કેન્દ્રીય બજેટ 2026 અંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ધરમપુરની લાયબ્રેરી ખાતે ભાજપના અગ્રણીઓ સાથે બજેટ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ 'વિકસિત ભારત 2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરનારું છે. આ બજેટમાં ખાસ કરીને
મોરબીમાં મનપાની ઢોર પકડવાની ટીમે અગાઉ ધમકી આપીને છોડાવવામાં આવેલા ઢોરને તે જ સ્થળેથી ફરીથી પકડી પાડ્યું છે. આ કાર્યવાહી થોડા દિવસો પહેલા બનેલી ઘટના બાદ કરવામાં આવી છે, જેમાં બે શખ્સોએ ટીમને ધમકી આપીને પકડાયેલા ઢોરને છોડાવી દીધા હતા. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાની આસ
અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતી ઉજવાઈ અમદાવાદમાં મધ્યકાલીન યુગના મહાન સંત અને 'બેગમપુરા'ના સ્વપ્નદ્રષ્ટા સંત શિરોમણી રવિદાસ મહારાજની 649મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા 12
જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસ
ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10 વાગ્યે, 8 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુ
રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવ
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના વિકાસકાર્યોમાં ગતિ આવશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં વિકાસના નામે થતા ખોદકામ અને તોડફોડ બાદ યોગ્ય રિપેરિંગ ન થતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના ટીબી રો
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક વેગનઆર કારમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગરના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે. ગાંભોઈ પોલીસે બળદ પગલા પાસેના ખેતરમાંથી 3.88 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાં
યાત્રાધામ દ્વારકામાં પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિયાળાના ઠંડા વાતાવરણમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશે
આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટને લઈને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જાહેરાતની આશા છે. ગુજરાતને પણ બજેટમાં ઘણી જાહેરાત થાય તેવી શક્યતા છે. આજે કેન્દ્રના બજેટને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને અમદાવાદ ખાન
પાટણ શહેરમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 161 કરોડના કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ કલેક્ટરે સિદ્ધિ સરોવર પાસે 20,000 ચોરસ મીટર જમીન ફાળવી છે. આ જમીન ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ જમીન પાટણના સાંડેસરા પાટીના સર્વે નં. 28 પૈ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શ્રવણ ચોકડી નજીકથી ચોરાયેલી સી.ડી. ડિલક્સ મોટરસાયકલનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીની બાઇક સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે નંદેલાવ બ્રિજ નજીકથી એક શંકાસ્પદ ઇસમને પકડવામાં આવ્યો હતો. તપાસ દર
લેન્સકેપ કેરળ (Lenscape Kerala) અંતર્ગત 10 પ્રખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર કેરળમાં ખેંચાયેલા 100 અદભૂત ફોટાઓનું એક વિશેષ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ (CEPT) સ્થિત હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે તારીખ 03 થી 05
પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર આજે એક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કાર
મોરબી જિલ્લાના વકીલો માટે એક સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતના
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ખાતે ગયો હતો. આ દરમિયાન ઘરમાંથી સોના ચાંદીના 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર જ્યારે પરત આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા ધાબા ઉપરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ચોર ઘરમાં આવ્યો હ
વડોદરા શહેરના અક્ષર ચોક સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. જેપી રોડ પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરામાં રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી (ઉં. 21) પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આ
નવસારીના વિજલપોર ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ મંડળ દ્વારા 31 જાન્યુઆરી, 2026ના રોજ દેવશિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના ભાગરૂપે, વિજલપોર સ્થિત ઘનશ્યામ પા
જૂનાગઢમાં આજે વહેલી સવારે સાધુ-સંતોની ભૂમિ અને ગરવા ગિરનારની ગોદમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમ
અંબાજી ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. આ પરિક્રમા માટે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ 65 બસો અંબાજી જવા રવાના થઈ હતી. આ નિઃશુલ્ક સેવાનો લાભ સરેરાશ 50થી વધુ ભક્તોએ લીધો હતો. હિંમતનગર તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાંથી કુલ 19 બસોમાં 924 ભક્
હિંમતનગરના પુનાસણ બસ સ્ટેન્ડ નજીક શનિવારે રાત્રે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કારચાલક સહિત બે યુવકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા
સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબિકા માતાજીના મંદિરે માઘ માસની પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો, જેના કારણે મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું. રવિવારે મ
આજે વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ મેરેથોનમાં 42 કિમી, 21 કિમી, 10 કિમી અને 5 કિમીની ટાઈમ રન ઉપરાંત 'જવાન રન', 'દિવ્યાંગ રન' અને 'NGO પ્લેજ રન' જેવી વિવિધ શ્રેણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રનમાં એલજીબીટીક્યુ સહિતના 800 દોડવીરો સા
અમદાવાદના મેયર પ્રતિભા જૈનના મતવિસ્તાર સહિત શહેરના કોટવિસ્તાર ગણાતા એવા જમાલપુર, શાહપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા, કાલુપુર, અસારવા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ પાણી આવ્યું નથી. મધ્ય ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડતા દૂધેશ્વર વોટર વર્ક્સમાં કોતરપુર વ
છોટા ઉદેપુર જિલ્લાના સુસ્કાલ ખાતે આવેલા મીરા એન્ટરપ્રાઈઝના રેતી વૉશિંગ પ્લાન્ટમાં 26 જાન્યુઆરીની સાંજે વીજ કરંટ લાગવાથી એક સગીરનું મોત થયું હતું. આ મામલે સરકારી શ્રમ અધિકારીએ બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવા બદલ મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે ગુનો નોંધાવ્યો છે. છોટા ઉદેપુ
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા 8 ફેબ્રુઆરી 2026ના રોજ 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોતીશા દરવાજા બહાર આવેલી ખોડીયાર માતાની વાડી ખાતે યોજાનારા આ પ્રસંગે સમાજના 9 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમની વિગતવાર માહિતી અનુસા
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા મોઢેશ્વરી ઉર્ફે માતંગી મંદિરે ૩૧ જાન્યુઆરીના રોજ ૨૫મો પાટોત્સવ ઉજવાયો હતો. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ પારેખ અને ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી નિલેશભાઈ પારેખે જણાવ્યું હતું ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નિષ્ક્રિય બનેલી કોલેજોને પુનઃ સક્રિય કરવા માટે બે દિવસીય સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજોને અગાઉ 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી હતી. કુલ 23 કોલેજોને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી, જેમાંથી 14 કોલેજોના પ્ર
સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજે (1 ફેબ્રુઆરી) પોતાના ઘરમાં પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં બિલ્ડરને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘરે જ ગોળી મારી
વલસાડ અને કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) આજે વયનિવૃત્ત થયા છે. આ પ્રસંગે બંને પોલીસ મથકો ખાતે તેમના સાથી કર્મચારીઓ દ્વારા ભાવભર્યા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મહેશ પાટીલની નિવૃત્તિ નિમ
વલસાડ તાલુકામાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાંનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શનિવારે બપોરના સમયે બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લાલચ આપી સુમસામ જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકાર
પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજ ખાતે યો
રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બરડા ડુંગરના કાસવીરડાનેશથી પૂર્વ દિશામાં આશરે એક કિલોમીટર દૂર પાણીની ઝરમાં આવેલી જગ્યાએ દ
સુરતના જાણીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ જ્યારે નિરાંતે ઉંઘતા હતા, ત્યારે આઈટીની ટીમો ત્રાટકી હતી. આ આખી કાર્યવાહી પાછળ પ્રવીણ અગ્રવાલ (પ્રવીણ ભૂત) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયેલો એક પત્ર જવાબદાર છે. પ્રવીણ અગ્રવાલે આ પત્રમાં માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ કરોડોના
સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્તનાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા ઘરે માપપટ્ટી લઈને
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા પાર્કિંગ જરૂરી બન્યું છે. જોકે, કેટલીક જગ્યાએ AMCએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે. કારણ કે, AMCએ અણઘણ આયોજન કરી પાર્કિંગ બનાવી દીધા છે. શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગની સમસ્યા રહે છે, ત્યારે દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરે
મહારાષ્ટ્રના મુંબઈમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. રોહિત શેટ્ટી મુંબઈના જુહુ વિસ્તારમાં રહે છે. તેમના ઘરની નજીક બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓના પણ ઘર છે. આ ઘટના શનિવારે રાત્ર
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસ પાર્ટીના દાવાના રહ્યા. પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ એપ્સટિન ફાઇલ્સમાં દેખાય છે. બીજા મોટા સમાચાર ઇરાનના સાત શહેરોમાં બોમ્બ વિસ્ફોટના અહેવાલો હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. કોંગ્રેસે કહ
ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર–ઓખા એક્સપ્રેસ અને ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19209, 19210)માં તાત્કાલિક ધોરણે એક થર્ડ એસી કોચ તથા ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન (20966, 20965
ભાવનગર કોર્પોરેશન હસ્તકના લીઝ હોલ્ડ પ્લોટના રીન્યુઅલ અને હેતુફેર સહિતના મુદ્દે વર્ષોથી ભ્રષ્ટાચારના છાંટા ઉડી રહ્યા છે ત્યારે આજે આજે મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના સભ્યો દ્વારા ખુલ્લેઆમ લીઝ પટ્ટા રીન્યુમાં ભાજપ ચેક થી રૂપિયા લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે બી
ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના અંતર્ગત વિવિધ કેશ ક્રેડિટ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી જિલ્લામાં કુલ 247 સખી મંડળ જૂથોને રૂ. 543 લાખની
ભાવનગર શહેરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. અને મોટાભાગનો વિકાસ ભાવનગર કોર્પોરેશન રોડ પાછળ જ કરે છે જે વાસ્તવિકતા છે. વર્ષ 2024-25 માં કોર્પોરેશનની હદમાં કુલ 473 કામ સૂચવ્યા હતા તે પૈકી 316 કામ જ પૂર્ણ થયા છે. વર્ષ 2024 - 25 દરમિયાન ભાવનગર કોર્પોરેશનની હદમાં સૂચવેલા ક
લાંબા સમયથી જર્જરીત હાલતમાં ગરકાવ થયેલી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકની ઘોઘા જૂના બંદરની કોંક્રિટ જેટી (વાર્ફ)ની કંગાળ હાલત અંગેના સવિસ્તર અહેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને તત્કાળ ધોરણે આ જેટીના ઉપયોગ ઉપર પ્રતિબ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા માર્ચ 2026માં યોજવા જઈ રહ્યો છે 10મો દીક્ષાંત સમારોહ એક નવો ઇતિહાસ રચાવ જઈ રહ્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વાર, દીક્ષાંત સમારોહ જેવી મહત્ત્વની ગરિમા પૂર્ણ ઇવેન્ટ તમામ વહીવટી અને વ્યવસ્થાપક સ
શનિવારે સવારે જાણે શિયાળો વિદાય લઇ રહ્યો હોય તેવું વાતાવરણ ભાવનગર શહેરમાં સવારે જોવાં મળ્યું અને સાથે મસ્ત મજાનું ધુમ્મસ તો ખરું જ. હુંફાળું વાતાવરણ અને ધુમ્મસ હોવાથી મજાના વાતાવરણમાં બોરતળાવ વચ્ચે આવેલો પ્રચલિત ટાપુ જાણે ખોવાઇ ગયો હોય તેવો અથવા ટાપુ તરતો હોય તેવો આભાસ થ
02 સોમવાર: વેટલેન્ડ દિવસની યુનિ.માં ઉજવણી• વિશેષતા : આ દિવસ માનવ સમાજમાં જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવા માટે ઉજવાશે 04 બુધવાર: કેન્સર દિવસની ઉજવણીની રેલી• વિશેષતા : કેન્સરનાં લક્ષણો અને કેન્સર થવાનાં કારણો પ્રત્યે લોક જાગૃતિ કાર્યક્રમ 08 રવિવાર: હિનદી ફિલ્મ
ગાંધીનગરના વલાદથી ચિલોડા તરફ જતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે મુશ્કેલી બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર અઠવાડિયે 4 થી 5 દિવસ અહીં 2 કિલોમીટર સુધી વાહનો ટ્રાફિક જામમાં અટકી જાય છે, ગઈકાલે એક ટ્રકે કારને ટક્કર મારતાં રસ્તા પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને થ
વલસાડ પાલિકામાં ભાજપને શહેરીજનોએ ગત ચૂંટણીમાં ખોબે ખોબે મતો આપી 44માંથી 41 બેઠકો આપી છતાં અંદરોઅંદર ભારે મતભેદ અને જૂથબંધી ચાલી રહી છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનને પણ સભ્યો ગાંઠતાં નથી તેવું પાલિકા સભાગૃહમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદારોનો વિશ્વાસ ડગમગી જાય તેવુ
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાતે આવી રહયાં છે. કેવડિયાના મુખ્યબજારમાં 6 માર્ગીય રસ્તો બનાવવામાં આવી રહયો છે. આ રસ્તાના નિર્માણ માટે 300 જેટલા વૃક્ષોને કાપવાની નોબત આવી છે. કેવડિયામાં પોલીસ સ્ટેશનથી સહકાર ભવન સુધી આરસીસીનો 6 માર્ગીય
નર્મદા જિલ્લામાં લોકોની સમસ્યાઓ તથા પડતર પ્રશ્નોના નિવારણ માટે ફરીથી સેવાસેતુ કાર્યક્રમ શરૂ થવા જઇ રહયો છે.પ્રથમ તબકકો 28મીથી શરૂ થઇ ગયો છે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબકકો 7મી માર્ચથી શરૂ થશે. જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાના અધ્યક્ષતામાં સેવાસેતુ (ગ્રામ્ય)
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી સામુહિક દવા વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત 289 ગામોના કુલ 3.55 લાખ લોકોને આવરી લેવામાં આવશે. નર્મદા જિલ્લાની આરોગ્ય શાખા તરફથી નેશનલવેક્ટર બોર્ન ડિસીઝ કંટ્
પોરબંદર શહેરમાં હાલ પણ અનેક ઐતિહાસિક સ્મારકો અને બિલ્ડીંગો ઉપલબ્ધ છે.પોરબંદર શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન નજીક શહીદ નાગર્જુન સીસોદીયા પાર્ક આવેલ છે. આ પાર્કમાં વર્ષ 23 નવેમ્બર 1928ના દિવસે દાતાઓના સહયોગથી પીવાના પાણી માટે મોનિડોર બનાવવામાં આવ્યું હતું. હાલ પણ આ બગીચામાં 97 વર્ષ પૌર
બાંટવામાં દરવાજો હટાવવા મુદે 3 શખ્સે લાકડી વડે હુમલો કરતા યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મળતી વિગત મુજબ, બાંટવાના હુસેનપરામાં રહેતા અને ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા 42 વર્ષીય ધવલભાઈ હરસુખભાઈ પીઠડીયા શુક્રવારે બપોરના પોતાના ઘ
વડીયામાં બીએલઓ, પત્રકાર, સરકારી કર્મચારીઓ, પેન્શનર, ગ્રામપંચાયત સદસ્ય સહિતના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતા હડકંપ મચ્યો છે. મતદારો અરજી માટે માલતદાર કચેરીએ દોડી ગયા અને અરજી કરી હતી. રાજ્યમાં SIRની અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તંત્ર પા
અમરેલી તાલુકાના સોનારીયામાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને નદીની સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારીયાથી ચાંદગઢ સુધી 6 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ સહિતની આડશની સફ
અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. એપ્લિકેશન અપડેટ કરવા અને બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી 4.50 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. અમરેલીના રંગપુરમાં રહેતા વિપુલભાઈ નાગજીભાઈ રાદડીયા (ઉ.વ.48)ને એક મોબાઈલ નંબર ધારકે વોટસએપ કોલ કરી એસબીઆઈ યોનો એપ્લીકે
સાવરકુંડલાના દેતડમાં ધાતરવડી નદીમાં પડી જતા 36 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સાવરકુંડલાના દેતડમાં રહેતા પુનાભાઈ મધુભાઈ વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રકાશભાઈ વિનુભાઈ વાઘેલા (ઉ.વ.36) 30 જાન્યુઆરીના ધાતરવડી નદીન
અમરેલી જિલ્લાની જુદી જુદી શાળામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ માટે સલામતી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા બગ
અમરેલીમાં આજે ન્યુનત્તમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. અમરેલીમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતું. અહીં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી
અમરેલીના નાના માચીયાળામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 75 લાખના ખર્ચે સીસીટીવી, સ
ભાલગામના પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. મમતાબેન મેવાડાની ફરિયાદ મુજબ, તેમના લગ્ન જેતપુર તાલુકાના નવાગઢ ના ધર્મેશ સોમાભાઈ મેવાડા સાથે 2022માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ, સસરા સોમાભાઈ પુંજાભાઈ, સાસુ વનીતાબેન, જેઠ પીન્ટ
શહેરના એક યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 શખ્સે રૂપિયા 95,000 પડાવી લીધા હતા જોકે એસઓજીએ ગણતરીની કલાકોમાં આરોપીને કોલ રેકોર્ડિંગ આધારે પકડી લીધા હતા. શહેરમાં સરદાર બાગ પાછળ આવેલ ગુલિસ્તાન સોસાયટી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અરમાન જાહિદ ભાઈ થઇમ નામના યુવક બાઈક લઈ
દિવ્ય ભાસ્કર અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોકોમાં સુરક્ષિત રોકાણ માટેની જાગૃતિ આવે તે માટે જૂનાગઢની રેલવે સ્ટેશન રોડ પર આવેલી લીલા બીજોટેલ (રંગત) હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વક્તા દ્વારા સુરક્ષિત અને લાંભા ગાળાનું નફાકારક રોકાણ કઈ રીતે
જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પીએચ.ડી. કોર્સવર્કનો સમાપન સમારોહ યોજાયો હતો. કુલપતિએ 22 વિષયોના 184 સંશોધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિશ્વ કલ્યાણની ભાવના રહેલી
જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં આર્થિક ભારણના કારણે જુદા જુદા કરદરમાં મળી રૂા.9.10 કરોડનો વધારો સુચવાયો છે. અંદાઝપત્રમાં જાહેર થયા અનુસાર મનપા પર અંદાજિત 1027 કરોડ (વિવિધ વિભાગો અને સરકાર)નુ દેણુ છે જયારે મહાપાલિકાને શહેરી
જામનગર શહેરમાં પૈસાની લેતી-દેતી બાબતે એડવોકેટની ઓફીસમાં ઘુસીને છરીની અણીએ રૂ.10 લાખની માંગણી કરીને આરોપીઓએ રૂ.10 હજારની લૂંટ કરી હતી. બાદમાં એડવોકેટનું અપહરણ કરીને બાકીની રકમ કઢાવવા માટે ધમકી આપી હતી. આ બનાવમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત 4 શખસો સામે ફરિયાદ નોંધાતા શહ
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજયભરમાં આગામી તા.5મી ફેબ્રુઆરીથી ઘો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાશે. જામનગર શહેરમાં જુદા જુદા ચાર પરીક્ષા કેન્દ્ર અને ધ્રોલમાં બે પરીક્ષા કેન્દ્ર રહેશે.જેને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી દેવાઇ છે. આગામી ત
જામનગર સુથાર જ્ઞાતિમા વિશ્વકર્મા જયંતી ઉત્સવમાં જ્ઞાતિના 7000થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે હવન તેમજ 11 થી 12 સભા સંબોધન અને 12.30ના મહાપ્રસાદ યોજાયો હતો. આ ઉત્સવમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં દર્શનને લાભ લીધો હતો અને જ્ઞાતિના પ્રમુ
જામનગરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પંચકોષી બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયેલા 15 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે. પંચકોષી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાંથી અરજદારોના મોબાઇલ ગુમ થયાની પોલીસ ફરિયાદ બાદ પોલી
જામનગર શહેરના હિમાલય સોસાયટીમાં નેપાળી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગયો છે અને યુવાનને માથાના ભાગે ઈજા હોવાથી પોલીસે હત્યાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. છતાં પોલીસે હોટલમાં કામ ક
જામનગર શહેરમાં જમવા માટે ઈંડાકળીની રેંકડીએ પાર્સલ લેવા જતાં યુવક ઉપર બે શખસોએ હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રણજીતસાગર રોડ, ન્યુ હર્ષદમીલની ચારલી શેરીનં-1માં રહેતા રાજેશભાઈ હમીરભાઈ સાદીયા (ઉ.વ.48) નામના ય
જામનગરમાં માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરીને ડામવા માટે સતત કાર્યરત રહે છે ત્યારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે પીજીવીસીએલની ચેકિંગ ટીમ કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ ચેકીંગવડોદરાથી ધસી આવેલી જીયુવીએ
જામનગર શહેરના કોર્ટ પરિસરમાં શનિવારે સવારના સમયે સુરક્ષા વ્યવસ્થાને લઈ અચાનક બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન કોર્ટ પરિસરના વિવિધ વિસ્તારો, કોર્ટ રૂમ, પાર્કિંગ એરિયા તેમજ આવન-જાવનના માર્ગોનું ઝીણવટભર્યું નિરીક
કાલાવડમાં વેપારી પુત્રએ ઓનલાઈન ખરીદેલી વસ્તુ ઉપલબ્ધ ન હોવાનો કોલ કરીને અજ્ઞાત શખસે પૈસા પરત આપવા વાત કરી હતી અને વેપારીના પુત્રએ પિતાના ગુગલ-પેમાંથી રીકવેસ્ટ મોકલી હતી. જેના પરથી શખસે પીન નંબર મેળવીને વેપારીના ખાતામાંથી રૂ.4.15 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા મામલો પોલીસ સ્ટ
શહેરની કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી કોલેજ દ્વારા આયોજિત બે દિવસીય આંતર કોલેજ એથ્લેટિક સ્પર્ધાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 30 અને 31 જાન્યુઆરીના યોજાયેલ આ સ્પર્ધામાં ગાંધીનગર યુનિવર્સિટી હેઠળની વેટરનરી, ડેરી સાય
આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિનો મીની કુંભ મેળો થનાર છે. મેળાને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મિનિકુંભ એવા મહાશિવરાત્રી મેળાને લઇ વહીવટી તંત્ર અને ઉતારા મંડળની બેઠક મળી હતી. જેમાં વીજ કનેકશનને લઈ ઉતારા મંડળમાં કચવાટ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ
કેશોદના ખમીદાણા ગામે જુન મહિનામાં આયુષ્યમાન કાર્ડ કાઢવા ગયેલાં 65 વર્ષિય સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઈ બારૈયા નામનાં વૃધ્ધા ગુમ થવાની ઘટના બનવા પામી હતી. ત્યારે વૃધ્ધા પાસે 15 તોલા સોનું અને 2 લાખ રોકડા હોવાની વૃદ્ધાના ભત્રીજા એ જાહેરાત કરી હતી. મહિલાને ગુમ થયાને લાંબો સમય
જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર હાલ સિક્કિમના પ્રવાસે છે. સિક્કિમમાં પંચાયતી રાજની મજબૂત વ્યવસ્થા અને ગ્રામીણ વિકાસની અનોખી પદ્ધતિઓનો અભ્યાસ કરવા રાજ્ય સરકાર દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્કિમની મુલાકાત દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી બાબત સામ
જૂનાગઢ શહેરમાં આવેલ બહુમાળી ભવનની કચેરીમાં છેલ્લા ઘણા દિવસથી પાઇપલાઇન લીકેજ થતા પાણી વહેવાનુ શરૂ થયુ હતુ. દિવાલમાંથી પાણી વહેતા કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયેલુ જ રહેતુ હતુ. જેને કારણે અરજદારોને આવન-જાવનમાં મુશ્કેલી રહેતી હતી. ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોને ચાલવુ
જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે હવામાનમાં પલટો યથાવત રહેવાથી 3 દિવસમાં તાપમાન 5.9 ડિગ્રી વધતા ઠંડીમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ગિરનાર પર્વત પર ગુરુવારે લઘુત્તમ તાપમાન 5.5 રહ્યા બાદ શનિવારે સતત ત્રીજા દિવસે પણ સવારનો પારો 1.9 ડિગ્રી ઉપર ચડીને 11.4 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણા
જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 31 જાન્યુઆરીના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઇટી)ની પરીૅક્ષા યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં 14,390 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 11,144 હાજર રહ્યા હતા. પેપર એકંદરે સામાન્ય રહ્યુ હતુ. શિક્ષણવિભાગમાંથી મળતી માહિતી મુજબ 31 જાન્યુઆરીના રોજ યોજાયેલ સીઇટ
ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ હેઠળ આવતા બોરીગાંવઠા ગામ નજીક લાકડા તસ્કરી અટકાવવા ગયેલા વનકર્મીની તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકારમાં ફરજ બજાવી રહેલા વનકર્મી પર 3 જેટલા તસ્કરોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દી
એસ.પી. રીંગરોડ નજીક આવેલા વટવા રોપડા ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે એક યુવકને 1.70 કરોડની 1.718 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે.ભાવનગરથી તેના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા અમદાવાદ આવ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર આરોપી તેન
મોડાસાના ગાઝણ ખાતે આવેલી કૃષ્ણા નર્સિંગ કોલેજમાં 'કૃષ્ણા ટેલેન્ટ ફેસ્ટા' અંતર્ગત સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યુ
રાજકોટ રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપલો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે રૂ.14 લાખની કિંમતનો 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઓરિસ્સાથી રાજકોટ ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવનાર 2
રાહી ફાઉન્ડેશન દ્વારા 212મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાહપુરના શંકર ભુવનના છાપરા, ચામુંડાની ચાલી પાસે અને નદીના પટમાં યોજાયો હતો. આ વિતરણનો લાભ શ્રમજીવી પર
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં મહિનાના ચોથા શનિવારે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે સલાડ ડેકોરેશન કર્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગાજર, બીટ, વટાણા, કોબી, મરચું, ટામેટા, મૂળો, કેળા, સફરજન જેવી શાકભાજી અને ફળો લાવ
રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહ 01 ફેબ્રુઆરી, 2026 રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને

31 C