પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 15,16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ વિતરણ, ભરેલા ફોર
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા ધાતરવડી ડેમ 2, બાયપાસ માર્ગ અને પથ્થરની ખાણોનો ડ્રોન નજારો સામે આવ્યો છે. સંજયભાઈ નામના યુવકે ડ્રોન કેમેરાથી આ વીડિયો કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છલોછલ ભરાયેલો ડેમ આ વાયરલ વીડિયોમાં ધાતરવડી ડેમ 2 છલોછલ ભર
પાટણની સેશન્સ કોર્ટે લગભગ પોણા બે વર્ષ જૂના ચકચારી હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સરસ્વતીના રવિયાણા ગામે માનસિક અસ્થિર યુવાન કિરણની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેની માતા હંસાબેન અને પ્રેમી રમેશભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ કેસ સાબ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરનાર હોસ્પિટલો સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા ગેરરીતિ આચરાઈ હોવાના આ
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. 12 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ભુજમાં 18, નલિયામાં 16, કંડલામાં 19, અમરેલીમાં 13, ભાવનગરમાં 16, દ્વારકામાં 21, ઓખામાં 23, પોરબંદરમાં 17, રાજકોટમાં 15, વેરાવળમ
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જો કે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હા
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ભાયાવદર ગામમાં સ્મશાન પાસે ફ્લડ પ્રોટેક્શન વોલના નિર્માણ માટે ₹30.89 લાખના કામને સિદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્ય સરકારના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયાસોથી આ દરખાસ્તને સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કામ
અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂ
જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને
બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટ
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલિમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતા 62.11 ટકા ઓછો છે. જોકે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે તારાજીની ઘટના સામે આવી હતી. જેમાં 3 માનવ અને 45 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમા
બોટાદના હડદડ ખેડુત મહાપંચાયતમાં ખેડુતો અને પોલીસના ઘર્ષણમાં સજા કાપી રહેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જેલમાં ગયા અગાઉ, સાસણગીરથી હું જેલમાં છું અને સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ સંમેલનમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરતો એક વિડીયો બનાવ્યો હતો. બાદમાં
ભાવનગર શહેરમાં ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા એક શખ્સે તેમના જ કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર તકરારો થતાં ભાભીને આશ્વાસન આપી, પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ કૌટુંબિક દિયરે લલચાવી, ફોસલાવી ભાભીને એક હોટલમાં લઇ જઇ, દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ કોઇને જાણ કરશ
રાજયના કાયદા અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પાસેથી ડેમના નિર્માણની અદભૂત સિદ્
MKB યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” પ્રાપ્ત થયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણીક વર્ષ 2025-26માં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુન
રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે. આ ક
પાલેજ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ભરૂચની પાલેજ એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે. પાલેજ પોલીસને બા
ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ભારે ઊછળ્યો છે. ગારીયાધાર નગરપાલિકા કચેરીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાઘેલા ગીતાબેન શાંતિલાલ અને જેઠવા કાંતિભાઈ રવજીભાઈએ સાડા ત્રણ લાખની સહાય મેળવી હતી. જે બાબતે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. મળતી મા
વલભીપુરની બેંક ઓફ બરોડા શાખાની સેવાથી ગ્રાહકોમાં અસંતોષ સાથે કચવાટ ઉભો થવા પામ્યો છે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ બેંક ઓફ બરોડાની તમામ પ્રકારની સેવા લંગડાતી જાય છે. ગ્રાહકોને આ ટેબલથી બીજા ટેબલ ઉપર મોકલીને ચલક ચલાણુ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો પેન્શનરો બેંકમાં પેન્શન લ
મહુવા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.જયારે સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર તેમજ ઉત્પાદન થયેલ છે. કમોસમી વરસાદન
ભરૂચ શહેરમાં સવાર પડતાની સાથે સફાઇ કર્મચારીઓ તમારા વિસ્તારને ચોખ્ખો બનાવી દેતાં હોય છે પણ આપણા ઘર અને વિસ્તારને સ્વચ્છ રાખતાં સફાઇ કર્મચારીઓ જ અસહ્ય ગંદકી વચ્ચે રહી રહયાં છે. તેઓ પોતે નગરપાલિકાના કામદારો હોવા છતાં પાલિકા સત્તાધીશો જ તેમને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખી ર
ભાવનગર PGVCLની વીજ ટુકડી ઉપર દિન પ્રતિદીન હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આમેય સૌરાષ્ટ્ર પંથક સમગ્ર રાજ્યની સૌથી વધુ વીજ ચોરી માટે પ્રખ્યાત બની ગયું છે. આજે મહુવાના સથરા ગામે મહુવા રૂરલ -02ની PGVCL ની ટુકડીઓ વીજ ચેકીંગ અર્થે પહોંચતા સથરા ગામે ટોળાએ વીજ ટુકડીઓ ઉપર હિંસક હુમલો કરતા બે
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બરના ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે 10.30 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય તે અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિક
ભરૂચ જિલ્લાના વાલિયા થી વાડી જવા માટે ડેહલી ગામ પાસે માઇનોર બ્રિજ આવેલો છે. જે ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરીને નજીકમાં ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં વધુ પાણી આવવાને કારણે ડાઈવર્ઝન ઘણી વાર બંધ થઈ
શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે આજે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભ
ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ ઉપર રહેતા મધુબેન મગનભાઇ બારૈયા (ઉ.વ.60) બે દિવસ અગાઉ સાંજના સુમારે મંદિરેથી દર્શન કરી, હાથમાં થેલી લઇ ઘર તરફ જતા હતા તે વેળાએ પાછળથી આવેલા શખ્સે વૃદ્ધાના હાથમાં રહેલ બેગની ચીલઝડપ કરી, બે શખ્સો બાઇકમાં ફરાર થઇ ગયા હતા. જે મામલે મહુવા ટાઉન પોલીસે
મહુવાના દયાળ ગામે રહેતા એક વૃદ્ધ ખેડુતે કપાસની આડમાં લીલા ગાંજાની વાવણી કરી હોવાની બાતમી આધારે દાઠા પોલીસે રત્નેશ્વર રોડ નજીક આવેલ વાડીમાં દરોડા પાડવામાં આવતા, દરોડા દરમિયાન કપાસના વાવેતરમાં તપાસ કરતા, કપાસના જુદા જુદા ચાસમાંથી 22 જેટલા લીલા ગાંજાના કિ.રૂા. 8.61 લાખના ગાંજાન
ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મતદારોને સરળતા અને સુગમતા રહે તે માટે ચાર દિવસ માટે વિશેષ કેમ્પ દરેક બૂથ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પ 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ
ભાવનગર કોર્પોરેશન પાસે પણ કદાચિત ઓછી માહિતી હશે કે તેની માલિકીની કેટલી મિલકતો છે અને કેટલા પ્લોટ છે ? ખુલ્લા પ્લોટ પર દબાણો થઈ જાય છે અને કોર્પોરેશનની મિલકતો, બાગ બગીચા રેઢીયાળની જેમ પડ્યા હોય છે. ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેન્ટ્રલાઇઝડ મોનીટરીંગ માટે ઇ
ગોધરા ના દાહોદ રોડ પરના અમૂલ પાર્લર થી ચર્ચ થી એસટી સ્ટેન્ડ સુધી ફ્લાય ઓવર ની કામગીરી ચાલી રહી છે. ફ્લાય ઓવર ની કામગીરી હાલ અમૂલ પાર્લર થી ચર્ચ ટ્રાફિક પોઇન્ટ સુધી પ્રગતિ માં છે. ત્યારે હાલ ફ્લાય ઓવરમાં ક્રેન ની મદદ થી ગડર લોન્ચિંગ ની કામગીરી શરૂ કરવાની છે.અને ચર્ચ થી બસ સ્ટેશ
ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમિકોની સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટે સમાન કાયદાકીય માળખું ઉભું કરવા માટે વર્ષ 2020માં રજૂ થયેલો વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની સ્થિતિ OSH કોડ 2020 લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ચૂક્યો છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, છતાં
ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા નજીકનું લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈથી મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. જેના પરિણામે રાત્રિના અંધારામાં મગર રહેણાંક વિસ્ત
બુધવારે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિત રાજ્યના 24 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ભાવનગરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ અને ટ્રસ્ટ સંબંધિત હિસાબી સાહિત્ય, બેંક વ્
ભાવનગર શહેર અને જિલ્લામાં સરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 2002ની મતદારયાદી સાથે મેપિંગ ચાલી રહ્યું છે. તેમજ બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે ફોર્મ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે વર્ષ 2002થી જેના રહેઠાણ બદલાઈ ગયા છે તેઓને પોતાના મતદાન બૂથો યાદ નથી. જે
સ્માર્ટસિટી દાહોદના રાજમાર્ગો પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય જામી રહ્યુ છે. શહેરના હાર્દસમા અને અવરજવરથી ધમધમતા માર્ગો પર રસ્તા વચચે જ બેસી જતાં રખડતા ઢોરો વાહનચાલકો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે. જોકે પાલિકા દ્વારા આની સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તે અંગે અનેક સવાલ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કરદાતા સામે આડેધડ અને બિનનિયંત્રિત રીતે કાર્યવાહીનો દંડૂકો ઉગામવામાં આવી રહ્યો હતો, તેના પર હવે અંકુશ આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ એક મહત્વપૂર્ણ પરિપત્ર — પરિપત્ર રજૂ કર્યો છે, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ
મોરવા(હ)ના અગરવાડા વચલા ટેકરા પાસે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. મોરવા હડફ તાલુકાના અગરવાડા ટાંડી, પલાસ ફળિયા ખાતે રહેતા સોમાભાઈ માનસિંગ ભાઈ પલાસ પર્વતભાઇ 10 નવેમ્બર ના રોજ અગરવાડા વચલા ટેકરા પાસે રોડની સાઇડ પર ઊભા હતા
દાહોદ તાલુકાના ટીમરડા ગામે હોળી ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં મકાનની અંદર મૂકેલો તમામ ઘરવખરીનો સામાન ખાખ થઈ ગયો હતો. દાહોદ તાલુકાના ટીમરડાના હોળી ફળિયામાં આવેલું આ કાચા નળિયાવાળું મકાન અચાનક જ અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું. આ
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં મંગળવારે શિક્ષણજગતને શર્મસાર કરનારો એક ગંભીર બનાવ બન્યો હતો. ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માંગવા ગયેલા શાળાના પ્રિન્સીપાલને શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ જ બે ઝાપટ ઝીંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પ્રિન્સીપાલે શિક્ષક વિ
દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં આચરવામાં આવેલા 6.34 કરોડના લોન કૌભાંડ જુલાઈ 2025માં સામે આવ્યુ હતુ. જેમાં બેન્કના તત્કાલીન મેનેજર સહિત 31 સામે ગુનો નોંધાયો હતો. .આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં કુલ 9000 પાનાની મેગા ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દા
દાહોદ શહેરમાં ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરીજનોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસભર વાતાવરણમાં અચાનક આવેલા બદલાવના કારણે ઠંડક અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ શરૂ થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સવારે 9:30 વાગ્યે સંયુક્ત રીતે કરશે. 13થી 16 નવેમ્બર સુધી ચાલનાર
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાના
પંચમહાલ જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ અને રેતી માટે લીઝોની મંજૂરી આપવામાં આવતી હતી. જિલ્લા કક્ષાએ એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટી મંજુરી આપતા લીઝોમાં ખોદકામ કરાતું હતું. પંચમહાલ જિલ્લામાં આશરે 200 લીઝો આવેલી છે. જિલ્લા કક્ષાની મજૂરીથી લીઝો ચાલુ થતી હતી. પરંતુ સ
ઝાલોદ તાલુકામાં વખતપુરા ચોકડી પાસે એસઓજીના ચેકિંગમાં એક યુવકે કમરે ખોસી રાખેલો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવક સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની પુછપરછ શરૂ કરી છે. ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામ પાસે વખતપુરા ચોકડી નજીક એસઓજીની ટીમ વાહન ચેકિંગ
આજે વર્લ્ડ કાઈન્ડનેસ ડે છે, ત્યારે સિટી ભાસ્કરની ટીમે સુરતના એવા લોકો સાથે વાત કરી જેમ કે કોઇ દરરોજ 150 વડીલોને ભોજન પહોંચાડવું, બાળકોને ફ્રી એજ્યુકેશન અને પુસ્તકો અને સ્ટેશનરી આપવી, રોડ સાઈડ ડોગની નિઃસ્વાર્થ સેવા, તો કોઈ 10 વર્ષથી પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા જેવા અનેક સેવાભાવી
છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામમાં બીએલઓની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂનવાડ ગામમાં બીએલઓ દ્વ
ગોવા ખાતે યોજાએલી હાફ આયર્નમેન રેસમાં સુરતના ડો.હેતલ તમાકુવાલાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યો છે અને હવે તેઓ 2026માં ફ્રાન્સ ખાતે યોજનારી આયર્નમેન ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયોડો. હેતલે રેસ અંગે કહ્યું કે, આ ટ્રાઇથ્લોન રેસ હતી, જેને મેં 7
છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકો જિલ્લા અને રાજ્યમાં મકાઇના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બોડેલી તાલુકાના ખેતીક્ષેત્રે અગ્રેસર એવા જબુગામ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પિયત પાક તરીકે ખેડૂતો મકાઇનો પાક મબલક પકવે છે. હાલમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાં
પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં મોડી રાત્રે સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. સાડીની દુકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલી બુટ-ચપ્પલની દુકાન પણ આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ ઘટના સ
ખાવડા આરઇ પાર્કમાં રાજસ્થાનથી દારૂ લઇને આવેલા રાજસ્થાનના યુવકને પકડી40 હજારના દારૂ તેમજ 10 લાખની બોલેરો સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તાલુકાના ખાવડા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, રાજસ્થાનનો ખુશાલરામ ભીલ ખાવડા ખાતે આવેલા આરઈ પાર્
નવસારી બજારના રિક્ષા ચાલકને મહિલા સહિતના 5 ગઠીયાએ મુગલીસરામાં મેટ્રોની કામગીરીમાં સોના- ચાંદી ભરેલું માટલુ મળ્યુ હોવાનું કહીને સસ્તામાં આપવાના બહાને 10 લાખ પડાવી લીધા હતા. નવસારી બજારના 59 વર્ષીય રિક્ષાચાલક હિતેશભાઇ નવનીતભાઇ પ્રજાપતિ 12 ઓક્ટોબરે અઠવાગેટ જૈન દેરાસર પાસે ઉભ
દિવાળીના વેકેશનમાં લોકો વતન તેમજ ફરવા માટે બહાર જતાં હોવાથી સ્વૈચ્છીક રક્તદાનનું પ્રમાણ નહીવત રહ્યું હતું. આ કારણોથી હાલમાં શહેરની તમામ બ્લડ બેંકોમાં તમામ બ્લડ ગૃપના લોહીની ભારે અછત સર્જાઈ છે. લોહીની જરૂરીયાત સામે સ્ટોક નહીવત હોવાથી લોહીની જરૂરીયાત સામે ડોનર પાસે રક્તદ
સગરામપુરા, ક્ષેત્રપાળ મંદિર ખાતે કાળભૈરવ જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઘોડદોડ રોડ, રામચોક ખાતે મહાકાલેશ્વર મંદિરમાં કાળભૈરવ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં બાબાને અભિષેક કરાયા બાદ 15 કિલો દૂધની કેક પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવી હતી. બુધવ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સીમેટની જાહેરાત કરવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયું નથી તેઓ 17 નવેમ્બર, 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે, જ્યારે પરીક્ષા ફી ઓનલાઇન જમા કરાવી જરૂરી છે. ફી ભરનાર ઉમેદવારનું જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. ફોર્મ ભરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી
જુદા જુદા કારણોથી સ્કૂલ છોડી ગયેલા કે કોઈ કારણોસર સ્કૂલે નહીં જતા 6થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જે ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી એવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરત જ
સીબીએસઇની ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય જાહેર પરીક્ષા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે પરીક્ષાને લઈ બોર્ડે તૈયારી શરૂ કરી છે. આ વખતે સુરત સહિત દેશભરના તેમજ વિદેશના 45 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનારા છે. પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડે
શહેરની ફરતે 66 કિલોમીટરનો બની રહેલ આઉટર રીંગરોડ પ્રોજેક્ટ 10 વર્ષ પછી પણ પૂરો થયો નથી અને પ્રોજેકટ કોસ્ટ વધતી જઇ રહી છે. જેને પગલે આઉટર રિંગરોડની બાકી ફેઝ-2ની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તેમજ મનપા કમિશનર શાલિની અગ્રવાલે નાણામંત
તાજેતરમાં જ પ્રાઇમરી હેલ્થ વર્કરને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા મુદ્દે એક સ્થાનીક યુનિયને પાલિકાના મહેકમ વિભાગ સામે કોર્ટમાં કરેલી રિટ અંગે કોર્ટની ફટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ્દ કરવા પડ્યા હતા. એટલું જ નહીં પણ પાલિકા કચેરી બહાર યુનિયન નેતાઓ દ્વારા ફટ
કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા
સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે,
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે,
મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ
ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્
આ બનાવમાં શહેરના ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ નજીક રહેતા જાગૃતિબેન પ્રફુલભાઈ રૂપારેલ (ઉં.વ.47) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરાવળમાં રહેતા પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલનું નામ આપ્યું હતું. જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું
શહેરમાં મવડી ચોકડી પાસે રહેતા અને મૂળ રાજપરાના પરિણીત શખ્સે સરધારમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીઓના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી પોતે પણ જાતે પેટના ભાગે છરી ભોંકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે હત્યાના
ગત માસમાં માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બેહાલ થઇ ગયા હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ બે જિલ્લાના 2.25 લાખથી વધુ ખેડૂત માટે વગર વ્યાજની રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયાન
રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે
રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મ
ઇન્ડિયન લાઇબ્રેરી અસોસિએશન (આઇ.એલ.એ)એ વર્ષ 1968માં રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરી. જે દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે. શહેરમાં 30 લાઇબ્રેરીમાં 8 લાખથી વધુ પુસ્તક, રોજ 3000થી વધુ વાચકો મુલાકાત લે છે. શહેરની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક, જૂની નવલકથાઓ અને પ્રેરણા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ કુલપતિ અને યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ સામે કેટલાક આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ કોઈ યોગ્ય નિરીક્ષણ વ્યવસ્થા નથી. સીસીટીવી કેમેરા ફક્ત આશરે 10 ટકા કોલેજોમાં જ કાર્યરત છે. ફક
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામ
જિલ્લા પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત બુધવારે માઉન્ટેન પોલીસ હેડકવાર્ટરમાં રાજકોટ જિલ્લા પોલીસના અશ્વદળના ઘોડેસવારોની ટીમે ડ્રીલ અને પરેડ કરી હતી. આ પ્રસંગે રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. ઘોડેસવારોએ દર્શાવેલા કરતબો જ
જૂનાગઢમાં આવેલા ભારતની આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા હતા. જેમાં ત્રણ લોકોના નામ હતા. 80 કલાકની જહેમત બાદ તેઓ જંગલમાંથી મળી આવ્યા. પરંતુ મહાદેવ ભારતીને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. છતાં હજુ વિવાદ શાંત થયો નથી. જે ત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના
વર્ષો પહેલા ભારતીય ટીવી ચેનલ પર ખાના ખજાના નામનો એક રસોઇ શો આવતો જે સંજીવ કપૂર નામના શેફ હોસ્ટ કરતા અને હવે તો એ વખતના ફક્ત સંજીવ કપૂર અત્યારે ધ સંજીવ કપૂર બની ગયા છે. એમના માટે આપણા જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષી એ કહેલું કે શેફ સંજીવ કપૂરની સફળતાએ ભારતીય બાળકો માટે એક નવી શેફ
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નશામાં ધૂત પતિએ ક્રૂર બની પત્નીને બચકાં ભરી, વાળ ખેંચી, “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી ફટકારી તરછોડી દેતાં રાજકોટ માવતરના ઘરે આવેલી પરિણીતાએ સુરત રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટા
ગુજરાત આવકવેરા તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો ધરાવતી ચાર રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત રાજ્યના અન્ય જિલ્લાના આયકર અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રાજકીય પાર્ટીએ મહારાષ્ટ્રની અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશના એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટમાં જ્યાં વધુ જનમેદની એકઠી થાય છે તેવા મુખ્ય પરિવહન કેન્દ્રો-આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને પગલે એલર્ટ જાહેર કરી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, પરંત
શહેરમાં વીડી હાઈસ્કૂલથી વાણીયાવાડ જતા માર્ગ પર રાજન ફર્નિચરની સામેની બાજુ લારીઓના પાછળના ભાગે બાવળની ઝાડીમાં લાંબા સમયથી જુગારની બદી ચાલતી હોવાની ફરિયાદ વચ્ચે મંગળવારે મોડી રાત્રે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતા છ ખેલી પકડાયા હતા. આ બાબતે જાણવા
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ભુજ એસઓજી દ્વારા વિવિધ હોટલમાં તપાસ કરાઈ હતી જેમાં હોટલ જનતાઘરમાં તપાસ કરતા જમ્મુ કાશ્મીરના 2 યુવકો, એક મહિલા સહીત ત્રણ બાળકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે હોટેલના રજીસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલના સંચાલક પિ
શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલ પારસનાથ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી છલાંગ મારતા આધેડનું મોત થયું હતું.આ બનાવને પગલે સ્થાનિકે અરેરાટી ફેલાઈ હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો મુજબ, શહેરનો ન્યુ સ્ટેશન રોડ બુધવારે બપોરે 12 વાગ્યાના અર
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખાએ એપ્રિલથી અોકટોબર મહિના દરમિયાન 7083 ફેરાથી 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા હતા. જોકે, 3019 ફેરા દુષિત પાણીની ફરિયાદ, ધાર્મિક અને બિન સરકારી સંસ્થા વગેરે સ્થળે મફત પાણી વિતરણ કર્યા હતા. ભૂકંપ પછી શહેરનો વિસ્તાર 5 ચો.કિ.મી.માંથી સીધો 56 ચો.કિ.મી.માં થઈ ગયો છ
ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણ કોઈ શેહ શરમ રાખ્યા વગર દૂર કર્યા. નવ નિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આવતા વેંત કડક હાથે કાર્યવાહી કરી. તેવી ધાક બેસાડતી કાર્યવાહી ભુજમાં પણ થાય તેવી માગ ઉઠી છે. શહેર મામલતદાર દ્વારા 15 દબાણકર્તાઓને નોટિસ પાઠવ
અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, જેથી 11 દિવસની મરંમતની કામગીરી બાદ 12માં દિવસે પણ નળ વાટે પાણી વિતરણ અટકી ગયું છે. લોકોના ઘરના ભૂગર્ભ ટાંકાઓમાં તળિયા દેખાવા લાગ્યા છે અને નળ વાટે પાણી વિતરણ થતું નથી, જેથી હજુ શિયાળો જામ્યો નથી અને ઉનાળાની અસર હજુ

26 C