વિશ્વમાં હાલ ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિ નિમિત્તે, વિશ્વ શાંતિ માટે અમદાવાદ ખાતે વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમ શ્રી શ્રી જ્ઞાનમંદિર, શિવરંજની વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમ વિશ્વ પ્રખ્યાત આધ્યાત્
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જિલ્લાના મેલાસણા અને આસપાસના ગામોમાં 500થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિશુલ્ક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ, નવા શર્ટ, નવી સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિક
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર GST વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. લેબર કોડ સામે મજદૂર સંગઠનોનો મોરચોસુરતમ
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે (2 એપ્રિલ) ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા આજે (1 એપ્રિલ) રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લે
રાજ્ય સરકારે અકસ્માત સહાય યોજના હેઠળની રકમ રૂપિયા 50,000 થી વધારીને રૂપિયા 1.50 લાખ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઝડપી અને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવાનો છે. હિંમતનગરની GMERS જનરલ સિવિલ હોસ્પિટલમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ તબી
જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પી.બી. પંડ્યાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. કલેક્ટર કચેરી ખાતે તેમણે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી. આ પ્રસંગે કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું સ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશરે 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ નવીન કચેરી ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નૂતન
સુરત શહેરના કોસમાડા વિસ્તારમાં આવેલા G.B. ગ્રાઉન્ડ ખાતે રમતગમતની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. સમસ્ત ભુતિયાગામ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ “ભુતિયાગામ પ્રિમિયર લીગ – BGPL-1” એ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, પરંતુ 'મેચ જીતીને મન જીતીશું'ના મંત્રને
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંવેદના અને સેવાના સંગમ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક પિતાએ પોતાના 22 વર્ષીય યુવાન પુત્રને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અન્ય ત્રણ વ્યક્તિઓને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય લીધો છે. હિરેન પ્રવીણભાઈ કંટારીયાના આ અંગદાનથી માનવત
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યક
32 દિવસ પૂર્વે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, તેના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. દૈનિક 5થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાન
ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર ‘વ્
દાહોદ જિલ્લાના બાવકા ગામે આંગણવાડી કેન્દ્ર-૫ ના નૂતન મકાનનું ખાતમુહૂર્ત જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કરણસિંહ ડામોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જિલ્લાની દરેક આંગણવાડીમાં 'વાલી વોટ્સએપ ગ્રુપ' બનાવવાની જાહેરાત ક
અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક મોડી રાત્રે અમરેલી શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અને પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિતના
બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુર સ્થિત BAPS મંદિરે બરવાળા અને રાણપુર તાલુકા માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયા
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) ના કાલોલ વિધાનસભાના પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા છે. ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેઓ બેફામ ગાડી હંકારતા પકડાયા હતા. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ પોલીસની ટ
NWR (ઉત્તર પશ્ચિમ રેલવે) દ્વારા આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવાને વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી છે. આ નિર્ણય મૂળ સેવા અવધિ પૂર્ણ થયા બાદ લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01919/01920 આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવા હવે કુલ પાંચ ટ્રીપ માટે ચાલશે. આગરાકેંટથી આ ટ્ર
શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની જગવિખ્યાત કેસર કેરીની આવક વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. સિઝનની શરૂઆતમાં જ કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના ભાવ 1,000થી લઈને 1,700 સુધી બોલાયા છે. જોકે, આ આંકડાઓ પાછળ ખેડૂતો અને ઇજારેદારોની વેદના
ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરુણ અકસ્માતે એક શ્રદ્ધાળુનો જીવ લીધો છે. આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુને ભાલના સનેસ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચા
રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે
ગુજરાત હાઇકોર્ટમાં આરોપી સુભાષ મોદી દ્વારા વર્ષ 2014માં નારણપુરા પોલીસમાં નોંધાયેલ દુષ્કર્મ, ધમકી સહિતની ફરિયાદ સંદર્ભે ફરિયાદ અને ચાર્જશીટ રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં દાખલ થયેલ છે. જેમાં 11 આરોપી સામે યુવતીએ આક્ષેપો કરેલા છે. તે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ફાઈનલ મતદાર યાદી જાહેર કરાયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તા
પાટણ શહેરમાં સંખારી ત્રણ રસ્તા પાસે એક ટર્બો ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના કારણે કારને આશરે ₹20,000 થી ₹25,000 નું નુકસાન થયું હતું. આ ઘટના અંગે કાર ચાલકે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ટર્બો ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોરે પોલીસ ફરિ
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો સગીર સીટી બસની રાહે ગંગાજળિયા તળાવ પાસે ઉભો હોય એ દરમ્યાન સીટી બસના ચાલકે સગીરને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સગીરના પિતાએ પીએમઇ બસના ચાલક વિરુદ્ધ ગંગાજળિય
ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે 7:30 કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે 30 મિનિટનો ભવ્ય 'વોટર લેઝર શો' યોજાશે. આ શોમાં ટુ-ડી અને થ્રી-ડી ટેકનોલોજીના માધ્યમથી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગાથા અને પ્રાચીન વારસાની ર
જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્વની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય અને વંથલી માર્કેટિંગ યાર્ડ એમ બે અલગ-અલગ સ્થળોએ નિ
શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જ
પૈસાની લેતીદેતીના વિવાદમાં સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ભાજપ સદસ્ય અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને મોરબી સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર બનાવ શું હતો?મોરબીના સિરામિ
પિતાએ મારી સામે જ માતાના પેટમાં છરી મારી દીધી છે, મે એમ્બ્યુલન્સ બોલાવવા માટે પિતાને કહ્યુ તેમણે મને મારવાની ધમકી આપી હતી જેથી મે ચોરી છુપેથી ફોન કરી દીધો હતો. આ શબ્દો એક દસ વર્ષના બાળકના છે જે સાક્ષી છે તેની માતા સાથે બનેલી ઘટનાનો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પતિએ પત્નીને બા
વાપીના બે પોલીસ અધિકારીઓ, PI અમીરાજસિંહ રાણા અને PI મયુર પટેલની બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 7 PIની બદલીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. વાપી GIDC પોલીસ મથકના PI રાણા અને વાપી ટ્રાફિક પોલીસ મથકના PI પટેલને પોલીસ જવાનો અને સ્થાનિકો દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયા
વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેર, વાપી અને નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં કાર્યકરો અને ટિકિટ
સુરત સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. એક કંપનીમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગનું કારણ અકબંધ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આજે દાવેદારી કરવા માટે દરેક વ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, જેને 'સેન્સ' પ્રક્રિયા કહેવાય છે, તેનો આજે વિધિવત પ્રારંભ થયો છે.
બોટાદ APMC માર્કેટિંગ યાર્ડ સાત દિવસની રજા બાદ આજે ફરીથી કાર્યરત થયું છે. યાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતો પોતાની કૃષિ જણસી વેચવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર, પીકઅપ ગાડીઓ અને છકડા રિક્ષાઓ જેવા વાહનો સાથે યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. યાર્ડમાં વાહનોની લાંબ
ભારતીય જનતા પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લામાં તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી જિલ્લા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચની
અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપીએ આતંક મચાવ્યો છે. આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું છે. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. માધવપુરા પોલ
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. પ
આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, સંચાલક મંડળના પ્રમુખ ડો. એમ.યુ. ટમાલીયા, જિલ્લા શિક્ષણ અ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગીયોલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવીન ચેકડેમ અને રૂ. ૨૫ લાખના ખર્ચે બનનારા નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.
કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (1 એપ્રિલ) સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા એમડી
ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણોએ એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણોને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર
પાટણ શહેરના પીપળા શેર વિસ્તારમાં દુકાનની માલિકી હકને લઈને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ૩૦ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ અનિલભાઈ શાં
રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(1 એપ્રિલ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હત
વેરાવળ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા વેરાવળમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, 'પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ' અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યો
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 518 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અંતર્ગત સોમનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સોમનાથના સાગર દર્શન હોલ ખાતે આયોજિત આ સમારોહમાં વેરાવળ પી.આઈ. ગઢવી, એસ.ઓ.જી.ના સિંધવ
વડોદરાના કિશનવાડી પોલીસ ચોકી પાસે, આજવા રોડ પર આવેલા સંકટ હરણ હનુમાનજી મંદિરે મંગળવાર, 31 માર્ચ 2026ના રોજ સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું. સુંદરકાંડ પાઠ
કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન પટેલના નિવાસસ્થાને સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સત્સંગ સંધ્યામાં નારણપુરા જિલ્લાના સંયોજિકા હ
વલસાડ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમે પશુ ક્રૂરતાનો એક મોટો કેસ પકડ્યો છે. પંજાબથી કેરળ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા સાથે એક બંધ બોડીના ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસે આ કાર્યવાહી કરી 5 આરોપીઓની
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.આ ચૂંટણીઓમાં ગુજરાતના 90 ટકા મતદારો સામેલ થવાના હોય 2027 વિધાનસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણવામા
સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીર
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-10માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-10માં નવા સમાવિષ્ઠ થયેલા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વીસનગરના ઉમતા ગામે આવેલા જૈન દેરાસરમાં રાતના સમયે 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા હતા અને 2 ચોકીદારને માર મારીને ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિ 1500 વર્ષ જૂની હતી. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાતું હતું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. યુદ્ધના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. બીજા મોટા સમાચાર નાલંદાના મંદિરમાં મચેલી નાસભાગને લઈને રહ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂ
ગાંધીનગરમાં હવે જાહેર સ્થળો વધુ સુરક્ષિત બનશે. મનપા દ્વારા શહેરના અલગ- અલગ 9 મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકા મુખ્ય કચેરી, પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ, કોબા જેવા અર્બન હેલ્થ સેન્ટર્સ તેમજ જાહેર લાઈબ્રેરીઓનો સમાવે
ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની અને હયાત એસટીપીની ક્ષમતા વધારવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે એસટીપી મારફતે શુદ્ધ કરવામાં આવેલા ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે એસઓપી બનાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉદ્યો
ગાંધીનગરમાં લગાવવામાં આવેલી પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. આ સિસ્ટમ શરૂ થયાના ટૂંક સમયગાળામાં જ રાહદારીઓએ તેનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું. અત્યારે આ સિસ્ટમ કાર્યરત નથી અને બટન દબાવવા છતાં ટ્રાફિક સિગ્નલ કે લાઈટોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી
ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી રાજતિલક વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજપુણ્ય વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજસુંદર વિજયજીની નિશ્રામાં શાશ્વતી ઓળીની આરાધના સુંદર ચાલી રહી છે. ગઈકાલે જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યા
શહેરમાં ચાલુ ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી. એનું કારણ એટલે વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ સાથે જોડાણ કરવા મંજૂરી આપવામાં આવી છે. એના માટે ગોરેગાવથી માગાઠાણે દરમિયાન 5.5 કિલોમીટર લાંબો હાઈસ્પીડ કોરિડોર બાંધવાનો પ્રસ્તાવ મહાપાલિકાએ રજૂ કર્
નાશિકમાં ચર્ચાસ્પદ બનેલા ઢોંગી બાબા અશોક ખરાતના કેસમાં તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ખરાત એક નહીં પરંતુ ચાર અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરતો હતો. પોલીસ મુજબ, દરેક નંબરનો ઉપયોગ અલગ પ્રકા
અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનારા અને છેતરપિંડી કરનારા ઢોંગી બાબા અશોક ખરાત વિશે રોજ વિસ્ફોટ માહિતી સામે આવી રહી છે. હવે ખરાતની પુત્રીની લગ્નપત્રિકા વાઈરલ થઈ છે, જેમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ખરાતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા.ખરાતની પુત્રી ત
મુંબઈ નજીકના વિરાર-વેસ્ટમાં રહેતા યુવક નીર છાડવા (26)નો ગુજરાતમાં થયેલા રહસ્યમય મોતનો બનાવ ચકચાર મચાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીરનું સોમવારે રાત્રે વડોદરાથી અંદાજે 7 કિમી દૂર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી મોત થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં, નિર્જન વિસ્તારમાં ઝાડીઓમાં
નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબર સંલગ્ન 17 સંસ્થાની એપેક્સ બોડીના 2026-30ના ચૂંટણી કાર્યક્રમને અનુસરી 21 ફોર્મ નોમિનેશન ભરાયાં હતાં. ત્રણ વેપારી સભ્ય દ્વારા ફોર્મ પાછા ખેંચી લેવાતાં મસાલા માર્કેટની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને ભાગીદાર એવા 18 વેપારી સભ્યો આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ
હિસાબી વર્ષના અંતિમ મહિના માર્ચ દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 (89.51 અબજ) રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ 2026 દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે ક
કચ્છમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયકોની વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્થળ પસંદગી અને હુકમ વિતરણનો કાર્યક્રમ માધાપરમાં યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે,, સમાજમાં જો કો
કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા મહેસૂલ વિભાગના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત એવી બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરીને જિલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે કારકુન સંવર્ગના 32 કર્મચારીઓને દિવાળી જેવી ખુશી આપતા ના
ભુજ-માધાપર હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, જેમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે અંદાજે 4:35 વાગ્યાના અરસામાં માધાપર હાઇવે નજીક એક ટ્રેલર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળ
રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 શરૂ કરવામાં આવી છે. 108 ની જેમ કાર્યરત આ સેવાનો હેતુ અકસ્માત કે બીમારીના સમયે પશુઓને જીવતદાન આપવાનો છે. પરંતુ, કચ્છના મુખ્ય મથક ભુજમાં આ સેવા હાલ માત્ર કાગળ પર દોડતી હોય તેમ લાગી
માંડવી શહેરમાં આવેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના આશરે 200 વર્ષ જૂના જન્મસ્થળની હાલત ચિંતાજનક બની છે. સરકાર માલિકીનું આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની યોગ્ય મરામત અને જાળવણી માટે પૂરતી સરકારી સહાય મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે. તા. 30 માર્ચે
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક મેગા ડ્રાઈવ અને ડિસકનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી વચ્ચે કચ્છ જિલ્લાના 19 ગામોએ આર્થિક શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31 માર્ચના રોજ નાણા
પશ્ચિમ કચ્છમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે જેમાં નખત્રાણા તાલુકાના મોરગર ગામના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટના સામે આવી છે.જ્યારે મુન્દ્રા તાલુકાના ભોપાવાંઢ ગામની સીમમાં પરપ્રાંતીય વ્યક્તિએ કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પ
માંડવી તાલુકાના દરશડી ગામથી મોમાયમોરા તરફ જતા રસ્તા પર મફતનગરમાં બોલેરો અને ક્રેટા કારમાં ભરેલો રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો હતો.રેઇડ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો જોકે બે મુખ્ય આરોપી પોલીસને હાથ લાગ્ય
અબડાસા તાલુકાની કેરવાંઢ જુથ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સરપંચ કેર જમીલાબાઈ હનીફના જણાવ્યા અનુસાર, કેરવાંઢ અને કોસા ગામમાં ગત તા. 18 અને 19 પાણી મળ્યા બાદ 30 માર્ચ સુધી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી. છેલ્લા બે મહિનાથી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવતીકાલે યોજાનારા કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને કૃષિમંત્રી 1 એપ્રિલના રોજ દેવકા ગામે આવવાના હોય અને ત્યાં લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાના હોય જેના પગલે વર્ષોથી લોકો
રાજુલાથી વાવેરા જતા માર્ગ પર રોઝ અચાનક રસ્તામાં આડું પડતાં બ્રેક મારતા બાઈક સ્લિપ થઈ જતાં ઇજા થવાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના વાવેરા ગામના કેશુભાઈ વલકુભાઈ ધાખડા (ઉ.વ.48) કોઈ
બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસી
સાવરકુંડલામાં વજન કાંટા બનાવતી જુદી જુદી પાંચ પેઢીમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કર્યા બાદ આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી શરૂ રહી હતી. 18% જીએસટી બચાવવા માટે જુદી જુદી પેઢીઓ દ્વારા મૂળ વેચાણના માત્ર 20 થી 30 ટકા રકમના જ બીલો બનાવી બાકીની રકમ આંગડિયા
નર્મદામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ તથા છ તાલુકાઓની 90 બેઠકો માટે પણ 200 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષકોની હાજરીમાં ઉમેદવારો નકકી કરવા માટે સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે આગામી 3 દિવસ સુધી ચાલશે. સ્થાનિક સ્વરાજ્ય
નર્મદા જિલ્લો હાલ દેશનું લોકપ્રિય પ્રવાસન ધામ બન્યું છે, સાથે જ ચૈત્ર માસમાં નર્મદા સ્નાન અને પરિક્રમાનો મહિમા હોવાથી લાખો ભક્તો અહીં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલના આચાર્યા જયશ્રીબેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામય
વલસાડ તાલુકાના નંદાવલા તેમજ સરોણ ગામ માટે એક જ ગ્રામ પંચાયતનું મકાન સરોણ ખાતે હતું.આઝાદીના 78 વર્ષ બાદ મંગળવારે નંદાવલા ગામને અલાયદુ ગ્રામ પંચાયત મકાન મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે રીબીન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પડે તે પહેલા વાપી તથા ઉમરગામ તાલુકા ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમેદવારોના સેન્સ લેવાશે.જેમાં વાપીમાં 1 એપ્રિલ તથા 2 એપ્રિલે ઉમગામ ધોડીપાડા સાંસ્કૃતિક ભવનમાં બેઠ
નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ મુખ્ય ગટર લાઇનના આંતરિક પાઇપ તૂટી જતા સરસ્વતી મંદિર પાસે સોમવારના રોજ રાત્રિના સમયે ભૂવો પડ્યો હતો. જેની જાણ થતા કોઈ અકસ્માત ન થાય તે માટે બેરિકેટ પણ મૂકવામાં આવ્યું હતું તે પણ ભૂવામાં પડ્યું હતું. નવસારી નગરપાલિકા સમયમાં અંદાજે 30 વર્ષ પહ
નાણાંકીય વર્ષ પૂરું થવાના છેલ્લા દિવસે નવસારી મહાપાલિકાએ બાકી વેરા મામલે 9 મિલકતો સીલ કરી હતી. છેલ્લા દિવસે 21 લાખની વસુલાત પણ થઈ હતી. મંગળવારે જાહેર રજા હતી પણ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોય નવસારી મહાપાલિકાએ વેરા વસૂલાત કામગીરી જારી રાખી હતી. આ દિવસે પણ 21 લાખ વસૂલાત થયાનું

31 C