સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમાર દ્વારા તેમના પિતા સ્વ. ઘનશ્યામસિંહ ભુરુભા પરમારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. આ જ્ઞાતિ ભોજન માટે સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-1 મેલડી માતાજીના મંદિર ખાતે ૧૧મા સમૂહ તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. મહાઆરતી સાંજે 4:30 વાગ્યે અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. આ વાર્ષિક આયોજનમાં રતનપર વિસ્તારના
વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદાર
IPLમાં શનિવારની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનનો આ નવમો મુકાબલો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટૉસ 7 વાગ્યે થશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે જીતી હતી, જ્યારે ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે નવી બનેલી મહાનગરપાલિકામાં યોજાનાર ચૂંટણીએ મતદારોમાં ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. આ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવ
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુમતી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર AIMIM પાર્ટી દ્વારા જાહેર સભાથી પ્રચાર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લઘુમતી સમાજમ
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી સામાન્ય ચૂંટણીનો માહોલ હાલ ગરમાયો છે. ત્યારે વાપીના મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 6 અને 7માં પહોંચી હતી. આ વખતે ચૂંટણીનો માહોલ જનતાની હાલાકી અને વેપારીઓના રોષથી ઘેરાયેલો જોવા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોક
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જંગલેશ્વર અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોની સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, જેમાં આ વખતે 5 નગરપાલિકાઓની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં અંજાર (36 બેઠક), ભુજ (44), ગાંધીધામ (52), માંડવી (36) અને મુન્દ્રા (28) એમ કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમ
કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કચ્છના મતદારો આ વખતે પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ગ્
મમુઆરા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ₹ 8 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈએ આ તકે જણાવ્યું હતું કે, રોડ, શિક્ષણ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓમાં વધારો કરીને સરકાર નાગરિકોના જીવનધોર
કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત
બગસરા તાલુકાના નટવરનગર વિસ્તારમાં ઘરેલુ ઝગડામાં પતિ દ્વારા પત્ની પર કાતરથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 29 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે નટવરનગર વિસ્તારમાં કાજલબેન જગદીશ ડાભી (
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી
વડીયા તાલુકાના તોરી ગામે 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું છે અને સાવરકુંડલામાં 56 વર્ષીય આધેડે દવા પી લેતા મોત થયું છે. તોરી ગામની સીમમાં સવારના સમયે 28 વર્ષીય નિકુંજભાઈ ભીખુભાઈ રાઠોડે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. જે અંગે તેઓના પિતા ભીખુભાઈ નાથાભાઈ
લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના
રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના ન
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ હવે હાઈટેક બન્યું છે. પશ્ચિમ વિસ્તારનાં સૌથી વ્યસ્ત 10 મુખ્ય જંક્શનો પર હવે ટ્રાફિક પોલીસને બદલે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) કમાન સંભાળી રહ્યું છે. આ સ્માર્ટ સિગ્નલ્સ હવે રસ્તા પર વાહનોની સંખ્યા જોઈને પ
રાજપીપળા શાકમાર્કેટમાં ફ્રૂટની લારી મુકવા બાબતે બે વેપારીઓ વચ્ચે મારમારી થઇ હતી. આ મારામારીમાં બે વેપારીઓએ એક સંપ થઇને અન્ય વેપારી પર ચપ્પુથી હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળાના નવાફળીયા મોતીબાગમાં રહેતા અમિત માછીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુ
દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવા
સેલવાસના આમલી-બાવીસા ફળીયા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને ઓઆઈડીસી વેલુગામ યોજના રદ કરવાની માંગ સાથે પીડિત આદિવાસી પરિવારોએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્
દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો
વલસાડના ભદેલીજગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી ગામે ચોમાસામાં ભરતીના કારણે જમીનના થતાં ધોવાણ મુદ્દે ગામના અગ્રણીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને આવેદન આપ્યું હતું.આ વિસ્તારમાં ચોમાસામાં નદીની રેલ અને ભરતીના કારણે આ પ્રશ્ન ઉકેલવા માગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમ
કપરાડા તાલુકાના અસ્ટોલ ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડો રૂપિયાની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે ગામના નામ પરથી બનાવી તેજ ગામમાં પાણી માટે લોકોના વલખા 586 કરોડની યોજના ગામમાંથી પસાર થતી હોવા છતાં
અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધના કારણે ભારત અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતાં શિપમેન્સ, ફિશરમેન તથા અન્ય ભારતીય કામદારો મળી 1 હજાર લોકો યુધ્ધના કારણે ફસાઇ ગયા છે.તેઓ ઇરાનથી ભારત આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વર્કરોએ શુક્રવાર
સફળતાનું શિખર ગમે તેટલું મોટું હોઈ, પણ મૂળ તો વતન ની માટી મા જ હોઈ ‘વતનનું વહાલ’ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિને પોતાની માટી સાથે જોડી રાખે છે. પારનેરા ના સેવાભાવી અધ્યાપક હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અ
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે. 60 દિવસના સમયમાં મહત્તમ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. મ્યુનિ. દ્
કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થયેલા રૂ.220ના તોતિંગ વધારાએ ગુજરાતના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની કમર તોડી નાખી છે. ખાસ કરીને અમદાવાદમાં ગેસ બોટલ પર આધારિત નાની અને મધ્યમ રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચને પહોંચી વળ
મેમાં અમદાવાદથી દિલ્હી, વારાણસી, પટના, હરિદ્વાર જતી ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ છે. અનેક ટ્રેનોમાં બુકિંગ સમયે ‘રિગ્રેટ’ બતાવી રહ્યું છે. રેલવેમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ફ્લાઇટ તરફ વળ્યા છે, જેના કારણે દિલ્હી સહિતનાં શહેરોમાં વિમાન ભાડાં સામાન્ય કરતાં બે ગણા સુધી વધી
રાજ્યમાં પામોલીન ઓઈલમાંથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા વ્યાપ સામે સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટેલ-રેસ્ટોરાંમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ રાણાના જ
નવસારીના છાપરા ગામે પિતાએ જ અજાણતામાં પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સ લેતા અથવા હંકારતા પોતાના 2 વર્ષના માસૂમ પુત્રને અડફેટમાં લીધું હતું. કાર અડફેટમાં આવતા પુત્રનું મોત નિપજ્યું છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 1 એપ્રિલના રોજ રાત્રે આશરે 9.30 વાગ્યે છાપરા
જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની સીમમાં આવેલ તળાવમાં નાહવા પડેલા વિજલપોરના 17 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિજલપોરની એપ્પલ રેસિડેન્સીમાં રહેતો આયુષ ઉર્ફે ટપ્પુ જતિનભાઇ કોસાડીયા (ઉ.વ. 17) ગત 2 એપ્રિલના રોજ સાંજના સમયે તેના મિત્ર રાજ સાથે હાંસાપોર ગામની
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને રાખીને જિલ્લાના 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓમા
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં આવેલા ભેંસત ખાડાથી વિરાવળ જકાતનાકા તરફ જતાં રિંગરોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે. આ વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન વર્ષોથી અપૂરતી અને ક્ષતિગ્રસ્ત હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક
વાંસદા તાલુકાના ખાનપુર ગામ પાસે ધરમપુર તરફથી બાઈકનો હપ્તો ભરીને ઘરે પરત ફરતા હતા ત્યારે મારૂતિ વાન ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા છાતી તથા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જતા રાત્રીના સમય ફ
ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામમાં ગુજરાત ગેસમાં પીએનજીના જોડાણ માટે અરજી કર્યાને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં જોડાણ આપવામાં ઠાગાથૈયા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રાનવેરીખુર્દ ગામના ગુજરાત ગેસની બીલીમોરા કચેરીમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાનવેર
વાંસદા શંકર ફળિયામાં આવેલા સ્ટેટ બેંકના પરિસરમાં છેલ્લા ઘણા દિવસોથી સર્જાયેલી અવ્યવસ્થા ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. બેંકના આંગણામાં રેતીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ બેંકની આજુબાજુના રહીશો પોતાના વાહનો પાર્ક કરી દેતા હોવાથી સ્થિતિ વ
નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. જેમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી ઈલેવન, જે.બી.ટાઈગર્સ, અનાયા ઈલેવન અને લાલો ઈલેવન એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્
નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખની જાહેરાત બાદ ભડકો થયા બાદ હવે જાહેર થયેલ સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને પણ સમાવાતા મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખપદે દીપક બારોટની વરણી કરી હતી. આ બાબતે સ્થાનિક ક
નવસારી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો વધવાની જગ્યાએ 45 હજાર જેટલા મતદારોનો ઘટાડો થયો છે. 4 ગામો શહેરમાં જતા તથા ‘સર’ના કારણે મતદારો કમી થતા આ સ્થિતિ બની છે. નવસારી જિલ્લા પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે, જે માટે 26 એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી માટે મતદારો
ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂ
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે. પાલિકાની અલગ-અલગ ટીમોએ તમામ વોર્ડમાં કરેલી કામગીરીને અંતે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ આવકમાં ₹46 લાખનો વધારો
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 348 બેઠકો માટે 26મીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11મી નકકી કરવામાં આવી છે. 11મીએ ફોર્મ ભરવા આડે માત્ર 8 દિવસ બાકી રહયાં છે ત્યારે ભાજપે ઉમેદવારોને ફોન પર સૂચના આપી તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આ
ભરૂચ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ગુરુવારે રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. તો આજે શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ગત રોજ કરતાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થતા સવારે અને સાંજે ઓછી ગરમી
કેશોદ પાસેના નોંજણ વાવ ગામના રવિનાબેનના લગ્ન વર્ષ 2014માં કરેણી ગામના મહીપતસિંહ જીવાભાઇ મક્કા સાથે થયા હતા. લગ્ન બાદ કરિયાવર ઓછો લાવવા અને ઘરકામ મુદ્દે પતિ દ્વારા મેણા-ટોણા મારી હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. પુત્રીના જન્મ બાદ પતિ દ્વારા પુત્રની ઘેલછામાં વધુ ત્રાસ આપવામાં આ
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹450ને પાર કરી ગયા હોવાના રહ્યા. બીજી તરફ, ઈરાને અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળના તિરુવનંતપુરમ અને તિરુવલ્લામાં ચૂંટણી સભા અને રોડ શો કરશે. 2. ટીચર
ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઈકચાલક રોડ પર પટકાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાના લાંભા વોર્ડનું રાજકરણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટીયા સામે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતોરાહુ
ગાંધીનગર શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવાના બણગાં ફૂંકતી ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે ફરી એકવાર ભાઈજીપુરા વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશનો દેખાડો કર્યો હતો. ભાઈજીપુરા ચોકડી અને આસપાસના સર્વિસ રોડ પરથી કાચા પાકા દબાણો અને લારી ગલ્લાઓને હટાવી રસ્તો ખુલ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી-સલામત
ગુજરાતના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સંસદથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવાથી સત્તાના સથવારે પોતાની રાજકીય નૈયા પાર પાડવા ઈચ્છતા કાર્યકરોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થ
ખાડીયા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરા જૈવલ ભટ્ટે તેમજ પૂર્વ ભાજપ પક્ષના નેતા-સતત પાંચ વખતના કાઉન્સિલર મયુર દવેના પુત્ર શાલીન દવેએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.બીજા એક શાહીબાગ વૉર્ડમાં પણ પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ સ્ટ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપા
કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મ
વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં સેન્સ લેવાની અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલ
વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓન
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સેટેલાઈટ પોલીસ મથકે ચાલુ વર્ષે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે એક પુરુષ આરોપી અને બે મહિલા આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં પુરુષ આરોપી મિહિર પરીખના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યૂડિશિયલ કસ્ટડી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. મ
રાજકોટ શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેન્દ્ર ઉર્ફે શુભમ માળી (ઉ.વ.32) નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમની દીકરીએ પિતાને આ હાલત
વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવ મંદિર સામે પેટ્રોલ પંપ પર એક કર્મચારી સાથે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે મારામારી અને ધમકીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણે પોતાના પાંચ-છ મિત્ર સાથે મળીને કર્
ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે
ઔદ્યોગિક સલામતી અને કર્મચારીઓના કલ્યાણને પ્રાધાન્ય આપતા અદાણી હઝીરા પોર્ટ લિમિટેડ (AHPL) દ્વારા 55મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરતાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વ
અત્યારે અમેરિકા ઈરાન પર ઓપરેશન એપિક ફ્યૂરી કરીને મિસાઈલ્સના મારા ચલાવી રહ્યું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં ઓપરેશન શુદ્ધિકરણ કરીને પોતાના જ અધિકારીઓને હટાવી રહ્યું છે. યુદ્ધની ભીષણ આગ વચ્ચે ટ્રમ્પે પોતાના જ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને ઘરભેગા કરી દીધા છે. આટલું તો ઠ
પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોનું વેચાણ કરનાર સમી તાલુકાના અદગામના એક આરોપીને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર) વિરુદ્ધ કુલ 11 ગુના નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં ગેરકાયદે હથિયાર
ગુજરાતમાં ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિયુક્તિઓ જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. નવી જાહેર કરાયેલી યાદી અનુસાર લ
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં પતિએ તેની પત્નીને મેસેજ કરવાના મુદ્દે વેપારી પર બેટ અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી વેપારી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીને માથામાં ચાર ટકા આવ્યા છે. આ મામલે
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને
ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના 150થી વધુ કાર્યકરો અને નેતાઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાઈ હોવાનો AAPનો આરોપ છે. આ મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. AAPની વધતી લોકપ્
વડોદરાના VIP રોડ પર આવેલા એલ એન્ડ ટી સર્કલ નજીક “બાપા સીતારામ મઢુલી” ખાતે ભંડારાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બાપા સીતારામ યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા બગદાણા (શ્રી બાપા સીતારામ) ના પવિત્ર સાંનિધ્યમાં થયું હતું. આ ધાર્મિક કા
મહીસાગર જિલ્લામાં ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, શિયાળુ પાકની કાપણી બાકી હોય તેવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસ
ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર મ
રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 16 માર્ચના રોજ થયેલ દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભા
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમા
ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ઉનાળાની સીઝન ચાલી
મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય કિસ્મત નામના બાળકને કારચાલકે અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે દેવીપૂજક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર ક
વેરાવળની ભાવના સોસાયટીમાં આવેલા કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દર મહિનાની પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન થાય છે. તાજેતરમાં, ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં બટુક ભોજન
બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ઘટના 4 ફેબ્રુઆરી 2023ના રોજ બની હતી, જ્યારે ઢાકણીયા ગામે નવઘણભાઈ જોગરાણાનું ગળું કાપીને હત્યા કરવામા
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો

27 C