હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવા
પોરબંદરના દરિયામાં માછીમારી કરી રહેલા એક માછીમારને મધરાતે બ્રેઈન સ્ટ્રોક આવતા 108 બોટ એમ્બ્યુલન્સની ટીમે સમયસર પહોંચી તેનો જીવ બચાવ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બોટ એમ્બ્યુલન્સ દરિયાખેડુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ ઘટના ગઈકાલે રાત્રિના આશરે 09:30 કલાકે બની હતી. 'અ
વેરાવળ નગરપાલિકાની કરવેરા વસુલાતમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકા પોતાની મુખ્ય આવકમાંથી વંચિત રહી રહી છે, જેના કારણે કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. નગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ, કુલ ₹38.77 કરોડની વસુલાત સામે માત્ર ₹10 કરોડ જ વસૂલવામાં આવ્યા છે. આ કામગીરી માત્ર 25 ટકા દર્
સુરતમાં સરકારી નોકરી અપાવવાનું સપનું બતાવી લાખોની રોકડી કરી લેનારા લેભાગુ તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 લાખની ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપતો આરોપી આખરે ઝોન-6 LCBની ઝપટે ચડી ગયો છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી
ગીરની ભૂમિ એટલે સિંહોનું કાયમી સરનામું, પરંતુ હવે વનરાજ જંગલ છોડીને રહેણાક વિસ્તારોમાં મહેમાન બની રહ્યા છે. ગીરગઢડામાં ન્યાય મંદિર પાછળના વિસ્તારમાં ગત રાત્રે સિંહણના શિકાર અને તેની ચપળતાના એવા દૃશ્યો જોવા મળ્યા જેણે જોનારાઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એક સિંહણે શિકારની
ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVMU ની મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ના વિદ્યાર્થીઓએ ROBOFEST GUJARAT 5.0 – ગ્રાન્ડ ફિનાલેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ટીમને ₹7.50 લાખનું આકર્ષક ઇનામ પણ પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ પ્રત
ભરૂચ જિલ્લામાં પતિ અને સાસુના માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને 181 અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને રાહત અપાવી છે. મહિલાએ હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માંગી હતી. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના પતિ વારંવાર ઝઘડા કરીને છૂટાછેડાની ધમકી આપતા હતા, જ્યારે સાસુ તેમને ઉશ્કેરતા હતા. આ સત
પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ પહેલ હાથ ધરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે શહેરના સુર મંદિર થિયેટરમાં ત્રણ જુદી જુદી વિડિયો ક્લિપ્સ દર્શાવી હતી. આ ક્લિપ્સ દ્વારા મહિલાઓ પર
આજે વહેલી સવારે નવસારી નજીક મુંબઈથી અમદાવાદ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. નેશનલ હાઈવે પર આરક સિસોદ્રા ગામ પાસે સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર પાંચ મુસાફરોને ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત
ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વિશ્વવિખ્યાત કેસર કેરીના પાક પર રોગચાળાનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેંગો એક્સેલન્સ સેન્ટર, તાલાલાના બાગાયત અધિકારી વિજયસિંહ બારડે ખે
મહેસાણામાં એક પરણિત યુવકે સહકર્મી અપરણિત યુવતી સાથે પ્રેમસબંધ બાંધ્યો હતો. દોઢ વર્ષના આ પ્રેમ પ્રકરણમાં યુવક ઘર ખર્ચ ન આપી અઠવાડિયા સુધી કંપનીના ગેસ્ટહાઉસમાં રોકાતો હતો. આખરે 2 સંતાનો અને સાસુની જવાબદારી એકલા હાથે ઉઠાવતી પત્નીને તેના પતિની હરકતો શંકાસ્પદ જણાતા તપાસ કરી ત
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વપ્રસિદ્ધ ગીરના જંગલની સુંદરતા અને તેની ઇકોસિસ્ટમ ત્યાંની અતૂટ આહાર શૃંખલા પર ટકેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગીરના કુદરતી ઘાસના મેદાનો પર 'કુવાડિયા' (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે ચીતલ, સ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ની સંયુક્ત બેઠક યોજાઈ હતી. સાડા પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં વર્ષ 2026-2027 માટે ₹180 કરોડની આવકનું લક્ષ્યાંકિત બજેટ મંજૂર કરવામાં આવ્યું
દહેગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલકો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સમાધાન થયું હતું. આંદોલન
છોટા ઉદેપુર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવા ફેલાતા મોડી સાંજથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલન
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને વધતી વસ્તી તથા ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ સત્તાવાર આદેશ જાહેર કરીને જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો અને વિભાગીય કચેરીઓની જાહેરાત
વલસાડ શહેરમાં ઈંધણની અછત અંગેની અફવા વાયુવેગે પ્રસરતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી. આ અફવાને કારણે શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. શહેરના કલ્યાણ બાગ સ્થિત એક પેટ્રોલ પંપ પર સવારથી પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાને કારણે પંપ બંધ રાખવાની ફરજ પડી હતી. જોક
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 757.02 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે આ બજેટને બહાલી આપી હતી. આ બજેટ 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત'
યુદ્ધના કારણે જહાજની અવર-જવર અટકી જતાં ઇંધણ, ગેસ સહિતના જથ્થાનો હાલમાં બિનજરૂરી વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે, આપણી પાસે પુરતું ઇંધણ અને ગેસ સહિતનો જથ્થો છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકો ઘરેલું ગેસના બાટલા મેળવવા માટે રીતસર લાઇનો લગાવે છે અને 10 દિવ
માંડવી તાલુકાના મોટા સલાયામાં ખારવા સમાજની વાડી આગળ ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.જેને ધ્યાને લઇને માંડવી મરીન
પડાણા પંચરત્ન માર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બિહારના શ્રમિકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ તે જ સમયે પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ માટે આ યુવાનનો જીવ બચાવવો પ્રાથમિકતા બની હતી. પોલીસે ‘ગોલ્ડન અવ
શહેરના કેમ્પ એરિયામાં જૂની મેન્ટલ હોસ્પિટલની સામે લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાયું છે, પરંતુ કમનસીબે આ સરકારી દવાખાનાનું મુખ્ય પ્રવેશદ્વાર ગંદકી અને પશુઓના જમાવડાનું કેન્દ્ર છે. અહીં નગરપાલિકા કચરાપેટી પણ રાખી છે.દવાખાનું બન્યું તે પહેલાથી લોકો અહીં કચર
માધાપર ખાતે બાપુની રામકથાના ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રોતા રામાયણનું રસપાન કરવા ઉમટ્યા હતા. મોરારી બાપુની વ્યાસપીઠ પરથી માનસ મુકુરાષ્ટ્રક રામકથાનું આયોજન કરાયું છે. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં બાપુએ સનાતન ધર્મ પર ભાર મૂકી જણાવ્યું કે
અત્યાર સુધી GST રજીસ્ટ્રેશન માટે ભુજના અને આસપાસના વેપારીઓને ગાંધીધામ સુધી જવું પડતું હતું. જ્યાં તેઓની બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવે આ પ્રક્રિયા સરળ બનાવવા માટે ભુજ ખાતે જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા થોડા સમયમાં
મહેસાણા જિલ્લાની તક્ષશિલા શાળા ગુજરાતમાં જળ સંરક્ષણનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. માત્ર 4 લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકાયેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ દ્વારા આ શાળાએ વેડફાતા વરસાદી પાણીને પીવાલાયક બનાવી, 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 8 મહિના સુ
ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. જેના કારણે પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ
ગુજરાત વિધાનસભાની આજની બેઠકમાં મહત્વપૂર્ણ ધારાસભાકીય કાર્યવાહી હાથ ધરાશે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ’ રજૂ થવાનું છે. સાથે જ રાજ્યના નાણાકીય વ્યવસ્થાને લગતા ગુજરાત વિનિયોગ વિધેયક તથા વધારાના ખર્ચના વિધેયક પણ ગૃહમાં રજૂ થશે. બેઠકની શરૂઆત પ
શનિવારે રાત્રે સાડા નવની આસપાસ પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા રૂટિન પ્રકિયામાં હતા ત્યાં અચાનક એમના ફોનમાં વોટ્સએપ મેસેજ આવ્યો. તેમણે મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીન પર એક નોટિફિકેશન હતું. 'કચ્છના નાના રણમાં માણસો ફસાઇ ગયા છે.' નોટિફિકેશન જ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક જૂની સરકારી અવાવરૂં બિલ્ડિંગ.... જ્યાં દિવસે જવામાં પણ લોકો ખચકાતા હોય તેવી આ બિલ્ડિંગમાં એક સાંજે 3 મિત્રો ગયા અને તેમની આંખ સામે જે દૃશ્ય હતું તે જોઇને તેમનું લોહી થીજી ગયું. એક જ ગોદડીમાં પ્રેમિકા અને પ્રેમીની લાશ પડી હતી. લોહી સૂકાઇ ગ
150 વર્ષ જૂનું ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમનું હવે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મુખ્ય સંકુલની બાજુમાં આવેલા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં પણ આગામી મહિનામાં માંડવીનો વહાણવટા ઉદ્યોગ, કચ્છની ઔષધીય વનસ્પતિ ડાયરોમા અને કચ્છની જીવન વૈવિધ્યતા દર્શાવતી ગેલેરી ખુલી મુકાશે. મ્યુઝિયમના
ડિજિટલ ટેકનોલોજીના વર્તમાન યુગમાં સંશોધન કાર્યને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે એઆઈ અનિવાર્ય બની રહ્યું છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને કચ્છ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. કુલપતિ ડો. મોહન પટેલે સંશોધનમાં AI ના વધતા પ્રભાવ અને તેની ઉ
આગામી તા.29 માર્ચના ગુજકેટ પરીક્ષા યોજવામાં આવશે.જિલ્લામાં ભુજના 10 પરીક્ષા કેન્દ્રો પર 1993 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે ભુજમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની પરીક્ષા ગુજકેટના સુચારૂ સંચાલન અર્થે કલેક્ટર કચેરી
ઈરાન વિરુધ્ધ અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. ભારત પાસે અંદાજે 70 દિવસનો પૂરતો સ્ટોક હોવાના આશ્વાસન છતાં સોમવારે બપોર બાદ ભુજ સહિત કચ્છ જિલ્લામાં અફવાઓના કારણે પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે પ
કરચિયા-રણોલી રોડ પર રિલ્સ બનાવતા બે મિત્રોને એકલા જોઈને ગઠિયાઓ મોપેડ લઈને પહોંચી ગયા હતા અને ચપ્પુ બતાવી યુવકનો ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કરચિયાની ટાટા કોલોની ખાતે રહેતો દિલીપ દીપક બૈ
ધનિયાવી રોડ પર આવેલાં ડીજેના 2 ગોડાઉન પર જઈને યુવકે સામાન જોયા બાદ ક્વોટેશન કઢાવીને પોતાનું ડીજે લેવાના નામે સાગરીત સામે મળીને જુદા-જુદા સામાનની ચોરી કરી હતી. બંને જણાએ 2 ગોડાઉનમાંથી 4.81 લાખના સામાનની ચોરી કરી હતી. કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. શહેરના માંજલપુર વિસ્તારમાં આ
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સ્પ્રીંગવુડ રેસીડન્સી-2ના રહિશોએ સોસાયટીમાં રહેતા રહિશે મુસ્લિમ કોમના વ્યક્તિને મકાન વેચતાં કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે અન્ય કોમના વ્યક્તિઓ વારંવાર સોસાયટીમાં આવીને તણાવભર્યો માહોલ ઊભો કરતા હોવાની પણ રજૂઆત કરી છે. ઓલ
એમ.એસ. યુનિવર્સિટીમાં નવો બનેલો પરીક્ષા વિભાગ એપ્રિલથી કાર્યરત કરાશે. નવા પરીક્ષા ભવનમાં ચાલુ વર્ષથી તમામ ફેકલ્ટીની ઉત્તરવહી ચકાસાશે. જ્યારે કોઇ પણ ફેકલ્ટીમાં ચકાસણી કરી શકશે નહિ. અત્યાર સુધી કોમર્સ, આર્ટ્સ, સાયન્સની ઉત્તરવહી હેડ ઓફિસના સેનેટ હોલમાં ચકાસણી કરાતી હતી. અન્
શહેરમાં ચૈત્ર નવરાત્રી અને શ્રી પંચમીના પવિત્ર અવસરે સોમવારે માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી પંચમીના દિવસે માતાજીને ઐશ્વર્ય અને પોષણના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ દિવસે અંબા માતાના મંદિરે મા
સમા-સાવલી રોડ પર આવેલી અગોરામોલ આંગણવાડીમાં બાળકો માટે શહેરની એકમાત્ર અનોખી લાઇબ્રેરી કાર્યરત છે. 5 વર્ષથી આ લાઇબ્રેરી એક નવતર અભિગમ સાથે ચલાવાઈ રહી છે. વોર્ડ નં-3ના પૂર્વ કોર્પોરેટર ડો. રાજેશ શાહે આ આંગણવાડી દત્તક લીધી અને તેમના દ્વારા જ આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ લાઇબ્રેરીન
વાઘોડિયા રોડ પર રહેતા ખાનગી કંપનીના આસિ.ક્વોલિટી કંટ્રોલ મેનેજર મિત્રો સાથે નર્મદા પરિક્રમા કરવા ગયા હતા. દરમિયાન રામપુરા પાસે તેઓ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવ મળ્યું કે, હૃદયરોગના હુમલાથી તેઓનું મોત થયુ
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જવાની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થતાં પેટ્રોલપંપો પર સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલી વાહનોની કતારો રાતે 10 વાગ્યા બાદ પણ યથાવત્ હતી. પેટ્રોલપંપના સંચાલકોએ જણાવ્યા મુજબ 1 પેટ્રોલપંપ પર રોજ સરેરાશ 5 હજાર લિટર પેટ્રોલ વેચાતું હોય
ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. સૌપ્રથમ એલપીજી સિલિન્ડરને કારણે શહેરમાં અરાજકતા ફેલાઈ હતી. જોકે હવે યુદ્ધની અસર મેડિકલ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. મેડિકલની સર્જિકલ ડિસ્પોઝેબલ સાધનો ઉપરાંત સર્જિકલ સાધનો વિદેશથી ઈમ્પોર્ટ કર
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે. બીજા મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના એલાન સાથે જોડાયેલા રહ્યા. તેઓ પોતાની 'ચતુરંગિણી સેના' બના
ગેસની અછતની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે. અમરનાથ યાત્રા દર વર્ષે જૂનના અંતમાં શરૂ થતી હોય છે. સામાન્ય રીતે માર્ચમાં મેડિકલ ચેકઅપની પ્રક્રિયા શરૂ થાય છે અને તે પછી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે માર્ચ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં યાત્રાની તારીખ નક્કી થઈ નથી. વડોદરાના ભંડા
ડેટા એન્ટ્રીનું કામ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા બાદ તેમાંથી ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવનાર મહિલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના વિરાર ખાતેથી ઝડપી લીધી છે. વર્ષ 2004માં રૂા.30 લાખની છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપી 22 વર્ષથી વોન્ટેડ હતી. વડોદરા ક્રાઈમ બ્રાચના
હિંમતનગરના ઈલોલ સેજામાં ફરજ બજાવતા સુપરવાઈઝર આનંદીબેન બી.પટેલે બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાના મિશન અને 200 જેટલા સખીમંડળો દ્વારા મહિલાઓને પગભર કરવાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત માતા યશોદા એવોર્ડથી સન્માનિત કર્યા છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ
ભિલોડાના શંકરપુરામાં પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી)ના પાવન સાંનિધ્યમાં સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મુમુક્ષુ ભાઈ-બહેનોને શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેશીંગબાપાના બોધવચનોનું રસપાન કરાવાયુ
સોમવારે હિંમતનગર પાલિકાની નવા સીમાંકન પ્રમાણે 11 વોર્ડ માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતાં 8 કાઉન્સિલર અને 12 હજાર મતદારોનો વધારો થયો છે. સૌથી વધુ મતદાર 100 ટકા લઘુમતી વોર્ડ નં-3 માં 8827 છે. જ્યારે સૌથી ઓછા મતદાર વોર્ડ નં-8 માં 4503 છે. નવા સીમાંકન બાદ ભાજપનું સંખ્યાબળ વધશે તેવી વોર
ઇડરના ભદ્રેશ્વર નજીક પુલ પરથી બાઇક ચાલક અકસ્માતને લઇ પુલ પરથી નદીના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. ફાયર બ્રિગેડે મહામહેનતે યુવકની લાશ બહાર કાઢી હતી.ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈડરના ભદ્રેશ્વર ગામ નજીક તા.23-03-26ના રોજ સોમવારે બદામેશ્વર મંદિરની બાજુમાં આ
મોડાસામાં જીઆઈડીસી અને બાયપાસ પર આવેલ એઆરટીઓ કચેરી પાછળના જંગલ જેવા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતાં આ વિસ્તારમાં દીપડો હોવાની પુષ્ટી થઈ છે. જેના પગલે વન વિભાગે તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગ દ્
પાલનપુર પાલનપુર તાલુકાના વાસણ (ધા) થી કુંપર ભાટવડીને જોડતો ધૂળીયો માર્ગ ડામર રોડ બનાવવામાં આવે તો આજુબાજુના દસથી વધુ ગામોના લોકોને અવર- જવરમાં રાહત થાય તેમ છે. પાલનપુર તાલુકાના વાસણ (ધા) બસ સ્ટેન્ડથી કરજી રામદેવપીરજી મંદિરથી સીધો કુંપર (ભાટવડી) જતો માર્ગ વર્ષોથી ધુળીયો છે. આ
પાલનપુર પંથકમાં પરણાવેલી યુવતીનું છ વર્ષનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું હતું. પતિ સતત છુટાછેડાની માંગણી કરી રહ્યો હતો. પોતાનું અને બે દીકરીઓના ભવિષ્યનું શું થશે તેનો વિચાર કરી યુવતીએ પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી હતી. કાઉન્સિલરે તેણીના પતિને બે દીકરીઓના દુઃ
સદરપુર-સોનગઢ માર્ગના અંડરપાસમાં તૂટી ગયેલા ડ્રેનેજ ચેમ્બર કારણે એ ક મહિનાથી સમસ્યા યથાવત છે, છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા અકસ્માતનો ખતરો વધ્યો છે. ખાડામાં પડવાના બનાવોમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલનપુરના સદરપુરથી સોનગઢને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ રેલ્વે અં
પાલનપુર કોટ અંદરના વોર્ડ નં. 5ના ખાસદારફળી વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રસ્ત બન્યા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરમાં જુદાજુદા વિસ્તારોમાં ભૂર્ગભ ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યાં કોટ અંદરના વિસ્તારમાં વોર્ડ નં.5ના ખાસદા
10 લાખના જૂના ઝઘડાને લઈને પાટણ-ઊંઝા હાઈવે પર ફિલ્મી અંદાજમાં આર્ટિગા ગાડી પર હુમલા નો પ્રયાસ થયો હોવાની ઘટનામાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો પર ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડવા માટે એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લગાડી છે. પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પંદરેક દિવસ પહેલા સ
પાટણ કાર્યક્ષેત્રના કરદાતાઓને નવા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અત્યાર સુધી પાલનપુર જવું પડતું હતું. પરંતુ હવે આગામી 1 એપ્રિલથી પાટણ ખાતે જ બાયોમેટ્રિક ફેસિલિટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે જી.
પાટણ શહેરમાં 27 માર્ચના રોજ નવીન બસપોર્ટ શરૂ થનાર હોય બસના રૂટ વિસ્તારમાં હોસ્પિટલો અને મુખ્ય બજાર આવેલ હોવાથી લોકોની અવર-જવર ખૂબ રહે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા શહેરના મહત્વના માર્ગોને ‘નો-પાર્કિંગ ઝોન’ અન
24 માર્ચ વિશ્વ ટીબી દિવસના અવસરે જ્યારે દેશ ક્ષય મુક્ત ભારતનો સંકલ્પ કરી રહ્યો છે, ત્યારે પાટણના રાધનપુરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ચિરાગ ચાવડા સાચા અર્થમાં નિ-ક્ષય મિત્ર સાબિત થયા છે. છેલ્લા 9 વર્ષથી તેઓ પોતાના પગારમાંથી દર મહિને 10 ટકા રકમ અલગ કાઢી ટીબીના દર્દીઓને પૌષ્ટિ
પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળસંકટ એક ગંભીર સમસ્યા વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પર્યાવરણવિદ્ મહેશભાઈ પંડ્યાએ જળ સમસ્યાના ગંભીર પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મન
ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટર જમીનનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે કે કુલ અંદાજના 50.83% વાવણી પૂર્ણ થઇ છે. અરવલ્લી જિલ્લો 88.78% અને મહેસાણા જિલ્લો 87.04% વાવેતર સાથે રેકોર્ડબ્રે
નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે. મોદીએ સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પાટગામ પાસે જૂનો મેજર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો હોવાથી આ નિર્ણય લેવાયો છે. જાહેરનામા મુજબ, આ ડાયવર્ઝન આજથી 5 સપ્ટેમ્બર 2026 સુધી અ
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી સોમવારે જાહેર કરાઇ છે. જે મુજબ 13 વોર્ડમાં 89,653 પુરુષ અને 83,822 સ્ત્રી મળી કુલ 1,73,477 મતદારો નોંધાયા છે. નગરપાલિકા સમયે 11 વોર્ડમાં 1,50,605 મતદારો હતા. એટલે કે, નગરપાલિકા કરતાં બે વોર્ડ વધતાં મતદારોની સંખ્યા 22872 વધી
સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની આગેવાનીમાં સંગઠનની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધારે નામી વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.જેમાં એડવોકેટ, નોટરી હિંમતભાઈ બગડા, અમિતભાઈ રાઠોડ, ગોપાલભાઈ વિરાણી, ઈરફાનભાઈ સુમરા,
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ગટરો ઉભરાતા ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સતાવી રહી છે. કરજાળા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્
અમરેલીમાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. મતદારોને પોતાના નામ અને વિગતો ચકાસી લેવા અપીલ કરાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી હોવાથી ન
અમરેલીમાં આજે ફરી તાપમાનમાં વધારો થયો હતો. મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી પર પહોંચતા ગરમી વધી હતી. તડકાની તીવ્રતા વધતા લોકોએ બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખ
બાબરાના ગરણી ગામ નજીક આવેલા શક્તિધામ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. નોરતાના નવ દિવસ અહીં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે પૂજા અર્ચના કરે છે. ત્યારે આજે આ પરિસરમાં રાસોત્સવનો આજથી પ્રારંભ કરાયો છે. વાલબાઈમાંની પવિત્ર જગ્યાએ યોજાય
રાજુલા PGVCLના નાયબ ઇજનેર મહેન્દ્રભાઈ મનુભાઈ શીયાળ (ઉ.વ.36) મિશન માર્ચ અંતર્ગત બાકી રહેલા વીજબીલોની વસુલાત તથા ડિસકનેક્શનની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ગઈ કાલે બપોરે તેઓ સાથી કર્મચારીઓ સાથે રાજુલા આગરીયા જકાતનાકાથી આગળ પુલ પાસે ભડીયા રોડ ઉપર આવેલ એક વાડી ખાતે વીજબીલની વસુલા
અમરેલી જિલ્લો ખેતીવાડી પર નભી રહ્યો છે અને રાજકીય રીતે પણ ખેડૂત નેતાઓનો પ્રદેશ ગણાય છે. છતાં આ વિસ્તારમાં સૌથી વધુ છેતરપીંડી ખેડૂતો સાથે થઈ રહી છે. જેનું ઉદાહરણ આજે શેત્રુંજીના પટ્ટમાં જોવા મળ્યું હતું. જ્યા અજાણ્યા શખ્સો કોઈ કારણે કપાસના કોટેડ બિયારણનો 800 કિલો જેટલો ફેંકી
મહેસાણા શ્રી રામ સેવા સમિતિ દ્વારા 27 માર્ચને ગુરુવારે 45મી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. 45 વર્ષમાં પહેલીવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહાઆરતી નવનર્મિત શ્રીરામ મંદિરમાં યોજાશે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાતી આ યાત્રામાં જિલ્લાના 120 ગામોના ભક્તો જોડ
જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરા
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની રિકવરી ટીમે કડક ઉઘરાણી યથાવત રાખી છે અને સોમવારના રોજ વધુ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. વેરો ન ભરનારા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામ્યુકોના મિલકતવેરા શાખાની રીકવરી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સોમવારે બાકી વેરો ઉઘરાવ
જામનગરમાં કમોસમી વરસાદ વાદળો વિખેરાતા ફરી સુર્યદેવતા આકાશમાંથી અગળગોળા વરસાવાનું શરુ કર્યુ છે, મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ પહોંચી ગયું છે. લોકો દિવસે ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. કમોસરી વરસાદ વાદળો વિખેરાતા ફરી એક વખત જામનગરમાં તાપમાનમાં વધારા ધીમે ધીમે શરૂ થયો છે અને છેલ્લા ત્
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજતંત્ર દ્વારા હજુ બાકીદાર 28,231 ગ્રાહકો પાસેથી રૂા.15.71 કરોડની વસુલાત માટે ચાલુ માસમાં જ આજે બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં વિવિધ 36 પેટા વિભાગીય કચેરીઓમાં વિશેષ ઝુંબેશ માટે 360 જેટલી ટીમ દ્વારા સવારથી કાર્યવાહી હાથ ધરા
જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતા-ફરતા શખસને પંજાબથી મેઘપર પોલીસે પકડીને જામનગર લાવીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં ગુરભેજસિંઘ ઉર્ફે ગુરપેજસિંઘ મુખ્તારસિંઘ (રે.પંજાબ તરન તારન જિલ્લાના
બોટાદ વિભાગીય પોલીસ અધિક્ષકની ટીમે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના પરદા ગામ ખાતેથી ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં બે માસથી નાસતો
બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના 45 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયાએ સરકારની ‘રક્ષિત ખેતી’ યોજનાનો લાભ મેળવીને બાગાયતી ખેતીમાં નવી રાહ ચીંધી છે. શું છે રક્ષિત ખેતી? રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી અમલમાં મૂકાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ નાના ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સાધુતાનું અનોખું પ્રતિબિંબ ગણાતો માધવપુર (ઘેડ)નો રાષ્ટ્રીય લોકમેળો હવે ઢુકડો આવ્યો છે. તા. 27 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય લોકમેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના પૌરાણિક વિવાહ પ્રસંગની સ્મૃતિઓ સાથે લાખો ભાવિકોની ઉપસ્થિતિ
પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તેવામાં હવે સરકાર દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા 5 દિવસ પૂર્વે કે.વાય.સી.નથી તેવા ગ્રાહકોને બાટલો નહિ મળે તેવી જાહેરાત કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં કે.વાય.સી. વિહોણા 10 હજાર ગ્રા
પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ સોચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારિત થતાની સાથે જ તંત્ર પ્રવાસીઓ માટે આ સ
પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓ માટે મનપા દ્વારા વેરાની રકમમાં લગાવવામાં આવેલ વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે.આવા આસામીઓ માટે આગામી 31 માર્ચ સુધીમાં વેરાની ભરપાઈ કરે તો 40 અને 60 ટકા વેરામાં લાગેલ વ્યાજની માફી આપવામાં આવ
પોરબંદરના મોઢવાડા ગામે દાન અને સેવાભાવની પરંપરા જીવંત રાખતા એનઆરઆઈ લાખણશીભાઈ નાગાભાઈ મોઢવાડિયા દર વર્ષે પોતાના ખેતરમાં પાકતા વધારાના તમામ ઘઉં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અર્પણ કરે છે. જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર પંક્તિ મોઢવાડાની ધરતી પર સાબિત થાય છે, જ્યાં
પોરબંદરના બોખીરા આવાસ કોલોની પાસેથી પોલીસે શંકાના આધારે શખ્સની તલાસી લેતા શખ્સ પાસેથી છરી મળી આવતા પોલીસે છરી કબ્જે કરી, આરોપીને ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના બોખીરા ચોરાની બાજુમાં ઠેબાના ફળિયા વિસ્તારમાં રહેતો નાગા દેવા વાજા નામન
આગામી સમયમાં ઉજવાનાર રામનવમી, હનુમાન જયંતી તથા બાબા સાહેબ આંબેડકર જયંતિના તહેવારોને ધ્યાનમાં રાખીને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ડીવાયએસપી ઋતુ રાબા સહિત પોલીસ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર હવે સામાન્ય જનતા માટે જીવનું જોખમ બની રહ્યો છે. અત્યાર સુધી માત્ર ખનીજની ચોરીની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે ખનીજ માફિયાઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સગીર વયના બાળકો પાસે ભારે વાહનો ચલાવડાવી રહ્ય
લીંબડીના રળોલ ગામમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. નર્મદા યોજનાની એસ2-એસ3 પાઈપ લાઈન અંતર્ગત રળોલ ગામે 12.40 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સમ્પનું પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે. આ નવા વિભાગોનું લોકાર્પણ નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખની ઉ
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને પગલે સુરેન્દ્રનગર પેટ્રોલ, ડીઝલ સહિત પંપો પર સમી સાંજે વાહનોન કતારો લાગી જવા પામી હતી. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે, તેથી નાગરિકોએ અફવાઓમાં
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈને શહેર તથા તાલુકાના વિવિધ મોરચાના સંગઠનની એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવે તે માટેની કવાયત જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ સંગઠનની કારોબારીની પણ જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ

32 C