વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ના મુખ્ય સૂત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે આજે નામંજૂર કરી છે. શું છે સમગ્ર મામલો? વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતો અસલમ બોડીયો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ગેંગ બનાવીને શહેરમાં હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ આચરતો હતો. વર્ષ 2021માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અસલમ સહિત તેના 26 સાગરીતોની ધરપકડ કરી હતી.જેલમાંથી પણ નેટવર્ક ચલાવતો હતો પોલીસ અહેવાલ મુજબ, અસલમ બોડીયો જેલમાં હોવા છતાં ત્યાંથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. જેલમાંથી ધાક-ધમકી અને ખંડણી ઉઘરાવવાના ગુનાઓ નોંધાતા તેને વડોદરા જેલમાંથી કચ્છ-ભુજ અને ત્યારબાદ રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ન્યાયિક લડત અને સુપ્રીમ કોર્ટનો નિર્ણયઅગાઉ વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે બે વખત તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આરોપીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જેસીપી નિલેશ જાજડીયા અને ડીસીપી અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલો અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે આજે તા. 18/03/2026ના રોજ અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, રાયોટીંગ અને વિદેશી દારૂ જેવા કુલ 64 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને 10 વખત પાસા (PASA) હેઠળ અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યો છે.
ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયા બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. બુધવારે અઠવા ઝોનની દબાણ હટાવવાની ટીમ ડુમસ ખાતે પહોંચી હતી અને સી-ફેસના સિટીંગ એરિયા નજીક પાળા ઉપર વર્ષોથી જામી ગયેલી ખાણીપીણીની લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની આ અચાનક કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે પાલિકાના કર્મચારીઓએ લારીઓ ઉંચકવાની શરૂઆત કરી, ત્યારે ત્યાં હાજર સ્થાનિક મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. લારીઓ બચાવવા માટે મહિલાઓ આગળ આવી ગઈ હતી અને પાલિકાની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. મહિલાઓએ પાલિકાના કર્મચારીઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો લારી ઉંચકતી વખતે તૂટી જશે તો 25 હજાર રૂપિયા આપવા પડશે.” આ દરમિયાન મહિલાઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડીવાર માટે તંગદિલી વ્યાપી ગઈ હતી. ગેરકાયદે તંબુઓ અને બાંબુનું સામ્રાજ્ય દૂર કરાયુંપાલિકાની ટીમે માત્ર લારીઓ જ નહીં, પરંતુ પાળા ઉપર ગેરકાયદેસર રીતે તાણેલા લાકડાના બાંબુ અને ગ્રીન ચાદરથી બનાવેલા કામચલાઉ તંબુઓ પણ તોડી પાડ્યા હતા. સી-ફેસ પર પ્રવાસીઓની અવરજવર વધતા કેટલાક શખ્સોએ પાળાની ઉપર જ કબજો જમાવી દીધો હતો. પાલિકાએ જેસીબી અને મજૂરોની મદદથી આ તમામ સામગ્રી જપ્ત કરી રસ્તો અને પાળો ખુલ્લો કરાવ્યો હતો, જેથી સહેલાણીઓ સરળતાથી હરી-ફરી શકે. 'અમારી રોજગારીનું શું?' મહિલાઓનો આક્રોશવિરોધ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં લારીઓ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પાલિકાએ અચાનક આવીને લારીઓ હટાવતા તેમની આજીવિકા પર મોટો ફટકો પડ્યો છે. મહિલાઓએ માગ કરી હતી કે અમને અહીંથી હટાવતા પહેલા કોઈ યોગ્ય વિકલ્પ કે અન્ય જગ્યા ફાળવવામાં આવે. લારીઓ જપ્ત થવાથી મોટું આર્થિક નુકસાન જવાની ભીતિ પણ તેઓએ વ્યક્ત કરી હતી. અધિકારીઓનો દાવો: ‘નોટિસ છતાં દબાણ યથાવત હતું’અઠવા ઝોનના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી કોઈ પૂર્વ તૈયારી વગર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા જ તમામ લારીધારકોને મૌખિક અને લેખિતમાં સૂચના આપી દેવામાં આવી હતી કે તેઓ સ્વેચ્છાએ દબાણો હટાવી લે. તેમ છતાં પાલન ન થતા જાહેર હિતમાં અને સુરક્ષાના કારણોસર આ કડક પગલું ભરવું પડ્યું છે. જાહેર સુરક્ષા અને પ્રોજેક્ટની જાળવણી પ્રથમ પ્રાથમિકતાડુમસ સી-ફેસ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે પાળા ઉપર ભીડ જમા થવાથી અકસ્માતનો ભય રહેતો હતો. પાલિકાએ જણાવ્યું કે આ સમગ્ર વિસ્તાર હવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ છે, તેથી અહીં કોઈ પણ પ્રકારનું ગેરકાયદે દબાણ ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં પણ આ રીતે સતત મોનિટરિંગ રાખવામાં આવશે જેથી નવો બનેલો સી-ફેસ સ્વચ્છ અને સુરક્ષિત રહે.
વડોદરામાં ભાવિ આચાર્યની હાજરીમાં ગંગા પૂજન:કનુભાઈ પટેલના યજમાનપદે કાન્હા બંગલોઝ ખાતે ભવ્ય આયોજન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી વડોદરાના માણેજા સ્થિત કાન્હા બંગલોઝ ખાતે દિવ્ય ગંગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન કનુભાઈ અંબાલાલ પટેલના યજમાનપદે સંપન્ન થયું. આ પવિત્ર પ્રસંગે વડતાલથી આચાર્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો અને પાર્ષદો સાથે ઉપસ્થિત રહ્યા હતા. લાલજી મહારાજની દિવ્ય શોભાયાત્રા વોલ્ટેમ્પ કંપની પાસેથી નીકળીને કાર્યક્રમ સ્થળે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શોભાયાત્રા બાદ લાલજી મહારાજના પાવન હસ્તે ગંગા પૂજનની સમાપન વિધિ વિધિવત્ સંપન્ન કરવામાં આવી. ત્યારબાદ લાલજી મહારાજએ ઉપસ્થિત સર્વે હરિભક્તોને અમૃતમય વચનોનું રસપાન કરાવ્યું. તેમણે જણાવ્યું કે શાસ્ત્રોમાં સત્કર્મ અને અસત્કર્મનો વિવેક સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો છે. સત્કર્મથી મનુષ્યની ઉન્નતિ અને કલ્યાણ થાય છે, જ્યારે અસત્કર્મ અધોગતિ તરફ દોરી જાય છે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને અન્ય પવિત્ર ગ્રંથોમાં કર્મમાં જ અટવાઈ જવાને બદલે ધર્મને યથાર્થ રીતે સમજી આત્મકલ્યાણ તરફ આગળ વધવાનું મહત્વ દર્શાવ્યું છે. મહારાજએ ગંગાજીના પૂજનના આધ્યાત્મિક ભાવને સમજાવતા કહ્યું કે પુરાણો અનુસાર, રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટે કઠોર તપસ્યા કરી હતી, જેના પરિણામે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું. તેથી ગંગાજી અનંત જીવોના કલ્યાણનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં તીર્થયાત્રા કરીને આવ્યા બાદ ગંગા પૂજન દ્વારા આ પવિત્ર ઋણ ચૂકવવાનો આધ્યાત્મિક પ્રયાસ કરવામાં આવે છે. ગંગા પૂજન માત્ર એક વિધિ નથી, પરંતુ કૃતજ્ઞતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાનું જીવંત પ્રતીક છે. કનુભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ગંગા પૂજન આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ છે.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી તથા દસ્તાવેજોમાં છેડછાડ મામલે હાઇકોર્ટે અરજદારોની FIR રદ કરવાની માંગણીને ફગાવી દઈ પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે આ તર્કને માન્ય રાખ્યો નથીસુરતના DCB પોલીસ સ્ટેશનમાં 22, ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાયેલી આ ફરિયાદમાં અરજદારો પર 1,900 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ, મની લોન્ડરિંગ અને ફરિયાદીના પરિવારની ખોટી સહીઓ કરી શેરહોલ્ડિંગ ઘટાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અરજદારોએ આ ફરિયાદને દીવાની વિવાદ ગણાવી વિલંબના આધારે રદ કરવા દલીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે આ તર્કને માન્ય રાખ્યો નથી. FSL નો રિપોર્ટ રજૂ કરી સાબિત કર્યું હતું કે દસ્તાવેજો પરની સહીઓ બનાવટી છે આ કેસની વિગતો મુજબ ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, તેમની અને તેમના પરિવારની સહીઓ ખોટી રીતે દસ્તાવેજો પર કરવામાં આવી હતી, જેના કારણે તેમની કંપનીમાં શેરહોલ્ડિંગ 43% થી ઘટીને માત્ર 4% થઈ ગઈ હતી. આ ઉપરાંત ડિરેક્ટર પદના રાજીનામાના પત્રમાં પણ ખોટી સહી હોવાનો દાવો કરાયો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે ગાંધીનગર FSL નો રિપોર્ટ રજૂ કરી સાબિત કર્યું હતું કે દસ્તાવેજો પરની સહીઓ બનાવટી છે અને તે અરજદારો પૈકીના એક રાકેશ ગજેરાએ કરી હોવાનો અભિપ્રાય છે. આ મહત્વના પુરાવાને ધ્યાને રાખીને હાઇકોર્ટે અવલોકન કર્યું કે જ્યારે હસ્તાક્ષર નિષ્ણાતનો રિપોર્ટ અરજદારોની વિરુદ્ધમાં હોય અને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સાબિત થતો હોય ત્યારે તપાસમાં થયેલો વિલંબ ગૌણ બની જાય છે. દસ્તાવેજી છેતરપિંડીના પૂરતા પુરાવા હોવાથી તપાસને અધવચ્ચે અટકાવવી ન્યાયના હિતમાં નથીઅરજદારો વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદીએ આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરી છે, તેમજ અરજદારોનો મેહુલ ચોક્સી સાથે કોઈ ગેરકાયદેસર સંબંધ નથી. જો કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે FSL રિપોર્ટની સચોટતા અને સહીઓ કોણે કરી છે તે ટ્રાયલ દરમિયાન ઉલટતપાસનો વિષય છે. હાલના તબક્કે દસ્તાવેજી છેતરપિંડીના પૂરતા પુરાવા હોવાથી તપાસને અધવચ્ચે અટકાવવી ન્યાયના હિતમાં નથી. આ ચુકાદા સાથે જ હાઈકોર્ટે સ્ટેની માંગણી પણ ફગાવી દીધી છે, જેના કારણે હવે આ ઉદ્યોગપતિઓએ કાયદાકીય તપાસ અને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ત્રણ બુટલેગરો પાસા તળે ધકેલાયા:પોલીસે વોરંટની બજવણી કરી બે ને અમદાવાદ, એકને રાજકોટ જેલમા ધકેલી દીધો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ હેઠળ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પાસા નું શસ્ત્ર ઉગામી અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી મળતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરી તેમને અમદાવાદ અને રાજકોટ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ શખસો વિરૂદ્ધ કડક કાર્યવાહીઆ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ શખસો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્તો જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે મોકલી આપવામાં આવી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તમામ પાસા દરખાસ્ત માન્ય રાખી તમામ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના બુટલેગરો સામે પાસા વોરંટની બજવણી કરી હતી, જેમાં લખન ઉર્ફે લખો જીવરાજભાઇ મકવાણા ઉ.વ.33 રહે.ભાવનગરને (મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ) ખાતે, પારસગીરી ઉર્ફે પીન્ટુ મહેશગીરી ગૌસ્વામી ઉ.વ.37 રહે.જેસર હાલ રહે. વડોદરાને (મધ્યસ્થ જેલ, રાજકોટ) ખાતે તેમજ ભરત છગનભાઇ કનક ઉ.વ.47 રહે. મહુવા હાલ સુરતને (મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ) ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
રાજ્યની સરકારી ITI સંસ્થાઓમાં કુલ 10,655 મંજૂર થયેલ મહેકમ સામે અત્યાર સુધીમાં 6,854 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે હજુ પણ 3,801 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. ખાલી જગ્યાઓના કારણે તાલીમ વ્યવસ્થાપન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. બોટાદ MLA ઉમેશ મકવાણાની વિધાનસભામાં કડક માંગગાંધીનગરમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ આરોગ્ય તથા માર્ગ-મકાન વિભાગની માંગણીઓ પર ચર્ચા કરતાં ખાદ્ય પદાર્થોમાં વધતી ભેળસેળ સામે કડક કાયદાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે દૂધ, દહીં, પનીર અને તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળના કારણે રાજ્યમાં દર વર્ષે લાખથી વધુ કેન્સરના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતા છે. તેથી આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે મિલકત જપ્તી, બુલડોઝર કાર્યવાહી સાથે ફાંસીની સજા જેવી કડક જોગવાઈ ધરાવતું બિલ લાવવાની માંગણી કરી. આ સાથે જ બોટાદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ તાત્કાલિક શરૂ કરવા, પાળીયાદ-લાઠીદડ CHC બિલ્ડિંગ, હડદડમાં સબ-PHC, સોનાવાલા હોસ્પિટલમાં સ્ટાફની ભરતી, નવું સોનોગ્રાફી મશીન તથા ફિઝિયોથેરાપી સેવા શરૂ કરવાની પણ રજૂઆત કરી. માર્ગ સુવિધાઓ અંતર્ગત બોટાદ-લાઠીદડ-કેરિયાનો ઢાળ રોડને ફોરલેન બનાવવા, ભાવનગર રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજ બનાવવા અને નબળી ગુણવત્તાના રોડ કામ કરનાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે ઉઠાવી. PM આવાસ યોજના હેઠળ ₹50 હજાર ટોપ-અપ સહાયવિધાનસભામાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્ય સરકારે 100% સ્ટેટ ટોપ-અપ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીને વધારાના ₹50 હજારની સહાય મળશે. વર્ષ 2016-17થી 2024 દરમિયાન અધૂરા રહેલા અંદાજે 18 હજાર મકાનો પૂર્ણ કરવા માટે ₹90 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે DBT મારફતે સીધા ખાતામાં જમા થશે. PM-JANMAN યોજના હેઠળ કાથોડી, કોડવાળિયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા આદિમજૂથોને આવાસ માટે ₹2 લાખ સહાય આપવામાં આવે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર રાજ્ય કક્ષાનો ‘મિલેટ મહોત્સવ’રાજ્યમાં તા. 21-22 માર્ચે ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’ યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે અમદાવાદમાં 85 અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. મહોત્સવમાં મિલેટ પ્રદર્શન, ફૂડ ફેસ્ટ, એગ્રી-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગસાહસિકોના સ્ટોલ મુખ્ય આકર્ષણ રહેશે. ધારાસભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહીનો આદેશમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ધારાસભ્યો દ્વારા ગૃહમાં કરવામાં આવેલી રજૂઆતો પર તાત્કાલિક કાર્યવાહી કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે નાગરિકોને મુશ્કેલી થાય તેવી નીતિઓમાં સુધારો કરીને વધુ પારદર્શિતા અને ઝડપી ઉકેલ લાવવાનો સરકારનો અભિગમ છે. ચૂંટણી ચર્ચાથી સરકાર ભાગીAAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે વિધાનસભામાં ચૂંટણી મુદ્દે ચર્ચાથી સરકાર ભાગી ગઈ. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ₹240 કરોડ ફાળવાયા છતાં ચર્ચા કરવામાં આવી નથી. MLA ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા અને ગ્રામ્ય વિસ્તારોને વધુ ફંડની જરૂરિયાતનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. વિધાનસભાને બોમ્બ ધમકી મામલે કડક પગલાંની માંગ ઉગ્ર બનીAAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વારંવાર આવી ધમકીઓ મળે છે પરંતુ આરોપીઓ ઝડપાતા નથી. આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પણ તેને ગંભીર ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં 1500થી વધુ સહકારી મંડળીઓનું ઓડિટ બાકી ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે જૂનાગઢ જિલ્લામાં 1500થી વધુ સહકારી મંડળીઓનું ઓડિટ બાકી છે, જેના કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવતો નથી. વિસાવદર અને ભેસાણ વિસ્તારમાં ગેરરીતિઓ વધી રહી હોવાનો આરોપ લગાવી તેમણે ઓડિટ તાત્કાલિક કરવાની માંગ કરી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ‘કડદા’ મુદ્દે સરકાર અજાણ: AAPનો પ્રહારબોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થયેલા ‘કડદા’ મુદ્દે સરકાર અજાણ હોવાનો જવાબ આપતા AAPએ સરકાર પર પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ મુદ્દે આંદોલન, FIR અને પરિપત્ર છતાં સરકાર અજાણ હોવાનો જવાબ આપવો ગંભીર બાબત છે.
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ
Today Gold And Silver Rate : મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ બાદ વિશ્વભરની ચિંતાઓ વધવા છતાં કિંમતી ધાતુઓના ભાવ એક-બે દિવસ છોડીને સતત તૂટી રહ્યા છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સત્ર બુધવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બાવમાં ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલ-પાથલ
'પાકિસ્તાન-ચીન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ ખતરા..', US ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ
Nuclear Threat For America: અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડએ પાકિસ્તાન અને ચીનને અમેરિકા માટે ખતરો ગણાવ્યા છે. તેમણે બુધવાર 18 માર્ચ 2026ના રોજ કહ્યું કે, પાકિસ્તાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સૌથી મોટો પરમાણુ ખતરો ઉભો કરે છે. તેમણે ચીન, ઈરાન, રશિયા અને ઉત્તર કોરિયાને એવા દેશો તરીકે પણ નામિત કર્યા છે, જે એવી ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે જે અમેરિકાને જોખમમાં મૂકી શકે છે. 'પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો' તુલસી ગબાર્ડએ દાવા સાથે કહ્યું કે, 'ગુપ્ત માહિતી પરથી જાણવા મળ્યું છે કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન એવી મિસાઈલ ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ હોય, જેનાથી અમેરિકા આ દેશોની મારક ક્ષમતાના દાયરામાં આવી શકે છે.
વડોદરા શહેરમાં 2 વ્યાજખોરોએ વેપારીને એક કરોડ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 1.41 કરોડ રૂપિયા લીધા બાદ પણ વધુ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ધાક ધમકીઓ આપી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં દિનેશભાઈ નાજાભાઈ પરમાર તથા તેમના સાથીદારો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે તગડું વ્યાજ વસૂલવા, ધમકીઓ આપવા અને હેરાનગતિ કરવાનો આરોપ લાગ્યા છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝઅલી અલજીભાઈ મરેડીયા (ઉંમર 46 વર્ષ) એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે ઈમ્તીયાઝ અલીભાઈએ વર્ષ 2020માં પંચવટી સર્કલ પાસે ઓરા સ્કેર કોમ્પ્લેક્સના પહેલા માળે 'અમો લીઝર એલી રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ' નામની હોટલ ચલાવી હતી. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન દિનેશભાઈ પરમારની માલિકીની હતી, જેને તેમણે ભાડે લીધી હતી. આ કારણે બંને વચ્ચે ઓળખાણ અને મિત્રતાના સંબંધો હતા. વર્ષ ૨૦૨૧થી ધંધાના વિકાસ માટે નાણાની જરૂર પડતાં ઈમ્તીયાઝઅલીભાઈએ દિનેશભાઈ પાસેથી ટુકડે-ટુકડે રોકડ રૂ. 1 કરોડ રૂપિયા 2% માસિક વ્યાજે લીધા હતા. આ સમગ્ર રકમ પર 2% માસિક વ્યાજ લેખે તા. 25/07/2024 સુધીમાં 45.20 લાખ રૂપિયા વ્યાજ રોકડમાં ચૂકવી દીધા છે. વર્ષ 2024ના જૂન-જુલાઈમાં દિનેશભાઈએ મુડીની ઉઘરાણી શરૂ કરી દીધી. ત્યારબાદ પી.એમ. આંગળીયા મારફતે સીધ્ધપુર (ધ્રોલ) ખાતેથી દિપકભાઈને બે વખત રૂ. 30 લાખ કરીને કુલ રૂ. 60 લાખ મોકલ્યા હતા. વધુમાં, તા. 13/03/2025ના રોજ ફરિયાદીની ગેરહાજરીમાં તેમના મોટાભાઈ આબીદઅલી મરેડીયા અને સાળા નઝરમહમદ શેલીયા પાસેથી 35 લાખનું લખાણ કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2025માં એપ્રિલમાં રૂ. 10 લાખ, મે મહિનામાં રૂ. 15 લાખ તથા વધુ રૂ. 11 લાખ જેટલી રકમ ઓનલાઈન/રોકડમાં ચૂકવવામાં આવી હતી. આમ કુલ રૂ. 96 લાખ મુડી અને રૂ. 45.20 લાખ વ્યાજ મળીને રૂ. 1.41 કરોડથી વધુની રકમ ઉઘરાવી લેવાઈ છે. છતાં પણ દિનેશભાઈ પરમાર વધુ વ્યાજની ઉઘરાણી કરતા રહ્યા હતા. તેમણે ધમકીઓ આપી હતી અને ખોટા કેસો કરવાની, પરિવારની સ્ત્રીઓને હેરાન કરવાની તથા બળજબરીથી ચેકો લઈ લેવાની વાત કરી હતી. આ દબાણને કારણે ફરિયાદીએ તેમની ગોરવા ખાતેની હોટલ તથા સલુન સાથે જોડાયેલો સામાન (રૂ. 60 લાખના ખર્ચ સાથે) પણ છોડવો પડ્યો હતો અને હોટલ વેચી નાખવી પડી હતી. હાલમાં પણ દિનેશભાઈ પરમાર (રહે. એ-15, સત્યમ ટેનામેન્ટ, કરોડીયા રોડ, વડોદરા) તથા તેમના સાથી દિપકભાઈ વોટ્સએપ મેસેજ તથા ફોન દ્વારા રૂ. 50,37,324 વ્યાજની માંગણી કરી રહ્યા છે અને પરિવારને હેરાન કરી રહ્યા છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ જિલ્લાના શાપરમાં રહેતી 16 વર્ષની રૂપા કુમારી નામની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાત્રિના સમયે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે દીકરીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થઇ હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે શાપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. સગીરાનો પરિવાર મૂળ બિહારના માધોપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કામ ધંધો બરાબર ન ચાલતા યુવાને ઝેરી દવા પીધી તુષારભાઈ દુર્ગાશંકરભાઈ જોશી (ઉ.વ.36) બપોરે 3.30 વાગ્યા આસપાસ મોરબી રોડ જકાતનાકા પાસે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તુષારભાઈ માધવ મેન પાવર સોલ્યુશનમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને છેલ્લા કેટલાક સમયથી તેઓનું કામકાજ બરાબર ચાલતું ન હોવાથી તેઓ માનસિક ટેન્શનમાં રહેતા હોવાથી તેમને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે હાલ તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
વૈશ્વિક પરિસ્થિતિઓ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે LPG ગેસની સંભવિત અછત અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને રોકવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે એસપી યુવરાજસિંહ જાડેજાએ કડક સૂચનાઓ આપી છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ, પોલીસ અને રેવન્યુ વિભાગે ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કાળાબજારી રોકવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ પર આકસ્મિક વિઝિટ કરવામાં આવશે, જેમાં રેવન્યુ ઓફિસર અને પોલીસ કર્મચારીઓ લિસ્ટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનની તપાસ કરશે. ગેસ સપ્લાયના રૂટમાં કોઈ અડચણ ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. અછત અંગેની અફવાઓ ફેલાવનારા તત્વો પર સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ સતત નજર રાખી રહી છે. આ ઉપરાંત, ઘરગથ્થુ ગેસ કનેક્શનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એસપી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ઘરગથ્થુ ગેસના કોમર્શિયલ ડાયવર્ઝનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની કાળાબજારી કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રએ જનતાને પણ અપીલ કરી છે કે જો ક્યાંય ગેસની કાળાબજારી કે અફવાઓ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી, માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચના આપી હતી, આ ઉપરાંત જિલ્લામાં જ્યાં માર્ગ અકસ્માતોમાં ફેટલ ડેથ નોંધાયાં છે તેવા સ્થળોની સંયુક્ત મુલાકાત લઈ અકસ્માતોના મૂળ કારણોનું વિશ્લેષણ કરી અસરકારક નિવારક પગલાં અમલમાં મુકવા માર્ગદર્શન આપ્યું હતું, બેઠક દરમિયાન નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલી રજૂઆતોની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, આર.ટી.ઓ.અધિકારીએ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરી, માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘ગાર્બેજ ફ્રી સ્ટાર સિટી’ અને ‘વોટર પ્લસ’ સર્ટિફિકેશન અપાવવા માટે કમર કસવામાં આવી છે. આ હેતુથી 03-03-2026ના રોજ સર સયાજી નગર ગૃહ ખાતે એક વિશેષ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ કૃપા બાબુ (IAS) અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 250 થી 300 અધિકારીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં તમામ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર, આઈ.ટી. ડાયરેક્ટર અને વિવિધ વિભાગો જેવા કે સોલિડ વેસ્ટ, ડ્રેનેજ, બિલ્ડિંગ પ્રોજેક્ટ અને ટાઉન પ્લાનિંગના એન્જિનિયરોને સ્વચ્છતાના માપદંડો અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી. વર્કશોપમાં ડોર-ટુ-ડોર કલેક્શન, કચરાનું વર્ગીકરણ (ભીનો-સૂકો કચરો), સેનિટેશન અને નાગરિકોના ફીડબેક જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. 44 નમૂના લેવાયાબીજી તરફ, નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની સૂચના હેઠળ દરબાર ચોકડી, માંજલપુર, ન્યુ સમા રોડ, કારેલીબાગ, અલકાપુરી અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં કુલ 32 એકમો પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મસાલા, દાળ, લોટ, દૂધની બનાવટો અને આઈસ્ક્રીમ સહિત કુલ 44 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ માટે ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં રેસ્ટોરન્ટ, રિટેલર અને હોલસેલરનો સમાવેશ થાય છે. મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર તપાસશહેરના છાણી જકાતનાકા પાસે 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' (મોબાઈલ વાન) દ્વારા 12 જેટલા ફૂડ વેન્ડર્સના ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચા, તેલ અને મરચા જેવા 32 નમૂનાઓનું ચેકિંગ કરી વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા માટે 'શિડ્યુલ-4' મુજબની નોટિસ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી મંદી અને પેમેન્ટની સમસ્યાઓ વચ્ચે એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક મહત્વની સભા યોજવામાં આવી હતી. આ સભામાં વિવર્સોના હિતમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળશે. એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવેથી પેમેન્ટ માટે 45 દિવસના ધારા-ધોરણનું કડક પાલન કરવામાં આવશે અને આ અંગે જાગૃતિ લાવવા માટે શહેરના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં મોટા બેનરો લગાવવામાં આવશે. યાર્નના ભાવવધારા સામે 'કોસ્ટિંગ' વગર ઓર્ડર નહીં લેવા આદેશવૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે યાર્નના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં વિવર્સોને આર્થિક નુકસાનથી બચાવવા માટે પ્રમુખ મયુર ધોળીયાએ જણાવ્યું હતું કે, દરેક વિવરે યાર્નના નવા ભાવ મુજબ ચોકસાઈથી કોસ્ટિંગ કાઢીને જ નવા ઓર્ડર સ્વીકારવા. જો યોગ્ય ભાવ ન મળતા હોય તો ઓર્ડર લેવાને બદલે સ્વેચ્છિક રીતે ફેક્ટરી બંધ રાખવી વધુ હિતાવહ છે, જેથી ખોટનો ધંધો કરવો ન પડે. કાપડના ભાવમાં 25થી 30 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયોકાચા માલના ભાવ વધતા હવે વિવર્સોએ પણ કાપડના તૈયાર તાકા પર ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, યાર્ન મોંઘું થતા ફેબ્રિકમાં 25થી 30 ટકા જેટલો રેટ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. જો વિવર્સો આ ભાવ વધારો નહીં કરે તો મંદીના માહોલમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. આ સાથે જ માર્કેટના વેપારીઓને પણ નવા ભાવ મુજબ જ સોદા કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ચીટર ને ફ્રોડ દલાલોના નામ જાહેર કરી 'બ્લેકલિસ્ટ' કરાશેટેક્સટાઇલ માર્કેટમાં વધતા જતા પેમેન્ટ ફ્રોડના કિસ્સાઓ રોકવા માટે એસોસિએશન હવે આક્રમક મૂડમાં છે. મંદીના સમયમાં વિવર્સોના નાણાં ડૂબાડનાર ચીટર પાર્ટીઓ અને છેતરપિંડી કરતા દલાલોની યાદી તૈયાર કરવામાં આવશે. એસોસિએશન આ તમામ ફ્રોડ તત્વોના નામ જાહેર કરશે જેથી અન્ય વિવર ભાઈઓ ભોગ બનતા બચે. સુરક્ષિત વેપાર માટે પારદર્શિતા લાવવી અત્યંત જરૂરી હોવાનું સભામાં ચર્ચાયું હતું. પેમેન્ટ સોલ્યુશન માટે એડવોકેટની પેનલ તૈયાર કરાશેજે વિવર ભાઈઓના પેમેન્ટ લાંબા સમયથી અટવાયેલા છે, તેમના પ્રશ્નોના નિરાકરણ માટે એસોસિએશન દ્વારા 'પેમેન્ટ સોલ્યુશન કમિટી'ની રચના કરવામાં આવી છે. આ કમિટી પ્રોફેશનલ એડવોકેટ્સ હાયર કરીને કાયદાકીય રીતે ઉઘરાણીની પ્રક્રિયા હાથ ધરશે. મયુર ધોળીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એસોસિએશનમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ, જેથી કોઈ પણ સભ્યના હિતને નુકસાન ન પહોંચે. યાર્નના સોદા ખાઈ જનાર ડીલરો સામે પણ કાર્યવાહી થશેસભામાં ઉપપ્રમુખ અનિલ સવાણીએ યાર્ન ડીલરો અને કંપનીઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે યાર્ન ડીલરો કે કંપનીઓએ સોદા કર્યા બાદ માલ આપ્યો નથી અથવા સોદા 'ખાઈ ગયા' છે, તેમના નામ પણ સાર્વજનિક કરવામાં આવશે. વિવર્સો સાથે અન્યાય કરનાર કોઈપણ પક્ષને છોડવામાં નહીં આવે તેવી ચીમકી એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં શિસ્ત લાવવાનો પ્રયાસએરજેટ વિવર્સ એસોસિએશનના આ કડક વલણથી માર્કેટમાં હલચલ મચી ગઈ છે. 45 દિવસમાં પેમેન્ટની સમયમર્યાદા નક્કી થવાથી નાના વિવર્સોને વર્કિંગ કેપિટલની રાહત રહેશે. એસોસિએશનનું માનવું છે કે જો તમામ વિવર્સ એકતા બતાવીને આ નિયમોનું પાલન કરશે, તો જ સુરતનો કાપડ ઉદ્યોગ વર્તમાન કપરા સમયમાંથી બહાર આવી શકશે. આગામી દિવસોમાં આ નિયમોના અમલીકરણ માટે એસ્ટેટ વાઈઝ મીટિંગો પણ યોજાશે.
સુરતના રાંદેર વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને પોલીસ તરીકે ઓળખાવી મદદના નામે મહિલા સાથે મિત્રતા કેળવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં આરોપીએ બોગ બનનાર મહિલાના અશ્લીલ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ મહિલા પાસેથી સોનાના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રિક બાઈક પણ પડાવી લીધું હતું. રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પ્રકાશ છબલાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો?ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથેના વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જવા નીકળી હતી. મહિલા રસ્તામાં પોલીસ સ્ટેશનનું સરનામું શોધી રહી હતી, ત્યારે રસ્તા પર ફરજ ફજાવતા હોમગાર્ડ જવાન પ્રકાશ હીરાલાલ છબલાણી સાથે તેની મુલાકાત થઈ હતી. પ્રકાશે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે. આ મદદના બહાને તેણે મહિલાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક વધાર્યો હતો. નશાયુક્ત પીણું પીવડાવી હોટલમાં દુષ્કર્મ આચર્યુંઆરોપી પ્રકાશે મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તે બાબતે પતાવટ કરવા માટે રૂપિયાની જરૂર પડશે. આરોપીએ મહિલા પાસેથી 15,000 રૂપિયાની માંગણી કરી તેને પાલ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પ્લાઝા પાસે બોલાવી હતી. ત્યાં આવેલી '7 સ્ટાર' હોટલમાં લઈ જઈ આરોપીએ મહિલાને કોલ્ડ્રિંકમાં કેફી પીણું ભેળવીને પીવડાવી દીધું હતું. મહિલા બેભાન અવસ્થામાં આવતા આરોપી પ્રકાશે તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરતોદુષ્કર્મ આચરતી વખતે આરોપીએ મહિલાના વાંધાજનક વીડિયો ઉતારી લીધા હતા. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે ધમકી આપી હતી કે, જો તે કોઈને કંઈ કહેશે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે અને તેના પરિવારમાં તેની બદનામી કરશે. આ ડરનો લાભ ઉઠાવી આરોપીએ મહિલાને વારંવાર અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપીએ મહિલાના સોનાના દાગીના પણ પડાવી લીધાઆરોપીએ આટલેથી મન ન ભરાતા મહિલા પાસે 12 ગ્રામ સોનાની ચેન, 6 ગ્રામની બુટ્ટી અને 3 સોનાની વીંટીઓ પણ પડાવી લીધી હતી. આ ઉપરાંત મહિલાના નામે મુથૂટ ફાઈનાન્સમાંથી લોન લીધી અને તે પૈસામાંથી 16 ગ્રામની નવી સોનાની ચેન ખરીદ્યા બાદ તે પણ પચાવી પાડી હતી. આ ઉપરાંત આરોપીએ મહિલાને ડરાવી ધમકાવીને એક નવો મોબાઈલ ફોન અને ઓલા ઇલેક્ટ્રિક બાઈક (OLA X1 PRO) પણ છોડાવી હતી. આ બાઇકનું રૂપિયા 30 હજાર મહિલાએ ડાઉન પેમેન્ટ ભર્યું હતું. રાંદેર પોલીસે છટકું ગોઠવી આરોપીને દબોચ્યોઆરોપીની હેરાનગતિ અને આર્થિક શોષણથી કંટાળી અંતે મહિલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રકાશ ખરેખર પોલીસ નથી, પરંતુ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાંદેર પોલીસે આરોપી પ્રકાશને ઝડપી પાડ્યો હતો. મહિલાના નિવેદન-મેડિકલના આધારે કડક કાર્યવાહી કરાશેઆ કેસ અંગે માહિતી આપતા ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ પોલીસની ખોટી ઓળખ આપી મહિલા સાથે છેતરપિંડી કરી છે. મહિલાના નિવેદન અને મેડિકલ પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગીર સોમનાથમાં SOGનો દરોડો, 33 સિલિન્ડર જપ્ત:નાવદ્રા ગામે 6 મહિનાથી ચાલતી ગેસ કાળાબજારીનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં રાંધણ ગેસની કાળાબજારી સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે દરોડો પાડી ગેરકાયદેસર ગેસ સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે SOGના ઈન્ચાર્જ પી.આઈ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતની ટીમે નાવદ્રા ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નિલેશ હીરા સેવરા નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં ગેસના બાટલાનો જથ્થો સંગ્રહ કરીને કાળાબજારી કરતો ઝડપાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા લગભગ છ મહિનાથી ગેસની અછતનો લાભ ઉઠાવી વધુ કિંમતે સિલિન્ડર વેચી રહ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા તે નફાખોરી કરતો હતો, જ્યારે સામાન્ય લોકો ગેસ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે કુલ 33 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. પોલીસે આ ગેસનો પુરવઠો ક્યાંથી મેળવવામાં આવતો હતો, આ પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે કેમ, અને કોને કોને વેચાણ થતું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે જિલ્લામાં કાળાબજારી અને નફાખોરી કરતા તત્વો સામે હવે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોના હક્કનું રક્ષણ કરવા માટે પોલીસ તંત્રનું આ અભિયાન વધુ સઘન બનશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા - RUSA) ઘટક નંબર-11 ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ યોજના અંતર્ગત 'રૂસા અને પીએમ-ઉષા' (PM-USHA) ના સંયુક્ત ઉપક્રમે ‘ભારતીય જ્ઞાન પ્રણાલી’ વિષય પર તા. 17 અને 18 માર્ચ 2026 દરમિયાન યોજાયેલ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ સેમિનારનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રથમ દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. કે. એમ. જોશી દ્વારા બીજરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પૂર્વ કુલપતિ અને વિરમગામની સી.એમ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. નીતિન પેથાણીએ પ્રેરણાદાયી વ્યાખ્યાન રજૂ કર્યું હતું. સેમિનારના બીજા દિવસે દેશની વિવિધ યુનિવર્સિટીઓના તજજ્ઞોએ હાજરી આપી હતી. જેમાં બરેલીની મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટીના પ્રો. આશુતોષ પ્રિયા (સોફ્ટ સ્કિલ ટ્રેનર અને મોટીવેટર) ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વિરેન્દ્રસિંગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. બી. એમ. જાનીએ ભારતીય જ્ઞાન પરંપરા સંદર્ભે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. આ બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ કૉલેજોના અધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક ચર્ચાઓને જીવંત બનાવી હતી. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન અને આયોજન અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ. અશોક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન ડૉ. બીના વાઢિયાએ કર્યું હતું. અંતે તમામ ટેક્નિકલ સત્રો બાદ ડૉ. અશોક ત્રિવેદીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલનું દાઉદી વોરા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા બદલ આ સન્માન અપાયું હતું. તેઓ દરેક સમાજના લોકોના નાના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે જાતે સ્થળ પર હાજર રહીને સમસ્યાઓ ઉકેલે છે.તેઓ વોર્ડ નંબર 9માં તમામ સમાજને સાથે રાખીને કામ કરે છે. અગાઉ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પણ છત્રજીતભાઈ ધાધલનું સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડ 9ના રહીશો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે છત્રજીતભાઈ ધાધલ વિસ્તારના લોકોની કોઈપણ નાની-મોટી સમસ્યા હોય, ત્યાં તાત્કાલિક પહોંચીને તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરે છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા છે. હોસ્પિટલના એક્સ રે વિભાગમાં મહિલા પેશન્ટના છુપી રીતે વીડિયો બનાવાતા હોવાનો આક્ષેપ થયો છે. આ વીડિયો અન્ય કોઈ નહીં પણ ડીન ઓફિસનો ડ્રાઈવર જ બનાવતો હોવાનો આક્ષેપ કરાયો છે. સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ મામલે ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાં લેવા માટે ડીનને જાણ કરી છે. સુપ્રિટેન્ડન્ટે કહ્યું કે, જ્યારે ડ્રાઈવરે વીડિયો બનાવવાની શરૂઆત કરી ત્યારે અમારા ગાર્ડ દ્વારા હોસ્પિટલમાં પોલીસ ટેબલ પર જાણ કરી હતી. 181ને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ દર્દી અને તેના સંબંધીઓએ ડ્રાઈવર સાથે સમાધાન કરી લીધું હતું. ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાં લેવા અમે ડીનને જાણ કરી છે- સુપ્રિટેન્ડન્ટઆ અંગે સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દીપિકા સિંઘલએ જણાવ્યું હતું કે, ઘટના બહુ શરમજનક છે. કારણ કે મહિલાઓની સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતામાં હોય છે. તે સ્ટાફ મેમ્બર હતો એટલે કદાચ અમારાથી ભૂલ થઈ અને અમારા સ્ટાફે તેમને અંદર જવા દીધા. પણ અમારે ત્યાં આ રીતે કોઈને પણ એક્સ-રે રૂમમાં અંદર જવાની પરવાનગી હોતી નથી. દર્દી અને જો દર્દીનો કોઈ એક સંબંધી હોય, બસ એ જ અંદર જઈ શકે છે. પણ આ રીતે જે અમારા સ્ટાફે હરકત કરી છે, કારણ કે આ ડીન ઓફિસનો કર્મચારી છે, કોમ્યુનિટી મેડિસિનની ગાડી ચલાવે છે. તો અમે ડીન ઓફિસને જાણ કરી છે કે તેની સામે જે પણ કડકમાં કડક શિસ્તભંગના પગલાં લઈ શકાય તે લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હરકત અમારા સ્ટાફનો કોઈ પણ વ્યક્તિ કે પછી હોસ્પિટલમાં આવતા અન્ય કોઈ સંબંધીઓ દ્વારા ફરી ન થાય. ડ્રાઈવર સામે આ પહેલા ક્યારેય ફરિયાદ આવી નથી- દીપિકા સિંઘલવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરનું નામ વિષ્ણુભાઈ મકવાણા છે. તે ડીન ઓફિસમાં જે અમારો કોમ્યુનિટી મેડિસિન વિભાગ છે, તેની એક ગાડી છે - બોલેરો, તે ચલાવે છે અને તે અમારો ઘણો જૂનો કર્મચારી છે એટલે અને આ પહેલા તેણે ક્યારેય આવી કોઈ હરકત કરી નથી. તો આ સમયે આવું કેમ થયું? એ અમારા માટે પણ ઘણો વિચારવાનો વિષય છે. અને અમે આવી ઘટનાને જરા પણ સહન નહીં કરીએ અને તેની સામે કડકમાં કડક પગલાં લેવા માટે અમે ડીન મેડમ ને પણ કહ્યું છે. 'ઘટના બાદ પોલીસ આવે તે પહેલા જ દર્દી અને ડ્રાઈવરે સમાધાન કરી લીધું'સુપ્રિટેન્ડન્ટે વધુમાં જણાવ્યું હતું કે,જ્યારે તેમણે (ડ્રાઈવરે) વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમારા ગાર્ડે તેમને સોલાની અમારી પોલીસ ટેબલ પર લઈ ગયા હતા. અમે 181 પર પણ કોલ કર્યો હતો, પરંતુ પોલીસ સુધી પહોંચતા પહેલા જ દર્દી, દર્દીના સબંધી અને ડ્રાઈવર વચ્ચે સમાધાન થઈ ગયું. તેથી મામલો ત્યાં જ પૂરો થઈ ગયો અને તેમણે વાત આગળ વધારી નહીં. પરંતુ અમે પોલીસ ટેબલ પર આ વિશે જાણ કરી હતી. અમે અત્યારે પણ ત્યાં સુરક્ષા જાળવીએ છીએ, પણ હવે અમે સુરક્ષા વધારવાનો પ્રયત્ન કરીશું. અમે સરકાર પાસે વધુ સુરક્ષા સ્ટાફની માંગણી કરીશું. જેથી અમે દર્દીઓને અને જનતાને વધુ સુરક્ષિત સેવાઓ પૂરી પાડી શકીએ. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. સારવાર માટે આવેલા એક દર્દીને ડૉક્ટરે સારવાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, મહિલા ડૉક્ટરે વીડિયો ઉતારતા વ્યક્તિ સાથે હાથચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. અજય ચાવડા નામનો શખસ તેમની બીમાર ભત્રીજીની સારવાર માટે 26 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં આવ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સામાન્ય ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી જિલ્લા પંચાયતનો સંપૂર્ણ વહીવટ કલેક્ટર હસ્તક ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની મુદત ગઈકાલના રોજ પૂર્ણ થતા રાજ્ય સરકારના આદેશ અનુસાર વહીવટદાર તરીકે ભાવનગર કલેક્ટરે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો, હવે આગામી સામાન્ય ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી જિલ્લા પંચાયતનો સંપૂર્ણ વહીવટ કલેક્ટર હસ્તક રહેશે. ચાર્જ સંભાળ્યા બાદ વહીવટદારે સ્પષ્ટતા કરી હતી કે, જિલ્લાના વિકાસલક્ષી કાર્યોમાં કોઈ અવરોધ આવશે નહીં. પંચાયતના રૂટિન વહીવટી કાર્યો અને જનહિતની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જે કામો માટે અગાઉ ચૂંટાયેલા બોર્ડની મંજૂરીની જરૂર પડતી હતી, તેવા મહત્વના નિર્ણયો હવે વહીવટદાર દ્વારા લેવામાં આવશે જેથી લોકહિતના કામો અટકી ન પડે, વિકાસના જે કામો હાલ પ્રક્રિયા હેઠળ છે અથવા પેન્ડિંગ છે, તેમાં ગતિ લાવવામાં આવશે, જિલ્લાના પ્રશ્નો અને તાકીદની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ્યાં પણ ઝડપી નિર્ણયની આવશ્યકતા હશે ત્યાં વહીવટદાર તરીકે સત્તાનો ઉપયોગ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.જિલ્લા પંચાયતનો વહીવટ હવે અધિકારી શાસન હેઠળ આવતા, સરકારી યોજનાઓનું અમલીકરણ અને ગ્રામ્ય સ્તરના વિકાસકાર્યો કંટીન્યુઅસ પ્રોસેસના ભાગરૂપે અવિરત ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પાંચ વર્ષ પૂર્વે યોજાય હતી અને તા.17 માર્ચ-2026ના રોજ ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર મુકવામાં આવ્યા છે, આજથી તા.18 માર્ચથી વહીવટદાર ઠરાવ સહિતની કામગીરી કરશે. સરની કામગીરી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થશે તેમ જણાય રહ્યુ છે, ભાવનગર જિલ્લા પંચાયતમાં કુલ 40 બેઠો છે, હાલ ભાજપ સતામાં છે જયારે વિપક્ષ માં કોંગ્રેસ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના 40 નગરસેવકો હવે પૂર્વ બન્યા..
દમણમાં 20-30% કામદારોનું પલાયન:ગેસ અછત અને ઉનાળુ વેકેશનથી ઉદ્યોગોને અસર
સંઘ પ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તારમાં હાલ બેવડા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ સિલિન્ડરની અછત અને ઉનાળુ વેકેશનના કારણે આશરે 20 થી 30 ટકા કામદારોએ વતન તરફ પ્રયાણ કર્યું છે, જેનાથી ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. સમગ્ર દેશની જેમ દમણમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરપ્રાંતીય કામદારો પાસે સરકારી ગેસ એજન્સીનું રજીસ્ટ્રેશન ન હોવાથી તેઓ 5 કિલોના નાના સિલિન્ડર પ્રાઇવેટમાં કે બ્લેકમાં ઊંચા ભાવે ખરીદીને રસોઈ બનાવતા હતા. હાલ સિલિન્ડર રિફિલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ચાલીઓમાં પરંપરાગત ચૂલાની સુવિધા ન હોવાથી, એકલા રહેતા ઘણા કામદારો રસોઈના અભાવે ફરજિયાતપણે વતન જવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં ઉનાળુ વેકેશન શરૂ થયું છે. પરિવાર સાથે રહેતા કામદારો પણ પોતાના બાળકો અને પરિવાર સાથે સમય વિતાવવા વતન ભણી જઈ રહ્યા છે. આ બેવડી અસરને કારણે ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા 20થી 30 ટકા કામદારોનું પલાયન નોંધાયું છે. કામદારોની આ અછતથી કંપનીઓના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી છે. જોકે, ઉદ્યોગજગતમાં એવી આશા સેવાઈ રહી છે કે આ સમસ્યા ટૂંકા સમય પૂરતી જ રહેશે અને આગામી દિવસોમાં કામદારો પરત ફરતા સ્થિતિ સામાન્ય થઈ જશે.
ભરૂચમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિપૂર્ણ ઉજવણીની અપીલ
ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો અને એ ડીવીઝનના પીઆઈ ડેનિશ ક્રિશ્ચિયન,બી ડિવિઝન પીઆઈ મયૂર રાઠોડ અને સી ડીવીઝન પીઆઈ એન.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ અને હિંદુ સમાજના રામનવમી જેવા આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ બંને સમાજ વચ્ચે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન ડીવાયએસપી સી.કે.પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. ડીવાયએસપી પટેલે વધુમાં જણાવ્યું હતું કે,તહેવારો દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે.તેમણે બંને સમાજના આગેવાનોને પરસ્પર સહકાર આપીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. બેઠકમાં હાજર શાંતિ સમિતિના સભ્યોએ પોલીસ વિભાગને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે શહેરમાં શાંતિ, એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી કલ્પેશ પાટીલ ઝડપાયો:નવસારી LCBએ પાલઘરથી દબોચ્યો, 2 વર્ષથી નાસતો ફરતો હતો
નવસારી LCB પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર મહારાષ્ટ્રના વોન્ટેડ આરોપી કલ્પેશ બબન પાટીલને ઝડપી પાડ્યો છે. તેને પાલઘર જિલ્લામાંથી નેશનલ હાઈવે પરથી પકડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની સૂચના બાદ LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. LCB સ્ટાફ ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 2023થી પ્રોહિબિશનના ગુના (ગુના રજિસ્ટર નં. 11822021230817/2023) માં વોન્ટેડ કલ્પેશ બબન પાટીલ તેના વતન મસરોલી (તા. વિક્રમગઢ, જિ. પાલઘર, મહારાષ્ટ્ર) ખાતે હતો. આ બાતમીના આધારે LCBની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના થઈ હતી. પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ગજાલી હોટલ (મનોર) પાસે વોચ ગોઠવી હતી અને આરોપી કલ્પેશ પાટીલને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી કલ્પેશ પાટીલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 98(૨) અને 81 મુજબ ગુનો નોંધાયેલો છે. LCBએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ તપાસ અને રિમાન્ડની પ્રક્રિયા માટે તેને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
વાંસદા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની અછત હોવાની અફવાઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ફેલાઈ રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે ગેસ સપ્લાય ખોરવાયો હોવાની ચર્ચાએ ગ્રાહકોમાં ચિંતા જગાવી હતી. જોકે, ભાજપના મહામંત્રી અને ગેસ એજન્સીના સંચાલકોએ આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ભાજપના મહામંત્રી લોચન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ગેસ સપ્લાય ઘટ્યો હોવાની વાતો માત્ર અફવા છે. વાંસદા તાલુકાની દૈનિક જરૂરિયાત ૬૦૦ સિલિન્ડરની છે. પરંતુ, અફવાને કારણે ઊભી થયેલી ખોટી માંગને પહોંચી વળવા માટે હાલ HP ગેસ એજન્સી દ્વારા દૈનિક ૯૦૦ સિલિન્ડરનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જેથી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુંજન ગેસ એજન્સીના પ્રોપરાઈટર ભાવિન દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, ગેસ વિતરણ વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી. સરકારે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે નવી OTP સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકે ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ તેમના મોબાઈલ પર એક OTP જનરેટ થશે. સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે ગ્રાહકે આ OTP એજન્સીને આપવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ ગ્રાહકને તુરંત સિલિન્ડર મળી જશે. આ નવી સિસ્ટમનો હેતુ વિતરણ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાનો છે. વિસ્તારમાં અમુક તત્વો દ્વારા એવી પણ અફવા ફેલાવવામાં આવી રહી છે કે ગેસની અછતને કારણે ફરીથી નિર્ધૂમ ચૂલાનો ઉપયોગ કરવો પડશે. આ અંગે લોચન શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે, જ્યારે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ચૂલા વાપરવાની કોઈ જરૂર નથી. તેમણે લોકોને આવી ખોટી વાતોમાં ન આવવા અને સરકાર તથા વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લામાં 40C જેટલા ઊંચા તાપમાન બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ અને પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે વરસાદ ખાબકતા રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બગસરા અને વડિયામાં કરા સાથે માવઠું વડિયા શહેર સહિત આસપાસના મોરવાડા અને બાંટવા દેવળી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. દિવસભર અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણ બાદ સાંજે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, બગસરા શહેરમાં કરા સાથે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બગસરા પંથકના શાપર અને સુડાવડ જેવા ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતી પાકો પર જોખમ હવામાન વિભાગે અગાઉ જ માવઠાની આગાહી કરી હતી, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ છે. હાલ ખેતરોમાં ઘઉં, જીરું અને ચણા જેવા રવિ પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીની અવસ્થાએ છે. આવા સમયે કરા અને વરસાદ પડવાથી પાક પલળી જવાની તથા ખરી જવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતોની સ્થિતિ વરસાદી માહોલને જોતા ખેડૂતો તૈયાર પાકને બચાવવા માટે યુદ્ધના ધોરણે લણણી કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોતરાયા છે. ગરમીમાં રાહત, પણ આર્થિક નુકસાનનો ડર જોકે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ જગતનો તાત આર્થિક નુકસાનની ભીતિથી ચિંતિત છે. કમોસમી વરસાદની આ સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તેના પર અત્યારે સૌની નજર ટકેલી છે.
અમદાવાદના નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જ્યારે બીજા બનાવમાં નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ત્રીજા બનાવમાં એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેનાં મોત થયા છે. નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય,આરોપીની ધરપકડનારણપુરા રહેતી 57 વર્ષીય મહિલા કચરા પોતાનું કામ કરે છે. તેમની 30 વર્ષીય દીકરી માનસિક અસ્વસ્થ હોવાથી માતા-પિતા અને સંતાનો સાથે રહે છે. 16 માર્ચે સગીર બાળક રડતા રડતા ઘરે આવ્યો હતો. જેથી તેને પૂછતા ઘરની સામે રહેતો આરોપી ફુગ્ગો અપાવવાના બહાને ઘરે લઈ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનું જણાવ્યુ હતું. ઘટનાના કારણે બાળક ડરી જતા તેને તાવ પણ આવી ગયો હતો. નારણપુરા પોલીસે ગુનો નોંધી 27 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યોનારણપુરાના પ્રગિતનગર ફ્લેટમાં રહેતા ભુષણભાઇ વૈષ્ણવ ઘરે હતાં. ત્યારે કેટલાક શખ્સોએ આવીને તેમની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આ શખ્સોએ પાડોશી જયશ્રીબેન ભટ્ટીના ઘરની બહાર પણ તોડફોડ કરીને હેતલને બહાર કાઢો તેમ કહીને ધમકાવ્યા હતાં. પાંચ આરોપીની ધરપકડ સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સંજય વોરા, ગોવિંદ રાજપૂત, રવિ પાટીલ, ગોવિંદ બાવરી અને રોહન રાવતની ધરપકડ કરી છે.પકડાયેલા પાંચ પૈકી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બે નાં મોતવડોદરામાં રહેતા રસીકભાઇ જોશી પરિવારના સભ્યો સાથે મહેસાણા ખાતે બેસણાંમાં ગયા હતા. ત્યાંથી વડોદરા પરત જતી વખતે ગાડી બગડતા ડ્રાઇવર વૈભવ બાગુલે એક્સપ્રેસ હાઇવે પર પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગાડી ઉભી રાખી હતી. તે સમયે અન્ય કારનો ડ્રાઇવર પણ મદદ માટે ઉભો રહ્યો હતો. આઇસર ચાલકે પુરઝડપે આવીને ટક્કર મારી હતીબંને ગાડીમાંથી સામાન બહાર કાઢતા હતા ત્યારે એક આઇસર ચાલકે પુરઝડપે આવીને ટક્કર મારતા ડ્રાઇવર વૈભવ બાગુલે અને શંકર ગોખલેનું સ્થળ પર મોત નિપજ્યુ હતું. વિવેકાનંદનગર પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ KFCમાં ફૂડ વિભાગની તપાસ:અધૂરા રાંધેલા ખોરાકના વાયરલ વીડિયો બાદ કાર્યવાહી
વલસાડના રોલા ડુંગરી ખાતે આવેલા કેએફસી (KFC) રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અધૂરા રાંધેલા ખોરાકના વેચાણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે, વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર. વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કુ. બી.કે. પટેલ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ KFCમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, 'હોટ એન્ડ ક્રિપ્સી ચીકન બકેટ' અને 'અમેરિકન ક્લાસિક ઝિન્જર ચીકન બર્ગર'ના નમૂના લેવામાં આવ્યા હતા. લેવાયેલા નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલના રિપોર્ટ્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે રેસ્ટોરન્ટમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવી રહી હતી.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસારણ અને હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં ખાવાપીવાની ચીજ વસ્તુઓમાં ગુણવત્તા જળવાતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા તેલની માત્રા તપાસ કરવામાં આવી હતી. નવા નરોડા વિસ્તારમાં આવેલા મેક ડોનલ્સ, સતાધાર ચાર રસ્તા પર આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા, જોધપુરમાં બાલાજી વેફર્સ, સરખેજમાં બીએલજી નમકીન અને ઠક્કરબાપા નગરમાં ભેરુનાથ મેવાડ ચવાણા ભંડારમાં જેમાં નિયત કરતા વધુ પ્રમાણમાં માત્રા મળી આવી હતી. તમામ પાસેથી 15થી 20 હજારનો દંડ વસૂલ કરાયો હતો, જ્યારે બાલાજી વેફરમાં અનહાઇજેનીક કન્ડિશન હોવાને લઈને તેને સીલ કરવામાં આવ્યું છે. 1 માર્ચથી 17 માર્ચ સુધીમાં 108 સેમ્પલ લીધાAMC ફુડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઉત્પાદન કરતા ઓના ત્યાંથી ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. 1 માર્ચથી 17 માર્ચ સુધીમાં ફુડ વિભાગની ટીમ દ્વારા 108 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. 867 દુકાનો અને એકમોનું ચેકિંગ કરાયુંશહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દુકાનોમાંથી 443 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. બેસન, લોટ, રાઈસ, અનાજના 68, મસાલાના 66, ખાદ્યતેલના 26, પનીરના 34, ઠંડાપીણાના 28, અન્ય 165 મળી 443 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. 867 જેટલી દુકાનો- એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. 330 જેટલી નોટિસ આપીને 4.70 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ગોધરામાં ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત:ખાણ ખનીજ વિભાગે બે ટ્રક, એક જેસીબી પકડ્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબા પંડ્યા પુરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતી બે ટ્રક અને એક જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગને ટીંબા પંડ્યા પુરા વિસ્તારમાં આવેલી અશોક કોરી પાસે બ્લેક ટ્રેપ પથ્થરના ગેરકાયદેસર વહન અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ વગર પાસ-પરમિટ કે રોયલ્ટી ભર્યા વિના ખનીજ ભરીને જતા વાહનોને આંતર્યા હતા. વાહનચાલકો સંતોષકારક દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આથી, ખાણ ખનીજ વિભાગે બંને ટ્રક અને જેસીબી મશીન સીઝ કરી કુલ 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગેરકાયદેસર ખનીજ વહન કરનારા તત્વો વિરુદ્ધ ખાણ ખનીજ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ સપાટાભેર કાર્યવાહીને કારણે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લૂંટ ચલાવતી ભાવનગરની ગેંગનો દેવભૂમિ દ્વારકા પોલીસ અને LCBએ પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પકડાયેલા બે આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ધતુરાના બીજનો પાવડર ભેળવી બનાવતા બેભાનપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ શ્રદ્ધાળુઓ સાથે સમાન જ્ઞાતિની હોવાનું કહી ઓળખાણ વધારતા અને વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ ગરમીનું બહાનું કાઢી શેરડીના રસ અથવા ઠંડા પીણામાં ધતુરાના બીજનો ઝેરી પાવડર ભેળવી પીવડાવતા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આસપાસના વિસ્તારમાંથી ધતુરાના ફળ તોડી, તેના બીજને કચડી પાવડર તૈયાર કરતા હતા. નશીલું પીણું પીધા બાદ શ્રદ્ધાળુઓ બેભાન થતા જ તેમને દ્વારકા લાઈટ હાઉસના પાછળના ભાગે લઈ જઈ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ જતા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસતપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે: કાળુ અમરસી વાઘેલા: આ શખ્સ સામે અગાઉ ભાવનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કુલ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા: આ આરોપી સામે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાયેલા છે. મુદ્દામાલ અને પોલીસ કામગીરીપોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી કુલ 3,14,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી LCB PI બી.જે. સરવૈયા, PSI બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની અપીલધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓએ અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં કે તેમની પાસેથી કોઈ ખાદ્ય પદાર્થ અથવા પીણું સ્વીકારવામાં સાવચેતી રાખવી જોઈએ.
વડોદરા શહેરમાં ગત 14 માર્ચના રોજ સમી સાંજે કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. વાળંદને બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા આરોપીએ જ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી યુવકનું કાસળ કાઢ્યું હતું. આ મામલે કપુરાઈ પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમ્યાન આજે આરોપીનું હત્યા સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. હત્યાર કરનારનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો લંગડાતો ચાલ્યોઆ હત્યામાં આરોપી કિરણ જશુભાઈ ચાવડા (ઉં.વ. 41, ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ) હાલ પોલીસ કસ્ટડીમાં છે એના રિમાન્ડ દરમ્યાન આજે હત્યા સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને હત્યા સ્થળે હાથમાં હાથકડી પહેરાવી લઈ ગઈ હતી ત્યારે આરોપી લંગડાતો જોવા મળ્યો હતો. કપુરાઈ પોલીસે હત્યા સ્થળેથી ચાકુ અને ચપ્પલ સહિત હત્યામાં ઉપયોગી મુદ્દામાલ કબજે કર્યો છે. કરિયાણાના દુકાનદારે બાજુના દુકાનના વાળંદની હત્યા કરીવડોદર શહેર નજીક અને કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જી.ઈ.બી.ની બાજુમાં આવેલા ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગની દુકાન પાસે કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મિતેશકુમાર રમણભાઈ વાળંદ (ઉંમર 36 વર્ષ) તરીકે થઈ હતી. આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છેઆરોપીએ મૃતકને તીક્ષ્ણ હથિયાર વડે મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મૃતક મૂળ ભરૂચ જિલ્લાના માતરનો વતની હતો. આ હત્યાની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વ્યવસ્થાપન અને વાણિજ્ય વિદ્યાશાખા તથા માહિતી, સંચાર અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા દ્વારા એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી અને આઈએફએસસી: યુવાનો માટે ઉત્તમ કારકિર્દી તકો તરફ એક પગલું વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય નિષ્ણાત તરીકે પ્રદિપ કે. મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ભારતના બદલાતા નાણાકીય લેન્ડસ્કેપ વિશે ઊંડાણપૂર્વક માહિતગાર કર્યા હતા. નાણાકીય ક્ષેત્રના પરિવર્તનો અને ગિફ્ટ સિટીનો હેતુવ્યાખ્યાન દરમિયાન પ્રદિપ કે. મોદીએ ગિફ્ટ સિટી અને IFSC (International Financial Services Centre) ની સ્થાપના પાછળના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે ભારતને વૈશ્વિક નાણાકીય નકશા પર મજબૂત કરવા માટે આ પ્રોજેક્ટ કેટલો અનિવાર્ય છે. ખાસ કરીને મૂડીબજારમાં આવેલા ક્રાંતિકારી ફેરફારો અને ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, તે અંગે તેમણે તકનીકી સમજ પૂરી પાડી હતી. નવીન ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકોયુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલતા ક્ષેત્રો જેવા કે વીમા અને પુનર્વીમા (Re-insurance), બુલિયન એક્સચેન્જ અને ફિનટેક અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતે જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી અને ફાયનાન્સના સમન્વયથી આગામી સમયમાં પ્રોફેશનલ્સ માટે અનેક તકો ઊભી થશે. સંવાદ અને જિજ્ઞાસાનું સમાધાનકાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ગિફ્ટ સિટીમાં પ્રવેશ અને જરૂરી કૌશલ્યો વિશે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેનું પ્રદિપ કે. મોદીએ સરળ શૈલીમાં સમાધાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હાજરી આપીને માહિતીપ્રદ સત્રનો લાભ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી સામે જિલ્લા તંત્રએ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગે અનેક સ્થળોએ આકસ્મિક દરોડા પાડી ગેરરીતિઓ સામે દંડાત્મક પગલાં લીધા છે. આ ઝુંબેશ અંતર્ગત, પુરવઠા વિભાગની ટીમોએ જિલ્લાની 48 હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમોમાં તાબડતોબ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, 21 ગેસ એજન્સીઓ અને ગોડાઉનોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરતાં 06 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. કુલ ₹4.17 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર સંગ્રહખોરી તરફ ઈશારો કરે છે. તંત્ર દ્વારા ખાસ કરીને વ્યાપારી ઉપયોગ માટેના ગેસ સિલિન્ડરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ ઘરેલુ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો હોવાની શંકાને આધારે સ્થળ પર જ ચકાસણી કરાઈ હતી. હોટલ સંચાલકો નિયમ મુજબ ગેસનો ઉપયોગ કરે છે કે નહીં અને ગેરકાયદેસર રીતે વધારાનો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલપીજી ગોડાઉનોમાં પણ સ્ટોક રજિસ્ટર અને વાસ્તવિક જથ્થા વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની સઘન ચકાસણી કરાઈ હતી. જ્યાં પણ વિસંગતતા જણાઈ, ત્યાં તંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેસ સિલિન્ડરના ગેરવપરાશ, સંગ્રહખોરી કે નિયમોના ભંગ સામે હવે કોઈ છૂટછાટ નહીં અપાય. દરેક ગેસ એજન્સી પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસની નિમણૂક કરીને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું છે કે આ અભિયાન હવે નિયમિત બનાવવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી થવાની સંભાવના છે. તંત્રના આ આક્રમક અભિગમથી ગેસ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.
બોટાદના પાળીયાદ રોડ પર આવેલા નિરામય હોમિયો કેરના ડોક્ટર જીગ્નેશ હડીયલે એક જરૂરિયાતમંદ દર્દીને બે વર્ષ સુધી મફત સારવાર આપી છે. આ સારવારના પરિણામે દર્દીને ચામડીના ગંભીર રોગમાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે. મૂળ બુબાવાવ ગામના અને હાલ બોટાદમાં રહેતા શ્રુતિબેન અરવિંદભાઈ ચામડીની ગંભીર બીમારીથી પીડાતા હતા. હીરા ઉદ્યોગમાં કાર્યરત હોવાને કારણે આર્થિક મંદીના કારણે તેઓ સારવારનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ ન હતા. પૂરતી સારવારના અભાવે તેમનો રોગ આખા શરીરમાં ફેલાઈ રહ્યો હતો. દર્દીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડોક્ટર જીગ્નેશ હડીયલે તેમને સંપૂર્ણપણે મફત સારવાર આપવાનું નક્કી કર્યું. આ સારવાર સતત બે વર્ષ સુધી ચાલી હતી. બે વર્ષની સતત સારવાર બાદ, શ્રુતિબેનને તેમની ચામડીની ગંભીર બીમારીમાંથી સંપૂર્ણપણે રાહત મળી છે અને તેઓ સ્વસ્થ બન્યા છે. ડોક્ટર હડીયલે અગાઉ કોરોના મહામારી દરમિયાન પણ લગભગ દોઢ મહિના સુધી મફત સેવાઓ આપી હતી. તેમને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય ક્ષેત્રે તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ઓપરેશન વિના પથરી કાઢવાના સાત વિશ્વ રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. ડોક્ટર હડીયલ દર્દીઓની સેવાને પ્રાથમિકતા આપે છે અને તેમનો મુખ્ય પુરસ્કાર દર્દીઓનો વિશ્વાસ તથા કૃતજ્ઞતા માને છે.
રાજકોટ રેન્જમાં થતી ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સૌરાષ્ટ્રભરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આપવામાં આવેલ સૂચના આધારે રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનમાં કુલ 19 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પાલીતાણાના કુખ્યાત તસ્કર રણજીત ઉર્ફે બોડીયો અને તેની ગેંગના 18 શખ્સોએ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં 80 ચોરીના ગુના સહિત લૂંટ, દુષ્કર્મ, દારૂ, જીવલેણ અકસ્માત સહિત 92 ગુનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી છે જયારે 4 આરોપી જેલમાં છે જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સો ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય સહીત સૌરાષ્ટ્રભરમાં દિવસ રાત બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા 19 શખ્સો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે ચાર આરોપી જેલમાં બંધ છે જેનો કબ્જો મેપવી તેની ધરપકડ કરવામાં આવશે તેમજ મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણિયો પરમાર જે મૂળ પાલીતાણાનો રહેવાસી છે જેના વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાઈ ચુક્યા છે જે ફરાર હોવાથી તેની અને બાકીના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રણજીત બોડીયા ગેંગના 19 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 92 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં ચોરી, લૂંટ, દુષ્કર્મ, ગેંગ કેસ અને પ્રોહિબિશનના કેસનો સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી ભયલુ વાઘેલા, મનજી ઉર્ફે બાટલી ડાભી, વિપુલ વણોદીયા, અશોક સોલંકી, જગદીશ ઉર્ફે કાળીયો ચૌહાણ, ભરત ઉર્ફે બોડિયો પરમાર, રાજુ ઉર્ફે ભાણો પરમાર, નરેશ કારડીયા અજિત ઉર્ફે ટીહલો, અર્જુન વાઘેલા અને હીરા ઉર્ફે નાનો સાથળીયાની ધરપકડ કરી છે જયારે આરોપી દિનેશ વાઘેલા, મનજી ઉર્ફે લાલો વાઘેલા, મુકેશ ઉર્ફે ભૂપો ઉર્ફે ભગો સોલંકી અને ભરત ઉર્ફે પથુ વાઘેલા જેલમાં બંધ હોય જેથી તેનો કબ્જો મેળવી ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડીયો પરમાર, સંજય ઉર્ફે સી જે વાઘેલા, અજય ઉર્ફે બોડિયો ઝાપડિયા અને સંજય સોલંકી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી રણજીત બોડીયા વિરુધ્ધ 45 ગુના, ભયલુ વાઘેલા વિરુધ્ધ 7 ગુના, મનજી ઉર્ફે બાટલી ડાભી વિરુધ્ધ 21 ગુના, વિપુલ વણોદીયા વિરુધ્ધ 14 ગુના, અશોક સોલંકી વિરુધ્ધ 14 ગુના, જગદીશ ઉર્ફે કાળીયો ચૌહાણ વિરુધ્ધ 6 ગુના, ભરત ઉર્ફે બોડિયો પરમાર વિરુધ્ધ 18 ગુના, રાજુ ઉર્ફે ભાણો પરમાર વિરુધ્ધ 6 ગુના, નરેશ કારડીયા અજિત ઉર્ફે ટીહલો વિરુધ્ધ 8 ગુના, અર્જુન વાઘેલા વિરુધ્ધ 4 ગુના, હીરા ઉર્ફે નાનો સાથળીયા વિરુધ્ધ 4 ગુના, દિનેશ વાઘેલા વિરુધ્ધ 5 ગુના, મનજી ઉર્ફે લાલો વાઘેલા વિરુધ્ધ 8 ગુના, મુકેશ ઉર્ફે ભૂપો ઉર્ફે ભગો સોલંકી વિરુધ્ધ 31 ગુના, ભરત ઉર્ફે પથુ વાઘેલા વિરુધ્ધ 32 ગુના, સંજય ઉર્ફે સી જે વાઘેલા વિરુધ્ધ 8 ગુના, અજય ઉર્ફે બોડિયો ઝાપડિયા 20 ગુના અને સંજય સોલંકી વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 14, ભાવનગરમાં 27, અમરેલીમાં 11, બોટાદમાં 19, જૂનાગઢમાં 3, ગીરસોમનાથમાં 4, દ્વારકામાં 2, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 1 અને અમદાવાદ ગ્રામ્યમાં 1 મળી કુલ 92 ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં 35 દિવસની ઘરફોડ ચોરી, 32 રાત્રિની ઘરફોડ ચોરી, 13 અન્ય ચોરી, 1 લૂંટ, 1 દુષ્કર્મ, 5 ગેંગકેસ, ફેટલ અકસ્માત 1 અને પ્રોહીબીશનના 1 ગુનાનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી નાબૂદ કરવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાળમજૂરી સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી. બેઠક દરમિયાન, ગત વર્ષ દરમિયાન હાથ ધરાયેલી બાળમજૂરી વિરોધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જેમાં વિવિધ સ્થળોએ કરાયેલી રેડ, માલિકો સામે નોંધાયેલા ગુનાઓ અને વસૂલવામાં આવેલા દંડ અંગે વિગતવાર ચર્ચા થઈ. કલેક્ટર ઉપાધ્યાયે જણાવ્યું કે, બાળમજૂરી એક ગંભીર સામાજિક સમસ્યા છે અને તેને મૂળમાંથી નાબૂદ કરવા માટે તંત્રએ સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. કલેક્ટરે જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારોમાં બાળમજૂરીની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવાની કડક સૂચનાઓ આપી. ખાસ કરીને સટ્ટાબજાર, પ્રભાસપાટણ અને હાટ બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં સંયુક્ત ટીમો દ્વારા નિયમિત ચકાસણી હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત, સ્ટ્રીટ ફૂડ ઝોન, બાંધકામ સાઈટો, ફિશરીઝ ઉદ્યોગ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રોમાં બાળમજૂરીની સંભાવના વધુ હોય તેવા વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ ચલાવવા સૂચના આપવામાં આવી. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. આથી, જનજાગૃતિ અભિયાનને પણ તેજ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, શ્રમ અધિકારી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી સામે હવે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી રહી છે. તંત્ર આ મુદ્દે કડક અને સતત કામગીરી કરવા પ્રતિબદ્ધ છે.
આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઈને આજે હિંમતનગરના હરસિદ્ધિ માતાજી મંદિરે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરને રોશની અને વિવિધ શણગારથી સુશોભિત કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ માટેની અન્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. આવતીકાલે સવારે શુભ મુહૂર્તમાં માંડવીનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે. આ વિધિ હિંમતનગરના હરસિદ્ધિ માતાજી મંદિરે તેમજ સિવિલ સામે આવેલા વાઘેલાવાસમાં યોજાશે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામે પાર્લર ચલાવતા અને અનુસૂચિત જાતિના આધેડ વેપારીને કેશરપુરા સામાજિક બહિષ્કારની ફરિયાદ પાછી ખેંચવા બાબતે ધાકધમકી આપી જાતિવિષયક અપમાનિત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઈ છે. રાજકીય વગ ધરાવતા શખ્સે વેપારીને જાનથી મારી નાખવાની અને ધંધો બગાડી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ સતલાસણાના વાવ ગામે રહેતા અને 'જય અંબે શક્તિ પાર્લર' ચલાવતા કાનજીભાઈ રણછોડભાઈ સેનમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત ફેબ્રુઆરી માસમાં કેશરપુરા ગામે તેમના ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યોઆ મામલે કેશરપુરાના નરેશજી દશરથજી ઠાકોરે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.જેના પગલે કાનજીભાઈએ અગાઉ પોલીસમાં અરજી આપી હતી. 'અરજી પાછી ખેંચી લે, નહીંતર જાનથી મારી નાખીશ'ગઈ 11 માર્ચ 2026ના રોજ કાનજીભાઈ પોતાના પાર્લર પર હાજર હતા ત્યારે સરતાનપુરના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં આવ્યા હતા. તેમણે કાનજીભાઈ પર ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે,'તેં કેશરપુરાના નરેશજી વિરુદ્ધ જે અરજી આપી છે તે પાછી ખેંચી લે, નહીંતર તને જાનથી મારી નાખીશ.' આરોપીએ પોતાની રાજકીય ઓળખ આપી ધમકાવતા કહ્યું હતું કે તે ભાજપનો પ્રમુખ છે અને કાનજીભાઈનો ધંધો બગાડી નાખશે તેમજ કોઈ ખોટા કેસમાં ફસાવી દેશે. જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યાવધુમાં આરોપીએ ફરિયાદીને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને સોશિયલ મીડિયા કે અગ્રણીઓ સાથે મળીને ન્યાય માટેના પ્રયાસો બંધ કરવા દબાણ કર્યું હતું. એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધાયોઆ ઘટના બાદ કાનજીભાઈએ પરિવાર સાથે વિચાર-વિમર્શ કરી સતલાસણા પોલીસ મથકે વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમથી પ્રેરણા લઈને ગામના એક નાગરિકે તમાકુ છોડવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમની પહેલ ગામના નિવૃત્ત પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર દવે દ્વારા તેમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવી હતી. તેમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ અને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત 'મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકુ મુક્ત શાળા'ના સંકલ્પ સાથે આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલે બાળકોને વ્યસનોથી થતા શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા અને પરિવારમાં વ્યસનીને મદદ કરવા અંગે સમજાવ્યું. આ પ્રસંગે અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ અને આયુષ્યમાન મંદિર ચંદ્રુમાણાના મહેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'મારી શાળા વ્યસનમુક્ત શાળા, મારો પરિવાર વ્યસનમુક્ત પરિવાર, મારો પરિવાર સ્વસ્થ પરિવાર'નું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમના અંતે સૌએ નશામુક્તિના શપથ લીધા હતા. ડૉ. રાજેન્દ્ર દવેએ કાર્યક્રમમાં હાજર સૌ બાળકો અને મહેમાનોને નાસ્તો કરાવ્યો હતો. તેમણે પણ તમાકુનું સેવન નહી કરવાનો સંકલ્પ કર્યો હતો, જે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું હતું.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ થવાની તૈયારીમાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની સંગઠન વ્યવસ્થાને અત્યારથી જ વેગવંતી બનાવી દીધી છે. કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રદેશ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયાની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી માઇક્રોપ્લાનિંગ અને વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બુથ સ્તર સુધીનું માઇક્રોપ્લાનિંગ અને વિઝનરી નેતૃત્વબેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપા પાસે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું વિઝનરી નેતૃત્વ છે. તેમણે જિલ્લા, મહાનગર, મંડલ અને છેક બુથ સ્તર સુધી સંગઠન વ્યવસ્થાને સુદ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો અને સ્થાનિક પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડ સાથે કાર્યકર્તાઓની વિશાળ ફોજ હવે જનતાની વચ્ચે જશે. જગદીશભાઈએ કાર્યકરોને પ્રવાસ, પરિચય અને પરિશ્રમનો મંત્ર આપીને સંવાદ અને સંકલન વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. સંઘે શક્તિ કલયુગે: જીતની પરંપરા જાળવી રાખવાનો સંકલ્પપ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનાત્મક માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ગુજરાત ભાજપાએ હંમેશા ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવવાની પરંપરા જાળવી રાખી છે. તેમણે સંઘે શક્તિ કલયુગેના મંત્ર સાથે સામૂહિક પ્રયાસોને સફળતાની ચાવી ગણાવી હતી. આગામી સમયમાં ભાજપા દ્વારા ઘર-ઘર સુધી પહોંચવા માટે ‘મહાસંપર્ક અભિયાન‘ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા જનસંપર્કને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવશે. ‘મન કી બાત ટિફિન કે સાથ‘ અને આગામી કાર્યક્રમોચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર દરેક પ્રકારની ચૂંટણી માટે હંમેશા સજ્જ હોય છે. તેમણે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું કે, 26 માર્ચ સુધીમાં તમામ જિલ્લા અને મંડલ સ્તરની બેઠકો પૂર્ણ કરી લેવામાં આવશે. ખાસ કરીને 29 માર્ચના રોજ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમ અંતર્ગત મંડલ સ્તરે ‘મન કી બાત ટિફિન કે સાથ‘ કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત 6 એપ્રિલે ભાજપા સ્થાપના દિન અને 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બેઠકની અન્ય વિગતોઆ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનિરુદ્ધભાઈ દવેએ સંચાલન અને હિતેન્દ્રસિંહ ચૌહાણએ આભારવિધિ કરી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપ દ્વારા આગામી રાજકીય પડકારો અને સંગઠનાત્મક મજબૂતીને ધ્યાનમાં રાખીને પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓનો સમાવેશ કરીને સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હાઈપાવર કમિટી રાજ્યમાં પક્ષના નીતિવિષયક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે. દિગ્ગજ નેતાઓનો સમિતિમાં સમાવેશનવી જાહેર થયેલી આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ જેવા દિગ્ગજ નેતાઓ મુખ્ય સ્થાને છે. આ ઉપરાંત, સંગઠન સ્તરે પકડ ધરાવતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સમાવેશ કરીને સંગઠનને વધુ વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. અનુભવ અને યુવા જોશનો સંગમટીમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા પ્રતિનિધિત્વ તરીકે દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, પક્ષના વર્ષો જૂના અને પાયાના નેતાઓ જેવા કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા અને ગણપત વસાવાને પણ આ સમિતિમાં સ્થાન આપીને તેમના બહોળા રાજકીય અનુભવનો લાભ લેવાનું નક્કી કરાયું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર-11 સ્થિત પથિકાશ્રમની પાછળ આવેલી માઈક્રોશોપિંગની દુકાનોના લાંબા સમયથી બાકી નીકળતા ભાડા અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં બાકી ભાડું ભરપાઈ ન કરનારા ભાડુઆતો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16 જેટલી મિલકતોને તાળા મારી દેવામાં આવ્યા છે. 31 ભાડુઆતો પાસેથી રૂ. 34.75 લાખ ભાડા બાકીગાંધીનગર સેક્ટર-11 પથિકાશ્રમની પાછળ આવેલી સરકાર હસ્તકની માઈક્રો શોપિંગની દુકાનોમાં કુલ 31 જેટલા ભાડુઆતો પાસે મહાનગરપાલિકાનું રૂ. 34,75,176 જેટલું ભાડું બાકી નીકળતું હતું. મનપા દ્વારા અગાઉ તમામ કસૂરવાર ભાડુઆતોને નોટિસ પાઠવી બાકી રકમ જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. માઈક્રોશોપિંગની 16 મિલકતો સીલતેમ છતાં નિયત મર્યાદામાં રકમ જમા ન થતા મનપાની ટીમે સ્થળ પર પહોંચીને 16 મિલકતો સીલ કરી દીધી હતી. મનપાની આ કડક કાર્યવાહીને પગલે ભાડુઆતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રૂ.10 લાખની રકમ ચેક દ્વારા વસૂલાતસીલિંગની ઝુંબેશ દરમિયાન કેટલાક બાકીદારોએ તાત્કાલિક ધોરણે રકમ ચૂકવવાની તૈયારી બતાવી હતી. તંત્ર દ્વારા સ્થળ પર જ અંદાજે રૂ. 10 લાખની રકમ ચેક દ્વારા વસૂલાત કરવામાં આવી હતી. અને બાકીની રકમ વહેલી તકે જમા કરાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. આ માઈક્રોશોપિંગની દુકાનો સામે પણ કાર્યવાહી થશેમહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ માત્ર સેક્ટર-11 પૂરતી મર્યાદિત રહેશે નહીં. આગામી દિવસોમાં સેક્ટર-21અને સેક્ટર-10નું મીના બજાર, સેક્ટર-16, 28 અને 29 ખાતે આવેલી માઈક્રોશોપિંગની દુકાનો સામે પણ કાર્યવાહી થશે. તમામ માઈક્રોશોપિંગના ભાડુઆતોએ પોતાની બાકી રકમ સત્વરે જમા કરાવી દેવી અન્યથા મિલકત સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા બંસલ મોલ એક કારમાં આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘૂસી ગયો હતો. પ્રાણી ફાઉન્ડેશનની ટીમેઆ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું અને પશુ દવાખાનામાં સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ સાપને વન વિભાગને સોંપ્યો હતો. આ ઘટનાને પગલે કાર ચાલક અને આસપાસના લોકોમાં ભયનનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સાપનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રોડ ક્રોસ કરતી વખતે સાપને એક વાહન નીચે આવી ગયો હતો. જેથી સાપ ઇજાગ્રસ્ત થયો હતો. જીવ બચાવવા માટે સાપ ભાગીને નજીકમાં ઊભેલી એક કારમાં ઘૂસી ગયો હતો. કારમાં સાપ હોવાની જાણ થતાં લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. આ અંગેની તાત્કાલિક જાણ પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તા જીતેશ તડવીને કરવામાં આવી હતી. જીતેશ તડવી તુરંત જ તેમની ટીમના દેવાંગ પવાર અને જય ક્ષત્રિય સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે સાવચેતીપૂર્વક તપાસ કરતાં કારની અંદર 6 ફૂટ લાંબો ધામણ સાપ મળી આવ્યો હતો, જે ઈજાગ્રસ્ત હતો અને ભયભીત અવસ્થામાં હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ટીમે વિશેષ કૌશલ્ય અને સાધનોનો ઉપયોગ કરીને સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સાપને કોઈ જોખમ વિના રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ભૂતડીઝાપા પશુ દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને તેની યોગ્ય તબીબી સારવાર કરાવવામાં આવી હતી. સારવાર બાદ સાપની સ્થિતિ સ્થિર થઈ હતી. આ પછી, પ્રાણી ફાઉન્ડેશનની ટીમે સાપને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો, જેથી તેને તેના કુદરતી વસવાટમાં પુનઃસ્થાપિત કરી શકાય. આ ઘટના શહેરી વિસ્તારોમાં વન્યજીવોના આગમનની વધતી સંખ્યા તરફ ધ્યાન દોરે છે. નિષ્ણાતોના મતે, ઝડપી શહેરીકરણ અને જંગલોના વિસ્તારોના ઘટવાથી સાપ જેવા પ્રાણીઓ રહેઠાણ શોધવા શહેર તરફ આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પ્રાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ અને વન વિભાગની ટીમોની તાત્કાલિક કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે, જેનાથી માનવ અને વન્યજીવો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
અમદાવાદ શહેરમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ સાઈટો તેમજ તેમાં લઈ જવામાં આવતા માલ સામાનમાં ગ્રીન નેટ લગાવવા માટેની અવારનવાર સૂચના આપવામાં આવે છે. છતાં પણ માટી ભરેલા ડમ્પરોમાં ગ્રીન નેટ લગાવવામાં આવતી નથી, જેના કારણે ધૂળ ઉડે છે. ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર રોડ ઉપર મોર્નિંગ રાઉન્ડ દરમ્યાન માટી ભરેલ બે ટ્રક પુરપાટ ધુળ માટી ગ્રીન નેટ વિના ઓપન ડમ્પર નીકળતા બંને ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પાસેથી 15,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ન્યુસન્સ ન કરવા રૂ. 15 હજાર વહીવટી ચાર્જ લઇ ટ્રક છોડી દીધાઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા જગતપુરમાં દરરોજ 10થી વધુ માટી ભરેલા ડમ્પરો ફરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનાં રાઉન્ડમાં માટી ભરેલા ડમ્પરો ગ્રીન નેટ લગાવ્યા વિના જોવા મળ્યા હતાં. નીતિ નિયમ મુજબ ગ્રીન નેટ ઢાકેલ ન હોવાથી તેમજ રોડ પર માટી ઢોળાતા ગંદકી તેમજ ન્યુસન્સ થતુ જોવા મળે મળતાં વોર્ડના સેનીટેશન સ્ટાફ દ્વારા બે ટ્રક પકડી લેવામાં આવ્યા હતાં. રોડ પર ગંદકી તેમજ ન્યુસન્સ ન કરવા માટે સમજણ આપી રૂ. 15 હજાર વહીવટી ચાર્જ લઇ ટ્રક છોડ્યાં હતા. મટીરીયલ વહન કરતા પ્રદુષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટના ડેવલોપરો દ્વારા તેમના માટીના અને માલ સામાન લઈ જવાના ડમ્પરો તેમજ ટ્રકો દ્વારા જાહેર રોડ પર ગંદકી કરી ગંભીર બેદરકારી દાખવવામા આવે છે. આવી કન્સ્ટ્રક્શન સાઈટો તેમજ જગ્યાનું ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો/લોકો વિરૂધ્ધ જી.પી.એમ.સી.એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોડ ઉપર ગ્રીનનેટ કવર વિના માટી પુરણી, રેતી ડેબ્રીજ વગેરે તથા બિલ્ડિંગ મટીરીયલ વહન કરતા પ્રદુષણ ફેલાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે હિંમતનગર શહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા એકલિંગજી દાદાનો 30મો પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણીમાં મુખ્ય યજમાન સહિત 35 જેટલા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. સવારથી શરૂ થયેલો હોમાત્મક લઘુરુદ્ર 7 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમ સાથે સંપન્ન થયો હતો. લઘુરુદ્રની પૂર્ણાહુતિ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યજમાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આરતી બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, અને ત્યારબાદ ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે આજે જાણે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે! રુણી ગામે ચૌધરી સમાજની બેઠક પૂરી થતા જ ઉણ ગામમાં હિંસક અથડામણ ફાટી નીકળી હતી. કિંજલ રબારીના કેસ બાદ એક વર્ષ જૂના પ્રેમ લગ્નના વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા છે, જેમાં 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે! ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન, ખેતીવાડી વિભાગની તૈયારી
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આગામી 21અને 22 માર્ચ, 2026 દરમિયાન ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા શહેરીજનો અને ખેડૂતોમાં મિલેટ્સ (જાડા ધાન) પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન 21 માર્ચના રોજ સવારે 10:00 કલાકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને થશે. આ પ્રસંગે મિલેટ્સના મહત્વ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે ભાર મૂકવામાં આવશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં ‘રેડી ટુ લાઈવ’ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પકવવામાં આવેલા શુદ્ધ પાકોનું સીધું વેચાણ સામેલ છે. આ ઉપરાંત, બાજરી, જુવાર અને રાગી જેવા જાડા ધાનમાંથી બનેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓના વિવિધ સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવશે. બંને દિવસ સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મનોરંજનનું કેન્દ્ર બનશે. આ મહોત્સવ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે એક સીધું બજાર અને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે. જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ પોરબંદરના લોકો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની એક સુવર્ણ તક છે. તેમણે પોરબંદરના તમામ શહેરીજનો, ખેડૂત મિત્રો અને નાગરિકોને આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને સફળ બનાવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
તાપી LCB એ વોન્ટેડ આરોપીને પકડ્યો:છેતરપિંડી કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી વાપીથી ઝડપાયો
તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડોલવણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં લાંબા સમયથી ફરાર એક વોન્ટેડ આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને આ સફળતા મેળવી. તાપી LCB ના PSI કે.આર. પટેલ અને તેમની ટીમ ગુપ્ત બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરી રહી હતી. ASI ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઇ સ્ટીવંસનને સંયુક્ત બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી વાપી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો. ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 11824009250735/2025 હેઠળ BNS ની કલમ 316(2), 318(4) અને આઈ.ટી. એક્ટ 2003 ની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી ગોપાલ બાલાસુબ્રમણિયમ ઇયેર (ઉં.વ. 47, રહે. પ્રાયોશાબ્લીશ બિલ્ડીંગ, ડીંડોલી, સુરત) સંડોવાયેલો હતો. તે લાંબા સમયથી પોલીસ પકડથી બચી રહ્યો હતો. LCB એ આરોપીનો કબજો મેળવી તેને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ સફળ કામગીરીમાં PSI કે.આર. પટેલ, ASI ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઇ સ્ટીવંસને ભૂમિકા ભજવી હતી.
India-Kuwait Relations : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના કારણે મધ્ય-પૂર્વમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. યુદ્ધથી આક્રમક બનેલું ઈરાન પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. ઈરાન સાઉદી અરેબિયાથી લઈને કુવૈત સુધીના દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ સાથે ફોન પર વાતચીત કરી છે. PM મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને રાજકીય પક્ષનો પ્રચાર કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરી છે કે, મનપાના વોર્ડ નંબર 07 માં કાયમી સફાઈ કામદાર તરીકે કાર્યરત ગૌતમ શ્રવણભાઈ ચૌહાણ સરકારી કર્મચારી હોવા છતાં ભાજપની ટોપી અને ખેસ પહેરીને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રીતે હાજરી આપી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિ સિવિલ સર્વિસ રૂલ્સનો સીધો ભંગ હોવાનું જણાવ્યું હતું. ભારતીય સંવિધાનની કલમ 14 અને સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ્સ 1964 ના રૂલ નંબર 5 અને 6 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પ્રચાર કરી શકે નહીં. તેમ છતાં, ભાજપના પદાધિકારીઓની ટર્મ પૂરી થયા બાદ પણ વહીવટદાર શાસનમાં આવા કર્મચારીઓ રાજકીય એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોય નિયમોનો ભંગ કરનાર કર્મચારી સામે ગુનો દાખલ કરી તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોના અવસાનના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની નવી માર્ગદર્શિકા રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોની મુદત પૂર્ણ થતા અને હાલ વહિવટદારની નિમણૂક થયેલ હોવાથી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના કુદરતી અવસાનના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોર્પોરેટરના પ્રમાણપત્રના આધારે ફાયર સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવતી હતી, પરંતુ હાલ કોર્પોરેટરની મુદત પૂર્ણ થયેલ હોવાથી નવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. જે મુજબ, જો 60 વર્ષથી વધુ વયના વૃદ્ધનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થાય, તો સવારના 09:00 થી સાંજના 06:00 કલાક દરમિયાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. મેડિકલ ઓફિસર જરૂરી તપાસ બાદ મૃતકના સગાને મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપશે. જો અવસાન આ સમય સિવાયના ગાળામાં થાય, તો નજીકમાં પ્રેક્ટિસ કરતા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડૉક્ટર) પાસેથી તેમનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ પ્રમાણપત્ર નજીકના ફાયર સ્ટેશનમાં રજૂ કર્યા બાદ જ અંતિમવિધિ માટેની જરૂરી મંજૂરી મેળવી શકાશે. શહેરીજનોએ આ નવી પ્રક્રિયાનું પાલન કરવા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં સફાઈ કામદારોની પ્રામાણિકતા, કચરા ગાડીમાં મુકાઈ ગયેલી સોનાની બુટ્ટીઓ વૃદ્ધાને પરત કરી રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓએ પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરનાં ગોપાલનગરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી દરમિયાન, એક વ્યક્તિ દ્વારા ભૂલથી સોનાની 2 નંગ કાનની બુટ્ટી કચરા સાથે ટીપરવાનમાં ફેંકાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જાગૃત નાગરિકે તાત્કાલિક વોર્ડ ઓફિસ ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોઠારીયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો. સેનેટરી ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ટીપરવાન (GJ 06BX-6741) ના ડ્રાઈવર સિંગાળ અલ્કેશભાઈ અને હેલ્પર સિંગાળ બોલુંભાઈએ વાહન રોકી કચરામાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સોનાની બંને બુટ્ટીઓ સુરક્ષિત મળી આવી હતી, જેની યોગ્ય ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી. કિંમતી વસ્તુ પરત મળતા શહેરીજને મનપાના સ્ટાફ અને સફાઈ કામદારોની ઈમાનદારીની ભારોભાર પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં મનપાનાં સ્નાનાગારો અને રમતગમતની સુવિધાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ રમતગમત સુવિધાઓ અને સ્નાનાગારોમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા. 20 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થશે. આ ઉપરાંત, સ્નાનાગાર સિવાયની તમામ રમતગમત સુવિધાઓ જેવી કે એથ્લેટીક ટ્રેક, ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ અને વિવિધ જીમ માટે ત્રિમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ તેમજ સ્નાનાગારનું ત્રિમાસિક રજીસ્ટ્રેશન 27 માર્ચનાં સવારે 11:00 કલાકથી શરૂ કરવામાં આવશે. ઈચ્છુક નાગરિકો RMC ની વેબસાઈટ પર ઓનલાઇન અથવા તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતેથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વર્ષ 2025-26 દરમિયાન મનપાની સુવિધાઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે, જેમાં કુલ 36463 સભ્યો નોંધાયા હતા. આંકડાકીય વિગતો મુજબ, સિન્થેટીક એથ્લેટીક ટ્રેક પર 8450, વિવિધ જીમમાં 3784 અને મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની વિવિધ રમતોમાં 1865 સભ્યો નોંધાયા હતા. સ્વિમિંગ પુલની વાત કરીએ તો, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારમાં સૌથી વધુ 7470, સરદાર પટેલ સ્નાનાગારમાં 5605, લોકમાન્ય તિલક સ્નાનાગારમાં 4773, સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં 2108 અને જીજાબાઇ સ્નાનાગારમાં 1909 સભ્યોએ લાભ લીધો હતો. આ ઉપરાંત મવડી ખાતે કોચિંગ માટે અલગથી 39 સભ્યો નોંધાયા હતા. રાજકોટમાં હપ્તા ન ભરતા રૂડા દ્વારા 9 લાભાર્થીઓનાં આવાસ રદ કરાયા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા આવાસો પૈકી 9 આવાસધારકોના આવાસ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી આવાસના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી જમા કરાવવામાં આવી ન હોવાથી સત્તામંડળ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રૂડાની બોર્ડ બેઠકમાં લેવાયેલા ઠરાવ મુજબ, જે આવાસધારકોએ વારંવારની સૂચના અને નોટિસ આપવા છતાં બાકી લેણાં ચૂકવ્યા નથી, તેમના આવાસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. રદ કરાયેલા આવાસોમાં આદિત્ય-79 સોસાયટીના 2, શિવશક્તિ સોસાયટીના 2, આદર્શ સોસાયટીના 2, તેમજ વૃંદાવન, ગોકુલમ અને એકલવ્ય હાઉસિંગ સોસાયટીના 1-1 આવાસનો સમાવેશ થાય છે. આ બાબતે મુખ્ય કારોબારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ આવાસધારકને આ નિર્ણય સામે વાંધો કે રજૂઆત હોય, તો તેમણે આજથી 7 દિવસમાં રૂડા કચેરીની આવાસ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદા બાદ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવાનો પ્રારંભ: રાજકોટમાં ગ્રાહક સંમેલન યોજાયું ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને આધુનિક સુવિધા પૂરી પાડવા માટે નવી પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 24 સ્પીડ પોસ્ટ, 24 સ્પીડ પોસ્ટ પાર્સલ અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓનો પ્રારંભ કરાયો છે. પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા 6 મુખ્ય શહેરોમાં 24 થી 48 કલાકની અંદર ખાતરીપૂર્વકની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવશે. આ નવી સેવામાં OTP આધારિત સુરક્ષિત ડિલિવરી, રિયલ ટાઈમ ટ્રેકિંગ, વિલંબ થવા પર 100 ટકા મની બેક ગેરંટી અને રવિવાર કે રજાના દિવસે પણ ડિલિવરી જેવી વિશેષતાઓ સામેલ છે. કોર્પોરેટ ગ્રાહકો માટે 'બુક નાઉ પે લેટર' અને સેન્ટ્રલ બિલિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ નવી સેવાઓના પ્રચાર માટે રાજકોટ રિજીયન ઓફિસના પોસ્ટમાસ્ટર જનરલ પવનકુમાર દાલમિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહક સંમેલન યોજાયું હતું. જેમાં સ્થાનિક મુખ્ય ગ્રાહકોને પ્રીમિયમ સેવાઓના સર્વિસ સ્ટાન્ડર્ડ અને વ્યવસાયિક તકો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. પવનકુમાર દાલમિયાએ ગ્રાહકો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ મેળવીને સેવાની ગુણવત્તા વધુ સુધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાલોલના શ્રમિકો માટે ધન્વંતરી રથ ફાળવાયો:કલેક્ટર અજય દહિયાએ BP ચેક કરાવી ગુણવત્તા ચકાસી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના શ્રમિકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે વહીવટી તંત્ર દ્વારા 'ધન્વંતરી આરોગ્ય રથ' ફાળવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના હસ્તે આ રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેક્ટર અજય દહિયાએ ધન્વંતરી રથને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે રથની સુવિધાઓની ચકાસણી કરવા માટે પોતે રથમાં સવાર થઈ પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવી સેવાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. આ રથ શ્રમિકોના કામના સ્થળે જઈને તેમને વિનામૂલ્યે નિદાન અને સારવાર પૂરી પાડશે. તેનો મુખ્ય હેતુ શ્રમિકોને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. કાલોલ માટે ફાળવાયેલા આ નવા રથ સાથે હવે પંચમહાલ જિલ્લામાં કુલ ચાર ધન્વંતરી રથ કાર્યરત થયા છે, જે શ્રમિકોના આરોગ્યની સંભાળ રાખશે.
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસની ટીમે સતર્કતા અને માનવતા દાખવીને ઉનાવા વિસ્તારમાંથી ગુમ થયેલી બે નાની બાળકીઓને શોધી કાઢી ગણતરીના કલાકોમાં જ તેમના વાલી-વારસ સાથે સુખદ મિલન કરાવ્યું છે. ચોકડી બ્રિજ નીચે ફૂટપાથ પર બે નાની બાળકીઓ એકલી બેઠેલી જોવા મળીગઇકાલે તારીખ 17 માર્ચ 2026 ના રોજ સાંજના સમયે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા અને સર્વેલન્સ સ્કોડની ટીમ HSC-SSC પરીક્ષાના સંદર્ભમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રામોસણા ચોકડી બ્રિજ નીચે ફૂટપાથ પર બે નાની બાળકીઓ એકલી બેઠેલી જોવા મળી હતી. શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરી હતી.પરંતુ બાળકીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. વાલીની ભાળ ન મળતા બાળકીઓને 'ચિલ્ડ્રન હોમ રૂમ' માં દેખરેખ હેઠળ રખાઈબાળકીઓની સુરક્ષાને ધ્યાને રાખી તુરંત જ મહિલા પોલીસ કર્મચારી ને બોલાવવામાં આવ્યા હતા અને બાળકીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યાં તેમનું પ્રેમપૂર્વક કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું હતું કે એક બાળકીનું નામ દામીની (ઉં.વ. 06) અને બીજી બાળકીનું નામ ભમરૂ (ઉં.વ. 04) છે. રાત્રિનો સમય હોવાથી અને વાલીની ભાળ ન મળતા બાળકીઓને પોલીસ સ્ટેશનના સ્પેશિયલ 'ચિલ્ડ્રન હોમ રૂમ' માં મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી બાદ બાળકીઓને હેમખેમ પિતાને સોંપી હતીઆજે પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો કે, ઉનાવા મીરાદાતાર દરગાહ પાસેથી બે બાળકીઓ ગુમ થઈ છે. પોલીસે તુરંત જ મેસેજમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી બાળકીઓની ઓળખની ખાતરી કરી હતી. ત્યારબાદ બાળકીઓના વાલીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંને બાળકીઓ દામીની અને ભમરૂ (રહે. ઉનાવા આલ્ફા હોટલ સામે, ઝુંપડામાં) ના પિતા સૂર્યાભાઈ મોલેસલામ પોલીસ સ્ટેશન આવી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકીઓને હેમખેમ તેમના પિતાને સોંપી હતી. પોતાના સંતાનોને પરત મેળવી પિતાની આંખો હરખથી છલકાઈ ઉઠી હતી અને તેમણે મહેસાણા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો..
દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના હાલિસા ગામમાં વર્ષ 2019માં બકરા તગડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ એક આધેડની નિર્મમ હત્યા કરનાર 4 આરોપીઓને ગાંધીનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સાથે દરેકને 11,000નો દંડ પણ ફટકાર્યો છે. આજે તો નગીનને પતાવી જ દેવો છે તેમ કહી હિંસક હુમલો કર્યોઆ બનાવની વિગત મુજબ દહેગામના હાલિસા ગામમાં 22 ડિસેમ્બર 2019ના રોજ સાંજે સાતેક વાગે આરોપીઓ મુકેશભાઇ મસુરભાઈ દેવીપૂજક, વિજયભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક, કરણભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક અને વિષ્ણુભાઈ મસુરભાઈ દેવીપૂજકે ફરિયાદી કમલેશ દેવીપૂજકના પિતા નગીનભાઈને તમે અમારા બકરા કેમ તગેડી મૂકો છો તેમ કહી ગાળો ભાંડી હતી. આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આજે તો નગીનને પતાવી જ દેવો છે તેમ કહી હિંસક હુમલો કર્યો હતો. તત્કાલીન પીઆઇએ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતીઆરોપી વિષ્ણુએ લાકડાના ઘોડિયાના મોટા પાયા વડે ફરિયાદીના પિતાના માથામાં ફટકો માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ કરણ અને વિજયે લાકડીઓ વડે માર મારી નગીનભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના પગલે સારવાર દરમિયાન 27 ડિસેમ્બર, 2019ના રોજ ફરિયાદીના પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે દહેગામ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ કે આર ડીમરીએ આરોપીઓની વિરુધ મર્ડરનો ગુનો નોધી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી. એમ. ઉનડકટની કોર્ટમાં ચાલ્યો હતો. ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 11 હજારનો દંડ ફટકાર્યોસરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, દિન-પ્રતિદિન આવા ગંભીર કિસ્સાઓ વધી રહ્યા છે. સમાજમાં શાંતિ જળવાય અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.ફરિયાદી પક્ષે કુલ 28 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ અધિકારી કે. આર. ડીમરી અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સાક્ષી મહત્વની રહી હતી. કોર્ટે પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી તમામ ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો છે.
રમતગમત ક્ષેત્રે ઝળકેલી 48 દીકરીઓ સન્માનિત:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત સમારોહ યોજાયો
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત 48 તેજસ્વી રમતવીર દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડી કન્યાઓને સન્માનિત કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેમને સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર કે. બી. ઝવેરીએ દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ સકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે તેવી અપેક્ષા છે.
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ વતનમાં રહેતા પ્રેમીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આરોપી યુવક પરિણીતાને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્નજીનવમાં ત્રીજા વ્યક્તિના પ્રવેશથી ઘરકંકાસમળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અશ્વિનીકુમાર રોડ પરની પટેલનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રમોહન કુશવાહના લગ્ન મે, 2022માં આકાંક્ષા સાથે થયા હતા. લગ્ન બાદ થોડા જ સમયમાં નરેન્દ્રને જાણ થઈ હતી કે, તેની પત્નીને વતનમાં જ રાહુલ જીવનલાલ પરીહાર નામના યુવક સાથે પ્રેમસંબંધ છે. આ બાબતે પરિવારમાં સમજાવટ બાદ આકાંક્ષાએ રાહુલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને દંપતી સુરત આવી શાંતિથી રહેતું હતું. પતિ નોકરી જતાં જ પરિણીતાએ આપઘાત કર્યોફરિયાદમાં જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026માં આકાંક્ષા પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો, જે રાહુલે તેને જબરજસ્તીથી આપ્યો હતો. આકાંક્ષાએ તે સમયે ફોન તોડી નાખી રાહુલ સાથે કોઈ સંબંધ ન હોવાની ખાતરી આપી હતી. જોકે, ગત 14 માર્ચના રોજ નરેન્દ્ર કામે ગયો હતો, ત્યારે આકાંક્ષાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. વોટ્સએપ ચેટમાં ધમકીઓના પુરાવા મળ્યાઘટના બાદ પોલીસે આકાંક્ષાનો મોબાઈલ ચેક કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપી રાહુલ પરીહાર સાથેની વોટ્સએપ ચેટમાં જાણવા મળ્યું કે, રાહુલ આકાંક્ષાને વીડિયો કોલ કરી પરેશાન કરતો હતો. તેણીના ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની કોશિશ કરતો હતો. જ્યારે આકાંક્ષાએ મરી જવાની વાત કરી, ત્યારે રાહુલે મરવાનું તો તારે જ છે, આજે મર કે કાલે. હું 10-20 રૂપિયા આપીને છૂટી જઈ જેવા ઉદ્ધત મેસેજ કર્યા હતા. મૃતકના પતિએ આરોપી રાહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીપત્નીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અને ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મરવા મજબૂર કરનાર રાહુલ પરીહાર વિરૂદ્ધ મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે આ મામલે ગુનો નોંધી રાહુલ જીવનલાલ પરીહાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઉત્તર પ્રદેશ રહેતો હોવાથી તેને પકડવા માટે ટીમ રવાના કરવામાં આવશે તે પ્રકારની હાલતો સ્થિતિ જોવા મળી રહી છે.
સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઠિયાઓ હવે નવી નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વકીલને ફેસબુક પર સંપર્ક કરી એક અજાણી યુવતીએ લગ્ન કરવાની લાલચ આપીને ક્રિપ્ટોકરન્સી (USDT)માં રોકાણ કરાવી કુલ 57.90 લાખની છેતરપિંડી કરી છે. યુવતીએ વકીલ સાથે લગ્ન કરી ઈટલીમાં સેટલ થવાની વાત કરી હતી. જે વાતમાં વૃદ્ધ વકીલ આવી ગયા હતા અને લાખો રૂપિયા ગુમાવ્યા હતાં. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદમાંથી વધુ તપાસ શરૂ કરી છે ફેસબુક પર યુવતી સાથે સંપર્ક થયો'તોઆ અંગેની વિગત એવી છે કે, નવેમ્બર 2025માં શીલજમાં રહેતા વકીલનો ફેસબુક પર “લક્ષ્મીદેવી રેડી” નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવતીએ પોતે IIM અમદાવાદમાંથી અભ્યાસ કરેલો હોવાનું અને હાલ હૈદરાબાદમાં રહેતી હોવાનું જણાવી વાતોમાં વકીલનો વિશ્વાસ કેળવી લીધો હતો. લગ્ન કરીને ઇટાલીમાં સ્થાયી થવાની વાત કરીબાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઈ અને રોજિંદા વોટ્સએપ મેસેજ તથા વીડિયો કોલ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જેથી વકીલને યુવતી પર ગાઢ વિશ્વાસ આવી ગયો હતો. યુવતીએ પોતાની લેવિસ લાઇફ સ્ટાઇલ અને ધનિક પરિવાર વિશે વાતો કરી હતી. વકીલને લગ્ન કરીને ઇટાલીમાં સ્થાયી થવાની વાત કરવાથી તેઓ વધુ પ્રભાવિત થયા હતા. લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોકાણ કર્યું હતુંઆ દરમિયાન યુવતીએ વકીલને કહ્યું હતું કે તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને તેમની કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી 70 નિષ્ણાતોની ટીમ કામ કરે છે, જેથી તેમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે. યુવતીના કહેવા મુજબ વકીલે મોકલેલી લિંક ખોલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પોતાની તમામ વિગતો ભરી હતી. ત્યારબાદ યુવતીના કહ્યા મુજબ વકીલ રોકાણ કરવા લાગ્યા હતા. શરૂઆતમાં 50 હજારનું રોકાણ કર્યું હતું જેમાં તેમને 5 હજારનો નફો બતાવવામાં આવ્યો હતો. અંદાજે 60 લાખનું રોકાણ કર્યું હતુંશરૂઆતના થોડા દિવસોમાં સતત નફો દેખાડીને વકીલનો વિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો અને વકીલે કુલ 2.10 લાખ રૂપિયા ઉપાડી પણ લીધા હતા. આથી તેમને ખાતરી થઈ ગઈ કે રોકાણ સલામત છે. ત્યારબાદ 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન વકીલે કુલ 16 ટ્રાન્ઝેક્શન દ્વારા અંદાજે 60 લાખનું રોકાણ કર્યું હતું. વકીલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવીપરંતુ જ્યારે તેમણે બાકી રહેલા રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને “ટેક્સ ભરવો પડશે” તેવી શરત મૂકી વધુ રકમ માંગવામાં આવી હતી. આથી વકીલને શંકા જતા તેમણે તપાસ કરતાં સમજાયું કે તેઓ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. આખરે વકીલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજો બનાવ કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે 25 લાખની છેતરપિંડીશહેરના મણિનગર વિસ્તારમાં રહેતા કેવલભાઈ પટેલ સાથે બ્લીન્કીટ નામની ઈ કોમર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના નામે 25 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થયો હોવાની ફરિયાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ઓગસ્ટ 2025 ના સમયગાળા દરમિયાન ફ્રેન્ચાઇઝ લેવાની હોવાથી તેમને google પર સર્ચ કર્યું હતું અને તેમાં આપવામાં આવેલા ઇમેલ આઇડી સબમિટ કર્યું હતું. જે બાદ એક અજાણ્યા ઇમેલ આઇડી પરથી મેલ આવ્યો હતો અને બાદમાં મેસેજ આવ્યો હતો. બ્લીન્કેટનો લેટર મોકલવામાં આવ્યો હતોWhatsapp ઉપર કેવલભાઈના તમામ ડોક્યુમેન્ટ અને જ્યાં ઓફિસ ખોલવાની હતી તેની વિગતો વગેરે તેમણે આપી દીધું હતું તમામ બાબતો સબમિટ કરાવ્યા બાદ તેમને રજીસ્ટ્રેશન ફી ભરવા માટે કહ્યું હતું જેના માટે બેન્ક એકાઉન્ટ આપવામાં આવ્યું હતું? જોકે બેન્ક એકાઉન્ટ માટે પર્સનલ હોવાથી બ્લીન્કેટના લેટર મોકલવામાં આવ્યો હતો. 25.83 લાખ રૂપિયા ભરી દીધા હતાજેના કારણે કેવલ ભાઈ ને વિશ્વાસ થઈ ગયો હતો ત્યારબાદ તેમણે એનઓસી, રજીસ્ટ્રેશન, સિક્યુરિટી ડિપોઝિટ, ફ્રેન્ચાઇઝી લાયસન્સ ફી ,એગ્રીમેન્ટ ફી વગેરેના નામે કુલ 25.83 લાખ રૂપિયા ભરી દીધા હતા. ફ્રેન્ચાઇઝી ન આપી ફોન બંધ કરી દીધોત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારી ઓફિસ પર આવીને વેરિફિકેશન કરશે ત્યારબાદ ફ્રેન્ચાઇઝી આપશે પરંતુ બાદમાં કોઈપણ પ્રકારની ફ્રેન્ચાઇઝી ન આપી ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતે છેતરાયા હોવાની જાણ થતા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરી છે, જેમણે આજે જામનગર આવીને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ વહીવટદાર આરતી કંવરે મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી કાર્યો અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ, જામનગર જિલ્લા પંચાયતની મુદત પણ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કેતન ઠક્કર હવે જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકેની જવાબદારી સંભાળશે. આજે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર આરતી કંવર અને જિલ્લા પંચાયતના વહીવટદાર કેતન ઠક્કરે મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લાના વહીવટી કાર્યોમાં સંકલન સાધવાનો અને પ્રજાલક્ષી કામો અટક્યા વગર વેગવંતા બને તે સુનિશ્ચિત કરવાનો હતો. ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં હવે જામનગરના વિકાસની ધુરા આ અનુભવી અધિકારીઓના હાથમાં સોંપાઈ છે. આનાથી વહીવટી તંત્રમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ આજે શહેરનું બીજુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની શક્યતાઓને જોતા આજની આ બજેટ સભા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અને વહીવટદાર તરીકે કાર્યરત જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ બજેટ સત્તાવાર રીતે રજૂ કરાયું હતું. શહેરના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો આ વર્ષના બજેટમાં ગત વર્ષની સરખામણીએ 7.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા કુલ રૂ. 1005.96 કરોડનું અંદાજપત્ર રજૂ કરી શહેરના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ બજેટમાં ખાસ કરીને શહેરની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ગટર જેવી માળખાકીય સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ 15 કરોડની ફાળવણીશહેરની સુખાકારી અને સ્વચ્છતા જાળવવાના આશયથી બજેટમાં કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં મહેસાણાના રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ રૂ. 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ બજેટથી આગામી સમયમાં શહેરીજનોને વધુ સારી સગવડો પ્રાપ્ત થશે અને વિકાસની ગતિને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની જોગવાઈ સાથે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યામહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે શહેરને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. શહેરના માળખાગત વિકાસ, સુંદરતા અને નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાની જોગવાઈ સાથે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. 12 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાશેશહેરમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રૂ.12 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવશે. જેમાં જીઆઈએસ મેપિંગ અને સીસીટીવી સર્વેલન્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ ઉપરાંત, પ્રદૂષણ પર નજર રાખવા માટે રૂ. 3 કરોડના ખર્ચે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) ટાવર પણ ઉભો કરાશે. 26 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજનટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રૂ. 26 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન છે. સાથે જ ફૂટ ઓવરબ્રિજ અને બોક્સ કલવર્ટ માટે રૂ.25 કરોડ ફાળવાયા છે. શહેરના રસ્તાઓને ધૂળમુક્ત કરવા માટે રૂ.15 કરોડ અને નવા રોડ રસ્તાઓ માટે રૂ.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે.સ્માર્ટ પાર્કિંગ અને પે-એન્ડ-પાર્ક માટે પણ રૂ.2 કરોડની ખાસ જોગવાઈ કરાઈ છે. 16 કરોડના ખર્ચે બગીચા, અર્બન ફોરેસ્ટ અને સિનિયર સિટીઝન પાર્ક બનાવાશેશહેરને હરિયાળું બનાવવા માટે રૂ.20 કરોડના ખર્ચે નવા તળાવોનો વિકાસ અને રૂ.16 કરોડના ખર્ચે બગીચા, અર્બન ફોરેસ્ટ અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવશે. ગ્રીન રિંગ રોડના ડેવલપમેન્ટ માટે પણ રૂ. 8 કરોડ ખર્ચવામાં આવશે. શહેરની દીવાલો પર થીમેટિક પેઇન્ટિંગ અને ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનું બ્યુટીફિકેશન કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. 6 કરોડના ખર્ચે નમો ડિજિટલ લાઈબ્રેરી અને રીડિંગ ઝોન તૈયાર કરાશેવાંચન પ્રેમીઓ માટે રૂ.6 કરોડના ખર્ચે નમો ડિજિટલ લાઈબ્રેરી અને રીડિંગ ઝોન તૈયાર થશે. બાળકો માટે મોડલ આંગણવાડીઓ અને રમતવીરો માટે રૂ.12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. રખડતા શ્વાનોની સમસ્યાના ઉકેલ માટે રૂ. 11.5 કરોડના ખર્ચે એનીમલ બર્થ કંટ્રોલ સેન્ટર અને ડોગ શેલ્ટર બનાવવાનું આયોજન છે. ગંદા પાણીના નિકાલ માટે 47 કરોડ ખર્ચાશેશહેરમાં પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા નર્મદાનું વધારાનું પાણી લાવવા અને નવા WTP માટે રૂ.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંદા પાણીના નિકાલ માટે આધુનિક STP અને રી-યુઝ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.47 કરોડ ખર્ચાશે. મહેસાણા એક સુવિધાસભર અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશેરાજમહેલ અને અન્ય હેરિટેજ ઇમારતોની મરામત માટે રૂ.1 કરોડ ફાળવી ઐતિહાસિક વારસાને સાચવવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ, ઇવી ચાર્જિંગ સ્ટેશન અને આઇકોનિક સ્ટ્રીટ લાઈટ જેવા પ્રોજેક્ટ્સ મહેસાણાને એક આધુનિક મહાનગરની ઓળખ અપાવશે. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામોમાં ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ અને સ્માર્ટ લાયબ્રેરી જેવા કામો હાલ પ્રગતિમાં છે. આગામી સમયમાં મહેસાણા એક સુવિધાસભર અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે
ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદેસર રોકાયેલા 4 પકડાયા:નાયબ કલેક્ટરે આકસ્મિક તપાસ કરતા કાર્યવાહી કરાઈ
ચોટીલા, તા. 18 માર્ચ, 2026: ચોટીલા સબ ડિવિઝન હેઠળના સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચાર બિન-સરકારી વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે રોકાયેલા મળી આવ્યા હતા. નાયબ કલેક્ટરને શંકા જતાં તેમણે આ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી, જેમાં તેઓ સર્કિટ હાઉસમાં અનધિકૃત રીતે રોકાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ ચારેય વ્યક્તિઓ તેમજ સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે પકડાયેલા વ્યક્તિઓમાં હરેશભાઈ માવજીભાઈ ઘાડવી (રહે. ગારીડા, તા. રાજકોટ), હરેશભાઈ પોલાભાઈ વાઘેલા (રહે. ગુંદા, તા. ચોટીલા), અરવિંદભાઈ પાંચાભાઈ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા) અને ગોરધનભાઈ જાદવભાઈ ચાવડા (રહે. ગુંદા, તા. ચોટીલા)નો સમાવેશ થાય છે. વધુ કાર્યવાહી માટે પકડાયેલા ચારેય ઇસમોને ચોટીલા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યા છે. મામલતદારને તેમની જામીનગીરી અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે સાંજે લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગામોમાં આકાશ એકાએક વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ખાસ કરીને અપીયા ગામે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અણધાર્યા કુદરતી ઘટનાક્રમથી ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અકાળે આવેલા આ માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, ભર ઉનાળે કરા સાથેના આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેમ છતાં, અણધાર્યા વરસાદે સ્થાનિકો અને વહીવટી તંત્રને પણ સાવચેત કરી દીધા છે.
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પતિ તરફથી મળી રહેલા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ફીનાઇલ પી લીધું હતું. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના ભાઈએ તેના પતિ પાસેથી ઊછીના પૈસા લીધા હતાબોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ફુલસર વિસ્તારના મહાદેવનગરમાં રહેતી પૂજાબેન ભોળાભાઈ મકવાણાએ પોતાના પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડા સમય પહેલાં તેમના ભાઈ કિરીટ દિનેશ સરવૈયાએ પતિ ભોળા સવજી મકવાણા પાસેથી 15,000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ કિરીટે પરત ન કરતા ભોળાએ છેલ્લા એક વર્ષથી પત્ની પૂજાબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુંફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, દિન પ્રતિદિન વધતા જતા આ ત્રાસથી તેમની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. છેવટે ગઈકાલે તેમણે ઘરે ફીનાઇલ પી લીધું હતું. પરિવારજનોને ખબર પડતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ BNS કલમ 85 (મહિલા પર અત્યાચાર) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે અને મહિલાની તબિયતની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ દિન પ્રતિદિન લોકો ઉપર છરી અને લાકડીઓ વડે હુમલાના બનાવો બની રહ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં રાત્રિના સમયે ત્રણ બાઈક પર આવેલા છ જેટલા શખ્સોએ અંગત અદાવતમાં બે લોકો ઉપર હુમલો કર્યો હતો. ચાલુ એક્ટિવા પર પટ્ટો મારવા જતા બંને પડી ગયા હતાં. જેમાંથી એક મિત્ર જીવ બચાવવા ભાગ્યો હતો, જ્યારે બીજા મિત્રોને પકડીને તેને છરીનો ઘા માર્યો હતો. તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખોખરા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપવા તજવીજ હાથ ધરી છે. પાછળથી અચાનક જ પટ્ટો મારતાં બંને યુવકો પડી ગયામળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી નિગમ સોસાયટીમાં યશવંતસિંગ પરિહાર તેના પરિવાર સાથે રહે છે અને સીએનો અભ્યાસ કરે છે. 17 માર્ચના રોજ રાત્રે 8:00 વાગ્યાની આજુબાજુ યશવંત તેના મિત્ર પ્રથમ ઉર્ફે ભોલુ ઉપાધ્યાયને મળવા માટે તેના ઘરે ગયો હતો. રાત્રે પોણા 11 વાગ્યાની આજુબાજુ એકટીવા લઈને બંને ખોખરા સર્કલ તરફ ગયા હતાં. 11:30 વાગ્યાની આસપાસ ખોખરા સર્કલ પાસેના સોની બજાર પાસે આવતા પાછળથી બેથી ત્રણ બાઈક પર નિરંજન ચૌહાણ, સાહિલ પરિહાર, સૌરવ ઠાકુર, સતીશ પાંડે, જયસિંગ રાજપૂત તેમજ રોહિત રાજપૂત આવ્યા હતાં. પાછળથી અચાનક જ પટ્ટો મારવા જતા એકટીવાનું બેલેન્સ રહ્યું હતું અને બંને એકટીવા સાથે નીચે પડી ગયા હતા. 'ત્યાં 108 ઉભી હતી અને બીજા માણસોના ટોળા ઉભા હતાં'બંને નીચે પડ્યા હતા, ત્યારે યશવંત ઉભો થઈને ખોખરા સર્કલ તરફ ભાગ્યો હતો. જ્યારે તેનો મિત્ર પ્રથમ બાલ ભવન તરફ ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ યશવંતે પ્રથમના પિતાને ફોન કરી અને જાણ કરી હતી. જેથી પ્રથમના પિતા અને અન્ય માણસો આવી ગયા હતા. તમામ લોકો બાલભવન પાસે ગયા હતા ત્યારે ત્યાં 108 ઉભી હતી અને બીજા માણસોના ટોળા ઉભા હતાં. ઢીકાપાટુનો માર મારીને છરી મારી દીધીપ્રથમને પેટના ભાગે ઇજા થયેલી હતી અને લોહી નીકળતું હતું. પ્રથમને પૂછતા જાણવા મળ્યું હતું કે તમામ લોકો બાઈકો લઈને આવ્યા હતા અને મેગા આશરે ફ્લેટ પાસે કરતા ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી અને જાનથી મારી રાખવાના ઇરાદે નિરંજન ચૌહાણએ છરી મારી દીધી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયોમારામારી થતા બૂમાબૂમ થઈ હતી જેથી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતાં. સ્થાનિક લોકોએ 108 બોલાવી હતી અને તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 6 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોખોખરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ એલજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી આ સમગ્ર મામલે પોલીસે 6 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં સિદસર ઉમિયાધામ દ્વારા જગત જનની માઁ ઉમિયાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતુ. જેમાં ટુ વ્હીલર, કાર, બગી, જીપ્સી, ઘોડાગાડી સાથે 2000 જેટલા કડવા પાટીદારો જોડાયા હતા. ઢોલ નગારા અને બેન્ડના તાલે ધાર્મિક ગીતો ગૂંજ્યા હતા. સોમનાથ મંદિર સહિતના જ્યોર્તિલિંગના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું તો નંદી આકારના માઁ ઉમિયાના મુખ્ય રથ પર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી. ઈશ્વરીયામાં રૂ.125 કરોડના ખર્ચે નિર્માણ પામનારા જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના ભાગરૂપે આ શોભાયાત્રા નીકળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટમાં જગત જનની માઁ ઉમિયાની ભવ્ય શોભાયાત્રા બેઠો મારી હતી ત્યારે આ શક્તિ પ્રદર્શન છે કે શું ? તેવું પૂછવામાં આવતા મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, આમાં શબ્દોનો થોડો ફેરફાર કરવાની જરૂર છે. અમે શક્તિ પ્રદર્શન માટે નહીં પરંતુ શક્તિના દર્શન કરાવવા માટે રાજકોટના આંગણે આવ્યા છીએ. રાજકોટના રાજમાર્ગો ઉપર લોકો માં ઉમિયા અને જગદંબા ના દર્શન કરી શકે તે માટે આ યાત્રા નીકળી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના ત્રીજા રિંગ રોડ ઉપર ઇશ્વરીયામાં સિદસર ઉમિયાધામ દ્વારા રૂ.125 કરોડના ખર્ચે વિશાળ અને આધુનિક શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઈ રહ્યુ છે. જેના ભાગરૂપે 21 થી 25 માર્ચ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 કુંડી યજ્ઞ તેમજ સમૂહ ભોજનનું આયોજન થયું છે. જેમાં 30000 પરિવાર ભોજન લેશે. જે બાદ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બહુમાળી ભવન પાસે રેસકોર્સ મેદાનમાં રમેશભાઈ પારેખ રંગમંચ ખાતેથી આ યાત્રા શરૂ થઈ હતી. જે યાત્રા જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ, સ્વામિનારાયણ ચોકથી બાન લેબ, અમીન માર્ગ, નાનામવા ગ્રાઉન્ડથી આંબેડકર ચોક થઈ મવડીમાં શ્રીનાથધામ હવેલી ખાતે સમાપન થઈ હતી.
UCC બિલને કેબિનેટમાં મંજૂરી UCC બિલને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી. આ નવી વ્યવસ્થા મુજબ લગ્ન નોંધણી ફરજિયાત ગણાશે.. લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, વારસામાં સમાન અધિકાર મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભા -સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી..ખાલિસ્તાની કટ્ટરપંથીઓેએ પંજાબીમાં મેલ કર્યો હતો કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ. કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું. સંઘવીએ કહ્યું- આવા ઈમેલ્સથી ગુજરાતની જનતા કે પોલીસ ડરતી નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ATSએ UP માંથી પકડી ડ્રગ્સની ફેક્ટરી ગુજરાત ATSએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી.. અમદાવાદમાંથી ઝડપાયેલા ડ્રગ્સના તાર યુપી સુધી પહોંચ્યા.. 6 કિલો એમડી ડ્રગ્સ, 50 કિલો લિક્વિડ અને 200 કિલો રો મટિરિયલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંધી માર્કેટમાં 30થી વધુ દુકાનોમાં આગ લાગી અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં સિંધી માર્કેટમાં 30થી વધુ દુકાનોમાં આગ લાગી. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરુ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોદીકરીને પરત લાવવા ચૌધરી-રબારી સમાજમાં ધીંગાણું કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજનું સંમેલન મળ્યું. દોઢ વર્ષ પહેલા રબારી યુવક સાથે લગ્ન કરનાર દીકરીને પરત લાવવા મળેલા સંમેલન બાદ બંને સમાજ સામ સામે આવી ગયા. તોડફોડ, પથ્થરમારોના દ્રશ્યો જોવા મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 લાખની લેતીદેતીનો ઓડિયો-વીડિયો વાયરલ ભાવનગરમાં SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ થયો.અશાંત ધારા વાળા વિસ્તારમાં પ્રોપર્ટી લે-વેચ માટે આ કથિત વાતચીત થઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસના બાળકને ત્યજી બે યુવતીઓ ફરાર ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામ નજીક બે યુવતીઓ પાણીપુરીની લારીમાં 2 દિવસના માસુમને તરછોડી ફરાર થઈ.. રડવાનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ અને તેમણે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શ્રમિકોનું પલાયન રોકવા 'મેગા કિચન' શરુ કરાયું સુરતમાંથી શ્રમિકોનું પલાયન રોકવા પાંડેસરામાં મેગા કિચન શરૂ કરાયું.. દરરોજ 5000 લોકોને માત્ર રૂ.50માં ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ગેસ સિલિન્ડરની અછત સર્જાતા શ્રમિકોએ વતનની વાટ પકડી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૈત્રી નવરાત્રીને પગલે આરતી-દર્શનના સમય બદલાશે આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઈને અંબાજી મંદિરમાં આરતી- દર્શનની સમયમાં ફેરફાર કરાયો છે. જો કે 27 માર્ચથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ થઈ જશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્કેટ યાર્ડે ખેડૂતોને માલ સાચવવા અપીલ કરી આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી..જેના પગલે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માલ સાચવવા અપીલ કરાઈ છે. 21મી તારીખથી વાતાવરણ ચોખ્ખું થવાની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલ જાણીતા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના ત્રીજા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી અફરાતફરીના માહોલ સર્જાયોમળતી માહિતી મુજબ, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી એક્સિસ ફાઇનાન્સ લિમિટેડની ઇન્ટરનેશનલ બ્રાન્ચમાં અચાનક આગ લાગી હતી. ઓફિસ શરૂ થવાના સમયે જ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોતા બિલ્ડિંગમાં હાજર લોકોમાં ફાળ પડી હતી અને જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. બિલ્ડિંગના વોચમેને સતર્કતા દાખવી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. એક કલાકે આગ પર કાબુ મેળવાયોઘટનાની ગંભીરતા જોતા વેસુ, ભીમરાડ અને મજુરા ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા રોકી લીધી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓફિસમાં રાખેલો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. એસીમાં શોર્ટ સર્કિટથી આગની શક્યતાઆગમાં બળી ગયેલી વસ્તુઓમાં ઓફિસ ફર્નિચર, સીલિંગ, એસી યુનિટ્સ, લેપટોપ્સ, પાવર કેબલ્સ અને ઓફિસની ખુરશીઓ સહિતની તમામ ઇલેક્ટ્રિક વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ફાયર વિભાગનું અનુમાન છે કે ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી. જોકે, ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
જૂનાગઢ SOG એ એક મોટી સફળતા હાંસલ કરી છે. જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હથિયાર ધારાના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચના અન્વયે SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોન્ટેડ ગુનેગારોના લોકેશન ટ્રેસ કરી રહી હતી. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી લવકુશ ઉર્ફે કલ્લુ હરપાલસિંહ રાજાવત પોલીસની પકડથી દૂર હતો. તપાસ દરમિયાન SOGના એ.એસ.આઈ. રમેશભાઇ માલમ અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ વાવેચાને પાકી હકીકત મળી હતી કે, મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ઇસુરી ગામનો વતની અને હાલ મજૂરી કામ કરતો આરોપી લવકુશ ઉર્ફે કલ્લુ રાજસ્થાનના રેવદર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમી મળતા જ પી.આઈ. આર.કે. પરમારની ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. પોલીસે રેવદર ખાતે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને આરોપીને હસ્તગત કર્યો હતો અને તેને જૂનાગઢ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી લવકુશ (ઉંમર વર્ષ 30) મૂળ મધ્યપ્રદેશનો છે અને તે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં આશરો લઈ રહ્યો હતો. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયેલા આ આરોપીની હવે વધુ પૂછપરછ કરવામાં આવશે, જેમાં હથિયારોની હેરાફેરી કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે. આ સફળ ઓપરેશનમાં SOGના પીઆઈ ,આર.કે. પરમાર, પીએસઆઇ ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડીયા, રમેશભાઇ માલમ, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ વાવેચા અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ બકોત્રા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સુરત ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે કોંગ્રેસ સુરતમાં 'શૂન્ય'માંથી બેઠા થવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ખાસ નિમણૂક કરાયેલા ઓબ્ઝર્વરોની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે. શહેરના રાજકારણમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કોંગ્રેસે રણનીતિ બદલી છે અને ચાર દિવસીય 'સેન્સ' પ્રક્રિયા દ્વારા જમીની સ્તરના મજબૂત ઉમેદવારોની શોધ શરૂ કરી છે. શૂન્યમાંથી સર્જનનો પડકાર, ભાજપ-AAP સામે ત્રિપાંખિયો જંગગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને 120 બેઠકોમાંથી એક પણ બેઠક નસીબ થઈ નહોતી, જે પક્ષ માટે મોટો આંચકો હતો. જે વોર્ડમાં કોંગ્રેસનું વર્ષો સુધી શાસન હતું, ત્યાં આમ આદમી પાર્ટીએ મજબૂત ગાબડું પાડીને વિપક્ષનું સ્થાન છીનવી લીધું હતું. આ વખતે સ્થિતિ અલગ છે; કોંગ્રેસ હાઈકમાન્ડ સમજે છે કે જો સુરતમાં ફરી પગભર થવું હશે તો સંગઠનમાં નવો પ્રાણ ફૂંકવો અનિવાર્ય છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનુભવી નેતાઓ કાર્યકરોની નાડ પારખી રહ્યા છે. નવા ચહેરા અને યુવા નેતૃત્વ પર દાવ, જૂથવાદ ડામવા કવાયતકોંગ્રેસના આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ, આ વખતે પક્ષ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી. જૂના અને જાણીતા ચહેરાઓ જો પોતાની લોકપ્રિયતા ગુમાવી ચૂક્યા હોય, તો તેમની જગ્યાએ શિક્ષિત, સક્ષમ અને લોકપ્રિય યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. ખાસ કરીને પાટીદાર અને લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસ પોતાની જૂની વોટબેંક પાછી મેળવવા માટે આક્રમક વ્યૂહરચના ઘડી રહી છે, જેથી જૂથવાદને કાબૂમાં રાખી શકાય. સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ, 120 બેઠકો માટે ખેંચતાણશહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કોંગ્રેસની કાર્યાલયો પર આજે કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી. ઓબ્ઝર્વર ટીમ સમક્ષ દાવેદારોએ પોતાના બાયોડેટા રજૂ કરી જીતવાની ક્ષમતાના દાવા કર્યા હતાં. આગામી ચાર દિવસ સુધી શહેરના તમામ 30 વોર્ડની 120 બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે. સૂત્રોના મતે, આ વખતે પેનલ લિસ્ટમાં મહિલાઓ અને પછાત વર્ગના પ્રતિનિધિત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઓબ્ઝર્વરોની પેનલ દ્વારા ઝીણવટભરી તપાસકોંગ્રેસના નિમણૂક કરાયેલા ઓબ્ઝર્વર સલીમ શેખે જણાવ્યું હતું કે, અમે દરેક વોર્ડના આગેવાનો અને ઈચ્છુક ઉમેદવારોને રૂબરૂ મળી રહ્યા છીએ. તેમના બાયોડેટા અને સૂચનો લેવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. અમારો ઉદ્દેશ્ય છે કે ગત વખતની ભૂલોનું પુનરાવર્તન ન થાય. અમે પ્રદેશ સમિતિને એવા જ નામ સૂચવીશું જે સામાજિક સમીકરણોમાં ફિટ બેસતા હોય અને જેમનામાં જીતવાની પ્રબળ ક્ષમતા હોય. ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ મેળવશે કે નહીં!કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના મતે, ગત વખતે ટિકિટ વહેંચણીમાં થયેલો વિલંબ અને આંતરિક ખેંચતાણ હારનું મુખ્ય કારણ હતું. આ વખતે પક્ષ વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર કરવા માંગે છે જેથી તેમને જનસંપર્ક માટે પૂરતો સમય મળી રહે. સેન્સ પ્રક્રિયા દરમિયાન ઓબ્ઝર્વરો માત્ર લોકપ્રિયતા જ નહીં, પણ ઉમેદવારની સામાજિક છબી અને પક્ષ પ્રત્યેની વફાદારીની પણ કડક ચકાસણી કરી રહ્યા છે. પાટીદાર- લઘુમતી વિસ્તારોમાં જૂની વોટબેંક મેળવવા કોંગ્રેસની કવાયતસુરતના રાજકારણમાં જાતિગત સમીકરણો હંમેશા નિર્ણાયક સાબિત થાય છે. અજય ગામીત અને સલીમ શેખની જોડી અત્યારે એ બાબત પર ધ્યાન આપી રહી છે કે કયા વોર્ડમાં કયા જ્ઞાતિના ઉમેદવારને ઉતારવાથી ફાયદો થશે. યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની સાથે સાથે પક્ષના પાયાના કાર્યકરોની નારાજગી ન વહોરવી પડે તે માટે પણ સંગઠનાત્મક સ્તરે મનોમંથન તેજ કરવામાં આવ્યું છે.
દાહોદ: ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સાથે સંકળાયેલા વિવિધ વિભાગો દ્વારા ફેબ્રુઆરી-2026 માસની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાબાર્ડ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, GGRC, બાગાયત, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગે પોતાની આંકડાકીય વિગતો રજૂ કરી. આ ઉપરાંત, સહકાર મંત્રાલય, ફૂડ પ્રોસેસિંગ, ગ્રામીણ વિકાસ અને લેન્ડ રિસોર્સિંગ વિભાગે પણ યોજનાના અમલીકરણની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. સમીક્ષા બેઠકમાં આગામી વર્ષ 2026-27 માટેનો વાર્ષિક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે કે.કે. નિરાલાએ જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના અને ખરેખર હકદાર એવા સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સચિવ નિરાલાએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થાય તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી થવી જોઈએ. બેઠકના અંતે, અધિકારીઓને નિયત લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
5.980 કિલો મેફેડ્રોન મામલે ATS એ બે આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્ને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી.જોષીએ બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસમાં ATSએ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. 4.6 કિલો મેફેડ્રોનના જથ્થા મામલે ATSની ટીમે ઉત્તર પ્રદેશથી કપીલદેવ છેદીલાલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ કોલીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પ્રજાપતિએ બન્ને આરોપીઓને કોર્ટમા રિમાન્ડ માટે રજૂ કર્યા હતાં. મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવના કેમિકલ અને સાધનો મળી આવ્યાજ્યાં સરકારી વકીલ જયેશ યાદવે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ આરોપીઓએ અગાઉ પકડાયેલ આરોપી સોહીલ ઉર્ફે ભુરાને 300, ગ્રામ મેફેડ્રોન (MD) વેચ્યું હતું. આ ડ્રગ્સની ડિલીવરી કરવા અમદાવાદ કોણ આવ્યું હતું અને તેનો મોબાઈલ નંબર શું છે ?, રેડ દરમિયાન આ આરોપીઓ પાસેથી 5.980 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવના કેમિકલ અને સાધનો મળી આવ્યા છે. તેને વધુમાં કહ્યું કે, આ સાધનો અને કેમિકલ તેઓ કોની પાસેથી લાવ્યા હતા તેની કડી મેળવવાની છે ?, તેઓ ક્યારથી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા અને અત્યાર સુધીમાં અન્ય કઈ કઈ જગ્યાએ ડ્રગ્સ બનાવ્યું કે વેચ્યું છે ? આ ગેરકાયદેસર ધંધામાં તેમની સાથે બીજા કયા વ્યક્તિઓ સામેલ છે તેની પૂછપરછ કરવાની છે. બંને આરોપીના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાઆરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખ્યો છે કે કેમ તે જાણીને તેને કબજે કરવાનો છે, શું આ આરોપીઓ કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા અથવા કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે તેની તપાસ કરવી જરૂરી છે. ડ્રગ્સના વેચાણથી મળેલા નાણાં તેઓ કયા માધ્યમથી મેળવતા હતા અને આ ગુનાહિત કમાણીથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે કેમ તેની વિગતો મેળવવાની છે, આરોપીઓના મોબાઈલ ફોનના CDR. મેળવી તેમાં આવતા શંકાસ્પદ સંપર્કો બાબતે તેમની હાજરીમાં પૂછપરછ કરવી જરૂરી છે, આ આરોપીઓ અગાઉ NDPS કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો. હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખસોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળાના કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ લઈને ભાગવું પડ્યું હતું. મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખસોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં, જાહેર માર્ગ પર આરોપીઓ પર દંડા વરસાવ્યા હતા. એકબાજુ પોલીસના દંડા વરસતા હતા અને બીજી બાજુ આરોપીઓ સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો. આરોપીઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે આ શખસો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ આરોપીઓને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કડક હાથે કાયદાનું ભાન કરાવ્યું હતું. આખો બનાવ શું હતો?ઝીલિયા ગામે આવેલા એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખસોએ હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મંદિરનો ફાળો ઉઘરાવવા મુદ્દે ચાલી રહેલા મનદુઃખને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. ગઈકાલે (17 માર્ચ 2026) પાટણ એસપીએ ઝીલિયામાં બનેલી ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ સ્ટેશનના 3 અધિકારી અને 5 કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા હતા. જેમાં PI આર. એચ. સોલંકી, ASI હરેશ અરજણભાઈ અને HC સંજય મોહનલાલ સામેલ છે. તેમજ ફરજ પરના તમામ -5 GRDને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસની કડક કાર્યવાહી અને સરઘસબનાવની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર જહુ શંકુ ઠાકોર સહિત કુલ 18 શખસોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન સુધી આ માથાભારે શખસોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે આ શખસો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની યાદીપોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 18 શખસનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ 18 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની કાર્યવાહી સામે ઉઠ્યાપોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં માર મારતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો સીધું ઉલ્લંઘન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આવા એક મામલે પોલીસ સામે લાલ આંખ કરી હતી. માનવ અધિકારોનું ઉલ્લંઘનસુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે પોલીસ કસ્ટડી કે જાહેર રસ્તા પર કોઈ પણ વ્યક્તિને માર મારવો એ બંધારણની કલમ 21 (જીવવાનો અને ગરિમાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. ગુનેગારને સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું નહીં. ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય (ઐતિહાસિક ચુકાદો)આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે: ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે માનવીય વર્તન થવું જોઈએ. કોઈપણ પ્રકારની શારીરિક યાતના (ટોર્ચર) ગેરકાયદેસર છે. જો પોલીસ કસ્ટડીમાં કે જાહેરમાં હિંસા કરે, તો તે પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસ અને ફોજદારી ગુનો બની શકે છે. તાજેતરના ચુકાદાઓ અને હાઈકોર્ટનું વલણતાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે પણ ખેડાના માતર તાલુકાના એક કિસ્સામાં (જ્યાં પોલીસ દ્વારા જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા) કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે: જાહેરમાં થાંભલે બાંધીને કે લાકડીથી મારવું એ અસંસ્કારી વર્તન છે. પોલીસ પાસે આવી રીતે સજા આપવાની કોઈ સત્તા નથી. આવા કૃત્યો માટે જવાબદાર પોલીસ અધિકારીઓ જેલની સજા અને દંડને પાત્ર છે. પોલીસ ક્યારે બળપ્રયોગ કરી શકે?કાયદા મુજબ પોલીસ માત્ર નીચેની પરિસ્થિતિમાં ન્યૂનતમ બળ (મિનિમમ ફોર્સ) વાપરી શકે છે: જ્યારે ભીડ હિંસક બની હોય અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડતી હોય. જ્યારે ગુનેગાર પોલીસ પર હુમલો કરે અથવા ભાગવાનો પ્રયત્ન કરે. પરંતુ, આ બળપ્રયોગ પણ શિક્ષા તરીકે નહીં, પણ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જ હોવો જોઈએ.
શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષ 1997માં થયેલા લોહિયાળ ઝઘડાના કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્વાતિ નિતીન કુલકર્ણીએ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે બન્ને આરોપીઓને 1.50 લાખ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવવા નિર્દેષ આપ્યો છે. આરોપીઓનો ફરિયાદી અને તેમના ભાઈઓ પર હુમલો26 એપ્રિલ, 1997ના રોજ રાત્રે AMTS બસ સ્ટેન્ડ પાસે જમીન બાબતના જૂના વિવાદને લીધે આરોપીઓએ ફરિયાદી રાજેશકુમાર સરોજ અને તેમના ભાઈઓ પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી કૈલાશસિંહ રાઠોડે તલવાર વડે ફરિયાદીના ભાઈ ગુલાબના માથામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓ હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીએ લોખંડની પાઈપ વડે ફરિયાદી અને તેના ભાઈ ચંદનને ગંભીર ઈજાઓ કરી હતી. મુખ્ય આરોપીનું અવસાન થતાં કેસ બંધ કરાયોઆ મામલે શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી કૈલાશસિંહ રાઠોડનું અવસાન થતાં તેમની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રજ્ઞાબહેન પ્રજાપતિએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે આ ગંભીર પ્રકારનો કેસ છે, જમીન વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, ફરિયાદી પક્ષ આરોપીઓ સામેનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં સફળ રહ્યો હોવાથી તેમને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીને 5 વર્ષની સજાજેથી સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે, જ્યારે આરોપીઓ તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીને દોષિત ઠેરવી 5 વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે. 29 વર્ષ જુના આ કેસમાં આરોપીઓને સજા ફટકારતા ચુકાદામાં જજ સ્વાતિ નિતીન કુલકર્ણીએ નોંધ્યું હતું કે, ભોગ બનનાર સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ પુરાવાઓ પરથી સાબિત થાય છે કે આરોપીઓએ હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ દલીલ કરી હતી કે, અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હશે, પરંતુ ફરિયાદી અને આરોપીઓ એકબીજાને પહેલેથી ઓળખતા હતા. તેથી તે દલીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. જ્યારે સીધો પુરાવો ઉપલબ્ધ હોય અને તે શંકાથી પર હોય, ત્યારે આરોપી સામેનો ગુનો સાબિત થયેલો ગણાય.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વેકેશનના ગાળામાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેનના ફેરામાં કરવામાં આવેલો ફેરફારરેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ જે અગાઉ 30.03.2026 સુધી દોડવાની હતી, તેને હવે લંબાવીને 27.07.2026 સુધી કરવામાં આવી છે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સમર સ્પેશિયલ જે 29.03.2026 સુધી નિર્ધારિત હતી, તેને હવે 26.07.2026 સુધી લંબાવવામાં આવી છે. બુકિંગ અને અન્ય સુવિધાઓમુસાફરો આ લંબાવવામાં આવેલા ફેરા માટે 20 March, 2026 થી બુકિંગ કરાવી શકશે. બુકિંગની સુવિધા તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ ટ્રેન સાપ્તાહિક હોવાથી મુસાફરો અગાઉથી આયોજન કરીને પોતાની સીટ કન્ફર્મ કરાવી શકે છે. વિગતવાર માહિતી માટે સ્ત્રોતટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચ કમ્પોઝિશન વિશેની વધુ માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. રેલવેના આ નિર્ણયથી આગામી ઉનાળુ વેકેશનમાં વતન આવતા અને પ્રવાસે જતા લોકો માટે મુસાફરી વધુ સરળ બનશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ 11 ના રહીશો છેલ્લા 5 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. રાજકોટના અત્યંત પોશ અને વિકસિત ગણાતા નવા 150 ફૂટ રિંગ રોડ, મોટા મવા અને શ્રી નાથજી ચોક આસપાસની અનેક સોસાયટીઓ તેમજ ફ્લેટ ધારકો પાયાની જરૂરિયાતોથી વંચિત હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આ વિસ્તારના જાગૃત નાગરિકો નિયમિતપણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખોનો વેરો ભરપાઈ કરી રહ્યા છે, તેમ છતાં તેમને બદલામાં માત્ર ખાડાવાળા રસ્તા, અંધારા રસ્તા અને ગટરના ઉભરાતા પ્રશ્નો જ મળ્યા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આજે રહીશોએ મનપા કચેરીએ હોબાળો કર્યો હતો. અને બાદમાં ડેપ્યુટી કમિશ્નર નંદાણીને ઉગ્ર રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. વિસ્તારમાં ડામરના પાકા રસ્તાઓનો અભાવ છે, જેના કારણે ચોમાસામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે અને ઉનાળામાં ધૂળની ડમરીઓને કારણે શ્વસનતંત્રના રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. સ્ટ્રીટ લાઈટની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અકસ્માત અને ચોરીનો ભય પણ સતાવી રહ્યો છે. પીવાના શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની સવલતો માટે પણ મનપાના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ તમામ સમસ્યાઓ અંગે છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓના દરવાજા ખટખટાવ્યા હોવા છતાં, માત્ર આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. સામાન્ય નાગરિકની મૂળભૂત જરૂરિયાત ગણાતી સફાઈની સુવિધા પણ આ વિસ્તારમાં નિયમિત રીતે આપવામાં આવતી નથી. તંત્રના આવા જડ વલણને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં રિદ્ધિબેન સેરઠીયાએ જણાવ્યું હતું કે, મોટા મવા વિસ્તારના એપાર્ટમેન્ટના બધા લોકો અહીં એકત્રિત થયેલા છીએ. અમારા મુખ્ય પ્રશ્નો રસ્તા, પાણી અને વીજળીના છે, જેના લીધે આટલા વર્ષોથી અમે લોકો રેગ્યુલર વેરો ભરીએ છીએ છતાં પણ અમારા એક પણ પ્રશ્નનું નિરાકરણ નથી મળ્યું અને બેઝિક સુવિધા અમને લોકોને મળેલી જ નથી. એ માટે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરેલી છે, છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થયેલું, એટલા માટે અમે લોકો અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો આ લોકો અમને બેઝિક ફેસિલિટી નહીં આપે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું. અનેક વખત રજૂઆતો કરવા છતાં અમને જરા પણ રિસ્પોન્સ મળ્યોનથી. અમે ચોમાસામાં અને રેગ્યુલર દિવસોમાં પણ ખૂબ જ હાલાકી ભોગવીએ છીએ. રોડ રસ્તાના કારણે મોટરસાયકલ પરથી પણ લોકો પડી જાય છે, કેટલાય લોકોના હાડકા પણ ભાંગેલા છે. જશુભાઈ પટેલે જણાવ્યું કે, અમે મોટામવા નવા રિંગ રોડ ઉપર 7 વર્ષથી અમારા 1000 જેટલા ફ્લેટો આવેલા છે. અમે પ્રાથમિક સુવિધાના અભાવે ખૂબ જ પરેશાન છીએ, જેની અમે અહીં રજૂઆત લઈને આવ્યા છીએ. અમે બધા ટેક્સ પેયર લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ-રસ્તા, સફાઈ, લાઈટિંગ કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. વારંવાર બધા નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરેલ છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. અમારી વિનંતી છે કે તાત્કાલિક અમને રોડ-રસ્તા અને સુવિધા આપે નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, વેરો ભરવામાં આવશે નહીં અને જેટલા શક્ય હોય એટલા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારનાં લોકોએ આરપારની લડાઈનું રણશિંગું ફૂંક્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં મનપા તંત્રને ચિમકી ઉચ્ચારી છે કે, જો ટૂંકા સમયગાળામાં રોડ, રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનાં પ્રશ્નો ઉકેલ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. એટલું જ નહીં, જે મનપા તેમને સુવિધા આપી શકતી નથી તેને એક પણ રૂપિયો વેરો ન ભરવાનો નિર્ધાર પણ રહીશોએ કર્યો છે. સુવિધા નહીં તો વેરો નહીં અને મત પણ નહીં ના સૂત્રોચ્ચાર સાથે રહીશોએ તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરશે.
ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે વચ્ચે દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના આર્થિક શોષણનો જ્વાળામુખી ફાટ્યો છે. 'ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન' ના આદેશને પગલે આજે આખા રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આંગણવાડીઓને તાળાબંધી કરવામાં આવી છે. જિલ્લાની કુલ 3056 પૈકી 2430 કેન્દ્રોના કાર્યકરોએ 18 થી 20 માર્ચ સુધી ત્રણ દિવસની સામુહિક કપાત પગારની હડતાલ જાહેર કરતા વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે. આજે મોટી સંખ્યામાં બહેનોએ તાલુકા મથકોએ એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર પાઠવી પોતાની વેદના રજૂ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ બહેનોની વેદના સમજીને કાર્યકરને ₹24,800 અને તેડાગરને ₹20,300 પગાર આપવા રાજ્ય સરકારને ઐતિહાસિક હુકમ કર્યો હતો. દાહોદ જિલ્લામાં આંદોલન દબાવવા માટે તંત્રએ લોકશાહી વિરોધી વલણ અપનાવ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણે કાર્યકરોની કપાત પગારની રજાઓ નામંજૂર કરી છે અને હડતાલ પર ઉતરેલી બહેનોને 'શો-કોઝ નોટિસ' ફટકારી છે. જોકે, બહેનોનું કહેવું છે કે નોટિસોથી ડર્યા વગર તેઓ લડત ચાલુ રાખશે. આંગણવાડી બહેન કુસુમબેન પરમારે જણાવ્યું કે, અમે ક્યારેય કામ કરવાની ના પાડી નથી. બાળકોના ભોજનના ભાવો સરકારે વર્ષોથી વધાર્યા નથી. ગેસના બાટલાના બિલો સમયસર મળતા નથી, એટલે અમે ઘરના પૈસે ગેસ ભરાવીને બાળકોને જમાડીએ છીએ. શું સરકારને અમારી આ મહેનત અને ત્યાગ દેખાતો નથી? આંગણવાડી બહેનોનો આરોપ છે કે 2022 માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું જે હજુ સુધી પૂરું થયું નથી. જૂના મોબાઈલ હેંગ થાય છે, છતાં પોષણ ટ્રેકર જેવી એપ્લિકેશનો પર ઓનલાઈન કામગીરીનું અસહ્ય દબાણ કરવામાં આવે છે. આ ડિજિટલ કામગીરીના કારણે બહેનો માનસિક તણાવ અનુભવી રહી છે. જ્યારે આખું વિશ્વ કોરોનામાં ઘરમાં ભરાઈ ગયું હતું, ત્યારે આ જ આંગણવાડી બહેનોએ કોઈપણ સુરક્ષા વગર ઘરે-ઘરે જઈને સર્વે કર્યો હતો. હોસ્પિટલોમાં દર્દીઓ માટે પથારીઓ કરી હતી અને વેક્સિનેશનમાં પણ સિંહફાળો આપ્યો હતો. આજે જ્યારે તેઓ હક માંગે છે, ત્યારે તેમને ગુનેગારની જેમ ટ્રીટ કરવામાં આવી રહી છે. સંગઠનની આગેવાની હેઠળ બહેનોની માંગણીઓ સ્પષ્ટ છે કે હાઈકોર્ટ મુજબ વેતન વધારો, 60 વર્ષની વયે નિવૃત્તિ, બાકી બિલોનું વ્યાજ સાથે ચુકવણું, ઉનાળુ વેકેશનનો લાભ અને ઓનલાઈન કામગીરીમાં રાહત. આ માંગણીઓ સંતોષવા માટે બહેનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. રાજ્યમાં આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે દાહોદ જિલ્લાની હજારો આંગણવાડી બહેનોનું આ સંગઠિત આંદોલન સત્તાધારી પક્ષ માટે મોટો પડકાર બની શકે છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે જો 20 માર્ચ સુધીમાં વાટાઘાટો નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં દાહોદની 2430 આંગણવાડીઓને તાળા લાગ્યા છે, જેના કારણે હજારો બાળકો અને સગર્ભા માતાઓના પોષણના કાર્યક્રમને અસર પડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બહેનોની વેદના સાંભળીને સમાધાનકારી વલણ અપનાવે છે કે પછી સત્તાના જોરે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ ચાલુ રાખે છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં હિમાલયા પાર્ટી પ્લોટના સંચાલકને મંગળવારે સવારે ગભરામણ થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ફેબ્રુઆરીમાં હિમાલયા પાર્ટી પ્લોટ નજીક ગટરની ચેમ્બરમાં પ્રોજેક્ટ મેનેજર અને શ્રમજીવીનું મોત થયું હતું. તેના ગુનામાં પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જંયતિ સુપર કન્ટ્રક્શનના જંયતિ પટેલ અને ગ્રીસ્વા ઈન્ફ્રા પ્રોજેક્ટના સંજય ખુંટ સામે ફરિયાદ નોંધી હતીગટર ચેમ્બરના કામમાં અક્ષય ભાભોર નામના લાઈનમેન કામ કરી રહ્યા. તે બેભાન થતાં પ્રોજેક્ટ મેનેજર વિપુલભાઈ માંગરોલીયા ઉતર્યા હતા. તેઓનું પણ મૃત્યું થયું હતું. વિપુલભાઈના પિતરાઈ ભાવેશ પટેલે વરણામા પોલીસમાં ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, સુરક્ષાના સાધન વિના વિપુલભાઈ અને અક્ષયભાઈને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. પોલીસે જંયતિ સુપર કન્ટ્રક્શનના જંયતિ પટેલ અને ગ્રીસ્વા ઈન્ફ્રા પ્રોજેક્ટના સંજય ખુંટ સામે ફરિયાદ નોંધી હતી. ગભરામણ થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાતપાસમાં હિમાલયા પાર્ટી પ્લોટના સંચાલક જયેશ પંડ્યાએ ગટરનું ગેરકાયદેસર જોડાણ લીધું હોવાનું બહાર આવતાં 2 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. 5 માર્ચે સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. મંગળવારે સવારે 10 વાગ્યે તેઓને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લામાં એગ્રિકલચરમાં વપરાતી જંતુનાશક દવા બનાવતી કંપનીઓમાં અસલીની આડમાં નકલી દવા બનાવી વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય SOG પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસલી જંતુનાશક દવાઓની આડમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવનારી 3 કંપનીમાં દરોડો પાડીને 25 લાખથી વધુ કિંમતની ડુપ્લીકેટ જંતુનાશક દવા સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસે કોપી રાઇટ એક્ટ તેમજ બીએનએસની કલમ 318 (4) મુજબ ગુનો નોંધી દવાના સેમ્પલ પરીક્ષણ અર્થે ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યુંરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લોધિકા તાલુકાના વીરવા ગામ ખાતે આવેલી શક્તિ કેમિકલ કંપની ખાતે રેઇડ પાડવામાં આવતા ત્યાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી પોલીસે કુલ 14,10,000ની કિંમતની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તેમજ એમ.એસ.સી કેમિકલનો અભ્યાસ કરી ચૂકેલા અને રાજકોટ ખાતે રહેતા 28 વર્ષીય ધવલ કોરાટ વિરુદ્ધ લોધીકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 318 (4) તેમજ કોપીરાઇટ એક્ટ 51, 63, 65 સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 1,95,750ની કિંમતની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યોઆ ઉપરાંત લોધિકા તાલુકાના રાવકી ગામ ખાતે ગ્રીન ભારત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રેઇડ પાડવામાં આવતા ત્યાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તે સંદર્ભે રાજકોટ ખાતે રહેતા 30 વર્ષીય સાહિલ ટીમબડીયા અને 35 વર્ષીય કશ્યપ આકોલીયા વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ લોધીકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જયારે લોધિકા તાલુકાના માખાવડ ગામેં આવેલી એડીકોન પેસ્ટીસાઈડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કારખાનામાંથી રૂ.1,95,750ની કિંમતની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો મળી આવતા 27 વર્ષીય ધ્રુવ પટોળિયા વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જંતુનાશક દવાના નામ સાથે ભળતાં નામથી દવાઓ માર્કેટમાં વેચાણ કરવામાં આવતીપોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીમાં બનતી ખેતીની દવાઓની પેટન્ટની કોપી કરવામાં આવતી હોવાનું તેમજ દવાઓ પોતાના માલિકીના કારખાનામાં મિશ્રણ કરી બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત આરોપીઓ દ્વારા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપની દ્વારા વેચાણ કરવામાં આવી રહેલ જંતુનાશક દવાના નામ સાથે ભળતાં નામથી દવાઓ માર્કેટમાં વેચાણ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. SOG દ્વારા કબજે કરાયેલ દવાઓના સેમ્પલને ગાંધીનગર પેસ્ટીસાઈડ્સ લેબમાં મોકલવામાં આવ્યાઆરોપીઓ દ્વારા એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવામાં આવતી ડુપ્લિકેટ દવાઓ બનાવવામાં આવતી હતી, તે પૈકી કેટલીક દવાઓ ઘાસ બાળવા માટે વપરાય છે તો કેટલીક દવાઓ મગફળી અને કપાસના પાક માટે વપરાતી હોવાનું સામે આવ્યું છે. SOG દ્વારા કબજે કરવામાં આવેલ જંતુનાશક દવાઓના સેમ્પલને ગાંધીનગર પેસ્ટીસાઈડ્સ લેબમાં મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ જે પણ કલમનો ઉમેરો કરવાનો રહેતો હશે તે કલમનો ઉમેરો પણ કરવામાં આવશે. આરોપીઓ 60થી 70 જેટલી અન્ય જંતુનાશક દવાઓના પેટન્ટ પણ ધરાવતા હોવાનું સામે આવ્યુંપોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા એક દોઢ વર્ષથી આરોપીઓ આ પ્રકારે ડુપ્લીકેટ દવાઓ બનાવતા હોવાનું તેમજ તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ઇન્ડિયા માર્ટ નામની ઓનલાઇન પોર્ટલ તેમજ જુદા-જુદા ડીસ્ટ્રીબ્યુટરના માધ્યમથી ઓફલાઈન પણ વેચાણ કરતા હોય છે. જો કે ઝડપાયેલ આરોપીઓ પાસે 60થી 70 જેટલી અન્ય જંતુનાશક દવાઓના પેટન્ટ પણ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમને પણ મદદ લેવામાં આવી હતી અને તેમની હાજરીમાં જ તમામ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરીઉલ્લેખનીય છે કે, પોલીસે ઝડપી પાડેલ આરોપી સાહિલ વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પણ કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ત્યારે આરોપીઓ ડુપ્લીકેટ દવાઓ બનાવવા માટે રો મટીરીયલ ક્યાંથી લેતા હતા.? કઈ રીતે ડુપ્લીકેટ દવાઓ તૈયાર કરતા હતા.? તેમજ એન્ડ યુઝર સુધી કઈ રીતે દવાઓ પહોંચાડતા હતા તે સહિતની બાબતો અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ દ્વારા વાર્ષિક કેટલા કરોડની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી તેમજ તેનું વેચાણ કેટલું કરવામાં આવતું હતું તે બાબતે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
ચોટીલા: નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ 18 માર્ચ, 2026ના રોજ ચોટીલા નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરપાલિકાની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન, નાયબ કલેકટરે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા તેમજ નાગરિકોને અપાતી વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને નાગરિક સુવિધાઓમાં વધુ સુધારો કરવા, જાહેર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાયબ કલેકટર મકવાણાએ નગરપાલિકાના સ્ટાફને જવાબદારીપૂર્વક કામગીરી કરીને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાતમાં ‘UCC’ તરફ મોટું પગલું:લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઈન પર નિયંત્રણ અને વારસામાં સમાન અધિકાર
ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે. સંહિતાના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીંછૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. લિવ-ઈન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશેલિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશેમિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય. અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટજો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
પંચમહાલ LCB એ અલ્ટો કાર સાથે તસ્કર ઝડપ્યો:મોટરસાયકલ ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલાયો
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એક રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. ગોધરા ભામૈયા ચોકડી પાસે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ અલ્ટો કાર સાથે આરોપી દિપરાજ સુરેન્દ્રકુમાર પરમારની ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી મોટરસાયકલ ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત અને ગોધરા રેન્જ આઈજી વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, LCB પી.આઈ. એન.એલ. દેસાઈની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે ગોધરા ભામૈયા ચોકડી પાસે GJ-17 BH-3355 નંબરની અલ્ટો કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ચોરીના ટાયર અને મ્યુઝિક ટેપ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, ડેમલી, તા. શહેરાના રહેવાસી દિપરાજ પરમારે કબૂલ્યું હતું કે તેણે 29/01/2026 ના રોજ નરસાણા ગામેથી સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરી હતી. આ ઉપરાંત, 14/03/2026 ના રોજ સીમલા ગેરેજ પાસે એક બંધ કારમાંથી ટાયર અને મ્યુઝિક સિસ્ટમની ચોરી કરી હોવાનું પણ તેણે સ્વીકાર્યું હતું. પોલીસે આરોપી પાસેથી કુલ ₹ 2,15,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹ 2,00,000/- ની અલ્ટો કાર, ₹ 8,000/- ના ટાયર, ₹ 2,000/- ની મ્યુઝિક ટેપ અને ₹ 5,000/- નો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી દિપરાજ પરમાર રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ હાલોલ ટાઉન અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ ધરપકડથી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
પોરબંદરમાં એલ.સી.બી.નો દરોડો:વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો
પોરબંદર એલ.સી.બી. ટીમે છાંયા વિસ્તારમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા એક યુવાનને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 10,750 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલ.સી.બી. ટીમે છાંયા એ.સી.સી. રોડ પર કુંભારની વંડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઈ જુગાર રમાડતા મીલન પ્રવીણભાઈ ઠકરાર (ઉંમર 26, રહેવાસી – છાંયા, ઉપલી કેનાલ પાસે, કૃષ્ણા પાર્ક શેરી નં. 4, પોરબંદર)ને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલી બે ચિઠ્ઠીઓ, એક બોલપેન અને રૂ. 10,750 રોકડ રકમ સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…વડોદરા બ્રેકિંગ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત બાઇક સવાર ત્રણ લોકો ઊભેલી કાર સાથે ધડાકાભેર અથડાયા ઘટના સ્થળે જે એકનું મોત અન્ય બે ઇજાગ્રસ્ત મૃતક સગીરનું નામ અનમોલ રવિન્દ્રભાઈ સોની ( ઉંમર વર્ષ 15) મૃતક બાળક દંતેશ્વર વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરનો રહેવાસીઅમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ:વડાળાના વાડીવિસ્તારમાં 108ની ટીમે સમયસૂચકતા દાખવી
પોરબંદરના વડાળા ગામના વાડીવિસ્તારમાં એક શ્રમિક પરિવારની મહિલાને પ્રસૂતિની આકરી પીડા ઉપડતા વિસાવાડા 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. આધુનિક ટેકનોલોજી અને ત્વરિત સેવાઓનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ, વડાળાના વાડીવિસ્તારમાં રહેતી મહિલાને તેની ચોથી પ્રસૂતિ વખતે અચાનક અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. આ અંગેની જાણ થતા જ વિસાવાડા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને હોસ્પિટલ પહોંચે તેટલો સમય ન હોવાથી, EMT ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશભાઈ મોકરીયાએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો હતો. 108ની ટીમે હેડ ઓફિસના ફિઝિશિયન ડો. મહેતાના ટેલિફોનિક માર્ગદર્શન અને પોતાની તાલીમબદ્ધ આવડતનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયાસના પરિણામે મહિલાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો, જેનાથી શ્રમિક પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી વધુ સંભાળ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ની આ પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિકટ પરિસ્થિતિમાં દર્દીની વહારે આવીને 108 સેવાએ ફરી એકવાર પોતાની સાર્થકતા પુરવાર કરી છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100ટકાનો વધારો:હોટલ ઉદ્યોગ પર સંકટ, મેનૂમાં 10ટકા ભાવવધારાની શક્યતા
રાજ્યમાં ગેસના પુરવઠાની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. છેલ્લા પાંચ દિવસમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 100 ટકા વધારો થયો છે, જેનાથી ગ્રાહકોના ખિસ્સા પર પણ બોજ વધવાની શક્યતા છે. અગાઉ જે 21 કિલોનો ગેસનો બાટલો ₹2200માં મળતો હતો, તે હવે ₹4200 સુધી પહોંચી ગયો છે. આ ભાવવધારો હોટલ સંચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. HP અને ઇન્ડિયન જેવી મુખ્ય ગેસ કંપનીઓ પાસે હાલમાં પૂરતો સપ્લાય નથી. આ સ્થિતિમાં, અદાણીના ગેસ બાટલા ₹4200માં વેચાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગેસની અછતને પહોંચી વળવા માટે હવે ઘણી હોટલોએ ફરી કોલસા અને ડીઝલની ભઠ્ઠીઓ પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આનાથી સંચાલન ખર્ચમાં પણ વધારો થશે. આ ભાવવધારાની સીધી અસર ગ્રાહકો પર પડશે. HP અને ઇન્ડિયન જેવી કંપનીઓ પાસે અત્યારે કોઈ સપ્લાય કે જવાબ નથી. જે બાટલો 1800-1900 રૂપિયામાં મળતો હતો, તેની હવે દૂર-દૂર સુધી કોઈ શક્યતા દેખાતી નથી. હવે આપણે અદાણીના 2300 રૂપિયાના બદલે 4200 રૂપિયામાં બાટલા લેવા પડે છે, જેના કારણે 100 ટકા ભાવ વધારો અનિવાર્ય છે. સરકારી કંપનીઓ પાસે જવાબ નથી હોટલ એસોસિએશનના સૂત્રો અને સંચાલકો મુજબ, HP અને ઇન્ડિયન જેવી સરકારી કંપનીઓ પાસે સપ્લાય અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યો નથી. અગાઉ ₹1800-1900માં મળતા સિલિન્ડર હવે બજારમાંથી ગાયબ થઈ ગયા છે, જેને કારણે ખાનગી સપ્લાયર્સ મનફાવે તેમ ભાવ વધારી રહ્યા છે. આગામી દિવસોમાં શું?જો આગામી 2-3 દિવસમાં ગેસનો પુરવઠો સામાન્ય નહીં થાય, તો તમામ હોટલોએ પોતાના ભાવપત્રકમાં 10 થી 15 સુધીનો વધારો કરવો પડશે, જેની સીધી અસર સામાન્ય જનતાની થાળી પર પડશે.
ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી મંદિરમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રી મહોત્સવનો અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર મહોત્સવ પૂર્વે આજે ફાગણ વદ અમાસના દિવસે મંદિરમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ એટલે કે શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માતાજીની વિવિધ સવારીઓનું વિધિવત રીતે શુદ્ધિકરણ કરાયુંવર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સ્થાનિક સોની પરિવાર દ્વારા માતાજીની વિવિધ સવારીઓનું વિધિવત રીતે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ સાફ-સફાઈ અને યંત્ર પૂજા પણ સંપન્ન કરવામાં આવી હતી. સામાન્ય રીતે અન્ય ધાર્મિક સ્થળોએ આસો નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીનો ઉત્સવ અનેરો મહિમા ધરાવે છે. પ્રથમ નોરતે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટસ્થાપન કરાશેઆવતીકાલે નવરાત્રીના પ્રથમ નોરતે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવશે, જેની સાથે જ 10 દિવસીય નવરાત્રી મહોત્સવનો વિધિવત આરંભ થશે. આ મહોત્સવ દરમિયાન છઠ, સાતમ અને આઠમના પવિત્ર દિવસોએ મંદિરમાં વિશેષ યજ્ઞોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો ભરાશેબહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ અને પૂજારીના જણાવ્યા અનુસાર આ 10 દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડશે. નવરાત્રી બાદ 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો પણ ભરાશે. મેળા અને નવરાત્રી દરમિયાન આવતા માઈભક્તોને દર્શનમાં કોઈ અગવડ ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ અને વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ આભૂષણો અને પુષ્પોના વિશેષ શણગાર પણ કરવામાં આવશે.
વડોદરા શહેરના સમા હરણી લિન્ક રોડ પર વિશ્વામિત્રી ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં લીકેજ થતા આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને લઈ ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી પાણીનો મારો ચલાવ્યો હતો. ગેસ લાઈન લીકેજ આગ, ગોટેગોટા છેકે ઉપર સુધી જોવા મળ્યાસમા હરણી લિન્ક રોડ પર ચેતક બ્રિજ પાસે કોઈ અજાણી વ્યક્તિએ પડેલા કચરામાં આગ લગાવી હતી. આ આગ ધીમે ધીમે આગળ વધી બ્રિજ પાસેથી પસાર થતી ગેસ લાઈન પાસે આવતા ગેસ લાઈન લીકેજ થઈ હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ગોટેગોટા છેકે ઉપર સુધી જોવા મળ્યા હતા. આ આગના બનાવને લઈ એક તરફનો માર્ગ બંધ કરવાની પણ ફરજ પડી હતી. બંને તરફના વાલ્વ બંધ કરતા આગ કાબૂમાં આવીઆગના બનાવને લઈ ટીપી 13 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે ગેસ વાલ્વ ચાલુ હોવાથી પાણીથી નિયંત્રણ મેળવી શકાયું ન હતું. ફાયર વિભાના જવાનોએ સત્તત 20થી 25 મિનિટ સુધી પાણીનો છંટકાવ કર્યો હતો. ગેસ વિભાગે બંને તરફના વાલ્વ બંધ કરતા આગ કાબૂમાં આવી હતી. ગેસ લાઈનમાં બાજુમાં કચરામાંથી આગ પ્રસરી હતીઆ અંગે સબ ફાયર ઓફિસર મુકુંદ પટેલે જણાવ્યું હતું કે, ચેતન બ્રિજ પાસે ગેસ લાઈનમાં આગ અંગેનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગેસ લાઈનમાં બાજુમાં કચરામાંથી આગ પ્રસરી હતી. અમારી ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આખરે આગને કાબૂમાં લીધી હતી.
ગુજરાત ATSએ દાણીલીમડામાં 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન ગુજરાત ATS યુપી સુધી પહોંચી હતી, જ્યાંથી ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ અને રો-મટીરીયલ પણ મળી આવ્યું છે. ગુજરાત ATSએ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દાણીલીમડામાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે સફ્તઅહેમદની ધરપકડગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે સફ્તઅહેમદ ફારૂક નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપીને આ ડ્રગ્સ સોહિલ ઉર્ફે ભૂરા મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા પઠાણે આપ્યું હતું, જેથી પોલીસે સોહિલ અને ફરહાન નામના અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. યુપીના પંકજ અને કપિલે 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યોઆ બંને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓને યુપીના પંકજ અને કપિલ નામના વ્યક્તિએ 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. ગુજરાત ATSની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી ત્યારે પંકજ અને કપિલ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં ડ્રગ્સ બનાવવાનું કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ATSની ટીમે 12 દિવસ UPની વિવિધ જગ્યાએ તાપસ કરીગુજરાત ATSના એસપી કે.સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. જે 12 દિવસની વિવિધ શંકાસ્પદ જગ્યા ઉપર તપાસ કરી રહી હતી, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં પંકજ અને કપિલની અસામાન્ય ગતિવિધિ જણાઈ હતી. જેથી ATS દ્વારા ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ગામમાં તપાસ કરવામાં આવી હતી. આંબેડકરનગરમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપીઆ દરમિયાન મરઘા ફાર્મ ખાતેથી એક પતરાના શેડમાં ચાલુ હાલતમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી, જેમાંથી 6 કિલો તૈયાર મેફેડ્રોન (MD), 50 કિલો લિક્વિડ, 88 કિલો અન્ય જથ્થો અને 200 કિલો ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ અને કેમિકલ મળી આવ્યું હતું. ATSએ ઉત્તર પ્રદેશથી કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી હતી. ગુજરાત ATSએ કુલ 5 આરોપીની ધરપકડ કરીઆ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, બંને આરોપીઓએ ધો.10થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. બંને છેલ્લા ચાર મહિનાથી ખેતરમાં શેડ બનાવીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. બંને ડ્રગ્સનો જથ્થો બનાવી અલગ અલગ જગ્યાએ વેચતા પણ હતા. ગુજરાત ATSએ આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરત મનપા ચૂંટણી પહેલા ગરમાવો:'હવે પાટીદારો AAP કે કોંગ્રેસને વોટ નહીં આપે', અલ્પેશ કથિરીયાનો શંખનાદ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. અલ્પેશ કથિરીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, હવે પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે અને આગામી ચૂંટણીમાં સમાજ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (AAP)ને મત નહીં આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગત વખતે ભલે વિપક્ષને 27 બેઠકો મળી હોય પરંતુ, આ વખતે સુરતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે અને વિપક્ષના સુપડા સાફ થઈ જશે. AAPનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશનો હુંકારનોંધનીય છે કે, અલ્પેશ કથિરીયા અગાઉ આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને ગત મનપા ચૂંટણીમાં 'આપ'ના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, હવે કેસરીયો ધારણ કર્યા બાદ તેમના સૂર બદલાયા છે. તેમણે શંખનાદ કરતા જણાવ્યું કે, આ વખતે સુરત મહાનગરપાલિકામાં ભાજપને 100 ટકા બેઠકો મળશે અને વિપક્ષને એક પણ સીટ ફાળે નહીં જાય. પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોવાનો દાવો કરીને તેમણે રાજકીય ગરમાવો લાવી દીધો છે, જેનાથી આગામી દિવસોમાં સુરતનું રાજકારણ વધુ તેજ બને એવા એંધાણ છે. કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ઝીરો સીટ ઉપર લડી રહી છેઅલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, જે પોસ્ટ મૂકી છે એ બાબતમાં એવું છે કે, આવનારા દિવસમાં SMCની ચુંટણી આવી રહી છે અને છેલ્લી બે ટર્મથી જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે. ગુજરાતમાં વધારે પાટીદાર સમાજ વસે છે. 9થી 10 જેટલા વોર્ડ છે તો એની અંદરના જ્યારે ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસ આવી હતી. ત્યારબાદ AAP આવી હતી. બંને સમયે પાટીદાર સમાજે એમને સહકાર આપ્યો હતો અને આ વખતે સમાજ કોઈપણ પ્રકારના સહકારમાં નથી બની શકે. અમુક લોકો હોઈ શકે પરંતુ, કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ઝીરો સીટ ઉપર લડી રહી છે. આખા સુરતની અંદર આવનારા દિવસમાં ભગવો કઈ રીતે લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે અને એ માટે સંપૂર્ણ ટીમ કાર્યરત રહેશે. પાટીદાર સમાજે એક તાંતણે બંધાયેલો સમાજ છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ વોટ એટલા માટે નહિ આપે કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારની અંદર કોર્પોરેશનના વિસ્તારની અંદર પાટીદાર સમાજને સૌરાષ્ટ્રની વસ્તી વસે છે એવા વિસ્તારની અંદર કોંગ્રેસ અને આપનું શાસન રહ્યું છે, જેનાથી વિસ્તારને પણ ઘણા બધા નુકશાન રહ્યા છે. બે-ત્રણ ગણ્યાગાંઠિયા કોર્પોરેટરને બાદ કરતા કોઈપણ કોર્પોરેટરે 5 વર્ષમાં એવા કોઈ કાર્ય કર્યા નથી કે, જેનાથી સશક્ત વિસ્તારનું જે-તે લાભ મળી શકે નિર્માણ થઇ શકે તો એ માટે આ વખતે એમનાથી વોટ કઈ રીતે ના મળે એ માટેનો પ્રયાસ રહેશે અને લોકો પણ વિકાસની સાથે છે અને વિકાસને મત આપશે. પાટીદાર સમાજે એક તાંતણે બંધાયેલો સમાજ છે. હું ઘણા સમયથી કહેતો આવું છું કે, સામાજિક રીતે જ્યારે પણ સમાજને જ્યાં ફાયદો થતો હોય છે ત્યાં મતનું સ્થળાંતર થતું હોય છે. બંનેને એક-એક વખત મોકો આપ્યો છે પણ એનાથી જનતાને કોઈ ફાયદો નથી થયો એટલે આ વખતે જનતા રાષ્ટ્રની સાથે વિકાસની સાથે ભાજપની સાથે રહેશે. બંને સમાજ એક જ છે, બંને સમાજમાં ઉમા ખોડલની પૂજા કરે છે. સરદાર સાહેબના સો વંશજો છે અને સાથે સૌરાષ્ટ્રનો પણ જે વિસ્તાર છે, બીજા પણ સમાજો છે એ પણ આ બાબતે તકેદારી રાખશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત 'સ્ટાર્ટઅપ સંવાદ' કાર્યક્રમ દ્વારા ગુજરાતને AI અને ઈમર્જીંગ ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ દેશના વિવિધ રાજ્યોના 24 જેટલા ઉચ્ચ સંભવિત સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમના ઇનોવેશન નિહાળ્યા હતા. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે શાસનમાં પારદર્શિતા અને નાગરિકોની સુખાકારી માટે ગુજરાત સરકાર AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા કટિબદ્ધ છે. Sovereign AI પાર્ક અને મહત્વના MOUરાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ અવસરે બે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેમાં ‘Sarvam AI’ દ્વારા ગુજરાતમાં એક અત્યાધુનિક ‘Sovereign AI પાર્ક’ સ્થાપવામાં આવશે. આ પાર્કમાં હાઈ-એન્ડ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ સેન્ટર્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી સુવિધાઓ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી આગામી 5 વર્ષમાં મોટાપાયે રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત MIKO સ્ટાર્ટઅપ સાથે પણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ્સ માટે આર્થિક સહાયનું મજબૂત મોડેલAI ઇનોવેશન ચેલેન્જ હેઠળ રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ્સ માટે પારદર્શક ફાયનાન્સિયલ સપોર્ટ મોડેલ જાહેર કર્યું છે. જેમાં Proof of Concept (PoC) તબક્કા માટે મોડરેટ યુઝ કેસમાં 7.5 લાખ અને કોમ્પલેક્સ યુઝ કેસમાં 10 લાખ સુધીનું ફંડિંગ આપવામાં આવશે. PoC સફળ થયા બાદ, ફૂલ-સ્કેલ ડિપ્લોયમેન્ટ માટે મોડરેટ પ્રોજેક્ટને 50 લાખ અને કોમ્પલેક્સ પ્રોજેક્ટને 1 કરોડ સુધીની માતબર સહાય આપવામાં આવશે. આ સહાયમાં ઇમ્પ્લિમેન્ટેશન, કસ્ટમાઇઝેશન અને 4 વર્ષ સુધીના હેન્ડહોલ્ડિંગ સપોર્ટનો સમાવેશ થાય છે. વિવિધ ક્ષેત્રોમાં AIનો વિનિયોગમુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં એગ્રીકલ્ચર સેક્ટરના 5, હેલ્થ સેક્ટરના 3, શિક્ષણના 6 અને ગવર્મેન્ટ-ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરના 10 જેટલા સ્ટાર્ટઅપ્સે પોતાની પ્રોડક્ટ્સનું પ્રેઝન્ટેશન કર્યું હતું.CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાખેલા મજબૂત પાયાને કારણે ગુજરાત આજે સેમિકન્ડક્ટર અને ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રોમાં દેશમાં મોખરે છે. ટેકનોલોજી આધારિત વિકાસમાં 'ક્વોલિટી' સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે. સુશાસન અને પારદર્શિતાનો ધ્યેયસરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા માટે AI ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. આ સંવાદ દરમિયાન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે વિગતો આપી હતી. આ પ્રસંગે હસમુખ અઢિયા, આર. સી. મિના, રાજીવ ટોપનો, સંજીવ કુમાર અને વિક્રાંત પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવતા, ગાંધીનગર ખાતે આયોજિત એક ગૌરવશાળી સમારોહમાં કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસોની ખાસિયત એ છે કે રાજ્યની તમામ 182 વિધાનસભા દીઠ એક-એક નવી બસ ફાળવવામાં આવી છે, જે છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચાડવાના લક્ષ્યને સાકાર કરશે. મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને આ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળી તેમજ મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રતિકરૂપે નવી બસોના ડ્રાયવર્સને ચાવીઓ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. 27 લાખ મુસાફરોની વિશ્વસનીય સવારીગુજરાત એસ.ટી. નિગમ એ સામાન્ય માણસ માટે અવર-જવરનું સૌથી સરળ અને વિશ્વાસપાત્ર માધ્યમ છે. હાલમાં નિગમ 8,000 થી વધુ બસોના વિશાળ કાફલા સાથે દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે. આ સેવા દ્વારા પ્રતિદિન 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સ્વચ્છ અને સમયબદ્ધ રીતે પહોંચાડવામાં આવે છે. તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન પણ નિગમ વધારાની બસો દોડાવીને નાગરિકોને પારિવારિક મિલનનો લ્હાવો પૂરો પાડે છે. રૂપિયા 62 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓનવી લોકાર્પણ કરાયેલી 182 બસો પાછળ અંદાજે 62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 ના આયોજન મુજબ રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને મોટી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત 963 સુપર એક્સપ્રેસ, 550 ગુર્જર નગરી, 100 સ્લીપર બસ અને 350 મીડી બસ મળી કુલ 1,963 વાહનો પ્રજાની સેવામાં મૂકવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. એ.સી. અને વોલ્વો બસોનું આગમનપરિવહન ક્ષેત્રે આધુનિકતા લાવવા માટે નિગમ દ્વારા PPP ધોરણે 200 નવીન વોલ્વો અને એ.સી. બસો ચલાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આમ, કુલ 1,963 નોન એ.સી. અને 200 એ.સી. બસોના માધ્યમથી ગુજરાતનું પરિવહન માળખું વધુ સુદ્રઢ બનશે. આ પ્રસંગે વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લા, જી.એસ.આર.ટી.સી. ના એમ.ડી. ડૉ. રાજેન્દ્ર કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

27 C