પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 11ના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાલિકાના સફાઈ ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર અને વધતા વેરા મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 4ના ઉમેદવારો પટેલ વર્ષાબેન, પટેલ વિષ્ણુભાઈ, દરબાર વંદનાબેન અને વર્મા હર્ષદકુમારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. તેવી જ રીતે, વોર્ડ નંબર 11ના ઉમેદવારો અરુણાબેન મહેન્દ્રભાઈ પટેલ, આશાબેન ઘેમરભાઈ રબારી, ડી.એન. પટેલ અને ભવાનજી વરસાજી ઠાકોરના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ નગરપાલિકાના આર્થિક વહીવટ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો ઘરમાં આવક બમણી થાય અને છતાં દેવું વધે, તો તેનો અર્થ કાં તો ચોરી થઈ રહી છે અથવા મેનેજમેન્ટમાં ખામી છે. પાટણ નગરપાલિકાની સ્થિતિ પણ આવી જ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પટેલે ખાસ કરીને માતરવાડીથી બોડીયા રોડ સુધીના હાઈવેની સફાઈ પાછળ દર વર્ષે થતા 47 લાખ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આટલો ખર્ચ કરવા છતાં રોડ ક્યારેય સાફ દેખાતા નથી. પ્રજાના પૈસા અને બમણા કરાયેલા વેરાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્યએ પાટણના ઐતિહાસિક ગૌરવ 'પાટણની પ્રભુતા'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાટણનું ગૌરવ ત્યારે જ પરત આવી શકે જ્યારે તેના વહીવટદારો સ્વચ્છ અને પ્રામાણિક હોય. તેમણે વિરોધ પક્ષ પર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટમાં ટકાવારી લેવાના આક્ષેપો કર્યા હતા અને મતદારોને ચૂંટણી સમયે નાણાંની વહેંચણી સામે સજાગ રહેવા ચેતવ્યા હતા. અંતમાં, તેમણે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી જશે. તેથી, મતદારોએ સજાગ રહીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.
રાજ્યની નવી બનેલી 15 મહાનગરપાલિકામાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ખાસ કરીને વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 4: ભૌગોલિક અને રાજકીય સ્થિતિ આ વોર્ડમાં બહુચર હોટલ વિસ્તાર, વર્ધમાન કોલોની, જંક્શન રોડ, ખીજડીયા હનુમાન મંદિર, ટાંકી ચોક, જેલ ચોક, ગાયત્રી પાર્ક અને વાદીપરા જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્રિપાંખીયો જંગ અને રાજકીય ગણિત સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં સાંસદથી લઈને પંચાયતો સુધી ભાજપનું એકહથ્થુ શાસન છે. જોકે, આ વખતે સ્થિતિ બદલાઈ શકે છે. લોકોનો આક્રોશ: ટેક્સ વધ્યો પણ સુવિધા ઘટી વોર્ડ નં. 4ના રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. સ્થાનિકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં દિલિપ વ્યાસે પાણી અને ગટરની ગંભીર સમસ્યા વિશે જણાવતાં કહ્યું હતું કે, અહીંથી અનેક પ્રમુખો ચૂંટાઈને ગયા છે, છતાં 5-6 દિવસે માંડ પાણી મળે છે. લોકોએ પર્સનલ ટેન્કરો મંગાવવા પડે છે. કિરણબેન રાવલે જણાવ્યું હતું કે, હોટલોના ગટર કનેક્શનને કારણે ગંદકી ઉભરાઈને રોડ પર આવે છે. એટલું જ નહીં સાત-સાત દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. મીરેન માચુકીયાએ જણાવ્યું હતું કે, પાણી અનિયમિત છે અને જે આવે છે તે પણ દુર્ગંધવાળું અને ગંદકીવાળું હોય છે. આ વોર્ડમાં સૌથી વધુ હોસ્પિટલો, સ્કૂલો અને શાકભાજી માર્કેટ આવેલી છે, છતાં સફાઈના નામે શૂન્યતા છે. હોટલના કચરાને કારણે રખડતા ઢોરોનો જમાવડો રહે છે, જે અકસ્માતને નોતરે છે. હીનાબેન (વાદીપરા)એ કહ્યું હતું કે, સફાઈ કામદારો ગટરમાં જ કચરો નાખી દે છે અને અડધેથી જ પાછા વળી જાય છે. એટલે આ વખતે તો સુવિધા આપશે તો જ મત આપીશું. ચૂંટણી ટાણે જ દેખાતા નેતાઓ લાભુબેન ડાભીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ મત માંગવા આવે છે, પછી કોઈ ડોકાતું પણ નથી. લાઈટો વારંવાર જતી રહે છે અને પાણીનો કોઈ ઠેકાણો નથી. સુરેન્દ્રનગરના વોર્ડ નં. 4માં આ વખતે મતદારોનો મિજાજ આક્રમક છે. નવા ઉમેરાયેલા 21,316 મતદાર હાર-જીતનો નિર્ણય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ભાજપ માટે પોતાના ગઢને સાચવવો પડકારજનક છે, કારણ કે જનતા હવે 'કામ નહીં તો મત નહીં'ના મૂડમાં જણાઈ રહી છે. ----આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12ના રહીશો અને રાજકીય અગ્રણીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું માનવું છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ વઢવાણની ગરિમાને ઠેસ પહોંચી છે. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પ્રવેશ્યો છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ મેદાનમાં રહેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ગઈકાલના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે રાજ્યભરમાં રાજકીય ઘટનાક્રમોએ નવી દિશા પકડી હતી. બાયડમાં CMના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, રોડ માર્ગે પ્રવાસ ખેડ્યોઅરવલ્લીના સાઠંબા ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર હવામાં લેવાનો ઇનકાર કરતા મુખ્યમંત્રીએ સમય ગુમાવ્યા વગર સાબરકાંઠાનો તેમનો બાકીનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. હર્ષ સંઘવી વિરુદ્ધ મનોજ સોરઠીયાસુરતનું રાજકારણ અત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ગાજી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, “લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો છે, હવે બીજાનો વારો આવશે.” જેના વળતા જવાબમાં AAPના મનોજ સોરઠીયાએ ચીમકી આપી કે, “જો ભાજપ ‘ભૂપતવાળી’ (તોડજોડ) કરશે તો જનતા આ વખતે ‘વિસાવદરવાળી’ (હાર) કરાવશે.” સોગંદનામાનો વિવાદ: BA પહેલા MAની પદવી?સુરતના વોર્ડ નં.29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેના સોગંદનામાએ ભારે ચર્ચાઓ જગાવી છે. વિગતો મુજબ તેમણે 1997માં BA અને 1996માં MA પૂરું કર્યાનું દર્શાવ્યું છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સ કેવી રીતે થઈ શકે? એવા સવાલો સાથે વિપક્ષોએ ચૂંટણી તંત્ર પર સત્તાના દબાણ હેઠળ ફોર્મ મંજૂર કરવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાં અને મોંઘવારીનો વિરોધચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે કોંગ્રેસે વડોદરા, સુરત અને જૂનાગઢ સહિત રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. રાજકોટમાં તો કોંગ્રેસ કાર્યાલયમાં ગેસના ભાવવધારાના વિરોધમાં દેશી ચૂલા સળગાવી રસોઈ બનાવી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ચૂંટણી જંગ હવે જામ્યો છે, ક્યાંક વાયદાઓની વર્ષા છે તો ક્યાંક વહીવટી વિસંગતતાઓના સવાલો. જનતા કોના પર કળશ ઢોળશે તે તો 26 એપ્રિલે જ ખબર પડશે.
તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી
Tamilnadu Accident 9 Died News: તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
CBSE:ધો.10ની બીજા તબક્કાની પરીક્ષા માટે 20 સુધી ફોર્મ ભરી શકાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026ની શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર કરતા ‘ટુ બોર્ડ એક્ઝામ સ્કીમ’ (બે બોર્ડ પરીક્ષાની પદ્ધતિ)નો અમલ શરૂ કરી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નબળું પ્રદર્શન કરી શક્યા છે, તેમને મે-2026માં યોજાનારી બીજી બોર્ડ પરીક્ષામાં પોતાના માર્કસ સુધારવાની સુવર્ણ તક મળશે. બોર્ડ દ્વારા આ માટે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ (LOC) ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેગ્યુલર ફીના પ્રથમ તબક્કામાં 16 એપ્રિલ (બપોરે 12 વાગ્યાથી)થી 20 એપ્રિલ (રાત્રે 12 વાગ્યા સુધી) ફી ભરી શકાશે. જ્યારે બીજા તબક્કામાં લેટ ફી સાથે 21 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. CBSEની ધો.10માં બીજી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન રહે તે માટે CBSEએ સ્પષ્ટ કર્યું છે કે, મે મહિનાની પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન એ જ રહેશે જે મુખ્ય પરીક્ષામાં હતો. આનાથી મૂલ્યાંકનમાં સમાનતા રહેશે અને વિદ્યાર્થીઓએ નવા ટોપિક્સ તૈયાર કરવાની જરૂર પડશે નહીં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ 3 વિષયોમાં પોતાનો સ્કોર સુધારી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ જણાવાયું છે કે, ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માન્ય ગણાશે નહીં. ફોર્મ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ ભરવું, ફી ભર્યા વગરનું ફોર્મ આપોઆપ રદ ગણાશે, લેટ ફી ભરવાથી બચવા માટે 20 એપ્રિલ પહેલા જ પ્રોસેસ પૂર્ણ કરી લેવી. ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેરબોર્ડે ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર 2024-25માં ‘કમ્પાઉન્ડમેન્ટ’ (પૂરક) શ્રેણીમાં આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ જે 2024-25માં પૂરક પરીક્ષામાં હતા, પરંતુ 2026ની મુખ્ય પરીક્ષામાં હાજર રહી શક્યા નહોતા. આ તમામ વિદ્યાર્થીઓને ‘થર્ડ ચાન્સ કમ્પાઉન્ડમેન્ટ કેટેગરી’ હેઠળ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે
ભાવનગરના ભંડારીયા ખાતે ઓજ સ્કુલના નવા બનતા બિલ્ડીંગની સાઇટ ઉપર એક શખ્સે રોફ જમાવ્યો હતો. સ્કુલના કર્મચારી પાસે જઇ બિલ્ડીંગ મટીરીયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી, ક્રમચારી પાસેથી પાંચ હજાર પડાવી લઇ ફરાર થયો હતો અને ફરી બિલ્ડીંગની સાઇટ ઉપર આવી તોડફોડ કરી, આતંક મચાવતા ઓજ સ્કુલના સાઇટ સુપરવાઇઝરે ભંડારીયાના શખ્સ વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ભંડારીયાના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ઓજ સ્કુલમાં સાઇડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સંદીપભાઇ દીપસંગભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભંડારીયા ખાતે ઓઝ સ્કુલના નવા બનતા બિલ્ડીંગ ઉપર જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ ધસી આવ્યો હતો. જે બાદ તેમના કર્મચારી મનીષભાઇ મહેતાને કહેલ કે, બિલ્ડીંગ બનાવવાનું તમામ મટીરીયલ અત્યાર સુધી જેની પાસેથી લીધેલ હોય એ વાંધો નથી પરંતુ હવેથી બધુ જ મટીરીયલ્સ મારી પાસેથી લેવાનું છે નહીં તો તમારી અને તમારી સાહેબોની ખેર નથી અને જો લેવું ના હોય તો દર મહીને પૈસા આપવા પડશે તેમ કહી, કર્મચારી પાસેથી પાંચ હજાર પડાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ ફરી બિલ્ડીંગના બે પ્લોટ ઉપર આવી, બિલ્ડીંગમાં સુતેલા મજુરોને ધમકાવ્યા હતા અને તોડફોડ કરી રૂા. 1,25,000નું નુકશાન કરી, રોફ જમાવી ફરાર થઇ જતાં સંદીપભાઇ ચૌહાણે જયપાલસિંહ ગોહિલ (રહે. ભંડારીયા) વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
વીજકાપ:ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં વીજકાપ
પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 22મી એપ્રિલ-2026 સુધી ત્રણ દિવસ જુદા-જુદા વિસ્તારોમાં વીજકાપ લદાયો છે. પી.જી.વી.સી.એલ.ની કામગીરી અનુસંધાને શ્રી સાંઈનાથ ફિડર અને મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચેના ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં કામગીરી દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 6 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. શહેરમાં તા.20મી અપ્રિલને સોમવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ ચોક, ગીતાચોકથી મહિલા કોલેજ સુધીનો વિસ્તાર, ગેલેકસી-૭ ફ્લેટ, ડોન ચોક થી કેસેટ સર્કલ, ડોન ચોક થી ગીતા ચોક, કૃષ્ણ જૈન દેરાસર તેમજ આજુબાજુનો વિસ્તાર, ગીતા ચોક થી બોરડી ગેટ પોલિસ ચોકી સુધી નો વિસ્તાર, હિરામોતી ફ્લેટ, મન્નત હાઇટ્સ અને સકિના પાર્ક આજુબાજુના વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. ઉપરાંત તા.21મી અપ્રિલને મંગળવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન સાંઈબાબા મંદિર પાસેનો વિસ્તાર, લા-મીરા ફ્લેટ, આરાધના ફ્લેટ, કેસન્ટથી મેઘાણી સર્કલ, મેઘાણી સર્કલ, વિરભદ્ર અખાડો, સેનેટરીવાળો ખાંચો તેમજ આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તેમજ તા.22મી અપ્રિલને બુધવારે મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચે આવતા હિમાલયા મોલ, મેકસસ સિનેમા (એચ.ટી. કનેક્શન), રિલાયન્સ પ્રોગ્રેસિવ (એચ.ટી. કનેક્શન) મોદી ઓર્ગેનાઈઝર (એચ.ટી.કનેક્શન), એન્જિબિટર (એચ.ટી.), ક્રોમા (એચ.ટી), શેલ પેટ્રોલ પમ્પ, વિક્ટોરિયા હાઈટસ, વિક્ટોરિયા એમ્બસ, એક્સજોટીકા, પ્લાનેટ પેટ્રોલીયમ, ઇસ્કોન મેગા સિટિ, ગેટ નંબર-1 તેમજ આજુબાજુનો વિસ્તાર, હોટેલ સરોવર પોર્ટિકો, વિક્ટોરિયા બ્લીસ, ક્રુષ્ણ પાર્ક સોસાયટી આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. પી.જી.વી.સી.એલ. દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:રિક્ષાની બહાર નીકળેલી પટ્ટી કારમાં ઘૂસી જતાં મહિલાનું મોત
સિહોરના નેસડા ખાતે દિકરીના ઘરે રોકાવવા આવેલા સાસુ-સસરાને જમાઇ તેમની કારમાં પાલિતાણા મુકવા જતા હતા. જે દરમિયાન આગળ જતી લોડીંગ રિક્ષામાં ભારવાહક લોખંડની પટ્ટી કારનો કાર ફોડી ઘુસી ગઇ હતી અને આગળની સીટમાં બેસેલા મહિલાને લોખંડના પાઇપ ગંભીર રીતે વાગી જતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સિહોરના નેસડા ગામે રહેતા મનીષાબેન દુધરેજીયા તેમના માતા કૈલાસબેન અને પિતા હિમતરામભાઇને પોતાના સાસરે રોકાવવા માટે લઇ આવ્યા હતા. જે દરમિયાન આજે મનીષાબેનના પતિ અરવિંદભાઇ દુધરેજીયા તેમના સાસુ અને સસરાને કારમાં બેસાડી પાલિતાણા ખાતે તેમના ઘરે મુકવા જતા હતા. ત્યારે અરવિંદભાઇની કાર સુરકા ગામ નજીક પહોંચી હતી તે વેળાએ તેમની કારની આગળ એક લોડીંગ રીક્ષા જઇ રહી હતી અને રિક્ષાની પાછળ ગેરકાયદેસર રીતે લોખંડના પાઇપ મુકેલ હતા. તે વેળાએ રિક્ષાના ચાલકે અચાનક વળાંક વાળતા રિક્ષાની પાછળ રહેલ લોખંડના પાઇપ અરવિંદભાઇની કારનો કાચ ફોડી ઘુસી જતાં આગળની સીટમાં બેસેલા તેમના સાસુ કૈલાસબેનને લોખંડના પાઇપ ખૂંચી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી અને કૈલાસબેનનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. અક્સમાતની ઘટનાને લઇને ભરતભાઇ ગોંડલિયાએ લોડીંગ રીક્ષા નં. GJ 20 W 5948ના ચાલક વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વેધર રિપોર્ટ:ગરમી વધી, બપોરે તાપમાન 2.2 ડિગ્રી વધીને 39.2 ડિગ્રી થઇ ગયું
ભાવનગર શહેરમાં આજે તાપમાનમાં પુન: વધારો થયો છે અને મહત્તમ તાપમાનનો પારો વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે ગરમી વધી હતી. સાથે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ બફારો વધ્યો હતો. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષેપ) અને પૂર્વ-પશ્ચિમ ટ્રફની સિસ્ટમ સક્રિય હોવાને કારણે આવતી કાલ તા.18મીએ ગરમીનો પારો યથાવત્ રહેશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ 24 કલાક અગાઉ 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોર અને રાતના સમયે ગરમી અને બફારો વધી ગયા હતા. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા હતુ તે આજે સાંજે પણ 32 ટકા રહેતા બપોરે ગરમી સાથે બફારો ભળતા આખો બપોર ઉકળાટનો અનુભવ થયો હતો. શહેરમાં સવારે પવનની ઝડપ 6 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. તા.19 અને 20 એપ્રિલ દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
જૈનોમાં મોટામાં મોટા અને મહાન તપ એવા વર્ષીતપના પારણા સોમવારે અખાત્રીજના દિવસે પાલીતાણા શત્રુંજય ગિરિરાજ ખાતે જય તળેટી પાસે આવેલ પારણા ઘર ખાતે 600 જેટલા વર્ષીતપના તપસ્વીઓના પારણા થશે. જયારે સાધુ- સાધ્વીજી મા. સા. ના પારણા જુદા જુદા ઉપાશ્રયોમાં થશે. 600 જેટલા આરાધકો અખાત્રીજ ના વર્ષીતપના પારણામાં જોડાનાર છે. આ પ્રસંગે પાલીતાણા ખાતે અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો સહિત સાધુ સાધ્વીજી મ.સા. ઉપસ્થિત રહેશે તેમજ ભાવનગર, રાજકોટ, અમદાવાદ, કચ્છ, મુંબઈ, બેંગ્લોર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આરાધકો અને જૈન શ્રેષ્ઠિઓ, દાતાઓ અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેશે. વર્ષીતપના તપસ્વીઓને શેરડીના રસથી પારણા કરાવવામાં આવશે. તપસ્વીઓ વહેલી સવારમાં ગિરિરાજની યાત્રા કરશે. ગીરીરાજ ઉપર પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવને શેરડીના રસથી પ્રક્ષાલ કરશે. આ દિવસે તપસ્વીઓ સવારના 5.30 કલાકે ગીરીરાજની યાત્રાનો પ્રારંભ કરશે. શ્રી ઋષભદેવ ભગવાનને વર્ષમાં ફક્ત એક જ વાર અખાત્રીજના દિવસે શેરડીના રસથી પ્રક્ષાલ કરવામાં આવે છે. સવારના 10 વાગે તપસ્વીઓ યાત્રા પૂરી કરી પારણાઘરમાં આવશે અને શેરડીના રસથી પારણા કરશે. વર્ષો પહેલા ફક્ત પાલીતાણા અને હસ્તિનાપુર એમ બે જ જગ્યાએ વર્ષીતપના તપસ્વીઓના પારણા કરવામાં આવતા હતા પરંતુ હવે તો ગામેગામ વર્ષીતપના તપસ્વીઓના પારણા થઈ રહ્યા છે. વર્ષીતપની કઠિન તપશ્ચર્યાવર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા બાદ વર્ષ પૂરું થયા પછી શેરડીના રસ વડે પારણું કરેલ. તેના પ્રતિક રૂપે વર્ષીતપની કઠિન તપસ્યા બાદ જૈનો અખાત્રીજ ના દિવસે શેરડીના રસથી પારણું કરે છે. વર્ષીતપની તપશ્ચર્યા બહુ જ કઠિન હોવાનું જૈનો માની રહ્યા છે. ધર્મશાળામાં ફાઇવસ્ટાર હોટલ કરતા પણ વધુ ભાડુંપાલિતાણામાં આવેલ તમામ ધર્મશાળાઓમાં ફાગણ શુદ તેરસ, અખાત્રીજ, દિવાળી અને મોટા પ્રસંગના દિવસોમાં ત્રણ દિવસના પેકેજ આપવામાં આવે છે. અને જે ધર્મશાળા આખુ વર્ષ ખાલી હોય તેને લઇને લાઇફાય ધર્મશાળા દ્વારા રૂપીયા 5 હજારથી 18 હજાર 3 દિવસનુ ભાડુ લઇ ઉઘાડી લૂંટ ચલાવાય છે. ધર્મશાળા તો માત્ર ટોકન ચાર્જથી સર્વોને મળવી જોઇએ. ફાઇવસ્ટાર હોટલથી વધુ ભાડુ લેવામાં આવેલ છે. અને તેનુ બુકીંગ પણ છ મહિના પહેલા થઇ જાય છે.ધર્મશાળાતો સેવાભાવના માટે હોય છે. ત્યારે હોટલ કરતા પણ ઉંચા ભાડુ તે પણ સર્વ સાધારણ ખાતે નામે ઉઘરાવાય છે. જે એક શરમ જનક વાત કહી શકાય ધર્મશાળા તો ઠીક પણ સાથે આવેલ ભોજન શાળામાં પણ સવાર, બપોર, સાંજના જમણના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવે છે. ધર્મશાળામાં માત્ર નિભાવ માટે ખર્ચની જરૂર હોય છે. પારણા પાલિતાણામાં જ શા માટેઆદિનાથ પ્રભુના પારણા હસ્તિનાપુર ખાતે થયેલા જ્યાં આદિનાથ દાદા બિરાજમાન છે. પરંતુ જે લોકો ત્યાં સુધી જઈ શકતા નથી અને પાલીતાણા શેત્રુંજય ગિરિરાજ કે જ્યાં આદિનાથ દાદા બિરાજમાન છે અને આ તીર્થધામનું પણ અનેરૂં મહત્વ છે. તેથી વર્ષીતપના પારણાનું મહત્વ રહેલું છે. જૈન ધર્મ માં વર્ષીતપનું મહત્વવરસે પ્રભુની કૃપા ત્યારે વર્ષીતપની શરૂઆત થાય છે અને પામીએ પ્રભુની કૃપા ત્યારે વર્ષીતપ પૂર્ણ થાય છે. આદિશ્વર ભગવાન ફાગણ વદ-8 ને દિવસે દીક્ષા ગ્રહણ કરી દરરોજ આહાર નિમિત્તે ગામેગામ વિચરવા લાગ્યા પરંતુ તે સમયે આહાર વહોરવાની વિધિ નહીં જાણતા હોવાથી લોકો પ્રભુને વસ્તુઓ ભેટ ધરતાં પરંતુ સર્વથા ત્યાગી હોવાથી પ્રભુ કોઈ વસ્તુને અડતા નહિ. આમ વિચરતાં વિચરતાં ગોચરીના અભાવે ઉપવાસો ચાલુ રહ્યા, જે 13 માસ અને 10 દિવસ બાદ શ્રેયાંસકુમારના હસ્તે પ્રભુને ઈક્ષુરસ વહોરવાથી પ્રથમ પારણું થયું. આમ આ તપોધર્મનો પ્રારંભ થયો. અન્ય તપ 8,15,30,60 કે 90 દિવસના હોય છે. આ એક માત્ર તપ એવું છે જે 400 દિવસ એટલે કે 13 માસ અને 10 દિવસનું હોય છે અને તેમાં એકાસણા વગેરે કશું આવતું નથી એટલે વર્ષીતપ મહાન ગણાય છે.
અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાયને લગત પડતર અને નડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્યના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હરિત શુક્લાની મુલાકાત દરમિયાન પ્રેઝન્ટેશન સાથે રજૂઆત કરી હતી. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના ઉપ-પ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સિપલ સેક્રેટરીએ અલંગમાં આંતરરાષ્ટ્રી માપદંડ મુજબના હોંગકોંગ કન્વેન્શન મુજબ કામગીરી થઇ રહી હોવા અંગે રૂબરૂ નિહાળી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત દરેક પ્લોટમાં કામદારો માટે સલામતીના સાધનો અને વ્યવસ્થા ઉપલબ્ધ હોવા અંગે પણ કાર્યવાહીને બિરદાવી હતી. એસોસિએશન દ્વારા અલંગના સર્વાંગી વિકાસને અવરોધતા મુદ્દાઓ જેવા કે, જીએમબીની નવી પોલીસીમાં ફેરફાર, રેગ્યુલર એલપીજી સપ્યાલ આપવા, વેસ્ટ ડિસ્પોઝલ ચાર્જમાં કરવામાં આવેલા વધારાને નાબૂદ કરવા અને અન્ય પડત પ્રશ્નો અંગે પ્રિન્સિપલ સેક્રેટરીને રજૂઆત કરી હતી અને તેઓએ નિરાકરણ માટે આશ્વાસન આપ્યુ હતુ. મથાવડાના નવા પ્લોટ ઉપર દિગ્ગજોનો ડોળોમથાવડાના દરિયાકાંઠે જીએમબી દ્વારા નવા 9 શિપ બ્રેકિંગ પ્લોટનું નિર્માણ થવાનું છે તેના પર અલંગના દિગ્ગજ શિપ બ્રેકરો અને જૂથ દ્વારા કબજો જમાવી શકાય તેના અંગે સરકારના મંત્રીઓને પડખે ચડાવવાનું શરૂ કરાયુ છે.
એક-એક ઇન્વોઇસ ચેક કરવાની માથાકૂટનો અંત:GST કરદાતાઓ માટે મોટી રાહત IMS ઑફલાઇન ટૂલ લોન્ચ કરાઈ
દેશના લાખો જીએસટી કરદાતાઓ માટે રાહતના સમાચાર છે. જીએસટી પોર્ટલ દ્વારા તાજેતરમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ (IMS)ની ઓફલાઇન યુટિલિટી (વર્ઝન 1.0) લોન્ચ કરવામાં આવી છે. આ નવી સુવિધાનો મુખ્ય હેતુ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ડેટા પ્રોસેસિંગને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. આ નવી સુવિધા ખાસ કરીને મોટા પ્રમાણમાં ઈન્વોઇસ સંભાળતા વેપારીઓ, એકાઉન્ટન્ટ લોકોને ઉપયોગી બનશે. જીએસટી તળે IMS સિસ્ટમ 2024માં શરૂ કરવામાં આવી હતી, જેમાં કરદાતાઓ સપ્લાયરો દ્વારા અપલોડ કરાયેલા ઈન્વોઇસને સ્વીકારવા, નકારવા અથવા પેન્ડિંગ રાખવાની સુવિધા મળે છે. હવે નવી ઑફલાઇન યુટિલિટી ઉમેરાતા આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. આ યુટિલિટી દ્વારા કરદાતા ઈન્વોઇસને એક્સલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકે છે અને એક સાથે ઘણા ઈન્વોઇસ પર કાર્યવાહી કરી શકે છે. આથી એક-એક ઈન્વોઇસને અલગથી તપાસવાની જરૂરિયાત ઘટશે અને સમય બચશે. ઑફલાઇન ટૂલ દ્વારા બલ્ક એક્શન કરવાની સગવડ મળતા ભૂલોની શક્યતા ઘટે છે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) દાવા વધુ ચોક્કસ બને છે. અગાઉ કરદાતાઓને પોર્ટલ પર મેન્યુઅલ પ્રક્રિયા કરવી પડતી હતી, જેથી સમય વધુ લાગતો અને ભૂલો થતી. હવે ઑફલાઇન ટૂલ દ્વારા ડેટા તૈયાર કરી પછી પોર્ટલ પર અપલોડ થાય છે, જેનાથી પ્રોસેસ વધુ સરળ બનશે. પોર્ટલ ધીમું હોય ત્યારે ઓફલાઇન વરદાન સમાનરિટર્ન ફાઇલિંગના અંતિમ દિવસોમાં જ્યારે જીએસટી પોર્ટલ ધીમું ચાલતું હોય, ત્યારે આ ઓફલાઇન ટૂલ વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કરદાતાઓ આ યુટિલિટી જીએસટીની સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ સેક્શનમાં જઈને મેળવી શકે છે. - ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ કરદાતાઓને થતા મુખ્ય ફાયદાજીએસટીમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ સાથે નવી ઓફલાઇન યુટિલિટી શરૂ કરવામાં આવતા સેંકડો ઇનવોઇસ ધરાવતા વેપારીઓએ હવે પોર્ટલ પર એક-એક ક્લિક કરવાની જરૂર નથી. તેઓ બલ્કમાં કામ કરી શકશે. નબળા ઇન્ટરનેટ જોડાણવાળા વિસ્તારોમાં પણ હવે જીએસટીનું કામ અટકશે નહીં. એક્સેલ ફોર્મેટ હોવાથી ડેટાને ફિલ્ટર કરવો અને આંતરિક રેકોર્ડ સાથે સરખાવવો સરળ બનશે, જેનાથી ભૂલની શક્યતા ઘટશે. આ સુવિધા એક્સેલ પર આધારિત હોવાથી સામાન્ય એકાઉન્ટન્ટ પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા આજ (ચાથી એપ્રિલ)થી શરૂ થઈ રહી છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટેની આ પ્રવેશ પ્રક્રિયામાં તા.4થી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે બેઠકોમાં ઘટાડો થતા 84 હજારથી વધુ બેઠકો છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે 17 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી પરંતુ હવે આરટીઇ હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરીને આ ફોર્મ તારીખ 23 એપ્રિલના ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે તેમ જણાવાયું છે. શહેરમાં 1125 બેઠકોની પ્રવેશ ક્ષમતા સામે 4000થી વધુ આજ દિવસ સુધીમાં ફોર્મ ભરાયા છે અને તારીખ વધારતા આ આંકડો વધીને 5000 પણ થઈ શકે. આ વર્ષે રાજ્યની 9709 ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો મુજબ 84,228 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41411, અંગ્રેજી માધ્યમની 40262 અને હિન્દી માધ્યમની 2235 અને અન્ય માધ્યમની 320 બેઠકો છે. પાળી પદ્ધતિમાં ચાલતી 56 સ્કૂલો છે. સવાર-બપોર પાળીનો પણ વાલીને આ વર્ષે અલગથી વિકલ્પ મળશે. જેમાં વાલીની પસંદગી હશે પ્રવેશ ફાળવાયો હશે તેમાં જ સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આરટીઈ હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને અગ્રતાક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે. https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી હવે 23મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. આ વર્ષથી વાલીની આવકની મર્યાદા રૂા. 6 લાખ કરવામાં આવી છે. અગાઉ આ આવક મર્યાદા રૂા.1 લાખથી દોઢ લાખ હતી જે ગત વર્ષથી વધારવામાં આવી છે. આ કારણોને લીધે પ્રવેશ માટે ભરાયેલા ફોર્મ રદ કરવામાં આવ્યા આ વર્ષે પ્રવેશ આપવાના અગ્રતા ક્રમમાં ફેરફાર : આવક મર્યાદા 6 લાખગત વર્ષે 11માં અગ્રતાક્રમે એસસી-એસટી તથા 12માં ક્રમે એસઈબીસી-અન્ય પછાત વર્ગના અને 13માં ક્રમે જનરલ કેટેગરીના બાળકો હતા. જ્યારે આંગણવાડીના બાળકોનો અગ્રતાક્રમ 9માં ક્રમે હતો. પરંતુ આ વર્ષે આંગણવાડીના બાળકોને 12માં ક્રમે એટલે કે ઈડબલ્યુએસથી પણ પાછળ મુકાયા છે. એસઈબીસી સાથે અન્ય પછાતવર્ગને બદલે ઈડબલ્યુએસનો સમાવેશ કરાયો છે. આ રીતે આરટીઈ અંતર્ગત પ્રવેશમાં અગ્રતા ક્રમમાં ફેરફાર કરાયો છે. વાલીની આવક મર્યાદા 6 લાખ કરાઈ છે. RTEમાં પ્રવેશ માટે કયા દસ્તાવેજો આપવા પડશેરહેઠાણનો પુરાવો, વાલીનુ જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ્સ, વાલીનું આવકનું પ્રમાણપત્ર, બીપીએલ-બાળકનું આધારકાર્ડ, વાલીનું આધારકાર્ડ. શહેરમાં ગત વર્ષની સ્થિતિ
સિટી એન્કર:11 કે.વી.ના 141 ફીડરોમાં નખાશે MVCC કેબલ
પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરાઈ રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં 11 કે.વી.ના 141 ઇલેક્ટ્રિક ફિડરોમાં MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લાના શહેરી ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં 440 કિ.મી.માં કામગીરી થઇ છે. MVCC કેબલની કામગીરીમાં ભાવનગર સર્કલમાં પ્રથમ તબક્કામાં ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અન્વયે ભાવનગર સિટી-1, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં 11 કે.વી.ના કુલ 22 ઇલેક્ટ્રિક ફિડરોમાં 225 કિ.મી. સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. તો પી.જી.વી.સી.એલ.ની સિસ્ટમ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ અન્વયે 70.79 કરોડના ખર્ચે 11 કે.વી.ના કુલ 57 ઇલેક્ટ્રિક ફિડરોમાં 1078 કિ.મી.માંથી 215 કિ.મીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સિટી એન્કર PGVCL ભાવનગર સર્કલમાં ડિવિઝન પ્રમાણે MVCC કેબલની કામગીરી
ભાસ્કર એનાલિસીસ:RTEમાં 9172 ભૂલકાંઓ પ્રવેશમાંથી બહાર શહેરનાં 4માંથી 2 ફોર્મમાં ઓલપાડનો દાખલો
આરટીઇમાં વાલીઓની ઉતાવળથી ભૂલકાઓ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ રહ્યા છે. આવકના દાખલામાં શહેરને બદલે ઓલપાડનો સિક્કો અને સબ-રજિસ્ટ્રાર વિનાના ભાડા કરારને કારણે 9,172 બાળકો પ્રવેશમાંથી બહાર ફેંકાયા છે. શહેરમાં 19% અને ગ્રામ્યમાં 34% ફોર્મ રિજેક્ટ થતા વાલીઓમાં ચિંતા વધી છે, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાલીઓના ડોક્યુમેન્ટ્સ તૈયાર ન હોવાથી તેમના બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. જેથી શિક્ષણ વિભાગે વાલીઓના હિતને જોતા ફોર્મ ભરવાની મુદત 23 એપ્રિલ કરી છે. હવે રજિસ્ટ્રેશન 40 હજારથી વધીને 55 હજારને પાર પહોંચી શકે છે. 25% ફોર્મમાં વાલીઓ સબ-રજિસ્ટ્રાર વિનાનો ભાડા કરાર આપી રહ્યા છે એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ40,356માંથી 9,172 ફોર્મ રદ થવા પાછળ વાલીઓની ટેકનિકલ ભૂલ બહાર આવી છે. 16,881 બેઠકો સામે 28,402 માન્ય અરજીઓ અને હજુ વધનારા ફોર્મ જોતા આગામી દિવસમાં એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ જેવું બની ગયું છે. કામની વાત | આ કેસોથી જાણો કે વાલીઓ કઈ કઈ ભૂલ કરી રહ્યા છે આંકડાઓ પર એક નજર
ઉનાળાની રજાઓની શરૂઆત સાથે, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને રાહત આપવા અને ટ્રેનોમાં વધતી ભીડને નિયંત્રિત કરવા માટે ઉધના અને મધુબની (બિહાર) વચ્ચે ‘ઉનાળુ સ્પેશિયલ’ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલ્વે બોર્ડની મંજૂરી બાદ, આ ખાસ ટ્રેન આવતા રવિવારે કાર્યરત થવાનું છે. રેલ્વે દ્વારા એક સત્તાવાર નિવેદન અનુસાર, ટ્રેન નંબર 09067 (ઉધના-મધુબની સમર સ્પેશિયલ) દર રવિવારે સવારે 05:30 વાગ્યે ઉધનાથી ઉપડશે અને સોમવારે સાંજે 07:00 વાગ્યે મધુબની પહોંચશે. તેનાથી વિપરીત, તેની પરત યાત્રામાં, ટ્રેન નંબર 09068 (મધુબની-ઉધના સ્પેશિયલ) દર સોમવારે રાત્રે 08:00 વાગ્યે મધુબનીથી ઉપડશે અને બુધવારે સવારે 09:35 વાગ્યે ઉધના પહોંચશે. આ ખાસ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચથી બનેલી હશે, જે જનરલ કેટેગરીના મુસાફરોને નોંધપાત્ર રાહત આપશે. આ ટ્રેન કુલ 19 LHB કોચથી સજ્જ હશે, જેમાં 14 સ્લીપર ક્લાસ કોચ (અનરિઝર્વ્ડ), 3 જનરલ કોચ અને 2 ગાર્ડ-કમ-બ્રેક વાનનો સમાવેશ થશે. તેની મુસાફરી દરમિયાન, ટ્રેન નંદુરબાર, ઇટારસી, જબલપુર, કટની, સતના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પટના, બરૌની અને સમસ્તીપુર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. રેલ્વે વહીવટીતંત્ર સ્ટેશનો પર આ ટ્રેન અંગે જાહેરાત પણ કરશે જેથી મહત્તમ મુસાફરો તેનો લાભ લઈ શકે. નોંધનીય છે કે દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન, ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે.
GJEPC (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ની બાયર-સેલર મીટમાં 6 દેશોના 17 ખરીદદારો જોડાયા હતા, જ્યારે સુરતની 16 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં રશિયા, યુએસએ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલમ્બિયા અને પોલેન્ડથી બાયરો ડાયમંડ અને જ્વેલરીની ખરીદી કરવા આવ્યા હતા. આ મીટમાં પહેલીવાર સ્ટડેડ ડાયમંડ જ્વેલરી નેચરલ અને લેબગ્રોન બંને પર ફોક્સ કરવામાં આવ્યું હતું. મીટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ્સ રહ્યું હતું. 13 અને 14 એપ્રિલ દરમિયાન દરેક વિદેશી બાયરને સીધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે દિવસમાં 8 ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી. દરેક મુલાકાત માટે લગભગ 45 મિનિટનો સમય ફાળવાયો હતો. વિઝિટ્સ માટે જિયોગ્રાફિકલ પ્લાનિંગ, કોઓર્ડિનેટર સિસ્ટમ અને સેન્ટ્રલ મોનીટરીંગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે નવો સ્કોપ‘આ મીટથી સ્પષ્ટ થાય છે કે સુરત હવે વેલ્યુ એડેડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ વૈશ્વિક સ્થાન મજબૂત કરી રહ્યું છે. ફેક્ટરી વિઝિટ મોડલથી ટ્રાન્સ્પરન્સી-ટ્રસ્ટ વધે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી મહત્વનું છે. આ ઇવેન્ટ સફળ મોડલ બની શકે છે, જેને ભવિષ્યમાં અન્ય ક્લસ્ટર્સમાં અમલમાં મૂકી શકાય.’ > જયંતી સાવલિયા, GJEPC, રિજિયનલ ચેરમેન
ઉધના ભાઠેના રોડ પર પાસે ગુરુવારે રાત્રે 11:55 વાગ્યે એક યુવકે મોબાઈલ ચોરીને ભાગતી વખતે ખાડીમાં ઝંપલાવ્યું હતું. ઉધના ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો. બહાર કાઢતી વખતે યુવકની હાલત ગંભીર હતી. વાત કરવાની સ્થિતિમાં ન હતો માત્ર ‘બચાવો-બચાવો’ બોલી રહ્યો હતો. ખાડીમાં જમા થયેલા કચરાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેની પ્રાથમિક ઓળખ જુનૈદ (30) તરીકે થઈ છે. આ ઘટનાની જાણ રામેશ્વર નગરના તુષાર રાણાએ ફાયર વિભાગને કરી હતી, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. યુવકને સ્મીમેર ખસેડાયો હતો. લિંબાયત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકને પકડાઈ જવાનો ડર હતો.
લિંબાયતના ઊંટવૈદના કેસમાં ચુકાદો:બિહારની ફેક ડિગ્રીથી હોમિયોપેથી સારવાર કરનાર ઠગને 3 વર્ષની સજા
18 વર્ષ અગાઉ લિંબાયતમાં બોગસ ડિગ્રીના આધારે હોમિયોપેથી ડોક્ટર બની ક્લિનિક ચલાવનાર આરોપી દેવનારાયણ પટેલને કોર્ટે ગુનેગાર ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, જો કોઈ લાયકાત ન ધરાવતો ઇસમ ડોક્ટર જેવા ગંભીર પ્રોફેશનમાં લોકોની સારવાર કરશે તો સમાજમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે. અભણ કે આર્થિક સ્થિતિ પણ સારી ન હોય તેવા લોકો આવા ઇસમો પાસેથી સારવાર લેતા હોય છે. આવા બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ વારંવાર ડ્રાઈવ ચલાવી તેમની સામે કાર્યવાહી કરે છે. લિંબાયત પોલીસે તપાસ કરતા આરોપી પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરની લાયકાતવાળી ડિગ્રીઓ-સર્ટિફિકેટો બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટી, મુઝફ્ફરપુરની બોગસ ડિગ્રીઓ મેળવીને ક્લિનિક ખોલી લોકોની સારવાર શરૂ કરી દીધી હતી. 7 વર્ષ સુધીની સજાની જોગવાઈIPC-471 બનાવટી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરવા બાબતની છે. દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ખોટા હોવાનું જાણતા હોવા છતાં કપટપૂર્વક તેનો ઉપયોગ કરે તેને આ કલમ લાગુ પડે છે. ઉપરાંત 467 એ ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવવા બાબત છે, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
ઠગાઈ:SBIનો લોગો ચોંટાડી રૂ. 999માં નોંધણી, સ્પોર્ટ્સ કિટની લાલચ આપી ડુમસ મેરેથોનના નામે ઠગાઈ
સાઇબર માફિયાઓએ 19મીએ ડુમસમાં મેરેથોનના નામે નકલી ઈવેન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લિંકમાં SBIને સ્પોન્સર બતાવી 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન માંગવામાં આવતું હતું. જો કે બેંકની પરવાનગી વગર જ લોગોનો ઉપયોગ કરાયો હતો. SBIએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડુમસ બીચ ખાતે 10 કિમીની મેરેથોન યોજાનાર હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર લિંક વાયરલ કરાઈ હતી, જેમાં ભાગ લેનારાઓને 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. આ લિંકમાં સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, ગુડીઝ બેગ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની લાલચ આપી હતી. આ સાથે જ ઇવેન્ટને પ્રતિષ્ઠિત બતાવવા SBIને મુખ્ય સ્પોન્સર તરીકે દર્શાવવામાં આવી હતી. જો કે, આ શંકાસ્પદ મામલો SBIના ધ્યાન પર આવતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. SBI દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે અજાણ્યા શખ્સોએ બેંકના લોગોનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે. બેંકના અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ‘આ મેરેથોન અંગે SBI તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે સ્પોન્સરશિપ આપવામાં આવી નથી. બેંકના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની આ યોજના હોઈ શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં, આ ઈવેન્ટ સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને આવા નકલી બેનર તથા લિંક્સથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.’ ડોમેન પ્રોવાઈડરને જાણ કરાતાં લિંક બ્લોક કરી દેવાઈસોશિયલ મીડિયા પર કાર્યરત લિંકને હટાવવા અમે ડોમેન પ્રોવાઈડરને લેખિત જાણ કરી હતી, જેના પરિણામે હાલમાં આ લિંક બ્લોક કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મેરેથોનના નામે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય તેવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. > એમ.વી.પટેલ, પીઆઈ, ડુમસ પોલીસ સ્ટેશન
સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલાં પાર્ટી દ્વારા ઉમેદવારી પસંદગીમાં કામગીરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો હોઈ એ વાતને પણ નકારી શકાય એમ નથી. કારણકે ખાસ કરીને સમિતિઓના ચેરમેનના પ્રદર્શનના આધારે જો નિર્ણય લેવાયો એમ કહી શકાય. એટલે જ 12માંથી 7 ચેરમેનને ટિકિટ આપવામાં નહીં આવી હોય. નજર કરીએ સમિતિની મીટિંગની તો પાલિકાની 2021ની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ (12 માર્ચ 2021 થી 11 માર્ચ 2023) દરમિયાન 12 સમિતિઓએ મળીને કુલ 271 બેઠક યોજી હતી. જ્યારે બીજા અઢી વર્ષના ટર્મ (12 સપ્ટેમ્બર 2023 થી 11 માર્ચ 2026) દરમિયાન માત્ર 197 બેઠક યોજાઈ હતી. આ નોંધપાત્ર ઘટાડાએ વિકાસ કાર્યોની ગતિ પર સીધી અસર પાડી હોવાનું માનવામાં આવે છે. સમિતિઓની બેઠકોએ નીતિગત નિર્ણયો અને કામોની મંજૂરી માટે મહત્વપૂર્ણ હોય છે, જેથી તેની સંખ્યા ઓછી રહેવી એ કામગીરીમાં ઢીલાશ દર્શાવે છે. પાર્ટીએ આ વખતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફક્ત પદ પર રહેવું પૂરતું નથી, પરંતુ કામગીરીમાં સક્રિયતા અને પરિણામ આપવું પણ જરૂરી છે. અપવાદ એક જ, ઓછી મીટિંગ કરનાર નેન્સી શાહને ટિકિટ પાલિકાની સમિતિઓમાં સૌથી અગત્યની ગણાતી સ્થાયી સમિતિની બીજા ટર્મની કુલ મીટિંગ પહેલા ટર્મથી એક વધુ થઈ છે. સ્થાયી સમિતિની તા.12-3-2021 થી તા.8-9-2023 સુધી 135 મિટીંગ થઈ હતી.
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગને બદલે કુલસચિવે તમામ સત્તા પોતાની પાસે રાખી આર્થિક ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો NSUI અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ પ્રબળ બની છે. કુલસચિવ પિયુષ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગNSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ નિર્ધારિત ભાડું નક્કી કર્યા વગર સેન્ટર ભાડે આપવામાં આવે છે. ભાડાની કેટલીક રકમ આરટીજીએસ મારફતે યુનિવર્સિટીમાં જમા થાય છે, જ્યારે કેટલીક રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કન્વેન્શન સેન્ટરના સમારકામ અને બજેટમાં ભ્રષ્ટાચારપૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો છે કે કુલસચિવ તરીકે મુખ્ય હોદ્દો ધરાવવા છતાં, તેઓ કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે. એટલું જ નહીં કન્વેન્શન સેન્ટર અગાઉ વર્ષો સુધી ખાનગી કંપની ગાંધી કોર્પોરેશન પાસે હતું, જેનાથી યુનિવર્સિટીને કરોડોનું નુકસાન થયું હતું. તાજેતરમાં યુનિવર્સિટીએ 30 કરોડના ખર્ચે આ સેન્ટરનું સમારકામ કરાવ્યું છે. આ તોતિંગ ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા સેવાઈ રહી છે, જેની યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે. NSUI દ્વારા તપાસની માંગ એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કન્વેશન સેન્ટરનું ભાડું અમને ખબર નથી. તે કુલસચિવ સાહેબ જ નક્કી કરે છે. એસ્ટેટ વિભાગના શૈલેષ ગોસ્વામી પાસે જ્યારે કન્વેશન સેન્ટરના બુકિંગની વિગત માંગવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર બધો સ્ટાફ ઇલેક્શનની કામગીરીમાં છે એટલે વિગત મળશે નહીં.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
આપણું રાજ્ય ગાંધીના ગુજરાત તરીકે ભલે ઓળખાતું હોય… પરંતુ ગુજરાત સરકારનું માર્ગ અને મકાન ખાતુ જે.એ.ગાંધીના નામે હોય એમ લાગે છે. જે.એ.ગાંધી એવા અધિકારી જે સરકારના મસમોટા બજેટ અને મહત્વની કામગીરી ધરાવતા વિભાગની એક-બે નહીં પણ ચાર-ચાર પોસ્ટ પર ગોઠવાઈ ગયા છે. આ ગ્રાફિક્સની મદદથી સમજો કે નિવૃત્તિની વય વટાવી ચૂકેલા સિનિયર અધિકારીના આધિપત્યમાં માર્ગ મકાન વિભાગનો વડલો કેવો દેખાય છે!!! સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઊભી કરતા સેક્રેટરી “બાયપાસ”કોઈપણ સરકારી વિભાગના અધિકારીઓમાં સર્વોચ્ચ પદે સેક્રેટરી હોય અને એમના હાથ નીચે એડિશનલ સેક્રેટરીથી માંડીને અન્ય વર્ગ 1, 2, 3ના અધિકારીઓ કામ કરતા હોય છે. પણ માર્ગ અને મકાન વિભાગમાં જે રીતે સ્પેશિયલ સેક્રેટરીને “બાયપાસ” કરવામાં આવ્યા એ ઘટનાક્રમ પણ રસપ્રદ છે. પણ આ પાવરગેમની ઇનસાઇડ સ્ટોરી સમજતા પહેલાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના અધિકારી બેડામાં થતી ગોઠવણ સામાન્ય વ્યક્તિને કેટલી અસર કરે છે એ સમજી લો. આ વિભાગમાં જે હલચલ થાય એની ગામેગામ અસર થાયખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હવાલો છે એવા માર્ગ અને મકાન વિભાગનું કામ રાજ્યભરના સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના રોડ તેમજ જિલ્લા સ્તરના રોડ બનાવવા અને તેની જાળવણી કરવાનું હોય છે. આ ઉપરાંત સરકારી ઓફિસો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી સરકારી ઇમારતોનું બાંધકામ તેમજ બ્રિજ અને અન્ડરપાસ બનાવવાની પ્રક્રિયામાં પણ મહત્વનો રોલ હોય છે. ટૂંકમાં રાજ્યની કનેક્ટિવિટીની જવાબદારી આ વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોના માથે હોય છે. એટલે ગાંધીનગરની ઓફિસમાં બેસેલા અધિકારીઓના હાથમાં ગુજરાતના વિકાસની મહત્વની લગામ છે એમ માની શકાય. અગાઉ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ હતી જ નહીંમાર્ગ અને મકાન વિભાગના અધિકારીઓમાં સૌથી પહેલાં ક્રમે આવે છે સેક્રેટરીનું પદ. ચીફ એન્જિનિયર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો સેક્રેટરીનું પ્રમોશન મળી જાય. આ ખુરસી પર અત્યારે પી.આર.પટેલિયા છે. આ સિવાયની બીજી એક પોસ્ટ સ્પેશિયલ સેક્રેટરીની ઊભી કરવામાં આવી છે. ઊભી કરવામાં આવી એટલે કોઈ વિભાગમાં આવી પોસ્ટ સામાન્ય રીતે હોતી નથી. સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી જે.એ.ગાંધીને મળી છે. પણ થોડા વર્ષ પહેલાં થયેલી ગોઠવણ પ્રમાણે અને ટેકનિકલી રીતે જોવા જઈએ તો, જે.એ.ગાંધી આ વિભાગના સેક્રેટરી પટેલિયાના હાથ નીચે કામ નથી કરી રહ્યા. તેમને એકદમ “સ્વતંત્ર પ્રભાર” જેવી છૂટ આપી દેવાઈ છે. ગાંધી નિવૃત્ત થતાં જ કોન્ટ્રાક્ટ પર નોકરી મળી ગઈજે.એ.ગાંધી નિવૃત્ત થઈ ગયા હોવા છતાં હાલમાં તેઓ કોન્ટ્રાક્ટર બેઝ પર ફરજ બજાવી રહ્યા છે. તેમની પાસે માત્ર સ્પેશિયલ સેક્રેટરીની જ જવાબદારી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના ઉત્તર ગુજરાત સર્કલની જવાબદારી છે. જે હેઠળ તેમના હાથ નીચે 23 એન્જિનિયર્સ કામ કરી રહી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ GSRDCના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. આ ઉપરાંત નેશનલ હાઇવેના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી તરીકેની પણ જવાબદારી તેમની પાસે છે, જેના 9 સિનિયર એન્જિનિયર પણ તેમના તાબા હેઠળ છે. આમ એક સાથે ચાર-ચાર ખુરસી પર તહેનાત, 30થી વધુ એન્જિનિયરના સાહેબ જે.એ.ગાંધી રાજ્યના 9 મહત્વના જિલ્લાઓમાં આવતા પંચાયત રોડ તેમજ નેશનલ હાઇવેની જવાબદારી સંભાળી રહ્યા છે. અઢી વર્ષ પહેલાં પાસા ગોઠવાયાજે.એ.ગાંધીના દબદબાને વધારતી પોસ્ટનો પાયો 12 જુલાઈ, 2023ના રોજ નંખાયો હતો. સરકારે ઓર્ડર કર્યો કે માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક, સમયસર અને ગુણવત્તાવાળી થઈ શકે તેમજ મોનિટરિંગની કામગીરી પણ સારી થાય એ માટે ચીફ એન્જિનિયર્સને ઝોન પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. સરકારના ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું, ‘સચિવને દ્વારા ફાઇલ સબમિટ નહીં કરવાની’ જો કે મોટો ફેરફાર 22 ડિસેમ્બર, 2023ના રોજ આવ્યો, જ્યારે સરકારે પત્તા ખોલી નાખ્યા. આ દિવસ ઓર્ડર કરીને માર્ગ અને મકાન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી. એટલું જ નહીં, ઓર્ડરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ અધિકારી સ્વતંત્ર રીતે કાર્ય કરશે અને ત્રણ વિષયોનો સંપૂર્ણ હવાલો સંભાળશે. આ બાબતો માટે તેમને સરકાર, માર્ગ અને મકાન વિભાગના સચિવને ફાઇલો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ ત્રણ વિષયો નીચે મુજબના છે.1- પંચાયત રોડ અને ઇમારતોને લગતી બાબતો2- માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2, વર્ગ-3, વર્ગ-4ના અધિકારી/કર્મચારીઓને લગતી બાબતો3- નેશનલ હાઇવેને લગતી તમામ બાબતો એટલું જ નહીં, આ કક્ષાના અધિકારીને 1,44,200થી 2,18,200ના પે સ્કેલ પ્રમાણે પગાર આપવાનું પણ ઓન-રેકોર્ડ નક્કી થયું. નિવૃત્ત અધિકારીઓને સરકારે કોન્ટ્રાક્ટ પર રાખ્યા, કાયમી ભરતી નથી કરીજે સમયે માર્ગ અને મકાન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવામાં આવી ત્યારે એ.કે.પટેલ સેક્રેટરી હતા. એટલે નવી ઊભી કરાયેલી સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટના પહેલાં લાભાર્થી પી.આર.પટેલિયા હતા. એ.કે.પટેલની નિવૃત્તિ પછી પી.આર.પટેલિયાને સેક્રેટરી બનાવાયા અને સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી જે.એ.ગાંધીને સોંપવાનું નક્કી થયું. 30 સપ્ટેમ્બર, 2025ના રોજ જે.એ.ગાંધીની સત્તાવાર એન્ટ્રી થઈ. તેઓ ગત વર્ષે જ વય નિવૃત્ત થયા હતા. છતાં સરકારે કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે. સરકારની મરજી હોય ત્યાં સુધી જે.એ.ગાંધીને સેવામાં રાખવાની શરતજે.એ.ગાંધીની નિમણૂકને લઈને ગુજરાત સરકારે બહાર પાડેલા ઠરાવમાં લખ્યું, જે.એ.ગાંધીને ઉત્તર ગુજરાત ઝોનના ચીફ એન્જિનિયર અને અધિક સચિવ તથા GSRDCના મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા પર તેઓ હાજર થાય એ તારીખથી એક વર્ષ સુધી અથવા નિયમિત ઉમેદવાર મળે ત્યાં સુધી અથવા સરકાર ઇચ્છે ત્યાં સુધી, આ ત્રણ પૈકી જે પણ વહેલું હોય ત્યાં સુધી વયનિવૃત્તિ બાદની પ્રથમ વર્ષની કરાર આધારિત નિમણૂક આપવામાં આવે છે. સરકારના આ ઠરાવ બાદ 6 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના વહીવટી વિભાગે સત્તાવાર ઓર્ડર કર્યો અને જે.એ.ગાંધીની નિમણૂક પર મહોર લાગી ગઈ. 29 હજાર કરોડના બજેટ પર કોનો કેટલો કંટ્રોલ?સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવા પાછળનું ગણિત પણ સમજવા જેવું છે. માર્ગ અને મકાન વિભાગ પાસે અત્યારે 29 હજાર કરોડ રૂપિયાથી વધુનું સૌથી મોટું બજેટ છે. સરકારને ખ્યાલ જ હતો કે એ.કે.પટેલની નિવૃત્તિ પછી પટેલિયાને સચિવ બનાવવાના થશે. આથી પહેલેથી જ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરીને કાઠુ કાઢ્યું! પદભાર પ્રમાણે માર્ગ અને મકાન વિભાગમાં સેક્રેટરીને મુખ્ય બોસ ગણવામાં આવે છે. પરંતુ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી થયા બાદ હજુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે, આ બે અધિકારીઓમાંથી વધુ પાવરફુલ કોણ છે? આ અંગે જાણકારો જણાવે છે કે, બન્નેને અલગ-અલગ અને સ્વતંત્ર કામગીરી સોંપાઈ છે. જેમાં હાલમાં સેક્રેટરી પી.આર.પટેલિયા પાસે મોટાભાગે સ્ટેટ હાઈવેની કામગીરી છે. જેમાં નવા બ્રિજ બનાવવા, તેના ટેન્ડરિંગ કરવા કામની સોંપણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એ જ રીતે વરસાદમાં રોડ ધોવાઈ જાય તો તેની મરામત સહિતની કામગીરી, બ્રિજ તૂટી જાય તો તેને રિપેરિંગ કરાવવાનું અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનું કામ પણ તેમનું છે. આ ઉપરાંત તેમના વિભાગના ક્લાસ- 1 અધિકારીઓની બદલી કરવાની સત્તા તેમની પાસે છે. જે.એ.ગાંધી પાસે સ્પેશિયલ સેક્રેટરી તરીકે મોટી સત્તાસ્પેશિયલ સેક્રેટરી જે.એ.ગાંધી પાસે પંચાયતના રસ્તાઓની કામગીરી છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરીને તેના પર બ્રિજ બનાવવાનું કે અન્ય મરામત સહિતની કામગીરી કરવાની રહે છે. ઉપરાંત ક્લાસ-2ની બદલી કરવાની સત્તા ગાંધી પાસે રહેલી છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC)ના મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ પણ ગાંધી પાસે છે. GSRDC એ માર્ગ અને મકાન વિભાગ હેઠળની અત્યંત મહત્વની શાખા છે. જેમાં મોટાં હાઈવે અને ટોલ પ્રોજેક્ટ્સની કામગીરી હોય છે. આમ, સ્પેશિયલ સેક્રેટરી અને સેક્રેટરીની જવાબદારી અને પાવર અલગ-અલગ છે. બન્ને પોતાને સોંપાયેલી જવાબદારી નિભાવવા માટે એકબીજાથી સ્વતંત્ર છે. કોઈ કોઈનો બોસ નથી. બન્ને સેક્રેટરીઓ જે તે ફાઈલને એકબીજાને બતાવ્યા વગર કે ચર્ચા કર્યા વગર જ મંત્રી કે મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હોય છે. જે.એ.ગાંધીની જેમ જ માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પદેથી 31 માર્ચ 2026ના રોજ વયનિવૃત્ત થનારા પ્રભાત પટેલિયાને એક વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખી લેવાયા છે. તેઓ નિવૃત્ત થાય તેના બે દિવસ પહેલાં જ તેમને આ જ પોસ્ટ પર ચાલુ રાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. જેને લઈને પણ ગણગણાટ શરુ થયો છે. પટેલિયા આખો દિવસ હાથમાં ફાઈલો રાખીને દોડધામ કરતા નજરે પડે છે. જેને લઈને એવી ચર્ચા છે કે, તેઓ IAS અધિકારીઓ અને મંત્રીઓને એવું બતાવવા માગે છે કે તે સૌથી વધુ કામ કરી રહ્યા છે. પટેલિયા નિવૃત્ત થવાના હતા એ પહેલાં તેમની સામે પણ અનેક આક્ષેપો સાથે સરકારમાં ફરિયાદ થઈ હતી. તેમની સામે ભાજપના જ વડોદરાના ધારસભ્યો તેમજ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના ભાજપના કેટલાક નેતાઓએ ફરિયાદ કરી હતી. તેઓ કોઈનું સાંભળતા ન હોવાની તેમજ ધારસભ્યોએ બતાવેલા કામો નહીં કરતા હોવાની ફરિયાદો હતી. આમ છતાં સરકારે તેમના પર પસંદગી ઉતારી છે. બીજી તરફ જે.એ.ગાંધીની પણ સ્પેશિયલ સેક્રેટરીની પસંદગી ચર્ચાનો મુદ્દો બની છે. 11 જગ્યા ખાલી પણ સરકાર પાસે અધિકારીઓ જ નથીમાર્ગ અને મકાન વિભાગમાં સેક્રેટરી ઉપરાંત સ્પેશિયલ સેક્રેટરીની ખાસ પોસ્ટ ઊભી કરવા પાછળનાં કારણો શું છે? આટલી મહત્વની પોસ્ટ પર શા માટે માત્ર નિવૃત્ત થનારા સચિવોને જ કોન્ટ્રાક્ટના ધોરણે ફરીથી લેવામાં આવે છે? સીધી ભરતી કે અન્ય રીતે આ જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી? આ સંદર્ભમાં 'દિવ્ય ભાસ્કર' દ્વારા સેક્રેટરી પ્રભાત પટેલિયા અને સ્પેશિયલ સેક્રેટરી જે.એ.ગાંધીનો અભિપ્રાય જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મળી શક્યા નહોતા. બીજી બાજુ, વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલમાં આ વિભાગમાં ચીફ એન્જિનિયરની 11 જગ્યાઓ છે. નિયમ મુજબ, 5 વર્ષનો અનુભવ ધરાવતા ચીફ એન્જિનિયરને સેક્રેટરી તરીકે પ્રમોશન મળી શકે છે, પરંતુ હાલમાં આ લાયકાત ધરાવતા કોઈ એન્જિનિયરો ઉપલબ્ધ નથી. લાયક એન્જિનિયરો ન હોવાને કારણે સરકારે આ પ્રકારની કામચલાઉ અને વચગાળાની વ્યવસ્થા ઊભી કરવી પડી છે. નોંધવા જેવી વાત છે કે, હાલમાં આ વિભાગમાં માંડ બેથી ત્રણ કાયમી ચીફ એન્જિનિયર છે. બાકીના મોટાભાગના ચીફ એન્જિનિયરોને નિવૃત્તિ બાદ તરત જ કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ લેવામાં આવ્યા છે. ============================જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, કોઈ વ્યક્તિને છાવરવામાં આવી રહી હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:લવમેરેજ બાદ માવતરે સંબંધ તોડી નાખતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલી આસ્થા વેન્ટિલા સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ પ્રેમલગ્ન બાદ માવતર તરફથી તિરસ્કાર મળતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઉષાબેન રવિભાઈ મહેતા (ઉ.વ. 36)એ પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિણીતાના પતિ રવિભાઈએ જણાવ્યું હતું કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલા પ્રથમ પતિ સાથે ડિવોર્સ લઈને તેમના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થતા પિયર પક્ષે તેમના સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. માવતર તરફથી બોલાવા ન મળતા ઉષાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત
રાજકોટ શહેરમાં માનસિક તણાવની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં કાકાના સ્વપ્નથી ભાવનાત્મક રીતે હચમચી ગયેલા એક યુવાને એસિડ પી આત્મઘાતી પગલું ભરતાં બે મહિનાની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની મળતી માહિતી મુજબ, શહેરના લાલા લજપતરાય ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ઝડુસ હોટલ નજીક નિવાસ કરતા કેવલ કમલેશભાઈ સુરાણી(ઉ.વ. 25)એ ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, શુક્રવારે અચાનક તેમની તબિયત ફરી લથડતા પરિવારજનો તેમને ફરી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી. જોષીને જણાવ્યું હતું કે, મૃતક કેવલ બે ભાઈઓમાં મોટો હતો અને સલૂનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે સહારો આપતો હતો. ચાર વર્ષ પહેલાં તેના પ્રિય કાકાનું અવસાન થયું હતું, જેના કારણે તે અંદરથી તૂટ્યો હતો. ઘટનાથી થોડા દિવસો પહેલાં તેને સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેના કાકા તેને કહી રહ્યા હતા— “બેટા, હું તને લેવા આવ્યો છું…”. આ સ્વપ્ન બાદ કેવલ વધુ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો અને અંતે આઘાતમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષણ વિભાગે હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ડેટાને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત કરવા માટે ‘APAAR ID’ (ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી) બનાવવાની કામગીરીને ‘સેચ્યુરેશન મોડ’ પર મૂકી છે. સમગ્ર ગુજરાતમાં આશરે 70થી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં રાજકોટ જિલ્લામાં 90 ટકા જેટલી કામગીરી થઇ છે. જોકે, હજુ પણ અનેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં વિસંગતતા હોવાથી કામગીરી અટકી છે, જેને પૂર્ણ કરવા માટે તંત્રએ 30 જૂન, 2026ની ડેડલાઈન નક્કી કરી છે. રાજ્યમાં 80% જેટલા વિદ્યાર્થીના APAAR ID બન્યા છે, બાકીના 20% માટે શાળાઓમાં દર શનિવારે કેમ્પ રાખવા શિક્ષણ વિભાગે સુચના આપી છે. જૂન-26 સુધી 100%નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં ડેટા વેરિફિકેશન અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવા માટે દર શનિવારે શાળાઓમાં ખાસ ‘સેચ્યુરેશન કેમ્પ’નું આયોજન કરવા સુચના આપવામાં આવી છે. મુખ્ય સમસ્યા એ સામે આવી રહી છે કે ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ કે જન્મતારીખ સ્કૂલ રેકોર્ડ સાથે મેચ થતા નથી અથવા આધાર સાથે મોબાઈલ નંબર લિંક નથી. આ ટેકનિકલ ખામીઓને કારણે ID જનરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કામગીરી અટકવાના કારણો | ડેટા મિસમેચ, એરર સહિતના કારણો જવાબદાર નુકસાન | એડમિશન, પરિણામ, શિષ્યવૃત્તિ પર અસર, યોજનાથી વંચિત રહી જવાની ભીતિ APAAR ID સરળતાથી બને તે માટે વાલીઓએ આટલું ધ્યાન રાખવું જોઇએ
ગરમીથી ત્રાહીમામ:રાજકોટમાં આકરી ગરમી, 15 દી’માં 30ને હિટસ્ટ્રોકની અસર
એપ્રિલ ની શરૂઆત થતા ગરમી નો પારો દિવસે દિવસે વધવા લાગ્યો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા 15 દિવસ માં 30 વ્યક્તિ ને હીટવેવની અસર હેઠળ સારવાર અપાઈ છે. સિવિલ હોસ્પિટલમાં હીટવેવને લઈને ખાસ વોર્ડ તૈયાર કરાયો છે જો કે તેમાં હજુ સુધી એકપણ કેસ આવ્યો નથી તેવુ અધિક્ષક જણાવે છે. 108ના આકડા પર નજર કરીએ તો રાજકોટમાં છેલ્લા 15 દિવસ માં હીટવેવની અસર હેઠળ અલગ અલગ ઇમરજન્સી સબબ 30 વ્યક્તિને સારવાર ખસેડવામાં આવ્યા છે ભારે ગરમીના કારણે 25 ને તાવ તથા બે વ્યક્તિ ને ઝાડા ઉલટી અને ત્રણ વ્યક્તિ બેભાન થયાના બનાવ સામે આવ્યા છે. શુક્રવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું. હીટવેવના કારણે આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા અંગે માહિતી અને સાવચેતી રાખવાની સૂચના અને ઇમરજન્સી માં નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવાં અનુરોધ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં હજુ એક મહિનો આકરી ગરમી પડશે. આ દરમિયાન ક્યારેક પારો 42 ડિગ્રી કરતા પણ વધી જાય તેવી શક્યતા છે. આવી આકરી ગરમીમાં ખાસ કરીને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ જ કારણે રાજકોટ શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ પણ બંધ રખાયા છે જેથી તડકામાં વાહન ચાલકોને ઉભા રહેવુ ન પડે.
રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉંમરના આ પડાવે સંસ્કારનું પાલન કરવાને બદલે આ શખ્સે ‘રોમિયોગીરી’ કરી પોતાની જ ઉંમરને કલંકિત કરી છે. મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એક્ટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો. થોડી જ વારમાં આ શખ્સે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એક્ટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલા શરૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. લોકો ભેગા થતા ‘વૃદ્ધ રોમિયો’ ની હકીકત બહાર આવી ગઈ. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને 181 પર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને કાબૂમાં લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી. પકડાયેલ આરોપી મવડી મેઈન રોડ ઉદયનગર શેરી નં.2/6ના ખૂણે રહે છે. તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.58) હોવાનું સામે આવ્યું છે. ઉંમરનાં આ પડાવે આવી નીચ હરકતો કરનાર આરોપીને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસરિયાના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી 32 વર્ષીય પરણીતાએ ગર્ભમાં રહેલા બાળકને ગુમાવ્યું હોવાનો આક્ષેપ સાથે પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી પિતૃત્વ સાબિત કરવા DNA ટેસ્ટ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી વિશાખાબેન નીરવભાઈ માઘવાણી(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પતિ દારૂ પીને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો. સાથે જ પત્ની પર શંકા કરીને મોબાઈલ વાપરવા અને પિયર પક્ષ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો. પીડિતાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દઝાડવામાં આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિવાદ વધતા 10 ઓગસ્ટ 2025ના રોજ પરણીતાએ 181 અભયમ હેલ્પલાઈન બોલાવવી પડી હતી. તે સમયે તે ગર્ભવતી હતી, પરંતુ સતત તણાવ અને ઝઘડાના કારણે ગર્ભમાં બાળકના ધબકારા અસામાન્ય બન્યા હતા. અંતે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી DNA ટેસ્ટ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ છે. હાલ પરણીતા પોતાના પિયરમાં રહે છે અને ન્યાય માટે પોલીસનો સહારો લીધો છે. પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આપઘાત:બી. જે. મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત
બી. જે. મેડિકલ કૉલેજમાં જૂનાગઢના કેશોદ પાસેના ગામની વિદ્યાર્થિની જીઆ ડાકીએ ગત સોમવારે હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ઠો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મહત્ત્વનું છે કે તેણે બપોરના 3.45 વાગ્યા સુધી મિત્રોને મેસેજ કર્યા હતા અને પછી અચાનક આત્મહત્યા કરી હતી. બી. જે. મેડિકલ કૉલેજના ડીન અને સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડૉ. મિનાક્ષીબહેન પરીખના કહેવા પ્રમાણે જીઆ ગામથી આવ્યા પછી એકલતા અનુભવતી હતી. બે મહિના સુધી તે ગુમસુમ રહેતી હોવાથી સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં પણ આવી હતી. અહીં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું, તે ફોલોઅપમાં પણ આવી હતી. પરંતુ એક-દોઢ મહિનાથી સારું હોવાનું કહીને કાઉન્સેલિંગ માટે આવતી નહોતી. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ એકલતાનું કારણ જણાવાયું છે. ઘરથી દૂર આવનારા વિદ્યાર્થીઓ એકલતા, તણાવ કે અન્ય કોઇ સમસ્યામાં ન સપડાય ચે માટે સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે, વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે હૉસ્પિટલ કે કૉલેજમાં કામનું ભારણ હવે પહેલાં જેટલું નથી. મોટે ભાગે કામનું ભારણ રેસિડન્સશિપમાં વધુ રહે છે જ્યારે જીઆ અંડર ગ્રેજ્યુએટ હોવાથી કામના ભારણ કરતાં એકલતાને કારણે પગલું ભર્યાની શક્યતા છે.
ભાસ્કર એક્સક્લુસિવ:ગૂજરાત વિદ્યાપીઠના 30 હજાર સભ્ય ઘેરબેઠાં પુસ્તક મેળવી શકશે
ગૂજરાત વિદ્યાપીઠે ગાંધીજીની વિચારધારાના પ્રસાર-પ્રસાર માટે જાહેર પુસ્તકાલય થકી પહેલ કરી છે. પુસ્તકાલયના 30 હજાર સભ્ય ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ www.gujaratvidyapith.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠાં પુસ્તકો મેળવી શકશે. વિદ્યાપીઠની સ્થાપનાથી, 105 વર્ષથી પબ્લિક લાઈબ્રેરી કાર્યરત છે. તેમાં 3 લાખ જેટલાં પુસ્તક છે. ગૂજરાત વિદ્યાપીઠમાં જનરલ સ્ટડીઝ, ફિલોસોફી, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સ્પેસ સાયન્સ, ફાઈન આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, એજ્યુકેશન સહિતનાં 3 લાખ જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે.આ પુસ્તકોનો લાભ આશરે 30 હજાર જેટલા સભ્યો ઘણાં વર્ષોથી લઈ રહ્યા છે. આ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે ! સભ્યોને પુસ્તકાલયમાં આવવાની જરૂર નહીં રહેગૂજરાત વિદ્યાપીઠના કાયમી સભ્યો ઘણાં વર્ષોથી લાઈબ્રેરીમાં રૂબરૂ આવીને પોતાને મનગમતા પુસ્તકો પસંદ કરીને પોતાના ઘરે લઈ જતા હોય છે. અમારી લાઇબ્રેરીના સભ્યોને પ્રત્યક્ષ આવવાના સ્થાને વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની તક મળી રહે તે માટે કુલનાયક હર્ષદ પટેલના દિશાનિર્દેશ અનુસાર આ ઉપક્રમ ગત નવેમ્બરથી હાથ ધરવામાં આવ્યો છે. જો કે હજી વધુ ને વધુ લોકોને જાણકારી નથી. વધુ ને વધુ સભ્યો આની જાણકારી મેળવે તે આવશ્યક બાબત છે. વધુ ને વધુ લોકો આનો લાભ મેળવે તે આવશ્યક બાબત છે.’ > રંજન મકવાણા, ડેપ્યુટી લાઈબ્રેરિયન, ગૂજરાત વિદ્યાપીઠ
બ્લૂમબર્ગ રિપોર્ટ:5 વર્ષમાં 5 વખત બદલાઇ એશિયાના અમીરની ખુરશી
5 વર્ષમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિની ખુરશી 5 વખત બદલાઇ છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણી એકવાર ફરી મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણી 8.59 લાખ કરોડ સાથે 19મા અને મુકેશ અંબાણી 8.42 લાખ કરોડની સંપત્તિ સાથે 20મા ક્રમે છે. યાદીમાં 6 ગુજરાતી સહિત 23 ભારતીય અબજપતિ સામેલ છે. તેમની કુલ સંપત્તિ 51 લાખ કરોડ છે, જે ભારત સરકારના 2026-27ના બજેટ 52 લાખ કરોડ જેટલી છે. ગૌતમ અદાણી (2026) મુકેશ અંબાણી એશિયામાં નંબર 1- કોણ ક્યારે? દેવા, શેરના ભાવમાં વધઘટથી ફેરફાર થતો રહ્યો ઇલોન મસ્ક વિશ્વમાં સૌથી ધનિક, ગૂગલના લેરી પેજ બીજા ક્રમે ટોપ-10 પાસે 240 લાખ કરોડ, 500 ધનિકોની સંપત્તિના 24% 6 ગુજરાતીની સંપત્તિ 21 લાખ કરોડ રાજ્યના 16 વર્ષના કુલ બજેટથી વધુબ્લૂમબર્ગની યાદીમાં અદાણી-અંબાણી સહિત 6 ગુજરાતી સામેલ છે. તેમની કુલ સંપત્તિ 21 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે 2010-11થી 2026-27 દરિયાન 16 વર્ષમાં રાજ્ય સરકારનું કુલ બજેટ 20 લાખ કરોડ થાય છે. દિલીપ સંઘવી 2.23 લાખ કરોડ સાથે 107મા ક્રમે, સમીર મહેતા 80 હજાર કરોડ સાથ 433, પંકજ પટેલ 77 હજાર કરોડ સાથ 447 અને સુધીર મહેતા 76 હજાર કરોડ સાથે 456મા ક્રમે છે.
આયુર્વેદિક ડૉક્ટરોને એલોપેથી દવાઓ લખવાની મંજૂરી આપવા મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં વળાંક આવ્યો છે. હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીને નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિને ટેકો આપ્યો છે ‘ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ ઍસોસિયેશન’ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે બીએએમએસ કોર્સમાં તેમને મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથીની પણ તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં હાલના નિયમો મુજબ તેઓને એલોપેથી દવાઓ લખવાની કરવાની મંજૂરી નથી, જેના કારણે પ્રેક્ટિસમાં મર્યાદા ઊભી થાય છે. આયુર્વેદ ડૉક્ટરને તાલીમ અને જ્ઞાનના આધારે મર્યાદિત રીતે એલોપેથી દવાઓ લખવાની કાનૂની છૂટ આપવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની અછત વચ્ચે આ નિર્ણયથી દર્દીઓને વધુ ઝડપથી સારવાર મળી શકે.અરજીમાં 2018ના સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઈન્ટિગ્રેટેડ મેડિસિન સિસ્ટમ હેઠળ તાલીમ લીધેલા ડોક્ટરોને રાહત આપવામાં આવી હતી. આ કેસમાં નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનદ્વારા અરજીને ટેકો આપવામાં આવ્યો છે, જે અરજદારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી રાજ્ય સરકાર અને મેડિકલ સંસ્થાઓ પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ માંગનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે એલોપેથી પ્રેક્ટિસ માટે માત્ર એમ બી બી એસ લાયકાત ધરાવતા ડોક્ટરોને જ મંજૂરી હોવી જોઈએ, જેથી દર્દીઓની સલામતી જળવાઈ રહે.ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારીને રાજ્ય સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે અને આ કેસને 2006થી પેન્ડિંગ સમાન અરજી સાથે સાંભળવાનો નિર્ણય લીધો છે.
ઐતિહાસિક વસઈ કિલ્લો 8 મહિનાથી દરવાજા વિહોણો
ગત વર્ષે પૂરમાં દરવાજો ધોવાઈ ગયો હતો પુનઃ સ્થાપનાનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ચૂક્યો છે, ટૂંક સમયમાં કામ શરુ થવાનું આશ્વાસન મુંબઈ - ઐતિહાસિક વસઈ કિલ્લાનો દરવાજો ઓગસ્ટ ૨૦૨૫માં પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જોકે, આઠ મહિના પછી પણ આ દરવાજા પુનઃપ્રસ્થાપિત થયા નથી. આર્કિયોલોજી વિભાગના દાવા મુજબ આ દરવાજાના સમારકામનો પ્રસ્તાવ મંજૂૂર થઈ ગયો છે અને તેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરાશે.
પાલનપુરમાં નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલ રીઢા ગુનેગાર અને અગાઉના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ પણ તે ફરી નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા PIT હેઠળ કેસ કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દેવાયો હતો. જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં PIT હેઠળનો આ બીજો કેસ નોંધાયો છે. પાલનપુરમાં હેરોઈન સહિતના નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ઈશ્વરભાઈ ઉર્ફે હેન્ડલ કેશાભાઈ સલાટ સામે પોલીસે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. આરોપી માનસરોવર ફાટક વિસ્તારમાં રહેતો હતો અને અગાઉ જામનગર તેમજ બનાસકાંઠામાં NDPSના બે ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.. ડ્રગ્સ હેરાફેરી રોકવાનું કામ PIT NDPS એક્ટનું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું કે,PIT NDPS Act માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટેનો અટકાયતી કાયદો છે. સામાન્ય NDPS Act ગુનો થયા બાદ કાર્યવાહી કરે છે, PIT NDPS ગુનો અટકાવવા માટે અગાઉથી જ કડક પગલાં લે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારી આ કાયદા હેઠળ 1 વર્ષ સુધી, અને ગંભીર કેસમાં 2 વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખી શકે છે. જામીન મળવા મુશ્કેલ હોય છે અને માત્ર એડવાઈઝરી બોર્ડ સમક્ષ રજૂઆત થઈ શકે છે. ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ, હેરાફેરી, ફાઈનાન્સિંગ અથવા આશરો આપતા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. ગેરકાયદે કમાયેલી મિલકતો પણ જપ્ત થઈ શકે છે.
દાંતા તાલુકાના ચેખલા ગામે 10 ફૂટ ઊંચા શેડ પરથી નીચે પડતાં 7 વર્ષીય બાળકના મોઢામાંથી ભારે રક્તસ્ત્રાવ થવા છતાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે માત્ર એક કલાકમાં સફળ સર્જરી કરી બાળકના તૂટી ગયેલા જડબાને ફરીથી યોગ્ય બનાવ્યું હતું. દાંતા તાલુકાના ચેખલા ગામે 7 વર્ષીય રાહુલભાઈ પશુના શેડ ઉપરથી અંદાજિત 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળી રહ્યું હતું. પડતાની સાથે જ બાળક બેહોશ થઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.પરિવારે 108 મારફતે બાળકને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સિવિલના ડેન્ટલ વિભાગને તપાસ દરમિયાન બાળકના મોઢામાં ભારે સોજો અને જડબું તૂટી ગયેલું હોવાનું જણાતા સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં જડબામાં ફ્રેક્ચર સ્પષ્ટ થતાં તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવાયો હતો.સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમે લગભગ એક કલાકમાં સફળ સર્જરી કરી હતી. ઇન્ટ્રાઓરલ ટેક્નિકથી જડબું સ્થિર કરાયું અને બાળકને ખાવામાં સરળતા રહે તે માટે ખાસ સ્પ્લિન્ટ મુકાયું હતું. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી હતી
કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ડોળીયા બાઉન્ડ્રીથી એક સેવાભાવી વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન ટીમને તેમની મદદ લેવા માટે બોલાવેલ સેવાભાવી વ્યક્તિએ જણાવ્યું કે રાજકોટ હાઇવે પર ચોટીલા તરફ જતા ડોળીયા બાઉન્ડ્રી એ એક પીડિત મહિલા માર્ગ પર ભટકતા હતા ઘણા સમયથી નાગેશ્વર આશ્રમની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેઠેલા છે. જેથી તે પીડિતાના આશ્રય માટે મદદ માંગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેમાં કાઉન્સિલર મેત્રા રીંકલ કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા તેમજ પાયલોટ મહેશભાઈ સભાડ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે ઘણા સમયથી પીડિતી હતી અને અલગ અલગ વિસ્તારમાં ભટક્યા કરતી હતી. અંદાજે એક અઠવાડિયાથી તે નાગેશ્વર આશ્રમની બહાર ઓટલે બેઠેલ છે. જેથી આશ્રમના બાપુએ તેમને જમવાનું આપેલ વાત કરવા ની ટ્રાય કરેલ પરંતુ તે બાપુને કાંઈ જણાવતા નથી માટે બાપુએ પીડિતાને આશ્રય મળે માટે ગામના સરપંચના છોકરાને વાત કરેલી સરપંચના દીકરાએ શિવાલય સેલટર હોમ જશાપરના પ્રમુખ નીતાબેન જાની જોડે કોન્ટેક કરી તેમને પીડિતાને લેવા માટે બોલાવેલ નીતાબેનની જોડે ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. પરંતુ પીડિતા ગભરાઈ ગયેલ તે તેમનું સાચું સરનામું પણ જણાવતા ન હતા. બંને ટીમે તેમને સાત્વના આપી તેમજ તે વાનમાં બેસવા તૈયાર થતા ન હતા. ઘણા પ્રયાસ કરી પછી લાગણી તેમજ પ્રેમ ભાવથી ખૂબ સમજાવી પીડિતા મહિલાને તેમની વાનમાં બેસવા તૈયાર કરેલ પછી તે આશ્રય જવા માટે રાજી થઈ ગયેલ પીડિતાને ન કોઈ ઘર હોય ન કોઈ પરિવાર હોય સતત રસ્તે જીવન પસાર કરતા હોય માટે તેમને આશ્રય તેમજ સુરક્ષાની ખૂબ જ જરૂર જણાય 181 મહિલાને ખૂબ પ્રયત્ન કરી મહિલાને શિવાલય સેલટર હોમમાં આશ્રય અપાવેલ હતો.
ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે હુમલો કર્યો:મહિયારી ગામે માતા પુત્ર પર શખ્સનો હિચકારો હુમલો
કુતિયાણાના મહીયારી ગામે અગાઉના મનદુઃખમાં એક શખ્સે માતા પુત્રને લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓને પહોચાડી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના મહીયારી ગામે રહેતા વિજય માલદેભાઈ સોલંકીને દશેક દિવસ પહેલા આ ગામના કરણ પરબત પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી તથા ઝઘડો થયેલ હતો, જે વાતનુ મનદુખ રાખી શખ્સે યુવાનને તથા યુવાનના માતા મંજુબેનને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરી. લોખંડના પાઈપ વડે માર મારી શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી અને મંજુબેનને માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ પરબત પરમાર સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.
સાંઢિયાવાડની ઘટના:પાણી સમજી એસિડનો ઘૂંટડો પી જતા પરિણીતા સારવારમાં
પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી એક પરણિતાએ પાણી સમજીને એસિડનો ઘૂંટડો પીવાઈ જતા તેણીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાંયા એસએસસી રોડ પર સાંઢિયાવાડમાં રહેતી આરતીબેન વિજયભાઈ આગઠ નામની 26 વર્ષીય પરણિતાએ ગત તા. 16/4ના રોજ સવારે પોતાના ઘરે ઘરકામ કરતા હતા ત્યારે પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ જતા આ પરણિતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ પાણી સમજીને એસિડની બોટલ માંથી એક ઘૂંટડો પીવાઈ ગયો હોવાનું પોલીસ ચોપડે જાહેર કર્યું છે. પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી ઋતુ રાબા ચલાવી રહ્યા છે.
શારીરિક માનસિક ત્રાસ આપી પત્નીને માર માર્યો:રાણાવાવના રાણા વરવાળા ગામે પરિણીતાને પતિનો ત્રાસ
રાણાવાવના રાણા વરવાળા ગામે રહેતો એક પરણિતાને તેના પતિએ ઝગડો કરી બોલાચાલી કરી ગાળો કાઢી લાકડી વડે શરીરે માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. રામજીભાઈ જીવણભાઇ ધૂમલીયાની પુત્રી મનીષાબેનના લગ્ન રાણાવાવના રાણા વરવાળા ગામે વાડી વિસ્તારમાં વિઠલ નથુભાઈ ઓડેદરા સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન મનીષાબેન સાથે તેનો પતિ વિઠલ અવાર નવાર નાની નાની વાતોમાં બોલાચાલી તથા ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી શારીરિક માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તાજેતરમાં આ પરિણીતાના પતિએ મનીષાને બંને પગના સાથળના ભાગે લાકડી વડે માર મારી એક લાકડીનો ઘા માથાના ભાગે મારી લોહી નિકળતી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિઠલ નથુભાઈ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
પોરબંદર રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ (વિશિષ્ટ સેવા મેડલ), ફ્લેગ ઓફિસર કમાંડિંગ ગુજરાત નેવલ એરિયા તથા તેમની પત્ની સોમા ગુરુએ પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહેમાનોને ગુરુકુલની અનોખી શિક્ષણ પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળાના શૈક્ષણિક, શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટેના કાર્યક્રમો જેમ કે અભ્યાસ, રમતગમત, સંગીત, નૃત્ય, યોગ, ધ્યાન અને મૂલ્ય આધારિત શિક્ષણ વિશે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તેમજ તેમણે નેતૃત્વ વિકાસ પ્રવૃત્તિઓ, રમતગમતમાં સિદ્ધિઓ, સાંસ્કૃતિક તાલીમ અને હોસ્ટેલ આધારિત શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દ્વારા મહેમાનોને આર્ય કન્યા ગુરુકુલના વિશિષ્ટ શિક્ષણ માહોલને નજીકથી સમજવાનો અવસર મળ્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી.શાળાના વ્યવસ્થાપન, પ્રિન્સિપલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ આ પ્રેરણાદાયી મુલાકાત અને માર્ગદર્શન માટે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો
મતદાર જાગૃતિ અંગે પ્રેરણા અપાઇ:કમલાબાગ ખાતે 50થી વધુ મહિલાએ અમેઅવશ્ય મતદાન કરીશું'' અંગે શપથ લીધા
સ્થાનિક સ્વરાજ્ય એકમો જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકાની સામાન્ય/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ 2026 યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા કમલા નહેરુ બાગ, પોરબંદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.. સ્ત્રી નિકેતન સંસ્થા, પોરબંદર દ્વારા ચૈત્ર માસ ઉત્સવ પ્રસંગે વન ભોજન અને દાબડા ઉજવણી પ્રસંગે ઉપસ્થિત 50 થી વધુ મહિલાઓ, સ્ત્રી નિકેતનના પ્રમુખ ઉષાબેન હાથી, કમિટીના સદસ્યો અને દુર્ગાબેન લાદીવાલા વગેરે સન્નારીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે શપથ લેવામાં આવેલ. ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને સદસ્ય બહેનોએ કમલાબાગ જેવા જાહેર સ્થળ પર મતદાર જાગૃતિ અંગે શપથ લઇ, સમાજના લોકોને વધુ ને વધુ મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વેપ ટીમના ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી. આ અંગે બહેનોને મતદાર જાગૃતિ અન્વયે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડેલ અધિકારી સંદિપ સોની સહિત સ્વેપ ટીમના બધા સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
પોરબંદર મનપાની ચૂંટણીમાં પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો શરૂ કરી મતદારોને રીઝવવા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે ભાજપે પણ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે જેમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં નવા 15થી વધુ વચનો આપ્યા, 8 વચન રીપીટ કર્યા છે. આ 8 વચન પૂરા ન થતા 5 વર્ષમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. પોરબંદર મનપાની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના સંકલ્પ પત્રમાં ભાજપ મનપામાં આવશે તો સ્માર્ટ સ્ટ્રીટલાઇટ, પાણી વિતરણ, ગાંધી સ્મૃતિભવન, નવા શૌચાલય, પોરબંદર દર્શન બસ, સ્મશાનભૂમિ, રવીન્દ્ર રંગમંચ બનાવવું જેવા જૂના વચન તેમજ ઇન્ફસ્ટાક્ચર સુવિધા, મનપા ભવન, ભૂગર્ભ ગટરના કામો, સ્ટ્રોમ વોટર લાઇન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પાણી પુરવઠા,બ્રિજ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, બ્યુટીફિકેશન, સ્પોર્ટ્સ, હેરિટેજ, ગાંધીજીના સિધ્ધાંત આધારિત વિકાસ કામો પૂરા કરશે તેવું સંકલ્પ પત્રમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જૂના 8 વચનમાં સ્ટ્રીટલાઇટો સ્માર્ટ કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે ત્યારે શહેરમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઈટ બંધ થવાની ફરિયાદો બંધ થઈ નથી, કોરોના કાળ પહેલા થી જ ગાંધી સ્મૃતિ ભવનમાં ગાંધીજીના જીવન ચરિત્ર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ હાલતમાં છે જેને ચાલુ કરવા સંકલ્પ લેવામાં આવ્યો છે જ્યારે વર્ષોથી રવિન્દ્ર રંગમંચ બિસ્માર હાલતમાં છે જેને 5 વર્ષમાં રિપેર કરી શક્યા નથી તે આધુનિક બનાવવા સંકલ્પ કર્યો છે. વર્ષોથી સ્મશાન ભૂમિ પણ બિસ્માર છે તે સ્મશાન ભૂમિને નવેસરથી બનાવવા સંકલ્પ લેવાયો છે. સિટી બસ ચાલુ કરી છે પરંતુ અગાઉના વચન મુજબ પોરબંદર દર્શન સીટી બસ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. આધુનિક શૌચાલય બનાવવાના વચનો સામે 5 વર્ષમાં શૌચાલયમાં સુવિધામાં વધારો કરાયો નથી. જ્યારે ગત વખતે પીવાના પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા વચનો પાયા હતા જેમાં હજુપણ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત વિતરણ થાય છે ત્યારે આ વખતે ભાજપે પાણી વિતરણ વ્યવસ્થા અંગે વચન આપ્યું છે. આમ ભાજપે 8 જેટલા જૂના વચનો રીપીટ કર્યા છે. પાલિકા અને મનપામાં ઘણો ફરક પડશે : ભાજપ જિલ્લા પ્રમુખ અગાઉ જે વિકાસના કામો માટેના વચનો હતા તેમાં જે તે વખતે પાલિકા હતી અને પાલિકામાં મર્યાદિત ભંડોળ હોય છે જ્યારે પાલિકા અને મનપામાં ઘણો ફરક છે. હવે પોરબંદર મનપા બની છે એટલે વિકાસના કાર્યો માટે વધુ ગ્રાન્ટો આવશે જેથી વિકાસના કામોના વચનો પૂરા કરવામાં આવશે.> ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ, પોરબંદર પોરબંદર કોંગ્રેસના વિકાસ વચનો શહેરના વિકાસ માટે કોંગ્રેસે મહત્વપૂર્ણ વચનો આપ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે માસ્ટર પ્લાન અને શહેરવાસીઓને નિયમિત શુદ્ધ પાણી આપવાની યોજના છે. લારી-ગલ્લા ધારકોને લાઇસન્સ આપી સુરક્ષા આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ સરળ બનાવાશે અને વ્યાજ ઘટાડાશે. ઉદ્યોગોના પ્રદૂષણ માટે નિયંત્રણ વ્યવસ્થા ઉભી કરાશે. વોર્ડમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેન્ડની સુવિધા સાથે રસ્તાઓ સમથળ બનાવી પરિવહન વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરાશે. > રાજવીર બાપોદરા, શહેર પ્રમુખ કોંગ્રેસ, પોરબંદર
પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકો સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિંગલ અને મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે હાલ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયા છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રકિયા પૂર્ણ થતાં હાલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેથી હાલ જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.અને પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે. પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતમાં સિંગલ ચોઈસ ઇ.વી.એમ.મશીન તેમજ મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.આ ઇ.વી.એમ.ઉપરાંત ચૂંટણી સાહિત્ય પણ આગામી દિવસોમાં ફાળવણી કરવામાં આવશે. આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયાપોરબદર શહેરમાં આવેલ ઇ.વી.એમ.ના સ્ટોગરૂમમાંથી આજે જિલ્લા અને તાલુકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવવામાં આવ્યા હતા.આ તમામ ઇ.વી.એમ.પોલીસ સુરક્ષા સાથે ફાળવવામાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં આ ઇ.વી.એમ.ચકાસણી સહિતની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર દ્વારા GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી નીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ફુવારા સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે કાર્યકરો એકત્રિત થયા હતા અને GCAS સામે નારાબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેને સુધાર્યા વગર સ્વીકાર્ય નથી. GCASની ખામીઓ દૂર કરી તાત્કાલિક સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો GCASમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:આખરે સુભાષનગરમાં પીવાનું પાણી વિતરણ કરાયું
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જે અંગે ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરતા જ તંત્ર દ્વારા પાણી વીતરણ કરાયું હતું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12 હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, સુભાષનગરમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ ન થયું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું. આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે. મનપા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ કરવામાં આવતા જ મનપા તંત્ર દ્વારા તાકીદે સુભાષનગર વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
રવિપાકની આવક જોવા મળી:સૌથી વધુ ઘઉંની 8,300 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.400 થી 421 ભાવ બોલાયા
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ધાણાની 8,300 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.400 થી 421 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 2500 કિલો,બાજરો 50 કિલો,ચણાની 1000 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 2500 કિલો,ઘઉંની 8,300 કિલો,જુવારની 800 કિલોની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1140 થી 1330 ભાવ,બાજરો રૂ.421 ભાવ,જીરુના રૂ.3300 થી 3900 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1450 થી 2310 ભાવ અને ચણાના રૂ.980 થી 1000 ભાવ બોલાયા હતા. ચણાની ખરીદી શરૂ થતાં યાર્ડમાં આવક ઘટીપોરબંદરના યાર્ડમાં અગાઉ સૌથી વધુ ચણાની આવક જોવા મળતી હતી ત્યારે હાલ પોરબંદરના યાર્ડ સહિતના સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં યાર્ડમાં ચણાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
મુસાફરો થયા પરેશાન:માંગરોળ- સાળંગપુર રૂટની બસગાદોઇ ફાટકે જ બંધ પડી ગઈ !
એસ.ટી તંત્ર દ્રારા મુસાફરોને સારી સવલતો આપવા માટે નવી નકોર બસ દોડાવવામાં આવી રહી છે. પરંતુ જૂની બસનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવતું ન હોય અધવચ્ચે જ રહેતી હોય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર પોતાના સ્થળે પહોંચી શકતા નથી ત્યારે જ ગુરૂવારે બપોરના 4 વાગ્યાની આસપાસ ગાદોઇ ફાટક પાસે માંગરોળ-સાળંગપુર રૂટની બસ અધવચ્ચે જ રહી હતી અને આગળનું ટાયર બેસી જતા મુસાફરોને ઉતારી અન્ય બસમાં બેસાડવાની નોબત આવી હતી.
શ્રીજી સેલ્સ કોર્પો.માં એલસીબી ત્રાટકી:સ્પોર્ટસ સાધનો સાથે દારૂનો પણ ધંધો કર્યો
શહેરમાં એમ જી રોડ, સુભાષ પાણીપુરીની સામે ડિલકસ પાન વાળી શેરીમાં પોતાની રમત ગમતના સાધનોની શ્રીજી સેલ્સ કોર્પોરેશન નામની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી અને છૂટક વેચાણ થતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ગુરૂવારની રાત્રે ત્યાં ત્રાટકી હતી. અહીંયા 2 શટરવાળી શ્રીજી સેલ્સ કોર્પોરેશન દુકાનમાં રેઇડ પાડી હતી. દરોડા દરમિયાન જગમાલ ચોક, પીપળાવાળી શેરી, જૈન ઉપાશ્રયની સામે રહેતા 52 વર્ષીય વેપારી ઇમરાન ગુલામ મહમદ પટણી અને અશોકનગર, હીરાપન્ના કોમ્પ્લેક્સ વાળી શેરીમાં આવેલ બંસી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 33 વર્ષીય જયદિપ સુરેશભાઇ ચરાડવા દુકાનમાંથી મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા દુકાનમાં સ્પોર્ટ્સના સાધનોની આડમાંથી રૂપિયા 76,800ની કિંમતના વિદેશી દારૂની 81 બોટલ મળી આવતા બંને શખ્સની દારૂ, 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,36,800ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. અંબિકા ચોકના રહીશ શખ્સ પાસેથી લાવ્યા'તા બંને આરોપીએ દારૂનો જથ્થો અંબિકા ચોકમાં રહેતા ભરત જોબનપુત્રા ઉર્ફે સોડા વાળો પાસેથી મેળવી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભરત જોબનપુત્રાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:જૂનાગઢમાં 6545 સામે અટકાયતી પગલા, 1659 હથિયારો જમા લીધા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને અનુલક્ષીને જૂનાગઢ રેન્જમાં ભયમુક્ત અને ન્યાયી વાતાવરણ જાળવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જ ચૂંટણીલક્ષી કડક કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વો સહિતના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા બીએનએસએસ અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ કુલ 6545 શખ્સો સામે અટકાયતી પગલા લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જમાં કુલ 1874 પરવાનાવાળા હથિયારો પૈકી 1659 હથિયારો જમા લેવામાં આવ્યા છે, તેમજ 213 હથિયારો મુક્તિ, જપ્ત અને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 3 જિલ્લામાં 23 ચેકપોસ્ટ બનાવાઇરેન્જના જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં 23 ચેકપોસ્ટ ઉભી કરી કુલ 14765 વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ 207 હિસ્ટ્રીશીટરો પર નજર રાખવામાં આવી રહી છે. 56.23 લાખનો દારૂ કબજે લીધોજુનાગઢ રેન્જમાં પોલીસ ટીમોએ દેશી અને વિદેશી દારૂ પર ત્રાટકીનેકુલ રૂપિયા 56,23,842ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં15901 વિદેશી દારૂની બોટલોનો પણ સમાવેશ થાય છે. રેન્જમાં 1,480બિન-જામીનપાત્ર વોરંટમાંથી 1142ની બજવણી કરવામાં આવી હતી.ઉપરાંત 15 જેટલા નાસતા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પકરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ભાસ્કર વિશેષ:સિકલ સેલ એનીમિયાથી પીડાઇ રહેલી 20 વર્ષિય યુવતીની સર્જરી કરી 4 કિલોની બરોળ દૂર કરાઈ
જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ. (GMERS) સિવિલ હોસ્પિટલના તબીબોએ સિકલ સેલ એનીમિયા જેવી બીમારીથી પીડાતી 20 વર્ષીય યુવતીની જટિલ સર્જરી પાર પાડી તેને નવું જીવન આપ્યું છે. આ યુવતી જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેની બરોળનું કદ સામાન્ય કરતાં અનેકગણું વધી ગયું હતું (Grade 4 Splenomegaly), જેને કારણે તેના જીવનું જોખમ ઊભું થયું હતું. સર્જરી વિભાગના વડા ડો. દિગંત શિકોતરાના માર્ગદર્શન હેઠળ ડો. અમિત ભુવા અને તેમની ટીમે 6 એપ્રિલના રોજ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સિકલ સેલના દર્દીઓમાં સર્જરી દરમિયાન લોહીના ગઠ્ઠા થવા કે અન્ય અંગો નિષ્ફળ જવાનું જોખમ હોય છે. સર્જરી દરમિયાન જોવા મળ્યું કે બરોળ અન્ય અંગો સાથે મજબૂતીથી જોડાયેલી હતી, પરંતુ સર્જનો અને એનેસ્થેસિયા ટીમની મહેનતથી ઓપરેશન સફળ રહ્યું હતું. દર્દીને સારવાર દરમિયાન કુલ 12 યુનિટ લોહીના ઘટકો ચડાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ મોંઘી અને જટિલ સર્જરી આયુષ્માન કાર્ડ (PMJay) યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે. 3 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ યુવતી હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું . શું છે સિકલ સેલ અને સ્પ્લેનોમેગેલીસિકલ સેલ એનીમિયા એ એક વારસાગત રક્ત વિકાર છે જેમાં લાલ રક્તકણો દાતરડા જેવા આકારના બની જાય છે, જે લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે. જ્યારે આ પ્રક્રિયાને કારણે બરોળ (Spleen) લોહીને ફિલ્ટર કરવાનું કામ વધુ પડતું કરવા લાગે ત્યારે તેનું કદ અસામાન્ય વધી જાય છે (સ્પ્લેનોમેગેલી), જે જીવલેણ બની શકે છે.
ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ 1976ની જોગવાઈનું ઉલ્લંઘન કરીને તૈયાર કરાયેલી આ ટીપી સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. કલમ 45 મુજબ એક પણ ફાઈનલ પ્લોટ ફાળવ્યા વગર જ આખી યોજના થોપી દેવાઇ છે. નિયમ 17 હેઠળની બેઠકમાં તમામ જમીન માલિકોએ લેખિત વિરોધ નોંધાવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા લોકશાહીના મૂલ્યોને નેવે મૂકી સ્કીમ આગળ ધપાવવામાં આવી રહી છે. 900 કરોડના તોતિંગ ખર્ચવાળી આ યોજના માટે ન તો જમીન માલિકો તૈયાર છે, ન તો સરકાર પાસે પૂરતી ગ્રાન્ટ ઉપલબ્ધ છે.યોજનામાં ખાનગી માલિકીની જમીનો પર 40% કપાત લાદી દેવામાં આવી છે. કલમ 40(3) ના ખોટા અર્થઘટન દ્વારા તૈયાર કરાયેલા ગેરકાયદે ''ફોર્મ F'' અને ''ફોર્મ G'' માં વળતરની રકમો અને આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. વેચાણ હેતુ માટે લાખો મીટર જમીન અનામત રખાઈ છે, પરંતુ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કોઈ સ્પષ્ટ નીતિ જાહેર કરાઈ નથી. ખેડૂતોની માંગ છે કે આ જમીન સંપાદન માટે સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવે અથવા યોજના રદ કરવામાં આવે. ટીપી રદ્દ નહીં થાય તો આંદોલન7/12 ના ઉતારા મુજબ અલગ માલિકી ધરાવતા ખેડૂતોને સંયુક્ત પ્લોટ ફાળવીને વિવાદનું બીજ રોપવામાં આવ્યું છે. આ અન્યાયી વહેંચણી રદ કરી 712 મુજબ સ્વતંત્ર ફાઈનલ પ્લોટ આપવાની ઉગ્ર માંગ ઉઠી છે. વારંવારની રજૂઆતો છતાં લોકોના પ્રશ્નોને અવગણી ગેરકાયદેસર યોજના બનાવનાર અધિકારીઓ સામે કડક દંડનાત્મક પગલાં લેવાની માંગણી કરાઈ છે. જો આ અન્યાયી ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના એંધાણ છે. 40 નહીં પણ 35ટકા સામાન્ય કપાત30 લાખ ચોરસ મીટરમાં ટીપી નંબરપાંચ નો વિકાસ કરવામાં આવશે.જેમાં 35% સામાન્ય કપાસ થશે.આ કપાસ 40% ની હોય છે. આજેઓનર્સ મિટિંગ બોલાવવામાં આવીહતી જેમાં જમીન હિતધારકો,જમીન માલિકો હાજર રહ્યા હતા.લેવા પટેલ સમાજ ખાતે યોજાયેલીઆ ઓનર્સ મિટિંગમાં કપાત અનેબેટરમેન્ટ ચાર્જ મામલે વિરોધ થયોહતો. હવે જેને પણ વાંધા સુચનહોય તે 27- 4 -2026 સુધી વાંધાસૂચનો રજૂ કરી શકશે. > કે.વી.બાટી , એડિશનલ કલેકટર ,જુડા
દારૂ ઝડપાયો:ખોરાસા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી, કારમાં 1 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
ચોરવાડ વિસ્તારમાં પોલીસે ખોરાસા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી કારમાં 1 લાખના દારૂ સાથે 3 શખ્સને ઝડપી લઇ રૂપિયા 5.23 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. 1 શખ્સ નાસી જતા તપાસ હાથ ધરી હતી. ચોરવાડ પોલીસની ટીમ શુક્રવારે સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડારી ગામે રહેતો જગા ભગા બામણીયા તથા વેરાવળનો ચંદ્રેશ રામા સિંધી તેની કબૂતરી રંગની જીજે 32 બી 6453 નંબરની કારમાં દારૂનો જથ્થો ભરીને વેરાવળના ડારી ગામે જગા ભગા બામણીયાના ઘરે જાય છે. આ બાતમી આધારે પોલીસે ખોરાસા ગામ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી હતી. કારને ઉભી રખાવતા જ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી જગમાલ ઉર્ફે જગો ભગાભાઈ બામણીયા, વેરાવળનો રવિન્દ્ર પ્રવિણચંદ્ર પરમાર અને હરિયાણાનો ભુપસીંગ બલબીરસીંગ શ્યોરણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે એક આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કારની તલાશી દરમ્યાન સીટ નીચેના ખાનામાંથી રૂપિયા 1,00,400ની કિંમતના ઇંગ્લિશ દારૂની 502 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર, 6 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપી ચંદ્રેશ રામભાઈ સિંધીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દારૂ હરિયાણાથી લાવ્યા હતા પૂછપરછમાં આરોપી જગ મારુ કે જગોએ જણાવ્યું કે, દારૂનો જથ્થો નાસી છૂટેલ ચંદ્રેશ સિંધી અને આરોપી ભુપસીંગ હરિયાણા બાજુથી ભરીને લાવ્યો હતો અને જગમાલ ઉર્ફે જગો બામણીયા તથા રવિન્દ્ર પરમાર માટે ડારી ગામે પોતાના ઘરે લઈ જવાનો હતો.
કાર્યવાહી:ગુજસીટોકમાં પૂર્વ નેતા સહિત 8નો જેલમાંથી કબજો, 6 દિ'ના રિમાન્ડ
જામનગર શહેરમાં પુર્વ કોર્પોરેટરો અસ્લમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં અગાઉ 14 શખસો ઝડપાયા હતા. જેમાં અલ્તાફ ખફી હત્યાના પ્રયાસ સહિતના 8 શખસો ફાયરીંગ પ્રકરણમાં જેલમાં હોવાથી તેનો ગુજસીટોકમાં કબજો લઈને 6 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરી છે. જ્યારે રીમાન્ડ પુર્ણ થતાં 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પુર્વ કોર્પોરેટર અસલમ અને અલ્તાફની ગેંગના કુલ 29 શખસો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં અસલમ સહિતના 14 શખસોની અગાઉ ધરપકડ કરી રીમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જે બાદ અસલમની ગેંગના અસલમ કાદરભાઈ શેખ, ઈસ્માઈલ ઉર્ફે ધરાર હશનભાઈ માંડલીયા, નદીમ મોહમદહુશેન ખીલજી અને લતીફ ઉર્ફે લતીફ બાપુ હાજીભાઈ શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લીધા બાદ આજે રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોકની કોર્ટમાં રજુ કરીને અમદાવાદ અને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે. આ દરમિયાન સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પહેલાથી જ હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં રહેલા પુર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી તેમજ તેના ગેંગના સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો રજાકભાઈ ચૌહાણ, ઈસ્તીયાક યુનુશભાઈ કુરેશી, મોસીન ઉર્ફે પસાસીયા મહેબુબભાઈ રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ, તબરેજ રફીકભાઈ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો જાનમામદ બ્લોચનો કબજો લીધો છે, અને આજે આઠેયને રાજકોટ ગુજસીટોક કોર્ટમાં રજુ કરીને આગામી તા.23 સુધી રીમાન્ડ પર લીધા છે. તેની આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. અલ્તાફ ખફી ગેંગના હજુ અબુસુફીયાન રહેમાનભાઈ કુરેશી અને ઓસમાણ મુસાભાઈ ખફીની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ વોર્ડનં-12માં અલ્તાફ ખફી કોંગ્રેસમાંથી અને અસલમ ખીલજી આપમાંથી ચુંટણી લડી રહ્યા છે. તેઓ બન્ને જેલમાં છે અને તેઓની સાથે પેનલમાં રહેલા સાથી ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બન્ને આરોપીઓ ગત ટર્મમાં સાથે મળીને કોંગ્રેસમાંથી ચુંટણી લડ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:જી.જી.ની ઘોર બેદરકારી, તંત્રની આળસનેકારણે કેથ લેબ માટે આવેલા 7 કરોડ પરત ગયા
સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જી.જી.) સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે અત્યાધુનિક કેથ લેબ (Cath Lab) સ્થાપવા માટે ₹7 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંકલનના અભાવે આ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો નથી અને અંતે આ રકમ સરકારમાં પરત ખેંચાઈ ગઈ છે. જામનગર અને આસપાસના દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો દર્દીઓ હૃદયરોગની સારવાર માટે જી.જી. હોસ્પિટલ પર નિર્ભર છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ વર્ષ્ 2024માં કેથ લેબ ક્યાં બનાવવી તેને લઈને લાંબો સમય કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહીં. વહીવટી તંત્ર દ્વારા જરૂરી મશીનરીની ખરીદી કે બાંધકામ માટેના ટેન્ડરો સમયસર બહાર પાડવામાં આવ્યા નહીં. સરકારી નાણાં પરત જવાથી જામનગરની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં હૃદયરોગના ગંભીર દર્દીઓને કાં તો ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ કરવો પડે છે અથવા તો ગંભીર હાલતમાં રાજકોટ કે અમદાવાદ રીફર થવું પડે છે. ઘણીવાર રસ્તામાં જ દર્દીઓ દમ તોડી દેતા હોય છે. જ્યારે સરકાર આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચ કરવાની તૈયારી બતાવે છે, ત્યારે સ્થાનિક સ્તરે આવી બેદરકારી કેમ? શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે? આ ઘટનાએ સાબિત કર્યું છે કે માત્ર બજેટ ફાળવવાથી સુવિધા નથી મળતી, પણ તેને અમલમાં મૂકવાની દાનત હોવી પણ જરૂરી છે. આ એક ગંભીર વહીવટી નિષ્ફળતા છે જે સીધી રીતે સામાન્ય માણસના જીવ સાથે જોડાયેલી છે. જો સમયસર કામગીરી થઈ હોત, તો આજે જામનગરના અનેક દર્દીઓના જીવ બચાવી શકાયા હોત. કેથ લેબ માટેની કામગીરી સુપ્રિ.એ શરૂ કરીજી.જી. હોસ્પિટલમાં કેથ લેબની જરૂરિયાત ઘણા વર્ષોથી છે. અગાઉના તંત્રના અણઆવડતના કારણે રૂા.7 કરોડ પરત ચાલ્યા ગયા. હવે નવા તબીબી અધ્યક્ષ ડો. વિજય પોપટ દ્વારા કેથ લેબ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે માટે ફાઈલો અને મિટીંગો થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કેથ લેબ માટેના પૈસા આવી જશે તેમજ લેબ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે તેમ જાણવા મળે છે.
વાતાવરણ:શહેરમાં મહત્તમ પારો 34.5 ડિગ્રીએ સ્થિર
જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનમાં વધ-ઘટ નોંધાઈ રહી છે. ત્યારે શુક્રવારે સવારે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. પરંતુ બપોરના સમયે સુર્યદેવતાના આકરા તાપથી લોકો પરસેવે લેબજેબ બની ગયા હતા. જામનગરમાં ગત સપ્તાહે સીઝનનું સૌથી ઉંચું 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં આકુળ-વ્યાકુળ બની ગયા હતા. જે બાદ તાપમાનનો પારો નીચે સરકીને શુક્રવારે બીજા દિવસે પણ મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ સ્થિર થયો છે. જયારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. તો ભેજનું પ્રમાણ 72 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 25 કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો. જેમાં બપોરના સમયે સુર્યદેવતાના આકરા તાપથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. તો બીજી બાજુ લોકોએ ગરમીથી રાહત મેળવવા મેળવવા માટે પંખા તેમજ એસીનો સહારો લીધો હતો.ગરમીના લીધે બાળકો તેમજ વૃદ્વોએ બપોરના સમયે ઘરમાંથી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગરમીથી બચવા માટે છાયડાઓનો સહારો લઈ રહ્યા છે.
સમસ્યા:લાખોટા તળાવની કેનાલના કાઢીયામાંથી ગંદા પાણીનો નિકાલ, રોગચાળાનો ભય
જામનગરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં વરસાદી પાણી લાવતી કેનાલમાં આવતું ગંદુ પાણી રણજીતસાગર રોડ પરના કાઢીયાથી રંગમતીમાં નિકાલ કરવામાં આવે છે. પરંતુ હાલ ગંદુ પાણી સોસાયટીઓ મારફત પસાર થતું હોવાથી ગંદકીના કારણે સોસાયટીના લોકોને ભારે હાલાકી પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવના કારણે સોસાયટીમાં બીમારીની પણ દહેશત ફેલાયેલી છે. સ્થાનિક રહેવાસીઓ માટે સળગતી સમસ્યા બની ગઈ છે. શહેરના લાખોટા તળાવમાં વરસાદી પાણી લાવતી કેનાલ દરેડથી આવે છે, પરંતુ લાલપુર બાયપાસ ચોકડીથી દરેડ તરફની કેનાલમાં અમુક ઉદ્યોગોનું પાણી ઠાલવવામાં આવે છે. જેથી કેનાલમાં થોડું પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આ પાણી લાખોટા તળાવમાં ન પહોંચે તે માટે લાલપુર બાયપાસ ચોકડી પાસે તેમજ મારુ કંસારા સમાજની વાડીથી થોડે આગળ અને ગ્રીન સીટી પાસે કાઢીયા બનાવવામાં આવ્યા છે. તે કાઢીયા મારફત પાણી રંગમતી નદીમાં ઠાલવવામાં આવે છે. પરંતુ હાલ મારૂ કંસારા સમાજની વાડીની નજીકના આવેલા કાઢીયામાંથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને તેમાં અમુક હોટલોવાળા તેમજ અન્ય ધંધાર્થીઓ ગંદા પાણીનો નિકાલ કરતા હોવાથી તે તમામ ગંદુ પાણી મંગલધામ તેમજ કનૈયા પાર્ક સહિતની સોસાયટીઓમાંથી પસાર થાય છે. જેથી આ ગંદા પાણીના તલાવડા ભરાયેલા રહેતા હોવાથી સોસાયટીના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સુવિધા:મહાનગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલ દોઢ મહિના બાદ શરૂ, શહેરીજનો ઉમટી પડ્યા
જામનગર મહાનગરપાલિકા હસ્તકના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં આવેલા સ્વમિંગ પુલનું દોઢેક માસ સુધી ચાલેલા મેન્ટેનન્સના કામ બાદ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો સ્વીમિંગ પુલનો લાભ લેવા પહોંચી ગયા હતા. શહેરના મ્યુ.તંત્રની બિલ્ડીંગથી નજીક અને તળાવની પાળ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સ્વીમિંગ પુલના મેન્ટેનન્સનું કામ છેલ્લા દોઢેક માસથી ચાલી રહ્યું હતું. જે કામ પુર્ણ થયા બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી શહેરીજનો સ્વિમીંગ પુલનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સ્વિમીંગનો લાભ લઈને ઠંડક મેળવી રહ્યા છે. હાલ એક-એક કલાકની બેચીંસ રાખવામાં આવી છે. જેમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે અલગ-અલગ બેચીંસ રાખવામાં આવી છે. આ સ્વિમીંગ પુલમાં મોટી સંખ્યામાં રમતવીરો પ્રેક્ટિસ કરવા માટે આવે છે અને કલાકો સુધી સ્વિમીંગની મોજની સાથે-સાથે પ્રેક્ટિસ પણ કરે છે. તો ઘણા ખેલાડીઓ આ સ્વિમીંગ પુલમાં પ્રેક્ટિસ કર્યા બાદ રાજ્યકક્ષાએ રમી આવ્યા છે.
માર માર્યો:ભાઇ સાથે મળી પતિએ પત્નીને ફટકારી
બગસરા આઈ.ટી.આઈ. નજીક બાળકોની કસ્ટડીના વિવાદને લઈને પતિએ ભાઈ સાથે મળી પત્ની અને સસરાને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પરણિતાએ પતિ અને તેના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ આપી છે. ધારીના ડાભાળી જીરા ગામે રહેતી નીલાબેન ઉર્ફે નિલેશ્વરીબેન લગધીર બસીયા (ઉ.વ.૩૩)ને તેમના પતિએ આશરે ચાર વર્ષ પહેલા ઘરેથી કાઢી મુક્યા હતા અને બાળકો તેમની પાસે રહેતા હતા. સમયાંતરે પતિ લગધીરએ બગસરા ફેમિલી કોર્ટમાં બાળકોની કસ્ટડી મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટ બાળકોની કસ્ટડી સોંપવાનો હુકમ ન થતાં પતિએ તેનો ખાર રાખ્યો હતો. ગઈકાલે બપોરે આશરે 02:15 વાગ્યે બગસરા આઈ.ટી.આઈ. નજીક સાવરકુંડલા મણિનગરમાં રહેતા પતિ લગધીર રામકુભાઈ બસીયા તેના ભાઈ વનરાજ રામકુભાઈ બસીયા GJ-14-AP-1132 નંબરની કારમાં આવી પહોંચ્યા હતા. અને મહિલાને તથા તેમના પિતાને ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેમાં લગધીરે તેની પત્નીને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો, જ્યારે વનરાજે મહિલાના પિતા હકુભાઈ દાડુભાઇ વાળાને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નીલાબેન બસિયાએ લગધીર રામજીભાઈ બસિયા અને વનરાજ રામજીભાઈ બસિયા વિરુદ્ધ ફરિયાદ આપતા બગસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા દરોડો:IPL મેચ દરમિયાન રમતા સટ્ટા પર પોલીસનો દરોડો
બાબરા શહેરમાં આઈપીએલ ટી-20 ક્રિકેટ મેચ દરમિયાન ચાલી રહેલી સટ્ટાબાજી પર પોલીસ દ્વારા દરોડો પાડતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે આશરે 08:15 વાગ્યે બાબરા શહેરના મોટા બસ સ્ટેશન સામે આવેલ સેવન સ્ટાર કોમ્પ્લેક્ષ નજીક આઈપીએલની મેચ પર સટ્ટાબાજી ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ત્યારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી બાબરામાં રહી હેર કટીંગનો ધંધો કરતો સંદિપ અરવિંદભાઇ બગથળીયા (ઉ.વ.37) તથા લોન્ડ્રીનું કામકર્તા અલ્પેશ જનકભાઇ વાળા (ઉ.વ.42) ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજકોટ રહેતા અને મૂળ પીપળીયા ગામનો હરેશ પીલુકીયા અને બાબરાના ધમભાઈ બસીયા અને વિવેક પ્રવિણભાઇ પોપટ સહિત ત્રણ શખ્સો પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 10500 રોકડા અને મોબાઇલ ફોન મળી કુલ 28500નો મુદ્દામાલ કબજે કર્યા છે. આ મામલે પોલીસે અરવિંદભાઇ બગથળીયા, અલ્પેશ જનકભાઇ વાળા, હરેશ પીલુકીયા, ધમભાઇ બસીયા અને વિવેક પ્રવિણભાઇ વિરુધ્ધ ફરિયાદ આપ્યા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નાસતો ફરતો આરોપી ઝડપાયો:પત્નીને ત્રાસ આપી 3 વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો
રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 21 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચના અને એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોર્ડએ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શારીરિક-માનસિક ત્રાસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર શખ્સને અમદાવાદથી ઝડપી લીધો હતો. અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે પાનસડાના રમેશ મુળાભાઇ સોંધરવા (ઉ.વ. 43) ને ઝડપી પાડ્યો છે. રમેશ સોંધરવા પોતાની પત્નીને લગ્ન જીવન દરમિયાન નાની નાની બાબતોમાં અવાર-નવાર મેણા-ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. જોકે, તેમજ મહિલાને ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેની સામે બાબરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના બાદ તે પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર હતો. જેના પગલે કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઈ એન.જી. સાપરા અને તેમની ટીમે રમેશ સોંધરવાને બાતમીના આધારે અમદાવાદથી ઝડપી લીધો હતો.
વનમંત્રીને રજૂઆત:ઉનાળા વેકેશન પૂર્વે નવી આકર્ષક વ્યવસ્થા ઉભી કરવા વનમંત્રીને રજુઆત કરવામાં આવી
અમરેલી જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ માટે વધુ આકર્ષક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે દિપડાની વ્યવસ્થા શરૂ કરવાની માંગ ઉઠી છે. ધારી સફારી પાર્ક ખાતે દીપડાને પણ લાવવાની માંગે જોર પકડ્યું છે. હાલ પાર્કમાં મુલાકાતીઓ મુખ્યત્વે સિંહ અને હરણનું નિરીક્ષણ કરી શકે છે, પરંતુ જો દિપડાને પણ અહીં રાખવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે રાજુલાના પૂર્વ વાઈલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઈ લહેરી દ્વારા ગુજરાત રાજ્યના ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વનમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં શાળા અને કોલેજોમાં ઉનાળાની રજાઓ શરૂ થવાની હોવાથી આ સમયગાળામાં પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આંબરડી સફારી પાર્ક ખાતે દિપડાને રાખવા માટે જરૂરી પાંજરાં પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા છે. જો આ ઉનાળાની રજાઓ શરૂ થાય તે પહેલા દિપડાની સુવિધા શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓ માટે પાર્ક વધુ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તેમજ પાર્કમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સાથે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓને પણ રોજગાર અને આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને ઉનાળા વેકેશન પહેલાં આ સુવિધા શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
વેધર રિપોર્ટ:અમરેલીમાં કાળઝાળ ગરમી, પારો 40 ડિગ્રીને પાર
અમરેલીમાં એપ્રિલ મહિનાના મધ્યમાં જ આકરો તાપ પડી રહ્યો છે. જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. આજે અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 40.3 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમી પડી હતી. અમરેલીમાં આજે લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જો કે માત્ર ગરમી જ નહીં પણ હવામાં 67 ટકા ભેજ નોંધાવાને કારણે અમરેલીવાસીઓ અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. અમરેલીમાં દિવસ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 5.9 કિલોમીટરની રહી હતી. પવનની ગતિ ઓછી હોવાથી અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીની તીવ્રતામાં વધારો અનુભવાયો હતો. જો કે સવારે વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ બપોરના સમયે આકરો તાપ પડ્યો હતો. હવામાન વિભાગે અમરેલીમાં 19 અને 20 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરી છે.
મોરબીમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં મનમેળ ન થવાથી પત્ની પતિને છોડીને ઘરેથી નીકળી ગઈ હતી. પતિએ શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા પોલીસમાં ગુમસુદા નોંધાવી હતી. દરમિયાન પત્નીને એક જાગૃત નાગરિકની મદદથી 181 ટીમનો ભેટો થઈ જતા અભયમ ટીમે સમજાવી પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવ્યો હતો. મોરબીમાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિક દ્વારા જાણ કરાઇ હતી. એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી સ્થળ પર પહોંચી અને મહિલાને સાંત્વના આપી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું. મહિલાએ જણાવ્યું કે પતિ સાથે થયેલા મનમેળના અભાવે તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ટીમે મહિલાને સમજાવી અને આવી પરિસ્થિતિમાં ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી. મહિલાના જણાવેલા સરનામે પહોંચી ટીમે તેના પતિ સાથે પણ વાતચીત કરી. પતિએ પત્નીને શોધવા આસપાસ અને ઓળખીતાઓમાં પૂછપરછ કરી રહ્યા હતા અને માહિતી ન મળતાં પોલીસમાં ગુમ થયાની અરજી પણ કરી હતી. અભયમના પાયાના સિધ્ધાંતો કાઉન્સેલિંગ દ્વારા સમાધાન : દંપતી વચ્ચે વાતચીત કરાવી, સમસ્યાનો મૂળ સુધી પહોંચી ઉકેલ લાવવા. ભાવનાત્મક સપોર્ટ : માત્ર કાયદાકીય નહીં, પણ માનસિક અને લાગણીસભર સહાય આપવી ઘર બચાવવાનો પ્રયાસ : દરેક કેસમાં પરિવાર તૂટે નહીં એ માટે ખાસ ધ્યાન આપવું ટીમ વર્ક : પોલીસ, કાઉન્સેલર અને સમાજના સહયોગથી સંકલિત પ્રયાસ સાધવા. એકલી રહ્યા પછી પત્નીને ઘર અને પતિની કિંમત સમજાઇ181 ટીમે બંને પતિ-પત્નીને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેમાં ઝઘડા ટાળવા અને એકબીજાની કાળજી રાખવા માટે સમજાવ્યું. મહિલાએ પણ ખાતરી આપી કે હવે પછી તે પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘર છોડશે નહીં. અંતે બંને ફરી સાથે રહેવા તૈયાર થયા. આ રીતે 181 અભયમ ટીમે મહિલાનું તેના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું. મહિલાના પતિએ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો દેશની જેના પર નજર હતી કે મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર થયું છે. વિપક્ષે પ્રચંડ વિરોધ કર્યો હતો અને બિલની વિરુદ્ધમાં વધારે મત પડ્યા હતા. આ પછી બીજા બે બિલ સંસદમાં નહીં લાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે ઈરાનના વિદેશ મંત્રીએ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણ ખોલવા માટે જાહેરાત કરતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદનો મિનાર તોડી પાડવામાં આવ્યો હતો અને આસપાસના દબાણો પણ તોડાયાં હતાં. ગુજરાતના ખેડામાં લવજેહાદનો હચમચાવતો બનાવ બન્યો છે, જેમાં સગીરાને લવ જેહાદમાં ફસાવીને 9 શખસોએ ગેંગરેપ કર્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. તમિલનાડુમાં રાહુલ ગાંધી ત્રણ સભા ગજવશે 2. હજ યાત્રાળુઓનો પહેલો જથ્થો સાઉદી અરેબિયા જવા રવાના થશે 3. લોકસભામાં મહિલા બિલ નામંજૂર થયા બાદ લોકસભા આગળ વધશે કાલના મોટા સમાચારો 1. મહિલા અનામત બિલ 54 મતોથી નામંજૂર:પાસ થવા માટે 352 જોઈતા હતા, મળ્યા 298; મોદી સરકાર બિલ પાસ કરાવવામાં પહેલીવાર નિષ્ફળ લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી. 21 કલાકની ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ પર પહેલા મતદાન થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026. જેમાં બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની જોગવાઈ હતી, તેના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. લોકસભામાં 528 સાંસદોએ મતદાન કર્યું. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. 528 માંથી બે તૃતીયાંશ મત 352 થાય છે. પરિણામે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. ત્યારબાદ સરકારે બાકીના બે બિલ - બંધારણ બિલ 2026 માં સીમાંકન સુધારો અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ 2026 પર મતદાન કરવાનો ઇનકાર કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યું, કોમર્શિયલ જહાજો પસાર થશે:લેબનોનમાં યુદ્ધવિરામ બાદ નિર્ણય; ટ્રમ્પ બોલ્યા- આભાર, પરંતુ ઈરાનની નાકાબંધી ચાલુ રહેશે ઈરાને કહ્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અનુસાર, આ સમયગાળા દરમિયાન તમામ કોમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી અપાશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના એનરિચ્ડ (સંવર્ધિત) યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા માટે તૈયાર થઈ ગયું છે. એનરિચ્ડ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવા માટે થાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એમ પણ કહ્યું કે બંને દેશ શાંતિ સમજૂતીની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે જો આ ડીલ થઈ જાય છે તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ:અલાહાબાદ હાઈકોર્ટ કહ્યું- 'બેવડી નાગરિકતા મામલે CBI તપાસ કરે', રાહુલ UKમાં મતદાર હોવાનો અરજદારનો દાવો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેવડી નાગરિકતા સંબંધિત કેસમાં શુક્રવારે લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ. આ કેસ નીચલી અદાલતના તે નિર્ણય વિરુદ્ધ છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગને ફગાવી દેવામાં આવી હતી. યુપી સરકાર તરફથી વકીલે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની તપાસ CBI કરે. આના પર જજે મંજૂરી આપતા કહ્યું કે FIR નોંધીને કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. હવે FIR નોંધાયા બાદ પ્રકરણની તપાસ CBI કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો:જુમ્માના દિવસે જ કાર્યવાહી, બાકીનો ભાગ બુલડોઝરથી તોડાઈ રહ્યો છે; DM- SP પહોંચ્યા, ભીડને દૂર કરી ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હેઠળ વહીવટીતંત્ર દ્વારા ગૌસુલવારા મસ્જિદનો ૩૫ ફૂટ ઊંચો મિનાર તોડી પાડવામાં આવ્યો છે. તળાવની જમીન પર બનેલી આ મસ્જિદ તોડવા માટે હાઈડ્રા મશીનનો ઉપયોગ કરાયો હતો. શુક્રવારે બપોરે 1:30 વાગ્યે સંભલમાં એક મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનારો તોડી પાડવામાં આવ્યો હતો. બુલડોઝર હવે મસ્જિદના બાકીના ભાગોને તોડી રહ્યા છે. આ પહેલા સવારે 9:30 થી 1 વાગ્યાની વચ્ચે મસ્જિદની બહારની પાંચ દુકાનો તોડી પાડવામાં આવી હતી. વહીવટીતંત્રે મસ્જિદના મિનારાને તોડી પાડવા માટે બે હાઇડ્રા મશીનો બોલાવ્યા હતા. એક કામદાર મિનારા પર ચઢ્યો, દોરડું બાંધ્યું અને પછી બીજો છેડો બંને હાઇડ્રા મશીનો સાથે જોડી દીધો. ત્યારબાદ મશીનોએ મિનારાને નીચે ખેંચી લીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી તપાસ શરૂ:7 પૂર્વ PM, 3 રાષ્ટ્રપતિ, રાજાની સંપત્તિની તપાસ, 100 મંત્રી અધિકારીઓ પણ તપાસના દાયરામાં નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન બાલેન શાહની સરકારે 5 સભ્યોની ન્યાયિક પેનલ બનાવી છે, જે 2006 થી લઈને 2025-26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે. આ તપાસના દાયરામાં 2005-06 પછીના તમામ 7 વડાપ્રધાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ગિરિજા પ્રસાદ કોઈરાલા, પુષ્પ કમલ દહલ, માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખનાલ, બાબુરામ ભટ્ટરાઈ, કેપી શર્મા ઓલી અને શેર બહાદુર દેઉબાનો સમાવેશ થાય છે. આ સાથે જ બે વચગાળાની સરકારોના પ્રમુખ ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ તપાસના દાયરામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખેડામાં લવજેહાદમાં ફસાવી સગીરા પર ત્રણ વર્ષ સુધી ગેંગરેપ:ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 9 શખ્સોએ આચર્યું કૃત્ય, 8ની ધરપકડ ખેડા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી એક સગીરા પર નવ નરાધમો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે તેણે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બાયડમાં CMનું હેલિકોપ્ટર બગડ્યું:કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણાં, અમદાવાદ-સુરતમાં ભાજપ ઉમેદવારોને ભાગવું પડ્યું અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીએે તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. ગઇકાલે(16 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી બબાલો બાદ આજે રાજ્યભરમાં કોંગ્રેસે લોકશાહી બચાવો ધરણાં કર્યા હતા. અમદાવાદ અને સુરતમાં જનતાનો ઉગ્ર રોષ જોતા ભાજપના ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચાર ચોપડી ભણેલા ગુજરાતીની ચાર-ચાર પત્ની!:50 તોલા સોનાના દાગીના પહેરીને ફરતો, ફિલ્મ સ્ટારોને બનાવ્યા નિશાન, પત્નીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી સેનાએ 12 વર્ષ પછી સીરિયા છોડ્યું:સૈનિકો જોર્ડન પાછા ફર્યા, સરકારે કહ્યું- હવે દેશમાં એક જ વહીવટ ચાલશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપ નેતાની હત્યામાં કર્ણાટક કોંગ્રેસ MLAને આજીવન કેદ:2016ના કેસમાં વિનય કુલકર્ણી સહિત 17ને સજા; CBIએ તપાસ કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ મસ્ક, એશિયામાં અદાણી:બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સની યાદી જાહેર, મુકેશ અંબાણી રુ. 8.42 લાખ કરોડ સાથે 19માં ક્રમે વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : મેદાનમાં હાર્દિક-બુમરાહ વચ્ચે તુતુ-મેંમેં થઈ, રોહિત પણ અકળાયો:શ્રેયસના શાનદાર કેચથી પંડ્યા આઉટ, રધરફોર્ડનું બેટ તૂટ્યું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શનિદેવની આંખો પર કપડું બાંધીને ચોરી ઓડિશાના બાલાસોરમાં એક ચોર મંદિરમાં ઘૂસ્યો. તેણે શનિદેવની આંખો પર કાળો કપડું બાંધ્યું અને પછી ચાંદીનો મુગટ, સોનાનું લોકેટ અને બીજા ઘણા ઝવેરાત લઈને ભાગી ગયો. લોકો કહે છે કે ચોરે પાપથી બચવા માટે આવું કર્યું હતું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટ ટપોટપ ગૂમ:પરમાણુ સિક્રેટ જાણનારા 10 મોટા માથાં ગાયબ, ફોન-ચશ્મા અને પર્સ ભૂલવાની 3 ડરામણી પેટર્ન, રશિયા-ચીન કનેક્શન પર સવાલ 2. ભાસ્કર સિરીઝ : કોર્ટે આસારામને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા કરી: ભક્તો જેલની બહારની ધૂળ માથે ચડાવતા, આસારામનું અડેલું પાણી ચરણામૃત તરીકે પીતા, જુઓ એપિસોડ-39 3. ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘હિન્દી અમારા પર બોજ, તમિળ અમારી માતા’:સ્ટેશનના નામ પર કાળી શાહી, તમિળ લોકો બોલ્યા- જે હિન્દી લાદશે, તમિલનાડુ તેને રિજેક્ટ કરશે 4. આજનું એક્સપ્લેનર:આસિમ મુનીરે ઈરાન સાથે ડીલ કરી, શાહે઼બાઝ સાઉદી પાસેથી 18 હજાર કરોડ લઈ આવ્યા; પાકિસ્તાન બંને પક્ષો પાસેથી કેવી રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે? 5. ફિલ્મી ફેમિલી : આશાતાઇ સ્કૂટર પર અમદાવાદ ફર્યા:અમદાવાદીને ગાળો આપવાની ના પાડી,'હાકરનો કટકો...'નો અર્થ સમજ્યા નહીં; 'માડી તારું...' ગાતાં રડી પડ્યાં 6. MATCH મસાલા : ગ્રાઉન્ડ પર બબ્બે ગર્લફ્રેન્ડ દેખાઈ!:કોહલી કઈ સુંદરીની પોસ્ટ 'LIKE' કરી આવ્યો?; બુમરાહની બૂમ પડી ગઈ, જુઓ VIDEO કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ, ધન અને મકર રાશિને વેપારમાં પ્રગતિ થશે, મીન જાતકોના ઘરે પારણું બંધાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વોરંટ બજવણીના બદલામાં રૂ. 3,000ની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે પ્રજાજન મારફતે લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના?ફરિયાદીના સગા વિરુદ્ધ નેગોશિયેબલ એક્ટની કલમ-138 મુજબ લાલદરવાજા કોર્ટમાંથી ત્રણ વોરંટ નીકળ્યા હતા. આ વોરંટની બજવણી કરવા માટે ફરિયાદી અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અને હોમગાર્ડ કેતન જોષીએ વોરંટની બજવણી કરવાના બદલામાં રૂ. 3,000ની લાંચની માંગણી કરી હતી. એસીબીનું છટકું ગોઠવી વચેટિયાને ઝડપી પાડ્યોલાંચની રકમ સીધી સ્વીકારવાને બદલે પોલીસ કર્મચારીઓએ ફરિયાદીને આ નાણાં વિષ્ણુ પટેલ નામના એક પ્રજાજન (વચેટિયા) ને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન હોમગાર્ડ કેતન જોષીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. હેડ કોન્સ્ટેબલના કહેવાથી વિષ્ણુ પટેલે રૂ. 3,000ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીએ વિષ્ણુ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ શરૂએસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર, હોમગાર્ડ કેતન જોષી અને વચેટિયા વિષ્ણુ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. જે ઘટના પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હત્યાનું કાવતરું મૃતકની સગીર વયની દીકરીએ જ તેના પ્રેમી સાથે મળીને રચ્યું હતું. ઘટનાની પૃષ્ઠભૂમિ અને હત્યાનું કારણપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતી મૃતક મહિલાની સગીર દીકરીને કમલેશ બારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. માતાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, જે દીકરી અને તેના પ્રેમીને મંજૂર નહોતું. કમલેશે આ લગ્નમાં અવરોધ પણ ઊભો કર્યો હતો. અંતે, પોતાની પસંદગીના લગ્ન કરવા માટે દીકરીએ પોતાની માતાને જ રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને તેના પ્રેમીને ઉશ્કેર્યો. ખેતરમાં બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરીઆ ગુનાહિત કાવતરામાં કમલેશ અને તેના મિત્રો ઉપરાંત મૃતક મહિલાના પરિચિત જયેશ પટેલિયાએ પણ સાથ આપ્યો હતો. જયેશને પણ મહિલા સાથે વ્યક્તિગત અદાવત હતી. જયેશની મદદથી મહિલાને રાત્રિના સમયે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવી હતી. ખેતરમાં એકઠા થયેલા આરોપીઓએ મહિલાની બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાને છુપાવવા અને તેને અકસ્માતમાં ખપાવવા માટે, આરોપીઓ લાશને મોટરસાયકલ પર આશરે 18 કિમી દૂર લઈ ગયા અને કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધી. ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈજ્યારે તળાવમાંથી લાશ મળી ત્યારે ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધી ચૌધરી અને મહીસાગર એસપી સફીન હસનની સૂચના હેઠળ કોઠંબા પીઆઈ પી.આર. બલાત અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ ડીવાયએસપી કમલેશ વસાવાએ માહિતી આપી હતી કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર કમલેશ બારીયા, જયેશ પટેલિયા અને બે સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં અંગત સ્વાર્થ અને આવેગમાં આવીને એક દીકરીએ જ પોતાની માતાની હત્યા જેવું જઘન્ય પગલું ભર્યું. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ છૂટી શક્યા નથી.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરીને ગુમાવનારા ગુજરાતી યુવાનને બ્રિટિશ સરકારે તાત્કાલીક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયેલા મહંમદની વિઝા લંબાવવાની અરજી ફગાવી દેતા UK સરકારે આવા બનાવો તો બનતા રહે છે તેમ કહ્યું છે. મહંમદ શેઠવાલા અને તેની 24 વર્ષની પત્ની સાદીકાબાનુ તપેલીવાલા 5 વર્ષ પહેલાં સારી જિંદગીની આશાએ UK ગયા હતા. પ્લેન ક્રેશમાં સાદીકા અને તેની 2 વર્ષની પુત્રી ફાતિમાનું મોત નિપજ્યું હતું. મહંમદ હાલ UKમાં છે પરંતુ તેની સામે મુશ્કેલ પરિસ્થિતિ આવી પડી છે. સાદીકાના ડિપેન્ડન્ટ તરીકે મહંમદને વિઝા મળ્યાં હતા. સાદીકાના મૃત્યુ બાદ હવે મહંમદને 22 તારીખ સુધીમાં UK છોડી દેવાનું કહી દેવાયું છે. ભાસ્કરે મહંમદ સાથે વાત કરીને આપવીતી જાણી હતી. 28 વર્ષીય આ ગુજરાતી યુવાનનું પૂરૂં નામ મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલા છે. તે મૂળ વડોદરાનો રહેવાસી છે. તેણે MS યુનિવર્સિટીમાંથી B.Com કરેલું છે. વડોદરામાં તે પોતાના મિત્રની ટ્રાવેલ કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને 2 ભાઇઓ છે. જેમાંથી એક અભ્યાસ કરે છે અને બીજો દુકાન પર બેસે છે. પત્ની ટીમ લીડર તરીકે નોકરી કરતી હતી2021માં મહંમદના નિકાહ સાદીકાબાનુ સાથે થયા હતા. 2022માં તેઓ લંડન આવ્યા હતા અને સાદીકાએ લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કર્યો હતો. દોઢ વર્ષના અભ્યાસ બાદ તેને 2 વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા મળ્યાં હતા. જે જાન્યુઆરી 2026માં પૂરા થતા હતા. અભ્યાસ બાદ સાદીકાને એક કંપનીમાં ટીમ લીડર તરીકેની નોકરી મળી હતી. જ્યારે મહંમદ તેના પર ડિપેન્ડન્ટ હતો અને ડિપેન્ડન્ટ વિઝા પર UKમાં રહેતો હતો. 23મી જાન્યુઆરીએ તેના વિઝા પૂરા થયા હતા. UK સરકારે કહ્યું- આવા કેસ તો થતાં રહેમહંમદે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા વિઝા પૂરા થયા બાદ મેં FLR (ફર્ધર લિવ ટુ રિમેન) માટે અરજી કરી હતી. આવો કોઇ બનાવ બને તો આપણને સપોર્ટ કરવા માટે UK સરકારે કાયદો બનાવેલો છે. જો સરકારને યોગ્ય લાગે તો તે વિઝા એક્સ્ટેન્ડ કરી દે છે. મારી અરજીનો જવાબ 9 એપ્રિલે આવ્યો. જેમાં એવું કહેવાયું છે કે આવા કેસ તો થતાં રહે છે. તમારે 14 દિવસમાં દેશ છોડવાનો છે. UK સરકારના આવા જવાબથી મહંમદ મુશ્કેલીમાં મૂકાઇ ગયો. તેણે વકીલ સાથે વાત કરી. વકીલે તેને કહ્યું કે આપણે આ કેસ કોર્ટમાં લઇ જઇશું કારણ કે આવા બનાવ દર વખતે નથી બનતા. કદાચ 22 તારીખ મારી UKમાં છેલ્લી તારીખ હશેઃ મહંમદમહંમદે કહ્યું કે, મને નથી લાગતું કે આ પહેલાં આટલા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા હોય. વકીલ પણ એમ વિચારતા હતા કે આ કેસમાં ઇઝીલી વિઝા આપી દેશે. આ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે. જેના કારણે જ ફાઇલ મૂકી હતી પણ UK સરકારે ન સ્વીકારી અને દેશ છોડવા કહ્યું છે. હવે મહંમદ પોતાના વકીલના જવાબની રાહ જુએ છે. તેણે કહ્યું કે, વકીલ આગળ ડેટ અપાવી શકે તો ઠીક છે, નહીં તો ઇન્ડિયા આવી જઇશ. અને જોબ માટે ટાટા ગ્રુપનો જોબ કોન્ટેક્ટ કરીશ. ટાટાએ મને 1 કરોડ અને એર ઇન્ડિયા એ 25 લાખ રૂપિયા આપી દીધા છે. ફાઇનલ કમ્પેન્સેશન માટે માંગેલા ડોક્યુમેન્ટ્સ 3 મહિના પહેલાં આપી દીધા છે પણ હજુ આગળ કંઇ થયું નથી. મહંમદ પહેલાં UKમાં જોબ કરતો હતો પણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તેની જોબ જતી રહી. હવે તે UKમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. મારૂં બધું એકસાથે જતું રહ્યુંઃ મહંમદતેણે કહ્યું કે, આ બનાવ બન્યો એ પહેલા મારી વાઇફને વર્ક પરમિટ મળવાની હતી. અમે લંડન છોડીને રગ્બી ટાઉનમાં રહેવા ગયા હતા. મારી વાઇફે નવી જોબ જોઇન કરી. ત્યાં 3 મહિનાનો પ્રોબેશન પિરિયડ હોય છે. મારા ભાઇના નિકાહ હતા એટલે મારી વાઇફ મહિનાની રજા લઇને જ ગુજરાત આવી હતી. કંપનીએ મને રજા નહોતી આપી એટલે હું મારા પોતાના ભાઇના જ નિકાહમાં ભારત નહોતો આવ્યો. જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે હું કંપનીમાં કહ્યા વગર જ ભારત આવી ગયો હતો કેમ કે દુર્ઘટના વિશે સાંભળ્યા બાદ હું કંપનીમાં જાણ કરવા રોકાઉ તેવા કોઇ હોંશ જ નહોતા. પત્ની સાથે છેલ્લીવાર વાત પણ ન થઇભાસ્કર સાથેની વાતચીતમાં મહંમદે પ્લેન દુર્ઘટનાના દિવસને પણ યાદ કર્યો. તેણે જણાવ્યું કે, દુર્ઘટના ઘટી ત્યારે અહીં UKમાં સવારે લગભગ 8:30 વાગ્યા હતા. એ સમયે હું ઘરેથી નીકળ્યો હતો. મારી વાઇફ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભી હતી. તેણે મને કહ્યું કે ફ્લાઇટમાં બેસીને તમને કોલ બેક કરું છું. 'એરપોર્ટ પર આપવાના ડોક્યુમેન્ટ ઓનલાઇન જનરેટ કરવાના હોય છે. વાઇફના હાથમાં અમારી દીકરી હતી તો એણે મને કહ્યું કે તમે મને જનરેટ કરીને મોકલી આપો. મેં એને અહીંથી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. એ પછી મારે તેની સાથે કોન્ટેક્ટ ન થયો કારણ કે 9 વાગ્યે હું જોબ પર જતો રહ્યો હતો. બપોરે 4:30 વાગ્યે મારે તેમને લેવા એરપોર્ટ પર જવાનું હતું.' દુર્ઘટના અંગે કેવી રીતે જાણ થઇ?મહંમદે આગળ કહ્યું, હું જોબ પર હતો ને મને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે અમદાવાદથી લંડન આવતી ગેટવીક ફ્લાઇટ ક્રેશ થઇ છે. જે મિત્રએ ટિકિટ કરાવી હતી મેં તેને કોલ કર્યો તો તેણે ન ઉપાડ્યો એટલે હું ઘરે ગયો. એ મારો ફ્લેટમેટ છે. મેં તેને કહ્યું કે આવું થયું છે. તેણે તરત જ એર ઇન્ડિયામાં મેલ કર્યો અને ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ આવ્યો નહીં. 10-15 મિનિટ પછી ન્યૂઝ મળ્યા કે મારી પત્ની અને દીકરી જે ફ્લાઇટમાં હતા એ જ ફ્લાઇટ ક્રેશ થઇ છે. ‘એ સમયે મારા બધા મિત્રો એકઠા થયા હતા. એ જ દિવસે સાંજે ફ્લાઇટ લઇને હું ઇન્ડિયા આવી ગયો. મારી દીકરી ફાતિમાનો મૃતદેહ મને 17 જૂને મળ્યો. જ્યારે વાઇફનો મૃતદેહ 22 જૂને મળ્યો હતો.’ પત્ની અને દીકરીના મૃત્યુ બાદ મહંમદનું જીવન ઘણું બદલાઇ ગયું છે. તેને મનોચિકિત્સકની મદદ પણ લેવી પડી હતી. ફોટો-વીડિયો યાદોનો સહારો બન્યાંતેણે જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ મારું જીવન બદલાઇ ગયું છે કારણ કે બધી જ વસ્તુમાં હું વાઇફ પર જ ડિપેન્ડન્ટ હતો. UKમાં જ્યારે નાના છોકરા જોઉં છું ત્યારે દીકરીની બહુ જ યાદ આવે છે. પત્ની સાથે ફરવા ગયો હતો એ ફોટો-વીડિયો મૂકી રાખ્યા છે. એ જોઇને હવે સારું લાગે છે. એમ થાય છે કે જે સમય પસાર કર્યો એ સારી રીતે કર્યો. લગ્ન કર્યા પછી અમે ફરવા ગયા જ નહોતા. 'લંડનમાં આવ્યાના દોઢ વર્ષ બાદ અમે પહેલીવાર ફરવાનો પ્લાન કર્યો હતો કારણ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે અમે પત્નીના અભ્યાસ અને અમારી જોબ પર વધારે ફોકસ કરતાં હતા. એ પછી આઇલ ઓફ વેઈ ફરવા ગયા. એ સમયે ફાતિમા પણ 6 મહિનાની થઇ ગઇ હતી. અમે સૌથી વધારે 4 દિવસ સાથે રહ્યાં હતા. કારણ કે UKમાં અમે બન્ને જોબ કરતાં હતા. વાઇફ જોબ પર જાય ત્યારે દીકરીને સંભળાવા હું ઘરે રહું. એ આવે ત્યારે હું જોબ પર જઉં. જેથી મળવાનું બહુ ઓછું થતું.' 'ભારત આવીશ તો માનસિક સ્થિતિ બગડશે'મહંમદ કહે છે કે, મેં સાયકાટ્રિસ્ટ પણ એપોઇન્ટ કર્યો હતો. UKમાં મેડિકલ સિસ્ટમ એટલી સારી નથી. સરકારી સાયકાટ્રિસ્ટની એપોઇન્ટમેન્ટ સાતેક મહિના પછી મળશે એવું કહ્યું. જેથી મેં પ્રાઇવેટ સાયકાટ્રિસ્ટ પાસે સારવાર શરૂ કરાવી હતી. મેં એ સારવારનો રિપોર્ટ પણ અરજીની સાથે અપલોડ કર્યો હતો પણ UK સરકારે કંઇ સ્વીકાર્યું નહીં. જો હું ઇન્ડિયા આવીશ તો મને પત્ની-દીકરીની યાદ આવશે અને સ્થિતિ સારી થવાના બદલે વધારે બગડી જશે. છેલ્લે તેણે પોતાની દીકરીને યાદ કરીને ભાવુક વાત કરી. તેણે કહ્યું કે, દીકરીની તો વાત જ ન પૂછો. રાત્રે થાકીને જ્યારે ઘરે આવું ત્યારે દીકરી મને હગ કરતી, કિસ કરતી. એ બહુ યાદ આવે છે.ફાતિમા જ્યારે સવારે ઉઠતી ત્યારે તેની મમ્મી જોબ પર હોય એટલે હું તેને તૈયાર કરીને રાખતો હતો. મારા મિત્રો આજે પણ મને એકલો નથી રહેવા દેતા. હું મેસેજ કરું કે જોબ પરથી ઘરે જઉં છું તો કોઇપણ એક ફ્રેન્ડ મારી સાથે રૂમ પર આવીને રહે છે કારણ કે હું એકલો હોઉં તો તેમના ફોટો-વીડિયો જોઇને આંખોમાંથી પાણી આવી જાય છે. હવે મહંમદ સાવ એકલો પડી ગયો છે. તેને કોર્ટમાંથી રાહત નહીં મળે તો પત્ની-દીકરી સાથે જોડાયેલી યાદોને લંડનમાં જ છોડી ભારત પરત આવવું પડશે.
હર્ષ સંઘવીએ સાયલામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:વિકાસ સંકલ્પ સભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર ભાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની મુલાકાત લીધી હતી. તેમણે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધિત કરી હતી. આ મુલાકાત સ્થાનિક સ્વરાજ્યની 2026માં યોજાનારી ચૂંટણીઓના પડઘમ વચ્ચે થઈ હતી, જે રાજકીય ગતિવિધિઓનો સંકેત આપે છે. આ સભામાં લીંબડીના ધારાસભ્ય, સંગઠન મંત્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ દરેક વિસ્તારમાં 100 ટકા મતદાન થાય તે માટે લોકોને આહ્વાન કર્યું હતું. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બને તેવી ટકોર પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન
IPL 2026, Gujarat Titans vs Kolkata Knight Riders : આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે. કેમરોન ગ્રીનની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ સામે આવી છે કે, ફરિયાદીની સગી ભાણેજે જ પોતાની બહેનપણી સાથે મળીને મામાના જ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં બંને યુવતીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે. રોણકી ગામે રહેતા અને ખેતમજૂરી કરતા દિનેશભાઇ સોલંકીના મકાનમાં ગત તારીખ 12/04/2026ના રોજ દિવસ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જ્યારે પરિવાર કામ અર્થે બહાર હતો, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી સોનાનો હાર, પેન્ડલ સેટ, સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2,20,500ની મતાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ચોરીમાં જેતપુરની તનિષા કટારીયા અને વાડલા ગામની તૃપ્તિ ચાવડા સંડોવાયેલી છે. જેતપુર અને વાડલા ખાતે દરોડા પાડી પોલીસે બંને યુવતીઓની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવતીઓએ ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ પોલીસની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ સામે તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલી યુવતીઓ પૈકી તનિષા ફરિયાદી દિનેશભાઇની સગી ભાણેજ હોવાનું ખુલ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તનિષા અવારનવાર તેના મામાના ઘરે આવતી હોવાથી તેને ઘરની તમામ પરિસ્થિતિ અને કિંમતી દાગીના ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી. આ તકનો લાભ લઈને તેણે પોતાની મિત્ર તૃપ્તિ સાથે મળીને આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. મામાના વિશ્વાસનો લાભ લઈને ભાણેજે જ ઘરમાં ગાબડું પાડતા પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.પોલીસે આરોપીઓ પાસેથી સોનાની વીંટીઓ, સોનાના દાણા, ચાંદીની કડલીઓ, સાંકળા, સિક્કા અને રાખડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને યુવતીઓની ધરપકડ કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. માણાવદર પોલીસની આ ત્વરિત કામગીરીથી વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળી છે.
જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ વાત એ છે કે, મહિલાએ આજે સવારે જ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઘરે આવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. રાજીનામું આપ્યા બાદ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતીજૂનાગઢના મધુરમ વિસ્તારમાં અલ્ટ્રા સ્કૂલ પાસે મંગલધામ-1 વિસ્તારમાં રહેતા સુધાબેન વિજયભાઈ સોલંકી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે સરકારી સેવા આપતા હતા. આજે સવારે તેઓ હંમેશ મુજબ પોતાની ફરજ પર ગયા હતા અને ત્યાં નોકરીમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. રાજીનામું આપ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા અને કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક મંગલધામ ખાતેના તેમના નિવાસસ્થાને દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી, જરૂરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપવું અને ત્યારબાદ તરત જ આત્મહત્યા કરી લેવી એ બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. શું મહિલા કર્મચારી પર કોઈ પ્રકારનું દબાણ હતું કે પછી કોઈ અંગત મુસીબતને કારણે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી નાગરિકને 20 વર્ષની કેદ:અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન સાથે ઝડપાઈ હતી
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ગીનાલેન પાડીવાન લીમોનને 4 સાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન મળ્યું હતુંકેસને વિગતે જોતા વર્ષ 2024માં ફિલિપાઇન્સની મહિલા આરોપી ગીનાલેન પાડીવાન લીમોન સામે ઇમિગ્રેશન વિભાગ દ્વારા લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન વિભાગે તેને રોકી હતી. તેની બેગ ચેક કરતા તેની બેગમાંથી 2.121 કિલો જેટલું હેરોઇન મળી આવ્યું હતું. જેથી તેની સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીકોર્ટે નોંધ્યું હતું કે, યુવાધન ડ્રગ્સના રવાડે બરબાદ થઈ રહ્યું છે, જેની અસર તેમના કુટુંબો ઉપર પણ પડી રહી છે. આરોપી વિદેશી નાગરિકે ભારતમાં કોમર્શિયલ ક્વોન્ટિટમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી છે. ત્યારે વિશ્વમાં દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે. આથી આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવે છે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નવસારીના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જલાલપોરના વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને પૂર્વ મંજૂરી વિના શરૂ કરાયું હોવાનું ગણાવીને મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદારના આદેશથી કાર્યવાહીમાહિતી મુજબ, વોર્ડ નંબર 2 ના ગૌરીશંકર મહોલ્લામાં રામદેવપીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું. મામલતદાર કચેરીને ફરિયાદ મળી હતી કે આ કાર્યાલય કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના શરૂ કરવામાં આવ્યું છે. આ ફરિયાદના આધારે મામલતદારના આદેશથી નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગે તાત્કાલિક પગલાં લઈ કાર્યાલયને બંધ કરાવ્યું હતું. ઉમેદવારનો દાવો: આ મારી ખાનગી પ્રોપર્ટી છેકોંગ્રેસના ઉમેદવાર વિપુલસિંહ બી. મકવાણા પોતાનો રોષ ઠાલવતા જોવા મળે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ જગ્યા કોઈ સામાન્ય કાર્યાલય નથી, પરંતુ તેમની પોતાની ખાનગી માલિકીની પ્રોપર્ટી (દુકાન) છે. તેમણે કહ્યું કે, પોતાની જ પ્રોપર્ટીમાં બેસવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. બહારના ખુલ્લા સ્થળ માટે પરવાનગી લેવાની પ્રક્રિયા મામલતદાર કચેરીમાં ચાલી જ રહી છે, પરંતુ તે પહેલાં જ આ કાર્યવાહી કરી દેવામાં આવી છે. ભાજપ પર સત્તાના દુરુપયોગ અને પક્ષપાતનો આક્ષેપકાર્યાલય બંધ કરાવવાની આ કાર્યવાહીને ઉમેદવારે ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. વિપુલ મકવાણાએ સીધો આક્ષેપ કર્યો કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભાજપના કાર્યકરો ગમે ત્યાં મંડપ બાંધી દે છે અને પ્રચાર કરે છે, ત્યારે તેમને કોઈ રોકતું નથી. પરંતુ કોંગ્રેસને ચૂંટણી પ્રચાર કરતા રોકવા અને હેરાન કરવા માટે જાણીજોઈને ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષયનોંધનીય છે કે નવસારી પાલિકાની કુલ 52 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પોતાનું ચૂંટણી કાર્યાલય પણ બચાવી શકી નથી તેવી ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે. પાલિકાની આ કાર્યવાહી બાદ નવસારીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, અને કોંગ્રેસ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવે તેવી શક્યતાઓ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું. દેશ આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ડબલ એન્જિનની સરકારના સહકાર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યું છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થીમ આધારિત બગીચા, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, યુટિલિટી પોલિસી ડેવલપમેન્ટ, ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉનહોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, સિનિયર સિટિઝન પાર્ક, સ્માર્ટ આંગણવાડી ફેઝ-2, દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરતાં આ સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે રજૂ કરવામાં આવ્યું અને કહ્યું કે, લોકોનો ભાજપ પરનો ભરોસો જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહિ અને અન્ય સ્માર્ટ સીટીની માફક વિકાસ કરવા રાજ્યસરકાર કટિબદ્ધ છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
નર્મદા પંચકોશી પરિક્રમા સંપન્ન:એક મહિનામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી
રાજપીપળા: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલી હતી, જેનું સુખદ સમાપન થયું છે. આ એક મહિનાના સમયગાળામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ખાસ કરીને અંતિમ ચરણમાં. સમગ્ર યાત્રા કોઈ મોટી દુર્ઘટના વિના સુપેરે સંપન્ન થઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લીધો હતો. અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા પ્રમુખ સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, આ પરિક્રમા યાત્રા સ્થાનિક રોજગારી માટે એક સારો અવસર બની રહી. નાના વેપારીઓ અને 200થી વધુ ખાનગી વાહનોને રોજગારી મળી, જેનાથી સ્થાનિક મંદિરોની આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થયો. પ્રશાસન દ્વારા લાઇટિંગ અને સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી ભક્તો પ્રભાવિત થયા હતા. સોશિયલ મીડિયાના પ્રચારને કારણે પરિક્રમામાં ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો. શ્રદ્ધાળુઓ આગામી સમયમાં બંને બાજુ બ્રિજ તૈયાર થાય તેવી આશા રાખી રહ્યા છે.
રાજકોટ શહેરના ઉષાબેન રવિભાઈ મહેતા (ઉં.વ. 36) એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલાં પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ રવિભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉષાબેનના માવતર પક્ષને મંજૂર ન હોવાથી માતા સહિતના પિયર પક્ષના સભ્યોએ તેમની સાથેના તમામ વ્યવહારો તોડી નાખ્યા હતા. પરિવારના આ અસ્વીકારને કારણે પરિણીતા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતી વધુ બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈરાજકોટ: રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ રૈયા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા વગર અહીં મજૂરી કામ અર્થે વસવાટ કરતી હતી. SOG દ્વારા આ બાબતે અન્ય તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને બંને મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનામાં રાજકોટમાંથી કુલ 38 બાંગ્લાદેશી નાગરિકો (29 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો) ને ઝડપી પાડી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સગર્ભા પત્નીને પતિએ માર માર્યોરાજકોટ: મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં રહેતી અલ્ફીઝા ઠાસરીયા નામની 25 વર્ષીય સગર્ભા મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સાસુ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા અને પતિ અન્ય યુવતીઓ સાથેના સંબંધો બાબતે ઠપકો આપતા મારપીટ કરતો હતો. તાજેતરમાં પતિ મોરબી જવાનો હોવાથી ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી અલ્ફીઝાએ તેના જંગલેશ્વર સ્થિત દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત પર ઉશ્કેરાઈને પતિ ફેઝલે 'માવતર પક્ષ સાથે સંબંધ રાખવાનો નથી' તેમ કહી પત્નીને માર માર્યો હતો અને દાદીના ઘર પાસે મૂકીને જતો રહ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે પતિ ફેઝલ અને સાસુ કુલસુમબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ-વંથલી હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વંથલીના કોયલી ફાટક નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને ટક્કર મારીજૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભાણજીભાઈ સોલંકી (ઉંમર 50 વર્ષ) પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કોયલી ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાંતિભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 50 વર્ષીય આધેડના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કર્યોઅકસ્માતની આ ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ હાઇવે રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે તેમછતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસે હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો. કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા રોષ ભડક્યો. કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય વચ્ચે સટાસટી બોલી તો કાર્યકરોમાં છૂટા હાથની મારામારી થઈ. આ ઘર્ષણોનો રેલો સુરક્ષા સુધી પણ પહોંચ્યો. ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ વીડિયો.
અમદાવાદમાં અનેક બહારથી આવેલા લોકોને પોલીસનો કડવો અનુભવ થયો છે ત્યારે વધુ એક વખત મધ્યપ્રદેશથી આવેલા એક કરિયર કોચને કડવો અનુભવ થતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે જેના આધારે સાયબર ક્રાઈમ DCPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે મોબાઈલ લઈને પરમિશ વગર મેસેજ અને ફોટો ગેલેરી તપાસીમધ્યપ્રદેશના કરિયર કોચ પંકજસિંહે સોશિયલ મીડિયા મારફતે એવી ફરિયાદ કરી છે કે, તેઓ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેરિયર કોચ તરીકે કામગીરી કરે છે અને કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા. ઓફિસમાં કામ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે CTM નજીક એક્સપ્રેસ-વે પર આવેલી પોલીસ ચેકપોસ્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમનો મોબાઈલ લઈને તેમની મંજૂરી વિના તેમાં રહેલા મેસેજ અને ફોટો ગેલેરી તપાસી હતી. ઉપરાંત તેમને આશરે એક કલાક સુધી અટકાવી રાખીને હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવીઆ સાથે પોલીસ કર્મચારીઓએ તેમના મિત્રની ડાયરી તપાસીને કબુતરબાજીનો શંકાસ્પદ આરોપ પણ મૂક્યો હતો. પોલીસકર્મીઓ તેમની કારમાં બેસીને મોબાઈલ તપાસતા રહ્યા હતા, જ્યારે તેઓને રસ્તા પર ઉભા રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જો કંઈ હોય તો ‘પતાવી દેવા’ માટે કહીને ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પંકજસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મામલો વાયરલ બન્યો હતો. પોસ્ટ શહેર પોલીસના ધ્યાન પર આવતા જ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ ડીસીપી લવિનાસિંહાએ પોસ્ટના આધારે તપાસ હાથ ધરી છે. જો તેમાં તથ્ય જણાશે તો સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીના ત્રણ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં નવરંગપુરામાં એક્સિસ બેંકના એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરે ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી ખાતું ખોલાવવાના નામે રૂ. 1 લાખ પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં નવા વાડજમાં વ્યાજે લીધેલા નાણાં સામે ચાર ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરે મિત્રો સાથે મળી ફૂટપાથ પર લારી ચલાવતા વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રથમ બનાવ: બેંક મેનેજર દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડીનવરંગપુરા એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશ ભીમસુરે ગ્રાહક સૌરભભાઈ પટેલ સાથે છેતરપિંડી આચરી હતી. ઓગસ્ટ 2025માં સૌરભભાઈ નવું કરન્ટ એકાઉન્ટ ખોલાવવા આવ્યા ત્યારે ભાવેશે તેમનો વિશ્વાસ જીતી ખાતું ખોલાવવા માટે ટુકડે-ટુકડે કુલ રૂ. 1 લાખ મેળવ્યા હતા. ભાવેશે આ રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. લાંબા સમય સુધી ખાતું ન ખુલતા ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો અને આંતરિક તપાસમાં કૌભાંડ ખુલતા બેંક મેનેજર કોમલબેને ભાવેશ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો બનાવ: વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યાનવા વાડજમાં રહેતા અને એચ.એલ. કોલેજ પાસે 'મહાલક્ષ્મી ફ્રેન્કી'ની લારી ચલાવતા હેમલ બંસીલાલ શાહે વર્ષ 2022માં ધંધા માટે જીગર અમૃતભાઈ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 1 લાખ લીધા હતા. હેમલભાઈએ અત્યાર સુધીમાં મૂડી અને વ્યાજ મળી કુલ રૂ. 4.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં જીગર દેસાઈ વધુ નાણાંની કડક ઉઘરાણી કરતો હતો. જીગર દેસાઈ 'તારીખ વીત્યા બાદ ડબલ વ્યાજ' માંગતો હતો. ગત 31 જાન્યુઆરીએ જીગર દેસાઈ તેના મિત્ર યશ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે લારી પર પહોંચ્યો હતો અને હેમલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેમલ શાહે આ મામલે જીગર દેસાઈ અને યશ રબારી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજો બનાવ: યુકેના વિઝા માટે બનાવટી ડોક્યુમેન્ટ આપી 24.50 લાખની ઠગાઈવાસણામાં રહેતા અને કન્સલ્ટન્ટનો ધંધા કરતા નિરવભાઇ શાહ સાથે વિઝાના નામે લાખોની છેતરપિંડી થઈ છે. નિરવભાઇએ તેમના એક ગ્રાહક કૃપાબેન પટેલના યુકે વિઝા માટે નડિયાદના ક્રિશ ઓવરસીસના અર્પણ મધુકર અને અમિત પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝા પ્રક્રિયા માટે નિરવભાઇએ બંનેને કુલ રૂ. 24.50 લાખ ચૂકવ્યા હતા. જોકે, આ ઠગબાજોએ મોકલેલા વિઝા સર્ટિફિકેટ અને સીઓએસ (C.O.S) લેટરમાં ગ્રાહકની શૈક્ષણિક વિગતો ખોટી અને બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. રૂપિયા પરત માંગવા છતાં ઠાગાઠૈયા કરતા હોવાથી નિરવભાઇએ બંને શખ્સો વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત અને પારદર્શક માહોલમાં યોજાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અર્પિત સાગરે લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતેના EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત EVMની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હતી. કલેક્ટરે સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા, 24x7 સીસીટીવી મોનિટરિંગ, પોલીસ બંદોબસ્ત અને ફાયર સેફ્ટી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ EVM મશીનોની સુરક્ષિત જાળવણી અને હેરફેર માટેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નોડલ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર માટે ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ જાળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સમીક્ષા મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા માસૂમ બાળક પર દીવાલ કાળ બનીને ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે, સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો?માધવગઢમાં રહેતા સૂર્યસિંહ રાઠોડનો પુત્ર રઘુનંદન (ઉં.વ. 11), જે તે જ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો હતો, તે બપોરના સમયે તેના ત્રણ-ચાર મિત્રો સાથે જૂની અને જર્જરિત પ્રાથમિક શાળાના પટાંગણમાં ક્રિકેટ રમવા ગયો હતો. રમત દરમિયાન અચાનક શાળાની એક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેમાં રઘુનંદન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જ્યારે અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ કાટમાળ ખસેડી બાળકને બહાર કાઢ્યોદીવાલ પડવાનો અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળ ખસેડી રઘુનંદનને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની બેદરકારી સામે સવાલોઆ દુર્ઘટનાએ સરકારી તંત્રની ઢીલી નીતિને ખુલ્લી પાડી દીધી છે. શાળાનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. તંત્રએ બિલ્ડિંગ તોડી પાડવાની મંજૂરી આપી દીધી હતી અને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ હતી. તેમ છતાં, ભયજનક બિલ્ડિંગને સમયસર તોડી પાડવામાં કે તેની આસપાસ રક્ષણાત્મક ફેન્સિંગ કરવામાં ન આવતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં 4 વર્ષ પહેલા પોતાના 2 માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારનાર માતાને અદાલતે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં ગુનો આચર્યોપીઠડીયા-1 ગામમાં ખેતમજૂરી કરતા શ્રમિક બદીયા પલાસની પત્ની ચકુબેન (ઉંમર 26) એ 17 ઓક્ટોબર 2022ના રોજ આ ખોફનાક પગલું ભર્યું હતું. આરોપી મહિલાએ પોતાના 5 વર્ષના પુત્ર દેવરાજ અને માત્ર 3 મહિનાની પુત્રી રીયાને ખેતરના કૂવામાં ફેંકી દીધા હતા. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટના બાદ મહિલા પણ લાપત્તા થઈ ગઈ હતી. જોકે, બીજા દિવસે કૂવામાં બાળકોના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી બાળકોની હત્યાના આરોપસર ચકુબેનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી હતી. અદાલતનો ચુકાદોઆ કેસ જામનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ભારતી વાદીની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.એમ. ક્રિષ્ટીએ આરોપી મહિલાને દોષિત જાહેર કરી હતી. અદાલતે માનવતાને શરમાવતી આ ઘટનામાં કડક વલણ અપનાવી મહિલાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી ભયમુક્ત મતદાન સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક પોલીસ ભવન, ઇણાજ ખાતે યોજાઈ હતી. આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લામાં 15 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, દીવ નજીક ત્રણ વધારાની ચેકપોસ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના જાહેરનામાનું કડક અમલીકરણ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વાહનોની તપાસ કરવામાં આવી છે અને પોલીસે 2100 જેટલા અટકાયતી પગલાં લીધા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં હથિયારના પરવાના ધરાવતા 90 ટકા જેટલા હથિયારો જમા કરાવી દેવામાં આવ્યા છે. પોલીસે જિલ્લામાં હિસ્ટ્રીશીટર, લિસ્ટેડ બુટલેગરો અને જુગારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં 56 હિસ્ટ્રીશીટર અને 51 જુગારીઓ સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો તેમજ મતદારો કોઈપણ જાતના ડર, ભય, લોભ કે લાભ વિના મુક્તપણે મતદાન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહજી જાડેજા સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ SOGએ 13 વર્ષથી વોન્ટેડ ગુનેગાર ઝડપ્યો:અનિલ યાદવ 35 ગુનામાં સામેલ હતો, વાપીમાંથી પકડાયો
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ 13 વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગાર અનિલ બિંદેશ્વર યાદવને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. આરોપી વાપી ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને તેની સામે કુલ 35 ગુના નોંધાયેલા છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા અને એસ.આર. સુસલાદેની ટીમ કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ અને હસમુખ ગીગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આરોપી અનિલ યાદવને વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ પાસે સાગાકાસા બિલ્ડિંગની સામે રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47) મૂળ બિહારના જહાનાબાદનો વતની છે અને હાલ દમણના દાભેલ વિસ્તારમાં રમેશભાઈની ચાલીમાં છુપાઈને રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને IPC કલમ 465, 467 હેઠળ છેતરપિંડી સહિતના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પણ એક અન્ય ઓપરેશનમાં સફળતા મેળવી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 7 વર્ષ જૂના ગુનામાં નાસતા ફરતા આરોપી બીપીન રામપ્રતાપ યાદવ (ઉંમર 29) ને ભિલાડના નાહુલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને સેલવાસમાં રહેતો હતો.
મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું કે આઝાદીના લડવૈયાઓએ સારા રોડ-રસ્તા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવા અનેક સપના જોયા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે આ સપના પૂરા કર્યા છે. તેમણે ગામડાઓ સુધી વીજળી પહોંચાડવા અને આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સારવાર જેવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. સંઘવીએ ખાસ કરીને રોડ-રસ્તાના વિકાસ પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સભામાં ઉપસ્થિત વડીલોને પૂછ્યું કે કોંગ્રેસના શાસનમાં આમરણથી મોરબી જવામાં કેટલો સમય લાગતો હતો, જેના જવાબમાં દોઢથી બે કલાકનો સમય મળ્યો હતો. તેમણે કહ્યું કે આજે ભાજપ સરકારે બનાવેલા ઉત્તમ રોડને કારણે આ પ્રવાસ માત્ર અડધાથી પોણા કલાકમાં પૂર્ણ થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. આ સભા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠકો તેમજ તેની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઘોઘંબામાં યુવક છાપરા પરથી પટકાયો:પતરા સરખા કરતા તૂટ્યું, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે એક યુવક છાપરા પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પવનને કારણે ઘરના પતરા સરખા કરવા ચડેલા યુવકનું પતરું તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 17 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી. સાજોરા ગામના રહેવાસી મહેન્દ્ર બારીયા પોતાના ઘરના છાપરા પર ચડ્યા હતા. વાતાવરણમાં પવન હોવાને કારણે પતરા ઉડી ન જાય તે માટે તેઓ તેને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, પતરું પાતળું હોવાથી મહેન્દ્રના વજનથી અચાનક તૂટી ગયું. સંતુલન ગુમાવતા મહેન્દ્ર સીધા જમીન પર પટકાયા હતા. આ પછડાટને કારણે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહેન્દ્રને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ થઈને હિંમતનગરમાં પ્રવેશ્યા હતા. તેમણે મહેતાપુરા ખાતે વોર્ડ નંબર 1માં કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. તેમની ઉપસ્થિતિમાં વિસ્તારના 20થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સમાજના અગ્રણીઓએ તેમને ચોપડા ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ હિંમતનગરના ઉમિયા વિજય ટીપી રોડ પર વડગામના પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા અને પાલિકાના ઉમેદવાર અમૃત પુરોહિત સહિત સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મારુતિનગર વિસ્તારમાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે સહકારી આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી હડિયોલ રોડ પર આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય સરકારે કરેલા વિકાસકામોની વાત રજૂ કરી હતી. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે વધુ મતદાન કરીને કમળને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટૂંકી મુલાકાત દરમિયાન કાર્યકરોને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે મતદારોનો સતત સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામસિંહ ભાટી, શંભુ ભટ્ટ, અનિરુદ્ધ સોરઠીયા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, ગાયત્રીબેન વાળંદ, તેજલ રાવલ, સાવના ડોડીયાર સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

29 C