રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ચણિયા-ચોળી, કેડિયા અને વિવિધ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ યુવાનો, મહિલાઓ અને પરિવારો ગરબાના તાલે ઝૂમ્યા હતા. લોકગીતો અને આધુનિક સંગીતના સંગમ સાથે ગરબાની રમઝટ જામતાં સમગ્ર માહોલ રંગીન અને ઊર્જાવાન બન્યો હતો.
મોટા વરાછા સ્થિત સરદાર ધામમાં “લવ એલ્ગોરિધમ” વિષય પર માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે જોડાયા હતા અને પ્રેમના મનોવિજ્ઞાનિક પાસાઓ પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. પ્રેમને જીવંત રાખવા કન્શિયસનેસ, કંપેશ
SVNIT એલ્યુમની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા “રંગ બરસે” મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું. રંગ ભવન જીવન ભારતી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમી સભ્યોએ હાજરી આપી હતી. એલ્યુમની અને તેમના પરિવારજનોએ જૂના અને નવા ગીતોની સુંદર રજુઆત કરી હતી. ઇવેન્ટમાં વિવિધ
સચિન જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીના માલિકને પાસેથી રૂ. 1.45 કરોડની કિંમતનું લેકર ફિલ્મ અને જરીનું મટિરિયલ ઉધારમાં લીધા બાદ કિમમાં આવેલું પોતાનું કારખાનું બંધ કરીને નાસી ગયેલા પિતા પુત્ર સામે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મોટી તક આવી છે. ભારતના ચૂંટણી પંચની ટ્રેનિંગ અને રિસર્ચ વીંગ એટલે કે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) મારફતે વર્ષ 2026 માટે ત્રણ નવી શૈક્ષણિક પહે
NTA દ્વારા એપ્રિલમાં યોજાનારી JEE મેઈન સેશન-2 પરીક્ષાના એડમિટ કાર્ડ સત્તાવાર પોર્ટલ પર જાહેર કરાયા છે. સુરતના વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચવા વહેલી તકે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી જોઈએ. એડમિટ કાર્ડમાં નામ, ફોટો કે સહીમાં ભૂલ જણાય તો NTA હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપ
વેસુ વિસ્તારમાં રહેતા મહિલા જ્વેલર્સ પાસેથી ઘરેણાં બનાવવા માટે સોનું અને ડાયમંડ મળી કુલ રૂ.31.45 લાખનો મુદ્દામાલ લઇને છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેસુ જોલી રેસીડેન્સી પાસે આવેલા એસએનએસ સ્પ્લેન્ડીડમાં રહેતા રોશના બ
સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમ્મસ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ભાસ્કરની ટીમ જ્યારે આ વિસ્તારના આઝાદનગર અને રસુલાબાદ પહ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે ભાસ્કર વસ્ત્રાલ વોર્ડમાં પહોંચ
રાજ્યની 6 પ્રાઇવેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ME/ M. Tech. અભ્યાસક્રમોમાં ફક્ત GATE પરીક્ષાના માન્ય સ્કોર આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં 25 ટ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2021 ચૂંટણીમાં પણ વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠકો જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ
પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ વાવ-થ
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધની અસર ટૂરિસ્ટોની વેકેશન ટૂર પર પડવાની છે. આ વખતે ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓ ઇરાનની નજીક આવેલા દુબઇ અને તુર્કીને બદલે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, માલદિવ્સ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ જવાનું પસંદ કરશે. હાલ દુબઈનો તમામ ટ્ર
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ગમેત્યારે ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. અગાઉ રાજય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડના રોટેશન જાહેર થયા હતા. જેમાં 72 પૈકી 50 બેઠકો અનામત રહેતા હવે માત્ર 22 બેઠક સામાન્ય ઉમેદવારો માટે રહેશે. નવા રોટેશનના કારણે અનેક મહારથીઓનાં પતા કપાય અ
પૈસો સે ખુશીયા નહીં ખરીદ સકતે.....યે ડાયલોગ સિર્ફ વો લોગ મારતે હૈ, જીન કે પાસ પૈસે હોતે હી નહીં.... વેબ સિરીઝ ફર્ઝીમાં એક્ટર શાહીદ કપૂરના મોંઢે બોલાયેલો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો છે. આમ તો એવું કહેવાય છે કે ફિલ્મો અને વેબ સિરીઝ સમાજ જીવનનું પ્રતિબિંબ હોય છે, લોકો તેમાંથી જોઇને ઘણું
રાતનો દોઢ વાગ્યો હતો. ફેબ્રુઆરીની ગુલાબી ઠંડીમાં આખું વીસનગર ઘોર નિંદ્રામાં હતું પણ ઉમતા ગામના દિગંબર જૈન દેરાસરમાં કંઇક અશુભ બનવાનું હતું. અચાનક અંધારામાંથી 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા અને ચોકીદારો પર હુમલો કર્યો. લૂંટારુઓનો ઇરાદો સોનું કે રોકડની લૂંટ કરવાનો નહોતો પણ જમીનમ
ભારતીય સિંધુ સભા સ્થાપના અને સમર્પણ દિવસ નિમિત્તે રામનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ કાર્યક્રમમાં, ૨૯ માર્ચ, ૧૯૭૯ ના રોજ સ્થાપિત ભારતીય સિંધુ સભાના સ્થાપના દિવસની ઉજવણી સભ્યો દ્વારા સમર્પણ સમારોહ સાથે કરવામાં આવી હતી. સભાના પ્રમુખ ભગવાનદાસજીએ જણાવ્યું હતું કે બંધારણમા
સુરતમાં વસતા સૌરાષ્ટ્રના વિવિધ ગામોના લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન મોટા વરાછા ખાતે યોજાયું હતું. ગેવરીયા પરિવાર સંગઠનની વિશેષતા એ છે કે પરિવારના દરેક સભ્યોને સરખી જવાબદારી ગણવામાં આવે છે કોઈ પ્રમુખ કે હોદ્દેદારો નિમવામાં આવ્યા નથી. વડીલોના માર્ગદર્શન હે
આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્ય મુનિ ડૉ. મદન કુમારજીનું વેસુ પુણ્યભૂમિ એપાર્ટમેન્ટમાં આગમન થયું હતું. અહીં ચાર દિવસનો કાર્યક્રમ રહેશે અને આગામી 31 માર્ચ ના રોજ ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ પણ જ ઉજવવામાં આવશે. પુણ્યભૂમિ એપાર્ટમેન્ટના પ્રાંગણમાં ધર્મસભાને સંબોધિત
જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવા મહાસંઘ દ્વારા શહેરના જુદા જુદા 3 સ્થળ પર લાડુ વિતરણ કરવામાં આવશે. સંખ્યાબંધ કાર્યકર્તાઓ દ્વારા સવારે 9:30 કલાકે સ્ટાર બજાર અડાજણ પાલ રોડ સવારે 10:00 કલાકે સરગમ શોપિ
પાલિકા ચૂંટણી માટે 2 દિવસમાં આચાર સંહિતા જાહેર કરાશે ત્યારે 23 માર્ચે રજૂ થયેલી પ્રાયમરી મતદાર યાદીમાં સુધારા સૂચનો બાદ 1 એપ્રિલે અંતિમ યાદી જાહેર કરવા પાલિકામાં મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. નામ અન્ય બૂથમાં ખસી ગયા હોય, વિસ્તાર બદલાયા હોય અને બૂથ કપાઇ ગયા હોય જેવી ખામી પર સ
ગંગાધરા રેલવે સ્ટેશન પર ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ શરૂ થયું છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પ્રદીપ કુમારે પહેલી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. 44,000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવાયેલું આ ટર્મિનલ પશ્ચિમ રેલવેનું સૌથી મોટું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ છે. આ
ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં લાઈફ, પેટ્રન, ચીફ પેટ્રન સહિતની 72 બેઠકો માટે 164 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ચૂંટણી કમિટીએ તમામ ફોર્મની ચકાસણી હાથ કરી 10 ફોર્મ રિજેક્ટ કર્યાં હતાં. ચૂંટણી કમિટીના જણાવ્યા મુજબ, લાઈફ કેટેગરીના 8 ઉમેદવારોનાં ફોર્મ રિજેક્ટ થયાં હતાં, જ્યારે ગો
યુદ્ધની અસર હવે પાલિકા દરવાજે પણ પહોંચવા માંડી છે. ખાસ કરીને ઓઈલ કંપનીઓમાંથી બિટ્યુમીન (ડામર) અને ઓઇલના સપ્લાય પર અછત વર્તાઈ રહી છે. હાલમાં 4 ટેન્કરના ઓર્ડર સામે માંડ 1ની ડિવલિવરી મળી રહી છે, જેથી છેલ્લા અઠવાડિયાથી રોડની કામગીરી બંધ થઈ ગઈ છે. હોટ મિક્સ પ્લાન્ટ પર મહિનો પણ નહીં
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. યુનિવર્સીટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં રહેતા PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં ફાયરિંગના કારણે ઈજાગ્રસ્ત PSI અને તેની સાથે એક મહિલાને ગોળી વાગી હતી. બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હો
રાજકોટમાં કથિત પત્રકારોનો રાફળો ફાટ્યો છે ત્યારે એક પછી એક બ્લેકમેઇલિંગ અને તોડકાંડો પર પ્રકાશ પથરાયો છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બેડી ચોકડી વિસ્તારમાં હોટેલ ધરાવતા એક વ્યક્તિને યુવતી કાર રિપેર માટે આવ્યા બાદ માથાકૂટ કરી પોતે પ્રેસમાં હોવાનું કહી
રાજકોટ શહેરના પોપટપરા પાસે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા લાલજી ભરતભાઈ ભોજવિયા (ઉ.વ.20) રવિવારની રજા હોવાથી પરિવાર સાથે બહાર ફરવા જવાનું આયોજન કર્યું હતું. લાલજી પોતાના પિતા ભરતભાઈ, નાનો ભાઈ, ફઈનો પૌત્ર તેમજ પાડોશી વાઘજીભાઈ સાથે રિક્ષામાં બેઠા પછી પડધરી તાલુકાના રામપર ગામ પાસે
શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. બાલાજી હોલ પાછળ આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય રિક્ષાચાલક આધેડે એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. નિલેશભાઈ લાલજીભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.
શહેરના નાણાવટી ચોક નજીક આવેલા નંદનવન આવાસ ક્વાર્ટરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે ગંભીર આક્ષેપો સુધી પહોંચ્યો છે. એક તરફ પ્રૌઢ પર પાઇપ અને બેટ વડે હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ સામા પક્ષની મહિલાએ છેડતી અને જાતીય માગણીના ચોંકાવનારા આક્ષેપો સ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જેઈઈ મેઈન 2026 સત્ર-2 માટે એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યા છે. આ એડમિટ કાર્ડ હાલ એવા ઉમેદવારો માટે જાહેર કરાયા છે જેમની પરીક્ષા 2 એપ્રિલ અને 4 એપ્રિલના રોજ યોજાવાની છે. પરીક્ષાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અને પાસ
રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા રોટરી મીડટાઉન લાઇબ્રેરીના સહયોગથી ડ્યુએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આશરે 140 જેટલા ઉત્સાહીએ ભાગ લીધો હતો. જેમાં 21 કિમી સાઇક્લિંગ અને 5 કિમી રનિંગ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન રોડ પરથી શરૂ કરવામાં આવી હત
તહેવારો પહેલાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ આવી પડ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઈલની સાથે ખાદ્યતેલોની સપ્લાય ચેઈન ખોરવાતા રાજકોટ સહિત રાજ્યભરના તેલબજારમાં તેજીની ‘આગ’ લાગી છે. સિંગતેલ બાદ હવે કપાસિયા અને પામોલીન
શહેરમાં પરિવારિક સંબંધોની નાજુક સ્થિતિ દર્શાવતો અને સાથે જ સમયસર લેવાયેલા યોગ્ય પગલાંથી એક તૂટતું ઘર બચી શકે છે એવો સંદેશ આપતો એક હૃદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. રાજકોટની એક પરિણીતાએ પોતાના પતિના અનૈતિક સંબંધોથી કંટાળી અંતે મદદ માટે હાથ લંબાવ્યો હતો. અંદાજે 10 વર્ષના લગ્ન
અરવલ્લીમાં રહેતા આરોપીની ધરપકડ બાદ તેનો 3 દિવસ બાદ મૃતદેહ મળી આવતા તેમના પરિવારે હાઈકોર્ટમાં કસ્ટોડિયલ ડેથ થયું હોવાની અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારને આડે હાથ લેતા ટકોર કરી હતી કે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપીની વાત કરો છો, પણ જવાબદાર પોલીસ અધિકારીને તમે તાત
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં અમિત શાહે આપેલા નિવેદનના છે. તેમણે કહ્યું કે જે હથિયાર ઉપાડશે, તે તેની કિંમત ચૂકવશે. બીજા સમાચાર ઈરાન યુદ્ધને લઈને છે, ટ્રમ્પે કહ્યું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન ખતમ થઈ જશે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી મહાવીર જયંતીના અવસરે ગા
રમતગમત ક્ષેત્રે અમદાવાદના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. શહેરના જાણીતા કોચ ધીરેન પટેલને દેશના સૌપ્રથમ 'PPR ઇન્ડિયા કોચ ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની માન્યતા બાદ 'ટ્રેન ધ ટ્રેનર' મોડલ હેઠળ 28 માર્ચે શહેરમાં યોજાયેલા 'IPA અને PPR લેવલ-1 કોચ સર્
JG યુનિવર્સિટીનો એન્યઅલ યુથ કનેક્ટ ફેસ્ટ યોજાયો. જેમાં 8000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા. ફેસ્ટમાં સિંગર જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. તેમના પરફોર્મન્સમાં સ્ટુડન્ટ્સે મસ્તી સાથે ડાન્સ કર્યોં હતો. સમગ્ર ફેસ્ટનું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા કરાયું હતું. બેકસ્ટ
અમદાવાદ : ક્લાસિકલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નૃત્ય ક્ષમતાઓ સાથે આત્મબળનો પરિચય આપ્યો. ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું. નૃત્યભારતીના નિરાલી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિઓ રજૂ થઈ. જેમાં બૌદ્ધિક રીતે વિકલાંગ છતાં
સ્કૂલના બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે તે માટે પહેલાં સ્ટોરી ટેલિંગ કરાવીને પછી વિઝ્યુઅલ આર્ટ કરાવીએ તો સો ટકા પરિણામ મળે છે. આ રીતે બાળકોની કલ્પનાશક્તિ ખીલે છે. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યુથી કરાવેલી આ પ્રેક્ટિસ તેમનામાં સેલ્ફ કોન્ફિડન્સ પણ વધારે છે. આ વાત કનોરિયાના ચિલ્ડ્રન કોર્
રાજ્યની 6 ખાનગી ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) યુનિવર્સિટીઓમાં પીજી (M.E/M.Tech) માટે પ્રવેશની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ACPCએ જાહેર કરેલી વિગત મુજબ સંસ્થાઓની 358 બેઠકો પર માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે જ મેરિટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવશે તેમ એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડોનિલય
જીએસઈબીની ધો. 12 સાયન્સની પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સોમવારે મૂકવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ- 2026માં લીધેલી ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન,જીવ વિજ્ઞાન વિષય પ્રશ્નપત્રના સેટ નંબર એકથી 20 ગુજરાતી, હિન્દી, અં
મેડિકલ અને ઈજનેરીમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ(એનઆઈઓએસ) નવો વિકલ્પ બની રહ્યો છે. નીટ -યુજી 2025માં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરી મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાંથી 8 વિદ્યાર્થીએ એમબીબીએસ અને 2 વિદ્યા
અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં પરિવહન પોર્ટલ અટકી અટકીને ચાલવાના કારણે લોકોનાં સામાન્ય કામો થઈ શકતાં નથી. પરિવહન પોર્ટલનો ઉપયોગ લોકોનાં નામ ટ્રાન્સફર કરવા, ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઇન્ટમેન્ટ લેવા, ટેક્સ ગણતરી, વાહનની આરસી બુકમાં સુધારો કરવા સહિતનાં કામો માટે થાય છે,
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ મામલે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ બિલની વિરુદ્ધમાં સમિતિની કોર ગ્રુપની યોજાયેલી બેઠકમાં આ બિલની વિરુદ્ધમાં વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને
ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફિસર્સ ફેડરેશન અને ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ (PLI) યોજનાને લઈ વિરોધ કર્યો છે . કર્મચારીઓનું કહેવું છે કે નવી ઇન્સેન્ટિવ પદ્ધતિમાં સ્પષ્ટ અસમાનતા છે. સ્કેલ 1 થી 3ના અધિકારીઓ અને ક્લાર્ક વર્ગને માત્ર 15 દિવસના
મેડિકલ અભ્યાસમાં ફાઈનલ વર્ષ સૌથી અઘરું માનવામાં આવે છે. થિયરીની તૈયારી બધા કરે છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાશે, પેશન્ટ સામે કેવી રીતે વર્તવું અને એક્ઝામિનરની અપેક્ષા શું હશે, તેને લઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં હોય છે. આ સ્ટ્રેસને કારણે ઘણીવાર તેજસ્વી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ મળીને 19,806.90 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ સવારે સાડા નવે અમદાવાદ એરપોર્ટ પર આવીને સીધા ગાંધીનગર પાસેના કોબા
ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરમાં રોકડની અછતનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અનેક બેન્કોમાં કેશ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ચેક જમા કરાવ્યા બાદ તરત જ રૂપિયા મળતા નથી અને તેમને 2 દિવસ બાદ આવવા કહેવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ ગંભીર બની છે.
ફર્સ્ટ પર્સન 60 વર્ષીય ચંદુભાઈને લાંબા સમયથી હૃદયની બીમારી હતી. એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકર બાદ પણ તેમનું હાર્ટ પમ્પિંગ માત્ર 10% જ હતું, જેથી ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રસ્તો નહોતો. અમે ‘નોટ્ટો’ માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદમાં અત્યાર સુધી 110થી વધુ ટ્રાન્સપ્લાન્ટ થ
વિત્ત વર્ષ 2025-26માં ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં કરદાતાઓને લાંબી રાહ જોવી પડી રહી છે. 24 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 23.11 લાખથી વધુ રિટર્ન ફાઇલ થયા છે. જેમાંથી 15.79 લાખ રિટર્ન વેરિફાઇ થઈ ચૂક્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે માત્ર 4.30 લાખ રિટર્ન જ પ્રોસેસ થયા છે. આમ, 7.32 લાખથી વધુ
શહેરની નજીક કોબા જૈન તીર્થ ખાતે 95 હજાર ચોરસ ફૂટમાં બનેલા ત્રણ માળના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. વર્ષ 2019થી મ્યુઝિયમ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. આ મ્યુઝિયમમાં સાત ગેલેરી છે, જેમાં 800થી 1400 વર્ષ જૂની 2 હજારથી વધુ પ્રભુજીની મૂર્તિઓ,
શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા ક્રેઝ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી મોડલ પર વિવિધ સ્થળે ચાર્જિંગ સ્ટેશનો લગાવ્યા છે. અત્યાર સુધી માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ ઉપલબ્ધ એવી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલ
અમેરિકા-ઈરાન યુદ્ધના પાંચમા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો જળવાઇ રહ્યો છે. સેન્સેક્સ 1636 પોઈન્ટ ઘટીને 71947 બંધ રહ્યો નિફ્ટી પણ 488 પોઈન્ટ ઘટીને 22331 બંધ થયો. આ સાથે ભારતીય બજાર લગભગ બે વર્ષ પહેલાના સમાન સ્તરે એટલે કે 14 ફેબ્રુઆરી 2024ના રોજ સેન્સેક્સ 71822 હતો તે સ્તર પર પહોંચ્યું છે. ક્રૂડના વ
બાંટવામાં આયોજન વિના જ ગ્રાંટ વાપરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.અને અમુક કામો તો એવા છે જે લોકોને ઉપયોગી થવાને બદલે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. પાલિકા તંત્ર ની અંદર પાણી પુરવઠા વિભાગ હોય રોશની શાખા હોય ભૂગર્ભ ગટર વિભાગ હોય અથવા તો એન્જિનિયર કોઈ જાતના તાલમેલ વગર કોઈપ
શહેરમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા ‘જૂનાગઢ ફૂટબોલ લીગ (JFL) સીઝન-2' સંપન્ન થઈ છે. નેશનલ પ્લેયર પ્રથમ સોમાણી દ્વારા સ્વ. પવન કોટેચાની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટ તા. 27 થી 29 માર્ચ દરમિયાન સીટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ ઉપરાંત અમદાવાદ અને જામનગર જેવા શ
રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા પોરબંદર જિલ્લામાં તેમજ ગાંધીભૂમિ પોરબંદર શહેરમાં આરોગ્ય પરમીટ હોલ્ડરો માટે વાઇન શોપની મજૂરી આપી છે.ત્યારે જિલ્લામાં 1500 લોકો આરોગ્યના કારણો આપી દારૂ પીવાની પરમીટ ધરાવે છે આવા લોકોને હવે જામનગર અને જૂનાગઢના ધક્કા ખાવા પડશે નહિ.આ વાઇન શોપ ખાતે એ
કુતિયાણા શહેરમાં એસબીઆઈ બેંકનું એટીએમ ઘણા સમયથી બંધ છે અને બહાર ખુલ્લા વીજ વાયર લટકે છે. અન્ય બેંકના એટીએમ પણ રાત્રીના સમયે બંધ કરી દેવામાં આવે છે. લોકોને રાત્રીના સમયે ઇમરજન્સી રૂપિયા જોઇતા હોય તો રાણાવાવ અથવા ઉપલેટા સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. કુતિયાણા શહેર આસપાસ 40થી વધ
શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે પોરબંદર મનપા દ્વારા સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ તથા સ્વચ્છતા નિયમોનો ભંગ કરનારાઓ સામે સમયાંતરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મનપાના સેનિટેશન વિભાગ દ્વારા વધુ
કુતિયાણા પંથકના ખાગેશ્રી ગામની સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડતા 108માં હોસ્પિટલ ખાતે શિફ્ટ કરી રહ્યા હતા તે દરમ્યાન જ સગર્ભાને પ્રસુતાની વધુ પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવી હતી.સગર્ભાને ગર્ભમાં ટ્વીન્સ બાળકો હોવાછતાં 108ની ટીમે નોર્મલ ડિલિવરી કરાવી
પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝરને સ્ટેશનમાં એક લાવારીસ બેગ મળ્યું હતું ત્યારે આ બેગના મૂળ માલિકને શોધી તેમને પરત કરવામાં આવ્યું હતું.આ બેગમાં રૂ.8 હજાર રોકડ,દવા સહિતના કિંમતી સામાન હતો. પોરબંદર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝર કૃપ
માધવપુર મેળાનાં હસ્તકલા હાર્ટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે આ પ્લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્યનાં કારીગરોએ હસ્તકલા હાટમાં હાથ વણાટની વસ્તુઓ
આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા ફરી વિદર્ભની કુંવરી માતા રૂક્ષ્મણી સાથે વિવાહ સંપન્ન કર્યા ત્યારે ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. શ્રીકૃષ્ણ યુગમાં ભગવાન જયારે વિદર્ભ પ્રદેશમાંથી માતા રૂમણીજીનું હરણ કરી આજના માધવપુર ગામે આવ્યા તે માધવપુર ગામ સ
ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હવે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નેમને સાર્થક કરતો રાષ્ટ્રીય ફલક બની ગયો છે. માધવપુરના સમુદ્ર કિનારે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ રચાયો છે. આ મ
પોરબંદર શહેરમાં દરિયાકાંઠા વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા રતનપર બીચના વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ.1.10કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન ક્ષેત્રે વ
પોરબંદરના છાંયા ગાંધી આશ્રમ પાછળ બંધ મકાન પાસે એક મહિલાએ એઠવાડ નાખ્યો હતો ત્યારે આ બાબતે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. સામસામી ફરિયાદ થતા પોલીસે બંને પક્ષે મહિલાઓ સહિત 6 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. પોરબંદરના છાંયા ગાંધી આશ્રમ પાછળ રહેતા ભરમીબેન મુરુભાઈ જેઠવા નામના મ
ભાસ્કર ન્યૂઝ| પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સુધારા અને ‘કોમન એક્ટ’ની મોટી વાતો વચ્ચે વહીવટી તંત્રની લાલીયાવાડી સામે આવી છે. ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલી એમબીએ સેમેસ્ટર-3ની પરીક્ષાના 90 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા વિદ્ય
બનાસકાંઠાના નાણી ગામે વડાપ્રધાન મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા એસ.ટી.નિગમની બસો દોડાવવામાં આવી રહી છે. પાટણ ડેપોમાંથી સોમવારે સવારથી જ 35 જેટલી બસો ફાળવી દેવામાં આવતા લોકલ રૂટો ખોરવાયા હતા . પાટણ બસપોર્ટ ખાતે સોમવારનો દિવસ હ
પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને વી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા 50મો વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, પ્રો. જય ધ્રુવ હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન રાજ્ય અને પ્રદેશ કક્ષાએ રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શાળાનું ન
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સોમવારથી વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.જેમાં મહેસાણાામાં 35 વિદ્યાર્થી અને બનાસકાંઠામાં એક વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયાં હતા. પરીક્ષાના પ્રથમ દિવસે જ પારદર્શિત પરીક્ષા યોજાય માટે યુનિવર્સિટી માંથી થઈ રહેલા સેન્ટ્રલા
આજે જ્યારે વિશ્વ અશાંતિ, હિંસા અને માનસિક તણાવથી ઘેરાયેલું છે, ત્યારે 24 મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો એક શીતળ છાયડો બનીને ઉભરે છે.ઇ.સ. પૂર્વે 599 માં કુંડલપુરના રાજવી પરિવારમાં જન્મેલા ''વર્ધમાન''નો પ્રભાવ માત્ર જૈન ધર્મ પૂરતો સીમિત નથી, પરંતુ તેમનું જીવન મેનેજમે
ઉત્તર ગુજરાતમાં પશ્ચિમી પવનો ધીમા પડતાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે, 2 અને 3 એપ્રિલે ફરી પવનનું જોર વધતાં મહેસાણા સહિત ચાર જિલ્લામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સરેરાશ 13-14 કિમી કલાકની ઝડપે ફૂંકાતા પવનો સોમવારે ઘટીને 8 કિ
મહેસાણા તાલુકાના આંબલિયાસણના મકવાણા કલ્પેશભાઈ તુલસીભાઈએ 5 વર્ષથી ગામના નાણાપંચના હિસાબ, દબાણ સહિત બાબતે ગ્રામ પંચાયતમાં અરજીઓ કરીને માહિતી માંગી હતી. તંત્ર દ્વારા આ અરજીઓની અપૂરતી માહિતી આપવામાં આવતાં યુવકે સોમવારે સવારે પંચાયત ઘરના દરવાજે સાંકળ લગાવીને તાળું મારી દીધ
મહેસાણા ફૂડ વિભાગે શહેરની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટોમાં રેડ કરીને પનીરની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં 5 હોટલ- રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ લાગતાં પનીરના એક-એક કિલોગ્રામ પેકિંગના નમૂના લઇ, તેને વધુ પરીક્ષણ અને ગુણવત્તાની ખાતરી કરવા માટે લેબમાં મોકલી અપાયા છે. ખાવા-પીવાન
મહેસાણા મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી સામે કુલ 32 વાંધા નોંધાયા હતા. જેમાંથી 23 વાંધા વોર્ડ ફેરફાર સંબંધિત હતા અને 9 વાંધા એવા હતા જેમાં મતદારોના નામ મહેસાણા અને બહુચરાજી વિધાનસભા વચ્ચેના વોર્ડમાં અરસપરસ બદલાયા હતા. વોર્ડ ફેરફાર સંબંધિત 23 વાંધામાંથી 17 વાંધા મંજૂર અથવા
અશ્વાર રાજદિપસિંહ જૈન ધર્મના 24મા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક ઉજવાશે. વઢવાણ સાથે પ્રભુ મહાવીર સ્વામીનો અનેરો નાતો છે. વિચરણ સમયે પ્રભુ દેદાદરા ગામે આવ્યા હતા. તે સમયે વઢવાણ સમયે અસ્થીગ્રામ તરીકે ઓળખાતું હતું. ઐતિહાસિક વઢવાણ શહેર સાહિત્ય સાધનાનું કેન્દ
ચુડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચના 30થી વધુ ગ્રાહકોની જાણ બહાર ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી થયાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. છેલ્લા 15 દિવસમાં એસબીઆઈ બેંકના અનેક ગ્રાહકો ફ્રોડનો શિકાર લાખો રૂપિયા ગુમાવતાં ચકચાર મચી જવા પામી છે. ગ્રાહકો બેંકમાં જઈ લેખિત રજૂઆત કરી ફરિ
વિપુલ જોશી આપણે સૌ કહીએ છીએ કે માતાની મમતાને કોઇ નથી પહોંચી શકતું. સંતાનોની ખુશી માટે માતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતી હોવાના અનેક કિસ્સાઓ છે. ત્યારે આવી જ જેને વંદન કરવાનું મન થાય તેવી સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતી માતાએ કિડનીની બીમારીની પથારીએ પડેલા પોતાના દીકરા
સુરેન્દ્રનગર જિલ્લામાં ટીડીઓની બદલી અને ખાસ કરીને નાયબ ચીટનીસ અને જે વિસ્તરણ અધિકારીઓના પ્રમોશન ડીયુ થઇ ગયા છે તેમને ઓર્ડરો આપવામાં આવશે તેવી વાત લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારે મંગળવારે સરકારે ગુજરાતમાંથી કુલ 118 ટીડીઓ સહિતના અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં સુરે
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર રાત્રે પીએમ રૂમની આજુબાજુ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે એક શખસ 11.30થી 12ના દરમિયાન ડો.મનીષ અગ્રવાલને ધમકી આપી ઓ
સુરેન્દ્રનગરમાં વર્તમાન સમયે અનેક રોડ ઉપર બ્લોક નાંખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ માલ સામાન રોડ ઉપર નાખવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને ઉદ્યોગનગર અને રાજગૃહી ટાવર સામે રસ્તા પર ખડકી દેવામાં આવેલી રેતી અને બ્લોકને કારણે 3 દિવસમા
મહેસાણા મહાનગરપાલિકાના વિકાસ નકશામાં કુલ 285 કિલોમીટર લંબાઈમાં 12 થી 80 મીટર સુધીની પહોળાઈના રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી મોટો 33 કિલોમીટર લંબાઈનો 80 મીટર પહોળો બાયપાસ રિંગ રોડનો સમાવેશ થાય છે. નગરપાલિકાના જૂના ડીપીમાં સમાવેલા 18 અને 24 મીટરના રસ્તાઓને આવરી લઇ, તેની
હિંમતનગર : મોતીપુરા પાર્કિંગ એરિયા 2. બનાસકાંઠા : અંબાજી રીંછડીયા મહાદેવ લેક પ્રોજેક્ટ 3. મહેસાણા : ખારી નદીનો ફ્લાય ઓવર 4. પાટણ : હારિજના વેજાવાડાથી દુનાવાડા રોડ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા પછી 6 તાલુકાઓનો સમાવેશ વાવ- થરાદ જિલ્લામાં કરાયો હતો. જ્યાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આવતી 1674 સરકારી જગ્યાઓ હવે નવા વાવ થરાદ જિલ્લામાં ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા પછી નવા બનેલા વાવ- થરાદ જિલ્લામાં
પીએમ નરેન્દ્ર મોદી આજે મંગળવારે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયા બાદ વાવ થરાદ જિલ્લામાં પ્રથમવાર આવી રહ્યા છે. નાણી ગામેથી પીએમ મોદી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના નાગરિક
શાંતીબેનની હત્યા કરનાર રેખા રાઠોડ અને તેના પતિની અટકાયત કરાઈ છે. હવે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. સમગ્ર પાલનપુર શહેરને હચમચાવનાર શાંતિબેન વસંતભાઈ આકેડીવાલાની બર્બરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં આખરે પાલનપુર પશ્ચિમ પોલીસે રેખા અને તેના પત
પંચાયત વિભાગ દ્વારા વહીવટી કારણોસર બદલી-બઢતીના આદેશો જાહેર થતાં બૃહદ બનાસકાંઠામાં 7 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. હાઈકોર્ટના ચુકાદાને આધીન વાવ-થરાદ અને લાખણી સહિતના સરહદી વિસ્તારોમાં નવા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થતાં વિકાસ કાર્યોને વધ
મોડાસાના દાવલીની સીમમાંથી પસાર થતાં શામળાજીથી હિંમતનગર તરફ જતાં હાઇવે પર બ્રિજ નીચેથી એલસીબીએ ટ્રકમાં લઈ જવાતો રૂ.77.22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. એલસીબીએ વિદેશી દારૂની પેટી નંગ 585 અને ટ્રકમાં રાખેલ ખાખી કવરના બોક્સ સહિત કુલ રૂ.92.32 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાલકની અટક
મોરબી જિલ્લા રાજકારણના એક અનુભવી અને સક્રિય ચહેરા એવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું આજે 30 માર્ચે હાર્ટ એટેકના તીવ્ર હુમલાને કારણે નિધન થયું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પક્ષના કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડી હતી. કાર્ય
જૂનાગઢમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા પટેલ કેળવણી મંડળમાં છેલ્લા ચાર દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. આ વિવાદમાં આજે રાજકીય ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક ધારાસભ્યોએ આંદોલનકારી વાલીઓની મ
રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતધારકોને વહીવટી તંત્ર દ્વારા કલમ 202ની ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે, આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં

27 C