SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ, CCTV:ઉતાવળે કોચમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન બગડ્યું અને પગ લપસ્યો, સુરત રેલવે સ્ટેશન પર GRP જવાનોએ મોતના મુખમાંથી ખેંચી લીધી

સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના

3 Apr 2026 7:21 pm
AAPના કાર્યકરો પર કેસ મુદ્દે રાજકીય તણાવ:કેજરીવાલે CMને પત્ર લખતા ભાજપનો પ્રતિકાર, ગોપાલ ઈટાલિયાની કટાક્ષભરી પ્રતિક્રિયા

ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના 150થી વધુ કાર્યકરો અને નેતાઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાઈ હોવાનો AAPનો આરોપ છે. આ મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. AAPની વધતી લોકપ્

3 Apr 2026 7:19 pm
વડોદરા બાપા સીતારામ મઢુલી ભંડારામાં 17 હજારથી વધુ ભક્તો ઉમટ્યા:સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનો લાભ લીધો, 22 વર્ષની પરંપરા જળવાઈ

વડોદરાના VIP રોડ પર આવેલા એલ એન્ડ ટી સર્કલ નજીક “બાપા સીતારામ મઢુલી” ખાતે ભંડારાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બાપા સીતારામ યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા બગદાણા (શ્રી બાપા સીતારામ) ના પવિત્ર સાંનિધ્યમાં થયું હતું. આ ધાર્મિક કા

3 Apr 2026 7:16 pm
મહીસાગરમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું:વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત, કમોસમી વરસાદના ભયે ખેડૂતોમાં ચિંતા

મહીસાગર જિલ્લામાં ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, શિયાળુ પાકની કાપણી બાકી હોય તેવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસ

3 Apr 2026 7:10 pm
'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર મ

3 Apr 2026 7:03 pm
રાજકોટના ચકચારી દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:હમીર જોગરાણા અને મૃતક ભાવેશ એક યુવતીના સંપર્કમાં હતા જેના કારણે વારંવાર બોલાચાલી થતી, રૂ.5 લાખની માંગણી કરતા માથાકૂટ થઇ'તી

રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 16 માર્ચના રોજ થયેલ દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છે

3 Apr 2026 6:40 pm
પિસ્ટલ-કારતૂસ સાથે પકડાયેલો શખસ મર્ચન્ટ નેવીનો ઓફિસર નીકળ્યો:3 લાખનો પગાર હોવા છતાં મિત્ર માટે 'ડિલિવરી બોય' બન્યો, લક્ઝરી બસમાં કપડાંની વચ્ચે સંતાડી હેરાફેરી કરતો ઝડપાયો

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમા

3 Apr 2026 6:26 pm
પાટણમાં કમોસમી વરસાદ, વીજળીના કડાકા સાથે માવઠું:ખેતીના પાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં જણસી પલળી

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ઉનાળાની સીઝન ચાલી

3 Apr 2026 6:23 pm
કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:રોડ ક્રોસ કરતા 'કિસ્મત'ને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવ્યો, ડોક્ટરે મૃત જાહેર કર્યો

મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય કિસ્મત નામના બાળકને કારચાલકે અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે દેવીપૂજક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર ક

3 Apr 2026 6:23 pm
વેરાવળના કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર જેવી મૂર્તિ:હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો, દર પૂનમે રાત્રે મહાઆરતી

વેરાવળની ભાવના સોસાયટીમાં આવેલા કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દર મહિનાની પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન થાય છે. તાજેતરમાં, ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં બટુક ભોજન

3 Apr 2026 6:21 pm
ઢાકણીયા હત્યા કેસમાં 6 આરોપીને આજીવન કેદ:બોટાદ કોર્ટે સજા ફટકારી; ત્રણ વર્ષ પહેલા માલધારી યુવકનું ગળુ કાપી નખાયું હતું

બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ઘટના 4 ફેબ્રુઆરી 2023ના રોજ બની હતી, જ્યારે ઢાકણીયા ગામે નવઘણભાઈ જોગરાણાનું ગળું કાપીને હત્યા કરવામા

3 Apr 2026 6:21 pm
પાલનપુરમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ શરૂ:વહેલી સવારના ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે માવઠું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો

3 Apr 2026 6:11 pm
AC રિપેરિંગના બહાને ડ્રગ્સનો કાળો કારોબાર:સુરતના ગોપીપુરામાં ફ્લેટ પર દરોડો, 6.44 લાખના MD ડ્રગ્સ સાથે મિકેનિક ઝડપાયો; શાહપોરનો 'એઝાઝ બાટલા' વોન્ટેડ

સુરતના ગોપીપુરા વિસ્તારના મોમનાવાડમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલો આરોપી અગાઉ AC અને ફ્રિજ રિપેરિંગનું કામ કરતો હતો પરંતુ, શોર્ટકટથી પૈસા કમાવવાની ઘેલછાએ તેને ગુન

3 Apr 2026 6:11 pm
5 એપ્રિલે ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ:રાજ્યમાંથી 1400 લોકોએ નોમિનેશન કર્યું, અમદાવાદી મેનથી લઈ એસપી ઇન્ડિયા સહિતના ફેમસ ક્રિએટર્સ માર્ગદર્શન આપશે

સોશિયલ મીડિયાના યુગમાં ક્રિએટીવ કન્ટેન્ટ થકી રાષ્ટ્ર અને સમાજને નવી દિશા મળી રહી તે હેતુથી વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ગુજરાતનો સૌથી મોટો ક્રિએટિવ ફેસ્ટ ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. 5 એપ્રિલ, 2026 રવિવારે સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટીના મા

3 Apr 2026 6:06 pm
ભરૂચમાં મુસ્લિમ સમાજે UCC બિલનો વિરોધ કર્યો:હાથ પર કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં શુક્રવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિ

3 Apr 2026 5:58 pm
'આજે બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રે':ઝઘડાની દાઝ રાખી રત્નકલાકાર યુવક પર ત્રણ શખસોનો છરી-ફરશીથી હુમલો, બાઈકમાં પણ તોડફોડ કરી

ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં એક મહિના પહેલાના ઝઘડાની દાઝ રાખીને એક રત્નકલાકાર યુવકને ગૌશાળા પાસેના મેલડી માતાના મંદિરે બેઠેલો હતો ત્યારે ત્રણ યુવકોએ છરી અને ફરશીથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ યુવકની બાઈકમાં પણ તોડફોડ કરીને જીવનની ધમકી આપી હતી. ત્રણ શખસોએ છ

3 Apr 2026 5:53 pm
ABVPએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગેરરીતિઓ મુદ્દે રજૂઆત કરી:પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ભૂલો અને વિલંબનો આક્ષેપ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અંગે કુલપતિને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગોધરા ખાતે ABVP દ્વારા આ મુદ્દે ગંભીર આક્ષેપો કરાયા છે. ABVP દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, 30 મા

3 Apr 2026 5:44 pm
તાંદલજા મસ્જિદમાં UCC કાયદાનો મૌન વિરોધ:જુમ્માની નમાઝ દરમિયાન યુવાનો, બાળકો અને વૃદ્ધોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભામાં UCCનો કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નમાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીકેન્દ્ર સરકાર દ્વારા વિચારાધીન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના વિરો

3 Apr 2026 5:44 pm
વાપીમાં કોંગ્રેસ નેતા વિનોદ પટેલે ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરી:વાપી નગરપાલિકા વોર્ડ નં. 4માંથી ચૂંટણી લડવા દાવેદારી ફોર્મ ભર્યું

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસના વર્ષો જૂના અગ્રણી વિનોદ પટેલે ગઈકાલે ભાજપમાંથી વોર્ડ નંબર 4 ની સામાન્ય બેઠક માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિનોદ પટેલે જણાવ્યું હતું કે, કોં

3 Apr 2026 5:37 pm
સુરેન્દ્રનગરમાં બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા:CCTV ફૂટેજથી ખુલાસો, વાલીઓની હાજરીમાં સુનાવણી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા પકડાયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ વિદ્યાર્થીઓ ચોરી કરતા જણાયા હતા, જેના પગલે વાલીઓની હાજરીમાં તેમની સુનાવણી કરવામાં આવી હતી. ગેરરીતિ કરતા જણાયેલા કુલ 36 વિદ્યાર્થીઓમાંથી 17 ધોરણ 10ના અને 19 ધોરણ 12

3 Apr 2026 5:35 pm
એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અદાણીએ CNGમાં રૂ.1.50 વધારતા રિક્ષાનું ભાડું વધશે, ટાટા હેરિયરમાંથી શેર માર્કેટના વ્યવસાયીનો મૃતદેહ મળ્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

3 Apr 2026 5:35 pm
પાન પાર્લર માલિક વિરુદ્ધ ફરિયાદ:જમીનના સોદામાં વચ્ચે રહેલા વ્યક્તિને 8 કરોડની લેતીદેતીમાં માર માર્યો, સગીરને સિગરેટ વેચતા પોલીસ ફરિયાદ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોપ્યુલર ડોમેનમાં રહેતા પ્રતિકભાઈ કેજરીવાલને જમીનના સોદામાં વચેટિયા તરીકે કામ કરવા બદલ પૈસાની ઉઘરાણીના વિવાદમાં માર મારવામાં આવ્યો હતો. વચેટિયા પાસેથી જ પૈસાની ઉઘરાણી શરૂ કરીનવેમ્બર 2024માં કડી તાલુકાના અગોલ ગામ પાસે 13 વીઘા જમીનનો સો

3 Apr 2026 5:33 pm
ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી:ન્યુ ચાંદખેડામાં ઢોંસાની દુકાનના કિચનમાં આગ લાગવાની ઘટના, માર્જિનની જગ્યામાં શેડમાં બનાવ બન્યો

અમદાવાદના ન્યુ ચાંદખેડા વિસ્તારમાં આવેલા કે.બી. રોયલ એલમ કોમ્પ્લેક્સમાં કાંચીપુરમ ઢોંસાની દુકાનના માલસામાન રાખવાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ત

3 Apr 2026 5:19 pm
ઘોડાસરમાં હનુમાન જન્મોત્સવે સુન્દરકાંડ પાઠ યોજાયો:ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી સુન્દરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ હિરેનકુમારના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભક્તિભાવપૂ

3 Apr 2026 5:17 pm
જીવાપુરા શાળાના શિક્ષક રૂમાલ ડામોર નિવૃત્ત:વિદાય સમારંભમાં શાળા વિકાસ માટે ₹10,000નું દાન

બાવળા તાલુકાની જીવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક રૂમાલભાઈ રાયસિંગભાઈ ડામોરનો વિદાય સમારંભ યોજાયો. તેઓ વયનિવૃત્ત થતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારંભ ગામના વડીલ દાદામિયા બાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બાવળા તાલુકા BRC Co. દિગ્વિજયસિંહ મોરી સાહેબ, લાલુ

3 Apr 2026 5:16 pm
આસ્ટોડિયામાં હનુમાન જયંતિ:શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો

આસ્ટોડિયા સ્થિત શ્રી બાલા હનુમાન મંદિરે ગુરુવાર, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, પૂજારી દ્વારા શ

3 Apr 2026 5:13 pm
બગદાણાના ચકચારી કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા:અમિત ચાવડાના હસ્તે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ; કહ્યું-તક મળશે તો ચોક્કસ ચૂંટણી લડીશ

બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે બાલધિયાએ પોતાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરત

3 Apr 2026 5:13 pm
કાલુપુર ટંકશાળમાં હનુમાન જયંતિ ઉજવાઈ:જહાંપનાની પોળના રહીશોએ મંદિરે આરતી કરી, પ્રસાદ વહેંચ્યો

કાલુપુર ટંકશાળ સ્થિત જહાંપનાની પોળમાં શ્રી હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. પોળના રહીશો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પોળના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને શ્રી હનુમાનજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિ

3 Apr 2026 5:11 pm
બાપુનગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:પ્રમુખ એવન્યુ સોસાયટીમાં મારુતિ યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી પ્રમુખ એવન્યુ સોસાયટીમાં આવેલા શ્રી સવાયા હનુમાન દાદા ના મંદિર માં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાદાનો આ 19 મો પાટોત્સવ હતો. આ પ્રસંગે સોસાયટીમાં હનુમાનદાદાનો મારુતિ યજ્ઞ યોજાયો હતો. યજ્ઞ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું

3 Apr 2026 5:10 pm
વૃંદાવન-6 બંગ્લોઝમાં હનુમાન જયંતિની ઉજવણી:સોસાયટીના સભ્યોએ ભજન અને ચાલીસા ગાન કર્યું

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા વૃંદાવન-6 બંગ્લોઝ સોસાયટીમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સેક્રેટરી વિપુલભાઈ પટેલે ભજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, બાળકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધ

3 Apr 2026 5:08 pm
ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસ ઉજવાયો:વાંચન પ્રત્યે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલમાં યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચન પ્રત્યેનો જુસ્સો વધારવાનો અને તેમને પુસ્તકો વાંચવાની ટેવ પાડવાનો હતો. કાર્ય

3 Apr 2026 5:05 pm
મૌઝા ગામમાં હનુમાન જયંતિનું ભવ્ય આયોજન:નેત્રંગ પાસેના મંદિરે હજારો ભક્તો ઉમટ્યા

નેત્રંગ નજીક આવેલા મૌઝા ગામના પવનપુત્ર હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી બાબુ દાદા વર્ષોથી સેવા આપી રહ્યા છે. ભક્તોમાં એવી શ્રદ્ધા પ્રવર્તે છે કે અહીં મા

3 Apr 2026 5:04 pm
ગઢડામાં પશુને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ:વિંછીયા પરાના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ તપાસ

ગઢડા શહેરના વિંછીયા પરા વિસ્તારમાં પશુઓને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક શખ્સો પશુઓને માર મારી રહ્યા હતા, જેનો વિંછીયા પરાના રહીશોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ બબાલ શરૂ થઈ હતી. રહીશ

3 Apr 2026 5:04 pm
શ્રી મહાવીર બી.એડ્. કોલેજમાં દીક્ષાંત સમારોહ:ભાવિ શિક્ષકોએ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત બી.એડ્. કોલેજ, પાંડેસરા ખાતે 1લી એપ્રિલના રોજ સેમેસ્ટર-4ના તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાવિ શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણની જવાબદારી સ્વીકારવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્કાર ભારતી

3 Apr 2026 5:01 pm
લાજપોર જેલમાં SMC કર્મચારીનું શંકાસ્પદ મોત:ડિંડોલી પોલીસે પૈસાની લેતીદેતીમાં પકડેલા યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો; પરિવારે વ્યાજખોરોના ત્રાસનો આક્ષેપ કર્યો

સુરત શહેરની લાજપોર જેલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. ડિંડોલી પોલીસ દ્વારા પૈસાની લેતી દેતીના કેસમાં પકડાયેલા સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર રાહુલ ભગવાન ચિત્તેનું જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. કસ્ટોડિયલ ડેથની આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રો

3 Apr 2026 5:00 pm
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નો

3 Apr 2026 4:59 pm
વડોદરામાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન:ભાજપ 3 અને 4 એપ્રિલે 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે, 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેની રાહ જોયા વિના જ તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શ

3 Apr 2026 4:59 pm
ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા બાળ પુસ્તક દિનની ઉજવણી:ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રમોદ શાહના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે સંસ્થાના પ્રમુખ પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાયો હતો. બાળ સાહિત્ય અને કેળવણી ક્ષેત્ર સાથે સંકળાયેલા જયેશ પરીખ, જિ

3 Apr 2026 4:59 pm
વલસાડના સાંસદ ધવલ પટેલનો 'આપ' પર પ્રહાર:કહ્યું-ચૂંટણી સમયે નૌટંકી કરવા નેતાઓ ગુજરાત આવે છે; ભાજપમાં ઉમેદવાર પસંદગી માટે ત્રણ સ્તરીય સ્ક્રુટિની પ્રક્રિયા તેજ

વલસાડના સાંસદ ધવલ પટેલે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રીને લખાયેલા પત્ર મુદ્દે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીથી આવેલા એક નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે આમ આદમી

3 Apr 2026 4:58 pm
મણિનગર બારગામ દશાનાગર સમાજે હાટકેશ્વર જયંતિ ઉજવી:450થી વધુ પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો

મણિનગર સ્થિત બારગામ દશાનાગર વણિક સમાજ દ્વારા હાટકેશ્વર જયંતિ ઉજાણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 450થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પરિવારજનોએ આ ઉજાણી પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આયોજનનો મુખ્ય ભાગ

3 Apr 2026 4:57 pm
રાહી ફાઉન્ડેશને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવ્યો:લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકોને ભોજન અને ભેટ અપાઈ

રાહી ફાઉન્ડેશન દ્વારા લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકો સાથે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં લાડુ, ફૂલવડી, રોટલી, શાક, દાળ અને ભાતનો સમાવેશ થતો હતો. ભોજન ઉપરાંત, તેમને કેડબરી અને બિસ્કિટના પેક

3 Apr 2026 4:57 pm
સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી

સુરતના સીમાડા નાકા ચાર રસ્તાનું નામ બદલીને 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજે શ્રી વ્રજવિલાસ હવેલીના ૧૦મા પાટોત્સવ નિમિત્તે આ નામકરણ સમારોહ યોજાયો હતો. વરાછા રોડ પર મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો વસવ

3 Apr 2026 4:56 pm
KP ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ:186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા

સુરત ખાતે નગર પ્રાથમિક શાળા નંબર 149 માં KP Human Development Foundation દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ અભ્યાસ પ્રત્યે ઉત્સાહ, આત્મવિશ્વાસ અને

3 Apr 2026 4:54 pm
મનોદિવ્યાંગ સૈયદ રેહાનના ચિત્રોનું પ્રદર્શન:શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું

શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ખાતે 2 એપ્રિલ, 2026 ના રોજ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે નિમિત્તે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના મનોદિવ્યાંગ વિદ્યાર્થી સૈયદ મોહમ્મદ રેહાન દ્વારા બનાવેલા ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા.

3 Apr 2026 4:53 pm
અમરોલીમાં કચરાની ગાડી ગટરમાં ગરકાવ:ઢાંકણું તૂટતા ટાયર ફસાયું અને ગાડી હવામાં અધ્ધર થઈ ગઈ; ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી, કોઈ જાનહાનિ નહીં

સ્માર્ટ સિટી સુરતના અમરોલી વિસ્તારમાં આજે સવારે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી ગાડી સોસાયટીમાં કામગીરી દરમિયાન ગટરના ઢાંકણામાં ફસાઈ ગઈ હતી. ગટરનું ઢાંકણું અચાનક તૂટી પડતા ગાડીનું પાછળનું ટાયર અંદર ગરકાવ થઈ ગયું હતું, જેના કા

3 Apr 2026 4:51 pm
મહેસાણામાં પિકઅપ ડાલાની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત:રાધનપુર ચોકડીથી મોઢેરા સર્ક્લ વચ્ચે હાઈવે પર ગમખ્વાર અકસ્માત

મહેસાણા શહેરના રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ વચ્ચેના હાઈવે પર ગત બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પિકઅપ ડાલા એક્ટિવાને જોરદ

3 Apr 2026 4:50 pm
નવસારીના સિટી બસચાલકનો વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ:સામાન્ય અકસ્માત બાદ પાઇપ કાઢી મારવા દોડ્યો, રાહદારીઓએ બચાવ્યા

નવસારી શહેરમાં સિટી બસના ચાલકે નજીવા અકસ્માત બાદ વૃદ્ધ રિક્ષાચાલક પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરજી પંચ વાડી પાસે બનેલી આ ઘટનામાં રાહદારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને

3 Apr 2026 4:43 pm
બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:બનાસ કમલમ કાર્યાલય પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનો ધસારો

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુરના ચડોતર સ્થિત બનાસ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો ઉમટી પડ્યા

3 Apr 2026 4:40 pm
નવસારી કોંગ્રેસમાં 20 કાર્યકરોના રાજીનામા બાદ સમાધાન:ટિકિટ વહેંચણી માટે સંકલન સમિતિની રચના કરાઈ

નવસારી શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. નવનિયુક્ત શહેર પ્રમુખની નિમણૂક સામે નારાજ થયેલા 20થી વધુ કાર્યકરો અને અગ્રણીઓના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હસ્તક્ષેપ કર્યો હતો. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમ

3 Apr 2026 4:36 pm
દ્વારકાનો ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વર્ષે 30-35 લાખ કમાય છે:સુરતનો ધરતીપૂત્ર દર ત્રીજા દિવસે 80-90 કિલો રીંગણ ઉતારે છે, તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન

મહેસાણા જિલ્લાના વિજાપુર પાસે આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશનના આયોજનમાં ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થ

3 Apr 2026 4:34 pm
પાલનપુર સિવિલમાં 25 સેમી ગળાની ગાંઠ દૂર:ખોરાક-શ્વાસમાં તકલીફ અનુભવતી મહિલાને બે કલાકની સર્જરીથી રાહત

પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 60 વર્ષીય મહિલાના ગળામાંથી 25 સેન્ટીમીટરની વિશાળ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. દાંતીવાડા તાલુકાના એક ગામના આ મહિલાને છેલ્લા 20 વર્ષથી ખોરાક અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મહિલાના પુત્રએ જણાવ્યું કે, છેલ્લા અંદાજે 20 વર્ષથી વિવિ

3 Apr 2026 4:33 pm
હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મેગ્નેટ લેવીસમાં ગુંજ્યો હનુમાન ચાલીસા નાદ, વૈષ્ણોદેવી વિસ્તારની સોસાયટીમાં દર શનિવારે રાત્રે 9:30 વાગે નિયમિત સત્સંગ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે, સરદાર ધામની પાછળ આવેલી મેગ્નેટ લેવીસ સોસાયટીમાં હનુમાન જયંતીના પાવન અવસર પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા હનુમાન ચાલીસાના 11 પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાઠની પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી યોજાઈ હ

3 Apr 2026 4:32 pm
ભરૂચના અંણખી ગામે ખેતી વચ્ચે લટકે છે વીજ વાયર:વીજલાઈનથી ખેડૂતોમાં રોષ, અકસ્માતનો ભય; તંત્રને રજૂઆત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અંણખી ગામના ખેડૂતો વિદ્યુત વિભાગ પ્રત્યે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેતરોમાંથી પસાર થતી જોખમી વીજ લાઈનો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. ગામના ખેડૂત કરણસિંહ સિંધાના જણાવ્યા અનુસાર, તેમના ખેતરોમાંથી

3 Apr 2026 4:31 pm
ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં મહીસાગર જિલ્લો રાજ્યમાં પ્રથમ:જિલ્લાની 206 ગ્રામ પંચાયતોએ 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો

મહીસાગર જિલ્લાએ ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ સિદ્ધિ નોંધાઈ છે. જિલ્લામાં કુલ 88.30 ટકા જેટલી નોંધપાત્ર વેરા વસુલાત થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિદ્ધિને કારણે મહીસાગર જિલ

3 Apr 2026 4:31 pm
સાબરકાંઠામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંમેલન:રાસાયણિક ખેતીના જોખમો પર ચિંતા, ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણ

3 Apr 2026 4:28 pm
નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે

નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કુલ 347 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા દાવેદારો

3 Apr 2026 4:19 pm
અમરેલીમાં હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરવાનેદારોને 7 દિવસમાં હથિયાર જમા કરવા ફરજિયાત

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે હથિયારો જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુ

3 Apr 2026 4:18 pm
જલાલપોરમાં મહિલાનું વોટ્સએપ હેક:'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' કહી સગા-સંબંધીઓ પાસે પૈસા માંગ્યા,અજાણ્યા ઠગ સામે ગુનો

નવસારીના જલાલપોરમાં એક મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને તેમના સગા-સંબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 'સાહિલ' તરીકે ઓળખ આપીને મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો અને ત્યારબાદ આ છેતરપિંડી આચરી હતી. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમ

3 Apr 2026 4:16 pm
પાટડી દંતયજ્ઞમાં 50 દર્દીઓની તપાસ:30 દર્દીઓને મફત દાંતના ચોખટા અપાયા, દાંતના રોગોની સારવાર પૂરી પડાઈ

પાટડી આંખની હોસ્પિટલ ખાતે એક દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 50 દર્દીઓની દાંત સંબંધિત તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 30 દર્દીઓને મફત દાંતના ચોખટા બનાવી આપવામાં આવ્યા હતા. આ દંતયજ્ઞ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ, ડિવાઇન હેલ્થ સેન્ટર રાજકોટ અને ડૉ. એચ. જે. ભટ્ટ સ્મ

3 Apr 2026 4:08 pm
સુરતમાં બે અકસ્માતના ભયાનક CCTV:બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત

સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને અકસ્માતના CCTV વિડીયો સામે આવ્યાં છે. બારડોલીમાં ટ્રકે રિક્ષાને અડફેટે

3 Apr 2026 4:04 pm
કુમકુમ મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ સત્સંગ સભા યોજાઈ:અબજીબાપાશ્રીની 11 પારાયણ, પ્રેમવત્સલદાસજીએ ધાર્મિક ચિહ્ન ધારણ કરવા પર ભાર મૂક્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ, હિરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ સભાનું આયોજન થયું હતું.ઉજવણીના ભાગરૂપે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધૂન-કીર્તન યોજાયા હતા.આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્

3 Apr 2026 3:56 pm
કલોલના નારદીપુરમાં 3 ગૌવંશની ક્રૂર હત્યા:અજાણ્યા શખસોએ ગાયોને વાડામાંથી ચોરી ખેતરમાં લઈ જઈ રહેંસી નાખી; અવશેષો મળતા પશુપાલકોમાં રોષ

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે FSL રીપોર્ટ આધારે કલોલ તા

3 Apr 2026 3:53 pm
સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં સર્વિસના નામે કરોડોના કૌભાંડનો આક્ષેપ:અમદાવાદનું વાહન તલોદમાં સર્વિસ કરાવી GST વગરના લાખોના બિલ પાસ કરાયા, કોંગ્રેસની CM પાસે તપાસની માંગ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લીકર પરમિટના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડનો પુરાવો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના વાહન સર્વિસ માટે તલોદમાં જત

3 Apr 2026 3:47 pm
પંચમહાલ LCB દ્વારા બુટલેગરની પાસા હેઠળ અટકાયત:મોરવા હડફના ગિરીશ ઉર્ફે કીરાને સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા હડફ તાલુકાના વિરેનિયા ગામના લિસ્ટેડ બુટલેગર ગિરીશ ઉર્ફે કીરો રાઠોડની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસ

3 Apr 2026 3:46 pm
મહીસાગરના સરસવા ગામે બે બાઇક અથડાઈ:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

મહીસાગર જિલ્લાના સરસવા ગામે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગત ૨ એપ્રિલની સાંજે સુખાભાઈ વાદી નામના યુવક પોતાની બાઇક લઈને ડોરી ગામે જ

3 Apr 2026 3:43 pm
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગરની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતી, સોમ સરોવરનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર

3 Apr 2026 3:40 pm
4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી અચાનક નજીક આવેલી નહેરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી ઓમ ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 4 વર્ષની લાડકવાયી પુત્રી આરાધ્યા આજે સવારના સમયે ઘર પ

3 Apr 2026 3:38 pm
આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત

સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રી

3 Apr 2026 3:37 pm
પાટીદારોના ગઢ વોર્ડ નં-2માં પતિ-પત્ની વચ્ચે થશે જંગ?:ભાજપમાંથી ધાર્મિક માલવિયાની દાવેદારી, પત્ની મોનાલી હીરપરાએ AAPમાંથી દાવેદારી કર્યાંનો ધર્મેશ ભંડેરીનો દાવો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટા વરાછા-અમરોલી - કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એક જ ઘરમાંથી બે અલગ-અલગ વિચારધારા અને પક્ષો સાથે જોડાયેલા પતિ-પત્નીની રાજકીય દ

3 Apr 2026 3:21 pm
રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને PhD ડિગ્રી એનાયત:ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. (P.H.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ પદવીદાન સમારોહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જે યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારોહ હતો. ડૉ. અર્જુન નિમાવતએ ઇતિહાસ વિષયક્ષેત્રમાં બો

3 Apr 2026 3:20 pm
બોટાદમાં નવકાર રેસિડેન્સી દ્વારા હનુમાન જયંતિ ઉજવાઈ:રામધૂનનું આયોજન, બાળકો હનુમાન વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

બોટાદના પાળીયાદ રોડ પર આવેલી નવકાર રેસિડેન્સી દ્વારા ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં રેસિડેન્સીના તમામ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાળીયાદ રામધૂન મંડળી દ્વારા ઢોલ, કરતાલ અને સંગીતના સથવારે ર

3 Apr 2026 3:02 pm
પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કોંગ્રેસમાં પાછા ફર્યા:100થી વધુ કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પૂ

3 Apr 2026 3:01 pm
તલગાજરડામાં હનુમંત ઉત્સવ સંપન્ન:જીવનની ઊર્જા વધારતા સાત આહારની મોરારિબાપુએ કરી વ્યાખ્યા

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં છેલ્લા 48 વર્ષથી યોજાતો હનુમંત સંગીત નૃત્ય મહોત્સવ આ વર્ષે પણ ભવ્ય રીતે સંપન્ન થયો. હનુમાન જયંતીના પાવન અવસરે 49 માં ચતુર્દિવસીય મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ ક્ષેત્રના 13 જેટલા કલાધરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હત

3 Apr 2026 2:56 pm
અમરેલીમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારો સાંભળ્યા

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી

3 Apr 2026 2:55 pm
વલસાડના દરિયાકિનારેથી સુરતના રત્નકલાકારનો મૃતદેહ મળ્યો:ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા ને વલસાડ પહોંચી ગયા; PM રિપોર્ટમાં મોતનું કારણ અસ્પષ્ટ, FSL રિપોર્ટની રાહ

વલસાડના તિથલ દરિયાકિનારે પથ્થરો વચ્ચેથી સુરતના 46 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિ

3 Apr 2026 2:38 pm
ચંદ્રુમાણામાં હનુમાન જયંતિ ઉજવાઈ:સંકટમોચન મંદિરે 11મો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે 11મો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં બિરાજમાન શ્રી હનુમાનજી દાદા અને શ્રી ભૈરવ દાદાને સિંદૂર અને ફૂલહારનો શૃંગાર ક

3 Apr 2026 2:38 pm
વેરાવળમાં કમોસમી વરસાદથી સુભાષ રોડ પર પાણી ભરાયા:વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી મિક્સ થતા વેપારીઓ-રાહદારીઓને હાલાકી

વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા સુભાષ રોડ અને તપેશ્વર રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ બંધ થયા બાદ મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હ

3 Apr 2026 2:34 pm
કેશોદમાં સ્થાનિકોનો પાણી માટે પોકાર:​5 દિવસે આવતા ગંદા પાણીથી જનતા પરેશાન, 200 રૂપિયાના ટેન્કર લેવા મધ્યમ વર્ગ મજબૂર, તંત્રના દાવા પોકળ ચીફ ઓફિસરે કહ્યુંપાઇપલાઇનમાં ભંગાણ થયું.

​કેશોદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકો અત્યારે પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર અગાઉ શહેરમાં એકાંતરે પાણી આપવામાં આવતું હતું જેના કારણે જી

3 Apr 2026 2:25 pm
'અમે તો નિયમો પાળીશું, પણ લારીઓવાળાનું શું?':પનીર અસલી છે કે એનાલોગ'ના ફરજિયાત બોર્ડ મારવાના નિર્ણય સામે હોટલ એસો. મેદાને, 'સમગ્ર ફૂડ સેક્ટરમાં નિયમ લાગુ કરો'

રાજ્ય સરકારે તાજેતરમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પીરસવામાં આવતા પનીર બાબતે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી દરેક સંચાલકે પોતાની હોટલમાં સ્પષ્ટપણે બોર્ડ મારવું પડશે કે તેઓ જે પનીર વાપરે છે તે દૂધમાંથી બનેલું 'અસલી પનીર' છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું 'એનાલોગ પનીર'. સરકાર

3 Apr 2026 2:24 pm
દેસાઈ પરિવારે દેહદાનથી મહેકાવી માનવતા:અંધશ્રદ્ધા છોડી ગ્રીન આર્મીના પર્યાવરણ પ્રેમી પરિવારે 80 વર્ષીય મોભીનું દેહદાન કર્યું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના ઉખરલા (તા. શિહોર) ના વતની 80 વર્ષીય દેવરાજભાઈ પ્રેમજીભાઈ દેસાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી પરોપકારની જ્યોત જલતી રાખી છે. અંધશ્રદ્ધાથી દૂર રહીને તેમણે જીવતા જગતિયું કરી સમાજને નવી રાહ ચીંધી છે. માધવાનંદ આશ્રમમાં અન્નક્ષેત્ર

3 Apr 2026 2:21 pm
હિંમતનગરમાં રેડક્રોસ ભવન પાછળ આગ:સુકા ઘાસ અને ઝાડના કારણે વધુ પ્રસરી, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા; ફાયર ટીમે 5000 લિટરથી વધુ પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી

હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા રેડક્રોસ ભવન અને ભગિની સમાજની બિલ્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. સુકા ઘાસ અને ઝાડમાં લાગેલી આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરવામાં આવતા,

3 Apr 2026 2:20 pm
જગતપુરમાં ગુંજ્યા હનુમાન ચાલીસાના પવિત્ર પાઠ:આર્કવે બાય અદાણીના રહેવાસીઓએ ભક્તિમય માહોલમાં સમૂહ સુંદરકાંડનું સુંદર આયોજન કરી આશીર્વાદ મેળવ્યા

શહેરના જગતપુર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના આંગણે હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ એક અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. બુધવારે સાંજે સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભગવાન હનુમાનની આરાધનામાં લીન થયા હતા. આ અવસરે

3 Apr 2026 2:17 pm
દ્વારકામાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય પબુભા માણેકે વિકાસ અને ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું

દ્વારકા શહેરના ગોવાળયાધામ વિસ્તારમાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે આ યોજનાનો પ્રારંભ થયો હતો. આ યોજનાથી વિસ્તારના લોકોને ગટર સમસ્યામાંથી રાહત મળશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે આગામી તાલુકા પંચાયતની

3 Apr 2026 2:15 pm
અશાંતધારો અમલમાં છતાં મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચાર?:SDMના ડ્રાઈવરના ઓડિયો-વીડિયો વાયરલ, આરોપી મોમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસનો ધમધમાટ

ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા ચકચાર મચી હતી. ક્રેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવર

3 Apr 2026 2:13 pm
PI આકાશ બારસીયાની જામનગર બદલી:દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય અપાઈ

દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આકાશ બારસીયાની જામનગર ખાતે બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમારંભ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો.આ પ્રસંગે પોલીસ સ્ટાફ, હોટલ એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ PI બાર

3 Apr 2026 2:04 pm
મોરબી મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા:52 બેઠકો માટે દરેક વોર્ડમાંથી સરેરાશ 30-40 દાવેદારો, પક્ષમાં ઉત્સાહ

મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં એક-એક વોર્ડમાંથી સરેરાશ 30 થી 40 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી ધારા

3 Apr 2026 2:01 pm
સાબરકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:વડાલી તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ, અન્ય સ્થળોએ પ્રક્રિયા ચાલુ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો, ત્રણ નગરપાલિકાઓ અને એક નગરપાલિકાની પેટાચૂંટણી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે વડાલી તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા

3 Apr 2026 1:56 pm
દિલ્લીના બે ગઠિયાએ રૂ. 4.62 કરોડ પડાવ્યા:અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં

અમદાવાદની અલગ-અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના બે વેપારીએ મોટા પાયે કાપડ ખરીદીને કુલ રૂ. 4.62 કરોડની રકમ ન ચૂકવીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતોમળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં આવેલ

3 Apr 2026 1:54 pm
ટાટા હેરિયરમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સની લાશ મળી:સાયન્સ સિટી રોડના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસેથી મૃતદેહને પીએમમાં ખસેડાયો, અમદાવાદમાં 7 દિવસમાં બીજી લાશ મળી

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ ઉપરથી ગાડીમાંથી લાશ મળી આવવાની ઘટના બની હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરનારા હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શર

3 Apr 2026 1:20 pm
એઈમ્સના છાત્રના ચકચારી આપઘાત કેસમાં પકડાયેલ તમામ આરોપીઓના જામીન મંજુર:મૃતક યુવતીના એક તરફી પ્રેમમાં હોવાથી આરોપીઓ શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતા હોવાનો 13 પેજની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો'તો

રાજકોટના જામનગર રોડ પર આવેલ એઈમ્સમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતન મેઘવાલે ગત તા.14.03.2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલ સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી એઇમ્સના જ અન્ય 5 વિદ

3 Apr 2026 1:16 pm