જામનગર તાલુકાના સચાણા ગામે ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સચાણા ગામના સરપંચ કાદરભાઈ કક્લ અને તેમના સદસ્યઓ પણ હાજર રહ્યા હતા. આ રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે.
આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે ‘દૈનિક લગ્ન યોજના’
ભાવનગર શહેરમાં 29 જાન્યુઆરીની મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પર, સરીતા સોસાયટીના નાકા પાસે નવનીત બાલધિયા માટેની ન્યાય સભાના બેનર ફાડવાની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા બે શખસે બેનર ફાડ્યું હતું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગતમોડી રાત્રિના આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોર
અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા એક 28 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાયખડ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાયખડ ચાર રસ્તા BRTS પાસે આવેલા શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાંથી પાર્વતી માતાજીના ચાંદીના મુકુટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મંદિરના પૂજારીએ સાફ-સફાઈ કરતા સમયે કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ચા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું લુંભા ગામ અત્યારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ગત (29 જાન્યુઆરી) મોડી રાત્રે ચાર સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું હતું અને ગામની મધ્યમાં આવેલા પવિત્ર શિવ મંદિરના પ્રાંગણમાં જ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાને
ગોડાદરા પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 21 લોકોની ધરપકડ કરી છે. રેડ દરમિયાન ત્યાં હાજર રહેલા 21 શખસ નાસભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા. આ જુગારધામમાં મજૂરી કરનારાથી લઈને વેપારીઓ અને ડ્રાઇવિંગ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા શખસો પણ સામેલ હતા. પોલીસે ઘટનાસ્થળેથ
ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોક
કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કસ બંધ કરવાનું છે, જેના કારણે મધ્ય ઝોન વિસ્તારમાં પાણી આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તાર
રિબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આખરે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસની નજરોથી બચતા ફરતા અને કોર્ટ દ્વારા 'ફરાર' જાહેર કરાયેલા મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લખનીય છે
તાપી જિલ્લા અને તાલુકા પંચાયતમાં બે દાયકાથી ઈ-ગ્રામ અને 15મા નાણાપંચ જેવી મહત્વની યોજનાઓ સંભાળતા 39 કર્મચારીઓનું ભાવિ અત્યારે અંધકારમય બન્યું છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી, ગાંધીનગરના આદેશ મુજબ આગામી 1 ફેબ્રુઆરીથી આ ટેકનિકલ અને વહીવટી સ્ટાફને છૂટા કરવાની તજવીજ હાથ ધરાતા
વડોદરા નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ ધાવટ ચોકડી પરના બ્રિજ પર અકસ્માત થયો છે. ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સ બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં સવાર 25થી વધુ લોકોનું કરજણ ફાયર વિભાગે દોઢ કલાકની ભારે જહેમત બા
શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન ‘માં તાપી સંપૂર્ણ પરિક્રમા પદયાત્રા’ આજે નિર્ધારિત રૂટ મુજબ ઉકાઈ ખાતે આવી પહોંચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓએ ઉકાઈના સુપ્રસિદ્ધ હરિ હરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં તેમના માટે ભોજન અને વિ
વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ આહવા તાલુકાના ભીસ્યા ગામે મેઇન રોડ બોરખેતથી ભીસ્યા ગામ સુધીનો
નવસારીના ઘેલખડીમાં 43 વર્ષીય યુવાને અગમ્ય કારણસર તો જલાલપોરના તવડી ગામે વૃદ્ધે બિમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઓડિશાના અને હાલ નવસારીના ઘેલખડી રિક્ષા સ્ટેન્ડ પાછળ ભવાનીનગરમાં રહેતા રાજીવ વાસુદેવ સામલ (ઉ.વ. 43) એ ગત 28 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોતાના રહે
મૂળ યુપીના પણ નવસારીના ઝારાવાડમાં શૂટ બનાવવાની સિલાઇનું કામ કરતા ફૈઝાન શેખ (ઉ.વ. 22)ની એટીએસ દ્વારા દેશદ્રોહનો ગુનો કર્યા બદલ અટક કરાઇ હતી.ફૈઝાન શેખને ટેલરિંગનું કામ શીખવનાર તેના ગામના અને માસ્ટર મુન્ના ઉર્ફે ઇસ્લામુદ્દીન શેખ ઉપર પણ જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 જાન્યુઆરીને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં રક્તપિત્ત પ્રત્યે જાગૃતિ લાવવી, રોગચાળાને અટકાવવો અને દર્દીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે. એક સમયે અસાધ્ય ગણાતો આ રોગ હવે આધુનિક તબીબી વિજ્ઞાનને કાર
નવસારી શહેરના વિરાવળ સ્મશાન ગૃહથી લઈને ટાટા બોયઝ સ્કૂલ સુધીના માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હવે સ્થાનિકો અને ખાસ કરીને સુરત અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આ મંથરગતિના કામને કારણે સવાર-
બોરસદના રબારી ચકલા સૈયદ ટેકરા ખાતે પ્રિન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુવારે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. માતા-પિતા તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપે અને વિદ્યાર્થીઓ સ
નહેરનું રોટેશન લંબાવા ઉપરાંત વધુ એક અઠવાડિયું મોડું થવાના કારણે નવસારી શહેરમાં પાણીકાપ લંબાવવાની સ્થિતિમાં બૂમરાણ શરૂ થઈ છે તો ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને પણ મુશ્કેલી વધી શકે છે. નહેરના રોટેશનમાં આમ તો પાણી બંધ કરવાનો સમય ઓછો હોય છે અને તકલીફ વધુ પડતી નથી પણ રોટેશન લંબાતા
કપરાડામાં ગુરુવારે રૂ.11 કરોડના ખર્ચે બનનાર નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત પ્રાંત અધિકારી અને માર્ગ મકાનના અધિકારીની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે આ નવા મકાનનું નિર્માણ 18 મહિનામાં પૂરું કરા
બોરસદ શહેરની સાકરિયા સોસાયટીમાં આવેલા ભંગારના પીઠામાં ગુરુવારે મોડી રાત્રેે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ભંગારના પીઠામાં લાગી હોવાથી પ્લાસ્ટિક સહિતનો ભં
કાપરડાના કેતકીની મહિલાની વલસાડ સિવિલ હોસ્પિટલમાં સીઝેરિયન પ્રસુતિમાં બાળકીનો જન્મ થયો હતો. જે નાજૂક હોવાથી એનઆઇસીયુમાં દાખલ હતી. દરમિયાન ગુરૂવારે તેણી સવારે સિવિલ હોસ્પિટલમાંથી આશરે સાત દિવસ પછી કોઈને કહ્યા વિના અણસમજને લઇ સ્ટાફની નજર ચૂકવી ચૂપચાપ બાળકીને લઈ ભાગી ગઈ હ
77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત પારડી પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરાયું હતું. રાજ્યની સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં કાર્યરત સફાઈ કર્મચારીઓ પેકી દરેક મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતાં કર્મચારીઓની પસંદગી ક
સિલ્વાસા સ્થિત શાખા MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ, MSME મંત્રાલય, ભારત સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) વલસાડના સહયોગથી તા. 29 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન તાલીમ ભવન, પોલીસ હેડક્વાર્ટર, મોગરાવાડી, વલસાડ ખાતે ત્રણ દિવસીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા ટ્રેડ ફેર/એક્ઝિબિશનનું આય
મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ હોટલની સામેના ભાગમાંથી આધેડ જમવા માટે થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયા બાદ અે જ ડમ્પરના ટાયર તેમના ઉપર ફરી વળતા ગંભીર ઈજા થવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મ
મોરબી શહેરની મધ્યે નીકળતી અને લોકમાતા તરીકે પૂજાતી મચ્છુ નદીમાં લાંબા સમયથી ગાંડીવેલનું એટલી હદે ગ્રહણ લાગ્યું છે કે આવડી મોટી નદીમાં ક્યાંક જલ દર્શન થાય છે. જો કે આ લીલીવેલના મૂળિયા ઊંડા હોય પાણીને કારણે સુકાતી ન હોય ઉપરથી વધુને વધુ ફેલાતી હોવાથી લોકો તેને ગાંડીવેલ તરીકે
મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PM SHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી હતી. જેમાં મોરબી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પ
રાજકોટ રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ મોરબી જિલ્લા પોલીસની એક વર્ષની કામગીરીના વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબીના મકનસર ખાતે આવેલા મોરબી જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા હતા. તેમની અધ્યક્ષતામાં હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસના વિવિધ પોલીસ જવાનો અને અધિકાર
છેલ્લા બે દિવસથી મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઠંડીની આગોશમાં લપેટાયું છે. કડકડતી ઠંડીએ એટલી હદે બોકાસો બોલાવી દીધો છે કે, જનજીવન ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં ઠંડીથી ઠીગરાઈ ગયું છે. લઘુતમ તાપમાન 10 ડીગ્રી કરતા પણ નીચે ઉતરી જતાં તેની અસર જનજીવન પર દેખાઇ રહી છે. રાત્રીના 10 પછી શહેર
આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ શરુ થઇ રહી છે જે 18 માર્ચ સુધી ચાલશે 22 દિવસ સુધી ચાલનાર આ પરીક્ષાને લઇ એક તરફ વિદ્યાર્થીઓ તેમની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદી રેતીથી ભરપૂર હતી કોઈ ગંદકી નહોતી. પરંતુ હાલ શહેરનો વિકાસ થતા ગટરના પાણી પણ ભોગાવોમાં ઠલવતા ગયા ને હાલ તો મનપાએ શહેરમાં પ્લાસ્ટિક બેન કર્યું છે. પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગ બાદ લોકો રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી જ ભોગાવોમાં પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ક
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના જસાપર ગામની ઉગમણી સીમમાં મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાની સચોટ બાતમી સુરેન્દ્રનગર એસઓજી ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્રાટકીને ખનીજ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. એસ
ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે પેટ, આંતરડા અને લીવરને લગતા રોગોનો ભવ્ય નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં ફૂલ-ટાઈમ ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટની સેવા ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરૂદે
ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય કે મૂંઝવણ વગર પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે તણાવ હોય તો તેના નિરાક
સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં ટોપ 10માં સુરેન્દ્રનગ જિલ્લો 8મા ક્રમે પહોંચી ગયો છે. જિલ્લામાં ગુરૂવારે પણ ઠંડી અનુભવવા સાથે લઘુતમ તાપમાન 12.6 અને મહત્તમ 27.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લામાં આ વર્ષ શિયાળાની સિઝનમાં ઠંડીનો ચમકારો ઓછો
દેશ અને દુનિયાના બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં લાગેલી આગને કારણે રોકાણનું ચિત્ર બદલાયું છે. સોનાના ભાવ 10 ગ્રામના 1.65 લાખ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.80 લાખ જેવી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. આ સ્થિતિમાં નાના અને મધ્યમ રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ કરતા ગભરાઈ રહ્યા છે અન
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોના અણઘડ આયોજનના કારણે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સમાં પાર્
પાવરગ્રિડે 29 તારીખે ગુરુવારે બપોરે 3 કલાકે પ્રથમ વખત 765 કેવીની ડબલ સર્કિટ અમદાવાદ–ન્યુ નવસારી ટ્રાન્સમિશન લાઇન શરૂ કરી હતી. આ પ્રોજેક્ટ 4.5 જી.ડબ્લ્યુ પુનઃપ્રાપ્ય ઉર્જાના વહન માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાબિત થશે. આ લાઇન અમદાવાદ 765 કેવી સબસ્ટેશન અને ન્યુ નવસા
રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને પગલે આ વર્ષના બજેટમાં પ્રજાલક્ષી કામો લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સૂચના આપી છે. બજેટમાં સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓએ સંકલન કરી સૂચનો મુકવા તાકીદ કરી છે. હર્ષ સંઘવી સાથેની બેઠકમાં રાજ્યની તમામ મહાનગર પાલિકાઓના મ્યુનિ. ક
બસ, ટ્રેન અને વિમાનની ફિઝિકલ ટ્રાવેલ ટિકિટો ભૂતકાળ બની રહી છે. ત્યારે આર્ટિસ્ટ સંદીપ સુનેરિયાએ આવી સંખ્યાબંધ ટિકિટોના કંપોઝિશન કરીને તેના આર્ટવર્ક તૈયાર કર્યા છે. શહેરની આર્ટ એકો ગેલેરી ખાતે યોજાયેલા આર્ટ એક્ઝિબિશનમાં આ આર્ટ ઉપરાંત ફોટોગ્રાફી, સ્કલ્પચર અને મ્યુરલ અને પે
આગામી 6ઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ લગન લાગી રે.. મલ્ટીપ્લેક્સમાં રિલિઝ થશે. ગુરુવારે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ મલ્હાર ઠાકર, તત્સત મુનશી અને આરોહી પટેલે દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ત્રણેયે ગુજરાતી ફિલ્મોની આજ અને આગામી સમયની સ્થિતિ વિશે નિખાલ
વડોદરા વારસિયા ખાતે આવેલા સંતરામદાસ ખાતે સંતકંવર નગર સિંધ કો.ઓ.સોસાયટી દ્વારા મેગા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 372 યુનિટ રક્ત એકત્ર થયું હતું. શિબિરનું આયોજન મહેશ છુટ્ટાની અને રાજેશ બલવાની દ્વારા કરાયું હતું. કેમ્પમાં સંત મુકેશ સાંઇ દ્વારા દીપ પ
શહેરમાં મહા સુદ તેરસ ને 31 જાન્યુઆરીએ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવશે. દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જયંતી નિમિત્તે નિર્માણ ક્ષેત્રે કાર્યરત લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માનું પૂજન અને પોતાનાં સાધનોની પણ પૂજા કરવામાં આવતી હોય છે. શહેરમાં ભગવાન વિશ્વકર્માની 14 ફૂટ
મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ડીન પદે 5 વર્ષ માટે પ્રો.પ્રજ્ઞેશ શાહની નિમણૂક વીસી દ્વારા કરાઇ છે. એકાઉન્ટ વિભાગના વડા પ્રો.પ્રજ્ઞેશ શાહ સૌથી સિનીયર હોવાથી પસંદગી કરાઇ છે. યુનિવર્સિટીમાં નવા આવેલા વીસી વિવિધ ફેકલ્ટીના વિભાગોના વડા અને ડીનની કાયમી નિમણૂકને મંજૂરી આપી રહ્યા છ
યુજીસીના વિવાદથી મોટી સમસ્યા બેરોજગારી છે. જેની ઉપર કોઇ ચર્ચા થતી નથી. 10 વર્ષમાં સ્થિતિ વધુ બગડશે. કોમવાદ, જાતીવાદથી આગળ નીકળીને વિચારવું પડશે. શિક્ષા પર પણ ચર્ચા થઇ રહી નથી. શિક્ષા પર ધ્યાન નહિ આપવામાં આવે તો 10 વર્ષ પછી તેની અસર દેખાશે. વર્તમાન સામાજીક, રાજકીયનિતીઓ વ્યવહારીક
દંતેશ્વરના કુખ્યાત બુટલેગરે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. 28મીની રાત્રે 9.30 વાગે શહેર ગુના નિવારણ શાખાએ ઘાઘરેટિયામાં દરોડો પાડ્યો હતો. સાંઈબાબાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા મિતલ પંચાલને ઝડપી વિ
શહેર નજીકની ખાનગી યુનિ.ની તબીબી વિદ્યાર્થિની સાથે ભણતો યુવક સંબંધ રાખવા દબાણ કરતો હતો. ગભરાયેલી યુવતીએ કપુરાઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હૈદરાબાદના યુવકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે અભ્યાસ દરમ્યાન યુવતીનો યુવક સાથે સંપર્ક થયો હતો. પરંતુ યુવક નિકટતા વધારવા અને મિત્ર
નારાજ પત્નિને શોધવા 5 વર્ષના દિકરા સાથે વડોદરા રેલ્વે સ્ટેશને ગયેલો પિતા થાકીને સુઈ જતાં અજાણ્યો વ્યક્તિ બાળકનું અપહરણ કરી જતાં રેલ્વે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સીસીટીવીમાં એક વ્યક્તિ બાળકને લઈ જતો દેખાઈ રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખોડિયારનગર રહેતા અનિલે 2005માં ભા
નંદેસરીમાં આવેલા દુર્ગા એસ્ટેટની બાજૂની ઓરડીમાં ગુરુવારે વહેલી સવારે રોંગ સાઈડ આવેલુ ટ્રેલર ઘૂસી જતાં ઓરડીની દિવાલ તૂટી ગઈ હતી. જેને પગલે ઓરડીમાં સુતેલા 7 પૈકી એક યુવક દિવાલ નીચે દબાઈ જતા પેટના નીચેના ભાગથી ગંભીર રીતે ઘવાયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં
જેસલમેરમાં સ્લીપર કોચને આગ લાગવાની ઘટના બાદ કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટુ બાય ટુ સ્લીપર કોચને એક સપ્ટેમ્બર 2025થી ટુ બાય વનમાં પરિવર્તીત કરવા માટે આદેશો કર્યા હતા. જેને પગલે ટ્રાવેલ સંચાલકોને એક બસમાં રૂ.10 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. અન્ય ટેકનીકલ વિષયોને કારણે બસને ર
બીસીએની ચૂંટણીને પૂર્વે વિવાદો યથાવત્ છે. ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપના ઉમેદવારની જગ્યા અને કર્મચારીઓના ઉપયોગ સામે રજૂઆત કરાઈ હતી. સત્યમેવ જયતે-રોયલ ગ્રૂપ બીસીએ ખાતે પહોંચ્યું હતું, પણ કોઇ મળ્યું નહતું. સત્યમેવ જયતે-રોયલ ગ્રૂપે બીસીએ ઓફિસે પહોંચી આવેદન આપ્યું હતું. ડો.દર્શન
એસઆઈઆર હેઠળ અપાયેલી નોટિસ અંતર્ગત દસ્તાવેજો આપવા પહોંચેલા લોકોએ સતત બીજા દિવસે બાપોદ સરકારી સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. 3 વાગ્યાથી લાઈનમાં ઊભેલા લોકોને 1 કલાક સુધી ટોકન ન મળતાં સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક સમયે કર્મીઓને ધક્કે ચઢાવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું
શહેરમાં રવિવારે યોજાનારી વડોદરા મેરેથોનની તડામાર તૈયારી છેલ્લા તબક્કામાં છે. ગુરુવારે સાંજ સુધીમાં રજિસ્ટ્રેશનનો આંક 1.20 લાખ થયો છે. મેરેથોનમાં પહેલીવાર 400 જેટલા ટ્રાન્સજેન્ડર્સ ગજરા રન અંતર્ગત દોડશે. જ્યારે પહેલીવાર વિદેશી રનર્સ સહિત ઇંડાં નહીં અપાય. એક સપ્તાહથી વિશેષ ટ
ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર કંપની ફીટીંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફીટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર
ભાવનગરને અમદાવાદ સાથે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે વાહનચાલકો માટે બનીને તૈયાર છે. ભારત માલા યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ એવો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનો ડ્રોન નજારો જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ VIDEO
₹1.15 કરોડનો સાયબર ફ્રોડઅમદાવાદબનાવનો સમય 14 નવેમ્બર 2024 અમદાવાદમાં રહેતા 73 વર્ષના શાંતિલાલ નિવૃત્તિનું જીવન જીવે છે અને પત્ની સાથે એકલા રહે છે. તેમની બે દીકરીઓ અમેરિકામાં તેમના પરિવાર સાથે રહે છે. તારીખ 14 નવેમ્બર 2024 ના રોજ શાંતિલાલના મોબાઇલ પર એક વ્હોટ્સએપ કોલ આવ્યો. ફોન કરનાર વ
બગદાણાના સરપંચ નવનીત બાલધીયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઇ આહિરના પુત્ર જયરાજની ભલે ધરપકડ થઇ ગઇ હોય પણ 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન યોજાવાનું છે. જો કે આ કેસમાં આગેવાની લઇને કોળી સમાજને એક કરનારા ધારાસભ્ય હીરા સોલંકીએ સંમેલનથી હાથ અદ્ધર કરી દીધ
સિરામિક ઉદ્યોગના કારણે આજે વિશ્વભરમાં જાણીતું મોરબી પોતાની અસલી ઓળખ જ ગુમાવી ચૂક્યું છે. એક સમયે ક્લોક કેપિટલ તરીકે ઓળખાતા આ શહેરના ઘડિયાળ ઉદ્યોગ અસ્તિત્વ ગુમાવવાના આરે છે. ભૂતકાળમાં અહીંથી 50થી વધુ દેશોને ઘડિયાળ એક્સપોર્ટ પણ થતી પરંતુ હવે મોરબીની ઘડિયાળના કાંટામાં જાણે
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને બે શખ્સો સહિત 7 જણાના ટોળાએ ચાર યુવકો પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મહેતાપુરા વિસ્તારમાં હર્ષકુમાર અને સિદ્ધાર્થકુમાર વચ્ચે ચાર મહિના પહેલા ઇડરમાં બોલાચાલી થ
હિંમતનગરમાં હાઈવે કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભોલાભાઇ સરણીયા ગત શનિવારે કુંજલબેન (16) પોતાના ભાઈ જોગેશ ( 8) અને પિતરાઈ ભાઈ પિયુષ (9)ને શાળાએ મૂકવા ચાલતા જઈ રહ્યા હતા. સ્ટાર સ
મોડાસા શહેરના આઇકોનિક રોડ ઉપર રેલવે ગ્રાઉન્ડ પાસે 7 લાખના ખર્ચે પ્રજાની સુખાકારી માટે બનાવેલ સુલભ શૌચાલય યોગ્ય જાળવણીના અભાવે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. શૌચાલય કાર્યરત ન હોવાને કારણે રોજિંદા રાહદારીઓ તેમજ આજુબાજુ રહેતા ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે ભારે મુશ્કેલી ઉભ
હિંમતનગરના રાયગઢમાં ગત મંગળવારે રાત્રે રસ્તામાં બાઇકનું પેટ્રોલ પૂરું થઇ જતાં ઉભેલા માતા-પુત્રની મશ્કરી કરી, ચાર શખ્સોએ તેમને મારતાં 4 શખ્સો સામે ફરિયાદ ગાંભોઇ પોલીસ મથકે નોંધાઇ હતી. સોનલબેન પટેલ અને તેમનો દીકરો વિષેશ ખેતરેથી પરત ફરી રહ્યા હતા. રાયગઢમાં ન્યાયમંદિર દુકાન
મહેસાણા જિલ્લાના વધુ એક બીએલઓ શિક્ષિકાનું હ્યદયરોગના હુમલાના કારણે મોત થયુ છે. મહેસાણાના નાગલપુર ગોકુલ વિહાર બંગ્લોઝમાં રહેતા અને મહેસાણા તાલુકાના ભેસાણા ગામની શાળામાં છેલ્લા 26 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રીંપલબેન હર્ષદભાઇ ઓઝાને બુધવારે મોડી રાત્રે હાલ પાલનપુર
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટી GSDMA ગાંધીનગર દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરાયો છે. જેના ભાગરૂપે મોડાસા તાલુકાની ઝાલોદર પ્રાથમિક શાળામાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. જિલ્લાની 60 શાળાઓમાં સપ્તાહમાં મેગા ઇવેન્ટસનું આયોજન કરાયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 2.31 કરોડના ખર્ચે 604 લાભાર્થીઓને દૂધાળા પશુઓની સહાય કરાઇ હતી. ખેડબ્રહ્મા
અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરાયું છે. મોડાસાના સાકરીયામાં બે દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે.આ ફેસ્ટીવલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિ
સાબરકાંઠા જિલ્લાના લોકો માટે વર્ષ 2026ની શરૂઆત અનેરી ભેટ લઈને આવી છે. છેલ્લા એક દાયકાથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે સેક્શન હવે નવા અવતારમાં સજ્જ થઈ ગયું છે. 55.672 કિમી લાંબા આ નવનિર્મિત બ્રોડગેજ રેલખંડ પર 25 કિલો વોટ એસી વિદ્યુતીકરણનું કાર્ય સફ
અંબાજીમાં આજથી શરૂ થતાં 51 શક્તિપીઠ પરિક્રમ માટે સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 195 બસો મૂકાઇ છે. જેમાં દરરોજ 65 બસો જિલ્લાના વિવિધ સ્થળેથી ઉપડશે તથા તે સ્થળે પરત યાત્રાળુઓને તે જ સ્થળે ઉતારશે. તા.30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું
મોડાસા શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલ નવીન આઈકોનિક બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને સિનિયર સિટીઝનો તેમજ વિકલાંગ મુસાફરો બસ સ્ટેશનના મેઈન ગેટથી પ્લેટફોર્મ સુધી પહોંચવામાં છેલ્લા કેટલાય સમયથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નવા બસ સ્ટેશનમાં મુસાફરોની સુખાકારી માટેની મ
તલોદમાં ભીડમાં ખોવાયેલા બાળકને પોલીસ દ્વારા બે જ કલાકમાં અઢી વર્ષના અજાણ્યા બાળકને શોધી કાઢી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. તા. 28-01-2026ના રોજ તલોદના મુખ્ય બજારમાં આવેલી સાગર જનરલ કિરાણા સ્ટોર પાસેની ભીડભાડ વાળી જગ્યાએ અંદાજે અઢી વર્ષની ઉંમરનું એક બાળક રડતી હાલતમાં મ
સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોને ખરીદી હિંમતનગરના રસ્તે હૈદરાબાદ પહોંચાડવા સક્રિય ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાદ સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લાની હદમાં સક્રિય યુનુસ નામના શખ્સને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. યુનુસે 60 હજારમાં 15 દિવસના
મોડાસાના કસ્બા મોગલવાડા વિસ્તારમાં ટાઉન પોલીસે ખાનગી માહિતીના આધારે આરીફ બેલીમના ઘરે રેડ કરીને 250 કિલોગ્રામ ગૌમાંસના જથ્થા સાથે ચાર આરોપીઓને 12 ગૌવંસને કતલ કરવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘરની તલાસી દરમિયાન કતલ કરવાના ઇરાદે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા અને ડાલામા
પાલનપુર સંજય ચોક નજીક બાવળોની ઝાડીમાં ગુરૂવારે બપોરના સુમારે અગમ્યકારણોસર આગ લાગી હતી. જે બાજુમાં પડેલા વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રસરી હતી. દરમિયાન કોલ મળતાં પાલનપુર નગરપાલિકાના ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી. અને 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગથી કોઇ નુક
પાલનપુર શહેરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલના ડાયાલીસ વોર્ડમાં સોમવારે સ્ટાફે પત્નીને બહાર બેસાડતાં ઉશ્કેરાયેલા દર્દીએ ભારે હંગામો મચાવ્યો હતો. તેને ડાયાલીસ મશીન તોડી નુકશાન કરી હોસ્પિટલના સ્ટાફને અપશબ્દો બોલતાં આ મામલે શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હ
પાલનપુરથી જગાણાને જોડતા ગોબરી માર્ગના રિનોવેશનમાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા ગોકળગતિથી કામ થતા વાહનચાલકો પરેશાન થયા છે. જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અહીં પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ જ રોડનું કામ આગળ વધશે. બીજી તરફ રોડ ખો
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સરની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતું. કોંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ એસઆઇઆર ની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ અંગેના સૂત્રો પોકારી કલેક્ટર કચેરીને ગજવી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણ
પાલનપુરમાં વડલી વાળા પરાનો માર્ગ બંધ થતા નાના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. અહીંથી રોજિંદી અવરજવર કરતા 2 હજારથી વધુ વાહનો અટવાયા છે. ઉપરાંત વૈકલ્પિક માર્ગો પર ભાર વધ્યો છે. શોર્ટકટ માટે વાહનચાલકો સાંકડી ગલીઓમાં ઘૂસતા રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્ય
પાટણ શહેરમાં નવજીવન ચાર રસ્તા પાસે આવેલા તિરુપતિ કોમ્પલેક્ષમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. માધવ ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા અક્તરભાઇ કોટવાલે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.24 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે અક્તરભાઇએ પોતાનું લાલ પટ્ટાવાળું બજાજ પ
હારિજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેના થકી તેઓએ વાર્ષિક 7 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. જયંતિભાઈએ પોતાના ખેતરમાં ચણા, ઘઉં,અડદ અને તુવેર જેવા કઠોળની સાથે આંબા,જામફળ અને
ભારત વિકાસ પરિષદ (BVP) પાટણ શાખા દ્વારા રવિવારે પ્રગતિ મેદાન ખાતે સૌ પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો માટે વલય દંડ રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શિસ્ત અને ખેલદિલીના સંગમ સમાન આ સ્પર્ધામાં નગરની વિવિધ શાખાઓની 24 ટીમોના આશરે 180 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ત્રણ અલ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર હતા. તેમના બે પુત્રો, પાર્થ અને જય પવારે મુખાગ્નિ આપી. બીજા મોટા સમાચાર નવા UGC નિયમોને લઈને રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ મામલ
પાટણ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અરજદારોની જાણ બહાર તેમના નામે મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરી વાંધા અરજીઓ આપી હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. પોતે અરજદારોએ જ ફોર્મ 7ના ભર્યા હોવાની લેખિતમાં રજૂઆત આપતા હાલમાં તંત્ર દ્વારા મામલતદારને તપાસ કરી રિપોર્ટ સ
ગણપત યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થિની પ્રાત્વી પંડ્યાના છ વર્ષના સંપૂર્ણ અભ્યાસ માટે ફી-માફી અને હોસ્ટેલ સહાય જાહેર કરાઈ છે. ગણપત યુનિવર્સિટી સંચાલિત બીએસ પટેલ પોલિટેકનિક કોલેજમાં આ વર્ષે ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની પ્રાત્વી રવીન્
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડની ડાબી સાઈડમાં નીચે ઉભેલા એક છકડાને અમદાવાદ પાસિંગની પૂરઝડપે આવતી કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં છકડાના ચાલક અને અંદર બેઠેલા મજૂર એમ બે વ્યક્તિઓને ગં
મારી સામે કેમ જુએ છે તેમ કહીને મહેસાણા મગપરામાં રહેતા યુવકના ઘરે ચાર જણા તલવાર અને છરી જેવા હથિયારો સાથે પહોંચીને મારતાં પોતાની પર હુમલો કરનાર સ્થાનિક ચાર સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. મગપરા વિસ્તારમાં રહેતા અજય કુમાર બચુજી ઠાકોર ઘેરથી દૂધની થેલી લેવા મગપરા
કુકરવાડામાં છોકરાઓને બૂમો પાડવાની ના પાડનાર યુવકને માથામાં ઇંટો મારતાં 22 ટાંકા આવ્યા હતા. વસઇ પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિજાપુરના કુકરવાડા ખાતે રહેતા દિનેશજી હંસાજી મારવાડી પોતાના નાનાભાઈ સહિતના પરિવાર સાથે રહે છે. 27 જાન્યુઆરીએ રાત્રે તેઓ જમીને પોતાના ઘરન
મનપા દ્વારા વર્ષોથી વેરો ન ભરનાર બાકીદારોની દુકાનો સીલ કરવામાં આવી રહી છે. જેમાં રાધનપુર રોડ, રામોસણા રોડ સહિતના વિસ્તારમાં બાકી વેરામાં સાત દુકાનોને સીલ કરવા મનપાની વેરા ટીમ પહોંચી હતી. જે પૈકી ત્રણ ચાલુ દુકાનદારોએ બાકી કુલ રૂ. 2,72,880 વેરો સ્થળ પર જ ટીમને જમા કરાવી દેતા સીલ ટળ
મહેસાણામાં યુજીવીસીએલથી માનવ આશ્રમ તરફ રોડ સાઇડ તાજેતરમાં જ આઇકોનિક ફૂટપાથ, પાર્કિંગ 70 ટકા અંતરમાં થયુ છે, ત્યાં એક નવી બની રહેલ હોસ્પિટલ સાઇડ ફૂટપાથમાં જ પગથિયાંના દબાણ જોવા મળ્યા હતા. ગુરુવારે બપોરે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર રવિન્દ્ર ખતાલેને હોસ્પિટલના બની રહેલ મેડિકલ
રાજ્યના વિકાસ કમિશનર દ્વારા તાજેતરમાં મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની જૂની જેટલી હતી તેટલી જ 42 બેઠકોનું ગેઝેટ બહાર પાડ્યું છે. જેમાં મહેસાણા મહાનગરપાલિકામાં 25 જેટલા ગામડાઓના સમાવેશ પછી પણ જિલ્લા પંચાયતની કે તાલુકા પંચાયતની એક પણ બેઠક ઘટશે નહીં માત્ર જિલ્લા પંચાયત

29 C