ACPC દ્વારા એન્જિનિયરિંગમાં પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માત્ર જ એક વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી. પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ મળ્યા નથી. 30થી
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડતા મુસાફરોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા મુસાફરોએ એરપોર્ટ પરિસરમાં જ એ
વડોદરામાં તાજેતરના એક જાહેર કાર્યક્રમમાં મંચ પર ભાજપના વિધાનસભા દંડક અને મંત્રી સાથે નેતાઓ ઉપસ્થિત હતા. ત્યારે મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓએ વિધાનસભા દંડક બાળુ શુક્લના ચરણ સ્પર્શ અંગે ડીઇઓ સામે NSUI દ્વારા વિરોધ કરીને માફી માગી સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરે તેવી
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં આજે સવારે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 4 ડમ્પરો ઝડપી પાડી કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ સીઝ ક
લુણાવાડા નગરપાલિકાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ટેન્ટ ઊભા કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા અધિનિયમ મુજબ, આવા વેપારીઓ પાસેથી કુલ ₹3300/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ટેન્ટ
સુરત ખાતે આયોજિત સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના 33મા સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણી અને જાણીતા વક્તા શૈલેષ સાગપરીયાએ સમાજની વર્તમાન સ્થિતિ અને પેઢીઓ વચ્ચેના અંતર પર અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી નિવેદનો આપ્યા હતા. હાલ ચાલતા આરતી સાંગા
મોરબીના કંડલા બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં 57 વર્ષીય આધેડનું મોત થયું છે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલા સુરેશભાઈ મગનભાઈ ફૂલતરિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરને એક ટ્રકે ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ સુરેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથા પરથી
રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર મુકબધીર સગીરાને બગીચામાં મળવા બોલાવી છેડછાડ કરી સગીરાની સહેલીએ મિત્ર સાથે મળી ફોટા-વિડીયો પાડી કાવતરૂ રચી ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.7.70 લાખ પડાવ્યા હોવાની ફરીયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ હતી જેના આધારે ભકિતનગર પોલીસે તપાસ કરતા સગ
રાજકોટની ધોળકિયા ખાનગી સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવ
વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ને હવે નવો ઓપ આપવામાં આવ્યો છે. કતારગામ ખાતે આવેલી આ સંસ્થાના બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતા, રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગો
જૂની અદાવતમાં બે કોમ વચ્ચે પથ્થરમારો સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂની અદાવત અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બાબતે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. ગામમાંથી 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગામમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોણ બનશે ગુજરાતન
પશ્ચિમ રેલવે દ્વારા અસારવાથી ઉપડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2026, ગુરુવારથી અમલમાં આવશે. હિંમતનગરથી અસારવા સેક્શનમાં અસારવા-ઇન્દોર-અસારવા ટ્રેનના સાત સ્ટેશન પર અને અસારવા-જયપુર ટ્રેનના બે સ્ટેશન પર સમય બદલાશે. હાલમાં અસાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ ન
બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિવિધ જિલ્લા પંચાયત સમિતિઓની ચાલી રહેલી બેઠકોની કાર્યવ
દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ, ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે. 9 ડિસેમ્બરના ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ 16 દિવસની સારવાર દરમિયાન યુવકનું મ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ ન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર આગામી 1 જાન્યુઆરી, 2026થી નવુ ટાઇમ ટેબલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવા ટાઇમ ટેબલ હેઠળ અમદાવાદ મંડલમાંથી ચાલતી તેમજ પસાર થતી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવતા હવે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિ
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થિની ગુજરાતના એક જાણીતા કથાકારની પુત્રી હતી. આ દુ:ખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
નવા વર્ષ 2026ના પ્રારંભને યાદગાર અને આરોગ્યપ્રદ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત આગામી 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં લાખો નાગરિકો ડિજિટલ માધ્યમથી જોડાઈને એકસાથે યોગ અને સૂર્ય
પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભાસદો દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણીને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગ જેવી ઘટનાને નિવારવા માટે સિસ્ટમ લગાવવામાં આવી છે. જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા આગ લાગશે તો તરત જ બેટરી
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠકમાં ડીડીઓ અંકિત પશુ અને ધારાસભ્ય હેમંત ખવા સહિતના અધિકારીઓ ઉપ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા યોજાઈ હતી. સેક્ટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં શહેરના પરિવહન, ટાઉન પ્લાનિંગ અને કર્મચારી કલ્યાણને લગતા કુલ 10 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો આઠમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના સંગઠન અને સામાજિક સુધારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી અંદા
ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે મનપા દ્વારા વર્ષ 2005માં શાકમાર્કેટ બનાવવામાં આવ્યું હતું. જે શાક માર્કેટની આજે ખંડેર હાલત જોવા મળી રહી છે. જેમાં લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ બહાર ખુલ્લામાં બેસી ધંધો કરવા મજબૂર બન્યા છે, ત્ય
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ચોટીલા ડુંગર ખાતે આયોજિત છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા યુવક-યુવતીઓએ પોતાની શારીરિક ક્ષમતા અન
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સામાન્ય બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધોરણ-9ના વિદ્યાર્થીને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા હતા. ક્લાસરૂમમાં વિદ્યાર્થીના વ્હાઇટન
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંત
સાંતલપુર તાલુકાના કોરડા ગામે માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોકટરને પાટણ એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 25,114.23 નો મુદ્દામા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ ભત્રીજીના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ ક
મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી 'આઇકોનિક રોડ'ની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વેપારીઓ અને સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાની હાલાકી વ
સુરત શહેરના જાણીતા સીનિયર એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પીઢ નેતા દીપક આફ્રિકાવાલા સાથે સિટી સર્વે કચેરીમાં થયેલા તોછડા વર્તન અને અપમાનને પગલે સમગ્ર વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલોએ જિલ્લા કલેક્ટ
આજે પોષ સુદ અગિયારસ એટલે કે 'પુત્રદા અગિયારસ' ના પવિત્ર દિવસે સુરતના સુપ્રસિદ્ધ શ્રી અંબરીષેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માન્યતા છે કે આ દિવસે મહાદેવના ચરણોમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી, ખાસ કર
રાજકોટ અમદાવાદ હાઇવે પર નવાગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આધેડના પુત્રને PSI તેમજ DCP તરીકે નોકરી અપાવી દેવાના બહાને તેના પરિચીત સહિત બે શખસોએ રૂ.1.48 કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠીયાઓ સામે ગુનો નોંધી ગુજરાતી ફિલ્મના પ
છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા'ને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે આ યાત્રાને 'ફિયાસ્કો' ગણાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેના જવાબમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ વળતો પ્રહાર કર્યો છે. છેલ્લા બે દિવસથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એસ.પી.યુ - એસ.એસ.આઈ.પી - નવાધારા એકમ ખાતે કુલપતિ પ્રો.ડૉ. નિરંજન પટેલની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં 6 પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ (PoC) પ્રોજેક્ટ્સને આર્થિક સહાય અ
ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રશ્નોનો તત્કાળ ઉકેલ લાવવા તથા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રાધાન્યતા આપવા માંગ કરી છે સાથોસાથ એવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે
નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના પોલીસ વિભાગના નવા સુકાની પણ બદલાશે. નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવનું નામ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવ
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીએ આ જ વોર્ડના અન્ય કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અસલમ ખીલજી પર ગતરોજ તલવાર, પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો થયો હતો. રાજકીય રાગદ્વેષમાં આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિય
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પિતા અને પરિવાર સાથેના મનદુઃખ અને પોલીસ નિવેદન આપવા મામલે સર્જાયેલી ખેંચતાણને પગલે આ ઘટનાએ જોર પકડ્યું છે. સુરત જિલ્લાના ફાર્મ હાઉસમાં પિતા દિકરીને મળવા ગયા તો દરવાજો ના ખોલ્યો અને બારોબાર
અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં કેસર કેરીના આંબા પર ભરપૂર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. ખેડૂતો આ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની આશા રાખી રહ્યા છે, જેના કારણે તેમનામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હાલમાં આંબા પર એકસાથે મોટા પ્રમાણમાં મોર આવ્યા છે. ઠંડી અને ગરમીના મિશ્ર
હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરીયાના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હળવદ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 9મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ કૌભાંડના મૂળ સુધી પહોંચવા
કચ્છના રાપર તાલુકાના નાના રણમાં આવેલા વીર વચ્છરાજ બેટ ખાતેની ગૌશાળામાં ગાયો માટે ૩૫૦ ટ્રેક્ટર સૂકા ચારાનું દાન કરવામાં આવ્યું છે. આ દાન વીર વચ્છરાજ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ગૌસેવા અને સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વચ્છરાજ બેટની આ ગૌશાળા
નવા વર્ષ 2026ની પ્રથમ સૂર્યકિરણોને નમસ્કાર કરીને યોગ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસના સાથે શરૂઆત કરવાનો એક અનોખો અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7થી 8 વાગ્યા સુધી YouTube LIVE પર 'સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર'નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરીને દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેઓ છેલ્લા બે દિવસથી છોટા ઉદેપ
નવા વર્ષની શુભેચ્છાના બહાને સાયબર ગુનેગારોએ ઠગાઈનો નવો રસ્તો શોધ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ચેતવણી આપતા જણાવ્યું કે, ન્યૂ યર સાયબર સ્કેમ નામની નવી રીતમાં લોકોના મોબાઈલ પર ગ્રીટિંગ કાર્ડ અથવા ગિફ્ટ જોવા માટેની લિંક મોકલવામાં આવે છે. “તમાર
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાકનું 1.41 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસા બાદ થયેલા સારા વરસાદ અને ઊંચા જળસ્તરને કારણે ખેડૂતોમાં સારો પાક થવાની આશા જાગી છે. સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે, જ્યાં ખેડૂતો સિઝન પ્રમાણે વિવિધ પાકોનું વાવેતર ક
ભરૂચ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જિમ કમ યોગા સેન્ટરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભર
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ (PDPIAS) દ્વારા આયોજિત 'સાયન્સ મંથન'ની 11મી સીરીઝ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી 750થી વધુ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ
પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નવા પ્રમુખની નિમણૂક સામે નારાજ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ અનુસૂચિત જાતિ મોરચ
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન લોકો કેક અને બેકરીની ખાદ્ય ચીજ વસ્તુઓ ગ્રહણ કરતા હોય છે ત્યારે તેઓનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી કેક અને બેકરી પ્રોડક્ટના નમુના લેવામાં આવી રહ્યા છે જે દરમિયાન આજે શહેરના જંકશન પ્લોટ વિસ
ભરૂચ નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ શહેરની જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. મુલાક
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કજારીયા કંપનીમાં એક મહિલાનું ફોરક્લિફ્ટ વાહનની ટક્કરથી મોત થયું છે. મહિલાને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું નિધન થયું. આ ઘટના અંગે મૃતક મહિલાના પતિએ ફોરક્લિફ્ટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ કજારીયા
પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. શહેરના મુખ્ય હાઇવે માર્ગો પર વિવિધ પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઈવે પર આવેલી પરવડી ચોકડી અને પાંજરાપોળ ચર્ચ ખાતે DYSP બિંદ્રા જાડે
ગોધરા સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે વસૂલવામાં આવતી ઊંચી ફી સામે આદિવાસી સમાજના અગ્રણી બાબુભાઈ ડામોરે કુલપતિને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીની સ્થાપના આદિવાસી બહુલ જિલ્લાઓ જેવા કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા
ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજથી 11 દિવસીય પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ તંત્ર દ્વારા આ આંદોલનની મંજૂરી આપવામાં આવી ન હતી તેમછતાં પણ પાટનગર માટે જમીન આપનાર ખેડૂતોએ સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને પોતાની લાંબા સમયની પડ
સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાકીય અને નૈતિક મર્યાદાઓ ઓળંગીને વિવાદમાં આવી છે. ગુજરાતમાં જ્યાં જુગાર અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે ત્યાં કીર્તિ પટેલે જાહેરમાં એક બેટિંગ એપનું પ્રમોશન ક
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ
2022માં ગુજરાતમાં કારમી હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીએ 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં રહેલી આંતરિક જૂથબંધી ખુલ્લીને સામે આવી રહી છે. પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક કિરીટ પટેલ નારાજ થયા છે. તેઓએ કહ્યું હતું કે, અમારી વિરુ
ગુજરાતના શિક્ષણ જગતમાં ડિજિટલ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનારા અને ટેકનોલોજીના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પીરસનારા જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામની માધ્યમિક શાળાના વિશિષ્ટ શિક્ષક બળદેવપરી ઝવેરપરીને આગામી સમયમાં પ્રતિષ્ઠિત 'ડિજિટલ ગુરુ પારિતોષિક' થી નવાજવામ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિલાય પાસે અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હા
વડોદરાની વાઘોડિયા રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાંથી સોનાના નકલી ઘરેણા રજૂ કરીને 6.82 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈને ગ્રાહકે છેતરપીંડી આચરી છે. વ્યાજ સાથે આ રકમ 7.38 લાખ રૂપિયા રકમ થાય છે. આ મામલે બેન્ક બ્રાન્ચ મેનેજર અજીત હરિહર પ્રસાદ વિક્રમે પાણીગેટ પોલીસ સ્ટેશનમા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 વર્ષ બાદ સૌથી મોટી ભરતી થવા જઈ રહી છે. ટીચિંગ અને નોન ટીચીંગની 163 જગ્યા પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે અને બિન શૈક્ષણિક સ્ટાફની 112 જગ્યા પર ભરતી થત
વાંસદા તાલુકાના પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી રાત્રિના સમયે દાનપેટીની ચોરી થઈ છે. આશ્ચર્યજનક રીતે, મંદિર પરિસરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં ચોરટાઓએ નિર્ભયતાથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરટાઓ રાત્રિના અંધાર
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 31ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છ
નવા વર્ષની ઉજવણી એટલે કે 'થર્ટી-ફર્સ્ટ' પૂર્વે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા સમયગાળા દરમિયાન વિવિધ દરોડામાં જપ્ત કરવામાં આવેલા દેશી અને વિદેશી દારૂના કુલ રૂ. 2,18,29,249ની કિંમતના
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટનાને હજી એક મહિનો થયો નથી ત્યારે વધુ એક બ્રિજનો સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો હોવાનું સામે આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ એક્સપાન્શનના બોલ્ટનો ભ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર A ડિવિઝન પોલીસે તાજેતરમાં ગુમ થયેલા ૨૩ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત આશરે ૬.૯૧ લાખ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા. આ કાર્યવાહી ગુજરાત સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં કારચાલક રોંગસાઈડમાં પૂરપાટઝડપે કાર દોડાવતો જોવા મળી રહ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવણથી ધ્રાંગધ્રા તરફ આવી રહેલી એક કાર પલટી મારી જતાં તેમાં સવાર ચાર યુવાનોમાંથી બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે કારમ
વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. નાતાલની રજાઓથી શરૂ થયેલો પ્રવાસીઓનો અવિરત પ્રવાહ અત્યારે ચરમસીમાએ છે. હાલની સ્થિતિએ એકતાનગરની તમામ હોટલો, હોમ-સ્ટે અને ટેન્ટ સિટી 'હાઉસફુલ' થઈ ગયા છ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર ઉપર થયેલા હુમલામાં તબીબ દ્વારા અંતે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં જયદીપ ચાવડા દ્વારા લોહીની બોટલ ચઢાવવા બાબતે ICU વોર્ડમાં પ્રવેશ કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ કરતા પોલીસે ડોક્ટરને મ
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવેલા વૃદ્ધની હાથમાંથી નળી નીકળી ગઈ હતી. જેના પગલે લોહી વહી ગયું હતું. લોહી વહી જતા બેડ પરની ચાદર અને કપડાં લોહીવાળા થઈ ગયાં હતા. દર્દીના સગા જયારે દર્દી પાસે ગયા ત્યારે તેમને લોહી નીકળતા હાજર ડોક્ટરો અન
ઉના અને ગીર ગઢડા વિસ્તાર સિંહ પ્રભાવિત હોવાથી અહીં વારંવાર સિંહ જોવા મળે છે. દીવ નજીક આવેલું હોવાથી આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લાખો પ્રવાસીઓ ઉમટી પડશે. આ પ્રવાસીઓ રાત્રિ દરમિયાન સિંહની પજવણી ન કરે અને ગેરકાયદેસર લાઇન શોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ન લે તે સુનિશ્ચ
જિલ્લા મથક ભુજ શહેર સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો ભુજ કોર્ટે આદેશ કર્યો છે. પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે. કોર્ટના આદેશ બાદ કચેરીમાં માલસામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હત
પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ અંગે ફરિયાદ નોંધાઈ છે. શંખેશ્વર સબ રજીસ્ટ્રાર કચેરીના તત્કાલીન કોમ્પ્યુટર ઓપરેટર પ્રવિણ શંકર વણકર અને બિલ્ડર શીતલ શશીકાંત મહેતા સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી વીણાબેન અનિલકુમ
નવા વર્ષ એટલે કે '31st' ની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી મુખ્ય ચેકપોસ્ટોને પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવી છે, જેના કારણે દારૂ ઘૂસાડવાની ફિરાકમાં રહેલા બૂટલે
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક ચમોડા-મલોંઢા રોડ પર એક દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર, ચમોડા ગામ નજીક મુખ્ય માર્ગ
પાટણના પારેવા સર્કલ વિસ્તારમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. છેલ્લા 12 માસથી સ્થાનિક રહીશોની લેખિત રજૂઆતો છતાં કચરાના કન્ટેનરને ખસેડવામાં આવ્યું નથી, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. આ સમસ્યાના નિરાકરણ માટે હ
પાટણ શહેરમાં મોટી ભાટીયાવાડ યુવક મંડળ દ્વારા અબોલ શ્વાનો માટે 200 કિલો શીરો તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં અબોલ જીવો પ્રત્યે કરુણા દર્શાવતા યુવાનોએ આ સેવાકીય કાર્ય કર્યું હતું. યુવક મંડળના સેવાભાવી સભ્યોએ લોકફાળો એકત્ર કરીને આશરે દસ ઘાણ એટલે કે 200 કિ
ચોટીલા ડિવિઝનમાંથી ગેરકાયદે ખનન અને પરિવહન કરતા કુલ 17 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનો પાસેથી 40,92,574નો દંડ વસૂલી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. ચોટીલા-જસદણ નેશન
સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર સાયલા પોલીસે મહેસૂલ વિભાગ સાથે મળીને મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. 29 ડિસેમ્બર, 2025ના રોજ થયેલી આ કાર્યવાહીમાં સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી ચાર હોટલો અને ઢાબાઓના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દ
સંઘપ્રદેશ દમણમાં નવા વર્ષની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ માટે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે એક અનોખી પહેલ કરી છે. તેમણે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના કેસોથી બચાવવા માટે પ્રવાસીઓ માટે મફત રહેવા તથા જમવાની વ્યવસ્થા ગોઠવી છે. 'શરાબ અને કબાબ'ની મહેફિલ માટે જાણીતા દમણમાં 31મી ડિસેમ્બર અને ન
જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાના આદિવાસી સમાજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઇકાલે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી હતી. જોકે, આ યાત્રા પાલનપુરથી 12 કિલોમીટર દુર જ અટકી ગઇ છે. મંજૂ
નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. મધ્યપ્રદેશની બોર્ડને અડીને આવેલા દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ
મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામને કારણે શહેરના મુખ્ય માર્ગોની સાથે હવે બાયપાસ વિસ્તારમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ત્યારે આવા જામના પ્રશ્ન ઉકેલવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને ટ્રાફિક જામના પીક અવર દરમિયાન રાજકોટથી કંડલા તરફ અને કંડલા હ
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી જિલ્લાના તથા જામનગર જિલ્લાના અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે. વાગધારી, ફુટતાલાબ હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજૂરી કામ
મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા વિપુલ ભાઈ વિડજા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.અને આપઘાત બાદ તેની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા તેમજ માળિયા તાલુકા ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વ
ગોધરાના વયોવૃદ્ધ નાગરિકે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધન અને શિક્ષણ હેતુ માટે પોતાના નશ્વર દેહનું દાન કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે 'એનાટોમી' (શરીર રચના શાસ્ત્ર) વિષય ખૂબ જ મહત્વન

28 C