પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર સુદ પૂનમ સુધીના ત્રણ દિવસીય આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી શતચં
ગોધરા શહેરના સાતપુલ પાસે આવેલા કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં એક લાકડાના કારખાનામાં આગ ફાટી નીકળી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુ
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા
વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની તર્જ પર હવે “વિકસિત અને પ્રગતીશીલ મહેસાણા” અગ્રેસર થવા જઈ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના સુચારુબદ્ધ આયોજન માટે આગામી 20 વર્ષના તબક્કાવાર વિકાસને આવરી લેતી 116.77 ચોરસ કિલોમીટર વિસ્તારની ‘મુસદારૂપ વિકાસ યોજના-2045’ DP પ્લાન પ્રસિદ્
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં એક પ્લોટની માલિકી હક્કને લઈને ચાલી રહેલો વિવાદ લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ કાફલો સ્થળ પર હાજર હતો, ત્યારે જ બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેમાં ચાર જેટલા લોકોને ઇજા પહોંચી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ અંદાજે રૂ. 626.68 કરોડના વિવિધ 10 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક
ગોધરામાં શહીદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 માર્ચના રોજ યોજાયેલા આ કેમ્પમાં 100થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ શિબિર ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલી શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના બાયપાસ પરથી પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નિયમિત ચેકિંગ દરમિયાન બોલેરો વાહનમાંથી આશરે 105 કિલો ઘી મળી આવ્યું હતું. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો વાહનને શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાં
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં રાજકોટમાં ‘હેતનો હોંકારો’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરાયુ.... આ પ્રસંગે દાદાએ કહ્યુ કે દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની કોઇને ચિંતા નથીઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિ
પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)નું પદ છેલ્લા નવ મહિનાથી ખાલી છે. આ 'ઇન્ચાર્જ રાજ'માંથી મુક્તિ અપાવવા અને કાયમી અધિકારીની નિમણૂક કરવા માટે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં રજૂઆત કરી છે, જ્યારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ આ મામલે કાયમી અધિક
આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ધાર્મિક વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ મહાપૂજન અને આયુષ્ય મંત્રજાપનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્
ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં પાયાની સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે ચોપાટી પુનઃવિ
મહેસાણા જિલ્લાના રણેલા ગામના યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી કરી લીધેલી આત્મહત્યાના મામલે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી દ્વારા મુકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી મ
સુરતમાં ફરી એકવાર તબીબી સારવાર પર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 9 મહિનાના માસૂમનું સામાન્ય તાવની સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. મૃતક બાળકના પરિવારજનોએ સ્થાનિક ખાનગી ક્લિનિકના ડોક્ટર પર ગંભીર બેદરકારી અને રિપોર્ટ વગર જ હેવી ડ
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગાઈ તોડી નાખવા જેવી અંગત બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. આ મામલે કાલોલ પોલીસે ભાજપના સ્થ
MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષા રદ કરવાની માગ સાથે પહોંચેલા NSUIના કાર્યકરો અને ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ વચ્ચે આજે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગ લઈને NSUIના કાર્યકરો ડીન પાસે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા
સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલ યશોત્સવ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયાના રવાડે ચઢી ટોળાનો ભાગ બનવું મૂર્ખતા છે. શંકર ચૌધરીએ ઉણ ગામની ઘટનાનો આડકતરીરીતે ઉલ્લેખ કરી યુવાનોને હિંસક ટોળાશાહીથી દૂર રહેવા ટકોર કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપ
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સીમર ગામે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેતર જઈ રહેલા એક 70 વર્ષીય વૃદ્ધનું ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ
ભાવનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશને મોટી સફળતા મળી છે ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના 'નાસતા ફરતા સ્ક્વોડ' દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક શખ્સને છેક રાજસ્થાનથી દબોચી લેવ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર
વેરાવળ શહેરમાં વીજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના કારણે આગામી રવિવારે, 29 માર્ચ, 2026 ના રોજ, શહેરના અનેક વિસ્તારોમાં પાંચ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ, સવારે 09:00
પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે એક કરુણ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. શાળા છૂટ્યા બાદ ન્હાવા ગયેલા નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ. ૧૧) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ. ૧૨) નામના કિશોરો કાળનો કોળિયો બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડ નજીક આવેલા રાણા રોજી
દિલ્હીમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં દાહોદના વિકાસલક્ષી પ્રશ્નો અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ દાહોદમાં ચાલી રહેલા કેન્દ્ર સરકારના પ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધિવત ચૂંટણીના બ્યૂગલ ફૂંક્યું છે. સુરતમાં સરસાણા સ્થિ
દ્વારકાના શ્રી રુકમિણી માતાજી મંદિરે 28 માર્ચે વિવાહ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે છપ્પન ભોગ, પ્રસાદી અને દિવ્યતાનો સંગમ જોવા મળ્યો હતો. મંદિરમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી ભક્તિનો મહારંગ જામ્યો હતો. આ દિવ્ય કાર્યક્રમમાં અગિયારી અને મંડપમુહૂર્ત જેવા ધાર્મિક વિ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા 232 ફાટક પાસેની માતૃકા રેસીડેન્સીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે સાતમાં માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અઈચ્છનિય ઘટના બને તે પહેલાં પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે બે
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું ડિજિટલ લોન્જ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ લોન્જનું ઉદ્ઘાટન આજે 28 માર્ચે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું. હવે યાત્રીઓને રેલવે સ્ટેશન પ
સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયનીમ રેસિડન્સીમાં લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી ગઈ હતી. જેમાં સવાર બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાયેલી રહી હતી. અંતે ફાયર વિભાગે દરવાજો તોડી બંને
આગામી 31 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન સાણંદ ખાતે અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈને ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા સરકારી પોલીટેકનિક અને ઇજનેરી કોલેજોને એક પરિપત્ર કર્યો છે. જેમાં વડા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલી શારદાકુંજ સોસાયટીમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરંપરાએ 40મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી ગાયત્રી પરિવાર શારદાકુંજ
વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર LPG ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે પહો
વાપીના કોપરલી રોડ પર દિવસ દરમિયાન એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં વન વિભાગ સક્રિય બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોપરલી રોડ પરથી પસાર થઈ રહેલા એક વાહન ચાલક
ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 29 માર્ચના રોજ, જિલ્લાના 20 કેન્દ્રો પર કુલ 3767 વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. પરીક્ષામાં ભાગ
પાટણના મીરા દરવાજા વિસ્તારમાં વિપુલભાઈના પરિવારે સ્વર્ગસ્થ પુત્ર નીલુના જન્મદિવસ નિમિત્તે અંબાજી દર્શનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. બે વર્ષ પહેલા હરિદ્વારમાં બનેલી દુઃખદ ઘટના બાદ પરિવારમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા આ ખુશીની ઉજવણીમાં સમગ્ર વિસ્તારના લોકો મો
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડના કુલ 776 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કામોમાં 15% વિવેકાધીન (તાલુકા અન
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે 9.50 કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણની ઉપસ્થિતિમાં એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો) કાર્યવાહક સમ
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંતકંવર કોલોની ટી દસ સામેના મા અંબાના દરબારમાં ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થાન એક સો વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં મા ભગવતી અંબા, મહાકાળી મા અને ખોડીયાર મા બિરાજમાન છે. મંદિરની સ્થ
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 8 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે નશાના કાળા કારોબારના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીમળતી માહિતી મુજબ, રેલવે SOGને ચોક્કસ બાતમી મળી હત
પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા આ શહેરમાં વિકાસે ગતિ પકડી છે. મનપા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલા 'જન્નત બીચ'ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ₹1.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને ગુજરાતના પ્રવાસન નક
વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને તેની અછતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના રોજ શ્રીરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાન
માર્ચ એન્ડિંગને કારણે હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 30 અને 31 માર્ચના રોજ બે દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેત પેદાશોની ખરીદી અને વેચાણની કામગીરી સ્થગિત રહેશે. માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને આ બે દિવસ દરમિયાન તેમની ખેત પેદાશો વેચાણ માટે ન લ
આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. પરંતુ જૂનાગઢના માંગરોળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર સંતાનને બાઇક ચલાવવા આપી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસોમાં જ મે મહિના જેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ઉકળાટ અને ગરમ પવનો લોકોની મુશ્કેલી વધારશે. હવા
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સાંસદ ચંદુ શિહોરાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને અગરિયાઓને ખેડૂતોની જેમ 'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી હતી.
મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ટ્રક ચાલકોની બેદરકારીને કારણે દંપતી સહિત એસ.ટી. બસના કંડક્ટરને ઈજાઓ પહોંચી છે. આ બંને મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રથમ ઘટના:ડી-માર્ટ સર્કલ પાસે દંપતી
પ્રેમલગ્નના પવિત્ર બંધનને જ્યારે લાલચ અને દગો ઘેરી લે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. જે યુવક સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને મહિલાએ સંસાર માંડયો હતો, એ જ પતિ હવે બીજી યુવતીના મોહમાં પત્નીને ‘દસ લાખ આપી છૂટાછેડા' લેવ
અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણ અભિયાન હેઠળ રાજુલામાં 45 તળાવો અને ચેકડેમોને ઊંડા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્વ. ખોડાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ, રાજુલા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ એ આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ અંગે વિ
જૂનાગઢ જિલ્લા માટે ગત શુક્રવાર જાણે કાળમુખો સાબિત થયો હોય તેમ અલગ-અલગ ત્રણ તાલુકાઓમાં બનેલી દુખદ ઘટનાઓએ સમગ્ર પંથકને હિબકે ચડાવ્યો છે. વિસાવદરના હસનાપુરમાં એક માસૂમ બાળકનું પાણીના કુંડામાં ડૂબી જવાથી, માણાવદરના જીંજરી ગામે પિતાને પાણી પાવા ગયેલા યુવાનનું વીજ કરંટથી અન
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી ખાતે નવું ફલો મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે આગામી 30 માર્ચના રોજ સાંજના સમયે પાણી પુરવઠો નહી મળી શકે. મુખ્ય ફીડર લાઇન ઉપર ફલો મીટર લગાવાશેમાંજલપુર પાણીની ટાંકી
હીરાનગરી સુરતના નાગરિકોને આગામી 1 અને 2 એપ્રિલના દિવસે પાણી કાપની સમસ્યાનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા શહેરની મુખ્ય જળ વિતરણ લાઈનમાં મોટા પાયે રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી ગેટ પાસે આવેલી 1524 મી.મી. વ્યાસની વિશાળ એમ.એસ. લાઈનમાં સર્જ
છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉ
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹39.96 લાખથી વ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા યોજાશે. કુલ 3071 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રો પર આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પરીક્ષાને લઈને તમામ 16 કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમ
છોટાઉદેપુર જિલ્લામાં કાળઝાળ ઉનાળા વચ્ચે વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરી છે. જંગલ વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ પાણીના કુંડ અને વોટર પોઈન્ટ્સ દ્વારા રીંછ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રાહત મળી રહી છે. વન વિભાગ ઉનાળાની તીવ્ર ગરમીમાં પ્રાણીઓ તરસ્યા ન રહે ત
ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કૂવામાંથી બચાવેલા સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. આ સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ, વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કૂ
જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા શહેરની ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના દુષણથી બચાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો હતો. આ સેમિનારમાં ડી.કે.વી. કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓ અને કોલ
રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અસંતોષ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સરકાર દ્વારા 3 મહિના પહેલા ખેડૂતોની 14 માંગણીઓ સ્વીકારીને તેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિએ માત્ર એક જ માંગણીનો અમલ થયો છે, જ્યારે બાકી 13 માંગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. જેના કારણે ખેડૂતોમ
મોરબીમાં એક ટાઇલ્સ વેપારી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા છે. તેમણે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે કુલ 4.88 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ મામલે વેપારી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છ
જૂનાગઢ જિલ્લાના કેશોદ-જૂનાગઢ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા બાયપાસ વિસ્તારમાં એક કાર ચાલકે મોટરસાઈકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ અથવા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાન
વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબે
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગ એવા કેશોદ-વેરાવળ રોડ પર આવેલી એક આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરે આંગડિયા પેઢીની ઓફિસને
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મ
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરમાં 14 હજાર
ગુજરાતમાં GST સંબંધિત પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરમાં CAG (Comptroller and Auditor General) ના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે નોંધણી રદ (Cancellation of GST Registration) કરવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે સરકારને આવકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે.
રાજકોટની સાધના સોસાયટીમાં ગતરોજ અચાનક બે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ભયાનક ઘટના સામે આવી છે. અશોક રૈયાણીના રહેણાંક મકાનની પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આખી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હ
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ આવતીકાલે આઠ મહિના બાદ ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે, ભાવનગર -નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્ર
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલા વૈશ્વિક તણાવની સીધી અને માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજે 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિ
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો
અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડી કરી છે. આ કંપનીમાં કામ કરતી મહિલાએ બુકીંગના નામે 33.87 લાખની છેતરપિંડી આચરી છે. મહિલાને ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન મળતા તેણે બુકીંગ પર કમિશનના નામે વ્યવસાય કર્યો હતો. મહિલાએ QR કોડ
થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક પીડિત મહિલા સહાય માટે પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની
અમરેલી તાલુકા પોલીસે કુકાવાવ રોડ પર આવેલ નારાયણ મીલની કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ફરિયાદી રાહુલભાઈ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા (રહે. નારાયણ મીલ કોલોની, અમરેલી; મૂળ વતન ફિરો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પશુ ચોર ગેંગનો આતંક યથાવત હોય તેમ કોઠા અને મોખાસણ ગામની સીમમાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર પશુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે કુલ 40 હજારના પશુઓની ચોરીનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ફ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને મ
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના રહેવાસી 25 વર્ષીય વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકે વડલા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિષ્ણુ પ્રજા
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી છે.ગઠિયાઓએ બિલ્ડરને સેબીનો લેટર મોકલીને રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને 76.85 લાખ રૂપિયા પડાવ્યા હતા.બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. રોકાણન
સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી છે. આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જા
હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલ
વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગ
વડોદરામાં ચૈત્રી સુદ નવમીના પવિત્ર અવસરે શ્રી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા પંચ યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માતાજીની આરાધના, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. આ મહાયજ્ઞ ન્યૂ વી.આઈ.પી. રોડ સ્થિત સુશીલ સોસાયટી, ગોપાલધામ સોસાયટી, શ
ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી
રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં સાઈડના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી રહી છે. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નારણપુરા જિલ્લાના સોલા રોડ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન અવસર પર રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, 27 માર્ચ, 2026ના રોજ સોલા રોડ પ્રખંડમાં આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો. આ રામોત્સવમાં ધર્મપ્રેમી જનતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા જગન્નાથધામ ખાતે શુક્રવારે રાત્રે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે રામધૂન, ભજન-કીર્તન અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવ

30 C