અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે. AMC દ્વારા ઓન
સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ 'જનતા રેડ' મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હ
ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. સરીગામના દક્ષિણ ફળિયામાં રહેતા 22 વર્ષીય દીપક રાજેન્દ્રભાઈ જોષી પર કારચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને ભીલાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
વાપી અદાલતે નશાયુક્ત પદાર્થ ખવડાવી રૂ. 3.49 લાખથી વધુની ઓનલાઈન ખરીદી દ્વારા છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટના પારડી તાલુકાના ખડકી હાઇવે વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 4 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદી હાર્દિક રામચંદ્રભાઈ પટેલનો આરોપીઓએ કાર પુલિ
ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીના ખેતરમાંથી કુલ 180 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 4,53,800 છે. આ કેસમાં એક આરોપી ફરાર છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને લીંબડી ડિવિઝનના
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મધમાખીના હુમલાની ઘટના સામે આવી છે. જાંબુઆ ગામ નજીક ખેતરમાં કામ કરી રહેલા ચાર ખેડૂતોને મધમાખીઓએ ડંખ મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં બે પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રા
બોટાદ તાલુકાના ભાંભણ ગામ ખાતે પંચવટી વિકાસ કેન્દ્ર – અનુસૂચિત જાતિ વિકાસ કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર અનુસૂચિત જાતિના લોકોના સામાજિક પ્રસંગો અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી માટે બનાવવામાં આવશે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમારના હ
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવમેરેજને લઈને વિવાદ શરૂ રહ્યો છે, ત્યારે સુરતના પાટીદાર યુવાનો દ્વારા સિંગરના કાર્યક્રમના સ્થળ પર પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના સુરાણી પરિવારના લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલાં જ તેના કાર્યક્રમનો વિરો
વિજય હજારે ટ્રોફી 2025-26ની વન ડે ટુર્નામેન્ટમાં આજ રોજ રાજકોટ ખાતે અલગ અલગ ચાર મેચ રમાઈ હતી જેમાં બંગાળ અને ચંદીગઢ વચ્ચે મેચમાં 6 વિકેટથી બંગાળ ટીમનો વિજય થયો હતો આ રીતે બીજો મેચ આસામ અને હૈદ્રાબાદ વચ્ચે રમાયો હતો જેમાં 4 વિકેટથી આસામ ટિમ વિજેતા બની હતી જયારે ત્રીજો મેચ બરોડા અન
યુવાઓમાં દેશપ્રેમની જ્યોત જલાવવા માટે સુરત મહાનગરપાલિકાએ વેસુ-આભવા રોડ પર 20 એકર જમીનમાં જે 'શહીદ સ્મારક'નું સપનું બતાવ્યું હતું, તે હવે વહીવટી વિલંબનો પર્યાય બની ગયું છે. ફેબ્રુઆરી 2018માં જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હર્ષોલ્લાસ સાથે કરાયું હતું, તે 6 વર્ષ થવા છતાં હજુ સાકાર થઈ
વડોદરામાં 31stની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન અને ભારદારી પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં મોટી સંખ્યામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો હતો. આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ ચાર દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી 5 લાખ 17 હજારથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાંકરિયા કાર
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવા આવ્યા છે જોકે આ મકાનોમાં મૂળ માલિકની જગ્યાએ અન્ય લોકો રહેતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હ
જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયો છે. અસલમ ખીલજી કોંગ્રેસ છોડી તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહાનગરપાલિકા કચેરીની બહાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. અસલમ ખીલજી પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન ટર્મમાં કોર્પોરેટર છે. ઈજાગ્રસ્ત અસલમ ખીલજીને જી.જી. હોસ્પ
મોરબીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ની હાજરીમાં વિવિધ માર્ગો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને બ્લેક ફિલ્મવાળી કારના ચાલકોને નિશાન બનાવવામાં આવ્યા
વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે, ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની સફાઈ કામગીરી દરમિયાન થયેલી બેદરકારીને કારણે એક નિર્દોષ નાગરિકનું મોત થયું છે. આ ગંભીર ઘટના બાદ મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંલગ્ન અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે અને અન્યને શો-
રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજવાનું જાહેર કરાયું હતું જોકે તેની તારીખમાં ફેરફાર થયો છે અને હવે આ વાઇબ્રન્ટ સમિટ 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે. વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારામારી કરી રોફ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાટીયાને પોલી
CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે. આરોપી કૌશિક કારેલિયા, જેઓ તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તર
વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની યૌવનધન સહિતના લોકો દ્વારા ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઇને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ તથા પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવતી હોય છે, ત્યારે આ તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન
મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગેરકાયદેસર રીતે બનેલા સ્પીડ બ્રેકરને કારણે એક્ટિવા સ્લીપ થતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનામાં બે દીકરીઓએ પોતાના પિતા ગુમાવ્યા છે. મૃતક યુવાનનું નામ સંદીપ મધુસુદનભાઈ જાની (ઉંમર 34) હતું, જે મૂળ માળીયા (મી.)ના ઘાટીલા ગામનો વતની હ
ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એંથમ સર્કલ પાસેના ભક્તિબાગ મેદાન ખાતે સ્વામિનારાયણ ‘ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ’ દ્વારા એક અલૌકિક અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડી મહાપ્રસાદનો લ્હાવો
વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 60 વર્ષીય વૃદ્ધા અયોધ્યા જવા માટે ખરીદી કરવા આવ્યાં હતા. તે સમયે અચાનક તેઓને ગભરામણ થતા ટેબલ પર બેઠા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા સેકન્ડોમાં જ ઢળી પડ્યાં હતા. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 60
તમારા રસોડામાં પડેલો ટપરવેરનો ડબ્બો હોય કે આકાશમાં ઊડતું સ્પિરિટ એરલાઇન્સનું વિમાન...આ માત્ર લોગો કે બ્રાન્ડ્સ નથી, આ અમેરિકના મધ્યમ વર્ગની શાન હતી, અમેરિકાના સક્સેસનું પ્રતીક હતી. પણ આજે? આજે આ શાન હરાજીની સૂડીએ ચડી છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ જે નથી જોયું, તે 2025માં જોઈ રહ્
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી 3 દિવસ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં 3 ASP, 3 DYSP, 27 પીઆઇ, 42 પીએસઆઈ, 620 પોલીસ કર્મી અને 250 હોમગાર્ડનો સમાવેશ થાય છે. આ બંદોબસ્તમાં 112 જન રક્ષણ કુલ 23 વાન, 80 મોટર સાયકલ, 175 બોડી વોર્
ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે માં અંબાનો જન્મદિવસ, જેને લઈને ગિરનાર પર્વત પર ભક્તિમય માહોલ જામશે.ગિરનારના પ્રાચીન
ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ગઢડા શહેરના યુવા આગેવાન અજય સામતભાઈ ઝાલાની બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અજયભાઈ ઝાલા ગઢડા નગરપાલિકાના સદસ્ય પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની આ નવી જવાબદારી બદલ સમાજ
રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ ચૂંટણીપંચની ગાઈડલાઈન અંતર્ગત 8 વિધાનસભા મત વિસ્તારના 2512 મતદાન બુથો પર ગત શનિ અને રવિવાર એમ બે દિવસ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, સરનામામાં સુધારા-વધારા, સ્થળ
ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર ભાડુઆત રાખવાના મામલે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સુભાષનગર હમીરજી પાર્ક ખાતે આવેલ ફાઇનલ પ્લોટ નંબર 29માં કરાયેલા ચેકિંગમાં 120 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ભાડુઆતોને મકાન ખાલી કર
બનાસકાંઠા LCBએ વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ફોર્ચ્યુનર ગાડીમાંથી કુલ રૂ. 11,86,876/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અ
અમદાવાદ પોલીસમાં ડ્યુટી ઉપર કેટલાક કર્મચારીઓની કામચોરીની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જેને લઈને છેલ્લા કાટલાય સમયથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે નિવારણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પ્રમાણ નામની એક એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવી છે. આ એપ્લિકેશ
અમદાવાદમાં આવેલી પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજ ખાતે 29 ડિસેમ્બર, 2025ના રોજ 7 દિવસીય બ્યુટી વર્કશોપની સફળ શરૂઆત કરવામાં આવી હતી. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બ્યુટી અને વેલનેસ ઉદ્યોગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ અને કુશળતા આધારિત તાલીમ આપવાનો હતો. વર્કશોપના પ્રથમ દિ
જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારતરત્નનું રાષ્ટ્રીય સન્માન આપવાની માંગ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ માંગણીમાં જામનગર લોહાણા મહાજન સહિત અનેક સમાજો જોડાયા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, દેશની સ્વતંત્રતા પછી કેન
ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રો. વિદ્યુત જોશી, કુલસચિવ ડૉ. હિમાંશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી, પીપળ અને રણીયાળા ગામોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઈ-રીક્ષાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ઈ-રીક્ષાઓ ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવામાં મદદરૂપ થશે. કુલ ત્રણ ઈ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક રીક
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં 27 અને 28 ડિસેમ્બરે યોજાયેલા ખાસ કેમ્પને નાગરિકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. નવા મતદાર તરીકે નોંધણી કરાવવા, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા તેમજ સરનામું કે અન્ય વિગતોમાં સુધારા માટે લોકો મોટી સંખ્યામાં કેમ્પ સુધી પહોંચ્યા
ઓક્ટોબર મહિનામાં અમદાવાદના DCB પોલીસ મથકે મુંબઈ ખાતે રહેતા બે આરોપી વૈભવ શિંદે અને ધનલ શિંદે સામે શાહીબાગમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ શાહીબાગમાં રહેતા દંપતીને કમાવવા માટે UK જવું હતું. જે સંદર્ભે આરોપી પતિ-પત્ની ફરિયાદીના સંપર્કમાં આવ્યા હતા. જેને UK
ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોએ સંભાળ્યો ચાર્જ ગુજરાત પ્રદેશ ભાજપના નવા હોદ્દેદારોએ આજે પોતાનો ચાર્જ સંભાળ્યો . CM, DYCM અને પ્રદેશ પ્રમુખે નવા હોદ્દેદારો સાથે બેઠક કરી.આવનાર દિવસોમાં નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને ચર્ચા કરાશે.. FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી હવ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની મહિલા ખેડૂતોએ મુંદ્રા-કચ્છ ખાતે આવેલા ખારેક સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખારેકની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવવાનો હતો. આત્મા પ્રોજેક્ટ, અમરેલી દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું
મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ-અલગ ગુનામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનું આંગડિયું કરનાર અને મેળવનાર કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી વિરલભાઈ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. સાયબર ફ્રોડ દ્વારા 38 લાખ આંગડિયા મારફતે સગેવગે કરવામાં આ
વિજાપુર તાલુકાના એક ગામે બનેલી એક દુષ્કર્મની ગંભીર ઘટનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધનાર આરોપી રાહુલજી વિક્રમજી ઠાકોરને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સ
અમરેલી જિલ્લાના બક્ષીપુર ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આવેદનપત્ર સુપરત કર્યું છે. AAP નેતા જે.ડી. કથીરિયાની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ગામમાં ગટર, રોડ-રસ્તા અને સ્ટ્રીટલાઈટ સહિતની પ્રા
ભારતીય નૌકાદળનું સ્વદેશી નિર્મિત પરંપરાગત સઢવાળું જહાજ INSV કૌંડિન્યા 29 ડિસેમ્બર, 2025ના રોજ પોરબંદર, ગુજરાતથી ઓમાનના મસ્કત શહેર માટે તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે. આ ઐતિહાસિક અભિયાનનો મુખ્ય હેતુ ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનો, સમજવાનો અને ઉજવવાનો છ
આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કુલ 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં 387 સ્નાતક અને 202 અનુસ્નાતક વિદ
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની હત્યાના કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે, મૃતકના પરિવારજનોએ જમીન વિવાદનો ઇનકાર કરીને દીકરી સાથે 'ખોટું થયું' હોવાનો આક્ષેપ કર્યો છે. આનાથી પોલીસની જમીન વિવાદને કારણે હત્યા થઈ
પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરી, 2026ના રોજ મળશે. પ્રમુખ દ્વારા બેઠક ન બોલાવાતા, ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ સભાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં આવો કિસ્સો પ્રથમવાર બન્યો છે. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) હેઠળ, નગરપાલિકાના 16 સભ્યોએ ગત 11 ડિસેમ
નર્મદા જિલ્લામાં નાતાલ પૂર્વે ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે. તાજેતરમાં દેડિયાપાડા ખાતે હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા એક વિશેષ 'ઘર વાપસી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી વધુ આદિવાસી લોકો, જેઓ અગાઉ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા હતા,
નશાના કાળા કારોબાર વિરુદ્ધ જૂનાગઢ પોલીસે મોટી સફળતા મેળવી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને એસઓજીની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢ ખાતેથી વેશપલ્ટો કરી દબોચી લીધો છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેફેડ્રોન ડ્રગ્સ
બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન (BMA) દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026 નામના સ્ટાર્ટ-અપ કોન્ફ્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સુર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ માટે 250થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યુવા ઉદ્યોગસાહસિકોને સશક્
દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવી શકાય તે હેતુથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલી તમામ આંતરરાજ્ય
રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રવિવારે રાત્રિના ફરજ પર હાજર રેસિડેન્ટ ડોકટર પર દર્દીની સાથે આવેલા એક શખસે હુમલો કરતા ચકચાર મચી છે. બ્લડબેંકમાંથી લોહી લેવા માટેના ફોર્મને લઈ ડોકટર અને દર્દીના સંબંધી વચ્ચે બોલાચાલી થયા બાદ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું
સુરત શહેરના ઉધના દક્ષિણ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે આજે નાના પાથરણા અને લારી-ગલ્લા ચલાવતા સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ઝીરો દબાણ અભિયાનના બહાને નાના રોજગાર ધરાવતા વેપારીઓને પ
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી 60મી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે 146 કરોડથી વધુની દરખાસ્તો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. 28 જેટલી વિવિધ દરખાસ્તો ધરાવતા આ એજન્ડામાં ગટર, પાણી, રસ્તા અને બ્યુટીફિકેશનના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વનાળી ગામના ધાર્મિક સોલંકીની ગુજરાત અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ પસંદગીથી પરિવારજનો અને ગામલોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજ્ય સ્તરે યોજાયેલી અંડર-14 ક્રિકેટ પસંદગી પ્રક્રિયામાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી કુલ 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે
ઉમરગામ તાલુકાના સોળસુમ્બા રેલવે ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નબળી કામગીરીને કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિજ નીચે ચાલી રહેલી આ કામગીરીને કારણે અન
ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગંભીર બની છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક
ભરૂચના જુના તવરા ગામ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 ની ફાઇનલ મેચમાં બાપુ ઇલેવન ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ ઇલેવન વચ્ચે રમાયો હતો, જેમાં બાપુ ઇલેવને 39 રનથી વિજય મેળવ્યો હતો. ટ્રોફી કિંગ ઇલેવને ટોસ જીતીને બાપુ ઇલેવનને પ્રથમ બેટિંગ મ
રાપર તાલુકાના કીડીયાનગર ગામમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા તળાવમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. ભચાઉ ફાયર ટીમે બે કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રાપર મામલતદાર દ્વારા ભચાઉ ફાયર ટીમ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. જેને લઈ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્
બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક અભિવાદન સભાનું પણ આયોજન કરાયું હતું. અમદાવાદના રમેશ વોરાએ તેમના માતા-પિતાની સ્મૃતિમાં આ પ્રતિમા સમતા બુદ્ધ વિહારને દ
પવિત્ર સંકલ્પ અને ભક્તિભાવ સાથે હરિદ્વારના હરકીપૌડીથી જામનગર જિલ્લાના પાવન ગામ ખરેડી ખાતેના શ્રી ખડેશ્વર મહાદેવ મંદિર પર ગંગાજળ અભિષેકના સંકલ્પ સાથે 1400 કિલોમીટરની લાંબી રીલે દોડનો ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં રાજ્ય પોલીસના બે પીએસઆઈ સાથે 35 યુવાનો જોડાયા છે. જેને ખૂબ જ સારો
રાજકોટ શહેરમાં રહેતી મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશી સગીરાએ અને તેમના મિત્ર સાથે મળી સગીરાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂ.7.70 લાખ બળજબરીથી કઢાવી લેતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક અને સગીરા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં આરોપી યુવક અને ત
ડાંગ જિલ્લાના ગોટીયામાળ ગામ ખાતે ચાર રસ્તા નજીક એક આંબાના ઝાડ પર બે દીપડાં લડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસા
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા લોકદરબારમાં રજૂઆત કરાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્કલ હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલું છ
વલસાડ જિલ્લાના વાપી GIDC અને ગુંદલાવ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ 'આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સ્તરે NRG ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપાયેલું NRG સેન્ટર, આણંદ આ ફાઉન્ડેશનની જિલ્લા સ્તરની શાખા છે. NRG સેન્ટર, આણંદ દ
પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌ ભક્તો અને વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલક દિનેશભાઈ જોશીનું સન્માન કરાયું હતું. આ ઉપરા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજમાં પ્રવર્તમાન કુરીવાજો ત્યાગવાનો અને સમાજને નવી દિશા આપવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં લગ્ન પ્રસંગોમાં
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ હતું. ગોધરા સ્થિત એસ.પી. કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2થી 3 વર્ષ પહેલા ચાવડીગેઇટ પીજીવીસીએલ કચેરીથી કુંભારવાડા અંડરબ્રિજ સુધી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેજ સ્થળ પર નવો રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પણ તે કામ એક સાઈડ રોડ અને ડિવાઈડર બનાવી અધૂરું મૂકી દેવામાં આવ્યુ
ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. માણસા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે બિલોદરા ગામની સીમમાં આવેલા એક એરંડાના ખેતરમાં દરોડો પાડી 2.88 લાખની કિંમતની કુલ 960 નંગ ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જોકે પો
ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આજે વહેલી સવારે સિંહ અને ત્રણ સિંહણોએ એક ગાભણ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ખેડૂત પરિવાર અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂત મનુભાઈ રાણાભાઈ પરમાર સવારે લગભગ 5 વાગ્યે પોતાના પશુઓના દોહન માટે વાડા તરફ ગયા ત્યા
વડોદરા શહેર પોલીસે શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50 હજારથી વધુ દારુ અને બિયરની બોટલોનો નાશ કર્યો હતો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, ચારેય ઝોનના ડીસીપી, તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઇ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફ
પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્ન
સુરત શહેરમાંથી નાત-જાતના સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વૃદ્ધ માતાને પોતાની જ સગી દીકરી અને પુત્રોના ત્રાસને કારણે વૃદ્ધાશ્રમનો આશરો લેવાની નોબત આવી છે. માતાને માનસિક ત્રાસ આપી, તેમની મિલકત લખાવી લીધા બાદ તરછોડી દીધાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચક
NITI આયોગ દ્વારા ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગે જાહેર કરાયેલા તાજેતરના અહેવાલમાં ગુજરાત સરકારની દૂરદૃષ્ટિપૂર્ણ પહેલને વિશેષ પ્રશંસા મળી છે. ગાંધીનગરની GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં સ્થાપિત કરાયેલી ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી (GBU)ને ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ
ભાવનગર-અમદાવાદ રોડ પર ધોલેરા હાઈવે પર ગઈકાલે સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસારગઈકાલે સાંજે આશરે 4:30 કલાકે અબ્દુલ રજ્જાકબીન
જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે. જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કા
વડોદરા શહેરમાં વર્ષના અંતમાં જાણે અકસ્માતની હોડ લાગી હોય તેમ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલક વળાંક લેતો હોય તે વખત દરિમયાન ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવતો બાઇક ચાલક બસના આગળના ભાગે ધડ
રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્
જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં ફરી એકવાર ગૌવંશના શંકાસ્પદ મોતે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. કેશોદના ફાગળી ગામના વાડી વિસ્તારમાં આવેલી જૂની ડમ્પિંગ સાઇટ પાસે એકસાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી છે કે અજાણ્ય
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી. જોધપુરથી ગોવા જઈ રહેલી આ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી હતી. આ ઘટના રા
રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરન
વલસાડ નગરપાલિકા દ્વારા ઓવાડા ગામે સૂચિત નવી કચરા પ્રોસેસિંગ સાઇટનો સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો આ પ્રોજેક્ટથી ખેતી અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે, અને વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની મુ
ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભ
જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પર બાંગ્લાદેશનો ઝંડો રસ્તા પર બનાવી તેના પર ચાલીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સે
ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢ મહિનાથી વિખૂટી પડેલી પોણા બે વર્ષની બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યું છે. પારિવારિક વિવાદના કારણે વિખરાયેલા પરિવારને અભયમ ટીમે કાઉન્સેલિંગ દ્વારા ફરી એક કર્યો હતો, જેનાથી પતિ-પત્ની વચ્ચેના વિવાદ
મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાછળ આવેલ સી લિંક રોડ પરની છેવાડાની પ્રાર્થના પરિસર સહિતની સોસાયટીઓ રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં છેલ્લા બે-અઢી વર્ષથી લોકોને પીવાનું મીઠું પાણી નસીબ થયું નથ

26 C