સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ ધણગણ નામના યુવકને અમરેલી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સંજય કલસરીયા (આહીર) નામના પોલીસ કર્મચારીએ ફેસબુક પર અચાનક ગાળો અને અભદ્ર મેસેજ મોકલીને હેરાન કરતાં શિક
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નીપજ્યું છે. રાજકોટના માધાપર ચોક નજીક લગ્નમાં જઇ રહેલા ભટ્ટી પરિવારને અકસ્માત નળતા મહિલાનું મોત નીપજ્યું છે. આજ રોજ રાત્રીના સમયે કેતનભાઇ બાબુભાઈ ભટ્ટી (ઉ.વ.41) પોતાના પત્ની રૂપલબેન કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.38) અને દીકરી મિસ
શહેરમાં દિન-પ્રતિદિન કોમર્શિયલ અને રેસીડેન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ખાસ કરીને હવે શહેરમાં 30 માળની બિલ્ડીંગો બની રહી છે. શહેરના સિંધુભવન, એસ.જી. હાઇ-વે, ઇસ્કોન, થલતેજ, છારોડી, બોડકદેવ, આંબલી, સહિતના વિસ્તારોમાં હાઇરાઇઝ ઈમારતો બનશે. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ મળી 1
રાજકોટમાં શહેર એલ.સી.બી. ઝોન 1ના તત્કાલિન પીએસઆઈ અને હાલ એ ડિવિઝન પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા ભરત વી. બોરીસાગર વિરુધ્ધ ફરિયાદ રજીસ્ટ્રર કરવા કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા દોઢ કરોડના હવાલા કૌભાંડ કેસમાં વેપારીને માર મારી અને ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આ
ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ અંતર્ગત 4 ડિસેમ્બર સુધીમાં 23.91 લાખ મતદારોના ફોર્મ જમા કરાવવાના છે ત્યારે રાજકોટમાં વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ સ્થળો ઉપર લોકો પોતાના ફોર્મ જમા કરાવી શકે તે માટે વહ
મોરબીની રૂષભનગર સોસાયટીની મહિલાઓએ પાણીના પ્રશ્ને મહાપાલિકા કચેરી ખાતે 9 કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. મહાપાલિકાના અધિકારીઓએ નિયમિત પાણી પૂરું પાડવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. સનાળા રોડ પર આવેલી રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી
સાબરકાંઠા જિલ્લામાં મતદારોના આધાર-પુરાવા એકત્રિત કરવા માટે 29 અને 30 નવેમ્બર, 2025 ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત આ બે દિવસીય કેમ્પ જિલ્લાના તમામ સ્થળોએ યોજાશે, જેમાં બાકી રહી ગયેલા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે
ભાવનગર S.O.G.એ ચિત્રા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેર રસ્તા પર બાઇક સ્ટંટ કરી તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરનારા બે યુવાનો અને બે સગીરો સામે કાર્યવાહી કરી છે પોલીસે તેમના બે મોટરસાયકલ જપ્ત કર્યા છે. ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક નિતે
આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સીટી બનાવવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં કોમનવેલ્થ અને ઓલમ્પિકને લઈને 9 જેટલા નાના-મ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારના હસ્તે આ મેળાનો પ્રારંભ થયો હતો. આ મેળો 27 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ મેળાનું આયોજન ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ
મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. ટ્રેન નં. 19019/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર-બાંદ્
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં શાહિબાગ અંડરબ્રિજ પર આવેલા રેલ્વેના પાટામાં સ્ટ્રેન્થનીંગ અને પ્લેટો લગાવવાનું કામ કરવાનું અંડરબ્ર
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ૨૮ વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આપવામાં આવ્યો છે. આ ઘટના ગત 12 ઓક્ટોબરે બની હતી, જ્યારે કપાસના વેપારીઓ દ્વ
વલસાડના સાંસદ ધવલ પટેલે ગુજરાત સરકારની ચિંતન શિબિર પર કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ચૂંટણીઓ હારી ગઈ છે અને નિરાધાર આક્ષેપો કરીને રાજકીય જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની ચિંતન શિબિર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ખેરોજ પંથકમાં ગુરુવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારે વાતાવરણમાં પલટા બાદ શરૂ થયેલો વરસાદ સાંજે ફરી વરસ્યો હતો. આના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેરોજ, આગીયા, ચાંગોદ, બાવળકાંઠીયા, ઉંચી ધનાલ અને મટોડા સહિતન
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દર વર્ષે પોતાનો જન્મ દિવસ કાર્યકર્તાઓ સાથે ધામધૂમથી ઉજવતા હોય છે. આ વર્ષે પણ સોલામાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને ભરતસિંહ સોલંકીના સમર્થક હાજર રહ્યા
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના પ્રચાર-પ્રસાર અને ગુણવત્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માળીયા હાટીના તાલુકાના ગડુ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસના ધામમાં જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવ
રાજકોટમાં રૂ. 120 કરોડના ખર્ચે કોર્પોરેટ સ્ટાઈલમાં તૈયાર થયેલી 11 માળની ઝનાના હોસ્પિટલનું ખુદ PM મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. જોકે આ હોસ્પિટલમાં બાંધકામ સંબંધિત સમસ્યાઓ અવારનવાર સામે આવી રહી છે. હોસ્પિટલના લોકાર્પણને હજી બે વર્ષ પણ પૂરા થયા નથી ત્યાં જ તેના જુદા જુદા ફ્લો
ભાવનગર જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેમાં આજરોજ ત્રણ જુદા-જુદા હુકમોમાં 8 પીઆઈ અને 17 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 25
મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થીનીને સારા માર્ક્સ અપાવવાની લાલચ આપી બિભત્સ માગણી કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી છે. કોલેજના ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન વિભાગ
ભારત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ અને પ્રથમ સ્થાન મળ્યું છે, ત્યારે શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી, પાન-મસાલા ખાઈને થુકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય
વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિકના યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે, તેમ કહીને વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક
મધ્યપ્રદેશના IAS અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રહ્મસમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકરે આ ઘટનાને સખત શબ્દોમાં વખ
21 ઓગસ્ટ, 2025ના દિવસે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભાની અંદર RSSની પ્રાર્થના 'નમસ્તે સદા વત્સલે..' ગાઈ હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેને કાન સરવા થઈ ગયા. બે મહિના પહેલાંથી જ ડીકે શિવકુમારે કોંગ્રેસને મેસેજ આપી દીધો હતો કે નવેમ્બરમાં મને મુખ્યમંત્રી નહિ બન
શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુ બનાવવા માટે દરરોજ 50 લીટરથી વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરતી હોટલ- રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોને નિયત કરવામાં આવેલી એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા હોય તેઓને જ આપવાનું હોય છે તેમજ આદ્ય તેલના આપવાથી લઈને વપરાશ વગેરે અંગેનો રેકોર્ડ રા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર માથાસુલિયા ગામ નજીક મોડી સાંજે એક કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. મૃતકો-ઇજાગ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર - 3 માં વર્ષ 1820 થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતું જો કે તેમાં વિદ્યાર્થીઓએ જે વાંચ્યું હતું તેનાથી સદંતર અલગ જ પેપર પરીક્ષા કેન્દ્રો ઉપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ મ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ કાર્તિકી પૂર્ણિમા મેળો–2025 જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશકુમાર જાજડીયાના હસ્તે શરૂ થયો છે. ભારે વરસાદને કારણે સમયપત્રકમાં ફેરફાર કરી આ મેળાનું આયોજન ૨૭ નવેમ્બરથી ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવ
મરોલી-નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર એક સિમેન્ટ મિક્સર ટ્રકે બે ભેંસોને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને ભેંસોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મરોલી-નવસારી સ્ટેટ હાઈવે પર આવેલી સાત ખાડી નજીક બની
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિ કૃપા સોસાયટીમાં ઓવરહેડ પાણીનો ટાંકો છલકાવવાની સમસ્યાથી રહીશો પરેશાન છે. 8 લાખ લિટરની ક્ષમતાનો આ ટાંકો દર બે દિવસે છલકાઈ જાય છે, જેના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. રહીશો આ માટે બોર ઓપરેટરની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ અ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચુડા તાલુકાના કોરડા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ ₹4,00,400/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે, કલ્પેશ હં
નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ વચ્ચે આવેલી પાપડીમાંથી ગુમ થયેલા એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો છે. આ વિસ્તારમાં મગરની હાજરીને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી, અને અંતે તે નિષ્ફળ રહી હતી. મૃતક વેલજી મમુ ગરવા (ઉંમર 55) ગત 25મી તારીખે સવારે મજૂરી કામ માટે ઘરેથી ન
ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો રાખવા બાબતે થયેલી સામાન્ય તકરાર ઘાતક રૂપ ધારણ કરી હતી. આ તકરાર દરમિયાન થયેલી મારામારીમાં 62 વર્ષીય ઐયુબ ગુરજીનું હૃદય અને ફેફસા ફાટી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ
ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય) તથા બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે. તદુપરાંત જો જાહેર રજા રવિવા
અનંત નેશનલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ એકેડેમિક્સ માટે ખાસ તૈયાર કરાયેલા ઇન્ટરનેશનલ મૂવિંગ ઈમેજ ફેસ્ટિવલ, Mooo Festનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ સુધી શૈક્ષણિક કાર્યક્રમ તેમજ સિનેમા તથા મૂવિંગ ઈમેજ પ્રેક્ટિસની વૈશ્વિક અને ભવિષ્યલક્ષી સમજ પૂરી પાડવામાં
પાટણમાં શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં 700 વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે શિવ કથાનું આયોજન કરાયું છે. આ કથા 27 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર લંકેશ બાપુ વ્યાસપીઠ પરથી શિવકથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ
અમદાવાદની યુવતીને લગ્નના એક મહિનામાં પતિએ ફ્લેટ, થાઇલેન્ડ પ્રવાસનો ખર્ચ, અને બેંક એકાઉન્ટમાં રહેલા 32 લાખ જોઈન્ટ એકાઉન્ટમાં મુકવાની માંગ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવામાં આવતા સમગ્ર મામલો મહિલા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. અમદાવાદની 30 વર્ષીય યુવતીએ મેટ
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ સમરસ જાહેર થઈ છે. ડેરીના 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જે ડેરીના ચૂંટણી ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે. 15 બેઠકો પર 15 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેરચ
આણંદના પધારિયા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ લોકોએ ડેપ્યુટી કમિશનરની કેબિન બહાર ગટરનું ગંદુ પાણી ઢોળ્યું હતું તેમજ તેમના ટેબ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પણ આમં
બોટાદમાં કવિ શ્રી બોટાદકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ પ્રસંગે કવિશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક, કવિ
ગીર પંથક, જે એશિયાઇ સિંહોનું ઘર છે, ત્યાંના ખેડૂતો હાલ એક કપરી અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોતાના મોંઘા પ
ગુજરાતના દરેક શહેરો અને ગામડામાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને ડ્રગ્સનું પણ વેચાણ વધી રહ્યું છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે જેથી બહેનોના ઘર ભાંગી રહ્યા છે કેટલીક માતા બહેનો વિધવા બની રહી છે કેટલાકના યુવાન દીકરાઓ મરી રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વ
સુરતની લાજપોર જેલમાં આરોપીઓને જમવાનું ટિફિન તથા વીઆઈપી સુવિધા આપવાના બહાને આરોપીઓના પરિવારજનો પાસે પૈસા પડાવનાર આધેડ વ્યક્તિ ઝડપાયા બાદ એક પછી એક ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. ગતરોજ પણ સુરતના કઠોદરા વિસ્તારમાં રહેતા બિલ્ડરે લસકાણા પોલીસ મથકમાં આરોપ
ચિંતન શિબિર માટે વંદે ભારતથી પહોંચ્યા CM વલસાડમાં યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિરમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારતમાં બેસીને પહોંચ્યા.. આ વર્ષે સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સરકારી વાહનને બદલે વંદે ભારતમાં બેસીને જ પહોંચ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિ
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના હિંમતનગરને જોડતા નારોલ-નરોડા હાઇવે પર કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધીના 2.5 કિલોમીટર સુધીના અમદાવાદના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી ફરી ઝડપી બનશે. ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ ફોરેસ્ટ વિભાગની જમીન પરના વૃક્ષો દૂર કરવાના કારણે કામગીર
મોરબીમાં બે જુદા જુદા બનાવમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. ત્રાજપર પાસે નીલકંઠ સોસાયટીમાં એક યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે વાવડી રોડ પર મીરાપાર્કમાં એક આધેડ મહિલાનું ઘરે બેભાન અવસ્થામાં મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રાજપર નજીક નીલકં
બોટાદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અવેડા ગેટ વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધ્યો હતો. સ્થાનિક રહીશો દારૂડિયાઓની હરકતોથી ભારે પરેશાન હતા. આ દારૂડિયાઓ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટના વાયર વારંવાર કાઢી નાખતા હતા, જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો હતો. આ ઉપરાંત, તેઓ સ્થાનિક ર
આર્થિક વિકાસના માર્ગે અગ્રેસર સુરત શહેર હાલ ગંભીર હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કારણે દિવસભર ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. શહેરીજનોને શ્વાસ
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આગામી 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ બંને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કલેક્શન દિવસ દરમિયાન, 29 નવેમ્બર
સુરેન્દ્રનગર LCBએ લખતરના સદાદ ગામેથી 7.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એક વાડીની ઓરડીમાંથી કુલ 683 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે સુરેન
જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર પ્રેરિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી મુળધરાઈ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. આ ઉત્સવ વિકસિત ગુજરાત@2047ની થીમ પર આધારિત હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં મુખ્ય ચાર સ્પર્ધાઓ યોજાઈ હત
મણિનગર સ્થિત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર, કુમકુમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અધ્યક્ષોએ મુલાકાત લીધી હતી. તેમણે સ્વામિનારાયણ ભગવાન, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત
રતુભાઈ મુળશંકર અદાણી શાળા નં. 295 (પી.એમ.શ્રી) માં ભારતીય લોકશાહીના પવિત્ર પર્વ 'બંધારણ દિવસ'ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. આ વિશેષ કાર્યક્રમનું આયોજન શાળાના સ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં 'પોલીસ વર્સીસ વિપક્ષ' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે
ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં. 76માં સમન્વય ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે 'સરદાર વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટેના ઉદ્ઘાટન કાર્ય
પાટણની સરકારી ઈજનેરી કોલેજ, કતપુરમાં વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા અને વારસાગત થેલેસેમિયા રોગના વહેલા નિદાન માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એન.એસ.એસ. યુનિટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મંગળવાર, 25 નવેમ્બર, 2
2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં લઘુમતી કોમના ટ્રક ડ્રાઈવરની સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 9 આરોપીને સાબરકાંઠા કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ કરતા કોર્ટે સરકારની અપીલ નકારી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા
JC ગ્રુપ ઑફ સ્કૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જ્ઞાનવર્ધન અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શેનન અને સેફાયર સ્કૂલ્સના વરિષ્ઠ ધોરણોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન પ
થરાદના દારૂના દૂષણને બંધ કરવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લોકો સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. જે દરમિયાન જીગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારી દેવાની વાત કરતા પોલીસ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેની સામે મહિલા કોંગ્રેસ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ
આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસની ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક ગૌશાળાના લાભાર્થે યોજાઈ હતી. આ બેઠકમાં ચેરમેન અને સેક્રેટરીએ ગૌ ભાગવત કથાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગઈકાલે રાત્રે સુભાષ ચોક સ્થિત રેડ ક્રોસ ભવન ખાતે મળેલી આ બેઠકમાં શ્રી
સંવિધાન દિવસ નિમિત્તે, સિલ્વર ઓક લૉ કોલેજે સોશિયલ હાર્મની ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય સ્તરની નિબંધ લેખન સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમ હમારા સંવિધાન - હમારા સ્વાભિમાન થીમ હેઠળ યોજાયો હતો. સ્પર્ધાની થીમ ખોટી માહિતી અને બંધારણ: ચોથા સ્તંભ માટે જોખમો અન
ભારતના ચૂંટણી પંચના પત્ર અનુસાર, 01/01/2026ની લાયકાત તારીખના આધારે ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર ગણતરી ફોર્મનું વિતરણ અને સંગ્રહ કાર્ય 04/11/2025 થી 04/12/2025 સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોને સેવા વધુ સરળતાથી મળી રહે તે હેતુસર
ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાની અંડર-૧૪ બહેનોની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. ટીમે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન ટીમે જબરદસ્ત સંકલ્પ, સઘ
તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી અંતર્ગત આંગણવાડી વર્કર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાની કોશિશ,લૂંટ,મારામારી, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાના આરોપીને 2 તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યો હતો. આરોપીને પોતાની હત્યા થવાના ડરના કારણ સાથે હથિયાર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ ત
છોટા ઉદેપુરમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન 74 સ્થળોએ વીજ ચોરી ઝડપાઈ હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 35.06 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની વિજિલન્સ ટીમે નગરમાં 46 અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગમાં 171 કર્મચારીઓ અને પોલીસ ટીમ પણ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમસાણ ચાલુ છે.મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓના 'પટ્ટા ઉતારવા'ની વાત કરતા વિવાદ સર્જાયો હતો. આ નિવેદનના વિરોધમાં પાટણ પોલીસ પરિવારે 21 નવેમ્બરના
અમદાવાદને કોમનવેલ્થ-2030 ગેમ્સનું યજમાનપદ મળ્યું હોવાની ખુશીમાં ઈશનપુર ઘોડાસર કેનાલ પાસે આવેલા આલોક બંગ્લોઝ અને પુષ્પક બંગ્લોઝના રહેવાસીઓએ દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા ઝૂમાવી, બેનરો લહેરાવી અને એકમેકને મીઠાઈ વહેંચીને આ સિદ્ધિની અનોખી ઉજવણી કરી હતી. 12:39ના વિજય મુહૂર્તમા
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આજે રાત્રે 8.05 કલાકે વડોદરાના હર
GIFT સિટી ટૂંક સમયમાં રોકાણકારો, બિઝનેસ અને આર્થિક હબમાં કામ કરતા પ્રોફેશનલોને એક જ સ્થળે તમામ માર્ગદર્શન અને સહાય મળે તે માટે સમર્પિત ફેસિલિટેશન સેન્ટર અને લાઉન્જ શરૂ કરવા જઈ રહી છે. આ સેન્ટર GIFT સિટીમાં માહિતી, પ્રક્રિયા અથવા માર્ગદર્શિકા માગતા દરેક માટે સંપર્ક સેન્ટર તરીકે
રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા અંગે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન બાદ થોડા સમય પછી પતિ ખોટી શંકાઓ કરતો અને માનસિક ત્રાસ આપતો હતો આ પછી પરિણીતા પ્રેગ્નેટ હોવા છતાં પતિએ માર માર્યો હતો અને પછી ત્રણેય સંતાનોને લઇ ઘરે પરત ન આવતા સ
અમદાવાદના ચાંદલોડિયામાં કપડાની દુકાનમાંથી લેડીઝ ડ્રેસ ચોરી થયા છે. દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ ડ્રેસ ટ્રાયલ કરવા ટ્રાયલ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન છુપાવીને બીજો ડ્રેસ પણ સાથે લઈ ગઈ હતી. ત્રણ મહિલાએ દુકાનમાંથી 5 ડ્રેસની ચોરી કરી હતી. આ અંગે દુકાનમાલિકે સોલા પોલીસ સ્ટ
પાલનપુર તાલુકાના મડાણા ખાતે આવેલી નૂતન ભારતી સંસ્થામાં લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા 28મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. પૂર્વ મંત્રી અને હાલના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો સામે તવાઈ બોલાવામાં આવી રહી છે. જ્યાં અકવાડા મદરેસા બાદ ગતરોજ 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયા બાદ આજે ફુલસરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વેશન પ્લોટ અને 18 મી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની 'ઓન-રોડ' મુલાકાત લઈને કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તેમણે નેશનલ હાઈવે નંબર 48 અને 54ની સ્થિતિ અંગે પણ અધિક
ફિલ્મી દુનિયામાં ‘બંટી અને બબલી’ની જોડી ભલે મનોરંજન પૂરતી સીમિત હોય, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જ એક ઠગ જોડી સક્રિય હતી. વેપારીઓનો વિશ્વાસ જીતી, કરોડો રૂપિયાનો માલ સગેવગે કરી ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ-પત્નીની જોડીને આખરે સુરત શહેર ક્રાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. જે દરમિયાન અલગ-અલગ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં એક વિદ્યાર્થિનીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની
વડોદરા શહેરમાં તાજેતરમાં ગુજસીટોક કેસમાં જેલમાંથી જામીન પર છૂટેલા કાસમઆલા ગેંગના સભ્ય સાહીદ ઉર્ફે ભુરીયો ઝાકીરભાઈ શેખ(ઉં.વ. 32)ને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રા
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ સરકાર કિન્નાખોરી દાખવી રહી હોવાના આક્ષેપ સાથે રાજકોટ આવેલા કોંગી નેતા પરેશ ધાનાણીએ જન આક્રોશ રેલી બાદ દેશની આવનાર પેઢીને બરબાદ કરતા માફિયાઓ સામે અવાજ ઉઠાવી અખાએ ગુજરાતમાં આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફરી તેમને એક તળપદી ભા
બોટાદમાં કવિ બોટાદકરની જન્મ જયંતી નિમિત્તે 'સ્વરાંજલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગ
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાની આઠ માસની દીકરીને પાણીના હોજમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમલગ્નને કારણે પિયરપક્ષ સમાજની રીતે છૂટાછ
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કાચા મકાન કે ઝૂંપડા ધરાવતા ગરીબ પરિવારો માટે મહત્વની જાહેરાત કરી છે. અગાઉના સર્વેમાં રહી ગયેલા તમામ પાત્ર પરિવારોને લાભ મળે તે માટે આવાસ+ 2024 મોબાઈલ એપ દ્વારા સ્વયં-સર્વેની
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખાતર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાદીયોલ ગામે પણ યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. હાલમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે અને પાકન
નવસારી મહિલા પોલીસ મથકે કૌટુંબિક ઝઘડામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. નિવેદન આપવા આવેલા કાકા સંગમ ત્રિપાઠી પર તેમના ભત્રીજાએ હુમલો કર્યો હતો અને તેમનો કાન કરડી ખાધો હતો, જેના કારણે કાન છૂટો પડી ગયો હતો. આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં સંગમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર
રાજકોટવાસીઓ માટે હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે, કારણ કે વિકાસની સાથે સાથે શહેરની હવા પણ ઝેરી બની રહી છે. રાજકોટમાં દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ગયો છે, જે હવાની ગુણવત્તાને 'સામાન્ય ખરાબથી વધુ ખરાબ' શ્રેણીમાં મૂકે છે. સૌરઠિયાવાડી,
જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જામનગર જિલ્લામાં ચાલતા દારૂ અને ડ્રગ્સના વેપલાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. જામનગર જિલ્લા અ
વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની નવી સિરીઝ GJ06SN ના નંબરો માટે આગામી તારીખ 02/12/2025થી ઈ-ઓક્શન શરૂ થશે. ઈચ્છુક વાહન માલિકો પોતાના
ભુજ શહેરના ભીડભાળથી અતિ વ્યસ્ત રહેતા સ્ટેશન રોડ પર આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહિંના જાહેર માર્ગે આવેલી કૃપા ઓટો પાર્ટ્સ નામની દુકાન અને તેના ઉપરના ગોડાઉનમાં આજે ગુરુવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના બનાવથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટના અંગેની જા
બનાસકાંઠાના પેન્શનરો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. તેમણે EPS પેન્શનરોનું લઘુતમ પેન્શન રૂ. 1000- રૂ. 2000થી વધારીને રૂ,7500 કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. નિવૃત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત EPS કર્મચારી પેન્શનરોએ આ માંગ કરી હતી. તેઓ છેલ્લા ઘ

28 C