શામળાજીમાં પવન સાથે વરસાદ શરૂ:અસહ્ય ગરમીથી લોકોને રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. શામળાજી સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ઉચ્છલ નજીક પીકઅપની ટક્કરે બાઈક સવારનું મોત:રોંગ સાઈડમાં આવેલી પીકઅપે લીધો જીવ, ચાલક સામે ગુનો દાખલ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામની સીમમાં સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડીએ મોટર સાઈકલ સવારને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના આજે બપોરે 3 વાગ્યાના સુમારે ઉચ્છલ-નિઝર રોડ પર દેવચાંદની ગામ પાસેના બ્રિજ નજીક બની હતી. મારૂતિ સુઝુકી સુપર કેરી મીની પીકઅપ ગાડી (નંબર GJ-19-Y-6761) ના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. પીકઅપ ગાડી રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી પલ્સર મોટર સાઈકલ (નંબર GJ-26-AH-1355) ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર માર્ગીયાભાઈ બાવાભાઈ વસાવા (ઉ.વ. ૫૧, રહે. આમકુટી ગામ, નિશાળ ફળિયું, તા. ઉચ્છલ) ને માથાના પાછળના ભાગે અને ચહેરા પર ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતકના દીકરી પાર્વતીબેન પિયુષભાઈ વસાવાએ આ ઘટના અંગે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીકઅપ ગાડીના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણ (રહે. મુળ સાચોર, જિ. જાલોર, રાજસ્થાન; હાલ રહે. રૂમકીતલાવ ગામ, તા. નિઝર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમ ૧૩૩, ૧૭૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હીરા બજારમાં રૂ. 68 લાખની ઠગાઈ:EV સ્ટેશનમાં લાખોની ચોરી અને સસ્તા સોનાની લાલચે જમીન દલાલ છેતરાયો
સુરત શહેરમાં ત્રણ ગુનાહિત ઘટનાઓ સામે આવી છે, જેણે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. પ્રથમ ઘટનામાં મહીધરપુરા હીરા બજારના એક દલાલ મારફતે 10 જેટલા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના હીરા પડાવી લઈ રૂ. 68.18 લાખની આર્થિક નુકસાની પહોંચાડવામાં આવી છે. બીજી ઘટના સ્માર્ટ સિટીના સરકારી પ્રોજેક્ટ પર તસ્કની છે, જેમાં ખટોદરા ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યરત EV ચાર્જિંગ સ્ટેશનમાંથી કિંમતી કેબલો અને અદ્યતન ચાર્જિંગ ગનની ચોરી થઈ છે. જ્યારે ત્રીજી ઘટનામાં ભટારના એક જમીન દલાલને બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી મુંબઈની હોટેલમાં રૂ. 9.54 લાખ પડાવી ગઠિયાઓ રફુચક્કર થઈ ગયા છે. 10 વેપારીઓનો માલ લઈ પિપલોદનો હીરા વેપારી રૂ. 68 લાખ ઓળવી ગયોપાલ વિસ્તારમાં આવેલા સિમંધર કેમ્પસમાં રહેતા 48 વર્ષીય સમીરભાઈ પ્રવિણચંદ્ર સંઘવી મહીધરપુરા હીરા બજારમાં લાંબા સમયથી દલાલીનું કામ કરે છે. વર્ષ 2021માં તેમની મુલાકાત પિપલોદના જીમખાના રોડ પર સુરભિ એપાર્ટમેન્ટમાં રહેતા હીરા વેપારી પ્રિતેશ મહેશ રેશમવાલા સાથે થઈ હતી. શરૂઆતમાં પ્રિતેશે વાયદા પ્રમાણે પેમેન્ટ ચૂકવીને મોટો વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસના આધારે જ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પ્રિતેશે દલાલ સમીરભાઈ મારફતે અન્ય 10 હીરા વેપારીઓ પાસેથી 20 દિવસની મુદતે રૂ. 99.18 લાખનો નેચરલ ડાયમંડનો માલ ખરીદ્યો હતો. જોકે, મુદત પૂરી થતાં જ્યારે સમીરભાઈએ ઉઘરાણી કરી ત્યારે પ્રિતેશે માત્ર 31 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂ. 68.18 લાખ ટૂંક સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો. ઓફિસ-ઘર બંધ કરી વેપારી ફરારબાકી નીકળતી માતબર રકમની ચૂકવણી ન થતાં જ્યારે હીરા દલાલ સમીર સંઘવી પિપલોદ ખાતે આરોપી વેપારીની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તાળા લટકતા હતા અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આથી ગભરાયેલા દલાલ પોતાની પત્ની સાથે પ્રિતેશના ઘરે પહોંચ્યા હતા, પરંતુ આરોપી ત્યાંથી પણ ગાયબ થઈ ગયો હતો. છેવટે આ મામલે સમીરભાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રિતેશ રેશમવાલા સામે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. આ કેસની આર્થિક ગુનાખોરીની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર દ્વારા આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી છે. EV ચાર્જિંગ સ્ટેશનમાં લાખોની ચોરીસુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા પર્યાવરણની જાળવણી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં ફાસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ હવે આ સરકારી મિલકતો તસ્કરોના નિશાને ચઢી છે. ખટોદરા રાયકા સર્કલ પાસે આવેલા SMC ઇવોલ્યુટ ચાર્જિંગ સ્ટેશનમાંથી ચોરોએ અત્યંત ચાલાકીપૂર્વક રૂ. 5.50 લાખના કિંમતી કેબલો અને અદ્યતન ચાર્જિંગ ગનની ચોરી કરી લીધી છે. આ સ્ટેશનની દેખરેખ અને ઓપરેશન-મેઇન્ટેનન્સનું કામ સંભાળતી પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીને પાલિકાએ 25 લોકેશનો માટે 10 વર્ષનો વર્ક ઓર્ડર આપ્યો છે. આ ચોરીની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સિક્યુરિટી ગાર્ડ નિસાર શેખ સવારે 10 વાગ્યે નોકરી પર હાજર થયો હતો. સીસીટીવી અને લાઈટિંગના વાયરો કાપી ચોરોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યોચાર્જિંગ સ્ટેશન પર પહોંચતા જ ગાર્ડે જોયું કે ચાર્જિંગ યુનિટના કેબલ કપાયેલા હતા. ચોરોએ ચાર્જિંગ યુનિટ નંબર-77 ની ત્રણ ચાર્જિંગ ગન અને યુનિટ નંબર-78 ની બે ચાર્જિંગ ગન સહિત કુલ 5 મોંઘીદાટ ચાર્જિંગ ગન અને કિંમતી વાયરો કાપી લીધા હતા, જેની કિંમત રૂ. 5.40 લાખ થાય છે. આ ઉપરાંત, પોતાની ઓળખ છુપાવવા અને પકડાઈ જવાના ડરથી ચોરોએ સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરા અને લાઈટિંગના વાયરો (કિંમત રૂ. 10,000) પણ કાપી નાખ્યા હતા અને સામાન ચોરી ગયા હતા. આ અંગે કંપનીના સીનિયર એન્જિનિયર ગજાનંદ બૈસાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જમીન દલાલે રૂ. 9.54 લાખ ગુમાવ્યાત્રીજો કિસ્સો ભટાર રોડ પર રહેતા અને જમીન દલાલીનું કામ કરતા 39 વર્ષીય રાજબાબુ કુસરેયા જોગુ સાથે બન્યો છે. રાજબાબુ વેસુ વી.આઈ.પી. રોડ પર આવેલી ‘દેવાંશ ટેક્ષ સર્વિસ’ નામની ઓફિસે ગયા હતા, જ્યાં તેમના 15 વર્ષ જૂના મિત્ર અમોલે તેમની મુલાકાત મનીષ પાલ નામના વ્યક્તિ સાથે કરાવી હતી. મનીષ પાલે જમીન દલાલને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, જો તમારે ગોલ્ડમાં રોકાણ કરવું હોય તો મારો એક ઓળખીતો તમને બજાર ભાવ કરતા 3 ટકા ઓછા ભાવે સોનું અપાવી દેશે. સસ્તા સોનાની લાલચમાં આવીને રાજબાબુએ રૂ. 9 લાખનું સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી અને ટોકન પેટે રૂ. 3 લાખ આપવાનું નક્કી થયું હતું. આંગડિયા અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ગઠિયાઓ મુંબઈની હોટેલમાંથી ફરારઆ સોદાબાજી માટે આરોપી મનીષ પાલે જમીન દલાલ રાજબાબુને મુંબઈ બોલાવ્યા હતા. મુંબઈના બોરીવલીની ઇન્દિરાલોક રેસ્ટોરન્ટમાં રાજબાબુ બીજા આરોપી અતુલ વિજયકાંત પટેલ (રહે. ભાયંદર, મુંબઈ)ને મળ્યા હતા. આરોપીઓએ સામસામે રોકડા આપી સોનું આપવાની વાત કરી હતી. વિશ્વાસમાં આવેલા દલાલે સુરતના ભાગળ ખાતેથી મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા મારફતે રૂ. 1.55 લાખ મોકલાવ્યા અને આરોપીના બેંક ખાતામાં રૂ. 1.60 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાકીના રૂપિયા આપવા રાજબાબુ મુંબઈની વિર્લે પાર્લેમાં આવેલી જીવન હોટેલમાં અતુલને મળવા ગયા, જ્યાં રૂ. 98,500 ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી અને રૂ. 5.90 લાખ રોકડા આપ્યા હતા. અતુલ હમણાં 10 મિનિટમાં સોનું લઈને આવું છું તેમ કહી હોટેલમાંથી પૈસા લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસે દેશી તમંચા સાથે શખ્સ ઝડપ્યો:ભલગામડા સીમમાંથી હથિયાર કબજે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
હળવદ પોલીસે ભલગામડા ગામની સીમમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,000 કિંમતનો તમંચો કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન, ભલગામડા ગામના રહેવાસી જીતુ અમરશીભાઈ ઉઘરેજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા પોલીસે તેને કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના જશોદાનગર વિસ્તારમાં પારસી સમુદાયના અંતિમ સંસ્કાર માટેના ટાવર ઓફ સાયલન્સને લઇને હાઇકોર્ટ સમક્ષ એક અરજી કરવામાં આવેલી છે. વર્ષ 2007માં થયેલી આ અરજીની સુનાવણી હાઈકોર્ટ સમક્ષ થઇ હતી. જેમાં પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ 24મી જૂને રજૂ કરવા કહ્યું છે. અંતિમ સંસ્કારની વિધિમાં મુશ્કેલ ઊભી થાય એવો ઘાટ સર્જાયો અમદાવાદ પારસી પંચાયત દ્વારા આ મુદ્દે અરજી કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પારસીઓ તેમના અંતિમ સંસ્કાર ટાવર ઓફ સાયલન્સ ખાતે કરતાં હોય છે. આ માટે વિશાળ જગ્યા જોઇતી હોય છે અને અહીં ગીધ મોટાં પ્રમાણમાં આવી શકે એવી વ્યવસ્થા રાખવાની હોય છે. હવે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પારસીઓના અંતિમ સંસ્કાર માટેનું જે ટાવર ઓફ સાયલન્સ આવેલું છે, એ ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે કપાતમાં જાય છે. જેથી તેમના અંતિમ સંસ્કારની વિધિમાં મુશ્કેલ ઊભી થાય એવો ઘાટ સર્જાયો છે. TP સ્કીમમાં 40 ટકા જેટલો ભાગ કપાતમાંઆ સ્થળ પર પારસી સમુદાયની એક વ્યક્તિ અને અમદાવાદ પારસી પંચાયત દ્વારા 33 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે હાલ વિશાળકાય થઇ ગયા છે. પરંતુ હવે TP સ્કીમમાં 40 ટકા જેટલો ભાગ કપાતમાં જઇ રહ્યો છે. આ જમીન અમને સરકાર દ્વારા આપવામાં આવી નથી, પરંતુ આ અમારી પોતાની માલિકીની છે. હાઇકોર્ટે જે સ્ટે આપ્યો એ અનિશ્ચિત સમય માટેનો ના હોઇ શકેજો કે હાલ પ્રસ્તાવિત ડ્રાફ્ટ સ્કીમ છે, એ બાબતે અમારું સદનસીબ છે અને અમે આખી સ્કીમ ખોરંભે મુકાય એવું ઇચ્છતા નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારી જગ્યા જે અત્યંત જરૂરી છે એ એવી રીતે જ રાખવામાં આવે. હાઇકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો હતો કે તમારું આ મામલે શું કહેવું છે. આ મુદ્દે હાઇકોર્ટે જે સ્ટે આપેલો છે એ અનિશ્ચિત સમય માટેનો ના હોઇ શકે. કોઇ તો નક્કર સમાધાન લાવવો જ પડે. તમે ક્યારે આ મામલે જવાબ આપી શકો એમ છો.
એશિયાટિક સિંહોના વસવાટ ગીર અભ્યારણના ઇકો-સેન્સિટિવ ઝોનમાં હોટેલ્સ, હોમ સ્ટે, રિસોર્ટ સહિતના કોમર્શિયલ બાંધકામો મામલે સુઓમોટોનો મામલે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરતાં સૂચન કરવામાં આવ્યું હતું કે, એશિયાટિક સિંહો રાજ્યનું ગૌરવ છે અને ગીર અભ્યારણ એમનું એકમાત્ર રહેઠાણ છે. ત્યારે બફર ઝોનમાં પ્રવાસીઓની અવરજવરથી જાનવરોને જોખમ ઊભું થઇ શકે છે. તેથી બફર ઝોનમાં પ્રતિબંધ રહેવો જરૂરી છે. જ્યારે અભ્યારણના બફર ઝોનની બહાર જ પ્રવાસીઓના રહેઠાણની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટેની જરૂરી યોજના ઘડવી જોઇએ. જેથી સ્થાનિકોની આવક પણ પ્રભાવિત ન થાય અને સિંહોને પણ સંરક્ષણ મળી રહે. હવે આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટ જરૂરી નિર્દેશ સાથે આદેશ કરશે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અભ્યારણની મુલાકાત લેતાં પ્રવાસીઓ રહેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવતાં હશે. ત્યારે આવી ઓનલાઇન બુકિંગ સાઇટ્સને પણ જાણ કરીને માહિતગાર કરવા જોઇએ કે તેઓ આ પ્રકારના બુકિંગ્સને પ્રોત્સાહન ન આપે. આ પ્રકારની પ્રવૃત્તિઓ વધારવી જોઇએ. ગીર અભ્યારણ એવું અભ્યારણ છે જ્યાં પ્રવાસીઓ મોટાં પ્રમાણમાં આવે છે. આ વિસ્તાર એશિયાટિક સિંહોનું એક માત્ર રહેઠાણ છે. 'બફરઝોનની અંદર પ્રવાસીઓના રહેઠાણ માટેના બાંધકામ પર પ્રતિબંધ લાદવો જોઈએ'રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરતાં એવું સૂચન કર્યું હતું કે, આ વિસ્તારના લોકોને એ બાબતે કોઇને કોઇ રીતે પ્રોત્સાહિત કરવા જોઇએ કે તેઓ અભ્યારણના બફર ઝોનની બહાર હોમ સ્ટે વગેરે બનાવે અથવા ઊભા કરે. આ માટે જરૂરી જણાય તો તેમને કંઇક ઇન્સેન્ટિવ્સ પણ આપવાની સ્કીમ બનાવી શકાય. પરંતુ જો કોઇ પણ પ્રવાસીઓને રહેવા માટે બફર ઝોનની અંદર બાંધકામ કરતો હોય તો તેના પર પ્રતિબંધ લાદવો જરૂરી છે. પ્રવાસીઓનો ધસારો તો અભ્યારણમાં રહેવાનો પરંતુ આ ધસારાનું રોકાણ બફર ઝોનની બહાર હોવું જોઇએ. કોર્ટે સુનાવણી દરમિયાન જીમ કોર્બેટ પાર્કનું ઉદાહરણ આપ્યુંઆ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, બફર ઝોનની અંદર હોમ સ્ટે, હોટેલ્સ કે રિસોર્ટ જેવી પ્રવૃત્તિઓ ન ચલાવી શકાય. જો એવું થાય તો પ્રવાસી મોટાં પ્રમાણમાં અહીં આવ-જા કરશે. તેમના માટેની વેસ્ટ મેનેજમેન્ટ જેવી અન્ય જરૂરિયાતો ઊભી કરવી પડે. વાહનોનો ખડકલો પણ થઇ શકે છે અને તેનાથી સિંહો સહિતના જાનવરોને જોખમ ઊભો થઇ શકે છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે જીમ કોર્બેટનો દાખલો આપતાં કહ્યું હતું કે, કોર્બેટ ખૂબ સરસ દાખલો છે, અહીં એકાદને બાદ કરતાં મોટાભાગનું બાંધકામ ઝોનની બહાર છે. સરકારને ચોક્કસ પ્લાન કે સ્કીમ બનાવવા સૂચનકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, તેઓ સમજી શકે છે કે ગીર અભ્યારણના બફર ઝોનમાં લોકો પહેલાંથી રહેતાં આવ્યા છે. ત્યારે સરકારે એમ કહ્યું હતું કે રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરી પાછળથી વિકસી છે, પરંતુ ટાઉન અને તાલુકા એના પહેલાંથી છે. માણસો અને જાનવર બધાં સાથે રહે છે. સરકારને કોર્ટે ટકોર કરતાં એવું સૂચન પણ કર્યું હતું કે જો તમે ફોરેસ્ટ વિભાગ, જિલ્લા વહીવટી વિભાગ વગેરે વિભાગોની જોઇન્ટ મિટિંગ ગોઠવો અને કોઇ પ્લાન કે સ્કીમ બનાવો અને લોકોને પ્રોત્સાહિત કરો તો કંઇ ઉકેલ આવી શકે છે. જેથી સ્થાનિકોની આવક પ્રભાવિત ન થાય અને સિંહોને સંરક્ષણ પણ મળે. કોર્ટ મિત્રની મૌખિક રજૂઆત બાદ કોર્ટે કહ્યું- એફિડેવિટ પર વિગત આપોઆ દરમિયાન કોર્ટ મિત્ર તરફથી એવી રજૂઆત મળી હતી કે, સમાચાર પત્રોમાં અહેવાલ પ્રકાશિત થયો છે કે સિંહ કોરિડોર એવી અમરેલીના બાબરકોટ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઈનીંગની લીઝ આપવામાં આવી છે. આ સંદર્ભે વાઇલ્ડ લાઇફ બોર્ડના મેમ્બર્સ દ્વારા પણ તેમને જાણ કરવામાં આવી છે. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે રાજ્ય સરકાર સિંહોને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકાર આવી કોઈ મંજૂરી આપી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે પણ કોર્ટ મિત્રોને ફક્ત મૌખિક નિવેદનો ન કરતા એફિડેવીટ ઉપર વિગતો આપવા જણાવ્યું હતું. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે.
સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ સ્વચ્છ ભારત અને સ્વચ્છ સુરેન્દ્રનગર અભિયાનમાં સહયોગ આપવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરી સહિતના મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. લાયન્સ ક્લબ રોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છ સુરેન્દ્રનગર બનાવવામાં સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ સંસ્થાના અગ્રણી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પાટડી તાલુકાના ખારાઘોડા ગામે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ 'અગર બચાવો, અગરિયા બચાવો' અભિયાન અંતર્ગત અગરિયા એકતા સભા યોજાઈ હતી. આ સભામાં કચ્છના નાના રણમાં અગરિયાઓની જમીન સોદા સામે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી 23મી જૂને પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન યોજાશે. આ વિવાદ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને 5,000 એકર જમીન ભાડાપટ્ટે આપવાને કારણે ઊભો થયો છે. આ ખાનગી કંપનીએ રણમાં 6-6 ફૂટ ઊંચી માટીની પાળ બાંધીને રસ્તાઓ અવરોધિત કર્યા છે. ઉપરાંત, પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા જમીન ખાલી કરવા અને મીઠું પકવવાનું બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ જમીન સોદામાં રૂ. 500 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સભામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર રણનો સોદો કરીને મીઠું પકવતા અગરિયાઓના પેટ પર લાત મારવામાં આવી રહી છે. સોલંકીએ આક્ષેપ કર્યો કે, 5,000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે પાંચ વર્ષ માટે અગરિયાઓને લૂંટવા માટે પીળો પરવાનો આપવામાં આવ્યો છે. અગરિયાઓએ હુંકાર કર્યો હતો કે, જ્યાં સુધી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ નહીં થાય ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે. 23મી જૂનના રોજ પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે. એના વિરોધમા આ અગરીયા એકતા સભાનું આયોજન કરી આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. અને જ્યાં સુધી આ કંપનીનો કોન્ટ્રાકટ રદ ના થાય ત્યાં સુધી અને 5,000 એકર જમીન ખુલ્લી ના થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે, સરદાર સાહેબના રસ્તે અને બાબા સાહેબના માર્ગે આંદોલનને આગળ ધપાવીશું.
વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૩ ના હોદ્દેદારોની શપથવિધિ અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાપરિષદના વરિષ્ઠ હોદ્દેદાર નીતિનભાઈ રાયચુરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના 85 ટકાથી વધુ ગુણ મેળવેલ નોંધાયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, મોટી સંખ્યામાં આમંત્રિતો, સન્માનિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટ્ય, શપથવિધિ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે મહાપરિષદની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આરોગ્યને લગતી રાહત ફંડની યોજનાઓ, LIBF (લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ) અંતર્ગત વેપાર એક્ઝિબિશન સહિતના કાર્યોને સફળ બનાવવા અને સમાજને એકજૂથ થવા આહવાન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેન્દ્રભાઈ મશરૂ, ડોલરભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, ટી.બી. ઉનડકર સાહેબ, ગૌરવભાઈ રૂપારેલીયા, તેમજ સૌરાષ્ટ્ર ઝોન-૩ ના હોદ્દેદારો પૈકી પાર્થભાઈ કોટેચા, યતીનભાઈ કારીયા, વિજયભાઈ ખખ્ખર, જગદીશભાઈ જોબનપુત્રા સહિતના અગ્રણીઓએ મહાપરિષદ સાથે જોડાવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહત્વનું છે કે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિડિયો કોન્ફરન્સથી જૂનાગઢ તેમજ ગીર સોમનાથના સૌરાષ્ટ્ર ઝોન-૩ ના નિયુક્ત હોદ્દેદારોને સમાજના છેવાડાના લોહાણા પરિવાર સુધી માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદની દરેક યોજનાઓ અને ગતિવિધિઓ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સરસ્વતી સન્માન સમારોહમાં જૂનાગઢ અને ગીર સોમનાથના 85 ટકાથી વધુ માર્કસ મેળવેલા જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને મહાપરિષદના પ્લેટફોર્મ પરથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથના હોદ્દેદારો પૈકી રવિભાઈ સામાણી, અનિસભાઈ રાચ્છ, સમીરભાઈ પોપટ, રીતેશભાઈ ટકરાર અને નીલભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-૩ (જૂનાગઢ - ગીર સોમનાથ) ના નેજા હેઠળ આ ભવ્ય કાર્યક્રમના અંતે સૌએ સાથે મીઠા ભોજનનો સ્વાદ માણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
મોરબી તાલુકાના જેતપર ગામ નજીક દેવળીયા રોડ પર આવેલી સીમમાં મોડી રાત્રે રૂ. 14 લાખનું હીટાચી મશીન સળગાવી દેવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવમાં મશીનના મોટાભાગના ભાગો અને અંદર રાખેલા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના અંગે મોરબીના અવની રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મહેશભાઈ દામજીભાઈ પરેચાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પાંચથી છ અજાણ્યા ઈસમો નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં હીટાચી મશીન પાસે પહોંચ્યા હતા. આરોપીઓએ મશીનના ડ્રાઈવર સલામુદ્દીન જાનમહમદ સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ લાકડાના ધોકા વડે મશીનમાં તોડફોડ કરી તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા પાંચથી છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત યુનિવર્સિટી પંચવટી વિસ્તારમાં કેબીન ધરાવતા પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારવાના કેસમાં પોલીસ ધરપકડથી બચવા માટે મહિલા PSIના પતિ પ્રતિક ગોહિલે કરેલી આગોતરા જામીન અરજી એડીશનલ સેશન્સ જજે ફગાવી નાખી છે. આરોપીની આગોતરા જામીનથી તપાસમાં મોટો વિક્ષેપ પડી શકેકોર્ટે નોંધ્યું છે કે, ભોગ બનનાર વ્યક્તિ દિવ્યાંગ છે અને અવાજની દિશામાં હાથ લાંબા કરતા બાળકને અડી જવાની નજીવી બાબતમાં અરજદારે કરેલું વર્તન અત્યંત ગંભીર છે. આરોપીના પત્ની પોતે PSI હોવાથી અને ગુનાની તપાસ હજુ ચાલુ હોઈ આરોપીને આગોતરા જામીન આપવાથી તપાસમાં મોટો વિક્ષેપ પડી શકે છે. કેસની ગંભીરતા જોતા કોર્ટે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો વ્યાજબી ગણ્યો નથી. બાળકના પિતાએ પ્રજ્ઞાચક્ષુ ફરિયાદીને ગંદી ગાળો આપી હતીગુજરાત યુનિવર્સિટી પંચવટી વિસ્તારમાં પાન પાર્લર પર લટકાવેલા નાસ્તાના પડીકા તોડવાનો અવાજ આવતા, પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈએ અવાજની દિશામાં કુદરતી રીતે બંને હાથ લાંબા કર્યા હતા. આ દરમિયાન ત્યાં ઉભેલા એક છોકરાને તેમનો હાથ અડી ગયો હતો. આ નજીવી બાબતનો વિરોધ કરીને છોકરાના પિતા પ્રતિક ગોહિલે પાન પાર્લર પર આવીને પ્રજ્ઞાચક્ષુ ફરિયાદીને ગંદી ગાળો આપી હતી. ત્યારબાદ 112 નંબર પર ફોન કરાતા પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. લાકડી, હાથ અને પગ વડે ગડદાપાટુનો માર માર્યોપોલીસ સ્ટેશનમાં આરોપી પ્રતિક ગોહિલના પત્ની સોનલબેન જેઓ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે તરીકે ફરજ બજાવે છે ત્યાં દોડી આવ્યા હતા. ફરિયાદી પ્રજ્ઞાચક્ષુ હોવાનું જાણવા છતાં, તેમણે પોલીસ સ્ટેશનની અંદર જ ફરિયાદી તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી, હાથ અને પગ વડે ગડદાપાટુનો સખત માર માર્યો હતો, જેના કારણે ફરિયાદીને જમણી આંખે અને થાપાના ભાગે ઇજાઓ થઈ હતી. પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજ પણ કબજે કર્યાગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને આ ઘટનાના CCTV ફૂટેજ પણ કબજે કર્યા હતા. દરમ્યાનમાં પોલીસ ધરપકડથી બચવા માટે મહિલા PSIના પતિ પ્રતિક ગોહિલે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીએ એક 57 વર્ષના લાચાર પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે ગંભીર ગેરવર્તણૂક કરી છે અને સમગ્ર વિવાદની શરૂઆત આરોપીએ જ કરી હતી. કોર્ટએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવીઆરોપીના પત્ની પોતે પોલીસ ખાતામાં /PSI હોવાથી, જો આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો તેઓ સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા કરે તેમજ ફ્રિયાદીને ધમકાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આરોપી તપાસમાં હાજર ન રહેતા તેના ઘરે 10 જૂનના રોજ નોટિસ ચોંટાડવી પડી હતી. આરોપીના આગોતરા જામીન અરજી ના મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬’ના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રશિક્ષણ વર્ગોના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન-૧ના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને સૌરાષ્ટ્ર ઝોન-૨ના પ્રભારી રાઘવભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પ્રશિક્ષણ અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા સહિત મંડળ સ્તરે પ્રશિક્ષણ આપનાર પદાધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ મહા અભિયાનને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જામનગરમાં દસ વર્ષ પહેલાં બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ, ખંડણી અને હત્યાના ચકચારી કેસમાં સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મયંક મનસુખ સંધાણીને કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. સરકારી વકીલ અનિલ આર. દેસાઈએ ધારદાર દલીલો કરી હતી. ચુકાદો આપતી વખતે કોર્ટે ગંભીર અવલોકન કર્યું હતું કે, આવા ગુનાહિત માનસ ધરાવતા લોકોને સમાજમાં મુક્ત રાખવાથી સામાજિક વ્યવસ્થા પર વિપરીત અસર પડી શકે છે. આ ઘટના 31 ઓગસ્ટ, 2016ના રોજ જામનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિ કિશોર વિઠ્ઠલ થડેશ્વરના સગીર પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ કરણને છોડવાના બદલામાં રૂ. 2 કરોડની ખંડણી માંગી હતી. જોકે, બાદમાં સગીરની હત્યા કરી દેવામાં આવી હતી. સગીરનો મોબાઈલ ફોન અને સોનાની ચેઈન પણ આરોપી લઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર હાલાર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જામનગર પોલીસે આ મામલે સઘન તપાસ કરીને આરોપી મયંક મનસુખ સંધાણીની ધરપકડ કરી હતી. તેની સામે આઈ.પી.સી. કલમ 302 (હત્યા), 364(ક) (અપહરણ અને ખંડણી) અને 404 (મૃતકની મિલકતનો દુર્વિનિયોગ) મુજબ ગુનો નોંધી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ ચકચારી કેસ જામનગરના બીજા એડિશનલ સેસન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ 113 પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મયંકને હત્યા અને ખંડણી (આઈ.પી.સી કલમ 302, 364-ક)ના ગુનામાં આજીવન સખત કેદ તથા આઈ.પી.સી કલમ 404ના ગુનામાં 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને કુલ રૂ. 1,10,000નો દંડ કર્યો છે. જો તે દંડ ન ભરે તો તેને વધુ કેદની સજા ભોગવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે, આરોપી જે દંડ ભરે, તેમાંથી રૂ. 1 લાખ ફરિયાદી (પિતા) કિશોર થડેશ્વરને વળતર પેટે ચૂકવવા. આ ગંભીર કેસમાં ફરિયાદી પક્ષ તરફથી કુલ 30 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 84 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સાંયોગિક પુરાવાની કડીઓ અદાલતમાં સાબિત થઈ હતી. ફરિયાદી પક્ષે તમામ સાંયોગિક પુરાવાઓની કડીઓ નીશંકપણે કોર્ટમાં પુરવાર કરી બતાવી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સ્પેશ્યલ પી.પી. અનિલ દેસાઈની ધારદાર રજૂઆતકેસની સંવેદનશીલતા જોતા ગુજરાત સરકાર દ્વારા આ કેસમાં ખાસ કવાયત કરીને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ચકચારી કેસોમાં ગુનેગારોને સજા અપાવનારા નામાંકિત સિનિયર એડવોકેટ અનિલ આર. દેસાઈની 'સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર' (ખાસ સરકારી વકીલ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સ્પેશ્યલ પી.પી. અનિલભાઈ દેસાઈએ સરકાર પક્ષે કેસના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી. જ્યારે મૂળ ફરિયાદી કિશોર થડેશ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ. જોશી તથા એડવોકેટ કે.એચ. ભટ્ટ રોકાયા હતા.
જામનગરમાં PGVCL ના નાયબ ઈજનેર અને એક આસિસ્ટન્ટ લાઈન મેઈનને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. નવા વીજ કનેક્શન માટે ₹80,000 ની લાંચ માંગવામાં આવી હતી, જે ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં સ્વીકારતા તેઓ પકડાયા હતા. આ કેસમાં સાપર સબ ડિવિઝન, PGVCL ના નાયબ ઈજનેર (વર્ગ-૧) રૂષી દિનેશચંદ્ર પરમાર અને આસિસ્ટન્ટ લાઈન મેઈન (વર્ગ-૪) મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ પોતાના ગેસ્ટ હાઉસ માટે નવા વીજ કનેક્શનની અરજી કરી હતી. આ કામગીરીમાં વિલંબ કરી, નવું TC ફીટ કરી મીટર આપવા બદલ નાયબ ઈજનેર રૂષી પરમારે ફરિયાદી પાસેથી શરૂઆતમાં ₹1 લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ આ રકમ ₹80,000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર ACB નો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં નાગાર્જુન પેટ્રોલ પંપ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન, નાયબ ઈજનેર વતી આસિસ્ટન્ટ લાઈન મેઈન મનોજભાઈ પ્રજાપતિએ ફરિયાદી પાસેથી ₹80,000 ની લાંચની રકમ સ્વીકારતા જ ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ નાયબ ઈજનેર રૂષી પરમારને પણ તેમની કચેરીમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. આ સફળ કાર્યવાહી જામનગર ACB ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.આર. ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન રાજકોટ ACB ના મદદનીશ નિયામક શ્રી જે.ડી. મેવાડા અને નાયબ નિયામક શ્રી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા અને નશીલા પદાર્થોના વેચાણ-વપરાશ પર કડક અંકુશ લાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પ્રતાપનગર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે વિશેષ બેઠક અને ડ્રગ્સ નાબૂદી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં વધતી નાર્કોટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશ્નર દ્વારા “ડ્રગ્સ નાબૂદી અભિયાન” અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ખાસ NDPS ટીમોની રચના કરવામાં આવી છે. તાલીમ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળની જોગવાઈઓ, તપાસની પ્રક્રિયા, સર્ચ અને સીઝરની કાર્યવાહી, એફઆઈઆર નોંધવાથી લઈને ચાર્જશીટ દાખલ કરવા સુધીની કાયદાકીય પ્રક્રિયા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ તાલીમનો મુખ્ય હેતુ શહેરમાંથી ડ્રગ્સનું સંપૂર્ણ ઉન્મૂલન કરવું, નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે પરિણામલક્ષી કાર્યવાહી કરવી તેમજ યુવા પેઢીને નશાની લતથી દૂર રાખવાનો છે. વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેરમાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 48 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધીમાં 11 ગુનાઓ નોંધાયા છે. જેમાં ગાંજો અને હાઈબ્રિડ ગાંજાના 9, ચરસનો 1 અને કોડીનયુક્ત કફ સિરપનો 1 કેસનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર નશાના દુષણને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને એનડીપીએસ એક્ટ હેઠળ નશીલા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે નશા સંબંધિત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવાની સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક અને પ્રતિબદ્ધ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ જણાવ્યું હતું કે, નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે ત્રણ દિશામાં કામ કરી રહી છે. સમગ્ર શહેરમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવે છે. ઇન્ટેલિજન્સ એકત્રિત કરીને, રેડ અને સર્ચ ઓપરેશન દ્વારા ગુનેગારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો નશાની લતથી પ્રભાવિત કે એડિક્ટેડ થઈ ગયા છે, તેમને યોગ્ય સારવાર આપીને રીહેબિલિટેટ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ દૂષણ સામે સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોનો સાથ-સહકાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી SOG એ એક કેસ કર્યો છે. જેમાં કોડીન જેવા માદક પદાર્થો વેચતા આરોપીને પકડી પાડીને 1 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમારો મુખ્ય પ્રયાસ એ રહેશે કે, વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતે સતત જાગૃત રહે. કાયદાની કાર્યપદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને ઓપરેશનલ પ્રિપેર્ડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનની ટીમો સુસજ્જ થઈને કાર્યરત રહે તે જરૂરી છે. તેમના વિસ્તારોમાં આવતા હોટસ્પોટ્સ, સક્રિય ગુનેગારો, કેરિયર્સ અને ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ પર સખત નજર રાખવામાં આવશે. ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને FIR દાખલ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, આ જ વ્યૂહરચનાના ભાગરૂપે આજે અમે તમામ DCP, ACP, થાણા અમલદારો અને બ્રાન્ચના ઇન્સ્પેક્ટર/સબ-ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ માટે એક ખાસ વર્કશોપ રાખ્યો છે, જેથી તેઓને કાયદાકીય અને ઓપરેશનલ બાબતોની વિસ્તૃત જાણકારી આપી શકાય. આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે વધુ કડક કાર્યવાહી જોવા મળશે.
આગામી મહોરમ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર પોલીસ સતત બીજા દિવસે પણ એક્શન મોડમાં જોવા મળી હતી. જિલ્લા પોલીસવડા ડો. નિતેષ પાંડેય, સિટી ડીવાયએસપી સહિત શહેરના પાંચેય ડિવિઝનના પીઆઇઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર સતર્ક ભાવનગરમાં આગામી મહોરમ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ સંદર્ભે આજરોજ જિલ્લા પોલીસવડા ડો. નિતેષ પાંડેય, નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંધાલ સહિતના પોલીસ અધિકારીઓ રથયાત્રાના નિર્ધારિત રૂટ પર પહોંચ્યા હતા અને સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગશહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં નિલમબાગ, ઘોઘારોડ, બોરતળાવ, ગંગાજળિયા અને ભરતનગર પોલીસ મથકોના પીઆઇ, પીએસઆઇ, સર્વેલન્સ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સાથે જ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભય વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ચુસ્ત બંદોબસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૂળ ઉત્તરપ્રદેશની વતની અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પોતાની મોટી બહેનના ઘરે રહેતી 18થી 19 વર્ષની પલક વાડમ (સંજુ) નામની યુવતીએ પોતાના રૂમમાં શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવતીના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પરિવારજનોએ આ મોત પાછળ કોઈ ગંભીર કારણ હોવાની આશંકા વ્યક્ત કરી ઊંડાણપૂર્વકની તપાસ માટે માંગ કરી છે. મૃતક પલકની સગી મોટી બહેને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે બધું જ સામાન્ય હતું અને ઘરમાં કોઈ જ તણાવ નહોતો. તે સાંજે 7:30 વાગ્યે કામ પરથી પરત ફરી ત્યારે પલક ખૂબ જ ખુશ દેખાતી હતી. બંને બહેનોએ રાત્રે સાથે મળીને રસોઈ બનાવી હતી, જેમાં પલકે પોતે ઉત્સાહભેર ઈંડાની વાનગી બનાવી આખા પરિવારને ખવડાવી હતી. રાત્રે 11:00 વાગ્યા સુધી બંને બહેનોએ ખૂબ મસ્તી-મજાક કરી હતી. ત્યારબાદ પલકે તેના દીદી અને જીજુને કહ્યું કે, તમે જમી લીધું હોય તો હું નીચે સફાઈ કરવા જાઉં છું અને હમણાં રૂમમાં સૂવા માટે જાઉં છું. બહેનના જણાવ્યા મુજબ પલક રોજની જેમ જ સામાન્ય રીતે નીચે ગઈ હતી, જેથી કોઈને કોઈ અનિચ્છનીય ઘટનાની શંકા ગઈ નહોતી. રૂમની બારીમાંથી જોતા પલક ગળેફાંસો ખાઘેલી હાલતમાં જોવા મળીપરિવારના જણાવ્યા અનુસાર, આપઘાતની આ ઘટનાની જાણ વહેલી સવારે થઈ હતી. મૃતકના જીજુ (બનેવી) વહેલી સવારે અંદાજે 4:00 વાગ્યે શૌચક્રિયા માટે ઊઠ્યા ત્યારે અચાનક તેમની નજર પલકના રૂમની ખુલ્લી બારી પર પડી હતી. અસમયે બારી ખુલ્લી જોઈને તેમને શંકા જતાં તેમણે બારીમાંથી અંદર જોયું તો તેમના હોશ ઊડી ગયા હતા. પલક અંદર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. તેમણે તાત્કાલિક પોતાની પત્નીને જગાડી અને આસપાસના લોકોને એકઠા કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ પરિવારને એક ચોંકાવનારી માહિતી આપી હતી કે, મોડી રાત્રે પલક પોતાના ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને વાત કરતાં કરતાં તે ખૂબ જ રડી રહી હતી, જેના કારણે આ આખો મામલો કોઈના માનસિક દબાણ તરફ ઈશારો કરે છે. પ્રેમ પ્રકરણમાં દગો અને લગ્નની વાતોથી યુવતી ડિપ્રેશનમાં હોવાની આશંકામૃતકની બહેને ખુલાસો કર્યો કે, છેલ્લા 1 અઠવાડિયાથી પલકના ચહેરા પર ઉદાસી જોવા મળતી હતી. તે જ્યારે પણ ધાબા પર કે અન્ય જગ્યાએ ફોન પર વાત કરતી ત્યારે તેનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. બહેને જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે કંઈ પણ હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે પલક કોઈ સગા-સંબંધીમાં જ આવતા એક યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં અથવા સંપર્કમાં હતી. તાજેતરમાં જ તે યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ કારણે પલક છેલ્લા 2 થી 3 દિવસથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી. યુવકે તેને દગો આપ્યો હોવાથી અથવા લગ્નની ના પાડી દીધી હોવાના કારણે અત્યંત આઘાતમાં આવીને પલકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવાર મક્કમપણે માની રહ્યો છે. ગરીબ પરિવારની ન્યાય માટે આજીજી અને પોલીસ તપાસઆ કરુણ ઘટનાથી પલકનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. મૃતકની બહેને રડતાં રડતાં જણાવ્યું કે, તેની માતા હજુ 2 દિવસ પહેલાં જ વતન ગામડે ગઈ છે અને પરિવાર ભૂતકાળમાં પણ આવી જ 1 બહેન ગુમાવી ચૂક્યો છે. પલક ઘરમાં રહીને બહેનના 2 નાના બાળકોની સંભાળ રાખતી હતી, જેના કારણે તેની બહેન બહાર કામ પર જઈ શકતી હતી અને ઘરનું ગુજરાન ચાલતું હતું. પલકના મોતથી આ ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓએ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે પોલીસ સમક્ષ પલકના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) તપાસવાની અને જે પણ યુવકના કારણે તેણે આ પગલું ભર્યું છે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.
વાઘ નદીનો બ્રિજ જોખમી, વાહનવ્યવહાર બંધ:વલસાડમાં 15 ઓક્ટોબર, 2026 સુધી ડાયવર્ઝન અમલમાં
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટુકવાડા ગામ પાસે વાઘ નદી પરના મેજર બ્રિજમાં નુકસાન જણાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય 15 ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે. સમારકામ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને અને લોકોના જાનમાલની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની સ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. સુલિયા-જોઈનિંગ ટીટુમાળ દિધી રોડ પર આવેલા આ જૂના બ્રિજમાં તિરાડો અને અન્ય નુકસાની જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક સમારકામની જરૂરિયાત ઊભી થઈ. ધરમપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સ્થળ તપાસ બાદ બ્રિજ બંધ કરી વૈકલ્પિક માર્ગ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ હુકમ જાહેર કર્યો છે. આદેશ મુજબ, 15 ઓક્ટોબર, 2026 સુધી બ્રિજ પરથી તમામ વાહનવ્યવહાર બંધ રહેશે. વાહનચાલકોએ હવે ટુકવાડા-ઉમરપાડા-ઘાડવી-બીલધરી-ગુનસા-વાડી-ધાણવેરી થઈ અસલકાટી બ્રિજના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. વહીવટીતંત્રે વાહનચાલકોને સૂચિત ડાયવર્ઝન રૂટનું પાલન કરવા અને અનાવશ્યક જોખમ ન લેવા અપીલ કરી છે. જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમના અમલ અને દેખરેખ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના તમામ અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે. બ્રિજના સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવો અનિવાર્ય છે.
વઢવાણના ધોળીપોળ ખાતે મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિ (તિથિ મુજબ) શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ઝાલાવાડ ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણી આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ મહારાણા પ્રતાપને શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના અદ્વિતીય પ્રતીક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે દેશ અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું. વક્તાઓએ વધુમાં જણાવ્યું કે મહારાણા પ્રતાપ માત્ર એક સમાજના નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ છે અને તેમના આદર્શો આજે પણ સૌને પ્રેરણા આપે છે. ઉપસ્થિતોએ તેમના જીવનચરિત્ર અને શૌર્યને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. આયોજકોએ સુરેન્દ્રનગર અને ઝાલાવાડના સર્વ સમાજના નાગરિકોને આવા ઐતિહાસિક મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
રાજ્યમાં દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ-2026 અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) આધારિત ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF)’ અને ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ 2026-27થી 2028-29 સુધી અમલમાં રહે તેવા મહત્ત્વાકાંક્ષી ‘નિપુણ ગુજરાત કાર્યક્રમ’નો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયાસોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે, શાળા પ્રવેશોત્સવને માત્ર પ્રવેશ અભિયાન નહીં પરંતુ ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ બનાવવો જરૂરી છે. રાજ્યમાં બાળકોના 100 ટકા શાળા નામાંકન દ્વારા ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પણ નંબર-વન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અધિકારીઓ, શિક્ષકો અને વાલીઓએ સંકલિત પ્રયાસો કરવા પડશે. રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર 1% સુધી પહોંચ્યોમુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વર્ષ પહેલાં શરૂ કરાવેલો શાળા પ્રવેશોત્સવ હવે 24મા વર્ષમાં પ્રવેશ્યો છે અને તેના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર 1% સુધી પહોંચ્યો છે. હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વાંચન-લેખન અને ગણિતીય કૌશલ્ય પર ભાર મૂકીને ગુણોત્સવને પણ સફળ બનાવવો એટલો જ જરૂરી છે. સમાજના ભવિષ્ય નિર્માણનો ઉત્સવ ગણાવી જોડાવા અપીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, સંસ્કાર અને જીવનકૌશલ્ય પણ શીખવવા જોઈએ. નાનપણથી જ સારી આદતો કેળવાશે તો તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની શકશે. તેમણે શાળા પ્રવેશોત્સવને સરકારી કાર્યક્રમ નહીં પરંતુ સમાજના ભવિષ્ય નિર્માણનો ઉત્સવ ગણાવી તન-મનથી જોડાવા અપીલ કરી હતી. 100 ટકા નામાંકન અને સુવિધાસભર શાળાઓનું લક્ષ્ય હાંસલ કર્યુંશિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, ગુજરાતે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા નવતર અભિગમો દ્વારા 100 ટકા નામાંકન અને સુવિધાસભર શાળાઓનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હવે રાજ્યનું ધ્યાન શિક્ષણની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત છે. તેમણે SCF, SQAAF અને નિપુણ ગુજરાત અભિયાનના પ્રારંભને શિક્ષણ ક્ષેત્રે નવા યુગની શરૂઆત ગણાવી હતી. પાંચ શાળાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓને અધિકારપત્રો એનાયતઆ પ્રસંગે વર્ષ 2026-27ના બજેટમાં મંજૂર થયેલી 298 માધ્યમિક શાળાઓમાંથી પાંચ શાળાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓને અધિકારપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણવિદો, શિક્ષકો અને જિલ્લાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
જામનગરના બેડી પાસે આવેલા રોઝી બંદર ખાતે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમે રોઝી બંદરના કિનારા અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા કચરાને સાફ કર્યો હતો. આ દરમિયાન મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સહિતનો અન્ય વેસ્ટ કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય હેતુ નદી, તળાવ કે દરિયા જેવા જળસ્ત્રોતોને ગંદકી અને કચરાથી મુક્ત રાખી સ્વચ્છ રાખવાનો છે. આ કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને પ્રકૃતિ સાથે ચેડા ન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના મુખ્ય સંચાલક વકીલ હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકરોની આગેવાનીમાં યોજાયો હતો. આ અભિયાનમાં જાહેર જનતા પણ ઉત્સાહભેર જોડાઈ હતી.
જામનગરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની રાજપૂત સમાજ દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેરમાં પગપાળા શોભાયાત્રા યોજી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયા હતા. આ વર્ષે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના આહવાનને માન આપીને આ ઉજવણીમાં કોઈ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. માત્ર પગપાળા યાત્રા યોજીને ઇંધણ બચાવવાનો એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વિશેષ પગપાળા રેલીનું પ્રસ્થાન જામનગરમાં ધનવંતરી કેમ્પસ નજીક અને ડી.કે.વી. સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડી.કે.વી. સર્કલથી શરૂ થઈને જી.જી. હોસ્પિટલ મેઇન રોડ, ધનવંતરી ગુરુદ્વારા ચોકડી, લીમડા લાઈન અને લાલ બંગલા સર્કલ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. પગપાળા યાત્રા જામનગર જિલ્લા પંચાયત સર્કલ પાસે પહોંચી હતી, જ્યાં સ્થાપિત મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને આ સાદગીપૂર્ણ ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પગપાળા યાત્રામાં પૂર્વ મંત્રી હકુભા જાડેજા, રાજપૂત સમાજના અગ્રણી પી. એસ. જાડેજા, નવલસિંહ જાડેજા, રાજપૂત યુવા સંઘ અને કરણી સેનાના આગેવાન દોલુભા જાડેજા, મહિલા આગેવાન નૈનાબા જાડેજા તેમજ વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન 4 મહિના મચ્છરોના ઉપદ્રવને અટકાવવા ધુમાડો કરવા માટે રૂ. 12.45 કરોડનો જંગી ખર્ચ કરશે. અલગ અલગ ત્રણ એજન્સીઓ દ્વારા દરેક ઝોનમાં રોજના 250 ઘરમાં ફોગિંગ (ધુમાડો) કરવામાં આવશે. જેના માટે 25 થી 50 મશીન ફરજિયાત રાખવાના રહેશે. દર વર્ષે કોર્પોરેશન સેન્ટ્રલ વેયર હાઉસિંગ કોર્પોરેશન, પેસ્ટ કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એચ.પીસી કોર્પોરેશન ત્રણ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપતી હોય છે તેમ આ વખતે પણ આ ત્રણેય કંપનીઓને અલગ અલગ ઝોન ફાળવી દેવા અંગેની વિવાદાસ્પદ દરખાસ્ત લાવવામાં આવી છે અને દર વર્ષે ખર્ચમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 3 ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તમળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે જેથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ થતા હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શહેરીજનોમાં આવો રોગચાળો અટકાય તેના માટે નાગરિકોના ઘરે ઘરે ફોગિંગ કરવા માટે ત્રણ ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મેલેરિયા શાખા દ્વારા લાવવામાં આવી છે. શહેરમાં ચોમાસાના 4 મહિના દરમિયાન મેનપાવર અને મશીનો સાથે ફોગીંગની કામગીરી કરવામા આવશે. દરેક ઝોનમાં પ્રતિદિન 250 મકાનોમાં ફોગીંગ કરાશેદરેક ઝોનમાં અલગ અલગ નક્કી કરવામાં આવનાર એજન્સી દ્વારા પ્રત્યેક ઝોનમાં પ્રતિદિન 250 મકાનોમાં ફોગીંગ કરવામાં આવશે. જે માટે આ એજન્સીઓને 25થી લઇને 50 જેટલા મશીનો ફરજીયાત તેમની સાથે રાખવા પડશે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધતો જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મલી રહ્યો છે. દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મચ્છરજન્ય રોગો અટકાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં પણ મચ્છરજન્ય રોગો અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ફરીથી 12 કરોડ રૂપિયા નો ખર્ચ ધુમાડો કરવા ખર્ચશે. કયા ઝોનમાં કેટલો ખર્ચ થશે
સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાંથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. પીપલોદના ચાંદની ચોક પાસે આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગ મહિમા હાઈટ્સના 10મા માળે આવેલા એક ફ્લેટના હોમ થિયેટર રૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે ઘરમાં હાજર વૃદ્ધા સહિત બે લોકો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. હોમ થિયેટર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકામળતી માહિતી મુજબ, મહિમા હાઈટ્સના 10મા માળે આવેલા ફ્લેટમાં લક્ઝુરિયસ હોમ થિયેટર બનાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આ હોમ થિયેટર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. રૂમમાં સાઉન્ડ પ્રૂફિંગ અને ફર્નિચર હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખો રૂમ આગની લપેટમાં આવી ગયો હતો. બિલ્ડિંગના ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ઘરમાં હાજર વૃદ્ધા સહિત બે લોકોનો આબાદ બચાવઆગ લાગી તે સમયે ફ્લેટની અંદર એક વૃદ્ધા સહિત બે લોકો હાજર હતા. પરંતુ આગની તીવ્રતા વધે તે પહેલાં જ બંને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફ્લેટની બહાર દોડી આવ્યા હતા. જેને કારણે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. 3 ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડીઓએ દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો એક્શન મોડમાં આવી ગયો હતો. આગની ગંભીરતાને જોતા વેસુ, અડાજણ અને મજુરા સહિતના અલગ-અલગ ફાયર સ્ટેશનથી 6થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગના 10મા માળ સુધી પહોંચીને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. મોંઘુંદાટ ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ સાધનો બળીને ખાખફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને હાલ કૂલિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. જોકે, આ દુર્ઘટનામાં હોમ થિયેટર રૂમની અંદર રહેલું મોંઘુંદાટ ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટના ની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી.
શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગના નામે વધુ નફાની લાલચ આપી કડીના એક વેપારી અને તેમના પરિવારના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂપિયા 17,00,804 ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાવાઈ છે. મુંબઈની કથિત ‘સ્પાર્ટન ટ્રેડિંગ કંપની’ના નામે ઓપરેટ કરતા સાયબર ગઠિયાઓએ પૂર્વયોજિત કાવતરું રચી આ આખી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. મુંબઈની ‘સ્પાર્ટન ટ્રેડિંગ કંપની’ના મેનેજરની ઓળખ આપીપોલીસ ફરિયાદની વિગતો મુજબ, કડીની ધરતી સિટી પાસે આવેલી ઉમીયા સોસાયટીમાં રહેતા અને ઊંઝાના સરદાર ચોક ખાતે 'મુનલાઇટ' નામની ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારી લોમેશભાઇ અમૃતભાઈ પટેલ (ઉ.વ. 42) પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈની ‘સ્પાર્ટન ટ્રેડિંગ કંપની’ના મેનેજર અમનભાઈ તરીકે આપી હતી અને શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ માટે પ્રોફિટેબલ ટીપ્સ આપવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં ટીપ્સ આપી 6 લાખનો નફો કરાવ્યોવેપારીએ સંમતિ દર્શાવતા આરોપીઓએ વોટ્સએપ દ્વારા ટીપ્સ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના એક અઠવાડિયામાં વેપારીને રૂ. 6 લાખનો નફો થતાં તેમનો વિશ્વાસ દ્રઢ થયો હતો. આ દરમિયાન કંપનીના ઉચ્ચ અધિકારી સુરજભાઈ તરીકે ઓળખ આપતા અન્ય એક શખ્સે પણ વેપારી સાથે સંપર્ક વધારી મોટો નફો મેળવવાની લાલચો આપી હતી. અમારી કંપનીના સેબી રજીસ્ટર્ડ બેંક ખાતામાં નાણાં જમા કરાવોથોડા સમય બાદ વેપારીને ટ્રેડિંગમાં નુકસાન થવા લાગ્યું હતું. આ અંગે તેમણે સુરજભાઈને વાત કરતા, સુરજભાઈએ જણાવ્યું હતું કે તમારા IIFL ના ડીમેટ એકાઉન્ટમાં બ્રોકરેજ વધુ કપાય છે, જેથી લોસ થાય છે. જો બ્રોકરેજ બચાવવું હોય તો અમારી કંપનીના સેબી (SEBI) રજીસ્ટર્ડ બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવો. વેપારીએ લાલચમાં આવી 17 લાખ ટ્રાન્સફર કર્યાનુકસાન રિકવર કરવાની અને વધુ કમાણીની લાલચમાં આવી ગયેલા વેપારીએ સાયબર ગઠિયાઓ દ્વારા મોકલવામાં આવેલા અલગ-અલગ UPI આઈડી અને બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 1 એપ્રિલ 2025 થી 23 જૂન 2025 દરમિયાન પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.10,31,860 પત્ની અસ્મિતાબેનના ખાતામાંથી રૂ.4,76,136 તથા ભાઈ નીરવકુમારના કરૂર વૈશ્ય બેંકના ખાતામાંથી રૂ.1,92,808 મળીને કુલ રૂપીયા 17,00,804 ટ્રાન્સફર કરી દીધા હતા. વેપારીએ 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવીઆટલી મોટી રકમ ઈન્વેસ્ટ કર્યા બાદ પણ આરોપીઓ વધુ નાણાંનું દબાણ કરતા હતા અને પ્રોફિટ આપવાના બદલે લોસ બતાવતા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં વેપારીએ તુરંત જ કેન્દ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. આ અરજી બાદમાં કડી પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં કડી પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે વોટ્સએપ નંબર ધારકો (અમનભાઈ અને સુરજભાઈ) તેમજ જે ICICI અને SBI બેંક ખાતાઓમાં નાણાં જમા થયા છે તેના તમામ વપરાશકર્તાઓ સામે આયોજનબદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બોટાદમાં વિશ્વ યોગ દિવસ-2026 નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ 19 જૂન, 2026 (શુક્રવાર) ના રોજ સવારે 9:00 થી 12:00 કલાક દરમિયાન નગર પ્રાથમિક શાળા નં. 1, તાલુકા શાળા, હનુમાન ગેટ, બોટાદ ખાતે યોજાશે. આ કેમ્પ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આયોજિત છે. તેને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત બોટાદ અને સરકારી હોમિયોપેથીક ઓપીડી, જનરલ હોસ્પિટલ બોટાદનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. કેમ્પમાં ધાધર, ખરજવું, સાંધાના દુખાવા, કમરના દુખાવા, અજીર્ણ, ગેસ, એસિડિટી, હરસ, મસા, ડાયાબિટીસ, પથરી, સ્ત્રીરોગ અને વાળ ખરવા જેવી વિવિધ તકલીફો માટે નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ, માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, યોગ અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ માહિતી અપાશે. આ કેમ્પમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ. રાજેશ મેર અને હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડૉ. સંગીતાબેન દેસાઈ તેમની સેવાઓ આપશે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદે નગરજનોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો મહત્તમ લાભ લેવા અને પોતાના પરિવારજનો તથા મિત્રોને પણ આ અંગે જાણ કરવા અપીલ કરી છે.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને અમદાવાદમાં રહેતા તેમના કાકાના દીકરા અને ભત્રીજાએ મોલનો સામાન સસ્તા ભાવે ખરીદીને મોટો નફો કમાવવાની લાલચ આપી રૂ. 1.04 કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી. આ રકમમાંથી માત્ર રૂ. 9.43 લાખ પરત આપી, બાકી નીકળતા રૂ. 95.53 લાખ અવારનવાર માંગવા છતાં પરત ન કરી વૃદ્ધા અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પીડિત વૃદ્ધાએ પોતાના જ ભાઈ-ભત્રીજા સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સસ્તા ભાવે માલ ખરીદી ઊંચા નફાની આપી લાલચભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા પ્રાઈમ ફ્લેટમાં ભાડેથી રહેતા ગુલશનબેન હસનભાઈ શ્રીમાળીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી યુનુસ સુલેમાનભાઈ શ્રીમાળી (કાકાનો દીકરો) અને પરવેઝ યુનુસભાઈ શ્રીમાળી (ભત્રીજો) (રહે. બંને રોનક પાર્ક, વેજલપુર, જુહાપુરા, અમદાવાદ) અમદાવાદમાં અનાજ-કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓનો મોલ ચલાવતો હતો. તેણે ગુલશનબેનને જણાવ્યું કે અમદાવાદમાં કેટલાક મોલ બંધ થવાના હોવાથી ત્યાંનો માલ સામાન ખૂબ સસ્તા ભાવે મળી રહ્યો છે. જો આ માલ ખરીદીને ઊંચા ભાવે વેચવામાં આવે તો મોટો નફો થઈ શકે તેમ છે. માલ ખરીદવા માટે પૈસાની જરૂરિયાત હોવાનું કહી બંને આરોપીઓએ વૃદ્ધાનો વિશ્વાસ જીતી અલગ-અલગ સમયે કુલ રૂ. 1,04,93,000 મેળવી લીધા હતા. નાણાં પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીઓએ લીધેલી રકમમાંથી માત્ર રૂ. 9,43,000 પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ. 95.53 લાખ ચૂકવ્યા ન હતા. વૃદ્ધાએ જ્યારે આ બાકી રકમ માટે રૂબરૂમાં અને ફોન પર અવારનવાર ઉઘરાણી કરી, ત્યારે પિતા-પુત્રએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ ગુલશનબેનને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની તેમજ તેમના દીકરા ફયાજભાઈના ટાંટિયા ભાંગી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. પોલીસે પિતા-પુત્ર સામે છેતરપિંડી ગુનો દાખલ કર્યોસગા સંબંધીઓ દ્વારા આચરાયેલા આ આર્થિક વિશ્વાસઘાત અને ધમકીના મામલે આખરે ગુલશનબેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે અમદાવાદના બંને આરોપીઓ યુનુસ શ્રીમાળી અને પરવેઝ શ્રીમાળી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(5), 352, 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. ગંગાજળિયા પોલીસે પિતા-પુત્ર સામે છેતરપિંડી અને ગુનાહિત ધમકીનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ નજીક આવેલી કેન્દ્રીય કર્મચારીઓની સરકારી ક્વાર્ટર કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બે અલગ અલગ ક્વાર્ટરના તાળા તોડી કુલ રૂ.2.85 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. કેન્દ્રીય કર્મચારી યોગેશભાઈ બાબુરાવ કંધારકર પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે ચોરોએ તેમના ક્વાર્ટરમાં ઘૂસી આશરે રૂ.2.25 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. આ ઉપરાંત બીજા ક્વાર્ટરમાંથી સોનાની વીંટી, ચાંદીની પાયલ અને રૂ.25 હજાર રોકડ મળી કુલ રૂ.60 હજારની ચોરી થઈ હતી. જોકે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થતા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બાળ સંરક્ષણ ગૃહમાં 11 માંથી 9 કિશોર મળ્યા, 2 ની શોધખોળ ચાલુ ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી લોખંડની જાળી અને સીસીટીવી કેમેરા તોડી 11 કિશોરો ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી હતી.ફરાર થયેલા કિશોરોમાંથી એક પાકિસ્તાની બાળક થોડા જ કલાકોમાં પરત આવી ગયો હતો. અત્યાર સુધીમાં પોલીસ 8 કિશોરોને અલગ અલગ સ્થળેથી શોધી કાઢવામાં સફળ રહી છે. તાજેતરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ એક કિશોરને જેતપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે હજુ બે કિશોરોની શોધખોળ ચાલુ છે. ખોખરા હનુમાન મંદિર નજીક ડમ્પરની ટક્કરે બાઇક પર જતો યુવાનનું મોત મોરબીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભાનુપ્રતાપ ગણેશ યાદવ (ઉ.વ. 20)નું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.ખોખરા હનુમાન નજીક પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેમની બાઇકને ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની શોધખોળ કરી રહી છે. એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢે ઝેરી દવા પી જતા સારવારમાં મૃત્યુ મવડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય દીપકભાઈ લાઠીયાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા અને માનસિક કંટાળાના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેવનગરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: કાર સહિત રૂ.6.16 લાખનો મુદ્દામાલ કબજે માલવિયાનગર પોલીસે દેવનગર વિસ્તારમાં દરોડો પાડી આઇ-20 કારમાંથી 432 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે હજરતઅલી ઉર્ફે લાલો ઈકબાલ શેખ (ઉ.વ. 22)ની ધરપકડ કરી છે. કારની ડેકીમાં સંતાડેલા રૂ.1.16 લાખના દારૂ સહિત કુલ રૂ.6.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવા જતો હતો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલા હનીટ્રેપના ગંભીર ગુનાનો સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનામાં અજાણ્યા આરોપીઓ સંડોવાયેલા હોવાથી, પોલીસની સર્વેલન્સ ટીમે ખાનગી રાહે માહિતી એકત્ર કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા કુલ સાત આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સાહિલભાઈ દિલાવરભાઈ ચૌહાણ (ઉ.વ. 25, સાકળી શેરી, શિયાણીની પોળ, વઢવાણ), શક્તિભાઈ મનોજભાઈ બાજીપરા (ઉ.વ. 29, ટી.બી. હોસ્પિટલ પાછળ, બાપાસીતારામનગર, સુરેન્દ્રનગર), ભાર્ગવભાઈ પરેશભાઈ પરમાર (ઉ.વ. 27, નિર્મળનગર, બંસીધર પાર્ક, સુરેન્દ્રનગર), સમીરભાઈ રફીકભાઈ કોડીયા (ઉ.વ. 27, ચારમાળીયા ફિરદૌસ સોસાયટી, સુરેન્દ્રનગર), ફરીદનભાઈ કામીલભાઈ શેખ (ઉ.વ. 25, બાપાસીતારામનગર, સુરેન્દ્રનગર), સમીરભાઈ અબ્બાસભાઈ રદવાન (ઉ.વ. 30, ખોડિયારપરા-1, લાલટાંકી પાસે, સુરેન્દ્રનગર) અને અંકિતભાઈ ભરતભાઈ ત્યાગી (ઉ.વ. 24, નિર્મળનગર, બંસીધર પાર્ક, સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાહિલ ચૌહાણ, શક્તિ બાજીપરા, ભાર્ગવ પરમાર, સમીર રદવાન તથા અંકિત ત્યાગી સામે અગાઉ પ્રોહિબિશન, જુગાર, મારામારી, હત્યાના પ્રયાસ, ચોરી તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
મહીસાગર જિલ્લામાં વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષા આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. લુણાવાડાના 52 પાટીદાર સમાજ ઘર ખાતે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. આ વિરોધ કાર્યક્રમ લુણાવાડાના 52 પાટીદાર સમાજ ઘર ખાતે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કરાયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, વર્ષ 2010 પહેલા સરકારના તત્કાલીન નિયમો અનુસાર ભરતી થયેલા શિક્ષકોને પણ TET પરીક્ષા આપવી પડશે, જેને કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રદર્શનમાં અંદાજે 700 જેટલા શિક્ષકો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે, વર્ષો પહેલા સરકારના નિયમો મુજબ ભરતી થયેલા શિક્ષકોને ફરીથી TET પરીક્ષા આપવા ફરજ પાડવી તે અન્યાય સમાન છે અને તેનો કોઈ અર્થ નથી. શિક્ષક આગેવાનોએ સરકારને સંસદમાં જરૂરી વિધેયક પસાર કરીને વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી. મહિલા શિક્ષિકાઓએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેઓ શિક્ષણ કાર્ય ઉપરાંત વસ્તી ગણતરી, બી.એલ.ઓ. સહિતની અનેક સરકારી ફરજો બજાવે છે. આવા સંજોગોમાં TET જેવી વધારાની પરીક્ષા તેમના માટે વધુ એક બોજો સાબિત થશે. શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર તેમની માંગ સ્વીકારી પરીક્ષા રદ નહીં કરે, તો આગામી દિવસોમાં ક્રમબદ્ધ આંદોલન અને વિરોધ કાર્યક્રમો વધુ ઉગ્ર બનાવવામાં આવશે. મહીસાગર જિલ્લાના શિક્ષકો પોતાના હક્ક માટે એકજૂટ થઈ લડત આપવા કટિબદ્ધ છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ 1,420 કેચપીટ સાફ કર્યા:ચોમાસા પહેલાં જળભરાવ રોકવા 7 ડીવોટરિંગ પંપ તૈયાર
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ આગામી ચોમાસા પૂર્વે જળભરાવની સ્થિતિ ટાળવા માટે પ્રિ-મોન્સૂન કામગીરીને અંતિમ ઓપ આપ્યો છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સફાઈ અભિયાન, ડ્રેનેજ જાળવણી અને જરૂરી મશીનરીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કુલ 1,420 કેચપીટની સફાઈ કરાઈ છે અને 7 ડીવોટરિંગ પંપ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 1,420 કેચપીટની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. કેચપીટમાં જમા થયેલી ગાદ, પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરાતા વરસાદી પાણીના નિકાલની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ગટર લાઈનોની પણ સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે 7 ડીવોટરિંગ પંપ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ટેકનિકલ સ્ટાફ અને જરૂરી સાધનસામગ્રી પણ તૈનાત કરવામાં આવી છે. શહેરના મુખ્ય અને ઉપકાંસોમાં જેસીબી મશીનોની મદદથી ડી-સિલ્ટિંગ કરીને વર્ષોથી જમા થયેલી ગાદ અને ઝાડ-ઝાંખર દૂર કરાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોનું સર્વેક્ષણ કરીને અગાઉ જળભરાવની ફરિયાદો મળતી જગ્યાઓએ નવી નિક ચેનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આનાથી વરસાદી પાણીને મુખ્ય કાંસ અથવા કુદરતી જળસ્ત્રોત તરફ સરળતાથી વાળી શકાશે. ચોમાસા દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત સતર્ક રહી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 02692-243942/43/44 જાહેર કરાયો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને વરસાદી પાણીના નિકાલના માર્ગોમાં કચરો ન ફેંકવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને શહેરને સ્વચ્છ તેમજ જળભરાવમુક્ત રાખવા સહયોગ આપવા અપીલ કરી છે.
સુરેન્દ્રનગરમાં 5 તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા:બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત 22 સંસ્થાઓમાં દરોડા
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત શ્રમ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટડી અને સુરેન્દ્રનગર શહેરના 22 સ્થળોએ દરોડા પાડતા કુલ 5 તરુણ શ્રમયોગીઓ કામ કરતા મળી આવ્યા હતા. ગાંધીનગરના શ્રમ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ રચાયેલી ડિસ્ટ્રીક્ટ ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી શ્રમ અધિકારી કે.એન.ચુડાસમા, મદદનીશ સરકારી શ્રમ અધિકારી ડી.બી.વાળા, ફેક્ટરી ઈન્સ્પેક્ટર વાય.જી.ગોહિલ, સોશિયલ વર્કર કે.બી.ચાવડા, સુરક્ષા અધિકારી એમ.બી.ડોરીયા, કેસ વર્કર ડી.એ.વાળોદરા અને એ.એસ.આઈ આર.એન.મકવાણા સહિતની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા હતા. પાટડી શહેરી વિસ્તારમાં આવેલ હોટેલ સહયોગ અને મહાવીર કોલ્ડ્રીંક્સ તેમજ સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના રેસ્ટોરેન્ટ અને નારાયણ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટરમાંથી આ તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા હતા. તેઓ બિન-જોખમી વ્યવસાયમાં કાર્યરત હતા. શ્રમ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓ સામે ચાઈલ્ડ લેબર એક્ટ, રેગ્યુલેશન હેઠળ તપાસ નોંધ પાઠવવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ક્ષતિ પૂર્તતા નહીં કરવામાં આવે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લામાં બાળમજૂરી નિવારણ અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ જાહેર સ્થળો પર બાળમજૂરી વિરોધી સંદેશા ધરાવતા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મદદનીશ શ્રમ આયુક્ત, સુરેન્દ્રનગર દ્વારા સમાજના તમામ વર્ગોને બાળ અધિકારોના સંરક્ષણ અને 'બાળમજૂરી મુક્ત સમાજ'ના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
ખેડૂતોના ખેતરમાંથી નીકળતી વીજલાઈન સહિતના પ્રશ્ને હાલ રાજ્યભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. 15મી જૂને ટ્રેકટર રેલી અમદાવાદ પહોંચ્યા બાદ વિવાદ થયો હતો. ખેડૂતોના પ્રશ્ને હાલ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. ત્યારે હવે ખેડૂતોના મુદ્દે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. કીર્તિ પટેલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ભાવનગરમાં આવેલા કાર્યલાય પર પહોંચી 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. કીર્તિ પટેલે કહ્યું હતું કે, જો જીતુ વાઘાણી 15 દિવસમાં ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવી દેશે તો તેના પગ ધોઈને હું પાણી પીઈશ. કીર્તિએ કહ્યું- 'ખેડૂતોના નામે રાજકારણ બંધ કરો'કીર્તિ પટેલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે,“અત્યાર સુધી અન્ય પક્ષો ખેડૂતોના મુદ્દા પર માત્ર રાજકારણ કરી પોતાના રોટલા શેકી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો માત્ર માર ખાઈ રહ્યા હતા. હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે અને ખેડૂતોને તેમનો હક ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.” તેમણે પોતે ખેડૂતની દીકરી હોવાનું ગૌરવ લેતા કહ્યું કે, તેમને સોશિયલ મીડિયા પર અનેક ખેડૂતોના મેસેજ આવતા હતા, જેના પગલે તેમણે આ જવાબદારી ઉપાડી છે. 'કૃષિમંત્રી પર વિશ્વાસ, પણ માંગ ન સંતોષાય તો આંદોલન'કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અંગે વાત કરતા કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, “જીતુભાઈ પોતે એક ખેડૂત પુત્ર છે તેમને ખેડૂતોના પરસેવાની કિંમત અને મહેનતની ખબર જ હોય. અમને તેમના પર પૂરેપૂરો ભરોસો છે કે, તેઓ ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે.” જોકે, સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો 15 દિવસની અંદર ખેડૂતોની માંગણીઓ અને યોગ્ય વળતર અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં આવે, તો તેઓ સોશિયલ મીડિયાના સ્ટાર્સ અને ગુજરાતના તમામ યુવાનોને સાથે લઈને ફરી રજૂઆત કરશે. જીતુભાઈ ખેડૂતોને ન્યાય અપાવે તો તેના પગ ધોઈને પાણી પીઈશ- કીર્તિ પટેલઆ સંદર્ભમાં તેમણે અને અન્ય યુવાનોએ જણાવ્યું હતું કે, “જો જરૂર પડશે તો અમે જીતુભાઈના પગ પકડીને પણ ખેડૂતોને ન્યાય અપાવવા માટે વિનંતી કરીશું.” અંતમાં કીર્તિ પટેલે અપીલ કરતા કહ્યું કે, “અમારે કોઈ જશ નથી જોઈતો, અમારે માત્ર ખેડૂતોનું ભલું જોઈએ છે. જો જીતુભાઈ ખેડૂતોને ન્યાય અપાવશે તો તેના પગ ધોઈને પાણી પીઈશ.”
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું આયોજન 23, 24 અને 25 જૂન, 2026 દરમિયાન કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ અને સફળ અમલીકરણ માટે પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, રાજ્યકક્ષાના માર્ગદર્શનથી જિલ્લાના અધિકારીઓ અને મહાનુભાવોને માહિતગાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ સાબરમતી ઓડિટોરિયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી. તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ પાટણ જિલ્લામાં યોજાનારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમના અસરકારક ઉપયોગ, યુ-ટ્યુબ સહિતના ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ, મહત્વના વિષયો પર ચર્ચા-વિચારણા, નકશા આધારિત અભ્યાસનું મહત્વ તેમજ દરેક બાળકને પોતાની વાત રજૂ કરવાની તક મળે તેવા વાતાવરણના નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સામાજિક વર્તન, આરોગ્ય જાગૃતિ, એનિમિયા સહિત વિવિધ બીમારીઓ અંગેની સમજણ તેમજ જીવનમૂલ્યોના વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે, શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર ન રહી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બને તે દિશામાં કાર્ય કરવું જોઈએ. રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને આગળ ધપાવતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો મહત્વપૂર્ણ ઉપક્રમ છે. પાટણ જિલ્લામાં પણ આ અભિયાનને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેશ ચાવડા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદ ખેંચાતા મોટીઢોલડુંગરીના ગ્રામજનોએ પૂજા કરી:પીપરોળ ખાતે અભિનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા
વલસાડ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ ન થતાં ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામના ગ્રામજનોએ વરસાદ માટે અભિનાથ મહાદેવની પૂજા કરી છે. આજરોજ, 17મી જૂનના રોજ, પીપરોળ ખાતે બિરાજમાન વરસાદી દેવ અભિનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્વ છે. ગામના વડીલો અને ખેડૂતોએ અભિનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ચાલુ વર્ષે સારો વરસાદ પડે, ધરતી લીલીછમ બને અને ખેતીનો પાક ઉત્તમ ઉતરે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, સમગ્ર પંથકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પણ દેવાધિદેવને આજીજી કરવામાં આવી હતી. વડીલોના જણાવ્યા અનુસાર, આ પરંપરાના ભાગરૂપે આગામી દિવસોમાં ગામદેવીના સ્થાનક ખાતે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવશે. આ હવનમાં ગામના વડીલો, યુવાનો અને સમગ્ર ગ્રામજનો આસ્થાભેર જોડાશે. આ વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના આ કાર્યક્રમમાં મોટીઢોલડુંગરી ગામના વડીલો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી પેઢી પોતાની સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી વડીલોએ આ પરંપરાગત પૂજાનું મહત્વ સમજાવ્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે જેઠ સુદ બીજના રોજ રણુજાના રાજા શ્રી રામદેવપીરના પાટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભજન સત્સંગનો લાભ લીધો હતો. અહીં દર અજવાળી બીજે નકળંગી નાથ અને કળિયુગમાં ભગવાનના અવતાર એવા રામદેવપીર બાબાનો પાટ ભરવામાં આવે છે. આ પ્રસંગે આધ્યાત્મિક ચિંતન પણ કરવામાં આવે છે. અલખ ધૂણાના શ્રદ્ધેય મહેન્દ્રભાઈ વ્યાસે ઉત્તર ગુજરાતના વિરલ સંત સાગર મહારાજના જીવનદર્શનની ઝાંખી કરાવી હતી. સંત સાગર મહારાજનો જન્મ 1883માં વિજાપુર પાસે હિંમતનગર તાલુકાના વિરમોડા ગામે થયો હતો. તેમનું સંસારી નામ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી હતું. તેઓ ઉચ્ચ શિક્ષણ ધરાવતા હતા અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પણ નિવાસ કરતા હતા. ત્યાંથી તેમણે સમગ્ર દેશમાં ભ્રમણ કર્યું હતું. તેમણે પોતાના જીવન દરમિયાન અખાના સાહિત્યનું સંકલન કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ વિવિધ લેખકો અને કવિઓ સાથે રસપૂર્વક જોડાયેલા હતા, જેમાં કવિ કલાપી તેમના પ્રેરક હતા. પૂજ્યશ્રીએ સાહિત્ય, સમાજ, ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉચ્ચતમ સેવા આપી જીવન વ્યતિત કર્યું હતું. તેમનો દેહ વિલય 1936માં થયો હતો. આ પ્રસંગે મહેન્દ્રભાઈ વ્યાસ ઉપરાંત ભજનિકો મુકેશભાઈ મહેતા, સુરેશભાઈ વકીલ, નિરંજનભાઇ દવે, બળવંતસિંહ દરબાર, વિષ્ણુભાઈ યોગી અને સુરેશભાઈ સાધુએ ભજન સંગીતનું રસપાન કરાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે વડગામ તાલુકાના તેનીવાડા ગામના રણજીતસિંહ દેવસંગસિહ ઝાલા અને શક્તિસિંહ વિજયસિંહ ઝાલાએ સેવા આપી હતી. વિહિપના નીતિનભાઈ વ્યાસ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં આવેલા ઘાંચી સમાજના જમાતખાનામાં સમાજની નવી અને જૂની સમિતિ વચ્ચે હિસાબ-કિતાબની બાબતમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે વાત હિંસક મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ સુધી પહોંચી ગઈ હતી. જમાતખાનામાં ચાલી રહેલી નાણાકીય લેતી-દેતીની ઉગ્ર બોલાચાલી બાદ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ મથકે ગુન્હો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની વિગત એવી છે કે, મજૂરી કામ કરતા અબ્દુલ રજાક હસનભાઇ બખાઇ રાત્રિના સમયે પોતાના મિત્ર અબ્બાસ ગિરનારી સાથે વાડીએથી કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. તે જ સમયે ઘાંચી સમાજના જમાતખાનામાં નવી બનેલી સમિતિના હિસાબ-કિતાબ અંગેની એક મહત્વની મીટિંગ ચાલી રહી હતી. આ મીટિંગમાં સમિતિની જૂની બોડી તરફથી અબ્દુલ રજાકના ભાઇ સલીમ હસનભાઇ બખાઇ હાજર રહ્યા હતા, કારણ કે તેમના અન્ય એક ભાઇ ઇબ્રાહીમ હસનભાઇ બખાઇ જૂની સમિતિમાં સેક્રેટરી તરીકે કાર્યરત હતા. મીટિંગ દરમિયાન નવી સમિતિના હોદ્દેદારો સમાજનો હિસાબ આપવા તૈયાર ન હતા અને સોશિયલ મીડિયા પર પણ આ વિગતો જાહેર કરવાનો ઇનકાર કરી રહ્યા હોવાથી સલીમ સાથે તેમની ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન આસીફ આમદ ચાટા નામના વ્યક્તિએ ફોન કરીને અબ્દુલ રજાકને જાણ કરી કે જમાતખાનામાં તેમના ભાઈ સાથે મોટો ઝઘડો ચાલી રહ્યો છે, જેથી તેઓ તાત્કાલિક ત્યાં આવીને સલીમને ઘરે લઈ જાય. અબ્દુલ રજાક હસનભાઇ બખાઇ જ્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને નવી સમિતિના સભ્યો તેમના ભાઈ સલીમ સાથે ઝઘડો કરી રહ્યા હતા. અબ્દુલ રજાકે આ મામલો થાળે પાડવા બંને પક્ષોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સામો પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન આરોપી ફારૂક હકીમે વિવાદ વધારતા ફોન કરીને પોતાના અન્ય ભાઇઓ અને સાથીદારોને હથિયારો સાથે ઘટના સ્થળે બોલાવી લીધા હતા. જોતજોતામાં ત્યાં આરોપીઓ ફારૂક હકીમ, રજાક હકીમ અબુબકર કાલવાત ઉર્ફે સુવા, હસન કોતલ , અને યુસુફ ચાંદ એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત રજાક હકીમના બીજા ત્રણ ભાઇઓ તથા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓ પણ આ ટોળામાં સામેલ થયા હતા. આ તમામ આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીના ભાઈ સલીમને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને તેની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. પોતાના સગા ભાઈને બચાવવા માટે જ્યારે અબ્દુલ રજાક વચ્ચે પડ્યા ત્યારે તમામ આરોપીઓએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ અબ્દુલ રજાકને બેરહેમ માર માર્યો હતો અને જાહેરમાં ગાળો ભાંડી હતી. આ હુમલા દરમિયાન મુખ્ય આરોપી ફારૂક હકીમે જોરજોરથી રાડો પાડીને ધમકી આપતા કહ્યું હતું કે, હું તારી ઉપર જેસીબી ચડાવીને તને જાનથી મારી નાખીશ આ હુમલાના કારણે અબ્દુલ રજાકને છાતી, માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પ્રથમ માંગરોળના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તમામ નામચીન અને અજાણ્યા હુમલાખોરો સામે ગુન્હો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે.
રાજ્યમાં તાજેતરમાં થયેલા સિંહ હુમલા બાદ વન વિભાગે કાર્યવાહી તેજ કરી છે. રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, હુમલાની ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોર સિંહની હિસ્ટ્રી તેમજ તેના વર્તનનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સિંહે હુમલો કેમ કર્યો અને તેની પાછળ કયા કારણો જવાબદાર હતા તે જાણવા વન વિભાગના નિષ્ણાતો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. માનવ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાના રક્ષણાત્મક પગલાં પણ લેવામાં આવશે. જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને ₹10 લાખની સહાયપ્રવીણ માળીએ વધુમાં જણાવ્યું કે, ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ₹10 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ભવિષ્યમાં આવા હુમલાની ઘટનાઓ ઓછામાં ઓછી બને તે માટે વિભાગ સતત સક્રિય છે. વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવાનો પ્રયાસરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, સિંહોને તેમના કુદરતી આવાસમાં પૂરતો ખોરાક મળી રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વન્યજીવ અને માનવ વચ્ચેના વધતા સંઘર્ષને ઘટાડવા માટે વિવિધ સ્તરે કામગીરીને વધુ ગતિ આપવામાં આવી રહી છે. હુમલાખોર સિંહના વર્તન અને કારણોનું વિશ્લેષણપ્રવીણ માળી એ વધુમાં જણાવ્યું કે, હુમલાની ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. હુમલાખોર સિંહના વર્તન અને કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. માનવ સુરક્ષા માટે વધારાના પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે.
Rahul Gandhi On Telegram Ban : કેન્દ્ર સરકારે NEETની રી-એક્ઝામ યોજાય તે પહેલા સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના આ નિર્ણય પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુસ્સે થયા છે. તેમણે આ પ્રતિબંધને આકરા શબ્દોમાં વખોડતા જણાવ્યું કે, ટેલિગ્રામ બેન એ મોદી સરકારનો પેપર લીક રોકવાનો એક નવો નુસ્ખો છે, જેનો અર્થ એ થયો કે ચોરને પકડવાના બદલે પીડિતના ઘર પર તાળું મારી દેવું. પેપર લીક રોકવાનો આ કોઈ ઉકેલ નથી : રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સરકાર સામે સવાલો ઉઠાવતા લખ્યું છે કે, ‘લાખો વિદ્યાર્થીઓ વર્ષોથી ટેલિગ્રામ પર અભ્યાસ કરે છે, જેમાં તેઓ નોટ્સ, ટેસ્ટ સિરીઝ, ડિસ્કશન અને પરીક્ષાની તૈયારીઓ કરે છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપ્ત ગંદકી અને અયોગ્ય સફાઈ વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આશરે 1 મહિના પહેલાં સ્વચ્છતા પ્રેમી સંજય કાકડિયા દ્વારા આ બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. આથી આજે સંજય કાકડિયા, NSUI પ્રેસિડેન્ટ ગૌરવ ખીમચડિયા અને તેમની ટીમે કેમ્પસમાં જાતે સફાઈ અભિયાન હાથ ધરીને કચરો એકઠો કર્યો હતો. આ એકત્રિત કરેલો કચરો વિદ્યાર્થીઓ સીધો વાઇસ ચાન્સેલર ઉત્પલ જોષીની ઓફિસમાં લઈ ગયા હતા અને તેમના ટેબલ ઉપર મૂકીને ગ્રાઉન્ડ રિયાલિટીનો અહેસાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીના ટોયલેટ્સની હાલત અત્યંત બિસ્માર છે અને ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કચરો ફેલાયેલો છે. આ ઘટના બાદ વાઇસ ચાન્સેલરે 1 અઠવાડિયામાં સમગ્ર કેમ્પસમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવાની ખાતરી આપી છે. જોકે સંજય કાકડિયાએ 2 દિવસમાં સફાઈ કામગીરી શરૂ નહીં થાય તો કેમ્પસમાં સ્વચ્છતા મહાયજ્ઞ નામે પ્રતિક વિરોધ કરવાની ચીમકી આપી છે. રાજકોટમાં સિવિલમાં નેતાઓએ સ્ટેજ પર પગ પણ ન મૂકતા ખર્ચો માથે પડ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતનાં આગેવાનો સિટિબસમાં પહોંચ્યા દેશના વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવા માટે નીકળેલી પ્રગતિપથ યાત્રા ગઈકાલે રાજકોટ આવી પહોંચી હતી. આ યાત્રાના રૂટમાં 117 કરોડના ખર્ચે બનેલી ઝનાના હોસ્પિટલ પણ સામેલ હોવાથી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રંગીન માંડવો, ખાસ સ્ટેજ, મખમલી સોફા, 100થી 200 ખુરશીઓ, 6 મહાકાય કુલરો અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ તૈયારીઓ માટે વાહન પાર્કિંગ પણ બંધ કરાવી દેવાયું હતું. સાંજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર નેહલ શુક્લ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને કલેકટર ડો.ઓમ પ્રકાશ સહિતના આગેવાનો અને અધિકારીઓ સિટીબસમાં ત્યાં પહોંચ્યા હતા. વડાપ્રધાનની કરકસરની અપીલ વચ્ચે સિવિલ તંત્રએ મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ જગદીશભાઈ વિશ્વકર્માએ સ્ટેજ પર જવાને બદલે સીધા હોસ્પિટલના વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ અને સગાંઓ સાથે વાતચીત કરી સારવારની વિગતો મેળવી હતી. મુલાકાત બાદ તમામ નેતાઓ સીધા જ પરત બસમાં બેસીને રવાના થઈ ગયા હતા. સમય મર્યાદાના કારણે સ્ટેજ કાર્યક્રમ ન યોજાતા સિવિલ તંત્ર દ્વારા કરાયેલો તમામ ખર્ચ માથે પડ્યો હતો અને સરકારી તિજોરીના નાણાંનો વેડફાટ થયો હતો. ક્લોરીન ગેસ લીકેજ સામે મનપાનો સ્ટાફ સજ્જ, વિવિધ ફિલ્ટર પ્લાન્ટ-પમ્પિંગ સ્ટેશનના કર્મચારીઓને તાલીમ અપાઈ રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કર્મચારીઓની સલામતી અને ક્લોરીન ગેસ લીકેજ જેવી આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વેસ્ટ ઝોન હેઠળના રૈયાધાર અને ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ તેમજ એસ.આર.પી. ઘંટેશ્વર, મૂંજકા, 150 ફૂટ રીંગ રોડ, સોજીત્રા નગર, મવડી, વાવડી અને ચંદ્રેશ નગર પમ્પિંગ સ્ટેશન સહિત જીજાબાઈ અને કાલાવડ રોડ સ્વિમિંગ પૂલના સ્ટાફને સાંકળી લેવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગ દરમિયાન કર્મચારીઓને આપત્તિ સમયે ઓક્સિજન સિલિન્ડર સાથેના SCBA (Self Contained Breathing Apparatus) સેટ પહેરવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્લોરીન સિલિન્ડર પર બ્લાઈન્ડ ક્લેમ્પ લગાવવાની પદ્ધતિ અને ક્લોરીન સેફ્ટી કીટના અસરકારક ઉપયોગ અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર સેશનનું સંચાલન કેમિસ્ટ એમ.જે. રાઠોડ, એચ.સી. નાગપરા અને એટેન્ડન્ટ ગોપાલ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજન નાયબ કાર્યપાલક ઈજનેર વી.એચ. ઉમટ, સી.બી. મોરી અને એડિશનલ સિટી ઈજનેર કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરાયું હતું. રાજકોટમાં રેલવે કર્મચારીની પ્રામાણિકતા, મુસાફરને રૂ. 44,000નો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો રાજકોટ આરક્ષણ કચેરીમાં વાણિજ્ય વિભાગના કમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક ચંદન ત્રિપાઠીએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 16 જૂન, 2026ના રોજ રાત્રે અંદાજે 8:00 વાગ્યે બારી નંબર-2 પર ફરજ દરમિયાન, કચેરી બંધ કરતી વખતે તેમને એક મુસાફરનો સ્માર્ટફોન ભૂલથી છૂટી ગયેલો મળ્યો હતો. ફોન લોક હોવાથી તત્કાલિક માલિકની ઓળખ ન થતાં, તેમણે મુખ્ય આરક્ષણ સુપરવાઈઝર મનોજ ગોંડલિયાને જાણ કરી ફોન સુરક્ષિત રાખ્યો હતો. રાત્રે 9:20 વાગ્યે ફોન પર આવેલા કોલ દ્વારા મુસાફર સાથે સંપર્ક થયો હતો. બીજા દિવસે જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને ફોન અનલોક કરાવી ખાતરી કર્યા બાદ, અંદાજે રૂ. 44,000ની કિંમતનો વિવો V70 FE સ્માર્ટફોન મૂળ માલિકને સોંપવામાં આવ્યો હતો. મુસાફરે રેલવે પ્રશાસન અને કર્મચારીનો આભાર માન્યો હતો. આ પ્રશંસનીય કાર્ય બદલ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ કર્મચારીની સતર્કતા અને પ્રમાણિકતાને બિરદાવી હતી.
માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રીના પ્રયાસોથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારું અને સફળ સંચાલન માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલે સમગ્ર કાર્યક્રમના સુદ્રઢ આયોજન અને સંકલનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં કાર્યક્રમ સ્થળે શિબિરાર્થીઓની હાજરી, સ્ટેજ અને પ્લેટફોર્મની વ્યવસ્થા, યોગ્ય માઇક-સાઉન્ડ સિસ્ટમ તેમજ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે બાબતો સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા, સાફ-સફાઈ અને સેનિટેશનની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સહાય માટે ડોક્ટર અને એમ્બ્યુલન્સ સહિતની પ્રાથમિક સારવારની સુવિધાઓ તૈનાત રાખવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. બેઠકમાં મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની રૂપરેખા અને આમંત્રણ પત્રિકા તૈયાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપ્યોજિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે-સાથે તાલુકા મથકોએ યોજાનારા કાર્યક્રમો અંગે પણ સંબંધિત અધિકારીઓને આયોજન કરવા તાકીદ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટેની વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
શહેરાના સીમલેટ બેટ ખાતે પૂરની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો હેતુ ચોમાસા દરમિયાન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામ નજીક આવેલા 'સીમલેટ બેટ' ખાતે આ મોકડ્રિલ યોજાઈ હતી. તેમાં પૂર દરમિયાન શોધ-બચાવ અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરીનું નિદર્શન કરાયું હતું. મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવાનો અને કટોકટીના સમયે ઝડપી પ્રતિભાવ આપી માનવ જિંદગીઓ બચાવવાનો હતો. SDRF ગ્રુપ-05ની ટીમે કંપનીના કમાન્ડન્ટના સહયોગથી સમગ્ર કામગીરીનું સંચાલન કર્યું હતું. સવારે સીમલેટ બેટ ખાતે સૌપ્રથમ 'ટેબલ ટોપ એક્સરસાઇઝ' યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓ અને બચાવ ટીમોએ પૂરની સ્થિતિમાં વ્યૂહાત્મક રીતે કેવી રીતે આગળ વધવું તેની ચર્ચા કરી હતી. ત્યારબાદ બપોરે વાસ્તવિક પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરીને પ્રત્યક્ષ મોકડ્રિલ શરૂ કરવામાં આવી. આ મોકડ્રિલ દરમિયાન SDRFની નિષ્ણાત ટીમે આધુનિક બોટ અને લાઈફ જેકેટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરીનું જીવંત નિદર્શન કર્યું. સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં રહીને પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સર્વિસ અને સ્થાનિક કુશળ તરવૈયાઓની બચાવ ટીમોએ પણ સક્રિયપણે ભાગ લીધો હતો. પાણીમાંથી બચાવ કરાયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં આગામી સમયમાં આવી રહેલા પવિત્ર મોહરમ તહેવારની દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પરંપરાગત કોમી એકતા સાથે ઉજવણી કરવાના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષતામાં એક ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ તહેવાર દરમિયાન ઉભા થતા વિવિધ સ્થાનિક પ્રશ્નો અને વ્યવસ્થાઓ અંગે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જૂનાગઢની વર્ષો જૂની પરંપરા મુજબ યોજાતી આ ખાસ બેઠકમાં સ્થાનિક વહીવટી તંત્રના વિવિધ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેજવાળા અને પીરઝાદા સ્ટેટ સાથે જોડાયેલા સૈયદ મુખ્તાર કાદરીએ જણાવ્યું હતું કે, આ સેજની વંશ પરંપરા છેલ્લા સાડા ત્રણસો વર્ષ કરતાં પણ વધુ સમયથી અવિરતપણે ચાલે છે અને તે જૂનાગઢના ભવ્ય ઇતિહાસનો એક અવિભાજ્ય ભાગ છે. દર વર્ષે મોહરમ તહેવાર પૂર્વે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરની અધ્યક્ષતામાં આ પ્રકારે ખાસ બેઠક બોલાવવામાં આવે છે. મોહરમ દરમિયાન દર વર્ષે નડતા મુખ્ય પ્રશ્નો જેવા કે ટ્રાફિકની સમસ્યા, રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તામાં નડરૂપ બનતા રખડતા પશુઓનો ત્રાસ તેમજ રાત્રિ દરમિયાન લાઈટિંગની ઉભી થતી સમસ્યાઓ જેવા જટિલ પ્રશ્નો બાબતે વહીવટી તંત્રના તમામ સરકારી વિભાગો અમને હંમેશા પૂરો સાથ-સહકાર આપે છે. જૂનાગઢની આ પવિત્ર ધરતી પર ખૂબ જ શાંતિથી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ હંમેશા એકસાથે મળીને આ તહેવારની ઉજવણી કરે છે. આ ભવ્ય ઉજવણીમાં બટુક મકવાણાની એકતા સમિતિનો ખૂબ જ મોટો સપોર્ટ મળી રહે છે, જે સમિતિ દ્વારા દરેક તાજીયાવાળા ભાઈઓને અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે પણ સરકાર તરફથી અને કલેક્ટર તરફથી વ્યવસ્થાઓ જાળવવા માટે પૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે. બટુક મકવાણાએ જણાવ્યું હતું કે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી મોહરમ એકતા સમિતિની આ ખાસ બેઠકમાં સમાજના લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ નાની-મોટી સમસ્યાઓ કલેક્ટરે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી છે અને તહેવાર શરૂ થાય તે પૂર્વે જ આ તમામ પ્રશ્નોનો યોગ્ય અને સકારાત્મક ઉકેલ લાવવાની ચોક્કસ ખાતરી આપી છે. મોહરમ એ કોઈ એક ચોક્કસ જ્ઞાતિ કે કોમ પૂરતો મર્યાદિત તહેવાર નથી, પરંતુ આખા દેશમાં ખૂબ જ આસ્થા સાથે ઉજવાતો એક રાષ્ટ્રીય તહેવાર છે. જૂનાગઢ શહેરની એ ખાસિયત રહી છે કે અહીં હંમેશા કોમી એકતા અને પરસ્પર ભાઈચારાના મજબૂત પાયા પર જ દરેક ધર્મના તહેવાર ઉજવવામાં આવે છે. જૂનાગઢની આ ભવ્ય સાંસ્કૃતિક પરંપરા અને વર્ષો જૂનો કોમી એકતાનો ઇતિહાસ ભવિષ્યમાં પણ આવી જ રીતે અકબંધ જળવાઈ રહે તે માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના બંને ભાઈઓ સાથે મળીને પરસ્પર પ્રેમભાવથી આ મોહરમનો તહેવાર ઉજવે તેવી હૃદયપૂર્વકની અપીલ છે.
કલોલની 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતે 31 વર્ષના રીઢા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સાથે એક લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને 5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આરોપી 17 વર્ષની સગીરાને ભગાડી ગયો હતોકલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં નવી હાડકામીલની ચાલી પાછળ રહેતા 31 વર્ષીય આરોપી મહેશ રાવળે ગત તારીખ 3 ઓક્ટોબર 2025ના રોજ આ કાળા કરતૂતને અંજામ આપ્યો હતો. આરોપીએ ફરિયાદીની 17 વર્ષ અને 3 માસની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હતો. ચોટીલા નજીક એક વાડીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુંત્યાંથી તે સગીરાને ચોટીલા નજીક આવેલા મેવાસા ગામના સાસીયા- સણોસરા રોડ પર આવેલી બાબુભાઈ દરબારની વાડીમાં લઈ ગયો હતો. આ વાડીમાં આરોપીએ સગીરા સાથે રાત્રિના સમયે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી વિરૂદ્ધ કલોલમાં વર્ષ 2024માં પોક્સોનો ગુનો નોંધાયેલોજે કેસ કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુત સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ કોર્ટ સમક્ષ તમામ સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓ રજૂ કરી ચોંકાવનારી દલીલ કરતા જણાવ્યું હતું કે, આ આરોપી વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ વર્ષ 2024માં પણ આ જ પ્રકારનો પોક્સોનો ગુનો નોંધાયેલો છે. આરોપી વારંવાર સગીરાઓને નિશાન બનાવી આવા ગુના કરવા ટેવાયેલો હોઈ તેને કાયદામાં પ્રસ્થાપિત મહત્તમ સજા થવી જોઈએ. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ સજા ફટકારીદલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે જણાવ્યું કે, આરોપી પોતે 31 વર્ષનો પરિપક્વ પુરુષ છે અને ભોગ બનનાર માત્ર 17 વર્ષની સગીરા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ મળવું તે તેમનો મૂળભૂત અધિકાર છે. કોમળ વયની સગીરા પર જ્યારે બળાત્કાર થાય છે. ત્યારે તે અકલ્પનીય માનસિક વેદનામાંથી પસાર થાય છે અને આ મેન્ટલ ટ્રોમામાંથી બહાર નીકળતા તેને આખો એક દાયકો લાગી જાય છે. આરોપીના કારણે એક માસૂમ સગીરાની આખી જિંદગી વેરવિખેર થઈ ગઈ હોવાથી આરોપી પ્રત્યે કોઈ દયા દાખવી શકાય નહી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને એક લાખનો દંડ તેમજ પીડિત સગીરાને 5 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
સોનગઢમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી ઝડપાઈ:12 ભેંસો ભરેલો ટ્રક, બે આરોપીઓ ઝડપાયા
તાપી જિલ્લાના સોનગઢ પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે અશોક લેલેન્ડ ટ્રક (નંબર GJ-02-ZZ-7542) માંથી 12 ભેંસોને મુક્ત કરાવી હતી, જેમને અયોગ્ય રીતે બાંધેલી હાલતમાં લઈ જવામાં આવી રહી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ, એક ટ્રક દ્વારા બારડોલી તરફથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. આ માહિતીના આધારે સોનગઢ પોલીસે ચચરબુંદા ગામની સીમમાં ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાં સવાર બે ઈસમો મુનવ્વરમીર હસન આલીસર અને આચાર ખાન રાયધનખાન સહતાની અટકાયત કરવામાં આવી હતી. આ ગુનામાં રઝાકખાન ઉમરખાન નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેણે આ પશુઓ ટ્રકમાં ભરવા માટે આપ્યા હતા. પશુઓને અત્યંત ટૂંકા દોરડા વડે બાંધવામાં આવ્યા હતા અને તેમને ખાવા-પીવાની કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. આ કૃત્ય પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમનું ઉલ્લંઘન છે. સોનગઢ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, મોટર વ્હીકલ એક્ટ અને ગુજરાત પશુ હેરાફેરી નિયંત્રણ હુકમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગરના સાબર શિક્ષક ભવન ખાતે શિક્ષકોએ શિક્ષક પાત્રતા કસોટી (TET) માંથી મુક્તિની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકો માટે TET ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન સાંસદ, કલેક્ટર અને ધારાસભ્યોને આવેદનપત્ર પણ સુપરત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનય પટેલ અને મહામંત્રી સુરેશ પટેલની આગેવાની હેઠળ જિલ્લાના શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સુપ્રીમ કોર્ટે સેવારત શિક્ષકો માટે TET પાસ કરવાની મુદ્દત 31 ઓગસ્ટ, 2028 સુધી લંબાવી હોવા છતાં, આ નિર્ણયથી શિક્ષકોની સુરક્ષા, વ્યાવસાયિક ગૌરવ અને ભાવિ સંભાવનાઓ પર સીધી અસર થતી હોવાથી શિક્ષક આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નિર્ણયથી સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓના શિક્ષકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. અખિલ ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ, સાબરકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને સભ્યો 5 થી 20 જુલાઈ દરમિયાન રાજ્ય કક્ષાએ ધરણાં કરશે અને મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2010 પહેલા નિમણૂંક પામેલા અંદાજે 2500 થી વધુ શિક્ષકો આ નિર્ણયથી પ્રભાવિત થઈ શકે છે. શિક્ષકો દ્વારા આ અભિયાનને આગળ વધારવા માટે અન્ય સંગઠનો સાથે બેઠકો યોજી સહકાર માંગવામાં આવશે. 1 થી 12 ઓગસ્ટ સુધી રાજ્ય સંગઠનો દ્વારા કરાયેલી પ્રવૃત્તિઓની રાષ્ટ્રીય સમીક્ષા કરવામાં આવશે, જેમાં કાનૂની અને વહીવટી માહિતીનું મૂલ્યાંકન કરાશે. ત્યારબાદ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષકોના આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે તબક્કાવાર તૈયારીઓ કરવામાં આવશે.
છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા ફરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. જિલ્લાના તમામ શિક્ષકો છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે ધરણા પર બેઠા હતા. આ વિરોધ વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત કરવાના સરકારના આદેશને કારણે છે. શિક્ષકોમાં આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ ધરણા પ્રદર્શન યોજાયું હતું. સંઘે આ મુદ્દે સાંસદ અને કલેક્ટરને પણ રજૂઆત કરી છે. ધરણા પર બેઠેલા શિક્ષકોએ બેનરો અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પાટડીના મોટી મજેઠીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:ત્રણ દિવસ આવકના દાખલા સહિતના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ
પાટડી તાલુકાના મોટી મજેઠી ગામ ખાતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં લાભાર્થીઓ અને અરજદારોને આવકના દાખલા, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર સહિતના વિવિધ દાખલાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ શિબિરનો મુખ્ય હેતુ વન વિભાગ, આરોગ્ય વિભાગ, બેંક વિભાગ અને વીજળી વિભાગ સંબંધિત પ્રશ્નોનું ત્રણ દિવસ સુધી સ્થળ પર જ નિરાકરણ લાવવાનો છે. આનાથી ગ્રામજનોને સરકારી સેવાઓ માટે દૂર જવું નહીં પડે અને સમયનો બચાવ થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નટુજી ઠાકોર, રમેશભાઈ, આગેવાન નનુભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય સવજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ, ભાઈલાલભાઈ, વિષ્ણુભાઈ, રણધીરસિંહ, જયદેવભાઈ, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, ગામના સરપંચ સહિત અનેક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાતલપુર ગામમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વજા ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ તેમની સમક્ષ ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત્ રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ગટર લાઈનની અપૂર્ણ વ્યવસ્થા, ગામમાં વધતી ગંદકી અને હાઈવે પરના દબાણ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ સ્થાનિકોએ આગેવાનોનું ધ્યાન દોર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓ અને ઉપસ્થિત આગેવાનો સમક્ષ માંગ કરી હતી.
પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 (રાધનપુર-પાટણ સેક્શન) ને ફોર-લેન કરવાની કામગીરી અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ રૂટ પર આવતા 24 ગામોની જમીન પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પરામર્શ વિના જમીન વપરાશ ફેરફાર (NA), ગણોત ધારાની મંજૂરીઓ કે નવી વિકાસલક્ષી પરવાનગીઓ આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું જાહેર હિત અને સરકારી નાણાંનો વ્યય અટકાવવા માટે લેવાયું છે. NHAI દ્વારા રાધનપુર-પાટણ સેક્શન (NH-68, કિમી 0.000 થી કિમી 52.600) ને ફોર-લેન કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ હાઈવે પ્રોજેક્ટનું સૂચિત અલાઈનમેન્ટ પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ અને પાટણ તાલુકાના કુલ 24 ગામોની સીમમાંથી પસાર થાય છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સત્તાવાર સર્વે નંબરો નક્કી કરવાની ડીપીઆર (DPR) ની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી ભવિષ્યમાં જમીન સંપાદનના વળતરની રકમ બિનજરૂરી રીતે ન વધે. આ આદેશ હેઠળ રાધનપુર તાલુકાના શિનાડ, નાનાપુરા, ઘરવડી અને કમાલપુર (સાતુન) ગામોનો સમાવેશ થાય છે. સમી તાલુકાના દાદર ગામ તેમજ હારીજ તાલુકાના ખાખલ, જસવંતપુરા, રગુનાથપુરા, રોડા, વાંસા, માંસા અને દુનાવાડા ગામની જમીનો પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત, પાટણ તાલુકાના ખાનપુરડા, દૂધારામપુરા, હનુમાનપુરા, વડલી, અનાવાડા, ગોલાપુર અને રાજપુર ગામ તેમજ પાટણ શહેર વિસ્તારના બકરાતપુર, સાડિસર પાટી, ગુંગળીપાટી, હાંસાપુર અને સમાલપાટી વિસ્તારના સર્વે નંબરોને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીના આદેશ અનુસાર, સૂચિત અલાઈનમેન્ટમાં આવતા તમામ 24 ગામોના વિસ્તારોમાં NHAI ના પૂર્વ પરામર્શ કે મંજૂરી વિના કોઈપણ પ્રકારની નવી બાંધકામ પરવાનગી કે જમીન ફેરફારની પ્રક્રિયા કરી શકાશે નહીં. જો કોઈ કચેરી કે અધિકારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપવામાં આવશે અને તેના કારણે ભવિષ્યમાં જમીન સંપાદન વળતરની રકમમાં વધારો થશે, તો તેની તમામ નાણાકીય જવાબદારી મંજૂરી આપનાર સંબંધિત અધિકારી, શાખા કે કચેરીની રહેશે. આ બાબતે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, જિલ્લા આયોજન અધિકારી, નગર નિયોજક, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.
પાટણના કૈલાશ નગર ખાતે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મનીષાબેન (ડોલીબેન) પ્રજાપતિના નિવાસસ્થાને યોજાયો હતો. મનીષાબેન પ્રજાપતિ સ્વામિનારાયણ બાળમંડળ સહિત સનાતન સંસ્કૃતિને લોકસમુદાય સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા આ ભક્તિમય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે કૈલાશ નગર સોસાયટી સહિત આજુબાજુની ધર્મપ્રેમી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત મહિલાઓએ ભગવાન સ્વામિનારાયણના ભક્તિ સંગીતના સુરો સાથે સત્સંગનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક કાર્યક્રમના અંતે, મનીષાબેન અને મીનાબેન દ્વારા સૌ સત્સંગીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના ભારવાડા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સરકારી સર્વે નંબર 1064 હેઠળ આવેલી અંદાજે 164 હેક્ટર જમીન પર થયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાલુ બજાર ભાવ મુજબ આ જમીનની કિંમત અંદાજે રૂ. 40થી 42 કરોડ જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. 2024થી શરૂ થઈ હતી કાનૂની કાર્યવાહીઅધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2024થી જ દબાણકર્તાઓ સામે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, કલમ 202 હેઠળ નોટિસો સહિત અનેક વખત કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર ન થતા આખરે આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયું ઓપરેશનમેગા ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી તથા સ્થાનિક વહીવટી તંત્રની ટીમની હાજરીમાં સ્થળ પર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 129 દબાણકર્તાઓમાંથી 34ને હાઇકોર્ટના સ્ટેના કારણે રાહતઅધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારમાં કુલ 129 દબાણકર્તાઓ છે. તેમાંના 34 દબાણકર્તાઓએ નામદાર હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવ્યા હોવાથી હાલ તેમના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. જ્યારે બાકીના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. સાંથણીના 100 વર્ષ થવા છતાં જમીન ખાલી ન કરીતંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ દબાણકર્તાઓમાં 43 લાભાર્થીઓ એવા છે જેમણે સાંથણી અથવા એકસાલી ધોરણે મળેલી જમીન પર દબાણ કર્યું છે. 38 લાભાર્થીઓએ પોતાની માલિકીની અથવા સંલગ્ન જમીન સાથે સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે, જ્યારે 48 લાભાર્થીઓએ અગાઉ ડેમ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રનું કહેવું છે કે તમામ સંબંધિત દબાણદારોને અગાઉથી કાયદેસરની નોટિસો આપવામાં આવી હતી અને સમગ્ર કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આજે આ મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
17 જુનના રોજ આજે બપોરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીનું સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન કરાયું. આ પદાધિકારીઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. ત્યારથી વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના અગ્રણી આગેવાનો પ્રકાશભાઈ ભટ્ટ, ચેતનભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ દવે તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેડૂતો બાદ હવે શિક્ષકો દ્વારા પણ રાજ્યભરમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. જો શિક્ષકો TET પરીક્ષા પાસ નહીં કરે તો તેમને રાજીનામુ આપવું પડશે અથવા નિવૃતિ લેવી પડશે તેવો આદેશ કરવામાં આવતા શિક્ષકો દ્વારા હવે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. અમદાવાદ કલેકટર કચેરી બહાર શિક્ષકોનું ધરણા પ્રદર્શનસુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. જેથી હવે શિક્ષકો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના શિક્ષકો મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન પર બેઠા હતા. જે તે સમયે નોકરીમાં લાગ્યા ત્યારબાદ હવે TET પરીક્ષા પાસ કરવી જરૂરી ન હોવાના દાવા સાથે શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેની સાથે સાથે OPS યોજના લાગુ કરવાની માંગ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતી. ધારણા પ્રદર્શન કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના કેટલાક પ્રતિનિધિઓએ કલેક્ટરને TET પરીક્ષા નાબૂદ કરવા માટે આવેદનપત્ર પણ આપ્યું હતું. 2010 પહેલાના શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી મુક્તિ આપવાની માગશિક્ષક સૌરભ શુક્લાએ જણાવ્યું હતું કે, TET અને OPSને લઈને આજે કલેકટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ. TET પરીક્ષા નાબૂદ કરવાની અને OPS યોજના લાગુ કરવા અમારી માંગ છે. TET પરીક્ષા નાબૂદ કરવા માટે એટલા માટે માંગ કરી રહ્યા છીએ કે અમે જે તે સમયે નોકરીમાં લાગ્યા ત્યારે નિયમ મુજબ લાગ્યા હતા. અત્યારે કોઈપણ વ્યક્તિની ક્ષમતા એક સરખી રહેતી નથી. 30 વર્ષ પહેલા જે તે પરીક્ષા પાસ કરીને નોકરીમાં લાગ્યા હતા. જેથી તે સમયે જે ક્ષમતા હતી તે હજુ પણ રહે તે શક્ય નથી. તો પણ અમે બધા શિક્ષકો તાલીમ લઈ રહ્યા છીએ. તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે તો પછી કેમ TET પરીક્ષા આપવાની જરૂર છે ? જેથી તેની અમને કોઈપણ પ્રકારની જરૂર લાગતી નથી. 'અમારી માગ નહીં સ્વીકારાય તો ગાંધીનગરમાં ધરણા કરીશું'અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, 2010 પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા છે તે લોકોને TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. 20 થી 25 વર્ષ નોકરીમાં થયા બાદ હવે પરીક્ષા આપવી યોગ્ય લાગતી નથી. તેમજ હવે રિટાયર્ડ થવાની તૈયારીમાં છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે પરીક્ષા પાસ કરવામાં આવશે તો જ લાભો મળશે. જેથી તેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. TET પરીક્ષા રદ કરવામાં અને OPS યોજના લાગુ કરવામાં આવે તે જ અમારી માંગણી છે. તેથી અત્યારે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. વધુમાં મનોજ પટેલે જણાવ્યું હતું કે, તેમજ જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો જરૂર પડશે તો અમે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે ધરણા પ્રદર્શન પણ કરીશું. હવે TET પરીક્ષા આપવી અમને યોગ્ય લાગતી નથી જેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. સરકારને પણ રજૂઆત કરીશું કે લોકસભા અને રાજ્યભામાં વિધયક લાવીને અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમજ દિલ્હી ખાતે પણ ધરણા પ્રદર્શન કરી ધારાસભ્ય અને સાંસદને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરીશું.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ (TET) પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ પોતાની માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી. સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન પર રાજ્યના 22 જિલ્લાઓમાં એકસાથે આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોની મુખ્ય રજૂઆત છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક સમયે ટેટ પરીક્ષાની કોઈ જોગવાઈ અમલમાં નહોતી. ત્યારબાદ RTE-2009 કાયદાના અમલ પછી ટેટ ફરજિયાત બનાવવામાં આવી હતી. તેમ છતાં, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જૂના શિક્ષકોને પણ ટેટ પાસ કરવાની શરત લાગુ પાડવામાં આવી રહી છે. શિક્ષકોનો આક્ષેપ છે કે ટેટ પાસ કર્યા વગર પ્રમોશન નહીં આપવાનો નિર્ણય અન્યાયી છે. આથી, વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે અને તેમના પ્રમોશનના હક્કો યથાવત રાખવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આ ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટ કરનાર એક આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસે લૂંટમાં ગયેલા ₹1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના ગત 11 જૂન, 2026ના રોજ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરકાવાડા ગામ નજીક ભારત પેટ્રોલિયમ પંપ સામે બની હતી. અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી રોકાવી, રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મારઝૂડ કરી હતી. તેઓએ ગાડીમાંથી ₹50,000 રોકડા અને ₹1,30,000ની કિંમતનો આઈફોન 17 પ્રો મેક્સ મોબાઈલ ફોન મળી કુલ ₹1,80,000ની લૂંટ કરી હતી. આ અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 310(2) અને 204 મુજબ ગુનો નોંધાયો હતો. બનાસકાંઠા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું હતું. LCBની ટીમોએ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપીથી પાલનપુર સુધીના આશરે 150થી વધુ સી.સી.ટી.વી. કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી એકત્રિત કરી. તપાસ દરમિયાન આ ગુનામાં રાજસ્થાનના બાડમેરના ચોક્કસ માણસોની સંડોવણી જણાઈ આવી. PSI આર.બી. જાડેજાની ટીમે શેરપુરા ગામના પાટિયા પાસેથી દેવારામ નાથુરામ સાગરારામ મેઘવાલ (રહે. આગોર, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરી. પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર અને લૂંટમાં ગયેલો આઈફોન-17 પ્રો મેક્સ મોબાઈલ ફોન (કિંમત ₹1,30,000) સહિત કુલ ₹11,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ધનસિંહ રાજપૂત (રહે. ગંગાસરા, તા. ચૌહટન, રાજસ્થાન) છે. તેની સાથે તખતસિંહ રાજપૂત, જગમાલસિંહ, સ્વરૂપસિંહ, ફતેસિંહ અને વીરસિંહ રાજપૂત પણ આ ગુનામાં સામેલ હતા. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા શાસકોએ 28 જૂને કાર્યભાર સંભાળ્યા બાદ મહિનાની અંદર પ્રથમ જનરલ બોર્ડની બેઠક આગામી 25 જૂને યોજાનાર છે. બેઠકમાં મહાપાલિકાના સેક્રેટરીપદે ડૉ. રૂપારેલિયાની નિયુકિત માટે ઠરાવ કરવામાં આવશે. જનરલ બોર્ડની આ બેઠકમાં ભાજપના જ 15 નગરસેવકો 33 પ્રશ્નો સાથે બોર્ડ ગજવશે. જ્યારે કોંગ્રેસના સાતમાંથી એક પણ નગરસેવકને પ્રજાલક્ષી પ્રશ્ન પુછવાનું સુઝ્યું નથી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આગામી તા. 25 જૂને મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતનભાઈ પટેલનો પ્રશ્ન પ્રથમ ક્રમે છે. તેઓએ આવાસ યોજના સંબંધી પ્રશ્ન કર્યો છે. જેમાં આવાસ યોજના વિભાગની છેલ્લા 1 વર્ષની કામગીરીનો હિસાબ તેઓએ માંગ્યો છે. એક વર્ષમાં જેટલાં આસામીઓએ હપ્તા ભરપાઈ કર્યા નથી તેના પર શું કાર્યવાહી કરવામા આવી ? ખાલી આવાસોમાં ગેરકાયદે કબજો જમાવી રહેલા આસામીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી અને ટાઉન પ્લાનિંગ શાખાની કુલ સ્ટાફની વિગતો કામગીરી સાથે આપવા તેમજ ફિલ્ડ સ્ટાફમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તે પૈકી છેલ્લા એક વર્ષમાં શુ કામગીરી કરવામાં આવી તેની વિગતો તેઓએ માંગી છે. જ્યારે વોર્ડ નં.10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાએ શહેરમાં જ્યાં જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેકશન અપાઈ ગયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કરવા અને પાઇપ લાઈનની કામગીરી થઇ ગઇ હોય તેવા કેટલાં વિસ્તારોમાં પેચવર્ક કરવામાં અવ્યું છે તેમજ જ્યાં પેચવર્ક થયું નથી તે ક્યાં કારણોસર થયું નથી નથી તે બાબતનો પ્રશ્ન કર્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 15 કોર્પોરેટરોએ 33 પ્રશ્નો કર્યા છે તેમાં કેતનભાઈ પટેલના બે, સંજયભાઈ ચાવડાના ત્રણ, જ્યોત્સનાબેન ટીલાળાના ત્રણ, ડો. રિંકલભાઈ મેઘાણીના બે, કિર્તિબા રાણાના બે, મહેશભાઈ પીપળીયાના એક મોહિતસિહ જાડેજાના બે, સોનલબેન સેલારાના એક પંકજભાઈ લુણાગરીયાના બે, ધૈર્ય પારેખના એક, શૈલેશભાઈ વસાણીના બે, રાજુભાઈ અઘેરાના ત્રણ, દર્શનભાઈ પેગ્યાતરના ત્રણ, જાનકીબેન કાટોડિયાના ત્રણ અને રક્ષિત કલોલાનાં કુલ ત્રણ પ્રશ્નોનો સમાવેશ થાય છે.
ચાર શહેરોની મનપા કચેરીને ઉડાવી દેવાની ધમકી વડોદરા,સુરત, ભાવનગર, જામનગર મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.ખાલિસ્તાન નેશનલ આર્મી દ્વારા કરાયેલા મેઇલમાં ગૃહમંત્રી અમિત શાહની ઓફિસને બ્લાસ્ટ કરવા ધમકી અપાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક યુવકને સિંહે વિકૃત રીતે ફાડી ખાધો અમરેલી બાદ મહુવા નજીક ગઢડા ગામના શ્રમિક યુવક પર સિંહનો હુમલો.. બાવળની ગીચ ઝાડીઓમાંથી યુવકનું વિકૃત માથું અને કપડાં મળી આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આઠનાં મોત વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક રોડ પર ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા નવ વર્ષના બાળક સહિત આઠ લોકોના મોત થયા છે અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાલાજી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ..કંડક્ટરની ભરતી વચ્ચે અરજદારોએ લાઈસન્સ માટે લાઈનો લગાવી. હજુ સોમવાર સુધી સર્વર ડાઉન રહેશે.. જેને લઈને અરજદારો પણ કંટાળી ગયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રતિરક્ષા એપથી સરળતાથી ઓળખી શકાશે બાંગ્લાદેશીઓ હવે રાજયભરમાં સરળતાથી ઓળખી શકાશે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ. પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગતો મળી જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવવા મુદ્દે હાઈકોર્ટના આદેશ ટાટા કેમિકલ્સએ કચરો ઠાલવીને મરીન સેન્ચ્યુરીને પ્રદુષિત કરવા પર હાઈકોર્ટનો કડક આદેશ.. જિલ્લા કલેક્ટરને આંખ ખુલ્લી રાખી, ટાટાના કર્મીઓને સાથે રાખી રેગ્યુલર ઈન્સપેક્શન કરવાનો આદેશ કરાયો છે. સાથે જ ઈકોલોનજીનું પુનઃસ્થાપન કરવાનો આદેશ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર દારૂ-જુગારના અડ્ડાવાળાઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે. વસાવાએ તેમની હકાલ પટ્ટીની પણ માગ કરી છે.નીલ રાવ પર ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ હેરાનગતિ અને અપમાનનો આક્ષેપ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CA દંપતીએ આચરી કરોડોની છેતરપીંડી અમદાવાદમાં સીએ દંપતીએ આચરી કરોડોની છેતરપીંડી.શેરબજારમાં રોકાણના નામે પોતાના સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો ચોપડ્યો..ઠગ દંપતિની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સયાજી હોસ્પિટલમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ વડોદરાની એમએસ યુનિ.બાદ હવે સયાજી હોસ્પિટલમાંથી પણ નમાઝનો વીડિયો સામે આવ્યો છે.વીડિયો ઓપીડી વિભાગની બહારનો છે. અને નમાઝ પઢનાર ત્રણ વ્યક્તિઓ દર્દીના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવસારીમાં પડ્યું વરસાદી ઝાપટું વરસાદ ખેંચાવાની આગાહી વચ્ચે આજે નવસારીમાં ઝાપટું પડ્યું.. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ચોમાસાને મુંબઈ પહોંચવામાં હજુ 7થી 8 દિવસ લાગી શકે છે.ત્યાર બાદ ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાટણની શાળાના 720 વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ:ગાયત્રી પરિવાર દ્વારા 'સફળ જીવનની દિશાધારા'નું વિતરણ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને વી. આર. પટેલ ઉ.મા. શાળાના ધોરણ 11 અને 12 ના 720 વિદ્યાર્થીઓને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા. આ 'વિચાર ક્રાંતિ અભિયાન' અંતર્ગત પંડિત રામશર્મા આચાર્ય દ્વારા રચિત સફળ જીવનની દિશાધારા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ પાટણના કાર્યકર્તાઓ શિવરામભાઈ પટેલ અને મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પુસ્તકમાં આપેલા દિશા સૂચક વિચારો અપનાવવા અને અન્યોને પ્રેરણા આપવા માટે એક સુંદર વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું હતું. શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો ઉપરાંત શિસ્ત, સંસ્કાર, સ્વાભિમાન, વ્યસનમુક્તિ અને આરોગ્યલક્ષી ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કેમ્પસના કેન્દ્ર સંચાલક અને નવચાર વિચારોના પ્રેરક ડૉ. જય ધ્રુવ સાહેબે પુસ્તકની સરાહના કરતા ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોને આ પુસ્તકના વાંચન બાદ અવશ્ય સમીક્ષા કરવા અને આત્મચિંતન કરવા આહ્વાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા 1 સપ્ટેમ્બર, 2025ના રોજ RTE સુધારા મુજબ વર્ષ 2011 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે પણ TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં અને જૂના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં અને ગુજરાતના 23 જિલ્લા તથા 12 મહાનગરપાલિકાઓમાં શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, આજે જામનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો એકત્રિત થયા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વર્ષ 2011 પહેલાના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ રજૂ કરી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઘણા વર્ષોથી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. શિક્ષક પાત્રતા કસોટી (TET) પાસ કરવાની જરૂરિયાતને કારણે તેઓ વિવિધ વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સંઘે વિનંતી કરી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભાવનાને ધ્યાનમાં રાખીને અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા, ઘણા વર્ષોથી નિયમિત અને સંતોષકારક સેવા આપી રહેલા શિક્ષકોના હિતમાં તેમને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. આ શિક્ષકોનો વર્ષોનો અનુભવ, સમર્પણ અને સાબિત શિક્ષણ કામગીરી યોગ્ય માન્યતાને પાત્ર છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં સેવા આપતા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવી, તેમના અનુભવ અને લાંબા વર્ષોની સેવાને યોગ્ય રીતે માન્યતા આપવી, TETની આવશ્યકતાઓથી પ્રભાવિત સેવા લાભો, પ્રમોશન અને અન્ય કારકિર્દી પ્રગતિ સંબંધિત બાકી રહેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવો અને સેવા આપતા શિક્ષકોના હિતમાં સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો જારી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંઘે આશા વ્યક્ત કરી છે કે આ મામલે સકારાત્મક નિર્ણય લેવાશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે TET એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષકોએ લડતના મંડાણ કર્યા છે. ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ જેટલા શિક્ષકોને આ નિર્ણય અસરકર્તા છે ત્યારે આજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં 100 થી વધુ શિક્ષકોએ બે કલાક સુધી ધરણા કર્યા હતા અને ત્યારબાદ શિક્ષક સાથે ન્યાય કરો,TET પરીક્ષા રદ કરો જેવા નારાઓ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપવામાં આવ્યુ હતુ. રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશ રાખોલીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો 2009નો ચુકાદો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી જે ભરતી થશે તે પરીક્ષાના આધારે થશે. તે અમને માન્ય છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કહેવું છે કે વર્ષ 2010 પહેલાના જે શિક્ષકો છે તેઓને પણ આ પરીક્ષા આપવી પડશે. જે વ્યાજબી નથી કારણકે તેઓની તે સમયના ક્રાઇટ એરિયા પ્રમાણે ભરતી થઈ હતી. તે સમયે તેઓ ખરા ઉતર્યા હતા તો પરીક્ષા આપવાનો મતલબ શું. જેથી અમારો વિરોધ છે કે વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TET ની પરીક્ષા ન આપવી પડે. તેઓને મુક્તિ આપવામાં આવે તેવી અમારી માગણી છે. જો શિક્ષકો આ પરીક્ષા નહીં આપે તો તેઓને નોકરીમાંથી અથવા તો તેમને મળતાં લાભોમાંથી બાકાત રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યુ છે. હાલ અમારો 2 કલાકના ધરણા અને કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 75 હજાર તો દેશમાં 25 લાખ શિક્ષકોને આ TET પરીક્ષા આપવાની થઈ છે. વર્ષ 2011 પછીના જે શિક્ષકો છે તેઓને ટેટ પાસ કરવી ફરજિયાત એ યોગ્ય છે પરંતુ જે જૂના શિક્ષકો છે તેઓની ભરતી થઈ ત્યારે આ એક્ટ ન હતો. જેથી જુના શિક્ષકોને આ પરીક્ષા આપવાની આવે તે ખરેખર વ્યાજબી નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે,શિક્ષકોને જો અપડેટ કરવા હોય તો ટ્રેનિંગ આપીને અપડેટ કરવા જોઈએ. દેશભરમાં અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા 15 થી 30 જૂન દરમિયાન આંદોલન માટેનું એલાન આપ્યું છે જે અંતર્ગત ગુજરાતના 22 જિલ્લાઓમાં આજની 17 મી તારીખ વિરોધ માટે પસંદ કરવામાં આવી છે. શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તેને લીધે શિક્ષણ પર અસર થાય છે. જે અંગે અમે રજૂઆતો કરેલી છે.
સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક અને સામાજિક ઉદ્યોગસાહસિક નિતિન ટેલરે પોતાના જન્મદિવસ નિમિત્તે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આશરે 130 કિલોમીટરની પેડલ ફોર નેચર સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ યાત્રા 12 થી 15 જૂન દરમિયાન યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, સાયકલિંગને પ્રોત્સાહન, સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર અને યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગૃત કરવાનો હતો. યાત્રા દરમિયાન ઝઘડિયા, સરદારપુરા અને રાજપીપલા સહિતના વિસ્તારોની વિવિધ શાળાઓ અને કોલેજોમાં આશરે 800 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસનમુક્ત જીવન અંગે પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય, સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને મૂલ્યનિષ્ઠ જીવન માટે સંકલ્પ લીધા હતા. તમામ વિદ્યાર્થીઓએ સ્વસ્થ યુવા, સ્વચ્છ પર્યાવરણ અને ખુશહાલ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નિતિન ટેલરે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવા પડકારો વચ્ચે પ્રકૃતિની સુરક્ષા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું અનિવાર્ય છે. તેમણે યુવાનોને સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવાને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે નિતિન ટેલર છેલ્લા ઘણા વર્ષોથી યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક અને પર્યાવરણલક્ષી પહેલો હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અફઝલ સીદા નામના યુવક દ્વારા હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, ધાક-ધમકીઓ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. અફઝલના સતત વધતા ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે પરિણીતાએ મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેના પતિ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરી પોતાની સાચી ઓળખ છૂપાવીભોગ બનનાર પીડિત હિન્દુ પરિણીતાના જણાવ્યા અનુસાર, 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફથે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આ યુવકે પોતાની સાચી ઓળખ છૂપાવી હતી. અફઝલે પોતાનું નામ 'જીદ્દી બોય' રાખ્યું હતું અને તેને પોતાની સાચી ઓળખ વિશે અંધારામાં રાખી હતી. મોરબીની અનિશાએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો હતોઆશરે 2 મહિના પછી તેને ખબર પડી હતી કે, જે વ્યક્તિ સાથે તે વાત કરે છે તેનું સાચું નામ અફઝલ સીદા છે. મોરબીની અનિશા કાશમી નામની યુવતી જે અફઝલની સાગરીત તરીકે કામ કરતી હતી તેણે બંને વચ્ચે સંપર્ક કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લા છ મહિનાથી અફઝલ સીદા દ્વારા તેની ઉપર ધર્મ પરિવર્તન કરવા અને તેના ચાલુ લગ્નજીવનને તોડી નાખવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું. દરગાહમાં તાંત્રિક વિધિ અને ધર્મ પરિવર્તનનું દબાણએક તરફ અફઝલ ધમકાવતો હતો, તો બીજી તરફ તેની સાગરીત અનિશા પણ મને પતિ સાથેના સંબંધો તોડવા અને અફઝલ સાથે ભાગી જવા માટે મજબૂર કરતી હતી. અફઝલ બળજબરીપૂર્વક અલગ-અલગ દરગાહ પર લઈ જતો હતો, ત્યાં કોઈ તાંત્રિક વિધિના ભાગરૂપે દોરો બાંધતો હતો અને પાણી પીવડાવતો હતો. આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ કર્યા બાદ તે પોતાને ઇસ્લામ અંગીકાર કરવા માટે સીધી ધમકીઓ આપતો હતો. હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યોઆ મામલો માત્ર માનસિક ત્રાસ પૂરતો મર્યાદિત ન રહ્યો. અફઝલની સાગરીત અનિશા મને સમજાવી-ફોસલાવીને ગોંડલ રોડ પર આવેલી હોટલમાં માત્ર બેસવા જવાના બહાને લઈ ગઈ હતી. હોટલમાં પહોંચ્યા બાદ અનિશાએ મને અફઝલ સાથે એક રૂમમાં મોકલી હતી. જ્યાં અફઝલે મારી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હીન કૃત્ય દરમિયાન અફઝલે મારા વાંધાજનક ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા. વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતોજ્યારે પોતે અફઝલ સાથેના તમામ સંબંધો કાપી નાખવાનો નિર્ણય કર્યો, ત્યારે અફઝલે આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની અને તેના પરિવારને બધનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લાઈવ થઈને તે મને ધમકીઓ આપતો હતો, જેના કારણે હું માનસિક તણાવમાં સરી પડી હતી. ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસગત રાત્રિના તેણે પોતાના ઘરે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પતિની નજર પડતા તેણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી મારો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ પરિવારનો સપોર્ટ મળતા પોતે સામે આવી ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસની નિષ્ક્રિયતા સામે પરિવારના આક્ષેપોઆ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પીડિતાના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અફઝલ ત્રાસ અંગે તેઓએ અગાઉ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. આમ છતાં પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો ન હતો અને કોઈ અસરકારક કાર્યવાહી કરી ન હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો પરિણીતાને આપઘાત કરવાનો વારો ન આવ્યો હોત. આ આરોપી અફઝલ સીદા એક રીઢો ગુનેગાર છે અને તેની વિરૂદ્ધ અગાઉ પણ અલગ અલગ ગુના હેઠળ 3 વખત ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અગાઉ 4 છોકરીઓને ફસાવીને શોષણ કર્યુંઅન્ય યુવતીઓને સાવધાન કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, હું તો આ અફઝલના જાળમાં ફસાઈ ગઈ અને મારું જીવન બરબાદ થઈ ગયું છે. અફઝલે મારી અગાઉ પણ અન્ય 4 હિન્દુ છોકરીઓને આવી જ રીતે પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું છે. હું સમાજની અન્ય તમામ બહેનો-દીકરીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સોના સંપર્કમાં ન આવે અને આવી કોઈ જાળમાં ફસાય નહીં. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પીડિતાની માંગઉલ્લેખનીય છે કે, અફઝલ સીદા અને તેની સાગરીત અનિશા વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી ઉગ્ર માંગ પીડિતા અને તેના પરિવારે કરી છે. સાથે સમગ્ર મામલે રાજકોટમાં હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે, તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે.
પાલનપુરમાં શિક્ષકોના ધરણા, કલેક્ટર કચેરી બહાર વિરોધ:પડતર પ્રશ્નો અને ફરજિયાત TET પરીક્ષા સામે આવેદન
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો તેમના વિવિધ પડતર પ્રશ્નો અને ફરજિયાત TET પરીક્ષા પાસ કરવાના આદેશના વિરોધમાં એકઠા થયા હતા. આ ધરણા પ્રદર્શનમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોથી સેવા આપી રહેલા શિક્ષકો માટે ફરીથી ફરજિયાત TET પરીક્ષા આપવાની શરત અન્યાયી છે. આ ઉપરાંત, તેમણે શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નોનો પણ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી. શિક્ષક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર તેમની રજૂઆતો અને માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં લાવે, તો આગામી દિવસોમાં રાજ્ય સંઘના આદેશ મુજબ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
જૂનાગઢની ગિરનાર દક્ષિણ રેન્જમાં મુક્તપણે વિહાર કરતો અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોમાં ભારે લોકપ્રિય બનેલો પ્રખ્યાત સિંહ નૂરો ફરી એકવાર પોતાની રોયલ અદાના કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. ખડીયા ગામ નજીક ધોળા દિવસે કોઈ પણ પ્રકારના ભય વિના રસ્તા પર બિન્દાસ લટાર મારતા નૂરાનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જંગલનો આ રાજા મુખ્ય માર્ગ પરથી રાજવી અંદાજમાં પસાર થતો જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો અને વાહનચાલકોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જાયું હતું. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા આ વાયરલ વીડિયોમાં નૂરો રસ્તા પરથી અત્યંત શાનદાર અને રૂઆબદાર ચાલ સાથે પસાર થતો નજરે પડે છે. આ દ્રશ્ય દરમિયાન સિંહે રસ્તા કિનારે આવેલી આશરે 6 ફૂટ ઊંચી પાકી દિવાલ પર એક જ ઝાટકે ખૂબ જ સરળતાથી છલાંગ લગાવી દીધી હતી. દિવાલ કૂદવાની આ ઘટનાથી તેણે પોતાની અદભુત શારીરિક તાકાત અને ચપળતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેને જોઈને ત્યાં હાજર વાહનચાલકો અને સ્થાનિક લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને આ દ્રશ્યો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વનવિભાગના સૂત્રો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નૂરો સિંહ ગિરનાર ડુંગરની દક્ષિણ રેન્જનો સૌથી મોટો, કદાવર અને આકર્ષક સિંહ માનવામાં આવે છે. તે ખાસ કરીને વન્ય વિસ્તારની બહાર આવેલા રેવન્યુ વિસ્તારો જેવા કે ખડીયા, પ્લાસવા, પાદરીયા, બિલખા રોડ અને વિલીંગ્ડન ડેમની આસપાસના વિસ્તારોમાં અવારનવાર પોતાનો આશરો બનાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પંથકમાં તેની હિલચાલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ વાત એ છે કે હવે તે માત્ર રાત્રિના અંધકારમાં જ નહીં પરંતુ વહેલી સવારે તેમજ બપોરના ધોમધખતા તડકામાં પણ મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે. આ સિંહની સક્રિયતા એટલી વધી ગઈ છે કે ગઈકાલે પણ પાદરીયા ગામ નજીકના વિસ્તારમાં નૂરો આરામથી વિહાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે આજે ફરી પાછો ખડીયા ગામ નજીક તેના પ્રત્યક્ષ દર્શન થતા સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સુકતા અને રોમાંચ જોવા મળ્યો હતો. નૂરાની આ નિર્ભય, બેફિકર અને રાજવી અદાએ વન્યજીવ પ્રેમીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. ગિરનારના ગાઢ જંગલોમાં વસવાટ કરતો આ વનરાજ જ્યારે પણ લોકવસ્તીની નજીકના ખુલ્લા માર્ગો પર પોતાની પૂરી શાન સાથે પસાર થાય છે ત્યારે તેને જોવા અને કેમેરામાં કેદ કરવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, જેના કારણે તેનો આ નવો અંદાજ હાલ સોશિયલ મીડિયામાં પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમરેલીમાં રાજ્ય સરકારના વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકો માટે ટેટ (TET) પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન મુજબ, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં યોજાયો હતો, જેના ભાગરૂપે અમરેલીના શિક્ષકોએ પણ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગણી છે કે, વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી તાત્કાલિક અસરથી મુક્તિ આપવામાં આવે. અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કૃપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે ટેટ પરીક્ષાની કોઈ જોગવાઈ કે સ્પષ્ટતા નહોતી. હાલ આ શિક્ષકો 20થી 25 વર્ષ જેટલી સેવા પૂર્ણ કરી ચૂક્યા છે. આવા સમયે અચાનક ટેટ પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય અયોગ્ય અને અન્યાયી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરે છે. આગામી સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવશે, તેને અનુસરીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
સુરતના વેડ દરવાજા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આવેલી આશરે 60 વર્ષ જૂની નાસીરનગર વસાહતમાં તાજેતરમાં કરવામાં આવેલા ડિમોલેશનનો વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. આ ગંભીર મુદ્દાને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે 17 જૂને અત્યંત ગંભીરતાથી લીધો છે અને તેને સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે તાકીદે વાત કરવાની ખાતરી આપી છે અને કહ્યું કે, ગરીબોનો વોટ માન્ય હોય, તો ઝૂંપડું અમાન્ય કેમ?. બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ આ સમગ્ર ઘટનાને બિલ્ડર અને અધિકારીઓનું 'સુનિયોજીત ષડયંત્ર' અને 'ભૂતિયા ડિમોલેશન' ગણાવીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને એક સનસનાટીપૂર્ણ પત્ર લખ્યો છે. સાયકલવાલાએ પત્રમાં જણાવ્યું કે, સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, તેને સસ્પેન્ડ કરો. ગંભીર આક્ષેપો કરીને ઉચ્ચ સ્તરીય 'સીટ' (SIT) ની રચના કરીને તપાસ કરવાની ઉગ્ર માગ કરી છે. 'જો ગરીબોનો વોટ માન્ય હોય, તો તેમનું ઝૂંપડું અમાન્ય કેમ?'સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ ડિમોલેશન પ્રક્રિયાને સખત શબ્દોમાં અયોગ્ય ગણાવી હતી. તેને બંધારણનો હવાલો આપતા જણાવ્યું હતું કે, રોટી, કપડા અને મકાન આપવાનો અધિકાર અને ફરજ સરકારની છે. કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ જ પોતાની મહેનતથી શહેરો વસાવ્યા છે, અને ગગનચુંબી બિલ્ડીંગોના નિર્માણમાં આ શ્રમિકોનું સૌથી મોટું યોગદાન છે. આઠવલેએ તીખો સવાલ કરતા કહ્યું કે, જો વર્ષ 2024ની ચૂંટણીઓમાં અને અન્ય સામાન્ય ચૂંટણીઓમાં આ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ નાગરિકોનો વોટ માન્ય ગણવામાં આવતો હોય, તો આજે કાયદાની આડમાં તેમનું ઝૂંપડું કે મકાન કઈ રીતે અમાન્ય થઈ શકે? ગરીબ પ્રજા જ્યાં જગ્યા મળે ત્યાં આશરો લે છે, પરંતુ તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ઘરવિહોણા કરવા તે માનવતા વિરુદ્ધ છે. મહારાષ્ટ્રની SRA સ્કીમ જેવો સુરતમાં પણ પ્લાન બનાવવા મનપાને સલાહરામદાસ આઠવલેએ સુરત મહાનગરપાલિકાને મુંબઈની સ્લમ રિહાઇબિલિટેશન ઓથોરિટી (SRA) સ્કીમનો અમલ કરવાની નસીહત આપી છે. મહારાષ્ટ્રમાં વર્ષ 2011 પહેલાની તમામ ઝૂંપડપટ્ટીઓને માન્ય કરવાનો કાયદો છે, અને જો તેને તોડવી હોય તો બિલ્ડર અથવા સરકારે વૈકલ્પિક આવાસ આપવો જ પડે છે. મુંબઈમાં બિલ્ડરો 300 સ્ક્વેર ફીટ કાર્પેટ (400 સ્ક્વેર ફીટ બિલ્ટ-અપ) એરિયાનું પાકું મકાન ગરીબોને મફતમાં આપે છે અને બાકીની જમીન પર પોતાનો પ્રોજેક્ટ વેચે છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો CMને પત્રકોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરેચિથરા ઉડ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 30 મે, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ પોતાની ટીમ અને સુરત મનપાના સ્ટાફ સાથે નાસીરનગર વસાહતમાં ધસી ગયા હતા. ત્યાં વસતા ગરીબ મુસ્લિમ શ્રમિક પરિવારોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે ધમકાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા 'ડીસીપી નકુમે 'જનરલ ડાયર' બનીને મફિયાગીરી કરી'અસલમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે કે, ડીસીપી નકુમે સ્થળ પર જાણે બ્રિટિશ કાળના જનરલ ડાયર જેવી ભૂમિકા ભજવી હતી અને સામાન્ય લોકો સામે જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકીઓ આપી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. કોઈપણ વ્યક્તિ મોબાઇલમાં વિડીયો શૂટ ન કરી શકે તે માટે કડક નાકાબંધી કરી સ્થાનિકોના સીસીટીવી કેમેરા પણ તોડાવી નાખવામાં આવ્યા હતા. 30 મિલ્કતો પર બુલડોઝર ફરી વળ્યા, 84 પરિવારો ઘરવિહોણાપત્રમાં જણાવ્યા અનુસાર, આ સુનિયોજીત ડિમોલેશનના કારણે નાસીરનગર વસાહતના આશરે 84 પરિવારો કલાકોમાં રસ્તા પર આવી ગયા હતાં. અત્યાચારની સીમા તો ત્યાં આવી કે ગત તા. 1 જૂન 2026ના રોજ બપોરે 1:30 કલાકે ફરીથી ડીસીપી નકુમના આદેશથી એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફે વસાહતની વધુ 30 મિલ્કતોનો 30% થી 50% જેટલો ભાગ તોડી પાડ્યો હતો. આ ગેરકાયદેસર અને અમાનવીય કૃત્યને કારણે આજે 19 દિવસ વીતી જવા છતાં આશરે 110થી વધુ પરિવારો ખુલ્લા આભ નીચે અને જમીન પર રાતો વિતાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ અગાઉ ગત વર્ષે તા. 15 ઓક્ટોબર, 2025ના રોજ જ કમિશનર અને પોલીસ પ્રશાસનને લેખિતમાં જણાવ્યું હતું કે, જો આ જગ્યા વિકાસમાં નડતી હોય, તો અમને અગાઉના લોકોની જેમ વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે, છતાં આ રજૂઆતને કેમ નજરઅંદાજ કરવામાં આવી તે મોટો પ્રશ્ન છે. ભાસ્કર ઈન્વેસ્ટિગેશનઃ ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો 'બિલ્ડર સંજય લાખાણી અને ડીસીપી વચ્ચે કરોડોના આર્થિક રોકાણની આશંકા'પત્રમાં સૌથી સનસનાટીપૂર્ણ ખુલાસો એ કરવામાં આવ્યો છે કે, આ આખું ડિમોલેશન વસાહતની બાજુમાં જ એક મોટો રહેણાંક પ્રોજેક્ટ બનાવી રહેલા બિલ્ડર સંજય લાખાણીના ઈશારે અને તેના મેળાપીપણામાં કરવામાં આવ્યું છે. અસલમ સાયકલવાલાએ દાવો કર્યો છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને બિલ્ડર સંજય લાખાણી અંગત મિત્રો છે, તેઓ રોજબરોજ એકબીજાના સંપર્કમાં રહે છે અને બિલ્ડરના આ પ્રોજેક્ટમાં ડીસીપી નકુમ દ્વારા કરોડો રૂપિયાનું કાળું નાણું અથવા આર્થિક રોકાણ કરવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાએ માત્ર 'Release / Road Demarcation' (રોડ માપણી) માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, તો પછી ત્યાં કાયદાના રક્ષક ગણાતા DCPએ આખી વસાહત તોડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કેમ થવા દીધી અને તેને અટકાવી કેમ નહીં? આ સમાચાર પણ વાંચોઃ નાસીરનગર ડિમોલીશન મુદ્દે ભાજપ નેતાની પોસ્ટથી રાજકીય ગરમાવો મતદાન મથકમાં બિલ્ડર અને અધિકારીની જુગલબંધીનો પત્રમાં ખુલાસોસાયકલવાલાએ પુરાવા સાથે વધુ એક સવાલ ઉઠાવ્યો છે કે ગત તા. 26 એપ્રિલ, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે, નાસીરનગર જમીનના મૂળ માલિક પારસી વૃદ્ધ મહિલા ગુલબેન ફરામના વકીલ ધીરુભાઈ ચલિયાવાલાને બિલ્ડર સંજય લાખાણી મતદાન મથક પર લાવ્યા હતા. આ સમયે મતદાન મથક ધરાવતા બિલ્ડિંગની અંદર માત્ર ઓન-ડ્યુટી સ્ટાફ અને મતદારો સિવાય કોઈને પ્રવેશવાની મંજૂરી હોતી નથી, છતાં ડીસીપી નકુમની હાજરીમાં બિલ્ડર સંજય લાખાણી કયા અધિકારથી મતદાન મથકમાં પ્રવેશ્યા અને વકીલ સાથે આત્મીયતાથી વાતો કરતા રહ્યા? આ ઘટના જ સાબિત કરે છે કે સરકારી તંત્ર અને ખાખી વર્દીનો દુરુપયોગ કરીને બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે આખો ખેલ રચાયો હતો. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ રાજદીપસિંહ નકુમનું તાત્કાલિક સસ્પેન્શન અને 'સીટ' (SIT) તપાસની માગછેલ્લા 17 થી 18 દિવસથી નાસીરનગરના ગરીબો પર થયેલા આ અત્યાચારના કારણે પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયામાં ગુજરાત સરકાર, સુરત પોલીસ અને સુમનપા તંત્રની છબી ખરડાઈ રહી છે. અસલમ સાયકલવાલાએ પત્રના અંતે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તા. 30 મે 2026ના ડિમોલેશન સમયના સીસીટીવી ફૂટેજ, વાયરલ વીડિયો અને છેલ્લા 3 વર્ષના ડીસીપી તેમજ બિલ્ડરના કોલ ડિટેલ્સ (CDR) મંગાવીને તપાસ કરવામાં આવે. આ સાથે જ જનતાનો વિશ્વાસ જીતવા માટે એસઓજી DCP રાજદીપસિંહ નકુમને તાત્કાલિક અસરથી તેમની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ નિષ્પક્ષ કમિટી (SIT) ની રચના કરી તમામ કસૂરવારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. આ પત્રની નકલો ગૃહ વિભાગના સચિવ, ડીજીપી ગુજરાત અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નિયામકને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV
અરવલ્લીના મોડાસા ખાતે શિક્ષકોએ ટેટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના આદેશના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. શિક્ષક સંઘનું કહેવું છે કે જે શિક્ષકોને નિમણૂકને 25 થી 27 વર્ષ થઈ ગયા છે, તેમને ફરીથી પરીક્ષા આપવી તે ગેરવ્યાજબી છે. અનુભવી શિક્ષકોને ફરી પરીક્ષા આપવી પડે તે યોગ્ય નથી. આ આંદોલન 17 જૂનથી 20 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીઓ સામે ત્રણ કલાકના ધરણા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગરૂપે યોજાયું હતું. મોડાસા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા. શિક્ષકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન કરીને ટેટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે તાજેતરમાં ચાર કર્મચારીઓના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની દીર્ઘ સેવાઓને સન્માનિત કરવામાં આવી હતી. નિવૃત્ત થનારા કર્મચારીઓમાં ડૉ. કપિલા મનોજ (62 વર્ષ, પ્રોફેસર અને વડા, એકેડેમિક બાયોલોજી વિભાગ), ડૉ. પારુલ પટેલ (58 વર્ષ, ટેકનિકલ આસિસ્ટન્ટ-ગ્રંથાલય), મહેશકુમાર કુકસર (60 વર્ષ, પટાવાળા, પરીક્ષા વિભાગ) અને પ્રવીણકુમાર રાઠોડ (60 વર્ષ, પટાવાળા, વહીવટી વિભાગ) નો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને કાર્યકારી પરિષદના સભ્યોની ઉપસ્થિતિમાં આ કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભ દરમિયાન વક્તાઓએ નિવૃત્ત કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક સેવાઓ અને યુનિવર્સિટીના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમની કાર્યનિષ્ઠાને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. નિવૃત્ત કર્મચારીઓએ પણ પોતાના અનુભવો રજૂ કરીને યુનિવર્સિટી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
WCC (વુમન ક્રિકેટ ક્લબ) દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વિવિધ ક્ષેત્ર અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતી કુલ આઠ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમ સ્પિરિટ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. ફાઇનલ મુકાબલામાં Procomac FinQueens ટીમે શાનદાર રમત બતાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે Unity Chargers ટીમ રનર્સ-અપ રહી હતી. આ પ્રસંગની એક વિશેષતા એ હતી કે ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન, સંચાલન અને વ્યવસ્થા માત્ર મહિલાઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આનાથી મહિલાઓની આયોજન ક્ષમતા, નેતૃત્વ અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું. WCCના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ મહિલાઓને રમતગમત સાથે જોડવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવવા અને પરસ્પર નેટવર્કિંગ માટે ઉત્તમ માધ્યમ પૂરું પાડે છે. ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો યોજી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર મહિલાઓને તેમના ઉત્સાહ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
VNSGU અને ડોનેટ લાઇફ વચ્ચે MoU થયા:અંગદાન જાગૃતિ માટે ઐતિહાસિક કરાર થયા
સુરત, 16 જૂન: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) અને ડોનેટ લાઇફ વચ્ચે અંગદાન જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને અંગદાનના મહાન કાર્ય સાથે જોડવાનો અને “મિશન 2047”ને સાકાર કરવાનો છે. આ MoU પર હસ્તાક્ષર VNSGU સ્કિલ સેન્ટર દ્વારા આયોજિત CSR મીટ દરમિયાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમાજસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત ઉદ્બોધન ડૉ. ભવેશ વણપરિયાએ કર્યું હતું, જ્યારે સંચાલન અનુ આમોદયાએ કર્યું હતું. ‘ડોનેટ લાઇફ’ના સ્થાપક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત નિલેશ માંડલેવાલાએ યુવાનોને YODHA (Youth Organ Donation Health Awareness) બની અંગદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોની ભાગીદારીથી અંગદાનની ચળવળને વધુ વ્યાપક બનાવી શકાય છે અને અનેક લોકોને નવજીવન આપી શકાય છે. મુખ્ય વક્તા મિહિર ખીલાવાલાએ CSR, સામાજિક જવાબદારી અને યુવા શક્તિના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશિષ્ટ અતિથિ અનિલ પટેલ (લુથરા ફાઉન્ડેશન)એ શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે CSRની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે VNSGU અને ડોનેટ લાઇફ વચ્ચે થયેલા MoUને આવકાર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિએ વિવિધ કોર્પોરેટ હાઉસ, ઉદ્યોગગૃહો અને સ્વૈચ્છિક સંસ્થાઓને યુનિવર્સિટીની CSR પ્રવૃત્તિઓ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. રજિસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવીએ MoUના અમલીકરણ અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ MoU અંતર્ગત VNSGUના વિદ્યાર્થીઓને ડોનેટ લાઇફ ખાતે ઇન્ટર્નશિપ, તાલીમ, સંશોધન અને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે સેમિનાર, વર્કશોપ અને વિવિધ અભિયાનોનું સંયુક્ત આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે ડૉ. નરેશ શુક્લાએ આભારવિધિ કરી હતી. આ સમજૂતી કરાર દ્વારા VNSGU અને ડોનેટ લાઇફે અંગદાન જાગૃતિના ક્ષેત્રમાં એક નવી દિશા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ભવિષ્યમાં અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન બેફામ બની રહ્યો છે. અક્ષયગઢ રોડ પર રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા વૃદ્ધે વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને કેશોદની રઘુવંશી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ અપાતી હોવાથી વૃદ્ધે એક નોટ લખીને આ પગલું ભર્યું હતું. આ ઘટના અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉજ્જૈન જવા 40 હજાર રુપિયા વ્યાજે લીધા હતાપોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં વૃદ્ધે જાન્યુઆરી 2026માં ઉજ્જૈન ફરવા જવા માટે પૈસાની જરૂર પડતા કેશોદમાં રહેતા પ્રવિણભાઈ પરમાર પાસેથી 20 ટકાના ઊંચા વ્યાજે કટકે-કટકે કુલ રૂપિયા 40,000 લીધા હતા. આરોપી પ્રવીણ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાયસન્સ નથી. ફરિયાદીએ એક મહિનાનું વ્યાજ રૂ. 10,000/- સમયસર ચૂકવી દીધું હોવા છતાં, આરોપી પ્રવીણે મૂળ રકમ અને વધુ વ્યાજ વસૂલવા માટે ફોન પર ગાળો ભાંડી, ઘરે આવીને હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ રોજ-રોજના ત્રાસથી કંટાળીને વૃદ્ધે 16 જૂન 2026ના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ નોકરીના સ્થળે સેલફોસની ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના PSI એમ.ડી. મકવાણાએ ફરિયાદ નોંધીને આગળની તપાસ PSI મલુબેન ડી. મકવાણાને સોંપી છે. 'પૈસા ચૂકવી દીધા છતા ધમકી આપી'આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં ફરિયાદીએ પોતાના હાથે લખેલી નોટમાં વ્યાજખોરની પોલ ખોલી છે કે, આજ રોજ મારે આપઘાત કરવાનું કારણ એ છે કે મને ફોન ઉપર વારંવાર ધમકી આપતા હતા અને મારી પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. મારી પાસે પૈસા માગતા નથી છતાં પણ રૂપિયા 50,000ની ઉઘરાણી ધાક-ધમકી આપીને કરતા હતા. મેં એમની પાસેથી જે પૈસા લીધેલા હતા તે મેં ચૂકવી દીધેલ છે અને ઓનલાઇન કરેલ છે. 'કેશોદ પોલીસ કંઈ કરી નહી લે, આ શબ્દો પ્રવિણ પરમારના'તારીખ 6 મે, 2026ના દિવસે મેં તેમના ખાતામાં કુલ રૂપિયા 75,000 આપેલા છે અને અમારી લેતી-દેતી પૂરી થઈ ગઈ છે. છતાં મારી પાસે થી તે લોકો બળજબરીથી ઉઘરાણી કરે છે કે તારે મને રૂપિયા 50,000 દેવાના છે. મેં તેમને કીધું કે ભાઈ મેં તમને રૂપિયા આપી દીધા છે, તો તેમનો જવાબ મને મળ્યો કે તારે મને 50,000 રૂપિયા આપવાના અને તારી પાસેથી બળજબરીથી લેવાના છે. નહીંતર તને મારી નાખીશ અને કેશોદ પોલીસ કંઈ કરી નહી લે, આવા શબ્દો પ્રવીણભાઈ પરમારના છે. 'બળજબરીથી રૂપિયા 50,000ની ઉઘરાણી કરે છે'ફરિયાદીએ નોટમાં વધુમાં લખ્યું છે કે, તેઓ કહે છે કે અમારું કોઈ કંઈ કરી નહીં લે, અમે ગુંડાઓ છીએ. પ્રવીણભાઈ પરમારના લીધે આપણે ભળ્યું છે, તે પછી તારીખ 20 મે, 2026થી તેઓ ફોન ઉપર ધમકી આપતા હતા અને આજ દિવસ સુધી મને મારી નાખવાનું કીધેલું છે. રાત્રે 10:30 વાગ્યે ફોન આવેલો કે મારી સામે આવી એટલે તને મારી નાખીશ. ત્યારબાદ તેમના પરિવારના બેનનો ફોન આવેલા કે તમારે પૈસા દેવાના કે નહીં? મેં પૂછ્યું કે બેન તમે કોણ બોલો છો, પણ તેમણે તેમનું નામ આપેલ નથી. મારી પાસે પૈસા માગતા નથી છતાં બળજબરીથી રૂપિયા 50,000ની ઉઘરાણી કરે છે અને મેં ના પાડતા મારી નાખવાની ધમકી આપે છે. આ ધમકી દેવાનું 26 મે, 2026થી ચાલુ છે અને મને મન ફાવે તેમ બોલે છે. તેમનો નંબર 70168 ----- છે અને નામ પ્રવીણ પરમાર છે. 'પ્રવીણ પરમારના લીધે પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો'આ સમગ્ર મામલે ફરિયાદીના પુત્રએ વ્યાજખોર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પિતાજીએ જે આપઘાતનો પ્રયાસ કર્યો છે એ પ્રવીણ પરમારના ત્રાસના લીધે જ કર્યો છે. એણે મારા પિતાને ધાક-ધમકી આપી હતી. પૈસા અમે પરત કરી દીધા છે અને કુલ રૂપિયા 75,000 (પંચોતેર હજાર રૂપિયા) ચૂકવી દીધા છે. છતાં પણ તે હજી રૂપિયા 50,000 (પચાસ હજાર) ની ખંડણી માંગે છે. 'આપઘાતના પ્રયાસના આગલા દિવસે ફોન કરી ધમકી આપી હતી' આપઘાતના પ્રયાસના આગલા દિવસે સાંજના સમયે એના ફોન આવ્યા હતા અને ફોન કરીને ધાક-ધમકી આપી હતી કે તારા ટાંટિયા ભાંગી નાખીશ, તને મારી નાખશું અને તે ઘરે આવવાની ધમકી આપે છે. એ વ્યાજખોર મેઘના વિસ્તારમાં રહે છે. મારા પિતાજીને ઝેરી દવા પીધા પછી દવાખાને લાવ્યા, તોય છતાં વ્યાજખોરનો ફોન આવ્યો હતો અને ફોન પર એવું નફ્ફટાઈથી બોલ્યો કે, એ મરી જાય તો મારે શું? મારે તો મારા પૈસા જોશે. પુત્રએ પિતાની નોકરી અને પોતાની માંગણી અંગે વધુમાં જણાવ્યું છે કે, મારા પિતાજી ગવર્મેન્ટ જોબ કરે છે. નોકરી ઉપર હતા ત્યાં જ તેમણે આ ઝેરી ટીકડા પીધા છે. જ્યારે સામેથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પરમાર શું કામધંધો કરે છે, ત્યારે મેં જણાવ્યું કે એ વ્યાજ વટાવનો ધંધો કરે છે અને મેઘના વિસ્તારમાં રહે છે. ગઈકાલ સવારે 10:30 વાગ્યે પણ એનો ફોન આવ્યો હતો અને એણે કીધું હતું કે પૈસા દઈ જા નકર ઘરે આવીને તનેય ટાંટિયા ભાંગી નાખશું ને તારા પપ્પાના ટાંટિયા ભાંગી નાખશું. જ્યારે અમને પૂછવામાં આવ્યું કે તમે પોલીસ અને તંત્ર પાસે શું માંગો છો, ત્યારે અમારી પરિવારની એક જ માંગ છે કે આવા લુખ્ખા અને વ્યાજખોર તત્વો સામે કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર બરબાદ ન થાય.
રાજકોટમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, ખંડણી માંગવી અને જમીન પચાવી પાડવાના 24 ગંભીર સહિત 52 ગુના આચરતી રામદેવ ડાંગર ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. જેમાં રામદેવ સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે અને અન્ય 2 આરોપીઓને પકડવાના બાકી છે. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં આતંક મચાવતી આ ટોળકી હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા શાંતિનું વાતાવરણ રહેશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષમાં 8 ગુજસીટોકની ફરિયાદ દાખલ કરી 90 શખ્સોને જેલહવાલે કરવામાં આવ્યા છે. રામદેવ ડાંગર ગેંગના 5 સભ્યો વિરૂધ્ધ GCTOC દાખલ કરવામાં આવીરાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતી અને ભયનું વાતાવરણ પેદા કરતી ટોળકીઓ વિરુધ્ધ GCTOC (ધ ગુજરાત ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) એક્ટ અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રામદેવ ડાંગર ગેંગના 5 સભ્યો વિરૂધ્ધ GCTOC દાખલ કરવામાં આવેલી છે. જે ગેંગ ખૂન, ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ આચરતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. જે ગંભીર ગુનાઓને ધ્યાનમાં લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં રામદેવ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો અને સતીષ બાલાસરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના બે આરોપીઓને પકડવાના બાકી છે. 90 જેટલા આરોપીઓને જેલહવાલે કર્યાતેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. જે પૈકી 5 હત્યા અને હત્યાનો પ્રયાસ, 6 ઇજા અને ગંભીર ઇજાના ગુના, 2 ફરજ રૂકાવટના, દારૂના 5, ગેરકાયદેસર આર્મ્સ એક્ટના 6 ગુના છે. આ સિવાય જમીન પચાવી પાડવા તેમજ ખંડણી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ તમામ સભ્યોની પ્રોપર્ટીને આઇડેન્ટીફાય કરવામાં આવશે અને તમામને જેલ હવાલે કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં આ આઠમી ગુજસીટોકની કાર્યવાહી છે અને અત્યાર સુધીમાં 90 જેટલા આરોપીઓને જેલહવાલે કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું 'સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર' સ્થાપિત કરવામાં આવશે. આ અત્યાધુનિક સંકુલ કરોડરજ્જુ સંબંધિત રોગો અને રમતગમત દરમિયાન થતી ગંભીર ઇજાઓની સારવાર માટે એક સર્વાંગી કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકઆ પ્રોજેક્ટના આયોજન અને પ્રગતિ અંગે બુધવારે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુ (PIU) ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવાના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સ પર નજરઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયત્નોથી ગુજરાત વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને વૈશ્વિક સ્તરની સારવાર અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ ઉપલબ્ધ કરાવવા માટે આ વિશેષ સંકુલ અત્યંત ઉપયોગી સાબિત થશે. ગુજરાત બનશે સ્પોર્ટ્સ મેડિસિનનું ગ્લોબલ હબસરકારનું લક્ષ્ય માત્ર દર્દીઓની સારવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું છે. મંત્રીએ ગર્વ સાથે ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં સ્પાઇન સર્જરીમાં એકપણ ઇન્ફેક્શનનો કેસ નોંધાયો નથી, જે રાજ્યની આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તાનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે. એક જ કેમ્પસમાં મળશે આ અદ્યતન સુવિધાઓ પ્રસ્તાવિત સંકુલમાં દર્દીઓ અને રમતવીરો માટે એક જ જગ્યાએ તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે: શિક્ષણ અને સંશોધન પર વિશેષ ભારઆ કેમ્પસ માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ અહીં સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને નિષ્ણાત માનવબળ તૈયાર કરવા માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ધરાવતી કોલેજો પણ શરૂ કરવામાં આવશે. સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થઈ શકે તે માટે વિશેષ સંશોધન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે, જેથી દેશ-વિદેશના નિષ્ણાતો અહીં આવીને પોતાની સેવાઓ અને જ્ઞાનનો લાભ આપી શકે. સમીક્ષા બેઠકના અંતે આરોગ્ય મંત્રીએ પ્રોજેક્ટ માટે કડક સમયમર્યાદા નક્કી કરવા તેમજ ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા માટે પીઆઈયુ અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં આગામી RE-NEET (UG) પરીક્ષા-2026 ના સુચારુ સંચાલન માટે પ્રતિબંધાત્મક આદેશનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ખલેલ વગરના વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ પરીક્ષા આગામી તા.21/06/2026 ને રવિવારના રોજ યોજાનાર છે. આ દિવસે સવારના 10:00 કલાકથી સાંજના 18:00 કલાક સુધી જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ રહેશે. જાહેરનામા અનુસાર, પરીક્ષા કેન્દ્રોની ચારેય દિશાના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ પુસ્તકો, કાપલીઓ કે ઝેરોક્ષ નકલો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા અધિકૃત સાદા કેલ્ક્યુલેટરને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના હેતુથી, પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ કોપીઅર અને ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના સમયગાળા દરમિયાન (સવારે 10:00 થી સાંજના 18:00 સુધી) મશીનો સદંતર બંધ રાખવાના રહેશે. ઉપરાંત, પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર, ભૂંગળા, બેન્ડવાજા, રેડિયો કે ઘોંઘાટ કરતા અન્ય ઓડિયો પ્લેયર્સ વગાડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 5 પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા; સરકારી પોલીટેકનિક કોલેજ, ગોધરા (ગદુકપુર ગામ પાસે); એમ એન્ડ એમ મહેતા હાઈસ્કુલ, ગોધરા; પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર, કાલોલ; અને પી.એમશ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરાનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગરમાં શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો. શહેર અને જિલ્લાના આશરે 500 થી વધુ શિક્ષકો એકત્ર થઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. આ આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ સુપ્રીમ કોર્ટનો ટેટ (TET) પરીક્ષા ફરજિયાત બનાવવાનો નિર્ણય છે,મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને આ નિર્ણય અત્યંત અન્યાયી લાગી રહ્યો છે અમને જે તે સમયે નિર્ધારિત લાયકાતના ધોરણોને આધારે જ નિમણૂક આપવામાં આવી હતી, હવે વર્ષોની સેવા બાદ ફરીથી ટેટ પરીક્ષા આપવી પડે તે તર્કહીન અને અન્યાયી છે, શિક્ષક સંઘની મુખ્ય માંગણી એવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદના આગામી ચોમાસુ સત્રમાં વિશેષ ખરડો પસાર કરવામાં આવે અને 2010 પહેલાના શિક્ષકો માટે આ ટેટ પરીક્ષાની જોગવાઈ રદ કરવામાં આવે. ગુજરાત રાજ્યના હજારો શિક્ષકો વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા છે આ શિક્ષકોની નિમણૂક જે તે સમયના ભરતી નિયમો અને પ્રક્રિયા મુજબ કરવામાં આવી હતી, અને તે સમયે TET પાસ કરવી ફરજિયાત નહોતી. જોકે, તાજેતરના કેટલાક નિર્ણયો અને વિકાસને કારણે આ શિક્ષકોના ભવિષ્ય સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેને લઈને શિક્ષકો અને તેમના પરિવારોમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમાં RTE કાયદો અને TET માર્ગદર્શિકાના અમલ પહેલાં જે શિક્ષકોની નિમણૂક થઈ છે, તેમને આ નિયમોની પાછલી અસરથી બાકાત રાખવા, વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોના રોજગારની સુરક્ષા પૂરી પાડવી, TET ની આવશ્યકતાને કારણે કોઈ પણ શિક્ષકને રોજગાર, પગાર કે પેન્શન જેવા લાભોથી વંચિત ન રાખવા, રાજ્ય સરકાર, શિક્ષક સંગઠનો અને શિક્ષણ નિષ્ણાતો સાથે પરામર્શ કરીને માનવીય અભિગમ અપનાવવો સહિતની માંગણીઓને લઈ રજુઆત કરવામાં આવી હતી, આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ શિક્ષક સંઘે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા ની ચીમકી ઉચ્ચારી છે, રાજ્ય સંઘની સૂચના મુજબ આગામી દિવસોમાં વિધાનસભા અને સંસદના સત્ર દરમિયાન રાજ્યભરમાં વિવિધ તબક્કે વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.
ઉકાઈના ગુણેસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ બનેલો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગ્રામજનો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ધારાસભ્ય દ્વારા આ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે, કામ શરૂ કરીને અધવચ્ચે જ બંધ કરી દેવાયું છે. રોડ પર મોટા ગાબડાં અને પથ્થરો ગંભીર અકસ્માતને નોતરી રહ્યા છે. મુખ્ય રસ્તા ઉપરાંત ગામના અન્ય બે રસ્તાઓની હાલત પણ ખરાબ છે. રસ્તાઓ ઉપરાંત, ગામનું એક અંદાજે 45 વર્ષ જૂનું પુલિયું પણ અત્યંત જર્જરિત અને જોખમી બન્યું છે. ચોમાસામાં પાણી ફરી વળતા તે પરથી પસાર થવું અસુરક્ષિત બને છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે અકસ્માતનો ભય રહે છે, જેને લઈને વાલીઓમાં ચિંતા છે. આ ખરાબ રસ્તાઓ અને પુલિયાને કારણે દૂધ ઉત્પાદકોને ડેરી સુધી દૂધ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. નોકરિયાત અને મજૂર વર્ગને અવરજવર કરવી કષ્ટદાયક બની છે. ગ્રામજનોને સોનગઢ થઈને ઉકાઈ સુધી લાંબુ અંતર કાપવું પડે છે, જેનાથી સમય અને ઇંધણનો બગાડ થાય છે. ગ્રામજનોએ હવે નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતના સભ્યો અને સત્તાધારી પક્ષ પાસે જર્જરિત પુલિયાને તોડી નવું બનાવવાની તથા રસ્તાઓના કામ વહેલી તકે પૂર્ણ કરવાની ઉગ્ર માગ કરી છે. આ અંગે ઉકાઈના ટીડીઓનો સંપર્ક કરતા તેમણે આ માર્ગ અને મકાન વિભાગનો વિષય હોવાનું જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના જીગ્નેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને ફોમ ઉપાડ્યો ન હતો
સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓ વચ્ચે પતરાની દીવાલ હટાવવા બાબતે મોડી રાત્રે ભારે હોબાળો અને હિંસક તોડફોડની ઘટના સામે આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે સોસાયટી વચ્ચે લગાવવામાં આવેલા પતરાના શેડને હટાવવા માટે લગભગ 5 થી 6 લોકો હાથ, લાતો અને લાકડાના ફટકા વડે પતરા સતત તોડી રહ્યા છે. આ વિવાદનું મુખ્ય કારણ બંને સોસાયટીઓ વચ્ચે આવેલી પતરાની દીવાલ હટાવવાનું છે, જેણે મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વાત મારામારી તેમજ પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. હાથ અને લાતોથી પતરા તોડવાનો પ્રયાસ, મહિલા પણ લાકડા સાથે મેદાને પડીસામે આવેલા વીડિયોમાં જોવા મળે છે તેમ, શરૂઆતમાં કેટલાક શખ્સો દ્વારા હાથથી પતરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકો લાતો મારીને પતરાને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન ઘટનાસ્થળે બંને સોસાયટીના મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જાય છે અને ભારે બોલાચાલી શરૂ થાય છે. આ હંગામા વચ્ચે એક મહિલા પણ પતરા તોડવા માટે આગળ આવે છે અને લાતો મારે છે. એટલું જ નહીં, એ મહિલા ત્યારબાદ આશરે 4 ફૂટ લાંબુ લાકડું લઈને પતરા પર ઉપરાઉપરી હિંસક વાર કરવાનું શરૂ કરી દે છે. તેની સાથે અન્ય 3 વ્યક્તિઓ પણ હાથમાં લાકડા લઈને પતરા પર તૂટી પડે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. 15મી જૂનની રાત્રે 10 વાગ્યે બની ઘટના, સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર કરતૂતઆ ઘટના ગત તારીખ 15મી જૂન 2026ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિના સમયે અંધારામાં થયેલી આ તોડફોડની સમગ્ર વિગતો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાયદાના ડર વગર લોકો લાકડાના ફટકા મારીને દીવાલ ધરાશાયી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ તજવીજ હાથ ધરી છે. સોમનાથ સોસાયટીના રહીશે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ હિંસક તોડફોડ અને હુમલા અંગે સોમનાથ સોસાયટીના રહીશ અજયભાઈ મૂળચંદદાસ રાણા (ઉંમર વર્ષ 40, ધંધો-જરીકામ), રહે ઘર નં-77, સોમનાથ સોસાયટી, અંબાનગર, ખટોદરા, સુરત દ્વારા ખટોદરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના તારીખ 15/05/2026ના રોજ કલાક 21/30 થી 22/30 દરમિયાન સોમનાથ સોસાયટી, અંબાનગર ખાતે બની હતી. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ, પંકજ રાઠોડ અને કમલાબેન સહિત 6 આરોપીઓ સામે ગુનો દાખલભોગ બનનાર અજયભાઈ રાણાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે હનુમાન શેરી, અંબાનગરના રહીશો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં (1) જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ, (2) પંકજ રાઠોડ, (3) કેવલ, (4) મેહુલ, (5) નિરજ અને (6) કમલાબેન (તમામ રહે. હનુમાન શેરી, અંબાનગર, khatodara, સુરત) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીની સોસાયટીની પતરાની દીવાલ તોડી પાડી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું અને સોસાયટીમાં સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો. ફરિયાદી પર પથ્થરમારો કરી આંખ પર ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપીપોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ માત્ર તોડફોડ જ નહોતી કરી પરંતુ સોસાયટીના રહીશો સાથે ઝઘડો અને તકરાર કરી હતી. આ દરમિયાન આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પથ્થર ફરિયાદી અજયભાઈને વાગતા તેમની ડાબી આંખની ઉપર કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત, મુખ્ય આરોપી જિતેન્દ્ર ઉર્ફે પપ્પુએ ફરિયાદી અને સોસાયટીના લોકોને ધમકાવતા કહ્યું હતું કે, જો તમે આ પતરાની દીવાલ હટાવશો નહીં, તો હું તમને જાનથી મારી નાખીશ. આવી ગંભીર ધમકી આપીને તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા જામનગરની મરીન સેન્ચ્યુરીમાં છોડવામાં આવતા કેમિકલ કચરાને તાત્કાલિક ધોરણે બંધ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આ સંદર્ભે આજે હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં GPCB એ એફિડેવિટ ઉપર જણાવ્યું હતું કે, ટાટા કેમિકલ દ્વારા ખુલ્લી ચેનલો મારફતે કેમિકલ વેસ્ટનો મરીન સેન્ચુરીમાં કરાતો નિકાલ બંધ કરવામાં આવ્યો છે. હવે ટ્રીટેડ કચરાનું NIOની મંજૂરી સાથે કચ્છના અખાતમાં ડીપ ડિસ્ચાર્જ કરાય છે. કોર્ટના હુકમ મુજબ પર્યાવરણીય નુકશાનનું વળતર મેળવવા નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાગપુરનો સંપર્ક કરાયો છે, આગળની કાર્યવાહી પ્રોસેસમાં છે. જોઇન્ટ ઈન્સ્પેક્શન ટીમ દ્વારા ટાટા કેમિકલની વિઝીટ કરાઈ છે, કચરાનો નિકાલ કરતી ઓપન ચેનલ સંપૂર્ણ બંધ છે. કચ્છના અખાતમાં ઊંડા દરિયામાં જ્યાં કચરાનો નિકાલ કરાય છે, તે મરીન સેન્ચ્યુરીથી દૂર છે. GPCB, કલેક્ટર, જંગલ વિભાગ ટાટાના કર્મચારીઓને સાથે રાખીને રેગ્યુલર ઇન્સ્પેક્શન કરશેહાઇકોર્ટે કહ્યું હતું કે ફકત પર્યાવરણીય નુકશાનનું વળતર નહીં, પરંતુ ત્યાંની ઇકોલોજીનું પુનઃસ્થાપન કરવામાં આવે. તે અંગે નીરી જેવી પર્યાવરણીય એક્સપર્ટ સંસ્થાની મદદ સરકાર લે. વળી આવી પર્યાવરણીય બાબતોમાં જિલ્લા કલેક્ટર આંખ ખુલ્લી રાખે, જેથી ઉધોગો પર્યાવરણને નુકશાન કરે નહીં. GPCB, જિલ્લા કલેક્ટર, જંગલ વિભાગ ટાટાના કર્મચારીઓને સાથે રાખીને રેગ્યુલર ઇન્સ્પેક્શન કરશે. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. વર્ષ 1939થી ચાલતો વિવાદ અને વર્ષ 2006ની હાઇકોર્ટ પિટિશનમૂળ ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુર ખાતે 1939 થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો દ્વારા ઔદ્યોગિક પ્રદૂષિત પાણી- કેમિકલ વેસ્ટ દરિયાના ઇન્ટર-ટાઇડલ ઝોનમાં છોડવામાં આવતું હતું. 1982 માં સરકાર દ્વારા આ વિસ્તારને મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યો હતો. કલેક્ટર જામનગર દ્વારા કંપનીના આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાના હક્કને નકારી કાઢતા અને તેને ગેરકાયદેસર દબાણ ગણાવતા ઓર્ડર વિરુદ્ધ ટાટા કેમિકલ્સે આ અરજી વર્ષ 2006 માં હાઇકોર્ટમાં દાખલ કરી હતી. અભયારણ્યની 100 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણવન વિભાગ અને કલેક્ટરના જણાવ્યા મુજબ 1982 ની જાહેરનામા બાદ ટાટા કેમિકલ્સે કોઈ કાયદેસર હક્ક દાવો કર્યો નહોતો. કંપનીએ પોતાની માલિકીની જમીનની બહાર સરકારી અને અભયારણ્યની આશરે 100 હેક્ટર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને મોટું દબાણ કર્યું હતું. પ્રદૂષિત પાણીના સતત નિકાલને કારણે આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર વેરાન બની ગયો હતો. મરીન સેન્ચ્યુરીને 'કાળા રણ'માં ફેરવી નાખીહાઇકોર્ટે આ બાબતે કેમિકલ યુક્ત પાણી મરીન સેન્ચ્યુરીને નુકશાન કરે છે કે કેમ તેનો સ્વતંત્ર અહેવાલ પણ મંગાવ્યો હતો. કોર્ટે ગત સુનવણીમાં નોંધ્યું હતું કે 15 કરતા વધુ વર્ષથી દરિયામાં ગેરકાનૂની ડિસ્ચાર્જ કરવામાં આવતું હતું. કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખવામાં આવી છે. ટાટા કેમિકલ દબાણકર્તા અને પર્યાવરણને નુકસાનકર્તા છે. તેને પર્યાવરણને નુકસાન કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. તેને શા માટે સાવચેતીના પગલાં લીધા નહોતા? કોર્ટે નોંધ્યું હતું કે, કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં આ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડતી રહી છે. અદાલતે GPCB ને આદેશ આપ્યો છે કે તેઓ નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની નાજુક પર્યાવરણ વ્યવસ્થાને થયેલા નુકસાનનું 3 મહિનામાં આકલન કરાવે. તેનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે. નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ કરવા ચેતવણીજ્યાં સુધી નવી બંધ પાઇપલાઇન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આ વિસ્તારના પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં તાત્કાલિક લેવા માટે GPCB ને નિર્દેશ આપવામાં આવ્યો છે. આમ મરીન સેન્ચ્યુરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. તે માટે કલેકટર અને GPCB તાત્કાલિક કડક પગલાં ભરે. જેનો રીપોર્ટ 03 અઠવાડિયામાં હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપી, સરળ અને સુલભ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઈલ હેલ્થ યુનિટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં આ આરોગ્ય સેવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેના હેઠળ તમામ મોબાઈલ હેલ્થ યુનિટ 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે રવાના કરવામાં આવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મહત્વપૂર્ણ પહેલવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હેલ્થ કેર ફોર ઓલ’ અને ‘લાસ્ટ માઈલ સર્વિસ ડિલિવરી’ના સંકલ્પને સાકાર કરવા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. તેનો મુખ્ય હેતુ દુર્ગમ, પર્વતીય અને એવા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે, જ્યાં એમ્બ્યુલન્સ કે ફોર વ્હીલર વાહનો પણ પહોંચી શકતા નથી. ટુ-વ્હીલર હેલ્થ યુનિટ અને મેડિકલ કીટ આપવાનો નિર્ણયઆ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના આદિજાતિ અને પર્વતીય વિસ્તારોમાંથી વારંવાર એમ્બ્યુલન્સ ન પહોંચી શકવાની ફરિયાદો મળતી હતી. ઘણી વખત દર્દીઓને ઝોળીમાં બેસાડીને સારવાર માટે લઈ જવાની સ્થિતિ સર્જાતી હતી. આ પડકારને ધ્યાનમાં રાખીને રાજ્યના 51 તાલુકાઓમાં એક-એક ટુ-વ્હીલર હેલ્થ યુનિટ અને મેડિકલ કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક સારવારના સાધનો સાથે મેડિકલ બોક્સની સુવિધાઆ ટુ-વ્હીલર હેલ્થ યુનિટ્સમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવાર માટેના સાધનો સાથે મેડિકલ બોક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. તેમાં ડિજિટલ બ્લડ પ્રેશર મશીન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, હિમોગ્લોબિન મીટર, ની-હેમર, નીડલ કટર, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે અને ટોર્ચ સહિતના આવશ્યક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. યુનિટ્સ જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગથી સજ્જઆ તમામ યુનિટ્સ જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગથી સજ્જ છે. પ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓની ડિજિટલ ડેટા એન્ટ્રી સીધી સીએમ ડેશબોર્ડ સાથે સંકલિત કરવામાં આવી છે. ઉપરાંત, સ્થાનિક સ્તરેથી જ આરોગ્યલક્ષી માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC), રિપોર્ટિંગ અને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરે મોનિટરિંગ પણ શક્ય બનશે. 9 મોબાઈલ હેલ્થ યુનિટ્સ આ સેવાને વધુ મજબૂત બનાવશેરાજ્યમાં હાલમાં કાર્યરત 126 મોબાઈલ હેલ્થ વાન દ્વારા 10 પ્રકારના વિવિધ આરોગ્ય પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ છે અને દરરોજ બે ગામોમાં મોબાઈલ હેલ્થ વાન દ્વારા આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે છે. નવા ઉમેરાયેલા 9 મોબાઈલ હેલ્થ યુનિટ્સ આ સેવાને વધુ મજબૂત બનાવશે. આ નવી પહેલથી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકો માટે નિયમિત આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર સરળતાથી ઉપલબ્ધ થશે. પરિણામે માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો અને માતા-બાળ આરોગ્યમાં સુધારો લાવવામાં મદદ મળશે. સાથે જ બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, બ્લડ શુગર, મેલેરિયા અને પેશાબ સંબંધિત પ્રાથમિક તપાસો હવે ગ્રામ્ય સ્તરે જ થઈ શકશે. દર્દીઓને નજીકની આરોગ્ય સંસ્થામાં રિફર કરવાની સુવિધાઆ ઉપરાંત ગંભીર અથવા વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સમયસર રિફર કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા, પોષણ, કિશોર આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત માર્ગદર્શન પણ આ સેવા હેઠળ આપવામાં આવશે. હેલ્થ અવેરનેસના ભાગરૂપે HIV/AIDS, તમાકુજન્ય રોગો, ચેપી અને બિન-ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવા ઉપરાંત સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓની માહિતી પણ હવે અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી સીધી પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલ ગ્રામ્ય અને આદિજાતિ સમાજના જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવવા સાથે છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર, સુલભ અને સમયસર આરોગ્ય સેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતન ચરણ ગઢવી, અધિક નિયામક ડૉ. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઘુસર ગામ ખાતે આજે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન, ઉપસ્થિત આગેવાનોએ નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરીને યોજનાઓના અમલીકરણ અને તેના લાભો વિશે જાણકારી મેળવી હતી. જન કલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ સરકારની સેવાઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. આ શિબિર દ્વારા સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે અને જરૂરી દસ્તાવેજી તથા વહીવટી કામગીરી એક જ સ્થળે પૂર્ણ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પારદર્શક, જવાબદાર અને સંવેદનશીલ વહીવટના અભિગમ સાથે આયોજિત આ શિબિરનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી યોજનાઓનો ઝડપી, સરળ અને અસરકારક લાભ પહોંચાડવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
તારાપુર નજીક ઇસરવાડા પાસે 9 ફેબ્રુઆરીએ કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં લાગેલી આગનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં આ આગ અકસ્માત નહીં, પરંતુ 40.45 લાખ રૂપિયાની 150 કપાસની ગાંસડીઓ સગેવગે કરવા અને વીમાની રકમ મેળવવા માટેનું આયોજનબદ્ધ કાવતરું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક માલિક, ડ્રાઈવર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મહારાષ્ટ્રની ફેક્ટરીમાંથી નીકળેલી ટ્રકને રસ્તામાં જ નિશાન બનાવી હતી. ટ્રકમાં ભરેલી 150 કપાસની ગાંસડીઓ સગેવગે કરી દીધા બાદ ટ્રકને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે ચોરી કરેલા માલને બતાવવા માટે વેપારી પાસેથી લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ટ્રકની અસલી કિંમત 8 લાખ રૂપિયા હોવા છતાં, આરોપીઓએ 14 લાખ રૂપિયાની લોન બતાવીને તેના પર વધુ વીમો ઉતરાવ્યો હતો. વીમાની મોટી રકમ મેળવવાના ઇરાદે જ તેમણે ટ્રક સળગાવી હતી. વેપારીને માલ ઓછો હોવાની શંકા જતાં તેમણે સ્થાનિક લોકો પાસેથી ઘટનાના વીડિયો મેળવી પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર કૈલાશ જામરે, માલિક કાશીદ ઉર્ફે બબલુ રશીદ શેખ, શકલેન મન્સૂરી, ફરીદ મન્સૂરી, વસીમ મન્સૂરી અને અઝહરુદ્દીન મન્સૂરીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આ મામલે ટ્રક માલિક સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં વાહન ચોર ટોળકીનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વરાછાની જાણીતી જયભવાની સોસાયટીમાંથી રાત્રિના અંધકારમાં ત્રણ અજાણ્યા શખસો આશરે 2 લાખ રૂપિયાની કિંમતની મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ સમગ્ર ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાઈક ચોરી ગયા બાદ માલિકને વોટ્સએપ કોલ કરી દસ હજાર રૂપિયાની ખંડણી પણ માગવામાં આવી હતી. પાર્કિંગમાંથી 2 લાખની સ્પોર્ટ્સ બાઈક ગાયબમળતી વિગતો અનુસાર, વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી જયભવાની સોસાયટીના ઘર નંબર 13માં રહેતા દાનિયેલભાઈ કિરણભાઈ વસાવા નામના યુવકે પોતાની સફેદ કલરની કિંમતી યામાહા R15 સ્પોર્ટ્સ બાઇક (GJ-26-AG-8244) પોતાના ઘરના પાર્કિંગમાં લોક કરીને પાર્ક કરી હતી. મોડી રાત્રે આશરે 12:05 વાગ્યાના સુમારે બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શાતિર તસ્કરોએ આ સોસાયટીને નિશાન બનાવી હતી અને પાર્કિંગમાં ઘૂસી બાઈકનું લોક તોડી તેને ચોરી લીધી હતી. બીજી બાઈક વડે પગથી ધક્કો મારીને ભાગી છૂટ્યાસીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું હતું કે, બાઈક ચોરી કરવા માટે તસ્કરોએ અનોખી જ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ત્રણેય શખસો એક બાઈક પર આવ્યા હતા. ચોરી કર્યા બાદ ચાલુ ગાડીએ પાછળ બેસેલા શખસે ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઈકને પોતાના પગ વડે પાછળથી ધક્કો મારવાનું શરૂ કર્યું હતું. આ રીતે બાઈકને ટોઇંગ કરીને ત્રણેય શખસો રાતોરાત વરાછા વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતા. ચોરી કર્યા બાદ માલિક પાસે રૂ. 10,000ની ખંડણી માંગીઆ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે બાઈક ચોરી કર્યાના થોડા સમય બાદ શાતિર તસ્કરોએ બાઈકના મૂળ માલિક દાનિયેલભાઈનો મોબાઈલ નંબર કોઈક રીતે મેળવી લીધો હતો. તસ્કરોએ પોલીસ પકડથી બચવા માટે સામાન્ય સેલ્યુલર કોલ કરવાને બદલે ઇન્ટરનેટ આધારિત વોટ્સએપ કોલ કર્યો હતો. ફોન પર તસ્કરોએ ધમકીભર્યા લહેજામાં જણાવ્યું હતું કે, જો તારી 2 લાખની સ્પોર્ટ્સ બાઈક પાછી જોઈતી હોય તો છાનોમાનો 10,000 રૂપિયા ઓનલાઈન આપી દે, નહીંતર બાઈક ભૂલી જજે. તસ્કરોની આ હિંમત જોઈને વાહન માલિક પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈઆ સમગ્ર મામલે ભોગ બનનાર યુવક દાનિયેલ વસાવાએ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને વાહન ચોરી અંગેની લેખિત અરજી સાથે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગાડીના એન્જિન નંબર (G3N4EO731849) અને ચેસીસ નંબરના આધારે તેમજ સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વરાછામાં જાહેરમાં બાઈક ચોરી કરી ફોન પર ખંડણી માંગવાની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના અટલાદરા વિસ્તારમાંથી દમણથી લાવવામાં આવતો અંદાજે 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે એક આરોપીની ધરપકડ કરી અટલાદરા પોલીસને સોંપવામાં આવ્યો છે. શંકાસ્પદ ટેમ્પોને પીછો કરીને ઝડપ્યો દારૂ નીકળ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, એક આઇસર ટેમ્પોમાં દારૂ ભરીને પાયલોટિંગ સાથે વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે SMCની ટીમે અટલાદરા વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિર નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પોને પીછો કરીને અટકાવવામાં આવ્યો હતો. 35 લાખના મુદ્દામાલને જપ્ત કરાયોતપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજો 25 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોના ચાલકને અટકાયતમાં લેવામાં આવ્યો છે. દારૂ સાથે આઇસર ટેમ્પો પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 35 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસઆ સમગ્ર મામલે વધુ કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને અટલાદરા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં પાણી પુરવઠો વધુ મળી રહે અને પૂરતા દબાણ સાથે પાણી મળે તે માટે નિમેટાથી નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ અવરોધો વચ્ચે આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જો કે આ કામગીરીને હજુ બીજા ત્રણ મહિના સુધી લંબાવવા માટે અને આ પ્રોજેક્ટમાં વધારાના 9.37 કરોડની રકમ મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી ન અપાતા વિલંબવડોદરા શહેરમાં વકરી રહેલી પાણીની સમસ્યા વચ્ચે, શહેરના ભાવિ પાણી પુરવઠા માટે અત્યંત મહત્વકાંક્ષી ગણાતા નિમેટા પાણી લાઈન પ્રોજેક્ટની કામગીરી વધુ વિલંબમાં પડી છે. કેન્દ્ર સરકારની અમૃત-2.0 યોજના અંતર્ગત નિમેટા ખાતે 75 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા અને નિમેટાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી જૂની 750 એમએમ વ્યાસની લાઈનના સ્થાને 1500 એમએમ વ્યાસની નવી લાઈન નાખવાની કામગીરી વર્ષ 2023માં મંજૂર કરાઈ હતી. ગેરંટી પિરિયડના કારણે રસ્તો ખોદવાની મંજૂરી મળી શકી નથીરાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે 21 મહિનાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હાલમાં આ પ્રોજેક્ટની અંદાજે 86 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ક્રોસિંગ માટે મંજૂરી ન મળતા પ્રોજેક્ટમાં મોટો અવરોધ ઊભો થયો હતો. સત્તાધીશોએ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને નીચેથી પાઇપલાઇન પસાર કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ, રોડ પ્રોજેક્ટ શાખાને અગાઉથી જાણ હોવા છતાં નેશનલ હાઈવેથી સરદાર એસ્ટેટ સુધી સ્માર્ટ રોડનું નિર્માણ કરી દેવાયું હોવાથી, ગેરંટી પિરિયડના કારણે રસ્તો ખોદવાની મંજૂરી મળી શકી નથી. મંજૂરી ન મળતા વૈકલ્પિક રૂટ પસંદ કરાયોરાષ્ટ્રીય ધોરીમાર્ગની મંજૂરી ન મળતા આખરે મ્યુનિસિપલ કમિશનરે સર્વે અને સલાહકારના અભિપ્રાયના આધારે વૈકલ્પિક રૂટ મંજૂર કર્યો છે. નવા રૂટ મુજબ હવે સયાજીપુરા દશાલાડ ભવન માર્ગે થઈને લાઈન નાખવામાં આવશે. જોકે, આ બદલાયેલા રૂટ પર ડ્રેનેજ અને વરસાદી પાણીની ચેનલો નડતરરૂપ હોવાથી તેમજ પુનિતનગર નજીક હાલની પાણીની લાઈનને નુકસાન થવાનો ભય હોવાને કારણે પરંપરાગત કટ-એન્ડ-કવર પદ્ધતિ શક્ય નથી. શહેરનો પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે હવે મેન્યુઅલ પુસિંગ પદ્ધતિથી પાઇપલાઇન નાખવાની ફરજ પડી છે. પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 152.05 કરોડ થવાનો અંદાજઆ ટેક્નિકલ ફેરફારોને કારણે મૂળ રૂ. 142.67 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 152.05 કરોડ થવાનો અંદાજ છે. આમ, પ્રોજેક્ટમાં રૂ. 9.37 કરોડનો જંગી ખર્ચ વધતાં અને કામગીરી પૂર્ણ કરવા માટે વધુ ત્રણ મહિનાની મુદત લંબાવવાની જરૂરિયાત ઊભી થતાં, આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આયોજનના અભાવ અને વહીવટી મંજૂરીઓમાં વિલંબના કારણે વડોદરાના નાગરિકોને આ સુવિધાનો લાભ મેળવવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. અને લોકોના ટેક્સના પૈસા વધુ ખર્ચાશે તે નફામાં.
ભાવનગરના મહુવા શહેરમાં ગ્રીન લોજ પાસે બાઈક અથડાવાની સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં ત્રણ શખ્સોએ 19 વર્ષીય યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકના બે મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ આ મામલે મહુવા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. છરીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર માર્યોમહુવા શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 19 વર્ષીય મહંમદ જવાબ મહમદ અબ્બાસ મીઠાણીના મિત્ર અકીલ અબ્બાસની બાઈક સાથે હુસેન અબુભાઈ પાયક નામની વ્યક્તિની બાઈક સામાન્ય અથડાઈ હતી. આ અકસ્માત બાદ મહંમદ જવાબ અને તેના મિત્રો બાઈકની ચાવી બાબતે ગ્રીન લોજ પાસે આવ્યા હતા. ત્યાં બાઈક અથડાવાની ભૂલ સ્વીકારવા છતાં હુસેન ઉર્ફે મેલડી અબુભાઈ પાયકે અપશબ્દો બોલી લાફા મારવાનું શરૂ કર્યું હતું. વાહન સરખું કરાવીને નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીત્યારબાદ ત્યાં હાજર અન્ય શખ્સો પણ આ વિવાદમાં જોડાયા હતા. હુસેનના દીકરાએ આવીને મહંમદ જવાબનો કાઠલો પકડી, લાફો મારીને તેની સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. સાથોસાથ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો વાહન સરખું કરાવીને નહીં આપે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ ઝઘડા દરમિયાન આરોપી રેહાન પાયકે પણ અપશબ્દો બોલી કાઠલો પકડી મારપીટ કરી હતી. 3 શખસ સામે ફરિયાદ નોંધાઈઆ હુમલા સંદર્ભે ઇજાગ્રસ્ત યુવક મહંમદ જવાબ મીઠાણીએ ત્રણ આરોપીઓ – હુસેન ઉર્ફે મેલડી અબુભાઈ પાયક, રેહાન પાયક અને અશફાક (તમામ રહે. મહુવા) વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે ફરિયાદના આધારે ત્રણેય શખસ સામે BNS એક્ટની કલમ 118(1), 115(2), 351(2), 352, 296, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.
15 જૂનના ખેડૂત આંદોલન દરમિયાન થયેલા ઘર્ષણ બાદ કિસાન કોંગ્રેસ દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ખેડૂતો માટે જે પણ આંદોલન લડવામાં આવશે તે કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જૂનના ખેડૂત આંદોલનમાં ખેડૂતોને ગુમરાહ કરવા માટે આમ આદમી પાર્ટીના લોકોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ ખેડૂતોને ગુમરાહ કર્યા હોવાથી કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ જ આગામી ખેડૂત આંદોલન કરવાની જાહેરાત કરી છે. તેમજ આગામી સમયમાં અગાઉ જે રેલી યોજાઈ તેના કરતા બે ગણા ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આપ અને કિસાન સંઘ પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આક્ષેપસેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિના સુધી ગામ અને તાલુકામાં ખેડૂતો વચ્ચે અમે લોકો જઈ રહ્યા છીએ. અમારા જેવા અનેક સાથીઓએ સોમનાથથી ટ્રેક્ટર યાત્રા કરી હતી. જે બાદ ટંકારામાં રેલી કરીને ત્યાં પણ કામ અટકાવ્યું હતું. જ્યાં કંપનીઓ અને કંપનીના દલાલ ભાજપ સરકાર 6 લાખ રૂપિયા આપીને અદાણી અને અંબાણીના થાંભલા ખેડૂતોની સોના જેવી જમીન પર નાખવામાં આવે છે. બહેન દીકરીઓને ઢસડીને ખેતરમાંથી બહાર કાઢવામાં આવે અને કલેક્ટરના હુકમના કારણે બધું કામ થતું હોય છે. જેથી કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપ અને ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ અને સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા જેને ખેડૂતને હળદરમાં ભેગા કરી જેલ ભેગા કરવાનો કારસો કરવામાં આવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે અમે શાંત રહ્યા- લાલજી દેસાઈઆમ આદમી પાર્ટીએ રાજકીય સ્ટંટ કર્યો હોવાનો આક્ષેપ કરી લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, જેથી અમે આમ આદમી પાર્ટીને ગામો ગામ જઈને સમર્થન કરવા કહ્યું હતું પરંતુ હજારો ટ્રેક્ટર ભેગા થવાના છે તો આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમારા આગેવાનો આ યાત્રામાં જોડાશે. જે દરમિયાન મર જવાન મર કિસાન ન થાય તે માટે અમે લોકો ચૂપ રહ્યા હતા. 2013 પછી ફરી એક વખત આવી યાત્રા નીકળી હતી. પરંતુ ભીડ ભેગી થતા રાજકીય સ્ટંટ કરવાનું અને પીઠમાં ખંજર ખોપવાનું કામ કરવામાં આવ્યું હતું. ખેડૂતો અને પોલીસ વચ્ચે દંડાવાળી ન થાય તે માટે અમે લોકોએ શાંત રહેવા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીએ જે કરવાનું હતું તે તે લોકોએ કર્યું છે. હવે તો ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ છે એટલે હવે મરણિયો જંગ લડવાના છીએ. 30 જૂન સુધીમાં સરકાર નમતું નહીં જોખે તો આંદોલન કરીશુંવધુમાં લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, આજથી અમે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને કોંગ્રેસ પાર્ટી સાથે જ લડવામાં આવશે. જેને જોડાવવું હોય તે અમારી સાથે જોડાઈ શકે છે. લડવાવાળા સાથે અને નડવાવાળા જે તે વિસ્તારમાં તમારી લડાઈ લડી શકે છે. ભાજપની બી ટીમ કોંગ્રેસને નબળી પાડતી હોવાથી અને બંને ટીમ ભેગી થઈને ગુજરાતને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. જેથી જ આમ આદમી પાર્ટીના ત્રણ મોટા કિસાન નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી હતી. રાજુ કરપડા, સાગર રબારી અને કરસનદાસ બાપુએ આમ આદમી પાર્ટી છોડવા માટે મજબૂર થયા હતા. 30 જૂન પહેલા સરકાર નમતું નહીં મુકે ત્યારે આંદોલન કરીને સરકારને ઊંઘવા નહીં દઈએ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારે એવું કહ્યું હતું કે 51 ટ્રેક્ટર સાથે ગાંધીનગર આવો તો અમે મંજૂરી આપીએ. ચૂંટણી સિવાય મંજૂરી લેવાની થતી નહતી પરંતુ 144 લાગુ કરવામાં આવી જેથી અમે મંજૂરી માટે અરજી કરી હતી. અમને 13 તારીખે સાંજે મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મર્યાદિત લોકો સાથે આવવા કહેવામાં આવ્યું હતું પરંતુ અમે તે કરવા તૈયાર નહતા. કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના લોકોએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આગામી સમયમાં શું કાર્યક્રમ કરવામાં આવશે તેની અમે લોકોએ જાહેરાત કરી દીધી છે. સમગ્ર ગુજરાતમાં વીજ થાંભલા મુદ્દે ખેડૂતોના નિરાકરણ માટે ગુજરાત કિસાન કોંગ્રેસ લડત લડશે. તાલુકા કક્ષાએ આવેદનપત્ર અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમજ વિશાળ સંખ્યામાં ગુજરાત કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસના નેજા હેઠળ રેલી યોજવામાં આવશે. જિલ્લાઓમાં પણ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનું કાર્યક્રમ કરવામાં આવશે. 30મીએ દરેક જિલ્લાઓમાં રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવશે. જેને લઈને પ્રવાસ પણ કરવામાં આવશે. 15 જૂને જે અધૂરી લડત રહી છે તે આગામી સમયમાં બે ગણા ટ્રેક્ટર સાથે રેલી યોજીને લડત લડવામાં આવશે.
આદિત્ય પટેલ' બની મેટ્રિમોનિયલ સાઈટ પર વિધવાઓને ફસાવતો કરીમની વધુ એક કરતૂત સામે આવી છે. 100થી વધુ હિન્દુ મહિલાઓને ફસાવનાર આરોપી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એટલે કે આરોપીએ એક મહિલા સાથે દુષ્કર્મ કરીને મહિલા પાસેથી ખંડણી માંગી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે અગાઉ પણ એક મહિલા સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. ત્યારે દુષ્કર્મ અને ખંડણી માંગવાને લઈ મહિલા ક્રાઈમે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. મહિલાએ કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો મેટ્રિમોનિયલ સાઈટ પરથી પ્રોફાઈલ મેળવી લગ્નગ્રંથીએ જોડાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક વિધવાનો એક મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામના યુવકનો સંપર્ક થયો હતો. બંને વચ્ચે ચારથી પાંચ મહિના સુધી સંપર્ક રહ્યો હતો. એક દિવસ જ્યારે આદિત્યએ ફોન કર્યો ત્યારે મહિલાના ટ્રુ કોલરમાં કરમી નામ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે મહિલાએ હિંમત એકઠી કરી કહેવાતા આદિત્યનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતું. મહિલાએ બજરંગદળનો સંપર્ક કર્યો હતો અને કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો હતો. જ્યારે કરીમ ઉર્ફે આદિત્યના ફોનની તલાશી લેવામાં આવી ત્યારે અનેક મહિલાઓ સાથેની ચેટ અને કઢંગી હાલતમાં ફોટો-વીડિયો મળી આવ્યા હોવાનો બજરંગદળના જ્વલિત મહેતાએ દાવો કર્યો છે. કરીમના કબજામાંથી બોગસ પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ મળી આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. આદિત્ય પટેલ બની કરીમે વિધવાને ફસાવવાનો પ્રયાસ કર્યોઅમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાનો મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ'નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. આદિત્ય પટેલે પણ પોતે વિધૂર હોવાની ઓળખ આપી હતી. પોતાને પ્લાસ્ટિકનો સારો બિઝનેસ હોવાનો અને ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનો દાવો કરાયો હતો. પાનકાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પણ આદિત્ય પટેલ નામના રજૂ કરાયા હતા. મહિલા અને આદિત્ય પટેલ ચારથી પાંચ મહિના એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર સંપર્કમાં આવેલી મહિલાને આંજી દેવા મોટી મોટી વાતો કરતો અને મોંઘી ગિફ્ટ આપતોકરીમ કોઈ મહિલાના સંપર્કમાં આવી પહેલા તેને ઇમ્પ્રેસ કરવા માટે મોંઘી ગિફ્ટ આપતો અને ત્યારબાદ તેને વોટ્સએપ પર પોતાના ન હોય તેવા બંગલા અને ગાડીઓના ફોટા મોકલતો તથા મોટા ખેતરના ફોટા મોકલી પોતાની ઘણી જમીન હોવાની બડાશ મારતો હતો. તે તક મળતાં મહિલાઓ પાસેથી રૂપિયા પણ પડાવતો હતો. કરીમે પોતાની પત્નીનું ફેક ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કરાવી લીધું હતું અને તે મહિલાઓને મોકલતો હતો. પોલીસનું માનીએ તો હકીકતમાં કરીમ પાસે કોઈ કામ નહોતું અને નાનું મોટું સ્ટોકમાર્કેટનું કામ કરતો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર

31 C