શહેરના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડ પર 10 એકર મોલથી વોરાના રોજા સુધીના બોટલનેક 15.25 મીટરના વન- વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને 7 રેસીડેન્શિયલ અને 31 કોમર્શિયલ તથા એક ધાર્મિક સ્થળની
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટરપાર્કના હરિભાઈ પટેલ સહિતનાઓ ઉપર જાનથી મારી નાખવા ધમકી આપ્યા અંગે ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કુવાડવા ગામમાં રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની કુંદનભાઇ રામદાસ ગાયકવાડ (ઉ.વ.30)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના વોટરપાર્
અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ
સાયબર ક્રાઇમના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે CID ક્રાઇમની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. TRAI તથા પોલીસ અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી નાગરિકોને વોટ્સએપ વીડિયો કોલ મારફતે “ડિજિટલ અરેસ્ટ” કરી 11.42 કરોડની છેતરપીંડી કરનાર ગેંગના ત્રણ સભ્યોને ઝડપવામાં આવ્યા છે. ટેક્નિકલ
વાપીમાં દમણગંગા રેલવે બ્રિજ પરથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ વિભાગ સક્રિય બન્યો છે. આ ઘટના બાદ વાપી GRP પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ 93 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 4 નવેમ્બર, 2025ના રોજ દમણગંગા રેલવે બ્રિજ પરથી આ નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હત
સુરેન્દ્રનગર જિલ્લાના 44 ગામોના આશરે 3500 અગરિયા પરિવારોની કચ્છના નાના રણમાં મીઠું પકવવાની મહેનત કમોસમી વરસાદને કારણે પાણીમાં ગઈ છે. ત્રણ દિવસના વરસાદથી તેમની સોલાર પેનલ, બોરવેલ અને ઝૂંપડાની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે. એક અગરિયા પરિવારને અંદાજે 20,000 થી 25,000 રૂપિયાનું નુકસાન થયું
ગુજરાતના યુવકોને વિદેશમાં ઉંચા પગારે નોકરી આપવાની લાલચ આપીને માનવ તસ્કરી કરાવતી અને સાયબર ગુનાઓમાં વાપરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, CID ક્રાઇમ, ગાંધીનગરે પોરબંદરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ડેટા એન્ટ્રીની હાઇ સેલરી જોબની ઓફર આપી ફસાવ
દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઈસજેટની ફલાઇટ જ્યાં એરલાઈન્સની ગેરવ્યવસ્થાને કારણે અમદાવાદ આવી રહેલા મુસાફરોના એક ગ્રૂપને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ફ્લાઈટનું સમયપત્રક બદલાયા બાદ, બોર્ડિંગના સમયે જ બે યાત્રીઓને છેલ્લી ઘડીએ અટકાવી દેવાયા, જેનાથી મામલો ગરમાયો હતો. નવું PNR જનર
રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ મકાન માલીક વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી ન્યારા ગામની મહિલાએ ત્રણ માસમાં અલગ અલગ સમયે 83 ગ્રામ સોનુ અને રોકડ સેરવી લઈ પોતાના ઘર ભેગું કર્યું હતું જે અંગે પુત
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ પણ જોડાશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. ન
સુરત મહાનગરપાલિકામાં હજીરા ઉદ્યોગોને ટ્રીટેડ પાણી પૂરૂં પાડવાના મહત્વાકાંક્ષી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કૌભાંડમાં કાર્યવાહી થઈ. કમિશનરના આદેશથી નવી વિજિલન્સ ટીમે કરેલી સઘન તપાસના આધારે આ કૌભાંડમાં સસ્પેન્ડેડ કાર્યપાલક એન્જિનિયર કેતન દેસાઇને અગાઉની ચાર્જશીટનો જ
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રારંભ 7 નવેમ્બરના રોજ ઉમરગામથી થશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે યાત્રાને લીલી ઝંડી અપાશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત રાજ્યન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા વૈજનાથ દાદાના મંદિરે દેવ દિવાળી નિમિત્તે દિવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં શ્રાવણ માસ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ તહેવારોએ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. દેવ દિવાળીની રાત્રિએ વૈજનાથ દાદાને ફૂલડાં સાથ
સુરત મહાનગરપાલિકા શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુરક્ષા સંબંધિત બે મહત્ત્વના નિર્ણયો લેવા જઈ રહી છે. એક તરફ વડોદ-જીઆવ રોડ પર શહેરનું 26મું ફાયર સ્ટેશન બનાવવા માટેના ટેન્ડર સોંપણી પર નિર્ણય લેવાશે. તો બીજી તરફ મગોબ હેલ્થ સ
આજે કારતક સુદ પૂનમ, એટલે કે દેવ દિવાળીના પવિત્ર દિવસે, યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને ચાંદીના મેરાયાં અર્પણ કરવામાં આવ્યા. દેવ દિવાળી નિમિત્તે દેશભરના મંદિરોમાં ભગવાનને મેરાયાં કરવાની પરંપરા છે. મોડી સાંજે શામળાજી મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિ
વડોદરા મદદનીશ નિયામક રોજગાર કચેરી અને વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. 7 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન, ન્યુ સમા રોડ ક્રોસિંગ, છાણી રોડ, વડોદરા ખાતે માત્ર એકસ સર્વીસમેન મા
નવસારી શહેરના સિંધી કેમ્પમાં શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસને ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે સિંધી ગામથી શહેરમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્ર
આર્થિક રાજધાની સુરતમાં જમીનોના ભાવ આસમાને છે, ત્યારે જમીનની લાલચ આપીને કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પરંતુ, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સરકારની માલિકીની અંદાજીત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં અપાવ
શિસ્ત માટે જાણીતી જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ હાલ વિવાદમાં સપડાઈ છે. શાળામાં સિનિયર વિદ્યાર્થી દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે શાળાના સંચાલકો સામે અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ બે દિવસ પહેલા વાલીઓએ વિવિધ બાબતે જિ
બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રેટા ગાડીમાંથી કુલ ₹14,73,050/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરાર છે. LCB પોલીસ સ
આણંદમાં દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે સાઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા સાઈબાબા અને અંબામાતા મંદિરમાં 1551 પ્રકારની સામગ્રીનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરોમાં મહિલા ક્રિકેટ ટીમનો વર્લ્ડકપમાં વિજય અને 'ઓપરેશન સિંદુર'ની વીરાંગનાઓને સમર્પિત થીમ આધારિત સજાવ
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા પાર્કિંગ અને દબાણો દૂર કરવા અંગે કામગીરીનો તથા ઉત્તર-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં બે એજન્સીઓને સોપેલ પાર્કિંગ સર્વે તથા પાર્કિંગ પ્
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો જન્મદિવસ ફક્ત દેશ અને દુનિયામાં જ નહીં, પણ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સત્ય નગર સોસાયટીના નાના બાળકો માટે પણ એક ખાસ પ્રસંગ બની ગયો. આ બાળકોએ 'કિંગ કોહલી' પ્રત્યેનો પોતાનો અપાર પ્રેમ દર્શાવીને તેમના જન્મદિવસની અનોખી અને ભાવ
સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુનો વેપલો સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાંથી મુંબઇની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું. કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતા રૂપિયા 15,00,000 થી વધુનો મુદ્દા
જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કરતા એક સરાહનીય કામગીરી કરી છે. હવેલી ગલી વિસ્તારમાં એક અરજદારનું ગુમ થયેલું આશરે 14 ગ્રામ વજનનું, જેની કિંમત ₹1,30,000/- જે સોનાનું ડોકિયું ગણતરીના કલાકોમાં શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યું છે. આ ગુમ થયેલું ડોકિ
વિશ્વના સૌથી શક્તિશાળી દેશના શક્તિશાળી શહેર ન્યૂયોર્કના મેયર પદે ભારતીય મૂળના અને ખાસ તો ગુજરાતી મુસ્લિમના પુત્ર 34 વર્ષના ઝોહરાન મમદાની ચૂંટાઈ આવ્યા. એક બાજુ અમેરિકામાં 37 દિવસથી શટડાઉન ચાલે છે. જે અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન છે અને ટ્રમ્પે શટડાઉનમાં પોતાનો જ ર
રાજકોટના 80 ફુટ રીંગ રોડ આજી વસાહત પાસે ખોડીયારનગરમાં શિવશક્તિ મંડપ સર્વિસની સામે રહેતાં રાજેશભાઈ ગોડના ઘરે ગઈ તા.04 સપ્ટેમ્બરના રોજ જુડવા દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. ગઈકાલે નવજાત પુત્ર ઓમને તેમની માતાએ સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધો હતો અને રાત્રીના બે વાગ્યે ફરીવાર
શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઠગ દંપતિની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું કહી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતિએ છેતરપિંડી આચરી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ
જૂનાગઢ ખાતે યોજાનાર ગિરનાર પરિક્રમા મેળા પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૂકાયેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનને આજે તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રદ કરવામાં આવેલ સ્પેશિયલ ટ્રેનોમાં 1
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ બુધવારે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. નવા માલજીપુરા કેનાલ નજીક નવા માલજીપુરા, હિંગોરીયા સહિત આઠથી વધુ ગામોના લોકો આ વિરોધમાં જોડાયા હતા. આ માર્ગ અસંખ્ય ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે ખર
અમદાવાદ શહેર-જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR)નો પ્રારંભ થયો છે ત્યારે આ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજિત કુમારે જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશો પાઠવી અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, 4 નવેમ્બરથી શરૂ થયેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR)ની ઝૂંબેશ આ
નવસારીના જલાલપોર તાલુકાના મહુવર મરોલી બજાર વિસ્તારમાં આવેલી ચાવડા સોસાયટીમાં એક બંધ મકાનમાંથી ₹3.42 લાખથી વધુની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ દરવાજાનો લોક તોડ્યા વગર બારીમાંથી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીની ચાવી ત્યા ઘરમાં જ હતી જે ચાવીથી તીજોરીને ખોલીને આ ઘટનાને અંજામ આપ
સુરત શહેરમાં થયેલી એક હત્યાના રહસ્યને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યું છે. આ કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે કોઈ મોટા પુરાવા નહીં પરંતુ મૃતકે ઝપાઝપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાંના નિશાન નિર્ણાયક સાબિત થયા હતા. જેના કારણે આરોપી સુધી ક્રાઈ
જૂનાગઢ મુક્તિ દિવસની આગામી 9 નવેમ્બરે ભવ્ય ઉજવણી થવાની છે. આ દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાત લે એવી પ્રબળ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર વિવિધ કાર્યક્રમો માટે સજ્જ થઈ ગયું છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે કચ્છની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમની કચ્છમાં આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે દેશદેવી માં આશાપુરા માતાજીના દર્શન કર્યા
કારતકી પૂનમ, જેને દેવદિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સપતેશ્વર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાબરમતી અને ડેભોલ નદીના ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ સહિતની ધાર્મિક વિધિઓ માટે ગુજરાતભરમાંથી પરિવારો આવ્યા હતા. પિતૃ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ₹30 લાખની ખંડણી માંગવાના ગુનાના મુખ્ય આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. આરોપી સમીર રીંગબ્લોચ હાલમાં ઇસ્ટ આફ્રિકાના કોંગો દેશમાં રહેતો હતો, પરંતુ મૂળ તે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્કૂલ બોર્ડની 91 જેટલી શાળાઓ હાલમાં બંધ હાલતમાં છે અથવા કાર્યરત નથી. આ શાળાઓની માલિકી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોંપી દેવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદે જણાવ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો 4 નવેમ્બર, 2025થી પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ હાઉસ ટુ હાઉસ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી જિલ્લાના તાબા હેઠળના તમામ વિધાનસભા મતદાર વિભ
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવીને નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને પોતાના લાભો જેમ કે નિવૃત્તિ હુકમ ફોન નંબર 22 અને લાસ્ટ સર્ટિફિકેટ જેવા અગત્યના ડોક્યુમેન્ટ્રો સાથે તેઓને સન્માન સરકાર અને પ્રોત્સાહિત કરવા માટે નો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક બાળક સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે એક ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું હતું. દંપતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. પ્ર
દેવ દિવાળીના પર્વ પર યાત્રાધામો ભક્તોથી ઉભરાયા આજે દેવ દિવાળીના પાવન પર્વ પર રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. અંબાજી, શામળાજી મંદિર, ઊંઝા ઉમિયાધામ અને ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સમાચારને વિસ્તૃત વા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ આવતીકાલથી ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ મુખ્
જામનગરમાં શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીની 556મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંઘ સભા ખાતે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી અને સેજસાહેબ પાઠનો
પોરબંદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન દારૂબંધી ભંગના 9 ગુન્હા નોંધાયા છે. પોલીસે આ મામલે ગુન્હા નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હાઓમાં અનિલ મોહનભાઈ ગુજરાતી, રમેશ કાનજીભાઈ વારા, જીતુ માવજીભાઈ કણકીયા, કેશુભાઈ હમીરભાઈ ઓડેદરા, કેલો ઉર્ફ કેવલ કિસ્સાભાઈ મકવાણા, અનિલ મનજીભ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થયાના બે મહિનામાં 55 ટન કાર્ગો પાર્સલ રવાનાં થયા છે.ઓગસ્ટ મહિનાના અંતમાં હીરાસર એરપોર્ટથી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશન શરૂ થયું હતું. જેમાં એર ઇન્ડિયા પછી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા કાર્ગોની સુવિધા શરૂ કરી દેવામાં આવતાં રાજકોટનાં વ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મેંદરડા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને છ જેટલા આરોપીઓ વિરુદ્
વાંકાનેર નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે. ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરી રહેલા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયાને રોડ ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે હડફેટે લીધા હતા. આ ઘટના આસ્થાગ્રીન સોસાયટી સામે બની હતી. મળતી માહિતી મુજબ, વ
ગુજરાતમાં ગયા સપ્તાહે જગતના તાતના માથે કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. મોઢે આવેલો કોળિયો છિનવી લીધો હતો. ત્યારે આ આઘાતમાં ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં ખેડૂત ગફારભાઈ ઉનડ (ઉ.વ. 45) બચી ન શકાય એવા ઈરાદે પેટે 3 ફૂટનો વીજપોલ બાંધીને આપઘાત કરી લીધો હતો. ખેડૂતના આપઘાતથી આખો પરિવાર
પોરબંદર પોલીસે જુગાર અને ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયતમાં લીધા છે. જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બગવદર પોલીસ સ્ટેશનની ટીમે જુગારના ગુનામાં સંડોવાયેલા
સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં આવેલા પૌરાણિક રૂંઢનાથ મહાદેવ મંદિરમાં ચોર ગેંગે આતંક મચાવ્યો હતો. આ ચોરોએ ગ્લાઇન્ડર મશીનનો ઉપયોગ કરીને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું અને અંદર રહેલી બે દાનપેટીઓમાંથી અંદાજિત રૂ. 60000ની રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના મંદિર પરિસરમ
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગાદી સ્થાન મંદિરે કારતકી પૂર્ણિમા નિમિત્તે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિરમાં વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્
નરોડામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ જ્વેલર્સની શોપમાંથી 48 સોનાની ચુની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ચુનીના જથ્થા સાથે ગઠીયાની ધરપકડ કરી લીધી છે અને તેના વિરૂદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. એક મહિના પહેલા નરોડા વિસ્તારમાં આવેલી જ્વે
સુરત રેલવે પોલીસ (GRP) દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરીને ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત મેળવવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ડ્રાઇવના ભાગરૂપે, રેલવે પોલીસને મિસિંગ અરજીઓના કામે કુલ 32 મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે, જેની કુલ કિંમત આશરે 4,93,350 જ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રેલવે યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં 'સેવા હી સંકલ્પ' અભિયાન અંતર્ગત આરપીએફ રાજકોટ ડિવિઝને ઈમાનદારી, સતર્કત
લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતની 16 વિધાનસભા બેઠકો પરના કુલ 48,73,512 જેટલા મતદારોને ધ્યાનમાં રાખીને, બૂથ લેવલ ઓફ્સિર્સ દ્વારા ઘરે ઘરે જઈને 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' હેઠળ કા
તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ નજીક સોનગઢ-માંડવી વચ્ચે તાપી નદી પર આવેલો હિન્દુસ્તાન બ્રિજ ફરી એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. રાજ્યમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નબળો જાહેર કરાયેલો આ જર્જરિત પુલ ભારે વાહનો માટે બંધ હોવા છતાં, સ્થળ પર તૈનાત GRD જવાનો અને પોલીસની કથિત હપ્તાખોરી
ભાવનગર શહેર અને જિલ્લામાં શીખ સિંધી સંપ્રદાયના આદીધર્મગુરુ ગુરૂનાનકદેવ સાહેબની 556મી જન્મજયંતિની ભાવનગર શહેર-જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના મેયર, શહેર ભાજપ પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન, સહિત સંગઠનના આગેવાનો તથા ભાવનગર કલેકટર પરિવાર સાથે ગુરુદ્વા
વલસાડ જિલ્લા ખુંટેજ ગામે ભેજાબાજે તાંત્રિક વિધિથી કોરા કાગળના રૂ. 5 કરોડ બનાવી આપવાની લાલચ આપીને એક શખસ પાસેથી રૂ. 2.15 લાખ લઈ 500-500ના બંડલની કુલ 40 લાખ રૂપિયાની નકલી નોટો પધરાવી દીધી હતી. પારડી પોલીસે આ કેસમાં આરોપી ભેજાબાજ અનવર થેબાની ધરપકડ કરી છે. આ ભેજાબાજની લૂંટવાની ટેકનિક જોઈ
પાટણના સિદ્ધિ સરોવર પમ્પિંગ સ્ટેશન ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી શહેરીજનોને અપાતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે આરોગ્ય ટીમે સેમ્પલ લીધા છે. પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સોહેલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લીધા બાદ આ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. પાટણ નગરપાલિકા
સરકારે નવી ઈમેલ અને ઓફિસ સ્યુટ સર્વિસ માટે મહત્વનો પરિપત્ર જારી કર્યો છે. જેમાં સરકારી ડીપાર્ટમેન્ટોમાં વિદેશી કંપની માઈક્રોસોફ્ટના સર્વર બદલીને સ્વદેશી ઝોહો રાખવાની પસંદગી કરાઈ છે. કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા થઈ છે, અને અમુક અધિકારીઓએ ડેટા સિક્યુટીરીના પ્રશ્નો ઉઠાવ્યા
ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠનની નવી ટીમો રચવાની પ્રક્રિયા તેજ બની છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ માટે આજ રોજ જીએનએફસી ટાઉનશીપ સ્થિત સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે કોંગ્રેસે સરકાર પર દબાણ લાવવા માટે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આજે રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા હતા. રાજુલા શહેરમાં કોંગ્રેસના કાર
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી આગામી 23 ડિસેમ્બર સુધી મજૂરાગેટ ફ્લાયઓવર બ્રિજ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર-1 પર સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે કામ ચાલુ છે. હાલમાં જ મજૂરાગેટ પર નાનપુરા તરફથી આયકર વિભાગના રસ્તા તરફના ર
મહેસાણા શહેરમાં આવેલ સોમનાથ રોડ પર સામાન્ય તકરારમાં એક 31 વર્ષીય દલિત યુવાનને જાતિવિષયક અપમાન કરીને બે શખસોએ ગડદાપાટુનો માર મારતાં ઈજા થઈ હતી. ઝપાઝપી દરમિયાન તેનો સોનાનો દોરો અને ઈયરફોન કયાંક પડી ગયા હતા. આ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ
પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે .ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે મંદિરના દ્વાર ખુલતા ભગવાનનું મુખ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જોવા અને દર્શન કરવાનો એક લ્હાવા સાથે આશીર્વાદ રૂપ હોઈ વહેલી સવારથી ભક્તોની મંદિરમાં કતાર જોવા મળી ર
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ગુરુ સિંઘ સાહબ ગુરુદ્વાર ખાતે શીખ સંપ્રદાય સહિત અન્ય સમાજના લોકો દ્વારા ગુરુ નાનકની 556મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુ નાનકની 556મી જન્મ જયંતિની ઉજવણી માટે છેલ્લા 40 દિવસથી અ
કચ્છમાં દારૂબંધીનો ભંગ કરતા તત્વો સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ પોલીસે રૂ. 3 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે ભુજ LCBએ અબડાસામાંથી રૂ. 2.65 લાખનો દારૂ જપ્ત કર્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે. ભચાઉ પોલીસ સ્ટેશનના પી
વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. હાલમાં અકસ્માત અંગેના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ થયો છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે ખૂબ જરૂરી છે. ઈકો કાર અને એક્ટિવા ચાલક વચ્ચ
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ હેઠળ આવતા GIL (ગુજરાત ઇન્ફર્મેટિવ લિમિટેડ)એ આખરે પોતાની ભૂલ સુધારી લીધી છે. તેમજ સિનિયર અધિકારીઓને મહત્તવની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. જેમાં નેટવર્કિંગના જનરલ મેનેજર તરીકે પ્રકાશ ધોળકીયા, ટેકનિકલ જનરલ મેનેજર તરી
રાજ્યની શાળાકીય શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઉર્જા યોજનામાં સમાવવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. નાની શાળામાં મહિને 4 હજાર અને વાર્ષિક 50 હજાર તો મોટી શાળામાં મહિને 18થી 20 હજાર અને વાર્ષિક 2 લાખ જેટલું લાઇટબીલ આવત
જામનગરમાં બેફામ વાહન ચલાવનાર બોલેરો ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરના સાતરસ્તા અને લાલબંગલાથી ટાઉનહોલ તરફના વ્યસ્ત માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટના જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્ર
સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે કારતક માસની પૂનમ અને દેવ દિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પહોંચી આશીર્વાદ મેળવી રહ્યા છે. આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભ
થાન તાલુકાના સોનગઢ ગામે 21 વર્ષીય યુવક પારસ ગોંડલિયાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. આ ઘટના ગત બુધવારે મોડી સાંજે વગડિયા નજીક બની હતી. મૃતકના પિતાએ ત્રણ વ્યક્તિઓ સામે પુત્રને ધમકી આપી આપઘાત માટે મજબૂર કર્યાની મૂળી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહન
વડોદરાના આજવા રોડ પર રહેતો 8 વર્ષનો બાળક તેના મિત્રો સાથે સોસાયટીમાં રમતો હતો ત્યારે અંદરોઅંદર ઝઘડયા હતા. માતા-પિતા ઝઘડો થયા બાબતે બોલશે એવા ડરથી બાળક ગભરાઈ ગયો હતો અને ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. સ્પષ્ટ નહીં બોલી શકનાર બાળક રાત સુધી ઘરે પરત નહી આવત
નડિયાદ શહેર અને આસપાસના ગામો માટે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. નડિયાદના મુખ્ય અવરજવરવાળા નડિયાદથી મરિડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડનું નિર્માણ રૂપિયા 2.36 કરોડના ખર્ચે કરવામાં આવશે, જે નડિયાદ, મરિડા, વાલ્લા, હાથજ જેવા 8થી વધુ ગામોના રહેવાસીઓ માટે લા
મૂળી તાલુકાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા ૩૧ વર્ષથી જી.ડી.એસ. તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ ભીખાભાઈ ચૌહાણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમની વિદાય નિમિત્તે મૂળી પોસ્ટ ઓફિસ ખાતે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સાથી કર્મચારીઓ દ્વારા દેવજીભાઈને વિવિધ મ
દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં પણ ઉનાળુ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. જેનો સર્વે પણ થઈ રહ્યો છે. ઓલપાડ તાલુકાના કમરોલી ગામના ખ
ગુરુ નાનકજીની 556મી જયંતિના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના પોર ગામ ખાતે આવેલ ગુરુદ્વારામાં દર્શન કરી પૂજા-અર્ચના અર્પી હતી. તેઓએ ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે અરદાસ લગાવી હતી. મુખ્યમ
ગુજરાત સરકારના નાણાં અને ગૃહ વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ આર. પટેલે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), એકતાનગરની મુલાકાત લીધી હતી. તેમણે દેશને એકતાંતણે જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, દેશને એકતાંતણે
વાગરા નજીક ખાન તળાવ પાસે જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ વાગરાથી જાનૈયાઓને લઈને
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે એવી અમિત ચાવડાએ મુખ્યમંત્રી પાસે પત્ર લખી માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાથી આત્મહત્યા સુધીનું પગલું ભરી રહ્યા હો
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદ અને સરકારી ઉપેક્ષાના કારણે થયેલા નુકસાન સામે ન્યાય અપાવવા કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું પ્રસ્થાન આજે તા. 6 નવેમ્બરના રોજ ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે હરહર મહાદેવના નાદ સાથે થઈ રહ્યું છે. અ
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ ગતરોજ રાજ્ય સરકારના મંત્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મ
જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ડાયાબિટીસ અને બીપી સ્કેનિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજિત કરાયો હતો. પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે આ મેડિકલ કેમ્પનું આયોજન કર
ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વધુ ત્રણ વેપારીઓ પાસે આશરે 1.90 કરોડથી વધુનું રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઠગ દંપતીએ વડનગર, પાટણ,
મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની181મી પ્રાગટ્ય જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ યોજાઈ હતી. ઉજવણીના ભાગ
ભરૂચના મંગલેશ્વર કબીરવડ નજીક નર્મદા નદીમાં 19 વર્ષીય યુવક ડૂબી જવાની ઘટના બની છે. નેત્રંગ તાલુકાનો આદર્શ વસાવા નામનો યુવક આજે વહેલી સવારે લગભગ 6 વાગ્યે નદીમાં લાપતા થયો હતો. તેની શોધખોળ માટે મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આદર્શ વસાવા પોતાના મિત્ર
દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક અસર થઈ છે. આ ઉપરાંત, ખેડૂતોની આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા 'પૂરેટિયા' (ડાંગરનો પરાળ) પણ પલળી જતાં તેમની મુશ્કેલીઓ વધી છે. ડાં
ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ઐતિહાસિક ચાદર સાહિબ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ગુરુ નાનક દેવના પવિત્ર દર્શન કરી ગુરુબાણીના પાથ દ્વારા આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો. માન્યતા મુજબ, હ

25 C