SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ઈન્જેકશનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી, VIDEO:પોલીસની હાજરીમાં બે મિનિટમાં જ અસલી ફોન કાઢી નકલી પેક કરી દીધો, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાંચને દબોચ્યા

ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જેઓ પાસેથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે જેને ઈન્જેકશનમાં ભરીને પાર્સલ ખોલતા હતા. પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે આરોપીઓએ બે મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આઈફોન, એપલ વોચ જેવી કિંમતી વસ્તુ પાર્સલમાંથી કાઢી ડુપ્લીકેટ પેક કરી દેતાઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જે ટોળકીનો પર્દાફાશ કર્યો છે તેઓ એક વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ IDથી ખોટા સરનારા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા હતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકીને વિશાલ નામના આરોપીને આપી દેતા હતા. કઈ રીતે રેકેટનો પર્દાફાશ થયો?નવા નરોડામાં આવેલી કુરિયર પાર્સલની કંપની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની એક કંપનીના ઓનલાઇન પાર્સલોની ડિલીવરીનું કામ કરે છે. ગત તા.28 જાન્યુઆરીએ 60 પૈકીના એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો હતો. જેથી રિશભભાઇએ ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો આઇફોન 17 પ્રો અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જે બાદ વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો.જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે સમગ્ર બાબતે વટાણા વેરી નાખ્યા હતા. પોલીસની હાજરીમાં બે મિનિટમાં જ પાર્સલ ખોલીને બંધ કરી દીધુંઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે આરોપીઓ પાસે ડેમો કરાવ્યો તો આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું હતું અને તેની મદદથી બે મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. જે જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આરોપીઓ પાસેથી 8 અસલી અને 25 નકલી ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયોવિશાલ દ્વારા પરત આવેલા અન્ય પાર્સલોની તપાસ કરાતા આઇફોન સહિત બે ફોન, 1.79 લાખની બે એપલ વોચ પણ છેતરપિંડીથી મેળવી હોવાનું ખુલવા પામ્યુ હતું. જે મામલે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી આરોપી રામલાલ ગેહલોત, મનોજ, માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ, વિશાલ બાવરી નામના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયર બડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેંસ, હેરડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હવે આ ગેંગના રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:05 am

જામનગરમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ SGSTના બે અધિકારીઓ સસ્પેન્ડ:આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટા સામે સરકાર અને વિભાગની લાલ આંખ

ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના SGST વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પેઢીઓને નોટિસ આપ્યા બાદ ફરજમાં બેદરકારી રહેતા કાર્યવાહીપ્રાપ્ત માહિતી મુજબ, જામનગરની કેટલીક પેઢીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં કસૂર કરવા તેમજ ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાયા બાદ પ્રાથમિક રીતે અધિકારીઓની જવાબદારી નક્કી થતાં સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર શાસન દ્વારા કરવેરા વસૂલાત અને કાર્યવાહી પ્રક્રિયામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ બિલિંગ કૌભાંડ સમયે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતીઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરવામાં મદદગારી અથવા તેનાથી સંબંધિત નાણાકીય ગેરરીતિની આશંકા હતી. તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને 'ફેક ઇન્વોઇસિંગ' (બોગસ બિલિંગ) કૌભાંડની તપાસ દરમિયાન આ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. ​ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:34 pm

મોરબી સાયબર ફ્રોડ:એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ, ડોક્ટર સામે 3 રાજ્યોમાં ફરિયાદ

મોરબીમાં સાયબર ફ્રોડના એક મોટા કેસમાં પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયાએ કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભેજાબાજોને ભાડે આપ્યું હતું. આ ડોક્ટર સામે અગાઉ પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ડીવાયએસપી વિરલ દલવાડી પાસેથી મળતી માહિતી મુજબ, ડો. સુજલ ચામડીયાએ ₹20,000 કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ આરોપી ચિરાગ (અમદાવાદ) અને મનોજ વાલજીભાઈ મકવાણા (રંગપર, બોટાદ) ને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ દ્વારા ₹14,55,349 જમા થયા હતા, જેમાંથી ₹7,60,034 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાકીની રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે મોરબીના અકબર ફકરુદીનભાઈ શેખની પણ ધરપકડ કરી છે. અકબર શેખે પણ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં આંધ્રપ્રદેશમાંથી ₹29 લાખ આવ્યા હતા અને તે પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. હાલમાં, આરોપી ડો. સુજલ ચામડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે આરોપી અકબર શેખ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને મુખ્ય ભેજાબાજ શખ્સોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ.વસાવાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટને લગતા કુલ 15 ગુના નોંધાયા છે, જેમાં આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ તેમના બેંક એકાઉન્ટ ભાડે લેનારા મુખ્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:34 pm

બેચરાજીમાં 'ધ બેલા સ્પા'ની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું:પાટણના શખ્સની ધરપકડ, આરોપી યુવતીઓને ગ્રાહક દીઠ 1000 રૂપિયા આપતો

યાત્રાધામ બેચરાજીમાં મસાજ સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધા પર પોલીસે લાલ આંખ કરી છે.બહુચરાજી ટાઉનમાં આવેલ શક્તિ લેન્ડમાર્કના ત્રીજા માળે ચાલતા 'ધ બેલા સ્પા' પર પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાટણના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહારથી લાવવામાં આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી છે. શક્તિ લેન્ડમાર્કના ધ બેલા સ્પામાં મસાજની આડમાં સેક્સ રેકેટબેચરાજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શક્તિ લેન્ડમાર્કમાં આવેલ ધ બેલા સ્પામાં મસાજ કરવાની આડમાં પરપ્રાંતીય મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે પંચો અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્પા સંચાલક રાજુ પ્રવિણભાઈ ચૌધરી (રહે. દુધારામપુરા, પાટણ) હાજર મળી આવ્યો હતો. એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યાપોલીસે સ્પાના રૂમોમાં તપાસ કરતા ત્યાંથી એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારી દ્વારા યુવતીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આરોપી યુવતીઓને ગ્રાહક દીઠ 1000 રૂપિયા આપતોયુવતીઓએ કબૂલાત કરી હતી કે સંચાલક રાજુ ચૌધરી તેઓને દેહવ્યાપાર માટે બોલાવતો હતો અને ગ્રાહક દીઠ 1000 રૂપિયા મેળવી તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. આ યુવતીઓ છેલ્લા ત્રણેક દિવસથી આ સ્પામાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી રાજુ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાયોપોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપી રાજુ ચૌધરી વિરુદ્ધ ઇમમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ PITA હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક નગરીમાં સ્પાના નામે ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:30 pm

વરાછા ઝોન-એ વેરા વસૂલાતમાં સમગ્ર શહેરમાં પ્રથમ:ગત વર્ષનો‌ તોડ્યો રેકોર્ડ, સીલની કાર્યવાહીથી 90 મિલકતદારોએ 3.56 કરોડનો વેરો ભર્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં વરાછા ઝોન-એ પૂર્વ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગે સપાટો બોલાવતા સમગ્ર શહેરમાં વસૂલાતની કામગીરી કડક બનાવી ટકાવારીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી સીલિંગની ઝુંબેશને કારણે કરચોરોમાં ભારે ફફડાટ છે. વેરો ન ભરતા રહેણાંક અને કોમર્શિયલ મિલક્ત સીલ આજે વરાછા ઝોન-એની ટીમો દ્વારા વોર્ડ નં. 18-ડ માં સમાવિષ્ટ એવા પટેલનગર, માંગીલાલની ચાલ, ભંડારી લેબ્ગ્રોન, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ અને સરદાર હીરા ઉદ્યોગ જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે શિવાંજલી રો-હાઉસ, સૌરાષ્ટ્ર ડાયમંડ સોસાયટી, રૂપા એપાર્ટમેન્ટ, અજંતા ડાયમંડ, હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ અને ખાંડબઝાર જેવા રહેણાંક અને વ્યાપારી એકમોનિ મિલકતદારોને વારંવારની સૂચના છતાં વેરો ભરપાઈ કર્યો ન હતો તેથી તેમની મિલકતોને સ્થળ પર જ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 25 લાખની રોકડ વસૂલાત અને 30 લાખથી વધુના એડવાન્સ ચેકપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફક્ત આજની કામગીરી દરમિયાન વોર્ડ 18-ડી માંથી રૂ. 25 લાખની રોકડ વસૂલાત થઈ છે અને રૂ. 30 લાખથી વધુની રકમના એડવાન્સ ચેક મેળવવામાં આવ્યા છે. 80થી 90 મિલકતદારોએ 3.56 કરોડનો વેરો ભર્યોતારીખ 1 ફેબ્રુઆરી થી 7 ફેબ્રુઆરી, 2026 સુધીના આંકડાઓની વાત કરીએ તો, ઝોનની 100થી વધુ મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અંદાજે 80થી 90 મિલકતદારોએ સીલિંગની કાર્યવાહીથી બચવા તાત્કાલિક ધોરણે રૂ. 3.56 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. ગત વર્ષનો રેકોર્ડ તોડયો વરાછા ઝોન-એ અત્યારે સમગ્ર સુરત મહાનગરપાલિકામાં 67.59 ટકા વસૂલાત સાથે સૌથી આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 219.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે ગત વર્ષની કુલ વસૂલાત રૂ. 212.31 કરોડ કરતા રૂ. 7.56 કરોડ વધુ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:11 pm

'જનતા ચાલે અને નેતાઓ ગાડીમાં ફરે તે નહીં ચાલે':લલિત પરસાણા સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ ડિટેન, જૂનાગઢમાં મેળા પૂર્વે રાજકારણ ગરમાયું

જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. મેળાના આયોજનમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પક્ષપાતી વલણ સામે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મોરચો માંડ્યો હતો.જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા લલિત પરસાણા અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી તેમને ડિટેઈન કર્યા હતા. ‘યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી’લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ભવનાથ તળેટીમાં યોજાતો આ મેળો આપણી સનાતન સંસ્કૃતિ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મેળાની ગરિમા જળવાવી જોઈએ, પરંતુ આ વર્ષે તંત્રના અણઘડ અને જડ નિર્ણયોને કારણે શ્રદ્ધાળુઓ તેમજ સેવાકીય સંસ્થાઓ ભારે હાલાકી ભોગવી રહી છે. યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ‘ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા’વિકાસના દાવાઓની પોલ ખોલતા વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે, મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં વાઘેશ્વરી મંદિર જેવા અતિ મહત્વના રસ્તાઓ હજુ પણ ખોદાયેલી હાલતમાં છે. ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી કામગીરી હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા હતા. 'VIP કલ્ચર અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં'સૌથી મોટો વિવાદ ટ્રાફિકના નિયમોને લઈને સર્જાયો છે. તંત્ર દ્વારા ગિરનાર દરવાજેથી તમામ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે પરસાણાએ જણાવ્યું કે, આ નિર્ણયને કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ 10થી 11 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. એક તરફ સામાન્ય જનતાને ચલાવવામાં આવે છે અને બીજી તરફ ભાજપના નેતાઓ અને તેમના માનીતા કાર્યકરો પાસ લઈને લક્ઝરી ગાડીઓમાં મેળામાં ફરે છે. આ પ્રકારનું 'VIP કલ્ચર' અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. 'મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ?'આ મેળો અનેક નાના વેપારીઓની આજીવિકા છે અને અનેક અન્નક્ષેત્રો અહીં આવતા શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ ઠારે છે. પરંતુ તંત્રના જડ નિયમોને કારણે આ તમામ સેવાભાવી લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો શ્રદ્ધાળુઓ સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ કે ભોજન પહોંચાડવામાં જ અવરોધ આવશે, તો મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ? ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીપોલીસ અટકાયત બાદ પણ મક્કમ રહીને લલિત પરસાણાએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે, મેળો એ ભક્તિ અને શ્રદ્ધાનું સ્થળ છે, તેને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો તંત્ર આગામી દિવસોમાં પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે અને સામાન્ય જનતા માટે સુવિધાઓ ઉભી નહીં કરે, તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી નેતાઓને બોલાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:09 pm

હિંમતનગરના વાટડા ડુંગર પર દીપડો દેખાયો:વીડિયો વાયરલ થતા વન વિભાગ પાંજરું મુકશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાટડા ગામ નજીકના ડુંગર પર દીપડો જોવા મળ્યો છે. આ દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવશે. વાયરલ થયેલા વીડિયોમાં ડુંગરની ટોચ પર જંગલી પ્રાણી દેખાયું હતું. શરૂઆતમાં સ્થાનિકો તેને વાઘ માની રહ્યા હતા. આ અંગે ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, વન વિભાગે તપાસ શરૂ કરી હતી. રાયગઢ વન વિભાગના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વીડિયોમાં દેખાતું જંગલી પ્રાણી દીપડો જ છે. સ્થળ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને દીપડાને પકડવા માટે ચોક્કસ જગ્યાએ પાંજરું મૂકવામાં આવશે. આ વીડિયો એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:59 pm

સોશ્યલ મીડિયામાં બાહુબલી તલવાર સાથે ફોટો મૂકનાર યુવક ઝડપાયો:હથિયારબંધી ભંગ બદલ પ્રભાસ પાટણ પોલીસે કાર્યવાહી કરી

ગીર સોમનાથ જિલ્લામાં સોશ્યલ મીડિયા પર બાહુબલી તલવાર સાથે ફોટો મૂકી વાયરલ કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ યુવકે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પ્રભાસ પાટણ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા કે વીડિયો મૂકી ખોટી દહેશત ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ સોશ્યલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને, S.O.G. ગીર સોમનાથની ટીમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે એક યુવકે બાહુબલી તલવાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આફતાબ અલ્તાફભાઇ ચૌહાણ (ઉ.વ. 21, રહે. યોગાન ચોક, પ્રભાસ પાટણ, તા. વેરાવળ)ને બાહુબલી તલવાર સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી બે ફૂટ સાત ઇંચ લંબાઈની બંને બાજુ ધારવાળી ધાતુની બાહુબલી તલવાર કબ્જે કરવામાં આવી છે. આરોપી દ્વારા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં G.P. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી S.O.G. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડાના માર્ગદર્શન હેઠળ ASI દેવદાનભાઇ માણંદભાઇ અને S.O.G. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટા કે વીડિયો મૂકીને દહેશત ફેલાવનારા સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:51 pm

ફાઇનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોનો હુમલો:લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર શહેરમાં ફાઇન્સ કંપનીના ડિવિઝનલ મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. જૂના વહેમ અને રંજિશના કારણે લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા-પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થતા, પોલીસે આ બનાવમાં 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કંપનીમાં અગાઉ સાથે કામ કરતા શખ્સે જ જીવલેણ હુમલો કર્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગ્રામીણ લિમિટેડ માઈક્રો ફાઇન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશ ભરતસિંહ પરમારએ કંપનીના પૂર્વ કર્મચારી ભાવનગરના રહેવાસી રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા અને અન્ય 3 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, નરેશ ભરતસિંહ પરમાર અને રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા કંપનીમાં સાથે કામ કરતા હતાં. જેમાં રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયાએ બે મહિના પહેલા કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીપરંતુ આ રાજીનામુ આપવામાં ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે કંપનીમાં ખોટી રજુઆત કરી હોવાનો રામદેવસિંહ સરવૈયાને મનમાં વહેમ હતો. જે વહેમની દાઝ રાખીને રામદેવસિંહ સરવૈયાએ અજાણ્યા શખ્સોને સાથે રાખી નરેશ પરમારને લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈજે બનાવના પગલે ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા તેમજ અન્ય અજાણ્યા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:50 pm

કેન્દ્રીય બજેટ 'વિકસિત ભારત 2047'નો સંકલ્પ સાકાર કરશે:મંત્રી અર્જુન મોઢવાડિયાએ 53.5 લાખ કરોડના બજેટને ઐતિહાસિક ગણાવ્યું

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પ્રતિક્રિયા આપતા તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું રૂ.53.5 લાખ કરોડનું આ બજેટ 'વિકસિત ભારત 2047'ની દિશા નિર્ધારિત કરશે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપશે. પોરબંદરના અટલ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટમાં મુખ્યત્વે પાંચ સ્તંભો - યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે મહિલા સશક્તિકરણ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં કરાયેલી જોગવાઈઓ ભારતને વિશ્વનું અગ્રિમ અર્થતંત્ર બનાવવામાં મદદ કરશે. કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટેની નવી યોજનાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપશે. ગુજરાત માટે બજેટની મહત્વની જાહેરાતો અંગે વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કેટલાક મુખ્ય મુદ્દાઓ ટાંક્યા હતા. પ્રવાસન ક્ષેત્રે, લોથલ અને ધોળાવીરા સહિત દેશના ૧૫ પુરાતત્વ સ્થળોને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ઉદ્યોગ અને વેપાર માટે, ગુજરાતના 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ એકમોને આ બજેટથી સીધો ફાયદો થશે. પશ્ચિમ બંગાળના દાનકુનીથી સુરત સુધીના નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપારને નવી ગતિ મળશે. ગિફ્ટ સિટીમાં આવતા નવા યુનિટોને 20 વર્ષ સુધી ટેક્સ ફ્રી રેઝીમનો લાભ મળશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે, જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને ગ્લોબલ મેડિકલ સેન્ટર તરીકે પ્રમોટ કરવામાં આવશે. શહેરી વિકાસ માટે, મ્યુનિસિપાલિટીઝને સક્ષમ બનાવવા મ્યુનિસિપલ બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવાની જોગવાઈ કરાઈ છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસના સંદર્ભમાં, મેક ઇન ઇન્ડિયા અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. સેમીકન્ડક્ટર 2.0 પોલિસી અને પાંચ નવા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક અને MSME સેક્ટર માટેની યોજનાઓથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સંરક્ષણ બજેટમાં 15%નો વધારો અને ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાનો લક્ષ્યાંક દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે. નવા ઇન્કમ ટેક્સ એક્ટથી મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:45 pm

મંત્રી મોઢવાડિયાએ શિક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ પર ભાર મૂક્યો:પોરબંદરમાં ઝોન કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

પોરબંદરના ઐતિહાસિક શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે ઝોન કક્ષાના 'એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ - 2025-26'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી શિક્ષણમાં ટેકનોલોજી અને નવા પ્રયોગોના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઇનોવેશન એ મનુષ્યની પ્રકૃતિ છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં તેની લાંબા સમયથી ઉપેક્ષા થઈ છે. તેમણે આજના યુગમાં ટેકનોલોજીની ઝડપ સમજાવવા માટે OpenAI (ChatGPT)નું ઉદાહરણ આપ્યું. મંત્રીએ કહ્યું કે, માત્ર પાંચ વર્ષમાં આ સ્ટાર્ટઅપનું માર્કેટ કેપિટલાઇઝેશન ટાટા અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓની હરોળમાં આવી ગયું છે. ભારત માટે આવી આધુનિક ગતિશીલતા સ્વીકારવી હવે અનિવાર્ય છે. મંત્રીએ શિક્ષણવિદોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા મર્યાદિત ન રહેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીના પાંચ મુખ્ય ગુણો વિકસાવવા હાકલ કરી. આ ગુણોમાં પર્યાવરણ જાળવણી (વૃક્ષારોપણ દ્વારા ક્લાયમેટ ચેન્જનો સામનો), સ્વચ્છતા (ગંદકી દૂર કરી સ્વચ્છ ભારતનો સંકલ્પ), ટ્રાફિક સેન્સ (અકસ્માતો ઘટાડવા જાગૃતિ), વ્યસનમુક્તિ (યુવાધનને ગંભીર બીમારીઓથી બચાવવું) અને વારસાનું જતન (1903ની આર.જી.ટી. કોલેજની જૂની ઇમારતના રિસ્ટોરેશન કાર્યનો ઉલ્લેખ) નો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલમાં શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો કરનાર શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર, પ્રાચાર્ય ડૉ. અલ્તાફ રાઠોડ, અગ્રણી લાખણશી ગોરાણીયા, વિક્રમભાઈ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:45 pm

‘ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું’:દાહોદ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ભાજપના તાનાશાહી શાસનનો હવે અંત આવશે:ચૈતર વસાવા; ભાજપ-કોંગ્રેસ છોડી કાર્યકરોએ ઝાડુ પકડ્યું

દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી હૃદયસમ્રાટ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક બાદ એક પરિવર્તન જનસભા સંબોધી રહ્યા છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે યોજાયેલી જનસભામાં હજારોની સંખ્યામાં જનસેલાબ ઉમટી પડતા વિરોધી છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સહિતના આગેવાનોનો પાર્ટી છોડી ‘ઝાડુ’નો ખેસ ધારણ કર્યોનઢેલાવની આ પરિવર્તન સભામાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. ચૈતર વસાવાએ ગર્વભેર જણાવ્યું હતું કે, આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદિવાસી પાર્ટી (BAP) અને અન્ય સંગઠનોમાંથી મોટી સંખ્યામાં સક્રિય આગેવાનો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વસાવાએ તમામનું સહર્ષ સ્વાગત કરતા કહ્યું હતું કે, જે રીતે જનમેદની ઉમટી છે તે સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘આપ’ સ્વતંત્ર લડશે અને જીતશેઆગામી ચૂંટણીઓ અંગે રણશિંગુ ફૂંકતા ચૈતર વસાવાએ મક્કમતાથી જાહેરાત કરી હતી કે, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર સ્વતંત્ર રીતે લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો, જનતાના સમર્થનથી ‘આપ’ ભવ્ય વિજય મેળવશે અને આ વિસ્તારમાંથી ધારાસભ્યો પણ ચૂંટાઈને વિધાનસભામાં જશે. સભા અટકાવવાના પ્રયાસો અને ભાજપની ‘તાનાશાહી’ પર પ્રહારચૈતર વસાવાએ વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અમારી અગાઉની સભા અભલોડ ગામના સરવાઈ ગ્રાઉન્ડ ખાતે નક્કી હતી. પરંતુ ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા હતા. સરપંચ પર દબાણ લાવવામાં આવ્યું કે જો સભા થશે તો તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને ઈન્કવાયરી આવશે. અંતે મૌખિક સંમતિ આપ્યા બાદ સરપંચે પીછેહઠ કરી અને પ્રાંત અધિકારીએ માત્ર 18 કલાક બાકી હતા ત્યારે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. આ ભાજપની વધતી જતી બીક અને તાનાશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. 18 કલાકમાં મેદાન તૈયાર કરી શક્તિપ્રદર્શન કર્યુંભાજપના અવરોધો છતાં સભા સફળ રહી તે અંગે તેમણે ગરબાડાની ટીમને અભિનંદન આપતા કહ્યું કે, જ્યારે અભલોડમાં મંજૂરી ન મળી ત્યારે નઢેલાવના એક ઉદાર જમીન માલિકે પોતાની જમીન આપી. કાર્યકરોએ માત્ર 18 કલાકમાં ખેતર સાફ કરી, મંડપ ખસેડીને ભવ્ય આયોજન કર્યું. તેમણે છેલ્લી ઘડીએ મંજૂરી આપવા બદલ વહીવટી તંત્રનો પણ આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે આ તાનાશાહીનો જવાબ જનતા લોકશાહી ઢબે ચૂંટણીમાં આપશે. દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાનો ચૈતર વસાવાનો દાવોભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરતા વસાવાએ આક્ષેપ કર્યો કે દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો છે. મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડના દીકરાઓએ મોટું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ગુજરાત પેટર્ન યોજના, આદિ આદર્શ યોજના અને નલ સે જલ યોજનામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આદિવાસીઓની 73AA ની જમીનો પણ અધિકારીઓએ નેતાઓના ઈશારે બારોબાર વેચી દીધી છે, જેની તપાસ ભાજપના નેતાઓના નામ આવતા જ બંધ કરી દેવાઈ છે. આદિવાસી સમાજને ડરાવવાની રાજનીતિ સામે જંગચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે ભાજપના નેતાઓ આદિવાસી, OBC, કોળી, દલિત અને વંચિત સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે આ સમાજ SIR, UCC, UGC કે પોતાના બંધારણીય અને સામાજિક અધિકારોની વાત કરે છે, ત્યારે ભાજપના નેતાઓ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. લોકો જાગૃત ન થાય, શિક્ષણ કે રોજગારી ન માંગે અને ખેડૂતો સિંચાઈનું પાણી ન માંગે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેની સામે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડવા કટિબદ્ધ છે. મોદી-શાહના ગઢમાં ‘આપ’ બીજા નંબરે: વસાવાગુજરાતના રાજકીય માહોલ પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ છે એટલે ત્રીજો મોરચો નહીં ચાલે. પરંતુ આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દોડી રહી છે અને મજબૂત વિપક્ષ તરીકે ઉભરી છે. હાલના સર્વે મુજબ પણ ‘આપ’ બીજા ક્રમે છે. તેમણે આશા વ્યક્ત કરી કે દાહોદ, નર્મદા, વલસાડ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ‘આપ’ બહુમતી મેળવશે. કુપોષણ અને પછાતપણા માટે બજેટનો દુરુપયોગ જવાબદારદાહોદ જિલ્લાના પછાતપણા અંગે વસાવાએ જણાવ્યું કે જિલ્લાના વિકાસ માટે આવતું બજેટ નેતાઓ અને અધિકારીઓના પેટમાં જાય છે. આદિવાસીઓના કલ્યાણના પૈસા મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમો, વિકાસ યાત્રાઓ, અમૃત મહોત્સવ અને પ્રચાર-પ્રસારમાં વપરાય છે. કરોડો રૂપિયા જમણવાર અને નાસ્તામાં ઉડાવાય છે, જેના કારણે જિલ્લામાં કુપોષણ વધ્યું છે, શિક્ષકો અને શાળાના ઓરડાઓની ઘટ છે. જો ‘આપ’ સત્તામાં આવશે તો જ દાહોદનો સાચો વિકાસ થશે. નવું સ્લોગન: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”અંતમાં વસાવાએ વંશવાદ પર પ્રહાર કરતા નવું સૂત્ર આપ્યું હતું - ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. તેમણે કહ્યું કે ભાજપમાં નેતાનો દીકરો કે ભાઈ જ ચૂંટણી લડે છે, જેમ કે દાહોદના સાંસદનો ભાઈ જ ધારાસભ્ય બને. પણ આમ આદમી પાર્ટીમાં સામાન્ય માણસને મંચ મળે છે. ‘આપ’ એટલે આપણે બધા, અને હવે આ ગુજરાત આપણે બધાનું છે, કોઈ એક પરિવારનું નથી. આ જનસભામાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સફળ બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:37 pm

વિદેશી દારૂની 72 બોટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:ચોથીબેન છાશવાળાના ખાંચામાં દારૂ વેચતો હતો ને પોલીસ ત્રાટકી, એક આરોપી ફરાર

ભાવનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમ્યાન કુંભારવાડા વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી એક શખ્સને ઝડપી લઇ રૂ.63,120 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે, આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુંભારવાડાનો રહેવાસી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અબ્દુલ કલામ નીશાળવાળા ચોકની પાસે આવેલ ચોથીબેન છાશવાળાના ખાંચામાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મૂળ કુંભારવાડાનો રહેવાસી મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. એક શખ્સ ફરારપોલીસે રેઇડ કરતા મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ મળી આવતા તપાસ દરમ્યાન ઇગ્લીંશ દારૂની નાની-મોટી 72 નંગ બોટલો સહીત કુલ.રૂ.63,120ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સ હારૂન અવેશભાઇ કટીયા જે પકડવાનો બાકી છે. પોલીસે આ બનાવના બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુન્હો દાખલ કરાવતા બોરતળાવ પોલીસે પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:19 pm

ચૂંટણી પંચે ગુજરાત માટે ખાસ યાદી નિરીક્ષક નિમ્યા:ઐશ્વર્યા સિંઘે પાંચ જિલ્લાના અધિકારીઓને મતદાર યાદી સુધારણા પર માર્ગદર્શન આપ્યું

ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ઐશ્વર્યા સિંઘ (IAS), સંયુક્ત સચિવ અને એમ.ડી. (SBM-G), પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક (SRO) તરીકે નિમણૂક કરી છે. આ સંદર્ભે, તેમણે પાટણ કલેકટર કચેરી ખાતેથી એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઐશ્વર્યા સિંઘે પાંચ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે જોડાઈને ચાલી રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભરૂચ, નર્મદા, દાહોદ અને વલસાડ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા, જ્યારે પાટણના જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ મળેલા દાવાઓ અને વાંધાઓના નિકાલની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. નોટિસ તબક્કો, સુનાવણી અને ફોર્મ પર લેવાના થતા નિર્ણયો અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મતદાર નોંધણી અધિકારીઓ (EROs) દ્વારા દાવા-વાંધાના નિકાલની ઝડપ અને ચોકસાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. યાદીની ગુણવત્તા, જેમાં મતદાર યાદીના 'હેલ્થ પેરામીટર્સ' તપાસવા અને અંતિમ પ્રકાશન માટે કમિશનની પરવાનગી મેળવવા સહિતની ટેકનિકલ બાબતો અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઐશ્વર્યા સિંઘે પારદર્શક અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે હેતુથી તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:10 pm

ખીજડીયા અભયારણ્યમાં પક્ષી ગણતરી પૂર્ણ:1000 પક્ષીવિદોએ 300થી વધુ પ્રજાતિના 2 લાખ પક્ષીઓ નોંધ્યા

જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. આ કામગીરીનો મુખ્ય હેતુ અભયારણ્યમાં પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ અને પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાનો હતો. આ ડેટા ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં તેમજ સરકારની સંરક્ષણાત્મક યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સાબિત થશે. પક્ષી ગણતરી માટે સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હતું. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ, પક્ષીવિદો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ઈ-બર્ડ એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે ડેટા નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન અને સ્કેનકાર્ડ જેવી પરંપરાગત પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવે છે. અભયારણ્યનું કુદરતી વાતાવરણ, જળાશયો અને હરિયાળું પરિસર પક્ષીઓ માટે અત્યંત અનુકૂળ છે, જેના કારણે અહીં વિવિધ જાતિના પક્ષીઓ નજીકથી નિહાળવાની ઉત્તમ તક મળે છે. આ વિશેષ કામગીરીમાં મરીન નેશનલ પાર્ક, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, વિવિધ એનજીઓ, રેસ્ક્યુ ટીમો અને ગાઈડમિત્રો સહિત અનેક પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિમિત્રોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને આ ગણતરીને સફળ બનાવી હતી. આ બે દિવસીય પક્ષી ગણતરીની કામગીરી મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજા ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, મદદનીશ વન સંરક્ષક પ્રતીક જોશી અને શૈલેષ ત્રિવેદી દ્વારા સમગ્ર આયોજન અને દેખરેખ રાખવામાં આવી હતી. જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્યના આરએફઓ દક્ષાબેન વધાસિયા દ્વારા મેદાની સ્તરે સંકલન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. વિવિધ વિંગના સ્ટાફ દ્વારા સંકલિત રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:06 pm

જંબુસર પાસે દારૂ કાર્ટીંગ પર LCBનો દરોડો:₹39.30 લાખના મુદ્દામાલ સાથે 6 બુટલેગર ઝડપાયા, 3 વોન્ટેડ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી કરી છે. આમોદ–મગણાદ રોડ પર આવેલી હોટેલ કૃષ્ણા કાઠીયાવાડીના કંપાઉન્ડમાંથી દારૂ કાર્ટીંગ દરમિયાન છ બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂપિયા 39,30,200 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. ભરૂચ LCB પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.પી. મલ્હોત્રા અને આર.કે. ટોરાણીની ટીમે ગતરોજ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હોટેલ કૃષ્ણા કાઠીયાવાડીના કંપાઉન્ડમાં રેઈડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 195 બોક્સમાં ભરેલ 7,200 નંગ દારૂ/ટીન બીયર (કિંમત ₹25,64,200), 8 મોબાઈલ ફોન (₹66,000), એક આઈસર ટ્રક (₹10,00,000), એક ફોરવ્હીલ કાર (₹3,00,000) તેમજ અન્ય સામાન મળી કુલ ₹39,30,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં નીરકુંશ અનિલ લહાસે, કિરણસિંહ ગેમલસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરસંગ વસાવા અને મેહુલકુમાર અરવિંદ પાટણવાડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાહુલ આહીર, લાલો અને અનીત લંગડોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:04 pm

વલસાડમાં ખેતરોમાંથી ચોરી વધી:મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરીથી ખેડૂતોમાં રોષ

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેતરોમાંથી મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરીની ઘટનાઓ વધી છે. આનાથી કંટાળીને મોટી સંખ્યામાં ખેડૂતોએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તસ્કરો ખાસ કરીને સબમર્સિબલ મોટરના કેબલ અને સ્ટાર્ટરની ચોરી કરે છે. ઘણી જગ્યાએથી આખી મોટર પણ ચોરી થઈ જાય છે. ચોરો મુખ્યત્વે કેબલની અંદર રહેલા કોપર વાયર મેળવવા માટે આ ચોરીઓ કરે છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ખેડૂત બળવંતભાઈ પટેલે જણાવ્યું કે તેમના ગામમાં દર ત્રીજા દિવસે અથવા દરરોજ રાત્રે ચોરી થાય છે. ખેતરો અને વાડીઓ વસ્તીથી દૂર અને અવાવરુ હોવાથી તસ્કરોને રાત્રિના સમયે ચોરી કરવાનો લાભ મળે છે. એક કેબલ કે મોટર ચોરાવાથી ખેડૂતને હજારો રૂપિયાનો આર્થિક ફટકો પડે છે અને ખેતીના કામમાં વિલંબ થાય છે. ખેડૂતોએ પોલીસ સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં ગામના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા, રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવું અને અગાઉ ચોરીમાં પકડાયેલા ગુનેગારો તેમજ ખેતીના સાધનોનો ભંગાર લેતા વેપારીઓની કડક પૂછપરછ કરવાનો સમાવેશ થાય છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને ચોરી અટકાવવામાં નહીં આવે અને આરોપીઓને પકડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:02 pm

કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી:સુરેન્દ્રનગરમાં 9 ફેબ્રુઆરીએ ધરણા અને રેલીનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરમાં લોકશાહી અને મતદારોના અધિકારો બચાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ એક મહારેલી અને ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી અને અમિત ચાવડા સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. આ આયોજન મતદાતાઓના નામ ખોટી રીતે કાપી નાખવાની પ્રવૃત્તિ સામે કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે દરેક નાગરિકે પોતાના બંધારણીય અધિકારોની રક્ષા માટે આગળ આવવું જોઈએ. ડો. મનીષ દોશીએ આ અંગે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે મતદાતાનો મત છીનવાય છે, ત્યારે લોકશાહીના મૂળ પર જ ઘા થાય છે. આ દરેક નાગરિકના અધિકારનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું કે જો Form-7ના નામે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ થાય, તો તેની સામે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. આ કાર્યક્રમ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી શરૂ થશે. રેલી કલેક્ટર કચેરી અને ત્યારબાદ એસપી ઓફિસ સુધી જશે, જ્યાં ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. ડો. મનીષ દોશીએ દરેક નાગરિક, યુવાન, કાર્યકર્તા અને જાગૃત મતદાતાને આ લોકશાહી સંઘર્ષમાં જોડાવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોતાના બંધારણીય હક જાળવવા અને લોકશાહી માટે અવાજ બનવા માટે સૌએ આગળ આવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મત આપવાનો અધિકાર એ મૂળભૂત હક છે અને રજૂઆત કરવી એ ગુનો નથી. લોકશાહી બચાવવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:00 pm

ખેરગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પકડાયો:વન વિભાગને ત્રીજા દિવસે સફળતા, બહેજ ગામમાં હાશકારો

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગને ત્રીજા દિવસે વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળી હતી, જેનાથી સ્થાનિકો અને ખેતમજૂરોએ રાહત અનુભવી છે. ખેરગામના બહેજ ગામના ઝરા ફળિયામાં દીપડાના હુમલા બાદ વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું હતું. બાળકી પર હુમલો કર્યાના ત્રીજા દિવસે, આશરે 3 વર્ષની ઉંમરનો દીપડો શિકારની લાલચમાં પાંજરામાં ફસાયો હતો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી દીપડાનો કબજો લીધો હતો. હાલમાં પકડાયેલા દીપડાની તબિયતની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીના રોજ બહેજ ગામના ઝરા ફળિયામાં એક 4 વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. તે સમયે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીની બૂમો સાંભળીને આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો બાળકીને છોડીને ખેતરોમાં ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં આસપાસના વિસ્તારોમાં શેરડીના ખેતરોની કપાત ચાલી રહી છે. શેરડી કપાવાને કારણે દીપડાઓને છુપાવવાની જગ્યા મળતી નથી, જેથી તેઓ રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ ઘટનાને પગલે ખેતમજૂરોમાં ભયનો માહોલ હતો, પરંતુ દીપડો પાંજરે પુરાતા હવે સ્થિતિ સામાન્ય બની છે. વન વિભાગે ગ્રામજનોને હજુ પણ સાવચેત રહેવા અને ખેતરોમાં જૂથમાં જવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:00 pm

નવસારી પોલીસે ₹6.50 લાખનો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને સોંપાયો

નવસારી ટાઉન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 6.50 લાખથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ચોરાયેલા અને ગુમ થયેલા 12 મોબાઈલ ફોન તેમજ એક જનરેટરનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન રિકવર કરેલો લાખોની કિંમતનો મુદ્દામાલ પરત કરીને પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા અને તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલી ચોરીની ઘટનાઓ અને ગુમ થયેલા મોબાઈલ ફોન બાબતે સઘન તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ટૂંકા ગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પરત કરવામાં આવેલી વસ્તુઓની વિગતો નીચે મુજબ છે: અલગ-અલગ કંપનીના કુલ 12 મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 2,00,964/- છે, અને 1 જનરેટર, જેની કિંમત રૂ. 4,50,000/- છે. આમ, પોલીસે કુલ રૂ. 6,50,964/- નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આજે, તા. 07/02/2026 ના રોજ આયોજિત કાર્યક્રમ દરમિયાન આ તમામ ચીજવસ્તુઓ તેના કાયદેસરના માલિકોને બોલાવીને સુપરત કરવામાં આવી હતી. પોતાની ખોવાયેલી કે ચોરાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારોએ નવસારી પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ગુનાખોરી ડામવા અને પ્રજાની સુરક્ષા સાથે તેમની માલમિલકત જાળવવી એ પોલીસની પ્રાથમિકતા છે. આ જ ઉદ્દેશ્ય સાથે આ રિકવરી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:59 pm

પોરબંદરમાં સાયબર ફ્રોડના 13 લોકો ભોગ બન્યા:'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટીમે ₹2.26 લાખ પરત અપાવ્યા

પોરબંદર જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે કમલાબાગ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 13 અરજદારોને ટેકનિકલ તપાસના અંતે કુલ ₹2,26,846/- ની રકમ પરત અપાવી છે. આ નાણાં 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનારને સોંપવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાગરિકો સાથે અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવામાં આવી હતી. આમાં મુખ્યત્વે ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ફેક કોલ, RTO ચલણ, ઓલ્ડ કોઈન એક્સચેન્જ સ્કીમ, ઓનલાઈન જોબ, હોટેલ બુકિંગ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ લોભ અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ ગિફ્ટ ફ્રોડનો સમાવેશ થાય છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેષ ઝાંઝડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયાના માર્ગદર્શનમાં સાયબર ટીમે આ સફળતા મેળવી. ટીમમાં એએસઆઈ નવઘણ દેસાઈ, ડબલ્યુએલઆર વૈશાલીબેન ભીમસિંહભાઈ અને આઈટી એક્સપર્ટ દેવાંગીબેન નાઈ સામેલ હતા, જેમણે ઝીણવટભરી તપાસ કરી ફ્રોડમાં ગયેલી રકમ શોધી કાઢી. પોલીસે જનતાને સાયબર સુરક્ષા બાબતે જાગૃત રહેવા અને નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે. ઓનલાઈન ટિકિટ કે ક્રેડિટ કાર્ડ બાબતે કસ્ટમર કેર નંબર હંમેશા અધિકૃત વેબસાઈટ પરથી જ મેળવવા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અજાણ્યા વીડિયો કોલથી સાવધ રહેવું. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવા પર ટીમ વ્યુઅર , એનીડેસ્ક કે અવ્વલ ડેસ્ક જેવી રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:56 pm

અમરોલીની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા ભારે પડી:રોમિયોના ત્રાસથી ભાજપ કાર્યાલયમાં નોકરી કરતી યુવતીનો આપઘાતનો પ્રયાસ, જ્યારે આરોપીની માતાનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ભાજપના મુખ્ય કાર્યાલયમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતી 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ, આ કેસમાં જે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેની માતાનો મૃતદેહ પણ તાપી નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ કાર્યાલયની કર્મચારી યુવતીને ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડીભોગ બનનાર યુવતી સુરતના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલયમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આશરે 4થી 5 મહિના પહેલા તેણીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નિર્મળ ઉર્ફે નીક કિશોરભાઈ પરમાર નામના યુવક સાથે થયો હતો. નિર્મળે યુવતીના ભાઈ સાથે પોતાની મિત્રતા હોવાનું જણાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને ધીમે ધીમે વાતચીત શરૂ કરી હતી. ગુનાહિત ઇતિહાસ બહાર આવતા સંબંધોમાં તિરાડશરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ યુવતીને નિર્મળના અસલી ચહેરાનો પરિચય થયો. યુવતીને જાણવા મળ્યું કે નિર્મળ ન માત્ર નશાનો આદિ છે, પરંતુ તેનો ભૂતકાળ પણ ગુનાહિત પ્રવૃત્તિઓથી ખરડાયેલો છે. પોતાની કારકિર્દી અને પરિવારની પ્રતિષ્ઠાને ધ્યાને રાખી યુવતીએ નિર્મળ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો અને તેની સાથે વાત ન કરવાનો મક્કમ નિર્ણય લીધો હતો. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રોમિયોનો ત્રાસસંબંધ તોડ્યા બાદ નિર્મળની માનસિકતા વધુ હિંસક અને વિકૃત બની ગઈ હતી. તે યુવતીના પ્રેમમાં એક તરફી પાગલ બની ગયો હતો. તેણે યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ યુવતી કોલેજ જવા નીકળે અથવા ભાજપ કાર્યાલય પર પોતાની ફરજ બજાવવા માટે જતી, ત્યારે નિર્મળ રસ્તામાં ઉભો રહી જતો અને તેણીને જાહેરમાં રોકીને માનસિક ટોર્ચર કરતો હતો. 'તારું નામ લખીને મરી જઈશ' , ઇમોશનલ બ્લેકમેલિંગ કરીઆરોપી નિર્મળ માત્ર પીછો જ નહોતો કરતો, પરંતુ તે યુવતીને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપતો હતો. તે વારંવાર કહેતો કે, “જો તું મારી સાથે વાત નહીં કરે તો હું ચિઠ્ઠીમાં તારું નામ લખીને આત્મહત્યા કરી લઈશ.” આ પ્રકારની ધમકીઓ આપીને તે યુવતીને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરતો હતો, જેથી તે ડરના માર્યા તેની સાથે ફરી વાત કરવા લાગે. પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપીયુવતી જ્યારે તેની ધમકીઓ સામે ન નમી, ત્યારે નિર્મળે હિંસાનો માર્ગ અપનાવ્યો. તેણે યુવતીને ધમકી આપી કે જો તે તેની સાથે વાત નહીં કરે તો તે તેના ભાઈ અથવા પરિવારના અન્ય સભ્યોને જાનથી મારી નાખશે. ભાજપ કાર્યાલયમાં કામ કરતી આ યુવતી માટે આ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, કારણ કે એક બાજુ પોતાની સુરક્ષા હતી અને બીજી બાજુ પરિવારની સલામતી. ધમકીભર્યા કોલ્સથી યુવતીની માનસિક સ્થિતિ કથળીગઈકાલે 4 ફેબ્રુઆરીના રોજ યુવતી જ્યારે ભાજપની મુખ્ય કચેરીએ કામ કરી રહી હતી, ત્યારે નિર્મળે તેને સતત ફોન કોલ્સ કરવાનું શરૂ કર્યું હતું. ઓફિસના કામકાજ દરમિયાન વારંવાર આવતા ધમકીભર્યા કોલ્સથી યુવતીની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. નિર્મળે ફોન પર કહ્યું કે, તું જો મારી સિવાય બીજા કોઈ સાથે વાત કરીશ તો તારા અને તારા ભાઈના હાલ બગાડી નાખીશ. ઘરમાં એકલતા અને આપઘાતનો જીવલેણ પ્રયાસઆરોપીના સતત ત્રાસથી કંટાળીને યુવતી ઓફિસથી રજા લઈને ઘરે પરત ફરી હતી. ઘરે કોઈ ન હોવાથી તે અત્યંત ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આરોપીની ધમકીઓ અને વારંવારના ટોર્ચરથી છુટકારો મેળવવા માટે તેણે અનાજમાં નાખવાના પાઉડરની પડીકી ખાઈ લીધી હતી અને ત્યારબાદ બ્લેડ વડે પોતાના હાથ પર ઘા મારી દીધા હતા. સોશિયલ મીડિયા પર ફોટા મોકલીને પાડોશીને જાણ કરીયુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં અને ઝેરી દવાની અસરમાં પોતાના ફોટા પાડોશીને મોકલ્યા હતા. પાડોશીઓએ તરત જ આ ગંભીરતા સમજીને યુવતીના ઘરે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક સુરતની પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેની તબિયત નાજુક છે અને તે ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે. આરોપીની માતાનો તાપી નદીમાંથી મૃતદેહ મળ્યોઆ કેસમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે યુવક (નિર્મળ) વિરુદ્ધ યુવતીએ ફરિયાદ કરવાની તૈયારી કરી હતી, તે નિર્મળની માતા ચંદ્રિકાબેન પરમારનો મૃતદેહ તાપી નદી બ્રિજ નીચે થી મળી આવ્યો છે. શુક્રવારે વહેલી સવારે 47 વર્ષીય ચંદ્રિકાબેન ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ અમરોલી તાપી બ્રિજ નીચેથી તેમનો મૃતદેહ મળ્યો હતો. માતાની માનસિક બીમારી કે પુત્રના કર્મોનું ફળ?ચંદ્રિકાબેનના પરિવારજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 થી 4 મહિનાથી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા. તેમના પતિનું અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અને તેઓ તેમના ત્રણ પુત્રો સાથે સુરતમાં રહેતા હતા. જોકે, પોલીસ તપાસ કરી રહી છે કે શું માતાના આપઘાત પાછળ પુત્ર નિર્મળની કરતૂતો અને તેના પર થનારી પોલીસ કાર્યવાહીનો ડર જવાબદાર હતો કે કેમ. પુત્ર સાગરે જ માતાની લાશ શોધી કાઢીચંદ્રિકાબેન ઘરે ન દેખાતા તેમના પુત્રોએ શોધખોળ કરી હતી. જેમાં મોટો પુત્ર સાગર શોધતા-શોધતા તાપી બ્રિજ પાસે પહોંચ્યો અને ત્યાં તેને પોતાની માતાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. એક જ પરિવારમાં એક બાજુ પુત્ર સામે ગંભીર ગુનો નોંધાયો છે અને બીજી બાજુ માતાનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીયુવતીની ફરિયાદ અને તેની સ્થિતિને જોતા અમરોલી પોલીસે આરોપી નિર્મળ ઉર્ફે નીક કિશોરભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 78(1)(i), 78(2) (છેડતી અને પીછો કરવો) તથા 351(3) (જાનથી મારી નાખવાની ધમકી) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને તેના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. બીએનએસ (BNS) ની કલમો હેઠળ કડક કાર્યવાહીનવા કાયદા મુજબ મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. પીછો કરવો (Stalking) અને માનસિક ત્રાસ આપીને આપઘાત માટે મજબૂર કરવાના પ્રયાસ બદલ આરોપીને આકરી સજા થઈ શકે છે. પોલીસ ભાજપ કાર્યાલયના અન્ય કર્મચારીઓ અને યુવતીના મિત્રોના નિવેદન પણ નોંધી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:53 pm

બોટાદ આંગણવાડી બાળકોના પોષણનું વેરિફિકેશન પૂર્ણ:SUW, SAM બાળકોની વજન અને ઊંચાઈની ક્રોસ તપાસ કરાઈ

બોટાદ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્રોસ વેરિફિકેશન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બોટાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોના પોષણ સ્તર અંગે સાચી અને ચોક્કસ માહિતી મેળવી, કુપોષણની સમસ્યાને સમયસર ઓળખી તેનું નિવારણ કરવાનો છે. આ ક્રોસ વેરિફિકેશન અંતર્ગત SUW (Severely Underweight) અને SAM (Severe Acute Malnutrition) શ્રેણીમાં આવતા બાળકોની વજન-ઊંચાઈની ખાસ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી બોટાદ તાલુકાના હડદડ, કાનીયાડ, પાળીયાદ સહિતના વિવિધ ગામોની આંગણવાડી કેન્દ્રોમાં થઈ હતી. દરેક બાળકની નોંધણી, માપણી અને રેકોર્ડ ચકાસણી કરીને માહિતીની ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી હતી. વેરિફિકેશન દરમિયાન, આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયક બહેનો દ્વારા બાળકોના વાલીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. વાલીઓને તેમના બાળકોના આરોગ્ય, પોષણની સ્થિતિ અને વિકાસ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વાલીઓને સંતુલિત આહાર, સમયસર પૂરક પોષણ, ઘરેલુ સ્વચ્છતા અને નિયમિત આરોગ્ય ચકાસણી અંગે માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને કુપોષિત બાળકો માટે પોષણસભર આહાર અને યોગ્ય દેખરેખ રાખવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ક્રોસ વેરિફિકેશન દ્વારા બાળકોના પોષણ સ્તર અંગે વાસ્તવિક સ્થિતિ જાણી શકાઈ છે. આ માહિતી ભવિષ્યમાં કુપોષણ નિવારણ માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:05 pm

પાવી જેતપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં ચુકાદો:પોક્સો કોર્ટે આરોપી ભર્મેશ નાયકાને 20 વર્ષની કેદ ફટકારી

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી ભર્મેશભાઈ અનોપભાઈ નાયકાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરાને ગામનો જ યુવક ભર્મેશ નાયકા લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગેની ફરિયાદ પાવી જેતપુર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભર્મેશભાઈ અનોપભાઈ નાયકાની ધરપકડ કરી હતી. આ કેસ છોટા ઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને, પોક્સો કોર્ટના જજ જસપ્રીતસિંગ ગુરુમુખસિંગ બગ્ગાએ આરોપીને 20 વર્ષની કેદ અને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:02 pm

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં આવતીકાલે જલસા સ્ટ્રીટ કાર્નિવલ:70થી વધુ એક્ટિવિટીઝ સાથે સૂફી નાઈટ સુધીના અનેક આકર્ષણો, બપોરે 12થી રાત્રે 11 સુધી નોનસ્ટોપ મનોરંજન

ગાંધીનગરમાં આવતીકાલે રવિવારે ફિટનેસ અને મનોરંજનના સૌથી મોટા જલસા સ્ટ્રીટનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે 12 કલાકથી શરૂ થનાર આ કાર્નિવલમાં 70થી વધુ એક્ટિવિટીઝ સાથે સૂફી નાઈટ સુધીના અનેક આકર્ષણો મોડી રાત સુધી નગરજનોને હર્ષોલ્લાસમાં તરબોળ કરશે. 8 ફેબ્રુઆરીએ જલસા સ્ટ્રીટ કાર્નિવલ, પરંપરાગત રમતો રમાશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે 8 ફેબ્રુઆરી જલસા સ્ટ્રીટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના આયોજનમાં આધુનિક અને પરંપરાગત રમતોનો અનોખો સમન્વય જોવા મળશે. જેમાં યુવાનો માટે ક્રિકેટ બોલ-આઉટ અને ફૂટબોલ પેનલ્ટી શૂટઆઉટ જેવી હાઈવોલ્ટેજ સ્પોર્ટ્સ રાખવામાં આવી છે. લખોટી, ભમરડો, લગોરી, લીંબુ-ચમચી અને કોથળા દોડ તો બીજી તરફ નવી પેઢીને વિસરાતી જતી સંસ્કૃતિથી પરિચિત કરાવવા લખોટી, ભમરડો, લગોરી, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી દેશી રમતોનું ખાસ આયોજન કરાયું છે. જ્યારે આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ઝુમ્બા સેશન, પ્લેન્ક ચેલેન્જ અને આર્મ રેસલિંગ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. બાળકો માટે ફેસ પેઇન્ટિંગ, ટ્રેમ્પોલીન અને સ્ટ્રીટ ચોક આર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ બાદ સાંજે મનોરંજનઆ ઉપરાંત, શહેરીજનોના જ્ઞાનની કસોટી કરવા માટે ‘નો યોર ગાંધીનગર’ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજવામાં આવનાર છે. જ્યારે આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ બાદ સાંજની શરૂઆત મનોરંજનથી થશે. રાત્રે 7 કલાકે પ્રખ્યાત કલાકાર બ્રિજ શાહ લાઈવ સૂફી નાઈટ રજૂ કરશે. સૂફી સંગીતની સાથે વિવિધ ડાન્સ ગ્રુપ દ્વારા પર્ફોર્મન્સ આપીને માહોલને રંગીન બનાવવામાં આવશે. બ્લડ ડોનેશન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પત્યારે મનોરંજનની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થળ પર બ્લડ ડોનેશન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન છે. ખાણી-પીણીના શોખીનો માટે વિવિધ ફૂડ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે જેથી લોકો સહપરિવાર આખું રવિવાર માણી શકે. મહાનગરપાલિકાએ આ કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:54 pm

પોરબંદર ગ્રામ્યમાં 1.73 કરોડના જળસંચય કામોનું ખાતમુહૂર્ત:મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે વોકળા ઊંડા ઉતારવાનો પ્રારંભ

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી ₹1.73 કરોડના ખર્ચે વોકળા ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસકામોનો પ્રારંભ કરાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ બનાવવાનો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત લાવડીયા દેગામ વોકળાને ₹23 લાખના ખર્ચે અને મસાણીયા વોકળાને ₹150 લાખના ખર્ચે ઊંડો ઉતારવાનું આયોજન છે. આ કામગીરીથી ચોમાસામાં પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. દેગામ, સીમાણી, ભારવાડા, બખરલા અને બેરણ સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે આ યોજનાનો સીધો લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. તેમણે કમોસમી વરસાદના સમયે જાહેર કરાયેલા ઐતિહાસિક રાહત પેકેજને યાદ કરીને ખેડૂતોને મળેલા આર્થિક પીઠબળ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ નવી પેઢીને વ્યસનમુક્ત બની આધુનિક ખેતી અપનાવવા અને કૃષિમાં નવીનતા લાવવા પ્રેરણા આપી.પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતા મંત્રીએ 'ગ્રીન પોરબંદર' પ્રોજેક્ટની વિગતો આપી હતી. તેમણે દરેક ગામમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવા ગ્રામજનોને અપીલ કરી. તેમણે ઉમેર્યું કે, જળ સંચયના આ કાર્યોથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને પશુપાલન જેવા વ્યવસાયોને પણ સમૃદ્ધિ મળશે.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પણ ખેડૂતોને આ યોજનાથી થનારા ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા અને જિલ્લાને હરિયાળો બનાવવા વૃક્ષોની જાળવણી પર ભાર મૂક્યો હતો. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, અગ્રણીઓ રામદે મોઢવાડિયા, હાથિયા ખુટી, કેશુ ઓડેદરા, ભીમભાઇ, ભુરા કેશવાલા, પ્રતાપ કેશવાલા, સામત ઓડેદરા, વિરમ કારાવદરા સહિત સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:53 pm

ભાવનગરની સર ટી હોસ્પિટલના તબીબોનો ચમત્કાર:15 વર્ષે જન્મેલા ચાર નવજાત શિશુઓને 63 દિવસની જહેમત બાદ નવજીવન મળ્યું

મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા કિસ્સા બને છે જે માનવ જીજીવિષા અને તબીબોના સમર્પણનો વિજય સાબિત થાય છે ભાવનગરની સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ (NICU) ની ટીમે આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો કરી બતાવ્યો છે જેમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ IVF પદ્ધતિથી જન્મેલા અને અત્યંત ઓછું વજન ધરાવતા ચાર બાળકો ને 63 દિવસની સઘન સારવાર બાદ સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી છે, ​​તલાજા તાલુકાના ભાળર ગામના વતની અને વ્યવસાયે બાંધકામ મજૂર એવા દંપતીને ત્યાં લગ્નના 15 વર્ષ બાદ ચાર બાળકોનો જન્મ થયો હતો, જોકે, આ ચારેય બાળકો અધૂરા માસે જન્મેલા અને અત્યંત ઓછું વજન ધરાવતા હતા. ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે તેઓને સર ટી હોસ્પિટલ રિફર કરાયા ત્યારે સ્થિતિ ગંભીર હતી, ​બાળકોના વજનની વિગતોમાં જેમાં પ્રથમ બાળકનું જન્મ સમયએ 850 ગ્રામ ડિસ્ચાર્જ સમયએ 1.350 કિલોગ્રામ, બીજું બાળક જન્મ સમયે 800 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.570, ત્રીજું બાળક જન્મ સમયે 780 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.450 કિલોગ્રામ, ચોથું બાળક જન્મ સમયે 820 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.440 કિલોગ્રામ, આમ, ​63 દિવસે બાળકો સ્વસ્થ જણાવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, ​વિભાગીય વડા ડો.મેહુલ એમ.ગોસાઈ અને NICU ઇન્ચાર્જ ડો. અરવિંદ કુચાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે રાત-દિવસ મહેનત કરી હતી, ચારેય બાળકોને 21 દિવસ સુધી વેન્ટિલેટર અને 9 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા, ફેફસાં માટે 'સર્ફેક્ટન્ટ થેરાપી', IV એન્ટીબાયોટિક્સ અને આરટી ફીડિંગ જેવી અદ્યતન સારવાર અપાઈ હતી, આંખોની તપાસ (ROP), હૃદયની તપાસ (2D Echo) અને USG જેવા તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ જ રજા અપાઈ છે, ​ડીન ડો.ચિન્મય શાહ અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અશોક વાળાના નેતૃત્વ હેઠળ સર ટી હોસ્પિટલના NICU વિભાગે સાબિત કર્યું છે કે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે ડો.મેહુલ ગોસાઈ સાથે ડો.અલ્પા પારેખ, ડો. કમલેશ ઉનડકટ અને રેસિડેન્ટ તબીબો તેમજ નર્સિંગ હેડ દિલીપભાઈ પટેલના સ્ટાફે આ ભગીરથ કાર્યમાં ફાળો આપ્યો હતો, આ માત્ર તબીબી સારવાર નથી, પણ એક ગરીબ પરિવારના 15 વર્ષના સ્વપ્નને જીવંત રાખવાનો પ્રયાસ છે, અમારી આખી ટીમ માટે આ ક્ષણ અત્યંત ગર્વની છે તેમ ડો.મેહુલ એમ. ગોસાઈ વિભાગીય વડાએ જણાવ્યું હતું, ​આજે જ્યારે આ ચાર નવજાત શિશુઓ તેમના માતા-પિતા સાથે હસતા મુખે ઘરે પરત ફર્યા, ત્યારે હોસ્પિટલના સ્ટાફમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:52 pm

દોઢ વર્ષથી પુત્રનું મોઢું જોયું નથી, આપઘાતના વિચાર આવે છે:ધુતારાના ઢોંગમાં યુવક વશમાં નહિ થતાં તારો પતિ તને વર્ષ 2027માં દગો દેશે કહી પત્નીનો બ્રેઈન વોશ કર્યો, ભરણપોષણનો કેસ પણ કરાવ્યો

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી તાંત્રિક સતિષ ધામીના ધતિંગે વધું એક પરિવારનો માળો વિંખી નાખ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. તમારા ઘરમાં સારું કરવું હોય તો જંગલમાં એક વિધિ કરવી પડશે કહી ઋત્વિક દેસાઈ નામના યુવાન પાસે રૂ.30 હજાર અને ઘરેણાની માંગણી કરી હતી પરંતુ યુવક વશ ન થતા તાંત્રિકે યુવકની પત્નીનો બ્રેઈન વોશ કરી તારો પતિ તને વર્ષ 2027માં દગો દેશે તેમ કહીં ભરણપોષણનો કેસ પણ કરાવ્યો હતો. ભોગ બનનાર ઋત્વિકભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગઈ તા.10.02.2023ના તેમના લગ્ન થયાં હતા. લગ્ન બાદ દંપતી શાંતિથી લગ્ન જીવન પસાર કરતાં હતાં દરમિયાન સાસુ પ્રભાબેને ત્રણ મહિના બાદ પત્નીને પોતાના ઘરે બોલાવી હતી અને સોનાના દાગીનાની માંગ કરી હતી જેથી યુવકે ગમે તેમ કરી દાગીનાની વ્યવસ્થા કરી આપી હતી. થોડા સમય બાદ ફરીવાર યુવકની પત્નીને સાસુએ પરત બોલાવી મકાનની માંગ કરી હતી જે બાદ યુવકે મકાનની પણ વ્યવસ્થા કરી લઈ પરત પત્નીને તેડી આવ્યો અને અલગ રહેવા લાગ્યો હતો. દરમિયાન પત્ની ગર્ભવતી થઈ હતી ગર્ભને સાત મહિના થતા તે પિયર ગઈ હતી. જે બાદ પુત્રનો જન્મ થયો હતો. પરત પત્નીને તેડવા જતા સાસુએ વધું રૂપીયાની માંગ કરી હતી. આ પછી સતીષ ધામી તેના સાસુના ઘરે આવ્યો ત્યારે યુવકને પણ બોલાવ્યો હતો અને તેની પત્નીને તમારા પગમાં નિશાન છે તેમ કહીં બ્રેઇન વોશ કરી નાંખ્યું હતું. તેમજ યુવકને તમારા ઘરમાં સારું કરવું હોય તો એક વિધિ કરવી પડશે, જે વિધિ જંગલમાં થશે તેમ કહીં રૂ.30 હજારની માંગણી કરી હતી. જે વાતમાં ન આવી યુવકે બે માસ સુધી તેને પૈસા આપ્યાં ન હતાં. દરમિયાન યુવકને તેના સાસુ સતિષ ધામીના ગુંદાવાડીમાં આવેલ મકાને લઈ ગયાં હતાં અને યુવકને ધામીએ તમારી પાસે રહેલ દાગીના અમને સોંપી દો તો તમારું ઘર વ્યવસ્થિત ચાલશે કહ્યું હતું. જો કે યુવકે તેમને ઘરેણાં ન આપતાં પત્નીનો બ્રેઈન વોશ કરી નાંખ્યો હતો દરમિયાન યુવકે ગઈ તા.16.02.2025ના પત્નીને મેસેજ કર્યો કે, તારે પૈસાની જરૂરિયાત હોય તો હું આપી જાવ તેમ કહેતા પત્નીએ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, તેમજ તમે મને પ્રેગ્નેન્સી દરમિયાન માર માર્યો છે, તમે ઘરેણાં નથી આપ્યા એટલે આ બધું થયું છે કહી બોલાચાલી કરી હતી. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, તેને છેલ્લે ત્રણ મહિનાનો તેમનો પુત્ર હતો ત્યારે જોયો હતો જે આજે દોઢ વર્ષનો થઈ ગયો છે, છતાં પણ તેમનું મોઢું પણ જોયું નથી. આપઘાત કરવાના વિચાર આવે છે પરંતુ પુત્રની જિંદગી હેરાન ન થાય તે માટે જિંદગી જીવી રહ્યો છું. આ સતીશ ધામીએ મારા ફુલ જેવા પરિવારના માળાને વિંખી નાખ્યો છે તેમજ તેની પત્નીને સતીષ ધામીએ વર્ષ 2027માં તારો પતિ તને દગો આપશે હેરાન કરી નાંખસે કહીં ફસાવી પણ છે. જે બાદ સસરિયાઓએ તેમના પર ભરણ પોષણનો પણ કેસ કર્યો છે. માટે હવે હું આરોપી સતીષ ધામી સામે ફરિયાદ નોંધાવવા તૈયાર છું.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:50 pm

અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ખિલન પટેલ મોડાસા પરત ફરશે:સોમવારે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાશે

અરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત યાત્રા મોડાસાના APMC સર્કલથી શરૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાની જાહેર જનતાને ઉપસ્થિત રહીને ખિલન પટેલને અભિનંદન પાઠવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:48 pm

વડાળામાં ₹1.70 કરોડના રોડ કામનું ખાતમુહૂર્ત:મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો

પોરબંદર જિલ્લાના વડાળા ગામે ₹1.70 કરોડના ખર્ચે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ થયો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ રસ્તો વડાળા ગામના હિંગળાજ મંદિર તરફ જાય છે. તેને મેટલ મોરમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ ₹1 કરોડ 70 લાખ છે. આ નવા રસ્તાથી સ્થાનિકોની સુખાકારીમાં વધારો થશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સંકટના સમયે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમણે ઘેડ વિસ્તાર માટે જળ વ્યવસ્થાપનની મોટી યોજનાઓ અને બરડા સાગર ડેમની પાળ મજબૂત કરવાના કામ પ્રગતિમાં હોવાનું પણ ઉમેર્યું. મંત્રીએ સામાજિક સુધારણા પર ભાર મૂકતા યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અને બિનજરૂરી ખર્ચ ટાળી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા અપીલ કરી. પર્યાવરણ સુરક્ષા માટે તેમણે ગામમાં 5000 વૃક્ષો વાવવાનું અને તેના ઉછેરનું લક્ષ્ય પણ આપ્યું. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ ખેડૂતોને ખેતીની સાથે પશુપાલન અને નળિયેરીના વાવેતર દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવવા હાકલ કરી. તેમણે જળવાયુ પરિવર્તન સામે રક્ષણ મેળવવા ઓર્ગેનિક ખેતી અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પર ભાર મૂક્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, અગ્રણી આગેવાનો રામદે મોઢવાડિયા, હાથિયા ખુટી, કેશુ ઓડેદરા, ભીમભાઇ, ભુરા કેશવાલા, પ્રતાપ કેશવાલા, સામત ઓડેદરા, વિરમ કારાવદરા સહિત સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:45 pm

પોરબંદરમાં ખેડૂત સંમેલન યોજાયું:કેન્દ્રીય બજેટમાં કૃષિલક્ષી જોગવાઈઓ વિશે અપાઈ માહિતી

પોરબંદર APMC માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા 'બજેટ 2026 ખેડૂત સંમેલન'નું આયોજન કરાયું હતું. કેન્દ્રીય બજેટ 2026-27ની કૃષિલક્ષી જોગવાઈઓ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાના હેતુથી આ સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને બજેટમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે કરાયેલી જાહેરાતો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આ બજેટ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે 'વિકસિત ભારત'ના પાયા મજબૂત કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ પ્રારંભિક ઉદ્બોધનમાં બજેટના વિવિધ પાસાઓ સમજાવ્યા હતા અને તેને સંપૂર્ણપણે ખેડૂતલક્ષી ગણાવ્યું હતું. સંમેલનમાં વક્તાઓએ બજેટની મુખ્ય ખેડૂતલક્ષી જોગવાઈઓ પર ભાર મૂક્યો હતો. જેમાં ખેતીમાં આધુનિકતા લાવવા માટે 'એગ્રીસ્ટેક' અને AI સિસ્ટમ્સનો સમન્વય, નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ માટે નવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રાથમિક સહકારી મંડળીઓ દ્વારા પશુ આહાર અને કપાસના બીજ પૂરા પાડવાથી થતી આવકને હવે ટેક્સ કપાત માટે પાત્ર ગણવામાં આવશે. પશુપાલન માટે ખાનગી ક્ષેત્રમાં હોસ્પિટલો અને લેબોરેટરી સ્થાપવા સબસિડી અપાશે. ભારતીય જહાજો દ્વારા પકડાયેલી માછલીઓ પરની ડ્યુટી નાબૂદ કરી નિકાસને વેગ આપવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા, APMC ઉપપ્રમુખ ચંદ્રેશ સામાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય વડુકર, જિલ્લા ઇનચાર્જ દિવ્યેશ સોઢા, સહ-ઇનચાર્જ વિજય ઉનડકટ અને ભાવિક દેવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇનચાર્જ દિવ્યેશ સોઢા, સહ-ઇનચાર્જ વિજય ઉનડકટ અને ભાવિક દેવાણીએ બજેટના આર્થિક અને વ્યૂહાત્મક પાસાઓ વિશે માહિતી આપી ખેડૂતોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:43 pm

વડોદરામાં બિલ્ડરે મહિલાની ખોટી સહી કરીને બે દુકાનો વેચી નાખી:હરણી રોડ પાસે રહેતી મહિલા સાથે છેતરપિંડી, કપુરાઈ પોલીસે આરોપીને ઝડપ્યો

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી ગાંધીપાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો. મહિલાએ અણખોલ વિસ્તારમાં આવેલા કેશવ બ્લીઝ પ્રોજેક્ટમાં બે દુકાનો ખરીદી હતી અને તેના માટે પુરેપુરા રૂપિયા ચૂકવ્યા હતાં. જોકે, બિલ્ડરે તેમની જાણ બહાર તેમની ખોટી સહી કરીને બાનાખત કરાર રદ કરી દીધો અને તે દુકાનો અન્ય બે વ્યક્તિઓને વેચી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના બાદ કપુરાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિલ્ડરની ધરપકડ કરી છે. મહિલાએ બે દુકાનનું બુકિંગ કરાવ્યું હતુંફરિયાદી મહિલા દમયંતી પાંડુભાઇ ગોપાલભાઇ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, નારસોન હાઉસિંગ નામની ભાગીદારી પેઢીના વહીવટકર્તા સુમિત નારાયણ પટેલે 28 જાન્યુઆરી 2022થી 12મે 20222 દરમિયાન તેમને છેતર્યા હતા. તેઓએ કેશવ બ્લીઝમાં દુકાન નંબર 14 અને 15નું બુકિંગ કરાવ્યું હતું અને આરોપીને પુરેપુરો અવેજ આપ્યો હતો. આરોપીએ તેમને કબજા વગરનો બાનાખત કરાર અને એલોટમેન્ટ લેટર આપ્યું હતું. ખોટી સહીઓ કરી અને બાનાખત કરાર રદબાતલ કરી દીધોજોકે, ફરિયાદીની જાણ બહાર આરોપીએ ખોટા દસ્તાવેજ તૈયાર કરીને તેમની ખોટી સહીઓ કરી અને બાનાખત કરાર રદબાતલ કરી દીધો. તે જ દિવસે દુકાન નંબર 15 વરીયા ચંદ્રકાન્ત શંકરલાલ અને વરીયા હિમાંશુકુમાર ચંદ્રકાન્તને કબજા વગરનો નવો બાનાખત કરાર કરી આપ્યો હતો. આમ, બિલ્ડરે ફરિયાદીને મોટી રકમની છેતરપિંડી કરી હતી. બિલ્ડર સુમિત નારાયણ પટેલ ઝડપાયોફરિયાદ નોંધાયા બાદ કપુરાઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી આરોપી સુમિત નારાયણ પટેલને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:39 pm

સુપ્રસિદ્ધ મહુડી જૈન ટ્રસ્ટનો વિવાદ વકર્યો:લેબોરેટરી ટેસ્ટિંગમાં પતરામાં માત્ર 1 કિલો સોનું જ મળી આવ્યું હોવાનો અંકિત મહેતાનો દાવો,100 કિલો સોનાના હિસાબમાં ગોલમાલ થયાનો આક્ષેપ

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્ય અંકિત મહેતાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને અન્ય સભ્યો પર કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને સોનાની ઉચાપતના ગંભીર આક્ષેપો કર્યા છે. 8 લોકોએ ખોટી રીતે પોતાને ટ્રસ્ટી તરીકે ઠરાવી દીધા હોવાનો આક્ષેપઆજે અંકિત મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં PTR (પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર ) પર માત્ર એક જ ટ્રસ્ટી પ્રવીણભાઈ મહેતા હયાત છે. બાકીના તમામ નોંધાયેલા ટ્રસ્ટીઓના અવસાન થઈ ચૂક્યા છે. આ સ્થિતિનો લાભ લઈને ભૂપેન્દ્ર વોરા સહિત 8 વ્યક્તિઓએ ખોટા ઠરાવો અને લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી તરીકે ખપાવી દીધા છે. ચેરિટી કમિશનરે આ બાબતે વાંધા સ્વીકાર્યા હોવાથી તેમના નામ હજુ PTR પર ચઢ્યા નથી. 64 કિલો સોનાનો કોઈ હિસાબ સ્ટોક પત્રકમાં નથીઃ અંકિત મહેતાસૌથી ચોંકાવનારો આક્ષેપ સોનાની ચોરી અંગે કરવામાં આવ્યો છે. અંકિત મહેતાના જણાવ્યા અનુસાર, સંસ્થાના 65 કિલો સોનાનો કોઈ હિસાબ કે સ્ટોક પત્રક નથી. ટ્રસ્ટીઓએ એવો દાવો કર્યો હતો કે આ સોનું મંદિરને સોનાનું મઢવામાં વપરાયું છે, પરંતુ લેબોરેટરી ટેસ્ટિંગમાં પતરામાં માત્ર 1 કિલો સોનું જ મળી આવ્યું છે. બાકીનું 64 કિલો સોનું ક્યાં ગયું? વધુમાં અંકિત મહેતાનો આક્ષેપ છેકે છેલ્લા 50 વર્ષથી દાદાના વરખમાંથી ઉતરતું અંદાજે 100 કિલો સોનું પણ ચોપડે નોંધાયેલું નથી. આક્ષેપ મુજબ, ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ સંસ્થાના નાણાંનો દુરુપયોગ કરી અમદાવાદ અને સુરતમાં કરોડોના બંગલા અને ફ્લેટ ખરીદ્યા છે. આ ઉપરાંત, પોતાની ટ્રાન્સપોર્ટ કંપની મધુપુરી રોડલાઇન્સ માટે દોઢ-દોઢ કરોડના કન્ટેનર ખરીદ્યા છે, જ્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 5 લાખ જેવું જ છે. પવિત્ર સ્થાનની સુખડી બહાર નથી જતી, ત્યાંથી સોનાની ચોરી થયાનો આક્ષેપઅંકિત મહેતાએ જણાવ્યું કે, ન્યાયતંત્ર અને ચેરિટી કમિશનર સમક્ષ 28થી વધુ ફરિયાદો કરવામાં આવી છે. સતત ગેરરીતિઓને પગલે તેમણે ટ્રસ્ટ બંધ કરવાની અરજી કરી છે. આ મામલે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથે 12-03-2026 ના રોજ કોર્ટ ચુકાદો આપી શકે છે, જેમાં ટ્રસ્ટ સરકારને સોંપવા અથવા બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.જે પવિત્ર સ્થાનની સુખડી બહાર નથી જતી, ત્યાંથી આ લોકો સોનું ચોરી ગયા છે. શ્રદ્ધાળુઓના દાનનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેવો અંકિત મહેતા એ આક્ષેપ સાથે દાવો કર્યો છે. અંકિત મહેતાને મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી- ભૂપેન્દ્ર વોરાઆ અંગે ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ કહ્યુ કે અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી. 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે, આજીવન એમનું સભ્યપદ રદ કર્યું છે. એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી. 2023માં એમને મહુડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનરમાં દાખલ કર્યા. ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાઈ આવતા એમણે તપાસ કરી એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:38 pm

બાળકો–યુવાનોમાં વધતો માયોપિયા રોગ ચિંતાજનક:આંખોની દ્રષ્ટિ સંબંધિત વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં AGOS SUMMIT-2026નું આયોજન

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં બાળકો તથા યુવાનોમાં આંખોની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ વધતી જઈ રહી છે. ખાસ કરીને માયોપિયા નામનો રોગ આજે ગંભીર ચેતવણીરૂપ બની રહ્યો છે. આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટી દ્વારા 7 અને 8 ફેબ્રુઆરી, શનિવાર–રવિવારના રોજ અમદાવાદમાં બે દિવસીય ‘AGOS SUMMIT-2026’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને દેશના વિવિધ શહેરોમાંથી 450થી વધુ આંખના રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ ભાગ લીધો હતો. માયોપિયાને કેવી રીતે રોકી શકાય તેના પર ચર્ચા કોન્ફરન્સ દરમિયાન બાળકો અને યુવાનોમાં ઝડપથી વધતા માયોપિયાને કેવી રીતે રોકી શકાય, તેનું વહેલું નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ અને રોકથામના ઉપાયો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે ક્લિનિકલ ડિબેટ્સ, કોન્ટ્રોવર્સી ઇન ઓપ્થેલમોલોજી, ફ્યુચર ઓફ ઓપ્થેલમોલોજી, પ્રેક્ટિસ એન્ડ મેનેજમેન્ટ તેમજ હ્યુમર ઇન ઓપ્થેલમોલોજી જેવા વિષયો પણ ચર્ચાશે. 'બાળકો અને યુવાનોમાં માયોપિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે'ડો. જગદીશ રાણા, માનદ સેક્રેટરી, ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટીએ જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી, મોબાઇલ અને કમ્પ્યુટરનો વધતો ઉપયોગ અને બહાર રમવાની ઘટતી પ્રવૃત્તિના કારણે બાળકો અને યુવાનોમાં માયોપિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે. સમયસર તપાસ અને યોગ્ય જીવનશૈલી દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. માયોપિયામાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે. રસ્તાના બોર્ડ, બ્લેકબોર્ડ અથવા ટીવી સ્પષ્ટ ન દેખાવું, આંખોમાં થાક, માથાનો દુખાવો અને આંખ ચોળવાની આદત તેના મુખ્ય લક્ષણો છે. 15થી 20 ટકા શહેરી બાળકો આ સમસ્યાથી પીડિતગુજરાતના શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં શાળાએ જતાં બાળકોમાં માયોપિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંદાજે 15થી 20 ટકા શહેરી બાળકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આંખના રોગો, રેટિના સંબંધિત સમસ્યાઓ અને દૈનિક જીવનમાં જોખમજો સમયસર સારવાર ન મળે તો માયોપિયા આગળ જઈને ગંભીર આંખના રોગો, રેટિના સંબંધિત સમસ્યાઓ અને દૈનિક જીવનમાં જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે યોગ્ય નંબરના ચશ્મા, નિયમિત આંખની તપાસ, સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરવી, દરરોજ 1 થી 2 કલાક બહાર રમવું અને 20-20-20 નિયમ અપનાવવો અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:34 pm

દ્વારકામાં ઓલ ઈન્ડિયા હેડા ઓર્ગેનાઈઝેશનની ચોથી જનરલ કોન્ફરન્સ:દ્વારકાપ્રસાદજી હેડા રત્ન અને ડો.અતુલ હેડા ગૌરવ બન્યા, સહકરણજી પ્રમુખ બન્યા અને કેદાર હેડા જનરલ સેક્રેટરી બન્યા

ભગવાન કૃષ્ણના પવિત્ર શહેર દ્વારકામાં ઓલ ઈન્ડિયા હેડા ઓર્ગેનાઈઝેશનનું બે દિવસીય ચોથું સામાન્ય સંમેલન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયું. આ સંમેલનમાં ભારત અને વિદેશના સમુદાયના સભ્યોએ સમાજના ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો. મુખ્ય ચૂંટણી અધિકારી કાલુરામ હેડાએ આગામી સત્ર માટે નવી કારોબારી સમિતિની જાહેરાત કરી. કિશનગઢના પ્રખ્યાત માર્બલ ઉદ્યોગપતિ સહસકરણ હેડા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા, અને ઇન્દોરના કેદાર હેડા મહાસચિવ તરીકે ચૂંટાયા. સત્યનારાયણ હેડા (બોરસદ) વરિષ્ઠ ઉપપ્રમુખ, વિષ્ણુચરણ હેડા (કિશનગઢ) ખજાનચી, રામેશ્વર હેડા (જાલોર) સંગઠન મંત્રી અને શ્રીમતી સુભદ્રા હેડા મહિલા સેલ પ્રમુખ તરીકે ચૂંટાયા. દ્વારકાપ્રસાદ હેડાનું હેડા રત્ન અને ડૉ. અતુલ હેડાને હેડા ગૌરવથી સન્માનસમારોહમાં, સમુદાયના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હેડા રત્ન અને હેડા ગૌરવ પુરસ્કારો અને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે વિશેષ સન્માન આપવામાં આવ્યા. રાજસ્થાનના દેગાનાના દ્વારકાપ્રસાદ હેડાને ગાયોની સેવા, સનાતન ધર્મ અને ભવ્ય મંદિરના નિર્માણ માટે હેડા રત્ન એનાયત કરવામાં આવ્યો હતો, અને ભીલવાડાના બાળરોગ નિષ્ણાત ડૉ.અતુલ હેડાને જાહેર કલ્યાણ અને આરોગ્ય જાગૃતિમાં તેમના કાર્ય માટે હેડા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનારા 15 સભ્યોને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને નાણાકીય સહાય પૂરી પાડનારા 50 સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શંકરલાલજી હેડા (ગોવા)એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થાના દરેક સભ્યએ પોતાના અંગત જીવન અને વ્યવસાયમાંથી સમય કાઢીને સમાજના હિત માટે કામ કરવું જોઈએ. તેમણે નેતાઓને સમાજના દરેક સભ્યને સંગઠન સાથે જોડવા અને સામાજિક દુષણો અને દંભથી મુક્ત થવા હાકલ કરી, જેથી આગામી પેઢીને સ્વચ્છ વિચારો અને રાષ્ટ્ર માટે સમર્પિત કાર્યકરો પ્રદાન કરીને એક મજબૂત અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરી શકાય. કાલુરામજી હેડા (નડિયાદ), અશોકજી હેડા (વસીમ), અને કમલજી હેડા (ભીવંડી)એ પણ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે સંબોધન કર્યું. સેવા અને સમર્પણની સિદ્ધિઓસંગઠન પ્રમુખ પ્રહલાદજી હેડા (નડિયાદ)એ જણાવ્યું કે સંસ્થા જરૂરિયાતમંદ પરિવારોને નાણાકીય સહાય, વિધવાઓને માસિક પેન્શન અને તબીબી સહાય પૂરી પાડે છે. પ્રાથમિક ઉદ્દેશ્ય પરિવારોને આત્મનિર્ભર બનાવવાનો છે; હાલમાં, 20 પરિવારો માસિક પેન્શન મેળવી રહ્યા છે. મહાસચિવ ડૉ. જી.એલ. હેડા (નવી દિલ્હી) એ માહિતી આપી કે હાલમાં સંસ્થા સાથે આશરે 900 સભ્યો જોડાયેલા છે, જેમાં ભારત, અમેરિકા, નૈરોબી, દુબઈ અને નેપાળના સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે અસાધારણ સેવા આપનારાઓનું દર ત્રણ વર્ષે સન્માન કરવામાં આવે છે. સંગઠનના હિસાબ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓખજાનચી તુલસીરામ હેડા (સુરત)એ છેલ્લા ત્રણ વર્ષનો હિસાબ રજૂ કર્યો, જેને બધાએ સર્વાનુમતે સ્વીકાર્યો. વરિષ્ઠ ઉપપ્રમુખ રામપ્રસાદ હેડા (શાહપુરા)એ સમજાવ્યું કે આશરે 600 સભ્યોના સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સભ્યોએ દ્વારકાધીશ, બેટ દ્વારકા, નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી. પ્રખ્યાત ભજન ગાયક ઋષિ કુમાર અને કોલકાતા સ્થિત ભજન ગાયક મારુતિ મોહતાએ પરિષદમાં મંત્રમુગ્ધ કરનાર ભજન રજૂ કર્યા. કાર્યક્રમનું સંચાલન મહિલા સંગઠનના પ્રમુખ સુનિતા હેડા (જોધપુર) અને મંત્રી સુભદ્રા હેડા (શાહપુરા) દ્વારા કરવામાં આવ્યું હતું. ભવિષ્ય માટે 5 મુદ્દાની કાર્ય યોજનાનવચૂંટાયેલા પ્રમુખ સહસકરણ હેડાએ યુવાનો માટે નવીન વ્યવસાય કાર્યક્રમો, સભ્યપદ અભિયાન, આત્મનિર્ભરતા માટે અંત્યોદય યોજના, સંગઠન સંભારણું અને આરોગ્ય જાગૃતિ અભિયાન શરૂ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા પાંચ-મુદ્દાની કાર્ય યોજના રજૂ કરી. અંતે, નવા ચૂંટાયેલા મહામંત્રી કેદાર હેડા (ઇન્દોર)એ બધા મહેમાનો, દાનવીરો અને સભ્યોનો આભાર માન્યો અને ભવિષ્યમાં સર્જનાત્મક અને જન-મૈત્રીપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:34 pm

'NCC માત્ર સંસ્થા નહિ, એકતા અને અનુશાસનની જીવનશૈલી છે':ગાંધીનગરમાં એટ હોમ સેરેમનીમાં CM ભૂપેન્દ્ર પટેલ, 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત

નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડ અને પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ–2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરનારા ગુજરાતના NCC કેડેટ્સનું ગાંધીનગરમાં લોકભવન ખાતે યોજાયેલી એટ હોમ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે NCC માત્ર એક સંસ્થા નથી, પરંતુ યુવાનોમાં એકતા, અનુશાસન અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને જીવનમાં ઉતારતી આદર્શ પાઠશાળા છે. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટે પરેડ ને ગાર્ડ ઓફ ઓનરનવી દિલ્હી ખાતે યોજાયેલા RDC-2026માં ભાગ લઈ ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટે પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિસ્ત અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત ફરેલી આ ટીમે રાજ્યનું ગૌરવ વધાર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયતસમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ‘કેડેટ જર્નલ–2026’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત NCCની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આ વર્ષે ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર NCC રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું. NCC કેડેટ્સની ભૂમિકા પ્રશંસનીય મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે NCC દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને દેશપ્રેમના ભાવ સાથે સશક્ત બનાવે છે. આપત્તિના સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ અને રક્તદાન જેવી પ્રવૃત્તિઓમાં NCC કેડેટ્સની ભૂમિકા પ્રશંસનીય રહી છે. દેશના યુવાનો એકસાથે તાલીમ લઈ રાષ્ટ્રધ્વજ હેઠળ ઊભા રહે છેતેમણે ઉમેર્યું હતું કે NCC કેડેટ્સ પોતાના વર્તન, યુનિફોર્મ, સમયપાલન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા સમાજને શિસ્તનો જીવંત પરિચય આપે છે. જ્યારે સમગ્ર દેશના યુવાનો એકસાથે તાલીમ લઈ રાષ્ટ્રધ્વજ હેઠળ ઊભા રહે છે ત્યારે રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બને છે. NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયર તથા મોટી સંખ્યામાં NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા એન.સી.સી. ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ બિમલ મોંગાએ રાજ્યમાં ચાલી રહેલી NCC પ્રવૃત્તિઓની વિગતો રજૂ કરી અને આ પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે રાજ્ય સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદ NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયરઓ તથા મોટી સંખ્યામાં NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:28 pm

બેટા મને માફ કરજે કહી પિતાએ ફોન કાપી નાખ્યો:વ્યાજખોરોએ મારી જમીન પડાવી, ગોડાઉન છીનવી લીધું અને ચેક લઇ લીધાની સ્યુસાઇડનોટ લખી કેટરિંગના ધંધાર્થીએ કર્યો આપઘાત

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટના કેટર્સના ધંધાર્થી બિપીનભાઈ પાંભરએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બિપિનભાઈએ તેમના પુત્રને ફોન કરી મને માફ કરજે હું દવા પિવ છું કહેતા પુત્રએ દાદાને જાણ કરી પિતાને ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના કબ્જામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે મરવા મજબુર કરવા તેમજ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે રહેતા 69 વર્ષીય વૃદ્ધ લક્ષ્મણભાઇ પાંચાભાઈ પાંભરે મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ભરતસિંહ સોલંકી, મોટાવડાના મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજા, મુંજકાના વિનુ મેત્રા, નાના ઇટાળાના પ્રવિણસિંહ(હાલ મૃત)નું નામ આપતાં જણાવ્યું હતું કે, દિકરો બીપીન કેટરીંગનું કામ કરતો હતો. બીપીનભાઈના પત્નિ કંચનબેન આશરે દોઢેક વર્ષ પહેલા કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલ છે. તેને સંતાનમાં એક દીકરો ધ્રુવીન છે, જે પ્રાઈવેટ નોકરી કરે છે અને પત્નિ સાથે રાજકોટ રહે છે. ગત તારીખ 05.02.2026ના રોજ સવારના 11.30 વાગ્યે હું મારી પાંભર ઈટાળા રોડ પર લેકવ્યુ રિસોટની બાજુમાં આવેલ વાડીએ હતો ત્યારે મને મારા પૌત્ર ધ્રુવીનનો ફોન આવ્યો હતો કે, પપ્પાનો મારામાં ફોન આવ્યો છે અને મને કહેતા હતા કે મને માફ કરી દેજો, હું દવા પી જાવ છુ. જેથી મેં તરત જ મારા દિકરા બીપીનને ફોન કરતા તેને મારો ફોન ઉપાડ્યો ન હતો જેથી મે અમારી ગાડીનું ડ્રાઇવીંગ કરતા વિક્રમને સાથે લઇ રાજકોટ આવવા નીકળી ગયો હતો દરમિયાન મારા દિકરાનું કેટરીંગનું કામ કરતા બીટુટુ નામનો છોકરો મને મારા દીકરાની વેન્યુ ગાડી લઇને સામે મળ્યો હતો તેમાં મારો દિકરો બીપીન પાછળની શીટમાં સૂતો હતો. મારી ગાડી ત્યાં રોડ ઉપર રાખી વેન્યુ ગાડીમાં બેસી અને જોયું તો મારો દીકરો બિપિન અર્ધ બેભાન હાલતમાં હતો અને મારી હોજરી ફાટે છે મને પાણી આપો તેમ કહેતો હતો. જેથી મે બીપીનને પૂછયું કે, તે શું કામ આવું પગલું ભર્યું છે તો મારા દિકરાએ પોતાના શર્ટના ખીસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને મને આપી હતી જે મે વાંચતા તેમાં લખ્યું હતુ કે, ’વ્યાજવાળાના ત્રાસથી મારે દવા પીવી પડશે, એને મારા છોકરાના ચેક લીધેલ છે, 5 ટકા વ્યાજે પૈસા આપેલ છે, ભરતસીંહ સોલંકી, મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજાએ મને બોવ ત્રાસ આપ્યો છે. મારા છોકરાનુ ધ્યાન રાખજો, મારી જમીન વ્યાજમા વીનુ મેત્રાએ લઈ લીધી, મારૂ ગોડાઉન પ્રવીણસિંહે લઈ લીધુ’ તેમ લખ્યું હતુ. દરમિયાન મારા પુત્ર બિપીને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ મેં તરત જ પૌત્ર ધ્રુવિનને ફોન કરી બિપીનને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઇ જવા વાત કરી તાત્કાલિક વેન્યુ કારમાં અમે ખાનગી હોસ્પિટલ જવા નીકળ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ મેટોડા GIDC પોલીસે ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:22 pm

રિવાબાએ અંજલિબેન રૂપાણીને બોલાવી સ્ટેજ પર બેસાડ્યા, દીપ પ્રાગટ્ય કરાવડાવ્યું:રાજકોટ ભાજપમાં જૂથબંધી વચ્ચે શિક્ષણમંત્રીએ બધાને ચોંકાવ્યા, અમૂકના ભવાં ઉંચા થઈ ગયા

રાજકોટમાં આયોજીત બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર હોય અને અન્ય લોકોની સાથે સ્ટેજ નીચે બેસ્યા હોય રિવાબાએ તેઓને સ્ટેજ પર બોલાવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. રાજકોટ ભાજપની જૂથબંધીની વચ્ચે આ ઘટનાના કારણે ઉપસ્થિત સૌ કોઈના ભવાં ઉંચા ચઢી ગયા હતા. અંજલિબેન સ્ટેજ નીચે બેસ્યા હોય ઉપર બોલાવી દીપ પ્રાગટ્ય કરાવડાવ્યુંબજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. અંજલિબેન રૂપાણી સ્ટેજની નીચે બેસ્યા હોય રિવાબાએ કાર્યક્રમની શરૂઆતમાં જ તેઓને ઉપર બોલાવ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. અંજલિબેનની સાથે સ્ટેજ નીચે બેસેલા પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. રિવાબાએ સ્વાગત પ્રવચનમાં 'દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ...' ગીત લલકાર્યુંતાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રયી બજેટના સંદર્ભમાં રાજકોટ ભાજપ દ્વારા બજેટ મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. સ્વાગત પ્રવચન દરમિયાન રિવાબા જાડેજાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે...ગીતની પંક્તિ લલકારી હતી. કેન્દ્રીય બજેટને લઈ મહિલાઓ સાથે સંવાદ કરાયોગુજરાતના લોકોને બજેટમાં શું ફાયદો મળવાનો છે તે અંગે રિવાબાએ જણાવ્યુ કે, નિર્મલા સીતારામ દ્વારા સતત નવમી વખત નાણા બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. 53.05 લાખ કરોડના આ બજેટમાં માતૃશક્તિ, યુવા શક્તિ ઉપરાંત કિશાન, ઉદ્યમી અને MSME ઉદ્યોગકારોના વિકાસનો સમાવેશ થયો છે.શિક્ષણ, આરોગ્ય, MSME સેક્ટરમાં બહેનોનું યોગદાન કઈ રીતે વધે અને દેશના વિકાસમાં બહેનો કઈ રીતે સહભાગી બની શકે તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ કરવામાં આવી છે. MSME સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 7 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. WHO ના સેન્ટરને અપગ્રેડ કરાશે. ગિફ્ટ સિટીમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલી ડે લંબાવવામાં આવ્યો છે. જેના પરિણામો ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે. 5 લાખથી વધુ વસ્તી વાળા શહેરોને સીટી ઇકોનોમિક રીજન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન માટે 42,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. PM શ્રી યોજના અંતર્ગત રૂ.7500 કરોડની જોગવાઈ થઈ છે. ગુજરાતમાં વેરાવળને કેન્દ્રીય વિદ્યાલયની ભેટ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તેમણે જણાવ્યું કે, કેન્સર વિરોધી 17 દવાઓની કસ્ટમ ડ્યુટી હટાવી લેવામાં આવી છે. જેનાથી કેન્સર જેવી બીમારીઓનો સારવારનો ખર્ચ ઘટી જશે. ગુજરાતમાં 87 અમૃત રેલવે સ્ટેશન અંતર્ગત આધુનિકીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે પાકા આવાસની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ રૂપાણીની અંતિમયાત્રામાં થયેલો ખર્ચ ભાજપે પરિવારના માથે ઢોળ્યો વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાત નથીઃ રિવાબા જાડેજાકોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે, વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી. પોકળ દાવાઓ અને ખાલી વાતોથી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે લોકોને પ્રધાનમંત્રી પર પૂરો ભરોસો છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની સંકલ્પના માટેનું ખૂબ સારું બજેટ રજૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:19 pm

'ઓપરેશન મ્યુલ હંટ'માં એક આરોપીની ધરપકડ:પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ‘વર્ક ફ્રોમ હોમ’ની લોભામણી લાલચથી પૈસા પડાવાતાં, 66.72 લાખના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત વલસાડ જિલ્લા સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે 66.72 લાખના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. I4Cની બાતમીથી ફૂટ્યો ભાંડોનવી દિલ્હી સ્થિત ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા વલસાડ પોલીસને કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ વિગતોના આધારે DySP ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા કરોડોના ટ્રાન્ઝેક્શન ધરાવતા ‘મ્યુલ એકાઉન્ટ’ની કડીઓ મળી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં મેળવવા અને અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે થતો હતો. એક ઝડપાયો, મુખ્ય સૂત્રધારની શોધખોળપોલીસે આ મામલે મગોદના રહેવાસી અયુબ કાદરભાઈ શેખની ધરપકડ કરી છે. અયુબના બેંક ખાતાનો ઉપયોગ ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પારનેરાનો મિતેશ દીપકભાઈ પટેલ છે. મિતેશ મ્યુલ એકાઉન્ટમાં આવતા નાણાં પોતાના અને પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચરતો હતો. હાલ મિતેશ પટેલ ફરાર હોવાથી તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રોકાણ અને નોકરીની લાલચ આપી છેતરપિંડીસાયબર ઠગો સામાન્ય નાગરિકોને પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી લોભામણી લાલચો આપીને જાળમાં ફસાવતા હતા. વલસાડ સાયબર ક્રાઈમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 66,72,095 ની રકમ ફ્રીઝ કરાવી રિકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસની જાહેર જનતાને અપીલઅજાણી વ્યક્તિની લાલચમાં આવી બેંક ખાતાની વિગતો શેર ન કરવી કે ખાતા ભાડે ન આપવા. સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત 1930 હેલ્પલાઈન અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:15 pm

ગુજરાત ટાઇટન્સે આણંદમાં 'જુનિયર ટાઇટન્સ'નું આયોજન કર્યું:આઈ.બી.પટેલ સ્કૂલ ખાતે 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગુજરાત ટાઇટન્સે શનિવારે આણંદની આઈ.બી. પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં 'જુનિયર ટાઇટન્સ'ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારોની 20 સરકારી અને ખાનગી શાળાઓમાંથી લગભગ 1,000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આણંદ તબક્કામાં યોજાયેલા આ કાર્યક્રમને બાળકો માટે આનંદદાયક અને આવકારદાયક અનુભવ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ પ્રવૃત્તિ-આધારિત સેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે બાળકોને દબાણમુક્ત વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ કરવા, રમવા અને રમતગમત સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 'લેટ્સ સ્પોર્ટ આઉટ'ની ભાવનાને સાર્થક કરતા, 'જુનિયર ટાઇટન્સ'ને એક બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવ્યો છે જે સમાવેશકતા અને ભાગીદારીને પ્રાથમિકતા આપે છે. તે બાળકોમાં નાની ઉંમરથી જ આત્મવિશ્વાસ, ટીમવર્ક અને સકારાત્મક જીવનશૈલીની આદતો કેળવવા માટે રમતગમતનો એક મંચ તરીકે ઉપયોગ કરે છે. પ્રથમ બે આવૃત્તિઓ દરમિયાન, આ પહેલ સમગ્ર ગુજરાતના 10,000થી વધુ બાળકો સુધી પહોંચી હતી, જેણે ફ્રેન્ચાઇઝીને અમદાવાદ સિવાયના શહેરોના લોકો સાથે અર્થપૂર્ણ જોડાણ સાધવામાં મદદ કરી છે. કાર્યક્રમના અંતે ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદરસિંઘે જણાવ્યું હતું કે, અમે જે પણ શહેરમાં જઈએ છીએ ત્યાંની એક આગવી ઊર્જા હોય છે, અને આણંદમાં પણ એવો જ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. બાળકો અને શાળાઓએ દાખવેલા જોશ અને ઉત્સાહ એ વાતની પુષ્ટિ કરે છે કે જુનિયર ટાઇટન્સ જેવી પહેલ શા માટે મહત્વની છે. અમારું ધ્યાન રમતગમતના સરળ અને આનંદપ્રદ અનુભવોના નિર્માણ પર છે જે બાળકોને સક્રિય રહેવા અને આઉટડોર રમતો સાથે સ્વાભાવિક જોડાણ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જુનિયર ટાઇટન્સના આણંદના આ કાર્યક્રમ બાદ, વર્તમાન આવૃત્તિનો અંતિમ તબક્કો 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે, જે સાથે આ પહેલની પૂર્ણાહુતિ થશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:08 pm

કોંગ્રેસ આગેવાને મહેસાણા મનપામાં સ્વયંસેવક તરીકે જોડાવા ઈચ્છા વ્યક્ત કરી:ટ્રાફિક નિયમન અને સફાઈ કામગીરીમાં જોડાવા તંત્ર પાસે ભૌતિક ભટ્ટે માંગી મંજૂરી

​મહેસાણા શહેરના વિકાસ અને વ્યવસ્થામાં સહભાગી થવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાન ભૌતિક ભટ્ટે વહીવટી તંત્ર સમક્ષ અનોખી રજૂઆત કરી છે. તેમણે મહાત્મા ગાંધીના સફાઈ અભિયાનના મંત્રને સાર્થક કરવા અને શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થવા માટે સ્વયંસેવક તરીકે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સફાઈ કામદારો સાથે 10 દિવસ કામ કરવા માંગભૌતિક ભટ્ટે મહાનગરપાલિકા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ શહેરના કોઈ પણ એક વોર્ડમાં સફાઈ કામદારો સાથે 10 દિવસ સુધી કામ કરવા માંગે છે. વિશેષ બાબત એ છે કે આ 10 દિવસના કામ પેટે એક સફાઈ કામદારને જે મહેનતાણું ચૂકવવામાં આવતું હોય, તેટલી રકમ તેઓ પોતાના ખર્ચમાંથી કોર્પોરેશનમાં જમા કરાવશે. ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે સ્વયંસેવક તરીકે જોડાવા ઈચ્છા દર્શાવીઆ ઉપરાંત તેમણે જિલ્લા પોલીસ વડાને પણ પત્ર પાઠવીને રાધનપુર સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે ધ્યાન દોર્યું છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે રાધનપુર રોડ તથા અંડરપાસથી આવતા વાહનોને કારણે સર્જાતી જામની સ્થિતિમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે તેમણે 10 દિવસની માનદ સેવા આપવાની માંગ કરી છે. કામગીરીમાં જોડાવા મંજૂરી મળશે કે નહીં?રાધનપુર સર્કલ પર સિગ્નલ નાખ્યા હોવા છતાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા તેઓ પોલીસ જવાનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર છે. જોકે મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ આગેવાન 10 દિવસ માટે આ કામગીરીમાં જોડાશે કે નહીં એ જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:07 pm

સેક્ટર-29 સ્થિત જલારામ મંદિરમાં વહેલી સવારે આગની ઘટના:શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન, ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ગાંધીનગરના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા સેક્ટર-29 સ્થિત જલારામ મંદિરના પરિસરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી. જલારામ મંદિરના પાછળના ભાગે આગ લાગીઆજે વહેલી સવારે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું. ત્યારે 4:04 કલાકે ઇમરજન્સી સેવા 112 મારફતે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે,જલારામ મંદિરના પાછળના ભાગે આગ લાગી છે. અને ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા સમજી તુરંત કાર્યવાહી હાથ ધરી માત્ર બે જ મિનિટમાં એટલે કે 4:06 કલાકે ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. આગ ભભૂકી ઉઠી ને સામાન અને અન્ય સામગ્રી લપેટમાં આવીમળતી માહિતી મુજબ જલારામ મંદિરના પાછળના ભાગે આવેલા પ્રથમ માળ પર કુલ 4 રૂમો બનાવવામાં આવેલા છે. આ રૂમોમાં મંદિરમાં સેવા-પૂજા અને સફાઈનું કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. આ પૈકી મંદિરની સાફ-સફાઈની જવાબદારી સંભાળતા સીતાબેન મારવાડીના રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રૂમમાં રહેલો સામાન અને અન્ય સામગ્રી લપેટમાં આવી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન, કોઈ જાનહાનિ થઈ નથીસદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારનો સમય હોવાથી અને મંદિરના અન્ય ભાગો સુધી આગ ન પહોંચતા ટ્રસ્ટીઓ અને ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:00 pm

શહેરામાં શિક્ષિકા પર વિદ્યાર્થી દ્વારા હુમલાનો મામલો:શૈક્ષિક મહાસંઘે કલેક્ટર, SPને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી

પંચમહાલ જિલ્લાના શહેરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરાની એસ. જે. દવે હાઈસ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને શૈક્ષિક મહાસંઘે કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી મોડો આવ્યો હતો. શિક્ષિકાએ તેને મોડા આવવાનું કારણ પૂછતાં વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જાહેરમાં મહિલા શિક્ષિકાને થપ્પડ મારી અને ધક્કો માર્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, પંચમહાલ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મહાસંઘે આ ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:59 pm

મહેસાણાના વિસનગર રોડ પર પલ્સર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા:લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ને અકસ્માત થયો, અકસ્માત સર્જી ચાલક ફરાર

મહેસાણાના વિસનગર રોડ પર પૂરપાટ ઝડપે જતી એક બાઇકે રાહદારી વૃદ્ધને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 72 વર્ષીય વૃદ્ધને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. અકસ્માત સર્જ્યા બાદ પલ્સર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જેની સામે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર રોડ પર પલ્સર ચાલકે વૃદ્ધને અડફેટે લીધામહેસાણાના વિસનગર રોડ પર આવેલ હેરિટેજ બંગલોઝમાં રહેતા કિરીટભાઈ ચૌધરીના પિતા હીરજીભાઈ માવજીભાઈ ચૌધરી (ઉં.વ. 72) શુક્રવારે બપોરે બારેક વાગ્યાના સુમારે વિસનગર રોડ પર ધરતી બંગલોઝ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન મહેસાણાથી વિસનગર તરફ જતી બજાજ પલ્સર મોટરસાયકલ GJ-02-DR-1402 ના ચાલકે પોતાના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી હીરજીભાઈને અડફેટે લીધા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ને અકસ્માત થયોઅકસ્માત સર્જાયાના થોડી જ વારમાં ઈજાગ્રસ્ત હીરજીભાઈના પુત્રવધૂ ભારતીબેન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. સોસાયટી પાસે ઉતરેલા ભારતીબેને ભીડ જોઈ તપાસ કરતા તેમના સસરા લોહીલુહાણ હાલતમાં રોડની સાઈડમાં પડ્યા હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વૃદ્ધને ગંભીર ઈજા થતાં ICUમાં સારવાર હેઠળઅકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે હીરજીભાઈ હાલમાં મહેસાણાની દીપ ICU હોસ્પિટલમાં દાખલ છે. તેઓ હાલમાં બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.પુત્ર કિરીટભાઈએ આ મામલે પલ્સર નંબર GJ-02-DR-1402 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:56 pm

આણંદમાં પ્રથમ ફ્લાવર શોનું લોકાર્પણ:બોરસદ ચોકડી પાસે કોસમોસ વેલી શહેરીજનો માટે ખુલ્લી મુકાઈ

આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજ પાસે તૈયાર કરાયેલી કોસમોસ વેલી (ફ્લાવર શો)નું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને તેનું ઉદ્ઘાટન કરાયું હતું. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરી અને કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આ ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્થળ બાળકો અને તમામ નાગરિકો માટે અત્યંત સુંદર અને આકર્ષક બનશે, જ્યાં કુદરતી સૌંદર્યની સાથે ફૂડ ઝોનમાં વિવિધ વાનગીઓનો પણ આનંદ માણી શકાશે. આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ કોસમોસ વેલીના સુંદર આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી 'વિકસિત ભારત'ની ઝલક અહીં જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, શહેરીજનો માટે આ એક ઉત્તમ આનંદ-પ્રમોદનું સ્થાન બનશે. સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોની વિકાસની અપેક્ષાઓ પૂર્ણ કરવાની દિશામાં આ એક પ્રયાસ છે. આ કોસમોસ વેલી દ્વારા સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓને ફરવા માટે સુંદર અને ઉલ્લાસભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે 'સરદાર ૧૫૦' અને 'વિકસિત ભારત'ની થીમ સાથે નિર્મિત આ પ્રોજેક્ટની મુલાકાત લેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. લોકાર્પણ બાદ મંત્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર હાજર બાળકો સાથે સંવાદ કર્યો હતો. મંત્રી, સાંસદ અને ધારાસભ્યએ કોસમોસ વેલીની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રજાતિના પુષ્પોનું પ્રદર્શન નિહાળી આયોજનની સરાહના કરી હતી. ઉપરાંત, વેલીમાં સ્થાપિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:51 pm

ચાંદખેડાની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ:પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા ગાંધીનગર પોક્સો કોર્ટનો આદેશ

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 13 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં કોર્ટે આરોપીને રૂ. 30 હજારનો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટે આરોપી કાંતી ઉર્ફે ચેતન નેત્રપાલ શર્માને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર બાળકીના પુનર્વસન માટે તેને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ને કુકર્મ કર્યુંઆ કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરનો વતની આરોપી કાંતી શર્મા મોટેરા સ્ટેડિયમ પાસે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવીને ડિસેમ્બર 2021માં અપહરણ કરી તેના વતન લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની નાની ઉંમર હોવા છતાં તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ગાંધીનગર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂઆ મામલે બાળકીના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને ગાંધીનગર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 20 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દીધોકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ ધારદાર રજૂઆત કરી હતી કે આરોપીએ સગીર બાળકી પર આચરેલું કૃત્ય અત્યંત ઘૃણાસ્પદ છે. સમાજમાં આવા ગુનાઓ વધતા જાય છે ત્યારે અન્ય લોકો માટે દાખલો બેસે અને ગુનેગારોમાં ફાળ પડે તે હેતુથી આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:50 pm

સિટી બસ હવે શ્રી જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ સુધી દોડશે:પાલનપુર વિસ્તારના રહીશોને ફાયદો, સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળશે

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પરિવહન માળખાને વધુ સુવિધાજનક બનાવવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આવતા પાલનપુર વિસ્તારના રહીશોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને સિટી બસ સેવા લંબાવવામાં આવી છે. આજે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આ વિસ્તૃત રૂટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળશેઅત્યાર સુધી સિટી બસ રૂટ નં. 117 (સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલથી પાલનપુર ગામ) મર્યાદિત વિસ્તાર સુધી કાર્યરત હતો. હવે આ સેવાને પાલનપુરમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ સુધી લંબાવવામાં આવી છે. આ સુવિધાને કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગો અને ધંધાદારીઓને સીધો ફાયદો થશે અને તેઓને સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળી રહેશે. નવી બસને આપી લીલી ઝંડી પાલનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. રાજન પટેલ અધ્યક્ષ, સ્થાયી સમિતિ (SMC), સંદીપ દેસાઈ ધારાસભ્ય અને સોમનાથ મરાઠે અધ્યક્ષ, જાહેર પરિવહન સમિતિ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા લીલી ઝંડી બતાવીને બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોર પર 367 બસો દોડે છેસુરત મહાનગરપાલિકા હાલમાં ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોર પર 367 જેટલી બસો ચલાવી રહી છે. આ ઉપરાંત, 45 જેટલા સિટી બસ રૂટ પર 387 બસો દ્વારા દિવસના 2 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવે છે. હાલમાં કુલ 452 કિમીના રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:41 pm

પાટણ તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ:પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધ વંચાણે લેવામાં આવી હતી અને થયેલી કામગીરીની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા વિવિધ વિભાગોને લગતી લોકઉપયોગી રજૂઆતો કરવામાં આવી હતી. નવીન આઇકોનિક બસ પોર્ટ શરૂ કરવા અંગેની રજૂઆત સંદર્ભે જણાવાયું હતું કે, આગામી સમયમાં સરકાર તરફથી તારીખ મળ્યે તે શરૂ કરાશે. પાટણથી ઊંઝા ફોરલાઈન રોડ પર રખડતા ઢોરના કારણે થતા અકસ્માતો નિવારવા અંગેની રજૂઆત પર નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર, પાટણ દ્વારા કામગીરી કરાશે. આ ઉપરાંત, માંડોત્રી, ધારપુર, દીધડી, બાલીસણા અને વિસલવાસણાના તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રીઓ સાથે સંકલન સાધી સમસ્યાઓનું નિવારણ લાવવા તાલુકા વિકાસ અધિકારી, પાટણ દ્વારા સૂચના અપાઈ હતી. પાટણ તાલુકાના ગામોમાં મફતગાળા માટે ગામતળ માપણી વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ગ્રામ પંચાયતો દ્વારા ગામતળ માપણી ફી ભરીને કરેલી અરજીઓનો નિકાલ કરવા અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બાલીસણા, ધારપુર અને કમલીવાડામાં મફતગાળા ફાળવવા માટે તાત્કાલિક માપણી કરવા ડી.આઈ.એલ.આર.ને પ્રાંત અધિકારી દ્વારા ૭ દિવસમાં નિકાલ કરવા જણાવાયું હતું. માંડોત્રી અને બાલીસણા ગામે ગામ તળાવ સંરક્ષણ દિવાલ બનાવવા, સરવા ગામે મોટા તળાવથી નાના તળાવમાં પાઈપલાઈન મારફતે પાણી ભરવા તેમજ બાલીસણા ગામે વાળીનાથથી માયાનગર થઈ ઈન્દિરાનગર થઈ ગામ તળાવને જોડતી કાચી કેનાલ બનાવવા અંગેની રજૂઆતો સંદર્ભે નાયબ કાર્યપાલક સિંચાઈ પેટા વિભાગ, હારીજ દ્વારા હકારાત્મક જવાબો રજૂ કરાયા હતા. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા લીલીવાડી પાસે ટ્રાફિક અને દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પદ્મનાભથી જતી કેનાલ પર પ્રોટેક્શન અથવા જાળી લગાવવા અંગે પણ રજૂઆત કરી હતી. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બકરાતપુરા આંગણવાડી નવીન બનાવવા માટે જમીનની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત ઓફિસર પાટણ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી પાટણ, મામલતદાર પાટણ (ગ્રામ્ય અને શહેર), ચીફ ઓફિસર પાટણ સહિત સંકલન અને ફરિયાદ સમિતિના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:38 pm

પાટણ નગરપાલિકામાં BU પરમિશન મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા:ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને 'બુટલેગર' કહેતા ઈંટનો જવાબ પથ્થરથી' આપવા ચીમકી

પાટણ નગરપાલિકામાં નવા બસ સ્ટેન્ડના કોમર્શિયલ કોમ્પ્લેક્સને આપવામાં આવેલી બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન મામલે મોટો વિવાદ છેડાયો છે. સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ પોતાની નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે. આરોપ છે કે બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને પરમિશન આપવામાં આવી છે. વિવાદનું મુખ્ય કારણ શું છે ?ચીફ ઓફિસર હિરલ ઠાકરે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે બસ સ્ટેન્ડના આગળના ભાગમાં નિર્મિત કોમર્શિયલ બિલ્ડીંગ માટે ભોંયરાના 2 માળ અને ઉપરના 2 માળ એમ કુલ 4 માળની મંજૂરી આપી છે. જોકે, સ્થાનિક કોર્પોરેટરો આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે. કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર, બિલ્ડરને ફાયદો કરાવવા માટે આગળના કોમ્પ્લેક્સમાં 1થી 4 માળની દુકાનો અસ્તિત્વમાં ન હોવા છતાં તેની પરમિશન કાગળ પર આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયામાં અનિવાર્ય એવી ફાયર સેફ્ટીની મંજૂરી પણ લેવામાં આવી નથી. વ્યક્તિગત આક્ષેપો અને ભૂતકાળના વિવાદોઆ વિવાદે ત્યારે વરવું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે ચીફ ઓફિસર હિરલ ઠાકરે ભાજપના કોર્પોરેટર શૈલેષ પટેલ પર વ્યક્તિગત પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે શૈલેષ પટેલ પર 13 ગુના નોંધાયેલા છે અને તેઓ લિસ્ટેડ બુટલેગર કે ભાગેડુ છે. સામે પક્ષે શૈલેષ પટેલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, હું માત્ર ભાજપનો કાર્યકર છું અને મારો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. વધુમાં, કોર્પોરેટરોએ ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં ગેરરીતિઓના કારણે ગુજરાત સરકાર તેમને નોકરીમાંથી બરતરફ કરી ચૂકી છે. કોર્પોરેટરોએ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં આવા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવશે તો 'ઈંટનો જવાબ પથ્થરથી' આપવામાં આવશે. મામલો મુખ્યમંત્રી સુધી પહોંચશે પાટણમાં ચાલી રહેલી આ ખેંચતાણ હવે ગાંધીનગર સુધી પહોંચશે. આગામી સોમવારે ભાજપના કોર્પોરેટરો મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરશે. તેમની માંગ છે કે બસ પોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવે અને BU પરમિશનમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ થાય.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:36 pm

બાપોદના એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી:એસી યુનિટમાં આગ લાગતા ફાયરે આગને કાબૂમાં લીધી, મોટી જાનહાનિ ટળી

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે એસી યુનિટમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ એપાર્ટમેન્ટમાં હોવાથી લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્રીજા માળે એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળીવડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપોદમાં આવેલ અમૃત ટાવર રત્નકુંજ ફ્લેટમાં આગની ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એપાર્ટમેન્ટના લોકોના જીવ તાળવે ચોંટ્યાજેને લઈ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને એપાર્ટમેન્ટના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે આ બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાથી લાગેલી આગને ફાયરે કાબુમા લીધીઆ એપાર્ટમેન્ટના ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. પાણીગેટ ફાયર સ્ટેશનથી પાણીની ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદ નસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:35 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:જમાલપુરમાં મસ્જિદના ધાબા પર 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ઓલા-ઉબેરના પૈડા થંભી જતા મુસાફરો પરેશાન

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:30 pm

ખેરાલુના ડાવોલ ગામે રૂ. 1.97 લાખની મત્તાની ચોરી:બંધ મકાનનું તાળું તોડી મંડપના સામાન સાથે ચાંદીના દાગીના તસ્કરો ચોરી ફરાર

ખેરાલુ તાલુકાના ડાવોલ ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મંડપના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો મંડપનો સામાન તેમજ વડવાઓના કિંમતી ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,97,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ખેરાલુ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘરના દરવાજાનું તાળું તૂટેલું ને સામાન ચોરીખેરાલુ ના ડાવોલ ગામે રહેતા ઘેમરભાઈ ચૌધરી અને તેમનો પુત્ર કિરણભાઈ મંડપનો વ્યવસાય કરે છે. ગત 3 જાન્યુઆરીના રોજ મંડપનો સામાન ગામમાં આવેલા મકાનમાં મૂકીને પરિવાર ખેતરે રહેવા ગયો હતો. ત્યારબાદ 15 જાન્યુઆરીએ જ્યારે તેમનો પુત્ર સામાન લેવા આવ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં મંડપના 12 ફાળ, 8 પડદા અને 5 નેટ મળી કુલ રૂ. 15,000ના સામાનની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જોકે શરૂઆતમાં ઓછી ચોરી હોવાનું માની પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. ચાંદીના કડલા અને કંદોરો ગાયબ, 1.97 લાખની ચોરી 6 ફેબ્રુઆરીના રોજ જ્યારે પરિવારે તેમના વડીલોના જૂના દાગીના અંગે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું હતું કે પત્નીએ આ દાગીના મંડપના સામાનવાળા ઘરે ભોંયતળિયે બનાવેલા ગોખલામાં છુપાવી રાખ્યા હતા. ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી 500 ગ્રામના ચાંદીના કડલા કિંમત રૂ.1,30,000 અને 200 ગ્રામનો ચાંદીનો કંદોરો કિંમત રૂ. 52,000 ગાયબ જણાતા પરિવાર ચોકી ગયો હતો. આમ કુલ રૂ. 1,97,000 ની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. એક શંકાસ્પદ ફોર વ્હીલ ગાડીમાં ચાર જેટલા શખ્સો આવ્યા સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર 12 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે એક શંકાસ્પદ ફોર વ્હીલ ગાડીમાં ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને કિરણભાઈ મંડપવાળાનું ઘર પૂછતા હતા. આ ટોળકીએ જ ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં ઘેમરભાઈની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:26 pm

અમેરિકાએ ભારતીય સિરામિક પર ટેરિફ ઘટાડ્યા:મોરબી ઉદ્યોગને મોટો ફાયદો, માંગ વધવાના સંકેત

અમેરિકાએ ભારતીય સિરામિક ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. ઉદ્યોગકારોને આશા છે કે યુએસના ગ્રાહકો દ્વારા સ્થગિત કરાયેલા ઓર્ડર હવે ડિસ્પેચ થઈ શકશે અને અમેરિકામાં મોરબીની સિરામિક પ્રોડક્ટ્સની માંગ વધશે. અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ ભારત પર 58 ટકા જેટલો ઊંચો ટેરિફ લાદ્યો હતો. આના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. યુએસના ઘણા ગ્રાહકોએ તેમના ઓર્ડર સ્થગિત કરી દીધા હતા, જેના પરિણામે કારખાનાઓમાં તૈયાર માલનો ભરાવો થયો હતો. સિરામિક ઉદ્યોગપતિ ગૌતમભાઈ પટેલે આ માહિતી આપી હતી. મોરબીમાંથી દર મહિને સરેરાશ 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવતા હતા, જેનું વાર્ષિક નિકાસ મૂલ્ય 1500 કરોડ રૂપિયાથી વધુ હતું. મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, ટેરિફ વધારાને કારણે આ ટર્નઓવર ઘટીને આશરે 600 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. તેમણે ઉમેર્યું કે, નવી ટ્રેડ ડીલ હેઠળ ટેરિફ 18 ટકા થતા ઉદ્યોગને ટકાવી રાખવા માટે 'ઓક્સિજન' મળ્યો છે. મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ સંદીપભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે, ભારત પર લાગુ કરાયેલા ટેરિફ કરતાં ચીન, જે ભારતનો સૌથી મોટો હરીફ છે, તેના પર ટેરિફનો દર વધુ રાખવામાં આવ્યો છે. આના કારણે ચીનની પ્રોડક્ટ્સ અમેરિકામાં મોંઘી પડશે અને યુએસનું બજાર ભારત એટલે કે મોરબી તરફ વળશે, જેનાથી મોરબીની સિરામિક પ્રોડક્ટ્સની માંગ અમેરિકામાં વધશે તે નિશ્ચિત છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:24 pm

રિક્ષાચાલક અને ચા-વાળા બનીને દુષ્કર્મના આરોપીને દબોચ્યો:સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કમાં નોકરી આપવાની લાલચ આપી ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યો'તો

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નોકરીની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચરનાર નરાધમને પકડવા માટે સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે. મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ જવાનોએ વેશ પલટો કરી રિક્ષા ચલાવી અને ચાની કીટલી પર કામ કરી આરોપીની ધરપકડ કરી છે. નોકરીની લાલચ આપી ચપ્પુની અણીએ દુષ્કર્મ આચર્યું'તુંઘટનાની વિગત મુજબ, ઈચ્છાપોરના આર.જે.ડી. સાયણ ટેક્સટાઈલમાં કામ માટે આવેલી એક મહિલાને આરોપી અવિનેશકુમાર ઉર્ફે બિપિન ચૌરસીયાએ નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપી મહિલાને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક (હીરા બુર્સ) પાસે કામ બતાવવાના બહાને લઈ ગયો હતો. ત્યાં એકાંતનો ફાયદો ઉઠાવી તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, નરાધમે ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે જો કોઈને આ વાત કરશે તો તેને જાનથી મારી નાખશે. ફોન સ્વીચ ઓફ ને આરોપી સુરત છોડીને એમપી ભાગ્યોઘટના બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીની કોલ ડિટેલ્સ કઢાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અવિનેશકુમાર સુરત છોડીને પોતાના વતન મધ્ય પ્રદેશના સેમરીયા (જીલ્લો-રીવા)ખાતે ભાગી ગયો છે અને તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસ ટીમમાંથી કોઈ રિક્ષાચાલક બન્યું તો કોઈ ચાવાળોઆરોપીને તેના વતનમાં પકડવો પડકારજનક હતો કારણ કે ત્યાંનો વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો હતો. જો પોલીસ યુનિફોર્મ કે અજાણ્યા ચહેરા સાથે ત્યાં જાય તો આરોપી સતર્ક થઈને ભાગી શકે તેમ હતો. આથી સર્વેલન્સ ટીમે વેશ પલટો કરવાનું નક્કી કર્યું. પોલીસકર્મી નરેન્દ્રસિંહ અભયસિંહ ત્યાં લોકલ ઓટો રિક્ષા ચાલક બન્યા હતા, જેથી આખા ગામ પર નજર રાખી શકાય. ચાની કીટલી અને કિરાણાની દુકાને છૂપીને રેકી કરાઈઓપરેશનને વધુ સચોટ બનાવવા માટે અન્ય પોલીસકર્મી ચેતનસિંહ ભરતસિંહ સ્થાનિક ચાની કીટલી પર કામ કરવા લાગ્યા હતાં. જ્યારે બહાદુરભાઈ રણજીતભાઈએ સ્થાનિક કિરાણાની દુકાનમાં નોકરી શરૂ કરી દીધી હતી. આ ત્રણેય પોલીસ જવાનોએ સતત બે દિવસ સુધી મજૂર અને સામાન્ય કામદાર બનીને આરોપીની ગતિવિધિઓ પર નજર રાખી હતી, જેથી આરોપીને જરા પણ શંકા ન જાય. બે દિવસની મથામણ બાદ આરોપી ઝડપાયોસતત 48 કલાકની રેકી બાદ જ્યારે પોલીસને ખાતરી થઈ કે આરોપી આ જ વિસ્તારમાં છે, ત્યારે તેને ચોક્કસ લોકેશન પરથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી અવિનેશકુમાર ઉર્ફે બિપિન કોદુલાલ ચૌરસીયાને મધ્ય પ્રદેશથી સુરત લાવવામાં આવ્યો છે. પોલીસની આ આગવી સૂઝબૂઝ અને મહેનતને કારણે એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. હથિયાર તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ શરૂસુરત પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં આરોપીની ઓળખ પરેડની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. ઈચ્છાપોર પોલીસની આ અંડરકવર કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:22 pm

જનતાના માટે રચનાબેન નંદાણીયાનું આ રૂપ તમે નહીં જોયું હોય!:જામનગરના વોર્ડ-4ના કોર્પોરેટરે અધિકારીઓનો ઉધડો લીધો, પગમાં પ્લાસ્ટર છતાં વોકરના સહારે મનપા પહોંચ્યા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં અકસ્માતને કારણે પગમાં પ્લાસ્ટર હોવા છતાં, તેઓ વોકરના સહારે મનપા કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને તંત્રની નિષ્ક્રિયતા સામે ધરણા પર બેસી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમના આક્રમક રૂપને જોઈને જવાબ આપનાર અધિકારીઓ પણ ગેંગેફેંફે થઈ ગયા હતા. 3 મહિનાથી કામો ઠપ હોવાનો આક્ષેપકોર્પોરેટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 3 મહિનાથી વોર્ડ નંબર 4માં વિકાસના કામો અટકેલા છે. પાણીની ગંભીર સમસ્યા, રસ્તાઓની બિસ્માર હાલત અને 2 મહત્વની દીવાલોના નિર્માણ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં એક પણ કામ શરૂ ન થતા તેમણે તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની મુશ્કેલી પર ભારખાસ કરીને હાથણી ગામની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, ત્યાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે યોગ્ય રસ્તો ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓને ટ્યુશન અને સ્કૂલે જવા માટે પણ રસ્તાની દુર્દશા નડી રહી છે. શારીરિક તકલીફ છતાં લડત: પગમાં ઈજા હોવા છતાં જનતાના પ્રશ્નો માટે કોર્પોરેટર મેદાનમાં આવ્યા. પડતર પ્રશ્નો: વોર્ડમાં પાણી, રસ્તા અને દીવાલ નિર્માણના કામો છેલ્લા 3 મહિનાથી પેન્ડિંગ. શિક્ષણ પર અસર: રસ્તાના અભાવે બોર્ડના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે તાકીદે ઉકેલની માંગ. રચનાબેન નંદાણીયાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:16 pm

મહેસાણા RTO કચેરીમાં એજન્ટોના ત્રાસ સામે લાલ આંખ:અધિક કલેકટરનો કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

મહેસાણાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી RTO ખાતે અરજદારોની છેતરપિંડી અટકાવવા અને વચેટીયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે. જેગોડાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી RTO કચેરીના સમગ્ર કમ્પાઉન્ડમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. વચેટીયાઓ જનતાને ગેરમાર્ગે દોરી નાણાં પડાવતાસામાન્ય રીતે RTO કચેરીમાં કામ અર્થે આવતી જનતાને માર્ગદર્શન આપવા માટે જનસંપર્ક અધિકારીની નિમણૂંક કરવામાં આવેલી હોય છે. તેમ છતાં કેટલાક વચેટીયાઓ અને અસામાજિક તત્વો કચેરીના કમ્પાઉન્ડમાં ઉભા રહીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરી નાણાં પડાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. લોકોના સમય અને નાણાંનો વ્યય અટકાવવા તેમજ સરકારી કામગીરી પારદર્શક બને તે હેતુથી આ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે. બિનઅધિકૃત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશેઆ જાહેરનામા મુજબ પાલાવાસણા સ્થિત RTO કચેરીના મકાન અને કમ્પાઉન્ડમાં હવેથી માત્ર ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાનું વાજબી કામ લઈને આવેલા અરજદારો જ પ્રવેશ કરી શકશે. બિનઅધિકૃત વ્યક્તિઓ કે ટોળી સ્વરૂપે ઉભા રહેતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ આગામી 12 ફેબ્રુઆરી 2026થી 11 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે અથવા આવી પ્રવૃત્તિમાં મદદગારી કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:15 pm

કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાતે 60 જેટલા વિદેશી મહેમાનો:ગુજરાત પોલીસની સુરક્ષા અને કાર્યશૈલીના કર્યા વખાણ

પંચમહાલ જિલ્લાના મલાવ સ્થિત 'કૃપાલુ મંદિર' ખાતે આયોજિત આધ્યાત્મિક શિબિરમાં ભાગ લેવા વિશ્વના વિવિધ દેશોમાંથી 60 જેટલા વિદેશી નાગરિકો અને યોગગુરુઓ ભારતની એક સપ્તાહની મુલાકાતે આવ્યા છે. આ વિદેશી મહેમાનોએ આજે કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક પોલીસિંગ વ્યવસ્થા અને સુરક્ષા માળખાને સમજવાનો હતો. વિદેશી મહેમાનોએ પોલીસની કાર્યપ્રણાલી વિશે જાણકારી મેળવી હતી. કાલોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમને પોલીસ સ્ટેશનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. મુલાકાત બાદ વિદેશી નાગરિકો અને યોગગુરુઓ ગુજરાત પોલીસની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા. તેમણે ગુજરાત પોલીસની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને રાજ્યની મજબૂત સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:15 pm

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:SY BBA ટીમ ચેમ્પિયન, શ્રેષ્ઠ ખેલાડીઓ સન્માનિત

મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાવડી ખાતે ત્રિદિવસીય ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ સાથે સંપન્ન થઈ. કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ માટે આવી રમતગમત પ્રવૃત્તિઓ નિયમિતપણે યોજાય છે. આ ટુર્નામેન્ટમાં કોલેજની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં લીગ મેચ, ત્યારબાદ સેમીફાઇનલ મેચ અને અંતે ફાઇનલ મેચ યોજાઈ હતી. રોમાંચક ફાઇનલ મેચ FY B.COM (ENG.MED.) અને SY BBAની ટીમ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચના અંતે SY BBAની ટીમ ચેમ્પિયન બની હતી. સમાપન સમારોહમાં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ધવલ બરાસરા (FY B.COM), શ્રેષ્ઠ બોલર તરીકે દર્શન ગોંડલીયા (SY BBA) અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે અક્ષયરાજસિંહ ઝાલા (SY BBA)ને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમને કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં કોલેજના સ્ટાફે સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:10 pm

ગીર સોમનાથ ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય બજેટ 2026-27 પર પત્રકાર પરિષદ:સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું - રૂ.53.5 લાખ કરોડનું બજેટ વિકસિત ભારત @2047 માટે

ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર અને જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોને સંબોધતા સાંસદ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ₹53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટ રજૂ કર્યું છે. આ બજેટ દેશના વિકાસ માટે નવી દિશા દર્શાવશે. તેમણે ઉમેર્યું કે કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું આ પ્રથમ બજેટ 'વિકસિત ભારત @2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને મજબૂત બનાવે છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત નવમી વખત બજેટ રજૂ કરવું એ દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, જે નારીશક્તિના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાંસદ ચુડાસમાએ જણાવ્યું કે આ બજેટ ત્રણ મુખ્ય કર્તવ્યો પર આધારિત છે: આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા-આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા. આ બજેટ યુવાશક્તિ, નારીશક્તિ, કિસાનશક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણપણે યુવા-ડ્રિવન છે. ગુજરાત માટે બજેટમાં કરાયેલી જાહેરાતો અંગે તેમણે માહિતી આપી હતી. જેમાં લોથલ અને ધોળાવીરા સહિત 15 પુરાતત્વ સ્થળોનો વિકાસ, MSME માટે 200 ક્લસ્ટર પાર્ક, દાનકુનીથી સુરત ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર અને જામનગર સ્થિત WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરનું અપગ્રેડેશન સામેલ છે. આ નિર્ણયો ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે. વધુમાં, ગિફ્ટ સિટીમાં IFSC માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવાથી વૈશ્વિક રોકાણ અને રોજગારીમાં વધારો થશે. બજેટમાં મહિલા સશક્તિકરણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, લોજિસ્ટિક્સ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતો દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાઈ છે. અંતમાં સાંસદ ચુડાસમાએ જણાવ્યું કે આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટેની મજબૂત અને દુરંદેશી રૂપરેખા છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:08 pm

મોરબીમાં CGWB અધિકારીઓએ ભૂગર્ભજળ પરવાનગી પર માર્ગદર્શન આપ્યું:સિરામિક ઉદ્યોગકારો માટે જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું

મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું હતું. આ સેશનમાં અમદાવાદથી CGWB ના પ્રાદેશિક નિયામક ડૉ. રતિકાંત નાયક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનમાં સિરામિક ઉદ્યોગકારોને ભૂગર્ભજળ પરવાનગી અને NOC પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઉદ્યોગકારોના પ્રશ્નો જેવા કે ભૂગર્ભજળનો ઉપયોગ ન કરવા છતાં શો કોઝ નોટિસ આવે તો તેને રદ કરવાની પ્રક્રિયા અને NOC કેવી રીતે મેળવવી તે અંગે સ્પષ્ટ માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત, જો NOC અરજી પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી તેવા મુદ્દાઓ પર પણ ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. આ સેશનમાં બિસ્વરૂપ મહાપાત્ર (સાયન્ટિસ્ટ), સદ્દામ હુસૈન (સાયન્ટિસ્ટ) અને પ્રબોધ કુમાર કુશ્વાહા (STA) પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. એસોસિએશનના હોદ્દેદારોએ પૂરી પાડવામાં આવેલી માહિતી અને માર્ગદર્શન બદલ CGWB અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:05 pm

ભરૂચના ₹21 કરોડના ખર્ચે બનેલા રાજીવ આવાસ નરક સમાન:પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ઉભરાતી ગટર અને મચ્છરોનો ત્રાસ; લાભાર્થીઓએ પાછા ઝૂંપડામાં રહેવા જવાની માગ કરી

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી રાજીવ આવાસ યોજના વિવાદોના ઘેરામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે ગરીબો માટે બનાવાયેલા આ આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો એટલો અભાવ છે કે ત્રસ્ત થયેલા લાભાર્થીઓએ હવે પાછા ઝૂંપડામાં રહેવા જવાની માંગ કરી છે. વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી મુક્ત અભિયાન હેઠળ શરૂ થયેલી આ યોજના આજે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો નમૂનો બની ગઈ હોય તેમ જણાય છે. યોજનાની વિગત અને વર્તમાન સ્થિતિઆ પ્રોજેક્ટ અંદાજે 21 કરોડના ખર્ચે કુલ 512 આવાસો બનાવવાના આયોજન સાથે શરૂ કરાયો હતો. જેમાંથી હાલ 240 આવાસોની કામગીરી પૂર્ણતાના આરે છે અને 117 આવાસો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે. જોકે, પ્રિકાસ્ટ પદ્ધતિથી બનેલા આ મકાનોની ગુણવત્તા અત્યંત નબળી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મુખ્ય સમસ્યાઓ ડ્રેનેજ લીકેજ: અનેક મકાનોમાં શૌચાલય અને બાથરૂમનું ગંદુ પાણી સીધું ઘરમાં ઉતરી રહ્યું છે. ગંદકી અને રોગચાળો: સતત લીકેજને કારણે દુર્ગંધ, ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેનાથી રહીશોનું આરોગ્ય જોખમાયું છે. સુવિધાઓનો અભાવ: પીવાનું પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો મેળવવામાં પણ રહીશોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક મહિલા રહીશે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા જૂના ઝૂંપડા આ મકાનો કરતા વધારે સારા હતા. ગંદકી એટલી છે કે પોતાના મકાન હોવા છતાં ઉપરના માળે ભાડે રહેવા જવું પડે છે. તંત્ર આ બિલ્ડિંગ તોડી અમને ફરી ઝૂંપડા બનાવી આપે તે જ બરાબર છે. રાજકીય ગરમાવો અને આક્ષેપોઆ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ પ્રોજેક્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે અને ગરીબોને સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તંત્રનું આશ્વાસનબીજી તરફ, નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે બચાવ કરતા જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઇન સંબંધિત ફરિયાદો અંગે એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર સાથે સંકલન સાધીને આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો દ્વારા ક્યારે નક્કર પગલાં લેવામાં આવે છે કે પછી ગરીબ પરિવારો આ રીતે જ હાલાકી ભોગવતા રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:58 pm

ચંદ્રુમાણા ગામે ગટર લાઈન કામગીરી શરૂ:સુવિધાપથના રસ્તા પર ગટર-પાણીની લાઈન નંખાશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુવિધા પથની કામગીરી શરૂ થયા બાદ શનિવારે આ કાર્યનો પ્રારંભ થયો હતો. ગ્રામ પંચાયતના સરપંચ કાજલ વ્યાસે જણાવ્યું હતું કે, સૌપ્રથમ સુવિધા પથના ખોદકામ કરાયેલા વિસ્તારમાં ગટર અને પાણીની લાઈનો નાખવામાં આવશે. ત્યારબાદ ગામના અન્ય વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ચેતન વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, સુવિધા પથની કામગીરી ગરનાળા પાર રામદેવપીર બાબાના મંદિર પાસેથી શરૂ કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:57 pm

નમાઝ પઢવા આવેલા યુવકે બાળક પર કરી હેવાનિયત:ચંડોળાના રહીશોના નામ મતદાર યાદીમાંથી કમી કર્યાનો આક્ષેપ, સચિવાલયમાં ઈન્ફ્લુએન્સરે પોલીસની ગાડીમાં કર્યા સીન-સપાટા

ચંડોળા વિસ્તારના મોટાભાગના મતદારોના નામ કમી અમદાવાદના ચંડોળા તળાવમાંથી મોટા ભાગના મતદારોના નામ યાદીમાંથી કાઢી દેવામાં આવ્યા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નામ કાઢવા માટે ભાજપના કાર્યકર્તાઓએ 400 ફોર્મ ભર્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીમાં ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’નું ખાતમુહૂર્ત કર્યું. આ સિવાય ત્રિશુળીયા ઘાટ પર બનેલા 16 ફૂટ ઊંચા “અખંડ શક્તિ ત્રિશૂળ”નું અનાવરણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 14 દિવસમાં જ જેલની બહાર આવ્યો જયરાજ આહીર નવનીત બાલધિયા હુમલા કેસમાં માયા આહીરનો દીકરો જયરાજ આહીર 14 દિવસમાં જ જેલની બહાર. ભાવગનર કોર્ટે જામીન મંજૂર કરતા જયરાજ માથા પર તિલક અને હાથમાં ગીતા લઈને જેલની બહાર આવ્યો. બહાર આવી હસતા હસતા લોકો સાથે હાથ પણ મિલાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત મનપાનું 11,301 કરોડનું બજેટ મંજૂર સુરત મહાનગરપાલિકાએ ₹11,301 કરોડનું બજેટ મંજૂર કર્યું. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ ₹708 કરોડનો વધારો કર્યો. વરિષ્ઠ નાગરિકો બીઆરટીએસમાં ફ્રી મુસાફરી કરી શકશે.. જ્યારે વિધવા મહિલાઓના નામે રહેલી મિલકતને ટેક્સ ફ્રી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસ્જિદમાં આઠ વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય અમદાવાદના જમાલપુરની મસ્જિદમાં એક યુવકે 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું.મસ્જિદના ધઆબા પર લઈ જઈ બાળક સાથે દુષ્કૃત્ય કર્યું. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિવાલય સંકુલમાં પોલીસની ગાડીમાં સીન સપાટા ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં પોલીસની ગાડીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીના 'સીન-સપાટા'.. વીડિયો પર સવાલ ઉઠતા યુવતીએ માફી માગતા કહ્યું કે તે પરમિશન સાથે વિધાનસભાની મુલાકાતે ગઈ હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરાછામાંથી ઝડપાયો નકલી IT ઓફિસર સુરતમાં વરાછામાંથી ઝડપાયો નકલી આઈટી ઓફિસર. બ્રાન્ડેડ એવિએટર, ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોટ અને હાથમાં ફાઈલો લઈને ઠગ દુકાનમાં ઘૂસ્યો. જો કે વેપારીને શંકા જતા તેણે પોલીસને બોલાવી અને ઠગનો પર્દાફાશ થયો . પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાથુરામ ગોડસે પરના નાટકને લઈને વિવાદ રાજકોટમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પરના નાટકનું આયોજન કરાયું છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસનં કહેવું છે કે આ નાટકથી ગાંધીજીના હત્યારાનું મહિમા મંડન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવન્થ ડે સ્કૂલમાં NSUIએ કરી તાળાબંધી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ શુક્રવારે મધરાત્રે તાળાબંધી કરી. ફરી એક વાર વિદ્યાર્થી પર હુમલો થતા એનએસયુઆઈનું કહેવુ્ં છે કે જ્યાં સુધી પ્રિન્સિપાલ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી રોજ તાળાબંધી કરવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિવાઈડર કૂદીને રેન્જ રોવર ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાઈ વડોદરામાં ઓવરટેક કરવા જતા રેન્જ રોવર કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ..ગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે તેનું એક ટાયર પણ નીકળી ગયું..અકસ્માત બાદ ડ્રાઈવર ગાડી મુકીને ફરાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:55 pm

લોકોને રિક્ષામાં બેસાડી ફોન-પાકિટ ચોરતી ગેંગ ઝડપાઈ:સુરતમાં રિક્ષામાં ખીચોખીચ પેસેન્જર બેસાડી લોકોની નજર ચુકવી ચોરી કરતા

સુરત શહેરમાં પેસેન્જર રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી તેમના ફોન અને પાકીટની ચોરી કરતી ગેંગને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી છે. પોલીસના એન્ટી-ક્રાઈમ ઓપરેશન વખતે ગેંગના ત્રણ સભ્યોને મુદ્દામાલ સાથે દબોચી લઈ જેલના હવાલે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ અનેક પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. રિક્ષામાં ખીચોખીચ પેસેન્જર બેસાડીને ચોરી કરતાંછેલ્લા ઘણા સમયથી ઉત્રાણ અને આસપાસના વિસ્તારોમાં રિક્ષા ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગેંગ રિક્ષામાં પેસેન્જર બેસાડી ખીચોખીચ મુસાફરો‌ ભરતા કે અન્ય કોઈ બહાને મુસાફરનું ધ્યાન ભટકાવતા હતા. જેવી મુસાફરની નજર ચુકે કે તરત જ તેના ખિસ્સામાંથી મોબાઈલ કે રોકડ રકમ સેરવી લેવામાં આવતી હતી. મુસાફરને રિક્ષામાંથી ઉતર્યા બાદ ખબર પડતી કે તે ગઠિયાઓનો ભોગ બની ગયા છે. નવા શિકારની શોધમાં નીકળ્યા ને ઝડપાયાઉત્રાણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સતત પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો ખોજમ વોરા તેના સાથીદારો સાથે રિક્ષામાં ફરી રહ્યો છે અને કોઈ નવા શિકારની શોધમાં છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ગેંગના ત્રણેય સાગરીતોએ ગુનાની કબૂલાત કરીપોલીસે શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેમાં સવાર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. કડકાઈથી તપાસ કરતા ગેંગના ત્રણેય સાગરીતોએ ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ખોજમ વોરા, તનવીર પઠાણ, આશિફ લિમ્બુવાલા નો સમાવેશ થાય છે. 93 હજારનો મુદ્દામાલ જપ્તધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા મળી આવી હતી. પોલીસે કુલ રુ.93,000ની કિંમતનો મુદ્દામાલ કર્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી પોતાની ગેંગ સક્રિય કરીપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ માત્ર ઉત્રાણ પૂરતી સીમિત નહોતી. પકડાયેલા શખ્સો અગાઉ શહેરના પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં પણ આ જ પ્રકારના ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ તેઓએ ફરીથી પોતાની ગેંગ સક્રિય કરી હતી. આ પછી તેઓ આ જ પ્રકારે ચોરી કરતા રહ્યા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:50 pm

આધેડના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે 4.40 લાખ ઉપાડી દીધા:આંબાવાડીના ડોક્ટર ક્લિનિકમાં લેપટોપ, આઇપેડ સહિતના માલસામાનની ચોરી

અમદાવાદના ફતેવાડીમાં રહેતા 56 વર્ષીય લાલમહમંદ પઠાણે ફરિયાદ નોંધાવી છે કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તે મહારાષ્ટ્રથી બોલે છે તેમના એચડીએફસી બેન્કના ખાતામાંથી 80,000 અને 3,69,000 એમ કુલ 4.40 લાખ કપાઈ ગયા છે. ફોન કાપ્યા બાદ તેમના પર વારંવાર અજાણ્યા નંબર પરથી ફોન આવતો હતો. થોડા સમય બાદ તેમના બેંકના ખાતામાંથી પૈસા કપાવવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેઓ બેંકમાં તપાસ કરવા ગયા ત્યારે જાણ થઈ કે તેમના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 4.49 લાખ રૂપિયાનું ફ્રોડ થયું છે. આ અંગે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આંબાવાડીના ડોક્ટર ક્લિનિકમાં ચોરીનહેરુનગરમાં રહેતા દેવાંગ ભાવસારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ડોક્ટર છે અને આંબાવાડી ખાતે ક્લિનિક ધરાવે છે. 4 ફેબ્રુઆરીએ મોડી રાતના સમયે તેમના ક્લિનિકમાં કોઈ અજાણ્યા શખ્સે ઘૂસીને ક્લિનિકમાંથી લેપટોપ, આઇપેડ હિયરિંગ મશીન સહિતના સામાનની ચોરી કરી હતી આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:41 pm

ટાયરમાં છૂપાવી 1440 બોટલ દારૂની હેરાફેરી:નવસારી LCBએ પિકઅપ ટેમ્પોમાંથી વોડકા-વ્હિસ્કી ઝડપી, દમણથી સુરતના ઈચ્છપોર મોકલાઈ હતી

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય બનેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. લોખંડની રીંગ સાથેના જૂના ટાયરોમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ 9.72 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે. બાતમીના આધારે બોરીયાચ ટોલ પ્લાઝા પર વોચLCBના કોન્સ્ટેબલ પ્રશાંતકુમાર અને જયેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર એક બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે બોરીયાચ ટોલ પ્લાઝાના ઉત્તર છેડે વોચ ગોઠવી હતી. ટાયરોની અંદરથી મળી આવી 1440 બોટલોપોલીસે શંકાસ્પદ બોલેરો પિકઅપ (નંબર GJ 15 AX 5903)ને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી લોખંડની રીંગ સાથેના 8 જૂના ટાયરો મળી આવ્યા હતા. પોલીસે બારીકાઈથી તપાસ કરી ટાયરના નટ-બોલ્ટ ખોલતા અંદરથી પોકેટ ફ્રેન્ડલી પેકિંગમાં છુપાવેલી વ્હીસ્કી અને વોડકાની કુલ 1440 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 4.62 લાખ રૂપિયા થાય છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે ગાડી પર ખોટો નંબર હતો અને તેનો સાચો નંબર GJ 24 X 5745 છે. મુદ્દામાલની વિગત વિદેશી દારૂ (1440 બોટલો): 4,62,000 મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો: 5,00,000 મોબાઈલ ફોન: 10,000 કુલ મુદ્દામાલ: 9,72,000 આરોપીઓની ધરપકડ અને તપાસપોલીસે પશ્ચિમ બંગાળના રહેવાસી ચાલક પ્રશાનજીત સુકુકુમાર સસમલ (ઉંમર 32)ની ધરપકડ કરી છે. આ ગુનામાં અન્ય 3 શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂનો જથ્થો ભરાવનાર ભદ્રેશ પટેલ (રહે. દમણ), જલધર (રહે. વાપી) અને સુરતના ઈચ્છાપોર GIDC પાસે ડિલિવરી લેનાર અજાણ્યા શખસનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી LCBના PI વી.જે. જાડેજા, એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, એમ.બી. ગામીત અને અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હાલ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:40 pm

ઇડર-ભિલોડા નેશનલ હાઈવે પર કાનપુર ગામ નજીક ઘટના:પીકઅપની ટક્કરે લગ્નના દિવસે આધેડનું નિધન, પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠાના ઇડર-ભિલોડા નેશનલ હાઈવે પર કાનપુર ગામ નજીક એક પીકઅપ વાહનની ટક્કરે 60 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ઘટના લગ્નના દિવસે બની હોવાથી ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. મૃતક રેવાભાઈ સજાભાઈ પટેલ કાનપુર ગામના રહેવાસી હતા. તેમના વસાઈ ગામમાં રહેતા બહેનના ઘરે આજે લગ્ન હતા. રેવાભાઈ મામેરું લઈને જવાની તૈયારીમાં હતા, અને પરિવારમાં આનંદનો માહોલ હતો. આ દરમિયાન કાનપુર ગામ પાસે એક બેફામ ગતિએ આવતી પીકઅપ ગાડીએ રેવાભાઈને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઇડર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:38 pm

રાણાવાવના રાણા વડવાળા ગામની ઘટના:સ્મશાનની ઓરડીમાંથી 2.86 લાખની વિદેશી દારૂની 956 બોટલો મળી, પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામમાં આવેલા સ્મશાનની એક ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં રૂ. 2.86 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. એલ.સી.બી.એ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 956 નાની બોટલો ભરેલા 20 પુઠ્ઠાના બોક્સ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. 2,86,800/- આંકવામાં આવી છે. એલ.સી.બી. પોરબંદરને બાતમી મળી હતી કે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દારૂનો આ જથ્થો કોના દ્વારા અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે એલ.સી.બી. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દારૂની હેરાફેરી પાછળ સંકળાયેલા ઈસમોને ઝડપી પાડવા માટે તપાસનો દોર વધુ તીવ્ર બનાવવામાં આવ્યો છે. જિલ્લામાં પ્રતિબંધિત દારૂની હેરાફેરી સામે પોરબંદર એલ.સી.બી. દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્મશાન જેવા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળનો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનું સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:27 pm

હાઈવે પરના ઢાબામાં લોકો વચ્ચે બેઠા મંત્રી માંડવીયા:​એસી ચેમ્બર છોડી મનસુખ માંડવીયા ઢાબા પર બેસી જનતાને મળ્યા, શેરડીનો રસ પીતા પીતા ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી

રાજકારણમાં જીત મેળવ્યા બાદ નેતાઓ અવારનવાર સામાન્ય જનતાથી અંતર જાળવી રાખતા હોય છે, પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ માન્યતાને ખોટી પાડી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના પ્રવાસ દરમિયાન મંત્રી માંડવીયાએ એક સામાન્ય વ્યક્તિની જેમ હાઈવે પર આવેલા ઢાબામાં બેસીને લોકોની રજૂઆત સાંભળી હતી. તેમની આ સાદગી જોઈને સ્થાનિકો પણ પ્રભાવિત થયા હતા. ​લોકો વચ્ચે બેસીને પ્રશ્નોનું નિરાકરણ આજકાલના ઘણા નેતાઓ એસી ઓફિસોમાંથી બહાર નીકળવાનું પસંદ નથી કરતા, ત્યારે મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભા ક્ષેત્રના ટીંબાસ પાટીયા પાસે હાઈવે પરના એક સામાન્ય ઢાબા પર ગ્રામજનો સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન કોઈ ઠાઠ-માઠ વગર, મંત્રીએ ગ્રામજનો સાથે બેસીને શેરડીના રસની લિજ્જત માણી હતી અને લોકોની સમસ્યાઓને શાંતિથી સાંભળી હતી. ​ટીંબાસ ફાટક સર્કલનો વર્ષો જૂનો પ્રશ્ન ટીનમસ ગામના ઉપસરપંચ પ્રવીણભાઈ ધમ્મરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સેંદરડા, ગાદોઈ અને ખુંભડી જેવા આસપાસના ગામોના લોકો ટીંબાસ ફાટક પાસે સર્કલ બનાવવા માટે લાંબા સમયથી વહીવટી તંત્રને રજૂઆતો કરી રહ્યા હતા. જ્યારે તેમને જાણ થઈ કે મંત્રી મનસુખ માંડવીયા આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનોએ તેમને અટકાવીને રજૂઆત કરી હતી. મંત્રીએ પણ પ્રોટોકોલ બાજુ પર મૂકીને લોકોની વાત સાંભળવા સમય ફાળવ્યો હતો. ​લોકશાહીમાં જનતા જ જનાર્દન આ પ્રસંગે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતા જ સાચી શક્તિ છે અને તેમની સેવા કરવી એ જનપ્રતિનિધિનું પરમ કર્તવ્ય છે. મારા લોકસભા ક્ષેત્રના લોકો વચ્ચે રહેવાથી અને તેમને મળવાથી મને વિકાસના કામો કરવાની નવી પ્રેરણા અને ઉર્જા મળે છે. મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા માટે તેઓ પૂરતા પ્રયત્નો કરશે. મોંઘીદાટ ગાડીઓ અને સુરક્ષાના કાફલા વચ્ચે ફરતા નેતાઓ માટે મનસુખ માંડવીયાનું આ વર્તન એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સામાન્ય લોકોની વચ્ચે જઈને, તેમની જ ભાષામાં અને તેમની જ શૈલીમાં વાત કરવાથી નેતા અને જનતા વચ્ચેનો અંતર ઓછો થાય છે. ઢાબા પર બેસીને થયેલી આ મુલાકાતે ફરી સાબિત કર્યું છે કે સાચો લોકસેવક એ જ છે જે હંમેશા જમીન સાથે જોડાયેલો રહે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:27 pm

પાટણમાં ટાવર ઉતારતા વીજ પોલ, વાયરો તૂટ્યા:₹25,000નું નુકસાન થતા કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ

પાટણ શહેરના જૂના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટાવર ઉતારવાની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે. મે. એસોસીયેટ્સ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ટાવર ઉતારતી વખતે યુજીવીસીએલના વીજ પોલ અને લાઈનોને નુકસાન થયું હતું. આ મામલે કંપની વિરુદ્ધ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૦૫:૦૦ વાગ્યાના અરસામાં બની હતી. વિસનગરની મે. એસોસીયેટ્સ કન્સ્ટ્રક્શન કંપની જૂના પોલીસ સ્ટેશનના ટાવરને ઉતારી રહી હતી. આ કામગીરી દરમિયાન, પૂરતી સાવચેતી રાખવામાં ન આવતા ટાવરનો એક ભાગ નીચે વીજ લાઈન પર પડ્યો હતો. આ અકસ્માતને કારણે યુજીવીસીએલના સિમેન્ટના બે વીજ પોલ અને હળવા દબાણના વીજ વાયરો તૂટી ગયા હતા. આશરે ₹૨૫,૦૦૦નું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવ્યું છે. ટાવર પડવાને કારણે આજુબાજુના મકાનોને પણ થોડું નુકસાન પહોંચ્યું હતું. યુજીવીસીએલના નાયબ ઇજનેર દિલીપકુમાર ડાહ્યાભાઈ મકવાણાએ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૨૪(૪) અને ૧૨૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:24 pm

મૂળીના ધોળિયામાં ગેરકાયદેસર કોલસા ખનન:ચોટીલા નાયબ કલેક્ટર અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમે રાતે રેડ પાડી, 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના પ્રકરણમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી 'ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020' હેઠળ કરવામાં આવી છે. 36 લાખનો મુદ્દામાલ જપ્ત, 38 મજૂરોનું રેસ્ક્યૂઆ ઘટના 30 જુલાઈ, 2025ના રોજ રાત્રે 12:30 કલાકે પ્રકાશમાં આવી હતી. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમે ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 12/1/1 પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ખનનમાં વપરાતા ટ્રેક્ટર અને કમ્પ્રેસર સહિત કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખનન સ્થળે જોખમી સ્થિતિમાં કામ કરી રહેલા 38 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સુઓમોટો દરખાસ્ત બાદ FIRનો આદેશતપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી કોલસાનું ખનન કરી આર્થિક લાભ મેળવતા હતા. નાયબ કલેક્ટરે આ મામલે સુઓમોટો દરખાસ્ત તૈયાર કરી સુરેન્દ્રનગર કલેક્ટરને મોકલી હતી. ગુનાની ગંભીરતા જોતા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ 4 શખસો સામે ગુનો નોંધાયોમૂળી મામલતદારને આ કેસમાં ફરિયાદ નોંધાવવા અધિકૃત કરાયા હતા, જે અંતર્ગત 03 ફેબ્રુઆરી, 2026ના રોજ મૂળી પોલીસ મથકે 4 શખસો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ આ સરકારી જમીન પેશકદમી મુક્ત કરાવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોની સામે ફરિયાદ નોંધાઈ

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:20 pm

વેટરનરી ડોક્ટરે ફેસબુક પર હથિયાર સાથેના ફોટા મૂક્યા:LCBએ તપાસ કરતા 2016ના ફોટા મળ્યા, ડોક્ટરે માફી માંગી

પોરબંદરમાં એક પશુ તબીબે ફેસબુક પર હથિયાર સાથેના ફોટા શેર કર્યા હતા. આ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તબીબે માફી માંગી હતી. LCB સોશિયલ મીડિયા પર ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર LCB દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હઠીસિંહ સિસોદીયા નામના એકાઉન્ટ પર બાર બોરની બંદૂક સાથેના બે ફોટા શેર થયેલા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હઠીસિંહ સિસોદીયાને શોધી કાઢ્યા, જેઓ વેટરનરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હઠીસિંહ સિસોદીયાએ પોલીસને જણાવ્યું કે, 20 ફેબ્રુઆરી, 2016ના રોજ તેઓ કડી તાલુકામાં રહેતા તેમના મિત્ર પ્રતીક પંચાલના ઘરે ગયા હતા. પ્રતીકના પિતા પ્રવીણભાઈ પંચાલ પાસે લાયસન્સવાળી બાર બોરની બંદૂક હતી, જેની સાથે તેમણે બે ફોટા ક્લિક કરીને ફેસબુક પર શેર કર્યા હતા. તેમણે ભવિષ્યમાં આવી પોસ્ટ ન કરવાની ખાતરી આપી પોલીસની માફી માંગી હતી. આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે, પોલીસે હઠીસિંહ સિસોદીયાનો ભૂલ કબૂલ કરતો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો દ્વારા લોકોને પણ આવી પોસ્ટ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ઈન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી, જેને શહેરીજનોએ બિરદાવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:16 pm

ગુનાખોરીમાં પોલીસકર્મીની સંડોવણી સહન નહીં કરાય:ક્રાઇમ કોન્ફરન્સમાં DGPએ ક્રાઈમ રેટ ઘટાડવા પર ભાર મૂક્યો, કહ્યું- રાજ્યમાં 112 PCR સૌથી ઝડપી વડોદરાના લોકો સુધી પહોંચી

રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે પ્રથમ વખત વડોદરાની મુલાકાત લીધી છે. તેમણે વડોદરા પોલીસ ભવન ખાતે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા રેન્જ અને પંચમહાલ રેન્જના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં રેલવે, જેલ, આર્મ્ડ, સાયબર, નાર્કોટિક્સ, સ્ટેટ ટ્રાફિક તેમજ CID ક્રાઇમ જેવા તમામ વિભાગોના અધિકારીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ક્રાઇમ રેશિયો ઘટાડવાના પ્રયાસો પર ભાર મૂક્યોઆ અંગે DGP ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, પોલીસના તમામ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન કરીને રાજ્યમાં ક્રાઇમ રેશિયો ઘટાડવાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. ક્રાઇમ કંટ્રોલમાં રાજ્ય પોલીસને નોંધપાત્ર સફળતા મળી રહી છે. આ કોન્ફરન્સ વડોદરા બાદ સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં પણ યોજાશે. સાયબર ક્રાઇમને રોકવા માટે 1930 હેલ્પલાઇનની ઉપલબ્ધતા હાલની 90થી વધારીને 180 કરવામાં આવશે. સાયબર ગુનાઓ અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે અનેક અવેરનેસ કાર્યક્રમો ચાલુ છે. જો ગુનો થયા બાદ એક કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે તો સાયબર ફ્રોડને ઘણી હદે ઘટાડી શકાય છે. ગુનાખોરીમાં પોલીસકર્મીની સંડોવણી સહન નહીં કરાયનાર્કોટિક્સ ગુનાઓ પર કાબુ મેળવવા રાજ્યમાં નવી ANTF (Anti-Narcotics Task Force) ઊભી કરવામાં આવી છે. આજથી વડોદરામાં ANTFની ઝોનલ ઓફિસ કાર્યરત થઈ છે, જે ડ્રગ્સ, ચરસ, ગાંજા જેવા નાર્કોટિક્સ કેસોને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે ગુનાખોરીમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં વડોદરામાં નાર્કોટિક્સ કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે કડક એક્શન લેવામાં આવ્યું છે. રાજ્યમાં 112 PCR સૌથી ઝડપી વડોદરામાં લોકો સુધી પહોંચીવધુમાં જણાવ્યું હતું કે, પોલીસમાં સ્ટાફની અછત દૂર કરવા રાજ્યમાં તાજેતરમાં આશરે 10 હજાર નવી ભરતી કરવામાં આવી છે, જેમાં વડોદરાને સૌથી વધુ એક હજાર LRD જવાનો ફાળવવામાં આવ્યા છે. પોલીસકર્મીઓમાં આત્મહત્યાના વધતા બનાવોને રોકવા તાલીમ અને તણાવ મુક્તિના કાર્યક્રમો ચાલુ છે. 112 ક્વિક એક્શન ફોર્સમાં ટૂંક સમયમાં 3000 જેટલા નવા જવાનોની ભરતી થશે. આ સાથે હાલમાં રાજ્યમાં સૌથી ઝડપી 112 PCR સર્વિસ વડોદરામાં લોકો સુધી પહોંચી રહી છે, જેનાથી ઇમરજન્સીમાં ત્વરિત મદદ મળી રહી છે. આ સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ANTF (Anti-Narcotics Task Force) વડોદરા ઝોન કચેરીનું ઉદ્ઘાટન ડી.જી.પી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:06 pm

સજોડ ખાતે ભાઈએ ભાઈની જમીન પચાવી પાડવા ખોટું પેઢીનામું બનાવ્યું:પંચાયત-તલાટીના ખોટા સિક્કા બનાવી પંચની જાણ બહાર સહીઓ કરી જમીનમાંથી નામ કરાવી નાખ્યું

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સજોડ ખાતે ભાઈએ ભાઈની જમીન પચાવી પાડવા ખોટું પેઢીનામું બનાવી ગ્રામ પંચાયતના ખોટા સિક્કા બનાવી,તલાટીની ખોટી સહી કરી અને પંચની જાણ બહાર તેમની સહીઓ કરી ભાઈનું જમીનમાંથી નામ કમી કરાવી નાખવાની ઘટના સામે આવી છે. ખોટું સોગંદનામું કરીને ખોટું પેઢીનામું બનાવ્યુંપાવી જેતપુર તાલુકાના સજોડ ગામમાં રહેતા બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાનું મૃત્યુ થતા તેમના ભાઈ સબુરભાઈ છગનભાઇ કોળી રાઠવાએ જમીનમાંથી બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાનું નામ કમી કરાવવા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી.જેમાં ખોટું સોગંદનામું કરીને ખોટું પેઢીનામું બનાવ્યું હતું.જેમાં પોતાનાભાઈ બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાને અવિવાહિત અને કોઈ વારસદાર નથી તેવું દર્શાવ્યું હતું.અને તેમની સંયુક્ત માલિકીની જમીન ખાતા નંબર 114 ના સર્વે નં.108,164, 152, 28, 80 અને 57 માંથી નામ કમી કરાવી દીધું હતું. પોલીસ સાથે પ્રાંત અધિકારીને પણ લેખિતમાં અરજીઆ વાતની જાણ બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાના દીકરા નટવરભાઈ બલાભાઈ કોળી રાઠવા ઘુટણવડ ગ્રામ પંચાયતમાં વારસાઈ કરાવવા ગયા ત્યારે થઈ હતી.જેથી બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાના વારસદાર નટવરભાઈ બલાભાઈ કોળી રાઠવાએ આ અંગે પાવી જેતપુર પોલીસ મથકે તેમના કાકા સબૂરભાઈ છગનભાઇ કોળી રાઠવા વિરુદ્ધ લેખિત ફરિયાદ કરીને પગલા ભરવાની માંગ કરી છે અને સાથે સાથે પ્રાંત અધિકારીને પણ લેખિતમાં અરજી કરીને બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાનું નામ કમી કરવાની કાર્યવાહી રદ કરવાની માંગ કરી છે. મૃતક ભાઈ પરિણીત હોવા છતાં અપરિણીત બતાવીને પેઢીનામું બનાવ્યુંસબૂરભાઈ છગનભાઇ કોળી રાઠવાએ ખોટું સોગંદનામું કર્યું હતું જેમાં બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાને અવિવાહિત અને કોઈ વારસદાર નથી તેવું દર્શાવીને ખોટું પેઢીનામું બનાવ્યું હતું. આ પેઢીનામામા ત્રણ સાક્ષી બતાવ્યા છે.જે સાક્ષીની જાણ બહાર તેઓના ફોટો લગાવી તેમની બોગસ સહીઓ કરી દીધી છે. ગ્રામ પંચાયતના ખોટા સિક્કા બનાવીને ઉપયોગ કરી તલાટીની ખોટી સહી કરીઆ પેઢીનામું બનાવ માટે સબુરભાઈ છગનભાઇ કોળી રાઠવાએ ગ્રામ પંચાયતના સિક્કા બનાવડાવી અને તલાટીની જાણ બહાર તેમની બોગસ સહી કરીને પેઢીનામું બનાવ્યું છે. ખાતેદારોમાંના છ જણા ઘરે હોવા છતા મજૂરી અર્થે બહાર હોવાનું દર્શાવ્યુંમામલતદાર કચેરીના ઇધરા વિભાગ દ્વારા નામ કમી કરવાની અરજી કરતા 135 ડી ની નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી.જેમાં 10 જેટલા ખાતેદારોના નામ હતા. જેમાંથી બલાભાઈ છગનભાઇ કોળી રાઠવાના મૈયત બતાવવામાં આવ્યા છે.સબુરભાઈ છગનભાઇ કોળી રાઠવાએ પોતાનો અંગૂઠો માર્યો છે.જયારે છ જણા પોતાના ઘરે જ હયાત હોવા છતાં મજૂરી અર્થે બહાર ગયા હોવાનું દર્શાવ્યું છે.જયારે અન્ય એકની જાણ બહાર તેમની બોગસ સહી કરીને મામલતદાર કચેરીના ઇધરા વિભાગમાં જમા કરાવી દીધી હતી. રેવન્યુ તલાટીના પંચાક્યાસમાંનો એક આવા નામનો શખ્સ ગામમાં નથીરેવન્યુ તલાટી દ્વારા 135 ડી ની નોટીસમાં પંચક્યાસ કરવામાં આવ્યો છે.જેમાં બે પંચ બતાવ્યા છે જેમાંથી એક અંબુભાઈ શીવાભાઈ રાઠવાની સહી કરવામાં આવી છે.પરંતુ આ નામનો કોઈ વ્યક્તિ ગામમાં હયાત જ નથી.જેથી આ કેસમાં રેવન્યુ તલાટીની ભૂમિકા પણ શંકાસ્પદ જોવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:05 pm

ઉમરગામ બંદૂકની અણીએ પરિવારને બંધક બનાવી લૂંટનો કેસ:મિત્રએ આંતરરાજ્ય 'અનુજ' ગેંગને ટીપ આપીને લૂંટ કરાવી, પોલીસે 5 આરોપીને દબોચ્યા, માસ્ટરમાઈન્ડ ફરાર

વલસાડના ઉમરગામ તાલુકાના ફણસા ગામે 30 જાન્યુઆરીના રોજ એક મકાનમાં થયેલી લાખોની લૂંટનો વલસાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરિયાદીના અત્યંત વિશ્વાસુ મિત્ર વિવેક આહીરે જ લૂંટની ટીપ આપી હતી. પોલીસે આંતરરાજ્ય લૂંટારુ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. બંદૂકની અણીએ લૂંટનો ખેલ ખેલાયો હતો 30 જાન્યુઆરીના રોજ ફણસા ગામના એક મકાનમાં ત્રણ અજાણ્યા શખસો ત્રાટક્યા હતા. તે સમયે ઘરમાં એક મહિલા અને તેની બે દીકરીઓ હાજર હતી. લૂંટારુઓએ બંદૂક બતાવી પરિવારને બંધક બનાવ્યો હતો અને અંદાજે 1,52,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ એસપીના માર્ગદર્શન હેઠળ મરીન પોલીસ, ભિલાડ પોલીસ, LCB અને વાપી DYSPની ટીમો કામે લાગી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી. જેના માલિક સંજય જૈનની પૂછપરછ કરતા સમગ્ર લૂંટની યોજનાનો પર્દાફાશ થયો હતો. વિશ્વાસઘાતનું ષડયંત્રતપાસમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી વિવેક આહીર ફરિયાદીનો નજીકનો મિત્ર હતો. અગાઉ ફરિયાદી જ્યારે બહારગામ ગયા હતા ત્યારે તેમણે પોતાના દાગીના સાચવવા માટે વિવેકને આપ્યા હતા. આથી વિવેકને ઘરની તમામ કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવી છે તેની જાણકારી હતી. તેણે આ વિગતો મહારાષ્ટ્રની 'અનુજ' ગેંગને આપી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. એક મહિનામાં 4 વખત રેકી કરીઆ ગેંગે લૂંટને અંજામ આપતા પહેલા એક મહિનામાં 4 વખત ઘરની રેકી કરી હતી. લૂંટના દિવસે કુલ 6 શખસો આવ્યા હતા, જેમાંથી 3 ઘરમાં ઘૂસ્યા હતા અને બાકીના 3 બહાર કારમાં નજર રાખી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓએ વર્ષ 2023માં ભિલાડના જરોલી ગામે થયેલી 2.35 લાખની લૂંટની પણ કબૂલાત કરી છે. ઝડપાયેલા આરોપીઓ

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 5:02 pm

T20 વર્લ્ડ કપ માટે મેટ્રોના સમય વધારાયા:મોટેરા સ્ટેડિયમમાં રમાનારી મેચોના દિવસે મધ્યરાત્રિ સુધી ટ્રેન દોડશે અને 50 રૂપિયાની સ્પેશિયલ ટિકિટ મળશે

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના આયોજનને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી ડે-નાઈટ મેચો દરમિયાન પ્રેક્ષકોની અવરજવરને સરળ બનાવવા માટે મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને જો ફાઈનલ અમદાવાદમાં રમાય તો 8 માર્ચ 2026 ના રોજ મેટ્રો સેવાઓ મધ્યરાત્રિના 00:30 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સ્પેશિયલ મેટ્રો સેવાઓનું ટાઈમ ટેબલ સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો સવારે 06:20 થી રાત્રિના 22:00 સુધી અને ગાંધીનગર કોરિડોરમાં સવારે 07:30 થી રાત્રિના 19:40 સુધી ચાલે છે. જોકે, મેચના દિવસોમાં રાત્રિના 22:00 વાગ્યા પછી નીચે મુજબની સ્પેશિયલ ટ્રેનો દોડશે: મોટેરા સ્ટેડિયમથી APMC: રાત્રિના 22:00 થી 00:30 સુધી. ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ ગામ: રાત્રિના 22:00 થી 00:50 સુધી. ઓલ્ડ હાઇકોર્ટથી થલતેજ ગામ: રાત્રિના 22:00 થી 00:50 સુધી. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર): રાત્રિના 23:40 અને 00:10 વાગ્યે વધારાની ટ્રેન ઉપડશે. રાત્રિના સમયે મુસાફરી માટેના નિયમો રાત્રિના 22:00 વાગ્યાથી 00:30 વાગ્યા સુધીના લંબાવેલા સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં બેસી શકશે. જોકે, તેઓ ઉતરી કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર શકશે. ₹ 50 ની સ્પેશિયલ પેપર ટિકિટની સુવિધા ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોનો સમય બચાવવા માટે GMRC એ 50 રૂપિયાની ફ્લેટ રેટ ધરાવતી સ્પેશિયલ પેપર ટિકિટ રજૂ કરી છે. આ ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે: આ ટિકિટનો ઉપયોગ મોટેરા અથવા સાબરમતીથી કોઈપણ સ્ટેશન પર જવા માટે કરી શકાશે. સામાન્ય ટિકિટો, સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટો રાત્રિના 22:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં. રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા અને સાબરમતી સ્ટેશનમાં પ્રવેશવા માટે માત્ર આ સ્પેશિયલ પેપર ટિકિટ જ અનિવાર્ય છે. ટિકિટ અગાઉથી ક્યાંથી ખરીદી શકાશે? લાઈનોમાં ઉભા રહેવાનું ટાળવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી જ નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-1 અને મહાત્મા મંદિર સ્ટેશનો પરથી ખરીદી શકશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:59 pm

કાજુ ભરેલી પ્લાસ્ટિક બેગમાં જીવાતોનો ઢગલો, VIDEO:3 ટન કાજુનો જથ્થો સીઝ ને પ્રોસેસિંગ હાઉસ સીલ કરાયું, અમદાવાદના કઠવાડા GIDCની ફેકટરીમાં કાજુનો કાળો કારોબાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કઠવાડા જીઆઈડીસી ખાતે દેવ આઇલેન્ડ એસ્ટેટ, ગજાનંદ એસ્ટેટની સામે શેડ નંબર A/17 અને A/18માં અભિનંદન ટ્રેડિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાજુ પ્રોસેસિંગનો ધંધો કરનાર ચિરાગકુમાર મોહનભાઈ ઠક્કરના પ્રોસેસિંગ હાઉસની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કાજુનો જથ્થો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવતા તેને સીલ કરવાની કાર્યવાહી અને 3 ટન કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાજુની ફેક્ટરીઓમાંથી સેકન્ડ ગ્રેડ કાજુનો જથ્થો મળી આવ્યોકાજુ પ્રોસેસિંગ યુનિટના માલિકો દ્વારા અલગ અલગ રાજ્યની કાજુની ફેક્ટરીઓમાંથી સેકન્ડ ગ્રેડ કાજુનો જથ્થો મેળવવામાં આવ્યો હતો. આ જથ્થાને સોટીંગ તેમજ હિટિંગ પ્રોસેસિંગ કરીને આખા તેમજ ટુકડા કાજુ બજારમાં વેચાણ કરતા હતા અને કાજુનો ભુક્કો કેટલ ફીડિંગ માટે વાપરતા હોવાનું જણાયું છે. કેટલ ફીડીંગ માટે કાજુનો ભુક્કો અપાતો હોય તેવા કોઈ દસ્તાવેજી પુરાવા દર્શાવેલ ન હતા. 3 ટન કાજુનો જથ્થો સીઝ કરાયોકાજુના ટુકડા અને ભુક્કા સાથેનો અંદાજિત 3000 કિલો જથ્થો મળી આવ્યો હતો. કાજુ ભરેલી તમામ પ્લાસ્ટિક બેગમાં ખૂબ મોટા પ્રમાણમાં જીવાતો જોવા મળી હતી. એફએસએસઆઇ એક્ટ- 2006 અંતર્ગતનું લાઇસન્સ/રજીસ્ટ્રેશન ધરાવતું ન હતું. તમામ જથ્થો સ્થગિત(અંદાજીત 3 ટન) કરવામાં આવેલ છે. પ્રોસેસિંગ હાઉસ સીલ કરાયું તેમજ સુંદર યુનિટને જીપીએમસી એક્ટ અંતર્ગત સીલ કરવામાં આવેલ છે. વધુમાં પ્રોસેસિંગ હાઉસના માલિકો વિરુદ્ધ એફએસએસએઆઈ એકટ 2006 અંતર્ગત AD / નામદાર કોર્ટ સમક્ષ કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:58 pm

મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત બેલડી ઝડપાઇ:રાજકોટના ધાર્મિક સ્થાનો પરથી અવારનવાર રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવતા શખ્સે અન્ય કુખ્યાત સાથે મળી ગઈકાલે રામેશ્વર મંદિરમાં ચોરી કરી'તી

રાજકોટ શહેરના રામેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે થયેલ ચોરીના કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીને ઝડપી પાડી કુલ 53,515નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ લાંબો ગુનાહિત ધરાવતા હોવાનું અને બે પૈકી એક આરોપી માત્ર ધાર્મિક અથનો પર જ રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપીઓ પાસા હેઠળ પણ ધકેલાય ચુક્યા છે અને નશાની ટેવ ધરાવતા હોવાથી ચોરી સહિતના ગુનાને અંજામ આપતા હતા ત્યારે આજ રોજ પોલીસે વધુ એક ચોરીના ગુનામાં બન્નેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પુનિતનગર વિસ્તારમાં રામેશ્વર મંદિરના પૂજારીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થવા પામી છે જે ચોરીના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે જેમાં બે શખ્સો મંદિરમાં આવી ચોરીને અંજામ આપતા જોવા મળી રહ્યા છે જેથી પોલીસે તાતકાલિક અસરથી ગુનો નોંધી સીસીટીવીમાં દેખાતા બન્ને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉ.વ.28) અને ભરત પોપટ પરમાર (ઉ.વ.23)ની ધરપકડ કરી પુછપરછ કરતા રામેશ્વર મંદિરમાં ચોરી અંગે કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડ સહીત કુલ 53,500નો મુદામાલ રિકવર કરી તપાસ તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી મેહુલ ઉર્ફે ભૂરી વિરુધ્ધ કુલ 30 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે આરોપી ભરત પરમાર વિરૂદ્ધ 15 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મેહુલ ઉર્ફે ભૂરી વિરુધ્ધ 30 ગુના નોંધાઈ ચુક્યા છે જે પૈકી મોટા ભાગે તે ધાર્મિક સ્થળો પર જ ચોરીના ગુનાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે જેમાં પણ રોકડ રકમ સહીત કોઈ વસ્તુની ચોરી કરતો ન હતો જયારે આરોપી ભરત ચોરી, લૂંટ અને મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આ તાજેતરમાં થોડી દિવસ અગાઉ જ પાસામાંથી જેલ મુક્ત થઇ બહાર આવ્યો હતો જે બાદ ફરી મંદિર ચોરીના ગુનામાં સંડોવણી ખુલતા ફેઈ જેલવાસ કાપવાનો વારો આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:56 pm

વડોદરા મનપાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર:સમિતિએ કરેલા સુધારા બાદ સામાન્ય સભામાં રજૂ કરશે, 7672.21 કરોડ સુધી વધારીને મંજૂરી મળી

વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિએ વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ સુધારા-વધારા સાથે મંજૂર કરી દીધું છે. મ્યુનિસિપલ કમિશનરે મૂળ રૂ.7609 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં સ્થાયી સમિતિએ કરેલા સુધારા બાદ કુલ બજેટને રૂ.7672.21 કરોડ સુધી વધારીને મંજૂરી આપવામાં આવી છે. ડ્રાફ્ટમાં 13.29 ટકાનો વધારો સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ 2025-26ના રિવાઇઝ્ડ બજેટમાં 13.29 ટકાનો ખર્ચ ઘટાડો કરવામાં આવ્યો છે , જ્યારે 2026-27ના ડ્રાફ્ટમાં 13.29 ટકાનો વધારો થતાં એકંદરે 62.56 ટકાનો વધારો થયો છે. સમિતિએ આ વધારાને મંજૂરી આપીને બજેટને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા મંજૂર ઠરાવો અને સુધારા સ્થાયી સમિતિ દ્વારા કરાયેલા મહત્વના સૂચનો અને વિકાસ કાર્યો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, રોડ-ડ્રેનેજ પર ભાર મુકાયોઆ બજેટમાં મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, રોડ-ડ્રેનેજ, સ્વચ્છતા, આરોગ્ય અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:43 pm

હત્યા કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર:ઈન્દિરાનગરમાં વરઘોડામાં નાચવા બાબતે યુવક પર ધારિયા, છરી, તલવારથી હુમલો કર્યો હતો

મહેસાણાના ઈન્દિરા નગર નજીક વરઘોડામાં નાચવા બાબતે ઝઘડાની અદાવતમાં એક વ્યક્તિ પર અદાવતમાં ધારિયા, છરી, તલવારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને મહેસાણા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ધારિયું, છરી અને તલવારથી હુમલો ને યુવકનું મોતમળતી વિગત અનુસાર, ઈન્દિરા નગર નજીક સપ્તાહ પૂર્વે રાકેશજી પથુજી વાઘેલા જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ ઝઘડાની અદાવતમાં ધારિયું, છરી અને તલવારથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે આરોપીઓ સામે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાઈ હતી. મહેસાણા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણીફરિયાદ આધારે કમલેશ ઓમદાસ બાવાજી, મોનુ ઓમદાસ બાવાજી, મોઈનખાન અબ્દુલ રહેમાન પઠાણ, સચિન વિનોદજી ઠાકોર, અનીલ ઓમદાસ બાવાજી સહિત આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. તો મહેસાણા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ચાર દિવસના રિમાન્ડનો હુકમ કર્યોઆ રિમાન્ડ અરજીકોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રોનક હરડેની દલીલો આધારે મહેસાણાના ચોથા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.કે.મકવાણાએ રિમાન્ડ અરજી મંજૂર કરીને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:33 pm

પાવીજેતપુરમાં 35 લાખના ખર્ચે બનશે નવું પંચાયત ભવન:સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત

પાવીજેતપુર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ભવન અંદાજિત ₹35 લાખના ખર્ચે તૈયાર થશે, જે ગ્રામજનો માટે વહીવટી સુવિધાઓમાં વધારો કરશે. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સરપંચ અંકિત (મોન્ટુ) શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવું પંચાયત ભવન કાર્યરત થવાથી ગામના વહીવટી કાર્યોમાં સરળતા આવશે અને વિકાસને નવી ગતિ મળશે. પાવીજેતપુરના સરપંચ નૈન્સી શાહ અને ડેપ્યુટી સરપંચ અંકિત (મોન્ટુ) શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પંચાયતના સભ્યોએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:32 pm

અમરાપુરમાં બોગસ તબીબ ઝડપાયો:રોજના 10થી 12 દર્દીઓની સારવાર કરતો, SOGએ દરોડો પાડી ₹15,559નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા એક શખ્સને પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે જૂની દૂધ ડેરી સામે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, પાટણના મૂળ અમરાપુરના રહેવાસી ચેતનભાઈ જયંતિભાઈ પ્રજાપતિ કોઈ શૈક્ષણિક લાયકાત વિના બીમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન આપતા રંગેહાથ પકડાયા હતા. તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ટેબલ, ખુરશી, પેશન્ટ માટેનો પલંગ, એલોપેથીક દવાઓનો જથ્થો, પિન્ટાવિલ કેપ્સ્યુલ, મોક્સિવિલ ટેબ્લેટ, નેવિક્રસ સિરપ, આઈ.વી. સેટ, સ્ટેથોસ્કોપ અને બીપી માપવાના મશીન સહિત કુલ ₹15,559.04નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે માત્ર અનુભવ અને અનુમાનના આધારે રોજના 10થી 12 દર્દીઓની સારવાર કરતો હતો. આ મામલે SOG કોન્સ્ટેબલ ભરતજી હમીરજીની ફરિયાદના આધારે સમી પોલીસ સ્ટેશનમાં B.N.S.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:30 pm

વડોદરામાં આગામી શિવરાત્રીના દિવસે ભવ્ય શિવજી કી સવારી નીકળશે:હજારો શિવભક્તો જોડાશે, પ્રત્યેક સંધ્યાકાળે સુરસાગર ખાતે આરતી થાય તેવું મેયરનું સૂચન

વડોદરામાં આગામી શિવરાત્રીના દિવસે પરંપરાગત નીકળતી શિવાજી કી સવારી આ વર્ષે પણ આગામી 15 ફેબ્રુઆરીના રોજ નીકળશે. આ સાથે પરંપરાગત શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવામા બિરાજમાન 111 ફૂટ ઉંચી ભવ્ય શ્રી સર્વેશ્વર મહાદેવ પ્રતિમા ખાતે ભવ્ય આરતી કરવામાં આવશે. આ અનેરા ઉત્સાહ માટે શિવભક્તો તૈયાર છે. 15 ફેબ્રુઆરીએ ભવ્ય શિવજી કી સવારી નીકળશેઆગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે મહાશિવરાત્રીએ બપોરે 3.30 વાગ્યે પ્રતાપનગરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવારની શિવજી કી સવારી નીકળશે. યાત્રા વાડી-ચોખંડી-માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર થઈ સાંજે 7 વાગ્યે સુરસાગર પહોંચશે, જ્યાં 7.15 વાગ્યે મહાઆરતી યોજાશે. ત્યારબાદ પરંપરાગત માર્ગે યાત્રા આગળ વધી ઉદયનારાયણ મંદિર, સલાટવાડા ખાતે સમાપ્ત થશે. હજારો ભક્તો આ ભવ્ય યાત્રામાં જોડાશે. આ સાથે પ્રત્યેક સંધ્યાકાળે સુરસાગર ખાતે શિવજીની આરતીનું આયોજન થાય તેવો વિચાર મેયરે રજૂ કર્યો હતો. શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા વડોદરામાં સુરસાગર સરોવરના મધ્યમાં સ્થિત 111 ફૂટ ઉંચી ભવ્ય “શ્રી સર્વેશ્વર મહાદેવ” પ્રતિમા શહેરની ઓળખ બની ગઈ છે અને હવે વડોદરા ટુરિઝમનું મુખ્ય આકર્ષણ બની રહી છે. આ પ્રતિમાનો ઇતિહાસ રોચક છે. વર્ષ 1996માં સુરસાગરની સફાઈ દરમિયાન મધ્યમાં પ્રતિમા માટે અનુકૂળ સ્ટ્રક્ચર દેખાતાં તત્કાલીન ધારાસભ્ય યોગેશ પટેલને પ.પૂ. સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી હતી. સ્વામીજીએ વડોદરામાં શિવજીની મહાપ્રતિમા અને શિવરાત્રીએ શિવ સવારી નીકળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતુંયોગેશ પટેલે શહેરના અગ્રણીઓના સહયોગથી આ સંકલ્પ પૂર્ણ કર્યો. 1996ની ગોકુળાષ્ટમીએ તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા તથા અન્ય મંત્રીઓ-ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું. પિલાનીના પ્રખ્યાત મૂર્તિકાર માતૂરામ વર્મા અને પુત્ર નરેશ વર્માએ આર.સી.સી. તથા કોપર કોટિંગવાળી આ પ્રતિમા તૈયાર કરી હતી. પ્રમુખસ્વામીજીના હસ્તે લોકાર્પણ કરાયુંનામકરણ માટે ભક્તો પાસેથી સૂચનો મેળવી “શ્રી સર્વેશ્વર મહાદેવ” નામ પ.પૂ. પ્રમુખસ્વામીજી મહારાજે સ્વીકાર્યું હતું. વર્ષ 2002ની મહાશિવરાત્રીએ ગોધરા કાંડના અશાંતિના સમયમાં પણ લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વામીજીની બીજી ઇચ્છા અનુસાર ઉજ્જૈન જેવી “શિવજી કી સવારી” શરૂ કરવામાં આવી હતી. નરેશ વર્માએ પંચધાતુમાંથી સાડા આઠ ટનની નંદી પર સવાર શિવ પરિવારની જીવંત પ્રતિમા તૈયાર કરી હતી. 2013થી આ યાત્રા નવી પરંપરા બની અને જગન્નાથ રથયાત્રા જેવી ભવ્યતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:27 pm

પાટણમાં સાફ કેનાલમાં ફરી ગંદકી:દબાણો હટાવવા શહેર કોંગ્રેસની માગ, જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા આંદોલનની ચીમકી

પાટણ નગરપાલિકા દ્વારા પીવાના પાણીની કેનાલની સફાઈ કરાયા બાદ પણ તેમાં ફરી ગંદકી જોવા મળી રહી છે. દબાણકર્તાઓ દ્વારા પાણી પ્રદૂષિત કરવામાં આવતું હોવાથી વિપક્ષે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. તાજેતરમાં જ નગરપાલિકાએ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી કેનાલની સફાઈ કરી હતી. જોકે, સફાઈ અભિયાન પછી પણ કેનાલ પરના રહેણાંક દબાણો દૂર ન થતાં પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે કેનાલ પર રહેતા લોકો પાણીમાં સ્નાન કરે છે અને કપડાં ધોવે છે, જેના કારણે સાબુવાળું ગંદું પાણી સીધું પીવાના પાણીમાં ભળી જાય છે. આ અંગે અગાઉ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. કેનાલની આસપાસના દબાણોને કારણે શુદ્ધ પાણીની ગુણવત્તા જોખમાઈ રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પાટણની જનતા નગરપાલિકાને ડબલ વેરો ચૂકવે છે, તેમ છતાં તેમને પ્રદૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. સફાઈ કામગીરીના ગણતરીના દિવસોમાં જ કેનાલમાં ફરી ગંદકી અને કપડાં ધોવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અને કેનાલના પાણીની શુદ્ધતા જાળવી રાખવાની માંગ સાથે નગરપાલિકાને લેખિત વિનંતી કરી છે. જો વહેલી તકે દબાણો હટાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:27 pm

‘જિંદગીભર ડાઘ રહેશે કે આ દારૂપાર્ટીમાં ઝડપાયા હતાં’:સાણંદની દારૂપાર્ટી મામલે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું નિવેદન; ‘સરકારે હવે આ ‘નાટક’ બંધ કરવું જોઈએ

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સરકાર સામે કડક પ્રહારો કર્યા છે. સાણંદમાં દારૂ પાર્ટી મામલે થયેલી પોલીસ કાર્યવાહીને કેન્દ્રમાં રાખીને વાઘેલાએ કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી માત્ર કાયદાની પુસ્તિકામાં જ સીમિત રહી ગઈ છે. હકીકતમાં આ કાયદો વ્યવહારૂ નથી અને સરકારએ હવે આ ‘નાટક’ બંધ કરવું જોઈએ. ‘સરકારે હવે આ ‘નાટક’ બંધ કરવું જોઈએ’વાઘેલાનું કહેવું છે કે દારૂબંધીના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રતિબંધ હોવા છતાં દારૂ સરળતાથી ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે કાયદો જમીન પર અસરકારક રીતે અમલમાં નથી. તેમણે દાવો કર્યો કે આ સ્થિતિમાં સામાન્ય અને સારા પરિવારના યુવક-યુવતીઓ પણ બદનામ થાય છે. પૂર્વ મુખ્યમંત્રીએ યુવા પેઢી અંગે પણ ચિંતા વ્યક્ત કરીતેમના જણાવ્યા મુજબ દારૂ પર પ્રતિબંધના કારણે યુવાનો હવે ગુટખા અને અન્ય ખતરનાક નશીલા પદાર્થો તરફ વળી રહ્યા છે, જે સમાજ માટે વધુ ગંભીર જોખમ છે. વાઘેલાએ ઉમેર્યું કે જો દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને મોટી આવક થઈ શકે, જેનો ઉપયોગ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ માટે થઈ શકે. ‘ગુજરાતીઓ આ નીતિથી અસંતુષ્ટ’શંકરસિંહ વાઘેલાએ રાજકીય મંચ પરથી પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટી દારૂબંધી હટાવવાની જાહેરાત કરશે, તેને જ જનતાએ સમર્થન આપવું જોઈએ. તેમના મતે, મોટા ભાગના ગુજરાતીઓ આ નીતિથી અસંતુષ્ટ છે અને હવે સમય આવી ગયો છે કે આ પ્રતિબંધને મૂળથી દૂર કરવામાં આવે. ‘પડોશી રાજ્યોમાંથી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી’આ અગાઉ પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યક્રમોમાં વાઘેલાએ સમાન પ્રકારના નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પડોશી રાજ્યોમાંથી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થાય છે અને ગુજરાતમાં તેનો વપરાશ થાય છે, તેથી ‘ગાંધીના ગુજરાત’માં ગુણવત્તાવાળો દારૂ નિયંત્રિત રીતે ઉપલબ્ધ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:24 pm

પ્રભાસ પાટણમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દિવ્ય શાકોત્સવની ઉજવણી:200 વર્ષીય પરંપરામાં ગામેગામથી હરિભક્તો ઉમટ્યા, સંતો ઉપસ્થિત રહ્યા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઝુંડાલથી સ્વામી પુરુષોત્તમચરણદાસજી, લાડવીથી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને જૂનાગઢથી સ્વામી રામસ્વરૂપદાસજી સહિતના મહંત સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી ભક્તિકિશોરદાસજીએ શાકોત્સવના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રવચન આપ્યું હતું. આસપાસના ગામો તેમજ દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દિવ્ય શાકોત્સવમાં ભાગ લીધો હતો. લગભગ 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે પોતાના હાથે રીંગણનું શાક અને બાજરીના રોટલા બનાવી હરિભક્તોને ભોજન કરાવ્યું હતું. ત્યારથી શાકોત્સવની આ પરંપરા ચાલી આવે છે. શિયાળાની ઋતુમાં ઉજવાતો શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ મહત્વ ધરાવે છે. સંતો દ્વારા તૈયાર કરાયેલ રીંગણનું શાક અને બાજરીના રોટલા હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે. કાર્યક્રમના અંતે સ્વામી ભક્તિપ્રકાશદાસજી અને સ્વામી ધર્મકિશોરદાસજીએ ઉપસ્થિત સર્વે સંતો અને હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:20 pm

શહેરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ટ્રક ઝડપી, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલના શહેરામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ટ્રક ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગને ગુપ્ત માહિતી મળી હતી કે શહેરાના માર્ગો પરથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો પસાર થવાના છે. આ માહિતીના આધારે વિભાગની ટીમે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, શહેરાની તાડવા ચોકડી પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યો હતો, જેમાં જરૂરી પાસ-પરમિટ વગર ખનીજ ભરેલું હોવાનું માલૂમ પડ્યું. તેવી જ રીતે, શહેરાના ચલાલી ગામ નજીકથી પણ ખનીજ ભરેલા અન્ય એક ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. બંને વાહનોના ચાલકો પાસે ખનીજ વહન કરવા માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. ખાણ ખનીજ વિભાગે આ બંને ટ્રક સહિત અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ ચોરીની રકમ અને દંડ વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:12 pm

સુટબૂટ ને ચશ્મા પહેરી તોડ કરવા નીકળેલો 'નકલી IT-ઓફિસર' ઝડપાયો:ઇન્કમટેક્ષની ફાઈલો પકડીને ગ્લોબલ માર્કેટમાં રેડ પાડી, સુરતમાં સ્પેશિયલ 26 ફિલ્મ જેવો કિસ્સો

સુરતમાં 'સ્પેશિયલ 26' ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુટબૂટ અને ચશ્મા પહેરી 'નકલી IT ઓફિસર' બની તોડ કરવા નીકળેલો શખ્સ આખરે ઝડપાઈ ગયો છે. આ ઠગબાજે હાથમાં ઇન્કમટેક્ષની નકલી ફાઈલો પકડીને ગ્લોબલ માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. નકલી IT ઓફિસર સુટબૂટ ને ચશ્મા પહેરી તોડ કરવા નીકળ્યોસુરતના વરાછામાં જાણે અક્ષય કુમારની 'સ્પેશિયલ 26' ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજસ્થાનના વિજય ચૌહાણ નામના શખ્સે વેપારીઓને છેતરવા માટે કાવતરું કર્યું હતું. તે ગ્લોબલ માર્કેટમાં જ્યારે પ્રવેશ્યો ત્યારે તેનો દેખાવ જોઈને કોઈને પણ શંકા ન જાય તેવો હતો. આંખ પર બ્રાન્ડેડ એવિએટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોર્ટ અને હાથમાં ઇન્કમટેક્ષની ફાઈલો પકડીને તેણે એવી એન્ટ્રી પાડી કે જાણે સાચો જ ક્લાસ-વન ઓફિસર દરોડો પાડવા આવ્યો હોય! ગ્રેજ્યુએટ થયેલા આ ભેજાબાજે મારવાડી વેપારીઓની માનસિકતાનો લાભ લેવા માટે આ આખો 'ગેટઅપ' તૈયાર કર્યો હતો. ફાઈલો પછાડી રૂઆબ દેખાડીને 4 લાખની માગણી કરીદુકાનમાં ઘૂસીને આ નકલી IT અધિકારીએ ફાઈલો પછાડી રૂઆબ દેખાડવાનું શરૂ કર્યું અને રૂ. 4 લાખની માગણી કરી. પરંતુ, તેની આ ઓવર-એક્ટિંગ જ તેને ભારે પડી ગઈ. વેપારીને તેની વાતચીતમાં ક્યાંક કચાશ લાગતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે પણ આ નકલી સાહેબ પોતાના ટાઈ-કોટના ટસમાં મસ નહોતા થતા, પણ પોલીસની ખાખી સામે તેની ફિલ્મી એક્ટિંગ લાંબો સમય ટકી શકી નહીં. વરાછા પોલીસે આ નકલી ઓફિસરની શાન ઠેકાણે લાવી તેની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે તેના આ 'કોર્ટ-ટાઈ' વાળા લુકમાં બીજા કેટલા વેપારીઓ છેતરાયા છે. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને રોફ જમાવનાર 51 વર્ષીય વિજયસિંહ રાવતસિંહ ચૌહાણને વરાછા પોલીસે બ્લીસ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો છે. વેપારી પાસેથી 30 લાખની ખંડણી માંગીતપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ માત્ર 1 દિવસ પહેલા જ રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરત આવ્યો હતો. તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો હતો. સુરત આવ્યાના 24 કલાકમાં જ તેણે આઇટી અધિકારીનો વેશ ધારણ કરી વેપારી પાસેથી 30 લાખની ખંડણી માંગવાનો પ્લાન અમલમાં મૂક્યો હતો. ગ્રેજ્યુએટ આરોપી પાલીમાં ટેક્સનું કામ કરતો હતોઆ આખી ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે જે દુકાનમાં આરોપી પોતાને આઇટી અધિકારી તરીકે ઓળખાવી રહ્યો હતો, ત્યાંનો જ એક વ્યક્તિ તેને ઓળખી ગયો હતો. આરોપી વિજયસિંહ વર્ષ 1989માં ગ્રેજ્યુએટ થયો હતો અને રાજસ્થાનના પાલીમાં ટેક્સ સંબંધિત છૂટક કામગીરી પણ કરતો હતો. જેના કારણે તેને વિભાગની કાર્યપદ્ધતિની જાણકારી હતી. પકડાયા બાદ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ માટે ‘ઇન્ફોર્મર’ તરીકે કામ કરે છે, જોકે પોલીસ તેના આ દાવાની સત્યતા ચકાસી રહી છે. પોલીસે બ્લીસ હોટલ ખાતેથી રંગેહાથ ઝડપી પાડ્યોઘટનાની વિગતો મુજબ, આરોપીએ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી 30 લાખની માંગણી કરી હતી, જે અંતે 4 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે ગ્લોબલ માર્કેટ પાસે આવેલી બ્લીસ હોટલમાં એક શંકાસ્પદ વ્યક્તિ અધિકારી બનીને આવ્યો છે. પોલીસે તુરંત વેપારીઓ સાથે સંકલન સાધી હોટલ પર વોચ ગોઠવી હતી અને વિજયસિંહ ચૌહાણની અત્યંત સતર્કતાથી ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ અધિકારી બનીને આવે તો પહેલા તેનું ID કાર્ડ ચેક કરો અને શંકા જાય તો તાત્કાલિક પોલીસ, ACP અથવા DCP ને જાણ કરો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:10 pm

નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી:સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારનું પંચમહાલમાં સ્વાગત

પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે રૂ. 5490 કરોડની નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારના સતત પ્રયાસોના ભાગરૂપે આ મંજૂરી મળી છે. આ યોજનાને કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગોધરા અને શહેરા સહિતના તાલુકાઓમાં ડૉ.જસવંતસિંહ પરમારનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે ડિસેમ્બર-2024થી આ યોજના માટે સતત રજૂઆતો કરી હતી. તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓ, ટેક્નિકલ નિષ્ણાતો અને રાજ્યના ઉચ્ચ નેતૃત્વ સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ યોજી હતી. તેમના આ પ્રયાસોના પરિણામે રાજ્ય સરકારે આ મહાયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ મહાયોજના અંતર્ગત નર્મદાનું પાણી છેવાડાના ગામડાંઓ સુધી પહોંચાડવાનું આયોજન છે. અંદાજે 1,747 કિલોમીટર લાંબી પાઈપલાઈન દ્વારા ગામડાંઓ સુધી પાણી પહોંચાડવામાં આવશે. પાણીના વહન માટે નહેર પર 10 જેટલા આધુનિક પંપિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ યોજના દ્વારા 196.55 MCM નર્મદા જળનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાથી વિસ્તારના 912 તળાવો, 3 મોટા ડેમ અને 1,232 ચેકડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ યોજના કાર્યરત થવાથી પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. પરિણામે, ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને કૃષિ ઉપજમાં નોંધપાત્ર વધારો થશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:10 pm

ગોધરામાં કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ:16 ટીમો વચ્ચેની સ્પર્ધામાં યાદગાર-11 ટીમે ટ્રોફી જીતી

ગોધરા શહેરના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં 'કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દ્વારા ભાઈચારો વધારવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં યાદગાર-11 ટીમે ફાઇનલ મેચ જીતીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી છે. ટી.વી. સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. અનેક રસાકસી ભરી મેચો બાદ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યાદગાર-11 અને માસૂમ-11 વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં યાદગાર-11 ટીમે મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. તેના જવાબમાં માસૂમ-11 ની ટીમ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. અંતે, યાદગાર-11 ટીમે 54 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટની ટ્રોફી જીતી લીધી. આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહેતા, શહેરમાં શાંતિ અને કોમી એકતાનો સંદેશ ફેલાવવામાં સફળ રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે રમતપ્રેમીઓએ બંને ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 4:08 pm