ભાવનગર જિલ્લાનાં ભાલ પંથકમાં આવેલ ભાણગઢ ગામનો મુખ્ય કોઝ-વે તૂટી ગયો છે, જેના કારણે ગ્રામજનો લાંબા સમયથી હોડીનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ભાણગઢ ગામથી પાળીયાદ જવાના માર્ગ ઉપર કોઝ-વે તૂટી જતા કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ભાણગઢ ગામની વસ્તી 500
સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં દીપ પ્રાગટ્યથી થયો
ગોધરા શહેરમાં ગુનાખોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સોસાયટીમાંથી મોબાઈલ ચોરી, ભુરાવાવમાં જન્માષ્ટમીની અદાવતમાં મારામારી અને માણેક પાર્ક સોસાયટીમાં ૭૨ હજારથી વધુની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુના નોંધી વધુ ત
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે PCB દ્વારા શહેરમાં પાંચ દિવસમાં અલગ-અલગ 9 જગ્યાએ રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમિયાન પોલીસે અલગ અલગ જગ્યાએથી 11 લાખથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.પોલીસે આ રેડ દરમિયાન 10 આરોપીઓની
નવસારીની એબી સ્કૂલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ વાર્ષિક સમારોહનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા બે નાટકો હતા: 'અસ્તિત્વ કી ખોજ' અને '
વડોદરાના સમતા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા પ્રેમીલાબેન ઉપાધ્યાયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આરોપ મૂક્યો છે કે, તેમના જૂના પડોશી મહેન્દ્રભાઈ રમણલાલ સોનીએ તેમને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના બહાને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને છેતરપિંડ
ઓલમ્પિકની યજમાની પણ અમદાવાદને મળવાનો દાવો અમદાવાદ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2036 ઓલમ્પિક્સ માટે અમદાવાદને તૈયારી રાખવા હાકલ કરી.. તેમણે અમદાવાદને 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી જ કરી શકાશે ટ્રેનન
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી, બોટાદ, સુરે
સુરતના સચિન ગભેણી વિસ્તારમાં ચાર દિવસ પહેલા ઘરમા ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા. ચાર પૈકી બે યુવતીના સારવાર દરમિયાન સિવિલ હોસ્પિલટમાં મોત થયા હતા. જેના પગલે બે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના ત્રિ-દિવસીય રાજકોટ પ્રવાસ પૂર્વે દિલ્હીના પૂર્વ મંત્રી તથા AAP ધારાસભ્ય ગોપાલ રાય રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે મોટું એલાન કર્યું કે, આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દરેક બેઠક પર આમ આદમી પ
ગોધરા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મતદાર સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુસર, કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બૂથ મથકોની મુલાકાત લીધી હતી. આ મુલ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગામે એક ખેડૂતની દસ્તાવેજથી ખરીદેલી જમીનનો કબજો ન સોંપી, તેને પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે. આ મામલે ખેડૂતને જાતિવાચક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ગંભીર બનાવ અંગે મોરવા પોલીસ મથકે બે વ્યક્તિઓ સા
જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષીય યુવાન રાહુલ રમેશભાઈ ચૌહાણનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં રવિવારની રજાના દિવસે કેટ
વલસાડ એલસીબીએ વાપી નજીક નાકાબંધી દરમિયાન ₹13.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દમણથી ગેરકાયદેસર રીતે દારૂ ભરીને જઈ રહેલી એક ટાટા ટ્રકને અટકાવી હતી. આ કાર્યવાહીમાં ટ્રકના ચાલક અને ક્લીનર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર એક વ્યક
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય સ્તરની 'યુનિટી માર્ચ – સરદાર@૧૫૦' પદયાત્રામાં પંચમહાલ જિલ્લાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરમસદથી શરૂ થયેલી આ યાત્રામાં ગોધરાના 'માય ભારત' સંગઠનના ૧૨૦ સ્વયંસેવકો જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્
સુરતમાં એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી અને વકીલે 50 લાખ રૂપિયાની ખંડણી માગતા ચકચાર મચી છે. બિલ્ડર પાસે 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી અને વકીલને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. શહેરના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી દ્વારા ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની
વલસાડ જિલ્લાના અતુલ બ્રિજ પાસે નેશનલ હાઈવે-48 પર રવિવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. NHAI દ્વારા રસ્તાની મરામત અને ડામર કામગીરી હાથ ધરાતા વાહનચાલકો અટવાયા હતા. આ કામગીરીને કારણે અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અચાનક શરૂ કરાયેલી આ કામગીરીથી અતુલથી પારડી
જામનગરમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનને એક કારચાલકે 10 મીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટના ખોડીયાર કોલોની વિસ્તારમાં બની હતી, જેમાં જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફરજમાં રૂકાવટ અને હુમલા બદલ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ પરમદિવસ
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જના રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી હોવાનું જ
બોરસદ અને આંકલાવ વિસ્તારના નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. આ ટ્રેનના પુનઃ પ્રારંભથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત મળી છે. કોરોના મહામારીના સમયમાં બંધ કરી દેવાયેલી આ મેમુ ટ્રેન આજે
એટીએમમાં પૈસા કાઢવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખી લાખો રૂપિયા પડાવી લેનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ રીતે ઠગાઈ અને ચોરી આચર્યા હતા. આરોપી પકડાતા 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છ
જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ની જાહેરસભા દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીએ પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 'આપ' દ્વારા આક્ષેપ કરવામાં
દેવગઢ બારીયા નગરપાલિકામાં હંગામી જમીન ભાડા મામલે મોટો વિવાદ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ ટાવર નજીક આવેલી ફાયદા બજાર સેલની રૂબરૂ તપાસ હાથ ધરી હતી. કાપડના વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ થયેલી આ તપાસમાં મહત્વની ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. તપાસ દરમિયાન જાણવ
ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર 21 વર્ષીય યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દેવાયો છે. યુવકને 5થી વધુ ચપ્પુના ઘા માર્યામળત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વીડિયો બે દિવસ જૂનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં ચોરીની બે ઘટના બની છે. જેમાં મકરબા ઓડા ગાર્ડન ખાતે ચાલવા માટે ગયેલા મહિલાના એક્ટિવા ટુ વ્હીલરની ડેકીમાંથી ATM ચોરી ચોરે 65 હજાર ઉપાડી લીધા હતાં. જ્યારે બીજ બનાવમાં નારણપુરા ફાટક પાસે કારમાંથી કાળા કલરનો થેલો તસ્કરો લઈને ફરાર થયા હતા. મકરબા ઓડા ગાર્ડન પાસે ટુ વ્હીલર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે આરોપી સામે પાટડ
જુનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ,પોલીસ હાઉસિંગ, ગૃહ રક્ષક દળ,અને નશાબંધી વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત જેલ કર્મચારીઓના આવાસ સંકુલ અને જેલના પરિસરમાં તૈયાર કરાયેલી આધુનિક મહિલા બેરેક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ
બોટાદ જિલ્લાના પીપળીયા ગામેથી પાળીયાદ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹5,17,248 ની કિંમતની 1872 બોટલ જપ્ત કરી છે.પાળીયાદ પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીપળીયા ગામમાં પ્રતાપભાઈ કાથડભા
BAPS સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનાં તારીખ પ્રમાણેના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગર અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક ભક્તિમય અને અદભુત કાર્યક્રમ યોજાયો હતો. સત્સંગ દીક્ષાના શ્લોકપાઠ કરનાર બાળ વિદ્વાનો મંદિર પરિસરમાં વહેલી સવારે 350 કરતાં
ગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા વૃદ્ધને ગાંધીનગર ફાયર બ્રિગેડના 11 જવાનોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બહાર કાઢીને
ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે AAPના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તેમજ જામનગરમાં ગોપાલ ઈટાલ
કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ખાણ ખનીજ, રેવન્યુ અને ડીએલઆઈઆરના સર્વેયર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ ખનીજ ચોરીના સ્થળ પર જ માપણી કરી
અમરેલી જિલ્લાની રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણી 28 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) સક્રિયપણે પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ 15 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. આ બેઠકોમાં જનરલ, મહિલા, નાના સ
અમદાવાદના મેઘાણીનગરમાં 1 નવેમ્બરના પ્રેમી યુવકે જાહેરમાં સગીરાના કાકાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ સગીરા સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દવા આપી સારવાર કરાવી હતી. તેની જાણ સ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખને કારણે આ ઘટના બની હતી. હત્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મૃતક યુવકનું નામ મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28 વર્ષ) છે. રાજગઢ ગામના જ બ
તમે કોઈ ATMમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવાતા નહીં, નઈ તો તમે પણ નકલી ટ્રાન્જેક્શન સ્કેમનો ભોગ બની જશો. આવો જ એક કિસ્સો જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ધ્યાને આવ્યો હતો. તેમણે એક રીઢા આરોપી
આણંદ જિલ્લાના વલાસણ, પીપળાવ અને રાલજ ગામના મંદિરોમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગ્રામજનો, સખી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ જૂથોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ અભિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ દ્વ
સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, સુરતના ચોકબજાર ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે એ માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલપૂરતી ઓ.પી.ડી.સેવા શરૂ કરવામાં આવી છે. શહ
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનીવાવ ગામેથી એક શખ્સને દેશી હાથ બનાવટના કટ્ટા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાન
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ 'બોગસ સર્ટિફિકેટ' કૌભાંડના મુખ્ય આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 16 વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર હતો. આ કૌભાંડ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામની સરકારી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી મેળવવાના મામલે સામે આવ્યું હતું. આ કૌભાંડ
પાટણના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખની ઠગાઈ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાલીસણા પોલીસે આરોપીઓ પરેશ બેચરભાઈ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણને પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને 9 ડિસેમ્બર, 2015 સુધીના રિમાન્ડ પર
નવસારીના વિજય કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે મીટર પેટીમાં ભીષણ આગ લાગી હતી. શાંતાદેવી નગરપાલિકા સ્કૂલ પાસે આવેલા આ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં સવારે આશરે 6:10 કલાકે આ ઘટના બની હતી. શોર્ટ સર્કિટ થતાં બે થી ત્રણ વીજ મીટરોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે,
છોટા ઉદેપુર જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ બોડેલી તાલુકાના મુઠઈ વસાહત પાસેથી રૂ. 3,19,386/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરી અવારનવાર થતી રહે છે. જિલ્લા પોલ
પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે સપાટો બોલાવ્યો છે. છેલ્લા બે દિવસમાં વિભાગની ટીમે પાંચ ટ્રેક્ટર અને બે ટ્રક સહિત કુલ સાત વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાત લોકોની અટકાયત કરીને કા
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં રવિવારે સંકટ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો સંતરા અર્પણ કરીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામે શનિવારે રાત્રે ખેડૂત જુજારસિંહ બાપુસિંહ મકવાણાના મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને AICTE દ્વારા આયોજિત દેશનો સૌથી મોટો ઇનોવેશન મહોત્સવ, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH) 2025 ગ્રાન્ડ ફિનાલે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે યોજાશે. આ હેકાથોન હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંને એડિશનમાં ઉજવાશે. આ રાષ્ટ્રીય સ્તરીય હેકાથોન માટે દેશભરના 78 વિવિધ મંત્રા
અમદાવાદના RTO પાસે રીક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી જે બાદ રીક્ષા ચાલક અને તેના સાથીએ રોડ પર આતંક મચાવ્યો હતો. રસ્તે જતા લોકો સાથે ઝપાઝપી કરી હતી. એમ્બ્યુલન્સ જતી હતી તેને પણ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પહોચતા પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરી હતી. રાણીપ પોલીસે બંન
પાટણમાં ગતરોજ ગોશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી. તો ઉપસ્થિત જનમેદનીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આખુ સ્ટેજ રૂપિયાથી ઉભરાયું હતું. લોકોએ 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ભાગવત ક
સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધામાં અકસ્માત ને લગતા, આધુનિક ખેતી, ગ્રીન હાઉસ, ફ્લાવર્સ પોર્ટસમાં પાણી ઘટે નહિ સહિતના મોડેલો છવાયો સુમિટોમો કેમીકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એકસ્પ્રેશન 2025 અંતર્ગત ત્રણ દિવસીય દરમ્યાન 10થી વધુ કૃતિઓમાં
મોરબીના પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના કેસમાં એલસીબી ટીમે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹64,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીના કેનાલ રોડ પર રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉં.વ. 40)એ આ અંગે મોરબી બી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતાથી થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચારો કર્યા હતા. સાથે સાથે ભાજપ કોંગ્રેસના હાય હાય અને ગુંડાગર્દી બંધ કરો નારા પણ લગાવ્યા હતા. અને
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ ત્રણ મલ્ટિપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી હો
ભુજ નજીક કુકમામાં બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ગત સાંજે 6.38 વાગ્યાની આસપાસ બની હતી. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવી બોરવેલમાં
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો હતો. ત્યારે મહોત્સવના ભાગરૂપે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભીડનો લાભ લઈ
ઓનલાઇન જુગારનો પર્દાફાશ રૂ.1.92 લાખના મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન
આજના સમયમાં બાળકો માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી વાલીઓ માટે એક મોટો અને જવાબદારીભર્યો નિર્ણય બની ગયો છે. આવા સમયમાં વાલીઓને પૂર્ણ માર્ગદર્શન મળે, વિવિધ સ્કૂલોને એક જ સ્થળે નજીકથી સમજવાનો મોકો મળે અને સરખામણી આધારિત યોગ્ય પસંદગી કરી શકે એવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 30 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેક
છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજારો મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચાવતા પણ જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતાં. જ્યારે આજે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC ન
ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસને દરેક કાર્યક્રમમાં ઘેરવામાં છે. ગુજરાતમાં ઠે- ઠેર દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈને નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલું સરદારગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગઈ સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શનિવાર ની સાંજે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડ
તળાજા તાલુકાના કામરોળ ગામે ભાગ્યું રાખીને ખેતી કામ કરતા મૂળ બગદાણા ગામના લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળ એ તળાજા પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીમાં કામ કરતા હતા તે વેળાએ બાજુની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા અશોક મનુભાઈ ઢાપા, વિજય મનુભાઈ ઢાપ
મહુવા તાલુકામાં ખોડીયાર નગર પ્લોટ વિસ્તાર નેસવડ ગામ માં રહેતા દીપકભાઈ મનસુખભાઈ બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આસ્થા કોમ્પ્યુટરમાં નોકરી કરતા હોય જેથી પોતાનું મોટરસાયકલ GJ 27 DC 5971 જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં આવેલા પતરા ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને બપોરના ઘરે
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પાસે લાલ ડેલા હુદા મસ્જિદ વાળા ખાતે રહેતા સમીનાબેન ફેજલભાઇ માલકાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે તેમના દેરાણીનો સગો ભાઈ ઝુબેર આફીરભાઇ લાકડીયા રહે શેલારસા રોડ સંઘેડીયા બજાર સમીર મેડિકલ ની સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઝુબેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે એક જ કુટુંબના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી લોહિયાળ બની હતી. ખેતરના શેઢે લાઈટનું ટીસી નહીં નાખવા દઉં અને જુના પારિવારિક અણ બનાવને લીધે લોખંડના પાઇપ, તલવાર, ધારિયા અને લાકડાના ધોકા વડે મારા મારી સર્જાતા બંને પક્ષના સભ્યોને હોસ્પ
જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં મેવાડ ભવનની બાજુમાં આવેલ પ્રેમ-ભુવનભાનુ પુણ્ય પરિસરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય શ્રમણીગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. આચાર્ય શ્રીસંયમરત્ન સુરીશ્વરજી મ.સા., આચાર્ય શ
સિહોર ટાણા ચોકડીથી લીલાપીરનો રોડ કે જે સિહોર તળાજા સ્ટેટ હાઇવે તરીકે ઓળખાય છે. આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી, આ રોડથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે. આ માર્ગ બન્યાના ત્રણ વર્ષ જેટલા સમયમાં આ રોડ અનેક જગ્યાએ તૂટી જતા રોડના કામની ગુણવત્તા અંગે સવાલ
ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો અને પાવડરના અડ્ડાઓ બેફામ રીતે ચાલતા હોવાના શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા લેખિતમાં શહેરમાં જુદી જુદી 23 જગ્યાએ દારૂના અડ્ડાઓની
નવેમ્બર-2025નો મહિનો ભાવનગર રેલવે ડિવિઝન માટે શીતળ અનુભવ વાળો રહ્યો હતો, અને એક જ માસમાં રેલવેને 181.62 કરોડની આવક પ્રાપ્ત થઇ હતી. ભાવનગર રેલવે ડિવિઝનને નવેમ્બર માસ દરમિયાન મુસાફર પરિવહન થકી રૂપિયા 29.50 કરોડની આવક થઇ હતી. જ્યારે માલ પરિવહન થકી 95.67 કરોડની આવક મળી હતી. એક જ માસમાં મુસાફર
ગુજરાતમાં કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે વર્ષ-2021ની પોસ્ટ ગ્રેજ્યુએશન બેચની પ્રવેશ પ્રક્રિયા છ-આઠ મહિના મોડી થઈ હતી. જેથી વર્ષ-2022ની બેચના નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (ડિગ્રી અને ડિપ્લોમા) પુરૂ કરનારા ભાવિ તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સોંપવામાં આવતી બોન્ડેડ મેડિકલ સેવાન
કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે પી.જી.વી.સી.એલ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હેલ્થ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ તેમના ઘરની નજીકમાં જ મળતી થાય, નાની-મોટી માંદગી કે અન્ય અનિવાર્ય કારણોસર જરૂરી આરોગ્ય વિષયક સેવા ઝડપથી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત પી.એચ.સી. કેન્દ્રોને ધ્યાને લઇ મહિલા કોલેજ સ
ભાવનગર નવા બંદર (ન્યૂ પોર્ટ) એ મોટો વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં મીઠું બનાવામાં આવે છે.આ ફોટામાં દ્રશ્યમાન થાય છે, પૂનમના દિવસોમાં પાણી બધે જ ફરી વળે છે અને બંદરનો વિસ્તાર એક ટાપુ જેવો લાગે છે અને એક ફરવાલાયક સ્થળ બને છે. હાલ શિયાળો શરુ થઈ ગયો છે તો અહીં ઘણા બધા યાયાવર પક્ષી
ભાવનગર સહિત સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા ઊભી થઈ છે અને રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વોર્ડ વાઇસ 2 એમ કુલ 26 ફીડિંગ ઝોન બનાવવા પણ આયોજ
સુરતની સહારા ઈન્ડિયા બેંકમાં 3.90 લાખની ઉચાપત કરી ફરાર આરોપી સુરેશસિંગ ફોજદારસિંગ(53),મુરઘાટ, બસ્તી.યુપી) UPની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ બની ગયો હતો. 16 વર્ષથી વોન્ટેડ સુરેશને સુરત ક્રાઇમ બ્રાંચે યુપીમાંથી પકડી પાડયો છે. સરકારી સ્કૂલમાં ક્રાઈમ બ્રાંચના સ્ટાફે એડમિશનના બહાને
વીઆઈપી રોડ સ્થિત શ્રીશ્યામ મંદિર, સુરતમાં નવા ભવનના નિર્માણ કાર્ય માટે શનિવારે સવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. વેસુ શ્યામ મંદિરની બાજુના પલોટમાં પાંચથી છ માળનું કોરિડોર નિર્માણ કરવામાં આવશે. જેમાં મહોત્સવ વખતે ભક્તો કતારમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થા, પૂજારીઓ અને સ્ટાફ મ
પાલમાં રામ પાવન ભૂમિ ખાતે આજે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવ સૂરિજી અને આચાર્ય મોક્ષરત્નસૂરિજી સહિતના સાધુ સાધ્વીજીની નિશ્રામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે જેમાં શનિવારે રથયાત્રા પાલ વિસ્તારમાં ફરી હતી. કુમારી મોક્ષા સંયમ માર્ગ પર જઈ રહી હોય તેને વધાવવા માટે
નાનપુરા ખાતે અમિત અગ્રવાલ કેડીયા કોમ્પ્યુટરના નામે દુકાન ધરાવે છે. .5મી ડિસેમ્બરે તેમની દુકાને તુરંથ ટ્રાન્સપોર્ટમાંથી 3 પાર્સલ આવ્યા હતા. જે અમિતે મંગાવ્યા ન હતા. શંકા જતા ડિલીવરી મેનને રોકીને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસે સ્થળ પર જઇ ટ્રાન્સપોર્ટના મેન
ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી થયેલી પાક નુકશાની માટે રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું હતું. સુરત જિલ્લાના ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા અરજીઓ મંગાઇ હતી. 5 ડિસેમ્બરની સ્થિતિએ 19295 અરજીઓ પૈકી 5589 ખેડુતોના ખાતામાં 11.29 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં
યુજીસી દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)માં વિવિધ પોસ્ટો માટેની ભરતી જાહેર કરાઇ છે. 102 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં 100 પોસ્ટ્સ ટ્રેડમાર્ક અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) એગ્ઝામિનર માટે અને 2 જગ્યા
સરકારની નીતીને કારણે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટો નાંખવા પર બ્રેક લાગી ગઈ છે. કારણે સરકારે પરિપત્રમાં કહ્યું છે કે, 1 જૂન પછી જે પણ પ્રોજેક્ટ લાગશે તેમાં ભારતમાં બનેલા સોલાર સેલમાંથી બનેલી પેનલ હોવી ફરજિયાત છે. પરંતુ આયાત થતાં સોલાર સેલ અને ભારતમાં બનેલા સોલાર સેલવા
રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર પાલિકાની પૂર્વ મંજૂરી વગર જ સીટકો કંપનીએ બનાવી દીધેલાં જોખમી સ્પીડ બ્રેકર શનિવારે ઝોન દ્વારા તોડી પડાયા હતા. મોટી દુર્ઘટના બને તે પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે પાલિકાએ સ્પીડબ્રેકર હટાવ્યા હતા.
ઇન્ડિગોની પાછલા ત્રણ દિવસથી ઘણી ફ્લાઇટ રદ થઈ હોવાથી તેની સીધી અસર હવે રેલવેની પ્રીમિયમ-એક્સપ્રેસ ટ્રેનો પર દેખાઈ રહી છે. સુરતથી મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-દિલ્હી, જયપુર સહિત ઉત્તરી ભારતના હાઈ-ડિમાન્ડ સેક્ટરમાં મેલ, એક્સપ્રેસ સહિત વંદે ભારત, રાજધાની, શતાબ્દી, ડબલ ડેકર અને આઇ
સુરત : શિયાળાની શરૂઆત થતાં જ સિઝનમાં આવતા શિંગોડાની લોકો લિજ્જત માણતા હોય છે. ગણદેવી ગામના તળાવમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીના કછોલી, ધનોરી, અબ્રામા, સાહુ, હરીધામણ સહીત ગણદેવીમાં આ શિંગોડાની ખેતી વધુ થાય છે. ગણદેવીના રહેજ ગામના સરપંચ મુક
મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી આગામી 22 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એના માટે બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવા મહાપાલિકાની મથામણ ચાલુ છે. દરેક વોર્ડમાં મતદારોના ફોટો અનુસાર ચકાસણી કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ કાર્યાલયમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી છે. બ
ડોંબિવલી જિમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો. 80થી વધુ ફિલ્મ કલાકારો બે દિવસની ક્રિકેટ મેચ માટે એકત્ર આ ય છે. મરાઠી સેલિબ્રિટી ક્રિકેટ લીગ (એમસીસીએલ) અંતર્ગત શનિવાર- રવિવારે આ આયોજન ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ દ્વારા કર
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના ડુંગરનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે બીજી વખત મુદતવધારો આપવામાં આવ્યો. જૂન 2025ની મુદત ચૂકી જવાથી હવે કોન્ટ્રેક્ટરને ફેબ્રુઆરી 2026ની મુદત આપવામાં આવી છે. અત્યાર સુધી ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નાશ કરવાનું કામ 68 ટકા થ

28 C