સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતા અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના ઘર સસ્તામાં વેચી દેવા અથવા તાળા મારી અન્ય વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા હોવાનો ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે દાવો કર્યો છે. વિધાનસભામાં અશાંતધારા
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમ
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને ધાડની ગંભીર ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજકોટથી 'ગંડવા ગેંગ' સાથે સંકળાયેલી એક મહિલા આરોપીને ઝડપી પાડી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 શખ્સોન
રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સુરતની તાપી મૈયાના કિનારે અયોધ્યાની સરયૂ આરતી અને કાશીના ઘાટ જેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કર અને 'તાપી નમોસ્તુતે'ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દીપોત્સવમાં સુરત સાચા અર્થમાં આધ્યાત્મિક નગરીમાં પરિવર્તિત થયું હતું. જે પ્રકારે દ
ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓમાં આર્થિક તણાવને કારણે આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં કતારગામ વિસ્તારના એક 48 વર્ષીય હીરા વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી જીવન ટૂ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે સિમાડે આવેલી વાડીના મકાનની બહાર ખુલ્લી ઓસરીમાં રાત્રીના વૃદ્ધ દંપતી ખાટલા ઢાળીને સુતુ હતું તે વેળાએ મોડી રાત્રિના ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધીને ત્રાટકી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી દઈ તેઓએ કાનમાં પહેરેલા સોનાના કાપ આંચકી લૂંટ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા દ્વારા સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ અને વાલી મિટિંગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6, 7 અને 8ના અંદાજિત 900 વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. કાર
પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી (ગાંડી વેલ) ને દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂ.59.20 લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા આપવામાં આવી છે. કર્લી સ્ટ્રીમમાં રતનપર અને છાંયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જળકુંભ
અમદાવાદ એસઓજી ટીમ દ્વારા વિરાટનગર ચાર રસ્તા પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા અજમેરમાં એક વ્યક્તિને ઓળખાણ થયા બાદ તેની પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. બાદમાં શહેરમાં છૂટકમાં વેચાણ શરૂ કર્યુ હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ આપનાર બે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના છાપરીયા રામજી મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરથી પ્રસ્થાન કરીને છાપરીયા ચાર રસ્તા, જૂની જિલ્લા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત હિંદુ પરિવાર મહિસાગર લુણાવાડા દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. લુણાવાડાના શ્રી રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ ભગ
રાજપર ગામે RCC રોડ પર પાણી છાંટવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાન પર હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા યુવાનને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી તાલુકાના રાજપર ગામના મેહુલ
રાજકોટના રેન્જ આઈ.જી. તરીકે બાહોશ ગણાતા નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગૂનેગારો સામે સકંજો કસ્યો હોય તેમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગં
અમદાવાદ શહેરમાં મોટા વેપારીની ઓળખ આપીને ગઠિયાઓએ વેપારી અને તેમના ભાગીદારોને જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપીને પતિ-પત્ની અને ભાઈએ 41 કરોડની ઠગાઈ કરી છે. આરોપીઓએ 68.87 કરોડ મેળવી લીધા બાદ દસ્તાવેજ ન કરી આપીને માત્ર 27.86 કરોડ પરત આપ્યા હતા જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા પરત ના આ
વિશ્વની સૌથી લોકપ્રિય IPL 2026ની લીગનો 28 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલમાં IPLની તમામ ટીમો સારા પ્રદર્શન માટે કમરકસી રહી છે. નવી સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરા અને કેપ્ટન શુભમન ગીલે ટુર્નામેન્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મી
વલસાડ શહેરમાં રામનવમી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા રેલવે ગોદી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ રહી હતી, જેના દર્શન માટે ભક્તોન
અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ છવાયો હતો, જેમાં અમરેલી શહેર સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બાળક
ભરૂચમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ઉત્સવની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના સોનેરી મહેલથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેના કારણે શહેર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દે
વડોદરાના માંજલપુરમાં રહેતા સરજુબેન પટેલના નિધન બાદ તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના ભારત દેશ બને પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ સંકલ્પને પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આચાર્ય મહારાજે ૨૦૧૨માં જૂના
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાન્તિબેન આકેડીવાલાનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમા
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને આર્થિક શિસ્ત જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના વિવિધ ઝોન અને વિભાગો દ્વારા ચાલતી મનમાની પ્રથાને ડામવા માટે કમિશનરે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા આદેશ
જૂનાગઢ એસ.ટી. ડેપોના એક મહિલા કંડક્ટરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મુસાફરના ખોવાયેલા નાણાં પરત કર્યા છે. વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધા ઉતાવળમાં પોતાની રોકડ ભરેલી થેલી ભૂલી ગયા હતા. જોકે, મહિલા કંડક્ટરની સતર્કતા અને નૈતિક
મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે રામનવમી ની જાહેર રજા હોવા છતાં, મનપાના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે લાલ આંખ કરી હતી, મનપાની રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતો
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને લેક સિટી બનાવવાની દિશામાં અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના વિવિધ ઝોનમાં નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે કરોડોના ખર્ચે લેક ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. જોકે, આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટી મર્યાદા એ જોવા મળી રહી છે ક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે ઉનાળાના વેકેશનમાં પ્રવાસનું આયોજન કરવું હવે વધુ સરળ બનશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને ધ્યાને રાખીને રાજકોટ થી લાલકુઆં (ઉત્તરાખંડ) વચ્ચે વિશેષ ભાડા પર 'વીકલી સમર સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામા
આજે ગોધરા શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર 'જય શ્રી રામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી હિમેશભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શોભાયાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના રહેવાસીઓ માટે પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જળ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ન્યારા ગામ પાસે 37.49 કરોડના અંદાજિત ખર્ચે 50 MLDની ક્ષમતા
શહેરના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઈઝરનું અપહરણ કર્યું હતું. કર્મચારીઓ ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઈઝરને અલગ-અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વાડજ પોલી
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 'બેગ ફ્રી ડે'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વિના શાળાએ આવવાની તક મળી હતી. આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લીધ
ચૈત્રી સુદ આઠમ અને રામ નવમી નિમિત્તે શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતાજીને ફૂલોનો શ્રૃંગાર કરાયો અને શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવાયો. સવારે આઠમના પવિત્ર દિવસે મહાકાળી માતાજી અને રણછોડરાયજીને ગુલાબના પુષ્પોના વાઘાનો
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલમાં સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની આમંત્રિત શાળાઓના મધ્યમ વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે ડાન્સ, મેજિક શો, ગરબા અ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે વાર્ષિકોત્સવ ‘થનક-2026’ તાજેતરમાં સંપન્ન થયો. આ મહોત્સવ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ આપતું એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક માધ્યમ બન્યો હતો. સમારોહના અધ્યક્ષ પદેથી વિસનગરની એમ.એન. કૉલેજના આચાર્ય ડૉ. આર. ડી. મોઢે યુવાઓ માટે ઉપ
વડોદરા જિલ્લાના પાદરા નગર વિસ્તારમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં જિલ્લા પોલીસ દ્વારા દરોડો પાડીને 2.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી બુટલેગર પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી ફરાર થઈ ગયો તેને વોન્ટેડ જાહેર
વડોદરા શહેરમાં ચૈત્ર આઠમ અને શ્રી રામ નવમીના પવિત્ર અવસરે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી મહાનગરપાલિકા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ઓટોરિક્ષા સ્ટીકર અભિયાનની શરૂઆત
શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) અને LT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સી. વી. રામન કોમ્પિટિશન -2025/26માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં સુરત જિલ્લા અને સુરત શહેરની કુલ 51 શાળાઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન મોડમાં યોજાયેલી આ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય હોવાની આશંકા વચ્ચે આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. માંગરોળ પ
જૂનાગઢ શહેરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે 'રામ નવમી'ની અભૂતપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનારની ગોદમાં વસેલું આ ઐતિહાસિક શહેર આજે સંપૂર્ણપણે 'રામમય' બની ગયું છે. શહેરની બે સૌથી મોટી અને મુખ્ય શોભાયાત્રાઓનું આજે ભવ્ય પ્રસ
સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા યુવાનો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્બેનિયા દેશમાં સુપર માર્કેટમાં નોકરી અપાવવાના બહાને એક ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ રૂ. 16.66 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પો
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીશલી ગામના ટીંબા સીમમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીના સંપૂર્ણ મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે આ ચોરી અંગે સઘન તપાસ શરૂ કરી
મોરબીમાં રામ નવમીના પવિત્ર દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય રામ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં 'જય શ્રી રામ'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિ
વડોદરા શહેરમાં રામનવમી પર્વને લઈ આજે ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં આજે 23 જેટલી શોભાયાત્રાઓ નીકળી છે. ત્યારે શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા વિસ્તારમાં આવેલા ફતેપુરા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં લોખંડી બંદોબસ્ત સાથે નીકળી
ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક ગતરાત્રીનાધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનું વેરભાવ રાખીને 3 શખ્સોએ એક યુવાન ને ઢીકા-પાટુ નો મારમારી છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ને વાંસા અને ખંભા પાસે ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે
ગોધરા તાલુકાના કાકણપુર રામપુરા ગામે એક હડકાયા શ્વાને બે વર્ષની બાળકી અને એક વાછરડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના સમયે, બે વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. અચાનક
રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી 45 વર્ષીય પરિણીતા દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 115 (2), 351 (2) સહિતની કલમ અંતર્ગત જુબેર કુરેશી (ઉવ.33) નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો
વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આ વર્ષે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો અને રામભક્તોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. વેરાવળ શહેરમાં વખારીયા બજાર સ્થ
ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાવા બાદ પોરબંદર કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારોની અછત સર્જાઈ છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં હવે પક્ષને ચૂંટણી લડાવવા માટે યોગ્ય ઉમેદવારો નથી મળી રહ્યાં. કોઈ કોંગ્રેસની ટિકિટ પર લડવા તૈયાર નથી!આ કફોડ
નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. ભાજપે સંગઠનાત્મક મજબૂતી અને વ્યૂહાત્મક આયોજન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા નવસ
શહેરમાં આજે શ્રી રામ સેવા સમિતિ દ્વારા 45મી રામનવમી નિમિત્તે અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણી વિશેષ રહી હતી કારણ કે, 45 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહાઆરતી નવનિર્મિત શ્રીરામ મંદિરમાં યોજાયા હતા. સવાર
સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત મદ્રેસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક CCTV ફૂટેજમાં જોવા મળ્યો છે, જેમાં એક બુરખાધારી શખ્સ અત્યંત ચાલાકીથી મદ્રેસાના ગેટની અંદર જતો સ્પષ્ટ દેખાય છે. આ અજાણ્યા શખ
પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને ₹15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ તેમને એક અજાણ્યા નંબર પ
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બગવદર વિસ્તારના સિંહજરનેશ ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ 234 બોટલો સાથે આશરે રૂ. 2,67,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી ટીમે નાગકા ગામના સિંહજરનેશ વિસ્તારમાં રહેતા બાવન કાના કટારા
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા યુવક પર તેના જ મિત્ર દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. નાસ્તો લેવા નીકળેલા યુવકને રસ્તામાં અટકાવી બીજા સાથે ઝઘડો કરવા દબાણ કરાયું હતું, જેની ના પાડતા ઉશ્કેરાયેલા મિત્ર એ યુવાનને પીઠમાં છરીનો ઘા મારતા ઇજા પહોંચી હત
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તાજેતરમાં આધ્યાત્મિકતા અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ૐઋષિ સ્વામીજી ૐગુરુ દ્વારા આયોજિત ‘મંત્ર થેરાપી દરબાર’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સા
ગોધરા તાલુકાના આંબલીયાત ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે આંબલીયાતથી જોટગીયા ગામને જોડતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગ ગ્રામીણ કનેક્ટિવિટીને નવો વેગ આપશે. આ નવીન માર્ગના નિર્માણથી ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીક એક છકડો રિક્ષા પલટી જતાં પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ મુસાફરો પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવ
માધવપુર ગામના ખાયડા વિસ્તારમાં થયેલા હત્યાના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોરબંદર એલ.સી.બી.એ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં દોસમહમદ હાસમભાઇ જોખીયા, હાસમ કાસમભાઇ જોખીયા, સાબીર ઉર્ફે સબીર હુસેનભાઇ દલ, અશરફ ઓસમાણભાઇ રોંશ અને હાર્દિક નરોત્તમભાઇ
ગાંધીનગર જિલ્લાના સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી આચરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડવામાં સાંતેજ પોલીસને સફળતા મળી છે. પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 22 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના દરિયાપુર તથા દુધેશ્વર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો રામભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર રામમય બન્યું હતું. આ શોભાયાત્રા સરયુ મંદિર, પ્રેમ દરવાજાથ
શહેરના સીજી રોડ ઉપર BEEKAY BAKERSની નાનખટાઈમાંથી જીવાત નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ બેકરીની હાઈજેનિક કન્ડીશન મામલે નોટિસ ફટકારીને રૂ .25 હજારનો દંડ વસૂલ કરાયો છે. AMC ફુડ વિભાગ દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો, ડેરી, બેકરી, ચવાણા એન્ડ સ્વીટ
પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બગવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રોજીવાડાથી ઇશ્વરીયા ગામ તરફ જતા રસ્તા પર એક વાડી નજીકથી પોલીસે આઇસર ટ્રકમાંથી ₹82.68 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹82,68,800નો મુદ્દામા
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ કરી છે. કુલ 518 પોલીસ અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીઓમાં સોમનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. પીઆઈ ગોસ્વામીએ ગીર સોમનાથ જિલ્લા
ચૈત્રી આઠમે શક્તિપીઠોમાં શ્રધ્ધાળુઓની ભીડ ચૈત્રી આઠમે ગુજરાતના શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..અંબાજી-પાવાગઢ ચોટીલામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આ
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુંદરતામાં વધારો કરવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. મનપા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડ જંક્શન પર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોરબંદર પોલીસે ભગવાન શ્રી માધવરાયજીના વિવાહ પ્રસંગે યોજાનારા સુપ્રસિદ્ધ 'માધવપુર મેળા-2026' માટે સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ મેળો 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટવાની શક્યતા છે. મેળા પરિસરને અલગ-અલગ ઝોનમાં વહેંચી ચુસ્ત પોલીસ બંદોબ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષા આગામી 29 માર્ચના રોજ યોજાનાર છે. સુરત શહેર અને જિલ્લામાંથી આ વર્ષે રેકોર્ડબ્રેક 28,500થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી હવે 'એજ્યુકેશન હબ' તરીકે ઉભરી રહ્યું છે ત
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઝાપડા દાદા અને અન્ય લોકદેવીઓનું આવાહન કરીને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. ડેરીવાસમ
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ત્રણ માસૂમ મિત્રો એકાએક ગુમ થઈ જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલી
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી રામ નવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ભગવાન શ્રીરામના જય જયકાર ગુંજી ઉઠ્યા હતા. ગામના મધ્યમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી મહારાજ અને જાનકીજી માતાને નવીન વસ્ત્રો અને ફૂલહારથી સજ્જ કરવામાં
સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત 'બ્રહ્મમહોત્સવ' અંતર્ગત મહા વિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે તેમ 'કળિયુગ કેવલ નામ આધારા'. વર્તમાન સમયમાં અલ્પ
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 52 પૈકી 12 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કૌભાંડીઓને જેલ ભેગા કરવામાં આ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડ પાસે આ સભા યોજાશે. આ મહત્વપ
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગધેડા માર્કેટ ચાર રસ્તાથી મહાવીર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર રોડની સાઇડમાં ઊભેલા આઇસરના પાછળના ભાગમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્
ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.જેની સીધી અસર ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પીઆઈને હવે ર
ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે અને હવે
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉથી ફરાર રહેલા બે આરોપી વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારીને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુ
વલસાડ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે એલસીબી (LCB) ટીમે મોટી કાર્યવાહી કરી છે. ઉમરગામના વલવાડા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે પરથી સોયાબીનની આડમાં લઈ જવાતો રૂ. 44.03 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂ. 56.57 લાખનો મુદ્દામાલ
ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલ જિલ્લામાં તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ
રાજકોટની જાણીતી મારવાડી યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જાહેર થયેલા વર્ષ 2026 ના ‘QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ’ માં કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ શ્રેણીમાં યુનિવર્સિટીએ વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું છે. આ સફળતા
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 23મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણી માટે આણંદ-સોજીત્રા રોડ સ્થિત EVM વેરહાઉસ ખાતે મશીનોના પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયા 23મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના
સુરત શહેર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે, ત્યાં હાલ એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતો બ્રિજ હાલ વાહનોના ઘોંઘાટને બદલે બેટ-બોલના અવાજ અને બાળકોના કિલકિલાટથી ગુંજી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજના મેન્ટેનન્સ માટ
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે રાજુલા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને ASP જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ, રાજુલા પોલીસે સાયબર ફ્રોડના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો છે.
વાંસદા તાલુકાના સરા ગામે મંગળવારે રાત્રે એક સેનાના જવાનના નિવૃત્તિ સન્માન સમારોહમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ગ્રામજનો અને હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જ
2024-25ના સરકારી આંકડાઓમાં ગુજરાતના વહીવટી તંત્રની અનેક ખામીઓ સામે આવી છે. પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની 324 ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે તલાટી-કમ-મંત્રીના મહેકમમાં 4,151 જગ્યાઓ ખાલી છે અને મોટાભાગે વધારાના ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે “નલ સે જલ” યોજનામાં 20 જિલ્લ
બ્રહ્માકુમારીઝના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા સુરક્ષા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક સશક્તિકરણ માટે એક વિશેષ રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કડી અંતર્ગત 25 માર્ચ 2026, બુધવારના રોજ વરાછા સેવાકેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસ અને જિલ્લા હોમગાર્ડના અધિકાર
રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય
ગોધરા-દાહોદ હાઈવે પર ચંચેલાવના કેવડિયા ગામ પાસે બે એસ.ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદથી તારાપુર તરફ જઈ રહેલી એક એસ.ટી. બસ ચંચેલાવ નજીક કેવડિયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂર
ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે જિલ્લા તંત્રએ સ્પષ્ટતા કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી યુ. વી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. તેમણે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની ખાતરી આપી હતી. અધિકારી પટેલે સ
મોરબીના જલારામ ધામ ખાતે રામનવમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના

32 C