રાજકોટમાં તસ્કરોએ દિવાળી ઉજવી હોય તેમ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સોની વેપારીના ઘરમાંથી રૂ.40.30 લાખની ચોરી કરી નાસી છૂટતાં શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. ભક્તિનગર સોસાયટીમાં રહેતો સોની પરિવાર મકાનને તાળુ મારી પેલેસ રોડ પર આવેલ દુકાને ચોપડા પૂજન કરવાં ગયાં અને પાછળથી તસ્કરોએ હ
આવતીકાલે ગુજરાતીઓનું નવુ વર્ષ આવતીકાલે ગુજરાતીઓ નવા વર્ષનું સ્વાગત કરશે.મુખ્યમંત્રી મંદિરોમાં દર્શન કરશે..કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં કાર્યકર્તાઓને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.અમદાવાદના મંદિરો, અંબાજી, બહુચરાજી વગેરે મંદિરોમાં અન્નકૂટ ધરાવશે. 11 મિ
દાહોદ જિલ્લાના ઝાલોદમાં એક સગીરાનું અપહરણ અને છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આરોપી યુવક દ્વારા નાબાલિકને બાંધીને ગોંધી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આરોપીએ સગીરાને આખી રાત બાંધેલી હાલતમાં રાખી હોવાનો પરિવારજનોએ આરોપ લ
દાહોદ તાલુકાના વરમખેડા ગામે ખેતરમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધાનું ઝેરી કોબ્રા સાપના ડંખથી મૃત્યુ થયું છે. તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું. દાહોદ રૂરલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હ
શ્રી વર્ણીન્દ્રધામ, પાટડી ખાતે દીપોત્સવી કાર્યક્રમ અંતર્ગત લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ચોપડા પૂજનનો ઉલ્લેખ કર્યો હોવાથી આ પૂજનનું વિશેષ મહત્વ છે. આ પૂજનમાં શ્રી યંત્ર પૂજન, ગણપતિ પૂજન અને ચોપડાનું
યાત્રાધામ શામળાજી ખાતે દીપાવલીના પાવન પર્વ બાદ પડતર દિવસે ભગવાન શામળિયાને અન્નકૂટ ધરાવાયો હતો. દિવાળીના તહેવારોમાં દેવી-દેવતાઓના મંદિરોમાં અનેક મનોરથો ઉજવવામાં આવે છે, ત્યારે શામળાજીમાં દિવાળીના બીજા દિવસે સાંજના સમયે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવાની પરંપરા છે. મંદિરમાં
દિવાળીના તહેવારનો ઉત્સાહ ગુજરાતમાં ચરમસીમાએ છે, જ્યાં અમદાવાદ અને રાજકોટ શહેરો ઝગમગતી રોશની અને ભવ્ય ઉજવણીથી દેદીપ્યમાન બન્યા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય સર્કલો, બ્રિજો અને રસ્તાઓને ડેકોરેટિવ લાઈટિંગથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે, જે
ગાંધીનગરમાં તસ્કરોએ પીંડારડામાં ખેડુતના બંધ મકાનમાં ત્રાટકી ત્રણ કલાકમાં રૂ. 23.94 લાખના દાગીના, 10 લાખ રોકડા સહિત કુલ રૂ. 34.50 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપી પેથાપુર પોલીસના સઘન પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે. મહત્વનુ છે કે, મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવા એક્શન પ્લાન તરતો મૂકી જિલ્લા પ
ગુજરાતના રિયલ એસ્ટેટ હબ ગણાતા સુરત શહેરમાં સેક્ટરમાં હજી પણ મંદીનું વાતાવરણ સંપૂર્ણપણે દૂર થયું નથી. પરંપરાગત રીતે માર્ચ એન્ડિંગ પછી નવરાત્રિ અને દિવાળીના શુભ મુહૂર્તોને નવા સોદા કરવા અને દસ્તાવેજ નોંધણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે તહેવારોના દિવસોમાં સબ-
ઈડર તાલુકાના વેરાબર ગામે છેલ્લા તેર વર્ષથી બ્રાહ્મણ પરિવારો દ્વારા એક અનોખા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રવિવારે કાળીચૌદશથી આ પાંચ દિવસીય ઉત્સવનો પ્રારંભ થયો છે. દિવાળી પર્વ નિમિત્તે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા બ્રાહ્મણ પરિવારો પોતાના વતન વેરાબર આવે છે. આ ઉત્સવન
નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાના 9 કોલ મળ્યા હતા. આ ઘટનાઓ ગઈકાલે રાતથી લઈને આજે બપોર સુધીમાં નોંધાઈ હતી. મોટાભાગના કોલ સંભવિત ફટાકડાને કારણે કાચા મકાનોમાં લાગેલી આગ અથવા અન્ય અગમ્ય કારણોસર લાગેલી આગ સંબંધિત હતા. ફાયર વિભાગને ગત રાત્રિ
સુરેન્દ્રનગરના દુધરેજ ગામે આવેલું અખિલ ભારતીય રબારી સમાજનું ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર, દુધરેજધામ, વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં મહંત કનીરામદાસજી અને કોઠારી મુકુંદરામજીના નેતૃત્વ હેઠળ દિવાળી પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદ
પાટણ સહિત સમગ્ર જિલ્લામાં દીપાવલી પર્વની ઉજવણી બાદ હવે સંવત 2082ના નવા વર્ષના વધામણાં માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે દીપાવલીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘરોમાં દીવડાં પ્રગટાવી રોશની કરવામાં આવી હતી. વેપારીઓએ શુભ મુહૂર્તમાં શારદાપૂજન અને ચોપડા પૂજન
જામનગર શહેરમાં ખંભાળિયા ગેટ રોડ પર આવેલી ન્યુ સ્કૂલ પાસે આજે સવારે મહાનગરપાલિકાની કચરા ગાડી બેકાબૂ બની હતી. કચરો ભરતી વખતે એકાએક રોડ પર દોડવા માંડેલી આ ગાડીએ નાસ્તાની રેકડી અને એક એક્ટિવાને ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહાનગ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે થયેલી આ મારામારીમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે સામસામે બે ફરિયાદો નોંધવામાં આવી છે. ફરિય
દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેનું વડોદરા ડિવિઝન મુસાફરોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી રહ્યું છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધી, 30 લાખથી વધુ મુસાફરો નિયમિત અને ખાસ તહેવાર ટ્રેનો દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચ
રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી પહેલી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગા
જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે 'પોલીસ સ્મૃતિ દિવસ' નિમિત્તે રાષ્ટ્રની સુરક્ષા માટે બલિદાન આપનારા શહીદ પોલીસકર્મીઓને જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 21મી ઓક્ટોબરના રોજ યોજાયેલા શહીદ દિવસના કાર્યક્રમ અંતર્ગત, જામનગરના પોલી
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ એટેક કર્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થતા ભારે હોબાળો મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના તમામ સભ્યોના ઉમેદવા
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો દિવાળી ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ સામાન્ય લોકોની જેમ પરિવાર અને સ્થાનિકો સાથે દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે, જેને કારણે લોકો તેમની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. વાઈરલ થયેલા વીડિયોમાં નિમિષાબે
ભરૂચમાં દેશભરની જેમ પોલીસ સ્મૃતિ દિવસનું પાલન કરવામાં આવ્યું. શહેરના કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દીવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે વર્ષોની પરંપરા મુજબ આસપાસના 75 ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર 11 મિનિટમાં જ 151 મણનો આ અન્નકૂટના
અમદાવાદના રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવા ગયેલા સગીર સહિત 3 લોકો પોલીસને આવતા જોઈને ડરના માર્યા ભાગી રહ્યા હતા. તે દરમિયાન ટુવ્હીલર ડિવાઈડર સાથે અથડતાં ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં ટુવ્હીલર ચાલક સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવકોને ઇજા પહોંચી હત
તાપી જિલ્લાના બુહારી ગામમાં સુરજ દેસાઈ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી દિવાળીની અનોખી ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે પણ ગ્રુપે ગામના આશરે 400 બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે ફટાકડા ફોડવાની વ્યવસ્થા કરવામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD)ની ચાર જગ્યા સહિતની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નવા વર્ષની શરૂઆતમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોની સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં આ જગ્યાઓ ભરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કાકણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગોપાલ નાયકના ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં તેમનું આખું ઘર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. દિવાળી જેવા તહેવારના સમયે આ ગરીબ પરિવાર પર આ આફત આવી પડી હતી. આમ આદમી પાર્ટી (AAP) પંચમહાલ જિલ્લાની ટીમને આ દુર્ઘટનાની જ
સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર અને બાદમાં તરછોડી દેનાર એક શખ્સ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી કાયદેસ
શક્તિની આરાધના અને સંસ્કૃતિનો ઉત્સવ નવરાત્રિ ભારતીય સંસ્કૃતિનો એક ભવ્ય પર્વ છે, જે શક્તિની આરાધના અને ઉત્સાહભર્યા માહોલનું પ્રતિબિંબ છે. આ નવ દિવસ દરમિયાન, ઘેર-ઘેર માતાજીના ગરબા મૂકવામાં આવે છે, જે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. જોકે, ઉત્સવની સમાપ્તિ બાદ આ માટીના ગરબાઓનુ
સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેર ડીંડોરે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સંતરામપુર નગરના વેપારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ભગવતી હોટલથી મેઈન બજાર થઈને પ્રતાપપુરા સુધીની તમામ દુકાનોના વેપારીઓ તેમજ નાના-મોટા રોજગાર કરતા પાથરણાવાળા વેપારીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ મુ
અંજારના વીર બાળ સ્મારક ખાતે દિવાળી પર્વ નિમિત્તે દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં શહીદ થયેલા બાળકોની સ્મૃતિમાં દર વર્ષે આ દીપોત્સવ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ હજારો દીપકો પ્રગટાવી શહીદોને યાદ કરાયા હત
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાજ્યભરમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગોધરા ખાતે આયોજિત કાર્ય
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને અનુલક્ષીને, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ 'પ્રકાશવર્ષ' તરીકે
હિંમતનગરના ઇમરાન મેમણ સાથે રૂ. 10 લાખની છેતરપિંડી થઈ છે. તેમને 10 કિલો ચાંદી સસ્તા ભાવે આપવાનું કહી એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના વિરમગામ નજીક બની હતી. ઇમરાનભાઈ અને તેમના મિત્ર શાહરૂખ વિરમગામ કોર્ટ મુદતે આવ્યા હતા ત્યારે તેમને એક કોલ આવ્યો હતો. કોલ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સાત દિવસ એટલે કે 21થી 27 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહ
યાત્રાધામ શામળાજીમાં 'પડતર દિવસ' નિમિત્તે ગોવર્ધન પૂજા મનોરથ ઉજવાયો. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલાં મંદિર પરિસરમાં આ પૂજા કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નકૂટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ ઠાકોરજી
મોરબીમાં ગઢની રાંગ પાસે યુવાનની હત્યાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઘટના મોરબીના ગઢની રાંગ પાસે કે.આર. હેન્ડલુમની દુકાન
ગોધરા શહેરના દાહોદ-ઈન્દોર હાઈવે પર આવેલા છબનપુર ગામ નજીક એક કોતરમાંથી એક આધેડનો મૃતદેહ ફાટેલા કપડાંની હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ગોધરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ એ ડિવિઝન પોલીસ મથકન
વડોદરામાં દિવાળીના તહેવારને લઈ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં કોલ સતત રણકી રહ્યા હતા. તહેવાર ટાણે લોકો ફટાકડાની મોજ લેતા હોય છે, ત્યારે ક્યાંકને ક્યાંક ફટાકડાના તણખાના કારણે આગના નાના મોટા બનાવો સામે આવતા હોય છે. ગત રોજ અને આજે સવાર સુધીમાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને 39
દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના વતનમાં જતાં હોવાથી રોડ એક્સિડન્ટના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, તહેવારના દિવસોમાં ખાસ કરીને સાંજના સાતથી રાતના બે વાગ્યા સુધી અકસ્માત અને બર્ન ઈજાના કેસ વધુ
જામનગર શહેરમાં દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સહિત અનેક નગરજનોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ પર્વ મનાવ્યું હતું. મોડી રાત સુધી આતશબાજીનો રંગીન નજારો જોવા મળ્યો હતો. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે ફટાકડા ફ
વડોદરા શહેરના ગુરુકુળ સર્કલથી હાઇવે તરફ જવાના માર્ગે આવેલ નારાયણ સ્મુતી હોસ્પિટલ સામે કેપિટલ ફાઇનાન્સના ઓફિસ ધરાવતા એજન્ટે લોન અપાવવાનું કહીને પાંચા લોકો પાસેથી રૂ.2.71 લાખ પડાવી લઈ લોન ન આપતા આખરે આ મામલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. 'મેં એક પેમ્પલેટ પરથ
પાટણ જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્વે પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પાટણ એલ.સી.બી.એ મોટી કાર્યવાહી કરી છે. પાટણ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹50 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ અંતર્ગત, મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને વિવિધ યોજનાઓ હેઠળ 124 ક
દિવાળીના દિવસે વાંકાનેરમાં એક યુવાનની હત્યા થઈ છે. મિત્ર સાથે થયેલો ઝઘડો પતાવવા ગયેલા 20 વર્ષીય ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુવનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પાંચ આ
વાપી રોટરી સર્કલ પર સોમવારે દિવાળીના દિવસે ટ્રાફિક જામ દરમિયાન ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારી અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં એક હોન્ડા સિટી કારે પાછળથી વેગનઆર કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા કુલ 36 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 28 આરોપીઓને સબજેલમાં મોકલી દેવાયા છે, જ્યારે એક કિશોરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે. અન્ય સ
ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક થી અલકા સિનેમા તરફ જતો રોડ સાત વર્ષ પહેલા બનાવ્યા છતાં સંપૂર્ણ નાશ પામ્યો છે. અહીં ચોમાસા દરમિયાન બે ફૂટ જેવું પાણી ભરાય છે.જેને લઈ રોડ બિસ્માર બન્યો છે અને સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે લોકો દ્વારા ઝ
રાજ્યમાં ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક બનાવવા માટે ટેક્નોલોજી આધારિત ‘ન્યાય-શ્રુતિ પ્રોજેક્ટ’ અમલી બનાવાયો છે. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, 1લી જુલાઈ 2024થી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાઓને અમલમાં મુકવામાં આવ્યા
હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંગળવારે, 21 ઓક્ટોબરે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં
મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના જેથ્રી બોર ગામમાં આવેલી સુકાટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ તેમના સહકર્મી શિક્ષક વિરુદ્ધ છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે શહેરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી શિક્ષિકાના જણાવ્યા અનુસ
રાજકોટમાં દિવાળીની રાત્રે દાઝી જવાના 57 બનાવો બન્યા છે. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચોપડે આગના 130 બનાવો સામે આવ્યા છે. જેમાં મોટી આગના બનાવોમાં જૂના એરપોર્ટ, મવડી વિસ્તારમાં રામધ
દિવાળીના તહેવારોમાં કોઈ ઘટના ન બને એ માટે મહેસાણા એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ રાત્રિ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન રાત્રિના સમયે કોગનીઝેબલ ગુનો કરવાના ઇરાદે હથિયાર સાથે રાખીને ફરતા અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરતા કુલ ચાર ઇસમોને છરા અને તલવાર સાથે મહ
અંજાર તાલુકાના સત્તાપર ગામમાં આવેલી એક ગૌશાળામાં ગત રાત્રિના સમયે ફટાકડાના તણખા ઝરતા ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રે 9 વાગ્યાની આસપાસ લાગી હતી અને બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી એટલે કે લગભગ 14 કલાક સુધી ચાલુ રહી હતી. આ ઘટનામાં અંદાજે 900 મણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો અને ગોડાઉનને
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બિરાજમાન રણછોડરાયજી મંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત રીતે ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીએ નગરશેઠ સ્વરૂપે બિરાજમાન થઈને ભક્તોને દિવ્ય હાટડી દર્શન આપી આશીર્વાદ વરસાવ્યા હતા. ચોપડા પૂજનની અલૌકિક પરંપ
બોટાદ જિલ્લાના ઉગામેડી ગામ ખાતે 25 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર કોળી સમાજના સ્નેહમિલન અને સન્માન સમારોહની તૈયારીઓ માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના વિવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્ર
દિવાળીના પાવન પર્વ દરમિયાન પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે શહેરની સલામતી જાળવવા માટે અવિરત કામગીરી કરી હતી. તારીખ 18થી 20 ઑક્ટોબરના ત્રણ દિવસના સમયગાળા દરમિયાન પોરબંદર શહેરમાં આગ લાગવાના કુલ 14 બનાવો નોંધાયા હતા. આ તમામ બનાવોમાં ફાયર વિભાગની ટીમોએ ત્વરિત કાર્યવાહી
સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતા જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્
દિવાળીના પ્રકાશ પર્વની રાત્રિ અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે આકસ્મિક ઘટનાઓથી ભરેલી રહી. ફટાકડાની ભારે આતશબાજીના કારણે આગ લાગવાના, દાઝી જવાના અને શ્વાસની બીમારીના અનેક બનાવો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વહેલી સવારે ગુંજન વિસ્તારની સૂર્યા ગલીમાં આવેલી એક બંધ ચાની લારીમાં આગ લાગી હતી. આ ઘટનાથી વિસ્તારમાં થોડી અફરાતફરી મચી ગઈ હતી.સ્થાનિક લોકો અને રાહદારીઓને આગ લાગ્યાની જાણ થતાં તેમણે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ, વાપી ફા
સુરત શહેરની પાલ પોલીસે મહારાષ્ટ્રના એક કુખ્યાત સસ્પેન્ડેડ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રણજીત કાસલેની ધરપકડ કરી છે. આ સસ્પેન્ડેડ PSI પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને સવા બે લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાનો આરોપ
ભાવનગર શહેરના દિવાળી પર્વ નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાં આગના બનાવો બનવા પામ્યા હતા. જેમાં ચિત્રા વિસ્તારમાં 2, હીલ ડ્રાઈવ, જ્વેલ સર્કલ, શિવનગર, સરદારનગર, સીદસર રોડ, તથા ગાયત્રીનગર કાળીયાબીડ સહિત તમામ વિસ્તારોમાં એક-એક આગ ના બનાવો બન્યા હતા તમામ જગ્યાએ ફાયરબ્રિગેડ તાત્કાલ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગજનીની 30 ઘટનાઓ બની હતી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે સમયસર કાર્યવાહી કરીને તમામ સ્થળોએ આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થઈ ન હતી.દિવાળીની રાત્રે સાંજે 6 વાગ્યા
આજે 21 ઓક્ટોબર, પોલીસ સંભારણા દિવસ નિમિત્તે નવસારીના લુંસીકુઈ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને જવાનોએ શહીદોને યાદ કર્યા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ અધિ
ભરૂચ: શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. સાંજના સમયે બંગલાના કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેવાસીઓએ ઝાડીઓની પાસે કોઈ વસ્તુ હલતી જોવા મળી હતી. નજીક જઈ જોયું તો તે સાપ હોવાનું જાણવા મળતા રહીશ
રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉજવણી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને તેમના જિલ્લા પોલીસ પરિવારે લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આસપાસના વિસ્તારના બાળકો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી હતી. આ એક અનોખી પહેલ હતી, જેમાં બાળકોના ચહેરા પર નિર્દોષ આનંદ જોવા મળ્યો હતો. પોલીસ વડા સફીન હસન અને પોલીસ પરિવાર
• શાકાહારનો સંદેશ સાથે અવનવી વાનગીઓ ભગવાનને પ્રસાદરૂપે અર્પણ કરાશે ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટ ઉત્સવ આજે 5000 વર્ષ પછી પણ ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે. એ જ રીતે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક
વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના ફતેપુરા ચાર રસ્તાથી ભાંડવાળા તરફ જતા એક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં યુવક એક્સેસ મોપેડ લઈને જતો હતો ત્યારે ફોર વ્હીલર ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકોએ દોડી આવી લોહી લુહ
ભારતવર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, જે નવા વર્ષની શરૂઆત પણ સૂચવે છે. આ તહેવારની ઉજવણી દેશભરમાં વિવિધ પરંપરાઓ સાથે થાય છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં, જે આદિવાસી બહુલ વસ્તી ધરાવે છે, ત્યાં આજે પણ વર્ષો જૂની 'દીવી અને મેરમેરીયા'ની પરંપરા અકબંધ છે. છેલ્લા આઠથી દસ પેઢીઓથી ચાલ
દેશની સુરક્ષા, શાંતિ અને કાયદાના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવા માટે આજે પોલીસ શહીદ દિવસ નિમિત્તે સુરતના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને
દિવાળીના પાવન પર્વની રાત્રિએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને બે માસૂમ બાળકીઓને ઈજાગ્રસ્ત કરી છે. વંથલીના રાયપુર ગામે મ
આવતીકાલે નવા વર્ષ નિમિતે અન્નકૂટોત્સવ અંતર્ગત ભગવાન સમક્ષ 1200થી વધુ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ દિપાવલીનાં પાવન પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે સાંજે ચોપડાપૂજન બાદ મંદિર પર આશરે 7000 કરતાં પણ વધારે દીવડા સાથેની મહાઆરતી અને મંદિર પરિસર પર લાઈટ એન્ડ સાઉન્ડ શો ની સાથે
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રિ જૂનાગઢમાં રક્તરંજિત બની. મધુરમ રોડ પર મોડી રાત્રે ફટાકડા ફોડવાની ના કહેવા બદલ અમુલ એપાર્ટમેન્ટ નજીક 28 વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા પર એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ પાઇપ, ધોકા અને લાકડીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે લોહીલુહા
પાટણના આનંદ સરોવર પાસે દિવાળીની રાત્રે ફટાકડાની એક લારીમાં આગ લાગી હતી. સદનસીબે, સ્થાનિકો અને ફાયર વિભાગની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. દિવાળીના તહેવાર નિમિત્તે આનંદ સરોવર ખાતે ફટાકડાના સ્ટોલ અને લારીઓ ગોઠવવામાં આવી હતી. તેમાંથી એક લાર
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામમાં આવેલી GIDCમાં મોડી રાત્રે એક પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બ
વલસાડ શહેરમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં લોકોએ ફટાકડા ફોડી આકાશને રંગબેરંગી રોશનીથી ઝગમગાવી દીધું હતું.દિવાળીના તહેવારો શરૂ થતાં જ વલસાડ શહેરનું આકાશ રંગબેરંગી આતશબાજી અને ફટાકડાના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. નાન
વાપી રેલવે સ્ટેશન પર સોમવારે પટના જતી ટ્રેનમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની વતન જવા માટે ભારે ભીડ જોવા મળી હતી. દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. છઠ પૂજા ઉત્તર ભારતીય સમાજનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. વલસાડ જિલ્લાની પાંચ GIDCમા
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે દીપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મોડી રાત સુધી ફટાકડાની આતશબાજીથી તમામ વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા. ઘેર ઘેર રોશની અને દીવડા પ્રગટાવવામાં આવતા આકાશ પ્રકાશપૂંજથી ઝળહળી ઉઠ્યું હતું. મંગળવારને પડતર દિવસ ગણવામાં આવ્યો
આણંદના અક્ષરફાર્મમાં દીપોત્સવી પર્વે વેદોક્ત વિધિપૂર્વક લક્ષ્મી પૂજન અને શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન ભવ્ય અને દિવ્ય માહોલમાં સંપન્ન થયું. આ પ્રસંગે મહાપૂજા સાથે હરિભક્તોના ચોપડાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ ધાર્મિક કાર
ભરૂચ શહેરના ગાંધી બજાર ગોલવાડ વિસ્તારમાં આવેલી અનાજ-કરિયાણાની દુકાનના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ
દિવાળી એકમાત્ર એવો તહેવાર છે કે જ્યારે તમામ લોકો પરિવાર સાથે મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે. ઘરથી દૂર ગયેલા લોકો પણ દિવાળીના તહેવાર સમયે પોતાના ઘરે પરત ફરતા હોય છે, પરંતુ બધાના નસીબમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે તેવું હોતું નથી. આજે પણ અનેક વૃદ્ધાશ્રમમાં વડીલો પરિ
ગઢડા શહેર અને તાલુકામાં આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલસામાન અને નિરણને નુકસાન પહોંચ્યું છે. પ્રથમ ઘટના ગઢડા શહેરના સંધી ચોક વિસ્તારમાં આવેલા એક બંધ ગોડાઉનમાં બની હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જા
ઘ-5નું ચોપાટી તરીકે ઓળખાતું ખાણીપીણી બજાર ગંદકી અને અવ્યવસ્થાથી ઉભરાય છે બીજીતરફ દુકાનોના બાકી ભાડાનો મુદ્દો પણ પેચીદો બન્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા હવે ફૂડકોર્ટનો હવાલો પોતાના હસ્તક લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. 40 વર્ષ જૂના મીના બજારના રીડેવલપમેન્ટ પ્લાન તૈ
દીપાવલી પર્વોમાં મુસાફરોને અગવડ પડે નહી તે માટે એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. ત્યારે લોકો પોતના પરિવાર સાથે દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોની ઉજવણી કરતા હશે. તેવી પરિસ્થિતિમાં નગરના ડેપોના 390 ડ્રાઇવર અને કંડક્ટર કર્મચારીઓ પોતાની ફરજ બજાવીને
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને 21મી, મંગળવાર અને 24મી, શુક્રવારની રજા આપી દીધી છે. આથી નગરમાં રહેતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિપાવલી પર્વની ઉજવણી કરવા માટે વતનની વાટ પકડી લીધી છે. ત્યારે કર્મચારીઓથી ધમધમતી સરકારી કચેરીઓની સાથે સાથે નગર પણ સુમસામ થઇ ગયું છે. નગરમાં પણ જાણ
એકતરફ શહેરમાં સરકારી આવાસની અછત પ્રવર્તી રહી છે અને વેઇટીંગ લિસ્ટ 5 હજારને પાર પહોંચી ગયું છે, બીજીતરફ સરકાર દ્વારા આગામી સમયમાં નવા આવાસ તૈયાર કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં વર્ગ-2ના અધિકારીઓને ફાળવાતા ઘ- ટાઇપના આવાસની ડિમાન્ડ બહુ ઓછી છે. એચઆરએ વધારે હોવાને કારણે અધિકારી
રાજ્યમાં ઇપીકે ફાઇલ મોકલી ગઠિયાઓ દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ઇપીકે ફાઇલ ખોલતાની સાથે મોબાઇલનો તમામ ડેટા લઇ લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિના મોબાઇલ નંબર ઉપર એક ઇપીકે ફાઇલ મોકલી હતી અને તે ફાઇલમાં આરટીઓનુ ઇ-ચઇણ હતુ, જેમાં
દીપાવલી પર્વોને પગલે રાજ્ય સરકારે સળંગ રજાઓ પણ આપી દેવામાં આવી છે. તેની સાથે સાથે કર્મચારીઓને પગાર પણ એડવાન્સ ચુકવી દેવામાં આવ્યો છે. આથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ છેલ્લી ઘડીએ દિપાવલી પર્વોની ઘરાકી નિકળતા વેપારીઓને મોડીરાત્રી સુધી પોતાના વેપાર ધંધાને ખુલ્લા રાખવાની ફર
ગાંધીનગરના કોલવડા ગામમાં આવેલા વીસઘર માઢમાં આવેલા મકાને યુવક માતાજીના નૈવેધ કરવા ગયો હતો. તે સમયે અગાઉની અદાવત રાખતા ગામના જ ચાર લોકો આવ્યા હતા અને યુવક સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. જેમાં લાકડી, પાઇપ, તલવાર અને ધોકાની હુમલો કર્યો હતો. જ્યારે કારને નુકશાન કર્યુ હતુ. જે