જુનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે છ મહિના પહેલા થયેલી એક ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા મિલકત સંબંધિત ગુન્હાઓના આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના આધારે, જુનાગઢ
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર સહિત અનેક પંથકોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભર શિયાળે ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધા
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા મથુરીયા સોસાયટી વિભાગ-1ની બાજુમાં રહેતા એક પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ .1.25 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. લૌકિક ક્રિયામાં ગયેલા પરિવારનું બંધ મકા
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક લુન્સીકુઈ મેદાનના નવીનીકરણ અને વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ આયોજન સામે શહેરના રમતવીરો, સ્પોર્ટ્સ એસોસિએસન્સ અને લુન્સીકુઈ ક્રિકેટ ક્લબે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે.
રાષ્ટ્રીય એક્તા યાત્રાનો આજે ત્રીજો દિવસ સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રુપે શરુ થયેલી રાષ્ટ્રીય એક્તા યાત્રા આજે વડોદરા પહોંચી.યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા હાજર રહ્યા.. આ સ
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની પાણીની લાઇન નાખવાની કામગીરી ગઈ કાલે પૂર્ણ થઈ છે. ત્યારે લોકોને છેલ્લા ત્રણ દિવસ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે શહેરના સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે પાણીનો વેડફાટ થતા સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાક
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્
ગુજરાત જે મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને દારૂબંધીના આદર્શોથી પ્રેરિત રહ્યું છે, ત્યાં આજે નશાખોરીના વધતા પ્રશ્ને રાજકારણ ગરમાવ્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદીને કારણે યુવાનો નશાખોરીના ખપરમાં હોમાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે, આજે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્ર
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. એલ.ડી. એન્જિયરિંગની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થી સંગઠનના લો
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદાવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના 67 વિવિધ વિભાગમાં કુલ 378 જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં ખુશીની લાગણ
કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન માનસિક બીમારીથી પીડાતા પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. જે બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમણે બોટાદ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા 'SIR' કાર્યક્રમ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બોટાદના ગુરુકુળ, ગઢડા રોડ ખાતે આયોજિત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે બોટાદ વિધાનસભાના ભાજપ કાર્યકરો અને હોદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના ફેઝ 2ની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. નરોડા સ્મશાનગૃહથી SP રિંગ રોડ, વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવાથી રિંગ રોડ સુધી કેનાલને ઢાંકી દેવામાં આવશે. રૂ. 1100 કરોડના ખર્ચે આ કેનાલ ડેવલપ કરવામાં આવશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે માર્ગદર્શક યાદી સુધારણા સમિતિનું પુનઃ ગઠન કરીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંગેની માર્ગદર્શક યાદી હેઠળ અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજનામાં હાથ ધરવામાં આવતા કામોમાં ફેરફાર માટે જરૂર
ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016 માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામા
પેંડા ગેંગ બાદ બાદ હવે મુર્ઘા ગેંગ બાદ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો સહીત 21 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર બન્ને ગેંગના સભ્યો દ્વારા સામસામે અંધાધૂંધ ફા
ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋ
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે જ્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે 6 દિવસ જ બાકી છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરી
એક તરફ ખેડૂતોમાં માવઠાનો માર અને કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ઊભી કરી છે તો બીજી તરફ ખેડૂતોને પ્રાથમિક સુવિધા ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. કેશોદના મોવાણા ગામના સીમ વિસ્તાર અને અગતરાયને જોડતા રસ્તાની બિસ્માર હાલત એવી છે કે, ખેડૂતોને તેમની વાડી સુધી પહોંચવા માટેનું સી
રાજકોટમાં GST દર ઘટાડાનો જોરદાર અસર જોવા મળી છે. કેન્દ્ર સરકારે નવા વાહનો પરનો GST ઘટાડતાં માત્ર બે મહિનામાં (22 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી) શહેરમાં રેકોર્ડબ્રેક 36,486 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સામાન્ય સમયની સરખામણીએ 50%થી વધુનો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળામાં 3 કરોડની ઇલેક
બોટાદના સુપ્રસિદ્ધ મુક્તિધામ મેલડી માતાજી મંદિરમાં નવમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીને 56 પ્રકારના વિવિધ ભોગ ધરાવીને ભવ્ય અન્નકૂટન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા' આવતીકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન સરદાર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્ય
રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. આજે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન ક
પાવીજેતપુર તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૫નું આયોજન ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ઉત્
રાજ્યમાં અત્યારે મતદારયાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા તેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસમાં શિક્ષકોના મોત થઈ રહ્યા છે. તો કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. BLO કામગીરી
સુરતના કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. જ્યાં સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા DGVCLના અધિકારીઓ ખુદ પોતાની ઓફિસમાં જમીન પર બેઠેલા નજર આવ્યા હતા. આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ - કોંગ્રેસના અનંત પટે
પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 1:00 કલાકે ભવ્ય ગૌ ભક્તિ પોથીયાત્રા નીકળશે. આ વિરા
સુરત શહેરમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે જેટલી ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ ફાઇલ સ્ટેશનની બાજુમાં હોવાથી ગણતરીની પાંચથી સાત મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરત મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટ માં એક યુવક ફસા
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના 15થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે દર વર્ષે યોજાતા “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાહસિક તત્વોને પ્રોત્સાહન આપવા અને સાગરકાંઠાના વિસ્તારોના સમૃદ્
પર્યાવરણને અનુકૂળ અને સલામત વિકલ્પની શોધમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગની ટીમે લીલી ચહાના પત્તા (લેમનગ્રાસ), લીમડો અને તુલસીના કુદરતી અર્કનો ઉપયોગ કરીને એક એવું સુતરાઉ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજિત 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને ભારતના આર્થિક વિકાસ અને સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેનો સમન્વય રાષ્ટ્રના વિ
ઝાલોદ તાલુકાના પાવડી ખાતે એસ.આર.પી. ગ્રુપમાં સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો પ્રારંભ થયો. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આ સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે સાંસદ સહિત અન્ય મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાંસદ જશવંત
જામનગર પેરોલ ફર્લો સ્કવોડે હત્યાના ગુનામાં સજા પામેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયો હતો અને તેને જામનગરના અંબર ચોકડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ પેરોલ ફર્લો રજા પરથી
બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના 16 ગુનાઓનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ભોગ બનનાર મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સોના-ચાંદીના દાગીના, હીરા, મોબાઈલ ફોન અને વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓ
ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલ અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી. સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો. જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદ
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં આજે નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ઓફિસર શૈલેષ સાસિયા, સાવંત ભરવાડ અને તેમની ટીમે વિદ્યાર્થી
જલાલપોર તાલુકાના ઓંજલ ગામના એક યુવાનની ફરિયાદના આધારે મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને 21 યુવાનો સાથે રૂ. 40.34 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, ઓંજલમાં રહેતા માછીમાર તુરંગમાર ટંડેલની દોઢ વર્ષ પહેલાં તેમ
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાંથી છોટા હાથી વાહનમાં ઘોડાની આડશમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. LCB એ બે આરોપીઓન
બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રીક્ષામાંથી 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹3,52,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ₹1,41,300 ની કિંમતનું MD ડ્રગ્સ, ત્ર
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દુકાનના 7 હજાર રૂપિયા બાકી બિલના કારણે પડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે આરોપી દુકાનદાર સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડો
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે મોરબી એસપી કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં મોરબી જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવ
અમદાવાદના નગર દેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા છે. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવનાર પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકો
અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો જે બાદ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયોઆ ઘટના ત
મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બૂટલેગરોના ઇરાદા પર પાવી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશ
સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન માટે યુવક શોધવામાં એક યુવતીને મોઘું વળતર ચૂકવવું પડ્યું છે. યુવકને શોધવા માટે યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં એક યુવકે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું કહી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. લગ્નની લાલચ આપી યુવકે યુવતીને પોતાની વાતોમાં
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર,
મહીસાગરની માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કોલેજ માલવણમાં 22 નવેમ્બરના રોજ આયોજિત હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિ
નાગપુરથી શરૂ થયેલી 'યુનિટી માર્ચ - નર્મદા યાત્રા' મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો પ્રવાસ કરીને ગુજરાતના ગોધરા પહોંચી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું ગોધરાના સરદાર નગર ખંડ પાસે સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાના સહભાગીઓએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્
ખેરાલુના ધારાસભ્યના ફાર્મ હાઉસમાં આપઘાતની ઘટના સામે આવી છે. ખેરાલુના ચાડાથી ગણેશપુરા જવાના માર્ગ પર ધારાસભ્ય સરદાર ચૌધરીનું ફાર્મ હાઉસ આવેલું છે. ભરત માનસંગભાઈ કઠિયારા નામના યુવકે ફાર્મ હાઉસની ઓરડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક ભરત કઠિયારા લગભગ 10 વર્ષ પહ
શ્રીકૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર દરિયાકિ
ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે લાવવામાં આવેલા વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી છે. તપાસમાં આવેલ શખ્સે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં જઈને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી.પોલીસ સ્ટેશનમાં જ યોગેશભાઈ નામનો શખ્સ ઢળી પડ્યો હતો. આઘેડે પોલીસ સ્ટેશનમાં આપધા
પાટણ શહેરમાં રેલવે અંડરગ્રાઉન્ડ નાળા પાસે ચાલી રહેલા રસ્તાના કામને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે પાટણ શહેર સ્કૂલ રિક્ષા વાહન ડ્રાઇવર એસોસિયેશને યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ યુનિવર્સિટીનો કેમ્પસ ગેટ ખોલવા માટે લેખિત રજૂઆત કરી છે. કોલેજ કેમ
કચ્છમાં નવેમ્બર મહિનો પૂરો થવા છતાં ઠંડીની પકડ મજબૂત બની નથી. જિલ્લામાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. જોકે, નલિયા 13.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સતત 14મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. અબડાસા તાલુકાના નલિયામાં લઘુતમ પારો આજે બે ડિગ્રી ઊંચકાઈને 13.6 ડિગ
નવરંગપુરામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. વૃદ્ધને બીભત્સ ફોટા, ચાઇલ્ડ પોનોગ્રાફી, બીભત્સ મેસેજ, 126 કરોડના કૌભાંડ, મની લોન્ડરીંગ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં નામ ખુલ્યું હોવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ઓર્ગન ડોનર કરનારના અંગો ચાઇના જેવા દેશોમાં વેચી કર
સોલા સિવિલમાં બનેલું ઘોડિયા ઘર મહિલા કર્મચારીઓને દેવદૂત સમાન સાબિત થયું છે. 8થી 10 મહિલા કર્મચારીઓને પોતાના બાળકોની સાર સંભાળ રાખવા માટે ઘોડિયા ઘરનું 3 નવેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 દિવસમાં સોલા સિવિલની મહિલા કર્મચારીઓને આનાથી ખૂબ ફાયદો થયો છે. અનેક મ
અમદાવાદમાં લોજિસ્ટિક કંપનીના કર્મચારીઓના પગાર ડિજિટલ સ્વરૂપે એપ્લિકેશન મારફતે ખાતામાં જમા કરાવી તેના આધારે કર્મચારીઓના અંગત કેવાયસી (KYC) દસ્તાવેજોનો દુરુપયોગ કરીને લોન કરાવી લેવાના એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કર્મચારીઓના નામે અવન્તી ફાયનાન્સમાંથી લોન કરાવીને કુલ રૂ. 8
નવા સચિવાલયમાં આજે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા અમુક બ્લોકોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સચિવાલયના દરેક એન્ટ્રી પોઇન્ટ પર સ્ટાફ દ્વારા આઈકાર્ડનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે કર્મચારી ઓળખ કાર્ડ લઈને આવ્યા ન હતા, એવા કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી
સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઇચ્છાપોર સ્થિત જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રત્નકલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું
શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ મહિનાના અયાનનું જીવન બચાવ્યું છે. રમતા રમતા અયાને ભૂલથી બટન સેલ ગળી લીધો હતો. આ સેલ અન્નનળીમાં ફસાઈ જતા તેની તબિયત બગડી રહી હતી. અયાન સતત ઉધરસ ખાતો રહેતો હોવાથી માતા-પિતાએ ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યું હતું. એક્સ-રેમાં અન્નનળીમાં
ચોટીલાના જય શાહે પોતાના લગ્નની ઉજવણી અનોખી રીતે કરી છે. તેમણે વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લગ્ન કર્યા અને ભવ્ય ભોજન સમારંભને બદલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી કરી. લગ્નના પ્રથમ માંડવાના દિવસે, જય શાહે વૃદ્ધાશ્રમમાં વડીલો માટે ભોજન સમારંભનું આયોજન
અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવેલા પાણીના ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, છેલણા ગામના નારણભાઈ નાજાભાઈ સુપા ઘા
આણંદ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, 44 બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા SIR (Special Summary Revision) કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીનો ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે અને 4 ડિસેમ્બર સુધીમાં BLOs દ્વારા SIR સંબંધિત કામગીરી પૂર્ણ
ભારત સરકારના ઊર્જા મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં શરૂ થયેલ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ચારેય ડિસ્કોમમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. તે અનુક્રમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આજદિન સુધી કુલ 7.27 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં
દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાનને બનાવી તાળા તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.4 લાખ 44 હજારથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના કનીપુર ગામ સ્વામીનારાયણ ખડકી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય પદયાત્રા'નો આજે (તા. 28 નવેમ્બર) ત્રીજો દિવસ છે. આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા સહિતના અગ્રણી
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દર્દી સારવાર માટે આવ્યા ત્યારે ડોક્ટર ઉંઘતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સગા ડોક્ટરને જગાડી સારવાર આપવાનું કહેતા નજરે પડે છે. ત્યાર બાદ પણ ડોક્ટર ઉંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની દક્ષિણ ગુજરાત મુલાકાત વલસાડ જિલ્લા માટે ફળદાયી નીવડી છે. લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, મંત્રીએ સુરતથી વલસાડ સુધી બસમાં મુસાફરી કરીને હાઈવેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણના પરિણા
વડોદરા એરપોર્ટ પર આવનારી મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 વાગ્યે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હતી. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓપરેશન રિઝનના કારણે ફલાઈ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે લઘુતમ તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ 13.6 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર નોંધાયું હતું. જ્યારે સૌથી ગરમ શહે
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને PSI તરીકેની ખોટી ઓળખ આપીને ચાઇનીઝ ફૂડના પૈસા આપ્યા નહોતા અને પોલીસ પાસે પૈસા માંગો છો? તેમ કહીને ધમકાવ્યા હતા. આ અંગે આરોપી પતિ પત્ની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને આધારે પોલીસે બંનેની ધરપ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોટા રેલવે સ્ટેશન ગેટ સામે, યાત્રી ગેસ્ટ હાઉસ નજીક ખુલ્લી જગ્યામાંથી સિક્કા ઉછાળી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.15,450 અને જુગારમાં વપરાયેલા બે સિક્કા મળી કુલ રૂ. 15,454 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બન
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલી ઇકો કાર પકડવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના થોડા દિવસો પહેલા મોરબીના રણછોડનગર વિસ્તારમાં બની હતી. એલસીબીની ટીમે GJ 3 NK 3973 નંબરની ઇકો કારને રોકવ
હળવદ નજીક એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકના વાહનમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે વ્યાજખોરો સહિત કુલ દસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના હળવદના કેદારીયા ગામ પાસે આવેલા લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રા.લિ.ના નવા બન
દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG8193માં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે 27 નવેમ્બરની રાત્રે 10 વાગ્યે ટેકઓફ થનારી ફ્લાઇટમાં 9 કલાકનો મોટો વિલંબ થયો હતો અને તે 28 નવેમ્બરની સવારે 7:25 વાગ્યે ટે
ગઢડા APMC ખાતે મગફળી વેચવા માટે આવેલા વાહનોની એક કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી છે. ઢસા રોડ પર કનૈયા ચોક સુધી આ વાહનોની લાઈન જોવા મળી રહી છે. આ કતારમાં ટ્રેક્ટર, ટેમ્પા, છકડો રીક્ષા, પીકઅપ અને આઈસર ટ્રક સહિત અંદાજે ૨૦૦ જેટલા વાહનોનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ કોટન ઇન્ડિયા (CCI) દ્વારા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા. જેથી
ધરમપુર, વલસાડ ખાતે યોજાયેલી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનપદ ભારતને મળવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમ
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સવારે શરૂઆતમાં થોડું શીતલ વાતાવરણ અનુભવાય છે, પરંતુ દિવસ ચઢતા જ ગરમીનો અહેસાસ વધતો જાય છે. સતત બે દિવસથી ભેજનું પ્રમાણ પણ ઊંચું રહેતા લોકો ઉકળાટ જેવી સ્થિતિ અનુભવી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આ
પાટણના સિદ્ધપુર ચાર રસ્તા રોડ પર આવેલા હંગામી બસસ્ટેન્ડમાં એક મહિલાના પર્સમાંથી રૂ. 6.83 લાખના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા છે. રાધનપુર ખાતે સાસરી જવા નીકળેલી મહિલા બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ તસ્કરોએ આ ચોરી કરી હતી. આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મા
રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા
ભચાઉમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભૂમિપૂજન સાથે આ અદ્યતન મહાવિદ્યાલયનું વિધિવત અનાવરણ થયું. આ પ્રસંગે દસમી સંશોધન સમ
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો ગતરોજ (27 નવેમ્બર) ભવ્ય પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યુ
સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા દરમિયાન નજીકની ઝાડીઓમાં આગ લાગી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વેરાવળ ફાયર બ્રિગેડના DCPO નરેન્દ્રસિંહ, ફાયરમેન જિતેન્દ્રસિંહ ગોહિલ અને મયંકકુમાર ડાભી સહિતનો સ્ટાફ મીન
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. જે બાદ આગ લાગેલી સ્થિતિમાં પહ
નવસારીના જૂનાથાણાવિસ્તારમાં આવેલ ઝુમરુ ગેસ એજન્સી નજીક ઝૂંપડપટ્ટીમાંરહેતા ભરતભાઇ નાથાભાઈ દંતાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાંત્રણ છોકરા અને બે દીકરીઓ છે.તા. 26 નવેમ્બરના રોજ રાત્રિના8.30 વાગ્યા અરસામાં તેમનોમોટો દીકરો સુનિલ દંતાણીહોમગ
ડોલવણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કમલાપુર ગામની સીમમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાણી ગામ રાજપૂત ફળીયાના નિવાસી 31 વર્ષીય આશાસ્પદ યુવક ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.બનાવ બાદ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ની સીસીટીવી કેમેરામાં શોધ હાથ ધરી હત
તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી પેઢીનો રસ વધારવા ડોલવણ તાલુકાના ગડત વિનોબા આશ્રમ શાળામાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ જિલ્લાસ્તરીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન થયું હતું. જીએસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અન
ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે. બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવા આપત્તિ વ્યવસ્થાપન અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 22 નવેમ્બર 2025ના રોજ યોજાયો હતો, જેમાં આગ, ભૂકંપ અથવા અચાનક બનતી અન્ય આપત્
ભીનારના ખડકાળા ફળિયાના સર્કલ પાસે આવેલ ટાંકીને અઢી વર્ષ બાદ વીજ-જોડાણ મળ્યું પરંતુ હાલ પણ પાણીની યોજના અધૂરી સાબિત થઇ છે. વાંસ તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં 16 જેટલા નળના જોડાણ આપી લાખોના ખર્ચે પીવાના પાણીની ટાંકીના નવ નિર્માણ કાર્ય બાદ તંત્ર વીજ-જોડાણ આપવનું ભૂલી જ

31 C