શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે એક અનોખા અને ભવ્ય 'સ્વદેશી મેળા'નું દિવાળી પહેલા પહેલીવાર આયોજન કરવામાં આવ્યું છે. ડુમસ રોડ પર આવેલા વાય જંકશનથી સેન્ટ્રલ માલ સુધી એક કિમીના રોડ પર આ મેળાને કારણે હાલમાં જ શ
માણસા-કલોલ ત્રણ રસ્તા નજીક ST બસના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારીને એક્ટિવા પાસે ઊભેલા એક 17 વર્ષીય સગીરને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું છે. આ અંગે માણસા પોલીસ પોલીસે બસ ચાલકર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રોડની બાજુમાં ઉભે
રાજકોટ ભાજપમાં મેયર નયનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્ય દર્શીતાબેન શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈ વિવાદ થયો હતો. આ વિવાદ પછી આજે રેસકોર્સ ખાતે વોકાથોન કાર્યક્રમમાં મેયર અને ધારાસભ્ય બંને એક સ્ટેજ પર બાજુબાજુમાં જોવા મળ્યા હતા. અને એકબીજા સાથે હસીને વ
બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC) માં કપાસની હરરાજી આજથી શરૂ થશે. APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ આ અંગે જાહેરાત કરી હતી. કડદાના વિરોધને કારણે છેલ્લા ત્રણ દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું. હવે ફરીથી હરરાજી શરૂ થઈ રહી છે. આજથી સવારે 9 વાગ્યાથી કપાસની હરરાજી શરૂ થશે. યાર્ડમાં ચૂસ્ત પોલીસ
બોદાલ ગામની બાંધણી અને નગર રચનામાં મધ્યયુગનાં લક્ષણો દેખાઈ આવે છે. મધ્યયુગમાં રાજપૂતો કિલ્લા બાંધતા હતા. કિલ્લાની મધ્યમાં કુળદેવીની સ્થાપના થતી હતી. ત્યારબાદ કુળદેવીના મંદિરની આજુબાજુ રાજ પરિવાર, ત્યારબાદ રાજપરિવારના રક્ષકો અને છેલ્લે આજુબાજુ સામાન્ય જનતાનો વસવાટ રહે
આણંદ શહેરના રેલ્વે ગોદી પાસે ગાંધીજીની પ્રતિમા મુખ્ય બજાર આવેલી છે. તેમ છતાં અવારનવાર કેટલાંક ટીખળખોર દ્વારા ચશ્મા કે લાકડી કાઢી લઇને અપમાન કરવામાં આવતું હતું. પરંતુ શનિવારે ટીખળખોરોએ હદ કરી દીધી ગાંધીજીના ચશ્મા ઉતારી લઇને તેમના જમણા હાથમાં મહિલાની સાડીઓ સહિત કપડાં ટીંગ
આણંદ સામરખા ચોકડી મનપા હસ્તક રૂ 2 કરોડના ખર્ચે નવું સ્લોટર હાઉસ તૈયાર કરાશે. ત્યારે અમદાવાદ વડોદરા હાઇવે રોડ પર તંત્રએ સ્લોટર હાઉસ તોડી નાખતા શહેરીજનોને હાલાકીઓનો ભોગ બનવું પડતું હતું. આખરે મંજૂરી મળતાં સ્લોટર હાઉસ આધુનિક બનાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત
ખંભાતના પીપળોઈ ગામે રહેતી પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. પીપળોઈ અલકાપુરી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય દિપીકાબેન શૈલેષભાઈ પટેલ ગત 8 મી ઓક્ટોબરના રોજ ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગઈ હતી. આ અંગેની જાણ તેણીના પરિવારજનોને થતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો
આણંદ શહેર મનપા ફેરવાતા વસ્તી અને વ્યાપ વધ્યો છે. સાથે સાથે આણંદ વિકાસ વેગ પકડી રહ્યો છે.આણંદ નગરપાલિકાના શાસન દરમિયાન 8 માળ સુધી બિલ્ડીંગ પરમીશન આપવામાં આવતી હતી. જો કે હવે મનપા બનતા આગામી દિવસોમાં 12 માળના બિલ્ડીંગ પરમીશન અપાશે. જો કે આણંદ મનપા ફાયર સ્ટેશન પાસે સાધનો થકી માત્
આણંદમાં તુલસી ગરનાળા પાસે રહેતી યુવતીને તેના એનઆરઆઈ પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરના કામકાજ બાબતે ઠપકો આપી તથા પતિના રાત્રિના ઘર બહાર રહેવા બાબતે પૂછતાં ગમે તેમ અપશબ્દ બોલી, સાસુ-સસરાએ પુત્રને અમેરિકા અને દિલ્હીમાં જેલમાંથી છોડાવી લાવ્યા હોવાનું અને તેેમને આઝાદીથી રહેવ
આણંદ જિલ્લામાં ડમી ડોક્ટર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયામાં ચોથો કેસ નોંધાયો છે. બોરસદના નાપા-તળપદમાંથી એક બોગસ તબીબને બોરસદ શહેર પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. મૂળ બિહારના સીતામઢીનો અને હાલમાં બોરસદના નાપા તળપદની બાળગોવિંદદાસ પટેલ ખડકી ખાતે
આણંદ ખેડા જિલ્લામાં હાલ બેવડીઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો હેસાસ વર્તાયો છે. પવનની દિશા ઉતર પૂર્વ શરૂ થતાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પરંતુ મહત્તમ તાપમાન 33 ડિગ્રી સ્થિર રહેતા બેવડીઋતુનો માહોલ સર્જાયો છે. કાશમીર પંથકમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ હોવાથી
ભાવનગર જિલ્લાના નાણાકીય બિલો અને કાર્યભાર હળવો કરવા મુખ્ય તિજોરી કચેરીની સાથો-સાથ તાલુકા કક્ષાએ કુલ 8 સબ ટ્રેઝરી કચેરી કાર્યરત કરાઇ હતી.થોડા સમય પહેલાં ઉમરાળાને વલભીપુરમાં મર્જ કરી દેવાય. ગારિયાધાર અને ઘોઘાની સબ ટ્રેઝરી કચેરી પણ બંધ કરી દેવાઇ હતી. જ્યારે ગત 20 સપ્ટેમ્બરથી અ
ગુંદરણા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે દર્દીઓ હેરાનગતિ ભોગવી રહયાં છે ઇન્ચાર્જ ડોકટર પણ માત્ર ત્રણ ચાર દિવસ જ આવે છે. મહુવા તાલુકાના ગુંદરણા ગામે સરકારી આરોગ્ય કેન્દ્ર ડોક્ટરના ચાર્જમાં આપવામાં આવતા ડોક્ટર આઠ દિવસમાં માત્ર ત્રણ દિવસ જ ગુંદરણા આરોગ્ય કેન્દ્ર ખા
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે મદદનીશ ગ્રંથાલય નિયામક એસ એ યુ પટેલની અધ્યક્ષ સ્થાને પ્રો. વર્ષાબેન જાનીનું તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તજજ્ઞ વ્યાખ્યાનમાં પ્રો. વર્ષાબેન જાની દ્વારા વિદ્યાર્થીઓને
બાલાભાઈ ડાંગરની 16મી પુણ્યતિથિ નિમિત્તે ગિજુભાઈ બધેકાના વિચારો આધારિત બાળ કેળવણીની કથાનું આયોજન તારીખ 11 નવેમ્બરને મંગળવારે ભાવનગરના રંઘોળા ખાતે આવેલા નારણભાઈ ડાંગરના ફાર્મહાઉસ ખાતે કરવામાં આવ્યું છે જેમાં લોકભારતી યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સલર વિશાલ ભાદાણી કથામાં
ભાવનગર ખાતે રહેતી એક સગીરા તેના માસીના ઘરે જવા એસ.ટી.બસમાં બેસીને જામનગર જવા રવાના થઇ હતી પરંતુ નવેક વાગ્યા પછી સગીરાના પિતાએ ફોનમાં સંપર્ક કરતા સગીરાનો ફોન બંધ થઇ ગયો હતો અને બાદમાં સગીરા જામનગર ખાતે ન પહોંચતા પરિવારજનો માથે આભ ફાટી પડ્યું હતું. જે બાદ પરિવારજનો દ્વારા શોધ
મહુવા તાલુકાના કોંજળી ગામે આવેલ મારૂતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલતિ બાલક્રિષ્ના વિદ્યાલય આવેલ છે. જે વિદ્યાલયની બસ વિદ્યાર્થીઓને લઇ કોંજળી ગામેથી બગદાણા તરફ જઇ રહી હતી તે વેળાએ બસમાં એકાએક ભયંકર આગ ભભુકી ઉઠી હતી. જો કે, આ આગ બસના ડ્રાઇવર સાઇડ આવેલ એન્જિનમાં આગ પ
સુરત ખાતે રહેતા એક પાંચ સભ્યોનો પરિવાર આજે ભાવનગર ખાતેના ગ્રામ્ય પંથકમાં આવવા માટે સુરતથી કાર લઇ ભાવનગર તરફ આવી રહ્યા હતા. તે વેળાએ વડોદરા નજીક આવેલ ફાજલપુર ટોલનાકાથી આગળ જઇ રહ્યા હતા તે વેળાએ ટોલનાકાથી થોડે દુર જ કારના એન્જીનમાં એકાએક આગ ભભુકી ઉઠતા, કારમાં સવાર પાંચ લોકો જ
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 8 અને 9થી 12ની છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ 3 ઓક્ટોબર, મંગળવારથી થવા જઈ ગયો અને આ પરીક્ષાઓ એકસાથે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવામાં આવી. વિદ્યાર્થ
કુંભારવાડા નારી રોડ પર રહેતા મહેશભાઇ કરશનભાઇ સોલંકીના ઘરની બાજૂમાં રહેતા અરવિંદ વેલજીભાઇ પડાયા નામના શખ્સે મહેશભાઇના ઘર પાસે આવી, મહેશભાઇ ઉપર જુની અદાવતની દાઝ રાખી, લાકડીના કાન ઉપર ઘા ઝીંકી, લોહીયાળ ઇજા કરી ફરાર થઇ ગયો હતો. મહેશભાઇને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યા
દિવાળી અને નૂતન વર્ષના તહેવારો આવી રહ્યાં છે ત્યારે ભાવનગર શહેરમાં રૂા.10,20 અને 50ની નવી નોટોના બંડલો બેંકોમાંથી સરળતાથી મળી રહે તેવી આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે તો દિવાળીને આડે માંડ એક અઠવાડિયુ બાકી રહ્યું છે ત્યારે હજી લોકોમાં નવા વર્ષે નવી ચલણી નોટો અને ખાસ તો રૂ.10, ર
પાલીતાણા તા.ના વિવિધ ગામોમાં મલ્ટીપર્પઝ શેડ બનાવાયા છે જ્યાં નિયત થયેલી જગ્યા ને બદલે ગમે તે જગ્યાએ બનાવી તથા ગેલ્વેનાઈઝ્ડ પાઇપના બદલે અલંગના સ્ક્રેપ માંથી બનેલા લોખંડના પાઇપ તથા મટિરિયલ હલકી કક્ષાનું અને કોઈ સરકારી જાહેરાત વગર ખરીદી કરી તેના આભાસી ખર્ચ બતાવી બે કરોડથી
જીકાસની ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આ વખતે સ્નાતક કક્ષાએ કુલ 25,864 બેઠકો પૈકી 13,029 બેઠકો જ ભરાઇ છે. એટલે કે 50.38 ટકા બેઠકો ભરાઇ છે બાકી 49.62 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. આમ, મે-જૂનથી ઓક્ટોબર માસ સુધી જીકાસ દ્વારા ઓનલાઇન પ્રવ
ભાવનગર જિલ્લામાં આ વર્ષે 125% થી વધારે વરસાદ વરસી ગયો છે ત્યારે જળાશયોમાં પણ ભરપૂર પાણી છે. હાલ જ્યારે ચોમાસુ પૂર્ણ થયું છે તેમ છતાં માત્ર જિલ્લાના જ નહીં પણ સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમ સહિત ભાવનગર જિલ્લાના પાંચ જળાશય ઓવર ફ્લો છે અને જિલ્લાના બાર મુખ્ય ડેમમાં સરેરાશ
હવે જ્યારે ચોમાસાએ વિધિવત રીતે વિદાઇ લઇ લીધી છે અને ઠંડા પવન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો શરુ થઇ ગયો છે. આ ચોમાસામાં ભાવનગર જિલ્લામાં બમ્પર વરસાદ વરસ્યો અને છેલ્લાં એક દશકામાં એવું પ્રથમ વખત બન્યું કે જિલ્લાના બે તાલુકામાં 1100 મી.મી. એટલે કે 44 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય. મહુવામાં
વેડરોડ વિસ્તારમાં શનિવારે રાત્રે પોતાના ગલ્લા પાસે ઝઘડો નહીં કરવાનું કહેતા ચાર જેટલા માથાભારે શખ્સોએ યુવાન પર ચપ્પુ વડે હમલો કરી યુવાનની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. વેડ રોડ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા જીયાઉલ જમીરએહમદ અંસારી વેડરોડ પર કમલાબા હોસ્પિટલની બાજુમ
સલાબતપુરા રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શ્રી કર્ણી ફેબ નામની પેઢીમાંથી ઉધારમાં રૂ.37.03 લાખની કિંમતના બેગ માટેના કાપડની ખરીદી પેમન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર બેંગ્લુરૂના બે ગઠીયાઓ સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કુંભારીયા ગામ નેચરવેલી રેસિડેન્સી
શહેરમાં આપઘાતના અલગ અલગ બે બનાવોનાં બે વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું. જેમાં લિંબાયતમાં પત્ની સાથે બોલાચાલી બાદ પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેવી જ રીતે પાંડેસરામાં પણ પત્ની સાથે ઝગડા બાદ પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીહારના રોહતકના વતની અને લિંબાયત મહાપ્રભુ
સરથાણામાં મોપેડ પર રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈ રહેલા ભાઈ-બહેનની મોપેડ સ્લીપ થઈ જતા પાછળીથી આવતી ટ્રક નીચે આવી જતા ગંભીર રીતે ઘવાયેલી બહેનનું મોત નીપજ્યું હતું. રાજકોટના વતની અને સરથાણા કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા હાર્દીકકુમાર બોઘરા કાર લે વેચનો ધંધો કરે છે. તેમના 24 વર્ષી
રાજસ્થાન પાલીથી સુરત અઢી લાખનું એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે ડ્રગ્સ માફીયાને ગોડાદરાની ઓયો હોટેલમાંથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઝડપી પાડયા છે. ઝડપાયેલા બે પૈકી આકીબ અગાઉ હથિયાર સાથે રાજસ્થાનમાં પકડાયો હતો. હાલમાં બન્ને આરોપીનો કબજો ગોડાદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મંત્રીના PA ફાઈલોનો નિકાલ કરવામાં લાગ્યાભાજપના પ્રદેશ પ્રમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 53મા સિંદૂરોત્સવ યુવક મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજયના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે થશે. આ ત્રિદિવસીય યુવક મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્
વરિયાવ અને વેલંજામાં તૂટેલા રોડ પર અકસ્માતની ઘટનામાં 2 નિર્દોષના મોત છતાં ચોમાસામાં ધોવાયેલા રોડ નિર્માણ મુદ્દે તંત્રએ હજુ સક્રિયતા દર્શાવી નથી, જેને પગલે પાસોદરા સ્વામી નારાયણ મિશન રોડ પર ફરી એકવખત રોડ મટિરિયલના થીગડાં ઉખડીને ઉબડ-ખાબડ થતાં રોજ 25 સોસાયટીના લોકો અકસ્માતો
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 82માં જન્મદિવસની ઉજવણી ઝાંપા બજારમાં થઈ હતી, જે વ્હોરા સમાજના ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવતો વિસ્તાર છે. અહીં સૈયદના સાહેબનું પૂર્વજોનું નિવાસસ્થાન દેવડી મુબારક આવેલું છે, તેની બાજુમાં જ 200 વર્ષ જૂની અરબી
‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અને ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૪૮.૮૧ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતવાસીઓને કુલ રૂા.૬૯.૮૧ કરોડના વિક
સુરતના ટેક્સટાઈલ હબમાં એરજેટ મશીન પર ચાલતી વિવિંગ યુનિટોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વધતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એરજેટ વિવર એસોસિએશન દ્વારા મેમ્બર વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલના માર્કેટની સ્થિતિ, નવા વેપારીઓની એન્ટ્રી અને વિવિંગ ઉદ્યોગમ
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જે ઘરવિહોણા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ભુજ તાલુકાના કુનરીયા ગામના મહેશભાઈ પુંજાભાઈ વાણિ
કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય હવે પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આશરે 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યને નિહાળવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષાય છે. 7 ઑક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય અને દુર્લભ ઘુડખરનું નિરીક્ષણ
સપ્ટેમ્બર-2025માં ભારતના જ્વેલરી અને હીરા ઉદ્યોગના એક્સપોર્ટમાં ફરી વધારો નોંધાયો છે. ખાસ કરીને નેચરલ ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો છે. જોકે લેબગ્રોન હીરા અને પ્લેઈન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ ઘટ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન
ભચાઉની સર્વોદય સોસાયટીમાં અમુક લોકો ગંજી પાના વડે જુગટું રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી 3 જુગારીઓને રૂ.6,500 રોકડ રકમ સાથે પકડી ગુનો નોંધ્યો હતો. ભચાઉ પોલીસ મથકની ટીમ રવિવારે બપોરે પેટ્રોલિંગ દરમિયાન કસ્ટમ પુલીયા પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, સર્વ
ભુજ શહેરની સફાઈનો ઠેકો દર મહિને 75 લાખ રૂપિયાના ખર્ચે અપાયો છે. પરંતુ, લોકો દ્વારા કચરા પેટીમાં અખાધ્ય પદાર્થ નાખવાને બદલે માર્ગોમાં ફેંકી દેવાય છે, જેથી ખોરાકની શોધમાં રખડતા ઢોરોનો પણ ત્રાસ વધી જાય છે. જેને નિવારવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. જેની પાછળ દંડાત્મક કાર્યવ
આજવા રોડ સ્થિત કમલાનગર તળાવ સફાઈ માટે 60 શહેરીજનોએ 25 દિવસ શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે 5 ટ્રેક્ટર ભરીને 2 વર્ષ જૂનું પ્લાસ્ટિક ખોદી કાઢી તળાવ સ્વચ્છ કર્યું છે. મેરી આસ્થા-મેરા દેશ સંસ્થા દ્વારા કમલાનગર તળાવને મોડલ તળાવ બનાવાશે. સંસ્થા શહેરનાં અન્ય તળાવોને પણ પાલિકા સા
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી જીગરભાઈ દામજીભાઈ ઠક્કરે પોતાની દુકાનમાંથી પતરા ખોલી 16 હજારના કિંમતની સિગરેટ,રજનીગાંધા અને મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમીના આધારે આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલ
તાલુકાના સામત્રામાં ગંભીર રીતે દાઝેલા વૃદ્ધના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં ભોગબનનારની યુવાન પત્નીએ જ પોતાના વૃદ્ધ પતિને રૂપિયા માટે જીવતો સળગાવ્યો હતો જેમાં વૃદ્ધનું મોત થતા સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે. 40 વર્ષીય પત્નીએ ભુજમાં મકાન લીધો હતો જેના રૂપિય
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોકુળમાં શરૂ કરાયેલી અન્નકૂટની પાવન પરંપરાને આગળ ધપાવતા, ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર તેના 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં એક ભવ્ય દીપોત્સવ અને મહાઅન્નકૂટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિરને 1.51 લ
માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી, ગટરની સમસ્યા અને રખડતા ઢોરનો ત્રાસ વધતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે. કચરો ઉપડવાની પણ પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા રખડતા ઢોર કચરો ખાઈ રહ્યા છે. જનતાના ટેક્સના પૈસા માંથી ગ્રામ પંચાયતન
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વર્ષે સરેરાશ 175 લોકો ચોમાસામાં પૂરના કારણે મૃત્યુ પામે છે. સેન્ટ્રલ વોટર કમિશન(CWC)ના ‘રિપોર્ટ ઑન ફ્લડ ડેમેડ સ્ટેટેસ્ટિક્સ’ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને ચોમાસામાં વર્ષે સરેરાશ 1151 કરોડનું નુકસાન થયું હતું. જેમાં પૂરના કારણે ખેડૂતોને થયેલ પા
રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છના પેટાળમાં ખનિજનો માતબર જથ્થો ધરબાયેલો છે ખનિજના કાયદેસર વહનની સાથે ખનિજની ચોરી પણ થઈ રહી છે જેને અટકાવવા માટે ખનિજ વિભાગ દ્વારા ચેકિંગ કરી વાહનો અટકાવી દંડ કરવામાં આવે છે. કબ્જે કરાયેલા વાહનો છોડાવવા માટે અગાઉ બે દિવસ જેવો સમય નીકળી જતો જોકે
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર એક રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના સામે આવી છે, જે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે. એક મહિલા પેસેન્જર ઈન્ડિગોની ગોવા જતી ફ્લાઈટ માટે વહેલી સવારે 4:55ની ટિકિટ ધરાવતી હતી, પરંતુ તેને એવું લાગ્યું કે ફ્લાઈટ બપોરની છે અને તે લગભગ બપોરે એરપોર્ટ પહોંચી ગઈ. તે
સિવિલમાં 30 વર્ષીય મૃતક દર્દીનાં સગાં દ્વારા ચામડી અને બે આંખનું દાન કરાયું છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં 26મુ ચામડીનું દાન પ્રાપ્ત થયું છે. ચામડીનું દાન સિવિલની સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદેએ જણાવ
ન્યૂ સીજી રોડ પાસે કાળા રંગની સ્કોર્પિયોના ચાલકે ત્રણ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં બાઇક પર જતા જિતુભાઈ ભોજાયા તેમની પત્ની, બાળકને ઇજા પહોંચી હતી. જ્યારે 12 વર્ષીય મૌર્યને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે એલ ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ચાંદખેડામા
દિવાળીને હવે અઠવાડિયું બાકી છે અને શહેરભરમાં મીઠાઈ, વિવિધ ફરસાણોથી દુકાનો ભરાઈ ગઈ છે. લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે, પરંતુ આવી તળેલી વાનગીઓ આપણા આરોગ્ય માટે હેલ્ધી છે કે કેમ તે માટે મ્યુનિ. પાસે માત્ર બે મોબાઇલ ટેસ્ટિંગ વાન છે. આ બંને વાન રોજ માંડ 3થી 4 સેમ્પલ જ તપાસી શકે છે, કાર
ખંટબાની મહિલાને પ્રસુતી માટે ખોડીયારનગર ચાર રસ્તા પાસે સાયુજ પ્રસુતિ ગૃહ એન્ડ લેબોરેટરીમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના ગર્ભમાં જ નવજાતનું મૃત્યુ થયું હતું જ્યારે મહિલાને આઇસીયુમાં દાખલ કરવા અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મહિલાનું પણ મોત નિપજ્યું હતું. પરિવારે આક્ષેપ ક
હરણી રોડ ખાતેની વૃન્દાવન ટાઉનશીપમાં મજૂરી કામ બાબતે પૈસાની લેતી-દેતીમાં થયેલા ઝઘડાની અદાવતે બે શખસે યુવક પર ખંજરથી હુમલો કર્યો હતો. યુવક જીવ બચાવી દોડતો હોવાના સીસીટીવી વાયરલ થયા હતા. ત્યારે વારસીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ રોડ દરબાર રેસિડેન
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યની 30 હજાર સરકારી અને અનુદાનિત સ્કૂલો પૈકી જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભણતા હોય તેવી શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર્સની નિમણૂક માટે સ્પેશિયલ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા રવિવારે બે શિફ્ટમાં યોજાઈ હતી. જેમાં સવારે 11થી 1મા
અકોટા વિસ્તારમાંથી કાર લઈને પસાર થતા નિવૃત્ત પીએસઆઈએ નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત કરતા લોકટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં એક યુવતીને ટક્કર વાગતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જો કે સ્થળ ઉપર હાજર લોકોએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે નિ
શહેરની શાળાઓના સ્પોર્ટ્સ ક્ષેત્રના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓના માનસિક સ્વાસ્થની સાથે સાથે દાંતના સ્વાસ્થ્ય (ડેન્ટલ હેલ્થ ઓરલ હાઇજિન)ની જાળવણી પણ મહત્ત્વની છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિવાળી પછી શહેરની 1800 સ્કૂલના 5 લાખ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે
પાલિકાના ચારેય ઝોનમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીઓને નોટિસ ફટકારાઈ છે. પાલિકાએ સિક્યોરિટી એન્જન્સીઓને ગાર્ડની બેદરકારી, પીસીસી સર્ટિફિકેટ, ગેરહાજરી સહિતની નિષ્કાળજી માટે 262 નોટિસો આપી છે. 35 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપવા છતાં સિક્યોરિટી એન્જન્સીઓના કામ સામે પગલાં ભરવામા
તહેવારો અને રોજબરોજની જિંદગીમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ હોય છે, પરંતુ દિવાળી આવતાં જ ભદ્ર અને ત્રણ દરવાજામાં લાખોની સંખ્યામાં અમદાવાદીઓ ‘ઓફલાઇન’ ખરીદી કરવા નીકળી પડે છે. દિવાળીના તહેવારો પહેલાંના છેલ્લા રવિવારે ભદ્ર, લો ગાર્ડન અને સીજી રોડ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યા
દિવાળી પહેલા જ કોર્પોરેશનમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી કરતાં સફાઇ કામદારો મંગળવારે હડતાલ કરશે. નોકર મંડળનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જાહેરાત કરી હતી કે આઉટ સોર્સિંગ બંધ કરવા સહિતની માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ સફાઇ કાર્યથી અળગા રહેશે. મ્યુનિ.માં સફાઇ કામદારો, ફાય
અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી કોટ વિસ્તારની 50થી વધુ પોળોના દરવાજાને રિસ્ટોરેશન કરાશે. કોર્પોરેશનમાં રિક્રેએશનલ, કલ્ચર અને હેરિટેજ કમિટીમાં 41.31 લાખના ખર્ચે કામ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. શહેરના વારસાને જાળવવો જરૂરી છે.લોકોને રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોળમાં આવે
બોડકદેવમાં રહેતા એક સિનિયર સિટીઝનને શેરમાર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરી વધુ નફો કરી આપવાની લાલચ આપીને સાઈબર ગઠિયાઓએ રૂ.35.75 લાખ પડાવી લીધા હતા. રોકાણ સામે શરૂઆતમાં બે વખત રૂ.1 -1 લાખ અને ત્યારબાદ એક વખત રૂ.1.34 લાખ વિડ્રો કરવા દીધા હતા. જ્યારે બાકીના રૂ.35.75 લાખ વિડ્રો ન કરવા દઈ છેતરપિંડ
રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રવિવારે અકોટા સ્ટેડિયમ ખાતે સાંજે 7થી 10 વાગ્યાના સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમમાં મેયર અને સ્થાયી અધ્યક્ષની ગેરહાજરી જોવા મળી હતી. મેયર અને સ્થાયી અધ્યક્ષ સાંસદના કાર્યક્રમમાંથ
મધ્ય પ્રદેશથી શહેરમાં આવી 16 વર્ષ અગાઉ ત્રણ બાઇક ચોરનાર રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે એમ.પી થી ઝડપી પાડ્યો છે.અને અનેક વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને શોધવાની ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં બાપોદ પોલીસ મથકે 2009ની સાલમાં બાપોદ પોલીસ
શહેરમાં એક તરફ દિવાળીને લઈને શણગાર કરવામાં આવી રહ્યો છે. જોકે શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પેચવર્ક ન થવાને કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરણી-વારસિયા રીંગ રોડ પર આવેલા બેન્કર્સ હોસ્પિટલથી મોતી નગર સુધી 20-20 ફૂટના અંતરે પેચવર્ક કરવામ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
જાપાનની 15 અર્બન પ્લાનિંગની એક્સપર્ટ ટીમ સાથે અમારા અર્બન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો એક સેમિનાર યોજાયો હતો. બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસ કેવા પ્રકારનું ડેવલપ થવું જોઇએ, જેથી લોકોને મુસાફરીમાં સરળતા અને સમયનો પણ બચાવ થાય. તેમાં બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસના વિસ્તારના ડ
સમા-સાવલી રોડથી વેમાલી તરફ જવાના રસ્તે મેદાનમાં શનિવારે રાત્રે આગ ભભૂકી ઊઠી હતી. જેને પગલે આસપાસના ફ્લેટ્સના રહીશોએ પાણીની ડોલ વડે આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. કોઇ હવાઇ-રોકેટ પડવાથી આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સમા-સાવલી રોડની સર્વમંગલ સ્કૂલ પાસે મેદાનમાં લાક
દિવાળીને આડે 4 દિવસ બાકી છે ત્યારે ફટાકડાની હંગામી દુકાનોના વેપારી ફાયરબ્રિગેડની મંજૂરીની કાગડોળે રાહ જુએ છે. રવિવારે રજા હોવાથી વધુ એક દિવસ રાહ જોવી પડશે. શનિવાર સાંજ સુધી મોટા પ્લોટમાં સમૂહમાં જોવા મળતી ફટાકડાની દુકાનના 15 કોમ્પ્લેક્સને મંજૂરી મળી હતી. હંગામી સ્ટ્રક્ચરમ
શહેરના ઉત્તર ઝોન સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પાડતા રાયકા ફ્રેન્ચવેલ ખાતે મ્યુ. કમિશનરે મુલાકાત કરી હતી. તેમણે ફ્રેન્ચવેલમાં ઇન્ટરલિંક કરીને પાણી આપવા માટેની સૂચના આપી છે. જ્યારે નવેમ્બરમાં વેલના રિપેરિંગની કામગીરી કરાશે. ફાજલપુર અને રાયકા પાણીના સ્ત્રોત ખાતે નદીમાં
દિવાળીના સમયમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સખી મંડળની 150થી વધુ મહિલા સહિત વડોદરાના 2 હજાર જેટલા નાના-મોટા ગૃહ ઉદ્યોગોમાં કામ કરતી 45 હજાર મહિલાઓ વડોદરા તેમજ અમેરિકા, યુકે અને દુબઈ સુધી લોકોને 500-500 કિલો મઠિયાં-ચોળાફળી ખવડાવે છે. 4 મહિના માટે ચાલતા મઠિયા-ચોળાફળીના વેપારમા
સમાજમાં લગ્ન પ્રસંગમાં લોકો લાખો-કરોડોનો ખર્ચ કરતાં હોય છે. ત્યારે શહેરના ડોક્ટરે લગ્નમાં જમણવાર-ડેકોરેશન પાછળ ખર્ચ કરવાને બદલે તે પૈસા જરૂરિયાતમંદ માટે વાપરવાની પિતાની શીખને જીવનમંત્ર બનાવ્યો છે. ડોકટરે 23 વર્ષ પહેલાં પોતાના લગ્ન સાદાઇથી કરીને લગ્ન બાદ એક મંદિરમાં જનરે
મ. સ. યુનિવર્સિટીની ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માગી છે. ફાઇન આર્ટ્સ, એજ્યુકેશન સાઇકોલોજી, સહિતની ઇમારતોનું સમારકામ કરાશે. મ.સ. યુનિવર્સિટીની ઐતિહાસિક આર્ટ્સ ફેકલ્ટીની ઈમારતનું રિસ્ટોરેશન પૂરું થવાના આરે છે, જેની પાછળ 5 કરોડનો ખર્ચ થયો છે. જ
ટોરેન્ટ ગ્રૂપના યુએનએમ ફાઉન્ડેશને અમદાવાદમાં રવિવારે ન્યુરોલોજિકલ રોગથી પીડાતા લોકોની તપાસ અને સારવાર માટે અદ્યતન સર્વાંગી ન્યુરો-પુનર્વસન સેન્ટર ‘સંકલન’ શરૂ કર્યું છે. આ સેન્ટર વિજ્ઞાન, કરુણા અને ટેક્નોલોજીનો સમન્વય કરીને સેન્ટર ન્યુરોલોજિકલ પડકારોનો સામનો કરી રહે
આકસ્મિક ઘટનામાં જે રીતે માણસને તાત્કાલિક સારવાર મળે અને તેમનો જીવ બચે તે માટે 108 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે અને જેના થકી અસંખ્ય લોકોને સારવાર થકી નવું જીવન મળ્યું હતું, તેવી રીતે 2017માં રાજ્ય સરકાર દ્વારા અબોલ જીવને પણ બીમારી કે અન્ય દુર્ઘટના વખતે સારવાર મળે અને તેમને નવજીવન મ
મોરબીમાં રામ ઓર શ્યામ પાર્કનામની સોસાયટી વિસ્તારમાંરવિવારે રખડતા શ્વાને એક મહિલા, બાળક, વૃદ્ધ સહિત 5ને બચકું ભરીલેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલખસેડવા પડ્યા હતા, જો કેસ્થાનિકોનો દાવો છે કે આ શ્વાનનેહડકવા ઉપડ્યો હતો અને તેના કારણેજે સામે આવે તેને બટકું ભરી લેતા
ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરો આપણે સહુ વધતા ઓછા અંશે ભોગવી જ રહ્યા છીએ. પર્યાવરણ જતન માટે, વૃક્ષો વધુને વધુ વાવવા પર ભાર મૂકવા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે કાગળ કે એક દિવસ પુરતી સિમિત ન રહે તે માટે સરકારની સાથે અમુક શાળાઓ પણ યથાયોગ્ય મહેનત કરી રહી છે.જેનું તાજું ઉદાહરણ ધોર
અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજ દ્વારા ‘ગામડાંની મોજ’ નામે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 4 થી 10માં અભ્યાસ કરતાં 9 થી 15 વર્ષનાં બાળકોને ગામડાંની ટૂર કરાવવામાં આવે છે. જેમાં બાળકો આખો દિવસ ગામડાંમાં જ વીતાવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં જન્મેલાં બાળક
દેશમાં 12 ઓક્ટોબર 2005થી રાઇટ ટુ ઇન્ફર્મેશન(આરટીઆઇ) કાયદોનો અમલ શરૂ થયો હતો. આ કાયદાના 20 વર્ષ પૂરા થયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરકારના વિવિધ વિભાગમાં 21.29 લાખ અરજીઓ થઈ જેમાંથી 1284 અધિકારીઓ માહિતી ન આપતા 1.15 કરોડ દંડ ફટકારવામાં આવ્યો. આ સાથે સરકારી વિભાગો પ્રોએક્ટિવ ડિસ્કલોઝરમા
રાજ્ય અને કેન્દ્ર સરકાર જેમ માણસોની જાતિ મુજબ વસ્તી ગણતરીનો ઓનલાઇન ડેટા રાખે છે દેશભરમાં ચાલી રહેલી ગૌશાળાઓ હવે ટેકનોલોજી સાથે જોડાશે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ સ્વામીએ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ હેઠળ “સ્માર્ટ ગૌશાળા” એપ્લિકેશન વિકસાવી છે, જેના માધ્યમથી હવ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી માટે NDAની બેઠકોની વહેંચણીને લગતા હતા. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. બીજા મોટા સમાચાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિવાદાસ્પદ નિવેદનને લગતા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગાઝા પીસ સમિટ ઇજિપ્તમાં યોજાશે. અમેરિકા સહિત 20થી વ
ભરૂચ જિલ્લા બાગાયત વિભાગે ખેડૂતો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વધુ બાગાયત ખેતી કરતાં ખેડૂતોને બાગાયતી ક્ષેત્રની નવીનતમ તકનીક થી વાકેફ કરવાના હેતુથી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની મુલાકાત માટે ભરૂચ જિલ્લાના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અ
જૈન મુનિ નિલેશચંદ્રએ શાંતિદૂત જનકલ્યાણ પક્ષની ઘોષણા કરીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. પક્ષનું પ્રતિક શાંતિદૂત કબૂતર રાખવામાં આવ્યું છે અને આ પક્ષ મુંબઈ મનપા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે એવી ઘોષણા કરી ત્યારે રવિવારે મનસે પ્રમુખ રાજ ઠાકરે અચાનક પરિવાર સાથે ઉદ્ધવ ઠાકરેના માત
ભરૂચ નગરપાલિકા દ્વારા વાહનચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગ
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો 24 વર્ષ અગાઉ નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસતો-ફરતો આરોપી ભગવાન કબીરપુર જી.કપુરતલા પંજાબની ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી. દહેજ પોલીસની એક ટીમ પંજાબના લ
ધર્મ અને સંસ્કારના પ્રચાર–પ્રસાર ક્ષેત્રે અગ્રણી શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘને “બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લંડન તરફથી ‘બેસ્ટ સંસ્થા’નો એવોર્ડ ડૉ. અવિનાશ સકુંડે, સ્થાપક ચેરમેન, તેમના હાથે આપવામાં આવ્યો છે. આ સાથે જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોના પ્રસાર અને પાઠશાળાઓની અમૂલ્ય ભ
દેશભરના 2 હજાર કરતાં વધારે લોકોના ખાતાઓમાંથી પૈસા ચાઉ કરી જનારા જામતારાના સાયબર ઠગના ચાર બેંક ખાતાઓની પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી સામે નોંધાયેલી ફરિયાદો પૈકી 27 ફરિયાદમાં આ ચાર બેંક ખાતાનો ઉલ્લેખ જોવા મળી રહયો છે. પોલીસ આરોપીના સાગરિતો વિશે માહિતી મેળવી રહી છે. દેશભરના મોબ
મુંબઈમાં ટ્રાફિકજામના ઉકેલ માટે મુંબઈ મહાપાલિકા તરફથી બાન્દરા-ધારાવી ફ્લાયઓવરને મીઠી નદી પરથી જોડવાનો મહત્વનો પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો હતો. આ પ્રકલ્પનો પહેલો તબક્કો હવે પૂરો થવામાં છે. 30 નવેમ્બર સુધી આ તબક્કાનું કામ પૂરું થઈ જશે. સંપૂર્ણ પ્રકલ્પ ડિસેમ્બર 2027 સુધી પૂરો
રાજ્યની એપ આધારિત ઓલા, ઉબર, રેપિડો જેવી પ્રવાસી પરિવહન સેવાઓ માટે વધુ શિસ્તબદ્ધતા, પારદર્શકતા અને પ્રવાસી સુરક્ષા માટે રાજ્ય સરકારે નવી નિયમાવલીનો મુસદ્દો જાહેર કર્યો છે. એના પર 17 ઓક્ટોબર સુધી વાંધા અને સૂચના નોંધાવી શકાશે. એના પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે એવી માહિતી પરિવ