SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
સગીરા પર બહેનપણીના ભાઈએ દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો:આરોપીએ અશ્લીલ વીડિયો મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો, સગીરા ઘરે આવતી-જતી હોવાથી નજર રાખી હવસનો શિકાર બનાવી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાન

28 Mar 2026 12:26 pm
બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત:પરિણિતાએ પોતાના જ ઘરની નજીકથી 11 માં માળેથી છલાંગ લગાવી આત્મઘાત કરતા ચકચાર મચી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબે

28 Mar 2026 12:09 pm
આંગડિયા પેઢીમાં તાળા તોડી ચોરી.:કેશોદમાં આંગડિયા પેઢીને નિશાન બનાવતા તસ્કરો; અજાણ્યા શખ્સે ઓફિસનું તાળું તોડી રોકડ અને સોનાના દાગીના સહિત 95 હજારની મત્તા ચોરી, તપાસ તેજ.​

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગ એવા કેશોદ-વેરાવળ રોડ પર આવેલી એક આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરે આંગડિયા પેઢીની ઓફિસને

28 Mar 2026 12:07 pm
માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મ

28 Mar 2026 11:53 am
RTE હેઠળ પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOની ચેતવણી:આવક ઓછી બતાવી બાળકને પ્રવેશ અપાવશે તો વાલી સામે ફોજદારી ગુનો દાખલ થશે, પ્રવેશ પણ રદ્દ કરાશે

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરમાં 14 હજાર

28 Mar 2026 11:40 am
GST નોંધણી રદ પ્રક્રિયામાં ગંભીર ગડબડ:વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતી, કરોડોની સરકારી આવકને નુકસાનની આશંકા; CAG રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતમાં GST સંબંધિત પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરમાં CAG (Comptroller and Auditor General) ના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે નોંધણી રદ (Cancellation of GST Registration) કરવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે સરકારને આવકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે.

28 Mar 2026 11:22 am
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:1010 આવાસો સહિત કુલ રૂ.751 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, લેઉવા પટેલ બોર્ડિંગ ભવન ખુલ્લું મુકશે, RTOનાં નવા ટેસ્ટ ટ્રેક-કચેરીનું લોકાર્પણ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે(28 માર્ચ) રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે ગરીબોને 1010 આવાસો સોંપવા સહિત મનપા તંત્રના રૂ. 751 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત નવનિર્મ

28 Mar 2026 10:58 am
8 મહિના બાદ આવતીકાલથી નવી મુંબઈ સાથે હવાઈ સેવાનો પ્રારંભ:ઈન્ડિગો એરલાઇન્સની ભાવનગર-નવી મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ, જાણો શું રહેશે સમય અને ભાડું

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ આવતીકાલે આઠ મહિના બાદ ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે, ભાવનગર -નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્ર

28 Mar 2026 10:57 am
ઈરાનમાં દક્ષિણ ગુજરાતના માછીમારો ફસાયા:યુદ્ધના ભય વચ્ચે ખલાસીઓને એરલિફ્ટ કરવા સરકારને પરિવારોની આજીજી;વિદેશ મંત્રાલયની મદદ મંગાઈ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલા વૈશ્વિક તણાવની સીધી અને માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજે 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિ

28 Mar 2026 10:56 am
વાંકાનેરમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીને શ્વાને ફાડી ખાધી:અરણીટીંબા ગામેથી મૃતદેહ મળ્યો; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો

28 Mar 2026 10:54 am
QR કોડમાં છેડછાડ કરીને લાખોની ઠગાઈ:અજય મોદી ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન આપતા યુવતીએ QR કોડથી ગ્રાહકોના 33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા

અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડી કરી છે. આ કંપનીમાં કામ કરતી મહિલાએ બુકીંગના નામે 33.87 લાખની છેતરપિંડી આચરી છે. મહિલાને ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન મળતા તેણે બુકીંગ પર કમિશનના નામે વ્યવસાય કર્યો હતો. મહિલાએ QR કોડ

28 Mar 2026 10:36 am
થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત

થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તે

28 Mar 2026 10:34 am
ભરૂચમાં નિરાધાર મહિલાને પતિ-નણંદે ઘરમાંથી કાઢી મૂકી:181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક પીડિત મહિલા સહાય માટે પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની

28 Mar 2026 10:34 am
અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો

અમરેલી તાલુકા પોલીસે કુકાવાવ રોડ પર આવેલ નારાયણ મીલની કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ફરિયાદી રાહુલભાઈ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા (રહે. નારાયણ મીલ કોલોની, અમરેલી; મૂળ વતન ફિરો

28 Mar 2026 10:24 am
પુણામાં ભીષણ આગ:અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સાડીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, કરોડોનું કાપડ બળીને ખાખ

ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો. ફાયર વિભાગની 10થી વધ

28 Mar 2026 10:01 am
આવતીકાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ:કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને મ

28 Mar 2026 10:01 am
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં યુવાનનો આપઘાત:રાજસ્થાનના યુવકે વડલા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના રહેવાસી 25 વર્ષીય વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકે વડલા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિષ્ણુ પ્રજા

28 Mar 2026 9:48 am
રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી છે.ગઠિયાઓએ બિલ્ડરને સેબીનો લેટર મોકલીને રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને 76.85 લાખ રૂપિયા પડાવ્યા હતા.બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. રોકાણન

28 Mar 2026 9:41 am
ખોટા બિલ રજૂ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોચનાદ ખીલાસરી ચોરી કેસમાં દોઢ વર્ષ બાદ કાર્યવાહી

સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી છે. આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જા

28 Mar 2026 9:31 am
હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ

હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધ

28 Mar 2026 9:12 am
શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલ

28 Mar 2026 9:08 am
વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત

વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગ

28 Mar 2026 9:06 am
ખેડા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બાઇક ચાલક ગંભીર:ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રક-આઇસર-બાઇક વચ્ચે ટક્કર, ચાલકો ફરાર

ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી

28 Mar 2026 8:18 am
નાના મવા રોડ પરની મારવાડી બિલ્ડિંગમાં ભીષણ આગ:જ્વાળા ચાર માળ ઊંચે પહોંચી, 5 ફાયર ફાઈટર ટીમ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં સાઈડના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી રહી છે. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી

28 Mar 2026 8:16 am
નારણપુરામાં રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમ યોજાયો:ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં સામૂહિક રામધૂન અને આરતી કરાઈ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નારણપુરા જિલ્લાના સોલા રોડ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન અવસર પર રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, 27 માર્ચ, 2026ના રોજ સોલા રોડ પ્રખંડમાં આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો. આ રામોત્સવમાં ધર્મપ્રેમી જનતા

28 Mar 2026 8:15 am
હિંમતનગરમાં જગન્નાથધામ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભક્તિભાવપૂર્ણ આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા જગન્નાથધામ ખાતે શુક્રવારે રાત્રે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે રામધૂન, ભજન-કીર્તન અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવ

28 Mar 2026 8:02 am
મંત્રી કાંતિ અમૃતિયાએ દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી:મોરબીમાં જાહેર સભામાં શાંતિ જાળવવા ટકોર; કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આગમન થયું

મોરબીના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથીની અંબાડી પર રેલી યોજાઈ હતી અને બાદમાં બાપાસીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી ક

28 Mar 2026 7:45 am
રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો:1 એપ્રિલથી સવારના સત્રમાં શરૂ થશે વર્ગો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે. આગામી 1લી એપ્રિલ, 2026 થી શાળાઓ સવારના સત્રમાં કાર્યરત રહેશે, જેથી બાળકોને બપોરની આકરી ગરમીનો સામનો

28 Mar 2026 7:29 am
ગાંજો ઝડપાયો:કાઠડા ત્રણ રસ્તા પાસેથી 66 હજારના ગાંજા સાથે 1 પકડાયો

માંડવી-નલિયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી એસઓજીએ કારમાં રૂપિયા 66 હજારની કિંમતના 1.321 કિલો ગાંજાનો જથ્થો લઇને જતા માંડવીના આરોપીને ઝડપી લીધો હતો. એસઓજીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માંડવીમાં રહેતો આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ

28 Mar 2026 6:04 am
સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ

હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટના મોરચે આવીનું ઉભ રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્ય

28 Mar 2026 6:00 am
આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ

પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે? તે અંગેનો ગ્રા

28 Mar 2026 6:00 am
આનંદીબેન પટેલે વડીલ તરીકે શું સલાહ આપી?:વિદ્યાર્થીઓએ કુલપતિને દોડાવ્યા, ઘેરી વળ્યા તો સાહેબે ખાતરી આપી, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

28 Mar 2026 6:00 am
માનસ મુકુરાષ્ટક રામકથાનો 7મો દિવસ:જગત કલ્યાણ અને મંગલકાર્યો માટે પ્રભુ રામે જન્મ લીધો

માધાપરમાં મોરારીબાપુના વ્યાસપીઠે અને યજમાન ધીરેન મનજી દબાસિયા પરિવાર દ્વારા ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથાની ભક્તિગંગામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો લાભ લે છે. કથાના સાતમા દિવસે બાપુએ માધાપર અને કચ્છની ભૂમિની સરાહના કરતા જણાવ્યું હતું કે માધાપર ગામમાં ભક્તિની ગંગા

28 Mar 2026 5:54 am
કચ્છ જિલ્લો રામમય થયો:રામનવમીના પર્વ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો, મહાઆરતી, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભગવાન રામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે કચ્છભરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરથી ગામો સુધી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામભક્તિના ગુંજતા જયઘોષ સાથે ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ અવસર પર વિવ

28 Mar 2026 5:51 am
26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય

ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 27 માર્ચથી 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો પોર્ટલ પર જઈને પોતાની અરજી કરી શકશે. આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વ

28 Mar 2026 5:46 am
વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વિવિધ અધિકારીઓને જિલ્લામાં પ્રભારી સચિવને નિમણુક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ IAS અધિકારી રાજકુમાર બેનીવાલની વરણી કરવામાં આવી છે. રાજકુમા

28 Mar 2026 5:43 am
પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ

શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હેતુ લોકોને સગવડતા પૂરી પાડવાનો હોય છે, પરંતુ યોગ્ય આયોજન અને અમલના અભાવે કેટલીક યોજનાઓ લોકો માટે અગવડરૂપ બની જાય છે. આવી જ એક નિષ્ફળ યોજનાનો દાખલો મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલ આજે ગંદા પાણીના સ

28 Mar 2026 5:41 am
કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો

પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં ખેડૂતોને 200 લિટર ડિઝલ આપવાની જોગવાઈ બાદ, હવે ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એ

28 Mar 2026 5:39 am
મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનું પ્રથમ અને ભારતીય રેલવેનું બીજા ક્રમનું ડિજિટલ લાઉન્જ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ડિજિટલ લાઉન્જનું ઉદઘાટન 28 માર્ચે સાંસદ ડો

28 Mar 2026 5:33 am
અલ્પુ-હેરી સિંધી વચ્ચે ગેંગવોરનો માહોલ:યુવકની બૂટલેગર હેરી સિંધીને રીલથી ધમકી,જે હાથે ગાડી સળગાવી તે કાપીને પરિવારને મોકલાવી દઇશ

બુટલેગર હેરી સિંધીએ અગાઉ માનવ કારડાની કારને આગ ચાંપી હતી, હવે માનવે હેરી સિંધી સહિતનાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર ધમકી ભરી રિલ મુકી ઘટનાને અંગે માફી માગી લેવા જણાવતાં વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે. વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ તેના સોશ

28 Mar 2026 5:31 am
ગર્વની વાત:નેશનલ ફેસ્ટ માટે ઓપરેશન સિંદૂર વિશે વડોદરાની શોર્ટ ફિલ્મ પસંદ થઇ

વડોદરાની એક શોર્ટ ફિલ્મને નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલગામના નિર્દોષ ભારતીય સહેલાણીઓ પરના જીવલેણ હુમલા બાદ તેના બદલારૂપે પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ આગામી મહિને ગોવામાં આયોજિત નેશનલ શોર્ટ ફિલ

28 Mar 2026 5:27 am
RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો

રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ

28 Mar 2026 5:24 am
પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો

તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસ

28 Mar 2026 5:23 am
શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું:રાત્રે કચરો ફેંકનારા સામે પાલિકાની લાલ આંખ,26 દિવસમાં 24.88 લાખનો દંડ કરાયો

શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેર

28 Mar 2026 5:20 am
કરંટથી મોત:ચાલુ કૂલરને અડતાં કરંટ લાગ્યો, એરફોર્સ અધિકારીનાં પત્નીનું મોત

ખોડીયાર નગરની કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતા એરફોર્સ અધિકારીના પત્ની ચાલુ કુલરને અડી જતાં કરંટ લાગ્યો હતો. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અધિકારીના પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યા હોવ

28 Mar 2026 5:19 am
ભાસ્કર એક્સક્લુસિવ:દિગંબર જૈનનું પાષાણનું સૌથી મોટું મંદિર સમામાં બનાવાયું,કાલથી પંચ કલ્યાણક મહોત્સવ શરૂ થશે

સમા-સાવલી રોડ પર સંમતિ પાર્ક સોસાયટીમાં દિગંબર જૈન સંપ્રદાયનું સૌથી મોટું પાષાણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 29 માર્ચથી 3 એપ્રિલ સુધી 5 દિવસીય ‘પંચ કલ્યાણક મહોત્સવ’નું આયોજન કરાશે. આ મહોત્સવમાં દિગંબર જૈન ધર્મના અનેક સાધુ-ભગવંતો પધારશે.

28 Mar 2026 5:17 am
પુરવઠા વિભાગે આપી માહિતી:પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં

વડોદરામાં જે વિસ્તારોમાં પીએનજી ગેસ લાઈન આવેલી છે, ત્યાંના સ્થાનિક લોકોને ગેસ લાઈન લેવા માટે તંત્ર જણાવી રહ્યું છે. બીજી તરફ પીએનજી લાઈન ધરાવતા લોકો પાસે જો સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક સરન્ડર કરવા પણ આદેશ અપાયા છે. તેવામાં 1 મહિનામાં 5,500થી વધુ ગ્રાહકોએ પોતાના ગેસ સિલિન્ડ

28 Mar 2026 5:10 am
કેજરીવાલ અને ભગવંત માનના ભાજપ પર પ્રહાર:20 વર્ષથી વિકલ્પ નહોતો, મશીનમાં હવે ત્રીજું બટન આવ્યું છે: કેજરીવાલ

ગુજરાત પ્રવાસે આવેલા આપના સંયોજક-દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે લોકો 20 વર્ષથી ભાજપને વોટ આપવા મજબૂર છે, મશીનમાં આપનું ત્રીજું બટન આવ્યું છે, તેવો હુંકાર કર્યો હતો. જામનગરથી રેલી

28 Mar 2026 5:07 am
તંત્રની આળસ:વિશ્વામિત્રીમાં પડેલી રેલિંગ હટાવવામાં તંત્રની આળસ,6 મહિને પણ ઠેરની ઠેર

દાંડિયાબજાર બ્રિજ નીચે નદીના પટમાં ક્રોકોડાઈલ પાર્ક માટે બનાવેલી રેલિંગ ચોમાસામાં ધરાશાયી થઈ હતી. જોકે ચોમાસા વીતી ગયા બાદ ઉનાળો આવ્યો છતાં રેલિંગ હટાવવામાં ઉદાસીનતા દાખવી રહી છે. દાંડિયા બજાર બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં 10 વર્ષ પૂર્વે ક્રોકોડાઈલ પાર્કની જાહેરાત બ

28 Mar 2026 5:06 am
પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશની દાદાગીરી:ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા 2 ગાર્ડ પર હુમલો,હવામાં ફાયરિંગનો આક્ષેપ

વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ ફ્યૂચર સોલાર કંપની અને સિક્યુરિટી એજન્સીના કર્મી પર પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા કર્મીઓ સામે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાના આ

28 Mar 2026 5:03 am
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સરકારે કહ્યું - દેશમાં કોઈ લોકડાઉન નહીં થાય, ઈરાને ઈઝરાયેલ પર 'થૅન્ક્યુ ઈન્ડિયા' લખેલી મિસાઈલો છોડી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ છોડવા અંગેના રહ્યા. આ મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખેલું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્

28 Mar 2026 5:00 am
રાજવીની ભેટ પર તંત્રનું ગ્રહણ:મોરબીમાં સરકારી મેળાના તાયફાથી સમથળ કર્યાના થોડા સમયમાં L. E. ગ્રાઉન્ડ તહસ-નહસ

મોરબીના રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોની મનપા અને વહીવટી તંત્રના પાપે ફરી એકવાર કઠણાઈ સર્જાઈ છે. સામાકાંઠે રાજાશાહી વખતના ઐતિહાસિક એલ.ઇ. ગ્રાઉન્ડને જે તે સમયે રાજવી પરિવારે મોરબીની જનતાના રમત ગમત માટે જ

28 Mar 2026 4:51 am
મનપાની ફૂડ શાખા ખાણીપીણીની 51 પેઢીમાં ત્રાટકી:મોરબીમાં મસાલા માર્કેટમાંથી 10 નમૂના‎લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરાયો‎

મોરબીમાં હોટલો, રેસ્ટોરન્ટ, ચાઈનીઝ, પંજાબી સહિતના જંકફૂડ અને ચટપટી વાનગીના નાસ્તાની દુકાનોમાં શુદ્ધત્તાના નામે ભેળસેળ યુક્ત અને વાસી ખોરાક લોકોના પેટમાં પધરાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મનપાની ફૂડ શાખા માત્ર હાજરી પુરાવતી હોય તેવી કામગીરી વચ્ચ

28 Mar 2026 4:30 am
ત્રિકોણબાગ વિસ્તારમાં દુકાનોનું રિડેવલપમેન્ટ કરાશે‎:મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ માટે આધુનિક શાકમાર્કેટ આકાર પામશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના

28 Mar 2026 4:28 am
અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ

વઢવાણ તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો આવેલા છે. ગુંદીયાળા તરફનો માર્ગ પણ આમ વઢવાણ તરફ ખોલડીયાદ, માળોદ તેમજ બીજી તરફ વસ્તડી તેમજ સામા કાંઠે આવેલા મેલડી માતાના મંદિર તરફ જવા માટે રાહદારીઓ, વાહનચાલકો તેમજ ભક્તો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગુંદીયાળા તરફના રોડ પર ભય

28 Mar 2026 4:21 am
અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું

સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કામોએ ગતિ પકડી છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરમાં રેલવે મેદાનના પાણીના અવાડાથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મુસાફરો મ

28 Mar 2026 4:18 am
રોજગાર સેતુ -26નું ભવ્ય આયોજન કરાયું:વઢવાણ મેટ્રો રોટરી ક્લબના પ્રયાસોથી 450 યુવાનોને મળેલી કારકિર્દીની તક

સુરેન્દ્રનગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું ભવ્ય આયોજન કર્યુ હતુ. એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને ઉદ્યોગ જગત

28 Mar 2026 4:15 am
રેંજ આઇજીએ વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી‎:જિલ્લાના 5 વોન્ટેડ આરોપીની ભાળ આપનારને રૂપિયા 20 હજારનું ઇનામ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને ભાગતા ફરતા આરોપીઓની હવે ખેર નથી.કારણ કે રાજકોટ રેંજ આઇજીએ રેંજના ગામો ના કુલ 29 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સુરેન્દ્રનગરના 5 આરોપીનો સમાવેશ કર્યો છે. આટલુ જ નહી પરંતુ આ આરોપીની ભાળ આપનારને રૂ.20 હજાર ઇનામ અપાશે . રાજકોટ રેંજનો ચાર્જ શં

28 Mar 2026 4:13 am
PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં ત્રણ દિવસમાં 1127 ગ્રાહકોના વીજકનેક્શન કપાયા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી

28 Mar 2026 4:12 am
મનપાની કાર્યવાહી:સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં લગાવેલા ગેરકાયદેસર 20 થી વધુ બોર્ડ ઉતારી લીધા

સુરેન્દ્રનગર સંયુકત પાલિકા બનતાની સાથે શહેરમાં જાહેરાત માટેના મોટા મોટા બેનરોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.આ મોટા બેનર પર પોતાના પોસ્ટર લગાવવાનો ચાર્જ વધુ થતો હોય છે. જેને કારણે શહેરના વેપારીઓ કે ધાર્મિક કાર્યક્રમો કરનાર સંસ્થાઓ મનપાએ શહેરમાં ઉભા કરેલા વિજપોલ ઉપર પોત

28 Mar 2026 4:11 am
ચણાની ખરીદીના શ્રીગણેશ કરાયા:વઢવાણ યાર્ડમાં પહેલા દિવસે 2700 મણ ચણાની ખરીદી‎

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયુ છે.બઝારમાં ચણાના ભાવ નીચા છે ત્યારે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેમાં 30 ખેડૂતો પાસેથી 90 મણ લેખે રૂ.1150ના ભાવે 2700 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લામાં 65835 હેકટર જમીનમ

28 Mar 2026 4:10 am
રિયાલીટી ચેક:પ્રજાને 10 લાખ દંડ કરનારા અધિકારીઓ બેસે તે કચેરી ‘તમાકુયુક્ત’ દિવાલો પર પાન-ગુટખાની પીચકારીઓ !

શેઠની શિખામણ ઝાપા સુધી’ આ કહેવત જિલ્લામાં મથક એવા સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ખરા અર્થમાં સાર્થક થાય છે. તા.23 ફેબ્રુઆરીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની બેઠક મળી હતી. તેમાં જ ભાસ્કર રિયાલીટી ચેક કર્યું હતું. ત્યારે કલેકટરની કાર ઉ

28 Mar 2026 4:07 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં લાબા સમયથી નવા રોડ માટે ખોદકામ કરાયુ છે. પરંતુ હજુ સુધી રોડ ન બનતા ધૂળ્યા માર્ગથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. જેને લઇને મુખ્યમંત્રી, કમિશનરને રોડ માટેની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, પુજા પાર્ક સોસાયટીમાં હજુ સુધી

28 Mar 2026 4:00 am
અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત

જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ દુકાનના ઓટલા ઉપર સુતેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ચગદી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મોરકંડા રોડ, સનસીટી-1ની સામે રાજ સોસાયટીમાં રહેતા મહમદહુશેનભાઈ ઓશમાણભાઈ મોગલ નામના ય

28 Mar 2026 4:00 am
ફરિયાદ:શહેરમાં મોટર સાયકલ લઈને જતાં યુવાનની હત્યાનો પ્રયાસ

જામનગર શહેરમાં ખંભાળિયાગેટ પાસે ચાલુ બાઈકે યુવાન ઉપર હુમલો કરીને તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યાની કોશિષ કર્યાની ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ બાબતે ઝગડો થયો હોવાનો ખાર રાખીને હુમલો કરાયો હતો. શહેરના વિયાના પાર્ક, ન્યુ 80 ફુટ રોડ ઉપર રહેતા

28 Mar 2026 4:00 am
કામગીરી:લોકોના કામ ન અટકે તે માટે સચિવની અધિકારીઓને તાકીદ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે જામનગરમાં મુખ્યમંત્રીના સચિવ અને અગાઉ ડીડીઓ રહી ચુકેલા ડો.અજયકુમાર જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કમિશનર અને પુર્વ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલ વહીવટી શાસન હોવાથી લોકોના કામ અટકવા ન જોઈએ તેવી સૂચના આપી હતી. મુખ્

28 Mar 2026 4:00 am
કાર્યવાહી:મિલકતવેરાની રીકવરી ટીમે વધુ બે મિલકતોને સીલ કરી

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી મિલકતો સીલ કરવાની કડક ઝુંબેશમાં શુક્રવારે વધુ બે મિલકતો સીલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50 જેટલી મિલકતો છેલ્લા મહિનાઓમાં સીલ કરવામાં આવી છે. આ તંત્રની આ કામગીરીથી વેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો

28 Mar 2026 4:00 am
વીજ તંત્ર દ્વારા સર્વે:જામનગર-દેવભૂમિમાં તોફાની પવનથી વીજતંત્રને રૂા. 93.71 લાખનું નુકસાન

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારે લગભગ 40થી50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ.તોફાની પવન સાથે કમૌસમી વરસાદથી મોટા ભાગના સ્થળોએ વીજ પુવરઠો ખોરવાય ગયો હતો.જોકે, અમુક સ્થળોએ કલાકોમાં જ વીજળી પુર્વવત થવા પામી હતી.જયારે જિલ્લાના ગ્રામ્ય સહિતના પંથકમાં વીજ

28 Mar 2026 4:00 am
સામાજિક પહેલ:જામનગરમાં દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે રીહેબિલિટેશન સેન્ટર શરૂ કરવા માંગણી

જામનગર શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી દેશી-વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે, તેમ છતા દારૂ બંધી અટકતી નથી. જેથી આવા દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે આયુર્વેદિક હોસ્પિટલની મદદ મેળવીને રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે, તેવી પુર્વ કોર્પોરેટર રચન

28 Mar 2026 4:00 am
આત્મવિલોપન કરવાનો પ્રયાસ:વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતીએ કેરોસીન છાંટી આગ લગાવી

વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઈકાલે સવારે 9 વાગ્યાના સમય દરમિયાન વડીયામાં રહેતા મી

28 Mar 2026 4:00 am
હાશકારો:પેટ્રોલ-ડીઝલ સરળતાથી ઉપલબ્ધ થતા પંપો પર સ્થિતિ સામાન્ય રહી

પ્રેટોલ-ડીઝલના પેનીક વચ્ચે લોકોમાં ભાવ વધારો કરશેે તેવું લાગ રહ્યું હતું પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલમાં પ્રતિ લિટર 10 એક્સાઇઝ ડ્યુટી ઘડાટી 3 કરી અને ડીઝલમાં પણ 10 એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા શૂન્ય થતા ભાવ વધારો નહીં થવાન આશા બંધાઇ છે. ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલીમાં

28 Mar 2026 4:00 am
વાતાવરણ:અમરેલીમાં ગરમીનો પારો 38.5 ડિગ્રીએ !

અમરેલીમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ 21.2 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે. સાથે હવામા ભેજનું પ્રમાણ વધારે રહેતા ઉકળાટ વધુ રહ્યો હતો. અમરેલીમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું હતું. જેના કારણે ગરમી સાથે ઉકળા

28 Mar 2026 4:00 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સાવરકુંડલામાં 4 કલાક બુકીંગ માટે અને 4 કલાક ગોડાઉન પર ઉભા રહો ત્યારે ગેસ સિલિન્ડર મળે !

સમગ્ર અમરેલી જિલ્લામાં પુરતા પ્રમાણમાં ગેસ સીલીન્ડરનો જથ્થો આવતો હોવા છતાં પેનીક બુકીંગના કારણે મોટા પ્રમાણમાં ગેસ સીલીન્ડરની નોંધણી થઈ રહી છે. સાવરકુંડલામાં તો લોકો કાળા તડકામાં રીફીલ બુકીંગ અને ચીઠ્ઠી માટે ચાર કલાક લાઈનમાં રહ્યા બાદ સીલીન્ડરની ડીલેવરી મેળવવા માટે પણ

28 Mar 2026 4:00 am
અકસ્માત:સેમરડી નજીક પુલના ચાલુ કામમાં યોગ્ય સાઈન બોર્ડના અભાવે બાઈકચાલકનું મોત

ધારી તાલુકાના દલખાણીયા ગામના બે યુવાનો ગઈરાતે મોટરસાઈકલ લઈ સેમરડી ગામ નજીકથી પસાર થતા હતા. ત્યારે અહીં જુનો પુલ તોડી અહીં નવો પુલ બનાવવાનું કામ ચાલુ હોય અને યોગ્ય સાઈન બોર્ડ ન હોય તેનું બાઈક સીધું જ ખાડામાં ખાબક્યું હતું. આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવક

28 Mar 2026 4:00 am
ભાસ્કર વિશેષ:અમરેલીમાં વેફરના બટાકાની માંગ વધતા ભાવ રૂા. 25ના કિલો

અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પરંપરાગત રીતે બટાટાની વેફર બનાવવાની પ્રવૃત્તિ ફરી તેજ બની છે. શહેરથી લઈને ગામડાઓ સુધી મહિલાઓ દ્વારા ઘરઆંગણે બટાકાની વેફર બનાવવાનું કામ મોટા પાયે શરૂ થયું છે. પરિવાર માટે વર્ષભર ઉપયોગ માટે તેમજ કેટલાક પરિવારો દ્વારા વેચાણ માટે પણ વે

28 Mar 2026 4:00 am
ગણતરીના દિવસોમાં અપહરણનો ભેદ ઉકેલાયો‎:જૂના ઘાંટાનો શખ્સ સગીરાને ભગાડી પંચમહાલમાં છુપાયો

નાંદોદ તાલુકાના જુના ઘાંટા ગામનો એક યુવાન નજીકના ગામની સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પંચમહાલના એક ફાર્મહાઉસમાંથી બંનેને હસ્તગત કર્યા છે. પ્રાપ્ત મ

28 Mar 2026 4:00 am
ગણોત ધારાના કેસમાં જગતનો તાત આખરે જીત્યો:તિલકવાડા તાલુકાના 600 ખેડૂતો‎ 200 એકર જમીનના માલિક બન્યા‎

તિલકવાડા તાલુકામાં ગણોતધારા હેઠળ ચાલતા કેસમાં આખરે ખેડૂતોનો વિજય થયો છે.કોર્ટના આદેશ બાદ 600 જેટલા ખેડૂતોને તેમની જમીન પ્રાપ્ત થશે. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 600 જેટલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્ષ 1960થી ચાલતા ગણોત ધારા હેઠળના જમીન વિવાદમાં ખેડૂતો

28 Mar 2026 4:00 am
અભયમની સુંદર કામગીરી:સાગબારામાં વિધવા પુત્રવધૂને વ્યસની સસરાનો ત્રાસ‎, 181 અભયમે સમાધાન કરાવ્યું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એક વિધવા મહિલાએ સસરાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી છુટકારો મેળવવા 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. નશાની હાલતમાં સસરા દ્વારા અવારનવાર કરવામાં આવતા ઝઘડા અને તોડફોડના મામલે અભયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી મહિ

28 Mar 2026 4:00 am
જૂના મોઝદા ગામે સોલાર કૃષિ પંપનું લોકાર્પણ‎:1500 ખેડૂતો હવે આત્મનિર્ભર બનશે ₹62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા PM-KUSUM યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા દેડીયાપાડા તાલુકાના જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીએ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, આ યોજ

28 Mar 2026 4:00 am
ઠગ ઝડપાયા:દમણની બેંકમાં 20 હજારની ઠગાઇ કરનારા બે ઝડપાયા

ફરિયાદી શ્રીકાંત પચિમ દીપએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ તે તેમના કોન્ટ્રાક્ટર પાસેથી ₹ 6, 800 પગાર લીધા પછી તેના રૂમમાં પાછો ફરી રહ્યો હતો. દમણના બેંક ઓફ બરોડા નજીક બે અજાણ્યા વ્યક્તિઓ તેનો સંપર્ક કર્યો હતો. તેમાંથી એકે બેંકમાં જમા કરાવવા માટે ₹ 1, 70,000 હોવાનું દાવો

28 Mar 2026 4:00 am
મનોરંજન સાથે સેફ્ટીનો સંદેશ અપાયો:વલસાડ અતુલ કંપનીમાં રાષ્ટ્રિય સુરક્ષા હરીફાઈમાં 1800 સ્પર્ધકોએ ભાગ લીઘો

55મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માસિક ઉજવણી સમારોહનું વલસાડના અતુલ કંપની દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. ડેપ્યુટી ડાયરેક્ટર, ડિશ ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ એમ. સી.ગોહિલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાહતા. આ નિમિત્તે એક રેસક્યુ મોક ડ્રિલ અને સુરક્ષા પર્વમાં કં

28 Mar 2026 4:00 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ધરમપુરના 10 ગામમાં જળ સ્તર‎નીચા જતા પીયતને માઠી અસર‎

ધરમપુરના કેટલાક ગામોનો સૂકા વિસ્તાર હોવાથી હોળી પછી ઉનાળામા કુવા, બોરના જળ સ્તર નીચા જતા મુખ્યત્વે ખેડૂતોને પીયત માટે અંશતઃ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દિવ્યભાસ્કર ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ સમસ્યા ધ્યાનમાં આવી છે. ભવિષ્યમા સંભવિત વકરનારી આ સમસ્યાનો ઉપાય નદી પર

28 Mar 2026 4:00 am
નિયુક્તિ:સાંસદ ધવલ પટેલની ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે નિયુક્તિ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સહ-પ્રવક્તા અને મીડિયા ટીમના સહ-કન્વીનરશ્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલને પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સંગઠનાત્મક કુશળતા અને પ્

28 Mar 2026 4:00 am
રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:હિન્દુ સેના વલસાડ અને અતુલ રૂરલના રક્તદાન કેમ્પમાં 155 બોટલ એકત્ર કરાયું

વલસાડના છરવાડા ગામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદ દિને હિન્દુ સેના અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. 'સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ'ના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેમાં કુલ 155 બોટલ રક્ત એકત્ર થય

28 Mar 2026 4:00 am
ઐતિહાસિક દેસાઈ તળાવને લઈને વિવાદ ઉગ્ર બન્યો:ચીખલીના હરણગામમાં તળાવ ખોદકામ‎મુદ્દે તંત્ર સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ‎

ચીખલી તાલુકાના હરણગામમાં આવેલ ઐતિહાસિક દેસાઈ તળાવને લઈને વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તળાવ ઊંડું કરવાની શક્ય કાર્યવાહી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર કડક વિરોધ નોંધાવ્યો છે. જ્યારે અગાઉ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને પણ વિરોધ નોંધ

28 Mar 2026 4:00 am
અકસ્માતને નોતરું:આલીપોર બ્રિજ પાસે નેશનલ હાઇવે પર જોખમી ડાયવર્ઝનને પગલે અકસ્માતની ભીતિ

આલીપોર બ્રિજ પાસે ડાયવર્ઝનને પગલે નેશનલ હાઈવે પર જીવન જોખમે રોડ ક્રોસ કરતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીભર્યા કારભારમાં નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમાય તો નવાઈ નહીં. ચીખલીના આલીપોર પાસે વસુધારા ડેરી સ્થિત ઓવરબ્રિજ નીચે છેલ્લા ચાર-પાંચ

28 Mar 2026 4:00 am
ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો:નવસારીમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાનો ઋણ સ્વીકાર' કાર્યક્રમ સંપન્ન

નવસારી ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઋણ સ્વીકાર કાર્યક્રમ ગૌરીશંકર મહોલ્લો, નવસારીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દિપીકાબેન ચાવડા (એડવોકેટ)એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જિલ્લા પ્રભારી રાજ

28 Mar 2026 4:00 am
આપઘાતનો મામલો:જલાલપોરમાં આધેડે તો બીલીમોરા અને આસણામાં 2 યુવાને જીવન ટૂંકાવ્યું

નવસારી જિલ્લામાં ત્રણ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાઓ પાછળ પ્રેમ પ્રકરણ, બીમારી અને માનસિક તણાવ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ભીખુભાઈ શાનાભાઈ નાયકા લાંબા સમયથી ફેફસામાં પાણી ભરાઈ જવ

28 Mar 2026 4:00 am
312 બહેનોને શાકભાજી કિટ્સનું વિતરણ‎ કરાયું:નવસારીમાં કૃષિ વૈજ્ઞાનિકોએ બહેનોને આપી થ્રી-ટાયર' પ્રાકૃતિક કિચન ગાર્ડનની સમજ

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા 62 ગામના મહિલા મંડળોના સભ્ય બહેનો માટે 300 બહેનોની વિશાળ હાજરીવાળા કિચન ગાર્ડન પરિસંવાદ અને આ હાજર રહેલા 312 બહેનોને શાકભાજીના કિટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેનેડા સ્થિત બ‌ળવંતભાઇ પટેલ તથા આટના અરવિંદભાઇ પટેલ પ્રસ્તુત આ પરિસંવાદમાં

28 Mar 2026 4:00 am
મનપાનો નિર્ણય‎:નવસારીમાં બીજી પણ સરકારી ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ શરૂ કરાશે

નવસારીમાં સરકારી એક ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં સફળતા મળ્યા બાદ સાધારણ વર્ગના બાળકો માટે હવે મનપાએ બીજી સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. નવસારીમાં પાલિકા હતી ત્યારે આજથી 5 વર્ષ અગાઉ પાંચહાટડી વિસ્તારમાં ઇંગ્લીશ માધ્યમ સ્કૂલ શરૂ કરી હતી. વિનામૂલ્યે અહીં અભ્યાસ કરાવવામાં આવતો હ

28 Mar 2026 4:00 am