રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. આગામી શનિ અથવા રવિવારના રોજ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા અધિકરીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં MRIની સુવિધા છે. પશ્ચિમ વિસ્તારમાં થલતેજ ખાતે આવેલી મીની હોસ્પિટલ ગણાતા એવા થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)ખાતે આધુનિક ટેકનોલોજીવાળું MRI મશીન મૂકવામાં આવશે જેથી પશ્ચિમ વિસ્તારના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકશે. અત્યંત ર
ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમા
જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ટાઉનહોલમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ'નું લાઈવ પ્રસારણ અને ખગોળીય ઘટનાઓ પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન યોજાયું. આ કાર્યક્રમ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોળ, ખગોળ મંડળ જામનગર અને રંગતાળી ગ્રુપ જામનગર દ્વારા આયો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મધર્સ સ્કૂલ પાસે ઇન્દિરા નગરની સામે આવેલી જયરત્ન સોસાયટીના એક મકાનના બીજા માળે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબ
ગુજરાત હાઇકોર્ટમાં ડાંગની 13 વર્ષ અને 10 મહિનાની દુષ્કર્મ પીડીતા સગીરાના 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. આરોપી સામે આહવા પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આહવાની જન
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ઉમેદવાર દીપેન દવેએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને વકીલ મંડળનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામની અપેક્ષા છ
સુરતના આંગણે આગામી 21 ફેબ્રુઆરીથી ટેક્સટાઇલ ટેકનોલોજીનો મહાકુંભ ‘સીટેક્ષ – 2026’ યોજાવા જઈ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત આ 13th એક્ષ્પો સુરતના ટેક્સટાઇલ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે અહીં વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હ
આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરાયેલી 'આખરી મતદારયાદી' પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદારયાદીની નકલો સુપ્રત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેતન ઠક્
ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ ગ્રાઉન્ડમાં ખાખી વર્દી પહેરવાનું સપનું આંખમાં આંજીને થરાદથી આવેલી દીકરીને પોલીસ ભરતીની શારીરિક કસોટી અપાવવા પ્રોત્સાહન પૂરું પાડવા આવેલા પિતાનું ગ્રાઉન્ડની બહાર જ હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થયું હતું. જોકે પિતાના અવસાનની હકીકતથી અજાણ દીકરી મે
સુરતના ભાગોળ વિસ્તારમાં એક નાનકડી દુકાનમાંથી ચાંદીના કાળા કારોબારનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ભાગળના એક જ્વેલર દ્વારા કરવામાં આવેલા 600 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફા
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. કોલેજના બે પ્ર
એરપોર્ટ રોડ પર જસાણી પાર્કમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ તેના પતિ ધારવ મજેઠીયા, સસરા શશીકાંત મજેઠીયા, સાસુ નયનાબેન મજેઠીયા અને નણંદ માનસીબેન મજેઠીયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, લગ
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓએ ડોમિનોઝ પિઝા સામે દાવો દાખલ કર્યો હતો. જે મુજબ ડોમિનોઝ પિઝા એ તેમની પાસેથી બિલની રકમ કરતાં 49 રૂપિયા વધુ વસૂલ્યા હતા. તેઓએ ગત ડિસેમ્બર મહિનામાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ ઉપર પીઝા અને બર્ગર મા
પંચમહાલ જિલ્લાના રીછવાણી ગામે એક મહિલા આંબાના ઝાડ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 45 વર્ષીય મહિલાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રીછવાણી ગામના રહેવાસી રમીલાબેન ડામોર (ઉંમર 45) પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતના નિર્વાચન આયોગના આદેશાનુસાર, તા. 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલ 'ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' (SIR-2025) સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ ઉપલક્ષમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને માન્યત
ગાંધીનગર સચિવાલય સંકુલની સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કર્મચારીઓની અવરજવરને સુવ્યવસ્થિત કરવાના હેતુથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેટ નંબર 8 માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ સચિવાલયના ગેટ નંબર 8 પરથી હવે માત્ર નિયત સમયે જ પ્ર
ગોધરા-લુણાવાડા રોડ પર છબનપુર નજીક કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનોના ચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એર્ટિંગા કાર રાજગઢ તરફથી શહેરા તરફ જઈ રહી હતી. તે દરમિયાન છબનપુર પાસે સામેથી આવતી છકડો રિક્ષા સાથે તેની અથડામણ
ખાખસર પ્રાથમિક શાળા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ 'માતૃ-પિતૃ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન તેમજ 'માતૃદેવો ભવ:' અને 'પિતૃદેવો ભવ:'ના આદર્શોને જીવંત રાખવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ બકુલભાઈ જોષી દ્વારા વ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા અને ફાળવેલા મકાનોને લાભાર્થીઓ દ્વારા ભાડે આપી દેવામાં આવે છે, ત્યારે AMCની હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલને માહિતી મળી હતી કે, સાયન્સ સિટી રોડ ઉપ
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા હબ ટાઉન કોમ્પ્લેક્સમાં કપડાની દુકાન ચલાવતા વેપારી પર રાત્રિના સમયે ચાર શખ્સોએ હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. નાગલપુરના શખ્સે પોતાની ઓળખ ‘અક્કી દાદા’ તરીકે આપી વેપારી પાસે હપ્તાની માંગણી કરી જાનથી મારી નાખવા
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્ય સ્તરની 'આઇડિયાથોન' સ્પર્ધામાં બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (ઓટોનોમસ) કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ સિદ્ધિથી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજનું ગૌરવ વધ્યું છે. બી.એસ
અકસ્માતોના બનાવો અટકાવવા માટે રાજ્ય સરકાર અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ રાજ્યભરની અલગ અલગ પોલીસ દ્વારા LED વ્હાઇટ લાઈટ નો ઉપયોગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં 280 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.2.7
સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરીયાદીને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ. 60,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈપ્રોફાઈલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પ્રતીક સતિષ શુક્લાને સુરત સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારમાંથી
ભારતના નિર્વાચન આયોગના આદેશાનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલ 'ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' (SIR-2025) સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ અંતર્ગત, જિલ્લામાં કુલ 13,44,860 મતદારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે કલેક્ટર કચેરીના સભા
રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ ધારાસભ્યો માટે ખાસ ભોજન સાથે વિસ્તૃત ચર્ચા બેઠક યોજાશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. સરકારના વિભાગોની કામગીર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાની આખરી મતદારયાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારના જણાવ્યા અનુસાર 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ સાડા ત્રણ માસ
આપણે સૌ જાણીએ છીએ કે સંઘ અને ભાજપના કારણે ભારતમાં ફરી હિંદુવાદી વિચારધારાની લહેર જન્મી છે. જાણીને નવાઈ લાગશે કે આ વિચારધારા પાડોશી દેશમાં પણ ફેલાઈ શકે છે. શું આપણો પાડોશી દેશ નેપાળ ફરીથી વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે? હિમાલયની ગોદમાં અત્યારે જે જ્વાળામુ
કાંકરિયા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોન મુખ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભક્તોએ શિવ ધ્વજ લહેરાવી શિવ પ્રતિજ્ઞા લીધી. 1000 કિલો બરફમાંથી નિર્મિત અમરનાથના દર્શન કરી શિવ પર જળ અભિષેક પણ કરવામાં આવ્યો.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રંગારંગ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કૌશલ ઠાકોર, પ્રાથમિક વિભાગના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, માધ્યમિક વિભાગના આચાર્ય પ્રકાશ જાની અને તમામ વિભાગીય કો-ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. ક
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલી પવિત્ર વિસામણ બાપુની જગ્યા ખાતે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, ત્યારે આજના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આજે વહેલી સવારથી જ પાળ
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે એક કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તધારા અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળામાં 'મ્યુઝિક ઇન લાઇફ' અને 'લાઇન એન્ડ સ્પેસ ઓન સ્ટેજ' જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાનાર છે. જેને લઈને હોલ ટિકિટ આજે 17 ફેબ્રુઆરીથી ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. રાજકોટમાં 80,507 વિદ્યાર્થીઓ
પાટણ જિલ્લાના બેરોજગાર યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), પાટણ દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મફત તાલીમ શરૂ કરવામાં આવી છે. આ એક મહિનાનો કોર્સ ગોલાપુર, પાટણ ખાતે યોજાશે. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને રહ
ગોતાલાવાડી સ્થિત સંત એકનાથ શાળા નંબર 118માં વસંતપંચમીના અવસરે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે શાળામાં બાળકોના માતા-પિતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોએ તેમના માતા-પિતાને તિલક કર્યું,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તાજેતરમાં 'ભારતીય સમાજ પર ઔદ્યોગિકીકરણની અસરો' થીમ પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.એમ. ઉષા અંતર્ગત યોજાયેલા આ સેમિનારમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડૉ. આર.સી
બોટાદ જિલ્લા પંચાયતની 21મી સામાન્ય સભા અને બજેટ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે રૂ, 446 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું, જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી. જોકે, વિપક્ષના નેતાએ બજેટને 'ટીપીકલ' ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી સુધારવા માટે એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા, જેથી રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધારી શકાય અને અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય. મોટર વાહન નિરીક્ષક જ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓના સુચારુ આયોજન માટે વલસાડ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. ધોરણ-10 અને 12ની પ્રાયોગિક પરીક્ષાઓ 5 ફેબ્રુઆ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત, દરેક જિલ્લા મથકેથી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આ
બોટાદ જિલ્લાના ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ ધામ ખાતે આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવ દિવસીય ધાર્મિક મહોત્સવ ૨૦ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી યોજાશે. મચ્છુ માતાજીના મંદિર પરિસરમાં આશરે ૫ હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે તેવો વિશા
ગોધરા શહેરમાં રખડતા શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં, શહેરના ભરચક પોલન બજાર વિસ્તારમાં દવા લેવા ગયેલા બે યુવકો પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પોલન બજારમાં આવેલા ગુજરાત મેડિક
હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સાબરકાંઠા જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદીમાં કુલ 10,77,301 મતદારોનો સમાવેશ થાય છે, જે અગાઉની યાદી કરતા
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારધીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ, સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી કુલ 12,34,470 મતદારોના
સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રિના પાવન અવસરે ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાના રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. આ સહાય ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડ
સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47.36 લાખનો ચૂનો લગાવ્યો છે. ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલોટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો હતો. અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપ
પાટણની કલાનગર સોસાયટીમાં નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરના માર્ગદર્શન હેઠળ સોસાયટીના માર્ગો પરથી 10થી વધુ દબાણો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી છેલ્લા ચાર વર્ષથી વકરેલી દબાણની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. કલાનગર સોસાયટીમાં છ
રાજકોટમાં મોંઘાદાટ વેંચાતા પીવાનાં પાણીમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા મનપાનો ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. તેમજ આરોગ્ય માટે નુકસાનકારક મિનરલ વોટરનું વેચાણ અટકાવવા ફૂડ શાખા દ્વારા ખાસ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. જે અંતર્ગત 2 દિવસમાં કિસાનપરા અને જાગનાથ પ્લોટ વિસ્તારમ
નવસારી જિલ્લામાં દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી. આ ઓપરેશન અંતર્ગત, મરીન ટાસ્ક ફોર્સન
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અંતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા વધીને 11,63,808 થઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કોઈ સાચો મતદાર રહી ન જાય તે હેતુથી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત પાટણ જિલ્લાની આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદી મુજબ જિલ્લામાં કુલ 11,19,525 મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નામ ક
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, નવસારી જિલ્લાની આખરી મતદારયાદી આજે જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી હતી. સુધારણા પ્રક્રિયા બાદ જિલ્લામાં કુલ 9,66,231 મતદારોના નામ આખરી યાદીમાં સમાવિષ્ટ ક
અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના બની છે. હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેમિકલ અને ઓઇલમાં આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીમાં કેમિકલ અને ઓઇલ હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આગ
ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થયા બાદ આખરી મતદાર યાદીની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે, જેમાં કુલ 11,02,790 મતદારોનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષોન
બોટાદ જિલ્લાના સાળંગપુર (BAPS) ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા એક દિવસીય મધમાખી પાલન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુલ 80 ખેડૂતોએ ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને મધમાખી પાલનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ મધમાખીની મુખ્ય પાંચ જાતોમાંથી એ. સેરેના
વડોદરા શહેરના હરીનગર બ્રિજ ઉતરતી વખતે પૂરપાટ ઝડપે જઈ રહેલ થાર કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને અકસ્માતમાં લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો. નશામાં બેફામ થઈને અકસ્માત સર્જ્યો હતો. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે આશરે કલાક 3 વાગ્યે વાગ્યે 113 જનરક્ષક
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બજાણા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડબની આડશમાં છુપાવેલો કુલ 8,63,184 રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂના જથ્થામાં કાચ અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટ
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ અભયમ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે,6 મહિનાથી મારા બોયફ્રેન્ડે મને છોડી દીધી છે, હું ડિપ્રેશનમાં આવી ગઈ છું, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. આ કોલ મળતાં જ અભયમ ટીમે તાત્કાલિક યુવતીના આપેલા સરનામે પહોંચી તેનું કાઉન
પાલનપુર ઘટક-1 હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 'બાળ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારત સરકારની 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020' અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને મહત્વ આપવા માટે યોજાયો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના વિકાસનું સતત અવલ
નોકરીના કલાકો 9થી વધારીને 10 કરવામાં આવ્યા ગુજરાત સરકારે નોકરીના કલાકો 9થી વધારી 10 કર્યા...મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ આપવામાં આવી.. વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે .20થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ પડશે. આ સમાચાર વિસ્તાર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામે પંચાયત સદસ્ય દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. પોતાના ઘરના પ્લોટની આકારણી અને સનદ મેળવવા ગયેલી 27 વર્ષીય સોનલબેન ચાવડાને પંચાયત સદસ્ય નસીબખાન હબીબખાન મલેકે જાહેરમાં લાફો માર્યો હતો અને જાતિવિષયક અપમાનિત કર્યા હતા.
વાપીના કુંતા ગામે કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપવા માટે મૃતક વ્યક્તિના નામે ખોટો પાવર ઓફ એટર્ની (PoA) ઉભો કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ પ્રકરણમાં સાક્ષી તરીકે સહી કરનાર બે આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેમજ જે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તેવા પ્લાસ્ટિકનો ફરીથી યુઝ કરી શકાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિસાયકલ પ્લાન્ટ ચલાવવામાં આવે છે. શહેરમાં આવેલા દરેક કોમર્શિયલ એકમ, બલ્ક વેસ્ટ જનરેટર, ઉદ્યોગ, હોટેલ, મોલ, હોસ્પિટલ, પ
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ બેઠક જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બજેટમાં રૂ. 13.87 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે રૂ. 4.39 કરોડની
હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પરિસરમાં નવા રેકર્ડ બિલ્ડીંગ અને ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે થયેલા આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પંચાયતના ચેરમેન અને સદ
અમદાવાદના અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 'અધ્યાપક સન્માન 2025' માટે રાજકોટના પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. ઇરોસ વાજાની પસંદગી કરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ રાજ્
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના 12 ગામના ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. નેશનલ હાઈવેના વિસ્તરણ માટે થતી જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય અને વધુ વળતર ચૂકવવાની તેમની માંગ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન માટે વર્તમાન બજારભાવને બદલે જૂના દરના આધારે
અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અમરાઈવાડી ખાતે ધારાસભ્યની ઓફિસ પાસે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે. અટકાય
વડોદરા શહેરમાં ગત તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી ભવ્ય શિવજી કી સવારી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી ગુના આચરતી એક રીઢા ગુનેગારોની ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પ્રતાપનગર રોડ પર આવેલી નાની શાક માર્કેટ પાસે દર્શન કરવા આવેલા એક મહિલાના ગળામાં
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમદાવાદ શહેરને ધૂળ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (CD) વેસ્ટના નિકાલ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે શહેરીજનોએ ઘરના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતા કાટમાળ (ડેબ્રિજ)ના નિકાલ માટ
બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્યનું વિતરણ કરાયું. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પ્રકાશનો તૈયાર કરવામા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે 'ઇન્ટિગ્રેટેડ સ્પાઇન કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી ગ્રુપ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં લંબર સ્પાઇન અને સ્પોન્ડિલોસિસ જેવી સ્પાઇન સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં વડોદરા અને પં
વેરાવળ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 સ્થિત આંબેડકર નગરના રહીશો દ્વારા આજે પાલિકા કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓ થાળી-વેલણ લઈ કચેરીએ પહોંચ્યા હતા અને નિંદ્રાધીન તંત્રને જગાડ
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પાટણ શહેરમાં 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉની સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને ખાનગી વાહનો પર
સુરત ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં IIT ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર વિપ્ર ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વાર્ષિક 12% ના આર્થિક વિકા
જામનગરના જામ સાહેબ શત્રુશલ્યાસિંહે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમનો જન્મદિવસ તિથિ મુજબ 19મી ફેબ્રુઆરી અને તારીખ મુજબ 20મી ફેબ્રુઆરીના રોજ છે. તેઓ બંને દિવસોની સાદગીપૂર્વક ઉજવણી કરશે. જોકે, જામ સાહેબે તેમની નબળી તબિયતનો ઉલ્લેખ કરતા
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાળકોના શિક્ષણના પાયાને મજબૂત કરવાના હેતુથી ‘નાનકડા પગલાં, મોટું ભવિષ્ય’ સૂત્ર હેઠળ આંગણવાડી નવીનીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શહેરની આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી 'સ્માર્ટ આંગણવાડી' બનાવવાનું લક્ષ્ય
દરિયાના મોજાં ગમે તેટલા ઊંચા હોય, પણ યુવાનોના આત્મવિશ્વાસ આગળ તે વામણા સાબિત થશે. આ વાતને સાબિત કરવા સાહસ અને શૌર્યની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફરીવાર યુવા શક્તિ પોતાની તાકાત બતાવવા જઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન
અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-
ભોપાલની સુપ્રતિષ્ઠિત રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 5મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન શોધ-શિખર: 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનું ઉત્કૃષ
રાજકોટ મહાપાલિકાનાં વર્ષ 2026-27નાં રૂ. 3604.90 કરોડના અંદાજપત્રને મંજૂરી આપવા માટે આવતીકાલે બુધવારે ખાસ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ વર્તમાન ટર્મનું અંતિમ બજેટ બોર્ડ બની રહેશે. સ્ટે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે વીબીજી-રામજી નવા અધિનિયમ અને યોજના જાગૃતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અધિનિયમ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો તેમજ લાભાર્થીઓ સુધી તેન
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર નજીક ચામુંડાનગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આ અંગે રજૂઆત મળતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ઘરે-ઘરે ક્લોરીનેશન સહિતની કામગીરી શરૂ કરાઇ છે. આ વિસ્તારમાંથી ઝાડાના 4 દર્દી મળી આવ્યા હતા અને હાલ સારવાર હેઠળ છે.
બોટાદમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભારત સરકાર અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે AAP કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડીલ રદ કરવાની માંગ કરી હતી. પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો પ્રયાસ થતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા ભેજાબાજે કમિશનરનો ફોટો વોટ્સએપ ડીપી (DP) માં રાખ્યો હોવાનો પાલિકાના ગ્રુપમાં સ્ક્રીનશોર્ટ વાઇરલ થતા અનેક ચર્ચાઓ ચાલુ થઈ છે. વિદેશી ન
રાષ્ટ્રીય સ્તરની અતિ કઠિન પરીક્ષા JEE Main 2026 ના પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થા અને શહેરનું નામ રોશન કર્યું છે જેમાં 91 માંથી 14 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવીને ભાવનગરનું તથા શા
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાજકોટ ડિવિઝનની 5 ઇમારતોને પ્રતિષ્ઠિત ‘શૂન્ય (Shunya)’ અને ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ લેબલ એનાયત કરવામાં આવ્યા
આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યભરમાં સ્કૂલોને મળતી બોમ્બ ધમકીઓના પગલે સ્કૂલ તંત્ર એલર્ટ મોડ

25 C