેમની અપેક્ષાઓ જાણવા માટે મુલાકાત લીધી હતી. બોટાદ
બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ઉગામેડી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ગામોમાં મતદારોની અપેક્ષાઓ અને સ્થાનિક સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરાયો હતો. બોટાદની ઉગામેડી બેઠકનું મુખ્ય ગામ ઉગામેડી ૧૫ હજારની વસ્તી ધરાવે છે અને 'મીની સુરત' તરીકે ઓળખાય છે, જ્યાં રત્ન
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે ગીર સોમનાથ રેડ ક્રોસની મુલાકાત લીધી હતી. તેમણે વેરાવળ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે રાહત દરે અપાતી આરોગ્ય સેવાઓની કામગીરીની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમે
સુરત જિલ્લામાં આજે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા ચુસ્ત સુરક્ષા રીતે યોજાય રહી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટે ઉત્સુક એવા અંદાજે 20,700 જેટલા ઉમેદવારો શહેરના વિવિધ કેન્દ્રો પર પોતાની મહેનતનું પરિણામ મેળવવા પરીક્ષા આપ
ભાવનગરમાં “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા દૈનિક અન્ન વિતરણ સેવા ચલાવવામાં આવે છે. આ સેવા અંતર્ગત, 18 એપ્રિલ 2026 ના રોજ યુવા પત્રકાર પાર્થભાઈ રમેશભાઈ મહેતાએ તેમના જન્મદિવસ નિમિત્તે ભાવનગરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભોજન વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 200 થી વધુ શ
આર્થિક રીતે નબળા અને ફૂટપાથ કે બ્રિજ નીચે આશરો લઈને રહેતા શ્રમિક પરિવારો માટે કુદરત પણ ક્યારેક કેટલી ક્રૂર બની શકે છે, તેનો જીવંત અને હૃદયદ્રાવક દાખલો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા એક શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાત
અમદાવાદના સિવિલ હોસ્પિટલના નર્સ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. નર્સને અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કર્યાં બાદ નર્સના ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સે સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ ડાઉનલોડ કરીને 7 લાખ ઉપડી ગયાનવા નરો
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારે અખાત્રીજના શુભ અવસરે ખેડૂતોએ ખેતરમાં ખેડાણ શરૂ કરવાનો શુભ મુહૂર્ત કર્યો હતો. આ સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત થઈ છે. હિંમતનગરના બેરણા સહિતના ગામોમાં વહેલી સવારે ખેડૂતોએ પરંપરાગત રીતે ખેતરમાં જઈ કૃષિ કાર્યની શરૂઆત
આજરોજ અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ વધુ વકર્યો છે. વડગામના ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીને ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે જગ્યા બદલવી પડી હતી. ગઈકાલે 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે સાંજે 6
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી 12 જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસના દરોડાઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પ
રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આકરા તાપ વચ્ચે આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 18 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ સિવાય અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામા
ઇડરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ના કાઉન્સેલર દીપકભાઈ અને ઇડર અર્બન સેન્ટરના સ્ત્રી આરોગ્ય કાર્યકર મીનાક્ષીબેન દંપતીએ પોતાની દીકરી સીઝાનો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે ગઈકાલે સાંજે TB દર્દીઓને પોષણ કીટ અને રક્તપિતના દર્દીઓને ભોજન આપીને સમાજમા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે. વોર્ડ નં. 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ 'ગોલ્ડન મેન' તરીકે પ્રખ્યાત થયા છ
જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામા

29 C