સુરેન્દ્રનગર પોલીસે ST બસ સ્ટેન્ડ પરથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાટડીના પદિવાળા ગામનો મુનાભાઈ જાનુભાઈ ફતેપરા છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અ
પોરબંદરમાં VISWAS પ્રોજેક્ટ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતાથી એક નાગરિકનું ખોવાયેલું મોટરસાયકલ ઝડપથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે ચોરી જેવી ઘટના ટળી હતી અને મોટરસાયકલ તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. ઘટનાની વિગત મુજબ, તા. 24 જા
નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. જે આખરે ભારત પરત ફરી છે. વડોદરાના એક એજન્ટે તેમને ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી વિદેશ મોકલી તબેલાનું કામ કરાવ્યું હતું. મીના જોશી નામની આ મહિલાએ બેલારૂસમાં પોતાના શોષણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી મદદ માંગી હતી. આ
વઢવાણ તાલુકાના કેરાળા ગામના ગીતાબેન મદારસંગભાઈ ચાવડાનો ત્રણ તોલા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ થેલો મૂળ માલિકને પરત કર્યો છે. ગીતાબેન સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી
નવસારી જિલ્લામાં વકરી રહેલા ગાંજા અને અફીણના દૂષણને ડામવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓએ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા બહારના શખ્સો નવસારીમાં આવી ન
સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના 13મા દિવ્ય પાટોત્સવ સાથે 26 જાન્યુઆરી સુધી યોજાશે. શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન ક
ગોધરા તાલુકાના છારીયા ગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની સાત દિવસીય શિબિર સંપન્ન થઈ. આ સમાપન સમારોહમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સેક્રેટરી કુ. કામિનીબેન સોલ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ' વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદના રહેવાસી અને આ ગેંગના સક્રિય સભ્ય દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ પો
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની 6 માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ
મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણે પોતાની પ્રેમિકા પાસેથી લીધેલા પૈસા પરત કરવા માટે કરી હતી. મહીસાગર એસઓજીએ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે અને ચોરાયેલા દાગીના પણ પાછા મેળવ્યા છે. આ ઘટ
હિંમતનગર તાલુકાના આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે 6.129 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 30,64,500 આંકવામાં આવી છે. પોલીસે અફીણ આપનાર અને લેનાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર
વલસાડ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલને મળીને સ્લીપર બસો માટેના નવા સુરક્ષા નિયમોના અમલીકરણની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. સરકારે જાહેર કરેલા આ નિયમોના પાલન માટે અપાયેલી 30 દિવસની ટૂંકી મુદતને કારણે ટ્રાવેલ્સ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં સરકારે લક
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક અનોખી જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે. આવતીકાલે, 25મી જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય અશ્વ રેલી યોજાશે. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવાનો છે, તેમ વલસાડ જિલ્લા પોલીસ વ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરથી બટાકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹74.60 લાખથી વધુ છે, જ્યારે કુલ ₹95.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. તેમણે નમો વનના ઝડપી વિકાસ અને લીલાછમ વાતાવરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના વધુ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ
સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી
ઘોઘંબા તાલુકાના ચાઠી ગામે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી.રામ.જી યોજના' (VB-GRAMG) અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોના ઉત્થાન અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને આજે સવારે આ અંગેની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક વિગ
સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડ્યો હતો. આ પ્લેટ નીચે માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના
હિંમતનગર નગરપાલિકા દ્વારા ત્રિ-દિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થયો છે. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન હિંમતનગરના કેનાલ ફ્રન્ટ, નમસ્તે સર્કલ નજીક આયોજિત આ ફેસ્ટિવલમાં લાઈવ મ્યુઝિક, બાળકો માટે મૌલિક રમતો, ફ્લાવર-શો અને વિવિધ દેશી ધાન્યોમાંથી બનેલી વાનગીઓનો સ્વાદ માણી
પાલનપુર-આબુ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આબુરોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી રહેલી કાર પર કાળ બનીને ત્રાટકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે, જેમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હોવાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગેરેજ સંચાલક યુવકને રૂપિયાની જરૂર ઉભી થતા 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ વ્યાજખોરે આ સમયે 2.40 આપી બાદમાં 20% જેટલું વ્યાજ માંગણી કરવાનું શરૂ
વડોદરાની એમએસયુના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલની વડોદરા પોલીસ કમિશનરે તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે. વિવાદિત ટ્રાફિક કોન્સ્ટેબલને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પર રહેલા ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજમુક્ત કરી દેવા
જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અ
ગાંધીનગરના લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું મનમોહક સંગમ જોવા મળ્યું.
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પાણિયા ગામે આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલા પેથાપુર તળાવ કિનારેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની ઉચ્ચ પો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ₹1042 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રિમોટ કંટ્રોલથી તકતી અનાવરણ કરી જિલ્લાના વિકાસના કામોને ખુલ્લા મૂક્યા હતા. આ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
ગાંધીનગર સ્થિત ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી (CUG) ના UGC-MMTTC દ્વારા આયોજિત ‘પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાન-પરંપરાના સમાવેશ’ વિષય પરના 6-day ક્ષમતા સંવર્ધન કાર્યક્રમનો તાજેતરમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના સંયુક્ત સચ
પાટનગરને સ્માર્ટ સિટી બનાવવાના બણગાં ફૂંકતા સત્તાધીશો અને ચૂંટણી વખતે હાથ જોડીને મતો માંગવા આવતા નગરસેવકો સામે સેક્ટર-24ના રહીશોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. આદર્શનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ અને હાલમાં ચાલી રહેલા ગટર પાણીના કામોમાં દેખીતા ભ્રષ્ટ
સુરતના વેલંજા ખાતે આગામી 25 January ના રોજ ‘એડવાન્સ સેમીકન્ડક્ટર મટીરીયલ એન્ડ ટેકનોલોજી 2026’ (ISASMT 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કવાડક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સમિટ ભારતને ડીપ-ટેક ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા નહેર સુધારણા પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરી. મંત્રીએ જલાલપોર તાલુકાના મહુવર અને એરુ ગામમાં ચાલી રહ
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ખોટી રીતે નામો કમી કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને ર
અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરીની વધતી ફરિયાદોને પગલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી A કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. આ ટેકનિકલ સુધારાને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કર
અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ માનવતાભરી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 24 January ના રોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાંબ
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ન્યૂ રાણીપમાં ગત 8 જાન્યુઆરીના રોજ એક વૃદ્ધ દંપતિ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી. આ મામલે વૃદ્ધ દંપતિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મદારી ગેંગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગીતાજી અધ્યાત્મ શાસ્ત્ર છે, જ્યારે શિક્ષાપત્રી એ જિંદગીનું 'મેનેજમેન્ટ શાસ્ત્ર' છે. 212 શ્લોકો ધર
વર્ષ 2016 માં સુરતની સેશન્સ કોર્ટમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુન્હાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2019માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે જેઠાણીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકો
24 કલાકમાં તાપમાન 3 થી 7 ડિગ્રી ઘટ્યું 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 3થી 7 ડિગ્રી ઘટ્યો. અમદાવાદમાં પણ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. હજુ આગામી બે દિવસ ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગોળી આકસ્મિક નહીં, હત્
ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામોમાં તાજેતરમાં 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ (VB G RAM G) બિલ 2025' અંતર્ગત જન જાગરણ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીને વિશેષ ઉપસ્થિત રહીને ગ્રામજનોને આ ક્રાંતિકારી યોજ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ખટોદરા પોલીસ હાલ એક નિર્દયી માતાની શોધખોળ કરી રહી છે. આ મહિલા પોતાની માત્ર 20 દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના NICU વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફ
અમેરિકાથી પરિવાર સાથે અમદાવાદ આવેલા એક વૃદ્ધાના રૂ. 8.25 લાખના દાગીનાની ચોરીનો કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે, જે નાના બાળકોને સાથે રાખીને બસમાં મુસાફરી દરમિયાન ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. અડાલજમાં રહેતા 83 વર્ષીય સર્
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ સતત સક્રિય છે. જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં,
સતલાસણાના મુખ્ય વિસ્તાર ગણાતા મોદી માર્કેટમાં આવેલ એક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. મોદી માર્કેટમાં કાર્યરત કોહિનૂર પ્રિન્ટિંગ પ્રેસના ઉપરના માળે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. સદનસીબ સ્થાનિક લોકોની તાત્કાલીક કામગીરી
ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 9.90 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં, શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે લોકસ
નવસારીના ચીખલી તાલુકાના નોગામા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી છે. અજાણ્યા ચોર ઈસમો ઘરના આગળના ભાગે આવેલી સ્લાઈડિંગ બારીનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટની તિજોરીમાંથી અંદાજે ₹1.50 લાખના સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક આદિવાસી સગીરાના કથિત અપહરણની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. આ ગંભીર બનાવ અંગે ભાજપના સ્થાનિક નેતાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સાથે જ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. ભાજપ
ભરૂચના નાઈટ શેલ્ટર હોમે મહારાષ્ટ્રની એક બીમાર અને નિરાધાર મહિલાને આશ્રય આપી સ્વસ્થ કરી છે. આશ્રયસ્થાનની મદદથી મહિલાનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન થયું હતું, જે ઘરવિહોણા અને સંકટગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રની એક યુવાન મ
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન મેઘરજ ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલમાં કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન નિવાસી અધિ
સોમનાથ નજીક બાયપાસ રોડ પર સિંધી સોસાયટી વિસ્તારમાં સુખધામ યાત્રીભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ યાત્રીભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે બે દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સહિ
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 1483 બોટલ વિદેશી દારૂ, બે કાર અને ત્રણ એક્ટિવા સહિત કુલ રૂ. 18,35,075નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ
ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા પોપટપુરા ગામમાં એક કારખાના માલિક સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. મીનરલ પ્રોડક્ટ સેલ નામના આ કારખાનામાં રાજ્ય બહારના શ્રમિકોની નોંધણી બાબતે બેદરકારી દાખવવા બદલ BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્
સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવી છે. માતા દીકરાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યો હોવાની શક
સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લિંબાયત વિધાનસભા બેઠક આ યાદીમાં અપવાદ બની છે. અન્ય તમામ બેઠકો પર વ્યક્તિગત ધોરણે વાંધા અરજીઓ મળી છે, જ્યારે લિંબાયતમાં આશરે 5,000 થી વધુ વાંધા અરજીઓ રાજકીય હેતુથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દારૂ પીવાના આરોપસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તપાસમાં તેઓ નશામાં હોવાનું સાબિત થતાં તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના મોતીપુરમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાની આ ઉજવણી હિંમતનગરના મોતીપુરમાં આવે
હીરા અને કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાંથી નાણાકીય છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી રાધાકૃષ્ણ માર્કેટની એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના મળતિયાઓ સાથે મળીને માલિકના વિશ્વાસનો ખૂન કર્
વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી અને ત્યારબાદ રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયા
અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક કાર ચાલકને રોકીને તોડફોડ કરી મારામારી કરી હતી.ગ્યાસપુરના વેપારીની થાર ગાડીને આંતરી 3-4 શખ્સોએ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે CCTV અને ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. તમે ફાયરિંગ કરીને આવ્યા હોવાનું
કોડીનારના ગોહિલની ખાણથી મૂળ દ્વારકા તરફ જતા રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે JCBની મદદથી પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યાર
ગાંધીનગર અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે બાલાપીર સર્કલ પાસે લક્ઝરી ટ્રાવેલ્સમાંથી ઉતારેલો દારૂનો જથ્થો રિક્ષામાં કલોલ પહોંચાડે તે પહેલા જ હાઈવે રોડ પર 'Z' આકારે બેરિકેટિંગ કરી અમદાવાદના બે ઈસમને દારૂ બિયરના જથ્થો મળીને કુલ 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્
રાજ્યના સૌથી ચકચારી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે મોટા શેડ બનાવી દેવામાં આવે છે. જેની કોઇપણ પ્રકારની વપરાશ પરવાનગી વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શહેરના ચાંદખેડા TP-44 વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિરની સામે ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કં
પોરબંદરમાં વિશાલ ગેડીયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. તેણે 19 લોકોના સોના-ચાંદીના દાગીના ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી આશરે ₹1.35 કરોડ હડપ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. કીર્તિ મંદિર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, વિશાલ ગેડીયા લોક
છોટા ઉદેપુરમાં ગૌહત્યા કેસના એક આરોપીને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી છોટા ઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ કરવામાં આવી છે. આ કેસ છોટા ઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાન સા
પીપલ ટ્રી ફાઉન્ડેશન દ્વારા ગોધરામાં સંચાલિત CSR તાલીમ યોજના હેઠળ 525 યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ પૂર્ણ કરનાર 365 યુવાનોને સફળતાપૂર્વક રોજગારી મળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને મફત શિક્ષણ અને નિશ્ચિત રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બન
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા એક પરિવારની વૃદ્ધા સાથે મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની છે. વતન કંબોઈ ખાતે ધાર્મિક પ્રસંગમાં જવા નીકળેલા મધુબેન જોષીના થેલાને કોઈ અજાણ્યા શખ્સે કાપી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલું પાકીટ સેરવી
સુરતના ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં આજે (24 જાન્યુઆરી) રસ્તા પર ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા, જ્યાં એક દંપતી વચ્ચેના પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્ની વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા, જેને ઉકેલવા માટે બંને પક્ષના સગા-સંબંધીઓ અને પરિચ
ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલા કેસમાં સરકારે SITની રચના કર્યા બાદ જયરાજ આહીરની પણ પુછપરછ કરવામાં આવ્યા બાદ આ વિવાદ શાંત થવા બદલે ઉગ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવા
ગોધરા તાલુકાના વાવડી રેલવે સ્ટેશન નજીક LC 64 અંડરપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ગોધરા-આણંદ રૂટ પર હાથ ધરવામાં આવી રહી છે. રેલવે દ્વારા 'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે ફાટક પર થતા અકસ્માતો ઘટાડવાનો અને ટ્રા
વસ્તી ગણતરીની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે સંઘ દ્વારા વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતની આ
સરકાર દ્વારા 'અમૃત સરોવર' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ગોધરા તાલુકાના ટુવા ગામમાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. તંત્રની ઉદાસીનતાના કારણે ગામનું મુખ્ય તળાવ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે, જે હવે સ્થાનિક રહીશો અને શાળાના બ
મોરબીમાં OLX પર ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને એક વૃદ્ધ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ગ્રીનચોક પાસે આવેલી નાની હનુમાન શેરીમાં રહેતા
કોરોના મહામારી બાદ હવે દેશમાં એક વધુ જીવલેણ વાયરસે ચિંતા વધારી છે. ભારતના વિવિધ રાજ્યોમાં નિપાહ વાયરસના કેસો સામે આવી રહ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના કેસ નોંધાતા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સંક્રમ
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે યુવાનની હત્યા કરનાર સાળા સહિત બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની મદદથી જામકંડોરણા પાસેથી તેમની ધરપકડ કરવામ
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે આજે બપોરે 3 વાગ્યે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો છે. SIT દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં
દાહોદ શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા બી-કેબિન વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. બે આખલાઓ વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં એક આખલાએ જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દુખદ ઘટના બાદ તંત્રની જે સંવેદનહીનતા સામે આવી છે
પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલ.સી.બી. પાટણ દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને
ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ (આપ) દાહોદ જિલ્લામાં આક્રમક રણનીતિ અપનાવી ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડ
બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફ્ટી માસ અને 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાયેલી આ રે
જામનગર શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે. આ ઠંડા પવનને કા
પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણમાં બ્રહ્મસમાજ અને અન્ય સમાજના આગેવાનોએ પ્રતીક ધરણા યોજ્યા હતા. શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક
26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદના બોપલ વિસ્તારમાં દેશભક્તિના રંગે રંગાયેલો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી 'ટ્વિસ્ટેડ રૂટ્સ' (Twisted Roots) ખાતે 25 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યે આઝાદીનો ઉત્સવ અંતર્ગત વિખ્યાત 'એહ
ભરૂચ જિલ્લાના બંબુસર ગામ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોએ પાવરગ્રીડ અને જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ-ટેન્શન વીજ લાઈનોના કામ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ કામમાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કાયદાકીય પ્રક્રિયાઓને અ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી શિક્ષકોનું મહેકમ,
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદના રૂ. 1200 કરોડના પ્રોજેક્ટના કામગીરી પર ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક વાગી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે જે દરમિયાનમાં દસ્ક્રોઇ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી
પ્રવાસન માત્ર ફરવા પૂરતું મર્યાદિત નથી, પણ જ્યારે તે જ્ઞાન સાથે જોડાય છે ત્યારે 'સ્માર્ટ પ્રવાસન' બને છે. 25મી જાન્યુઆરી, 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ' નિમિત્તે રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર એક આદર્શ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અત્યાર સુધીમાં દેશ-વિદેશના 3,45,000 થી વધુ મુલાકાતી
પાલનપુરમાં એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 339 બોટલ/બિયર જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત ₹70,010 આંકવામાં આવી છે. આ કાર્યવાહી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ
વડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા બેટરીના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ થતા ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. કાર અને બાઈક બેટરીના ગોડાઉનમાં આગવડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા કાર અને બાઈક બેટરીન

24 C