અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ (SCADL) મારફતે કોમ્પ્રેહેન્સીવ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ 2.0 (CCRS 2.0) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. AMC દ્વારા નાગરિકોની ઓનલાઈન અલગ અલગ માધ્યમોથી ફરિયાદ લેવામાં આવે છે જેમાં વોટ્સએપ, ટ્વીટર, SMS અને ફોનના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાય છે. અત્યાધુનિક ટેકનોલોજી સાથે નાગરિકોની ઓનલાઈન ફરિયાદના તમામ માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. AI અને એનાલિટિક્સ દ્વારા સમસ્યાઓનો ઝડપી ઉકેલ, રિયલ-ટાઈમ કામગીરીની પારદર્શિતા, મલ્ટી-ચેનલ ફરિયાદોનું રજિસ્ટ્રેશન, નાગરિકોની સેવા ઝડપી નિરાકરણ મળે તેના માટે કરવામાં આવશે. AI કોલ રિસિવ કરી સમગ્ર મામલે કન્વર્ઝેશન બાદ ફરિયાદ નોંધશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની અંદર તમામ સિટીઝનો જે 155303 ઓનલાઈન કોર્પોરેશનનો જે નંબર છે તેના પર ફરિયાદ કરતા હોય છે અને તેમની ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ આવતું હોય છે. પરંતુ ઘણીવાર સિટીઝન દ્વારા ફરિયાદ કામ થયા વગર જ બંધ થઈ ગઈ એવી ફરિયાદ આવતા તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવતું હતું. જોકે, હવે 155303 નંબર પર ઓનલાઈન ફરિયાદ કરતા AI દ્વારા તેને રિસિવ કરવામાં આવશે અને સમગ્ર મામલે કન્વર્ઝેશન કરી તેની ફરિયાદ નોંધવામાં આવશે. નાગરિકોની જે પણ ફરિયાદ હોય જેમ કે, વોટર, ડ્રેનેજ કે પછી લાઈટ રિલેટેડ અથવા અધર કોઈ ફરિયાદ હોય તેનો પહેલાનો ફોટો અને પછીનો ફોટો AI વર્ઝન દ્વારા અપડેટ કરવામાં આવશે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની સૌપ્રથમ AI બેસ કમ્પ્લેન આધારીત ટેકનોલોજીનો ઉપયોગ કરી નગરજનોના પ્રશ્નોનું નિરાકણ લાવનાર મહાનગરપાલિકા બનશે. વોટ્સએપ, SMS, ઈમેલ સહિતના માધ્યમો ફરિયાદ નોંધણીએડવાન્સ IVR સિસ્ટમનો ઉપયોગ (25 ચેનલ કે જેનું રેકોર્ડિગ અને 50 ચેનલ સુધી વિસ્તરણની ક્ષમતા), વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા ઈન્ટીગ્રેશન, SMS, ઈમેલ, વોર્ડ ઓફિસ વોક-ઈન સહિતના માધ્યમો ફરિયાદ નોંધણી માટે ઉપલબ્ધ રહેશે. આ તમામ માધ્યમોથી મળતી માહિતી એનાલિસ્ટિક ડેશબોર્ડ, GIS Maps, AI ચેટબોટ અને મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (MIS) સિસ્ટમમાં પહોંચશે. આ સાધનો દ્વારા ફરિયાદ નિવારણ, ઓટોમેટેડ એસ્કેલેશન, SLA ટ્રેકિંગ અને નાગરિક પ્રતિસાદ વ્યવસ્થા શક્ય બનશે. આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્ષ સુધી ઓપરેશન્સ એન્ડ મેઈન્ટેનન્સ, 24x7 કોલ સેન્ટર સેવા, ટેકનિકલ સ્ટાફ અને સતત તાલીમ પણ આપવામાં આવશે. CCRS 2.0 ડિજિટલ પાયા પર આધારીત એક નવી સિસ્ટમશહેરમાં પહેલાથી જ ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS), સિટી સર્વેલન્સ સિસ્ટમ, ઈ-ચલણ સિસ્ટમ, સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ પબ્લિક ટોઈલેટ્સ, ઈન્ટીગ્રેટેડ સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર જેવી અનેક મહત્વપૂર્ણ સ્માર્ટ સિટી પહેલ અમલમાં છે. CCRS 2.0 આ ડિજિટલ પાયા પર આધારીત એક નવી પેઢીની સિસ્ટમ છે જે AMCની વિવિધ સ્માર્ટ એપ્લિકેશન્સ અને ઓપરેશનલ ડેશબોર્ડ સાથે સંકલિત થઈને વધુ સારી રીતે કામગીરી કરશે. ફરિયાદોને વિશિષ્ટ પ્રતીકો અને રંગોનો ઉપયોગથી GIS નકશા પર પ્લોટ કરાશેપ્રોજેક્ટ અંતર્ગત એનાલિટિક્સ ડેશબોર્ડ રીઅલ-ટાઇમ ફરિયાદ ટ્રેકિંગ, ઝોન/વોર્ડ/સમાજ-મુજબ વિશ્લેષણ, ગરમીના નકશા, પેટર્ન ઓળખ અને આગાહી દ્વારા સુરક્ષિત અને સંપૂર્ણપણે ડેટા-આધારિત શાસન માળખું પૂરું પાડે છે. ફરિયાદોને શ્રેણી-વિશિષ્ટ પ્રતીકો અને રંગોનો ઉપયોગ કરીને GIS નકશા પર પ્લોટ કરવામાં આવશે, જેમાં સહસંબંધ વિશ્લેષણ માટે માળખાગત સ્તરો (પાણીની પાઇપલાઇન્સ, ડ્રેનેજ નેટવર્ક્સ, રસ્તાઓ) ઓવરલે કરવામાં આવશે. ડેશબોર્ડ પુનરાવર્તિત અથવા લાંબા સમયથી પડતર સમસ્યાઓ માટે વીકલી રિપોર્ટ્સ, મેનેજમેન્ટ રિપોર્ટ્સ અને ઓટોમેટેડ એલર્ટ જનરેટ કરશે. સ્ટ્રોન્ગ બેકેન્ડ એનાલિટિક્સ અને AI/ML કેપેબિલિટીસ સાથે ડેશબોર્ડ અને GIS ઇન્ટેલિજન્સ સાથે મળીને કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકમૈત્રી શહેરી સેવાઓ માટે એકીકૃત શાસન વ્યવસ્થાનો મજબૂત આધાર ઉભો કરે છે. CCRS 2.0ના મુખ્ય ઘટકો કમ્પલેઈન્ટ રિડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમફરિયાદના નોંધણીથી લઈને તેના નિરાકરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું સંચાલન ઓટોમેટેડ રૂટિંગ, SLA ટ્રેકિંગ, એસ્કેલેશન મિકેનિઝમ અને નાગરિક પ્રતિસાદની સુવિધા સાથે. મોબાઈલ એપ અને વેબ પોર્ટલAndroid, iOS તેમજ તમામ વેબ બ્રાઉઝર પર ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, ફોટો/વીડિયો અપલોડ અને રિયલ-ટાઈમ સ્ટેટસ અપડેટ જેવી સુવિધાઓ દ્વારા નાગરિકોને સરળ અને સુગમ સેવા અનુભવ મળશે. IVR સિસ્ટમ25-ચેનલ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ કોલ રેકોર્ડિંગ, વોઇસ રિકગ્નિશન, બહુભાષી સપોર્ટ અને સ્માર્ટ કોલ રૂટિંગ જેવી સુવિધાઓ સાથે કાર્ય કરશે, જે AMC હેલ્પલાઇન 155303 સાથે સંકલિત રહેશે. વોટ્સએપ ચેટબોટદરરોજ અંદાજે 6,000 થી 8,000 પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ આ ચેટબોટ CCRS FAQs, ઇ-ગવર્નન્સ સેવાઓ (પ્રોપર્ટી ટેક્સ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, ફાયર NOC, પાણી ચાર્જિસ વગેરે) તેમજ નાગરિક ફરિયાદ નોંધણી સાથે સંકલિત રહેશે. AI આધારિત ચેટબોટNLU આધારિત, વોઇસ સક્ષમ અને 24x7 કાર્યરત ચેટબોટ AMC દ્વારા માન્ય સ્ત્રોતોમાંથી માહિતી મેળવી બુદ્ધિશાળી જવાબ આપશે, જેથી દિવસ કે રાત કોઈપણ સમયે કોલ સેન્ટર પર નિર્ભર રહ્યા વગર નાગરિકોને સહાય પ્રાપ્ત થશે. વોઈસ રેકગ્નિશનAI આધારિત ચેટબોટ વોઇસ ઇનપુટને સપોર્ટ કરશે, જેથી નાગરિકો લખાણ ઉપરાંત બોલીને પણ (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં) સિસ્ટમ સાથે સંવાદ કરી શકશે, જેના કારણે તમામ વર્ગના નાગરિકો માટે સિસ્ટમ વધુ સુલભ બનશે. એનાલિટિક્સ ડેશબોર્ડરિયલ-ટાઈમ ડેશબોર્ડ, ડ્રિલ-ડાઉન ક્ષમતાઓ, MIS રિપોર્ટ, વોર્ડ/ઝોન/સોસાયટી આધારિત વિશ્લેષણ તેમજ ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. GIS/મેપ પ્લોટીંગફરિયાદોને GIS નકશા પર દર્શાવી હીટ મેપ, સ્થાનીક પેટર્ન ઓળખ, પખવાડિયા મુજબ પ્રેડિક્ટિવ ફોરકાસ્ટિંગ તેમજ ઋતુ આધારિત ટ્રેન્ડ વિશ્લેષણ શક્ય બનશે. પ્રિડિક્ટીવ ફોરકાસ્ટિંગAI/ML ટેક્નોલોજી દ્વારા ઝોન અને વોર્ડ આધારિત ઐતિહાસિક ફરિયાદ ડેટાના આધારે પખવાડિયે સમસ્યાઓનું પૂર્વ અનુમાન તૈયાર કરવામાં આવશે અને તેને GIS નકશા પર દર્શાવવામાં આવશે. ઋતુ આધારિત ટ્રેન્ડ વિશ્લેષણ દ્વારા વારંવાર આવતી સમસ્યાઓનું આગોતરું અનુમાન શક્ય બનશે. જેમ કે અગાઉના ચોમાસાના ડેટાના આધારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ડ્રેનેજ સંબંધિત ફરિયાદોની સંભાવના. CCRS 2.0 AI આધારિત નાગરિક ફરિયાદ નિવારણ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ AI આધારિત વોઇસ ફરિયાદ નોંધણી સુવિધાનાગરિકો હવે Conversational AI Voice Agent દ્વારા સીધા વોઇસ કોલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે, જેના કારણે કોલ વેઇટિંગ સમય ઘટશે અને ઝડપી નોંધણી શક્ય બનશે. ફરિયાદ નિરાકરણના ફોટો/વિડિયોની સ્માર્ટ ચકાસણીમેદાનમાં કાર્યરત અધિકારીઓ દ્વારા અપલોડ કરાયેલા ફોટો અથવા વિડિયોનું AI દ્વારા સ્વચાલિત ચકાસણી કરવામાં આવશે. જેથી ખાતરી થાય કે ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ થયો છે. ફરિયાદ માટે યોગ્ય વિભાગની સ્વચાલિત ઓળખફરિયાદના વર્ણનના આધારે સિસ્ટમ આપમેળે સંબંધિત વિભાગ અને ફરિયાદનો પ્રકાર ઓળખીને યોગ્ય વિભાગને ફરિયાદ ફોરવર્ડ કરશે. ડુપ્લિકેટ ફરિયાદ શોધવાની વ્યવસ્થાએક જ મુદ્દા પર પહેલાથી નોંધાયેલી ફરિયાદ હોય તો સિસ્ટમ નાગરિકને તેની માહિતી અને રેફરન્સ નંબર આપશે જેથી ડુપ્લિકેટ ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવશે. સમાન પ્રકારની ફરિયાદોને એકસાથે બંડલ કરવાની સુવિધાએક જ વિસ્તાર અથવા સમાન પ્રકારની અનેક ફરિયાદોને સિસ્ટમ દ્વારા એકસાથે ગ્રુપ કરીને ફિલ્ડ ટીમ દ્વારા ઝડપી અને સંકલિત કામગીરી શક્ય બનશે. વોઇસ આધારિત IVRS સિસ્ટમહવે નાગરિકો IVRSમાં નંબર દબાવવાના બદલે પોતાની અવાજ દ્વારા સેવા પસંદ કરી શકે છે અથવા ફરિયાદ નોંધાવી શકે છે. OCR આધારિત માહિતી કૅપ્ચર સિસ્ટમઅપલોડ કરાયેલા દસ્તાવેજો અથવા ફોટોમાંથી જરૂરી માહિતી OCR ટેકનોલોજી દ્વારા આપમેળે મેળવી સિસ્ટમમાં નોંધાશે. સ્માર્ટ સિટી સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેશનCCRS 2.0ને સ્માર્ટ સિટી કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે, જેથી સિસ્ટમ એલર્ટ મળતાં જ આપમેળે ફરિયાદ નોંધાઈ શકે અને પ્રોએક્ટિવ કામગીરી થઈ શકે. સંવેદનશીલ વિસ્તારો માટે પ્રાથમિકતા આધારિત કાર્યવાહીસંવેદનશીલ વિસ્તારો, વધુ ભીડવાળા સ્થળો અથવા મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન નોંધાયેલી ફરિયાદોને ઝડપી નિરાકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. AI આધારિત નાગરિક પ્રતિસાદ વિશ્લેષણનાગરિકોના વોઇસ ફીડબેકનું સેન્ટીમેન્ટ એનાલિસિસ દ્વારા વિશ્લેષણ કરીને સંતોષનો સ્કોર આપમેળે નક્કી કરવામાં આવશે. નાગરિક દ્વારા અપલોડ કરેલા ફોટોમાંથી બહુવિધ સમસ્યાઓની ઓળખનાગરિક દ્વારા અપલોડ કરાયેલા ફોટોનું AI દ્વારા વિશ્લેષણ કરીને જો એકથી વધુ નાગરિક સમસ્યાઓ જોવા મળે તો સંબંધિત તમામ વિભાગોને ફરિયાદ મોકલવામાં આવશે. ફરિયાદ ફરીથી ખોલવા માટે નિયંત્રિત વ્યવસ્થાફરિયાદ ફરીથી ખોલવાની પ્રક્રિયા AI દ્વારા અપલોડ કરાયેલા ફોટોના આધારે ચકાસણી કરીને કરવામાં આવશે. જેથી માત્ર વાસ્તવિક બાકી રહેલી સમસ્યાઓ માટે જ ફરિયાદ ફરીથી ખોલી શકાય. અમદાવાદના નાગરિકોને થતા લાભ
'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...', વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
PM Modi On President Murmu West Bengal Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શનિવારે(7 માર્ચ, 2026) આદિવાસી સમુદાય માટેના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TMC સરકારની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ઉલ્લેખ કરતા PMએ કહ્યું કે, 'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...'
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવાસન ક્ષેત્રે એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલા 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' (પેકેજ-01) નું લોકાર્પણ આવતી કાલે રવિવારે, 8 માર્ચ 2026 ના રોજ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદહસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીના બદલે હવે સી.આર. પાટીલ કરશે ઉદ્ઘાટનઅગાઉ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવનાર હતું, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતા હવે આ જવાબદારી નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને સોંપવામાં આવી છે. રવિવારે સાંજે 4:30 કલાકે ડુમસ દરિયા ગણેશ મંદિર પાસે આ જાહેર સમારંભ યોજાશે. 920 કરોડના વિકાસકાર્યોનો ધમધમાટઆ કાર્યક્રમમાં માત્ર ડુમસ સી-ફેસ જ નહીં, પરંતુ સમગ્ર સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે જેમાં અંદાજિત 673.12 કરોડના ખર્ચે સાકારિત વિવિધ ઝોન વિસ્તારના પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. અને અંદાજિત 247.80 કરોડના ખર્ચે આગામી સમયમાં તૈયાર થનારા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. ડુમસ સી-ફેસની ખાસિયતોડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પર્યટન સ્થળ બનાવવાના હેતુથી આ સી-ફેસ તૈયાર કરાયો છે. જેમાં વોક-વે, બેઠક વ્યવસ્થા, સુંદર લેન્ડસ્કેપિંગ અને પ્રવાસીઓ માટેની આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી સુરતના પ્રવાસનને મોટો વેગ મળશે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.
સુરત શહેર હંમેશા નવીન પ્રયોગો અને નાગરિક ભાગીદારી માટે જાણીતું રહ્યું છે. 'સ્વચ્છ સર્વેક્ષણ'માં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વચ્છતાના અભિયાનને ડિજિટલ ક્રાંતિ સાથે જોડવાનું મક્કમ ડગલું માંડ્યું છે. સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના સાયન્સ સેન્ટર ખાતે “Swachhata workshop for creators – Swachhata prahari Meet – creators of a Swachh Gujarat” શીર્ષક હેઠળ એક ઐતિહાસિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યાઆજના સમયમાં સોશિયલ મીડિયા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી હથિયાર છે. આ જ વિચારધારાને અમલમાં મૂકતા સુરત મહાનગરપાલિકાએ શહેરના 250 થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યા હતા. આ 'સ્વચ્છતા પ્રહરીઓ' પોતાની સર્જનાત્મક રીલ્સ અને પોસ્ટ્સ દ્વારા લાખો ફોલોઅર્સ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડશે. અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યોઆ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, અને સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન (IAS) અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડે. મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાગર અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. 'કચરામાંથી કંચન' બનાવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ દર્શનવર્કશોપની શરૂઆત માત્ર ભાષણોથી નહીં, પરંતુ 'ફિલ્ડ વિઝિટ' થી કરવામાં આવી હતી. સવારે 10:00 થી 12:30 દરમિયાન ક્રિએટર્સને સુરત પાલિકાના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટ્સની મુલાકાત લેવડાવવામાં આવી હતી. બાંધકામના કાટમાળનો કેવી રીતે પુનઃઉપયોગ થાય છે તેની સમજ આપવામાં આવી સાથે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટેની ટેકનિકલ પ્રક્રિયા બતાવાઈ હતી ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગો માટે વાપરવાની ક્ષમતા નિહાળી ક્રિએટર્સ આશ્ચર્યચકિત થયા હતા. ભીના કચરામાંથી ગ્રીન એનર્જી બનાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. તેમજ 'રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ, રીફ્યુઝ અને રીકવર' ના સિદ્ધાંત પર ચાલતા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકેઆ મુલાકાત દરમિયાન ક્રિએટર્સ દ્વારા સ્થળ પર જ લાઈવ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી, જેથી લોકો જાણી શકે કે તેમનો કચરો ક્યાં જાય છે અને કેવી રીતે પ્રોસેસ થાય છે. બપોરે 1:30 વાગ્યે ટેકનિકલ સત્રની શરૂઆત થઈ. જેમાં નિષ્ણાતો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અને વપરાયેલા પાણીના સંચાલન પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા. ક્રિએટર્સને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તેઓ 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકે છે. કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકોગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમણે ડિજિટલ ક્રિએટર્સ માટે એક વિશેષ સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજના યુગમાં કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકો છે. તમારી સર્જનાત્મકતા અને ડિજિટલ એન્ગેજમેન્ટ સ્વચ્છતાના અભિયાનને જન આંદોલન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ 'સ્વચ્છતા રીલ્સ કોમ્પિટિશન' નું લોન્ચિંગ હતું. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી કે જે ક્રિએટર્સ સ્વચ્છતા વિષય પર સૌથી પ્રભાવશાળી અને સર્જનાત્મક રીલ્સ બનાવશે, તેમને પાલિકા દ્વારા રોકડ પુરસ્કાર અથવા સન્માન પત્ર આપી ફેલિસીટેટ કરવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ યુવાનોને સ્વચ્છતા સાથે જોડવાનો છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. મુલતાની નગરમાં થયેલા આ હુમલામાં ત્રણ બાળકો અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મુલતાની નગરના રહેણાંક વિસ્તારમાં રસ્તા પર રમતા બાળકો પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો. આ હુમલામાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. શ્વાને નજીકમાં હાજર 60 વર્ષીય સાબીનાબેન ખાનજી મુલતાનીને પણ કરડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ તરત જ દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને બચાવી પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. વેરાવળ-સોમનાથ જોડિયા નગર વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યા ગંભીર બની રહી છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અંદાજે 8000 જેટલા રખડતા કૂતરાઓ હોવાનો અંદાજ છે. નાગરિકોનો આક્ષેપ છે કે, પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાના નિવારણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સાંજ પછી રસ્તાઓ પર કૂતરાઓના ટોળા જોવા મળતા હોવાથી ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. નિર્દોષ બાળકો પર થયેલા આ હુમલા બાદ લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ વધુ તીવ્ર બન્યો છે. નાગરિકોએ તાત્કાલિક કડક કાર્યવાહી કરીને રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ પ્રા.લી. માં ગત ગુરુવારે ઈટીપી પ્લાન્ટની ઝેરી કલર-કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. આ મામલે પાંડેસરા પોલીસે ગંભીર નોંધ લેતા કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ઘોર બેદરકારી બદલ તેની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આર્થિક લાભ ખાટવા માટે મજુરોને મોતના મુખમાં ધકેલનાર કોન્ટ્રાક્ટરે સેફ્ટીના કોઈ પણ સાધનો પૂરા પાડ્યા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેફ્ટી સાધનો વગર ટાંકીમાં ઉતારતા કાળ આંબી ગયોપાંડેસરા GIDC પ્લોટ નં. 276માં આવેલી પારસ મિલમાં ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવાનું કામ કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાને સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે વધુ નફો કમાવવાની લાલચે સસ્તા દરે મજૂરો રાખી, તેમને ઝેરી કેમિકલવાળી ટાંકીમાં ઉતાર્યા હતા. ટાંકીમાં કલર અને કેમિકલ યુક્ત વેસ્ટેજ પાણી હોવાને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. ગૂંગળામણને કારણે એક પછી એક ચાર શ્રમિકો બેભાન થઈ ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ચારેય જિંદગીઓ હોમાઈ ગઈ હતી. સારવાર દરમિયાન તમામ 4 શ્રમિકોના કરુણ મોતઘટનાના દિવસે જ સોનુકુમાર કમલેશ પાસવાનને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. શુક્રવારે સારવાર દરમિયાન દિપ્પુકુમાર ઉર્ફે અંકિત પાસવાન અને સંદીપકુમાર પાસવાનના નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર હાલતમાં રહેલા મલેન્દર પાસવાનનું પણ સારવાર દરમિયાન બાબા મેમોરિયલ હોસ્પિટલમાં મોત થતાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. પોલીસે તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક લાભ માટે મજૂરોના જીવ સાથે ખિલવાડપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સારી રીતે જાણતો હતો કે કેમિકલ ભરેલી ભૂગર્ભ ટાંકીમાં ઝેરી ગેસ હોઈ શકે છે અને તેમાં ઉતરવાથી શ્રમિકનું મોત થઈ શકે છે. તેમ છતાં, તેણે મજૂરોને કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપકરણો જેવા કે માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી બેલ્ટ આપ્યા નહોતા. માત્ર આર્થિક લાભ મેળવવાના આશયથી રાત્રિના સમયે મજૂરોને જોખમી કામમાં જોતરી દઈને ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરીસમગ્ર મામલે પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા (રહે. ડિંડોલી) તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-105 (સાપરાધ મનુષ્યવધ) અને ૧૨૫(બી) (બેદરકારીથી અન્યના જીવને જોખમમાં મૂકવો) મુજબ ગુનો નોંધ્યો છે. ઉદ્યોગોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને વારંવાર થતી બેદરકારી સામે આ કડક કાર્યવાહીથી અન્ય બેદરકાર સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી અન્ય કોની સંડોવણી છે તેની તપાસ કરી રહી છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તા પાસે આવેલી ફૂડઇન હોટલ નજીક થયેલી ઇંત્તીજાર ઉર્ફે સલમાનની હત્યા કેસમાં મુખ્ય આરોપી મહમદ સઈદ ઉર્ફે ઇફ્તીખાર શેખની વચગાળાની જામીન અરજી વડોદરા (વાપી)ની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પુષ્પાબેન સૈનીએ નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી કુહાડીના પાંચ ફટકા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. સરકારી વકીલ (AGP) રાકેશ ચંપાનેરીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આરોપી મહમદ સઈદ ઉર્ફે ઇફ્તીખારે જૂની અદાવત રાખી સલમાનને પતાવી દેવાનું આયોજન કર્યું હતું. કેસરગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સામસામેની ક્રોસ ફરિયાદ આ અદાવતનું મૂળ કારણ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ ચિખલીથી નીકળતા પહેલા સહ-આરોપી મહમદ અનવર ઉર્ફે મુન્ની સાથે ફોન પર વાત કરી સલમાનના લોકેશનની ખાતરી કરી હતી. મુન્નીએ રેકી કરીને જાણ કરી હતી કે સલમાન રોજ સાંજે ફૂડઇન હોટલ પાસે ચા પીવા આવે છે. ઘટનાના દિવસે સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ સલમાન 'બોસ્ટન ટી પાર્ટી' નામની દુકાન પાસે ઊભો હતો. તે સમયે આરોપી સઈદ કુહાડી લઈને ત્યાં પહોંચ્યો હતો અને સલમાનના માથામાં પહેલો ફટકો માર્યો હતો, જેના કારણે તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ આરોપીએ નિર્દયતાપૂર્વક માથામાં અને પગમાં કુલ પાંચ ફટકા મારી સલમાનની હત્યા કરી હતી. સરકારી વકીલ (AGP) રાકેશ ચંપાનેરીયાએ જામીનનો સખત વિરોધ કરતા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે અને હત્યામાં વપરાયેલી કુહાડી કબજે લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરોપીએ ગુના વખતે પહેરેલા કપડાં અને મોબાઈલ ફોન રિકવર કરવામાં સહકાર આપ્યો નથી. આ પૂર્વ આયોજિત કાવતરું હોવાથી અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી આરોપી મહમદ સઈદની 30 દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.
ગુજરાતમાં 10 મી માર્ચે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જવાનો છે ત્યારે 16 માર્ચથી રાજકોટ જિલ્લાની 760 સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બપોરની પાળીના બદલે સવારની પાળીનો કરવા માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજકોટ એકમ દ્વારા રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ સંજય હુંબલે જણાવ્યુ હતુ કે, હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી તા. 10 માર્ચ 2026થી બપોરના સમયે તાપમાન અંદાજે 40 સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્ય, સુરક્ષા તથા શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખવું અત્યંત આવશ્યક બની રહે છે. વધુ તાપમાનના કારણે બપોરના સમયમાં શાળાઓ ચાલુ રાખવાથી બાળકોને ગરમીજન્ય તકલીફો, થાક, ડિહાઇડ્રેશન તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે. જેની સામે સવારની શાળા રાખવાથી બાળકો મધ્યાહન સૂર્ય તપે એ પહેલા પોતાના ઘરે પરત ફરી શકે અને સવારે ગરમી ઓછી હોય અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે. જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.16 માર્ચ 2026 ના સોમવારથી સમગ્ર રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળીમાં નક્કી કરવા અંગે યોગ્ય અને તાત્કાલિક વહીવટી નિર્ણય લેવામાં આવે. જેથી વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતનું સંરક્ષણ થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. જોકે હવે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળીનો ક્યારથી કરવામાં આવે છે તે જોવું રહ્યુ.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના બજેટ પર પડી છે. એપ્રિલ 2025 પછી પહેલીવાર ઘરેલું રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો છે. લશ્કરી તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ મારફતે LNG સપ્લાયમાં અવરોધને કારણે વૈશ્વિક બજારમાં અસર જોવા મળી છે. તેના પગલે આજથી સમગ્ર ભારતમાં 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે, દમણમાં ઘરેલું ગેસનો નવો ભાવ 862.50 રૂપિયાથી વધીને 922.50 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કોમર્શિયલ ગેસનો ભાવ 1737 રૂપિયાથી વધીને 1852 રૂપિયા થયો છે. ભારતનો મોટો LNG સપ્લાય કતાર અને UAE થી હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. વૈશ્વિક સપ્લાયમાં 20 ટકાની અસર પડતા સંભવિત અછતને પહોંચી વળવા માટે આ પગલું લેવાયું છે. દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે, ભારત સરકારે તમામ પબ્લિક અને પ્રાઇવેટ ઓઇલ રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન તાત્કાલિક ધોરણે વધારવાનો નિર્દેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પણ દેશમાં રાંધણ ગેસની સપ્લાય ચેઈન ખોરવાય નહીં અને સામાન્ય નાગરિકોને ગેસની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો આ પ્રયાસ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થતા પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો. હાય મોઘવારી હાય હાય ના નારા સાથે મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. તેમજ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. હાય મોંઘવારી હાય હાય, ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પરત લો જેવા નારા લગાવી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ ગેસ સિલિન્ડરના બાટલાને હાર પહેરાવી પ્રતિકાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ઘરેલુ બજેટ પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગૃહિણીઓ માટે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારીગેસ સિલિન્ડર રસોડાનું અગત્યનું સાધન છે અને તેના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવાર પર આર્થિક બોજો વધે છે. સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવાના બદલે વારંવાર ભાવ વધારો કરી સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર મૂક્યો હોવાનો આરોપ પણ મહિલા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો તાત્કાલિક પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકાર જો આ નિર્ણય પરત નહીં ખેંચે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સેવા, સુરક્ષા અને શાંતિએ પોલીસનો મુદ્રાલેખ છે. સુરત પોલીસે અનેકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતા પણ મુસીબતના સમયે સામાન્ય નાગરિકો માટે 'દેવદૂત' પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે, જ્યાં એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય બગડતું અટકાવવા માટે ખાખી વર્દીધારી જવાને પૂરઝડપે બાઈક દોડાવી તેને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. ભૂલથી બીજા કેન્દ્ર પર પહોંચી અને રડવા લાગીધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો વળાંક હોય છે. મહિનાઓની મહેનત બાદ જ્યારે પરીક્ષાનો દિવસ આવે ત્યારે ટેન્શન હોવું સ્વાભાવિક છે. આવી જ સ્થિતિમાં એક વિદ્યાર્થીની ઉતાવળમાં કે મૂંઝવણમાં પોતાના નિયત પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિનીનું સાચું પરીક્ષા કેન્દ્ર ઉમરા વિસ્તારની એલ.પી. સવાણી સ્કૂલ હતું પરંતુ, નામ એક હોવાને કારણે તે ભૂલથી અબ્રામા સ્થિત એલ.પી. સવાણી સ્કૂલ પર પહોંચી ગઈ હતી. જ્યારે તેને ખબર પડી કે તે ખોટા કેન્દ્ર પર છે અને પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે, ત્યારે તે ભાંગી પડી અને રડવા લાગી. તેનું આખું વર્ષ બગડવાની બીક તેના ચહેરા પર દેખાતી હતી. કોન્સ્ટેબલ જયંતીભાઈની નજર આ રડતી વિદ્યાર્થિની પર પડીઅબ્રામા સ્કૂલ ખાતે બંદોબસ્તમાં તૈનાત ઉતરાણ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયંતીભાઈની નજર આ રડતી વિદ્યાર્થિની પર પડી. તેમણે તરત જ તેની પાસે જઈને પૂછપરછ કરી. જ્યારે તેમને ખબર પડી કે દીકરીનું કેન્દ્ર 20 કિલોમીટર દૂર ઉમરામાં છે અને સમય ખૂબ જ ઓછો છે, ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મદદનો નિર્ણય લીધો. કોન્સ્ટેબલે તરત જ પોતાની બાઈક કાઢી અને વિદ્યાર્થીનીને પાછળ બેસાડી. તેમને ખબર હતી કે સામાન્ય રીતે આ અંતર કાપતા 40 થી 50 મિનિટ લાગે છે, પરંતુ તેમની પાસે સમયસર પહોંચવા માટે થોડો જ સમય હતો. 20 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ એલ.પી. સવાણી સ્કૂલ પહોંચ્યાઅબ્રામાથી ઉમરા સુધીના રસ્તામાં અનેક ટ્રાફિક સિગ્નલો અને વ્યસ્ત સર્કલો આવે છે. જોકે, એક દીકરીનું વર્ષ ન બગડે તે માટે જયંતીભાઈએ રસ્તામાં આવતા તમામ સિગ્નલો પર સતર્કતા દાખવી અને પૂરઝડપે બાઈક હંકારી. રસ્તામાં આવતા અન્ય પોલીસ કર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પણ સ્થિતિ સમજીને સહકાર આપ્યો. પોલીસ જવાનના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું – 'વિદ્યાર્થિની સમયસર પરીક્ષાના બાંકડા પર બેસી જવી જોઈએ.' 20 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ તેઓ ઉમરા સ્થિત એલ.પી. સવાણી સ્કૂલ પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવીજ્યારે વિદ્યાર્થીની બરાબર પરીક્ષા શરૂ થવાના સમયે પોતાના સાચા કેન્દ્ર પર પહોંચી, ત્યારે તેના અને તેના પરિવારના જીવમાં જીવ આવ્યો અને તેના ચહેરા પર હાશકારો હતો. પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની અને તેના વાલીઓએ સુરત પોલીસ અને ખાસ કરીને કોન્સ્ટેબલ જયંતીભાઈનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો આજે પોલીસ દેવદૂત બનીને ન આવી હોત, તો આખી રાત જાગીને કરેલી મહેનત એળે ગઈ હોત.
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના હીરા બજાર પર વર્તાઈ રહી છે. દુબઈ સ્થિત હીરાના અગ્રણી વેપારી નીતિનભાઈએ હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 15 દિવસથી મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે દુબઈ અને સુરત વચ્ચેના વેપારિક સંબંધો અને માલની અવરજવરમાં ભારે અવરોધો ઊભા થયા છે. રફ અને પોલિશ્ડ હીરાની ડિલિવરી અટકીનીતિનભાઈના જણાવ્યા મુજબ, યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં લોજિસ્ટિક્સ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. રફ હીરા હોય કે પોલિશ્ડ, માલ સમયસર ફેક્ટરીઓ સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે. વોરના કારણે એક્સપોર્ટ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જેનાથી મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડરોને મોટી આર્થિક અગવડતા પડી રહી છે. ગ્રાહકોને આપેલા સમય મુજબ ડિલિવરી આપવી અત્યારે પડકારજનક બની ગઈ છે. વેપારીઓએ વાયા ઓમાન થઈને સુરત આવવું પડ્યુંમિડલ ઈસ્ટમાં ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાતા હીરા બજારના વેપારીઓને મુસાફરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. નીતિનભાઈએ જણાવ્યું કે, ઘણા વેપારીઓ દુબઈમાં ફસાયા હતા, જેઓ વાયા ઓમાન કે અન્ય રૂટ પકડીને મહામુસીબતે સુરત પહોંચ્યા છે. હાલમાં દુબઈમાં એમિરેટ્સ જેવી ફ્લાઈટ્સ ચાલુ છે, પરંતુ સુરત સાથેની સીધી કનેક્ટિવિટીના અભાવે વેપારીઓનો સમય અને નાણાં બંને વેડફાઈ રહ્યા છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુરત-દુબઈ ફ્લાઈટ સંજીવની સમાનનીતિનભાઈએ સુરતના અર્થતંત્રના બે મુખ્ય સ્તંભો – હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં ભારત સરકારને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જો સુરત અને દુબઈ વચ્ચેની એર ઈન્ડિયાની ફ્લાઈટ જે અગાઉ ચાલતી હતી તે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે, તો વેપારીઓને ટ્રાવેલિંગમાં મોટી રાહત મળી શકે છે. આ ફ્લાઈટ શરૂ થવાથી બંને ઉદ્યોગોને વેગ મળશે અને લોજિસ્ટિક્સની સમસ્યા પણ હળવી થશે. વેપારીઓની ભારત સરકારને વિનંતીદુબઈ, મુંબઈ, સુરત અને બેલ્જિયમની માર્કેટ સાથે સંકળાયેલા નીતિનભાઈએ ભાર મૂક્યો છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જ્યારે અન્ય માર્ગો અઘરા બન્યા છે, ત્યારે સુરત-દુબઈ સીધી ફ્લાઈટ ખૂબ જ અનિવાર્ય છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે વેપારીઓની હાલાકીને ધ્યાને રાખીને ત્વરિત નિર્ણય લેવામાં આવે, જેથી હીરા ઉદ્યોગને થતું નુકસાન અટકાવી શકાય અને માલની હેરફેર સુરક્ષિત અને ઝડપી બને.
દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને લક્ઝરી ક્રેટા કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે બૂટલેગરોની ધરપકડ કરી કુલ 10.89 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બૂટલેગરોએ પોલીસને છેતરવા માટે કારની અસલ નંબર પ્લેટ બદલીને તેની પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ઝડપ્યોગાંધીનગર LCB પીઆઇ દિવાનસિંહ વાળાની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે બાયડ તરફથી એક સફેદ રંગની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો દહેગામ બજાર તરફ જઈ રહ્યો છે. જેના પગલે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર દેખાતા પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો પરંતુ, ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પુરઝડપે દહેગામ બજાર તરફ હંકારી મૂકી હતી. જે બાદ પોલીસે ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરીને સાત ગરનાળા ત્રણ રસ્તા પાસે ગાડીને કોર્ડન કરી લીધી હતી.બાદમાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની 2.86 લાખની કિંમતની કુલ 672 બોટલો મળી આવી હતી. ક્રેટા ગાડી પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડવામાં આવી હતીઆ અંગે પીઆઈ વાળાએ કહ્યું કે પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી દહેગામમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું . ક્રેટા ગાડી પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડવામાં આવી હતી. જ્યારે ગાડીની અંદરથી તેની અસલ નંબર પ્લેટ (HR-26DB-3650) મળી આવી હતી. આ મામલે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભરતભાઈ ચેહરાભાઈ ડામોર અને શૈલેષકુમાર જયંતીભાઈ બારીયાની સ્થળ પરથી ધરપકડ કરી છે. જેમની પ્રાથમિક પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો સાબરકાંઠાના વિશાલ નાથુભાઈ ડામોરના કહેવાથી રાજસ્થાન બોર્ડર પર આવેલા ઉંડવા ખાતેથી ભરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં ઉંડવા બોર્ડરના વહીવટદારની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું છે. હાલમાં દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ 10.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ગેસના પુરવઠામાં મોટાપાયે વિક્ષેપ પડતા વલસાડ જિલ્લાના વાપી, સરીગામ અને ઉમરગામના ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (VIA) ની રજૂઆત બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઉદ્યોગોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ માર્ગો, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધ આવતા ભારતને મળતા ગેસના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે, ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 50 ટકા સુધીનો કાપ ઝીંકવામાં આવ્યો હતો અને નોન-કોન્ટ્રાક્ટ એકમોનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. GPCB ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, હવે ઉદ્યોગો ગેસના બદલે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ (Approved Liquid Fuel) નો ઉપયોગ કરી શકશે. આ માટે ઉદ્યોગોએ અલગથી કોઈ વધારાની પરવાનગી, જેમ કે CTE (Consent to Establish) કે CCA (Consent to Operate) મેળવવાની જરૂર રહેશે નહીં. GPCB એ જણાવ્યું હતું કે, પૂર્વ એશિયામાં ભૌગોલિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે. જો ઉદ્યોગોને વૈકલ્પિક બળતણની મંજૂરી ન અપાય તો ઉત્પાદન પર માઠી અસર થાય અને રાજ્યની આર્થિક ગતિવિધિઓ થંભી જાય તેવી ભીતિ હતી. રાજ્યના ઉદ્યોગોની કાર્યક્ષમતા જાળવી રાખવા બોર્ડે આ હંગામી નિર્દેશો જાહેર કર્યા છે. ઉદ્યોગોએ આ નિર્ણયનો લાભ લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તેમણે કઈ યુટિલિટીમાં, કેટલી ક્ષમતાનું અને કયું પ્રવાહી બળતણ વાપરવું છે તેની વિગતવાર જાણ બોર્ડને કરવાની રહેશે. ઉપરાંત, ગેસના પુરવઠામાં જેટલો ઘટાડો થયો હોય તેટલા જ પ્રમાણમાં પ્રવાહી બળતણ વાપરવાનું રહેશે અને તેનો ચોક્કસ રેકોર્ડ જાળવવો પડશે. માત્ર માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ જ વાપરી શકાશે. નોન-એપ્રુવ્ડ બળતણ વાપરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પરિપત્ર આગામી 3 મહિના સુધી અમલમાં રહેશે. ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરી મુદત વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. વાપી ઉદ્યોગ જગતે આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોના મતે, યુદ્ધની સ્થિતિમાં ગેસની તંગીને કારણે ઉત્પાદન અટકી પડવાની શક્યતા હતી, પરંતુ હવે વૈકલ્પિક બળતણથી મોટી રાહત મળશે અને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખી શકાશે. હાલ ભારત દેશ પાસે પેટ્રોલ અને ડીઝલનો 3 માસ ચાલે તેટલો જથ્થો પૂરતો છે. લોકોને ખોટી અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.
ગાંધીગ્રામની રાજદીપ સોસાયટીમાં રહેતાં અને બાલાજી સેલ્સ એજન્સીના નામે આઇસ્ક્રીમની એજન્સી ચલાવતાં જયેશભાઈ રાજ્યગુરૂ (ઉં.વ.60) ગત તા.07.02.2026ના રોજ બાઈક લઈને માધાપરથી બેંક ઓફ બરોડા જઈ રહ્યાં હતાં ત્યારે જામનગર રોડ પર નંદનવન બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા બાઈક ચાલકે અકસ્માત સર્જતાં વૃઘ્ધને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ચાંદીના વેપારી સાથે રૂ.6.80 લાખની ઠગાઈરાજકોટના પેડક રોડ પર રહેતા અને ઘરે બેઠા ચાંદીનું કામ કરતા મુકેશભાઈ ડાભીએ બી ડિવીઝન પોલીસમાં ભોમેશ્વર પાસે શ્રમજીવી સોસાયટીમાં રહેતા મહેશ ઠુમર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2025માં તેનો કાકાના દીકરા સાથે એક ભાઈ આવ્યો હતો જેની ઓળખાણ મહેશભાઈ તરીકે આપી હતી જેથી પુત્રએ વિઝીંટીંગ કાર્ડ માંગતા પોતે મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે રહેતો અને સોનીબજાર માંડવી ચોકમાં હોલસેલની ચાંદીની દુકાન ધરાવી એજન્ટ તરીકે ચાંદીનો તૈયાર માલ અન્ય રાજ્યોમાં ટૂર કરી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. મારો વ્યવહાર એક હાથે પૈસા દેવાનો અને બીજા હાથે માલ લેવાનો છે. જેથી હું કોઈ વિઝીંટીંગ કાર્ડ રાખતો નથી કહી વિવિધ સાઈઝના પંજાબી હાથમાં પહેરવાના કડા 260 નંગનો ઓર્ડર આપ્યો હતો. જે માલ 10 દિવસમાં તૈયાર થઈ જતા શખ્સ દુકાને આવી માલ લઈ ગયો હતો જેની સામે તે ચાંદીના ચોરસા આપવાની વાત કરી હતી પરંતુ અવારનવાર વાયદાઓ આપી 260 નંગ પંજાબી કડાની કિંમત રૂ.6.80 લાખ કે ચાંદીના ચોરસા ન આપી છેતરપિંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે. પિતાએ થોડા દિવસો પછી નવો મોબાઈલ લઈ આપવાનું કહેતા પુત્રએ ઝેર પીધુંરાજકોટ શહેરના ખોડીયાર પરામાં રહેતો રોહીત સુરેશભાઇ ગોહીલ (ઉ.વ.21) નામનો યુવાન ગઇકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવક રોહીત રિક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેમનો મોબાઇલ બગડી ગયો હતો જેથી તેમણે મોબાઇલ લેવાનુ કહેતા પિતાએ હાલ પરિસ્થિતિ સારી ન હોવાથી થોડા દિવસ રાહ જોવાનુ કહેતા રોહીતને લાગી આવતા તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધ હતી. મોટાવડા પાસે અકસ્માતમાં ઘવાયેલ બીજા વૃદ્ધનું પણ મોતગુરુવારે ખીરસરા અને મોટાવડા વચ્ચેના મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉં.વ.65) અને તેના કુટુંબી ભાઇ શીવાભાઇ નરસીભાઈ પાંભર (ઉ.વ.75) બંને બાઈક લઈને જતા હતા ત્યારે સ્પીડમાં આવતી કારે બાઈક સહિત બંને ભાઈઓને ઠોકરે લીધા હતા જેથી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બનાવના દિવસે જ અરવિંદભાઇ પાંભરે દમ તોડી દીધો હતો. જ્યારે શીવાભાઇ નરસીભાઈ પાંભર સારવારમાં હતા તેમનું પણ સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યું છે. બંને ભાઈઓ ખીરસરાના સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક કાર મુકી ભાગી ગયો હતો. શીવાભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. બે વૃધ્ધ ભાઈઓના મોતથી પાંભર પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા લાવવા અને લોકોની વ્યક્તિગત રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવાના ઉમદા હેતુથી જૂનાગઢ તાલુકાના વડાલ ગામે 'સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર જ પ્રજાના પ્રશ્નો સાંભળીને કુલ 946 જેટલી અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આસપાસના 10 ગામોના લોકો ઉમટી પડ્યાઆ સેવાસેતુ કાર્યક્રમ માત્ર વડાલ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. જેમાં કેરાળા, સુખપુર, ઝાલણસર, માખીયાળા, ચોકી, કાથરોટા, બલિયાવાડ, ચોકલી અને બામણગામ સહિતના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી સેવાઓનો સીધો લાભ મેળવ્યો હતો. લાંબી કચેરીઓના ધક્કા ખાવાને બદલે ઘરઆંગણે જ કામ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આધાર અને રેશનકાર્ડ: 18 વર્ષથી ઓછી વયના બાળકોની આધાર નોંધણી, સુધારા-વધારા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે કમી કરવા અને e-KYC જેવી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય અને કૃષિ: હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ-બીપી ચેકઅપ અને પીએમ કિસાન પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન જેવી સુવિધાઓ અપાઈ હતી. સામાજિક કલ્યાણ: કુંવરબાઈનું મામેરૂ યોજના, દિવ્યાંગ પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ અને ડો. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. બેન્કિંગ સેવાઓ: નવા બેન્ક એકાઉન્ટ ખોલાવવા, જનધન યોજના અને આધાર-મોબાઈલ લિંકિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. આમ, વડાલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમે ગ્રામીણ જનતા અને સરકાર વચ્ચે સેતુ બનીને વહીવટી કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો
Image Source: IANS Petro Diesel Price: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ સંકટથી જજૂમી છે, ત્યારે ભારતમાં સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશના લાખો વાહનચાલકો ચિંતામાં હતા કે શું પેટ્રોલ વધુ મોંઘુ થશે? જોકે, સરકારી સૂત્રોએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હતા. આ ઘટના બાદ એકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. ફાયર ફાયટર ટીમ દ્વારા ડૂબેલા બે યુવકો પૈકી એકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજા યુવકની શોધખોળ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાયટર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે. કેનાલમાં નાહવા પડેલા બન્ને યુવકો ડૂબી ગયા હતા. ગુમ થયેલા યુવકનું નામ જયદીપ દિનેશભાઈ વાઢેર છે, જેમની ઉંમર આશરે 20 વર્ષ છે. તેમની શોધખોળ હાલ ચાલી રહી છે. આ અંગે મૃતક યુવાનના કાકા સલીમ બેલીમે જણાવ્યું હતું કે, આજે શનિવારે બપોરે બેથી ત્રણના ગાળામાં 18થી 20 વર્ષના ચારથી પાંચ યુવાનો છાલીયા તળાવમાં નહાવા ગયા હતા. જેમાંથી બે યુવાનો ડૂબી ગયા હતા. જેમાં મારા ભત્રીજાને બહાર કાઢી હોસ્પિટલ લાવતા એનું મૃત્યુ નીપજતા એને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે, જયારે બીજા યુવાનની હજી શોધખોળ ચાલુ છે.
જૂનાગઢ શહેરમાં નશાનો કાળો કારોબાર પગપેસારો કરે તે પહેલાં જ એ-ડિવિઝન પોલીસે સતર્કતા દાખવી એક યુવકને પ્રતિબંધિત નશાકારક દવાઓના જથ્થા સાથે દબોચી લીધો છે. શહેરમાં કેફી દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓના વેચાણને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં નશાકારક સિરપની 190 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં નશાની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. ગોહીલ અને સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમ પેટ્રોલિંગ અને સર્વેલન્સમાં હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે જૂનાગઢના સુખનાથ ચોક પાસે આવેલી પીશોરીવાડા સિમેન્ટવાળી ગલીમાં રહેતો ઈબ્રાહીમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંઘરા ગામેતી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક કેફી ઓષધિય દ્રવ્યોનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ વ્યૂહરચના ઘડી ઉક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન મકાનની તલાશી લેતા ત્યાંથી 'Triprolide hydrochloride codeine Phosphate Syrup' (REXO-T COUGH SYRUP) ની 100 એમએલની કુલ 190 બોટલો મળી આવી હતી. આ દવાની બજાર કિંમત આશરે રૂ. 39,900 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી રૂ. 5,000 ની કિંમતનો એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ રૂ. 44,900 ના મુદ્દામાલ સાથે 25 વર્ષીય આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંઘરાની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી ધાંધલિયાએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પકડાયેલી કફ સિરપમાં 'કોડીન' નામનું તત્વ હોય છે, જે નશાકારક હોવાથી કાયદા મુજબ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. સામાન્ય રીતે આ સિરપ તબીબી હેતુ માટે અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ મર્યાદિત જથ્થામાં રાખવાની છૂટ હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે ડોક્ટરની ચિઠ્ઠી હોય તો તે સારવારના ભાગરૂપે એકાદ બોટલ લાવી શકે છે, પરંતુ અહીં આરોપી પાસેથી 190 જેટલી બોટલો મળી આવી છે, જે સ્પષ્ટ કરે છે કે તે આ જથ્થો નશાના હેતુથી વેચાણ કરવા માટે લાવ્યો હતો. નશાના આદિ યુવાનો આ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. હવે પોલીસ તપાસ એ દિશામાં કેન્દ્રિત કરવામાં આવી છે કે આરોપી આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો? શું કોઈ મેડિકલ સ્ટોર સંચાલકે કે ફાર્માસિસ્ટ તેને આ જથ્થો પ્રિસ્ક્રિપ્શન વગર પૂરો પાડ્યો છે? આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ પહેલા તેણે કોને કોને આ સિરપનું વેચાણ કર્યું છે? પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે જેથી નશાના આ કારોબારના મૂળ સુધી પહોંચી શકાય. આ ઉપરાંત, આ ઘટના અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે, જેથી જો કોઈ મેડિકલ સ્ટોરના લાયસન્સનો દુરુપયોગ થયો હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરી શકાય. આ સફળ ઓપરેશનમાં એ-ડિવિઝન પી.આઈ. એ.બી. ગોહીલ, પીએસઆઈ વાય.એન. સોલંકી, એએસઆઈ ભદ્રેશભાઈ રવૈયા, નાથાભાઈ રામ, હેડ કોન્સ્ટેબલ મોહસીનભાઈ અબડા, નીલેશભાઈ ચૌહાણ તથા કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ શુક્લ, નીતિનભાઈ હિરાણી, કલ્પેશભાઈ ચાવડા, અનકભાઈ બોઘરા, સુભાષભાઈ કોઠીવાળ, હિતેશભાઈ જિલડીયા, નરેન્દ્રભાઈ બાલસ અને જયેશભાઈ કરમટા સહિતના સ્ટાફે ટીમ વર્કથી શ્રેષ્ઠ કામગીરી કરી છે. જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા બોગસ ડોક્ટરોને ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષકએ તેમની સ્પેશિયલ સ્કવોડ દ્વારા આજે એક સફળ ઓપરેશન પાર પાડીને સોડવદરા ગામેથી એક નકલી ડોક્ટરને ઝડપી લઈ વરતેજ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ગ્રામ્ય ડિવિઝન પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોડને ચોક્કસ બાતમી મળી હતી કે, સોડવદરા ગામના રામજી મંદિર પાસે એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથી ક્લિનિક ચલાવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મેહુલ ધીરુભાઈ પરમાર ઉ.મ.31 રહે.ચિત્રા-સિદસર રોડ નામનો શખ્સ રંગેહાથે ઝડપી લીધો હતો, તેમજ પોલીસે સ્થળ પરથી તપાસ કરતા જુદી-જુદી એલોપેથી દવાઓનો જથ્થો, તબીબી સારવાર માટે વપરાતા મેડિકલ સાધનો સહિત કુલ કિંમત રૂ.55,768 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પકડાયેલ આરોપી પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ અધિકૃત ડિગ્રી ન હોવાથી તેની સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, આ અંગેની આગળની તપાસ માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ
સુરેન્દ્રનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયાની બેઠક યોજાઈ હતી. નવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક પંકજસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારો પાસેથી અભિપ્રાય મેળવવાનો અને તેમની દાવેદારી અંગેની માહિતી એકત્ર કરવાનો હતો. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિજેતા તેમજ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ સહિત પદુભા પરમાર, મહેન્દ્ર પરમાર, મહાવીરસિંહ પરમાર, શિશુપાલસિંહ અને ઝરણાબેન ઝા હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રતાપભાઈ ચૌહાણ, વસ્તડી જિલ્લા પંચાયત સીટના પ્રભારી રાજભા મકવાણા અને વઢવાણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કાળિયા વનરાજભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયો ધ્યાનપૂર્વક સાંભળીને આગળની પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પોરબંદર GIDC સેન્ટરમાં ઉદ્યોગસાહસિકતા તાલીમ:CED દ્વારા 15 દિવસીય કાર્યક્રમનું આયોજન
પોરબંદરના GIDC સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે ઉદ્યોગસાહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની અગ્રણી સંસ્થા ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સંચાલિત GIDC સરકારી તાલીમ કેન્દ્ર, ઉદ્યોગનગર ખાતે આ 15 દિવસીય તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છુક વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમમાં કયો ઉદ્યોગ શરૂ કરવો, તેની સ્થાપના કેવી રીતે કરવી, ઉપલબ્ધ સરકારી સહાય અને સવલતો, તેમજ ઉદ્યોગનું સફળ સંચાલન કેવી રીતે કરવું જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. તાલીમ દરમિયાન, વિવિધ સરકારી યોજનાઓની માહિતી, લોન અરજી પ્રક્રિયા અને ધિરાણ મેળવવા અંગેની સરળ સમજૂતી આપવામાં આવે છે. આ ઉપરાંત, સ્થાનિક ઔદ્યોગિક એકમોની મુલાકાત અને પ્રોજેક્ટ રિપોર્ટની તૈયારી જેવા વ્યવહારુ પાસાઓ પર તજજ્ઞ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ તાલીમનું આયોજન લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા CED પોરબંદરના સિનિયર ટ્રેનિંગ ઓફિસર સિરાજ બગથરીયા અને એક્ઝિક્યુટિવ ઓફિસર જીગ્નેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ સાથે, સ્કીલ ડેવલપમેન્ટ માટેના રોજગારલક્ષી કૌશલ્ય તાલીમી કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે.
મોરબીના ટીંબડી ગામે નજીવી બાબતે મહિલાને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. શ્રી હરિ સોસાયટીમાં રહેતી એક મહિલાને અન્ય મહિલાઓ સહિતના લોકોએ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભોગ બનેલી મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના ગત તા. 3 માર્ચના રોજ સવારે આશરે 9:30 વાગ્યે ટીંબડી ગામની શ્રી હરિ સોસાયટીમાં બની હતી. 35 વર્ષીય મહિલાએ સંતોષ પાંડે, રાણીબેન સંતોષભાઈ પાંડે, નિકીબેન સંતોષ પાંડે અને એન્ઝલબેન સંતોષ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફરિયાદીનો નાનો દીકરો રુદ્ર સોસાયટીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન સામેવાળા પાંડે પરિવારે તેને બાથરૂમમાં પૂરી દીધો હતો. આ બાબતે ફરિયાદી મહિલા પરિવારને ઠપકો આપવા ગયા હતા, જેનો ખાર રાખીને આરોપીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન સંતોષે ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો. તેમના પત્ની રાણીબેને ઢીકાપાટુ મારીને ગાળો આપી હતી. જ્યારે નિકીબેન અને એન્ઝલબેને ફરિયાદીના વાળ પકડીને ઢીકાપાટુ માર્યા હતા, જેના કારણે ફરિયાદીના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને ટાંકા લેવા પડ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ ઈજાગ્રસ્ત ફરિયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના તળાવ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની ગામના લોકોને જાણ થઈ હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ કરી છે.મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની ગામના લોકોને જાણ થઈ હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવનાર તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ડુંગરપુર ગામે થયેલી ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ડુંગરપુર ગામમાં ફેબ્રુઆરી માસ દરમિયાન ચોરીના બનાવો બન્યા હતા, જે સંદર્ભે પોલીસ દ્વારા સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ખાસ કરીને 12 ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાયેલી એક ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાના પુત્રની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ગયા હતા, તે દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. આ બનાવમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, પેન્ડલ સેટ, સોનાની બુટ્ટી, પાટલા, ઝુલા અને બાલી તેમજ ચાંદીના સાંકળા, લકી અને કંગન સહિત કુલ 1,03,000 રૂપિયાની મત્તા ચોરાઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કરંગીયા અને વનરાજસિંહ ભલગરીયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આ ચોરીમાં સ્થાનિક શખ્સો જ સંડોવાયેલા છે. બાતમીના આધારે પોલીસે ડુંગરપુર ગામના રહીશ મહેબૂબ ઉર્ફે મેબલો ઝાકીરશા શાહમદાર અને રોહિત ઉર્ફે કાલી રમેશભાઈ સરવૈયાની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ભાંગી પડીને ચોરીના ગુનાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ ચોરી કરેલા સોનાના ઘરેણાંમાંથી અમુક દાગીના વેચી દીધા હતા અને બાકીના દાગીનાઓ સંતાડીને રાખ્યા હતા. આ ટોળકીની વધુ પૂછપરછમાં અન્ય સહ-આરોપીઓના નામ પણ ખુલ્યા હતા, જેમાં ડુંગરપુરના જ રહીશ ઝેબુનબેન ઝાકીરશા શાહમદાર, ઇમરાન ઉર્ફે ફૈઝાન અમીનભાઈ સીડા, લતીફ કરીમભાઈ બ્લોચ અને જૂનાગઢ દોલતપરા વિસ્તારના કાના નાથાભાઈ બોરખતરીયાની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, પકડાયેલા આ આરોપીઓ પાસેથી પોલીસે 1,03,000 રૂપિયાની કિંમતનો ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે, જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બે બુટ્ટી અને 34.590 ગ્રામ વજનનો સોનાનો ઢાળીયો સમાવિષ્ટ છે. આ કામગીરી દ્વારા પોલીસે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ત્રણ અલગ-અલગ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સફળ કામગીરીમાં તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા સાથે હેડ કોન્સ્ટેબલ દેવેનભાઈ ચાવડા, ભનુભાઈ ઓડેદરા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કરંગીયા, ચિરાગભાઈ વરૂ, ખીમાણંદભાઈ સોલંકી, વિપુલભાઈ બોરીચા, વનરાજસિંહ ભલગરીયા, કરણભાઈ વાળા અને કરશનભાઈ ભારાઈ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. હાલમાં પોલીસે તમામ આરોપીઓને જેલહવાલે કરી તેઓ અન્ય કોઈ ચોરીની ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં અત્યારે ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહામુકાબલાને માણવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આ ભીડને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી અગ્રણી એરલાઇન્સે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ આવતી અને જતી વધારાની ફ્લાઇટ્સનું ખાસ શેડ્યૂલ જાહેર કર્યું છે. 8 અને 9 માર્ચ આ વધારાની ફ્લાઇટ્સ કાર્યરતઅમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, લખનૌ અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરો વચ્ચે વધારાની કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેથી એકપણ ક્રિકેટ ચાહક આ ફાઇનલનો રોમાંચ માણવાથી વંચિત ન રહી જાય. આગામી 8 અને 9 માર્ચના રોજ આ વધારાની ફ્લાઇટ્સ કાર્યરત રહેશે, જેનાથી મુસાફરોની અવરજવર સરળ બનશે. સ્ટેડિયમમાં મેચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ક્રિકેટનો આ જંગ નિહાળવા માટે શહેર સજ્જ છે. T20 વર્લ્ડકપને લઈ વધારાની ફ્લાઈટનું શેડ્યૂલ જાહેરT20 વર્લ્ડ કપ ફાઇનલને ધ્યાનમાં રાખીને, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા માટે એર ઇન્ડિયા (Air India), ઇન્ડિગો (IndiGo), અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) દ્વારા ખાસ વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરવામાં આવી છે. એર ઇન્ડિયા (આ ફ્લાઇટ્સ મુખ્યત્વે 8 માર્ચના રોજ કાર્યરત રહેશે) ઇન્ડિગો (IndiGo) (8 અને 9 માર્ચ માટેની ફ્લાઇટ્સ) 8 માર્ચ 9 માર્ચ એર ઇન્ડિયા એક્સપ્રેસ (બધી ફ્લાઇટ્સ 8 માર્ચના રોજ અમદાવાદ આવશે)
હિંમતનગર નગરપાલિકા દ્વારા નવી સેવાઓ અને વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મહિલા સશક્તિકરણ વર્ગનો પ્રારંભ કરાયો. નગરપાલિકાની વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં, 'કેચ ધ રેઈન' યોજના હેઠળ ટ્યુબવેલ રિચાર્જ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ. ઘનકચરા સાઈટ ખાતે સ્ટ્રે ડોગ વેક્સિનેશન અને કેસ્ટ્રેશન સેન્ટરના બાંધકામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, પાણી પુરવઠા ચેરમેન રાજુભાઈ શર્મા, વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગોપાલસિંહ રાઠોડ, અશોકભાઈ જોશી, હિંમતનગર તાલુકા અને શહેર ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પાલિકાના વિવિધ વિભાગના વડાઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે 8 મી માર્ચના રોજ 115મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતુ કે, મિલકત વેરા અને પાણી વેરામાં મહિલાઓના મિલકતના કિસ્સામાં એડવાન્સમાં મિલકતવેરામાં વિશેષ 5% વળતર આપવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનીઓ માટે ‘સુકન્યા સમૃધ્ધિ યોજના‘ હેઠળ વાર્ષિક રૂ.1500 જેટલું યોગદાન દરેક ‘સુકન્યા સમૃધ્ધિ યોજના‘ ખાતા દીઠ આપવા ગ્રાન્ટ ફાળવેલી છે. રાજકોટ જિલ્લામાં 12 વર્ષમાં 1.31 લાખથી વધુ મહિલાઓને અભયમનું સુરક્ષા કવચ મળ્યુ સાહેબ, અહીં એક મહિલા સતત રડે છે, આ સ્થળે એક મહિલા આપઘાત કરવા આવી છે, મારા પતિ મને રોજ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. 181 નંબર પર રોજબરોજ આવા અનેક કોલ આવે છે. ફોન કરનારને ભરોસો છે કે કે જરૂરિયાતમંદ મહિલાને ચોક્કસ મદદ મળશે જ. દરમિયાન રાજકોટ 181ના કો - ઓર્ડીનેટર તુષાર બાવરાએ જણાવ્યુ હતુ કે, મહિલાઓને સમય મર્યાદામાં મદદરૂપ બનવા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કુલ પાંચ 181 રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે. જેમાંથી રાજકોટ શહેર ખાતે 3 અને રાજકોટ ગ્રામ્યમાં 2 રેસ્ક્યુ વાન કાર્યરત છે. 12 વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન 181- ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 1,31,404 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પાડવામાં આવી છે. જ્યારે હેલ્પલાઇન શરૂ થઈ ત્યારથી લઈને આજસુધીમાં ૧૮૧ અભયમ રેસ્ક્યુ વાન તાકીદની સ્થિતિમાં ઘટના સ્થળ ઉપર જઈને તેના કાઉન્સિલર સહિતની ટીમે 30,212 જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી છે. ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા '181 મોબાઈલ એપ'માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ થકી મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચી જાય છે. મનપા દ્વારા 9 માર્ચે વિનોદભાઈ શેઠ હોલ, પ્રાણનાથજી પ્રાથમિક શાળામાં સેવાસેતુ કેમ્પ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે, તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અગિયારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે 11 માં તબક્કાનો સેવાસેતુ કેમ્પ તા.9 માર્ચના સવારે 9 વાગ્યે કોઠારીયા રોડ ઉપર વિનોદભાઈ શેઠ કોમ્યુનિકેશન હોલ ખાતે આયોજન કરાયું છે જ્યાં ધારાસભ્ય રમેશ ટીલાળા ઉદ્ઘાટન કરશે જ્યારે મવડીમાં ઉદયનગરમાં આવેલી પ્રાણનાથજી પ્રાથમિક શાળા નં.85 માં ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે સેવાસેતું કેમ્પ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ સેવાસેતુ કેમ્પમાં આધાર નોંધણી (18 વર્ષથી વધુ વયજૂથ), આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ, બસ કન્સેશન પાસ, આયુષ્માન પ્રધાનમંત્રી જન, આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીસ અનેબી.પી.ની ચકાસણી, મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, ટોઇલેટ અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરા અરજી, ગુમાસ્તા ધારા, વોટર અને ડ્રેનેજ કનેક્શન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર, PM SVANidhi યોજના, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, રેશન કાર્ડમાં નામ કમી કરવું, રેશન કાર્ડમાં નામ સુધારો કરવો, રેશન કાર્ડ ધારકોના ઈ-કે.વાય.સી., દિવ્યાંગતા પ્રમાણપત્ર, બસ કન્સેસનપાસ–દિવ્યાંગ માટે, UDID કાર્ડ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ભીમ એપ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજનામાં નવું બેંક એકાઉન્ટ, કેશલેસ લીટરેસી(ડીજીટલ ટ્રાન્જેકશન લીટરેસી), સુકન્યા સમૃદ્ધિ યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટમોચન યોજના), આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, નોન ક્રિમીયીલર પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, જાતિ પ્રમાણપત્ર, ફ્રીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઈન અરજી ડૉ. આંબેડકર આવાસ યોજના, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન વગેરે યોજનાઓની કામગીરી કરવામાં આવશે તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી, ઝેરોક્ષ, હેલ્પડેસ્ક, કોર્પોરેટરનો દાખલો અને મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. મનપાએ ચાલુ વર્ષે રૂ.389.29 કરોડની વેરા વસૂલાત કરી રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા વર્ષ 2025- 26 માટે વેરાની વસુલાત કરવા માટેની ઝૂંબેશ હાલ કાર્યરત છે. મનપા દ્વારા ચાલુ વર્ષે વ્યાજ માફીની સ્કીમ લાવામાં આવી છે. જેમાં જો બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તો મિલકત વેરાના વ્યાજ પર રૂ.5000 તથા પાણીના વેરાના વ્યાજ પર રૂ.5000 એમ કુલ રૂ.10000 નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ નાગરિકો તા.31 માર્ચ, 2026 સુધી લઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ દરમિયાન રૂ.389.29 કરોડની વસુલાત થઈ છે.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા ખાતે અનુસ્નાતક સંસ્કૃત વિભાગ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ક્રિયાત્મક યજ્ઞ અને મંત્રોચ્ચાર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં પ્રાધ્યાપકો, શોધાર્થીઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરામાં યજ્ઞનું ઘણું મહત્ત્વ છે. ભારતીય જ્ઞાન પરંપરાની જીવંત અનુભૂતિ કરાવતું આ આયોજન પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટી આવા પ્રકારના આયોજન માટે હંમેશા મોકળું મેદાન પૂરું પાડશે. શિબિરમાં ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ નિયામક ડૉ. કમલેશ ચોક્સીએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું નિદર્શન કર્યું હતું. તેમણે પ્રાચીન લેખન પદ્ધતિ, ભોજપત્ર અને હસ્તપ્રતો વિશે પણ વિસ્તૃત સમજૂતી આપી હતી. આચાર્યા શીતલબેન દ્વારા શિબિરાર્થીઓને મંત્રોચ્ચારનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે યોગેશ વૈદિકજીએ યજ્ઞવિધિ શીખવી હતી. યોગેશ વૈદિકજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે યજ્ઞ એ પારસમણિ સમાન છે, જેના દ્વારા શારીરિક અને માનસિક સમસ્યાઓનું નિરાકરણ શક્ય છે. જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે યજ્ઞ પરંપરાનું પાલન કરવું અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં યજ્ઞમાં વપરાતી વિવિધ ઔષધીય ગુણોવાળી હવિ સામગ્રીનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. અનુસ્નાતક સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવપ્રકાશ ગાંધીએ યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવા આયોજન બદલ ગૌરવ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે શ્રી ગોવિંદ ગુરુજીએ યજ્ઞને માધ્યમ બનાવીને જ સમાજ સુધારણા અને કુરિવાજોને દૂર કરવાનો પાયો નાખ્યો હતો. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના સંસ્કૃત અભ્યાસક્રમ સમિતિના ચેરમેન પ્રોફેસર ડૉ. રાજેશભાઈ વ્યાસ સહિત અન્ય મહાનુભાવો યજ્ઞ આહુતિમાં જોડાયા હતા. પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સામાજિક લોકોએ આ પ્રદર્શન નિહાળી યજ્ઞમાં આહુતિ આપીને સંતોષ અને આનંદની લાગણી અનુભવી હતી.
ગઢડાના શિયાનગરથી ગેરકાયદે પશુ ભરેલી પીકઅપ ઝડપાઈ:જીવદયા પ્રેમીઓ અને VHPએ ગાડીને ઝડપી પોલીસે સોંપી
ગઢડાના શિયાનગર ગામ પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને લઈ જતી એક પીકઅપ ગાડી ઝડપાઈ છે. આ ગાડીને જીવદયા પ્રેમીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ પકડી પાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શિયાનગર ગામના જીવદયા પ્રેમીઓ અને VHPના કાર્યકરોએ આ પીકઅપ ગાડીને રોકી હતી. ત્યારબાદ તેમણે 112 નંબર પર પોલીસને જાણ કરતા ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પીકઅપ ગાડીનો કબજો લીધો હતો અને તેમાં સવાર રમેશ રેવા રાઠોડ તેમજ જયદિપ હિંમત સોલંકી નામના બે ઈસમોને અટકાયતમાં લીધા હતા. તેમને પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ત્રણ પશુઓને ભરીને શિયાનગરથી ભરૂચ લઈ જવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ માહિતી આપી હતી.
ભાવનગરના દેસાઇનગર વિસ્તારમાં રહેતો એક 17 વર્ષીય કિશોર ઘરેથી ગુમ થયા બાદ બોરતળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં કિશોરને શોધી કાઢી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ તા.7/3/2026 ના રોજ શહેરના દેસાઇનગર પેટ્રોલપંપ પાછળ, ગાયત્રી સોસાયટીમાં રહેતા વૃષભ ચંદ્રેશભાઇ ખારસુરીયા ઉ.વ.17 ને તેના માતા-પિતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, આ વાતથી મનમાં માઠું લગાડી વૃષભ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની સાયકલ લઈને ઘરેથી ક્યાંક નીકળી ગયો હતો, પુત્ર ઘરે ન આવતા ચિંતિત પરિવારજનોએ તાત્કાલિક બોરતળાવ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, બનાવની ગંભીરતાને ધ્યાને લઈને શોધખોળ હાથ ધરી હતી, બોરતળાવ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કિશોરને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, પોલીસ ટીમે વિસ્તારના ખાનગી સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કિશોરનો પત્તો મેળવી તેને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો, પોલીસે કિશોરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, માતા-પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો, પોલીસે કિશોરનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને તેના માતા-પિતાને સુપ્રત કર્યો હતો, વ્હાલસોયા પુત્રને હેમખેમ પાછો મેળવતા પરિવારના સભ્યોએ બોરતળાવ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આમ, બોરતળાવ પોલીસે સરાહનીય અને પરિણામલક્ષી કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊના અને ગીર ગઢડા તાલુકાના ચાર ગામોમાં નવી વાજબી ભાવની દુકાનો (FPS) ખોલવાને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય અંતર્ગત ઊના તાલુકાના કોબ, સીમર અને ભીંગરણ ગામ તેમજ ગીર ગઢડા તાલુકાના શાણાવાંકિયા ગામમાં નવી FPS દુકાનો શરૂ કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને મંજૂરી અપાઈ છે. આ દુકાનો શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારોના રેશનકાર્ડ ધારકોને નજીકમાં જ અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે, જેથી રેશનકાર્ડ ધારકોને અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે. આ નવા નિર્ણયથી નાગરિકોને દૂરના ગામો સુધી જવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે અને પુરવઠા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. બેઠક દરમિયાન પુરવઠા વ્યવસ્થાની કામગીરી, લાભાર્થીઓને અનાજના વિતરણમાં પારદર્શિતા અને ગ્રાહકોના હિતોના સંરક્ષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓને સૂચના આપી હતી કે પુરવઠા વ્યવસ્થા સુચારુ રીતે ચાલે અને લાભાર્થીઓને સમયસર અનાજ તથા અન્ય ચીજવસ્તુઓ મળે તેની ખાતરી કરવામાં આવે. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મુછાર, નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા અને પુરવઠા વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને સરળ અને પારદર્શક પુરવઠા વ્યવસ્થા પૂરી પાડવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી FPS દુકાનો શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારોના અનેક પરિવારોને સીધો લાભ મળશે તેવી અપેક્ષા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રવિવારનો દિવસ ભારે રાજકીય ગરમાવો અને ક્રિકેટના રોમાંચથી ભરેલો રહેવાનો છે કારણ કે, એક તરફ સેક્ટર-11ના રામકથા મેદાનમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જાહેર સભાનું આયોજન છે તો બીજી તરફ આજ મેદાન સામે ભાજપના ઉત્તર ધારાસભ્ય દ્વારા T-20 વર્લ્ડકપની ફાઈનલનું લાઈવ પ્રસારણ ગોઠવીને રાજકીય ગૂગલી નાખવામાં આવી હોય એવો ઘાટ સર્જાયો છે. ધારાસભ્યએ જોરદાર ગુગલી નાખીને રાજકીય માહોલ ગરમાવી દીધોગાંધીનગરમાં આવતીકાલે રવિવારનો દિવસ માત્ર રમતગમત નહીં પરંતુ રાજકીય દાવપેચનો પણ સાક્ષી બનવા જઈ રહ્યો છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે એક જોરદાર ગુગલી નાખીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આવતીકાલે સેક્ટર-11ના રામકથા મેદાનમાં જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગર્જના કરવાના છે તો બીજી તરફ બરાબર તેની સામે જ ધારાસભ્ય દ્વારા T20 વર્લ્ડકપની ફાઈનલનું લાઈવ પ્રસારણ ગોઠવામાં આવ્યું હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે. AAP દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાના આશય સાથે યોજાનારી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડે એવી શક્યતા છે. હાઈવોલ્ટેજ T-20 વર્લ્ડકપ ફાઈનલ મેચનું વિશાળ સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમિંગનું આયોજનજોકે, આ સભાના સ્થળની બિલકુલ સામે જ ભાજપના ધારાસભ્ય રીટાબેન પટેલે પોતાના કાર્યાલય પાસેના મેદાનને પકડ્યું છે. તેમના સેક્ટર-11 સ્થિત કાર્યાલયની સામે જ આવતીકાલની હાઈવોલ્ટેજ T-20 વર્લ્ડકપ ફાઈનલ મેચનું વિશાળ સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, આપ ની સભામાં જતી ભીડને ડાયવર્ટ કરવા અથવા યુવા મતદારોને આકર્ષવા માટે ભાજપ દ્વારા આ 'ક્રિકેટ કાર્ડ' ખેલવામાં આવ્યું છે. એક જ સ્થળે બે વિરોધી વિચારધારાઓ અને રમતગમતનો જંગ જામશેઆમ આવતીકાલે એક જ સ્થળે બે વિરોધી વિચારધારાઓ અને રમતગમતનો જંગ જામશે. એક બાજુ અરવિંદ કેજરીવાલના ભાષણોની ગર્જના સંભળાશે તો બીજી બાજુ ક્રિકેટના ચોગ્ગા છગ્ગા પર ભાજપના ટેકેદારો અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરની જનતા કેજરીવાલની વાતો સાંભળવા મેદાનમાં ઉતરે છે કે પછી વર્લ્ડકપનો રોમાંચ માણવા લાઈવ સ્ટ્રીમિંગ તરફ વળે છે. ત્યારે માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ, ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ 'ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર 2026' ની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભવ્ય લાઈવ ક્રિકેટ પ્રસારણની વ્યવસ્થા કરી છે. રવિવારની સાંજે 6:30 કલાકથી શરૂ થનારી આ મેચમાં નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. મનપા દ્વારા અત્યાધુનિક LED સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ લગાવીને સ્પોર્ટ્સ કાર્નિવલ જેવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરાયો છે.
ગોધરામાં સરદાર પટેલના જીવન પર સેમિનાર શરૂ:રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર બે દિવસીય ચર્ચા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બે દિવસીય નેશનલ સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનાર રાષ્ટ્રના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યો પર કેન્દ્રિત છે. તા. 7 અને 8 માર્ચ દરમિયાન યોજાઈ રહેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાન પર ચર્ચા અને સંશોધન કરવાનો છે. આ સેમિનાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (GGU) સાથે સંલગ્ન છે અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા પ્રાયોજિત છે. આ કાર્યક્રમનો શુભારંભ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરિભાઈ કાતરીયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભુપેશકુમાર શાહ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ એમ.બી. પટેલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્વાનો અને સંશોધકોએ સેમિનારમાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી દિવસોમાં સરદાર પટેલના વિચારોને આધુનિક યુગમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આદિવાસી સંસ્કૃતિમાં હોળીના પર્વનું મહત્વ દિવાળી કરતા પણ વિશેષ હોય છે. આ પર્વ નિમિત્તે વિવિધ ગામોમાં મેળાઓનું આયોજન થાય છે, પરંતુ ચીસાડિયામાં યોજાતો 'ગોળ ફેરિયાનો મેળો' કંઈક અલગ જ મહત્વ ધરાવે છે. અહીં શ્રદ્ધાની એવી કઠિન પરીક્ષા લેવામાં આવે છે જે જોનારાઓને સ્તબ્ધ કરી દે છે. આ મેળામાં આદિવાસી વૈદ્ય એટલે કે 'બડવા' બનવા માટે ઉમેદવારોએ લોખંડના હુક પર લટકીને જીવસટ્ટોસટની કસોટી પાર કરવી પડે છે. તાજેતરમાં યોજાયેલા મેળામાં 6 જેટલા યુવાનોએ આ કઠિન પરીક્ષા આપી હતી. આસ્થા અને આયુર્વેદના રક્ષક એટલે બડવા આદિવાસી સમાજમાં બડવાનું સ્થાન અત્યંત આદરણીય છે. કોઈ પણ શારીરિક કે માનસિક મુશ્કેલીના સમયે આદિવાસીઓ તબીબ પાસે જતાં પહેલા બડવા પાસે જઈ આસ્થાના ઓથલા હેઠળ માર્ગદર્શન લેતા હોય છે. જોકે, આ પદ મેળવવું સરળ નથી. સમાજ દ્વારા સ્વીકૃતિ મેળવવા માટે વ્યક્તિએ વર્ષો સુધી કઠોર સાધના અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. માનતાથી માંચડા સુધીની પ્રક્રિયાબડવો બનવા માંગતી વ્યક્તિએ સૌપ્રથમ માનતા લેવી પડે છે. હોળી દરમિયાન 'ચૂલના મેળા'માં ધગધગતા અંગારા પર ચાલવું તે આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. ત્યારબાદ 5 દિવસ સુધી બહારનું અન્ન ત્યાગીને માત્ર બાફેલું ભોજન જ લેવું પડે છે. રુવાડા ઊભા કરી દેતી વિધિ ચિસાડિયાના મેળામાં આ પરીક્ષા પરાકાષ્ઠાએ પહોંચે છે: હુક ભેરવવાની વિધિ: ઉમેદવારના કમરના મણકાના ભાગે લોખંડના તીક્ષ્ણ હુક ભેરવવામાં આવે છે. માંચડે લટકવું: હુક ભેરવ્યા બાદ વ્યક્તિને ઊંચા માંચડા પર ઊંધો લટકાવવામાં આવે છે. બલિદાન અને ફેરા: ઊંધા લટકેલી સ્થિતિમાં ઉમેદવાર પોતાના હાથે મરઘીની બલિ આપે છે. ત્યારબાદ તેને માંચડા પર 5 ફેરા સીધા અને 5 ફેરા ઉલ્ટા ફેરવવામાં આવે છે. ચમત્કારિક પાસું: આશ્ચર્યની વાત એ છે કે ચામડીમાં લોખંડના હુક ખૂંપાડવા છતાં શરીર પરથી લોહીનું એક પણ ટીપું પડતું નથી, જેને લોકો દૈવી શક્તિ માને છે. શક્તિ મુજબની કસોટીબડવો બનવાની આ પ્રક્રિયા 5થી 9 વર્ષ સુધી ચાલે છે. વર્ષોના અનુભવ અને સાધનાના આધારે બડવાની શક્તિઓ ભિન્ન મનાય છે. જેટલા વધુ વર્ષની પરીક્ષા, તેટલી જ તેની શક્તિ અને પ્રતિષ્ઠા વધુ ગણાય છે. આ કસોટી પૂર્ણ કર્યા બાદ જ તેઓ વિધિવત રીતે બડવા તરીકે ઓળખાય છે અને સમાજની સેવા કરે છે.
21મી સદીના આધુનિક યુગમાં નારી શક્તિ માત્ર ઘરના ઉંબરા સુધી મર્યાદિત ન રહેતા આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પૂર્વ સંધ્યાએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામની બહેનોએ પોતાની મહેનત અને સરકારના સાથથી ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. મિશન મંગલમ યોજના હેઠળ સંગઠિત થયેલી 22 જેટલી મહિલાઓએ ખાખરા અને પાપડના વ્યવસાય દ્વારા વાર્ષિક 15થી 17 લાખનું ટર્નઓવર કરી અંદાજિત 7થી 8 લાખનો માતબર નફો મેળવી આત્મનિર્ભરતાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. મિશન મંગલમના માર્ગદર્શન હેઠળ બચત મંડળની રચના કરવામાં આવી હતીઆ સફળતા પાછળ રાજ્ય સરકારની તાલીમ અને આર્થિક સહયોગનો મોટો ફાળો રહ્યો છે. ગવાડા ગ્રામ સખી સંઘના અગ્રણી નીતાબેન રબારીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં મિશન મંગલમના માર્ગદર્શન હેઠળ બચત મંડળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ RSETI સંસ્થા દ્વારા વ્યવસાયિક તાલીમ મેળવી વર્ષ 2022માં ‘શુભમ ગૃહ ઉદ્યોગ’નો પાયો નાખવામાં આવ્યો હતો. આ સાહસને વેગ આપવા માટે સરકાર તરફથી રિવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) જેવી આર્થિક મદદ મળતા જરૂરી સાધન-સામગ્રી અને કાચો માલ વસાવવામાં આવ્યો હતો, જેનાથી ગૃહ ઉદ્યોગ વ્યવસ્થિત રીતે કાર્યરત થયો છે. એક સમયે રિક્ષા લઈને ગામડે-ગામડે માર્કેટિંગ માટે ભટકવું પડતું હતુંમાર્કેટિંગના પડકારો સામે પણ આ મહિલાઓએ મક્કમતાથી લડત આપી છે. એક સમયે રિક્ષા લઈને ગામડે-ગામડે માર્કેટિંગ માટે ભટકવું પડતું હતું, પરંતુ પાલનપુર, પાટણ અને મહેસાણા ખાતે યોજાયેલા સરકારી ‘સરસ મેળા’ આ બહેનો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા હતા. આ મેળાઓમાં પ્રદર્શન અને વેચાણના માધ્યમથી મળેલી પ્રસિદ્ધિને કારણે આજે સ્થિતિ એવી છે કે ગ્રાહકો અને વેપારીઓ સામેથી ફોન પર જ ઓર્ડર આપે છે. હવે આ મહિલાઓને વેચાણ માટે બહાર જવાની જરૂર પડતી નથી અને ઘરબેઠા જ વ્યવસાયનો વ્યાપ સતત વધી રહ્યો છે. સરકાર દ્વારા આશરે 1.75 કરોડનું રિવોલ્વિંગ ફંડ ફાળવવામાં આવ્યુંવિજાપુર તાલુકામાં મહિલા સશક્તિકરણના આ અભિયાન અંગે વિગતો આપતા લાઈવલીહુડ મેનેજર કેતનકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સમગ્ર તાલુકામાં હાલ 1688 જેટલા સખી મંડળો સક્રિય છે. જેમને આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા આશરે 1.75 કરોડનું રિવોલ્વિંગ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત 57 વિલેજ ઓર્ગેનાઈઝેશનને પણ 2.78 કરોડનું CIF ફંડ આપવામાં આવ્યું છે. આ સરકારી સહાય અને બહેનોની અથાક મહેનતને કારણે આજે વિજાપુર પંથકની મહિલાઓ ખાખરા-પાપડ ઉપરાંત અગરબત્તી, સાબુ, ફિનાઈલ અને અથાણાં જેવા વિવિધ વ્યવસાયો થકી આર્થિક રીતે સદ્ધર બની છે.
શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કાલુપુર વિસ્તારમાં રહેતા અને કાલુપુર યાર્ડમાં નોકરી કરતા એક વ્યક્તિ સાથે સાયબર ઠગોએ શેર માર્કેટમાં નફો કરાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં માફી બતાવી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી સાયબર ગઠિયાઓએ 21 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. નફાના રૂપિયા ટ્રાન્સફર ન થતા છેતરપિંડી થઈ હોવાની સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરીને મોટા નફાની વાતો કરવામાં આવતીકાલુપુર વિસ્તારમાં રહેતા અને કાલુપુર યાર્ડમાં નોકરી કરતા લૂકમાન સાબિર હુસૈન મનસૂરીને નવેમ્બર 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં એક લિંક મોકલવામાં આવી હતી. ફરિયાદીએ લિંક પર ક્લિક કરતા જ તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરીને મોટા નફાની વાતો કરવામાં આવતી હતી. ગ્રુપમાં મેસેજ કરનાર વ્યક્તિ પોતાને પ્રોફેસર તરીકે ઓળખાવતો હતો અને સભ્યોને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરતો હતો. થોડા દિવસ બાદ ફરિયાદીને બીજી એક લિંક મોકલીને VIP 317 નામના બીજા ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં માત્ર છ સભ્યો જ હતા અને અહીં વધુ વિશ્વાસ જીતવા માટે રોકાણ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ફરિયાદીએ પણ નફાની આશામાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યાત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીને S-HNWI નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં લોગિન કરાવ્યા બાદ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરીને મોટો નફો કમાવી શકાય એવું જણાવી ફરિયાદીને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ થોડા રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમાં નફો દર્શાવી તે રૂપિયા વીડ્રો થઈ જતા હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતો. આ રીતે વિશ્વાસમાં લઈ સાયબર ઠગોએ ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે સમજાવ્યો હતો. ફરિયાદીએ પણ નફાની આશામાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એક મહિનાની અંદર ફરિયાદીએ કુલ 11 લાખ રૂપિયા એપ્લિકેશનમાં ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કર્યા હતા. એપ્લિકેશનમાં વોલેટમાં કુલ 1.27 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતોથોડા સમય બાદ એપ્લિકેશનમાં IPO એલોટમેન્ટના નામે ફરિયાદીને 31 લાખ રૂપિયાનો નફો થયો હોવાનું બતાવવામાં આવ્યું હતું. જેથી, ફરિયાદીએ આ નફાની રકમ વીડ્રો કરવા માટે રીક્વેસ્ટ કરી હતી પરંતુ, તે દરમિયાન સાયબર ઠગોએ બીજો IPO એલોટ થયો હોવાનું કહી ફરીથી 11 લાખ રૂપિયા ભરવા માટે મેસેજ કર્યો હતો. વધુ નફાની લાલચમાં આવી ફરિયાદીએ ફરી 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ એપ્લિકેશનમાં તેમના વોલેટમાં કુલ 1.27 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતો. રૂપિયા ઉપાડવા માટે કુલ રકમના 20 ટકા ચાર્જ ભરવા પડશેફરિયાદીએ જ્યારે ફરીથી આ રકમ વીડ્રો કરવા માટે રીક્વેસ્ટ મૂકી ત્યારે કસ્ટમર કેર દ્વારા રીક્વેસ્ટ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, રૂપિયા ઉપાડવા માટે કુલ રકમના 20 ટકા ચાર્જ ભરવા પડશે. આ વાત સાંભળતા ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. ફરિયાદીએ સાયબર ઠગોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહોતો. અંતે બાકીની રકમ પરત ન મળતા ફરિયાદીએ અજાણ્યા સાયબર ઠગો સામે 21 લાખથી વધુની છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અંગ્રેજી 013 (દ્વિતીય ભાષા) વિષયમાં કુલ 12063 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,884 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વિષયમાં 179 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતી 008 (દ્વિતીય ભાષા) વિષયમાં 218 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી 006 (પ્રથમ ભાષા) વિષયમાં કુલ 387 વિદ્યાર્થીઓ પૈકી 382 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે પાંચ વિદ્યાર્થીઓએ ગેરહાજરી નોંધાવી હતી.
સુરતના સિંગણપોર વિસ્તારમાં ગુજરાત ATS દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ‘ઓટો-ઇન્ટરમીડિએટ OPI’ પાવડરને ‘એલોવેરા પાવડર’ તરીકે મિસલેબલિંગ કરી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. આ કેસમાં ATS દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ હરેશભાઈ ગડિયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ નેટવર્ક મલેશિયાના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું છે, જે ભારતથી મોકલવામાં આવતા આ કેમિકલનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માટે કરતા હોવાની શંકા છે. 15 મહિનાથી ચાલતું હતું મિસલેબલિંગનું નેટવર્કATSની તપાસ મુજબ મુખ્ય આરોપી નિકુંજ ગડિયા પોતાની કંપની ‘DWN બાયોસાયન્સ’ ના નામે છેલ્લા 15 મહિનાથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો. ATSના તપાસમાં બહાર આવ્યું છે કે,આરોપી અત્યાર સુધીમાં અંદાજે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર વિદેશ મોકલી ચૂક્યો છે. આ પાવડરને સીધો મોકલવાને બદલે તેને એલોવેરા પાવડર, ગીનોપોલ-24 અને કાર્બોમોરના સેમ્પલ તરીકે જાહેર કરવામાં આવતો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ સમક્ષ ખોટી જાહેરાતો કરી અને બોગસ બિલ બનાવીને આ માલ બાય-એર વિદેશ રવાના કરવામાં આવતો હતો. મલેશિયાના નાર્કો કાર્ટેલ સાથે સીધું જોડાણઆ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં માત્ર સુરતના વેપારીઓ જ નહીં પરંતુ, મલેશિયા સ્થિત નાર્કો કાર્ટેલના સભ્યોની પણ સંડોવણી સામે આવી છે. તપાસમાં મલેશિયાના રહેવાસી મિસ્ટર ચુઆ ઝી જુઆન (Mr. Chua Zhi Xuan) નું નામ ખુલ્યું છે, જે આ માલ મેળવતો હતો. ATSને શંકા છે કે, આ કેમિકલનો ઉપયોગ ત્યાં સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ સિવાય થાઈલેન્ડના પણ કેટલાક અજ્ઞાત સભ્યો આ ગુનાહિત કાવતરામાં સામેલ છે, જેમના નામ અને સરનામા મેળવવા માટે એટીએસ દ્વારા ઇન્ટરપોલ અથવા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી શકે છે. ત્રણ કંપનીઓના માલિકો સામે ગુનો દાખલATS દ્વારા આ મામલે કુલ ત્રણ મુખ્ય કંપનીઓના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં (1) DWN બાયોસાયન્સના માલિક નિકુંજ હરેશભાઈ ગઢીયા, (2) રુદ્ર એન્ટરપ્રાઈઝના માલિક ચેતનભાઇ કનુભાઈ વાવડીયા અને (3) જાની ફાર્માના માલિક ભૌતિક દામજીભાઈ પદમણીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમોએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં નિકુંજ ગઢીયાની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય આરોપીઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂરધરપકડ બાદ આરોપી નિકુંજ ગઢીયાને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એટીએસના પીઆઈ ડી.ડી. રહેવરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને ગોળ-ગોળ જવાબો આપી રહ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આરોપીના મંગળવારે સવારે 11 વાગ્યા સુધીના (બે દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે. પૈસાની લેવડદેવડ અને બેંક એકાઉન્ટની તપાસ પર ફોકસATS માટે સૌથી મહત્વનો મુદ્દો આ માલના વેચાણ બદલ મળેલા નાણાં છે. 50 કિલો જેટલો મોંઘો પાવડર વિદેશ મોકલ્યા બાદ તેના પૈસા કયા માધ્યમથી આવ્યા? શું આ નાણાં હવાલા મારફતે આવ્યા છે કે બેંકિંગ ચેનલથી? આરોપીના બેંક એકાઉન્ટ્સ અને છેલ્લા 15 મહિનાના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. એટીએસ એ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે આ કમાણીનો ઉપયોગ કોઈ દેશવિરોધી પ્રવૃત્તિ કે આતંકવાદી સંગઠનોને મદદ કરવા માટે તો નથી થયો ને? ‘OPI પાવડર પ્રતિબંધિત નથી’આરોપી નિકુંજ ગઢીયા તરફથી એડવોકેટ કેતન રેશમવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે જે ‘OPI’ પાવડરની વાત કરવામાં આવી રહી છે તે કોઈ પ્રતિબંધિત પદાર્થ (Banned Substance) નથી. આરોપીએ આ માલ જીએસટી બિલ સાથે કાયદેસરની રીતે ખરીદ્યો હતો અને તેના તમામ પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. બચાવ પક્ષના મતે આ માત્ર ટેકનિકલ મિસડીક્લેરેશનનો વિષય હોઈ શકે છે, જે ડ્રગ્સ ટ્રાફિકિંગ જેવો ગંભીર ગુનો નથી. કોણ-કોણ છે આ કૌભાંડના મદદગાર?ATS તપાસ કરી રહી છે કે, આરોપીને ખોટા બિલ બનાવવામાં અને કસ્ટમ્સના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં કોણે મદદ કરી છે. શું કોઈ સર્ટિફાઈડ એજન્ટ અથવા કસ્ટમ હાઉસ એજન્ટ (CHA) આ કૌભાંડમાં સામેલ છે? આટલા લાંબા સમય સુધી મુંબઈ એરપોર્ટથી આટલો મોટો જથ્થો મિસલેબલિંગ સાથે નીકળી ગયો, તે સુરક્ષા એજન્સીઓ માટે પણ એક મોટો પ્રશ્ન છે. રિમાન્ડ દરમિયાન એટીએસ આ ‘ઇનસાઇડર’ મદદગારોના નામ ઓકાવશે. મોબાઈલ ડેટા અને સીડીઆર (CDR) ખોલશે રહસ્યોતપાસ અધિકારીઓએ આરોપી નિકુંજ ગઢીયાના મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) અને સોશિયલ મીડિયા ચેટ્સ પરથી એટીએસ મલેશિયા અને થાઈલેન્ડના ડ્રગ્સ માફિયાઓ સાથેના સીધા સંપર્કો શોધી કાઢશે.આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત કરવા માટે આરોપી કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો અને કયા કોડવર્ડમાં વાતો થતી હતી, તેની તપાસ આગામી દિવસોમાં તેજ બનશે. તપાસના મુખ્ય 8 મુદ્દાઓ જેના પર ATS કામ કરી રહી છેATS દ્વારા રિમાન્ડ અરજીમાં રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસની આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ તેમજ જેઠ દ્વારા ચઢામણી કરવામાં આવતી હતી જેથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા પુજાબેન ગોવિંદભાઈ મીર (ઉ.વ.25)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ ગોવિંદ, જેઠ રમેશભાઇ લાખાભાઇ, સાસુ જસુબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, પૂજાબેનના લગ્ન સાત વર્ષ પહેલા ગોવિંદભાઇ લાખાભાઈ મીર સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન દંપતીને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પતિ ગોવિંદભાઈ અવારનવાર તેમના પર ખોટી શંકા અને વહેમ રાખતા હતા તેમજ પતિ ઘરની બહાર જતી વખતે ઘરનો ડેલો બહારથી લોક કરીને જતા હતા જેથી પુજાબેન ઘરની બહાર નીકળી ન શકે. દરમિયાન તા.20.02.2026ના રોજ સવારે પુજાબેને પતિને ઘરનો ડેલો બહારથી બંધ કરવાની ના પાડી ત્યારે પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. આ સમયે ઘરમાં હાજર જેઠ રમેશભાઈએ પણ પુજાબેનને બચાવવાને બદલે ભાઈનો સાથ આપીને હેરાન કરી હતી. આ ઝઘડા બાદ પતિ અને જેઠે ભેગા મળી ફરિયાદીને ત્રણ માસૂમ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતાં. તેમજ સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારીને તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો અને આ બંનેની ચઢામણીથી પતિ પણ ત્રાસ આપતો હતો. ફરિયાદીને મારપીટના કારણે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર લીધી હતી અને છેલ્લા 15 દિવસથી તેઓ જસોદા ચોક પાસે આવેલા તેમના પિતા જેસાભાઈ સોહલાના ઘરે આશરો લઈ રહ્યા છે. આટલા દિવસો વીતવા છતાં સાસરીયા પક્ષમાંથી કોઈ તેડવા કે ખબર અંતર પૂછવા ન આવતા આખરે પુજાબેને તેમના ભાઈ ગણેશભાઈ સાથે પોલીસ સ્ટેશને જઈ પતિ ગોવિંદભાઈ, સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ વિરૂધ્ધ ફરિયાદ કરતાં યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરની પ્રતિષ્ઠિત ડી.એન. હાઈસ્કૂલના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં સગીર કિશોરીના શંકાસ્પદ મોત મામલે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિય કોળી સમાજના અગ્રણીઓએ આ ઘટનાને આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી ન્યાયની માંગ સાથે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આણંદ ખાતે એકઠા થયા હતા. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ વિજય બારૈયા અને ગુજરાત કોળી સમાજના અગ્રણી રાજુ સોલંકીની આગેવાનીમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચેલા સમાજના લોકોએ ત્યાં ધરણા પણ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું કે, જે સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો તેમાં કિશોરીના બંને પગ જમીન સાથે અડેલા હતા. કબાટના હૂક સાથે દુપટ્ટો બાંધી આ રીતે આત્મહત્યા કરવી અશક્ય છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સગીરાની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટના બાદ હોસ્ટેલના રેક્ટર કે શાળાના સત્તાધીશોએ તેમને ત્વરિત જાણ કરી ન હતી. આ વિલંબને કારણે પણ શંકા વધુ ઘેરી બની છે. ચિંતાજનક બાબત એ છે કે આ હોસ્ટેલમાં આવી આ બીજી ઘટના છે. વર્ષ 2023-24માં આરતી નામની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હવે તારાપુરના ફતેપુરાની ધરતીબેન ગોહીલનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. કોળી સમાજે આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી દ્વારા કરાવવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે. જો કસૂરવારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મહીસાગર એસ.ઓ.જી.એ ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ધરપકડ ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી. આ આરોપીઓ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે મુજબ, એસ.ઓ.જી. પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એસ.ઓ.જી. પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે, આરોપીઓ અમદાવાદમાં તેમના ઘરે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે અમદાવાદ ખાતે તપાસ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પોપટસિંહ જેસીંગભાઈ પરમાર (રહે. જયમિત્ર સોસાયટી, વટવા જી.આઈ.ડી.સી., અમદાવાદ, મૂળ રહે. લમરવાડા, તા. વિરપુર, જી. મહીસાગર) અને ગૌરાંગ મુકેશભાઈ સોની (રહે. બ્લોક નં. 22, રૂમ નં. 608, નર્મદા એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ, અમદાવાદ) નો સમાવેશ થાય છે. આ આરોપીઓ વિરપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318 (4), 61(2) તથા આઇ.ટી. એક્ટ 66(ડી) મુજબના ગુનામાં ફરાર હતા. ધરપકડ બાદ તેમને મહીસાગર જિલ્લામાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આરોપી ગૌરાંગ સોનીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. 188 તથા મહામારી અધિનિયમ 1897-3 ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51(બી) મુજબનો ગુનો નોંધાયેલ છે. જ્યારે આરોપી પોપટસિંહ પરમાર સામે દાહોદ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. 114, 120બી, 406, 409, 420, 465, 467, 468, 471 મુજબનો ગુનો નોંધાયેલ છે. આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ ઓનલાઈન છેતરપિંડી આચરી છે. હાલ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે તેમની વધુ તપાસ ચાલુ છે.
ગુજરાત હાઇકોર્ટમાં એક પિતાએ પોતાની પુખ્ત ઉંમરની પુત્રીને લઈને હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી. જેમાં તેની પુત્રીને એક યુવક દ્વારા ગાંધી રખાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે આદેશ કરતા પોલીસે પરિણીત પુત્રીને કોર્ટ સમક્ષ હાજર કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અરજદાર પિતાએ એક યુવક સાથે તેની સગાઈ નક્કી કરી હતી પરંતુ, બાદમાં આ સગાઈ તૂટી ગઈ હતી. કોર્ટે ન્યાયિક સમયનો વ્યય કરવા બદલ પિતાને ઉદાહરણ 50 હજારનો દંડ ફટકાર્યો જોકે, અરજદાર પિતાની પુત્રીએ તે જ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. તે પોતાના પતિ પાસે રહેતી હતી અને તેને જબરજસ્તી ગોંધી રખાઈ નહોતી. કોર્ટ સમક્ષ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું. પિતાને પુત્રીના લગ્નથી દુઃખ થયું હોવાથી માનસિક ઉદાસીવશ તેઓએ આ અરજી કરી હતી. આથી કોર્ટે ન્યાયિક સમયનો વ્યય કરવા બદલ પિતાને ઉદાહરણ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જેની રકમ અઠવાડિયામાં પુત્રીને ચૂકવવાની રહેશે. દીકરીના પિયરીયા તેના લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરે નહીંઆવા જ બીજા એક કેસમાં એક પિતાએ તેની પુખ્ત વયની પુત્રીને ગોંધી રખાઈ હોવા બાબતે હેબિયા કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ અરજદારની દીકરીના લગ્ન એક અન્ય યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ, દીકરીનું અપહરણ કરી લેવાયું હોવાથી આ લગ્ન થઈ શક્યા નહોતા. કોર્ટના આદેશથી દીકરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં પરિણીત દીકરીએ જણાવ્યું હતું કે, તેને કોઈ ગેરકાનુની રીતે ગોંધી રખાઈ નથી. તે 26 વર્ષની ઉંમરની છે અને તેને પોતાની મરજી અને પસંદગીથી એક યુવક સાથે લગ્ન કર્યા છે ત્યારે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, દીકરી પુખ્ત વયની ઉંમરની છે. તે પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે સ્વાતંત્ર હક્ત ધરાવે છે. જેથી દીકરીના પિયરીયા તેના લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરે નહીં. જો તેમના દ્વારા કોઈ નકારાત્મક કામ કરવામાં આવશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
સમાજમાં સગીરાઓ વિરુદ્ધ વધતા જતા ગુનાઓ રોકવા અને દાખલો બેસાડવા માટે ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષ અને 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી 10 દિવસ સુધી ગોંધી રાખી હતી. તેની પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર દાહોદના આરોપી સાધુ મકન ભૂરીયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતુંઆ કેસની વિગતો મુજબ, ગત 30 જાન્યુઆરી 2023ના રોજ ખોરજ ગામેથી આરોપી સાધુ મકન ભૂરીયાએ સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો અને 10 દિવસથી વધુ સમય સુધી પોતાની પાસે ગોંધી રાખી તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદ નોંધાઈને તપાસમા ખુલાસા થયાઆ અંગે ભોગબનનારના પિતાએ 8 ફેબ્રુઆરી 2023ના રોજ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે, અગાઉ પણ આરોપી સગીરાને ભગાડી લઈ ગયો હતો. અને સગીરા દોઢ વર્ષ પછી પરત ઘરે આવી હતી. ત્યારથી શ્રમજીવી પરિવાર ખોરજમાં રહી કડિયાકામની મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયોઆ વખતે સગીરા ગલ્લે વિમલ લેવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. જેનું આરોપી અપહરણ કરીને ભગાડી લઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ને 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશજે કેસ બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ હાજર રહી દલીલ કરી હતી કે આરોપીએ સગીરાની નાની વયનો ગેરલાભ ઉઠાવી અત્યંત ગંભીર ગુનો આચર્યો છે. તેમણે સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપીને સખતમાં સખત સજા અને દંડ કરવાની માંગ કરી હતી. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે દાહોદના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
કડીમાં વર્ષ 2022માં થયેલી ચકચારી બિલાલભાઈ ઘાંચીની હત્યાના કેસમાં જેલમાં બંધ આરોપીની વચગાળાની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ સંતાનના ઓપરેશનના બહાને જેલમુક્તિ માંગી હતી પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે તેને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કડી બિલાલ ઘાંચી હત્યા કેસ આરોપીની જામીન અરજી ફગાવીવર્ષ 2022માં કડી વિસ્તારમાં ઘર નજીક પેસેજ રસ્તો વાપરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બિલાલભાઈ ઘાંચી પર છરીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અમ્મારભાઈ ઇસબભાઈ ઘાંચી મુખ્ય આરોપી તરીકે જેલવાસ ભોગવી રહ્યો છે. આરોપીએ તાજેતરમાં પોતાની દીકરીના એપેન્ડિક્સના ઓપરેશન માટે વચગાળાના જામીન મેળવવા મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. 'ઓપરેશનના કારણો આગળ ધરીને જામીન મેળવવાનો પ્રયાસ યોગ્ય નથી'આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપી સામેની હત્યાનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. ઓપરેશનના કારણો આગળ ધરીને જામીન મેળવવાનો પ્રયાસ યોગ્ય નથી. આ દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ જજ એમ. એફ. ખત્રીએ આરોપી અમ્મારભાઈની જામીન અરજી ફગાવી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફુમકીયાની જીવન સફર અનેક યુવતીઓ માટે દિશાસૂચક બની છે. રમતગમત પ્રત્યેના અજોડ જુસ્સાને કારણે તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જેવી પ્રતિષ્ઠિત નોકરી છોડીને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. પરિવારમાં કોઈ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ન હોવા છતાં, માત્ર મહેનત અને મક્કમતાના જોરે મેં આ મુકામ હાંસલ કર્યો છે. જો પ્રેરણા અને લગન હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી. શરૂઆત અને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શનપૂનમ ફુમકીયાએ વર્ષ 2003માં ધોરણ 9થી હોકી રમવાની શરૂઆત કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સફર સમય જતાં તેમનું જીવનલક્ષ્ય બની ગઈ. સતત પરિશ્રમ અને શ્રેષ્ઠ ખેલદિલીના જોરે તેમણે રાજ્યની ટીમમાં સ્થાન મેળવ્યું અને કુલ 7 વખત નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. શિક્ષણ અને વ્યાવસાયિક કારકિર્દીરમતગમત ક્ષેત્રે તકનીકી જ્ઞાન મેળવવા માટે તેમણે વર્ષ 2011-12માં નેતાજી સુભાષચંદ્ર બોઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી 'ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ' પૂર્ણ કર્યું. ત્યારબાદ, વર્ષ 2013માં વડોદરા ખાતે હોકી કોચ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. PSIની તાલીમ છોડી રમતગમતની પસંદગી તેમના જીવનનો સૌથી મોટો વળાંક વર્ષ 2016-17માં આવ્યો જ્યારે તેમણે PSIની પરીક્ષા પાસ કરી. જોકે, પોલીસની તાલીમ દરમિયાન જ તેમને રમતગમત વિભાગમાં કાયમી નિમણૂક મળતા, તેમણે ખાખી વર્દીને બદલે ખેલના મેદાનને પસંદ કર્યું. મનગમતા ક્ષેત્રમાં કામ કરવા માટે તેમણે PSIની તાલીમ અધવચ્ચે જ છોડી દીધી હતી. વર્તમાન જવાબદારી અને પ્રદાનછેલ્લા 8 વર્ષથી તેઓ અમરેલી જિલ્લામાં હોકી કોચ અને જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ જિલ્લાના અનેક યુવક-યુવતીઓ રમતગમત ક્ષેત્રે તાલીમ મેળવી આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પૂનમ ફુમકીયાની આ મક્કમતા સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા-અડિયા રોડ પર આવેલા થડિયાવાળા માતાજીના મંદિરે ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સંતો-મહંતોની પાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજાયો હતો. એક સમયે પ્રેત આત્મા તરીકે વિહરતી શક્તિનું આ ધામ હવે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કાંકરેજના દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથ ગુરુ વસંતનાથજી બાપુના સાંનિધ્યમાં તેમનાં શિષ્યા ગીતાબેનના હસ્તે ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું. ડુચકવાડાના ભરતભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી. હાલમાં ૨૧ ગાયોથી ગૌશાળાની શરૂઆત કરાશે. આ પ્રસંગે અલખ ધણી આશ્રમ સરવાલ ગૌશાળાના માતાજી પૂ. ઈંદુગીરીજી, ગોધાણા આશ્રમના શિવાભારતીજી મહારાજ, લોલાડાના શિવાનંદજી બાપુ, ભુવાજીઓ જામાભાઈ ખીમાણા, લવાણા ચેહર ધામના પ્રવીણભાઈ, ખાનપુરના ભગાભાઈ, જામાભાઈ કાટડીયા, કનુભાઈ સુબાપુરા, ઈટોદાના હરજી ભગત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાધેશ્યામ મહિલા મંડળ થરા અને ઈટોદાના આનંદના ગરબા મંડળે ભક્તિભાવ રજૂ કર્યો હતો. મંદિર સંકુલમાં થડિયાવાળી માતાજી, ભગવાન શિવજી, ગોગા મહારાજ અને ગુરુ ગાદીનો ધૂણો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં એક નાનકડો બગીચો પણ બનાવવામાં આવ્યો છે. મંદિર સ્થાપના દિવસ અને નવરાત્રી જેવા પ્રસંગોએ કુવાસીઓના ભોજન અને ભજન જેવા કાર્યક્રમો યોજાય છે. ઉલ્લેખનીય છે કે, થડિયાવાળી માતાજી એક સમયે ચંદ્રુમાણાથી અડિયા રસ્તા ઉપર પ્રેતશક્તિ તરીકે વિહરતા હતા અને લોકોમાં ભયનો માહોલ રહેતો હતો. ભૂતકાળમાં સાધુઓ દ્વારા એક બાળ સેવિકાની અહીંની ઝાડીમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારથી આ શક્તિ પ્રેત આત્મા તરીકે ફરતી હોવાનું મનાય છે. મૂળ કાંકરેજ તાલુકાના ગીતાબેનને થડિયાવાળી માતા અને સિકોતર માતાનું દેવ દુઃખ થતાં તેમણે તેનું નિરાકરણ કર્યું હતું. તેમની પ્રેરણાથી તળાવ કિનારે થડિયાવાળા માતાજીની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના સેવક ગીતાબેન વહેલી સવારે અને સાંજે પાંચથી આઠ સુધી મૌનવ્રત ધારણ કરે છે. તેમના ગુરુ બળદેવનાથ બાપુ દ્વારા અખંડ ધૂણો પ્રજ્વલિત કરાયેલો છે. ગીતાબેને ૧૨ વર્ષ સુધી અન્ન ન લેવાની ટેક રાખી છે અને છેલ્લા ત્રણ વર્ષથી માત્ર પાણી અને દૂધ જ લઈ રહ્યા છે. તેઓ અખંડ ધૂણામાં સવારે અને સાંજે ત્રણથી પાંચ કલાક સુધી નિત્ય સાધના કરે છે.
રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા હસ્તકના 362.60 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી અહીં આવી પહોંચ્યા હતા. અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છેલ્લા 30 વર્ષથી હારી રહેલા નેતાઓની કોંગ્રેસે કમિટીઓ બનાવી છે. ભાજપના મન લોકો એ માણસ છે અને તેઓના મન લોકો એ મત છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃતિ અંગે કહ્યું કે કોઈ આવે, જાય કે જીવીત થાય તેનાથી ભાજપને કોઈ ફર્ક પડતો નથી. આ સાથે જ જંગલેશ્વરના જંગલને સાફ કરવા બદલ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા તો સાથે જ આજે મેયરનો જન્મદિવસ હોવાથી તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. 362 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવીજીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકોની સુખાકારી માટે એક જ જગ્યાએથી 362 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં વધુ 518 કરોડના વિકાસ કામો થવાના છે, જેથી કહી શકાય કે ટૂંકા ગાળામાં 1000 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે કહ્યું કે, હવે લોકોની ડિમાન્ડ બદલાઈ છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં ઉનાળાના દિવસોમાં ટ્રેનમાં પાણી મંગાવવું પડતું હતું જ્યારે હવે પાણી તો આવે જ છે પરંતુ, ફોર્સથી પાણી નથી આવતું એવી ફરિયાદો લોકો કરે છે. હવે રોડ તો છે પરંતું સીસી રોડની ડિમાન્ડ થાય છે. આ સાથે જ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરનું જંગલ સાફ કરવામાં સફળતા મેળવી તે બદલ હું મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમને અભિનંદન આપું છું. જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી અને સરકારી જમીન ઉપર દબાણ હતું ત્યાં બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવવાની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ પણ બંધ કરાવવામાં આવી છે. 30 વર્ષથી ભાજપ સામે હારતા આવે છે તેઓની કોંગ્રેસે કમિટી બનાવીજે બાદ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, જે નેતાઓ છેલ્લા 30 વર્ષથી ભાજપ સામે હારતા આવે છે તેઓની કોંગ્રેસે કમિટી બનાવી છે. જેમની પર એક તરફ દયા અને બીજી તરફ હસવું આવે છે કારણ કકોંગ્રેસમાં કોઈ કાર્યકર્તાઓ નથી અને તેમની સાથે લોકોનો પ્રેમ પણ નથી જેથી આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ કોંગ્રેસ ફરીથી ભાજપ સામે હારશે. અમારા મનમાં લોકો એ માણસ છે અને તેમના માટે લોકોએ મત છે. પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશેઆજે 7 માર્ચના રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કુલ 362.60 કરોડના ખર્ચે તૈયાર અલગ-અલગ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. રાજકોટ મહાનગરપાલિકાની 11 માર્ચના ટર્મ પૂર્ણ થાય તે પૂર્વે શહેરના અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ આજી ડેમ ખાતે 75 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે, જેની પાછળ અંદાજે 6048 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશે, જેનાથી શહેરની પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત વોટર વર્કસ વિભાગ દ્વારા કટારીયા બ્રિજ પાસે નડતરરૂપ એમ.એસ. લાઈન શિફ્ટ કરી નવી 711 mmની લાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે, જેનો ખર્ચ રૂ. 297.88 લાખ છે. 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણઆ ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલનગર વિસ્તારમાં 314 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર અને 148 લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે 374 લાખના ખર્ચે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. ડ્રેનેજ વિભાગ માટે 229.92 લાખના ખર્ચે 3 નંગ વ્હીકલ માઉન્ટેડ રોબોટીક ક્લીનીગ મશીન વસાવવામાં આવ્યા છે, જેનાથી સફાઈ કામગીરી વધુ આધુનિક બનશે. વોર્ડ નં.17માં 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવીવેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં પણ અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં જામનગર રોડ જંકશન પાસે 371.09 લાખના ખર્ચે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું આયોજન છે. વોર્ડ નં.5માં પેડક રોડને 4383.69 લાખના ખર્ચે ગૌરવપથ તરીકે વિકસાવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.6 માં કનકનગર શાક માર્કેટને 490 લાખના ખર્ચે અદ્યતન બનાવવાની અને મહારાણા કોમ્યુનિટી હોલને 1184 લાખના ખર્ચે રીડેવલોપ કરવાની યોજના છે. વોર્ડ નં.18માં વિરાણી અઘાટથી બોલબાલા રોડ સુધી પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતીરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા પણ મોટા પાયે રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રિંગ રોડ-2, ફેઝ-5 (મોરબી રોડ થી અમદાવાદ રોડ) છે. જે બનાવવા માટે 10581.46 લાખ અને તેમાં બ્રિજ તથા અંડરપાસ બનાવવા માટે 3191.75 લાખનો ખર્ચ થશે તેમજ રોણકી વિસ્તારમાં 2482.00 લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અને કુવાડવાથી સરધાર રોડ સુધી 1314.51 લાખના ખર્ચે 30 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. આ તકે તરઘડી અને કાંગશિયાળી વિસ્તારમાં તૈયાર થયેલા નવા રોડનું લોકાર્પણ પણ આ તકે કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં ભાજપના શાસકોનો કાર્યકાળ 11 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના વિકાસકામ મંજુર કરવામાં આવ્યા છે. આ પૈકી જેટલા બને તેટલા વધુ કામોનાં ખાતમુહૂર્ત અને અગાઉના પૂર્ણ થયેલા કામોનાં લોકાર્પણ 11 માર્ચ પહેલા પૂર્ણ કરવાની દોડધામ હાલ શાસકો દ્વારા કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલશે. ઈચ્છુક ઉમેદવારો શહેર કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પાસેથી 10મી તારીખ સુધી ફોર્મ મેળવી શકશે. ભરેલા ફોર્મ પરત કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે. ફોર્મમાં ઉમેદવારોએ રાજકીય અનુભવ, કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ, અગાઉ લડેલી ચૂંટણીઓ, કયા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા છે, ચૂંટણી લડવાનું મુખ્ય કારણ, જીતવાની રણનીતિ, સામાજિક અને સેવા કાર્યો, કોઈ સેવા સંસ્થા સાથે જોડાણ અને કાયદાકીય કેસ-વિવાદ જેવી વિગતો ભરવાની રહેશે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ પ્રકારની પ્રક્રિયા પ્રથમવાર હાથ ધરવામાં આવી છે. આ પહેલનો હેતુ તમામ વોર્ડમાં સક્ષમ અને યોગ્ય ઉમેદવારોને તક આપવાનો હોવાનું જણાઈ રહ્યું છે. આજની પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ કોંગ્રેસના ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ મંત્રી ડો. દિનેશ પરમાર, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, સહારાબેન મકવાણા, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ, આનંદ ગોહિલ અને ભરત વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સાથેની વાતચીત મુજબ, ત્રણ દિવસ સુધી ફોર્મ સ્વીકારાયા બાદ, પસંદ કરાયેલા તમામ ફોર્મના નામો આગામી 12 અને 13 તારીખે જામનગર આવનારા કોંગ્રેસના પ્રભારી લલિતભાઈ વસોયા અને રહીમભાઈ શૌરા સમક્ષ રજૂ કરવામાં આવશે.
Abvp દ્વારા કુલપતિને રજુઆત:અભ્યાસક્રમમાં ગંભીર છબરડા અને સુરક્ષાના મુદ્દે ABVPની ઉગ્ર આંદોલનની ચીમકી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં બી.કોમના અભ્યાસક્રમમાં છબરડા, નવી શિક્ષણ નીતિ ના અમલીકરણમાં નિષ્ફળતા અને કેમ્પસમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઉદ્ભવી છે બી.કોમ સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં Industrial Organization and Management વિષય બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ રાખવામાં આવ્યો હોવાના મુદ્દે વિદ્યાર્થીઓએ ગંભીર વાંધો ઉઠાવ્યો છે, વિદ્યાર્થીઓ એ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
સંઘપ્રદેશ દમણના નાઈટ માર્કેટમાં ગત ૪થી માર્ચે ધુળેટીની રાત્રે સુરતથી આવેલા સહેલાણીઓ અને સ્થાનિક યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. એક નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેર માર્ગ પર થયેલી આ ઝપાઝપીમાં નશાની હાલતમાં રહેલા કેટલાક યુવાનોએ એકબીજા પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જાગૃત નાગરિકો દ્વારા 112 નંબર પર જાણ કરવામાં આવતા દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ મારામારી કરનાર અને ભોગ બનનાર તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે મારામારીમાં સંડોવાયેલા સાત યુવકોને શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી. જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ અને કાયદો હાથમાં લેવા બદલ પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના એક ગામની એક સગીરાનું અપહરણ કરી, તેને રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પરણિત યુવકને 20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. માતા-પિતાની જાનથી મારવાની ધમકી આપીને આરોપીએ સગીરાને બાઈક પર બેસાડીને અજમેર લઈ ગયો હતો. ત્યાંના ગેસ્ટહાઉસમાં બંધક બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આખો કેસ શું છે?કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, આંકલાવ તાલુકાના એક ગામના ફળિયામાં રહેતો 32 વર્ષીય પરણિત યુવક સુરેશ ઉર્ફે ફિરોજ માનસંગ વાઘેલા, 18 જૂન, 2024ના રોજ 14 વર્ષ અને 9 માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. શરૂઆતમાં સગીરાએ તેની સાથે બાઇક પર બેસવાની ના પાડી હતી, પરંતુ આરોપીએ તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને મજબૂર કરી હતી. આરોપી સગીરાને અપહરણ કરી રાજસ્થાનના અજમેર લઈ ગયો હતો. ત્યાં 'શાહુ પેલેસ' ગેસ્ટ હાઉસમાં ત્રણ દિવસ સુધી બંધક બનાવી તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આંકલાવ પોલીસે ગુનો નોંધી 26 જૂન, 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી અને જરૂરી પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટની કાર્યવાહી અને દલીલોઆ કેસની સુનાવણી આણંદના સેકન્ડ એડિશનલ અને સ્પેશિયલ પોક્સો જજ એસ. આઈ. ભોરણીયાની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સરકાર પક્ષે વકીલ વી. બી. મહિડાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગંભીર જાતીય હુમલાનો ગુનો સાબિત થયો છે. સરકારી વકીલે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આવા હીન અને ધૃણાસ્પદ ગુનાઓ સામે સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં આવા બનાવો પર અંકુશ આવે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી અનિવાર્ય છે. ઐતિહાસિક ચુકાદોબંને પક્ષોની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ એસ. આઈ. ભોરણીયાએ આરોપી સુરેશ ઉર્ફે ફિરોજને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત, કોર્ટે આરોપીને 26,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં બી-ડીવીઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આંતરરાજ્ય ટોળકીના ત્રણ સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ નંબર પ્લેટ સાથે છેડછાડ કરેલી ગાડીમાં આવી ચોરીને અંજામ આપતા હતા. અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતાગત તા 1 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે મહેસાણાના નાગલપુર કોલેજ પાછળ આવેલી એક સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4) અને 305(1) મુજબ ગુનો નોંધાયો હતો. તસ્કરોએ પોલીસથી બચવા માટે ગાડીની પાછળની નંબર પ્લેટ તોડી નાખી હતીચોરીની ઘટના બાદ સર્વેલન્સ સ્કોડ દ્વારા વિસ્તારના તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા ગાડી GJ-06-CM-7863 અને એક મોટરસાયકલ નજરે પડ્યા હતા. તસ્કરોએ પોલીસથી બચવા માટે ગાડીની પાછળની નંબર પ્લેટ તોડી નાખી હતી અને આગળની પ્લેટ પર એલઈડી લાઈટ લગાવી હતી જેથી નંબર સ્પષ્ટ ન વંચાય. જોકે નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી ગાડીનો સાચો નંબર મેળવી પોલીસ તપાસ તેજ કરવામાં આવી હતી. મોટરસાયકલ પર સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનોના તાળા તોડતા હતાપોલીસને બાતમી મળી હતી કે, ગુનામાં વપરાયેલી ઇનોવા ગાડી ગોજારીયા રેલ્વે સ્ટેશન સામે આવેલી એક ઓરડી પાસે પડી છે. પોલીસે તુરંત દરોડો પાડી ત્યાં હાજર ત્રણ શખસોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ અને ગાડીની જડતી લેતા સીટ નીચે છુપાવેલી સોનાના દાગીનાની પોટલી મળી આવી હતી. આ ટોળકી અત્યંત શાતિર રીતે ચોરી કરતી હતી. તેઓ પોતાની ઇનોવા ગાડીમાં મહેસાણા આવતા ઓળખ છુપાવવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા અને પછી શહેરમાંથી કોઈ મોટરસાયકલ ચોરી કરતા હતા.આ ચોરેલા મોટરસાયકલ પર સવાર થઈ સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનોના તાળા તોડતા હતા.ચોરી કર્યા બાદ મોટરસાયકલ અવાવરું જગ્યાએ ફેંકી દઈ પોતાની ગાડીમાં ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ.3,00,550 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં સોનાનો ચેન, બુટ્ટી, વીંટી, ઓમ અને ચૂની (કિંમત અંદાજે રૂ.2,15,550 અને એક ઇનોવા ગાડી અને એક ચોરીનું મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ પક્કડ પાનું હાલમાં બી-ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના નામરાજસિંહ ઈશ્વરસિંહ બરનારા (રહે. ધાર, મધ્યપ્રદેશ),મનમોહનસિંહ ઉર્ફે છોટે ઇકબાલસિંહ બરનારા (રહે. ધાર, મધ્યપ્રદેશ) પર્વતસિંહ જામસિંહ ભુકંપસિંહ (રહે. ડુંગરપુર, રાજસ્થાન) આ ગુનામાં અન્ય બે આરોપીઓ, લકુસિંહ પર્વતસિંહ અને નિર્મલસિંહ (બંને રહે. રાજસ્થાન), હજુ પોલીસ પકડથી દૂર છે.
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર મોડી રાત્રે જાહેર રોડ ઉપર એરગનથી હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર એક શખસને મહેસાણા LCBની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગ માટે વપરાયેલી એરગન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCBએ ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા મહેસાણા LCBનો સ્ટાફ શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોઢેરા ચોકડીથી વાઈડ એન્ગલ તરફ જતા જાહેર રોડ પર એક અજાણ્યા શખસે સફેદ રંગની સ્કોર્પિયો ગાડીમાં આવી સ્થાનિકો સાથે બોલાચાલી કરી પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવા છતાં LCBએ ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. રાત્રે બે વાગ્યે બોલાચાલી થતા ગાડીમાં રહેલી એરગનથી ફાયરિંગ કર્યુંતપાસ દરમિયાન સ્કોર્પિયો ગાડીના નંબર GJ-01-WW-2444ના આધારે તેના માલિક અભિષેકસિંહ રામસ્વરૂપ સિંગ (રહે. રાજધાની ટાઉનશીપ, રાધનપુર રોડ, મહેસાણા) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને LCB ઓફિસ બોલાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, ગત રાત્રે બે વાગ્યાના સુમારે બોલાચાલી થતા તેણે પોતાની ગાડીમાં રહેલી એરગનથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી 800ની કિંમતની કાળા રંગની એરગન પિસ્તોલ કબજે કરી છે. મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135 મુજબ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વેરાવળમાં સ્વ. ભીમાભાઈ લખમણ સોલંકી પરિવાર અને ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા સર્વ હિન્દુ સમાજ માટે સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 49 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી. આ સમૂહલગ્ન છેલ્લા છ વર્ષથી સતત આયોજિત થાય છે. તેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને માતા-પિતા વિનાની દીકરીઓને સન્માનપૂર્વક ઘર આપવાનો છે. 49 લગ્નો હોવાથી સમગ્ર વિધિ બે તબક્કામાં સંપન્ન કરવામાં આવી હતી. સમૂહલગ્ન સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અનેક યુવાનો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ ઉપરાંત, મેગા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ યોજાયો હતો, જ્યાં દર્દીઓને વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. આરોગ્ય જાગૃતિ માટે કેન્સર અવેરનેસ કેમ્પ પણ યોજાયો, જેમાં તબીબોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેવાકીય કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી આયોજકોના માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું. વેરાવળમાં યોજાયેલો આ સમૂહલગ્ન મહોત્સવ માત્ર લગ્નનો કાર્યક્રમ નહીં, પરંતુ સેવા, સહકાર અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
AAP ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.આજે રાત્રે કેજરીવાલ ગુજરાત આવશે.અને કાલે ગાંધીનગરમાં સભાને સંબોધિત કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રાજ્યગુરુની આ જાહેરાત પાછળ પક્ષમાં તેમની ઉપેક્ષા જવાબદાર હોવાનું મનાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો IND Vs NZ મેચની ટિકિટનું બ્લેકમાં ધૂમ વેચાણ ભારત અને ન્યુઝીલેન્ડ મેચની ટિકિટોની કાળાબજારી શરૂ થઈ ગઈ છે.એજન્ટો 2 હજારમાં મળતી ટિકિટનું 15 હજારથી 1.50 લાખમાં વેચાણ કરી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા.વિદ્યાર્થિનીએ ChatGPT પર આત્મહત્યા કેવી રીતે કરવી સર્ચ કર્યું હતું. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની.આરોપીએ વોશિંગ મશીનમાં કપડા ધોવાના બહાને યુવતીને રૂમ પર બોલાવી અને બાદમાં તેને બંધક બનાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીનો આપઘાત ગાંધીનગરમાં વ્યાજખોર નિવૃત્ત PSIના ત્રાસથી ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીએ આપઘાત કર્યો. 10 લાખની સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ આરોપી દોઢ કરોડની ઉઘરાણી કરતો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' છેડાયું. અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાઈરલ થયા બાદ બંને નેતાઓ હવે સામ સામે આવી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢઃ અફવાને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો સોશિયલ મીડિયામાં 'ડીઝલની તંગી'ની અફવાને કારણે જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી.અને જોતજોતામાં પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈ લાગી ગઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત સુરતના પાંડેસરામાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત થયા. મિલ પ્રશાસને કોઈપણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને ઝેરી ટાંકીમાં ઉતાર્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી આપી છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાતને ઉન્નત ઉત્પાદન (Advanced Manufacturing) ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અંકિત કરવાના લક્ષ્ય સાથે વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ટ્રાન્સફોર્મેશન ઇન્સ્ટિટ્યૂશન (GRIT) અને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ઔદ્યોગિક ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. GRIT ના સી.ઇ.ઓ. એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત @2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિઓ છોડીને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા અને ટેકનોલોજી આધારિત ઉત્પાદનો તરફ વળવું પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર ભવિષ્ય માટે તૈયાર (Future-ready) ઇકોસિસ્ટમ બનાવવા કટિબદ્ધ છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ઇન્ડસ્ટ્રી 4.0 નું એકીકરણ હવે સમયની માંગ છે. રોકાણકારો માટે 'ગેમ-ચેન્જર' ગેટવેવડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વડોદરા તેના મજબૂત ઔદ્યોગિક માળખાને કારણે હંમેશા રોકાણકારોની પ્રથમ પસંદ રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ વડોદરાના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે આ સેમિનારને આગામી 'રીજનલ વાઈબ્રન્ટ સમિટ'ના પૂર્વ સંકેત તરીકે ઓળખાવ્યો હતો. AI અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી વધશે કાર્યક્ષમતાટેકનોલોજીના આ યુગમાં KPMG ના ભાગીદાર અભિષેક ગુપ્તાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, IoT અને ડિજિટલ ટ્વિન્સ જેવી આધુનિક ટેકનોલોજીના મહત્વ વિશે સમજ આપી હતી. આ ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં ધરખમ સુધારો કરી શકાય છે, જે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે અનિવાર્ય છે. વૈશ્વિક પ્રવાહો અને માનવ મૂડી પર મંથનસેમિનાર દરમિયાન યોજાયેલી પેનલ ચર્ચાઓમાં GE એરોસ્પેસના ઉમા મહેશ્વર ડી., LT ના દિવ્યા ભટ્ટ, MG ઇન્ડિયાના નેહા જૈન અને હનીવેલના ડૉ. બુબથી મુરુગનાથમે ગ્લોબલ ટ્રેન્ડ્સ અને માનવ સંસાધન વિકાસ પર ભાર મૂક્યો હતો. અન્ય નિષ્ણાતોએ પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા પ્રાદેશિક શક્તિઓને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવી તેનો રોડમેપ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે MNRE ના સચિવ સંતોષ કુમાર સારંગીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી મંત્રાલય સ્તરે યોગ્ય વિચારણા કરવાની ખાતરી આપી હતી. આ અવસરે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, GIDC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભરત જોશી સહિત અનેક મહાનુભાવો અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરાના ઓરવાડા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:એક યુવક ગંભીરરીતે ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ગોધરા તાલુકાના ઓરવાડા નજીક આજે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘોઘંબા તાલુકાના વાંગડવા ગામના રહેવાસી મનહર પગી પોતાની બાઇક પર વાઘજીપુર ખાતે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા. ઓરવાડા નજીક પહોંચતા તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મનહરને મોઢાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું શાસનસરકારના આદેશ મુજબ અમદાવાદ શહેરમાં હવે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટ સોંપવામાં આવ્યો છે. વડોદરામાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને અને ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ શહેરોમાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે. કઈ મનપામાં વહીવટદાર તરીકે કોની નિમણૂક SIRની કામગીરીના કારણે સમયસર ચૂંટણી યોજાઈ શકી નથીરાજ્યમાં SIR પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. પરિણામે, નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે આ વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ધમધમાટ રાજયમાં આગામી એપ્રિલ-મેં મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જેના પગલે રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તો તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અલગ અલગ સાત કમિટીની રચના કરી બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકાઓમાં પ્રભારીઓની હાજરીમાં આ પ્રક્રિયા યોજાઈ હતી. શનિવારે, હિંમતનગર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પ્રભારીઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યપદ માટે ચૂંટણી લડવા ઈચ્છુક મોટી સંખ્યામાં દાવેદારો તેમના ટેકેદારો સાથે પહોંચ્યા હતા. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં તબક્કાવાર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે, કેટલીક નગરપાલિકાઓમાં ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર હોવા છતાં, શાસક પક્ષ દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે તૈયાર છે. આ બેઠક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, તેમજ વિધાનસભા પ્રભારી વિષ્ણુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ અને જિલ્લાના અન્ય પ્રભારીઓ પણ હાજર રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આંબેડકર ચેર દ્વારા 'વિકસિત ભારત 2047માં ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો' વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો.યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કે. સી.પોરીયા અને કુલસચિવ ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં નિષ્ણાત વક્તાઓએ દેશના વિકાસમાં આંબેડકરના પ્રદાન અને આગામી 25 વર્ષના રોડમેપ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સેમિનારના મુખ્ય વક્તા વિજય ઝાલાએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સંતો, મહંતો અને સમાજ સુધારકોનું યોગદાન મહત્વનું રહ્યું છે.તેમણે રામાનુજાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.ઝાલાએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે મહાન વિભૂતિઓ સમય જતાં વિસરાઈ જાય છે,પરંતુ વિવેકાનંદ, ડો. બાબાસાહેબ આંબેડકર અને ડો. હેડગવારનું પ્રદાન આજે પણ અવિસ્મરણીય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીના શિક્ષણવિદોએ પહેલ કરવી પડશે અને પ્રત્યેક નાગરિકે ઝડપથી કામ કરવું પડશે.બાબાસાહેબ આંબેડકરે આઝાદી પહેલા જ વિકસિત ભારત માટે ચાર મુખ્ય પિલર સૂચવ્યા હતા, જેમાં યુવા વિકાસ, શોષિત અને પીડિત સમાજનો વિકાસ, મહિલા વિકાસ તથા ખેડૂતોના વિકાસનો સમાવેશ થાય છે. ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે બાબાસાહેબે માત્ર દલિતો માટે જ નહીં,પરંતુ સમગ્ર સમાજ માટે કામ કર્યું છે.તેમણે હિન્દુ કોડ બિલ માટે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને મહિલાઓ માટે પ્રેગ્નન્સી એક્ટ લાગુ કરાવ્યો હતો. આ ઉપરાંત,ખેતી, પર્યાવરણ અને જળસંચય જેવા વિષયો પર પણ તેમનું ચિંતન પાયાનું રહ્યું છે. સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ કે. સી. પોરીયાએ બાબાસાહેબને સામાજિક ચિંતક ગણાવતા સમાનતા, ન્યાય અને માનવ ગૌરવ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પ્રત્યેક વ્યક્તિને વિકાસની તક મળશે, ત્યારે જ દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ સાથેના જોડાણ અંગે વાત કરી યુવાનોને ટેકનોલોજીનો દુરુપયોગ ન કરવા ટકોર કરી હતી. કુલસચિવ રોહિત દેસાઈએ શિક્ષણ અને લોકશાહીના મૂલ્યો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. અન્ય વક્તા યોગેશ પારેખે નાગરિક કર્તવ્ય અને ફરજો પર ભાર મુકતા જણાવ્યું હતું કે બંધારણ સ્વતંત્રતા આપે છે, સ્વચ્છંદતા નહીં. આ કાર્યક્રમમાં શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, નિરંજન પટેલ, પાલિકા પ્રમુખ હીરલબેન, ચિરાગ પટેલ સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન આંબેડકર ચેરના કો-ઓર્ડિનેટર ડો. જય ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રિપેશ બારોટે કર્યું હતું અને આભાર વિધિ ડો. રોશન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.
સુરત શહેરને ટ્રાફિકમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવાના અભિયાન હેઠળ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા વરાછાના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર ખડકાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને શેડ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસના 'ડિસ્ટાફ' ના કર્મીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા આકરા પગલાંવરાછા વિસ્તાર સુરતનો સૌથી ગીચ અને વ્યસ્ત રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તાર ગણાય છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર લારી-ગલ્લા અને પથારાવાળાઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વરાછા ઝોનની દબાણ હટાવો શાખા દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મનપાની ટીમે ટ્રકો સાથે વરાછાના અનેક વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. ફૂટપાથ રોકીને ઉભા રહેતા ખાણી-પીણીના લારી-ગલ્લા, શાકભાજીના પથારા અને દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર ઓટલા કે શેડને તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્તદબાણ હટાવવાની કામગીરી વખતે લારીધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મીઓ અને અન્ય પોલીસ જવાનોએ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસની હાજરીના કારણે વિરોધ કરી રહેલા તત્વો નરમ પડ્યા હતા અને મનપાની ટીમે નિર્ધારિત લક્ષ્યાંક મુજબ દબાણો દૂર કર્યા હતા. રસ્તા પર બિનવારસી હાલતમાં પડેલી ચીજવસ્તુઓ અને માલ-સામાનને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યની સરકારી સાહસિક સંસ્થાઓ (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે આવી કંપનીઓની બોર્ડ મીટિંગમાં ચર્ચા થનારા મુદ્દાઓનો એજન્ડા અધિકારીઓ અને સભ્યોને બેઠક પહેલાં ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ મોકલવામાં આવી છે. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેહાલ સુધી ઘણી સંસ્થાઓમાં બોર્ડ મીટિંગનો એજન્ડા છેલ્લી ઘડીએ અથવા મીટિંગના દિવસે જ રજૂ થતો હતો. પરિણામે સભ્યોને મુદ્દાઓનો પૂરતો અભ્યાસ કરવા સમય મળતો ન હતો અને ઘણી વખત ચર્ચા વિના જ મહત્વના નિર્ણયો લેવામાં આવતાં હતા. સરકારના ધ્યાનમાં આવી બાબતો આવતા હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશેનવા માર્ગદર્શનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બોર્ડ મીટિંગના તમામ મુદ્દાઓ સમયસર શેર કરવાના રહેશે. જેથી, સભ્યો તૈયારી સાથે બેઠકમાં ભાગ લઈ શકે. માત્ર તાત્કાલિક અને અત્યંત જરૂરી પરિસ્થિતિમાં જ છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશે. અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી બોર્ડ મીટિંગમાં ચર્ચાની ગુણવત્તા વધશે, નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવામાં આવશે અને સંસ્થાઓના વહીવટમાં પારદર્શિતા મજબૂત બનશે. સાથે સાથે અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન છેલ્લા 12 વર્ષથી રાજ્યની નારીશક્તિ માટે સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનું પર્યાય બની છે. ઘરેલુ હિંસા હોય કે માનસિક ત્રાસ, છેડતી હોય કે પારિવારિક વિવાદ, મુશ્કેલીમાં મુકાયેલી કોઈપણ મહિલા માટે '181' નંબર આજે આશાનું કિરણ સાબિત થઈ રહ્યો છે. આ 24 કલાક કાર્યરત સેવા માત્ર કાયદાકીય મદદ જ નહીં, પરંતુ પીડિત મહિલાઓને માનસિક હૂંફ અને સુરક્ષિત વાતાવરણ પણ પૂરું પાડે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ઉમદા કામગીરી: 38,128 કેસોમાં ઉકેલ ઝાલાવાડ પંથકમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન અભયમ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. આ સમયગાળામાં કુલ 38,128થી વધુ કેસોમાં મહિલાઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને બચાવ કામગીરી દ્વારા રાહત અપાવી છે. ખાસ કરીને તાત્કાલિક જોખમની સ્થિતિમાં રેસ્ક્યુ વાન સાથે ઘટનાસ્થળે પહોંચીને અત્યાર સુધીમાં 6,701 જેટલી મહિલાઓને સ્થળ પર જ સહાય પૂરી પાડવામાં આવી છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો, 675 કિસ્સાઓમાં ટીમે ત્વરિત પ્રતિસાદ આપી મહિલાઓની વહારે આવી છે. તૂટતા સંબંધોને જોડતું સંવેદનશીલ કાઉન્સેલિંગ અભયમ ટીમ માત્ર કાયદાકીય કાર્યવાહી સુધી સીમિત નથી, પરંતુ કુશળ કાઉન્સેલિંગ દ્વારા તૂટતા પરિવારોને બચાવવાનું માનવીય કાર્ય પણ કરે છે. ચોટીલા તાલુકાના એક કિસ્સામાં, પતિના અવસાન બાદ સામાજિક દબાણ હેઠળ દિયરવટા કરનાર મહિલા પાસેથી તેનો 7 વર્ષનો પુત્ર છીનવી લેવાયો હતો. અભયમ ટીમે સાસુ અને દિયરને કાયદાકીય અને માનવીય સમજ આપીને માતાને તેનો પુત્ર પરત અપાવ્યો હતો. તેવી જ રીતે, પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી મહિલાને પિયર પક્ષ દ્વારા ગર્ભપાત માટે કરાતા દબાણ સામે ટીમે રક્ષણ આપી બે જીવ બચાવ્યા હતા. આત્મહત્યાના મોઢામાંથી જીવન તરફ પાછી લાવી ટીમ ઘણીવાર ઘરેલુ હિંસાથી કંટાળીને મહિલાઓ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવા પ્રેરાય છે. વઢવાણ અને સુરેન્દ્રનગર રેલવે જંકશન જેવા સ્થળોએ મોતને વહાલું કરવા જતી મહિલાઓને અભયમ ટીમે સમયસર બચાવી, તેમને ભાવનાત્મક ટેકો આપીને નવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. આ ઉપરાંત, લીંબડી તાલુકામાં મહિલાનો અયોગ્ય વીડિયો ઉતારનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરાવી પીડિતાની ગોપનીયતા અને ગરિમાનું રક્ષણ પણ ટીમે કર્યું છે. સંપૂર્ણ સુરક્ષા કવચ: મૌન તોડો, 181 જોડો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અભયમ હેલ્પલાઇન જરૂર જણાય ત્યારે પીડિત મહિલાઓને પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ કે આશ્રયગૃહ સુધી પહોંચાડીને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડે છે. અન્યાય સામે મૌન રહેવાને બદલે 181 પર એક કોલ કરીને મહિલાઓ પોતાના સન્માનની લડાઈ જીતી શકે છે.
બરોડા ડેરીની ચૂંટણી સમયે રાજકારણ અગાઉથી જ ગરમાયું છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે ચાર ઝોનમાં ચૂંટણી યોજશે જ્યારે 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 17 ફોર્મ બાકી રહ્યાબરોડા ડેરી માટેના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે, આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં હવે કુલ 17 ફોર્મ રહ્યા છે. જેમાં 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ચાર ઝોનમાં ચૂંટણી યોજવામાં આવશે. આ ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો સામસામે છે. ચાર ઝોનમાં ઉમેદવારો સામસામેચાર ઝોનમાં ચૂંટણી યોજશે જેમ હરીફ ઉમેદવારમાં ઝોન 4માં હિતેશભાઈ મફતભાઈ પટેલ, પાર્થિવ શૈલેષભાઈ પટેલ, ઝોન-6માં કુલદીપસિંહ ઉદયસિંહ રાહુલજી અને સુરપાલસિંહ ચિમનસિંહ પરમાર, ઝોન-8માં દીક્ષિતભાઈ ભીખાભાઈ પટેલ અને પ્રહલાદભાઈ મંગળદાસ પટેલ તેમજ ઝોન-12માં રણજીતસિંહ મોહનસિંહ રાઠવા અને રાઠવા ગેમલભાઈ વિઠ્ઠલભાઈ સામ સામે છે. કુલ ચાર ઝોનમાં માં બે-બે ફોર્મ્સ બાકી રહ્યા છે. ડેસર બેઠક પર ખરાખરી જોવા મળશેબરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વધુ રસ લે છે ત્યારે આ બેઠક પર કુલદીપસિંહ અને સૂરપાલસિંહ બંને ભાજપના જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે સૂરપાળસિંહને મૌખિક મેન્ડેડ આપ્યું હતું ત્યારે એમ હતું કે, કુલદીપસિંહ ફોર્મ પરત ખેંચશે પરંતુ, તેઓએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અગાઉના વર્ષોમાં કુલદીપસિંહ એ કેતન ઇનામદાર સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે તેઓ ડેરીમાં ડિરેક્ટર ન બને તેવા પણ પ્રયાસો કરાયા હતા. ત્યારે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળશે. 18 માર્ચે મતદાન યોજાશેસોમવારના રોજ સત્તાવાર રીતે હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી પબ્લિશ કરાશે અને એના પછી 18 તારીખે બપોરે 3 વાગ્યા સુધી વોટિંગ થશે અને 3 વાગ્યા પછી કાઉન્ટિંગ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાંથી એક પતિ દ્વારા ફેમિલી કોર્ટના વર્ષ 2019ના ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટમાં વર્ષ 2018માં તેની પત્ની દ્વારા દાંપત્ય હક્કોની પુનઃ સ્થાપના અંગે અરજી કરવામાં આવી હતી. જેને મંજૂર કરતા કોર્ટે પતિને તેની દાંપત્ય ફરજોનું વહન કરવા હુકમ કર્યો હતો. પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશેજોકે, ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ વર્ષ 2019માં દાખલ થયેલી અપીલમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું. પત્નીની મુખ્ય ચિંતા હતી કે, તેને દીકરી 18 વર્ષની થઈ ચૂકી છે. તેના લગ્ન સમયે તેનો પતિ દીકરીના પિતા તરીકે હાજર રહે અને એક પિતા તરીકેની ફરજો નિભાવી, ધાર્મિક વિધિ તેમજ સામાજિક રિવાજો પૂર્ણ કરે. આખરે બંને વચ્ચે એક સેટલમેન્ટ ડીડ થઈ હતી. જે મુજબ બંને પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશે અને પત્ની છૂટાછેડાની અરજીમાં સહયોગ આપશે. દીકરી અને પત્નીના નામે પતિ એક રકમ આપશે. પતિ પોતાની દીકરી પ્રત્યે પિતાને દરેક જવાબદારી નિભાવશે. તેના લગ્ન સમયે હાજર રહીને પિતાની ફરજો, સામાજિક રિવાજો ઉપરાંત ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરશે. બે મહિનાની અંદર પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખનો ડીડી આપશેબંને વચ્ચે સેટલમેન્ટ ડીડ થતા પત્નીની સહમતિથી આ અપીલ મંજૂર કરવામાં આવી છે. હાઇકોર્ટે હુકમ કર્યો છે કે, બે મહિનાની અંદર પતિ પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખ રૂપિયાનો ડીડી આપશે. જેને તેમની પસંદગીની નેશનલાઈઝ બેન્કમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવશે. બંને ફેમિલી કોર્ટમાં તેમની અનુકૂળતાએ છૂટાછેડાની અરજી કરશે. ફેમિલી કોર્ટ હાઇકોર્ટના આ ચુકાદામાં કરાયેલા અવલોકનોને ધ્યાને લીધા વગર અરજી ઉપર સ્વતંત્ર પણે નિર્ણય કરશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા શક્તિને વંદન અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી 32 આશા બહેનોનું આરોગ્ય શાખા અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હિંમતનગર GMERS જનરલ હોસ્પિટલ બ્લડ બેંક અને પેથોલોજી વિભાગના સહયોગથી 75 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના ડો. રાકેશ પટેલ અને તેમની ટીમે સગર્ભા માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા બાળકના શારીરિક અને માનસિક વિકાસના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે બાળપણ દરમિયાન બાળ વિકાસના વિવિધ તબક્કે કઈ કાળજી રાખવી તે અંગે પણ વિશેષ જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આશા કાર્યકરોએ તેમના પરિવારમાં ગર્ભ સંસ્કાર વિધિ અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણનું મહત્વ અને તેના ફાયદાઓ અંગે પણ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેરાવળમાં જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન:વિકસિત ભારત 2047 અભિયાન અંતર્ગત યોજાઈ
વેરાવળમાં વિકસિત ભારત 2047 અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. માય ભારત અને ચોકસી કોલેજ, વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા અને સંસદીય પરંપરાઓ સમજવાની તક મળી હતી. આ કાર્યક્રમ ચોકસી કોલેજના કેમ્પસ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશ ભાજપના અગ્રણી અને જૂના જનસંઘી નેતા ઝવેરીભાઈ ઠકરાર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશ મયાત્રા, અગ્રણી કેળવણીકાર પ્રોફેસર જીવાભાઈ વાળા, સોમનાથ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ, ચોકસી કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ. જીગર રાવલ અને એનએસએસ પાંખના સંચાલક પ્રોફેસર અર્જુન ચોચા સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઝવેરીભાઈ ઠકરારે વિદ્યાર્થીઓને દેશના કટોકટીકાળ (ઈમરજન્સી) દરમિયાનની પરિસ્થિતિઓનો જીવંત ચિતાર આપ્યો હતો. તેમણે પોતાના અનુભવો અને સંઘર્ષની વાતો રસપ્રદ રીતે રજૂ કરી હતી, જેને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સુકતા અને ધ્યાનપૂર્વક સાંભળીને લોકશાહી મૂલ્યોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર રાવલે જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંસદની પ્રક્રિયા, ચર્ચા-વિચારણા અને લોકશાહી મૂલ્યો વિશે પ્રાથમિક તાલીમ મળશે. અહીંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની યુથ પાર્લામેન્ટમાં ભાગ લેવાની તક મળશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાનો તેમજ સંસદ અને ધારાસભામાં ધારાસભ્યો અને સાંસદો જે રીતે પોતાની રજૂઆતો કરે છે, તે પ્રક્રિયાનો અનુભવ તેમને કોલેજકાળથી જ મળી રહે તેવો છે. યુવાનોમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની સમજ વિકસે તેવા શુભ આશય સાથે આ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એનએસએસના કો-ઓર્ડિનેટર પ્રો. અર્જુન ચોચાએ કર્યું હતું.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નામદાર કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની તપાસ કરવાના આદેશ જારી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ACPની રેડ કરાવશો તો જાનથી મારી નાખીશઆ કેસની વિગત મુજબ ફરિયાદી જનકભાઈ બાલુભાઈ માલાણીએ આક્ષેપ કર્યો છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ બી.જી. ઉર્ફે ભરતભાઈ (સલાબતપુરા પો.સ્ટે.) એ તેમને ફોન કરી ડરાવ્યા હતા. આરોપીએ ફોન પર એવી ધમકી આપી હતી કે, મેં સલાબતપુરા પોલીસ સ્ટેશનનો વહીવટ લીધેલો છે, જો હવે તું સલાબતપુરામાં ACPની રેડ કરાવીશ તો તને પતાવી દઈશ, તું ધ્યાન રાખજે. આ ધમકી બાદ ફરિયાદીએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત ન સાંભળતા ફરિયાદી કોર્ટના શરણેફરિયાદી જનકભાઈએ આ મામલે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં પણ લેખિત રજૂઆત કરી હતી. જોકે, પોલીસ વિભાગ દ્વારા પોતાના જ કર્મચારી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા અથવા FIR ન નોંધાતા ફરિયાદીએ આખરે એડવોકેટ આર.બી. કૈદુરા અને અશ્વિન રાખેલિયા મારફતે સુરતની નામદાર કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તપાસમાં પારદર્શિતા માટે PI ને આપ્યા આદેશનામદાર કોર્ટે આ મામલાની ગંભીરતા જોઈને મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે અવલોકન કર્યું કે જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારી સામે તપાસ તે જ સ્ટેશનના અધિકારી કરે તો નિષ્પક્ષતા જળવાય નહીં. આથી, નામદાર કોર્ટે ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. ને આ કેસની તપાસ સોંપી છે અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે. પોલીસ અધિકારી સામે ગુનો નોંધવા નામદાર કોર્ટનો આખરી હુકમસમગ્ર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે, કાયદો દરેક માટે સમાન છે અને પોલીસ અધિકારી પણ જો ગુનાહિત કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 માર્ચ, 2026 ના રોજ યુનિવર્સિટીના 400 થી વધુ મહિલા અધ્યાપકો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ હેડ એના વિનોચાએ કર્યું હતું. મહિલાઓ સમાજ અને સંસ્થાનું મજબૂત પાસું છે તે સ્વીકારીને, તેમને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક મહિલા કર્મચારીને ફૂલ, ચોકલેટ, એક શુભેચ્છા પત્ર અને એક ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ભેટો મહિલા કર્મચારીઓ ઓફિસ પહોંચે તે પહેલાં તેમના ટેબલ પર મૂકવામાં આવી હતી. આ અચાનક મળેલી ભેટથી તમામ મહિલા કર્મચારીઓ આનંદિત થયા હતા અને તેમણે સંસ્થા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીનો આ નાનકડો પ્રયાસ મહિલા શક્તિને તેમની સશક્તતા અને કાર્યક્ષમતાનો અનુભવ કરાવવાનો હતો. સી.વી.એમ. યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમની આ પહેલને શૈક્ષણિક જગતમાં પણ સરાહના મળી રહી છે.
પાટનગર ગાંધીનગરમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-ખેલતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગૃહ વિભાગના નિવૃત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુભાઈ નાયક સામે મરવા મજબૂર કરવાનો અને વ્યાજખોરીનો ગંભીર ગુનો સાંતેજ પોલીસ મથકે નોંધાયો છે. મૃતક પાસેથી મળી આવેલી બે પેજની સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર નિવૃત PSI દ્વારા વધુ દોઢ કરોડની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, વ્યાજખોર નિવૃત્ત પોલીસ અધિકારીએ ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીના પુત્રનું અપહરણ કર્યું હતું અને ધાકધમકી આપી તેમની મિલકત પણ પચાવી પાડી હતી. નિવૃત સેક્શન ઓફિસરે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરીગાંધીનગરના સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જ્વાલિન પ્રકાશભાઈ નાયક સાબરમતી ગેસ લીમીટેડ ખાતે નોકરી કરે છે. જેના પિતા પ્રકાશભાઇ ભગવાનદાસ નાયક આશરે પાંચેક વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના ગૃહવિભાગમાં સેક્શન ઓફિસર તરીકે વી.આર.એસ. લઇ નિવૃત થયા હતાં. જેઓએ સેકટર 4સી પ્લોટ નંબર 779/1 માં પત્ની રચનાબેન સાથે રહેતા હતા. 10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાંજ્યારે જ્વાલિન તેની પત્ની બોસ્કી સાથે સરગાસણ રહે છે. જે હાલ CAની પ્રેક્ટીશ કરે છે. આજથી એકાદ વર્ષ શેરબજારમાં રોકાણ કરવા રૂપિયાની જરૂરીયાત હોવાથી જ્વાલિને સમાજના રીટાયર્ડ PSI શૈલેષભાઈ બચુભાઈ નાયક (રહે. પ્લોટ નંબર 576/2, સેક્ટર 5/બી, ગાંધીનગર) પાસેથી રૂ.10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાં. દોઢ કરોડની પઠાણી ઉઘરાણીજોકે રુપિયા આપ્યાના વીસેક દિવસમાં જ નિવૃત PSI નાયકે વ્યાજ અને પેનલ્ટીના બહાને પૈસાની કડક ઉધરાણી શરૂ કરી હતી. જે પેટે આજદીન સુધી જ્વાલિને નિવૃત PSIને ટુકડે ટુકડે 90 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં નિવૃત પીએસઆઈએ હજુ દોઢ કરોડ બાકી નીકળે છે તેમ કહી ધમકાવવાનું શરૂ કરી જ્વાલિનનો પાસપોર્ટ પણ પડાવી લીધો હતો. પુત્રનું અપહરણ કરીને મિલકત પચાવી પાડીઆટલું ઓછું હોય એમ નિવૃત પીએસઆઈ નાયકે જ્વાલિનને ગાડીમાં બેસાડીને સેકટર 4માં નોટરી પાસે લઈ જઇ સરગાસણના ફ્લેટનો કબ્જા સાથેના બાનાખત કરાવી લીધો હતો. જેમાં પત્નીની સહી પણ જ્વાલિન પાસે કરાવી હતી. આટલેથી નહીં અટકેલા શૈલેષ નાયકે 28 જાન્યુઆરી 2026 ના રોજ 90 લાખનો ચેક બેંકમાં ભરીને નોટિસ મોકલી આપી હતી. પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી આખરે દિન પ્રતિદિન નિવૃત પીએસઆઇ નાયકનો ત્રાસ વધી જતા જ્વાલીને સઘળી હકીકત પોતાના પિતા પ્રકાશભાઈને કરી હતી. ત્યારે 19 ફેબ્રુઆરીએ શૈલેષ નાયક પ્રકાશભાઈને પોતાની સાથે સેકટર 4 ખાતે લઈ ગયો હતો. અને પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી હતી. જેના ચારેક દિવસ પછી 23 ફેબ્રુઆરીએ જ્વાલિન પાટણ ગયો હતો . એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યુંએ વખતે સાડા ચારેક વાગે તેની પત્નીએ ફોન કરી જાણ કરેલી કે , પપ્પાનું એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યું છે પણ તેઓ ફોન ઉપાડતા નથી. જેના પગલે જ્વાલિન પરત ગાંધીનગર આવી ગયો હતો. અને તેને જાણવા મળેલું કે, તેના પિતા તેની માતાને સરગાસણ ઉતારીને આવું છું કહી ઘરેથી નીકળી ગયા હતા. પહેલાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજમાં નોંધાઈબાદમાં તેમણે જ્વાલિનના પિતરાઈ ભાઈ જલદીપને લોકેશન મુકી મેસેજ કરેલો કે 'પ્લીઝ કમ'. આથી બધા લોકેશન વાળી જગ્યાએ પહોંચતા બિનવારસી હાલતમાં એક્ટિવા અને ફોન મળી આવ્યો હતો. એ વખતે ફાયર ટીમોએ કેનાલમાં પ્રકાશભાઈની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો. જેથી કરીને ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુસાઈડ નોટ મળી ને નિવૃત્ત PSI સામે ગુનો નોંધાયોદરમિયાન 26 ફેબ્રુઆરીએ પ્રકાશભાઈની લાશ ગણપતપુરા કેનાલના સાયફનમાંથી મળી આવી હતી. જે બાબતે સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતક પ્રકાશભાઈના ફોનમાંથી 20 ફેબ્રુઆરીના રોજ લખેલી સુસાઈડ નોટના ફોટા હતાં. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા પુત્ર જ્વાલીનને શૈલેષભાઈ નાયકે 10 લાખ વ્યાજે આપ્યા હતા, જેની સામે 90 લાખ ચૂકવ્યા હોવા છતાં શૈલેષભાઈ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાથી હું સખત આઘાતમાં છું અને આત્મહત્યા કરું છું. જેના પગલે સાંતેજ પોલીસે આઇબી વિભાગમાંથી નિવૃત્ત થયેલા PSI શૈલેષ નાયક વિરુદ્ધ દુષ્પ્રેરણા સહિતના કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા ખાતે આજે યોજાયેલી આ સંકલનસભા શહેરના વિકાસના કાર્યો અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકોમાં કમિશનર, શહેરના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થયો હતો જેમાં શહેરના અનેક પ્રશ્નો અને વિકાસના કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં કુમાર કાનાણી દ્વારા પોતાના વિસ્તારની ઉગ્ર રજૂઆતો કરતા અધિકારીઓ પર લાલ ઘૂમ થયા હતા. ઇન્ડસ્ટ્રિયલ જે રેસિડેન્શિયલ ઝોનમાં બની જાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સૌ પહેલાં તો મારી જે આજે રજૂઆત થઈ છે કમિશનરની સંકલનની અંદર, એ ઇન્ડસ્ટ્રિયલ જે રેસિડેન્શિયલ ઝોનમાં બની જાય છે. રેસિડેન્ટમાં લોકો રહે છે, લોકો સોસાયટીમાં રહે છે અને એની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવે છે, ગોડાઉનો આવે છે અને જે થાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, આ મુખ્ય મુદ્દો મારો હતો. દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા ભયાનક બની છેબીજો મુદ્દો એ છે કે, ઘણા સમય પહેલાં પોલીસ કમિશનર અને મેયરે વરાછા રોડની વિઝિટ કરી હતી. મારી પહેલાં પણ રજૂઆત હતી કે, બ્રિજની નીચે જે દબાણો થાય છે, જે ગેરકાયદેસર લોકો રહે છે વરાછા રોડ પર અને મુખ્ય રોડ પર, વરાછા વિસ્તારની અંદર જે લારી-ગલ્લાના જે દબાણો છે, એ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી ભયંકર બની છે તો એના રજૂઆતના આધાર પર પોલીસ કમિશનર અને મેયરે વિઝિટ કરી અને ખૂબ સારી કામગીરી, ઓપરેશન કર્યું હતું. કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય એવી મારી માંગ છે.એ 15 દિવસ જે કામગીરી ચાલી, ફરીવાર વરાછા રોડની પરિસ્થિતિ એની એ જ બની ગઈ છે અને એટલા માટે એ પરિસ્થિતિની અંદર ફરીવાર પહેલાં જે કામગીરી થઈ હતી, એવું તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના દબાણો દૂર થાય, બ્રિજની નીચેથી જે ગેરકાયદેસર લોકો રહે છે એને પણ દૂર કરવામાં આવે અને આ કામગીરી કાયમી ધોરણે રહે એ વાત આજે મે મ્યુનિસિપલ કમિશનરને કરી છે અને કાલની સંકલનની અંદર પણ પોલીસ કમિશનરને પણ આ વાત કરી છે અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય એવી મારી માંગ છે. પાણીની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક લાવોધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું કે, સુરતની અંદર ઉધના વિસ્તાર, એટલે ઉધના વિસ્તારમાં શ્રમજીવીઓનો વિસ્તાર, નાના-નાના માણસોનો વિસ્તાર છે. જે વર્ષો પહેલા 1985 પહેલા જ્યાં જ્યાં સોસાયટીઓ બની ગયેલી છે, એ સોસાયટીઓની ગટરો જૂની થઈ છે. યા તો એ પાણીનું જે વિતરણ થવું જોઈએ, એની એક મર્યાદા કરતા ગટરો સાંકડી છે. એને નવી ગટરો બનાવવાનું કામ, એની ઉપર પાણીની વ્યવસ્થા, પાણીની લાઈનો એના ઉપર આપીને સારું એક નવી પાણીની લાઈનો આપવાનું કામ અને એના પછી એને RCCના રોડ બનાવવાનું કામ આ બધી જ વ્યવસ્થાઓને સાંકળી લીધી છે. અને આ જટિલ જે પ્રશ્ન હતો, ઉધના વિસ્તારના દરેક રહીશો માટે પાણી મિક્સ ક્યાંક ક્યાંક આવતું હોય યા તો પાણીનો ફોર્સ ઓછો આવતો હોય, આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આ પ્રશ્નોથી થઈ જાય છે અને કમિશનરે અમને હૈયાધારણ આપી છે કે દરેક સોસાયટીની અંદર સારા પાણી માટે નળની વ્યવસ્થા સારી રીતે, ફોર્સફુલી પાણી આવે અને ગટરની વ્યવસ્થા, ઉપર RCCના રોડ એ કમ્પલસરી કરવાના છે અને સારી રીતે કરવાના છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેઈન રોડ પર જે મેઈન રોડ છે મોટા, એની અંદર જે મેઈન ગટરોની લાઈનો છે એ પણ ઘણા વર્ષોની જૂની છે તો એને પણ રિ-ડેવલોપ કરી અને મોટી એને મોરિયો મોટી કરી અને સારી રીતે કરીને એનું ડેવલોપમેન્ટ કરી અને એમાં પણ પાણીની અવરજવરની વ્યવસ્થા ગટરવાળા પાણીનો નિકાલ થઈ શકે એ માટેનું કરેલું છે. રહી વાત બીજી કે અમારે ઉધના ઉધના-મગદલ્લા રોડથી નવસારીના મેઈન રોડ ઉપર, જેનો ટ્રાફિકનો પ્રશ્ન છે. ટ્રાફિકના પ્રશ્ને મેઈન રોડની બે બાજુ જે સર્વિસ રોડ છે, એ સર્વિસ રોડ ક્યાંક ને ક્યાંક એની એલાઈનમેન્ટની બહાર છે, તો એલાઈનમેન્ટ એમાં પૂરું નથી થયું. તો એ એલાઈનમેન્ટના મુદ્દે એલાઈનમેન્ટની એ જોઈને એની માપણી જોઈને એલાઈનમેન્ટ થઈ શકે અને એલાઈનમેન્ટ કર્યા પછી એ રોડ પહોળા રહે અને પહોળા જે ટ્રાફિક છે, એની ઉપર જે દબાણો છે એ દબાણો જો દૂર થાય તો ઉધનાથી નવસારી રોડ પર આવતી જતી આપણા જે રહીશો છે, આપણા મતદારો છે, આપણા પરિવારો છે, એ લોકોને પોતપોતાની સોસાયટીમાં જવા માટે કોઈ ટ્રાફિકની અગવડ ન પડે એ માટેની એક વ્યવસ્થા છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા અને સુવ્યવસ્થિત આયોજન કરવા માટે કોંગ્રેસ દ્વારા કુલ 7 જેટલી મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની કામગીરી, જવાબદારીઓ અને ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરવા માટે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી, જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી છે. આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડાઈબેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાર્ટી કેવી રીતે સક્રિય રીતે મેદાનમાં ઉતરશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દરેક સમિતિની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી. પાર્ટીના સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવા અને કાર્યકરો સાથે સતત સંવાદ રાખવા તેમજ સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો સુધી પહોંચવા સૂચના આપવામાં આવી છે. જનતાના મુદ્દાઓ અને કૌભાંડ મામલે લડતના એંધાણતેમજ બેઠકમાં ચૂંટણી માટે વિશેષ ચૂંટણીલક્ષી પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન મતદારો સુધી પહોંચવા માટે પ્રચારની રણનીતિ, સ્થાનિક સમસ્યાઓને મુદ્દો બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ચાલતા કૌભાંડ મુદ્દે વિરોધ કરી જનતાને પોતાની તરફ આકર્ષવા માટેના પણ કોંગ્રેસ પ્રયાસ કરવાની છે. જનતાની સમસ્યા તેના સાથે ઊભા રહી તેમના મુદ્દાઓની ચર્ચા કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો મત ખેંચવા માટેની તૈયારી કરી રહી છે. જનતાના મુદ્દો પર લડત લડીને તેમને કોંગ્રેસ તરફ લાવવા માટે બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ દરેક સમિતિઓ આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સ્તર પર અલગ કાર્યકમ પણ કરશે. ઉમેદવારની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છેઃ મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં કેવી રીતે તૈયારી કરવી તેને લઈને વાતચીત કરવામાં આવશે. તેમજ ચૂંટણી માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવશે. અત્યારે તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચાઃ મનીષ દોશી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતની જનતાને જે પ્રમાણે વિશ્વાસ છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની આજે બેઠક મળી હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. તમામ કમિટી એકબીજા સાથે સંકળાયેલી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચા થઈ છે. ચૂંટણી દરમિયાન સમિતિઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સમિતિઓ પોતાની અલગ-અલગ બેઠક કરીને રણનીતિ તૈયાર કરશે. ‘મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો’વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા કોંગ્રેસ પર આશા રાખી રહી છે. દરેક કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બેઠક કરવામાં આવી હતી. મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો, પરંતુ અમે જનતા શું અપેક્ષા રાખે છે? અને તે લોકોની શું સમસ્યા છે? તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. તમામ સમાજના લોકોને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. કમલમ, કમિશનનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમાં ગુજરાતની જનતાને કઈ રીતે ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ આગળ વધશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે નારી ગૌરવ – હરિત ઉપહાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે NGES કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી 200થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ પરિવાર અને સામાજિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખીને સંસ્થાના વિકાસ અને પ્રગતિમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે. સન્માનના પ્રતીક રૂપે દરેક મહિલાને એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. આ ઉપહાર માત્ર સન્માન જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટેના સંકલ્પને પણ દર્શાવે છે. એક નારી – એક છોડના સંદેશ સાથે, આ અભિયાન દ્વારા મહિલાઓની પ્રેરણાથી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, મહિલાઓ માત્ર પરિવારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસની શક્તિશાળી આધારશિલા છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ અને કેમ્પસની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. ઝેડ. એન. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.
યુદ્ધની અસર ગુજરાતના ડેરી ઉદ્યોગ પર:ગેસ સપ્લાયમાં 40% કાપ, પ્રોડક્શન પર અસર પડવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. સરકાર દ્વારા ડેરી ઉદ્યોગને આપવામાં આવતા ગેસ સપ્લાયમાં 40 ટકા સુધી કાપ મૂકવાની મૌખિક સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે ડેરી ઉદ્યોગના ઉત્પાદન પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશેમળતી માહિતી મુજબ અત્યાર સુધી ડેરી ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવતો હતો પરંતુ, નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશે. બાકી રહેલા 40 ટકા ગેસ માટે ડેરી સંસ્થાઓને નવા અને ઊંચા ભાવ ચૂકવવા પડશે. ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતાડેરી ઉદ્યોગનું મોટાભાગનું પ્રોડક્શન સંપૂર્ણપણે ગેસ આધારિત હોવાથી ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા છે. પરિણામે દૂધ તથા દૂધજન્ય ઉત્પાદનોના ઉત્પાદન પર અસર થવાની ચિંતા ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. સરકારે ગેસ સપ્લાયમાં કરાયેલા આ ફેરફાર અંગે હાલ મૌખિક સૂચના આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ સપ્લાયમાં ઘટાડો યથાવત્ રહેશે તો તેની સીધી અસર ડેરી ઉદ્યોગના પ્રોડક્શન અને ખર્ચ પર પડશે.
દેશમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવી રહેલા નવા ફેરફારો અને તેની ઉદ્યોગો પર પડનારી અસરોને વાચા આપવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) સક્રિય થઈ છે. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 2 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE)ના સચિવ સંતોષ કુમાર સારંગી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ALMM-II (Approved List of Models and Manufacturers) હેઠળ મંજૂર સોલાર સેલ્સના ફરજિયાત અમલીકરણની તારીખ લંબાવવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અમલીકરણની તારીખ લંબાવવા વિનંતીચેમ્બરના પ્રતિનિધિમંડળમાં પૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ અને સેક્રેટરી પૌલિક દેસાઇનો સમાવેશ થયો હતો. તેઓએ મંત્રાલયના 9 ડિસેમ્બર, 2024ના ઓર્ડરનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, આગામી 1 જૂન, 2026થી ગ્રિડ-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ALMM-II હેઠળના સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત છે. જોકે, હાલની જટિલ ઉદ્યોગ પરિસ્થિતિ અને વ્યવહારુ મુશ્કેલીઓને જોતા આ નિર્ણયનો અમલ 1 જૂન, 2027 સુધી એટલે કે એક વર્ષ માટે મુલતવી રાખવા મજબૂત રજૂઆત કરવામાં આવી હતી. માંગ અને પુરવઠા વચ્ચેનું અસંતુલનરજૂઆત દરમિયાન ઉદ્યોગના આંકડાકીય પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે, હાલમાં ભારતમાં TOPCon સોલાર સેલ્સની ઉત્પાદન ક્ષમતા આશરે 12 GW જેટલી જ છે, જેની સામે બજારમાં માંગ અનેકગણી વધારે છે. બીજી તરફ, Mono PERC સોલાર સેલ્સનું ઉત્પાદન વધુ હોવા છતાં તેની બજારમાં માંગ ઓછી છે. આ અસંતુલનને કારણે સોલાર પ્રોજેક્ટ્સ અટકી પડવાની કે મોડા પડવાની શક્યતા છે. ગુણવત્તા અને આર્થિક બોજની ચિંતાચેમ્બરે ટેકનિકલ પાસાઓ તરફ સચિવનું ધ્યાન દોરતા કહ્યું કે, દેશી TOPCon સેલ્સ અને આયાતી સેલ્સ વચ્ચે ગુણવત્તામાં મોટો તફાવત છે. ભારતીય સેલ્સ હજુ વિકાસના તબક્કામાં હોવાથી પ્રોજેક્ટની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ ઉપરાંત, આર્થિક ભારણ અંગે ચોંકાવનારી વિગત આપતા જણાવ્યું કે, દેશી અને આયાતી સેલ્સ વચ્ચે પ્રતિ વોટ આશરે 9 રૂપિયાનો તફાવત છે. આ તફાવતને કારણે પ્રતિ મેગાવોટ અંદાજે 90 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે, જે સોલાર એસેટ્સને અકાર્યક્ષમ બનાવી શકે છે. લક્ષ્યાંક પ્રાપ્તિમાં અવરોધની શક્યતાજો અત્યારથી જ આ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે, તો સોલાર પ્રોજેક્ટ્સના મૂડી ખર્ચમાં તોતિંગ વધારો થશે. આનાથી ભારત સરકારના વર્ષ 2030 સુધીમાં 500 GW નવીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પર બ્રેક લાગી શકે છે. પ્રતિનિધિમંડળની તમામ બાબતોને સચિવ સંતોષ કુમાર સારંગીએ ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી અને આ અંગે મંત્રાલય કક્ષાએ યોગ્ય વિચારણા કરી હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. 8 વર્ષના લગ્નજીવન બાદ અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે ડિવોર્સનો મુદ્દો એટલો વણસ્યો કે પત્નીએ પોતાના મિત્ર સાથે મળીને પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ધૂળેટીના તહેવારના દિવસે જ બનેલી આ ઘટનામાં પતિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં તેની સર્જરી કરાવવાની નોબત આવી છે. 8 વર્ષનું લગ્નજીવન અને 8 મહિનાનો વિરહલિંબાયતના આસપાસનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય અમોલ શંભાજી પાટીલ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમોલના લગ્ન આઠ વર્ષ પહેલા મમતા ઉર્ફે કાજલ સાથે થયા હતા. શરૂઆતના વર્ષોમાં સંસાર સારો ચાલ્યો અને તેમને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ વધતા બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, છેલ્લા આઠ મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતા અને તેમનો પુત્ર પિતા અમોલ સાથે જ રહેતો હતો. ધુળેટીના રંગમાં ભળ્યો લોહીનો રંગઆ ઘટનાની વિગત મુજબ ગત 4 માર્ચના રોજ ધૂળેટીના દિવસે અમોલ પાટીલ તહેવાર મનાવીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લિંબાયત નં.1 પ્લોટ નં.224 પાસે તેની પત્ની મમતાએ તેને અચાનક અટકાવ્યો હતો. પત્નીએ વાતચીત કરવાના બહાને અમોલને રોક્યો અને જોતજોતામાં ડિવોર્સ બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન મમતાનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને અમોલ પર હુમલો કરી દીધો હતો. 'ડિવોર્સ કેમ નથી આપતો?' કહી ચપ્પુના ઘા ઝીંક્યાતપાસમાં સામે આવ્યું છે કે, મમતાનો મિત્ર સતિલાલ અમોલ પર સતત દબાણ કરી રહ્યો હતો. આ હુમલા દરમિયાન સતિલાલે બૂમ પાડી હતી કે, તું મમતા કો ક્યુ ડિવોર્સ નહીં દેતા? આટલું કહી તેણે અમોલને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા સતિલાલે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે અમોલ પર હુમલો કર્યો હતો. અમોલના ડાબા પગના ભાગે અને માથામાં ચપ્પુના ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં સર્જરીની તૈયારી, પોલીસ એક્શનમાંહુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અમોલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર ઈજાઓ ખૂબ જ ઊંડી હોવાથી તેની તાત્કાલિક સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લિંબાયત પોલીસમાં પત્ની અને મિત્ર વિરુદ્ધ ફરિયાદલિંબાયત પોલીસે આ મામલે સતિલાલ ઉર્ફે બુમલા અને પત્ની મમતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો ડિવોર્સ માટે દબાણ કરવાના ઈરાદે જ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં ધરપકડની ખાતરી આપી છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો પર પણ જોવા મળે છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે.ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનારના પથરાળ અને કપરા ચઢાણ વાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે. ગિરનાર અભયારણ્યની ભૌગોલિક સ્થિતિ અને વન્યજીવોની વિવિધતા વિશે વાત કરતા એસીએફ સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે 'અભયારણ્ય' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ વનરાજીમાં ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ અને નીલગાય જેવા અનેક શાકાહારી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ શાકાહારી પ્રાણીઓની હાજરીને કારણે અહીં ઇકોસિસ્ટમ જળવાયેલી રહે છે, પરિણામે ડાલામથ્થા સિંહ અને ચપળ દીપડા જેવા માંસાહારી વન્યજીવોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ તમામ જીવો માટે ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત બની જાય છે. ગિરનારના જંગલમાં કુદરતી વહેણા અને નાળાઓ ચોમાસા દરમિયાન સક્રિય હોય છે, પરંતુ મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી સ્ત્રોતો તળિયાઝાટક થઈ જતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે પાણીના કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સાથે પણ સાંકળવામાં આવી છે. કુલ 56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે, જે સૂર્યપ્રકાશની મદદથી આપમેળે પાણી ખેંચીને કુંડા ભરે છે. આ ઉપરાંત 8 પોઈન્ટ્સમાં પવનચક્કી દ્વારા પવનની ગતિનો ઉપયોગ કરીને પાણી પુરવઠો જાળવવામાં આવે છે. જ્યાં આ બંને સુવિધાઓ પહોંચી શકે તેમ નથી, તેવા દુર્ગમ વિસ્તારોમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિતપણે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. માત્ર પાણી પૂરું પાડવું જ પૂરતું નથી, પરંતુ તે પાણી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. આ માટે વન વિભાગે દરેક રાઉન્ડ દીઠ બે-બે સમર્પિત રોજમદારોની નિમણૂક કરી છે. આ કર્મચારીઓ દરરોજ દરેક વોટર પોઈન્ટની મુલાકાત લે છે, કુંડામાં રહેલો કચરો કે જૂનું પાણી ખાલી કરી, તેને વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરે છે અને ત્યારબાદ જ તેમાં તાજું પાણી ભરવામાં આવે છે. આ સતત મોનિટરિંગને કારણે વન્યજીવોને કોઈ પણ પ્રકારના રોગચાળાનો ભય રહેતો નથી અને તેમને 24 કલાક પીવા માટે ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે છે. ઉનાળાના મધ્યાહને જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે, ત્યારે વન્યપ્રાણીઓના શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીમાં ઓ.આર.એસ (ORS) પાઉડર ભેળવવામાં આવે છે. આ દ્રાવણ પ્રાણીઓના શરીરમાં પાણી અને આવશ્યક ક્ષારોનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ હીટવેવ સામે લડી શકે. વન વિભાગની સંવેદનશીલતા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મધમાખી અને પતંગિયા જેવા નાના કીટકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. વોટર પોઈન્ટની દિવાલો પર જ શણના કોથળા રાખવામાં આવે છે જેમને સતત પાણીથી ભીના રાખવામાં આવે છે. મધમાખીઓ આ ભીના કોથળા પર બેસીને સુરક્ષિત રીતે ભેજ અને પાણી મેળવી શકે છે, જે ઇકોસિસ્ટમના સંવર્ધન માટે અત્યંત જરૂરી છે. આ સમગ્ર જહેમત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોનું રક્ષણ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષને ન્યૂનતમ કરવાનો છે. અનુભવ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે જંગલના અંદરના ભાગમાં પાણી ખૂટી જાય છે ત્યારે તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને ગામડાઓ કે રહેણાંક વિસ્તારો તરફ વળે છે, જે ઘણીવાર સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. જોકે, ગિરનારના પહાડોમાં જ પૂરતા પ્રમાણમાં અને આધુનિક પદ્ધતિથી પાણીની સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી, વન્યજીવો જંગલની શાંતિમાં રહીને પોતાની તરસ છિપાવી શકે છે. આમ, જૂનાગઢ વન વિભાગની આ વ્યવસ્થા વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં પ્રકૃતિના નાનામાં નાના જીવની કાળજી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં મહેશ્વરી એસ્ટેટમાં આવેલી નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનામાં દાઝી જવાના કારણે ચાર કારીગરોના મૃત્યુ થયા છે. આગ લાગી ત્યારે ચારેય કારીગરો બાજુના ધાબા ઉપર પરથી નીચે ઉતરી ગયા હતા. જોકે આગ બુજાવવા જતા તેઓએ દુકાનનું શટર ખોલી નાખ્યું અને અચાનક જ સામે આગની જાળ લાગતા દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન ચારેયનું મૃત્યુ થયું હતું. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. માધુપુરાની આવકાર ફૂડ્સનો બનાવમળતી માહિતી મુજબ શહેરના માધુપુરા વિસ્તારમાં હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવકાર ફૂડસ નામની નમકીન બનાવવાની ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી એવા ચાર કારીગરો રહેતા હતા અને કામ કરતા હતા.3 માર્ચે મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી જેમાં ચારે કારીગરો ઉપર સૂતા હતા આગ લાગી અને ધુમાડો પ્રસરતા ચારેય જાગી ગયા હતા. નીચે આગ લાગેલી હતી જેથી નીચે જવાય નહીં તેના માટે તેઓ ઉપરની બાજુની ફેક્ટરીમાં થઈ અને ઝાડ પરથી સીધા નીચે ઉતર્યા હતા. ચારેયના સારવાર દરમિયાન મોતનીચે ઉતરી ગયા બાદ દુકાનમાં લાગેલી આગ અને બુજાવવા માટે દુકાનમાં મૂકવામાં આવેલા ફાયર બ્રિગેડના બાટલા લઈને આગ બુજાવવાનો પ્રયત્ન કરવા શટર ખોલવાનો પ્રયત્ન કરતો અને જેવું શટલ ખુલ્યું કે તરત જ આગની જાળ લાગી ગઈ હતી અને શટર પણ તૂટી ગયું હતું. જેથી તારે ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માધુપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોના નામઅરવિંદ પરમાર (ઉ. વ. 18)કુલદીપસિંહ રાજપુત (ઉ. વ. 18)સુભાષ પરમાર (ઉ. વ. 26)કૈલાશ વણઝારા (ઉ. વ. 34)
વડોદરાના બિલ-કલાલી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં સફાઈ કામ કરવા આવેલા મજૂરો દ્વારા લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 2.75 લાખની ચોરી કરાઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન માલિકે આ મામલે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘરની સફાઈ માટે ચામુંડા હોમ ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતોબિલ-કલાલી રોડ પર પુષ્પક હોમ સોસાયટી સામે રોયલ હેરીટેજ વિલામાં રહેતા અલ્પેશકુમાર બદરીલાલ જૈન (ઉ.વ.41) બિરલા ઓપસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ પત્ની શેફાલીએ ઘરની સફાઈ માટે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ચામુંડા હોમ ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી આ કામ ક્રિષ્ણા ક્લીનિંગ સર્વિસ મારફતે સાવરિયા દીપ ક્લીનિંગ સર્વિસને સોંપાયું હતું. ત્રણ મજૂરો દ્વારા ઘરની સફાઈ ચાલતી હતીતા.24 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ જૈન કંપનીના કામસર મુંબઈ ગયા હતા. ત્યારબાદ તા.1 માર્ચે સાંજે લગભગ સવા 5 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્ની અને દીકરી ઘરે હાજર હતા તથા ત્રણ મજૂરો દ્વારા ઘરની સફાઈ ચાલતી હતી. આ મજૂરોમાં હીરા કીર, બાબુ કીર અને પ્રકાશ કીર નામના વ્યક્તિઓ હતા અને તેઓ રાજસ્થાનના વતની હોવાનું જણાવ્યું હતું. સફાઈકામની 5 હજાર મજૂરી લઈને મજૂરો નીકળી ગયાસફાઈ કામ પૂર્ણ થયા બાદ હીરા કીરે મજૂરીના 5000 માંગ્યા હતા. અલ્પેશ જૈને ઓનલાઈન ચુકવણી કરવાની વાત કરતા હીરાએ પોતાના ફોનમાં ટ્રાન્ઝેક્શન ન થતું હોવાનું કહી સાવરિયા ક્લીનિંગના લાલાભાઈ કીર પાસેથી વોટ્સએપ મારફતે સ્કેનર મંગાવી દીધું હતું. ત્યારબાદ અલ્પેશ જૈને સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ઓનલાઈન 5000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ત્રણેય મજૂરો એક બાઈક લઈને ત્યાંથી નીકળી ગયા હતા. રાતે લોકરની તપાસ કરી તો 2.75 લાખનો સામાન ગાયબ હતોરાત્રે લગભગ 11 વાગ્યે અલ્પેશ જૈન અને તેમની પત્નીએ મકાનના પ્રથમ માળે આવેલા કબાટમાં રાખેલા લોકરની તપાસ કરતાં તેમાં મુકેલા સોનાની પાયલ, બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની મૂર્તિઓ તથા રૂ.25 હજાર રોકડ મળી કુલ અંદાજે 2.75 લાખનો સામાન ગાયબ જોવા મળ્યો હતો. પત્નીએ જણાવ્યું કે બપોરે કબાટ ખુલ્લું હતું અને લોકરની ચાવી ઉપર જ મૂકી હતી. તે સમયે ચા બનાવવા માટે નીચે ગયેલી વચ્ચે મજૂરો દ્વારા લોકર ખોલીને ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે બીજા દિવસે મજૂરોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેમના મોબાઈલ ફોન બંધ આવતા અલ્પેશ જૈનની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 5 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડથી પાચનતંત્ર -કિડનીને ગંભીર નુકસાન સામાન્ય રીતે પનીર બનાવતી વખતે દૂધ ફાડવા માટે લિમિટેડ માત્રામાં ફૂડ ગ્રેડ એસિટિક એસિડ અથવા સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. પરંતુ પકડાયેલા આરોપી મહેશ શર્માના કારખાનામાં SOG એ તપાસ કરતા જાણવા મળ્યું કે, તે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતું એસિટિક એસિડ વાપરતો હતો. આ એસિડ માનવ શરીર માટે અત્યંત જોખમી છે અને તેનાથી પાચનતંત્ર તેમજ કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. જે રીતે ફૂડ કલરના બદલે ડાઈંગના કલર વાપરવા ગુનો છે, તે જ રીતે આ એસિડનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાંતપાસમાં સૌથી મોટો વળાંક લાયસન્સ મામલે આવ્યો છે. આરોપી મહેશ શર્મા પાસે FSSAIનું લાયસન્સ તો હતું, પરંતુ તે સુરતનું નહીં પણ મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આરોપી આ મહારાષ્ટ્રના લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમાવતો હતો. જ્યારે પણ કોઈ SOG ટીમ તપાસ માટે પહોંચતી, ત્યારે તે વસઈનું લાયસન્સ બતાવીને પોતે કાયદેસર હોવાનો ઢોંગ કરતો હતો. વાસ્તવમાં, જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે. પામોલીન તેલ અને મિલ્ક સોલિડના મિશ્રણથી 'એનાલોગ પનીર' તૈયાર થતુંઆ પનીર શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ અત્યંત સસ્તા મટીરિયલમાંથી બનાવવામાં આવતું હતું. SOGની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે પામોલીન તેલ, થોડું દૂધ અને બાકીના મિલ્ક સોલિડનો ઉપયોગ કરીને 'એનાલોગ પનીર' તૈયાર કરતો હતો. આ મિશ્રણને જમાવીને તેને પનીર જેવો આકાર આપી દેવામાં આવતો હતો. આ પનીર દેખાવમાં અસલ જેવું જ લાગતું હોવાથી ગ્રાહકો છેતરાઈ રહ્યા હતા. 220 રૂપિયામાં વેચાતું હતુ નકલી પનીરકિંમતનું ગણિત જોવામાં આવે તો આ કૌભાંડ સ્પષ્ટ થાય છે. જો દૂધનો ભાવ 57 રૂપિયે લીટર ગણીએ, તો 100 કિલો દૂધમાંથી માત્ર 15 કિલો પનીર બને. આ હિસાબે અસલી પનીર બનાવવાની પડતર કિંમત જ 380થી 390 રૂપિયાની આસપાસ થાય. તેની સામે આ ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. SOGના જણાવ્યા મુજબ, જે પનીર 400 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં મળે, તેની ગુણવત્તા પર શંકા કરવી લાઝમી છે. 2 વર્ષથી ચાલતું હતું નેટવર્ક, રોજનું 400 કિલોનું ઉત્પાદનડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે,SOGની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો હતો. અગાઉ તે ગણેશનગરમાં પનીર બનાવતો હતો અને છેલ્લા 2 મહિનાથી વીર પંચવટી સોસાયટીમાં નવો પ્લાન્ટ શરૂ કર્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીરનું ઉત્પાદન કરીને તે સુરતની નાની-મોટી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. એટલે કે, અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓના પેટમાં ગયું છે. SOG અને ફૂડ વિભાગનો સંયુક્ત સપાટોSOGને બાતમી મળી હતી કે, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં નકલી પનીર બની રહ્યું છે. ગત 3 માર્ચ, 2026ના રોજ સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને SOGએ રેડ કરી હતી. આ ઓપરેશનમાં મોટા પાયે મુદ્દામાલ ઝડપાયો હતો અને તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત• 1401 કિલો શંકાસ્પદ લુઝ પનીર (કિં.રૂ. 3,08,220)• રૂ. 25,00,000ની કિંમતની પનીર બનાવવાની મશીનરી• પામોલીન તેલના ડબ્બા અને એસિટિક એસિડના કેન• “Non Brand Loose Analogue Paneer” લખેલા સ્ટીકરો અને પેકિંગ મટિરિયલ SOGની કાર્યવાહી અને ગ્રાહકોને ચેતવણીSOGએ 40 વર્ષીય મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી હતી. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. SOG દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકોએ ખૂબ જ સસ્તું પનીર ખરીદવાનું ટાળવું જોઈએ અને હંમેશા વિશ્વાસપાત્ર ડેરી પરથી જ ખરીદી કરવી જોઈએ. લાયસન્સ વગર કે બીજા રાજ્યના લાયસન્સ પર ચાલતા આવા એકમો સામે SOG આગામી દિવસોમાં ઝુંબેશ તેજ કરશે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરના સરથાણા વિસ્તારમાં જાહેર રસ્તા પર બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સોસાયટીના રહીશો અને બહારના ફેરિયાઓ વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષે સામસામે લાકડાના ફટકા અને ધોકા ઉછળ્યા હતા. ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મુખ્ય ગેઈટ પાસે ઉભા રહેતા ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. રહીશોનો આરોપ હતો કે, ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે છે એટલે સોસાયટીમાં ઘોંઘાટની સમસ્યા રહેશે. બીજી તરફ ફેરિયાઓ પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોવાનું જણાવી ત્યાંથી હટવા તૈયાર નહોતા. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી તકરારમાં ફેરિયાઓએ પોતાના સાથીદારોને બોલાવી લીધા હતા તો સામે પક્ષે સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોતજોતામાં શાંત ગણાતો આ વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. મહિલાઓએ પણ ધોકાવાળી કરીઆ ઘટનાનું સૌથી ચોંકાવનાર પાસું એ હતું કે, પુરુષોની સાથે-સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલીક મહિલાઓ હાથમાં લાકડાના ફટકા અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરી રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે જૂથો એકબીજાને બેફામ ગાળો આપી રહ્યા છે અને લાકડાના ફટકાથી હુમલો કરી રહ્યા છે. બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતુંસરથાણા પી.આઈ. બી.બી કરપડાએ જણાવ્યું હતું કે, આ વીડિયો વાયરલ થયા બાદ બંને પક્ષને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને હવે પોલીસ સમક્ષ સમાધાન કરી આવવાનું પણ દાવો કરવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચાલુ ટર્મની છેલ્લી બેઠક આજરોજ મળી હતી, આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે આશરે રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે આ બેઠકમાં કુલ 87 તુમારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા 114 કરોડના કામોની ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી વધારાના 27 વિકાસકામો માટે રૂપિયા 8.94 કરોડ મંજૂર કરાયા હતા આમ, કુલ રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી, શહેરની સેવાઓમાં વધારો કરવા માટે કમિટીએ પ્રભુદાસ તળાવ બાદ હવે તરસમીયા વિસ્તારમાં નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને ચિત્રા-ફુલસર વિસ્તારમાં બે નવા નાના અને મોટા પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે, શહેરની પેરીફેરીમાં નવા રોડ ખોલવા માટે મેટલ ગ્રાઉટિંગના કામો અને નવા ભળેલા વિસ્તારોમાં રોડ નેટવર્ક મજબૂત કરાશે, અધેવાડા જેવા નવા ભળેલા વિસ્તારોમાં DI લાઈનનું નેટવર્ક નાખવા અને પાંચ ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં બેઠકમાં સૌથી મોટો પ્રોજેક્ટ દક્ષિણ સરદારનગર-અધેવાડા અને ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડમાં મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપ-શ્રી સર્કલ સુધી રૂ.29.28 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ છે, આ ઉપરાંત, તરસમિયા વિસ્તારમાં રૂ.15.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે, તેમજ વોર્ડ વાઈઝ વિકાસ કામોઓમાં કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડ આ વિસ્તારમાં સૌથી વધુ કામો હાથ ધરાશે, જેમાં સીદસર-અધેવાડા સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્સ ડ્રેઇન રૂ.6.04 કરોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર રોડ અને RCC રોડ રૂ.5.90 કરોડ અને રૂ.5.90, તેમજ હિલપાર્કથી ટબુડી તળાવ સુધી બિટૂમીન રોડના કામોનો સમાવેશ થાય છે, સરદારનગર-તરસમીયા વોર્ડ ટોપ-શ્રી સર્કલથી ડી-માર્ટ સુધીના રોડને 6-લેન વાઈડનીંગ રૂ.3.74 કરોડ, વિવિધ આંતરિક રસ્તાઓ પર મેટલ ગ્રાઉટીંગ અને પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે, ફુલસર અને હેમુ કાલાણી સર્કલ પાસે અંદાજે રૂ.9 કરોડથી વધુના ખર્ચે બે નવી લાઇબ્રેરી (રીડીંગ રૂમ) બનાવવામાં આવશે, ફુલસર ખાતે રૂ.6.07 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર બોક્સ કલવર્ટ રૂ.3.21 કરોડ, કુંભારવાડામાં રેલવે લાઈન પાસે RCC રોડ, અને ભરતનગર તથા કાળીયાબીડ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાના સહિતના કામો ને બહાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે, ભાવનગરને સુંદર બનાવવા માટે ગાર્ડન અને ડિવાઈડરના ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં સહભાગી થનારા દાતાઓને પ્રોત્સાહિત કરી વિવિધ સ્થળો દત્તક આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, આ મારી ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી, ભાવનગર મેગા સિટી તરફ આગળ વધે તે માટે અમે પાયાની સુવિધાઓ અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું છે શહેરના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને નગરજનોનો હું આભાર માનું છું, આ બેઠકના અંતે આગામી દિવસોમાં ભાવનગર એક સુવ્યવસ્થિત મહાનગર તરીકે ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી હમીરપુરા ગામના ખેડૂત પુત્ર વિપુલ ચૌધરીએ UPSC પરીક્ષામાં 115મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિથી તેમણે સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ IPS તરીકે પસંદગી પામ્યા હોવા છતાં, IAS બનવાના લક્ષ્ય સાથે તેમણે મહેનત ચાલુ રાખી હતી. પરિણામ જાહેર થતાં જ પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલું હમીરપુરા ગામ સુવિધાઓની દ્રષ્ટિએ પછાત ગણાય છે. અહીં માત્ર પ્રાથમિક શિક્ષણની જ સુવિધા ઉપલબ્ધ છે, અને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારના દીકરા વિપુલ કરમણભાઈ ચૌધરીએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિથી સરહદી વિસ્તારના ખેડૂત પરિવારોમાં ગૌરવની લાગણી વ્યાપી છે. વિપુલ ચૌધરીએ પોતાની સફર વિશે જણાવ્યું કે, શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે પરિણામ મળવામાં વિલંબ થયો હતો. જોકે, દ્રઢ નિશ્ચયને કારણે આજે તેમને સફળતા મળી છે. તેમણે વર્ષ 2015માં એક શિક્ષક સાથેની ચર્ચા બાદ IAS બનવાનું નક્કી કર્યું હતું અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તૈયારીઓ શરૂ કરી હતી. અગાઉની પરીક્ષામાં 348મો રેન્ક મેળવી તેઓ IPS બન્યા હતા, પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય IAS બનવાનું હોવાથી તેમણે નોકરીની સાથે મહેનત ચાલુ રાખી હતી. આજના યુવાનોને સંદેશ આપતા વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, પોતાની મહેનત પર ભરોસો રાખવાથી મોડું તો મોડું પણ ચોક્કસ પરિણામ મળે છે. વિપુલની સફળતા પાછળ તેમના માતા-પિતાનો સંઘર્ષ પણ એટલો જ મહત્વનો રહ્યો છે. પિતા કરમણભાઈએ જણાવ્યું કે વિપુલ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતો અને તેનું લક્ષ્ય ઉચ્ચ અધિકારી બનવાનું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, વિપુલને ભણાવવા માટે પરિવારે પશુપાલન કર્યું હતું અને અન્યની જમીન ભાગે રાખીને ખેતીકામ કર્યું હતું. માતા મીઠીબેને ઉમેર્યું કે, દીકરો જ્યારે આખી રાત વાંચતો ત્યારે તેઓ પણ તેની સાથે જાગતા હતા. માતા-પિતાના આ ત્યાગ અને દીકરાની અવિરત મહેનતને કારણે આજે હમીરપુરાનું નામ દેશના નકશા પર ચમક્યું છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી એક ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. માત્ર જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં પોતાના પિતાના મિત્ર પર હથોડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી ચેતન ઉર્ફે ચેતલા મુલચંદ ગુપ્તાને અદાલતે આજીવન કેદની સખત સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપીએ નજીવી બાબતે આવેશમાં આવી ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. પિતાના મિત્ર ઘરમાં જ રહેતા હતા, કામ ન કરતા હોવાથી આરોપી નારાજ હતો. અવારનવાર બંને વચ્ચે ખટરાગ ને હત્યાઘટનાની વિગતો મુજબ, મરણજનાર શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન આરોપી ચેતનના પિતા મુલચંદ ગુપ્તાના પાકા મિત્ર હતા. મિત્રતાના દાવે શબ્બીર છેલ્લા ઘણા સમયથી મુલચંદભાઈના ઘરે જ રહેતા હતા. જોકે, આરોપી ચેતનને તે પસંદ નહોતું. શબ્બીર ઘરકામમાં કોઈ મદદ કરતા ન હોવાથી ચેતન તેમનાથી સતત નારાજ રહેતો હતો અને અવારનવાર બંને વચ્ચે ખટરાગ થતો રહેતો હતો. આ નારાજગી જ અંતે લોહિયાળ હત્યામાં પરિણમી હતી. 'જમવાનું કેમ નથી બનાવ્યું?' કહી હથોડીના ઘા ઝીંકી દીધા31 જાન્યુઆરી 2023ના રોજ સાંજે આ વિવાદ વકર્યો હતો. આરોપી ચેતન ગુપ્તાએ શબ્બીરને જમવાનું બનાવવા માટે કહ્યું હતું, પરંતુ શબ્બીરે જમવાનું બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સાંભળી ચેતનનો પિત્તો ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ચેતને પહેલા શબ્બીરને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો અને ત્યારબાદ ઘરમાં રહેલી લોખંડની હથોડી વડે તેમના માથા અને કાનના ભાગે એક પછી એક ઘાતક પ્રહાર કર્યા હતા. ઈજાગ્રસ્ત શબ્બીરે 8 દિવસ સુધી ફરિયાદ ન કરીઆ કેસમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ રહ્યું કે, ગંભીર રીતે ઘવાયેલા શબ્બીરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેઓ 8 ફેબ્રુઆરી સુધી ભાનમાં હતાં, પરંતુ હુમલો કરનાર વ્યક્તિ તેમના પરમ મિત્રનો દીકરો હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મિત્રના પુત્રનું ભવિષ્ય ન બગડે તે માટે તેમણે મૌન સેવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન જખમ ઊંડા હોવાથી તેમનું મોત થયું હતું, જેના પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચેતનની ધરપકડ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને કોર્ટનો ચુકાદોકેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદૂએ દલીલો રજૂ કરી હતી. તેમણે મેડિકલ પુરાવા અને પંચોની જુબાની રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ જાણીજોઈને શરીરના નાજુક ભાગો પર હથોડી જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો. દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ વધતા અટકાવવા કડક સજા જરૂરી છે. પરિણામે, સેસન્સ કોર્ટે આરોપી ચેતન ગુપ્તાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. AAP તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે. 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ: મનોજ સોરઠીયાપાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, AAP તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 10 માર્ચથી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે ઉમેદવારોની પસંગદી માટે સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાર બાદ 16થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ સ્તરે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. '20 માર્ચ બાદ તમામ સીટો પર મજબૂત દાવેદારો ઉતારશે'મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવશે. જે લોકો ઉમેદવારી કરવા માગતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને AAP રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ઉતારશે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસેતો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે. 9 માર્ચે સુરતમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાને ગામે ગામથી ખેડૂતોનું સમર્થન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ જનસભામાં ગુજરાતભરના ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી શક્યતા છે. આ ઉપરાંત 9 માર્ચે સુરત ખાતે કેજરીવાલની હાજરીમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જેમાં અંદાજે 20થી 25 હજાર જેટલા બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાગ લેશે.
પોરબંદરમાં જુગાર પર પોલીસના 8 દરોડા:42 શખસ ઝડપાયા, ₹1.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લામાં પોલીસે ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ 42 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલ.સી.બી., બગવદર અને રાણાવાવ પોલીસનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન પોલીસે ₹1,53,600/- થી વધુનો રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સોમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. એલ.સી.બી. દ્વારા બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલખડા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી નાથા શીંગરખીયા, જયેશનાથ ગૌસ્વામી, કરશન શીંગરખીયા, માલદે પાંડાવદરા, ગોવિંદ સાદીયા અને રાજશી કરગઠીયા સહિત છ લોકોને ₹41,950/- ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ નજીક મારુતિ મીલ પાસે જાહેરમાં જુગાર રમતા 4 પુરુષો અને ગીતાબેન, રીટાબેન, મયુરીબેન સહિત 5 મહિલાઓ મળી કુલ 9 વ્યક્તિઓ ₹23,750/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. અન્ય કાર્યવાહીમાં, સાતવાવ વાડી વિસ્તારમાં ઝાડ નીચે લાઈટના અજવાળે જુગાર રમતા રમેશ ગોઢાણીયા, રામા ઓડેદરા અને ભરત ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુણવદર ગામમાં ભોજેશ્વર તળાવ પાસે બાવળની કાંટમાં જુગાર રમતા રણમલ કારાવદરા સહિત 5 શખ્સો પણ ઝડપાયા હતા. અમરદળ ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે હિતેશ ગોહેલ અને ખોડા મકવાણા સહિત 5 શખ્સોને ₹16,350/- ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. રાણા ખીરસરા, આદિતપરા અને આદિત્યાણા જેવા અન્ય સ્થળોએ પણ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે આ તમામ કિસ્સાઓમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. ભારત સીધી રીતે ભલે યુદ્ધમાં સામેલ નથી, પરંતુ દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે. આજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 60નો વધારો થયા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાને લઈ ગૃહિણીઓ કહી રહી છે કે, જો યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો લોઅર-મિડલ ક્લાસને તેની ખૂબ ગંભીર અસર પડશે. ગૃહિણીઓનું માનવું છે કે, હાલમાં માત્ર ગેસ સિલિન્ડરોના ભાવ વધ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે તો તમામ ચીજ-વસ્તુઓ મોંઘી થશે. ગેસના ભાવ વધતા તેઓના આ મહિનાનું બજેટ ખોરવાઈ જશે અને બાળકોની જમવાથી લઈને અન્ય ખુશીઓ મારવી પડશે.

28 C