પાટણ: રૂા. 1.06 કરોડના વીઝા કૌભાંડ કેસમાં પકડાયેલા આરોપી રવિન્દ્રગીરી હસમુખગીરી વૈરાગીની નિયમિત જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે નામંજૂર કરી છે. આ અગાઉ પણ તેની જામીન અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે. ભૂજ-કચ્છ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડમાં મૂળ વિસનગરના વ
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં કચરો ફેંકનારા ત્રણ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ધીવટાના નાકે આવેલી ત્રણ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેરાત બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર આવેલી બે ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આશરે 10 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ હોટલો ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત પ્રોહીબિશન અને કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. રા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નવી નિમણૂક પામેલી આંગણવાડી કાર્યકર મહિલાઓ સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. સાયબર ગઠિયાઓએ 'પગાર જમા થયો નથી' તેમ કહીને અનેક કાર્યકરોના બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર કાર્યકરો દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવ
બોટાદ જિલ્લાના હડદડ ખાતે આવેલી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક
નડિયાદ અને આણંદ વચ્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. માળખાકીય ઢાંચો તેમજ સ્ટીલ વર્ક કોન્સર્સ સ્લેબ અને ટ્રેક સ્લેબ નાખવાની પણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટ્રેકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળીકરણ અને લિફ્ટની ફિનિશિંગની કામગીરી પણ પ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી બાંધકામ સંબંધિત તમામ મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. આના કારણે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોનો વ્યવસ
આંકલાવ તાલુકાના આમરોલ ગામે રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તારમાં રામદેવપીરના પાઠ દરમ્યાન રાખેલ જમણવારમાં અથડાવવા અને જમતી વખતે બોલાચાલી કેમ કરેલ તેમ કરી ત્રણ શખ્સોએ આસરમાં ગામના બે પિતરાઈ ભાઈઓને ચપ્પુ, લાકડી અને હાથમાં પહેરવાના કડાથી ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ આંકલાવ પો
આણંદ જિલ્લામાં બીએલઓની કામગીરી કરતાં બે શિક્ષકોના મોત નિપજયા છે.ત્યારે આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીએ પરિવારને શાંત્વના ભાગરૂપે રૂ.18 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રધ્ધાજંલી શિક્ષક ગણ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આણંદના મેઘવા પ્ર
કરમસદ આણંદ મનપા વિસ્તારો વ્યાપ વધી રહ્યો છે.તેની સાથે વસ્તી વધતાં વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે કરમસદ ગામે સોજિત્રા રોડ પર આવેલી ચોકડી પર ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. હાલમાં પેટલાદ,સોજિત્રા અને તારાપુર તરફ આવતા નોકરિયાત વાહનો સવાર અને સાંજ
ખંભાત તાલુકના વત્રા ગામે દરબાર ફળિયામાં રહેતી 37 વર્ષની પરિણીતા શુક્રવાર રાતથી ગુમ થઇ હતી.શનિવાર સવારે ગામની સીમમાં આવેલા તમાકુના ખેતરમાંથી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં માથાના પાછળના ભાગે અને નાકે તીક્ષ્ણ હથિયારના ત્રણથ
પેટલાદ વિધાનસભામાં આવતા નાપા આણંદ બોરસદ રોડ ઉપર અંદાજીત રૂપિયા 45 લાખ ના ખર્ચે નવું બોક્સ કલવર્ટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા ચોમાસામાં ગરનાળુ ધોવાઇ જતાં બેસી ગયું હતું. જેનું કામ અટકી ગયું હતું
આગામી 31મી ડિસેમ્બરને લઇને આણંદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં પ્રવેશના માર્ગો પર ઠેર ઠેર સધન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકીંગ દરમિયાન કોઇ શંકાસ્પદ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહ
આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની આણંદ ખાતે કારોબારી મિટિંગ યોજાઇ હતી. ત્યારે મિટિંગમાં સમાજની જાગૃતિ લાવવી, શિક્ષણ સુધારણા, વ્યસન મુક્તિ સહિત કુરિવાજો બંધ કરી દેવા સહિત જરૂરી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘન
બોરસદ તાલુકાના દાવોલ-બોદાલ ગામ નજીકથી પસાર થતા વાસદ તારાપુર સીક્સલેન હાઇવે ઉપર શુક્રવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા દાવોલ-બોદાલ ગામના યુવકને બોદાલ ગામના ગેટ સામે રોડ ઉપર પુરઝડપે આવી ચઢેલી કારના ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ બો
આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટમાં કેટલાંક વેપારીઓ દ્વારા ગેરકાયદે ઓટલા કારણેને 40 ફૂટના બંને બાજુના માર્ગ 15 ફૂટ બની ગયો હતો. જેથી ગ્રાહકો અને શાકભાજી લઇને આવતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેને લઇને મનપાએ સૂચના પગલે ઓટલા દૂર કરીને બને બાજુના માર્ગ ખુલ
પીજીવીસીએલ પાલિલીતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા, ગારિયાધાર, તળાજાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે આ સ્માર્ટ મીટર લગાવવા લોકો રાજી નથી. પીજીવીસીએલ પાલિતાણા ડિવિઝન નીચે આવતા 9 સબ ડિવિઝનનો પાલિતાણા ટાઉન, પાલિતાણા રૂરલ, ઘોડીઢાળ, ગારીયાધાર-1,
ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો
શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ થશે અને શનિવાર 03 જાન્યુઆરી 2026એ સમાપ્ત થશે. આ નવરાત્રી શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે, જેમાં દેવી શાકંભરીની પૂજા કરવામાં આવે છે. દેવી શાકંભરી એ મા આદિશક્તિ જગદંબાના સૌમ્ય અવતાર છે. તેને શાકંભરી નામ મળ્યું ક
ભાવનગર કોર્પોરેશન ભૂતકાળમાં ન કર્યું હોય તેવા અખતરા કરવામાં પાવરધુ છે. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ વેચાણથી આપ્યા હોવાના કોઈ દાખલા નથી ત્યારે સીદસર ટીપી સ્કીમ નંબર 5/એમાં પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટની જમીનમાંથી એપ્રોચ આપવાના હેતુથી પ્રતિ ચોરસ મીટર રૂ.57000 ની કિંમતે 110.62
મેડિકલ ક્ષેત્રે એક સાઈલન્ટ કિલર રોગ ગણાતા ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક વધારો થયો છે. પહેલા મોટાભાગે આધેડ વયના લોકોમાં જોવા મળતો ડાયાબિટીસનો રોગના દાયરામાં આજે નાની વયના બાળકોથી લઈને યુવા અને મોટી ઉંમરના લોકોને પણ સપડાઈ ગયા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં થતા જુવેનાઇલ ડ
ભાવનગર શહેરમાં ડિસેમ્બરનો અંત ભાગ આવી ગયો છતાં કડકડકતી ઠંડી જામી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં આજે રાતના સમયે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શ
ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મેજ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. આગામી વર્ષ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન બોડીની મુદત પણ માર્ચ 2026 માં પૂર્ણ થાય છે. તેમ છતાં જાન્યુઆરી થી ડિસેમ્બર 2026 સુધીની કોર્પોરેશનની રૂ.6.80 લાખના ખર્ચે 2000 મેજ ડાયરી પ્રસિદ્ધ કરવાન
શહેર જિલ્લામાં અસામાજીક તત્વો, દેશી વિદેશી દારૂના બૂટલેગરો, ડ્રગ્સ પેડલરો બાદ હવે ખનીજ ચોરો નો પણ આંતક સામે આવ્યો છે. જિલ્લામાં ખનિજ ચોરો દ્વારા ત્રણ જ વર્ષમાં 28175 મેટ્રિક ટન ખનીજ ની ઘોર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે ખાન ખનીજ વિભાગે ત્રણ વર્ષમાં 11.07 કરોડની દંડની વસૂ
ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ
‘હું સુરતથી હરિભકત ગોપાલભાઈ છું, મારી દીકરીને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું છે, મેં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે’. જેથી અમે કાલે સવારે મંદિરે આવીશું, તમે હાર મગાવી રાખજો. તેવું કહી વાસણાના સ્વામિનારાયણ મંદિરમાં આવી રૂ.6.51 લાખનો ચેક આપી બહાર ગા
ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ ક્યો માન્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદો હવે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ શૈક્ષણિક જગતને શરમાવે તેવી એક વધુ ઘટનામાં, યુનિવર્સિટીના સત્તાધીશો અને પેપર સેટરની ઘોર બેદરકારી સામે આવી છે. B.Ed. સેમેસ્ટર-3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ વિષયના પેપરમાં પેપર સેટર સવાલો તો પૂછ
રાજકોટ | પ્રાંસલા મુકામે તા.4 જાન્યુઆરી સુધી યોજાનાર 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો. જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યના વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાઇફ
કોલેજ સમયની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ખાનગી બેંકના કર્મચારીએ તેના મિત્ર અન્ય એક બેંકના કર્મચારીના મહત્ત્વના દસ્તાવેજો મેળવી લઇ પોતાની બેંકમાં ચાર ખાતા ખોલી નાખી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડીમાં રહેત
રાજકોટ જિલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી મૂર્છિત બની ગઈ હોય તેવી સ્થિતિમાં ખનીજચોરી કરતા તત્ત્વો બેફામ અને બેખૌફ બની રેતી, કપચીનું ગેરકાદેસર ખનન અને પરિવહન કરી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં ઉપલેટા પંથકમાં રેતીનું ખનન ઝડપી લીધા બાદ રાજકોટ તાલુકાના રામપર બેટી નજી
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય તેવા મેગા ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા ક્લેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લેનાર 1300થી વધુ આસામીને નોટિસ ફટકારી છે અને આવતીકાલે તા.29ને સોમવારથી સતત ત્રણ દિવસ સુનાવણી યોજનાર છે ત્ય
રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને ફાળવવામાં આવેલ કરોડોની કિંમતી જમીન વર્તમાન ટ્રસ્ટીઓ વેચી મારવાની પેરવી કરી હાલમાં શાળાના બાળકોને રમવા માટેના મેદાનને ભાડે આપી દેવામાં આવતા વિરાણી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ છાત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી લડત આપવામાં આવત
વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ગીચ લોકવસતિ હોવા છતાં મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ ન હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી હતી. મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશથી ખાનગી સોસાયટીઓમાં વધુ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. શ
KG-D6 તેલ અને ગેસ બ્લોકના ખર્ચ વસૂલાત સંબંધિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારત સરકાર વચ્ચે લગભગ 247 મિલિયન ડોલરના વિવાદનો નિર્ણય 2026માં આવવાની શક્યતા છે. આ વિવાદ હાલ આંતરરાષ્ટ્રીય લવાદના અંતિમ તબક્કામાં છે.2002થી KG-D6 બ્લોકનું સંચાલન કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધારાના ‘પ્રોફ
સરતા વર્ષને વિદાય અને નવા વર્ષનું સ્વાગત કરવા મુંબઈ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ ધ્યાનમાં લેતા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે એ માટે અન્ન અને ઔષધ પ્રશાસને કમર કસી છે. રાજ્યની હોટેલ્સ, રેસ્ટોરંટ્સ અને ખાદ્યપદાર્થોનું વેચ
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની અંદર શરૂ થયેલા તણાવને પગલે રાજકારણમાં મોટો ધડાકો થયો હોવાનું ચિત્ર છે. અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં આક્રમક ભૂમિકા લીધી છે. વસઈ વિરાર જિલ્લા અધ્યક્ષ રાજારામ મુળીકે કહ્યું કે, ભાજપે અમારી પીઠમાં ખંજર
મુંબઈ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી 2025–26 માટે રાજ્ય ચૂંટણી પંચે કડક શરતો લાગુ કરતાં ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. હવે ઉમેદવારી પત્ર સાથે શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર અથવા સ્વ-પ્રમાણપત્ર જોડવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળતા પર રિટર્નિંગ અધિકારી (આરઓ) ઉમેદવારી
મુંબઈ મહાપાલિકા જીતવા માટે ભાજપે ઉત્તર ભારતીયોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ માટે ભાજપે ચૂંટણીના પ્રચારમાં હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુર, મનોજ તિ
નવું વર્ષ 2025ને વિદાય આપવા અને નાતાલના તહેવારોની ઉજવણી માટે કોંકણમાં પર્યટકોની ભારે ભીડ હાલમાં જોવા મળી રહી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ઉત્સાહી માહોલ વચ્ચે રત્નાગિરિ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના
મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતોવાળા કાલાઘોડા પરિસરમાં હંમેશા દેશવિદેશના પર્યટકોની અવરજવર રહે છે. તેથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરમાં સુશોભીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ડો.વી.બી. ગાંધી રોડ, રુદરફોર્ડ રોડ અને બી. ભરુચા રોડ પર સુશોભીકરણના કામ અંતિમ ત
થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ઘણાં ઠેકાણે ડ્રગ્સ પાર્ટીઓ ચાલે છે, જેથી ડ્રગ્સની તસ્કરી વધી છે ત્યારે પોલીસે પણ આવી પાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે કમર કસી છે. આ કડીમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ટાસ્ક ફોર્સે બેન્ગલુરુમાં ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ પકડી પાડી છે, જ્યાંથી એમ
રાજ્ય સરકાર તરફથી મુંબઈની ટ્રાફિકજામની સમસ્યાના ઉકેલ માટે ટૂંક સમયમાં વોટર ટેક્સીની સંકલ્પના વાસ્તવિકતામાં ફેરવાશે. એના માટે કોચી વોટર મેટ્રો પ્રકલ્પની મદદ લેવામાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશમાં 15 નવી જેટ્ટી ઊભી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વોટર ટેક્સીના 9 રૂટ નક્કી કર
રાપર નજીક એકલના રણમાં ગુરુવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ આગામી 29 કલાકમાં કુલ 22 આફટરશોક અનુભવાતા વાગડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ ગુરુવારે 16 અને શુક્રવારે 5 નાના-મોટા આંચકા નોંધાયા હતા, જ્યારે એક આંચકો મુખ્ય ભૂક
ગુજરાત સહિત 12 રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યવાહી દરમિયાન રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 23.91 લાખ મતદાર પૈકી 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને અનમેપ કેટેગરીમાં નવી સુ
અડાજણ મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાની કચરાના ડમ્પરે કચડી નાંખતા વેસુના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજા બનાવમાં બરોડા પ્રિસ્ટેજ પાસે ટેમ્પોએ અડફેટે લેતા ઉતરાણના રત્નકલાકારનું મોત થયું હતું. વેસુ સુમન સાગર ખાતે રહેતા 35 વર્ષીય અજીતસિંગ ઉમાશંકર સિંગ એસી રીપેર
કચ્છ જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પાંચ વર્ષના શાસનની મુદત આગામી 17 માર્ચ 2026 ના પૂર્ણ થઈ રહી છે. લોકશાહીની આ સ્થાનિક સરકારોની ટર્મ પૂરી થવાને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શિયાળામાં રાજકીય ગરમાવો ધીમે ધીમે તેજ બની રહ્યો છે. મુદત પૂરી થાય તે પૂર્વે તમામ તાલુ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં તા. 1/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ હેઠળ જે નાગરિકોની ઉંમર 1 જાન્યુઆરી, 2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય, તેઓ મતદારયાદીમાં પોતાનું ના
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કચ્છ ઉત્સવના ઉપક્રમે આજે સાંજે સ્મૃતિવન ખાતે મા આશાપુરા એજ્યુકેશન સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ નાટક ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ ગૌતમ એસ. જોશી લિખિત નાટકનું મંચન કરવામાં આવશે. આ નાટક દ્વારા કચ્છ અને રાજસ્થાન વચ્ચેની ઐ
શહેરની જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ ખાતે એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના પ્રમુખ એડવોકેટ બાલાબેન ઠક્કર તેમજ ટ્રસ્ટના હોદેદારોના નેતૃત્વ હેઠળ WIRC ઓફ ICAI ના સભ્યો દ્વારા એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર
લોડાઈ ગામના કાસમતી ડેમ નજીકથી ગેરકાયદેસર રીતે રાખેલી બંદુક સાથે નાના વરનોરા અને બેરડોના ઇસમને દબોચી લીધા છે. પદ્ધર પીઆઈ એ.જી.પરમારની સુચનાથી ટીમ લોડાઈ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,ખેંગારપર ગામ બાજુથી બે ઈસમો બાઈક પર શંકાસ્પદ વસ્તુ લઇને
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ હેઠળ દર વર્ષે 452 પેઇડ ઇન્ટર્નશિપની જગ્યા ઉપલબ્ધ કરાશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 20 હજાર સ્ટાઇપેન્ડ અપાશે. જેના માટે સરકાર દ્વારા વાર્ષિક 5.30 કરોડ બજેટ ફાળવાયું છે. આ અંતર્ગત ઇન્ટર્ન્સને ઇવ
31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ યોજાઈ છે. છાણી પોલીસે દશરથના ગોડાઉનમાંથી ~32.33 લાખની 349 દારૂની પેટી પકડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. છાણી પોલીસ મથકના પીઆઈ આર.એલ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દશરથ ગામના શિવ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડીને ~32.33 લાખનો દારૂનો જથ્થ
શહેરના 33 ટકા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતા સરથાણા વોટર વર્ક્સ પ્લાન્ટ પર લગાવાયેલો 1020 કિલો વોટ ક્ષમતાનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પાલિકાને વીજ બિલમાં વર્ષે 95 લાખ રૂપિયાની બચત કરવામાં કારગર નિવડ્યો છે. વર્ષ-2020માં 700 કિલોવોટ અને વર્ષ-2023માં 320 કિલોવોટ એમ બે તબક્કામાં
ખાનગી-સરકારી યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંશોધન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા વર્ષે 4 લાખની મદદ કરતી ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતની SHODH (સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ) યોજનામાં આ વર્ષે મ.સ. યુનિ.ના માત્ર 27 વિદ્યાર્થી પસંદ થયા છે. 4 વર્ષમાં યુ
રિંગ રોડ સહારા દરવાજા પાસે ફાલસાવાડી પોલીસ લાઇન પાસે મહાપાલિકાની પાણીની મુખ્ય લાઇનમાં સીટકોની બ્રિજ માટે પાઇલ ખોદવાની કામગીરીમાં બેદરકારીને પગલે 5 મીટર જેટલી જૂની લાઇનમાં ભંગાણ પડતાં મહાપાલિકાનું હાઇડ્રોલિક ખાતુ દોડતું થઈ ગયું હતું. શુક્રવાર સવારથી લઈને શનિવાર સાંજ સુ
જૂના પાદરા રોડ પાસ જર્જરિત મકાનમાં રહેતા અને કોર્પોરેશનની રોડ શાખામાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષિય વૃદ્ધે ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ આખરે પાલિકાની ટ્રાફિક શાખાએ શનિવારે સવારે 10 વાગે કાઢી લીધા હતા. આ પહેલા ગેરકાયદે નો-પાર્કિંગના બોર્ડ અંગે વેપારીઓ અને સ્થાનિક લો
વડોદરા-દહાણુ એક્સપ્રેસ ટ્રેનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધસારો વધવાના પગલે યાત્રીઓ દ્વારા ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવાની માગણી કરી છે. આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી સવારે 6.20 કલાકે ઉપડે છે. સવારની શિફ્ટમાં કામ કરતા લોકો માટે આ ટ્રેનનું સમયપત્રક અનુકુળ છે. આ ટ્રેન દહાણુ રોડથી ઉપ
માંજલપુર પાણીની ટાંકી બહાર ડ્રેનેજ લાઈનના ખુલ્લા મેઇન હોલમાં પડી જતાં 41 વર્ષના યુવકનું મોત થયું હતું. ઘટના બાદ પાલિકા તંત્રે સ્થળની આસપાસ બેરિકેડ લગાવી ઢાંકણું મૂક્યું હતું. પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને કારણદર
કામરેજના ઉંભેળ સહિતના વિસ્તારોમાં વિકસી રહેલા નવા ટેક્સટાઈલ ઝોનમાં વીજળીના ધાંધિયા પડકાર બની રહ્યા છે. શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી હાલમાં અપગ્રેડેશન મોડમાં છે. જૂનાં મશીનો બદલીને ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ સહિતની હાઈ-સ્પીડ ટેક્નોલોજી સ્થાપી રહ્યા છે, પર
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પોલીસ લેઇન ડ્રાઇવિંગ કરાવવા પર ભાર આપશે. શહેરના 5 ભારે ટ્રાફિક પોઇન્ટનો સરવે કરી વાહનો હવે સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે પોલીસે ‘સ્પ્રિંગ પોસ્ટ’ લગાવ્યા છે. જોકે તે સ્પ્રિંગ પોસ્ટની વચ્ચેથી કોઈ પસાર ન થાય તે માટે તેની વચ્ચે ‘વ્હ
નાનપુરા ખાતે રહેતી એક મહિલા કેન્સરની ટ્રીટમેન્ટ બાદ કલેઇમની રકમ લેવાના કેસમાં વીમા કંપનીએ તદ્ન હાસ્યાસ્પદ અને અવ્યવહારુ તારણ રજૂ કરીને મહિલાનો કલેઇમ નામંજૂર કર્યો હતો. વીમા કંપનીએ કહ્યું હતું કે મહિલાએ જે સારવાર લીધી છે તે નેચરોપેથીની છે. જ્યારે અરજદાર મહિલાએ ખરેખર તો ક
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે કાર્યરત શહેરની સયાજી હોસ્પિટલમાં શનિવારે સવારે પીડિયાટ્રિક વિભાગમાં એક જ દિવસની નવજાત બાળકીને સારવાર માટે લાવનાર પરિવાર તેને ત્યજીને ફરાર થઇ જતાં હોસ્પિટલ સત્તાધીશોમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકે જાણ કરા
ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા ઓછી નોંધાઈ છે. જોકે જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ ઠંડી એકાએક વધી જશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આગામી 2 જાન્યુઆરીથી ઠંડીનો પારો 4 ડિગ્રી જેટલો ગગડીને 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી
નિરવ કનોજીયાપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માંજલપુર ખુલ્લી ગટરના મેઇન હોલમાં પડેલો યુવક મોતને ભેટ્યો છે. ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં વારસિયા રિંગ રોડ પંચશીલ એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડ તરફ અને ખોડિયારનગર રોડ પર ડ્રેનેજ લાઈનના ઊંડા ખાડાની આસપાસ બેરિકેડ
વર્ષ 2013માં ભરતી થનારા આરટીઓ ઇન્સ્પેક્ટરોને 12 વર્ષ પૂર્ણ હોવા છતાં પ્રમોશન અપાયાં નથી. સર્વિસમાં 5 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓ પ્રમોશન મેળવવા માટે લાયક ગણાય છે, છતાં 12 વર્ષ પછી પણ બઢતીનો લાભ મળતો નથી. આરટીઓના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા વાહન વ્યવહાર વિભાગને આ મુદ્દે પત્
ભારતમાં ફૂડ એનાલિસ્ટ્સની માંગ સતત વધી રહી છે. કડક ખાદ્ય સુરક્ષા કાયદાઓ, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ઉદ્યોગના ઝડપી વિસ્તરણ અને FSSAI દ્વારા વધેલી દેખરેખ તેના મુખ્ય કારણ છે. અંદાજ મુજબ, 2025-26 સુધીમાં, સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં સંયુક્ત રીતે આશરે 3,000 થી 5,000 ફૂડ એનાલિસ્ટ, ફૂડ ટેસ્ટિંગ ન
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળના ગ્રંથાય નિયામક હસ્તકના મદદનીષ ગ્રંથપાલની 100 જગ્યા પર ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધારે ન હોવ
ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી સિટી બસ સુવિધા બંધ હાલતમાં હોય શહેરીજનોએ નાછૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે શહેરીજનો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને જે 100 EV બસ ફાળવવામાં આવી છે તે પૈકીની 40 બસ નવા વર્ષથી કમૂરતા બાદ દ
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, જ્યાં દેશ-વિદેશના હજારો યુવા ઉદ્યોગસાહસિકો એક મંચ પર ભેગા થશે. આ ઉપરાંત સંસ્કાર ધામ
દેશને સિટી કરતાં ગામડાંની પ્રતિભા જ સૌથી વધારે મેડલ અપાવી શકશે. હરિયાણાના 55 થી 56 ટકા ખેલાડીઓ દેશ મેડલ અપાવે છે.બાકી ગુજરાતને બધા ઓળખે છે કે તે શેના માટે જાણીતું છે. અમારા હરિયાણવીમાં કહેવાય છે કે, જાગુ સે લાગુ જ્યાદા હોતા હૈં.જો લાગુ કરી દેવામાં આવે તો સફળતા મળશે જ.ઓલિમ્પિકમાં
‘ભલે પધાર્યા’ કહી ઉત્સવપ્રિય ગુજરાતીઓ 2026ને આવકારવા થનગની રહ્યા છે. 2025ની ખરાબ યાદોને બાય બાય અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે. દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપણાં ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય.તો પછી...આ વર્ષ
બીપી, ડાયાબિટીસ, શરદી-ઉધરસ.... આ એવા રોગ છે જે સામાન્ય રીતે ઘરે-ઘરે હોય છે. આવા રોગની ઘણી દવા તમારા ઘરમાં પણ ઉપયોગમાં લેવાતી હશે પણ તમારા ઘરમાં રહેલી આ દવા ક્યાંક નકલી તો નથી ને? આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે કેમ કે હમણાં થોડા દિવસો પહેલાં ઘણી એવી શંકાસ્પદ દવાઓ ઝડપાઇ છે જે દર્
કહે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અત્યારના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે નિર્દોષ લોકો ઠગાઈ જાય છે, તે વિશે તમે ક્યારેય વિચાર્યું છે? વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાતમાં પણ અંધવિશ્વાસને કારણે અવારનવાર કેટલાય ભયાનક અપરાધો થતા રહે
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા દાહોદ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સંજેલી ખાતેથી એસ.ઓ.જી. શાખાએ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડી રૂ. 89,700ના પ્રતિબંધિત
ૉઉત્તર ભારતમાં પડી રહેલી કડાકાની ઠંડી અને ગાઢ ધુમ્મસની સીધી અસર હવે રેલ વ્યવહાર પર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા ઉત્તર ભારત તરફથી આવતી અને મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી રહી છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યે ગોધરા આવતી અવધ
ગોધરાના અમદાવાદ રોડ પર મોપેડ ચાલક વૃદ્ધને અજાણ્યા ઇસમોએ આંતરીને તપાસવાના બહાને નજર ચૂકવીને સોનાની વિંટી લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગરવાસમાં રહેતા રતિલાલ કાલીદાસ ડાબગર ત
ડોમેસ્ટિક એરલાઇન ઇન્ડિગોની રવિવારે વધુ 57 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ફ્લાઇટ્સ રદ થતા પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન બે ફ્લાઇટ રદ થવા માટે ‘ઓપરેશ
દાહોદ તાલુકાના જાલત ગામ પાસે ઈન્દોર–અમદાવાદ હાઈવે પર આવેલી અવંતિકા હોટલ નજીક ટર્ન લેતી વખતે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને પાછળથી આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 21ને ઇજા પહોંચી હતી. MP પરિવ
ગોધરા પાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ભારતનો સૌપ્રથમ ‘આલ્કલાઇન વોટર એટીએમ'' પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. જેમા નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝે ગોધરા પાલિકા સાથે આલ્કલાઇન વોટર એમઓયુ કર્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ખૂ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા યાર્ડમાં રેલવે દ્વારા અનિવાર્ય કામગીરી માટે સૂચિત બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે રતલામ મંડળ અને વડોદરા મંડળ વચ્ચે ચાલતી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા છે. જેની સૌથી મોટી અસર દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી લોકપ્રિય મેમુ ટ્રેન
દાહોદ એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેનની વરણી થઈ શકી નથી. સ્પષ્ટ બહુમતી હોવા છતાં માત્ર વહીવટી વિલંબ અને રાજકીય ગતિવિધિઓને કારણે માર્કેટયાર્ડમાં અસ્પષ્ટતા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. ગત 17 ઓક્ટોબરે દાહોદ APMCની ચૂંટણી
ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં ભાજપને કુલ 2 હજાર કરોડનું દાન મળ્યું છે. 2020-21થી 2024-25 દરમિયાન ભાજપને રોજ સરેરાશ 1.25 કરોડ રૂપિયા મળ્યા છે. આ દાનમાં કોર્પોરેટ, વ્યક્તિગત, ઇલેક્ટોરલ ટ્રસ્ટ, ઇલેક્ટોરલ બોન્ડથી મળેલું દાન સામેલ છે. આ દરમિયાન કોંગ્રેસને 55 કરોડ અને આમ આદમી પાર્ટીને 9 કરોડ દાનમ
યુનુસ દ્યંત્યાંલુણાવાડા થી માત્ર 4 કિલોમીટર ના અંતરે આવેલ નવા મુવાડા ગામના એક ફળીયાના રહેવાસીઓ આજે પણ આધુનિક યુગથી સેંકડો કિલોમીટર દૂર જીવન જીવી રહ્યા છે. કારણ, ગામના નાયક ફળીયામાં હજુ સુધી લાઇટનું અજવાળુ પહોંચ્યુ નથી. જેથી ફળીયાના બાળકો આજે પણ દિવાના અજવાળે અભ્યાસ કરવા મ
છોટાઉદેપુર પોલીસ પીપલેજપાટીયા ખાતેથી ધોળે દિવસેબળજબરીથી કઢાવી લેવાનાગુનાનો ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બેને મહીસાગર જિલ્લાના કોઠંબાખાતેથી પકડી પાડયા છે. જ્યારેએક ઈસમને પોલીસે પકડવાનાચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર એલસીબીછોટાઉદેપુર પોલીસ સ્ટ
શહેરમાં હાલ ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેની સરેરાશ ગતિ આશરે 12 કિમી પ્રતિ કલાકની નોંધાઈ છે. આ કારણે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ બે-ત્
પશ્ચિમ રેલવેએ 1 જાન્યુઆરીથી અમલમાં મૂકેલા નવા ટાઈમ ટેબલ મુજબ અમદાવાદની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ ખાતે પૂરી થતી તથા અમદાવાદ થઈને જતી અનેક ટ્રેન હવે અગાઉની સરખામણીએ 5થી 7 મિનિટ વહેલી ઉપડશે. કેટલીક ટ્રેન સુરત અને વસઈ રોડના વ્યસ્
મહિલા તરીકે વાત કરી સાઈબર ગઠિયાઓએ એક વૃદ્ધ ડોકટરને શેરબજારમાં રોકાણનું સમજાવી રૂ.63.95 લાખ પડાવ્યા હતા. 1 લાખના રોકાણ સામે એપ્લિકેશનમાં 13 દિવસમાં રૂ.50 હજાર પ્રોફિટ બતાવ્યો હતો. જ્યારે ડોક્ટરે પ્રોફિટના પૈસા માટે વિડ્રોની પ્રોસેસ કરતાં 30 મિનિટમાં તેમના ખાતામાં રૂ.50 હજાર આવી જતા

24 C