વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતી સાંજના સમયે બહાર નીકળી ઘરે જઈ રહી હતી, ત્યારે એક યુવતી મોઢા પર દુપટ્ટો બાંધીને પાસે આવી હતી અને તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક યુવક પણ દોડી આવ્યો હતો અને યુવ
મારવાડી યુનિવર્સિટીના 19 વર્ષીય વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ હૈદરાબાદનો ગુનુસાંઈ રેડ્ડી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ પાટા પરથી તેનો મૃતદેહ મળ્યો હતો. આપઘાતનું કારણ જ
ગુજરાતી ફિલ્મ 'લાલા કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો પડ્યા તો એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મોલની ઇલેક્ટ્
ડુંગળીના ગગડતા ભાવોને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ ન નીકળતાં બોટાદ જિલ્લાના એક ખેડૂતે અનોખો નિર્ણય લીધો છે. ૫૦ વિઘા જમીનમાં ઉગાડેલી ડુંગળી બજારમાં વેચવાને બદલે તેમણે લોકોને મફત આપવાનું શરૂ કર્યું છે. આ વાત વાયુવેગે ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ડુ
રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામસામે આવી ગયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહીર વચ્ચે જાહેરમાં વિવાદ થયો હતો. જેમાં એક બીજા પર કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાની તુ
ગીર-સોમનાથ જિલ્લામાં ટીબી નિયંત્રણ અને મોડેલ સારવાર પ્રક્રિયાની સમીક્ષા માટે એસ.ટી.ડી.સી. ડાયરેક્ટર ડો. કાપડિયાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ટીબી સંબંધિત કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, બલોલનગર અને નવાવાડજ વિસ્તાર સિવાય તમામ પશ્ચિમ ઝોનના વિસ્તારમાં પાંચ ડિસેમ્બરના રોજ સાંજના સમયે પાણી આવશે નહીં. 6 ડિસેમ્બરના રોજ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળશે. વાસણા, પાલડી, નવરંગપુરા, આશ્રમરોડ, નારણપુરા, ન્યુ રાણીપ, ચાંદખેડા અને સાબરમતી વો
વાત 1971 ના ડિસેમ્બર મહિનાની છે. બંગાળની ખાડીમાં ભયાનક સન્નાટો હતો. અમેરિકાએ પાકિસ્તાનને બચાવવા માટે પોતાનું પરમાણુ શસ્ત્રોથી સજ્જ મહાકાય 'સેવન્થ ફ્લીટ' ભારત પર હુમલો કરવા રવાના કરી દીધું હતું. ભારત એકલું પડી ગયું હતું. દુનિયાને લાગતું હતું કે હવે ભારતનો નકશો બદલાઈ જશે. બરાબર
અમદાવાદમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વનડે મેચ પર સટ્ટો રમાડતા બે બુકીને ક્રાઈમબ્રાંચની ટીમે ઝડપી લીધા છે. નરોડા-કૃષ્ણનગર પાર્શ્વનાથ કેનાલ પાસેની એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઇન સટ્ટો રમાડતા હતા. આ યુવાનોના મોબાઈલ ચેક કરતાં તેમાં 1.50 કરોડનું બેલેન્સ અને વ્ય
શહેરમાં દિન પ્રતિદિન હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. વહેલી સવારે અને મોડી સાંજના સમયે એર ક્વોલીટી ઇન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હવા પ્રદુષણ ઓછું કરવા માટે કોઈ કામગીરી ન કરવામાં આવતી હોવાનું આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. મ્યુ
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આજે દુધિયા માધ્યમિક શાળામાં HIV/AIDS વિશે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના 300થી વધુ વિદ્યાર્થીઓને HIV/AIDS સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ “એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દૂર કરો” ને અન
વેરાવળ શહેરના મોટા કોળીવાડા વિસ્તારમાં હિમાલયના કેદારનાથ મંદિર જેવું જ ભવ્ય કેદારેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3 થી 5 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્ર
વલસાડ શહેરમાં રખડતા શ્વાનોના હિંસક હુમલાના બનાવો વધ્યા બાદ સ્થાનિક તંત્ર સક્રિય બન્યું છે. કલેક્ટર કચેરીમાં આ અંગે આવેદનપત્ર અપાયા પછી પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શ્વાનોના સ્ટરીલાઈઝેશન અને રસીકરણ માટે એક એજન્સીની નિમણ
શાહપુર યુવક મંડળ દ્વારા ગીતાજયંતિ અને મોક્ષદા એકાદશીના પાવનપર્વે શાહપુરમાં વસતા 350 વડીલ માતાઓનું શાલ,પવિત્ર પુસ્તક ગીતા અને સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.આ પ્રસંગે દરિયાપુર વિધાનસભાના સેવાભાવી ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, શાહપુરના પુર્વ કોર્પોરેટર અતુલ ભાવસાર, શહેર અમદા
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સુરતના ભાઠેના વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં છ વર્ષના એક બાળક પર બે જેટલા રખડતા શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને 20થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છૂપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. રાતના અંધ
ગુજરાતમાં પંચાયતની ચૂંટણીઓ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે, રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 21 બેઠકો બિનઅનામત (સામાન્ય) વર્ગને ફાળવવામાં આવી છે. વધુમાં, અનુસૂચિત જાતિ (SC) માટે 4
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાર કારખાનેદારો ઔદ્યોગિક ગંદુ પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વગર છોડતા ઝડપાયા હતા. તેમને સ્થળ પર નોટિસ પાઠવી પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરી
સુરેન્દ્રનગર SOGએ હત્યાના ગુનામાં દસ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી બુટા જોગાભાઈ બોળીયા ભરવાડને ઝડપી પાડ્યો છે. આ આરોપી સાયલા પોલીસ સ્ટેશનના કલમ 302 હેઠળ વોન્ટેડ હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલૂ
મોરબીમાં મણી મંદિર પાસે આવેલી દરગાહનું ગેરકાયદેસર દબાણ આજે વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું. આ દરગાહના દબાણને દૂર કરવા માટે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને લેન્ડિંગનો ગુનો પણ દાખલ થયો હતો. આ દરગાહના ડિમિલીશન દરમિયાન આશરે 300થી
ગાંધીનગર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશન (GDBA)ના હોદ્દેદારો માટેની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી પ્રક્રિયાએ ગતિ પકડી છે. આગામી વર્ષ 2026 માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, અને ખજાનચી (મહિલા અનામત) સહિતના હોદ્દાઓ માટે ફોર્મ મેળવવાનો આવતીકાલે 3જી ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ઉલ
પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે કૃષિ સહાયથી વંચિત ખેડૂતોએ આંદોલનનો હુંકાર કર્યો છે. ખેડૂત હિત રક્ષક સમિતી દ્વારા મંગળવારે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 2024ની કૃષિ સહાય અને 2025ના પાક નુકશાની અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સમિતીના સંયોજક વિક્
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને સરકારી નર્સિંગ કોલેજ દ્વારા જાગૃતિ રેલી અને અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો. આ સેશનમાં સીટીએચઓ ડો. પલક ગણાત્રાએ નર્સિંગ વિદ્યાર્થીઓને એચઆઈવી વિશે માર્ગદર્શન આ
ભાવનગર જિલ્લાના એક એટ્રોસિટી કેસના ફરાર આરોપીને પોતાના ઘરમાં આશરો આપવા મામલે ભાવનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં જેતે સમયે એક મહિલા પોલીસની ધડપકડ થઈ હતી, પરંતુ બીજી કોન્સ્ટેબલ ફરા
વલસાડ જિલ્લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સમયસર લાયસન્સ રિન્યુ ન કરવામાં આવતા નીરાનું વેચાણ બંધ કરવાની ફરજ પડી છે. લાયસન્સના અભાવે કલ્યાણ બાગ સામેના મુખ્ય કેન્દ્ર સહિત કુલ 7 જેટલા કેન્દ્રો પર કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો રૂપિયાની નીરાનો નાશ કરવો પડ્યો છે. ગુજ
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડ
રાજ્યભરમાં નફાનો કાળો કારોબાર દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે ગુજરાત પોલીસે આ નશાના કાળા કારોબારને ડામી દેવા માટે સઘન કામગીરી અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જેને લઈ જુનાગઢ એસ.ઓ.જી.ને શહેરમાં યુવાધનને નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા એક મોટી સફળતા મળી છે. જુનાગઢ રેન્જ આઇજી નિલ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપતા જાહેર જનતાને અપીલ કરી હતી કે જો કોઈ ગેરરીતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવે, જેના પર 24 કલાકની અંદર રેડ કરવામાં આવશે. ગૃહ રા
રાજકોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન તબિયત બગડી હોય અને બેભાન થઈ જતા સારવારમાં લઈ જતા મોત નીપજ્યાના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં 33 વર્ષીય યુવાન અને 59 વર્ષના કોલેજ પ્રોફેસર લગ્ન પ્રસંગ વખતે જ બેભાન થઈ જતા મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રીજા બનાવમાં મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 4 ડિસેમ્બર, 2025ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની 529 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્ય સરકાર દ્વારા મહિલા શક્તિ, આત્મનિર્ભરતા અને રોજગાર વધારવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજ
અમદાવાદના વાસણામાં રહેતા અંકિત સોલંકી નામના યુવકે 26 નવેમ્બરે પોતાના ઘરમાં પંખા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવકને છ જેટલા શખ્સોએ બદનામ કરવાની ધમકી આપતા અને ખોટો કેસ કરાવવા માટે હેરાન કરી રહ્યા હતા. જેને લઈને યુવકે ગળે ફાંસો ખાઈ લીધો છે. યુવકના આપઘાત મામલે વાસણા પ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના અબાસણા ગામની સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર મામલામાં મહેસાણા સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં વિસનગરના સવાલા ગામના આરોપી આશિષ નાગરજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિજલપોર વિસ્તારની ગણેશ નગર સોસાયટીના એક ખાલી પ્લોટમાં આગ લાગી હતી. આ આગ એક મહિલા દ્વારા કચરો સળગાવવાના પ્રયાસ દરમિયાન લાગી હતી, જેણે પ્લોટમાં રાખેલા ભંગારના સામાનને પોતાની ઝપેટમાં લઈ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ખાલી પ્લોટમાં મોટા પ્રમાણમાં ભં
પાલનપુર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના બાળકોએ તાજેતરમાં લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ પાલનપુરના સુર મંદિર સિનેમા ખાતે બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિના સહયોગથી બતાવવામાં આવી હતી. ચિલ્ડ્રન હોમમાં અનાથ, ગુમ થયેલા, બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા અન
સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સંબોધન કરતા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, એક રાજકીય વર્ગ ઈચ્છતો હતો કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસના પાનામાં ખોવાઈ જાય. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઇતિહાસના પાનામાં ચમકતા
લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું.. 11,925 ઉમેદવારોની મેરીટમાં પસંદગી કરાઈ. પસંદગી પામેલા ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક ક
અખિલ કચ્છ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે પક્ષના કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને દારૂના દુષણથી પીડિત લોકોની મદદ માટે ખાસ હેલ્પલાઇન નંબર શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા મહિલા કોંગ્રેસના અગ્રણી અને પ્રદેશ ઉપપ્રમુખ
આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ની કામગીરી આણંદ જિલ્લામાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે. તારીખ 4 નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ 7 વિધા
બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં ગત 23 નવેમ્બરના રોજ એક યુવકને છરી મારવાની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું છે. સામાન્ય બાબતમાં બે વ્યક્તિઓએ યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીંક્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોનાવાલા હોસ્પિ
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સરકારી સર્વે નંબર ૩૫૬ તેમજ ખાનગી સર્વે નંબર 358, 357, 359 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા 15 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. દરોડા દરમ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં આવી રહેલી બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખલીલપુર રોડ નજીક ઓમ નગર પાસે આવેલી વિશ્વાસ સોસાયટીના રહીશો અને ખાસ કરીને મહિલાઓ રોડ રસ્તાની ગંભીર સમસ્યાને લઈને રણચંડી બની હતી અને ન છૂટકે રસ્તો બંધ કરી ઉગ્ર
ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરીને મબલખ નફો કમાવવાની લોભામણી લાલચ આપીને ભારતીય નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતી આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ સાયબર ગેંગના નેટવર્કના વધુ એક સાગરીતને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે. આ કેસમાં સુરતના એક ડોક્ટર જોડે રૂ. 21,55,169ની છેતરપિંડી થઈ હ
રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક શોપિંગ કોમ્પલેક્સ પર પીજીમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી જતા ભારે દોડધામ મચી હતી. પ્રેમી સાથે ફોનમાં વાતચીત દરમિયાન કોઈ બાબતને લઈ મનદુઃખ થયા બાદ બિલ્ડીંગ પર પહોંચી ગયાનું સામે આવ્યું છે. રાત્રિના એ
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ની 187મી બેઠક 2 ડિસેમ્બરે મંગળવારે યોજાઈ હતી. બેઠકમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ત્રણ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં
ડાઈંગ ડેક્લેરેશન લેવામાં વેઠ ઉતરનાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો હાઇકોર્ટે ખુલાસો માંગ્યો હતો. આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાઈકોર્ટ સમક્ષ ખુલાસા સાથે ઉપસ્થિત થયા હતા. જેમને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ફોન ઉપર આપઘાતનો પ્રયત્ન કરનારની સ્થિતિ પૂછી છીએ. તેઓએ પોલીસને પૂ
ઝાલોદ તાલુકાના વગેલા ગામે 24 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 10 વાગ્યે એક 50 વર્ષીય મહિલાના ઘરમાં ઘૂસીને ચાર વ્યક્તિઓએ તેમના પર ગંભીર હુમલો કર્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય કાર્યકર રાજેશ ડામોર સહિત ચાર ઈસમો સામે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં મારમારી, ગાળાગાળી અને જીવલેણ ધમકી આપ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસ દરમિયાન શહેરના અકવાડા અને ફુલસર વિસ્તારોમાં વિશાળ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાકા બાંધકામો સહિત અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં વિકાસના કાર્યો ને વેગ મળે તેમજ માર્ગોમાં થયેલા અવરોધો દૂર થાય તે મા
ગુજરાતના મુખ્યમંત્રી બાળ મિશન (CMTC), ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર (NRC) અને ગતિશીલ ગુજરાત યોજના હેઠળ કાર્યરત કૂક (રસોઈયા) અને આયા બહેનો આજે વિરોધ પ્રદર્શન માટે ગાંધીનગર ખાતે એકઠા થયા હતાં. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલી આ બહેનોએ નેશનલ હેલ્થ મિશન કચેરી ખાતે
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વિધુત બોર્ડ વિદ્યાલયમાં ચાલુ ક્લાસ દરમિયાન એક અકસ્માત બન્યો હતો. અંગ્રેજી માધ્યમના ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આગળની બેન્ચ પરથી ઉછાળેલી બોલપેન આંખના ભાગે વાગતાં તેને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર
ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અથવા શાળાની પસંદગીના સ્વેટર પહેરવા માટે દબાણ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સત્તાવાર પત્ર જારી કર્યો છે. ભરૂચના શિક્ષણ અધિકારી સ્વાતિબ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભા વિપક્ષના આક્રમક વલણને કારણે ભારે તોફાની બની હતી. શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી દરમિયાન માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષના નેતા રાકેશ હિરપરાએ સભામાં અનેક વ્હોટ્સ એપ મેસેજ રજૂ કર્યા હતા, જ
મોડાસાના ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ચાવડાની માલપુર બદલી થતાં ગ્રામજનો અને સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કરાયું હતું. પીઆઇ અમિત ચાવડાએ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં દસ માસ અને દસ દિવસ સુધી ફરજ બજાવી હતી. તેમની બદલ
છોટાઉદેપુર જિલ્લા ભાજપે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણીપંચ દ્વારા આયોજિત સઘન મત
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે. CCI દ્વારા હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૦૬૯ના ભાવે કપાસની ખરીદી શરૂ કરાઈ છે. આ ભાવથી ખેડૂતોને તેમના પાક
આણંદ એલ.સી.બી. પોલીસે બોચાસણ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલા એક ટેન્કરને ઝડપી પાડ્યું છે. પોલીસે ટેન્કરમાંથી ₹20.21 લાખનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હરિયાણાના એક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આણંદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે વાસદથી કાઠિયાવાડ ત
વિસનગરની એમ.એન. કોલેજના પ્રાધ્યાપક શક્તિ રામાનંદીએ તેમના પીએચડી સંશોધનમાં દેશી ગાયના ગૌમૂત્ર અને જીવામૃતની ઘઉંના પાક પરની હકારાત્મક અસરો પર મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ સંશોધન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ અંતર્ગત ડો. ચિરાગ આચાર્યના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે
દેવગઢ બારીયા નગરપાલિકાએ પરપ્રાંતિય વેપારીઓ દ્વારા લગાવવામાં આવતા સ્ટોલ-સેલ પર પ્રતિબંધ મૂકવાનો કડક નિર્ણય લીધો છે. સ્થાનિક વેપારીઓની રજૂઆત બાદ નગરપાલિકાએ આ પગલું ભર્યું છે, જેમાં રોડ દબાણ, ટ્રાફિક જામ અને સ્થાનિક વેપાર પર થતી નકારાત્મક અસર જેવી ફરિયાદો સામેલ હતી.નગરના ક
વલસાડ જિલ્લામાં એક ક્રેડિટ સોસાયટી દ્વારા હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. 'શ્રી સારનેશ્વર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ' નામની આ સંસ્થા અચાનક બંધ થઈ જતાં, અસરગ્રસ્ત એજન્ટોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પા
જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત શાળાઓમાં કરાયેલી સઘન આરોગ્ય તપાસણીમાં કુલ 7,441 બાળકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનું નિદાન થયું છે. આરોગ્ય તંત્ર દ્વારા બીમાર જણાયેલ બાળકોની સફળ સારવાર માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લ
પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના પ્રારંભે કથાકાર રમેશભાઈ ઓઝાએ ગાયોની પૂજનીય સ્થિતિ અને તેમની વર્તમાન દયનીય સ્થિતિ વચ્ચેના તફ
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલા શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર હાઈ સેકન્ડરી વિભાગમાં 1 ડિસેમ્બરે ગીતા જયંતિ અને વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ આદર્શ અને સંસ્કારમય મૂલ્યો સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો હતો. આ શિબિર આચાર્ય પરેશ પટે
દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.અત્યાર સુધી 80 ટકા અથવા તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને મળતો સંત સુરદાસ યોજનાનો લાભ હવે વર્ષ 2025-26થી 60 ટકા અને તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને મળશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં દિવ્યાંગો
ભાવનગરના એક ડોક્ટર સાથે 9.70 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ડોક્ટરે પોતાની નવી કાર આણંદના ધવલ ભરવાડને ભાડે આપી હતી, જે આરોપીએ ગીરવે મૂકી દીધી હતી. આ મામલે ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી
ગોધરા શહેરના મેસરી નદીના બ્રિજ પર નગરપાલિકા દ્વારા કચરો ફેંકવા સામે દંડનીય કાર્યવાહીની જાહેર ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જોકે, આ બોર્ડની બરાબર નીચે જ નદીના પટમાં કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે, જે પાલિકાના સ્વચ્છતાના દાવાઓ પર સવાલ ઉભા કરે છે. પાલિકાએ લગાવેલી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના 7 નમૂના રિપોર્ટમાં 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થતાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કેસ નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભામાં શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેસીવ રિવીઝન(SIR)ની કામગીરી 82.74 ટકા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોમાંથી 19 લાખ મતદારોનું મેપીંગ થઈ ગયુ છે. જ્યારે અત્યારસુધીમાં 81 હજારથી વધુ મતદારો મૃત નીકળ્યા છે. ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબે
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5મી ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમની હાજરીમાં મહત્ત્વપૂર્ણ 'અર્થ ડે સમિટ'નું ઉદ્ઘાટન થશે. સાથે જ તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસલક્ષી
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આજે વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 18 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 8 PSIને તેમના હાલના પોલીસ સ્ટેશનમાં 'ડી-સ્ટાફ' તરીકેની વધારાની જવાબદારી
વલસાડ શહેરના તિથલ રોડ અને સ્ટેટ હાઈવે પર વધતા અકસ્માતોને રોકવા માટે માર્ગ અને મકાન વિભાગે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. વિભાગે માર્ગના મધ્ય ભાગમાં એન્ટી-ગ્લેર (એન્ટી-ડેઝલ) સ્ક્રીન લગાવવાનું શરૂ કર્યું છે. આ સ્ક્રીન સામેથી આવતા વાહનોની હેડલાઈટનો તેજ પ્રકાશ આંખોમાં પડતો અટ
લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. જેમાં કુલ 11,925 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્વની સૂચના આપતા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ કાર્યરત રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા, રેલવે પરિસરમાં તથા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રેલવેની કરોડોની સંપત્તિનું રક્ષણ કરવા માટે સતત ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આરપીએફ દ્વારા નવેમ્બર 2025
છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને આપવામાં આવેલું મકાઈનું બિયારણ સડેલું અને ગુણવત્તાવિહીન નીકળ્યું છે. આ બિયારણ વાવ્યા બાદ મકાઈનો પાક ઊગ્યો ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાઈબલ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતો
ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે સેલ્સમેને પ
સુરતના પુણા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડતા મોતને ભેટી હતી. માતાના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મહિલા ડોક્ટરની બેદરકારીના પગલે આ ઘટના બની હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પરિવારજનો દ
જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શુટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે.જન્મથી જ સાંભળી ન શક્તા મોહમ્મદ મુર્તજા આ સિદ્ધિ મેળવનાર ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત ક
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાફઈ ગામ પાસેથી લાખો રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક અકસ્માતગ્રસ્ત કારમાંથી ઝડપાયો હતો. ગત રાત્રિ દરમિયાન રાફઈ ગામ પાસે એક કાળા રંગની સ્કોર્પિયો કાર (GJ 16 DK 5911) ને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અન
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં એક વર્ષની બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડાને વનવિભાગે પાંચ દિવસની શોધખોળ બાદ પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. વનવિભાગની ટીમે રાત-દિવસની દોડધામ બાદ આ દીપડાને પકડ્યો હતો. આ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમ
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. આબુરોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વાળવામાં આવી રહ્યા છે, જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં 11 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે ગોધરાની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં વર્ષ 2004 માં ગોધરાની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા તમામ આરોપીઓની નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે ગુજર
રાજકોટના વોર્ડ નં. 13માં આજે રાત્રિના આશરે સાડા આઠ વાગ્યે પીવાના પાણીની લાઈન તુટતા પંચશીલ સોસાયટીથી માલવિયાનગર સહિતના વિસ્તારમાં ભરશિયાળે જળબંબાકાર સર્જાયો હતો અને લાખો લિટર પાણીનો વેડફાટ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ બે કલાક સુધી અધિકારીઓ ત્યાં ફરકયા
ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકની મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. આના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. વેરાવળ APMC ખાતે ગુજકોમસોલ દ્વારા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાવદ્રા ગામના ખેડૂત હસમુ
હળવદના જુના ધનાળા ગામે માર્ગ અકસ્માતમાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. મોરબીથી પોતાના વતન મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા જઈ રહેલી મહિલાના એક્ટિવાને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું. મૃતક મહિલાનું નામ ગંગાબેન ઝાલા પરસાડીયા (ઉંમર 52) છે. તેઓ મૂળ હળવદ તાલુકાના ખોડ ગામના રહેવ
રાજ્યમાં તલાટી મંત્રીઓને હવે ગ્રામપંચાયત વિસ્તારોમાં રખડતા શ્વાનોની સ્થિતિ, તેમના પ્રવેશને રોકવા માટેની વ્યવસ્થા અને ફીડિંગ ઝોન અંગેની માહિતી એકત્ર કરવાની ફરજ સોંપાઈ છે. વિકાસ કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર થયેલા પરિપત્રમાં જિલ્લા પંચાયતોથી લઈને તાલુકા અને ગ
સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો છે. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલેલા આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી આશરે 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. લાખોની હા
ગાંધીનગરના સેક્ટર-12 ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણ અને જનજાગૃતિના કાર્યમાં જોડાયેલા 115 ઉપાસકોને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 'આપણ
પાટણમાં રોટરી ક્લબ ઓફ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા 4 જાન્યુઆરી 2026, રવિવારના રોજ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ અંગદાન અને કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આસ્થા કિડની હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી પાટણમાં સફળતાપૂર્વક મેરેથોનનું
કચ્છના રણ સરહદ નજીક આવેલા ઐતિહાસિક ઝારા ડુંગરની તળેટી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 25મો શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સ્થળના પૂરતા વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવા હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કલ્યાણદાસજી બાપુ, જગજીવનદાસજી બા
ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને સ્થાનિક રહેવાસીઓએ આજે નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે લેખિત રજૂઆત પણ કરી હતી. AAPના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્
જુનાગઢ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા. ગુનાની ગંભીરતાને
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના એ.વી. રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડને ગેરકાયદેસર દબાણમુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 12 લારીઓ અને 1 ટેમ્પો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી વેપારીઓ અને ફેરીયાઓએ આ ગ્રાઉન્ડની જમીન પર લારી-ગલ્લાં અને વાહનો મૂક

27 C