શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્કૂલથી બોરતળાવ તરફ જતા કાચા રસ્તે બે દિવસ પૂર્વે રાત્રે લૂંટના ઈરાદે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક યુગલ પર છરી વડે હુમલો કરી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જે ફરિયાદ આધારે પોલીસે વિપુલ તથા હરેશ ઉર્ફે વિજયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી દિશા અશોકભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.1/4/26 ના રોજ તેઓ તેમના ફિયાંશ મનદીપસિંહ અને પરિવાર સાથે વરતેજ ખાતે જમીને પરત ફરી રહ્યા હતા, રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ કાળીયાબીડથી બોરતળાવ તરફ જતા રોડ પર વાતો કરવા માટે ઊભા રહ્યા હતા, ત્યારે કાળા કપડાં પહેરેલા અને મોઢે રૂમાલ બાંધેલા બે શખ્સો સ્કૂટર પર ત્યાં આવ્યા હતા, લૂંટારુઓએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી લૂંટરા ઓ એ મનદીપસિંહના ડાબા પડખામાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, આ ઉપરાંત ગાલ અને હાથના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, દિશાબેન જ્યારે વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે બીજા શખ્સે તેમને ધક્કો મારી પછાડી દીધા હતા, મોટોરોલા કંપનીનો મોબાઈલ કિંમત રૂ.20,000, દિશાબેનનું પર્સ રૂ.1000 રોકડા અને ચાંદીના ચડા કિંમત રૂ.3500 તથા મનદીપસિંહનું પર્સ રૂ.6000 થી 7000 રોકડા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા, ઈજાગ્રસ્ત મનદીપસિંહને તાત્કાલિક સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. દિશાબેનની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, આ ફરિયાદ આધારે નીલમબાગ પોલીસે બંને બુકાનીધારી ને ઝડપી લીધા હતા જેમાં હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ ઉ.મ.28 રહે.વાળુકડ ગામ તથા વિપુલ જીવરાજભાઈ જાદવ ઉ.મ.26 રહે.બોરતળાવ મફતનગર વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમામં પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી છે. આપ દ્વારા તો બે યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ આજે 15 મહાનગરપાલિકા માટે પોતાના મૂરતિયાના નામની જાહેરાત કરશે. રાજ્યની 6 જૂની મહાનગરપાલિકામાં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટરો છે તેમાંના મોટાભાગના રિપિટ થઈ શકે છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના કેટલાક સંભવિતોના નામ પણ સામે આવી ચૂક્યા છે. જેની આજે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવાનો મોટો પડકારઅમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર. આ રાજ્યની 6 જૂની મહાનગરપાલિકા છે જેમાં ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 9 નવી મહાનગરપાલિકામાં પણ પ્રથમ ચૂંટણી યોજાવાની છે. જૂની જે છ મહાનગરપાલિકા છે જેમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં 30 વર્ષથી સત્તા મળી નથી. 2027 વિધાનસભાની સેમિફાઈનલ સમાન ગણાતી 2026ની ચૂંટણીમાં જીત મેળવવાનો પાર્ટી માટે મોટો પડકાર રહેશે. સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના 21 સંભવિતોના નામ સામે આવ્યા2021માં સુરત મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 1 પણ બેઠક મળી નહોતી. જ્યારે તેની સામે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતવામાં સફળ રહી હતી. 30 વોર્ડની 120 બેઠક માટે પાર્ટી નામની જાહેરાત કરશે. જેમાં 21 સંભવિતોના નામે સામે આવ્યા છે. જેઓના નામની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડી શકેરાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકો માટે કોંગ્રેસ પોતાના મુરતિયા જાહેર કરશે. 2021ની ચૂંટણીમાં રાજકોટ મનપામાં કોંગ્રેસને ફક્ત 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે આ ચૂંટણીમાં પાર્ટી સામે પર્ફોમન્સ સુધારવાનો મોટો પડકાર છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટના વોર્ડ નંબર 2 થી ચૂંટણી લડી શકે છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા 19 સંભવિત ઉમેદવારને ટેલિફોનિક જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેઓના નામની આજે સત્તાવાર જાહેરાત કરાશે. વડોદરા મનપામાં કોંગ્રેસના 12 સંભવિત ઉમેદવાર 2021 વડોદરા મહાનગરપાલિાકની ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત 7 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 2026ની ચૂંટણી માટે પાર્ટીના સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર આશિષ જોશીને પાર્ટી ટિકિટ આપી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા 5 મનપામાં 4 એપ્રિલ સુધીમાં જાહેર કરાયેલા ઉમેદવાર 11 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખરાજ્યમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકોની એક જ તબક્કામાં એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ સંસ્થાઓમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે તમામ પક્ષે 10 એપ્રિલ સુધીમાં પોતાના મૂરતિયાઓ જાહેર કરી દેવાના રહેશે. 2021 અને 2015માં રાજ્યની 6 જૂની મહાનગરપાલિકાનું પરિણામ
જોરાવરનગર પોલીસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી વસ્તડી ગામ નજીક કરવામાં આવી હતી. ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 7380 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹95 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ, ટેન્કર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1.25 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, દારૂનો આ જથ્થો ગોવાથી ભરીને સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
સુરત શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કાર્યરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં 15.930 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા મુદ્દામાલની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી છે. પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યોસુરત શહેર ક્રાઈમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે સચિન કનકપુર-કનસાડ વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ગઇકાલ તા. 03/04/2026ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ટીમે વ્યૂહાત્મક રીતે રેઇડનું આયોજન કર્યું હતું. પોલીસે સચિન કનકપુર-કનસાડ સ્થિત શ્રીરામ નગર સોસાયટીના પ્લોટ નં. 3045-3046ના બીજા માળે આવેલા મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ. 7,96,500 જેટલી થાય છે. પોલીસે સ્થળ પરથી ઓડિશાના વતની સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન બાબુલા પ્રધાનની અટકાયત કરી હતી. શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યોપકડાયેલ આરોપી સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કોદળા તાલુકાના બડા ગુડલાઇ મરદામેખા ગામનો વતની છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર ધોરણ-10 સુધી ભણેલો છે. આરોપીના ગુનાહિત માનસ અને આ વ્યવસાયમાં આવવા પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું કે સુરેન્દ્રને જુગાર રમવાની ભારે લત હતી. જુગારમાં મોટી રકમ હારી ગયા બાદ તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. દેવું ચૂકવવા અને ટૂંકા સમયમાં શ્રીમંત બનવાની લાલચમાં તેણે મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યો હતો. તે રેલવે મારફતે ઓડિશાથી નશીલા પદાર્થોનો જથ્થો મંગાવતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરીપોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 8,16,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં મુખ્યત્વે 15.930 કિલોગ્રામ ગાંજો (રૂ. 7,96,500), એક મોબાઇલ ફોન (રૂ. 20,000) અને નશીલા પદાર્થની હેરફેર માટે વપરાયેલ નાયલોનનો થેલો સામેલ છે. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ઓડિશામાં આ જથ્થો કોણે આપ્યો હતો અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો.
સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ફટકો પડવાની તૈયારી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026 થી સુરત-બેંગકોક ફ્લાઇટ્સના બુકિંગ સ્થગિત કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ફ્લાઈટને ફરી રિસિડ્યુલ કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર આ રૂટમાંથી નફો ન મળતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ - સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે કાર્યરત હતી. સુરતથી સવારે 10:50 વાગ્યે ઉપડતી, તે સાંજે 5:10 વાગ્યે બેંગકોક પહોંચે છે. બુકિંગ હવે બંધ હોવાથી, જુલાઈથી આ રૂટ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ઉનાળાના સમયપત્રક હેઠળ આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈનોંધનીય છે કે સુરત એરપોર્ટ પર ઉનાળુ સમયપત્રક 29 માર્ચ, 2026 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને 24 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, એરપોર્ટ પરથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની સેવાઓનો સમાવેશ થાય છે. દુબઈ ફ્લાઇટ્સ માટે એકથી વધુ સમય સ્લોટ ઉપલબ્ધ હોવાથી મુસાફરોને નોંધપાત્ર સુવિધા મળતી હતી. જોકે, ઉનાળાના સમયપત્રક હેઠળ આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ - જેમાં દુબઈની બે ફ્લાઇટ્સ અને બેંગકોકની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. હવે, બેંગકોક ફ્લાઇટ સ્થગિત થયા પછી, જુલાઈથી શરૂ થતી ફક્ત બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દુબઈ જવા માટે કાર્યરત રહેશે. આ પહેલા, 29 માર્ચથી શારજાહની ફ્લાઇટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જ્યારે દુબઈની વધારાની ફ્લાઇટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ અંગે સ્થાનિક સ્તરે પણ નારાજગી જોવા મળી રહી છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ નબળી પડી શકે છેસંજય જૈન (સભ્ય, WWWAS) એ જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપના નિયંત્રણ હેઠળ આવ્યા પછી, એરલાઇનની સુરત પ્રત્યેની નીતિ મૂંઝવણમાં મુકાઈ રહી છે. પહેલા, એર ઇન્ડિયા સેવાઓ પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહના રૂટ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે બેંગલુરુ અને દુબઈ માટે ફ્લાઇટ ફ્રિકવન્સી ઘટાડવામાં આવી હતી. સતત ફેરફારોનો ભોગ મુસાફરો બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ નબળી પડી શકે છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે. વોર્ડ નંબર 26 ના મજબૂત દાવેદાર અને 'આપ' ના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોશી વિરુદ્ધ ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાયરલ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાના મામલે ઉત્રાણ પોલીસે કિરીટ ઉર્ફે કેપી પાનસુરીયા નામના 'આપ' કાર્યકરની ધરપકડ કરી છે. શ્રવણ જોશી સામે ત્રીજી ફરિયાદસુરત મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શ્રવણ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. અમિતસિંહે જણાવ્યું કે, તેમના નામે ફેસબુક પર 'Sravankumar Joshi' નામના એકાઉન્ટ પરથી 1 મિનિટ અને 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટ્રી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમિતસિંહના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. વીડિયોમાં તેમને હાથકડી પહેરેલા, અપહરણ કરતા અને કોરોનાકાળ દરમિયાન ટિકિટોનું કાળાબજાર કરતા હોવાના ખોટા દ્રશ્યો બનાવવામાં આવ્યા હતા. આ કૃત્ય દ્વારા તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીની બે ફરિયાદો અને પાસાની કાર્યવાહી થયેલી છે, ત્યારે આ ત્રીજી ફરિયાદથી રાજકીય ગરમાવો વધી ગયો છે. વીડિયોમાં મર્ડર અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપોઅમિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશીએ પોસ્ટ કરેલા વીડિયોમાં આશિષસિંગ મર્ડર કેસમાં તેમની સંડોવણી હોવાનું દર્શાવવા માટે માસ્ક પહેરેલા AI જનરેટેડ ચલચિત્રોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, વીડિયોમાં મહિલા ઉત્પીડન, એસએમસી કર્મચારીઓને ગાળો આપવી અને એડવોકેટ અભિષેકસિંહ રાજપૂત પર હુમલો કરવા જેવી બાબતોને ખોટી રીતે વણી લેવામાં આવી હતી. લીંબાયત પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ કરી જૂની ફરિયાદોને એડિટ કરીને અમિતસિંહને આરોપી તરીકે દર્શાવવાનો ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં નેતા પ્રેમ વિવાદ મેં ફંસે જેવા કન્ટેન્ટ સાથે ફેબ્રિકેટેડ ન્યૂઝ ક્લિપિંગ્સ પણ જોડવામાં આવી હતી. રાજકીય પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ: અમિતસિંહ રાજપૂતફરિયાદી અમિતસિંહ રાજપૂતે પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે અને ગોડાદરા વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવે છે. શ્રવણકુમાર જોશીએ કોઈપણ આધાર-પુરાવા વિના, માત્ર રાજકીય દ્વેષ રાખીને તેમની બદનામી કરવા માટે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. પોલીસે આ મામલે વીડિયોની પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરીને શ્રવણ જોશી વિરુદ્ધ આઈટી એક્ટ અને બદનક્ષીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અનાજના દુકાનદારો પાસે ખંડણી માંગવાના કેસમાં શ્રવણ જોશી અગાઉ જેલવાસ ભોગવી ચૂક્યા છે. ઉત્રાણમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવનાર 'આપ' કાર્યકર ઝડપાયોએક બાજુ શ્રવણ જોશી વિવાદમાં છે, તો બીજી બાજુ સુરતના ઉત્રાણ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્રાણ પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ અમરોલી કોસાડ આવાસમાં રહેતા કિરીટ ઉર્ફે કેપી પરસોત્તમ પાનસુરીયાની ધરપકડ કરી છે. કિરીટ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિવાદાસ્પદ પોસ્ટરો તે સરથાણા કિરણ ચોક ખાતે આવેલા 'આપ' ના કાર્યાલયથી લાવ્યો હતો. જોકે, આ પોસ્ટરો કાર્યાલય પર કોણે પહોંચાડ્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. શહેરના 16 સ્થળોએ પોસ્ટર વોરથી વાતાવરણ તંગસુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ, ડિંડોલી, પુણા, પાંડેસરા અને ઉત્રાણ જેવા વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધના પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, દારૂબંધી અને મોંઘા શિક્ષણ જેવા મુદ્દે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના મનીષા ગરનાળા, સુદામા ચોક, યમુના ચોક, પાટીદાર બ્રીજ અને મધુરમ સર્કલ સહિત કુલ 16 જેટલા મુખ્ય સ્થળોએ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરોને કારણે ભાજપની છબી ખરડાતી હોવાનું માનીને વિવિધ વોર્ડ પ્રમુખો અને માજી કોર્પોરેટરોએ 6 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવી હતી. કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન અને ગુનાહિત કાવતરુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 28મી અને 29મી માર્ચની મધ્યરાત્રિએ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે આ પોસ્ટરો પર નિયમ મુજબ પ્રિન્ટર કે પ્રકાશકનું નામ કે સરનામું છાપવામાં આવ્યું નહોતું. આ પોસ્ટરો દ્વારા જનતામાં ભ્રમ પેદા કરવાનો અને રાજકીય પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં કિરીટ પાનસુરીયા સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પાલિકા ચૂંટણી પૂર્વે 'આપ' મુશ્કેલમાંસુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ ઘટનાક્રમ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશી ગંભીર પોલીસ ફરિયાદોમાં ફસાયા છે, તો બીજી તરફ કાર્યકરોની ધરપકડથી સંગઠન પર દબાણ વધ્યું છે. ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે કરવામાં આવેલા પોસ્ટર વોર અને સોશિયલ મીડિયા કેમ્પેઈન હવે કાયદાકીય ગુંચવણમાં ફેરવાઈ ગયા છે. ભાજપ આ મુદ્દે આક્રમક મૂડમાં છે અને પોલીસની કાર્યવાહી પણ સતત ચાલુ હોવાથી આગામી દિવસોમાં 'આપ' ના વધુ નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પોલીસની આગામી તપાસ પર સૌની નજરહાલમાં પોલીસે શ્રવણ જોશી વિરુદ્ધ અમિતસિંહ રાજપૂતે આપેલા ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. AI દ્વારા બનાવેલા ફેક વીડિયોના કેસમાં સાયબર ક્રાઈમ સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, ઉત્રાણ પોલીસ પોસ્ટર વોરના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે પકડાયેલા કિરીટ પાનસુરીયાના કોન્ટેક્ટ લિસ્ટ અને CCTV ચકાસી રહી છે. સુરત શહેરના રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને પોલીસ ફરિયાદોના આ દોરથી પાલિકા ચૂંટણીનો જંગ વધુ ખરાખરીનો બનવાની શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સ્વીકારવા માટે વિનંતી કરી છે. ગોમતીપુરમાંથી 5 ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પક્ષમાં અન્યાય થયાનો લેટર જાહેર કરવાની સાથે રાજીનામું આપી દીધું છે. સિનિયર હોવા છતાં ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ના મળવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ઈકબાલ શેખે રાજીનામા સાથે લેટર જાહેર કર્યોઈકબાલ શેખ દ્વારા રાજીનામું આપવા સાથે લેટર જાહેર કરી જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુ.કોર્પોરેશનીની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક મારા અંતરાત્માનો અવાજ રજૂ કરવાની રજા લઉ છું. હું હંમેશા કોગ્રેસના પાયાના કાર્યકર તરીકે કોગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત અને વફાદાર રહ્યો છું. હું જનહિતના કોંગ્રેસ પક્ષના રાજય સ્તરના અને શહેરના અનેક કાર્યક્રમોમાં આગવી શૈલીથી વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર રહ્યો છું. અમદાવાદ મ્યુ.કાઉન્સીલરમાં કોંગ્રેસ પક્ષના સૌથી સીનીયર કાઉન્સીલર હોવા છતાં મેં વિરોધપક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરી એક કાર્યકર તરીકે શહેર કોગ્રેસ પક્ષમાં સાદગીપુર્ણ મારી ભુમિકા નિભાવી છે. જેના આપ મુકસાક્ષી રહ્યા છો. અન્ય પક્ષો તરફથી મને અનેક લાલચો અને પ્રલોભનો આપવા છતાં મેં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાંથી અનેક મુશ્કેલીઓ હોવા છતાં છેલ્લા 25 વર્ષથી પેનલ સાથે કોંગ્રેસ પક્ષના ચિહન સાથે ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે. કોગ્રેસ પક્ષ માટે દિવસ રાત મહેનત કરવા છતાં છેલ્લાં 25 વર્ષથી જયારે જયારે અમદાવાદ મ્યુ.કોરપોરેશનની ચુંટણીઓ યોજાય ત્યારે મને છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જોઈને અવગણના કરવામાં આવે છે. જે મારા માટે અત્યંત દુઃખદ ઘટના રહી છે. મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજોગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની ચુંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસનો બેઠકનો દોર ચાલુઉલ્લ્ખનીય છે કે, અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસનો બેઠકનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મહાનગરપાલિકાના પ્રમુખો અને નિરીક્ષકો સાથે બેઠક કરી રહ્યા છે. વહેલી સવારે 10 વાગ્યાથી જ રાજીવ ગાંધી ભવન પર બેઠકોની શરૂઆત થઈ હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સાથે ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અત્યારે છેલ્લી બેઠક અમદાવાદ શહેર પ્રમુખ અને સંગઠનમાં નેતાઓ સાથે થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. અન્ય તમામ મહાનગરપાલિકામાં ઉમેદવારના નામને લઈને ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.
કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે NURSING-NEXUS-2026 નામની પાંચમી દ્વિદિવસીય રાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 01 એપ્રિલથી 02 એપ્રિલ, 2026 દરમિયાન યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ Bridging Health Gaps: Nursing for Inclusive and Sustainable Development વિષય હેઠળ આરોગ્ય ક્ષેત્રની ખામીઓને દૂર કરી સર્વસમાવેશક અને સમાન આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપવાનો તેમજ નર્સિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો હતો. આ પરિષદ કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલની પ્રેરણાથી યોજાઈ હતી. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે ડો. ગાર્ગી રાજપરા, આઈ.કે. કડીવાલા, જવલંત બટાવિયા અને ડો. હિરલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ રાવલ અને વાઇસ પ્રિન્સિપાલ પ્રો. ભાવિષા પટેલે પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોન્ફરન્સ દરમિયાન દેશભરના નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો અને નર્સિંગ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. તેમણે વિવિધ વિષયો પર વ્યાખ્યાનો, પેપર પ્રેઝન્ટેશન અને ચર્ચાસત્રો યોજ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત સાથે થઈ હતી. પ્રિન્સિપાલ ડો. રાજેશ રાવલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે પ્રો. ભાવિષા પટેલે કોન્ફરન્સ રિપોર્ટ રજૂ કરી આભારવિધિ વ્યક્ત કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે, કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી છે. તેમણે તમામ વિભાગોને સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા તેમજ આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ સૂચનો અપાયા હતા. ચૂંટણી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને આઈ.ટી. કામગીરી, સાયબર સિક્યુરિટી, વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરવા પણ સૂચના અપાઈ હતી. અંતમાં, ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર LCBએ એક જ દિવસમાં 4 આરોપી ઝડપ્યા:અલગ અલગ ગુનાના વોન્ટેડ આરોપીઓ અરવલ્લી અને પંચમહાલના વતની
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક જ દિવસમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત LCB ટીમે આ કાર્યવાહી કરી હતી. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ, ASI ભવાનજી અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 61(2), 81, 85, 87, 137(2), 143(સી), 64(2)(એમ), 351(2)(3), 115(2) હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ કિરીટકુમાર જોષી (રહે. દધાલીયા, તા. મોડાસા, જિ. અરવલ્લી) અને ચેતન બાલુસિંહ ચૌહાણ (રહે. વાંટડા, તા. મોડાસા, જિ. અરવલ્લી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હેડ કોન્સ્ટેબલ ધર્મેશને મળેલી બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 305(સી) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી આફતાબ ઉર્ફે મુશા ઇકબાલ પાયા (રહે. નદીપાર, ઇદગા મહોલ્લા, ગોન્દ્રા, તા. ગોધરા, જિ. પંચમહાલ) ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ, મહીસાગર LCB ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની આ ડ્રાઈવ દરમિયાન એક જ દિવસમાં કુલ ચાર આરોપીઓને પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
દેવભૂમિ દ્વારકાના પ્રાચીન સૂર્યમુખી હનુમાન મંદિરે રઘુવંશી યુવા મહિલા ગ્રુપ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. રઘુવંશી યુવા મહિલા ગ્રુપ સમાજમાં જાગૃતિ લાવવા માટે દર મહિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વખતે તેમણે ધાર્મિક કાર્યક્રમ પસંદ કર્યો હતો, જેમાં લોહાણા સમાજની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુંદરકાંડ પાઠ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. બહેનોએ સુંદરકાંડના પઠન દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે કૃપાબેન સામાણી, સોનલબેન કાતર, પૂનમબેન બથિયા, હીનાબેન કક્કડ અને નિધિબેન મોદી સહિત અનેક બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે અચાનક ગ્રાઉન્ડ સર્જિકલ સ્ટ્રાઈક કરતા શહેરની અનેક જાણીતી રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ હરકતમાં આવેલી મનપાની ટીમે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગશહેરના ફૂડ વિભાગ દ્વારા આજે લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 110 એસ્ટાબ્લિશમેન્ટ અને 28 લારીઓ મળી કુલ 138 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. નિયમોના ભંગ બદલ તંત્રએ આક્રમક વલણ અપનાવી 75 એકમોને કડક નોટિસ ફટકારી છે અને સ્થળ પર જ 52,300 નો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. તંત્રના કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટમ્યુનિસિપલ કમિશનર અને ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઝુંબેશ અંતર્ગત હવે દરેક રેસ્ટોરન્ટ અને લારી ધારકોએ પોતે ઉપયોગમાં લેતા પનીર, ખાદ્યતેલ, ચીઝ અને બટરની ગુણવત્તા અને બ્રાન્ડ અંગેના બોર્ડ જાહેર જનતા વંચી શકે તે રીતે ફરજિયાત પ્રદર્શિત કરવાના રહેશે. તંત્રના આ કડક વલણને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામ નજીક આવેલી કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ શહેરમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)માં આવેલી ટેક્સવુલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગના યુનિટમાં આજે શનિવારે મોડી સાંજે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ફાયર ટીમને કરાતા બે જેટલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના પ્રથમ તબક્કાના અંતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની કુલ 120 બેઠકો માટે નોંધાયેલા 2080 જેટલા દાવેદારોમાંથી ગાળણ પ્રક્રિયા હાથ ધરીને માત્ર 360 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે ટિકિટની આશા રાખીને બેઠેલા 1720 દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું છે. ત્રણ દિવસની કસરત બાદ 120 બેઠકો માટે 'થ્રી-નેમ' પેનલ તૈયારભાજપ દ્વારા સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે નિરીક્ષકો મોકલીને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી સંકલન બેઠકમાં શહેરના અગ્રણીઓ અને નિરીક્ષકોએ દરેક બેઠક દીઠ ત્રણ સક્ષમ નામોની પસંદગી કરી છે. શોર્ટલિસ્ટ થયેલા આ 360 નામોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્તારમાં દાવેદારના વર્ચસ્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે આ નામોમાંથી આખરી મહોર ગાંધીનગર ખાતે લગાડવામાં આવશે. વય મર્યાદા અને 'નો રિપીટ' થીયરીએ અનેક દિગ્ગજોના પત્તા કાપ્યાઆ વખતની પસંદગી પ્રક્રિયામાં ભાજપે કડક માપદંડો અપનાવ્યા છે. સંકલન બેઠકમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો: 60 વર્ષથી વધુની વય ધરાવતા કાર્યકરો, ત્રણ ટર્મથી સતત કોર્પોરેટર રહેલા વ્યક્તિઓ અને પક્ષના હોદ્દેદારોના સગા-સંબંધીઓ. આ 'કાઈટેરિયા'ને કારણે સુરતના અનેક માજી કોર્પોરેટરો અને વર્ષોથી પક્ષમાં સક્રિય રહેલા જૂના જોગીઓના પત્તા કપાઈ ગયા છે. 1720 દાવેદારોને રેસમાંથી બહાર કરી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષ શિસ્ત અને નવા ચહેરાઓને વધુ મહત્વ આપવા માંગે છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક શરૂશહેર ભાજપ દ્વારા તૈયાર કરાયેલી 360 નામોની યાદી લઈને પ્રદેશ નેતૃત્વ હવે એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારો સુરત સહિતના મહાનગરોની પેનલ પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક બેઠક પર મોકલવામાં આવેલા ત્રણ નામોમાંથી શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવા માટે આઈ.બી. રિપોર્ટ અને સ્થાનિક પ્રતિષ્ઠાને પણ ધ્યાને લેવામાં આવી રહી છે. યુવા, શિક્ષિત અને મહિલા ચહેરાઓ પર ભાજપનો વિશેષ ફોકસભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'નવીનતા' લાવવાના મૂડમાં છે. સંકલન બેઠકમાં જે નામો શોર્ટલિસ્ટ થયા છે, તેમાં મોટાભાગના ઉમેદવારો યુવા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના આંતરિક વર્તુળો મુજબ, વડાપ્રધાનના વિઝનને અનુસરીને મહિલા પ્રતિનિધિત્વ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા (ડોક્ટર, એન્જિનિયર, વકીલ) ચહેરાઓને પ્રથમ પસંદગી આપવામાં આવી રહી છે. સામાજિક સમીકરણોને જાળવી રાખવા માટે ઓબીસી, પાટીદાર અને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. 8 થી 10 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાતરાજ્યની 15 મહાનગરો અને અન્ય સ્થાનિક સંસ્થાઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ આગામી 8 થી 10 એપ્રિલ દરમિયાન તબક્કાવાર ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે. સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણીના પરિણામો અને વિપક્ષની સક્રિયતાને જોતા, ભાજપ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. તેથી જ અત્યંત ગુપ્તતા અને ચોકસાઈ સાથે ઉમેદવારોના નામો પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાવેદારોમાં ભારે ઉત્તેજના અને અસંતોષની ભીતિ1720 જેટલા દાવેદારોના નામો કપાઈ જતાં સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. જે દાવેદારોએ વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યું છે અને આ વખતે શોર્ટલિસ્ટમાં સ્થાન નથી મેળવી શક્યા, તેમની નારાજગી પક્ષને ન નડે તે માટે ડેમેજ કંટ્રોલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેર સંગઠનના હોદ્દેદારો નારાજ કાર્યકરો સાથે વ્યક્તિગત સંપર્ક કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં ટિકિટ ન મળવા છતાં પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તમામ કાર્યકરો એકજૂથ રહે તેવો આદેશ પણ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યો છે.
મહિલા સાથે રોકાણના નામે ઠગાઈ:સ્ટોક માર્કેટમાં 200 ટકા રિટર્ન મેળવવાની લાલચે મહિલાએ 55 લાખ ગુમાવ્યા
અમદાવાદની યુવતી સાથે સાયબર ગઠિયાઓએ સ્ટોક ઇન્વેટમેન્ટમાં મહિને 200 ટકા રિટર્ન આપવાની લાલચે લાખોની ઠગાઈ કરી છે. યુવતીએ લાલચમાં આવીને રોકાણ કરતા 55.46 લાખ ગુમાવ્યા છે. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાને મહિને 200 ટકા રિટર્ન મળશેની લાલચ આપતો મેસેજ આવ્યોમૂળ ભાવનગરની 39 વર્ષીય મહિલા મકરબામાં રહે છે. આ મહિલા અગાઉ એક કંપનીમાં આઇટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી. બે માસ પહેલા તેને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી મહિને 200 ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપતો મેસેજ આવ્યો હતો. જે બાદ તેને એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. જે બાદ મહિલાના નામનું માર્ક સિક્યોરીટીઝ નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં આઇડી બન્યુ હતું. જે બાદ મહિલાએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં બે અઠવાડિયા સુધી જુદા જુદા કોન્સેપ્ટના સ્ટોક ફાઇનાન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભારતીય-અમેરિકન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા મહિલાને પ્રોત્સાહિત કરીઆ ગ્રૂપમાં રહેલા ગઠિયાએ પોતે પીએચડી થયેલો હોવાનું કહીને પોતાની ઓળખ ડો. રાજીવસિંગ તરીકેની આપીને ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સમાં મદદ કરવાના નામે મહિલા પાસે રિચાર્જ કરાવ્યું હતું. જે બાદ કેટલીક રકમ ડિપોઝિટ કરાવી હતી અને બાદમાં ભારતીય તથા અમેરિકન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા મહિલાને પ્રોત્સાહિત કરી હતી. બાદમાં બેલેન્સ વધી ગયુ હોવાથી બીજા ગ્રૂપમાં જોડાઇ જવા પ્રોત્સાહિત કરીને મહિલા સાથે રોકાણ કરાવ્યુ હતું. મહિલાએ 13 દિવસમાં 56 લાખનું રોકાણ કર્યું હતું50 લાખથી વધુનું રોકાણ જરૂરી હોવાનું કહીને ગઠિયાઓએ જાળ બિછાવી અને મહિલાએ વિવિધ શરતો હેઠળ 13 દિવસમાં 56.46 લાખનું રોકાણ કર્યુ હતું. જોકે, કેટલીક શંકાઓ ઉપજતા મહિલા સાથે સાયબર ફ્રોડ થયુ હોવાની શંકા જતા તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં 55.46 લાખના ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
સુરત શહેર માટે ખજોદ સ્થિત ડમ્પિંગ સાઈટ ફરી એકવાર માથાનો દુખાવો બની છે. છેલ્લા બે અઠવાડિયાથી ધખધખતી ડિસ્પોઝલ સાઈટ પર આજે કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન ફરીથી આગ લાગી હોવાના ધુમાડા નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ ફાયર ફાઈટરો આગ બુઝાવવા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ આ આગને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષે આ ઘટનાને કચરા કૌભાંડ ગણાવી એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીમળતી માહિતી મુજબ, સુરત મનપાની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર જમા થયેલા લાખો ટન કચરાના નિકાલ માટે હાલમાં લેગસી વેસ્ટ રેમીડિએશનની કામગીરી ચાલી રહી છે. આજે જ્યારે મશીનરી દ્વારા કચરો ઉલેચવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અંદર દબાયેલો ગેસ અને ગરમીને કારણે અચાનક ધુમાડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સતત પાણીનો મારો ચાલુ છે. બે અઠવાડિયા પહેલાં લાગેલી આગ સંપૂર્ણપણે શાંત થઈ નથી!આશ્ચર્યની વાત એ છે કે, આ કોઈ નવી ઘટના નથી. છેલ્લા બે અઠવાડિયા અગાઉ ખજોદ સાઈટ પર ભીષણ આગ લાગી હતી, જે હજુ સુધી સંપૂર્ણપણે શાંત થઈ નથી. કચરાના ઢગલા નીચે સતત ધુમાડા નીકળતા રહે છે. ફાયર વિભાગે અગાઉ પણ 4 દિવસ સુધી મહેનત કરીને આગ કાબૂમાં લીધી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આજે લાગેલી આગે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઝેરી ધુમાડો ફેલાતા સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. વિપક્ષ આ વાત માનવા તૈયાર નથીડમ્પિંગ સાઈટ પર અવારનવાર લાગતી આગ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે અગાઉ ખુલાસો કર્યો હતો કે, વર્ષો જૂના કચરાના ઢગલામાં મિથેન ગેસ પેદા થતો હોય છે. ઉનાળાની ગરમીમાં આ ગેસને કારણે 'સ્વયંભૂ દહન' જેવી પ્રક્રિયા થાય છે, જે ટેકનિકલી રોકવી મુશ્કેલ છે.જોકે, વિપક્ષ આ વાત માનવા તૈયાર નથી. નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો-વિપક્ષવિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ આગ કુદરતી નથી, પણ લગાડવામાં આવી છે. વિપક્ષના જણાવ્યા અનુસાર, કચરાના નિકાલ માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો લઈ રહી છે. જો કચરો બળી જાય, તો તેને પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી અને એજન્સીને બેઠો ફાયદો થાય છે તેવો ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો 231 કરોડનો કોન્ટ્રાક્ટસુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતેના લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એક ખાનગી એજન્સીને અંદાજે 231 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીએ કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો હોય છે. કચરો સળગવાથી પ્રદૂષણ વધ્યુંખજોદમાં લાગેલી આગ માત્ર રાજકીય મુદ્દો નથી, પણ પર્યાવરણીય આપત્તિ પણ છે. કચરો સળગવાથી ડાયોક્સિન અને ફ્યુરાન જેવા ઝેરી વાયુઓ હવામાં ભળે છે, જે કેન્સર જેવી બીમારીઓ માટે જવાબદાર હોઈ શકે છે. વેસુ, મગદલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકો આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટમાં કુખ્યાત શખ્સો વિરુધ્ધ પાસા કરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં આણંદના સોજીત્રા તાલુકાના વતની આમિર અસલમભાઈ વોરા (ઉ.વ.32) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી આમીર વોરાને પાસા હેઠળ જામનગર જેલહવાલે કર્યો છે. સેલ્ફ ડ્રાઈવથી કાર ભાડે મેળવી વાહન બરોબર વેચી દઇ છેતરપિંડી આચરવાના ગુનાઓમાં માસ્ટર આમિર સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ માલવિયાનગર, તાલુકા, પોલીસ સ્ટેશન તેમજ ખેડા વડોદરા અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સોજીત્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત જગદીશ કેશવભાઈ બામણીયા (ઉં.વ.28) ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ વાડીએથી ગામમાં દૂધ લેવા જતો હતો દરમિયાન વાડી વિસ્તારના રસ્તા પર અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી જગદીશને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જગદીશ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને ઢોકળીયા ગામે મગનભાઈની વાડીએ રહી ખેતી મજૂરી કરતો હતો. તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરની લૂંટના કુખ્યાત ઈનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો જામનગર પોલીસ અધિક્ષક દ્રારા નાસ્તા ફરતા આરોપીઓ પર ઇનામ જાહેર કર્યું હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા ટિમ તપાસમાં હતી દરમિયાન રાજકોટ રેન્જના પીઆઈ રોહન બારની ટીમે હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી ચોક્કસ બાતમીના આધારે જામનગરના પંચચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રૂ.8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ.10 હજારનો ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનીયાને દાહોદ હાઇવે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુંટના ગુન્હામાં 16 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો રાજકોટ રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પૈકી 29 આરોપીઓને ઝડપી પાડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના પીઆઇ રોહન બારની ટિમ તપાસમાં હતી દરમિયાન હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ મદદથી મળેલ બાતમી આધારે રૂ.8000ના ઇનામી મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના અતી ચકચારી એસ.ટી.બસમાં બેઠેલ આંગળીયા કર્મચારીઓના અંદાજે એક કરોડ જેટલા મુદ્દામાલના થેલાઓની લુંટ કેસમાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા અને તાજીયા ગેંગના સાગ્રીત આરોપી રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ ચૌહાણ બીહારથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરબી જિલ્લાના ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે. પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત મીનાબેન ઉર્ફે મુકતાબેન કેશુભાઇ હરણેશા (ઉ.વ.54) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતા ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતા મીનાબેનને નીચે ઉતારી 108માં ફોન કર્યો હતો. 108ના ઇએમટી પુનમબેન પુરોહીતે સ્થળ ઉપર જ જોઈ તપાસીને મીનાબેનને મૃત જાહેર કર્યા હતા અને રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મીનાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું અને પતિ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આપઘાતના કારણથી પરિવાર અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર ચોટીલાનો શખ્સ ઝડપાયો રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ કે કે ગોહિલની ટિમ તપાસમાં હતી દરમિયાન તા.27.10.2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને અપરણના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી વહતાભાઈ વસાભાઈ શિયાળીયા (ઉ.વ.55)ને ચોટીલા ખાતેથી પકડી પાડી માલવિયાનગર પોલીસના સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામનાથપરામાં મુંબઈથી આવેલા બંગાળી કારીગરે ઝેરી દવા પીધી અબ્દુલ અલી શેખ (ઉં.વ.27) ગઈકાલે સાંજે 5 વાગ્યે પોતાના મોટાભાઈ દાનિશના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. દાનિશ રાજકોટમાં ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળ કોલકાતાના વતની છે. તેનો ભાઈ અબ્દુલ મુંબઈમાં રહેતો અને ત્યાં કામ કરતો હતો. અબ્દુલે થોડા દિવસ પહેલા દાનિશને ફોન કરી રાજકોટ રોકાવવા આવે છે તેવી જાણ કરી હતી અને ત્રણ દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. ગઈકાલે કોઈ સાથે રાજકોટમાં ફરવા જવાનું કહી રહ્યો હતો જો કે ફરવા જાય એ પહેલા આ પગલું ભરી લીધું હતું જો કે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તેની જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
અમદાવાદના મેમનગર તળાવ પાસે આવેલા આનંદ પાર્કમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ક્રિકેટ સટ્ટો રમી રહેલા 6 શખસની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ગજાના બુકીઓએ આ યુવકોને મેચની આઈડી આપી હતી, જેના આધારે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી સટ્ટાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મેમનગરમાંથી ક્રિકેટ સટ્ટો રમતાં 6 શખસ ઝડપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઇ એસ.જે જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મેમનગર તળાવની બાજુમાં આવેલા આનંદ પાર્ક એપાર્ટમેન્ટના મકાન નંબર ડી/2માં કપિલ ઉર્ફે ચિરાગ અને અભય ઠક્કર કેટલાક સાગરીતોને ભેગા કરીને આઈપીએલ પર જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને 6 યુવકો બેઠા હતા. તમામ યુવકો પાસે સંખ્યાબંધ મોબાઈલ હતા. તમામના હાથમાં રહેલા મોબાઈલ ચાલુ હતા. ક્રાઈમ બ્રાંચે કપીલ ઉર્ફે ચિરાગ ઠક્કર, અભય ઠક્કર, યશ અખાણી, મીત જયસ્વાલ, ધ્રુવ ઠક્કરની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતીચિરાગ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. જ્યારે અભય પાસેથી પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. યશ પાસેથી બે મોબાઈલ ફોન, મીત પાસેથી ત્રણ મોબાઈલ અને કલ્પેશ અને ધ્રુવ પાસેથી એક એક મોબાઈલ જપ્ત કર્યો છે. ગઈકાલે ચેન્નાઈ સુપરકીંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ હતું કે, સાયન્સ સીટીમાં રહેતા કિશન ઠક્કર, પાટણમાં રહેતા રોનક ઠક્કરસ, દિપક ઠક્કરસ, આકાશ લાલવાણી, કિશન ઠક્કર, જીતુ, ઝમકુ પાસેથી આઈડી ખરીદી હતી. ક્રાઈમ બ્રાંચે સટ્ટોડીયા અને બુકીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. ક્રાઈમ બ્રાંચે કુલ 13 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા બનાવમાં ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવક ઝડપાયોઆ સિવાય બોડકદેવ પોલીસે પણ સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવકની ધરપકડ કરી છે. ગઈકાલે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક યુવક કાર લઈને આવી રહ્યો હતો. પોલીસ કાર રોકીને ચેંકીગ કરી રહ્યા હતા ત્યારે સામે આવ્યુ હતું એક યુવક મોબાઈલમાં આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો. બોડકદેવ પોલીસે દુશ્યંત શર્માની ધરપકડ કરી છે. ગઈકાલની આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો.
આણંદ પોલીસે 2 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલ્યો:તારાપુરનો શખ્સ ચોરીના વાહન સાથે ઝડપાયો
આણંદ શહેરમાં વાહન ચોરીના વધતા બનાવોને રોકવા માટે ટાઉન પોલીસ સક્રિય બની હતી. પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે અલગ-અલગ એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ શાખાની મદદ લીધી હતી. આ તપાસ દરમિયાન પો.કો. તીર્થરાજસિંહ અને રૂદ્રપાલસિંહને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તારાપુરના મહિયારીના મોટાભાગ ખાતે રહેતા રામદેવસિંહ લાલુભા ચૌહાણને ચોરીના બે એક્ટિવા વાહન સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ બંને વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હોન્ડા એક્ટિવા (GJ-23-DR-3001), જેની અંદાજિત કિંમત ₹63,000/- છે, અને બીજી હોન્ડા એક્ટિવા (GJ-23-BN-7925), જેની અંદાજિત કિંમત ₹35,000/- છે, તે જપ્ત કરી છે. આ કામગીરીથી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મહત્વના વાહન ચોરીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે. આ બંને ગુનાઓ બી.એન.એસ.ની કલમ 303 (2) મુજબ નોંધાયેલા હતા. આ સફળ ઓપરેશનમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.આઈ. એન. બી. ડોડિયા, દક્ષેશકુમાર, જયદીપસિંહ, તીર્થરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ, રૂદ્રપાલસિંહ સહિતના જવાનો જોડાયા હતા.
નર્મદા યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મામલે તંત્રની ઉદાસીનતા સામે કડી સિવિલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું હતું.જેના પગલે આજે ખેડૂતોએ સરકારી કચેરીનો સામાન જપ્ત કરી ઓફિસને સીલ મારી દીધું હતું. કોર્ટે મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતુંઅરજદાર સોલંકી સેંધાજી પ્રતાપજી અને અન્ય ખેડૂતોની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી.આ અંગેના લેન્ડ એક્વિઝિશન રેફરન્સ (LAR) કેસ નં. 17/2015 થી 26/2015 સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ થયો હતો. આમ છતાં લાંબા સમય વીતી જવા છતાં વળતરની રકમ ન મળતા ખેડૂતોએ કાયદાકીય લડત ચાલુ રાખી હતી.અંતે કડીની સિવિલ કોર્ટે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કુલ રૂ 4,30,327 ની વસૂલાત માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું. કચેરીને સીલ પણ મારીને સામાન જપ્ત કરાયોકોર્ટના આદેશ બાદ આજે ખેડૂતો કોર્ટના બેલીફ સાથે મહેસાણા સ્થિત જમીન સંપાદન અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ કચેરીમાં પડેલા ખુરશી, ટેબલ અને અન્ય વસ્તુ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આટલું જ નહીં વસૂલાતની પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂતોએ કચેરીને સીલ પણ મારી દીધું હતું. કોર્ટની કાર્યવાહીથી વહીવટી આલમમાં ફફડાટસરકારી તંત્ર દ્વારા ખેડૂતોના હકનું વળતર ચૂકવવામાં કરવામાં આવતા વિલંબ સામે કોર્ટની આ કાર્યવાહીએ વહીવટી આલમમાં ફફડાટ મચાવી દીધો છે. પોતાની જ જમીન ગુમાવ્યા બાદ વળતર માટે વર્ષો સુધી રાહ જોતા ખેડૂતોએ આજે કાયદાના સહારે તંત્રને જડબાતોડ જવાબ આપ્યો હતો.
દિલ્હી નિર્ભયા કેસમાં એક સગીર આરોપી સામેલ હતો. જેનો ગુન્હામાં ગંભીર રોલ હતો. તાજેતરમાં અમદાવાદમાં પાટીદાર બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા અને સેવન્થ ડે સ્કૂલમાં સાથી સગીર વિદ્યાર્થીની હત્યા કરવાના કેસમાં આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હતો. જેને 30 માર્ચે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય ત્રણ સગીરોને પણ છેલ્લા અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ સુરતના છે. સુરતના કેસમાં સગીરના જામીન મંજુરપ્રથમ સગીર આરોપી સામે કતારગામ પોલીસ મથકે ઓક્ટોબર 2025માં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આક્ષેપ મુજબ સગીર આ કેસમાં મુખ્ય આરોપી છે. 15 વર્ષ અને 2 મહિનાના આ સગીર આરોપીએ ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. જેમાં 19 વર્ષીય યુવકને પેટમાં ચપ્પુના ઘા મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે અન્ય પુખ્ત વયના આરોપી પણ હતા, જેને કિશોરની હુમલો કરવા માટે ઉશ્કેર્યો હતો. તેના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. રાંદેર હત્યા કેસમાં જામીનબીજી ફરિયાદ 16 વર્ષ અને 9 મહિનાના સગીર સામે સુરતના રાંદેર પોલીસ મથકે વર્ષ 2024 માં નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં 6 જેટલા સગીર સામેલ હતા. તેઓએ ઝઘડાની બાબતમાં 24 વર્ષીય યુવકને ભેગા થઈને માર માર્યો હતો, તેમજ છરી મારીને હત્યા નિપજાવી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. કિશોર પાસેથી છરી મંગાવી હત્યા કેસમાં જામીન મંજૂર2024માં જ સુરતના પલસાણા પોલીસ મથકે એક સગીર સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં સગીર પાસે બાઈક રીપેરીંગ કરવા આવેલા વ્યક્તિઓ બાઈક રીપેરીંગથી સંતુષ્ટ જણાયા નહોતા. જેને લઈને સગીર સાથે બોલાચાલી થઈ હતી. સગીરે સ્ક્રુ ડ્રાઇવર વડે ગ્રાહક ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેની વોચ ગોઠવીને અન્ય સાથીદારો સાથે ફરિયાદી અને મૃતકને માર માર્યો હતો તેમ જ છરી મારી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં આરોપીનું કહેવું હતું કે મૃતક વરસાદને લઈને બાઈક પરથી લપસી પડતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે અન્ય એક કિશોર પાસેથી છરી મંગાવી હતી. ચારેય સગીરને હાઇકોર્ટે 10ના બોન્ડ ઉપર જામીન આપ્યાઉપરોક્ત કાયદાના સંઘર્ષમાં આવેલા ચારેય કિશોરોને ગુજરાત હાઇકોર્ટે 10ના બોન્ડ ઉપર જામીન આપ્યા છે. જેમાં પ્રોબેશન ઓફિસરે તેનો ક્વાટરલી રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને જરૂર પડે કાયદાના સંદર્ભમાં આવેલ કિશોરોને મનોચિકિત્સકીય સપોર્ટ આપવાનો રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. મોરબી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ભુજ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેના એપ્રિલ મહિનામાં રિબેટ યોજના ની શરૂઆત થાય છે જેમાં કરદાતાઓએ બે દિવસમાં ભારે ઉત્સાહ દાખવતા મનપાની આવકમાં વધારો થયો હતો અને બે દિવસમાં 6 કરોડથી વધુ ની આવક પ્રાપ્ત થઈ હતી, મનપા ના ઘરવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે એક જ દિવસની આવકમાં 4930 કરદાતાઓએ ઓનલાઈન અને ઓફલાઇન પોતાનો ઘરવેરો ભરપાઈ કર્યો હતો, જેનાથી મનપાને એક જ દિવસમાં 2.55 કરોડ રૂપિયાની આવક થઈ છે, અને નવા નાણાકીય વર્ષની શરૂઆતના બે દિવસમાં કુલ આવકનો આંકડો 6.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, ઓનલાઇન પેમેન્ટનો ક્રેઝ વધારે બે દિવસ દરમ્યાન કુલ 11,751 કરદાતાઓએ વેરો ભર્યો છે, જેમાંથી 8227 કરદાતાઓએ ઓનલાઇન થી કારવેરો ભરપાઈ કર્યો હતો જ્યારે 3524 કરદાતાઓએ ઓફલાઇન વેરો ભર્યો હતો,મનપા દ્વારા એપ્રિલ માસમાં વેરો ભરનાર નાગરિકો માટે દર વર્ષે રિબેટ જાહેર કરવામાં આવે છે જેમાં એપ્રિલ માસમાં ઘરવેરો અને સફાઈ વેરો ભરનાર તમામ કરદાતાઓને 10 ટકા રિબેટ તથા જો વેરો ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા ભરવામાં આવે, તો વધારાનું 2 ટકા રિબેટ મળશે. આમ, કરદાતાઓ કુલ 12 ટકા સુધીની બચત કરી શકે છે, રજાના દિવસોમાં પણ બારીઓ ખુલ્લી રહેશે નાગરિકોની સુવિધા માટે ભાવનગર મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સમગ્ર એપ્રિલ માસ દરમિયાન શનિવાર, રવિવાર સહિતની તમામ જાહેર રજાઓમાં પણ વેરા સ્વીકારવા માટેની કેશ બારીઓ જુદા જુદા સ્થળોએ કાર્યરત રહેશે જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, પૂર્વ ઝોનલ કચેરી- તરસમિયા રોડ તથા પશ્ચિમ ઝોનલ કચેરી આખલોલ જકાતનાકા ખાતે કરદાતાઓ રજાના દિવસોમાં પણ વેરો ભરી શકશે. કરદાતાઓ મનપાની વેબસાઇટ www.bmcgujarat.com, મોબાઈલ એપ્લિકેશન અથવા કચેરી ખાતે POS મશીન દ્વારા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પણ વેરો ભરી શકશે. મનપા તંત્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક અને વહીવટી પ્રક્રિયામાં AIના ઉપયોગને લઈને એક પોલિસી બહાર પાડી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે ન્યાયિક સ્વતંત્રતા અને માનવીય વિવેકબુદ્ધિની સર્વોપરિતા જાળવી રાખવાનો છે. ન્યાય વિતરણમાં AI માત્ર એક સહાયક સાધન તરીકે રહેશે, ન્યાયાધીશના વિકલ્પ તરીકે નહીં. ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા AIનો ઉપયોગ કરી શકાશેAIનો ઉપયોગ કેસોનું વિતરણ, આંકડાકીય અહેવાલો તૈયાર કરવા અને આંતરિક તાલીમ માટે પ્રેઝન્ટેશન બનાવવા, ચુકાદાઓ શોધવા, કાયદાકીય સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવું અને સંદર્ભો મેળવવા, દસ્તાવેજોનું મશીન દ્વારા ભાષાંતર અને સુનવણીનું લખાણ તૈયાર કરવા કરી શકશે, જો કે તેની માનવીય ચકાસણી અનિવાર્ય છે. AIથી મુસદ્દાની ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા માટે ઉપયોગ કરી શકાય છે. ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીંજો કે જામીન, સજા કે ચુકાદા અંગેના ન્યાયિક નિર્ણયો લેવા માટે AIનો ઉપયોગ કરી શકાશે નહીં. પુરાવાઓનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતા તપાસવી કે સાક્ષીઓની જુબાનીનો સારાંશ બનાવવા પર પ્રતિબંધ છે. પક્ષકારો કે સાક્ષીઓના નામ, સરનામાં અથવા પેન્ડિંગ કેસની ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીં. AI દ્વારા આપવામાં આવેલા કેસ લો કે કાયદાના સંદર્ભોને સત્તાવાર સ્ત્રોત થી ચકાસ્યા વગર વાપરી શકાશે નહીં. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીંદરેક ન્યાયાધીશ અને કોર્ટ અધિકારી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા આદેશો અને ચુકાદાઓ માટે અંગત રીતે જવાબદાર રહેશે. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીં. AI દ્વારા તૈયાર કરાયેલ કોઈપણ સામગ્રીને ઉપયોગમાં લેતા પહેલા જવાબદાર અધિકારીએ તેની સમીક્ષા અને પ્રમાણિત કરવી ફરજિયાત છે. AI માત્ર સહાયક સાધન, ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશેઆ નીતિના કોઈપણ નિયમનું ઉલ્લંઘન 'ગેરવર્તણૂક' ગણાશે અને તેના પર શિસ્તભંગના સહિતના પગલાં લેવામાં આવશે. AIનો ઉપયોગ Digital Personal Data Protection Act, 2023 અને અન્ય IT કાયદાઓ મુજબ કરવાનો રહેશે. યુઝર્સે AI ના ફાયદા અને મર્યાદાઓ સમજવા માટે ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા તાલીમ મેળવવી જરૂરી છે. AI માત્ર સહાયક સાધન છે. ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશે.
ગઢડા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ ફ્લેગ માર્ચ શહેરના હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, વિંછીયા પરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા અને રાબીયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજવામાં આવી હતી. બોટાદ DYSP, PI, PSI, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો આ માર્ચમાં જોડાયો હતો. બોટાદના DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન:રાજ્યમાં આચાર સંહિતા લાગુ, મતગણતરી 28 એપ્રિલે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન થશે અને ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. મતદારોની આખરી યાદી પણ ૦૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ૦૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૬ છે, જ્યારે ૧૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. મતદાન ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. આ ચૂંટણીઓમાં રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૫૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પોરબંદર જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. જિલ્લાની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં કુલ ૨૮૭ મતદાન મથકો પર ૨,૩૪,૯૧૦ મતદારો નોંધાયેલા છે. પોરબંદર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૧૯૧ મતદાન મથકો પર ૧,૬૬,૮૭૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬માં પણ પેટા ચૂંટણી યોજાશે. આચાર સંહિતાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા કોઈ નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે મતદારોને લોભાવતી જાહેરાતો કરી શકાશે નહીં. આ નિયમોનું પાલન ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પરિણામની જાહેરાત થાય ત્યાં સુધી ફરજિયાત રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની બેદરકારી ફરી એક વાર સામે આવી છે. વર્ષોથી મોતના માચડા સમાન ઊભેલી જર્જરિત ઇમારતનો સ્લેબ અચાનક તૂટી પડતા ત્યાંથી પસાર થતી એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહીં, જેના કારણે ઈજાગ્રસ્ત મહિલાને સ્કૂટર પર બેસાડીને હોસ્પિટલ લઈ જવી પડી. આ ઘટનાએ આસપાસના લોકોમાં રોષ જગાવ્યો છે અને લોકો ઘટના બાદ જવાહર રોડ બંધ કરીને આંદોલન પર બેઠા છે. ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહોતીજૂનાગઢ શહેરના હાર્દ સમાન ગણાતા કડિયાવાડ વિસ્તારમાં બેલદાર શેરી નજીક આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટ, જે અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના સ્લેબનો એક મોટો હિસ્સો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થતા એકતાબેન નામના મહિલાના માથાના ભાગે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક એકઠા થઈને મહિલાને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ, વિસ્તારના ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. આ ઘટના બાદ કડિયાવાડ વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા હતા અને જવાહર રોડ બંધ કરી આંદોલન પર બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં કડિયાવાડ વિસ્તારમાં જે જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી, જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા અને તે સમયે જવાબદાર પદાધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાના બણગા ફૂકવામાં આવ્યા હતા, તે આજની ઘટના પરથી સાબિત થયું છે. જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવા બે મહિના પહેલા જ લેખિત રજૂઆત કરી હતીઆ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને તંત્રની ઉદાસીનતા એવી છે કે, ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ખોદાયેલા રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ બરફના કારખાના પાસે ઉભી રહી ગઈ હતી, જેના પરિણામે મહિલાને સ્કૂટર પર બેસાડીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ મહિલાની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક સીટી સ્કેન કરાવવા સૂચના આપી હતી. બીજી તરફ, પોતાની જવાબદારીમાંથી છટકતા અને માત્ર આશ્વાસન આપવા પહોંચેલા વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયાએ આ સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવા બાબતે બે મહિના પહેલા જ લેખિત રજૂઆત કરી હોવા છતાં કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય કોર્પોરેટરો મીડિયાના સવાલોથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા. 'આવતીકાલથી હું મારી દુકાન બંધ રાખીશ અને ચાર રસ્તા વચ્ચે ઉપવાસ પર બેસીશ'ઈજાગ્રસ્ત મહિલાના પતિ હાર્દિક ચંદારાણાએ જણાવ્યું હતું કે હું કડિયાવડ વિસ્તારમાં છેલ્લા 12-13 વર્ષથી રહું છું અને કડિયાવડ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. આજે સાંજના સમયે મારા પત્ની ઘરથી દુકાન તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે અમારી શેરીની બાજુમાં આવેલી એક અંદાજે 35-40 વર્ષ જૂની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક મારા પત્ની પર પડ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની સ્થિતિ નાજુક છે. આવતીકાલથી હું મારી દુકાન બંધ રાખીશ અને કડિયાવડના ચાર રસ્તા વચ્ચે ઉપવાસ પર બેસીશ. જો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હું મારા જીવનું બલિદાન આપવા પણ તૈયાર છું. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તંત્ર આ ગરીબ અને સ્લમ વિસ્તારના લોકોની સુરક્ષા સામે જુએ, નહીંતર લોકોની હાય લાગશે. બે વર્ષ અગાઉ બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતાઆ તંત્રની ઘોર બેદરકારી છે, આટલી જૂની અને ભયજનક ઇમારત હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. બે વર્ષ પહેલા પણ આ જ કડિયાવડમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા. તે સમયે પણ તંત્ર દ્વારા કડક પગલાં લેવાની ખાતરી અપાઈ હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. માત્ર કાગળ પર નોટિસો આપીને સંતોષ માની લેતું તંત્ર આ ઘટનાએ બે વર્ષ પહેલાંની એ ભયાનક યાદો તાજી કરી દીધી છે જ્યારે કડિયાવાડ વિસ્તારમાં જ બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે સમયે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મોટા મોટા બણગાં ફૂંક્યા હતા કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ, આજની આ ઘટના સાબિત કરે છે કે લોકોના જીવની તંત્રની નજરમાં કોઈ કિંમત નથી. માત્ર કાગળ પર નોટિસો આપીને સંતોષ માની લેતું તંત્ર જમીની સ્તર પર કોઈ કામગીરી કરતું નથી, જેનું પરિણામ આજે નિર્દોષ નાગરિકોએ ભોગવવું પડી રહ્યું છે. બીમાર લોકોને રેકડીમાં નાખીને લઈ જવા પડે એવી સ્થિતિ સર્જાઈ છેસ્થાનિક રહીશ ચંદ્રેશ પોપટે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 63 વર્ષથી જૂનાગઢમાં રહે છે અને કડિયાવાડની હાલત જોઈને તેમને દુઃખ થાય છે. તેમણે કહ્યું કે તંત્ર માત્ર નોટિસો આપીને પોતાની જવાબદારી પૂરી કરી લે છે, પરંતુ નક્કર પગલાં લેતું નથી. આખા કડિયાવાડમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. બીમાર લોકોને રેકડીમાં નાખીને લઈ જવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને વોર્ડના સભ્યોને પ્રજાની પીડામાં કોઈ રસ નથી, તેઓ માત્ર પોતપોતાની જવાબદારીઓ એકબીજા પર ઢોળવામાં જ વ્યસ્ત છે. શું કોઈનો જીવ જવાની રાહ જોવામાં આવે છે?ડબગર શેરીમાં રહેતા જયશ્રીબેન સોંદરવાએ જણાવ્યું કે, આ દુર્ઘટના તેમના ઘરની બિલકુલ સામે જ બની છે. હાર્દિકભાઈના પત્ની એકતાબેન ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમનો હાથ પણ ભાંગી ગયો છે. તેમણે આક્રોશ સાથે સવાલ કર્યો કે તંત્ર માત્ર નોટિસો કેમ આપે છે? શું કોઈનો જીવ જવાની રાહ જોવામાં આવે છે? હવે બાળકોના વેકેશન આવી રહ્યા છે, જો તેઓ બહાર રમતા હોય અને આવી કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે સાયકલ લઈને નીકળતા બાળકો પણ વારંવાર પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. ગટર અને પાણીની સુવિધાઓના નામે પણ અહીં શૂન્ય કામગીરી છે. મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ સમગ્ર ગંભીર મામલે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ પણ ચોંકાવનારો હતો. કમિશનરે જાણે આટલી મોટી ઘટનાનો કોઈ ખ્યાલ જ ન હોય તેમ ખૂબ જ ટૂંકો અને ઉપરછલ્લો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ આ મામલે તપાસ કરાવીને જણાવશે. કમિશનરના આવા બેજવાબદારભર્યા વલણથી લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને બીજી તરફ તંત્ર હજુ પણ તપાસના બહાના હેઠળ સમય પસાર કરી રહ્યું છે. ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે જૂનાગઢનું કડિયાવાડ હાલમાં મોતના ભય નીચે જીવી રહ્યું છે. એક બાજુ જર્જરિત ઇમારતો છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તો બીજી બાજુ ખોદાયેલા રસ્તાઓ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. તંત્રની બેદરકારી, કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને અધિકારીઓની આળસને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. જો આગામી દિવસોમાં આ જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવામાં નહીં આવે અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે, અને ત્યારે કદાચ તંત્ર પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં હોય. આ ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે અને હવે જોવાનું એ રહે છે કે કમિશનર તપાસના નામે માત્ર સમય કાઢે છે કે કોઈ નક્કર કાર્યવાહી કરે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભરુચ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશમાં અગ્રતા મેળવવા માટે જરૂરી સિંગલ ગર્લ ચાઇલ્ડ પ્રમાણપત્ર આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન કચેરી ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવતા વહેલી સવારે 6 વાગ્યાથી જ વાલીઓ કતારમાં ઉભા રહી ગયા હતા. બપોર સુધીમાં લાઇન મુખ્ય ગેટ સુધી પહોંચી ગઈ હતી, જેમાં નાની બાળકીઓ સાથે આવેલા માતા-પિતાને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં આ સુવિધા ન હોવાથી ત્યાંના અરજદારો પણ સેન્ટ્રલ ઝોન ઉમટી પડતા ભીડમાં વધારો થયો હતો. કચેરીમાં સ્ટાફની અછત વચ્ચે માત્ર 1 ઓપરેટર જ આ કામગીરી કરતો હોય વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને લઈ પરિસ્થિતિને થાળે પાડવા રજીસ્ટ્રાર પ્રેરીત જોશી જાતે દાખલા ટાઈપ કરવાની કામગીરીમાં જોડાયા હતા. ગત જૂન-2026ના શૈક્ષણિક સત્રમાં જે બાળકીઓનો જન્મ 1-6-2019 થી 30-5-2020 દરમિયાન થયો હોય તેમને અગ્રતા મળે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને અન્ય પુરાવાઓ સાથે આગામી તા.17-4 સુધી સવારે 10.30 થી સાંજે 6.00 કલાક દરમિયાન અરજી કરી શકાશે. જોકે કામગીરી તમામ વોર્ડ ઓફિસ પર શરૂ કરવામાં આવે તો હાલાકી ઓછી થઈ શકશે તેવી લોકોની માંગ છે. રાજકોટ એસ.ટી. ડેપોમાં આચારસંહિતાનો ભંગ, 16 બસોમાં સરકારી પોસ્ટરો મુદ્દે ફરિયાદ રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર ચૂંટણી આચારસંહિતાના અમલીકરણમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સામાજિક અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને પ્રતાપભાઈ વાળાએ કરેલી તપાસમાં બહાર આવ્યું કે આચારસંહિતા જાહેર થયાના 48 કલાક બાદ પણ એસ.ટી. નિગમની 16થી વધુ બસોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાવાળા સરકારી યોજનાના પોસ્ટરો યથાવત જોવા મળ્યા છે. રાજકોટ ડેપોમાં દરરોજ 1200 થી વધુ બસોની અવરજવર રહેતી હોવા છતાં, તંત્ર દ્વારા આ પોસ્ટરો હટાવવાની દરકાર કરવામાં આવી નથી. અગાઉની ચૂંટણીઓમાં તંત્ર સજાગ રહેતું હતું, પરંતુ આ વખતે ડેપો મેનેજર અને સ્ટેન્ડ ઇન્ચાર્જની લાપરવાહીને કારણે આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અગ્રણીઓએ બસપોર્ટના CCTV ફૂટેજ તપાસી ત્વરિત કાર્યવાહી કરવાની અને ફરજમાં બેદરકારી દાખવનાર સિનિયર ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ચૂંટણીને કારણે લગ્ન પ્રસંગો અટવાયા, કોર્પોરેશનનાં 32 કોમ્યુનિટી હોલના બુકિંગ રદ કરાયા રાજકોટમાં આગામી 26 એપ્રિલના રોજ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, જેના કારણે લગ્ન પ્રસંગો ધરાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષા સ્ટાફ અને અન્ય વ્યવસ્થાના ઉતારા માટે શહેરના તમામ 32 કોમ્યુનિટી હોલ ફાળવી દેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે 25 અને 26 એપ્રિલના જે પરિવારોએ લગ્ન માટે હોલ બુક કરાવ્યા હતા, તેમના બુકિંગ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અગાઉથી હોલ બુક કરાવી ભાડું ભરી ચુકેલા પરિવારોમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે ટૂંકા ગાળામાં અન્ય જગ્યાએ વાડી કે પ્લોટ મળવા મુશ્કેલ છે. મનપા તંત્ર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર ન થઈ હોવાથી ઓનલાઇન બુકિંગ ચાલુ રખાયા હતા, જે હવે પરિવારો માટે ચિંતાનો વિષય બન્યા છે. જોકે, ગત ચૂંટણી વખતે પણ આવી સ્થિતિ સર્જાતા તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો હતો, તેથી આ વર્ષે પણ લોકો તંત્ર પાસે કોઈ યોગ્ય વ્યવસ્થાની આશા રાખી રહ્યા છે. સૌરાષ્ટ્રની ટ્રેનોને કાલુપુર સ્ટોપેજ આપવા અને ઉનાળુ વેકેશનમાં વધારાના કોચ જોડવા માંગ સૌરાષ્ટ્રના રેલવે મુસાફરોની સુવિધા માટે નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટના પ્રમુખ રાજેશ ભાતેલીયા દ્વારા રેલવે તંત્ર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. રજૂઆતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી ઉપડતી તમામ ટ્રેનોને અમદાવાદના કાલુપુર સ્ટેશન પર કાયમી સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે, જેથી મુસાફરોને મુસાફરીમાં વધુ સરળતા રહે. ઉપરાંત, આગામી ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતો હોવાથી લાંબી મુસાફરીની ટ્રેનોમાં વધારાના કોચ જોડવા પણ રજૂઆત કરાઈ છે. સાથે રેલવેના વહીવટી માળખામાં સુધારા સૂચવતા તેમણે જણાવ્યું કે, રાજકોટ રિઝર્વેશન ઓફિસ ખાતે હાલ 4 થી 5 બારીઓ બંધ રહે છે, ત્યાં જ ઇન્કવાયરી અને કરન્ટ બુકિંગની સુવિધા શરૂ કરવી જોઈએ. આ વ્યવસ્થાથી જનતાને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહેશે. અમદાવાદ - વડોદરાની જેમ રાજકોટમાં પણ આ સુવિધા કાર્યરત કરવા અને મુસાફરોની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે ઓપન હાઉસ તથા રેલ અદાલત યોજવા માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. જામનગર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
અમદાવાદના ખાણીપીણીમાં સ્વચ્છતાને લઈને ફરી એક વાર સવાલ ઉઠ્યા છે. નવરંગપુરામાં આવેલા 1944 હોક્કો કીચનમાં એક ગ્રાહકે મંગાવેલી દાળ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. એક વર્ષના બાળકે ખીચડી ખાધી પણ હતી, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે AMCએ તપાસ કરીને રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરી છે. ખીચડીમાં વંદો જોઈને પરિવાર સ્તબ્ધનવરંગપુરાના 1944 હોકો કીચનમાં એક યુવક પરિવાર સાથે જમવા ગયો હતો. યુવકે રૂ. 479ની દાલ-ખીચડી મંગાવી હતી. ખીચડી તેના એક વર્ષના દીકરાને ખવડાવતો હતો અને અચાનક તેમાં વંદો દેખાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. નાના બાળકે પણ ખીચડી ખાધી હોવાથી માતા-પિતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, રેસ્ટોરન્ટની સ્વચ્છતા પર સવાલોગ્રાહકે આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પુરાવા તરીકે શેર કર્યા છે. ઘટનાએ રેસ્ટોરન્ટમાં જળવાતી સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 1994 હોક્કોકીચન મોટી બ્રાન્ડ હોવા છતાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા થઈ રહ્યાં છે. ઘટનાને પગલે ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગ પાસે રેસ્ટોરન્ટ સામે તપાસ કરવાની માગ કરી છે. એટલું જ નહીં રેસ્ટોરન્ટને લાઈસન્સ રદ્દ કરી તેને દંડ ફટકારવાની પણ માંગ કરી છે. ક્યાંથી ભૂલ થઈ તેની તપાસ ચાલુ- આસિ. મેનેજર ભાસ્કરની ટેલિફોનિક વાતમાં હોક્કો કીચનના આસિસ્ટન્ટ મેનેજર કેશવભાઈએ જણાવ્યું હતું કે, ઘટના બની હતી પરંતુ ક્યાંથી ભૂલ થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે.કોર્પોરેશનની ટીમ પણ અમારા ત્યાં આવીને ગઈ છે. AMCએ રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરીAMCના ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, નવરંગપુરા વિસ્તારમાં આવેલા ચીજ વસ્તુઓમાં જીવાત નીકળી હોવા અંગેની ઓનલાઇન ફરિયાદ મળી હતી તેના આધારે ફૂડ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને 10,000 રૂપિયા પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો અમદાવાદની ESIC હોસ્પિટલમાં ઇયળવાળી ખીચડી પીરસાઈ 31 માર્ચે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે જાણ કરી હતી, તો તેને કહ્યું, જે બાકી હોય એને ફરીથી નવું ભોજન બનાવીને આપ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) CG રોડ પરની BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી 6 દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટની પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે (19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ. અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચે 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO 12 માર્ચ 2026: અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ. અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પંચમહાલ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹51,747/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ચોરી ગોધરા શહેરના સોનીવાડમાં ઠક્કર ખમણ પાસે પાર્ક કરેલી મોટરસાયકલ પરથી થઈ હતી. 2 એપ્રિલ, 2026 ના રોજ સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. મોટરસાઈકલના હુક પર લટકાવેલી કાપડની થેલીમાંથી ચાંદીના કિંમતી દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવાના નિર્દેશ હેઠળ LCB ગોધરા સક્રિય હતી. LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન આ.પો.કો. યોગેશકુમાર અને અલ્પેશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે કળશ સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબના શંકાસ્પદ ઇસમને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ચોરીના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીનું નામ સોયેબ ઉર્ફે માટુંગા ઉર્ફે શીવા હુસેન ગુણીયા છે, જે ગોધરાના વચલા ઓઢા, રહેમાનીયા મસ્જિદ પાસેનો રહેવાસી છે. પોલીસે કુલ ₹51,747/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
અશાંતધારા ભંગના ગુનામાં LCBની કાર્યવાહી:કાવતરું રચનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અશાંતધારા ભંગના ચકચારી ગુનામાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી વધુ બે મુખ્ય શખ્સોને ઝડપી લીધા હતા, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં.567/એ1, એ/2/ઈ વાળી મિલકત અશાંતધારા હેઠળના વિસ્તારમાં આવે છે આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ વેચાણના ઈરાદે અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને મિલકત સોંપી દેવામાં આવી હતી, આ મામલે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસે ફરિયાદ આધારે LCBની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર સોદા પાછળ વ્યવસ્થિત કાવતરું રચવામાં આવ્યું હતું, શખ્સ જુનેદભાઈ ગનીયાણીએ આ મકાન ખરીદવા માટે પૂર્વ મંજૂરીની અરજી કરી હતી, જે નાયબ કલેક્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ જુનેદભાઈ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલે મળીને પ્લાન બનાવ્યો હતો, ધર્મેન્દ્રસિંહે પોતાના પુત્ર દર્શરાજસિંહના નામે મિલકત ખરીદવાની મંજૂરી મેળવી લીધી હતી, તપાસમાં જાણવા મળ્યું કે, દર્શરાજસિંહના નામે મિલકત ટ્રાન્સફર થાય તે પહેલા જ, અંતિમ ખરીદનાર અલારખભાઈ ગીગાણીના ખાતામાંથી રૂ.93,00,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાંથી મૂળ માલિકને રૂ.87,50,000 ચૂકવાયા હતા, વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી આરોપી ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને જુનેદભાઈ ગનીયાણીએ રૂ.5,50,000 નો આર્થિક લાભ મેળવ્યો હતો, તપાસ દરમિયાન મની ટ્રેઇલ અને કાવતરું સ્પષ્ટ થતા પોલીસે FIRમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) અને અશાંતધારાની કલમ 6(ડી) નો ઉમેરો કર્યો છે જેમાં ઝડપાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ રહે.ભાવનગર તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણી રહે.ભાવનગર વાળને ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસ ને હવાલે કર્યા હતા, કાયદાકીય સકંજો કસાતા આરોપી અલારખભાઈ ગીગાણીએ મકાન ખાલી કરી તેનો કબજો મૂળ માલિક દર્શરાજસિંહને પરત સોંપી દીધો છે. LCBના પીએસઆઈ વી.સી.જાડેજા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ખોરાકની ગુણવત્તા અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે હોટેલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાક વેચતા એકમોમાં “પનીર” તરીકે વેચાતા પ્રોડક્ટ અંગે સ્પષ્ટતા કરવી ફરજિયાત બનશે. જો કોઈ જગ્યાએ દૂધના બદલે વેજીટેબલ ફેટ અથવા અન્ય ઘટકોથી બનાવેલ “Analogue Paneer” નો ઉપયોગ થતો હોય, તો તેને સ્પષ્ટ રીતે “Analogue” તરીકે જ દર્શાવવું પડશે. “Analogue” શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ફરજિયાત કરવો પડશેતંત્ર દ્વારા 4 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ, ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને યોગ્ય લેબલિંગ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા સમયમાં “Paneer Analogue / Vegetable-Fat Paneer Alternative” નામે ઉત્પાદનોનો ઉપયોગ વધી રહ્યો છે, જેને કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થવાની શક્યતા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર પોતાના ઉત્પાદનોના ઉત્પાદન, પેકેજિંગ અને વેચાણ દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા રાખે અને નિયમોનું પાલન કરે. દૂધના સ્થાને વેજીટેબલ ફેટ અથવા સ્ટાર્ચ વડે બનેલા ઉત્પાદનોને “પનીર” તરીકે વેચવું ગેરકાયદેસર ગણાશે. આવા ઉત્પાદનો માટે “Analogue” શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ફરજિયાત રહેશે. ખોટી માહિતી આપી તો કડક કાર્યવાહી થશેહોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ જો પનીર આધારિત વાનગીઓમાં એનાલોગ પ્રોડક્ટનો ઉપયોગ થાય, તો ગ્રાહકોને તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે. ખોટી માહિતી આપવી અથવા ગ્રાહકોને ભ્રમિત કરવું દંડનીય ગુનો ગણાશે અને સામે કડક કાર્યવાહી થશે. નિયમિત નિરીક્ષણ, સેમ્પલિંગ અને ચકાસણી કરાશેતંત્રએ જણાવ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. નિયમિત નિરીક્ષણ, સેમ્પલિંગ અને ચકાસણી દ્વારા આ નિયમોના પાલન પર નજર રાખવામાં આવશે. ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે લેબલની માહિતી ધ્યાનપૂર્વક વાંચે અને શંકાસ્પદ બાબતમાં તંત્રનો સંપર્ક કરે. આ નિર્ણયથી બજારમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોને સાચી માહિતી મળવાથી છેતરપિંડીના બનાવોમાં ઘટાડો થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. બોટાદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
સાબરકાંઠા LCBએ ચોર ઝડપ્યો:હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી પકડાયો
સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી ચોરી કરનાર એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીનું કડું, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹22,999 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઘટના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેતાપુરા સર્કલ પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડ નજીક બની હતી. એક અજાણ્યા શખ્સે સરનામું પૂછવાના બહાને એક વ્યક્તિ પાસેથી ચાંદીનું કડું, મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCB ના PI ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB ટીમ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વોચમાં હતી. તે દરમિયાન જીગ્નેશકુમાર અને કિર્તિરાજસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મહેતાપુરા સર્કલ નજીકથી ચોરી કરનાર શખ્સ હિંમતનગર બસ સ્ટેશનમાં ઊભો છે. બાતમી મુજબ, તેણે કથ્થાઈ રંગનો આખી બાયનો શર્ટ અને કથ્થાઈ રંગનું પેન્ટ પહેર્યું હતું. બાતમીના આધારે LCB ટીમ તાત્કાલિક હિંમતનગર બસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં બાતમી મુજબના શખ્સને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ભાણાભાઈ દાનાભાઈ ઉર્ફે દિનેશભાઈ ધર્માભાઈ સલાટ (મારવાડી) જણાવ્યું હતું, જે હાલ બી/૭ ભગવતીનગર આવાસ યોજના, નાના ચિલોડા, અમદાવાદ શહેરનો રહેવાસી છે અને મૂળ હિંમતનગરના માયઓન સ્કૂલ પાસેના સલાટવાસનો છે. આરોપીની અંગઝડતી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક ચાંદીનું કડું અને વાદળી રંગનો વીવો કંપનીનો T4X મોડલનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ કરતાં આ મોબાઈલ અને કડાની ચોરી અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. ભાણાભાઈની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, એક અઠવાડિયા અગાઉ તેણે હિંમતનગરના મહેતાપુરા સર્કલ નજીક બસ સ્ટેશન પાસે એક વ્યક્તિની નજર ચૂકવીને ચાંદીનું કડું અને મોબાઈલ ફોન ચોરી કર્યા હતા. મોબાઈલ કવર ખોલતા તેમાંથી ₹1500 રોકડા પણ મળ્યા હતા. LCB એ કુલ ₹22,999 નો મુદ્દામાલ કબજે કરીને આરોપી ભાણાભાઈની અટકાયત કરી તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલું સુદર્શન તળાવ માત્ર એક જળાશય નથી, પરંતુ ભારતનો અત્યંત પ્રાચીન અને અમૂલ્ય મૌર્યકાલીન ઐતિહાસિક વારસો છે. મૌર્યકાળ દરમિયાન નિર્મિત આ તળાવ જૂનાગઢની શાન ગણાય છે, જેનો ઉલ્લેખ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના સમયથી ઇતિહાસમાં અંકિત છે. રાજાશાહીના સમયમાં તમામ સુવિધાઓથી સજ્જ આ સ્થળ સિદ્ધભૂમિ ગિરનારનું મુખ્ય આકર્ષણ હતું. જોકે વર્તમાન સમયમાં વહીવટી ઉદાસીનતા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે આ ઐતિહાસિક ધરોહર અત્યંત દયનીય હાલતમાં છે. એક તરફ શાસક પક્ષના ધારાસભ્ય અને પદાધિકારીઓ ગિરનાર ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તળાવના નવીનીકરણ અને વિકાસના દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કચેરીએ સુદર્શન તળાવના વિકાસ અંગેનો કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ કે ફાઈલ અત્યાર સુધી પહોંચી નથી. આ વિરોધાભાસી પરિસ્થિતિને કારણે જૂનાગઢના જાગૃત નાગરિકો અને વિરોધ પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાને મોટા વાયદાઓમાં નહીં પણ જમીની હકીકત પર થતા કામમાં રસ છે, પરંતુ હાલમાં આ પ્રાચીન વારસો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લુપ્ત થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઐતિહાસિક ધરોહરના નવીનીકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથીજૂનાગઢ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ બાબતે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગિરનારની ગોદમાં અને ભવનાથ ક્ષેત્રમાં આવેલું સુદર્શન તળાવ એ મૌર્યકાળથી બનેલું એક અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ છે. આ તળાવ એક સમયે જૂનાગઢની શાન ગણાતું હતું, પરંતુ અત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ છે. તળાવને વ્યવસ્થિત રીતે વિકસાવાય તો પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બનેરાજાશાહીના સમયમાં આ સ્થળ સુવિધાઓથી સજ્જ હતું, જ્યારે લોકશાહીમાં શાસકો તેને વિસરી ગયા છે. જ્યારે પણ આ વિસ્તારના વિકાસની વાત કરવામાં આવે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા એવું બહાનું આગળ ધરવામાં આવે છે કે આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે અને ત્યાં મંજૂરી મળતી નથી. જો ગિરનાર પર રોપ-વે અને અન્ય મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ફોરેસ્ટ વિભાગની મંજૂરીથી થઈ શકતા હોય, તો સુદર્શન તળાવના વિકાસમાં જ કેમ અડચણ આવે છે? તેમણે સૂચન કર્યું કે જો આ તળાવને વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે, તો તે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની શકે છે. સુદર્શન તળાવ પર ગંગા આરતી જેવો કોન્સેપ્ટ શરૂ કરવાની ભલામણતેમણે હરિદ્વાર કે કાશીના ગંગા ઘાટની જેમ અહીં પણ આરતી અને પૂજન જેવો કોન્સેપ્ટ શરૂ કરવાની ભલામણ કરી છે, જેથી શ્રદ્ધાળુઓ અને પર્યટકોને એક નવો અનુભવ મળે. અંતમાં લલિત પરસાણાએ ભારપૂર્વક કહ્યું કે, જો સરકાર પાસે કામ કરવાની દાનત હોય તો કોઈ પણ વિભાગ નડતો નથી. પરંતુ કામ ન કરવાની દાનતને કારણે આ ઐતિહાસિક વારસો નષ્ટ થઈ રહ્યો છે. સુદર્શન તળાવનું નિર્માણ મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન થયું હતુંજૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ આ તળાવના ઇતિહાસ અને પોતાના અનુભવો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલું સુદર્શન તળાવ એ આપણા દેશના અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક તળાવોમાંનું એક ગણાય છે. આ તળાવના ઇતિહાસ પર નજર નાખીએ તો તેનું નિર્માણ મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના શાસન વખતે તેમના સુબા પુષ્યગુપ્ત દ્વારા ઈસવીસન પૂર્વે 302માં આ ભવ્ય તળાવ બનાવવામાં આવ્યું હોવાના ઐતિહાસિક પુરાવા મળે છે. તે સમયે જૂનાગઢનું નામ ગિરિનગર હતું અને આ નગરના સર્વાંગી વિકાસ તેમજ ખેતી માટે સિંચાઈની સુવિધા પૂરી પાડવાના ઉમદા હેતુથી આ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. 1990માં પ્રથમ વખત MLA બન્યો ત્યારે મહત્ત્વની બાબત ધ્યાને આવીસદીઓ સુધી આ તળાવ સ્થાનિક લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત રહ્યું હશે અને લોકજીવનમાં તેનું વિશેષ મહત્વ રહ્યું હશે તેવું ઇતિહાસના પાનાઓ પરથી સ્પષ્ટ જણાય છે. મહેન્દ્રભાઈ મશરૂએ પોતાના વ્યક્તિગત અનુભવને વાગોળતા જણાવ્યું કે, જ્યારે તેઓ વર્ષ 1990માં પ્રથમ વખત જૂનાગઢના ધારાસભ્ય બન્યા ત્યારે તેમના ધ્યાને એક ગંભીર બાબત આવી હતી. તેમણે જોયું કે આટલા મોટા ઐતિહાસિક તળાવમાં હવે પાણી આવતું બંધ થઈ ગયું છે. કુદરતી ભૌગોલિક ફેરફારોને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણનો માર્ગ બદલાઈ ગયો હતો, જેના લીધે તળાવ ખાલી રહેતું હતું. 'આસપાસ જંગલી ઝાડી-ઝાંખરાને કારણે પ્રાચીન ભવ્યતા ખોવાઈ રહી છે'આ સમસ્યાના ઉકેલ માટે તેમણે વન વિભાગ સાથે સંકલન સાધ્યું અને જટાશંકર મહાદેવની જગ્યા પાસેથી આવતા પર્વતીય જળના સીધા વહેણને ફરીથી તળાવ તરફ વાળવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાવી હતી. નવી નહેરનું નિર્માણ કરીને પાણીના પ્રવાહને સુદર્શન તળાવ સુધી પહોંચાડવામાં આવ્યો, જેના પરિણામે આ તળાવ ફરીથી પાણીથી છલોછલ ભરાવા લાગ્યું અને તેની જૂની રોનક પરત ફરી હતી. આજે આ તળાવ ફરી એકવાર યોગ્ય જાળવણી અને વિકાસની રાહ જોઈ રહ્યું છે. તળાવની આસપાસ જંગલી ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને તેની પ્રાચીન ભવ્યતા ક્યાંક ખોવાઈ રહી હોય તેવું લાગે છે. તળાવની આસપાસ સુંદર પાથ-વે અને બેસવા બાંકડા બનાવવામાં આવેસુદર્શન તળાવ માત્ર એક જળાશય નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ તેનું ખૂબ મોટું મહત્ત્વ છે. જો તળાવની આસપાસ સુંદર પાથ-વે બનાવવામાં આવે, બેસવા માટે બાંકડાની વ્યવસ્થા થાય અને લોકો ત્યાં શાંતિથી બેસીને ગિરનારના દર્શન કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો આ સ્થળનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. અંતમાં તેમણે રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વકની વિનંતી કરી છે કે તેઓ આ ઐતિહાસિક વિરાસતના સંરક્ષણ માટે આગળ આવે. ઘણા સમયથી તળાવના વિકાસ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથીજૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલું સુદર્શન તળાવ એ મૌર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. આ તળાવ માત્ર એક જળાશય નથી પરંતુ શહેરનો અમૂલ્ય ઐતિહાસિક વારસો છે. ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી સ્વ. ભાવનાબેન ચીખલિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા આ તળાવના વિકાસ માટે ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તે સમયે અન્યત્ર ડાયવર્ટ થયેલા પાણીને ફરીથી તળાવમાં વાળવાનું ભગીરથ કાર્ય આ નેતાઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. છેલ્લા ઘણા સમયથી તળાવના વિકાસ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે આ ઐતિહાસિક સ્થળની હાલત દયનીય બની છે. 'અધિકારીઓને 500-700 કરોડના ગિરનાર ડેવલપમેન્ટની મોટી જાહેરાતોમાં રસ નથી'વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય પદાધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. પરિણામે, જે મૌર્યકાળનું ભવ્ય તળાવ હતું, તે આજે જાણે પબ્લિક શૌચાલય સમાન ગંદકીનું કેન્દ્ર બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમૃતભાઈએ જૂનાગઢના સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓને આડેહાથ લેતા જણાવ્યું કે, પ્રજાને માત્ર 500 કે 700 કરોડના ગિરનાર ડેવલપમેન્ટની મોટી જાહેરાતોમાં રસ નથી, પણ જમીન પર થતા નક્કર કામમાં રસ છે. જો નેતાઓ વહીવટી મુશ્કેલીઓના બહાના બતાવીને કામ ન કરી શકતા હોય, તો તેમણે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. તળાવને સરોવરનું સ્વરૂપ આપી તેના ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં આવેનેતાઓની પ્રાથમિક જવાબદારી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અને શહેરના વારસાને જાળવવાની છે. જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ સુદર્શન તળાવને સરોવર તરીકે વિકસાવે, તો તે ભવનાથનું એક અદભૂત પ્રવાસન સ્થળ બની શકે છે. તળાવમાં પાણી ભરાવાથી પર્યાવરણને ફાયદો થશે. ગંગાજીની માફક અહીં પણ ગિરનારની આરતીના કાર્યક્રમો યોજાઈ શકે છે. આ સિદ્ધ ભૂમિ પર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે, તેથી અહીં આધ્યાત્મિક વાતાવરણ સર્જાશે. તળાવને સરોવરનું સ્વરૂપ આપી તેના ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં આવે. ગિરિ તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ એ જૂનાગઢની આગવી ઓળખજૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે, જૂનાગઢની ગિરિ તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ એ જૂનાગઢની આગવી ઓળખ છે. આ જ તળેટીમાં આવેલું સુદર્શન તળાવ અતિ સુંદર અને નયનરમ્ય છે, જે મૌર્ય કાળમાં સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચોમાસામાં આ તળાવનું દ્રશ્ય અત્યંત મનોહર હોય છે. જૂનાગઢમાં રોપ-વે શરૂ થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શિવરાત્રી સુધી પ્રવાસીઓનો સતત પ્રવાહ જોવા મળે છે. સુદર્શન તળાવનો વિકાસ જૂનાગઢના પર્યટનમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશેઆ તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ જેથી પ્રવાસીઓને એક નવું નજરાણું મળે. તેઓ ઈચ્છે છે કે તળાવમાં નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને પ્રવાસીઓ ત્યાં બેસીને કુદરતી નજારાનો આનંદ માણી શકે. કોર્પોરેશન લેવલે પણ આ તળાવના વિકાસ માટે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. તેઓ આ બાબતે વન વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ પોઝિટિવ રીતે રજૂઆત કરશે. આ તળાવ મૌર્ય કાળની ધરોહર હોવાથી તેને હેરિટેજ લુક સાથે ડેવલપ કરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જૂનાગઢમાં હેરિટેજ વારસો ખૂબ જ સમૃદ્ધ છે અને સુદર્શન તળાવ તેનો એક મહત્ત્વનો ભાગ છે. જો આ તળાવનો યોગ્ય રીતે વિકાસ થાય, તો તે જૂનાગઢના પર્યટનમાં એક નવું સીમાચિહ્ન સાબિત થઈ શકે છે. સર્વેમાં ક્ષતિઓ જણાતા ફોરેસ્ટ વિભાગમાં ફરીથી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે, આ તળાવના રિન્યુએશન અને વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને ગિરનાર ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગિરનારના સર્વાંગી વિકાસ માટે રૂ. 114 કરોડ મંજૂર કર્યા છે, જેમાં સુદર્શન તળાવના વિકાસનો પણ સમાવેશ થાય છે. જોકે, ગિરનાર ક્ષેત્ર એ નેશનલ સેન્ચ્યુરી પાર્કમાં આવતું હોવાથી અહીં કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા વન વિભાગની અને પર્યાવરણ મંત્રાલયની અલગ-અલગ સ્તરની મંજૂરીઓ મેળવવી અનિવાર્ય હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની જરૂરી મંજૂરીઓ આપી દેવામાં આવી હતી, પરંતુ અગાઉના સર્વેમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોવાને કારણે ફોરેસ્ટ વિભાગમાં ફરીથી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મંજૂરી આવવાની સાથે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણતાના આરેવધુમાં તેમણે સમજાવ્યું હતું કે, નેશનલ સેન્ચ્યુરી વિસ્તાર હોવાથી સ્ટેટ ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળ્યા બાદ હવે આ પ્રક્રિયા સેન્ટ્રલ ફોરેસ્ટ વિભાગની કમિટી સમક્ષ પેન્ડિંગ છે. આ કમિટી દ્વારા ગહન ચર્ચા અને નિરીક્ષણ બાદ મંજૂરી આપવામાં આવતી હોય છે, જે પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. સંજય કોરડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મંજૂરી આવવાની તૈયારીમાં જ છે અને ટેન્ડરિંગની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણતાના આરે છે. જેવી મંજૂરી મળશે કે તરત જ ઓનલાઇન ટેન્ડર અપલોડ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે. ગિરનાર ક્ષેત્રમાં વિકાસ કરતી વખતે જંગલનો વિનાશ ન થાય અને વન્ય પશુ-પક્ષીઓને કોઈ ખલેલ ન પહોંચે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. ગિરનાર તળેટીને ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવા સતત પ્રયત્નશીલવન વિસ્તારમાં વૃક્ષો કાપવા પડે ત્યારે તેનું યોગ્ય નિરાકરણ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ખૂબ જ ચોકસાઈથી આગળ વધી રહી છે. ગિરનાર પર લાઈટની સુવિધા પહોંચાડી દેવામાં આવી છે અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા પાણી પુરવઠા બોર્ડને રૂ. 45 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકારી પ્રક્રિયાઓમાં થોડો સમય લાગે છે, પરંતુ સમગ્ર જૂનાગઢ અને ગિરનાર તળેટીને એક ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. પર્વત ઉપર પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટેના પ્રયત્નો ચાલુજૂનાગઢ વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ જણાવ્યું કે, હાલમાં સુદર્શન તળાવના વિકાસ માટે કોઈ સત્તાવાર આયોજન નથી. સુદર્શન તળાવના બદલે ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સુવિધા વધારવા માટેના પ્રોજેક્ટ્સ વિશે તેમણે વાત કરી હતી. ગિરનારના પગથિયાં પહોળા કરવાનું આયોજન છે. પર્વત ઉપર પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટેના પ્રયત્નો ચાલુ છે. પ્રવાસી માટે વિવિધ પાયાની સુવિધાઓ ઊભી કરવાના પ્રસ્તાવો હાલ અંતિમ તબક્કામાં છે. વન અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, ગિરનાર એ એક અભયારણ્ય હોવાથી તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવે છે. આ વિસ્તારમાં અનેક મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ હોવાથી ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે વિકાસ કાર્ય કરવું ખૂબ જ સંવેદનશીલ બાબત છે. સરકાર આવા વિસ્તારના વિકાસ માટે ગંભીરતાથી વિચારણા કરેતેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર આવા વિસ્તારોમાં વિકાસના પ્રસ્તાવો પર ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરે છે. જો કોઈ પ્રોજેક્ટ અતિ મહત્ત્વનો હોય તો જ તેને આગળ વધારવામાં આવે છે, જેથી વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનમાં કોઈ ખલેલ ન પહોંચે અને પશુ-પક્ષીઓને હેરાનગતિ ન થાય. આમ, વન વિભાગના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે સુદર્શન તળાવના વિકાસ માટે હજુ સુધી સરકારી સ્તરે કાગળ પર કોઈ કાર્યવાહી આગળ વધી નથી.
• રંગીન મીજાજી, દારૂડીયા પતિના ત્રાસથી કંટાળી અંતે પરિણીતાએ ફરીયાદ નોંધાવી રાજકોટ શહેરના કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ સ્વામિનારાયણ ચોકમાં રહેતી પરિણીતાએ પતિ દારૂ પી મારકૂટ કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણી સગર્ભા હતી ત્યારે પતિએ તારા પેટમાં રહેલું બાળક નથી રાખવું કહેતા માઠું લાગતા તેણીએ કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે અધુરા માસે ડિલિવરી થતા બાળક મૃત્યુ પામ્યું હતું. આ ઉપરાંત પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો છે જેને લઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોકમાં રહેતી વૈશાલીબા જાડેજા (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિપુલભાઈ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમણે ગઇ તા.12.12.2009ના રોજ મૂળ જામનગરના માછરડા ગામના વતની વિરેન્દ્રસિંહ ઉર્ફે વિપુલભાઈ જાડેજા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. લગ્નની શરૂઆતથી પતિ દારૂ પીને ઝઘડા કરી પરીણીતાને માર મારતો હતો. આ પછી પ્રેગનેન્સીના બીજા મહિનાથી સાસુએ પતિ સાથે વાતચીત બંધ કરી દેતા તેનો ખાર રાખી પતિ પરિણીતાને કહેતો હતો કે, તારી બહેન મારી માતા સાથે ઝઘડો કરે છે એટલે મારી માતા મારી સાથે વાતચીત કરતી નથી તેમ કહી પરીણીતા પર ગરમ ચા ઢોળી કહ્યું હતું કે, તારા પેટમાં રહેલું મારું બાળક મારે જોતું નથી. આ વાતનું માઠુ લાગી આવતા પરિણીતાએ કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા પતિ અને સાસુએ પરિણીતાને રોકી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકને કોઈ નુકસાન થયું ન હોવાનું જણાવ્યું હતું. સતત પતિના ત્રાસના કારણે પરિણીતાને સાતમા માસે ડીલેવરી થઈ જતા બાળક એક કલાક જીવ્યા બાદ મૃત્યુ પામ્યું હતું. સાસુ અને જેઠાણીના વધતાં ઝઘડાના કારણે પતિ અવારનવાર પરિણીતાને માર મારતો હતો. પરિણીતાના સાસુ તાંત્રિક વિધિ જાણતા હોય જેના કારણે પતિ માર મારતો હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો હતો. પરિણીતાને ઓરડીમાં એકલી રહેવા મૂકી દેતા માતા આવીને પિયર લઈ ગઈ હતી. આ પછી પરિણીતા પતિને સાસરે તેડી જવા ફોન કરતી ત્યારે પતિ કહેતો કે તું મારે જોઈતી નથી હું તને તેડવા આવવાનો નથી આથી પરિણીતા થોડો સમય ફઈજી સાસુના દીકરીના સાસરિયામાં રહી બાદ પતિ સાથે ભાડે રહેવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2011માં દીકરીનો જન્મ થયો ત્યારે સાસુ દેખરેખ માટે આવ્યા હતા. પતિ ત્યારે પણ સાસુની વાત ન માની પરિણીતાને માર મારતો હતો. સસરા ગુજરી જતા સાસુના ઘરની બાજુમાં ભાડે રહેવા ગયા હતા. અને વર્ષ 2014માં દીકરાનો જન્મ થયો હતો જે બાદ પતિનો અકસ્માત થતાં સાસુ સાથે રહેવા જતા રહ્યા હતા. વર્ષ 2016માં પરિણીતાને પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થતા તે અંગે પૂછતા મારે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ નથી તેમ જણાવ્યું હતું. પતિનો ત્રાસ સહન ન થતા પરિણીતાએ વર્ષ 2018માં ભરણ પોષણનો કેસ કર્યો હતો કેસ ચાલુ હોવા છતાં પતિએ પોતાનો ત્રાસ ચાલુ રાખ્યો હતો. અને તા.25.08.2023ના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ખાતે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું ત્યારે પણ પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ચાલુ હતા. પરિણીતા બ્રહ્માકુમારી પંથમાં યોગ માટે જતી ત્યારે પતિ પરિણીતા પર ચારિત્ર્યની શંકા કરી તેના મિત્ર પૃથ્વીને જાસુસી કરવા મોકલતો હતો. અવારનવાર શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ ત્રણ વખત માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જો કે અરજી બાદ પણ ત્રાસ વધી જતા પરિણીતાએ અંતે પતિ વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત હવે તેની ખાણી-પીણીની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષા માટે પણ એક નવો રાહ ચીંધી રહ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના સૂચન અને કડક વલણ બાદ સુરતના રેસ્ટોરન્ટ જગતમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ગ્રાહકો જે ખાઈ રહ્યા છે તેની તેમને સચોટ જાણકારી મળે તે હેતુથી હવે રેસ્ટોરન્ટ્સમાં શુદ્ધ દૂધનું પનીર અને એનાલોગ પનીરના અલગ-અલગ બેનરો લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોય તો ગ્રાહકોને જાણ કરવી ફરજિયાતછેલ્લા ઘણા સમયથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સ્થાનિક આરોગ્ય વિભાગને ફરિયાદો મળી રહી હતી કે અનેક રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં પનીરના નામે એનાલોગ પનીર પીરસવામાં આવે છે. એનાલોગ પનીર દેખાવમાં અને સ્વાદમાં શુદ્ધ પનીર જેવું જ લાગે છે, પરંતુ તે દૂધને બદલે વનસ્પતિ તેલ, ફેટ અને મિલ્ક પાવડરના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો કોઈ રેસ્ટોરન્ટ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોય તો તેણે ગ્રાહકોને તેની જાણ કરવી ફરજિયાત છે. સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારના રેસ્ટોરાંમાં બોર્ડ લાગ્યાઆ આદેશના અમલીકરણની સૌથી પહેલી અસર સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જોવા મળી છે. રેલ્વે સ્ટેશન પર આવતા હજારો મુસાફરો અહીંની રેસ્ટોરન્ટ્સમાં ભોજન લેતા હોય છે. સ્ટેશન સ્થિત કેટલીક અગ્રણી રેસ્ટોરન્ટ્સ દ્વારા ગેટ પર અને મેનુ કાર્ડની બાજુમાં મોટા અક્ષરે બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક મોટી રેસ્ટોરન્ટ્સમાં તો બંને પ્રકારના પનીરના વિકલ્પો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. ગ્રાહક પોતાની પસંદગી અને બજેટ મુજબ કયા પનીરની સબ્જી ખાવી છે તે જાતે નક્કી કરી શકે છે. ‘સસ્તું પનીર તેલમાંથી બનાવવામાં આવે અને એ અડધી કિંમતમાં મળે’સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અરુણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, આજે હેલ્થ ડિપાર્ટમેન્ટથી આજે જે ઇન્સ્ટ્રક્શન આવ્યા છે, એમાં એવી રીતે બતાવ્યું છે કે, આ બે પ્રકારના પનીર આવે છે. એક શુદ્ધ દૂધનું બનેલું પનીર જે ડબલ કોસ્ટનું છે અને એક સસ્તું પનીર આવે જે તેલમાંથી બનાવવામાં આવે અને એ અડધી કિંમતમાં મળે. એટલે એ કસ્ટમરનો ચોઇસ છે, બંને લીગલ છે. જે રેસ્ટોરન્ટને જેને જે યુઝ કરવું હોય એ યુઝ કરી શકે, પણ જે શુદ્ધ દૂધનું પનીર યુઝ કરે છે, હું અહીંયા શુદ્ધ દૂધ પનીર વાપરું છું એવી રીતે પોસ્ટર બનાવવું પડશે અને જે એનાલોગ પનીર યુઝ કરે છે, એને 'હું એનાલોગ પનીર યુઝ કરું છું એવી રીતના એ પોસ્ટર લગાવવું પડશે . એનાલોગ પનીર લાંબે ગાળે હેલ્થ માટે બહુ ખરાબતેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે શુદ્ધ દૂધનું પનીર છે એ જરા કોસ્ટલી છે અને જ્યાં પણ તમે ખાશો તો તમને જરા વધારે પૈસા આપવા પડશે. રેસ્ટોરન્ટ જે તમને અસલી પનીર આપશે એ રેટ વધારે રાખશે અને જ્યાં સસ્તું મળે છે ત્યાં એ એનાલોગ પનીર વાપરશે. અને એનાલોગ પનીર લાંબે ગાળે હેલ્થ માટે બહુ ખરાબ છે કારણકે એ તેલથી બને છે અને હાઇડ્રોજનેટેડ ફેટથી બને છે. આ જે એક્સરસાઇઝ છે હેલ્થ ડિપાર્ટમેન્ટનું અને હોટલ એસોસિયેશનનું, એ સરકારની માથે નહીં હોય, તમારે ખુદ જાગૃત બનવું પડશે જે કસ્ટમર છે કે ગ્રાહક છે, એને જાગૃત બનવું પડશે કે ભાઈ હું શું ખાઉં છું. એ એનો ચોઇસ છે, તો સારું ખાશે તો એને હેલ્થ પ્રોબ્લેમ્સ નહીં થાય. સસ્તું ખાશે કે ક્યાંય આ બધું રોડ સાઈડ પર જે મળે છે એ ખાશે તો લાંબે ગાળે એને હેલ્થ પ્રોબ્લેમ્સ થશે. એનાલોગ પનીર અને શુદ્ધ પનીર વચ્ચેનો તફાવત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
દસાડા વિધાનસભા વિસ્તારમાં કુલ 42.5 કિલોમીટરના 13 જેટલા વિવિધ રોડ રસ્તાઓના રિસર્ફેસીંગ કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામો માટે કુલ ₹ 24.17 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નિર્ણયથી દસાડા અને લખતર તાલુકાના વાહનચાલકો તેમજ ગ્રામજનોને સુવિધા મળશે. મંજૂર કરાયેલા આ 13 રસ્તાઓમાંથી 10 રસ્તા દસાડા તાલુકામાં આવેલા છે, જ્યારે બાકીના 3 રસ્તા લખતર તાલુકાના છે. આ રિસર્ફેસીંગ કામોથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને મુસાફરી વધુ સરળ બનશે. દસાડા તાલુકામાં મંજૂર થયેલા મુખ્ય રસ્તાઓમાં મીઠાઘોઢાથી છાવણી સુધીનો 4.5 કિલોમીટરનો રસ્તો ₹ 2.90 કરોડના ખર્ચે, નગવાડાથી ગોકુલનગર સુધીનો 4.5 કિલોમીટરનો રોડ ₹ 3.15 કરોડના ખર્ચે, અને મેરાથી ફતેપુરા સુધીનો 2.5 કિલોમીટરનો રોડ ₹ 1.57 કરોડના ખર્ચે સમાવિષ્ટ છે. આ ઉપરાંત, મેરાથી ધાનેરા સુધીનો 2 કિલોમીટરનો રોડ ₹ 1.60 કરોડના ખર્ચે, નગવાડાથી મુલાડા સુધીનો 3.3 કિલોમીટરનો રોડ ₹ 1.35 કરોડના ખર્ચે, દસાડાથી જિનાલય સુધીનો 1.7 કિલોમીટરનો રોડ ₹ 2.65 કરોડના ખર્ચે અને વણોદથી સુશીયા બાયપાસ સુધીનો 0.8 કિલોમીટરનો રોડ ₹ 40 લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરવામાં આવશે. લખતર તાલુકામાં શિયાણીથી ખજેલી સુધીનો 5 કિલોમીટરનો રોડ ₹ 1.75 કરોડના ખર્ચે, નાની કઠેચીથી ગડથલ સુધીનો 4 કિલોમીટરનો રોડ ₹ 1.50 કરોડના ખર્ચે અને પરનાળાથી કોઠા તલાવડી સુધીનો 6 કિલોમીટરનો રોડ ₹ 2.20 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે. દસાડા તાલુકાના અન્ય મંજૂર થયેલા રસ્તાઓમાં હાથીપુરાથી માલણપુર સુધીનો 4.5 કિલોમીટરનો રોડ ₹ 2.85 કરોડના ખર્ચે, નવરંગપુરાથી હરિપુરા સુધીનો 3 કિલોમીટરનો રોડ ₹ 1.85 કરોડના ખર્ચે અને પોરડાનો 0.7 કિલોમીટરનો અપ્રોચ રોડ ₹ 40 લાખના ખર્ચે સમાવેશ થાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત કરનાર અને અનેક ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવનાર કુશળ રણનીતિકાર અશોક ધોરાજીયા હવે સક્રિય રાજકારણમાં વહીવટી ભૂમિકા ભજવવા તૈયાર છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને જીતની વ્યૂહરચના ઘડનારા ધોરાજીયા પ્રથમ વખત લોક પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ભાજપના કદાવર નેતા અશોક ધોરાજીયાએ નવસારી શહેરની વોર્ડ નંબર 2ની સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તેઓ સૌરાષ્ટ્ર સમાજમાંથી આવતું એક પ્રભાવશાળી નામ છે. સંગઠનમાં તેમની પ્રભાવી કામગીરીની નોંધ પ્રદેશ કક્ષાએ પણ લેવામાં આવી છે. અશોક ધોરાજીયાનો રાજકીય અનુભવ ઘણો બહોળો છે. તેમણે ભૂતકાળમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને વેગ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી તરીકે પક્ષની પકડ મજબૂત કરી છે. નવસારી લોકસભા ચૂંટણી દરમિયાન નવસારી બેઠકના કન્વીનર તરીકે પણ તેમણે જીતની રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ગુજરાતમાં ભાજપને ચૂંટણીઓમાં બહુમતીથી જીત અપાવવામાં અશોક ધોરાજીયાનું નામ મોખરે રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો નવસારી મહાનગરપાલિકામાં ભાજપ બહુમતી મેળવે છે, તો મેયર પદના દાવેદારોમાં અશોક ધોરાજીયાનું નામ પ્રથમ હરોળમાં રહેશે. સંગઠનમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યા બાદ હવે તેઓ વહીવટી પાંખમાં જોડાઈને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સજ્જ થયા છે. નવસારી શહેરના રાજકારણમાં આ એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. લુણાવાડા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
વડતાલગાદીના ભાવિ આચાર્યનો વડોદરામાં સત્સંગ:નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ભક્તોને સંબોધિત કરશે
વડોદરામાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગના શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ અને મહિલા મંડળ – વડતાલ (શાખા: વડોદરા) દ્વારા માસિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્સંગનો મુખ્ય હેતુ આધ્યાત્મિક જાગૃતિ વધારવાનો, સત્સંગ પ્રત્યે શ્રદ્ધા મજબૂત કરવાનો અને યુવા તથા મહિલા મંડળમાં સંસ્કારનો વિકાસ કરવાનો છે. આ સભાનો પ્રારંભ 4 એપ્રિલ, 2026, શનિવારના રોજ સાંજે 5:30 વાગ્યે ન્યૂ માંજલપુર, વડોદરા ખાતે થયો હતો. આ સત્સંગ સભા ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા તથા વડતાલગાદીના આચાર્યઅજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં નાના-મોટા હરિભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. સભા દરમિયાન ભજન-કીર્તન, ધૂન, વચનામૃતનું પઠન અને સંતો તથા વક્તાઓના પ્રેરણાદાયી પ્રવચનો જેવા કાર્યક્રમો યોજાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા હરિભક્તોને આધ્યાત્મિક શાંતિ, સકારાત્મક ઊર્જા અને જીવનમાં સદ્ માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે છે. આવા સત્સંગ કાર્યક્રમો સમાજમાં એકતા, સદભાવ અને ધાર્મિક મૂલ્યોનું સંવર્ધન કરે છે. તે યુવાનોમાં સંસ્કાર, શિસ્ત અને સેવાભાવના ગુણોના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.
મહેસાણા શહેરમાં થોડા વર્ષ અગાઉ સનસનાટી મચાવનાર IELTS પરીક્ષાના પેપર લૂંટ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે. પંજાબના વતની એવા આરોપી કલ્યાણ ઉર્ફે કાજુએ જેલમુક્ત થવા માટે કરેલી અરજી સામે સરકાર પક્ષની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેસન્સ કોર્ટના જજ એસ.બી. ભટ્ટે જામીન ફગાવી દેતો હુકમ કર્યો છે. IELTS પરીક્ષાના પેપરો ભરેલા 3 પાર્સલની લૂંટ ચલાવી હતીમહેસાણાના માલગોડાઉન રોડ પર આવેલ સરદાર પટેલ વેપાર સંકુલમાં આવેલી બ્લૂ ડાર્ટ એક્સપ્રેસની ઓફિસમાં આરોપીઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. આ ટોળકીએ ઓફિસમાં હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવીને IELTS પરીક્ષાના અતિ ગોપનીય પેપરો ભરેલા 3 પાર્સલની લૂંટ ચલાવી હતી. લૂંટની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્કોર્પિયો કારમાં નાસી છૂટ્યા હતા. આ અંગે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે લૂંટ અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકારી વકીલે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરીજામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસ શૈક્ષણિક પરીક્ષાઓની પારદર્શિતા અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર ગુનો છે. આરોપી અન્ય રાજ્યનો હોઈ અને ગુનામાં તેની સક્રિય સંડોવણી જોતા તેને જામીન આપવા ઉચિત નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને લીધી હતી. પરિણામે આરોપી કલ્યાણ ઉર્ફે કાજુની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ ચુકાદાથી પેપર લીક અને લૂંટ જેવા ગંભીર કાવતરામાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ખેડા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ PNG/LPG સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરતના નાગરિકો માટે રાહતના સમાચાર આપતા તેમણે નવી યોજનાઓ અને વહીવટી સુધારાઓની જાહેરાત કરી હતી. 30 જૂન સુધીમાં નવા PNG કનેક્શન પર રૂ.500નું ડિસ્કાઉન્ટ સુરત શહેર આજે ગેસ પાઇપલાઇન નેટવર્કમાં અગ્રેસર છે. બેઠક દરમિયાન અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો પર્યાવરણને અનુકૂળ અને સુરક્ષિત એવા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તરફ વળે તે હેતુથી સરકારે પ્રોત્સાહક યોજના અમલી બનાવી છે. જે ગ્રાહકો 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક PNG કનેક્શન માટે અરજી કરશે, તેમને રૂ. 500નું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટની રકમ ગ્રાહકને કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ તેમના પ્રથમ ગેસ બિલમાં ક્રેડિટ તરીકે પરત મળશે. 45 દિવસના બદલે માત્ર 7 દિવસમાં કનેક્શન મળશે નાગરિકોને ગેસ કનેક્શન મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વહીવટી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી નવું પીએનજી કનેક્શન લેવાની પ્રક્રિયામાં અંદાજે 45 દિવસ જેટલો સમય લાગતો હતો. હવે આ પ્રક્રિયાને ડિજિટલ અને સુવ્યવસ્થિત બનાવીને તેનો સમયગાળો ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નવા મકાનોમાં રહેવા જનારા પરિવારોને મોટી રાહત થશે. 'પેટ્રોલ, ડીઝલ અને ફર્ટિલાઇઝરનો પૂરતો જથ્થો'અવંતિકા સિંઘે સુરતવાસીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર ઓઇલ અને ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. રાજ્યમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ફર્ટિલાઇઝરનો પૂરતો જથ્થો છે. ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ એડવાન્સ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. તેમણે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનની પ્રશંસા કરતા કહ્યું કે, ટીમવર્કના કારણે જ સુરતમાં વિતરણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. PNG કનેક્શનમાં સંસ્થાઓ અને હોસ્પિટલોને અગ્રતાકેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, ગુજરાતમાં PNG કનેક્શનમાં સેવાકીય સંસ્થાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં શાળા-કોલેજો, હોસ્પિટલો અને વૃદ્ધાશ્રમોમાં PNG કનેક્શનની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. કુલ 1805 કોમર્શિયલ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 39 હોસ્પિટલો અને 16 રેલ્વે કેન્ટીનોમાં ગેસ સપ્લાય શરૂ કરવા માટે મંજૂરી અપાઈ છે. ઔદ્યોગિક એકમોની કેન્ટીન અને મેસમાં કામદારો માટે ભોજન બનાવવા ગેસ સિલિન્ડર અને પાઇપલાઇનની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. નાના ગેસ સિલિન્ડરની સુવિધાસામાન્ય અને શ્રમિક વર્ગના લોકોની જરૂરિયાતને ધ્યાને રાખીને HPCL, BPCL અને IOCL જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓના ડીલરો દ્વારા 3 કિલો અને 5 કિલોના નાના ગેસ સિલિન્ડરનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જે સ્થળાંતરિત મજૂરો અથવા નાના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સુરતમાં GSPCના એમ.ડી.ની સમીક્ષા બેઠક આ સમીક્ષા બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી રાખવા અને છેવાડાના માનવી સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મમતા ટોકીઝ પાસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગવતી નગર પ્લોટ નંબર-25માં આવેલા એક્સિસ બેંકના ATM સેન્ટરને નિશાન બનાવી એક અજાણ્યા શખસે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગત તારીખ 30 માર્ચ, 2026ના રોજ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. આરોપી ATMમાંથી રોકડ રકમ કાઢવામાં સફળ રહ્યો ન હતો પરંતુ, તેના તોડફોડના કૃત્યને કારણે બેંકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે બેંકના જવાબદાર કર્મચારી દ્વારા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પથ્થર અને પાઈપથી ATM તોડવાનો પ્રયાસ કર્યોઆ ઘટનાના જે CCTV સામે આવ્યા છે તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપી ATM સેન્ટરની બહારથી એક મોટો અને વજનદાર પથ્થર લઈને અંદર પ્રવેશ કરે છે. આરોપીએ આ પથ્થર પોતાના ખભા પર ઉંચક્યો હતો. એટલું જ નહીં, પથ્થર સિવાય તેની પાસે આશરે 8 ફૂટ લાંબો લોખંડનો પાઇપ અથવા લાકડા જેવી વસ્તુ પણ જોવા મળી હતી. આ હથિયારો વડે તેણે ATM મશીનને તોડવાના તમામ પ્રયત્નો કર્યા હતા. આરોપીએ ખૂબ જ બેરહેમીથી મશીન પર પ્રહારો કર્યા હતા જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બહાર સૂતેલા વ્યક્તિ સાથે વાત કરી અને પછી મચાવી તોડફોડCCTVમાં એક અત્યંત વિચિત્ર દૃશ્ય પણ જોવા મળ્યું છે. જ્યારે આરોપી પથ્થર અને પાઇપ લઈને એટીએમ સેન્ટર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં બહાર એક વ્યક્તિ સૂતો હતો. પથ્થરના વજન અને હિલચાલને કારણે સૂતેલો વ્યક્તિ જાગી ગયો હતો. નવાઈની વાત એ છે કે, આરોપીએ ભાગવાને બદલે ત્યાં હાજર વ્યક્તિ સાથે વાતચીત પણ કરી હતી. જાણે કોઈ જ ડર ન હોય તેમ આરોપીએ પથ્થર સાથે તે વ્યક્તિ પાસે ઉભા રહી સંવાદ કર્યો અને ત્યારબાદ તે સીધો ATM કેબિનની અંદર પ્રવેશ્યો હતો. આ વર્તન સૂચવે છે કે, આરોપી કોઈપણ પ્રકારના ભય વગર આ ગુનાને અંજામ આપવા આવ્યો હતો. સ્ક્રીન, કાર્ડ રીડર અને લોક તોડી નાખ્યાતસ્કર દ્વારા કરવામાં આવેલી આ તોડફોડમાં એક્સિસ બેંકના ATM મશીનને જંગી નુકસાન પહોંચ્યું છે. આરોપીએ ATM મશીનના ઉપરના ભાગે આવેલી ડિસ્પ્લે સ્ક્રીન, પ્રિન્ટર યુનિટ અને કાર્ડ રીડરને સંપૂર્ણપણે તોડી નાખ્યું હતું. આ ઉપરાંત પીપીટી એસેમ્બલી, લોવર હુડ અને મશીનના એસ એન્ડ જી લોકને પણ તોડવાની કોશિશ કરવામાં આવી હતી. બેંકના અંદાજ મુજબ આ તોડફોડને કારણે આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. મશીન સુરક્ષિત હોવાને કારણે અંદર રહેલી રોકડ રકમ બચી ગઈ હતી, પરંતુ ટેકનિકલ સાધનોને ભારે નુકસાન થયું છે. વડોદરાના બેંક કર્મચારીએ લિંબાયત પોલીસમાં નોંધાવી ફરિયાદઆ મામલે વડોદરાના ઉમા વિદ્યાલય પાસે સિદ્ધેશ્વર હેવિટેડમાં રહેતા પ્રદીપ અમરીશભાઈ મકવાણાએ લિંબાયત પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે. પ્રદીપભાઈ એક્સિસ બેંકમાં ફરજ બજાવે છે અને ATM મેઈન્ટેનન્સ તેમજ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ ઘટનાની જાણ થતા જ તેઓ સુરત દોડી આવ્યા હતા અને ATMની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. CCTVના આધારે આરોપીની શોધખોળ શરૂલિંબાયત પોલીસ દ્વારા અત્યારે ATM સેન્ટરના CCTV કબજે કરવામાં આવ્યા છે. પોલીસ ફૂટેજમાં દેખાતા આરોપીના ચહેરાના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કરી રહી છે. આસપાસના રસ્તાઓ પર લાગેલા અન્ય સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી આરોપી કયા રસ્તેથી આવ્યો હતો અને કઈ તરફ ભાગ્યો તેની માહિતી મળી શકે. પોલીસની અલગ-અલગ ટીમો આ વિસ્તારના હિસ્ટ્રીશીટર અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ સ્થાનિક શખ્સનું કામ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. અગાઉના માર્કિંગ બાદ અચાનક નવા માપદંડથી ખોદકામ શરૂ થતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા માર્ગથી આશરે 15 ફૂટ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ માટે યોગ્ય માર્કિંગ પણ કરાયું હતું. આ પ્રક્રિયામાં લગભગ 10 મકાન અને દુકાનધારકોએ સ્વયં પોતાની મિલકતો તોડીને તંત્રને સહકાર આપ્યો હતો. જોકે, આજે અગાઉના માર્કિંગથી આશરે ત્રણ ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરીને જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરાયું હતું. આના કારણે સ્થાનિક રહીશો અને દુકાનધારકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા અથવા તંત્ર પરના દબાણને કારણે નવા માપદંડથી કામગીરી થઈ રહી છે. કામગીરી કરી રહેલા વ્યક્તિ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર ન હોવાનું જણાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
• આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, ગેમિંગ ઉપરાંત GSTના રૂપિયાની પણ આપલે થતી રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી સહીત 15 આરોપીને ઝડપી પાડ્યા બાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની છે જેને અલગ અલગ 7 પેઢી ખોલી હતી જેમાં 80 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા જે ટ્રાન્ઝેક્શન ઉપર રૂપિયા એક લાખના ટ્રાન્ઝેક્શન પર 450 રૂપિયા કમિશન મળતું એટલા કે કુલ 36 લાખનું કમિશન આરોપીએ મેળવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત મુખ્ય આરોપીઓ પૈકી એક હિરેન લીંબાસીયાનું દુબઈ કનેક્શન સામે આવતા તેમના ફર્ધર રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપલે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ એકાઉન્ટ તપાસ અંતર્ગત દેશવ્યાપી 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ રાજકોટ ગ્રામ્યની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં અગાઉ મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયા સહીત 15 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા આ પછી ગઈકાલે વધુ એક આરોપી મનીષ ચોલેરાની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કુલ 1500 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ આ ઉપરાંત પોલીસ તપાસમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ અને GST કૌભાંડની પણ રકમ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મનીષ ચોલેરા દ્વારા શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડિંગ કોર્પોરેશન, વ્રજ એન્ટરપ્રાઈઝ, શ્રી વલ્લભ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, રાધારમણ એન્ટરપ્રાઇઝ સહિતની પેઢીના નામના બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા જે બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં 46 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં 250થી વધુ શંકાસ્પદ એન્ટ્રી મળી આવી છે. જે બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકારની મદદથી આ કેસમાં સીએની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા હાલ તમામ બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ તપાસવામાં આવી રહી છે. જેમાં સાઇબર ફ્રોડને લગતી કેટલા કરોડની રકમ જમા થઈ છે, ગેમિંગ ફંડને લગતી કેટલી રકમ જમા થઈ છે. જીએસટી ચોરીને લઈને કેટલી રકમ જમા થઈ છે. તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈ કેટલી રકમ જમા થઈ છે તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. મનીષ ચોલેરા અગાઉ પકડાઈ ચૂકેલા મનીષ કમાણી અને વિવેક ભાલીયા નામના આરોપીઓના સંપર્કમાં હતો. પોતાની જુદી જુદી પેઢીના બેંક એકાઉન્ટમાં જે રકમ જમા થતી હતી તે રકમમાંથી પોતાનું કમિશન બાદ કરી બાકીની રકમ રોકડમાં પોતાની આગળની ચેનલને ટ્રાન્સફર કરતો હતો. જેમાં રૂપિયા 1 લાખ ઉપર 450 રૂપિયા કમિશન મળતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમ, 80 કરોડ ઉપર આરોપી મનીષને અત્યાર સુધીમાં કુલ 36 લાખથી વધુ રકમનું કમિશન મળ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ કેસમાં હિરેન લીંબાસીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં હિરેન લીંબાસીયા એક વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. તેમજ મોટાભાગે તે દુબઈ બેન્ક કીટ આપવા ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જેલમાં બંધ રહેલા હિરેન લીંબાસીયાની વધુ પૂછપરછ અર્થે કોર્ટમાં ફરધર રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ તેનો કબજો મેળવ્યા બાદ દુબઈ તે કોને મળવા જતો હતો? કોને બેન્ક એકાઉન્ટની કીટ આપતો હતો? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.
નવસારી: સિટી બસ ડ્રાઈવરે રીક્ષા ચાલક પર પાઈપ ઉગામ્યો:વીડિયો વાયરલ થતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
નવસારીમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા એક વૃદ્ધ રિક્ષા ચાલક પર લોખંડના પાઈપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના શહેરની દરજી પંચ વાડી પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવસારી ટાઉન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીની દરજી પંચ વાડી પાસેથી પસાર થતી સિટી બસ અને એક રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. બસ રિક્ષા સાથે સહેજ અડી જતાં બંને ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સિટી બસનો ચાલક મિત હસમુખભાઈ ભલાણી (રહે. જલાલપોર) આવેશમાં આવી ગયો હતો. મિત ભલાણીએ બસમાંથી આશરે એક મીટર લાંબો લોખંડનો પાઈપ કાઢ્યો હતો અને જાહેરમાં વૃદ્ધ રિક્ષા ચાલકને ગાળો આપી હુમલો કરવા દોડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની હિંસક વૃત્તિ જોઈ વૃદ્ધ રિક્ષા ચાલક ગભરાઈ ગયા હતા. સદનસીબે, ત્યાં હાજર રાહદારીઓએ સમયસૂચકતા વાપરી ડ્રાઈવરને અટકાવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લોકોના સમજાવ્યા બાદ ડ્રાઈવર બસ લઈને ત્યાંથી રવાના થયો હતો, પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ નવસારી ટાઉન પોલીસ સક્રિય બની હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ જાહેરમાં હથિયાર રાખવા પર પ્રતિબંધ હોવા છતાં પાઈપ રાખી આતંક મચાવનાર ડ્રાઈવર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મિતભાઈ હસમુખભાઈ ભલાણી (ઉ.વ. 27, રહે. ખોડીયારનગર સોસાયટી, જલાલપોર, નવસારી) ની ધરપકડ કરી છે. પોલીસે આશરે એક મીટર લાંબો લોખંડનો પાઈપ (કિંમત ₹100) જપ્ત કર્યો છે. આ કેસની તપાસ અ.હે.કો. ધરમશીભાઈ જીવરાજભાઈ અને ઘુઘાભાઇ દિનેશભાઇ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. વલસાડ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

28 C