અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને મૂળ NRI દંપત્તિ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા.આ દંપત્તિને નરેશ ગોયલ ઠગાઈ કેસમાં તેમના આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહીને ગઠિયાઓ ડરાવ્યા હતા.આ દંપતી પાસે પૈસાની માંગણી કરતા દંપતીએ 15 લાખની FD તોડાવી પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ, એક વકીલ મિત્રને જાણ કરતા વકીલ મિત્રએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે દંપતીને સમજાવી તેમના 15 લાખ રૂપિયા બચાવ્યા હતા. બેંકમાં કરોડોના ટ્રાન્ઝેક્શનની ખોટી માહિતી આપી દંપતીને ડરાવ્યાસેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને અમેરિકન નાગરિકતા ધરાવતા સિનિયર સિટીઝન દંપતીને 25 ફેબ્રુઆરીએ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને ED, CBI અને મુંબઈ પોલીસના અધિકારી હોવાની ઓળખ આપીને નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં નામ ખુલ્યું હોવાનું જણાવ્યું હતુ. આધાર કાર્ડનો દુરુપયોગ અને મુંબઈની બેંકમાં કરોડોના ટ્રાન્ઝેક્શનની ખોટી માહિતી આપી દંપતીને ડરાવ્યા હતા. દંપતીને ડરાવી ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ દરમિયાન દંપતીને કોઈ સાથે વાત કરવા દેવામાં આવી ન હતી અને ભોજન માટે પણ મનાઇ કરી હતી. ગઠિયાઓએ દિવસ-રાત મોબાઈલ ચાલુ રાખવા મજબૂર કર્યા હતા. 5 મિનિટમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ટીમ દંપતીના ઘરે પહોંચીદંપતીને એક્સિસ બેંકમાં મોકલીને 15 લાખ રૂપિયાની FD તોડાવવા મજબૂર કર્યા હતા. જોકે, દંપતી નેટ બેંકિંગ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતા હોવાથી પૈસા તાત્કાલિક ટ્રાન્સફર થઈ શક્યા નહોતા. આ દરમિયાન સિનિયર સિટીઝને હિંમત કરીને પોતાના વકીલ મિત્રને સમગ્ર ઘટના જણાવી હતી. જે બાદ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની સલાહ મળતા પાંચ જ મિનિટમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ટીમ દંપતીના ઘરે પહોંચી હતી. પોલીસે પહેલા દંપતીના મોબાઈલ બંધ કરાવ્યા અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું હતું.પરિણામે 15 લાખની FD ટ્રાન્સફર થતી અટકી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે શરૂઆતમાં માફિયાઓ 60 લાખ રૂપિયા ઉપાડવાની માગ કરી રહ્યા હતા.
વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદમાં પ્રવાસન સ્થળો વિકસાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ફરવા લાયક સ્થળોમાં કાંકરિયા તળવા સૌથી જાણીતું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુબઈમાં યોજાતા ફાઉન્ટેન શોની જેમ કાંકરિયા ખાતે લાઈટ એન્ડ મ્યુઝિકલ ફાઉન્ટેન શો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા તળાવમાં દરરોજ સાંજના 7 વાગ્યા બાદ 15-15 મિનિટના ચાર સ્લોટમાં આ શો યોજવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટે 4133 ચો.મી. વિસ્તારમાં કેન્ડી મ્યુઝિક વર્લ્ડ બનાવવામાં આવશે. 'લાઈટ એન્ડ મ્યુઝિકલ મલ્ટીમીડિયા ફાઉન્ટેન શો યોજાશે'સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે કાંકરિયાનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે બાળકો માટે ખાસ બાલવાટિકા ઊભી કરવામાં આવી હતી. આગામી સમયમાં કાંકરિયાની અંદર અલગ અલગ પ્રકારની રાઈડ્સ મૂકવામાં આવશે. કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં હેરિટેજ અને આધુનિક ટેકનોલોજીના સંગમરૂપ લાઈટ એન્ડ મ્યુઝિકલ મલ્ટીમીડિયા ફાઉન્ટેન શો યોજવામાં આવશે. સાંજે 7 વાગ્યા બાદ 15-15 મિનિટે ચાર શો નિહાળી શકાશેAMC દ્વારા રૂપિયા 5.54 કરોડના ખર્ચે ફાઉન્ટેન વિકસાવવામાં આશે. જે અંતર્ગત પાણીના ફુવારા, સંગીત, લાઈટિંગ અને દૃશ્ય પ્રોજેક્ટશનના સંકલનથી તૈયાર થનારા આ વિશિષ્ટ ઝોનમાં પાણીના પડદા પર દૃશ્યાવલિ રજૂ કરવામાં આવશે. જેમાં 15-15 મિનિટના ચાર જુદા જુદા થીમ આધારિત શો સાંજે 7 વાગ્યા બાદ નિહાળી શકાશે. 'બાળકો માટે ખાસ કેન્ડી મ્યુઝિયમ બનાવાશે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ બાળકો માટે રૂપિયા 10 કરોડના ખર્ચે કેન્ડી મ્યુઝિમ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેમાંથી 35 ટકા રેવન્યૂ કોર્પોરેશનને પ્રાપ્ત થશે. અંદાજે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નામનું થીમ આધારિત મનોરંજન પાર્ક બનશે. જે ખાસ કરીને બાળકો અને પરિવારજનો માટે નવી મજા અને યાદગાર અનુભવ બનશે. થીમ આધારિત પ્રવેશ દ્વારા, ટિકિટ અને ફૂડ ઝોનની સુવિધાAMC દ્વારા 4133 ચો.મી. વિસ્તારમાં કેન્ડી વર્લ્ડ વિકસાવવામાં આવશે. જેમાં થીમ આધારિત પ્રવેશ દ્વારા, ટિકિટ ઝોન, ફૂડ ઝોન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આશે. મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ દ્વારા અને બહાર નીકળવાના સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. શહેરીજનોને ફોટોગ્રાફી માટે નવું નજરાણું મળશેઅંદાજે 12થી 15 કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ બાળકો અને ફરવા આવતા શહેરીજનો માટે બનવા જઈ રહ્યો છે. જેનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવશે. એજન્સી દ્વારા AMCને પ્રતિ વર્ષ પ્રતિ સ્ક્વેર મીટર મુજબ 187 રૂપિયા ભાડું એટલે કે, 7.72 લાખ મળશે. પ્રોજેક્ટમાંથી મળનારી કુલ આવકમાંથી 35 ટકા રેવન્યુ શેરિંગ પણ થશે. AMCને સ્થિર આવકનો સ્ત્રોત પણ ઉલબ્ધ થશે અને આર્થિક લાભ પણ મળશે. કાંકરિયા ખાતે ફોટોગ્રાફીનું આ નવું નજરાણું બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. કમિટી શહેરના જોવાલાયક સ્થળોની યાદી બનાવશેઅમદાવાદ શહેરના પ્રવાસનને વધુ વેગ આપવા માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી નામનું ટ્રસ્ટ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર અપાઈ છે. આ કમિટી દ્વારા શહેરમાં જોવાલાયક સ્થળોની યાદી બનાવી ત્યાં વધુમાં વધુ પ્રવાસીઓ કેવી રીતે આવે તે માટેનું યોગ્ય આયોજન કરવામાં આવશે. જોવાલાયક સ્થળો ઉપર બ્યૂટિફિકેશન, સ્વચ્છતા, ટ્રાફિક, પાર્કિંગ, પાણી અને ટોયલેટ સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ જોશે. મ્યુનિસિપલ કમિશનર આ ટ્રસ્ટના ચેરમેન રહેશે. હેરિટેજ કમિટી સાથે મળીને શહેરમાં આવેલા પ્રવાસન સ્થળોને પર્યટકો માટે ફરવા લાયક બનાવવા માટે તેના વિકાસના કાર્યો થાય તે માટેના બજેટની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત આ પ્રવાસન સ્થળોની એક યાદી બનાવી તેને ડેવલોપ કરી પર્યટકો ઉપયોગમાં લે તે માટે કમિટીએ બહાલી આપી છે. આ સ્થળોને ડેવલોપ કરવાના તમામ ખર્ચ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર દ્વારા બજેટ મંજૂર કરાયું છે. રાજ્યમાં પ્રવાસન સ્થળોને વેગ મળે તે માટે AMCના કાંકરિયા તળાવ, અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જગન્નાથ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા સ્થળોને ડેવલોપ કરવામાં આવે તે માટેની કમિટીએ મંજૂરી આપી છે.
ભાવનગરના અધેવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વે અવાવરૂ જગ્યાએ બાવળીયામાંથી યુવકની શંકાસ્પદ લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. વાડીએ કામ માટે ગયેલો યુવક ઘરે પરત ન ફરતા તપાસ દરમિયાન તેની મોટરસાયકલ અને બાદમાં લાશ મળી આવી હતી. જેનું પોસ્ટમોર્ટમ કરતા પીએમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભરતનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો?આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, અધેવાડા ઝાંઝરીયા રોડ દે.પૂ વાસ વિસ્તારમાં રહેતા મૃતકની પત્ની ખાટુબેન મથુરભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તા. 25 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે તેમના પતિ મથુરભાઈ પરમાર (ઉ.વ 41) પોતાની મોટરસાયકલ લઈને વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહની વાડીએ ઘઉંને પાણી પીવડાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. બપોરના જમવા માટે તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારને ચિંતા થઈ હતી. આખી રાત શોધખોળ કરવા છતાં પતો ના લાગ્યોબપોરના ચાર વાગ્યે દીકરાને જગાડીને વાડીએ તપાસ કરવા મોકલતા મથુરભાઈ ત્યાં હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તથા જ્ઞાતિના લોકોએ આજુબાજુના વાડી વિસ્તારમાં આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ મથુરભાઈનો કોઈ પતો લાગ્યો ન હતો. જ્યારે તા.26 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે મથુરભાઈની શોધખોળ દરમિયાન શિવમ અમૃત સોસાયટી નજીક ડી-માર્ટ જવાના રસ્તા પર કાચા માર્ગ ઉપર તેમની મોટરસાયકલ મળી આવી હતી. બાવળની ઝાડીમાંથી યુવકની લાશ મળીનજીકની બાવળની ઝાડીમાં તપાસ કરતા સિમેન્ટની વડી પાસે મથુરભાઈની લાશ મળી આવી હતી, જેમાં તેમના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ સાથે લોહી નીકળતું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે હેમરેજ થતાં મોત થયું હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ BNS કલમ 103(1) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના લાંચ પ્રકરણમાં 8 દિવસથી ફરાર આરોપી પરવાના ઉર્ફે ઇસ્માઇલ પઠાણે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર પરવાનાની કોંગ્રેસના ખેસ સાથેની તસવીરો વાઇરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. એન્ટી કરપ્શન બ્યુરો હાલ પરવાનાના સાથીદાર સમીર પર વોચ રાખી રહી છે, કારણ કે, સમીર તેને કાયદાકીય છટકબારી શોધવામાં મદદ કરતો હોવાની ACBને આશંકા છે. કોંગ્રેસના ખેસમાં પરવાનાની તસવીરોથી વિવાદપરવાના ઉર્ફે ઇસ્માઇલ પઠાણ લિંબાયત વિસ્તારમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હોય તેવી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. આ તસવીરોમાં તે કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો જોવા મળે છે. લાંચ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીના તાર કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાની ચર્ચાએ જોર પકડતા પક્ષ રક્ષણાત્મક મોડમાં આવી ગયો છે. 'તે અમારો સભ્ય નથી' કહીં કોંગ્રેસે હાથ ઊંચા કર્યાપરવાનાની તસવીરો મામલે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ સ્પષ્ટતા કરી છે કે, પરવાના નામનો કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં હોદ્દેદાર નથી. આ ટાઉટોની આખી મંડળી છે અને અધિકારીઓ તેમના બોસ છે. અમે પોતે જ 15 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આ પરવાના અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. સમીર અને પરવાનાની ભાગીદારી પર ACBની નજરACBને શંકા છે કે પરવાનાને ફરાર રહેવામાં અને કાયદાકીય કાર્યવાહીથી બચવામાં તેનો સાથીદાર સમીર સતત મદદ કરી રહ્યો છે. સમીર એક વખત છત્રી લગાવી સીમ કાર્ડ વેચતો હતો. હાલ તેણે પોતાની છાપ બિલ્ડર તરીકે લિંબાયતમાં બનાવી છે. આ પરવાના અને સમીરની ટોળકી દ્વારા લિંબાયત વિસ્તારમાં ભાગીદારીમાં અનેક ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ એસીબી આ ટોળકીની નાણાકીય વ્યવહારો અને પ્રોપર્ટીના કાગળોની તપાસ કરી રહી છે. મદીના મસ્જિદ પાસેની 6 માળની બિલ્ડિંગ તપાસના ઘેરામાંતપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મદીના મસ્જિદ નજીક એક વિવાદિત 6 માળની બિલ્ડિંગ ઉભી કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં પરવાના અને તેની ટોળકીનું રોકાણ હોવાની શક્યતા છે. સ્થાનિક રહીશો પણ આ ટોળકીના ત્રાસથી કંટાળીને હવે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. ઝોન ઓફિસ પાસેના જીમમાં પરવાનાની 'બેનામી' ભાગીદારી?ઝોન ઓફિસની બિલકુલ નજીક એક જીમ બનાવવામાં આવ્યું છે. ACB તપાસ કરી રહી છે કે આ જીમમાં પરવાના કેટલા ટકાનો ભાગીદાર છે. આ ભાગીદારી પેપર પર છે કે પછી ગેરકાયદેસર રીતે વહીવટ ચાલી રહ્યો છે તે અંગેના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીની નજીક જ ચાલતા આ ગોરખધંધાથી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. લિંબાયતમાં પરવાના-સમીર ટોળકીનો આતંકસ્થાનિકોના જણાવ્યા અનુસાર, પરવાના, સમીર અને તેમની સાથે જોડાયેલા કેટલાક શખ્સોએ લિંબાયત વિસ્તારમાં રીતસરનો આતંક મચાવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફસાવીને તેમની પાસેથી નાણાં ખંખેરવાનું કામ આ ટોળકી કરતી હતી. અધિકારીઓ સાથેની સાંઠગાંઠને કારણે આ ટોળકી અત્યાર સુધી બેફામ બનીને ફરતી હતી. કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાળા હાજર થયાલાંચ પ્રકરણમાં દબાણ વધતા સસ્પેન્ડેડ કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાળા આખરે હાજર થઈ ગયા છે. એન્જિનિયરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. હવે ACBનું આગામી લક્ષ્ય પરવાના છે, જેના માટે અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત ઠેકાણાઓ પર તપાસ તેજ કરવામાં આવી છે. વેશ પલટો કરીને લોકોને છેતરતી ટાઉટોની મંડળીકોંગ્રેસના જણાવ્યા અનુસાર, પરવાના ક્યારેક પત્રકાર તરીકે તો ક્યારેક રાજકીય કાર્યકર તરીકે ઓળખ આપી લોકોને છેતરતો હતો. આ ટોળકી અલગ-અલગ વેશ ધારણ કરીને ભ્રષ્ટાચાર આચરતી હતી. હાલમાં એસીબી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે.
ગાંધીનગરમાં સગીર પ્રેમી પંખીડાની કુમળી વયના પાંગરેલા પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષની પ્રેમિકા ઘરે એકલી હોવાનું જાણીને 17 વર્ષનો પ્રેમી ઘરમાં ઘૂસ્યો હતો. દરમ્યાન સગીરાના પિતા ઘરે પહોચી જતાં બન્નેનો ભાંડો ફૂટી ગયા હતો. જેના પગલે દીકરીને બહાર કાઢી પિતાએ રૂમમાં સગીરને પુરી દઈ પરિવારને બોલાવ્યા હતાં. જોકે ત્યાં સુધીમાં ડરના માર્યા સગીરે પંખે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સગીરાની ધો.10ની અને મૃતક સગીરની ધો.12ની બોર્ડ પરીક્ષા ચાલુ છે. સમગ્ર ઘટના મામલે ચિલોડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. સગીર અને સગીરાનો એકજ સ્કૂલમાં અભ્યાસ કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે પણ જ્યારે કુમળી વયનો પ્રેમ સમજ્યા વિનાની આંધળી દોટ મુકે છે ત્યારે તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધવામાં આવ્યો છે. ચિલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે પરિવારો સામ સામે રહે છે. જેમના સગીર દીકરો દીકરી એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી સ્વભાવિક રીતે સાથે સ્કૂલે આવતા જતા હતાં. બંનેની બોર્ડની પરીક્ષા ચાલી રહી છેજેમાં એક પરિવારની 15 વર્ષની દીકરી ધોરણ 10 અને બીજા પરિવારનો 17 વર્ષના દિકરાની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમ્યાન જ સગીરે સગીરાના ઘરે રૂમમાં પંખે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છેકે, પાડોશી હોવા ઉપરાંત સગીર સગીરા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે કુમળી વયનો પ્રેમ કેટલાય સમયથી પાંગર્યો હતો. એક દિવસ સગીર પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો ને...આ વાતથી બંને પરિવારો સાવ અજાણ હતાં. પરંતુ એક દિવસ સગીર પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી દીકરીના પિતાએ સામે પક્ષે જાણ કરી હતી. એ વખતે સગીર પ્રેમીના ફુવાએ આ બાબતે ફરીવાર ફરિયાદ નહીં આવે તેવી બાહેધરી આપી હતી. આ તરફ સગીર દીકરી પર પણ પરિવારે પાબંધીઓ લાદી દીધી હતી. એટલે બંનેને છેલ્લા કેટલાય સમયથી એકલતામાં મળવું મુશ્કેલ બની ગયું હતું. પ્રેમિકા એકલી હોવાનું જાણીને પ્રેમી ઘરમાં ઘૂસી ગયો એવામાં સગીરાની માતાને બીમારીના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે પત્નીની સરભરા માટે પતિ હોસ્પિટલે ગયા હતાં. એ સમયે પ્રેમિકા એકલી હોવાનું જાણીને પ્રેમી ઘરમાં ઘૂસી ગયો હતો. બંનેને એમ હતું કે લાંબો સમય એકલા વિતાવવા મળશે. દરવાજો ખોલતા સામે પિતાને જોઈને ફફડી ગઈપરંતુ થોડી વારમાં બહારથી દરવાજો ખટકાવામાં આવતા પ્રેમી પંખીડા ગભરાઈ ગયા હતા. જેના પગલે પ્રેમી રૂમમાં સંતાઈ જતા સગીરાએ દરવાજો ખોલતા જ સામે પિતાને જોઈને અંદરથી ફફડી ગઈ હતી. બાદમાં પિતા ઘરમાં પ્રવેશતા જ રૂમમાંથી સગીર મળી આવ્યો હતો. આ વાતથી તેમણે બન્નેને ઠપકો પણ આપ્યો હતો. બાદમાં તેમણે સમગ્ર ઘટના સગીરને ફુવાને ફોન કરીને જાણ કરી હતી. જેથી ફુવાએ બહારથી દરવાજો બંધ કરી દેવાનું જણાવી પોતે ઘરે આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. સગીર પ્રેમીએ ડરના માર્યા સાડી બાંધીને ગળેફાંસો ખાધોજેના પગલે રૂમનો દરવાજો બંધ કરી દીકરીને લઈને પિતા ઘરની બહાર નીકળી ગયા હતાં. જેની થોડીવાર પછી સગીરના ફુવા સોસાયટીમાં આવી પહોંચ્યા હતા. બાદમાં બંને જણા ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. 17 વર્ષના સગીર પ્રેમીએ ડરના માર્યા પંખાએ સાડી બાંધીને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારના બંને મોભીના પગ નીચેથી જમીન સરકી આ દ્રશ્ય જોઈને પરિવારના બંને મોભીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બનાવની જાણ થતા ચિલોડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં હાલમાં બંને પરિજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો હાલના તબક્કે નોંધ્યો છે.
પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાંથી આઉટ, ન્યૂઝીલેન્ડ સેમિ ફાઈનલમાં ઈન
Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં દળે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. શ્રીલંકાની લડાયક ઈનિંગ બાદ પાકિસ્તાનની પાંચ રને જીત
સુરેન્દ્રનગર કોંગ્રેસની બેઠક યોજાઈ:સંગઠન મજબૂત કરવા અને ચૂંટણી અંગે માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (AICC) ના સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, તેમજ GPCC ના નિરીક્ષક દિનેશભાઇ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો, ફ્રન્ટલ/સેલ/ડિપાર્ટમેન્ટના ચેરમેનો તથા જિલ્લા અને તાલુકાના વરિષ્ઠ આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન પામતું સુરત શહેર અત્યાર સુધી હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત હવે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સિટી તરીકે ઉભરી આવવા માટે સજ્જ થયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરતી આઈ લેબ અને આઈ હબ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સુરતના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે શિક્ષણ, ઉદ્યોગ અને વહીવટી તંત્રના અગ્રણીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ નકશા પર અંકિત કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બેઠકનું નેતૃત્વ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં સુરતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, SVNIT સુરત, IIIT સુરત તેમજ વ્યવસાયિક સંગઠનો જેવા કે TiE સુરત અને ICAIના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. SMC આ તમામ પ્રવૃત્તિઓ માટે એક નોડલ એજન્સી તરીકે કાર્ય કરશેબેઠકનો મુખ્ય એજન્ડા સુરતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને 'સંસ્થાકીય' સ્વરૂપ આપવાનો હતો. અત્યાર સુધી સુરતમાં અનેક સંસ્થાઓ સ્ટાર્ટઅપ માટે અલગ-અલગ રીતે કાર્યરત હતી પરંતુ, આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે તમામ પ્રયાસોને એકીકૃત કરવામાં આવશે. SMC આ તમામ પ્રવૃત્તિઓ માટે એક નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે, જે શિક્ષણ જગતની નવીનતાઓને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડશે. સુરત પાસે અદભૂત ઉદ્યોગસાહસિકતા છેમ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને આત્મનિર્ભર ભારત 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંકને અનુરૂપ સુરત વિઝન 2047 રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત પાસે અદભૂત ઉદ્યોગસાહસિકતા છે. હવે સમય આવ્યો છે કે,આપણે ટેકનોલોજી અને ઇનોવેશનના માધ્યમથી આપણા અર્થતંત્રમાં વૈવિધ્યીકરણ લાવીએ. બ્રાન્ડ સુરત માત્ર પરંપરાગત ઉત્પાદનો પૂરતું મર્યાદિત ન રહેતા, આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ આપનારા સ્ટાર્ટઅપ્સ માટે ઓળખાવું જોઈએ. આ વિઝન અંતર્ગત સુરતને એક એવું પ્લેટફોર્મ બનાવવાની તૈયારી છે જ્યાં નવો આઈડિયા ધરાવતા યુવાન, માર્ગદર્શન આપતી શૈક્ષણિક સંસ્થા, રોકાણ કરતો ઉદ્યોગપતિ અને સહાય કરતી સરકાર એક જ મંચ પર ઉપલબ્ધ હોય. પ્રોજેક્ટનો હેતુ સ્થાનિક કક્ષાએ વિકસેલા ઉત્પાદનોને પ્રમોટ કરવાનો છેઆ બેઠકની સૌથી મહત્વની જાહેરાતોમાંની એક 'મેડ ઇન સુરત' પ્રોજેક્ટ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને બજેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ સ્થાનિક કક્ષાએ વિકસેલી નવીનતાઓ અને ઉત્પાદનોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવાનો છે. આ સ્ટાર્ટઅપ્સને વિવિધ સરકારી મંજૂરીઓ, ફંડિંગની માહિતી અને ઇન્ક્યુબેશન સહાય માટે ભટકવું ન પડે તે માટે એક સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ વિકસાવવા પર સર્વસંમતિ સધાઈ છે. આ ડિજિટલ અને ફિઝિકલ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરશે. વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ અને રોજગારીની તકો પ્રાપ્ત થશેબેઠકમાં એક નવતર અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં વાસ્તવિક સમસ્યાઓનું નિવેદન સુરતના વિવિધ ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, ડાયમંડ, લોજિસ્ટિક્સ તેમની રોજબરોજની ટેકનિકલ કે વહીવટી સમસ્યાઓ રજૂ કરશે. આ સમસ્યાઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે પ્રોજેક્ટ તરીકે મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ તેના ટેકનિકલ ઉકેલો શોધશે, જે પાછળથી નવા સ્ટાર્ટઅપ તરીકે વિકસી શકે છે. આનાથી ઉદ્યોગોને સસ્તા અને સચોટ ઉકેલો મળશે અને વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ અને રોજગારીની તકો પ્રાપ્ત થશે. સુરતની કનેક્ટિવિટી વધારવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી બનાવવાની ચર્ચાઓ પણ આ બેઠકમાં કેન્દ્રસ્થાને રહી હતી. SVNIT અને IIIT જેવી સંસ્થાઓ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડશે, જ્યારે ICAI અને TiE સુરત જેવા સંગઠનો નાણાકીય વ્યવસ્થાપન અને મેન્ટરશિપમાં મદદ કરશે.
જૈન શ્રાવિકા સેવા સંસ્થાન દ્વારા પોતાના 21માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની નજીક આવેલા પવિત્ર મેરુધામ તીર્થ ખાતે ગત બુધવાર, 25 ફેબ્રુઆરીના રોજ 'શક્રસ્તવ અભિષેક' યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાની શ્રાવિકાઓએ પરમાત્મા પાર્શ્વનાથની ભક્તિમાં લીન થઈને વિવિધ ઔષધિઓ અને પુષ્પો દ્વારા પ્રભુનો અભિષેક કર્યો હતો. આ અભિષેક પૂજનનો લાભ મહેશાબેન કૌશિકભાઈ શાહ પરિવારે લીધો હતો. સેવા અને સમર્પણના 20 વર્ષ સંસ્થાના પ્રમુખ ફાલ્ગુની શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સંગઠન છેલ્લા 20 વર્ષથી ધર્મ અને સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યું છે. પૂજ્ય નયપદ્મસાગરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શારદાબેન યુ. મહેતા (ટોરેન્ટ ગ્રુપ)ના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ સંસ્થા આજે 450થી વધુ શ્રાવિકાઓનું એક મજબૂત સંગઠન બની ચૂકી છે. વિવિધલક્ષી સામાજિક કાર્યો જૈન શ્રાવિકા સેવા સંસ્થાન માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શિક્ષણ, વૈયાવચ્ચ, જીવદયા (અનુકંપા) અને નારી ઉત્કર્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં પણ સક્રિય છે. શ્રાવિકાઓ દ્વારા સમયાંતરે જરૂરિયાતમંદોની સહાય અને સમાજ ઉત્થાનના કાર્યો અવિરતપણે કરવામાં આવે છે. 21માં વર્ષમાં પ્રવેશતા સંસ્થાએ પોતાના સેવાકીય વ્યાપને વધુ વિસ્તૃત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતની ધરતી પર કાયદાકીય શિક્ષણનું હબ ગણાતી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ આજે સંપન્ન થયો છે. આ ગૌરવશાળી પ્રસંગે ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના કુલ 295 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન એ વ્યાવસાયિક જીવનના પાયાને મજબૂત કરવાની ક્ષણઆજના દીક્ષાંત પ્રવચનમાં જસ્ટિસ સૂર્યકાંતે નવનિર્મિત કાયદાશાસ્ત્રીઓને માર્મિક સલાહ આપતા જણાવ્યું હતું કે, પદવીદાન એ માત્ર શૈક્ષણિક સફળતા નથી, પરંતુ વ્યાવસાયિક જીવનના પાયાને મજબૂત કરવાની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે, કાયદાનો અભ્યાસ કરવો અને મેદાનમાં કાયદાનું પાલન કરવું આ બંને વચ્ચે નકશા અને વાસ્તવિક પ્રદેશ જેટલું અંતર છે. તેમણે વિદ્યાર્થીઓને નૈતિક સચ્ચાઈ અને પ્રામાણિકતાના મૂલ્યો ક્યારેય ન છોડવા અનુરોધ કર્યો હતો. AI, ક્લાઇમેટ ચેન્જ અને ડેટા શેરિંગ જેવા પડકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાલોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ આપતા ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, તેઓ કોઈપણ કાર્ય પ્રશંસાની અપેક્ષા વગર કરતા હતા. કાયદાના વ્યવસાયમાં પણ અનેક કામો એવા હોય છે જેમાં ત્વરિત સફળતા મળતી નથી, ત્યાં ધીરજની કસોટી થાય છે. તેમણે વિદ્યાર્થીઓને પરફોર્મિંગ છોડી પ્રેક્ટિસિંગ બનવા અને તૈત્તિરીય ઉપનિષદના મંત્ર 'સત્યમ્ વદ, ધર્મમ્ ચર' (સત્ય બોલો અને ધર્મના માર્ગે ચાલો) ને જીવનમંત્ર બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ચેન્જ અને ડેટા શેરિંગ જેવા પડકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ડ્રાફ્ટિંગના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. સંસ્થાના ડાયરેક્ટર એસ. શાંતકુમારે પ્લેસમેન્ટના આંકડા રજૂ કર્યાઆ અવસરે છેવાડાના માનવી સુધી કાયદાકીય સહાય પહોંચાડવા 'મોબાઈલ લીગલ એઈડ ક્લિનિક ન્યાય રથ'ને લીલી ઝંડી આપવામાં આવી હતી. જ્યારે હાઈ-ટેક ન્યાય પ્રણાલી માટે AI-મૂટ કોર્ટ સીમ્યુલેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. સંસ્થાના ડાયરેક્ટર એસ. શાંતકુમારે પ્લેસમેન્ટના આંકડા રજૂ કરી GNLU દેશની નંબર વન લો સ્કૂલ બની હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું. આ સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ નિલય વી. અંજારિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 2025ની બેચના કુલ 295 વિદ્યાર્થીઓને પદવી એનાયતઆ પ્રસંગે વર્ષ 2025ની બેચના કુલ 295 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં 12 પીએચડી સ્કોલર્સ, 194 અંડરગ્રેજ્યુએટ અને 89 એલએલએમ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ગૌરવશાળી સમારોહમાં મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ 40 સુવર્ણ ચંદ્રકો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણના બજારોમાં હોળી-ધૂળેટીના તહેવાર પૂર્વે ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાટણ એ-ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે રસ્તા પરના દબાણો દૂર કરવાની સાથે પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે. ઐતિહાસિક પાટણ શહેરમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ છે. શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં સવારથી જ ગ્રાહકોની ચહલપહલ જોવા મળે છે. ખાસ કરીને ખજૂર, ધાણી, હારડા અને પિચકારીની દુકાનો પર લોકોની લાંબી કતારો લાગેલી છે. બજારમાં વિવિધ રંગો અને બાળકો માટેની આકર્ષક પિચકારીઓનું વેચાણ વધ્યું છે, જેનાથી વેપારીઓમાં પણ સકારાત્મક વાતાવરણ છે. તહેવારની ખરીદી માટે ઉમટેલી ભીડને કારણે બજારોમાં વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ રહી છે. ટ્રાફિક જામની આ સ્થિતિને પહોંચી વળવા માટે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો પર આડેધડ ઊભી રહેતી લારીઓ, ખાણી-પીણીના સ્ટોલ્સ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. રસ્તામાં અવરોધરૂપ બનતા નાના-મોટા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બજારના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને માર્ગો પર અડચણ ઊભી કરનારા વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ છે. તહેવારના દિવસોમાં નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે ખરીદી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.
અમદાવાદના સિલ્વર ઓક યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો હતો. એસ.જી.વી.પી. સંકુલ ખાતે પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. પદવીદાન સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલના કોર્સના કુલ 6,829 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ, ડિપ્લોમા, MBA, BCA સહિતના વિવિધ કોર્સના વિદ્યાર્થીઓએ ગર્વભેર ડિગ્રી પ્રાપ્ત કરી પોતાના કારકિર્દી જીવનમાં નવા પડાવ તરફ પગલું ભર્યું હતું. કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા ભારતીય અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી વેદાંત ત્રિવેદી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 6000 કરતા વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવીસિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇલ ચાન્સેલર ડૉ. પીના ભટ્ટે જણાવ્યું હતું કે, આજે સિલ્વર ઓક યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 6000 કરતા વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં એન્જિનિયરિંગ, ડિપ્લોમા, MBA, BCA સહિતના કોર્સની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. અતિથિની સાથે સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા. યુવાનો નોકરી શોધનાર નહિ પરંતુ નોકરી આપનાર બન્યા કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, ભારતે જે વૈશ્વિક સન્માન પ્રાપ્ત કર્યું છે તેમાં શિક્ષણની સૌથી વધુ ભૂમિકા છે. દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં અને ટેકનોલોજી સેક્ટરમાં ભારતીય યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જ્યારે કોઈ ભારતીય પ્રવેશ કરે છે તો તેને કર્મચારી માનવામાં આવતો નથી તેને સમાધાન કરતા તરીકે જોવામાં આવે છે. દુનિયામાં ભારતીય વિદ્યાર્થીઓની અલગ ઓળખાણ બની ગઈ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શિક્ષામાં જે પરિવર્તન આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દેશના ગામડાઓ સુધી ઓનલાઇન શિક્ષણ પહોંચ્યું છે. યુવાનો નોકરી શોધનાર નહિ પરંતુ નોકરી આપનાર બન્યા છે. ગિફ્ટ સિટી ભારતની આર્થિક તાકાતનો નવો ચહેરો બની ગયું છેવધુમાં મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, ભારત દુનિયાની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. યુવા પેઢી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂરો કરવા સહકાર આપશે. ગુજરાત માત્ર એક રાજ્ય નહીં પરંતુ વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યું છે. ગિફ્ટ સિટી ભારતની આર્થિક તાકાતનો નવો ચહેરો બની ગયું છે. સરકારી ક્ષેત્રમાં પણ ગુજરાતે વિશ્વમાં ઊંચું મોડલ તૈયાર કર્યું છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાત માર્ગદર્શક બની ગયું છે. આણંદમાં સ્થાપેલી સહકારી યુનિવર્સિટીના કારણે સહકાર ક્ષેત્રને નવી દિશા આપવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. ડિગ્રી માત્ર કાગળનું પ્રમાણપત્ર નથી પરંતુ તે ભારતના ભવિષ્યની જવાબદારી છે. ઈમાનદાર બનીએ તે ખૂબ જરૂરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર તરીકે અરજદારે જણાવ્યા પૈકી બાકી રહેલા 63 વિક્રેતાઓના રજીસ્ટ્રેશન કરી તેમને ઓળખ પત્ર આપે. તેમને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અંતર્ગત અને 2019ના સર્વે મુજબ રિલોકેટ કે રીહેબલીશનનો લાભ આપવામાં આવે. 63 વૅન્ડર્સને અમદાવાદ મહાનગરપાલિકાએ મનાઈ કરી દીધી હતીમૂળ અરજીમાં ઉલ્લેખિત 166માંથી 103 વૅન્ડર્સને AMC દ્વારા રેગ્યુલરાઈઝ કરીને તેમની જગ્યા ફાળવવામાં આવી છે. તેમનું કામકાજ પણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે 63 વૅન્ડર્સને અમદાવાદ મહાનગરપાલિકાએ મનાઈ કરી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે તે સંદર્ભે મહાનગરપાલિકાનો જવાબ માગ્યો હતો. જેનો જવાબ ન આવતા હાઈકોર્ટે કોર્પોરેશનને જવાબ ફાઈલ કરવા માટેની છેલ્લી તક આપી હતી. 2019ના સર્વેમાં અમદાવાદ શહેરમાં 62 હજાર જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ હતાજેમ અમદાવાદ મહાનગરપાલિકાએ જવાબ આપ્યો હતો કે બાકી રહી ગયેલા 63 વિક્રેતા જો મહાનગરપાલિકાને અરજી કરશે તો તેમની અરજી ધ્યાને લેવામાં આવશે. પરંતુ તેઓ 2019 પહેલા અસ્તિત્વ ધરાવતા હતા કે કેમ તે અંગે સવાલ ઉભો થાય છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વર્ષ 2019 ના સર્વેમાં અમદાવાદ શહેરમાં 62 હજાર જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેમને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતા. માત્ર વર્ષ 2019ના સર્વે પર આધાર ન રાખવા AMCને ટકોરપરંતુ હાઇકોર્ટે પૂછ્યું હતું કે વર્ષ 2019 પછી જો કોઈ સ્ટ્રીટ વેન્ડર રજીસ્ટ્રેશન માટે આવે તો તેનું શું ? તે અંગે હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે તેમની અરજી પણ ફ્રેશ કન્સિડર કરવામાં આવે. માત્ર વર્ષ 2019ના સર્વે ઉપર આધાર રાખવામાં આવે નહીં. અરજદાર વેજીટેબલ વેન્ડર્સ હતા. જે 2018 પહેલા અસ્તિત્વ ધરાવતા હોવાનું જણાવ્યું હતું. AMC એ જણાવ્યું હતું કે, 136 જેટલા વેન્ડર્સ સ્પોટ ઉપર જગ્યાઓ ફેરિયાઓને ફાળવવામાં આવી છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તેમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે. આ સાથે જ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે 'જળ સંમેલન' યોજાયું હતું. આ કાર્યક્રમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ-રાજકોટ અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સીઆર પાટીલે જાહેર મંચ પર અંબરીશ ડેરને લઈ ફરી રૂમાલને યાદ કર્યો હતો. સીઆર પાટીલે જાહેરમંચ પરથી જણાવ્યું કે, મેં બેથી ત્રણ મિટિંગમાં અંબરીશભાઈને કહ્યું હતું કે, તમારી સીટ પર રૂમાલ મુકેલો છે ઉઠાવી લેજો. ઘણા ચાલુ બસમાં ચડી જતા હોય છે, ઘણા લોકો ઉભેલી બસ પણ ચુકી જતા હોય છે તો એ અંબરીશભાઈ. સામેથી કહ્યું હતું તો પણ નહીં. અંબરીશભાઈને લાવવામાં હીરાભાઈ સોલંકીની સહમતી હતી, તેઓએ ખેલદિલીથી કહ્યું હતું કે, હા એમને લઈ આવો અમે એમની સાથે રહી લડવા માટે તૈયાર છીએ. આવું કીધું હતું. આ સંમેલનમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, મહેશ કસવાલા, જે.વી. કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજુલા-જાફરાબાદ પંથકમાં જળ સંરક્ષણના કાર્યોને પ્રોત્સાહન આપવાનો હતો. રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ગુજરાતનું એક અગ્રણી NGO છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જળ સંરક્ષણના કાર્યોને વેગવંતા બનાવવાનો છે. આ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારી થકી કુલ 1,11,111 ચેકડેમ બનાવવાનો ભગીરથ સંકલ્પ કરવામાં આવ્યો છે. જળ સંકટને દૂર કરવા માટે ટ્રસ્ટ વિવિધ સ્થળોએ જળકથા સહિતના જનજાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. નોંધનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ જળસંચય અભિયાન અમલી છે. રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ચેકડેમ નિર્માણ સહિતના જળ સંરક્ષણના કાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ સંકલ્પ અને સફળ પ્રયત્નો થકી આજે દેશમાં વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન મળી રહ્યું છે, જળ સંરક્ષણ અભિયાન વેગવાન બન્યું છે. સૌરાષ્ટ્રમાં જળ સંકટ ભૂતકાળ બને તે દિશામાં સતત કામગીરી આગળ ધપી રહી છે. 'ગામના પાણી ગામમાં, સીમના પાણી સીમમાં' વિચારને અમલી બનાવી દરેક ખેડૂત જળ સંચય માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધે તે જરૂરી છે. જળ સંરક્ષણ થકી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને પણ બળ મળ્યું છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું અનેરું મહત્વ છે. રોજગારી માટે મોટા શહેરોમાં ગયેલા આદિવાસીઓ હોળી નજીક આવતા જ માદરે વતન પરત ફરતા હોય છે. આ પર્વને પરંપરાગત રીતે વધાવવા માટે શનિવારના રોજ દાહોદ શહેરના પરેલ ગ્રાઉન્ડ ખાતે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા ભવ્ય આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 વર્ષથી અવિરત ચાલી આવતી ઢોલ મેળાની પરંપરાઆદિવાસી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ સમાન ઢોલ નામશેષ ન થાય તે માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી આ અનોખા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આ મેળામાં દાહોદ જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક કલાકારોએ ભાગ લીધો હતો. આદિવાસી સમાજનુ સંદેશા વ્યવહારનું જૂનું માધ્યમ ઢોલપહેલાના જમાનામાં જ્યારે ટેલિફોન કે સંદેશાવ્યવહારના અન્ય સાધનો નહોતા, ત્યારે આદિવાસીઓ સંદેશાઓ પહોંચાડવા માટે ઢોલનો ઉપયોગ કરતા હતા. આદિવાસીઓની આ ઐતિહાસિક પરંપરા જળવાઈ રહે અને આધુનિક યુગમાં પણ યુવાનો હજારો વર્ષ જૂની પ્રથાથી માહિતગાર રહે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રેષ્ઠ કલાકારોને રોકડ ઇનામથી પ્રોત્સાહનઆ ઢોલ મેળામાં આદિવાસી રિવાજ પ્રમાણે શ્રેષ્ઠ ઢોલ વગાડનાર સ્પર્ધકને મંડળ દ્વારા રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. આ પ્રોત્સાહનને કારણે વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પોશાકમાં ઢોલ સાથે ઉમટી પડે છે. સાસંદનો આદિવાસી સંસ્કૃતિની જાળવણી પર ભારઢોલ મેળા અંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેની જાળવણી કરવા માટે આ ઢોલ મેળાનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે. સમગ્ર જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત ઢોલ સાથે અહીં ઉમટી પડ્યા છે, તેમનું અમે સ્વાગત કરીએ છીએ અને સંસ્કૃતિને જીવંત રાખવા બદલ તેમનો આભાર માનીએ છીએ. આયોજકોનો ઉદ્દેશ્ય: આવનારી પેઢી આદિવાસીઓના વારસાને જાણેઢોલ મેળાનું આયોજન કરનાર નગરસિંહ પલાસે જણાવ્યું હતું કે, “આધુનિક યુગમાં આદિવાસી સંસ્કૃતિ ભુલાઈ રહી છે ત્યારે તેને ફરીથી ઉજાગર કરવા માટે છેલ્લા 18 વર્ષથી ઢોળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ઢોલ એ આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક છે અને આવનારી પેઢી આ વારસાને સારી રીતે જાણે તે માટે અમે પ્રયત્નશીલ છીએ.” પાડોશી રાજ્યોમાંથી પણ ઢોલી ઢોલ સાથે ઉમટ્યામેળાની લોકપ્રિયતા એટલી વધી છે કે, હવે માત્ર દાહોદ જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાંથી પણ કલાકારો ભાગ લેવા આવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના ઢોલ લઈને આવે છે, જે આ મેળાની ભવ્યતામાં વધારો કરે છે. સમગ્ર વાતાવરણ આદિવાસી મય બન્યુંઢોલ મેળા દરમિયાન આખું પરેલ ગ્રાઉન્ડ ઢોલના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આદિવાસી સમાજના લોકો દ્વારા કરવામાં આવતા પરંપરાગત નૃત્યો અને ઢોલના તાલે સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું. વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યામેળાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર કલાકારોને વિશિષ્ટ ઇનામથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ ભાગ લેનાર તમામ ઢોલીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું, જેથી આ પરંપરા જળવાઈ રહે અને કલાકારોને પ્રોત્સાહન મળતું રહે. ભીલ સમાજ સુધારણા મંડળના આ પ્રયાસથી આદિવાસી સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ પર્વ એવા હોળીની પૂર્વ તૈયારીઓ દાહોદમાં ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. મંડળ આગામી વર્ષોમાં પણ આ પરંપરાને વધુ ભવ્ય રીતે ઉજવવા માટે કટિબદ્ધ છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વિધવા મહિલાના મૃતક પતિના નામે બોગસ વીલ બનાવીને તેના દિયર, સાસુ અને સસરા સહિતના પરિવારજનોએ જ 2.72 કરોડની છેતરપિંડી આચરી છે. ઉત્રાણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પતિના નામે બોગસ વીલ બનાવ્યુંવરાછાના એલ.એચ. રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષીય હિરલબેન જયેશભાઈ લાખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હિરલબેનના પતિના અવસાન બાદ તેમના દિયર મયુર રાણાભાઈ લાખાણી, સસરા રાણાભાઈ અને સાસુ કંચનબેને અન્ય સાગરીતો સાથે મળીને 20 ડિસેમ્બર 2021થી 5 જુલાઈ 2022 દરમિયાન પતિના નામનું એક નકલી વીલ (વસિયતનામું) તૈયાર કર્યું હતું. બેંકમાં બોગસ સહી કરી ખાતા ખોલાવ્યાઆરોપીઓએ માત્ર વીલ જ નહીં, પરંતુ નાણાં પડાવવા માટે કાવતરું પણ ઘડ્યું હતું. તેઓએ વરાછા કો-ઓપરેટિવ બેંક અને ધ ફાઇનાન્શિયલ કો-ઓપરેટિવ બેંકમાં હિરલબેનની બોગસ સહીઓ કરીને બેંક ખાતા ખોલાવ્યા હતાં. આ ખાતાનો ઉપયોગ વીમાની રકમ અને મિલકતના પૈસા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો, જેની જાણ હિરલબેનને નહોતી. 2.72 કરોડની રકમ પચાવી પાડીહિરલબેનના મૃતક પતિની વીમા પોલિસીના 2,28,87,201 અને મિલકતના અવેજ પેટેના 43,40,500 મળી કુલ 2,72,27,701ની રકમ આરોપીઓએ હડપ કરી લીધી હતી. આ ઉપરાંત, મિલકત પેટે આપવાના થતા અન્ય 22.96 લાખ પણ હિરલબેનને આપવામાં આવ્યા નહોતા. આમ, પોતાના જ પરિવારના સભ્યોએ વિધવાને આર્થિક રીતે પાયમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યો સહિત 7 સામે ફરિયાદઆ કૌભાંડમાં હિરલબેને તેમના દિયર, સાસુ, સસરા ઉપરાંત કાકાજી સસરા જીગ્નેશ કુરજી લાખાણી અને રમેશ કુરજી લાખાણી સામે પણ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, બોગસ વીલમાં સાક્ષી તરીકે સહી કરનાર કનૈયાલાલ માંગુકીયા અને હિતેશ સવાણીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરીઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે હિરલબેનની ફરિયાદના આધારે સાતેય આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે બેંક ટ્રાન્ઝેક્શન અને બોગસ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આટલી મોટી રકમની છેતરપિંડીના મામલે વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા છે.
અમરેલી જિલ્લાના રાજુલામાં પૂર્વ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની ઓફિસ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેશ કુંભાણીએ અચાનક ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ ઘટના બાદ સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જે ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હતો. ત્યારબાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. લાંબા સમય બાદ રાજુલા સ્થિત સરદાર સિડ્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સી.આર. પાટીલનું આગમન થયું હતું. તેઓ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા અંબરીષ ડેર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. આ મુલાકાતને રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત મંત્રી કૌશિક વેકરિયા, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય મહેશ કસવાળા અને ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં આ મુલાકાત ભવિષ્યના કોઈ રાજકીય સંકેત આપે છે કે માત્ર શુભેચ્છા મુલાકાત છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, બંને પક્ષ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. નિલેશ કુંભાણી રાજુલા તાલુકાના સમુહખેતી ગામના વતની છે અને સુરતમાં વર્ષોથી કોંગ્રેસ સાથે સક્રિય હતા. તેઓ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી બાદ તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદના સેટેલાઈટમાં જાણીતી અને ઠગ કે.સી. હોલીડેના સંચાલકની આખરે પોલીસે છ મહિના બાદ ધરપકડ કરી છે.આરોપી સંચાલક લોકોને સસ્તામાં વિદેશ દૂર કરવાની લાલચ આપતો હતો.આરોપીએ 172 લોકો પાસેથી વિદેશના નામે 1.20 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જે અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોને સસ્તા ભાવે વિદેશની ટુર કરાવવાની લાલચ આપીને છેતર્યાશિવરંજની વિસ્તારમાં આવેલી કે.સી.ટ્રાવેલ્સ નામની ઓફિસ શરૂ કરીને લોકોને સસ્તા ભાવે દુબઇ, સીંગાપુર, થાઇલેન્ડ અને મલેશિયામાં ટુર કરાવી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઓફિસના સંચાલકો ગ્રાહકોને હોટલ બુકિંગ, ફ્લાઇટની ટિકિટ અને વિઝા અપાવવા જેવી સગવડો આપતા હતા. અનેક લોકો પાસેથી આ બહાને રૂપિયા પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ગ્રાહકોએ પૈસા આપ્યા બાદ તેમને કોઇ પણ સુવિધા મળી નહોતી અને સંચાલકો ઓફિસ બંધ કરીને નાસી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં અને આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 172 લોકો પાસેથી 1.20 કરોડ જેટલી રકમ પડાવી હોવાનું સામે આવ્યું પોલીસે તપાસ કરીને આરોપી કિરણ ચંદ્રકાન્ત ચૌહાણ ઉર્ફે કે.સી.ની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં આરોપીએ 172 લોકો પાસેથી 1.20 કરોડ જેટલી રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી આ રીતે છેતરપિડી કરવાની ટેવ ધરાવે છે. અગાઉ પણ તેની વિરુદ્ધમાં સેટેલાઇટ, સરખેજ, કૃષ્ણનગર, અને વડોદરામાં ગુના નોંધાઇ ચુક્યા છે. પોલીસ ફરીયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જુનાગઢ, સુરત જેવા શહેરોમાં સતત નાસતો ફરતો હતો. પોલીસે તેની ગતિવિધિઓ પર નજર રાખીને ટેકનીકલ સર્વેલન્સથી આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી છે.આરોપીએ અગાઉ પણ દુબઇ ખાતેની ઓફિસમાં નોકરી માટે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી હતી. જો કે આ માટે તેણે સંબંધિત સરકારી વિભાગની મંજુરી ના લીધી હોવાનું તપાસમાં જાણવા મળતા પોલીસએ તેની વિરુદ્ધમાં ઇમિગ્રેશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
વડનગર તાલુકાના મઢાસણા ગામે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક અઢી વર્ષના નિર્દોષ બાળકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાળકને માથાના ભાગે ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. વડનગર પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતા અઢી વર્ષના બાળકને લઈને પોતાનું નવુ ઘર જોવા માટે જતા હતામઢાસણા ગામે જૂના અસ્પા બસ સ્ટેન્ડ પાસે રહેતા સુખીબેન ઠાકોર ગત સાંજે તેમના અઢી વર્ષના પુત્ર વિવાનને લઈને પોતાનું નવું બની રહેલું મકાન જોવા ગયા હતા. મકાન જોઈને પરત ફરતી વખતે મઢાસણા ડી.પી. વાળા રોડ પર બાળક વિવાન પોતાની માતાથી થોડો આગળ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક હડોલ તરફ જતા રોડ પર ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ નંબર GJ-18-Z-3011ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને બેદરકારીથી હંકારી આવી વિવાનને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયોટક્કર વાગતા જ બાળક રોડ પર પટકાતા તેની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસથી પરિવારજનો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક ખાનગી ગાડી મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણાની અરમાની બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબીબી તપાસમાં બાળકના માથાના પાછળના ભાગે ફ્રેક્ચર તેમજ આંખ, કાન અને નાક પર ગંભીર ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. માતાએ બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઅકસ્માત સર્જ્યા બાદ બસનો ચાલક પોલીસને જાણ કર્યા વગર બસ લઈને નાસી છૂટ્યો હતો. જોકે, બાળકની માતાએ બસનો નંબર નોંધી લીધો હતો. આ અંગે સુખીબેન ઠાકોરે વડનગર પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળે છે અને બાકીના ગામોને ક્યાં સુધીમાં વીજળી પૂરી પાડવાનું આયોજન છે તે અંગે માહિતી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના તમામ ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાયુક્ત વીજળી પ્રાપ્ત થાય છે. આમાં બોટાદ તાલુકાના 52 ગામો, ગઢડા તાલુકાના 73 ગામો, બરવાળા તાલુકાના 23 ગામો અને રાણપુર તાલુકાના 35 ગામોનો સમાવેશ થાય છે. દિવસ દરમિયાન વીજળી મળવાથી ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પાણી વાળવા જવાથી થતી મુશ્કેલીઓ અને ઝેરી જીવજંતુઓના ભયમાંથી મુક્તિ મળી છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં બોટાદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં બીજા સ્થાને છે. આ ઉપરાંત, ધારાસભ્ય મકવાણાએ મંત્રીને બીજો પ્રશ્ન પણ પૂછ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો પોતાના પરિવાર સાથે વાડી-ખેતરોમાં મકાન બનાવીને વસવાટ કરતા હોવાથી, આવા ખેડૂતોને જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે જાણકારી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યના સૂચન પર આગામી સમયમાં સકારાત્મક નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. આ માહિતી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખેડૂતોના વીજળી સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી અને વાડી-ખેતરોમાં રહેતા ખેડૂતો માટે 24 કલાક વીજળી પૂરી પાડવા અંગે રાજ્ય સરકારના આયોજન વિશે માહિતી માંગી હતી. ધારાસભ્ય મકવાણાએ 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે છે અને બાકીના ગામોને ક્યાં સુધીમાં વીજળી પૂરી પાડવાનું આયોજન છે તે અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે બોટાદ તાલુકાના 52, ગઢડાના 73, બરવાળાના 23 અને રાણપુર તાલુકાના 35 ગામો સહિત બોટાદ જિલ્લાના તમામ ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાયુક્ત વીજળી મળે છે. દિવસ દરમિયાન વીજળી મળવાથી ખેડૂતોને શિયાળાની ઠંડીમાં રાત્રે પાણી વાળવાની જરૂરિયાત રહેતી નથી, તેમજ રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓના ભયથી થતું જોખમ પણ ટળે છે. દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવાના આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં બોટાદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં બીજા સ્થાને છે. આ ઉપરાંત, ધારાસભ્યએ મંત્રીને એ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો પોતાના પરિવાર સાથે વાડી-ખેતરોમાં મકાન બનાવીને વસવાટ કરે છે. આવા ખેડૂતો માટે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ. આ પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રીએ જણાવ્યું કે ધારાસભ્યનું સૂચન સકારાત્મક રીતે ધ્યાનમાં લેવામાં આવશે અને આગામી સમયમાં ટૂંક સમયમાં આ સૂચન પર હકારાત્મક નિર્ણય લેવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભલગામમાં આવેલ 'શ્રી શ્રી ભક્તિ સેવા શ્રમ ટ્રસ્ટ' સંચાલિત ગૌશાળામાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો જમીન અને વહીવટનો વિવાદ હવે લોહિયાળ બન્યો છે. ગત 27 ફેબ્રુઆરી, 2026ના રોજ ગૌશાળાની જગ્યા અને ચાવી બાબતે બે ટ્રસ્ટી જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં બંને પક્ષો વચ્ચેની ઝપાઝપી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો નોંધાવી છે. ચાવી આપવાનો ઈન્કાર કરતા મારામારીના દૃશ્યો સર્જાયા27 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે બે વાગ્યા આસપાસ ટ્રસ્ટી મુળજીભાઈ વેકરીયા, તેમના પત્ની ઈન્દુબેન અને તેમના મિત્ર ધર્મેશભાઈ સાથે ગૌશાળાએ પહોંચ્યા હતા. આ સમયે ત્યાં અગાઉથી હાજર રહેલા ચંદ્રપ્રકાશદાસજી સ્વામી, અલ્પેશ બાબરીયા અને બાલુભાઈએ ગૌશાળાની ચાવી બાબતે તકરાર શરૂ કરી હતી. મુળજીભાઈએ ચાવી આપવાનો ઈન્કાર કરતા મામલો બિચક્યો હતો. આરોપ છે કે, ચંદ્રપ્રકાશદાસજીએ મુળજીભાઈનો કોલર પકડી છાતીના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ તેમને થપ્પડ મારી અને તેમના પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મૂળજીભાઈ સાથે આવેલા અજાણ્યા શખ્સે આવીને હુમલો કર્યો હતોબીજી તરફ અલ્પેશભાઈ બાબરીયાએ વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ સ્વામીજી સાથે ત્યાં હાજર હતા ત્યારે મુળજીભાઈ અને તેમની સાથેના એક અજાણ્યા શખ્સે આવીને હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સે પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરતા અલ્પેશભાઈને કાનના પાછળના ભાગે ઈજા પહોંચી હતી. પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે મારપીટ, ગાળાગાળી, ધમકી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. 'સ્વામિનારાયણ સંપ્રદાયના નામે વેપાર માંડીને બેઠા છે'66 વર્ષીય ફરિયાદી મુળજીભાઈ પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું નિવૃત્ત જીવન જીવું છું અને 10 વર્ષ પહેલાં અમે આ ગૌશાળા ડેવલોપ કરી હતી. ચંદ્રપ્રકાશદાસજીએ એક વર્ષ પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને તેમના ખર્ચા પેટે અમે તેમને 1.5 કરોડ રૂપિયા (એક કરોડ પાંચ લાખ) ચૂકવી દીધા હતા. હવે જ્યારે ચેરીટી કમિશનરમાં ફેરફાર રિપોર્ટની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સ્વામી વધુ 30 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે અને એફિડેવિટ આપવા માટે નાણાં માંગે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવા સાધુઓ સમાજ માટે કલંક સમાન છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે વેપાર માંડીને બેઠા છે અને ગુંડાઓ રાખીને ગૌશાળાનો કબજો લેવા માંગે છે, તેમના કપડા ઉતારી તેમને ઘરભેગા કરવા જોઈએ. ચંદ્રપ્રકાશ સ્વામી વિરુદ્ધ અગાઉ રાજકોટમાં પણ સ્ત્રીઓ સાથેના સંબંધો અને અન્ય બાબતે ફરિયાદો થયેલી છે. તેઓ સાધુ કહેવાને લાયક નથી. 'આ જગ્યા મેં ભૂદાન સમિતિ પાસેથી 30 વર્ષના ભાડા પટ્ટે લીધી હતી'સામે પક્ષે ચંદ્રપ્રકાશદાસજી સ્વામીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે આ જગ્યા મેં ભૂદાન સમિતિ પાસેથી 30 વર્ષના ભાડા પટ્ટે લીધી હતી. મુળજી પટેલને માત્ર વહીવટ માટે રાખ્યા હતા પરંતુ, તેમણે અહીં ગૌશાળાના નામે ઘી વેચવાનો ખોટો બિઝનેસ શરૂ કર્યો હતો. આસપાસના ગામડાઓમાંથી ઘી ઉઘરાવીને તે ગીર ગાયનું શુદ્ધ ઘી હોવાનું કહીને ઓનલાઈન વેચી લોકો અને અધિકારીઓને છેતરી રહ્યા હતા. ટ્રસ્ટમાં ખોટા ઠરાવો અને સહીઓ કરીને પોતાના દીકરા-દીકરીના નામ ટ્રસ્ટી તરીકે ચડાવી દીધા વધુમાં સ્વામીજીએ મૂળજીભાઈ પર આરોપ લગાવતા કહ્યું કે, તેમની નજર અહીં બનાવેલા આંબા અને ચીકુના બગીચા પર છે. તેમણે ટ્રસ્ટમાં ખોટા ઠરાવો અને ખોટી સહીઓ કરીને પોતાના દીકરા અને દીકરીના નામ ટ્રસ્ટી તરીકે ચડાવી દીધા છે. મને કોઈ દોઢ કરોડ રૂપિયા મળ્યા નથી, આ વાત તદ્દન પાયાવિહોણી છે. તેઓ મને અને સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે છેલ્લા એક વર્ષથી ખોટી અરજીઓ કરી રહ્યા છે. વિસાવદર પોલીસે હાલ ટ્રસ્ટના વહીવટી કાગળોની તપાસ શરૂ કરી ગૌશાળા જેવી પવિત્ર જગ્યાએ બે જૂથો વચ્ચે થયેલી આ હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતી માથાકૂટ સાક્ષી પૂરે છે કે વિવાદ કેટલો વકર્યો છે. વિસાવદર પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી છે અને જમીનના દસ્તાવેજો તથા ટ્રસ્ટના વહીવટી કાગળોની તપાસ શરૂ કરી છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.
સુરેન્દ્રનગરની ધ હેરિટેજ પબ્લિક સ્કૂલમાં ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 50થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શિત કરાયેલી કૃતિઓમાં સોલર પાવર, ચંદ્રયાન અને સ્થિત વિદ્યુત જેવા આકર્ષક મોડેલોનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન વિષયો પર આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો અને તેમને સંશોધન માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ શૈક્ષણિક સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આ પ્લેટફોર્મે વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરી. તેમને શાળાના માર્ગદર્શકો સાથે જોડાઈને પોતાના વિચારો રજૂ કરવાની અને શીખવાની પણ તક મળી.
બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફુલદોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરતપણે જાળવવામાં આવી રહી છે. હોળી મહોત્સવ બાદ 4 માર્ચ, બુધવારે સવારે 11.30 થી બપોરે 12.30 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન યોજાશે. દ્વારકાધીશના ચલ સ્વરૂપ શ્રી ગોપાલજીને મધ્યાહ્ન ભોગ અર્પણ કર્યા બાદ સુંદર રીતે સજાવેલા ઝુલામાં પધરાવવામાં આવશે. આ પ્રસંગે મંદિરના મુખ્યાજીઓ દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી અબીલ-ગુલાલ સાથે ઠાકોરજી સંગ દોલોત્સવ રમવામાં આવશે. ઉત્સવ પૂર્ણ થયા બાદ શ્રી ગોપાલજીને પુનઃ નિજમંદિરમાં પધરાવી રાજાધિરાજ દ્વારકાધીશજીને રાજભોગ અર્પણ કરાશે, જેને “ફગવા ભોગ” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસંગ ભક્તજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. મંદિરના ઇન્ચાર્જ વ્યવસ્થાપક દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, 5 માર્ચ, ગુરુવારે દ્વિતીયા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે સવારે 7.30 વાગ્યે મંગલા આરતી, 8.00 વાગ્યે મોર આરતી, 11.00 વાગ્યે શૃંગાર આરતી તથા બપોરે 1.30 વાગ્યે ઠાકોરજીને મીઠા જળ વિધિ યોજાશે, ત્યારબાદ મંદિર બંધ રહેશે. સાંજે 4.30 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 8.00 વાગ્યે શયન દર્શન થશે. સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકામાં રોડ માર્ગે આવજાવ સરળ બનતાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હોળી અને દોલોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઇતિહાસ મુજબ, વિક્રમ સંવત 1617 માં જામ રાવળજી દ્વારા મંદિર નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આજદિન સુધી અહીં દોલોત્સવની પરંપરા અવિરતપણે ઉજવાઈ રહી છે. આવનારા દિવસોમાં દોલોત્સવ નિમિત્તે બેટ દ્વારકાધીશ મંદિર ભાવિકોની ભક્તિભાવથી ગુંજી ઊઠશે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી ગૌરી માતાજીના મંદિરે નવા મુખ્ય ગેટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મંદિર સંકુલમાં અન્ય સુધારા-વધારાના કાર્યો પણ પ્રગતિમાં છે. શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસના નેતૃત્વ હેઠળ સંકુલના વિકાસ માટે તાજેતરની સભામાં વિવિધ આયોજનો નક્કી કરાયા હતા. મુખ્ય ગેટ બંસી પથ્થરમાંથી સોમપુરા કારીગર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનો કેટલોક ભાગ ઊભો કરી દેવાયો છે. આ મુખ્ય ગેટના દાતા તરીકે અમદાવાદના ડોક્ટર ભાસ્કરભાઈ ઉત્તમરામ વ્યાસે લાભ લીધો છે. ગેટ તૈયાર થયા બાદ તેનું ઉદ્ઘાટન માતાજીના આગામી પાટોત્સવ, 27 એપ્રિલના રોજ કરવાનું વિચારણા હેઠળ છે. મુખ્ય ગેટ બની ગયા પછી તેમાં ત્રણ દરવાજા લગાવવામાં આવશે, જેના માટે માતાજીના કોઈપણ ભક્ત કંદોરીયાનો લાભ લઈ શકશે. મંદિર સંકુલમાં મંદિરની સામે આવેલા શેડમાં ઓટલાનો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. આ જગ્યાને ખુલ્લી કરીને પ્રસંગોએ સરળતા રહે તેવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વધુમાં, રોડ પરના ગેટની અંદર આવેલા ફૂલછોડનું વાવેતર દૂર કરીને ત્યાંથી શરૂ કરીને હવન કુંડ સુધી બ્લોક પેવિંગ કરવામાં આવશે. આ માહિતી શનિવારે સંસ્થાના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ અને મંત્રી સુરેશભાઈ વ્યાસે આપી હતી.
રાજકોટના રેસકોર્સ ગાર્ડનની અંદર પતિ સાથે વોકિંગ કરતી પરિણિતાને પાછળથી ધસી આવેલા વિજય નાનજીભાઈ કુવરિયા નામના શખ્સે મોઢા ઉપર હાથ દબાવી અડપલા કરી જમીન પર પછાડી દીધાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર રોડ પર રહેતી પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.24ના રાત્રે પતિ સાથે ગાર્ડનમાં વોકિંગ કરવા ગઈ ત્યારે પતિ આગળ ચાલવા લાગ્યા હતા અને તે પાછળ ચાલી રહી હતી. આ સમયે પાછળથી ધસી આવેલા અજાણ્યા શખ્સે તેને ગળેથી પકડી મોઢા પર હાથ દબાવી દીધો હતો એટલું જ નહીં આ શખ્સે શરીરે અડપલા શરૂ કર્યા હતા. પરિણીતા બુમાબુમ કરતા તે શખ્સ ત્યાંથી ગાર્ડનની ગ્રીલ ઠેકીને જતો રહ્યો હતો. બીજા દિવસે ફરી પતિ સાથે તે શખ્સને શોધવા જતા છેડતી કરનાર શખ્સ ત્યાં જોવા મળતાં પોલીસને બોલાવી હતી આ સમયે પોલીસે તે શખ્સની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિજય કુવરિયા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પડધરી પાસે અકસ્માતમાં પતિનું મોત, પત્નીને ઈજા રાજકોટમાં ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધનજીભાઇ રામજીભાઇ સાકરીયા (ઉ.વ.60) ગઈકાલે સાંજે ટુવ્હીલરમાં પત્નિ રંજનબેન (ઉ.વ.50)ને બેસાડીને પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતી દિકરી સંજનાબેનને હોળીનો હાયડો આપવા જવા રાજકોટથી રવાના થયા હતાં. સ્કૂટર પર બંને પડધરી નજીક ભારત હોટેલ પાસે રાતે 9 વાગ્યે પહોંચ્યા ત્યારે તેના વાહનને અકસ્માત નડતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થઇ હતી. 108 મારફત બન્નેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિ ધનજીભાઇનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમના પત્નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામનાર ધનજીભાઇ સાકરીયા ફીલ્ડ માર્શલ કંપનીમાં નોકરી કરતાં હોવાનું તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી હોવાનું સામે આવ્યું છે. દંપતીની દિકરી પડધરી સાસરે હોઇ તેને હોળીના તહેવાર નિમીતે હાયડો આપવા પતિ-પત્નિ નીકળ્યા ત્યારે પડધરીના મોવૈયા સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. ઉલ્ટી થયા બાદ યુવતીનું મોત રાજકોટ શહેરમાં માયાણીનગર શેરી નં.5માં રહેતી પ્રિયંકાબેન ઘનશ્યામસિંહ રાઠોડ (ઉ.વ.20) નામની યુવતી ગઇકાલે બ્યુટી પાર્લરમાં હતી ત્યારે ઉલ્ટી થતા તે બેભાન હાલતમાં ઢળી પડી હતી જેથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પ્રિયંકાબેન બે બહેન એક ભાઇમાં મોટી હતી અને તેણે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે તેમજ તેમના પિતા સ્કૂલ બસ ચલાવતા હોવાનુ જાણવા મળ્યું છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતુ કે, તેઓના ઘરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે ગઇકાલે તુલસી વિવાહ યોજાવાના હતા જેમાં પ્રિયંકા શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવાના હતા જેથી તેઓ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા ત્યા તેઓને ઉલ્ટી થઇ હતી. પ્રિયંકાબેનના મોતથી પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે.
પંચશીલ કોલેજમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી:વિદ્યાર્થીઓએ વર્તમાન પ્રવાહો પર 25 મોડેલ પ્રદર્શિત કર્યા
ગોધરાની પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કોટડા ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન પ્રવાહો પર આધારિત કુલ પચ્ચીસ વિજ્ઞાન કૃતિઓ (મોડેલ્સ) પ્રદર્શિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ, ટેકનોલોજી અને સામાજિક મુદ્દાઓ સંબંધિત વિવિધ મોડેલ્સ રજૂ કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધનાત્મક વૃત્તિને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ઇન્ફીનિટી એકેડેમીના ફાઉન્ડર રવિન્દ્ર શર્મા અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. તરુણ પારગી ઉપસ્થિત રહ્યા હતા. કૃતિઓના મૂલ્યાંકન માટે જજીસ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. વિશ્વ મહાવીર જૈન અને શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. અંકિતા ભલુએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજોના પ્રોફેસરો તેમજ નજીકની શાળાઓના વિદ્યાર્થીઓ અને પંચશીલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપીને પ્રદર્શિત કૃતિઓ નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના મહેતાપુરામાં હિન્દૂ સંમેલન યોજાયું:દુર્ગાવાહિનીઓએ તલવારબાજી રજૂ કરી, શોભાયાત્રા પણ નીકળી
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રામજી મંદિરે હિન્દૂ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દુર્ગાવાહિનીઓએ તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું. સંમેલન પૂર્વે વિસ્તારમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં હિન્દૂ સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે શનિવારે મોડી સાંજે મહેતાપુરા વસ્તીનું આ સંમેલન રામજી મંદિર ખાતે યોજાયું હતું. રામજી મંદિરથી ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી, જે સમગ્ર વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોંચી હતી. ત્યારબાદ હિન્દૂ સંમેલનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે થયો હતો. વિસ્તારની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું, અને એક બાળકે શિવજીનો સ્ત્રોત ગાયો હતો. દુર્ગાવાહિનીઓએ આ સંમેલનમાં વિશિષ્ટ તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત સૌએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ભારત માતાની આરતી સાથે હિન્દૂ સંમેલનનું સમાપન થયું હતું. આ સંમેલનમાં અતિથિ વિશેષ ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ, મુખ્ય વક્તા જશુ પટેલ અને નારી શક્તિ વર્ષાબેન એલ. રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. ઝરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણભારતીએ આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્ય વક્તા જશુ પટેલે સંઘની સ્થાપના, તેના ઉદ્દેશ્યો અને સંઘ દ્વારા થતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ હિન્દૂ સંમેલનમાં અગ્રણીઓ, મહેતાપુરા વસ્તીના હિન્દૂ સંમેલન સમિતિના સંયોજકો, આયોજકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સોનગઢમાં 45 હજારની ચીલઝડપનો ભેદ ઉકેલાયો:આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓ ₹3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સોનગઢમાં ધોળા દિવસે બેંકમાંથી 45,000 રૂપિયા ઉપાડીને બહાર નીકળેલા એક વ્યક્તિ સાથે થયેલી ચીલઝડપનો ભેદ તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 27 ફેબ્રુઆરી, 2026ના રોજ બની હતી. નાની ખેરવણ ગામના રાકેશભાઈ ચૌધરી સોનગઢના હિરવા પ્લાઝામાં આવેલી બેંક ઓફ બરોડામાંથી 45,000 રૂપિયા ઉપાડીને બહાર આવ્યા હતા. તે સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને રોકીને રૂપિયા જમા કરાવવામાં મદદ કરવાનું કહી વાતોમાં ભોળવ્યા હતા. ત્યારબાદ, ચા પીવાના બહાને તેઓ રાકેશભાઈને ઓટા ચોકડી પાસે લઈ ગયા હતા. ત્યાં નજર ચૂકવીને તેમના શર્ટના ખિસ્સામાંથી 45,000 રૂપિયા સેરવી લીધા હતા. આ અંગે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તાપી એલસીબીના ઇન્ચાર્જ PI એન.જી. પાંચાણી અને PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી હતી. PSI એન.એસ. વસાવા અને કે.આર. પટેલની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે સુરત અને કડોદરા વિસ્તારમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં યોગેશ પાટીલ (મૂળ મહારાષ્ટ્ર), સતનામ ઉર્ફે પપ્પુ રાવત, સાજીદખાન અને આયુષ મિશ્રા (ત્રણેય મૂળ ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેમની પાસેથી ચોરીના રોકડા 45,000 રૂપિયા, 20,000 રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી 6 લાખ રૂપિયાની બલેનો કાર (GJ-05-RN-7518) સહિત કુલ 3,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)નું પેપર યોજાયું હતું, જે વિદ્યાર્થીઓની ધારણા મુજબ સરળ રહ્યું હતું. પરીક્ષા કેન્દ્રની બહાર નીકળેલા વિદ્યાર્થીઓએ પેપર સારું રહ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓના મતે, આજનું પેપર ખૂબ જ સારું અને પાઠ્યપુસ્તક આધારિત હતું. વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરી લીધું હતું. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, રસાયણ વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરસ રહ્યું. વિદ્યાર્થીઓએ ખાસ કરીને તેમના શિક્ષકોનો આભાર માન્યો હતો, કારણ કે તેમણે આપેલા મહત્વના પ્રશ્નો (IMP)માંથી જ લગભગ આખું પેપર પૂછાયું હતું. પેપરના 50 માર્ક્સના થીયરી વિભાગના પ્રશ્નો શિક્ષકો દ્વારા સૂચવેલા ટોપિક્સમાંથી જ આવ્યા હતા. શિક્ષકોના સચોટ માર્ગદર્શન અને મહેનતને કારણે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શક્યા હતા. આ માર્ગદર્શન અને સહકાર બદલ વિદ્યાર્થીઓએ શિક્ષકો અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
છોટા ઉદેપુર જિલ્લા LCBએ નસવાડીના બગલિયા ગામમાંથી ₹12.15 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ એક દુકાન અને મકાનમાંથી મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે. જિલ્લા LCBની ટીમ નસવાડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે બગલિયા ગામના સિમોડા ફળિયામાં રહેતા ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડું. ભીલની દુકાન અને મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલો છે. બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક દુકાન અને મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ 6064 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹12,15,557/- આંકવામાં આવી છે. LCBની ટીમે વિદેશી દારૂનો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મકાન માલિક ગુલસિંગભાઈ ભીલ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ગામની પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. આ તાલીમમાં ધોરણ 6 થી 8 ની અંદાજે 40 જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે.આ તાલીમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને જુડો-કરાટે શીખવવામાં આવી રહ્યા છે. દરરોજ એક કલાકની તાલીમ આપવામાં આવે છે અને કુલ 36 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા 'રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ' યોજના હેઠળ શરૂ કરાઈ છે. ટ્રેનર વિશ્વજિત સિંહ રાજપુત દ્વારા વિદ્યાર્થીનીઓને કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે. શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું હતું કે, દીકરીઓ આ તાલીમનો યોગ્ય રીતે લાભ લે અને સ્વરક્ષણ માટે સજ્જ બને તે અત્યંત મહત્વપૂર્ણ છે.
ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામે પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતાને નજીવી બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે પીડિત મહિલાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. નાની-નાની વાતોમાં કટકટ અને ઝઘડા થયા હતામોટી હિરવાણી ગામે રહેતા વિનતાબેન જીતેન્દ્રભાઈ સૈનમાએ 2019માં જીતેન્દ્રભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન તેમને બે વર્ષની પુત્રી છે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ સમય જતાં સાસરી પક્ષ દ્વારા નાની-નાની વાતોમાં કટકટ અને ઝઘડા શરૂ થયા હતાં. આર્થિક સંકડામણને કારણે વિનતાબેને નોકરી કરવાનો વિચાર કર્યો હતો અને ગત 21 જાન્યુઆરીના રોજ તેઓ હસનપુર ખાતે એક ગૃહ ઉદ્યોગમાં નોકરી અંગે પૂછપરછ કરવા ગયા હતાં. 'નોકરીએ જવાનું નથી' કહીને માર માર્યોનોકરીની તપાસ કરીને ઘરે પરત ફરેલા વનિતાબેન વિરુદ્ધ તેમની સાસુ રમીલાબેને પતિ જીતેન્દ્રભાઈને ચઢામણી કરી હતી. જેનાથી ઉશ્કેરાઈને પતિએ 'તારે નોકરીએ જવાનું નથી' તેમ કહી ગાળાગાળી કરી વનિતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. સાસરીયાઓના અવારનવારના ત્રાસથી કંટાળીને બીજા દિવસે વનિતાબેન પોતાની માસૂમ દીકરીને લઈને પિયર માલાપુરા ખાતે જતા રહ્યાં હતાં. મહિલાએ ફરિયાદ નોંધાવીઅંતે સાસરીયાઓના શારીરિક અને માનસિક ત્રાસ સામે નમતું ન જોખતા વનિતાબેને ખેરાલુ પોલીસ મથકે આવી પતિ જીતેન્દ્રકુમાર શીવરામભાઈ સૈનમા અને સાસુ રમીલાબેન વિરુદ્ધ કાયદેસરની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુરમાં શનિવારે ભંગોરિયાનો પારંપરિક મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને પારંપરિક વાજિંત્રોના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સાંસદ જશુ રાઠવા પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ભંગોરિયાનો મેળો હોળીના તહેવાર સાથે સંકળાયેલો છે, જે આદિવાસીઓનો મુખ્ય પર્વ છે. હોળીના એક અઠવાડિયા પહેલાંથી જુદા જુદા સ્થળોએ ભંગોરિયા મેળાનું આયોજન થાય છે. આદિવાસીઓ હોળીની ખરીદી કરવા અને તહેવારની ઉજવણી કરવા માટે પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આ મેળામાં આવે છે. છોટા ઉદેપુરમાં યોજાયેલા આ મેળામાં બપોર બાદ આદિવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓ રામ ઢોલ, પિહા અને ચીમટા જેવા પારંપરિક વાજિંત્રોના તાલે નૃત્ય કરતા હાટમાં પહોંચ્યા હતા. આ મેળામાં છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા પણ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પિહા વગાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા. તેઓ લગભગ એક કલાક સુધી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને અન્ય આગેવાનો સાથે મેળાની મજા માણી હતી. સાંસદની ઉપસ્થિતિથી લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક ચાલતી નકલી દૂધની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં મુખ્ય સંચાલક સહિત પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ અગાઉ એલસીબીએ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે આસપાસના ગામોમાંથી અંદાજે 500 લીટર દૂધ ખરીદતો હતો. સત્યા ફેક્ટરીમાં આ દૂધમાં કેમિકલ અને પાણી ઉમેરીને અંદાજે 1700 લીટર નકલી દૂધ અને છાસ બનાવતો હતો. આ ઉત્પાદનો સ્થાનિક વેપારીઓ તેમજ મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વેચીને મોટો નફો કમાતો હતો. આ અંગે એસસી-એસટી સેલના ડીવાયએસપી કુલદીપ નાયીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સત્યા ડેરીનો સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો દરરોજ 500 લીટર દૂધ ખરીદી ફેક્ટરીમાં લાવતો હતો. તેમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર સહિતના કેમિકલ અને પાણીનું મિશ્રણ કરી 1700 લીટર દૂધ અને છાસ તૈયાર કરતો હતો. તૈયાર થયેલું નકલી દૂધ અને છાસ પોતાના વાહનોમાં ભરી સલાલ, મોયદ, વિજાપુર, ગાંધીનગર સહિત અન્ય સ્થળોએ વેચાણ માટે મોકલવામાં આવતું હતું. પૂછપરછ દરમિયાન રાકેશ પટેલે પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે વધુ પૈસા કમાવવા માટે જમીનો અને મકાનની દલાલી પણ કરતો હતો. પોલીસે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે દિવસના રિમાન્ડ બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને સબજેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
સુરતમાં માનવતાની સુવાસ ફેલાવતો વધુ એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણાગામમાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની 43 વર્ષીય ડાયમંડ વર્કર પરેશભાઈ કિશનભાઈ કપુપરાના અંગદાનથી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ (JODF) ના સંયુક્ત પ્રયાસોથી આ 30મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. કામ પર જતી વખતે સર્જાયેલી દુર્ઘટના ગત 12/02/2026 ના રોજ પરેશભાઈ સવારે કામ પર જવા નીકળ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા સોસાયટીના ગેટ પાસે જ ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તેમને તુરંત ડાયમંડ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં નિદાન દરમિયાન મગજમાં હેમરેજ હોવાનું જણાતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. જોકે, સઘન સારવાર બાદ પણ 26/02/2026 ના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. માતા અને પત્નીનો હૃદયસ્પર્શી નિર્ણય દુઃખના પહાડ તૂટી પડ્યો હોવા છતાં, પરેશભાઈના માતા હેમીબેન અને પત્ની દિવ્યાબેને સમાજ માટે એક મિસાલ કાયમ કરી. માતાના શબ્દો મારો દીકરો તો નથી રહ્યો, પણ તેના થકી અન્યોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો એ સૌની આંખો ભીની કરી દીધી હતી. પુત્ર શ્રુત અને અન્ય પરિવારજનોની સંમતિ બાદ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 6 દર્દીઓના જીવનમાં ઉજાસ SOTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) હેઠળ થયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ, IKDRC અમદાવાદ દ્વારા લિવર અને બંને કિડની સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, કિરણ હોસ્પિટલ દ્વારા એક હાથ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન લેવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના ગ્રીન કોરિડોરના સહકારથી આ તમામ અંગો સમયસર પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર સેવાકાર્યમાં ડાયમંડ હોસ્પિટલના સી. પી. વાનાણી, દિનેશભાઈ નાવડીયા, માવજીભાઈ માવાણી, ડો. હરેશ પાગડા તથા જીવનદીપ ફાઉન્ડેશનના વિપુલ તળાવિયા, પી.એમ. ગોંડલિયા અને તેમની ટીમે રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.
શહેરા પાસે છકડો પલટ્યો, બેના મોત:અણિયાદ નજીક અકસ્માત, કવાલી ગામના વૃદ્ધો ભોગ બન્યા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામ પાસે ભરવાડ ફળિયા નજીક એક છકડો રિક્ષા પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. મૃતકોની ઓળખ શહેરા તાલુકાના કવાલી ગામના 65 વર્ષીય લીલાબેન રણછોડભાઈ અને 60 વર્ષીય પીઠાભાઈ સક્રામભાઈ તરીકે થઈ છે. તેઓ કલરારિયા ગામે બેસણામાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. છકડા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી હતી. શહેરા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં HPV રસીકરણ અભિયાન શરૂ:12,600 કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે મફત રક્ષણ મળશે
સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં અંદાજે 12,600 કિશોરીઓને HPV વેક્સિન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સ્તરે HPV વેક્સિન લોન્ચ કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે, સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે વેક્સિન આપવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આ વેક્સિન સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. ગર્ભાશયના મુખનું કેન્સર HPV વાયરસના કારણે થાય છે, જેને નાબૂદ કરવાના હેતુથી સરકારે આ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. સરકારની વર્તમાન માર્ગદર્શિકા મુજબ, પ્રથમ ત્રણ માસ માટે 14 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી અને 15 વર્ષ પૂર્ણ ન થયેલી બાળકીઓને આ વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન જિલ્લાની તમામ PHC, CHC, UPSC તેમજ સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દરરોજ તદ્દન નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. જી. ગોહિલ, ACHO ડૉ. અનિલ શાહ અને સગુણાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને વેક્સિન આપીને આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.
સુરતના સીંગણપોર વિસ્તારમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પારિવારિક કંકાસ અને માનસિક તણાવથી કંટાળીને એક મહિલાએ તાપી નદીના ઉંડા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, આ સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની 112 PCR વાનના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર નદીમાં ઝંપલાવી મહિલાને બહાર ખેંચી કાઢી હતી. તાપી નદીના પ્રવાહમાં મોતને વહાલું કરવા મહિલાની છલાંગશનિવારની બપોરે સિંગણપોર વિસ્તારમાં અચાનક ડભોલી બ્રિજ પાસે અફરાતફરી મચી ગઈ હતી. એક મહિલા નિરાશ થઈને બ્રિજ પાસે આવી હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા જ તેણે તાપી નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી. આ પ્રવાહમાં તણાતી અને ડૂબતી મહિલાને જોઈને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. નદીમાં કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી કોઈ સામાન્ય નાગરિક પાણીમાં ઉતરવાની હિંમત કરી શકતું નહોતું. પેટ્રોલિંગ કરી રહેલી PCR-112 વાનની સમયસૂચકતાઆ દુર્ઘટનાના સમયે સિંગણપોર પોલીસ સ્ટેશનની 112 PCR વાન નિયમિત પેટ્રોલિંગમાં હતી. આ વાનમાં સવાર પોલીસ કર્મચારીઓની નજર અચાનક નદીમાં ઉમટેલી ભીડ અને પાણીમાં ડૂબી રહેલી મહિલા પર પડી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર PCR વાન ઘટનાસ્થળે ઉભી રાખી દેવામાં આવી હતી. પોલીસ જવાનોએ પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી કે, જો થોડુ પણ મોડું થશે તો મહિલા પાણીમાં ગરકાવ થઈ જશે. પોલીસની આ ત્વરિત પ્રતિક્રિયા જ મહિલા માટે જીવનદાન સાબિત થવાની હતી. મહિલાએ જોરજોરથી બૂમો પાડી, મને મરવા દો, મારે જીવવું નથીરેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. નદીના પાણીમાં જ્યારે પોલીસ જવાનો મહિલાની નજીક પહોંચ્યા ત્યારે માનસિક રીતે ભાંગી પડેલી મહિલા સતત પ્રતિકાર કરી રહી હતી. તે જોરજોરથી બૂમો પાડી રહી હતી કે, મને મરવા દો, મારે જીવવું નથી, મને શું કામ બચાવો છો? મહિલાની આ ચીસો ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની કરી દે એવી હતી. જોકે, દેવદૂત બનીને આવેલા પોલીસકર્મીઓએ લાગણીશીલ થયા વગર પ્રોફેશનલ રીતે મહિલાને પકડી રાખી હતી અને તેને સુરક્ષિત રીતે કાંઠા સુધી ખેંચી લાવ્યા હતા. આ રેસ્ક્યુંમાં PC પાર્વતીબેન ત્રિકમભાઈ, ASI વેલજીભાઈ તેરસીંગભાઈ, HC અનિલભાઈ રણછોડભાઈ અને ASI નિકીતાબેન કિરીટભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા પોલીસકર્મીઓએ પીડિતાને સંભાળી હતી, જ્યારે પુરુષ કર્મચારીઓએ તેને નદીના કાદવમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. પારિવારિક કંકાસથી કંટાળી ભર્યું હતું અંતિમ પગલુંરેસ્ક્યુ કર્યા બાદ મહિલાને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. જ્યારે તે થોડી શાંત થઈ ત્યારે પોલીસે તેનું પ્રાથમિક કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલા ઘરના આંતરિક પ્રશ્નો અને પારિવારિક કંકાસથી લાંબા સમયથી પરેશાન હતી. ઘરમાં થતા નાના-મોટા ઝઘડાઓએ તેના મન પર એટલી ગંભીર અસર કરી હતી કે તેને પોતાનું જીવન ટૂંકાવવું જ શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો હતો. એક પળના આક્રોશમાં તેણે તાપીમાં ઝંપલાવીને જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં મહિલાનું કાઉન્સેલિંગ કરાયુંમહિલાને સિંગણપોર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી જ્યાં પોલીસ અધિકારીઓએ તેને સમજાવવાની કોશિશ કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓએ તેની સાથે મિત્રતાભર્યું વર્તન કરીને તેને જીવનનું મૂલ્ય સમજાવ્યું હતું. પોલીસે તેને ખાતરી આપી હતી કે તેના પ્રશ્નોનું નિરાકરણ કાયદાકીય રીતે લાવી શકાશે, પરંતુ આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આ કાઉન્સેલિંગ બાદ મહિલાની આંખો ખુલી હતી અને તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી.
મોરબીમાં જમીન સોદાના વિવાદમાં તાજમહંમદ ભટ્ટી નામના યુવાનની ક્રૂર હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી દેવાના પ્રકરણમાં પોલીસે ધરપકડ કરેલા 5 આરોપીઓને કોર્ટે 3 માર્ચ સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આ કેસમાં હજુ 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર બનાવ શું હતો?ઘટનાની વિગત મુજબ, ગત 19 ફેબ્રુઆરીના રોજ તાજમહંમદ ભટ્ટીને જમીન સોદાના બહાને બાલુભાઈ અઘારા નામનો શખસ લાલબાગ સેવા સદન પાસેથી કારમાં બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ તાજમહંમદ ગુમ થતા પરિવારે બાલુભાઈ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. હત્યા પાછળનું કારણ અને કૃત્યતપાસમાં બહાર આવ્યું છે કે મૃતક તાજમહંમદ ભટ્ટીએ આરોપી થોભણ અઘારા સાથે જમીનના સોદા કરાવીને નાણાં મેળવ્યા હતા, પરંતુ દસ્તાવેજ કરી આપતા ન હતા. આ નાણાં પરત કઢાવવા માટે આરોપીઓ તાજમહંમદને ભડિયાદ નજીક એક ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. ત્યાં ઢોર માર મારતા ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી, ઉપર ધાબું ભર્યુંહત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓ લાશને 'શિવાય કોલ' નામના કારખાનામાં લઈ ગયા હતા. ત્યાં જમીનમાં ખાડો ખોદી, લાશ મૂકી, લાકડા અને ડીઝલ છાંટીને તેને સળગાવી દીધી હતી. ગુનાને છુપાવવા માટે આરોપીઓએ ખાડા પર માટી નાખીને તેના પર સિમેન્ટનું ધાબું પણ ભરી દીધું હતું. પકડાયેલા આરોપીઓની યાદીબી ડિવિઝન PI વી.એન. પરમાર અને તેમની ટીમે આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે: મૃતકના પુત્ર રિયાઝ ભટ્ટીની ફરિયાદના આધારે પોલીસે કુલ 7 શખસો સામે ગુનો નોંધ્યો હતો. કોર્ટે પકડાયેલા 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે.
બોટાદ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબા હેઠળનું અને શ્રી સરધારધામ સંચાલિત આ મંદિર છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ આ અન્નકૂટ ધરાવાયો હતો. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળની માનતા તેમજ પ્રદક્ષિણાની માનતા માની જીવનને ધન્ય કરવા આવે છે. આ ઉપરાંત, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, રાજપૂત ચોરા, બોટાદ ખાતે તારીખ 3 માર્ચ 2026, મંગળવારના રોજ ધૂળેટી મહાપર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુજીએ તમામ ભાવિક ભક્તોને આ ઘરસભા અને રંગોત્સવમાં પધારવા આહ્વાન કર્યું છે.
ફૂલડોલ ઉત્સવ માટે રેલવેની ભેટ:રાજકોટ ડિવિઝને મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનોની કરી જાહેરાત
દ્વારકા નગરીમાં દર વર્ષે હોળીના પાવન અવસરે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ આસ્થાના મેળામાં જોડાવા માટે રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ભક્તોની ભારે ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટથી દ્વારકા અને ઓખા વચ્ચે વિશેષ ભાડા સાથેની અનારક્ષિત (Unreserved) હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ-દ્વારકા સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ ટ્રેન સંખ્યા 09533/09534 રાજકોટ-દ્વારકા વચ્ચે કુલ 8 ફેરા મારશે. ટ્રેન નંબર 09533 રાજકોટથી તારીખ 1, 2, 3 અને 4 માર્ચ, 2026 ના રોજ સવારે 06.50 કલાકે રવાના થશે અને બપોરે 12.30 કલાકે દ્વારકા પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09534 દ્વારકાથી તે જ તારીખોમાં બપોરે 14.15 કલાકે ઉપડી રાત્રે 20.10 કલાકે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન માર્ગમાં પડધરી, હડમતીયા, જાળીયા દેવાણી, જામ વંથલી, અલિયાવાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલુસ, મોડપુર, ખંભાળિયા, ભાટેલ, ભોપલકા અને ભાટિયા જેવા 15 સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં મુસાફરો માટે 7 જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ-ઓખા સ્પેશિયલ ટ્રેનની વિગત લાંબા અંતરના મુસાફરો માટે ટ્રેન સંખ્યા 09535/09536 રાજકોટ-ઓખા સ્પેશિયલ પણ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09535 તારીખ 1 અને 2 માર્ચ, 2026 ના રોજ રાજકોટથી બપોરે 13.25 કલાકે ઉપડી સાંજે 18.40 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09536 ઓખાથી સવારે 07.20 કલાકે પ્રસ્થાન કરી બપોરે 12.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં પડધરી, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુર સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં કુલ 9 જનરલ કોચ જોડવામાં આવશે. શ્રદ્ધાળુઓ વધુ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કેશરપુરા ચોકડી પાસે નવા બની રહેલા બ્રિજ નજીક ધૂળ ઉડતી હોવાથી પાણી છાંટવાનું કહેવા જેવી સામાન્ય બાબતે એક વૃદ્ધ પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 'મારા પાર્લર આગળ થોડું પાણી છાંટી દેજો જેથી ધૂળ ન ઉડે'ખેરાલુના કેશરપુરા ડભોડા ખાતે રહેતા 60 વર્ષીય ભાથીજી મોહનજી ઠાકોર કેશરપુરા ચોકડી પાસે પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં ત્યાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી વાહનોની અવરજવરને કારણે ભારે ધૂળ ઉડતી હોય છે. ગત 27 ફેબ્રુઆરીના રોજ બપોરે ભાથીજી પોતાના પાર્લર પર હાજર હતા, ત્યારે ત્યાં પાણી છાંટવાનું કામ કરતા હેમાજી ધારસિંહજી ઠાકોરને ભાથીજીએ વિનંતી કરી હતી કે, તમે બ્રિજ નીચે પાણી છાંટો છો તેમ મારા પાર્લર આગળ પણ થોડું પાણી છાંટી દેજો જેથી ધૂળ ન ઉડે. 'આજે તો બચી ગયા છો, હવે પછી જાનથી મારી નાખીશ'આ સામાન્ય વાત સાંભળતા જ હેમાજી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. ભાથીજીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા હેમાજીએ તેમને ગડદાપાટુનો માર માર્યા બાદ નજીકમાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવી ભાથીજીના બંને હાથ પર ફટકા માર્યા હતા. વૃદ્ધની બૂમો સાંભળી તેમની પત્ની શારદાબેન દોડી આવ્યા હતા અને વચ્ચે પડી ભાથીજીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતી વખતે આરોપી હેમાજીએ આજે તો બચી ગયા છો, પણ હવે પછી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ ભાથીજી ઠાકોરે હુમલો કરનાર હેમાજી ઠાકોર (રહે. કેશરપુરા, મૂળ રહે. કંબોઈ, કાંકરેજ) વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે અમદાવાદના જમાલપુર-ખાડીયા વિસ્તારમાંથી ગલ્ફ કન્ટ્રીમાં ગયેલા કેટલાક યાત્રાળુઓ સાઉદી એરપોર્ટ પર ફસાયા હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી છે. इज़राइल-ईरान तनाव के बीच गुजरातके अहमदाबाद और मेरे जमालपुर-खड़िया मतक्षेत्रके बहुत लोग सऊदी एयरपोर्ट पर फसे हुए हे हर भारतीय नागरिक की सुरक्षा हमारी प्राथमिकता होनी चाहये मैं भारत सरकारसे आग्रह करता हूं कि वह हमारे लोगों की सुरक्षा के लिए तत्काल और सक्रिय कदम उठाए @DrSJaishankar pic.twitter.com/V0dEjiMNCN— Imran Khedawala (@Imran_khedawala) February 28, 2026 આ સમાચાર પણ વાંચોઃ ઈરાનના હુમલાથી બહેરીનમાં વસતા ગુજરાતીઓ ફફડ્યાં આજે 28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે.સુરતથી માત્ર 15 દિવસ પહેલા જ રોજગારી માટે બહેરીન ગયેલા નરેશ માધવિયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી વર્ણવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
મોડાસાની પ્રાર્થના સ્કૂલના પ્રાથમિક વિભાગમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પ્રાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કનુભાઈ પટેલે રીબીન કાપીને આ પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો. શાળા પરિસરમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ધોરણ 3 થી 9 ના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ 86 નવતર પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે વૈજ્ઞાનિક ઊર્જાનો માહોલ સર્જ્યો હતો.પ્રદર્શન દરમિયાન ફ્રી એનર્જી, AI રેસ કાર, બઝર પ્લે, ફાયર કોલ, પર્યાવરણ શુદ્ધિકરણ, વેસ્ટમાંથી બેસ્ટ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સોલાર એનર્જી દ્વારા ઇલેક્ટ્રિક ઊર્જાની બચત જેવા વિવિધ મોડેલો અને પ્રોજેક્ટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિરુચિ વિકસાવવાનો તેમજ જાણવા-સમજવાની જિજ્ઞાસા વધારવાનો હતો. બાળકોના વિચારોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા, પ્રસ્તુતિ કૌશલ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સ્પષ્ટપણે જોવા મળી હતી.આધુનિક 21મી સદીમાં AI ટેકનોલોજી અને વિજ્ઞાન આપણા જીવનને કેવી રીતે સરળ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવે છે, તે સત્યને પ્રાર્થના સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગો દ્વારા જીવંત કરી બતાવ્યું. આ વિજ્ઞાન પ્રદર્શન પ્રાથમિક વિભાગના આચાર્ય રાજેન્દ્રસિંહ રાઠોડ, અંગ્રેજી માધ્યમના ડાયરેક્ટર ડૉ. મનોજ કાલે, વિજ્ઞાન શિક્ષક કેવલભાઈ પટેલ, મિત્તલબેન ચૌધરી અને કોમ્પ્યુટર શિક્ષક વિશાલ લુહારીયા સહિત સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત થયું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ વિદ્યાર્થીઓના મોડેલો અને પ્રોજેક્ટ્સ નિહાળી તેમની પ્રશંસા કરી હતી. તેમણે ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ઉત્તમ વૈજ્ઞાનિક બની દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રદર્શન ભવિષ્યના વૈજ્ઞાનિકોની પ્રથમ ઉડાન સમાન બન્યું હતું.
ભાવનગર શહેરના ચિત્રા-સીદસર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં પરિવાર સાથે વતનમાં ગયેલા વ્યક્તિના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રસોડાની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમ તથા માળીયામાં રહેલા કબાટ અને તિજોરી તોડી રોકડ રૂપિયા 25 હજાર તેમજ અંદાજે 25 હજારની સોનાની ચીજવસ્તુઓ સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર કાળિયાબીડ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશકુમાર ઉમાકાન્તભાઈ ત્રિવેદી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની સાથે નોકરી કરતા, ગયા પ્રસાદ ઉર્ફે પપ્પુભાઈ સોદાગર પ્રસાદ યાદવ, જે હાલ ભાવનગરના ચિત્રા-સિદસર રોડ પર વરીયા કિર્તી જયોત સોસાયટીમાં રહેતા હતા અને મૂળ બિહારના રહેવાસી છે, તેઓ પરિવાર સાથે વતનમાં ગયેલા હતા. તે દરમ્યાન તેમના ભાવનગર સ્થિત રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યો શખસ રસોડાની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમ તેમજ ઉપરના માળીયામાં રહેલા લોખંડના કબાટ અને તિજોરી તોડી અંદરથી રોકડ રૂપિયા 25 હજાર તેમજ અંદાજે 25 હજારની સોનાની ચીજવસ્તુઓ અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે અજાણ્યા ચોર સામે BNS કલમ 305(a), 331(3),331(4) હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે માનવતા અને પોલીસની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભીડભાડ વચ્ચે પરિવારથી એકલી પડી ગયેલી 5 વર્ષની માસૂમ બાળકીને મહીધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળાપ કરાવ્યો હતો. 5 વર્ષીય બાળકી એકલી અને ગભરાયેલી હાલતમાં મળી આવી હતીતારીખ 28/02/2026ના રોજ સવારના સમયે સુરત રેલ્વે સ્ટેશનની સામેના ભાગમાં એક નાની બાળકી એકલી અને ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. આ બાળકીની ઉંમર આશરે 5 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જાહેર માર્ગ પર નાની બાળકીને એકલી જોઈને સ્થાનિક લોકો અને ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તુરંત જ તેની સારસંભાળ લીધી હતી અને બાળકીને તુરંત જ નજીકના મહીધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. પોતાની દીકરી ખોવાઈ જવાથી પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યોમહીધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બાળકીને વિશ્વાસમાં લઈને પ્રેમપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસના અંતે પોલીસને બાળકીના વાલી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાળકીના પિતા જેઓ સુરતના પાલ વિસ્તારના ભાઠાગામ ખાતે રહે છે. પોલીસે તુરંત જ તેમનો સંપર્ક સાધ્યો હતો. પોતાની લાડકવાઈ દીકરી ખોવાઈ જવાથી ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. બાળકીને સહી-સલામત પિતાને સોંપવામાં આવી હતીમહિધરપુરા પીઆઇ એન.એચ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દીકરી અને તેના મમ્મી પપ્પા ગોધરા જવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા ટ્રેન વહેલા 4:00 વાગ્યાની હતી. તેથી તેઓ ત્યાં જ ઊંઘી ગયા હતા અને રાત્રે દીકરી ઊંઘમાંથી જાગી અને ચાલવા મંડી હતી. રેલવે સ્ટેશન બહાર આવી અને રડતી હતી ત્યારે કોઈ મુસાફરે ત્યાં હાજર જી.આર.ડી.ના જવાનોનું ધ્યાન દોર્યું અને તે જ સમયે ડીસ્ટ આપના જવાનો પેટ્રોલિંગમાં હતા. તેમણે બાળકીને સંભાળી અને બાળકીને તેના માતા-પિતાનું નામ પૂછવામાં આવ્યું પરંતુ બાળકીને તેના માતા-પિતાનું નામ ખબર ન હતી. તેથી, આજુબાજુ તપાસ ચાલુ કરી અને એના પિતા પણ બાળકીને શોધી રહ્યા હતા એટલે સંજોગોવશાત પોલીસનો અને તેના પિતાનો ભેટો થઈ ગયો અને બાળકીને સહી સલામત તેના પિતાને સોંપવામાં આવી હતી.
નવસારી SOGએ 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:છેતરપિંડીનો આરોપી નામ બદલીને નેત્રંગમાં છુપાયો હતો
નવસારી SOGએ છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલીને ભરૂચના નેત્રંગમાં રહેતો હતો. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હતો. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG ઇન્ચાર્જ પી.આઈ. પી.વાય. ચિત્તેની ટીમ કાર્યરત હતી. SOGના એ.એસ.આઈ. નઈમખાન ડોસખાનને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, છેતરપિંડીના ગુનાનો એક આરોપી નામ બદલીને નેત્રંગમાં રહી રહ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી નિલેશ ઉર્ફે રાજુભાઈ કરશનભાઈ ગુજરાતી (મૂળ રહે. સમઢીયાળા, તા. ગારીયાધાર, જી. ભાવનગર) પોતાનું નામ બદલીને 'ઘનશ્યામ પટેલ' તરીકે નેત્રંગ હાઈસ્કૂલ પાસે નવી વસાહતમાં રહેતો હતો. SOGની ટીમે વોચ ગોઠવીને તેને નેત્રંગથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420 અને 120(B) મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો (પાર્ટ-એ ગુ.ર.નં. 11822021230247) નોંધાયેલો હતો. ત્રણ વર્ષથી નાસતા ફરતા આ આરોપીનો કબજો હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઓપરેશન પાર પાડનારી ટીમમાં SOG નવસારીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.વાય. ચિત્તે, એ.એસ.આઈ. નઈમખાન ડોસખાન, અ.હે.કો. વિનોદભાઈ લાલજીભાઈ અને પો.કો. ધીરજભાઈ રત્નાભાઈનો સમાવેશ થાય છે.
મહેસાણા શહેરના શોભાસણ રોડ પર પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવચા ચકચાર મચી ગઈ હતી. દસ દિવસ પૂર્વે ભાગી ગયેલા પ્રેમી પંખીડાઓ પરત આવ્યા બાદ સમાધાન થયું હોવા છતાં ઉશ્કેરાયેલા પિતા અને પરિવારે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આજે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ આવી રિકન્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા આરોપીઓને જોવા ઉમટી પડ્યા હતા. શું છે સમગ્ર મામલો?મહેસાણાની શાલીમાર સોસાયટીમાં રહેતા ઈર્શાદ હુસેન અંસારીને શોભાસણ રોડ પર આવેલી મીમ સોસાયટીના નાહીદ ઉર્ફે છોટુ મોહમ્મદ ફારુક શેખની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. આશરે દસ દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, બાદમાં સમજાવટથી બંને પરત ફર્યા હતા અને આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. કારથી બાઈકને ટક્કર મારી ઇર્શાદને નીચે પાડી દીધોજોકે, મનમાં અદાવત રાખીને બેઠેલા યુવતીના પિતા નાહીદ શેખે ગત 25 ફેબ્રુઆરીએ હુમલાનો પ્લાન ઘડ્યો હતો. ઈર્શાદ જ્યારે તેના મિત્ર વસીમ ઉર્ફે નવાબ સાથે બાઈક પર શોભાસણ ગામ તરફથી મહેસાણા આવી રહ્યો હતો, ત્યારે મસ્તાન સોસાયટી પાસે નાહીદ શેખે પોતાની કાર ઈર્શાદની બાઈક સાથે અથડાવી તેને નીચે પાડી દીધો હતો. નાહીદ શેખે લોખંડના ટી-પાનાથી જીવલેણ હુમલો કર્યોકારમાંથી ઉતરીને નાહીદ શેખે લોખંડની પાઈપ વડે ઈર્શાદના પગ પર હુમલો કર્યો હતો. જ્યારે તેની પત્નીએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન નાહીદના દીકરા સમીર ઉર્ફે ખોસાબે લોખંડના ટી-પાના વડે ઈર્શાદના માથામાં ગંભીર ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં હત્યાનો ગુનો નોંધ્યોગંભીર રીતે ઘવાયેલા ઈર્શાદને પ્રથમ સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ચકચારી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી આરોપી નાહીદ શેખ અને તેના પુત્ર સમીરની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુંઆજે સાંજે પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંસકુઈ ગોળીગઢ જાત્રા માટે 40 વધારાની બસો:નવસારી ડેપો દ્વારા 'ઝીરો વેટિંગ ટાઈમ'નું આયોજન
દક્ષિણ ગુજરાતના વાંસકુઈ ખાતે આગામી 1 માર્ચ, 2026ના રોજ યોજાનારી ગોળીગઢ બાપુની જાત્રા માટે નવસારી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે કુલ 40 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. નવસારી ડેપોના અધિકારીઓએ જણાવ્યું કે, આ 40 વધારાની બસો દ્વારા દિવસ દરમિયાન અંદાજે 300 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવશે. નવસારીથી વાંસકુઈ પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે. શ્રદ્ધાળુઓને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે વાંસકુઈ ખાતે એક હંગામી બસ સ્ટેશન પણ ઊભું કરાયું છે. અહીં 'ઝીરો વેટિંગ ટાઈમ'ની વ્યૂહરચના અપનાવવામાં આવી છે, જેથી મુસાફરોને તાત્કાલિક બસ મળી શકે. મેળા દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે જૂના બસ સ્ટેશન અને ગોળીગઢ ખાતે 30 જેટલા વધારાના વહીવટી સ્ટાફને તૈનાત કરાયો છે. બસોના ડ્રાઈવર અને કંડક્ટર બે શિફ્ટમાં ફરજ બજાવશે. આ વિશેષ બસ સેવા વહેલી સવારે 3:30 વાગ્યાથી શરૂ થઈને મોડી રાત્રે મેળો પૂર્ણ થાય ત્યાં સુધી સતત કાર્યરત રહેશે. મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે દર વર્ષે મહા મહિનામાં ગોળીગઢ બાપુની જાત્રા ભરાય છે. દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ માટે આ એક મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે. નવસારી, વ્યારા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. આદિવાસી સમાજમાં ગોળીગઢ બાપુને કુળદેવતા સમાન પૂજનીય માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં બાધા રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને પશુધનની રક્ષા અને ખેતીમાં સમૃદ્ધિ માટે ખેડૂતો ગોળીગઢ બાપુ પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે. આ જાત્રામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે, જ્યાં પરંપરાગત વાદ્યોના તાલે ભક્તો પૂજા-અર્ચના કરે છે અને ધજા તેમજ નાળિયેર ચઢાવવાની પરંપરા આજે પણ જીવંત છે. આ જાત્રામાં ખાણી-પીણીના સ્ટોલ્સ, રમકડાં અને આદિવાસી નૃત્યો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને સૌ કોઈ એકસાથે બાપુના આશીર્વાદ લેવા પહોંચે છે, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાંથી એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. કાંટાની ઝાડીઓમાં લોહીલુહાણ હાલતમાં મળેલી આ બાળકીને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના આજે સવારે બની હતી જ્યારે કમલેશભાઈ નામના એક સ્થાનિક વ્યક્તિ લાકડા વીણવા જંગલમાં ગયા હતા. તેમને બાળકના રડવાનો અવાજ સંભળાતા, તપાસ કરતા કાંટાની ઝાડીઓ વચ્ચે આ બાળકી મળી આવી હતી. બાળકીના શરીર પર કાંટા વાગવાને કારણે ઈજાઓ થઈ હતી. કમલેશભાઈએ તાત્કાલિક બાળકીને સુરક્ષિત બહાર કાઢી સ્થાનિકોની મદદથી સારવાર માટેની વ્યવસ્થા કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને આરોગ્ય વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ બાળકીની ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, નવજાત શિશુને ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચાલતા જઈ રહેલા વૃદ્ધને મંદિરનું સરનામું પૂછવાના બહાને વાતોમાં વ્યસ્ત રાખી કારમાં બેઠેલા નાગા બાવાના વેષમાં આવેલ શખ્સે ગળામાંથી સોનાની ચેન અને વીંટી ચોરી કરી લીધા હતા. ત્યારબાદ કારમાં સવાર નાગા બાવા સહિતની ગેંગ ફરાર થઈ ગઈ હતી. જેથી વૃદ્ધે કાર સવાર ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોરબંદર ખાતે રહેતા મુકેશભાઈ લાલજી થાનકી (બ્રાહ્મણ) (ઉ.વ.71) નિવૃત જીવન ગુજારે છે તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા બે વર્ષથી વડોદરા ખાતે રહે છે અને રૂબામીન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમા નોકરી કરે છે જે હાલમાં મકાન પ્રયોશા ગ્રીન ફ્લેટ ભાયલી સ્ટેશન પાસે બાંકો કંપની સામે અટલાદરા પાદરા હાઇવે રોડ વડોદરા ખાતે પોતાની પત્ની અને બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે. તેઓએ કહ્યું હતું કે, હું પોરબંદરથી ટ્રાવેલ્સની બસમાં બેસીને વહેલી સવારે 7 વાગ્યે વડોદરા અક્ષર ચોક ખાતે આવી દીકરાને ફોન કરતા તે લેવા માટે આવ્યો હતો. ત્યારબાદ અટલાદરા યોગી રેસીડેન્સીમાં નવુ મકાન ખરીદ કરેલ છે ત્યાં ફનીચરનુ કામ ચાલુ હોય જોવા ચાલતો ચાલતો નીકળ્યો હતો. સવારના આશરે 9.45 વાગ્યાના સુમારે સમન્વય સ્ટેટસ હોટલ સનરાઇઝ સામે આવતા રોડની બાજુમા અટલાદરા તરફ જવાના રોડ પર કાર ઉભી હતી, જેના પાછળના ભાગે RTO નંબર પ્લેટ ન હતી અને ડ્રાઇવર સાઇડ તરફથી હું પસાર થતો હતો, તો આ કારમાં બેઠેલા અજાણ્યા ડ્રાઇવરે મને ઉભો રાખી અને નજીકમાં મંદીર આવેલું છે, અમારે મંદીરે જવુ છે તેમ પૂછ્યું હતું. જેથી મે આ ડ્રાઇવરને કહ્યું હતું કે, હું પણ અહીનો અજાણ્યો માણસ છુ મને ખબર નથી. ત્યારબાદ આ અજાણ્યા ડ્રાઇવરે તેનો ચાલુ મોબાઇલ ફોન મને આપી અને આ મારા માણસ સાથે વાત કરો, જેથી મે તેના ફોન ઉપર વાત કરતા સામેથી કોઇક અજાણ્યા માણસે મને કહ્યું હતું કે, આજુબાજુમાં કોઈક મંદીર હોય તો આ લોકોને બતાવો તે વખતે ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેઠલા અજાણ્યા ઈસમે શરીરે ભભુત લગાવી હતી. તે ઇસમે મને તેની બાજુમાં બોલાવતા કારની આગળ ગયો હતો. આ અજાણ્યા ઇસમ પાસે કારના દરવાજા પાસે જઈ હુ ઉભો રહ્યો હતો અને તે વખતે હું ફોન ઉપર વાત કરતો હતો અને સામેના વ્યકિતએ કહ્યું હતું કે, નજીકમાં અટલાદરા સ્વામીનારાયણ મંદીર છે તેવી વાત કરી હતી, તે વખતે કારમાં નાગા બાવાના વેશમાં બેસેલ ઇસમે મારી નજર ચુકવી આ ઇસમે કારમાં બેઠા બેઠા બહાર હાથ કાઢી મારા ગળામાંથી સોનાની ચેઇન આશરે રૂપીયા 1.25 લાખ તથા આંગળીએ પહેરેલ સોનાની વીંટી રૂ.25 હજારની અચાનક ઝડપથી કાઢી લીધી હતી અને તરત જ આ બન્ને અજાણ્યા ઇસમો કારમાં અટલાદરા નારાયણવાડી તરફ નાસી ગયા હતા. પોલીસે કારમાં બેઠેલા બાબા સહિતની ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મોરબી પોલીસે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ખંડણી માંગવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં એક યુવાન પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને તેને બદનામ કરવાની ધમકી પણ અપાઈ હતી. મોરબીના અરુણોદયનગરમાં રહેતા વિશાલભાઈ મહેશભાઈ પાંચાણી (ઉં.વ. 30) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશાલ સેજપાલ, ગૌતમ મકવાણા અને કાસમ સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મોરબીના નાની કેનાલ રોડ પર આવેલી હરિકૃપા કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ તેમની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. વિશાલ સેજપાલે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની, બદનામ કરવાની અને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. કાસમ સુમરા દ્વારા વિશાલ સેજપાલના કહેવાથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના સરકારી લેપટોપના વીડિયો ઉતાર્યા હતા અને ફરિયાદી તથા સાહેદને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. તેઓએ એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ ઉપરાંત, ફરિયાદીને બે લાફા મારીને તેના પેન્ટના ખિસ્સામાંથી 5,000 રૂપિયા લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો. યુવાનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
પાટણની શેઠ એમ. એન. સાયન્સ કોલેજમાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇનોવેશન ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન પ્રત્યે રુચિ વધારવાનો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પી. વાય. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર ડૉ. શશીકાંત સુતરીયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને પોસ્ટર પ્રેઝન્ટેશનની પદ્ધતિઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉજવણીમાં કોલેજના તમામ શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીની બારોટ પ્રાચીએ વિજ્ઞાન વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે સહાયક પ્રોફેસર ડૉ. એસ. ડી. સુતરીયાએ આભાર વિધિ કરી હતી.
ભારતમાં મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરોમાં ગર્ભાશયના મુખનું કેન્સર (Cervical Cancer) બીજા ક્રમનું સૌથી ઘાતક કેન્સર છે. આ જીવલેણ બીમારી મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) દ્વારા ફેલાય છે. આ ગંભીર બીમારીને જડમૂળથી ઉખેડવા માટે ભારત સરકાર દ્વારા એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે. આજે 28/02/2026ના રોજ વડાપ્રધાન દ્વારા રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો ગરિમામય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે, જેના પગલે હવે 14 વર્ષની કિશોરીઓને આ સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે. સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ભવ્ય શુભારંભ હીરાનગરી સુરતમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના ડી બ્લોક સ્થિત લેકચર હોલ ખાતે સવારે 11:30 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડે. મેયર, દંડક, શાસક પક્ષના નેતા, હોસ્પિટલ કમિટીના ચેરમેન અને માજી મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના ડીન, સુપ્રીટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર (વર્ગ-1), RCHO અને વેક્સિનેશન બ્રાંચના નાયબ આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હાજર રહી દીકરીઓના સ્વાસ્થ્ય માટેના આ મહાયજ્ઞમાં સહભાગી થયા હતા. કોણ લઈ શકશે આ રસી? જાણો પાત્રતાના ધોરણો આ રસીકરણ અભિયાન અંતર્ગત ચોક્કસ વયજૂથની કિશોરીઓને આવરી લેવામાં આવી છે. જે કિશોરીઓએ પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણના પ્રારંભના 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી કિશોરીઓ આ માટે પાત્ર ગણાશે. સરળ શબ્દોમાં કહીએ તો, જે કિશોરીઓનો જન્મ 01/01/2011 થી 29/02/2012 ની વચ્ચે થયો હોય તેવો 1 વર્ષનો 'Cohort' આ રસી મેળવી શકશે. આગામી 3 મહિના સુધી આ વિશેષ ઝુંબેશ ચલાવીને શહેરની તમામ પાત્રતા ધરાવતી કિશોરીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. સુરતના 57 કેન્દ્રો પર સોમવારથી મફત રસીકરણ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 57 શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોને 'કોલ્ડ ચેઇન પોઈન્ટ' તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સોમવારથી આ તમામ કેન્દ્રો પરથી રવિવાર અને જાહેર રજાઓ સિવાયના દિવસોમાં HPV રસી વિનામૂલ્યે આપવામાં આવશે. મેયર દક્ષેશ માવાણીએ શહેરના તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દીકરીઓના ઉજ્જવળ અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય માટે આ અભિયાનમાં સહકાર આપે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રસીકરણ કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વડોદરાના ઐતિહાસિક દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અરવિંદ નિવાસ ખાતે 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ એક વિશેષ પ્રદર્શન 'ફ્રોમ ધ હાર્ટ ઓફ ઓરોવિલ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1968માં સ્થાપિત ઓરોવિલના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન યોજાયું હતું, જેનો મુખ્ય હેતુ ઓરોવિલની અનોખી સંસ્કૃતિ અને જીવનશૈલીને વડોદરાના નગરજનો સુધી પહોંચાડવાનો છે. કારીગરોની અદભૂત હસ્તકલાનું પ્રદર્શન અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ઓરોવિલના કુશળ કારીગરો દ્વારા નિર્મિત વિવિધ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુલાકાતીઓએ અહીં પ્રખ્યાત પોર્ટર્સ દ્વારા તૈયાર કરાયેલ સિરામિક્સ, હાથબનાવટની સ્ટેશનરી, અને કલાત્મક રીતે પેઇન્ટ કરેલી સાડીઓની ખરીદીનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, કુદરતી મીણબત્તીઓ, સેલ્ફ-કેર પ્રોડક્ટ્સ, બાળકોના રમકડાં અને ઓરોવિલ બેકરીના પ્રખ્યાત નાસ્તાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અરવિંદનો વડોદરા સાથેનો અતૂટ નાતો વડોદરા શહેર સાથે અરવિંદનો ઊંડો અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેઓ આ શહેરમાં 13 વર્ષ સુધી રહ્યા હતા અને બરોડા સ્ટેટમાં પોતાની સેવાઓ આપી હતી. તેમના રોકાણ દરમિયાન તેમણે શહેરના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજે પણ દાંડિયા બજાર સ્થિત તેમનું નિવાસસ્થાન શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. સામૂહિક પ્રગતિ અને એકતાનો સંદેશ ઓરોવિલની સ્થાપના અરવિંદ અને મીરા અલ્ફાસાના વિઝનથી પ્રેરિત છે. તે એક એવી આંતરરાષ્ટ્રીય ટાઉનશિપ છે જ્યાં વિશ્વભરના લોકો જાતિ, ધર્મ કે રાજકારણના ભેદભાવ વગર સુમેળથી રહી શકે. આ પ્રદર્શન દ્વારા તે જ 'સભાન જીવન' અને સામૂહિક પ્રગતિના પ્રયોગને જનમાનસ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સફળ આયોજનનો શ્રેય અરવિંદ નિવાસના સેલ્સ એમ્પોરિયમને જાય છે, જે સતત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યું છે.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ત્રણ અલગ-અલગ જિલ્લાના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી નરસિંહજી મેઘાજી ઠાકોરને કલોલ ખાતેથી ઝડપી પાડ્યો છે. LCBએ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આ કાર્યવાહી કરી હતી. જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અપાયેલી સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તપાસમાં હતો. બાતમીના આધારે, કલોલથી આરોપી નરસિંહજી મેઘાજી ઠાકોર (રહે. હારીજ, શિવવિલા સોસાયટી, મકાન નંબર 49) ને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. આ ઉપરાંત, તે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ હતો. LCB પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
PMના હસ્તે માઈક્રોન સેમિકન્ડકટરની ATMPનું ઉદ્ઘાટન અમદાવાદના સાણંદ સ્થિત માઈક્રોન સેમિકંડકટર પ્લાન્ટમાં PMના હસ્તે ATMP સુવિધાનો પ્રારંભ કરાયો છે. ઉદઘાટન પહેલા પીએમ મોદીએ રોડ શો યોજ્યો હતો.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભીડને પહોંચી વળવા સુરત રેલવે વિભાગ સજ્જ હોળીના તહેવારની ભીડને પહોંચી વળવા માટે સુરત રેલવે વિભાગ સજ્જ છે મુસાફરોની સુવિધા માટે બે દિવસમાં 20 ટ્રેન દોડશે...જેમાં છથી વધુ સ્પેશિયલ અનરિઝર્વડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો MLA અનંત પટેલના પત્ની સામે FIR નવસારીમાં જમીન વિવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના પત્ની અને એક યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાઈરલ થયો છે જેને લઇને ધારાસભ્યના પત્ની સહિત પાંચ લોકો સામે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાખીનું સપનું અધૂરું રહેતા યુવતીનો આપઘાત ખાખીનું સપનું અધૂરું રહેતા જૂનાગઢની 21 વર્ષીય યુવતી પૂનમ મારડિયાએ આપઘાત કરી લીધો... .પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પૂનમ માત્ર એક-બે માર્કસ માટે પોલીસ ભરતીમાં રહી ગઈ હતી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાથીજી મંદિરમાં 3 તસ્કરો ત્રાટક્યા ત્રણ ચોર ભાથીજી મંદિરનું તાળું તોડી અંદાજે 10 હજારની રોકડ ભરેલી દાનપેટી ચોરી ગયા. ચોરોએ બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં પણ તસ્કરીનો પ્રયાસ કર્યોઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાઇસ ડીન સામે છેડતીના આક્ષેપ અને વિરોધ બરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન ડો. અમોલ ભાવે સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપ લાગ્યા છે. આ મામલે આજે એબીવીપીના કાર્યકરોએ ઈન્ચાર્જ ડીનનો ઘેરાવ કર્યો હતો. તેમની માંગ છે કે માંગ છે કે જો પ્રોફેસર દોષિત ઠરે તો તેમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૈસાની ઉઘરાણી મામલે યુવક પર હુમલો બોટાદના લાખણકા ગામમાં બાકી પૈસાની ઉઘરાણી મામલે કેટલાક શખ્સોએ લાકડીઓ વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો.. 20 સેકન્ડમાં ધડાધડ 11 ફટકા ઝીંકી દીધા પોલીસે 8 સામે ગુનો નોધી 7ની ધરપકડ કરી ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવકનું માથું ધડથી 10 ફૂટ દૂર મળ્યું વડોદરાના સાકરીયાપુરા રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો... યુવકનું માથું ધડથી 10 ફૂટ દૂર મળ્યું...આ ઘટના આપઘાત કે અકસ્માત તે રહસ્ય હજુ સુધી અકબંધ છે પોલીસ તપાસ શરુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તલવાર-છરીથી પિતા-પુત્ર પર હુમલો અમદાવાદમાં કેસર વાટિકા સોસાયટીમાં ચાર લોકોએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને માર માર્યો હતો. પુત્રનો આરોપ છે કે સોસાયટી ચેરમેન દીપક ચૌહાણ મહિલાઓને મેસેજ કરતો હતો જે બાબતે તેઓ વાત કરવી ગયા ત્યારે ચેરમેન ભાગી ગયો હતો પરંતુ પાછળથી માણસો સાથે તેને હુમલો કર્યો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનો પગ લપસ્યો અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા એક મુસાફરનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો જોકે, ત્યાં હાજર આરપીએફના જવાનોની સમયસૂચકતાને કારણે મુસાફરનો આબાદ બચાવ થયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટમાં પિરામલ ફાર્મા લિમિટેડ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પિરામલ ફાર્મા ઓર્ગેનિક કેમિકલ્સ બનાવવાના કાર્ય સાથે સંકળાયેલી છે. જેનું યુનિટ ભરૂચ ખાતે આવેલું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જુદા જુદા કાયદા અંતર્ગત તેને વર્ષ 2030 સુધી ફેક્ટરી ચલાવવાની મંજૂરી આપી છે. કેનાલમાં કેમિકલ ઠાલવતા ગામ લોકોએ હોબાળો મચાવ્યો કંપનીએ આગળ જણાવ્યું હતું કે, આક્ષેપ મુજબ 31 જાન્યુઆરી, 2026ની મોડી રાત્રે કલોલના એક ગામમાં કંપનીનું ટેન્કર ગુપ્ત રીતે કેનાલમાં કેમિકલ ઠાલવતા ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ટેન્કરની પાછળ પડ્યાં હતા. પરંતુ ટેન્કર ભાગી જવામાં સફળ રહ્યું હતું. ટેન્કટના નંબર ઉપરથી ખબર પડી હતી કે ટેન્કર ભરૂચના પીરામલ ફાર્મામાંથી સુરેન્દ્રનગરના શ્રી રામનાથ કેમ ટેલ ખાતે જવા નીકળ્યું હતું. પરંતુ તે રસ્તામાંથી ભટકીને કલોલની કેનાલમાં પહોંચ્યું હતું અને રાતે 2 વાગ્યાની આસપાસ તેને કેનાલમાં કેમિકલ ઠાલવતા ઝડપી પાડવામાં આવ્યું હતું. ટેન્કરને ભરૂચથી સુરેન્દ્રનગર પહોંચતા 5થી 6 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ તેનો ટ્રાવેલિંગનો સમય 18 કલાક જેટલો બતાવતું હતું. વળી ભરૂચ અને સુરેન્દ્રનગર વચ્ચે કલોલ આવતું નથી. 'કંપનીએ કેમિકલ કેનાલમાં ઠાલવીને ગંભીર પ્રદુષણ આચર્યું'GPCBના નિયમો મુજબ આ ઉત્પાદકની જવાબદારી બને છે. વોટર એક્ટ મુજબ કંપનીએ કેમિકલ કેનાલમાં ઠાલવીને ગંભીર પ્રદુષણ આચર્યું છે. તેના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાણી અને ઇલેક્ટ્રિસિટી કાપવા આદેશ કરવામાં આવ્યો હતો અને 15 લાખની બેંક ગેરંટી માંગવામાં આવી હતી. 'ફેક્ટરી બંધ કરવાનો GPCBનો હુકમ યોગ્ય નથી'અરજદારે જણાવ્યું હતું કે, આક્ષેપમાં જણાવ્યા મુજબના સમયે ટેન્કર બગોદરા ઉપર હાજર હતું. જે કલોલના ગામથી 80 કિલોમીટર દૂર છે. ટેન્કર ત્યાં ગયું જ નથી, GPS ટ્રેકરના લોકેશન મુજબ ડ્રાઇવર ત્યાં આરામ ફરમાવી રહ્યો હતો. ખુલાસો આપવા છતાં ફેક્ટરી બંધ કરવાનો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો હુકમ યોગ્ય નથી. વળી તેમને 15 દિવસની જગ્યાએ નોટિસનો જવાબ આપવા માત્ર 3 દિવસનો સમય જ આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટે અરજદારની અરજી નકાર કે NGT સમક્ષ અપીલ કરવા આદેશજો કે હાઈકોર્ટે નોધ્યું હતું કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે યોગ્ય કાર્યવાહી કરી છે કંપની દ્વારા પર્યાવરણને નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે વળી પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેઓને સાંભળ્યા હતાં. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાયદા વિરુદ્ધ કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટે અરજદારની અરજી નકારવાની સાથે નિર્દેશ આપ્યા હતા કે કંપની GPCB સમક્ષ રજૂઆત કરવા મુક્ત છે. તે NGT સમક્ષ અપીલ કરી શકે છે. ઓથોરિટી અરજદારની અરજીને ધ્યાને લેતી વખતે હાઇકોર્ટના અવલોકનો ધ્યાને લેશે નહીં.
સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ ઝડપાયા:બાલીસણા પોલીસે સુરત અને કોઠાસણાથી ગણતરીના કલાકોમાં પકડ્યા
પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયની બાળાનું અપહરણ કરનાર મુખ્ય આરોપી અને સહ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપીને સુરતથી અને સહ આરોપીને મહેસાણાના કોઠાસણાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને રેન્જ આઈજીની સૂચના મુજબ, બાલીસણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 137(2), 87, 64(2)(એમ) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એફ. ચૌધરી અને તેમની ટીમે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી યુવરાજસિંહ મનુસિંહ ચૌહાણ (ઉ.વ. 20, રહે. કોઠાસણા) સગીરાનું અપહરણ કરી સુરત લઈ ગયો છે. પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આ ઉપરાંત, અપહરણમાં મદદ કરનાર સહ આરોપી યુવરાજસિંહ ભેરુસિંહ ચૌહાણ (ઉ.વ. 21, રહે. ચૌહાણવાસ, કોઠાસણા) ને પણ મહેસાણાના કોઠાસણા મુકામેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓને બાલીસણા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં બાલીસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ એએસઆઈ કામરાજભાઈ, હસમુખભાઈ, ટીનીબેન અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.
અસારવા-આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચેલી આ ટ્રેનમાં સીટ ન મળતા મુસાફરોને કોચના ફ્લોર પર અને દરવાજા પાસે બેસવાની ફરજ પડી હતી. હોળીના તહેવારને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આજે સાંજે હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટ ટ્રેન પહોંચી ત્યારે તે સંપૂર્ણ ભરેલી હતી. હિંમતનગરથી જ આ ટ્રેનમાં બેસવા માટે આશરે 300 જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું. ભારે ભીડને કારણે મુસાફરોને કોચમાં પ્રવેશતા જ નીચે બેસવું પડ્યું હતું, જ્યારે કેટલાક મુસાફરો દરવાજામાં પણ બેઠેલા જોવા મળ્યા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન પર માત્ર આગ્રા કેન્ટ ટ્રેન જ નહીં, પરંતુ અન્ય ટ્રેનોમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. અસારવા-ઇન્દોર, અસારવા-આગ્રા કેન્ટ અને ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેનોના ક્રોસિંગ દરમિયાન સાંજે 4 થી 4.45 વાગ્યાની વચ્ચે સ્ટેશન પર ભારે ભીડ હતી. આ ત્રણેય ટ્રેનોમાં અંદાજે 500 થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું.
ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત જૈન નાટક 'વિરહથી વૈરાગ્ય સુધી' સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક રજૂ થયું હતું. આ નાટક માનવતા, જીવદયા અને સેવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યું હતું. આદિનાથ ભગવાનના જીવન પર આધારિત આ પ્રેરણાદાયક નાટક સુરેન્દ્રનગરમાં પ્રથમવાર પ્રસ્તુત થયું હતું. આ ઐતિહાસિક પ્રસંગે આશરે 1,000થી વધુ દર્શકોએ ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં લિંબડી, સાયલા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી પણ લોકો હાજર રહ્યા હતા. જૈન જાગૃતિ સેન્ટર સુરેન્દ્રનગર-વઢવાણ, જૈન સોશિયલ ગ્રુપ મેઇન અને રોયલ ગ્રુપે પણ આ આયોજનને સહયોગ આપ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યોની એકતા, પરિશ્રમ અને સમર્પણ નોંધનીય રહ્યા હતા. આ કાર્યક્રમથી સમાજમાં જૈન ધર્મ અને વૈરાગ્યની ભાવના પ્રત્યે જાગૃતિ આવી હતી.
નવસારી પાલિકાની કડક કાર્યવાહી:31 માર્ચ સુધીમાં વેરો ન ભરનારની મિલકત સીલ થશે, કનેક્શન કપાશે
નવસારી મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના અંત પહેલાં વેરા વસૂલાત માટે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. પાલિકાએ જણાવ્યું છે કે 31 માર્ચ, 2026 સુધીમાં બાકી મિલકત વેરો કે અન્ય ટેક્સ નહીં ભરનાર કરદાતાઓ સામે સીલિંગ સહિતના આકરાં પગલાં લેવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં વેરો ન ભરનાર બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે. આ ઉપરાંત, રહેણાંક અને વ્યાવસાયિક એકમોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. જરૂર પડ્યે મિલકતના વીજળી કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ સુધીમાં વેરો જમા નહીં કરાવનાર મિલકત ધારકોને ભવિષ્યમાં જાહેર થતી કોઈપણ ટેક્સ રિબેટ સ્કીમનો લાભ મળશે નહીં. વેરા વિભાગ દ્વારા અપાતા અન્ય સરકારી લાભોથી પણ આવા બાકીદારો વંચિત રહી શકે છે. કરદાતાઓની સુવિધા માટે અને છેલ્લી ઘડીની ભીડ ટાળવા નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ તમામ ઝોનલ કચેરીઓ શનિવાર અને રવિવારના રજાના દિવસે પણ કાર્યરત રહેશે. પાલિકા તંત્રએ નાગરિકોને વિકાસમાં સહભાગી બનવા અને સમયસર વેરો ભરવા અપીલ કરી છે. કરદાતાઓ કચેરીએ રૂબરૂ જઈને અથવા ઓનલાઈન માધ્યમથી વેરો ભરીને પાકી રસીદ ડાઉનલોડ કરી શકે છે. કાયદાકીય કાર્યવાહી અને જપ્તીથી બચવા વહેલી તકે વેરો ભરવો હિતાવહ છે.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ ઠંડા પીણાં અને ખાસ કરીને શેરડીના રસની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હોય છે. ત્યારે લોકોના આરોગ્યની જાળવણી માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે શેરડીના કોલા સંચાલકો માટે નવા અને કડક નિયમોની અમલવારી કરવામાં આવી છે. શહેરમાં લોકોની સુખાકારી અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી હવે દરેક સંચાલકે જ્યુસ બનાવતી વખતે હાથમાં મોજા અને માથા પર ટોપી પહેરવી ફરજિયાત રહેશે. શેરડીના કોલા પર હાઈજેનિક કન્ડિશનનું પાલન ફરજીયાતમનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે મળેલી બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શેરડીના કોલા પર હાઈજેનિક કન્ડિશનનું પાલન કોઈપણ ભોગે કરવું પડશે. શેરડીને સાફ પાણીથી બરાબર ધોઈને જ તેનો રસ કાઢવાનો રહેશે, તેમજ જે ગરણીથી રસ ગાળવામાં આવે છે તેની સફાઈ પણ અત્યંત જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરશો તો કાર્યવાહી થશેઆ ઉપરાંત રસમાં વપરાતો બરફ ખાવાલાયક હોવો જોઈએ તે અંગે પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. મનપાની ખાસ ટીમો ગમે ત્યારે શેરડીના કોલા પર ઓચિંતી તપાસ કરી શકે છે અને જો નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. મનપાએ 17 જગ્યાઓ માટે સંચાલકોને લાયસન્સ આપ્યાઆ વર્ષે પાલિકા દ્વારા શેરડીના રસના વેચાણ માટે કુલ 26 જગ્યાઓ હરાજીમાં મૂકવામાં આવી હતી, જેમાંથી 17 જગ્યાઓ માટે સંચાલકોને પરવાના લાયસન્સ આપી દેવામાં આવ્યા છે. આ હરાજી દ્વારા મહાનગરપાલિકાને 20 લાખથી વધુની આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ 40 ટકા જેટલી વધારે છે. શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ શેરડીનો રસ નહીં હોય તો કાર્યવાહીઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આ પરવાના ચાર મહિના માટે અપાતા હોય છે. પરંતુ આ વર્ષે સંચાલકોને 15 જુલાઈ સુધી કોલા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળા દરમિયાન ફેલાતા કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગોને અટકાવી લોકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ શેરડીનો રસ ઉપલબ્ધ કરાવવાનો છે.
શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે અને જય અંબે વિદ્યાલયના કે.જી. વિભાગ દ્વારા 'મેજીકલ સ્ટોરીબોક્ષ' પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન શનિવારે,28 ફેબ્રુઆરી ના રોજ સવારે 8.30 થી 10.30 કલાક દરમિયાન યોજાયું હતું. આ કાર્યક્રમ શાળાના સંચાલક અમિતભાઈ શાહ, ભાવેશાબેન શાહ અને વિવેકભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કે.જી. વિભાગના આશરે 110 ભૂલકાંઓએ પંચતંત્ર, પરીકથા, પૌરાણિક અને ઐતિહાસિક બાળવાર્તાઓનું નાટ્યાત્મક મંચન કર્યું હતું. બાળકોની વેશભૂષા અને તેમની અનોખી અભિનય ક્ષમતાએ ઉપસ્થિત સર્વે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોએ વાર્તા કથનની વિવિધ પ્રાચીન અને અર્વાચીન શૈલીઓ વિશે માહિતી અને નિદર્શનો પણ રજૂ કર્યા હતા. આમંત્રિત અતિથિગણ અને વાલી મિત્રોએ બાળકોની પ્રતિભા ખીલવવા માટેના આ મંચને ઉત્સાહવર્ધક પ્રતિભાવો આપ્યા હતા. તેમણે કે.જી. વિભાગના આચાર્યા દર્શનાબેન શાહ અને શિક્ષક મિત્રોને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પાલનપુરની સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. આ દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા શોધાયેલી 'રામન ઇફેક્ટ'ની યાદમાં ઉજવવામાં આવે છે. બાળકો અને યુવા પેઢીને વિજ્ઞાન પ્રત્યે પ્રેરણા મળે તે હેતુથી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવાય છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ સતિષ વોરા, અમૃત જુડાલ, અલ્પેશ સોલંકી સહિત બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ ભારતના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને રાકેશ શર્મા જેવા વૈજ્ઞાનિકોનો પરિચય આપતા વક્તવ્યો રજૂ કર્યા. આ ઉપરાંત, વિજ્ઞાન મોડેલ, અભિનય ગીત અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી વિજ્ઞાનની સાચી સમજ દર્શાવતી નાટ્યકૃતિ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. બનાસકાંઠાની 43મી જિલ્લા સ્કાઉટ-ગાઈડ રેલીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણપ્રેમી સતિષ વોરાએ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા મળે તેવા આશીર્વચન આપ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્ય રંજનબેન પટેલ, સુપરવાઇઝર પીનાબેન પટેલ, હીનાબેન પટેલ અને સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક પાર પડ્યું.
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને પરિવહનની કોઈ મુશ્કેલી ન પડે તે માટે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાના સમયગાળાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગે વધારાની બસ ટ્રિપ શરૂ કરી છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. શાળાઓની રજૂઆતને આધારે એવા રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવી રહી છે, જ્યાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના ગામે પરત ફરી શકે. સવાર અને બપોરના સમયે પરીક્ષાના સમયને અનુરૂપ વધારાની ટ્રીપ ગોઠવવામાં આવી છે, જેનો લાભ દૂરદરાજના ગામોના વિદ્યાર્થીઓને મળશે. આ ઉપરાંત, નિયમિત વિદ્યાર્થીઓ માટેની તમામ ટ્રીપનું સંચાલન પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માટે એસ.ટી. વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લોકલ બસ પાસ ધરાવતા વિદ્યાર્થીઓ એક્સપ્રેસ રૂટની બસોમાં પણ મુસાફરી કરી શકશે. આ અંગે તમામ રૂટના બસ ચાલકો અને કંડક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને કારણે પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહેશે. પરિવહનની ચિંતા વિના વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકશે.
ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે આક્રમક હુમલા બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર પર પડી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને સુરતથી દુબઈ જતી ફ્લાઈટ આગામી 24 કલાક માટે રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે અનેક મુસાફરો અટવાયા છે અને એરપોર્ટ પર દોડધામ મચી ગઈ છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર અસરમાત્ર સુરત જ નહીં, પરંતુ ઈરાનના હુમલા બાદ ભારતભરના વિવિધ શહેરોથી દુબઈ અને ખાડી દેશોમાં જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મોટી અસર જોવા મળી રહી છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં જોખમ લેવા તૈયાર નથી, પરિણામે હવાઈ માર્ગોમાં ફેરફાર અથવા ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા એ સર્વોપરી હોવાનું જણાવીને એર ઇન્ડિયાએ હાલ પૂરતી તમામ ઉડાનો સ્થગિત કરી દીધી છે, જેની અસર આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાસુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગ પર આ યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ અંગે હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાક-ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે એર લાઈન્સ કંપનીઓએ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. સુરતથી દુબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ બંધ થતાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને જે વેપારીઓ બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ માટે જતા હોય છે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોના વ્યવહાર અટકી શકેદુબઈમાં હીરાના વેપાર માટે ટેન્ડર સિસ્ટમ અમલમાં હોય છે, જેમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. દિનેશ નાવડિયાએ વધુમાં ઉમેર્યું કે, જે વેપારીઓની ટેન્ડર માટેની તારીખ આજની કે આવતીકાલની હતી, તેઓ ફ્લાઈટ રદ થવાને કારણે ડેટ ચૂકી જશે. આ ટેન્ડરની આગામી તારીખ ક્યારે મળશે તેનું કોઈ અનુમાન કરવું અત્યારે મુશ્કેલ છે. આ સ્થિતિને કારણે હીરાના સોદાઓ અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે. રિફંડ અથવા ફ્લાઈટ રિ-શેડ્યુલિંગની માહિતી મેસેજથી મળશેએર ઇન્ડિયા એક્સપ્રેસના સત્તાવાર સૂત્રો મુજબ, આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં ઉદ્ભવેલી અનિશ્ચિતતાને કારણે ફ્લાઈટ રદ કરવી અનિવાર્ય હતી. મુસાફરોને રિફંડ અથવા ફ્લાઈટ રિ-શેડ્યુલિંગ અંગેની માહિતી મેસેજ દ્વારા આપવામાં આવી રહી છે. હાલની સ્થિતિમાં દુબઈ જતી ફ્લાઈટ ક્યારે ફરી શરૂ થશે તેનો આધાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર નિર્ભર છે. એરપોર્ટ પર ફ્લાઈટ રદ થવાના સમાચાર મળતા જ મુસાફરોમાં નિરાશા જોવા મળી હતી. યુદ્ધની સુરતના હીરા બજારને અસરઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષની અસર માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આર્થિક રીતે પણ સુરતને ફટકો પાડી રહી છે. રફ હીરાની ખરીદી અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે દુબઈ એક મહત્વનું હબ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સુરતના હીરા બજારમાં મંદી અને માલની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં વેપારીઓ 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી રહ્યા છે. આગામી 24 કલાક ખૂબ જ મહત્વનાહાલ એર ઇન્ડિયા એક્સપ્રેસે માત્ર 24 કલાક માટે ફ્લાઈટ રદ કરી છે, પરંતુ જો સ્થિતિ વધુ વણસશે તો આ સમયગાળો લંબાવવામાં આવી શકે છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ઓછી હોવાને કારણે આ એકમાત્ર ફ્લાઈટ રદ થવી એ વેપારીઓ માટે મોટું નુકસાન સાબિત થઈ રહ્યું છે. તંત્ર દ્વારા વિદેશ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટેન્ડર સિસ્ટમની અંદર એપોઇન્ટમેન્ટ રદ થતાં મુશ્કેલીહીરાના વેપારી દિનેશ નવડિયાએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અમેરિકા સંયુક્ત ઈરાન સાથે યુદ્ધની શરુઆત થઈ ગઈ છે. આ યુદ્ધની શરૂઆતના કારણે ઘણી એર કંપનીઓએ પોતાની ફ્લાઈટો રદ કરી છે. આમાં સુરતને રીલેટેડ વાત કરીએ તો સુરતની અંદરથી ઉપડતી ફ્લાઈટ એર ઇન્ડિયાની 24 કલાક માટે અત્યારે કેન્સલ કરવામાં આવી છે. આ ફલાઈટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે ખૂબ સરળ થઈ ગયું હતું દુબઈ જવા આવવાનું. પરંતુ ટેન્ડર સિસ્ટમની અંદર એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવામાં આવતી હોય છે. જે લોકોને આવતી કાલની ટેન્ડરની તારીખ હોય આજની તારીખ હોય એ લોકોની તારીખ ચુકી જશે, નેક્સ્ટ તારીખ એને ક્યારે મળે એનું કોઈ અનુમાન કરવું મુશ્કેલ છે. એટલે ચોક્કસ આ યુદ્ધની ઇફેક્ટની શરૂઆત હીરા ઉદ્યોગને ઇફેક્ટેડ થવાની શરૂઆત થઈ છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા 35 કરતાં વધુ વિજ્ઞાન આધારિત મોડેલ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા હતા, ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાના 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પ્રયોગો રજૂ કર્યા હતા‘નેશનલ સાયન્સ ડે’ ના દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પ્રયોગો રજૂ કર્યા હતા, પ્રદર્શન ઉપરાંત વિશેષ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્સપર્ટ હેન્ડસ-ઓન રૉબોટિક્સ કીટ નું ડેમોન્સ્ટ્રેશન તથા લેકચર નું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ, વોટર રોકેટરી, ઓરીગામી તથા જુદી જુદી હેન્ડસ ઓન પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી, વિવિધ શાળાના 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પ્રયોગો રજૂ કર્યા હતા. યુવા પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિતભારતમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એ છે કે, 28 ફેબ્રુઆરી, 1928ના રોજ મહાન ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામન (Sir C. V. Raman) દ્વારા “રામન અસર” (Raman Effect) ની મહત્ત્વપૂર્ણ શોધ જાહેર કરવામાં આવી હતી, આ અદભૂત શોધ બદલ તેમને 1930માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, યુવા પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવું અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જનજાગૃતિ ફેલાવવી છે. આ અવસર પર દેશભરના શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને વિજ્ઞાન સંસ્થાઓમાં પ્રદર્શન, પ્રયોગો, સ્પર્ધાઓ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, 1500 કરતાં વધારે સ્કૂલના બાળકો તથા મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધોવિજ્ઞાન માનવ જીવનને સરળ, સુરક્ષિત અને પ્રગતિશીલ બનાવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે દરેક નાગરિકમાં તર્કસંગત વિચારશક્તિ, નવીનતા અને સંશોધન પ્રત્યે રસ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ વિજ્ઞાનપ્રેમી સમાજ રચવાના સંકલ્પનો દિવસ છે, આરએસસી ભાવનગર ખાતે તા. 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત સાયન્સ કાર્નિવલમાં અંદાજે 1500 કરતાં વધારે શાળાના બાળકો તથા મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં રોજ જુદી જુદી પ્રવૃતિઓ જેમ કે ઓરીગામી, સ્કાય ગેઝિંગ, સાયન્સ ક્વિઝ, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન વગેરે કરાવવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, તથા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.
ગીર સોમનાથમાં ‘સર્વાઈકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ અભિયાન શરૂ:14 વર્ષની કિશોરીઓને નિઃશુલ્ક HPV રસી અપાશે
મહિલાઓના આરોગ્ય સુરક્ષા માટે ‘સર્વાઈકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ HPV રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરીએ અજમેર, રાજસ્થાનથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્તરે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ‘સર્વાઈકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. જિલ્લાની 14 વર્ષની કિશોરીઓને નિઃશુલ્ક HPV વેક્સિન આપવામાં આવશે. આ રસી ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા પૂરી પાડે છે અને વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત તથા અસરકારક મનાય છે. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર સ્નેહલ ભાપકરે વેરાવળ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓની બેઠક યોજી હતી. તેમણે અભિયાનના સુવ્યવસ્થિત અમલ માટે માર્ગદર્શન આપ્યું. બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્ર વચ્ચે સંકલન સાધી વધુમાં વધુ પાત્ર કિશોરીઓ સુધી રસી પહોંચાડવા પર ભાર મુકાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોયે જણાવ્યું કે, HPV રસી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી અદ્યતન અને સુરક્ષિત રસી છે. જિલ્લાભરમાં 14 વર્ષની ઉંમર ધરાવતી કિશોરીઓને વાલીઓની સંમતિથી આ રસી અપાશે. ખાનગી કેન્દ્રોમાં મોંઘી મળતી આ રસી સરકાર દ્વારા આ અભિયાન અંતર્ગત સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ રહી છે. રસીકરણ સરકારી આરોગ્ય સંસ્થાઓ જેવી કે PHC, CHC, ઉપજિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે એક જ ડોઝ રૂપે આપવામાં આવશે. શિક્ષણ વિભાગના સંકલનથી નોડલ શિક્ષકો દ્વારા પાત્ર કિશોરીઓની યાદી તૈયાર કરીને આરોગ્ય વિભાગને અપાશે, જેથી રસીકરણ પ્રક્રિયા ઝડપી અને અસરકારક બને. આરોગ્ય કર્મચારીઓ અને નોડલ શિક્ષકો શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રસી વિશે માહિતી અને માર્ગદર્શન આપશે. જિલ્લા આરોગ્ય વિભાગે વાલીઓને પોતાની દીકરીઓને આ રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે સુરક્ષિત કરવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત રક્ષણ કવચ ઊભું કરવામાં આ અભિયાન એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહિલાઓના આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ગણાશે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી નિ:શુલ્ક HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયા હતા અને રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી રસી દ્વારા આત્મનિર્ભર ભારતનું દર્શન આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત 2007થી પોલિયો મુક્ત બન્યું છે. રસીકરણની પ્રક્રિયા હવે વધુ સરળ અને અસરકારક બની છે. અગાઉ ગંભીર રોગો માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે ભારત સ્વદેશી રસી બનાવીને વિશ્વને મદદ કરી રહ્યું છે, જે સાચા અર્થમાં 'આત્મનિર્ભર ભારત'નું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે છેવાડાના માનવીને આર્થિક અભાવે સારવારથી વંચિત ન રહેવું પડે તે માટે આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. કિશોરીઓ માટે 150 કરોડનું બજેટ અને મફત રસીકરણ ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે લડવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. બજારમાં આ રસીના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે. જોકે, રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકાર દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે, જેમાં હવે HPV રસીનો ગૌરવપૂર્ણ ઉમેરો થયો છે. 5.50 લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય આ અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને આવરી લેવામાં આવશે. ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે, જેના માટે મુખ્યત્વે HPV-16 અને HPV-18 વાયરસ જવાબદાર હોય છે. આ જોખમને ટાળવા માટે અત્યંત અસરકારક એવી 'ક્વાડ્રિવેલેન્ટ HPV વેક્સિન' આપવામાં આવશે. મંત્રીએ અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલી આ રસી મુકાવવા વાલીઓને અનુરોધ કર્યો છે. રસીના સંગ્રહ માટે હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ અભિયાનના અમલીકરણ માટે રાજ્યમાં 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત કરાયા છે. રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેને +2C થી +8C તાપમાનમાં સ્ટોર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું TeCHO+ અને SAFE-VAC પોર્ટલ દ્વારા રીયલ-ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવશે, જેથી દરેક લાભાર્થી સુધી પહોંચી શકાય. પહેલું સુખ તે જાતે નર્યા સરકારે સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ ના મંત્ર સાથે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપ્નો, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહી હતી.
સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સ પૂરા પાડતી એક ગેંગને અલથાણ પોલીસે ઝડપી પાડી છે. આ નેટવર્ક સુરતથી શરૂ થઈ રાજસ્થાનના અજમેર અને સરહદ પાર દુબઈ સુધી ફેલાયેલું હતું. આ કેસમાં કાપડ વેપારી, રત્નકલાકાર, ક્યું આર કોડ એક્સપર્ટ શામેલ છે. પોલીસે 5 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. આ ટોળકી સુરતના નિર્દોષ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો પર એકાઉન્ટ ખોલાવતી અને તેની કીટ દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓને ઓપરેટ કરવા મોકલી આપતી હતી. 'સાયકોલોજી ઓફ મની' અને 'રામાયણ'ના પુસ્તકમાં સંતાડતા ATMપોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીઓ પાસેથી બે પુસ્તકો મળી આવ્યા છે, જેમાં એક અંગ્રેજીમાં ‘સાયકોલોજી ઓફ મની’ અને બીજું ગુજરાતીમાં ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ છે. આ આરોપીઓ આ બંને પુસ્તકોનો ઉપયોગ જ્ઞાન મેળવવા નહીં, પરંતુ ગુનાઈત પુરાવા સાચવવા કરતા હતા. જે એટીએમ (ATM) કાર્ડનો વપરાશ થઈ ગયો હોય અથવા બ્લોક થઈ ગયા હોય, તેને આ પુસ્તકોની અંદર ચોંટાડીને રાખતા હતા, જેથી તેમને ખ્યાલ રહે કે હવે આ કાર્ડ કામના નથી. ધાર્મિક અને આર્થિક જ્ઞાન આપતા પુસ્તકોનો આવો દુરુપયોગ જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. સુરતથી અજમેર અને વાયા અજમેરથી દુબઈનું કનેક્શનપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતમાં તૈયાર થયેલી બેંક કીટો (પાસબુક, એટીએમ, સીમકાર્ડ) તિરુપતિ કુરિયર મારફતે રાજસ્થાનના અજમેર મોકલવામાં આવતી હતી. અજમેરમાં જનાના હોસ્પિટલ પાસે ભાડાના મકાનમાં રહેતા સાગરીતો આ પાર્સલ મેળવતા હતા. અહીંથી આ ડેટા અને કીટોનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો. તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, આ ગેંગના તાર દુબઈ સાથે પણ જોડાયેલા છે, જ્યાં બેસીને મુખ્ય સાયબર માફિયાઓ આ એકાઉન્ટ્સ ઓપરેટ કરી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા. મુખ્ય સૂત્રધાર ભાવિક અને લાજપોર જેલના આરોપીઓની ભૂમિકાઆ સમગ્ર રેકેટમાં ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ મુખ્ય કડી સાબિત થયો છે. ભાવિકે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, રવિ ગાબાણી અને તરુણ રાઠોડ નામના બે શખસ તેને બેંક એકાઉન્ટની કીટો પૂરી પાડતા હતા. નોંધનીય છે કે, રવિ અને તરુણ હાલમાં અન્ય ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, જેમને પોલીસે ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ આરોપીઓ જ પાયાના સ્તરે એકાઉન્ટ્સ એકત્ર કરવાનું કામ કરતા હતા. પોલીસે 'ડમી પાર્સલ' મોકલી અજમેરમાં ફિલ્મી ઢબે રેડ કરીઅલથાણ પોલીસની ટીમે આ ગેંગને પકડવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો હતો. ભાવિક પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એક 'ડમી પાર્સલ' તૈયાર કર્યું અને તેને અજમેરના એડ્રેસ પર કુરિયર કર્યું. જ્યારે અજમેરમાં સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન આ પાર્સલ લેવા આવ્યો, ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી સુરત પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેના ભાડે રાખેલા મકાન પર દરોડા પાડતા અન્ય એક સાગરીત ગોવિંદ પણ પકડાઈ ગયો હતો. તપાસમાં ચોંકાવનારો આંકડો: 11 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યાપોલીસે જ્યારે પકડાયેલા આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ્સની તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર 35 બેંક એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, જેમાં કુલ 11 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે હજુ પણ સેંકડો એકાઉન્ટ્સ આવા હોઈ શકે છે અને ફ્રોડનો આ આંકડો આવનારા દિવસોમાં ઘણો વધી શકે છે. ઝડપાયેલા આરોપીઓપોલીસે આ કેસમાં જે પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ભાવિક ઉર્ફે પ્રિન્સ (ક્યુઆર કોડ એક્સપર્ટ), રવિ ગાબાણી (હીરા કારીગર), તરુણ રાઠોડ (કાપડ વેપારી) તેમજ રાજસ્થાનના સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન અને ગોવિંદ સિદ્ધનો સમાવેશ થાય છે. ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ (ઉ.વ.29)સુરતના કતારગામનો રહેવાસી અને ક્યુઆર કોડ બનાવવાનું કામ કરતો હતો. તે કુરિયર દ્વારા ડેટા અજમેર મોકલવાનું કામ કરતો હતો. રવિ ગાબાણી (ઉં.વ.41) સિંગણપોર રોડનો રહેવાસી અને હીરા કારીગર. તે 10 જેટલા એકાઉન્ટ કીટ મેનેજ કરી ભાવિકને આપતો હતો. તરુણ રાઠોડ (ઉં.વ.44) સિંગણપોર રોડનો કાપડનો વેપારી છે, તે પણ બેંક એકાઉન્ટ્સની ગોઠવણમાં રવિ સાથે સામેલ હતો. સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન ગૌડ (ઉં.વ.25) રાજસ્થાનના બિકાનેરનો વતની છે અને અજમેરમાં રહીને પાર્સલ રિસીવ કરતો અને સાયકોલોજીના પુસ્તકમાં ATM સાચવતો હતો. ગોવિંદ ઓમનાથ સિદ્ધ (ઉં.વ.21) બિકાનેરનો વતની અને અજમેરમાં ભાડાના મકાનમાં રહીને સાયબર ફ્રોડના સાધનો સાચવતો હતો. મુદ્દામાલની યાદી: મિની કંટ્રોલ રૂમ જેવું દ્રશ્યપોલીસે અજમેરના ભાડાના મકાનમાંથી જે મુદ્દામાલ કબજે કર્યો છે તે જોઈને લાગે છે કે, ત્યાં આખો સાયબર કંટ્રોલ રૂમ ધમધમતો હતો. પોલીસે મોબાઈલ ફોન 21 નંગ (કિંમત રૂ. 3.50 લાખ), સીમકાર્ડ 33 નંગ (વિવિધ કંપનીના), ATM કાર્ડ 88 નંગ, બેંક પાસબુક 36 નંગ અને ચેકબુક 5 નંગ, નોટબુક 2 નંગ (હિસાબની વિગતો સાથે), વિશેષ 'સાયકોલોજી ઓફ મની' અને 'રામાયણ'ના પુસ્તકો શામેલ છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટર પરથી પડી જતા વધુ એક યુવકનું મોત થયું છે. અઠવાડિયા પહેલા પણ એક યુવક બિલ્ડિંગ પરથી પટકાઈને નીચે પડતા મોત થયું હતું. એક અઠવાડિયામાં અગોરા સિટી સેન્ટર પરથી પડી જતા બે યુવકના મોત થયા છે. આજે(28 ફેબ્રુઆરી) અગોરા સિટી સેન્ટરમાં લિફ્ટના મેન્ટેનન્સનું કામ કરતા કર્મચારીનું કામ કરતી વખતે 17 માળેથી લિફ્ટમાં પડી જતા કમકમાટીભર્યું મોત થયું છે. પતિના મોતથી પત્ની આઘાતમાં સરી પડી છે અને આક્રંદ સાથે કહ્યું હતું કે, મને કંઈ ના જોઈએ, મારે મારો પતિ પાછો જોઈએ. આ ઘટનાની જાણ થતાં સમા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સમા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લિફ્ટનો વાયર ખેંચતી વખતે શાફ્ટમાં નીચે પટકાયા30 વર્ષીય મૃતક શાર્દુલ અલી અગોરા બિલ્ડિંગના 17માં માળે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યા હતા. લિફ્ટનો વાયર ખેંચતી વખતે સંતુલન બગડતા તેઓ સીધા લિફ્ટની અંદર શાફ્ટમાં ઉપરથી નીચે પટકાયા હતા. 17માં માળેથી પડવાને કારણે તેમને ગંભીર ફ્રેક્ચર અને અન્ય આંતરિક ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક પાંચ વર્ષથી અગોરા સિટી સેન્ટરમાં મેન્ટેનન્સ વિભાગમાં કાર્યરત હતો30 વર્ષીય મૃતક શાર્દુલ અલી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હતા. તે છેલ્લા પાંચ વર્ષથી અગોરા સિટી સેન્ટરમાં મેન્ટેનન્સ વિભાગમાં કાર્યરત હતો. 8 મહિના પહેલા શાર્દુલના લગ્ન થયા હતા. થોડા સમય પહેલા જ મૃતકની પત્ની વડોદરામાં પતિ સાથે રહેવા માટે આવી હતી અને અચાનક પતિના મૃત્યુના સમાચાર મળતા તેને આક્રંદ કર્યું હતું. પતિના મોત અંગે કોઈ માહિતી આપી નથી: પત્નીમૃતકની પત્ની સુમૈયાએ જણાવ્યું હતું કે, મારા પતિ આજે સવારે ઉઠીને ડ્યુટી પર ગયા હતા. એ સમયે હું સૂતી હતી અને ઘરે જ હતી. ત્યારબાદ મને સાઇટ પરથી ફોન આવ્યો કે આ રીતે ઘટના બની છે, એટલે હું તરત જ અહીં દોડી આવી હતી. આ વિશે મને કોઈએ કંઈ જણાવ્યું નથી. લોકો માત્ર એટલું જ કહે છે કે તે ઉપરથી પડી ગયા છે, પણ કયા માળેથી અને કેવી રીતે પડ્યા એની મને કોઈ જાણકારી આપવામાં આવી નથી. ‘મને તો બસ મારા પતિ પાછા જોઈએ’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા લગ્નને આશરે 8થી 9 મહિના થયા છે. મારા પરિવારમાં મારા પપ્પા અને એક નાની બહેન છે. મારી મમ્મી નથી, તેઓ ગુજરી ગયા છે. હું અહીં જૂન-જુલાઈ મહિનામાં આવી હતી. આગામી 6 તારીખે ઘરે જવાની તૈયારી હતી. અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તો અમે ઈદ ઘરે મનાવવા માટે જવાના હતા. મારે બીજું કઈ જોઈતું નથી. મને તો બસ મારા પતિ પાછા જોઈએ છે, બીજું કંઈ નહી, પણ જીવન જીવવા માટે કંઈક તો જરૂર પડશે જ, એટલે એ બાબતે જે યોગ્ય હશે તે જોઈશું. ‘જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે’સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો પોતાની મનમરજી પ્રમાણે કામગીરી કરતા હોય છે. આ સાથે કોન્ટ્રાક્ટરની ફરજ બને છે કે, કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખે, પરંતુ તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવતા નથી. સમા વિસ્તારમાં આવેલા અગોરા મોલમાં છેલ્લા 15 દિવસની અંદર આ બીજી ઘટના છે. થોડા સમય પહેલા જ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આજે ફરી એક કર્મચારી ઉપરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરની સમા પોલીસ સ્ટેશનની પણ જવાબદારી બને છે કે તેઓ આ મામલે કડક પગલાં ભરે. અમારી માંગણી છે કે, જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 7 દિવસ પહેલાં પણ એક યુવક નીચે પડતા મોત થયું હતુંઉલ્લેખનીય છે કે, સાત દિવસ પહેલા જ વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં યુવકના થયેલા મોતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં સેન્ટરના બીજા માળની દીવાલ પર એક યુવક હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ) ટીંગાયેલો જોવા મળ્યો હતો, જ્યારે નીચે કેટલાક લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ આ બનાવને લઈ આશંકા વ્યકત કરી હતી અને તપાસની માગ કરી હતી.
મંડાળા હાઇસ્કૂલમાં એક અનોખો પ્રસંગ યોજાયો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હીના પટેલ, જે હાલ અમેરિકામાં સ્થાયી છે, તેમણે પોતાના ભારત પ્રવાસ દરમિયાન પુત્રી માહીનો જન્મદિવસ શાળાના બાળકો સાથે ઉજવ્યો. માહીએ દીપ પ્રગટાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા માહીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, માહી દ્વારા 128 વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ અને 50 વિદ્યાર્થીઓને પેન્સિલ બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. કુલ 178 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હીનાબેનનો આ ઉપક્રમ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડે છે. શાળા પરિવારે હીનાબેન અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને માહીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રાહી ફાઉન્ડેશન દ્વારા રખિયાલની રામીની ચાલી ખાતે 216મા ખીચડી વિતરણ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમ રામીની ચાલી, અમીધારા ફ્લેટની સામે, રખિયાલ વિસ્તારમાં યોજાયો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમજીવી પરિવારોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો હતો. આ કાર્યક્રમના સહયોગી તરીકે રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે યોગદાન આપ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, મહેન્દ્ર પટેલ, શરદ જાદવ, સ્નેહા શાહ, વસંતરાવ, જ્યોત્સનાબેન, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.
તુલસી કુંજ સિનિયર સિટીઝન પરિવારે હોળી ઉજવી:ઘોડાસરમાં હાઉસી રમત અને ફૂલો-તિલકથી ઉજવણી કરાઈ
અમદાવાદના ઘોડાસરમાં આવેલા તુલસી કુંજ સિનિયર સિટીઝન પરિવારે 26 ફેબ્રુઆરી, 2026ના રોજ હોળીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ તુલસી કુંજ સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 6:30 વાગ્યે યોજાયો હતો. આ ઉજવણીમાં સિનિયર સિટીઝનના 100 સભ્યોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ, સભ્યોને એક કલાક માટે હાઉસી રમત રમાડવામાં આવી હતી. ત્યારબાદ, ફૂલોથી અને એકબીજાને તિલક કરીને હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના સમાપ્તિ બાદ, સભ્યોએ ખંભાતના ઊંચા ઓટલાનો સ્વાદિષ્ટ મઠો, બટાકા વડા, પુરી, પુલાવ અને કઢીનો ભોજનનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમ તુલસી કુંજ સિનિયર સિટીઝન પરિવારનો આ વર્ષનો 11મો કાર્યક્રમ હતો.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે વિજ્ઞાન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ભારત રત્ન સર ચંદ્રશેખર વેંકટ રામનની યાદમાં કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ક્રિયાશીલતા, જિજ્ઞાસા, સામાજિક ભાવના, સર્જનવૃત્તિ, વિચાર શક્તિ અને આત્મવિશ્વાસ કેળવવાનો હતો. આ ક્વિઝમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ડો. હોમી જહાંગીર ભાભા, ડો. જગદીશ ચંદ્ર બોઝ, વેંકટરામન રામકૃષ્ણન, સી.વી. રામન, સત્યેન્દ્રનાથ બોઝ અને ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના નામે કુલ ૬ ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં જનરલ રાઉન્ડ, માઇનસ રાઉન્ડ અને બોનસ રાઉન્ડ એમ કુલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. ધોરણ ૫ થી ૮ ના વિજ્ઞાન શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે આગામી વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી થાય તેવા હતા. આ સ્પર્ધામાં વેંકટરામન રામકૃષ્ણન ટીમ પ્રથમ, સી.વી. રામન ટીમ દ્વિતીય અને ડો. વિક્રમ સારાભાઈ ટીમ તૃતીય સ્થાને રહી હતી. વિજેતા ટીમોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે, જ્યારે અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતા બાળકો અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણ તરફથી ઇનામ આપવામાં આવશે.
ડીંડોલી વિસ્તારમાં આવેલી માતૃભૂમિ વિદ્યાલય અને સ્ટડી કેર ઇંગ્લિશ સ્કૂલ દ્વારા 26 ફેબ્રુઆરી, રવિવારના રોજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 5 થી 11ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય કરાવ્યો હતો. નાના વિદ્યાર્થીઓથી લઈને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સનો ઉપયોગ કરીને પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા. આ પ્રદર્શનમાં ગણિત અને વિજ્ઞાનના 100થી વધુ વર્કિંગ અને સ્ટેટિક મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકોના સતત માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જે પાઠ્યપુસ્તકના જ્ઞાનને વ્યવહારિક દુનિયા સાથે જોડે છે. શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આવા પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહન આપવાનો અને તેમની વૈજ્ઞાનિક પ્રતિભાને બહાર લાવવાનો છે. આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ વિદ્યાર્થીઓની મહેનત અને શાળાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
ઊંઝાની વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો:બાળમેળામાં બાળકોએ વિવિધ 10 સ્ટોલનો આનંદ માણ્યો
ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬, શુક્રવારના રોજ બાળકોના પ્રિય બાળમેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ૧૦ જૂથ દ્વારા ૧૦ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સમાં ફ્રુટડિશ, ભેળ, પોપકોર્ન, રીંગફેક, ભુંગળાબટેકા, પાણીપુરી, દાબેલી, લીંબુ શરબત, ચણાચોર અને લકી ડ્રોનો સમાવેશ થતો હતો. ફ્રુટડિશ અને દાબેલી માટેની કૂપનની કિંમત ₹૨૦ રાખવામાં આવી હતી, જ્યારે અન્ય તમામ સ્ટોલ માટે કૂપનની કિંમત ₹૧૦ હતી. લકી ડ્રો માટે ૧૦ માં બે કૂપન હતી. બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના બાળકોએ વિવિધ સ્ટોલની કૂપન ખરીદીને બાળમેળામાં ભાગ લીધો હતો. બપોરે ૧૨:૩૦ કલાકે શાળાના મંત્રીશ્રી જતીનભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી નિરવભાઈ પટેલના હસ્તે બાળમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાંજે ૪:૦૦ વાગ્યા સુધી બાળકો અને બાલમંદિરના વાલીઓએ મેળાની મુલાકાત લીધી હતી. આ બાળમેળામાંથી થતો નફો બાળકોમાં વહેંચવામાં આવે છે. મેળાનું સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલ અને સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું. બાળકોનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણિમાના દિવસે આ ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે દાદાને વિશેષ શણગાર કરવામાં આવશે અને ૭ પ્રકારના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરીને ગુજરાતના સૌથી મોટા રંગોત્સવની ઉજવણી કરાશે. આ દિવ્ય રંગોત્સવમાં હરિપ્રકાશદાસજી સ્વામી અને વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો તેમજ દેશ-વિદેશથી પધારેલા લાખો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે. સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ સંતોને રંગ લગાવીને ભક્તો સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ ભક્તિના રંગે રંગાવાનો જીવનનો અલૌકિક લ્હાવો છે. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે. આ રંગોત્સવમાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું છે. હોળી-ધુળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે થશે. સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તો એકસાથે રંગોત્સવનો આનંદ માણશે. આ ઉત્સવમાં ૭ પ્રકારના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે. આ રંગોત્સવને વધુ આકર્ષક બનાવવા માટે મંદિર પરિસરમાં ૭૦ થી ૮૦ ફૂટ ઊંચા કલરના ૫૦૦ બ્લાસ્ટ કરવામાં આવશે. કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે. ઢોલીઓના તાલે ભક્તો ધૂમ મચાવશે અને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવશે. દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત, ૧૦૦ રિબિન બ્લાસ્ટ, રંગીન ફાયરવર્ક્સ અને ૧૦,૦૦૦ ફુગ્ગા છોડવામાં આવશે. દેશના અનેક ભક્તો આ ભવ્ય રંગોત્સવમાં ભાગ લેવા આવશે.
સંસ્કારોથી સંવરે છે ભવિષ્ય:આચાર્ય સુનીલ સાગરજીનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી આહ્વાન
રાજકોટ: ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી ગુરુદેવનું શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિર ખાતે મંગલમય પ્રવચન યોજાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, સમિતિના સભ્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યએ વિદ્યાર્થીઓને સંસ્કાર, પુરુષાર્થ અને ઉચ્ચ વિચારસરણીથી ભવિષ્ય ઘડવા આહ્વાન કર્યું હતું.તેમના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં ગુરુદેવે જણાવ્યું હતું કે, મહાન તેઓ નથી બનતા જેઓના સપનાઓ મોટા હોય છે, પરંતુ મહાન તેઓ બને છે જેઓ મહેનત કરવાનો પુરુષાર્થ કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માણસ સાધનોથી નહીં, સાધનાથી મહાન બને છે. માત્ર ઊંચી ઇમારતો ઊભી કરવાથી કોઈ મહાન બનતું નથી, પરંતુ ઊંચી ભાવનાઓ અને ઉત્તમ આચરણ જ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે.આચાર્યએ શાળાના ટ્રસ્ટીઓ અને સમિતિ સભ્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જે તેમની ઊંચી ભાવનાનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં તેમણે કહ્યું કે મોટું બનવા માટે વિચાર મોટો હોવો જોઈએ. નાની વિચારસરણી ધરાવનાર વ્યક્તિ નાનો જ રહી જાય છે, જ્યારે વિશાળ દૃષ્ટિકોણ ધરાવનાર વ્યક્તિ જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરે છે.પ્રવચન દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને ભાર ન માનવાની અને તેને પોતાની ક્ષમતા સાબિત કરવાનો અવસર ગણવાની સલાહ આપી હતી. ખાસ કરીને તેમણે જણાવ્યું કે જીવનમાં ક્યારેય આત્મહત્યા જેવા વિચારોને મનમાં સ્થાન ન આપવું. ઓછા ગુણ આવે અથવા નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું, ફરી પ્રયત્ન કરવો, કારણ કે અવસર અનંત છે.ગુરુદેવે સાત્વિક આહાર અને નશામુક્ત જીવનનો પણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે શુદ્ધ આહારથી મન અને બુદ્ધિ પણ શુદ્ધ બને છે. માંસ, માછલી, ઈંડા જેવા અભક્ષ્ય પદાર્થો તથા દારૂ, બીડી, સિગારેટ, તમાકુ જેવા નશીલા પદાર્થોથી દૂર રહેવાનો આહ્વાન કરતાં તેમણે જણાવ્યું કે આ આરોગ્ય અને ચરિત્ર માટે હાનિકારક છે.વિદ્યાર્થીઓને સત્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપતાં તેમણે જણાવ્યું કે ગુરુજનો અને માતા-પિતાની વાતોને હંમેશાં સન્માનપૂર્વક સ્વીકારવી જોઈએ, કારણ કે તેઓ માત્ર તેમના કલ્યાણ માટે માર્ગદર્શન આપે છે. જીવનમાં ખોટ, કપટ અને ખોટા આચરણથી દૂર રહેવાની પણ શીખ આપી.અંતમાં આચાર્યશ્રીએ સફળતાનો સૂત્ર આપતાં જણાવ્યું કે જો વિદ્યાર્થીઓ જીવનમાં ત્રણ બાબતો અપનાવે — ઊંચી વિચારસરણી, કઠોર મહેનત અને દૃઢ નિશ્ચય — તો સફળતા નિશ્ચિત છે. સાથે સાથે ત્રણ ત્યાગ — માંસાહાર, નશો અને આત્મહત્યાનો વિચાર —નો સંકલ્પ લે તો જીવન મંગલમય બની શકે છે.
ગાંધીનગરના સેક્ટર-13 સ્થિત નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, મોડેલ પ્રદર્શન અને પોસ્ટર રજૂ કરીને પોતાની પ્રતિભા દર્શાવી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનની યાદમાં ઉજવવામાં આવે છે. તેમણે વર્ષ 1928માં 'રામન ઇફેક્ટ'ની શોધ કરી હતી, જેના માટે તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને વિજ્ઞાન વિષયક પ્રવચનથી થઈ હતી. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રયોગો અને મોડેલોએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત, વિજ્ઞાન ક્વિઝ અને ચર્ચા સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવા, નવી શોધો પ્રત્યે જાગૃત રહેવા અને વિજ્ઞાનને જીવનનો અભિન્ન અંગ બનાવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રેમી બની દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર-13 સ્થિત નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટીના પાવન પર્વ પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકસાથે મળીને રંગોત્સવ મનાવ્યો હતો, જેમાં એકતા, સૌહાર્દ અને પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને હોળીના તહેવારનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રાકૃતિક તથા સુરક્ષિત રંગોનો ઉપયોગ કરીને તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓએ એકબીજાને હોળી-ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી, ગીતો ગાયા અને ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી.આ પ્રસંગે શાળા પરિસરમાં ખુશી અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમના અંતે શાળાના પ્રાચાર્ય યોગેશ દરજીએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા તહેવારો દ્વારા પરસ્પર પ્રેમ અને એકતાની ભાવના મજબૂત બને છે.
SKP ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ડાકોર સેવા કેમ્પમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, શાહીબાગના સંતોએ પધરામણી કરી હતી. એકાદશી નિમિત્તે સંતોએ પદયાત્રીઓ અને સેવાસેવકોને કથામૃતનો લાભ આપી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય સાધુ સેવાજીવનદાસ સ્વામી અને પૂજ્ય સાધુ સંતોષમૂર્તિદાસ સ્વામી શ્રી હરિ પદયાત્રી સેવા કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સેવા કેન્દ્રને પ્રસાદીભૂત કરી, ઉપસ્થિત સૌને આશીર્વાદથી લાભાન્વિત કર્યા હતા. આ કેમ્પમાં સંસ્થાના સ્વયંસેવકો, અનેક મહાનુભાવો, રાધે એલિગન્સના સભ્યો અને મહિલા મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ કથા વાર્તાનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત, પદયાત્રીઓ માટે પ્રસાદીરૂપ ભોજન બનાવીને પીરસવામાં આવ્યું હતું. સર્વે સેવાસેવકો સમયસર ઉપસ્થિત રહી આ પાવન અવસરનો લાભ લીધો હતો. SKP ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમના પવિત્ર અવસરે ડાકોર પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રણછોડરાયજીના દર્શનાર્થે જતા તમામ પદયાત્રીઓ માટે હતો. આ પાવન પ્રસંગે રાધે અલીગન્સ મહિલા મંડળ દ્વારા ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા સમગ્ર માહોલ ભક્તિમય અને આનંદમય બની ગયો હતો. કેમ્પમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક વિવિધ સેવાઓ ઉપલબ્ધ હતી. જેમાં ચા-નાસ્તો, શુદ્ધ પીવાનું પાણી, બપોરે અને રાત્રે પ્રભુ પ્રસાદ ભંડારો (પાકું ભોજન), મેડિકલ સેવા અને વિશ્રામની સુવિધાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, એમ્બ્યુલન્સ સેવા પણ સતત ઉપલબ્ધ રાખવામાં આવી હતી. સંસ્થા દ્વારા આ પવિત્ર સેવામાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સેવાભાવી સભ્યો અને મહિલા મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદની ફેમિલી કોર્ટમાં વર્ષ 2022માં 64 વર્ષીય પત્ની દ્વારા પોતાના 67 વર્ષીય પતિ સામે મંથલી રૂપિયા 15 હજારના ભરણપોષણનો દાવો દાખલ કર્યો હતો. જેને કોર્ટે નકારી નાખ્યો છે. કેસને વિગતે જોતાં બંનેના વર્ષ 1977માં પ્રેમ લગ્ન થયા હતા. લગ્નથી તેમને ત્રણ દીકરા થયા હતા. તે ત્રણેય દીકરા હાલ વિદેશમાં સેટલ છે. પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતોપત્નીના આક્ષેપ મુજબ પતિ સાસરીયાઓની કાનભંભેરણીમાં આવીને પત્નીને છોડીને જતો રહ્યો હતો. વળી તેના ઘરેણા લઈને ગીરવે મૂકી દીધા હતા. પત્ની 9 વર્ષ પિયરમાં રહીને નોકરી કરી અને બાળકોને ભણાવ્યા હતા. પતિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. બંને પાછા ભેગા થયા, પરંતુ મનમેળ ન આવતા અમદાવાદ સ્થિત પોતાના દીકરાઓના ત્યાં અલગ અલગ વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા. મહિને રૂપિયા 15,000નું ભરણપોષણ આપવુંજેમાં પત્ની અમદાવાદમાં નાના દીકરાના ઘરે અને પતિ મોટા દીકરાના ઘરે રહે છે. પત્નીનું કહેવું હતું કે, તેના પતિએ એક પતિ તરીકે કે પિતા તરીકેની કોઈ ફરજ અદા કરી નથી. તે પોતે PTC ભણેલી છે. પતિ કપડાના હોલસેલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે મહિને 25 હજાર કમાય છે. જેથી તેને મહિને રૂપિયા 15,000નું ભરણપોષણ પત્નીએ આપવું જોઇએ. પત્ની પોતાનું ભરણપોષણ કરવા સક્ષમપતિ તરફથી એડવોકેટ રાહુલ.વી. મોદીએ દલીલ કરી હતી કે તેનો પતિ તેને ક્યારેય છોડીને ગયો નથી. પત્ની તામસી સ્વભાવની હોવાથી પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. પતિ મોટા દીકરાને ઘરે રહે છે. પત્ની કંપનીમાં નોકરી કરતી હતી. ત્યાર બાદ તે સ્કૂલની પ્રિન્સિપાલ રહી ચૂકી હતી અને તેડાગર તરીકે પણ તેણે નોકરી કરી હતી. તે પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે. વળી પતિનું પણ ભરણપોષણ દીકરીઓ જ કરે છે. પતિ પોતે પણ સિનિયર સિટીઝન હોવાથી તેને કોઈ નોકરીએ રાખતું નથી. દીકરીઓ દર મહિને રૂ.10-10 હજાર આપે છેઆ સંદર્ભે કોર્ટે પુરાવા અને સાહેદ તપાસ્યા હતા. બંને પતિ-પત્નીને દીકરીઓ દર મહિને કુલ 10-10 હજાર રૂપિયા આપે છે. વળી બંને પોતાના દીકરીઓના ઘરમાં જ રહે છે. પત્નીએ પોતાનો મંથલી ખર્ચ જાહેર કર્યો નથી કે બેંકના એકાઉન્ટની વિગત કોર્ટ સમક્ષ મૂકી નથી. પત્નીનું કહેવું હતું કે, તેનો નાના દીકરો તેના ઉપર આશ્રિત છે અને જેનો મહિને 15 હજાર ખર્ચ છે. કોર્ટે મહિલાની અરજી ફગાવી નાખીકોર્ટે નોંધ્યું હતું કે, મહિલા ખોટું બોલીને કોર્ટને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી છે. દીકરાઓ ભણી ગણીને વિદેશમાં સેટલ છે, ત્યારે સિનિયર સિટીઝન ઉપર આર્થિક ભારણ આપવું યોગ્ય નથી. પતિને હેરાન કરવાના ઉદેશ્યથી આ અરજી કરવામાં આવી છે. વળી પત્નીએ ભગવાન પાસે પતિના મૃત્યુની પ્રાર્થના કરી હતી, ત્યારે ભરણપોષણ માંગવું ગેરવ્યાજબી છે. આ સાથે જ કોર્ટે ઉપરોક્ત અરજી ફગાવી નાખી હતી.
ગીર સોમનાથમાં તમાકુ મુક્ત શાળા અભિયાનને ગતિ:1139 માંથી 690 શાળાઓ તમાકુ મુક્ત જાહેર, સન્માનિત
ગીર સોમનાથ જિલ્લામાં સરકારી 'તમાકુ મુક્ત શાળા' અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લાની કુલ 1139 શાળાઓમાંથી 690 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે અને તેમને પ્રમાણપત્રો એનાયત કરાયા છે. આ સિદ્ધિને જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનો અમલ કરાયો હતો. સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસે સરકારી માર્ગદર્શિકા મુજબ જિલ્લાની તમામ 1139 શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરી હતી. શાળાના આચાર્યો અને આરોગ્ય વિભાગના સહયોગથી, માપદંડોનું પાલન કરનાર 690 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરાઈ. શિક્ષણ વિભાગની તાલીમ અને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ તાલીમ દરમિયાન નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આ શાળાઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. અધિકારીઓએ શાળાઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં વ્યસન વિરોધી જાગૃતિ લાવવામાં શાળાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગના આચાર્યો, તાલુકા ટી.પી.ઈ.ઓ. અને બી.આર.સી. દ્વારા સક્રિય સહયોગ અપાયો હતો. તાલીમ દરમિયાન સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસે શિક્ષકોને માર્ગદર્શન આપતા કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ગામ, સમાજ અને પરિવારના સહયોગથી તમાકુનો ઉપયોગ ઘટાડવો અને તેની હાનિકારક અસરો અંગે જાગૃતિ ફેલાવવી એ સમયની માંગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, યુવાનોમાં વ્યસન વિરોધી વિચારધારા વિકસે અને તેઓ તમાકુના વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવન જીવે ત્યારે જ 'તમાકુ મુક્ત જિલ્લો'નો સંકલ્પ સાકાર થશે. જિલ્લા આરોગ્ય વિભાગે પણ જનતાને અપીલ કરી છે કે, સમાજના સહકારથી ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે સૌ આગળ આવે.
હિંમતનગરમાં 4 માર્ચ, બુધવારના રોજ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ બંધ રહેશે. ધુળેટીના તહેવારને કારણે આ દિવસે ખેતપેદાશની ખરીદી કરવામાં આવશે નહીં. આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે. માર્કેટયાર્ડના મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 4 માર્ચે ધુળેટી પર્વ નિમિત્તે હિંમતનગર માર્કેટયાર્ડ અને સહકારી જિન વિસ્તારમાં આવેલા કોટન માર્કેટમાં ખેતપેદાશની ખરીદી બંધ રહેશે. તેમણે ખેડૂતોને આ દિવસે પોતાની ખેતપેદાશ વેચાણ માટે ન લાવવા અપીલ કરી છે.
ખેડૂતનું ઝેરી સાપ કરડવાથી મૃત્યુ:ગોધરાના વટલાવ ગામે ખેતરમાં લાકડા લેવા ગયા હતા
ગોધરા તાલુકાના વટલાવ ગામે ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂતનું ઝેરી સાપ કરડવાથી મૃત્યુ થયું છે. 45 વર્ષીય ગુલાબસિંહ પરમાર બળતણ માટે લાકડા લેવા ગયા હતા ત્યારે આ ઘટના બની. ખેતરના શેઢા પર ઘાસમાં છુપાઈને બેઠેલા એક અત્યંત ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. સાપ કરડ્યાના થોડી જ વારમાં ઝેરની અસરને કારણે ગુલાબસિંહ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે ત્યારે મહિધરપુરા પોલીસે બાતમીના આધારે ઝાંપાબજાર વિસ્તારમાંથી એક પૂર્વ TRB જવાનને ચોરીની બાઈક પર નકલી નંબર પ્લેટ સાથે નીકળતા ઝડપી પાડ્યો છે. બાઈકના ચેસીઝ નંબર પરથી બાઈકચોર મળ્યોમહિધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝાંપા બજાર, તૈયબી મોહલ્લા પાસે એક શખસ કાળા રંગની સ્પ્લેન્ડર સાથે ઉભેલો જોવા મળ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા અને બાઈક પર આગળની નંબર પ્લેટ ન હોવાથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેનું નામ ફઝલ અલી સલીમ સૈયદ ઉં.વ. 32, રહે. પટેલ મેન્શન, ઝાંપાબજાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જ્યારે બાઈક પર લાગેલી નંબર પ્લેટ GJ-16-Q-7629 ને ઈ-ગુજકોપ સોફ્ટવેરમાં સર્ચ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ નંબર ભરૂચના અહેમદભાઈના નામે નોંધાયેલ છે. જ્યારે બાઈકના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતા તે ભરૂચના હળદરવા ગામના લવજી વસાવાની બાઈક હોવાનું ખૂલ્યું હતું. આરોપીએ બાઈક પર નકલી નંબર પ્લેટ લગાવી હોવાનું સાબિત થયું હતું. વાસ્તવમાં આ બાઈકનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-16-BR-5517 છે. પોતાની બાઈક ચોરી થઈ એટલે તેણે બીજાની બાઈક ચોરી કરીપોલીસની કડક પૂછપરછમાં આરોપી ફઝલ અલીએ કબૂલાત કરી હતી કે તેણે આ બાઈક આશરે ચાર મહિના પહેલા ભરૂચ રેલવે સ્ટેશન પાસેના શિતલ સર્કલ વિસ્તારમાંથી ચોરી કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે, તેની પોતાની બાઈક ચોરી થઈ ગઈ હતી, જેના કારણે તેણે બીજાની બાઈક ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. ટ્રાફિક બ્રિગેડમાં જવાન તરીકે નોકરી કરી ચૂક્યોઆરોપીની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અગાઉ ટ્રાફિક બ્રિગેડમાં જવાન તરીકે નોકરી કરી ચૂક્યો છે. કાયદાની પ્રક્રિયાથી વાકેફ હોવા છતાં તેણે આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. મહિધરપુરા પોલીસે આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 338 અને 340 મુજબ ગુનો નોંધી તેને જેલ હવાલે છે અને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

25 C