દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટેનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. આ પર્વની ઉજવણી માટે વડોદરા શહેરના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ શિવમંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વડોદરા ખાતે શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બપોર
બીલીમોરાના પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ ભક્તોમાં યુનાઇટેડ કિંગડમ (UK) થી ખાસ શિવરાત્રી
વડવાચોરા મેલડીમાના ખાચામાં રહેતા રાજુભાઈ હરિભાઈ દવે ના મોટાભાઈ કિશનભાઇ હરિભાઈ દવે (ઉં. વર્ષ 72) ગત તા. 12 ના પોતાની tvs સ્કૂટર લઈ બાહુબલી કોમ્પલેક્ષ થી તાલુકા પંચાયત પાસે થઈ સર્ટીહોસ્પિટલ તરફ જતા હતા તે દરમિયાન તાલુકા પંચાયતની પાછળ રોડ પર કાળાનાળા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રીક
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્
ભાવનગર શહેર નજીક આકાર લઈ રહેલા ભાવનગર નવા બંદર ખાતે બહુહેતુલક્ષી પોર્ટ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોન્કોર) દ્વારા કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણી માટે કરાર થયા બાદ સંભવિત કાર્ગો ટ્રાફિક અને વ્યાપારિક શક્યતાઓ અંગે પ્રાથમિક ચકા
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારે રત્નકલાકારો માટે જાહેર કરેલા વિશેષ પેકેજ અં
આવતી કાલ તા.15 ફેબ્રુઆરીને રવિવારે મહાશિવરાત્રિનું પર્વ છે. આપણે ત્યાં કહેવાય છે કે આ પર્વથી ઠંડી ઓછી થાય છે અને હોળીએ ઠંડી સાવ ગાયબ થાય છે. ત્યારે ભાવનગર શહેરમાં હવે બપોરના સમયે ઉનાળાના આરંભના સંકેત આપતી ગરમીનો આરંભ થઇ ગયો છે. આજે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ
હિસાબી વર્ષના છેલ્લા ત્રિમાસિક સમયગાળા પહેલા PGVCL દ્વારા પરંપરાગત રીતે કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર PGVCL સર્કલમાં ચાલુ ફેબ્રુઆરી મહિનામાં વીજળીનું બિલ નહીં ભરનારા ગ્રાહકો પાસેથી બાકી રકમની ખાસ વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. ભાવનગર જિલ્લા
નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન નકસલવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન તા. 22 મે, 2025ના રોજ બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્
વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રોહન હાઉસ કીપીંગનું કામ કરે છે. કતારગામ રહેતી 16 વર્ષીય કિશોરી રોહનના ઘર નજીક રહેતી તેની બહેનપણીના ઘરે આવતી હતી. ત્યારે બન્નેની આંખ મળતા પ્રેમસંબંધ બંધાયો હતો. છે
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શનિવારે શહેરના વિવિધ ઝોનમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગના સહયોગથી અંદાજે ₹27 કરોડના ખર્ચે એક સ્કૂલનું લોકાર્પણ અને 4 સ્કૂલના ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી
હિન્દુસ્તાન કોપર લિમિટેડે (HCL) ચાર્જમેન, ઇલેક્ટ્રિશિયન અને WED ની 18 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. ITI, ડિપ્લોમા કે BA/B.Sc/B.Com સાથે અનુભવ ધરાવતા ઉમેદવાર 25 ફેબ્રુઆરી સુધી www.hindustancopper.com પર અરજી કરી શકશે. પસંદગી પામનારને 72,110 સુધીનો માસિક પગાર મળશે. પસંદગી લેખિત પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટના આધારે કરા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અત્યારે બીમારીનું કેન્દ્ર બની ગઈ હોવાનો આક્ષેપ ABVPકરી રહી છે. હોસ્ટેલમાં જ્યાં પહેલા 400 વિદ્યાર્થીઓ જમતા હતા, ત્યાં ભોજનની ખરાબ ગુણવત્તાને કારણે સંખ્યા ઘટીને માત્ર 15-20 પર પહોંચી ગઈ છે. હલકી કક્ષાનું તેલ, ખરાબ શાકભાજી અને ઉતરતી કક
ઉધના-બી (કનકપુર) વિસ્તારના 2 લાખ લોકોએ આગામી 17મી એ મંગળવારના રોજ પાણી કાપ સહન કરવો પડશે. પાણી પુરુ પાડતાં ડિંડોલી જળ વિતરણ મથક હેઠળની લાઈન માંથી લીકેજ હોવાનું મળી આવતાં હાઇડ્રોલિક ખાતું દોડતું થઈ ગયું છે લીકેજ મળતાં હવે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનારી છે. હાઇડ્રોલિક ખાતા
26 વર્ષથી ટીપી સ્કીમો ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે અને સરકાર વિકાસના દાવા કરતી રહે છે. સુરત જેવા દેશના સૌથી ઝડપી વિકસતા શહેરમાં આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નહીં, પરંતુ શહેરી આયોજનની નિષ્ફળતા દર્શાવે છે. એક તરફ સરકાર ‘પ્લાન્ડ ડેવલપમેન્ટ’ના ભાષણો આપે છે, તો બીજીતરફ ટાઉન પ્લાનિંગ સ્
સુરત મેટ્રો લાઇન 1 હેઠળ ડ્રીમ સિટી ખજોદમાં બનાવવામાં આવી રહેલો મેટ્રો ડેપો હવે લગભગ તૈયાર છે. કુલ 210,000 ચોરસ મીટરમાં ફેલાયેલો આ અત્યાધુનિક ડેપો સુરત મેટ્રો ટ્રેનોના ધોવા, નિરીક્ષણ, સમારકામ અને પ્રોફાઇલિંગ માટે સુવિધા યુક્ત હશે. ડેપોમાં બધા સિવિલ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને પેઇ
જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાન્યુઆરી-2026ના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડાઓ મુજબ ઉદ્યોગમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં કેટલાક સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે તો કેટલાકમાં નોંધપાત્ર ઘટાડો થ
CBSE બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 17 ફેબ્રુઆરી 2026થી રાજકોટ સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના મેદાનમાં ઉતરશે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓ માટે માત્ર વાંચવું જ પૂરતું નથી, પરંતુ ઉત્તરવહીમાં જવાબ ક્યાં લખવો તે સમજવું પણ અનિવાર્ય બન્યું છે. બોર્ડ
રાજ્યના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી ‘નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ’ (NMMS) પરીક્ષાનું પરિણામ આજે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગત 3 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યભરમાં લેવામાં આવી હતી. પરી
શહેરના આજી ડેમ પાસે, રામવનની સામે આવેલી કિસાન ગૌશાળામાં ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી ગૌપૂજન કરવામાં આવ્યું. જેમાં બ્રહ્મમુહૂર્તમાં કામધેનુ યજ્ઞ કરવામાં આવયો હતો. ત્યારબાદ 2000થી વધુ ગૌવંશનું સામૂહિક પૂજન કરવામાં આવ્યું. આ તકે વિવિધ શાળાના બાળકોએ મુલાકાત લઇ ગૌવંશને વહાલ કરી પૂજન
શહેરમાં આજે ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઇ પૂજા-અર્ચના કરશે. શહેરમાં દરેક શિવમંદિરનો ઇતિહાસ તથા તેની વિશેષતાઓ જોડાયેલી છે. જેમાં રાજકોટ શહેરમાં આજી નદી કાંઠે, ભીચરીના નાકે આવેલું 500 વર્ષથી વધુ પૌરાણિક સ્વયંભૂ શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિરનો પણ અનોખો ઇતિહાસ જોડાયેલો છે.
શહેરના મવડી ચોકડી નજીક શનિવારે રાત્રિના પૂરપાટ ઝડપે ધસી આવેલી થારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા ટ્રિપલસવારી સ્કૂટરને ઉલાળ્યું હતું. થારની ઠોકરથી દંપતી અને તેની સાથેની બાળકી સ્કૂટર પરથી ફંગોળાયા હતા. અકસ્માતમાં રસ્તા પર પટકાયેલા લોકોને ઊ
ચાલુ વર્ષે શિયાળાની મોડી શરૂઆત બાદ વહેલી વિદાય શરૂ થઇ હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયા બાદ શનિવારે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશાના પવન ફૂંકાતા હોવા છતાં ગરમીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને
‘સર’ની કામગીરી પૂર્ણ થવાની સાથે જ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તેવા સમયે જ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને જુદી-જુદી મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતને કારણે અરજદારોની રૂટિન કામગીરીને માઠી અસર પહોંચી રહી હોવાનું સામે આવ્યું છે. અ
ભૂતકાળમાં રાજકોટ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન લીકેજની ઘટનાઓ બની હોય ફિલ્ટર પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશનમાં ક્લોરિન લીકેજ થાય તો શું કરવું તેની સમજ આપવા મનપાના ઈજનેર, કેમિસ્ટ અને ક્લોરિન એટેન્ડન્ટ દ્વારા શહેરના વેસ્ટ ઝોન હેઠળ આવતા પમ્પિંગ સ્ટાફ માટે મહત્ત્વની તાલી
શિવરાત્રિ એટલે સનાતન સંસ્કૃતિનો ખાસ તહેવાર. આ દિવસે યજ્ઞ અને પૂજાનું ખાસ મહાત્મય છે. આ દિવસે સાચા હૃદયે થયેલી પ્રાર્થના પૂરી થાય છે. આ ધાર્મિક તહેવારને સામાજિક ઉત્તરદાયિત્વમાં સમાવવા માટે ભાસ્કરે વિચાર આપ્યો હતો કે શહેરના વૃદ્ધાશ્રમોમાં યજ્ઞ કરાવવો જોઇએ. જે યજ્ઞમાં વૃદ્
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી-ઝુંડાલ વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ થતાં ફોર-વ્હીલર ચાલકોએ ત્રણ કિલોમીટરનો લાંબો ફેરો ટાળવા ઝુંડાલ બ્રિજ નીચેના પાર્કિંગ કટમાંથી રોંગ સાઈડમાં અવરજવર શરૂ કરી દીધી છે, જેના કારણે બ્રિજ નીચે ટ્રાફિકજામની સ્થિતિ
શહેરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને બજરંગવાડીના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રસંગમાં પહેરવાના બહાને યુવતીનો સોનાનો ચેઇન લઇ જઇ ગીરવે મૂકી દીધો હતો અને તે છોડાવવાના બહાને યુવતી પાસેથી વધારાના રૂ.53 હજાર પણ પડાવ્યા હતા. જોકે યુવતીને સોનાનો ચે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શિવભક્તોનું મહાપૂર ઉમટી પડ્યું છે. લાખોની સંખ્યામા
આજે મહાશિવરાત્રિ એટલે કે મેળાનો અંતિમ દિવસ. છેલ્લા પાંચ દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે. જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા. તુર્કિયે, ઈઝરાયલ, યુરોપ સહિતના દેશોમાંથી લોકો શિવરાત્રિના મેળાની મોજ માણવા જૂનાગઢ પહોંચ્યા છે. ત્યારે ને
રાજકોટમાં 13 વર્ષથી કાકા-કાકી પાસે રહેતી અને છેલ્લા ચાર મહિનાથી કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉચ્ચ શિક્ષણ માટે મૂકવામાં આવેલી અને ગત 16 જાન્યુઆરીએ પુખ્ત વયની થયેલી યુવતીને તેની જન્મ આપનાર માતા, સુરતના પાલ પોલીસ મથકના એક પોલીસમેન સહિતના કેટલાક વ્યક્તિઓ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્ર
રિક્ષાચાલક અને સાગરિતો પેસેન્જરના સામાનમાંથી પૈસા - દાગીનાની ચોરી કરી લેતા હોવાની ઘટનાઓ વધી ગઈ હતી. જેથી શહેર પોલીસે પૈસા અને સમય બગાડીને 2 લાખ કરતાં પણ વધારે રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરાવીને સ્ટીકર લગાવ્યા હતા. તેમ છતાં મુુંબઈથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપતિના સામાનમાંથી રિક
ઘરેથી મર્સિડીઝ લઈને નીકળેલા બિલ્ડરને રોકી કેટલાક લોકોએએ લોખંડની પાઈપ સહિતના હથિયારથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકો ફરાર થઈ ગયા હતા. બિલ્ડરે જમીન, કોર્ટ કેસનું કામ ચાલતું હોવાથી તેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની શં
વસ્ત્રાપુરના પંચમ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ ગેહલોત અને પત્ની સરોજબહેન 13મીએ ચાલવા નીકળ્યા હતા. રાતે 9.30 વાગ્યે માનસી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પકવાન ચાર રસ્તા બાજુથી બાઈક પર 2 સ્નેચર આવ્યા હતા. સ્નેચરે સરોજબહેનનો દોરો તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે દોર
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે લાંબા વિલંબ બાદ પોતાનું સંગઠન માળખું જાહેર કર્યું છે. આ નવા સંગઠનમાં 7 વર્તમાન નગરસેવકોનો સમાવેશ કરાયો છે. આ કારણથી હવે આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ હોદ્દેદારોની ટિકિટ કપાઇ જશે તેવી આશંકા રહેલી છે. આ હોદ્દેદારોમાં મહામંત્રી તરીકે
અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનું ચાલુ વર્ષે સુધારા સાથે 18518 કરોડનું બજેટ મંજુરી માટે મુક્યુ છે, ત્યારે તેમાં 922 કરોડના સુધારા સુચવતા વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વ્યંગ કર્યો હતો કે, છેલ્લા 20 વર્ષમાં મ્યુનિ.એ પોતાના બજેટનું કદ વધારીને 1.30 લાખ કરોડ કર્યું છે, પરંતુ હજુ પણ ન
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પહેલાં ટૂંક સમયમાં હોલ ટિકિટ આપવાની શરૂઆત થશે. પ્રથમ વાર દરેક વિદ્યાર્થીઓનાં નામ એક જ ફોર્મેટમાં જોવા મળશે. જેમાં પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓના જન્મના દાખલા અથવા વાલીએ લખાવેલ
નૌસેના જાન્યુઆરી 2027 (ST 27) કોર્સ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઑફિસર ભરતી કરશે. 260 જગ્યા પર એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન અને ટૅક્નિકલ શાખામાં નિયુક્તિ કરાશે. અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ મહત્ત્વની તક છે. 24મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈ “Current Opportunities” વિભાગમા
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ, ધોળકાના 10 ગામોમાંથી પસાર થતી સાબરમતી નદીનું વહેણ રોકી ખનન કરવા ભૂમાફિઓએ નદીમાં ગેરકાયદે નાળા બનાવી 600 મીટરના પાળા અને રસ્તા બનાવી દીધા છે. દિવ્યભાસ્કરના ઇન્વેસ્ટીંગેશનમાં દસ્ક્રોઇના નવાપુરા, મિરોલી અને ટીંબામાં નદીપટ્ટમાં આવા રસ્તા બનાવી ભૂમ
ન્યૂ રાણીપમાં 24 મીટર રોડ પરના જે પ્લોટ પર લોકો માટે ઓડિટોરિયમ બનાવાનું આયોજન હતું તે પ્લોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ (દલાલ)ની કંપનીને ફાળવી દેવાયો છે. આ પ્લોટ પૂર્વ ધારાસભ્યની કંપનીને ફાળવી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને કારણે એક તરફ જમીનધારકને કરોડોનો ફાયદો થશે, બીજી તરફ ન્
એસઆઇઆરની પ્રક્રિયામાં જે મતદારોના નામ સુનવણી બાદ પણ કમી કરી દેવાયા તેઓને નામ જોડાવવા માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરવાનો એક મોકો મળે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી માત્ર સાત મતદારોએ નામ જોડાવવા માટે અરજી કરી છે. મતદા
વસતી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) શરૂ કરાશે. કલેક્ટર કચેરી દ્વારા આ પ્રક્રિયા માટે વહીવટી માળખું તૈયાર કરી દેવાયું છે, જેમાં બે નાયબ કલેક્ટર મોનિટરિંગ કરશે અને તેમના માર્ગદર્શન હેઠળ મામલતદાર તેમજ આસિસ્ટ
ગુજરાત હાઈકોર્ટમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે શનિવારે રજાના દિવસે પણ ન્યાયમૂર્તિઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 18 વર્ષ જૂના એક પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનો કેસ લગ્નનાં 35 વર્ષે સુખદ સમાધાન લઈને સામે આવ્યો છે. લગ્નનાં થોડાં વર્ષોમાં જ એકબીજાને છૂટાછેડા આપી
શહેરના એક ગેસ્ટ્રો સર્જને રાજ્યમાં પ્રથમવાર ટેલી-રોબોટિક સિસ્ટમ દ્વારા અમદાવાદથી 1 હજાર કિલોમીટર દૂર દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી મહિલા દર્દીના પિત્તાશય દૂર કરવાની સફળ સર્જરી કરી છે. સ્વદેશી કંપની એસએસઆઈ મંત્રા વિકસિત 3.0 દ્વારા તૈયાર કરાયેલા રો
રાજ્યમાં આ વર્ષે લા-નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોના કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 માર્ચ પછી ઉનાળાની ગરમીનો પ્રારંભ થશે. જો કે હાલ શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 14 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર PM મોદીના પ્લેનના હાઈવે પર લેન્ડિંગ સાથે જોડાયેલા રહ્યા. પીએમએ વાયુસેનાના પ્લેનમાં મુસાફરી કરી. બીજા સમાચાર પાકિસ્તાની કેપ્ટનના એ નિવેદનના છે જેમાં તેમણે કહ્યું કે ભારતને હાથ ન મિલાવવાનો જવાબ મેદાનમાં આપીશું.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. T2
બોટાદના નામચીન બિલ્ડર આરોપી દિલાવર હમીદે તેના સગા કાકાના ઘરે પીધેલી હાલતમાં રિવોલ્વર સાથે જઈ કાકાને ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બોટાદમાં 402 યુવાન એપાર્ટમેન્ટ, કરીમનગર પાસે પાળીયાદ રોડ ખાતે રહેતા અને કન્ટ્રકશન અને રીય
રાજ્યના ખાદ્ય અને ઔષધ વહીવટ મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થઈ ગયા છે. મંત્રાલયમાં લાંચ કેસ બાદ, વિપક્ષે ઝિરવાળના રાજીનામાની માગણી કરી છે. ઝિરવાળ નોટ-રીચેબલ બનતાં આ અંગે વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી નરહરિ
છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિ
ભારતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશી નાગરિકો વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. વર્સોવા પોલીસે અંધેરી પશ્ચિમમાં યારી રોડ અને માહિમ પરિસરમાં દરોડા પાડીને કુલ 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ બધા ગેરકાયદે ભારતમાં દાખલ થઈને કોલકાતાથી સીધા મુંબઈ શહ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. તેમણે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCA ને ઈમેલ મોકલ્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે અજિત પ
મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ પર સ્થિત જોન્સન એન્ડ જોન્સન કંપની નજીક શનિવારે બપોરે 12.20 વાગ્યે મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો એક ભાગ તૂટી પડ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (એમઅફબી) દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક જણનું મોત થયું
પશ્ચિમ રેલવે તરફથી વિરાર-અમદાવાદ દરમિયાનના માર્ગ પર રેલવે પાટા પર જાનવરો અને બીજી અડચણ આવવાની ઘટના રોકવા 337 કિમી અંતર પર સ્ટીલના પટ્ટાઓની મજબૂત જાળી ઊભી કરવામાં આવી છે. આ પ્રકલ્પ માટે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રેલવે સુરક્ષા સહિત ટ્રેનના ટાઈમટેબલ પર થતી અસર ઓછ
કાયદાકીય બંધી હોવા છતાં મુંબઈની અનેક રેસ્ટોરન્ટમાં 5 થી 10 ટકા સર્વિસ ચાર્જ કરે છે. આ શુલ્ક અનેક વખત ધર્માદાય યોગદાન, કર્મચારી કલ્યાણ ભંડોળ અને કર્મચારી યોગદાન જેવા વિવિધ નામથી વસૂલ કરવામાં આવે છે. જો કે આ ગેરકાયદે છે અને એના પર તરત બંધી મૂકવી એવી માગણી મુંબઈ ગ્રાહક પંચાયતે કે
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 1700 ઉમેદવારોથી 1 હજાર 127 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. એટલે કે 66 ટકા ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા કે તેમની અનામત રકમ પણ જપ્ત થઈ ગઈ. ડિપોઝીટ જપ્ત થયેલા ઉમેદવારોમાં 546 અપક્ષ છે તો રાજકીય પક્ષમાં સૌથી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદ
મહાપાલિકાને મિલકતવેરો નિર્ધારિત સમયમાં ભરવામાં ટાળમટોળ કરતા તેમ જ આર્થિક ક્ષમતા હોવા છતાં મિલકતવેરો નહીં ભરનારા મોટા ડિફોલ્ટરે કલમ 203 અન્વયે માલમતા જપ્તિની નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસમાં આપેલા સમયગાળામાં લેણાં ચૂકતે નહીં કરાય તો કલમ 204, 205, 206 અન્વયે સૌપ્રથમ માલમતા ચી
આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ નિમિત્તે નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને વહેલું નિદાન, સમયસર ઉપચાર અને પરિપૂર્ણ સંભાળના મહત્ત્વ પર ભાર આપતાં કેન્સર સાથે સંઘર્ષ કરતા બાળકોના સાહસ અને કટિબદ
સિંધુદુર્ગ જિલ્લાના માટાણે મતવિસ્તારના એક મતદાન મથક પર મતગણતરીમાં વિસંગતતા જોવા મળી છે. નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળતાં, રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકરે ગણતરીના દિવસે સંબંધિત પાંચ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકા
થાણે કોસ્ટલ રોડનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. બાંધકામની શરૂઆત થઈને ફક્ત આઠ મહિનામાં જ થાણે કોસ્ટલ રોડ-1 મહત્ત્વનો તબક્કો પાર પાડ્યો છે. આ પ્રકલ્પના એલીવેટેડ માર્ગની પાયાભરણીના કામમાંથી 50 ટકાથી વધુ પૂર્ણ થયું હોઈ પિયર કેપ અને આય- ગર્ડર ઊભું કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામમાં ખેડૂતો દ્વારા વર્ષો પહેલા આપવામાં આવેલા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની કિંમતની જમીન હડપવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદેસર રીતે ખરીદાયેલી જમીન પર ખોટું બાનાખત બનાવી અને પછી બીજો દસ્તાવેજ કરી વિવાદ ઉભો કરવાનો આરોપ બે શખ્સો પર લાગ્યો
ગાંધીનગરમાં રહેતી એક મહિલા અધિકારીએ પોતાના પતિ વિરુદ્ધ જાસૂસી કરાવવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અલગ રહેતા પતિએ એક યુવકને પત્નીની હિલચાલ પર નજર રાખવા મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકના મોબાઈલમાંથી મળેલા મેસેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છ
અમદાવાદમાં વહેલી સવારે એક યુવાને ઇન્દિરા બ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યુ હતુ, અને પછી તેણે જાતે જ ઇમરજન્સી નંબર પર ફોન કરીને જાણ કરી હતી,રાત્રે 3:35 વાગ્યે આ યુવકે પોતે જ 112 ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે તેણે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે અને તેને બહાર કા
છેલ્લા 45 વર્ષથી ગાંધીનગરમા જૂના સચિવાલય પાછળ ચાલતા મીના બજારની કાયાપલટ માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારસુધી મીનાબજાર ઓફિસ ટાઇમ પ્રમાણે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ ધમધમતું રહે છે. શનિ- રવિ અને રજાના દિવસોમાં સુમસામ રહે છે ત્યારે મા
પોરબંદરના સરકારી હોસ્પિટલ રોડ પર આવેલ ફીજી છાત્રાલય સામે સર્કલ પર ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. GJ 01 HW 9443 નંબરની કારના ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સર્કલ સાથે ટકરાઈ હતી અને કાર સર્કલ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમ
પોરબંદરમાં સગીરા અને યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીની પાસા હેઠળ અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી જાતિય સતામણીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ વિર
મનપા દ્વારા માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન કરવામાં આવ્યું છે, પરંતુ તૂટેલા રસ્તા, ફૂટપાથ અને પાર્કિંગની સમસ્યા યથાવત છે ત્યારે જૂની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરના વિકાસ માટે મનપા દ્વારા વારંવાર ટ્રેનિં
પોરબંદર શહેરમાં પશુઓ માટેના ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ બાદ મુદ્દો ગરમાયો છે. શિવસેનાના માલધારી સેલ દ્વારા પોરબંદર મનપાને આવેદન પાઠવી ઘાસચારા માટે સત્તાવાર વેચાણ પોઈન્ટ નક્કી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. પોરબંદર શિવસેના માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડીયાતર સહિત આગેવ
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા હતા, જેમાં 3 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હા
રાણાવાવ બાયપાસ પર ઊભેલ એક ટ્રકમાં અન્ય ટ્રક ચાલકે પોતાનો ટ્રેક બેદરકારી રીતે ચલાવી ટ્રકમાં ભટકાવી દેતા ટ્રક અથડાવનાર ચાલકનું મોત થતા આ અંગે મૃતક સામે ગુન્હો નોંધાયો છે. રાણાવાવના રાણા કંડોરણા પુંજપરા ધારમાં રહેતા ફરીયાદી મોહન દેવાયત મોરીએ રાણાવાવ બાયપાસ પર GJ-12 U-9073 નંબરનો ક
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત અને સુવ્યવસ્થિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી હાલ પ્રગતિ પથ પર છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર શહેરની શહ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા દિવસે વિદ્યાર્થીને અઘરા લાગતા વિષય ફિઝિક્સ( ભૌતિક વિજ્ઞાન)નું પેપર છે. વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં સારા માર્ક્સ લાવી શકે તે માટે કેટલીક જરૂરી ટિપ્સ અત્રે પ્રસ્તુત છે. -વિભાગ A માં 50 પ્રશ્નો M.C.Q. પ્રકારના હોય છે તેના માટે 1 કલાકનો સમય હોય છે.જેમાં 10 થી 15
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીને લઇ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેન નં. 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દિવસે જિલ્લાભરના શિવમંદિરોમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સતવારા સમાજ દ્વારા શોભાયાત્રા, મંદિરોમાં 4 પ્રહર પૂજન, ધોળીધજા ડેમે શિવરાત્રીનો મેળો યોજાશે. સુરેન્દ્રનગર જિ
જિલ્લામાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 14 ફેબ્રુઆરી છેલ્લાં 10 વર્ષનો સૌથી ગરમ દિવસ બની જવા પામ્યો છે. આમ મોડે શરૂ થયેલો શિયાળા વહેલો પુરો થવા સાથે ગરમીની અસર વર્તાઇ રહી છે. સુ
સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર ટ્રાફિકના ભરડામાં ફસાયું હોય તેમ છેલ્લા 3 વર્ષમાં 85 હજાર વાહનો વધતા રસ્તાઓ સાંકડા પડે છે. ઝાલવાડનું હૃદય ગણાતું સુરેન્દ્રનગર શહેર હવે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાંફી રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2025માં 35 હજાર નવા વાહનો રસ્તા પર ઉતરતા ટ્રાફિકે માઝ
કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને મળતી સહાય વધુ સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વેની વિગતોને ક્રોસ-વેરિફાઈ કરવા માટે હવે ખેડૂતોનો ટેકનોલોજીના માધ્
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી ખાંભડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડતા 5 શખસ પકડાયા હતા. રોકડા, કાર, બાઇક સહિત રૂ.6,77,400નો મુદામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને
મંદિરોને નિશાન બનાવી રહેલી આંતરરાજ્ય ગરાસિયા ગેંગનાં રાજસ્થાનના સાગરીતને ચાણસ્મા પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે ઝડપી પાડતાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈન મંદિરની લૂંટનો ભેદ ઉકેલાયો છે, સાથે જ સમી શંખેશ્વર અને મહેસાણામાં થયેલી મંદિર ચોરીની ચોંકાવનારી ક
રાજસ્થાનના શિરોહી જિલ્લાનાં મંડાર કસ્બામાં ચારેબાજુ હરિયાળીથી આચ્છાદિત પહાડી પર સ્થિત લીલાધરી મહાદેવ મંદિર દેશભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના દર્શન કરવા આવે છે. પહાડીની ચોટી પર સ્થિત 84 ફૂટ ઊંચા સ્વ
પાલનપુરમાં ફરી એક વાર સિટી બસ સેવાનો મહાશિવરાત્રીથી આરંભ થવા જઈ રહ્યો છે.વર્ષો બાદ ફરી શરૂ થતી આ સેવા પ્રથમ તબક્કામાં 4થી6 બસો સાથે શરૂ થશે અને તબક્કાવાર કુલ 9 બસો 6 રૂટ પર દોડશે. નગરપાલિકા દ્વારા મહેસાણાની એજન્સીને ટેન્ડર ફાળવાયા બાદ આ વ્યવસ્થા અમલમાં આવી રહી છે. મિનિમમ ભાડું
ડીસા તાલુકાના ઝેરડા ગામમાં છેલ્લા સાત વર્ષથી ઉભેલી પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ટાંકીની દીવાલોમાં મોટા ભંગાણ દેખાઈ રહ્યા છે અને લોખંડની સરિયા બહાર નીકળી આવતાં ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે. ટાંકીની બાજુમાં જ મુખ્ય માર્ગ પસાર થતો હોવાથી વ
પાલનપુરમાં કેટલાક વાહનોમાં લગાવવામાં આવતી અતિ તેજસ્વી સફેદ હાઈ-ઇન્ટેન્સિટી એલઇડી હેડલાઈટ,એચઆઇડી અને આફ્ટરમાર્કેટ એલઇડી કન્વર્ઝનને કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ મામલે પાલનપુર વિકાસ સમિતિ તથા યુવા જાગૃતિ અભિયાન દ્વારા વાહનવ્યવહાર વિભાગ અને
મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં 37 મામલતદારોની બદલી અને 165 નાયબ મામલતદારોને મામલતદારનું પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતાં એક પણ મામલતદારની બદલી થઇ નથી, પરંતુ 14 નાયબ મામલતદારોની પ્રમોશન આપી બદલી કરાઇ છે. જ્યારે બનાસકાંઠા જિલ્
વિજાપુરના ખરોડ- લાડોલ રોડ પર લોડીંગ રિક્ષાના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી અને રોંગ સાઈડ જઈને કારને અથડાવી આગળના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું. કારચાલકની ફરિયાદ આધારે લાડોલ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો. વિજાપુર તાલુકાના ખરોડ ગા
ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. એટલે કે, કુલ વાવેતર પૈકી 42 ટકા વાવેતર બનાસકાંઠા થશે. જ્યારે વાવ-થરાદ જિલ્લાની 1,28,664 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વાવ
મહેસાણા હાઇવે પર ઊભેલી ટ્રકમાંથી રૂ.3 લાખ રોકડની ચોરી મામલે ખુદ ડ્રાઇવરે જ ચોરીનું તરકટ રચ્યું હોવાનું પોલીસે પૂછપરછ દરમિયાન પકડી પાડ્યું હતું અને ચોરીની ફરિયાદ દાખલ થયા પહેલાં જ તેનો ભેદ ઉકેલાઈ ગયો હતો. અમદાવાદથી પ્લાસ્ટિકની ખુરશીઓની રાજસ્થાન ડિલિવરી આપી તેના રોકડા રૂપ
મોરબીના વતની અને કેનેડામાં કાયમી રહેઠાણ ધરાવતા હર્ષદ મનજીભાઈ કડીવાર સામે તેમના પત્નીએ પુત્રેષણામાં બે વાર ગર્ભપાત કરાવી દીધાનો અને અમાનુષી સિતમ ગુજાર્યાની મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉમેર્યું હતું કે તેમને એક દીકરી તો છે પરંતુ દીકરાની લાલચે
સુરત શહેરમાં ગુનાખોરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી ચોરીની એક તાજેતરની ઘટનાએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અહીં એક મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સે જે રીતે 'ભક્તિ' પ્રદર્શન કર્યું, તે જોઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ બંને ચોંકી ગયા છે. આ સમગ્
દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. 4583.64 કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત 107 કિલોમીટર લાંબો 4 લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં આધુનિક અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દં

27 C