ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹31,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ, મોબાઈલ ફોન અને જુગારના સાધનોનો સમાવેશ થાય છે. ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ડોડીયાની ટીમે નાઈટ
જામનગર સહિત હાલાર પંથકના આકાશમાં રવિવાર, 16 જૂન અને સોમવાર, 17 જૂનની રાત્રિએ સિંહ રાશિની ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે. મધ્યરાત્રિ બાદ સિંહ રાશિના તારાઓ વધુ ઊંચાઈ પર આવતા પ્રતિ કલાક 15થી વધુ ઉલ્કાઓ ખરતી દેખાશે. આ ઉલ્કા વર્ષાનો નજારો શહેરના પ્રકાશ અને પ્રદૂષણવાળા વાતાવર
આણંદ રેલવે પોલીસે પીઠું બેગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને ₹18.94 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આ મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ આણંદ રેલવે સ્ટેશન પરથી એક મુસાફરની પી
પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે. પ્
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુસર મિશન ક્લસ્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના બીટીએમ વિશાલ શાહ, એટીએમ અલ્પેશ રાઠોડ અને ગુજરાત પ્રાકૃતિક કૃષ
મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવાના કારણે સ્થળાંતર કરનારા નાગરિકો માટે 13 નવેમ્
આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા ડોક્ટરોના પકડાયા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કડક પગલા અપનાવ્યા છે. ડોક્ટર બને ત્યારે લેવાતા લોકસેવાના શપથના વિરુદ્ધ પ્રવૃત્તિઓ પર IMAએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે IMAની ફાઇનાન્સ કમિટીની નેશનલ ચેરપર્સન ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, ડોક
ગુજરાત વિધાનસભા ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતિના ઉપક્રમે આજે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. વિધાનસભાના સચિવ C.B. પંડ્યાએ પોડિયમ પર જઈ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ અધિકારીઓ, કર્મચારીઓ અને હાજર રહેલ
ત્રણ ભાઈઓએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાવનગરમાં જાહેર રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે લિંમડા ટ્રાવેલ્સ પાસે નવાપરા તબેલા કેમ્પ, ગુરુનાનક સોસાયટીમાં રહેતા એક યુવાનને ત્રણ ભાઈઓએ માર મારતા યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હત
અસલાલીમાં આવેલી વી-5 લોજિસ્ટિક એન્ડ વેરહાસિંગ કંપનીના વેરહાઉસમાં ચોરી થઈ હોવાની મેનેજરે કંપનીના ગ્રુપમાં મેસેજ કર્યો હતો. ચોરી થઈ હોવાની જાણ થતા કંપનીના ડાયરેક્ટર રાજસ્થાનથી અમદાવાદ દોડી આવ્યા હતા. જે બાદ વેરહાઉસમાં તપાસ કરતા 6 લાખથી વધુના સામાનની ઘટ જોવા મળી હતી. જેથી ડા
અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં ગુરુવારે ચિલ્ડ્રન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓ માટે વિવિધ રમૂજી પ્રવૃત્તિઓ, નૃત્ય કાર્યક્રમો અને વિશેષ રમતોનું આયોજન કરાયું હતું. શાળાના સંચાલકોએ જણાવ્યું કે ચિલ્ડ્રન્સ ડે માત્ર મનોર
OM મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી. બાળકોએ સરદાર પટેલના સુંદર ચિત
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે (13 નવેમ્બર, 2025)ને બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને બેફામ રીતે આવી રહેલા એક બાઈકચાલકે બાઈક ચડાવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જનારે બાઈક પર જરૂર કરતાં વધુ પા
શિયાળાની શરૂઆત થતાની સાથેજ મહેસાણા શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં પસાભાઈ પેટ્રોલ પમ્પ પાસે આવેલી સોસાયટીમાં રહેતું દંપતી વલસાડ ખાતે રહેતા પુત્રોને મળવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.50 લાખના મત્તાની ચ
શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ વિદ્યાર્થીઓએ ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કોચ વસંતબેન અને વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સન્મ
અમદાવાદના નિકોલ સ્થિત ગણેશ વિદ્યાલય ખાતે દાંતની કાળજી અને ઉપાયો અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમ ક્રિડા દંત સુરક્ષા-બાલ મુસ્કાન અભિયાન અને પ્રોજેક્ટ સારથી હેઠળ મોંના સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન 32 પર્લ્સ એથ્લે
આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા શહેરભરમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શહેરના 50થી વધુ ગાર્ડન, 25 આરોગ્ય કેન્દ્રો અને 50 ક્લિનિકોમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની તપાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ
બેંક ઓફ બરોડાની ગાંધીરોડ શાખા દ્વારા ગ્રાહકો માટે નવી નોટ અને સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુરુવાર, 13 નવેમ્બર, 2025 ના રોજ યોજાયો હતો. આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તાજી નોટો અને સિક્કા ઉપલબ્ધ કરાવવાનો હતો. બેંકના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લીધો અને નવી નોટો ત
રાજકોટ સ્થિત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. 15 નવેમ્બર, શનિવાર, 2025ના રોજ “Ipositive” વિષય પર એક ગ્રોથ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન યોજાનાર આ સેશનમાં જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ અને મોટિવેશનલ સ્પીકર હર્ષલ માંકડ તાલીમ આપશે. આ સેશન કરુણા ફાઉન્ડે
નવરંગપુરામાં રહેતી મહિલા સાથે છેતરપિંડીની ઘટના બની છે. સાયબર ગઠિયાએ ક્રેડિટ કાર્ડ નંબર એક્ટિવ કરવાનો હોવાનું કહી મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાને વિશ્વાસમાં લઈને વ્હોટ્સએપ પર આરબીએલ બેંક નામની એપ્લિકેશન લિંક મોકલી હતી. મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા જ સાયબર ગઠિયાએ છે
આપણા રોજિંદા જીવનમાં અનેક એવી વનસ્પતિઓ છે જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. આ વનસ્પતિઓ વિવિધ રોગોમાં રાહત આપવા માટે સદીઓથી ઉપયોગમાં લેવાય છે. ચાલો જાણીએ કેટલીક મુખ્ય ઔષધીય વનસ્પતિઓ અને તેના ઉપયોગો વિશે. તુલસી મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શન, તાવ અને શરદી જેવા રોગોમાં રાહત આપે છે. તેવી
દર વર્ષે 14 નવેમ્બરનો દિવસ 'બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 20 નવેમ્બર, 1954ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં શરૂઆતમાં 20 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવતો હતો. જોકે, 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ, બાળકો પ્રત્યેના તેમના
બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને 13 નવેમ્બર, 2025ના રોજ તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં બુંદી, પૂરી અને શાક પીરસવામાં આવ્યું હતું. આ તિથિ ભોજન શાળાના વિદ્યાર્થીઓ ઝાલા કૃપાલી શૈલેન્દ્ર સિંહ અને તેજસ્વિનીબા શૈલેન્દ્ર સિંહના નાના સ્વર્
ખેલમહાકુંભ અંતર્ગત નવરંગ સ્કૂલના મેદાનમાં ઝોન કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાજનગર-પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટીમ હવે જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. કોચ અર્ચના બારીઆના માર્ગદર્શન હેઠળ 12 વ
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર મગરો દેખાવાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આજે(14 નવેમ્બર) વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં 10 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકો ચોકી ઉઠ્યા હતા. આ મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે આ અંગેની જાણ વનવિભાગને કરતા તાત્કાલિક ટીમ દો
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યુ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વૃદ્ધ રાત્રે ચા પીવા માટે જતા હતા ત્યારે રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી જેમ
તહેવારોની સીઝન અને લગ્નસરાની મોસમ પૂર્વે જ ગૃહિણીઓ અને ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી દ્વારા 'સાબર ઘી'ના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા GST દરોમાં ઘટાડો કરાયા બાદ ગ્રાહકોને જ
સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના કારીગરોની મોટી અછત સર્જાઈ છે. ખાસ કરીને બિહાર ચૂંટણીના કારણે શ્રમિકોના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને પગલ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં રૂ. 1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયું હતું. આ પ્રોજેક્ટ શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ
સાબરકાંઠા SOG એ હિંમતનગરમાં ચેઈન સ્નેચિંગના એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો. તેની પાસેથી ચોરીનો સોનાનો દોરો અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. SOG સ્ટાફ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમ
પાલનપુર-ડીસા હાઈવે પર દેવપુરા બ્રિજ નજીક આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રકે કારને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના દેવપુરા પાટિયા નજીક આવેલા બ્રિજ પર ટ્
પાટણમાં બળીયાપાડા વિસ્તારમાં સરેઆમ રોડ પર છરી ફેરવતા ફેરવતા જઈ રહેલા એક શખ્સને એક વાહન ચાલક યુવાને તેની સાઈડ કાપવા માટે હોર્ન વગાડતાં છરી લહેરાવતા જઈ રહેલા શખ્સે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ગાડીનો દરવાજો ખોલીને ગાડી ચાલક 21 વર્ષિય યુવાન ઉપર છરીથી હુમલો કરીને હાથની કલાઈઅને ખભા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી તાજેતરમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે તસ્કર ગેંગના છ સભ્યોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ મોરબી જિલ્લાના મીતાણામાંથી પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે. કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલ ખાનગી કંપનીના સોલાર પ્લાન્
કીમ ચારરસ્તા નજીક પાલોદ ગામ પાસેની નહેરમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક પુરુષની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હો
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિવિધ સમિતિઓની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લા સંચારી રોગ સમિતિ, ગવર્નિંગ બોડી કમિટી અને જન્મ-મરણ જિલ્લા સંકલન સમિતિનો સમાવેશ થાય છે. સંચારી રોગ સમિતિની બેઠકમાં એપિડેમિક મેડિકલ ઓફિસર
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની રાષ્ટ્રીય સેવાઓને યાદ કરવા માટે ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને આ પદયાત્રાની સંપૂર્ણ રૂપરેખા આપી હતી. કલેક્ટર એન
ગુજરાતમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત રોજ સૌથી ઠંડું શહેર અમરેલી નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહ
વેરાવળ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ તા. 13 થી 20 નવેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી કથાનું રસપાન કરાવશે. લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારે
વડોદરાના કારેલીબાગ વિસ્તારના વેપારી સત્યેન અનિલભાઇ ઢોમસે અને તેમની પત્ની શ્રદ્ધાબેન ઢોમસેએ આયર્લેન્ડના વર્ક વિઝા મેળવવા માટે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને 2 લાખ રૂપિયા આપ્યા હતા. વિઝા કન્સલ્ટન્ટે વિઝા, નોકરી, રહેઠાણ, જમવા તથા મેડિકલ ઇન્શ્યોરન્સની ખાતરી આપી હતી, પરંતુ 3
નવેમ્બર માસ અડધો વીતી ગયો હોવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થયો નથી. હાલ સામાન્ય ઠંડીની સ્થિતિ જળવાઈ રહી છે, જેના કારણે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. આજે કચ્છના પાટનગર ભુજ શહેરમાં લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ તાપમાન છેલ્લા કેટલાક દ
વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામના પાટીયા પાસે દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 220 નાની બોટલ દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે. તાલુકા પોલીસ ટીમ નેશ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતી ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો કડવો અનુભવ થયો હોવાની ઘટના બની હતી. નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ટેક્સીમાં ડ્રાઇવર તેને ધમકી આપી રહ્યો છે જેથી પોતે
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા કુસા કેમિકલ કંપની ખાતે ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન માટે એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય સંભવિત કેમિકલ લીકેજ જેવી ગંભીર દુર્ઘટનાને પહોંચી વળવા તંત્રની સ
પાટણ શહેરમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 30,500ની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ હારીજની એક મહિલા પાસેથી સટ્ટાની આઈડી ખરીદી હતી અને એક જ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પાટણ એલ.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામેથી વન વિભાગે દીપડાના ચામડાની ગેરકાયદેસર હેરાફેરીના પ્રકરણમાં મોટી કાર્યવાહી કરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની શિડ્યુલ-1 અંતર્ગત આવતા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીના આધારે વન વિભાગે કુલ ચાર આરોપીઓની અટકાયત કરી છે. વન વ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. યુવતીની છેડતી બાબતે બંને જૂથના લોકો હાથમાં લાકડી અને હથિયારો લઈ આમને સામને આવી ગયા હતા. જ્યારે બંને પક્ષો તરફથી બે લોકોએ એકબીજાને રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હ
બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ હવે બુટલેગરો નવો જ નુસ્ખો અજમાવ્યો છે. જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડીને દારૂની ડિલિવરી સ્થળ લઇ જવામાં આવે છે, જો કોઇ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય તો લાગે કે પરિવાર જઈ રહ્યો છે, જેથી પોલી
હળવદ તાલુકાના ભલગામડા ગામે એક યુવાને લાયસન્સ વગરના હથિયાર સાથેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા પોલીસે કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લા SOG ટીમે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભલગામડા ગામના બાવલાભાઈ
રાજ્યકક્ષાના વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે મોડાસા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી પ્રવીણ માળીએ જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી. જેમાં વા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામમાં 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સાંજનું ભોજન લીધું હતું. આ ઘટના સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રાજ્યપાલ રમેશભાઈ વાઢેરના ઘરે પરિવારના સભ્યની જેમ ભોજનમાં જોડા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોમાં 11 નવેમ્બર, 2025 થી પ્રથમ રાઉન્ડની ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રારંભિક ત્રણ દિવસમાં જ ફ્લાઇંગ સ્ક
ભાવનગર શહેરના તરસમિયા,રૂવા તથા ફૂલસર ખાતે મહાનગરપાલિકાની માલિકીની જગ્યાઓમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવ્યા છે. આ આવાસ યોજનામાં મૂળ લાભાર્થી સિવાય કોઈ અન્ય પરિવાર રહેતો માલુમ પડશે તો લાભાર્થી સામે દંડનિય પગલાં લેવાની ચેતવણી ભાવનગર મહાનગરપાલિક
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામ
શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં એક શાળામાંથી ત્રણથી વધુ શિક્ષકોને આ કામગીરી સોંપાતા બીજા સત્રની શરૂઆતમાં બાળકો પાઠ ભણવા ને કવિતા ભણવાને બદલે આ વર્ગમાંથી આ વર્ગ આખો દિવસ ભટકી ને વર્ગ વ્યવસ્થા પૂર્ણ થાય છે. BLOની કામગીરી કરનારા શિક્ષકો એક માસ સુધી અન્ય કામગીરી કરનાર ન હોવા
વલભીપુર નગરપાલિકા દ્વારા સફાઈ જેવી પ્રાથમિક સુવિધામાં પણ વિસ્તાર મુજબ ધ્યાન આપવામાં આવતું હોવાની લોકોની ફરિયાદ છે. વલભીપુર નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી રહી છે એક તો શાસકોમા વહીવટી જ્ઞાનનો અભાવ સાથે દંભ કરવાની નિતીને કારણે સારા અને વહીવટી જ્ઞાન ધરાવતા ચીફ ઓફિસર ટકતા નથ
પાલિતાણા નગરપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓને પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા છેલ્લા લાંબા સમયથી અત્યંત દૂષિત અને ગટરનું ગંદુ છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવા માટે ગટરનું મિશ્રિત દૂષિત અને ગટરનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ગંભીર સમસ્યા અંગ
ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા સાત જેટલા પોલીસ કર્મચારીઓને એકી સાથે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જિલ્લામાં ક્યુઆરટી, પોલીસ હેડક્વાર્ટર, મોટર ટ્રાસન્પોર્ટ તેમજ જુદા જુદા શહેરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત જેટલા
ઓવરસ્પીડમાં વાહન હંકારવું અને સ્ટંટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે. જાહેર રોડ પર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમજ દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા અમદાવાદ RTO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન
ભાવનગર શહેરમાં રહેતા અને હાલ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો એક યુવક બુલેટ લઇને વડોદરાથી ભાવનગર ખાતે આવી રહ્યો હતો તે વેળાએ માઢિયા ગામ નજીક સામેથી રોંગસાઇડમાં આવતી રિક્ષાને બચાવવા જતા યુવકનો બુલેટના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બુલેટ રોડની રેલીંગ સાથે ધડાકાભે
ઘોઘા તાલુકાના ખરકડી ગામે સ્થિત બાપુ બાલનશા પીરની દરગાહ ખાતે આજરોજ ચાંદીનો 2 કિલો વજનનો મુગટ ચડાવવાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પવિત્ર અવસરે ભાવનગરના અલ્તાફભાઈ યુસુફભાઈ સાકરવાલા તથા તેમના પરિવારજનો દ્વારા ચાંદીનો મુગટ ચડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હ
આર્થિક રીતે નબળા વર્ગના આવાસ વિહોણા કુટુંબો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે. પરંતુ અનેક કિસ્સાઓમાં આવાસ યોજના આવક યોજના બની ગઈ હોય તેમ મકાન ભાડે આપવામાં આવી રહ્યા છે. જેથી કોર્પોરેશન દ્વારા જે આવાસ યોજનાને સાત વર્ષ પૂર્ણ થયા નથી તેવા 4932 આવાસનો સર્વ
આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઘસાતો જાય છે, અને બીજી તરફ મેલ્ટિંગ સ્ક્રેપની બજાર સતત નબળુ પ્રદર્શન કરી રહી છે, જેની સીધી અસર અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાય પર પડી રહી છે. અમેરિકન ડોલરનું મુલ્ય ભારતીય રૂપિયા સામે સતત વધી રહ્યું છે અને તેની અવળી અસર પડી
ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવની કામગીરી મંદ ગતિએ ચાલે છે. ક્યારે આજે નીલમબાગ એલ.આઇ.સી. ઓફિસની પાસે શેરબજારની પ્રવૃત્તિ માટે ભાવનગર શેર ઇન્વેસ્ટર એન્ડ બ્રૉકર્સ એસોસિએશનને કોર્પોરેશનની લીઝ પર આપેલ જગ્યામાં પ્રવૃત્તિ થતી ન હતી અંતે આજે હાઇકોર્ટનો ચુક
તંદુરસ્ત જીવનની શરૂઆત આપણા રોજિંદા ખોરાકની થાળીમાં જ છુપાયેલી છે. સંતુલિત ખોરાક એટલે શરીરને જરૂરી તત્વોનું યોગ્ય પ્રમાણમાં સંયોજન. આજના ઝડપી જીવનમાં લોકોની દોડધામ એટલી વધી ગઈ છે કે, જમવાનું એ જરૂરિયાતથી વધુ, સમય બચાવવાની સ્પર્ધા બની ગઈ છે. જંક ફૂડ, બહારના ખોરાક અને અનિયમિત
લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલે હાલમાં ચાલતી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ચૂંટણી પંચનાં નિયમો વિરુદ્ધ BLOઓની કામગીરી અટકાવી ને એમની સાથે તેમજ એક ચોક્કસ ધર્મ-જાતિ (લઘુમતી સમાજ)નાં BLOઓને બેઠકમાંથી બાકાત રખાવી ભાજપનાં બેનર તળે બેઠક કરાતા કોંગ્રેસના
છેલ્લા બે વર્ષમાં નર્મદ દક્ષિણ યુનિવર્સિટીની કોલેજોમાં નવા શૈક્ષણિક ટ્રેન્ડ્સ જોવા મળ્યા છે. હવે પરંપરાગત કોર્સોની જગ્યાએ, કોલેજો ઇન્ડસ્ટ્રીની માંગને ધ્યાનમાં રાખી અને સારા પેકેજની નોકરી મળવાની શક્યતા ધરાવતા નવા કોર્સ શરૂ કરવા યુનિવર્સિટીને અરજી કરે છે. 2025-26 થી ધરમપુર સ
વિદ્યાર્થીની સુરક્ષા એ જ અમારી પ્રથમ પરીક્ષા છે, આ વખતે ધો-10 અને ધો.12ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ સુરક્ષા મુદ્દે ખાસ કડકાઈ દાખવી છે. હું અને મારી ટીમે શહેર તેમજ તાલુકાની તમામ સ્કૂલમાં સ્થળ નિરીક્ષણ કર્યું છે. ફાયર એનઓસી, બિલ્ડીંગ યુટિલાઇઝ સર્ટિફિકેટ, સીસ
ગોડાદરામાં રાજ પેલેસ ગોડાદરા સ્થિત બી-ફિટ ફિટનેસ સેન્ટર દ્વારા પારીક વિકાસ ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 37 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સાત મહિલાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લ
રણછોડદાસ બાપુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નવેમ્બર મહિનામાં 11 નેત્ર ચિકિત્સા કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે. 13 નવેમ્બર સુધીમાં 4 કેમ્પ પૂરા થયા હતાં જેમાં 171 દર્દીઓની આંખની તપાસ કરી તેમાંથી 62 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાવતા તેઓને વાંસદા હોસ્પિટલ ખાતે સંસ્થાના ખર્ચે લઈ જવામ
સુરત સાઇબર ક્રાઇમે FSLમાં પહેલીવાર APK ફાઇલનું ફોરેન્સિક એનાલિસિસ કરાવી ડોમેઇનમાં રૂપિયા ભરેલી વ્યકિતનું એડ્રેસ મેળવી ઝારખંડથી આરોપીને ઝડપી લીધો છે, જેનું નામ વિક્રમ શિવશંકર મંડલ (27) (રહે, ખટજોરી ગામ) છે. તેણે પોતાનું યુપીઆઈ આઈડી 10 ટકા કમિશન પર વોન્ટેડ આરોપી મુકેશ તિવારીને આપ્ય
RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કરવાના કેસમાં પતિ નિકુંજ ગોસ્વામી અને ઇશ્વરપુરી ગોસ્વામીને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સરકાર તરફે એપીપી દિગંત તેવારની દલીલો બાદ 22મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની દલીલ હતી કે ગુનામાં ઉપયોગમાં લેવ
વરાછાના રત્નકલાકારનું લિંબાયતની હોસ્પિટલમાં બેભાન થયા બાદ મોત થયું હતું. ત્રણ પોલીસ સ્ટેશનની હદના વિવાદમાં 6 કલાક સુધી પોલીસે વર્ધી ન લેતાં પરિવાર આખી રાત પરેશાન થયો હતો. બીજા દિવસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપાયો હતો. ભાવનગર મહુવાના બોરડી ગામના વતની અને પુણા અર્ચના સ્કૂલ
નામચીન ઉદ્યોગપતિ અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો સમીર શાહ દારૂ પીને ઘરેથી મિત્ર યતીન ભક્તાની કાર ચલાવીને વેસુ કેનાલ રોડના અંતરવન રેસ્ટોરાંમાં આવ્યો હોવાની વાત ખુદ તેની પત્ની હેતલ શાહે પોલીસના નિવેદનમાં લખાવી છે. પોલીસે સમીર શાહના કૂક, તેના મિત્ર તેમજ વોલેટ પાર્કિંગમાં
વડાપ્રધાન મોદી 15મીએ અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા માટે 5 રૂટ ડાઈવર્ટ કરાયા છે. આ 5 રસ્તા ડાઈવર્ટ કરી વૈકલ્પિક રૂટ અપાયા
ઓક્ટોબરમાં માવઠામાં શહેરના રિપેર કરેલા રોડ પૈકી અંદાજે 25 ટકા રોડ તૂટ્યા હતા. 4 ઓક્ટોબરે દિવ્ય ભાસ્કરે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક વીડિયો કોન્ફરન્સ કરી પાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ, કમિશનરને માવઠામાં તૂટેલા રસ્તા રિપેરિંગ
સરથાણાની નિલમાધવ સ્કૂલમાંથી ઘરે જતી વખતે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીનું પાર્કિંગમાં જ અચાનક બેભાન થઈ મોત થયું હતું. તેને પગમાં દુ:ખાવો થતો હોવાથી બામ લગાવીને આવતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, પગની નસમાં લોહીનો ગઠ્ઠો જામી જતાં બ્લોક થઈ હાર્ટએટેક આવ્યો હોય શકે. સરથાણા કિરણ
સરકારે પોલિએસ્ટર યાર્ન પર QCO (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) દૂર કરતાં સૌથી મોટો ફાયદો સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે. QCOના અમલથી ક્વોલિટી યાર્ન આયાત થઈ શકતું ન હતું, બીજી તરફ સ્થાનિક લેવલ પર યાર્નના ભાવ સતત વધતા હતા. આ બાબતે ચમ્બરે 60 વખત રજૂઆત કરી હતી. 2 વર્ષ બાદ સરકારે QCO હટાવી દેવા
ભચાઉ તાલુકાના વાંઢીયામાં અદાણીની 765 KV વીજલાઈનની કામગીરી ચાલી રહી છે, જેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર કંપની વહીવટી તંત્ર અને પોલીસતંત્રની મદદ લઇ ખેડૂતો પર દમન ગુજારી અને બળજબરી પૂર્વક વીજલાઈનોની કામગીરી થતી હોવાના આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે હુંબલ દ્વા
ઓક્ટોબર માસમાં કચ્છ સહીત ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકશાનીથી બેઠા કરવા માટે સરકારે રૂપિયા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજનો લાભ લેવા માટે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો આજથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. આ માવઠાના કારણે કચ્છના
શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોઈ ત્યારે પોપટપરાના ત્રણ ઘરમાંથી તસ્કરોએ રૂ.98 હજારની માલમત્તાની ચોરી કરી લેતા આશરે 1 કિ.મી. સુધી ચોરનો પીછો કરી રાહદારીએ ચોરને પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરિયાના એક કારખાનામાંથી ચડ્ડી-બનિયાન ગેંગે રૂ.50 હ
કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં સગર્ભાની ડિલિવરી થયા બાદ વધુ દુખાવો ઉપડતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં દર્દીના સગાને અહીં જીવ બચાવવા પૂરતી સગવડો નથી એમ કહી સરકારી હોસ્પિટલમાં દાખલ થવાનું કહેતા ડિલિવરી થયાના બીજા જ દિવસે સગર્ભાનું મોત નીપજ્યું હતું. મૃતકના પતિએ ખાનગી
ગુજરાતમાંથી ISISના 3 આતંકીઓ ઝડપાયા પછી રાઇઝિન ઝેરની ઘણી ચર્ચા થઇ. આતંકીઓ આ ઝેરનો ઉપયોગ કરી મોટાપાયે લોકોને મારી નાખવા માંગતા હતા. સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ગણાતું આ ઝેર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. આ ઝેરને કેમિકલ વેપન્સ કન્વેન્શન એક્ટ 2000 હેઠળ કેમિકલ વોરફેર એજન્ટ
‘’જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે’’- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્યારે બોલ્યા હતા જ્યારે આદિવાસીઓના દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ યાત્રા’નો અંબાજીથી પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને આજે માંડવિયા લીલીઝંડી આપશે. એટલું જ નહીં આ ટ્રેનમાં મુસાફરી કરીને માંડવિયા તેમજ અર
વેબ સિરીઝને ટક્કર મારે એવી અને સભ્ય સમાજને હચમચાવતી આ કહાની સાંભળશો તો તમને આજનો મનુષ્ય સાચે જ ‘એનિમલ’ બની ગયો છે તેમ લાગશે. લાગણી, સંબંધ, શરમ, માન-સન્માનની આશા રાખતો સભ્ય સમાજ માણસનું આ રૂપ અને તે પણ પાછા એક સગીર વયના છોકરાનું જોઈ તેને જરા પણ સ્વીકારવા તૈયાર નહી થાય. આ સ્ટોરી વ
'27-28 વર્ષની યુવતીના પરિવારની સંમતિથી એરેજન્ડ મેરેજ થાય છે. લગ્નજીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ અચાનક પતિને પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે જાણ થઈ. પત્નીનું કોલેજ ટાઇમથી એક છોકરા સાથે અફેર હતું. લગ્નના કેટલાક સમય બાદ પત્નીનો ફોન પડ્યો હતો અને અચાનક નોટિફિકેશન પોપ
રાજકોટના બેડી વાછકપર ગામે રાજેશભાઈ વીરજીભાઈ પીપળિયાની વાડીમાં ગુરુવારે બપોરે એક અજાણ્યો પુરુષ (ઉં.વ.આ.40) જેટકો વીજપોલના થાંભલામાંથી શોક લાગવાથી ઈજાગ્રસ્ત હાલતમાં નીચે જમીન પર પડ્યો હોય જેની 108 ઇએમટી દ્વારા કુવાડવા પોલીસને જાણ કરાતા કુવાડવા પોલીસના પીએસઆઈ આર.કે. સામુદ્રે સ
રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લામાં 23.91 લાખ મતદાર છે. તેમાંથી 23.35 લાખ મતદારને ફોર્મ વિતરણ કરી દેવાયું છે. માત્ર 55 હજાર મતદારને ફોર્મ વિતરણ બાકી છે. જે મતદારો સુધી ફોર્મ પહોંચ્યા નથી તેઓને ટૂંક સમયમાં ફોર્મ પહોંચતા કરી દેવાશે. તેમ કલેક્ટરે જણાવ

32 C