CBIની વિશેષ અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આરોપી મહાદેવ.ડી. પટેલને 3 વર્ષની કઠોર કેદની સજા ફટકારી હતી અને 30,000 રૂપિયાનો નો દંડ પણ કર્યો હતો. આરોપી કંપની M/s હાઈનોપ ફૂડ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દેના બેંક, મુંબઈ દ્વારા નોંધાવેલ લ
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીની અધ્યક્ષ તરીકે ચાર વર્ષ માટે પુનઃવરણી કરવામાં આવી. સંસ્થાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. મૂળરાજસિંહ ચુડાસમા માન
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ઇયળોના ઉપદ્રવે લોકોની મુશ્કેલીઓ વધારી છે. કરણધાર વિસ્તારમાં વરસાદ અને ગરમીના કારણે ઉત્પન્ન થયેલા બફારામાં જમીનમાંથી મોટી સંખ્યામાં ઇયળો બહાર નીકળી આવી છે. લાલ રંગની ઇયળોના ઢગલા ઘરોમાં જોવા મળી રહ્યા છે. નાના બાળકો ધરાવતા પરિવારો વિશેષ ચ
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરાયેલા 943.37 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના રેકેટની તપાસમાં હવે તેજ ગતિ આવી છે. SOGએ આ કેસમાં મોટી કાર્યવાહી કરતા સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને સ
નર્મદા જિલ્લાના કેવડિયામાં સરકારી માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ બનાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. ABVPએ જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાની આ શાળાની જૂની ઇમારત 2017માં તોડી નાખવામાં આવી હતી. છ વર્ષ વીતવા છતાં નવી ઇમારતનું બાંધકામ શરૂ થયું ન
ગોધરાના વેજલપુર રોડ પર ચિખોદરા પાસે આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટીએસની ટીમે આજે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ દવાઓના ઉત્પાદનની તપાસ માટે એટીએસની ટીમે કંપનીમાં દરોડો પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપની કેપ્સ્યુલનું ઉત્પાદન કરે છે. એટીએસની ટીમે તપાસ દરમિય
શહેરમાં રખડતા પશુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ઢોર નિયંત્રણ પોલીસે અમલમાં લાવવામાં આવી છે જે અંતર્ગત હવે પશુઓ રોડ ઉપર રાખી શકાશે નહીં પશુ રાખવા માટે લાઇસન્સ રાખવા ફરજીયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર પશુઓને રાખવાની જગ્યા અ
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમે આજે સુરતથી પ્રસ્થાન કર્યું છે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલા
મોરબી જિલ્લા એલસીબીની ટીમે ત્રણ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી દાનપેટીની રકમ, સોના અને ધાતુના દાગીના સહિત કુલ 2.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમને બાતમી મળી હતી. હળવદમ
મોરબી એલસીબીની ટીમે ખાખરેચી દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈ જતા એક શખ્સને પકડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપી પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા છે. એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા ન
ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ડાંગ જિલ્લામાં આજથી 15 જુલાઈ સુધી તમામ આદિજાતિ ગામોમાં ક્લસ્ટર આધારિત અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વઘઇ પ્રાથમિક શાળા ખાત
જો તમે રાજકોટનાં નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો! નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીની એક શાખા ગ્રાહકોને વાસી અને એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સ વેચવા બદલ વિવાદમાં આવી છે. આ ઘટનાએ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે
અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસને અનેક વિસ્તારમાં ડ્રાઇવ ચાલી રહી છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાંથી SOGએ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા અને તેના બાળકોની અટકાયત કરી છે. આ મહિલા કેટલા સમયથી અહીંયા રહેતી હતી અને શું કામ કરતી હતી તે મામલે તપાસ કરવામાં આવી રહી છ
રાજકોટમાં એક કિસ્સામાં આર્થિક રીતે ભાંગી પડેલા પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતા, 181 અભયમ ટીમે પીડિત મહિલાની વહારે આવીને પરિવારમાં સુમેળભર્યું સમાધાન કરાવ્યું હતું. અને 20 વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલા આ ખટરાગનો સુખદ અંત લાવવામાં 181 અભયમ ટીમે
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ જતી ટ્રક નદીમાં ખાબકી છે. ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પુલની રેલિંગ તોડીને ભોગાવો નદીમાં પડ્યું છે. અકસ્માતમાં એક
તાપીના ઇન્દુ ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાનનો પ્રારંભ, 25થી વધુ લોકોએ લીધો લાભડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શીયલ સર્વિસ (DFS)ના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી નાણાંકીય સાક્ષરતા અભિયાન શરૂ થયું છે. આ અભિયાન 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ના
અમદાવાદના બોપલ વિસ્તારની સ્કૂલ, સરખેજની સ્કૂલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશીલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હત
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈ 2025 સુધી આ અભિયાન ચાલશે. જિલ્લાના દાંતા, અમીરગઢ, થરાદ, પાલનપુર અને વડગામ એમ પાંચ તાલુકાના 167 ગામોમાં રહેતા 1,91,896 આદિવાસી લોકોને આ અભિયાનનો લાભ મળશે. 3 જુલ
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ચૂંટણી પંચે 25 જૂન 2025થી આંગણવાડી કાર્યકરોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી કાર્યકરોએ તેમની રજૂઆતમાં જણાવ્યું કે, મોટાભાગની બહેનોએ પ્રાથમિક શિક્ષણ પણ
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ નજીક મુકતાનંદ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય અંબાલાલ પરમાર સાથે 40 લાખની ઠગાઈ થઈ છે. અંબાલાલ જીએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થયા છે. 17મી એપ્રિલે સવારે સવા નવ વાગ્યે તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેમના નામથી સિમકાર
અબડાસા તાલુકાના તેરા ગામમાં સારા વરસાદને કારણે ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો થયા છે. આ શુભ અવસરે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ તળાવોના વધામણા કર્યા હતા. તળાવોના વધામણા કાર્યક્રમમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્ય
વિકટ પરિસ્થતિમાં ખડેપગ રહી દર્દીઓને સેવા-સારવાર આપતા તબીબોની નિ:સ્વાર્થ ભાવનાને બિરદાવવાના હેતુથી દર વર્ષે 1 જુલાઈએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવાં આવે છે. જેના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ટીમે વિવિધ વિભાગોના તબીબી વડાઓનું તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી
વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોપેડ પર જતી બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગના બે ગુનાઓ અને અમદાવાદમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુનેગારને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. ત
રાજકોટનાં વોર્ડ નં 11માં આવેલ મોટામવામાં આજે ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમની મેઇન લાઇન લીકેજ થઈ હતી. આ અંગેની જાણ થતા જ તાત્કાલિક મેઇન લાઇન બંધ કરાવી રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ લીકેજ થવાથી તિરુમાલા સોસાયટીનું પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. જયારે બાકીના વિસ
ગિરનાર પર્વત પર દર વર્ષે યોજાતો દિગંબર જૈન સમાજનો નિર્વાણ લાડુ નિર્માણ મહોત્સવ આ વર્ષે પણ વિવાદોમાં ઘેરાયો છે. આવતીકાલે 2 જુલાઈ 2025ના રોજ યોજાનાર ધાર્મિક મહોત્સવને લઈને દિગંબર જૈન સમાજે શિખર પર લાડુ ચઢાવવાની મંજૂરી માગી હતી, પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ હાઇકોર્ટના ચુકાદાનો હ
ખંભાળિયા તાલુકાના અનેક ગામોની જીવાદોરી સમાન વંગડી ડેમની આમ આદમી પાર્ટીના કિસાન સેલના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી છે. કાર્યકર્તાઓએ સ્થળ પર જઈને ડેમની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વંગડી ડેમનો પ્રશ્ન છેલ્લા 26 વર્ષથી પેન્ડિંગ છે. જો આ ડેમનું યોગ્ય નિર્માણ અને સુધા
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસ.ઓ.જી. પોલીસની સંયુક્ત ટીમે જાહેરમાં ધૂમ્રપાન કરતા યુવાનો અને આરોગ્યલક્ષી ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી મ
જો તમે પક્ષીઓ જોવાના શોખીન હોય તો દર શનિ-રવિ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી જજો. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને લોકોને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લો
સુરતને વૈશ્વિક ગાર્મેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે માર્કેટ વિસ્તારમાં એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સૌથી આકર્ષક કેન્દ્ર 5 ફૂટ ઊંચી ટી-શર્ટ બની હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ટી-શર્ટ સુરતની ગાર્મે
આગામી મોહરમ-તાજીયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. આ પ્રયાસોના ભાગરૂપે ઝોન-3 માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોકબજાર, સિંગણપોર, મહિધરપુરા અને કતારગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિ
ગુજરાત હાઇકોર્ટની કન્ટેમ્પ બેન્ચ દ્વારા આજે એક સિનિયર કાઉન્સિલ સામે કન્ટેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે 26 જૂનના રોજ જજ સંદીપ ભટ્ટની કોર્ટમાં સિનિયર કાઉન્સિલ ઓનલાઇન સુનવણીમાં હાજર થયા હતા. જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. તેઓ
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી 30 જૂન 2025 સુધી એમ 6 મહિનામાં 15,688 પેટ ડોગના માલિકો દ્વારા 17,859 જેટલા પેટ ડોગન
રાજકોટના રેસકોર્સ મેદાનમાં અગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળામાં રાજ્ય સરકારની RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને જીએસટી સાથેના રાઈડના બિલને લઈને રાઈડ સંચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સ
હાલોલ નગરપાલિકાએ આજે તળાવ રોડ વિસ્તારમાં મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. તળાવની પાળે આવેલા 30 વર્ષથી વધુ જૂના ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. નગરપાલિકાએ અગાઉથી તળાવ રોડ વિસ્તારના દુકાન સંચાલકોને નોટિસ આપી હતી. દુકાનના માલિક
કુતિયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ઈન્ડી એગ્રો ઉન્સોર્ટયમ ઉત્પાદક કંપની લિમિટેડના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ આઇ કિસાન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં 300 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા પરના ખાડા, પાઇપલાઇનના ખોદકામ પછીની અવ્યવસ્થા, સફાઈ, આરોગ્ય, ગંદા પાણી અને ફાયર NOC જેવા અનેક પ્રશ્નોએ લોકોને ત્રાહિમામ પોકારાવ્યા છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પડઘા ચૂંટાયેલી બોડીમાં પણ પડ્
મુખ્યમંત્રીશ્રીની પહેલ અંતર્ગત નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગીર સોમનાથ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 24 જુલાઈ 2025ના રોજ સવારે 11 કલાકે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને અન્ય સ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. તાલાલાના ભીમદેવળ ગામમાં સર્વે નંબર 77 પૈકી 1 વાળી જમીનમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પુરવઠા વિભાગની ટીમને મોટી સફળતા મળી છે. ગોડાઉનમાંથી 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા અને 13 કટ્ટા બા
સુરત પોલીસનું સત્તાવાર એક્સ એકાઉન્ટ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ એક્સ હેન્ડલનું નામ સુરત પોલીસ ને બદલે સુરત એરેના પોલીસ કરી દેવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા એકાઉન્ટ પર આપત્તિજનક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. સાયબર ક્રાઈમ
સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન પદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્યના અધિક રજિસ્ટ્રારે સહકારી માળખામાં મહત્વનો હુકમ કરીને હંસાબેન પટેલને મંડળીના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં 150થી વધુ શાખાઓ ધરાવતી આ બેંકના મહિલા ચેરમેન હંસાબેન પટેલન
પોરબંદર પોલીસે ત્રણ અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. કસ્તુરબા ગાંધી રોડ પર વરલી મટકાના જુગારની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. નિલેષ ધનજી ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી બોલપેન, આંકડા લખેલી ચિઠ્ઠી અને રૂ. 8000ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. બીજા કેસમાં, રાણાવા
વૃધ્ધને ટાર્ગેટ કરીને તેની પાસેથી પૈસા પડાવતી સાયબર ગઠીયા ગેંગે સેટેલાઇટના 80 વર્ષના વૃદ્ધને ટાર્ગેટ કરીને રૂપિયા 86.22 લાખ પડાવ્યા છે. મુંબઇ પોલીસના નામે ફોન કરી વડીલને ધમકી આપવામાં આવી હતી કે તમે સરકાર અને હિન્દુ ધર્મ વિરોધી મેસેજ કરી રહ્યા છો. તેની તપાસમાં તમારી ઘરપકડ થશે. ડ
ગાંધીનગર મહાનગરપાલિકાએ ટી.પી. અમલીકરણની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ પગલું લીધું છે. રાયસણ-રાંદેસણ વિસ્તારમાં અંતિમ નગર રચના યોજના નંબર-19 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્યુનિટી હોલ પાસે આવેલી જમીન પર કાર્યવાહી કરવામાં આવી છે. આ જમીન અંતિમ ખંડ નંબર 356 (પોસ્ટ ઓફિસ), 172 (પાર
પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા સંઘના કાર્યાલયમાં યોજાઈ હતી. સંઘના અધ્યક્ષ સુરેશભાઈ સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકની શરૂઆતમાં તાજેતરના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજ
બોટાદ શહેરના ગઢડા રોડ પર સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે રસ્તા પરના મોટા ખાડાઓની પૂજા કરી છે. વિરોધ પ્રદર્શનમાં ખાડાઓમાં ફૂલ, અગરબત્તી અને ધૂપ કરવામાં આવ્યા. કોંગ્રેસના શહેર હોદ્દેદારો અને ગઢડા રોડના વેપારીઓ મોટી સંખ્યામ
બનાસકાંઠા જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 633 લાભાર્થીઓ અને 168 આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી. નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968 અને નિયમો 1968 અંતર્ગત આ તાલીમનું આય
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માત સર્જાયો છે. અબ્રામા-અમલસાડ રોડ પર ખરસાડ ગામની સીમ નજીક આ દુર્ઘટના બની હતી. નવસારીથી છાપર ગામ તરફ જઈ રહેલા બે યુવકોની બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. અકસ્માતમાં છાપર ગામના વિજય પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ત
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં રાજકોટમાં નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર માટે રૂ. 21.55 કરોડ, આર્ટ ગેલેરીના ભાડા, 104 કરોડના ખર્ચે ખાડા પુરવા સહિતની વિકાસ કામોની જુદી-જુદી 63જેટ
પાટડી તાલુકાની શ્રીમતિ રાધાબેન અને શ્રી હીરાલાલ શાહ પે સેન્ટર શાળા ખેરવામાં બાળ સંસદની રચના કરવામાં આવી છે. આ શાળા શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિસ્તારમાં જાણીતી છે. બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પહેલનો મુખ્ય હેતુ
દાહોદ શહેરના મુવાલિયા ક્રોસિંગ પાસે બે દિવસ પહેલાં એટલે કે 29 જૂન, 2025ના રોજ થયેલા એક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એસ.ટી. બસે બાઈકને અડફેટે લીધું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ગલાલિયાવાડ વિસ્તારના ગારી ફળિયામાં રહેતા વિજય ગારી નામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળ
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર શોધખોળ કરી રહ્યું હતું પણ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારને પોતાના એકના એક દીકરા અંગે જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને શંકા હોવાથી ફોરેન્સ
કર્ણાવતી મહાનગર માતૃશક્તિના કલ્પનાબેનના નેતૃત્વમાં નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 45 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. બેઠકમાં ચંદ્રિકાબેન ચાંદલોડિયા, રંજનબેન વિભાગ અને જિલ્લા સંયોજિકા હેતલબેન વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમ
શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ, સેટેલાઈટ અમદાવાદ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શ્રી નગાલાખા ઠાકરબાપાની જગ્યા, બાવળીયાળી ધામમાં તા. 27 જૂન 2025ના રોજ સવારે 10 વાગ્યે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ કાનાબાપાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે આ
વસ્ત્રાલ ખાતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 60 વર્ષથી વધુ વયના જરૂરિયાતમંદ વૃદ્ધ નાગરિકોને સહાય અને સમાજના હોનહાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેક આપવામાં આવ્યા. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ધારાસભ્ય બ
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જુના નવાપુરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ડૉ. નીરજા ગોટરુ (IPS) ઉપસ્થિત રહ્યા
સુરતની સુમન હાઇસ્કૂલ નંબર 29, પાલનપુર ખાતે 30 જૂન 2025ના રોજ 'જંક ફૂડને જાકારો' વિષય પર વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. શાળાના ઈ.પ્રિન્સિપાલ ગોપાલભાઈ પટેલે કાર્યક્રમની શર
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ શાળા ક્રમાંક 213માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી થઈ. સરકારી માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમ બપોરે 12થી 1:30 વાગ્યા સુધી યોજાયો. કાર્યક્રમમાં કોર્પોરેટર વિનોદભાઈ પટેલ, શરદભાઈ પાટીલ, પૂર્ણિમાબેન દાવલે
સુરતના ગોતાલાવાડી વિસ્તારમાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર 117, શ્રી સંત એકનાથ પ્રાથમિક શાળા નંબર 118 અને શ્રીમતી જ્યોત્સનાબેન શુક્લ પ્રાથમિક શાળા નંબર 120માં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય કા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જય દાદા ફાઉન્ડેશન અને રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રામજી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ગુરુદેવચિરાગ દાદાની પ્રેરણાથી યોજવામાં આવ્
ગાંધીનગર ખાતે 1 જુલાઈ 2025-GST દિવસ નિમિત્તે નાણા મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો ઓફિશિયલ લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ 2024-25 માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ
સિલ્વર ઓક યુનિવર્સિટીના AWS ક્લાઉડ ક્લબ્સે IEEE SOU CS SBC અને TechCAFFEINE Club સાથે મળીને ક્લાઉડવિઝન 2025નું આયોજન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમમાં ક્લાઉડ ટેકનોલોજીની પાયાની સમજણથી માંડીને એડવાન્સ સોલ્યુશન્સની માહિતી
એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે 1 જુલાઈના રોજ GST દિવસ અને CA દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ કરમાફી વ્યવસ્થા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી વિશે જાણકારી મેળવી. કાર્યક્રમમાં વિવિધ પ્
હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત બ્રાન્ચની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ છે. આ સભા 29 જૂન, 2025ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, વસ્ત્રાપુર ખાતે આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 50 જેટલા સભ્યો અને હોદ્દેદારોએ આ સભામાં ભાગ લીધો હતો. કાર્યક્
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5-6 જુલાઈએ આણંદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 5 જુલાઈએ વાલ્મી ખાતે દેશની પ્રથમ ત્રિભોવન સહકારી યુનિવર્સિટીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. 6 જુલાઈએ અમૂલ ડેરી ખાતે સહકાર મંત્રાલયના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ દિવસે ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને આગળ ધપાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિર માટે એક મોટા આધુનિકીકરણ અને જીર્ણોદ્ધાર પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ મહત્વાકાંક્ષી પહેલ, અંદાજિત ₹10 કરોડના ખર્ચે, અત્યાધુનિક લેસર લાઇટ
24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો...જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં પોણા ચાર ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સરકારની બેદરકારીએ બાળકનો જીવ લીધો ગા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. તેમજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન કરવામાં આવે છે, પરંતુ નાગરિકોને ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં 60 ટકા વરસાદી પાણીની લાઈનો નથી. તેમજ ગટર લાઈનો સાફ કરવા માટ
પાલનપુર નગરપાલિકાએ આજે કલેક્ટર કચેરી પરિસરમાં મચ્છર નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન પાર્થ ઠાકોરના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. એસ.આઈ. ભાવેશના માર્ગદર્શન હેઠળ પાલિકાના બે સફાઈ કર્મચારીઓએ કામગીરી કરી હતી. ધીરજ મકવાણા અને કિશન
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોનઠા ગામમાં ગામતળની જમીનના પ્લોટની હરાજીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યાં છે. સર્વે નંબર 983ની જમીનમાં 47 પ્લોટનું વેચાણ ગ્રામજનોને જાણ કર્યા વગર કરી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે. ગ્રામ પંચાય
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે સાબરદાણના ભાવમાં રૂ 50નો ઘટાડો કરવાનો નિર્ણય આજે લીધા બાદ તેનો અમલ આવતીકાલથી થશે.જે મુજબ 65 કીલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું છે. આ અંગ
વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ પર વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકો સાથે ભેદભાવ અને માનસિક છેડછાડના ગંભીર આરોપો લગાવ્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર, શાળા નિયમ વિરુદ્ધ ફી વસૂલે છે અને ફી ન ચૂકવનાર વિદ્યાર્થીઓ સાથે અસમાન વર્તન કરે છે. આ મામલે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન સાથે મળી વ
ગત 12 જૂન, 2025ના રોજ બપોરે 1.38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.40 વાગ્યે અમદાવાદના ઘોડાકેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં સવાર 10 ક્રુ મેમ્બર, 2 પાઇલોટ અને 230 પ્રવાસી મળીને 242 લોકોમાંથી 241ના મોત થઈ ગયા હતા. 5 દિવસથી ઘટનાસ્થળે મૃતકોના પરિવારજનો દીવો અ
શું તમને લાગ્યું હતું કે આ વખતે 2025માં થોડો વધારે વરસાદ થયો છે? તો સાંભળો આ થોડો નહોતો – આ તો ઢગલાબંધ વરસાદ હતો! દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી વરસાદે જૂનમાં જે કમાલ કરી છે, એવી આજથી પહેલાં ક્યારેય નહીં થઈ હોય. ચાલો, દિવ્ય ભાસ્કર પર 2025ના ચોમાસાની જૂન અને જુલાઈની એવી વરસાદી માહિતી
સુરતમાં આગામી 6 જુલાઈ, 2025ના રોજ મોહરમ પર્વ નિમિત્તે તાજિયા રાખવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તે હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 4 જુ
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં વૈદિક મૂલ્યોનું વર્તમાન શિક્ષા પ્રણાલીમાં મહત્ત્વ વિષય પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ, ફેકલ્ટી ઓફ આર્ટસના HOD કલ્પના ગવલી સહિત અન્ય ફેકલ્ટીના પ્રોફેસરો ઉપસ
સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સોદાગરવાડ ખાતે બોમ્બે ફાસ્ટ ફૂડ નામની દુકાન ધરાવતા ત્રણ શ્રમિક યુવાનોને એક પોલીસકર્મી દ્વારા આઠ તમાચા મારી અપશબ્દો બોલવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ આ ફૂટેજ સોશ
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે(1 જુલાઈ) વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નંબર 11 અને 12માં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અનામત પ્લોટ પર થયેલા અનઅધિકૃત બાંધકામો દૂર કરીને કુલ 4564 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમ
પીએમ કિસાન સન્માનનિધિ યોજનામાં વડોદરા જિલ્લામાં 19મા હપ્તાનો લાભ કુલ 1,77,440 ખેડૂતોને મળ્યો છે અને 59,400 ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી હતું. સોમવાર અને મંગળવારે યોજાયેલા ખાસ કેમ્પમાં 10 હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે. જો આ નોંધણી નહીં કરાવવામાં આવે તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લ
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અતુલ્યમ હોસ્ટેલમાં 4 ડૉક્ટરો અને ડોક્ટર સ્વજનોના મોત થયા હતા. મૃતકો માટે એર ઈન્ડિયા અને ટાટા દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ સાથે જ હવે મૂળ દક્ષિણ ભારતના અને દુબઇમાં રહેતા ડૉક્ટર દ્વારા પણ પ્લેન ક્રેશમાં હોસ્ટેલમાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ અત્યારે પ્રદેશ પ્રમુખનું પદ ખાલી છે, ત્યારે કોંગ્રેસના પાટીદાર નેતાઓ સક્રિય થયા છે. કોંગ્રેસમાં પાટીદારોને નેતૃત્વ આપવા માટે ગુપ્ત જગ્યાએ બેઠક કરશે. આ બેઠક બાદ પાટીદાર નેતાઓ દિલ્હી જઈને આ અંગે રજૂઆત કરશે.
બિરલા કોપર દહેજે તેની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત ગુજરાતના 23મા શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 26થી 28 જૂન 2025 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં કંપનીએ વાગરા તાલુકાની 96 સરકારી શાળાઓના 13,700 વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડી છે. કંપનીએ ભરૂચ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં નાબાર્ડ અને જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે મહિલા સશક્તિકરણનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જસાપર, લિમલી અને ઉમરડા ગામોમાં 20 દિવસીય લાઈવલિહૂડ એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં સ્
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સુંદરમ ફ્લેટના પહેલા માળે ગેસ લાઇનમાં અગમ્ય કારણોસર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેમાં મકાન માલિક ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રચંડ ધડાકાના અવાજના કારણે સ્થાનિક લોકો પ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં સ્થાનિકોને રાહતના સમાચાર મળ્યા છે. સર્પગંગા તળાવ છલકાઈ જતાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. છેલ્લા બે સપ્તાહથી થઈ રહેલા સતત વરસાદને કારણે સર્પગંગા તળાવ ઓવરફલો થયું છે. આ તળાવ સાપુતારાના સ્થાનિક રહેવાસીઓ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છ
સુરતમાં યોજાયેલા આહીર સમાજના એક કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે લોકોન
સુરતનાં કોટ વિસ્તારમાં વધુ એક વખત જર્જરિત મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટના વચ્ચે વધુ એક વખત એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે અન્ય બે મહિલા સહિત ચાર વ્યક્તિઓનું રેસક્યુ હાથ ધર
રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા 68ના આઈટી વિભાગના સહ-ઇન્ચાર્જ તરીકેનો કાર્યભાળ સંભાળતા અને એડવોકેટ વિવેક લીંબાસીયાએ પોતાનું રાજીનામું શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને સોંપતા રાજકોટમાં ભાજપના શાસકોની પોલ ખોલી છે. રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
લીંબડી-અમદાવાદ હાઈવે પર પીજીવીસીએલ કચેરી નજીક પાર્સલ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબડી ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગ
ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાનમ નદીમાં સીઝનમાં બીજી વાર નવા નીર આવ્યા છે. પંચમહાલના પાનમ ડેમમાંથી 9968 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણે નદી હાલ બન્ને કાંઠે વહી રહી છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્રએ નદી કિનારે આવેલા 22 ગામોને સાવચેત કર્યા છે. આ ગામોમાં લુ
બોટાદ જિલ્લાના લીંબોડા ગામમાં સરકારી યોજનાઓમાં મોટી ગેરરીતિ સામે આવી છે. 2018થી 2020 દરમિયાન વિવિધ સરકારી યોજનાઓમાં રૂ. 1.82 લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક રહીશે 2023માં તકેદારી આયોગમાં ભ્રષ્ટાચાર અંગે લેખિત ફરિયાદ કરી હતી. આ મામલે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ હા