ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડથી બચવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કા
અંબાજી મંદિર ખાતે દાંતા રાજવી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા કડાણા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં દાંતા રાજવી પરિવારની વર્ષો જૂની
જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. જોકે, અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લો
નવસારી જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યર દરમિયાન દારૂબંધી ભંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં સઘન કાર્યવાહી કરી છે. આ બે દિવસમાં કુલ 337 એમ.વી. એક્ટ-185 (ડ્રિંક એન્ડ ડ્રાઈવ) અને 35 પીધેલાના કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 1,28,800નો દારૂ અને સંબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ના રિલીઝને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે. ફિલ્મે હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. પરંતુ હવે એક મહિના પછી ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી મળેલા નિર્દેશો બાદ થયા છે. બે શબ્દો મ્યૂટ
વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામના બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અજાણ્યા મૃતદેહ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યો વ્યક્તિ કોણ છે અને કઈ રીતે મૃત્યુ પ
સાબરકાંઠા જિલ્લામાં ગર્ભવતી અને ધાત્રી માતાઓ, કુપોષિત બાળકો તેમજ કિશોરીઓ માટે પોષણ સેવાઓને મજબૂત કરવા કાર્ય ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબૂદી માટે પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હે
PM મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી 11-12 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં રોડ શો કરી વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે..સાથે જ ેતેઓ અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં પણ હાજરી આપી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુ
ઉમરગામ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા 1 જાન્યુઆરી, 2026ના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, તાલુકા મામલતદાર દલપતભાઈ અને પુરવઠા અધિકારી હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિ
મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઉત્સાહની સાથે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. દર વર્ષે પતંગના જીવલેણ દોરાને કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાય છે. આ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા એક સલામતી સૂચના જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં દર વ
સ્માર્ટ સિટી રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવવો હવે સામાન્ય નાગરિકો માટે જોખમી બની રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હોવાનું સામે
પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક કલહ વધુ ઉગ્ર બન્યો છે. જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે સામાજિક આગેવાનો અને કર્મશીલો જીગ્નેશ મેવાણી તથા હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં આવ્યા છે. આ વિવાદ પૂર્વ પ્રમુખના સમર્થકોની નારાજગી અને ધારાસભ
સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો છે. ઉલ્લ
31મી ડિસેમ્બરની રાત્રિએ વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. સંઘ પ્રદેશમાંથી દારૂનો નશો કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા 379 વાહનચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સામે નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
રાજકોટમાં સોની વેપારીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. ચંદ્રેશ રાણપરા (ઉ.વ.32) નામનો યુવાન ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબે યુવકને તપાસતા ઝેરી પ્રવાહી પીધું હો
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની 1500 કરોડના NA કૌભાંડ મામલે ED દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ જ્યારે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના સંબંધીઓ તેને બચાવવા હવાતિયા મા
દિયોદર તાલુકાના મકડાલા ગામે શોર્ટ સર્કિટના કારણે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આપેલી માહિતી મુજબ, આ ઘટના આજરોજ બની હતી. પંજાબથી ઘ
વાપીમાં નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજના અધૂરા કામને લઈને આજે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી કામ અધૂરું હોવાથી લોકો પરેશાન છે. વાપીના ઝંડા ચોક વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ બ્રિજના અધૂરા પિલરોને લીંબુ-મરચાં બાંધી પૂજા
છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાએ પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોવા અંગે કાર્યકરોને
છોટાઉદેપુર જિલ્લાની એકલબારા ખાતે આવેલી આરટીઓ કચેરીમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા આરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખે અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડીયા ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ ધર્મ પ્રાંતના વિકાર જનરલ ફાધર વોલ્ટર ડિસોઝાએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો. ફાધર ડિસોઝાએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, આપણે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વ
દેશભરમાં ભારે ઠંડી અને ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ એરપોર્ટ પર સવારે તથા મોડી સાંજે ટેકઓફ અને લેન્ડિંગ કરતી ફ્લાઈટના પાયલોટને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતી હોવાની પાયલોટની ફરિયાદને પગલે ટે
પંચમહાલ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2026ના રોજ કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ ગોધરા પહોંચી હતી. ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા દરમિયાન સ્થાનિક વેપારીઓએ બસ સ્ટેન્ડના સ્થળાંતર મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. વેપારીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડને શહેર
આણંદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે સઘન કામગીરી કરી છે, જેના પરિણામે વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ 1 જાન્યુઆરી, 2026ના રોજ ખલીપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ગ્રામ પંચાયતના સરપંચ, સ્થાનિક પાંજરાપોળના મંત્રી અને ગામના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પોલીસ અધિક્ષક દ્વારા ખલીપુર પાંજરાપોળની પણ મુલાકાત દરમિયાન પાંજરાપોળના ધ
નડિયાદમાં ભગવતી શાહ સેવા સંકુલ, મોરલીઘર પ્રેસ પ્રાઈવેટ લિમિટેડ તથા તુરખા વરિયા પ્રજાપતિ યુવક કેળવણી મંડળના સંયુકત ઉપક્રમે તારીખ 27ડિસેમ્બર, 2025ને શનિવારના રોજ સવારે 10.30 થી બપોરના1 કલાક દરમિયાન આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકો તેમની પસંદગીના કપડાં (માત્ર નજીવી કિંમત રૂ. 20
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા પ્રભુપુરા ગામમાં વર્ષ 2023માં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. માત્ર બાઈક ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટની અદાવત રાખીને કુટુંબી પિતરાઈ ભાઈ અને કાકીએ મળીને 40 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચા
સુરત શહેરમાં બાળકોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે RTO વિભાગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળા ક્રમાંક 105 અને 153માં યોજાયો હતો, જે KP Human Development Foundation દ્વારા દત્તક લેવાયેલી શાળાઓ છે. કાર્યક્રમ દરમિયાન, RTO ટીમે વિદ્યાર્થીઓને માર્ગ પર ચાલતી વ
એડવોકેટ સતીષ પટેલ અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશન (ACBA) ની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે સતત બીજી વખત ચૂંટાયા છે. આ જીત તેમના કાયદાકીય કાર્ય અને સમર્પણનું પરિણામ માનવામાં આવે છે. એડવોકેટ પટેલનો કાયદાકીય અનુભવ અને ન્યાય પ્રત્યેની નિષ્ઠા વકીલ આલમમાં જાણીતી છે. તેમની આ જીતને વકી
KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર માસ દરમિયાન દત્તક લેવાયેલી શાળાઓમાં વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.આ મહિના દરમિયા
કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન, દિવાન બલ્લુભાઈ આલમની એસોસિએશન દ્વારા આયોજિત આલમની રાત્રિ ક્રિકેટ મેચ 2026નો પ્રારંભ 1 જાન્યુઆરી, 2026થી થશે. શાળાના પટાંગણમાં રમાનારી આ સ્પર્ધાનો આ 12મો વર્ષ છે. સ્પોર્ટ્સ કમિટીના અગ્રણી દીપ ભટ્ટ અને તપન ઓઝાએ જણા
આર.કે. ઘરશાળા વિનયમંદિરના વિદ્યાર્થીઓએ અટલ સ્મૃતિ પ્રદર્શનની શૈક્ષણિક મુલાકાત લીધી. આ પ્રદર્શન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને વિચારોને ઉજાગર કરે છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાનો હ
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળ રમતોત્સવ 2025 માંજલપુર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. આ રમતોત્સવમાં શિક્ષક ભાઈઓના વૉલીબૉલ વિભાગમાં ઝોન 3 ની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચમાં ઝોન 3 ની B ટીમે પ્રથમ સ્થાન અને ઝોન 3 ની A ટીમે દ્વિતીય સ્થાન
A ONE XAVIER’S SCHOOL, નરોડા દ્વારા વાર્ષિક ઉત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ વર્ષના કાર્યક્રમની થીમ “Disneylandની કલ્પનાથી ‘Man Manthan’ની દાર્શનિક યાત્રા સુધી” હતી. વિદ્યાર્થીઓએ આ થીમ દ્વારા કલ્પના, સંસ
રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં માલવીયા ચોકમાં તિરંગાની દયનીય હાલત અંગે કોંગ્રેસ દ્વારા ફાયર ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી તેમજ મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવાયો હતો. ફક્ત એટલું જ નહીં કોંગ્રેસના પ્રદેશ મહામંત્ર
ગુજરાત NSUI ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યોજવા માટે જઈ રહ્યું છે. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજમાં જઈને NSUI ડ્રગ્સ મુક્તિ અભિયાન ચલાવશે. ગુજરાતમાં વધેલા ડ્રગ્સના નશાને ડામવા NSUI પ્રયાસ કરી રહ્યું છે. કોલેજમાં ભણતા યુવાનોને ડ્રગ્સની બદીમાંથી દૂર કરવા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન શ
શહેરમાં ગોકુલ ગેલેક્સી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથા દરમિયાન વાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ પણ હાજર રહ્યા હતા. શ્રીમદ ભાગવત પુરાણને ભગવાન કૃષ્ણનો સાહિત
પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઇસ્કૂલના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા – 2025નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, વિષયજ્ઞાન, તર્કશક્તિ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય
છઠીયારડા પ્રાથમિક કુમાર શાળામાં આજે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન શાળાના મધ્યાહ્ન ભોજન સંચાલક સુનિતા પરમારના સ્વર્ગસ્થ પિતા અમૃતભાઈ ડાહ્યાભાઈ વણકર (કાકોશી)ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવ્યું હતું. આ પુણ્યતિથિ નિમિત્તે સુનિતાબેન દ્વારા શાળાના
કરમસદ ગામમાં પોલીસ ચોકી પાસે આવેલા ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનમાં આજે બપોરના સુમારે એક સૂકા વડના ઝાડમાં આગ લાગી હતી. આગના કારણે વડનું ઝાડ ભડભડ સળગી ઉઠ્યું હતું.આસપાસના લોકોએ તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ, જેમાં રઘુવીરસિંહ અને
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત 52મા યુવા મહોત્સવ – વિજયશ્રી સમારોહ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા એક મહિલા પ્રોફેસરના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરતી મહિલા પર ચોરીની શંકા છે. ચોરીની કુલ કિંમત આશરે 6.11 લાખ રૂપિ
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર પોતાના પરિવાર સાથે પરિજનને મૂકવા આવેલા 60 વર્ષીય વૃદ્ધ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તેઓને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાની આશંકા હાલમા
સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના કારણે એમ્બ્યુલન્સ અને બીઆરટીએસ બસ અટવાઈ હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લસકાણા રોડ પર પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસેલા કાર ચાલકોના ભારે ડ્રામા થયો હતો. કાર ચાલકો બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડ ઘૂસી જતા સા
ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં પત્ની અને ત્રણ માસૂમ દીકરીઓ સાથે ખેતમજૂરી કરતા એક યુવાનનું વડોદરા ગામના પાટીયા પાસે પૂરઝડપે આવતી અશોક લેલેન્ડ ગાડીએ ટક્કર મારતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ચાલીને જઈ રહ્યા હતા ત્યારે
સાબરકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન નશો કરીને વાહન ચલાવનારા અને જાહેરમાં નશો કરનારા 90થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હિંમતનગર સહિત જિલ્લાના 14 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બ્રેથ એનેલાઈઝર વડે તપાસ, વાહ
સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 'થર્ટી ફર્સ્ટ'ની રાત્રિ લોહીયાળ સાબિત થઈ છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને નશાખોરો પરની વોચ વચ્ચે અસામાજિક તત્વોએ બે યુવાનોની નિર્મમ હત્યા કરી નાખતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સચીન વિસ્તારમાં ગુટખાના પૈસા જેવી સામાન
નવા વર્ષની ઉજવણી પાર્ટી અને આતશબાજીથી નહીં પરંતુ, યોગ અને ધ્યાનથી કરવાનું અનોખું દૃશ્ય ગુજરાતમાં જોવા મળ્યું. વર્ષ 2026ની પ્રથમ સૂર્યકિરણ સાથે રાજ્યભરમાં એક લાખથી વધુ નાગરિકોએ સામૂહિક રીતે સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને નવા વર્ષની મંગલ શરૂઆત કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓ રિપેર કરવામાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરદારબાગ વિસ્તારમાં આવેલા ઘાંચી પટથી પંજેતની પાર્ક સુધીનો મુખ્ય
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા હનુમાનપુરી ધામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે અયોધ્યા શ્રીરામ મંદિરની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે 31 ડિસેમ્બરની રાત્રે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 1100 દિવડાઓ પ્રગટાવી શ્રદ્ધા અને
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અને ખનન સામે કડક કાર્યવાહી સતત ચાલુ છે. આ અંતર્ગત વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરીનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં રૂ. 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આજરોજ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને વાગરા મામલતદ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 2026ના નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રે
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કાળુબાપુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિના દ્વિતીય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 44 નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. ગઢડા શહેરના સામાકાંઠા ગઢાળી રોડ પર આયોજિત આ કાર્યક્રમમાં સાધુ-સંતો, રાજકીય તેમજ સામાજિક
નાતાલના વેકેશન અને નવા વર્ષની ઉજવણી માટે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં 20 ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેશ-વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી લાખો ભક્તો ભાવ અને શ્રદ્ધા સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છ
ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસે ગોઠવેલા ચુસ્ત બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. આ દરમિયાન 132 પીધેલા અને 83 ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાયા હતા. નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાત્રિને ધ્યાનમા
આજના સમયમાં નાની-નાની વાતોમાં ઉશ્કેરાઈને કાયદો હાથમાં લેનારા તત્વો માટે ગાંધીનગર કોર્ટનો આ ચુકાદો એક ચેતવણી સમાન છે. રાંધેજામાં વર્ષ 2021 માં માત્ર ગાડીનો દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં બે ભાઈઓને ચોથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એલ. રબારીએ તકસીરવાન
ધ્રાંગધ્રાના રાજ સિતાપૂર ગામે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ થયો છે. જાણીતા કથાકાર રાજુ (આદરીયાણા) પંડ્યા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સૂર્યના ધન રાશિમાં પરિભ્રમણને 'ધનારક' અથવા 'કમૂર્તા' કહેવાય છે. આ સમયગાળામાં લગ્ન જેવા શુભ કાર્યો વર્જિ
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી અનિચ્છનીય ઘટના બનતા અટકાવી છે. SOG એ પરિવાર સાથેના ઝઘડાનો બદલો લેવા માટે ઉત્તર પ્રદેશથી દેશી તમંચો લઈને આવેલા 21 વર્ષીય યુવકની હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 5 જીવતા કાર્ટીઝ પણ જપ્ત કર્યા
હીરા નગરી સુરતમાં નવા વર્ષની ઉજવણીના માહોલ વચ્ચે વેસુ વીઆઈપી રોડ પર આવેલી એક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના સામે આવી છે. પોશ વિસ્તાર ગણાતા વેસુના સફાઈર કોર્ટ રેસીડેન્સીના એક લક્ઝુરિયસ ફ્લેટમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હત
સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.87 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યને પુણે, મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ફરિયાદી પાસેથી આ રકમ પડાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમણે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અનોખી પહેલ છેલ્લા 4 વર્ષથી શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામા
અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી ગ્રાસરૂટ બિન નફાકારક સંસ્થા, અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને સહાયરૂપ થવા માટે સમર્પિત વ્હીલચેર વિતરણ અભિયા
રાજકોટ મનપા દ્વારા લોકો વિવિધ મુશ્કેલીઓ અંગેની ફરિયાદ કરી શકે તે માટે કોલ સેન્ટર કાર્યરત છે. મનપાનાં આ કોલ સેન્ટરમાં વર્ષ 2025 દરમિયાન ફરિયાદોનો ધોધ વહ્યો હોય તેમ એક વર્ષમાં 4.67 લાખ એટલે કે દૈનિક 1280 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં પણ સૌથી વધુ 2.65 લાખ એટલે કે રોજની 725 જેટલી ફરિયાદો માત્
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું આદરિયાણા ગામમાં જ્યા જુઓ ત્યા ગંદકી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પણ બિસમાર હાલતમાં છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત કચેરીમાં પણ કચરાનો ઢગ જોવા મળે છે, જેમાં દારૂની બોટલો અને પોટલીઓ પણ મળી આવી છે, જે ગામમાં ફેલાયેલ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત લેસર પદ્ધતિથી હરસ-મસાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ સુવિધા PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોટા ખર્ચમાંથી મુક્તિ મળી છે. પ
વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા. જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી. જી. રોડ તેમજ સિંઘુ ભવન રોડ પર રાતના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરત
ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મેથોડિસ્ટ, સી.એન.આઈ. અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવ
11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનારી રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદી હાજરી આપશે. 11મી જાન્યુઆરીએ પીએમના હસ્તે સમિટનું અને ટ્રેડ શોનું ઉદઘાટન કરાશે. રાજકોટમાં પીએમના રોડ શોનું પણ આયોજન કરાયું છે. જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી વડાપ્રધાન રોડ શો યોજશે. વહીવટીતંત
જ્યારે આખું સુરત શહેર વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું, ત્યારે સુરત SOGની ટીમે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી પોલીસે જીલ ઠુંમર નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 236 ગ્રામ 'મ્યાઉ મ્યાઉ' (MD) ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત આશરે
શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ યોજાનાર છે. જેને લઈને ટિકિટ બુક કરાવવા માટે આજે બુક માય શો પર સ્લોટ શરૂ થયો હતો. પરંતુ આ સ્લોટ બુકિંગ શરૂ થઈ 10થી 15 મિનિટોમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ
ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રીના દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી ભઠ્ઠી પર રેડ કરી હતી. બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડથી વિસ્તારમાં દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષ નિમિત્તે અપાતી રજા આ વર્ષે રદ્દ કરવામાં આવી છે. સમિતિનો ઉદ્દેશ્ય વર્ષના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને ભણતર
કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હિરા બુધા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ-લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત છ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પંચોની હાજરીમાં મૃતદેહ બહાર કઢાયોઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ
ચોમાસા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા વિસ્તાર અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના કુલ 32 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓને અંદાજે 24 કરોડ રૂપિયાના ખર્ચે
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મૌસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વ
સમગ્ર ગુજરાત સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નવા વર્ષ 2026ને ભારે ઉત્સાહ અને થનગનાટ સાથે આવકારવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગાંધીનગર પોલીસ આખી રાત ખડેપગે રહી હતી. તેમજ 50થી વધુ પીધેલાની પણ ઝડપી લીધા હતા. ખાસ કરીને ડો. કે. એલ.એન.રાવે રાજ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે હવામાન વિભાગની
ભાવનગર જિલ્લા પોલીસવડાએ 31 ડિસેમ્બરના ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શહેરના અનેક વિસ્તારોમાંથી કેફી પીણાનું સેવન કરી વાહન ચલાવતા 12 શખસોને ઝડપી પાડ્યા હતા અને તમામ શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. કોમ્બિંગ નાઇટમાં 12 પીધેલા ઝડપાયા31 ડિ
અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલ-2025નું ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલા આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું, જેમાં રવિવારે ર
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીના ઉદ્યોગ જગતમાં આજે ગેસના ભાવને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વધારાએ ઉદ્યોગકારોના ગણિત બગાડી નાખ્
વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં એક ચાલીના રૂમમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. નવા વર્ષની પ્રથમ સવારે બનેલી આ ઘટનામાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો. ગોકુલધામ સોસાયટીની ચાલીમાં રહેલું દંપતી વહેલી સવારે રસોઈ બનાવી રહ્યું હતું. તે સમયે અચાનક ગેસ સિલિન્
સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેમતનગર ચાર રસ્તા પાસે ગત ઓક્ટોબર માસમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે વ્યક્તિએ ઘાયલ યુવાનને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, તે પોતે જ તેનો હત્યારો
રોટરી ક્લબ ઓફ નવી મુંબઈ દ્વારા થેલેસેમિયા જેવી ગંભીર બીમારી અંગે જનજાગૃતિ લાવવા માટે મુંબઈથી મુંબઈ આરોગ્ય સેતુ જાગૃતિ કાર રેલીનું આયોજન કરાયું છે. આ રેલી સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. રોટરીયન જય કારિયાએ માહિતી આપતા જણાવ્યું કે, કુલ 9
જામનગરના સચાણા ગામમાં ગઈકાલે રાત્રે થયેલી જૂથ અથડામણમાં એક આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના હત્યામાં પલટાઈ છે, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૈસાની લેતીદેતીના મામલે આ અથડામણ થઈ હતી. જેમાં ઇસ્માઇલ સંધાર નામના આધેડને ગંભીર ઇજાઓ થઈ હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોમાં જોવા મળી રહ્યા છે. ડોક્ટરોએ પો
પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવમાં વર્ષ 2025 દરમિયાન 2.15 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં કુલ 2,15,755 પ્રવાસીઓ આવતા પુરાતત્વ વિભાગને 99,40,600 રૂપિયાની આવક થઈ છે. આવકના આંકડા મુજબ, 2,13,058 ભારતીય પ્રવાસીઓ પાસેથી 40 રૂપિયા પ્રતિ ટિકિટના દરે ક
નવસારી જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. શિયાળાની ઠંડી વચ્ચે પડેલા આ માવઠાથી ખેતી અને જનજીવન પર અસર થઈ છે, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે. દક્ષિણ ગુજરાતન
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સુરત શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ધુમ્મસની વચ્ચે જ શહેરમાં ઝરમ
નવા વર્ષના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હ

28 C