ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસમાં ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 25મીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની
ગાંધીનગરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સક્રિય થયેલી બેટરી ચોર ગેંગે ટ્રાન્સપોર્ટરોની ઊંઘ હરામ કરી દીધી છે. રાત્રિના સમયે પાર્ક કરવામાં આવતી ટ્રકો અને ટ્રેક્ટરોમાંથી એમરોન કંપનીની બેટરીઓની ચોરીનો સિલસિલો યથાવત રહેતા આખરે કંટાળેલા ટ્રક માલિકે પોલી
વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે 77માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ, વડોદરા સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વ
ગીર સોમનાથ પોલીસે નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા પ્રભાસ પાટણ વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી NDPS એક્ટ હેઠળ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે પ્રભાસ પાટણ પોલીસ
દેશભરમાં આજે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આજના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે પોલીસ પરેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્
નવસારી જિલ્લામાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. આ આરોપી સામે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 23 થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસે ટ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં સી ડિવિઝન પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે પત્તા-પાનાં વડે જુગાર રમતા સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લક્ષ્મણ ઉર્ફે લખો અરવિંદ વસાવા બ
મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીકરીને પ્રણામ – દેશને નામ અભિયાન હેઠળ સાકરિયા ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી અનામિકા ચાવડાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ધ્વજારોહણ
વલસાડની 108 ઇમરજન્સી સેવાની ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રવિવારે રાત્રે પારનેરા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની તાત્કાલિક સારવાર કર્યા બાદ, તેની અંદાજે રૂ. 36,710ની કિંમતી મત્તા પોલીસને સુપરત કરી હતી. આ ઘટના રવિવારે રાત્રિના 08:55 કલાકે બની હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની રૂ. 1200 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. ચાલુ કામગીરી વચ્ચે બે દિવસ પહેલા દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા પાણી છોડાવી દેતા કામગીરી અટકાવવી પડી છે. આ મામલે આજે બાબુ જમના પટેલ દ્વારા નિવેદન કરી ખારીકટ કેના
ભારતના 77 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે મોડાસા સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પણ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વના અવસરે ગાયત્રી માતાજીનો તિરંગા રંગોમાં વિશેષ શૃંગાર કરવામાં આ
બોટાદ શહેરના ઝવેરચંદ મેઘાણી ગાર્ડનમાં છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક-યુવતીઓને અંધારામાં પ્રેક્ટિસ કરવી પડે છે, જે તેમની સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની સ્ટ્રીટ લાઈટ બંધની સમસ્યાને લઈ નગરપાલિ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વાપી શહેર સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીએ રમીઝ હિરાણીને વાપી શહેરના કાર્યકારી શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે વર્તમાન શહેર પ્રમુખ બિપિન તોમરને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ નિર્ણય આમ આદમી પાર્ટીના વલસાડ-ડાંગ
ભાવનગરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લતાબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. શહેરભરમાં સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, કોર્ટ સંકુલ, રાજકીય પક્ષોની કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, રેલવે તંત્ર, તેમજ શાળા-કો
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટેશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડીના સભ્યો તેમજ પી.આઈ. અને પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો
ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કારઠ ગામે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી મોઢવાડિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ તેમણે ર
મોરબી જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ટંકારાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અવસરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કલેક્ટર કે.બી. ઝ
મોડાસાની ઘાંચી હાઇસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મહમંદ યુનુસ અબ્દુલ ગફૂર સાવના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ વાય. સુથાર (રાજાબાબુ), સેક્રેટરી હનીફભાઈ સિધવા, ઉપપ્રમુખ અબ્દુલ રજજ
રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગ્રુપ આરપીએફ બોરીવલીની ટીમે 25 જાન્યુઆપીની રાત્રે અમૃતસર-મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકોટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 2.19 કરોડથી વધુ કિંમતના કોકેઈન અને મેથામ્ફેટાઈમાન ડ્રગ્સ સાથે મિઝોરમના એક યુવકની ધ
સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બેલાકાસા બિલ્ડિંગમાં રહેતા અને તૈયાર કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ મહેશ્વરીના ઘરે 9 વર્ષથી કામ કરતા વિશ્વાસુ નોકરે જ માલિકના ઘર પર હાથ સાફ કર્યો છે. નોકર લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ માત્ર 70
ડાંગ જિલ્લાના સુપદહાડ ગામે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ, શિસ્ત અને સામૂહિક ઉત્સાહ સાથે કરવામાં આવી. વહેલી સવારથી જ ગામમાં રાષ્ટ્રીય પર્વનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ, જેમાં શાળાના બાળકોએ તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતર
26મી જાન્યુઆરી, 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સમઢિયાળા નંબર 1 ગામમાં એક ઐતિહાસિક ઘટના બની. આઝાદી પછી પહેલીવાર ગામની શિક્ષિત અનુસૂચિત દીકરી હીનાબેન રામજીભાઈ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના પૂર્વ શિક્ષક અને સરપંચ દિલીપ સાબવાએ 'ભેદભાવ નહીં, સમ
દેવભૂમિ દ્વારકામાં 77માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીંના ભડકેશ્વર યોગ ગ્રુપે પવિત્ર ગોમતી નદીના જળમાં એકત્રિત થઈ ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કર્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ દેશને મજબૂત અને સ્વસ્થ બનાવવાનો હતો. યોગ ગ્રુપે નવી પેઢીને રાષ્ટ્રવાદના પાઠ
સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ધ્વજવંદન કર્યું હતું. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભા
સમગ્ર રાજ્ય સાથે ભાવનગરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં સરકારી કચેરીથી લઈને રાજયકીય પક્ષ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, કોર્ટ, રાજકીય પક્ષો, સંસ્થાઓ, રેલવે તંત્ર, શાળા-ક
વેરાવળ શહેરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ અવસરે સનરાઈઝ સ્કૂલ દ્વારા આયોજિત દેશભક્તિ રેલીએ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સનરાઈઝ સ્કૂલ દ્વારા આયોજિત આ રેલીમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. ર
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી રીવાબા જાડેજાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શિસ્તબદ્ધ રીતે કદમત
આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચાયત કચેરીના સભ્યો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સમગ્ર ભાવનગર શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી. સરકારી કચેરીઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજ
મોરબી-હળવદ રોડ પર ઊંચી મંડળ સ્થિત નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉજવણીનો પ્રારંભ ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે થયો. આ કાર્યક્રમમાં કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ અને તમામ કર્મ
૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાનજી દાદાને તિરંગા થી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં હનુમાનજી દાદાના સિંહાસન પર તિરંગો સ્થાપિત કરીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં
પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત આ સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓના વિદ
ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જગદીશ પંચાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિના નારા અને ઉજવણીનો
પ્રભાસ તીર્થ સોમનાથમાં દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સોમનાથ મંદિર પર એક સાથે સોમનાથ ધર્મધ્વજ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણા
ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને જોઈને વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પ્રભાવિત થયા હતા. સમગ્ર દ
મોરબીમાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક મણિમંદિર અને નહેરુગેટ સહિતના સ્થળોને તિરંગા રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ શણગાર શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મચ્છુ નદીના કાંઠે આવેલા મણિમંદિરને કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીથી ઝળહળતું ક
વલસાડ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યે ઉમરગામ તાલુકાના સર્કિટ હાઉસ નજીક આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર તથા ગ્રામોદ
વલસાડમાં 77મા ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડના કમલમ ખાતે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સોનલબેન સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દેશવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અ
ભાવનગરની બી.એમ.કોમર્સ હાઈસ્કૂલમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પૂર્વ ઓ.એસ. દિલીપભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના એન.સી.સી. અને એસ.પી.સી. કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજી તિરંગાને સલામી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશભ
બોટાદમાં PGVCLની વર્તુળ કચેરી GAB દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં GABના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો ભાવ પ્રગટ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની પ્રાપ્ત વ
મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે અન્ય વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો મચ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાર ચલાવનાર શખ્સ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ હતા. પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી
ગુજરાત કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હ
આજે 26મી જાન્યુઆરીના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ
પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, શાહીબાગ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વ
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસથી લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે પરત ફરી રહેલી એક ખાનગી બસને સુરત જિલ્લાના કિમ નજીક અકસ્માત નડ્યો હતો. જાનૈયાઓ ભરેલી બસ ટ્રકમાં ઘુસાડી દીધી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે 30થી 35 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ જૂથમાં આવેલી ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ અને વરૂણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ
ગીર-સોમનાથ જિલ્લાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાંસ્
ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેના રસ્તાઓ માટે જાણીતું છે, પરંતુ આ જ રસ્તાઓ હવે વાહનચાલકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા માર્ગો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં અકસ્માતોનો ગ્રાફ નીચો આવવાનું નામ લેતો નથી. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બેફામ ગતિએ દો
1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે દેશવાસીઓ સાથે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ આ વર્ષે બજેટથી વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે હીરા બજાર વૈશ્વિક મંદીના ઓથાર હેઠળ દબ
ભારતના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. પરંતુ, ભારતને એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાની જે પ્રક્રિયા હતી, તેનું સૌથી પહેલું અને પવિત્ર બીજ ગુજરાતના ભાવનગરની ધરતી પર રોપાયું હતું. ભાવનગર માત્ર એક શહેર નથી, પણ
નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજ નગર અને જે.કે. સરવૈયા કોલેજના સંયુક્ત ઉપક્રમે રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંતરપ્રાન્યોરશિપ ફોર નેશનલ ડેવલોપમેન્ટ વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઇ જેમાં એમ.કે.બી. યુનિ.ના કુલપતિ પ્રો.ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ કે પ્રાચીન ભારતથી શિક્ષણ વ્
પાલિતાણા તાલુકાના રંડોળા ગામના પાદરે ભારતીય સંસ્કૃતિ અને લોક-પરંપરાનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો જેની સાક્ષી બનવા માટે દેશના મહારથીઓ ઉતરી આવ્યા હતા. ગણધોળ ગામના ગૌરવ અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલાના પુત્ર આશિષના લગ્ન પ્રસંગે આધુનિ
તળાજાના વેળાવદર ગામે રહેતા એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ મકાનમાં ઘુસી, કબાટમાં રહેલી રોકડ, સોના ચાંદીના ઘરેણાં સહિતની રૂા. 1.62 લાખની માલ મત્તાની તસ્કરી કરી ફરાર થઇ જતાં નાના એવા ગામમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળ
ભાવનગર શહેરના શિપ બ્રેકર સાથે તેની જ કંપનીના મેનેજર સહિત ચાર શખ્સોએ કોપરનો તોડ ઓછો બતાવી ઊંચી કિંમતે વેચાણ કરી, શિપ બ્રેકર સાથે અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાની ઠગાઇ આચરવાના મામલે મેનેજર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક આવેલા બોરલાઇ ગામના ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ રણછોડભાઈ પટેલે તેમની બે એકર જમીન ઉપર કેસર આંબાની 2000 ડ્રાફ્ટેડ કલમનું વાવેતર કરી ત્રીજા વર્ષથી સંતોષજનક પાક લેવામાં સફળ રહ્યા છે. અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની ખેતીમાં તેમણે મેળવેલી સફળતા અ
આરોગ્યલક્ષી સારવાર માટે સાડા આઠ દાયકા જૂની ભાવનગરની સર ટી. હોસ્પિટલ શહેર અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ છે. સર ટી. હોસ્પિટલ જતા બન્ને બાજુના માર્ગ અને આસપાસના રસ્તા એકાદ અઠવાડિયાથી ખોદીને નવા બનાવવાનો આરંભ તો કરાયો છે. પરંતુ ધીમી ગતિએ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી
ભાવનગર ટર્મિનસ યાર્ડમાં પિટ લાઇનના કાર્ય માટે લેવાયેલ બ્લોકની અવધિ વધારવામાં આવી છે, જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે અગાઉ 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેની અવ
શહેરમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા એરપોર્ટ રોડ અને શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી 27મી અને 28મી જાન્યુઆરી-2026ના બે દિવસે 11 કે.વી.ના અનિલ (આંશિક) અને જમનાકુંડ ફિડરોમા
ભાવનગર જિલ્લા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના રસ્તાઓમાં ચાલતા વાહન ચાલકોની સેફ્ટીને લઇ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી, દંડ ફટકારી વાહન ચાલકોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. બે દિવસથી નિયમ વિરૂદ્ધ ફિટ કરાયેલી એલ.ઇ.ટી. લાઇટ લગાવી વાહન
મકર સંક્રાંતિના પર્વ પછી ઠંડીનું જોર વધ્યું છે. ભાવનગર શહેરમાં આજે પણ સવારથી સાંજ સુધી ટાઢાબોળ પવનના સૂસવાટા ફુંકાતા રહ્યાં હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, શહ
26મી જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં ફક્ત પ્રજાસત્તાક દિવસ તરીકે જ નહીં પરંતુ, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની તારીખ તરીકે પણ નોંધાયેલી છે. 26 જાન્યુઆરી, 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ ન હતી પરંતુ, એક મોટી ઘાત હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડા જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂ
દિલ્હીમાં પૂ. મોરારિબાપુ દ્વારા ગવાયેલી રામકથા “માનસ સનાતન ધર્મ”ના પાંચમા દિવસે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના સૂત્રધાર અરુણભાઇ દવેએ લોકભારતી સંસ્થામાં નવીનતમ તાલીમી કાર્યક્રમ RAAM – Rising Apostles for Ahimsa and Maitri (અહિંસા અને મૈત્રી માટેના આધ્યાત્મિક કર્મદૂતો તૈયાર કરવાનો પ્રકલ્પ)ના આ
26 જાન્યુઆરી અને રવિવારની સવાર પડી. ઘડિયાળનો કાંટો બરાબર 8.50એ આવીને ઉભો હતો. આ એક કાળ ચક્ર હતું પણ ગુજરાતીઓ માટે તો કાળ લઈને જ આવ્યું હતું. રવિવાર અને પ્રજાસત્તાક પર્વ એમ બે રજા ભેગી હતી. સૌ કોઈ પોતાના ઘરમાં પરિવાર સાથે હાજર હતા. અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. કોઈને સપનેય ક્યાં ખ્યાલ હ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... આ સપ્તાહે પોસ્ટિંગ વગરના IPSને પોસ્ટિંગ મળે તેવી શક્યતારાજ્યના પોલીસતંત્રમાં લાંબા સમય
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કચ્છના એ વિનાશકારી ભૂકંપના આજે 25 વર્ષ પૂરાં થઇ ગયાં. કુદરતે કચ્છી માડુઓને કારમી થપાટ મારી, પણ એનાં ખમીરને તોડી શકી નહીં. ભાસ્કરની ખાસ સિરીઝ ‘ભૂકંપ@25’માં આજે કચ્છ પાસેથી જ સાંભળીએ એમની દાસ્તાન. હું કચ્છ બોલું છું.અનોખું, અલબેલું અને અડિખમ, તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાંની કુ
દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં આજે વાત એવા 2 લોકોની જે ધરતીકંપ બાદ નરેન્દ્ર મોદી માટે ભોમિયા બન્યા હતા. એક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને બાઇક પર બેસાડીને ભૂકંપની તબાહી બતાવી હતી તો બીજી વ્યક્તિ એવી હતી જેની બાઇક પાછળ મોદીનો કાફલો ચાલ્યો અને વિનાશને નજરે જોયો. પહેલાં વાત કરી
13 ડિસેમ્બર 2024 થી 21 ડિસેમ્બર 2024 સ્થળ: વાસણા, અમદાવાદ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જયેશભાઈ દેસાઈની. ઘર પાસે જ વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો અને એક દીકરી છે. પહેલાં તો દુકાનમાં તમામ વ્યવહાર રોકડમાં થતા હતા. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિ
રાજકોટની ભાગોળે આવેલા બિનખેતી પોટેન્શિયલ વાળા વિસ્તારમાં તેમજ રૂડા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2016થી 2018ના સમયગાળામાં તત્કાલીન સિટી પ્રાંત-2 દ્વારા અનેક સરકારી હેડે ચાલતી જમીનો ખાનગી ઠેરવી દેવા હુકમ કર્યા છે. ત્યારે આવા હુકમને હાલમાં રિવિઝનમાં લેવાની કાર્યવાહી ચાલુ
શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે. રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધર
રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોરમાંથી સ્ટોકમાં રાખેલો માલ જેની કિંમત રૂ.8.29 લાખ હોય તે માલને સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવકે નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં અમદાવાદના દાણીલીમડાની છીપા
રાજકોના નવા થોરાળા ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમારએ પાડોશી વિશાલ જયેશભાઈ વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતો વિશાલ તેમના ઘરે આવ્યો હતો. વિશાલે વર્ષ 2013માં ફર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર મુખ્ય પરીક્ષા પહેલાં હવે પ્રાયોગિક પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જાહેરાત થતા જ રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમ
રાજકોટમાં સેવા અને જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા પીયૂષ હસમુખભાઈ દોશી અને તેમના મિત્રમંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અબોલ જીવો માટે એકત્ર થયેલ રૂ.8,07,000ની માતબર રકમ રાજકોટ મહાજન પાંજરાપોળની ઓફિસે વિધિવત રીતે અર્પણ કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં પીયૂષ દોશી દ્વારા
સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતીના પાવન અવસરે, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનો ભવ્ય ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો. ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર આધારિત આ મહોત્સવે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ચેતના
રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા કાલાવડ રોડ પર ડબલ હાઇટનો ઓવરબ્રિજ બનવા છતાં લોકોની ટ્રાફિક સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને ઓવરબ્રિજની નીચેના ભાગે બનાવાયેલા રસ્તા પર ટેક્સી પાર્સીંગની ટુરિસ્ટ બસ અને ટેક્સીઓ રાત્રીના સમયે પાર્ક કરી દેવાતી હોવાથી લોકો હાલાકીનો ભોગ બની
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025-26ને “વિકાસ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા માટે માત્ર જાહેરાત પૂરતો નહીં, પરંતુ જમીન પર પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે. અગાઉ દર વર્ષે સરેરાશ રૂ.85 કરોડના ખર્ચે 100થી 105 કિલોમીટર રસ્તા બનાવાતા હતા, જ્યારે વિકાસ વર્ષમાં નાણાકીય
રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલા સફલ-2 બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા ઇમર્જન્સી વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગનો કબજો કરાયાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ હવે મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને દ
શિક્ષણના હબ તરીકે ઓળખાતા રાજકોટમાં દરરોજ હજારો આશાઓ અને અરમાનો બસના પૈડાં સાથે ગતિ કરે છે. આધુનિક સમયમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં ‘વિદ્યાવાહિની’ સાબિત થઈ રહ્યું છે. રાજકોટ એસ.ટી. ડિવિઝ
ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રનું હાર્દ ગણાતું રાજકોટ 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્
આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ગેમ્સ અને સોશિયલ મીડિયામાં વિતતો જાય છે, ત્યાં વાંચન અને લેખન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાછળ ધકેલાઈ રહી છે. શહેરની આર્ય સ્કૂલ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓને વાંચન અને લેખન તરફ વાળવાનો એક અનોખો અને પ્ર
રાજકોટ શહેરમાં પ્રજાજનોના આરોગ્યની સાર સંભાળ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરમાં હાલ 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 45 મહોલ્લા ક્લિનિક એટલે કે પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્ર કાર્યરત છે. એપ્રિલથી ડિસેમ્બ
કામરેજની કર્મેશ્વર રેસીડેન્સીના પાંચમા માળેથી એક નવપરિણીતાએ રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલી સોનલ મકવાણા (પટેલ) હાલ પર્વત પાટીયાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. લગ્નના માત્ર દોઢ મહિનામાં જ પરિણીતાએ આ પગલું
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. દરેકને મતદાનનો તેમના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. સરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો હતો. મહારાજા સયાજી
લક્ષ્મીપુરા પોલીસ અને લક્ષ્મીપુરાનો જ બૂટલેગર મુન્ના કનોજિયાનો વીડિયો વાયરલ થયો હતો. મુન્નાના ઘરે દરોડો પાડવા ગયેલી પોલીસને કંઇ મળ્યું નહોતું. જોકે મુન્નો પોલીસને બીજા બૂટલેગર રોહિત કથેરિયાને પકડવા લઈ ગયો હતો. બુટલેગર રોહિત પોલીસ સામે જ દારૂ લઈને મોપેડ પર ભાગી ગયો હતો. પા
શહેરમાં કરંટ લાગવાના અલગ અલગ બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. યોગી ચોક નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 30 વર્ષીય રવિ દેત્રોજા કાપોદ્રામાં કાર વોશીંગ સેન્ટર ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ વોશીંગ સેન્ટરમાં કાર વોશ કરતા હતા. ત્યારે કોઈક રીતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા તેઓ બે
શહેરનો સૌથી મોટો સૌરાષ્ટ્રવાસી બહુલ વિસ્તાર વરાછા રોડ આજે સીમાડાને પણ વટાવી ચૂકયો છે. પરંતુ પાલિકાના વોર્ડની દ્રષ્ટિએ વરાછા-1 અને 2 બન્યા છે પરંતુ પાયાની સુવિધાના નામે મીંડુ જ રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ ફાટ ફાટ થતાં આ વિસ્તારમાં ટી.પી. રોડ જ નહીં કોઈપણ રોડ ઉપર ચારે બાજુના દબ
ગોત્રીમાં દંપતીના ઘરનો દરવાજો ખખડાવી ભાગી જતા શખ્સને પતિએ પકડી પોલીસ સ્ટેશન લઇ જતાં તે નજર ચૂકવી ભાગી ગયો હતો. ગોત્રીના વુડાના મકાનમાં સાંજે કોઈ શખ્સ એક મહિનાથી દરવાજો ખખડાવી ભાગી જતો હતો. તા.21એ મહિલા ઘરે હતી ત્યારે દરવાજો ખખડાવતાં મહિલાએ પતિને ફોન કરતા પતિએ અફઝલને પકડી ગો
સોમવારને 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવશે. આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી શહેર-જિલ્લામાં કરવામાં આવશે. બીજી તરફ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. 30 ટકા જેટલો રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે
VNSGU જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નો કરતાં સમય વધુ અઘરો સાબિત થયો છે. ટાઈમ ઓડિટ મુજબ મેથ્સ અને રીઝનિંગની લાંબી રકમો ઉકેલવા અને બોલપેનથી OMR ઘૂંટવા માટે પ્રશ્ન દીઠ 55 સેકન્ડ જોઇતી હતી, જેની સામે યુનિવર્સિટીએ માત્ર 36 સેકન્ડ ફાળવતા હજારો ઉમેદવારો સમયના ચક્રવ્યૂહમાં ફ સાઈ ગયા હ

31 C