કચ્છના પાટનગર ભુજની આરટીઓ કચેરી માટે ગત નાણાકીય વર્ષ આવકની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી રહ્યું છે. કચેરીને નવા વાહનોની નોંધણી પેટે 174.61 કરોડ, લાઇસન્સની ફી પેટે 4.15 કરોડ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં 4.58 કરોડ મળી કુલ વાર્ષિક આવક 183.34 કરોડને પાર કરી ગઈ છે. નવા વાહનોની નોંધણી અને ડ્રાઇવિ
આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આ વર્ષની થીમ સ્વાસ્થ્ય માટે વિજ્ઞાન સાથે ઊભા રહો રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ વિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનો અને જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે સૌ સાથે મળીને સમાજના સ્વાસ્થ્યને સુધારવાનો છે.પરંતુ આરોગ્ય તંત્રના આંકડા વિરોધાભાસી ચિત્ર રજૂ ક
ભુજ સ્થિત સ્ટેટ જીએસટી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય આવકમાં પોતાનું યોગદાન આપતાં કુલ રૂ.1207.26 કરોડની જીએસટી આવક નોંધાવી છે. વર્ષ 2025-26 માં ભુજ કચેરીની આવકમાં ગત વર્ષની સરખામણીએ 8.86 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે સ્થાનિક કક્ષાએ વેપાર તેમજ ઉદ્યોગ પ્રવૃત્તિઓની સકારાત્મક ગતિ દર્શાવે
નાની ઉંમરે અદભૂત પ્રતિભા અને શિસ્તનો પરિચય આપતો 3.5 વર્ષનો ત્રિશિવ જિનલ નિરજ વોરા સ્પીડ ક્યુબિંગની દુનિયામાં ઝડપથી ઊભરતો યુવા પ્રોડિજી બની રહ્યો છે. માત્ર 2 વર્ષ અને 10 મહિનાની ઉંમરે ક્યુબિંગ શરૂ કરનાર ત્રિશિવે ટૂંકા ગાળામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જે સતત પ્રયત્ન અને યોગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે માધાપર જુનાવાસના ગાયત્રી ચોક ખાતે ‘ગાયત્રી વસ્તી’ દ્વારા વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક સમરસતા, સંસ્કાર અને રાષ્ટ્રચેતનાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આશીર્વચન પાઠવતા આર્ષ અધ્યયન કેન
કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તા. 26/4ના મતદાન યોજાશે. ચૂંટણીની કામગીરી તા.1/4થી તા.30/4 સુધી ચાલશે. કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે તંત્ર દ્વારા જરૂરી જાહેરનામા બહાર પાડવામા આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ ઉમેદવ
ભુજ નગરપાલિકાની ટેક્સ શાખામાં તાજેતરમાં થયેલી કારણદર્શક નોટિસની કાર્યવાહી બાદ કરાર આધારિત ડમી કર્મચારીઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ દ્વારા પાંચ કર્મચારીઓને વોર્નિંગ નોટિસ બજાવવામાં આવી છે, જ્યારે એક કર્મચારીને છૂટા કરવાની કાર્યવાહી શરૂ
તાલુકાના ચુબડક ગામની સીમમાં આવેલ વાડી પરથી નાની ચુબડક અને નાની રેલડીના આરોપીએ રૂપિયા 72 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો જેને સ્થાનિક પોલીસે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રતનાલ ગામના ફરિયાદી ત્રિકમભાઈ બીજલભાઈ વરચંદે પદ્ધર પોલીસ મથકે આરોપી સદામ ઈસ્માઈલ પારા અન
વોર્ડ નંબર 1માં ચારેય નગર સેવકો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા છે. આ વોર્ડમાં આવતા વિસ્તારોની વરસાદી પાણીનો નિકાલ, ગટરના પાણી, પીવાના પાણીની અનિયમિતતા, માર્ગની અધુરાશ સહિતના પ્રશ્નોમાં વાયદા અનેક થયા પરંતુ ઉકેલ ન આવ્યાનો અસંતોષ જોવા મળે છે. ખાસ કરીને વોર્ડ નંબર એકમાં સ્ટોર્
એશિયાના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં કુદરતી સંપદાની ચોરી કરનારા તત્વો સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ભુજ સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડની કચેરી દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સઘન ચેકિંગમાં ખનિજ ચોરીના રેકોર્ડબ્રેક કેસો નોંધી કરોડો રૂપિયાની દંડકીય વસૂલાત કર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે ડાયમંડ સિટીના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિ-પાંખિયા જંગમાં હવે માત્ર સભાઓ અને રેલીઓ જ નહીં 'પ્રચાર સામગ્રી' પણ હથિયાર બની છે. સુરતના બજારોમાં અત્યારે દરેક
જેતલપુર બ્રિજ નીચે ઈન્ડિયા બુલ્સની સામેથી અકોટા પોલીસે પાંચ જણાને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. પાંચેયે સાથે મળીને દારૂની પાર્ટી કરી હતી. વર્ધી આધારે સ્થળ પર પહોંચી અકોટા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અકોટા પોલીસને કંટ્રોલ તરફથી રવિવારે બપોરે 1.45 વાગે વર્ધી મળી હતી
નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાંથી એસએમસીએ પકડેલા રૂ.43.46 લાખના દારૂના કેસમાં બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 5 લોકોને જેલના હવાલે કરાયા હતા. બીજી બાજુ બૂટલેગર લાલુ સિંધી, સુનિલ અદાને હજી પોલીસ પકડી શકી નથી. નંદેસરી જીઆઈડીસીમાં એસએમસીએ 29 માર્ચે રધીયાપુરા પાસેની ખુલ્લી જગ્યામાં દરો
ગુજરાત કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર કરતા પહેલા રાત્રે 2 વાગ્યા સુધી બેઠકો યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરીને બેઠક પરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત
રાજકોટનો વોર્ડ નંબર 18 કે જ્યાં આજથી 10 વર્ષ પહેલા ભળેલા કોઠારીયા ગામનો સમાવેશ થાય છે. આ વોર્ડનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કોઠારીયા ચોકડીના નાળામાં મસમોટા ખાડાને લીધે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. 63,000થી વધુ મતદારો
બા, અમે જઇએ છીએ...આ શબ્દો પામુબેન માટે છેલ્લા સાબિત થશે એવી કોઇએ કલ્પના પણ નહોતી કરી. ભાવનગરમાં નોકરી કરતા દીકરાએ વ્હાલથી દીકરી-જમાઇને બાની ખબર કાઢવા મોકલ્યા હતા પણ એ જ મુલાકાત જીવલેણ સાબિત થઇ. નજીવી રકઝક, પત્નીને પિયરમાં ન રોકાવા દેવાની જીદ અને પછી પડેલો એક લાફો.... કેવી રીતે એક
આજવા રોડ પર આવેલા આરએમએસ પોલિટેક્નિકમાં રોજગાર કચેરી સાથે મળી મેગા જોબ ફેર 2026 યોજાયો હતો. જેમાં 389 ઉમેદવારોને નોકરીની ઓફર અપાઈ હતી. આ મેળામાં 35 કંપની જોડાઈ હતી અને 1 હજારથી વધુ જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એલેમ્બિક, વોલ્ટાસ, એમઆરએફ ટાયર્સ, એપોલો ટાયર્સ, યુપીએલ, પીવી
મ.સ.યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સ્ટાઇલ એન્જિનિયરિંગ વિભાગના રિસર્ચરે ગરમીમાં ઘટાડો કરે તેવું કાપડ વિકસાવ્યું છે. વિદ્યાર્થિનીએ ઓસ્ટ્રેલિયાના મેરિનો ઊનનો ઉપયોગ કરી 6 થી 7 ડિગ્રી તાપમાન ઘટે તેવું કાપડ તૈયાર કર્યું છે. આ કાપડ થકી બહારનું તાપમાન ગરમ હશે તો પણ શરીરનું તાપ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ નવી દિલ્હીના નેજા હેઠળ વિશ્વ હોમિયોપેથી અઠવાડિયું 2026 તથા હોમિયોપેથીના સ્થાપક ડૉ.સેમ્યુઅલ હનેમાનની 271મી જન્મ જયંતીની ઉજવણી 1થી 6 એપ્રિલ દરિમયાન વડોદરા અને એની આસપાસની તમામ કોલેજો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હોમિયોપેથી જાગરુકતા રેલીનો પ્રારંભ સયા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સ્થાપના 7 એપ્રિલ, 1985ના રોજ પોરબંદર ખાતે થઈ હતી. સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચે ત
ગુજરાત કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન દ્વારા સયાજીગંજના વાકળ સેવા કેન્દ્ર ખાતે આવકવેરા વિષયક સેમિનાર યોજાયો હતો. શનિવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાયેલા આ સેમિનારમાં 150થી સભ્યો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિયુ
પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા 20 એકમમાં ચેકિંગ કર્યું હતું. જેમાં લીધેલા નમૂના પૈકી 4 નમૂના ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ફેલ જાહેર થયા છે.બીજી તરફ રેસકોર્સ સહિત 125 સ્થળ પર પનીર-ચીઝનું ચેકિંગ કરાયું હતું, જેમાં ‘એનાલોગ’નો ઉલ્લેખ ન કરનાર 7 એકમને નોટિસ આપી છે. પ
સયાજી હૉસ્પિટલની બ્લડ બેંકમાં વર્ષ 2022થી 2025 સુધીનાં 4 વર્ષમાં રક્ત વિતરણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં દર્દીઓને કુલ 25,718 યુનિટ રક્ત અપાયું હતું, જ્યારે 2025માં 27,445 યુનિટ રક્ત અપાયું હતું. જનની-શિશુ સુરક્ષા યોજના હેઠળ પ્રસૂતાને અપાતા રક્તમાં 70 ટકાનો વધારો થયો છે. જેમાં 2022માં 5560 યુ
વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વચ્ચે શહેરીજનોનું આરોગ્ય બગડી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. હવામાં ભળતું આ ઝેર માત્ર ફેફસાં સુધી સીમિત રહ્યું નથી, પરંતુ તે પેટ-કિડની જેવા અંગોને પણ અસર કરે છે. શહેરમાં વધતાં વાહનો અને ઠેર ઠેર થતાં બાંધક
સાબરમતીના કિનારે આવેલા ખેડબ્રહ્માના નવામોટા ગામના બેણા વિસ્તારમાં ત્રણ ચાર વર્ષથી રેતી માફિયાઓએ જાણે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. દિવસ હોય કે રાત, અહીયાં મશીનોના ગડગડાટ અને ડમ્પરોની દોડધામ અટકવાનું નામ નથી લેતી. સ્થાનિક આદિવાસી પ્રજા નામ લેતાં પણ ફફડી રહી છે. નદીન
જૂનાગઢના કડિયાવાડમાં બે દિવસ પહેલા એક જર્જરિત મકાનની છતનો પોપડો પડતા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ 3 વર્ષ પહેલાની એ કાળઝાળ યાદો તાજી કરી દીધી છે, જેમાં આખેઆખી બિલ્ડીંગ ધરાશાયી થતા 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બંને દુર્ઘટના પછી પણ પાલિકાએ ગંભીરતા દાખવી ન
ઇઝરાયલ અમેરીકા અને ઇરાનના યુદ્ધને કારણે હાલ ગેસના બાટલાની સપ્લાયમાં સરકારે થોડા નિયમમાં ફેરફાર કર્યો છે. જેને કારણે રેસ્ટોરેન્ટમાં પુરતો ગેસનો જથ્થો મળી શકતો ન હોવાથી ધંધા પર અસર જોવા મળી છે. કોઇક રેસ્ટોરેન્ટમાં થોડો ભાવ વધારો થયો છે તો ક્યાંક જે મેનુ હતુ તેમાંથી અડધી વાન
કોડીનાર થી ઊના સુધીના ચાલીસ કી.મી.ના ફોર ટ્રેક રોડનું કામ ચાલુ થયું તેને અગિયાર વર્ષ થયાં પણ હજુ અનેક કામો બાકી છે.જેને પૂર્ણ કરવામાં નેશનલ હાઇવેને કોઈ રસ નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.તેમજ ડોળાસા સર્વિસ રોડ અધૂરૂ છોડી દેવાયું છે પાકી ગટર માટે ખાડો કરી ગયા પછી કોઈ ડોકાત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે અડધા હાલારમાં કમૌસમી વરસાદ બાદ ફરી એકવાર માવઠાનુ સંકટ તોળાઇ રહયુ છે.રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.જેમાં જામનગર અને દેવભૂમિમાં 7મી એપ્રીલે પણ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વ
અમરેલી શહેરમાં રહેતી સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે યુવતીની માતાએ અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 22 માર્ચના રોજ સવારે 8 વાગ્યાના સમયગાળામાં ઉત્તર પ્રદેશનો રહેવાસી ગિર્જેશક
અમરેલીની અજમેરા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક, કવિ, લેખક અને પ્રકૃતિવિદ તરીકે ઓળખાતા કેતનભાઈ પ્રવીણચંદ્ર જોશીનું સંશોધન પત્ર તાજેતરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયું હતું. આ કોન્ફરન્સનું આયોજન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર તથા ભારત સરકારના શિક્
રાજુલા તાલુકાના ડુંગર ગામે લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે અથડામણ સર્જાતા બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં એક વ્યક્તિને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ છે. ગઈકાલે વહેલી ડુંગ
બગસરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી સર્વે ઓફિસમાં કોઈપણ કર્મચારીની નિમણૂંક ન થતાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. પ્રોપર્ટી સંબંધિત કામગીરીમાં હાલાકી વેઠવી પડે છે. પ્રોપર્ટી કાર્ડ મળતા નથી. ઓફિસમાં સ્ટાફના અભાવે લોકોના કામ અટકી ગયા છે. હાલમાં રજીસ્ટર ઓફિસમાં કોઈપણ મિલકત ખ
લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ સીઝનમાં ચણાનું સારો પાક થતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ
ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટેના ઢોલ વાગી ચુક્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગય છે. પાલિકાના 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 8માં સૌથી વધુ મતદારો છે. જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછા મતદારો છે. કુલ 44માંથી 24 બેઠક અનામત છે. અમરેલી નગરપાલિકા માટે કુલ 79439 મતદારો મ
રાજુલામાં શિક્ષક રહસ્યમય રીતે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. રાજુલાના શિવધારા એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક શિક્ષક પોતાના મોબાઇલ ફોન ઘરે મૂકીને ક્યાંક જતાં રહ્યા હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મૂળ જામજોધપુર તાલુકાના વેરાડ ગામના રહેવાસી અને હાલ રાજુલા ભેરાઈ રોડ પર
અમરેલી ગીર વિસ્તારમાં આવેલ પવિત્ર કનકાઈ માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે અમરેલીથી સીધી એસ.ટી. બસ સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. આ બાબતે સુમન સેવા ટ્રસ્ટ–અમરેલી દ્વારા એસ.ટી. વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. અમરેલી સુમન સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પરશોતમભાઈ એન.
નાંદોદ તાલુકાના વડિયા ગામની શિવક્તિ સોસાયટીની બાજુમાં વેરાઈ માતાજી ના મંદિરે શ્રીમદ્દ ભગત સપ્તાહ નું આયોજન વડિયાના જશોદા રજવાડી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. જશોદાબેન રજવાડીના ઘરેથી પોથી યાત્રા નીકળી હતી. વડિયા ગામના જાહેર માર્ગો પ
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમામાં ભકતોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. 19મીથી શરૂ થયેલી પરિક્રમામાં આજદિન સુધીમાં 6 લાખ જેટલા શ્રધ્ધાળુઓ નોંધાયાં છે. નર્મદા પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં જેમ-જેમ દિવસો વિતી ર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે તેમ ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને રાજપીપળા ખાતે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક મળી હતી જિલ્લા કક્ષ
નર્મદા જિલ્લાની શાળાઓમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેકટમાં મોટી ગોબાચારી સામે આવી છે. 380 શાળાઓમાં છાત્રાઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે સરકારે શાળા દીઠ રૂા. 13 થી 15 હજારની ગ્રાંટની ફાળવણી કરી હતી પણ મોટા ભાગની શાળાઓમાં એજન્સીએ શિક્ષકોને રૂા. 2 હજાર આપી
દમણમાં તાજેતરમાં નુમા ઇન્ડિયા દ્વારા આયોજિત 9મી કેપીએલ (કરાટે પ્રિમિયર લીગ) નેશનલ લેવલ કરાટે ટુર્નામેન્ટ-2026 યોજાઇ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં નવસારીના શિવાંશ કરાટે ક્લબના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલોની વણઝાર લગાવી છે અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. માત્ર 6 વર્ષની
વલસાડ સહિત રાજયની તમામ નગરપાલિકાઓમાં ગત વર્ષના વેરા ભરવાનું રહી ગયેલા બાકીદારોના કામો અટવાઇ જતાં મુશ્કેલીમાં મૂકાયા છે. બાકીદારો બિલ ભરવા આવી રહ્યા છે, પરંતુ 1 એપ્રિલથી ગાંધીનગરથી ઓનલાઇન સિસ્ટમ સ્થિગિત કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી સરવર બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કા
વાપી મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 260 લોકોએ દાવેદારી નોંધાવી છે,ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 50 ટકા એટલે કે 130 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે.તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે.જો તેનું સંપૂર્ણ પાલન થાય તો વધુ લોક
દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, આગામી ડિજિટલ જનગણના 2027 માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણમાં હાઉસ લિસ્ટિંગ અને આવાસ જનગણનાનું કાર્ય 20 એપ્રિલથી 19 મે સુધી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો
વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ કપરાડા તાલુકામાં આરોગ્યની અત્યંત ચોંકાવનારી અને ડરામણી હકીકત સામે આવી છે. અહીં યોજાયેલા મેડિકલ કેમ્પમાં તપાસ કરનારા દર 10માંથી 8 લોકો ડાયાબિટીસથી પીડિત હોવાનું નોંધાયું છે. આ ગંભીર સ્થિતિ પાછળ શ્રમિકોમાં વધતી ઠંડા પીણાં
નવસારીના છાપરા વિસ્તારમાં તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલા નવા રોડ પર વાહનોની ગતિ જોખમી સ્તરે પહોંચી છે. ખાસ કરીને અંકુર પાર્ક અને નંદ બંગ્લોઝ જેવા રહેણાંક વિસ્તારોની બિલકુલ સામે સ્પીડ બ્રેકરનો અભાવ હોવાથી વાહનચાલકો ફૂલ ઝડપે વાહનો હંકારી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થ
નવસારી જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ અને મતગણતરી 28 એપ્રિલના રોજ થનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથ
નવસારીમાં આવેલ એક શોપિંગ મોલ એક માસમાં ફરી એકવાર વસ્તુની કિંમત વધુ વસૂલવાના મામલે વિવાદે આવ્યું છે. જેમાં એક વસ્તુની કિંમત ડેસ્ક ટોપ પર લખેલ તે કરતા રૂ. 11 વધુ લેતા ગ્રાહકની નજર જતા વધુ નાણાં લીધા તે પરત આપવાની વાત કરતા શોપિંગ મોલના સંચાલકોએ દાદાગીરી કરી અને પોલીસને બોલાવી લી
વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ સરકારી મિલકતોની આસપાસ રાજકીય પક્ષોના બેનરો અને પોસ્ટરો યથાવત જોવા મળતા ચૂંટણી તંત
વાંસદા તાલુકાના દૂબળ ફળિયા ગામના વતની અને છોટા ઉદેપુર જિલ્લાની ગુનાટા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ જીતેન્દ્ર મનુભાઈને દેશ-વિદેશની હસ્તીઓની ઉપસ્થિતિમાં રાજસ્થાન (જયપુર)માં આંતરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને આંતરાષ્ટ્રીય ગ્લોબલ ડાયમંડ એવોર્ડ 2026માં બેસ્ટ ટીચર એવોર્ડથી સન્મ
નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ પાસે આવેલા નવકાર દર્શન એપાર્ટમેન્ટમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક યુવક અને તેની માતા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નવસારીના ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ નવકાર દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય અલ્ફ
જાહેર મિલકતો અને રસ્તાઓ પર થતા દબાણો દૂર કરવા માટે બનાવવામાં આવેલી સમિતિની વિગતો છુપાવવી નવસારીના મહેસૂલી અધિકારીઓને મોંઘી પડી છે. નવસારીના જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગે કડક વલણ અપનાવી નવસારી ગ્રામ્ય મામલતદાર (કાલિયાવા
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પીએમ મોદીની આસામ રેલીના છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવે છે. બીજા સમાચાર તમિલનાડુથી છે જ્યાં એક સાથે 9 પોલીસકર્મીઓને મોતની સજા ફટકારવામાં આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં આજે સબરીમાલા મંદિરમાં
રાજકોટ આમ આદમી પાર્ટીના બે નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના દબાણ હટાવ શાખા દ્વારા થાંભલા ઉપર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનર હટાવતા વોર્ડ નંબર-4ના ઉમેદવાર દ્વારા મનપાના કર્મચારીને ભાજપના દલાલ છો કહી બોલાચાલી કરી ફરજ રુકાવટ કરતા ઉમેદવાર રાહુલ ભુવા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે. આજે 7 એપ્રિલના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. પ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ રિકવરી મુદ્દે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી બાકી રહેલી આ સરકારી રકમની વસૂલાત માટે શાળાઓને ખુલાસો કરવા અથવા ચલણ રજૂ કરવા આદેશ અપાયો છે, અન્ય
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર-2ના સહ-કન્વીનરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા તેમણે પક્ષની કાર્યપદ
પાટનગર ગાંધીનગર હવે માત્ર હરિયાળા શહેર તરીકે જ નહીં પણ પૂર નિયંત્રણ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે પણ હાઈટેક બની રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પૂર નિયંત્રણ માટે અત્યંત આધુનિક વોટર લેવલ સેન્સર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ ડિવિઝન) ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ સ્થિત પંડિત રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કરાયો હતો. કાર્યક્રમના અધ્
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર શહેરમાં ઘર ઘર મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જનસંપર્ક મજબૂત બનાવવાનો છે. આ અભિયાનમાં 200થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક પ્રજાજનો ઉત્સાહ
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ સર્જાયો છે, જેમાં જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના SC સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષના પાયાના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટીના ગ્રુપમ
પાટણ સ્થિત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ પાંચ દિવસીય હસ્તપ્રત પરિચય વર્કશોપનો પ્રારંભ થશે. આ વર્કશોપ સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે. તેનું આયોજન અમદાવાદના શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલ
ગીર સોમનાથ જિલ્લામાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમનાથ કેટરિંગ એસોસિએશને જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સોમનાથ કેટરિ
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા પોતાનો મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનીફેસ્ટોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં એક પ્રાથમિક શાળા અને દરેક
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્ર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક ભંગાણ સર્જાયું છે. પક્ષના સક્રિય મહિલા કાર્યકર માધવી રાજપૂત સહિત અનેક મહિલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની
વલસાડ જિલ્લામાં પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના વેલ્ડિંગ કામ દરમિયાન એક શ્રમિકનું મોત થયું હતું. ઘટના બાદ કંપનીના જવાબદાર અધિકારીઓ શ્રમિકની લાશને હોસ્પિટલ મૂકીને ફરાર થઈ ગયા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ ક
જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 16 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ
સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકો માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો ધમધમાટ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, આજ સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થતા જ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જ
મોરબી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) દ્વારા મોડી સાંજે 13 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા PI તેમજ તાજેતરમાં જિલ્લામાં મુકાયેલા PI માટે કરવામાં આવી છે. બદલી કરાયેલા PI અને તેમની નવી નિમણૂકોવાય.બ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 90 જેટલા ઉમેદવારોના નામની જ
રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કર્યા છે, જ્યારે 3 PI ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ ફેરફારોથી જિલ્લામાં ક
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે એક બેફામ ટેન્કર ચાલકે રિક્ષા, આઈસર અને એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતની વિગતો મુજબ, છાણી GSFC બ્
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસે ગઇકાલે(5 એપ્રિલ) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં અમદાવાદના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર-વડોદરાના 18-1
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના રાજકીય વાતાવરણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. આજે કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા અને મકબુલ દાઉદાણી દ્વારા જિલ્લા કલેક્ટરને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે ક
ભાવનગરના ક.પરા પોપટનગર વિસ્તારમાં એક યુવક સાથે રક્ષાબંધન દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં શખસોએ યુવકને પોપટનગરના મીઠાના અગરના ખારમાં બોલાવી લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે મામલે ગંગાજળિયા પોલીસે ચાર
દેશભરમાં સાયબર અપરાધીઓ અવનવી મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં એક જાગૃત વ્યક્તિએ સાયબર માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મોટા આર્થિક સાયબર ગુનાઓ આચરવાના ઇરાદે 25 હજારમાં સિમ કાર્ડ ભાડે લેવા આવેલા રાજસ્થાન જોધપુરના બે
પાલનપુર વિધાનસભા યુવા ભાજપ દ્વારા બનાસ ગોળાઈ ખાતે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ, 6 એપ્રિલના રોજ યોજાયો હતો. પક્ષની વિચારધારા અને સેવા ભાવનાને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ સેવાકીય કાર્યક્રમનું આય
ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ૧૫૬ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો, જે દર્શાવે છે કે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વહીવ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઇવે રોડ પરથી દસાડા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,02,200નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે રેન્જ વિસ્તારમાં
ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરતમાં ફરી એકવાર ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. AAPના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા સુરતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને કાર્યકરો
સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં
દોઢ ટ્રિલિયન ડોલર...આ આંકડો છે ઈરાન સામે યુદ્ધ લડવા માટે માટે ટ્રમ્પ અમેરિકા પાસે રૂપિયા માગી શકે તેનો. દોઢ ટ્રિલિયન ડોલરને સાદી રીતે સમજીએ તો આટલા રૂપિયાથી 3300 જેટલી સરદાર સાહેબની નવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી શકાય, 20 હજારવાર મંગળયાન મોકલી શકાય, 1200 નવા IIT અને 2700 નવા IIMના કેમ્પસ બના
નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામમાં ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રૂપિયા હારવાની અદાવતમાં છ શખ્સોએ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય યુવકને બેલ્ટ અને દોરડા વડે માર મારી હત્યા કરી હતી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં તમામ છ આરોપીઓને
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન શહેરમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. શહેર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ઉપરાંત કાર્યકરોએ પોતાના ઘરો પર પણ
સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ હવે સુરતીઓ માટે 'સળગતી મુસીબત' બની ગઈ છે. એકવાર આગ કાબૂમાં આવ્યા બાદ ફરી બીજી અને હવે ગણતરીના કલાકોમાં ત્રીજીવાર આગ ભભૂકતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આકાશમાં 3 કિલોમીટર દૂર સુધી દેખાતા ધુમા
અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ગુનાખોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 317 નશાકારક કફ સિરપની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહેરામપુરામાં લારીમાંથી રૂપિયાની ચોરી કરનાર શખ્સે ઠપકો આપનાર વેપારી પર ચપ્પુ વ

26 C