કચ્છના આદિપુરમાં આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ પ્રસંગે બ્રહ્મ સમાજની 102 દીકરીઓના કન્યાદાન થયા. કચ્છમાં એક જ સ્થળે આટલી મોટી
સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી UPની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી. જ્યારે પોલીસને બાતમી મળી કે, ATM બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીયાવ ગામમાં છુપાયા છે,
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ નજીક આજે વહેલી સવારે અડાલજથી આવતી એક ટૂરિસ્ટ બસ અને ઓક્સિજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, પરંતુ બસમાં સવાર તમામ ૩૬ મુસાફરો સુરક્ષિત છે. આ અકસ્માત સવારે ૫:૫૫ વાગ્યાના અરસામાં બન્યો હ
પાવી જેતપુર પોલીસે પાવી ગરનાળા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે રૂ. 1,71,902/-નો દારૂ અને રૂ. 5,00,000/-ની ગાડી સહિત કુલ રૂ. 6,71,902/-નો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પાવી જેતપુર પોલીસ સ્ટાફ વનકુટીર ત્રણ રસ્તા નજીક વાહન ચ
પોરબંદર શહેરમાં કમલાબાગ પોલીસે એક વર્ષથી વધુ સમયથી વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત 40,000 રૂપિયા છે. ઝડપાયેલા આરોપીઓમાં કિશન ગોરધનભાઈ સાડમીયા, નવઘણ રામજીભાઈ સાડમીય
પોલેન્ડમાં નોકરી અને વર્ક વિઝાના બહાને 2 આરોપીએ મળીને 9 લોકો સાથે 6.69 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોંકળામાંથી પિતા પુત્રની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ગત 16 તારીખના રોજ ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શખ્સને દારૂ પીધા બાદ પત્ની સાથે બોલાચાલી થઇ હતી બાદમાં પિતા પુત્ર ગુમ થયાની જાણ પોલીસને કરવા
ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર પલટો લેવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 20 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં કડકડ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા પાંચ દિવસીય નેશનલ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ક્રાફ્ટિંગ નોલેજ: વર્કશોપ ઓન મટીરીયલ કેરેક્ટરાઇઝેશન ટેકનીકસ વિષય પર 19 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. તેનું આયોજન રસાયણશાસ્ત્ર અને ભૌત
વડોદરા શહેરમાં ટ્રાફિક અને રસ્તાના કામોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા એક મહત્ત્વની જાહેર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અને ત્યારબાદ નવા રોડના નિર્માણને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવ
ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે છેલ્લા એક વર્ષથી વાઘની હાજરી નોંધાઈ છે. આ વાઘના જીવ પર ગેરકાયદે રેતીના ડમ્પરોથી ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. રાજ્યમાં 40 વર્ષ બાદ વાઘની હાજરી નોંધાઈ છે. છેલ્લા એક વર્ષથી આ વાઘ છોટા ઉદેપુર અને દાહ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક યુગલે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા બોટ લઈને હાલ તાપી નદીમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. યુગલે બ્રિજ પર પહોંચી તાપી નદ
બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે. તળાજા તાલુકાના કોદીયા ગામનો રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત મોડી રાત્રિના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવ
મોરબીના આમરણ ગામ નજીક માવના ગામ પાસે સોમવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. માટી ભરેલા ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં ટ્રેલરનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને જેસીબીની મદદથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના મોરબી જિલ્લાના આમરણ ગામ પાસેથી જામનગર તરફ જતા હ
જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો હવે ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાક મકાનો સુધી પહોંચી રહ્યા છે. આવી જ એક શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના ખાંભા તાલુકાના નાનીધારી ગામમાં મોડી રાત્રે બની હતી, જ્યાં એક દ
અરવલ્લીના મોડાસામાં કુલદીપ હોસ્ટેલની ટીમે ઉત્તરાયણ બાદ પક્ષીઓને બચાવવા માટે એક સેવાકાર્ય હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, ટીમે વિવિધ સોસાયટીઓમાંથી કુલ 42 કિલોગ્રામ પતંગના દોરા એકઠા કરીને તેનો નાશ કર્યો હતો. આ સેવાકાર્યમાં 70થી વધુ વિદ્યાર્થીમિત્રો અને સંચાલકો શૈલેષભાઈ,
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા. આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘટના માત્
પાટણ શહેરની હદમાં સમાવિષ્ટ હાંસાપુર, રામનગર, માતરવાડી અને બકરાતપુરા જેવા આઉટગ્રોથ (ઓજી) વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટ લાઈટ અને રોડ-રસ્તાના વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ. 7,36,47,182ની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ કુલ 113 કામો
સોમનાથ પ્રભાસ પાટણમાં વિદેશમાં વસતા મૂળ ભારતીય સાવલિયા પરિવારે સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારે શહેરની વિવિધ શાળાઓના 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદ સંસ્થાઓમાં ફળોનું વિતરણ કર્યું હતું. મૂળ વડોદરાના અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા ડૉ. આ
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં સાંસદ પૂનમબેન માડમે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.
મોરબીના સામાકાંઠે એટલે વોર્ડ નંબર 4માં આવેલ સોઓરડી સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસ કામો અધ્ધરતાલ છે. મોટાભાગે શ્રમજીવી ગણાતા વિસ્તારોમાં આંતરિક રોડ રસ્તાની ખરાબ, હાલત, સફાઈને અભાવે ઉભરાતી ગટર, નિયમિત સફાઈના અભાવે કચરાના ગંજ સહિતના પ્રશ્નો અટકેલા હોવાથી લોકોને
મોરબીના સામાંકાંઠે રાજવી પરિવારે વર્ષ 1880માં ઐતિહાસિક સ્થાપત્યના બેનમૂન કળાના ભવ્ય નજરાણા રૂપે નઝરબાગ પેલેસ બનાવ્યા બાદ આ રાજમહેલમાં તત્કાલીન મહારાજા લખધીરસિંહજી રહેતા હોય અને બાદમાં રાજમહેલમાં રાજવી પરિવારે આઝાદી પહેલા વર્ષ 1940માં ટેક્નિકલ શિક્ષણ માટે ટેક્નિકલ અને પો
મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે જળસંચયના એક ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં જળ બચાવવા અને ધરતી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામના યુવક કૃણાલ હસમુખભાઈ પટેલની વાંકલ ગામે હત્યા કરવામાં આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આરોપી રણજીત જાગનભાઈ નાયકાએ યુવતીને હેરાન ન કરવા સમજાવવા ગયેલા કૃણાલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને વલસા
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને 4 માસથી કમિશન ચૂકવણી ન થતા અને જૂના પ્રશ્નો હલ ન થતા રોષ ફેલાયો હતો. આથી રેલી સાથે કલેક્ટર કચેરી પહોંચી સમસ્યા નિરાકરણની માંગ કરી હતી. જિલ્લામાં 500 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં 18,06,076 લાભાર્થીઓને રાશન વિતરણ થાય છે. સુરેન્દ્રનગર જ
માનવતાના ધોરણે જે સેવા સૌથી કપરી માનવામાં આવે છે તે સ્મશાન ગૃહમાં રાત-દિવસ ફરજ બજાવતા મનપાના કર્મચારીઓ આજે પોતે જ લાચાર બન્યા છે. છેલ્લા 3 મહિનાથી પગારના એક પણ પૈસા ન મળતા આ શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. તંત્રની ઢીલી નીતિ અને એજન્સીઓના ગૂંચવાડાને કારણે સ્મશાનના ર
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. ''''અમૃત ભારત સ્ટેશન યોજના'''' (ABSS) અંતર્ગત રૂ.3.98 કરોડના ખર્ચે લખતર સ્ટેશનનું વ્યાપક પુનઃવિકાસ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધ
મૂળીના વર્ષો જુના સ્વામિનારાયણ મંદિર ખુદ શ્રીહરીએ મંદિર બંધાવ્યુ હોવાથી ભક્તોમાં સવિશેષ મહત્વ છે અને સમગ્ર ગુજરાતમાંથી હરી ભક્તો દર્શન માટે પધારે છે. ત્યારે આ મંદિર બનાવ્યાને 203 વર્ષ પુર્ણ થતા પાટોત્સવ તેમજ શ્રીહરીએ લખેલ શિક્ષાપત્રીનાં 200 વર્ષનો સમૈયો ઉત્સવ આગામી 21 જાન્ય
નળ સરોવર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં વહેચાયેલું કુદરતી સરોવર છે જે શિયાળામાં મહેમાન બનતા યાયાવર પક્ષીઓના વસવાટ માટે પ્રખ્યાત છે. જિલ્લાના લીંબડી તાલુકાનો નળકાંઠો વિસ્તાર નળસરોવર સાથે જોડાયેલો છે. અહીં પક્ષી દર્શન માટે અનેક મુસાફરો આવતા હોય છે. વનવિભાગ દ્વારા પક
સુરેન્દ્રનગર શહેરના મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી ગંભીર પ્રદૂષણનો ભોગ બની છે. તે અંગે જાગૃત નાગરીકે વીડિયો બનાવી ફરિયાદ કરી હતી. સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક કમલેશભાઈ કોટેચાએ વીડિયો ફરતો કરીને ફરિયાદ કરી હતી કે જોરાવરનગરથી લઈ રતનપર વિસ્તાર વચ્ચે વહેતી આ નદીમાં મનપાના વિ
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળા યુવા સમિતિ (આઇસીડીએસ)ના ચેરમેન અને આઇસીડીસીએસના ક્લાસ-1 અધિકારી વચ્ચે આંગણવાડી, વાહનના ટેન્ડરમાં ગેરરીતિ મામલે નોટિસ, મુખ્ય સેવિકાની બદલી, મનસ્વી રીતે ભરતી, માતા યશોદા એવોર્ડની ભલામણ જેવા મુદ્દે 3 મહિના પહેલાં ચેરમેનના કેબિનમાં બોલા
BKT દ્વારા પધ્ધર ગામ ખાતે આશરે 8.10 કરોડના ખર્ચે અને 31 હજાર ચો. ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલી આહિર સમાજની સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા અને બીકેટીના જોઈન્ટ એમ.ડી રાજીવ પોદ્દાર દ્વારા આ ભવ્ય આહિર સમાજવાડીનું લોકા
બળદિયા ખાતે શાંતિબાગ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જમીન પણ દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. બળદિયા નીચલાવાસ સ્વામિનારાયણ મંદિર સંચાલિત શાંતિબાગના નવા ભવનના નિર્માણના ભૂમિ પૂજનના પાયા ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્
બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે આયોજીત 52મા મેડિકલ અને સર્જીકલ કેમ્પ અંતર્ગત કાન, નાક, ગળા શિબિરમાં 520 દર્દીની તપાસણી કરાઇ હતી. જે પૈકી 78ની શસ્ત્રક્રિયા, 76 દર્દીને શ્રવણ યંત્ર અપાયા હતા. બીનાબેન અને ડો. કિશોર વોરા (યુ.એસ.એ.) ના આર્થિક સહયોગ અને જયાબેન સુંદરજી મુળજી શાહના અનુદાનથી યોજા
જિલ્લામાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સાબિત થઈ છે. ભુજ તાલુકાના ખાવડાની હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા તાત્કાલિક સારવાર માટે લઈ જવાઈ હતી. હોસ્પિટલના તબીબે તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાની ગર્ભાવસ્થા 9 મહિના પૂર્ણ ન થતાં વધુ ઉચ્ચ સા
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. તે પૂર્વે સોમવારે સ્મૃતિ મંદિર ખાતે સાંજે નીકળેલી બે કિમિ લાંબી ભવ્ય પોથી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ
ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાંથી કોપર વાયરની ચોરી કરી ફોરચ્યુનર કારથી ભાગેલો આરોપી મમુઆરા પાટિયા પાસે કાર મૂકી ફરાર થઇ ગયો હતો.પોલીસે કારમાં તપાસ કરતા 5 લાખની કિંમતનો કોપર વાયર અને વાયર કાપવાનું કટર મળી આવ્યા હતા. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે,ખાવડા આરઇ પાર્ક ખાતે કંપંની અ
દિવ્ય ભાસ્કર ગ્રુપનું રેડિયો સ્ટેશન MY FM આજે દેશના સૌથી વ્યાપક અને ઝડપી ગતિએ વિસ્તરી રહેલા એફ એમ નેટવર્કમાં સ્થાન ધરાવે છે. 2006થી ‘રીયલ ભારત’નો અવાજ બનીને MY FM દેશના નાના-મોટા શહેરોમાં શ્રોતાઓ સાથે સતત જોડાતો આવ્યો છે. 44 સ્ટેશન્સના આ રાષ્ટ્રીય નેટવર્કમાં હવે ગુજરાત વધુ અસરકારક
ડિફેન્સ અને એવિએશન ક્ષેત્રમાં સલામતી ટેકનોલોજી સતત વિકસતી રહી છે અને તેમાં જૈનિલે દાખલ કરેલું પેટન્ટ “A System and Method for Inertial Triggered Auto Locking of Aircraft Canopies” એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નવીન સિસ્ટમ ખાસ કરીને હાઈ-સ્પીડ અને લશ્કરી વિમાનો માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યાં અતિશય ઇનર્શિયલ પ
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દંપતીએ વિશ્વામિત્રી રેલવે ટ્રેક પાસે શુક્રવારે ટ્રેનની આગળ પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં દંપતીના મૃતદેહને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાંડેસરાના નેમીનગરમાં રહેતા 29 વર્ષીય કૈલાસ ચૌહાણ અન
નિવૃત બેંકકર્મીના ગળામાંથી ધોળા દિવસે ચેન તોડી ભગવાનો બનાવ કપુરાઇ પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી 2.5 લાખની ચેન જપ્ત કરી છે. સોમા તળાવ વિસ્તારની ઉમા નગર સોસાયટીમાં રહેતા અને સ્ટેટ બેંકમાંથી નિવૃત થયેલા વિનોદભાઈ હીરાભાઈ સોલંકી ગઈ કાલે રવિ
રાજ્ય સરકારે 7 વર્ષ પહેલાં શરૂ કરેલી ‘વ્હાલી દીકરી’ યોજનાના લાભો અંતર્ગત 2019માં જે દીકરીઓનાં નામ નોંધાયાં હતાં, તેવી 1291 દીકરીઓને પ્રથમ હપ્તા પેટે 51.64 લાખ મળશે. આ યોજના અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે તેને રૂા.4 હજાર મળતા હોય છે. શહેર-જિલ્લામાં યોજના અંતર્ગત 13,248 અર
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારી 79 સભ્યોની વરણી કરવામાં આવી છે. જેમાં વડોદરા શહેરના પાંચ અને જિલ્લાના બે સભ્યોની પસંદગી કરાઈ છે. વડોદરા શહેરમાંથી હાલના શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલ (છાણી), પૂર્વ મેયર ભરત ડાંગર, કાઉન્સિલર પરા
શહેરના મકરપુરા રોડ પર એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સફાઈ કામદાર તરીકે 2 દીકરીઓને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડની બીજી બાજુ એક એક વેગેનાર કારને પાછળથી આવતી ઈનોવા કારે ટક્કર મારતા વેગેનાર કાર રોડની બીજી બાજુ આવી હતી અને તેણે બાઈકને અડફેટે લેતા બાઈકની પેટ્રો
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર અને સૌથી મોટા મનાતા ડિજિટલ એરેસ્ટના દિલ્હીના મામલામાં વડોદરાના ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસ ઝડપીને લઈ ગઈ છે. વૃદ્ધ એનઆરઆઇ તબીબ દંપતી પાસેથી 14.82 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલામાં ઝડપાયેલા ત્રણના ખાતામાં ઠગાઈની રકમ પૈકી 6 કરોડ રૂપિયા જમા થયા હો
વારસિયા પોલીસ મથકે નોંધાયેલી 10 લાખની લૂંટમાં પોલીસે સૂત્રધાર સહિત 7 આરોપીને ઝડપી પાડ્યા હતા.લૂંટાયેલી રકમમાં વિદેશી ચલણની 2.71 કરોડની ચલણી નોટો મળતાં ક્રાઈમ બ્રાન્ચ મૂંઝવણમાં મુકાઈ હતી. આ મામલામાં વિદેશી ચલણની જાણકારી નહીં આપી હોવાથી હવે ફરિયાદી વેપારી શંકાના દાયરામાં આવ્
શહેરની મધ્યમાં આવેલા બદરી મોહલ્લામાં રવિવારે સવારે હેરિટેજ ટ્રસ્ટના સભ્યો માટે હેરિટેજ વૉકનું આયોજન થયું હતું, જેમાં 36 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ વૉક સવારે 11 વાગે નૂરાની મસ્જિદથી શરૂ થઇ હતી. જ્યાં તમામે મસ્જિદનું આર્કિટેક્ચર જોયું હતું. આ મસ્જિદને 53 વર્ષ પૂરા થયા છે. આ જગ્
શહેરના ગોત્રી ખાતે આવેલા શિવોહમ આશ્રમના વિદુષી ડો.ગાર્ગી પંડિતને તીર્થરાજ પ્રયાગ ખાતે માધી અમાસના સ્નાન પહેલા પોલીસનો ખરાબ અનુભવ થયો હતો. પોલીસ દ્વારા તેમને ધક્કો મારી અપમાનજનક અનુભવ કરાવી સ્થાનિક પોલીસ ચોકીમાં આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા હતા. ધર્મક્ષેત્રે જોડાયેલા
એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર યુવકના જાહેરમાં ચેનચાળા બાદ સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. હોસ્ટેલ સત્તાધીશોએ પોલીસ પેટ્રોલિંગ તથા શી-ટીમના પોઇન્ટ મૂકવાની માગ કરી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં પોલીસ અને શી-ટીમનું કાઉન્સેલિંગ સેશન યોજાશે. યુનિવર્સિટીની ગર્લ્સ હ
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાય, એસવાય, ટીવાય બીકોમની મીડ સેમ પરીક્ષા 10મી ફેબ્રુઆરીથી લેવાશે. જોકે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્ટડી મટિરિયલ મળ્યું ન હોવાથી તૈયારી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મીડ સેમ પરીક્ષાને ગણતરીના દિવસો બ
શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં દિવસ દરમિયાન ઠંડીનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે છેલ્લા બે દિવસથી ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં પશ્ચિમના પવનો ફૂંકાતાં ઠંડી ઘટી ગઈ હતી. જોકે ઠંડા પવનોનો મારો શરૂ થતાં જ ઠંડી ધીરે ધીરે વધવા લાગી છે. સોમવારે દિવ
વડોદરા જિલ્લા પંચાયતમાં સોમવારના રોજ કારોબારીની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2026-27નું રૂા.39.52 કરોડનું બજેટ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બજેટને હવે આગામી સામાન્ય સભામાં મંજૂર કરવા માટે મુકવામાં આવશે. જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ વખત સીએમ હેલ્પ ડેસ્કની જેમ જિલ્લા પંચાયત મેને
પાલિકામાં ધારાસભ્યોની સંકલનની બેઠકમાં ખોરાક શાખા અખાદ્ય ચીજોનું વેચતાં તત્ત્વોની દુકાનો સીલ નથી કરતી તેવી ફરિયાદ થઈ હતી. જેને પગલે ખોરાક શાખા દોડતી થઈ હતી. 29 દુકાનો, રેસ્ટોરન્ટ અને મેન્યુફેક્ચરિંગ એકમોમાં ચેકિંગ કરી 8 દુકાન સીલ કરી હતી. ખોરાક શાખાએ ફતેગંજ, સરદાર એસ્ટેટ, તા
શહેરના આજવા રોડ વિસ્તારના રહેણાક ફ્લેટમાં રાત્રે એક યુવક ગેસ સિલિન્ડર ચાલુ કહીને રૂમમાં પૂરાઇ જતાં તેની પત્નીનો જીવ અધ્ધર થઇ ગયો હતો. આ યુવકે બધી બાજુથી દરવાજા બંધ કરી દેતાં આખરે પત્નીએ 112ને કોલ કર્યો હતો. આ કોલ પોલીસમાં અને ફાયરબ્રિગેડમાં ટ્રાન્સફર થતાં લાશ્કરોએ પત્ની પાસ
સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 20 માઈક્રોનથી ઓછા માઈક્રોન વાળી થેલીના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતા બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક હોવા છતા લોકો જાણે અજાણે અનુકૂળતા મુજબ આવી બેગનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કપડાની બેંગન
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમ
ગઈ કાલે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’માં ઘાયલ પ્રેમી વિશ્વાસ સાથે વાત કર્યા બાદ આજે આપણે વાત કરીશું શકીલ અને સુમિત સાથે. શકીલ અને સુમિત બંને મર્ડરના જ ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. બંનેની કહાની અલગ, બંનેના કેસ અલગ, જેલમાં બંનેનાં લોકે
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ કંઇને કંઇ નવા જૂની કરતા જ રહે છે. પહેલા ઇમિગ્રન્ટ્સ માટેના નિયમોમાં સતત ફેરફાર, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાથમાં હથકડી બાંધી પોતાના વતન પાછા મોકલવા સહિતના કારણોને લીધે તેઓ સતત ચર્ચામાં રહ્યાં. હવે તેઓ H-1B વિઝા માટે લોટરી સ
સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણ વિશે તો આખું જગત જાણે છે પરંતુ મર્યાદાની સીમાઓ ઓળંગીને જ્યારે બે પુરુષો વચ્ચેના સજાતીય સંબંધોની વાત આવે ત્યારે સમાજ આજે પણ મૌન ધરી લે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ ભલે કાયદાકીય માન્યતાની મહોર મારી હોય પણ ગામડાના ઉંબરે આ સંબંધો આજે પણ એક 'કાળો
હિંમતનગરના ગામડીમાં યુવક ગામના જ મિત્રોને તેમનું બાઈક લઈને સાસરીમાં મૂકવા લઈ ગયા બાદ મિત્રોએ તેમની માતાએ તેની સાથે રહેવા બોલવાની ના પાડી હોવાનું કહી અપશબ્દો બોલી ઘેર આવી લાકડીઓ ફટકારતાં ગાંભોઈ પોલીસે બંને ભાઈ અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગામડીના જયદીપસિંહ કાળુસિ
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા એસપીના લોક દરબારમાંમાં સ્થાનિકોએ ટ્રાફિક, કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાર્યક્રમ સાબરકાંઠા અધિક્ષક એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ, તથા ડી.વાય.એસ.પી. એ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. ઇન્સ્પેકશન દરમિયાન પોલીસ સ્ટેશનની કા
મેઘરજમાં આવેલા ભાયલા શોપિંગ સેન્ટરના પાછળના ભાગે ખૂલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાના વડેહાર જીતનો જુગાર રમતાં પાંચ શખ્સોને એલસીબીએ ખાનગી માહિતીના આધારે અચાનક રેડ કરીને ઝડપી પાડ્યા હતા. જો કે મોકાનો ફાયદો ઉઠાવીને ચાર શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. એલસીબીએ ઝડપાયેલા આર
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાના નાયક સમાજનો સ્નેહમિલન સમારોહ નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળ અને અસાઈત યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે શુભષ્ય શિગ્રમના શિર્ષક હેઠળ હિંમતનગર બેરણામાં આવેલ અસાઈત ભવનમાં યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષપદે યોજાયેલ કાર્યક્રમમાં સા
સાબરકાંઠામાં ટેકાના ભાવ 1452 કરતાં ખૂલ્લા બજારમાં મગફળીના 1900 મળતાં જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે નોંધાવેલા ખેડૂતોમાંથી અડધાથી વધુ ખેડૂતોએ સરકારી કેન્દ્રો પર જવાને બદલે સ્થાનિક માર્કેટ યાર્ડમાં પોતાની જણસ વેચવાનું પસંદ કર્યું હતું. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પો
મોડાસામાં એ આરટીઓ કચેરીના સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે રોડ સેફટી ડ્રાઇવ શરૂ કરાઇ છે. શહેરની જુદી જુદી સ્કૂલોમાં સોમવારે હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં સીટ બેલ્ટ અને વાહનના દસ્તાવેજી પુરાવા તેમજ પીયુસીના પ્રશ્ને 60 જેટલા વાહન ચાલકોને મેમો ફટકારાયો હતો.
આધુનિકતા અને શિક્ષણના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી એક હચમચાવી દેનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 9 માસના ટૂંકા ગાળામાં જિલ્લામાં કુલ 127 સગીરાઓ માતા બની હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ આંકડાઓ માત્ર આરોગ્ય વિભાગની ચિંતા જ નથી વધારી રહ્યા. પરંતુ
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં ગ્રામ પંચાયતને ગટર, વ્યવસાયવેરો, પાણીવેરો અને સફાઈ જેવા અનેક વેરા નિયમિત ભરવા છતાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. પાંથાવાડા ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવે છે, છતાં ગામના અનેક વિસ્તારોમાં ગંદક
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન તથા પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ કુલ-3 ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા આરોપીને મોડાસા ટાઉન પોલીસે ચાંદ ટેકરી ખાતે તેના ઘરેથી ઝડપ્યો હતો. અરવલ્લી જિલ્લામાં તથા અન્ય જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી તેમની સામે કડક કાર્
તલોદના બડોદરામાં રવિવારે સવારે ભત્રીજી ને હેરાન કરતાં નાણાં ગામના શખ્સને ઠપકો કર્યા બાદ એકાદ કલાકમાં 6 શખ્સો બડોદરા ખાતે આવતાં તેમને મળવા ગયેલ કાકા ભત્રીજાને અપશબ્દો બોલી લોખંડની પાઇપ તલવાર બાઈકની ચેન વગેરેથી ઇજાઓ પહોંચાડી જાનથી ધમકી આપવા મામલે તલોદ પોલીસે 6 શખ્સો વિરુદ
ઉત્તરાયણ પછી પતંગની દોરીના ગુચ્છા ખુલ્લા મેદાનો, રસ્તાઓ અને વૃક્ષોમાં ફસાઈ રહેતા હોય છે. જે પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલનપુર સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને તૂટેલી દોરીઓ અને દોરીના ગુચ્છો એકત્ર કરવા માટે પ્રો
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયાએ પુલ બનાવ્યા પછી સર્વિસ રોડ ઉપર એસ. ટી.બસો ફરજીયાત હંકારવા માટે સૂચન કરાયું છે. જોકે, ડેપો મેનેજરના હુકમની અવગણના કરી બસ ચાલકો ટ્રાફિકથી બચવા માટે બારોબાર પુલ ઉપરથી પસાર થઇ રહ્યા હોઇ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર અમદાવાદ હા
પાટણ જિલ્લાના વિરમગામ-માંડલ-પંચાસર -સમી રાજ્ય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રૂપેણ નદી પરનો જૂનો બ્રિજ જર્જરિત હોવાથી ગત નવેમ્બર માસથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જોકે, હવે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશ હેઠળ માર્ગ અને મકા
હારીજ તાલુકાના રૂગનાથપુરા ગામમાં રાત્રે અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નું તાળું તોડી સોના-ચાંદીના દાગીના ચોરી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. મજૂરી અર્થે અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂ.44,070 ની ચોરી કરી હતી રૂગનાથપુર
મોડાસા-શામળાજી હાઇવે ઉપર આવેલા ખેરંચા નજીક રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડો ઘાયલ થતાં કોઈ જાગૃત નાગરિકે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દીપડાને રેસ્ક્યુ કરી તેને દેવની મોરી ખાતે આવેલી નર્સરીમાં લઈ જવાયો હતો.
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ ની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ( BOM)ની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે વહીવટી નિર્ણયો સાથે કોલેજો સામે આવેલી રજૂઆતો અને અહેવાલ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં એક કોલેજને વિદ્યાર્થીની પરીક્ષામાં બેદરકારી બદલ 10,000 નો દંડ ફટક
ચાણસ્મા તાલુકાના પલાસર ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પર અકસ્માતમાં 18 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. બપોરના સમયે હનુમાન મંદિર દર્શન કરવા જતાં રેલવે પાટો ક્રોસ કરતી વખતે પસાર થતી ટ્રેનની અડફેટે યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પરિસ્થિતિ ગ
પાટણના રૂની ગામની રિયા રેસિડેન્સીમાં છેલ્લા બે વર્ષથી સાબરમતી ગેસ એજન્સીના ધક્કા ખાતા રહીશોની વેદના વાચા મળતા જ તંત્ર સફાળું જાગ્યું છે. સોસાયટીમાં ગેસ કનેક્શન આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રિયા રેસિડેન્સીના 23 જેટલા રહીશોએ કનેક્શન માટે તમામ પ્રક્રિય
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર નીતિન નબીન સાથે જોડાયેલા રહ્યા. તેઓ ભાજપના 12માં રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. બીજા મોટા સમાચાર ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાતના હતા. જેમાં વજુભાઈ, નીતિન પટેલ સહિતના નેતાઓનો આમંત્રિત સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે
પોતાની સાસરીમાંથી બાઈક પર પત્ની અને પુત્ર સહિતના પરિવાર સાથે ઘરે જઈ રહેલા યુવકના બાઇકને ખેરવા નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રને ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ ગામમાં થતાં શોક છવાઇ ગયો હતો. કડી તાલુકાના કરણપુર ગામના જગદી
મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનમાં નવી ગટર લાઇન નાખવાની કામગીરી મહાદેવના મંદિર નજીક ખોદેલ ખાડો સેફ્ટી બેરીકેટ ટેપ કે સુરક્ષા વિના વગર ખુલ્લો રખાયેલો હોઇ તેમાં આખલો પડી ગયો હતો. પૂજારી કૌશલભાઈ ગુરુએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માગતાં સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરન
કટોસણ રોડમાં આવેલી બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ દિવસથી કનેક્ટીવીટીના ધાંધિયા હોવાથી ગ્રાહકો પરેશાન છે. ગ્રાહકોને નાણાં ઉપાડવા આમથી તેમ રખડપટ્ટી કરવાની ફરજ પડી રહી છે. કટોસણ રોડ બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ દિવસથી ઇંટરનેટ સર્વર ડાઉન રહેવાની સમસ્યા સર્જાતાં બેંક સાથે જોડ
મહેસાણા જિલ્લા પંચાયતની નવીન બિલ્ડીંગ જે જગ્યાએ બનવાની છે તે જૂના સમયનો નેળીયાનો રસ્તો હોવાથી તેનો નિકાલ કરવા અને તેનું જમીન મહેસુલ માફ કર્યા વિના પરવાનગી મળવી અશક્ય હોવાથી જિલ્લા પંચાયત દ્વારા સરકારમાં દરખાસ્ત કરાઇ છે. જેને લઈ નવીન બિલ્ડીંગની કામગીરી મહિનો મોડી શરૂ થશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે વહીવટી નિર્ણયો સાથે કોલેજો સામે આવેલી રજૂઆતો અને અહેવાલ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં એક કોલેજને વિદ્યાર્થીની પરીક્ષામાં બેદરકારી બદલ રૂ.10 હજા
કેન્દ્ર સરકાર દ્વારા જન્મ-મરણના પ્રમાણપત્રની કામગીરી ઇ-ઓળખ પોર્ટલ પર બંધ કરીને તા.1 સપ્ટેમ્બર, 2025થી સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલમાં કરી દીધી છે. પરંતુ, તા.1 સપ્ટેમ્બર, 2025 પહેલાંનો ડેટા CRS પોર્ટલમાં તબદીલ કરાયો નથી. પરિણામે, સપ્ટેમ્બર મહિના પહેલાંના જન્મ મરણના દાખલા, સુધાર
હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાઈ છે. ડીસામાં સોમવારે પોણો ડિગ્રી ઠંડી વધીને 12.3 નોંધાઇ હતી. છેલ્લા ઘણા સમયથી હિમાલય તરફના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેની અસર મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહમ
મહેસાણા સિવિલ હોસ્પિટલ આગામી 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 77 નાની સર્જરીઓ કરીને અનોખી રીતે ઉજવણી કરશે. મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા કાનની તૂટી ગયેલી બુટ, લંબાઈ ગયેલ કાનનું કાણું, રસોળી, કપાસી, ચરબીની ગાંઠ, ચહેરા કે ગરદન પર મસા સહિતની નાની કહી શકાય તેવી તમ
શહેરમાં બાંધકામ પરવાનગીમાં જમીન કપાત રાહત રદ થતાં ચાર સ્કીમની ફાઇલ બંધ થશે. મહેસાણા મહાનગરપાલિકાને ડી-2 કેગેટરીમાં બાંધકામ પરવાનગીમાં 40 ટકા કપાતમાંથી રાહત આપતો હુકમ શહેરી વિકાસ વિભાગે રદ કરીને કરેલી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા આદેશ કર્યો છે. જેને લઇ મનપાનો ટાઉન પ્લાનિંગ
મહેસાણા રાધનપુર ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે લગાવેલા ટ્રાફિક સિગ્નલો સોમવારે ફરી ટ્રાયલબેઝ પર ચાલુ કરતાં સવારે અને સાંજે લોકોને એક- એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું. પાંચેય રસ્તા ઉપર લગાવેલા સિગ્નલ 4 મિનિટ બાદ ચાલુ થતાં લોકોને લાંબા સમય સુ
દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના ગાંગરડી ગામના નિશાળ ફળિયામાં રહેતા નરેશ અમલિયાર અને શૈલેષ અમલિયાર ગત 16મી જાન્યુઆરીએ સાંજના સમયે દાહોદ બજારમાંથી સામાન ખરીદી પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નાની ખરજ ગામ નજીક સામેથી આવતી એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડ

25 C