સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલના પટાંગણમાં યોજાયો હતો.કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આ
સુરેન્દ્રનગરના રામનગર ખાતે પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સાધુ-સંતો તેમજ સંગઠનના પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક કક્ષાના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેશ મહારાજ, પ્રદેશ સચિવ કિશોરજી બાપુ, જિ
સુરત જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ (DGGI) દ્વારા સુરતમાં એક વિશાળ બોગસ બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કરેલી તપાસમાં અંદાજે 800 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. આ કૌભાંડમાં કોઈપણ ભૌતિક માલસામાનની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ હવે જનતા વચ્ચે જતા પહેલા પોતાની આંતરિક નબળાઈઓ સુધારવા અને નગરસેવકોનો વિશ્વાસ જીતવા માટે એક્શન મોડમાં આવ્યો છે ત્યારે વોર્ડ દીઠ યોજાઈ રહેલી સંકલન સમિતિની બેઠકોમ
બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, LCB, SOG અને ડોગ સ્ક્વોડનો મોટો કાફલો બોટાદના ખસ રોડ પર આવેલી કલેક્ટર ક
સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેસ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જેમાં બે યુવાન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે બે રૂમના બ
વર્ષ 2021માં ખોખરા પોલીસ મથક ખાતે 43 વર્ષે આરોપી જગદીશ ઠાકોર સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 11 સાહેદ અને 24 પુરાવા ધ્યાને રાખીને જજ એ.બી.ભટ
શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના નેટવર્ક પર પી.સી.બી. પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજી અને મોબ
વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પ્રેસ મીડિયાના નામે ધાકધમકી આપી ટ્રાન્સપોર્ટર પાસેથી નાણાં પડાવવાના ગંભીર મામલાનો પર્દાફાશ થયો છે. યુનુસ દાઉદ શેખ નામના યુટ્યુબરે ટ્રાન્સપોટર વિરુદ્ધ સમાચાર ચલાવી તેમને જેલની હવા ખવડાવવાની ધમકી આપી 1.20 લાખનો તોડ કર્યો હતો. જેથી પોલીસે યુટ્
મહેસાણા જિલ્લાના અને એશિયાના જીરું-વરિયાળીના સુપ્રસિદ્ધ માર્કેટ ઊંઝાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે હેતુથી જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે બાતમીના આધારે સ
મોરબી ઝૂલતા પુલ મુદ્દે થયેલી અરજીની સુનાવણી હાઇકોર્ટના ચીફ જજની બેન્ચ સમક્ષ યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે મોરબી બ્રીજના રિસ્ટોરેશન અંગે શું કાર્યવાહી કરવાની છે તે અંગે રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યું છે. કોર્ટે ટકોર કરી હતી કે, ગોંડલ બ્રિજના રિસ્ટોરેશન માટે તમે પ્લાન કર્યો હ
રાજ્યમાં શિક્ષક બનવાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ એવા ટેટ-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં કુલ સરેરાશ પરિણામ માત્ર 12.01 ટકા નોંધાયું છે, જેના કારણે પરિણામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માધ્યમ મુજબ જોવ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ખાતે ગેરકાયદે ખનીજ ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ખનીજ ચોરી અને પર્યાવરણને નુકસાન બદલ ત્રણ ઇસમો વિરુદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ એક હિટાચી મશીન અને બે ડમ્પર ટ્રક સહિત કુલ ર
સુરેન્દ્રનગરમાં હિન્દુ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં 30 જેટલા હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનો 3 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુત્વ જાગરણ અને સમાજ પરિવર્તનનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી હિન્દુ સંગઠન દ્વારા હિન્દુત
ગોધરા સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે કવચ કેન્દ્ર દ્વારા એક દિવસીય સાયબર સિક્યોરીટી ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયાના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દે
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાનવા ગામ પાસે ક્રેટા, રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે થયેલી ટક્કરમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ત્રણથી ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દસાડા તાલુકાના વડગા
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર આવ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(GAS) કેડરના 16 અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ વિભાગો જેમ કે ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય, રોજગાર અને તાલીમ સહ
રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને રૂપિયા 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી નિવૃત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસીબી દ્વારા પટાવાળા અક્ષય વાગડિયા અને આસી.એકાઉન્ટ
શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદની માનસિકતાને નાબૂદ કરવા તરફ મહાપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરીન
મહીસાગર LCB પોલીસે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને અમદાવાદ-જામનગર હાઈવે પરથી પકડવામાં આવ્યા હતા અને તેમને બાલાસિનોર ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફર
દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા ચાર થાંભલા વિસ્તારમાં ધોળા દિવસે રૂ. 2.75 લાખની ઉઠાંતરી થઈ છે. શેરડીનો રસ પીવા ઊભેલા એક નિવૃત્ત ક્લાર્કની બાઈકની ડીકીમાંથી આ રકમ ચોરીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 2.75 લાખ લઇ ગઠિયા ફરારઆ બનાવ આશ્રમશાળાના નિ
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પમ્પના સ્ટાફની સતર્કતા અને તાત્કાલિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ ઘટના પાટણના વ્યસ્ત ટીબી ત્રણ રસ્
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં તપાસ તેજ બની છે. આ કેસના મુખ્ય આરોપી પ્રફુલ નાયક અને સહ-આરોપી રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારના આહવા સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રફુલ નાયક આશ્રમશાળાના મ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 'કચરા કૌભાંડ' ને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેયર દક્ષેશ માવાણીને વિપક્ષી સભ્યોએ ઘેરી લીધા હતા અને ભારે ધક્કામુક્કીના દ્રશ્ય
સુરેન્દ્રનગરમાં ગતરોજ રતનપર બાયપાસ રોડ પર ધોળા દિવસે છરીના ઘા ઝીંકી 17 વર્ષના સગીરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં મિત્રોએ જ હૃદય પાસે છરીનો ઘા મારતા સગીર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ મામલે જોરાવરનગર પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવલા બે સગીર આરો
વાપી GIDC વિસ્તારમાં આવેલી RCL કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોરી કરાયેલો મુદ્દામાલ આરોપીઓએ જમીનમાં દાટી દીધો હતો, જે પોલીસે રિકવર કર્યો છે. ઘટનાની વિગત મુજબ
મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 34 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જેમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 500 કિલોગ્રામ અખાદ્ય કલર સહિત અન્ય અખાદ્ય સામગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પાંચ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બે દિવસ અગાઉ બની હતી, ત્યારબાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દહેર ગામની પાંચ વર્ષીય બાળકી પોતાના ઘર નજીક હતી.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ 2025-26ની બૅચના વિદ્યાર્થીઓ માટે હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા અને લાગણીસભર વક્તવ્યો આપ્
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણથી ગાંભોઈ માર્ગ પર હાથરોલ નજીક આવેલી BMD કાપડ બનાવતી ફેક્ટરીમાં આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાને પગલે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહે
સુરતની શાળા ક્રમાંક 105 અને 153 માં સુરક્ષા જાગૃતિ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને સ્ટાફને આગ, ભૂકંપ જેવી આપત્તિ સમયે સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. મોકડ્રિલ દરમિયાન, વિદ્યાર્થીઓને કટોકટીની સ્થિતિમાં શાંતિ જાળવીને
ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને ચોરે નિશાન બનાવ્યું હતું, અજાણ્યા ઈસમે મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી હતી, તેમજ આસપાસના 6 જેટલા રહેણાંકી મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, બનાવ અંગે નિલમબાગ પોલિસ મથક ગુન્હો નોં
રાહી ફાઉન્ડેશન દ્વારા કુબેરનગર સ્થિત સમાજ સુરક્ષા ખાતા સંચાલિત મંદબુદ્ધિ બહેનોના ગૃહને સાધન સહાય આપવામાં આવી છે. આ સહાય અંતર્ગત સંસ્થાને વિવિધ ઉપયોગી વસ્તુઓ ભેટ અપાઈ હતી. આ ભેટમાં વ્હીલચેર, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઊંચાઈ માપવાનું સાધન અને મંદબુદ્ધિ બહેનો માટે 1008 સેનેટરી પ
અમદાવાદના શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા 'ભારતીયમ 2026' સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પોર્ટ્સ ફેસ્ટમાં લગભગ ત્રણ હજારથી વધુ વાલીઓ અને અન્ય મહેમાનો ઉપસ્થિત ર
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે 28 જાન્યુઆરી, 2026 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન 52મો ખેલકૂદ રમતોત્સવ યોજાઈ રહ્યો છે. આ રમતોત્સવના બીજા દિવસે, એટલે કે 29 જાન્યુઆરી, 2026 ના રોજ, સવારના સત્રમાં યોજાયેલી લાંબી કૂદ (મહિલા), 5000 મીટર દોડ (પુરુષ અને મહિલા) અને ગોળા ફેંક (મહિલા) સ્પર
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવાયેલી નગર પ્રાથમિક શાળા નંબર 105, 149, 153, 154 અને સુમન શાળા નંબર 4માં વર્મીકોમ્પોસ્ટ બેડનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કોમ્પોસ્ટ ખાતર પ્રોજેક્ટને સક્રિય કરવાના હેતુથી કરાયું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવર
પાટણના સરસ્વતી શિશુમંદિર ખાતે 27 જાન્યુઆરી, 2026 મંગળવારના રોજ એક દિવસીય શિશુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ શિબિરમાં શિશુવાટિકા વિભાગ(ઉદય કક્ષ)ના 95 બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 8:00 વાગ્યાથી સા
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે માતા-પિતા પ્રત્યે સંતાનોની વફાદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, કૂતરો પણ રોટલો આપનારને વફાદાર રહે છે, ત્યારે સંતાનોએ માતા-પિતાને ક્યારેય ભૂલવા ન
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ગોવર્ધન ચોકથી માધવપાર્ક ગેટ સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. FSW વાન સાથે નીકળેલી ટીમ દ્વારા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ વગર વેપાર કરતા 12 એકમોને તાકીદે લાયસન્સ મેળવી લેવા સૂચના
ગોધરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા શાળા સલામતી સપ્તાહ અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ગોધરા શહેર સહિત જિલ્લાના મોરવા, સંતરોડ અને કાંકણપુર વિસ્તારની વિવિધ શાળાઓના આશરે 4000 વિદ્યાર્થીઓને આપત્તિ વ્ય
બનાસકાંઠાના પાલનપુર સ્થિત કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર બે અલગ-અલગ ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. ધમકી મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાયા હતા. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્
પાટડી તાલુકાના પીપળીધામ ખાતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે રૂ. 4.75 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ શ્રી રામદેવપીર મહારાજના દર્શન પણ કર્યા હતા. આ કાર્યોમાં અખિયાણા-પીપળી-દેગામ રોડનું રૂ. 2 કરોડના ખર્ચે રિસરફેસિંગ, પીપળ
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડથી આગામી રવિવારે ઇન્ટરનેશનલ મેરેથોન યોજશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેરેથોનના આયોજક તેજલ અમીને જણાવ્યું હતું કે, વડોદરા મેરેથોનનું 13મું એડિશન છે. જે પહેલી ફેબ્રુઆરીએ સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ-
મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મહાપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત મોરબીના કૈલાસનગર વિસ્તારમાં મંજૂરી વગર બની રહેલા 11 રહેણાંક મકાનોને સીલ કરવામાં આવ્યા છે. મહાપાલિકાની ટીમે સ્થળ પર જઈને આ ગેરકાયદેસર બાંધકામોને સીલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બા
અમદાવાદના બોપલમાં રહેતા 25 વર્ષીય યુવક સાથે ક્રિપ્ટો ટ્રેડિંગના નામે 2.84 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિંગ સંબંધિત પેજ ઓપન કર્યા બાદ યુવકનો સંપર્ક ગઠિયાઓ સાથે થયો હતો. જેમણે પોતાને રિલેશનશીપ મેનેજર તરીકેની ઓળખ આપી હતી. 10થી 30 ટકા નફાની લાલચ આપીન
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એક માર્ગ અકસ્માત થયો હતો. ગુસલ ચોકડી પાસે બાઇક આડે અચાનક શ્વાન આવી જતાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકાના
સોમનાથ વિધાનસભા વિસ્તારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન મતદારોના નામ કમી કરવામાં આવ્યાના ગંભીર આક્ષેપો સામે વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોષીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે જવાબદાર વ્યક્તિઓ સામે ન્યાયની માગણી કરવામાં આવી હતી, જેના
OMEGA INTERACTIVE TECHNOLOGIES LIMITED RAJBHA PRODUCT વચ્ચે 3 ગુજરાતી ફિલ્મ માટેનો કોન્ટ્રાક્ટ થયો છે. આ ત્રણેય ગુજરાતી ફિલ્મ 2026 માં રિલીઝ થશે..આ ફિલ્મ અલગ અલગ ઝોનરની હશે..આ ત્રણ ફિલ્મમાંથી એક ફિલ્મનું ડાયરેકશન અખિલ કોટક દ્વારા કરવામાં આવશે... ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકો માટે આ ત્રણ નવી ફિલ્મ એક અલગ મનોરં
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં પકડાયેલા આરોપીઓ ફરી એકવાર ટકલા હાલતમાં નજરે પડતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો એવો કિસ્સો છે જેમાં ગંભીર ગુનામાં પકડાયેલા શખ્સોના માથા મુંડાયેલા જોવા મળ્યા હોય. લિંબાયત પોલીસ મથક
ભારતીય કોસ્ટ ગાર્ડ તાલીમ કેન્દ્ર (CGTC), કોચીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ICG લૉ એન્ડ ઓપરેશન્સ કોર્સની 81મી બેચની પાસિંગ આઉટ પરેડનું આયોજન કર્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલ તેકુર શશિ કુમાર, TM, COMCG (નોર્થ વેસ્ટ)એ પરેડનું નિરીક્ષણ કર્યું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા તથા અદ્ભુત સૈન્ય શિસ્ત માટે
અમદાવાદમાં પાણીના જથ્થામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૈનિક 467 MLD જેટલું નર્મદાનું પાણી વધારે મળશે. હાલમાં શહેરમાં દૈનિક 1600 MLD પાણી મળી રહ્યું છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં રીંગ રોડની આસપાસ વૈષ્ણોદેવી, એસ.જી. હાઇ-વે સહિતના પાણીનો જથ્થો વધુ મળી રહેશે. રિંગ રોડની આસપાસમાં
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણે પોલીસ સંકજામાં સપડાયેલા 14 શખસો હાલ જેલ હવાલે છે. ત્યારે જેલ મુક્ત થવા 8 આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જ્યારે અન્ય એક બગદાણાના શખસે પોતાની આગોતરા અરજી પણ મુકી હતી. આજે મહુવા કોર્ટમાં સુ
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે રૂ. 1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે. આ બજેટમાં નાગરિકો પર વિવિધ વેરા વધારાનો બોજ સૂચવવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે સૂચવેલા નવા કરદરમાં વાહનવેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ ચાર્જ, એન્વ
પાટણ સીટી બી-ડિવીઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને આર્થિક નુકસાનમાંથી બચાવી કુલ ₹26,74,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે 12 દિવસ પહેલા ઠગાઈ દ્વારા પડાવી લેવાયેલ એક કિંમતી આઈસર ગાડી અને બે મોબાઈલ ફોન શોધી કાઢી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કર
નવસારી જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં 'VB-G રામજી' યોજના અંગે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત મનરેગાના સ્થાને હવે શ્રમિકોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ મહત્વાકાંક્ષી યોજના વિશે જનજાગૃતિ લા
જલાલપોર તાલુકાની મહુવર પ્રાથમિક શાળાના ગેટ અને સ્ટેજ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શાળાના પ્રવેશદ્વાર અને સ્ટેજ પાસે લીંબુ, નારિયેળ, બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રી મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાથી બા
સુરેન્દ્રનગરમાં GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સુરેન્દ્રનગર દ્વારા આયોજિત 11મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ શુક્રવારે શરૂ થયો હતો. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્
બોટાદ જિલ્લાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. 16 ખાતે 'શાળા સલામતી સપ્તાહ' અંતર્ગત બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં તેમના અધિકારો, સુરક્ષા અને સહાય સેવાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 વ
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટને ટિસ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.જો કે ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. આ સમાચાર વિસ્તારથી વ
ગુજરાત હાઇકોર્ટે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેના માતા-પિતાએ ભરણપોષણ માટે કરેલી અરજીના સંદર્ભે કોન્સિલિએશન અધિકારીએ પાઠવેલી નોટિસ પર સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે અધિકારક્ષેત્રના આધારે આ નોટિસ પર રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં મોટા પુત્ર દ્વારા અરજી કરવામાં આવ
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી ઘટતા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેરીના પાક પર જોખમની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા સાત દિવસથી ઠં
સુરતના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ ખાતે ‘7મા તાપી અશ્વ શો-2026’નું ભવ્ય ઉદ્ઘાટન કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી વાઘાણીએ પોતે પણ અશ્વ સવારીનો આનંદ માણી ઉત્સાહ વધાર્યો હતો અને જણાવ્યું હતું કે અશ્વ પાલન એ માત્ર
ગુજરાતના યુવાધનન નશામુક્ત જીવનશૈલી તરફ વાળવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ઇન્વિન્સિબલ NGO દ્વારા 'ગુજરાત કોસ્ટલ સાયક્લિંગ એક્સપેડિશન-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 12 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ સાહસિક અભિયાનમાં સાયકલિસ્ટોએ દરિયાકાંઠાના 12 મુખ્ય શહેરોને આવરી લઈ કુલ 1400
રાજકોટ મહાપાલિકાના વહીવટ અને વિકાસકાર્યોની ધીમી ગતિને લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓના પદાધિકારીઓ અને કમિશ્નરોની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટન
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીના ઈ-ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પાળીયાદ સહિત રાજ્યભરમાં 3000થી વધુ ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુર્હત કર્યું. પાળીયાદ ગામની હાલની ગ્રા
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ઉગ્ર સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી વધુ એક વખત આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓને
ચાંગા: ગુજરાતમાં શિક્ષણ, સંશોધન અને ઇનોવેશનના પર્યાય સમાન ચારુસેટ (CHARUSAT) કેમ્પસનો 26મો સ્થાપના દિન 28 જાન્યુઆરીના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC/ISRO) ના ડિરેક્ટર અને જાણીતા સ્પેસ સાયન્ટીસ્ટ નિલેશ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચ
STEM ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને NFSU અને ISROની મુલાકાતની મળશે તક ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી નેશનલ STEM Quiz 4.0 ના ઝોનલ લેવલના રાઉન્ડનું સફળ આયોજન ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લામાં 'સેવાસેતુ 2.0' કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને ઘરઆંગણે જ વહીવટી સેવાઓનો લાભ આપવાનો છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે આધાર કાર્ડ, પી.એમ.જે.વાય. અને ર
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. સરકારી ઘાસ ગોડાઉન નજીક ગટર લાઇન ચોકઅપ થતાં ગંદુ પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના આ વ્યસ્ત માર્ગ પર ગટરના પાણી ઉભરાઈને રોડ પર વહેતા જોવા મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામેથી રાજ્યવ્યાપી ‘ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાનો અને છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સરળતાથી પહોંચાડવાનો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્
પાટણના 1281માં સ્થાપના દિવસની ઉજવણી માટે નગરપાલિકાના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજ અને સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ થનારી ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી સૂ
અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર છેતરપિંડીની કુલ 7 અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં રૂ. 14 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જનજાગ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉમરેઠી ખાતે ગ્રામ પંચાયત ઘરનું ખાતમ
મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં તેમના પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આયોજ
રાજગઢ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બાળ લગ્નનો એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની તપાસ બાદ ઘોઘંબા વિસ્તારની મસ્જિદના ટ્રસ્ટી સહિત કુલ 9 લોકો સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લ
અમરેલી જિલ્લાની બે મહિલા પોલીસકર્મીઓએ ડી.જી.પી. કપ પ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2025-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લા અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં તેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચેતનાબેન બારડે પિસ્ટલ સ્પર્ધામાં નોંધપાત્ર કુશળતા દર
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ગુનાખોરી નિયંત્રિત કરવા 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ મહત્વના પગલાં લેવાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં 600થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. ગોધરા, કાલોલ, હાલોલ અન
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પરોઠા હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15થી 20 મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે બુઝા
અમરેલી જિલ્લામાં ધારી-બગસરા રોડ પર હામાપુર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ પ્રવીણભાઈ વલ્લભદાસ અને દીનુભાઈ બ્લોચ તરીકે થઈ છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વર્ષ 2018માં દહેગામ તાલુકાના સામેત્રી ગામના ચાર રસ્તા પાસે લાકડાના કેબિનમાં છૂપી રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાના ગુનામાં અજીતભાઇ ધનાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ
ભરૂચ જિલ્લાના દયાદરા ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અભ્યાસ કરતા નિર્દોષ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતાર
શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તે આ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો, ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. શરૂઆતનો સેટ હાર્
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં એક બંધ મકાનમાંથી રૂ. 5,25,616/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. સંખેડા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંખેડા પી.આઇ. ભરત ચૌહાણને બાતમી મળી હતી કે ભાટપુર ગામના વડ ફળિયામાં આવેલા સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભ
જામનગર જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ 'શહીદ દિવસ' નિમિત્તે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનાર મહાત્મા ગાંધીજી અને અન્ય શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી 'પાસા' હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્
નવસારીના વિજલપોર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ વિલંબમાં છે. આના કારણે ડાયવર્ઝનવાળા માર્ગો પર ટ્રાફિક અને ધૂળની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા
ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી હતી. યુનિવર્સિટી ટાવરમાં આવેલા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ NSUIના કાર્યકર્તાઓએ તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલ

26 C