જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર રુપિયા 226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાપર્ણ કરાશે. રાજકોટ તરફથી આવતા તેમજ ખંભાળીયા તરફથી આવતા વાહન ચાલકો બ્રિજનો ઉપયોગ કરી શકશ
અમદાવાદના ચાંદખેડામાં મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો. જે ઘટનાના CCTV સામે આવ્યા છે. મહિલાએ ક્યાં કારણથી આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી. ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્
21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યાની આસપાસ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરપી ડોક્ટરે રાધિકા કોટડિયાએ નીચે કૂદી આપઘાત કર્યો હતો. આ કેસની તપાસમાં પોલીસે મૃતકના ફોન કબજે કરી તેની તપાસ કરતા મંગેતર સાથેની ક
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે રાજકોટમાં આવશે. ભાજપના કમલમ કાર્યાલય ખાતે 11 વાગ્યે બી. એલ. સંતોષની અધ્યક્ષતામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, BLOના થઈ રહેલા મૃત્
પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા 41મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પદ્મનાભ મંદિર ખાતે યોજાયેલા આ સમારોહમાં ચાર યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. દાતાઓએ નવયુગલોને 86 ભેટ-સોગાદો આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ માંગલિક પ્રસંગે પ્રજાપતિ સમાજે
અમરેલીથી સુરત જઈ રહેલી ખોડલધામ ટ્રાવેલ્સની ખાનગી બસ ઇશ્વરીયા-વરસડા વચ્ચે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે અન્ય તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અમરેલીથી લગભગ 2 કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રિના સમયે બસ અમરેલી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 82,442 ખેડૂતોએ અરજી કરી છે. અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર, 2025 બપોર સુધીની છે. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાનીની
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે ત્યારે તમામ દબાણોને દૂર કરવા માટ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામના એક શખ્સ વિરુદ્ધ યુવતીની છેડતી અને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવતી અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ મુજબ, વાવડી ગામનો વિજય ઉર્ફે ટીણો ગોવિંદભાઈ તલાવડીયા નામનો શખ્સ લાંબા
ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યવહારિક જ્ઞાનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી એક ભવ્ય અને જ્ઞાનવર્ધક લર્નિંગ ગાલા પ્રોજેક્ટ એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા
નીલમબાગ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ચોરીના ત્રણ ગુના નો ભેદ ઉકેલાયો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોબાઇલ ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.28,000 ની કિંમતના જુદી જુદી કંપનીના ત્રણ ચોરાયેલા મોબાઇલ ફોન જપ્ત
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમારા વિભાગમાં કંઈ સારા સૂચનો હોય તો જણાવજો...નવા મંત્રીઓએ પોતાના કાર્યાલયમાં ચાર્જ સંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સની આર્ટ ગેલેરી ખાતે રાજકોટ શહેરની વિકાસ યાત્રા અંતર્ગત 'રાઈઝીંગ રાજકોટ' પ્રદર્શન ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું. જેમાં 'રાજકોટની કલ આજ ઔર કલ' એટલે કે રાજકોટનો ભવ્ય ભૂતકાળ, જાજરમાન વર્તમાન કાળ અને ઉજ્જવળ ભવિષ્ય
'ઓમા... કિશુ... જલદી... દાદાને ઉપર બોલાવ...''મમ્મી... કેમ ચીસો પાડે છે? શું થયું?...''જલ્દી દાદાને બોલાવ... તારા પપ્પા...'સંગીતાબેન રૂમનું એ દ્રશ્ય જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. શું કરવું, કોને કહેવું, ઘડીક તો કાંઈ સમજાયું નહિ. રાત્રે બે વાગ્યા સુધી સંગીતાબેનના શિક્ષક પતિ અરવિંદભાઈ વાઢેર
દાહોદ એપીએમસીમાં થોડા દિવસ અગાઉ થયેલી 5 લાખની ચોરીની ઘટના પોલીસની કામગીરીથી ઉકેલાઇ હતી. ભિક્ષુકના વેશમાં આવેલી 7થી 8 મહિલાની ટોળકીએ લોકેશ ખંડેલવાલની દુકાનમાંથી 5 લાખ રોકડ રકમની ચોરી કરી હતી. તેમણે દોલતંદ બજાર અને હનુમાન બજારમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને સીસીટ
ગોધરાના નંદાપુરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોપેડ વાહન અથડાતા મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા તાલુકા પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝરીખુર્દ ગામે રહેતા 28 વર્ષીય પ્રવિણસિંહ ફતેસિંહ પરમાર પોતાનુ
ગોધરા શહેર બી ડિવિઝન મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓ વધતી હતી. થોડા સમય પહેલા ભામૈયા ગામના શિવમંદિરમાંથી થયેલી ચોરીનો ગુનો પણ ચર્ચામાં રહ્યો હતો. આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા અન
ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામની ફરીયાદ મુજબ લીલાબેનના નાનાં પુત્ર રાજુભાઈએ છ–એક મહિના પહેલા ડાંગરીયા ગામની ક્રિષ્નાબેન બારીઆ સાથે કોર્ટ મેરેજ કર્યું હતું. લગ્ન બાદ દંપતી ક્યાં રહે છે તે અંગે બંને પરિવારોને માહિતિ નથી. 11 નવેમ્બરે રાત્રે લીલાબેન ઘરે હતી ત્યારે વહુના પિયરના
મતદાર યાદી સુધારણાની કામગીરીમાં રાત-દિવસ એક કરીને ફરજ બજાવતા બૂથ લેવલ ઓફિસરોની મહેનત હવે તેમના અંગત જીવનમાં કેવી ''કટોકટી'' સર્જી રહી છે તેનો એક રમૂજી કિસ્સો દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે. પરિવાર ગાઢ નિદ્રામાં સરી જતાં મોડી રાત સુધી કામ કરીને ઘરે પહોંચેલા એક BLOને ઘરના દરવાજા
ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામનો હિતેશભાઇ આભેસિંગભાઇ નાયક, ટોકરવા ગામનો સંજયભાઇ જશુભા બારીયા અને ભીંડોળ ગામનો વિજયભાઇ દિલવરભાઇ ડામોર એમ ત્રણે જણા તા.15 નવેમ્બરે જીજે-20-બીસી-6247 નંબરની બાઇક ઉપર કંજેટા રેંજથી ટોકરવા ફોરેસ્ટ ઓફીસ બાજુ જતાં હતા. તે દરમિયાન લીંમડી મેંદરી ગામે ર
દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથક વિસ્તારમાં હની ટ્રેપ દ્વારા લૂંટનો સનસનાટીભર્યો ગુનો નોંધાયો છે. ફતેપુરા તાલુકાના પીપલારા ગામના ઘનશ્યામભાઈ ગરાસીયાને ગત 12 નવેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી સતત ફોન આવતા હતા. ફોન કરનારે સંભવતઃ વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવતીના અ
દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘‘સ્માર્ટ'' બનાવવાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા આગામી તારીખ 25 નવેમ્બરે ધર્મગુરુઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ધર્મ
કૌશલ્ય, રોજગાર, ઉદ્યોજકતા અને નાવિન્યતા વિભાગ તરફથી યુવકોને ઉદ્યોગ સુસંગત અને રોજગારલક્ષી પ્રશિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશથી અલ્પ મુદતના રોજગાર અભ્યાસક્રમ નામથી અભિનવ ઉપક્રમ અમલમાં મૂકાશે. આગામી વર્ષે નાશિકમાં થનારા કુંભમેળામાં વેદિક વિધિ કરતા વ્યક્તિઓની ઓછપ વર્તાય છે
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂ. 8.89 કરોડના ડ્રગ્સ સાથે એક પ્રવાસીની ધરપકડ કરી હતી. આરોપી રમીઝ અહમદ ખાન ચેન્નાઈનો રહેવાસી છે. શનિવારે આ તસ્કર થાઈ વિયેતજેટ એર ફ્લાઈટ નં. વીઝેડ-760માં મુંબઈ એરપોર્ટ પર ઊતર્યો. તે ટી2 ખા
શહેરાથી 25 કિમી દૂર પશ્ચિમમાં આવેલુંછેવાડાના જુના વલ્લવપુર ગામે જવાનોમાર્ગ નવીવાડી ગામથી બદથી બદતરહાલતમાં છે. 7 વર્ષથી નવીન માર્ગબનવાનું રાહ જોઈ રહ્યું છે. જુનાવલ્લવપુર ગામ વહીવટી મંજૂરી ન મળતાંટેન્ડર પક્રિયા ઘોચમાં. શહેરા તાલુકાનાજુના વલ્લભપુર ગામ તાલુકાનું છે
છેતરામણી રોકાણ યોજનામાં ઉચ્ચ વળતરોની લાલચ આપીને રૂ. 1.44 કરોડની ઠગાઈ થાણેના નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડોક્ટર મિત્ર સાથે કરવામાં આવી છે. બે વર્ષમાં થયેલી આ છેતરપિંડી પ્રકરણે મહારાષ્ટ્રના પુણે અને ગોવાના બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ થાણે જિલ્લાના કલ્યાણના રહે
વેસ્ટર્ન નેવલ કમાન્ડ નેવી હાફ મેરેથોન 2025ની રવિવારે યોજાયેલી આઠમી આવૃત્તિમાં ભારતના 20,000 રનર્સ અને 19 દેશના 71 આંતરરાષ્ટ્રીય રનર્સ દોડ્યા હતા. આ મેરેથોનની વિશેષતા એ છે કે ફિટનેસ અને દેશભક્તિ પ્રત્યે કટિબદ્ધતાનું આદાનપ્રદાન કરવા માટે સિવિલિયનો અને ભારતીય નેવી એકત્ર આવીને દોડે
સાસુ-વહુના સંબંધને ગૌરવ અપાવતા એક કાર્યક્રમનું આયોજન અંધેરી કચ્છી વિસા ઓશવાળ મહિલા પાંખ દ્વારા તા. ૨૩-૧૧-૨૫ ને રવિવારના કરવામાં આવ્યું હતું. અંધેરીમાં રહેતી કવિઓ સમાજની 20 વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી એવી સાસુ વહુની 60 જોડીઓનો સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સાસુ- વહુને
ડુપ્લિકેટ મતદારો પરથી રાજકીય વાતાવરણ ગરમાયું છે ત્યારે મુંબઈમાં 11 લાખથી વધુ આવા મતદારો હોવાનું મુંબઈ મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીમાં બહાર આવ્યું છે. તેમાં સૌથી વધુ ડુપ્લિકેટ મતદારો પશ્ચિમ ઉપનગરમાં હોઈ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં આ પ્રશ્ન ઉકેલવાનું ચૂંટણી
રાજ્યમાં શિક્ષક પ્રવેશ પરીક્ષા (ટીઈટી)ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે કોલ્હાપુર જિલ્લામાં એક મોટી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુરગુડ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પેપર ફોડવાનું મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં નવ જણની ધરપકડ કરાઈ છે. રાજ્યભરમાં લાખો વિદ્યા
વરલી વિસ્તારમાં ભાજપ નેતા અને પર્યાવરણ મંત્રી પંકજા મુંડેના અંગત સહાયક અનંત ગર્જેની પત્ની ગૌરી પાલવેએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પતિ, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ગૌરી કેઈએમ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં ડૉક્
શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ફોર્મ મતદારો સુધી પહોંચાડવાની વાત હતી. શિક્ષકોએ મતદારોના ઘરે ઘરે ફોર્મ મોકલીને ભરીને તેને જમા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ભરીને આવેલા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની સુચના આપવામાં આવી છે. આથી શિક્ષકો મતદારયાદી સુધારણાના ભરાયેલ
કલોલ તાલુકાના જાસપુર ગામમાં રાત્રે તાપણી કરી રહેલા એક યુવક પર તેના જ ગામના એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હિરામણી સ્કૂલ બસની નોકરીની અદલાબદલી જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને શખ્સે યુવકના પેટમાં છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાંતેજ પોલ
કમૌસમી વરસાદથી ખેતપાકને થયેલા નુકશાનના વળતર માટે ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન એન્ટ્રી આધારકાર્ડ નંબરથી કરવાનો નિયમ છે. આથી એક જ ખેડુત ખાતેદારની બીજા ગામની જમીનમાં થયેલા ખેત પાકના નુકશાનનું વળતરનો લાભ મળશે નહી. કેમ કે આધારકાર્ડ નંબર નાંખવાથી બીજી એન્ટ્રી લેવામાં જ આવતી નથી. ત્
સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા પરિવારનું છ માસના બાળકે જીન્સ પેન્ટનું મેટલ બટન ગળી જતા અન્નનળીમાં ફસાયું હતું. પરિવાર બાળકને લઇને ગાંધીનગર સિવિલમાં આવતા ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જરે દુરબીનથી સલામત રીતે મેટલ બટનને બહાર કાઢવામાં આવ્યું હતું. મેટલનું બટન ગળી જવાથી બ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રથમ આઇકોનિક રોડ ભાઇજીપુરાથી સિગ્નેચર બ્રિજ સુધીના માર્ગના ડેવલપમેન્ટની સાથે અહીંથી પસાર થતાં મુસાફરો તેમજ આસપાસમાં આવેલી યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ્સની સુવિધા માટે કાફેટેરીયા બનાવવામાં આવ્યું છે. અહીં આવેલી 16 જેટલી દુકાનો દેશ- વિદ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર RSSના વડા મોહન ભાગવતનું એક નિવેદન હતું, જેમણે કહ્યું હતું કે આપણે આપણા ધર્મ માટે લડવું જોઈએ. બીજા મોટા સમાચાર મૌલાના મદની સામે ભાજપના આરોપો હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મોહન ભાગવતે કહ્યું- ધર્મ માટે લડવું પડશે: CM યોગીએ ક
ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર | SIRની પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધીમાં પુરી કરી દેવાની થાય છે. તે પહેલા મતદારોની સહાયતા માટે આ છેલ્લા બે દિવસ ગાંધીનગરમાં તમામ બીએલઓને મતદાન મથકો પર હાજર રાખવામાં આવ્યા હતા. શહેરના બૂથ પર સવારથી જ મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર સમય સવારે 9થી બ
ભરૂચ પેરોલ-ફર્લો સ્કવોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી યુનુસ અલી ઉસ્માનગની વ્હોરાને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જંપ કરીને ભાગી ગયો હતો. ભરુચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ કરી ર
ગીફ્ટસીટીના 3.5 કિમી વિસ્તારમાં રૂપિયા 1050 કરોડના ખર્ચે મેટ્રો રેલ દોડતી કરવામાં આવશે. તેના માટે ગીફ્ટસીટી વિસ્તારમાં શાહપુર, બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને ગીફ્ટસીટી ક્લબ ખાતે મેટ્રો રેલના સ્ટેશન ઉભા કરાશે. જેનાથી ગીફ્ટસીટી વિસ્તારની આંતરરાષ્ટ્રીય ઓફિસના કર્મચારીઓ તેમજ
જીજ્ઞેશ વસાવા ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી સરેરાશ 30 ટકા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. જેના કારણે ખેતી કરવાનો વિસ્તાર પણ વધી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે 24521 ખેડૂતોએ 20772 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી છે. જ્યારે ગત વર્ષે 21934 ખેડૂતોએ 18863 હેક્ટર વિસ્તારમા
જૈનુલ અન્સારી ગોતામાં બની રહેલી ગોદરેજ સેલેસ્ટ નામની સ્કીમ ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રૂપ વચ્ચેના વિવાદના કારણે 2 વર્ષથી બંધ છે. 1169 લોકોએ સરેરાશ 15થી 25 લાખ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે. સરેરાશ 20 લાખ રૂપિયાનું રોકાણ એક વ્યક્તિનું થાય છે. આમ 233 કરોડથી વધુ રૂપિયા લોકોના ફસાઈ ગયા છે. સ્ક
SIR થી બની રહેલ નવી મતદાર યાદી માં ખાસ કરીને 2002 ની મતદાર યાદીમાં પિતાના નામના પુરાવા હોવા ફરજિયાત છે ત્યારે આ બાબતે સાધુસંતો નારાજ જોવા મળી રહ્યા છે. અને સાધુસંતો ને આ નિયમથી બાકાત રાખવા માંગ કરી છે. નર્મદા જિલ્લામાં નર્મદા કિનારે અનેક આશ્રમો આવેલા છે. અને જેમાં નિવાસ કરતા હજાર
જીજ્ઞેશ વસાવાભરૂચ જિલ્લામાં બીએલઓ ઘરે ઘરે તેમજ બૂથ પર એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા બીએલઓ તેમજ લોકો પડતી સમસ્યાને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે વાલિયા નેત્રંગ તાલુકાનાં કેટલાક વિસ્તારમાં તપાસ કરી હતી. તેમાં જોવા મળ્યું હતું કે મહિલા બીએલઓ
તિલકવાડા તાલુકામાં રેલ્વે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી દરમિયાન કરંટ લાગતા 2 શ્રમજીવીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના હજુ પોલીસ ચોપડે નોંધાઈ નથી, પરંતુ શ્રમજીવીઓના પરિવારજનો દ્વારા પોલીસ કેસ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરની છત ઉપર પારા પેટે બેઠો હતો. તે દરમિયાન તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુ તપાસ પોલીસ ચલાવી
બાળકોને મોબાઇલથી દુર રાખવા અને મેદાની તેમજ શેરી રમતો તરફ વાળવા માટે મોરબીમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજના યુગમાં બાળકો મોબાઇલથી એટલા બધા પ્રભાવિત છે કે પ્રકૃતિના ખોળે રમાતી શેરી રમતોથી બિલકુલ જ વિમુખ બની ગયા છે અને આવી રમતો તેમના માટે દંતકથા બની જાય તેવી પરિ
શહેરમાં પોલીસની PCR પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ડેકોરા સ્કાય હિલ્સની પાછળ ઝૂંપડા પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશકુમાર બાલાસરા PCR વાન સાથે નીકળ્યા હતા. રાત્રિના ફરજ પર રહેલા આ કોન્સ્ટેબલને બસંત માજી, દિનેશ ચ
રાજકોટ SOG એ રૂ.5.37 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરની બેડી ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી પોલીસે 179.24 ગ્રામનો માદક પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ જથ્થો કોની પાસેથી લાવતા હતા અને જો તેનું વેચાણ કરતા હતા તો કેટલા સમયથી વેચતા હતા તે બાબતે પો
ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદ
મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે અલીરાજપુર રાજ પરિવારના રાણા દિગ્વિજયસિંહ દ્વારા IPL જેવી જ કઠીવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં ખેલાડીઓને IPLની જેમ જ ઓક્શન દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો – રતનમહલ કાછલા, બાબજી ઉદેપુર, જોહાર ઇલેવન અન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 12 કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના
આજના મોંઘાદાટ અને ખર્ચાળ લગ્ન સમારંભો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક બોજરૂપ બન્યા છે, ત્યારે સુરતની SVG સંસ્થા અને યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ ગરીબ દીકરીઓના પિતા માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બન્યો છે. આ સુંદર આયોજન દ્વારા સમાજને દેખાદેખીથી દૂર રહીને
વલસાડ જિલ્લામાં SIR-2026 અને ડિજિટલ મતદાર નોંધણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 13,85,807 મતદારોમાંથી 7,07,955 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ કામગીરીના 52 ટકા જેટલી છે. આ કામગીરીમાં 4 BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 100 ટકા નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લ
વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે કરમખલ વિસ્તારમાં આવેલી એક વાડીના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ચોરી 15 નવેમ્બરથી 16 નવેમ્બર, 2025 દરમિયાન થઈ હતી. અજાણ્યા
કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કર
દાહોદ જિલ્લામાં આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓના ઝડપી નવીનીકરણનું કાર્ય શરૂ થયું છે. આ અંતર્ગત ઝાલોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે લીમડી તાલુકામાં રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ના
પાટણમાં હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રહેશે. પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથ
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગોન્દ્રા ખાતેની ભુરા મોટર્સના માલિક મોહમ્મદ વસીમ કંસારા ઉર્ફે ભુરિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને વાહન ચોરીનો આરોપ લગાવ્યો છે. ફરિય
નવસારીના ઉંડાચ ગામેથી ચોરાયેલું આશરે 800 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત આ શિવલિંગની ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે બીલીમોરાના એક યુવાન ડિપ્રેશનમાં હોવાથી શિવલિંગ પોતાની સાથે લઈ ગયો હતો. શનિવારે સવારે શિવલિંગ ચોર
ગોધરા બી ડિવિઝન પોલીસે પાસા હેઠળ વોન્ટેડ આરોપી સાદિક ઉર્ફે બચી મોહમંદ હનીફ ભીસ્તીને લીલેસરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત
નવસારી SOG ટીમે આર્મી જવાનની ખોટી ઓળખ ઊભી કરીને હથિયારનો પરવાનો મેળવનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ખેરગામના ઘેજ ગામેથી પકડાયેલા આરોપી ઘનશ્યામ સોલંકી પાસેથી એક લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો કબજે કરવામાં આવ્યા છે. આરોપીની પત્ની સરસ્વતી સોલંકી નવસારી
ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલ
ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ
મોડાસા પાસેના દોલપુર ગામ નજીક આજે સાંજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. તેણે સામેથી આવતી બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી
ગોધરાના રાજ્ય અનામત પોલીસ દળ (SRP) જૂથ–5 ખાતે આયોજિત IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. 23 નવેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં પંચમહાલ પોલીસની ટીમે દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમને 64 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેમાં પંચમહાલ, દાહોદ અને મહ
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સચિવાલયમાં સેક્શન અધિકારી, વર્ગ-2ની મોટી સંખ્યામાં ખાલી રહેલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત
ગઢડાના જીનનાકા મુખ્ય માર્ગ પર ખાડાઓને કારણે એક કપાસ ભરેલી છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાએ રસ્તાની બિસ્માર હાલત ફરી એકવાર સામે લાવી છે. દુર્ઘટના બનતા જ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે જામનગરની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે તેમના મતવિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે BLO ને કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના તણાવમુક્ત રીતે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજ
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13થી 23 નવેમ્બર સુધી યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ, રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છ
બોટાદ: બોટાદ શહેરના ગિરિરાજ જૈન સંકુલ ખાતે નાના બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં મોબાઇલના વધતા ઉપયોગને નિયંત્રિત કરવો, અભ્યાસ પ્રત્યે રુચિ જગાવવી અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શ
મોરબી અને હળવદમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. મોરબીના મહેન્દ્રનગર પાસે છત પરથી પડી જવાથી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે હળવદના અજીતગઢ ગામે વાડીએ વીજ શોક લાગવાથી એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્
મોરબીમાં મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે 'ધમાલ ગલી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેસર બાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો અને વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉ
ભુજના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ સબંધમાં પથ્થરના ઘા મારી પ્રેમીએ જ હત્યા કરી હોવાની શક્યતાં છે. માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું. શુક્રવારથી આ ત્રણ જણાને એક હોટલમાં ગોંધી રખાયા છે. અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય લોકો અમદાવાદના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિ
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હેઠળ 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 21 દિવસમાં આ પ્રગતિ નોંધાઈ છે. હવે બાકીના 11 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે આવતીકાલથી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ફિલ્ડમાં જઈને ઘરે-ઘરે મુલાકાત લેશે. જિલ્લામાં કુલ 11,61,128 મતદારો નોંધાયેલા છે, જેમાં 5,87
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર શહેરભરમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવા માટે એક મોટો સર્વે હાથ ધરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ આ સર્વે અને જીઓ ટેગિંગ માટે અંદાજે રૂ. 65 લાખના ખર્ચ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે શહેરના પર્યાવરણને વધુ હરિયાળું
લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારીની ઓળખ આપીને બેંકમાં સારું સેટિંગ છે,
મહેસાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025 હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા શહેરમાં આજે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત થયેલા 83 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થતા પેન્શન આવી હતી તે SBI બેંકના ખાતામાં રાખી હતી. તેમજ એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આ
ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કુલ 8.60 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક કનેક્ટિવિટી સુદ્રઢ બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીની
વલસાડ તાલુકામાં SIRની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તાર-179ના ભાગ નંબર 70, ઘડોઈ બુથ નંબર 2 પર ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી (BLO) અસ્મિતાબેન પટેલે SIRના ફોર્મનું 100 ટકા ડિજિટાઈઝેશન નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત આજે રાપર વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપર ખાતેથી આ પદયાત્રાને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ માર્ચને જિલ્લા પંચાયત પ્ર
વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડીના ધીરૂભાઈ નાયક હોલ ખાતે આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી. તેમણે
સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષીય એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે 60 ફૂટ નીચેથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે બ્રિજ પરથી એક OLA મોપેડ પણ મળી આવતાં, મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત સર્જાયો છે, તે અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી (NSV) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ સિદ્ધિ નોંધાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્
ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. યુનુશ અલી ઉસ્માનગની વ્હોરા (રહે. ઘાસમંડાઈ, મુલ્તાનીવાડ, ભરૂચ) ગાયકવાડ હવેલી પો
વલસાડ S.P. યુવરાજસિંહ જાડેજાના આદેશ બાદ S.O.G. ટીમે નશાના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. ભીલાડના બોરીગામ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભા
સુરેન્દ્રનગર SOGએ થાનગઢ તાલુકાના ખાખરાળી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૩,૦૦૦ની કિંમતની મઝલલોડ બંદૂક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં હ

27 C