વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો
અમદાવાદ શહેરના ફાયર વિભાગના એક કર્મચારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. ફાયરના કર્મચારીએ યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે મુલાકાત કરીને અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું .આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વાર સંબંધ બ
દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આજે 17 માર્ચના રોજ અમદાવાદની મુલાકાતે આવવાનું છે. પાંચ દિવસ અમદાવાદ ખાતે આ પ્રતિનિધિ
ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના જવાહર મેદાન નજીક વાલ્મીકીવાસ સામે બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલા કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી 607 બોટલ નશાકારક કફ સીરપ તથા મોબાઇલ મળી કુલ રૂ. 89,408નો મુદ્દામાલ જપ્ત કરી
ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને લઇને ભારત દેશમાં ગેસ સિલિન્ડરનો કકળાટ ચાલુ થવા પામ્યો છે ત્યાં સુધી કે તેનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો ઘણાં સ્થળે કાળાં બજાર થતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. તેવા સમયે કંપની દ્રારા એક વોટ્સએપ નંબર તાકીદે જાહેર કરીને ના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટેની આજે 16 માર્ચના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખાનગી એજન્સીને પરીક્ષાની કામગીરીની સોંપણી તેમજ અનામત નીતિનો અમલ ન કરાયાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષા લેવામાં આવશે તો કોર્ટના દ્વાર ખખડાવવાની
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામના ખેડૂત નિતુભા કરણુભા ગોહિલની હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી કિરણ ઉર્ફે કરો ભાઈલાલ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 16 ડિસેમ્બર, 2023ના રોજ બની હતી, જ્યારે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કરવામા
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહમાં સિંહોના સંરક્ષણ અને જાળવણી માટે વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે આફ્રિકામાં તેમની સંખ્યા ઘટી રહી છે. ધારાસભ્ય મકવાણાએ સિંહોના રહેણાંક વિસ્તારમાં થઈ રહેલા વધારા પર ભ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ખાણો ખોદી અને પથ્થરની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારની ફરિયાદો પોલીસ વિભાગ અને તંત્રને મળી હતી, જે આધારે સુરેન્દ્રનગરના લીમડી ડીવાયએસપી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, સાયલા પોલીસની ટીમો, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને મહામંત્રી ભાવેશભાઈ મકવાણાનું સુરેન્દ્રનગરના નમો કમલમ્ ખાતે તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાજેતરમાં ભારતીય જનતા પાર
વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સીધી અસર હવે સુરતના શાન સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના સચિન GIDC ખાતે આજે રેપિયર જેકાર્ડ એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં યાર્ન અને ઝરીના રો-મટીરિયલમાં થયેલા 40% સુધીના ભાવ વધાર
ગાંધીનગરના સુઘડના શિખર બંગ્લોઝમાં તસ્કરોએ ધાબાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશીને બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટનું સેફ તોડીને 28.50 લાખ રોકડા તેમજ 10 તોલા સોનાના દાગીના મળીને આશરે 45 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ ચોપડે નોંધાઈ છે. મણિભાઈ તેમના પત્ન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 'સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026'નું સોમવારે ભવ્ય સમાપન થયું. સરસાણાના એક્ઝિબિશન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલેલા આ મેળાએ બિઝનેસ અને મનોરંજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે એક્ષ્પોમાં માત્ર નવી ગાડીઓનું પ્રદર્શન જ નહીં
વડોદરા શહેરમાં બે વર્ષ પૂર્વે આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા ઉપરાંત ભવિષ્યમાં પૂર ન આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી માટે કમિટીનું ગઠન કરવાં આવ્યું હતું, જેઓ દ્વારા ચોથો રિપોર્ટ
મોરબીના કંડલા બાયપાસ રોડ પર નજીવી બાબતે વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. ટ્રક હટાવવાની વાત પર શરૂ થયેલા ઝઘડામાં આરોપીઓએ શોરૂમમાં ઘૂસી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે મો
ગુજરાતમાં આગામી ચાર દિવસ, એટલે કે 18 માર્ચથી 21 માર્ચ, 2026 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ માટે આગોતરા સા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં સગીરાને ગર્ભવતી બનાવનાર 60 વર્ષના આધેડને કોર્ટમાં રજૂ કરાયા બાદ સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે. બાળકને જન્મ આપનારી સગીરા હાલ ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકમાં 60 વર્ષના આધે
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં વર્ષ 2022માં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાના કેસમાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી પ્રફુલ ઉર્ફે કાળીયા સોલંકી 7 વર્ષના માસુમ બાળકને કબુતરનું ઈંડું બતાવ
રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નાગેશ્વર એપાર્ટમેન્ટ પાસે પડેલી સફેદ રં
મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે પેટ્રોલીયમ અને ગેસની અછત સર્જાઇ રહી છે. ગુજરાત શહીદ દેશભરમાં LPG ગેસની અછત વર્તતા ગેસની બોટલની કાળા બજારીએ સામાન્ય લોકોના જીવન પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. રાંધણ ગેસની ચાલી રહેલી અછતના પગલે ગોમતીપુર વિસ્તારમાંથી 9 ભરેલા ગેસના
નકલી લવાદ તરીકે હુકમો કરનાર મોરીસ ક્રિશ્ચન સામે વર્ષ 2011માં વકીલ ન હોવા છતાં એક પક્ષકાર તરફે વકીલના ડ્રેસમાં ઉપસ્થિત થવાના આરોપમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જોકે, સાહેદો ફરી જતા અને પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટા
સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટનામાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર 12 વર્ષ અને 5 માસની માસૂમ બાળકી, જે હજુ જીવનના પાઠ શીખી રહી હતી, તેને હવસખોર પાડોશીએ પોતાની જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. આ ચકચારી કેસમાં 9મા એડિશનલ સેશન્સ જજે આરોપી રબીઉલ
મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીએ પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા સદસ્યો અને કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારી વધારવા માટે સહ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીના બાળલગ્ન તંત્ર દ્વારા સમયસર અટકાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કડાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ લગ્ન થવાના હતા અને વરરાજા જાન લઈને પહોંચે તે પહે
સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન થયું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાના હેતુથી આ મેળાનું આયોજન કરાયું હતું. કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 'આત્મા' પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કે
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વારોદર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા પોતાની મોટરસાયકલ પર કોઈ કામ અર્થે મોરવા ત
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચ્યા છે. યુદ્ધની આડમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સાથે સાથે અનેક જગ્યાએ કૃત્રિમ અછત અને કાળાબજારની ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્ર
જામનગર શહેરના સીટી 'એ' ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. કુખ્યાત તસ્કર એજાજ ઉર્ફે એજલો અને તેના બે સાગરીતો સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. 15 મ
પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાપટના સર્વે નંબર 416 માં આવેલી અંદાજે 27,200 ચોરસ મીટર ખેતીલાયક અને 1,000 ચોરસ મીટર રહેણાંક જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ કરાયેલી જમીન પર બાજરો અને ઘાસચારાન
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે 16મી માર્ચના રોજ પૂર્ણ થતાની સાથે જ વહીવટી ધુરા હવે અધિકારીઓના હસ્તક ગઈ છે. આવતીકાલ 17મી માર્ચથી જિલ્લા પંચાયત સહિત જિલ્લાની ત્રણ મુખ્ય તાલુકા પંચાયતોમાં વહીવટદારના શાસનનો સત્તાવાર પ્રારંભ થશે. આ ફેરફારને પગ
હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 2, 8, 9, 10 અને 11 સહિત પાંચ વોર્ડના નાગરિકો માટે ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા સિવિક સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલે આજે હાઇકોર્ટ સમક્ષ જવાબ આપ્યો હતો. જે મુજબ મેટર અત્યારે સરકાર હસ્તક છે અને આગામી સમયમાં વિધાનસભામાં બિલ મુકવાની શક્યતા છે. જોકે, ચાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આજે સંપન્ન થઈ છે. ગોધરા સહિત રાજ્યભરમાં અંતિમ દિવસે બાયોલોજીનું પેપર લેવાયું હતું. પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર રાહતનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિદ્ય
ગઈકાલે દમણના દેવકા વિસ્તારમાં સેન્ડી રિસોર્ટ સામે મુખ્ય માર્ગ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાના પ્રયાસમાં મારુતિ ઈગ્નિસ અને હ્યુન્ડાઇ અલકાઝાર કાર ટકરાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને વાહનોના ટાયર અને
ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાના હેતુથી નવા ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ઈએમઆરઆઈ ગ્રીનહેલ્થ સર્વિસના સહયોગથી આ રથ શરૂ કરાયો છે. જિલ્લા પ્
ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા જ રોડ પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવામાં તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ આ સ્થળે વધુ એક આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ નીપજતા ઈન્દ્રોડાના સમસ્ત ગ્રામજનોએ કલેક્
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કર
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) અને અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP) ના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે ‘MyoNova’ નામનો એક હર્બલ આધારિત માઇક્રોનીડલ ટ્રાન્સડર્મલ પેચ વિકસાવ્યો છ
વડનગરની ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ પેઢીના નામે રોકાણકારો સાથે અંદાજે 2.11 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સેશન્સ જજ એ.એલ. વ્યાસ સાહેબે આરોપીને જામીન પર મુક્
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલાએ પોતાની દીકરી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. મહિલાનો કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ અભય
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 35મી દીક્ષા જયંતીના પાવન અવસરે સંયમ અને શાસન પ્રભાવનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ ગુરુદેવને માનવતા અને જીવદયા અત્યંત પ્રિય છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે તેમના દ્વારા પ્રેરિત 'અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર' દ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આજે સાંજે એક મીની ટેમ્પો રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અંકિત મિલ્ક પેલેસના મીની ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પ
સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત, તેમના હસ્તે ત્રણ દિવસીય ચેસ સ્પર્ધાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. ડીજીપી કપ અંતર્ગત આયોજિત આ ચેસ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના ડુંગરો પર સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ડુંગર પરની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની શરૂઆતમાં ડુંગર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રાત થતાં અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ
પાલનપુરના ચડોતરમાં આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરના એક કર્મચારીને લાંચ લેતા પાટણ ACBએ ઝડપી પાડ્યો છે. રહેમતુલ્લા ઘોરી નામના આ કર્મચારીએ CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. 3000ની લાંચ માંગી હતી. પાટણ ACBને ગુપ્ત માહિતી મળી હતી કે, ચડોતર સ્થિત GHV ફિટનેસ સેન્ટર ખાતે વાહનોના કોમર્શિ
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા થી સીદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ બન
આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો 'ચરોતર સાહિત્ય ઉત્સવ-2026' સંપન્ન થયો છે. શિક્ષણ અને સાહિત્યની પવિત્ર ભૂમિ પર આયોજિત આ મહોત્સવમાં સાહિત્યકારો, શિક્ષણવિદો અને અગ્રણીઓની હાજરીમાં સાહિત્યિક ચેતનાનો પર્
રાજકોટ રેન્જ જેલ આઈજી ગિરીશ પંડ્યાએ સોમવારે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મોરબીમાં બનનારી નવી જેલ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેનાથ
ભારત સરકારે 2027માં દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી છે. આ દેશની પ્રથમ ડિજિટલ જનગણના હશે, જે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો, ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing Operation – HLO), 20 એપ્રિલથી 19 મે, 2026 દરમિયાન હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ, કુટુંબને
સુરતમાં ગત 14 માર્ચના રોજ માનવતા અને જનજાગૃતિનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 101 પિતાવીહોણી દીકરીઓ લગ્નની વિધિઓના બે દિવસ બાદ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. આ દીકરીઓએ હા
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરીના હિસાબ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના ગુનામાં આહવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસ મહાનિર
માણસા તાલુકાના આનંદપુરા (વેડા) ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ખેડૂતના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 36 લાખથી વધુની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડની
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્ય
અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરના સંતો 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. આ દરમિયાન 20 માર્ચે માધાપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમનો પાટોત્સવ ઉજવાશે. 18 માર્ચ, બુધવારના રોજ કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. ત્યાંથી તેઓ ભાકાસર અને બળદીયા
ગીર સોમનાથ પોલીસે ચેક બાઉન્સ કેસમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે કુલ રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ અલગ-અલગ કોર્ટના સજા વોરંટ અમલમાં હતા. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગ
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. UGVCLના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ
ગણપત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં “ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા: પાથવેઝ ટુ વિકસિત ભારત–2047” વિષય પર 11મી બાય-મન્થલી ‘અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામનવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ
આણંદ સ્થિત અમૂલ ડેરીએ ઓડ ખાતેના સિમેન સ્ટેશનમાં અમૂલ ગૌસોર્ટ અને અમૂલ GE-NOVA સેક્સડ સીમેન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધાળા પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવાના મહત્વપૂર્ણ અભિયાનના ભાગરૂપે આ લેબ્સ શરૂ કરવામાં આવી છે. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારના હસ્તે આ ઉદ્ઘાટન કર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ફેકલ્ટી ઓફ કોમર્સ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Print Ads That Persuade: A Hands-On Consumer Psychology Workshop નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ 16 માર્ચ ના રોજ ફેકલ્ટી ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડિંગના કોમ્પ્યુટર લેબ ખાતે યોજાયો હતો. આ કાર્ય
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવ
લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વ. લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષનું વિશેષ વ્યાખ્યાન આજે ગદાપુરા સ્થિત લાયન્સ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ની બેઠક હરિયાણામાં યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક માળખાને લઈને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સંઘ હવે દેશભરમાં કેન્દ્રીય વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં હવે બે પ્રાંત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ રૂ. 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામે ચાલતી રેતીની લીઝ પર ગ્રામજનોએ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ લીઝ સંચાલક પર નિર્ધારિત હદ બહાર અને રાત્રી દરમિયાન રેતી ખનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે, જ્યાં કાયદેસર અ
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 75 કરોડ રૂપિયાનું બજેટ 1 કરોડ રૂપિયાની પુરાંત સાથે મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહે
સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષસિંગ રાજપૂત નામના યુવકને 8થી 10 શખસે ઘેરીને હત્યા કરી નાખી હતી. આ હત્યામાં ભાજપના
ભાવનગર શહેરના કાળાનાળા, તખ્તેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા છળકપટથી મિલકતોના સોદા પાડવામાં આવતા હોવાની રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિ
પાલનપુર નગરપાલિકાએ ઘરવેરા અને વ્યવસાય વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચનાથી આશરે 500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાએ બાકી વેરો નિર્ધારિત સમયમર્યાદામાં ભરવા તાકીદ કરી છે. જો સમયસર વેરો જમા નહીં કરાય, તો સ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ઇટાળવા સ્થિત 'અવધ રેસિડેન્સી'માં 41 રહેણાક મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેરો નહીં ભરાય તો વીજળી અને પાણીના કનેક્શન કાપવા સુધી
જામનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે PGVCL ટીમ સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને ડ્રગ્સ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹12.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલી
PNG-LPG બંને હશે તો LPG સરેન્ડર કરવું પડશે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને જોતા સરકારનો નિર્ણય.. જો પીએનજી કનેક્શન એટલે કે ગેસ લાઈન અને એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એલપીજી સરેન્ડર કરાવવું પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસની અછત-કારખાના બંધ
દેશમાં ગેસ પુરવઠાની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સરકારી અનાજ-કેરોસીન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સુરત કલેક્ટર સાથે મુલાકાત કરી કેરોસીન વિતરણ વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે ગેસની તંગ
નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. કે.પી.
ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણે પોતાની અઢી વર્ષની ટર્મના અંતિમ દિવસે શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ભુરાવાવ વિસ્તારના વર્ષોથી પડતર મુખ્ય રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવતા કરોડોના ખર્ચે નવા રસ્તા બનાવવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, ગણેશનગરથી નાલ
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹6,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ અધિકારી કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' હેઠળ માછીમારોને
યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને સંભવિત ગેસ અછતની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેર
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે, 16 માર્ચ 2026ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2016ની 11 જુ
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરીના સોસાયટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કંચન' પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોને ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્
સુરતની 22 વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદ ખાતે 6 થી 10 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 7મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવીને સુરત અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે એક અકસ્માતમાં જમણો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપરની પરીક્ષા યોજાઈ હતી. બાયોલોજીના પેપર સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી પરીક્ષાના અંતિમ પેપર હોવાથી વિ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમ
સ્માર્ટ સિટી સુરતમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સુરત મહાનગરપાલિકાની મિકેનિકલ સ્વીપિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 15 માર્ચ, 2026ની રાત્રે મોટા વરા
હિંમતનગરમાં નકલી પોલીસ બનીને આઠ લાખ રૂપિયાનો તોડ કરનાર બે આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના એક મહિના પહેલા બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ, આરોપીઓએ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવી હતી. પડીક
જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ 'એક વ્યક્તિ અને બે હોદ્દા'નો વિષય ભારે ચર્ચામાં આવ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં સામાન્ય રીતે એક વ્યક્તિને એક જ જવાબદારી સોંપવાનો નિયમ હોય છે પરંતુ, રવિનાબેન મેઘનાથી નામના કાર્યકરને શહેર અને જિલ્લા એમ બંને સંગઠનમાં સ્થાન મ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડીયા ગામે રવિવારે સાંજે ખેતરમાં જવાના રસ્તાના જૂના વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. 15 જેટલા વ્યક્તિઓના ટોળાએ ધારદાર હથિયારો અને લાકડીઓ સાથે પરિવાર પર હુમલો કરતા 31 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ હિંસક ઘટન
સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં સકારાત્મક વર્તણૂક પરિવર્તન લાવવા માટે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજા
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતા સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી કલ્પનાબેનના 2.600 કિલો વજન ધરાવતા નવજાત શિશુને જન્મજાત ગંભીર ખામી હોવા છતાં જટિલ સર્જરી દ્વારા નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. શું હતી બાળકની ગંભીર

27 C