ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ)ને અમલી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. આ સત્રમાં કાયદાકીય સુધારા પસાર કરી મહિલાઓ માટે લોકસભા અને
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પોલીસે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, બાબરા તાલુકાના ઇંગોરાળા ગામના ધર્મેશ ઉર્ફે ધમો દેવાયતભાઈ ડેર (ઉંમર ૩૨)ની પાસા હેઠળ અટકાયત કરીને તેને પાલનપુર જિલ્
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ હાજર
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્
નરેન્દ્ર મોદી બહેનો માટે સુરક્ષા કવચ અને સાચા ભાઈ સાબિત થયા 33 ટકા અનામતથી સંસદમાં મહિલાઓની શક્તિ વધશે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલને દેશ માટે એક 'સુવર્ણ અને ક્રાંતિકારી' કદમ ગણાવતા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે, આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર-૧૪નું નામકરણ શહીદ વીર જયપાલસિંહ ભુપતસિંહ બારડના સન્માનમાં કરવામાં આવ્યું છે. આ શાળા હવે 'શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડ પ્રાથમિક શાળા' તરીકે ઓળખાશે. દેશ માટે શહાદત આપનાર વીર શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડના બલિદાનને યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અને ડૉ. વ્રજકુમારની સ્મૃતિમાં એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેંકડો લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ અને ગુજરા
અસહ્ય ગરમીમાં વાહનચાલકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. આ વ્યવસ્થા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અમલમાં રહેશે, જે દરમ
સરસ્વતી તાલુકાની વોમૈયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ સહિત 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેનાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન સિદ
અમદાવાદમાં જાહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ હવે દિન-પ્રતિદિન મારામારીની ઘટના બની રહી છે. નારોલ વિસ્તારમાં બાગે કૌસર પાસે ગોસીયા પાર્કમાં રહેતો અને સેન્ટીંગનું કામકાજ કરતો સમસાદ અન્સારી નામનો યુવક 9 એપ્રિલના રોજ અલીફ નગર ખાતે બાઈક સર્વિસ કરાવવા ગેરેજમાં
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ફાયર અને ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓએ ફાયર સ્ટેશન ખાતે એકત્ર થઈને ફાયર સેફ્ટી અને તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ફાયર ટ્રકો, રેસ્ક્યુ વાહનો અને અદ
પંચમહાલ LCBએ દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 6.44 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રથમ કાર્યવાહી ઘોઘંબા તાલુકાના ઝબાણ ગામે કરવામાં આવી હતી. બાતમીના આધારે LCB ટીમે વિનોદ રાઠવા નામના બૂટલેગરના રહેણાંક મકાનમાં દરોડો પાડ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દિવસેને દિવસે રંગ પકડી રહી છે. ઉમેદવારો જનસંપર્ક કરવા જઈ રહ્યા છે ત્યાં લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ 7માં આવેલા કોળી ફળિયામાં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે ભારે વિરોધ જોવા મળ્યો. આ વોર્ડમાં મહિલા ઉમેદવારનો રીપીટ કર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને શહેરીજનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન હિંમતનગરના શારદાકુંજ સોસાયટી પાસે આવેલા ડૉ. બાબાસાહ
ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને જામીન આપ્યા છે. એક કિશોર ઉપર ગેંગરેપ અને હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા કિશોર પર હત્યાનો આક્ષેપ થયેલો છે. પ્રોબેશન ઓફિસરે તેમનો ક્વાર્ટરલી રીપોર્ટ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડને આપવાનો રહેશે અને જરૂર પડે મનોચિ
ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મહિલા ઉમેદવારોની ગેરહાજરી મુદ્દે ઉઠેલા વિવાદે ચૂંટણીના માહોલને ગરમાવી દીધો છે. આ વિવાદ વચ્ચે ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે પતિનિધિ પ્રથા નહીં ચાલે અને મહિલા ઉમેદવારો સક્રિય વહીવટમાં આગળ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ પર સીધ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં પુરુષ સામાન્ય બેઠક ઉપર AIMIMના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે અંગે આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. પુરુષ સામાન્ય બેઠક ઉપર બે મેન્ડેડ અપાયા?વોર્ડ 1 માં AIMIMના બે ઉમેદવારો મહંમદ સલી
સુરત શહેરના સચીન GIDC પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મોટી સફળતા મેળવી છે. ATM કેબિન પાસે વોચ રાખી નાગરિકોના કાર્ડ સિફતપૂર્વક બદલી નાખી તેમના ખાતામાંથી નાણા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 54 એ
ગોધરા શહેરના શરાફ બજાર વિસ્તારમાં સોમવારે મોડીરાત્રે શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કેબલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ જોરદાર ભડાકા સંભળાયા હતા અને કેબલના તાર તૂટી પડ્યા હતા, જેના કારણે આસ
સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વર
વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરભરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ડોર-ટુ-ડોર કેમ્પેઇન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં મતદારોનો અસંતોષ પણ સામે આવી રહ્યો છે
જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની ૩૨૭મી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં સંગત જોડાઈ હતી. જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખી પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ. આજરોજ ૧૪ એપ્રિલના રોજ સવારે ૧૦:૩૦
વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગ, વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ચોરી કરેલી સુઝુકી એક્સેસ મોપેડ પર ફરી રહ્યો હતો અને ચોરીની સોનાની ચેઇન વેચવાના ઇ
રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણીને લઇ મિશન અજ્ઞાત અંતર્ગત ગઈકાલે કોંગ્રેસ બાદ આજે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ સહીત કુલ 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઇ જવાની ફરજ પડી છે. આપ અને કોંગ્રેસ દ્વારા ભાજપ સામે આક્ષેપ કરી ભાજપ તોડજોડની રાજનીતિ કરી ઉમેદવારોને તોડવા મહેનત કરતી
ભાવનગરના કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને કેંટરીગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને શખ્સો પાસેથી લીધેલા વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી અને ધાકધમકીથી ત્રસ્ત થઈ સુભાષનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે 52 બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને ડરાવી-ધમકાવી ફોર્મ ખેંચાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આક્ષેપો બાદ કોંગ્રેસે પોતાના 100થી વધુ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ અને રાજીનામાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહિલા મોરચાના હોદ્દેદારોના રાજીનામાંની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ કતારગામ વિસ્તારના જાણીતા ચહેરા અને પૂર્વ કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલિ
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી મીની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ છ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. GJ-1 ET 7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસ માર્ગ પર આડી પડી ગઈ હતી, જેના કારણે અકસ્માત
વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી કાળુ ગબ્બા રાઠોડ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ અકસ્માત નથી, પણ હત્યા છે. કેવી રીતે બનાવ બન્યો?મૃતક કાળુ રાઠોડ સુરતથી કામ અર્થે વાપી ગયા હતા. પરત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને તોડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને
તાપી જિલ્લા પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત હથિયારો જમા લેવા, નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા અને અટકાયતી પગલાં લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બન
નર્મદા જિલ્લામાં સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજપીપળાના આંબેડકર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ
બોટાદ શહેરમાં આજે અનુસૂચિત સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ મહારેલી જ્યોતિગ્રામ સર્કલ
ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અસ્ફાક અબ્દુલ બોકડાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર
મોરબીમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 'જય ભીમ'ના નારાથી મોરબીના માર
સાબરકાંઠા SOGએ હિંમતનગરમાંથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ ₹10,000 અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક ફરાર આરોપી સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. SOG સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્
ઈસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ તેના 11મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી 17 એપ્રિલ, 2026 શુક્રવારથી 20 એપ્રિલ, 2026 સોમવાર દરમિયાન કરશે. આ ચાર દિવસીય ઉત્સવ મંદિરના વાર્ષિકોત્સવ અને ભગવાનના આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. મંદિરનું ઉદ્ઘાટન 21 એપ્રિલ, 2015 ના રોજ અક્ષયતૃતીયાના શુભદિને કરવામાં આવ્યુ
10 એપ્રિલના રોજ વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ ડેપોમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે વૈકલ્પિક રસ્તા તરીકે સિટી બસ સ્ટેન્ડમાંથી બસોને એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી રહી છે. સિટી બસ સ્ટેન્ડમાં જગ્યા ઓછી હોવાથી જ્યારે એસટી બસો સિટી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધના કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક અને યુવતી બંને પરિણીત હતા અને બંનેને 2-2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. યુવતી તેની માતા પાસે રહેતીમ
ભરૂચ શહેરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેલી અને કેક કટિંગ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસં
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી સ્ટાફની પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ હતી. આ તાલીમ શિબિર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ અધિકારી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ભાવેશ ધામેલિયાને વોર્ડ નંબર-6થી મેદાને ઉતાર્યાં છે. એટલે કે ત્યાંથી ત્યારે ભાવેશ ધામેલિયા ઉર્ફે પાટીદારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમ
ભારતીય બંધારણના શિલ્પી, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની જૂનાગઢ શહેરમાં અત્યંત ભાવનાત્મક, સાંસ્કૃતિક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો નારો આપનાર મહામાનવને યાદ કરી જૂનાગઢના માર્ગો 'જય ભીમ'ના નાદથી ગુ
સુરતના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આજે (14 એપ્રિલ) અચાનક આગ ફાટી નીકળી છે. માર્કેટની એક દુકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે અ
આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિતે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ દ્વારા કાર્યાલયથી જશોનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા બાઈક રેલી,
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) સંલગ્ન ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન તથા પી. ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS) ના એસોસિયેટ પ્રોફેસર ડો. ગાયત્રી દવેની પ્રતિષ્ઠિત ભારતીય આર્કટિક અભિયાન 2026-2027 માટે પસંદગી કરવામાં આવી છે. તેમની રિસર્ચ પ્રપોઝલને બાયોલોજી થ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણી પ્રચારના શોરબકોર કરતાં વધુ ચર્ચા કોંગ્રેસની પડદા પાછળની રણનીતિની થઈ રહી છે. નિલેશ કુંભાણી પ્રકરણથી બોધપાઠ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સુરત માટે એક અત્યંત ગુપ્ત અને આક્રમક પ્લાન અમલમાં મૂક્યો
બોટાદ શહેરના સૌગણ નગર વિસ્તારમાં ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંબેડકર સાહેબના પૂતળાં પાસે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન 400થી વધુ બાળકોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ચોપડા, બોલપેન, આઇસ્ક્રીમ અને ચોકલ
સામાન્ય રીતે વહેલી સવારે લાંબી લાઈનો કોઈ મોટા સેલ, ધાર્મિક સ્થળ કે પ્રાઈવેટ સ્કૂલના ફોર્મ માટે જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ રાત ઉજાગરા કરી રહ્યા છે. અહીં એડમિશન
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતા પેસેન્જર પાસે ટિકિટ કરનાર રેલવેના કર્મચારી દ્વારા ટિકિટના કાયદેસરના પૈસા સિવાય વધારાના 10થી લઈને 500 રૂપિયા સુધીની માંગણી કરી પેસેન્જરને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ મળતા જ ACB દ્વારા છટકું ગોઠવવા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચોગોદ-લાડોલ રોડ પર રવિવારે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદથી પોતાના વતન શોભાસણ જઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું છે. અમદાવાદથ
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે, ખાસ કરીને આમ આદમી પાર્
પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિવાલયના ગેટ નંબર-3 પાસે ફરજ પર તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામા
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 'ઓપરેશન લોટસ' હેઠળ 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ ખેંચાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા ભાજ
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઇન્ચાર્જ SP વેદિકા બિહાનીની અધ્યક્ષતામાં A ડિવિઝન પોસ્ટેથી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઇન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધીંગાણામાં બંને પક્ષે કપડાં ફાડી નાખવા સુધ
વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના રાત્રે 23:40 કલાકની આસપાસ બની હતી. નોંધનીય છે કે, મૃતક અધિકારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂં
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને સામાજિક કાર્યકરો દ્વ
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. બાઈક પર બેઠેલા એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજ
ભાવનગરના સરદારનગર સ્થિત નંદાલય હવેલીમાં 13 એપ્રિલ 2026ના રોજ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ સંકલ્પ ભાવનગર વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નવનીતલાલજી મહારાજની આજ્ઞા અનેઆન
સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી ગઇકાલે(13 એપ્રિલ) મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી. રાજસ્થાનથી દારૂ ભરીને નરોડા લવાઈ રહ્યો હતો ત્યારે પીસીબીની ટી
હવામાન વિભાગ દ્વારા 14થી 20 એપ્રિલ સુધી શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ તાપમાનમાં સતત વધારો થશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં શહેરના લાંભા, ચાંદખેડા, નરોડા અને રામોલ નજીક આવેલા વાંચ ગામમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જા
તાજેતરમાં ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલા આ કેસને લઈ લોકોમાં ખૂબ
અખાતી પ્રદેશમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ ભારતીય દરિયાઈ વેપારમાં નવી ગતિ જોવા મળી રહી છે. 20,400 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવી રહેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’ આવતીકાલે 14 એપ્રિલના રોજ કંડલા બંદરે લાંગરશે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી
કચ્છ જિલ્લાના પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ ગણાતી ‘સરહદ ડેરી’ (કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)એ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં પ્રગતિના તમામ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ સર્જ્યો છે. ડેરીએ વાર્ષિક ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે, જે ગત વર્ષની તુલનાએ 4.64%
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લા પંચાયતની સંપૂર્ણ 38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કચ્છમાં એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ શકી નથી અને આશ્ચર્યજનક રીતે કોઈ પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી
ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલના નવનિર્માણ મુદ્દે 4 વર્ષથી ચાલતી ઉદાસીનતા હવે નાગરિકોમાં રોષ અને નિરાશા બંને જગાવી રહી છે. જર્જરિત હાલતને કારણે પુલ પર અવરજવર બંધ છે તથા દિવાલ બનાવી અને કોઈ પ્રવેશે નહીં તેની વ્યવસ્થા કરી છે, ત્રણેક વખત ટેન્ડર બહાર પડ્યા, પરંતુ પુનઃનિર્માણ માટ
શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની યોજના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 3700 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. વાલીઓ 17 એપ્રિલ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન
તાલુકાના વરલી ગામે રહેતા અને કેરા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ બરાડીયા પોતાના ઘરે જતા હતા ત્યારે હાજાપર-થરાવડા વચ્ચે રાત્રિના સમયે તેમને આંતરીને છરી બતાવી મોબાઈલ, દસ્તાવેજો પડાવી લેવાયા હતા. જે અંગે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરાયો હતો. પદ્ધર
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 4 એપ્રિલે જાહેર કરેલ આદેશ મુજબ વિવિધ એકમોમાં પનીરની જગ્યાએ ‘એનાલોગ’ના ઉપયોગને લઈને માર્ગદર્શિકા અમલમાં મૂકાઈ છે. જે મુજબ દૂધની જગ્યાએ વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પોથી તૈયાર કરાતા ઉત્પાદનોને પનીર તરીકે વેચવું કે રજૂ કરવું કાયદ
ભુજમાં ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનું અનિયમિત વિતરણ વર્ષોથી લોકો માટે મુખ્ય સમસ્યા બની રહી છે. નર્મદા નહેરનું પાણી અને સ્થાનિક સ્ત્રોત હોવા છતાં પુરતા પ્રમાણમાં સંગ્રહ વ્યવસ્થા અને યોગ્ય વ્યવસ્થાપનના અભાવે નાગરિકોને નિયમિત પાણી મળતું નથી. વોર્ડ નંબર 8માં વાલદાસ નગર અને હ
ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે કુલ 133 ઉમેદારી ફોર્મ ભરાયા હતા. જેની સોમવારે સવારથી ચકાસણી શરૂ કરાઈ હતી. ચૂંટણી આયોગના નિયમ મુજબ જરૂરી દસ્તાવેજોના બીડાણ સાથેની ખરાઈ કરવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર સ્ટેમ્પ ડ્યુટીને અનુક્રમે વોર્ડ નંબર 1 થી 6 અને 7 થી 11 ની તપાસ માટેની
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્
જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવા અંગે ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય હોવાનું સાબિત થતાં ફોર્મ મંજુરથયું હતું. બીજી તરફ કરજણ તાલુ
અકોટાની અજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં મુસ્લિમએ મિલકત ખરીદી હોવા અંગે અશાંતધારાની પરવાનગી રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અજીત કો.ઓપ.હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કમલનયન દેસાઈના જણાવ્યા અનુસાર, સોસાયટીના પ્લોટ નંબર 228માં રહેતા સભાસદ અંકિતા પ્ર
પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારત રત્ન ડો.આંબેડકરનો સામાન લઇ આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું હતું. તે સમયે સયાજીરાવ ગાયકવાડે નુકસાની બદલ વળતર આપ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો હતો, જેમાં આ ઘટના બની હતી. 1917ના જુલાઇમાં ઇંગ્લિશ ચે
ઘરના જ ઘાતકી. આ કહેવત અત્યારે કોંગ્રેસે બરાબર લાગુ પડે એમ છે કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે. ફોર્મ ભરવું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઇને ભાજપના ઉમેદવાર બની જવું. દાહોદ હોય કે વાવ-થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય? ઉમેદવારોના વિશ્વાસઘા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામવા લાગ્યો છે ત્યારે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત રાજકીય અદાવતમાં ખેલાયેલા ખૂની ખેલની. જેની હત્યા થઇ તે ગામના પૂર્વ સરપંચ હતા. 6 લોકોએ ભેગા મળી લાકડીના 88 ફટકા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
એનએસયુઆઇએ યુનિ.માં એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલીવુડ સોન્ગ પર ડાન્સના મુદ્દે ફરીયાદ કરવાની માંગ કરી હતી. કોઈ અન્ય સંગઠને આ કર્યું હોત, તો અત્યાર સુધી પોલીસ ફરિયાદો થઈ હોત તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઇના આગેવાનો દ્વારા યુનિ.ના વીસીને આવેદન પત્ર આપીને જવાબદા
માતા અને બાળકને રેડિયેશનથી સુરક્ષિત રાખવા માટે સ્માર્ટ ટેક્સટાઇલ સોલ્યુશન વિકસાવામાં આવ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસટાઇલ એન્જીનીયરીંગ વિભાગના વિદેશી વિદ્યાર્થીએ રીસર્ચ કરી ગર્ભવતી મહિલાઓને હાનિકારક રેડિયેશનથી સુરક્ષિત રાખવા સ્ટેનલેસ સ્ટીલ
દશરથ ચોર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા ગામમાં ભગવાન એકલિંગજી મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. છોટાલાલ જોષી પરિવારના યજમાન પદે રવિવાર, 12 એપ્રિલે આ મહોત્સવ યોજાયો હતો. પાટોત્સવના પ્રારંભે ગામના મુખ્ય મંદિરેથી પૂજા સ્થળ બ્રાહ્મણ ફળિયા સુધી ભગવાન એકલિ
માંજલપુર ખાતે જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વીવાયઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લ,
કોર્પોરેશન, જિ.પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે.ગત ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઇ હતી, આ વખતે ભરઉનાળે મતદાન થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલે પારો 42 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે શાળાઓમાં વેકેશન હશે, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે. નોંધની
પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ ચૂંટણીમાં બિનહરીફ થવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. બે-ત્રણ દિવસથી ભાજપના નેતાઓ કોંગ્રેસના 3 ઉમેદવારોના ઘરે જઈ ચૂંટણી
વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનાં ઉમેદવારીપત્ર સાથે સોગંદનામામાં રસપ્રદ વિગતો સામે આવી છે. બંને પક્ષોના 53 ઉમેદવારો 41-50 વય જૂથના છે, જેમાં સૌથી યુવા ઉમેદવાર વોર્ડ 9ના 22 વર્ષનાં દિશા પારેખ (કોંગ્રેસ) છે, જ્યારે સૌથી વૃદ્ધ 75 વર્ષનાં વોર્ડ 16ના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (કોંગ
મોડાસાના વાંટડા (કાબોલા)માંથી 10 દિવસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને એલસીબીએ રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી આરોપીને ભોગ બનનાર સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં આવેલ વાંટડા (કાબોલા) ગામેથી આરોપી દિક્ષિતકુમાર લાલાભાઈ ખાંટ ર
ખેરોજથી કોટડા હાઇવે પર મહત્વના લાંબાડીયાથી કોટડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલું રોડ રિપેરિંગ અને ઢાળ દબાવવાનું કામ હવે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે આ મા

31 C