સુરત મહાનગરપાલિકા દ્વારા 19 ફેબ્રુઆરી, 2026ના રોજ અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવાની જાહેરાત કરી છે. પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરથાણા જળ વિતરણ મથકથી ખતોદરા થઈ અલથાણ, વેસુ અને ડુમસ જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરતી 1016 મી.મી. વ
દાત્રડ ગામ પાસે આવેલ શેત્રુંજી નદીપટ્ટમાંથી ગેરકાયદેસર ખનન પર ત્રાટકી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજરોજ તળાજા તાલુકા ના દાત્રડ ગામ પાસે આવેલ શેત્રુંજી નદીપટ્ટમાં ડ્ર
ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા વહીવટી હિતમાં મોટાપાયે બદલી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ વર્ગ-2 અને વર્ગ-3ના કુલ 28 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ આદેશ GIDC મુખ્ય કચેરી
દાહોદ શહેરમાં એક માસૂમ બાળકી સાથે શારીરિક છેડતીની ઘટના સામે આવી છે. આ મામલે દાહોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કસ્બા વિસ્તારમાં રહેતા સિદ્દીક ઉર્ફે કાલિયા નામના શખ્સે એક માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી ત
સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને અન્ય મહોત્સવોની આતુરતાનો હવે અંત આવ્યો છે. જોકે, પુસ્તક પ્રેમીઓએ થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે અગાઉ 20 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ મેળો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને પગલે 22થી 26 ફેબ્રુઆરી
વઢવાણ શહેરના સાંકડી શેરી અને લોખંડનો દરવાજો જેવા વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર અછતને કારણે સ્થાનિક રહીશોએ, ખાસ કરીને મહિલાઓએ, રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારોમાં પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર
સુરેન્દ્રનગર પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી રંગીતભાઈ બાદરભાઈ મીનામાને અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 454 અને 457 હેઠળ ગુનો નોંધાયેલો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ
બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવાના હેતુથી આજરોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે એક ‘સંગીત સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સ્થાનિક કલાકાર જીતુ જેકસનના સથવારે યોજાયેલા
ભાવનગર શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા એક વેપારી પાસે ચાર કિન્નરોએ 100 રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા 20 આપતા તેઓએ લેવાનો ઇનકાર કરી વેપારી પર હુમલો કર્યો હતો. પાઈપ અને ઢીંકાપાટુ વડે મારમારી વેપારીના શર્ટના ખિસ્સામાંથી રૂપિયા 150 લૂંટી લીધા હતા. ત
અમરેલી જિલ્લાના ધારી અને લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓએ આતંક મચાવતા બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે, જ્યારે લીલીયાના પીઠવાજાળ ગામે દીપડાએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી છે. મહિલાનો શિક
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6.18 કરોડના ‘હાઇડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજા) કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસે આ આખા રેકેટના મુખ્ય સૂત્રધા
સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં અને ખાસ કરીને પોક્સો એક્ટ હેઠળ સુરતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ 12 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ વાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવનાર કિશોરને જુવેનાઇલ કોર્ટે 20 વર્ષની સખત સજા ફટકાર
મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રૂ. 9.37 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કાનું પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને શુદ્
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં એક પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.50 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટના ગોલતર પા વિસ્તારમાં બની હતી, જ્યારે મકાનમાલિક બહારગામ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજના પ્રોફેસરનું મકાન બંધ હતું ત્ય
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાત ટોપર રહ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તે
રાજકોટ શહેરમાં પહેલો સગો પડોશીની કહેવતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. રાજકોટના પેડક રોડ પર રણછોડવાડી ગેઈટ નંબર 2માં શેરી નંબર 3માં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈ હરગણ (ઉ.વ.33)ના બંધ મકાનમાંથી પાડોશમાં જ રહેતા જયેશ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈ ગામીએ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત
સુરતમાં આજે આગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી, જેમાં એક સ્થળે રાંધણ ગેસના લીકેજને કારણે ઝૂંપડાઓ બળીને ખાખ થયા હતા, જ્યારે બીજા બનાવમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આભવા ચોકડી પાસે ગેસ લીકેજથી આગમાં10 ઝૂંપડાઓ ખાખ આગના પહેલા બનાવમાં, સુરતના આભવા ચોક
મોરબી શહેરમાં મહાશિવરાત્રીના દિવસે નોનવેજનું વેચાણ ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકા દ્વારા કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમ છતાં તેનો ભંગ થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળ દ્વારા આ મા
પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ મહેસુલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, iRCMS હેઠળ લાંબા સમયથી પડતર રહેલા કેસોના ઝડપી અને પારદર્શક નિ
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી અંબિકા નહેરમાં અચાનક પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર્વ સૂચના વિના છોડાયેલા પાણીને કારણે ખેડૂતોના લાખો રૂપિયાના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિએ નહેર વિભાગ દ્વ
વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27ના બજેટની મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે વિપક્ષના વિરોધ બાદ મંજૂર કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી માટે સમાજ કલ્યાણ વિભા
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતેજ વિસ્તારમાં પુર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને અંબાજી મંદિર નજીક તળાવ પાસે ચાલતા વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ કરી રૂ.3.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, આ રેડ દરમિયાન બુટલેગરો અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા
ગઢડાના સાજણાવદર ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ છે. વાડીમાં ચાલવાના રસ્તા બાબતે થયેલા ઝઘડામાં બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ગઢડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજુભાઈ શંભુભાઈ ચૌહાણ અને ટીચુભાઈ તળસીભાઈ ચૌહાણ વચ્ચે વાડીન
જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી વિશાલસિંગ જશવીરસિંગ મટુ નાસી છૂટ્યા બાદ પંજાબથી ફરી ઝડપાઈ ગયો છે. તેને જામનગર પરત લાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જામનગર નજીક મોટી ખાવડી ગામ પાસેથી SOGએ પંજાબના ચાર શખ્સોને 418 ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજ દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારીનું વાતાવરણ ઊભું કરવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં આવતા ભાગોળ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ અધિકારીને હાજર રહેવા સૂચના અપાઈ હતી છતાં નાયબ
ભારત અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના મુજબ, રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ લાભાર્થીઓની સચોટ ઓળખ સુનિશ્ચિત કરવાનો, નકલી લાભાર્થીઓને દૂર કરવાનો અને યોગ્ય વ્યક્તિ સુધી સરકારી અનાજનો લાભ પહોંચાડવ
સુરત શહેરમાં જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણીના આત્મહત્યાના મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. આ કેસની તપાસ કરી રહેલા 'જી' ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી ઝેડ. આર. દેસાઈએ મીડિયા સમક્ષ તપાસની મહત્વની વિગતો રજૂ કરી છે. મિત્ર સાથે સમાધાનની વાત નિષ્ફળ ગઈપોલીસના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 6
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાડુકા ગામની સીમમાંથી રૂ. 24,08,640 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ સોમાસર ગામથી ડોળીયા તરફ જતા રોડ પાસેના ખરાબામાંથી મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ આગા
રાજ્ય સરકારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજયકુમાર ખરાડીની નિમણૂક કરી છે. અગાઉના પ્રભારી સચિવની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ હેઠળ પસંદગી થતાં આ જગ્યા ખાલી પડી હતી. સરકારના જાહેરનામા દ્વારા આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. નવા પ્રભારી સચિવ હવે જિલ્લાન
મહેસાણા તાલુકાના પાલોદર ગામે તળાવમાંથી માટી કાઢવા જેવી બાબતે ગત રાત્રિએ મારમારીની ઘટના સામે આવી છે. ગામના જાગૃત યુવકે તળાવમાંથી માટી ખોદવાનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખસોએ પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પ
અમદાવાદના ઘાટલોડિયામાં થયેલી રૂ. 13 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ઘાટલોડિયામા રહેતો પરિવાર જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયો હતો.તે સમયે તસ્કરોએ ઘરના ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને સોના ચાંદીના 13.03 લાખના દાગીનાની ચોરી કરી હતી.ઝોન-1 એલસીબીએ ચોરી બાદ 200થી વ
પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી ડામવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અધિક્ષક ઈજનેર એન.એન. અમીનના માર્ગદર્શન હેઠળ કુલ 35 વીજ ચેકિંગ ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ભથારીયા, ઈંગરોડી, લીલાપુર, દેવસર, હેમંતપર, મોરથલા, નાવ
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના બેંગલોર સ્થિત આતંરરાષ્ટ્રીય કેન્દ્ર પર દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓની ભવ્ય ભક્તિમય ઉપસ્થિતિ રહી જ્યાં તેઓએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ ઉજવણીમાં ભક્તિમય સત્સંગ તેમજ મહારુદ્રપૂજા નું આયોજન કરવામાં આવ્યું હત
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ટીબી મુક્ત અભિયાન 2.0 અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 92 ગ્રામજનોના એક્સ-રે કરવામાં આવ્યા, જેનાથી ટીબી જેવા ચેપી રોગનું સમયસર નિદાન શક્ય બન્યું છે. કેન્દ્ર સરકારે દેશને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.
ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સુશ્રી શાહમીના હુસૈને આજે વેજલપુર સ્થિત મિશ્રશાળા–15 ની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોને મળતી શૈક્ષણિક સેવાઓ અને સુવિધાઓનું સ્તર સુનિશ્ચિત કર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ફાયર વિભાગે બે અલગ-અલગ ઘટનાઓમાં કાર્યવાહી કરી હતી. પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા સ્થિત અનંતા કોલ્ડ સ્ટોરેજમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી. આ ઉપરાંત, હિંમતનગર તાલુકાના અર્જનપુરા ગામમાં એક કૂવામાંથી આધેડ પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્ય
મારવાડી યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ઈશ્વરિયા ગામે તા.16 થી 22ફેબ્રુઆરી દરમિયાન વિશેષ ગ્રામ્ય શિબિરનો પ્રારંભ થયો છે. આ શિબિર યુવાનોને સમાજસેવા સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ શિબિર ગ્રામ વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ, ડિજિટલ સાક્ષરતા, મહિલા અને
નોઈડા (યુ.પી.) ખાતે તાજેતરમાં યોજાયેલી ટે-ક્વોન-ડો નેશનલ ચેમ્પિયનશિપમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના છ વિદ્યાર્થીઓએ વિવિધ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ગોલ્ડ મેડલ જીતનારા વિદ્યાર્થીઓમાં લક્ષના મુદ
જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક્યુપ્રેશર થેરાપીસ્ટોનું સ્નેહમિલન અને બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 30 જેટલા સેવાભાવી થેરાપીસ્ટોએ ભાગ લીધો હતો. મુંબઈથી સિનિયર એક્યુપ્રેશર થેરાપીસ્ટ દીપક સોનેજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સારવારની ન
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં 'બેગલેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વયં પાક પ્રવૃત્તિ કરી. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જાતે ચૂલા પર વિવિધ વાનગીઓ બનાવી હતી. વર્ગ શિક્ષકોએ વિદ્યાર્થીઓની ટીમો બનાવી હતી અને આગલા દિવસે જ રસોઈ માટેની વાનગીઓ નક્કી કરાવી હતી. કુલ 28 ટીમોએ ભા
ભાલકાના શ્રી બાઇ ગરબી ચોકમાં હિન્દુ સંમેલન – કૈલાશ વસ્તી ભાલકા અંતર્ગત એક વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. સમસ્ત હિન્દુ સમાજ આયોજન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો. સંમેલનનો પ્રા
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 500થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હત
અમદાવાદના નારણપુરા સ્થિત કામેશ્વર મંદિર, અંકુર ચાર રસ્તા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસલપુર શાળાના બાળકો દ્વારા 2000 પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ વિસલપુર કેળવણી મ
દાહોદના ભાથીવાડા સ્થિત કે.ટી. મેડા આશ્રમ શાળામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નવનિર્મિત મહાદેવ મંદિરમાં પ્રથમ શિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. મહોત્સવની શરૂઆત સવારે ભાથીવાડામાં ભક્તિરેલીથી થઈ હતી. ત્યારબાદ યજ્ઞ અને હવન પૂજા સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્ય
સુરત શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની ઘટનાઓને રોકવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને લસકાણા વિસ્તારમાં ટ્રાફિકના ભારણને હળવું કરવા અને જનતાની સુરક્ષાને ધ્યાને રાખી લસકાણા પોલીસ દ્વારા ભારે વાહનો સામે કડક ઝુ
પંચમહાલ જિલ્લામાં આગામી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત પરીક્ષા કેન્દ્રો નજીક લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામ
રાજકોટના માંડા ડુંગરમાં ડો.ભીમરાવનગરમાં રહેતો 13 વર્ષીય મોહિત નિલેશભાઈ બથવાર શિવરાત્રીના દિવસે સોમનાથ દર્શન કરવા ગયો હતો. સોમનાથ દર્શન કરી બધા ટ્રેનમાં બેસી જૂનાગઢ જવા નક્કી કર્યું હતું જેથી વેરાવળ રેલવે સ્ટેશન ખાતે બધા ટ્રેનમાં બેસવાના હતા ત્યારે અચાનક ટ્રેનમાં ચડતી વખ
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કઠવાડા સ્થિત ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નરોડાના રતન સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા ગૌશાળાની ગાયોને 251 મણથી વધુ લીલું ઘાસ અને લીલી શાકભાજી ખવડાવવામાં આવી હતી. આ સેવાકાર્ય દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર પર્
ધી બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા 'ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ' અંતર્ગત રોડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નિર્ધારિત રૂટ પર યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 700થી વધુ સ્કેટર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને 'ક્વાડ' (Quad) અને 'ઇનલાઇન' (Inline)
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ કુંજ ખાતેના શ્રી મારુતિ હનુમાન મંદિરમાં ગઈકાલે સાંજે સુંદરકાંડ પાઠ પઠન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વિરાટ હિન્દુ સંમેલનોના ભાગરૂપે આયોજિત કરાયો હતો. કાર્યક્રમનું આયોજન મારુતિ યુવક મંડળ સમિતિ, પાલડી દ્વારા કરવામાં આવ્યું હતુ
અમદાવાદના નિકોલ સ્થિત ગણેશ વિદ્યાલયમાં 'માતૃ-પિતૃ વંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાના ઉચ્ચ સ્થાનના સંસ્કારો વિદ્યાર્થીઓમાં સિંચિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પ્રવીણ પંચાલ દ્વારા શાસ્ત
ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને કાયમી સ્વચ્છતા જાળવવાના અભિગમ સાથે મહા શિવરાત્રીના મેળાઓમાં સઘન ચેકીંગ કરાયું હતું. આ પર્વ નિમિત્તે સેક્ટર-22 પંચદેવ મંદિર અને ધોળેશ્વર મંદિર પરિસરમાં ભરાયેલા મેળાઓમાં મહાનગર પાલિકાની સેનિટેશન શાખાની ટીમોએ ત્રાટકીને જાહ
મહાશિવરાત્રિના પાવન મેળા પૂર્ણ થયા બાદ પ્રતિવર્ષની પરંપરા મુજબ ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ-સંતોના આગમનને પગલે તંત્ર અને ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહાકાળી માતાજીના આ પવિત્ર ધામે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને સમગ્ર પ્રભાસ ક્ષે
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો હતો. આ મામલે SC ST સેલના ACP સી બી સોલંકીએ આજે પીડિતો, તેમના
રાજકોટ એસટી બસપોર્ટ ખાતે માત્ર નામ પૂરતી સુવિધા શરૂ કરાઇ હોય તેવું લાગી રહ્યું છે. એસટી બસપોર્ટની નવી ઇન્કવાયરી કેબિનમાં ઉદઘોષણા માટેના માઇક જ ન હોવાથી બે-પાંચ નહીં 650 ટ્રિપના હજારો મુસાફરો પરેશાન છે. ત્યારે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્
ભુજની આશ્રમ ચોકડી પાસે બેફામ દોડતા ડમ્પરો અને અન્ય વાહનો સામે સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કરાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં બે યુવાનોના જીવ ગુમાવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાઓ બાદ નવલોહિયા યુવાનોના જીવ જતા જનતામાં રોષ ભભૂકી ઉઠ્ય
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમદાવાદ અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદને જોડતી વંદે ભારત એક્સપ્રેસની છઠ્ઠી ટ્રેનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી આ નવી ટ્રેન પ્રથમ દિવસે જ ઉદયપુરથી અસારવા રેલ
અમદાવાદમાં આવેલી સેંટ ઝેવીયર્સ લોયોલા સ્કૂલમાં 3.21 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ સહિત ત્રણને મેટ્રોકોર્ટે 3-3 વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે શાળામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ પ્રિન્સિપાલન
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના માહોલ વચ્ચે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે સરકાર સામે જંગનું એલાન કર્યું છે.
અમદાવાદ શહેરમાં દિન - પ્રતિદિન કુતરા કરડવાના કેસો વધી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હડકવાની રસી હવે દરેક અર્બન હેલ્થ સેન્ટર પર આપવામાં આવશે. જે પણ વ્યક્તિને કૂતરું કરડ્યું હોય તે તાત્કાલિક હડકવાની રસીનો પ્રથમ ડોઝ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને લઈ શકશે.
જૂનાગઢના પ્લાસવા ગામે યોજાયેલા લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં એક સિંહ પરિવારે પહોંચી મંડપ નીચે આંટાફેરા કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ભોજન સમારંભના મંડપ નીચે કાઉન્ટર આસપાસ સિંહ પરિવાર આંટાફેરા કરતો જોવા મળી રહ્યો છે. સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડ
ભરૂચના યુવા સ્કેટર આરવ ડેક્ષટર પટેલે રાજ્ય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને સેન્ટ ઝેવિયર્સ સ્કેટિંગ રિંક ખાતે તાલીમ લેતા આરવે તા. 13 થી 15 ફેબ્રુઆરી, 2026 દરમિયાન બરોડા ડિસ્ટ્રિક્ટ સ્કેટ
ગુજરાતને સોમવારથી 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાની ભેટ મળી છે. ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું હિંમતનગર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ લીલી ઝંડી આપી ટ્રેનને અમદાવાદ (અસારવા) માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ત
સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લ
વર્તમાન યુગ ટેકનોલોજીનો છે અને શિક્ષણ ક્ષેત્રે પણ હવે ડિજિટલ ક્રાંતિ અનિવાર્ય બની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) માં પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિઝનને સાકાર કરવા દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષિકા નીલમ જાદવ દ્વારા એક અનોખ
સુરત ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં નવસારીના પિતા-પુત્રની જોડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ સિસોદિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે તેમના 14 વર્ષીય પુત્ર કૃતાર્થસિંહે બે સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયુ છે. જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવા આ સત્રમાં લોકહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરશે. સત્ર દરમિયાન, તેઓ 16 ફેબ્રુઆરી, 2026 થી 25 માર્ચ, 2026 સુધી ગાંધીનગર વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. આ કારણે તેઓ જામજોધપુર અને લાલપુર કાર્યાલય ખાતે ઉપલ
વધુ એક વાર શાળાઓને બોમ્બની ધમકી મળી અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યા મેલમાં વડાપ્રધાન મોદી અને શાહને ટાર્ગેટ કરવાની વાત છે. એટલું જ નહીં ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની અને હિન્દુસ્તાનના ટુકટા કરવાની પણ ધમકી આપવામાં આવી છે. આ સમાચાર વિસ્
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા રેલવે અંડરપાસ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ગંદકીની સમસ્યામાંથી રાહત મળી છે. રેલવે વિભાગે ટ્રેક નીચે પતરા બેસાડીને વર્ષો જૂની આ સમસ્યાનો અંત લાવ્યો છે. આ ગળનાળામાંથી દરરોજ હજારો લોકો, જેમાં શિમલા કબાડી માર્કેટના વેપ
ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ગઈ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમને અમદાવાદ એરપોર્ટ પર ચાહકોએ ક્રિકેટ પ્રેમીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટીમ ITC નર્મદા હોટેલ ખાતે રોકાશે અને આગામી 18 ફેબ્રુઆરી
મધ્ય ઝોન કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાએ પ્રીપેટરી વિભાગ (ધોરણ 3 થી 5) માં પ્રથમ ક્રમાંક મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ ફેસ્ટીવલ 9, 10 અને 11 ફેબ્રુઆરી 2026 દરમિયાન આણંદના નોલેજ કેમ્પસ, વિદ્યાનગર ખાતે યોજ
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત થયેલ ડિમોલિશનના કારણે બેઘર થયેલા ઝુંપડપટ્ટીના રહીશોના પુનઃવસન માટે 'ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ ભાવનગર' દ્વારા મ્યુનિસિપલ ડે.કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય લકાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, ઝુંપડપટ્ટી વસાહત હિત ર
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની અસર એસટી વિભાગની આવક પર પણ પડી છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ પર્વ દરમિયાન એક્સ્ટ્રા 30 બસો અને 180 ટ્રિપનું સંચાલન કરવાની તૈયારી હતી જોકે 119 ટ્રીપ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ GIDC વિસ્તારમાં આજે બપોરે ભીષણ આગની ઘટના સામે આવી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ગોડાઉનમાં ફિશ એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાત
પંચમહાલ જિલ્લાના કાલોલમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નેત્રમ – ફેસ-2 વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 85 CCTV કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના માધ્યમથી ગુનાખોરી પર અંકુશ મ
પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલી સિદ્ધરાજનગર સોસાયટીમાં છેલ્લા 15 થી 20 દિવસથી ભૂગર્ભ ગટર લાઇન બ્લોક થઈ ગઈ છે. સોસાયટીના બ્લોક નંબર 50 થી 56 વાળી ગલીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે. આ ગંદા પાણી સ્થાનિક રહિશોના ઘરના બાથરૂમ અને ચોક સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભ
સી.વી.એમ. યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા આયોજિત 39મા આંતર-યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ 'પશ્ચિમાંચલ: ધ યુનિફેસ્ટ 2026'નું રવિવારે સમાપન થયું. આ પાંચ દિવસીય કલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટી વિજેતા જાહેર થઈ હતી. રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠ રનર
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 45ના મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાને ચૂંટણીલક્ષી કામગીરીમાં એડવાન્સ ટેક્નિક્સનો ઉપયોગ કરી તેને સરળ બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BLO અને અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝ
દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદરભાવ અને તેમના યોગદાનનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્
તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ ખટંબા ખાતે ગટરમાં કોઈપણ પ્રકારના સાધનો સિવાય બે કામદારોને સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગેસની અસર થતા ગુંગળામણ કારણે બંને કામદારના મોત થયા હતા. સુરક્ષાના સાધનો સિવાય કામદારોને કામગીરી માટે ઉતાર્યા હોય બં
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાને તેમની સરાહનીય કામગીરી બદલ તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે એડવાન્સ ટેકનિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરીને વહીવટી કામગીરીને સરળ બનાવી હતી. શિક્ષક પરેશ સહેત્યા, જે શાળા નંબર 45માં ફરજ
પીએમ પોષણ યોજના અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર અને જિલ્લા પુરવઠા વિભાગ, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે “ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ કુપોષણ અને એનિમિયા સામે લ
ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકી અને પંપ રૂમના બાંધકામ માટે નગરપાલિકાને ફાળવાયેલી જમીન વિવાદમાં સપડાઈ છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફાળવણીનો વિરોધ કર્યો છે. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન પરત કરવાની અને દરખાસ્ત રદ કર
પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો શુભારંભ થયો છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ મેળો 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆર
પાટણ જિલ્લામાં 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્ન પ્રત્યે જાગૃતિ ફેલાવી આ કુપ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. જિલ્લા કલેક્ટર કચેરી, પાટણ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લ
સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજનીકુમાર શ્રવણ કુમાર જૈસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશની કોલેજમાં બિફાર્મનો અભ્યાસ કરે છે. સુખપ્રીત કૌર સાથે સુરતમાં લિવ ઇનમાં રહેતા યુવક સાથે મ
મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં શ્રીમતી એસ.એસ. પટેલ હાઈસ્કૂલના નવનિર્માણ માટેનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આ પ્રસંગે શાળા પરિસરમાં નિર્માણ પામનાર નવી હાયર સેકન્ડરી સ્કૂલનું નામ 'સ્વ. જે.બી. મહેતા હાયર સેકન્ડરી સ્કૂલ' રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના નવન
અમેરિકા જવાનો મોહ ગુજરાતીઓમાં ઓસરતો દેખાતો નથી. ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને એજન્ટોની જાળમાં ફસાયેલા આણંદના બે ગુજરાતી અઝરબૈઝાનમાં કિડનેપ થયા હતા. અહીં અનેક યાતનાઓ સહ્યા બાદ બંનેની ઘરવાપસી થઈ છે. ભારત સરકારના સફળ ડિપ્લોમેટિક પ્રયાસો અને ‘ઓપરેશન મહીસાગર’ અંતર્ગત અઝરબૈજાન

28 C