બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાળા અને રાણપુર તાલુકામાં કુલ 46 પરીક્ષા કેન્દ્રો પર 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લાના કુલ 401 બ્લોકમાં આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વહેલી સવાર
'181 મહિલા હેલ્પલાઇન' મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે 24 કલાક કાર્યરત છે, ત્યારે તાજેતરમાં ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકામાં અભયમ ટીમે એક મહિલાને આત્મહત્યા કરવા જતી અટકાવી નવજીવન આપ્યું હતું, આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જ્યારે '112 જનરક્ષક હેલ્પલાઇન' પરથી 181 ટીમને કોલ ટ્રાન્સફ
આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક નાના એવા સરણા ગામમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામના નિવૃત શિક્ષકોએ એક અનોખી પહેલ કરીને ખેતરની વચ્ચે જ રમતગમતનું સંકુલ કાર્યરત કર્યું છે, જ્યા
ગોધરા શહેરમાં હાલ ઓરીની બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જોકે, જ્યાં લોકોની સારવાર થાય છે તે જ અર્બન હેલ્થ સેન્ટર પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આજે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક આગેવાનોએ ત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ. કે. શાહ મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે રેગિંગના ગંભીર આક્ષેપ લાગ્યા છે. તીર્થ પટેલ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ લગાવ્યા છે. જુનિયર ર
કચ્છ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની પ્રતિષ્ઠિત યાદી રામસર સાઇટમાં સામેલ થયું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. છારી-ઢંઢ ગુજરાતની પાંચમી રામસર સાઈ
અમરેલી તાલુકાના જાળીયા અને રાંઢીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં જાળીયામાં અંદાજે રૂ. 2 કરોડથી વધુના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) અને રૂ. 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન સામેલ છે. જાળીય
પાટણ નગરપાલિકાએ બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આશરે 25 લાખ રૂપિયાનો વેરો બાકી હોય તેવી પાંચ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મોખાસણ ખાતે ભવ્ય લોકાર્પણ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી 1.25 કરોડના ખર્ચ
પાટડી તાલુકાના જરવલા ગામે ઇતિહાસ જાગૃતિ અને સામાજિક સમરસતાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગામના પાદરમાં આવેલા 28 જેટલા પ્રાચીન પાળિયાઓનું પુનઃસ્થાપન કરી, ગ્રામજનોએ અજ્ઞાત વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ પાળિયાઓ પરોપકાર માટે ખપી ગયેલા અજ્ઞાત
27 જાન્યુઆરીએ રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરાયુ. જેમાં પ્રમુખ બદલાય છે તેવી અફવા ચાલી હતી. જોકે તેમના દ્વારા પ્રદેશ કક્ષા સુધી ભલામણોનો ધોધ કરતા તેમને યથાવત રાખવામાં આવતા આજે 31 જાન્યુઆરીએ સાફો પહેરાવવામાં આવ્યો હતો અને કટાર અપાઈ હતી. જ્યારે નવા હોદ્દેદારોનું ઢ
સુરત મહાનગરપાલિકાના આયોજન સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. ભેસ્તાન ખાતે 34 કરોડના ખર્ચે બનેલો બ્રિજ અત્યારે ગલીથી શરૂ થઈને દિવાલ પર ખતમ જેવો ઘાટ સર્જી રહ્યો છે. આ 'અધૂરા' બ્રિજની પોલ ખુલતા જ ભાજપના કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકાર્પણ સાત દિવસ બાદ આખી ફોજ બ્રિજ પર ખુલા
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રોડ પર લાંબા સમયથી પ્રવર્તતી ઉભરાતી ગટરની સમસ્યાનો નગરપાલિકા તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે. આ સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરી હતી. સિગ્નલ ફળિયા રોડ પર આવેલા સરકારી ઘાસ ગોડાઉન નજીક ભૂગર્ભ ગટરનું ગ
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના અપહરણના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવી સચિન વિસ્તારમાં બરફની ફેકટરીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો. લગ્ન કરવાની લાલચ આપીને મહિલાને ફસાવીપોલીસ તપાસમાં સૌથી ચોંકાવના
કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા અને ગીર પંથકમાં આ વર્ષે કુદરતી વિષમતાઓ વચ્ચે પણ કેરીના પાકની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. કમોસમી વરસાદને કારણે મોડી શરૂ થયેલી મોર ફૂટવાની પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. હાલમાં 60 ટકાથી વધુ આંબાવાડીઓમાં ફ્લાવરિંગ જોવા મળી ર
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, કારણ કે અમદાવાદના રાણીપમાં બલોલનગર બ્રિજની નીચે જાહેરમાં દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં લોકો જાહેરમાં દારૂ પીવા આવે છે. દારૂ પીવા માટે સોફા, ચેર સહિતની VIP ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. જાણ થતાં જ ભાસ્કર રિપોર્ટર આ દારૂના અડ્ડા પર પહોંચ્યા હત
સરકાર દ્વારા 'નળ સે જળ' યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ઘરે-ઘરે પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠાના 6 ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉકાઈ ડાબા કાંઠા નહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ક્વોલીફાઈડ થયેલા 8679 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકીના 1023 ઉમેદવારોને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ
પોલીસે મોબાઈલ, રોકડા તથા ગંજીપાનાં સહિત કુલ 20થી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગરના શહેરના રસાલા કેમ્પ પાસે નવા ગુરુદ્વારા સામે આવેલ ખુલ્લા મેદાન પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સોઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરુ કૂવામાંથી માનવ કંકાલ અને કિંમતી દાગીના મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી સોનું અને હાડપિંજરનાં ટૂક્ડાં બહાર કાઢ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં ગુમ થયેલા 65
ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે 30 જાન્યુઆરી, 2026 મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે વિવિધ રચનાત્મક અને સેવાભાવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. શારીરિક શિક્ષણ વિદ્યાશાખા અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય
આણંદ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ અધિક્ષકની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ને મોટી સફળતા મળી છે. વાસદ-બગોદરા હાઈવે પર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાંથી એક ટ્રકમાંથી ₹1.51 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રકમાં ચો
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીનાં 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી ક
વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ટોલ ભરવા જેવી સામાન્ય બાબતે ડમ્પરચાલક અને અન્ય એક શખસે ટોલ બૂથના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શખસોએ માત્ર ધમકી જ નહીં, પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ (મેન) 2025-26 અંતર્ગત તારીખ 30-01-2026 ના રોજ રોમાંચક મેચો રમાઈ હતી. 30 જાન્યુઆરીએ ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું કૌશલ્ય બતાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગ્વાલિયરનો 9 વિ
અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે મહોત્સવનો બીજો દિવસ છે. હિંમતનગર તાલુકાના 19 ગામોમાંથી 916 ભક્તો એસટી બસોમાં નિઃશુલ્ક અંબાજી જવા રવાના થયા હતા. આ ભક્તો શનિવારે સવારે તેમના ગામોમાં મુકવામાં આવેલી એસટી બસોમાં બેસીને અંબાજી જવા રવ
બોટાદ જિલ્લાના ખેલાડીઓએ ખેલ મહાકુંભ-2025 રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે 27 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય, બોટાદના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ના ખેલાડીઓએ કુલ પાંચ મેડલ જીતીને
પાટણ શહેરમાં ગુજરાતી મોચી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે છપ્પન ભોગના અન્નકુટ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના રસણીયાવાડા વિસ્તારમાં આવેલું શ્રી ચામુંડા માતાનું સ્થાનક ગુજરાતભરના મોચ
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઉત્તર પ્રદેશના નોઇડા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન
ભાવનગર શિહોરના શામપરા (ખો) ગામ પાસે આવેલી આઈ-ટેક રમકડાની કંપનીમાં ગત ઓગસ્ટ મહિનામાં સર્જાયેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 31 વર્ષીય યુવાન નિશાંત મનસુખભાઈ વાઢેરનું લાંબી સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થતા મૃતકની બહેન દિપીકા વાઢેરે ટ્રક ચાલક વિરુદ્ધ વરતે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હનુમાનજી દાદાને ચાંદીનો મુગટ, જરદોશીવર્ક અને ફૂલની આકર્ષક ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને ઓર્કિડ અન
બોટાદ જિલ્લા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ બોટાદના નવનિયુક્ત RTO ઓફિસર આર.પી. દાણી મેડમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં એસોસિએશનના પ્રમુખ અને રઘુવીર ટ્રાવેલ્સ બોટાદ સિટી બસના સંચાલક હકુભાઈ ખાચર તેમજ સહકારી અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા
મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક વીરપર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારના ચાલકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા મોરબીના એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના વજેપર શેરી નંબર 15 માં રહેતા જયંતીભાઈ નરસીભાઈ ખાણધર પોતાની સીએ
સુરતના ઉધના વિસ્તારમાં એક માતા ત્યારે રણચંડી બની ગઈ, જ્યારે માતાને ખબર પડી કે તેની 12 વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવી છે. માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખસે પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યાં હતાં. તો રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો. લોકોના માર
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલીશાન હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો ત્યાર
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા વાદળો છવાઈ જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. ખાસ કરીને ઘઉં, રાયડો, બટાકા અને વરિયાળી જેવા તૈયાર પાકોને કમોસ
ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, 1 ડીગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું ભાવનગરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાઠ ઘુમમ્સ જોવા મળ્યું હતું, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હ
શહેરમાં સતત ઊંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસામાં ઘરોમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે લોકો આ સમસ્યાથી બચવા માટે મકાન તોડીને નવેસરથી બનાવતા હોય છે, પરંતુ વેરાવળના એક સિવિલ એન્જિનિયરે આનો 'જુગાડ' નહીં પણ 'ટેકનિકલ' ઉકેલ શોધી કાઢ્યો છે. ત
ગોધરાના એક શહેરી વિસ્તારમાંથી એક સગીરા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. આ અંગે એક જાગૃત નાગરિકે અભયમ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર એમ.વી. રાઠવા ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાગૃત નાગરિક સાથે વાતચીત કર્યા બાદ ટીમે સગીરાને સુરક્ષિત
સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડ કરી છે. કચરો હટાવવાના બહાને કૌભાંડસુરતના પા
અમદાવાદમાં રાણીપમાં બલોલનગર બ્રિજ પર ગત મોડી રાતે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે જ્યારે એક્ટિવા ચાલ
મોરબીમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. ખાખરેચી દરવાજા પાસે રખડતા ઢોર પકડતી ટીમના કર્મચારીઓ સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી. આ શખ્સોએ પકડાયેલી ગાયને છોડાવી જઈ, કર્મચારીઓને ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગત 9 જાન્યુઆરીના રોજ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ સંલગ્ન 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. નિયમોની અવગણના અને વહીવટી અનિયમિતતાઓને કારણે આ કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી છે. કુલપતિની અધ્યક્ષતામાં બે દિવસીય રૂબરૂ સુનાવણી શરૂ કરવામાં
પાટણની સિદ્ધચક્રની પોળમાં મુંબઈ સ્થિત જૈન પરિવારના બંધ ઘરમાંથી રૂ. 2.75 લાખના સોના-ચાંદીના દાગીના અને પૂજાના વાસણોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મુખ્ય આરોપી પાટણના જીતેન્દ્ર દિનેશભાઈ મોદી અને ચોરીનો માલ અડધી કિંમતે ખરીદનાર ચાણસ્માના સોની કૌશિકભાઈની ધરપકડ કરી છે. બંનેને
બગદાણા ચકચારી હુમલા પ્રકરણમાં 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરની મોડીસાંજે જેલમાં એન્ટ્રી કરી હતી. ત્યારે જિલ્લા જેલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, જયરાજ આહીરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરને 11
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ-ગાંભોઈ રોડ પર આવેલી BMD કંપનીમાં લાગેલી આગ 12 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. આ આગને બુઝાવવા માટે અંદાજે 5 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બ્રિગેડ કોલ મળતાની સાથે જ હિંમતનગર, પ્રા
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી વ્યાપારિક સમજૂતીને વાપીના ઉદ્યોગપતિઓએ આવકારી છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (VIA) ના પ્રમુખ સતીષભાઈ પટેલે આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સમજૂતી અમેરિકાના ટેરિફને કારણે મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે 'લાઇફલાઇન' સમા
વલસાડ જિલ્લા કલેક્ટરે શહેરના કચરાના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડના ઓવાડા ગામની 2 હેક્ટરથી વધુ સરકારી પડતર જમીન હવે 'સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' માટે ફાળવી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના મહત્વાકાંક્ષી 'સ્વચ્
ભાવનગરના ગુલીસ્તા ગ્રાઉન્ડ સ્થિત ચંપારણ્ય ધામ ખાતે સમસ્ત મોઢ વણિક સમાજ દ્વારા 30 જાન્યુઆરીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજે જ્ઞાતિજનોને કથાનું શ્રવણ કરાવ્યું હતું. મો
દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 'CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં માળિયા તાલુકાના સરવડ ગામમાં ગ્રામજનો દ્વારા સાયકલ યાત્રીઓનું ઉષ
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના માલણપૂર ગામમાં 66 વર્ષીય વૃદ્ધે એક અનોખુ મ્યુઝિયમ બનાવ્યું છે. મુઘલ કાળના, રજવાડાના અને પૌરાણિક સિક્કાઓ સાથે તાંબા પિતળ તેમજ જર્મન સિલ્વરની જૂની એન્ટીક ચીજોનો સંગ્રહ જોવા મળે છે, સાથે બે વીઘા જમીનમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. જે
વડોદરા કરજણ નેશનલ હાઇવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બામણગામ પાસેથી ને.હા. 48 પર વડોદરા-ભરૂચ ટ્રેક ઉપર ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે બેથી વધુ મુસાફરોની સ્થિતિ ગંભીર છે. 5થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા એમ્બ
અમદાવાદ શહેર આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસ.પી. ર
ગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થય
રિયલ એસ્ટેટ સેક્ટરમાં સમય સાથે અનેક ટ્રેન્ડ બદલાતા રહે છે. જેના લીધે આ સેક્ટર સાથે જોડાયેલા લોકોની કામ કરવાની રીતમાં પણ સમય સાથે જમીન આસમાનનો ફેર આવ્યો છે. આપણે પહેલા આ સેક્ટરમાં લે-વેચ કરનારા લોકોને દલાલ તરીકે ઓળખતા હતા પરંતુ બ્રોકરના આ બિઝનેસને ગુજરાતમાં પહેલીવાર નવી વ્
આજના સમયે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે તો સામાન્ય માણસ પણ અવકાશની મુસાફરી કરવી શક્ય છે. જો કે સ્પેસ ટૂરિઝમના નવા વિકલ્પો વચ્ચે પડકારો પણ ઓછા નથી. અવકાશમાં સૌથી મોટો ખતરો એટલે એવી અજાણી વસ્તુ જે સ્પેસશટલ સાથે ટકરાઈ શકે અથવા તો સ્પેસવોક વખતે અવકાશયાત્રીના સ્પેસશુટને ન
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
આજની યુવતીઓ સશક્ત બને તે હેતુથી મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થિનીઓ માટે ખાસ ''સ્વરક્ષણ તાલીમ'' શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રશિક્ષક તરીકે ગીર સોમનાથ કરાટે એસો.ના મયુરભાઈ પીપરોતર તેમજ બી
મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ રૂ. ૪
મોરબીમાં ખુલ્લેઆમ બેરોકટોક દેશી દારૂના ધમધમતા હાટડાઓ ખાખીને કલંકિત કરી રહ્યા છે. આથી પોલીસની શંકાસ્પદ કામગીરીથી દારૂબંધી કાગળ પર હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે હવે તો પોલીસની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોય એવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ
મોરબી મનપા ટ્રાફિકને અડચણરૂપના નામે મુખ્ય બજારોમાં સામાન્ય ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા હતા. જેમાં મનપાએ સામાન્ય ધંધાર્થીઓની રેકડી, ગલ્લા, ફેરિયાનો સમાન અને બજારોમાં દુકાનો બહારનો સમાન જપ્ત કરી લેતા રોજગાર વિહોણા થયેલા વિસ્થાપિત એવા સામાન્ય ધંધાર્થીઓએ ધંધો છીનવાઈ જવા
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ નવા ભળેલા પંચાયત વિસ્તારમાં તેમજ શહેર નોન ડીપી વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલી બહુમાળી ઈમારતો તેમજ ટેનામેન્ટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. પંચાયત વખતે નિયમ મુજબ બાંધકામ નિર્માણ માટે મંજૂરી ન લેનાર બિલ્ડર સામે કડક એક્શનના ભા
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉ.વ.53 ) નામના યુવાને ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું. પોલીસની તપાસમાં ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું. જ્યારે મોર
મોરબીમાં ખાસ કરીને બાળકો રમતા રમતા ભણે અને ભણતર બોજારૂપ ન બને તે માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં મોરબી જિલ્લાના 15 જેટલા તજજ્ઞ શિક્ષકોએ પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય તેમજ કલા અને કોઠાસૂઝથી ભાર વગરના ભણતરની અલગ અલગ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી બાળકોને
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પીજીવીસીએલ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ચીફ ઈજનેર પી.જે.મેહતાની સુચનાથી સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના માર્ગદર્શન હેઠળ તા.30ને શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલની 38 ટીમો સાથે સુરેન્દ્રનગર વર્તુળ કચેર
સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીમા સ્પેરપાર્ટ, ચશ્મા, દવા, બેરીંગ, નોટબોલ, સહિતના નાના મોટા કારખાનાઓ આવેલા છે. જેમાં બ્રાસ, ફાર્મા અને બેરીંગના સ્પાર્ટ તો એક્ષપોર્ટ કરવામાં આવે છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર બે બે ફુટના ખાડા જોવા મળે છે. રસ્તાની બાજુએ નજર કરો તો ગંદકીન
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ એક માસના ગાળામાં સીંગતેલના 20 કપાસીયાના ભાવમાં 10 રૂપીયાનો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને અંદાજે 25000થી વધુ ડબ્બા વેચાણ થતુ હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે મહિને 7.50 લાખનુ ભારણ વધે તે
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિશે હતા. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પાસેથી હિન્દુ ધર્મનો પુરાવો માંગ્યો હતો. બીજા મોટો સમાચાર ચાંદી-સોનાના ભાવમાં ઘટાડાના રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડ
પરનાળા ગામના 29 વર્ષિય મુક્તાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી તેમના પરિવારના સભ્યોએ 108 ટીમને જાણ કરતા પાણશીણા 108ના ઈએમટી કિશનભાઈ ભડિયાદરા અને પાયલોટ નિર્મળસિંહ ઝાલા પરનાળા ગામે આવ્યા હતા. સગર્ભાને લઈને લીંબડી સરકારી હોસ્પિટલે આવી રહ્યા હતા ત્યારે ચોરણિયા ગામ નજીક સગર્ભ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા હાલ લોકોપાસે બાકી કરવેરા ઉઘરાવવાની કાર્યવાહી હાથ રવામાં આવી છે.ત્યારે હાલ ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ તા.31 માર્ચ છે. મનપા દ્વારા શહેરના કરદાતાઓ 567 લોકોને એક કડક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે. 567 નોટીસ ઇસ્યુ કરાઇ છે તેમાં 29,95,646 રકમ ભરપાઇ
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ અન્વયે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ દ્વારા બંધારણ વિરોધી અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ગણીને તેનો વિરોધ કરાઇ રહ્યો છે. સ્
પ્રાંતિજ પ્રાંતિજની સલાલ ચોકડી ઉપર આવેલ બ્રિજ નીચે ખૂલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. સિક્સલેનનું કામ પૂર્ણ થવા પામ્યું છતાં પણ ગટર ઉપર ઢાંકણા મૂકી સુરક્ષિત કરાયા નથી. સલાલ બજારમાં રહેતા અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રોડ નું કામ પૂર્ણ થવા
અરવલ્લી એલસીબીએ ભિલોડાના રામપુરીમાં ગાડીમાંથી 2.60 લાખન દારૂ સાથે શખ્સને ઝડપી દારૂની હેરાફેરી કરનાર 4 વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એલસીબી સ્ટાફ વાહનોનું ચેકિંગ કરતો હતો. તે દરમ્યાન શામળાજી તરફથી એક નંબર વગરની ગાડી આવતાં જે ગાડીને ઉભી રાખવા પ્રયત્ન કરતાં ચાલકે ઉભી ન
યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં મોટો ભૂકંપ આવ્યો છે. અંદાજે 700 જેટલી કોલેજો પૈકી 240 જેટલી કોલેજો સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વિના જ વર્ષોથી ધમધમી રહી હોય અંતે આ ગંભીર બેદરકારી સામે યુનિવર્સિટી વહીવટીતંત્રે કડક વલણ અપનાવી વર્ષ 2026-27 માટે આવી કોલેજોની પ્રવ
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયાદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ઉપર યુવાપેઢી સમજી શકે તે માટે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરા
હિંમતનગરના સવગઢમાં નવેમ્બર માસમાં ખાનગી મોબાઇલ કંપનીએ ટાવર ઊભું કરવા અને કેબલ લાઈન નાખવા પંચાયતને 2.28 લાખનો ચેક એડવાન્સ પેટે આપી 5 થી વધુ શેરીઓના રોડ-રસ્તા ઉપર ખોદકામ કર્યા બાદ સમારકામ માટે પંચાયત કે મોબાઈલ ટાવરના સંચાલકો ફરકતા નથી. સાથે સાથે ઉબડ ખાબડ તોડી પાડેલ રસ્તા પરથી પ
મોડાસાના શામપુરની સીમમાં આવેલા ડુંગર ઉપર થતાં ખનન દરમિયાન ધડાકા કરાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાના બાળકો પણ મમ્મી બીક લાગે છે મમ્મી બીક લાગે છે ની બૂમો પાડતાં સંભળાઈ રહ્યા છે. ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી વિવા
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવે-48 પર 93 કિલોમીટરમાં બનાવાયેલ 24 બ્રિજ પૈકી 21 બ્રિજ સામે આંગળી ચિંધાયા બાદ 8 બ્રિજ અલગ તારવાયા હતા. તે પૈકી ચાર બ્રિજની નબળી કામગીરીના કારણે દોઢ વર્ષમાં જ 8 થી 10 કરોડના ખર્ચે નવેસરથી મરામત અને એક્સપાન્શનની કામગીરી કરવ
પાલનપુર તાલુકાના પટોસણ વિસ્તારમાં બે વર્ષ અગાઉ રોયલ્ટી વિભાગે કાર્યવાહી કરી ગેરકાયદે રીતે સાદી માટી ખનન અને વહન કરતા ટ્રેક્ટરને સીઝ કર્યું હતું. એક મેટ્રિક ટન માટી જપ્ત કરી ટ્રેક્ટર ડ્રાઈવર અને માલિક સામે ગુનો નોંધાયો હતો.તપાસ બાદ ગેરકાયદે ખનન, પર્યાવરણીય નુકસાન તથા દંડ
પાલનપુર તાલુકાના તાલેપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ 3 ખેડૂતોના ખેતરમાં બોરમાંથી 185 ફૂટ કોપર કેબલ ચોરી જતાં ગુરુવારે ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં અજાણ્યા ચોરોએ ગયા શનિવારે રાત્રિના સમયે ત્રણ ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી બોર
પાલનપુર મફતપુરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરોની ચેમ્બરો ઉભરાતાં ગંદા પાણી દરરોજ 100થી વધુ મકાનો આગળથી જાહેર માર્ગ ઉપર વહે છે. જેનાથી રહીશો ત્રાસી ગયા છે. પાલિકા દ્વારા સમસ્યાનો કામયી ઉકેલ ન લવાતો હોવાથી નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. પાલનપુરમાં કંથેરીયા હનુમા
નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત વિશેષ આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું ઉંડવારીયા ટોલ પ્લાઝા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનએચઆઈટી વેસ્ટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટ્રક ડ્રાઇવરો તથા સ્થાનિક નાગરિકો માટે આંખોની તપાસ તેમજ સામાન્ય બોડી ચેકઅપનું આયોજન કરા
પાલનપુરમાં માર્ક્સ ફાઉન્ડેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની 100 દીકરીઓને સર્વાઇકલ કેન્સર (HPV)ના રક્ષણ માટે રસી આપવામાં આવી હતી. જેના થકી બહેનોમાં થતાં બે પ્રકારના કેન્સર જેમ કે સ્તન કેન્સ
પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા આજે શનિવારે પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2 દિવસ સુધી પક્ષી ગણતરી ચાલશે જેમાં દેશભરના 100થી વધુ પક્ષીપ્રેમીઓ 25 ટીમમાં ભાગ લેશે. પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા ખાન
પોરબંદર જિલ્લામાં એચ.આઈ.વી બાદ હેપેટાઈટીસના કેશ સામે આવી રહ્યા છે.જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષ પૂર્વે 3 કેશ હતા જેની હવે 121 કેશ થઈ છે. જિલ્લામાં 5 વર્ષમાં કુલ 312 કેશ નોંધાયા છે. હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જ
પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલ દબાણો દૂર કરવા મનપા દ્વારા નોટીસ આપવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે પોરબંદર શહેરના હરીશ ટોકીઝ ટેક્સી પાર્કિગ અંદર રહેલા 5 રેકડી-કેબિનને મનપા દ્વારા મંદિર તેમજ ટ્રાફિકને અડચણરૂપ થતી હોવાનુ કારણ આપી નોટીસ આપી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 31/01/2026ના રોજ બપોરે 01:00 થી 03:30 કલાક દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)–2026 યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લાના અધિ
પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, 2 એસટીપી પ્લાન્ટ, 10 પમ્પિંગ સ્ટેશન બનાવવા તેમજ મેન્ટેનન્સ માટે મશીનોની ખરીદી કરવાનું આયોજન કરી આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા શહેરમાં 4 ગામોનો સમાવેશ થયો છે. અગાઉ પાલિકા હ
પોરબંદરમાં ગઇકાલ કરતા શુક્રવારે મહતમ તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન 31 ડીગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાન ઊંચકાતા બપોરે ઠંડીમાં રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે મહતમ ત
પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અઢી કલાકમાં જ 37 જેટલા બુલેટ બાઈક ડિટેઈન કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિ

28 C