સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટની અંદર આવેલી 'મનોજ સિલ્ક' નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથ
પાવીજેતપુર નજીક સિહોદ ખાતે ભારજ નદી પર સ્થાનિક યુવાનો દ્વારા પાંચમી વખત 'જનતા ડાયવર્ઝન' પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સુખી ડેમમાંથી પાણી છોડાવાને કારણે ચોથી વારનું ડાયવર્ઝન બંધ થયા બાદ, આ હંગામી માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. આનાથી છોટાઉદેપુર જિલ્લા અને
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં એક ખેડૂતે કમોસમી વરસાદથી પલળી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ખેડૂતનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાબાળમાં ખેડૂતનો 7 વિઘાનો પાક બગડી ગયો જાબાળ ગામના ખેડૂત મુકેશભાઈની 7
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદલી સીલ પેક ચીઝ કેક ફૂગવાળી નીકળી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ફૂડ વિભાગ સમક્ષ કાર્યવાહી કરવાની માગ કરી હતી, ત્યારબાદ આજે વડોદરા ફૂડ વિભાગની ટીમે સંતુષ્ટિના આઉટલેટમાં જઈને તપાસ શરૂ કરી
પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. બ્રેઇન ડેડ જાહેર કરાયેલા 55 વર્ષીય દિપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેના થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાતમાં ચાલી રહ
છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા એક વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મે
કચ્છના નાના રણમાં પ્રવાસીઓની સંખ્યામાં ફરી નોંધપાત્ર વધારો થયો છે. ગત 16 ઓક્ટોબરે ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રવાસીઓની સંખ્યા વધતા અભ્યારણ્ય વિભાગની આવકમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ અને
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં પોતાનું બાઈક પરત માંગતા નાના ભાઈએ તેના મોટા ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. નાનો ભાઈ મોટા ભાઈના ઘરેથી બાઈક કામ હોવાથી લઈ ગયો હતો. જેથી મોટા ભાઈને બહાર જવાનું હોવાથી તે નાના ભાઈના ઘરે પોતાનું બાઈક લેવા માટે ગયો હતો જ્યાં મામલો બીચક્યો હતો. મ
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એક તરફ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ, માફિયાઓ અને દલાલો દ્વારા શોષણ થઈ રહ્યું છે, તો બીજી તરફ માવઠાએ ખેતરો ધોઈ ન
રાજકોટનાં જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનાં સ્થળે નવો ફોરલેન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાંઢીયો પુલ જર્જરિત થતા રેલવે સાથે વાત કરી મંજૂરી મેળવ્યા બાદ જુના પુલને ડિસમેન્ટલ કરીને નવો ફોરલેન બ્રીજ રૂ. 62.5 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 120 ગડર પૈક
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. મહિલા ગ્રાહક બનીને આવી તે બાદ અચાનક તેણે તેના હાથમાં રહેલા મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો. જોકે આ મરચા પાવડર સોનીના આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને તેણે
અમદાવાદના ઠગ દંપતી સિદ્ધાર્થ રાવલ અને પાયલ રાવલની ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બંનેએ ભેગા મળીને હાર્ડવેરનો વેપાર કરતાં વેપારીને 18 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. વેપારીના ત્યાંથી માલ ખરીદીને નિયમિત પેમેન્ટ આપ્યું હતું. વેપારીને વિશ્વાસમાં લઈને રોકાણ પર 6 ટકા દર મહિને
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે, કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ – આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે
માળીયા (મી)ના સોનગઢ ગામે ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 1800 લિટર ચોરાયેલું ડીઝલ, ટેન્કર અને ટેન્કરમાં ભરેલા ડીઝલ સહિત કુલ રૂ. 47.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ શખ્સો
દેવદિવાળીના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' અપીલ પ્રોજેક્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા નરસિંહ બાપાના આશ્રમમાં હિંમતનગર સબઝોન સેન્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે 16,75,000 મિનિટના શાંતિદાનના ફોર્મ ભરી અનુયાયીઓએ સહ
મહેસાણા પેરોલ ફર્લોની ટીમને બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરત ખાતે છે. આ બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમે આરોપીને બાતમી વાળી જગ્યાએથી ઝડપી વધુ તપાસ માટે મોઢેરા પોલીસને સોંપ્યો હતો. મોઢેરા પોલીસે વધુ તપાસ શરૂ કરીપ્રાપ
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ સત્ર દરમિયાન દિવાળી પહેલા લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થશે, જ્યારે ફેબ્રુઆરી 2026માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. શૈક્ષણિક વર્ષ કુલ 249 દિવસનું હોય છે. જેમાં પ્રથમ 105 દિવ
દહેગામના બદપુરાથી રખિયાલ રોડ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બદપુરા ગામના ખેડૂતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ખેડૂત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, એ દરિમયાન અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારી નાસી ગયો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપા
ગોધરાના મીનાક્ષી બંગ્લોઝ પાછળ, ડોળપા તળાવ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર દ્વારા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ₹2,65,200/- ના મુદ્દામાલ સાથે 16 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે થયેલી આ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ભ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. જેઓ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત કરીને લોકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો જાણશે. આજે વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી ભુજ સર્કિટ હાઉસ ખાતે પહોંચતા બાળાઓએ ફૂલોથી તો પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર
ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. ટીમે નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આ આરોપી 2021થી ફરાર હતો. ભરૂચ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી અને એ.એચ. છૈયાની ટીમને ચોક્કસ માહિતી મળી હતી. માહિતી મુજબ, નબીપુર પોલી
દિવાળી વેકેશન બાદ આજથી ધોરણ 1 થી 12 ના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેમાં શહેર અને જિલ્લાની 930 પ્રાથમિક શાળાઓ તથા 460 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક યજ્ઞનો કાર્યનો આરંભ થયો હતો અને દ્વિતીય સત્ર છાત્ર માટે અગત્યનું બની રહેશે કારણ કે બીજા સત્રમાં વાર્ષિક પ
અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કુતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કુતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી, ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને કુતરાએ મહિલાના હાથમાંથી છટક
લખપત તાલુકાના દયાપર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં સત્સંગી સમાજ અને ગ્રામજનો જોડાયા હતા. દયાપર સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આયોજિત આ તુલસી વિવાહ અંતર્ગત, વહેલી સવારે ગણેશ સ્થાપન અને મ
સિધ્ધપુરમાં હાલમાં ચાલી રહેલા કારતકી પૂનમના કાત્યોક મેળામાં વહેલી પરોઢે સાડા ચારેક વાગ્યાનાં સુમારે અત્રેનાં પશુમેળામાંથી લીધેલા મનાતા કે અન્ય રીતે મેળવેલા રૂા. 75 હજારની કિંમતનાં પાંચ મોટા અને પાંચ નાના ઊંટને એક આયસર ટ્રકમાં ખીચોખીચ ભરીને તેમને ક્રુરતાપૂર્વક દોરડાથી
નવસારી શહેરમાં સિઝનનું પ્રથમ વખત ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે સહિતના માર્ગો પર વિઝિબિલિટી (દૃશ્યતા) ઘણી ઓછી થઈ ગઈ હતી. વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી હવે ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક
સુરત શહેર ક્રાઇમ બ્રાંચે દિલ્હી પોલીસને મદદ કરીને હત્યાના ગુનામાં 16 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્ત્વની સફળતા મેળવી છે. આ આરોપી દિલ્હીના બિન્દાપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2009માં નોંધાયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો હતો. પોતાની ધરપકડ ટાળવા તે સતત અલગ-અલ
પાટણ શહેરમાં ઓમ કોમ્પ્લેક્સ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી 7 ઓક્ટોબરે થયેલી ₹48,000ની સોનાની વીંટીની ચોરીના કેસમાં પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઈક સાથે તેમને ઝડપી પાડ્યા હતા. દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. પકડાયે
વલસાડના પારનેરા લીમડાચોક નજીક આવેલી એક ફર્નિચરની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો અને રાહદા
વલસાડ તાલુકાના સરોધી ગામે આવેલા અવધ એન્ટરપ્રાઇઝ રેતીના પ્લાન્ટ ખાતે બુધવારે સાંજે એક દુર્ઘટના બની હતી. એક ટાટા હાઈવા ડમ્ફર (રજી. નં. MH-04-LQ-3022) ની અડફેટે આવતા એક વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલીપભાઈ હરૂભાઈ મકોડિયા છેલ્લા ત્રણ વર્ષથી તેમન
સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે બુધવારે મધ્યરાત્રિએ એક વિરલ ખગોળીય સંયોગ રચાયો હતો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ વર્ષમાં એક જ વખત સર્જાતા આ સંયોગમાં ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ હરોળમાં જોવા મળ્યા હતા. ભક્તો આ દિવ્ય દર્શન
આણંદ શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા એક 26 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર (GJ-23-CJ-8843) નંબરની કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખ્સ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પ
અમદાવાદ શહેર મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2002ના રમખાણ કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ ત્રણેયની સામે એક વીડિયોગ્રાફરે કરેલી ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો, જેમાં રમખાણો દરમિયાન લીધેલા વીડિયો રેકોર્ડિંગમાં આરોપીઓ પાસે AK-47 રાઇફલ દેખાતી હોવાનું જણાયું હતું. પરંતુ ત
જામનગરના એક યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. ખાસ કોરિડોરની વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જામનગરમાં રહેતા 40 વર્ષીય મુકેશ બાંભણિયાને મગજની લોહીની નસ તૂટવાને કારણે મગજમાં સો
છેલ્લા ચાર મહિનાથી ફરાર રહેલા 15 લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપીને છાણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે અને આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના 15 લાખ રુપિયાના છેતરપીંડીના ગુના
નવસારીમાં બંધ રાઈસ મિલમાં નિર્વસ્ત્ર હાલતમાં અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને 100થી વધુ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે યુવતીને લાવનાર ફૈઝલ પઠાણ (રહે. બારડોલી)ની અટક કરી હતી. યુવતી રિયાને એક વર્ષથી ફૈઝલ પઠાણ ઓળખતો હતો પણ રિયાના સગા સંબંધી કોણ
વાપી તાલુકાના લવાછા ગામે દેવ દિવાળીના પાવન પર્વએ દીપ મહોત્સવનું સમસ્ત હિન્દુ સંગઠન ( અખંડ ભારત) દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે 1,31,131 દિવડા પ્રગટાવામાં આવ્યા હતાં જેને લઇ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું હતું. આ ઉજવણીને સફળ બનાવવા હિન્દુ સંગઠનના અનેક સ્વયંસેવકો જોડાયા હ
દાનહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બુધવારે શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.નગર પાલિકા અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયત સભ્ય માટે 6 ગ્રામ પંચાયત સરપંચ 20 અને સેલવાસ નગર પાલિકામાં 1 વોર્ડમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થ
વાપી નજીક છીરી નહેરનાં પાણીમાં લોકો નકામો કચરો ઠાલવતાં ગદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઈ નહેરનાં પાણી નો બગાડ થતાં પાણી નો પીવા માં કે ખેતીના ઉપયોગ માટે લેતાં લોકોના આરોગ્ય સામે જોખમ રહે છે.માટે નહેરનું પાણી સ્વચ્છ રાખી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.આમ છીરી ન
શુક્લતીર્થ ખપ્પર માના ફળીયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખ પટેલ (ઉ.વ.55) ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વૈરવા વગામાં રા
ભરૂચ જિલ્લાના તીર્થસ્થાન કબીરવડ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી 19 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ ઘટના સવારના 6 વાગ્યાના અરસામાં બની હતી. નેત્રંગ તાલુકાના રહેવાસી આદર્શ વસાવા નામનો યુવક પોતાના મિત્રો સાથે કબીરવડ વિસ્તારમાં ફરવા ગયો હતો. નદી કિનારે ગયાં બાદ તે પાણીમાં ઉતર્યો હ
વલસાડ જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વલસાડ LCB દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરીમાં આજે એક મોટી સફળતા મળી છે. એલ.સી.બી. વલસાડની ટીમે બગવાડા ટોલનાકા નજીકથી રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાંથી રૂપિયા 30 લાખથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. એલ.સ
ગુજરાત માસ્ટર્સ ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત 10th ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન સરિતા ગાયકવાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા, ડાંગ જિલ્લા મુકામે થયું હતું.જેમાં વલસાડની આવાબાઇ હાઇસ્કુલમાં ફરજ બજાવતા પીટી શિક્ષક અશોક ટંડેલે 2 ગોલ્ટ અને 1 સિલ્વર મળી 3 મેડલ
વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ - 1951ની કલમ-37(
વલસાડ શહેરમાં 3 નવેમ્બરે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સની ટીમે દશેરા ટેકરી રોડ પર આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં ચેકિંગ હાથ ધરતાં દોડધામ મચી ગઇ હતી. ડિસ્કાઉન્ટમાં વેચાણે મુકેલી વસ્તુઓની એક્સાપયરી ડેટનું ચેકિંગ કરાયુ હતું. જેમાં જૂની તારીખની ખાદ્યચીજવસ્તુનો રૂ.3064નો જથ્થો નષ્ટ કર
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતાં તાપમાન વધ્યું છે જેના કારણે દિવસ દરમિયાન બપોરના સમયે ગરમી અનુભવાઇ હતી. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટીને 32 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધી 60 થી 85 ટકા અને પવનની ગતિ 8 કિમી પ્રતિ કલાકની રહી
ચીખલીમાં છેલ્લા એક સપ્તાહમાં 6થી વધુ લોકો પર રખડતા કૂતરાઓએ હુમલો કરતા તબીબી સારવાર લેવાની ફરજ પડી છે. ચીખલીના બજાર વિસ્તારમાં પણ રખડતા કૂતરા અને ઢોરના આતંકને કારણે જાણે ભયનો માહોલ છવાયો છે. ચીખલીના બજાર વિસ્તાર સહિત જાહેર માર્ગો પર દિવસ-રાત લોકો ડરના ઓથાર હેઠળ જીવવા મજબૂર બ
સુરતના ખજોદ ગામના નોકરી કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉધના મગદલ્લા બ્રિજ પરથી પડતું મુક્યું હતું. જેનો મૃતદેહ નવસારીના ઉભરાટ ગામમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ યુવાને કયા કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું જેની તપાસ સુરત પોલીસ કરી રહી છે. સુરતના ખજોદ ગામના રહીશ દીપકભાઈ
દેશના ચૂંટણીપંચ તરફથી ચાલી રહેલી સરની કાર્યવાહીમાં ભરૂચ જિલ્લાના 13.10 લાખ મતદારોને આવરી લેવાશે. ભરૂચ જિલ્લાની તમામ 5 વિધાનસભા મત વિસ્તારોને આવરી લેવામાં આવશે. ભરૂચ જિલ્લાના 1342 બીએલઓ આશરે 13,10,600 મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ નું વિતરણની કામગીરી કરશે. તેમજ જરૂરી માર્ગદ
સાદડવેલ ગામે રાત્રિ દરમિયાન યોજાયેલ રૂઢીપ્રથા ગ્રામસભામાં ગામની જમીનમાં એક સુરે કાવેરી સુગર ચાલુ કરવાની અને અન્ય કોઇપણ કંપનીને પરવાનગી ન આપવાની માંગ ઉઠી હતી. જરૂર પડ્યે ઘરબાર ખાલી કરી કાવેરી સુગરની જમીનમાં ઢોર-ઢાંખર સાથે ધામો નાંખવાની પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવા
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી બાદ હવે જિલ્લા સ્તરે સંગઠનની રચના માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપમાં 20 હોદ્દાઓ માટે 100થી વધારે દાવેદારોએ તેમની દાવેદારી નોંધાવી છે. બુધવારે દેવદિવાળીના દિવસે ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવાની કાર્યવાહી હા
દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ ક
મહેસાણાના રાધનપુર રોડ પર બાહુબલી સોસાયટી નજીક સૌરભ સોસાયટી પાછળના ભાગે પાલિકાની પાણીની ટાંકી આસપાસ 11 ફૂટનો સાપ ફરતો જોવા મળતાં રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. બાહુબલી સોસાયટીના રહીશોએ મનપામાં સાંકડા રસ્તાને પહોળો બનાવવા રજૂઆત કરી હતી. આ સાથે જ બાહુબલી અને સૌરભ સોસાયટી નજીક
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પુણો નદીના કિનારે આવેલ પેલાડબુહારી, ગાંગપુર, અંધાત્રી, બુહારી સહિતના ગામમાં ખેતરમાં ખેતીકામ મુકેલાં સાધનોની ઉઠાંતરી થઈ રહી છે. ખેડૂતના મોટરોના કેબલ ચોરાઈ રહ્યા છે પેલાડબુહારી ગામની સ્મશાનમાં મુકેલી મો
વાંસદાના ચાંપલધારા સીટનો દોલધા હનુમાનજી મંદિરે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ધવલભાઈ પટેલ પધારવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી શક્યા નહતા, તેમ છતાં, તેમણે વીડિયો સંદેશા દ્વારા જિલ્લા
મહેસાણા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઝડપથી પુન:વિકાસનું કામ ચાલી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ સ્ટેશનને મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધાથી સજ્જ કરવાનો છે. અહીં 40 ફૂટ પહોળા રૂફ પ્લાઝા, 2 ફૂટ બ્રિજ, 4 લિફ્ટ તેમજ આરામ માટે એસી, નોન-એસી અને મહિલા વેઇટિંગ રૂમ સહિતની અ
વાંસદા પોલીસ મથકે ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી યુવાન સાથે મહિલાનો અવાજ કાઢી પ્રેમસંબંધ કેળવી રૂ. 47850 પડાવી લેવાની ફરિયાદમાં પોલીસે આરોપીને પકડી રૂપિયા રિકવર કર્યા હતા. વાંસદા પોલીસે વાંસદા લાખાવાડીમાં રહેતા કૃણાલભાઇ નિતેશભાઈ પટેલ (ઉ.વ. 20)ના ફેસબુક એકાઉન્ટ પર ત્રણેક મહિના પહેલ
ગુજરાત ખેલકુદ મંડળ દ્વારા આયોજિત 10મી સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2025નું આયોજન સાપુતારા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. જેમાં માછીવાડના વતની અને નવસારીના રહેવાસી કે જેઓ વલસાડની બાઈ આવાંબાઈ હઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અશોકકુમાર ક
દિવાળી વેકેશન પછી ગુરુવારથી શાળાઓ ખુલશે. જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 106 જ્ઞાન સહાયકો ફરજ પર હાજર થઈ ભણાવવાના કામે લાગશે. જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે-તે વિષયની ખાલી જગ્યાએ ફાળવેલ જ્ઞાન સહાયકોના આધાર પુરાવાની ચકાસણી દિવ
નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એસ્કેલેટર કે લિફ્ટ માટે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી મુસાફરોની સતત માંગ ચાલી આવી છે. રેલવે વિભાગે મંજૂરી આપી હોવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સામાન સાથેના પ્રવાસીઓ ભારે મુશ્કેલી વેઠ
ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મંગળવારથી શરૂ થઈ ગયો છે, પરંતુ મહેસાણા જિલ્લામાં હજુ સુધી તમામ સાતેય વિધાનસભા વિસ્તારના સંપૂર્ણ ગણતરી ફોર્મ પ્રિન્ટિંગ પ્રેસથી છપાઇને આવ્યાં નથી. બુધવારે બપોર સુધી મહેસાણા તાલુકાનાં 249 બુથનાં મતદાર ફોર્મ પહોંચ્યાં ન હતાં. આ વિલંબને કારણે
નવસારી સહિત સમગ્ર રાજ્યમાં આજે 6 નવેમ્બર 2025 થી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 21 દિવસના દિવાળી વેકેશન બાદ હવે નવા સત્રના પ્રારંભે 650 શાળામાં છાત્રોની કિકયારી ફરી ગુંજી ઉઠશે. આ નવા સત્રમાં છાત્રોને નવી બનેલી 12 જેટલી શાળા અને 60 થી વધુ નવાં ઓરડાનો લાભ મળશે. નવસારી જિલ્લા
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે સિંચાઈ વિભાગ પણ ખેડૂતોની વાહરે આવે તેવી લાગણી ખેડૂતોમાં ઉદભવી છે. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના 600થી વધુ ખેડૂતોએ સિંચાઈ માટે આપવામાં આવતા પિયાવાની રકમને ચાલુ વર્ષે માફ કરવામાં આવે તે માટે મુખ્
મહેસાણા શહેરને અડીને પસાર થતી ખારી નદીમાં ગટરનું પાણી છોડાતું હોઇ દૂષિત બની રહી છે. આવામાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગટરના પાણીને શુદ્ધિકરણ કરી રીયૂજ કે ખારી નદીમાં છોડવા માટે બે-બે એમએલડીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. જેના માટે રાધનપુર રોડ પર કમળપથના છે
નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામે ભગવાન શ્રી ગણેશ નું દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું 25000 ચોરસ ફુટ માં મંદિરનું નિર્માણ કરવામાં આવશે આજે ધારાસભ્ય આર સી પટેલ ની હાજરીમાં કુમારી જીયાના વિનય ભાઈ પટેલના હસ્તે મંદિર માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામ
નવસારીમાં બે સગાભાઇઓ વચ્ચે લોહીયાળ ઝઘડો થયો હતો. એક ભાઇએ બીજાને ચપ્પુના ઘા કરી દીધા હતા. હોટલમાં કામ કરવા મુદ્દે ઝઘડો થયો હતો. ઇજાગ્રસ્ત ભાઇને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યાં સુધીમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ નથી. મળતી માહિતી મુજબ ઇટાળવ
દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ તાલુકાના લીમડી વિસ્તાર નજીક માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના બની હતી. જેમાં લીમડીના પીપળીયા ગામના 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. યુવક પોતાની મોટરસાયકલ લઇ લીમડી બજારમાંથી કામ પૂરું કરીને પોતાની સાસરી પાવડી ગામ તરફ જઇ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગોવિંદગ
દે.બારિયા તાલુકાના બારીયા ગામડી વિસ્તારની 20 વર્ષીય આશાબેન પટેલને માનસિક સંતુલન અંગે મધ્યમ પ્રકારની તકલીફ રહેતી હતી. અને તે ક્યારેક કહ્યા વગર ઘર બહાર જતી રહેતી હતી. 4 નવેમ્બરે સાંજે પણ આશાબેન ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારે તેની શોધખોળ શરૂ કરી ત્યારે રાત્રે ઓરવાડાના સરપંચ દ્વાર
ગોધરાના વાલી ફળીયા નં 1 માં રહેતા ઇશહાક અબ્દુલ રહીમ છુંગા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 31 ઓક્ટોબરે વણાંકપૂરની સુપ્રિમ હોટેલ ખાતે તેઓની ટ્રક પંચર પડી હતી.જેથી તેઓ ટ્રકના ચાલક અને ક્લીનરની આવવાની રાહ જોતા હતા. જે દરમ્યાન કરીમ મુહમ્મદ મોગલ અને જાવેદ હુસૈન વલીવાંક
ભાવનગર શહેરમાં રહેતા એક મહિલા ઘરે હતા તે વેળાએ એક અજાણી મહિલા અને પુરૂષે તેના ઘરે આવી, પીવાનું પાણી માંગ્યું હતું. જે બાદ મહિલા પાણી લેવા ગયા હતા. જે દરમિયાનમાં અજાણી મહિલાએ તેના હાથમાં રહેલું નવજાત બાળકને મહિલાના ઘરમાં મુકી અજાણી મહિલા અને પુરુષ ફરાર થઇ જતાં મહિલાએ બંન્ને
ભાવનગર શહેરમાં રહેતા એક દંપતિએ મહિલાની જમીન પરત અપાવવાનું અને ભાવનગર મહાનગર પાલિકાનો ટેક્સ અડધો કરાવી આપવાનું વચન આપી, મહિલા પાસેથી રૂા. 52,000 પડાવી, નેવું દિવસમાં કામ થઇ જશે તેમ કહી, રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા અને આજદિન સુધી જમીન પરત ન અપાવી કે ટેક્સ ઓછો ન કરાવી આપી, અર્ધા લાખ રૂપ
ગોધરા નગર પાલિકા લાખો રૂપિયા ખર્ચીને મુખ્યમાર્ગ પરની સફાઇ કરવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો હતો. ખાનગી એજન્સી રોજ શહેરના મુખ્ય માર્ગની સફાઇ કરતા હતા. પાલિકાના સફાઇ કર્મીઓ શહેરની સોસાયટી અને ગલીઓમાં સફાઇ કરીને સાફ રાખતા હતા પરંતુ પાલિકા દ્વારા ખાનગી એજન્સીનો કોન
પશ્ચિમ રેલવે દ્વારા જયપુર અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે 09729/09730 નંબરની સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જેને ગુજરાતના મહત્વના સ્ટેશન ગોધરા ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન જયપુરમાંથી સવારે 8:10 કલાકે રવાના થશે અને બીજા દિવસે 04:55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન 09730 બાન્દ્રા ટ
જેટકો વિભાગીય મહુવા કચેરી નીચે આવતા મહુવા, તળાજા, પાલિતાણા અને રાજુલા તાલુકામાં પોસ્ટ મોન્સૂન કામગીરી અનુસંધાને તા.7મી નવેમ્બરથી તા.28મી નવેમ્બર-2025 દરમિયાન તબક્કાવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેટકો વિભાગીય મહુવા કચેરી નીચે આવતા ચાર તાલુકામાં આવેલ અઢાર 66 કે.વી. પાવર સ્ટે
દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના મુખ્ય પાક ડાંગર અને સોયાબીનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં 49,000 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ડાંગર અને સોયાબીનના પાકને નુકસાન થયું છે. જેના કારણે 698 ગામોના ખેડૂતો મુશ્કેલીમા
ભાવનગર શહેર જિલ્લામાં મોટા ભાગના થાણા અધિકારીઓની રહેમરાહે મોટા બુટેલગરો ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂનો ધિકતો ધંધો ચલાવી રહ્યા છે અને યુવાઓને નશાની લત્તે ચડાવી રહ્યા છે. પરંતુ દારૂના ગુનામાં બુટલેગરને પકડવા ગયેલી બગદાણા પોલીસના બે કર્મચારીઓ ઉપર ત્રણ જેટલા બુટલેગરોએ આ
દાહોદ જિલ્લો મોટા ઉદ્યોગોનો અભાવ અને નાની જમીન વહેંચણીના કારણે લાંબા સમયથી મોટા પાયે સ્થળાંતર માટે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં લોકો પેટિયું રળવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરે છે. કેટલાંક લોકો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ત્રીજા કે ચોથા ભાગે ખેતરો રાખીને ખેતી ક
શહેરમાં ભરતનગર વિસ્તારમાં રહેતા ભુમિ કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર શ્વાનને મારમારી, ઇજા કરતા હોય જેની દાઝ રાખી બે શખ્સોએ સુપરવાઇઝર યુવકના ઘરે આવી, મોડી રાત્રીના બાઇકમાં બેસાડી, સરદારનગર પાસે લઇ જઇ, છરીના ઉઁધા ઘા મોઢા ઉપર ઝીંકી, ઇજા કરી, ફરાર થઇ જતાં ભરતનગર પોલીસે બે શખ્સો વિરૂદ
રાજ્યકક્ષાની અંડર-19 ગર્લ્સ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. જ્યારે અંડર-14 ગર્લ્સ કેટેગરીમાં ભાવનગરની ટીમ રનર્સઅપ બની છે. પાટણ ખાતે સંપન્ન થયેલી અંડર-19 ગર્લ્સ બાસ્કેટબોલ સ્પર્ધામાં કુલ 29 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભાવનગર ડિસ્ટ્
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા 128 ટીમ ગામે ગામે સર્વે કરીને કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લામાં 19850 હેકટરમાં 33 ટકા કરતા વધુ નુકસાન થયું છે. સરકારીને સર્વેનો રીપોર્ટ રાજ્યમાં મોકલ્યા બાદ સરકાર ખેડૂતો માટે સહાય પેકજ જાહેર કરશે. પંચમહાલ જિલ્લામાં ખરીફ પ
શહેરના જૂના બંદર ખાતે આવેલ અને હાલમાં બંધ આલકોક એસડાઉન કંપની માં કોઈ અજાણ્યા તસ્કરોએ તા. 29 ઓક્ટોબરથી તા.4 નવેમ્બર દરમિયાન કોઈપણ સમયે કંપનીમાં અંદાજિત રૂપિયા 80 હજારની કિંમતની બે ઇંચ પહોળી એંગલો તથા એલ્યુમિનિયમની એંગલોના નાના-મોટા કટકાઓના ભંગાર ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિય
કેન્દ્રીય બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ફેબ્રુઆરી-2026માં ધો.10 અને 12ની પરીક્ષાની ફીમાં 7થી 10 ટકા વધારો કર્યો છે. વિદ્યાર્થીઓએ હવે 5 વિષય માટે રૂ. 1500ના બદલે રૂ. 1600 ફી ભરવી પડશે. 5થી વધુ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને દરેક વધારાના વિષયની ફી વધારી રૂ. 320 કરી દેવાઇ છે. વિદેશી વિદ્યાર્થીઓ માટ
પંચમહાલમાં દિવાળી વેકેશનના 21 દિવસ બાદ આજથી 500થી વધુ શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થશે. દિવાળી વેકેશનના વિરામ બાદ ફરી એકવાર શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓના કિલકિલાટ અને પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠશે. ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બીજું સત્ર ખૂબ જ નિર્ણાયક રહેેશે. પંચમહાલ જિ
સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શિક્ષકો માટે બે દિવસીય શિક્ષક સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ શિક્ષક જીવનને મૂલ્ય આધારિત, સંવેદનશીલ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમૃદ્ધ બનાવવાનો હતો. પ્રથમ દિવસે વક્તા મનસુખભાઈ સલ્લા (વિખ્યાત શિક
ગુજરાતમાં હવે શિક્ષણ ક્ષેત્રે વધુ એક વિરોધનો વંટોળ જાગ્યો છે જેમાં ભાવનગર સહિત રાજ્યભરના ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ નવી જોગવાઇ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ભાવનગરમાં આ બાબતે એસો. દ્વારા આવેદનપત્ર પણ આપીને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાવનગરના ટ્યુશનના એસો.માં 100 જેટ
છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યુ.એસ. શુક્લના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના વીસી હોલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં તા.4 નવે.થી 4 ડિસે. દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ ઉપર રહેતા બેચરભાઇ રામાભાઇ પરમારના દિકરાના લગ્ન થયા બાદ તેમના પત્નિ રિસામણે હોય જેને લઇને ભરતનગર રહેતા તેમના વેવાઇના ઘરે સમાધાન કરી, દિકરાના પત્નિને તેડવા ગયા હતા જ્યાં તેમના વેવાઇ ડાયાભાઇ ખેતાભાઇ સોલંકી, ગોવિંદભાઇ ડાયાભાઇ સોલંકી અને ગોપાલભાઇ ડ

30 C